We will send you 4 digit OTP to confirm your number
મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઇ રહી છે – તે છે 100 મીટરની દોડ. માત્ર બે દિવસમાં જ પુરૂષો માટેની 100 મીટર દોડમાં ત્રણ વાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો. જે બે ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે, તે છે ગુરિંદરવીર સિંહ અને અનિમેષ કૂજૂર. મે વિચાર્યું કે, આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે
(ફોન કોલ)
પ્રધાનમંત્રીઃ- અનિમેષજી નમસ્કાર, ગુરિંદરવીર આપને પણ નમસ્કાર, સતશ્રી અકાલ.
અનિમેષ, ગુરિંન્દરવીરઃ- નમસ્કાર સર, નમસ્કાર સર.
પ્રધાનમંત્રીઃ- સરસ ભાઇઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે. તમારી જોડીએ પણ બહુ કમાલ કરી છે. અમે સંગીતમાં તો જુગલબંધી જોઇ હતી. પણ હવે રમતના પડકારમાં ય જુગલબંધી હોય છે. કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે. પછી ત્રીજીવાર પણ કરી બતાવે. બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો. હું ઇચ્છું છું કે, મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપના વિશે તેમને જાણકારી મળે. તમે જે પરાક્રમ કર્યું છે તેની માહીતી મળે.
અનિમેષઃ- નમસ્તે સર, મારૂં નામ અનિમેશ કુજૂર. હું બસ્સો મીટર અને ચારસો મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમધારક છું. અને હું છત્તીસગઢનો રહેવાસી છું સર. અને હાલમાં ઉડીસા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઇ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઇ આવ્યો. અને મે 2021માં એથ્લેટીક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપૂરમાંથી પાસ આઉટ થયો છું. અને... હું પહેલાં ફૂટબોલ રમતો હતો. અને મારા માતાપિતા કોવિડ વખતે મને થોડી છુટ આપતા હતા કે તું બહાર જઇને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે, રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે. તો તેમાં જઇને તું ભાગ લે અને મે એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીયકક્ષાએ પસંદ થયો. અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.
પ્રધાનમંત્રીઃ- અને ગુરિંદર વીરજી તમે શું છો ?
ગુરિંદરવીરઃ- નમસ્તે સર. મારૂં નામ ગુરિંદરવીર છે. અને હું ભારતીય નૌકાદળમાં પેટ્ટી ઓફિસર છું. અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મે સો મીટરમાં 10.09 સેકંડનો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે. અને હું પહેલો ભારતીય છું, જે 10.1થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે. અને હું કોશિષ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરૂં. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે, જ્યારે પણ કોઇ તહેવાર આવે છે, જેમ કે, દિવાળી, નવું વર્ષ વગેરે,. તો આપણે પોતાના ઘરની સાફસફાઇ કરીએ છીએ. એ રીતે જ હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો. તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઇ ટ્રોફી સાફ કરતો હતો. ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે, તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા. કે ભાઇ, હું ક્યાં રમવા ગયો હતો, મે આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો. મે મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા મારે પણ કોઇ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા. એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે, મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઇ જવા લાગ્યા અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા, આમ મારો રસ વધવા લાગ્યો. મે ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો. તો એક મજાની વાત બની. હું ટીવી જોઇ રહ્યો હતો અને મમ્મીએ મારો ટીવી બંઘ કરી દીધો. અને કહ્યું કે, બેટા હવે ભણવાનો સમય થઇ ગયો છે. તો તું ભણવા બેસ. તો મે કહ્યું કે, મમ્મી ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે, તમે મને ટીવીમાં જોશો. અને કહેશો કે, જુઓ મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે તો મને પણ આનંદ થાય છે.
પ્રધાનંમત્રીઃ- વાહ.. વાહ.. વાહ.. તમારે તો બહુ શાનદાર વાત છે.
ગુરિંદર વીરઃ- હા જી. મધ્યમવર્ગીય પરિવાર છે સર, પછી મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા. પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમતગમત છોડી દીધી. અને તેમનું સપનું અધૂરૂં રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું. કે ભાઇ મારો દિકરો એ સપનું પૂરૂં કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે, મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા. ત્યારે હું એમને કહેતો હતો કે, હું પણ એક દિવસ તમારૂં સપનું પૂરૂં કરીશે. તેઓ કહેતા સપનું એમને એમ પૂરૂં નથી થતું. તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજીને દોડતી વખતે લોહીની ઉલ્ટીઓ થતી હતી. તડકામાં દોડતા હતા. આખે આખો દિવસ તાલીમ લેતા હતા. અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે, હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે, જ્યારે મે સ્પર્ધા પસંદ કરી સો મીટરની તો બધા મને કહેતા હતા કે, ભાઇ સો મીટર સ્પર્ધા ના લે. સો મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં. ભારતીયોનું શરીર સો મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે, અમે આ સ્પર્ધા પસંદ કરી છે. અને એમાંથી હવે અમે પાછા નહીં હઠીએ. જે લોકો અમને કહેતા હતા કે, અમે આ નહિં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે, તું આ કરીને જ બતાવીશ. મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે, ભાઇ ભારતીય પણ દોડવીર બની શકે છે.
પ્રધાનમંત્રીઃ- જુઓ, તમે બંનેએ બહુ મોટી કમાલ કરી છે. અને માત્ર બે દિવસમાં જ તમે બંનેએ ત્રણવાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. સો મીટરની સ્પર્ધામાં દોડવું જેમ ગુરિંદર વીરે કહ્યું તેમ લોકો કહે છે કે, ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહિં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું તો તમારા બંને પાસેથી હું એ જાણવા માગું છું, અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માગે છે કે, ક્યું એવું ઝનૂન હતું, કઇ એવી જીદ હતી, શું વિચાર્યું હતું, અને કેવી રીતે આ કરી રહ્યા હતા ? એ કેટલું મુશ્કેલ હોય છે.
ગુરિંદર વીરઃ- જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણીવાર મનમાં શક પણ થયો કે, શું હું આ બરાબર કરી રહ્યો છું, મે સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને ? કેમ કે તમે દર વખતે જીતતા નથી. કોઇ કોઇ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો, જ્યારે બરાબર દોડી નહોતો શકતો, કોઇ ઇજા થઇ જતી હતી. ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા. કે ભાઇ, કંઇ વાંધો નહીં. એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયું. તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઇ જતી. સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ. તો બીજું કોઇ નહીં કરી શકે. તો રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહીત કરે છે. અને અમારૂં પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.
પ્રધાનમંત્રીઃ- અને અનિમેષજી તમે.
અનિમેષઃ- સર. જ્યારે હું 2021માં રમતગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે, જો આ નવું ક્ષેત્ર છે. તું કરી શકીશ કે નહિં, તો મે તેમને કહેલું કે, હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘુસ્યો છું તો કરીશ જ. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘુસ્યો છે તો ક્યારેય પાછું વાળીને ના જોઇશ. કારણ કે, વિચારે તો બધા જ છે કે, આમ કરવું છે, તેમ કરવું છે. પણ બહુ ઓછા કરીને બતાવે છે. તું જ્યારે ક્ષેત્રમાં ઘુસ્યો છે તો તેમાં અડગ રહેજે, તારે આગળ વધવાનું છે. તમે બધી સગવડો, દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું, કુટુંબનો ટેકો, નાણાંકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો કરીશું. બસ તું મહેનત કર. અને ભારતને બતાવ કે, ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે, આ મને પણ લોકો કહેતા હતા કે, 10 સેકંડ કે, 10.1 સેકંડથી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી. પરંતુ અમે બંનેએ હાલમાં એ પુરવાર કર્યું કે, ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઇ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે. અને જેમ જેમ અને તાલીમ લઇ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ. અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે, ભારતીયો પણ આ કરી શકે છે. અને અમે વધુ સારૂં કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રકુળ રમતો માટે પણ થઇ છે. તો ત્યાં, આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારૂં પ્રદર્શન કરીશું.
પ્રધાનમંત્રીઃ- ભાઇ મારા મનમાં પણ એક કૂતૂહલ છે, અને લોકોને પણ એ કૂતૂહલ હશે, મે સાંભળ્યું છે કે, તમે બંને સારા દોસ્ત પણ છો. અને તમે બંનેએ નક્કી કરી રાખ્યું હતું કે, તે મારો વિક્રમ તોડ્યો છે. તો હું તારો વિક્રમ તોડી નાંખીશ ? અનિમેષ તમે કહો.
અનિમેષઃ- સર જી. પહેલો વિક્રમ 10.18 નો હતો. જે મારો જ હતો. અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમીફાઇનલમાં તેને તોડી નાંખ્યો. 10.17 કરીને. અને મે ફરીથી તેને બીજી સેમીફાઇનલમાં 10.15 કરીને તોડી નાંખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમીફાઇનલ થઇ ત્યારે અને બંનેય ખુશ હતા કે, ચલો સારૂં થયું. આજે વિક્રમ તૂટ્યો અને અમે બંનેએ તોડ્યો. કેમ કે, તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઇ હતી, પરંતુ અમે બંનેએ અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલાં અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે. તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા. અને ત્યાં પણ વાત કરતા હતા કે, ભારતમાં દોડ સ્પર્ધાની આગળ લઇ જવાની છે. અને તે આપણા જ હાથમાં છે. આપણે જે કરીશું એ જ બાકીના લોકોને પ્રોત્સાહીત કરશે.
પ્રધાનમંત્રીઃ- ગુરિંદર વીર તમે શું કહેવા માંગો છો ?
ગુરિંદરવીરઃ- અમે બંનેએ નક્કી કર્યું હતું કે, અને બંને સારૂં દોડીશું. તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઉભા રહીએ છીએ. જેમ કે, હમણાં વિક્રમ સ્થાપતા પહેલાં જ્યારે મે વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેષે સ્થાપ્યો. અમે જ્યારે વોર્મઓપ કરી રહ્યા હતા. ત્યારે હું અનિમેષને કહેતો હતો કે, અનિમેષ પેલો બ્લોક બરાબર છે. તેના પર જઇને બેસ. ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મઅપ અહીં કરીશું, અહિંયાંથી વોર્મઅપ બરાબર રહેશે અને આમ, એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધારો કરી શકે છે. અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર. દોસ્તી પણ જોઇએ, પણ તે મેદાનની બહાર છે. સ્પર્ધાની બહાર છીએ, તો અને દોસ્તો છીએ, પણ જ્યારે અમે મેદાનમાં જઇએ છીએ. તો એકબીજાના હરીફ બની જઇએ છીએ. અને એવું બને છે કે, હું તેનાથી ઝડપી દોડીશ તો, તે એમ કહે છે કે, હું તારાથી સારૂં દોડીશ.
પ્રધાનમંત્રીઃ- જુઓ. તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી. પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે. અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે, તમારી આજે ખેલભાવના છે, ખેલસ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે. અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો. તે અદભૂત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે, તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે, આ રીતે મહેનત કરતા રહેશો. ખૂબ પ્રગતિ થશે. ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ગુરિંદર/અનિમેષઃ- આભાર સર. આભાર સર.
પ્રધાનમંત્રીઃ- ખૂબ ખૂબ ધન્યવાદ.
#################
મારા વ્હાલા દેશવાસીઓ,
અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો. તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદાજુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહિં.
સાથીઓ,
આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે, જેમજેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઇ જાય છે. રસોઇની રીત બદલાઇ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જામવા લાગે છે. તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે. અને પછી શરૂ થાય છે. દેશીપીણાનો દૌર. આ દેશીપીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તરભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમપન્ના, કાચીકેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે. મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ, જાણે દરેક ભોજનની સાથી બની જાય છે. અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તરપ્રદેશમાં સત્તુંનું શરબત. તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરાય અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલ કઢી. દક્ષિણ ભારતમાં પાનકમ, નિરમોર, સંભારમ અને ઓડિશામાં બેલપના, તે માત્ર પીણું નથી. ભારતના જુદાજુદા ક્ષેત્રોની પરંપરાનો એક ભાગ છે. અને તેમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે. આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઇ મોટું નામ નથી. પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો.
સાથીઓ,
ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઇ જાય છે. અને તે છે, કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ જ કોઇ એવું ઘર હશે કે, જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂસ-આલ્ફોન્સો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પ્રાણ છે. ઉત્તરપ્રદેશની દશેરી અને મારી કાશીનો લંગડો જો કે, લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે, પાક્યા પછી પણ તેનો રંગ મોટેભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ જેની સોડમ દૂરથી ઓળખાઇ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નિલમ, મલગોવા, બંગાળની હીમસાગર, તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુર્વણરેખા. એટલે કે, સ્થળ બદલાય છે તો, કેરીના રૂપરંગ અને તેનો સ્વાદ પણ બદલાઇ જાય છે. અને સાથીઓ, કેરીની આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઇઓ-બહેનોની પ્રસંશા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો.
સાથીઓ,
ગરમીના આ દિવસોમાં આમ તો, શાળાઓમાં રજા હોય છે. પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો, એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે. યુવાનો પણ આવે છે, અને વડીલો પણ, ત્યાં કોઇ ફી ના હોય, કોઇ મોટી ઇમારત ન હોય, કોઇ વર્ગખંડ પણ ના હોય, અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય.
સાથીઓ,
આ કોઇ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળમના આલુવામા સાજી વલાશેરિલ જી એવી જ એક સ્વીમીંગ કલબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં પંદર હજારથી વધુ લોકો અહિં તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતાં શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઇ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતાં આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત- બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન.
સાથીઓ,
સાજી વલાશેરિલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધન જરૂરી નથી હોતા. જરૂરી હોય છે એક શુભ ઇરાદો. અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
પાછલા દિવસોમાં મને યુરોપના નેઘરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટીંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરનેલન્ડમાં આયોજીત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત હતા. આ તામ્રપત્રોને લઇને મને દેશવિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યકત કરી રહ્યા છે. ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે.
સાથીઓ,
આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જીજ્ઞાસા પણ છે. તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઇચ્છું છું. તેમાં એકવીસ મોટા અને ત્રણ નાના તામ્રપત્રો છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજા રાજરાજા ચોલાના એકવચનને પૂરૂં કરવા સાથે જોડાયેલા છે. તેમાં આનયમંગલમ ગામને એક બૌદ્ધવિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલાવંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજયની સમુદ્રીશક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે.
ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં “જ્ઞાનભારતમ અભિયાન” અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી ત્રણ દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહર્ષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે, આ લખાણો છઠ્ઠી સાતમી સદીના છે. એટલે કે, ચૌદસો, પંદરસો વર્ષ પુરાણા આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લીપી અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસનવ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે.
સાથીઓ,
આપણે ભારતીયોમાં ખગોળવિજ્ઞાન એટલે કે, એસ્ટ્રોનોમી વિષે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેધશાળાઓ આવેલી છે. અહીં અદભૂત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશાવિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળવિદ્યાએ દરેક પેઢીમાં કૂતૂહલ જગાવેલું છે. તેના ઉંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે. અને આજના યુવાનોમાં પણ તેને લઇને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે, દેશભરમાં ખગોળશાસ્ત્રીય કલબો ઝડપથી લોકપ્રિય થઇ રહી છે. મોટા શહેરોથી લઇને નાના ગામો સુધી, શાળાઓથી લઇને ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગલોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશદર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. “ખગોળ મંડળ” નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતા સભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે.
સાથીઓ,
રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદભૂત અનુભવ હોય છે. એસ્ટ્રોકેરાલા નામની એક સંસ્થા રાત્રીઆકાશદર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દુરબીન બનાવવાનું અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બીગ બેંગ એસ્ટ્રોનોમી કબલે ગીરના જંગલોથી લઇને કચ્છના રણ સુધી અનેક આકાશદર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. “જયોતિર્વિદ્યા પરિસંસ્થા” પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશદર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાઇબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઇઝેકનો ઉલ્લેખ પણ કરવા માંગુ છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે. જે ખગોળશાસ્ત્ર અને ખગોળભૌતિક કબલને પરસ્પર જોડે છે.
સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઇક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરૂં છું કે, તેઓ કોઇને કોઇ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઇ તારાગ્રહને પણ જરૂર જોવા જાય.
સાથીઓ,
મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઇ રહ્યા છે તેમને હું કહીશ કે, એક વિડિયો જરૂર જોજો. આ વિડિયો વિતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગાનદીમાં એક ડોલ્ફીનને બચાવવાની કોશિષ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફીન બચી ગઇ.
સાથીઓ,
તેમાં બહુ મોટી ભૂમિકા રહી. ભારતની પહેલી ગંગા ડોલ્ફીન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તરપ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફીન નહેરમાં ફસાઇ ગઇ હતી. આ સમયે “નમામી ગંગે અભિયાન” અંતર્ગત બનાવવામાં આવેલી આ એમબ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફીનને બહાર કાઢવામાં આવી. તેની તપાસ કરવામાં આવી, તેનો ઇલાજ કરવામાં આવ્યો. અને ત્યારપછી તેને સલામત રીતે રાપ્તિ નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો, એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું.
સાથીઓ,
આ ડોલ્ફીન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતીફરતી હોસ્પીટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફીનને સલામત રાખવાની વ્યવસ્થા છે. ઓકસીજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવના સાધનો છે એટલે કે, જો કોઇ ડોલ્ફીન ઘાયલ થાય, નહેરમાં ફસાઇ જાય અથવા નદીથી દૂર થઇ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે.
સાથીઓ,
આપણે જ્યારે ગંગા ડોલ્ફીનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા પણ આપણે ગંગાની જૈવવિવિધતાને બચાવીએ છીએ. નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ. અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ.
મારા વ્હાલા દેશવાસીઓ,
તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઇને તળાવમાં તરવાનું યાદ હશે, કોઇને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું તો કોઇને તે માટીની મહેંક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે.
સાથીઓ,
એવી જ યાદોને બચાવવાની એક પ્રેરકગાથા ઉત્તરપ્રદેશના બસ્સી જીલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઇને બહુ દુઃખી થતા હતા. કેમ કે, જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઇ હતી, તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટીક એકઠું થવા લાગ્યું હતું. ગંદકી વધતી જઇ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે, ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરશું. ફરિયાદ નહિં પણ શરૂઆત મંત્ર બની ગયો. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી- કંઇક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા. જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટીક અને કચરો બહાર લાવતા હતા. કેટલીયે વાર એક દિવસમાં 50 – 60 કીલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરેધીરે મનોરમામ નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી.
સાથીઓ,
એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ ઐય્યાજી નિવૃત્ત શિક્ષક છે. પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવોને એવો જ છે. તેમને મડ્ડી-તોલાપ વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખાં મારવા પડતા હતા. તેમના માટે આ બહુ મોટી રાહત બની.
સાથીઓ,
ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે. તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઇ. લગભગ ત્રણ દાયકા પહેલા પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું, ગીરીજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા.
સાથીઓ,
ગીરીજા અમ્માજી લગભગ પંદર શાળાઓ ચલાવે છે. તેમાં ચેન્નાઇનું જયગોપાલ ગરોડિયા હિંદુ વિદ્યાલય ખૂબ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઇને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે, તેઓ વીર જવાનો માટે દરરોજ એક રૂપિયાનો ફાળો આપે. એટલે કે, એક વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગીરીજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે, મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નાઇના પહેલા હિંદુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળાસમૂહની ભૂમિકા બહુ પ્રસંશનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રસંશા કરું છું.
સાથીઓ,
ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઇકને કંઇક એવું થઇ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણી વાર, આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી. પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દ્રઢ થાય છે. કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે, તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારૂં કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઇક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઇ સારા કામ સાથે જોડાવ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરકગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઇશ. ખૂબ ખૂબ ધન્યવાદ.. નમસ્કાર...

મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઇ રહી છે – તે છે 100 મીટરની દોડ. માત્ર બે દિવસમાં જ પુરૂષો માટેની 100 મીટર દોડમાં ત્રણ વાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો. જે બે ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે, તે છે ગુરિંદરવીર સિંહ અને અનિમેષ કૂજૂર. મે વિચાર્યું કે, આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે
(ફોન કોલ)
પ્રધાનમંત્રીઃ- અનિમેષજી નમસ્કાર, ગુરિંદરવીર આપને પણ નમસ્કાર, સતશ્રી અકાલ.
અનિમેષ, ગુરિંન્દરવીરઃ- નમસ્કાર સર, નમસ્કાર સર.
પ્રધાનમંત્રીઃ- સરસ ભાઇઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે. તમારી જોડીએ પણ બહુ કમાલ કરી છે. અમે સંગીતમાં તો જુગલબંધી જોઇ હતી. પણ હવે રમતના પડકારમાં ય જુગલબંધી હોય છે. કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે. પછી ત્રીજીવાર પણ કરી બતાવે. બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો. હું ઇચ્છું છું કે, મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપના વિશે તેમને જાણકારી મળે. તમે જે પરાક્રમ કર્યું છે તેની માહીતી મળે.
અનિમેષઃ- નમસ્તે સર, મારૂં નામ અનિમેશ કુજૂર. હું બસ્સો મીટર અને ચારસો મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમધારક છું. અને હું છત્તીસગઢનો રહેવાસી છું સર. અને હાલમાં ઉડીસા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઇ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઇ આવ્યો. અને મે 2021માં એથ્લેટીક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપૂરમાંથી પાસ આઉટ થયો છું. અને... હું પહેલાં ફૂટબોલ રમતો હતો. અને મારા માતાપિતા કોવિડ વખતે મને થોડી છુટ આપતા હતા કે તું બહાર જઇને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે, રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે. તો તેમાં જઇને તું ભાગ લે અને મે એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીયકક્ષાએ પસંદ થયો. અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.
પ્રધાનમંત્રીઃ- અને ગુરિંદર વીરજી તમે શું છો ?
ગુરિંદરવીરઃ- નમસ્તે સર. મારૂં નામ ગુરિંદરવીર છે. અને હું ભારતીય નૌકાદળમાં પેટ્ટી ઓફિસર છું. અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મે સો મીટરમાં 10.09 સેકંડનો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે. અને હું પહેલો ભારતીય છું, જે 10.1થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે. અને હું કોશિષ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરૂં. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે, જ્યારે પણ કોઇ તહેવાર આવે છે, જેમ કે, દિવાળી, નવું વર્ષ વગેરે,. તો આપણે પોતાના ઘરની સાફસફાઇ કરીએ છીએ. એ રીતે જ હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો. તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઇ ટ્રોફી સાફ કરતો હતો. ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે, તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા. કે ભાઇ, હું ક્યાં રમવા ગયો હતો, મે આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો. મે મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા મારે પણ કોઇ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા. એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે, મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઇ જવા લાગ્યા અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા, આમ મારો રસ વધવા લાગ્યો. મે ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો. તો એક મજાની વાત બની. હું ટીવી જોઇ રહ્યો હતો અને મમ્મીએ મારો ટીવી બંઘ કરી દીધો. અને કહ્યું કે, બેટા હવે ભણવાનો સમય થઇ ગયો છે. તો તું ભણવા બેસ. તો મે કહ્યું કે, મમ્મી ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે, તમે મને ટીવીમાં જોશો. અને કહેશો કે, જુઓ મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે તો મને પણ આનંદ થાય છે.
પ્રધાનંમત્રીઃ- વાહ.. વાહ.. વાહ.. તમારે તો બહુ શાનદાર વાત છે.
ગુરિંદર વીરઃ- હા જી. મધ્યમવર્ગીય પરિવાર છે સર, પછી મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા. પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમતગમત છોડી દીધી. અને તેમનું સપનું અધૂરૂં રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું. કે ભાઇ મારો દિકરો એ સપનું પૂરૂં કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે, મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા. ત્યારે હું એમને કહેતો હતો કે, હું પણ એક દિવસ તમારૂં સપનું પૂરૂં કરીશે. તેઓ કહેતા સપનું એમને એમ પૂરૂં નથી થતું. તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજીને દોડતી વખતે લોહીની ઉલ્ટીઓ થતી હતી. તડકામાં દોડતા હતા. આખે આખો દિવસ તાલીમ લેતા હતા. અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે, હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે, જ્યારે મે સ્પર્ધા પસંદ કરી સો મીટરની તો બધા મને કહેતા હતા કે, ભાઇ સો મીટર સ્પર્ધા ના લે. સો મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં. ભારતીયોનું શરીર સો મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે, અમે આ સ્પર્ધા પસંદ કરી છે. અને એમાંથી હવે અમે પાછા નહીં હઠીએ. જે લોકો અમને કહેતા હતા કે, અમે આ નહિં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે, તું આ કરીને જ બતાવીશ. મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે, ભાઇ ભારતીય પણ દોડવીર બની શકે છે.
પ્રધાનમંત્રીઃ- જુઓ, તમે બંનેએ બહુ મોટી કમાલ કરી છે. અને માત્ર બે દિવસમાં જ તમે બંનેએ ત્રણવાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. સો મીટરની સ્પર્ધામાં દોડવું જેમ ગુરિંદર વીરે કહ્યું તેમ લોકો કહે છે કે, ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહિં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું તો તમારા બંને પાસેથી હું એ જાણવા માગું છું, અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માગે છે કે, ક્યું એવું ઝનૂન હતું, કઇ એવી જીદ હતી, શું વિચાર્યું હતું, અને કેવી રીતે આ કરી રહ્યા હતા ? એ કેટલું મુશ્કેલ હોય છે.
ગુરિંદર વીરઃ- જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણીવાર મનમાં શક પણ થયો કે, શું હું આ બરાબર કરી રહ્યો છું, મે સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને ? કેમ કે તમે દર વખતે જીતતા નથી. કોઇ કોઇ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો, જ્યારે બરાબર દોડી નહોતો શકતો, કોઇ ઇજા થઇ જતી હતી. ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા. કે ભાઇ, કંઇ વાંધો નહીં. એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયું. તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઇ જતી. સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ. તો બીજું કોઇ નહીં કરી શકે. તો રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહીત કરે છે. અને અમારૂં પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.
પ્રધાનમંત્રીઃ- અને અનિમેષજી તમે.
અનિમેષઃ- સર. જ્યારે હું 2021માં રમતગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે, જો આ નવું ક્ષેત્ર છે. તું કરી શકીશ કે નહિં, તો મે તેમને કહેલું કે, હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘુસ્યો છું તો કરીશ જ. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘુસ્યો છે તો ક્યારેય પાછું વાળીને ના જોઇશ. કારણ કે, વિચારે તો બધા જ છે કે, આમ કરવું છે, તેમ કરવું છે. પણ બહુ ઓછા કરીને બતાવે છે. તું જ્યારે ક્ષેત્રમાં ઘુસ્યો છે તો તેમાં અડગ રહેજે, તારે આગળ વધવાનું છે. તમે બધી સગવડો, દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું, કુટુંબનો ટેકો, નાણાંકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો કરીશું. બસ તું મહેનત કર. અને ભારતને બતાવ કે, ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે, આ મને પણ લોકો કહેતા હતા કે, 10 સેકંડ કે, 10.1 સેકંડથી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી. પરંતુ અમે બંનેએ હાલમાં એ પુરવાર કર્યું કે, ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઇ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે. અને જેમ જેમ અને તાલીમ લઇ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ. અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે, ભારતીયો પણ આ કરી શકે છે. અને અમે વધુ સારૂં કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રકુળ રમતો માટે પણ થઇ છે. તો ત્યાં, આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારૂં પ્રદર્શન કરીશું.
પ્રધાનમંત્રીઃ- ભાઇ મારા મનમાં પણ એક કૂતૂહલ છે, અને લોકોને પણ એ કૂતૂહલ હશે, મે સાંભળ્યું છે કે, તમે બંને સારા દોસ્ત પણ છો. અને તમે બંનેએ નક્કી કરી રાખ્યું હતું કે, તે મારો વિક્રમ તોડ્યો છે. તો હું તારો વિક્રમ તોડી નાંખીશ ? અનિમેષ તમે કહો.
અનિમેષઃ- સર જી. પહેલો વિક્રમ 10.18 નો હતો. જે મારો જ હતો. અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમીફાઇનલમાં તેને તોડી નાંખ્યો. 10.17 કરીને. અને મે ફરીથી તેને બીજી સેમીફાઇનલમાં 10.15 કરીને તોડી નાંખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમીફાઇનલ થઇ ત્યારે અને બંનેય ખુશ હતા કે, ચલો સારૂં થયું. આજે વિક્રમ તૂટ્યો અને અમે બંનેએ તોડ્યો. કેમ કે, તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઇ હતી, પરંતુ અમે બંનેએ અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલાં અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે. તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા. અને ત્યાં પણ વાત કરતા હતા કે, ભારતમાં દોડ સ્પર્ધાની આગળ લઇ જવાની છે. અને તે આપણા જ હાથમાં છે. આપણે જે કરીશું એ જ બાકીના લોકોને પ્રોત્સાહીત કરશે.
પ્રધાનમંત્રીઃ- ગુરિંદર વીર તમે શું કહેવા માંગો છો ?
ગુરિંદરવીરઃ- અમે બંનેએ નક્કી કર્યું હતું કે, અને બંને સારૂં દોડીશું. તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઉભા રહીએ છીએ. જેમ કે, હમણાં વિક્રમ સ્થાપતા પહેલાં જ્યારે મે વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેષે સ્થાપ્યો. અમે જ્યારે વોર્મઓપ કરી રહ્યા હતા. ત્યારે હું અનિમેષને કહેતો હતો કે, અનિમેષ પેલો બ્લોક બરાબર છે. તેના પર જઇને બેસ. ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મઅપ અહીં કરીશું, અહિંયાંથી વોર્મઅપ બરાબર રહેશે અને આમ, એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધારો કરી શકે છે. અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર. દોસ્તી પણ જોઇએ, પણ તે મેદાનની બહાર છે. સ્પર્ધાની બહાર છીએ, તો અને દોસ્તો છીએ, પણ જ્યારે અમે મેદાનમાં જઇએ છીએ. તો એકબીજાના હરીફ બની જઇએ છીએ. અને એવું બને છે કે, હું તેનાથી ઝડપી દોડીશ તો, તે એમ કહે છે કે, હું તારાથી સારૂં દોડીશ.
પ્રધાનમંત્રીઃ- જુઓ. તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી. પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે. અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે, તમારી આજે ખેલભાવના છે, ખેલસ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે. અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો. તે અદભૂત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે, તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે, આ રીતે મહેનત કરતા રહેશો. ખૂબ પ્રગતિ થશે. ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ગુરિંદર/અનિમેષઃ- આભાર સર. આભાર સર.
પ્રધાનમંત્રીઃ- ખૂબ ખૂબ ધન્યવાદ.
#################
મારા વ્હાલા દેશવાસીઓ,
અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો. તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદાજુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહિં.
સાથીઓ,
આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે, જેમજેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઇ જાય છે. રસોઇની રીત બદલાઇ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જામવા લાગે છે. તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે. અને પછી શરૂ થાય છે. દેશીપીણાનો દૌર. આ દેશીપીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તરભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમપન્ના, કાચીકેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે. મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ, જાણે દરેક ભોજનની સાથી બની જાય છે. અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તરપ્રદેશમાં સત્તુંનું શરબત. તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરાય અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલ કઢી. દક્ષિણ ભારતમાં પાનકમ, નિરમોર, સંભારમ અને ઓડિશામાં બેલપના, તે માત્ર પીણું નથી. ભારતના જુદાજુદા ક્ષેત્રોની પરંપરાનો એક ભાગ છે. અને તેમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે. આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઇ મોટું નામ નથી. પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો.
સાથીઓ,
ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઇ જાય છે. અને તે છે, કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ જ કોઇ એવું ઘર હશે કે, જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂસ-આલ્ફોન્સો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પ્રાણ છે. ઉત્તરપ્રદેશની દશેરી અને મારી કાશીનો લંગડો જો કે, લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે, પાક્યા પછી પણ તેનો રંગ મોટેભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ જેની સોડમ દૂરથી ઓળખાઇ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નિલમ, મલગોવા, બંગાળની હીમસાગર, તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુર્વણરેખા. એટલે કે, સ્થળ બદલાય છે તો, કેરીના રૂપરંગ અને તેનો સ્વાદ પણ બદલાઇ જાય છે. અને સાથીઓ, કેરીની આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઇઓ-બહેનોની પ્રસંશા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો.
સાથીઓ,
ગરમીના આ દિવસોમાં આમ તો, શાળાઓમાં રજા હોય છે. પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો, એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે. યુવાનો પણ આવે છે, અને વડીલો પણ, ત્યાં કોઇ ફી ના હોય, કોઇ મોટી ઇમારત ન હોય, કોઇ વર્ગખંડ પણ ના હોય, અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય.
સાથીઓ,
આ કોઇ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળમના આલુવામા સાજી વલાશેરિલ જી એવી જ એક સ્વીમીંગ કલબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં પંદર હજારથી વધુ લોકો અહિં તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતાં શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઇ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતાં આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત- બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન.
સાથીઓ,
સાજી વલાશેરિલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધન જરૂરી નથી હોતા. જરૂરી હોય છે એક શુભ ઇરાદો. અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
પાછલા દિવસોમાં મને યુરોપના નેઘરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટીંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરનેલન્ડમાં આયોજીત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત હતા. આ તામ્રપત્રોને લઇને મને દેશવિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યકત કરી રહ્યા છે. ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે.
સાથીઓ,
આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જીજ્ઞાસા પણ છે. તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઇચ્છું છું. તેમાં એકવીસ મોટા અને ત્રણ નાના તામ્રપત્રો છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજા રાજરાજા ચોલાના એકવચનને પૂરૂં કરવા સાથે જોડાયેલા છે. તેમાં આનયમંગલમ ગામને એક બૌદ્ધવિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલાવંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજયની સમુદ્રીશક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે.
ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં “જ્ઞાનભારતમ અભિયાન” અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી ત્રણ દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહર્ષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે, આ લખાણો છઠ્ઠી સાતમી સદીના છે. એટલે કે, ચૌદસો, પંદરસો વર્ષ પુરાણા આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લીપી અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસનવ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે.
સાથીઓ,
આપણે ભારતીયોમાં ખગોળવિજ્ઞાન એટલે કે, એસ્ટ્રોનોમી વિષે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેધશાળાઓ આવેલી છે. અહીં અદભૂત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશાવિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળવિદ્યાએ દરેક પેઢીમાં કૂતૂહલ જગાવેલું છે. તેના ઉંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે. અને આજના યુવાનોમાં પણ તેને લઇને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે, દેશભરમાં ખગોળશાસ્ત્રીય કલબો ઝડપથી લોકપ્રિય થઇ રહી છે. મોટા શહેરોથી લઇને નાના ગામો સુધી, શાળાઓથી લઇને ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગલોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશદર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. “ખગોળ મંડળ” નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતા સભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે.
સાથીઓ,
રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદભૂત અનુભવ હોય છે. એસ્ટ્રોકેરાલા નામની એક સંસ્થા રાત્રીઆકાશદર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દુરબીન બનાવવાનું અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બીગ બેંગ એસ્ટ્રોનોમી કબલે ગીરના જંગલોથી લઇને કચ્છના રણ સુધી અનેક આકાશદર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. “જયોતિર્વિદ્યા પરિસંસ્થા” પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશદર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાઇબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઇઝેકનો ઉલ્લેખ પણ કરવા માંગુ છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે. જે ખગોળશાસ્ત્ર અને ખગોળભૌતિક કબલને પરસ્પર જોડે છે.
સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઇક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરૂં છું કે, તેઓ કોઇને કોઇ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઇ તારાગ્રહને પણ જરૂર જોવા જાય.
સાથીઓ,
મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઇ રહ્યા છે તેમને હું કહીશ કે, એક વિડિયો જરૂર જોજો. આ વિડિયો વિતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગાનદીમાં એક ડોલ્ફીનને બચાવવાની કોશિષ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફીન બચી ગઇ.
સાથીઓ,
તેમાં બહુ મોટી ભૂમિકા રહી. ભારતની પહેલી ગંગા ડોલ્ફીન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તરપ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફીન નહેરમાં ફસાઇ ગઇ હતી. આ સમયે “નમામી ગંગે અભિયાન” અંતર્ગત બનાવવામાં આવેલી આ એમબ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફીનને બહાર કાઢવામાં આવી. તેની તપાસ કરવામાં આવી, તેનો ઇલાજ કરવામાં આવ્યો. અને ત્યારપછી તેને સલામત રીતે રાપ્તિ નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો, એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું.
સાથીઓ,
આ ડોલ્ફીન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતીફરતી હોસ્પીટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફીનને સલામત રાખવાની વ્યવસ્થા છે. ઓકસીજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવના સાધનો છે એટલે કે, જો કોઇ ડોલ્ફીન ઘાયલ થાય, નહેરમાં ફસાઇ જાય અથવા નદીથી દૂર થઇ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે.
સાથીઓ,
આપણે જ્યારે ગંગા ડોલ્ફીનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા પણ આપણે ગંગાની જૈવવિવિધતાને બચાવીએ છીએ. નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ. અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ.
મારા વ્હાલા દેશવાસીઓ,
તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઇને તળાવમાં તરવાનું યાદ હશે, કોઇને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું તો કોઇને તે માટીની મહેંક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે.
સાથીઓ,
એવી જ યાદોને બચાવવાની એક પ્રેરકગાથા ઉત્તરપ્રદેશના બસ્સી જીલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઇને બહુ દુઃખી થતા હતા. કેમ કે, જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઇ હતી, તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટીક એકઠું થવા લાગ્યું હતું. ગંદકી વધતી જઇ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે, ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરશું. ફરિયાદ નહિં પણ શરૂઆત મંત્ર બની ગયો. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી- કંઇક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા. જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટીક અને કચરો બહાર લાવતા હતા. કેટલીયે વાર એક દિવસમાં 50 – 60 કીલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરેધીરે મનોરમામ નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી.
સાથીઓ,
એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ ઐય્યાજી નિવૃત્ત શિક્ષક છે. પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવોને એવો જ છે. તેમને મડ્ડી-તોલાપ વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખાં મારવા પડતા હતા. તેમના માટે આ બહુ મોટી રાહત બની.
સાથીઓ,
ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે. તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઇ. લગભગ ત્રણ દાયકા પહેલા પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું, ગીરીજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા.
સાથીઓ,
ગીરીજા અમ્માજી લગભગ પંદર શાળાઓ ચલાવે છે. તેમાં ચેન્નાઇનું જયગોપાલ ગરોડિયા હિંદુ વિદ્યાલય ખૂબ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઇને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે, તેઓ વીર જવાનો માટે દરરોજ એક રૂપિયાનો ફાળો આપે. એટલે કે, એક વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગીરીજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે, મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નાઇના પહેલા હિંદુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળાસમૂહની ભૂમિકા બહુ પ્રસંશનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રસંશા કરું છું.
સાથીઓ,
ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઇકને કંઇક એવું થઇ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણી વાર, આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી. પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દ્રઢ થાય છે. કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે, તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારૂં કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઇક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઇ સારા કામ સાથે જોડાવ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરકગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઇશ. ખૂબ ખૂબ ધન્યવાદ.. નમસ્કાર...

મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર. 'મન કી બાત'ના એક વધુ પ્રકરણમાં તમારા બધા સાથે જોડાઈને પ્રસન્નતા થઈ રહી છે. આ તરફ, વચ્ચે, ચૂંટણીની ભાગદોડ થઈ રહી છે, પરંતુ આપના પત્રો અને સંદેશાઓના માધ્યમથી આપણે દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓ પર એકબીજા સાથે પોતાના આનંદને વહેંચ્યો પણ છે. આ વખતે 'મન કી બાત'ની શરૂઆત દેશની એક આવી જ બહુ મોટી ઉપલબ્ધિ સાથે કરીએ છીએ.
સાથીઓ,
ભારતે વિજ્ઞાનને સદૈવ દેશની પ્રગતિ સાથે જોડીને જોયું છે. આ વિચારસરણી સાથે આપણા વૈજ્ઞાનિકો નાગરિક પરમાણુ કાર્યક્રમને આગળ વધારી રહ્યા છે. તેમના પ્રયાસોથી આ કાર્યક્રમ રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. તેનાથી આપણા ઔદ્યોગિક વિકાસને, ઊર્જા ક્ષેત્રને, સવાસ્થ સંભાળ ક્ષેત્રને મોટો લાભ પ્રાપ્ત થયો છે. ખેતીવાડી થી લઈ ને આધુનિક ઇન્નૉવેટરને પણ ભારતના નાગરિક પરમાણુ કાર્યક્રમે બહુ મદદ કરી છે. સાથીઓ, કેટલાક દિવસ પહેલાં જ, આપણા પરમાણુ વૈજ્ઞાનિકે એક વધુ મોટી ઉપલબ્ધિથી ભારતનું ગૌરવ વધાર્યું છે. તમિળનાડુના કલપક્કમમાં ફાસ્ટ બ્રીડર રિએક્ટરે ક્રિટિકાલિટી પ્રાપ્ત કરી લીધી છે. વાસ્તવમાં, ક્રિટિકાલિટી એ તબક્કો છે જેમાં ભઠ્ઠી પહેલી વાર સ્વયં ટકાઉ પરમાણુ શ્રૃંખલા પ્રતિક્રિયા માં સફળતા પ્રાપ્ત કરી લે છે. આ તબક્કાનો અર્થ છે ભઠ્ઠીનું કાર્ય તબક્કામાં પહોંચવું. ભારતની પરમાણુ ઊર્જા યાત્રામાં આ એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. અને મોટી વાત એ પણ છે કે પરમાણુ રિએક્ટર પૂરી રીતે સ્વદેશી ટૅક્નિકથી નિર્મિત છે.
સાથીઓ,
તેને બ્રીડર રિએક્ટર કેમ કહે છે? તેની પાછળ પણ એક કારણ છે. આ એવી પ્રણાલિ છે, જે ઊર્જા ઉત્પાદનની સાથોસાથ ભવિષ્ય માટે નવું ઈંધણ પણ સ્વયં તૈયાર કરે છે. સાથીઓ, મને માર્ચ 2024નો તે સમય પણ યાદ છે, જ્યારે હું કલપક્કમમાં રિએક્ટરના કૉર લૉડિંગનો સાક્ષી બન્યો હતો. હું એ બધાને વધામણી આપું છું જેમણે ભારતના પરમાણુ કાર્યક્રમમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. દેશવાસીઓનું જીવન વધુ સારું અને સરળ બનાવવા માટે તેમનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. તેનાથી વિકસિત ભારતના આપણા સંકલ્પને પણ એક નવી ઊર્જા પ્રાપ્ત થશે.
મારા પ્રિય દેશવાસીઓ,
'મન કી બાત'માં આજે હું એક એવી શક્તિની વાત કરવા માગું છું જે અદૃશ્ય છે, પરંતુ જેના વિના આપણું જીવન એક પળ પણ ન ચાલે. આ શક્તિ ભારતને આગળ વધારી રહી છે. તે આપણી પવન શક્તિ છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં કહેવાયું છે-
‘वायुर्वा इति व्यष्टि:, वायुरवै समष्टि:|’
અર્થાત્ વાયુ માત્ર એક તત્ત્વ નથી, તે જીવનની ઊર્જા છે, તે સમષ્ટિની શક્તિ છે.
સાથીઓ,
આજે આ જ પવન શક્તિ ભારતના વિકાસની નવી ગાથા લખી રહી છે. ભારતે તાજેતરમાં જ પવન ઊર્જા અર્થાત્ Wind Energyમાં મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. હવે ભારતની પવન ઉર્જા ઉત્પાદન ક્ષમતા 56 ગિગાવૉટથી વધુ થઈ ચૂકી છે. ગત એક વર્ષમાં જ લગભગ ૬ ગિગાવૉટ નવી ક્ષમતા ઉમેરાઈ છે. પવન શક્તિમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને દુનિયા પણ આપણી તરફ જોઈ રહી છે. સાથીઓ, આજે ભારત પવન ઊર્જા ક્ષમતામાં દુનિયામાં ચોથા સ્થાન પર છે. તે આપણા એન્જિનિયરોની મહેનત છે, તે આપણા યુવાનોનો પરિશ્રમ છે. તે દેશની સામૂહિક ઇચ્છાશક્તિનું પ્રતીક છે.
સાથીઓ,
ગુજરાત, તમિળનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દેશનાં અનેક રાજ્યો આ ક્ષેત્રમાં પોતાનો ધ્વજ લહેરાવી રહ્યા છે. ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા જેવાં ક્ષેત્રો જ્યાં પહેલાં કેવળ રણ દૃષ્ટિગોચર થતું હતું, ત્યાં આજે, મોટા પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્ક (રિન્યૂઍબલ એનર્જી પાર્ક) બની રહ્યા છે. તેનો લાભ યુવાનોને મળી રહ્યો છે, નવા અવસરો બની રહ્યા છે, નવાં કૌશલ્યો વિકસિત થઈ રહ્યાં છે, રોજગારના નવા માર્ગો ખુલી રહ્યા છે.
સાથીઓ,
ભારતના વિકાસ માટે સૌર અને પવન શક્તિ આવશ્યક છે. તે માત્ર પર્યાવરણની વાત નથી- તે આપણા ભવિષ્યની સુરક્ષા છે. તેમાં આપણા બધાની ભૂમિકા છે. આપણે વીજળી બચાવવાની છે, આપણે સ્વચ્છ ઊર્જા - clean energy અપનાવવાની છે. દેશમાં પ્રત્યેક સ્તર પર આવા પ્રયાસો આવશ્યક છે કારણકે તેનાથી મોટું પરિવર્તન આવે છે.
સાથીઓ,
મે મહિનાની શરૂઆત એક પાવન અવસરની સાથે થવા જઈ રહી છે. થોડા જ દિવસોમાં આપણે બુદ્ધ પૂર્ણિમા મનાવીશું. હું તમને સહુ દેશવાસીઓને મારી અગ્રીમ શુભકામનાઓ આપું છું. ભગવાન ગૌતમ બુદ્ધનો જીવન સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. તેમણે આપણને શીખવાડ્યું છે કે શાંતિ આપણી અંદરથી ચાલુ થાય છે. તેમણે જણાવ્યું કે સ્વયં પર વિજય સૌથી મોટો વિજય હોય છે. આજે દુનિયા જે પ્રકારના તણાવ અને સંઘર્ષોમાંથી પસાર થઈ રહી છે, તેવા સમયમાં બુદ્ધના વિચાર પહેલાં કરતાં પણ વધુ મહત્ત્વના બની ગયા છે.
સાથીઓ,
દક્ષિણ અમેરિકાના ચિલીમાં એક સંસ્થા ભગવાન બુદ્ધના વિચારોને આગળ વધારી રહી છે. લદ્દાખમાં જન્મેલા ડ્રબપોન ઓત્ઝર રિનપોચે (Drubpon Otzer Rinpoche)ના માર્ગદર્શનમાં કામ થઈ રહ્યું છે.
આ સંસ્થા ધ્યાન અને કરુણાને લોકોના જીવન સાથે જોડી રહી છે. કોચીગુઆજ ઘાટીમાં બનેલો સ્તૂપ લોકોને શાંતિનો અનુભવ કરાવે છે. ખરેખર, આ જોઈને ગર્વ થાય છે. ભારતની પ્રાચીન ધારા દુનિયા સુધી પહોંચી રહી છે. દૂર-દૂરના લોકો પણ તેની સાથે જોડાઈ રહ્યા છે.
સાથીઓ,
બૌદ્ધ પરંપરા આપણને પ્રકૃતિ સાથે જોડાવાનું પણ શીખવાડે છે. ભગવાન બુદ્ધને જ્ઞાન એક વૃક્ષ નીચે મળ્યું હતું. પ્રકૃતિ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. દેશમાં પણ આવા પ્રયાસો થઈ રહ્યા છે. કર્ણાટકમાં કર્મ મઠ તેનું સારું ઉદાહરણ છે. આ મઠ એક જીવંત વન ક્ષેત્ર છે, જે 100 એકરમાં ફેલાયેલું છે. તે વનમાં 700થી વધુ દેશી વૃક્ષોને સંરક્ષિત કરાયાં છે. સાથીઓ, બુદ્ધનો સંદેશ માત્ર અતીત નથી. તે આજે પણ પ્રાસંગિક છે અને ભવિષ્ય માટે પણ આવશ્યક છે. બુદ્ધ પૂર્ણિમાનો આ અવસર પ્રેરણા આપે છે. આપણે આપણા જીવનમાં શાંતિ વધારીએ, કરુણા અપનાવીએ અને સંતુલન સાથે આગળ વધીએ.
મારા પ્રિય દેશવાસીઓ,
તમે સહુ જાણો છો કે આપણા દેશમાં હવે 23 જાન્યુઆરી અર્થાત્ નેતાજી સુભાષની જયંતીથી લઈને 30 જાન્યુઆરી, અર્થાત્ ગાંધીજીની પુણ્યતિથિ સુધી ગણતંત્રનો મહોત્સવ મનાવવામાં આવે છે. આ મહોત્સવનો મુખ્ય હિસ્સો હોય છે- બીટિંગ રીટ્રીટ. આજે હું તમારી સાથે બીટિંગ રીટ્રીટની ચર્ચા કરી રહ્યો છું કારણકે તેના પાછળ એક વિશેષ કારણ છે.
સાથીઓ,
તમે જોયું હશે કે આ સમારોહ અલગ-અલગ બૅન્ડની વિવિધ સંગીત પરંપરાઓને દર્શાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમાં ભારતીય સંગીતનો સમાવેશ વધ્યો છે અને તે દેશના લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ વર્ષની બીટિંગ રીટ્રીટ સેરેમની પણ ઘણી યાદગાર રહી હતી. વાયુ દળ, ભૂમિ દળ અને નૌકા દળ તેમજ સી. એ. પી. એફ.ના બેન્ડે બહુ જ સારો કાર્યક્રમ આપ્યો હતો.
સાથીઓ,
શાનદાર સંગીતની સાથે, જાનદાર ફૉર્મેશનનો આ કાર્યક્રમ બધાનું ધ્યાન ખેંચે છે. વાયુ દળના બૅન્ડે સિંદૂર ફૉર્મેશન બનાવ્યું. નૌકા દળના બૅન્ડે મત્સ્ય યંત્ર ફૉર્મેશન બનાવ્યું. તો ભૂમિ દળના બૅન્ડના કાર્યક્રમમાં વંદે માતરમનાં 150 વર્ષ અને ક્રિકેટમાં ભારતની સફળતાને પણ દર્શાવાઈ હતી.
સાથીઓ,
બીટિંગ રીટ્રીટ વીતી ગયા પછી, આ બધી મહેનત, આ ઉપલબ્ધિ ધીરેધીરે અદૃશ્ય થઈ જતી હતી, પરંતુ હવે તેના વિશે બહુ જ સારો પ્રયાસ થયો છે. બીટિંગ રીટ્રીટનું સંગીત પહેલી વાર Waves ઓટીટી પર પણ ઉપલબ્ધ છે. આવનારા સમયમાં તે બીજા મંચો પર પણ ઉપસ્થિત રહેશે - તમે તેને અવશ્ય સાંભળજો. તમને પોતાનાં સશસ્ત્ર દળો અને તેની પરંપરાઓ પર ખૂબ જ ગર્વ થશે.
સાથીઓ,
છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રકૃતિના સંરક્ષણની પ્રેરક વાર્તાઓ સામે આવી છે. આ વાર્તાઓ આપણને આશા આપે છે અને ગર્વથી ભરી દે છે. હું 'મન કી બાત'ના શ્રોતાઓ સાથે કેટલાંક ઉદાહરણો વહેંચવા માગું છું. તેને સાંભળીને તમારું મન પ્રસન્ન થઈ જશે. પહેલા વાત, કચ્છના રણની. વરસાદ સમાપ્ત થતાં જ ત્યાંની ધરતી જીવંત થઈ જાય છે. દર વર્ષે લાખો ફ્લેમિંગો અહીં આવે છે. સમગ્ર વિસ્તાર ગુલાબી રંગમાં રંગાઈ જાય છે. આથી તેને 'ફ્લેમિંગો સિટી' કહેવાય છે. આ પક્ષીઓ અહીં માળા બનાવે છે અને પોતાનાં બચ્ચાઓને મોટાં કરે છે. કચ્છના લોકો તેને 'લાખાજીના જાનૈયા' કહે છે. હવે લાખાજીના આ જાનૈયા કચ્છમાં પર્યાવરણ સંરક્ષણના મોટા સુંદર પ્રતીક બની ગયા છે.
સાથીઓ,
બીજો કિસ્સો માણસ અને વન્ય જીવોના સહયોગનો છે અને તે ઉત્તર પ્રદેશથી છે. અહીંના તરાઈ ક્ષેત્રમાં પાકના સમયે હાથીઓનું ઝુંડ ગામની તરફ આવે છે. તેનાથી ટકરાવની આશંકા વધે છે. પરંતુ હવે ઉત્તર પ્રદેશમાં પણ 'ગજ મિત્ર' જેવા પ્રયાસો શરૂ થયા છે. ગામના લોકો જ ટીમ બનાવીને હાથીઓ પર નજર રાખે છે. તેઓ સમયસર લોકોને સતર્ક કરે છે. તેનાથી ટકરાવ ઓછો થઈ જાય છે અને લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે.
સાથીઓ,
મધ્ય ભારતથી એક સારા સમાચાર આવ્યા છે. છત્તીસગઢમાં કાળિયાર, એટલે કે કાળાં હરણ ફરીથી દેખાવાં લાગ્યાં છે. એક સમયે, તેમની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, પરંતુ સતત પ્રયાસો થયા અને સંરક્ષણ વધારવામાં આવ્યું. આજે તે ફરીથી ખુલ્લાં મેદાનોમાં દોડતાં નજરે પડે છે. આ આપણા ખોવાયેલા વારસાનું પુનરાગમન છે. એવી જ આશા ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડના સંરક્ષણમાં પણ દેખાઈ રહી છે. તે પક્ષી આપણા રણ ક્ષેત્રોની ઓળખ હતાં, પરંતુ એક સમયે તેમની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ હતી. સ્થિતિ એવી હતી કે આ પક્ષી લુપ્ત થવાના આરે પહોંચી ગયા હતા. પરંતુ હવે તેમના સંરક્ષણ માટે મોટું અભિયાન ચાલી રહ્યું છે. વૈજ્ઞાનિક રીતો અપનાવાઈ રહી છે. પ્રજનન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે અને હવે નવા જીવનની શરૂઆત દેખાઈ રહી છે.
સાથીઓ,
પ્રકૃતિ અને માનવ અલગ નથી. આપણે એકબીજાનાં સાથી છીએ. જ્યારે આપણે પ્રકૃતિને સમજીએ છીએ, તેનું સન્માન કરીએ છીએ અને તેની સાથે મળીને ચાલીએ છીએ, તો પરિવર્તન સ્પષ્ટ દેખાય છે. આજે આ જ પરિવર્તન દેશના ખૂણે-ખૂણેથી નવી આશા બનીને સામે આવી રહ્યું છે.
મારા પ્રિય દેશવાસીઓ,
ઈશાન ભારત આપણા બધા માટે અષ્ટલક્ષ્મી છે. અહીં ભરપૂર પ્રતિભા છે અને ઈશાન ભારતની પ્રાકૃતિક સુંદરતા પણ બધાનું ધ્યાન ખેંચે છે. 'મન કી બાત'માં પણ આપણે ઘણી વાર ઈશાન ભારતના લોકોની ઉપલબ્ધિઓ પર ચર્ચા કરતા આવ્યા છીએ. આજે આવી જ એક બીજી ઉપલબ્ધિની હું તમારી સાથે ચર્ચા કરીશ અને તે છે વાંસ ક્ષેત્રમાં ઈશાન ભારતની સફળતા.
સાથીઓ,
જે ચીજને ક્યારેક બોજા રૂપે જોવામાં આવતી હતી, તે આજે રોજગાર, વેપાર અને ઇન્નૉવેશનને નવી ગતિ આપી રહી છે. આપણી માતાઓ-બહેનો તેની સૌથી મોટી લાભાર્થી છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે વાંસની પરિભાષા બદલી નાખવાથી કેટલું મોટું પરિવર્તન આવ્યું છે.
સાથીઓ,
અંગ્રેજોએ બનાવેલા કાયદાના હિસાબથી વાંસને ઝાડના રૂપમાં પરિભાષિત કરવામાં આવ્યું હતું અને તેની સાથે જોડાયેલા નિયમો બહુ કડક હતા. ક્યાંય પણ વાંસને લઈ જવો ઘણો મુશ્કેલ હતો. આવામાં અહીંના લોકો વાંસ સાથે જોડાયેલા કામધંધાથી દૂર થતા ગયા.
સાથીઓ,
વર્ષ 2017માં કાયદામાં ફેરફાર કરીને આપણે વાંસને ઝાડની શ્રેણીમાંથી બહાર કર્યો. તેનું પરિણામ બધાની સામે છે. આજે સમગ્ર ઈશાન ભારતમાં વાંસ ક્ષેત્ર ફૂલીફાલી રહ્યું છે. લોકો સતત ઇન્નૉવેશન કરીને તેમાં મૂલ્ય વર્ધન કરી રહ્યા છે.
સાથીઓ,
ત્રિપુરાના ગોમતી જિલ્લાના બિજૉય સૂત્રધાર અને દક્ષિણ ત્રિપુરાના પ્રદીપ ચક્રવર્તી, તેમની વાત કરીએ. તેમણે નવા કાયદાઓને પોતાના માટે એક મોટા અવસર રૂપે જોયા. પછી તેમણે પોતાના કામને ટૅક્નૉલૉજી સાથે જોડ્યું. આજે તેઓ પહેલાંથી ક્યાંય વધુ સારાં અને વધુ વાંસનાં ઉત્પાદનો બનાવી રહ્યા છે.
નાગાલેન્ડના દીમાપુર અને આસપાસના ક્ષે્ત્રોમાં અનેક એવા સ્વયં સહાય જૂથો (Self Help Groups) છે જેમણે વાંસ સાથે જોડાયેલાં ફૂડ પ્રૉડક્ટ્સમાં મૂલ્ય વર્ધન કર્યું છે.ત્યાં ખોરોલો ક્રિએટિવ ક્રાફ્ટ જેવી ટીમો પણ છે જે વાંસના ફર્નિચર અને હસ્તકળા પર કામ કરી રહી છે.
સાથીઓ,
મિઝોરમના મામિત જિલ્લામાં એવી ટીમો છે, જે વાંસના ટિશ્યૂ કલ્ચર અને પૉલિ હાઉસ મેનેજમેન્ટ પર કામ કરી રહી છે. મને સિક્કિમના ગંગટોકની નજીક લાગાસ્ટલ બામ્બુ એન્ટરપ્રાઇઝ ટીમ વિશે પણ જાણવા મળ્યું છે. તે વાંસમાંથી હસ્તકળા, અગરબત્તીની સળીઓ, ફર્નિચર અને આંતરિક સજ્જાની ચીજો બનાવે છે.
સાથીઓ,
મેં અહીં કેટલાંક જ ઉદાહરણ આપ્યાં છે. દેશમાં વાંસના ક્ષેત્રની સફળતાની આ સૂચિ ઘણી લાંબી છે. હું તમને સહુને અનુરોધ કરીશ કે ઈશાન ભારતનું કોઈ ને કોઈ વાંસનું ઉત્પાદન જરૂર ખરીદજો. તમે તને ભેટ રૂપે પણ આપી શકો છો. તમારા આ પ્રયાસથી તે લોકોનો ઉત્સાહ વધશે, જે વાંસનાં ઉત્પાદનો બનાવવામાં પોતાનો પરસેવો પાડે છે.
મારા પ્રિય દેશવાસીઓ,
ઝડપથી બદલાતા આ સમયમાં ટૅક્નૉલૉજી આપણા જીવનનો બહુ મોટો હિસ્સો બની ગઈ છે. આજે આપણે પોતાના અતીતને વર્તમાન સાથે જોડવામાં પણ ટૅક્નૉલૉજીનો કમાલ જોઈ રહ્યા છીએ. આ દિશામાં તાજેતરમાં જ એક એવી ઘટના ઘટી જેનાથી શિક્ષણ સાથે જોડાયેલા લોકો અને ઇતિહાસમાં રૂચિ રાખનારા બહુ પ્રસન્ન થયા છે. સાથીઓ, કેટલાક દિવસો પહેલાં નેશનલ આર્ચિવ્ઝ ઓફ ઈન્ડિયાએ એક વિશેષ પૉર્ટલ પર એક અનોખો ડૅટાબૅઝ શૅર કર્યો છે. આ સંસ્થાએ 20 કરોડથી પણ વધુ અમૂલ્ય દસ્તાવેજોને ડિજિટાઇઝ કરીને સાર્વજનિક કર્યો છે. તેમાં કેટલાક તો બહુ રસપ્રદ છે - સાતમી સદીની ગિલગિત પાંડુ લિપિઓ ભોજપત્ર પર લખાયેલી છે. અહીં તમને આઠમી સદીનો એક રોચક ગ્રંથ શ્રી ભુવાલય પણ જોવા મળશે. અંકો પર આધારિત આ ગ્રંથ એક ગ્રિડના રૂપમાં છે.
રાણી લક્ષ્મીબાઈ સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વના પત્રો પણ અહીં તમે જોઈ શકો છો. તેનાથી ઈ. સ 1857માં તેમના દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયોની જાણ થાય છે, જે તેમના પરાક્રમને દર્શાવે છે. જે લોકો નેતાજી સુભાષના મોટા પ્રશંસકો છે તેમના માટે અહીં નેતાજીના જીવન, આઝાદ હિન્દ ફૌજ અને તેમનાં ભાષણો સાથે જોડાયેલા અનેક દસ્તાવેજો છે. તમને પંડિત મદન મોહન માલવીયજી સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો પણ મળશે. તેમાં BHUની સ્થાપના અને હિન્દી સાહિત્ય સંમેલન સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ જાણકારી છે. અહીં આપણી બંધારણ સભા સાથે જોડાયેલા કેટલાક અનોખા દસ્તાવેજો પણ પ્રાપ્ય છે. હું તમને સહુને આગ્રહ કરું છું કે તમે www.abhilekh-patal.inની જરૂર મુલાકાત લેજો. તે તમને પોતાના ઇતિહાસનો અદ્બુત અનુભવ આપશે.
સાથીઓ,
જરા કલ્પના કરો, તમે દુનિયાભરના સૌથી પ્રતિભાશાળી લોકો વચ્ચે છો, તમારી સામે ગણિતના ખૂબ જ અઘરા પ્રશ્નો છે. તેને ઉકેલવાનો સમય છે- માત્ર સાડા ચાર કલાક. અર્થાત્ સમય બહુ ઓછો છે અને સ્પર્ધા આંતરરાષ્ટ્રીય છે, ખૂબ જ ભારે છે. આવી સ્થિતિમાં ઢીલા પડવું ખૂબ જ સ્વાભાવિક છે. પરંતુ આ જ પરિસ્થિતિમાં આપણી દીકરીઓએ કમાલ કરી દીધો. આ મહિનાની શરૂઆતમાં ફ્રાન્સના બોરદો (Boardeaux)માં યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડનું આયોજન થયું હતું. ગણિતમાં ઊંડી રૂચિ લેનારી શાળાની વિદ્યાર્થિનીઓ માટે આ એક મોટી સ્પર્ધા હતી. તે દુનિયાની સૌથી સન્માનિત પ્રતિયોગિતાઓમાંથી એક છે. તે ઑલમ્પિયાડમાં આપણી દીકરીઓએ અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કર્યું છે. મને આ પ્રતિભાશાળી ટીમો પર ખૂબ જ ગર્વ છે. તેમાં મુંબઈની શ્રેયા મુંધડા, તિરુવનંતપુરમની સંજના ચાકો, ચેન્નાઈની શિવાની ભરતકુમાર અને કોલકાતાની શ્રિમોયી બેરા સમાવિષ્ટ હતી.તેમાં આપણી ટીમ વિશ્વના છઠ્ઠા સ્થાન પર રહી. શ્રેયાએ સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચી દીધો, સંજનાએ રજત, તો શિવાનીએ કાંસ્ય ચંદ્રક પોતાના નામે કર્યો.
સાથીઓ,
આ ઑલમ્પિયાડ માટે ભારતમાં જે પસંદગીની પ્રક્રિયા છે તે પોતાની રીતે બહુ જ કઠિન છે. તેમાં એક બહુસ્તરીય પસંદગી પ્રક્રિયા છે. તેમાં પ્રાદેશિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર કઠિન પડકારોને પાર કરવાના હોય છે. તે પછી સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી વિદ્યાર્થિનીઓ એક મહિનામાં ગણિત પ્રશિક્ષણ શિબિરમાં જોડાય છે. આ કેમ્પ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચના હોભી ભાભા સેન્ટર ફૉર સાયન્સ ઍજ્યુકેશનમાં આયોજિત થાય છે. આ કેમ્પના અંતમાં ટીમની પસંદગીની કસોટી થાય છે. તેમાં પ્રદર્શનના આધાર પર જ ભારતની ટીમ પસંદ કરવામાં આવે છે.
સાથીઓ,
દર વર્ષે દેશભરની લગભગ છ લાખ વિદ્યાર્થિનીઓ આ મેથેમેટિકલ ઑલમ્પિયાડ પ્રૉગ્રામમાં ભાગ લે છે. સમયની સાથે આ સંખ્યા સતત વધી રહી છે. એટલે કે દેશની દીકરીઓ વચ્ચે ઑલમ્પિયાડની આ સંસ્કૃતિ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. આ પ્રતિભાશાળી દીકરીઓનું સમર્થન કરવા માટે હું તેમનાં માતાપિતાની પ્રશંસા કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ,
આપણા દેશમાં આ સમયે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અભિયાન ચાલી રહ્યું છે, જેના વિશે દરેક ભારતીયને જાણકારી હોવી આવશ્યક છે. તે છે જનગણનાનું અભિયાન. તે દુનિયાની સૌથી મોટી જનગણના છે. સાથીઓ, જે સાથીઓ પહેલેથી આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થયા છે, તેમને આ વખતની જનગણનાનો અનુભવ અલગ થવાનો છે. જનગણના 2027ને ડિજિટલ બનાવવામાં આવી છે. બધી જાણકારી સીધા ડિજિટલ માધ્યમથી અંકિત થઈ રહી છે. ઘર-ઘર જનારા કર્મચારીઓ પાસે મોબાઇલ ઍપ છે. તેઓ તમારી સાથે વાત કરીને તેમાં વિગતો અંકિત કરશે.
સાથીઓ,
આ વખતે જનગણનામાં તમારી ભાગીદારી પણ સરળ કરવામાં આવી છે. તમે પોતે પણ પોતાની જાણકારી અંકિત કરી શકો છો. કર્મચારીના આવવાના 15 દિવસ પહેલાં તમારા માટે આ સુવિધા શરૂ થશે. તમે તમારા સમય અનુસાર જાણકારી ભરી શકો છો. જ્યારે તમે પ્રક્રિયા પૂરી કરશો તો તમને એક વિશેષ આઈડી મળશે. આ આઈડી તમારા મોબાઇલ કે ઈ-મેઇલ પર આવે છે. પછી, જ્યારે કર્મચારી તમારા ઘરે આવશે, તો તમે આ આઈડી દેખાડીને જાણકારીની પુષ્ટિ કરી શકો છો. તેને ફરીવાર જાણકારી આપવાની આવશ્યકતા નથી. સમય પણ બચશે અને પ્રક્રિયા સરળ થઈ જશે. સાથીઓ, જે રાજ્યોમાં સ્વગણનાનું કામ પૂરું થઈ ગયું છે, ત્યાં ગણના કર્મચારીઓ દ્વારા ઘરોના સૂચિકરણનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 1 કરોડ 20 લાખ પરિવારોનું મકાન સૂચિકરણનું કાર્ય પૂરું પણ થઈ ચૂક્યું છે.
સાથીઓ,
દેશની જનગણના માત્ર સરકારી કામ નથી. તે આપણા સહુની જવાબદારી છે. તમારી ભાગીદારી બહુ જ અનિવાર્ય છે. તમારી આપેલી જાણકારી પૂરી રીતે સુરક્ષિત રહે છે, તે ગોપનીય રખાય છે, ડિજિટલ સુરક્ષા સાથે તેને સુરક્ષિત કરવામાં આવે છે. આવો, આપણે બધા મળીને આ પ્રક્રિયામાં ભાગ લઈએ. જનગણના 2027ને સફળ બનાવીએ.
સાથીઓ,
આપણા દેશમાં ખાણીપીણીની પરંપરા માત્ર સ્વાદ સુધી સીમિત નથી રહી. આ પરંપરાનો એક રસપ્રદ હિસ્સો છે ભારતની ચીઝ (Cheese). કેટલાક દિવસ પહેલાં મેં ટ્વિટના માધ્યમથી એક જાણકારી વહેંચી હતી. બ્રાઝિલમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય ચીઝ પ્રતિયોગિતામાં ભારતીય ચીઝની બે બ્રાન્ડને પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા હતા. આ ઉપલબ્ધિની ચર્ચા સૉશિયલ મીડિયા પર પણ ખૂબ જ થઈ. અનેક લોકોએ મને કહ્યું કે ભારતમાં ચીઝની જે વિવિધતા છે તેના પર પણ વાત થવી જોઈએ.
સાથીઓ,
ભારતના ડૅરી ક્ષેત્રમાં બહુ મોટું પરિવર્તન આવી રહ્યું છે. આ ક્ષેત્રમાં મૂલ્ય વર્ધને આપણા પારંપરિક સ્વાદને એક નવી ઓળખ આપી છે. આજે ભારતીય ચીઝ દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી રહી છે. સવારનો અલ્પાહાર હોય, બપોરનું ભોજન હોય કે રાત્રિનું, દુનિયાની પ્લેટોમાં ભારતનો સ્વાદ પહોંચી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરની કલારી ચીઝને જ લો- તેને 'કશ્મીરનું મોજેરેલા' કહેવાય છે. ગુજ્જર-બકરવાલ સમુદાયના લોકો પેઢીઓથી તેને બનાવતા અને ખાતા આવ્યા છે. તો સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં 'છુરપી' ખૂબ જ પ્રસિદ્ધ છે. પહાડોની સાદગી અને કોમળતા તેના સ્વાદમાં પણ અનુભવાય છે. આ ચીઝની ખાસ વાત એ છે કે તેને યાકના દૂધમાંથી બનાવાય છે.
સાથીઓ,
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 'ટોપલીનું પનીર' જેને 'સુરતી ચીઝ' પણ કહેવાય છે. તે પણ પોતાની એક અલગ ઓળખ રાખે છે. મેં અહીં કેવળ કેટલાંક નામો લીધાં છે, પરંતુ આપણા દેશમાં સ્વાદની આ દુનિયા ઘણી વ્યાપક છે. આજે આ પરંપરાને નવી શક્તિ મળી રહી છે. અનેક ભારતીય કંપનીઓ આ ક્ષેત્રમાં નિવેશ કરી રહી છે. આધુનિક ટકેનિક આવી રહી છે, વધુ સારું પેકેજિંગ થઈ રહ્યું છે અને આપણાં ઉત્પાદનો વૈશ્વિક ધોરણોની સાથે આગળ વધી રહ્યાં છે. તેનું પરિણામ છે કે ભારતીય ચીઝ હવે દેશની સીમાઓમાંથી નીકળીને દુનિયાનાં બજારો અને રૅસ્ટૉરન્ટ સુધી પહોંચી રહ્યું છે. આજે આપણે લૉકલથી ગ્લૉબલની વાત કરીએ છીએ તેમાં ભારતીય ચીઝનું ઉદાહરણ આપણને, આગળની દિશા દેખાડે છે. મને વિશ્વાસ છે કે ભારતનો સ્વાદ, ભારતની પરંપરા અને ભારતની ગુણવત્તા, દુનિયાના લોકોને એક નવો અનુભવ આપશે અને ભારત સાથે એક નવું જોડાણ પણ બનાવશે.
મારા પ્રિય દેશવાસીઓ,
આ મહિને દેશના અનેક હિસ્સાઓમાં નવ વર્ષ સહિત અનેક પર્વ તહેવારો મનાવવામાં આવ્યા. કેટલાક જ દિવસ પછી 9 મેએ 'પોચ્ચીશે બોઇશાખ'ના અવસર પર આપણે ગુરુદેવ ટાગોરની જયંતી મનાવીશું. ગુરુદેવ બહુ આયામી વ્યક્તિત્વના સ્વામી હતા. તેઓ એક મહાન લેખક અને વિચારક તો હતા જ, તેમણે અનેક પ્રસિદ્ધ સંસ્થાઓને પણ આકાર આપ્યો. ગુરુદેવ ટાગોર લોકો માટે એવા ઉદ્યોગોના પક્ષધર હતા જેમાં સ્થાયી રોજગાર મળવાની સાથે જ ગામડાંઓનું પણ કલ્યાણ થાય. તેમના રવીન્દ્ર સંગીતનો પ્રભાવ આજે પણ દુનિયાભરમાં દેખાય છે. મારા માટે શાંતિ નિકેતનની યાત્રા અવિસ્મરણીય રહી. આ એ જ સંસ્થા છે જેને તેમણે પૂરા સમર્પણ ભાવથી સિંચી અને સજાવી હતી. તેમને એક વાર ફરી મારી વિનમ્ર શ્રદ્ધાંજલી.
સાથીઓ, મેનો મહિનો 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનું સ્મરણ પણ કરાવે છે. હું મા ભારતીનાં બધાં વીર સંતાનોને નમન કરું છું જેમણે લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી હતી. આ સમય શાળાનાં બાળકોની રજાઓનો પણ હોય છે. મારો અનુરોધ છે કે તેઓ પોતાની રજાઓનો ભરપૂર આનંદ લે અને કેટલુંક નવું શીખવાનો પ્રયાસ કરે. ગરમીની આ ઋતુમાં તમે સહુ પોતાના સ્વાસ્થ્યનું પણ પૂરું ધ્યાન રાખજો. આગામી મહિને તમારી સાથે ફરી મુલાકાત થશે. કેટલાક નવા વિષયો સાથે, દેશવાસીઓની કેટલીક નવી ઉપલબ્ધિઓ સાથે. ખૂબ-ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર
'મન કી બાત'માં એક વાર ફરી આપ સહુનું સ્વાગત છે. માર્ચનો આ મહિનો, વૈશ્વિક સ્તર પર ખૂબ જ હલચલભર્યો રહ્યો છે. આપણને બધાને યાદ છે કે સમગ્ર વિશ્વ ભૂતકાળમાં કોવિડના લીધે એક લાંબા સમય સુધી અનેક સમસ્યાઓમાંથી પસાર થયો હતો. આપણને બધાને અપેક્ષા હતી કે કોરોના સંકટમાંથી નીકળ્યા પછી દુનિયા નવેસરથી પ્રગતિની રાહ પર આગળ વધશે. પરંતુ દુનિયાનાં અલગ-અલગ ક્ષેત્રોમાં સતત યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિઓ બનતી ગઈ. વર્તમાનમાં આપણા પડોશમાં એક મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આપણા લાખો પરિવારોના સગા-સંબંધી આ દેશોમાં રહે છે, વિશેષ તો અખાતના દેશોમાં કામ કરે છે. હું અખાતના દેશોનો ખૂબ જ આભારી છું, તેઓ આવા એક કરોડથી વધુ ભારતીયોને ત્યાં દરેક પ્રકારની મદદ કરી રહ્યા છે.
સાથીઓ,
જે ક્ષેત્રમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, તે ક્ષેત્ર આપણી ઊર્જા આવશ્યકતાઓનું મોટું કેન્દ્ર છે. તેના કારણે દુનિયા ભરમાં પેટ્રૉલ અને ડીઝલ અંગે સંકટની સ્થિતિ બનતી જઈ રહી છે. આપણા વૈશ્વિક સંબંધ, અલગ-અલગ દેશો તરફથી મળી રહેલો સહયોગ અને છેલ્લા એક દાયકામાં દેશનું જે સામર્થ્ય બન્યું છે, તેના કારણે ભારત આ પરિસ્થિતિઓનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે.
સાથીઓ,
ચોક્કસ, આ સમય પડકારજનક છે જ. હું આજે 'મન કી બાત'ના માધ્યમથી બધા દેશવાસીઓને ફરીથી આગ્રહ કરીશ કે આપણે એકસંપ થઈને આ પડકારમાંથી બહાર નીકળવાનું છે. જે લોકો અત્યારે આ વિષય પર રાજનીતિ કરી રહ્યા છે, તેમણે રાજનીતિ ન કરવી જોઈએ. એ દેશના 140 કરોડ દેશવાસીઓના હિત સાથે જોડાયેલો વિષય છે, તેમાં સ્વાર્થભરી રાજનીતિને કોઈ સ્થાન નથી. આવામાં જે પણ લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે, તેઓ દેશનું બહુ મોટું નુકસાન કરી રહ્યા છે. હું બધા દેશવાસીઓને અપીલ પણ કરીશ કે તેઓ જાગૃત રહે, અફવાઓથી ગેરમાર્ગે ન દોરાઈ જાય. સરકાર દ્વારા તમને જે નિરંતર જાણકારી આપવામાં આવી રહી છે, તેના પર વિશ્વાસ કરે અને તેના પર વિશ્વાસ કરીને કોઈ પગલું ભરે. મને દર વખતની જેમ આ વખતે પણ વિશ્વાસ છે કે જેવી રીતે આપણે દેશના 140 કરોડ દેશવાસીઓના સામર્થ્યથી જૂનાં સંકટોને હરાવ્યાં હતાં, આ વખતે પણ આપણે બધા મળીને આ મુશ્કેલ સમયમાંથી ખૂબ જ સારી રીતે બહાર નીકળી જઈશું.
મારા પ્રિય દેશવાસીઓ,
ભારતની શક્તિ અહીંના કોટિ-કોટિ લોકોમાં નિહિત છે. આજે 'મન કી બાત'માં એક એવા પ્રયાસ વિશે જણાવવા માગું છું, જે દેશવાસીઓની જનભાગીદારીની ભાવનાને દર્શાવે છે. આ પ્રયાસ છે જ્ઞાન ભારતમ સર્વે, જેનો સંબધ આપણી મહાન સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસા સાથે છે. તેનો ઉદ્દેશ્ય દેશભરમાં પ્રાપ્ય મેન્યુસ્ક્રિપ્ટ અર્થાત્ પાંડુલિપિઓ વિશે જાણકારી એકઠી કરવાનો છે. આ સર્વે સાથે જોડાવાનું એક માધ્યમ જ્ઞાન ભારતમ્ ઍપ છે. તમારી પાસે જો કોઈ મેન્યુસ્ક્રિપ્ટ હોય, પાંડુલિપિ હોય અથવા તેના વિશે જાણકારી હોય તો તેનો ફૉટો 'જ્ઞાન ભારતમ્ ઍપ' પર જરૂર મૂકજો. દરેક એન્ટ્રી સાથે જોડાયેલી જાણકારીને અંકિત કરતા પહેલાં તેની પુષ્ટિ પણ કરવામાં આવી રહી છે. મને એ વાતે પ્રસન્નતા છે કે અત્યાર સુધીમાં હજારો મેન્યુસ્ક્રિપ્ટ પાંડુલિપિ લોકોએ વહેંચી છે. ઉદાહરણ તરીકે અરુણાચલ પ્રદેશના નામસાઈના ચાઓ નંતિસિન્ધ લોકાંગજીએ તાઈ લિપિમાં પાંડુલિપિઓ વહેંચી છે.
અમૃતસરના ભાઈ અમિતસિંહ રાણાએ ગુરુમુખી લિપિમાં પાંડુલિપિ વહેંચી છે. તે આપણી મહાન શીખ પરંપરા અને પંજાબી ભાષા સાથે જોડાયેલી લિપિ છે. કેટલીક સંસ્થાઓએ પાર્મ લીફ અર્થાત્ તાડ પત્રો પર લખાયેલી મેન્યુસ્ક્રિપ્ટ આપી છે. રાજસ્થાનના અભય જૈન ગ્રંથાલયે તામ્રપત્ર પર લખાયેલી બહુ જૂની પાંડુલિપિઓ આપી છે. તો, લદ્દાખના હામીસ મોનાસ્ટરીએ તિબ્બતીમાં બહુમૂલ્ય પાંડુલિપિઓ વિશે જાણકારી આપી છે. અહીં મેં માત્ર કેટલાંક જ ઉદાહરણ આપ્યાં છે. આ સર્વે જૂનના મધ્ય સુધી ચાલુ રહેવાનો છે. તમને સહુને મારો અનુરોધ છે કે પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલાં પાસાંઓને સામે લાવો અને વહેંચો.
મારા પ્રિય દેશવાસીઓ,
ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. દેશના યુવાનોની શક્તિ જ્યારે રાષ્ટ્ર નિર્માણમાં જોડાય છે તો ખૂબ જ મોટી સહાય મળે છે. રાષ્ટ્રનિર્માણના આ દાયિત્વને નિભાવવામાં મોટી ભૂમિકા નિભાવે છે, મારું યુવા ભારત અર્થાત્ માય ભારત સંગઠન. આ સંગઠન દેશના યુવાનોને અલગ-અલગ સકારાત્મક ગતિવિધિઓ સાથે જોડી રહ્યું છે. તાજેતરમાં જ માય ભારત દ્વારા બજેટ ક્વેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો હેતુ હતો દેશભરના યુવાનોને બજેટ પ્રક્રિયા અને નીતિ નિર્માણ સાથે જોડવા. તેની સાથે જોડાયેલી ક્વિઝમાં દેશભરમાંથી લગભગ 12 લાખ યુવાનોએ ભાગ લીધો. ક્વિઝ પછી લગભગ એક લાખ સાઇઠ હજાર પ્રતિભાગીઓને નિબંધ પ્રતિયોગિતા માટે પસંદ કરવામાં આવ્યા. મને તેમનામાંથી કેટલાક નિબંધ વાંચવાનો અવસર મળ્યો. તેનાથી જાણવા મળે છે કે યુવા સાથીઓ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે કેટલા તત્પર છે. તેલંગાણાના સૂર્યાપેટથી કોટલા રઘુવીર રેડ્ડી, ઉત્તરપ્રદેશના બારાબંકીના સૌરભ બૈસવાર અને બિહારના ગોપાલગંજથી સુમિતકુમારે ખેડૂત કલ્યાણ સાથે જોડાયેલા વિષય પર લખ્યું છે. પંજાબના મોહાલીથી આંચલ અને ઓડિશાના કેન્દ્રપાડાથી ઓમપ્રકાશ રથે મહિલાના નેતૃત્વમાં વિકાસને આગળ વધારવાના ઉપાયો પર પોતાના વિચારો પ્રગટ કર્યા છે.
હરિયાણાના યમુનાનગરથી પ્રથમ બરારે લખ્યું છે કે ગ્રીન અને ક્લીન ભારત જ સમૃદ્ધ ભારતનો માર્ગ છે. તેનાથી તેમની ઊંડી વિચારસરણી જાણવા મળે છે. દિલ્લીના શંખ ગુપ્તાનું સૂચન છે કે ગ્રામીણ ક્ષેત્રોમાં ખેલ પ્રતિભાઓને ઓળખવા માટે હજુ વધુ પ્રયાસ થવા જોઈએ. આપણા યુવાન સાથીઓએ સ્કીલ ડેવલપમેન્ટ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર પણ પોતાના વિચારો જણાવ્યા છે. હું એ બધા યુવાનોની પ્રશંસા કરું છું, જે પોતાના વિચારો જણાવી રહ્યા છે. આ વિચારો દેશને આગળ લઈ જવામાં બહુ મહત્ત્વપૂર્ણ છે.
મારા પ્રિય દેશવાસીઓ,
દેશભરના ક્રિકેટ ચાહકો માટે આ મહિનો જોશ અને ઉત્સાહથી ભરી દેનારો રહ્યો છે. જ્યારે ભારતે T20 વિશ્વ કપમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી તો દેશમાં બધી જગ્યાએ પ્રસન્નતાની લહેર દોડી ગઈ. પોતાની ટીમની આ શાનદાર સફળતા પર આપણને બધાને ખૂબ જ ગર્વ છે. ગત મહિનાના અંતે કર્ણાટકના હુબલીમાં એક ખૂબ જ રોચક સ્પર્ધા જોવા મળી. આ સ્પર્ધાને જીતીને જમ્મુ-કાશ્મીરની ક્રિકેટ ટીમે રણજી ટ્રૉફીને પોતાના નામે કરી લીધી. સૌથી આનંદની વાત એ છે કે લગભગ સાત દાયકાની લાંબી પ્રતીક્ષા પછી આ ટીમે પોતાનું પહેલું રણજી શીર્ષક જીત્યું. આ અભૂતપૂર્વ સફળતા ખેલાડીઓના અનેક વર્ષોના નિરંતર પ્રયાસોનું પરિણામ છે. ટીમના કપ્તાન પારસ ડોગરાએ અદ્ભુત કૌશલ્ય દાખવ્યું. પોતાના નેતૃત્વમાં આ જીતમાં તેમણે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. આજે દેશમાં કાશ્મીરના યુવાન બૉલર આકિબ નબીના પ્રદર્શનની પણ ચર્ચા થઈ રહી છે જેમણે રણજી શ્રેણીમાં 60 વિકેટ લીધી છે. આ જીતથી ટીમના ખેલાડીઓ અને પ્રશિક્ષણ સ્ટાફની સાથોસાથ જમ્મુ-કાશ્મીરના લોકો પણ ખૂબ જ રોમાંચિત છે.
ક્રિકેટના મેદાનમાં આ શાનદાર પ્રદર્શન પછી ત્યાંના યુવાનોમાં રમત પ્રત્યે ઉત્સાહ પહેલાં કરતાં વધી ગયો છે. આવનારા સમયમાં તે અનેક યુવાનોને રમતોને અપનાવવા માટે પ્રેરિત કરશે. જમ્મુ-કાશ્મીરના લોકોમાં રમત અંગે અદ્ભુત ધગશ છે. મને આનંદ છે કે અત્યારે તે મોટાં ખેલ આયોજનોનું કેન્દ્ર પણ બનતું જઈ રહ્યું છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ માટે ગુલમર્ગ તો પહેલાં જ પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે. ફૂટબૉલ જેવુી રમત પણ અહીંના યુવાનો વચ્ચે ઘણી લોકપ્રિય છે. મને આશા છે કે આવનારા સમયમાં જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓની જીતનો આ ક્રમ આમ જ ચાલુ રહેશે.
મારા પ્રિય દેશવાસીઓ,
હું ઘણી વાર કહું છું, જે રમશે, તે જીતશે. મને એ જાણીને સારું લાગ્યું કે આપણા દેશના યુવાનો, હવે તે રમતોને પણ ઘણી અપનાવી રહ્યા છે, જે પહેલાં એટલી લોકપ્રિય નહોતી. ઉત્તર પ્રદેશના પ્રતિભાશાળી એથ્લેટ ગુલવીરસિંહે આવા જ એક ખેલમાં કમાલ કરી દીધો છે. તેમણે કેટલાંક અઠવાડિયાં પહેલાં ન્યૂયોર્ક સિટી હાફ મેરેથોનમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી ઇતિહાસ રચી દીધો. તેઓ એક કલાકથી ઓછા સમયમાં હાફ મેરેથોન પૂરી કરનારા પહેલા ભારતીય એથ્લેટ બન્યા. સ્કવૉશ ખેલાડી બેટી અનાહતસિંહે સ્ક્વોશ ઓન ફાયર ઓપનની મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જીતી. માત્ર 17 વર્ષની વયમાં તેમણે આ સફળતા પ્રાપ્ત કરી. તેની સાથે જ તે પીએસએ વર્લ્ડ રેન્કિંગમાં ટોચના 20માં જગ્યા બનાવનારાં સૌથી નાની વયનાં એશિયાઈ મહિલા ખેલાડી બની ગઈ છે. મને અસ્મિતા એથ્લેટિક્સ લીગની જાણકારી પણ મળી છે. તેમાં આઠ માર્ચે મહિલા દિવસના અવસર પર અનેક સ્પૉર્ટિંગ ઇવેન્ટ્સનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. લીગમાં લગભગ બે લાખ દીકરીઓએ ભાગ લીધો.
એ જોઈને સારું લાગે છે કે ભારતની નારીશક્તિ દેશમાં થઈ રહેલા આ રમત પરિવર્તનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.
સાથીઓ,
મારો સદૈવ એવો આગ્રહ રહ્યો છે કે તમે બધા તમારી ફિટનેસ પર અવશ્ય ધ્યાન આપો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં હવે 100 દિવસથી પણ ઓછો સમય બચ્યો છે. સમગ્ર દુનિયામાં યોગ પ્રત્યે આકર્ષણ પણ સતત વધી રહ્યું છે. આફ્રિકાના જિબૂતિમાં અલ્મીસ જી પોતાના અરવિંદ યોગ સેન્ટર દ્વારા યોગને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ ત્યાંના અનેક સ્થાનો પર પણ લોકોને યોગ શીખવાડે છે. તમારામાંથી અનેક લોકોએ ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર યુવરાજ દુઆની પૉસ્ટ પર મારા પ્રતિભાવ અંગે કૉમેન્ટ કરી છે. તેમણે મને આગ્રહ કર્યો હતો કે હું તેમના પિતાને કહું કે તેઓ ખાંડ ઓછી લે. મને આનંદ છે કે મારા અનુરોધનો તેમના પિતા પર સકારાત્મક પ્રભાવ પડ્યો છે. હું તમને બધાને આગ્રહ કરીશ કે તમે પણ ખાંડનું પ્રમાણ ઓછું કરો અને જેવું મેં અગાઉ પણ કહ્યું છે, આપણે ભોજનના તેલમાં 10 ટકાનો કાપ પણ કરવો છે. આ નાના-નાના પ્રયાસોથી તમે સ્થૂળતા અને જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓથી દૂર રહેશો.
મારા પ્રિય દેશવાસીઓ,
એક જૂની કહેવત છે, 'કરત કરત અભ્યાસ કે, જડમત હોત સુજાન' અર્થાત્, આપણે જ્યારે નિરંતર અભ્યાસ કરીએ છીએ તો એટલી જ વધુ બુદ્ધિમતા પ્રાપ્ત કરતા જઈએ છીએ. લોકો પણ સૌથી શ્રેષ્ઠ ત્યારે શીખે છે જ્યારે તેમની સક્રિય ભાગીદારી હોય છે. મને બેંગ્લુરુમાં શિક્ષણ સાથે જોડાયેલા એક અદ્વિતીય પ્રયાસ વિશે જાણકારી મળી છે. અહીં એક ટીમ પ્રયોગ ઇન્સ્ટિચુટ ઓફ એજુકેશન રિસર્ચ ચલાવી રહી છે. આ ટીમનું રિસર્ચ પ્રોજેક્ટ્સ પર વિશેષ ફોકસ છે. આ ટીમ શાળાના સ્તરે વિજ્ઞાન શિક્ષણને લોકપ્રિય બનાવવામાં લાગેલી છે.
તેમણે 'અન્વેષણ' નામનો એક પ્રયોગ કર્યો છે, તેના દ્વારા 9માથી 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રી, અર્થ સાયન્સ અને વેલનેસ જેવાં ક્ષેત્રોમાં ઇન્નૉવેશન કરવાનો અવસર મળે છે- તેનાથી વિદ્યાર્થીઓને રિસર્ચનો ખૂબ જ સારો અનુભવ પ્રાપ્ત થાય છે, સાથે જ પોતાના પ્રૉજેક્ટ્સને પબ્લિશ કરવાનું પ્લેટફૉર્મ પણ મળે છે.
સાથીઓ,
પરીક્ષા પર ચર્ચા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ મને જણાવ્યું હતું કે તેઓ વિજ્ઞાન ભણવા તો માગે છે, પરંતુ તેમને તેનાથી ડર પણ લાગે છે. આ દિશામાં પ્રયોગની ટીમનો પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે, આ પહેલ વિદ્યાર્થીઓને સાયન્સ સાથે જોડાવા અને પ્રૅક્ટિકલી કંઈક કરી દેખાડવાનો અવસર આપે છે. જ્યારે આપણે કોઈ ચીજને પોતે કરીને જોઈએ છીએ તો જિજ્ઞાસા અને રુચિ ઉત્પન્ન થાય છે. કોને ખબર કે મારા આ યુવાન સાથીઓમાંથી જ કોઈ આવનારા સમયમાં ઉત્તમ વૈજ્ઞાનિક બને.
સાથીઓ,
શિક્ષણના માધ્યમથી અતીતને સંરક્ષિત કરવા અને ભવિષ્યને તૈયાર કરવાનો એક પ્રયાસ નાગા સમુદાય કરી રહ્યો છે. આ સમુદાયના લોકો પોતાની આદિવાસી પરંપરાઓનું ખૂબ જ સન્માન કરે છે. તેઓ એના પર ગર્વ તો કરે જ છે, સાથે જ પોતાના અભિગમને આધુનિક પણ રાખે છે. નાગા જનજાતિમાં મોરુંગ લર્નિંગની એક પારંપરિક વ્યવસ્થા હતી, તેમાં વડીલો પોતાના અનુભવોથી યુવાનોને પારંપરિક જ્ઞાન, ઇતિહાસ અને જીવન કૌશલ્યો વિશે શીખવતા હતા. સમયની સાથે આ પ્રણાલિ હવે મોરુંગ શિક્ષણનો ખ્યાલમાં બદલાઈ ગઈ છે. તેના માધ્યમથી બાળકોમાં ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં રુચિ ઉત્પન્ન કરવામાં આવે છે. તેમાં સમુદાયના વડીલો તેમને વાર્તાઓ, લોકગીત અને પારંપરિક રમતોની સાથે જીવન કૌશલ્યો પણ શીખવાડે છે. આ રીતે આપણું નાગાલેન્ડ પોતાના સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવાની સાથે, બાળકોના શિક્ષણને આગળ લઈ જઈ રહ્યું છે.
તમને પણ પોતાના ક્ષેત્રમાં આવા પ્રયાસો વિશે જાણવા મળે તો મને જરૂર જણાવજો.
મારા પ્રિય દેશવાસીઓ,
દેશના અનેક હિસ્સાઓમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે આ સમય જળ સંરક્ષણના પોતાના સંકલ્પનો ફરીથી પુનરોચ્ચાર કરવાનો છે. છેલ્લાં 11 વર્ષમાં 'જળ સંચય અભિયાને લોકોને ઘણા જાગૃત કર્યા છે. આ અભિયાન હેઠળ દેશભરમાં લગભગ 50 લાખ કૃત્રિમ પાણી સંગ્રહ માળખું બનાવવામાં આવ્યા છે. મને એ જોઈને સારું લાગે છે કે હવે જળ સંકટનો સામનો કરવા માટે ગામેગામ સામુદાયિક સ્તર પર પ્રયાસ થવા લાગ્યા છે. ક્યાંક જૂનાં તળાવોની સફાઈ થઈ રહી છે, ક્યાંક વરસાદના પાણીને સંગ્રહિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમૃત સરોવર અભિયાન હેઠળ પણ દેશભરમાં લગભગ 70 હજાર અમૃત સરોવર બનાવવામાં આવ્યાં છે. ચોમાસું આવતા પહેલાં આ સરોવરોની સાફ-સફાઈ પણ શરૂ થઈ ગઈ છે. આજે હું તમને કેટલાંક પ્રેરક ઉદાહરણો પણ કહેવા માગું છું. આ ઉદાહરણો બતાવે છે કે જનભાગીદારીથી જળ સંરક્ષણનું કામ કેટલું વ્યાપક બની જાય છે.
સાથીઓ,
ત્રિપુરાની જંપુઈ પહાડીઓમાં વસેલું વાંગમુન ગામ 3,000 ફીટની ઊંચાઈ પર આવેલું છે. આ ગામ પાણીના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું હતું. ઉનાળાના દિવસોમાં ગામના લોકો પાણી માટે દૂર-દૂર સુધી જતા હતા. છેવટે ગામના લોકોએ વરસાદના દરેક ટીપાંનો સંગ્રહ કરવાનો નિર્ણય કર્યો. આજે વાંગમુન ગામના લગભગ દરેક ઘરમાં છત પર વરસાદી પાણી સંગ્રહ સિસ્ટમ (રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ) સ્થાપિત થઈ ગઈ છે. જે ગામ ક્યારેક પાણીની તંગીનો સામનો કરી રહ્યું હતું તે જળ સંરક્ષણનું પ્રેરક ઉદાહરણ બની ગયું છે.
સાથીઓ,
આ જ રીતે છત્તીસગઢના કોરિયા જિલ્લામાં પણ એક અનોખી પહેલ જોવા મળી. અહીંના ખેડૂતોએ એક સરળ પરંતુ પ્રભાવશાળી વિચાર પર કામ કર્યું. અહીંના ખેડૂતોએ પોતાનાં ખેતરોમાં નાનાં-નાનાં રિચાર્જ તળાવ અને ઝમણકુવાં બનાવ્યાં જેનાથી વરસાદનું પાણી ખેતરમાં જ રોકાવા લાગ્યું અને ધીમેધીમે તે જમીનની અંદર જવા લાગ્યું. આજે તે ક્ષેત્રમાં 1,200થી વધુ ખેડૂતો આ મૉડલને અપનાવી ચૂક્યા છે અને ગામનું ભૂગર્ભ જળનું સ્તર ખૂબ જ સારું થઈ ગયું છે. આ જ રીતે તેલંગાણાના મંચેરિયાલ જિલ્લાના મુધિગુંટા ગામમાં પણ લોકોએ મળીને પાણીની સમસ્યા દૂર કરી દીધી છે. ગામના 400 પરિવારોએ પોતાના ઘરોમાં સોક પીટ બનાવ્યા અને પાણી સંરક્ષણને જન આંદોલન બનાવી દીધું. તેનાથી ગામનું ભૂગર્ભ જળ સ્તર સારું થયું છે, સાથે જ, પ્રદૂષિત પાણીના કારણે થનારી બીમારીઓ બહુ ઓછી થઈ ગઈ છે.
મારા પ્રિય દેશવાસીઓ,
આપણા માછીમાર ભાઈ-બહેનો કેવળ સમુદ્રના યૌદ્ધાઓ જ નથી, પરંતુ તેઓ આત્મનિર્ભર ભારતનો એક મજબૂત પાયો પણ છે. તેઓ સવાર પડતા પહેલાં સમુદ્રની લહેરો સામે ઝઝૂમતાં, પોતાના પરિવારની સાથે-સાથે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં લાગી જાય છે. આવા મહેનતુ માછીમારોનું જીવન આજે અનેક રીતે સરળ બનાવવામાં આવી રહ્યું છે. ચાહે તે બંદરગાહોનો વિકાસ હોય કે માછીમારો માટે વીમો, એવી અનકે પહેલો તેમના બહુ કામમાં આવી રહી છે. આપણે જાણીએ છીએ કે સમુદ્રમાં તેમની પ્રવૃત્તિઓને હવામાન બહુ જ પ્રભાવિત કરે છે. તેને જોતાં, ટૅક્નૉલૉજી દ્વારા પણ તેમની પૂરી મદદ કરવામાં આવી રહી છે. મને ખૂબ જ આનંદ છે કે આવા પ્રયાસોથી આપણું માછીમારીનું ક્ષેત્ર ન માત્ર સમૃદ્ધ થઈ રહ્યું છે, પરંતુ કંઈક નવું કરવાની ધગશ પણ ભરી રહ્યું છે. આજે માછીમારી અને શેવાળના ક્ષેત્રમાં પણ નવાં-નવાં ઇન્નૉવેશન થઈ રહ્યાં છે, અને આપણા માછીમાર ભાઈ-બહેનો આત્મનિર્ભર બની રહ્યાં છે.
ઓડિશાના સમ્બલપુરની સૂજાતા ભૂયાન જી એક ગૃહિણી હતાં, પરંતુ તેઓ કંઈક નવું કરવા પોતાના પરિવારની વધુ મદદ કરવા માગતાં હતાં. આથી કેટલાક વર્ષ પહેલાં તેમણે હીરાકુંડ જળાશયમાં માછલીપાલન શરૂ કર્યું. શરૂઆતના દિવસો તેમના માટે સરળ નહોતા. હવામાનમાં થતું પરિવર્તન, માછલીઓના ભોજનનો પ્રબંધ અને ઘરની જવાબદારીઓ સાથે સંતુલન બનાવવા જેવા અનેક પડકારો હતા, પરંતુ તેમનો જુસ્સો અડગ હતો. માત્ર બે-ત્રણ વર્ષની અંદર તેમણે પોતાના પ્રયાસને એક ધમધમતા વેપારમાં બદલી નાખ્યો. આજે તેમની સફળતા સમુદાયની મહિલાઓ માટે આશાનું નવું કિરણ બની ગઈ છે.
સાથીઓ,
લક્ષદ્વીપમાં મિનીકૉયના હાવ્વા ગુલઝારજીની વાત પણ આપણી માતાઓ-બહેનોની અદ્ભુત સંકલ્પ શક્તિને સામે લાવે છે. ખરેખર તો તેઓ એક ફિશ પ્રૉસેસિંગ યૂનિટ ચલાવતા હતા. પરંતુ તેમને લાગ્યું કે તેમની પાસે એક સારું કૉલ્ડ સ્ટૉરેજ હોય તો તેઓ વધુ સારું કરી શકે છે, આથી તેમણે કૉલ્ડ સ્ટૉરેજ યૂનિટ મૂકવાનો નિર્ણય કર્યો. આજે તે તેમની શક્તિ બની ચૂક્યું છે. હવે તેઓ વધુ સારા આયોજન સાથે વેપાર કરી શકે છે.
સાથીઓ,
દેશમાં આજે ચારે બાજુ એવા પ્રયાસો થઈ રહ્યા છે, જે પ્રેરિત કરનારા છે. બેલગાવીના શિવલિંગ સતપ્પા હુદ્દારે પારંપરિક ખેતીથી અલગ માર્ગ પસંદ કર્યો. તેના માટે તેમણે એક પોન્ડ ફાર્મ બનાવ્યું. તેના વેપાર માટે તેમને પ્રશિક્ષણ પણ મળ્યું. હવે પોતાના Pondથી માછલીઓને વેચીને તેઓ સારી કમાણી કરી રહ્યા છે. તો શેવાળ (Seaweed)ની માગને જોતા, અનેક લોકોએ દરિયાઈ શેવાળની ખેતીને પણ અપનાવ્યું છે. તેનો તેમને મોટો લાભ થઈ રહ્યો છે. હું એક વાર ફરી મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા બધા લોકોની પ્રશંસા કરું છું.
આપણા અર્થતંત્રને સશક્ત બનાવવામાં તેમના પ્રયાસો ખૂબ જ પ્રશંસનીય છે.
મારા પ્રિય દેશવાસીઓ,
જ્યારે સમાજ પોતે આગળ આવે છે તો નાના-નાના પ્રયાસો પણ મોટા પરિવર્તનનો પાયો બની જાય છે. આપણા દેશના અલગ-અલગ ભાગોમાં એવાં અનેક ઉદાહરણો સામે આવી રહ્યા છે, જે આપણને આ જ શીખવાડે છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક પ્રેરક પ્રયાસ જોવા મળ્યો. ત્યાં એક જ કલાકમાં બે લાખ એકાવન હજારથી વધુ છોડો વાવવામાં આવ્યા અને એક નવો ગિનિઝ વર્લ્ડ રેકૉર્ડ બન્યો. આ પ્રયાસની સૌથી વિશેષ વાત એ રહી કે તેમાં હજારો લોકો એક સાથે જોડાયા. વિદ્યાર્થી, યુવાનો, સ્વયંસેવી સંગઠન, અલગ-અલગ સંસ્થાઓ, બધાએ મળીને આ કામને સંભવ બનાવ્યું. જનભાગીદારીનું આ જ સ્વરૂપ 'એક પેડ માઁ કે નામ' અભિયાન દરમિયાન પણ જોવા મળે છે. આ અભિયાન હેઠળ દેશભરમાં કરોડોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
સાથીઓ,
નાગાલેન્ડના ચિજામી ગામથી પણ એક ખૂબ જ પ્રેરક પ્રયાસ સામે આવ્યો છે. ચિજામી ગામની મહિલાઓ મળીને 150થી વધુ વિવિધતાના પારંપરિક બીજોને સુરક્ષિત રાખી રહી છે. આ બીજોને એક કોમ્યુનિટી સીડ બેંકમાં સંરક્ષિત કરવામાં આવી રહ્યાં છે, જેને ગામની મહિલાઓ જ ચલાવે છે. તેમાં ચોખા, બાજરો, મકાઈ, કઠોળ, શાક અને અનેક પ્રકારની જડીબુટ્ટીઓ સમાવિષ્ટ છે. આ એક એવો પ્રયાસ છે જેમાં જ્ઞાન પણ સુરક્ષિત છે, પરંપરા પણ જીવિત છે અને આવનારી પેઢીઓ માટે એક મજબૂત આધાર પણ તૈયાર થઈ રહ્યો છે.
સાથીઓ,
આજે જ્યારે દુનિયા આબોહવા પરિવર્તન જેવા પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે એવા પ્રયાસો આપણને એ જણાવે છે કે સમાધાન ક્યારેય દૂર નથી હોતું.
ઘણી વાર આપણું પોતાનું પારપંરિક જ્ઞાન અને સામુદાયિક પ્રયાસો જ આપણને સૌથી મજબૂત રસ્તો દેખાડે છે.
મારા પ્રિય દેશવાસીઓ,
આજે તમે દેશના કોઈ નાના-મોટા શહેરમાં જશો તો એક પરિવર્તન જરૂર જોશો. તમને મોટી સંખ્યામાં ઘરોની છત પર Solar Panel લાગેલી દેખાશે. કેટલાંક વર્ષ પહેલાં સુધી તે ગણ્યાગાંઠ્યા ઘરો પર જ દેખાતી હતી. પરંતુ આજે 'પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના'નો પ્રભાવ દેશના ખૂણેખૂણે દેખાવા લાગ્યો છે. આ યોજનાના કારણે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની પાયલ મુંજપરાના જીવનમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. તેમણે સૂર્ય પહેલના માધ્યમથી સૌર ઉર્જા ટેકનોલોજીની ટ્રેનિંગ લીધી અને ચાર મહિનાનો સોલાર પીવી ટેકનિશિયનનો કૉર્સ પૂરો કર્યો. હવે તેઓ એક કુશળ સોલાર ટેકનિશિયન બની ગયાં છે. પાયલ એક સૉલર ઉદ્યમીના રૂપમાં પોતાની ઓળખાણ બનાવી રહ્યાં છે. તેઓ આસપાસના જિલ્લામાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનનું કામ કરે છે અને તેનાથી તેમને દર મહિને હજારો રૂપિયાની આવક પ્રાપ્ત થઈ રહી છે.
સાથીઓ,
મેરઠના અરુણકુમાર પણ હવે પોતાના વિસ્તારમાં ઊર્જા દાતા બની ગયા છે. તાજેતરમાં જ, દિલ્લીમાં થયેલા કાર્યક્રમમાં અરુણકુમારે ભાગ લીધો હતો અને પોતાનો અનુભવ જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ન માત્ર વીજળી બિલની બચત કરી રહ્યા છે, પરંતુ પોતાની વધારાની વીજળી વેચી પણ રહ્યા છે.
સાથીઓ,
જયપુરના મુરલીધરજીની સફળતા પણ કંઈક આવી જ છે. પહેલાં તેમની ખેતી ડીઝલ પંપ પર નિર્ભર હતી, જેમાં દર વર્ષે હજારો રૂપિયા ખર્ચ થતા હતા. જ્યારે તેમણે સોલાર પમ્પ અપનાવ્યો તો તેમની ખેતીની રીત જ બદલાઈ ગઈ. હવે તેમને ઈંધણની ચિંતા નથી રહેતી, સિંચાઈ સમય પર થાય છે અને તેમની વાર્ષિક આવક પણ વધી ગઈ છે.
સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે હવે તેમનો પરિવાર સ્વચ્છ ઊર્જાની સાથે, વધુ સારું જીવન પણ જીવી રહ્યો છે. સાથીઓ, 'પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના'નો ફાયદો પૂર્વોત્તર ભારતના ક્ષેત્રોને પણ મળી રહ્યો છે. ત્રિપુરામાં રિયાંગ જનજાતિનાં અનેક ગામો એવાં હતાં જ્યાં વીજળીની સમસ્યા હતી. હવે સૌર મીની-ગ્રીડના માધ્યમથી ત્યાંનાં ઘરોમાં વીજળી રહે છે. ત્યાં બાળકો હવે સાંજ પછી પણ ભણી શકે છે. લોકો મોબાઇલ ચાર્જ કરી શકે છે અને ગામનું સામાજિક જીવન પણ બદલાઈ ગયું છે.
સાથીઓ,
દેશમાં સૌર ઊર્જા ક્રાંતિનાં આવાં અગણિત ઉદાહરણ છે. તમે પણ આ ક્રાંતિ સાથે જોડાવ અને બીજાને પણ જોડજો.
મારા પ્રિય દેશવાસીઓ,
'મન કી બાત' માટે મને દર મહિને દેશના અલગ-અલગ હિસ્સાઓમાંથી ઢગલો સંદેશાઓ મળે છે. આ સંદેશાઓથી એ પણ ખબર પડે છે કે અંતરીયાળ ક્ષેત્રોમાં બેઠેલા લોકો કેટલી રુચિથી આ કાર્યક્રમને સાંભળે છે. જ્યારે હું તમારાં સૂચનો વાંચું છું તો મને લાગે છે કે આ કેવળ એક કાર્યક્રમ જ નથી, તે આપણો બધાનો એક સંયુક્ત સંવાદ બની ગયો છે. તમારા વિચાર, તમારા અનુભવ, આ કાર્યક્રમને સતત વધુ સારો બનાવવાની પ્રેરણા આપે છે. તમે તમારી આસપાસની પ્રેરક ગાથાઓ આમ જ જણાવતા રહેજો. બની શકે છે કે તમારો એક નાનકડો પ્રયાસ, બીજા કોઈના જીવનમાં મોટું પરિવર્તન લાવે, કોઈને આગળ વધવાનો નવો જુસ્સો આપે - રેડિયોની આ જ અસલી શક્તિ છે. તે દેશના અલગ-અલગ ખૂણામાં બેઠેલા લોકોને એક વિચાર, એક ભાવના અને એક ઉદ્દેશ્ય સાથે જોડી દે છે. આગામી મહિને ફરી મળીશું, કેટલાંક નવાં પ્રેરક વ્યક્તિત્વોની સાથે, કેટલાક એવા પ્રયાસોની સાથે, જે આપણને આગળ વધવાની નવી ઊર્જા આપશે.
ત્યાં સુધી, તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો - સ્વસ્થ રહો, આનંદમાં રહો. ખૂબ-ખૂબ ધન્યવાદ.

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. “મન કી બાત”માં આપનું સ્વાગત છે, અભિનંદન છે. મન કી બાત દેશ અને દેશવાસીઓની સિધ્ધિઓને સામે લાવવાનો એક મજબૂત મંચ છે. દેશે આવી જ ઉપલબ્ધિ તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમ્યાન જોઇ. કેટલાય દેશોના નેતા, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સંશોધકો અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા ભારત મંડપમમાં એકત્રિત થયા. આગામી સમયમાં એઆઇની શક્તિનો ઉપયોગ દુનિયા કેવી રીતે કરશે તે દિશામાં આ શિખર પરિષદ એક નવા વળાંકરૂપ સાબિત થઇ છે.
સાથીઓ,
આ શિખર પરિષદમાં મને વિશ્વના નેતાઓ અને ટેકનોલોજીના મુખ્ય અધિકારીઓને મળવાની તક પણ મળી. એઆઇ શિખર પરિષદના પ્રદર્શનમાં મે વિશ્વના નેતાઓને ઘણીબધી બાબતો બતાવી. અહીં હું બે વાતનો વિશેષરૂપે ઉલ્લેખ કરવા માંગું છું. શિખર પરિષદમાં આ બે ઉત્પાદને દુનિયાભરના નેતાઓને ખૂબ પ્રભાવિત કર્યા. પહેલું ઉત્પાદન અમૂલના બુથ પર હતું. તેમાં બતાવવામાં આવ્યું હતું કે, એઆઇ પશુઓનો ઇલાજ કરવામાં કેવી રીતે મદદ કરી રહી છે અને કેવી રીતે 24 કલાક, રાતદિવસ એઆઇ સહાયની મદદથી ખેડૂત પોતાની ડેરી અને પશુઓનો હિસાબ રાખે છે.
સાથીઓ,
બીજું નિર્માણ આપણી સંસ્કૃતિને લગતું હતું. દુનિયાભરના નેતાઓ તે જોઇને નવાઇ પામી ગયા કે કેવી રીતે એઆઇની મદદથી આપણે આપણા પ્રાચીન ગ્રંથોને, આપણા પ્રાચીન જ્ઞાનને આપણી પાંડુલીપીઓને સંરક્ષિત કરી રહ્યા છીએ, આજની પેઢીને અનુરૂપ ઢાળી રહ્યા છીએ.
સાથીઓ,
પ્રદર્શન દરમિયાન નિદર્શન માટે સુશ્રુત સંહિતાની પસંદગી કરવામાં આવી હતી. પહેલા પગલામાં બતાવવામાં આવ્યું હતું કે, ટેકનોલોજીની મદદથી આપણે પાંડુલિપીઓની છાપની ગુણવત્તા સુધારીને તેને વાંચવાલાયક બનાવી રહ્યા છીએ. બીજા કદમમાં આ છાપને મશીનથી વાંચવાલાયક લખાણમાં બદલવામાં આવ્યું. અને પછી આગળના પગલામાં આપણે એ પણ બતાવ્યું કે, કેવી રીતે ટેકનોલોજીની મદદથી આ અણમોલ ભારતીય જ્ઞાન, ભારતીય ભાષાઓ અને વિદેશી ભાષાઓમાં અનુવાદ કરી શકાય છે. ભારતના પ્રાચીન જ્ઞાનને આધુનિક અવતારના માધ્યમથી જાણવામાં વિશ્વના નેતાઓએ બહુ રસ રૂચી દાખવ્યા હતા.
સાથીઓ,
આ શિખર પરિષદમાં દુનિયાને એઆઇના ક્ષેત્રમાં ભારતની અદભૂત ક્ષમતાઓ જોવા મળી છે. આ દરમિયાન ભારતે ત્રણ મેડ ઇન ઇન્ડિયા એઆઈ મોડેલ પણ જારી કર્યા. આજ સુધીની વિશ્વની સૌથી મોટી એઆઇ શિખર પરિષદ રહી છે. આ શિખર પરિષદ માટે યુવાઓનો જુસ્સો અને ઉત્સાહ જોવાલાયક હતો. આ શિખર પરિષદની સફળતા માટે હું તમામ દેશવાસીઓને ધન્યવાદ આપું છું.
સાથીઓ,
હું ઘણીવાર કહું છું કે, જે “રમે – તે ખીલે” રમતગમત આપણને જોડે પણ છે. આજકાલ તમે ટી20 વર્લ્ડ કપની મેચો જોતા હશો. અને મને પૂરો વિશ્વાસ છે કે, મેચ જોતાંજોતાં આંખો કોઇ ખાસ ખેલાડી પર જડાઇ જતી હશે. જર્સી કોઇ બીજા દેશની હોય છે, પરંતુ નામ સાંભળીને લાગે છે કે, અરે આ તો આપણા દેશનો છે. ત્યારે હૃદયના કોઇ ખૂણામાં એક હળવી ખુશી છવાઇ જાય છે. કેમ કે, તે ખેલાડી ભારતીય મૂળનો હોય છે. અને તે બીજા દેશ માટે રમી રહ્યો હોય છે, જયાં તેનો પરિવાર વસી ગયો છે. આ ખેલાડીઓ પોતપોતાના દેશની જર્સી પહેરીને મેદાનમાં ઉતરે છે, પૂરા મનથી તે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. કેનેડાની ટીમમાં સૌથી વધુ ભારતીય મૂળના ખેલાડીઓ છે. ટીમના સૂકાની દિલપ્રીત બાજવાનો જન્મ પંજાબના ગુરદાસપૂરમાં થયો હતો. નવનીત ધાલીવાલ ચંદીગઢના છે. આ યાદીમાં હર્ષ ઠાકર, શ્રેયસ મોવા કેટલાય નામ છે, જે કેનેડાની સાથેસાથે ભારતનું પણ ગૌરવ વધારી રહ્યા છે. અમેરિકાની ટીમમાં કેટલાય ચહેરા ભારતના ઘરેલું ક્રિકેટમાંથી આવી રહ્યા છે. અમેરિકી ટીમના સૂકાની મૌનાક પટેલ ગુજરાતની અંડર-16 અને અંડર-18 ટીમમાં પણ રહી ચૂક્યા છે. મુંબઇના સૌરભ, હરમીતસિંહ, દિલ્હીના મિલિંદકુમાર આ બધા અમેરિકાની ટીમની શાન છે. ઓમાનની ટીમમાં આજે કેટલાય એવા ખેલાડીઓ છે જે પહેલાં ભારતના જુદાજુદા રાજ્યોમાં રમી ચૂક્યા છે. જતિંદરસિંહ, વિનાયક શુકલા, કરણ, જય, આશીષ જેવા ખેલાડીઓ ઓમાન ક્રિકેટની મજબૂત કડી છે. ન્યૂઝિલેન્ડ, યુએઇ અને ઇટાલીની ટીમોમાં પણ ભારતીય મૂળના ખેલાડીઓ પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આવા કેટલાય ભારતીય મૂળના ખેલાડીઓ છે જે, પોતાના દેશનું ગૌરવ વધારી રહ્યા છે. ત્યાંના યુવાનો માટે પ્રેરણા બની રહ્યા છે. ભારતીયતાની આ જ તો ખાસિયત છે. ભારતીયો જ્યાં પણ જાય છે પોતાની માતૃભૂમિના મૂળ સાથે જોડાયેલા રહે છે. અને પોતાની કર્મભૂમિ એટલે કે, જે દેશમાં રહે છે તેના વિકાસમાં પણ સહયોગ કરે છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
કોઇ પણ માતાપિતા માટે પોતાના સંતાનને ખોવાથી મોટું દુઃખ બીજું કોઇ હોઇ જ નથી શકતું. તેમાં પણ નાના એવા બાળકને ખોવાનું દુઃખ તો ખૂબ ઉંડું હોય છે. થોડા દિવસ પહેલાં આપણે કેરળની એક નાનકડી માસૂમ આલિન શેરિન અબ્રાહમને ખોઇ બેઠા છીએ. માત્ર 10 મહિનામાં તેણે આ દુનિયામાંથી વિદાય લીધી છે. કલ્પના તો કરો, તેની સામે આખી જીંદગી હતી, જે અચાનક પૂરી થઇ ગઇ. કેટલાય સપના અને ખુશીઓ અધૂરી રહી ગઇ. તેના માતાપિતા જે દુઃખમાંથી પસાર થઇ રહ્યા છે તેને શબ્દોથી વ્યક્ત કરી શકાય તેમ નથી. પરંતુ આટલા ઉંડા દુઃખ વચ્ચે પણ આલિનના પિતા અરૂણ અબ્રાહમ અને મા શેરીને એક એવો નિર્ણય કર્યો, જેનાથી દરેક દેશવાસીનું દિલ તેમના પ્રત્યે સન્માનથી ભરાઇ ગયું છે. તેમણે આલિનના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. આ એક નિર્ણયથી ખ્યાલ આવે છે કે, તેમની વિચારસરણી કેટલી મહાન છે અને વ્યક્તિત્વ કેટલું વિશાળ છે. એકબાજુ તેઓ પોતાની દિકરીને ગુમાવવાના શોકમાં ડૂબેલા હતા તો, બીજી તરફ મદદનો ભાવ પણ તેમનામાં ભરેલો હતો. તેઓ ઇચ્છતા હતા કે, કોઇપણ પરિવારને આવો દિવસ જોવો ન પડે. આલિન શેરીન અબ્રાહમ આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેનું નામ દેશના કુમળી વયના અંગદાતાની યાદીમાં જોડાઇ ગયું છે. સાથીઓ આજકાલ ભારતમાં અંગદાનને લઇને જાગૃતિ સતત વધી રહી છે. તેનાથી એવા લોકોને મદદ મળી રહી છે જેમને તે અંગની જરૂર છે. તેની સાથે જ તબીબી સંશોધનને પણ બળ મળી રહ્યું છે. આ દિશામાં કેટલીયે સંસ્થાઓ અને લોકો અસાધારણ કાર્ય કરી રહ્યા છે.
સાથીઓ,
કેરળની આલિનની જેમ જ એવા ઘણા લોકો છે, જેમણે અંગદાન દ્વારા કોઇને બીજું જીવન આપ્યું છે. જેમ કે, દિલ્હીના લક્ષ્મી દેવીજી છે. તેમણે ગયા વર્ષે કેદાનનાથની યાત્રા કરી. તે માટે તેમને 14 કિલોમીટરની પગપાળા યાત્રા કરવી પડી. તમે એ જાણીને નવાઇ લાગશે કે, લક્ષ્મી દેવીએ આ યાત્રા નવા હૃદય પ્રત્યારોપણ પછી કરી હતી. તેમનું હૃદય માત્ર 15 ટકા જ કામ કરી રહ્યું હતું. એવામાં તેમને એક દાતાનું હૃદય મળ્યું, જેનું મૃત્યું થઇ ગયું હતું. ત્યારપછી તો તેમનું જીવન જ બદલાઇ ગયું. પશ્ચિમ બંગાળના ગૌરાંગ બેનરજી બે વાર નાથૂ-લા ગયા છે. આ સ્થળ સમુદ્રની સપાટીથી 14 હજાર ફૂટની ઉંચાઇ પર છે. અને ખાસ બાબત એ છે કે, તેમણે આ સિદ્ધિ ફેફસાંના પ્રત્યારોપણ પછી હાંસલ કરી છે. રાજસ્થાનમાં સીકરના રામદેવસિંહજીને કિડનીનું પ્રત્યારોપણ કરાવવું પડ્યું હતું. આજે તેઓ રમતગમતની પ્રવૃત્તિઓમાં કમાલ કરી રહ્યા છે.
સાથીઓ,
તમને આવા તો અનેક પ્રેરણાદાયક ઉદાહરણ જોવા મળી જશે. તેનાથી એ વાત ફરી સાબિત થાય છે કે, કોઇ એકની નેક પહેલ, ન જાણે કેટલા લોકોની જીંદગી બદલી શકે છે. હું તે તમામ લોકોની દિલથી પ્રશંસા કરૂં છું, જેમણે આવા નેક કાર્યો કર્યા છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
આઝાદીની અમૃત મહોસ્તવ દરમિયાન મે લાલ કિલ્લા પરથી પંચપ્રાણની વાત કહી હતી. તેમાંથી એક છે, ગુલામીની માનસિકતાથી મુક્તિ. આજે દેશ ગુલામીના પ્રતિકોને પાછળ છોડીને ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલી ચીજોને મહત્વ આપવા લાગ્યો છે. આ દિશામાં આપણા રાષ્ટ્રપતિભવને પણ એક મહત્વનું પગલું ભર્યું છે. આવતીકાલે એટલે કે, 23 ફેબ્રુઆરી એ રાષ્ટ્રપતિભવનમાં “રાજાજી ઉત્સવ” ઉજવવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિભવનના કેન્દ્રિય પ્રાંગણમાં સી.રાજગોપાલાચારીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. તેઓ સ્વતંત્ર ભારતના પહેલા ભારતીય ગવર્નર જનરલ હતા. તેઓ એવા લોકોમાંના હતા, જેમણે સત્તાને પદ તરીકે નહીં, પરંતુ સેવાની રીતે જોઇ. સાર્વજનિક જીવનમાં તેમનું આચરણ, આત્મસંયમ અને સ્વતંત્રચિંતન આજે પણ આપણને પ્રેરણા આપે છે. કમભાગ્યે, આઝાદી પછી પણ રાષ્ટ્રપતિભવનમાં બ્રિટીશ શાસકોની પ્રતિમાઓ મૂકાયેલી રહેવા દેવાઇ, પરંતુ દેશના મહાન સપૂતોને સ્થાન આપવામાં ન આવ્યું. બ્રિટીશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સની પ્રતિમા પણ રાષ્ટ્રપતિભવનમાં મૂકેલી હતી. હવે આ પ્રતિમાના સ્થાને રાજાજીની પ્રતિમા મૂકવામાં આવશે. રાજાજી ઉત્સવ દરમિયાન રાજાગોપાલાચારીજી પર આધારીત પ્રદર્શન પણ યોજાશે. આ પ્રદર્શન 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ખુલ્લું રહેશે. સમય કાઢીને તમે પણ તેને જોવા જરૂર જજો.
મારા વ્હાલા દેશવાસીઓ,
મન કી બાતમાં, મે આપને ડિજિટલ એરેસ્ટ વિશે વિસ્તારપૂર્વક વાત કરી છે. ત્યારપછી દેશમાં ડિજિટલ એરેસ્ટ અને ડિજિટલ ફ્રોડ અંગે આપણા સમાજમાં સારી એવી જાગૃતિ આવી છે. પરંતુ આજે પણ આપણી આસપાસ એવી ઘટનાઓ બની રહી છે, જે અક્ષમ્ય છે. નિર્દોષ લોકોને ડિજિટલ એરેસ્ટ અને ફાયનાન્સિયલ ફ્રોડનું નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કેટલીયવાર જાણવા મળે છે કે, કોઇ વરિષ્ઠ નાગરિકની જીવનભરની કમાણી ઠગી લેવામાં આવી. ક્યારેક પોતાના બાળકોની ફી ભરવા માટે બચાવેલા પૈસા ઠગી લેવામાં આવે છે. તો ધંધાર્થીઓ સાથે છેતરપીંડીના સમાચાર પણ આપણને જોવા મળે છે. કોઇ ફોન કરે છે અને કહે છે, હું એક મોટો અધિકારી છું. તમારે કેટલીક વિગતો આપવી પડશે. ત્યારપછી ભલાભોળા લોકો એવું જ કરી બેસે છે. એટલા માટે, તમારે સતર્ક રહેવું, જાગૃત રહેવું, ખૂબ જરૂરી છે.
સાથીઓ,
તમે બધા KYC – નો યોર કસ્ટમર એટલે કે, પોતાના ગ્રાહકને ઓળખો. તે પ્રક્રિયા વિશે જાણતા જ હશો. કોઇકોઇ વાર જ્યારે તમને તમારી બેંક તરફથી કેવાયસી અપડેટ અથવા રી-કેવાયસી કરાવવાના સંદેશા આવે છે, તો મનમાં સવાલ થાય છે કે, મે તો પહેલાં જ કેવાયસી કરાવી રાખ્યું છે તો આ ફરીવાર કેમ ? તો મારો આપને અનુરોધ છે, ધુંધવાશો નહિં, આ તમારા પૈસાની સલામતી માટે જ છે. આપણે બધા જાણીએ છીએ કે, આજકાલ પેન્શન, સબસીડી, વીમો, યુપીઆઇ, વગેરે બધું બેંક ખાતા સાથે જોડાયેલું છે. તેને લીધે બેંક વારેવારે રી-કેવાયસી કરે છે. જેથી તમારૂં બેંક ખાતું સલામત રહે. હા, તેમાં પણ તમારે એકવાત યાદ રાખવાની છે. જે અપરાધી છે તે, નકલી ફોન કરે છે, એસએમએસ અને લીંક મોકલે છે એટલા માટે આપણે સતર્ક રહેવાનું છે અને આવા દગાખોરોની જાળમાં ફસાવાનું નથી. કેવાયસી કે રી-કેવાયસી માત્ર તમારી બેંકની શાખા અથવા અધિકૃત એપ અને અને અધિકૃત માધ્મયથી જ કરાવો. ઓટીપી, આધારનંબર અથવા બેંક ખાતાને લગતી જાણકારી કોઇને પણ ન આપો. અને સૌથી મહત્વની વાત તમારો પાસવર્ડ થોડા થોડા સમયે અચૂક બદલતા રહો. જેમ દરેક ઋતુ સાથે ખાણીપીણી બદલાય છે, કપડા પણ બદલાઇ જાય છે, તેવી જ રીતે નિયમ બનાવી નાંખો કે, દર થોડા દિવસ પછી તમારે તમારો પાસવર્ડ પણ બદલી નાંખવાનો છે.
સાથીઓ,
તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ બાબતે નાણાંકીય સાક્ષરતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાંકીય સાક્ષરતાનું આ અભિયાન હવે આખું વર્ષ ચાલુ રહેશે. એટલા માટે ભારતીય રીઝર્વ બેંકના સંદેશનું ધ્યાન રાખો, અને તમારૂં કેવાયસી અપડેટેડ રાખો.
યાદ રાખો –
ખરૂં કેવાયસી, સમયાંતરે રી-કેવાયસી કરે ખાતું સલામત,
બનો સશક્ત નાગરીક,
કારણ કે, સશક્ત નાગરીકોથી જ બને છે, મજબૂત અને આત્મનિર્ભર ભારત.
મારા વ્હાલા દેશવાસીઓ,
આપણા ખેડૂતો કેવળ અન્નદાતા જ નથી. તેઓ ધરતીના સાચા સાધક છે. માટીને સોનું બનાવવા શું કરવું પડે તે, કોઇ આપણા ખેડૂતો પાસેથી શીખે અને આપણો આજનો ખેડૂત તો પરંપરા અને ટેકનોલોજી બંનેનો સાથ લઇને ચાલી રહ્યો છે. અને મને એ જોઇને આનંદ થાય છે કે, આપણા ખેડૂતો હવે માત્ર ઉત્પાદન નહિં, બલ્કિ ગુણવત્તા, મૂલ્યવર્ધન અને નવા બજારો પર પણ ધ્યાન આપી રહ્યા છે. ઓડિશામાં હિરોદ પટેલ નામના એક યુવાન ખેડૂત વિશેની જાણકારી ખરેખર બહુ પ્રેરક છે. લગભગ આઠ વર્ષ પહેલા સુધી તેઓ તેમના પિતા શિવ શંકર પટેલની સાથે પરંપરાગત રીતે ડાંગરની ખેતી કરતા હતા. પરંતુ તેમણે ખેતીને નવી નજરે જોવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ખેતરની તલાવડી ઉપર એક મજબૂત જાળીવાળું માળખું બનાવ્યું. તેના ઉપર વેલાવાળા શાકભાજી ઉગાડ્યા, તલાવડીની ચારે તરફ કેળ, જમરૂખ અને નારિયેળ વાવ્યાં અને તલાવડીમાં મત્સ્યપાલન પણ શરૂ કર્યું. એટલે કે, એક જગ્યાએ પરંપરાગત ખેતી પણ થઇ રહી છે, શાકભાજી પણ ઉગી રહ્યા છે, ફળો પણ ઉતરી રહ્યા છે, અને માછલી પણ મળી રહી છે. તેનાથી જમીનનો બહેતર ઉપયોગ થયો, પાણીની બચત થઇ અને વધારાની આવક પણ મળી. આજે દૂરદૂરથી ખેડૂતો તેમની આ ખેતી પદ્ધતિ જોવા આવે છે.
સાથીઓ,
કેરળના ત્રિસૂર જિલ્લામાં એક ગામ એવું છે જ્યાં એક જ ખેતરમાં 570 જાતની ડાંગર પકવવામાં આવે છે. તેમાં સ્થાનિક જાતો પણ છે, હર્બલ જાતો પણ છે અને બીજા રાજ્યોમાંથી લાવવામાં આવેલી જાતો પણ છે. આ માત્ર ખેતી નથી, વારસાગત બીયારણને બચાવવાનું મહાઅભિયાન છે. આપણા ખેડૂતોની મહેનતની અસર આંકડામાં પણ જોવા મળી રહી છે. ભારત આજે દુનિયાના સૌથી વધુ ચોખા પકવતો દેશ બની ચૂક્યો છે. 15 કરોડ ટનથી પણ વધુ ચોખાનું ઉત્પાદન ! આ નાનીસૂની સિદ્ધિ નથી. આપણે પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છીએ, અને દુનિયાની થાળીમાં પણ યોગદાન આપી રહ્યા છીએ.
સાથીઓ,
હવે તો ખેત પેદાશો વિમાન માર્ગે પણ ખૂબ સહેલાઇથી વિદેશમાં પહોંચી રહી છે. કર્ણાટકના નંજનગુડ કેળા, મૈસૂરના પાન અને ઇંડી લીંબુ માલદીવ મોકલાઇ રહ્યા છે. આ ચીજવસ્તુઓ પોતાના સ્વાદ અને ગુણવત્તા માટે જાણીતી છે. અને તેમને GI ટેગ પણ મળેલું છે. આજનો ખેડૂત ગુણવત્તા પણ ઇચ્છે છે, ઉત્પાદન પણ વધારી રહ્યો છે, અને પોતાની ઓળખ પણ બનાવી રહ્યો છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
ગયા વર્ષે આ જ સમયની મહાકુંભની અદભૂત તસ્વીરો તમને ચોક્કસ યાદ હશે. સંગમના કિનારે ઉમડતો માનવમહેરામણ, શ્રદ્ધાનો અથાગ પ્રવાહ અને સ્નાનની એ પાવન ક્ષણે જ્યારે ભારત પોતાની સનાતન ચેતનાનો સાક્ષાતકાર કરી રહ્યો હતો.
સાથીઓ,
મહાકુંભનો એ જ પ્રવાહ, તે જ મહા મહિનો, તે જ શ્રદ્ધાનો નાદ, જ્યારે ઉત્તરથી દક્ષિણ તરફ આગળ વધે છે તો એક નવી ઓળખાણ મેળવે છે.
સાથીઓ,
કેરળની ધરતી પર ભારતપ્પુઝા નદીના કિનારે તિરૂનાવાયામાં સદિયો પુરાણી એક પરંપરા ચાલી રહી છે – મામંગમ. તેને ઘણા લોકો મહામાઘ મહોત્સવ એટલે કે, કેરળકુંભ પણ કહે છે. મહા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન અને તે ક્ષણને જીવનનો અવિસ્મરણીય પ્રસંગ બનાવી લેવો એ જ તેનો આત્મા છે. સમયની સાથે આ પરંપરા જાણે લુપ્ત થઇ ગઇ હતી. લગભગ અઢીસો વર્ષ સુધી પહેલા જે રીતે થતું હતું તે રીતે આ આયોજન તેની જૂની ભવ્યતામાં નહોતું થયું. પરંતુ આજે પોતાના વારસાને ફરીથી ઓળખી રહેલા આપણા દેશમાં ઇતિહાસે ફરી પાસું બદલ્યું છે. આ વખતે કોઇ મોટી જાહેરાત વિના જ કેરળકુંભનું સફળ આયોજન થયું. લોકોએ તેના વિશે એકબીજાને જણાવ્યું, કાનોકાન વાત પહોંચતી ગઇ અને જોતજોતામાં શ્રદ્ધાળુઓ તિરૂનાવાયા પહોંચવા લાગ્યા.
સાથીઓ,
મહાકુંભ હોય કે કેરળકુંભ, આ માત્ર સ્નાનનું પર્વ નથી. આ તો સ્મૃતિઓનું જાગરણ છે. આ સંસ્કૃતિનું પુનઃસ્મરણ છે. ઉત્તરથી દક્ષિણ સુધી, નદીઓ ભલે અલગ હોય, કિનારા ભલે અલગ હોય, પણ આસ્થાનો પ્રવાહ એક જ છે – અને આ જ ભારત છે.
સાથીઓ,
આપણા દેશમાં એવા લોકો હંમેશા જનતાના દિલમાં વસેલા રહે છે. જેમણે સમાજના કલ્યાણ માટે કામ કર્યું હોય છે. જેમણે પોતાના નેક કાર્યોમાં જનતાને પ્રાથમિકતા આપી હોય છે. અમ્મા જયલલિલાતજી, એવા જ એક લોકપ્રિય નેતા હતાં. 24 ફેબ્રુઆરીએ તેમનો જન્મદિવસ ઉજવાય છે. તમિલનાડુના લોકોનો તેમની સાથે લગાવ કેટલો ગાઢ હતો, એ મને આજે પણ રાજયના પ્રવાસ દરમિયાન જોવા મળે છે. અમ્મા જયલલિતાજીનો ઉલ્લેખ થતાં જ તમિલનાડુના લોકોના ચહેરા ખીલી ઉઠે છે. આપણી નારી શક્તિનો લગાવ તો તેમની સાથે ખાસ રહ્યો છે. એવું એટલા માટે પણ છે, કેમ કે સરકારમાં રહીને તેમણે માતાઓ બહેનો અને દીકરીઓ માટે અનેક પ્રસંશનીય પ્રયાસો કર્યા. રાજયમાં કાનૂનવ્યવસ્થાને મજબૂત રાખવા માટે પણ તેમણે બહુ નક્કર પગલાં લીધાં હતાં. દેશભક્તિની ભાવના તેમનામાં ઠાંસીઠાંસીને ભરી હતી. તેની સાથે જ ભારતની સાંસ્કૃતિક વિરાસત ઉપર તેમને બહુ ગર્વ હતો. અમ્મા જયલલિતાજીની સાથેની દરેક મુલાકાત, દરેક પ્રકારની વાતચીત મારા મનમાં જે પર તાજી છે. તેઓ ગુજરાતમાં 2002 અને 2012માં યોજાયેલા મારા બે શપથગ્રહણ સમારોહમાં પણ સામેલ થયાં હતાં. અમે બંને જ્યારે પોતપોતાના રાજ્યમાં મુખ્યમંત્રી હતાં ત્યારે સુશાસન જેવા વિષયો ઉપર અનેકવાર અમારા વચ્ચે વાતચીત થતી રહેતી હતી. તેમની વિચારસરણી બિલકુલ સ્પષ્ટ હતી, અને વિચારો એકદમ સમજણભર્યા. આ તેમની એક મોટી ખાસિયત હતી. ઘણા વર્ષો પહેલાં તેમણે પોંગલના પાવન અવસરે મને ભોજન માટે ચેન્નઇ આમંત્રિત કર્યો હતો. સ્નેહથી સભર તેમનો એ ભાવ મારા માટે અવિસ્મરણીય રહેશે. એકવાર ફરી હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરૂં છું.
जयललिता अवरगलक्क,
येन निनैवाजंलि-गल,
समुदायत्तिर्क्कु,
अवर आट्रिय सेवै येंड्रूम निनैविल इरुक्कुम |
મારા વ્હાલા દેશવાસીઓ,
હવે હું આપણા વ્હાલા, નાનકડા તેજસ્વી બાળકો સાથે વાત કરીશે, એવા બાળકો સાથે જેમની આ સમયે પરીક્ષાઓ ચાલી રહી છે. અને આશા છે, તમે આ મહિનાની શરૂઆતમાં “પરીક્ષા પે ચર્ચા” જોઇ હશે. અને તમને તેમાંથી કંઇક શીખવાનું પણ મળ્યું હશે. પરંતુ હું ફરીથી પૂછવા માંગું છું કે, તમે અભ્યાસનું વધુ ટેન્શન તો નથી લઇ રહ્યા ને ?
મારા વ્હાલા બાળકો,
તમે તો પરીક્ષાના યોદ્ધાઓ છો. મને વિશ્વાસ છે, તમે બધા ખરા દિલથી પરીક્ષાની તૈયારીઓમાં લાગેલા હશો. હા, એવા સમયે મનમાં થોડી શંકા જાગવાનું સ્વાભાવિક છે. ક્યારેક લાગે છે, બધું યાદ રહેશે કે નહીં રહે. તો, ક્યારેક લાગે છે સમય ઓછો તો નહીં પડે ને. આ ભાવ દરેક પેઢીના બાળકોએ અનુભવ્યો હોય છે, તમે એકલા નથી. તમે યાદ રાખો, તમારૂં મૂલ્ય તમારી માર્કશીટથી નક્કી નથી થતું, એટલા માટે પોતાની જાત પર ભરોસો રાખો. જે ભણ્યા છો તેને પૂરા મનથી લખો. અને જે નથી આવડ્યું તે, એક સવાલને તમારા મન પર સવાર થવા ન દો. અને એક વાત તમારા માતાપિતા અને શિક્ષકો સાથે વાત કરતા રહો. તે તમારા માર્ક કે ગુણથી નહિં તમારા પ્રયત્નોથી તમને ઓળખે છે. તેઓ તમારી મહેનતથી ખુશ રહે છે. મને પૂરો ભરોસો છે કે, તમે પરીક્ષામાં પણ સફળ થશો અને તમારા જીવનમાં પણ સફળતાના નવા શિખરો સર કરશો.
સાથીઓ,
હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. હું આ પવિત્ર મહિનાની સૌને શુભેચ્છાઓ પાઠવું છું. થોડા દિવસો પછી હોળીનું પર્વ પણ આવી રહ્યું છે, એટલે કે, રંગ, ગુલાલ અને હંસી ખુશીથી ભર્યો સમય બારણે ટકોરા મારશે. તમે બધા પોતાના પરિવાર અને સ્વજનોની સાથે બધા તહેવારો ઉજવો. અને હા, કેટલાક જીવનમંત્ર હંમેશા યાદ રાખજો. જેમ કે, વોકલ ફોર લોકલ. આપણા હોળીના તહેવારોમાં કે, બીજા કોઇપણ તહેવારમાં અનેક એવી ચીજવસ્તુઓ ઘુસી ગઇ છે, જ વિદેશી છે. તેમને તહેવારોથી દૂર રાખો. હોળીથી પણ દૂર રાખો, સ્વદેશી અપનાવો. જ્યારે તમે સ્વદેશી ખરીદો છો તો, દેશને સ્વનિર્ભર બનાવવાના અભિયાનમાં પણ મદદ કરો છો.
સાથીઓ,
મને દર મહિને મન કી બાત માટે તમારા સંખ્યાબંધ સૂચનો મળે છે. તમે મોકલેલા સંદેશાથી અમને દેશના ખૂણેખૂણામાં છુપાયેલી અદભૂત પ્રતિભાઓ વિશે જાણકારી મળે છે. અંગત સ્વાર્થથી ઉપર ઉઠીને સમાજ માટે કંઇક કરવાની અનેક પ્રેરણાદાયક કહાણીઓ તમારા દ્વારા દેશભરના લોકો સુધી પહોંચી છે. તમે તેવા જ તમારા પ્રયાસો ચાલુ રાખજો. હું તમારા સંદેશાની રાહ જોઇશ. હું ફરી એકવાર આપને અને આપના પરિવારને આગામી તહેવારોની અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ.. નમસ્કાર...

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર
વર્ષ 2026ની આ પહેલી 'મન કી બાત' છે. કાલે 26 જાન્યુઆરીએ આપણે બધાં 'ગણતંત્ર દિવસ'નું પર્વ મનાવીશું. આ જ દિવસે આપણું બંધારણ લાગુ થયું હતું. 26 જાન્યુઆરીનો આ દિવસ આપણને આપણા બંધારણ ઘડવૈયાઓને નમન કરવાનો અવસર આપે છે. આજે 25 જાન્યુઆરીનો દિવસ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે 'રાષ્ટ્રીય મતદાર દિવસ' (National Voters Day) છે. મતદાર જ લોકતંત્રનો આત્મા હોય છે.
સાથીઓ,
સામાન્ય રીતે, જ્યારે કોઈ 18 વર્ષનું થઈ જાય છે, મતદાર બની જાય છે, તો તેને જીવનનો એક સામાન્ય પડાવ માનવામાં આવે છે, પરંતુ હકીકતે આ અવસર કોઈ પણ ભારતીયના જીવનનું બહુ મોટું સીમાચિહ્ન હોય છે. આથી ખૂબ જ આવશ્યક છે કે આપણે દેશમાં વૉટર બનવાનો, મતદાર બનવાનો ઉત્સવ મનાવીએ. જેવી રીતે આપણે જન્મદિન પર શુભકામનાઓ આપીએ છીએ અને તેને ઉજવીએ છીએ, બરાબર એ જ રીતે, જ્યારે પણ કોઈ યુવા પહેલી વાર મતદાર બને તો સમગ્ર વિસ્તાર, ગામ કે પછી શહેર એક થઈને તેને અભિનંદન આપે અને મીઠાઈ વહેંચવામાં આવે. તેનાથી લોકોમાં મતદાર પ્રત્યે જાગૃતિ વધશે. તેની સાથે જ એ ભાવના વધુ સશક્ત થશે કે એક મતદાર થવું કેટલું મહત્ત્વપૂર્ણ છે.
સાથીઓ,
દેશમાં જે પણ લોકો ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા રહે છે, જે આપણા લોકતંત્રને જીવંત રાખવા માટે ધરતી પર રહીને કામ કરે છે, હું તે બધાની પ્રશંસા કરવા માગીશ. આજે 'મતદાર દિવસ' પર હું મારા યુવાન સાથીઓને અનુરોધ કરીશ કે તેઓ 18 વર્ષના થાય ત્યારે મતદારના રૂપમાં પોતાની નોંધણી કરાવે. બંધારણે દરેક નાગરિક પાસેથી જે કર્તવ્ય ભાવનાના પાલનની અપેક્ષા રાખી છે તેનાથી તે અપેક્ષા પણ પૂરી થશે અને ભારતનું લોકતંત્ર પણ મજબૂત રહેશે.
મારા પ્રિય દેશવાસીઓ,
આજકાલ હું સૉશિયલ મીડિયા પર એક રસપ્રદ ટ્રેન્ડ જોઈ રહ્યો છું. લોકો વર્ષ 2016ની પોતાની સ્મૃતિઓને ફરી તાજી કરી રહ્યા છે. તે ભાવનાની સાથે, હું પણ તમારી સાથે પોતાની એક સ્મૃતિને તાજી કરવા માગું છું. દસ વર્ષ પહેલાં જાન્યુઆરી 2016માં આપણે એક મહત્ત્વાકાંક્ષી યાત્રાની શરૂઆત કરી હતી. ત્યારે આપણને એ વાતની અનુભૂતિ હતી કે ભલે તે એક નાનકડું કેમ ન હોય, પરંતુ તે યુવા પેઢી માટે, દેશના ભવિષ્ય માટે, ઘણું અગત્યનું છે. ત્યારે કેટલાક લોકો એ સમજી નહોતા શક્યા કે તે છેવટે છે શું?
સાથીઓ,
હું જે યાત્રાની વાત કરી રહ્યો છું તે છે સ્ટાર્ટ અપ ઇન્ડિયાની યાત્રા. આ અદ્ભુત યાત્રાના નાયકો આપણા યુવાન સાથીઓ છે. પોતાના સુવિધાજનક ક્ષેત્રમાંથી બહાર નીકળીને તેમણે જે નવીન શોધો કરી, તે ઇતિહાસમાં અંકિત થઈ રહી છે.
સાથીઓ,
ભારતમાં આજે દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ અપ ઇકૉ સિસ્ટમ બની ચૂકી છે. તે સ્ટાર્ટ અપ પરંપરાથી હટીને છે. આજે તે એવા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, જેના વિશે દસ વર્ષ પહેલાં સુધી કલ્પના પણ નહોતી કરી શકાતી. એઆઈ, અંતરિક્ષ, પરમાણુ ઊર્જા, સેમી કન્ડક્ટર, મોબિલિટી, ગ્રીન હાઇડ્રૉજન, બાયૉટૅક્નૉલૉજી...તમે નામ લો અને કોઈ ને કોઈ ભારતીય સ્ટાર્ટ અપ તે ક્ષેત્રમાં કામ કરતું જોવા મળશે. હું મારા તે બધા યુવા સાથીઓને નમન કરું છું જે કોઈ ને કોઈ સ્ટાર્ટ અપ સાથે જોડાયેલા છે અથવા તો પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કરવા માગે છે.
સાથીઓ,
આજે 'મન કી બાત'ના માધ્યમથી હું દેશવાસીઓ, વિશેષ તો ઉદ્યોગો અને સ્ટાર્ટ અપ સાથે જોડાયેલા યુવાનોને એક અનુરોધ અવશ્ય કરવા માગું છું. ભારતનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત પર દુનિયાની નજર છે. આવા સમયમાં આપણા બધાં પર એક બહુ મોટી જવાબદારી પણ છે. તે જવાબદારી છે- ગુણવત્તા પર ભાર મૂકવાની. થાય છે, ચાલે છે, ચાલી જશે, એ યુગ હવે ચાલ્યો ગયો. આવો, આ વર્ષે આપણે પૂરી શક્તિથી ગુણવત્તાને પ્રાથમિકતા આપીએ. આપણો બધાનો એક જ મંત્ર હોય, ગુણવત્તા, ગુણવત્તા અને કેવળ ગુણવત્તા. કાલથી આજે વધુ સારી ગુણવત્તા. આપણે જે પણ મેન્યૂફૅક્ચર કરીએ છીએ તેની ગુણવત્તાને વધુ સારી બનાવવાનો સંકલ્પ લઈએ. ચાહે, આપણાં કાપડ હોય, ટૅક્નૉલૉજી કે પછી ઇલેક્ટ્રૉનિક્સ, અરે ! પેકેજિંગ પણ કેમ ન હોય, ભારતીય ઉત્પાદનનો અર્થ જ બની જવો જોઈએ - ઉચ્ચ ગુણવત્તા. આવો, નિપુણતાને આપણે આપણો માપદંડ બનાવીએ. આપણે સંકલ્પ લઈએ કે ગુણવત્તામાં ન કોઈ કમી રહેશે, ન ગુણવત્તા સાથે કોઈ સમજૂતી થશે અને મેં તો લાલ કિલ્લા પરથી કહ્યું હતું-'Zero defect - Zero effect'. આવું કરીને જ આપણે વિકસિત ભારતની યાત્રાને ઝડપથી આગળ લઈ જઈ શકીશું.
મારા પ્રિય દેશવાસીઓ,
આપણા દેશના લોકો ઘણા અભિનવ શોધક (ઇન્નૉવેટિવ) છે. સમસ્યાઓનું સમાધાન શોધવું એ આપણા દેશવાસીઓના સ્વભાવમાં છે. કેટલાક લોકો આ કામ સ્ટાર્ટ અપ દ્વારા કરે છે તો કેટલાક લોકો સમાજની સામૂહિક શક્તિથી રસ્તો કાઢવાનો પ્રયાસ કરે છે. આવો જ એક પ્રયાસ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં સામે આવ્યો છે. અહીંથી પસાર થતી તમસા નદીને લોકોએ નવું જીવન આપ્યું છે. તમસા માત્ર એક નદી જ નથી, પરંતુ આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની સજીવ ધારા છે. અયોધ્યાથી નીકળીને ગંગામાં સમાહિત થનારી આ નદી ક્યારેક આ ક્ષેત્રના લોકોના જનજીવનનો આધારસ્તંભ રહેતી હતી, પરંતુ પ્રદૂષણના કારણે તેની અવિચળ ધારામાં અડચણ આવવા લાગી હતી. રગડો, કચરો અને ગંદકીએ આ નદીના પ્રવાહને રોકી દીધો હતો. તે પછી અહીંના લોકોએ તેને એક નવું જીવન આપવાનું અભિયાન શરૂ કર્યું. નદીની સફાઈ કરવામાં આવી અને તેના કિનારા પર છાયાદાર, ફળદાર વૃક્ષો લગાવ્યાં. સ્થાનિક લોકો કર્તવ્ય ભાવનાથી આ કામમાં જોડાયા અને બધાના પ્રયાસથી નદીનો પુનરુદ્ધાર થઈ ગયો.
સાથીઓ,
જન ભાગીદારીનો આવો જ પ્રયાસ આંધ્ર પ્રદેશના અનંતપુરમાં પણ જોવા મળ્યો છે. આ એ ક્ષેત્ર છે જે દુષ્કાળની ગંભીર સમસ્યા સામે લડતું રહ્યું છે. અહીંની માટી લાલ અને રેતાળ છે. આ કારણે લોકોને પાણીની અછતનો સામનો કરવો પડે છે. અહીંનાં અનેક ક્ષેત્રોમાં લાંબા સમય સુધી વરસાદ પડતો નથી. અનેક વાર તો લોકો અનંતપુરની તુલના રેગિસ્તાનમાં દુષ્કાળની સ્થિતિ સાથે પણ કરી દે છે. સાથીઓ, આ સમસ્યાના સમાધાન માટે સ્થાનિક લોકોએ જળાશયોને સાફ કરવાનો સંકલ્પ કર્યો. પછી પ્રશાસનના સહયોગથી અહીં 'અનંત નીરુ સંરક્ષણમ્ પ્રૉજેક્ટ'ની શરૂઆત થઈ. આ પ્રયાસ હેઠળ ૧૦થી વધુ જળાશયોને જીવન દાન મળ્યું છે. આ જળાશયોમાં હવે પાણી ભરાવા લાગ્યું છે. તેની સાથે જ 7,000થી વધુ વૃક્ષો લગાવવામાં આવ્યાં છે. અર્થાત્ અનંતપુરમાં જળ સંરક્ષણની સાથોસાથ હરિયાળું આવરણ પણ વધ્યું છે. અહીંનાં બાળકો હવે તરવાનો આનંદ પણ લઈ શકે છે. એક રીતે કહીએ તો અહીંની પૂરી ઇકૉ સિસ્ટમ ફરીથી નિખરી ગઈ છે.
સાથીઓ,
આઝમગઢ હોય, અનંતપુર કે પછી દેશની કોઈ પણ જગ્યા, એ જોઈને ખુશી થાય છે કે લોકો એક સંપ થઈને કર્તવ્ય ભાવથી મોટા સંકલ્પો સિદ્ધ કરી રહ્યા છે. જન ભાગીદારી અને સામૂહિકતાની આ ભાવના આપણા દેશની સૌથી મોટી શક્તિ છે.
મારા પ્રિય દેશવાસીઓ,
આપણા દેશમાં ભજન અને કીર્તન સદીઓથી આપણી સંસ્કૃતિનો આત્મા રહ્યાં છે. આપણે મંદિરોમાં ભજન સાંભળ્યાં છે, કથા સાંભળતી વખતે સાંભળ્યાં છે, અને દરેક યુગમાં ભક્તિને પોતાના સમયના હિસાબથી જીવી છે. આજની પેઢી પણ કંઈક નવો કમાલ કરી રહી છે. આજના યુવાનોએ ભક્તિને પોતાના અનુભવ અને પોતાની જીવનશૈલીમાં ઢાળી લીધી છે. આ વિચારસરણીથી એક નવું સાંસ્કૃતિક ચલણ ઉભરીને સામે આવ્યું છે. તમે સૉશિયલ મીડિયા પર આવા વિડિયો અવશ્ય જોયા હશે. દેશનાં અલગ-અલગ શહેરોમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થઈ રહ્યા છે. મંચ સજાવેલો હોય છે. રોશની હોય છે. સંગીત હોય છે. પૂરો તામઝામ હોય છે અને વાતાવરણ પણ કોઈ સંગીતના કાર્યક્રમથી સહેજેય ઓછો નથી હોતો. એવું જ લાગે છે કે જાણે કોઈ મોટી સંગીત સભા થવાની હોય પરંતુ અહીં જે ગાવામાં આવે છે તે પૂરી તન્મયતાની સાથે, પૂરી લગન સાથે, પૂરા લય સાથે ભજનની ગૂંજ હોય છે. આ ચલણને આજે 'ભજન ક્લબિંગ' કહેવાય છે અને ખાસ તો, જેન ઝી વચ્ચે તે ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. એ જોઈને સારું લાગે છે કે આ આયોજનોમાં ભજનની ગરીમા અને પવિત્રતાનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. ભક્તિને હળવાશથી નથી લેવાતી. ન શબ્દોની મર્યાદા તૂટે છે અને ન તો ભાવની. મંચ આધુનિક હોઈ શકે છે, સંગીતની પ્રસ્તુતિ અલગ હોઈ શકે છે, પરંતુ મૂળ ભાવના તે જ રહે છે. અધ્યાત્મનો એક નિરંતર પ્રવાહ અહીં અનુભવાય છે.
મારા પ્રિય દેશવાસીઓ,
આજે આપણી સંસ્કૃતિ અને તહેવાર દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. વિશ્વના પ્રત્યેક ખૂણામાં ભારતના તહેવારો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવાય છે. દરેક પ્રકારની સાંસ્કૃતિક જીવંતતાના બનાવી રાખવામાં આપણાં ભારતવંશી ભાઈઓ-બહેનોનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. તેઓ જ્યાં પણ છે ત્યાં પોતાની સંસ્કૃતિની મૂળ ભાવનાને સંરક્ષિત કરીને તેને આગળ વધારી રહ્યાં છે. આ અંગે મલયેશિયામાં પણ આપણો ભારતીય સમુદાય ઘણું પ્રશંસનીય કાર્ય કરી રહ્યો છે. તમને એ જાણીને સુખદ આશ્ચર્ય થશે કે મલયેશિયામાં ૫૦૦થી વધુ તમિળ શાળા છે. તેમાં તમિળ ભાષાના અભ્યાસની સાથે જ અન્ય વિષયોને પણ તમિળમાં ભણાવવામાં આવે છે. તે ઉપરાંત અહીં તેલુગુ અને પંજાબી સહિત અન્ય ભારતીય ભાષાઓ પર પણ બહુ ધ્યાન અપાય છે.
સાથીઓ,
ભારત અને મલેશિયા વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવામાં એક સમાજની મોટી ભૂમિકા છે. તેનું નામ છે મલેશિયા ઇન્ડિયા હેરિટેજ સોસાયટી. અલગ-અલગ કાર્યકર્મોની સાથે જ આ સંસ્થા એક હેરિટેજ વૉકનું પણ આયોજન કરે છે. તેમાં બંને દેશોને પરસ્પર જોડનારાં સાંસ્કૃતિક સ્થાનોને આવરી લેવાય છે. ગત મહિને મલેશિયામાં 'લાલ પાડ સાડી' આઇકૉનિક વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાડીનો બંગાળની આપણી સંસ્કૃતિ સાથે વિશેષ સંબંધ રહ્યો છે. આ કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં આ સાડીને પહેરવાનો વિક્રમ થયો, જેને મલયેશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં અંકિત કરવામાં આવ્યો. આ અવસર પર ઓડિશી નૃત્ય અને બાઉલ સંગીતે તો લોકોનું મન જીતી લીધું. હું કહી શકું છું-
Saya Berbanga /Dengan Diaspora India /The Malaysia //
Mereka Mambawa /India dan Malaysia /Semakin Rapa //
મને મલેશિયામાં ભારતીય પ્રવાસીઓ પર ગર્વ છે. ભારત અને મલયેશિયાને તેઓ વધુ નજીક લાવી રહ્યા છે.
મલેશિયાના આપણા ભારતવંશીઓને મારી ઘણી-ઘણી શુભકામનાઓ.
મારા પ્રિય દેશવાસીઓ,
આપણે ભારતના કોઈ પણ ભાગમાં ચાલ્યા જઈએ, ત્યાં આપણને કંઈ ને કંઈ અસાધારણ, અભૂતપૂર્વ થતું અવશ્ય જોવા મળી જાય છે. અનેક વાર મીડિયાના ચળકાટમાં આ વાતો જગ્યા નથી બનાવી શકતી. પરંતુ તેનાથી ખબર પડે છે કે આપણા સમાજની સાચી શક્તિ શું છે? તેનાથી આપણને એ મૂલ્ય પ્રણાલિની પણ ઝલક મળી જાય છે, જેમાં એકતાની ભાવના સર્વોપરી છે. ગુજરાતમાં બેચરાજીમાં ચંદનકી ગામની પરંપરા પોતાની રીતે અનોખી છે. જો હું તમને કહું કે અહીંના લોકો, વિશેષ તો વૃદ્ધો પોતાનાં ઘરોમાં જમવા્નું નથી બનાવતા, તો તમને આશ્ચર્ય થશે. તેનું કારણ છે ગામનું શાનદાર સામુદાયિક રસોડું (community kitchen). આ સામુદાયિક રસોડામાં એક સાથે સમગ્ર ગામનું બધું ભોજન બને છે અને લોકો સાથે બેસીને ભોજન કરે છે. ગત પંદર વર્ષથી આ પરંપરા નિરંતર ચાલતી આવી છે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેના માટે ટિફિન સેવા પણ ઉપલબ્ધ છે. એટલે કે હૉમ ડિલિવરીની પણ પૂરી વ્યવસ્થા છે. ગામનું આ સામૂહિક ભોજન લોકોને આનંદથી ભરી દે છે. આ પહેલ ન માત્ર લોકોને પરસ્પર જોડે છે, પરંતુ તેનાથી પારિવારિક ભાવનાને પણ ઉત્તેજન મળે છે.
સાથીઓ,
ભારતની પરિવાર વ્યવસ્થા- ફેમિલી સિસ્ટમ, આપણી પરંપરાનો અભિન્ન હિસ્સો છે. દુનિયાના અનેક દેશોમાં તેને ખૂબ જ કૌતુહલ સાથે જોવામાં આવે છે. અનેક દેશોમાં આવી પરિવાર વ્યવસ્થા અંગે ખૂબ જ સન્માનનો ભાવ છે. કેટલાક દિવસ પહેલાં જ મારા ભાઈ યુએઇના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ શૈખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન ભારત આવ્યા હતા. તેમણે મને જણાવ્યું કે યુએઇ વર્ષ 2026ને પરિવારના વર્ષ (Year Of Family) તરીકે મનાવી રહ્યું છે. હેતુ એ છે કે ત્યાંના લોકો વચ્ચે સૌહાર્દ અને સામુદાયિક ભાવના વધુ મજબૂત બને, ખરેખર તે ખૂબ જ પ્રશંસનીય પહેલ છે.
સાથીઓ,
જ્યારે પરિવાર અને સમાજની શક્તિ મળે છે, તો આપણે મોટામાં મોટા પડકારને પરાસ્ત કરી શકીએ છીએ. મને અનંતનાગના શેખગુન્ડ ગામ વિશે જાણકારી મળી છે. અહીં ડ્રગ્સ, તમાકુ, સિગરેટ અને દારૂ સંબંધિત પડકારો ઘણા વધી ગયા હતા. આ બધાને જોઈને અહીંના મીરજાફરજી એટલા હેરાન થઈ ગયા કે તેમણે આ સમસ્યાને દૂર કરવાનો નિશ્ચય કરી લીધો. તેમણે ગામના યુવાનોથી લઈને વૃદ્ધો...સુધી બધાને એક કર્યા. તેમની આ પહેલની અસર કંઈક એવી રહી કે અહીંની દુકાનોએ તમાકુ ઉત્પાદનોને વેચવાનું જ બંધ કરી દીધું. આ પ્રયાસથી ડ્રગ્સના ભયને લઈને પણ લોકોમાં જાગૃતિ વધી છે.
સાથીઓ,
આપણા દેશમાં એવી અનેક સંસ્થાઓ છે જે વર્ષોથી નિઃસ્વાર્થ ભાવથી સમાજ સેવામાં જોડાયેલી છે, જેમ કે એક સંસ્થા છે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરના ફરીદપુરમાં. તેનું નામ છે વિવેકાનંદ લોક શિક્ષા નિકેતન. આ સંસ્થા છેલ્લા ચાર દાયકાથી બાળકો અને વૃદ્ધોની દેખભાળમાં લાગેલી છે. ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ અને શિક્ષકોના પ્રશિક્ષણની સાથે જ આ સંસ્થા સમાજ કલ્યાણનાં અનેક ભલાઈનાં કામોમાં લાગેલી છે. મારી કામના છે કે નિઃસ્વાર્થ સેવાનો આ ભાવ દેશવાસીઓ વચ્ચે નિરંતર વધુ ને વધુ સશક્ત થતો રહે.
મારા પ્રિય દેશવાસીઓ,
'મન કી બાત'માં આપણે નિરંતર સ્વચ્છતાનો વિષય ઉઠાવતા રહ્યા છીએ. મને એ જોઈને ગર્વ થાય છે કે આપણા યુવાનો પોતાની આસપાસની સ્વચ્છતા માટે ખૂબ જ સજાગ છે. અરુણાચલ પ્રદેશમાં થયેલા આવા જ એક અનોખા પ્રયાસ વિશે મને જાણકારી મળી છે. અરુણાચલ એ ધરતી છે જ્યાં દેશમાં સૌથી પહેલું સૂર્યનું કિરણ પહોંચે છે. અહીંના લોકો 'જય હિંદ' કહીને એકબીજાનું અભિવાદન કરે છે. અહીં ઈટાનગરમાં યુવાનોનો સમૂહ એ ભાગની સફાઈ માટે એકઠો થયો જેના પર વધુ ધ્યાન આપવાની આવશ્યતા હતી. આ યુવાનોએ અલગ-અલગ શહેરોમાં સાર્વજનિક સ્થળોની સાફ-સફાઈને પોતાનું મિશન બનાવ્યું. તે પછી ઈટાનગર, નાહરલાગુન, દોઈમુખ, સેપ્પા, પાલિન અને પાસીઘાટ...ત્યાં પણ આ અભિયાન ચલાવવામાં આવ્યું. આ યુવાનો અત્યાર સુધીમાં લગભગ 11 લાખ કિલોથી વધુ કચરાની સફાઈ કરી ચૂક્યા છે. વિચારો મિત્રો, નવયુવાનોએ મળીને 11 લાખ કિલો કચરાને હટાવ્યો.
સાથીઓ,
એક બીજું ઉદાહરણ આસામનું છે. આસામના નાગાંવમાં ત્યાંની જૂની ગલીઓ સાથે લોકો ભાવનાત્મક રીતે જોડાયેલા છે. અહીં કેટલાક લોકોએ પોતાની ગલીઓને મળીને સાફ રાખવાનો સંકલ્પ લીધો. ધીરે-ધીરે તેમની સાથે બીજા લોકો પણ જોડાતા ગયા. આ રીતે એક એવી ટીમ તૈયાર થઈ ગઈ જેમણે ગલીઓમાંથી ઘણો બધો કચરો હટાવી દીધો. સાથીઓ, આવો જ એક પ્રયાસ બેંગ્લુરુમાં થઈ રહ્યો છે. બેંગ્લુરુમાં સૉફા વૅસ્ટ (sofa waste) એક મોટી સમસ્યા બન્યો છે. આથી કેટલાક વ્યાવસાયિકો એક સંપ થઈને આ સમસ્યાને પોતાની રીતે ઉકેલી રહ્યા છે.
સાથીઓ,
આજે અનેક શહેરોમાં એવી ટીમો છે, જે લેન્ડફિલ વેસ્ટના રિસાઇકલિંગમાં લાગી છે. ચેન્નાઈમાં આવી જ એક ટીમે બહુ સારું કામ કર્યું છે. આવાં ઉદાહરણોથી જાણવા મળે છે કે સ્વચ્છતા સાથે જોડાયેલો દરેક પ્રયાસ કેટલો મહત્ત્વપૂર્ણ છે. આપણે સ્વચ્છતા માટે વ્યક્તિગત રીતે કે પછી ટીમની રીતે, પોતાના પ્રયાસો વધારવા પડશે, ત્યારે આપણાં શહેરો વધુ સારાં બનશે.
મારા પ્રિય દેશવાસીઓ,
જ્યારે પર્યાવરણ સંરક્ષણની વાત થાય છે, તો ઘણી વાર આપણા મનમાં મોટી યોજનાઓ, મોટાં અભિયાનો અને મોટાં-મોટાં સંગઠનોની વાતો આવે છે. પરંતુ ઘણી વાર પરિવર્તનની શરૂઆત ખૂબ જ સાધારણ રીતે થાય છે. એક વ્યક્તિથી, એક વિસ્તારથી, એક પગલાથી અને સતત કરવામાં આવેલા નાના-નાના પ્રયાસોથી પણ મોટાં પરિવર્તન આવે છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહારના રહેવાસી બેનોય દાસજીનો પ્રયાસ આનું જ ઉદાહરણ છે. ગત અનેક વર્ષોથી તેમણે પોતાના જિલ્લાને હરિયાળો કરવાનું કામ એકલા હાથે કર્યું છે. બેનોયદાસજીએ હજારો વૃક્ષો લગાવ્યાં છે. અનેક વાર છોડ ખરીદવાથી લઈને તેમને લગાવવા અને દેખભાળ કરવાનો બધો ખર્ચો પોતે ઉઠાવ્યો છે. જ્યાં જરૂર પડી, ત્યાં સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને નગરપાલિકાઓએ સાથે મળીને કામ કર્યું. તેમના પ્રયાસોથી સડકના કિનારે હરિયાળી વધુ વધી ગઈ છે.
સાથીઓ,
મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના જગદીશ પ્રસાદ અહિરવારજીનો પ્રયાસ ખૂબ જ વખાણવા લાયક છે. તેઓ જંગલમાં વન રક્ષક (બીટ ગાર્ડ) તરીકે પોતાની સેવા આપે છે. એક વાર ચોકી કરતી વખતે તેમણે અનુભવ્યું કે જંગલમાં વિદ્યમાન અનેક ઔષધીય ઝાડપાનની જાણકારી ક્યાંય પણ વ્યવસ્થિત રીતે અંકિત નથી. જગદીશજી આ જાણકારી આગામી પેઢી સુધી પહોંચાડવા માગતા હતા. આથી તેમણે ઔષધીય ઝાડપાનની ઓળખ કરવાનું અને તેની નોંધ બનાવવાનું શરૂ કર્યું. તેમણે સવા સોથી વધુ ઔષધીય ઝાડપાનની ઓળખ કરી. દરેક ઝાડપાનની તસવીર, નામ, ઉપયોગ અને પ્રાપ્તિ સ્થાનની જાણકારી પ્રાપ્ત કરી. તેમણે મેળવેલી જાણકારીને વન વિભાગે સંકલિત કરી અને પુસ્તકના રૂપમાં પ્રકાશિત પણ કરી.
આ પુસ્તકમાં અપાયેલી જાણકારી હવે સંશોધકો, વિદ્યાર્થીઓ અને વન અધિકારીઓને ઘણી કામમાં આવી રહી છે.
સાથીઓ,
પર્યાવરણ સંરક્ષણની આ ભાવના આજે મોટા સ્તર પર પણ દેખાઈ રહી છે. આ વિચારસરણીની સાથે દેશભરમાં 'એક પેડ માં કે નામ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન સાથે આજે કરોડો લોકો જોડાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં દેશમાં 200 કરોડથી વધુ વૃક્ષો લગાવાઈ પણ ચૂક્યાં છે. તે દર્શાવે છે કે પર્યાવરણ સંરક્ષણ અંગે હવે લોકો વધુ જાગૃત છે, અને કોઈ ને કોઈ રૂપે પોતાનું યોગદાન આપવા માગે છે.
મારા પ્રિય દેશવાસીઓ,
હું તમારા બધાંની એક બીજી વાત માટે પ્રશંસા કરવા માગું છું, કારણ છે- મિલેટ્સ એટલે કે શ્રી અન્ન. મને એ જોઈને પ્રસન્નતા છે કે શ્રી અન્ન પ્રત્યે દેશના લોકોનો લગાવ નિરંતર વધી રહ્યો છે. આમ તો, આપણે ૨૦૨૩ને millet year ઘોષિત કર્યું હતું. પરંતુ આજે ત્રણ વર્ષ પછી પણ તે અંગે દેશ અને દુનિયામાં જે જુસ્સો અને સમર્પણ છે, તે ખૂબ જ ઉત્સાહિત કરનારો છે.
સાથીઓ,
તમિળનાડુના કલ્લ-કુરિચી જિલ્લામાં મહિલા ખેડૂતોનો એક સમૂહ પ્રેરણાસ્રોત બની ગયો છે. અહીંના ‘પેરિયાપલયમ મિલેટ’ એફપીસી સાથે લગભગ 800 મહિલા ખેડૂતો જોડાયેલી છે. મિલેટ્સની વધતી લોકપ્રિયતાને જોતાં આ મહિલાઓએ મિલેટ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના કરી. હવે તેઓ મિલેટ્સથી બનેલાં ઉત્પાદનોને સીધા બજાર સુધી પહોંચાડી રહ્યાં છે.
સાથીઓ, રાજસ્થાનના રામસરમાં પણ ખેડૂતો શ્રીઅન્ન અંગે નવાં સંશોધનો કરી રહ્યાં છે. અહીંની રામસર ઓર્ગેનિક ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે 900થી વધુ ખેડૂતો જોડાયેલા છે. આ ખેડુતો મુખ્ય રીતે બાજરીની ખેતી કરે છે. અહીં બાજરાને પ્રૉસેસ કરીને રેડી ટૂ ઈટ લાડવા તૈયાર કરવામાં આવે છે. તેની બજારમાં ઘણી માગ છે. એટલું જ નહીં, સાથીઓ, મને તો એ જાણીને પ્રસન્નતા થાય છે કે આજકાલ અનેક એવા મંદિરો છે, જે પોતાના પ્રસાદમાં કેવળ milletsનો ઉપયોગ કરે છે. હું એ મંદિરના બધા વ્યવસ્થાપકોને હૃદયથી અભિનંદન આપું છું, તેમની આ પહેલ માટે.
સાથીઓ,
મિલેટ્સ, શ્રી અન્નથી અન્નદાતાઓની કમાણી વધવાની સાથે જ તે લોકોના સ્વાસ્થ્યમાં સુધારની પણ બાંયધરી (ગેરંટી) બનતું જઈ રહ્યું છે. મિલેટ્સ પોષણમાં ભરપૂર હોય છે, સુપર ફુડ હોય છે. આપણા દેશમાં શિયાળો તો ખાણીપીણી માટે ખૂબ જ સારો મનાય છે. આવામાં, આ દિવસોમાં આપણે શ્રી અન્ન અવશ્ય ખાવું જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ,
'મન કી બાત'માં આપણને એક વાર ફરી અલગ-અલગ વિષયો પર ચર્ચા કરવાનો અવસર મળ્યો. આ કાર્યક્રમ આપણને બધાને પોતાના દેશની ઉપલબ્ધિઓની અનુભૂતિ કરવાનો અને ઉજવવાનો અવસર આપે છે. ફેબ્રુઆરીમાં આવો જ એક અવસર આવી રહ્યો છે. આગામી મહિને ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ યોજાવા જઈ રહી છે. આ શિખર પરિષદમાં દુનિયાભરના, વિશેષ રીતે, ટૅક્નૉલૉજીના ક્ષેત્ર સાથે જોડાયેલા વિશેષજ્ઞો ભારત આવશે. આ સંમેલન AIના વિશ્વમાં ભારતની પ્રગતિ અને ઉપલબ્ધિઓને પણ સામે લાવશે. હું તેમાં સહભાગી થનારા પ્રત્યેકને હૃદયથી અભિનંદન આપું છું. આગામી મહિને 'મન કી બાત'માં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ પર આપણે અવશ્ય વાત કરીશું. દેશવાસીઓની અન્ય ઉપલબ્ધિઓ વિશે પણ ચર્ચા કરીશું. ત્યાં સુધી મને 'મન કી બાત'માં વિદાય આપશો. કાલના પ્રજાસત્તાક દિવસ માટે એક વાર ફરી આપ સહુને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ.
ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર. 'મન કી બાત' માં આપનું ફરીથી સ્વાગત છે, અભિનંદન છે. કેટલાક દિવસોમાં જ વર્ષ 2026 ટકોરા મારવાનું છે, અને આજે, જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું, તો મનમાં સમગ્ર એક વર્ષની સ્મૃતિઓ ફરી વળી છે- અનેક તસવીરો, અનેક ચર્ચાઓ, અનેક ઉપલબ્ધિઓ, જેમણે દેશને એક સાથે જોડી દીધો. 2025એ આપણને એવી અનેક પળો આપી જેના પર દરેક ભારતીયને ગર્વ થયો. દેશની સુરક્ષાથી માંડીને રમતના મેદાન સુધી, વિજ્ઞાનની પ્રયોગશાળાઓથી લઈ દુનિયાના મોટા મંચો સુધી. ભારતે દરેક જગ્યાએ પોતાની મજબૂત છાપ છોડી. આ વર્ષે 'ઑપરેશન સિંદૂર' દરેક ભારતીય માટે ગર્વનું પ્રતીક બની ગયું. દુનિયાએ સ્પષ્ટ જોયું કે આજનું ભારત પોતાની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નથી કરતું. 'ઑપરેશન સિંદૂર' દરમિયાન દેશના ખૂણેખૂણામાંથી, મા ભારતી પ્રત્યે પ્રેમ અને સમર્પણની તસવીરો સામે આવી. લોકોએ પોતપોતાની રીતે પોતાના ભાવ વ્યક્ત કર્યા.
સાથીઓ,
આ જ ધગશ ત્યારે પણ જોવા મળી જ્યારે 'વંદે માતરમ્'નાં 150 વર્ષ પૂરાં થયાં. મેં આપને આગ્રહ કર્યો હતો કે '#VandeMataram150' સાથે પોતાના સંદેશ અને સૂચનો મોકલો. દેશવાસીઓએ આ અભિયાનમાં આગળ વધીને હિસ્સો લીધો.
સાથીઓ,
2025 રમતની દૃષ્ટિએ પણ એક યાદગાર વર્ષ રહ્યું. આપણી પુરુષ ક્રિકેટ ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. મહિલા ક્રિકેટ ટીમે પહેલી વાર વિશ્વ કપ પોતાના નામે કર્યો. ભારતની દીકરીઓએ વુમન્સ બ્લાઇન્ડ ટી 20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો. એશિયા કપ T20માં પણ તિરંગો શાનથી લહેરાવ્યો. પેરા એથલીટોએ વિશ્વ ચેમ્પિયનશિપમાં અનેક ચંદ્રકો જીતીને એ સાબિત કરી દીધું કે કોઈ બાધા સંકલ્પોને રોકી ન શકે. વિજ્ઞાન અને અંતરીક્ષના ક્ષેત્રમાં પણ ભારતે મોટી છલાંગ ભરી. શુભાંશુ શુક્લા પહેલા ભારતીય બન્યા, જે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર સુધી પહોંચ્યા. પર્યાવરણ સંરક્ષણ અને વન્ય જીવોની સુરક્ષા સાથે જોડાયેલા અનેક પ્રયાસો પણ 2025ની ઓળખ બન્યા. ભારતમાં ચિત્તાઓની સંખ્યા પણ હવે 30થી વધુ થઈ ગઈ છે. 2025માં આસ્થા, સંસ્કૃતિ અને ભારતનો અદ્વિતીય વારસો બધું એક સાથે દેખાયું. વર્ષની શરૂઆતમાં પ્રયાગરાજ મહાકુંભના આયોજને પૂરી દુનિયાને ચકિત કરી દીધી. વર્ષના અંતમાં અયોધ્યામાં શ્રી રામમંદિર પર ધ્વજારોહણના કાર્યક્રમે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધા. સ્વદેશી વિશે પણ લોકોનો ઉત્સાહ ઘણો દેખાયો. લોકો તે જ સામાન ખરીદે છે જેમાં કોઈ ભારતીયનો પરસેવો લાગેલો હોય અને જેમાં ભારતની માટીની સુગંધ હોય. આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે 2025એ ભારતને પહેલાંથી વધુ આત્મવિશ્વાસ આપ્યો છે. એ વાત પણ સાચી છે કે આ વર્ષે પ્રાકૃતિક આપદાઓ આપણે સહેવી પડી, અનેક ક્ષેત્રોમાં સહેવી પડી. હવે દેશ 2026માં નવી આશાઓ, નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે.
મારા પ્રિય દેશવાસીઓ,
આજે દુનિયા ભારતને બહુ આશા સાથે જોઈ રહી છે. ભારત પાસેથી આશાનું સૌથી મોટું કારણ છે આપણી યુવાન શક્તિ. વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણી ઉપલબ્ધિઓ, નવાં-નવાં ઇનોવેશન, ટૅક્નૉલૉજીનો વિસ્તાર...તેનાથી દુનિયાભરના દેશો ખૂબ જ પ્રભાવિત છે.
સાથીઓ,
ભારતના યુવાનોમાં સદા કંઈક નવું કરવાનો જુસ્સો હોય છે અને તેઓ એટલા જાગૃત પણ છે. મારા યુવાન સાથીઓ ઘણી વાર મને એ પૂછે છે કે નેશન બિલ્ડિંગમાં તેઓ પોતાનું યોગદાન હજુય કેવી રીતે વધારે? તેઓ કેવી રીતે પોતાના વિચારો શેર કરી શકે? અનેક સાથીઓ પૂછે છે કે મારી સામે તેઓ પોતાના વિચારોની પ્રસ્તુતિ કેવી રીતે આપી શકે? આપણા યુવાન સાથીઓની આ જિજ્ઞાસાનું સમાધાન છે 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ'. ગત વર્ષે તેની પહેલી આવૃત્તિ થઈ હતી, હવે કેટલાક દિવસો પછી તેની બીજી આવૃત્તિ થવાની છે. આગામી મહિનાની 12 તારીખે સ્વામી વિવેકાનંદની જયંતીના અવસર પર 'રાષ્ટ્રીય યુવા દિવસ' મનાવવામાં આવશે. આ દિવસે 'યંગ લીડર્સ ડાયલોગ'નું પણ આયોજન થશે અને હું પણ તેમાં જરૂર સહભાગી થઈશ. તેમાં આપણા યુવાનો નવીનતા, તંદુરસ્તી, સ્ટાર્ટઅપ અને કૃષિ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર પોતાના વિચારો શેર કરશે. હું આ કાર્યક્રમ માટે ખૂબ જ ઉત્સુક છું.
સાથીઓ,
મને એ જોઈને સારું લાગ્યું કે આ કાર્યક્રમમાં આપણા યુવાનોની ભાગીદારી વધી રહી છે. કેટલાક દિવસો પહેલાં જ તેની સાથે જોડાયેલી એક ક્વિઝ સ્પર્ધા થઈ. તેમાં 50 લાખથી વધુ યુવાનો સહભાગી થયા. એક નિબંધ પ્રતિયોગિતા પણ થઈ જેમાં વિદ્યાર્થીઓએ વિભિન્ન વિષયો પર પોતાની વાતો રાખી. તે પ્રતિયોગિતામાં તમિળનાડુ પહેલા અને ઉત્તર પ્રદેશ બીજા સ્થાને રહ્યું.
સાથીઓ,
આજે દેશની અંદર યુવાનોને પ્રતિભા દેખાડવાના નવા-નવા અવસરો મળી રહ્યા છે. એવા ઘણા મંચો વિકસિત થઈ રહ્યા છે જ્યાં યુવાનો પોતાની યોગ્યતા અને રુચિ અનુસાર ટેલેન્ટ દેખાડી શકે છે. આવું જ એક પ્લેટફોર્મ છે- 'સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન', એક એવું બીજું માધ્યમ જ્યાં વિચારો ક્રિયામાં બદલાય છે.
સાથીઓ,
'સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2025'નું સમાપન આ જ મહિને થયું છે. આ હેકાથોન દરમિયાન 80થી વધુ સરકારી વિભાગોની 270થી વધુ સમસ્યાઓ પર વિદ્યાર્થીઓએ કામ કર્યું. વિદ્યાર્થીઓએ એવાં ઉકેલો આપ્યાં, જે વાસ્તવિક જીવનના પડકારો સાથે જોડાયેલાં હતાં, જેમ કે ટ્રાફિકની સમસ્યા છે. તેના અંગે યુવાનોએ 'સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ' સાથે જોડાયેલાં ખૂબ જ રસપ્રદ દ્રષ્ટિકોણ શેર કર્યાં. નાણાકીય છેતરપિંડી અને ડિજિટલ એરેસ્ટ જેવા પડકારોના સમાધાન પર પણ યુવાનોએ પોતાના વિચારો જણાવ્યા. ગામડાંઓમાં ડિજિટલ બેકિંગ માટે સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક પર સૂચનો આપ્યાં. અનેક યુવાનો કૃષિ ક્ષેત્રના પડકારોના સમાધાનમાં લાગેલા રહ્યા. સાથીઓ, છેલ્લાં 7-8 વર્ષમાં ‘સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન’માં, 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને છ હજારથી વધુ સંસ્થાઓ ભાગ લઈ ચૂક્યાં છે. યુવાનોએ સેંકડો સમસ્યાઓના સચોટ ઉકેલો પણ આપ્યાં છે. આ પ્રકારની હેકાથોનનું આયોજન સમય-સમય પર થતું રહે છે. મારો, પોતાનાં યુવા સાથીઓને આગ્રહ છે કે તેઓ આ હેકાથોનનો હિસ્સો જરૂર બને.
સાથીઓ,
આજનું જીવન ટેક-ડ્રાઇવ્ડ થતું જઈ રહ્યું છે અને જે પરિવર્તન સદીઓમાં આવતું હતું તે પરિવર્તન હવે કેટલાંક વર્ષોમાં થતું જોઈ રહ્યા છીએ. અનેક વાર તો કેટલાક લોકો ચિંતા વ્યક્ત કરે છે કે રોબોર્ટ ક્યાંક મનુષ્યોને જ રિપ્લેસ ન કરી દે. આવા બદલાતા સમયમાં હ્યુમન ડેવલપમેન્ટ માટે પોતાનાં મૂળ સાથે જોડાયેલા રહેવું ખૂબ જ આવશ્યક છે. મને એ જોઈને અત્યંત આનંદ થાય છે કે આપણી આગામી પેઢી પોતાની સંસ્કૃતિના મૂળને સારી રીતે પકડી રાખે છે- નવી વિચારસરણી સાથે, નવા ઉપાયો સાથે.
સાથીઓ,
તમે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સનું નામ તો અવશ્ય સાંભળ્યું હશે. સંશોધન અને નવીનતા આ સંસ્થાની ઓળખ છે. કેટલાંક વર્ષ પહેલાં ત્યાંના કેટલાક વિદ્યાર્થીઓએ અનુભવ્યું કે અભ્યાસ અને સંશોધન વચ્ચે સંગીત માટે પણ જગ્યા હોવી જોઈએ. બસ, અહીંથી એક નાનકડો મ્યુઝિક ક્લાસ શરૂ થયો. ન મોટો મંચ, ન કોઈ મોટું બજેટ. ધીરેધીરે આ પહેલ વધતી ગઈ અને આજે તેને આપણે 'ગીતાંજલિ આઈઆઈએસસી'ના નામે ઓળખીએ છીએ. તે હવે માત્ર એક ક્લાસ નથી, કેમ્પસનું સાંસ્કૃતિક કેન્દ્ર છે. અહીં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત છે, લોક પરંપરાઓ છે, શાસ્ત્રીય વિદ્યાઓ છે, વિદ્યાર્થીઓ અહીં બેસીને રિયાજ઼ કરે છે. પ્રોફેસર સાથે બેસે છે, તેમના પરિવારો પણ જોડાય છે. આજે બસ્સોથી વધુ લોકો તેની સાથે જોડાયેલા છે. અને વિશેષ વાત એ છે કે જે વિદેશ ચાલ્યા ગયા, તેમણે પણ ઓનલાઈન જોડાઈને આ ગ્રુપની ધૂરા સંભાળી છે.
સાથીઓ,
પોતાનાં મૂળ સાથે જોડાયેલા રહેવાના આ પ્રયાસ કેવળ ભારત સુધી સીમિત નથી. દુનિયાના અલગ-અલગ ખૂણા અને ત્યાં વસેલા ભારતીયો પણ પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. એક બીજું ઉદાહરણ જે આપણને દેશની બહાર લઈ જાય છે- આ સ્થાન છે 'દુબઈ'. ત્યાં રહેનારા કન્નડા પરિવારોએ પોતાને એક આવશ્યક પ્રશ્ન પૂછ્યો- આપણાં બાળકો ટેક વર્લ્ડમાં આગળ તો વધી રહ્યા છે, પરંતુ ક્યાંક તેઓ પોતાની ભાષાથી દૂર તો નથી થઈ રહ્યા ને? અહીંથી જન્મી 'કન્નડા પાઠશાળા'. એક એવો પ્રયાસ, જ્યાં બાળકોને 'કન્નડા' ભણાવાય છે, શીખવાડાય છે, લખતા અને બોલતા શીખવાડાય છે. આજે તેની સાથે એક હજાર થી વધુ બાળકો જોડાયેલા છે. ખરેખર, કન્નડા નાડુ, નુડી નમ્મા હેમ્મે. કન્નડાની ભૂમિ અને ભાષા આપણું ગર્વ છે.
સાથીઓ,
એક જૂની કહેવત છે, 'મન હોય તો માળવે જવાય'. આ કહેવતને ફરીથી સાચી કરી બતાવી છે મણિપુરના એક યુવાન મોઇરાંગથેમ સેઠજીએ. તેમની વય ૪૦ વર્ષથી પણ ઓછી છે. શ્રીમાન મોઇરાંગથેમ જી મણિપુરના જે અંતરિયાળ ક્ષેત્રમાં રહેતા હતા ત્યાં વીજળીની મોટી સમસ્યા હતી. આ પડકારને પાર પાડવા માટે તેમણે લોકલ સોલ્યુશન પર ભાર મૂક્યો અને તેમને એ ઉકેલ મળ્યો સોલાર પાવરમાં. આપણા મણિપુરમાં આમ પણ સોલાર એનર્જી ઉત્પન્ન કરવી સરળ છે. તો મોઇરાંગથેમજીએ સોલાર પેનલ લગાવવાનું અભિયાન ચલાવ્યું અને આ અભિયાનના કારણે આજે તેમના ક્ષેત્રનાં સેંકડો ઘરોમાં સોલાર પાવર પહોંચી ગયો છે. વિશેષ વાત એ છે કે તેમણે સોલાર પાવરનો ઉપયોગ હેલ્થકેર અને આજીવિકાને વધુ સારી બનાવવા માટે કર્યો છે. આજે તેમના પ્રયાસોથી મણિપુરમાં અનેક હેલ્થ સેન્ટર્સને પણ સોલાર પાવર મળી રહ્યો છે. તેમના આ કામથી મણિપુરની નારી શક્તિને પણ ઘણો લાભ મળ્યો છે. સ્થાનિક માછીમારો અને કલાકારોને પણ તેનાથી સહાય મળી છે.
સાથીઓ,
આજે સરકાર 'PM સૂર્ય ઘર મફત વીજળી યોજના' અંતર્ગત દરેક લાભાર્થી પરિવારને સોલાર પેનલ લગાવવા માટે લગભગ-લગભગ 75થી 80 હજાર રૂપિયા આપી રહી છે. મોઇરાંગથમજીના આ પ્રયાસો આમ તો વ્યક્તિગત પ્રયાસો છે, પરંતુ સોલાર પાવર સાથે જોડાયેલાં દરેક અભિયાનને નવી ગતિ આપી રહ્યા છે. હું 'મન કી બાત'ના માધ્યમથી તેમને પોતાની શુભકામનાઓ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ,
આવો જરા આપણે જમ્મુ-કાશ્મીર તરફ ચાલીએ. જમ્મુ-કાશ્મીરનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો, તેની એક એવી ગાથા તમને જણાવવા માગું છું, જે તમને ગર્વથી ભરી દેશે. જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં જેહનપોરા નામની એક જગ્યા છે. ત્યાં લોકો વર્ષોથી કેટલાીક ઊંચી-ઊંચી ટેકરીઓ જોતા આવતા હતા. સાધારણ એવી ટેકરી, કોઈને ખબર નહોતી કે તે શું છે? પછી એક દિવસ પુરાતત્વવિદ્ની દૃષ્ટિ તેના પર પડી. જ્યારે તેમણે આ વિસ્તારને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું તો તેમને આ ટેકરીઓ કંઈક અલગ લાગી. તે પછી આ ટેકરીઓનું વૈજ્ઞાનિક અધ્યયન કરવાનું શરૂ કરવામાં આવ્યું. ડ્રૉન દ્વારા ઉપરથી તસવીરો લેવામાં આવી, જમીનનું મેપિંગ કરવામાં આવ્યું. અને પછી કેટલીક આશ્ચર્ય પમાડનારી વાતો સામે આવવા લાગી. ખબર પડી કે આ ટેકરીઓ પ્રાકૃતિક નથી. તે માણસ દ્વારા બનાવવામાં આવેલી કોઈ મોટી ઇમારતનો અવશેષ છે. તે દરમિયાન એક બીજી રસપ્રદ કડી જોડાઈ. કાશ્મીરથી હજારો કિલોમીટર દૂર, ફ્રાન્સના એક મ્યૂઝિયમના આર્કાઇવ્સમાં એક જૂનું, ધૂંધળું એવું ચિત્ર મળ્યું. બારામૂલાના તે ચિત્રમાં ત્રણ બૌદ્ધ સ્તૂપ દૃષ્ટિમાન થઈ રહ્યા હતા. ત્યાંથી સમયે પડખું ફેરવ્યું અને કાશ્મીરનો એક ગૌરવશાળી અતીત આપણી સામે આવ્યો. આ લગભગ બે હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે. કાશ્મીરના જેહનપોરાનું આ બૌદ્ધ પરિસર આપણને યાદ અપાવે છે કે કાશ્મીરનો અતીત કેવો હતો, તેની ઓળખ કેટલી સમૃદ્ધ હતી.
મારા પ્રિય દેશવાસીઓ,
હવે હું તમને ભારતથી હજારો કિલોમીટર દૂર એક એવા પ્રયાસની વાત કરવા માગું છું જે હૃદયને સ્પર્શી જનાર છે. Fijiમાં ભારતીય ભાષા અને સંસ્કૃતિના પ્રસાર માટે એક પ્રશંસનીય પહેલ થઈ રહી છે. ત્યાંની નવી પેઢીને તમિળ ભાષા સાથે જોડવા માટે અનેક સ્તર પર સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગત મહિને Fijiના રાકી-રાકી ક્ષેત્રમાં ત્યાંની એક શાળામાં પહેલી વાર તમિળ દિવસ મનાવવામાં આવ્યો. તે દિવસે બાળકોને એક એવો મંચ મળ્યો, જ્યાં તેમણે પોતાની ભાષા પર ખુલ્લા દિલથી ગૌરવ વ્યક્ત કર્યું. બાળકોએ તમિળમાં કવિતાઓ સંભળાવી, ભાષણો આપ્યાં અને પોતાની સંસ્કૃતિને પૂરા આત્મવિશ્વાસ સાથે મંચ પર રજૂ કરી. સાથીઓ, દેશની અંદર પણ તમિળ ભાષાના પ્રચાર માટે સતત કામ થઈ રહ્યું છે. કેટલાક દિવસ પહેલાં જ મારા સંસદીય ક્ષેત્ર કાશીમાં ચોથો 'કાશી તમિલ સંગમમ્' થયો. હવે હું તમને એક ઓડિયો ક્લીપ સંભળાવવા જઈ રહ્યો છું. તમે સાંભળો અને અંદાજ લગાવો કે તમિળ બોલવાનો પ્રયાસ કરી રહેલાં આ બાળકો ક્યાંનાં છે?
# (Audio Clip 1 પાયલ) #
સાથીઓ,
તમને જાણીને નવાઈ લાગશે, તમિળ ભાષામાં આટલી સહજતાથી પોતાની વાત રાખનારાં આ બાળકો કાશીનાં છે, વારાણસીનાં છે. તેમની માતૃભાષા હિન્દી છે, પરંતુ તમિળ ભાષા પ્રત્યેના લગાવે તેમને તમિળ શીખવા માટે પ્રેરિત કર્યા છે. આ વર્ષે વારાણસીમાં 'કાશી તમિલ સંગમમ્' દરમિયાન તમિળ શીખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તમિલ શીખો – ‘તમિલ કરાકલમ’ આ થીમ હેઠળ વારાણસીની 50થી વધુ શાળાઓમાં વિશેષ અભિયાનો પણ ચલાવવામાં આવ્યાં. તેનું પરિણામ આપણને આ ઓડિયો ક્લીપમાં સાંભળવા મળે છે.
# (Audio Clip 2 વૈષ્ણવી) #
સાથીઓ,
તમિળ ભાષા દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે. તમિળ સાહિત્ય પણ અત્યંત સમૃદ્ધ છે. મેં ‘મન કી બાત’માં 'કાશી તમિલ સંગમમ્'માં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. મને આનંદ છે કે આજે દેશના બીજા હિસ્સાઓમાં પણ બાળકો અને યુવાનો વચ્ચે તમિળ ભાષા અંગે નવું આકર્ષણ જોવા મળી રહ્યું છે - ભાષાની આ જ શક્તિ છે, આ જ ભારતની એકતા છે.
સાથીઓ,
આગામી મહિને આપણે દેશનો 77મો ગણતંત્ર દિવસ મનાવીશું. જ્યારે પણ આવા અવસરો આવે છે તો આપણું મન સ્વતંત્રતા સેનાનીઓ અને સંવિધાન નિર્માતાઓ પ્રત્યે કૃતજ્ઞતાના ભાવથી ભરાઈ જાય છે. આપણા દેશે સ્વતંત્રતા મેળવવા લાંબો સંઘર્ષ કર્યો છે. સ્વતંત્રતાના આંદોલનમાં દેશના દરેક ભાગમાંથી લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે. પરંતુ દુર્ભાગ્યથી સ્વતંત્રતાના અનેક નાયક-નાયિકાઓને તે સન્માન નથી મળ્યું, જે તેમને મળવું જોઈતું હતું. આવાં જ એક સ્વતંત્રતા સેનાની છે-
ઓડિશાના પાર્વતી ગિરીજી. જાન્યુઆરી 2026માં તેમની જન્મ શતાબ્દિ મનાવવામાં આવશે. તેમણે 16 વર્ષની આયુમાં ‘ભારત છોડો આંદોલન’માં ભાગ લીધો હતો. સાથીઓ, સ્વતંત્રતાના આંદોલન પછી પાર્વતી ગિરીજીએ પોતાનું જીવન સમાજ સેવા અને જનજાતીય કલ્યાણને સમર્પિત કરી દીધું હતું. તેમણે અનેક અનાથાલયોની સ્થાપના કરી. તેમનું પ્રેરક જીવન દરેક પેઢીનું માર્ગદર્શન કરતું રહેશે.
“मूँ पार्वती गिरि जिंकु श्रद्धांजलि अर्पण करुछी |”
(હું પાર્વતી ગિરીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.)
સાથીઓ,
આપણું એ દાયિત્વ છે કે આપણે આપણો વારસો ન ભૂલીએ. આપણે સ્વતંત્રતા અપાવનારા નાયક-નાયિકાઓની મહાન ગાથાને આગામી પેઢી સુધી પહોંચાડીએ. તમને યાદ હશે કે જ્યારે આપણી સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થયાં હતાં, ત્યારે સરકારે એક વિશેષ વેબસાઇટ તૈયાર કરી હતી. તેમાં એક વિભાગ 'અનસંગ હીરોઝ'ને સમર્પિત કરવામાં આવ્યો હતો. આજે પણ તમે તે વેબસાઇટની મુલાકાત કરીને તે મહાન વિભૂતિઓ વિશે જાણી શકો છો, જેમની દેશને સ્વતંત્રતા અપાવવામાં બહુ મોટી ભૂમિકા રહી છે.
મારા પ્રિય દેશવાસીઓ,
'મન કી બાત' દ્વારા આપણને સમાજની ભલાઈ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવાનો એક બહુ સારો અવસર મળે છે. આજે હું એક એવા મુદ્દા પર વાત કરવા માગું છું જે આપણા બધા માટે ચિંતાનો વિષય બની ગયો છે. આઈસીએમઆર એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ તાજેતરમાં જ એક રિપૉર્ટ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ન્યૂમૉનિયા અને યુટીઆઈ જેવી અનેક બીમારીઓ વિરુદ્ધ એન્ટિબાયોટિક દવાઓ નબળી સાબિત થઈ રહી છે. આપણા બધાં માટે આ ખૂબ જ ચિંતાજનક છે. રિપોર્ટ પ્રમાણે, તેનું એક મોટું કારણ લોકો દ્વારા વગર વિચારે-સમજ્યે એન્ટિબાયોટિક દવાઓ લેવી તે છે. એન્ટિબાયોટિક દવાઓ એવી નથી જેને એમ જ લઈ લેવામાં આવે. તેનો ઉપયોગ ડૉકટરની સલાહથી જ કરવો જોઈએ. આજકાલ લોકો એમ માનવા લાગ્યા છે કે બસ, એક ગોળી લઈ લો, બધી તકલીફ દૂર થઈ જશે. આ જ કારણ છે કે બીમારીઓ અને તેનો ચેપ આ એન્ટિબાયોટિક દવાઓ પર ભારે પડી રહ્યો છે. હું આપ સહુને આગ્રહ કરું છું કે મહેરબાની કરી ને પોતાની ઇચ્છા મુજબ, દવાઓનો ઉપયોગ કરવાથી બચો. એન્ટિબાયોટિક દવાઓની બાબતમાં તો આ વાતનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. હું તો એ જ કહીશ - દવાઓ માટે માર્ગદર્શન અને એન્ટિબાયોટિક માટે ડોકટર્સની આવશ્યકતા છે. આ ટેવ તમારા આરોગ્યને વધુ સારું બનાવવામાં ખૂબ જ મદદગાર સાબિત થવાની છે.
મારા પ્રિય દેશવાસીઓ,
આપણી પારંપરિક કળાઓ સમાજને સશક્ત કરવાની સાથે જ લોકોની આર્થિક પ્રગતિનું પણ મોટું માધ્યમ બની રહી છે. આંધ્ર પ્રદેશના નારસાપુરમ જિલ્લાની લેસ ક્રાફ્ટની ચર્ચા હવે પૂરા દેશમાં વધી રહી છે. આ લેસ ક્રાફ્ટ અનેક પેઢીઓથી મહિલાઓના હાથોમાં રહી છે. ખૂબ જ ધૈર્ય અને બારીકાઈ સાથે દેશની નારી શક્તિએ તેનું સંરક્ષણ કર્યું છે. આજે આ પરંપરાને એક નવા રંગરૂપ સાથે આગળ લઈ જવામાં આવી રહી છે. આંધ્ર પ્રદેશ સરકાર અને નાબાર્ડ મળીને કારીગરોને નવી ડિઝાઇન શીખવાડી રહ્યા છે, વધુ સારી કૌશલ્ય તાલીમ આપી રહ્યા છે અને નવા બજાર સાથે જોડી રહ્યાં છે. નારસાપુરમ લેસને GI ટેગ પણ મળ્યો છે. આજે તેનાથી 500થી વધુ પ્રોડક્ટ્સ બની રહ્યાં છે અને અઢીસોથી વધુ ગામોમાં લગભગ-લગભગ 1 લાખ મહિલાઓને તેનાથી કામ મળી રહ્યું છે.
સાથીઓ,
‘મન કી બાત’ એવા લોકોને સામે લાવવાનો પણ મંચ છે જે પોતાના પરિશ્રમથી ન માત્ર પારંપરિક કળાઓને આગળ વધારી રહ્યા છે, પરંતુ તેનાથી સ્થાનિક લોકોને સશક્ત પણ કરી રહ્યા છે. મણિપુરના ચુરાચાંદપુરમાં માર્ગારેટ રામથાર્સિયમ જી, તેમના પ્રયાસો એવા જ છે. તેમણે મણિપુરનાં પારંપરિક ઉત્પાદનોને, ત્યાંના હસ્તકલાને, વાંસ અને લાકડાથી બનાવાયેલી ચીજને એક મોટા વિઝન સાથે જોઈ અને તે વિઝનના કારણે, તે એક હેન્ડીક્રાફ્ટ આર્ટિસ્ટથી લોકોનું જીવન બદલવાનું માધ્યમ બની ગઈ. આજે માર્ગારેટ જીના યુનિટ, તેમાં 50થી વધુ આર્ટિસ્ટ કામ કરી રહ્યા છે અને તેમણે પોતાની મહેનતથી દિલ્લી સહિત દેશનાં અનેક રાજ્યોમાં, પોતાના પ્રોડક્ટ્સનું એક માર્કેટ પણ ડેવલપ કર્યું છે.
સાથીઓ,
મણિપુરથી જ એક બીજું ઉદાહરણ સેનાપતિ જિલ્લાનાં રહેનારાં ચોખોને ક્રિચેનાજીનું પણ છે. તેમનો પૂરો પરિવાર પરંપરાગત ખેતી સાથે જોડાયેલો રહ્યો છે. ક્રિચેનાએ આ પારંપરિક અનુભવને એક બીજો વિસ્તાર આપ્યો. તેમણે ફૂલોની ખેતીને પોતાનું જુસ્સો બનાવ્યો. આજે તેઓ આ કામને અલગ-અલગ માર્કેટ સાથે જોડી રહ્યાં છે અને પોતાના વિસ્તારના સ્થાનિક સમુદાયોને પણ સશક્ત કરી રહ્યાં છે. સાથીઓ, આ ઉદાહરણ એ વાતનો પર્યાય છે કે જો પારંપરિક જ્ઞાનને આધુનિક વિઝનની સાથે આગળ વધારવામાં આવે તો આર્થિક પ્રગતિનું મોટું માધ્યમ બની જાય છે. તમારી આસપાસ પણ આવી સક્સેસ સ્ટોરીઝ હોય તો મને અવશ્ય શેર કરજો.
સાથીઓ,
આપણા દેશની સુંદર વાત એ છે કે વર્ષભર દરેક સમયે દેશના કોઈ ને કોઈ ભાગમાં ઉત્સવનું વાતાવરણ રહે છે. અલગ-અલગ પર્વ-તહેવાર તો છે જ, સાથે જ વિભિન્ન રાજ્યોના સ્થાનિક ઉત્સવ પણ આયોજિત થતા રહે છે. એટલે કે, જો તમે ભ્રમણ કરવાનું વિચારો તો દરેક સમયે, દેશનો કોઈ ને કોઈ ખૂણો તમને યુનિક ઉત્સવ સાથે તૈયાર મળશે. આવો જ એક ઉત્સવ આ દિવસોમાં કચ્છના રણમાં ચાલી રહ્યો છે. આ વર્ષે કચ્છના રણોત્સવનું આ આયોજન 23 નવેમ્બરથી શરૂ થયું છે જે 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. અહીં કચ્છની લોક સંસ્કૃતિ, લોક સંગીત, નૃત્ય અને હસ્તશિલ્પની વિવિધતા દેખાય છે. કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી પોતે જ એક સુખદ અનુભવ છે. રાતના સમયે જ્યારે સફેદ રણ પર ચાંદની ફેલાય છે તો તે દૃશ્ય પોતે જ મંત્રમુગ્ધ કરી દેનારું હોય છે. રણ ઉત્સવનું ટેન્ટ સિટી ખૂબ જ લોકપ્રિય છે. મને જાણકારી મળી છે કે ગત એક મહિનામાં અત્યાર સુધી બે લાખથી વધુ લોકો રણોત્સવનો હિસ્સો બની ચૂક્યા છે અને દેશના ખૂણેખૂણેથી આવ્યા છે, વિદેશથી પણ લોકો આવ્યા છે. તમને જ્યારે પણ અવસર મળે તો આવા ઉત્સવોમાં અવશ્ય સહભાગી બનો અને ભારતની વિવિધતાનો આનંદ ઉઠાવો.
સાથીઓ,
2025માં ‘મન કી બાત’નો આ અંતિમ એપિસોડ છે. હવે આપણે વર્ષ 2026માં આવા જ ઉમંગ અને ઉત્સાહ સાથે, આત્મીયતા સાથે, આપણા ‘મનની વાતો’ કરવા માટે ‘મન કી બાત’ કાર્યક્રમમાં અવશ્ય જોડાઈશું. નવી ઊર્જા, નવા વિષય અને પ્રેરણાથી ભરી દેનારી દેશવાસીઓની અગણિત ગાથાઓ ‘મન કી બાત’માં આપણને બધાને જોડે છે. દર મહિને મને એવા અનેક સંદેશાઓ મળે છે, જેમાં ‘વિકસિત ભારત’ માટે લોકો પોતાનું વિઝન વહેંચે છે. લોકો તરફથી મળનારાં સૂચનો અને આ દિશામાં તેમના પ્રયાસોને જોઈને એ વિશ્વાસ વધુ મજબૂત થાય છે અને જ્યારે આ બધી વાતો મારા સુધી પહોંચે છે તો ‘વિકસિત ભારત’નો સંકલ્પ જરૂર સિદ્ધ થશે. આ વિશ્વાસ દિનપ્રતિદિન મજબૂત થતો જાય છે.
વર્ષ 2026 આ સંકલ્પ સિદ્ધિની યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ પડાવ સાબિત થાય, તમારું અને તમારા પરિવારનું જીવન પ્રસન્નતામય હોય, આ કામના સાથે, આ એપિસોડમાં વિદાય લેતા પહેલાં હું અવશ્ય કહીશ, ‘ફીટ ઈન્ડિયા મુવમેન્ટ’, તમારે પણ ફીટ રહેવાનું છે. ઠંડીની આ ઋતુ વ્યાયામ માટે ખૂબ જ ઉપયુક્ત હોય છે, વ્યાયામ અવશ્ય કરો. આપ સહુને 2026ની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. વંદે માતરમ્.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
'મન કી બાત'માં આપનું એક વાર ફરી સ્વાગત છે. નવેમ્બરનો મહિનો ખૂબ જ પ્રેરણા લઈને આવ્યો, કેટલાક દિવસ પહેલાં જ 26 નવેમ્બરે 'સંવિધાન દિવસ' પર central hallમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયું. વંદે માતરમનાં 150 વર્ષ પૂરાં થવાં પર સમગ્ર દેશમાં થનારા કાર્યક્રમોની ભવ્ય શરૂઆત થઈ. 25 નવેમ્બરે અયોધ્યામાં રામ મંદિર પર ધર્મધ્વજાનું આરોહણ થયું. આ જ દિવસે કુરુક્ષેત્રના જ્યોતિસરમાં પાંચજન્ય સ્મારકનું લોકાર્પણ થયું.
સાથીઓ,
કેટલાક દિવસ પહેલાં જ મેં હૈદરાબાદમાં દુનિયાના સૌથી મોટા લીપ એન્જિન એમઆરઓ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું છે. ઍરક્રાફ્ટનું મેઇનટેનન્સ, રિપેર અને ઑવરહૉલના ક્ષેત્રમાં ભારતે આ બહુ મોટું ડગ ભર્યું છે. ગયા સપ્તાહે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન આઈએનએસ 'માહે'ને ભારતીય નૌ સેનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું. ગત સપ્તાહે જ ભારતની અંતરિક્ષ ઇકૉ સિસ્ટમને સ્કાય રૂટના ઇન્ફિનિટી કેમ્પસે નવી ઉડાન આપી છે. આ ભારતની નવી વિચારસરણી, ઇન્નૉવેશન અને યુવા શક્તિનું પ્રતિબિંબ બન્યું છે.
સાથીઓ,
કૃષિ ક્ષેત્રમાં પણ દેશે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતે 357 મીલીયન ટનના ખાદ્યાન્ન ઉત્પાદન સાથે એક ઐતિહાસિક વિક્રમ સર્જ્યો છે. 357 મીલીયન ટન ! 10 વર્ષ પહેલાંની તુલાનામાં ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન 100 મીલીયન ટન વધી ગયું છે. રમતની દુનિયામાં પણ ભારતે વિજયપતાકા લહેરાવી છે. કેટલાક દિવસ પહેલાં જ ભારતને રાષ્ટ્રસમૂહ રમતોની યજમાનીની પણ ઘોષણા થઈ.આ ઉપલબ્ધિઓ દેશની છે, દેશવાસીઓની છે. અને 'મન કી બાત' દેશના લોકોની આવી ઉપલબ્ધિઓને, લોકોના સામૂહિક પ્રયાસોને જન સામાન્યની સામે લાવવાનો, એક સારો મંચ છે.
સાથીઓ,
જો મનમાં લગન હોય, સામૂહિક શક્તિ પર ટીમની જેમ કામ કરવા પર વિશ્વાસ હોય, પડીને ફરીથી ઊભા થવાનું સાહસ હોય તો કઠિનમાં કઠિન કામમાં પણ સફળતા સુનિશ્ચિત થઈ જાય છે. તમે તે સમયની કલ્પના કરો, જ્યારે ઉપગ્રહો નહોતા, જીપીએસ પ્રણાલિ નહોતી, મુસાફરી (નેવિગેશન)ની કોઈ સુવિધાઓ નહોતી. ત્યારે પણ આપણા નાવિકો મોટાં-મોટાં જહાજો લઈને સમુદ્રમાં નીકળી પડતા હતા અને નિશ્ચિત સ્થાને પહોંચતા હતા. હવે સમુદ્રથી આગળ વધીને દુનિયાના દેશ અંતરિક્ષની અનંત ઊંચાઈ માપી રહ્યા છે. પડકાર ત્યાં પણ તે જ છે, ન તો જીપીએસ પ્રણાલિ છે, ન સંચારની એવી કોઈ વ્યવસ્થા છે, પછી આપણે કેવી રીતે આગળ વધીશું?
સાથીઓ,
કેટલાક દિવસ પહેલાં સૉશિયલ મીડિયા પર એક વિડિયોએ મારું ધ્યાન આકર્ષિત કર્યું. આ વિડિયો ઇસરોની અનોખી ડ્રૉન સ્પર્ધાનો હતો. આ વિડિયોમાં આપણા દેશના યુવાનો અને વિશેષ રૂપે, આપણા Gen-Z મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિઓમાં ડ્રૉન ઉડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ડ્રૉન ઉડાવતા હતા, કેટલીક પળ સંતુલનમાં રહેતા હતા, પછી અચાનક જમીન પર પડી જતા હતા. જાણો છો કેમ? કારણકે ત્યાં જે ડ્રૉન ઊડી રહ્યાં હતાં, તેમાં જીપીએસનું સમર્થન બિલકુલ નહોતું. મંગળ ગ્રહ પર જીપીએસ સંભવ નથી, આથી ડ્રૉનને કોઈ બહારી સંકેત અથવા માર્ગદર્શન મળી શકતું નથી. ડ્રૉનને પોતાના કેમેરા અને ઇનબિલ્ટ સૉફ્ટવેરના સહારે ઉડવાનું હતું. આ નાના એવા ડ્રૉનને જમીનની પેટર્ન ઓળખવાની હતી, ઊંચાઈ માપવાની હતી, બાધાઓ સમજવાની હતી અને પોતે જ સુરક્ષિત ઉતરવાનો રસ્તો શોધવાનો હતો. આથી ડ્રૉન પણ એક પછી એક પડતા જતાં હતાં.
સાથીઓ,
આ સ્પર્ધામાં, પૂણેના યુવાનોની એક ટીમે કેટલીક હદ સુધી સફળતા મેળવી. તેમનું ડ્રૉન પણ અનેક વાર પડ્યું, તૂટી પડ્યું પણ તેમણે હાર ન માની. અનેક વારના પ્રયાસ પછી આ ટીમનું ડ્રૉન મંગળ ગ્રહની પરિસ્થિતિમાં કેટલીક વાર સુધી ઉડવામાં સફળ રહ્યું.
સાથીઓ,
આ વિડિયો જોતાં, મારા મનમાં એક બીજું દૃશ્ય ઉભરીને આવ્યું. તે દિવસ, જ્યારે ચંદ્રયાન-૨ સંપર્ક બહાર થઈ ગયું હતું. તે દિવસે સમગ્ર દેશ, અને વિશેષ તો વૈજ્ઞાનિકો કેટલીક પળો માટે નિરાશ થયા હતા. પરંતુ સાથીઓ, અસફળતાએ તેમને રોક્યા નહીં. તે દિવસે તેમણે ચંદ્રયાન-3ની સફળતાની ગાથા લખવાની શરૂ કરી દીધી. આ જ કારણ છે કે જ્યારે ચંદ્રયાન-૩એ સફળ ઉતરાણ કર્યું તો તે કેવળ એક મિશનની સફળતા નહોતી. તે તો અસફળતામાંથી બહાર નીકળીને કેળવાયેલા વિશ્વાસની સફળતા હતી. આ વિડિયોમાં જે યુવાનો દેખાઈ રહ્યા છે, તેમની આંખોમાં મને એ જ ચમક દેખાઈ. દરેક વખતે જ્યારે હું આપણા યુવાનોની લગન અને વૈજ્ઞાનિકોનું સમર્પણ જોઉં છું તો મનમાં ઉત્સાહ ઉમટે છે. યુવાનોની આ જ લગન, વિકસિત ભારતની બહુ મોટી શક્તિ છે.
મારા પ્રિય દેશવાસીઓ,
તમે બધા મધની મીઠાશથી અવશ્ય પરિચિત હશો, પરંતુ ઘણી વાર આપણને એ ખબર નથી પડતી કે તેની પાછળ કેટલા લોકોની મહેનત છે, કેટલી પરંપરા છે અને પ્રકૃતિ સાથે કેટલો સુંદર તાલમેળ છે.
સાથીઓ,
જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં વન તુલસી એટલે કે સુલાઈ, સુલાઈનાં ફૂલોમાંથી અહીંની મધમાખીઓ ખૂબ જ અનોખું મધ બનાવે છે. તે સફેદ રંગનું મધ હોય છે જેને રામબન સુલાઈ હની કહેવાય છે. કેટલાંક વર્ષો પહેલાં જ રામબન સુલાઈ હનીને GI ટેગ મળ્યો છે. તેના પછી આ મધની ઓળખ પૂરા દેશમાં બની રહી છે.
સાથીઓ,
દક્ષિણ કન્નડા જિલ્લાના પુત્તુરમાં ત્યાંની વનસ્પતિ મધ ઉત્પાદન માટે ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. અહીં 'ગ્રામજન્ય' નામની ખેડૂત સંસ્થા આ પ્રાકૃતિક ઉપહારને નવી દિશા આપી રહી છે. 'ગ્રામજન્ય'એ અહીં એક આધુનિક પ્રૉસેસિંગ યૂનિટ બનાવ્યું, લેબ, બૉટલિંગ, સ્ટૉરેજ અને ડિજિટલ ટ્રેકિંગ જેવી સુવિધાઓ જોડવામાં આવી. હવે આ જ મધ બ્રાન્ડેડ ઉત્પાદન બનીને ગામડાંઓથી શહેર તરફ પહોંચી રહ્યું છે. આ પ્રયાસનો લાભ અઢી હજારથી વધુ ખેડૂતોને મળ્યો છે.
સાથીઓ,
કર્ણાટકના જ તુમકુરુ જિલ્લામાં 'શિવગંગા કાલંજિયા' નામની સંસ્થાનો પ્રયાસ પણ ખૂબ જ પ્રશંસનીય છે. તેના દ્વારા અહીં દરેક સભ્યને શરૂઆતમાં બે મધમાખીની પેટી (Bee Box) આપવામાં આવતાં હતાં. આવું કરીને આ સંસ્થાએ અનેક ખેડૂતોને પોતાના અભિયાન સાથે જોડી દીધા છે. હવે આ સંસ્થા સાથે જોડાયેલા ખેડૂતો મળીને મધ બનાવે છે, સારું પેકેજિંગ કરે છે અને સ્થાનિક બજારો સુધી પહોંચે છે. તેનાથી તેમને લાખોની કમાણી પણ થઈ રહી છે. આવું જ એક ઉદાહરણ નાગાલેન્ડના ક્લિફ હની હંટિંગનું પણ છે. નાગાલેન્ડના ચોકલાંગન ગામમાં ખિયામનિ-યાંગન જનજાતિ સદીઓથી મધ કાઢવાનું કામ કરતી આવી છે. અહીં મધમાખીઓ ઝાડ પર નહીં, પરંતુ ઊંચાં શિખરો પર પોતાનું ઘર બનાવે છે. આથી મધ કાઢવાનું કામ પણ બહુ જ જોખમી હોય છે. આથી અહીંના લોકો મધમાખીઓ સાથે પહેલાં સૌમ્યતાથી વાત કરે છે, તેમની અનુમતિ લે છે. તેમને કહે છે કે આજે તેઓ મધ લેવા આવ્યા છે, તે પછી મધ કાઢે છે.
સાથીઓ,
આજે ભારત હની પ્રૉડક્શનમાં નવો વિક્રમ સર્જી રહ્યું છે. 11 વર્ષ પહેલાં દેશમાં મધનું ઉત્પાદન 76 હજાર મેટ્રિક ટન હતું. હવે તે વધીને દોઢ લાખ મેટ્રિક ટનથી પણ વધુ થઈ ગયું છે. ગત કેટલાંક વર્ષોમાં મધની નિકાસ પણ ત્રણ ગણાથી વધુ વધી ગઈ છે. હની મિશન કાર્યક્રમ અંતર્ગત ખાદી ગ્રામોદ્યોગે પણ સવા બે લાખથી વધુ મધમાખીના બોક્સ લોકોમાં વહેંચ્યાં છે. તેનાથી હજારો લોકોને આજીવિકાના નવા અવસરો મળ્યા છે. અર્થાત્ દેશના અલગ-અલગ ખૂણામાં મધની મીઠાશ પણ વધી રહી છે. અને આ મીઠાશ ખેડૂતોની આવક પણ વધારી રહી છે.
મારા પ્રિય દેશવાસીઓ,
હરિયાણાના કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ થયું હતું, તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ યુદ્ધના આ અનુભવને હવે તમે ત્યાં મહાભારત અનુભવ કેન્દ્રમાં પણ સાક્ષાત અનુભવી શકો છો. આ અનુભવ કેન્દ્રમાં મહાભારતની ગાથાને 3-ડી, લાઇટ અને સાઉન્ડ શૉ અને ડિજિટલ ટૅક્નિકથી દેખાડવામાં આવી રહી છે. 25 નવેમ્બરે જ્યારે હું કુરુક્ષેત્ર ગયો હતો તો આ અનુભવ કેન્દ્રના અનુભવે મને આનંદથી ભરી દીધો.
સાથીઓ,
કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર પર આયોજિત આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં સહભાગી થવાનું પણ મારા માટે ખૂબ જ વિશેષ રહ્યું. હું એ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો કે દુનિયાભરના લોકો દિવ્ય ગ્રંથથી કેવી રીતે પ્રેરિત થઈ રહ્યા છે. આ મહોત્સવમાં યુરોપ અને મધ્ય એશિયા સહિત વિશ્વના અનેક દેશોના લોકોની ભાગીદારી રહી છે.
આ મહિનાની શરૂઆતમાં સાઉદી અરબમાં પહેલી વાર કોઈ સાર્વજનિક મંચ પર ગીતાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. યુરોપના લાતવિયામાં પણ એક યાદગાર ગીતા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો. આ મહોત્સવમાં લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને અલ્જીરિયાના કલાકારોએ ઉમંગથી હિસ્સો લીધો.
સાથીઓ,
ભારતની મહાન સંસ્કૃતિમાં શાંતિ અને કરુણાનો ભાવ સર્વોપરી રહ્યો છે. તમે બીજા વિશ્વ યુદ્ધની કલ્પના કરો, જ્યારે ચારે તરફ વિનાશનું ભયાવહ વાતાવરણ સર્જાયું હતું. એવા મુશ્કેલ સમયમાં ગુજરાતના નવાનગરના જામસાહેબ મહારાજા દિગ્વિજયસિંહજીએ જે મહાન કાર્ય કર્યું તે આજે પણ આપણને પ્રેરણા આપે છે. તે સમયે જામ સાહેબ, કોઈ વ્યૂહાત્મક ગઠબંધન અને યુદ્ધની રણનીતિ સંદર્ભે નહોતા વિચારી રહ્યા. પરંતુ તેમની ચિંતા એ હતી કે વિશ્વ યુદ્ધની વચ્ચે પૉલિશ યહૂદી બાળકોની કેવી રીતે રક્ષા કરી શકાય. તેમણે ગુજરાતમાં તે સમયે હજારો બાળકોને શરણ આપીને તેમને નવું જીવન આપ્યું જે આજે પણ એક પ્રેરણા છે. કેટલાક દિવસ પહેલાં દક્ષિણી ઇઝરાયેલના મોશાવ નેવાતિમમાં જામ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ બહુ જ વિશેષ સન્માન હતું. ગત વર્ષે પૉલેન્ડના વારસૉમાં મને જામસાહેબના સ્મારક પર શ્રદ્ધા સુમન અર્પિત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. મારા માટે તે અવિસ્મરણીય રહેશે.
મારા પ્રિય દેશવાસીઓ,
કેટલાક દિવસો પહેલાં હું પ્રાકૃતિક ખેતીના એક વિશાળ સંમેલનમાં ભાગ લેવા કોયંબટૂર ગયો હતો. દક્ષિણ ભારતમાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે થઈ રહેલા પ્રયાસોને જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો. કેટલા બધા યુવા ઉચ્ચ લાયકાતવાળા વ્યાવસાયિકો હવે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રને અપનાવી રહ્યા છે. મેં ત્યાં ખેડૂતો સાથે વાત કરી, તેમની પાસેથી અનુભવો જાણ્યા. પ્રાકૃતિક ખેતી ભારતની પ્રાચીન પરંપરાઓનો હિસ્સો રહી છે અને આપણા બધાનું કર્તવ્ય છે કે ધરતી માની રક્ષા માટે તેને નિરંતર ઉત્તેજન આપીએ.
સાથીઓ,
વિશ્વની સૌથી મોટી પ્રાચીન ભાષા અને વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાંથી એક શહેબ, આ બંનેનો સંગમ સદા અદ્ભુત હોય છે. હું વાત કરી રહ્યો છું - 'કાશી તમિલ સંગમમ'ની. બે ડિસેમ્બરથી કાશીના નમો ઘાટ પર ચોથો કાશી-તમિલ સંગમમ શરૂ થઈ રહ્યો છે. આ વખતે કાશી-તમિલ સંગમમની થીમ ખૂબ જ રોચક છે- લર્ન તમિલ- તમિલ કરકલમ્. કાશી-તમિલ સંગમમ એ બધા લોકો માટે એક મહત્ત્વપૂર્ણ મંચ બની ગયો છે જેમને તમિલ ભાષા પ્રત્યે પ્રેમ છે. કાશીના લોકોની જ્યારે પણ વાત થાય છે તો તેઓ સદા કહે છે કે કાશી-તમિલ સંગમમનો હિસ્સો બનવાનું તેમને ખૂબ જ સારું લાગે છે. અહીં તેમને કંઈક નવું શીખવા અને નવા-નવા લોકોને મળવાનો અવસર મળે છે. આ વખતે પણ કાશીવાસી પૂરા જોશ અને ઉત્સાહ સાથે તમિલનાડુથી આવનારા પોતાનાં ભાઈ-બહેનોનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. મારો આપ સહુને આગ્રહ છે કે તમે કાશી-તમિલ સંગમમનો હિસ્સો અવશ્ય બનો. તેની સાથે જ એવા બીજા મંચો વિશે વિચારો, જેનાથી 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવના મજબૂત થાય. અહીં હું એક વાર ફરી કહેવા માગીશ:
तमिल कलाच्चारम उयर्वानद्
तमिल मोलि उयर्वानद्
तमिल इन्दियाविन पेरूमिदम्।
અર્થાત્ તમિલ સંસ્કૃતિ મહાન છે. તમિલ ભાષા મહાન છે. તમિલ ભારતનું ગૌરવ છે.
મારા પ્રિય દેશવાસીઓ,
જ્યારે ભારતના સુરક્ષા તંત્રને મજબૂતી મળે છે તો દરેક ભારતીયને ગર્વ થાય છે. ગત સપ્તાહે મુંબઈમાં આઈએનએસ 'માહે'ને ભારતીય નૌ સેનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું. કેટલાક લોકો વચ્ચે તેની સ્વદેશી ડિઝાઇન અંગે ખૂબ જ ચર્ચા રહી. તો પુડ્ડુચેરી અને માલાબાર દરિયાકાંઠાના લોકો આ નામથી જ ખુશ થઈ ગયા. ખરેખર તો તેનું 'માહે' નામ તે સ્થાન માહેના નામ પરથી રખાયું છે જેનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો રહ્યો છે. કેરળ અને તમિળનાડુના અનેક લોકોએ એ વાત પર ધ્યાન આપ્યું કે આ યુદ્ધજહાજનો ‘ક્રેસ્ટ’ ઉરુમી અને કલારિપયટ્ટૂની પારંપારિક લચીલી તલવારની જેવો દેખાય છે. આપણા બધા માટે ગર્વની વાત છે કે આપણી નૌ સેના ખૂબ જ ઝડપથી આત્મનિર્ભરતા તરફ ડગ વધારી રહી છે. 4 ડિસેમ્બરે આપણે નૌ સેના દિવસ પણ મનાવવા જઈ રહ્યા છે. આ અવસર આપણા સૈનિકોના અદમ્ય સાહસ અને પરાક્રમને સન્માન આપવાનો એક ખાસ દિવસ છે.
સાથીઓ,
જે લોકો નૌ સેના સાથે જોડાયેલા પર્યટનમાં રુચિ રાખે છે, તેમના માટે આપણા દેશમાં અનેક જગ્યાઓ છે, જ્યાં જઈને તેમને ઘણું બધું શીખવા મળશે. દેશના પશ્ચિમી દરિયા કિનારે ગુજરાતના સોમનાથ પાસે એક જિલ્લો છે- દીવ. દીવમાં 'આઇએનએસ ખુખરી'ને સમર્પિત ખુખરી સ્મારક અને સંગ્રહાલય છે. તો ગોવામાં 'નેવલ એવિએશન મ્યૂઝિયમ' છે જે એશિયામાં આ પ્રકારનું અનોખું સંગ્રહાલય છે. કોચી કિલ્લાના આઈએનએસ દ્રોણાચાર્યમાં 'ઇન્ડિયન નેવલ મેરિટાઇમ મ્યૂઝિયમ' છે. અહીં આપણા દેશના સમુદ્રી અને ભારતીય નૌ સેનાના ક્રમિક વિકાસને જોઈ શકાય છે. શ્રી વિજયાપુરમ જેને પહેલાં પૉર્ટ બ્લેર કહેવાતું હતું, ત્યાં સમુદ્રિકા નેવલ મરીન મ્યુઝિયમ તે ક્ષેત્રના સમૃદ્ધ ઇતિહાસને સામે લાવવા માટે જાણીતું છે. કારાવારના રવીન્દ્રનાથ ટાગોર સમુદ્રકાંઠે વૉરશિપ મ્યુઝિયમમાં મિસાઇલો અને શસ્ત્રોની રેપ્લિકા રાખવામાં આવી છે. વિશાખાપટનમમાં પણ એક સબમરિન, હેલિકૉપ્ટર અને ઍરક્રાફ્ટ સંગ્રહાલય છે, જે ભારતીય નૌ સેના સાથે જોડાયેલું છે. હું તમને સહુને, વિશેષ રીતે સૈન્ય ઇતિહાસમાં રુચિ રાખનારા લોકોને આગ્રહ કરું છું કે તમે આ સંગ્રહાલયો જોવા અવશ્ય જાવ.
મારા પ્રિય દેશવાસીઓ,
શિયાળો આવી ગયો છે અને સાથે જ શિયાળા સાથે જોડાયેલા પર્યટનનો સમય પણ આવી ગયો છે. વિશ્વના અનેક દેશોએ શિયાળામાં થનારા પર્યટનને, વિન્ટર ટૂરીઝમને પોતાની અર્થવ્યવસ્થાનો આધાર બનાવી દીધો છે. અનેક દેશોમાં દુનિયાના સૌથી સફળ વિન્ટરફેસ્ટિવલ અને વિન્ટલસ્પૉર્ટ્સમૉડલ છે. આ દેશોએ સ્કિઇંગ, સ્નૉ બૉર્ડિંગ, સ્નૉટ્રેકિંગ, આઇસ ક્લાઇમ્બિંગ અને ફેમિલી સ્નો પાર્ક જેવા અનુભવોને પોતાની ઓળખ બનાવ્યા છે. તેમણે પોતાના વિન્ટર ફેસ્ટીવલને પણ વૈશ્વિક આકર્ષણમાં બદલ્યા છે.
સાથીઓ,
આપણા દેશમાં પણ વિન્ટર ટૂરીઝમની દરેક ક્ષમતા વિદ્યમાન છે. આપણી પાસે પહાડ પણ છે, સંસ્કૃતિ પણ છે અને સાહસની અસીમ સંભાવનાઓ પણ છે. મને આનંદ છે. આ દિવસોમાં ઉત્તરાખંડનું વિન્ટર ટૂરીઝમ લોકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યું છે. શિયાળાની ઋતુમાં ઔલી, મુનસ્યારી, ચોપટા અને ડેયારા જેવાં સ્થળો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યાં છે. હમણાં કેટલાંક સપ્તાહો પહેલાં પિથોરાગઢ જિલ્લામાં સાડા ચૌદ હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર કૈલાસમાં રાજ્યની પહેલી હાઇઅલ્ટિટ્યૂડઅલ્ટ્રા રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દેશભરનાં 18 રાજ્યોમાંથી 750થી વધુ એથ્લેટોએ સહભાગ લીધો હતો. 60 કિમી લાંબી 'આદિ કૈલાસ પરિક્રમા રન'નો પ્રારંભ કડકડાતી ઠંડીમાં સવારે પાંચ વાગ્યે થયો હતો. આટલી ઠંડી છતાં પણ લોકોનો ઉત્સાહ જોવા જેવો હતો. આદિ કૈલાસની યાત્રા પર જ્યાં ત્રણ વર્ષ પહેલાં માત્ર બે હજારથી ઓછા પર્યટકો આવતા હતા, તે સંખ્યા હવે વધીને ત્રીસ હજારથી પણ વધુ થઈ ગઈ છે.
સાથીઓ,
કેટલાંક સપ્તાહમાં ઉત્તરાખંડમાં વિન્ટર ગેમ્સનું આયોજન પણ થવાનું છે. દેશભરના ખેલાડી, સાહસ પ્રેમી અને રમતો સાથે જોડાયેલા લોકો આ આયોજન અંગે ઉત્સાહિત છે. સ્કિઇંગ હોય કે સ્નૉ બૉર્ડિંગ, બરફ પર થનારી અનેક રમતોની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ઉત્તરાખંડે વિન્ટર ટૂરીઝમને ઉત્તેજન આપવા માટે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન આપ્યું છે. હૉમ સ્ટે અંગે નવી નીતિ પણ બનાવવામાં આવી છે.
સાથીઓ,
શિયાળામાં ભારતમાં લગ્ન અભિયાનની પણ અલગ ધૂમ હોય છે. શિયાળાનો કૂણો તડકો હોય, પહાડથી ઉતરતા ધૂમ્મસની ચાદર હોય, ડેસ્ટિનેશન વેડિંગ માટે પહાડ પણ હવે ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે. અનેક લગ્નો તો હવે વિશેષ રીતે, ગંગાજીના કિનારે થઈ રહ્યાં છે.
સાથીઓ,
ઠંડીના આ દિવસોમાં હિમાલયની ઘાટીઓ એક એવા અનુભવનો હિસ્સો બની જાય છે જે જીવનભર સાથે રહે છે. જો તમે આ શિયાળામાં ક્યાંય જવાનો વિચાર કરી રહ્યા હો તો હિમાલયની ઘાટીઓનો વિકલ્પ અવશ્ય રાખજો.
સાથીઓ,
કેટલાંક સપ્તાહ પહેલાં હું ભૂટાન ગયો હતો. આવી યાત્રાઓમાં અલગ-અલગ પ્રકારના સંવાદ અને ચર્ચાઓનો અવસર મળે છે. પોતાની આ યાત્રામાં મેં ભૂટાનના રાજા, વર્તમાન રાજાના પિતાજી જે પોતે પણ પહેલાં રાજા રહી ચૂક્યા છે, ત્યાંના પ્રધાનમંત્રી અને અન્ય લોકો સાથે મુલાકાત કરી.આ દરમિયાન દરેક પાસેથી એક વાત અવશ્ય સાંભળવા મળી. બધા લોકો ત્યાં બૌદ્ધ અવશેષો અર્થાત્ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ મોકલવાના સંદર્ભે ભારતવાસીઓનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. મેં જ્યારે પણ આ સાંભળ્યું તો મારું હૃદય ગર્વથી ભરાઈ ગયું.
સાથીઓ,
ભગવાન બુદ્ધના પાવન અવશેષોના સંદર્ભે અનેક અન્ય દેશોમાં પણ આવો જ ઉત્સાહ જોવા મળ્યો છે. ગત મહિને જ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આ પવિત્ર અવશેષોને રશિયાના કલમીકિયા લઈ જવાયા હતા. ત્યાં બૌદ્ધ ધર્મનું વિશેષ મહત્ત્વ છે. મને જણાવવામાં આવ્યું કે આ દર્શન માટે રશિયામાં દૂરદૂરથી મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા. આ પવિત્ર અવશેષોનેમંગોલિયા, વિયેતનામ અને થાઇલેન્ડ પણ લઈ જવાઈ ચૂક્યા છે. દરેક જગ્યાએ લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તેના દર્શન માટે થાઇલેન્ડના રાજા પણ પહોંચ્યા હતા. સમગ્ર વિશ્વમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોન પ્રત્યે આ પ્રકારનું ગાઢ જોડાણ જોઈને મન ભાવવિભોર થઈ ઊઠે છે. એ સાંભળીને બહુ સારું લાગે છે કે આ પ્રકારની પહેલ દુનિયાભરના લોકોને અરસપરસ જોડવાનું માધ્યમ કેવી રીતે બની જાય છે.
મારા પ્રિય દેશવાસીઓ,
હું આપ સહુને સદા 'વૉકલફૉરલૉકલ'ના મંત્ર સાથે ચાલવાની વાત કરું છું. હમણાં કેટલાક દિવસો પહેલાં G-20 શિખર સંમેલન દરમિયાન જ્યારે વિશ્વના અનેક નેતાઓને ઉપહાર આપવાની વાત આવી તો મેં ફરી કહ્યું, 'વોકલ ફોર લોકલ'. મેં દેશવાસીઓની તરફથી વિશ્વના નેતાઓને જે ઉપહાર આપ્યા તેમાં આ ભાવનાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. G-20 દરમિયાન, મેં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખને નટરાજની કાંસ્ય પ્રતિમા ઉપહારમાં આપી.તે તમિળનાડુના તંજાવુરના સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી ચોલ કાલીન શિલ્પકળાનુંઅદ્ભુત ઉદાહરણ છે. કેનેડાના પ્રધાનમંત્રીને ચાંદીના અશ્વની પ્રતિકૃતિ આપવામાં આવી. તે રાજસ્થાનના ઉદયપુરની ઉત્કૃષ્ટ શિલ્પકળાને દર્શાવે છે. જાપાનના પ્રધાનમંત્રીને ચાંદીના બુદ્ધની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી. તેમાં તેલંગાણા અને કરીમનગરની પ્રસિદ્ધ ચાંદીની કળાની બારીકીની જાણ થાય છે. ઇટાલીનાં પ્રધાનમંત્રીને ફૂલોની આકૃતિઓવાળું ચાંદીનું દર્પણ ભેટમાં આપવામાં આવ્યું. તે પણ કરીમનગરની જ પારંપરિક ધાતુ શિલ્પકળાને પ્રદર્શિત કરે છે. ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને મેં બ્રાસની ઉરલી આપી, તે કેરળના મન્નારનું એક ઉત્કૃષ્ટ શિલ્પ છે. મારો ઉદ્દેશ્ય હતો કે દુનિયા ભારતીય શિલ્પ, કળા અને પરંપરા વિશે જાણે. અને આપણા કારીગરોની પ્રતિભાને વૈશ્વિક મંચ મળે.
સાથીઓ,
મને આનંદ છે કે 'વોકલ ફોર લોકલ'ની ભાવનાને દેશના કરોડો લોકોને પોતાના જીવનનો હિસ્સો બનાવી લીધો છે. આ વર્ષે જ્યારે તમે તહેવારોની ખરીદી માટે બજારમાં ગયા હશો તો એક વાત તમે બધાએ અનુભવી હશે. લોકોની પસંદ, અને ઘરમાં આવનારા સામાનમાં, એક સ્પષ્ટ સંકેત દેખાતો હતો કે દેશ સ્વદેશીની તરફ પાછો ફરી રહ્યો છે. લોકો પોતાના મનથી ભારતીય ઉત્પાદનોને પસંદ કરી રહ્યા હતા. આ પરિવર્તનને નાનામાં નાના દુકાનદારે પણ અનુભવ્યું. આ વખતે યુવાઓએ પણ 'વોકલ ફોર લોકલ' અભિયાનને ગતિ આપી. આવનારા કેટલાક દિવસોમાં ક્રિસમસ અને નવા વર્ષ પર ખરીદીનો નવો સમય શરૂ થનારો છે. હું તમને ફરી યાદ અપાવીશ, 'વોકલ ફોર લોકલ'નો મંત્ર યાદ રાખો, ખરીદો એ જે દેશમાં બનેલું હોય, વેચો એ જેમાં કોઈ દેશવાસીની મહેનત લાગેલી હોય.
મારા પ્રિય દેશવાસીઓ,
ભારતીય રમતોની દૃષ્ટિથી, આ મહિનો સુપર હિટ રહ્યો છે. આ મહિનાની શરૂઆત ભારતીય મહિલા ટીમ દ્વારા આઈસીસી મહિલા વિશ્વ કપ જીતવાથી શરૂ થઈ. પરંતુ તે પછી પણ મેદાન પર ઘણી બધી ગતિવિધિ જોવા મળી. કેટલાક દિવસો પહેલાં જ ટૉક્યોમાં બધિરો માટેની ઑલિમ્પિક યોજાઈ હતી, જેમાં ભારતે પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 20 ચંદ્રકો જીત્યા. આપણી મહિલા ખેલાડીઓએ કબડ્ડી વિશ્વ કપ જીતીને તો ઇતિહાસ જ રચી દીધો. સમગ્ર સ્પર્ધામાં તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને, દરેક ભારતવાસીનું મન જીતી લીધું. વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલમાં પણ આપણા ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું, જ્યાં તેમણે 20 ચંદ્રકો જીત્યા.
સાથીઓ,
જે વાતની આનાથી પણ વધુ ચર્ચા થઈ રહી છે તે છે આપણી મહિલા ટીમનું પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વિશ્વ કપ જીતવું. મોટી વાત એ છે કે આપણી આ ટીમે એક પણ મેચ હાર્યા વિના, આ સ્પર્ધાને જીતી છે. દેશવાસીઓને આ ટીમના દરેક ખેલાડી પર ખૂબ જ ગર્વ છે. મારી આ ટીમ સાથે પ્રધાનમંત્રી નિવાસ પર મુલાકાત થઈ. ખરેખર, આ ટીમનું મનોબળ, તેમની ધગશ, આપણને ઘણું બધું શીખવાડે છે. આ વિજય આપણા રમત ઇતિહાસના સૌથી મોટી જીતોમાંથી એક છે જે દરેક ભારતીયને પ્રેરિત કરતો રહેશે.
સાથીઓ,
આજકાલ આપણા દેશમાં એન્ડુરન્સ સ્પોર્ટ્સ (Endurance Sports)ની એક નવી ખેલ સંસ્કૃતિ પણ ઝડપથી ઉભરી રહી છે. એન્ડુરન્સ સ્પોર્ટ્સ એટલે મારો અર્થ એવી રમત પ્રવૃત્તિઓથી છે જેમાં તમારી મર્યાદાની પરખ થાય છે. કેટલાંક વર્ષો પહેલાં સુધી મેરેથોન અને બાઇકેથોન જેવા વિશેષ કાર્યક્રમો કેટલાક વિશેષ લોકો સુધી જ સીમિત રહેતા હતા. પરંતુ હવે ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. મને જણાવવામાં આવ્યું છે કે દેશભરમાં દર મહિને 1,500થી વધુ એન્ડુરસ સ્પોર્ટ્સનું આયોજન થાય છે. આ કાર્યક્રમોમાં હિસ્સો લેવા માટે એથ્લેટો દૂર-દૂર સુધી જાય છે.
સાથીઓ,
એન્ડુરન્સ સ્પોર્ટ્સનું જ એક ઉદાહરણ છે- આયર્નમેન ટ્રાયથ્લોન. તમે કલ્પના કરો કે જો તમને એ કહેવામાં આવે કે તમારી પાસે એક દિવસથી પણ ઓછો સમય છે અને તમારે આ ત્રણ કામો કરવાનાં છે- સમુદ્રમાં ચાર કિલોમીટર સુધી તરવું, 180 કિલોમીટર સુધી સાઇકલ ચલાવવી અને લગભગ 42 કિલોમીટરની મેરેથોન દોડ લગાવવી. તો તમે વિચારશો કે એ કેવી રીતે સંભવ છે. પરંતુ લોખંડી મનોબળવાળા આ કામને પણ સફળતાપૂર્વક કરી લે છે. આથી તેને આયર્નમેન ટ્રાયથ્લોન કહે છે.
ગોવામાં તાજેતરમાં જ આવું એક આયોજન કરવામાં આવ્યું. આજકાલ આવા પ્રકારનાં આયોજનોમાં પણ લોકો ઉત્સાહથી ભાગ લે છે. આવી અનેક બીજી સ્પર્ધાઓ પણ છે, જે આપણા યુવાન સાથીઓ વચ્ચે ઘણી લોકપ્રિય થઈ રહી છે. આજકાલ અનેક લોકો ફિટ ઈન્ડિયા સનડે ઓન સાયકલ જેવા કાર્યક્રમોમાં હિસ્સો લેવા માટે સાથે આવી રહ્યા છે. આ બધી એવી ચીજો છે જેનાથી ફિટનેસને પ્રોત્સાહન મળે છે.
સાથીઓ,
તમને દર મહિને મળવાનો મારા માટે હંમેશાં એક નવો અનુભવ હોય છે. તમારી ગાથાઓ, તમારા પ્રયાસો, મને નવેસરથી પ્રેરિત કરે છે. તમારા સંદેશાઓમાં તમે જે સૂચનો મને મોકલો છો, જે અનુભવ વહેંચો છો, તેનાથી અમને આ કાર્યક્રમમાં ભારતની વિવિધતાનેસમેટી લેવાની પ્રેરણા મળે છે. જ્યારે આપણે આગામી મહિને મળીશું તો 2025 સમાપ્ત થવા આવ્યું હશે. દેશના મોટા ભાગના હિસ્સાઓમાં હવે ઠંડી પણ વધતી જશે. શિયાળાની ઋતુમાં તમે તમારું અને પોતાના પરિવારનું વિશેષ ધ્યાન રાખજો. આગામી મહિને આપણે કેટલાક નવા વિષયો, નવાં વ્યક્તિત્વોની ચર્ચા અવશ્ય કરીશું.
ખૂબ-ખૂબ ધન્યવાદ.
નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. પૂરા દેશમાં આ સમયે તહેવારોનો ઉલ્લાસ છે. આપણે બધાંએ કેટલાક દિવસ પહેલાં દિવાળી મનાવી છે અને અત્યારે મોટી સંખ્યામાં લોકો છઠ પૂજામાં વ્યસ્ત છે. ઘરમાં ઠેકુઆ બનાવવામાં આવી રહ્યા છે. ઠેકઠેકાણે ઘાટને સજાવવામાં આવી રહ્યા છે. બજારોમાં રોનક છે. દરેક બાજુ શ્રદ્ધા, પોતાનાપણું અને પરંપરાનો સંગમ દેખાઈ રહ્યો છે. છઠનું વ્રત રાખનારી મહિલાઓે જે સમર્પણ અને નિષ્ઠાથી આ પર્વની તૈયારી કરી રહી છે તે પોતાની રીતે જ બહુ પ્રેરણાદાયક છે.
સાથીઓ,
છઠનું મહા પર્વ સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ગાઢ એકતાનું પ્રતિબિંબ છે. છઠના ઘાટો પર સમાજનો દરેક વર્ગ એક સાથે ઊભો હોય છે. આ દૃશ્ય ભારતની સામાજિક એકતાનું સૌથી સુંદર ઉદાહરણ છે. તમે દેશ અને દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, જો અવસર મળે તો છઠ ઉત્સવમાં અવશ્ય ભાગ લો. એક અનોખા અનુભવની પોતે જ અનુભૂતિ કરો. હું છઠી મૈયાને નમન કરું છું. બધા દેશવાસીઓને, વિશેષ રૂપે બિહાર, ઝારખંડ અને પૂર્વાંચલના લોકોને છઠ મહા પર્વની શુભકામનાઓ આપું છું.
સાથીઓ,
તહેવારોના આ અવસર પર મેં તમારા બધાના નામે પત્ર લખીને પોતાની ભાવનાઓ જણાવી હતી. મેં પત્રમાં દેશની તે ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું જેનાથી આ વખતે તહેવારોની રોનક પહેલાંથી પણ વધુ થઈ ગઈ છે. મારા પત્રના ઉત્તરમાં મને દેશના અનેક નાગરિકોએ પોતાના સંદેશાઓ મોકલ્યા છે. ખરેખર, 'ઑપરેશન સિંદૂરે દરેક ભારતીયને ગર્વાન્વિત કરી દીધા છે. આ વખતે તે વિસ્તારોમાં પણ ખુશીઓના દીપક પ્રજ્વલિત કરવામાં આવ્યા જ્યાં ક્યારેક માઓવાદી આતંકનું અંધારું છવાયેલું રહેતું હતું. લોકો તેમનાં બાળકોના ભવિષ્યને સંકટમાં મૂકી દેનાર માઓવાદી આતંકને જડથી સમાપ્ત કરવા ઇચ્છે છે.
જીએસટી બચત ઉત્સવ માટે પણ લોકોમાં બહુ જ ઉત્સાહ છે. આ વખતે તહેવારોમાં એક બીજી સુખદ વાત જોવા મળી. બજારોમાં સ્વદેશી સામાનની ખરીદી જબરદસ્ત રીતે વધી છે. લોકોએ મને જે સંદેશ મોકલ્યા છે તેમાં જણાવ્યું છે કે આ વખતે તેમણે કઈ-કઈ સ્વદેશી ચીજોની ખરીદી કરી છે.
સાથીઓ,
મેં પોતાના પત્રમાં ખાવાના તેલમાં 10 ટકા ઘટાડો કરવાનો પણ આગ્રહ કર્યો હતો, તેના પર પણ લોકોએ બહુ સકારાત્મક વલણ અપનાવ્યું છે.
સાથીઓ,
સ્વચ્છતા અને સુઘડતાના પ્રયાસ, તેના પર પણ મને ઢગલો સંદેશા મળ્યા છે. હું તમને દેશના અલગ-અલગ શહેરોની વાત કહેવા માગું છું જે બહુ જ પ્રેરણાદાયક છે. છત્તીસગઢના અંબિકાપુર શહેરથી પ્લાસ્ટિકનો કચરો સાફ કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. અંબિકામાં ગાર્બેજ કાફે ચલાવવામાં આવી રહ્યાં છે. આ એવાં કાફે છે જ્યાં પ્લાસ્ટિકનો કચરો લઈને જવા પર ભરપેટ ભોજન ખવડાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ એક કિલો પ્લાસ્ટિકનો કચરો લઈને જાય તો બપોરે કે રાત્રે ભોજન મળે છે અને કોઈ અડધો કિલો પ્લાસ્ટિક લઈને જાય તો નાસ્તો મળે છે. આ કાફે અંબિકાપુર મહાનગરપાલિકા ચલાવે છે.
સાથીઓ,
આ જ પ્રકારનો કમાલ બેંગ્લુરુમાં એન્જિનિયર કપિલ શર્માજીએ કર્યો છે. બેંગ્લુરુ તળાવોનું શહેર કહેવાય છે. કપિલજીએ ત્યાં તળાવને નવું જીવન દેવાનું અભિયાન શરૂ કર્યું છે. કપિલજીની ટીમે બેંગ્લુરુ અને આસપાસના વિસ્તારોમાં ૪૦ કુવા અને છ તળાવોને ફરીથી જીવિત કરી દીધાં છે. વિશેષ વાત તો એ છે કે તેમણે પોતાના મિશનમાં કૉર્પોરેટ અને સ્થાનિક લોકોને પણ જોડ્યાં છે. તેમની સંસ્થા વૃક્ષારોપણના અભિયાન સાથે પણ જોડાયેલી છે. સાથીઓ, અમ્બિકાપુર અને બેંગ્લુરુ, આ પ્રેરક ઉદાહરણો બતાવે છે કે જો નિશ્ચય કરી લેવામાં આવે તો પરિવર્તન અવશ્ય થાય જ છે.
સાથીઓ,
પરિવર્તનના એક બીજા પ્રયાસનું ઉદાહરણ, હું તમારી સાથે વહેંચવા માગું છું. તમે બધાં જાણો છો કે જેમ પહાડો પર અને મેદાન વિસ્તારમાં જંગલ હોય છે, આ જંગલ માટીને બાંધી રાખે છે, આવું જ મહત્ત્વ સમુદ્ર કિનારે મેંગ્રૉવનું હોય છે. મેંગ્રૉવ સમુદ્રના ખારા પાણી અને કાદવવાળી જમીનમાં ઊગે છે અને સમુદ્રી જીવ-પર્યાવરણ સૃષ્ટિનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હોય છે. સુનામી કે વાવાઝોડા જેવી આપદા આવે ત્યારે આ મેંગ્રૉવ ખૂબ જ સહાયક સાબિત થાય છે.
સાથીઓ,
ગુજરાતના વન વિભાગે મેંગ્રૉવના આ મહત્ત્વને સમજીને એક વિશેષ અભિયાન ચલાવ્યું છે. પાંચ વર્ષ પહેલાં વન વિભાગની ટુકડીઓએ અમદાવાદ નજીક ધોલેરામાં મેંગ્રૉવ લગાવવાનું કામ શરૂ કર્યું હતું અને આજે ધોલેરા તટ પર સાડા ત્રણ હજાર હૅક્ટરમાં મેંગ્રૉવ ફેલાઈ ગયાં છે. આ મેંગ્રૉવની અસર આજે પૂરા ક્ષેત્રમાં જોવા મળી રહી છે. ત્યાંની જીવ-પર્યાવરણ સૃષ્ટિમાં ડૉલ્ફિનની સંખ્યા વધી ગઈ છે. કરચલા અને બીજા જળ જીવો પણ પહેલાંથી વધુ થઈ ગયા છે. એટલું જ નહીં, હવે ત્યાં પ્રવાસી પક્ષી પણ ઘણી સંખ્યામાં આવી રહ્યા છે. તેનાથી ત્યાંના પર્યાવરણ પર સારો પ્રભાવ તો પડ્યો જ છે, ધોલેરાના માછીમારોને પણ ફાયદો થઈ રહ્યો છે.
સાથીઓ,
ધોલેરા ઉપરાંત ગુજરાતના કચ્છમાં પણ આ દિવસોમાં મેંગ્રૉવ રોપણ ખૂબ જ ગતિથી ચાલી રહ્યું છે. વળી, કોરી ક્રીકમાં 'મેંગ્રૉવ લર્નિંગ સેન્ટર' પણ બનાવવામાં આવ્યું છે.
સાથીઓ,
ઝાડ-પાનની, વૃક્ષોની એ જ તો વિશેષતા હોય છે. સ્થાન ભલે ગમે તે હોય, તે દરેક જીવ માત્રના કલ્યાણ માટે કામમાં આવે છે. એટલે જ તો, આપણા ગ્રંથોમાં કહેવાયું છે કે -
धन्या महीरूहा येभ्यो,
निराशां यान्ति नार्थिनः ||
અર્થાત્ તે વૃક્ષ અને વનસ્પતિઓ ધન્ય છે, જે કોઈને પણ નિરાશ નથી કરતાં. આપણે પણ જે વિસ્તારમાં રહેતા હોઈએ ત્યાં વૃક્ષારોપણ અવશ્ય કરવું જોઈએ. 'એક પેડ માં કે નામ' અભિયાનને આપણે હજું આગળ વધારવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ,
શું તમે જાણો છો કે 'મન કી બાત'માં આપણે જે વિષય પર ચર્ચા કરીએ છીએ, તેમાં મારા માટે સૌથી સંતોષની વાત શું હશે? તો હું તે વિશે એટલું જ કહીશ કે 'મન કી બાત'માં આપણે જે વિષયોની ચર્ચા કરીએ છીએ, તેનાથી લોકોને સમાજ માટે કંઈક સારું, કંઈક અનોખું કરવાની પ્રેરણા મળે છે. તેનાથી આપણી સંસ્કૃતિ, આપણા દેશના અનેક પાસાં ઉભરીને સામે આવે છે.
સાથીઓ,
તમારામાંથી ઘણાને યાદ હશે કે લગભગ પાંચ વર્ષ પહેલાં મેં આ કાર્યક્રમમાં ભારતીય જાતિના 'શ્વાન' અર્થાત્ ડૉગ્સની ચર્ચા કરી હતી. મેં દેશવાસીઓ સાથે આપણાં સુરક્ષા દળોને આગ્રહ કર્યો હતો કે તેઓ ભારતીય જાતિના 'શ્વાન'ને અપનાવે કારણકે તેઓ આપણા પરિવેશ અને પરિસ્થિતિઓને અનુરૂપ સરળતાથી ઢળી જાય છે. મને એ જણાવતા આનંદ થાય છે કે આપણી સુરક્ષા સંસ્થાઓએ તે દિશામાં ઘણા પ્રશંસનીય પ્રયાસો કર્યા છે.
બીએસએફ અને સીઆરપીએફે પોતાની ટુકડીઓમાં ભારતીય જાતિનાં શ્વાનોની સંખ્યા વધારી છે. શ્વાનોના પ્રશિક્ષણ માટે બીએસએફનું નેશનલ ટ્રેનિંગ સેન્ટર ગ્વાલિયરના ટેકનપુરમાં છે. ત્યાં ઉત્તર પ્રદેશના રામપુર હાઉંડ, કર્ણાટક અને મહારાષ્ટ્રના મુધોલ હાઉંડ તેના પર વિશેષ રૂપે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સેન્ટર પર ટ્રેનરો ટૅક્નૉલૉજી અને નવીકરણની સહાયથી શ્વાનોને વધુ સારી રીતે ટ્રેઇન કરી રહ્યા છે. ભારતીય જાતિવાળાં શ્વાનો માટે તાલીમી પુસ્તકોને ફરીથી લખવામાં આવ્યાં છે જેથી તેમની અનોખી શક્તિને આગળ લાવી શકાય. બેંગ્લુરુમાં સીઆરપીએફની ડૉગ બ્રીડિંગ ઍન્ડ ટ્રેનિંગ સ્કૂલમાં મોંગ્રેલ્સ, મુધોલ હાઉંડ, કોમ્બાઈ અને પાંડિકોના જેવા ભારતીય શ્વાનોને પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે.
સાથીઓ,
ગયા વર્ષે લખનઉમાં ઑલ ઇણ્ડિયા પોલીસ ડ્યુટી મીટનું આયોજન થયું હતું. તે સમયે, રિયા નામની શ્વાને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. આ એક મુધોલ હાઉંડ છે જેને બીએસએફે પ્રશિક્ષિત કરી છે. રિયાએ ત્યાં અનેક વિદેશી જાતિના શ્વાનોને પછાડીને પ્રથમ પુરસ્કાર જીત્યો હતો.
સાથીઓ,
હવે બીએસએફે પોતાનાં શ્વાનોને વિદેશી નામોના બદલે ભારતીય નામ આપવાની પરંપરા શરૂ કરી છે. આપણે ત્યાંના દેશી શ્વાનોએ અદ્ભુત સાહસ પણ દર્શાવ્યું છે. ગયા વર્ષે, છત્તીસગઢના માઓવાદ પ્રભાવિત રહેલા ક્ષેત્રમાં ચોકીમાં નિકળેલા સીઆરપીએફના એક દેશી શ્વાને આઠ કિલોગ્રામ વિસ્ફોટકને પકડી પાડ્યું હતું. બીએસએફ અને સીઆરપીએફે આ દિશામાં જે પ્રયાસ કર્યો છે તેના માટે હું તેમને અભિનંદન આપું છું. આમ તો મને, ૩૧ ઑક્ટોબરની પણ પ્રતીક્ષા છે. તે લોખંડી પુરુષ સરદાર પટેલની જયંતીનો દિવસ છે. આ અવસર પર દર વર્ષે ગુજરાતના એકતા નગરમાં 'સ્ટેચ્યૂ ઑફ યૂનિટી' પાસે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવે છે. અહીં એકતા દિવસની પરેડ થાય છે અને આ પરેડમાં ફરીથી ભારતીય શ્વાનોના સામર્થ્યનું પ્રદર્શન થશે. તમે પણ, સમય કાઢીને તેને જરૂર જોજો.
મારા પ્રિય દેશવાસીઓ,
સરદાર પટેલજીની 150મી જયંતીનો દિવસ પૂરા દેશ માટે એક ખૂબ જ વિશેષ અવસર છે. સરદાર પટેલ આધુનિક કાળમાં રાષ્ટ્રની સૌથી મહાન વિભૂતિઓમાંના એક રહ્યા છે. તેમના વિરાટ વ્યક્તિત્વમાં અનેક ગુણો એક સાથે સમાહિત હતા. તેઓ એક અત્યંત પ્રતિભાશાળી વિદ્યાર્થી રહ્યા. તેમણે ભારત અને બ્રિટન બંને જગ્યાએ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. તેઓ પોતાના સમયમાં સૌથી સફળ વકીલોમાંના એક હતા. તેઓ વકીલાતમાં વધુ નામ કમાઈ શકતા હતા, પરંતુ ગાંધીજીથી પ્રેરિત થઈને તેમણે પોતાને સ્વતંત્રતા આંદોલનમાં પૂરી રીતે સમર્પિત કરી દીધા. 'ખેડા સત્યાગ્રહ'થી લઈને 'બોરસદ સત્યાગ્રહ' સુધી અનેક આંદોલનોમાં તેમના યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે. અમદાવાદ નગરપાલિકાના પ્રમુખના રૂપમાં તેમનો કાર્યકાળ પણ ઐતિહાસિક રહ્યો હતો. તેમણે સ્વચ્છતા અને સુશાસનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. નાયબ પ્રધાનમંત્રી અને ગૃહ પ્રધાન તરીકે તેમના યોગદાન માટે આપણે બધાં સદૈવ તેમના ઋણી રહીશું.
સાથીઓ,
સરદાર પટેલે ભારતના અમલદારશાહી કાર્યમાળખાનો એક મજબૂત પાયો પણ નાંખ્યો. દેશની એકતા અને અખંડતા માટે, તેમણે અદ્વિતીય પ્રયાસો કર્યા. મારો આપ સહુને અનુરોધ છે કે 31 ઑક્ટોબરે સરદાર સાહેબની જયંતીએ દેશભરમાં થનારી રન ફૉર યૂનિટીમાં આપ પણ જરૂર સહભાગી થાવ- અને એકલા નહીં, બધાને સાથે લઈને સહભાગી થાવ. એક રીતે યુવા ચેતનાનો આ અવસર બનવો જોઈએ. એકતાની દોડ, એકતાને મજબૂતી આપશે. તે એ મહાન વિભૂતિ પ્રતિ આપણી સાચી શ્રદ્ધાંજલી છે, જેમણે ભારતને એકતાના સૂત્રમાં પરોવ્યું હતું.
મારા પ્રિય દેશવાસીઓ,
ચાની સાથે મારું જોડાણ તો આપ સહુ જાણો જ છો, પરંતુ આજે મેં વિચાર્યું કે 'મન કી બાત'માં શા માટે કોફી પર ચર્ચા ન કરવામાં આવે. આપને યાદ હશે, ગત વર્ષે આપણે 'મન કી બાત'માં અરાકુ કોફી પર વાત કરી હતી. કેટલાક સમય પહેલાં ઓડિશાના અનેક લોકોએ મને કોરાપુટ કોફી અંગે પોતાની ભાવનાઓ જણાવી હતી. તેમણે મને પત્ર લખીને કહ્યું કે 'મન કી બાત'માં કોરાપુટ કોફી પર પણ ચર્ચા થવી જોઈએ.
સાથીઓ,
મને જણાવવામાં આવ્યું છે કે કોરાપુટ કોફીનો સ્વાદ ગજબનો હોય છે અને એટલું જ નહીં, સ્વાદ તો સ્વાદ, કોફીની ખેતી પણ લોકોને ફાયદો પહોંચાડી રહી છે. કોરાપુટમાં કેટલાક લોકો એવા પણ છે, જે પોતાની ધગશના કારણે કોફીની ખેતી કરી રહ્યા છે. કૉર્પોરેટ દુનિયામાં સારી એવી નોકરી કરતા હતા, પરંતુ તેઓ કોફીને એટલી પસંદ કરે છે કે આ ક્ષેત્રમાં આવી ગયા અને હવે સફળતાથી તેમાં કામ કરી રહ્યા છે. એવી અનેક મહિલાઓ પણ છે, જેમના જીવનમાં કોફીથી સુખદ પરિવર્તન આવ્યું છે. કોફીથી તેમને સન્માન અને સમૃદ્ધિ બંને પ્રાપ્ત થયાં છે. સાચું જ કહેવામાં આવ્યું છે-
कोरापुट कॉफी अत्यंत सुस्वादु |
एहा ओडिशार गौरव |
(કોરાપુટ કોફી સાચે જ સ્વાદિષ્ટ છે.
તે ખરેખર ઓડિશાનું ગૌરવ છે.)
સાથીઓ,
દુનિયાભરમાં ભારતની કોફી ઘણી લોકપ્રિય થઈ રહી છે. પછી કર્ણાટકમાં ચિકમંગલુરુ હોય, કુર્ગ અને હાસન હોય. તમિળનાડુમાં પુલની, શેવરૉય, નીલગિરી અને અન્નામલાઈનાં ક્ષેત્રો હોય, કર્ણાટક-તમિળનાડુ સીમા પર બિલગિરી ક્ષેત્ર હોય કે પછી કેરળનું વાયનાડ, ત્રાવણકોર અને માલાબાર ક્ષેત્ર- ભારતની કોફીની વિવિધતાની વાત જ અનેરી છે. મને જણાવવામાં આવ્યું છે કે આપણું ઈશાન ભારત પણ કોફીની ખેતીમાં આગળ વધી રહ્યું છે. તેનાથી ભારતીય કોફીની ઓળખ દુનિયાભરમાં વધુ મજબૂત થઈ રહી છે - ત્યારે તો કોફીને પસંદ કરનારા કહે છે
India's coffee is coffee at its finest.
It is brewwed in India and loved by the world.
મારા પ્રિય દેશવાસીઓ,
હવે 'મન કી બાત'મા એક એવા વિષયની વાત, જે આપણા બધાનાં મનની ખૂબ જ નજીક છે. આ વિષય છે, આપણા રાષ્ટ્રગીતનો. ભારતનું રાષ્ટ્રગીત અર્થાત્ 'વંદે માતરમ્'. એક એવું ગીત જેનો પહેલો શબ્દ જ આપણા હૃદયમાં ભાવનાઓનો ઉમંગ લાવી દે છે. 'વંદે માતરમ્' આ એક શબ્દમાં કેટકેટલાય ભાવ છે, કેટલી ઊર્જા છે! સહજ ભાવમાં તે આપણને મા ભારતીના વાત્સલ્યનો અનુભવ કરાવે છે. તે આપણને મા ભારતીના સંતાનોના રૂપમાં આપણાં દાયિત્વોનો બોધ કરાવે છે. જો કઠણાઈનો સમય હોય તો 'વંદે માતરમ્'નો ઉદ્ઘોષ ૧૪૦ કરોડ ભારતીયોને એકતાની ઊર્જાથી ભરી દે છે.
સાથીઓ,
રાષ્ટ્રભક્તિ, મા ભારતી પ્રત્યે પ્રેમ, જો આ શબ્દોથી ઉપરની ભાવના છે તો 'વંદે માતરમ્' તે અમૂર્ત ભાવનાને સાકાર સ્વર દેનારું ગીત છે. તેની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જીએ સદીઓની ગુલામીથી શિથિલ થઈ ચૂકેલા ભારતમાં નવા પ્રાણ ફૂંકવા માટે કરી હતી.
'વંદે માતરમ્' ભલે 19મી સદીમાં લખાયેલું હતું પરંતુ તેની ભાવના ભારતની હજારો વર્ષ પ્રાચીન અમર ચેતના સાથે જોડાયેલી હતી. વેદોએ જે ભાવ સાથે 'માતા ભૂમિ: પુત્રો અહં પૃથિવ્યા:' (પૃથ્વી માતા છે અને હું તેણીનો બાળક છું) કહીને ભારતીય સભ્યતાનો પાયો નાંખ્યો હતો, બંકિમચંદ્રજીએ 'વંદે માતરમ્' લખીને માતૃભૂમિ અને તેનાં સંતાનોને તે જ સંબંધના ભાવ વિશ્વમાં એક મંત્રના રૂપમાં બાંધી દીધાં હતાં.
સાથીઓ,
તમે વિચારી રહ્યા હશો કે હું અચાનક જ કેમ 'વંદે માતરમ્'ની આટલી વાતો કરી રહ્યો છું. ખરેખર તો કેટલાક દિવસો પછી સાત નવેમ્બરે, આપણે 'વંદે માતરમ્'ના ૧૫૦મા વર્ષના ઉત્સવમાં પ્રવેશ કરવાના છીએ. 150 વર્ષ પૂર્વે 'વંદે માતરમ્'ની રચના થઈ હતી અને ૧૮૯૬ (અઢારસો છન્નુ)માં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પહેલી વાર તેને ગાયું હતું.
સાથીઓ,
'વંદે માતરમ્'ના ગાનમાં કરોડો દેશવાસીઓએ સદા રાષ્ટ્ર પ્રેમના અપાર જુસ્સાને અનુભવ્યો છે. આપણી પેઢીઓએ 'વંદે માતરમ્'ના શબ્દોમાં ભારતના એક જીવંત અને ભવ્ય સ્વરૂપના દર્શન કર્યાં છે.
सुजलाम्, सुफलाम्, मलयज शीतलाम्
शस्यश्यामलाम्, मातरम् !
वंदे मातरम् !
આપણે આવું જ ભારત બનાવવાનું છે. 'વંદે માતરમ્' આપણા આ પ્રયાસોની સદા પ્રેરણા બનશે. આથી જ આપણે, 'વંદે માતરમ્'ના 150મા વર્ષને પણ યાદગાર બનાવવાનું છે. આવનારી પેઢી માટે આ સંસ્કાર સરિતાને આપણે આગળ વધારવાની છે. આવનારા સમયમાં 'વંદે માતરમ્' સાથે જોડાયેલા અનેક કાર્યક્રમ થશે. દેશમાં અનેક આયોજનો થશે. હું ઇચ્છીશ, આપણે બધા દેશવાસીઓ 'વંદે માતરમ્'ના ગૌરવગાન માટે સ્વત: સ્ફૂર્ત ભાવના સાથે પ્રયાસ પણ કરીએ. તમે મને પોતાનાં સૂચનો #VandeMataram150 સાથે અવશ્ય મોકલશો. #VandeMataram150. મને આપનાં સૂચનોની પ્રતીક્ષા રહેશે અને આપણે બધા આ અવસરને ઐતિહાસિક બનાવવા માટે કામ કરીશું.
મારા પ્રિય દેશવાસીઓ,
સંસ્કૃતનું નામ સાંભળતાં જ આપણાં મન મસ્તિષ્કમાં આવે છે - આપણા ધર્મગ્રંથ, 'વેદ', 'ઉપનિષદ', 'પુરાણ', 'શાસ્ત્ર', પ્રાચીન જ્ઞાન, વિજ્ઞાન, અધ્યાત્મ અને દર્શન. પરંતુ એક સમયે, આ બધાની સાથે 'સંસ્કૃત' વાતચીતની પણ ભાષા હતી. તે યુગમાં અધ્યયન અને સંશોધનો સંસ્કૃતમાં જ કરવામાં આવતાં હતાં. નાટ્યમંચન પણ સંસ્કૃતમાં થતું હતું. પરંતુ દુર્ભાગ્યથી ગુલામીના કાળખંડમાં પણ અને સ્વતંત્રતા પછી પણ સંસ્કૃત સતત ઉપેક્ષાનો શિકાર બની. આ કારણે યુવાન પેઢીઓમાં સંસ્કૃત પ્રત્યે આકર્ષણ પણ ઓછું થતું ગયું. પરંતુ સાથીઓ, હવે સમય બદલાઈ રહ્યો છે તો સંસ્કૃતનો સમય પણ બદલાઈ રહ્યો છે. સંસ્કૃત અને સૉશિયલ મીડિયાની દુનિયાએ સંસ્કૃતને નવો પ્રાણવાયુ આપી દીધો છે. આ દિવસોમાં અનેક યુવાન સંસ્કૃત માટે બહુ રોચક કામ કરી રહ્યા છે. તમે સૉશિયલ મીડિયા પર જશો તો તમને એવાં અનેક રીલ્સ જોવાં મળશે જ્યાં કેટલાક યુવાનો સંસ્કૃતમાં અને સંસ્કૃત વિશે વાત કરતા દેખાશે. અનેક લોકો તો પોતાની સૉશિયલ મીડિયા ચેનલ દ્વારા સંસ્દૃત શીખવાડે પણ છે. આવા જ એક યુવાન સર્જક છે- ભાઈ યશ સાળુંકે. યશની ખાસ વાત એ છે કે તે કન્ટેન્ટ ક્રિએટર પણ છે અને ક્રિકેટર પણ છે. સંસ્કૃતમાં વાત કરતા-કરતા ક્રિકેટ રમવાના તેમના રીલને લોકોએ ખૂબ પસંદ કર્યું છે. તમે સાંભળો-
(AUDIO BYTE OF YASH’s SANSKRIT COMMENTARY)
સાથીઓ,
કમલા અને જ્હાનવી આ બંને બહેનોનું કામ પણ શાનદાર છે. આ બંને બહેનો અધ્યાત્મ, દર્શન અને સંગીત પર કન્ટેન્ટ બનાવે છે. ઇન્સ્ટાગ્રામ પર એક બીજા યુવાનની ચેનલ છે- 'સંસ્કૃત છાત્રોહમ્'. આ ચેનલ ચલાવનારા યુવાન સાથી સંસ્કૃત સાથે જોડાયેલી જાણકારી તો આપે જ છે, તેઓ સંસ્કૃતમાં હાસ-પરિહાસના વિડિયો પણ બનાવે છે. યુવાનો સંસ્કૃતમાં બનાવાયેલા આ વિડિયોને પણ ખૂબ પસંદ કરે છે. તમારામાંથી અનેક સાથીઓએ સમષ્ટિના વિડિયો પણ જોયા હશે. સમષ્ટિ સંસ્કૃતમાં પોતાનાં ગીતોને અલગ-અલગ રીતે પ્રસ્તુત કરે છે. એક બીજા યુવાન છે ભાવેશ ભીમનાથની. ભાવેશ સંસ્કૃત શ્લોકો, આધ્યાત્મિક દર્શન અને સિદ્ધાંતો વિશે વાત કરે છે.
સાથીઓ,
ભાષા કોઈ પણ સભ્યતાનાં મૂલ્યો અને પરંપરાઓની વાહક હોય છે. સંસ્કૃતે આ કર્તવ્ય હજારો વર્ષ સુધી નિભાવ્યું છે. એ જોવું સુખદ છે કે હવે સંસ્કૃત માટે પણ કેટલાક યુવાનો પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ,
હવે હું તમને જરા ફ્લેશબૅકમાં લઈ જઈશ. તમે કલ્પના કરો, ૨૦મી સદીનો શરૂઆતનો કાળખંડ. ત્યારે દૂર-દૂર સુધી સ્વતંત્રતાની ક્યાંય કોઈ આશા દેખાતી નહોતી. સમગ્ર ભારતમાં અંગ્રેજોએ શોષણની બધી સીમાઓ લાંઘી દીધી હતી અને તે સમયમાં, હૈદરાબાદના દેશભક્ત લોકો માટે દમનનો તે સમયગાળો તેનાથી પણ ભયાવહ હતો. તેઓ ક્રૂર અને નિર્દયી નિઝામના અત્યાચારોને વેઠવા વિવશ હતા. ગરીબો, વંચિતો અને આદિવાસી સમુદાયો પર તો અત્યાચારની કોઈ સીમા જ નહોતી. તેમની જમીનો છિનવી લેવાતી હતી, સાથે જ ભારે કરવેરો પણ લગાવવામાં આવતો હતો. જો તેઓ તે અન્યાયનો વિરોધ કરતા, તો તેમના હાથ પણ કાપી નાખવામાં આવતા હતા.
સાથીઓ,
આવા આકરા સમયમાં લગભગ વીસ વર્ષનો એક નવયુવાન આ અન્યાય વિરુદ્ધ ઊભો થયો. આજે એક ખાસ કારણથી હું તે નવયુવાનની ચર્ચા કરી રહ્યો છું. તેનું નામ જણાવતા પહેલાં હું તેની વીરતાની વાત તમને કહીશ. સાથીઓ, તે સમયમાં જ્યારે નિઝામની વિરુદ્ધ એક શબ્દ પણ બોલવો અપરાધ હતો ત્યારે તે નવયુવાને સિદ્ધિકી નામના નિઝામના એક અધિકારીને ખુલ્લો પડકાર આપ્યો હતો. નિઝામે સિદ્દિકીને ખેડૂતોના પાકને જપ્ત કરવા મોકલ્યો હતો. પરંતુ અત્યાચારો વિરુદ્ધ આ સંઘર્ષમાં તે નવયુવાને સિદ્દિકીને મૃત્યુને ઘાટ ઉતારી દીધો હતો. તે ધરપકડથી બચવામાં પણ સફળ રહ્યો. નિઝામની અત્યાચારી પોલીસથી બચીને તે નવયુવાન ત્યાંથી સેંકડો કિલોમીટર દૂર આસામ આવી પહોંચ્યો.
સાથીઓ, હું જે મહાન વિભૂતિની ચર્ચા કરી રહ્યો છું તેનું નામ છે કોમરમ ભીમ. હજુ ૨૨ ઑક્ટોબરે જ તેમની જયંતી ઉજવાઈ છે. કોમરમ ભીમનું આયુષ્ય બહુ લાંબુ ન રહ્યું, તેઓ કેવળ 40 વર્ષ જ જીવિત રહ્યા, પરંતુ પોતાના જીવનકાળમાં તેમણે અગણિત લોકો, વિશેષ કરીને આદિવાસી સમાજના હૃદયમાં અમિટ છાપ છોડી. તેમણે નિઝામ વિરુદ્ધ સંઘર્ષ કરી રહેલા લોકોમાં નવી શક્તિ ભરી. તેઓ પોતાના રણનીતિક કૌશલ માટે જાણીતા હતા. નિઝામની સત્તા માટે તેઓ એક બહુ મોટો પડકાર બની ગયા હતા. 1940માં નિઝામના લોકોએ તેમની હત્યા કરી દીધી હતી. યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ તેમના વિશે વધુમાં વધુ જાણવાનો પ્રયાસ કરે.
कोमरम भीम की…
ना विनम्र निवाली |
आयन प्रजल हृदयाल्लों...
एप्पटिकी निलिचि-वूँटारू |
(કોમરમ ભીમ જીને મારી વિનમ્ર શ્રદ્ધાંજલી,
તેઓ લોકોના હૃદયમાં સદાને માટે રહેશે.)
સાથીઓ,
આવતા મહિને 15મી તારીખે આપણે 'જનજાતીય ગૌરવ દિવસ' મનાવીશું. તે ભગવાન બિરસા મુંડાજીની જયંતીનો સુઅવસર છે. હું ભગવાન બિરસા મુંડાજીને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. દેશની સ્વતંત્રતા માટે, આદિવાસી સમુદાયના અધિકારો માટે, તેમણે જે કામ કર્યું તે અતુલનીય છે. મારા માટે એ સૌભાગ્યની વાત છે કે મને ઝારખંડમાં ભગવાન બિરસા મુંડાજીના ગામ ઉલિહાતુ જવાનો અવસર મળ્યો હતો. મેં ત્યાંની માટીને માથે લગાડી પ્રણામ કર્યા હતા. ભગવાન બિરસા મુંડાજી અને કોમરમ ભીમજીની જેમ જ આપણે ત્યાં આદિવાસી સમુદાયમાં અનેક બીજી વિભૂતિઓ થઈ છે. મારો અનુરોધ છે કે તમે તેમના વિશે અવશ્ય વાંચજો.
મારા પ્રિય દેશવાસીઓ,
'મન કી બાત' માટે મને તમારા દ્વારા મોકલાયેલા ઢગલાબંધ સંદેશાઓ મળ્યા છે. અનેક લોકો આ સંદેશાઓમાં પોતાની આસપાસના પ્રતિભાશાળી લોકો વિશે ચર્ચા કરે છે. મને વાંચીને ખૂબ જ આનંદ થાય છે કે આપણાં નાનાં શહેરો, નગરો, ગામોમાં પણ ઇન્નૉવેટિવ આઈડિયાઝ પર કામ થઈ રહ્યાં છે. જો તમે એવા વ્યક્તિ કે સમૂહોને જાણતા હો, જે સેવાની ભાવનાથી સમાજને બદલવામાં લાગેલાં હોય તો મને જરૂર જણાવજો. મને તમારા સંદેશાની દર વખતની જેમ પ્રતીક્ષા રહેશે. આગામી મહિને આપણે, 'મન કી બાત'ના એક વધુ એપિસૉડમાં મળીશું, કેટલાક નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી હું વિદાય લઉં છું.
તમારા સહુનો ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા વ્હાલા દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપ સૌ સાથે જોડાવું, આપ સૌ પાસેથી શીખવું, દેશના લોકોની ઉપલબ્ધિઓ વિશે જાણવું, વાસ્તવમાં મને ખૂબ જ સુખદ અનુભવ કરાવે છે. એક બીજા સાથે પોતાની વાતો વહેંચતા-વહેંચતા, મારા ‘મનની વાત’ કહેતાં, આપણને ખબર જ ન પડી કે આ કાર્યક્રમે 125મી કડી પૂરી કરી. આજે આ કાર્યક્રમની 126મી કડી છે અને આજના દિવસે કેટલીક વિશેષતાઓ પણ જોડાઈ છે. આજે ભારતની બે મહાન વિભૂતીઓની જયંતિ છે. હું જેની વાત કરી રહ્યો છું તેમનું નામ છે શહીદ ભગત સિંહ અને લતા દીદી.
મિત્રો,
અમર શહીદ ભગત સિંહ, દરેક ભારતવાસીઓ માટે, વિશેષ રૂપે દેશના યુવાનો માટે પ્રેરણાજનક છે. નિડરતા, તેમના સ્વભાવમાં અખૂટ હતી. દેશ માટે ફાંસીને માચડા પર લટકતા પહેલા ભગત સિંહજીએ અંગ્રેજોને એક પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે તમે મને અને મારા સાથીઓ સાથે યુદ્ધબંદી જેવો વ્યવહાર કરો. માટે અમારા પ્રાણ ફાંસીથી નહીં, પણ ગોળી મારીને લેવામાં આવે. આ વાત તેમના અદભૂત સાહસનું પ્રમાણ છે. ભગત સિંહજી લોકોની પીડા પ્રત્યે પણ ખૂબ સંવેદનશીલ હતા અને તેમને મદદ કરવા હંમેશા આગળ રહેતા. હું શહીદ ભગત સિંહજીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
સાથીઓ,
આજે લતા મંગેશકરની પણ જયંતિ છે. ભારતીય સંસ્કૃતિ અને સંગીતમાં રસ ધરાવનાર કોઈ પણ એમના ગીતોને સાંભળીને અભિભૂત થયા વગર ન રહી શકે. તેમના ગીતોમાં એ તમામ બાબત છે જે માનવીય સંવેદનાઓને ઝંકૃત કરે છે. તેમણે દેશભક્તિના જે ગીતો ગાયા, તે ગીતોએ લોકોને પ્રેરણા પૂરી પાડી. ભારતની સંસ્કૃતિ સાથે તેમનું જોડાણ ખૂબ ઊંડું હતું. હું લતા દીદી માટે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સાથીઓ, લતા દીદી જે મહાન વિભૂતીઓથી પ્રેરિત હતા તેમાં એક નામ વીર સાવરકરનું પણ છે, જેમને તેઓ તાત્યા કહેતા હતા. તેમણે વીર સાવરકરજીના કેટલાય ગીતોને પોતાના સૂરમાં પરોવ્યા છે.
લતા દીદી સાથે મારું સ્નેહનું બંધન હમેશા અકબંધ રહેશે. તેઓ મને ભૂલ્યા વગર દર વર્ષે રાખડી મોકલતા હતા. મને યાદ છે મરાઠી સુગમ સંગીતના મહાન વિભૂતી સુધીર ફડકેજીએ સૌથી પહેલા લતા દીદી મારો પરીચય કરાવ્યો હતો અને મેં લતા દીદીને કહ્યું હતું કે, મને તમારું ગાયેલું અને સુધીરજીએ સંગીતબદ્ધ કરેલું ગીત ‘જ્યોતિ કલશ છલકે’ ખૂબ પસંદ છે.
સાથીઓ, આપ સૌ પણ મારી સાથે આ ગીતનો આનંદ માણો....
(Audio)
મારા વ્હાલા દેશવાસીઓ, નવરાત્રીના આ પર્વમાં આપણે શક્તિની ઉપાસના કરીએ છીએ. આપણે નારી-શક્તિનો ઉત્સવ ઊજવીએ છીએ. બિઝનેસથી લઈને સ્પોર્ટ્સ સુધી અને એજ્યુકેશનથી લઈને સાયન્સ સુધી કોઈ પણ ક્ષેત્ર પસંદ કરો – દેશની દિકરીઓ દરેક ક્ષેત્રે પોતાનો ડંકો વગાડી રહી છે. આજે તેઓ એવાં પડકારને સફળતાપૂર્વક પૂરા કરી રહી છે, જેની કલ્પના કરવી પણ અઘરી છે. કદાચ, હું તમને સવાલ કરું કે, શું તમે સમુદ્રમાં સતત 8 મહિના સુધી રહી શકો! શું તમે સમુદ્રમાં સઢવાળી નૌકા, એટલે કે પવનના વેગથી આગળ વધતી નૌકાથી 50 હજાર કિલોમીટર સુધીની મુસાફરી કરી શકો , અને એ પણ ત્યારે, જ્યારે સમુદ્રનું હવામાન ક્યારેય પણ બગડવાની સંભાવના હોય! આવું કરતા પહેલા તમે હજાર વખત વિચારશો, પરંતુ ભારતીય નૌસેનાની બે બહાદુર ઓફિસર્સે નાવિકા સાગર પરિક્રમા દરમિયાન આવું કરી બતાવ્યું. તેમણે સમજાવ્યું કે, સાહસ અને દ્રઢ સંકલ્પ એટલે શું.
આજે હું ‘મન કી બાત’ના શ્રોતાઓને એ બંન્ને સાહસી ઓફિસર્સ સાથે મળાવવા માગું છું. એક છે લેફ્ટનન્ટ કમાન્ડર દિલના અને બીજા છે લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા. આ બંન્ને ઓફિસર્સ આપણી સાથે ફોનના માધ્યમથી જોડાયેલા છે.
પ્રધાનમંત્રી – હેલો.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – હેલો સર.
પ્રધાનમંત્રી – નમસ્કાર જી.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – નમસ્કાર સર.
પ્રધાનમંત્રી – મારી સાથે લોફ્ટન્નટ કમાન્ડર દિલના અને લેફ્ટન્નટ કમાન્ડર રૂપા બંન્ને, એકસાથે છો?
લેફ્ટન્નટ કમાન્ડર દિલના અને રૂપા – જી સર અમે બંન્ને એકસાથે છીએ.
પ્રધાનમંત્રી – તમને બંન્નેને નમસ્કારમ અને વણક્કમ.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – વણક્કમ સર.
લેફ્ટન્નટ કમાન્ડર રૂપા – નમસ્કાર સર.
પ્રધાનમંત્રી – સૌથી પહેલા દેશવાસીઓ તમારા બંન્ને વિશે જાણવા માંગે છે, જરા કહેશો.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – સર હું લેફ્ટન્નટ કમાન્ડર દિલના છું. અને હું ઇન્ડિયન નેવીમાં લોજીસ્ટિક કેડરમાં છું. હું વર્ષ 2014માં નેવીમાં કમીશન્ડ થઈ હતી સર, અને હું કેરલના કોઝીકોડની છું. સર મારા પિતાજી આર્મીમાં હતા અને મારા માતા હાઊસવાઇફ છે. મારા હસબન્ડ પણ ઇન્ડિયન નેવીમાં ઓફિસર છે સર, અને મારી બહેન એનસીસીમાં નોકરી કરે છે.
લેફ્ટન્નટ કમાન્ડર રૂપા – જય હિન્દ સર, હું લેફ્ટન્નટ કમાન્ડર રૂપા છું અને વર્ષ 2017થી મેં નેવલ આર્મમેન્ટ ઇન્સ્પેક્શન કેડર જોઇન કર્યું છે.
મારા પિતાજી તમિલનાડુના છે અને મારા માતાજી પુડુચેરીના છે. મારા પિતાજી એરફોર્સમાં હતા સર, એક્ચ્યુઅલી ડિફેન્સ જોઈન કરવા માટે મને તેમની પાસેથી જ પ્રેરણા મળી છે અને મારા માતાજી હોમમેકર હતા.
પ્રધાનમંત્રી – અચ્છા, દિલના અને રૂપા તમારી પાસેથી તમારી સાગર પરિક્રમાના અનુભવો વિશે જાણવા માંગુ છું. તમારા અનુભવો દેશ સાંભળવા માંગે છે. અને હાં, હું ચોક્કસપણે માનું છું કે આ બિલકુલ સરળ કાર્ય નહોતું, ખૂબ મુશ્કેલીઓ આવી હશે, જેને તમારે પાર કરવી પડી હશે.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – જી સર, હું તમને જણાવા માંગુ છું કે લાઈફમાં એક વખત એવી તક મળે છે જે આપણું જીવન બદલી દે છે. સર, આ circumnavigation અમારા માટે એક એવી તક હતી જે ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન ગવર્નમેન્ટે અમને આપી છે અને આ એક્સપિડીશનમાં અમે લગભગ 47 હજાર પાંચસો કિલોમીટર સેઈલ કર્યું, સર. અમે 2 ઓક્ટોબર 2024ના દિવસે ગોવાથી નિકળ્યા હતા અને 29 મે 2025ના દિવસે પરત ફર્યા. આ એક્સપિડીશન પૂરું કરવામાં અમને 238 દિવસ લાગ્યા, સર. અમે બંન્ને એકલા 238 દિવસ સુધી નૌકા પર હતા.
પ્રધાનમત્રી – હમ્મ હમ્મ
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – અને સર એક્સપિડીશન માટે અમે ત્રણ વર્ષથી તૈયારી કરી હતી, નેવિગેશનથી લઈને કોમ્યુનિકેશન ઇમરજન્સી ડિવાઇસને કેવી રીતે ઓપરેટ કરવી, ડાઈવિંગ કેવી રીતે કરવું અને નૌકામાં કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવે, જેમ કે મેડિકલ ઇમરજન્સી કે અન્ય, તો તેને કેવી રીતે મેનેજ કરવી, આ તમામ વિષય માટે ઇન્ડિયન નેવીએ અમને ટ્રેનિંગ આપી હતી સર, અને આ મુસાફરીની સૌથી મેમોરેબલ મોમેન્ટ હું જણાવવા માંગુ છું સર, અમે ભારતના ધ્વજને પોઈન્ટ નેમો (Point Nemo) પર ફરકાવ્યો સર. સર Point Nemo વિશ્વનું સૌથી રિમોટેસ્ટ લોકેશન પર છે, ત્યાંથી સૌથી નજીક કોઈ મનુષ્ય છે તો એ ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનમાં છે અને ત્યાં એક સેઈલ બોટમાં પહોંચનાર પહેલા ભારતીય અને પહેલા એશિયન અને વિશ્વના પહેલા મનુષ્ય, અમે બંન્ને છીએ સર, અને આ અમારા માટે ગૌરવની વાત છે સર.
પ્રધાનમંત્રી – વાહ, ખૂબ ખૂબ અભિનંદન તમને બંન્નેને.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – થેન્ક યુ સર.
પ્રધાનમંત્રી – તમારા સાથીદાર કંઈ કહેવા માંગે છે...
લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા - સાહેબ, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે સેઇલ બોટ દ્વારા વિશ્વની પરિક્રમા કરનારા લોકોની સંખ્યા એવરેસ્ટ પર પહોંચનારા લોકોની તુલનામાં ઘણી ઓછી છે. અને વાસ્તવમાં, ફક્ત સેઇલ બોટ દ્વારા પરિક્રમા કરનારા લોકોની સંખ્યા અવકાશમાં ગયેલા લોકોની સંખ્યા જેટલી છે. કરવા માટે ખૂબ જ ઓછું છે.
પ્રધાનમંત્રી – ઓહ, આટલી કોમ્પલેક્ષ જર્ની માટે ખૂબ ટીમ વર્કની જરૂર હોય છે અને ત્યાં તો ટીમ તરીકે તમે બંન્ને જ ઓફિસર્સ હતાં. તમે લોકોએ કેવી રીતે મેનેજ કર્યું.
લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા - જી સર, આ મુસાફરી માટે અમારે બંન્નેએ એકસાથે મહેનત કરવી પડતી હતી અને જેમ લેફ્ટન્નટ કમાન્ડર દિલનાએ કહ્યું એમ, આ ઉપલબ્ધિ મેળવવા માટે અમે બંન્ને બોટ પર હતા અને અમે બોટ રિપેર કરતા હતા. ત્યાં હતા, અને એન્જિન મિકેનિક પણ હતા. સેઇલ-મેકર, મેડિકલ આસિસ્ટન્ટ, રસોઈયા, ક્લીનર, ડાઇવર, નેવિગેટર, અને આ બધી જ જવાબદારી એકસાથે નિભાવવી પડતી હતી. અને અમારી આ ઉપલબ્ધિ માટે ઈન્ડિયન નેવીનું સૌથી મોટું યોગદાન હતું. તેમણે અમને દરેક પ્રકારની ટ્રેનિંગ આપી છે. એક્ચ્યુઅલી સર, અમે ચાર વર્ષથી એકસાથે સેઈલ કરી રહ્યા છીએ, એટલે એકબીજાની સ્ટ્રેન્થ અને વિકનેસ પણ સારી રીતે જાણીએ છીએ. માટે અમે બધાને કહીએ છીએ કે અમે બોટ પર એક બોટ પરના સાધનો હતા જે ક્યારેય ફેઈલ ન થયા, એ અમારા બંન્નેનું ટીમ વર્ક હતું
પ્રધાનમંત્રી – અચ્છા, જ્યારે હવામાન ખરાબ થતું હતું, કેમકે સમુદ્રી દુનિયા તો એવી હોય છે, જ્યાં હવામાનનું કંઈ જ નક્કી નથી હોતું. તો તમે એવી સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરતા હતા.
લેફ્ટન્નટ કમાન્ડર રૂપા – સર, અમારી મુસાફરીમાં ખૂબ પ્રતિકૂળ પડકારો હતા. અમારે આ એક્સપીડિશનમાં અનેક ચેલેન્જિસ ફેસ કરવી પડી હતી. ખાસ કરીને, દક્ષિણ મહાસાગરમાં વાતાવરણ હંમેશા ખરાબ રહેતું હોય છે. અમારે ત્રણ તોફાનનો સામનો કરવો પડ્યો અને સર, અમારી બોટ માત્ર 17 મીટર લાંબી અને 5 મીટર પહોળી છે. તો ક્યારેક એવી લહેરો પણ આવતી હતી કે જે ત્રણ માળ ઊંચી હતી અને અમે ખૂબ જ ગરમી અને ખૂબ જ ઠંડી, બંન્નેનો આ મુસાફરીમાં સામનો કર્યો છે. સર, એન્ટાર્ટિકામાં જ્યારે અમે સેઈલ કરી રહ્યા હતા, ત્યારે અમારે ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ અને પ્રતિ કલાકે 90 કિલોમીટર હવા, આ બંન્નેનો એકસાથે સામનો કરવો પડતો હતો. અને ઠંડીથી બચવા માટે 6 થી 7 લેયર કપડા એક સાથે પહેરતા હતા અને દક્ષિણ મહાસાગરની મુસાફરી એવી જ રીતે 7 લેયર ક્લોથિંગ સાથે કરી. અને ક્યારેક અમે ગેસ સ્ટોવ ચાલુ કરીને હમારા હાથને ગરમ કરી લેતા હતા. સર, ક્યારેક તો એવી સ્થિતી પણ સર્જાઈ હતી કે જ્યારે હવા બિલકુલ ન હોય ત્યારે અમે સઢ નીચું કરીને એકની એક જગ્યાએ હાલકડોલક થતા રહેતા હતા. અને એવી પરિસ્થિતીમાં ખરેખર તો આપણી ધીરજની કસોટી લેવાતી હોય છે સર.
પ્રધાનમંત્રી – લોકોને આ સાંભળીને ખરેખર નવાઈ લાગશે કે આપણા દેશની દિકરીઓ કેટલું કષ્ટ ભોગવી રહી છે. આ પરિક્રમા દરમિયાન, તમે અલગ-અલગ દેશમાં રોકાતા હતા, ત્યાં કેવો અનુભવ થતો હતો, જ્યારે ભારતની દિકરીઓને લોકો જોતાં હતાં ત્યારે તેમનાં મનમાં પણ ઘણી બધી વાતો ઉદભવી હશે ને.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – જી સર, અમને ખૂબ સરસ અનુભવ થયો સર, અમે 8 મહિનામાં 4 સ્થાન પર રોકાયા હતા સર, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, પોર્ટસ્ટેનલી અને સાઉથ આફ્રિકા સર.
પ્રધાનમંત્રી – દરેક જગ્યાએ એવરેજ કેટલો સમય રોકાવું પડતું હતું ?
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – સર, અમે એક સ્થાન પર 14 દિવસનું રોકાણ કર્યું સર.
પ્રધાનમંત્રી – 1 સ્થાન પર 14 દિવસ?
લેફ્ટનન્ટ કમાન્ડર દિલના – કરેક્ટ સર, અને સર, અમે દુનિયાના દરેક ખૂણામાં ભારતીયોને જોયા સર, તેઓ ખૂબ જ એક્ટિવ રહીને અને કોન્ફિડન્સ સાથે, ભારતનું નામ ઉજાગર કરી રહ્યા છે. અને અમને એવું લાગ્યું કે તેઓ અમારી સક્સેસને પોતાની સક્સેસ માનતા હતા અને દરેક સ્થાને અમને અલગ-અલગ એક્સપીરિયન્સ થયાં. જેમ કે, ઓસ્ટ્રેલિયામાં, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટના સ્પીકરે અમને બોલાવ્યાં, આ વાતે જ અમને ખૂબ પ્રેરણા આપી સર, અને હંમેશા આવી જ ઘટનાઓ ઘટતી સર, અમને ખૂબ ગર્વ અનુભવાતો હતો. અને જ્યારે ન્યૂઝિલેન્ડમાં ગયા, ત્યારે માઓરી લોકોએ અમારું સ્વાગત કર્યું અને આપણી ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ રિસ્પેક્ટ બતાવ્યો સર, અને એક ઇમ્પોર્ટ્ન્ટ વાત છે સર, પોર્ટ સ્ટેનલી એક અંતરિયાળ ટાપુ છે સર, જે સાઉથ અમેરિકાની પાસે છે, જ્યાં ટોટલ પોપ્યુલેશન માત્ર ત્રણ હજાર પાંચસો છે સર, પણ ત્યાં અમે એક મિની ઇન્ડિયા જોયું અને ત્યાં 45 ભારતીય હતાં, તેમણે અમને પોતાના માન્યા અને અમને ઘર જેવો જ અનુભવ કરાવ્યો સર.
પ્રધાનમંત્રી – દેશની એવી દીકરીઓ માટે કે જેઓ તમારી જેમ કંઈક અલગ માંગે છે, તેમનાં માટે તમે શું સંદેશ આપવા માંગો છો.
લેફ્ટન્નટ કમાન્ડર રૂપા – સર, હું લેફ્ટન્નટ કમાન્ડર રૂપા બોલી રહી છું. હું તમારા માધ્યમથી સૌને કહેવાં માંગું છું કે મન લગાવીને મહેનત કરશો તો આ વિશ્વમાં કશુંજ અશક્ય નથી. તમે ક્યાંના છો, ક્યાં જન્મ થયો છે, તે મહત્વનું નથી. સર, અમારી બંન્નેની ઈચ્છા છે કે ભારતના દરેક યુવાન અને મહિલાઓ મોટા-મોટા સપનાઓ જુવે અને ભવિષ્યમાં દરેક દિકરીઓ અને મહિલાઓ ડિફેન્સમાં, સ્પોર્ટ્સમાં, એડવેન્ચરમાં પ્રવેશીને દેશનું નામ રોશન કરે.
પ્રધાનમંત્રી – દિલના અને રૂપા તમારા બંન્નેની વાતો સાંભળીને હું પણ રોમાંચનો અનુભવ કરી રહ્યો છું, કેટલું મોટુ સાહસ તમે ખેડ્યું છે.
તમને બંન્નેને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. તમારી મહેનત, તમારી સફળતા, તમારી અચિવમેન્ટ નિશ્ચિત રૂપે દેશના યુવાનો અને દેશની યુવતીઓને ખૂબ પ્રેરણા આપશે. આવી જ રીતે ભવિષ્યના પ્રયત્નો માટે તિરંગો ફરકાવતા રહેજો, તમને મારી અઢળક શુભેચ્છાઓ.
લેફ્ટન્નટ કમાન્ડર દિલના – થેન્ક્યુ સર.
પ્રધાનમંત્રી – ખૂબ ખૂબ ધન્યવાદ. વણક્કમ. નમસ્કારમ.
લેફ્ટન્નટ કમાન્ડર રૂપા – નમસ્કાર સર.
સાથીઓ,
આપણા તહેવાર, ઉત્સવો ભારતની સંસ્કૃતિને જીવંત રાખે છે. છઠ પૂજા આવો જ એક પવિત્ર તહેવાર છે, જે દિવાળી પછી આવે છે. સૂર્ય દેવને સમર્પિત આ મહાપર્વ ખૂબ જ વિશેષ છે. આ પર્વમાં આપણે ડૂબતા સૂર્યની પૂજા કરીએ છીએ, તેમની આરાધના કરીએ છીએ. છઠ માત્ર દેશના અલગ-અલગ સ્થાન પર જ ઉજવવામાં નથી આવતો, પણ સમગ્ર વિશ્વમાં તેની ઊજવણી થતી જોવા મળે છે. આજે આ એક ગ્લોબલ ફેસ્ટીવલ બની ગયો છે.
સાથીઓ,
મને આપને એ જણાવતાં આનંદ થાય છે કે ભારત સરકાર પણ છઠ પૂજા માટે એક વિશેષ પ્રયત્નોમાં જોડાઈ છે. ભારત સરકાર છઠ મહાપર્વને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસો યાદી એટલે કે યુનેસ્કોની સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સમાવેશ કરાવવાનો પ્રયત્નો કરી રહી છે. છઠ પૂજા જ્યારે યુનેસ્કોની યાદીમાં સમાવેશ પામશે ત્યારે વિશ્વના ખૂણે-ખૂણે વસતા લોકો તેની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરી શકશે.
સાથીઓ,
થોડાક સમય પહેલા ભારત સરકારના આવા જ પ્રયત્નોથી કલકત્તાની દુર્ગા પૂજા પણ યુનેસ્કોની આ લિસ્ટમાં સમાવિષ્ટ થઈ શકી છે. આપણે આપણા સાંસ્કૃતિક આયોજનોને આવી જ રીતે વૈશ્વિક ઓળખ અપાવીશું તો વિશ્વ પણ તેના વિશે જાણશે, સમજશે અને તેની ઉજવણીમાં સામેલ થવા આગળ આવશે.
સાથીઓ,
2 ઓક્ટોબરે ગાંધીજયંતિ છે. ગાંધીજીએ હંમેશા સ્વદેશીને અપનાવવા માટે પ્રયાસ કર્યા અને તેમાં ખાદી સૌથી મોખરે હતી. દુર્ભાગ્યવશ, સ્વતંત્રતા પછી, ખાદીની ચમક ઝાંખી થઈ રહી હતી, પરન્તુ છેલ્લા 11 વર્ષમાં ખાદી પ્રત્યે દેશવાસીઓનું આકર્ષણ ખૂબ વધ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખાદીના વેચાણમાં ખૂબ તેજી દેખાઈ છે. હું આપ સૌને આગ્રહ કરું છું કે 2 ઓક્ટોબરના દિવસે ખાદીનું કંઈક ખરીદજો, અને ગર્વથી કહેજો કે આ સ્વદેશી છે. તેને સોશિયલ મીડિયા પર #વોકલ ફોર લોકલ સાથે શેર પણ કરજો.
સાથીઓ,
ખાદીની જેમ જ આપણા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સેક્ટરમાં પણ ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. આજે આપણા દેશમાં એવાં અનેક ઉદાહરણ જોઈ શકાય છે, જે જણાવે છે કે પરંપરા અને ઇનોવેશનને એક સાથે જોડવામાં આવે, તો અદભુત પરિણામ મળી શકે છે. જેમ કે, એક ઉદાહરણ તમિલનાડુના યાઝ્હ નેચુરલ્સનું છે. અહીં અશોક જગદીશનજી અને પ્રેમ સેલ્વારાજજીએ કોર્પોરેટ નોકરી છોડીને એક નવી પહેલ કરી છે. તેમણે ઘાંસ અને કેળાનાં ફાઈબરથી યોગ મેટ બનાવી, હર્બલ રંગોથી કપડાં રંગ્યા, અને 200 પરિવારોને ટ્રેઇનિંગ આપીને તેમને રોજગાર પૂરા પાડયા.
ઝારખંડના આશીષ સત્યવ્રત સાહૂજીએ જોહરગ્રામ બ્રાન્ડના માધ્યમથી આદિવાસી વણાટ અને વસ્ત્રોને ગ્લોબલ રેમ્પ સુધી પહોચાડ્યું. તેમના પ્રયત્નોથી આજે ઝારખંડની સાંસ્કૃતિક ધરોહરને અન્ય દેશોના લોકો પણ ઓળખી રહ્યા છે.
બિહારના મધુબની જિલ્લાના સ્વીટી કુમારીજીએ સંકલ્પ ક્રિએશન શરૂ કર્યું છે. મિથિલા પેઈન્ટિંગને તેમણે મહિલાઓની આજીવિકાનું સાધન બનાવ્યું છે. આજે 500થી વધુ ગ્રામીણ મહિલાઓ તેમની સાથે જોડાયેલી છે અને આત્મનિર્ભરતાના માર્ગે છે. સફળતાની આ દરેક ગાથાઓ આપણને શીખવે છે કે આપણી પરંપરાઓમાં કમાણીના કેટલા બધા સાધન છુપાયેલા છે. જો સંકલ્પ દ્રઢ હોય, તો સફળતા આપણાથી દૂર નથી જઈ શકતી.
મારા વ્હાલા દેશવાસીઓ,
હવે થોડાંક દિવસોમાં જ આપણે વિજયાદશમી ઉજવીશું. આ વખતે વિજયાદશમી એક અલગ કારણથી ખૂબ વિશેષ છે. આ દિવસે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. એક શતાબ્દીની આ યાત્રા જેટલી અદભુત છે, તેટલી અભૂતપૂર્વ છે, તેટલી જ પ્રેરક પણ છે. આજથી 100 વર્ષ પહેલા જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી, ત્યારે દેશ શતાબ્દીઓથી ગુલામીની સાંકળમાં જકડાયેલો હતો. શતાબ્દીઓની આ ગુલામીએ આપણા સ્વાભિમાન અને આત્મવિશ્વાસને ખૂબ ઊંડી ઠેસ પહોંચાડી હતી. વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાની સામે ઓળખનું સંકટ ઊભું કરાઈ રહ્યું હતું. દેશવાસીઓ હીન-ભાવનાનો શિકાર બનવા લાગ્યા હતા. એટલા માટે દેશની સ્વતંત્રતાની સાથે-સાથે એ પણ મહત્વનું હતું કે દેશ વૈચારિક ગુલામીમાંથી સ્વતંત્ર બને.
એવા સમયે, પરમ પૂજ્ય ડૉ. હેડગેવારજીએ આ વિશે મંથન કર્યું અને પછી આ ભગીરથ કાર્યમાં તેમણે વર્ષ 1925માં વિજયાદશમીના પવિત્ર તહેવારે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ની સ્થાપના કરી. ડોક્ટર સાહેબના ગયા પછી પરમ પૂજ્ય ગુરુજીએ રાષ્ટ્રસેવાના આ મહાયજ્ઞને આગળ વધાર્યો. પરમ પૂજ્ય ગુરુજી કહેતા હતા – ‘રાષ્ટ્રાય સ્વાહા, ઇદં રાષ્ટ્રાય ઇદં ન મમ’ એટલે કે, આ મારું નથી, રાષ્ટ્રનું છે. આમાં, સ્વાર્થથી ઉપર ઊઠીને રાષ્ટ્ર માટે સમર્પણનો ભાવ રાખવાની પ્રેરણા છે. ગુરુજી ગોલવરકરજીના આ વાક્યે લાખ્ખો સ્વયંસેવકોને ત્યાગ અને સેવાનો માર્ગ બતાવ્યો. ત્યાગ અને સેવાની ભાવના અને અનુશાસનની શીખ, આ જ સંઘની સાચી શક્તિ છે. આજે RSS સો વર્ષથી, થાક્યા વગર, અટક્યા વગર, રાષ્ટ્રસેવાના કાર્યમાં જોડાયેલું છે. એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે, દેશમાં ક્યાંય પણ કુદરતી હોનારત થઈ હોય, RSSનાં સ્વયંસેવકો સૌથી પહેલાં ત્યાં પહોંચી જાય છે. લાખ્ખો સ્વયંસેવકોના જીવનના દરેક કાર્યો, દરેક પ્રયાસોમાં રાષ્ટ્ર પ્રથમ nation first ની આ ભાવના હંમેશા સર્વોપરી હોય છે. હું રાષ્ટ્રસેવાના મહાયજ્ઞમાં સ્વયંને સમર્પિત કરી રહેલાં દરેક સ્વયંસેવકને મારી શુભકામનાઓ પાઠવું છું.
મારા વ્હાલા દેશવાસીઓ,
આવતા મહિને 7 ઓક્ટોબરના દિવસે મહર્ષિ વાલ્મીકિની જયંતી છે. આપણે સૌ જાણીએ છીએ કે, મહર્ષિ વાલ્મીકિ ભારતીય સંસ્કૃતિનો કેટલો મોટો આધાર છે. મહર્ષિ વાલ્મીકિએ જ આપણને રામની અવતાર કથાઓમાંથી રામનો વિસ્તૃત પરીચય કરાવ્યો. તેમણે માનવતાને રામાયણ જેવો અદભુત ગ્રંથ આપ્યો.
સાથીઓ,
રામાયણનો પ્રભાવ તેમાં સમાવિષ્ટ ભગવાન રામના આદર્શો અને મૂલ્યોના કારણે છે. ભગવાન રામે સેવા, સમરસતા અને કરુણાથી સૌને ગળે લગાવ્યા હતા. એટલાં માટે આપણે જોઈએ છીએ કે, મહર્ષિ વાલ્મીકિના રામયણના રામ, માતા શબરી અને નિષાદરાજ સાથે જ પૂર્ણ બને છે. એટલા માટે સાથીઓ, અયોધ્યામાં જ્યારે રામમંદિરનું નિર્માણ થયું, ત્યારે સાથે જ, નિષાદરાજ અને મહર્ષિ વાલ્મીકિનું પણ મંદિર બનાવવામાં આવ્યું. મારો તમને સૌને આગ્રહ છે કે, તમે સૌ જ્યારે પણ અયોધ્યા રામલલાના દર્શને જાઓ ત્યારે મહર્ષિ વાલ્મીકિ અને નિષાદરાજ મંદિરના દર્શન જરૂર કરજો.
મારા વ્હાલા દેશવાસીઓ,
કલા, સાહિત્ય અને સંસ્કૃતિની સૌથી વિશેષ વાત એ હોય છે કે તે કોઈ પણ એક સીમામાં બંધાતી નથી. તેની સુવાસ દરેક સીમાઓને ઓળંગીને લોકોના મનને સ્પર્શે છે. હમણાં થોડાં દિવસો પહેલાં જ પેરિસના એક કલ્ચરલ ઇન્સ્ટિટ્યુટ ‘સૌન્ત્ખ મંડપા’એ 50 વર્ષ પૂરા કર્યા. આ સેન્ટરે ભારતીય નૃત્યને લોકપ્રિય બનાવવામાં બહોળું યોગદાન આપ્યું છે. તેની સ્થાપના મિલેના સાલવિનીએ કરી હતી. તેમને થોડાં વર્ષ પહેલાં જ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. હું ‘સૌન્ત્ખ મંડપા’ સાથે જોડાયેલ દરેક લોકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભવિષ્યના તેમના પ્રયાસો માટે શુભકામનાઓ પણ પાઠવું છું.
સાથીઓ,
હવે હું આપ સૌને બે નાનકડી ઓડિયો ક્લિપ સંભળાવું છું, ધ્યાનથી સાંભળજો.
#Audio Clip 1
હવે બીજી ઓડિયો ક્લિપ સાંભળો -
#Audio Clip 2
સાથીઓ,
આ અવાજ, સાક્ષી છે, એ વાતનો કે ભૂપેન હજારિકાજીના ગીતોથી કેવી રીતે દુનિયાના અલગ-અલગ દેશ એકબીજા સાથે જોડાય છે. શ્રીલંકામાં એક ખૂબ જ પ્રશંસનીય પ્રયાસ થયો છે. જેમાં ભૂપેનદાજીના પ્રતિષ્ઠિત ગીત ‘મનુહે-મનુહાર બાબે’નું શ્રીલંકાના કલાકારોએ સિંહલી અને તમિલ ભાષામાં અનુવાદ કર્યો છે. મેં તમને તેમનો જ ઓડિયો સંભળાવ્યો. થોડાંક દિવસો પહેલાં મને અસમમાં તેમના જન્મ શતાબ્દી ઉત્સવમાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ખરેખર, તે એક યાદગાર કાર્યક્રમ હતો.
સાથીઓ,
અસમ, આજે જ્યારે ભૂપેન હજારીકાની જન્મ શતાબ્દીની ઊજવણી કરી રહ્યું છે, ત્યાં કેટલાક દિવસો પહેલા એક દુખદ સમય પણ આવ્યો હતો. જુબીન ગર્ગજીના આકસ્મિત નિધનથી લોકો શોકમાં છે.
જુબીન ગર્ગ એક લોકપ્રિય ગાયક હતા, જેમણે સમગ્ર દેશમાં પોતાની ઓળખ બનાવી હતી. અસમની સંસ્કૃતિ માટે તેમને ભારે લગાવ હતો. જુબીન ગર્ગ આપણા સ્મરણમાં હમેશા રહેશે અને તેમનું સંગીત આગામી પેઢીઓને મંત્રમુગ્ધ બનાવશે.
जुबीन गार्ग , आसिल
अहोमॉर हमोसकृतिर , उज्जॉल रत्नो ..
जनोतार हृदयॉत , तेयो हदाय जियाय , थाकीबो |
અર્થાત્
જુબીન અસમી સંસ્કૃતિના કોહિનુર હતા. એ ભલે હવે આપણી વચ્ચે શારીરિકરૂપે નથી પરંતુ આપણા હૃદયમાં હંમેશા રહેશે.
સાથીઓ,
થોડાંક દિવસો પહેલા આપણા દેશે એક મહાન વિચારક અને ચિંતક એસ.એલ.ભૈરપ્પાજીને ગુમાવ્યા. ભૈરપ્પાજી સાથે મારો વ્યક્તિગત સંપર્ક હતો અને અમારી વચ્ચે કેટલીય વાર અલગ-અલગ વિષયોં પર વિસ્તારથી વાતચીત પણ થતી હતી. તેમની રચનાઓ યુવાપેઢીના વિચારોને દિશા આપતી હતી. તેમની કન્નડ ભાષાની કેટલીય રચનાઓનાં અનુવાદ પણ ઉપલબ્ધ છે. તેમણે શીખવ્યું કે, પોતાના મૂળીયા અને સંસ્કૃતિ માટે ગર્વ કરવો કેટલું મહત્વપૂર્ણ કાર્ય છે. હું એસ.એલ.ભૈરપ્પાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને યુવાનો તેમની રચનાઓ વાંચે તેવો આગ્રહ કરું છું.
મારા વ્હાલા દેશવાસીઓ,
આગામી દિવસોમાં એક પછી એક ખુશીઓથી ભરપૂર તહેવારો આવશે. દરેક પર્વ પર આપણે ખૂબ ખરીદી કરીએ છીએ. અને આ વખતે તો ‘GST બચત ઉત્સવ’ પણ ચાલી રહ્યો છે.
સાથીઓ,
એક સંકલ્પ સાથે તમે તમારા તહેવારોને વિશેષ બનાવી શકો છો. જો આપણે નિશ્ચય કરીએ કે, આ વખતે તહેવારો માત્ર સ્વદેશી વસ્તુઓથી જ ઊજવીશું, તો જો જો હોં, આપણા ઉત્સવોની રોનક પણ અનેક ઘણી વધી જશે. ‘વોકલ ફોર લોકલl’ને ખરીદીનો મંત્ર બનાવજો. નિશ્ચય કરજો, હંમેશને માટે, દેશમાં જે તૈયાર થાય છે, તે જ ખરીદીશું. જેને દેશના લોકોએ બનાવી છે, તેવી જ ચીજવસ્તુઓ ઘરમાં લાવજો. જેમાં દેશના કોઈક નાગરિકની મહેનત છે, તેવી જ વસ્તુઓનો ઉપયોગ કરજો. જ્યારે આપણે આવું કરીશું ત્યારે આપણે માત્ર કોઈ વસ્તુ નહીં ખરીદીએ, આપણે કોઈક પરિવારની આશાઓને પણ ઘરે લાવીએ છીએ, કોઈ કારીગરની મેહનતનું સન્માન કરીએ છીએ, કોઈક યુવાન ઉદ્યોગ સાહસિકના સપનાઓને પાંખો આપીએ છીએ.
સાથીઓ,
તહેવારોમાં આપણે આપણા ઘરની સાફ-સફાઈમાં લાગી જઇએ છીએ. પરંતુ સ્વચ્છતા માત્ર ઘરની ચાર દિવાલો સુધી સીમિત નહીં રહે. ગલી, મહોલ્લા, બજાર, ગામડાઓ, દરેક જગ્યાની સ્વચ્છતા આપણી જવાબદારી બનવી જોઈએ.
સાથીઓ,
આપણે ત્યાં આ દરેક સમય ઉત્સવોનો સમય હોય છે અને દિવાળી એક રીતે તો મહા-ઉત્સવ બની જાય છે, હું આપ સૌને આગામી દિવાળીની ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું પરન્તુ આ સાથે ફરી એક વખત કહીશ કે આપણે આત્મનિર્ભર બનવાનું છે, દેશને આત્મનિર્ભર બનાવીને જ રહીશું અને તેનો માર્ગ સ્વદેશીથી જ આગળ વધે છે.
સાથીઓ,
આ વખતે ‘મન કી બાત’ માં બસ, આટલું જ. આવતા મહિને ફરીથી નવી ગાથાઓ અને પ્રેરણાઓ સાથે મુલાકાત થશે. ત્યાં સુધી, તમને સૌને શુભકામનાઓ. ખૂબ -ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ચોમાસાની આ ઋતુમાં કુદરતી આફતો દેશની કસોટી કરી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આપણે પૂર અને જમીન ધસી પડવાના ભારે કહેર જોયો છે. ક્યાંક ઘરો નાબૂદ થઇ ગયા, ક્યાંક ખેતરો ડૂબી ગયા, પરિવારોના પરિવારો ઉજડી ગયા, પાણીના ઝડપી પ્રવાહમાં ક્યાંક પૂલ તણાઇ ગયા, રસ્તા ધોવાઇ ગયા, લોકોનું જીવન સંકટોમાં ફસાઇ ગયું. આ ઘટનાઓએ દરેક હિંદુસ્તાનીને દુઃખી કર્યો છે. જે પરિવારોએ પોતાના પ્રિયજન ખોયા તેમનું દર્દ આપણા બધાનું દર્દ છે. જ્યાં પણ સંકટ આવ્યું ત્યાંના લોકોને બચાવવા માટે આપણા NDRF-SDRFના જવાનો અન્ય સલામતી દળ વગેરે તમામ દિવસરાત રોકાયેલા રહ્યા. જવાનોએ ટેકનોલોજીનો પણ સહારો લીધો છે. થર્મલ કેમેરા, લાઇવ ડિટેક્ટર, સ્નિફર ડોગ્સ અને ડ્રોન સર્વેલન્સ આવા અનેક આધુનિક ઉપકરણોની મદદથી રાહત કાર્યમાં ઝડપ લાવવાની ભરપૂર કોશિષ કરવામાં આવી. આ દરમિયાન હેલીકોપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી, ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવ્યા. આફતના આ સમયે સેના મદદરૂપ બનીને આગળ આવી. સ્થાનિક લોકો, સામાજીક કાર્યકરો, ડોકટરો, વહીવટીતંત્ર, વગેરે સૌએ સંકટની આ ઘડીમાં શક્ય તમામ મદદનો પ્રયાસ કર્યો. હું આવા તમામ નાગરિકોને દીલથી ધન્યવાદ આપું છું. જેમણે આ મુશ્કેલ સમયમાં માનવતાને સૌથી વધુ મહત્વ આપ્યું છે.
મારા વ્હાલા દેશવાસીઓ, પૂર અને વરસાદની આ તબાહી વચ્ચે જમ્મુ-કાશ્મીરે બે ખૂબ ખાસ સિદ્ધિઓ મેળવી છે. તેના પર બહુ વધારે લોકોનું ધ્યાન નથી ગયું, પરંતુ જ્યારે તમે આ સિદ્ધિઓ વિશે જાણશો તો તમને પણ ખૂબ ખુશી થશે. જમ્મુ કાશ્મીરના પુલવામાના એક સ્ટેડિયમમાં વિક્રમરૂપ સંખ્યામાં લોકો એકઠા થયા. ત્યાં પુલવામાની પહેલી દિવસરાત્રિ ક્રિકેટમેચ રમાઇ ગઇ. અગાઉ આમ થવું અશક્ય હતું, પરંતુ હવે મારો દેશ બદલાઇ રહ્યો છે. આ મેચ રોયલ પ્રિમિયર લીગનો ભાગ છે. જેમાં જમ્મુ કાશ્મીરની અલગ અલગ ટીમો રમી રહી છે. આટલા બધા લોકો, ખાસ કરીને યુવાનો, પુલાવામામાં રાતના સમયે, હજારોની સંખ્યામાં ક્રિકેટનો આનંદ લેતાં હોય એ દ્રશ્ય ખરેખર જોવાલાયક હતું.
સાથીઓ, બીજું આયોજન કે જેણે ધ્યાન ખેંચ્યું તે છે, દેશમાં યોજાયેલો પહેલો ‘ખેલો ઈન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટીવલ’ અને તે પણ શ્રીનગરના દલ સરોવર પર યોજાયો. ખરેખર, આવો ઉત્સવ આયોજીત કરવા માટે આ કેટલું ખાસ સ્થળ છે. તેનો ઉદ્દેશ્ય છે જમ્મુકાશ્મીરમાં જળ રમતોને વધુ લોકપ્રિય બનાવવાનો. તેમાં સમગ્ર ભારતમાંથી 800થી વધુ રમતવીરોએ ભાગ લીધો. મહિલા રમતવીરાંગનાઓ પણ પાછળ નથી રહી, તેમની ભાગીદારી પણ લગભગ પુરૂષો જેટલી જ હતી. હું આ બધા ખેલાડીઓને ધન્યવાદ આપવા માંગુ છું, જેમણે તેમાં ભાગ લીધો. ખાસ અભિનંદન મધ્યપ્રદેશને કે જેણે સૌથી વધુ ચંદ્રકો જીત્યા, ત્યારપછી હરિયાણા અને ઓરિસ્સાનું સ્થાન રહ્યું. જમ્મુ કાશ્મીરની સરકાર અને ત્યાંની જનતાની આત્મિયતા તથા આતિથ્યભાવની હું ખૂબ ખૂબ પ્રશંસા કરૂં છું.
સાથીઓ, આ આયોજન સાથે જોડાયેલા અનુભવને આપના સુધી પહોંચાડવા માટે મે વિચાર્યું છે કે, આવા બે ખેલાડીઓ સાથે પણ વાત કરૂં, જેમણે તેમાં ભાગ લીધો, તેમાંથી એક છે ઓડિશાનાં રશ્મિતા સાહૂ અને બીજા છે શ્રીનગરના મોહસિન અલી, આવો સાંભળીએ. તેઓ શું કહે છે.
પ્રધાનમંત્રીઃ- રશ્મિતાજી, નમસ્તે.
રશ્મિતાઃ- નમસ્તે, સર.
પ્રધાનમંત્રીઃ- જય જગન્નાથ.
રશ્મિતાઃ- જય જગન્નાથ સર.
પ્રધાનમંત્રીઃ- રશ્મિતાજી, સૌથી પહેલા તો તમને રમત જગતમાં સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
રશ્મિતાઃ- ખૂબ આભાર સર.
પ્રધાનમંત્રીઃ- રશ્મિતા, અમારા શ્રોતાઓ તમારા વિશે અને તમારી રમતગમત સફર વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક છે, હું પણ બહુ ઉત્સુક છું. જણાવો.
રશ્મિતાઃ- સર હું રશ્મિતા સાહુ છું. ઓડિશાથી. અને હું કેનોઇંગ પ્લેયર છું. મેં 2017થી રમવાનું શરૂ કર્યું હતું. કેનોઇંગ શરૂં કર્યું હતું. અને હું નેશનલ લેવલમાં નેશનલ ચેમ્પિયનશીપ અને નેશનલ ગેમ્સમાં ભાગ લીધો છે. મારા 41 મેડલ્સ છે. 13 ગોલ્ડ, 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ્સ છે, સર.
પ્રધાનમંત્રીઃ- આ રમતમાં રસ કેવી રીતે પડ્યો ? સૌથી પહેલા કોણે તમને તેના તરફ પ્રેરિત કર્યાં ? શું તમારા પરિવારમાં રમતગમતનું વાતાવરણ છે ખરું ?
રશ્મિતાઃ- ના સર. હું જે ગામમાંથી આવું છું તેમાં રમતગમત માટે આ કંઇ નહોતું, તો ત્યાં નદીમાં બોટીંગ થઇ રહ્યું હતું. તો હું એમ જ તરવા માટે ગઇ હતી. એવામાં મારા દોસ્તો પણ સ્વિમીંગ કરી રહ્યા હતા. તો એક હોડી કેનોઇંગ - કાયાકિંગ માટે ગઇ હતી. તો મને તેના વિશે ખાસ કંઇ જાણકારી નહોતી. તો મેં મારા દોસ્તને પૂછ્યું કે, આ શું છે ? તો મિત્રે કહ્યું કે, ત્યાં જગતપુરમાં SAI સ્પોર્ટસ સેન્ટર છે. તેમાં રતમગમત શીખવાડાય છે. તેમાં હું પણ જવાની છું. મને બહુ રસપ્રદ લાગ્યું. તો એ શું છે તેની મને ખબર જ નહોતી, આ તો પાણીમાં છોકરા કેવી રીતે કરતા હશે ? હોડી ચલાવે છે ? તો મેં એને કહ્યું કે, મારે પણ જવું છે. કેવી રીતે જવાય છે ? મને પણ જણાવ ? તો એણે કહ્યું કે, ત્યાં જઇને વાત કર. પછી મેં તરત જ જઇને પપ્પાને કહ્યું કે, મારે પણ જવું છે. પપ્પા મારે પણ રમવા જવું છે. એટલે પપ્પા લોકોએ કહ્યું સારૂં જા. તે સમયે તો પ્રવેશ પરિક્ષા તો નહોતી. એટલે કોચ લોકોએ કહ્યું કે, ટ્રાયલ ફેબ્રુઆરીમાં થાય છે. એટલે ફેબ્રુઆરી માર્ચમાં તમે આ પ્રવેશ પરિક્ષાના સમયે આવી જજો. પછી હું પ્રવેશ કસોટી વખતે આવી.
પ્રધાનમંત્રીઃ- અચ્છા રશ્મિતા, કાશ્મીરમાં યોજાયેલા ‘ખેલો ઈન્ડિયા વોટર સ્પોર્ટસ ફેસ્ટીવલ’માં તમારો પોતાનો અનુભવ કેવો રહ્યો ? તમે પહેલીવાર કાશ્મીર ગયા હતા ?
રશ્મિતાઃ- હા સર, હું પહેલીવાર કાશ્મીર ગઇ હતી. અમને લોકોને ત્યાં પહેલીવાર યોજાયેલા ખેલો ઈન્ડિયા વોટર સ્પોર્ટસ ફેસ્ટીવલ’માં ભાગ લેવા મળ્યો. તેમાં મારી બે સ્પર્ધાઓ હતી. સિગલ્સ 200 મીટર અને 500 મીટર ડબલ્સમાં. અને હું આ બંનેમાં ગોલ્ડ મેડલ જીતી ગઇ છું સર.
પ્રધાનમંત્રીઃ- અરે વાહ, બંનેમાં ગોલ્ડ મેડલ લાવ્યા છો.
રશ્મિતાઃ- હા સર.
પ્રધાનમંત્રીઃ- ખૂબ ખૂબ અભિનંદન.
રશ્મિતાઃ- આભાર સર.
પ્રધાનમંત્રીઃ- સારૂં રશ્મિતા પાણીની રમતો સિવાય તમને બીજા કયા શોખ છે ?
રશ્મિતાઃ- પાણીની રમતો ઉપરાંત મને રમતગમતમાં દોડવાનું બહુ ગમે છે. હું જ્યારે પણ રજાઓમાં જાઉં છું ત્યારે હું દોડવા માટે જાઉં છું. મારૂં જે જૂનું મેદાન છે, તેમાં હું પહેલાં થોડું ઘણું ફૂટબોલ શીખી હતી. ત્યાં જ્યારે પણ જતી હતી હું ખૂબ દોડતી હતી અને ફૂટબોલ પણ રમું છું સર. થોડું ઘણું.
પ્રધાનમંત્રીઃ- એટલે કે, રમતગમત તમારી નસેનસમાં છે.
રશ્મિતાઃ- હા સર, હું જયારે પહેલાથી 10મા ધોરણ સુધી શાળામાં હતી, તો જેમાં પણ ભાગ લેતી હતી તે બધામાં પ્રથમ આવતી હતી. ચેમ્પિયન બનતી હતી સર.
પ્રધાનમંત્રીઃ- રશ્મિતા, જે લોકો તમારી જેમ રમતગમતમાં આગળ વધવા માંગે છે, તેમને જો કોઇ સંદેશ આપવો હોય તો તમે શું સંદેશ આપશો ?
રશ્મિતાઃ- સર. ઘણા બધા બાળકો કે જેમને ઘરેથી નીકળવાની પણ મનાઇ હોય છે. અને છોકરીઓને બહાર કેવી રીતે જશો, તેવો સવાલ હોય છે. અને કોઇકોઇને તો પૈસાની પણ મુશ્કેલી હોય છે. તે લોકો રમતગમત છોડી દે છે. અને આ જે ખેલો ઇન્ડિયાની યોજના અમલમાં છે, તેમાં ઘણા બધા બાળકોને પૈસાની પણ મદદ મળે છે. અને ઘણા બધા બાળકોને સારી એવી મદદ મળી રહી છે. તેના પરિણામે ઘણા બધા બાળકો આગળ જઇ શક્યાં છે. અને હું બધાને કહીશ કે, રમતને છોડો નહિં. રમતગમતથી ઘણું આગળ જઇ શકીએ છીએ. તો રમત તો એક રમત છે, પરંતુ તેમાં શરીરનું દરેક અંગ સ્વસ્થ પણ રહે છે, અને રમતગમતમાં આગળ વધીને ભારતને ચંદ્રક અપાવવાનું અમારૂં કર્તવ્ય છે સર.
પ્રધાનમંત્રીઃ- ચાલો રશ્મિતાજી, મને બહુ ગમ્યું. તમને ફરીએક વાર ખૂબખૂબ અભિનંદન. અને તમારા પિતાજીને પણ મારા તરફથી પ્રણામ કહેશો. કારણ કે, તેમણે ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે પણ એક દીકરીને આગળ વધવા માટે આટલું પ્રોત્સાહન આપ્યું. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ધન્યવાદ.
રશ્મિતાઃ- આભાર સર.
પ્રધાનમંત્રીઃ- જય જગન્નાથ.
રશ્મિતાઃ- જય જગન્નાથ. સર.
પ્રધાનમંત્રીઃ- મોહસીન અલી નમસ્તે.
મોહસીન અલીઃ- નમસ્તે સર.
પ્રધાનમંત્રીઃ- મોહસીનજી તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક અનેક શુભેચ્છાઓ.
મોહસીન અલીઃ- આભાર સર.
પ્રધાનમંત્રીઃ- મોહસીન તમે પહેલા જ ખેલો ઈન્ડિયા વોટર સ્પોર્ટસ ફેસ્ટીવલ ઉત્સવ અને તેમાં પણ સૌથી પહેલો ગોલ્ડ મેડલ જીતનારા તમે છો. તો તમને કેવું લાગી રહ્યું છે ?
મોહસીન અલીઃ- સર. ખૂબ જ ખુશ છું હું, મેં ગોલ્ડ મેડલ જીત્યો, ખેલો ઇન્ડિયા ઉત્સવમાં જે પહેલી વાર યોજાયો છે, અહિં કાશ્મીરમાં.
પ્રધાનમંત્રીઃ- લોકો શું ચર્ચા કરે છે ?
મોહસીન અલીઃ- બધે ખુબ ચર્ચા છે સર. પૂરો પરિવાર ખુશ છે જી.
પ્રધાનમંત્રીઃ- તમારી સ્કૂલવાળા.
મોહસીન અલીઃ- સ્કૂલવાળા પણ બધા ખુશ છે, કાશ્મીરમાં બધા કહે છે કે, હવે તમે ગોલ્ડ મેડાલીસ્ટ છો.
પ્રધાનમંત્રીઃ- તો તો તમે હવે બહુ મોટી સેલીબ્રીટી બની ગયા !
મોહસીન અલીઃ- હા સર.
પ્રધાનમંત્રીઃ- સારૂં એ કહો કે, વોટર સ્પોર્ટસમાં રસ કેવી રીતે પડ્યો, અને તેના શું ફાયદા, તમને દેખાઇ રહ્યા છે ?
મોહસીન અલીઃ- પહેલાં બચપણમાં હું જોતો તો, ડલ સરોવરમાં નૌકા ચાલતી, પપ્પા પૂછતાં કે, તું કરીશ, તો મે પણ કહ્યું કે, હા. મને પણ શોખ છે. પછી હું પણ ત્યાં ગયો, કેન્દ્રમાં મેડમ પાસે, અને મેડમે, બિલ્કીસ મેમે મને શીખવ્યું.
પ્રધાનમંત્રીઃ- અચ્છા મોહસીન, આખા દેશમાંથી લોકો આવ્યા હતા, આ પહેલીવાર યોજાયેલા વોટરસ્પોર્ટસ કાર્યક્રમમાં, અને તે પણ શ્રીનગરમાં અને તે પણ ડલ સરોવરમાં, તો દેશમાંથી આટલા બધા લોકો આવ્યા અને ત્યાંના લોકોને શું અનુભવ થતો હતો ?
મોહસીન અલીઃ- ખૂબ આનંદ છે સર. બધા કહેતા હતા કે, સારું સ્થળ છે. અને બધું સારૂં છે. અહિંયા સગવડ પણ કંઇક સારી છે. બધા લોકોને અહિંયા સારૂં લાગ્યું, ખેલો ઇન્ડિયામાં.
પ્રધાનમંત્રીઃ- તો તમે ક્યાંય રમવા માટે ક્યારેય કાશ્મીરની બહાર ગયા છો ?
મોહસીન અલીઃ- હા સર. હું ભોપાલ ગયો છું. ગોવા ગયો છું. કેરળ ગયો છું. હિમાચલ ગયો છું.
પ્રધાનમંત્રીઃ- અરે વાહ, તો તો તમે પૂરૂં હિંદુસ્તાન જોઇ લીધું છે.
મોહસીન અલીઃ- હા સર.
પ્રધાનમંત્રીઃ- તો આટલા બધા ખેલાડીઓ ત્યાં આવ્યા હતા !
મોહસીન અલીઃ- હા સર.
પ્રધાનમંત્રીઃ- તો પછી નવા દોસ્તો બનાવ્યા કે ન બનાવ્યા ?
મોહસીન અલીઃ- સર ઘણા દોસ્તો બનાવી લીધા, એક સાથે અહીં ફર્યા પણ ખરા. ડલ સરોવરમાં, લાલચોકમાં બધી જગ્યાએ અમે ફર્યા સર, પહેલગામ પણ ગયા હતા, હા સર. બધી જગ્યાએ.
પ્રધાનમંત્રીઃ- જુઓ મેં તો જોયું છે કે, જમ્મુ કાશ્મીરમાં રમતગમત પ્રતિભા ગજબની પડેલી છે.
મોહસીન અલીઃ- હા સર.
પ્રધાનમંત્રીઃ- જમ્મુ કાશ્મીરના આપણા જે નવયુવાઓ છે તે દેશનું નામ રોશન કરે તેટલું સામર્થ્ય છે તેમનામાં અને તમે તે કરીને બતાવ્યું છે.
મોહસીન અલીઃ- સર. મારૂં સ્વપ્નું છે ઓલ્મપિકમાં ચંદ્રક જીતવાનું, એ જ સપનું છે.
પ્રધાનમંત્રીઃ- વાહ શાબાશ.
મોહસીન અલીઃ- એ જ સપનું છે સર.
પ્રધાનમંત્રીઃ- જુઓ, તમારા આ શબ્દો સાંભળીને તો મારા તો રૂંવાડા ઉભા થઇ ગયા.
મોહસીન અલીઃ- સર. એ જ સપનું છે મારૂં. ઓલમ્પિકમાં ચંદ્રક જીતવાનું. દેશ માટે રાષ્ટ્રગીત વગાડવાનું. બસ એ જ સપનું છે મારૂં.
પ્રધાનમંત્રીઃ- મારા દેશના એક શ્રમજીવી પરિવારનો સુપુત્ર આટલું મોટું સપનું જુવે છે, એનો અર્થ જ એ કે આ દેશ ખૂબ આગળ વધવાનો છે.
મોહસીન અલીઃ- સર. બહુ આગળ વધવાનો છે. અમે આભારી છીએ ભારત સરકારના કે જેણે, અહિંયા ખેલો ઇન્ડિયાનું આયોજન કર્યું છે. એ પહેલીવાર થયું છે સર.
પ્રધાનમંત્રીઃ- તો તો તમારી સ્કૂલમાં પણ જયજયકાર થતો હશે.
મોહસીન અલીઃ- હા સર.
પ્રધાનમંત્રીઃ- ચલો મોહસીન તમારી સાથે વાત કરીને મને બહુ સારૂં લાગ્યું અને મારા તરફથી તમારા પિતાજીને પણ વિશેષરૂપે મારા ધન્યવાદ કહેજો, કારણ કે, એમણે મહેનત મજૂરીની જીંદગી જીવીને પણ તમારી જીંદગી બનાવી છે અને તમે તમારા પિતાજીના શબ્દોને યાદ રાખીને જરા પણ આરામ કર્યા વિના 10 વર્ષ સુધી તપસ્યા કરી છે તે આ ખેલાડીઓ માટે બહુ મોટી પ્રેરણા બને છે. અને તમારા કોચને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું કે, જેમણે તમારી પાછળ આટલી મહેનત કરી, મારા તરફથી અનેક અનેક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ અભિનંદન ભાઇ.
મોહસીન અલીઃ- આભાર સર. નમસ્કાર સર. જયહિંદ.
સાથીઓ, એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના, દેશની એકતા, દેશના વિકાસ માટે બહુ જરૂરી છે અને નિશ્ચિતપણે રમતગમત તેમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. અને એટેલે જ તો હું કહું છું કે, જે ખેલે છે તે ખીલે છે. આપણો દેશ પણ જેટલી સ્પર્ધાઓ રમશે તેટલો ખીલશે. તમે બંને ખેલાડીઓને અને તમારા સાથીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મારા વ્હાલા દેશવાસીઓ, તમે યુપીએસસીનું નામ તો જરૂર સાંભળ્યું હશે. આ સંસ્થા દેશની સૌથી મુશ્કેલ પરિક્ષાઓમાંથી એક સનદી સેવાઓની પરિક્ષા પણ લે છે. આપણે બધાએ સનદી સેવાઓની પરિક્ષાઓમાં ટોચના પરિક્ષાર્થીઓની પ્રેરણાદાયક વાતો અનેકવાર સાંભળી છે. આ નવયુવાનો મુશ્કેલ સંજોગોમાં અભ્યાસ કર્યા પછી પોતાની મહેનતથી આ સેવામાં સ્થાન મેળવે છે. પરંતુ સાથીઓ, યુપીએસસીની પરિક્ષાની એક સચ્ચાઇ બીજી પણ છે. હજ્જારો એવા ઉમેદવાર પણ હોય છે, જેઓ અત્યંત કાબેલ હોય છે, તેમની મહેનત પણ કોઇથી ઓછી નથી હોતી. પરંતુ મામૂલી અંતરથી તેઓ આખરી યાદી સુધી પહોંચી શકતા નથી. આ ઉમેદવારોએ બીજી પરિક્ષાઓ માટે નવેસરથી તૈયારી કરવી પડે છે. તેમાં તેમનો સમય અને પૈસા બંને વપરાતા હતા. એટલા માટે હવે એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે પણ એક ડીજીટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. અને તેનું નામ છે. “પ્રતિભા સેતુ”.
“પ્રતિભા સેતુ”માં આ ઉમેદવારોની માહીતી રાખવામાં આવેલી છે, જેમણે યુપીએસસીની વિવિધ પરિક્ષાઓના બધા તબક્કા પાસ કર્યા હોય પરંતુ અંતિમ પાત્રતા યાદીમાં તેમનું નામ ન આવી શક્યું હોય. આ પોર્ટલ પર 10 હજારથી વધુ એવા પ્રતિભાવાન યુવાઓની ડેટાબેંક તૈયાર છે. કોઇ સનદી સેવાની તૈયારી કરી રહ્યું હતું, કોઇ ઇજનેરી સેવામાં જવા ઇચ્છતું હતું, કોઇ તબીબી સેવાઓના દરેક તબક્કાને વટાવી ચૂક્યું હતું. પરંતુ ફાઇનલમાં તેમની પસંદગી નહોતી થઇ. આવા તમામ ઉમેદવારોની જાણકારી હવે, પ્રતિભા સેતુ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પોર્ટલથી ખાનગી કંપનીઓ આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની જાણકારી મેળવીને તેમને પોતાને ત્યાં નિમણુંક આપી શકે છે. સાથીઓ, આ પ્રયાસના પરિણામો પણ મળવા લાગ્યા છે. સેંકડો ઉમેદવારોને આ પોર્ટલની મદદથી તરત નોકરી મળી છે, અને મામૂલી અંતરથી રહી ગયેલા યુવાનો હવે નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજ આખી દુનિયાનું ધ્યાન ભારત તરફ છે. ભારતમાં પડેલી સુષુપ્ત સંભાવનાઓ પર દુનિયાભરની નજર છે. તેની સાથે જોડાયેલો એક સુખદ અનુભવ હું તમને કહેવા માંગુ છું. તમે જાણો છો કે, આજકાલ પોડકાસ્ટની બહુ ફેશન છે. વિવિધ વિષયો સાથે જોડાયેલા પોડકાસ્ટને જાતજાતના લોકો જુએ છે, અને સાંભળે છે. પાછલા દિવસોમાં હું પણ કેટલાક પોડકાસ્ટમાં સામેલ થયો હતો. એવું જ એક પોડકાસ્ટ દુનિયાના બહુ ખ્યાતનામ પોડકાસ્ટર લેકસ ફ્રિડમેન સાથે થયું હતું. આ પોડકાસટમાં ઘણીબધી વાતો થઇ. અને દુનિયાભરના લોકોએ એને સાંભળી પણ ખરી. જ્યારે પોડકાસ્ટ પર વાત થઇ રહી હતી ત્યારે વાતવાતમાં મેં એવો જ એક વિષય ઉઠાવ્યો હતો. જર્મનીના એક ખેલાડીએ આ પોડકાસ્ટને સાંભળી અને તેનું ધ્યાન તેમાં મેં જે વાત કહી હતી તેના પર કેન્દ્રિત થઇ ગયું. આ મુદ્દો તેમને એટલો બધો સ્પર્શી ગયો કે, પહેલાં તેમણે આ મુદ્દા પર સંશોધન કર્યું. અને પછી જર્મનીમાં ભારતીય દૂત્તાવાસનો સંપર્ક કર્યો. અને તેમણે પત્ર લખીને કહ્યું કે, તેઓ આ વિષય બાબતે ભારત સાથે જોડાવા માંગે છે. તમે વિચારી રહ્યા હશો કે, મોદીજીએ પોડકાસ્ટમાં એવો વળી કેવો વિષય કહી દીધો, જે જર્મનીના એક ખેલાડીને પ્રેરિત કરી ગયો. એ કયો વિષય હતો ? તો હું તમને યાદ કરાવું છું, મેં પોડકાસ્ટમાં વાતવાતમાં મધ્યપ્રદેશના શહડોલના ફૂટબોલની દિવાનગી સાથે જોડાયેલા એક ગામનું વર્ણન કર્યું હતું. વાત એમ છે કે, બે વર્ષ પહેલાં હું શહડોલ ગયો હતો, ત્યાંના ફૂટબોલના ખેલાડીઓને મળ્યો હતો. પોડકાસ્ટ દરમ્યાન, એક સવાલના ઉત્તરમાં મેં શહડોલના ફૂટબોલ ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વાત જર્મનીના ફૂટબોલ ખેલાડી અને પ્રશિક્ષક ડાયટમાર બેયર્સડોર્ફરે પણ સાંભળી. શહડોલના યુવા ફૂટબોલ ખેલાડીઓની જીવનયાત્રાએ તેમને બહુ પ્રભાવિત અને પ્રેરિત કર્યા. હકીકતમાં કોઇએ કલ્પના પણ નહોતી કરી કે, ત્યાંના પ્રતિભાશાળી ખેલાડી બીજા દેશોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરશે. હવે, જર્મનીના આ પ્રશિક્ષકે શહડોલના કેટલાક ખેલાડીઓને જર્મનીની એક અકાદમીમાં તાલિમ આપવાની તજવીજ કરી છે. ત્યારબાદ મધ્યપ્રદેશની સરકારે પણ તેમનો સંપર્ક કર્યો છે. ટૂંક સમયમાં જ શહડોલના આપણા કેટલાક યુવા સાથી તાલિમ માટે જર્મની જશે. મને પણ આ જોઇને ખૂબ આનંદ થાય છે કે, ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતા સતત વધી રહી છે. હું ફૂટબોલ પ્રેમીઓને આગ્રહ કરૂં છું કે, જ્યારે સમય મળે ત્યારે તેઓ શહડોલ જરૂર જાય અને ત્યાં સર્જાઇ રહેલી રમતગમત ક્રાંતિને નજીકથી જુએ.
મારા વ્હાલા દેશવાસીઓ, સુરતમાં રહેતા જીતેન્દ્રસિંહ રાઠોડ વિશે જાણીને તમને બહુ સુખદ અહેસાસ થશે. મન ગર્વથી ભરાઇ જશે. જીતેન્દ્રસિંહ રાઠોડ એક સિક્યુરીટી ગાર્ડ છે. અને તેમણે એક એવી અદભૂત પહેલ કરી છે. જે દરેક દેશભક્ત માટે બહુ મોટી પ્રેરણા સમાન છે. વિતેલા કેટલાક વર્ષોથી તેઓ એવા તમામ જવાનો વિશે માહીતી એકઠી કરે છે, જેમણે ભારતમાતાની રક્ષામાં પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. આજે તેમની પાસે પહેલા વિશ્વયુદ્ધથી લઇને અત્યારસુધી શહીદ થયેલા હજ્જારો વીર જવાનો વિશે જાણકારી ઉપલબ્ધ છે. તેમની પાસે શહીદોની હજ્જારો તસવીરો પણ છે. એકવાર એક શહીદના પિતા દ્વારા કહેવાયેલી વાત તેમના હૃદયને સ્પર્શી ગઇ. શહીદના પિતાએ કહ્યું હતું “દિકરો ગયો તો શું થયું, વતન તો સલામત છે ને” આ એક વાતે જીતેન્દ્રસિંહના મનમાં દેશભક્તિનું એક અદભૂત જનૂન ભરી દીધું. આજે તેઓ કેટલાય શહીદોના પરિવારોના સંપર્કમાં છે. તેમણે લગભગ અઢી હજાર શહીદોના માતાપિતાની ચરણરજ પણ પોતાની પાસે લાવીને રાખી છે. સશસ્ત્રદળો પ્રત્યેના તેમના આ ગાઢ પ્રેમ અને લગાવનું જીવંત ઉદાહરણ છે. જીતેન્દ્રસિંહનું જીવન આપણને દેશભક્તિનો વાસ્તવિક ઉપદેશ આપે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજકાલ તમે જોયું હશે, ઘણા મકાનોની છત પર, મોટી ઇમારતો પર, સરકારી ઓફિસોની છત પર સોલાર પેનલ ચમકતી જોવા મળે છે. લોકો હવે તેનું મહત્વ સમજી રહ્યા છે. અને ખુલ્લા દિલે અપનાવી રહ્યા છે. આપણા દેશ પર સૂર્યદેવની જ્યારે આટલી કૃપા છે તો, કેમ આપણે તેમની ભેટ સમી આ ઉર્જાનો પૂરો ઉપયોગ ન કરીએ.
સાથીઓ, સૌરઉર્જાથી ખેડૂતોની જીંદગી પણ બદલાઇ રહી છે. એ જ ખેતર, એ જ મહેનત, એ જ ખેડૂત પરંતુ હવે મહેનતનું ફળ અનેકગણું છે. આ પરિવર્તમન આવી રહ્યું છે સોલારપંપથી અને સોલાર રાઇસમીલથી. આજે દેશના કેટલાય રાજ્યોમાં સેંકડો સોલાર રાઇસમીલ લાગી ચૂકી છે. આ સોલારરાઇસ મીલોએ ખેડૂતોની આવકની સાથે તેમના ચહેરાની રોનક પર વધારી દીધી છે.
સાથીઓ, બિહારના દેવકીજીએ સોલારપંપની મદદથી ગામનું નસીબ બદલી નાંખ્યું છે. મુઝફ્ફપુરના રતનપૂરા ગામમાં રહેતા દેવકીજીને લોકો હવે પ્રેમથી સોલારદીદી કહે છે. દેવકીજી કે જેમનું જીવન સરળ નહોતું. નાની ઉંમરે લગ્ન થઇ ગયા, નાનું એવું ખેતર, ચાર બાળકોની જવાબદારી અને ભવિષ્યની કોઇ ચોખ્ખી તસ્વીર નહીં. પરંતુ તેમની હિંમત અતૂટ હતી. તેઓ એક સ્વસહાય જૂથ સાથે જોડાયા, અને ત્યાંજ તેમને સોલારપંપ વિશે જાણકારી મળી. તેમણે સોલારપંપ માટે પ્રયત્નો શરૂ કર્યા. અને તેમાં સફળ પણ રહ્યા. સોલારદીદીના સોલારપંપે ત્યારપછી જાણે ગામની સિકલ જ બદલી નાંખી. પહેલાં જ્યાં થોડા એકર જમીનમાં સિંચાઇ થઇ શક્તી હતી ત્યાં હવે સોલારદીદીના સોલારપંપથી 40 એકરથી વધુ વિસ્તારમાં પાણી પહોંચી રહ્યું છે. સોલારદીદીના આ અભિયાનમાં ગામના બીજા ખેડૂતો પણ જોડાઇ ગયા છે. તેમના મોલ પણ લીલાછમ્મ થવા લાગ્યા છે. અને આવક વધવા લાગી છે.
સાથીઓ, દેવકીજીની જીંદગી પહેલાં ચાર દિવાલો વચ્ચે સમાયેલી હતી. પરંતુ આજે તેઓ પૂરા આત્મવિશ્વાસથી પોતાનું કામ કરી રહ્યાં છે. સોલારદીદી બનીને પૈસા કમાઇ રહ્યાં છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે, તેઓ આ ક્ષેત્રના ખેડૂતોની પાસેથી યુપીઆઇની મદદથી પૈસા મેળવે છે. હવે, આખા ગામમાં તેમને બહુ સન્માનથી જોવામાં આવી રહ્યા છે. તેમની મહેનત અને દુરંદેશીએ બતાવી આપ્યું છે કે, સૌરઉર્જા કેવળ વિજળીનું સાધન નથી, બલ્કિ એ ગામેગામમાં નવી રોશની લાવનારી એક નવી શક્તિ પણ છે.
મારા વ્હાલા દેશવાસીઓ, 15 સપ્ટેમ્બરે ભારતના મહાન એન્જિનિયર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાજીનો જન્મદિવસ આવે છે. તે દિવસને આપણે એન્જિનિયર્સ ડેના રૂપમાં ઉજવીએ છીએ. એન્જિનિયર માત્ર મશીન નથી બનાવતા, પરંતુ તેઓ તો સપનાને હકીકતમાં બદલી નાંખનારા કર્મયોગી હોય છે. હું ભારતના દરેક એન્જિનિયરની પ્રશંસા કરૂં છું. તેમને મારી શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ, સપ્ટેમ્બરમાં ભગવાન વિશ્વકર્માની પૂજાનો પવિત્ર પ્રસંગ પણ આવશે. 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતિ છે. આ દિવસ આપણા એ વિશ્વકર્મા બંધુઓને પણ સમર્પિત છે. જેઓ પરંપરાગત શિલ્પ, કૌશલ્ય અને જ્ઞાનવિજ્ઞાનને સતત એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડી રહ્યા છે. આપણા સુથાર, લુહાર, સોની, કુંભાર, સોમપૂરા હંમેશા ભારતની સમૃદ્ધિના પાયામાં રહ્યા છે. આપણા આ વિશ્વકર્મા બંધુઓની મદદ માટે જ સરકારે વિશ્વકર્મા યોજના પણ ચલાવી છે.
સાથીઓ, હવે હું આપને એક ઓડિયો રેકોર્ડિંગ સંભળાવવા માંગુ છું.
(સરદાર વલ્લભભાઇનો અવાજમાં)
(“तो ये जो मानपत्र में आपने लिखा है कि स्टेटों के बारे में मैंने जो कुछ किया या हैदराबाद के बारे में हमारी गवर्नमेंट ने जो कुछ किया, ठीक है किया, लेकिन आप जानते हैं कि ये हैदराबाद का किस्सा इस तरह से है, हमने किया, उसमें कितनी मुश्किल हुई | सब स्टेटों के साथ, सब Princes के साथ हमने वायदा दिया था कि भाई कोई Prince का कोई राजा का हम ग़लत फैसला नहीं करेंगे | सबका एक ही साथ जैसा सबका होता है वैसा उनका भी होगा | लेकिन उनके लिए हमने वहाँ तक अलग समझौता किया” |)
સાથીઓ, આ અવાજ લોહપૂરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનો છે. હૈદરાબાદની ઘટનાઓ વિશે તેમના સ્વરમાં જે પીડા છે, તેને આપ અનુભવી શકો છો. આવતે મહિને સપ્ટેમ્બર માસમાં આપણે હૈદરાબાદ મુક્તિ દિવસ પણ ઉજવીશું. આ એ જ મહિનો છે, જ્યારે આપણે એ તમામ વીરોના સાહસને યાદ કરીએ છીએ. જેમણે ‘ઓપરેશન પોલો’માં ભાગ લીધો હતો. આપ સૌ જાણો છો કે, જ્યારે ઓગષ્ટ 1947માં ભારતને સ્વતંત્રતા મળી તો હૈદરાબાદ અલગ જ સ્થિતિમાં હતું. નિઝામ અને રઝાકારોના અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યા હતા. ત્રિરંગો લહેરાવવા કે, વંદે માતરમ કહેવા પર પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા હતા. મહિલાઓ અને ગરીબો પર અત્યાચાર કરવામાં આવતા હતા. તે સમયે બાબા સાહેબ આંબેડકરે પણ ચેતવણી આપી હતી કે, આ સમસ્યા બહુ મોટી બનતી જઇ રહી છે. આખરે, સરદાર પટેલે આ મામલાને પોતાના હાથમાં લીધો. તેમણે સરકારને ‘Operation Polo’ શરૂ કરવા માટે તૈયાર કર્યું. વિક્રમરૂપ સમયમાં આપણી સેનાઓએ હૈદરાબાદને નિઝામની તાનાશાહીથી આઝાદ કરાવ્યું. અને તેને ભારતનો હિસ્સો બનાવ્યો. સમગ્ર દેશે આ સફળતાનો ઉત્સવ ઉજવ્યો.
મારા વ્હાલા દેશવાસીઓ, તમે દુનિયાના કોઇપણ ખૂણામાં જાઓ, ત્યાં તમને ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ ચોક્કસ જોવા મળશે. અને આ પ્રભાવ માત્ર દુનિયાના મોટા શહેરો પૂરતો મર્યાદિત નથી, બલ્કે તેના નાના નાના શહેરોમાં પણ જોવા મળે છે. ઇટલીના એક નાનકડા શહેર કૈમ્પ-રોતોંદોમાં આવું જ જોવા મળ્યું છે. ત્યાં મહર્ષિ વાલ્મિકિજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ત્યાંના સ્થાનિક મેયર સહિત આ વિસ્તારના અનેક મહત્વના મહાનુભાવો પણ સામેલ થયા. કૈમ્પ-રોતોંદોમાં રહેનારા ભારતીય મૂળના લોકો મહર્ષિ વાલ્મિકીજીની પ્રતિમા સ્થપાવાથી ખૂબ ખુશ છે. મહર્ષિ વાલ્મિકીનો સંદેશ આપણને સૌને બહુ પ્રેરિત કરે છે.
સાથીઓ, આ મહિનાની શરૂઆતમાં કેનેડાના મિસીસાગામાં પ્રભુ શ્રીરામની એકાવન ફૂટ ઉંચી પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. આ આયોજનને લઇને લોકોમાં બહુ ઉત્સાહ હતો. સોશિયલ મિડિયા પર પ્રભુ શ્રીરામની ભવ્ય પ્રતિમાના વિડિયો પણ ખૂબ મોકલવામાં આવ્યા હતા.
સાથીઓ, રામાયણ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ હવે દુનિયાના ખૂણેખૂણામાં પહોંચી રહ્યો છે. રશિયામાં એક ખ્યાતનામ સ્થાન છે, વ્લાદિવોસ્તોક. ઘણા લોકો તેને એવા સ્થળના રૂપમાં જાણે છે જ્યાં શિયાળામાં ઉષ્ણતામાન માઇનસ 20થી માઇનસ 30 ડીગ્રી સેલ્સિયસ સુધી નીચું ઉતરી જાય છે. આ મહિને વ્લાદિવોસ્તોકમાં એક અનોખું પ્રદર્શન યોજાયું. તેમાં રશિયન બાળકો દ્વારા રામાયણના અલગ અલગ વિષયવસ્તુ પર દોરવામાં આવેલા ચિત્રો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા. ત્યાં એક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. દુનિયાના વિવિધ ભાગોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વધી રહેલી જાગૃતિ જોઇને બહુ આનંદ થાય છે.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાત માં આ વખતે આટલું જ. અત્યારે દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે. આગામી દિવસોમાં ઘણાબધા તહેવારોની રોનક થશે. આ તહેવારોમાં તમારે સ્વદેશીની વાત ક્યારેય પણ ભૂલવાની નથી. ભેટ એ કહેવાય જે ભારતમાં બની હોય. પહેરવેશ એ છે જે, ભારતમાં વણાયો હોય. સજાવટ એ છે જે, ભારતમાં બનેલા સામાનની હોય, રોશની એ છે જે ભારતમાં બનેલી હોય, બીજું પણ એવું ઘણું બધું જીવનની દરેક જરૂરિયાતમાં બધું જ સ્વદેશી હોય. ગર્વથી કહો, આ સ્વદેશી છે. ગર્વથી કહો આ સ્વદેશી છે. ગર્વથી કહો આ સ્વદેશી છે. આ ભાવનાને લઇને આપણે આગળ વધવાનું છે. એક જ મંત્ર વોકલ ફોર લોકલ. એક જ રસ્તો આત્મનિર્ભર ભારત, એક જ લક્ષ્ય, વિકસિત ભારત.
સાથીઓ, આ ખુશીઓની વચ્ચે આપ સૌ સ્વચ્છતા પર ભાર મૂકતા રહો, કેમ કે, જ્યાં સ્વચ્છતા છે ત્યાં તહેવારોનો આનંદ પણ વધી જાય છે. સાથીઓ, મન કી બાત માટે મને આ રીતે જ બહુ મોટી સંખ્યામાં તમારા સંદેશ મોકલતા રહેજો. તમારૂં દરેક સૂચન આ કાર્યક્રમ માટે બહુ મહત્વનું છે. તમારો પ્રતિભાવ મારા સુધી જરૂર પહોંચાડતા રહેજો. આવતી વખતે જ્યારે આપણે મળીશું તો, બીજા પણ નવા વિષયોની ચર્ચા થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
'મન કી બાત'માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં ખુશીની લહેર દોડી ગઈ. આખો દેશ ગર્વથી છલોછલ થઈ ગયો. મને યાદ છે, જ્યારે ઑગસ્ટ 2023માં ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ થયું હતું ત્યારે દેશમાં એક નવું વાતાવરણ બન્યું હતું. સાયન્સ માટે, સ્પેસ માટે બાળકોમાં એક નવી જિજ્ઞાસા પણ જાગી. હવે નાનાં-નાનાં બાળકો પણ કહે છે, અમે પણ સ્પેસમાં જઈશું, અમે પણ ચંદ્ર પર ઉતરીશું- સ્પેસ સાયન્ટિસ્ટ બનીશું.
સાથીઓ,
તમે INSPIRE-MANAK અભિયાનનું નામ સાંભળ્યું હશે. તે બાળકોમાં ઇન્નૉવેશનને ઉત્તેજન આપવાનું અભિયાન છે. તેમાં પ્રત્યેક શાળામાંથી પાંચ બાળકોને પસંદ કરવામાં આવે છે. દરેક બાળક એક નવો આઇડિયા લઈને આવે છે. તેનાથી અત્યાર સુધીમાં લાખો બાળકો જોડાઈ ચૂક્યાં છે અને ચંદ્રયાન-3 પછી તો તેની સંખ્યા બમણી થઈ ગઈ છે. દેશમાં સ્પેસ સ્ટાર્ટ-અપ્સ પણ ઝડપથી આગળ વધી રહ્યાં છે. પાંચ વર્ષ પહેલાં 50થી પણ ઓછાં સ્ટાર્ટ અપ હતાં. આજે 200થી વધુ થઈ ગયાં છે, માત્ર સ્પેસ સેક્ટરમાં. સાથીઓ, આગામી મહિને 23 ઑગસ્ટે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ છે. તમે તેને કેવી રીતે મનાવશો, કોઈ નવો વિચાર છે? મને નમો ઍપ પર જરૂર મેસેજ કરજો.
સાથીઓ,
21મી સદીના ભારતમાં આજે સાયન્સ એક નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે. કેટલાક દિવસો પહેલાં આપણા વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઑલમ્પિયાડમાં મેડલ જીત્યા છે. દેવેશ પંકજ, સંદીપ કુચી, દેબદત્ત પ્રિયદર્શી અને ઉજ્જવલ કેસરી, આ ચારેય જણાએ ભારતનું નામ ઉજાળ્યું છે. મેથ્સની દુનિયામાં પણ ભારતે પોતાની ઓળખ વધુ મજબૂત કરી છે. ઑસ્ટ્રેલિયામાં થયેલા ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઑલમ્પિયાડમાં આપણા વિદ્યાર્થીઓએ ત્રણ સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે.
સાથીઓ,
આગામી મહિને મુંબઈમાં ઍસ્ટ્રૉનૉમી અને ઍસ્ટ્રૉફિઝિક્સ ઑલમ્પિયાડ યોજાવાનો છે. તેમાં 60થી વધુ દેશના વિદ્યાર્થીઓ આવશે. વૈજ્ઞાનિકો પણ આવશે. તે અત્યાર સુધીનો સૌથી મોટો ઑલમ્પિયાડ હશે. એક રીતે જોઈએ તો, ભારત હવે ઑલમ્પિક અને ઑલમ્પિયાડ, બંને માટે આગળ વધી રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ,
આપણને બધાને ગર્વ થાય તેવા એક બીજા સમાચાર આવ્યા છે, યુનેસ્કોમાંથી. યુનેસ્કોએ 12 મરાઠા કિલ્લાઓને વિશ્વ વારસા સ્થળ તરીકે માન્યતા આપી છે. અગિયાર કિલ્લા મહારાષ્ટ્રમાં છે, જ્યારે એક કિલ્લો તમિલનાડુમાં. દરેક કિલ્લા સાથે ઇતિહાસનું એક-એક પાનું જોડાયેલું છે. દરેક પથ્થર, એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી છે. સલ્હેરનો કિલ્લો, જ્યાં મોગલોની હાર થઈ, શિવનેરી, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો. કિલ્લો એવો જેને દુશ્મન ભેદી ન શકે. ખાનદેરીનો કિલ્લો, સમુદ્ર વચ્ચે બનેલો અદ્ભુત કિલ્લો. શત્રુ તેમને રોકવા ઇચ્છતા હતા પરંતુ શિવાજી મહારાજે અસંભવને સંભવ કરીને દેખાડ્યું. પ્રતાપગઢનો કિલ્લો જ્યાં અફઝલ ખાન પર જીત થઈ, તે ગાથાની ગૂંજ આજે પણ કિલ્લાની દીવાલોમાં સમાયેલી છે. વિજયદુર્ગ, જેમાં ગુપ્ત સુરંગો હતી, છત્રપતિ શિવાજી મહારાજની દૂરદર્શિતાનું પ્રમાણ આ કિલ્લામાંથી મળે છે. મેં કેટલાંક વર્ષ પહેલાં રાયગઢની મુલાકાત લીધી હતી. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને નમન કર્યું હતું. આ અનુભવ જીવનભર મારી સાથે રહેશે.
સાથીઓ,
દેશના બીજા હિસ્સાઓમાં પણ આવા જ અદ્ભુત કિલ્લાઓ છે, જેમણે આક્રમણો સહન કર્યાં, ખરાબ હવામાનનો માર સહ્યો, પરંતુ આત્મસન્માનને ક્યારેય પણ ઝૂકવા નથી દીધું. રાજસ્થાનનો ચિતૌડગઢનો કિલ્લો, કુંભલગઢનો કિલ્લો, રણથંભોરનો કિલ્લો, આમેર કિલ્લો, જૈસલમેર કિલ્લો તો વિશ્વ પ્રસિદ્ધ છે. કર્ણાટકમાં ગુલબર્ગાનો કિલ્લો પણ ઘણો મોટો છે. ચિત્રદુર્ગના કિલ્લાની વિશાળતા પણ તમને કુતૂહલથી ભરી દેશે કે એ જમાનામાં આ કિલ્લો બન્યો કેવી રીતે હશે !
સાથીઓ,
ઉત્તર પ્રદેશના બાંદામાં છે, કાલિંજર કિલ્લો. મહેમૂદ ગજનવીએ અનેક વાર આ કિલ્લા પર આક્રમણ કર્યું અને દરેક વખતે તે અસફળ રહ્યો. બુંદેલખંડમાં એવા અનેક કિલ્લાઓ છે- ગ્વાલિયર, ઝાંસી, દતિયા, અજયગઢ, ગઢકુંડાર, ચંદેરી. આ કિલ્લા માત્ર ઈંટ-પથ્થર નથી, તે આપણી સંસ્કૃતિનાં પ્રતીકો છે. સંસ્કાર અને સ્વાભિમાન, આજે પણ આ કિલ્લાઓની ઊંચી-ઊંચી દીવાલોમાંથી ડોકિયાં કરે છે. હું બધા દેશવાસીઓને આગ્રહ કરું છું કે આ કિલ્લાની યાત્રા કરો, પોતાના ઇતિહાસને જાણો, ગૌરવ અનુભવો.
મારા પ્રિય દેશવાસીઓ,
તમે કલ્પના કરો. બિલકુલ પરોઢિયાનો સમય. બિહારનું મુઝફ્ફરપુર શહેર. તારીખ છે 11 ઑગસ્ટ 1908. દરેક ગલી, દરેક ચોક, દરેક હિલચાલ તે સમયે જાણે કે રોકાઈ ગઈ હતી. લોકોની આંખોમાં આંસુ હતાં, પરંતુ હૃદયમાં જ્વાળા હતી. લોકોએ જેલને ઘેરી રાખી હતી, જ્યાં એક 18 વર્ષનો યુવક, અંગ્રેજો વિરુદ્ધ પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરવાનું મૂલ્ય ચૂકવી રહ્યો હતો. જેલની અંદર, અંગ્રેજ અધિકારી, એક યુવાને ફાંસી દેવાની તૈયારી કરી રહ્યા હતા. તે યુવાના ચહેરા પર ભય નહોતો, પરંતુ તે ગર્વથી ભરેલો હતો. એ ગર્વ જે દેશ માટે મર-મીટનારા લોકોને હોય છે. તે વીર, તે સાહસી યુવાન હતા ખુદીરામ બોઝ. માત્ર 18 વર્ષની વયમાં તેમણે એ સાહસ કરીને દેખાડ્યું જેણે પૂરા દેશને હચમચાવી મૂક્યો.
ત્યારે સમાચારપત્રોએ પણ લખ્યું હતું- 'ખુદીરામ બોઝ જ્યારે ફાંસીના ગાળિયાની તરફ આગળ વધ્યા, તો તેમના ચહેરા પર સ્મિત હતું.' આવાં જ અગણિત બલિદાનો પછી, સદીઓની તપસ્યા પછી, આપણને સ્વતંત્રતા મળી હતી. દેશના દીવાનોએ પોતાના રક્તથી સ્વતંત્રતા આંદોલનને સીંચ્યું હતું.
સાથીઓ,
ઑગસ્ટનો મહિનો એટલા માટે જ તો ક્રાંતિનો મહિનો છે. 1 ઑગસ્ટે લોકમાન્ય બાળગંગાધર તિલકની પુણ્યતિથિ છે. આ મહિને આઠ ઑગસ્ટે ગાંધીજીના નેતૃત્વમાં 'ભારત છોડો આંદોલન'ની શરૂઆત થઈ હતી. પછી આવે છે 15 ઑગસ્ટ, આપણો સ્વતંત્રતા દિવસ, આપણે આપણા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીએ છીએ, તેમનામાંથી પ્રેરણા મેળવીએ છીએ, પરંતુ સાથીઓ, આપણી સ્વતંત્રતા સાથે દેશના વિભાજનની એક ટીસ પણ જોડાયેલી છે, આથી આપણે 14 ઑગસ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'ના રૂપમાં મનાવીએ છીએ.
મારા પ્રિય દેશવાસીઓ,
7 ઑગસ્ટ 1905એ એક બીજી ક્રાંતિની શરૂઆત થઈ હતી. સ્વદેશી આંદોલને સ્થાનિક ઉત્પાદનો અને વિશેષ રૂપે, હૅન્ડલૂમને એક નવી ઊર્જા આપી હતી. આ સ્મૃતિમાં દેશ પ્રત્યેક વર્ષ સાત ઑગસ્ટને નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવે છે. આ વર્ષે સાત ઑગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડેને દસ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. સ્વતંત્રતાના સમયે જેવી રીતે આપણી ખાદીએ સ્વતંત્રતા આંદોલનને એક નવી શક્તિ આપી હતી, તેવી જ રીતે આજે જ્યારે દેશ, વિકસિત ભારત તરફ ડગલાં ભરી રહ્યો છે, તો કાપડ ક્ષેત્ર દેશની શક્તિ બની રહ્યું છે. આ દસ વર્ષોમાં દેશના અલગ-અલગ હિસ્સાઓમાં આ ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો લોકોએ સફળતાની અનેક ગાથાઓ લખી છે. મહારાષ્ટ્રના પૈઠણ ગામની કવિતા ધવલે પહેલાં એક નાના ઓરડામાં કામ કરતી હતી- ન તો જગ્યા હતી અને ન તો સુવિધા.
સરકાર પાસેથી મદદ મળી, હવે તેમનું કૌશલ્ય ઉડાન ભરી રહ્યું છે. તેઓ ત્રણ ગણું વધુ કમાઈ રહ્યાં છે. પોતે પોતાની બનાવેલી પૈઠણી સાડીઓ વેચી રહ્યાં છે. ઉડીસાના મયૂરભંજમાં પણ સફળતાની આવી જ કથા છે. અહીં 650થી વધુ આદિવાસી મહિલાઓએ સંથાલી સાડીને ફરીથી જીવિત કરી છે. હવે આ મહિલાઓ દર મહિને હજારો રૂપિયા કમાઈ રહી છે. તેઓ માત્ર કપડાં નથી બનાવી રહી, પરંતુ પોતાની ઓળખ બનાવી રહી છે. બિહારના નાલંદાથી નવીનકુમારની ઉપલબ્ધિ પણ પ્રેરણાદાયક છે. તેમનો પરિવાર પેઢીઓથી આ કામ સાથે જોડાયેલો છે. પરંતુ સૌથી સારી વાત એ છે કે તેમના પરિવારે હવે આ ક્ષેત્રમાં આધુનિકતાનો પણ સમાવેશ કર્યો છે. હવે તેમનાં બાળકો હેન્ડલૂમ ટૅક્નૉલૉજીનો અભ્યાસ કરી રહ્યા છે. મોટી બ્રાન્ડમાં કામ કરી રહ્યાં છે. આ પરિવર્તન માત્ર એક પરિવારનું નથી, તે આસપાસના અનેક પરિવારોને આગળ વધારી રહ્યું છે.
સાથીઓ,
ટૅક્સટાઇલ ભારતનું માત્ર એક ક્ષેત્ર નથી. તે આપણી સાંસ્કૃતિક વિવિધતાનું ઉદાહરણ છે. આજે ટૅક્સ્ટાઇલ અને અપેરલ માર્કેટ ઘણું ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ વિકાસની સૌથી સુંદર વાત એ છે કે ગામની મહિલાઓ, શહેરના ડિઝાઇનર, વૃદ્ધ વણકરો અને સ્ટાર્ટ-અપ શરૂ કરનારા આપણા યુવાનો બધાં મળીને તેને આગળ વધારી રહ્યા છે. આજે ભારતમાં 3000થી વધુ ટૅક્સ્ટાઇલ સ્ટાર્ટ અપ સક્રિય છે. અનેક સ્ટાર્ટ અપે ભારતની હૅન્ડલૂમ ઓળખને વૈશ્વિક ઊંચાઈ આપી છે. સાથીઓ, 2047ના વિકસિત ભારતનો રસ્તો આત્મનિર્ભરતાથી થઈને પસાર થાય છે અને 'આત્મનિર્ભર ભારત'નો સૌથી મોટો આધાર છે- 'વોકલ ફોર લોકલ'. જે ચીજો ભારતમાં બનેલી હોય, જેને બનાવવામાં કોઈ ભારતીયનો પરસેવો વહ્યો હોય, તે ખરીદો અને તે જ વેચો. આ આપણો સંકલ્પ હોવો જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ,
ભારતની વિવિધતાની સૌથી સુંદર ઝલક આપણાં લોકગીતો અને પરંપરાઓમાં મળે છે અને તેનો હિસ્સો છે આપણાં ભજન અને આપણાં કીર્તન. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કીર્તન દ્વારા દાવાનળ પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે? તમને કદાચ વિશ્વાસ નહીં થાય, પરંતુ ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં એક અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. અહીં, રાધાકૃષ્ણ સંકીર્તન મંડળી નામની એક ટોળી છે. ભક્તિની સાથોસાથ, આ ટોળી, આજે, પર્યાવરણ સંરક્ષણનો પણ મંત્ર જપી રહી છે. આ પહેલની પ્રેરણા છે- પ્રમિલા પ્રધાન જી. જંગલ અને પર્યાવરણની રક્ષા માટે તેમણે પારંપરિક ગીતોમાં નવા શબ્દો જોડ્યા, નવા સંદેશાઓ જોડ્યા. તેમની ટોળી ગામેગામ ગઈ. ગીતોના માધ્યમથી લોકોને સમજાવ્યું કે જંગલમાં લાગતી આગથી કેટલું નુકસાન થાય છે. આ ઉદાહરણ આપણને સ્મરણ અપાવે છે કે આપણી લોકપરંપરાઓ કોઈ વિતેલા યુગની ચીજો નથી, તેમાં આજે પણ સમાજને દિશા આપવાની શક્તિ છે.
મારા પ્રિય દેશવાસીઓ,
ભારતની સંસ્કૃતિનો બહુ મોટો આધાર, આપણા તહેવારો અને પરંપરાઓ છે, પરંતુ આપણી સંસ્કૃતિની જીવંતતાનો એક બીજો પક્ષ પણ છે- આ પક્ષ છે આપણા વર્તમાન અને આપણા ઇતિહાસને ડૉક્યૂમેન્ટ કરતા રહેવાનો. આપણી ખરી શક્તિ તો તે જ્ઞાન છે, જે સદીઓથી પાંડુલિપિઓ (મેનૂસ્ક્રિપ્ટ)ના રૂપમાં સાચવવામાં આવ્યું છે. આ પાંડુલિપિઓમાં વિજ્ઞાન છે, ચિકિત્સા પદ્ધતિઓ છે, સંગીત છે, દર્શન છે અને સૌથી મોટી વાત, એ વિચારસરણી છે જે માનવતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. સાથીઓ, એવા અસાધારણ જ્ઞાનને, આ વારસાને સાચવવો એ આપણા બધાનું ઉત્તરદાયિત્વ છે. આપણા દેશના દરેક કાળખંડમાં કેટલાક
એવા લોકો થયા છે જેમણે તેને પોતાની સાધના બનાવી લીધી. આવું જ એક પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે - મણિમારન જી, જે તમિલનાડુના તંજાવુરથી છે. તેમને લાગ્યું કે જો આજની પેઢી તમિલ પાંડુલિપિઓ વાંચતા નહીં શીખે તો આવનારા સમયમાં તેઓ આ અણમોલ વારસો ખોઈ બેસશે. આથી તેમણે સાંજે કક્ષાઓ શરૂ કરી. જ્યાં વિદ્યાર્થી, નોકરી કરતો યુવા, સંશોધક, બધા ત્યાં આવીને શીખવા લાગ્યા. મણિ મારન જીએ લોકોને શીખવાડ્યું કે 'તમિલ સુવૈદ્યલ' અર્થાત્ ખજૂરના પાન હસ્તપ્રતોને વાંચવા અને સમજવાનો વિધિ શું હોય છે. આજે અનેક પ્રયાસોથી કેટલાય વિદ્યાર્થીઓ આ વિધામાં પારંગત બની ચૂક્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ તો આ પાંડુલિપિઓના આધાર પર પરંપરાગત ચિકિત્સા પ્રણાલિ પર સંશોધન પણ ચાલુ કરી દીધું છે. સાથીઓ, વિચારો, જો આવા પ્રયાસો દેશભરમાં થાય તો આપણું પુરાતન જ્ઞાન માત્ર દીવાલોની અંદર બંધ નહીં રહે, તે નવી પેઢીની ચેતનાનો હિસ્સો બની જશે. આ વિચારસરણીથી પ્રેરિત થઈને, ભારત સરકારે આ વર્ષના બજેટમાં એક ઐતિહાસિક પહેલની ઘોષણા કરી છે, 'જ્ઞાન ભારતમ્ મિશન'. આ મિશન અંતર્ગત પ્રાચીન પાંડુલિપિઓને ડિજિટાઇઝ કરવામાં આવશે. પછી એક નેશનલ ડિજિટલ રિપૉઝિટરી બનાવવામાં આવશે જ્યાં દુનિયાભરના વિદ્યાર્થીઓ, શોધકર્તા, ભારતની જ્ઞાન પરંપરા સાથે જોડાઈ શકશે. મારો પણ તમને બધાને આગ્રહ છે કે જો તમે આવા કોઈ પ્રયાસ સાથે જોડાયેલા હો, અથવા જોડાવા માગતા હો, તો MyGov અથવા સંસ્કૃતિ મંત્રાલયનો જરૂર સંપર્ક કરજો, કારણકે આ માત્ર પાંડુલિપિઓ નથી, તે ભારતની આત્માનો એ અધ્યાય છે, જેને આપણે આપણી આવનારી પેઢીઓને ભણાવવાનો છે.
મારા પ્રિય દેશવાસીઓ,
જો તમને પૂછવામાં આવે કે તમારી આસપાસ કેટલાં પ્રકારનાં પક્ષી છે, ચકલી છે તો તમે શું કહેશો?
કદાચ એ કે મને તો પાંચ-છ પક્ષી જોવા મળી જ જાય છે, અથવા ચકલી દેખાય જ જાય છે - કેટલીક જાણીતી હોય છે, કોઈ અજાણી. પરંતુ એ જાણવું ઘણું રસપ્રદ હોય છે કે આપણી આસપાસ પક્ષીઓની કઈ-કઈ પ્રજાતિઓ રહે છે. તાજેતરમાં જ એક એવો જ શાનદાર પ્રયાસ થયો છે, જગ્યા છે આસામનો કઝિરંગા નેશનલ પાર્ક. આમ તો આ ક્ષેત્ર પોતાના રાઇનો (ગેંડા) માટે પ્રખ્યાત છે- પરંતુ આ વખતે તે ચર્ચાનો વિષય બન્યો છે, ત્યાંના ઘાસનાં મેદાન અને તેમાં રહેતી ચકલીઓ. ત્યાં પહેલી વાર ગ્રાસલેણ્ડ બર્ડ સેન્સસ એટલે કે ઘાસમાં રહેતાં પક્ષીઓની ગણતરી થઈ છે. તમે જાણીને પ્રસન્ન થશો કે આ જનસંખ્યા ગણતરીના કારણે પક્ષીઓની ૪૦થી વધુ પ્રજાતિઓની ઓળખ થઈ છે. તેમાં અનેક દુર્લભ પક્ષી સમાવિષ્ટ છે. તમે વિચારી રહ્યા હશો કે આટલા પક્ષી કેવી રીતે ઓળખાયાં ! તેમાં ટૅક્નૉલૉજીએ ચમત્કાર કર્યો. જનસંખ્યા ગણતરી કરનારી ટીમે અવાજ રેકૉર્ડ કરનારા યંત્રો લગાડ્યાં. પછી કમ્પ્યૂટરની સહાયથી તે અવાજોનું વિશ્લેષણ કર્યું, એઆઈનો ઉપયોગ કર્યો. માત્ર અવાજથી જ પક્ષીઓની ઓળખ થઈ ગઈ - તે પણ તેમને ખલેલ પહોંચાડ્યા વગર. વિચારો ! ટૅક્નૉલૉજી અને સંવેદનશીલતા જ્યારે એક સાથે આવે છે તો પ્રકૃતિને સમજવું કેટલું સરળ અને ગાઢ બની જાય છે. આપણે આવા પ્રયાસોને ઉત્તેજન આપવું જોઈએ, જેથી, આપણે, આપણી જૈવ વિવિધતાને ઓળખી શકીએ અને આગામી પેઢીને પણ તેની સાથે જોડી શકીએ.
મારા પ્રિય દેશવાસીઓ,
ક્યારેક-ક્યારેક સૌથી મોટું ઉજાળું ત્યાંથી ફૂટે છે, જ્યાં અંધકારે સૌથી વધુ ધામા નાખ્યા હોય. આવું જ એક ઉદાહરણ છે ઝારખંડના ગુમલા જિલ્લાનું. એક સમય હતો, જ્યારે આ ક્ષેત્ર માઓવાદી હિંસા માટે જાણીતું હતું. બાસિયા ખંડનાં ગામડાંઓ વીરાન થઈ રહ્યા હતા. લોકો ડરના ઓછાયા હેઠળ જીવતા હતા. રોજગારની કોઈ સંભાવના દેખાતી નહોતી, જમીનો ખાલી પડી હતી અને યુવાનો પલાયન કરી રહ્યા હતા.
પરંતુ પછી, પરિવર્તનની એક ખૂબ જ શાંત અને ધૈર્યભરી શરૂઆત થઈ. ઓમપ્રકાશ સાહુજી નામના એક યુવકે હિંસાનો રસ્તો છોડી દીધો. તેમણે મત્સ્ય પાલન શરૂ કર્યું. પછી પોતાના અનેક સાથીઓને પણ તેના માટે પ્રેરિત કર્યા. તેમના આ પ્રયાસની અસર પણ થઈ. જે પહેલાં બંદૂક લઈને ચાલતા હતા, તેઓ હવે માછલી પકડવાની જાળ પકડવા લાગ્યા છે.
સાથીઓ,
ઓમપ્રકાશ સાહૂજીની શરૂઆત સરળ નહોતી. વિરોધ થયો, ધમકીઓ મળી, પરંતુ સાહસ ન ખૂટ્યું. જ્યારે 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના' આવી તો તેમને નવી શક્તિ મળી. સરકાર પાસેથી પ્રશિક્ષણ મળ્યું, તળાવ બનાવવામાં મદદ મળી અને જોતજોતામાં, ગુમલામાં, મત્સ્ય ક્રાંતિનો સૂત્રપાત થઈ ગયો. આજે બાસિયા ખંડના 150થી વધુ પરિવારો મત્સ્ય પાલન સાથે જોડાઈ ચૂક્યા છે. અનેક તો એવા લોકો છે જે ક્યારેક નક્સલી સંગઠનમાં હતા, હવે તે ગામમાં જ, સમ્માનથી જીવી રહ્યા છે અને બીજાને આજીવિકા આપી રહ્યા છે. ગુમલાની આ યાત્રા આપણને શીખવે છે કે જો રસ્તો સાચો હોય અને મનમાં ભરોસો હોય તો સૌથી કઠિન પરિસ્થિતિઓમાં પણ વિકાસનો દીપ પ્રજ્વળી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ,
શું તમે જાણો છો કે ઑલમ્પિક્સ પછી સૌથી મોટું ખેલ આયોજન કયું હોય છે? તેનો ઉત્તર છે- 'વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ'. દુનિયાભરના પોલીસ કર્મચારી, અગ્નિશામક દળના કર્મચારીઓ, સુરક્ષા સાથે જોડાયેલા લોકો વચ્ચે થતી સ્પૉર્ટ્સ ટુર્નામેન્ટ. આ વખતે આ ટુર્નામેન્ટ અમેરિકામાં થઈ અને તેમાં ભારતે ઇતિહાસ રચી દીધો. ભારતે લગભગ 600 ચંદ્રકો જીત્યા. 71 દેશોમાં આપણે ટોચના ત્રણમાં પહોંચ્યા. તે ગણવેશધારીઓની મહેનત રંગ લાવી જે દિવસ-રાત દેશ માટે ઊભા રહે છે. આપણા આ સાથી હવે રમતના મેદાનમાં પણ ઝંડો ઊંચો કરી રહ્યા છે.
હું બધા ખેલાડીઓ અને કૉચિંગ ટીમને અભિનંદન આપું છું. આમ તો તમારા માટે એ જાણવું રસપ્રદ રહેશે કે 2029માં આ રમતો ભારતમાં યોજાશે. દુનિયાભરના ખેલાડીઓ આપણા દેશમાં આવશે. આપણે તેમને ભારતનું આતિથ્ય દેખાડીશું, પોતાની ખેલ સંસ્કૃતિનો પરિચય કરાવીશું.
સાથીઓ,
વિતેલા દિવસોમાં, મને યુવાન ઍથ્લેટ અને તેમનાં માતાપિતાના સંદેશા મળ્યા છે. તેમાં 'ખેલો ભારત નીતિ 2025'ની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. આ નીતિનું લક્ષ્ય સ્પષ્ટ છે- ભારતને રમતના ક્ષેત્રમાં મહા સત્તા બનાવવું. ગામ, ગરીબ અને દીકરીઓ આ નીતિની પ્રાથમિકતા છે. શાળા અને કૉલેજ, હવે રમતને, પ્રતિ દિનના જીવનનો હિસ્સો બનાવશે. રમતો સાથે જોડાયેલાં સ્ટાર્ટ અપ, પછી તે સ્પૉર્ટ્સ મેનેજમેન્ટ્સ હોય કે મેન્યૂફૅક્ચરિંગ સાથે જોડાયેલા હોય, તેમની બધી રીતે મદદ કરવામાં આવશે. વિચારો, જ્યારે દેશનો યુવાન પોતાના બનાવેલાં રેકેટ, બેટ અને બૉલ સાથે રમશે તો આત્મનિર્ભરતાના મિશનને કેટલું મોટું બળ મળશે. સાથીઓ, રમતો સંઘ ભાવના ઉત્પન્ન કરે છે. તે ચુસ્તી, આત્મવિશ્વાસ અને એક મજબૂત ભારત નિર્માણનો રસ્તો છે. આથી ખૂબ રમો, ખૂબ ખિલો.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક લોકોને ક્યારેક કોઈ કામ અસંભવ જેવું લાગે છે. લાગે છે કે શું આ પણ થઈ શકશે. પરંતુ જ્યારે દેશ એક વિચાર પર એક સાથે આવી જાય તો અસંભવ પણ સંભવ થઈ જાય છે. 'સ્વચ્છ ભારત મિશન' તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ટૂંક સમયમાં જ તેને 11 વર્ષ પૂરાં થશે. પરંતુ તેની શક્તિ અને તેની આવશ્યકતા આજે પણ એવી જ છે. આ 11 વર્ષોમાં 'સ્વચ્છ ભારત મિશન' એક જન આંદોલન બન્યું છે. લોકો તેને પોતાનું કર્તવ્ય માને છે અને આ જ તો અસલી જનભાગીદારી છે.
સાથીઓ, પ્રત્યેક વર્ષ થનારા સ્વચ્છ સર્વેક્ષણે આ ભાવનાને આગળ વધારી છે. આ વર્ષે દેશનાં 4,500થી વધુ શહેરો અને નગરો તેની સાથે જોડાયાં. 15 કરોડથી વધુ લોકોએ તેમાં ભાગ લીધો. આ કોઈ સામાન્ય સંખ્યા નથી. તે સ્વચ્છ ભારતનો અવાજ છે.
સાથીઓ,
સ્વચ્છતા માટે આપણાં શહેરો અને નગરો પોતાની આવશ્યકતાઓ અને વાતાવરણ મુજબ, અલગ-અલગ રીતે કામ કરી રહ્યાં છે. અને તેની અસર કેવળ, એ શહેરો પૂરતી જ નથી, સમગ્ર દેશ આ રીતોને અપનાવી રહ્યો છે. ઉત્તરાખંડના કીર્તિનગરના લોકો, પહાડોમાં કચરા પ્રબંધનનું નવું ઉદાહરણ સ્થાપી રહ્યા છે. આ જ રીતે મેંગલુરુમાં ટૅક્નૉલૉજીથી જૈવિક કચરા પ્રબંધનનું કામ થઈ રહ્યું છે. અરુણાચલમાં નાનકડું શહેર રોઇંગ છે. એક સમય હતો જ્યારે અહીંના લોકોના સ્વાસ્થ્યની સામે કચરા પ્રબંધન બહુ મોટો પડકાર હતો. અહીંના લોકોએ તેનું ઉત્તરદાયિત્વ લીધું. 'ગ્રીન રૉઇંગ ઇનિશિએટિવ' શરૂ થયું અને પછી પુનર્ચક્રિત કચરા (Recycled waste)થી આખો એક પાર્ક બનાવી દેવાયો. આવું જ કરાડમાં, વિજયવાડામાં, જળ પ્રબંધનનાં અનેક નવાં ઉદાહરણો બન્યાં છે. અમદાવાદમાં રિવર ફ્રન્ટ પર સફાઈએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
સાથીઓ,
ભોપાલની એક ટીમનું નામ છે 'સકારાત્મક સોચ'. તેમાં 200 મહિલાઓ છે. તેઓ માત્ર સફાઈ જ નથી કરતી, વિચારસરણી પણ બદલે છે. એક સાથે મળીને શહેરના 17 પાર્કોની સફાઈ કરવી, કાપડની થેલીઓ વહેંચવી, તેમનું દરેક પગલું એક સંદેશ છે. આવા પ્રયાસોના કારણે જ ભોપાલ પણ હવે સ્વચ્છ સર્વેક્ષણમાં ઘણું આગળ આવી ગયું છે. લખનઉની ગોમતી નદી ટીમનો ઉલ્લેખ પણ આવશ્યક છે. દસ વર્ષ પ્રત્યેક રવિવાર, વિના થાકે, વિના અટકે, આ ટીમના લોકો સ્વચ્છતાના કામમાં જોડાયેલા છે.
છત્તીસગઢનું બિલ્હાનું ઉદાહરણ પણ શાનદાર છે. અહીં મહિલાઓને કચરા પ્રબંધનનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું અને તેમણે મળીને, શહેરની તસવીર બદલી નાખી. ગોવાના પણજી શહેરનું ઉદાહરણ પણ પ્રેરક છે. ત્યાં કચરાને 16 શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે અને તેનું નેતૃત્વ પણ મહિલાઓ કરી રહી છે. પણજીને તો રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળ્યો છે. સાથીઓ, સ્વચ્છતા માત્ર એક સમયનું, એક દિવસનું કામ નથી. જ્યારે આપણે વર્ષમાં, પ્રત્યેક દિવસ, પ્રત્યેક પળ, સ્વચ્છતાને પ્રાથમિકતા આપીશું ત્યારે દેશ સ્વચ્છ રહી શકશે.
સાથીઓ,
શ્રાવણના વરસાદી વાતાવરણ વચ્ચે, દેશ ફરી એક વાર તહેવારના પ્રકાશથી ચમકવા જઈ રહ્યો છે. આજે હરિયાળી બીજ છે. પછી નાગપંચમી, અને રક્ષા બંધન, પછી જન્માષ્ટમી, આપણા નટખટ કાનાનો જન્મનો ઉત્સવ. આ બધા પર્વ આપણી ભાવનાઓ સાથે જોડાયેલા છે, તેઓ આપણને પ્રકૃતિથી જોડાણ અને સંતુલનનો પણ સંદેશ આપે છે. આપ સહુને આ પાવન પર્વની ઘણી બધી શુભકામનાઓ. મારા પ્રિય સાથીઓ, પોતાના વિચાર અને અનુભવ જણાવતા રહેજો. આગામી મહિને ફરી મળીશું, દેશવાસીઓની બીજી કેટલીક ઉપલબ્ધિઓ અને પ્રેરણાઓની સાથે. તમારું ધ્યાન રાખજો.
ખૂબ-ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'માં ભાગ લીધો. તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે દસ વર્ષમાં આ સિલસિલો દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. આ એનો પણ સંકેત આપે છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે. આ વખતે આપણે 'યોગ દિવસ'ની ઘણી આકર્ષક તસવીરો જોઈ છે. વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ એક સાથે યોગ કર્યા. વિશાખાપટ્ટનમથી જ એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી 108 સૂર્ય નમસ્કાર કર્યા. વિચારો કે કેટલી શિસ્ત અને સમર્પણ રહ્યું હશે. આપણા નૌકાદળના જહાજો પર પણ, યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં ત્રણ હજાર દિવ્યાંગ સાથીઓએ સાથે મળીને યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે બતાવ્યું કે યોગ કેવી રીતે સશક્તિકરણનું માધ્યમ પણ છે.
દિલ્હીના લોકોએ યોગને સ્વચ્છ યમુનાના સંકલ્પ સાથે જોડ્યો અને યમુના કિનારે જઈને યોગ કર્યા. જમ્મુ અને કાશ્મીરના ચીનાબ બ્રિજ, જે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે, ત્યાં પણ લોકોએ યોગ કર્યો. હિમાલયના બર્ફીલા શિખરો અને ITBPના સૈનિકો, ત્યાં પણ યોગ જોવા મળ્યા, સાહસ અને સાધના સાથે સાથે ચાલ્યા. ગુજરાતના લોકોએ પણ એક નવો ઇતિહાસ રચ્યો. વડનગરમાં 2121 (એકવીસસો એકવીસ) લોકોએ સાથે મળીને ભુજંગાસન કર્યું અને એક નવો રેકોર્ડ બનાવ્યો. ન્યુ યોર્ક, લંડન, ટોક્યો, પેરિસ, વિશ્વના દરેક મોટા શહેરથી યોગની છબીઓ આવી અને દરેક છબીમાં એક વાત ખાસ રહી, શાંતિ, સ્થિરતા અને સંતુલન.
આ વખતની થીમ ખૂબ જ ખાસ પણ હતી. ‘Yoga for One Earth, One Health, અર્થાત 'એક પૃથ્વી - એક આરોગ્ય'. આ ફક્ત એક સૂત્ર નથી, એક દિશા છે જે આપણને વસુધૈવ કુટુમ્બકમનો અનુભવ કરાવે છે. મને ખાતરી છે કે આ વર્ષના યોગ દિવસની ભવ્યતા વધુને વધુ લોકોને યોગ અપનાવવા માટે ચોક્કસ પ્રેરણા આપશે.
મારા પ્રિય દેશવાસીઓ,
જ્યારે કોઈ તીર્થયાત્રા પર જાય છે, ત્યારે એક જ ભાવ મનમાં આવે છે, "ચાલો, હુકમ થયો છે". આ ભાવ આપણી ધાર્મિક યાત્રાઓનો આત્મા છે. આ યાત્રાઓ શરીરની શિસ્ત, મનની શુદ્ધિ, પરસ્પર પ્રેમ અને ભાઈચારાનો, ઈશ્વર સાથે જોડાવાનું એક માધ્યમ છે. આ ઉપરાંત, આ યાત્રાઓનું બીજું પણ એક મોટું પાસું છે. આ ધાર્મિક યાત્રાઓ સેવાની તકોનું એક મહાન અનુષ્ઠાન પણ છે. જ્યારે કોઈપણ યાત્રા થાય છે, ત્યારે જેટલા લોકો યાત્રા પર જાય છે તેના કરતાં પણ વધુ લોકો યાત્રાળુઓની સેવા કરવાના કાર્યમાં જોડાય છે. જગ્યા-જગ્યાએ ભંડાર અને લંગરનું આયોજન કરવામાં આવે છે. લોકો રસ્તાના કિનારે પાણીની પરબ લગાવે છે. સેવાની ભાવનાથી જ, મેડિકલ કેમ્પ અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવે છે. ઘણા લોકો પોતાના ખર્ચે તીર્થયાત્રાળુઓ માટે ધર્મશાળાઓની, અને રહેવાની વ્યવસ્થા કરે છે.
સાથીઓ, ઘણા સમય પછી કૈલાશ માનસરોવર યાત્રાનો ફરી શુભારંભ થયો છે. કૈલાશ માનસરોવર અર્થાત ભગવાન શિવનું ધામ. હિંદુ, બૌદ્ધ અને જૈન દરેક પરંપરામાં કૈલાશને શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે.
સાથીઓ,
3 જુલાઈથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે, અને શ્રાવણનો પવિત્ર મહિનો પણ થોડા જ દિવસો દૂર છે. હમણાં થોડા દિવસો પહેલા આપણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ જોઈ. ઓડિશા હોય, ગુજરાત હોય, કે દેશનો કોઈ બીજો ખૂણો, લાખો શ્રદ્ધાળું આ યાત્રામાં ભાગ લે છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, આ યાત્રાઓ 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના ભાવનું પ્રતિબિંબ છે. જ્યારે આપણે શ્રદ્ધાભાવથી, પૂરા સમર્પણથી અને પૂરા અનુશાસનથી આપણી ધાર્મિક યાત્રા સંપન્ન કરીએ છીએ, તો તેનું ફળ પણ મળે છે. હું યાત્રા પર જતા તમામ સૌભાગ્યશાળી શ્રદ્ધાળુઓને મારી શુભકામનાઓ આપું છું. જે લોકો સેવા ભાવનાથી આ યાત્રાઓને સફળ અને સુરક્ષિત બનાવવામાં લાગ્યા છે, તેમને પણ સાધુવાદ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ,
હવે હું તમને દેશની બે એવી સિદ્ધિઓ વિશે કહેવા માંગુ છું, જે તમને ગર્વથી ભરી દેશે. આ સિદ્ધિઓની ચર્ચા વૈશ્વિક સંસ્થાઓ કરી રહી છે. WHO એટલે કે 'વિશ્વ આરોગ્ય સંગઠન' અને ILO એટલે કે International Labour Organizationએ દેશની આ સિદ્ધિઓની ભરપૂર પ્રશંસા કરી છે. પહેલી સિદ્ધિ આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. તમારામાંથી ઘણા લોકોએ આંખના એક રોગ વિશે સાંભળ્યું હશે- ટ્રેકોમા. આ રોગ બેક્ટેરિયાથી ફેલાય છે.
એક સમય હતો જ્યારે આ બીમારી દેશના ઘણા ભાગોમાં સામાન્ય હતી. ધ્યાન ના આપવામાં આવે, તો આ બીમારીથી ધીરે ધીરે આંખોની દૃષ્ટિ પણ જતી રહે છે. અમે સંકલ્પ કર્યો છે કે ટ્રેકોમાને જડથી નાબૂદ કરીશું અને મને આપ સૌને આ જણાવતા બહુજ ખુશી છે કે ‘વિશ્વ આરોગ્ય સંગઠન’ એટલે કે WHO એ ભારતને ટ્રેકોમા ફ્રી જાહેર કરી દીધો છે. હવે ભારત ટ્રેકોમા મુક્ત દેશ બની ગયો છે.
આ એ લાખો લોકોની મહેનતનું ફળ છે, જેમણે થાક્યા વિના, રોકાયા વિના, આ બીમારી સામે લડત લડી. આ સફળતા આપણાં આરોગ્ય કર્મચારીની છે. 'સ્વચ્છ ભારત અભિયાન'થી પણ તેને નાબૂદ કરવામાં મોટી મદદ મળી. 'જળ જીવન મિશન’નું પણ આ સફળતામાં મોટું યોગદાન રહ્યું. આજે, જ્યારે ઘર- ઘર નળ દ્વારા સ્વચ્છ પાણી પહોચી રહ્યું છે, ત્યારે આવી બીમારીઓનું જોખમ ઓછું થયું છે. ‘વિશ્વ આરોગ્ય સંગઠન’ WHO એ પણ આ વાતની પ્રશંસા કરી છે કે ભારતે રોગનો સામનો કરવાની સાથે સાથે તેના મૂળ કારણોને પણ દૂર કર્યા છે.
સાથીઓ,
આજે ભારતમાં મોટાભાગની વસ્તી કોઈને કોઈ સામાજિક સુરક્ષા લાભનો ફાયદો ઉઠાવી રહી છે અને હજુ હમણાં જ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન -ILOનો મોટો મહત્વનો રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં કહ્યું છે કે ભારતની 64%થી વધારે વસ્તીને હવે કોઈને કોઈ સામાજિક સુરક્ષા લાભ જરૂર મળી રહ્યો છે. સામાજિક સુરક્ષા- આ દુનિયાની સૌથી મોટી કવરેજમાંથી એક છે. આજે દેશના લગભગ 95 કરોડ લોકો કોઈને કોઈ સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મેળવી રહ્યા છે, જ્યારે, 2015 સુધી 25 કરોડથી પણ ઓછા લોકો સુધી સરકારી યોજનાઓ પહોચી શકતી હતી.
સાથીઓ,
ભારતમાં સ્વાસ્થ્યથી લઈને સામાજિક સુરક્ષા સુધી, દરેક ક્ષેત્રમાં દેશ સંતૃપ્તિની ભાવનાથી આગળ વધી રહ્યો છે. આ સામાજિક ન્યાયની પણ ઉત્તમ છબી છે. આ સફળતાઓએ એક વિશ્વાસ જગાવ્યો છે, કે આવનારો સમય વધુ સારો થશે, દરેક પગલે ભારત વધુ સશક્ત થશે.
મારા વ્હાલા દેશવાસીઓ,
જન- ભાગીદારીની શક્તિથી, મોટા મોટા સંકટોનો સામનો કરો શકાય છે. હું તમને એક ઓડિયો સંભાળવું છું, આ ઓડિયોમાં તમને એ સંકટની ભયાનકતાનો અંદાજ આવશે. એ સંકટ કેટલું મોટું હતું, પહેલા એ સાંભળો, સમજો.
Audio Clip - મોરારજીભાઈ દેસાઇ
આખરે આ જે અત્યાચાર થયો બે વર્ષ સુધી, અત્યાચાર તો 5-7 વર્ષથી શરૂ થઈ ગયો હતો. પણ એ શિખર સુધી પહોચી ગયો છે બે વર્ષમાં, જ્યારે કટોકટી લોકો પર લાદવામાં આવી અને અમાનવીય વર્તાવ લોકોની સાથે કરવામાં આવ્યો. લોકોનો સ્વતંત્રતાનો હક છીનવી લીધો, વર્તમાન પત્રોને કોઈ સ્વતંત્રતા ન રહી. ન્યાયાલય બિલકુલ નિર્બળ બનાવી દીધા અને જે રીતે એક લાખથી વધુ લોકોને જેલમાં બંદ કરી દીધા, અને પછી પોતાની મનમાની સરકાર તરફથી થતી રહી. એનું ઉદાહરણ દુનિયાના ઇતિહાસમાં પણ મળવું મુશ્કેલ છે.
સાથીઓ,
આ અવાજ દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમાન મોરારજીભાઈ દેસાઇનો છે. તેમણે સંક્ષિપ્તમાં, પરંતુ બહુજ સ્પષ્ટ રીતે કટોકટી વિષે કહ્યું. તમે કલ્પના કરી શકો છો, એ વખત કેવો હતો! કટોકટી લગાવવાવાળાએ ના ફક્ત આપણાં સંવિધાનની હત્યા કરી પણ તેમનો ઇરાદો ન્યાયપાલિકાને પણ પોતાના ગુલામ બનાવી રાખવાનો હતો. આ દરમિયાન લોકોને મોટા પ્રમાણમાં પ્રતાડિત કરવામાં આવ્યા. એના આવા અનેક ઉદાહરણ છે, જેને ક્યારેય ભૂલી શકાય નહીં. જ્યોર્જ ફર્નાન્ડીઝ સાહેબને સાંકળથી બાંધવામાં આવ્યા હતા. અનેક લોકોને કઠોર ત્રાસ આપવામાં આવ્યો. ‘મીસા (MISA)ના અંતર્ગત કોઈની પણ એમજ ધરપકડ કરવામાં આવતી હતી. વિદ્યાર્થીઓને પણ હેરાન કર્યા. અભિવ્યક્તિની આઝાદીનું ગળું દબાવી દીધું.
સાથીઓ,
આ સમયમાં જે હજારો લોકોની ધરપકડ થઈ, એમના પર આવાજ અમાનવીય અત્યાચાર થયા. પરંતુ આ ભારતની જનતાનું સામર્થ્ય છે, તેઓ ઝુક્યા નહીં, તૂટ્યા નહીં અને લોકતંત્ર સાથે કોઈ બાંધછોડ તેમણે સ્વીકાર ના કરી. આખરે, જનતા જનાર્દનની જીત થઈ- આપાતકાલ દૂર કરવામાં આવ્યો અને આપાતકાલ લાદવાવાળા હારી ગયા. બાબુ જગજીવન રામજીએ આ બાબતે બહુજ સશક્ત રીતે પોતાની વાત રજૂ કરી હતી.
Audio Clip - બાબુ જગજીવન રામ
બહેનો અને ભાઈઓ, ગયી ચૂંટણી, ચૂંટણી નહોતી. ભારતની જનતાનું એક મહાન અભિયાન હતું. એ વખતની પરિસ્થિતીને બદલવાની તાનાશાહીની ધારાને વાળવાની અને ભારતમાં પ્રજાતંત્રની જડને મજબૂત કરવાની.
અટલજીએ પણ પોતાની શૈલીમાં જે કઈ કહ્યું હતું, એ પણ આપણે જરૂર સાંભળવું જોઈએ-
Audio Clip – અટલ બિહારી વાજપેયી
બહેનો અને ભાઈઓ, દેશમાં જે કઈ થયું, એને ફક્ત ચૂંટણી નહીં કહી શકાય. એક શાંતિપૂર્ણ ક્રાંતિ થઈ છે. લોકશક્તિની લહેરે લોકતંત્રની હત્યા કરવાવાળાના ઇતિહાસની કચરાપેટીમાં નાખી દીધો છે.
સાથીઓ,
દેશ પર કટોકટી લાદવાના પચાસ વર્ષ કેટલાક દિવસ પહેલા જ પૂરા થયા છે. આપણે દેશવાસીઓએ ‘સંવિધાન હત્યા દિવસ’ ઉજવ્યો છે. આપણે હંમેશા એ બધાજ લોકોને યાદ કરવા જોઈએ, જેમણે કટોકટીનો હિમ્મતભેર સામનો કર્યો. આનાથી આપણને આપણાં સંવિધાનને મજબૂત બનાવી રાખવા માટે નિરંતર સજાગ રહેવાની પ્રેરણા મળી છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
તમે એક તસવીરની કલ્પના કરો. સવારનો તડકો પહાડોને સ્પર્શી રહ્યો છે, ધીરે ધીરે અજવાળું મેદાન તરફ આગળ વધી રહ્યું છે, અને એ જ રોશનીની સાથે આગળ વધી રહી છે ફૂટબોલ પ્રેમીઓની ટોળી. સિટી વાગે છે અને થોડી જ પળોમાં મેદાન તાળીઓ અને સૂત્રોથી ગુંજી ઊઠે છે. દરેક પાસ, દરેક ગોલ, સાથે લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે. તમે વિચારી રહ્યા હશો કે આ કઈ સુંદર દુનિયા છે? સાથીઓ, આ છબી આસામના એક પ્રમુખ ક્ષેત્ર બોડોલેંડની વાસ્તવિકતા છે. બોડોલેંડ આજે પોતાના એક નવા રૂપ સાથે દેશની સામે ઊભો છે. અહિયાં યુવાનોમાં જે ઉર્જા છે, જે આત્મવિશ્વાસ છે, એ ફૂટબોલના મેદાનમાં સૌથી વધારે દેખાય છે. બોડો પ્રાદેશિક વિસ્તારમાં, બોડોલેંડ CEM કપનું આયોજન થઈ રહ્યું છે. આ માત્ર એક ટૂર્નામેન્ટ નથી, આ એકતા અને આશાનો ઉત્સવ બની ગઇ છે. 3 હજાર 700થી વધારે ટીમ, લગભગ 70 હજાર ખેલાડી અને એમાં વધારે સંખ્યામાં આપણી દીકરીઓની ભાગીદારી. આ આંકડા બોડોલેંડમાં મોટા પરીવર્તનની ગાથા સંભળાવી રહ્યા છે. બોડોલેંડ હવે દેશના ખેલ નકશામાં, સ્પોર્ટ્સના નકશા પર પોતાની ચમક વધુ વધારી રહ્યો છે.
સાથીઓ,
એક સમય હતો જ્યારે સંઘર્ષ જ અહિયાંની ઓળખ હતી. ત્યારે અહીના યુવાનો માટે રસ્તા મર્યાદિત હતા. પરંતુ આજે એમની આંખોમાં નવા સપના છે અને દિલમાં આત્મનિર્ભરતાનો જુસ્સો છે. અહિયાંથી નીકળેલા ફૂટબોલ ખેલાડી હવે મોટા સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. હાલીચરણ નારજારી, દુર્ગા બોરો, અપૂર્ણા નારજારી, મનબીર બસુમતારી – આ ફક્ત ફૂટબોલ ખેલાડીના નામ નથી- આ નવી પેઢીની ઓળખ છે.
જેમણે બોડોલેંડને મેદાનથી રાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડ્યુ. આમાનાં ઘણાએ મર્યાદિત સંસાધનો સાથે અભ્યાસ કર્યો, કેટલાકે મુશ્કેલ પરિસ્થિતીમાં પોતાનો રસ્તો બનાવ્યો, અને આજે એમનું નામ લઈને દેશના કેટલાય નાના બાળકો પોતાના સપનાની શરૂઆત કરે છે.
સાથીઓ,
જો આપણે આપણાં સામર્થ્યનો વિસ્તાર કરવો છે તો સૌથી પહેલા આપણે આપણી ફિટનેસ અને સુખાકારી પર ધ્યાન આપવું પડશે. આમતો સાથીઓ, ફિટનેસ માટે સ્થૂળતા ઓછી કરવા માટેનું મારૂ એક સૂચન આપને યાદ છે ને! જમવામાં 10% તેલ ઓછું કરો, સ્થૂળતા ઘટાડો. જ્યારે તમે ફિટ હશો, તો જીવનમાં વધુમાં વધુ સુપર હિટ થશો.
મારા વ્હાલા દેશવાસીઓ,
આપણું ભારત જે રીતે આપણી ક્ષેત્રીય, ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા માટે ઓળખાય છે એવી જ રીતે, કળા, શિલ્પ, અને કૌશલની વિવિધતા પણ આપણાં દેશની મોટી ખૂબી છે. તમે જે ક્ષેત્રમાં જશો, ત્યાની કોઈને કોઈ ખાસ અને local વસ્તુ વિષે તમને ખબર પડશે. આપણે અવારનવાર ‘મન કી બાત’માં દેશની આવી અનોખી પ્રોડક્ટ્સ વિષે વાત કરીએ છીએ. એવી જ એક પ્રોડક્ટ છે મેઘાલયની એરી સિલ્ક(Eri Silk). એને થોડા દીવસ પહેલા જ GI ટેગ મળ્યો છે. એરી સિલ્ક(Eri Silk) મેઘાલય માટે એક વારસા સમાન છે. અહિયાંની જનજાતિએ, ખાસ કરીને ખાસી(Khasi) સમાજના લોકોએ આનું પેઢીઓથી જતન પણ કર્યું છે, અને પોતાની કુશળતાથી સમૃદ્ધ પણ કર્યું છે. આ સિલ્કની ઘણી એવી ખાસિયત છે, જે તેને બાકી ફેબ્રિકથી જુદું પાડે છે. આની સૌથી ખાસ વાત છે એને બનાવવાની રીત, આ સિલ્ક કે જેને રેશમના કીડા બનાવે છે, આને પ્રાપ્ત કરવા માટે કીડાને મારવામાં નથી આવતા, માટે તેને, અહિંસા સિલ્ક પણ કહેવામા આવે છે. આજકાલ દુનિયામાં આવી પ્રોડક્ટની ડિમાંડ તેજીથી વધી રહી છે,
જેમાં હિંસા ના હોય, અને પ્રકૃતિ પર એનો કોઈ દુષ્પ્રભાવ ના પડે, માટે, મેઘાલયનું એરી સિલ્ક (Eri Silk) global માર્કેટ માટે એક પરફેક્ટ પ્રોડક્ટ છે. આની એક બીજી ખાસ વાત છે, આ સિલ્ક(silk) ઠંડીમાં ગરમ કરે છે, અને ગરમીમાં ઠંડક આપે છે. આની આ ખૂબી તેને મોટાભાગના સ્થળો માટે અનુકૂળ બનાવી દે છે. મેઘાલયની મહિલાઓ હવે સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી પોતાના આ વારસાને વધુ મોટા સ્કેલ પર આગળ વધારી રહી છે. હું મેઘાલયના લોકોને એરી સિલ્ક (Eri Silk)ને GI ટેગ મેળવવા બદલ અભિનંદન પાઠવું છું. હું તમને બધાને પણ આગ્રહ કરું છું, તમે પણ એરિ સિલ્કથી બનેલા કપડાં જરૂરથી ટ્રાય કરો અને હા – ખાદી, હેન્ડલૂમ હેન્ડિક્રાફ્ટ, વોકલ ફોર લોકલ આને પણ તમારે હમેશા યાદ રાખવાનું છે. ગ્રાહક ભારતમાં બનેલા પ્રોડક્ટજ ખરીદે, અને વેપારી ભારતમાં બનેલા પ્રોડક્ટ જ વેચે તો ‘ આત્મનિર્ભર ભારત અભિયાન’ ને નવી ઉર્જા મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ,
મહિલા નેતૃત્વ વિકાસનો મંત્ર ભારતનું નવું ભવિષ્ય બનાવવા માટે તૈયાર છે. આપણી માતાઓ, બહેનો, દીકરીઓ આજે માત્ર પોતાના માટે નહીં, પણ આખા સમાજ માટે નવી દિશા બનાવી રહી છે. તમે તેલંગાણાની ભદ્રાચલમની મહિલાઓની સફળતા વિષે જાણશો તો તમને પણ સારું લાગશે. આ મહિલાઓ ક્યારેક ખેતરોમાં મજૂરી કરતી હતી. રોજી રોટી માટે આખો દિવસ મહેનત કરતી હતી.
આજે એ જ મહિલાઓ મિલેટ્સ, શ્રીઅન્નથી બિસ્કિટ બનાવી રહી છે. “ભદ્રાદ્રી મિલેટ મેજીક” નામના આ બિસ્કિટ હૈદરાબાદથી લંડન સુધી જઇ રહ્યા છે. ભદ્રાચલમની આ મહિલાઓએ Self Help Group સાથે જોડાઈને ટ્રેનીંગ લીધી.
સાથીઓ,
આ મહિલાઓએ બીજું પણ એક પ્રશંસનીય કામ કર્યું છે. તેમણે ‘ગિરિ સેનિટરી પેડ્સ’ બનાવવાનું શરૂ કર્યું છે. ફક્ત ત્રણ મહિનામાં 40,000 પેડ્સ તૈયાર કર્યા અને તેને સ્કૂલો અને આસપાસની ઓફિસોમાં પહોંચાડયા- એ પણ બહુજ સસ્તી કિંમતે.
સાથીઓ,
કર્નાટકના કલબુર્ગીની મહિલાની સિદ્ધિ પણ ખૂબજ પ્રસંશનીય છે. તેમણે જુવારની રોટલીને એક બ્રાન્ડ બનાવી દીધી. તેમણે જે કૉપરેટિવ બનાવી છે, એમાં તેમાં રોજ ત્રણ હજારથી વધારે રોટલીઓ બની રહી છે. આ રોટલીઓની સુગંધ હવે ફક્ત ગામડા સુધી સીમિત નથી રહી. બેંગલુરુમાં સ્પેશિયલ કાઉન્ટર ખૂલી ચૂક્યું છે. ઓનલાઈન ફુડ પ્લેટફોર્મ પર ઓર્ડર આવી રહ્યા છે. કલબુર્ગીની રોટલી હવે મોટા શહેરોના કિચન સુધી પહોચી રહી છે. એની બહુજ સારી અસર આ મહિલાઓ પર પડી છે, તેમની આવક વધી રહી છે.
સાથીઓ,
અલગ અલગ રાજ્યોની આ ગાથાઓમાં અલગ અલગ ચહેરાઓ છે. પરંતુ એમની ચમક એક જેવી છે. આ ચમક છે આત્મવિશ્વાસની, આત્મનિર્ભરતાની, એવો જ એક ચહેરો છે, મધ્યપ્રદેશની સુમા ઉડ્કે, સુમાજીનો પ્રયત્ન પ્રસંશનીય છે. તેમણે બાલાઘાટ જિલ્લાના કટંગી બ્લોકમાં, સેલ્ફ હેલ્પ ગ્રુપથી જોડાઈને મશરૂમની ખેતી અને પશુપાલનની ટ્રેનિંગ લીધી. એનાથી તેમને આત્મનિર્ભરતાનો રસ્તો મળી ગયો. સુમા ઉડ્કેની આવક વધી તો તેમણે તેમના કામનો વ્યાપ વધાર્યો. નાનકડા પ્રયત્નથી શરૂ થયેલી આ સફર હવે ‘દીદી કેન્ટીન’ અને ‘થર્મલ થેરેપી સેન્ટર’ સુધી પહોચ્યું છે. દેશના ખૂણે ખૂણામાં આવી અનેક મહિલાઓ, પોતાનું અને દેશનું ભાગ્ય બદલી રહી છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
થોડા દિવસો પહેલા મને વિયતનામના ઘણાબધા લોકોએ જુદા જુદા માધ્યમથી પોતાના સંદેશા મોકલ્યા. આ સંદેશની દરેક પંક્તિમાં શ્રદ્ધા હતી, આત્મીયતા હતી. તેમની ભાવનાઓ મનને સ્પર્શી જાય તેવી હતી. એ લોકો ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો, ‘અવશેષો’ના દર્શન કરાવવા માટે ભારત પ્રત્યે પોતાનો આભાર પ્રગટ કરી રહ્યા હતા. એમના શબ્દોમાં જે ભાવ હતો, એ કોઈપણ ઔપચારીક ધન્યવાદથી વધારે હતા.
સાથીઓ,
મૂળ રૂપથી ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોની ખોજ આંધ્ર પ્રદેશમાં પાલનાડૂ જિલ્લાના નાગાર્જુનકોંડામાં થઈ હતી. આ જગ્યાનો બૌદ્ધ ધર્મ સાથે ગાઢ સંબંધ રહ્યો છે. કહેવાય છે કે ક્યારેક આ સ્થાન પર શ્રીલંકા અને ચીન સહિત દૂર દૂરથી લોકો આવતા હતા.
સાથીઓ,
ગયા મહિને ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોને ભારતથી વિયતનામ લઈ ગયા હતાં. ત્યાના 9 અલગ અલગ સ્થળોએ તેમને જનતાના દર્શન માટે રાખવામા આવ્યાં. ભારતની આ પહેલ એક રીતે વિયતનામ માટે રાષ્ટ્રીય ઉત્સવ બની ગઈ. તમે કલ્પના કરી શકો છો, લગભગ 10 કરોડની વસ્તીવાળા વિયતનામમાં દોઢ કરોડથી વધારે લોકોએ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનાં દર્શન કર્યા. સોશિલ મીડિયા પર જે તસવીરો અને વિડીયો મે જોયા, તેમણે એ અનુભવ કરાવ્યો કે શ્રદ્ધાની કોઈ સીમા નથી હોતી. વરસાદ હોય, તીવ્ર તાપ હોય, લોકો કલાકો સુધી હરોળમાં ઊભા રહે છે. બાળકો, વૃદ્ધો, દિવ્યાંગો બધાજ ભાવ વિભોર હતાં. વિયતનામનાં રાષ્ટ્રપતિ, નાયબ-વડાપ્રધાન, વરિષ્ઠ મંત્રી, દરેક નતમસ્તક હતાં. આ યાત્રા પ્રત્યે ત્યાનાં લોકોમાં સમ્માનનો ભાવ એટલો ઊંડો હતો કે વિયતનામ સરકારે આને 12 દિવસ માટે આગળ વધારવાનો આગ્રહ કર્યો અને આનો ભારતે સહર્ષ સ્વીકાર કરી લીધો.
સાથીઓ,
ભગવાન બુદ્ધનાં વિચારોમાં એ શક્તિ છે, જે દેશો, સંસ્કૃતિઓ અને લોકોને એકસૂત્રમાં બાંધે છે. આના પહેલા ભગવાન બુદ્ધનાં પવિત્ર અવશેષ થાઈલેંડ અને મંગોલિયા લઈ જવામાં આવ્યાં હતાં, અને ત્યાં પણ શ્રદ્ધાનો જ ભાવ જોવા મળ્યો. મારો આપ સૌને પણ આગ્રહ છે કે
પોતાના રાજયોના બૌદ્ધ સ્થળોની યાત્રા જરૂર કરો. આ એક આધ્યાત્મિક અનુભવ થશે, સાથે જ આપણાં સાંસ્કૃતિક વારસા સાથે જોડાવાનો એક સુંદર અવસર પણ બનશે.
મારા વ્હાલા દેશવાસીઓ,
આ મહિને આપણે બધાએ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવ્યો. મને તમારા હજારો સંદેશાઓ મળ્યાં. ઘણા લોકોએ પોતાની આસપાસનાં એ સાથીઓ વિષે જણાવ્યુ જેઓ એકલા જ પર્યાવરણને બચાવવા માટે નીકળી પડ્યા હતાં અને પછી તેમની સાથે આખો સમાજ જોડાઈ ગયો. બધાનું આ જ યોગદાન, આપણી ધરતી માટે મોટી શક્તિ બની રહ્યું છે. પુણેનાં શ્રી રમેશ ખરમાલેજી, એમના કાર્યોને જાણીને, તમને બહુજ પ્રેરણા મળશે. જ્યારે સપ્તાહનાં અંતે લોકો આરામ કરે છે, ત્યારે રમેશજી અને તેમનો પરિવાર કોદાળી અને પાવડો લઈને નીકળી પડે છે. જાણો છો ક્યાં? જુન્નરની ટેકરીઓ તરફ. તડકો હોય કે ઊંચું ચઢાણ, એમનાં પગલાં અટકાતાં નથી. એ ઝાડીઓ સાફ કરે છે, પાણી રોકવા માટે trench ખોદે છે અને બિયારણ રોપે છે. તેમણે ફક્ત બે મહિનામાં 70 ટ્રેંચ બનાવી દીધા. રમેશજીએ ઘણા નાના તળાવ બનાવ્યા, સેંકડો ઝાડ લગાવ્યા. તેઓ એક ઓક્સિજન પાર્ક પણ બનાવી રહ્યા છે. પરિણામ એ આવ્યું કે હવે પક્ષી પાછા આવી રહ્યા છે, વન્યજીવનને નવીન શ્વાસો મળી રહ્યા છે.
સાથીઓ,
પર્યાવારણ માટે એક નવી પહેલ જોવા મળી છે, ગુજરાતના અમદાવાદ શહેરમાં. અહિયાં મહાનગર પાલિકાએ ‘મિશન ફોર મિલિયન ટ્રી’ અભિયાન શરૂ કર્યું છે. લક્ષ્ય છે – લાખો ઝાડ લગાવવાનું. આ અભિયાનની એક ખાસ વાત છે ‘સિંદુર વન’. આ વન ‘ઓપરેશન સિંદૂર’ના વીરોને સમર્પિત છે. સિંદૂરના છોડ એ વીરોની યાદમાં લગાવવામાં આવી રહ્યા છે, જેમણે દેશ માટે સર્વ સમર્પિત કર્યું.
અહિયાં એક બીજા અભિયાનને નવી ગતિ આપી રહ્યા છે ‘એક પેડ માં કે નામ’ આ અભિયાન હેઠળ દેશમાં કરોડો ઝાડ રોપવામાં આવ્યાં છે. તમે પણ તમારા ગામ કે શહેરમાં ચાલી રહેલા આવા અભિયાનમાં જરૂર ભાગ લો. ઝાડ લગાવો, પાણી બચાવો, ધરતીની સેવા કરો, કારણ કે જ્યારે આપણે પ્રકૃતિને બચાવીએ છીએ, ત્યારે આપણે સાચા અર્થમાં આવનારી પેઢીને સુરક્ષિત કરીએ છીએ.
સાથીઓ,
મહારાષ્ટ્રના એક ગામે પણ ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લાની ગ્રામ પંચાયત છે ‘પાટોદા’. આ કાર્બન ન્યુટ્રલ ગ્રામ પંચાયત છે. આ ગામમાં કોઈ પોતાના ઘરની બહાર કચરો નથી નાખતું. દરેક ઘરમાથી કચરો ભેગો કરવાની પૂરી વ્યવસ્થા છે. અહિયાં ગંદા પાણીનો નિકાલ પણ થાય છે. સાફ કર્યા વિનાનું કોઈ પાણી નદીમાં નથી જતું. અહિયાં છાણાંથી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને એની રાખથી દિવંગતના નામ પર છોડ રોપવામાં આવે છે. આ ગામમાં થતી સાફ સફાઈ પણ જોવાલાયક હોય છે. નાની નાની આદતો જ્યારે સામૂહિક સંકલ્પ બની જાય છે, ત્યારે મોટું પરિવર્તન શક્ય બને છે.
મારા વ્હાલા સાથીઓ,
આ સમયે સૌની દ્રષ્ટિ ઈન્ટરનેશનલ સ્પેશ સેન્ટર પણ છે. ભારતે એક નવો ઇતિહાસ રચ્યો છે. મારી ગઇકાલે Group Captain શુભાન્શુ શુક્લ સાથે વાત પણ થઈ. તમે પણ મારી શુભાન્શુ સાથેની મારી વાતચીતને જરૂરથી સાંભળી હશે. હજુ શુભાન્શુને થોડા વધારે દિવસ ઈન્ટરનેશનલ સ્પેશ સેન્ટરમાં રહેવાનુ છે. આપણે આ મિશન વિષે વધારે વાત કરીશું, પણ, ‘મન કી બાત’ના આગલા એપિસોડમાં.
હવે સમય છે, આ એપિસોડમાં આપની પાસેથી વિદાય લેવાની. પરંતુ સાથીઓ, જતાં જતાં હું આપને એક ખાસ દિવસની યાદ અપાવવા માંગુ છું. 1 જુલાઈ એટલે કે પરમદિવસે અર્થાત 1 જુલાઇએ આપણે બે ખુબજ મહત્વપૂર્ણ પ્રોફેસનનું સમ્માન કરીએ છીએ, ડોકટર્સ અને સીએ. આ બંને સમાજના એક સ્તંભ છે, જે આપણાં જીવનને વધુ સુગમ બનાવે છે. ડોકટર આપણાં સ્વાસ્થ્યના રક્ષક છે અને સીએ (Chartered Accountant) આર્થિક જીવનના માર્ગદર્શક છે. મારી સૌ ડોકટર્સ અને ચાર્ટડ એકાઉન્ટન્ટસને ખૂબ ખૂબ શુભકામનાઓ.
સાથીઓ,
તમારા સૂચનોની હું હમેશાં રાહ જોઈશ. ‘મન કી બાત’ નો આગલો એપિસોડ તમારા આજ સૂચનોથી વધુ સમૃદ્ધ થશે. ફરી મળીશું, નવી વાતો સાથે, નવી પ્રેરણાઓ સાથે, દેશવાસીઓની નવી સિદ્ધિઓ સાથે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.
સાથીઓ, ઓપરેશન સિંદૂર કેવળ એક સૈન્ય અભિયાન નથી, પરંતુ તે તો આપણા સંકલ્પ, સાહસ અને બદલતા ભારતની તસ્વીર છે અને આ તસ્વીરે સમગ્ર દેશને દેશભક્તિના ભાવોથી ભરી દીધો છે, ત્રિરંગામાં રંગી દીધો છે. તમે જોયું હશે કે, દેશના કેટલાય શહેરોમાં, ગામોમાં, નાના નાના નગરોમાં ત્રિરંગાયાત્રાઓ કાઢવામાં આવી. હજારો લોકો હાથમાં ત્રિરંગો લઇને દેશની સેના, તેમના પ્રત્યે વંદન અભિનંદન કરવા નીકળી પડ્યા. કેટલાય શહેરોમાં Civil Defence Volunteer બનવા માટે મોટી સંખ્યામાં યુવાનો એકજૂથ થઇ ગયા અને આપણે જોયું કે, ચંદીગઢના વિડીયો તો ખૂબ વાયરલ થયા હતા. સોશિયલ મિડિયા પર કવિતાઓ લખાઇ રહી હતી. સંકલ્પગીત ગાવામાં આવી રહ્યા હતા. નાના નાના બાળકો ચિત્રો બનાવી રહ્યા હતા, જેમાં મોટા સંદેશ છૂપાયેલા હતા. હજી ત્રણ દિવસ પહેલાં જ બિકાનેર ગયો હતો. ત્યાં બાળકોએ મને એવું જ એક ચિત્ર ભેટ આપ્યું હતું. ‘ઓપરેશન સિંદૂરે’ દેશવાસીઓને એટલા પ્રભાવિત કર્યા છે કે, કેટલાય કુટુંબોએ તેને પોતાના જીવનનો એક ભાગ બનાવી દીધો છે, બિહારના કટિયારમાં, ઉત્તરપ્રદેશના કુશીનગરમાં, બીજા પણ કેટલાય શહેરોમાં, આ સમય દરમિયાન જન્મતા બાળકોના નામ ‘સિંદૂર’ રાખવામાં આવ્યા છે.
સાથીઓ, આપણા જવાનોએ આતંકના અડ્ડાઓનો નાશ કર્યો, આ તેમનું અદમ્ય સાહસ હતું. અને તેમાં સામેલ હતી, ભારતમાં બનેલા શસ્ત્રો, ઉપકરણો અને ટેકનોલોજીની તાકાત. તેમાં ‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ પણ હતો. આપણા અન્જિનિયરો, આપણા ટેકનિશિયનો આમ, હરકોઇનો પરસેવો આ વિજયમાં સામેલ છે. આ અભિયાન પછી સમગ્ર દેશમાં ‘Vocal for Local’ માટે એક નવી ઉર્જા જોવા મળી રહી છે. કેટલીયે બાબતો દિલને સ્પર્શી જાય છે. કેટલાય માતાપિતાએ કહ્યું કે, ‘અમે હવે અમારા બાળકો માટે માત્ર ભારતમાં બનેલા રમકડા જ લઇશું’. દેશભક્તિની શરૂઆત બાળપણથી થશે. કેટલાય કુટુંબોએ શપથ લીધા છે કે, અમે અમારી આગામી રજાઓ દેશની કોઇ સુંદર જગ્યાએ વિતાવીશું. કેટલાય યુવાનોએ ‘Wed in India’ નો સંકલ્પ લીધો છે. તેઓ હવે, દેશમાં જ લગ્ન કરશે. કોઇએ એમ પણ કહ્યું છે કે, ‘હવે જે પણ ભેટ આપીશું તે કોઇ ભારતીય શિલ્પકારના હાથથી બનેલી હશે.’
સાથીઓ, આ જ તો છે, ‘ભારતની ખરી તાકાત.’ જનમનનું જોડાણ, લોકભાગીદારી. હું આપ સૌને પણ આગ્રહ કરું છું, આવો, આ અવસરે એક સંકલ્પ લઇએ – અમે અમારા જીવનમાં જ્યાં પણ શક્ય હશે, દેશમાં બનેલી વસ્તુઓને જ પ્રાથમિકતા આપીશું. આ માત્ર આર્થિક આત્મનિર્ભરતાની વાત નથી, આ રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદારીનો ભાવ છે. આપણું એક પગલું ભારતની પ્રગતિમાં બહુ મોટું યોગદાન બની શકે છે.
સાથીઓ, બસ દ્વારા ક્યાંય આવવું – જવું કેટલી સામાન્ય બાબત છે. પરંતુ હું આપને એક એવા ગામ વિશે જણાવવા માંગુ છું, જ્યાં પહેલી વાર એક બસ પહોંચી. આ દિવસની ત્યાંના લોકો વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા. અને જ્યારે ગામમાં પહેલીવાર બસ પહોંચી તો લોકોએ ઢોલનગારા વગાડીને તેનું સ્વાગત કર્યું. બસને જોઇને લોકોની ખુશીનો પાર નહોતો. ગામમાં પાકો રસ્તો હતો, લોકોને જરૂર હતી, પરંતુ પહેલાં ક્યારેય ત્યાં બસ આવી શકી ન હતી. કેમ, કે આ ગામ માઓવાદી હિંસાથી અસરગ્રસ્ત હતું. આ જગ્યા છે, મહારાષ્ટ્રના ગઢચિરૌલી જીલ્લામાં, અને આ ગામનું નામ છે, કાટેઝરી. કાટેઝરીમાં આવેલા આ બદલાવને આસપાસના પૂરા ક્ષેત્રમાં અનુભવાઇ રહ્યો છે. હવે, અહીં પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઇ રહી છે. માઓવાદ વિરૂદ્ધની સામૂહિક લડાઇથી હવે એવા વિસ્તારો સુધી પણ પાયાની સુવિધાઓ પહોંચવા લાગી છે. ગામના લોકોનું કહેવું છે કે, બસ આવવાથી તે લોકોનું જીવન ઘણું સરળ બની જશે.
સાથીઓ, ‘મન કી બાત’માં આપણે છત્તીસગઢમાં યોજાયેલા બસ્તર ઓલિમ્પિક અને માઓવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિજ્ઞાન પ્રયોગશાળા પર ચર્ચા કરી ચૂક્યા છીએ. અહીંના બાળકોમાં વિજ્ઞાનનું Passion છે. તેઓ રમતગમતમાં પણ કમાલ કરી રહ્યા છે. આવા પ્રયાસોથી જાણવા મળે છે કે, આ વિસ્તારોમાં રહેતા લોકો કેટલા સાહસિક હોય છે. આ લોકોએ તમામ પડકારો વચ્ચે પોતાના જીવનને બહેતર બનાવવાનો માર્ગ પસંદ કર્યો છે. મને જાણીને પણ ખૂબ આનંદ થયો કે, દસમા અને બારમાની પરિક્ષાઓમાં દંતેવાડા જીલ્લાના પરિણામો ખૂબ શાનદાર રહ્યાં છે. લગભગ 95 ટકા પરિણામો સાથે આ જીલ્લો દસમાના પરિણામોમાં ટોચ પર રહ્યો. તો, બારમાની પરિક્ષામાં આ જીલ્લાએ છત્તીસગઢમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું. વિચારો, જે દંતેવાડામાં ક્યારેક માઓવાદ ચરમ પર હતો, ત્યાં આજે શિક્ષાનો ધ્વજ લહેરાઇ રહ્યો છે. આવો બદલાવ આપણને સૌને ગર્વથી ભરી દે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, હવે હું સિંહો વિશે એક મોટા સારા સમાચાર આપને જણાવવા માંગું છું. પાછલા કેવળ પાંચ વર્ષોમાં જ ગુજરાતના ગીરમાં સિંહોની વસતિ 674થી વધીને 891 થઇ ગઇ છે. 674થી વધીને પૂરા 891 ! સિંહોની વસતિ ગણતરી પછી સામે આવેલી સિંહોની આ સંખ્યા ખૂબ ઉત્સાહિત કરનારી છે. સાથીઓ, તમારામાંથી ઘણા બધા લોકો એ જાણવા ઇચ્છતા હશે કે, આખરે આ સિંહોની વસતિગણતરી થતી કેવી રીતે હશે ? આ કવાયત ખૂબ જ પડકારરૂપ છે. તમને એ જાણીને નવાઇ લાગશે કે, સિંહોની વસતિગણતરી 11 જીલ્લામાં 35 હજાર ચોરસ કિલોમીટરના ઘેરાવામાં કરવામાં આવી હતી. વસતિગણતરી માટે ચોવીસે કલાક આ વિસ્તારોની દેખરેખ રાખવામાં આવી હતી. આ પૂરા અભિયાનમાં ચોકસાઇ અને પુનઃચોકસાઇ બંને કરવામાં આવ્યા. પરિણામે ખૂબ ઝીણવટપૂર્વક સિંહોની ગણતરીનું કામ પૂરૂં થઇ શક્યું.
સાથીઓ, એશિયાઇ સિંહોની વસતિમાં વધારો એ બતાવે છે કે, જ્યારે સમાજમાં પોતાપણાની ભાવના મજબૂત થાય છે તો, કેવાં શાનદાર પરિણામ આવે છે. થોડા દાયકા પહેલાં ગીરમાં સંજોગો ખૂબ પડકારરૂપ હતા, પરંતુ ત્યાંના લોકોએ મળીને બદલાવ લાવવાનું બીડું ઝડપ્યું. ત્યાં latest technology સાથે global best practices ને પણ અપનાવવામાં આવી. આ દરમિયાન ગુજરાત એવું પહેલું રાજ્ય બન્યું, જ્યાં મોટા પ્રમાણમાં વનઅધિકારીઓના પદ પર મહિલાઓને તહૈનાત કરવામાં આવી. આજે આપણે જે પરિણામો જોઇ રહ્યા છીએ, તેમાં આ સૌનું યોગદાન છે. વન્યજીવ સંરક્ષણ માટે આપણે આ રીતે જ હંમેશા જાગરૂક અને સતર્ક રહેવું પડશે.
મારા વ્હાલા દેશવાસીઓ, બે ત્રણ દિવસ પહેલાં જ હું પ્રથમ Rising North East Summit માં ગયો હતો. એ અગાઉ આપણે ઇશાન ભારતના સામર્થ્યને સમર્પિત ‘અષ્ટ લક્ષ્મી મહોત્સવ’ પણ ઉજવ્યો હતો. ઇશાન ભારતની વાત જ કંઇક ઔર છે, ત્યાંનું સામર્થ્ય, ત્યાંની talent-પ્રતિભા, ખરેખર અદભૂત છે. મને એક રસપ્રદ વાત જાણવા મળી છે crafted fibers ની. crafted fibers એ કેવળ એક બ્રાન્ડ નથી, સિક્કિમની પરંપરા, વણાટકલા અને આજની ફેશનનો વિચાર એમ, ત્રણેયનો સુંદર સંગમ છે. તેની શરૂઆત કરી ડૉ. ચેવાંગ નોરબુ ભૂટિયાએ. વ્યવસાયે તેઓ પશુચિકિત્સક છે, અને દિલથી સિક્કિમની સંસ્કૃતિના સાચા બ્રાન્ડ એમ્બેસેડર. તેમણે વિચાર્યું કે, વણાટકામને કેમ એક નવું રૂપ આપવામાં ન આવે ! અને આ વિચારમાંથી જ જન્મ થયો Crafted fibers નો. તેમણે પરંપરાગત વણાટને આધુનિક ફેશન સાથે જોયું અને તેને બનાવ્યું એક સોશિયલ એન્ટરપ્રાઇઝ. હવે તેમને ત્યાં માત્ર કપડાં જ નથી બનતા પણ, તેમને ત્યાં જીંદગીઓ વણવામાં આવે છે. તેઓ સ્થાનિક લોકોને, કૌશલ્ય તાલીમ આપે છે, તેઓને આત્મનિર્ભર બનાવે છે. ગામડાઓના વણાટ કારીગરો, પશુપાલકો અને સ્વસહાય જૂથોને જોડીને ડૉ. ભૂટિયાએ રોજગારીના નવા માર્ગો બનાવ્યા છે. આજે સ્થાનિક મહિલાઓ અને કારીગરો પોતાના હુન્નરથી સારી કમાણી કરી રહ્યા છે. Crafted fibers ની શાલ, સ્ટોલ, હાથમોજાં, મોજાં આ બધું સ્થાનિક હાથશાળથી બનેલું હોય છે. એમાં જે ઉનનો ઉપયોગ થાય છે તે, સિક્કિમના સસલાં અને ઘેટાંઓમાંથી આવે છે. રંગ પણ સંપૂર્ણપણે પ્રાકૃતિક હોય છે – કોઇ રસાયણ નહીં, માત્ર કુદરતની જ રંગત. ડૉ. ભૂટિયાએ સિક્કિમના પરંપરાગત વણાટ અને સંસ્કૃતિને એક નવી ઓળખ આપી છે. ડૉ. ભૂટિયાનું કામ આપણને શીખવે છે કે, પરંપરાને જ્યારે passion સાથે જોડવામાં આવે તો તે, દુનિયાને કેટલી આકર્ષી શકે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે હું તમને એક એવી શાનદાર વ્યક્તિ વિશે જણાવવા માંગુ છું જે, એક કલાકાર પણ છે. અને જીવતી જાગતી પ્રેરણા પણ છે. નામ છે, જીવન જોશી, ઉંમર 65 વર્ષ. હવે વિચારો જેના નામમાં જ જીવન હોય તે કેટલી જીવંતતાથી ભરેલા હશે. જીવનજી ઉત્તરાખંડના હલદ્વાનીમાં રહે છે. બાળપણમાં પોલીયોએ તેમના પગની તાકાત છીનવી લીધી હતી, પરંતુ પોલિયો તેમની હિંમતને ન છીનવી શક્યો. તેમની ચાલવાની ગતિ ભલે થોડી ધીમી થઇ ગઇ, પરંતુ તેમનું મન કલ્પનાની તમામ ઉડાન ઉડતું રહ્યું. આ ઉડાનમાં જીવનજીએ એક અનોખી કળાને જન્મ આપ્યો – નામ રાખ્યું ‘બગેટ’ તેમાં તેઓ દેવદારના વૃક્ષોમાંથી નીકળતી સૂકી છાલથી સુંદર કલાકૃતિઓ બનાવે છે. એ છાલ કે જેને, લોકો સામાન્ય રીતે નકામી સમજે છે – જીવનજીના હાથમાં આવતા જ વારસો બની જાય છે. તેમની દરેક રચનામાં ઉત્તરાખંડની માટીની ખુશ્બુ હોય છે. ક્યારેક પહાડોના લોકવાદ્યો તો, ક્યારેક લાગે છે જાણે, પહાડોનો આત્મા આ કાષ્ટમાં સમાઇ ગયો હોય. જીવનજીનું કામ માત્ર કલા નથી, એક સાધના છે. તેઓએ આ કલામાં પોતાનું પૂરૂં જીવન સમર્પિત કરી દીધું છે. જીવન જોશી જેવા કલાકારો આપણને યાદ અપાવે છે કે, સંજોગો ભલે ગમે તેવા હોય, જો ઇરાદો મજબૂત હશે, તો, અશક્ય કંઇ નથી. તેમનું નામ જીવન છે, અને તેમણે હકીકતમાં બતાવી આપ્યું છે કે, જીવન જીવવું શું હોય છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે કેટલીયે એવી મહિલાઓ છે, જે ખેતરોની સાથે હવે આકાશની ઉંચાઇઓ પર કામ કરી રહી છે. હા જી ! તમે સાચું જ સાંભળ્યું, હવે, ગ્રામ મહિલાઓ drone દીદી બનીને drone ઉડાવી રહી છે. અને ખેતીમાં નવી ક્રાંતિ લાવી રહી છે.
સાથીઓ, તેલંગણાના સંગારેડ્ડી જીલ્લામાં, થોડા સમય પહેલાં સુધી જે મહિલાઓને બીજા પર નિર્ભર રહેવું પડતું હતું, તે જ મહિલાઓ ડ્રોનથી 50 એકર જમીન પર દવાના છંટકાવનું કામ પૂરૂં કરી રહી છે. સવારે ત્રણ કલાક, સાંજે બે કલાક અને કામ પૂરું. તડકામાં શેકાવું નહીં, ઝેર જેવા રસાયણોનું જોખમ નહીં. સાથીઓ, ગામલોકોએ પણ આ પરિવર્તનને દિલથી સ્વિકારી લીધું છે. હવે આ મહિલાઓ ‘drone operator’ નહીં, ‘sky warriors’ – આકાશી વિરાંગનાઓના નામથી ઓળખાય છે. આ મહિલાઓ, આપણને જણાવી રહી છે – પરિવર્તન ત્યારે આવે છે જ્યારે ટેકનોલોજી અને સંકલ્પ એકસાથે ચાલે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ને હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. આ અવસર યાદ અપાવે છે કે, જો તમે હજી પણ યોગથી દૂર હો તો હવે યોગ સાથે જોડાવો. યોગ તમારું જીવન જીવવાની રીત બદલી નાંખશે. સાથીઓ, 21 જૂન 2015માં, ‘યોગ દિવસ’ની શરૂઆત પછીથી જ તેનું આકર્ષણ સતત વધી રહ્યું છે. આ વખતે પણ ‘યોગ દિવસ’ને લઇને દુનિયાભરમાં લોકોનો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યા છે. અલગ અલગ સંસ્થાનો પોતાની તૈયારીઓ અન્યોને જણાવી રહ્યા છે. વિતેલા વર્ષોની તસ્વીરોએ ખૂબ પ્રેરિત કર્યા છે. આપણે જોયું છે કે, અલગ અલગ દેશોમાં કોઇ વર્ષે લોકોએ યોગ સાંકળ બનાવી, યોગ વર્તુંળ બનાવ્યા. એવી ઘણી બધી તસ્વીરો છે, જયાં એક સાથે ચાર પેઢી મળીને યોગ કરી રહી છે. ઘણા બધા લોકોએ પોતાના શહેરના ઓળખરૂપ સ્થળોને યોગ માટે પસંદ કર્યા. તમે પણ આ વખત કંઇક રસપ્રદ રીતે યોગદિવસ ઉજવવા વિશે વિચારી શકો છો.
સાથીઓ, આંધ્રપ્રદેશની સરકારે YogAndhra અભિયાન શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય સમગ્ર રાજયમાં યોગ સંસ્કૃતિને વિકસાવવાનો છે. આ અભિયાન અંતર્ગત યોગ કરનારા 10 લાખ લોકોનો એક સમૂહ બનાવવામાં આવી રહ્યો છે. મને આ વર્ષે વિશાખાપટ્ટનમમાં ‘યોગ દિવસ’ કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે. મને એ જાણીને સારૂં લાગ્યું કે, આ વખતે પણ આપણા યુવા સાથી, દેશની વિરાસત સાથે જોડાયેલા ઓળખરૂપ સ્થળો પર યોગ કરવાના છે. કેટલાય યુવાનોએ નવા રેકોર્ડ બનાવવા અને યોગ સાંકળનો હિસ્સો બનવાનો સંકલ્પ લીધો છે. આપણા Corporates પણ તેમાં પાછળ નથી. કેટલીક સંસ્થાઓએ કાર્યાલયમાં જ યોગ અભ્યાસ માટે અલગ સ્થાન નક્કી કરી દીધું છે. કેટલાક start-up દ્વારા પોતાને ત્યાં ‘office યોગ hours’ નક્કી કરી દીધા છે. એવા પણ લોકો છે, જે ગામડાઓમાં જઇને યોગ શીખવવાની તૈયારી કરી રહ્યા છે. આરોગ્ય અને ચુસ્તતાને લઇને લોકોની આ જાગૃતતા મને બહુ આનંદ આપે છે.
સાથીઓ, ‘યોગ દિવસ’ની સાથે સાથે આયુર્વેદના ક્ષેત્રમાં પણ કંઇક એવું બન્યું છે, જેના વિશે જાણીને તમને બહુ આનંદ થશે, કાલે જ એટલે કે, 24મી મે એ WHO ના Director General અને મારા મિત્ર તુલસીભાઇની હાજરીમાં એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારની સાથે International Classification of Health Interventions અંતર્ગત એક dedicated traditional medicine module પર કામ શરૂ થઇ ગયું છે. આ પહેલથી, આયુષને સમગ્ર દુનિયામાં વૈજ્ઞાનિક રીતે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે.
સાથીઓ, તમે શાળાઓમાં કાળું પાટીયું તો જોયું જ હશે. પરંતુ હવે કેટલીક શાળાઓમાં ‘sugar board’ પણ મૂકવામાં આવી રહ્યું છે. blackboard નહીં sugar board ! CBSE ની આ અનોખી પહેલનો ઉદ્દેશ્ય છે, બાળકોને તેમના ખોરાકમાં લેવાતી શર્કરાના પ્રમાણ પ્રત્યે જાગૃત કરવાં. કેટલી શર્કરા લેવી જોઇએ, અને કેટલી શર્કરા ખવાઇ રહી છે તે જાણીને બાળકો પોતે જ આરોગ્યપ્રદ વિકલ્પ પસંદ કરવા લાગ્યા છે. આ એક અનોખો પ્રયાસ છે અને તેની અસર પણ ખૂબ હકારાત્મક થશે. બાળપણથી જ સ્વસ્થ જીવન શૈલીની ટેવ પાડવામાં આ પ્રયાસ ખૂબ મદદગાર સાબિત થઇ શકે છે. કેટલાય વાલીઓએ તેની પ્રશંસા કરી છે. અને મારૂં માનવું છે કે, આવી પહેલ કાર્યાલયો, કેન્ટીનો અને સંસ્થાઓમાં પણ થવી જોઇએ. આખરે તંદુરસ્તી છે તો, બધું છે. Fit India જ strong India નો પાયો છે.
મારા વ્હાલા દેશવાસીઓ, સ્વચ્છ ભારતની વાત આવે અને મન કી બાતના શ્રોતાઓ પાછળ રહે એવું કેવી રીતે બની શકે ભલા ! મને પૂરો વિશ્વાસ છે કે, તમે બધા પોતપાતાના સ્તરે આ અભિયાનને દ્રઢ બનાવી રહ્યા છો. પરંતુ, આજે હું તમને એક એવા ઉદાહરણ વિષે જણાવવા માગું છું, જયાં સ્વચ્છતાના સંકલ્પે પહાડ જેવા પડકારોને પણ પરાસ્ત કર્યા છે. તમે વિચારો કોઇ વ્યક્તિ હિમાચ્છાદિત પહાડ પર ચડી રહી હોય, જ્યાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ હોય, ડગલેને પગલે જીવનું જોખમ હોય અને તો પણ તે વ્યક્તિ ત્યાં સફાઇમાં જોડાયેલી હોય. આવું જ કંઇક કર્યું છે, આપણી આઇટીબીપીની ટીમના સભ્યોએ. આ ટીમ માઉન્ટ મકાલુ જેવા, દુનિયાના સૌથી મુશ્કેલ શિખર પર ચડાઇ માટે ગઇ હતી. પરંતુ સાથીઓ, તેમણે માત્ર પર્વતારોહણ જ ન કર્યું, બલ્કિ તેમણે પોતાના લક્ષ્યમાં એક ઔર અભિયાન જોડ્યું અને તે ‘સ્વચ્છતાનું’. શિખરની પાસે જે કચરો પડ્યો હતો, તેને તેમણે દૂર કરવાનું બીડું ઝડપ્યું. તમે કલ્પના કરો, દોઢસો કિલોથી વધુ non-biodegradable કચરો આ ટીમના સભ્યો પોતાની સાથે નીચે લાવ્યા. આટલી ઉંચાઇએ સફાઇ કરવી કોઇ સહેલું કામ નથી. પરંતુ તે દર્શાવે છે કે, જ્યાં સંકલ્પ હોય ત્યાં રસ્તા પોતાની મેળે બની જાય છે.
સાથીઓ, આ સાથે જ જોડાયેલો એક જરૂરી વિષય છે - Paper waste અને recycling. આપણા ઘરો અને કચેરીઓમાં દરરોજ ઘણો બધો કાગળનો કચરો નીકળે છે. કદાચ, આપણે તેને સામાન્ય માનીએ છીએ, પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે, દેશના landfill waste નો લગભગ ચોથો ભાગ કાગળ સાથે જોડાયેલો હોય છે. આજે જરૂર છે કે, દરેક વ્યક્તિ આ દિશામાં ચોક્કસ વિચારે. મને એ જાણીને સારૂં લાગ્યું કે, ભારતના કેટલાંય Start-Ups આ ક્ષેત્રમાં શાનદાર કામ કરી રહ્યા છે. વિશાખાપટ્ટનન, ગુરૂગ્રામ જેવાં અનેક શહેરોમાં કેટલાંય Start-Up paper recycling ની અવનવી રીતો અપનાવી રહ્યા છે. કોઇ recycle paper માંથી packaging board બનાવી રહ્યું છે, કોઇ digital રીતથી newspaper recycling ને સરળ બનાવી રહ્યું છે. જાલના જેવા શહેરોમાં કેટલાક Start-Up 100 percent recycled material માંથી packaging roll અને paper core બનાવી રહ્યા છે. તમે એ જાણીને પણ પ્રેરિત થશો કે, એક ટન કાગળના recyclingથી 17 ઝાડ કપાવાથી બચી જાય છે. અને હજારો લીટર પાણીની બચત થાય છે. હવે વિચારો, જયારે પર્વતારોહકો આટલા મુશ્કેલ સંજોગોમાં પણ કચરો પાછો લાવી શકે છે, તો આપણે પણ પોતાના ઘર કે, કાર્યાલયમાં કાગળને અલગ કરીને recyclingમાં પોતાનું યોગદાન ચોક્કસ આપવું જોઇએ. જ્યારે દેશનો દરેક નાગરિક એ વિચારશે કે, દેશ માટે હું શું વધુ સારૂં કરી શકું છું, ત્યારે સાથે મળીને, આપણે મોટું પરિવર્તન લાવી શકીએ છીએ.
સાથીઓ, પાછલા દિવસોમાં ખેલો ઇન્ડિયા રમતોની મોટી ધૂમધામ રહી. ખેલો ઇન્ડિયા દરમિયાન, બિહારના પાંચ શહેરોએ યજમાની કરી હતી. ત્યાં અલગ અલગ વર્ગમાં મુકાબલા થયા હતા. સમગ્ર ભારતમાંથી ત્યાં પહોંચેલા ખેલાડીઓની સંખ્યા પાંચ હજારથી પણ વધુ હતી. આ ખેલાડીઓએ બિહારની ખેલ ભાવનાની, બિહારના લોકો તરફથી મળેલી આત્મિયતાની ખૂબ પ્રશંસા કરી છે.
સાથીઓ, બિહારની ધરતી બહુ વિશેષ છે, આયોજનમાં ત્યાં કેટલીયે અનન્ય બાબતો બની છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આ પહેલું આયોજન હતું, જે Olympic channel દ્વારા દુનિયાભરમાં પહોંચ્યું. પૂરા વિશ્વના લોકોએ આપણા યુવા ખેલાડીઓની પ્રતિભાને જોઇ અને પ્રશંસા કરી. હું તમામ ચંદ્રક વિજેતાઓ ખાસ કરીને, ટોચના ત્રણ વિજેતાઓ – મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનને અભિનંદન આપું છું.
સાથીઓ, આ વખતે ખેલો ઇન્ડિયામાં કુલ 26 વિક્રમ નોંધાયા. Weight Lifting સ્પર્ધાઓમાં મહારાષ્ટ્રનાં અસ્મિતા ધોને, ઓડીશાના હર્ષવર્ધન સાહુ અને ઉત્તરપ્રદેશના તુષાર ચૌધરીના શાનદાર દેખાવે સૌના દિલ જીતી લીધાં. તો, મહારાષ્ટ્રના સાઇરાજ પરદેશીએ તો, 3 વિક્રમ રચી નાંખ્યા. ખેલાડીઓમાં ઉત્તરપ્રદેશના કાદિર ખાન અને શેખ જીશાન તેમજ રાજસ્થાનના હંસરાજે શાનદાર દેખાવ કર્યો. આ વખતે બિહારે પણ 36 ચંદ્રક પોતાને નામ કર્યા. સાથીઓ, જે રમે છે તે જ, ખીલે છે. યુવા રમતગમત પ્રતિભાઓ માટે આ સ્પર્ધા ઘણી મહત્વની છે. આ રીતના આયોજન ભારતીય રમતોના ભવિષ્યને વધુ સુંદર બનાવશે.
મારા વ્હાલા દેશવાસીઓ, 20મી મે એ વિશ્વ મધમાખી દિવસ મનાવવામાં આવ્યો. એટલે કે, એક એવો દિવસ જે આપણને યાદ અપાવે છે કે, મધ કેવળ મીઠાશ નહિં, પરંતુ તંદુરસ્તી, સ્વરોજગાર અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ પણ છે. પાછલા 11 વર્ષમાં મધમાખી પાલનમાં ભારતમાં એક મધુરક્રાંતિ થઇ છે. આજથી 10-11 વર્ષ પહેલાં ભારતમાં મધઉત્પાદન એક વર્ષમાં લગભગ 70-75 હજાર મેટ્રિકટન થતું હતું. તે આજે વધીને લગભગ સવા લાખ મેટ્રિક ટન જેટલું થઇ ગયું છે. એટલે કે, મધઉત્પાદનમાં લગભગ 60 ટકાનો વધારો થયો છે. આપણે મધઉત્પાદન અને તેની નિકાસમાં દુનિયાના અગ્રણી દેશોમાં આવી ચૂક્યા છીએ. સાથીઓ, આ હકારાત્મક અસરમાં ‘રાષ્ટ્રીય મધમાખી પાલન’ અને ‘મધ મિશન’ની મોટી ભૂમિકા છે. તેના અંતર્ગત મધમાખી પાલન સાથે જોડાયેલા હજારો ખેડૂતોને તાલીમ આપવામાં આવી, ઉપકરણ આપવામાં આવ્યા અને બજાર સુધી તેમની સીધી પહોંચ બનાવવામાં આવી.
સાથીઓ, આ પરિવર્તન કેવળ આંકડામાં નથી દેખાતું, તે ગામોની જમીન પર પણ ચોખ્ખું નજરે આવે છે. છત્તીસગઢના કોરિયા જીલ્લાનું એક ઉદાહરણ છે, અહિંના આદિવાસી ખેડૂતોએ ‘સોન હની’ નામથી એક શુદ્ધ જૈવિક મધ બ્રાન્ડ બનાવી છે. આજે આ મધ GeM સહિત અનેક Online Portal પર વેચાઇ રહ્યું છે. એટલે કે, ગામની મહેનત હવે વૈશ્વિક બની રહી છે. આ રીતે જ ઉત્તરપ્રદેશ, ગુજરાત, જમ્મુકાશ્મીર, પશ્ચિમ બંગાળ અને અરૂણાચલ પ્રદેશમાં હજારો મહિલાઓ અને યુવાઓ હવે મધઉદ્યમી બની ચૂક્યા છે. સાથીઓ, અને હવે મધના માત્ર જથ્થા પર નહીં તેની શુદ્ધતા પર પણ કામ થઇ રહ્યું છે. કેટલાક Start-up હવે AI અને Digital Technologyની મદદથી મધની ગુણવત્તાને પ્રમાણિત કરી રહ્યા છે. હવે પછી તમે જ્યારે પણ મધ ખરીદો તો, આ મધ ઉદ્યમીઓ દ્વારા બનાવવામાં આવેલું મધ જરૂર અજમાવજો, કોશિશ કરજો, કોઇ સ્થાનિક ખેડૂત પાસેથી, કોઇ મહિલા ઉદ્યમી પાસેથી પણ મધ ખરીદો. કેમ કે, તે દરેક ટીપામાં સ્વાદ જ નહીં, ભારતની મહેનત અને આશાઓ પણ ધોળાયેલી હોય છે. મધની આ મિઠાશ – આત્મનિર્ભર ભારતનો સ્વાદ છે.
સાથીઓ, જ્યારે આપણે દેશના મધ સાથે જોડાયેલા પ્રયાસોની વાત કરી રહ્યા છીએ તો, હું તમને વધુ એક પહેલ વિશે પણ જણાવવા માંગુ છું. એ આપણને યાદ અપાવે છે કે, મધમાખીની સુરક્ષા કેવળ પર્યાવરણની જ નહિં, આપણી ખેતી અને ભાવિ પેઢીની પણ જવાબદારી છે. આ ઉદાહરણ છે, પૂણે શહેરનું કે, જ્યાં એક Housing societyમાં મધપૂડા દૂર કરવામાં આવ્યા – કદાચ સલામતીના કારણે કે પછી ડરને લીધે. પરંતુ આ ઘટનાએ કોઇને કંઇક વિચારવા પર મજબૂર કરી દીધો. અમિત નામના એક યુવાને નક્કી કર્યું કે, મધમાખીને હટાવવી નહીં, બચાવવી જોઇએ. તેઓ જાતે શીખ્યા, મધમાખીઓ પર શોધખોળ કરી અને બીજાને પણ જોડવાનું શરૂ કર્યું. ધીરેધીરે તેમણે એક ટીમ બનાવી, જેને તેમણે નામ આપ્યું – Bee Friends, એટલે કે, મધમાખી મિત્ર. હવે આ મધમાખી મિત્રો, મધપૂડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત રીતે તબદિલ કરે છે, જેથી લોકોને ખતરો ન થાય અને મધમાખીઓ પણ જીવતી રહે. અમિતજીના આ પ્રયાસની અસર પણ બહુ શાનદાર થઇ છે. મધમાખીઓની વસાહતો બચી રહી છે. મધનું ઉત્પાદન વધી રહ્યું છે. અને સૌથી જરૂરી છે લોકોમાં જાગૃતિ પણ વધી રહી છે. આ પહેલ આપણને શીખવે છે કે, જ્યારે આપણે પ્રકૃતિની સાથે મળીને કામ કરીએ છીએ તો એનો ફાયદો સૌને થાય છે.
મારા વ્હાલા દેશવાસીઓ, ‘મન કી બાત’ની આ કડીમાં આ વખતે આટલું જ, આપ આ રીતે દેશના લોકોની સિદ્ધિઓને સમાજ માટેના, તેમના પ્રયાસોને, મને મોકલતા રહેજો. ‘મન કી બાત’ની આગલી કડીમાં ફરી મળીશું, કેટલાય નવા વિષયો અને દેશવાસીઓની નવી સિદ્ધિઓની ચર્ચા કરીશું. હું તમારા સંદેશાઓની રાહ જોઉં છું. આ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.
આજે દુનિયા જોઈ રહી છે, આ આતંકવાદી આક્રમણ પછી આખો દેશ એક સ્વરમાં બોલી રહ્યો છે.
સાથીઓ, ભારતના આપણા લોકોમાં જે આક્રોશ છે, તે આક્રોશ સમગ્ર દુનિયામાં છે. આ આતંકવાદી આક્રમણ પછી લગાતાર દુનિયાભરથી સંવેદનાઓ આવી રહી છે. મને પણ વૈશ્વિક નેતાઓએ ફૉન કર્યા છે, પત્રો લખ્યા છે, સંદેશાઓ મોકલ્યા છે. આ જઘન્ય રીતે કરાયેલા આતંકવાદી આક્રમણની બધાએ કઠોર નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાઓ પ્રગટ કરી છે. સમગ્ર વિશ્વ, આતંકવાદની વિરુદ્ધ આપણી લડાઈમાં, 140 કરોડ ભારતીયોની સાથે ઊભું છે. હું પીડિત પરિવારોને ફરી વિશ્વાસ અપાવું છું કે તેમને ન્યાય મળશે, ન્યાય મળીને રહેશે. આ આક્રમણના દોષીઓ અને ષડયંત્ર રચનારાઓને કઠોરતમ ઉત્તર આપવામાં આવશે.
સાથીઓ, બે દિવસ પહેલાં આપણે દેશના મહાન વૈજ્ઞાનિક ડૉ. કે. કસ્તૂરીરંગનજીને ગુમાવ્યા છે. જ્યારે પણ કસ્તૂરીરંગનજી સાથે મુલાકાત થઈ, અમે ભારતના યુવાઓની પ્રતિભા, આધુનિક શિક્ષણ, અંતરિક્ષ વિજ્ઞાન એવા વિષયો પર ઘણી ચર્ચા કરતા હતા. વિજ્ઞાન, શિક્ષણ અને ભારતના અંતરિક્ષ કાર્યક્રમને નવી ઊંચાઈ આપવામાં તેમના યોગદાનને સદૈવ યાદ કરવામાં આવશે. તેમના નેતૃત્વમાં ઇસરોને એક નવી ઓળખ મળી. તેમના માર્ગદર્શનમાં જે અંતરિક્ષ કાર્યક્રમ આગળ વધ્યા, તેનાથી ભારતના પ્રયાસોને વૈશ્વિક માન્યતા મળી. આજે ભારત જે ઉપગ્રહોનો ઉપયોગ કરે છે તેમાંથી અનેક ડૉ. કસ્તૂરીરંગનની દેખરેખમાં જ છોડવામાં આવ્યા હતા. તેમના વ્યક્તિત્વની એક બીજી વાત બહુ વિશેષ હતી, જેનાથી યુવાન પેઢી તેમનામાંથી શીખી શકે છે. તેમણે સદાય નવાચારને મહત્ત્વ આપ્યું. કંઈક નવું શીખવા, જાણવા અને નવું કરવાનું વિઝન ખૂબ જ પ્રેરિત કરનારું છે. ડૉ. કે. કસ્તૂરીરંગનજીએ દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં પણ બહુ મોટી ભૂમિકા ભજવી હતી.
ડૉ. કે. કસ્તૂરીરંગન, 21મી સદીની આધુનિક આવશ્યકતાઓ મુજબ, દૂરંદેશી શિક્ષણનો વિચાર લઈને આવ્યા હતા. દેશની નિઃસ્વાર્થ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને હમેશ માટે યાદ કરવામાં આવશે. હું ડૉ. કે. કસ્તૂરીરંગનજીને વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલી અર્પિત કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આ મહિને એપ્રિલમાં આર્યભટ્ટ ઉપગ્રહના પ્રક્ષેપણને ૫૦ વર્ષ પૂરાં થયાં છે. આજે જ્યારે આપણે પાછળ વળીને જોઈએ છીએ, 50 વર્ષની આ યાત્રાને યાદ કરીએ છીએ, તો લાગે છે કે આપણે કેટલું લાંબું અંતર કાપ્યું છે. અંતરિક્ષમાં ભારતનાં સપનાંઓની આ ઉડાન એક સમયે માત્ર જોશ સાથે શરૂ થઈ હતી. રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની લાગણી ધરાવતા કેટલાક યુવાન વૈજ્ઞાનિકો- તેમની પાસે ન તો આજ જેવા આધુનિક સંસાધનો હતાં, ન તો દુનિયાની ટૅક્નૉલૉજી સુધી એવી કોઈ પહોંચ હતી - જો કંઈ હતું તો તે હતી- પ્રતિભા, લગન, મહેનત અને દેશ માટે કંઈક કરી છૂટવાની ધગશ. બળદગાડાં અને સાઇકલો પર મહત્ત્વનાં નાજુક સાધનોને પોતે લઈને જતા આપણા વૈજ્ઞાનિકોની છબિઓને તમે પણ જોઈ હશે. તે લગન અને રાષ્ટ્રસેવાની ભાવનાનું પરિણામ છે કે આજે આટલું બધું બદલાઈ ગયું છે. આજે ભારત એક વૈશ્વિક અંતરિક્ષ મહાસત્તા બની ચૂક્યું છે. આપણે એક સાથે 104 ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવાનો એક વિક્રમ બનાવ્યો છે. આપણે ચંદ્રમાના દક્ષિણ ધ્રૂવ પર પહોંચનારા પહેલા દેશ બન્યા છીએ. ભારતે માર્સ ઑર્બિટર મિશન છોડ્યું છે અને આપણે આદિત્ય - L1 મિશન દ્વારા સૂર્યના ઘણા નજીક પહોંચ્યા છીએ. આજે ભારત પૂરી દુનિયામાં સૌથી ઓછા ખર્ચે પરંતુ સફળ અંતરિક્ષ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યું છે. દુનિયાના અનેક દેશો પોતાના ઉપગ્રહો અને અંતરિક્ષ મિશન માટે ઇસરોની સહાય લે છે.
સાથીઓ, જ્યારે આપણે ઇસરો દ્વારા કોઈ પણ ઉપગ્રહનું પ્રક્ષેપણ જોઈએ છીએ તો આપણે ગર્વ અનુભવીએ છીએ. આવી જ અનુભૂતિ મને ત્યારે થઈ જ્યારે હું 2014માં PSLV-C-23ના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો હતો. 2019માં ચંદ્રયાન-2ના ઉતરાણ વખતે પણ હું બૅંગ્લુરુના ઇસરો કેન્દ્રમાં હાજર હતો. તે સમયે ચંદ્રયાનને એ અપેક્ષિત સફળતા નહોતી મળી, ત્યારે વૈજ્ઞાનિકો માટે, તે ખૂબ જ મુશ્કેલ ઘડી હતી. પરંતુ હું મારી આંખોથી વૈજ્ઞાનિકોના ધૈર્ય અને કંઈક કરી છૂટવાની ધગશ પણ જોઈ રહ્યો હતો અને કેટલાંક વર્ષો પછી પૂરી દુનિયાએ પણ જોયું કે કેવી રીતે તે જ વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-૩ને સફળ કરીને દેખાડ્યું.
સાથીઓ, હવે ભારતે પોતાના અંતરિક્ષ ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખોલી નાખ્યું છે. આજે ઘણા બધા યુવાનો અંતરિક્ષ સ્ટાર્ટ અપમાં નવા ઝંડા લહેરાવી રહ્યા છે. 10 વર્ષ પહેલાં આ ક્ષેત્રમાં માત્ર એક જ કંપની હતી, પરંતુ આજે દેશમાં, સવા ત્રણસો થી વધુ સ્પેસ સ્ટાર્ટ અપ કામ કરી રહ્યાં છે. આવનારો સમય અંતરિક્ષમાં ઘણી બધી નવી સંભાવનાઓ લઈને આવી રહ્યો છે. ભારત નવી ઊંચાઈઓને સ્પર્શવાનું છે. દેશ ગગનયાન, સ્પેડેક્સ અને ચંદ્રયાન-4 જેવા અનેક મહત્ત્વપૂર્ણ મિશનની તૈયારીઓમાં લાગેલો છે. આપણે વિનસ ઑર્બિટર મિશન અને માર્સ લેન્ડર મિશન પર પણ કામ કરી રહ્યા છીએ. આપણા અંતરિક્ષ વૈજ્ઞાનિકો પોતાનાં ઇન્નૉવેશનથી દેશવાસીઓને નવો ગર્વ આપવાના છે.
સાથીઓ, ગત મહિને મ્યાનમારમાં આવેલા ભૂકંપની ભયાવહ છબિઓ તમે અવશ્ય જોઈ હશે. ભૂકંપથી ત્યાં બહુ મોટો વિનાશ સર્જાયો, કાટમાળમાં ફસાયેલા લોકો માટે એક-એક શ્વાસ, એક-એક પળ કિંમતી હતી. આથી ભારતે મ્યાનમારના આપણા ભાઈઓ-બહેનો માટે તરત જ ઑપરેશન બ્રહ્મા શરૂ કર્યું. વાયુ સેનાનાં વિમાનોથી લઈને નૌ સેનાનાં જહાજો પણ મ્યાનમારની મદદ માટે રવાના થઈ ગયાં. ત્યાં ભારતીય ટીમે એક ફીલ્ડ હૉસ્પિટલ તૈયાર કરી. એન્જિનિયરોની એક ટીમે મહત્ત્વપૂર્ણ ઈમારતો અને ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી. ભારતીય ટીમે ત્યાં ધાબળા, તંબુ, સ્લીપિંગ બેગ્સ, દવાઓ, ખાણીપીણીના સામાન સાથે જ બીજી ઘણી બધી ચીજો પૂરી પાડી. આ દરમિયાન ભારતીય ટીમને ત્યાંના લોકો તરફથી ઘણી પ્રશંસા પણ મળી.
સાથીઓ, આ સંકટમાં, સાહસ, ધૈર્ય અને સૂજબૂજનાં અનેક હૃદયસ્પર્શી ઉદાહરણ જોવાં મળ્યાં. ભારતીય ટીમે 70 વર્ષથી વધુ વયનાં એક વૃદ્ધાને બચાવ્યાં જે કાટમાળમાં 18 કલાકથી દબાયેલાં હતાં. જે લોકો અત્યારે ટીવી પર 'મન કી બાત' જોઈ રહ્યા છે, તેમને આ વૃદ્ધાનો ચહેરો પણ દેખાઈ રહ્યો હશે. ભારતથી ગયેલી ટીમે તેમના ઑક્સિજન લેવલને સ્થિર કરવાથી લઈને ફ્રૅક્ચરની સારવાર સુધી, ઉપચારની દરેક સુવિધા ઉપલબ્ધ કરાવી. જ્યારે આ વૃદ્ધાને હૉસ્પિટલમાંથી રજા મળી તો તેમણે આપણી ટીમનો ખૂબ આભાર માન્યો. તેઓ બોલ્યાં કે ભારતીય બચાવ દળના કારણે તેમને નવું જીવન મળ્યું છે. ઘણા લોકોએ આપણી ટીમને જણાવ્યું કે તેમના કારણે તેઓ પોતાના મિત્રો અને સગા-સંબંધીઓને શોધી શક્યા.
સાથીઓ, ભૂકંપ પછી મ્યાનમારમાં માંડલેના એક મઠમાં અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા હતી. આપણા સાથીઓએ ત્યાં પણ રાહત અને બચાવ અભિયાન ચલાવ્યું, તેના કારણે તેમને બૌદ્ધ ભિક્ષુઓના ખૂબ જ આશીર્વાદ મળ્યા. આપણને ઑપરેશન બ્રહ્મામાં ભાગ લેનારા બધા લોકો પર ઘણો ગર્વ છે. આપણી પરંપરા છે, આપણા સંસ્કારો છે, વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના- પૂરી દુનિયા એક પરિવાર છે.
સંકટના સમયે વિશ્વમિત્રના રૂપમાં ભારતની તત્પરતા અને માનવતા માટે ભારતની પ્રતિબદ્ધતા આપણી ઓળખ બની રહી છે.
સાથીઓ, મને આફ્રિકાના ઇથિયોપિયામાં પ્રવાસી ભારતીયોના એક અભિનવ પ્રયાસની જાણકારી મળી છે. ઇથિયોપિયામાં રહેનારા ભારતીયોએ એવાં બાળકોને ઉપચાર માટે ભારત મોકલવાની પહેલ કરી છે જે જન્મથી જ હૃદયની બીમારીથી પીડિત છે. આવા ઘણાં બાળકોની ભારતીય પરિવારો દ્વારા આર્થિક મદદ પણ કરવામાં આવી રહી છે. જો કોઈ બાળકનો પરિવાર પૈસાના કારણે ભારત આવવામાં અસમર્થ હોય તો તેમની પણ વ્યવસ્થા આપણાં ભારતીય ભાઈઓ-બહેનો કરી રહ્યાં છે. પ્રયત્ન એ છે કે ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા ઇથિયોપિયાના દરેક જરૂરિયાતવાળાં બાળકોને શ્રેષ્ઠ ઉપચાર મળે. પ્રવાસી ભારતીયોના આ ભલાઈના કાર્યને ઇથિયોપિયામાં ભરપૂર પ્રશંસા મળી રહી છે. તમે જાણો છો કે ભારતમાં મેડિકલ સુવિધાઓ વધુ સારી થઈ રહી છે. તેનો લાભ બીજા દેશના નાગરિકો પણ ઉઠાવી રહ્યા છે.
સાથીઓ, કેટલાક જ દિવસ પહેલાં, ભારતે અફઘાનિસ્તાનના લોકો માટે મોટી સંખ્યામાં રસીઓ મોકલી છે. આ રસી રેબિઝ, ટિટેનસ, હિપેટાઇટિસ બી અને ઇન્ફ્લુએન્ઝા જેવી ભયાવહ બીમારીઓથી બચાવમાં કામ આવશે. ભારતે આ જ સપ્તાહમાં નેપાળના અનુરોધ પર ત્યાં દવાઓ અને રસીઓની મોટી ખેપ મોકલી છે. તેનાથી થેલેસેમિયા અને સિકલ સેલ રોગના દર્દીઓ માટે વધુ સારો ઉપચાર સુનિશ્ચિત થશે. જ્યારે પણ માનવતાની સેવાની વાત આવે છે તો ભારત સદા તેમાં આગળ રહે છે અને ભવિષ્યમાં પણ આવી દરેક જરૂરિયાતમાં સદા આગળ જ રહેશે.
સાથીઓ, હમણાં આપણે આપદા પ્રબંધનની વાત કરી રહ્યા હતા અને કોઈ પણ પ્રાકૃતિક આપત્તિને પહોંચી વળવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે - આપણી ઍલર્ટનેસ, આપણું સચેત રહેવું. આ ઍલર્ટનેસમાં હવે આપણને આપણા મોબાઇલની એક સ્પેશિયલ ઍપથી મદદ મળી શકે છે. આ ઍપ આપણને કોઈ પ્રાકૃતિક આપત્તિમાં ફંસવાથી બચાવી શકે છે અને તેનું નામ પણ છે 'સચેત'. 'સચેત ઍપ' ભારતના રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ (એનડીએમએ)એ તૈયાર કરી છે. પૂર, ચક્રાવાત, ભૂસ્ખલન, સુનામી, દાવાનળ, હિમસ્ખલન, વાવાઝોડું, તોફાન કે પછી વીજપ્રપાત જેવી આપત્તિઓ હોય, 'સચેત ઍપ' તમને દરેક રીતે માહિતગાર અને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે. આ ઍપના માધ્યમથી તમે હવામાન વિભાગ સાથે જોડાયેલી નવીન જાણકારી પ્રાપ્ત કરી શકો છો. વિશેષ વાત એ છે કે 'સચેત ઍપ' ક્ષેત્રીય ભાષાઓમાં પણ ઘણી બધી જાણકારીઓ ઉપલબ્ધ કરાવે છે. આ ઍપનો તમે પણ ફાયદો ઉઠાવો અને પોતાનો અનુભવ અમને જરૂર જણાવો.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે સમગ્ર દુનિયામાં ભારતની પ્રશંસા થતા જોઈએ છીએ. ભારતના યુવાનોએ ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે અને કોઈ પણ દેશના યુવાનોની રુચિ કઈ તરફ છે, ક્યાં છે, તેનાથી ખબર પડે છે કે દેશનું ભવિષ્ય કેવું હશે. આજે ભારતનો યુવાન, વિજ્ઞાન, ટૅક્નૉલૉજી અને ઇન્નૉવેશનની તરફ આગળ વધી રહ્યો છે. એવાં ક્ષેત્ર, જેની ઓળખ પહેલાં પછાતપણા અને બીજાં કારણોથી થતી હતી, ત્યાં પણ યુવાનોએ એવાં ઉદાહરણ પ્રસ્તુત કર્યાં છે, જે આપણને નવો વિશ્વાસ અપાવે છે. છત્તીસગઢના દંતેવાડાનું વિજ્ઞાન કેન્દ્ર આજકાલ બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે. કેટલાક સમય પહેલાં સુધી, દંતેવાડાનું નામ માત્ર હિંસા અને અશાંતિ માટે જાણીતું હતું પરંતુ હવે ત્યાં એક વિજ્ઞાન કેન્દ્ર, બાળકો અને તેમનાં માતાપિતા માટે આશાનું નવું કિરણ બની ગયું છે. આ વિજ્ઞાન કેન્દ્રમાં જવાનું બાળકોને ખૂબ જ ગમે છે. તેઓ હવે નવાં-નવાં મશીનો બનાવવાથી માંડીને ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને નવી પ્રૉડક્ટ્સ બનાવવાનું શીખી રહ્યાં છે. તેમને 3-ડી પ્રિન્ટર્સ અને રૉબૉટિક કારોની સાથે જ બીજી ઇન્નોવેટિવ ચીજો વિશે જાણવાની તક મળી છે. હમણાં કેટલાક સમય પહેલાં મેં ગુજરાત સાયન્સ સિટીમાં પણ સાયન્સ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગેલેરીઝમાંથી એ ઝલક મળે છે કે આધુનિક વિજ્ઞાનની ક્ષમતા શું છે, વિજ્ઞાન આપણા માટે કેટલું બધું કરી શકે છે. મને જાણકારી મળી છે કે આ ગેલેરીઝ અંગે ત્યાં બાળકોમાં ખૂબ જ ઉત્સાહ છે. વિજ્ઞાન અને ઇન્નૉવેશન પ્રત્યે આ વધતું આકર્ષણ, જરૂર ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશની સૌથી મોટી શક્તિ આપણા 140 કરોડ નાગરિકો છે, તેમનું સામર્થ્ય છે, તેમની ઇચ્છાશક્તિ છે. અને જ્યારે કરોડો લોકો, એક સાથે કોઈ અભિયાન સાથે જોડાઈ જાય છે, તો તેનો પ્રભાવ ખૂબ જ મોટો હોય છે. તેનું એક ઉદાહરણ છે- 'એક પેડ માં કે નામ'- આ અભિયાન તે માતાના નામે છે જેણે આપણને જન્મ આપ્યો અને તે એ ધરતી માતા માટે પણ છે, જે આપણને તેના ખોળામાં ધારણ કરેલી રહે છે. સાથીઓ, પાંચ જૂને 'વિશ્વ પર્યાવરણ દિવસ' પર આ અભિયાનને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. આ એક વર્ષમાં આ અભિયાન હેઠળ દેશભરમાં માતાના નામ પર 140 કરોડથી વધુ વૃક્ષ લગાવાયાં છે. ભારતની આ પહેલને જોતાં, દેશની બહાર પણ લોકોએ પોતાની માતાના નામે વૃક્ષ લગાવેલાં છે. તમે પણ આ અભિયાનનો હિસ્સો બનો, જેથી એક વર્ષ પૂરું થાય ત્યારે પોતાની ભાગીદારી પર તમે ગર્વ કરી શકો.
સાથીઓ, વૃક્ષોથી આપણને ઠંડક મળે છે, વૃક્ષના છાંયડામાં ગરમીથી રાહત મળે છે, તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ ગત દિવસોમાં તેની સાથે જોડાયેલા એક સમાચાર જોયા જેણે મારું ધ્યાન ખેંચ્યું. ગુજરાતના અમદાવાદ શહેરમાં ગત કેટલાંક વર્ષોમાં 70 લાખથી વધુ વૃક્ષો લગાવાયાં છે. આ વૃક્ષોએ અમદાવાદમાં હરિયાળો વિસ્તાર ઘણો વધારી દીધો છે. તેની સાથોસાથ સાબરમતી નદી પર રિવર ફ્રન્ટ બનવાથી અને કાંકરિયા તળાવ જેવાં કેટલાંક તળાવનાં પુનર્નિર્માણથી ત્યાં જળાશયોની સંખ્યા પણ વધી ગઈ છે. હવે સમાચાર અહેવાલો કહે છે કે ગત કેટલાંક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લડાઈ લડનારાં પ્રમુખ શહેરોમાંનું એક બની ગયું છે. આ પરિવર્તનને, વાતાવરણમાં આવેલી શીતળતાને, ત્યાંના લોકો પણ અનુભવી રહ્યા છે. અમદાવાદમાં લગાવાયેલાં વૃક્ષો ત્યાં નવી પ્રસન્ન્તા લાવવાનું કારણ બની રહ્યાં છે. મારો આપ સહુને ફરી અનુરોધ છે કે ધરતીનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે, આબોહવા પરિવર્તનના પડકારોનો હલ લાવવા માટે, અને પોતાનાં બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે, વૃક્ષ જરૂર લગાવો- 'એક પેડ માં કે નામ'.
સાથીઓ, એક જૂની કહેવત છે- મન હોય તો માળવે જવાય. જ્યારે આપણે કંઈક નવું કરવાનું નક્કી કરી લઈએ છીએ તો ગંતવ્ય સ્થાન જરૂર મળી જાય છે. તમે પહાડો પર ઉગતાં સફરજન તો ઘણાં ખાધાં હશે. પરંતુ જો હું તમને પૂછું કે શું તમે કર્ણાટકના સફરજનનો સ્વાદ ચાખ્યો છે? તો તમને નવાઈ લાગશે. સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે સફરજનનું ઉત્પાદન પહાડ પર જ થાય છે. પરંતુ કર્ણાટકના બાગલકોટમાં રહેતા શ્રી શૈલ તેલીજીએ મેદાનમાં સફરજન ઉગાડ્યાં છે. તેમના કુલાલી ગામમાં 35 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ સફરજનનાં વૃક્ષ ફળ આપવા લાગ્યાં છે. વાસ્તવમાં, શ્રી શૈલ તેલીને ખેતીનો શોખ હતો તો તેમણે સફરજનની ખેતીને પણ કરી જોવાનો પ્રયાસ કર્યો અને તેમને તેમાં સફળતા મળી પણ ગઈ. આજે તેમના લગાવેલાં સફરજનનાં વૃક્ષો પર ઘણી સંખ્યામાં સફરજન ઊગે છે જેને વેચીને તેમને સારી કમાણી પણ થઈ રહી છે.
સાથીઓ, હવે જ્યારે સફરજનની ચર્ચા થઈ રહી છે તો તમે કિન્નૌરી સફરજનનું નામ અવશ્ય સાંભળ્યું હશે. સફરજન માટે જાણીતા કિન્નૌરમાં કેસરનું ઉત્પાદન થવા લાગ્યું છે. સામાન્ય રીતે, હિમાચલમાં કેસરની ખેતી ઓછી થતી હતી પરંતુ હવે કિન્નૌરની સુંદર સાંગલા ખીણમાં પણ કેસરની ખેતી થવા લાગી. આવું જ એક ઉદાહરણ કેરળના વાયનાડનું છે. ત્યાં પણ કેસર ઉગાડવામાં સફળતા મળી છે. અને વાયનાડમાં આ કેસર કોઈ ખેતર કે માટીમાં નહીં, પરંતુ ઍરોપૉનિક્સ ટૅક્નિકથી ઉગાડવામાં આવે છે. આવું જ આશ્ચર્યજનક કામ લીચીના ઉત્પાદન સાથે થયું છે. આપણે તો સાંભળતા હતા કે લીચી બિહાર, પશ્ચિમ બંગાળ કે ઝારખંડમાં ઊગે છે. પરંતુ હવે લીચીનું ઉત્પાદન દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં પણ થઈ રહ્યું છે. તમિલનાડુના થિરુ વીરા અરાસુ, કોફીની ખેતી કરતા હતા. કોડઈકેનાલમાં તેમણે લીચીનાં વૃક્ષ લગાવ્યાં અને તેમની સાત વર્ષની મહેનત પછી હવે તે વૃક્ષો પર ફળ આવવાં લાગ્યાં. લીચી ઉગાડવામાં મળેલી સફળતાએ આસપાસના બીજા ખેડૂતોને પણ પ્રેરિત કર્યા છે. રાજસ્થાનમાં જિતેન્દ્રસિંહ રાણાવતને લીચી ઉગાડવામાં સફળતા મળી છે. આ બધાં ઉદાહરણો ખૂબ જ પ્રેરિત કરનારાં છે. જો આપણે કંઈક નવું કરવાનો સંકલ્પ કરી લઈએ અને મુશ્કેલીઓ છતાં અડગ રહીએ તો અસંભવને પણ સંભવ કરી શકાય છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે એપ્રિલનો અંતિમ રવિવાર છે. થોડા જ દિવસોમાં મે મહિનો શરૂ થવાનો છે. હું તમને આજથી 108 વર્ષ પાછળ લઈ જઉં છું.
વર્ષ 1917 એપ્રિલ અને મે - આ બે મહિનામાં- દેશની સ્વતંત્રતાની એક અનોખી લડાઈ થઈ રહી હતી. અંગ્રેજોના અત્યાચાર ચરમસીમાએ હતા. ગરીબો, વંચિતો અને ખેડૂતોનું શોષણ અમાનવીય સ્તરને પણ પાર કરી ચૂક્યું હતું. બિહારની ઉપજાવ ધરતી પર આ અંગ્રેજો ખેડૂતોને ગળીની ખેતી માટે મજબૂર કરી રહ્યા હતા. ગળીની ખેતીના કારણે ખેડૂતોનાં ખેતર ઉજ્જડ થઈ રહ્યાં હતાં. પરંતુ અંગ્રેજી શાસનને તેની કોઈ પડી નહોતી. આવી સ્થિતિમાં 1917માં ગાંધીજી બિહારના ચંપારણ પહોંચે છે. ખેડૂતોએ ગાંધીજીને જણાવ્યું - અમારી જમીન ખરાબ થઈ રહી છે, ખાવા માટે અનાજ નથી મળી રહ્યું. લાખો ખેડૂતોની આ પીડાથી ગાંધીજીના મનમાં એક સંકલ્પ ઉઠ્યો. ત્યાંથી ચંપારણનો ઐતિહાસિક સત્યાગ્રહ શરૂ થયો. 'ચંપારણ સત્યાગ્રહ' એ બાપુનો ભારતમાં પહેલો મોટો પ્રયોગ હતો. બાપુના સત્યાગ્રહથી સમગ્ર અંગ્રેજી શાસન હચમચી ગયું. અંગ્રેજોને ગળીની ખેતી માટે ખેડૂતોને મજબૂર કરનારો કાયદો સ્થગિત કરવો પડ્યો. આ એક એવી જીત હતી જેનાથી સ્વતંત્રતાની લડાઈમાં નવો વિશ્વાસ ફૂંકાયો. તમે બધા જાણતા હશો કે આ સત્યાગ્રહમાં મોટું યોગદાન બિહારના એક બીજા સપૂતનું પણ હતું, જે સ્વતંત્રતા પછી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. તે મહાન વિભૂતિ હતા - ડૉ. રાજેન્દ્રપ્રસાદ. તેમણે 'ચંપારણ સત્યાગ્રહ' પર એક પુસ્તક પણ લખ્યું - 'Satyagraha in Champaran'. આ પુસ્તક દરેક યુવાને વાંચવું જોઈએ. ભાઈઓ-બહેનો, એપ્રિલમાં જ સ્વતંત્રતા સંગ્રામની લડાઈનાં અનેક બીજા અમિટ અધ્યાયો જોડાયેલા છે. એપ્રિલની છ તારીખે જ ગાંધીજીની 'દાંડી યાત્રા' સંપન્ન થઈ હતી. 12 માર્ચથી શરૂ થઈને 24 દિવસ સુધી ચાલેલી આ યાત્રાએ અંગ્રેજોને હચમચાવી મૂક્યા હતા. એપ્રિલમાં જ જલિયાંવાલા બાગ નરસંહાર થયો હતો. પંજાબની ધરતી પર આ રક્તરંજિત ઇતિહાસનાં નિશાનો આજે પણ પ્રવર્તમાન છે.
સાથીઓ, થોડા જ દિવસોમાં, 10 મેએ, પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની વર્ષગાંઠ પણ આવનાર છે. સ્વતંત્રતાની આ પહેલી લડાઈમાં જે તણખો પ્રગટ્યો હતો, તે આગળ વધીને લાખો સેનાનીઓ માટે મશાલ બની ગયો. હમણાં 26 એપ્રિલે આપણે 1857ની ક્રાંતિના મહાન નાયક બાબુ વીરકુંવરસિંહજીની પુણ્યતિથિ પણ મનાવી છે. બિહારના મહાન સેનાનીથી સમગ્ર દેશને પ્રેરણા મળે છે. આપણે આવા જ લાખો સ્વતંત્રતા સેનાનીઓની અમર પ્રેરણાને જીવિત રાખવાની છે. આપણને તેમનામાથી જે ઊર્જા મળે છે, તે અમૃતકાળના આપણા સંકલ્પોને નવી મજબૂતી આપે છે.
સાથીઓ, 'મન કી બાત'ની આ લાંબી યાત્રામાં તમે આ કાર્યક્રમની સાથે એક આત્મીય સંબંધ બનાવી લીધો છે. દેશવાસી જે ઉપલબ્ધિ બીજા સાથે વહેંચવા માગતા હોય તેને 'મન કી બાત'ના માધ્યમથી લોકો સુધી પહોંચાડાય છે. આગામી મહિને આપણે ફરી મળીને દેશની વિવિધતાઓ, ગૌરવશાળી પરંપરાઓ અને નવી ઉપલબ્ધિઓ પર વાત કરીશું. આપણે એવા લોકો વિશે જાણીશું જે પોતાના સમર્પણ અને સેવા ભાવનાથી સમાજમાં પરિવર્તન લાવી રહ્યા છે. સદાની જેમ, તમે અમને તમારા વિચાર અને સૂચનો મોકલતા રહેજો. ધન્યવાદ, નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ખૂબ જ પાવન દિવસ પર મને તમારી સાથે 'મન કી બાત' કરવાનો અવસર મળ્યો છે. આજે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજથી ભારતીય નવ વર્ષનો પણ આરંભ થઈ રહ્યો છે. આ વખતે વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યું છે. આ સમયે મારી સામે તમારા ઘણા બધા પત્રો રખાયા છે. કોઈ બિહારથી છે, કોઈ બંગાળથી, કોઈ તમિલનાડુથી, કોઈ ગુજરાતથી છે. તેમાં ઘણી રોચક રીતે લોકોએ પોતાના મનની વાતો લખીને મોકલી છે. ઘણા બધા પત્રોમાં શુભકામનાઓ પણ છે, અભિનંદનના સંદેશ પણ છે. પરંતુ આજે મારું મન કહે છે કે કેટલાક સંદેશાઓ તમને સંભળાવું :-
પ્રધાનમંત્રી (અંદારીકી ઉગાદી શુભકામક્ષલુ) - બધાને ઉગાદિ ઉત્સવની શુભકામનાઓ.
આગામી સંદેશ છે-
પ્રધાનમંત્રી (સૌંસર પદવ્યાચી પારબી) - સૌંસર પડવાની શુભકામનાઓ.
હવે બીજા એક પત્રમાં લખ્યું છે-
પ્રધાનમંત્રી (ગુડીપાડવ્ય નિમિત્ત હાર્દિક શુભેચ્છા) - ગુડી પડવા નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.
અન્ય સંદેશમાં લખવામાં આવ્યું છે-
પ્રધાનમંત્રી (ઇલ્લાવરક્કુમ વિશુ અશમશાગલ) - સૌને વિશુ તહેવારની શુભકામનાઓ.
એક બીજો સંદેશ છે-
પ્રધાનમંત્રી (ઈન્ની પુટ્ટાંડ નલ્લા વાઝથુક્કલ) - બધાને નવા વર્ષની શુભકામનાઓ
સાથીઓ, તમે એ તો સમજી જ ગયા હશો કે અલગ-અલગ ભાષાઓમાં મોકલાયેલા સંદેશ છે. પરંતુ શું તમે તેનું કારણ જાણો છો? આ જ તો વિશેષ વાત છે, જે આજે મારે તમારી સાથે કરવી છે. આપણા દેશનાં અલગ-અલગ રાજ્યોમાં આજે અને આગામી કેટલાક દિવસોમાં નવ વર્ષ શરૂ થઈ રહ્યાં છે અને આ બધા સંદેશ નવ વર્ષ અને વિભિન્ન પર્વોના અભિનંદનના છે. આથી જ મને અલગ-અલગ ભાષાઓમાં લોકોએ શુભકામનાઓ મોકલી છે.
સાથીઓ, આજે કર્ણાટકમાં, આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં ઉગાદિ પર્વને ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યું છે. આજે જ મહારાષ્ટ્રમાં ગુડી પડવો મનાવવામાં આવી રહ્યો છે. વિવિધતા ભરેલા આપણા દેશમાં, અલગ-અલગ રાજ્યોમાં આગામી કેટલાક દિવસમાં આસામમાં 'રોંગાલી બિહૂ', બંગાળમાં 'પોઇલા બોઈશાખ', કાશ્મીરમાં 'નવરેહ'નો ઉત્સવ મનાવવામાં આવશે. આ જ રીતે, 13થી 15 એપ્રિલ વચ્ચે દેશના અલગ-અલગ ભાગોમાં તહેવારોની જબરદસ્ત ધૂમ દેખાશે.
તેના કારણે પણ ઉત્સાહનું વાતાવરણ છે અને ઈદનો તહેવાર તો આવી રહ્યો જ છે. એટલે કે આ આખો મહિનો તહેવારોનો છે, પર્વોનો છે. હું દેશના લોકોને આ તહેવારોના ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આપણા આ તહેવારો ભલે અલગ-અલગ ક્ષેત્રોમાં હોય, પરંતુ તે બતાવે છે કે ભારતની વિવિધતામાં પણ કેવી એકતા પરોવાયેલી છે. આ એકતાની ભાવનાને આપણે નિરંતર મજબૂત કરીને ચાલવાનું છે.
સાથીઓ, જ્યારે પરીક્ષા આવે છે ત્યારે યુવાન સાથીઓની સાથે હું 'પરીક્ષા પે ચર્ચા' કરું છું. હવે પરીક્ષા સંપન્ન થઈ ચૂકી છે. ઘણી બધી શાળાઓમાં તો ફરીથી વર્ગ શરૂ થવાની તૈયારી થઈ રહી છે. તે પછી ઉનાળાની રજાઓનો સમય પણ આવવાનો છે. વર્ષના આ સમયની બાળકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જુએ છે. મને તો પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા જ્યારે હું અને મારા મિત્રો આખો દિવસ કંઈ ને કંઈ ઉધામા કરતા રહેતા હતા. પરંતુ સાથે જ અમે કંઈક કન્સ્ટ્રક્ટિવ પણ કરતા હતા, શીખતા પણ હતા. ગરમીના દિવસો લાંબા હોય છે, તેમાં બાળકો પાસે કરવા માટે ઘણું બધું હોય છે. આ સમય કોઈ નવો શોખ અપનાવવાની સાથે પોતાના હુનરને વધુ ઓપ આપવાનો પણ છે. આજે બાળકો માટે એવા પ્લેટફૉર્મની ખોટ નથી, જ્યાં તેઓ ઘણું બધું શીખી શકે છે. જેમ કે કોઈ સંસ્થા ટૅક્નૉલૉજી કેમ્પ ચલાવી રહી છે તો બાળકો ત્યાં ઍપ બનાવવાની સાથે ઑપન સૉર્સ સૉફ્ટવેર વિશે જાણી શકે છે. જો ક્યાંક પર્યાવરણની વાત હોય, થિયેટરની વાત હોય, કે લીડરશિપની વાત હોય, આવા ભિન્ન-ભિન્ન વિષયના કૉર્સ થતા રહે છે, તો તેની સાથે પણ જોડાઈ શકાય છે. એવી અનેક સ્કૂલ છે જ્યાં સ્પીચ અથવા તો ડ્રામા શીખવાડે છે જે બાળકોને ઘણું કામમાં આવે છે. તે બધા ઉપરાંત તમારી પાસે આ રજાઓમાં અનેક જગ્યાએ ચાલી રહેલી સ્વયંસેવક પ્રવૃત્તિઓ, સેવા કાર્યો સાથે પણ જોડાવાનો અવસર છે.
એવા કાર્યક્રમો અંગે મારો એક વિશેષ આગ્રહ છે. જો કોઈ સંગઠન, કોઈ શાળા કે સામાજિક સંસ્થાઓ કે પછી સાયન્સ સેન્ટર, એવી સમર ઍક્ટિવિટિઝ કરાવી રહ્યાં હોય તો તેને #MyHolidays સાથે જરૂર શૅર કરજો. તેનાથી દેશભરનાં બાળકો અને તેમનાં માતાપિતાને તેના વિશે સરળતાથી જાણકારી મળશે.
મારા યુવા સાથીઓ, હું આજે તમારી સાથે MY-Bharatના એ ખાસ કેલેન્ડરની પણ ચર્ચા કરવા ઈચ્છું છું જેને આ સમર વેકેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરની એક કૉપી અત્યારે મારી સામે રખાયેલી છે. હું આ કેલેન્ડરના કેટલાક અનોખા પ્રયાસોને જણાવવા માગું છું. જેમ કે MY-Bharatની સ્ટડી ટૂરમાં તમે એ જાણી શકો છો કે આપણાં 'જન ઔષધિ કેન્દ્રો' કેવી રીતે કામ કરે છે. તમે વાઈબ્રન્ટ વિલેજ અભિયાનનો હિસ્સો બનીને, સીમા પર આવેલા ગામોમાં એક અનોખો અનુભવ કરી શકો છો. તેની સાથે જ ત્યાં કલ્ચર અને સ્પૉર્ટ્સ
ક્ટિવિટિઝનો હિસ્સો જરૂર બની શકો છો. તો આંબેડકર જયંતી પર પદયાત્રામાં ભાગીદારી કરીને તમે સંવિધાનનાં મૂલ્યો અંગે જાગૃતિ પણ ફેલાવી શકો છો. બાળકો અને તેમનાં માતાપિતાને પણ મારો વિશેષ આગ્રહ છે કે તેઓ રજાના અનુભવોને #HolidayMemories ની સાથે જરૂર વહેંચે. હું તમારા અનુભવોને આગામી 'મન કી બાત'માં સમાવવાનો પ્રયાસ કરીશ.
મારા પ્રિય દેશવાસીઓ, ઉનાળાની ઋતુ શરૂ થતાં જ શહેર-શહેર, ગામ-ગામમાં, પાણી બચાવવાની તૈયારી શરૂ થઈ જાય છે. અનેક રાજ્યોમાં વૉટર હાર્વેસ્ટિંગ સાથે સંલગ્ન કામોએ, જળસંરક્ષણ સાથે જોડાયેલાં કામોએ નવી ગતિ પકડી છે. જળશક્તિ મંત્રાલય અને અલગ-અલગ સ્વયંસેવી સંસ્થાઓ આ દિશામાં કામ કરી રહી છે.
દેશમાં હજારો કૃત્રિમ તળાવ, ચૅક ડૅમ, બૉરવેલ રિચાર્જ, કમ્યૂનિટી સૉક પિટનું નિર્માણ થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ 'કેચ ધ રેઇન' અભિયાન માટે કમર કસી લેવાઈ છે.આ અભિયાન પણ સરકારનું નહીં, પરંતુ સમાજનું છે, જનતા-જનાર્દનનું છે. જળસંરક્ષણ સાથે વધુમાં વધુ લોકોને જોડવા માટે જળ સંચય જન-ભાગીદારી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. પ્રયાસ એવો જ છે કે જે પ્રાકૃતિક સંસાધનો આપણને મળ્યાં છે, તેને આપણે આગામી પેઢી સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાનાં છે.
સાથીઓ, વરસાદનાં ટીપાંઓને સંરક્ષિત કરીને આપણે ઘણું બધું પાણી વેડફાતા બચાવી શકીએ છીએ. ગત કેટલાંક વર્ષોમાં આ અભિયાન હેઠળ દેશના અનેક હિસ્સાઓમાં જળ સંરક્ષણનાં અભૂતપૂર્વ કાર્યો થયાં છે. હું તમને એક રસપ્રદ આંકડો આપું છું. ગત 7- 8 વર્ષમાં નવી બનેલી ટાંકીઓ, તળાવો અને અન્ય વૉટર રિચાર્જ સ્ટ્રક્ચરથી 11 અબજ ક્યુબિક મીટરથી પણ વધુ પાણીનું સંરક્ષણ થયું છે. હવે તમે પૂછશો કે 11 અબજ ક્યુબિક મીટર પાણી કેટલું પાણી હોય છે?
સાથીઓ, ભાખડા નાંગલ બાંધમાં જે પાણી જમા થાય છે, તેની તસવીરો તો તમે અવશ્ય જોઈ હશે. આ પાણી ગોવિંદ સાગર તળાવનું નિર્માણ કરે છે. તે તળાવની લંબાઈ જ 90 કિલોમીટરથી અધિક છે. આ તળાવમાં પણ 9-10 અબજ ક્યુબિક મીટરથી વધુ પાણી સંરક્ષિત નથી થઈ શકતું. માત્ર 9-10 અબજ ક્યુબિક મીટર ! અને દેશવાસીઓએ પોતાના નાના-નાના પ્રયાસોથી, દેશના અલગ-અલગ ભાગોમાં 11 અબજ ક્યુબિક મીટર પાણીના સંરક્ષણની વ્યવસ્થા કરી દીધી છે - છે ને આ શાનદાર પ્રયાસ !
સાથીઓ, આ દિશામાં કર્ણાટકના ગડગ જિલ્લાના લોકોએ પણ એક રસ્તો ચીંધ્યો છે. કેટલાંક વર્ષ પહેલાં અહીંના બે ગામનાં તળાવો પૂરી રીતે સૂકાઈ ગયાં હતાં. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે ત્યાં પશુઓને પીવા માટે પણ પાણી ન બચ્યું. ધીરે-ધીરે તળાવ ઘાસફૂસ અને ઝાડીઝાંખરાથી ભરાઈ ગયું. પરંતુ ગામના કેટલાક લોકોએ
તળાવને પુનર્જીવિત કરવાનો નિર્ણય કર્યો અને કામમાં લાગી ગયા. અને કહે છે ને કે 'મન હોય તો માળવે જવાય'. ગામના લોકોના પ્રયાસો જોઈને આસપાસની સામાજિક સંસ્થાઓ પણ તેમની સાથે જોડાઈ ગઈ. બધા લોકોએ મળીને કચરો અને કાદવ સાફ કર્યો અને કેટલાક સમય બાદ તળાવની જગ્યા એકદમ સાફ થઈ ગઈ. હવે લોકોને પ્રતીક્ષા છે વરસાદની ઋતુની. ખરેખર તે 'કૅચ ધ રૅઇન' અભિયાનનું જ્વલંત ઉદાહરણ છે. સાથીઓ, તમે પણ સામુદાયિક સ્તર પર આવા પ્રયાસો સાથે જોડાઈ શકો છો. આ જન-આંદોલનને આગળ વધારવા માટે તમે અત્યારથી યોજના અવશ્ય બનાવો, અને તમારે એક બીજી વાત યાદ રાખવાની છે- બની શકે તો ઉનાળામાં તમારા ઘરની આગળ માટલામાં ઠંડું જળ અવશ્ય રાખજો. ઘરની છત કે ઓસરીમાં પણ પક્ષીઓ માટે પાણી રાખજો. જોજો, આ પુણ્યનું કાર્ય કરીને તમને કેટલું સારું લાગશે.
સાથીઓ, 'મન કી બાત'માં હવે વાત સાહસની ઉડાનની. પડકાર છતાં ધગશ બતાવવાની. કેટલાક દિવસ પહેલાં જ સંપન્ન થયેલા 'ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ'માં એક વાર ફરી ખેલાડીઓએ પોતાની લગન અને પ્રતિભાથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ વખતે પહેલાથી વધુ ખેલાડીઓએ આ રમતોમાં ભાગ લીધો. તેનાથી ખબર પડે છે કે પેરા સ્પૉર્ટ્સ કેટલી લોકપ્રિય થઈ રહી છે. હું 'ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ'માં ભાગ લેનારા બધા ખેલાડીઓને તેમના જ્વલંત પ્રયાસો માટે અભિનંદન પાઠવું છું. હરિયાણા, તમિળનાડુ અને ઉત્તર પ્રદેશના રમતવીરોને પહેલું, બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરવા માટે શુભકામનાઓ પાઠવું છું.
આ રમત દરમિયાન આપણા દિવ્યાંગ ખેલાડીઓએ 18 રાષ્ટ્રીય વિક્રમો પણ સર્જ્યા. તેમાંથી 12 તો આપણી મહિલા ખેલાડીઓનાં નામે રહ્યા. આ વખતે 'ખેલો ઇણ્ડિયા પેરા ગેમ્સ'માં ગૉલ્ડ મેડલ જીતનારા આર્મ રેસલર જૉબી મેથ્યૂએ મને પત્ર લખ્યો છે. હું તેમના પત્રના કેટલાક હિસ્સાને સંભળાવવા માગું છું. તેમણે લખ્યું છે-
"મેડલ જીતવો બહુ વિશેષ હોય છે, પરંતુ અમારો સંઘર્ષ માત્ર પૉડિયમ પર ઊભા રહેવા પૂરતો સીમિત નથી. અમે પ્રતિ દિન એક લડાઈ લડીએ છીએ. જીવન અનેક રીતે અમારી પરીક્ષા લે છે. બહુ ઓછા લોકો અમારા સંઘર્ષને સમજી શકે છે. તેમ છતાં, અમે સાહસ સાથે આગળ વધીએ છીએ. અમે પોતાનાં સપનાંને પૂરાં કરવામાં લાગી જઈએ છીએ. અમને એ વિશ્વાસ રહે છે કે અમે કોઈનાથી સહેજે ઉતરતા નથી."
વાહ! જૉબી મેથ્યૂ તમે સુંદર લખ્યું છે, અદ્ભુત લખ્યું છે. આ પત્ર માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું. હું જૉબી મેથ્યૂ અને આપણા બધા દિવ્યાંગ સાથીઓને કહેવા માગું છું કે તમારા પ્રયાસ અમારા માટે બહુ મોટી પ્રેરણા છે.
સાથીઓ, દિલ્લીમાં એક બીજા ભવ્ય આયોજને લોકોમાં બહુ પ્રેરણા આપી દીધી છે, જોશ ભરી દીધું છે. એક નવીન વિચારના રૂપમાં પહેલી વાર ફિટ ઈન્ડિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું. તેમાં અલગ-અલગ ક્ષેત્રોના લગભગ 25 હજાર લોકોએ ભાગ લીધો. તે બધાનું એક જ લક્ષ્ય હતું- ફિટ રહેવું અને ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવી. આ આયોજનમાં ભાગ લેનાર લોકોને તેમના સ્વાસ્થ્યની સાથેસાથે પોષણ સાથે જોડાયેલી જાણકારીઓ પણ મળી. મારો આગ્રહ છે કે તમે તમારાં ક્ષેત્રોમાં પણ આ પ્રકારના કાર્નિવલનું આયોજન કરો.
આ પહેલમાં MY-Bharat તમારા માટે ઘણું સહાય રૂપ બની શકે છે.
સાથીઓ, આપણી સ્વદેશી રમતો હવે પૉપ્યૂલર કલ્ચરના રૂપમાં હળીમળી રહી છે. જાણીતા રૅપર હનુમાન કાઇન્ડને તો તમે બધા ઓળખતા જ હશો.આજકાલ તેમનું
નવું સૉંગ 'રન ઇટ અપ' ઘણું ફેમસ થઈ રહ્યું છે. તેમાં કલારિપયટ્ટૂ, ગતકા અને થાંગ-તા જેવી આપણી પારંપરિક માર્શલ આર્ટ્સને સમાવવામાં આવી છે. હું હનુમાન કાઇન્ડને અભિનંદન આપું છું કે તેમના પ્રયાસોથી આપણી પારંપરિક માર્શલ આર્ટ્સને દુનિયાના લોકો જાણી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, દર મહિને મને MyGov અને NaMo App પર તમારા ઢગલો સંદેશાઓ મળે છે. અનેક સંદેશ મારા મનને સ્પર્શી જાય છે તો કેટલાક ગર્વથી ભરી દે છે. ઘણી વાર તો આ સંદેશાઓમાં આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે અનોખી જાણકારી મળે છે. આ વખતે જે સંદેશે મારું ધ્યાન ખેંચ્યું, તેને હું તમારી સાથે વહેંચવા માગું છું. વારાણસીના અથર્વ કપૂર, મુંબઈના આર્યશ લીખા અને અત્રેય માને મારી તાજેતરની મૉરિશિયસ યાત્રા પર પોતાની ભાવના લખીને મોકલી છે. તેમણે લખ્યું છે- આ યાત્રા દરમિયાન ગીત ગવઈના પર્ફૉર્મન્સથી તેમને ઘણો આનંદ આવ્યો. પૂર્વીય ઉત્તર પ્રદેશ અને બિહારથી આવેલા ઘણા બધા પત્રોમાં મને આવી જ ભાવુકતા જોવા મળી છે. મોરિશિયસમાં ગીત ગવઈના ઘણા સુંદર પર્ફૉર્મન્સ દરમિયાન મને ત્યાં જે અનુભૂતિ થઈ તે ખરેખર અદ્ભુત છે.
સાથીઓ, જ્યારે આપણે મૂળ સાથે જોડાયેલા રહીએ છીએ તો કેટલું પણ મોટું તોફાન કેમ ન આવે, તે આપણને ઉખાડી શકતું નથી. તમે કલ્પના કરો, લગભગ 200 વર્ષ પહેલાં ભારતથી અનેક લોકો ગિરમિટિયા મજૂર તરીકે મોરિશિયસ ગયા હતા.
કોઈને ખબર નહોતી કે આગળ શું થશે. પરંતુ સમયની સાથે તેઓ ત્યાં વસી ગયા- ભળી ગયા. મોરિશિયસમાં તેમણે પોતાની એક ઓળખ બનાવી. તેમણે પોતાના વારસાને સાચવીને રાખ્યો અને મૂળ સાથે જોડાયેલા રહ્યા. મોરેશિયસ એક માત્ર ઉદાહરણ નથી. ગયા વર્ષે જ્યારે હું ગુયાના ગયો હતો તો ત્યાંના ચૌતાલ પર્ફૉર્મન્સે મને ખૂબ પ્રભાવિત કર્યો હતો.
સાથીઓ, હવે હું તમને એક ઑડિયો સંભળાવું છું.
#(Audio clip Fiji)#
તમે જરૂર વિચારી રહ્યા હશો કે આ તો આપણા દેશના કોઈ હિસ્સાની વાત છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેનો સંબંધ ફિજી સાથે છે. આ ફિજીનું ખૂબ જ લોકપ્રિય 'ફગવા ચૌતાલ' છે. આ ગીત-સંગીત બધામાં જોશ ભરી દે છે. હું તમને વધુ એક ઑડિયો સંભળાવું છું.
#(Audio clip Surinam)#
આ ઑડિયો સૂરીનામનો 'ચૌતાલ' છે. આ કાર્યક્રમને ટીવી પર જોઈ રહેલા દેશવાસીઓ, સૂરીનામના રાષ્ટ્રપ્રમુખ અને મારા મિત્ર ચાન સંતોખીજીને તેનો આનંદ લેતા જોઈ શકે છે. બેઠક અને ગીતોની આ પરંપરા ટ્રિનિદાદ અને ટૉબેગોમાં પણ ઘણી લોકપ્રિય છે. આ બધા દેશોમાં લોકો રામાયણ ખૂબ વાંચે છે. ત્યાં ફગવા ઘણું લોકપ્રિય છે અને બધા ભારતીયો પર્વ-તહેવારો ખૂબ જ ઉત્સાહ સાથે મનાવે છે. તેમનાં અનેક ગીતો ભોજપુરી, અવધિ અથવા મિશ્રિત ભાષામાં હોય છે. ક્યારેક-ક્યારેક વ્રજ અને મૈથિલીનો પણ ઉપયોગ થાય છે. આ દેશોમાં આપણી પરંપરાઓને સાચવી રાખનારા બધા લોકો પ્રશંસાને પાત્ર છે.
સાથીઓ, દુનિયામાં એવા અનેક સંગઠનો પણ છે, જે વર્ષોથી ભારતીય સંસ્કૃતિને સંરક્ષિત કરવાનું કાર્ય કરી રહ્યા છે. આવું જ એક સંગઠન છે - 'સિંગાપુર ફાઇન આર્ટ્સ સૉસાયટી'. ભારતીય નૃત્ય, સંગીત અને સંસ્કૃતિને સંરક્ષિત રાખવામાં લાગેલા આ સંગઠને પોતાનાં ગૌરવશાળી ૭૫ વર્ષ પૂરાં કર્યાં છે. આ અવસર સાથે જોડાયેલા કાર્યક્રમમાં સિંગાપુરના રાષ્ટ્રપ્રમુખ શ્રીમાન થર્મન શનમુગરત્નમજી ગૅસ્ટ ઑફ ઑનર હતા. તેમણે આ ઑર્ગેનાઇઝેશનના પ્રયાસોની ખૂબ જ પ્રશંસા કરી હતી. હું આ ટીમને મારી ઘણી શુભકામનાઓ આપું છું.
સાથીઓ, 'મન કી બાત'માં આપણે દેશવાસીઓની ઉપલબ્ધિઓની સાથે ઘણી વાર સામાજિક વિષયોની વાત પણ કરીએ છીએ. અનેક વાર પડકારો પર પણ ચર્ચા થાય છે. આ વખતે 'મન કી બાત'માં હું, એક એવા પડકાર વિશે વાત કરવા માગું છું, જે આપણા બધા સાથે સીધો જોડાયેલો છે. આ પડકાર છે - 'ટૅક્સ્ટાઇલ વૅસ્ટ'નો. તમે વિચારી રહ્યા હશો, આ 'ટૅક્સ્ટાઇલ વૅસ્ટ' વળી કોઈ નવી બલા છે કે શું? વાસ્તવમાં, ટૅક્સ્ટાઇલ વૅસ્ટ સમગ્ર દુનિયા માટે નવી ચિંતાનું કારણ બની ગયો છે. આજકાલ દુનિયાભરમાં જૂના કપડાંને જલ્દીમાં જલ્દી હટાવીને નવાં કપડાં લેવાનું ચલણ વધી રહ્યું છે. શું તમે વિચાર્યું છે કે જે જૂનાં કપડાં તમે પહેરવાનું છોડી દો છો, તેનું શું થાય છે? તે ટૅક્સ્ટાઇલ વૅસ્ટ બની જાય છે. તે વિષયમાં ઘણું બધું સંશોધન વિશ્વભરમાં થઈ રહ્યું છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે માત્ર એક ટકાથી પણ ઓછા ટૅક્સ્ટાઇલ વૅસ્ટને રિસાઇકલ કરવામાં આવે છે. એક ટકાથી પણ ઓછું ! ભારત દુનિયાનો ત્રીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ ટૅક્સ્ટાઇલ વૅસ્ટ નીકળે છે. એટલે કે પડકાર આપણી સામે પણ ઘણો મોટો છે. પરંતુ મને આનંદ છે કે આપણા દેશમાં આ પડકાર સામે લડવા માટે અનેક પ્રશંસનીય પ્રયાસો થઈ રહ્યા છે.
અનેક ભારતીય સ્ટાર્ટ અપ્સે ટૅક્સ્ટાઇલ રિકવરી ફેસિલિટીઝ પર કામ શરૂ કર્યું છે. અનેક એવી ટીમ છે, જે કચરો વીણનારા આપણાં ભાઈ-બહેનોના સશક્તિકરણ માટે પણ કામ કરી રહી છે. અનેક યુવા સાથી સસ્ટેનેબલ ફેશનના પ્રયાસોમાં લાગેલા છે. ટૅક્સ્ટાઇલ વૅસ્ટથી સજાવટની ચીજો, હૅન્ડબૅગ, સ્ટેશનરી અને રમકડાં જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. અનેક સંસ્થાઓ આજકાલ 'સર્ક્યુલર ફૅશન બ્રાન્ડ'ને પૉપ્યૂલર બનાવવામાં લાગેલી છે. નવા-નવા રૅન્ટલ પ્લેટફૉર્મ પણ ખુલી રહ્યા છે જ્યાં ડિઝાઇનર કપડાં ભાડાં પર મળી જાય છે. કેટલીક સંસ્થાઓ જૂનાં કપડાં લઈને તેને ફરી વાર પહેરવા લાયક બનાવે છે અને ગરીબો સુધી પહોંચાડે છે.
સાથીઓ, ટૅક્સ્ટાઇલ વૅસ્ટની સામે લડવામાં કેટલાંક શહેર પણ પોતાની નવી ઓળખ બનાવી રહ્યાં છે. હરિયાણાનું પાણીપત ટૅક્સ્ટાઇલ રિસાઇકલિંગના ગ્લૉબલ હબના રૂપમાં ઉભરી રહ્યું છે. બેંગ્લુરુ પણ ઇન્નૉવેટિવ ટૅક્ સૉલ્યૂશન્સથી પોતાની એક અલગ ઓળખ બનાવી રહ્યું છે. અહીં અડધાથી વધુ ટૅક્સ્ટાઇલ વૅસ્ટને એકત્ર કરવામાં આવે છે, જે આપણા બીજાં શહેરો માટે પણ દૃષ્ટાંતરૂપ છે. આ જ રીતે તમિળનાડુનું તિરુપુર, વૅસ્ટ વૉટર ટ્રીટમેન્ટ અને રિન્યૂઍબલ ઍનર્જીના માધ્યમથી ટૅક્સ્ટાઇલ વૅસ્ટ મેનેજમેન્ટમાં લાગેલું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ફિટનેસની સાથોસાથ કાઉન્ટની મોટી ભૂમિકા થઈ ગઈ છે. એક દિવસમાં તમે કેટલાં સ્ટેપ્સ ચાલ્યાં તેની કાઉન્ટ, એક દિવસમાં કેટલી કેલેરિઝ ખાધી તેની કાઉન્ટ, કેટલી કેલરિઝ બર્ન કરી તેની કાઉન્ટ, આટલી બધી કાઉન્ટની વચ્ચે, એક બીજું કાઉન્ટડાઉન શરૂ થવાનું છે. ઇન્ટરનેશનલ યોગ ડૅનું કાઉન્ટડાઉન. યોગ દિવસમાં હવે સો દિવસથી પણ ઓછો સમય રહી ગયો છે.
જો તમે તમારા જીવનમાં હજુ સુધી યોગને સમાવિષ્ટ નથી કર્યું તો તમે અવશ્ય કરી લેજો. હજુ મોડું નથી થયું. 10 વર્ષ પહેલાં 21 જૂન 2015ના દિને પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો. હવે તો આ દિવસે યોગના એક વિરાટ મહોત્સવનું રૂપ લઈ લીધું છે. માનવતાને ભારતની તરફથી આ એક એવો અણમોલ ઉપહાર છે, જે ભવિષ્યની પેઢીને ખૂબ જ કામ આવશે. વર્ષ 2025ના યોગ દિવસનો થીમ રખાયો છે- 'Yoga for One Earth One Health'. એટલે કે આપણે યોગ દ્વારા પૂરા વિશ્વને સ્વસ્થ બનાવવાની કામના કરીએ છીએ.
સાથીઓ, આપણા માટે ગર્વ કરનારી બાબત છે કે આજે આપણા યોગ અને ટ્રેડિશનલ મેડિસિન અંગે સમગ્ર દુનિયામાં જિજ્ઞાસા વધી રહી છે. મોટી સંખ્યામાં યુવાનો યોગ અને આયુર્વેદને વેલનેસનું એક શ્રેષ્ઠ માધ્યમ માનીને તેને અપનાવી રહ્યા છે. હવે જેમ કે દક્ષિણ અમેરિકાનો દેશ ચિલી જ લો. ત્યાં આયુર્વેદ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે. ગત વર્ષે હું બ્રાઝિલની યાત્રા દરમિયાન ચીલીના રાષ્ટ્રપ્રમુખને મળ્યો હતો. આયુર્વેદની આ પૉપ્યૂલારિટી અંગે અમારી વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી. મને સૉમોસ ઇણ્ડિયા નામની ટીમ વિશે જાણવા મળ્યું છે. સ્પેનિશમાં તેનો અર્થ થાય છે - We are India. આ ટીમ લગભગ એક દાયકાથી યોગ અને આયુર્વેદને ઉત્તેજન આપવામાં લાગેલી છે. તેનું ધ્યાન ટ્રીટમેન્ટની સાથોસાથ એજ્યુકેશનલ પ્રૉગ્રામ્સ પર પણ છે. તેઓ આયુર્વેદ અને યોગ સાથે સંબંધિત જાણકારીઓને સ્પેનિશ ભાષામાં અનુવાદિત પણ કરાવી રહ્યા છે. કેવળ ગત વર્ષની જ વાત કરીએ તો, તેના અલગ-અલગ ઇવેન્ટ્સ અને કૉર્સીસમાં લગભગ ૯ હજાર લોકોએ ભાગ લીધો હતો. હું આ ટીમ સાથે જોડાયેલા બધા લોકોને તેમના આ પ્રયાસ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં હવે એક ચટપટો, અટપટો પ્રશ્ન. તમે ક્યારેય ફૂલોની યાત્રા વિશે વિચાર્યું છે? છોડ-ઝાડથી નીકળેલાં કેટલાંક ફૂલોની યાત્રા મંદિરો સુધી થાય છે. કેટલાંક ફૂલો ઘરને સુંદર બનાવે છે, કેટલાંક અત્તરમાં ભળીને ચારેકોર સુગંધ પ્રસરાવે છે. પરંતુ આજે હું તમને ફૂલોની એક બીજી યાત્રા વિશે જણાવીશ. તમે મહુઆનાં ફૂલો વિશે જરૂર સાંભળ્યું હશે. આપણાં ગામો અને વિશેષ તો આદિવાસી સમુદાયના લોકો તેના મહત્ત્વ વિશે સારી રીતે જાણે છે. દેશના અનેક હિસ્સામાં મહુઆનાં ફૂલોની યાત્રા હવે નવા રસ્તા પર નીકળી પડી છે. મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં મહુઆનાં ફૂલોમાંથી કૂકિઝ બનાવવામાં આવે છે. રાજાખોહ ગામની ચાર બહેનોના પ્રયાસથી આ કૂકિઝ ઘણાં લોકપ્રિય થઈ રહ્યાં છે. આ મહિલાઓની ધગશ જોઈને એક મોટી કંપનીએ તેમને ફૅક્ટરીમાં કામ કરવા માટેની ટ્રેઇનિંગ આપી. તેનાથી પ્રેરિત થઈને ગામની અનેક મહિલાઓ તેમની સાથે જોડાઈ ગઈ છે. તેમના દ્વારા બનાવાયેલાં મહુઆ કૂકિઝની માગ ઝડપથી વધી રહી છે. તેલંગણાના આદિલાબાદ જિલ્લામાં પણ બે બહેનોએ મહુઆનાં ફૂલોમાંથી નવો પ્રયોગ કર્યો છે. તેઓ તેમાંથી અલગ-અલગ પ્રકારનાં પકવાનો બનાવે છે, જેમને લોકો ખૂબ જ પસંદ કરે છે. તેમનાં પકવાનોમાં આદિવાસી સંસ્કૃતિની મીઠાશ પણ છે.
સાથીઓ, હું તમને એક બીજા સરસ ફૂલ વિશે જણાવવા માગું છું અને તેનું નામ છે 'કૃષ્ણ કમળ'. શું તમે ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યૂ ઑફ યૂનિટી જોવા ગયા છો? સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની આસપાસ તમને આ કૃષ્ણ કમળ મોટી સંખ્યામાં દેખાશે. આ ફૂલ પર્યટકોનું મન મોહી લે છે. આ કૃષ્ણ કમળ એકતા નગરમાં આરોગ્ય વન, એકતા નર્સરી, વિશ્વ વન અને મિયાવાકી ફૉરેસ્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યાં છે.
અહીં યોજનાબદ્ધ રીતે લાખોની સંખ્યામાં કૃષ્ણ કમળના છોડ લગાવવામાં આવ્યા છે. તમે પણ તમારી આસપાસ જોશો તો તમને ફૂલોની રસપ્રદ યાત્રા દેખાશે. તમે તમારા ક્ષેત્રમાં ફૂલોની આવી અનોખી યાત્રા વિશે મને પણ લખજો.
મારા પ્રિય સાથીઓ, તમે મને હંમેશાંની જેમ પોતાના વિચાર, અનુભવ અને માહિતી આપતા રહ્યા છો, બની શકે કે તમારી આસપાસ કંઈક એવું થઈ રહ્યું હોય જે સામાન્ય લાગે, પરંતુ બીજા માટે તે વિષય ઘણો રોચક અને નવો હશે. આગામી મહિને આપણે ફરી મળીશું અને દેશવાસીઓની એ વાતોની ચર્ચા કરીશું જે આપણને પ્રેરણાથી ભરી દે છે. તમારો સહુનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપ સૌનુ સ્વાગત છે. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઇ રહી છે, અને ચારે તરફ ક્રિકેટનું વાતવરણ છે. ક્રિકેટમાં સેન્ચૂરીનો રોમાંચ શું હોય છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પરંતુ આજે હું તમારા બધા સાથે ક્રિકેટ નહિં પણ ભારતે અંતરિક્ષમાં જે શાનદાર સદી નોંધાવી છે, તેની વાત કરવાનો છું. ગયા મહિને દેશ ઇસરોના એકસોમા રોકેટના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો છે. આ કેવળ એક આંકડો નથી, પરંતુ તેનાથી અવકાશ વિજ્ઞાનમાં નિત નવી ઉંચાઇઓ હાંસલ કરવાના આપણા સંકલ્પનો પણ ખ્યાલ આપે છે. આપણી અવકાશયાત્રાની શરૂઆત બહુ જ સામાન્ય રીતે થઇ હતી. તેમાં ડગલેને પગલે પડકારો હતા, પરંતુ આપણા વૈજ્ઞાનિકો વિજય મેળવીને આગળ વધતા જ ગયા. સમયની સાથે અંતરિક્ષના આ ઉડ્ડયનમાં આપણી સફળતાઓની યાદી ખૂબ લાંબી થતી ગઇ છે. પ્રક્ષેપણ યાનનું નિર્માણ હોય, ચંદ્રયાનની સફળતા હોય, મંગળયાન હોય, આદિત્ય એલ-1 કે પછી એક જ રોકેટથી એક જ વારમાં એકસો ચાર ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું અભૂતપૂર્વ અભિયાન હોય, ઇસરોની સફળતાનું ક્ષેત્ર ઘણું મોટું રહ્યું છે. ગયા 10 વર્ષોમાં લગભગ 460 ઉપગ્રહો છોડવામાં આવ્યા. અને તેમાં બીજા દેશોના પણ ઘણા બધા ઉપગ્રહો સામેલ છે. તાજેતરના વર્ષોની એક મોટી બાબત એ પણ રહી છે કે, અવકાશ વિજ્ઞાનીઓની આપણી ટીમમાં નારી શક્તિની ભાગીદારી સતત વધી રહી છે. મને આ જોઇને પણ ખૂબ ખુશી થાય છે કે, આજે અવકાશ ક્ષેત્ર આપણા યુવાનો માટે ખૂબ માનીતું બની ગયું છે. થોડા વર્ષો પહેલા સુધી કોઇએ વિચાર્યું હશે કે, આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રની અવકાશ કંપનીઓની સંખ્યા સેંકડોમાં પહોંચી જશે ! આપણા જે યુવાનો જીવનમાં કંઇક થ્રીલીંગ અને એકસાઇટીંગ કરવા ઇચ્છે છે, તેમના માટે અવકાશ ક્ષેત્ર એક સૌથી સરસ વિકલ્પ બની રહ્યો છે.
સાથીઓ, આગામી થોડા દિવસોમાં જ આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવવા જઇ રહ્યા છીએ. આપણા બાળકોનો, યુવાનોનો વિજ્ઞાનમાં રસ અને શોખ હોવો ખૂબ મહત્વનો છે. તેને લઇને મારી પાસે એક આઇડિયા છે, જેને તમે એક દિવસના વૈજ્ઞાનિક તરીકે કહી શકો છો, એટલે કે, તમે તમારો એક દિવસ એક વિજ્ઞાનીના રૂપમાં વિતાવીને જુઓ. તમે તમારી સગવડ અનુસાર, તમારી મરજી મુજબ કોઇપણ દિવસ પસંદ કરી શકો છે. તે દિવસે તમે કોઇ પ્રયોગશાળા, તારાગૃહ-પ્લેનેટોરીયમ, કે પછી અવકાશ કેન્દ્ર જેવી જગ્યાએ ચોક્કસ જાઓ. તેનાથી વિજ્ઞાન વિશે તમારી જીજ્ઞાસા ઔર વધી જશે. અવકાશ અને વિજ્ઞાનની જેમ એક વધુ ક્ષેત્ર છે. જેમાં ભારત ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યો છે – આ ક્ષેત્ર છે. AI એટલે કે, Artificial Intelligence તાજેતરમાં જ AIના એક મોટા સંમેલનમાં ભાગ લેવા માટે હું પેરિસ ગયો હતો. ત્યાં દુનિયાએ આ ક્ષેત્રમાં ભારતની પ્રગતિની ખૂબ પ્રશંસા કરી. આપણા દેશના લોકો આજે AI નો ઉપયોગ કઇ કઇ રીતે કરી રહ્યા છે, તેના ઉદાહરણ પણ આપણને જોવા મળી રહ્યા છે. હવે જ્યારે તેલંગણામાં આદિલાબાદના સરકારી શાળાના એક શિક્ષક થોડાસમ કૈલાસજી છે. ડીજીટલ ગીત સંગીતમાં તેમની રૂચિ આપણી કેટલીયે આદિવાસી ભાષાઓને બચાવવામાં ખૂબ મહત્વપૂર્ણ કામ કરી રહી છે. તેમણે AI ટૂલ્સની મદદથી કોલામી ભાષામાં ગીત સંગીતબદ્ધ કરીને કમાલ કરી દીધી છે. તેઓ AI નો ઉપયોગ કોલામી ઉપરાંત પણ અનેક ભાષાઓમાં ગીત તૈયાર કરવા માટે કરી રહ્યા છે. સોશિયલ મિડિયા ઉપર તેમના ટ્રેક આપણા આદિવાસી ભાઇઓ બહેનોને ખૂબ પસંદ આવી રહ્યા છે. અવકાશ ક્ષેત્ર હોય કે પછી AI આપણા યુવાનોની વધતી ભાગીદારી એક નવી ક્રાંતિને જન્મ આપી રહી છે. નવી નવી ટેકનોલોજી અપનાવવામાં અને અજમાવવામાં ભારતના લોકો કોઇનાથીયે પાછળ નથી.
મારા વ્હાલા દેશવાસીઓ, આવતા મહિને 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. તે આપણી નારી શક્તિને વંદન કરવાનો એક વિશેષ અવસર હોય છે. દેવી મહાત્મ્યમાં કહેવાયું છે -
विद्या: समस्ता: तव देवि भेदा:
स्त्रीय: समस्ता: सकला जगत्सु |
એટલે કે, બધી વિદ્યાઓ દેવીના વિવિધ સ્વરૂપોની અભિવ્યક્તિ છે, અને જગતની સમસ્ત નારી શક્તિમાં પણ તેમનું જ પ્રતિરૂપ છે. આપણી સંસ્કૃતિમાં દિકરીઓનું સન્માન સર્વોપરી રહ્યું છે. દેશની માતૃશક્તિએ આપણા સ્વતંત્રતા સંગ્રામ અને બંધારણના ઘડતરમાં પણ બહુ મોટી ભૂમિકા અદા કરી છે. બંધારણસભામાં આપણો રાષ્ટ્રધ્વજ પ્રસ્તુત કરતાં હંસા મહેતાજીએ જે કહ્યું હતું તે હું તેમના જ અવાજમાં આપ સૌ સુધી પહોંચાડી રહ્યો છું.
# AUDIO :-
આ ભવ્ય ગૃહ પર ફરકાવવામાં આવનાર પહેલો ધ્વજ ભારતની મહિલાઓ તરફથી ભેટ હોવો જોઈએ તે યોગ્ય છે. આપણે ભગવો રંગ પહેર્યો છે; આપણે આપણા દેશની સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો છે, સહન કર્યું છે અને બલિદાન આપ્યું છે. આજે આપણે આપણું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આપણી સ્વતંત્રતાના આ પ્રતીકને રજૂ કરીને, આપણે ફરી એકવાર રાષ્ટ્રને આપણી સેવાઓ પ્રદાન કરીએ છીએ. આપણે એક મહાન ભારત માટે કામ કરવાનો, એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ છીએ જે રાષ્ટ્રોમાં એક રાષ્ટ્ર હશે. આપણે જે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે તેને જાળવી રાખવા માટે એક મહાન હેતુ માટે કામ કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.
સાથીઓ, હંસા મહેતાજીએ આપણા રાષ્ટ્રધ્વજના નિર્માણથી લઇને તેના માટે બલિદાન આપનારી દેશભરની મહિલાઓના યોગદાનને પણ આપણી સમક્ષ રાખ્યું હતું. તેમનું માનવું હતું કે, આપણા તિરંગામાં કેસરી રંગથી પણ આ ભાવના વ્યક્ત થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આપણી નારીશક્તિ ભારતને સશક્ત અને સમૃદ્ધ બનાવવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપશે. – આજે તેમની વાતો સાચી સાબિત થઇ રહી છે. તમે કોઇપણ ક્ષેત્ર તરફ નજર નાંખો તો જોવા મળશે કે, મહિલાઓનું યોગદાન કેટલું વ્યાપક છે. સાથીઓ, આ વખતે મહિલા દિવસે હું એક એવી પહેલ કરવા જઇ રહ્યો છું, જે આપણી નારીશક્તિને સમર્પિત હશે. આ ખાસ પ્રસંગે હું મારા પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ X અને Instagramના એકાઉન્ટસને દેશની કેટલીક પ્રેરણાદાત્રી મહિલાઓને એક દિવસ માટે સોંપવા જઇ રહ્યો છું. એવી મહિલાઓ કે, જેમણે જુદાજુદા ક્ષેત્રોમાં સિદ્ધિઓ મેળવી હોય, ઇનોવેશન કર્યું હોય, અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી હોય. 8મી માર્ચે તેઓ પોતાના કાર્ય અને અનુભવોને દેશવાસીઓ સાથે વહેંચશે. પ્લેટફોર્મ ભલે મારૂં હોય, પરંતુ ત્યાં તેમના અનુભવો તેમના પડકારો અને તેમની સિદ્ધિઓની વાત થશે. જો તમે, ઇચ્છતા હો કે આ તક તમને મળે તો, નમો એપ પર બનાવવામાં આવેલા વિશેષ મંચના માધ્યમથી આ પ્રયોગનો હિસ્સો બનો અને મારા X અને Instagramના એકાઉન્ટસથી પૂરી દુનિયા સુધી તમારી વાત પહોંચાડો. તો આવો, આ વખતે મહિલા દિવસ ઉપર આપણે બધા મળીને અદમ્ય નારી શક્તિની ઉજવણી કરીએ. સન્માન કરીએ, નમન કરીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા બધા એવા હશે જેમણે ઉત્તરાખંડમાં યોજાયેલી રાષ્ટ્રીય રમતોના રોમાંચનો આનંદ ઉઠાવ્યો હશે. દેશભરના 11 હજારથી વધુ ખેલાડીઓએ તેમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ આયોજને દેવભૂમિને નવા સ્વરૂપમાં પ્રસ્તુત કરી. ઉત્તરાખંડ હવે દેશમાં મજબૂત રમતગમત દળના રૂપમાં પણ ઉપસી રહ્યું છે. ઉત્તરાખંડના ખેલાડીઓએ પણ તેમાં શાનદાર દેખાવ કર્યો. આ વખથે ઉત્તરાખંડ સાતમા સ્થાને રહ્યું – આ જ તો રમતગમતની શક્તિ છે, જે વ્યક્તિગત અને સમુદાયની સાથે સાથે સમગ્ર રાજયનો કાયાકલ્પ કરી દે છે. તેનાથી એક તરફ ભાવિ પેઢીઓ પ્રેરિત થાય છે, તો બીજી તરફ ઉત્કૃષ્ઠતાની સંસ્કૃતિને પણ પ્રોત્સાહન મળે છે.
સાથીઓ, આજે દેશભરમાં આ રમતોના કેટલાક યાદગાર દેખાવોની ખૂબ ચર્ચા થઇ રહી છે. આ રમતોમાં સૌથી વધુ સુવર્ણચંદ્રકો જીતનારી Services ની ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન. રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેનારા દરેક ખેલાડીની પણ હું પ્રશંસા કરૂં છું. આપણા ઘણાબધા ખેલાડીઓ ખેલો ઇન્ડિયા અભિયાનની ભેટ છે. હિમાચલ પ્રદેશના સાવન બરવાલ, મહારાષ્ટ્રના કિરણ માત્રે, તેજસ શિરસે કે આંધ્રપ્રદેશની જયોતિ યારાજી, આ બધાએ દેશને નવી આશાઓ આપી છે. ઉત્તરપ્રદેશના ભાલાફેંક ખેલાડી સચિન યાદવ અને હરિયાણાની ઉંચા કૂદકાની ખેલાડી પૂજા અને કર્ણાટકની તરણ વિરાંગના ધિનિધિ દેસિન્ધુએ દેશવાસીઓનું દિલ જીતી લીધું હતું. તેમણે 3 નવા રાષ્ટ્રીય વિક્રમ સ્થાપીને સૌને ચૌંકાવી દીધા. આ વખતની રાષ્ટ્રીય રમતોમાં તરૂણ ખેલાડીઓની સંખ્યા નવાઇ પમાડી દેનારી છે. 15 વર્ષના નિશાનેબાજ ગેવીન એન્ટની, ઉત્તરપ્રદેશની હેમર થ્રો ખેલાડી 16 વર્ષની અનુષ્કા યાદવ, મધ્યપ્રદેશના 19 વર્ષના વાંસ કૂદકાના ખેલાડી દેવકુમાર મીણાએ સાબિત કરી દીધું છે કે, ભારતનું રમતગમત ભવિષ્ય અત્યંત પ્રતિભાશાળી પેઢીના હાથમાં છે. ઉત્તરાખંડમાં યોજાયેલી રાષ્ટ્રીય રમતોએ એ પણ બતાવી દીધું છે કે, કદી હાર ન માનનારા જરૂર જીતે છે. સુખસુવિધા સાથે કોઇ ચેમ્પિયન નથી બનતું. મને આનંદ છે કે, આપણા યુવા રમતવીરોના દ્રઢ નિર્ધાર અને શિસ્તની સાથે ભારત આજે વૈશ્વિક રમતગમત ઉર્જાઘર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.
મારા વ્હાલા દેશવાસીઓ, દેહરાદૂનમાં રાષ્ટ્રીય રમતોના ઉદઘાટન દરમિયાન, મે એક ખૂબ જ મહત્વનો વિષય ઉઠાવ્યો છે. જેમાં દેશમાં એક નવી ચર્ચાની શરૂઆત કરી છે. આ વિષય છે Obesity એટલે કે, મેદસ્વિતા એક ચુસ્ત અને તંદુરસ્ત રાષ્ટ્ર બનવા માટે આપણે મેદસ્વિતાની સમસ્યાને હલ કરવી જ પડશે. એક અભ્યાસ અનુસાર આજે દર આઠમાંથી એક વ્યક્તિ મેદસ્વિતાની સમસ્યાથી પરેશાન છે. વિતેલા વર્ષોમાં મેદસ્વિતાના કિસ્સા બમણા થઇ ગયા છે, પરંતુ તેનાથી પણ વધારે ચિંતાની બાબત એ છે કે, બાળકોમાં પણ મેદસ્વિતાની સમસ્યા વધીને ચાર ગણી થઇ ગઇ છે. વિશ્વ આરોગ્ય સંગઠ્ઠનના આંકડા બતાવે છે કે, 2022માં દુનિયાભરમાં લગભગ અઢીસો કરોડ લોકો મેદસ્વિ હતા. એટલે કે, જરૂર કરતાં પણ કયાંય વધારે એમનું વજન હતું. આ આંકડા અત્યંત ગંભીર છે અને આપણને બધાને વિચારવા મજબૂર કરે છે કે, આખરે આવું કેમ થઇ રહ્યું છે ? વધારે વજન કે, મેદસ્વિતા અનેક પ્રકારની પરેશાનીઓને, બિમારીઓને પણ જન્મ આપે છે. આપણે સૌ મળીને, નાના નાના પ્રયાસોથી આ પડકારનો સામનો કરી શકીએ છીએ. તેમાં એક રીત મે સૂચવી હતી. તે હતી ભોજનમાં તેલના વપરાશમાં 10 ટકા ઘટાડો કરવાની. તમે નક્કી કરી લો કે, દર મહિને 10 ટકા ઓછું તેલ વાપરશો. તમે એવું પણ નક્કી કરી શકો છો કે, જે તેલ ખાવા માટે ખરીદવામાં આવે છે, તે ખરીદતી વખતે જ 10 ટકા ઓછું ખરીદશો. મેદસ્વિતા ઘટાડવાની દિશામાં આ એક મહત્વનું પગલું હશે. હું આજે મન કી બાતમાં આ વિષય પર કેટલાક ખાસ સંદેશા પણ આપના સુધી પહોંચાડવા ઇચ્છું છું. શરૂઆત ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નિરજ ચોપરાજીથી કરીએ. જેમણે ખુદ સફળતાપૂર્વક મેદસ્વિતા પર કાબૂ મેળવી બતાવ્યો છે.
# Audio
નમસ્તે બધાને, હું નીરજ ચોપરા આજે તમને બધાને કહેવા માંગુ છું કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ વખતે 'મન કી બાત' માં સ્થૂળતા વિશે ચર્ચા કરી છે, જે આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે, અને ક્યાંકને ક્યાંક હું આ વાતને મારી જાત સાથે પણ સાંકળું છું, કારણ કે જ્યારે મેં મેદાન પર જવાનું શરૂ કર્યું, ત્યારે મારું વજન પણ ખૂબ વધારે હતું અને જ્યારે મેં તાલીમ શરૂ કરી અને સારું ખાવાનું શરૂ કર્યું, ત્યારે મારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો અને તે પછી જ્યારે હું એક વ્યાવસાયિક રમતવીર બન્યો, ત્યારે મને તેમાં પણ ઘણી મદદ મળી અને તેની સાથે હું કહેવા માંગુ છું કે માતાપિતાએ પણ જાતે કેટલીક બહારની રમત રમવી જોઈએ અને તેમના બાળકોને સાથે લઈ જવું જોઈએ અને સારી સ્વસ્થ જીવનશૈલી જીવવી જોઈએ, સારું ખાવું જોઈએ અને દિવસમાં એક કલાક અથવા તમે તમારા શરીરને ગમે તેટલો સમય કસરત માટે આપવો જોઈએ. અને હું એક બીજી વાત ઉમેરવા માંગુ છું, તાજેતરમાં આપણા વડા પ્રધાને કહ્યું હતું કે ખોરાકમાં વપરાતા તેલનું પ્રમાણ 10% ઘટાડવું જોઈએ, કારણ કે ઘણી વખત આપણે ઘણી બધી તળેલી વસ્તુઓ ખાઈએ છીએ જેની સ્થૂળતા પર ભારે અસર પડે છે. તો હું બધાને કહેવા માંગુ છું કે આ બધી બાબતોથી દૂર રહો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ જ હું તમને વિનંતી કરું છું અને સાથે મળીને આપણે આપણા દેશને ઉન્નત બનાવીશું, આભાર.
નીરજજી તમારો ખૂબ ખૂબ આભાર. જાણીતાં ખેલાડી નિખત જરીનજીએ પણ આ વિષય પર પોતાની વાત રજૂ કરી છે.
# Audio
નમસ્તે મારું નામ નિખત ઝરીન છે અને હું બે વાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન રહી છું. જેમ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' માં સ્થૂળતા વિશે ઉલ્લેખ કર્યો છે અને મને લાગે છે કે તે એક રાષ્ટ્રીય ચિંતા છે. આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર રહેવું જોઈએ કારણ કે ભારતમાં સ્થૂળતા ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. આપણે તેને રોકવી જોઈએ, અને આપણે શક્ય તેટલું સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. હું પોતે એક રમતવીર હોવાને કારણે, સ્વસ્થ આહારનું પાલન કરવાનો પ્રયાસ કરું છું. કારણ કે જો ભૂલથી હું બિનઆરોગ્યપ્રદ આહાર લઉં છું અથવા તેલયુક્ત વસ્તુઓ ખાઈ લઉં છું તો તે મારા પ્રદર્શન પર અસર કરે છે અને હું રિંગમાં ઝડપથી થાકી જાઉં છું અને હું ખાદ્ય તેલ જેવી વસ્તુઓનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવાનો પ્રયાસ કરું છું અને તેના બદલે સ્વસ્થ આહારનું પાલન કરું છું અને દૈનિક શારીરિક પ્રવૃત્તિ કરું છું જેના કારણે હું હંમેશા ફિટ રહું છું. અને મને લાગે છે કે આપણા જેવા સામાન્ય લોકો, જે દરરોજ કામ પર જાય છે, અને મને લાગે છે કે દરેક વ્યક્તિએ સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર રહેવું જોઈએ અને કેટલીક દૈનિક શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ જેના કારણે આપણે હાર્ટ એટેક અને કેન્સર જેવા રોગોથી દૂર રહીએ છીએ અને પોતાને ફિટ રાખીએ છીએ 'કારણ કે જો આપણે ફિટ છીએ તો ભારત ફિટ છે'.
નિખતજીએ ખરેખર, કેટલાંક સારા મુદ્દા રજૂ કર્યા છે. આવો હવે એ સાંભળીએ કે, ડો.દેવી શેટ્ટીજીનું શું કહેવું છે. આપ સૌ જાણો છો કે, તેઓ એક ખૂબ જ સન્માનિત ડોકટર છે, અને આ વિષય પર સતત કામ કરી રહ્યા છે.
# Audio
હું આપણા માનનીય પ્રધાનમંત્રીનો આભાર માનું છું કે તેમણે તેમના સૌથી લોકપ્રિય 'મન કી બાત' કાર્યક્રમમાં સ્થૂળતા વિશે જાગૃતિ ફેલાવી. આજે સ્થૂળતા કોઈ કોસ્મેટિક સમસ્યા નથી; તે એક ખૂબ જ ગંભીર તબીબી સમસ્યા છે. આજે ભારતમાં મોટાભાગના યુવાનો સ્થૂળતાનો ભોગ બને છે. આજે સ્થૂળતાનું મુખ્ય કારણ ખરાબ ગુણવત્તાવાળા ખોરાકનું સેવન છે. ખાસ કરીને કાર્બોહાઇડ્રેટ્સ જેમ કે ભાત, રોટલી અને ખાંડનું વધુ પડતું સેવન અને અલબત્ત તેલનો વધુ પડતો વપરાશ. સ્થૂળતા હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, ફેટી લીવર અને અન્ય ઘણી ગૂંચવણો જેવી મોટી તબીબી સમસ્યાઓ તરફ દોરી જાય છે. તેથી બધા યુવાનોને મારી સલાહ છે; કસરત શરૂ કરો, તમારા આહાર પર નિયંત્રણ રાખો અને ખૂબ જ સક્રિય રહો અને તમારા વજન પર નજર રાખો. ફરી એકવાર હું તમને બધાને ખૂબ જ ખુશ, સ્વસ્થ ભવિષ્ય, શુભકામનાઓ પાઠવું છું.
સાથીઓ, ભોજનમાં તેલનો ઓછો ઉપયોગ અને મેદસ્વિતા ઘટાડવી એ કેવળ અંગત પસંદગી નથી, પરંતુ પરિવાર પ્રત્યેની આપણી જવાબદારી પણ છે. ખાવાપીવામાં તેલનો વધુ ઉપયોગ હૃદયરોગ, ડાયાબીટીસ અને હાયપર ટેન્શન જેવી ઢગલાબંધ બિમારીઓનું કારણ બની શકે છે. આપણા ખાવા પીવામાં નાના નાના ફેરફાર કરીને આપણે આપણા ભવિષ્યને સુદ્રઢ વધુ ચુસ્ત અને રોગમુક્ત બનાવી શકીએ છીએ. એટલે, આપણે મોડું કર્યા વિના આ દિશામાં પ્રયત્નો કરવા પડશે. તેમને પોતાના જીવનમાં ઉતારવા પડશે. આપણે બધા મળીને તેને રમત રમતમાં બહુ અસરકારક રીતે કરી શકીએ છીએ. જેવી રીતે હું આજે મન કી બાતની આ કડી પછી 10 લોકોને આગ્રહ કરીશ, પડકાર આપીશ કે શું તેઓ પોતાના ભોજનમાં તેલ 10 ટકા ઓછું કરી શકે છે ? અને સાથે જ તેમને એવો આગ્રહ પણ કરીશ કે, તેઓ આગળ નવા 10 લોકોને આવો જ પડકાર આપે. મને વિશ્વાસ છે તેનાથી મેદસ્વિતાનો સામનો કરવામાં બહુ મદદ મળશે.
સાથીઓ, શું તમે જાણો છો કે, એશિયાઇ સિંહ, હેન્ગુલ હરણ, પીગ્મી ડુક્કર અને સિંહ પૂંછ માંકડા શું સમાનતા છે ? તેનો જવાબ એ છે કે, સમગ્ર દુનિયામાં તે બીજે ક્યાંય જોવા નથી મળતા, કેવળ આપણા દેશમાં જ મળે છે. ખરેખર, આપણે ત્યાં વનસ્પતિ અને જીવજંતુઓનું એક ખૂબ જ ચેતનવંતુ પરિસર તંત્ર છે. અને તે વન્યજીવ આપણા ઇતિહાસ અને સંસ્કૃતિમાં વણાયેલા છે. કેટલાય જીવજંતુ આપણાં દેવીદેવતાઓના વાહનના સ્વરૂપમાં પણ જોવા મળે છે. મધ્યભારતમાં કેટલીયે જનજાતિઓ વાઘેશ્વરની પૂજા કરે છે. મહારાષ્ટ્રમાં વાઘોબાના પૂજનની પરંપરા રહી છે. ભગવાન અયપ્પાનો પણ વાઘ સાથે બહુ ગાઢ નાતો છે. સુંદરવનમાં બોનબીબીની પૂજા અર્ચના થાય છે. જે વાઘ પર સવારી કરે છે. આપણે ત્યાં કર્ણાટકના હુલી વેશા, તમિલનાડુના પુલી અને કેરળના પુલીકલી જેવા કેટલાય સાંસ્કૃતિક નૃત્યો છે. જે પ્રકૃતિ અને વન્યજીવન સાથે જોડાયેલા છે. હું આપણા આદિવાસી ભાઇઓ-બહેનોનો પણ ખૂબ આભાર માનીશ, કેમ કે, તેઓ વન્યજીવ સંરક્ષણના કાર્યોમાં ઉત્સાહભેર ભાગીદારી કરે છે. કર્ણાટકના બીઆરટી વાઘ અભયારણ્યમાં વાઘની વસતિમાં સતત વધારો થયો છે. તેનો ઘણો બધો યશ સોલિગા આદિજાતિને જાય છે. જેઓ વાઘની પૂજા કરે છે. તેના કારણે, આ ક્ષેત્રમાં માણસ અને પશુઓ વચ્ચેની ઘર્ષણ નહિંવત હોય છે. ગુજરાતમાં પણ લોકોએ ગીરમાં એશિયાઇ સિંહોની સલામતિ અને સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે દુનિયાને બતાવી આપ્યું છે કે, પ્રકૃતિની સાથે સહઅસ્તિત્વ આખરે શું હોય છે. સાથીઓ, આ પ્રયાસોના કારણે વિતેલા કેટલાક વર્ષોમાં વાઘ, દિપડા, એશિયાઇ સિંહ, ગેંડા અને બારહસિંગાની વસતિ ઝડપથી વધી છે, અને ભારતમાં વન્યજીવોની વિવિધતા કેટલી સુંદર છે, એ પણ વિચારવા લાયક છે. એશિયાઇ સિંહ દેશના પશ્ચિમી ભાગમાં મળી આવે છે. જ્યારે વાઘનો વિસ્તાર પૂર્વી, મધ્ય અને દક્ષિણ ભારત છે. તો, ગેંડા ઇશાન ભારતમાં મળી આવે છે. ભારતનો દરેક ભાગ કેવળ પ્રકૃતિ માટે જ સંવેદનશીલ છે, એવું નથી. બલ્કે વન્યજીવ સંરક્ષણ માટે પણ પ્રતિબદ્ધ છે. મને અનુરાધા રાવજી વિશે જણાવવામાં આવ્યું છે કે, તેમની કેટલીયે પેઢીઓનો નાતો આંદામાન નિકોબાર ટાપુઓ સાથે રહ્યો છે. અનુરાધાજીએ બહુ નાની ઉંમરમાં જ પશુકલ્યાણ માટે પોતાને સમર્પિત કરી દીધા હતા. ત્રણ દાયકામાં તેમણે હરણ અને મોરના રક્ષણને પોતાનું અભિયાન બનાવી દીધું. ત્યાંના લોકો તેમને ‘Deer Woman’ એટલે કે, મૃગ મહિલાના નામથી બોલાવે છે. આવતા મહિનાની શરૂઆતમાં આપણે વિશ્વ વન્યજીવ દિવસ મનાવીશું. મારો આગ્રહ છે કે, તમે વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલા લોકોની હિંમત જરૂર વધારો. આ ક્ષેત્રમાં હવે અનેક સ્ટાર્ટઅપ પણ ઉપસીને સામે આવ્યા છે. તે મારા માટે બહુ સંતોષની બાબત છે.
સાથીઓ, આ બોર્ડ પરીક્ષાનો સમય છે. હું મારા યુવા સાથીઓ, એટલે કે, પરીક્ષા યોધ્ધાઓને તેમની પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમે સહેજ પણ તંગદિલી વિના પુરા હકારાત્મક અભિગમ સાથે પોતાની પરીક્ષા આપો. દર વર્ષે પરીક્ષા પે ચર્ચામાં આપણે આપણા પરીક્ષા યોધ્ધાઓ સાથે પરીક્ષાને લગતા અલગ અલગ વિષયો પર વાત કરીએ છીએ. મને આનંદ છે કે, હવે આ કાર્યક્રમ એક સંસ્થાગત રૂપ લઇ રહ્યો છે, સંસ્થાગત બની રહ્યો છે. તેમાં નવા નવા નિષ્ણાતો પણ જોડાઇ રહ્યા છે. આ વર્ષે આપણે એક નવા સ્વરૂપમાં પરીક્ષા પે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો. નિષ્ણાતોની સાથે આઠ અલગ અલગ કડીઓ પણ સામેલ કરવામાં આવી. આપણે એકંદર પરીક્ષાથી લઇને આરોગ્ય સંભાળ અને માનસિક સ્વાસ્થ્યની સાથે ખાવાપીવા જેવા વિષયોને પણ આવરી લીધા. તેની સાથે ગયા વર્ષના ટોચના વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચાર અને અનુભવો સૌને જણાવ્યા. ઘણા બધા યુવાનોએ, તેમના માતાપિતાએ અને શિક્ષકોએ આ વિશે મને પત્રો લખ્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ સ્વરૂપ તેમને ખૂબ જ સારૂં લાગ્યું છે, કેમ કે, તેમાં દરેક વિષય પર લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. ઇન્સ્ટાગ્રામ પર પણ આપણા યુવા સાથીઓએ આ કડીઓને મોટી સંખ્યામાં જોઇ છે. તમારામાંથી ઘણા બધા લોકોએ આ કાર્યક્રમનું આયોજન દિલ્હીની સુંદર નર્સરીમાં કરવામાં આવ્યું. તેને વખાણ્યું છે. આપણા જે યુવાસાથી પરીક્ષા પે ચર્ચાની આ કડીઓ હજી સુધી નથી જોઇ શક્યા, તેઓ તેને જરૂરથી જુએ. આ બધી કડીઓ નમો એપ પર રાખવામાં આવેલી છે. ફરી એકવાર આપણા પરીક્ષા યોદ્ધાઓને મારો એક સંદેશ છે કે, “Be happy and stress free”. તણાવમુક્ત રહો અને આનંદમાં રહો.
મારા પ્રિય સાથીઓ, મન કી બાતમાં આ વખતે મારી સાથે બસ આટલું જ. આવતા મહિને ફરી નવા વિષયો સાથે આપણે મળીને મન કી બાત કરીશું. તમે મને પોતાના પત્ર, પોતાનો સંદેશ મોકલતા રહેજો. તંદુરસ્ત રહો, આનંદમાં રહો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 2025ની પહેલી મન કી બાત થઇ રહી છે. તમે બધાએ એક વાતની જરૂર નોંધ લીધી હશે. દર વખતે મન કી બાત મહિનાના છેલ્લા રવિવારે થાય છે. પરંતુ આ વખતે આપણે એક અઠવાડિયું વહેલાં, એટલે કે, ચોથા રવિવારને બદલે ત્રીજા રવિવારે જ મળી રહ્યાં છીએ. કારણ કે, આવતા અઠવાડિયે રવિવારના દિવસે પ્રજાસત્તાક દિવસ છે. હું તમામ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની આગોતરી શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ, આ વખતનો પ્રજાસત્તાક દિવસ ખૂબ વિશેષ છે. તે ભારતીય ગણતંત્રની 75મી વર્ષગાંઠ છે. આ વર્ષે બંધારણ અમલમાં મૂકાયાને 75 વર્ષ થઇ રહ્યાં છે. બંધારણ સભાના તે તમામ મહાનુભાવોને હું નમન કરૂં છું કે, જેમણે આપણને આપણું પવિત્ર બંધારણ આપ્યું. બંધારણ સભા દરમિયાન અનેક વિષયો ઉપર વિસ્તૃત ચર્ચાઓ થઇ હતી. આ ચર્ચાઓ બંધારણ સભાના સભ્યોના વિચાર, તેમની વાણી, આપણો બહુ મોટો વારસો છે. આજે મન કી બાતમાં મારો પ્રયત્ન છે કે, તમને કેટલાક મહાન નેતાઓનો અસલ અવાજ સંભળાવું.
સાથીઓ બંધારણ સભાએ જયારે પોતાનું કામ શરૂ કર્યું તો બાબાસાહેબ આંબેડકરે પરસ્પર સહયોગ બાબતે એક બહુ મહત્વની વાત કરી હતી. તેમનું આ સંબોધન અંગ્રેજીમાં છે. હું તેના કેટલાક અંશ આપને સંભળાવું છું. (ઓડિયો)
"જ્યાં સુધી અંતિમ ધ્યેયનો સવાલ છે, મને લાગે છે કે આપણામાંથી કોઈને પણ કોઈ શંકા રાખવાની જરૂર નથી. આપણામાંથી કોઈને પણ કોઈ શંકા રાખવાની જરૂર નથી, પરંતુ મારો ડર જે મારે સ્પષ્ટપણે વ્યક્ત કરવો જોઈએ તે એ છે કે, આપણી મુશ્કેલી જેમ મેં કહ્યું તેમ અંતિમ ભવિષ્ય વિશે નથી. આપણી મુશ્કેલી એ છે કે આજે આપણી પાસે જે વિવિધતાપૂર્ણ જનસમૂહ છે તેને કેવી રીતે બનાવવો, સામાન્ય નિર્ણય લેવો અને સહકારી રીતે તે માર્ગ પર કેવી રીતે આગળ વધવું જે આપણને એકતા તરફ દોરી જશે. આપણી મુશ્કેલી અંતિમ બાબતમાં નથી; આપણી મુશ્કેલી શરૂઆત અંગે છે."
સાથીઓ, બાબાસાહેબ એ વાત પર ભાર મૂકી રહ્યા હતા કે, બંધારણ સભા એક સાથે, એક મત બને, અને સાથે મળીને સર્વહિત માટે કામ કરે. હું તમને બંધારણ સભાની વધુ એક ઓડિયો ક્લિપ સંભળાવું છું. આ અવાજ ડૉ.રાજેન્દ્ર પ્રસાદજીનો છે. જેઓ આપણી બંધારણ સભાના અધ્યક્ષ હતા. આવો ડૉ.રાજેન્દ્ર પ્રસાદજીને સાંભળીએ. (ઓડિયો)
“આપણો ઇતિહાસ આપણને જણાવે છે અને આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે કે આપણે શાંતિપ્રિય છીએ અને રહી ચૂક્યા છીએ. આપણું સામ્રાજ્ય અને આપણા વિજયો એક અલગ પ્રકારના રહ્યા છે; આપણે ક્યારેય બીજાઓને લોખંડની સાંકળોથી બાંધવાનો પ્રયાસ કર્યો નથી, પછી ભલે તે સોનાની હોય કે લોખંડની. આપણે બીજાઓને રેશમી દોરાથી પોતાની સાથે બાંધી દીધા છે જે લોખંડની સાંકળ કરતાં વધુ મજબૂત છે પણ વધુ સુંદર અને સુખદ છે અને તે બંધન ધર્મ, સંસ્કૃતિ અને જ્ઞાનનું છે. આપણે એ જ રસ્તે ચાલતા રહીશું અને આપણી એક જ ઈચ્છા અને ઇચ્છા છે, તે ઈચ્છા એ છે કે આપણે દુનિયામાં સુખ અને શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરી શકીએ અને દુનિયાને સત્ય અને અહિંસાનું અચૂક શસ્ત્ર આપી શકીએ જેણે આપણને શક્તિ આપી છે. આજે. સ્વતંત્રતા તરફ દોરી ગયું. આપણા જીવનમાં અને સંસ્કૃતિમાં કંઈક એવું છે જેણે આપણને સમયના પ્રકોપ છતાં ટકી રહેવાની શક્તિ આપી છે. જો આપણે આપણા આદર્શોને આપણી સામે રાખીશું, તો આપણે વિશ્વની મહાન સેવા કરી શકીશું.
સાથીઓ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદજીએ માનવીય મૂલ્યો પ્રત્યે દેશની વચનબદ્ધતાની વાત કરી હતી. હવે હું તમને ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીનો અવાજ સંભળાવું છું. તેમણે સમાન તકોનો વિષય ઉઠાવ્યો હતો. ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યું હતું – (ઓડિયો)
"મને આશા છે કે સાહેબ આપણે બધી મુશ્કેલીઓ છતાં આપણું કાર્ય આગળ વધારીશું અને એ રીતે એક મહાન ભારતનું નિર્માણ કરવામાં મદદ કરીશું જે આ સમુદાય કે તે સમુદાયની નહીં, આ વર્ગ કે તે સમુદાયની નહીં, પરંતુ આ મહાન ભૂમિમાં રહેતા દરેક વ્યક્તિ, પુરુષ, સ્ત્રી અને બાળકની જાતિ, જાતિ, પંથ કે સમુદાયને ધ્યાનમાં લીધા વિના, માતૃભૂમિ હશે. દરેકને સમાન તક મળશે, જેથી તે પોતાની શ્રેષ્ઠ પ્રતિભા અનુસાર પોતાનો વિકાસ કરી શકે અને ભારતની મહાન સામાન્ય માતૃભૂમિની સેવા કરી શકે."
સાથીઓ, મને આશા છે કે, તમને પણ બંધારણ સભાની ચર્ચાના આ મૂળ અવાજ સાંભળવાનું ગમ્યું હશે. આપણે દરેક દેશવાસીએ આ વિચારોમાંથી પ્રેરણા લઇને એવા ભારતના નિર્માણ માટે કામ કરવાનું છે, જેના પર આપણા બંધારણના ઘડવૈયાઓને પણ ગર્વ થાય.
સાથીઓ, પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. આ દિવસ એટલા માટે મહત્વનો છે કે, આ દિવસે ભારતીય ચૂંટણીપંચની સ્થાપના થઇ હતી. ચૂંટણી પંચ. આપણા બંધારણના ઘડવૈયાઓએ બંધારણમાં આપણા ચૂંટણીપંચને, લોકશાહીમાં લોકભાગીદારીને, બહુ મોટું સ્થાન આપ્યું છે. દેશમાં જ્યારે 1951-52માં પહેલીવાર ચૂંટણીઓ થઇ તો કેટલાક લોકોને શંકા હતી કે, શું આપણા દેશની લોકશાહી જીવીત રહેશે ખરી ? પરંતુ આપણી લોકશાહીએ બધી શંકાઓને ખોટી સાબિત કરી. આખરે, ભારત લોકશાહીની જનેતા છે. વિતેલા દાયકાઓમાં પણ દેશની લોકશાહી સશક્ત બની છે. સમૃદ્ધ થઇ છે. હું ચૂંટણીપંચને પણ ધન્યવાદ આપીશ કે, જેણે સમયાંતરે આપણી મતદાન પ્રક્રિયાને આધુનિક બનાવી છે, મજબૂત કરી છે. પંચે લોકશક્તિને વધુ તાકાત આપવા માટે ટેકનિકની શક્તિનો ઉપયોગ કર્યો. ચૂંટણીપંચને નિષ્પક્ષ ચૂંટણીની તેમની પ્રતિબદ્ધતા માટે હું અભિનંદન આપું છું. હું દેશવાસીઓને કહીશ કે, તેઓ વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતના અધિકારનો ઉપયોગ કરે, હંમેશા કરે, અને દેશની લોકશાહી પ્રક્રિયાનો હિસ્સો પણ બને, અને આ પ્રક્રિયાને સુદ્રઢ પણ બનાવે.
મારા વ્હાલા દેશવાસીઓ, પ્રયાગરાજમાં મહાકુંભના શ્રીગણેશ થઇ ચૂક્યા છે. ચીરસ્મરણિય માનવમહેરામણ, અકલ્પનીય દ્રશ્ય અને સમતા-સમરસતાનો અસાધારણ સંગમ. કુંભમાં આ વખતે અનેક દિવ્ય યોગ પણ બની રહ્યા છે. કુંભનો આ ઉત્સવ વિવિધતામાં એકતાનો ઉત્સવ બની રહ્યો છે. સંગમની રેતી ઉપર સમગ્ર ભારતના, પૂરી દુનિયાના લોકો જોડાઇ રહ્યા છે. હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યાંય પણ કોઇ ભેદભાવ નથી, જાતિવાદ નથી. તેમાં ભારતના દક્ષિણમાંથી લોકો આવે છે, પૂર્વ અને પશ્ચિમમાંથી પણ લોકો આવે છે. કુંભમાં અમીર ગરીબ સૌ એક થઇ જાય છે. બધા લોકો સંગમમાં ડૂબકી લગાવે છે, એક સાથે ભંડારામાં ભોજન કરે છે, પ્રસાદ લે છે, એટલે તો, કુંભ એકતાનો મહાકુંભ છે. કુંભનું આયોજન આપણને એ પણ સૂચિત કરે છે કે, કેવી રીતે આપણી પરંપરાઓ સમગ્ર ભારતને એક તાંતણે બાંધે છે. ઉત્તરથી દક્ષિણ સુધી માન્યતાઓને માનવાની રીતો એક જેવી જ છે. એક તરફ પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં કુંભનું આયોજન થાય છે. તો તે જ રીતે, દક્ષિણ પ્રદેશમાં ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી નદીના તટ પર પુષ્કરમ યોજાય છે. આ બંને પર્વો આપણી પવિત્ર નદીઓ સાથે તેઓની માન્યતાઓ સાથે જોડાયેલા છે. એ રીતે જ, કુંભકોણમથી થિરૂક્કડ-યૂડ, કૂડ-વાસલથી થિરૂચેરઇ અનેક એવા મંદિરો છે, જેમની પરંપરાઓ કુંભ સાથે જોડાયેલી છે.
સાથીઓ, આ વખતે તમે બધાએ જોયું હશે કે, કુંભમાં યુવાનોની ભાગીદારી બહુ વ્યાપક રૂપમાં નજરે પડે છે, અને એ પણ સાચું છે કે, જ્યારે યુવાપેઢી પોતાની સભ્યતાની સાથે ગર્વની સાથે જોડાઇ જાય છે, તો તેમના મૂળ વધુ મજબૂત બને છે, અને ત્યારે તેમનું સ્વર્ણિમ ભવિષ્ય પણ સુનિશ્ચિત બની જાય છે. આ વખતે આપણે કુંભની digital footprints પણ એટલા મોટા પ્રમાણમાં જોઇ રહ્યા છીએ. કુંભની આ વૈશ્વિક લોકપ્રિયતા દરેક ભારતીય માટે ગર્વની બાબત છે.
સાથીઓ, થોડા દિવસ પહેલાં જ પશ્ચિમ બંગાળમાં ગંગાસાગર મેળાનું પણ ભવ્ય આયોજન થયું છે. સંક્રાંતિના પાવન અવસરે આ મેળામાં દુનિયાભરમાંથી આવેલા લાખો શ્રધ્ધાળુઓએ ડૂબકી લગાવી છે. ‘કુંભ પુષ્કરમ અને ગંગાસાગર મેળો’ જેવા આપણા આ પર્વો આપણા સામાજીક મનમેળને, સદભાવને, એકતાને વધારનારા પર્વો છે. આ પર્વ ભારતના લોકોને ભારતીય પરંપરાઓ સાથે જોડે છે, અ જેમ આપણા શાસ્ત્રોએ સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પર ભાર મૂક્યો છે, તે જ રીતે આપણા પર્વો અને પરંપરાઓ પણ આધ્યાત્મિક, સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક એમ દરેક પાસાને પણ સશક્ત કરે છે.
સાથીઓ, આ મહિને આપણે પોષ સુદ દ્વાદશીના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના પર્વની પહેલી વર્ષગાંઠ ઉજવી. આ વર્ષ પોષ સુદ દ્વાદશી અગિયાર જાન્યુઆરીએ આવી હતી. તે દિવસે પણ લાખો રામભક્તોએ અયોધ્યામાં રામલલ્લાના સાક્ષાત દર્શન કરીને તેઓના આશીર્વાદ લીધા હતા. પ્રાણપ્રતિષ્ઠાની આ દ્વાદશી ભારતની સાંસ્કૃતિક ચેતનાની પુનઃપ્રતિષ્ઠાની દ્વાદશી છે. એટલા માટે, પોષ સુદ દ્વાદશીનો આ દિવસ એક રીતે પ્રતિષ્ઠા દ્વાદશીનો દિવસ પણ બની ગયો છે. આપણે વિકાસના રસ્તે ચાલતા બસ આમ જ પોતાની વિરાસતનું પણ જતન કરવાનું છે. તેમાંથી પ્રેરણા લઇને આગળ વધવાનું છે.
મારા વ્હાલા દેશવાસીઓ, 2025ની શરૂઆતમાં ભારતે અવકાશ ક્ષેત્રે પણ અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે મને જણાવતાં ગર્વ થાય છે કે, એક ભારતીય અંતરિક્ષ-ટેક સ્ટાર્ટ-અપ, બેંગલૂરૂના પિકસેલે ભારતના પહેલા વ્યક્તિગત ઉપગ્રહ નક્ષત્ર – ‘ફાયરફ્લાય’નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુ છે. આ ઉપગ્રહ નક્ષત્ર દુનિયાનો સૌથી હાઈ-રિઝોલ્યુશન હાયપર સ્પેક્ટ્રલ સેટેલાઇટ નક્ષત્ર છે. આ સફળતા આપણા ખાનગી અંતરિક્ષ ક્ષેત્રની વધી રહેલી તાકાત અને નવિનીકરણનું પ્રતિક છે. હું આ સિદ્ધિ બદલ પિક્સલની ટીમ ISRO, અને ઈન-સ્પેસને પૂરા દેશ તરફથી અભિનંદન પાઠવું છું.
સાથીઓ, થોડા દિવસ પહેલાં આપણા વૈજ્ઞાનિકોએ અંતરિક્ષ ક્ષેત્રમાં જ એક વધુ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી. આપણા વિજ્ઞાનીઓએ સેટેલાઈટ્સનું સ્પેસ ડોકીંગ કરાવ્યું છે. અંતરિક્ષમાં જ્યારે બે અવકાશયાનને એકબીજા સાથે જોડવામાં આવે છે, ત્યારે તે પ્રક્રિયાને સ્પેસ ડોકીંગ કહે છે. આ ટેકનિક અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન સુધી જરૂરી ચીજવસ્તુઓ મોકલવા અને અવકાશયાત્રીઓ માટે પણ ખૂબ મહત્વની છે. ભારત એવો ચોથો દેશ બન્યો છે, જેણે આ સફળતા હાંસલ કરી છે.
સાથીઓ, આપણા વિજ્ઞાનીઓ અંતરિક્ષમાં છોડ ઉગાડવાના અને તેમને જીવીત રાખવાના પ્રયાસો પણ કરી રહ્યા છે. માટે, ઇસરોના વિજ્ઞાનીઓએ ચોળીના બીજને પસંદ કર્યા હતા. 30 ડીસેમ્બરે મોકલવામાં આવેલા આ બીજ અંતરિક્ષમાં જ ઉગી નીકળ્યા હતા. આ એક ખૂબ જ પ્રેરણાદાયક પ્રયોગ છે, જે, ભવિષ્યમાં અંતરિક્ષમાં શાકભાજી ઉગાડવાનો માર્ગ ખોલશે. આ બતાવે છે કે, આપણા વિજ્ઞાનીઓ કેટલી દૂરદર્શિતા સાથે કામ કરી રહ્યા છે.
સાથીઓ, હું તમને એક પ્રેરણાદાયક પહેલ વિશે જણાવવા માગું છું. IIT મદ્રાસનું ExTeM કેન્દ્ર અંતરિક્ષમાં ઉત્પાદન માટે નવી ટેકનિકો પર કામ કરી રહ્યું છે. આ કેન્દ્ર અંતરિક્ષમાં 3D–પ્રિન્ટેડ બિલ્ડિંગ્સ, મેટલ ફોર્મ્સ અને ઓપ્ટિકલ ફાઈબર્સ જેવી ટેકનોલિજી પર સંશોધન કરી રહ્યું છે. આ કેન્દ્ર પાણી વિના કોંક્રિટ બનાવવા જેવી ક્રાંતિકારી રીત પણ વિકસાવી રહ્યું છે. ExTeMનું આ સંશોધન ભારતના ગગનયાન મિશન અને ભવિષ્યના અંતરિક્ષ કેન્દ્રને પણ મજબૂતાઇ આપશે. તેનાથી ઉત્પાદન ક્ષેત્રમાં પણ આધુનિક ટેકનોલોજીના નવા માર્ગ ખૂલશે.
સાથીઓ, આ તમામ સિદ્ધિઓ એ વાતનો પૂરાવો છે કે, ભારતના વૈજ્ઞાનિકો અને સંશોધકો ભવિષ્યના પડકારોનો ઉકેલ આપવા માટે કેટલા દ્રષ્ટિવાન છે. આપણો દેશ આજે અંતરિક્ષ ટેકનોલોજીમાં નવા વિક્રમો સ્થાપી રહ્યો છે. હું ભારતના વૈજ્ઞાનિકો સંશોધકો અને યુવા ઉદ્યમીઓને સમગ્ર દેશ તરફથી શુભેચ્છાઓ પાઠવું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, તમે કેટલીય વાર માનવી અને પશુ વચ્ચે ગજબની દોસ્તીની તસ્વીરો જોઇ હશે, તમે પ્રાણીઓની વફાદારીની વાર્તાઓ પણ સાંભળી હશે. પ્રાણી પાલતું હોય કે, જંગલમાં રહેનારૂં પશુ, માનવી સાથેનો તેનો સંબંધ કેટલીય વાર નવાઇ પમાડી દે છે. જાનવર ભલે બોલી નથી શકતાં, પરંતુ તેમની ભાવનાઓને, તેમના હાવભાવને માનવી સારી રીતે જાણી લે છે. જાનવર પણ પ્રેમની ભાષાને સમજે છે, તેને નિભાવે પણ છે. હું તમને આસામનું એક ઉદાહરણ જણાવવા માગું છું. આસામમાં એક સ્થળ છે, ‘નૌગાંવ’. નૌગાંવ આપણા દેશની મહાન વિભૂતી શ્રીમંત શંકરદેવજીનું જન્મસ્થાન પણ છે. આ સ્થળ ખૂબ જ સુંદર છે. ત્યાં હાથીઓનું પણ એક મોટું ઠેકાણું છે. આ વિસ્તારમાં અનેકવાર એવી ઘટનાઓ જોવા મળતી હતી કે, જ્યાં હાથીઓના ઝુંડ ઉભા પાકને બરબાદ કરી દેતા હતા, ખેડૂતો પરેશાન રહેતા હતા. જેનાથી આસપાસનાં લગભગ સો ગામના લોકો ખૂબ પરેશાન હતા. પરંતુ ગામલોકો હાથીઓની પણ મજબૂરી સમજતા હતા. તેઓ જાણતા હતા કે, હાથી ભૂખ સંતોષવા માટે ખેતરોમાં આવતા હતા. એટલે ગામલોકોએ તેનું નિરાકરણ લાવવાનું વિચાર્યું. ગામલોકોની એક ટીમ બનાવી, જેનું નામ હતું, ‘હાથીબંધુ’. આ હાથીબંધુઓએ સમજદારી બતાવતા લગભગ 800 વિઘા ઉજ્જડ જમીન ઉપર એક અનોખો પ્રયાસ કર્યો. ત્યાં આ ગામલોકોએ પરસ્પર મળીને હાથીઘાસ એટલે કે, નેપિયર ગ્રાસ વાવ્યું. આ ઘાસને હાથીઓ બહુ પસંદ કરે છે. તેની અસર એ થઇ કે, હાથીઓએ ખેતરો તરફ જવાનું ઓછું કરી નાંખ્યું. હજારો ગ્રામજનો માટે આ બહુ મોટી રાહતની બાબત છે. તેમનો આ પ્રયાસ હાથીઓને પણ ગમી ગયો છે.
સાથીઓ, આપણી સંસ્કૃતિ અને વારસો આપણને આસપાસના પશુપક્ષીઓ સાથે પ્રેમથી રહેવાનું શીખવે છે. આપણા બધા માટે પણ આ બહુ આનંદની વાત છે કે, પાછલા બે મહિનામાં આપણા દેશમાં બે નવા વાઘ અભયારણ્ય બન્યા છે. તેમાંથી એક છે, છત્તીસગઢમાં ગુરૂ ઘાસીદાસ-તમોર પિંગલા વાઘ અભયારણ્ય અને બીજું છે, મધ્યપ્રદેશમાં રાતાપાની વાઘ અભયારણ્ય.
મારા વ્હાલા દેશવાસીઓ, સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘જે વ્યક્તિમાં પોતાના વિચાર માટે ઝનૂન હોય છે, તે જ, પોતાના લક્ષ્યને હાંસલ કરી શકે છે.’ કોઇ વિચારને સફળ બનાવવા માટે આપણી લગન અને સમર્પણ સૌથી વધુ જરૂરી હોય છે. પૂરી લગન અને ઉત્સાહથી જ નાવિન્યતા(ઇનોવેશન), સર્જનાત્મકતા અને સફળતાનો માર્ગ ચોક્કસ નીકળે છે. થોડા દિવસ પહેલાં મને જ સ્વામિ વિવેકાનંદજીની જયંતિએ વિકસિત ભારત યુવા નેતા પરિચર્ચામાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું. ત્યાં મેં દેશના ખૂણેખૂણામાંથી આવેલા યુવા સાથીઓની સાથે મારો પૂરો દિવસ વિતાવ્યો. યુવાઓએ સ્ટાર્ટઅપ્સ, સંસ્કૃતિ, મહિલાઓ, યુવાઓ અને આંતરમાળખા જેવા કેટલાય ક્ષેત્રો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ કાર્યક્રમ મારા માટે બહુ યાદગાર રહ્યો.
સાથીઓ, થોડા દિવસ પહેલાં જ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના નવ વર્ષ પૂરા થયાં છે. આપણા દેશમાં નવ વર્ષમાં જેટલા સ્ટાર્ટઅપ્સ બન્યાં છે, તેમાંથી અડધાથી વધુ બીજા અને ત્રીજા વર્ગના શહેરોમાંથી છે, અને જયારે આ વાત સાંભળીએ છીએ તો, દરેક હિન્દુસ્તાનીનું દિલ ખૂશ થઇ જાય છે, એટલે કે, આપણી સ્ટાર્ટઅપ્સ સંસ્કૃતિ મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી રહી. અને તમને એ જાણીને નવાઇ લાગશે કે, નાના શહેરોના સ્ટાર્ટઅપ્સમાં અડધાથી વધુનું નેતૃત્વ આપણી દીકરીઓ કરી રહી છે. જ્યારે એવું સાંભળવા મળે છે કે, અંબાલા, હિસાર, કાંગડા, ચેંગલપટ્ટુ, બિલાસપુર, ગ્વાલિયર અને વાશિમ જેવા શહેર સ્ટાર્ટઅપ્સના કેન્દ્રો બની રહ્યા છે, તો મન પ્રફુલ્લિત થઇ જાય છે. નાગાલેન્ડ જેવા રાજયમાં ગયા વર્ષે સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 200 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઇ છે. વેસ્ટ મેનેજમેન્ટ, રિન્યૂબલ એનર્જી, બાયોટેકનોલોજી અને લોજીસ્ટીક એવા ક્ષેત્રો છે, જેની સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સ સૌથી વધુ જોવા મળી રહ્યા છે. આ રૂઢિગત ક્ષેત્રો નથી, પરંતુ આપણા યુવા સાથીઓ પણ તો રૂઢિગતથી આગળનું વિચારે છે, એટલા તો તેમને સફળતા પણ મળી રહી છે.
સાથીઓ, 10 વર્ષ પહેલાં કોઇ સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં જવાની વાત કરતું હતું તો, તેને જાતજાતના ટોણા સાંભળવા મળતા હતા. કોઇ એમ પુછતું હતું કે, આખરે આ સ્ટાર્ટઅપ શું હોય છે ? તો કોઇ કહેતું હતું કે, તેનાથી કંઇ થવાનું નથી. પરંતુ આજે જુઓ એક દાયકામાં કેટલું મોટું પરિવર્તન આવી ગયું. તમે પણ ભારતમાં ઉભી થઇ રહેલી નવી તકોનો ભરપૂર લાભ ઉઠાવો. તમે જો, પોતાના પર વિશ્વાસ રાખશો તો, તમારા સપનાને પણ નવી ઉંચાઇ મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, સારી નિયતથી નિઃસ્વાર્થ ભાવના સાથે કરેલા કામોની ચર્ચા દૂરસુદૂર પહોંચી જ જાય છે. અને આપણી મન કી બાત તો તેનો બહુ મોટો મંચ છે. આપણા આટલા વિશાળ દેશમાં છેક ઉંડાણમાં પણ જો કોઇ સારૂં કામ કરી રહ્યું હોય છે, કર્તવ્ય ભાવનાને સર્વોપરી રાખે છે તો, તેમના પ્રયાસોને લોકો સમક્ષ લાવવાનો આ સારામાં સારો મંચ છે. અરૂણાચલ પ્રદેશમાં દિપક નાબામજીએ સેવાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. દિપકજી ત્યાં લિવિંગ હોમ ચલાવે છે. જ્યાં માનસિક રીતે બિમાર, શરીરથી અશક્ત લોકો અને વૃદ્ધોની સેવા કરવામાં આવે છે. એટલું જ નહિં, નશીલા પદાર્થોની લતના શિકાર લોકોની દેખરેખ પણ કરવામાં આવે છે. દિપક નાબામજીએ કોઇનીએ મદદ વિના સમાજના વંચિત લોકો, હિંસા પીડીત પરિવારો અને બેઘર લોકોને સહારો આપવાનું અભિયાન શરૂ કર્યું. આજે તેમની સેવાએ એક સંસ્થાનું રૂપ લઇ લીધું છે. તેમની સંસ્થાને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી રહી છે. લક્ષદ્વીપના કવરતી દ્વીપ પર નર્સ તરીકે કામ કરનારાં કે.હિંદુમ્બીજીનું કામ પણ બહુ પ્રેરિત કરનારૂં છે. તમને એ જાણીને નવાઇ લાગશે કે, તેઓ 18 વર્ષ પહેલાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઇ ચૂક્યા છે. પરંતુ આજે પણ એ જ કરૂણા અને સ્નેહની સાથે લોકોની સેવામાં જોડાયેલા છે. જેવી રીતે તેઓ પહેલાં ફરજ બજાવતા હતા. લક્ષદ્વીપના જ કે.જી.મોહમ્મદજીના પ્રયત્નો પણ એવા જ અદભૂત છે. તેમની મહેનતથી મિનીકૉય દ્વીપની સમુદ્રી જીવસૃષ્ટિ મજબૂત બની રહી છે. તેમણે પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે કેટલાંયે ગીત લખ્યા છે. તેમને લક્ષદ્વીપ સાહિત્ય કલા અકાદમી તરફથી શ્રેષ્ઠ લોકગીત પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. કે.જી.મોહમ્મદ નિવૃત્તિ પછી ત્યાંના સંગ્રહાલય સાથે જોડાઇને પણ કામ કરી રહ્યા છે.
સાથીઓ, વધુ એક સારા સમાચાર પણ આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહથી જ છે. નિકોબાર જીલ્લામાં virgin coconut oil ને તાજેતરમાં જીઆઇ ટેગ મળ્યું છે. વર્જિન નારિયળનું તેલને જીઆઇ ટેગ પછી એક નવી પહેલ શરૂ થઇ છે. આ કોપરેલના ઉત્પાદન સાથે જોડાયેલી મહિલાઓને સંગઠિત કરીને સ્વસહાય જૂથ બનાવવામાં આવી રહ્યાં છે. તેમને વેચાણ અને બ્રાન્ડીંગની ખાસ તાલીમ પણ આપવામાં આવી રહી છે. આ આપણા આદિવાસી સમુદાયોને આર્થિક રીતે સશક્ત બનાવવાની દિશામાં એક બહુ મોટું પગલું છે. મને વિશ્વાસ છે કે, ભવિષ્યમાં નિકોબારનું શુદ્ધ કોપરેલ તેલ દુનિયાભરમાં ધૂમ મચાવશે અને તેમાં સૌથી મોટું યોગદાન આંદામાન-નિકોબારના મહિલા સ્વસહાય જૂથનું હશે.
મારા વ્હાલા દેશવાસીઓ, પળવાર માટે તમે એક દ્રશ્યની કલ્પના કરો- કોલકાતામાં જાન્યુઆરીનો સમય છે. બીજું વિશ્વયુદ્ધ તેની ચરમસીમાએ છે. અને અહિં ભારતમાં અંગ્રેજો વિરૂદ્ધ ગુસ્સો વધી રહ્યો છે. તેના લીધે શહેરમાં ગલીએ ગલીએ પોલીસવાળા તહેનાત કરાયા છે. કોલકાતાની વચ્ચોવચ્ચ એક ઘરની આજુબાજુ પોલીસની હાજરી વધુ ચોક્કસ છે. એ વચ્ચે લાંબો ભૂરો ડગલો, પેન્ટ અને કાળી ટોપી પહેરેલી એક વ્યક્તિ રાતના અંધારામાં એક બંગલામાંથી કાર લઇને બહાર નીકળે છે. કડક ચોકી પહેરાવાળી ચોકીઓ વટાવતાં તે વ્યક્તિ એક રેલવે સ્ટેશન ‘ગોમો’ પહોંચી જાય છે. આ સ્ટેશન અત્યારે ઝારખંડમાં છે. ત્યાંથી એક ટ્રેન પકડીને તે વ્યક્તિ આગળ જવા નીકળે છે. ત્યારબાદ અફઘાનિસ્તાન થઇને તે યુરોપ જઇ પહોંચે છે. અને આ બધું અંગ્રેજી હકુમતની અભેદ્ય કિલ્લાબંધી છતાં બને છે.
સાથીઓ, આ વાર્તા તમને કોઇ ફિલ્મી દ્રશ્ય જેવી લાગતી હશે. તમને થતું હશે આટલી હિંમત બતાવનારી વ્યક્તિ આખરે કઇ માટીની બનેલી હશે. હકીકતમાં આ વ્યક્તિ કોઇ બીજું નહિં, પરંતુ આપણા દેશની મહાન વિભૂતિ નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા. 23 જાન્યુઆરી, એટલે કે, તેમની જન્મજયંતિને હવે આપણે પરાક્રમ દિવસના રૂપમાં મનાવીએ છીએ. તેમના શૌર્ય સાથે જોડાયેલી આ કહાનીમાં તેમના પરાક્રમની ઝલક જોવા મળે છે. થોડા વરસ પહેલાં હું તેમના એ જ ઘરમાં ગયો હતો. જ્યાંથી તેઓ અંગ્રેજોને થાપ આપીને નીકળ્યા હતા. તેમની એ કાર આજે પણ ત્યાં મોજૂદ છે. એ અનુભવ મારા માટે ખૂબ જ વિશેષ રહ્યો. સુભાષ બાબુ એક દિર્ધદ્રષ્ટા હતા. સાહસ તો તેમના સ્વભાવમાં વણાઇ ગયું હતું. એટલું જ નહિં, તેઓ બહુ કુશળ પ્રશાસક પણ હતા. માત્ર 27 વર્ષની ઉંમરમાં તેઓ કોલકાતા કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર બન્યા અને ત્યારબાદ તેમણે મેયરની જવાબદારી પણ સંભાળી હતી. એક પ્રશાસકના રૂપમાં પણ તેમણે અનેક મહાન કાર્યો કર્યા. બાળકો માટે સ્કૂલ, ગરીબ બાળકો માટે દૂધની વ્યવસ્થા અને સ્વચ્છતા સાથે જોડાયેલા તેમના પ્રયાસોને આજે પણ યાદ કરવામાં આવે છે. નેતાજી સુભાષનો રેડીયો સાથે પણ ખૂબ ગાઢ નાતો રહ્યો છે. તેમણે આઝાદ હિંદ રેડિયોની સ્થાપના કરી હતી. જેના પર તેમને સાંભળવા માટે લોકો આતુરતાથી પ્રતિક્ષા કરતા હતા. તેમના સંબોધનોથી વિદેશી શાસન વિરૂદ્ધની લડાઇમાં એક નવી તાકાત મળતી હતી. આઝાદ હિંદ રેડિયો ઉપર અંગ્રેજી, હિન્દી, તમિળ, બાંગ્લા, મરાઠી, પંજાબી, પશ્તો અને ઉર્દુમાં સમાચાર બુલેટીનનું પ્રસારણ થતું હતું. હું નેતાજી સુભાષચંદ્ર બોઝને વંદન કરૂં છું. દેશભરના યુવાઓને મારો આગ્રહ છે કે, તેઓ નેતાજી વિશે વધુમાં વધુ વાંચન કરે અને તેમના જીવનમાંથી સતત પ્રેરણા મેળવે.
સાથીઓ, મન કી બાતનો આ કાર્યક્રમ દર વખતે મને રાષ્ટ્રના સામૂહિક પ્રયાસો સાથે, આપ સૌની સામૂહિક ઇચ્છાશક્તિ સાથે જોડે છે. દર મહિને મને બહુ મોટી સંખ્યામાં આપના સૂચનો, આપના વિચાર મળે છે અને દર વખતે આ વિચારોને જોઇને વિકસિત ભારતના સંકલ્પો વિશે મારો વિશ્વાસ સતત વધે છે. આપ સૌ આ રીતે પોતપોતાના કામથી ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે પ્રયાસ કરતા રહો. આ વખતની મન કી બાતમાં હાલ આટલું જ. આવતા મહિને ફરી મળીશું, ભારતવાસીઓની ઉપલબ્ધિઓ, સંકલ્પો અને સિદ્ધિઓની નવી ગાથાઓની સાથે. ખૂબ ખૂબ ધન્યાવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2025 બસ હવે તો આવી જ ગયું છે, દરવાજે ટકોરા મારી જ રહ્યું છે. 2025માં 26 જાન્યુઆરીએ આપણા બંધારણને લાગુ થવાનાં 75 વર્ષ થવા જઈ રહ્યાં છે. આપણા બધા માટે ખૂબ જ ગૌરવની વાત છે. આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણને જે બંધારણ સોંપ્યું છે તે સમયની દરેક કસોટી પર ખરું ઉતર્યું છે. બંધારણ આપણા માટે માર્ગદર્શક પ્રકાશ છે, આપણું માર્ગદર્શક છે. ભારતના બંધારણના કારણે જ હું આજે અહીં છું, તમારી સાથે વાત કરી રહ્યો છું. આ વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસથી એક વર્ષ ચાલનારી અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. દેશના નાગરિકોને બંધારણના વારસા સાથે જોડવા માટે constitution75.com નામથી એક વિશેષ વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. તેમાં તમે બંધારણની પ્રસ્તાવના વાંચીને તમારો વીડિયો અપલૉડ કરી શકો છો. અલગ-અલગ ભાષાઓમાં બંધારણ વાંચી શકો છો, બંધારણ વિશે પ્રશ્ન પણ પૂછી શકો છો. ‘મન કી બાત’ના શ્રોતાઓને, શાળામાં ભણનારાં બાળકોને, કૉલેજમાં જનારા યુવાનોને, મારો અનુરોધ છે કે આ વેબસાઇટ પર જરૂર જઈને જુઓ, તેનો હિસ્સો બનો.
સાથીઓ, આગામી મહિને 13 તારીખે પ્રયાગરાજમાં મહાકુંભ પણ થવા જઈ રહ્યો છે. આ સમયે ત્યાં સંગમ તટ પર જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. મને યાદ છે, હમણાં કેટલાક દિવસો પહેલાં જ્યારે હું પ્રયાગરાજ ગયો હતો તો હેલિકૉપ્ટરથી પૂરું કુંભ ક્ષેત્ર જોઈને મન પ્રસન્ન થઈ ગયું હતું. કેટલું વિશાળ ! કેટલું સુંદર ! કેટલી ભવ્યતા !
સાથીઓ, મહાકુંભની વિશેષતા કેવળ તેની વિશાળતામાં જ નથી. કુંભની વિશેષતા તેની વિવિધતામાં પણ છે. આ આયોજનમાં કરોડો લોકો એકત્રિત થાય છે. લાખો સંતો, હજારો પરંપરાઓ, સેંકડો સંપ્રદાય, અનેક અખાડાઓ, દરેક આ આયોજનનો હિસ્સો બને છે. ક્યાંય કોઈ ભેદભાવ દેખાતો નથી, કોઈ મોટું નથી હોતું, કોઈ નાનું નથી હોતું. અનેકતામાં એકતાનું આવું દૃશ્ય વિશ્વમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. આથી જ આપણો કુંભ એકતાનો મહા કુંભ પણ હોય છે. આ વખતનો મહા કુંભ પણ એકતાના મહા કુંભના મંત્રને સશક્ત કરશે. હું તમને બધાને કહીશ, જ્યારે આપણે કુંભમાં સહભાગી થઈએ તો એકતાના આ સંકલ્પને પોતાની સાથે લઈને પાછા જઈએ. આપણે સમાજમાં વિભાજન અને વિદ્વેષના ભાવને નષ્ટ કરવાનો સંકલ્પ પણ લઈએ. જો ઓછા શબ્દોમાં મારે કહેવું હોય તો હું કહીશ...
મહાકુંભ કા સંદેશ,
એક હો પૂરા દેશ...
અને જો બીજી રીતે કહેવું હોય તો કહીશ...
ગંગા કી અવિરલ ધારા,
ન બાંટે સમાજ હમારા...
સાથીઓ, આ વખતે પ્રયાગરાજમાં દેશ અને દુનિયાના શ્રદ્ધાળુ ડિજિટલ મહાકુંભના સાક્ષી પણ બનશે. ડિજિટલ નેવિગેશનની મદદથી તમને અલગ-અલગ ઘાટ, મંદિર, સાધુઓના અખાડા સુધી પહોંચવાનો રસ્તો મળશે. આ નેવિગેશન પ્રણાલિ તમને પાર્કિંગ સુધી પહોંચવામાં પણ મદદ કરશે. પહેલી વાર કુંભના આયોજમાં AI ચેટબોટનો પ્રયોગ થશે. AI ચેટબોટના માધ્યમથી 11 ભારતીય ભાષાઓમાં કુંભ સાથે જોડાયેલી દરેક પ્રકારની જાણકારી પણ મેળવી શકાશે. આ ચેટબોટથી કોઈ પણ લખાણ લખીને કે બોલીને કોઈ પણ પ્રકારની મદદ માગી શકે છે. સમગ્ર મેળા ક્ષેત્રને એઆઈથી સંચાલિત કેમેરાથી આવરી લેવામાં આવી રહ્યું છે. કુંભમાં જો કોઈ પોતાના પરિચિતથી વિખૂટો પડી જશે તો આ કેમેરાથી તેમને શોધવામાં પણ મદદ મળશે. શ્રદ્ધાળુઓને ડિજિટલ ખોયા-પાયા કેન્દ્રની સુવિધા પણ મળશે. શ્રદ્ધાળુઓને મોબાઇલ પર સરકાર માન્ય ટૂર પેકેજ, ઉતારાની જગ્યા અને ઘરમાં ઉતારા વિશે પણ જાણકારી આપવામાં આવશે. તમે પણ મહાકુંભમાં જાવ તો આ સુવિધાઓનો લાભ ઉઠાવો અને હા, #EktaKaMahakumbhની સાથે પોતાની સેલ્ફી અવશ્ય અપલૉડ કરજો.
સાથીઓ, 'મન કી બાત' અર્થાત MKBમાં હવે વાત KTBની, જે વડીલો-વૃદ્ધો છે, તેમનામાંથી, ઘણા બધા લોકોને KTB વિશે જાણકારી નહીં હોય. પરંતુ જરા બાળકોને પૂછો. KTB તેમની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. KTB અર્થાત કૃષ, તૃષ ઔર બાલ્ટીબૉય. તમને કદાચ ખબર હશે કે બાળકોની મનગમતી એનિમેશન શ્રેણી અને તેનું નામ છે KTB- ભારત હૈ હમ અને તેની બીજી સીઝન પણ આવી ગઈ છે. આ ત્રણ એનિમેશન પાત્રો આપણને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના તે નાયક-નાયિકાઓ વિશે જણાવે છે જેની બહુ ચર્ચા થતી નથી. તાજેતરમાં તેની સીઝન-2 ખૂબ જ વિશેષ અંદાજમાં ગોવામાં ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં રજૂ કરાઈ હતી. સૌથી શાનદાર વાત એ છે કે આ શ્રેણી ભારતની અનેક ભાષાઓમાં જ નહીં, પરંતુ વિદેશી ભાષાઓમાં પણ પ્રસારિત થાય છે. તેને દૂરદર્શનની સાથેસાથે અન્ય ઑટીટી મંચ પર પણ જોઈ શકાય છે.
સાથીઓ, આપણી એનિમેશન ફિલ્મોની, રેગ્યુલર ફિલ્મોની, ટીવી ધારાવાહિકોની લોકપ્રિયતા બતાવે છે કે ભારતના સર્જનાત્મક ઉદ્યોગમાં કેટલી ક્ષમતા છે. આ ઉદ્યોગ દેશની પ્રગતિમાં તો મોટું યોગદાન આપી જ રહ્યો છે, પરંતુ આપણા અર્થતંત્રને પણ નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યો છે. આપણો ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ ખૂબ જ વિશાળ છે. દેશની અનેક ભાષાઓમાં ફિલ્મો બને છે, ક્રિએટિવ કન્ટેન્ટ બને છે. હું આપણા ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગને એટલા માટે પણ અભિનંદન આપું છું કારણકે તેણે 'એક ભારત - શ્રેષ્ઠ ભારત'ના ભાવને સશક્ત કર્યું છે.
સાથીઓ, વર્ષ 2024માં આપણે ફિલ્મ જગતની અનેક મહાન હસ્તીઓની 100મી જયંતી મનાવી રહ્યા છીએ. આ વિભૂતિઓએ ભારતીય સિનેમાને વિશ્વ સ્તર પર ઓળખ અપાવી છે. રાજ કપૂરજીએ ફિલ્મોના માધ્યમથી દુનિયાને ભારતના સૉફ્ટ પાવરથી પરિચિત કરાવ્યું. રફી સાહેબના અવાજમાં જે જાદૂ હતો તે દરેકના હૈયાને સ્પર્શી જતો હતો. તેમનો અવાજ અદ્ભુત હતો. ભક્તિ ગીત હોય કે રૉમેન્ટિક ગીત, દર્દભર્યાં ગીતો હોય, દરેક ભાવનાને તેમણે પોતાના અવાજથી જીવંત કરી દીધી. એક કલાકારના રૂપમાં તેમની મહાનતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજની યુવા પેઢી પણ તેમનાં ગીતોને એટલી જ તલ્લીનતાથી સાંભળે છે- આ જ તો છે શાશ્વત કળાની ઓળખ. અક્કિનેની નાગેશ્વર રાવ ગારુએ તેલુગુ સિનેમાને નવી ઊંચાઈ સુધી પહોંચાડ્યું છે. તેમની ફિલ્મોએ ભારતીય પરંપરાઓ અને મૂલ્યોને સરસ રીતે પ્રસ્તુત કર્યાં. તપન સિંહાજીની ફિલ્મોએ સમાજને એક નવી દૃષ્ટિ આપી. તેમની ફિલ્મોમાં સામાજિક ચેતના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ રહેતો હતો. આપણા પૂરા ફિલ્મોદ્યોગ માટે આ હસ્તીઓનું જીવન પ્રેરણા જેવું છે.
સાથીઓ, હું તમને બીજી એક ખુશખબર આપવા માગું છું. ભારતની સર્જનાત્મક પ્રતિભાને દુનિયા સામે રાખવાનો એક ખૂબ જ મોટો અવસર આવી રહ્યો છે. આગામી વર્ષે આપણા દેશમાં પહેલી વાર વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ એન્ટરટેઇનમેન્ટ સમિટ અર્થાત WAVES શિખર પરિષદનું આયોજન થવાનું છે. તમે બધાએ દાવોસ વિશે તો સાંભળ્યું હશે જ્યાં દુનિયાના આર્થિક ક્ષેત્રના મહારથીઓ ભેગા થાય છે. આ જ રીતે વેવ્સ સમિટમાં દુનિયા ભરના મીડિયા અને મનોરંજન જગતના દિગ્ગજો, સર્જનાત્મક વિશ્વના લોકો ભારત આવશે. આ શિખર પરિષદ ભારતને વૈશ્વિક સામગ્રી સર્જનનું કેન્દ્ર બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ ડગ છે. મને એ જણાવતાં ગર્વ થાય છે કે આ શિખર પરિષદની તૈયારીમાં આપણા દેશના યુવા સર્જકો પણ પૂરા જુસ્સા સાથે જોડાઈ રહ્યા છે. જ્યારે આપણે પાંચ ટ્રિલિયન ડૉલર અર્થતંત્રની તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણું સર્જનાત્મક અર્થતંત્ર એક નવી ઊર્જા લાવી રહી છે. હું ભારતના પૂરા મનોરંજન અને સર્જનાત્મક ઉદ્યોગને અનુરોધ કરીશ - ચાહે તમે યુવાન સર્જક હોય કે સ્થાપિત કલાકાર, બૉલિવૂડ સાથે જોડાયેલા હો કે પ્રાદેશિક સિનેમા સાથે, ટીવી ઉદ્યોગના વ્યાવસાયિક હોય કે એનિમેશનના નિષ્ણાત, ગેમિંગ સાથે જોડાયેલા હો કે મનોરંજન ટૅક્નૉલૉજીના શોધક, તમે બધા વેવ્સ સમિટનો હિસ્સો બનો.
મારા પ્રિય દેશવાસીઓ, તમે બધા જાણો છો કે ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ આજે કેવી રીતે દુનિયાના ખૂણેખૂણે ફેલાઈ રહ્યો છે. આજે હું તમને ત્રણ મહા દ્વીપોના એવા પ્રયાસો વિશે જણાવીશ જે આપણી સાંસ્કૃતિક વિરાસતના વૈશ્વિક વિસ્તારના સાક્ષી છે. આ બધા એકબીજાથી માઇલો દૂર છે. પરંતુ ભારતને જાણવા અને આપણી સંસ્કૃતિ પાસેથી શીખવાની તેમની ધગશ એક સરખી છે.
સાથીઓ, ચિત્રકામનો સંસાર જેટલો રંગોથી ભરાયેલો હોય છે, તેટલો જ સુંદર હોય છે. તમારમાંથી જે લોકો ટીવીના માધ્યમથી 'મન કી બાત' સાથે જોડાયેલા છો, તેઓ અત્યારે કેટલાંક ચિત્રો ટીવી પર જોઈ શકે છે. આ ચિત્રોમાં આપણાં દેવી-દેવતા, નૃત્યની કળાઓ અને મહાન વિભૂતિઓને જોઈને તમને ઘણું સારું લાગશે. તેમાં તમને ભારતમાં મળી આવતાં જીવ-જંતુઓથી માંડીને બીજું પણ ઘણું બધું જોવા મળશે. તેમાં તાજમહલનું એક શાનદાર ચિત્ર પણ છે, જેને 13 વર્ષની એક બાળકીએ બનાવ્યું છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ દિવ્યાંગ બાળકીએ પોતાના મોઢાની મદદથી આ ચિત્ર બનાવ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ચિત્રકામને બનાવનારા ભારતના નહીં પણ ઇજિપ્તના વિદ્યાર્થીઓ છે. કેટલાંક અઠવાડિયાં પહેલાં ઇજિપ્તના લગભગ 23 હજાર વિદ્યાર્થીઓએ એક ચિત્રકામ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યાં તેમને ભારતની સંસ્કૃતિ અને બંને દેશોના ઐતિહાસિક સંબંધોને બતાવનારાં ચિત્રો બનાવવાનાં હતાં. હું આ સ્પર્ધામાં ભાગ લેનારા બધા યુવાનોની પ્રશંસા કરું છું. તેમની સર્જનાત્મકતાની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે.
સાથીઓ, દક્ષિણ અમેરિકાનો એક દેશ છે - પરાગ્વે. ત્યાં રહેનારા ભારતીયોની સંખ્યા એક હજારથી વધુ નહીં હોય. પરાગ્વેમાં એક અદ્ભુત પ્રયાસ થઈ રહ્યો છે. ત્યાં ભારતીય દૂતાવાસમાં એરિકા હ્યુબર આયુર્વેદની સલાહ નિઃશુલ્ક આપે છે. આયુર્વેદની સલાહ લેવા માટે આજે તેમની પાસે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. એરિકા હ્યુબરે ભલે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોય, પરંતુ તેમનું મન તો આયુર્વેદમાં જ વસે છે. તેમણે આયુર્વેદ સાથે જોડાયેલા કૉર્સ કર્યા હતા અને સમયની સાથે તેઓ તેમાં પારંગત થતાં ગયાં.
સાથીઓ, એ આપણા માટે બહુ ગર્વની વાત છે કે દુનિયાની સૌથી પ્રાચીન ભાષા તમિળ છે અને દરેક હિન્દુસ્તાનીને તેનો ગર્વ છે. દુનિયાભરના દેશોમાં તેને શીખનારાઓની સંખ્યા સતત વધી રહી છે. ગત મહિનાના અંતમાં ફિજીમાં ભારત સરકારના સહયોગથી તમિલ ટીચિંગ પ્રોગ્રામ શરૂ થયો. વિતેલાં 80 વર્ષોમાં આ પહેલો અવસર છે જ્યારે ફિજીમાં તમિલના પ્રશિક્ષિત શિક્ષકો આ ભાષા શીખવાડી રહ્યા છે. મને એ જાણીને સારું લાગ્યું કે આજે ફિજીમાં વિદ્યાર્થીઓ તમિળ ભાષા અને સંસ્કૃતિને શીખવામાં ઘણો રસ લઈ રહ્યા છે.
સાથીઓ, આ વાતો, આ ઘટનાઓ, માત્ર સફળતાની વાર્તાઓ નથી. તે આપણા સાંસ્કૃતિક વારસાની પણ ગાથાઓ છે. આ ઉદાહરણ આપણને ગર્વથી ભરી દે છે. કળાથી આયુર્વેદ સુધી અને ભાષાથી લઈને સંગીત સુધી, ભારતમાં એટલું બધું છે જે દુનિયામાં છવાઈ રહ્યું છે.
સાથીઓ, ઠંડીની આ ઋતુમાં દેશભરમાં રમતો અને ફિટનેસ સંદર્ભે અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. મને આનંદ છે કે લોકો ફિટનેસને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવી રહ્યા છે. કાશ્મીરમાં Skiingથી લઈને ગુજરાતમાં પતંગબાજી સુધી, બધી જગ્યાએ, રમત અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. #SundayOnCycle અને #CyclingTuesday જેવાં અભિયાનોથી સાઇકલ ચલાવવાને પ્રોત્સાહન મળી રહ્યું છે.
સાથીઓ, હવે હું તમને એક એવી અનોખી વાત કરવા ઇચ્છું છું જે આપણા દેશમાં થઈ રહેલાં પરિવર્તન અને યુવા સાથીઓના જુસ્સા તેમજ ધગશનું પ્રતીક છે. શું તમે જાણો છો કે આપણા બસ્તરમાં એક અનોખી ઑલિમ્પિક શરૂ થઈ છે? જી હા, પહેલી વાર બસ્તર ઑલિમ્પિકથી બસ્તરમાં એક નવી ક્રાંતિ જન્મ લઈ રહી છે. મારા માટે એ ખૂબ જ ખુશીની વાત છે કે બસ્તર ઑલિમ્પિકનું સપનું સાકાર થયું છે. તમને પણ એ જાણીને સારું લાગશે કે તે એવા ક્ષેત્રમાં થઈ રહી છે જે ક્યારેક માઓવાદી હિંસાનું સાક્ષી રહ્યું છે. બસ્તર ઑલિમ્પિકનો શુભંકર છે- 'વન પાડો' અને 'પહાડી મેના'. તેમાં બસ્તરની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. આ બસ્તર ખેલ મહાકુંભનો મૂળ મંત્ર છે-
‘करसाय ता बस्तर बरसाए ता बस्तर’
અર્થાત ‘ખેલેગા બસ્તર – જીતેગા બસ્તર’ |
પહેલી જ વારમાં બસ્તર ઑલિમ્પિકમાં સાત જિલ્લાના એક લાખ 65 હજાર ખેલાડીઓએ ભાગ લીધો છે. આ માત્ર એક આંકડો જ નથી- આ આપણા યુવાનોના સંકલ્પની ગૌરવ ગાથા છે. એથ્લેટિક્સ, તીરંદાજી, બૅડમિન્ટન, ફૂટબૉલ, હૉકી, વેઇટલિફ્ટિંગ, કરાટે, કબડ્ડી, ખો-ખો અને વૉલિબૉલ- દરેક રમતમાં આપણા યુવાનોએ પોતાની પ્રતિભાનો ધ્વજ લહેરાવ્યો છે. કારી કશ્યપજીની વાત મને ખૂબ જ પ્રેરિત કરે છે. એક નાના ગામથી આવતી કારીજીએ તીરંદાજીમાં રજત ચંદ્રક જીત્યો છે. તેઓ કહે છે- "બસ્તર ઑલિમ્પિકે આપણને માત્ર રમતનું મેદાન જ નહીં, જીવનમાં આગળ વધવાનો અવસર આપ્યો છે." સુકમાની પાયલ કવાસીજીની વાત પણ ઓછી પ્રેરણાદાયક નથી. ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનારી પાયલજી કહે છે, "અનુશાસન અને આકરી મહેનતથી કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી." સુકમાના દોરનાપાલના પુનેમ સન્નાજીની વાત તો નવા ભારતની પ્રેરક કથા છે. એક સમયે નક્સલી પ્રભાવમાં આવેલા પુનેમજી આજે વ્હીલચૅર પર દોડીને ચંદ્રક જીતી રહ્યા છે. તેમનું સાહસ અને હિંમત દરેક માટે પ્રેરણા છે. કોડાગાંવના તીરંદાજ રંજૂ સોરીજીને 'બસ્તર યૂથ આઈકૉન' ચૂંટવામાં આવ્યા છે. તેમનું માનવું છે - બસ્તર ઑલિમ્પિક દૂરદૂરના યુવાનોને રાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાનો અવસર આપી રહી છે.
સાથીઓ, બસ્તર ઑલિમ્પિક માત્ર એક રમત આયોજન નથી. તે એક એવો મંચ છે જ્યાં વિકાસ અને રમતનો સંગમ થઈ રહ્યો છે. જ્યાં આપણા યુવાનો પોતાની પ્રતિભાને નિખારી રહ્યા છે અને એક નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે. હું તમને બધાને અનુરોધ કરું છું:
યાદ રાખો ખેલથી ન માત્ર શારીરિક વિકાસ થાય છે, પરંતુ તે ખેલદિલીથી સમાજને જોડવાનું પણ સશક્ત માધ્યમ છે. તો ખૂબ રમો- ખૂબ ખિલો.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતની બે મોટી ઉપલબ્ધિઓ આજે વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. તે સાંભળીને તમે પણ ગર્વ અનુભવશો. આ બંને સફળતાઓ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં મળી છે. પહેલી ઉપલબ્ધિ મળી છે - મેલેરિયાની લડાઈમાં. મેલેરિયાની બીમારી ચાર હજાર વર્ષોથી માનવતા માટે એક મોટો પડકાર રહી છે. સ્વતંત્રતાના સમયે પણ આ આપણા સૌથી મોટા સ્વાસ્થ્ય પડકારોમાંનો એક હતી. એક મહિનાથી લઈને પાંચ વર્ષનાં બાળકોના પ્રાણ લેનારી બધી સંક્રામક બીમારીઓમાં મેલેરિયાનું ત્રીજું સ્થાન છે. આજે હું સંતોષથી કહી શકું છું કે દેશવાસીઓએ મળીને આ પડકારનો દૃઢતાથી સામનો કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન- WHOનો રિપૉર્ટ કહે છે- "ભારતમાં વર્ષ 2015થી 2023ની વચ્ચે મેલેરિયાના મામલા અને તેનાથી થનારાં મૃત્યુમાં 80 ટકાનો ઘટાડો થયો છે." આ કોઈ નાની ઉપલબ્ધિ નથી. સૌથી સુખદ વાત એ છે કે આ સફળતા જન-જનની ભાગીદારીથી મળી છે. ભારતના ખૂણેખૂણાથી, દરેક જિલ્લાથી, દરેક જણ આ અભિયાનનો હિસ્સો બન્યું છે. આસામમાં જોરહાટના ચાના બગીચામાં મેલેરિયા ચાર વર્ષ પહેલાં સુધી લોકોની ચિંતાનું એક મોટું કારણ બનેલી હતી. પરંતુ જ્યારે તેના ઉન્મૂલન માટે ચાના બગીચામાં રહેનારાઓ એકસંપ થયા તો તેમાં ઘણી સીમા સુધી સફળતા મળવા લાગી. પોતાના આ પ્રયાસમાં તેમણે ટૅક્નૉલૉજી સાથે-સાથે સૉશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે. આ જ રીતે હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાએ મેલેરિયા પર નિયંત્રણ માટે બહુ સારું મૉડલ પ્રસ્તુત કર્યું. ત્યાં મેલેરિયા પર નિરીક્ષણ માટે જનભાગીદારી ઘણી સફળ રહી છે. નુક્કડ નાટક અને રેડિયો દ્વારા એવા સંદેશાઓ પર ભાર મૂકવામાં આવ્યો જેનાથી મચ્છરોના સંવર્ધનને ઓછું કરવામાં ઘણી સહાય મળી છે. દેશભરમાં આવા પ્રયાસોથી જ આપણે મેલેરિયા સામેની લડાઈને પહેલાં કરતાં વધુ ઝડપથી આગળ વધારી શક્યા છીએ.
સાથીઓ, આપણી જાગૃતિ અને સંકલ્પ શક્તિથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ તેનું બીજું ઉદાહરણ છે કેન્સર સામેની લડાઈ. દુનિયાની પ્રસિદ્ધ મેડિકલ જર્નલ લાન્સેટનો અભ્યાસ ખરેખર ઘણો જ આશા વધારનારો છે. આ જર્નલ મુજબ, હવે ભારતમાં સમય પર કેન્સરનો ઉપચાર શરૂ થવાની સંભાવના ઘણી વધી ગઈ છે. સમય પર ઉપચારનો અર્થ છે - કેન્સરના દર્દીની સારવાર 30 દિવસોની અંદર જ શરૂ થઈ જવી અને તેમાં મોટી ભૂમિકા નિભાવી છે - 'આયુષ્માન ભારત યોજના'એ. આ યોજનાના કારણે કેન્સરના 90 ટકા દર્દીઓ સમય પર પોતાનો ઉપચાર શરૂ કરાવી શક્યા છે. આવું એટલા માટે થયું છે કારણકે અગાઉ પૈસાના અભાવના લીધે ગરીબ દર્દીઓ કેન્સરની તપાસમાં, તેના ઉપચારથી કતરાતા હતા. હવે 'આયુષ્માન ભારત યોજના' તેમના માટે મોટું બળ બની છે. હવે તેઓ આગળ વધીને પોતાનો ઉપચાર કરાવવા માટે આવી રહ્યા છે. 'આયુષ્માન ભારત યોજના'એ કેન્સરના ઉપચારમાં આવતી પૈસાની પરેશાનીને ઘણી હદ સુધી ઓછી કરી છે. એ પણ સારી વાત છે કે આજે સમય પર, કેન્સરના ઉપચાર અંગે, લોકો પહેલાં કરતાં વધુ જાગૃત થયા છે. આ ઉપલબ્ધિ જેટલી આપણા આરોગ્ય તંત્રની છે, ડૉક્ટરો, નર્સો અને ટૅક્નિકલ સ્ટાફની છે, તેટલી જ, તમારી- બધા મારા નાગરિક ભાઈઓ-બહેનોની પણ છે. બધાના પ્રયાસથી કેન્સરને હરાવવાનો સંકલ્પ વધુ મજબૂત થયો છે. આ સફળતાનો યશ એ બધાને મળે છે જેમણે જાગૃતિ ફેલાવવામાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
કેન્સર સામે લડાઈનો એક જ મંત્ર છે- જાગરુકતા, કાર્યવાહી અને આશ્વાસન. જાગરુકતા એટલે કેન્સર અને તેનાં લક્ષણો પ્રત્યે જાગૃતિ, એક્શન (કાર્યવાહી) અર્થાત સમય પર તપાસ અને ઉપચાર, આશ્વાસન એટલે દર્દીઓ માટે દરેક મદદ ઉપલબ્ધ હોવાનો વિશ્વાસ. આવો, આપણે બધા મળીને કેન્સર વિરુદ્ધની આ લડાઈને ઝડપથી આગળ લઈ જઈએ અને વધુમાં વધુ દર્દીઓની મદદ કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, આજે હું તમને ઓડિશાના કાલાહાંડીના એક એવા પ્રયાસની વાત જણાવવા માગું છું, જે ઓછા પાણી અને ઓછાં સંસાધનો છતાં સફળતાની નવી ગાથા લખી રહ્યો છે. તે છે કાલાહાંડીની 'શાકભાજી ક્રાંતિ'. જ્યાં, ક્યારેક ખેડૂતો સ્થળાંતર કરવા માટે વિવશ હતા, ત્યાં આજે કાલાહાંડીનો ગોલામુંડા બ્લૉક એક શાકભાજી કેન્દ્ર બની ગયો છે. આ પરિવર્તન કેવી રીતે આવ્યું? તેની શરૂઆત માત્ર દસ ખેડૂતોના એક નાના સમૂહથી થઈ. આ સમૂહે મળીને એક એફપીઓ- 'કિસાન ઉત્પાદક સંઘ'ની સ્થાપના કરી, ખેતીમાં આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ શરૂ કર્યો અને આજે તેમનો આ એફપીઓ કરોડોનો વેપાર કરી રહ્યો છે. આજે ૨૦૦થી વધુ ખેડૂતો આ એફપીઓ સાથે જોડાયેલા છે, જેમાં ૪૫ મહિલા ખેડૂતો પણ છે. આ લોકો મળીને 200 એકરમાં ટમેટાંની ખેતી કરી રહ્યાં છે, 150 એકરમાં કારેલાંનું ઉત્પાદન કરી રહ્યાં છે. હવે આ એફપીઓનું વર્ષનું ટર્નઑવર વધીને દોઢ કરોડથી વધુ થઈ ગયું છે. આજે કાલાહાંડાની શાકભાજી ઓડિશાના વિભિન્ન જિલ્લાઓમાં જ નહીં, બીજા રાજ્યોમાં પણ પહોંચી રહી છે અને ત્યાંનો ખેડૂત, હવે બટેટાં અને ડુંગળીની ખેતીની નવી ટૅક્નિક શીખી રહ્યો છે.
સાથીઓ, કાલાહાંડીની આ સફળતા આપણને શીખવાડે છે કે સંકલ્પ શક્તિ અને સામૂહિક પ્રયાસથી શું ન કરી શકાય. હું તમને સહુને આગ્રહ કરું છું કે-
યાદ રાખો- નાની શરૂઆતથી પણ મોટાં પરિવર્તન સંભવ છે. આપણને બસ દૃઢ સંકલ્પ અને ટીમ ભાવનાની આવશ્યકતા છે.
સાથીઓ, આજની 'મન કી બાત'માં આપણે સાંભળ્યું, કેવી રીતે ભારત, વિવિધતામાં એકતા સાથે આગળ વધી રહ્યું છે. તે પછી રમતનું મેદાન હોય કે વિજ્ઞાનનું ક્ષેત્ર, સ્વાસ્થ્ય હોય કે શિક્ષણ, દરેક ક્ષેત્રમાં ભારત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. આપણે એક પરિવારની જેમ મળીને દરેક પડકારનો સામનો કર્યો અને નવી સફળતાઓ પ્રાપ્ત કરી. 2014થી શરૂ થયેલી 'મન કી બાત'ના 116 એપિસૉડમાં મેં જોયું છે કે 'મન કી બાત' દેશની સામૂહિક શક્તિનો એક જીવંત દસ્તાવેજ બની ગયો છે. તમે બધાએ આ કાર્યક્રમને અપનાવ્યો, પોતાનો બનાવ્યો. દરેક મહિને તમે તમારા વિચારો અને પ્રયાસો જણાવ્યા. ક્યારેક કોઈ યુવા શોધકના વિચારને પ્રભાવિત કર્યો તો ક્યારેક કોઈ દીકરીની સિદ્ધિએ ગૌરવાન્વિત કર્યા. આ તમારા બધાની ભાગીદારી છે જે દેશના ખૂણેખૂણેથી સકારાત્મક ઊર્જાને એક સાથે લાવે છે. 'મન કી બાત' આ સકારાત્મક ઊર્જાની અનેક ગણી વૃદ્ધિનો મંચ બની ગયો છે અને હવે, 2025 ટકોરા મારી રહ્યું છે. આવનારા વર્ષમાં 'મન કી બાત'ના માધ્યમથી આપણે હજુ વધુ પ્રેરણાદાયક વિચારોને વહેંચીશું. મને વિશ્વાસ છે કે દેશવાસીઓની સકારાત્મક વિચારસરણી અને શોધની ભાવનાથી ભારત નવી ઊંચાઈઓને સ્પર્શશે. તમે તમારી આસપાસના અનોખા પ્રયાસોને #Mannkibaat સાથે શૅર કરતા રહો. હું જાણું છું કે આગામી વર્ષની દરેક 'મન કી બાત'માં આપણી પાસે એકબીજા સાથે વહેંચવા માટે ઘણું બધું હશે. તમને બધાને 2025ની ઘણી બધી શુભકામનાઓ. સ્વસ્થ રહો, ખુશ રહો, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં તમે પણ જોડાઈ જાવ, પોતાને પણ ફિટ રાખો. જીવનમાં પ્રગતિ કરતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' એટલે દેશના સામૂહિક પ્રયાસોની વાત, દેશની ઉપલબ્ધિઓ વિશે વાત, જન-જનના સામર્થ્યની વાત, 'મન કી બાત' એટલે દેશના યુવાં સપનાંઓ અને દેશના નાગરિકોની આકાંક્ષાઓની વાત. હું આખા મહિના દરમિયાન 'મન કી બાત'ની પ્રતીક્ષા કરું છું, જેથી હું તમારી સાથે સીધો સંવાદ કરી શકું. કેટલા બધા સંદેશાઓ, કેટલા મેસેજ ! મારો પૂરો પ્રયાસ રહે છે કે વધુમાં વધુ સંદેશાઓ વાંચું, તમારાં સૂચનો પર મંથન કરું.
સાથીઓ, આજે ખૂબ જ ખાસ દિવસ છે - આજે NCC દિવસ છે. NCCનું નામ સામે આવતા જ, આપણને સ્કૂલ-કૉલેજના દિવસો યાદ આવી જાય છે. હું પોતે પણ NCCનો કેડેટ રહ્યો છું, આથી પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તેનાથી મળેલો અનુભવ મારા માટે અણમોલ છે. 'NCC' યુવાનોમાં અનુશાસન, નેતૃત્વ અને સેવાની ભાવના ઉત્પન્ન કરે છે. તમે પોતાની આસપાસ જોયું હશે, જ્યારે પણ ક્યાંય કોઈ આપદા આવે છે, પછી તે પૂરની સ્થિતિ હોય, ક્યાંક ભૂકંપ આવ્યો હોય, કોઈ દુર્ઘટના થઈ હોય, ત્યાં મદદ કરવા માટે NCCના કેડેટ અવશ્ય ઉપસ્થિત થઈ જાય છે. આજે દેશમાં NCCને મજબૂત કરવા માટે સતત કામ થઈ રહ્યું છે. 2014માં લગભગ 14 લાખ યુવાનો NCC સાથે જોડાયેલા હતા. હવે 2024માં 20 લાખથી વધુ યુવાનો NCC સાથે જોડાયેલા છે. પહેલાંની સરખામણીએ પાંચ હજાર અને નવી શાળાઓ-કૉલેજોમાં હવે NCCની સુવિધા થઈ ગઈ છે અને સૌથી મોટી વાત, પહેલાં NCCમાં girls cadetsની સંખ્યા લગભગ 25% (ટકા)ની આસપાસ રહેતી હતી. હવે NCCમાં girls cadetsની સંખ્યા લગભગ 40% (ટકા) થઈ ગઈ છે.
સીમા પર રહેનારા યુવાનોને વધુમાં વધુ NCC સાથે જોડવાનું અભિયાન પણ સતત ચાલુ છે. હું યુવાનોને આગ્રહ કરીશ કે વધુમાં વધુ સંખ્યામાં NCC સાથે જોડાવ. તમે જોશો કે તમે કોઈ પણ કારકિર્દીમાં જાવ NCCથી તમારા વ્યક્તિગત નિર્માણમાં ખૂબ જ મદદ મળશે.
સાથીઓ, વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોનો રોલ ખૂબ જ મોટો છે. યુવા મન જ્યારે એકસંપ થઈને દેશની ભવિષ્યની યાત્રા માટે મંથન કરે છે, ચિંતન કરે છે, તો નિશ્ચિત રીતે તેમાંથી નક્કર માર્ગ મળે છે. તમે જાણો છો કે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જયંતી પર દેશ 'યુવા દિવસ' મનાવે છે. આગામી વર્ષે સ્વામી વિવેકાનંદજીની 162મી જયંતી છે. આ વખતે તેને ખૂબ જ વિશેષ રીતે મનાવવામાં આવશે. આ અવસર પર 11-12 જાન્યુઆરીએ દિલ્લીના ભારત મંડપમમાં યુવા વિચારોનો મહા કુંભ આયોજિત થવા જઈ રહ્યો છે અને આ પહેલનું નામ છે 'વિકસિત ભારત Young Leaders Dialogue'. ભારતભરમાંથી કરોડો યુવાનો તેમાં ભાગ લેશે. ગામ, બ્લૉક, જિલ્લા, રાજ્ય અને ત્યાંથી નીકળીને પસંદ કરાયેલા આવા બે હજાર યુવાનો ભારત મંડપમમાં 'વિકસિત ભારત Young Leaders Dialogues' માટે એકત્ર થશે. તમને યાદ હશે, મેં લાલ કિલ્લાની પ્રાચીર પરથી એવા યુવાનોને રાજનીતિમાં આવવાનું આહ્વાન કર્યું છે, જેના પરિવારની કોઈ પણ વ્યક્તિ અને પૂરા પરિવારનું political background નથી, આવા એક લાખ યુવાનોને, નવા યુવાનોને, રાજનીતિ સાથે જોડવા માટે દેશમાં અનેક પ્રકારનાં વિશેષ અભિયાન ચલાવાશે. 'વિકસિત ભારત Young Leaders Dialogue' પણ આવો જ એક પ્રયાસ છે. તેમાં દેશ અને વિદેશથી વિશેષજ્ઞો આવશે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ રહેશે. હું પણ તેમાં વધુમાં વધુ સમય ઉપસ્થિત રહીશ. યુવાનોને સીધા અમારી સામે પોતાના ideas રાખવાનો અવસર મળશે. દેશ આ ideasને આગળ લઈને કેવી રીતે જઈ શકે છે?
કેવી રીતે એક નક્કર રોડમેપ બની શકે છે? તેની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે, તો તમે પણ તૈયાર થઈ જાવ, જે ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાના છે, જે દેશની ભાવિ પેઢી છે, તેમના માટે આ ખૂબ જ મોટો અવસર આવી રહ્યો છે. આવો મળીને દેશ બનાવીએ, દેશને વિકસિત બનાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં, આપણે, ઘણી વાર એવા યુવાનોની ચર્ચા કરીએ છીએ, જે નિઃસ્વાર્થ ભાવથી સમાજ માટે કામ કરી રહ્યા છે. એવા કેટલાય યુવાનો છે જે લોકોની નાની-નાની સમસ્યાઓનું સમાધાન મેળવવામાં લાગેલા છે. આપણે આપણી આસપાસ જોઈશું તો કેટલાય એવા લોકો દેખાય છે, જેમને, કોઈ ને કોઈ પ્રકારની મદદ જોઈએ છે, કોઈ જાણકારી જોઈએ છે. મને એ જાણીને સારું લાગ્યું કે કેટલાક યુવાનોએ સમૂહ બનાવીને આ પ્રકારની વાતને પણ address કરી છે જેમ કે લખનઉના રહેવાસી વીરેન્દ્ર છે, તેઓ વૃદ્ધોને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટના કામમાં મદદ કરે છે. તમે જાણો છો કે નિયમો મુજબ, બધા પેન્શર્સને વર્ષમાં એક વાર લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. 2014 સુધી તેની પ્રક્રિયા એવી હતી કે તેને બૅંકોમાં જઈને વૃદ્ધે પોતે જમા કરાવવું પડતું હતું. તમે કલ્પના કરી શકો છો કે તેનાથી આપણા વૃદ્ધોને કેટલી અસુવિધા થતી હતી. હવે તે વ્યવસ્થા બદલાઈ ચૂકી છે. હવે digital life certificate આપવાથી ચીજો ખૂબ જ સરળ બની ગઈ છે, વૃદ્ધોને બૅંક નથી જવું પડતું. વૃદ્ધોને ટેક્નોલોજીના કારણે કોઈ તકલીફ ન પડે, તેમાં વીરેન્દ્ર જેવા યુવાનોની મોટી ભૂમિકા છે. તેઓ, પોતાના ક્ષેત્રના વૃદ્ધોને તેના વિશે જાગૃત કરતા રહે છે. એટલું જ નહીં, તેઓ વૃદ્ધોને tech savvy પણ બનાવી રહ્યા છે. આવા જ પ્રયાસોથી આજે digital life certificate મેળવનારાઓની સંખ્યા 80 લાખના આંકડાને પાર કરી ગઈ છે.
તેમાંથી બે લાખથી વધુ એવા વૃદ્ધો છે, જેમની વય 80થી પણ વધુ છે. સાથીઓ, અનેક શહેરોમાં યુવાનો વૃદ્ધોને digital ક્રાંતિમાં ભાગીદાર બનાવવા માટે પણ આગળ આવી રહ્યા છે. ભોપાલના મહેશે પોતાની શેરીમાં અનેક વૃદ્ધોને mobileના માધ્યમથી payment કરવાનું શીખવ્યું છે. આ વૃદ્ધો પાસે સ્માર્ટ ફોન તો હતો, પરંતુ, તેનો સાચો ઉપયોગ બતાવનાર કોઈ નહોતું. વૃદ્ધોને ડિજિટલ એરેસ્ટના ભયથી બચાવવા માટે પણ યુવાનો આગળ આવ્યા છે. અમદાવાદના રાજીવ, લોકોને ડિજિટલ એરેસ્ટના ભયથી ચેતવે છે. મેં 'મન કી બાત'ના ગત એપિસોડમાં ડિજિટલ એરેસ્ટની ચર્ચા કરી હતી. આ પ્રકારના અપરાધના વધુમાં વધુ શિકાર વૃદ્ધો જ બને છે. આવામાં આપણી જવાબદારી છે કે આપણે તેમને જાગૃત બનાવીએ અને cyber fraudથી બચાવવામાં મદદ કરીએ. આપણે વારંવાર લોકોને સમજાવવું પડશે કે ડિજિટલ એરેસ્ટ નામથી સરકારમાં કોઈ પણ જોગવાઈ જ નથી - આ હળાહળ જૂઠાણું, લોકોને ફસાવવાનું એક ષડયંત્ર છે. મને આનંદ છે કે આપણા યુવા સાથીઓ આ કામમાં પૂરી સંવેદનશીલતાથી હિસ્સો લઈ રહ્યા છે અને બીજાને પણ પ્રેરિત કરી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજ-કાલ બાળકોના ભણતર માટે અનેક પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે. પ્રયાસ એ જ છે કે આપણાં બાળકોમાં creativity વધુ વધે, પુસ્તકો માટે તેમનામાં પ્રેમ વધુ વધે - કહે પણ છે કે પુસ્તકો માનવનાં સૌથી સારા મિત્ર હોય છે, અને હવે આ મિત્રતાને મજબૂત કરવા માટે,લાઇબ્રેરીથી વધુ સારી જગ્યા બીજી કઈ હોઈ શકે? હું ચેન્નાઈનું એક ઉદાહરણ તમારી સાથે શેર કરવા માગું છું. ત્યાં બાળકો માટે એક એવી લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે, જે ક્રિએટિવિટી અને લર્નિંગનું હબ બની ચૂકી છે. તેને પ્રકૃત અરિવગમ્ના નામથી ઓળખવામાં આવે છે.
આ લાઈબ્રેરીનો વિચાર, ટેક્નોલોજીની દુનિયા સાથે જોડાયેલા શ્રીરામ ગોપાલનની દેણ છે. વિદેશમાં પોતાના કામ દરમિયાન તેઓ લેટેસ્ટ ટેક્નોલોજીની દુનિયા સાથે જોડાયેલા રહ્યા. પરંતુ તેઓ, બાળકોમાં ભણવા અને શીખવાની ટેવ વિકસાવવા વિશે પણ વિચારતા રહ્યા. ભારત પાછા ફરીને તેમણે પ્રકૃત અરિવગમ્ને તૈયાર કર્યું. તેમાં ત્રણ હજારથી વધુ પુસ્તકો છે, જેને વાંચવા માટે બાળકોમાં હોડ લાગી રહે છે. પુસ્તકો સિવાય તે libraryમાં થનારી અનેક પ્રકારની પ્રવૃત્તિ પણ બાળકોને આકર્ષતી રહે છે. સ્ટોરી ટેલિંગ સેસશન હોય, આર્ટ વર્કશોપ હોય, મેમરી ટ્રેનિંગ ક્લાસ, રોબોટિક્સ લેસન કે પછી પબ્લિક સ્પીકિંગ હોય અહીં, દરેક માટે કંઈ ને કંઈ અવશ્ય છે, જે તેમને પસંદ આવે છે.
સાથીઓ, હૈદરાબાદમાં 'ફુડ ફોર થોટ ફાઉન્ડેશન' એ પણ અનેક શાનદાર લાઇબ્રેરી બનાવી છે. તેમનો પણ પ્રયાસ એ જ છે કે બાળકોને વધુમાં વધુ વિષયો પર મહત્ત્વની જાણકારી સાથે વાંચવા માટે પુસ્તકો મળે. બિહારમાં ગોપાલગંજની 'પ્રયોગ લાઇબ્રેરી'ની ચર્ચા તો આસપાસનાં અનેક શહેરોમાં થવા લાગી છે. આ લાઇબ્રેરીથી લગભગ 12 ગામોનાં યુવાનો પુસ્તકો વાંચવાની સુવિધા મળવા લાગી છે, સાથે જ તે, લાઇબ્રેરી ભણતરમાં મદદ કરનારી બીજી આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી રહી છે. કેટલીક લાઇબ્રેરી તો એવી છે, જે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વિદ્યાર્થીઓને ઘણી કામ આવે છે. સમાજને સશક્ત બનાવવામાં આજે લાઇબ્રેરીનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ રહ્યો છે તે જોવું ખરેખર ખૂબ જ સુખદ છે. તમે પણ પુસ્તકો સાથે મિત્રતા વધારો, અને જુઓ, તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે.
મારા પ્રિય દેશવાસીઓ, પરમ દિવસની રાત્રે જ હું દક્ષિણ અમેરિકાના એક દેશ ગુયાનાથી પરત આવ્યો છું. ભારતથી હજારો કિલોમીટર દૂર, ગુયાનામાં પણ એક 'મિનિ ભારત' વસે છે. આજથી લગભગ 180 વર્ષ પહેલાં, ગુયાનામાં ભારતના લોકોને, ખેતરમાં મજૂરી માટે, બીજાં કામો માટે, લઈ જવામાં આવ્યા હતા.
આજે ગુયાનામાં ભારતીય મૂળના લોકો રાજકારણ, વેપાર, શિક્ષણ અને સંસ્કૃતિના દરેક ક્ષેત્રમાં ગુયાનાનું નેતૃત્વ કરી રહ્યા છે. ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. ઇરફાન અલી પણ ભારતીય મૂળના છે, જે, પોતાના ભારતીય વારસા પર ગર્વ કરે છે. જ્યારે હું ગુયાનામાં હતો, ત્યારે, મારા મનમાં એક વિચાર આવ્યો હતો, જે હું 'મન કી બાત'માં તમારી સાથે વ્યક્ત કરી રહ્યો છું. ગુયાનાની જેમ દુનિયાના ડઝનોં દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીય છે. દાયકાઓ પહેલાંની 200-300 વર્ષ પહેલાંની તેમના પૂર્વજોની પોતાની વાતો છે. શું તમે એવી વાતોને શોધી શકો કે ભારતીય પ્રવાસીઓએ કેવી રીતે અલગ-અલગ દેશોમાં પોતાની ઓળખ બનાવી ! કેવી રીતે તેમણે ત્યાંની સ્વતંત્રતાની લડાઈમાં ભાગ લીધો ! કેવી રીતે તેમણે પોતાના ભારતીય વારસાને જીવંત રાખ્યો? હું ઇચ્છું છું કે તમે એવી સાચી વાતો શોધો, અને મારી સાથે શેર કરો તમે આ વાતોને નમો એપ પર કે MyGov પર #IndianDiasporaStoriesની સાથે પણ શેર કરી શકો છો.
સાથીઓ, તમને ઓમાનમાં ચાલી રહેલો એક એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રોજેક્ટ પણ ખૂબ જ રસપ્રદ લાગશે. અનેક ભારતીય પરિવાર અનેક સદીઓથી ઓમાનમાં રહી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના ગુજરાતના કચ્છથી જઈને વસ્યા છે. આ લોકોએ વેપારમાં મહત્ત્વપૂર્ણ link તૈયાર કરી હતી. આજે પણ તેમની પાસે ઓમાની નાગરિકતા છે, પરંતુ ભારતીયતા તેમની રગેરગમાં વસેલી છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ અને નેશનલ આર્ચિવ્સ ઓફ ઈન્ડિયાના સહયોગથી એક ટીમએ આ પરિવારોની ઈતિહાસને પ્રિઝવ કરવાનું કામ શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં હજારો ડૉક્યુમેન્ટ્સ એકત્ર કરવામાં આવ્યા છે.
તેમાં ડાયરી, એકાઉન્ટ બુક, લેજર્સ, લેટર્સ અને ટેલિગ્રામ પણ સમાવિષ્ટ છે. તેમાંથી કેટલાક દસ્તાવેજ તો ઈ. સ. 1838ના પણ છે. આ દસ્તાવેજો, ભાવનાઓથી ભરેલા છે. વર્ષો પહેલાં, જ્યારે તેઓ ઓમાન પહોંચ્યા હતા, તો તેમણે કયા પ્રકારનું જીવન જીવ્યું, કેવી રીતે સુખ-દુ:ખનો સામનો કર્યો, અને, ઓમાનના લોકો સાથે તેમના સંબંધો કેવી રીતે આગળ વધ્યા- આ સર્વ, આ દસ્તાવેજોનો હિસ્સો છે. 'ઓરલ હિસ્ટ્રી પ્રોજેક્ટ' પણ આ મિશનનો એક મહત્ત્વપૂર્ણ આધાર છે. તે મિશનમાં ત્યાંના વરિષ્ઠ લોકોએ પોતાના અનુભવને વહેંચ્યો છે. લોકોએ ત્યાં પોતાની રહેણીકરણી સાથે જોડાયેલી વાતોને વિસ્તારથી જણાવી છે.
સાથીઓ, આવો જ એક 'ઓરલ હિસ્ટ્રી પ્રોજેક્ટ' ભારતમાં પણ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ઇતિહાસપ્રેમી દેશના વિભાજનના કાળખંડમાં પીડિતોના અનુભવોનો સંગ્રહ કરી રહ્યા છે. હવે દેશમાં એવા લોકોની સંખ્યા બહુ ઓછી બચી છે, જેમણે, વિભાજનની વિભીષિકાને જોઈ છે. આવામાં આ પ્રયાસ ઓર વધુ મહત્ત્વપૂર્ણ બની ગયો છે.
સાથીઓ, જે દેશ, જે સ્થાન, પોતાના ઇતિહાસને સાચવીને રાખે છે, તેનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે છે. આ વિચાર સાથે એક પ્રયાસ થયો છે જેમાં ગામોના ઇતિહાસને સાચવીને રાખનારી એક ડિરેક્ટરી બનાવવામાં આવી છે. સમુદ્રી યાત્રાના ભારતના પુરાતન સામર્થ્ય સાથે જોડાયેલા પ્રમાણોને સાચવીને રાખવાનું પણ અભિયાન દેશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં, લોથલમાં, એક બહુ મોટું મ્યૂઝિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે, તેના સિવાય, તમારા ધ્યાનમાં કોઈ મનુ સ્ક્રિપ્ટ હોય, કોઈ ઐતિહાસિક દસ્તાવેજ હોય, કોઈ હસ્તલિખિત પ્રતિ હોય તો તેને પણ તમે નેશનલ આર્ચિવ્સ ઓફ ઈન્ડિયાની મદદથી સાચવી શકો છો.
સાથીઓ, મને સ્લોવાકિયામાં થઈ રહેલા આવા જ એક પ્રયાસ વિશે ખબર પડી છે જે આપણી સંસ્કૃતિને સંરક્ષિત કરવા અને તેને આગળ વધારવા સાથે જોડાયેલો છે. ત્યાં પહેલી વાર સ્લોવાકિયા ભાષામાં આપણાં ઉપનિષદોનો અનુવાદ કરાયો છે. આ પ્રયાસોથી ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવની પણ ખબર પડે છે. આપણા બધા માટે એ ગર્વની વાત છે કે દુનિયાભરમાં એવા કરોડો લોકો છે, જેમના હૃદયમાં, ભારત વસે છે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમારી સાથે દેશની એક એવી ઉપલબ્ધિ વહેંચવા માગું છું જેને સાંભળીને તમને પ્રસન્નતા પણ થશે અને ગૌરવ પણ થશે, અને જો તમે તે નથી કર્યું, તો કદાચ પસ્તાવો પણ થશે. કેટલાક મહિના પહેલાં, આપણે 'એક પેડ માં કે નામ' અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં દેશભરના લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ અભિયાને સો કરોડ વૃક્ષ રોપવાનો મહત્વનો પડાવ પાર કરી લીધો છે. સો કરોડ વૃક્ષ, તે પણ માત્ર પાંચ મહિનાઓમાં - આ આપણા દેશવાસીઓના અથક પ્રયાસોથી જ સંભવ થયું છે. તેની સાથે જોડાયેલી એક બીજી વાત જાણીને તમને ગર્વ થશે. 'એક પેડ માં કે નામ' અભિયાન હવે દુનિયાના બીજા દેશોમાં પણ ફેલાઈ રહ્યું છે. જ્યારે હું ગુયાનામાં હતો, તો ત્યાં પણ, આ અભિયાનનો સાક્ષી બન્યો. ત્યાં મારી સાથે ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. ઇરફાન અલી, તેમની પત્નીનાં માતાજી, અને પરિવારના બાકી સભ્યો, 'એક પેડ માં કે નામ' અભિયાનમાં સમ્મિલિત થયાં.
સાથીઓ, દેશના અલગ-અલગ હિસ્સાઓમાં આ અભિયાન સતત ચાલી રહ્યું છે. મધ્ય પ્રદેશના ઇંદોરમાં 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ, વૃક્ષ લગાવવાનો વિક્રમ થયો છે - અહીં 24 કલાકમાં 12 લાખથી વધુ વૃક્ષ રોપવામાં આવ્યા.
આ અભિયાનના કારણે ઇંદોરના રેવતી હિલ્સનોનો ઉજ્જડ વિસ્તાર, હવે, ગ્રીન ઝોનમાં ફેરવાઈ જશે. રાજસ્થાનના જેસલમેરમાં આ અભિયાન દ્વારા એક અનોખો વિક્રમ બન્યો - અહીં મહિલાઓની એક ટીમે એક કલાકમાં 25 હજાર વૃક્ષો લગાવ્યાં. માતાઓએ માના નામે વૃક્ષ લગાવ્યું અને બીજાઓને પણ પ્રેરિત કર્યા. અહીં એક જ જગ્યા પર પાંચ હજારથી વધુ લોકોએ મળીને વૃક્ષો લગાવ્યાં - તે પણ પોતાની રીતે એક વિક્રમ છે. 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ અનેક સામાજિક સંસ્થાઓ સ્થાનિક આવશ્યકતાઓના હિસાબથી વૃક્ષ લગાવી રહી છે. તેમનો પ્રયાસ છે કે જ્યાં વૃક્ષો રોપવામાં આવે ત્યાં પર્યાવરણને અનુકૂળ પૂરી ઈકો સિસ્ટમ ડેવલપ થાય. તેથી આ સંસ્થાઓ ક્યાંક ઔષધીય છોડ રોપી રહી છે, તો ક્યાંક, પક્ષીઓનો માળો બનાવવા માટે વૃક્ષ લગાવી રહી છે. બિહારમાં 'જીવિકા સેલ્ફ હેલ્પ ગ્રુપ'ની મહિલાઓ 75 લાખ વૃક્ષો લગાવવાનું અભિયાન ચલાવી રહી છે. આ મહિલાઓનું focus ફળવાળાં વૃક્ષો પર છે, જેનાથી આવનારા સમયમાં આવક પણ મેળવી શકાશે.
સાથીઓ, આ અભિયાન સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ પોતાની માતાના નામે વૃક્ષ રોપી શકે છે. જો માતા જીવિત હોય તો તેમને સાથે લઈ જઈને તમે વૃક્ષ રોપી શકો છો, નહીં તો તેમની તસવીર સાથમાં લઈને તમે આ અભિયાનનો હિસ્સો બની શકો છો. વૃક્ષ સાથે તમે તમારી સેલ્ફી પણ mygov.in પર પૉસ્ટ કરી શકો છો. માતા, આપણા બધા માટે જે કરે છે, તેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી ન શકીએ, પરંતુ એક વૃક્ષ માના નામે લગાવીને આપણે તેમની ઉપસ્થિતિને હંમેશ માટે જીવિત કરી શકીએ છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, તમે બધા લોકોએ બાળપણમાં ચકલી કે ચકલીને પોતાના ઘરની છત પર, વૃક્ષ પર ચીં ચીં કરતાં અવશ્ય જોઈ હશે.
ચકલીને તમિલ અને મળયાળમમાં કુરુવી, તેલુગુમાં પિચ્ચુકા અને કન્નડમાં ગુબ્બીના નામે ઓળખવામાં આવે છે. દરેક ભાષા, સંસ્કૃતિમાં ચકલી અંગે કિસ્સા-વાર્તાઓ સંભળાવવામાં આવે છે.
આપણી આસપાસ Biodiversity ને જાળવી રાખવામાં ચકલીનું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે, પરંતુ આજે શહેરોમાં જવલ્લે જ ચકલી જોવામાં આવે છે. વધતા શહેરીકરણના કારણે ચકલી આપણાથી દૂર ચાલી ગઈ છે. આજની પેઢીનાં ઘણાં એવાં બાળકો છે, જેમણે ચકલીને માત્ર તસવીરો કે વિડિયોમાં જોઈ છે. આવાં બાળકોના જીવનમાં આવા પ્રિય પક્ષીના પુનરાગમન માટે કેટલાક અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચેન્નાઈના કુડુગલ ટ્રસ્ટે ચકલીની સંખ્યા વધારવા માટે સ્કૂલનાં બાળકોને પોતાના અભિયાનમાં સમાવિષ્ટ કર્યા છે. સંસ્થાના લોકો સ્કૂલમાં જઈને બાળકોને સમજાવે છે કે ચકલી રોજિંદા જીવનમાં કેટલી મહત્ત્વપૂર્ણ છે. આ સંસ્થાઓ બાળકોને ચકલીઓનો માળો બનાવવાની training આપે છે. તેના માટે સંસ્થાના લોકોએ બાળકોને લાકડાનું એક નાનું ઘર બનાવવાનું શીખવ્યું. તેમાં ચકલીના રહેવા, ખાવાની વ્યવસ્થા કરી. તે એવાં ઘર હોય છે, જેને કોઈ પણ ઈમારતની બહારની દીવાલ પર કે વૃક્ષ પર લગાવી શકાય છે. બાળકોએ આ અભિયાનમાં ઉત્સાહ સાથે હિસ્સો લીધો અને ચકલી માટે મોટી સંખ્યામાં માળા બનાવવાનું શરૂ કરી દીધું. છેલ્લાં ચાર વર્ષમાં સંસ્થાએ ચકલી માટે એવા દસ હજાર માળા તૈયાર કર્યા છે. કૂડુગલ ટ્રસ્ટની આ પહેલથી આસપાસના વિસ્તારોમાં ચકલીની વસતિ વધવાની શરૂ થઈ ગઈ છે. તમે પણ તમારી આસપાસ આવા પ્રયાસ કરશો તો નિશ્ચિત રીતે ચકલી ફરીથી આપણા જીવનનો હિસ્સો બની જશે.
સાથીઓ, કર્ણાટકના મૈસુરૂની એક સંસ્થાએ બાળકો માટે 'Early Bird' નામનું અભિયાન શરૂ કર્યું છે. આ સંસ્થા બાળકોને પક્ષીઓ વિશે જણાવવા માટે ખાસ પ્રકારની library ચલાવે છે. એટલું જ નહીં, બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે જવાબદારીનો ભાવ ઉત્પન્ન કરવા માટે 'નેચર એજ્યુકેશન કિટ' તૈયાર કરવામાં આવી છે. આવી Kitમાં બાળકો માટે સ્ટોરી બુક, ગેમ્સ, એક્ટિવિટી શીટ્સ અને જિગ-શૉ પઝલ છે. આ સંસ્થા શહેરનાં બાળકોને ગામડાંઓમાં લઈને જાય છે અને તેમને પક્ષીઓ વિશે માહિતી આપે છે. આ સંસ્થાના પ્રયાસોના કારણે બાળકો પક્ષીઓની અનેક પ્રજાતિઓને ઓળખવા લાગ્યાં છે. 'મન કી બાત'ના શ્રોતા પણ આ પ્રકારના પ્રયાસથી બાળકોમાં પોતાની આસપાસની પ્રકૃતિને જોવા, સમજવાનો અલગ દૃષ્ટિકોણ વિકસિત કરી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે જોયું હશે, જેવું કોઈ કહે છે કે 'સરકારી કાર્યાલય' તો તમારા મનમાં ફાઇલોના ઢગલાની તસવીર બની જાય છે. તમે ફિલ્મોમાં આવું જ કંઈક જોયું હશે. સરકારી કાર્યાલયોમાં આ ફાઇલોના ઢગલા પર કેટલીય મજાકો બનતી રહે છે, અનેક વાર્તાઓ પણ લખાઈ ચૂકી છે. વર્ષોના વર્ષો સુધી આ ફાઇલો ઓફિસમાં પડી રહેવાથી તેમાં ધૂળ ભરાઈ જતી હતી, ત્યાં ગંદકી થવા લાગતી હતી - આવી દાયકાઓ જૂની ફાઇલો અને સ્ક્રેપને હટાવવા માટે એક વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. તમને એ જાણીને આનંદ થશે કે સરકારી વિભાગોમાં આ અભિયાનનાં અદ્ભુત પરિણામ સામે આવ્યાં છે. સાફ-સફાઈથી કાર્યાલયોમાં ઘણી જગ્યા ખાલી થઈ ગઈ છે. તેનાથી કાર્યાલયમાં કામ કરનારાઓમાં એક ઓનરશિપનો ભાવ પણ આવ્યો છે. પોતાની કામ કરવાની જગ્યાને સ્વચ્છ રાખવાની ગંભીરતા પણ તેમનામાં આવી છે.
સાથીઓ, તમે ઘણી વાર વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે જ્યાં સ્વચ્છતા હોય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે. આપણે ત્યાં 'કચરાથી કંચન'નો વિચાર ખૂબ જ જૂનો છે. દેશના અનેક હિસ્સામાં 'યુવાનો' બેકાર સમજવામાં આવતી ચીજોને લઈને કચરામાંથી કંચન બનાવી રહ્યા છે. અનેક પ્રકારનાં ઇનોવેશન કરી રહ્યાં છે. તેમાંથી તેઓ પૈસા કમાઈ રહ્યા છે, રોજગારનાં સાધનો વિકસિત કરી રહ્યા છે. આ યુવાનો પોતાના પ્રયાસોથી ટકાઉ જીવનશૈલીને પણ ઉત્તેજન આપી રહ્યા છે. મુંબઈની બે દીકરીઓનો આ પ્રયાસ ખરેખર ખૂબ જ પ્રેરક છે. અક્ષરા અને પ્રકૃતિ નામની આ બે દીકરીઓ, કતરણથી ફેશનનો સામાન બનાવી રહી છે. તમે પણ જાણો છો કે કાપડના કતરણ-સિલાઈ દરમિયાન જે કાપડ બચે છે તેને બેકાર સમજીને ફેંકી દેવામાં આવે છે. અક્ષરા અને પ્રકૃતિની ટીમ તે જ કાપડના કચરાને ફેશન પ્રોડક્ટમાં બદલી નાખે છે. કતરણથી બનેલી ટોપીઓ, બેગ ચપોચપ વેચાઈ પણ રહી છે.
સાથીઓ, સાફ-સફાઈથી લઈને ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ સારી પહેલ થઈ રહી છે. અહીં કેટલાક લોકો રોજ સવારે મોર્નિંગ વોક પર નીકળે છે અને ગંગાના ઘાટો પર ફેલાયેલા પ્લાસ્ટિક અને અન્ય કચરાને ઉપાડી લે છે. તેને સમૂહને 'કાનપુર પ્લોગર્સ ગ્રુપ' નામ આપવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત કેટલાક મિત્રોએ મળીને કરી હતી. ધીરેધીરે તે જન ભાગીદારીનું મોટું અભિયાન બની ગયું. શહેરના અનેક લોકો તેની સાથે જોડાઈ ગયા છે. તેના સભ્યો, હવે, દુકાનો અને ઘરોમાંથી પણ કચરો ઉઠાવવા લાગ્યા છે. આ કચરામાંથી રિસાયકલ પ્લાન્ટમાં ટ્રી ગાર્ડ તૈયાર કરવામાં આવે છે, એટલે કે આ ગ્રુપના લોકો કચરામાંથી બનેલા ટ્રી ગાર્ડની મદદથી છોડની સુરક્ષા પણ કરે છે.
સાથીઓ, નાના-નાના પ્રયાસોથી કેવી મોટી સફળતા મળે છે, તેનું એક ઉદાહરણ આસામની ઇતિશા પણ છે. ઇતિશાનો અભ્યાસ દિલ્લી અને પૂણેમાં થયો છે. ઇતિશા કોર્પોરેટ દુનિયાની ચમકદમકને છોડીને અરુણાચલની સાંગતી ઘાટીને સાફ બનાવવામાં લાગી છે. પર્યટકોના કારણે ત્યાં ઘણો પ્લાસ્ટિક વેસ્ટ જમા થવા લાગ્યો હતો. ત્યાંની નદી જે ક્યારેક સ્વચ્છ હતી, તે પ્લાસ્ટિક વેસ્ટના કારણે પ્રદૂષિત થઈ ગઈ હતી. તેને સ્વચ્છ કરવા માટે ઇતિશા સ્થાનિક લોકો સાથે મળીને કામ કરી રહી છે. તેના ગ્રુપના લોકો, ત્યાં આવનાર ટુરિસ્ટને જાગૃત કરે છે અને પ્લાસ્ટિક વેસ્ટને એકઠો કરવા માટે પૂરી ખીણમાં વાંસથી બનેલી કચરાપેટીઓ લગાવે છે.
સાથીઓ, આવા પ્રયાસોથી ભારતના સ્વચ્છતા અભિયાનને ગતિ મળે છે. આ નિરંતર ચાલનારું અભિયાન છે. તમારી આસપાસ પણ આવું જરૂર થતું જ હશે. તમે મને આવા પ્રયાસો વિશે જરૂર લખતા રહો.
સાથીઓ, 'મન કી બાત'ના આ એપિસોડમાં અત્યારે આટલું જ. મને તો આખો મહિનો, તમારી પ્રતિક્રિયાઓ, પત્રો અને સૂચનોની ખૂબ જ પ્રતીક્ષા રહે છે. દર મહિને આવતા તમારા સંદેશા મને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. આગામી મહિને આપણે ફરી મળીશું, 'મન કી બાત'ના એક વધુ અંકમાં - દેશ અને દેશવાસીઓની નવી ઉપલબ્ધિઓ સાથે, ત્યાં સુધી, તમને બધા દેશવાસીઓને મારી ખૂબ બધી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.
સાથીઓ, ભારતમાં દરેક યુગમાં કેટલાક પડકારો આવ્યા અને દરેક યુગમાં એવા અસાધારણ ભારતવાસી જન્મ્યા, જેમણે આ પડકારોનો સામનો કર્યો. આજે 'મન કી બાત'માં, હું, સાહસ અને દૂરદૃષ્ટિ રાખનારા આવા જ બે મહાનાયકોની ચર્ચા કરીશ. તેમની 150મી જયંતીને મનાવવાનો દેશે નિશ્ચય કર્યો છે. 31 ઑક્ટોબરે સરદાર પટેલની 150મી જયંતીનું વર્ષ શરૂ થશે. તે પછી 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાનું 150મું જયંતી વર્ષ શરૂ થશે. આ બંને મહાપુરુષે અલગ-અલગ પડકારો જોયા, પરંતુ બંનેનું સપનું એક જ હતું- 'દેશની એકતા'.
સાથીઓ, વિતેલાં વર્ષોમાં દેશે આવા મહાન નાયક-નાયિકાઓની જયંતીને નવી ઊર્જા સાથે મનાવીને, નવી પેઢીને, નવી પ્રેરણા આપી છે. તમને સ્મરણ હશે કે જ્યારે આપણે મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી હતી, તો કેટલું બધું વિશેષ થયું હતું. ન્યૂ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી આફ્રિકાના નાનકડા ગામ સુધી, વિશ્વના લોકોએ ભારતના સત્ય અને અહિંસાના સંદેશને સમજ્યો, તેને ફરીથી જાણ્યો, તેને જીવ્યો. નવયુવાનોથી વૃદ્ધો સુધી, ભારતીયોથી વિદેશીઓ સુધી, દરેકે ગાંધીજીના ઉપદેશોને નવા સંદર્ભમાં સમજ્યા, નવી વૈશ્વિક પરિસ્થિતિઓના સંદર્ભમાં તેમને જાણ્યા. જ્યારે આપણે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતીને મનાવી તો દેશના નવયુવાનોએ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શક્તિઓને નવી પરિભાષામાં સમજી. આ યોજનાઓએ આપણને એ અનુભૂતિ કરાવી કે આપણા મહાપુરુષો અતીતમાં ખોવાઈ નથી જતા, પરંતુ તેમનું જીવન આપણા વર્તમાનને ભવિષ્યનો રસ્તો દેખાડે છે.
સાથીઓ, સરકારે ભલે આ મહાન વિભૂતિઓની 150મી જયંતીને રાષ્ટ્રીય સ્તર પર મનાવવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તમારી સહભાગિતા જ આ અભિયાનમાં પ્રાણ ભરશે, તેને જીવંત બનાવશે. હું આપ સહુને આગ્રહ કરીશ કે તમે આ અભિયાનના હિસ્સા બનો. લોખંડીપુરુષ સરદાર પટેલ સાથે જોડાયેલા તમારા વિચાર અને કાર્ય #Sardar150ની સાથે વહેંચો અને ધરતી-આબા બિરસા મુંડાની પ્રેરણાઓને #BirsaMunda150 સાથે દુનિયા સામે લાવો. આવો, એક સાથે મળીને આ ઉત્સવને ભારતની અનેકતામાં એકતાનો ઉત્સવ બનાવીએ, આને વિરાસતથી વિકાસનો ઉત્સવ બનાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ, તમને એ દિવસ અવશ્ય યાદ હશે જ્યારે 'છોટા ભીમ' ટીવી પર આવવાનું શરૂ થયું હતું. બાળકો તો તેને ક્યારેય નહીં ભૂલી શકે, કેટલો રોમાંચ હતો 'છોટા ભીમ' અંગે. તમને આશ્ચર્ય થશે કે આજે 'ઢોલકપુર કા ઢોલ', માત્ર ભારતમાં જ નહીં, પરંતુ બીજા દેશનાં બાળકોને પણ ઘણું આકર્ષે છે. આ જ રીતે આપણી બીજી એનિમેટેડ શ્રેણીઓ, 'કૃષ્ણ', 'હનુમાન', 'મોટુ-પતલુ'ના ચાહનારા પણ દુનિયાભરમાં છે. ભારતનાં એનિમેટેડ પાત્રો, અહીંની એનિમેટેડ ફિલ્મો પોતાની કથાસામગ્રી અને સર્જનાત્મકતાના કારણે દુનિયાભરમાં પસંદ કરવામાં આવી રહી છે. તમે જોયું હશે કે સ્માર્ટફૉનથી લઈને સિનેમા સ્ક્રીન સુધી, ગેમિંગ કૉન્સોલથી લઈને વર્ચ્યુઅલ રિયાલિટી સુધી, એનિમેશન દરેક સ્થળે છે. એનિમેશનની દુનિયામાં ભારત નવી ક્રાંતિ કરવાની રાહ પર છે. ભારતની ગેમિંગ સ્પેસનો પણ ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. Indian games પણ આજકાલ દુનિયાભરમાં લોકપ્રિય બની રહી છે. કેટલાક મહિના પહેલાં મેં ભારતના અગ્રણી gamers સાથે મુલાકાત કરી હતી ત્યારે મને ભારતીય રમતોની અદ્ભુત સર્જનાત્મકતા અને ગુણવત્તા જાણવા-સમજવાની તક મળી હતી. ખરેખર, દેશમાં સર્જનાત્મક ઊર્જાની એક લહેર ચાલી રહી છે. એનિમેશનની દુનિયામાં 'મેડ ઇન ઇન્ડિયા' અને 'મેડ બાય ઇન્ડિયન્સ' છવાયેલા છે. તમને એ જાણીને આનંદ થશે કે આજે ભારતની પ્રતિભા, વિદેશી પ્રૉડક્શનનો પણ મહત્ત્તવપૂર્ણ હિસ્સો બની રહી છે. અત્યારની 'સ્પાઇડરમેન' હોય કે 'ટ્રાન્સફૉર્મર્સ', આ બંને ફિલ્મોમાં હરિનારાયણ રાજીવના પ્રદાનને લોકોએ ખૂબ વખાણ્યું છે. ભારતના એનિમેશન સ્ટુડિયો, ડિઝની અને વૉર્નર બ્રધર્સ જેવી, દુનિયાની જાણીતી પ્રૉડક્શન કંપનીઓ સાથે કામ કરી રહી છે.
સાથીઓ, આજે આપણા યુવાનો મૌલિક ભારતીય કથાસામગ્રી, જેમાં આપણી સંસ્કૃતિની ઝલક હોય છે, તેને તૈયાર કરી રહ્યા છે. તેને દુનિયાભરમાં જોવામાં આવી રહી છે. એનિમેશન વિભાગ આજે એક એવા ઉદ્યોગનું સ્વરૂપ લઈ ચૂક્યો છે, જે બીજા ઉદ્યોગોને શક્તિ આપી રહ્યો છે, જેમ કે, આજકાલ વીઆર ટુરિઝમ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. તમે વર્ચ્યુઅલ ટૂરના માધ્યમથી અજંતાની ગુફાઓને જોઈ શકો છો, કોણાર્ક મંદિરની પરસાળમાં ભ્રમણ કરી શકો છો, કે પછી, વારાણસીના ઘાટોનો આનંદ મેળવી શકો છો. આ બધું વીઆર એનિમેશન ભારતના સર્જકોએ તૈયાર કર્યું છે. વીઆરના માધ્યમથી આ સ્થળોને જોયા પછી અનેક લોકો વાસ્તવિકતામાં, આ પર્યટન સ્થળોનો પ્રવાસ કરવા માગે છે, એટલે કે પર્યટન સ્થળોની આભાસી યાત્રા, લોકોના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવાનું માધ્યમ બની ગઈ છે. આજે આ ક્ષેત્રમાં, એનિમેટર સાથે જ વાર્તા કહેનારા, લેખકો, વૉઇસ ઑવર નિષ્ણાતો, સંગીતકારો, રમત વિકસાવનારાઓ, વીઆર અને એઆર નિષ્ણાતોની માગ સતત વધતી જઈ રહી છે. આથી, હું ભારતના યુવાનોને કહીશ - તમારી સર્જનાત્મકતાનો વિસ્તાર કરો. કોને ખબર, દુનિયાની આગામી સુપર હિટ એનિમેશન તમારા કમ્પ્યૂટરમાંથી નીકળે. આગામી વાઇરલ ગેમ તમારું સર્જન હોઈ શકે છે. શૈક્ષણિક એનિમેશનમાં તમારું ઇન્નૉવેશન મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ 28 ઑક્ટોબરે એટલે કે કાલે 'વિશ્વ એનિમેશન દિવસ' પણ મનાવાશે. આવો, આપણે ભારતને વૈશ્વિક એનિમેશન ઊર્જા ગૃહ(Global Animation Powerhouse) બનાવવાનો સંકલ્પ કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, સ્વામી વિવેકાનંદે એક વાર સફળતાનો મંત્ર આપ્યો હતો. તેમનો મંત્ર હતો- ‘કોઈ એક વિચાર લો, તે એક વિચારને પોતાનું જીવન બનાવો, તેને વિચારો, તેનું સપનું જુઓ, તેને જીવવાનું શરૂ કરો.' આજે, આત્મનિર્ભર ભારત અભિયાન પણ સફળતાના આ મંત્ર પર ચાલી રહ્યું છે. આ અભિયાન આપણી સામૂહિક ચેતનાનો હિસ્સો બની ગયું છે. સતત, ડગલે ને પગલે આપણી પ્રેરણા બની ગયું છે. આત્મનિર્ભરતા આપણી નીતિ જ નહીં, આપણો જુસ્સો બની ગયું છે. બહુ વર્ષો નથી થયાં, માત્ર દસ વર્ષ પહેલાંની જ વાત છે, ત્યારે જો કોઈ કહેતું હતું કે કોઈ જટિલ ટૅક્નૉલૉજીને ભારતમાં વિકસિત કરવાની છે તો અનેક લોકોને વિશ્વાસ થતો નહોતો, તો અનેક લોકો ઉપહાસ કરતા હતા- પરંતુ આજે તે જ લોકો, દેશની સફળતાને જોઈને આશ્ચર્ય પામે છે. આત્મનિર્ભર થઈ રહેલું ભારત, દરેક ક્ષેત્રમાં ચમત્કાર કરી રહ્યું છે. તમે વિચારો, એક જમાનામાં મોબાઇલ ફૉન આયાત કરનારું ભારત, આજે વિશ્વનું બીજું સૌથી મોટું ઉત્પાદક બની ગયું છે. ક્યારેક દુનિયામાં સૌથી વધુ સંરક્ષણ સાધનો ખરીદનારું ભારત, આજે, 85 દેશોમાં નિકાસ પણ કરી રહ્યું છે. અંતરીક્ષ ટૅક્નૉલૉજીમાં ભારત, આજે, ચંદ્રમાના દક્ષિણ ધ્રૂવ પર પહોંચનારો પહેલો દેશ બની ગયો છે અને એક વાત તો મને સૌથી વધુ સારી લાગે છે, તે એ કે, આત્મનિર્ભરતાનું આ અભિયાન, હવે માત્ર સરકારી અભિયાન નથી, હવે આત્મનિર્ભર ભારત અભિયાન, એક જન અભિયાન બની રહ્યું છે - દરેક ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છીએ. જેમ કે આ મહિને લદ્દાખના હાનલેમાં આપણે એશિયાની સૌથી મોટી 'ઇમેજિંગ ટેલિસ્કૉપ MACE'નું પણ ઉદ્ઘાટન કર્યું છે. તે 4,300 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. જાણો છો, તેની પણ વિશેષ વાત શું છે? તે 'મેડ ઇન ઇન્ડિયા' છે. વિચારો, જે સ્થાન પર, માઇનસ 30 ડિગ્રી ઠંડી પડી હોય, જ્યાં ઑક્સિજનનો પણ અભાવ હોય, ત્યાં આપણા વૈજ્ઞાનિકો અને સ્થાનિક ઉદ્યોગોએ તે કરીને દેખાડ્યું છે, જે એશિયાના કોઈ દેશે નથી કર્યું. હાનલેનું ટેલિસ્કૉપ ભલે દૂરની દુનિયા દેખી રહ્યું હોય, પરંતુ તે આપણને એક બીજી વસ્તુ પણ દેખાડી રહ્યું છે અને તે વસ્તુ છે- આત્મનિર્ભર ભારતનું સામર્થ્ય.
સાથીઓ, હું ઇચ્છું છું કે તમે પણ એક કામ અવશ્ય કરો. આત્મનિર્ભર થતા ભારતનાં વધુમાં વધુ ઉદાહરણ, આવા પ્રયાસોને, શૅર કરો. તમે, તમારા પડોશમાં કયું નવું ઇન્નૉવેશન જોયું, કયા સ્થાનિક સ્ટાર્ટ અપે તમને સૌથી વધુ પ્રભાવિત કર્યાં, તે #AatmanirbharInnovation સાથે સૉશિયલ મીડિયા પર જાણકારીઓ સાથે લખો અને આત્મનિર્ભર ભારતનો ઉત્સવ મનાવો. તહેવારોની આ ઋતુમાં તો આપણે બધાં આત્મનિર્ભર ભારતના આ અભિયાનને વધુ મજબૂત કરીએ છીએ. આપણે 'વૉકલ ફૉર લૉકલ'ના મંત્ર સાથે આપણી ખરીદી કરીએ છીએ. આ નવું ભારત જ્યાં અસંભવ માત્ર એક પડકાર છે, જ્યાં મેક ઇન ઇન્ડિયા હવે મેક ફૉર વર્લ્ડ બની ગયું છે, જ્યાં દરેક નાગરિક એક ઇન્નૉવેટર છે, જ્યાં દરેક પડકાર એક તક છે. આપણે ન માત્ર ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે, પરંતુ આપણા દેશને ઇન્નૉવેશનના (Global Powerhouse)વૈશ્વિક ઊર્જા કેન્દ્રના રૂપમાં મજબૂત પણ કરવાનો છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું તમને એક ઑડિયો સંભળાવું છું.
#(audio)#
ફ્રૉડ કૉલ કરનાર 1: હેલ્લો
પીડિત: સર નમસ્તે સર.
ફ્રૉડ કૉલ કરનાર 1 : નમસ્તે.
પીડિત: સર, બોલો, સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: જુઓ, આ જે તમે એફઆઈઆર નંબર મને મોકલ્યો છે, તે નંબરની વિરુદ્ધ 17 ફરિયાદો છે અમારી પાસે, તમે આ નંબર ઉપયોગ કરી રહ્યા છો?
પીડિત: હું તે નથી વાપરતો, સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: અત્યારે ક્યાંથી વાત કરી રહ્યા છો?
પીડિત: સર, કર્ણાટક સર. અત્યારે ઘરમાં છું.
ફ્રૉડ કૉલ કરનાર 1: ઓકે, ચાલો, તમે તમારું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવો, જેથી આ નંબર બ્લૉક કરી લેવામાં આવે. ભવિષ્યમાં તમને કોઈ પ્રૉબ્લેમ ન થાય. ઓકે?
પીડિત: હા, સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: હવે હું તમને કનેક્ટ કરી રહ્યો છું, તે આપણા તપાસ કરનાર અધિકારી છે. તમે તમારું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવો, જેથી આ નંબર બ્લૉક કરી લેવામાં આવે. ઓકે.
પીડિત: હા સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: હા જી, જણાવો, હું કોની સાથે વાત કરી રહ્યો છું? તમારું આધાર કાર્ડ મને બતાવજો. વેરિફાય કરવા માટે જણાવો.
પીડિત: સર, મારી પાસે નથી, સર, આધાર કાર્ડ સર, પ્લીઝ સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: ફૉન, તમારા ફૉનમાં છે?
પીડિત: ના સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: ફૉનમાં આધાર કાર્ડનો ફૉટો નથી તમારી પાસે?
પીડિત: ના સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: નંબર યાદ છે તમને?
પીડિત: સર નથી, સર. નંબર પણ યાદ નથી, સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: અમારે માત્ર વેરિફાય કરવાનો છે, ઓકે? વેરિફાય કરવા માટે.
પીડિત: નથી સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: તમે ડરો નહીં. ડરો નહીં. જો તમે કંઈ નથી કર્યું તો તમે ડરો નહીં.
પીડિત: હા સર, હા સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: તમારી પાસે આધાર કાર્ડ હોય તો મને દેખાડી દો વેરિફાય કરવા માટે.
પીડિત: ના સર, ના સર. હું ગામડે આવ્યો હતો. સર, ત્યાં ઘરમાં છે, સર.
ફ્રૉડ કૉલ કરનાર 1: ઓકે
બીજો અવાજ: મે આઈ કમ ઇન સર?
ફ્રૉડ કૉલ કરનાર 1: કમ ઇન
ફ્રૉડ કૉલ કરનાર 2: જય હિંદ
ફ્રૉડ કૉલ કરનાર 1: જય હિંદ
ફ્રૉડ કૉલ કરનાર: આ વ્યક્તિનો એક સાઇડનો વિડિયો કૉલ રેકૉર્ડ કરો, પ્રૉટોકૉલ પ્રમાણે. ઓકે.
########
આ ઑડિયો માત્ર જાણકારી માટે નથી, આ કોઈ મનોરંજનવાળો ઑડિયો નથી, એક ગંભીર ચિંતાને લઈને ઑડિયો આવ્યો છે. તમે હમણાં જે વાતચીત સાંભળી, તે ડિજિટલ એરેસ્ટના ફ્રોડની છે. આ વાતચીત એક પીડિત અને એક છેતરપિંડી કરનાર વચ્ચે થઈ છે. ડિજિટલ એરેસ્ટની છેતરપિંડીમાં ફૉન કરનારા, ક્યારેક પોલીસ, ક્યારેક સીબીઆઈ, ક્યારેક નાર્કૉટિક્સ, ક્યારેક આરબીઆઈ, આવા ભાંતિ-ભાંતિનાં લેબલ લગાડીને બનાવટી અધિકારી બનીને વાત કરે છે અને ખૂબ જ વિશ્વાસ સાથે વાત કરે છે. મને 'મન કી બાત'ના ઘણા બધા શ્રોતાઓએ કહ્યું કે તેની ચર્ચા અવશ્ય કરવી જોઈએ. આવો, હું તમને જણાવું છું કે, આ છેતરપિંડી કરનારી ટોળી કેવી રીતે કામ કરે છે, આ ખતરનાક ખેલ શું છે? તમારે પણ સમજવું ખૂબ જ આવશ્યક છે, બીજાને પણ સમજાવવું એટલું જ આવશ્યક છે. પહેલો ખેલ- તમારી વ્યક્તિગત જાણકારી. તેઓ બધું જાણીને રાખે છે. "તમે ગયા મહિને ગોવા ગયા હતા ને? તમારી દીકરી દિલ્લીમાં ભણે છે ને?" તેઓ તમારા વિશે એટલી જાણકારી મેળવીને રાખે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જાવ. બીજો ખેલ- ભયનું વાતાવરણ ઉત્પન્ન કરો. ગણવેશ, સરકારી કાર્યાલયનો સેટ-અપ, કાયદાકીય કલમો, તેઓ તમને એટલા બધા બીવડાવી દેશે ફૉન પર, વાત-વાતમાં તમે વિચારી પણ નહીં શકો. અને પછી ત્રીજો ખેલ શરૂ થાય છે, ત્રીજો ખેલ- સમયનું દબાણ. 'અત્યારે જ નિર્ણય કરવો પડશે, નહીંતર તમારી ધરપકડ કરવી પડશે.' આ લોકો પીડિત પર એટલું મનોવૈજ્ઞાનિક દબાણ બનાવે છે કે તે સ્તબ્ધ થઈ જાય છે. ડિજિટલ એરેસ્ટના શિકાર થનારામાં દરેક વર્ગના, દરેક વયના લોકો છે. લોકોએ ડરના કારણે, પોતાની મહેનતથી કમાયેલા લાખો રૂપિયા ગુમાવી દીધા છે. ક્યારેય પણ તમને આ પ્રકારનો કોઈ કૉલ આવે તો તમારે ડરવાનું નથી. તમને જાણ હોવી જોઈએ કે કોઈ પણ તપાસ સંસ્થા, ફૉન કૉલ કે વિડિયો કૉલ પર, આ પ્રકારની પૂછપરછ ક્યારેય નથી કરતી. હું તમને ડિજિટલ સુરક્ષાનાં ત્રણ ચરણ જણાવું છું. આ ત્રણ ચરણ છે- 'અટકો, વિચારો, કાર્યવાહી કરો.' કૉલ આવતાં જ, 'અટકો' - ગભરાવ નહીં, શાંત રહો. ઉતાવળમાં કોઈ પગલું ન ભરો, કોઈને પણ પોતાની વ્યક્તિગત જાણકારી ન આપો, સંભવ હોય તો સ્ક્રીનશૉટ લઈ લો અને રેકૉર્ડિંગ અવશ્ય કરો. તે પછી આવે છે બીજું ચરણ, પહેલું ચરણ હતું 'અટકો', બીજું ચરણ છે, 'વિચારો'. કોઈ પણ સરકારી સંસ્થા ફૉન પર આવી ધમકી નથી આપતી, ન તો વિડિયો કૉલ પર પૂછપરછ કરે છે, ન તો આવી રીતે પૈસાની માગણી કરે છે. જો ડર લાગે તો સમજો કે કંઈક ગડબડ છે. અને પહેલું ચરણ, બીજું ચરણ અને હવે હું કહું છું, ત્રીજું ચરણ. પહેલા ચરણમાં મેં કહ્યું હતું, 'અટકો', બીજા ચરણમાં મેં કહ્યું હતું, 'વિચારો' અને ત્રીજા ચરણમાં હું કહું છું, 'કાર્યવાહી કરો'. રાષ્ટ્રીય સાઇબર હેલ્પલાઇન 1930 ડાયલ કરો, cybercrime.gov.in પર રિપૉર્ટ કરો, પરિવાર અને પોલીસને જણાવો, પુરાવા સુરક્ષિત રાખો. 'અટકો', પછી 'વિચારો' અને પછી 'કાર્યવાહી કરો'. આ ત્રણ તમારી ડિજિટલ સુરક્ષાના રક્ષક બનશે.
સાથીઓ, હું ફરી કહીશ કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વ્યવસ્થા કાયદામાં નથી, આ માત્ર એક છેતરપિંડી છે, છળ છે, જૂઠ છે, બદમાશોની ટોળી છે, અને જે લોકો આવું કરી રહ્યા છે, તેઓ સમાજના શત્રુ છે. ડિજિટલ એરેસ્ટના નામ પર જે છેતરપિંડી ચાલી રહી છે, તેની સામે તમામ તપાસ સંસ્થા, રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે. આ સંસ્થાઓમાં તાલમેળ બનાવવા માટે નેશનલ સાઇબર કૉઑર્ડિનેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. સંસ્થાઓ તરફથી આવી છેતરપિંડી કરનારા હજારો વિડિયો કૉલિંગ આઈડીને બ્લૉક કરવામાં આવ્યા છે. લાખો સિમ કાર્ડ, મૉબાઇલ ફૉન અને બેન્ક ખાતાંઓને પણ બ્લૉક કરવામાં આવ્યાં છે. સંસ્થાઓ પોતાનું કામ કરી રહી છે, પરંતુ ડિજિટલ એરેસ્ટના નામ પર થઈ રહેલા કૌભાંડથી બચવા માટે ખૂબ જ આવશ્યક છે- દરેકની જાગૃતિ, દરેક નાગરિકની જાગૃતિ. જે લોકો પણ આ પ્રકારની સાઇબર છેતરપિંડીનો શિકાર થાય છે, તેમણે વધુમાં વધુ લોકોને તેના વિશે જણાવવું જોઈએ. તમે જાગૃતિ માટે #SafeDigitalIndiaનો પ્રયોગ કરી શકો છો. હું શાળાઓ અને કૉલેજોને પણ કહીશ કે સાઇબર કૌભાંડની વિરુદ્ધ અભિયાનમાં વિદ્યાર્થીઓને પણ જોડો. સમાજમાં બધાના પ્રયાસોથી જ આપણે આ પડકારનો સામનો કરી શકીશું.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ કેલિગ્રાફી એટલે કે સુલેખનમાં ઘણો રસ રાખે છે. તેના દ્વારા આપણા અક્ષરો, સુંદર અને આકર્ષક બને છે. આજે જમ્મુ-કાશ્મીરમાં તેનો ઉપયોગ સ્થાનિક સંસ્કૃતિને લોકપ્રિય બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. અહીંના અનંતનાગની ફિરદૌસા બશીરજીને કેલિગ્રાફીમાં નિપુણતા પ્રાપ્ત છે. તેના દ્વારા તેઓ સ્થાનિક સંસ્કૃતિનાં અનેક પાસાંને સામે લાવી રહ્યાં છે. ફિરદૌસાજીની કેલિગ્રાફીએ સ્થાનિક લોકો, વિશેષ કરીને, યુવાનોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. આવો જ એક પ્રયાસ ઉધમપુરના ગોરીનાથજી કરી રહ્યા છે. એક સદીથી પણ વધુ જૂની સારંગી દ્વારા તેઓ ડોગરા સંસ્કૃતિ અને વારસાને વિભિન્ન રૂપમાં એકત્ર કરવામાં લાગેલા છે. સારંગીની ધૂનો સાથે તેઓ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી પ્રાચીન વાર્તાઓ અને ઐતિહાસિક ઘટનાઓને રસપ્રદ રીતે કહે છે. દેશના અલગ-અલગ હિસ્સાઓમાં પણ તમને આવા અનેક અસાધારણ લોકો મળી આવશે જે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે આગળ આવ્યા છે. ડી. વૈકુંઠમ્ લગભગ 50 વર્ષથી ચેરિયાલ લોક કળા (Folk Art)ને લોકપ્રિય બનાવવામાં લાગેલા છે. તેલંગાણા સાથે જોડાયેલી આ કળાને આગળ વધારવાનો તેમનો આ પ્રયાસ અદ્ભુત છે. ચેરિયાલ પેઇન્ટિંગને તૈયાર કરવાની પ્રક્રિયા ખૂબ જ અદ્વિતીય છે. તે એક સ્ક્રૉલના સ્વરૂપમાં વાર્તાઓને સામે લાવે છે. તેમાં આપણા ઇતિહાસ અને પ્રાચીન કથાઓની પૂરી ઝલક મળે છે. છત્તીસગઢમાં નારાયણપુરના બુટલુરામ માથરાજી અબૂઝમાડિયા જનજાતિની લોકકળાને સંરક્ષિત કરવામાં લાગેલા છે. છેલ્લા ચાર દાયકાઓથી તેઓ પોતાના આ મિશનમાં લાગેલા છે. તેમની આ કળા 'બેટી બચાઓ-બેટી પઢાઓ' અને 'સ્વચ્છ ભારત' જેવાં અભિયાનો સાથે લોકોને જોડવામાં ખૂબ જ અસરકારક રહી છે.
સાથીઓ, અત્યારે આપણે વાત કરી રહ્યા હતા કાશ્મીરની ઘાટીઓથી લઈને છત્તીસગઢનાં જંગલો સુધી, આપણી કળા અને સંસ્કૃતિ કેવી રીતે નવા-નવા રંગો વિખેરી રહી છે, પરંતુ આ વાત અહીં સમાપ્ત નથી થતી. આપણી આ કળાની ફોરમ દૂર-દૂર સુધી ફેલાઈ રહી છે. દુનિયાના અલગ-અલગ દેશોમાં લોકો ભારતીય કળા અને સંસ્કૃતિથી મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. જ્યારે હું તમને ઉધમપુરમાં ગૂંજતી સારંગીની વાત કરી રહ્યો હતો ત્યારે મને યાદ આવ્યું કે હજારો માઇલ દૂર, રશિયાના શહેર યાકૂત્સ્કમાં કેવી ભારતીય કળાની મધુર ધૂન ગૂંજી રહી હતી. કલ્પના કરો, ઠંડીનો એક અડધો દિવસ માઇનસ 65 ડિગ્રી તાપમાન, ચારે તરફ બરફની સફેદ ચાદર અને ત્યાં એક થિયેટરમાં દર્શક મંત્રમુગ્ધ થઈને જોઈ રહ્યો છે- કાલિદાસનું 'અભિજ્ઞાન શાકુંતલમ્'. શું તમે વિચારી શકો છો, દુનિયાના સૌથી ઠંડા શહેર યાકૂત્સ્કમાં, ભારતીય સાહિત્યની ઉષ્ણતા ! આ કલ્પના નથી, સત્ય છે- આપણને બધાને ગર્વ અને આનંદ આપનારું સત્ય.
સાથીઓ, કેટલાંક અઠવાડિયાં પહેલાં, હું લાઓસ પણ ગયો હતો. તે નવરાત્રિનો સમય હતો અને ત્યાં મેં કંઈક અદ્ભુત જોયું. સ્થાનિક કલાકારો 'ફલક ફલમ્' પ્રસ્તુત કરી રહ્યા હતા - 'લાઓસની રામાયણ'. તેમની આંખોમાં એ જ ભક્તિ, તેમના સ્વરમાં એ જ સમર્પણ હતું, જે રામાયણ પ્રત્યે આપણા મનમાં છે. આ જ રીતે કુવૈતમાં શ્રી અબ્દુલ્લા અલ બારુને રામાયણ અને મહાભારતનો અરબીમાં અનુવાદ કર્યો છે. આ કાર્ય માત્ર અનુવાદ નથી, પરંતુ બે મહાન સંસ્કૃતિઓની વચ્ચે એક સેતુ છે. તેમનો આ પ્રયાસ અરબ જગતમાં ભારતીય સાહિત્ય પ્રત્યેની નવી સમજને વિકસિત કરી રહ્યો છે. પેરુથી એક બીજું પ્રેરક ઉદાહરણ છે - એરલિંદા ગાર્સિયા (Erlinda Garcia). તેઓ ત્યાંના યુવાઓને ભરતનાટ્યમ્ શીખવાડી રહ્યાં છે અને મારિયા વાલદેસ (Maria Valdez) ઓડિસી નૃત્યનું પ્રશિક્ષણ આપી રહ્યાં છે. આ કળાઓથી પ્રભાવિત થઈને, દક્ષિણ અમેરિકાના અનેક દેશોમાં 'ભારતીય શાસ્ત્રીય નૃત્યો'ની ધૂમ મચેલી છે.
સાથીઓ, વિદેશી ધરતી પર ભારતનાં આ ઉદાહરણો દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિની શક્તિ કેટલી અદ્ભુત છે. તે સતત વિશ્વને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.
જ્યાં જ્યાં છે કળા, ત્યાં-ત્યાં છે ભારત '
જ્યાં જ્યાં છે સંસ્કૃતિ, ત્યાં-ત્યાં છે ભારત '
આજે દુનિયાભરના લોકો ભારતને જાણવા માગે છે, ભારતના લોકોને જાણવા માગે છે. આથી તમને બધાને એક અનુરોધ પણ છે, તમારી આસપાસ આવી સાંસ્કૃતિક પહેલને #CulturalBridgesની સાથે વહેંચો. 'મન કી બાત'માં આપણે આવાં ઉદાહરણો પર આગળ પણ ચર્ચા કરીશું.
મારા પ્રિય દેશવાસીઓ, દેશના મોટા હિસ્સામાં ઠંડીની ઋતુ ચાલુ થઈ ગઈ છે. પરંતુ ફિટનેસનું પેશન, ફિટ ઇન્ડિયાની સ્પિરિટ- તેને કોઈ પણ ઋતુથી કોઈ ફરક નથી પડતો. જેને ફિટ રહેવાની ટેવ હોય છે, તે ઠંડી, ગરમી અને વરસાદ, કંઈ નથી જોતા. મને આનંદ છે કે ભારતમાં હવે લોકો ફિટનેસ માટે ઘણા જાગૃત થઈ રહ્યા છે. તમે પણ જોઈ રહ્યા હશો કે તમારી આસપાસના બગીચાઓમાં લોકોની સંખ્યા વધી રહી હશે. બગીચાઓમાં ફરતા વૃદ્ધો, નવયુવાનો અને યોગ કરતા પરિવારોને જોઈને, મને, સારું લાગે છે. મને યાદ છે, જ્યારે હું યોગ દિવસ પર શ્રીનગર હતો, વરસાદ છતાં, અનેક લોકો 'યોગ' માટે એકત્ર થયા હતા. હમણાં કેટલાક દિવસ પહેલાં શ્રીનગરમાં જે મેરેથૉન થઈ, તેમાં પણ મને ફિટ રહેવાનો આ જ ઉત્સાહ દેખાયો. ફિટ ઇન્ડિયાની આ ભાવના, હવે એક લોક ચળવળ બની રહી છે.
સાથીઓ, મને એ જોઈને સારું લાગે છે કે, આપણી શાળાઓ, બાળકોની ફિટનેસ પર હવે વધુ ધ્યાન આપી રહી છે. ફિટ ઇન્ડિયા સ્કૂલ અવર્સ પણ એક અનોખી પહેલ છે. શાળા પોતાના પહેલા પિરિયડનો ઉપયોગ અલગ-અલગ ફિટનેસ પ્રવૃત્તિ માટે કરી રહી છે. અનેક સ્કૂલોમાં, કોઈ દિવસ બાળકો પાસે યોગ કરાવાય છે, તો કોઈ દિવસ એરોબિક્સનાં સત્રો હોય છે, તો એક દિવસ સ્પૉર્ટ્સ સ્કિલ પર કામ કરવામાં આવે છે, કોઈ દિવસ ખો-ખો અને કબડ્ડી જેવી પારંપરિક રમતો રમાડાય છે અને તેની અસર પણ ખૂબ સારી છે. હાજરી વધી રહી છે, બાળકોની એકાગ્રતા વધી રહી છે અને બાળકોને મજા પણ આવે છે.
સાથીઓ, હું સારાં સ્વાસ્થ્યની આ ઊર્જા દરેક જગ્યાએ જોઈ રહ્યો છું. 'મન કી બાત'માં પણ, ઘણા બધા શ્રોતાઓએ મને પોતાનો અનુભવ મોકલ્યો છે. કેટલાક લોકો તો ખૂબ જ રોચક પ્રયોગ કરી રહ્યા છે. જેમ કે એક ઉદાહરણ છે ફેમિલી ફિટનેસ અવરનું, એટલે કે એક પરિવાર, પ્રત્યેક શનિ-રવિ એક કલાક ફેમિલી ફિટનેસ એક્ટિવિટી માટે આપી રહ્યો છે. એક બીજું ઉદાહરણ સ્વદેશી રમતોને પુનર્જીવિત કરવાનું છે એટલે કે કેટલાક પરિવારો પોતાનાં બાળકોને પરંપરાગત રમતો શીખવાડી રહ્યા છે, રમાડી રહ્યા છે. તમે પણ પોતાના ફિટનેસ રૂટિનનો અનુભવ #fitindiaના નામે સૉશિયલ મીડિયા પર અવશ્ય જણાવો. હું દેશના લોકોને એક આવશ્યક જાણકારી પણ આપવા માગું છું. આ વખતે 31 ઑક્ટોબરે સરદાર પટેલની જયંતીની સાથે દિવાળીનું પર્વ પણ છે. આપણે પ્રત્યેક વર્ષે 31 ઑક્ટોબરે 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર 'રન ફૉર યૂનિટી'નું આયોજન કરીએ છીએ. દિવાળીના કારણે આ વખતે 29 ઑક્ટોબરે એટલે કે મંગળવારે 'રન ફૉર યૂનિટી'નું આયોજન કરવામાં આવશે. મારો આગ્રહ છે કે, વધુમાં વધુ સંખ્યામાં તેમાં ભાગ લો - દેશની એકતાના મંત્ર સાથે જ ફિટનેસના મંત્રને પણ બધી તરફ ફેલાવો.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં આ વખતે આટલું જ. તમે તમારો ફીડબેક જરૂર મોકલતા રહો. આ તહેવારોનો સમય છે. 'મન કી બાત'ના શ્રોતાઓને ધનતેરસ, દિવાળી, છઠ પૂજા, ગુરુ નાનક જયંતી અને બધા પર્વોની ખૂબ-ખૂબ શુભકામનાઓ. તમે બધા પૂરા ઉત્સાહ સાથે તહેવાર મનાવો – વૉકલ ફૉર લૉકલનો મંત્ર યાદ રાખો, પ્રયાસ કરો કે તહેવારો દરમિયાન તમારા ઘરમાં સ્થાનિક દુકાનદારો પાસેથી ખરીદાયેલો સામાન અવશ્ય આવે. એક વાર ફરી, તમને બધાને, આવનારા પર્વોના ઘણા-ઘણા વધામણા. ધન્યવાદ.

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.
‘મન કી બાત’ની 10 વર્ષની યાત્રાએ એક એવી માળા તૈયાર કરી છે, જેમાં, દરેક episodeની સાથે નવી ગાથાઓ, નવા કીર્તિમાન, નવા વ્યક્તિત્વ જોડાઈ જાય છે. આપણા સમાજમાં સામૂહિકતાની ભાવના સાથે જે પણ કામ થઈ રહ્યા છે, તેને ‘મન કી બાત’ દ્વારા સન્માન મળે છે. મારુ મન પણ ત્યારે ગર્વથી ભરાઈ જાય છે, જ્યારે હું ‘મન કી બાત’ માટે આવેલી ચિઠ્ઠીઓ વાંચું છું. આપણા દેશમાં કેટલા પ્રતિભાવાન લોકો છે, તેમનામાં દેશ અને સમાજની સેવા કરવાનો કેટલો જુસ્સો છે. તેઓ લોકોની નિઃસ્વાર્થ ભાવથી સેવા કરવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. તેમના વિષે જાણીને હું ઉર્જાથી ભરાઈ જાઉં છું. ‘મન કી બાત’ની આ સમગ્ર પ્રક્રિયા મારે માટે એવી છે, જાણે મંદિર જઈને ઈશ્વરના દર્શન કરવા. ‘મન કી બાત’ની દરેક વાતોને, દરેક ઘટનાઓને, દરેક ચિઠ્ઠીઓને યાદ કરું છું તો એવું લાગે છે કે હું જનતા જનાર્દન, જે મારા માટે ઈશ્વરનું સ્વરૂપ છે તેમના દર્શન કરી રહ્યો છું.
સાથીઓ, હું આજે દૂરદર્શન, પ્રસાર ભારતી અને All India Radio સાથે સંકળાયેલા તમામ લોકોની પણ પ્રસંશા કરીશ. તેમના અથાગ પ્રયત્નોથી ‘મન કી બાત’ આ મહત્વપૂર્ણ પડાવ પર પહોંચ્યો છે. હું વિવિધ TV channelsનો, Regional TV channelsનો પણ આભારી છું જેમણે નિરંતર તેને પ્રસારિત કર્યો છે. ‘મન કી બાત’ દ્વારા આપણે જે મુદ્દાઓને ઉઠાવ્યા, તેને લઈને ઘણા Media House એ ઝુંબેશ પણ ચલાવી. હું Print Mediaને પણ ધન્યવાદ આપું છું કે તેમણે તેને ઘરે-ઘરે પહોંચાડ્યો. હું એ YouTubersને પણ ધન્યવાદ આપીશ કે જેમણે ‘મન કી બાત’ પર ઘણા કાર્યક્રમો કર્યા. આ કાર્યક્રમોને દેશની 22 ભાષાઓની સાથે 12 વિદેશી ભાષાઓમાં પણ સાંભળી શકે છે. મને સારું લાગે છે જ્યારે લોકો એમ કહે છે, કે તેમણે ‘મન કી બાત’ કાર્યક્રમને પોતાની સ્થાનીય ભાષામાં સાંભળ્યો. તમારામાંથી ઘણા લોકોને એ ખબર હશે કે ‘મન કી બાત’ કાર્યક્રમ પર આધારિત એક Quiz competition પણ ચાલી રહી છે, જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. Mygov.inમાં જઈને તમે આ competitionમાં ભાગ લઈ શકો છો અને ઈનામ પણ જીતી શકો છો. આજે આ મહત્વપૂર્ણ પડાવ પર, હું એક વાર ફરી તમારા સૌના આશીર્વાદ માંગુ છું. પવિત્ર મન અને પૂર્ણ સમર્પણ ભાવથી, હું આવી જ રીતે, ભારતના લોકોની મહાનતાના ગીત ગાતો રહું. દેશની સામૂહિક શક્તિને, આપણે સૌ, આ જ રીતે celebrate કરતાં રહીએ – આ જ મારી ઈશ્વરને પ્રાર્થના છે, જનતા-જનાર્દનને પ્રાર્થના છે.
મારા પ્રિય દેશવાસીઓ, પાછલા કેટલાક અઠવાડિયાથી દેશના અલગ-અલગ ભાગોમાં જબરદસ્ત વરસાદ થઈ રહ્યો છે. વરસાદની આ ઋતુ, આપણને યાદ અપાવે છે કે ‘જળ-સંરક્ષણ’ કેટલું જરૂરી છે, પાણી બચાવવું કેટલું જરૂરી છે. વર્ષા ઋતુમાં બચાવેલું પાણી, જળ સંકટના મહિનાઓમાં ખૂબ મદદ કરે છે, અને આ જ ‘Catch the Rain’ જેવા અભિયાનોની ભાવના છે. મને ખુશી છે કે પાણીના સંરક્ષણને લઈને કેટલાય લોકો નવી પહેલ કરી રહ્યા છે. આવો જ એક પ્રયાસ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં જોવા મળ્યો છે. તમે જાણો જ છો કે ઝાંસી બુંદેલખંડમાં છે, જેની ઓળખાણ જ પાણીની તંગી સાથે જોડાયેલી છે. અહિયાં ઝાંસીમાં કેટલીક મહિલાઓએ ઘુરારી નદીને નવું જીવન આપ્યું છે. આ મહિલાઓ Self help groupની સાથે જોડાયેલી છે અને તેમણે ‘જળ-સહેલી’ બની આ અભિયાનનું નેતૃત્વ પણ કર્યું છે. આ મહિલાઓએ મૃતપ્રાય થઈ ચૂકેલી ઘુરારી નદીને જે રીતે બચાવી છે, તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ જળ-સાહેલીઓએ બોરીઓમાં રેતી ભરીને ચેકડેમ (check dam) તૈયાર કર્યો, વરસાદના પાણીને વેડફાતું રોક્યું અને નદીને પાણીથી ભરપૂર કરી દીધી. આ મહિલાઓએ સેંકડો જળાશયોના નિર્માણ અને તેમના Revivalમાં પણ આગળ પડતો સહકાર આપ્યો. તેનાથી આ ક્ષેત્રના લોકોની પાણીની સમસ્યા તો દૂર થઈ જ છે, તેમના ચહેરા ઉપર, ખુશીઓ પણ પાછી ફરી છે.
સાથીઓ, ક્યાંક નારી-શક્તિ, જળ-શક્તિને આગળ વધારે છે તો ક્યાંક જળ-શક્તિ પણ નારી-શક્તિને મજબૂત કરે છે. મને મધ્યપ્રદેશના બે ખૂબ જ પ્રેરણાદાયી પ્રયાસોની જાણકારી મળી છે. અહિયાં ડીંડોરીના રયપૂરા ગામમાં એક મોટા તળાવના નિર્માણથી ભૂ-જળ સ્તર ઘણું વધી ગયું છે. તેનો ફાયદો ગામની મહિલાઓને મળ્યો. અહીયાં ‘શારદા આજીવિકા સ્વયં સહાયતા સમૂહ’ તેનાથી જોડાયેલી મહિલાઓને મત્સ્યપાલનનો નવો વ્યવસાય પણ મળી ગયો. આ મહિલાઓએ Fish-Parlour પણ શરૂ કર્યું છે, જ્યાં થતાં માછલીઓના વેચાણથી તેમની આવક પણ વધી રહી છે. મધ્ય પ્રદેશના છતરપુરમાં પણ મહિલાઓનો પ્રયાસ ખૂબ ખૂબ પ્રશંસનીય છે. અહિયાના ખોંપ ગામનું મોટું તળાવ જ્યારે સુકાવા લાગ્યું ત્યારે મહિલાઓએ તેને પુનર્જીવિત કરવાનું બીડું ઉઠાવ્યું. ‘હરિ બગીયા સ્વયં સહાયતા સમૂહ’ની આ મહિલાઓએ તળાવમાંથી મોટા પ્રમાણમાં કાંપ કાઢ્યો, તળાવમાંથી જે કંપ નીકળ્યો તેનો ઉપયોગ તેમણે બિનઉપજાઉ જમીન પર fruit forest તૈયાર કરવામાં કર્યો. આ મહિલાઓની મહેનતથી ન કેવળ તળાવમાં ખૂબ પાણી ભરાયા, પરંતુ, પાકની ઉપજ પણ ઘણી વધી છે. દેશના ખૂણે-ખૂણે ચાલી રહેલા ‘જળ-સંરક્ષણ’ ના આવા પ્રયત્નો પાણીના સંકટને ખાળવામાં ઘણા મદદરૂપ સાબિત થવાના છે.મને પૂરો વિશ્વાસ છે કે તમે પણ તમારી આસપાસ થતાં આવા પ્રયત્નોમાં જરૂરથી જોડાશો.
મારા પ્રિય દેશવાસીઓ, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક સીમાવર્તી ગામ છે ‘ઝાલા’. અહિયાના યુવાઓએ પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે એક ખાસ પહેલ શરૂ કરી છે. તેઓ પોતાના ગામમાં “ધન્યવાદ પ્રકૃતિ’ કે પછી કહીએ ‘Thank you Nature’ અભિયાન ચલાવી રહ્યા છે. જેના હેઠળ ગામમાં રોજ બે કલાક સફાઇ કરવામાં આવે છે. ગામની ગલીઓમાં વિખરાયેલા કચરાને એકઠો કરીને, તેને, ગામની બહાર, નક્કી કરેલી જગ્યા પર, નાખવામાં આવે છે. જેનાથી ઝાલા ગામ પણ સ્વચ્છ થઈ રહ્યું છે અને લોકો જાગરૂક પણ થઈ રહ્યા છે. ત્યાં વિચારો કે આમ જ દરેક ગામ, દરેક ગલી-દરેક મહોલ્લો, પોતાના ત્યાં આવી જ રીતે Thank You અભિયાન શરૂ કરી દે, તો કેટલું મોટું પરિવર્તન આવી શકે છે.
સાથીઓ, સ્વચ્છતાને લઈને પુડુચેરીના સમુદ્ર તટ પર પણ જબરદસ્ત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અહિયાં રમ્યાજી નામની મહિલા, માહે municipality અને તેની આસપાસના ક્ષેત્રના યુવાઓની એક ટીમનું નેતૃત્વ કરી રહી છે. આ ટીમના લોકો પોતાના પ્રયાસોથી માહે Area અને ખાસકરીને ત્યાંનાં Beachesને સંપૂર્ણ રીતે સાફ-સૂથરું બનાવી રહ્યા છે.
સાથીઓ, મેં અહિયાં માત્ર બે પ્રયાસોની ચર્ચા કરી છે, પરંતુ, આપણે આસપાસ જોઈએ, તો જોઈશું કે દેશના દરેક ભાગમાં ‘સ્વચ્છતા’ને લઈને કોઈ-ને-કોઈ અનોખો પ્રયાસ જરૂર ચાલી રહ્યા છે. થોડાક જ દિવસમાં આવનાર 2 ઓક્ટોબર એ ‘સ્વચ્છ ભારત મિશન’ના 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ પ્રસંગ એ લોકોના અભિનંદનનો છે જેમણે આ ભારતીય ઇતિહાસને આટલું મોટું જન-આંદોલન બનાવી દીધું. આ મહાત્મા ગાંધીજીને પણ સાચી શ્રદ્ધાંજલિ છે, જેઓ જીવનપર્યંત, આ ઉદેશ્ય માટે સમર્પિત રહ્યા.
સાથીઓ, આજે આ ‘સ્વચ્છ ભારત મિશન’ની જ સફળતા છે કે ‘Waste to Wealth’નો મંત્ર લોકોમાં લોકપ્રિય થઈ રહ્યો છે. લોકો ‘Reduce, Reuse અને Recycle’ પર વાત કરવા લાગ્યા છે, તેના ઉદાહરણ આપવા લાગ્યા છે. હવે જેમકે મને કેરળમાં કોઝિકોડમાં એક અદભૂત પ્રયત્ન વિષે જાણ થઈ. અહિયાં seventy four (74) yearના સુબ્રમણ્યનજી 23 હજારથી વધુ ખુરશીઓનું સમારકામ કરીને તેને ફરીથી વાપરવા લાયક બનાવી ચૂક્યા છે. લોકો તો તેમને Reduce, Reuse અને Recycle, એટલે કે, RRR (Triple R) Champion પણ કહે છે. તેમના આ અનોખા પ્રયાસોને કોઝિકોડ સિવિલ સ્ટેશન, PWD, અને LICની ઓફિસોમાં પણ જોઈ શકે છે.
સાથીઓ, સ્વચ્છતાને લઈને હાલ ચાલી રહેલા અભિયાનો સાથે આપણે વધુમાં વધુ લોકોને જોડવાના છે, અને આ એક અભિયાન, કોઈ એક દિવસનું, એક વર્ષનું, નથી હોતું, આ યુગો-યુગો સુધી નિરંતર કરતાં રહેવાનું કામ છે. આ જ્યાં સુધી આપણો સ્વભાવ બની જાય ‘સ્વચ્છતા’, ત્યાં સુધી કરતાં રહેવાનું કામ છે. મારો તમને સૌને આગ્રહ છે કે તમે પણ તમારા પરિવાર, મિત્રો, પાડોશીઓ કે સહકર્મીઓની સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં ભાગ જરૂર લો. હું એક વાર ફરી ‘સ્વચ્છ ભારત મિશન’ની સફળતા પર તમને સૌને અભિનંદન પાઠવું છું.
મારા પ્યારા દેશવાસીઓ, આપણને સૌને આપણાં વારસા પર ખૂબ ગર્વ છે. અને હું તો હમેશા કહું છું ‘વિકાસ પણ-વારસો પણ’. આ જ કારણ છે કે મને હાલની મારી અમેરિકા યાત્રાના એક ખાસ પાસાને લઈને ખૂબ બધા સંદેશા મળી રહ્યા છે. એક વાર ફરી આપણી પ્રાચીન કલાકૃતિઓનો પરત આવવા બાબતે ઘણી ચર્ચા થઈ રહી છે. હું તેને લઈને આપ સૌની ભાવનાઓને સમજી શકું છું. અને ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ તેના વિષે કહેવા ઈચ્છું છું.
સાથીઓ, અમેરિકાની મારી યાત્રા દરમિયાન અમેરિકી સરકારે ભારતને લગભગ 300 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને સંપૂર્ણ રીતે પોતાનાપણું બતાવીને ડેલાવેર (Delaware)ના પોતાના વ્યક્તિગત આવાસમાં આમાંની કેટલીક કલાકૃતિઓ મને બતાવી. પરત કરેલી કલાકૃતિઓ Terracotta, Stone, હાથીના દાંત, લાકડા, તાંબા અને કાંસા જેવી વસ્તુઓમાંથી બની છે. જેમાંની કેટલીક તો ચાર હજાર વર્ષ જૂની છે. ચાર હજાર વર્ષ જૂની કલાકૃતિઓથી લઈને 19મી સદી સુધીની કલાકૃતિઓને અમેરિકાએ પરત કરી છે. – જેમાં ફૂલદાની, દેવી-દેવતાઓની ટેરાકોટા(terracotta) તક્તીઓ, જૈન તીર્થંકરોની મૂર્તિઓ ઉપરાંત ભગવાન બુદ્ધ અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓ પણ સમાવિષ્ટ છે. પરત કરેલી વસ્તુઓમાં પશુઓની કેટલીક આકૃતિઓ પણ છે. પુરુષ અને મહિલાની આકૃતિઓવાળી જમ્મુ-કાશ્મીરની terracotta tiles તો ખૂબ જ રસપ્રદ છે. તેમાં કાંસાથી બનેલી ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓ પણ છે, જે, દક્ષિણ ભારતની છે. પરત કરેલી વસ્તુઓમાં મોટી સંખ્યામાં ભગવાન વિષ્ણુના ચિત્રો પણ છે. તે મોટેભાગે ઉત્તર અને દક્ષિણ ભારત સાથે જોડાયેલા છે. આ કલાકૃતિઓને જોઈને ખબર પડે છે કે આપણા પૂર્વજો કેટલું ઝીણું કાંતતા હતા. કલાને લઈને તેમનામાં ગજબની સૂઝ-બૂઝ હતી. આમાંની ઘણી કલાકૃતિઓને તસ્કરી અને બીજી અવૈધ રીતે દેશની બહાર લઈ જવામાં આવી હતી. આ ગંભીર ગુનો છે – એક રીતે દેશના વારસાને નષ્ટ કરવા જેવુ છે, પણ મને એ વાતની ખુશી છે, કે પાછલા એક દશકમાં, આવી કેટલીય કલાકૃતિઓ, અને આપણી ઘણી બધી પ્રાચીન ધરોહરોની ‘ઘર વાપસી’ થઈ છે. આ દિશામાં, આજે, ભારત કેટલાય દેશો સાથે મળીને કામ પણ કરી રહ્યું છે.
મને વિશ્વાસ છે જ્યારે આપણે આપણા વારસા પર ગર્વ કરીએ છીએ તો દુનિયા પણ તેનું સન્માન કરે છે, અને તેનું જ પરિણામ છે કે આજે વિશ્વના કેટલાય દેશો આપણે ત્યાંથી ગઈ હોય, તેવી કલાકૃતિઓ આપણને પાછી આપી રહ્યા છે.
મારા પ્રિય સાથીઓ, જો હું પૂછું કે કોઈ બાળક કઈ ભાષા સૌથી સરળતાથી અને જલ્દી શીખે છે – તો તમારો જવાબ હશે ‘માતૃભાષા’. આપણા દેશમાં લગભગ વીસ હજાર ભાષાઓ અને બોલીઓ છે અને આ બધી જ કોઈ-ને-કોઈની તો માતૃભાષા છે જ છે. કેટલીક ભાષાઓ એવી છે જેનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ તમને એ જાણીને આનંદ થશે, કે તે ભાષાઓને સંરક્ષિત કરવા માટે, આજે, અનોખો પ્રયાસ થઈ રહ્યો છે. આવી જ એક ભાષા છે આપણી ‘સંથાલી’ ભાષા. ‘સંથાલી’ને digital Innovationની મદદથી નવી ઓળખ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘સંથાલી’ આપણાં દેશના કેટલાય રાજ્યોમાં રહેતા સંથાલ જનજાતી સમુદાયના લોકો બોલે છે. ભારત સિવાય બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનમાં પણ સંથાલી બોલનાર આદિવાસી સમુદાય જોવા મળે છે. સંથાલી ભાષાની online ઓળખ તૈયાર કરવા માટે ઓરિસ્સાના મયુરભંજમાં રહેનારા શ્રીમાન રામજીત ટુડુ એક અભિયાન ચલાવી રહ્યા છે. રામજીતજી એ એક એવું digital platform તૈયાર કર્યું છે, જ્યાં સંથાલી ભાષા સાથે જોડાયેલા સાહિત્યને વાંચી શકાય છે અને સંથાલી ભાષામાં લખી શકાય છે. ખરેખર તો કેટલાક વર્ષો પહેલા રામજીતજી એ મોબાઈલ ફોનનો ઉપયોગ શરૂ કર્યો તો તેઓ એ વાતથી દુખી થયા કે પોતાની માતૃભાષામાં સંદેશ નથી મોકલી શકતા. તેના પછી તેઓ ‘સંથાલી ભાષા’ની લિપિ ‘ઓલ ચિકી’ને ટાઇપ કરવાની સંભાવનાઓ શોધવા લાગ્યા.પોતાના અમુક મિત્રોની મદદ થી તેમણે ‘ઓલ ચિકી’માં ટાઇપ કરવાની ટૅક્નિક વિકસિત કરી લીધી. આજે તેમના પ્રયાસો દ્વારા ‘સંથાલી’ ભાષામાં લખાયેલ લેખ લાખો લોકો સુધી પહોંચી રહ્યા છે.
સાથીઓ, જ્યારે આપણા દૃઢ સંકલ્પની સાથે સામૂહિક ભાગીદારીનો સંગમ થાય છે તો આખા સમાજ માટે અદભૂત પરિણામો સામે આવે છે. જેનો સૌથી તાજું ઉદાહરણ છે ‘એક પેડ માં કે નામ’ – આ અભિયાન અદભૂત અભિયાન રહ્યું, જન-ભાગીદારીનું આવું ઉદાહરણ ખરેખર ખૂબ જ પ્રેરિત કરનારું છે. પર્યાવરણ સંરક્ષણને લઈને શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં દેશના ખૂણે-ખૂણે લોકોએ કમાલ કરી બતાવી. ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાએ લક્ષ્ય કરતાં વધુ સંખ્યામાં છોડ-રોપણ કરી નવો રેકોર્ડ બનાવ્યો. આ અભિયાનના હેઠળ ઉત્તર પ્રદેશમાં 26 કરોડથી વધારે છોડ રોપવામાં આવ્યા. ગુજરાતનાં લોકોએ 15 કરોડથી વધારે છોડ રોપ્યા. રાજસ્થાનમાં માત્ર ઑગસ્ટ મહિનામાં જ 6 કરોડથી વધુ છોડ રોપવામાં આવ્યા. દેશની હજારો શાળાઓ પણ આ અભિયાનમાં જોર-શોરથી ભાગ લઈ રહી છે.
સાથીઓ, આપણા દેશમાં વૃક્ષ ઉગાડવાથી જોડાયેલા કેટલાય ઉદાહરણો સામે આવતા રહે છે. આવું જ એક ઉદાહરણ છે તેલંગાણાના કે.એન.રાજશેખરજીનું. વૃક્ષો રોપવા પાછળની તેમની પ્રતિબદ્ધતા આપણને સૌને આશ્ચર્યચકિત કરી દે છે. લગભગ ચાર વર્ષ પહેલા તેમણે વૃક્ષો વાવવાની ઝુંબેશ શરૂ કરી. તેમણે નક્કી કર્યું કે દરરોજ એક વૃક્ષ તો જરૂર લગાવશે. તેમણે આ ઝુંબેશનું કઠોર વ્રતની જેમ પાલન કર્યું. તેઓ 1500થી વધુ છોડ વાવી ચૂક્યા છે. સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે એક અકસ્માતનો શિકાર થવા છતાં પણ તેઓ પોતાના સંકલ્પથી ડગ્યા નહીં. હું આવા બધા જ પ્રયાસોની હૃદયથી પ્રસંશા કરું છું. મારો તમને પણ આગ્રહ છે કે ‘એક પેડ માં કે નામ’ આ પવિત્ર અભિયાન સાથે તમે જરૂર જોડાવો.
મારા પ્રિય સાથીઓ, તમે જોયું હશે, આપણી આસ-પાસ કેટલાક લોકો એવા હોય છે જેઓ મુશ્કેલીમાં પણ ધૈર્ય નથી ખોતા, પરંતુ તેનાથી શીખે છે. આવી જ એક મહિલા છે સુબાશ્રી, જેમને પોતાના પ્રયાસથી, દુર્લભ અને ખૂબ જ ઉપયોગી જડી-બુટીઓનો એક અદભૂત બગીચો તૈયાર કર્યો છે. તેઓ તમિલનાડુના મદુરાઇના રહેનારા છે. એમતો વ્યવસાયે તેઓ શિક્ષક છે, પણ ઔષધીય વનસ્પતિઓ, Medical Herbsના પ્રત્યે તેમને ઊંડી લાગણી છે. તેમની આ લાગણી 80ના દશકમાં ત્યારે શરૂ થઈ, જ્યારે એક વાર, તેમના પિતાને ઝેરી સાપ કરડી ગયો. ત્યારે પારંપરિક જડી-બુટીઓએ તેમના પિતાની તબિયત સુધારવામાં ઘણી મદદ કરી હતી. આ ઘટના પછી તેમણે પારંપરિક ઔષધિઓ અને જડીબુટીઓની શોધ શરૂ કરી. આજે મદુરાઇના વેરિચિયુર ગામમાં તેમનો અનોખો Herbal Garden છે, જેમાં 500થી વધારે ઔષધીય છોડ છે. પોતાના આ બગીચાને તૈયાર કરવા માટે તેઓએ ખૂબ મહેનત કરી છે. એક-એક છોડ શોધવા તેમણે દૂર-દૂરની યાત્રાઓ કરી, માહિતીઓ એકઠી કરી અને કેટલીક વાર બીજા લોકોની મદદ પણ માંગી. કોવિડના સમયે તેમણે Immunity વધારનારી જડી-બુટીઓ લોકો સુધી પહોંચાડી. આજે તેમના Herbal Garden ને જોવા લોકો દૂર-દૂરથી આવે છે. તેઓ બધાને herbal છોડની માહિતી અને ઉપયોગ વિષે જણાવે છે. સુબાશ્રી આપણા એ પારંપરિક વારસાને આગળ લઈ જઈ રહી છે, જે સેંકડો વર્ષોથી આપણી સંસ્કૃતિનો ભાગ છે. તેમનો Herbal Garden આપણા અતીત ને ભવિષ્યની સાથે જોડે છે. તેમને આપણી ખૂબ બધી શુભકામનાઓ.
સાથીઓ, બદલાતા આ સમયમાં Nature of Jobs બદલાઈ રહી છે અને નવા-નવા સેક્ટર ઊભરી રહ્યા છે. જેમકે Gaming, Animation, Reel Making, Film Making કે Poster Making. જો આમાંથી કોઈ skillમાં તમે સારું પ્રદર્શન કરી શકો છો તો તમારા Talentને બહુ મોટો મંચ મળી શકે છે, જો તમે કોઈ Band સાથે જોડાઓ છો કે પછી Community Radio માટે કામ કરો છો, તો પણ તમારા માટે ખૂબ મોટો અવસર છે.
તમારા Talent અને Creativityને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ‘Create in India’ આ theme હેઠળ 25 Challenges શરૂ કરી છે. આ Challenges તમને જરૂર રસપ્રદ લાગશે. કેટલીક Challenges તો Music, Education અને અહિયાં સુધી કે Anti-Piracy પર પણ Focused છે. આ આયોજનમાં ઘણા બધા Proffesional Organization પણ સામેલ છે, જે, આ Challengesને પોતાનો પૂરો support આપી રહ્યા છે. આમાં સામેલ થવા માટે તમે wavesindia.org પર login કરી શકો છો. દેશ-બહારના creatorsને મારો વિશેષ આગ્રહ છે કે તેઓ આમાં જરૂર ભાગ લે અને પોતાની creativityને સામે લાવે.
મારા પ્રિય દેશવાસીઓ, આ મહિને એક વધુ મહત્વપૂર્ણ અભિયાનને 10 વર્ષ પૂરા થાય છે. આ અભિયાનની સફળતામાં, દેશના મોટા ઉધ્યોગોથી લઈને નાના દુકાનદારો સુધીનું યોગદાન સામેલ છે. હું વાત કરું છું ‘Make In India’ની. આજે મને આ જોઈને ખૂબ જ ખુશી મળે છે, કે ગરીબ, મધ્યમ વર્ગ અને MSMEsને આ અભિયાનથી ખૂબ ફાયદો મળી રહ્યો છે. આ અભિયાને દરેક વર્ગના લોકોને પોતાનું Talent સામે લાવવાનો અવસર આપ્યો છે. આજે ભારત Manufacturingનું powerhouse બન્યું છે અને દેશની યુવા-શક્તિના લીધે દુનિયા-ભરની દૃષ્ટિ આપણા પર છે.Automobiles હોય, Textiles હોય, Aviation હોય, Electronics હોય, કે પછી Defense, દરેક sectorમાં દેશનું export સતત વધી રહ્યું છે. દેશમાં FDIનું સતત વધવું પણ આપણા ‘Make In India’ની સફળતાની ગાથા કહી રહ્યું છે. હવે આપણે મુખ્ય રૂપે બે વસ્તુઓ પર focus કરી રહ્યા છીએ. પહેલું છે ‘Quality’ એટલે કે, આપણા દેશમાં બનેલી વસ્તુઓ global standardની હોય. અને બીજું છે Vocal for Local, એટલે કે, સ્થાનીય વસ્તુઓને વધુમાં વધુ પ્રોત્સાહન મળે. ‘મન કી બાત’માં આપણે #MyProductMyPrideની પણ ચર્ચા કરી. Local Productને પ્રોત્સાહન આપવા માટે દેશના લોકોને કેવી રીતે લાભ થાય છે, તે એક ઉદાહરણથી સમજી શકાય છે.
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં Textileની એક જૂની પરંપરા છે. ‘ભંડારા ટસર સિલ્ક હૅન્ડલૂમ’ (‘Bhandara Tusser Silk Handloom’) ટસર સિલ્ક (Tusser Silk) પોતાની design, રંગ અને મજબૂતી માટે ઓળખાય છે. ભંડારાના કેટલાક ભાગોમાં 50થી વધુ ‘Self Help Group’, આને સંરક્ષિત કરવાના કામમાં લાગેલા છે. આમાં મહિલાઓની બહુ મોટી ભાગીદારી છે. આ Silk ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે અને સ્થાનીય સમુદાયોને સશક્ત બનાવી રહ્યું છે, અને આ જ તો ‘Make in India’ની spirit છે.
સાથીઓ, તહેવારોની આ ઋતુમાં તમે ફરીથી પોતાના જૂના સંકલ્પને પણ જરૂરથી પુનરાવર્તિત કરો. કઈં પણ ખરીદીશું, તે, ‘Made in India’, જ હોવું જોઈએ, કોઈ પણ gift આપીશું, તે પણ ‘Made in India’ હોવું જોઈએ. માત્ર માટીના દીવા ખરીદવા જ ‘Vocal for Local’ નથી. તમારે તમારા ક્ષેત્રમાં બનેલા સ્થાનિય ઉત્પાદનોને વધુમાં વધુ promote કરવું જોઈએ. એવી કોઈ પણ product, જેને બનાવવા માટે ભારતના કોઈ કારીગરનો પરસેવો પડ્યો હોય, જે ભારતની માટીમાં બની હોય, તે આપણું ગૌરવ છે – આપણે આ જ ગૌરવ પર ચાર ચાંદ લગાવવાના છે.
સાથીઓ, ‘મન કી બાત’ના આ episodeમાં મને તમારી સાથે જોડાઈને ખૂબ સારું લાગ્યું. આ કાર્યક્રમથી સંકળાયેલા તમારા વિચાર અને સલાહ અમને જરૂર મોકલાવજો. મને તમારા પત્રો અને સંદેશાઓની પ્રતિક્ષા રહેશે. થોડા જ દિવસો પછી તહેવારોની season શરૂ થવાની છે. નવરાત્રી સાથે એની શરૂઆત થશે અને પછી આવતા બે મહિના સુધી પૂજા-પાઠ, વ્રત-તહેવાર, ઉમંગ-ઉલ્લાસ, ચારો તરફ, આ જ વાતાવરણ છવાયેલું રહેશે. હું આવનાર તહેવારોની આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપ સૌ, પોતાના પરિવાર અને પોતાના પ્રિયજનો સાથે તહેવારનો ખૂબ આનંદ ઉઠાવો, અને બીજાઓને પણ, પોતાના આનંદમાં સહભાગી બનાવો. આવતા મહિને ‘મન કી બાત’ કઇંક વધુ નવા વિષયોની સાથે તમારાથી જોડાશે. તમારા સૌનો ખૂબ-ખૂબ આભાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં, એક વાર ફરી, મારા બધા પરિવારજનોનું સ્વાગત છે. આજે એક વાર ફરી વાત થશે, દેશની ઉપલબ્ધિઓની, દેશના લોકોના સામૂહિક પ્રયાસોની. 21મી સદીના ભારતમાં ઘણું બધું એવું થઈ રહ્યું છે જે વિકસિત ભારતનો પાયો મજબૂત કરી રહ્યો છે. જેમ કે, આ 23 ઑગસ્ટે જ આપણે બધા દેશવાસીઓએ પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મનાવ્યો. મને વિશ્વાસ છે કે તમે બધાએ આ દિવસનેઉજવ્યો હશે, એક વાર ફરી ચંદ્રયાન-૩ની સફળતાનો ઉત્સવ મનાવ્યો હશે. ગયા વર્ષે આ દિવસે ચંદ્રયાન-૩એ ચંદ્રના દક્ષિણ ભાગમાં શિવ-શક્તિ પૉઇન્ટ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. ભારત આ ગૌરવપૂર્ણ ઉપલબ્ધિને પ્રાપ્ત કરનારો દુનિયાનો પહેલો દેશ બન્યો.
સાથીઓ, દેશના યુવાઓને સ્પેસ સેક્ટર રિફૉર્મથી પણ ઘણો ફાયદો થયો છે. આથી મેં વિચાર્યું કે, શા માટે 'મન કી બાત'માં અંતરિક્ષ ક્ષેત્ર સાથે જોડાયેલા મારા કેટલાક યુવા સાથીઓ સાથે વાત ન કરવામાં આવે. મારી સાથે વાત કરવા માટે Spacetech Start-Up GalaxEyeની ટીમ જોડાઈ રહી છે. આ સ્ટાર્ટ અપને IIT Madrasના alumnniએ શરૂ કર્યું હતું. આ બધા નવયુવાનો આજે આપણી સાથે ફૉન લાઇન પર ઉપસ્થિત છે - સૂયશ, ડેનિલ, રક્ષિત, કિશન અને પ્રનિત. આવો, આ યુવાઓના અનુભવોને જાણીએ.
પ્રધાનમંત્રીજી : હેલ્લો
બધા યુવાનો: હેલ્લો.
પ્રધાનમંત્રીજી: નમસ્તે જી.
બધા યુવાનો (એક સાથે): નમસ્કાર સર.
પ્રધાનમંત્રીજી: અચ્છા સાથીઓ, મને એ જોઈને આનંદ થાય છે કે આઈઆઈટી મદ્રાસ દરમિયાન થયેલી તમારી મિત્રતા આજે પણ મજબૂતી સાથે ટકેલી છે. આ જ કારણ છે કે તમે મળીને GalaxEyeશરૂ કરવાનો નિર્ણય કર્યો. અને હું આજે જરા તે વિષયમાં પણ જાણવા ઇચ્છું છું. આ વિશે જણાવો. આ સાથે જ એ પણ જણાવો કે તમારી ટૅક્નૉલૉજીથી દેશને કેટલો લાભ થવાનો છે.
સૂયશ: જી, મારું નામ સૂયશ છે. અમે લોકો સાથમાં, જેમ તમે કહ્યું, બધા લોકો આઈઆઈટી-મદ્રાસમાં મળ્યા. ત્યાં અમે બધા ભણી રહ્યા હતા, અલગ-અલગ વર્ષમાં હતા. એન્જિનિયરિંગ કર્યું. અને તે જ સમયે અમે લોકોએ વિચાર્યું કે એક Hyperloop નામનો એક પ્રૉજેક્ટ છે. અમે ઇચ્છતા હતા કે આ અમે સાથે કરીશું. તે દરમિયાન અમે એક ટીમની શરૂઆત કરી, તેનું નામ હતું 'આવિષ્કાર હાઇપરલૂપ' જેને લઈને અમે લોકો અમેરિકા પણ ગયા. તે વર્ષે અમે એશિયાની એક માત્ર ટીમ હતા, જે ત્યાં ગઈ અને આપણા દેશનો જે ઝંડો છે તેને અમે ફરકાવ્યો. અને અમે ટોચની ૨૦ ટીમોમાં હતા જે out of around 1,500 teams around the world.
પ્રધાનમંત્રીજી: ચાલો. આગળ સાંભળતા પહેલાં આના માટે અભિનંદન આપી દઉં હું...
સૂયશ: ખૂબ-ખૂબ ધન્યવાદ આપનો. આ ઉપલબ્ધિ દરમિયાન અમારા લોકોની મિત્રતા ઘણી ગાઢ થઈ અને આ રીતે અઘરાપ્રૉજેક્ટ્સ અને ટફપ્રૉજેક્ટ્સ કરવાનો આત્મવિશ્વાસ પણ આવ્યો. અને તે દરમિયાન SpaceXને જોઈને અને સ્પેસનું જે આપે જે open up કર્યું એક ખાનગીકરણને, જે 2020માં એક સીમાચિહ્ન નિર્ણય પણ આવ્યો. તેના વિશે અમે લોકો ઘણા ઉત્સાહિત હતા. અને હું રક્ષિતનેઆમંત્રવા માગીશ બોલવા માટે કે અમે શું બનાવી રહ્યા છીએ અને તેનો લાભ શું છે?
રક્ષિત: જી, તો મારું નામ રક્ષિત છે. અને આ ટૅક્નૉલૉજી આપણને શું લાભ થશે ? તેનો હું ઉત્તર આપીશ.
પ્રધાનમંત્રીજી: રક્ષિત, તમે ઉત્તરાખંડમાં ક્યાંથી છો ?
રક્ષિત: સર, હું અલ્મોડાથી છું.
પ્રધાનમંત્રીજી: તો બાલ મીઠાઈવાળા છો તમે?
રક્ષિત: જી સર. જી સર. બાલ મીઠાઈ અમારી ફેવરિટ છે.
પ્રધાનમંત્રીજી: આપણા જે લક્ષ્ય સેન છે ને, તેઓ મારા માટે નિયમિત રીતે બાલ મીઠાઈ ખવડાવતા રહે છે, નિયમિત રીતે. હા રક્ષિત, જણાવો.
રક્ષિત: તો આપણી જે આ ટૅક્નૉલૉજી છે, તે અંતરિક્ષનાંવાદળોની આર-પાર જોઈ શકે છે અને તે રાતમાં પણ જોઈ શકે છે તો આપણે તેનાથી દેશના કોઈ પણ ખૂણાની ઉપરથી રોજ એક સ્પષ્ટ તસવીર પાડી શકીએ છીએ. અને આ જે ડેટા આપણી પાસે આવશે તેનો ઉપયોગ આપણે બે ક્ષેત્રમાં વિકાસ માટે કરીશું. પહેલું
છે, ભારતને અત્યંત સુરક્ષિત બનાવવું. આપણી જે સીમા છે, અને આપણા જે મહાસાગર છે, સમુદ્ર છે, તેના ઉપર રોજ આપણે નિરીક્ષણ કરીશું. અને શત્રુનીપ્રવૃત્તિઓની પર નજર રાખીશું અને આપણા સશસ્ત્ર દળોને ગુપ્ત માહિતી આપીશું. અને બીજું છે, ભારતના ખેડૂતોને સશક્ત બનાવવા. તો આપણે ઑલરેડી એક પ્રૉડક્ટ બનાવી છે ભારતના ઝીંગા ખેડૂતો માટે જે અંતરિક્ષથી તેમની તળાવડીના પાણીની ગુણવત્તા માપી શકે છે, અત્યારના ખર્ચના 1/10મા ભાગમાં. અને આપણે ઇચ્છીએ છીએ કે આગળ જઈને આપણે દુનિયા માટે શ્રેષ્ઠ ગુણવત્તાની સેટેલાઇટ ઇમેજ જનરેટ કરીએ અને જે વૈશ્વિક પ્રશ્નો છે, ગ્લૉબલવૉર્મિંગ જેવા, તેની સામે લડવા માટે આપણે દુનિયાને શ્રેષ્ઠ ગુણવત્તાનો સેટેલાઇટ ડેટા આપીએ.
પ્રધાનમંત્રીજી: તેનો અર્થ થયો કે તમારી ટોળી જય જવાન પણ કરશે, જય કિસાન પણ કરશે.
રક્ષિત: જી સર, બિલકુલ.
પ્રધાનમંત્રીજી: સાથીઓ, તમે આટલું સારું કામ કરી રહ્યા છો, હું એ પણ જાણવા માગું છું કે તમારી આ ટૅક્નૉલૉજીની ચોકસાઈ કેટલી છે?
રક્ષિત: સર, આપણે પચાસ સેન્ટીમીટરથીઓછાનારિઝૉલ્યૂશન સુધી જઈ શકીશું અને આપણે એક વારમાં લગભગ 300 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારની તસવીર લઈ શકીશું.
પ્રધાનમંત્રીજી: ચાલો, હું સમજું છું કે આ વાત જ્યારે દેશવાસીઓ સાંભળશે તો તેમને ખૂબ ગર્વ થશે. પરંતુ હું એક બીજો પ્રશ્ન પૂછવા માગીશ.
રક્ષિત: જી સર.
પ્રધાનમંત્રીજી: Space ecosystem ખૂબ જ vibrant થઈ રહી છે. હવે તમારી ટીમ તેમાં શું પરિવર્તન જોઈ રહી છે?
કિશન: મારું નામ કિશન છે, અમે આ GalaxEye શરૂ થયા પછી જ અમે In-SPACe આવતા જોયું છે અને ઘણી બધી નીતિઓ આવતા જોઈ છે, જેમ કે 'Geo-Spatial Data Policy' અને 'India Space Policy' અને અમે છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણું પરિવર્તન થતા જોયું છે અને ઘણી પ્રક્રિયાઓ અને ઘણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઘણી સુવિધાઓ ઇસરોની આ પ્રાપ્ત થઈ છે અને ઘણી સારી રીતે થઈ છે. જેમ કે અમે ઇસરોમાં જઈને ટેસ્ટિંગ કરી શકીએ છીએ અમારા હાર્ડવૅરનું, તે ઘણી સરળ રીતે અત્યારે થઈ શકે છે. ત્રણ વર્ષ પહેલાં તે પ્રક્રિયાઓ આટલી નહોતી અને આ ઘણું મદદરૂપ રહ્યું છે અમારા માટે અને સ્ટાર્ટ અપ માટે પણ. અને તાજેતરમાં એફડીઆઈ નીતિઓના કારણે અને આ સુવિધાઓ પ્રાપ્ત થવાના કારણે અને સ્ટાર્ટ અપ આવવાના કારણે ઘણી પ્રોત્સાહક છે અને આવાં સ્ટાર્ટ અપ આવીને ઘણી સરળતાથી અને ઘણી સારી રીતે વિકાસ કરી શકે છે આવા ક્ષેત્રમાં જેમાં સામાન્ય રીતે વિકાસ કરવો ઘણો ખર્ચાળ અને સમય માગી લે તેવો હોય છે. But current polices અને In-SPACe આવ્યા પછી ઘણી ચીજો સરળ થઈ છે સ્ટાર્ટ-અપ માટે. મારા મિત્ર ડેનિલ ચાવડા પણ કંઈક બોલવા ઇચ્છતા હશે.
પ્રધાનમંત્રીજી: ડેનિલ, કહો...
ડેનિલ: સર, અમે એક બીજી ચીજ નોંધી છે. અમે જોયું છે કે જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે, તેમની વિચારસરણીમાં પરિવર્તન જોયું છે. તેઓ પહેલાં બહાર જઈને ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા હતા અને ત્યાં કામ કરવા ઇચ્છતા હતા. અને અંતરિક્ષ ક્ષેત્રમાં, પરંતુ હવે ભારતમાં એક space eco system ઘણી સારી રીતે આવી રહ્યું છે તો, આ કારણથી તેઓ ભારત પાછા આવીને આ ઇકૉ સિસ્ટમના ભાગ બનવા ઇચ્છે છે. તો, આ ઘણો સારો ફીડબૅક અમને મળ્યો છે અને અમારી પોતાની કંપનીમાં કેટલાક લોકો પાછા આવીને કામ કરી રહ્યા છે આ કારણે.
પ્રધાનમંત્રીજી: મને લાગે છે કે તમે જે બંને પાસાં કહ્યાં, કિશન અને ડેનિલ બંનેએ, હું અવશ્ય માનું છું કે ઘણા બધા લોકોનું આ તરફ ધ્યાન નહીં ગયું હોય કે એક ક્ષેત્રમાં જ્યારે સુધારો થાય છે તો તે સુધારાની કેટલી બધી અસરો થાય છે, કેટલા લોકોને લાભ થાય છે અને જે તમારા વર્ણનથી, કારણકે તમે તે ફીલ્ડમાં છો, તો તમારા ધ્યાનમાં અવશ્ય આવે છે અને તમે નોંધ્યું પણ છે કે દેશના યુવાનો હવે આ ફીલ્ડમાં અહીં જ પોતાનું ભવિષ્ય અજમાવવા માગે છે, પોતાની પ્રતિભાનો ઉપયોગ કરવા માગે છે. ઘણું સારું અવલોકન છે તમારું. એક બીજો પ્રશ્ન હું પૂછવા ઇચ્છીશ, તમે એ યુવાનોને શું સંદેશ આપવા માગશો જે સ્ટાર્ટ અપ અને અંતરીક્ષ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છે છે?
પ્રનિત: હું પ્રનિત વાત કરી રહ્યો છું અને હું પ્રશ્નનો ઉત્તર આપીશ.
પ્રધાનમંત્રીજી: હા પ્રનિત, કહો.
પ્રનિત: સર, હું મારા કેટલાંક વર્ષોના અનુભવથી બે બાબતો બોલવા ઇચ્છીશ. સૌથી પહેલી કે જો તમારે સ્ટાર્ટ અપ કરવું હોય તો આ જ તક છે કારણકે સમગ્ર દુનિયામાં ભારત આજે તે દેશ છે જે વિશ્વનો સૌથી ઝડપી રીતે વિકસતું અર્થતંત્ર છે અને તેનો અર્થ એ થયો કે આપણી પાસે તકો ઘણી બધી છે. જેમ હું ૨૪ વર્ષની વયમાં એ વિચારીને ગર્વ અનુભવું છું કે આગામી વર્ષે અમારો એક ઉપગ્રહ લૉંચ થશે. જેના આધારે આપણી સરકાર કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેશે અને તેમાં અમારું એક નાનું એવું પ્રદાન પણ છે. આવી કેટલીક રાષ્ટ્રીય અસરના પ્રૉજેક્ટ્સમાં કામ કરવા મળે, આ આવો ઉદ્યોગ અને આ એવો સમય છે, given કે આ space industry આજે, અત્યાર સુધી શરૂ થઈ રહી છે. તો હું મારા યુવા મિત્રોને એમ કહેવા ઇચ્છીશ કે આ opportunity ન માત્ર impact ની, પરંતુ તેમના પોતાના financial growthની અને એક global problem solve કરવાની છે. તો અમે પરસ્પર એ જ વાત કરીએ છીએ કે બાળપણમાં આપણે એમ કહેતા હતા કે મોટા થઈને અભિનેતા બનીશું, ખેલાડી બનીશું, તો અહીં આવી કંઈક ચીજો થતી હતી. પરંતુ આજે આપણે એવું સાંભળીએ કે કોઈ મોટા થઈને એમ કહે છે કે મારે મોટા થઈને enterpreneur બનવું છે, space industryમાં કામ કરવું છે. આ અમારા માટે ઘણી ગર્વની ક્ષણો છે. કે અમે પૂરા પરિવર્તનમાં એક નાનકડો ભાગ ભજવી રહ્યા છીએ.
પ્રધાનમંત્રીજી: સાથીઓ, એક રીતે પ્રનિત, કિશન, ડેનિલ, રક્ષિત સૂયશ જેટલી મજબૂત તમારી મિત્રતા છે, તેટલું જ મજબૂત તમારું સ્ટાર્ટ અપ પણ છે. એટલે જ તો, તમે લોકો આટલું શાનદાર કામ કરી રહ્યા છો. મને કેટલાંક વર્ષો પહેલાં આઈઆઈટી-મદ્રાસ જવાનો અવસર મળ્યો હતો અને મેં તે સંસ્થાની નિપુણતાનો પોતે અનુભવ કર્યો છે. અને આમ પણ, આઈઆઈટીના સંદર્ભમાં પૂરા વિશ્વમાં એક સન્માનનો ભાવ છે અને ત્યાંથી નીકળતા આપણા લોકો જ્યારે ભારત માટે કામ કરે છે તો જરૂર, કંઈ ને કંઈ સારું પ્રદાન કરે છે. તમને બધાને અને અંતરીક્ષ ક્ષેત્રમાં કામ કરનારા બીજાં બધાં સ્ટાર્ટ-અપને મારી ઘણી બધી શુભકામનાઓ છે અને તમે પાંચ સાથીઓ સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું. ચાલો, ખૂબ-ખૂબ ધન્યવાદ મિત્રો.
સૂયશ: Thank you so much!
મારા પ્રિય દેશવાસીઓ, આ વર્ષે મેં લાલ કિલ્લા પરથી રાજકીય પૃષ્ઠભૂમિ વગરના એક લાખ યુવાનોને રાજકારણ સાથે જોડાવાનું આહ્વાન કર્યું છે. મારી આ વાત પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી છે. તેનાથી જાણવા મળે છે કે કેટલી મોટી સંખ્યામાં આપણા યુવાનો રાજનીતિમાં આવવા તૈયાર બેઠા છે. બસ, તેમને સાચી તક અને સાચા માર્ગદર્શનની શોધ છે.આ વિષય પર મને દેશભરના યુવાનોના પત્રો પણ મળ્યા છે. સૉશિયલ મીડિયા પર પણ જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. લોકોએ મને અનેક પ્રકારનાં સૂચનો પણ મોકલ્યાં છે. કેટલાક યુવાનોએ પત્રમાં લખ્યું છે કે તે તેમના માટે ખરેખર અકલ્પનીય છે. દાદા કે માતાપિતાનો કોઈ રાજકીય વારસો ન હોવાના કારણે, તેઓ રાજનીતિમાં ઇચ્છીને પણ નહોતા આવી શકતા. કેટલાક યુવાનોએ લખ્યું કે તેમની પાસે જમીન સ્તર પર કામ કરવાનો સારો અનુભવ છે, આથી, તેઓ લોકોની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. કેટલાક યુવાનોએ એ પણ લખ્યું કે પરિવારવાદી રાજનીતિ નવી પ્રતિભાઓનું દમન કરી દે છે. કેટલાક યુવાનોએ કહ્યું કે આ પ્રકારના પ્રયાસોથી આપણા લોકતંત્રને વધુ મજબૂતી મળશે. હું આ વિષય પર સૂચન મોકલવા માટે દરેકનો ધન્યવાદ કરું છું. મને આશા છે કે હવે આપણા સામૂહિક પ્રયાસોથી એવા યુવાનો, જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી, તેઓ પણ રાજનીતિમાં આગળ આવી શકશે, તેમનો અનુભવ અને તેમનો જોશ, દેશને કામમાં આવશે.
સાથીઓ, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પણ સમાજના દરેક ક્ષેત્રમાંથી આવા અનેક લોકો સામે આવ્યા હતા, જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નહોતી. તેમણે પોતાને ભારતની સ્વતંત્રતા માટે સમર્પિત કરી દીધા હતા. આજે આપણે વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એક વાર ફરી તે ભાવનાની આવશ્યકતા છે. હું મારા બધા યુવા સાથીઓને કહીશ કે આ અભિયાન સાથે જરૂર જોડાવ. તમારું આ પગલું તમારા અને દેશના ભવિષ્યને બદલનારું હશે.
મારા પ્રિય દેશવાસીઓ, 'હર ઘર તિરંગા' અને 'પૂરા દેશ તિરંગા' આ વખતે આ અભિયાન પોતાની પૂરી ઊંચાઈ પર રહ્યું. દેશના ખૂણેખૂણેથી આ અભિયાન સાથે જોડાયેલી અદ્બુત તસવીરો સામે આવી છે.આપણે ઘરો પર તિરંગો લહેરાતો જોયો- શાળા, કૉલેજ, યુનિવર્સિટીમાં તિરંગો જોયો. લોકોએ પોતાની દુકાનો, કાર્યાલયોમાં તિરંગો જોયો, લોકોએ પોતાના ડેસ્કટૉપ, મોબાઇલ અને ગાડીઓમાં પણ તિરંગો લહેરાવ્યો. જ્યારે લોકો એક સાથ જોડાઈને પોતાની ભાવના પ્રગટ કરે છે તો આ રીતે દરેક અભિયાનને ચાર ચાંદ લાગી જાય છે. હવે તમે તમારા ટીવી સ્ક્રીન પર જે તસવીરો જોઈ રહ્યા છો, તે જમ્મુ-કાશ્મીરના રિયાસીની છે. ત્યાં 750 મીટર લાંબા ઝંડા સાથે તિરંગા રેલી કાઢવામાં આવી હતી અને આ રેલી દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજ પર કાઢવામાં આવી હતી. જેણે પણ આ તસવીરોને જોઈ, તેમનું મન ખુશીથી ઝૂમી ઊઠ્યું. શ્રીનગરના ડલ સરોવરમાં પણ તિરંગા યાત્રાની મનમોહક તસવીરો આપણે બધાએ જોઈ. અરુણાચલ પ્રદેશના ઇસ્ટ કામેંગ જિલ્લામાં પણ 600 ફીટ લાંબા તિરંગા સાથે યાત્રા કાઢવામાં આવી. દેશનાં અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે, દરેક આયુના લોકો, આવી તિરંગા યાત્રાઓમાં સહભાગી થયા. સ્વતંત્રતા દિવસ હવે એક સામાજિક પર્વ પણ બનતો જઈ રહ્યો છે, તે, તમે પણ અનુભવ્યું હશે. લોકો પોતાનાં ઘરોને તિરંગા માળાથી સજાવે છે. 'સ્વયં સહાયતા સમૂહ' સાથે જોડાયેલી મહિલાઓ લાખો ધ્વજ તૈયાર કરે છે. ઇ-કૉમર્સ પ્લેટફૉર્મ પર તિરંગામાં રંગાયેલા સામાનનું વેચાણ વધી જાય છે. સ્વતંત્રતા દિવસના અવસર પર દેશના દરેક ખૂણે, જલ-થલ-નભ- બધી જગ્યાએ આપણા ઝંડાના ત્રણ રંગો દેખાયા. હર ઘર તિરંગા વેબસાઇટ પર પાંચ કરોડથી વધુ સેલ્ફીઓ પણ પૉસ્ટ કરવામાં આવી. આ અભિયાને પૂરા દેશને એક સૂત્રમાં બાંધી દીધો છે અને આ જ તો 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' છે.
મારા પ્રિય દેશવાસીઓ, માનવીઓ અને પ્રાણીઓના પ્રેમ પર તમે ઘણી બધી ફિલ્મો જોઈ હશે. પરંતુ એક સાચી કથા આજકાલ આસામમાં બની રહી છે. આસામના તિનસુકિયા જિલ્લાના નાનકડા ગામ બારેકુરીમાં, મોરાનસમુદાયના લોકો રહે છે અને આ જ ગામમાં રહે છે, 'હૂલૉકગિબન', જેમને અહીં 'હોલો બંદર' કહેવાય છે. હુલૉકગિબનોએ આ ગામને જ પોતાનું રહેઠાણ બનાવી લીધું છે. તમને જાણીને આશ્ચર્ય થશે- આ ગામના લોકોનો હુલૉકગિબન સાથે ઘણો ગાઢ સંબંધ છે. ગામના લોકો આજે પણ પોતાનાં પારંપરિક મૂલ્યોનું પાલન કરે છે. આથી તેમણે તે બધાં કામ કર્યાં, જેનાથી ગિબનો સાથે તેમના સંબંધ વધુ મજબૂત થાય. તેમને જ્યારે એ અનુભૂતિ થઈ કે ગિબનોને કેળાં બહુ પસંદ છે, તો તેમણે કેળાની ખેતી પણ શરૂ કરી દીધી. તે ઉપરાંત, તેમણે નિશ્ચય કર્યો કે ગિબનોના જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલા રીતિ-રિવાજોને એ જ રીતે પૂરા કરીશું, જેવી રીતે તેઓ પોતાના લોકો માટે કરે છે. તેમણે ગિબનોને નામ પણ આપ્યાં છે. તાજેતરમાં જ ગિબનોને પાસેથી પસાર થઈ રહેલા વીજળીનાતારના કારણે મુશ્કેલીઓ પડતી હતી. આથીઆ ગામના લોકોએ સરકાર સામે આ બાબતને રાખી અને ટૂંક સમયમાં જ તેનું સમાધાન શોધવામાં આવ્યું. મને જણાવવામાં આવ્યું છે કે હવે આ ગિબન તસવીરો માટે પૉઝ પણ આપે છે.
સાથીઓ, પશુઓ પ્રત્યે પ્રેમમાં આપણા અરુણાચલ પ્રદેશના યુવાન સાથીઓ પણ કોઈનાથી પાછળ નથી. અરુણાચલમાં આપણા કેટલાક યુવા સાથીઓએથ્રીડી પ્રિન્ટિંગ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે- ખબર છે કેમ? કારણકે તેઓ, વન્ય જીવોને સિંગડાં અને દાંતો માટે શિકાર થવાથીબચાવવા માગે છે. નાબમ બાપુ અને લિખાનાનાના નેતૃત્વમાં આ ટીમ જાનવરોના અલગ-અલગ હિસ્સાનું થ્રીડી પ્રિન્ટિંગ કરે છે. જાનવરોનાંસિંગડાં હોય, દાંત હોય, આ બધું થ્રીડીપ્રિન્ટિંગથી તૈયાર થાય છે. તેને પછી ડ્રેસ અને ટોપી જેવી ચીજો પહેરાવવામાં આવે છે. આ ગજબનો વિકલ્પ છે જેમાં bio degradable material નો ઉપયોગ થાય છે. આવા અદ્ભુત પ્રયાસોની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે, તેટલી ઓછી છે. હું તો કહીશ કે વધુમાં વધુ સ્ટાર્ટ અપ આ ક્ષેત્રમાં સામે આવે, જેથી આપણા પશુઓની રક્ષા થઈ શકે અને પરંપરા પણ ચાલતી રહે.
મારા પ્રિય દેશવાસીઓ, મધ્ય પ્રદેશના ઝાબુઆમાં, કંઈક આવું જ શાનદાર થઈ રહ્યું છે, જેને તમારે અવશ્ય જાણવું જોઈએ. ત્યાં આપણા સફાઈ કર્મી ભાઈ-બહેનોએ ચમત્કાર કરી દીધો છે. આ ભાઈ-બહેનોએ આપણને 'waste to wealth'નો સંદેશ સચ્ચાઈમાં બદલીને દેખાડ્યો છે. આ ટીમે ઝાબુઆના એક પાર્કમાં કચરાથી અદ્ભુત કલાકૃતિ તૈયાર કરી છે. પોતાના આ કામ માટે, તેમણે આસપાસનાં ક્ષેત્રોમાંથી પ્લાસ્ટિકનો કચરો, ઉપયોગ કરાયેલી બૉટલ, ટાયર અને પાઇપ એકઠાં કર્યાં. આ કલાકૃતિમાં હેલિકૉપ્ટર, કાર અને તોપ પણ સમાવિષ્ટ છે. સુંદર લટકતાં ફ્લાવર પૉટ્સ પણ બનાવવામાં આવ્યાં છે. અહીં ઉપયોગમાં લેવાયેલાં ટાયરોનો ઉપયોગ આરામદાયક બૅન્ચ બનાવવા માટે કરવામાં આવ્યો છે. સફાઈ કામદારોની આ ટીમેreduce, reuse અને recycle નો મંત્ર અપનાવ્યો છે. તેમના પ્રયાસોથી પાર્ક ઘણો જ સુંદર દેખાવા લાગ્યો છે. તેને જોવા માટે સ્થાનિક લોકોની સાથે જ આસપાસના જિલ્લામાં રહેવાવાળા પણ ત્યાં પહોંચી રહ્યા છે.
સાથીઓ, મને પ્રસન્નતા છે કે આજે આપણા દેશમાં અનેક સ્ટાર્ટ-અપ ટીમ પણ પર્યાવરણને ઉત્તેજન આપવા માટે આવા પ્રયાસો સાથે જોડાઈ રહી છે. e-Conscious નામની એક ટીમ છે, જે પ્લાસ્ટિકનાકચરાનો ઉપયોગ પર્યાવરણ મિત્ર ઉત્પાદનો બનાવવામાં કરી રહી છે. તેનો વિચાર તેમને આપણાં પર્યટન સ્થળ, વિશેષ તો, પહાડી વિસ્તારોમાં ફેલાયેલા કચરાને જોઈને આવ્યો. આવા જ લોકોની એક બીજી ટીમે Ecokaari નામથી સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. તે પ્લાસ્ટિકના કચરામાંથી અલગ-અલગ સુંદર ચીજો બનાવે છે.
સાથીઓ, toy recycling પણ આવું જ એક બીજું ક્ષેત્ર છે, જેમાં આપણે મળીને કામ કરી શકીએ છીએ. તમે પણ જાણો છો કે અનેક બાળકો કેટલી ઝડપથી રમકડાંથી કંટાળી જાય છે. બીજી તરફ, એવાં બાળકો પણ છે, જે આ જ રમકડાંનું સપનું જોતાં હોય છે. આવાં રમકડાં જેનાથી તમારાં બાળકો નથી રમતાં, તેમને તમે એવી જગ્યાએ આપી શકો છો, જ્યાં તેમનો ઉપયોગ થતો રહે. આ પણ પર્યાવરણની રક્ષાનો એક સારો રસ્તો છે. આપણે બધા મળીને પ્રયાસ કરીશું ત્યારે જ પર્યાવરણ પણ મજબૂત થશે અને દેશ પણ આગળ વધશે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો પહેલાં 19 ઑગસ્ટે આપણે રક્ષાબંધનનું પર્વ મનાવ્યું. તે દિવસે, પૂરી દુનિયામાં, 'વિશ્વ સંસ્કૃત દિવસ' પણ ઉજવવામાં આવ્યો. આજે પણ દેશવિદેશમાં સંસ્કૃત પ્રત્યે લોકોનો વિશેષ લગાવ જોવા મળે છે. દુનિયાના અનેક દેશોમાં સંસ્કૃત ભાષા માટે જાત-જાતનાં સંશોધનો અને પ્રયોગ થઈ રહ્યાં છે. આગળની વાત કરતા પહેલાં, હું તમારા માટે એક નાની એવી ઑડિયો ક્લિપ વગાડી રહ્યો છું.
### Audio Clip#####
સાથીઓ, આ ઑડિયોનો સંબંધ યુરોપના એક દેશ લિથુએનિયા સાથે છે. ત્યાંના પ્રાધ્યાપક VytisVidunasએ એક અનોખો પ્રયાસ કર્યો છે અને તેને નામ આપ્યું છે - 'સંસ્કૃત On the rivers'. કેટલાક લોકોનું એક ગ્રૂપ ત્યાં નેરિસ નદીના કિનારે એકઠું થયું અને ત્યાં તેમણે વેદો અને ગીતાનો પાઠ કર્યો. ત્યાં આવા પ્રયાસો છેલ્લાં કેટલાંક વર્ષોથી નિરંતર ચાલુ છે. તમે પણ સંસ્કૃતને આગળ વધારવાના આવા પ્રયાસોને સામે લાવતા રહો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા બધાંના જીવનમાં ફિટનેસનું બહુ મહત્ત્વ છે. ફિટ રહેવા માટે આપણે આપણી ખાણીપીણી, રહેણીકરણી બધાં પર ધ્યાન દેવું જરૂરી છે. લોકોને 'ફિટનેસ' પ્રત્યે જાગૃત કરવા માટે 'ફિટ ઇન્ડિયા અભિયાન'ની શરૂઆત કરવામાં આવી. સ્વસ્થ રહેવા માટે આજે દરેક આયુ, દરેક વર્ગના લોકો, યોગને અપનાવી રહ્યા છે. લોકો પોતાની થાળીમાં હવે સુપરફૂડમિલેટ્સ અર્થાત્ શ્રી અન્નને સ્થાન દેવા લાગ્યા છે. આ બધા પ્રયાસોનો ઉદ્દેશ્ય એ જ છે કે દરેક પરિવાર સ્વસ્થ હોય.
સાથીઓ, આપણો પરિવાર, આપણો સમાજ અને આપણો દેશ, અને આ બધાનું ભવિષ્ય, આપણાંબાળકોનાં સ્વાસ્થ્ય પર નિર્ભર છે અને બાળકોનાં સારાં સ્વાસ્થ્ય માટે આવશ્યક છે કે તેમને સાચું પોષણ મળતું રહે. બાળકોનુંન્યૂટ્રિશન દેશની પ્રાથમિકતા છે. આમ તો, તેમના પોષણ પર સમગ્ર વર્ષ આપણું ધ્યાન રહે છે, પરંતુ એક મહિનો, દેશ, તેના પર વિશેષ ધ્યાન આપે છે. આથી દર વર્ષે ૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે પોષણ માહ મનાવવામાં આવે છે. પોષણ અંગે લોકોને જાગૃત કરવા માટે પોષણ મેળો, એનિમિયા શિબિર, નવજાત શિશુઓના ઘરની મુલાકાત, પરિસંવાદો, વેબિનાર જેવા અનેક ઉપાયો કરવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ આંગણવાડી અંતર્ગત mother and child committeeની સ્થાપના પણ કરવામાં આવી છે. આ સમિતિ કુપોષિત બાળકો, ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓનીમાતાઓને ટ્રેક કરે છે, તેમના પર સતત નજર રખાય છે અને તેમના પોષણની વ્યવસ્થા કરવામાં આવે છે. ગત વર્ષે પોષણ અભિયાનને નવી શિક્ષણ નીતિ સાથેપણ જોડવામાં આવ્યું છે. 'પોષણ પણ, અભ્યાસ પણ' આ અભિયાન દ્વારા બાળકોના સંતુલિત વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. તમારે પણ પોતાના ક્ષેત્રમાં પોષણ પ્રત્યે જાગૃતિના અભિયાન સાથે જરૂર જોડાવું જોઈએ. તમારા એક નાના પ્રયાસથી, કુપોષણ વિરુદ્ધ, આ લડાઈમાં ઘણી મદદ મળશે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતની 'મન કી બાત'માં આટલું જ. 'મન કી બાત'માં તમારી સાથે વાત કરવાથી મને સદા ઘણું સારું લાગે છે. એવું લાગે છે કે જાણે હું મારા પરિવારજનો સાથે બેસીને હળવાશભર્યા વાતાવરણમાં મારા મનની વાતો કહી રહ્યો છું. તમારા મન સાથે જોડાઈ રહ્યો છું. તમારા ફીડબૅક, તમારાં સૂચનો, મારા માટે ઘણાં જ મૂલ્યવાન છે. આગામી દિવસોમાં અનેક તહેવાર આવવાના છે. હું, તમને બધાને, તેમની ઘણી શુભકામનાઓઆપું છું. જન્માષ્ટમીનો તહેવાર પણ છે. આગામી મહિનાની શરૂઆતમાં, ગણેશ ચતુર્થીનું પર્વ પણ છે. ઓણમનો તહેવાર પણ નિકટ છે. મિલાદ-ઉન-નબીના પણ અભિનંદન આપું છું.
સાથીઓ, આ મહિને ૨૯ તારીખે 'તેલુગુ ભાષા દિવસ' પણ છે. તે સાચે જ ખૂબ જ અદ્ભુત ભાષા છે. હું દુનિયાભરના બધા તેલુગુભાષીઓને'તેલુગુ ભાષા દિવસ'ની શુભકામનાઓપાઠવું છું.
પ્રપંચ વ્યાપ્તંગાઉન્ન,
તેલુગુવારિકિ,
તેલુગુ ભાષા દિનોસ્તવશુભાકાંક્ષલુ.
સાથીઓ, હું તમને બધાને વરસાદની આ ઋતુમાં સાવધાની રાખવાની સાથે જ 'catch the rain movement' નો હિસ્સો બનવાનો આગ્રહ પણ ફરી કરીશ. હું તમને બધાને 'એક પેડ માં કે નામ' અભિયાનની યાદ અપાવવા માગીશ. વધુમાં વધુ વૃક્ષો વાવો અને બીજાને પણતેનો અનુરોધ કરો. આવનારા દિવસોમાં પેરિસમાંપૅરાઑલંપિક્સ શરૂ થઈ રહ્યા છે. આપણાંદિવ્યાંગ ભાઈ-બહેનો ત્યાં પહોંચ્યાં છે. 140 કરોડ ભારતીય પોતાના એથ્લેટ અને ખેલાડીઓનુંઉત્સાહવર્ધન કરી રહ્યા છે. તમે પણ #cheer4bharatસાથે પોતાના ખેલાડીઓનું પ્રોત્સાહન કરો. આગામી મહિને આપણે એક વાર ફરી જોડાશું અને ઘણા બધા વિષયો પર ચર્ચા કરીશું. ત્યાં સુધી મને વિદાય આપો. ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં તમારું સ્વાગત છે. અભિનંદન છે. આ સમયે પૂરી દુનિયામાં પેરિસ ઑલિમ્પિક છવાયેલો છે. ઑલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો ફરકાવવાનો અવસર આપે છે, દેશ માટે કંઈક કરી દેખાડવાનો અવસર આપે છે. તમે પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારો, Cheer for Bharat!!
સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.
સાથીઓ, આજે 'મન કી બાત'માં મેં આ યુવા વિજેતાઓને વિશેષ રીતે આમંત્રિત કર્યા છે. તેઓ બધા આ સમયે ફૉન પર આપણી સાથે જોડાયેલા છે.
પ્રધાનમંત્રી શ્રી: નમસ્તે સાથીઓ. 'મન કી બાત'માં તમે બધા સાથીઓનું ખૂબ-ખૂબ સ્વાગત છે. તમે બધા કેમ છો?
વિદ્યાર્થીઓ: અમે ઠીક છીએ સર.
પ્રધાનમંત્રી શ્રી: અચ્છા સાથીઓ, 'મન કી બાત' દ્વારા દેશવાસીઓ તમારા બધાના અનુભવો જાણવા ખૂબ જ ઉત્સુક છે. હું શરૂઆત કરું છું આદિત્ય અને સિદ્ધાર્થથી. તમે લોકો પૂણેમાં છો. સહુથી પહેલા હું તમારાથી જ શરૂઆત કરું છું. ઑલિમ્પિયાડ દરમિયાન તમે જે અનુભવ કર્યો છે તે અમને બધાને જણાવો.
આદિત્ય: મને ગણિતમાં બાળપણથી જ રસ હતો. મને છઠ્ઠા ધોરણમાં ગણિતના એમ.પ્રકાશ સર, મારા શિક્ષકે શીખવાડ્યું હતું અને તેમણે ગણિતમાં મારો રસ વધાર્યો હતો. મને શીખવા મળ્યું અને મને તક મળી હતી.
પ્રધાનમંત્રી શ્રી: તમારા સાથીનું શું કહેવું છે?
સિદ્ધાર્થ: સર, હું સિદ્ધાર્થ છું. હું પૂણેથી છું. મેં અત્યારે ધોરણ ૧૨ પાસ કર્યું છે. IMOમાં હું બીજી વાર ગયો હતો. મને પણ ગણિતમાં બાળપણથી જ રસ હતો અને આદિત્ય સાથે જ્યારે હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે એમ.પ્રકાશ સરે અમને બંનેને ટ્રેઇન કર્યા હતા અને બહુ મદદ મળી હતી અમને અને અત્યારે હું કૉલેજ માટે CMI જઈ રહ્યો છું અને ગણિત તથા CS કરી રહ્યો છું.
પ્રધાનમંત્રી શ્રી: અચ્છા મને કહેવામાં આવ્યું છે કે અર્જુન આ સમયે ગાંધીનગરમાં છે અને કનવ તો ગ્રેટર નોએડાના જ છે. અર્જુન અને કનવ, આપણે ઑલિમ્પિયાડ અંગે જે ચર્ચા કરી, પરંતુ તમે બંને અમને પોતાની તૈયારી સાથે જોડાયેલા કોઈ વિષય અને કોઈ વિશેષ અનુભવ જો જણાવશો તો આપણા શ્રોતાઓને સારું લાગશે.
અર્જુન: નમસ્તે સર, જય હિંદ, હું અર્જુન બોલી રહ્યો છું.
પ્રધાનમંત્રી શ્રી: જય હિંદ, અર્જુન.
અર્જુન: હું દિલ્લીમાં રહું છું અને મારી માતા શ્રીમતી આશા ગુપ્તા ફિઝિક્સનાં પ્રૉફેસર છે, દિલ્લી યુનિવર્સિટીમાં અને મારા પિતાજી, શ્રી અમિત ગુપ્તા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હું પણ ખૂબ જ ગૌરવાન્વિત અનુભવી રહ્યો છું કે હું મારા દેશના વડા પ્રધાન શ્રી સાથે વાત કરી રહ્યો છું અને સૌથી પહેલા, હું મારી સફળતાનો શ્રેય મારાં માતાપિતાને દેવા માગીશ. મને લાગે છે કે જ્યારે એક પરિવારમાં કોઈ સભ્ય એક એવી સ્પર્ધાની તૈયારી કરી રહ્યો હોય તો તે માત્ર સભ્યનો સંઘર્ષ નથી રહેતો, પૂરા પરિવારનો સંઘર્ષ બની જાય છે. મૂળભૂત રીતે, અમારી પાસે જે અમારું પેપર હોય છે તેમાં અમારી પાસે ત્રણ પ્રૉબ્લેમ માટે સાડા ચાર કલાક હોય છે, તો એક પ્રૉબ્લેમ માટે દોઢ કલાક- તો આપણે સમજી શકીએ કે આપણી પાસે એક પ્રૉબ્લેમ સૉલ્વ કરવા માટે કેટલો સમય હોય છે. તો અમારે ઘરમાં, ખૂબ મહેનત કરવી પડે છે. અમારે પ્રૉબ્લેમ સૉલ્વ કરવા કલાકોના કલાકો આપવા પડે છે, ક્યારેક તો એક-એક પ્રૉબ્લેમ માટે એક દિવસ, અથવા તો ત્યાં સુધી કે ત્રણ દિવસ પણ લાગી જાય છે. તો તે માટે અમારે ઑનલાઇન પ્રૉબ્લેમ શોધવા પડે છે. અમે ગયા વર્ષના પ્રૉબ્લેમ ટ્રાય કરીએ છીએ અને એ જ રીતે, જેમ-જેમ અમે ધીરે-ધીરે મહેનત કરતા જઈએ છીએ, તેનાથી અમારો અનુભવ વધે છે, અમારી સૌથી આવશ્યક ચીજ, અમારી પ્રૉબ્લેમ સૉલ્વિંગ એબિલિટી વધે છે, જે માત્ર મેથેમેટિક્સમાં જ નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં મદદ કરે છે.
પ્રધાનમંત્રી શ્રી: અચ્છા, મને કનવ કહી શકે છે, કોઈ વિશેષ અનુભવ હોય, આ બધી તૈયારીમાં કોઈ ખાસ જે આપણા નવયુવાન સાથીઓને ખૂબ સારું લાગે જાણીને.
કનવ તલવાર: મારું નામ કનવ તલવાર. હું ગ્રેટર નોએડા ઉત્તર પ્રદેશમાં રહું છું અને ધોરણ ૧૧નો વિદ્યાર્થી છું. ગણિત મારો મનપસંદ વિષય છે. અને મને બાળપણથી ગણિત ખૂબ જ પસંદ છે. બાળપણમાં મારા પિતા મને પઝલ્સ કરાવતા હતા. તેનાથી મારી રુચિ વધતી ગઈ. મેં ઑલિમ્પિયાડની તૈયારી સાતમા ધોરણથી શરૂ કરી હતી. તેમાં મારી બહેનનું ખૂબ જ મોટું યોગદાન છે. અને મારાં માતાપિતાએ પણ મને હંમેશાં ટેકો આપ્યો. આ ઑલિમ્પિયાડનું સંચાલન HBCSE કરે છે. અને તેમાં પાંચ તબક્કાની પ્રક્રિયા હોય છે. ગત વર્ષે હું ટીમમાં પસંદ નહોતો થયો અને હું ઘણો નજીક હતો તેમજ ટીમમાં ન હોવાથી ખૂબ દુઃખી હતો. મારાં માતાપિતાએ મને શીખવ્યું કે કાં તો આપણે જીતીએ છીએ અથવા તો આપણે શીખીએ છીએ. અને યાત્રા મહત્ત્વની છે, સફળતા નહીં. તો હું એટલું જ કહેવા માગું છું, ‘Love what you do and do what you love’ તમે જે કરો તેને પ્રેમ કરો અને જેને પ્રેમ કરો તે કરો. યાત્રા મહત્ત્વની છે, સફળતા નહીં અને આપણને સફળતા મળતી રહેશે જો આપણે આપણા વિષયને પ્રેમ કરીશું અને યાત્રાને માણીશું.
પ્રધાનમંત્રી શ્રી: તો કનવ તમે તો ગણિતમાં પણ રસ ધરાવો છો અને બોલી તો એવી રીતે રહ્યા છો જાણે તમને સાહિત્યમાં પણ રુચિ છે.
કનવ તલવાર: જી સર. હું નાનપણમાં ડીબેટ અને વક્તવ્ય પણ આપતો હતો.
પ્રધાનમંત્રી શ્રી: અચ્છા, હવે આવો, આપણે આનંદો સાથે વાત કરીએ. આનંદો તમે ગુવાહાટીમાં છો અને તમારા સાથી રુશીલ મુંબઈમાં છે. મારો તમને બંનેને પ્રશ્ન છે. જુઓ, હું પરીક્ષા પે ચર્ચા તો કરું જ છું, અને પરીક્ષા પે ચર્ચા સિવાય અન્ય કાર્યક્રમોમાં પણ હું વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતો રહું છું. ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિતથી ઘણો ડર લાગે છે, નામ સાંભળતા જ ગભરાઈ જાય છે. તમે કહો કે ગણિત સાથે મિત્રતા કેવી રીતે કરી શકાય?
રુશીલ માથુર: સર, હું રુશીલ માથુર છું. જ્યારે આપણે નાના હોઈએ છીએ અને આપણે પહેલી વાર સરવાળો શીખીએ છીએ ત્યારે આપણને વદ્દી સમજાવાય છે. પરંતુ આપણને ક્યારેય એમ નથી સમજાવાતું કે વદ્દી શા માટે થાય છે? જ્યારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખીએ છીએ ત્યારે આપણે એ પ્રશ્ન ક્યારેય નથી પૂછતા કે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવે છે ક્યાંથી? મારું માનવું એ છે કે ગણિત ખરેખર તો એક વિચારવાની અને કોયડા ઉકેલવાની એક કળા છે. અને આથી મને લાગે છે કે આપણે બધાએ ગણિતમાં એક નવો પ્રશ્ન જોડી દેવો જોઈએ. આ પ્રશ્ન એ છે કે
આપણે આ શા માટે કરી રહ્યા છીએ. આ આવું કેમ હોય છે? તો I think તેનાથી ગણિતમાં ઘણો રસ વધી શકે છે, લોકોનો. કારણકે જ્યારે કોઈ ચીજ આપણે સમજી નથી શકતા તો તેનાથી આપણને ડર લાગે છે. તે સિવાય મને એમ પણ લાગે છે કે ગણિત જ્યારે વિચારીએ છીએ કે એક ખૂબ જ લૉજિકલ જેવો સબ્જેક્ટ છે, પરંતુ તેના સિવાય ગણિતમાં ખૂબ જ ક્રિએટિવિટી પણ અગત્યની હોય છે. કારણકે સર્જનાત્મકતાથી જ આપણે કંઈક અલગ ઉકેલ વિચારી શકીએ છીએ જે ઑલિમ્પિયાડમાં ખૂબ જ ઉપયોગી થાય છે. અને એથી મેથ્સ ઑલિમ્પિયાડની પણ ખૂબ જ અગત્યની પ્રાસંગિકતા છે. મેથ્સમાં રસને આગળ વધારવા માટે.
પ્રધાનમંત્રી શ્રી: આનંદો, કંઈ કહેવા માગશો?
આનંદો ભાદુરી: નમસ્તે PM જી. હું આનંદો ભાદુરી ગુવાહાટીથી. મેં હમણાં જ ૧૨મું ધોરણ પાસ કર્યું છે. અહીંના સ્થાનિક ઑલિમ્પિયાડમાં હું છઠ્ઠા અને સાતમામાં ભાગ લેતો હતો. ત્યાંથી રુચિ થઈ. આ મારી બીજી IMO હતી. બંને IMO ખૂબ સારી લાગી. રુશીલે જે કહ્યું તેની સાથે હું સંમત છું. અને હું એમ પણ કહેવા માગીશ કે જેમને ગણિતથી ડર લાગે છે તેમને ધૈર્યની ઘણી આવશ્યકતા છે કારણકે આપણે ગણિત જેવી રીતે ભણાવાય છે.. એમાં શું થાય છે કે એક સૂત્ર આપવામાં આવે છે, તે ગોખાવાય છે અને પછી તે સૂત્રથી જ ૧૦૦ (સો) પ્રશ્ન આ રીતે વાંચવા પડે છે. પરંતુ સૂત્ર સમજાયું છે કે નહીં તે જોવામાં આવતું નથી, માત્ર પ્રશ્ન કરતા જાવ, કરતા જાવ.
સૂત્ર પણ ગોખાવાશે અને પછી પરીક્ષામાં જો સૂત્ર ભૂલી ગયો તો શું કરશે? આથી હું કહીશ કે સૂત્રને સમજો, જે રુશીલે કહ્યું હતું. પછી ધૈર્યથી જુઓ. જો સૂત્ર ઠીક રીતે સમજશો તો ૧૦૦ પ્રશ્નો નહીં કરવા પડે. એક-બે પ્રશ્નથી જ થઈ જશે અને ગણિતથી ડરવું ન જોઈએ.
પ્રધાનમંત્રી શ્રી: આદિત્ય અને સિદ્ધાર્થ, તમે જ્યારે શરૂઆતમાં વાત કરી રહ્યા હતા ત્યારે ઠીક રીતે વાત ન થઈ શકી, હવે આ બધા સાથીઓને સાંભળ્યા પછી તમને પણ જરૂર લાગતું હશે કે તમે પણ કંઈક કહેવા માગતા હશો. શું તમે તમારા અનુભવને સારી રીતે શૅર કરી શકો છો?
સિદ્ધાર્થ: ઘણા બીજા દેશો સાથે વાર્તાલાપ કર્યો હતો, ઘણી બધી સંસ્કૃતિઓ હતી અને ઘણું સારું હતું બીજા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવો અને ઘણા બધા જાણીતા ગણિતશાસ્ત્રીઓ હતા.
પ્રધાનમંત્રી શ્રી: હા આદિત્ય...
આદિત્ય: ઘણો સારો અનુભવ હતો અને અમને બંનેને બાથ સિટી ફેરવીને દેખાડાયું હતું અને ઘણાં સારાં-સારાં દૃશ્યો જોયાં હતાં, પાર્ક લઈને ગયા હતા અને અમને ઑક્સફર્ડ યુનિવર્સિટી પણ લઈને ગયા હતા. તો તે એક ખૂબ સારો અનુભવ હતો.
પ્રધાનમંત્રી શ્રી: ચાલો સાથીઓ, મને ઘણું સારું લાગ્યું, તમારા લોકો સાથે વાત કરીને, અને હું તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું કારણકે હું જાણું છું કે આ પ્રકારની રમત માટે ઘણા ધ્યાનથી પ્રવૃત્તિ કરવી પડે છે, મગજ પરોવી દેવું પડે છે અને પરિવારના લોકો પણ ક્યારેક તો કંટાળી જાય છે- આ શું ગુણાકાર-ભાગાકાર, ગુણાકાર-ભાગાકાર કરતો રહે છે. પરંતુ મારી તરફથી તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ. તમે દેશનું માન વધાર્યું, નામ વધાર્યું છે. ધન્યવાદ મિત્રો.
વિદ્યાર્થીઓ: થેંક યૂ, ધન્યવાદ.
પ્રધાનમંત્રી શ્રી: થેંક યૂ.
વિદ્યાર્થીઓ: થેંક યૂ સર, જય હિંદ.
પ્રધાનમંત્રી શ્રી: જય હિંદ, જય હિંદ.
તમારા બધા મિત્રો સાથે વાત કરીને આનંદ આવી ગયો. 'મન કી બાત' સાથે જોડાવા માટે તમારો બધાનો ખૂબ-ખૂબ ધન્યવાદ. મને વિશ્વાસ છે કે ગણિતના આ યુવાન મહારથીઓને સાંભળ્યા પછી બીજા યુવાનોને ગણિતને માણવાની પ્રેરણા મળશે.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં હું હવે એ વિષયને વહેંચવા માગું છું જેને સાંભળીને દરેક ભારતવાસીનું શીશ ગર્વથી ઊંચું થઈ જશે. પરંતુ તેના વિશે જણાવતા પહેલાં હું તમને એક પ્રશ્ન કરવા માગીશ. શું તમે ચરાઈદેઉ મેદામનું નામ સાંભળ્યું છે?
જો નથી સાંભળ્યું તો હવે તમે આ નામ વારંવાર સાંભળશો અને ઘણા ઉત્સાહ સાથે બીજાને કહેશો. આસામના ચરાઈદેઉ મૈદામને યુનેસ્કો વિશ્વ વારસા સ્થાનમાં સમાવિષ્ટ કરવામાં આવી રહ્યું છે. આ સૂચિમાં તે ભારતનું 43મું પરંતુ ઈશાન ભારતનું પહેલું સ્થાન હશે.
સાથીઓ, તમારા મનમાં એ પ્રશ્ન જરૂર આવી રહ્યો હશે કે ચરાઈદેઉ મૈદામ છેવટે છે શું અને તે એટલું વિશેષ કેમ છે? ચરાઇદેઉનો અર્થ છે -shining city on the hills અર્થાત્ શિખર પર આવેલું ચળકતું નગર.
તે અહોમ રાજવંશની પ્રથમ રાજધાની હતી. અહોમ રાજવંશના લોકો પોતાના પૂર્વજોનાં શબ અને તેમની કિમતી ચીજોને પારંપરિક રૂપે મૈદામમાં રાખતા હતા. મૈદામ, ટેકરી જેવો એક ઢાંચો હોય છે જે ઉપરથી માટીથી ઢંકાયેલો હોય અને અને નીચે એકથી વધુ ઓરડાઓ હોય છે. આ મૈદામ, અહોમ સામ્રાજ્યના દિવંગત રાજાઓ અને ગણમાન્ય લોકો પ્રત્યે શ્રદ્ધાનું પ્રતીક છે. પોતાના પૂર્વજો પ્રત્યે સન્માન પ્રગટ કરવાની આ રીત ઘણી અનોખી છે. આ જગ્યાએ સામુદાયિક પૂજા પણ થતી હતી.
સાથીઓ, અહોમ સામ્રાજ્ય વિશે બીજી જાણકારી પણ તમને આશ્ચર્યચકિત કરશે. 13મી શતાબ્દીથી શરૂ કરીને આ સામ્રાજ્ય 19મી સદીની શરૂઆત સુધી ચાલ્યું. આટલા લાંબા કાળખંડ સુધી એક સામ્રાજ્યનું બન્યું રહેવું ખૂબ જ મોટી વાત છે. કદાચ અહોમ સામ્રાજ્યના સિદ્ધાંત અને વિશ્વાસ એટલા મજબૂત હતા કે જેનાથી આ રાજવંશ આટલા સમય સુધી ટકી રહ્યો. મને યાદ છે કે આ વર્ષે ૯ માર્ચે મને અદમ્ય સાહસ અને શૌર્યના પ્રતીક એવા મહાન અહોમ યૌદ્ધા લસિત બોરફુકનની સૌથી ઊંચી પ્રતિમાના અનાવરણનું સૌભાગ્ય મળ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, અહોમ સમુદાયની આધ્યાત્મિક પરંપરાનું પાલન કરતા મને અલગ જ અનુભવ થયો હતો. લસિત મૈદામમાં અહોમ સમુદાયના પૂર્વજોને સન્માન દેવાનું સૌભાગ્ય મળવું મારા માટે બહુ મોટી વાત છે. હવે ચરાઇદેઉ મૈદામનું વિશ્વ વારસા સ્થાન બનવાનો અર્થ એ થશે કે ત્યાં હજુ વધુ પર્યટકો આવશે. તમે પણ ભવિષ્યમાં તમારી પ્રવાસ યોજનામાં આ સ્થાનને અવશ્ય સમાવિષ્ટ કરજો.
સાથીઓ, પોતાની સંસ્કૃતિ પર ગૌરવ કરીને જ કોઈ દેશ આગળ વધી શકે છે. ભારતમાં પણ આ પ્રકારના ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે. આવો જ એક પ્રયાસ છે- પ્રૉજેક્ટ પરી....હવે તમે પરી સાંભળીને ગુંચવાઈ ન જતા. આ પરી સ્વર્ગીય કલ્પના સાથે નથી જોડાયેલી પરંતુ ધરતીને સ્વર્ગ બનાવી રહી છે.
PARI અર્થાત્ Public Art Of India. પ્રૉજેક્ટ પરી પબ્લિક આર્ટને લોકપ્રિય બનાવવા માટે ઉભરતા કળાકારોને એક મંચ પર લાવવાનું મોટું માધ્યમ બની રહ્યો છે. તમે જોતા હશો...સડકોના કિનારે, દીવાલો પર, અંડરપાસમાં ખૂબ જ સુંદર ચિત્રો દોરાયેલાં દેખાય છે. આ ચિત્રો અને આ કળાકૃતિઓ એ જ કળાકાર બનાવે છે જે પરી સાથે જોડાયેલા છે. તેનાથી એક તરફ આપણાં સાર્વજનિક સ્થાનોની સુંદરતા વધે છે, તો બીજી તરફ, આપણી સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવામાં પણ મદદ મળે છે. ઉદાહરણ માટે, દિલ્લીના ભારત મંડપમ્ ને જ લો. અહીં દેશભરનું અદ્ભુત આર્ટ વર્ક તમને જોવા માટે મળશે. દિલ્લીમાં કેટલાક અંડરપાસ અને ફ્લાય ઑવર પર પણ તમે આવી સુંદર જાહેર કળા જોઈ શકો છો. હું કળા અને સંસ્કૃતિ પ્રેમીઓને અનુરોધ કરીશ કે તેઓ પણ જાહેર કળા પર વધુ કામ કરે. તે આપણને આપણાં મૂળ પર ગર્વ કરવાની સુખદ અનુભૂતિ આપશે.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં હવે વાત, રંગોની, એવા રંગોની, જેણે હરિયાણાના રોહતક જિલ્લાની અઢીસોથી વધુ મહિલાઓના જીવનમાં સમૃદ્ધિના રંગો ભરી દીધા છે. હાથશાળના ઉદ્યોગ સાથે જોડાયેલી આ મહિલાઓ પહેલાં નાની-નાની દુકાનો અને નાનાંમોટાં કામો કરી આજીવિકા રળતી હતી. પરંતુ દરેકમાં આગળ વધવાની ઇચ્છા તો હોય જ છે. આથી તેમણે 'ઉન્નતિ સેલ્ફ હેલ્પ ગ્રૂપ' સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને આ ગ્રૂપ સાથે જોડાઈને તેમણે બ્લૉક પેઇન્ટિંગ અને રંગાઇમાં પ્રશિક્ષણ મેળવ્યું. કપડા પર રંગોનો જાદુ વિખેરનારી આ મહિલાઓ આજે લાખો રૂપિયા કમાઈ રહી છે. તેમના દ્વારા બનાવાયેલા ઓછાડ ચાદર, સાડીઓ અને દુપટ્ટાઓની બજારમાં ખૂબ જ માગ છે.
સાથીઓ, રોહતકની આ મહિલાઓની જેમ દેશના અલગ-અલગ હિસ્સામાં કારીગરો, હાથશાળને લોકપ્રિય બનાવવામાં લાગેલા છે. પછી તે ઓડિશાની 'સંબલપુરી સાડી' હોય કે મધ્ય પ્રદેશની 'માહેશ્વરી સાડી' હોય, મહારાષ્ટ્રની 'પૈઠણી' કે વિદર્ભના 'હેન્ડ બ્લૉક પ્રિન્ટ્સ' હોય, પછી તે હિમાચલના 'ભૂટ્ટિકો'ની શાલ અને ઊનનાં કપડાં હોય કે પછી, જમ્મુ-કાશ્મીરની 'કનિ' શાલ હોય. દેશના ખૂણેખૂણામાં હાથશાળના કારીગરોનું કામ છવાયેલું છે. અને તમે એ તો જાણતા જ હશો કે, કેટલાક દિવસ પછી, સાત ઑગસ્ટે આપણે 'રાષ્ટ્રીય હાથશાળ દિવસ' તરીકે ઉજવીશું. આજકાલ જે રીતે હાથશાળનાં ઉત્પાદનોએ લોકોનાં હૈયામાં પોતાની જગ્યા બનાવી છે, તે ખરેખર ખૂબ જ સફળ છે, જબરદસ્ત છે. હવે તો અનેક ખાનગી કંપનીઓ પણ આર્ટિફિશિયલ ઇંટેલિજેંસના માધ્યમથી હાથશાળનાં ઉત્પાદનો અને ટકાઉ ફેશનને ઉત્તેજન આપી રહી છે. કોશા એઆઈ, હેન્ડલૂમ ઇણ્ડિયા, ડી-જંક, નોવાટેક્સ, બ્રહ્મપુત્રા ફેબલ્સ, આવાં કેટલાંય સ્ટાર્ટ અપ પણ હાથશાળનાં ઉત્પાદનોને લોકપ્રિય બનાવવામાં લાગેલાં છે. મને એ જોઈને સારું લાગ્યું કે ઘણા લોકો પોતાને ત્યાંનાં આવાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવામાં લાગેલાં છે. તમે પણ તમારાં સ્થાનિક ઉત્પાદનોને '#MyProductMyPride નામથી સૉશિયલ મીડિયા પર અપલૉડ કરો. તમારો આ નાનકડો પ્રયાસ અનેક લોકોનું જીવન બદલી નાખશે.
સાથીઓ, હૅન્ડલૂમની સાથોસાથ હું ખાદીની વાત પણ કરવા માગું છું. તમારામાંથી અનેક લોકો હશે જે પહેલાં ક્યારેય ખાદીનાં ઉત્પાદનોનો ઉપયોગ કરતા નહોતા, પરંતુ આજે ગર્વથી ખાદી પહેરે છે. મને એ જણાવતાં આનંદ થાય છે - ખાદી ગ્રામોદ્યોગનો વેપાર પહેલી વાર દોઢ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. વિચારો, દોઢ લાખ કરોડ રૂપિયા ! અને જાણો છો, ખાદીનું વેચાણ કેટલું વધ્યું છે?
400% ખાદીનું, હાથશાળનું, આ વધતું વેચાણ, મોટી સંખ્યામાં રોજગાર માટે નવા અવસરો પણ બનાવી રહ્યું છે. આ ઉદ્યોગમાં સૌથી વધુ મહિલાઓ જોડાયેલી છે, તો સૌથી વધુ ફાયદો પણ, તેમને જ થઈ રહ્યો છે. મારો તો તમને ફરી એક વાર આગ્રહ છે, તમારી પાસે જાત-જાતનાં વસ્ત્રો હશે અને તમે, અત્યાર સુધીમાં ખાદીનાં વસ્ત્રો નથી ખરીદ્યાં, તો આ વર્ષથી શરૂ કરી દો. ઑગસ્ટનો મહિનો આવી જ ગયો છે, આ સ્વતંત્રતા મળવાનો મહિનો છે, ક્રાંતિનો મહિનો છે. તેનાથી વધુ રૂડો અવસર બીજો કયો હશે- ખાદી ખરીદવા માટે?
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં મેં ઘણી વાર તમારી સાથે ડ્રગ્સના પડકારની વાત કરી છે. દરેક પરિવારની એ ચિંતા હોય છે કે ક્યાંક તેનું બાળક પણ ડ્રગ્સના સકંજામાં ન આવી જાય. હવે આવા લોકોની મદદ માટે સરકારે એક વિશેષ કેન્દ્ર ખોલ્યું છે, જેનું નામ છે- માનસ. ડ્રગ્સ વિરુદ્ધ લડાઈમાં આ બહુ મોટું પગલું છે. કેટલાક દિવસ પહેલાં જ 'માનસ'ની હૅલ્પલાઇન અને પૉર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. સરકારે એક ટૉલ ફ્રી નંબર '1933' જાહેર કર્યો છે. તેના પર કૉલ કરીને કોઈ પણ આવશ્યક સલાહ લઈ શકે છે કે પછી પુનર્વસન સાથે જોડાયેલી જાણકારી લઈ શકે છે. જો કોઈની પાસે ડ્રગ્સ સાથે જોડાયેલી કોઈ બીજી જાણકારી પણ છે તો તે આ નંબર પર કૉલ કરીને 'નાર્કૉટિક્સ કંટ્રોલ બ્યૂરો'ને જણાવી શકે છે. 'માનસ'ને જણાવાયેલી દરેક જાણકારી ગોપનીય રાખવામાં આવે છે. ભારતને 'ડ્રગ્સ ફ્રી' બનાવવામાં લાગેલા બધા લોકોને, બધા પરિવારોને, બધી સંસ્થાઓને મારો અનુરોધ છે કે માનસ હૅલ્પલાઇનનો ભરપૂર ઉપયોગ કરો.
મારા પ્રિય દેશવાસીઓ, કાલે દુનિયાભરમાં વાઘ દિવસ મનાવાશે. ભારતમાં તો ટાઇગર, વાઘ, આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસો રહ્યો છે.
આપણે બધા વાઘ સાથે જોડાયેલા કિસ્સા-વાર્તાઓ સાંભળીને જ મોટા થયા છીએ. જંગલની આસપાસનાં ગામમાં તો દરેકને ખબર હોય છે કે વાઘ સાથે તાલમેળ બેસાડીને કેમ રહેવું જોઈએ. આપણા દેશમાં એવાં અનેક ગામો છે જ્યાં માણસ અને વાઘ વચ્ચે ક્યારેય ટકરાવની સ્થિતિ નથી આવતી. પરંતુ જ્યાં આવી સ્થિતિ આવે છે, ત્યાં પણ વાઘનાં સંરક્ષણ માટે અભૂતપૂર્વ પ્રયાસો થઈ રહ્યા છે. જનભાગીદારીનો આવો જ એક પ્રયાસ છે 'કુલ્હાડી બંધ પંચાયત'. રાજસ્થાનના રણથંભોરથી શરૂ થયેલું 'કુલ્હાડી બંધ પંચાયત' અભિયાન ઘણું રસપ્રદ છે. સ્થાનિક સમુદાયોએ સ્વયં એ વાતના સોગંદ લીધા છે કે જંગલમાં કુહાડી સાથે નહીં જાય અને ઝાડ નહીં કાપે. આ એક નિર્ણયથી ત્યાંનાં જંગલ, એક વાર ફરીથી લીલાંછમ થઈ રહ્યાં છે અને વાઘ માટે સુંદર વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે.
સાથીઓ, મહારાષ્ટ્રનું તાડોબા-અંધારી વાઘ અભયારણ્ય વાઘના પ્રમુખ રહેઠાણમાંનું એક છે. અહીંના સ્થાનિક સમુદાયો, વિશેષ કરીને, ગોંડ અને માના જનજાતિના આપણાં ભાઈબહેનોએ વન પર્યટનની તરફ ઝડપથી ડગ માંડ્યાં છે. તેમણે જંગલ પર પોતાની નિર્ભરતાને ઘટાડી છે જેથી વાઘોની ગતિવિધિઓ વધી શકે. તમને આંધ્ર પ્રદેશમાં નલ્લામલાઈની પહાડીઓ પર રહેનારી 'ચેન્ચૂ' જનજાતિના પ્રયાસો પણ આશ્ચર્યચકિત કરી દેશે. તેમણે વાઘનૂં પગેરૂં રાખનારા તરીકે જંગલમાં વન્ય જીવોની હલચલની દરેક જાણકારી મેળવી. તેની સાથે જ, તેઓ ક્ષેત્રમાં અવૈધ ગતિવિધિઓનું પણ નિરીક્ષણ કરતા રહ્યા છે. આ જ રીતે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ચાલી રહેલો 'બાઘ મિત્ર કાર્યક્રમ' પણ ઘણો ચર્ચામાં છે. તેની હેઠળ સ્થાનિક લોકોને 'બાઘ મિત્ર'ના રૂપમાં કામ કરવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ 'બાઘ મિત્ર' એ વાતનું પૂરું ધ્યાન રાખે છે કે વાઘ અને માણસ વચ્ચે ટકરાવની સ્થિતિ ન આવે. દેશના અલગ-અલગ હિસ્સામાં આ પ્રકારના અનેક પ્રયાસો ચાલી રહ્યા છે.
મેં અહીંયા કેટલાક પ્રયાસોની જ ચર્ચા કરી છે, પરંતુ મને આનંદ છે કે જનભાગીદારી વાઘોનાં સંરક્ષણમાં ઘણી કામ આવી રહી છે. આવા પ્રયાસોના કારણે જ ભારતમાં વાઘની જનસંખ્યા પ્રતિ વર્ષ વધી રહી છે. તમને એ જાણીને આનંદ અને ગર્વનો અનુભવ થશે કે દુનિયાભરમાં જેટલા વાઘ છે તેમાંથી 70 ટકા વાઘ આપણા દેશમાં છે. વિચારો ! 70 ટકા વાઘ !! ત્યારે તો આપણા દેશના અલગ-અલગ હિસ્સામાં અનેક વાઘ અભયારણ્ય છે.
સાથીઓ, વાઘ વધવાની સાથોસાથ આપણા દેશમાં વન ક્ષેત્ર પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમાં પણ સામુદાયિક પ્રયાસોમાં મોટી સફળતા મળી રહી છે. ગત 'મન કી બાત' કાર્યક્રમમાં તમારી સાથે 'એક પેડ માં કે નામ' કાર્યક્રમની ચર્ચા કરી હતી. મને આનંદ છે કે દેશના અલગ-અલગ હિસ્સાઓમાં મોટી સંખ્યામાં લોકો આ અભિયાન સાથે જોડાઈ રહ્યા છે. હજુ કેટલાક દિવસ પહેલાં સ્વચ્છતા માટે પ્રસિદ્ધ ઇંદૌરમાં એક શાનદાર કાર્યક્રમ યોજાયો. ત્યાં 'એક પેડ માં કે નામ' કાર્યક્રમ દરમિયાન એક જ દિવસમાં બે લાખથી વધુ વૃક્ષારોપણ થયું. પોતાની માતાના નામ પર વૃક્ષારોપણ કરવાના આ અભિયાન સાથે તમે પણ અવશ્ય જોડાવ અને સેલ્ફી લઈને સૉશિયલ મીડિયા પર પણ પૉસ્ટ કરો. આ અભિયાન સાથે જોડાઈને તમને, તમારી માતા અને ધરતી માતા, બંને માટે કંઈ વિશેષ કરયાની અનુભૂતિ થશે.
મારા પ્રિય દેશવાસીઓ, ૧૫ ઑગસ્ટનો દિવસ હવે દૂર નથી. અને હવે તો 15 ઑગસ્ટ સાથે એક બીજું અભિયાન જોડાઈ ગયું છે, 'હર ઘર તિરંગા' અભિયાન. છેલ્લાં કેટલાંક વર્ષોથી તો સમગ્ર દેશમાં 'હર ઘર તિરંગા' અભિયાન માટે બધા પુરજોશમાં રહે છે. ગરીબ હોય, ધનિક હોય, નાનું ઘર હોય, મોટું ઘર હોય, બધા તિરંગો ફરકાવીને ગર્વનો અનુભવ કરે છે. તિરંગાની સાથે સેલ્ફી લઈને સૉશિયલ મીડિયા પર પૉસ્ટ કરવાનો ક્રેઝ પણ દેખાય છે.
તમે નોંધ્યું હશે કે જ્યારે કૉલોની કે સૉસાયટીના એક-એક ઘર પર તિરંગો ફરકે છે, તો જોતજોતામાં બીજાં ઘરો પર પણ તિરંગો દેખાવા લાગે છે. એટલે કે 'હર ઘર તિરંગા' અભિયાન - તિરંગાની પ્રતિષ્ઠામાં એક અદ્વિતીય ઉત્સવ બની ચૂક્યો છે. તેના માટે હવે તો અનેક પ્રકારનાં ઇનૉવેશન પણ થવાં લાગ્યાં છે. ૧૫ ઑગસ્ટ આવતાં-આવતાં, ઘરમાં, કાર્યાલયમાં, કારમાં, તિરંગો લગાવવા માટે જાત-જાતનાં ઉત્પાદનો દેખાવાં લાગે છે. કેટલાક લોકો તો તિરંગો પોતાના મિત્રો, પડોશીઓને પણ વહેંચે છે. તિરંગા અંગેનો આ ઉલ્લાસ, આ ઉમંગ આપણને એકબીજા સાથે જોડે છે.
સાથીઓ, પહેલાંની જેમ આ વર્ષે પણ તમે ‘harghartiranga.com’ પર તિરંગાની સાથે પોતાની સેલ્ફી જરૂર અપલૉડ કરજો અને હું, તમને એક બીજી વાતની પણ યાદ અપાવા માગું છું. દર વર્ષે 15 ઑગસ્ટ પહેલાં તમે મને ઢગલો સૂચનો મોકલો છો. તમે આ વર્ષે પણ મને પોતાનું સૂચન જરૂર મોકલજો. તમે MyGov કે NaMo ઍપ પર પણ પોતાનાં સૂચનો મોકલી શકો છો. હું વધુમાં વધુ સૂચનોને 15 ઑગસ્ટનાં સંબોધનમાં કવર કરવાનો પ્રયાસ કરીશ.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'ના આ પ્રકરણમાં તમારી સાથે જોડાઈને ઘણું સારું લાગ્યું. આગામી વખતે, ફરી મળીશું, દેશની નવી ઉપલબ્ધિઓ સાથે, જનભાગીદારીના નવા પ્રયાસો સાથે, તમે 'મન કી બાત' માટે તમારાં સૂચનો જરૂર મોકલતા રહો. આવનારા સમયમાં અનેક પર્વ પણ આવી રહ્યા છે. તમને, બધા પર્વની ઘણી બધી શુભકામનાઓ. તમે તમારા પરિવાર સાથે મળીને તહેવારનો આનંદ ઉઠાવો. દેશ માટે કંઈ ને કંઈ નવું કરવાની ઊર્જા નિરંતર જાળવી રાખો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.
સાથીઓ, ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધી, જ્યારે પણ, મહિનાનો અંતિમ રવિવાર આવવાનો થતો, ત્યારે મને તમારી સાથે આ સંવાદની ખૂબ જ ખોટ સાલતી હતી. પરંતુ મને એ જોઈને ઘણું સારું પણ લાગ્યું કે આ મહિનાઓમાં તમે લોકોએ મને લાખો સંદેશાઓ મોકલ્યા. 'મન કી બાત' રેડિયો કાર્યક્રમ ભલે કેટલાક મહિના બંધ રહ્યો હોય, પરંતુ 'મન કી બાત'ની જે સ્પિરિટ છે દેશમાં, સમાજમાં, પ્રત્યેક દિવસ સારું કામ, નિઃસ્વાર્થ ભાવનાથી કરાયેલાં કામો, સમાજ પર પૉઝિટિવ અસર નાખનારાં કામો- નિરંતર ચાલતાં રહે. ચૂંટણીના સમાચારોની વચ્ચે નિશ્ચિત રૂપે મનને સ્પર્શી જનારા આવા સમાચારો પર તમારું ધ્યાન ગયું હશે.
સાથીઓ, હું આજે દેશવાસીઓનો ધન્યવાદ પણ કરું છું કે તેમણે આપણા બંધારણ અને દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓ પર પોતાનો અતૂટ વિશ્વાસ અકબંધ રાખ્યો છે. ૨૪ની ચૂંટણી, દુનિયાની સૌથી મોટી ચૂંટણી હતી. દુનિયાના કોઈ પણ દેશમાં આટલી મોટી ચૂંટણી ક્યારેય નથી થઈ, જેમાં ૬૫ કરોડ લોકોએ મત આપ્યા હોય. હું ચૂંટણી પંચ અને મતદાનની પ્રક્રિયા સાથે જોડાયેલી દરેક વ્યક્તિને આ માટે અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ૩૦ જૂનનો આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે આપણા આદિવાસી ભાઈઓ-બહેનો 'હૂલ દિવસ'ના રૂપમાં મનાવે છે. આ દિવસ વીર સિદ્ધો-કાન્હૂના અદમ્ય સાહસ સાથે જોડાયેલો છે, જેમણે વિદેશી શાસકોના અત્યાચારનો પૂરી તાકાતથી વિરોધ કર્યો હતો. વીર સિદ્ધો-કાન્હૂએ હજારો સંથાલી સાથીઓને એકત્ર લાવીને અંગ્રેજોની સામે પૂરી શક્તિથી લડત આપી અને જાણો છો, આ ક્યારે થયું હતું? આ થયું હતું ઈ. સ. ૧૮૫૫માં, અર્થાત તે ૧૮૫૭ના ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામથી પણ બે વર્ષ પહેલાં થયું હતું, ત્યારે ઝારખંડના સંથાલ પરગણામાં આપણા આદિવાસી ભાઈઓ-બહેનોએ વિદેશી શાસકો વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવી લીધાં હતાં. આપણા સંથાલી ભાઈઓ-બહેનો પર અંગ્રેજોએ ઘણા બધા અત્યાચારો કર્યા હતા, તેમના પર અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા હતા. આ સંઘર્ષમાં અદ્ભુત વીરતા દેખાડતા વીર સિદ્ધો અને કાન્હૂ શહીદ થઈ ગયા. ઝારખંડની ભૂમિના આ અમર સપૂતોનું બલિદાન આજે પણ દેશવાસીઓને પ્રેરિત કરે છે. આવો સાંભળીએ સંથાલી ભાષામાં તેમને સમર્પિત એક ગીતનો અંશ–
#Audio Clip#
મારા પ્રિય સાથીઓ, જો હું તમને પૂછું કે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ કયો છે, તો તમે અવશ્ય કહેશો - 'મા'. આપણા બધાંનાં જીવનમાં 'મા'નો દરજ્જો સૌથી ઊંચો હોય છે. મા, બધાં દુઃખો સહન કરીને પણ પોતાના બાળકોનું પાલનપોષણ કરે છે. દરેક માતા, પોતાના બાળકો પર બધો સ્નેહ આપી દે છે. જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણા બધા પર એક ઋણની જેમ હોય છે, જેને કોઈ ચુકાવી ન શકે. હું વિચારી રહ્યો હતો, આપણે માતાને કંઈ આપી તો ન શકીએ, પરંતુ બીજું કંઈ કરી શકીએ, શું? આ વિચારથી આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, આ અભિયાનનું નામ છે - 'એક પેડ માં કે નામ'. મેં પણ એક વૃક્ષ મારી માતાના નામે લગાવ્યું છે. મેં બધા દેશવાસીઓને, દુનિયાના બધા દેશોના લોકોને પણ અપીલ કરી છે કે પોતાની માતાની સાથે, અથવા તેમના નામ પર, એક વૃક્ષ જરૂર લગાવો. અને મને એ જોઈને ઘણી ખુશી છે કે માતાની સ્મૃતિમાં અથવા તેમના સન્માનમાં વૃક્ષ વાવવાનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. લોકો પોતાની માતાની સાથે અથવા તો તેમના ફૉટો સાથે ઝાડ લગાવવાની તસવીરોને સૉશિયલ મીડિયા પર વહેંચી રહ્યા છે. પ્રત્યેક જણ પોતાની માતા માટે ઝાડ વાવી રહ્યું છે - ચાહે તે ધનિક હોય કે ગરીબ, ચાહે તે કામકાજી મહિલા હોય કે ગૃહિણી. આ અભિયાને બધાને માતા પ્રત્યે પોતાનો સ્નેહ વ્યક્ત કરવાનો સમાન અવસર આપ્યો છે. તેઓ પોતાની તસવીરોને #Plant4Mother અને #एक_पेड़_मां_के_नाम સાથે શૅર કરીને બીજાને પ્રેરિત કરી રહ્યા છે.
સાથીઓ, આ અભિયાનનો એક વધુ લાભ થશે. ધરતી પણ માતા સમાન ધ્યાન રાખે છે. ધરતી મા જ આપણા બધાના જીવનનો આધાર છે, આથી આપણું જ કર્તવ્ય છે કે આપણે ધરતી માતાનો પણ ખ્યાલ રાખીએ.
માતાના નામે ઝાડ લગાવવાના અભિયાનથી પોતાની માતાનું સન્માન તો થશે જ, સાથે ધરતી માતાની પણ રક્ષા થશે. છેલ્લા એક દાયકામાં ભારતમાં સહુના પ્રયાસથી વન ક્ષેત્રનો અભૂતપૂર્વ વિસ્તાર થયો છે. અમૃત મહોત્સવ દરમિયાન, દેશભરમાં ૬૦ હજારથી વધુ અમૃત સરોવર પણ બનાવવામાં આવ્યાં છે. હવે આપણે આ જ રીતે માતાના નામે ઝાડ લગાવવાના અભિયાનને ગતિ આપવાની છે.
મારા પ્રિય દેશવાસીઓ, દેશના અલગ-અલગ ભાગમાં ચોમાસુ ઝડપથી પોતાના રંગ વેરી રહ્યું છે. અને વરસાદની આ ઋતુમાં બધાના ઘરમાં એક વસ્તુની શોધ શરૂ થઈ ગઈ છે, તે છે 'છત્રી'. 'મન કી બાત'માં આજે હું તમને એક વિશેષ પ્રકારની છત્રીઓ વિશે જણાવવા માગું છું. આ છત્રી તૈયાર થાય છે આપણા કેરળમાં. આમ તો કેરળની સંસ્કૃતિમાં છત્રીઓનું વિશેષ મહત્ત્વ છે. છત્રી, ત્યાં અનેક પરંપરાઓ અને વિધિ-વિધાનનો મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે. પરંતુ હું જે છત્રીની વાત કરી રહ્યો છું, તે છે 'કાર્થુમ્બી છત્રી' અને તેને તૈયાર કરવામાં આવે છે કેરળના અટ્ટાપડીમાં. તે રંગબેરંગી છત્રીઓ ખૂબ જ શાનદાર હોય છે. તેની વિશેષતા એ છે કે આ છત્રીઓને કેરળની આપણી આદિવાસી બહેનો તૈયાર કરે છે. આજે દેશભરમાં આ છત્રીઓની માગ વધી રહી છે. તેનું ઑનલાઇન વેચાણ પણ વધી રહ્યું છે. આ છત્રીઓને 'વટ્ટાલક્કી સહકારી કૃષિ સૉસાયટી'ની દેખરેખમાં બનાવવામાં આવે છે. આ સૉસાયટીનું નેતૃત્વ આપણી નારીશક્તિ પાસે છે. મહિલાઓના નેતૃત્વમાં અટ્ટાપડીના આદિવાસી સમુદાયે ઍન્ટરપ્રિન્યૉરશિપનું અદ્ભુત ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આ સૉસાયટીએ બાંબુ-હેન્ડીક્રાફ્ટ યૂનિટની પણ સ્થાપના કરી છે. હવે તે લોકો એક રિટેઇલ આઉટલેટ અને એક પારંપરિક કાફે ખોલવાની તૈયારીમાં પણ છે.
તેમનો હેતુ કેવળ પોતાની છત્રી અને અન્ય ઉત્પાદન વેચવાનો જ નહીં, પરંતુ તે પોતાની પરંપરા, પોતાની સંસ્કૃતિથી પણ દુનિયાને પરિચિત કરાવી રહ્યા છે. આજે કાર્થુમ્બી છત્રી કેરળના એક નાનકડા ગામથી લઈને બહુરાષ્ટ્રીય કંપની સુધીની સફર પૂરી કરી રહી છે. લૉકલ માટે વૉકલ થવાનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું કયું હોઈ શકે?
મારા પ્રિય દેશવાસીઓ, આગામી મહિને આ સમય સુધીમાં પેરિસ ઑલિમ્પિક શરૂ થઈ ગઈ હશે. મને વિશ્વાસ છે કે તમે બધા પણ ઑલિમ્પિક રમતોમાં ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવાની રાહ જોઈ રહ્યા હશો. હું ભારતીય ટુકડીને ઑલિમ્પિક રમતોની ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. આપણા બધાંના મનમાં ટૉકિયો ઑલિમ્પિકની સ્મૃતિ હજુ તાજી છે. ટૉકિયોમાં આપણા ખેલાડીઓના પ્રદર્શને પ્રત્યેક ભારતીયનું હૃદય જીતી લીધું હતું. ટૉકિયો ઑલિમ્પિક પછી આપણા એથ્લેટ્સ પેરિસ ઑલિમ્પિકની તૈયારીઓમાં મન મૂકીને લાગી ગયા હતા. બધા ખેલાડીઓને જોડો તો તે બધાએ લગભગ નવસો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો છે. આ ઘણી મોટી સંખ્યા છે.
સાથીઓ, પેરિસ ઑલિમ્પિકમાં તમને કેટલીક ચીજો પહેલી વાર જોવા મળશે. શૂટિંગમાં આપણા ખેલાડીઓની પ્રતિભા નિખરીને સામે આવી રહી છે. ટેબલ ટેનિસમાં પુરુષ અને મહિલા બંને ટીમો ક્વૉલિફાઈ થઈ ચૂકી છે. ભારતીય શૉટગન ટીમમાં આપણી શૂટર દીકરીઓ પણ સમાવિષ્ટ છે. આ વખતે કુશ્તી અને ઘોડેસવારીમાં આપણી ટીમના ખેલાડીઓ તે શ્રેણીમાં પણ સ્પર્ધા કરશે, જેમાં તેઓ પહેલાં ક્યારેય સામેલ નહોતા રહ્યા. તેનાથી તમે અનુમાન કરી શકો છો કે આ વખતે આપણને રમતોમાં અલગ સ્તરનો રોમાંચ દેખાશે.
તમને ધ્યાનમાં હશે કે કેટલાક મહિનાઓ પહેલાં વર્લ્ડ પેરા ઑલિમ્પિક ચેમ્પિયનશિપમાં આપણું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. તો ચેસ અને બૅડમિન્ટનમાં પણ આપણા ખેલાડીઓએ ધ્વજ લહેરાવ્યો હતો. હવે સમગ્ર દેશ એવી આશા રાખી રહ્યો છે કે આપણા ખેલાડીઓ ઑલિમ્પિકમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ રમતોમાં મેડલો પણ જીતશે અને દેશવાસીઓનું મન પણ જીતશે. આવનારા દિવસોમાં, મને ભારતીય ટીમ સાથે મુલાકાતનો અવસર પણ મળવાનો છે. હું પોતાની તરફથી તેમનું ઉત્સાહવર્ધન કરીશ. અને હા...આ વખતે આપણો હૅશટેગ #Cheer4Bharat છે. આ હૅશટેગ દ્વારા આપણે આપણા ખેલાડીઓને ચીયર કરવાના છે...તેમનો ઉત્સાહ વધારતા રહેવાનો છે. તો મૉમેન્ટમ જાળવી રાખજો...તમારું આ મૉમેન્ટમ...ભારતનો મેજિક, દુનિયાને દેખાડવામાં મદદ કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, હું તમારા બધાં માટે એક નાનકડી ઑડિયો ક્લિપ વગાડી રહ્યો છું.
#Audio Clip#
આ રેડિયો કાર્યક્રમને સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું ને? તો આવો, તમને આની પાછળની પૂરી વાત જણાવું. ખરેખર તો આ કુવૈત રેડિયોના એક પ્રસારણની ક્લિપ છે. હવે તમે વિચારશો કે વાત થઈ રહી છે કુવૈતની, તો ત્યાં, હિન્દી ક્યાંથી આવી ગઈ? ખરેખર તો કુવૈત સરકારે પોતાના નેશનલ રેડિયો પર એક વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો છે. અને તે પણ હિન્દીમાં. 'કુવૈત રેડિયો' પર પ્રત્યેક રવિવારે તેનું પ્રસારણ અડધો કલાક કરવામાં આવે છે. તેમાં ભારતીય સંસ્કૃતિના અલગ-અલગ રંગો સમાવિષ્ટ હોય છે. આપણી ફિલ્મો અને કળા જગત સાથે જોડાયેલી ચર્ચાઓ ત્યાં ભારતીય સમુદાયની વચ્ચે ઘણી લોકપ્રિય છે. મને તો ત્યાં સુધી જણાવવામાં આવ્યું છે કે કુવૈતના સ્થાનિક લોકો પણ તેમાં ઘણો રસ લઈ રહ્યા છે.
હું કુવૈતની સરકાર અને ત્યાંના લોકોનો હૃદયથી ધન્યવાદ કરું છું, જેમણે આ શાનદાર પહેલ કરી છે.
સાથીઓ, આજે દુનિયાભરમાં આપણી સંસ્કૃતિનું જે રીતે ગૌરવગાન થઈ રહ્યું છે, તેનાથી કયા ભારતીયને આનંદ ન થાય! હવે જેમ કે, તુર્કમેનિસ્તાનમાં આ વર્ષે મેમાં ત્યાંના રાષ્ટ્રીય કવિની ૩૦૦મી જયંતી મનાવવામાં આવી. આ અવસર પર તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખે દુનિયાના ૨૪ પ્રસિદ્ધ કવિઓની પ્રતિમાઓનું અનાવરણ કર્યું. તેમાંથી એક પ્રતિમા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરજીની પણ છે. તે ગુરુદેવનું સન્માન છે, ભારતનું સન્માન છે. આ જ રીતે જૂનના મહિનામાં બે કેરેબિયન દેશ સૂરીનામ અને સેન્ટ વિન્સેન્ટ ઍન્ડ ધ ગ્રેનેડિન્સે પોતાના ઇન્ડિયન હેરિટેજને પૂરા જોશ અને ઉત્સાહ સાથે સેલિબ્રેટ કર્યો. સૂરીનામમાં હિન્દુસ્તાની સમુદાય પ્રતિ વર્ષ પાંચ જૂનને ઇન્ડિયન એરાઇવલ ડે અને પ્રવાસી દિવસ તરીકે ઉજવે છે. અહીં તો હિન્દીની સાથે જ ભોજપુરી પણ ઘણી બોલાય છે. સેન્ટ વિન્સેન્ટ ઍન્ડ ધ ગ્રેનેડિન્સમાં રહેનારા આપણા ભારતીય મૂળનાં ભાઈબહેનોની સંખ્યા લગભગ છ હજાર છે. તે બધાને પોતાના વારસા પર ઘણો ગર્વ છે. એક જૂને આ બધાએ ઇન્ડિયન એરાઇવલ ડેને જે રીતે ધૂમધામથી ઉજવ્યો, તેનાથી તેમની આ ભાવના સ્પષ્ટ રીતે ઝળકે છે. દુનિયાભરમાં ભારતીય વારસો અને સંસ્કૃતિનો જ્યારે આવો વિસ્તાર જોવા મળે છે તો દરેક ભારતીયને ગર્વ થાય છે.
સાથીઓ, આ મહિને સમગ્ર દુનિયાએ ૧૦મા યોગ દિવસને ભરપૂર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો છે. હું પણ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં સહભાગી થયો હતો. કાશ્મીરમાં યુવાનોની સાથોસાથ બહેનો-દીકરીઓએ પણ યોગ દિવસમાં રંગેચંગે ભાગ લીધો.
જેમ-જેમ યોગ દિવસનું આયોજન વધી રહ્યું છે, નવા-નવા રેકૉર્ડ બની રહ્યા છે. દુનિયાભરમાં યોગ દિવસે અનેક શાનદાર ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. સાઉદી અરબમાં પહેલી વાર એક મહિલા અલ હનૌફ સાદજીએ કૉમન યોગ પ્રૉટૉકૉલનું નેતૃત્વ કર્યું. પહેલી વાર કોઈ સાઉદી મહિલાએ કોઈ મેઇન યૉગ સેશનને ઇન્સ્ટ્રક્ટ કર્યું હોય. ઇજિપ્તમાં આ વખતે યોગ દિવસ પર એક ફૉટો કમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. નીલ નદીના કિનારે રેડ સીના બીચીસ પર અને પિરામિડોના સામે- યોગ કરતા, લાખો લોકોની તસવીરો ઘણી લોકપ્રિય થઈ. પોતાના માર્બલ બુદ્ધ સ્ટેચ્યૂ માટે પ્રસિદ્ધ મ્યાનમારનો મારાવિજયા પેગોડા કૉમ્પ્લેક્સ દુનિયામાં પ્રસિદ્ધ છે. ત્યાં પણ ૨૧ જૂને શાનદાર યોગ સત્રનું આયોજન થયું. બહરીનમાં દિવ્યાંગ બાળકો માટે એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શ્રીલંકામાં યુનેસ્કો હેરિટેજ સાઇટ માટે પ્રસિદ્ધ ગૉલ ફૉર્ટમાં પણ એક યાદગાર યોગ સત્ર થયું. અમેરિકાના ન્યૂ યૉર્કમાં ઑબ્ઝર્વેશન ડૅક પર પણ લોકોએ યોગ કર્યો. માર્શલ આઇલેન્ડ પર પણ પહેલી વાર મોટા સ્તર પર યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં અહીંના રાષ્ટ્રપ્રમુખે પણ હિસ્સો લીધો. ભૂતાનના થિંપૂમાં પણ એક મોટો યોગ દિવસનો કાર્યક્રમ થયો, જેમાં મારા મિત્ર વડા પ્રધાન ટોબગે પણ સહભાગી થયા. અર્થાત્ દુનિયાના ખૂણેખૂણામાં યોગ કરતા લોકોનું વિહંગમ્ દૃશ્ય આપણે બધાએ જોયું. હું યોગ દિવસમાં હિસ્સો લેનારા બધા સાથીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મારો આપને એક જૂનો અનુરોધ પણ રહ્યો છે. આપણે યોગને માત્ર એક દિવસનો અભ્યાસ નથી બનાવવાનો. તમે નિયમિત રૂપથી યોગ કરો. તેનાથી તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનોને અવશ્ય અનુભવશો.
સાથીઓ, ભારતનાં અનેક ઉત્પાદનો છે જેની દુનિયાભરમાં ઘણી માંગ છે અને જ્યારે આપણે ભારતના કોઈ સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક થતા જોઈએ છીએ તો ગૌરવાન્વિત થઈ જવું સ્વાભાવિક છે. આવું જ એક ઉત્પાદન છે અરાકુ કૉફી. અરાકુ કૉફી આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતા રામ રાજુ જિલ્લામાં મોટી માત્રામાં ઉત્પન્ન થાય છે. તે પોતાના સમૃદ્ધ ફ્લેવર અને સુગંધ માટે જાણીતી છે. અરાકુ કૉફીની ખેતી સાથે લગભગ દોઢ લાખ આદિવાસી પરિવારો જોડાયેલા છે. અરાકુ કૉફીને નવી ઊંચાઈ આપવામાં ગિરિજન કૉઑપરેટિવની બહુ મોટી ભૂમિકા રહી છે. તેણે અહીંના ખેડૂત ભાઈઓ-બહેનોને એક સાથે લાવવાનું કામ કર્યું અને તેમને અરાકુ કૉફીની ખેતી માટે પ્રોત્સાહિત કર્યા. તેનાથી આ ખેડૂતોની કમાણી પણ બહુ વધી ગઈ છે. તેનો ખૂબ લાભ કોંડા ડોરા આદિવાસી સમુદાયને પણ મળ્યો છે. કમાણીની સાથોસાથ તેમને સન્માનનું જીવન પણ મળી રહ્યું છે. મને યાદ છે કે એક વાર વિશાખાપટનમ્ મા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ ગારુની સાથે મને આ કૉફીનો સ્વાદ માણવાનો અવસર મળ્યો છે. તેના ટેસ્ટની તો વાત જ ન પૂછો. ગજબની હોય છે આ કૉફી! અરાકુ કૉફીને અનેક ગ્લૉબલ એવૉર્ડ મળ્યા છે. દિલ્લીમાં થયેલી જી-૨૦ શિખર પરિષદમાં પણ કૉફી છવાયેલી હતી. તમને જ્યારે પણ અવસર મળે, ત્યારે તમે પણ અરાકુ કૉફીનો આનંદ અવશ્ય લેજો.
સાથીઓ, લૉકલ પ્રૉડક્ટ્સને ગ્લૉબલ બનાવવામાં આપણા જમ્મુ-કાશ્મીરના લોકો પણ પાછળ નથી. ગત મહિને જમ્મુ-કાશ્મીરે જે કરી દેખાડ્યું છે તે દેશભરના લોકો માટે પણ એક દૃષ્ટાંતરૂપ છે. અહીંના પુલવામાથી સ્નૉ પીઝનો પહેલો જથ્થો લંડન મોકલવામાં આવ્યો. કેટલાક લોકોને એવો વિચાર સૂજ્યો કે કાશ્મીરમાં ઉગનારાં ઍક્ઝૉટિક વેજિટેબલ્સ ને શા માટે દુનિયાના નકશા પર ન લાવવામાં આવે... બસ, પછી શું હતું...
ચકૂરા ગામના અબ્દુલ રાશીદ મીરજી તેના માટે સૌથી પહેલા આગળ આવ્યા. તેમણે ગામના અન્ય ખેડૂતોની જમીનને એક સાથે મેળવીને સ્નૉ પીઝ ઉગાડવાનું કામ શરૂ કર્યું અને જોતજોતામાં સ્નૉ પીઝ કાશ્મીરથી લંડન સુધી પહોંચવા લાગ્યા. આ સફળતાએ જમ્મુ-કાશ્મીરના લોકોની સમૃદ્ધિનાં નવાં દ્વાર ખોલ્યાં છે. આપણા દેશમાં આવાં યુનિક પ્રૉડક્ટ્સની ખોટ નથી. તમે આવાં ઉત્પાદનોને #myproductsmypride ની સાથે જરૂર શૅર કરજો. હું આ વિષય પર આવનારી 'મન કી બાત'માં પણ ચર્ચા કરીશ.
मम प्रिया: देशवासिन:
अद्य अहं किञ्चित् चर्चा संस्कृत भाषायां आरभे |
તમે વિચારતા હશો કે 'મન કી બાત'માં અચાનક સંસ્કૃતમાં કેમ બોલી રહ્યો છું? તેનું કારણ છે, આજે સંસ્કૃત સાથે જોડાયેલો એક વિશેષ અવસર. આજે ૩૦ જૂને આકાશવાણીનું સંસ્કૃત બુલેટિન પોતાના પ્રસારણનાં ૫૦ વર્ષ પૂરું કરી રહ્યું છે. ૫૦ વર્ષથી સતત આ બુલેટિને કેટલાય લોકોને સંસ્કૃત સાથે જોડાયેલા રાખ્યા છે. હું ઑલ ઇન્ડિયા રેડિયો પરિવારને વધામણી આપું છું.
સાથીઓ, સંસ્કૃતની પ્રાચીન ભારતીય જ્ઞાન અને વિજ્ઞાનની પ્રગતિમાં મોટી ભૂમિકા રહી છે. આજના સમયની માગ છે કે આપણે સંસ્કૃતને સન્માન પણ આપીએ, અને તેને પોતાના દૈનિક જીવન સાથે પણ જોડીએ. આજકાલ એવો જ એક પ્રયાસ બેંગ્લુરુમાં બીજા અનેક લોકો કરી રહ્યા છે. બેંગ્લુરુમાં એક પાર્ક છે - કબ્બન પાર્ક. કબ્બન પાર્કમાં અહીંના લોકોએ એક નવી પરંપરા શરૂ કરી છે. અહીં સપ્તાહમાં એક દિવસ, દર રવિવારે બાળકો, યુવાનો અને વૃદ્ધો અરસપરસ સંસ્કૃતમાં વાત કરે છે. એટલું જ નહીં, અહીં વાદ-વિવાદમાં અનેક સત્ર પણ સંસ્કૃતમાં જ આયોજિત કરવામાં આવે છે. તેની આ પહેલનું નામ છે - સંસ્કૃત વીકએન્ડ. તેની શરૂઆત એક વેબસાઇટ દ્વારા સમષ્ટિ ગુબ્બીજીએ કરી છે. કેટલાક દિવસો પહેલાં જ શરૂ થયેલો આ પ્રયાસ બેંગ્લુરુવાસીઓ વચ્ચે જોતજોતામાં ઘણો લોકપ્રિય થયો છે. જો આપણે બધા આ પ્રકારના પ્રયાસ સાથે જોડાશું તો આપણને વિશ્વની આટલી પ્રાચીન અને વૈજ્ઞાનિક ભાષામાંથી ઘણું બધું શીખવા મળશે.
મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'ના આ એપિસૉડમાં તમારી સાથે જોડાવાનું ઘણું સારું રહ્યું. હવે આ ક્રમ પાછો પહેલાંની જેમ ચાલતો રહેશે. હવેથી એક સપ્તાહ પછી પવિત્ર રથ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. મારી કામના છે કે મહા પ્રભુ જગન્નાથજીની કૃપા બધા દેશવાસીઓ પર સદૈવ બની રહે. અમરનાથ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે અને આગામી કેટલાક દિવસોમાં પંઢરપુર વારી પણ શરૂ થવાની છે. હું આ યાત્રાઓમાં સહભાગી થનારા બધા શ્રદ્ધાળુઓને શુભકામનાઓ આપું છું. પછી કચ્છી નવ વર્ષ - અષાઢી બીજનો તહેવાર પણ છે. આ બધા પર્વ-તહેવારો માટે પણ તમને બધાને ઘણી બધી શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે પૉઝિટિવિટી સાથે જોડાયેલા જનભાગીદારીના આ પ્રયાસોને તમે મારી સાથે અવશ્ય શૅર કરતા રહેશો. હું આગામી મહિને તમારી સાથે ફરીથી જોડાવાની પ્રતીક્ષા કરી રહ્યો છું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ના 11૦મા એપિસૉડમાં આપનું સ્વાગત છે. હંમેશાંની જેમ, આ વખતે પણ તમારાં બહુ બધાં સૂચનો, ઇનપૂટ્સ અને કૉમેન્ટ્સ મળ્યાં છે. અને હંમેશાંની જેમ આ વખતે પણ એ પડકાર છે કે કયા-કયા વિષયોને સમાવવામાં આવે. મને સકારાત્મકતાથી ભરેલાં એકથી એક ચડિયાતાં ઇનપૂટ્સ મળ્યાં છે. તેમાં ઘણા બધા એવા દેશવાસીઓનો ઉલ્લેખ છે, જે બીજા માટે આશાનું કિરણ બનીને તેમના જીવનમાં શ્રેષ્ઠતા 8 લાવવામાં લાગેલા છે.
સાથીઓ, કેટલાક દિવસ પછી જ માર્ચે આપણે ‘મહિલા દિવસ’ મનાવીશું. આ વિશેષ દિવસ દેશની વિકાસ યાત્રામાં નારી શક્તિના યોગદાનને નમન કરવાનો અવસર હોય છે. મહા કવિ ભારતિયારજીએ કહ્યું છે કે વિશ્વ ત્યારે જ સમૃદ્ધ થશે જ્યારે મહિલાઓને સમાન અવસર મળશે. આજે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. કેટલાંક વર્ષ પહેલાં સુધી, કોણે વિચાર્યું હતું કે આપણા દેશમાં, ગામમાં રહેનારી મહિલાઓ પણ ડ્રૉન ઉડાવશે. પરંતુ આજે તે સંભવ થઈ રહ્યું છે. આજે તો ગામેગામમાં ડ્રૉન દીદીની એટલી ચર્ચા થઈ રહી છે, દરેકની જીભે નમો ડ્રૉન દીદી, નમો ડ્રૉન દીદી જ સંભળાય છે. દરેક તેના વિષયમાં ચર્ચા કરી રહ્યું છે. એક બહુ મોટી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને આથી, મેં પણ વિચાર્યું કે આ વખતે ‘મન કી બાત’માં એક નમો ડ્રૉન દીદી સાથે કેમ વાત ન કરીએ . આપણી સાથે આ સમયે નમો ડ્રૉન દીદી સુનીતાજી જોડાયેલાં છે, જે ઉત્તર પ્રદેશના સીતાપુરનાં છે. આવો, તેમની સાથે વાત કરીએ.
મોદીજી: સુનીતા દેવીજી, આપને નમસ્કાર.
સુનીતા દેવી : નમસ્તે સર.
મોદીજી: અચ્છા સુનીતાજી, પહેલાં હું આપના વિષયમાં જાણવા માગું છું. આપના પરિવારના વિષયમાં જાણવા માગું છું. થોડું કંઈક જણાવો.
સુનીતા દેવી : સર, અમારા પરિવારમાં બે બાળકો છે, અમે છીએ, પતિ છે, માતાજી છે મારાં.
મોદીજી: તમે શું ભણેલાં છો, સુનીતાજી.
સુનીતા દેવી : સર, બીએ ફાઇનલ છીએ.
મોદીજી: અને ઘરમાં વેપાર વગેરે શું છે ?
સુનીતા દેવી : ખેતીવાડી સંબંધિત વેપાર અને ખેતી વગેરે કરીએ છીએ.
મોદીજી: અચ્છા સુનીતાજી, આ ડ્રૉન દીદી બનવાની તમારી યાત્રા કેવી રીતે શરૂ થઈ. તમને ટ્રેનિંગ ક્યાં મળી, કેવા-કેવા ફેરફારો, શું થયા, મારે પહેલા એ જાણવું છે.
સુનીતા દેવી : જી સર, ટ્રેનિંગ અમારી ફૂલપુર ઇફ્કૉ કંપનીમાં થઈ હતી ઇલાહાબાદમાં અને ત્યાં જ અમને ટ્રેનિંગ મળી છે.
મોદીજી: તો ત્યાં સુધી તમે ડ્રૉન વિષયમાં સાંભળ્યું હતું ક્યારેય !
સુનીતા દેવી : સર, સાંભળ્યું નહોતું, એક વાર એમ જ જોયું હતું, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જે સીતાપુરનું છે, ત્યાં અમે જોયું હતું, પહેલી વાર ત્યાં જોયું હતું અમે ડ્રૉન.
મોદીજી: સુનીતાજી, મારે એ સમજવું છે કે ધારો કે તમે પહેલા દિવસે ગયાં.
સુનીતા દેવી : જી.
મોદીજી: પહેલા દિવસે તમને ડ્રૉન દેખાડ્યું હશે, પછી કંઈક બૉર્ડ પર ભણાવાયું હશે, કાગળ પર ભણાવાયું હશે, પછી મેદાનમાં લઈ જઈને અભ્યાસ, શું-શું થયું હતું? તમે મને સમજાવી શકો પૂરું વર્ણન ?
સુનીતા દેવી : જી-જી સર, પહેલા દિવસે સર અમે લોકો જ્યારે ત્યાં ગયાં, ત્યારે તેના બીજા દિવસથી અમારા લોકોની ટ્રેનિંગ શરૂ થઈ હતી. પહેલાં તો અમને થિયરી ભણાવવામાં આવી, પછી ક્લાસ ચાલ્યા હતા બે દિવસ. ક્લાસમાં ડ્રૉનમાં કયા-કયા ભાગ છે, કેવી-કેવી રીતે તમારે શું-શું કરવાનું છે, આ બધી બાબતો થિયરીમાં ભણાવવામાં આવી. ત્રીજા દિવસે, સર, અમારા લોકોનું પેપર લેવાયું હતું, તે પછી ફરી સર એક કમ્પ્યૂટર પર પણ પેપર લેવાયું હતું, અર્થાત, પહેલા ક્લાસ ચાલ્યા, પછી ટેસ્ટ લેવામાં આવી. પછી પ્રૅક્ટિકલ કરાવવામાં આવ્યા હતા અમારા લોકોના, અર્થાત્ ડ્રૉન કેવી રીતે ઉડાવવાનું છે, કેવી-કેવી રીતે અર્થાત્ તમારે કંટ્રૉલ કેવી રીતે સંભાળવાનું છે, દરેક ચીજ શીખવાડવામાં આવી હતી પ્રૅક્ટિકલ રીતે.
મોદીજી: પછી ડ્રૉન કામ શું કરશે, તે કેવી રીતે શીખવાડ્યું ?
સુનીતા દેવી : સર, ડ્રૉન કામ કરશે કારણકે જેમ અત્યારે પાક મોટો થઈ રહ્યો છે. વરસાદની ઋતુ કે કંઈ પણ એમ, વરસાદમાં તકલીફ થશે, ખેતરમાં પાકમાં અમે લોકો ઘૂસી નહોતા શકતા, તો મજૂર કેવી રીતે અંદર જશે, તો તેના માધ્યમથી ઘણો ફાયદો ખેડૂતોનો થશે અને ત્યાં ખેતરમાં ઘૂસવું પણ નહીં પડે. અમારું ડ્રૉન જે અમે મજૂર રાખીને કામ કરીએ છીએ તે અમારા ડ્રૉનથી સીમા ઉપર ઊભા રહીને, અમે અમારું એ કામ કરી શકીએ છીએ, કોઈ જીવજંતુ જો ખેતરની અંદર છે તો તેનાથી અમારે સાવધાની રાખવી પડશે, કોઈ તકલીફ નથી થતી અને ખેડૂતોને પણ ખૂબ જ સારું લાગે છે. સર, અમે ૩5 એકર જમીન પર છંટકાવ કરી ચૂક્યાં છીએ અત્યાર સુધીમાં.
મોદીજી: તો ખેડૂતોને પણ ખબર છે કે તેનો ફાયદો છે ?
સુનીતા દેવી : જી સર, ખેડૂતો તો બહુ સંતુષ્ટ હોય છે. કહે છે કે ખૂબ જ સારું લાગે છે. સમયની પણ બચત થાય છે. બધી સુવિધાનું તમે પોતે જ ધ્યાન રાખો છો. પાણી, દવા, બધું જ સાથે રાખો છો અને અમારે લોકોએ આવીને કેવળ ખેતર બતાવવું પડે છે કે ક્યાંથી ક્યાં સુધી મારું ખેતર છે અને બધું કામ અડધા કલાકમાં જ પતાવી દઉં છું.
મોદીજી: તો આ ડ્રૉન જોવા માટે બીજા લોકો પણ આવતા હશે, તો પછી ?
સુનીતા દેવી : સર, ખૂબ જ ભીડ આવી જાય છે. ડ્રૉન જોવા માટે ખૂબ જ લોકો આવી જાય છે. જે મોટા-મોટા ખેડૂત લોકો છે, તે લોકો પણ નંબર લઈ જાય છે કે અમે પણ તમને બોલાવીશું છંટકાવ માટે.
મોદીજી: અચ્છા. કારણકે મારું એક મિશન છે લખપતિ દીદી બનાવવાનું. જો આજે દેશ ભરની બહેનો સાંભળી રહી હોય તો એક ડ્રૉન દીદી આજે પહેલી વાર મારી સાથે વાત કરી રહી છે, તો શું કહેવા ઈચ્છશો તમે ?
સુનીતા દેવી : જેવી રીતે આજે હું એકલી ડ્રૉન દીદી છું, તો આવી જ હજારો બહેનો આગળ આવે કે મારી જેવી ડ્રૉન દીદી તેઓ પણ બને અને મને ખૂબ જ ખુશી થશે કે જ્યારે હું એકલી છું, મારી સાથે બીજા હજારો લોકો ઊભા રહેશે, તો ખૂબ જ સારું લાગશે કે અમે એકલાં નહીં, ઘણી બધીબહેનો આપણી સાથે ડ્રૉન દીદીના નામથી ઓળખાય છે.
મોદીજી: ચાલો સુનીતાજી, મારી તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. આ નમો ડ્રૉન દીદી, આ દેશમાં કૃષિને આધુનિક બનાવવાનું એક ખૂબ જ મોટું માધ્યમ બની રહી છે. મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ.
સુનીતા દેવી : થેંક યૂ, થેંક યૂ સર.
મોદીજી: થેંક યૂ.
સાથીઓ, આજે દેશમાં કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં દેશની નારી શક્તિ પાછળ રહી ગઈ હોય. એક બીજું ક્ષેત્ર, જ્યાં મહિલાઓએ, પોતાની નેતૃત્વ ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તે છે – પ્રાકૃતિક ખેતી, જળ સંરક્ષણ અને સ્વચ્છતા. કેમિકલથી આપણી ધરતી માતાને જે કષ્ટ થઈ રહ્યું છે, જે પીડા થઈ રહી છે, જે વેદના થઈ રહી છે, આપણી ધરતી માને બચાવવામાં દેશની માતૃશક્તિ મોટી ભૂમિકા નિભાવી રહી છે. દેશના ખૂણા-ખૂણામાં મહિલાઓ હવે પ્રાકૃતિક ખેતીને વિસ્તાર આપી રહી છે.
આજે જો દેશમાં ‘જળ જીવન મિશન’ અંતર્ગત આટલું કામ થઈ રહ્યું છે તો તેની પાછળ પાણી સમિતિઓની ખૂબ જ મોટી ભૂમિકા છે. આ પાણી સમિતિનું નેતૃત્વ મહિલાઓની પાસે જ છે. તે ઉપરાંત પણ બહેનો-દીકરીઓ, જળ સંરક્ષણ માટે ચારે તરફથી પ્રયાસ કરી રહી છે. મારી સાથે ફૉન લાઇન પર આવાં જ એક મહિલા છે કલ્યાણી પ્રફુલ્લ પાટીલ જી. તેઓ મહારાષ્ટ્રનાં છે. આવો, કલ્યાણી પ્રફુલ્લ પાટીલજી સાથે વાત કરીને, તેમનો અનુભવ જાણીએ.
મોદીજી: કલ્યાણીજી, નમસ્તે.
કલ્યાણીજી : નમસ્તે સરજી નમસ્તે.
મોદીજી: કલ્યાણીજી, પહેલાં તો તમે તમારા વિષયમાં, તમારા પરિવારના વિષયમાં, તમારા કામકાજના વિષયમાં જરા બતાવો.
કલ્યાણીજી : સર, હું એમએસસી માઇક્રૉબાયૉલૉજી છું અને મારા ઘરમાં મારા પતિદેવ, મારી સાસુ અને મારાં બે બાળકો છે અને ત્રણ વર્ષથી હું મારી ગ્રામ પંચાયતમાં કાર્યરત છું.
મોદીજી: અને પછી ગામમાં ખેતીના કામમાં લાગી ગયાં ? કારણકે તમારી પાસે પાયાનું જ્ઞાન પણ છે, તમારું ભણતર પણ આ ક્ષેત્રમાં થયું છે અને હવે તમે ખેતી સાથે જોડાઈ ગયાં છો, તો કયા-કયા નવા પ્રયોગ કર્યા છે તમે ?
કલ્યાણીજી : સર, અમે જે દસ પ્રકારની અમારી વનસ્પતિ છે, તેને એકત્રિત કરીને, તેમાંથી અમે ઑર્ગેનિક સ્પ્રે બનાવી જેમ કે જે અમે પેસ્ટિસાઇડ વગેરે સ્પ્રે કરતાં તો તેનાથી પેસ્ટ વગેરે જે આપણાં મિત્ર જીવડા એટલે (પેસ્ટ) હોય તે પણ નષ્ટ થઈ જતાં હતાં
અને અમારી જમીનનું પ્રદૂષણ થાય છે જે તો ત્યારે કેમિકલ ચીજો જે પાણીમાં ભળી રહી છે તેના કારણે આપણા શરીર પર પણ હાનિકારક પરિણામ જોવાં મળી રહ્યાં છે, તેના કારણે અમે ઓછામાં ઓછું પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ.
મોદીજી: તો એક પ્રકારે તમે પૂરી રીતે પ્રાકૃતિક ખેતી તરફ જઈ રહ્યાં છો…?
કલ્યાણીજી : હા,સર જે આપણી પારંપરિક ખેતી છે, તેવી અમે કરી ગયા વર્ષે.
મોદીજી: શું અનુભવ થયો, પ્રાકૃતિક ખેતીમાં ?
કલ્યાણીજી : સર, જે આપણી મહિલાઓ છે, તેમનો જે ખર્ચ છે, તે ઓછો લાગ્યો અને જે ઉત્પાદનો છે, સર, તો તે સમાધાન મેળવીને, અમે વિધાઉટ પેસ્ટ તે કર્યું કારણકે હવે કેન્સરનું પ્રમાણ જે વધી રહ્યું છે, જેમ કે શહેરી વિસ્તારોમાં તો છે જ, પરંતુ ગામડામાં પણ તેનું પ્રમાણ વધી રહ્યું છે, તો તે રીતે જો તમારે તમારા આગળના પરિવારને સુરક્ષિત કરવો હોય તો આ માર્ગ અપનાવવો આવશ્યક છે. તે રીતે તે મહિલાઓ પણ સક્રિય સહભાગ તેની અંદર દેખાડી રહી છે.
મોદીજી: અચ્છા કલ્યાણીજી, તમે કંઈક જળ સંરક્ષણમાં પણ કામ કર્યું છે ? તેમાં તમે શું કર્યું છે ?
કલ્યાણીજી : સર, રેઇનવૉટર હાર્વેસ્ટિંગ આપણી જેટલી પણ સરકારી ઇમારતો છે, જેમ કે પ્રાથમિક શાળા લઈ લો, આંગણવાડી લઈ લો,
અમારી ગ્રામ પંચાયતની જે બિલ્ડિંગ છે, ત્યાંનું જે પાણી છે, વરસાદનું, તે, બધું એકઠું કરીને, અમે એક જગ્યાએ કલેક્ટ કરેલું છે અને જે રિચાર્જ શાફ્ટ છે, સર, કે જે વરસાદનું પાણી જે પડે છે, તે, જમીનની અંદર ઉતરવું જોઈએ, તો તે રીતે અમે 2૦ રિચાર્જ શાફ્ટ અમારા ગામની અંદર કરેલા છે અને 5૦ રિચાર્જ શાફ્ટની અનુમતિ મળી ગઈ છે. હવે ટૂંક સમયમાં જ, તેનું પણ કામ ચાલુ થવાનું છે.
મોદીજી: ચાલો, કલ્યાણીજી,તમારી સાથે વાત કરીને ખૂબ ખુશી થઈ.તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ.
કલ્યાણીજી : સર ધન્યવાદ, સર ધન્યવાદ. મને પણ આપની સાથે વાત કરીને ખૂબ જ ખુશી થઈ. અર્થાત્ મારું જીવન સંપૂર્ણ રીતે સાર્થક થયું, એવું હું માનું છું.
મોદીજી: બસ, સેવા કરો.
મોદીજી: ચાલો, તમારું નામ જ કલ્યાણી છે, તો તમારે કલ્યાણ કરવાનું જ છે. ધન્યવાદ જી. નમસ્કાર.
કલ્યાણીજી : ધન્યવાદ સર. ધન્યવાદ.
સાથીઓ, ચાહે સુનીતાજી હોય કે કલ્યાણીજી, અલગ-અલગ ક્ષેત્રોમાં નારી શક્તિની સફળતા ખૂબ જ પ્રેરક છે. હું ફરી એક વાર આપણી નારી શક્તિની આ ભાવનાની હૃદયથી પ્રશંસા કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણા બધાનાં જીવનમાં ટૅક્નૉલૉજી નું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. મોબાઇલ ફૉન, ડિજિટલ ગેજેટ્સ, આપણા બધાંની જિંદગીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયાં છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે ડિજિટલ ગેજેટ્સની મદદથી હવે વન્ય જીવોની સાથે તાલમેળ કરવામાં પણ મદદ મળી રહી છે ? કેટલાક દિવસ પછી, 3 માર્ચે, ‘વિશ્વ વન્ય જીવ દિવસ’ છે. આ દિવસને વન્ય જીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મનાવાય છે. આ વર્ષે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની થીમમાં ડિજિટલ ઇન્નૉવેશનને સર્વોપરિ રખાયું છે. તમને એ જાણીને આનંદ થશે કે આપણા દેશના અલગ-અલગ હિસ્સામાં વન્ય જીવોના સંરક્ષણ માટે ટૅક્નૉલૉજીનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. ગત કેટલાંક વર્ષમાં સરકારના પ્રયાસોથી દેશમાં વાઘની સંખ્યા વધી છે. મહારાષ્ટ્રના ચંદ્રપુરના ટાઇગર રિઝર્વમાં વાઘની સંખ્યા અઢીસોથી વધુ થઈ ગઈ છે. ચંદ્રપુર જિલ્લામાં માણસ અને વાઘના સંઘર્ષને ઓછો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. અહીં ગામ અને જંગલની સીમા પર કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈ વાઘ ગામની નજીક આવે છે તો આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ની મદદથી સ્થાનિક લોકોને મોબાઇલ પર એલર્ટ મળી જાય છે. આજે આ ટાઇગર રિઝર્વની આસપાસનાં 1૩ ગામોમાં આ વ્યવસ્થાથી લોકોને ખૂબ જ સુવિધા થઈ ગઈ છે અને વાઘને પણ સુરક્ષા મળી છે.
સાથીઓ, આજે યુવા સાહસિકો પણ વન્ય જીવ સંરક્ષણ અને પર્યાવરણ પર્યટન માટે નવાં-નવાં સંશોધનો સામે લાવી રહ્યાં છે. ઉત્તરાખંડના રુડકીમાં રૉટર પ્રિસિશન ગ્રૂપે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સહયોગથી એવું ડ્રૉન તૈયાર કર્યું છે, જેનાથી કેન નદીમાં મગર પર નજર રાખવામાં મદદ મળી રહી છે. આ રીતે બેંગલુરુની એક કંપનીએ ‘બઘીરા’ અને ‘ગરુડ’ નામની ઍપ તૈયાર કરી છે. બઘીરા ઍપથી જંગલ યાત્રા દરમિયાન વાહનની ગતિ અને બીજી ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે.
દેશના અનેક ટાઇગર રિઝર્વમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ પર આધારિત ગરુડ ઍપને કોઈ પણ સીસીટીવી સાથે જોડીને વાસ્તવિક સમયમાં સતર્કતાનો સંદેશ મળવા લાગે છે. વન્ય જીવોના સંરક્ષણની દિશામાં આ પ્રકારના દરેક પ્રયાસથી આપણા દેશની જૈવ વિવિધતા વધુ સમૃદ્ધ થઈ રહી છે.
સાથીઓ, ભારતમાં તો પ્રકૃતિની સાથે તાલમેળ આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો રહ્યો છે. આપણે હજારો વર્ષોથી પ્રકૃતિ અને વન્ય જીવોની સાથે સહ અસ્તિત્વની ભાવનાથી રહેતા આવ્યા છીએ . જો તમે ક્યારેક મહારાષ્ટ્રના મેલઘાટ ટાઇગર રિઝર્વ જાવ તો ત્યાં સ્વયં તેનો અનુભવ કરી શકશો. આ ટાઇગર રિઝર્વ પાસે ખટકલી ગામમાં રહેનારા આદિવાસી પરિવારોએ સરકારની સહાયથી પોતાના ઘરને હૉમ સ્ટેમાં બદલી નાખ્યું છે. તે તેમની કમાણીનું ખૂબ મોટું સાધન બની રહ્યું છે. આ ગામમાં રહેનારા કોરકુ જનજાતિના પ્રકાશ જામકરજીએ પોતાની બે હૅક્ટર જમીન પર સાત ઓરડાનો હૉમ સ્ટે તૈયાર કર્યો છે. તેમને ત્યાં રોકાનારા પર્યટકોના ખાવાપીવાની વ્યવસ્થા તેમનો પરિવાર જ કરે છે. પોતાના ઘરની આસપાસ તેમણે ઔષધીય છોડની સાથે આંબો અને કૉફીનું ઝાડ પણ લગાવ્યું છે. તેનાથી પર્યટકોનું આકર્ષણ તો વધ્યું જ છે, બીજા લોકો માટે પણ રોજગારના નવા અવસરો બન્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે પશુપાલનની વાત કરીએ છીએ તો, ઘણી વાર ગાય-ભેંસ સુધી જ અટકી જઈએ છીએ પરંતુ બકરી પણ એક મહત્ત્વનું પશુ ધન છે, જેની એટલી ચર્ચા થતી નથી. દેશનાં અલગ-અલગ ક્ષેત્રોમાં અનેક લોકો બકરી પાલન સાથે પણ જોડાયેલા છે. ઓડિશાના કાલાહાંડીમાં બકરી પાલન, ગામના લોકોની આજીવિકાની સાથોસાથ તેમના જીવન સ્તરને ઉપર લાવવાનું પણ એક મોટું માધ્યમ બની રહ્યું છે.
આ પ્રયાસની પાછળ જયંતી મહાપાત્રજી અને તેમના પતિ બીરેન સાહુજીનો એક મોટો નિર્ણય છે. તેઓ બંને બેંગલુરુના મેનેજમેન્ટ વ્યાવસાયિકો હતાં, પરંતુ તેમણે વિરામ લઈને કાલાહાંડીના સાલેભાટા ગામ આવવાનો નિર્ણય કર્યો. તે લોકો કંઈક એવું કરવા ઈચ્છતા હતા જેનાથી ત્યાંના ગ્રામીણોની સમસ્યાઓનું સમાધાન પણ થાય, સાથે જ તેઓ સશક્ત પણ બને. સેવા અને સમર્પણથી ભરેલા પોતાના આ વિચારની સાથે તેમણે માણિકાસ્તુ એગ્રોની સ્થાપના કરી અને ખેડૂતો સાથે કામ શરૂ કર્યું. જયંતીજી અને બીરેનજીએ અહીં એક રસપ્રદ માણિકાસ્તુ ગૉટ બૅંક પણ ખોલી છે. તેઓ સામુદાયિક સ્તર પર બકરી પાલનને ઉત્તેજન આપી રહ્યાં છે. તેમના બકરી ખેતરમાં લગભગ કેટલાય ડઝન બકરીઓ છે. માણિકાસ્તુ ગૉટ બૅંકે તેના ખેડૂતો માટે એક પૂરી પ્રણાલિ તૈયાર કરી છે. તેના દ્વારા ખેડૂતોને 24 મહિના માટે બે બકરીઓ આપવામાં આવે છે. બે વર્ષમાં બકરીઓ ૯થી 1૦ બાળકોને જન્મ આપે છે, તેમાંથી છ બાળકોને બૅંક રાખે છે, બાકી તેના પરિવારને આપી દેવામાં આવે છે, જે બકરી પાલન કરે છે. એટલું જ નહીં, બકરીઓની દેખભાળ માટે આવશ્યક સેવાઓ પણ પ્રદાન કરવામાં આવે છે. આજે 5૦ ગામના 1૦૦૦થી વધુ ખેડૂતો આ દંપતી સાથે જોડાયેલાં છે. તેની મદદથી ગામના લોકો પશુપાલનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધી રહ્યા છે. મને એ જોઈને ખૂબ જ સારું લાગે છે કે વિભિન્ન ક્ષેત્રોમાં સફળ વ્યાવસાયિકો નાના ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે નવી-નવી રીતો અપનાવી રહ્યા છે. તેમનો આ પ્રયાસ પ્રત્યેકને પ્રેરિત કરનારો છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણી સંસ્કૃતિની શીખામણ છે –‘परमार्थपरमोधर्मः’અર્થાત્ બીજાની મદદ કરવી જ સૌથી મોટું કર્તવ્ય છે. આ ભાવના પર ચાલતા આપણા દેશના અગણિત લોકો નિઃસ્વાર્થ ભાવથી બીજાની સેવા કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દે છે.
આવી જ એક વ્યક્તિ છે- બિહારમાં ભોજપુરના ભીમસિંહ ભવેશજી. પોતાના ક્ષેત્રના મુસહર જાતિના લોકો વચ્ચે તેમનાં કાર્યોની ઘણી ચર્ચા છે. આથી મને લાગ્યું કે કેમ નહીં, આજે તેમના વિશે પણ તમારી સાથે વાત કરવામાં આવે. બિહારમાં મુસહર એક અત્યંત વંચિત સમુદાય રહ્યો છે, ખૂબ જ ગરીબ સમુદાય રહ્યો છે. ભીમસિંહ ભવેશજીએ આ સમુદાયનાં બાળકોના શિક્ષણ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે. તેમણે મુસહર જાતિના લગભગ આઠ હજાર બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો છે. તેમણે એક મોટું પુસ્તકાલય પણ બનાવ્યું છે જેનાથી બાળકોને ભણવાની વધુ સારી સુવિધા મળી રહી છે. ભીમસિંહજી, પોતાના સમુદાયના સભ્યોને જરૂરી દસ્તાવેજો બનાવવામાં, તેમના ફૉર્મ ભરાવવામાં પણ મદદ કરે છે. તેનાથી જરૂરી સાધનો સુધી ગામના લોકોની પહોંચ વધુ સારી થઈ છે. લોકોનું સ્વાસ્થ્ય વધુ સારું થાય, તે માટે તેમણે 1૦૦થી વધુ મેડિકલ કૅમ્પ યોજ્યા છે. જ્યારે કોરોનાનું મહા સંકટ માથા પર હતું, ત્યારે ભીમસિંહજીએ પોતાના ક્ષેત્રના લોકોને રસી લેવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કર્યા. દેશના અલગ-અલગ હિસ્સામાં ભીમસિંહ ભવેશજી જેવા અનેક લોકો છે, જે સમાજમાં આવાં અનેક સારાં કાર્યોમાં લાગેલા છે. એક જવાબદાર નાગરિક તરીકે આપણે આ રીતે પોતાનાં કર્તવ્યોનું પાલન કરીશું તો, આ એક સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં ખૂબજ મદદરૂપ સાબિત થશે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતની સુંદરતા અહીંની વિવધતા અને આપણી સંસ્કૃતિના અલગ-અલગ રંગોમાં પણ સમાહિત છે. મને એ જોઈને સારું લાગે છે કે કેટલાય લોકો નિઃસ્વાર્થ ભાવથી ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને તેને સજાવવા-નિખારવાના પ્રયાસોમાં લાગેલા છે. તમને આવા લોક ભારતના દરેક હિસ્સામાં મળી જશે. તેમાંથી મોટી સંખ્યા એવા લોકોની પણ છે, જે ભાષાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ગાન્દરબલના મોહમ્મદ માનશાહજી છેલ્લા ત્રણ દાયકાથી ગોજરી ભાષાને સંરક્ષિત કરવાના પ્રયાસોમાં લાગેલા છે. તેઓ ગુજ્જર બકરવાલ સમુદાયના છે જે એક જનજાતીય સમુદાય છે. તેમને બાળપણમાં ભણતર માટે કઠિન પરિશ્રમ કરવો પડતો હતો, તેઓ પ્રતિ દિન 2૦ કિલોમીટર ચાલીને જતા હતા. આ પ્રકારના પડકારો વચ્ચે તેમણે અનુસ્નાતકની ડિગ્રી મેળવી અને આવામાં જ તેમનો પોતાની ભાષાને સંરક્ષિત કરવાનો સંકલ્પ દૃઢ થયો. સાહિત્યના ક્ષેત્રમાં માનશાહજીનાં કાર્યોનું વર્તુળ એટલું મોટું છે કે તેને લગભગ 5૦ સંસ્કરણોમાં સમાવાયું છે. તેમાં કવિતાઓ અને લોકગીત પણ સમાવિષ્ટ છે. તેમણે અનેક પુસ્તકોનો અનુવાદ ગોજરી ભાષામાં કર્યો છે.
સાથીઓ, અરુણાચલ પ્રદેશના તિરપના બનવંગ લોસુજી એક શિક્ષક છે. તેમણે વાંચો ભાષાના પ્રસારમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન કર્યું છે. આ ભાષા અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને આસામના કેટલાક હિસ્સાઓમાં બોલવામાં આવે છે. તેમણે એક લેન્ગવેજ સ્કૂલ બનાવવાનું કામ કર્યું છે. તેમણે વાંચો ભાષાની એક લિપિ પણ તૈયાર કરી છે. તેઓ નવી પેઢીને પણ વાંચો ભાષા શીખવી રહ્યા છે જેથી તેને લુપ્ત થવાથી બચાવી શકાય.
સાથીઓ, આપણા દેશમાં ઘણા બધા લોકો એવા પણ છે, જે ગીતો અને નૃત્યોના માધ્યમથી આપણી સંસ્કૃતિ અને ભાષાને સંરક્ષિત કરવામાં લાગેલા છે. કર્ણાટકના વેંકપ્પા અમ્બાજી સુગેતકરનું જીવન પણ આ બાબતમાં ખૂબ પ્રેરણાદાયી છે.અંહીના બગલકોટના રહેવાસી સુગેતકરજી એક લોકગયક છે. તેમણે 1૦૦૦થી વધુ ગોંધલી ગીતો ગાયાં છે, સાથે જ, આ ભાષામાં, વાર્તાઓનો પણ ખૂબ પ્રચાર-પ્રસાર કર્યો છે. તેમણે ફી લીધા વગર, સેંકડો વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પણ આપી છે. ભારતમાં ઉમંગ અને ઉત્સાહથી ભરેલા આવા લોકોની ખોટ નથી, જે, આપણી સંસ્કૃતિને નિરંતર સમૃદ્ધ બનાવી રહ્યા છે.
તમે પણ તેમાંથી પ્રેરણા લો, કંઈક પોતાની રીતે કરવાનો પ્રયાસ કરો. તમને ખૂબ જ સંતોષનો અનુભવ થશે.
મારા પ્રિય દેશવાસીઓ, બે દિવસ પહેલાં હું વારાણસીમાં હતો અને ત્યાં મેં એક ખૂબ જ શાનદાર ફૉટો પ્રદર્શન જોયું. કાશી અને આસપાસના યુવાનોએ કેમેરામાં જે દૃશ્યો ઝડપ્યાં છે, તે અદ્ભુત છે. તેમાં ઘણા ફૉટોગ્રાફ એવા છે, જે મોબાઇલ કેમેરાથી પાડવામાં આવ્યા હતા. ખરેખર, આજે જેમની પાસે મોબાઇલ છે, તે એક કન્ટેન્ટ ક્રીએટર બની ગયા છે. લોકોને પોતાની કળા અને પ્રતિભા દેખાડવામાં સૉશિયલ મીડિયાએ પણ ખૂબ જ મદદ કરી છે. ભારતના આપણા યુવા સાથી કન્ટેન્ટ ક્રીએશનના ક્ષેત્રમાં કમાલ કરી રહ્યા છે. ચાહે કોઈ પણ સૉશિયલ મીડિયા મંચ હોય, તમને અલગ-અલગ વિષયો પર અલગ-અલગ કન્ટેન્ટ શૅર કરતા આપણા યુવા સાથી મળી જ જશે. પર્યટન હોય કે સમાજ સેવા હોય, જનભાગીદારી હોય કે પછી પ્રેરક જીવન યાત્રા, તેની સાથે જોડાયેલાં અનેક પ્રકારનાં કન્ટેન્ટ સૉશિયલ મીડિયા પર મળે છે. કન્ટેન્ટ ક્રીએટ કરી રહેલા દેશના યુવાનોનો અવાજ આજે ખૂબ જ પ્રભાવી બની ચૂક્યો છે. તેમની પ્રતિભાને સન્માન આપવા માટે દેશમાં નેશનલ ક્રીએટર્સ એવૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે. તેની અંતર્ગત અલગ-અલગ શ્રેણીમાં તે ચેન્જ મેકર્સને સન્માનિત કરવાની તૈયારી છે, જે સામાજિક પરિવર્તનને પ્રભાવી અવાજ બનાવવા માટે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ કન્ટેસ્ટ My Gov પર ચાલી રહી છે અને હું કન્ટેન્ટ ક્રીએટર્સને તેની સાથે જોડાવા માટે અનુરોધ કરીશ. તમે પણ જો આવા ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ ક્રીએટર્સને જાણતા હો, તો તેમને નેશનલ ક્રીએટર્સ એવૉર્ડ માટે જરૂર નામાંકિત કરો.
મારા પ્રિય દેશવાસીઓ, મને એ વાતનો આનંદ છે કે કેટલાક દિવસ પહેલાં જ ચૂંટણી પંચે એક બીજા અભિયાનનો પ્રારંભ કર્યો છે – ‘મારો પહેલો વૉટ દેશ માટે’. તેના દ્વારા વિશેષ રૂપે ફર્સ્ટ ટાઇમ વૉટર્સને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ભારતને જોશ અને ઊર્જાથી ભરપૂર પોતાની યુવા શક્તિ પર ગર્વ છે. આપણા યુવા સાથી ચૂંટણી પ્રક્રિયામાં જેટલી વધુ ભાગીદારી કરશે, તેનાં પરિણામો દેશ માટે એટલાં જ લાભદાયક નિવડશે. હું પણ ફર્સ્ટ ટાઇમ વૉટર્સને અનુરોધ કરીશ કે તેઓ રેકૉર્ડ સંખ્યામાં વૉટ કરે. 18ના થયા પછી તમને 18મી લોકસભા માટે સભ્ય ચૂંટવાનો અવસર મળી રહ્યો છે. અર્થાત્ તે 18મી લોકસભા પણ યુવા આકાંક્ષાની પ્રતીક હશે. આથી, તમારા વૉટનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. સામાન્ય ચૂંટણીની આ હલચલ વચ્ચે, તમે, યુવાનો, ન માત્ર, રાજકીય ગતિવિધિઓનો હિસ્સો બનો, પરંતુ આ દરમિયાન ચર્ચા અને સંવાદ વિશે પણ જાગૃત બન્યા રહો. અને યાદ રાખજો, ‘મારો પહેલો વૉટ – દેશ માટે’. હું દેશના ઇન્ફ્લુઅન્સર્સને પણ અનુરોધ કરીશ, ચાહે તે ખેલ જગતના હોય, ફિલ્મ જગતના હોય, સાહિત્ય જગતના હોય, બીજા વ્યાવસાયિકો હોય કે આપણા ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબના ઇન્ફ્લુઅન્સર્સ હોય, તેઓ પણ આ અભિયાનમાં ઉત્સાહથી હિસ્સો લે અને આપણા ફર્સ્ટ ટાઇમ વૉટર્સને મૉટિવેટ કરે.
સાથીઓ, ‘મન કી બાત’ના આ એપિસૉડમાં મારી સાથે આટલું જ. દેશમાં લોકસભા ચૂંટણીનું વાતાવરણ છે અને જેમ ગયા વખતે થયું હતું, સંભાવના છે કે માર્ચ મહિનામાં આચાર સંહિતા પણ લાગી જશે. તે ‘મન કી બાત’ની ખૂબ મોટી સફળતા છે કે ગત 11૦ એપિસૉડમાં આપણે તેને સરકારના પડછાયાથી પણ દૂર રાખી છે. ‘મન કી બાત’માં દેશની સામૂહિક શક્તિની વાત હોય છે, દેશની ઉપલબ્ધિની વાત હોય છે.
તે એક રીતે જનતાનો, જનતા માટે, જનતા દ્વારા તૈયાર થતો કાર્યક્રમ છે. પરંતુ તેમ છતાં, રાજકીય મર્યાદાનું પાલન કરતા, લોકસભા ચૂંટણીના આ દિવસોમાં હવે આગામી ત્રણ મહિના ‘મન કી બાત’નું પ્રસારણ નહીં થાય. હવે જ્યારે તમારી સાથે ‘મન કી બાત’માં સંવાદ થશે તો તે ‘મન કી બાત’નો 111મો એપિસૉડ હશે. આગામી સમયે ‘મન કી બાત’નો પ્રારંભ 111ના શુભ અંકથી થાય તો તેનાથી સારું ભલા બીજું શું હોઈ શકે ? પરંતુ સાથીઓ, તમારે મારું એક કામ કરતા રહેવાનું છે. ‘મન કી બાત’ ભલે ત્રણ મહિના માટે થંભી રહી છે, પરંતુ દેશની ઉપલબ્ધિઓ થોડી અટકશે, આથી તમે ‘મન કી બાત’ હૅશટૅગ (#) સાથે સમાજની ઉપલબ્ધિઓ, દેશની ઉપલબ્ધિઓને સૉશિયલ મીડિયા પર મૂકતા રહો. કેટલાક સમય પહેલાં એક યુવાને મને એક સારું સૂચન કર્યું હતું. સૂચન એ હતું કે ‘મન કી બાત’ના અત્યાર સુધીના એપિસૉડમાંથી નાના-નાના વિડિયો યૂટ્યૂબ શૉર્ટ્સ તરીકે શૅર કરવા જોઈએ. આથી હું ‘મન કી બાત’ના શ્રોતાઓને આગ્રહ કરીશ કે આવા શૉર્ટ્સને ખૂબ જ શૅર કરો.
સાથીઓ, જ્યારે આગામી વખતે તમારી સાથે સંવાદ થશે, તો પછી, નવી ઊર્જા, નવી જાણકારી સાથે તમને મળીશ. તમે તમારું ધ્યાન રાખજો, ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2024નો આ પહેલો ‘મન કી બાત’નો કાર્યક્રમ છે. અમૃતકાળમાં એક નવી ઉંમગ છે, નવી તરંગ છે. બે દિવસ પહેલાં આપણે સહુ દેશવાસીઓએ 75મા પ્રજાસત્તાક દિવસને ખૂબ ધામધૂમથી ઉજવ્યો છે. આ વર્ષે આપણાં બંધારણને પણ 75 વર્ષ થઈ રહ્યાં છે અને સર્વોચ્ચ ન્યાયાલયને પણ 75 વર્ષ થઈ રહ્યાં છે. આપણા લોકતંત્રનું પર્વ, મધર ઑફ ડેમોક્રેસીના રૂપમાં ભારતને વધુ સશક્ત બનાવે છે. ભારતનું બંધારણ એટલા ગહન મંથન પછી બન્યું છે કે તેને જીવંત દસ્તાવેજ કહેવાય છે. આ બંધારણની મૂળ પ્રતિના ત્રીજા અધ્યાયમાં ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ ખૂબ જ રસપ્રદ છે કે ત્રીજા અધ્યાયના આરંભમાં આપણા બંધારણ ઘડવૈયાઓએ ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીનાં ચિત્રોને સ્થાન આપ્યું હતું. પ્રભુ રામનું શાસન આપણા બંધારણ ઘડવૈયાઓ માટે પણ પ્રેરણાનું સ્રોત હતું અને આથી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મેં ‘દેવથી દેશ’ની વાત કરી હતી, ‘રામથી રાષ્ટ્ર’ની વાત કરી હતી.
સાથીઓ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને જાણે કે એક સૂત્રમાં બાંધી દીધા છે. બધાની ભાવના એક, બધાની ભક્તિ એક, બધાની વાતોમાં રામ, બધાનાં હૃદયમાં રામ. દેશના અનેક લોકોએ આ દરમિયાન રામ ભજન ગાઈને તેમને શ્રી રામનાંચરણોમાં સમર્પિત કર્યાં. 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે રામજ્યોતિ પ્રગટાવી, દિવાળી ઉજવી. આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના આપણા સંકલ્પોનો પણ ખૂબ જ મોટો આધાર છે. મેં દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે મકરસંક્રાંતિથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. મને સારું લાગ્યું કે લાખો લોકોએ શ્રદ્ધાભાવથી જોડાઈને પોતાના ક્ષેત્રનાં ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈ કરી. મને અનેક લોકોએ તેની સાથે જોડાયેલી તસવીરો મોકલી છે- વિડિયો મોકલ્યા છે – આ ભાવના અટકવી ન જોઈએ, આ અભિયાન અટકવું ન જોઈએ. સામૂહિકતાની આ શક્તિ, આપણા દેશને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચાડશે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે 26 જાન્યુઆરીની પરેડ ખૂબ જ અદ્ભુત રહી, પરંતુ સૌથી વધુ ચર્ચા પરેડમાં મહિલા શક્તિને જોઈને થઈ, જ્યારે કર્તવ્ય પથ પર, કેન્દ્રીય સુરક્ષા દળો અને દિલ્લી પોલીસની મહિલા ટુકડીઓએ કદમતાલ શરૂ કર્યું તો બધા ગર્વથી પ્રસન્ન થઈ ગયા. મહિલા બૅન્ડની માર્ચ જોઈને, તેમનો જબરદસ્ત તાલમેળ જોઈને, દેશ-વિદેશમાં લોકો ઝૂમી ઉઠ્યા. આ વખતે પરેડમાં માર્ચ કરનારી 20 ટુકડીઓમાંથી 11 ટુકડી મહિલાઓની જ હતી. આપણે જોયું કે જે ઝાંકી નીકળી તેમાં બધી મહિલા કલાકારો જ હતી. જે સાંસ્કૃતિક કાર્યક્રમો થયા, તેમાં પણ લગભગ દોઢ હજાર દીકરીઓએ હિસ્સો લીધો હતો. અનેક મહિલા કલાકારો શંખ, નાદસ્વરમ્ અને નગાડા જેવાં ભારતીય સંગીત વાદ્ય યંત્ર વગાડી રહી હતી. DRDOએ જે ઝાંકી કાઢી, તેણે પણ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમાં દેખાડવામાં આવ્યું કે નારીશક્તિ જળ, સ્થળ, નભ, સાઇબર અને સ્પેસ, દરેક ક્ષેત્રમાં દેશની સુરક્ષા કેવી રીતે કરી રહી છે. 21મી સદીનું ભારત, આવા જ મહિલા નેતૃત્વ હેઠળ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે.
સાથીઓ, તમે કેટલાક દિવસ પહેલાં જ અર્જુન એવૉર્ડ સમારંભને પણ જોયો હશે. તેમાં રાષ્ટ્રપતિ ભવનમાં દેશના અનેક તેજસ્વી ખેલાડીઓ અને એથ્લીટ્સનું સન્માન કરવામાં આવ્યું છે. અહીં પણ જે એક વાતે લોકોનું ધ્યાન ખૂબ આકર્ષિત કર્યું છે, તે હતી અર્જુન પુરસ્કાર પ્રાપ્ત કરનારી દીકરીઓ અને તેમની જીવનયાત્રા. આ વખતે 13 મહિલા એથ્લીટને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. આ મહિલા એથ્લીટોએ અનેક મોટી ટુર્નામેન્ટમાં હિસ્સો લીધો અને ભારતનો ધ્વજ ફરકાવ્યો. શારીરિક પડકારો, આર્થિક પડકારો આ સાહસી અને પ્રતિભાવાન ખેલાડીઓની સામે ટકી ન શક્યા. બદલતા ભારતમાં, દરેક ક્ષેત્રમાં આપણી દીકરીઓ, દેશની મહિલાઓ, ચમત્કાર કરીને દેખાડી રહી છે. એક બીજું ક્ષેત્ર છે, જ્યાં મહિલાઓએ પોતાનો ધ્વજ ફરકાવ્યો છે, તે છે – સેલ્ફ હેલ્પગ્રૂપ્સ. આજે વીમેન સેલ્ફ હેલ્પગ્રૂપ્સની દેશમાં સંખ્યા પણ વધી છે અને તેમના કામ કરવાના પરીઘનો પણ બહુ વિસ્તાર થયો છે. એ દિવસ દૂર નથી, જ્યારે તમને ગામેગામ ખેતરોમાં, નમો ડ્રૉન દીદીઓ, ડ્રૉનના માધ્યમથી ખેતીમાં મદદ કરતી દેખાશે. મને ઉત્તર પ્રદેશના બહરાઇચમાં સ્થાનિક ચીજોના ઉપયોગથી જૈવિક ખાતર અને જૈવિક જંતુનાશકો તૈયાર કરનારી મહિલાઓ વિશે જાણવા મળ્યું. સેલ્ફ હેલ્પગ્રૂપ્સ સાથે જોડાયેલી નિબિયા બેગમપુર ગામની મહિલાઓ, ગાયના ગોબર, લીમડાનાં પાંદડાંઓ અને અનેક પ્રકારના ઔષધીય છોડોના મિશ્રણથી જૈવિક ખાતર તૈયાર કરે છે. આ રીતે આ મહિલાઓ આદુ, લસણ, ડુંગળી અને મરચાંની ચટણી બનાવીને ઑર્ગેનિક પેસ્ટિસાઇડ પણ તૈયાર કરે છે. આ મહિલાઓએ મળીને ‘ઉન્નતિ જૈવિક ઇકાઇ’ નામનું એક સંગઠન બનાવ્યું છે. આ સંગઠન જૈવિક ઉત્પાદનોને તૈયાર કરવામાં આ મહિલાઓની મદદ કરે છે. તેમના દ્વારા બનાવાયેલાં બાયો-ફર્ટિલાઇઝર અને બાયો-પેસ્ટિસાઇડની માંગ પણ સતત વધી રહી છે. આજે, આસપાસનાં ગામોના છ હજારથી પણ વધુ ખેડૂતો તેમની પાસેથી જૈવ ઉત્પાદનો ખરીદી રહ્યા છે. તેનાથી સેલ્ફ હેલ્પગ્રૂપ્સ સાથે જોડાયેલી આ મહિલાઓની આવક વધી છે, અને તેમની આર્થિક સ્થિતિ પણ વધુ સારી થઈ છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા દેશવાસીઓના પ્રયાસો સામે લાવીએ છીએ, જે નિઃસ્વાર્થ ભાવનાથી સમાજને, દેશને, સશક્ત કરવાનું કામ કરી રહ્યા છે. આવામાં, ત્રણ દિવસ પહેલાં, જ્યારે દેશે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી છે, તો ‘મન કી બાત’માં આવા લોકોની ચર્ચા સ્વાભાવિક છે. આ વખતે પણ એવા અનેક દેશવાસીઓને પદ્મ સન્માન આપવામાં આવ્યું છે, જેમણે જમીન સાથે જોડાઈને સમાજમાં મોટું-મોટું પરિવર્તન લાવવાનું કામ કર્યું. આ પ્રેરણાદાયક લોકોની જીવનયાત્રા વિશે જાણવા માટે દેશભરમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી છે. મીડિયાની હેડલાઇન્સથી દૂર, અખબારોના ફ્રન્ટપેજથી દૂર, આ લોકો વગર કોઈ લાઇમ-લાઇટે સમાજની સેવામાં લાગેલા હતા. આપણને આ લોકો વિશે પહેલાં કદાચ જ કંઈ જોવા-સાંભળવાનું મળ્યું છે, પરંતુ, હવે મને આનંદ છે કે પદ્મ સન્માન ઘોષિત થયા પછી આવા લોકોની પ્રત્યેક બાજુ ચર્ચા થઈ રહી છે, લોકો તેમના વિશે અધિકમાં અધિક જાણવા માટે ઉત્સુક છે. પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરનારા આ મોટા ભાગના લોકો, પોત-પોતાના ક્ષેત્રમાં ઘણાં અનોખાં કામો કરી રહ્યા છે. જેમ કે કોઈ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવી રહ્યું છે, તો કોઈ નિરાશ્રિતો માટે માથા પર છતની વ્યવસ્થા કરાવી રહ્યું છે. કેટલાક એવા પણ છે જે હજારો વૃક્ષ રોપીને પ્રકૃતિ-સંરક્ષણના પ્રયાસોમાં લાગેલું છે. એક એવા પણ છે, જેમણે ચોખાની 650થી વધુ જાતોના સંરક્ષણનું કામ કર્યું છે. એક એવા પણ છે, જેઓ ડ્રગ્સ અને દારૂના વ્યસનને અટકાવવા માટે સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. અનેક લોકો તો સેલ્ફ હેલ્પગ્રૂપ, વિશેષ રીતે, નારી શક્તિ અભિયાન સાથે લોકોને જોડવામાં લાગેલા છે. દેશવાસીઓમાં એ વાત વિશે પણ ખૂબ પ્રસન્નતા છે કે સન્માન મેળવનારાઓમાં 30 મહિલાઓ છે. આ મહિલાઓ પાયાના સ્તર પર પોતાનાં કાર્યોથી સમાજ અને દેશને આગળ લઈ જઈ રહી છે.
સાથીઓ, પદ્મ સન્માન મેળવનારાઓમાં પ્રત્યેકનું યોગદાન દેશવાસીઓને પ્રેરિત કરનારું છે. આ વખતે સન્માન મેળવનારાઓમાં મોટી સંખ્યા એ લોકોની છે, જે શાસ્ત્રીય નૃત્ય, શાસ્ત્રીય સંગીત, લોક નૃત્ય, થિયેટર અને ભજનની દુનિયામાં દેશનું નામ ઉજાળી રહ્યા છે. પ્રાકૃત, માલવી અને લમ્બાડી ભાષામાં ખૂબ જ શાનદાર કામ કરનારાઓને પણ આ સન્માન આપવામાં આવ્યું છે. વિદેશના પણ અનેક લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમનાંકાર્યોથી ભારતીય સંસ્કૃતિ અને વારસાને નવી ઊંચાઈ મળી રહી છે. તેમાં ફ્રાન્સ, તાઇવાન, મેક્સિકો અને બાંગ્લાદેશના નાગરિક પણ સમાવિષ્ટ છે.
સાથીઓ, મને એ વાતનો બહુ આનંદ છે કે ગત એક દાયકામાં પદ્મ સન્માનની આખી પ્રણાલિ પૂરી રીતે બદલાઈ ચૂકી છે.
હવે તે પીપલ્સ પદ્મ બની ચૂક્યો છે. પદ્મ સન્માન આપવાની વ્યવસ્થામાં પણ અનેક પરિવર્તનો થયાં છે. તેમાં હવે લોકોને પોતાને પણ નામાંકિત કરવાનો અવસર રહે છે. આ જ કારણ છે કે આ વખતે વર્ષ 2014ની તુલનામાં 28 ગણાં વધુ નામાંકનો પ્રાપ્ત થયાં છે. તેનાથી જાણવા મળે છે કે પદ્મ સન્માનની પ્રતિષ્ઠા, તેની વિશ્વસનીયતા, તેના પ્રતિ સન્માન, દર વર્ષે વધતું જઈ રહ્યું છે. હું પદ્મ સન્માન મેળવનારા બધા લોકોને ફરી મારી શુભકામનાઓ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, કહે છે કે, દરેક જીવનનું એક લક્ષ્ય હોય છે, દરેક વ્યક્તિ કોઈ એક લક્ષ્ય પૂરું કરવા માટે જ જન્મ લે છે. તેના માટે લોકો પૂરી નિષ્ઠાથી પોતાનાં કર્તવ્યોનું પાલન કરે છે. આપણે જોયું છે કે, કોઈ સમાજસેવાના માધ્યમથી, કોઈ સેનામાં ભરતી થઈને, કોઈ નવી પેઢીને ભણાવીને, પોતાનાં કર્તવ્યોનું પાલન કરે છે, પરંતુ સાથીઓ, આપણી વચ્ચે જ કેટલાક લોકો એવા પણ હોય છે જે જીવનના અંત પછી પણ, સમાજ જીવન પ્રત્યે પોતાનાં દાયિત્વને નિભાવે છે અને તેના માટે તેમનું માધ્યમ હોય છે –અંગદાન. તાજેતરનાં વર્ષોમાં, દેશમાં એક હજારથી વધુ લોકો એવા રહ્યા છે, જેમણે, પોતાના મૃત્યુ પછી પોતાનાં અંગોનું દાન કર્યું છે. આ નિર્ણય સહેલો નથી હોતો, પરંતુ આ નિર્ણય, અનેક જીવનોને બચાવનારો હોય છે. હું એ પરિવારોની પણ પ્રશંસા કરીશ, જેમણે, પોતાના સ્વજનોની અંતિમ ઇચ્છાનું સન્માન કર્યું. આજે, દેશમાં ઘણાં સંગઠનો પણ આ દિશામાં ખૂબ જ પ્રેરક પ્રયાસ કરી રહ્યા છે. કેટલાંક સંગઠન, લોકોને, અંગદાન માટે જાગૃત કરી રહ્યા છે, કેટલીક સંસ્થાઓ અંગદાન કરવા માટે ઇચ્છુક લોકોની નોંધણી કરાવવામાં મદદ કરી રહી છે. આવા પ્રયાસોથી દેશમાં ઑર્ગન ડૉનેશન પ્રત્યે સકારાત્મક વાતાવરણ બની રહ્યું છે અને લોકોનાં જીવન પણ બચી રહ્યાં છે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમારી સાથે ભારતની એક એવી ઉપલબ્ધિને વહેંચી રહ્યો છું, જેનાથી દર્દીનું જીવન સરળ બનશે, તેમની તકલીફો થોડી ઓછી થશે. તમારામાંથી અનેક લોકો હશે, જેમને ઉપચાર માટે આયુર્વેદ, સિદ્ધ કે યુનાની ચિકિત્સા પદ્ધતિથી મદદ મળે છે. પરંતુ દર્દીઓને ત્યારે સમસ્યા થાય છે, જ્યારે આ પદ્ધતિના કોઈ બીજા ડૉક્ટર પાસે જાય છે. આ ચિકિત્સા પદ્ધતિઓમાં બીમારીનાં નામ, ઉપચાર અને દવાઓ માટે એક સમાન ભાષાનો ઉપયોગ થતો નથી. દરેક ચિકિત્સક પોતાની રીતે બીમારીનું નામ અને ઉપચારની રીત-પદ્ધતિ લખે છે. તેનાથી બીજા ચિકિત્સકને સમજવું ઘણી વાર ખૂબ જ મુશ્કેલ બને છે. દાયકાઓથી ચાલી આવી રહેલી આ સમસ્યાનું પણ સમાધાન શોધી કઢાયું છે. મને એ જણાવતા પ્રસન્નતા થાય છે કે આયુષ મંત્રાલયે આયુર્વેદ, સિદ્ધ અને યુનાની ચિકિત્સા સાથે જોડાયેલા આંકડાઓ અને શબ્દાવલીનું વર્ગીકરણ કર્યું છે, તેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ મદદ કરી છે. બંનેના પ્રયાસોથી, આયુર્વેદ, યુનાની અને સિદ્ધ ચિકિત્સામાં બીમારી અને તેની સાથે જોડાયેલી શબ્દાવલીનું કૉડિંગ કરવામાં આવ્યું છે. આ કૉડિંગની મદદથી હવે બધા ડૉક્ટરો પ્રિસ્ક્રિપ્શન અથવા પોતાની ચબરખી પર એક જેવી ભાષા લખશે. તેનો એક ફાયદો એ થશે કે જો તમે તે ચબરખી લઈને બીજા ડૉક્ટર પાસે જશો તો ડૉક્ટરને તેની પૂરી જાણકારી તે ચબરખીથી મળી જશે. તમારી બીમારી, ઉપચાર, કઈ-કઈ દવાઓ અપાઈ છે, ક્યારથી ઉપચાર ચાલી રહ્યો છે, તમને કઈ ચીજોથી એલર્જી છે, આ બધું જાણવામાં આ ચબરખીથી મદદ મળશે. તેનો એક બીજો ફાયદો તે લોકોને થશે, જે સંશોધનના કામ સાથે જોડાયેલા છે. બીજા દેશોના વૈજ્ઞાનિકોને પણ બીમારી, દવાઓ અને તેના પ્રભાવની પૂરી જાણકારી મળશે. સંશોધન વધારવા અને અનેક વૈજ્ઞાનિકો સાથે જોડાવાથી આ ચિકિત્સા પદ્ધતિ વધુ સારાં પરિણામો આપશે અને લોકોનું તેના પ્રત્યે જોડાણ વધશે. મને વિશ્વાસ છે, આ આયુષ પદ્ધતિઓ સાથે જોડાયેલા આપણા ચિકિત્સકો, આ કૉડિંગને જલ્દીમાં જલ્દી અપનાવશે.
મારા સાથીઓ, જ્યારે આયુષ ચિકિત્સા પદ્ધતિની વાત કરી રહ્યો છું, તો મારી સામે યાનુંગ જામોહ લૈગોની પણ તસવીર આવી રહી છે. સુશ્રી યાનુંગ અરુણાચલ પ્રદેશનાં નિવાસી છે અને હર્બલ ઔષધીય વિશેષજ્ઞ છે. તેમણે આદિ જનજાતિની પારંપરિક ચિકિત્સા પ્રણાલિને પુનર્જીવિત કરવા માટે ઘણું કામ કર્યું છે. આ યોગદાન માટે તેમને આ વખતે પદ્મ સન્માન પણ આપવામાં આવ્યું છે. આ જ રીતે આ વખતે છત્તીસગઢના હેમચંદ માંઝીને પણ પદ્મ સન્માન મળ્યું છે. વૈદરાજ હેમચંદ માંઝી પણ આયુષ ચિકિત્સા પદ્ધતિની મદદથી લોકોનો ઉપચાર કરે છે. છત્તીસગઢના નારાયણપુરમાં ગરીબ દર્દીઓની સેવા કરતા તેમને પાંચ દાયકાથી પણ વધુ સમય થઈ ગયો છે. આપણા દેશમાં આયુર્વેદ અને હર્બલ મેડિસનનો જે ખજાનો છુપાયેલો છે, તેના સંરક્ષણમાં સુશ્રી યાનુંગ ને હેમચંદજી જેવા લોકોની મોટી ભૂમિકા છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ દ્વારા મારો અને તમારો જે સંબંધ બન્યો છે, તે એક દાયકા જૂનો થઈ ચૂક્યો છે. સૉશિયલમીડિયા અને ઇન્ટરનેટના આ સમયમાં પણ રેડિયો પૂરા દેશને જોડવાનું એક સશક્ત માધ્યમ છે. રેડિયોની શક્તિ કેટલું પરિવર્તન લાવી શકે છે, તેનું એક અનોખું ઉદાહરણ છત્તીસગઢમાં જોવા મળી રહ્યું છે. વિતેલાં લગભગ સાત વર્ષોથી અહીં રેડિયો પર એક લોકપ્રિય કાર્યક્રમનું પ્રસારણ થઈ રહ્યું છે, જેનું નામ છે ‘હમર હાથી –હમર ગોઠ’. નામ સાંભળીને તમને લાગી શકે છે કે રેડિયો અને હાથીનો ભલા શું સંબંધ હોઈ શકે ? પરંતુ આ જ તો રેડિયોની વિશેષતા છે. છત્તીસગઢમાં આકાશવાણીનાં ચાર કેન્દ્રો અંબિકાપુર, રાયપુર, બિલાસપુર અને રાયગઢથી રોજ સાંજે આ કાર્યક્રમનું પ્રસારણ થાય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે છત્તીસગઢનાં જંગલ અને તેની આસપાસ રહેનારા લોકો ખૂબ ધ્યાનથી આ કાર્યક્રમને સાંભળે છે. ‘હમર હાથી –હમર ગોઠ’ કાર્યક્રમમાં કહેવામાં આવે છે કે હાથીઓનું ટોળું જંગલના કયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે. આ જાણકારી અહીંના લોકોને ખૂબ કામમાં આવે છે. લોકોને જેવી રેડિયોથી હાથીઓના ટોળાના આવવાની જાણકારી મળે છે તો તેઓ સાવધાન થઈ જાય છે. જે રસ્તા પરથી હાથી પસાર થાય છે, તે તરફ જવાનો ભય ટળી જાય છે. તેનાથી એક તરફ, જ્યાં હાથીઓનાં ટોળાંથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે, તો બીજી તરફ, હાથીઓ વિશે ડેટા ભેગા થવામાં મદદ મળે છે. આ ડેટાના ઉપયોગથી ભવિષ્યમાં હાથીઓના સંરક્ષણમાં પણ મદદ મળશે. આ હાથીઓ સાથે જોડાયેલી જાણકારી સૉશિયલ મીડિયા દ્વારા પણ લોકો સુધી પહોંચાડાઈ રહી છે. તેનાથી જંગલની આસપાસ રહેતા લોકોનો હાથીઓ સાથે તાલમેળ બેસાડવો સરળ થઈ ગયો છે. છત્તીસગઢની આ અનોખી પહેલ અને તેના અનુભવોનો લાભ દેશનાં બીજાં વન ક્ષેત્રોમાં રહેનારા લોકો પણ ઉઠાવી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ 25 જાન્યુઆરીએ આપણે બધાએ રાષ્ટ્રીય મતદાર દિવસ ઊજવ્યો છે. આ આપણી ગૌરવશાળી લોકતાંત્રિક પરંપરાઓ માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આજે દેશમાં લગભગ ૯6 કરોડ મતદાતાઓ છે. તમે જાણો છો કે આ આંકડો કેટલો મોટો છે ? તે અમેરિકાની કુલ જનસંખ્યાથી પણ લગભગ ત્રણ ગણો છે. તે સમગ્ર યુરોપની કુલ જનસંખ્યાથી પણ લગભગ દોઢ ગણો છે. જો મતદાન કેન્દ્રોની વાત કરીએ તો દેશમાં આજે તેમની સંખ્યા લગભગ સાડા દસ લાખ છે. ભારતનો પ્રત્યેક નાગરિક, પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી શકે, તે માટે આપણું ચૂંટણી પંચ, એવાં સ્થાનો પર પણ મતદાન મથક બનાવે છે જ્યાં માત્ર એક મતદાર હોય. હું ચૂંટણી પંચની પ્રશંસા કરવા ઇચ્છું છું, જેણે દેશમાં લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવા માટે નિરંતર પ્રયાસો કર્યા છે.
સાથીઓ, આજે દેશ માટે ઉત્સાહની વાત એ પણ છે કે દુનિયાના અનેક દેશોમાં જ્યાં મતદાનની ટકાવારી ઘટી રહી છે, ભારતમાં મતદાનની ટકાવારી વધતી જઈ રહી છે. 1૯51-52માં જ્યારે દેશમાં પહેલી વાર ચૂંટણી થઈ હતી, તો દેશમાં લગભગ 45 ટકા મતદારોએ જ મત આપ્યો હતો. આજે તે આંકડો ઘણો વધી ચૂક્યો છે. દેશમાં ન માત્ર મતદારોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે, પરંતુ ટર્નઆઉટ પણ વધ્યું છે. આપણા યુવા મતદારોને નોંધણી માટે વધુ તક મળી શકે, તે માટે સરકારે કાયદામાં પણ પરિવર્તન કર્યું છે. મને એ જોઈને પણ સારું લાગે છે કે મતદારો વચ્ચે જાગૃતિ ફેલાવવા સમુદાયના સ્તરે પણ અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ક્યાંક લોકો ઘરે-ઘરે જઈને મતદારોને મતદાન વિશે જણાવી રહ્યા છે, ક્યાંક ચિત્રો બનાવીને, ક્યાંક શેરી નાટકો દ્વારા યુવાનોને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે. આવા દરેક પ્રયાસ, આપણા લોકતંત્રના ઉત્સવમાં, અલગ-અલગ રંગો ભરી રહ્યા છે. હું ‘મન કી બાત’ના માધ્યમથી મારા પ્રથમ વખતના મતદારોને કહીશ કે તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ જરૂર ઉમેરાવે. National Voter Service Portal અને voter helpline app દ્વારા આ કામને સરળતાથી ઑનલાઇન પૂરું કરી શકે છે. તમે એ હંમેશાં યાદ રાખો કે તમારો એક મત, દેશનું ભાગ્ય બદલી શકે છે, દેશનું ભાગ્ય બનાવી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે 28 જાન્યુઆરીએ ભારતની બે એવી મહાન વિભૂતિઓની જયંતી પણ છે, જેમણે અલગ-અલગ કાળખંડમાંદેશભક્તિનું ઉદાહરણ સ્થાપ્યું છે. આજે દેશ, પંજાબ કેસરી લાલા લાજપતરાયજીનેશ્રદ્ધાંજલીપાઠવી રહ્યો છે. લાલાજી સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા સેનાની રહ્યા, જેમણે વિદેશી શાસનથી મુક્તિ અપાવવામાં પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. લાલાજીના વ્યક્તિત્વને માત્ર સ્વતંત્રતાની લડાઈ સુધી જ સીમિત ન કરી શકાય. તેઓ ખૂબ જ દૂરદર્શી હતા. તેમણે પંજાબ નેશનલ બૅંક અને અનેક અન્ય સંસ્થાઓના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકાઓ નિભાવી હતી. તેમનો ઉદ્દેશ્ય માત્ર વિદેશીઓને દેશની બહાર કાઢવાનો જ નહોતો, પરંતુ દેશને આર્થિક મજબૂતી આપવાનું વિઝન પણ તેમના ચિંતનનો મહત્ત્વનો હિસ્સો હતું.
તેમના વિચારો અને તેમના બલિદાને ભગતસિંહને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. આજે ફીલ્ડ માર્શલ કે. એમ. કરિયપ્પાજીને પણ શ્રદ્ધાપૂર્વક નમન કરવાનો દિવસ છે. તેમણે ઇતિહાસના મહત્ત્વપૂર્ણ સમયમાં આપણી સેનાનું નેતૃત્વ કરીને સાહસ અને શૌર્યનું ઉદાહરણ સ્થાપિત કર્યું હતું. આપણી સેનાને શક્તિશાળી બનાવવામાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે રમતની દુનિયામાં પણ ભારત નિત-નવી ઊંચાઈને સ્પર્શી રહ્યું છે. રમતગમતની દુનિયામાં આગળ વધવા માટે આવશ્યક છે કે ખેલાડીઓને વધુમાં વધુ રમવાનો અવસર મળે અને દેશમાં અલગ-અલગ રમતગમત સ્પર્ધાઓ પણ આયોજિત થાય. આ વિચાર સાથે આજે ભારતમાં નવી-નવી રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેટલાક દિવસો પહેલાં જ ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં દેશમાં પાંચ હજારથી વધુ એથ્લેટ્સ હિસ્સો લઈ રહ્યા છે. મને આનંદ છે કે આજે ભારતમાં સતત એવાં નવા પ્લેટફૉર્મ તૈયાર થઈ રહ્યા છે, જેમાં ખેલાડીઓને પોતાનું સામર્થ્ય દેખાડવાની તક મળી રહી છે. આવું જ એક પ્લેટફૉર્મ બન્યું છે – બીચ ગેમ્સનું, જે દીવની અંદર આયોજિત થઈ હતી. તમે જાણો છો કે દીવકેન્દ્રશાસિત પ્રદેશ છે, સોમનાથની બિલકુલ પાસે છે. આ વર્ષની શરૂઆતમાં, જ દીવમાં આ બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. આ ભારતની પહેલી મલ્ટિસ્પૉર્ટ્સ બીચ ગેમ્સ હતી. તેમાં રસ્સી ખેંચ, દરિયામાં સ્વિમિંગ, પેન્કાસિલટ, મલખંબ, બીચ વૉલિબૉલ, બીચ કબડ્ડી, બીચ સૉકર અને બીચ બૉક્સિંગ જેવી સ્પર્ધાઓ યોજાઈ. તેમાં દરેક પ્રતિયોગીને પોતાની પ્રતિભા દેખાડવાની ભરપૂર તક મળી અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ટુર્નામેન્ટમાં, એવા રાજ્યોથી પણ ઘણા ખેલાડીઓ આવ્યા, જેનો દૂર-દૂર સુધી સમુદ્ર સાથે કોઈ સંબંધ નથી. આ સ્પર્ધામાં સૌથી વધુ ચંદ્રક મધ્ય પ્રદેશે જીત્યા, જ્યાં કોઈ સી બીચ નથી. રમત પ્રત્યે આ ભાવના કોઈ પણ દેશને રમતગમતની દુનિયામાં શિરોમુકુટ બનાવે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આ વખતે મારી સાથે બસ આટલું જ. ફેબ્રુઆરીમાં તમારી સાથે ફરી એક વાર વાત થશે. દેશના લોકોના સામૂહિક પ્રયાસોથી, વ્યક્તિગત પ્રયાસોથી દેશ કેવી રીતે આગળ વધી રહ્યો છે, તેના પર આપણું ધ્યાન હશે. સાથીઓ, કાલે 2૯ તારીખે સવારે 11 વાગે આપણે ‘પરીક્ષા પે ચર્ચા’ પણ કરીશું. ‘પરીક્ષા પે ચર્ચા’નું આ સાતમું સંસ્કરણ હશે. આ એક એવો કાર્યક્રમ છે, જેની હું કાયમ પ્રતીક્ષા કરું છું. તેનાથી મને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની તક મળે છે અને હું તેમનો પરીક્ષા સંબંધી તણાવને ઓછો કરવાનો પ્રયાસ કરું છું. છેલ્લાં સાત વર્ષોમાં, ‘પરીક્ષા પે ચર્ચા’, શિક્ષણ અને પરીક્ષા સાથે સંબંધિત, અનેક મુદ્દાઓ પર વાતચીત કરવાનું એક ખૂબ જ સારું માધ્યમ બનીને ઉભર્યું છે. મને આનંદ છે કે આ વખતે સવા બે કરોડથી વધુ વિદ્યાર્થીઓએ તેના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને પોતાનાં સૂચનો આપ્યાં છે. હું તમને જણાવું કે જ્યારે આપણે પહેલી વાર 2018માં આ કાર્યક્રમ શરૂ કર્યો હતો તો આ સંખ્યા માત્ર 22,000 હતી. વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે અને પરીક્ષાના તણાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે, ખૂબ જ અભિનવ પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. હું, તમને બધાને, વિશેષ કરીને યુવાઓને, વિદ્યાર્થીઓને અનુરોધ કરીશ કે તેઓ કાલે વિક્રમી સંખ્યામાં સહભાગી થાય. મને પણ તમારી સાથ વાત કરીને ખૂબ જ સારું લાગશે. આ શબ્દો સાથે હું ‘મન કી બાત’ના આ એપિસૉડમાંથી વિદાય લઉં છું. જલ્દી ફરી મળીશું. ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' અર્થાત્ તમારી સાથે મળવાનો એક શુભ અવસર, અને પોતાના પરિવારજનોને જ્યારે મળીએ તો, કેટલું સુખદ હોય છે, કેટલું સંતોષજનક હોય છે ! 'મન કી બાત' દ્વારા તમને મળીને, હું, આવી અનુભૂતિ કરું છુ અને આજે તો આપણી સંયુક્ત યાત્રાનો આ 108મો એપિસૉડ છે. આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ, તેની પવિત્રતા, એક ગહન અધ્યયનનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ, 108નો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી 'મન કી બાત'નો આ 108મો એપિસૉડ મારા માટે વધુ વિશેષ બની ગયો છે. આ 108 એપિસૉડમાં આપણે જનભાગીદારીનાં અનેક ઉદાહરણ જોયાં છે. તેમાંથી પ્રેરણા મેળવી છે. હવે આ પડાવ પર પહોંચ્યા પછી, આપણે નવી રીતે, નવી ઊર્જા સાથે અને ઝડપી ગતિ સાથે, વધવાનો સંકલ્પ લેવાનો છે. અને તે કેટલો સુખદ સંયોગ છે કે કાલનો સૂર્યોદય, 2024નો પ્રથમ સૂર્યોદય હશે- આપણે વર્ષ 2024માં પ્રવેશ કરી ચૂક્યા હોઈશું. તમને સહુને 2024ની ખૂબ ખૂબ શુભકામના.
સાથીઓ, 'મન કી બાત' સાંભળનારા અનેક લોકોએ મને પત્ર લખીને પોતાની યાદગાર પળ વહેંચી છે. 140 કરોડ ભારતીયોની એ શક્તિ છે, કે આ વર્ષે, આપણા દેશે, અનેક વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ વર્ષે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પસાર થયું, જેની પ્રતીક્ષા વર્ષોથી હતી. ઘણા બધા લોકોએ પત્રો લખીને, ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા પર પ્રસન્નતા વ્યક્ત કરી. અનેક લોકોએ મને જી-20 શિખર પરિષદની સફળતાની યાદ અપાવી. સાથીઓ, આજે ભારતનો ખૂણેખૂણો, આત્મવિશ્વાસથી ભરપૂર છે,
વિકસિત ભારતની ભાવનાથી, આત્મનિર્ભર ભાવનાથી, ઓતપ્રોત છે. 2024માં આપણે આ ભાવના અને ગતિને બનાવી રાખવાની છે. દિવાળી પર વિક્રમજનક વેપારે એ સાબિત કરી દીધું કે દરેક ભારતીય ‘વૉકલ ફૉર લૉકલ’ના મંત્રને મહત્ત્વ આપી રહ્યો છે.
સાથીઓ, આજે પણ અનેક લોકો મને ચંદ્રયાન-૩ની સફળતા અંગે સંદેશા મોકલતા રહે છે. મને વિશ્વાસ છે કે મારી જેમ, તમે પણ, આપણા વૈજ્ઞાનિકો અને વિશેષ તો મહિલા વૈજ્ઞાનિકો વિશે ગર્વનો અનુભવ કરતા હશો.
સાથીઓ, જ્યારે નાટૂ-નાટૂને ઑસ્કાર મળ્યો તો સમગ્ર દેશ આનંદથી ઝૂમી ઊઠ્યો. ‘The Elephant Whisperers’ ને સન્માનની વાત જ્યારે સાંભળી ત્યારે કોણ ખુશ નહીં થયું હોય? તેના માધ્યમથી દુનિયાએ ભારતની સર્જનાત્મકતાને જોઈ અને પર્યાવરણ સાથે આપણા લગાવને સમજ્યો. આ વર્ષે રમતગમતમાં પણ આપણા ઍથ્લીટોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું. એશિયાઈ રમતોમાં આપણા ખેલાડીઓએ 107 અને એશિયાઈ પેરા ગેમ્સમાં ૧૧૧ ચંદ્રકો જીત્યા. ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી બધાનું મન જીતી લીધું. અંડર-૧૯ વિશ્વ કપમાં આપણી મહિલા ક્રિકેટ ટીમની જીત ખૂબ જ પ્રેરિત કરનારી છે. અનેક રમતોમાં ખેલાડીઓની ઉપલબ્ધિઓએ દેશનું નામ વધાર્યું. હવે 2024માં પેરિસ ઑલિમ્પિકનું આયોજન થશે, જેના માટે સમગ્ર દેશ પોતાના ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યો છે.
સાથીઓ, જ્યારે પણ આપણે મળીને પ્રયાસ કર્યો, આપણા દેશની વિકાસ યાત્રા પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડ્યો છે. આપણે ‘સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ’અને ‘મારી માટી મારો દેશ’ આવાં સફળ અભિયાનનો અનુભવ કર્યો. તેમાં કરોડો લોકોની ભાગીદારીના આપણે બધાં સાક્ષી છીએ.
૭૦ હજાર અમૃત સરોવરોનું નિર્માણ પણ આપણી સામૂહિક ઉપલબ્ધિ છે.
સાથીઓ, મારો એ વિશ્વાસ રહ્યો છે કે જે દેશ ઇનૉવેશનને મહત્ત્વ નથી આપતો, તેનો વિકાસ અટકી જાય છે. ભારતનું ઇનૉવેશન હબ બનવું, એ વાતનું પ્રતીક છે કે આપણે અટકવાના નથી. 2015માં આપણે ગ્લૉબલ ઇનૉવેશન ઇન્ડેક્સમાં 81મા ક્રમ પર હતા – આજે આપણો ક્રમ 40 છે. આ વર્ષે ભારતમાં ફાઇલ થનારી પેટન્ટસની સંખ્યા વધુ રહી છે, જેમાં લગભગ 60 ટકા ઘરેલુ ફંડની હતી. QS Asia University Rankingમાં આ વખતે સૌથી વધુ સંખ્યામાં ભારતીય યુનિવર્સિટી સમાવિષ્ટ થઈ છે. જો આ ઉપલબ્ધિઓની સૂચિ બનાવવાનું શરૂ કરીએ તો તે ક્યારેય પૂરી નહીં થાય. આ તો માત્ર ઝલક છે, ભારતનું સામર્થ્ય કેટલું પ્રભાવી છે- આપણે દેશની આ સફળતાઓથી, દેશના લોકોની આ ઉપલબ્ધિઓમાંથી, પ્રેરણા લેવાની છે, ગર્વ કરવાનો છે, નવા સંકલ્પ લેવાના છે. હું ફરી એક વાર, તમને સહુને, 2024ની શુભકામનાઓ પાઠવું છું.
મારા પરિવારજનો, આપણે હમણાં ભારત વિશે દરેક તરફ જે આશા અને ઉત્સાહ છે તેની ચર્ચા કરી- આ આશા અને અપેક્ષા ખૂબ સારાં છે. જ્યારે ભારત વિકસિત થશે તો તેનો સૌથી વધુ લાભ યુવાઓને જ થશે. પરંતુ યુવાઓને તેનો લાભ ત્યારે હજુ પણ વધુ મળશે, જ્યારે તેઓ ફિટ હશે. આજકાલ આપણે જોઈએ છીએ કે દિનચર્યા સંબંધિત રોગો વિશે ઘણી વાત થાય છે, તે આપણા બધાં માટે, ખાસ કરીને યુવાનો માટે, વધુ ચિંતાની વાત છે. આ ‘મન કી બાત’ માટે મેં તમને બધાને Fit India સાથે જોડાયેલાં ઇનપૂટ મોકલવાનો અનુરોધ કર્યો હતો. તમે લોકોએ જે પ્રતિભાવ આપ્યો, તેણે મને ઉત્સાહથી ભરી દીધો છે. NaMo Appપર મોટી સંખ્યામાં મને સ્ટાર્ટ અપ્સે પણ પોતાનાં સૂચનો મોકલ્યાં છે, તેમણે પોતાના અનેક પ્રકારના અનોખા પ્રયાસોની પણ ચર્ચા કરી છે.
સાથીઓ, ભારતના પ્રયાસથી 2023ને International Year Of Milletsના રૂપમાં મનાવવામાં આવ્યું. તેનાથી આ ક્ષેત્રમાં કામ કરનારાં સ્ટાર્ટ અપ્સને ઘણા બધા અવસરો મળ્યા છે. તેમાં લખનઉથી શરૂ થયેલા ‘કીરોઝ ફૂડ્સ’, પ્રયાગરાજના ‘Grand Maa Millets’અને ‘Nutraceutical Rich Organic India’ જેવાં અનેક સ્ટાર્ટ અપ્સ સમાવિષ્ટ છે. ‘Alpino Health Foods’, ‘Arboreal’ અને ‘Keeros Food’સાથે જોડાયેલા યુવાનો આરોગ્યપ્રદ ખોરાકના વિકલ્પો વિશે નવાં-નવાં ઇનૉવેશન પણ કરી રહ્યા છે. બેંગલુરુના Unbox Health સાથે જોડાયેલા યુવાનોએ એ પણ જણાવ્યું છે કે, કેવી રીતે તેઓ, લોકોને તેમનો મનપસંદ આહાર પસંદ કરવામાં મદદ કરી રહ્યા છે. શારીરિક સ્વાસ્થ્ય વિશે રૂચિ જે રીતે વધી રહી છે, તેનાથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા કૉચ અને ટ્રેનરની માગ પણ વધી રહી છે. ‘JOGO Technologies’ જેવાં સ્ટાર્ટ અપ્સ આ માંગને પૂરી કરવામાં મદદ કરી રહ્યાં છે.
સાથીઓ, આજે શારીરિક સ્વાસ્થ્ય અને સુખાકારીની ચર્ચા તો ઘણી થાય છે, પરંતુ તેની સાથે જોડાયેલું એક મોટું પાસું છે- માનસિક સ્વાસ્થ્યનું. મને એ જાણીને ઘણી પ્રસન્નતા થઈ કે મુંબઈનાં ‘ઇન્ફી હીલ’ અને ‘YourDost’ જેવાં સ્ટાર્ટ અપ્સ, માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે કામ કરી રહ્યાં છે. એટલું જ નહીં, આજે તેમના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. સાથીઓ, હું અહીં કેટલાંક સ્ટાર્ટ અપ્સનું જ નામ લઈ શકું છું કારણકે યાદી ખૂબ લાંબી છે. હું તમને સહુને અનુરોધ કરીશ કે Fit Indiaના સપનાને સાકાર કરવાની દિશામાં ઇનૉવેટિવ હૅલ્થ કેર સ્ટાર્ટ અપ્સ વિશે મને જરૂર લખતા રહો. હું તમારી સાથે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરનારા જાણીતા લોકોનો અનુભવ પણ વહેંચવા માગું છું.
આ પહેલો સંદેશ સદ્ગુરુ જગ્ગી વાસુદેવજીનો છે. તેઓ ફિટનેસ, વિશેષ રૂપે, Fitness Of Mind, અર્થાત્ મનના આરોગ્ય વિશે પોતાના વિચારો જણાવશે.
***Audio***
इस मन की बात में मन के स्वास्थ्य पर बात करना हमारा सौभाग्य है । Mental illnesses and how we keep our neurological system are very directly related. How alert static free and disturbance free we keep neurological system will decide how pleasant we feel within ourselves? What we call as peace, love, joy, blissfulness, agony, depression, ecstasies all have a chemical and neurological basis. Pharmacology is essentially trying to fix the chemical imbalance within the body by adding chemicals from outside. Mental illnesses are being managed this way but we must realise that taking chemicals from outside in the form of medications is necessary when one is in extreme situation. Working for an internal mental health situation or working for an equanimous chemistry within ourselves, a chemistry of peacefulness, joyfulness, blissfulness is something that has to be brought into every individual’s life into the cultural life of a society and the Nations around the world and the entire humanity. It’s very important we understand our mental health, our sanity is a fragile privilege- we must protect it, we must nurture it. For this, there are many levels of practices in the Yogik system completely internalize processes that people can do as simple practices with which they can bring certain equanimity to their chemistry and certain calmness to their neurological system. The technologies of inner wellbeing are what we call as the Yogik sciences. Let’s make it happen.
સામાન્ય રીતે સદ્ગુરુજી આવી જ શ્રેષ્ઠ રીતે પોતાની વાતોને સામે રાખવા માટે જાણીતા છે.
આવો, હવે આપણે જાણીતાં ક્રિકેટ ખેલાડી હરમનપ્રીત કૌરજીને સાંભળીએ.
****Audio***
नमस्कार।मैं अपने देशवासियों को ‘मन की बात’के माध्यम से कुछ कहना चाहती हूं । माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के Fit India की पहल मुझे अपने Fitness मंत्र आप सभी के साथ Share करने के लिए प्रोत्साहित किया है। आप सभी को मेरा पहला Suggestion यही है ‘One cannot out train a bad diet’.इसका अर्थ ये है कि आप कब खाते हो और क्या खाते हो इस के बारे में आपको बहुत सावधान रहना होगा । हाल ही में माननीय प्रधानमंत्री मोदी जीने सभी को बाजरा खाने के लिए encourage किया है। जो कि Immunity बढाता है और टिकाउ खेती करने में सहायता करता है और पचाने में भी आसान है । Regular Exercise और 7 घंटे की पूरी नींद body के लिए बहुत जरूरी है और fit रहने के लिए मदद करती है। इस के लिए बहुत discipline and consistency की जरूरत होगी। जब आप को इसका result मिलने लग जाएगा तो आप daily खुद ही exercise करना startकरदोगे । मुझे आप सब से बात करने और अपना fitness मंत्र share करने का अवसर देने के लिए माननीय प्रधानमंत्री जी का बहुत धन्यवाद ।
હરમીનપ્રીતજી જેવાં પ્રતિભાશાળી ખેલાડીની વાતો, નિશ્ચિત રૂપથી, તમને સહુને પ્રેરિત કરશે.
આવો, ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદજીને સાંભળીએ. આપણે બધા જાણીએ છીએ કે તેમની રમત ‘શતરંજ’ માટે માનસિક સ્વાસ્થ્યનું કેટલું મહત્ત્વ છે.
***Audio****
Namaste, I am Vishwanathan Anand you have seen me play Chess and very often I am asked, what is your fitness routine? Now Chess requires a lot of focus and patience, so I do the following which keeps me fit and agile. I do yoga two times a week, I do cardio two times a week and two times a week, I focus on flexibility, stretching, weight training and I tend to take one day off per week. All of these are very important for chess. You need to have the stamina to last 6 or 7 hours of intense mental effort, but you also need to be flexible to able to sit comfortably and the ability to regulate your breath to calm down is helpful when you want to focus on some problem, which is usually a Chess game. My fitness tip to all ‘Mann Ki Baat’ listeners would be to keep calm and focus on the task ahead. The best fitness tip for me absolutely the most important fitness tip is to get a good night sleep. Do not start sleeping for four and five hours a night, I think seven or eight is a absolute minimum so we should try as hard as possible to get good night sleep, because that is when the next day you are able to get through the day in calm fashion. You don’t make impulsive decisions; you are in control of your emotions. For me sleep is the most important fitness tip.
આવો, હવે અક્ષયકુમારજીને સાંભળીએ.
****Audio***
नमस्कार । मैं हूं अक्षय कुमार सब से पहले तो मैं हमारे आदरणीय प्रधानमंत्री जी का शुक्रिया करता हूं कि उन के ‘मन की बात’ मेंमुझे भी अपने ‘मन की बात’ आप को कह पाने का एक छोटा सा मौका मिला । आप लोग जानते है कि मैं fitness के लिए जितना passionateहूं natural तरीके से fit रहने के लिए। मुझे ना ये fancy gym से ज्यादा पसंद है बाहर swimming करना, badminton खेलना, सीढियाँ चढना, मुद्गर से कसरत करना, अच्छा हेल्दी खाना, जैसे मेरा यह मानना है कि शुद्ध घी अगर सही मात्रा में खाया जाए तो हमें फायदा कराता है। लेकिन मैं देखता हूं कि बहुत से young लडके लडकियां इस वजह से घी नहीं खाते है कि कहीं वे मोटे ना हो जाए । बहुत जरूरी है कि हम यह समझे कि क्या हमारी fitness के लिए अच्छा है और क्या बुरा है । Doctors की सलाह से आप अपना lifestyle बदलो ना कि किसी फिल्म स्टार की body देखकर । Actor screen पर जैसे दिखते है वैसे तो कई बार होते भी नहीं है । कई तरह के Filter और Special effects use होते हैं और हम उसे देखकर अपने शरीर को बदलने के लिए गलत तरीकें shortcut का इस्तेमाल करना शुरू कर देते है । आजकल इतने सारे लोग steroid लेकर यह six pack eight pack इस के लिए चल पडते है। यार एसे shortcut से body उपर से फूल जाती है लेकिन अंदर से खोखली रह जाती है । आप लोग याद रखिएगा कि shortcut can cut your life short । आप को shortcut नहीं long lasting fitness चाहिए। दोस्तो ,fitness एक तरह की तपस्या है।
Instant coffee या दो मिनट का noodle नहीं है। इस नए साल में अपने आप से वादा करो no chemicals no shortcut कसरत, योग, अच्छा खाना, वक्त पर सोना, थोडा meditation और सब से जरूरी, जैसे आप दिखते हो ना, उसे खुशी से accept करो । आज के बाद filter वाली life नहीं, fitter वाली life जियो । Take care, जय महाकाल ।
આ ક્ષેત્રમાં અનેક બીજાં સ્ટાર્ટ અપ પણ છે. આથી મેં વિચાર્યું કે એક યુવા સ્ટાર્ટ અપ ફાઉન્ડર સાથે પણ ચર્ચા કરીએ, જે આ ક્ષેત્રમાં ઘણું સારું કામ કરી રહ્યા છે.
***Audio***
नमस्कार, मेरा नाम ऋषभ मल्होत्रा है और मैं बेंगलुरु का रहनेवाला हूं। मुझे यह जानकर बेहद खुशी हई कि ‘मन की बात’ में fitness पर चर्चा हो रही है। । मैं खुद fitness की दुनिया से belong करता हूं और बेंगलुरु में हमारा एक start-up है जिस का नाम है ‘तगडा रहो’ । हमारा start-up भारत के पारंपारिक व्यायाम को आगे लाने के लिए बनाया गया है । भारत के पारंपरिक व्यायाम में एक बहुत ही अद्भुत व्यायाम है जो है ‘गदा व्यायाम’ और हमारा पूरा focus गदा और मुग्दर व्यायाम पर ही है। लोगों को जानकर आश्चर्य होता है कि आप गदा से सारी training कैसे कर लेते है । मैं यह बताना चाहूंगा कि गदा व्यायाम हजारों साल पुराना व्यायाम है और ये हजारों सालों से भारत में चलता आ रहा है । आपने इसे छोटे बडे अखाडों में देखा होगा और हमारे start-up के माध्यम से हम इसे एक आधुनिक form में वापस लेकर आए है। हमें पूरे देश से बहुत प्यार मिला है बहुत अच्छा response मिला है ।
‘मन की बात’के माध्यम से मैं यह बताना चाहूंगा कि इसके अलावा भी भारत में बहुत से ऐसे प्राचीन व्यायाम है health और fitnessसे related विधि है, जो हमें अपनानी चाहिए और दुनिया में आगे भी सिखानी चाहिए । मैं fitness की दुनिया से हूं तो आप को एक personal tip देना चाहूँगा । गदा व्यायाम से आप अपना बल, अपनी ताकत, अपना posture और अपनी breathing को भी ठीक कर सकते है, तो गदा व्यायाम को अपनाए और इसे आगे बढाएं। जय हिंद।
સાથીઓ, દરેકે પોતાના વિચાર મૂક્યા છે, પરંતુ બધાનો એક જ મંત્ર છે, Healthy રહો, fit રહો. 2024ની શરૂઆત કરવા માટે તમારી પાસે તમારી ફિટનેસથી મોટો સંકલ્પ બીજો કયો હશે.
મારા પરિવારજનો, કેટલાક દિવસ પહેલાં કાશીમાં એક પ્રયોગ થયો હતો, જેને હું 'મન કી બાત'ના શ્રોતાઓને જરૂર બતાવવા માગું છું. તમે જાણો છો કે કાશી-તમિળ સંગમમમાં હિસ્સો લેવા માટે હજારો લોકો તમિળનાડુથી કાશી પહોંચ્યા હતા. ત્યાં મેં તે લોકો સાથે સંવાદ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ટૂલ ભાષિણીનો સાર્વજનિક રૂપે પહેલી વાર ઉપયોગ કર્યો. હું મંચથી હિન્દીમાં સંબોધન કરી રહ્યો હતો પરંતુ એઆઈ ટૂલ ભાષિણીના કારણે ત્યાં ઉપસ્થિત તમિળનાડુના લોકોને મારું આ જ સંબોધન તે સમયે તમિળ ભાષામાં સંભળાઈ રહ્યું હતું. કાશી-તમિળ સંગમમમાં આવેલા લોકો આ પ્રયોગથી ખૂબ જ ઉત્સાહિત દેખાયા. એ દિવસ દૂર નથી જ્યારે કોઈ એક ભાષામાં સંબોધન થશે અને જનતા તે જ સમયે તે ભાષણને પોતાની ભાષામાં સાંભળશે. આવું જ ફિલ્મો સાથે પણ થશે જ્યારે જનતા સિનેમા હૉલમાં એઆઈની મદદથી તત્કાળ ભાષાંતર સાંભળતી હશે. તમે અનુમાન કરી શકો છો કે જ્યારે આ ટૅક્નૉલૉજી આપણી શાળાઓ, આપણી હૉસ્પિટલો, આપણાં ન્યાયાલયોમાં વ્યાપક રૂપે ઉપયોગ થવા લાગશે તો કેટલું મોટું પરિવર્તન આવશે.
હું આજની યુવા પેઢીને આગ્રહ કરીશ કે તત્કાળ ભાષાંતર સાથે જોડાયેલા એઆઈ ટૂલ્સને વધુ સમજો અને તેને 100 ટકા ફૂલ પ્રૂફ બનાવો.
સાથીઓ, બદલતા સમયમાં આપણે આપણી ભાષાઓ બચાવવાની પણ છે અને સંવર્ધિત પણ કરવાની છે. હવે હું તમને ઝારખંડના એક આદિવાસી ગામ વિશે જણાવવા માગું છું. આ ગામે પોતાનાં બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે. ગઢવા જિલ્લાના મંગલો ગામમાં બાળકોને કુડુખ ભાષામાં શિક્ષણ અપાઈ રહ્યું છે. આ શાળાનું નામ છે ‘કાર્તિક ઉરાંવ આદિવાસી કુડુખ સ્કૂલ’. આ શાળામાં 300 આદિવાસી બાળકો ભણે છે. કુડુખ ભાષા, ઉરાંવ આદિવાસી સમુદાયની માતૃભાષા છે. કુડુખ ભાષાની પોતાની લિપિ પણ છે, જેને ‘તોલંગ સિકી’ નામથી ઓળખવામાં આવે છે. આ ભાષા ધીરે-ધીરે વિલુપ્ત થતી જઈ રહી હતી, જેને બચાવવા માટે આ સમુદાયે પોતાની ભાષામાં બાળકોને શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. આ શાળાને શરૂ કરવાનાર અરવિંદ ઉરાંવ કહે છે કે આદિવાસી બાળકોને અંગ્રેજી ભાષામાં તકલીફ પડતી હતી તેથી તેમણે ગામનાં બાળકોને પોતાની માતૃભાષામાં ભણાવવાનું શરૂ કર્યું. તેમના આ પ્રયાસથી સારાં પરિણામ મળવાં લાગ્યાં તો ગામના લોકો પણ તેમની સાથે જોડાયા. પોતાની ભાષામાં અભ્યાસના કારણે બાળકોની શીખવાની ઝડપ પણ વધી ગઈ. આપણા દેશમાં અનેક બાળકો ભાષાની મુશ્કેલીના કારણે ભણતર અધવચ્ચે જ છોડી દે છે. આવી મુશ્કેલીઓને દૂર કરવામાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની મદદ પણ મળી રહી છે. આપણો પ્રયાસ છે કે ભાષા, કોઈ પણ બાળકના શિક્ષણ અને પ્રગતિમાં બાધા ન બનવી જોઈએ.
સાથીઓ, આપણી ભારતભૂમિના દરેક કાળખંડને દેશની વિલક્ષણ દીકરીઓએ ગૌરવથી ભરી દીધો છે. સાવિત્રીબાઈ ફૂલેજી અને રાની વેલુ નાચિયારજી દેશની આવી જ બે વિભૂતિઓ છે.
તેમનું વ્યક્તિત્વ એવા પ્રકાશ સ્તંભ જેવું છે જે દરેક યુગમાં નારી શક્તિને આગળ વધારવાનો માર્ગ દેખાડતું રહેશે. આજથી કેટલાક જ દિવસો પછી, ૩ જાન્યુઆરીએ આપણે બધાં આ બંનેની જયંતી મનાવીશું. સાવિત્રીબાઈ ફૂલેજીનું નામ આવતાં જ સૌથી પહેલાં શિક્ષણ અને સમાજ સુધારના ક્ષેત્રમાં તેમનું યોગદાન સામે આવે છે. તેઓ હંમેશાં મહિલાઓ અને વંચિતોનાં શિક્ષણ માટે જોરદાર રીતે અવાજ ઉઠાવતાં રહ્યાં. તેઓ પોતાના સમયથી ખૂબ જ આગળ હતાં અને એ ખોટી પ્રથાઓના વિરોધમાં હંમેશાં આગળ રહ્યાં. શિક્ષણથી સમાજના સશક્તિકરણ પર તેમનો ગાઢ વિશ્વાસ હતો. મહાત્મા ફૂલેજી સાથે મળીને તેમણે દીકરીઓ માટે અનેક શાળાઓ શરૂ કરી. તેમની કવિતાઓ લોકોમાં જાગૃતિ વધારનારી અને આત્મવિશ્વાસ ભરનારી હતી. લોકોને હંમેશાં તેમનો એવો આગ્રહ રહેતો કે તેઓ જરૂરિયાતમાં એકબીજાની મદદ કરે અને પ્રકૃતિ સાથે પણ સમરસતાથી રહે. તેઓ કેટલાં દયાળુ હતાં, તે શબ્દોમાં સમાવી ન શકાય. જ્યારે મહારાષ્ટ્રમાં દુકાળ પડ્યો તો સાવિત્રીબાઈ અને મહાત્મા ફૂલેએ જરૂરિયાતવાળા લોકોની મદદ માટે પોતાના ઘરના દરવાજા ખોલી દીધા. સામાજિક ન્યાયનું આવું ઉદાહરણ વિરલ જ જોવા મળે છે. જ્યારે ત્યાં પ્લેગનો ભય વ્યાપેલો હતો તો તેમણે પોતાને લોકોની સેવામાં લગાવી દીધા. આ દરમિયાન તેઓ પોતે આ બીમારીની ઝપટમાં આવી ગયા. માનવતાને સમર્પિત તેમનું જીવન આજે પણ આપણને બધાંને પ્રેરિત કરી રહ્યું છે.
સાથીઓ, વિદેશ શાસન વિરુદ્ધ સંઘર્ષ કરનારી દેશની અનેક મહાન વિભૂતિઓમાંથી એક નામ રાની વેલુ નાચિયારનું પણ છે. તમિળનાડુનાં મારાં ભાઈ-બહેન આજે પણ તેમને વીરા મંગઈ અર્થાત્ વીર નારીના નામથી યાદ કરે છે.
અંગ્રેજો વિરુદ્ધરાની વેલુ નાચિયાર જે બહાદુરીથી લડ્યાં અને જે પરાક્રમ દેખાડ્યું, તે ખૂબ જ પ્રેરિત કરનારું છે. અંગ્રેજોએ શિવગંગા સામ્રાજ્ય પર આક્રમણ દરમિયાન તેમના પતિની હત્યા કરી દીધી હતી, જે ત્યાંના રાજા હતા. રાની વેલુ નાચિયાર અને તેમની દીકરી કોઈક રીતે દુશ્મનથી બચીને ભાગી ગયાં હતાં. તેઓ સંગઠન બનાવવા અને મરુદુ બંધુઓ અર્થાત્ પોતાના સૈનિકો સાથે સેના તૈયાર કરવામાં અનેક વર્ષો લાગેલાં રહ્યાં. તેમણે પૂરી તૈયારીઓ સાથે અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું અને ખૂબ જ હિંમત અને સંકલ્પ શક્તિ સાથે લડાઈ લડી. રાની વેલુ નાચિયારનું નામ એવા લોકોમાં આવે છે જેમણે પોતાની સેનામાં પહેલી વાર માત્ર મહિલાઓનું જૂથ બનાવ્યું. હું આ બંને વીરાંગનાઓને શ્રદ્ધાસુમન અર્પિત કરું છું.
મારા પરિવારજનો, ગુજરાતમાં ડાયરાની પરંપરા છે. આખી રાત હજારો લોકો ડાયરામાં જઈને મનોરંજન સાથે જ્ઞાનને મેળવે છે. આ ડાયરામાં લોકસંગીત, લોકસાહિત્ય અને હાસ્યની ત્રિવેણી, દરેકના મને આનંદથી ભરી દે છે. આ ડાયરાના એક પ્રસિદ્ધ કલાકાર છે ભાઈ જગદીશ ત્રિવેદીજી. હાસ્ય કલાકારના રૂપમાં ભાઈ જગદીશ ત્રિવેદીજીએ 30 વર્ષથી પણ વધુ સમયથી પોતાનો પ્રભાવ જમાવેલો રાખ્યો છે. તાજેતરમાં જ ભાઈ જગદીશ ત્રિવેદીજીનો મને એક પત્ર મળ્યો અને સાથે તેમણે પોતાનું એક પુસ્તક પણ મોકલ્યું છે. પુસ્તકનું નામ છે- social audit of social service. આ પુસ્તક ખૂબ જ અનોખું છે. તેમાં હિસાબકિતાબ છે, આ પુસ્તક એક રીતે સરવૈયું છે. છેલ્લાં છ વર્ષમાં ભાઈ જગદીશ ત્રિવેદીજીએ કયા-કયા કાર્યક્રમમાંથી કેટલી આવક થઈ અને તેનો ક્યાં-ક્યાં ખર્ચ થયો, તેના પૂરા લેખા-જોખા પુસ્તકમાં છે.
આ સરવૈયું એટલા માટે અનોખું છે કારણકે તેમણે પોતાની પૂરી આવક, એક-એક રૂપિયો સમાજ માટે – શાળા, હૉસ્પિટલ, લાઇબ્રેરી, દિવ્યાંગજનો સાથે જોડાયેલી સંસ્થાઓ, સમાજસેવામાં ખર્ચ કરી દીધો – પૂરાં છ વર્ષનો હિસાબ છે. જેમ પુસ્તકમાં એક જગ્યાએ લખ્યું છે- 20૨૨માં તેમને પોતાના કાર્યક્રમોથી આવક થઈ બે કરોડ પાંત્રીસ લાખ ઓગણએંસી હજાર છસ્સો ચુમ્મોતેર રૂપિયા. અને તેણે શાળા, હૉસ્પિટલ, પુસ્તકાલય પર ખર્ચ કર્યા બે કરોડ પાંત્રીસ લાખ ઓગણેંસી હજાર છસ્સો ચુમ્મોતેર રૂપિયા. તેમણે એક પણ રૂપિયો પોતાની પાસે ન રાખ્યો. હકીકતે, તેની પાછળ પણ એક રસપ્રદ ઘટના છે. થયું એવું કે એક વાર ભાઈ જગદીશ ત્રિવેદીજીએ કહ્યું કે જ્યારે 2017માં તેઓ 50 વર્ષના થઈ જશે તો તે પછી તેમના કાર્યક્રમોથી થનારી આવકને તેઓ ઘરે નહીં લઈ જાય પરંતુ સમાજ પર ખર્ચ કરી નાખશે. 2017 પછી અત્યાર સુધી, તેઓ લગભગ પોણા નવ કરોડ રૂપિયા અલગ-અલગ સામાજિક કાર્યો પર ખર્ચ કરી ચૂક્યા છે. એક હાસ્ય કલાકાર, પોતાની વાતોથી, દરેકને હસવા માટે મજબૂર કરી દે છે. પરંતુ તે અંદરથી, કેટલી સંવેદનાઓને જીવે છે, તે ભાઈ જગદીશ ત્રિવેદીજીના જીવન પરથી ખબર પડે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેમની પાસે પીએચ.ડી.ની ત્રણ ડિગ્રીઓ પણ છે. તેઓ ૭૫ પુસ્તકો લખી ચૂક્યા છે, જેમાંથી અનેક પુસ્તકોને સન્માનિત કરવામાં આવ્યાં છે. હું ભાઈ જગદીશ ત્રિવેદીજીને તેમનાં સામાજિક કાર્યો માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.
મારા પરિવારજનો, અયોધ્યામાં રામ મંદિર અંગે પૂરા દેશમાં ઉત્સાહ છે, ઉમંગ છે. લોકો પોતાની ભાવનાઓને અલગ-અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે. તમે જોયું હશે, વિતેલા કેટલાક દિવસોમાં શ્રી રામ અને અયોધ્યા અંગે ખૂબ બધાં નવાં ગીતો, નવાં ભજનો બનાવવામાં આવ્યાં છે.
ઘણા બધા લોકો નવી કવિતાઓ પણ લખી રહ્યા છે. તેમાં મોટા-મોટા અનુભવી કલાકારો પણ છે તો નવા ઉભરતા યુવા સાથીઓએ પણ મનને મોહી લેનારાં ભજનોની રચના કરી છે. કેટલાંક ગીતો અને ભજનોને તો મેં પણ પોતાના સૉશિયલ મીડિયા પર શૅર કર્યાં છે. એવું લાગે છે કે કળા જગત પોતાની અનોખી શૈલીમાં એક ઐતિહાસિક ક્ષણનું સહભાગી બની રહ્યું છે. મારા મનમાં એક વાત આવી રહી છે કે શું આપણે બધા એવી બધી રચનાઓને એક common hash tag સાથે શૅર ન કરી શકીએ? મારો તમને અનુરોધ છે કે હેશટૅગ શ્રી રામભજન (#shriRamBhajan)ની સાથે તમે તમારી રચનાઓને સૉશિયલ મીડિયા પર શૅર કરો. આ સંકલન, ભાવોનો, ભક્તિનો એવો પ્રવાહ બનશે જેમાં દરેક રામમય થઈ જશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ‘મન કી બાત’માં મારી સાથે બસ આટલું જ. 2024ને હવે કેટલાક કલાકોની જ વાર છે. ભારતની ઉપલબ્ધિઓ, દરેક ભારતવાસીની ઉપલબ્ધિ છે. આપણે પંચ પ્રણોનું ધ્યાન રાખીને ભારતના વિકાસ માટે નિરંતર પ્રયાસરત રહેવાનું છે. આપણે કોઈ પણ કામ કરીએ, કોઈ પણ નિર્ણય લઈએ, આપણી સૌથી પહેલી કસોટી એ જ હોવી જોઈએ કે તેનાથી દેશને શું મળશે, તેનાથી દેશને શું લાભ થશે. રાષ્ટ્ર પ્રથમ- Nation First તેનાથી મોટો કોઈ મંત્ર નથી. આ મંત્ર પર ચાલતાં આપણે ભારતીયો, પોતાના દેશને વિકસિત બનાવીશું, આત્મનિર્ભર બનાવીશું. તમે બધાં 2024માં સફળતાઓની નવી ઊંચાઈ પર પહોંચો, તમે બધાં સ્વસ્થ રહો, fit રહો, ખૂબ આનંદથી રહો- મારી આ જ પ્રાર્થના છે. 2024માં આપણે ફરી એક વાર દેશના લોકોની નવી ઉપલબ્ધિઓ પર ચર્ચા કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપનું સ્વાગત છે. પરંતુ આજે ૨૬ નવેમ્બર આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. આજના જ દિવસે દેશ પર સૌથી જઘન્ય આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ મુંબઇને, સમગ્ર દેશને, ધ્રૂજાવી દીધો હતો. પરંતુ એ ભારતનું સામર્થ્ય છે કે, આપણે એ હુમલામાંથી બહાર આવ્યા અને હવે પૂરી હિંમતથી આતંકવાદને કચડી રહ્યા છીએ. મુંબઇ હુમલામાં પોતાનું જીવન ગુમાવનાર બધા લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું. આ હુમલામાં આપણા જે વીરો વીરગતિને પ્રાપ્ત થયા, દેશ આજે તેમને યાદ કરી રહ્યો છે.
મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.
સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે સંવિધાનના નિર્માણમાં બે વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગ્યો હતો. શ્રી સચ્ચિદાનંદ સિંહાજી સંવિધાન સભાના સૌથી વૃદ્ધ સભ્ય હતા. 60થી વધુ દેશોના સંવિધાનનું અધ્યયન અને લાંબી ચર્ચા પછી આપણા સંવિધાનનો મુસદ્દો તૈયાર થયો હતો. મુસદ્દો તૈયાર થયા પછી તેને અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં તેમાં 2 હજારથી વધુ સંશોધનો કરવામાં આવ્યા હતા. 1950માં સંવિધાન અમલમાં આવ્યા પછી પણ અત્યારસુધી કુલ 106 વાર સંવિધાન સંશોધનો કરવામાં આવ્યા છે. સમય, પરિસ્થિતિ, દેશની આવશ્યકતાને જોતાં અલગ-અલગ સરકારોએ અલગ-અલગ સમય પર સંશોધન કર્યા. પરંતુ એ પણ દુર્ભાગ્ય રહ્યું છે કે સંવિધાનમાં પહેલું સંશોધન વાણીની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં કાપ માટે થયું હતું. બીજી તરફ સંવિધાનના 44મા સંશોધનના માધ્યમથી કટોકટી દરમ્યાન કરવામાં આવેલી ભૂલોને સુધારવામાં આવી હતી.
સાથીઓ, આ પણ બહુ પ્રેરક છે કે, સંવિધાન સભાના કેટલાક સભ્યો નામાંકિત કરાયા હતા, જેમાં ૧૫ મહિલાઓ હતી. આવાં જ એક સભ્ય હંસા મહેતાજીએ મહિલાઓના અધિકાર અને ન્યાય માટે સ્વર બુલંદ કર્યો હતો. એ સમયમાં ભારત એવા કેટલાક દેશો પૈકી એક હતો જયાં મહિલાઓને બંધારણ દ્વારા મતદાનનો અધિકાર આપવામાં આવ્યો. રાષ્ટ્રનિર્માણમાં જ્યારે બધાનો સાથ હોય છે ત્યારે બધાનો વિકાસ પણ થઇ શકે છે. મને સંતોષ છે કે સંવિધાન નિર્માતાઓની તે દૂરદૃષ્ટિનું પાલન કરતાં, હવે ભારતની સંસદે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને પસાર કર્યો છે. ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ આપણા લોકતંત્રની સંકલ્પ શક્તિનું ઉદાહરણ છે. આ વિકસિત ભારતના આપણા સંકલ્પને ગતિ આપવા માટે પણ એટલો જ સહાયક થશે.
મારા પરિવારજનો, રાષ્ટ્રનિર્માણની કમાન જ્યારે જનતાજનાર્દન સંભાળી લે છે, તો દુનિયાની કોઇપણ શક્તિ એ દેશને આગળ વધારવાથી રોકી શક્તિ નથી. જે ભારતમાં પણ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, અનેક પરિવર્તનોનું નેતૃત્વ દેશની 140 કરોડ જનતા કરી રહી છે. તેનું એક પ્રત્યક્ષ ઉદાહરણ આપણે તહેવારોના આ સમયમાં જોયું છે. ગત મહિને ‘મન કી બાત’માં મેં વોકલ ફોર લોકલ એટલે કે, સ્થાનિક ઉત્પાદનોને ખરીદવા પર ભાર આપ્યો હતો. ગત કેટલાક દિવસોની અંદર જ દિવાળી, ભાઇબીજ અને છઠ પર દેશમાં 4 લાખ કરોડથી વધુનો વેપાર થયો છે. અને આ દરમિયાન, ભારતમાં બનેલા ઉત્પાદનોને ખરીદવાનો જબરદસ્ત ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો. હવે તો ઘરનાં બાળકો પણ દુકાન પર કંઇક ખરીદતી વખતે એ જોવા લાગ્યા છે કે તેમાં મેડ ઇન ઇન્ડિયા લખેલું છે કે નથી લખેલું. એટલું જ નહિં, ઓનલાઇન સામાન ખરીદતી વખતે હવે લોકો કન્ટ્રી ઓફ ઓરીજીન તેને જોવાનું નથી ભૂલતા.
સાથીઓ, જે રીતે ‘સ્વચ્છ ભારત અભિયાન’ની સફળતા જ તેની પ્રેરણા બની રહી છે તેવી જ રીતે વોકલ ફોર લોકલની સફળતા, વિકસિત ભારત-સમૃદ્ધ ભારતના દ્વાર ખોલી રહી છે. વોકલ ફોર લોકલનું આ અભિયાન સમગ્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપે છે. વોકલ ફોર લોકલ અભિયાન રોજગારની ગેરંટી છે. તે વિકાસની ગેરંટી છે, તે દેશના સંતુલિત વિકાસીન ગેરંટી છે. તેનાથી શહેરી અને ગ્રામીણ, બંનેને સમાન અવસર મળે છે. તેનાથી સ્થાનિક ઉત્પાદનોમાં વેલ્યુ એડિશનનો પણ માર્ગ બને છે, અને ક્યારેક, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉતાર-ચઢાવ આવે છે, તો વોકલ ફોર લોકલનો મંત્ર, આપણી અર્થવ્યવસ્થાને સંરક્ષિત પણ કરે છે.
સાથીઓ, ભારતીય ઉત્પાદનો પ્રત્યે આ ભાવના કેવળ તહેવારો સુધી સિમીત રહેવી જોઇએ નહીં. અત્યારે લગ્નની ઋતુ પણ શરૂ થઇ ગઇ છે. કેટલાક વેપારી સંગઠનોનું અનુમાન છે કે, આ લગ્નગાળામાં લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાનો વેપાર થઇ શકે છે. લગ્ન સાથે જોડાયેલી ખરીદીમાં પણ તમે બધા ભારતમાં બનેલા ઉત્પાદનોને જ મહત્ત્વ આપો. અને હા, જયારે લગ્નની વાત નીકળી છે, તો એક વાત મને લાંબા સમયથી ક્યારેક-ક્યારેક બહુ પીડા આપે છે અને મારા મનની પીડા, મારા પરિવારજનોને નહીં કહું તો કોને કહીશ ? તમે વિચારો, આ દિવસોમાં જે કેટલાક પરિવારોમાં વિદેશમાં જઇને લગ્ન કરવાનું એક નવું જ વાતાવરણ બનતું જાય છે. શું એ જરૂરી છે ? ભારતની માટીમાં, ભારતના લોકો વચ્ચે, જો આપણે લગ્ન કરીએ તો દેશના પૈસા દેશમાં જ રહેશે. દેશના લોકોને તમારા લગ્નમાં કંઇને કંઇ સેવા કરવાનો અવસર મળશે, નાના-નાના ગરીબ લોકો પણ પોતાના બાળકોને તમારા લગ્નની વાતો કહેશે. શું તમે વોકલ ફોર લોકલના આ મિશનને વિસ્તાર આપી શકશો ? આપણે લગ્ન જેવા સમારંભ કેમ આપણા જ દેશમાં ન કરીએ ? બની શકે કે, તમારે જોઇએ તેવી વ્યવસ્થા આજે નહીં હોય પરંતુ જો આપણે આ પ્રકારના આયોજન કરીશું તો વ્યવસ્થાઓ પણ વિકસશે. આ ખૂબ જ મોટા પરિવારો સાથે જોડાયેલો વિષય છે. હું આશા રાખું છું કે મારી આ પીડા તે મોટા-મોટા પરિવારો સુધી જરૂર પહોંચશે.
મારા પરિવારજનો, તહેવારોની આ ઋતુમાં એક બીજો મોટો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ સતત બીજું વર્ષ છે જયારે દિવાળીના અવસરે રોકડ આપીને કેટલોક સામાન ખરીદવાનું પ્રચલન ધીમેધીમે ઘટતું જઇ રહ્યું છે. એટલે કે, હવે લોકો વધુમાં વધુ ડીજીટલ પેમેન્ટ કરી રહ્યા છે. આ પણ ખૂબ જ ઉત્સાહ વધારનારું છે. તમે એક બીજું કામ કરી શકો છો. તમે નક્કી કરો કે, એક મહિના સુધી તમે યુપીઆઇથી કે કોઇ ડીજીટલ માધ્યમથી જ પેમેન્ટ કરશો, રોકડમાં ચૂકવણી નહીં કરો. ભારતમાં ડીજીટલ ક્રાંતિની સફળતાએ તેને બિલકુલ સંભવ બનાવી દીધું છે. અને જયારે એક મહિનો થઇ જાય, તો તમે મને તેનો અનુભવ, તમારો ફોટો જરૂર શેર કરજો. હું અત્યારથી જ તમને એડવાન્સમાં મારી શુભકામના આપું છું.
મારા પરિવારજનો, આપણા યુવા સાથીઓએ દેશને એક બીજા મોટા શુભ સમાચાર આપ્યા છે, જે આપણને બધાને ગૌરવથી ભરી દેશે. ઇન્ટેલીજન્સ, આઇડિયા અને ઇન્નોવેશન- આજે ભારતીય યુવાઓની ઓળખ છે. તેમાં ટેકનોલોજીના સંયોજનથી તેની બૌદ્ધિક સંપદામાં નિરંતર વૃદ્ધિ થાય, તે પોતાની રીતે દેશના સામર્થ્યને વધારનારી મહત્ત્વપૂર્ણ પ્રગતિ છે. તમને એ જાણીને સારું લાગશે કે ૨૦૨૨માં ભારતીયોના પેટન્ટ આવેદનમાં ૩૧ ટકાથી વધુની વૃદ્ધિ થઇ છે. World Intellectual Property Organisation એ એક ખૂબ જ રસપ્રદ રીપોર્ટ જાહેર કર્યો છે. આ રીપોર્ટ કહે છે કે, પેટન્ટ ફાઇલ કરવામાં સૌથી આગળ રહેનારા ટોચના ૧૦ દેશોમાં પણ આવું પહેલાં કયારેય નથી થયું. આ શાનદાર ઉપલબ્ધિ માટે હું મારા યુવા સાથીઓને ખૂબખૂબ અભિનંદન આપું છું. હું મારા યુવા મિત્રોને વિશ્વાસ અપાવવા માંગું છું કે દેશ દરેક પગલે તમારી સાથે છે. સરકારે જે પ્રશાસનિક અને કાનૂની સુધારા કર્યા છે, તે પછી આજે આપણા યુવા એક નવી ઊર્જા સાથે મોટા સ્તર પર ઇન્નોવેશનના કામમાં લાગેલા છે. 10 વર્ષ પહેલાંના આંકડા સાથે સરખામણી કરીએ, તો આજે, આપણી પેટન્ટને 10 ગણી વધારે મંજૂરી મળી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે, પેટન્ટથી ન માત્ર દેશની બૌદ્ધિક સંપદા વધે છે, પરંતુ તેનાથી નવા-નવા અવસરોના પણ દ્વાર ખૂલે છે. એટલું જ નહિં, તે આપણા સ્ટાર્ટઅપની શક્તિ અને ક્ષમતાને પણ વધારે છે. આજે આપણા સ્કૂલના બાળકોમાં પણ ઇન્નોવેશનની ભાવનાને ઉત્તેજન મળી રહ્યું છે. અટલ ટીંકરીંગ લેબ, અટલ ઇન્નોવેશન મિશન, કોલેજોમાં ઇન્ક્યુબેશન સેન્ટર્સ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન, આવા નિરંતર પ્રયાસોના પરિણામો દેશવાસીઓની સામે છે. તે પણ ભારતની યુવા શક્તિ, ભારતની ઇન્નોવેટીવ શક્તિનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. આ જોશની સાથે આગળ ચાલતા, આપણે, વિકસિત ભારતના સંકલ્પને પણ પ્રાપ્ત કરીને દેખાડશું અને આથી હું વારંવાર કહું છું કે ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’.
મારા પ્રિય દેશવાસીઓ, તમને યાદ હશે કે કેટલાક સમય પહેલાં ‘મન કી બાત’માં મે ભારતમાં મોટી સંખ્યામાં યોજાતા મેળાઓની ચર્ચા કરી હતી. ત્યારે એક એવી પ્રતિયોગિતાનો પણ વિચાર આવ્યો હતો જેમાં લોકો મેળા સાથે જોડાયેલો ફોટો શેર કરે. સંસ્કૃતિ મંત્રાલયે તેને લઇને મેલા મોમેન્ટસ કોન્ટેસ્ટનું આયોજન કર્યું હતું. તમને એ જાણીને સારું લાગશે કે તેમાં હજારો લોકોએ ભાગ લીધો અને ઘણા લોકોએ પુરસ્કાર પણ જીત્યો. કોલકાતાના નિવાસી રાજેશ ધરજીએ ‘ચરક મેળા’માં ફુગ્ગા અને રમકડાં વેચનારાના અદભૂત ફોટા માટે પુરસ્કાર જીત્યો. આ મેળો ગ્રામીણ બંગાળમાં ઘણો લોકપ્રિય છે. વારાણસીની હોળીને શો કેસ કરવા માટે અનુપમસિંહજીને મેળા ચિત્રનો પુરસ્કાર મળ્યો. અરૂણ કુમાર નલીમેલાજીને ‘કુલસાઇ દશહરા’ સાથે જોડાયેલા એક આકર્ષક પાસાને દેખાડવા માટે પુરસ્કૃત કરવામાં આવ્યા. તે જ રીતે, પંઢરપુરની ભક્તિને દેખાડનારી તસવીર, સૌથી વધુ પસંદ કરાયેલી તસવીરમાં સામેલ રહી, જેને મહારાષ્ટ્રના જ એક સજ્જન શ્રીમાન રાહુલજીએ મોકલી હતી. આ પ્રતિયોગિતામાં ઘણી બધી તસવીરો, મેળા દરમ્યાન મળનારા સ્થાનિક વ્યંજનોની પણ હતી. તેમાં પુરલિયાના રહેનારા આલોક અવિનાશજીની તસવીરે પુરસ્કાર જીત્યો. તેમણે એક મેળા દરમ્યાન બંગાળના ગ્રામીણ ક્ષેત્રની ખાણી પીણીને દર્શાવી હતી. પ્રનબ બસાકજીની તે તસવીર પણ પુરસ્કૃત થઇ જેમાં ભગોરીયા મહોત્સવમાં મહિલાઓ કુલ્ફીનો આનંદ લઇ રહી છે. રૂમેલાજીએ છત્તીસગઢના જગદલપુરમાં એક ગામના મેળામાં ભજીયાનો સ્વાદ લેતી મહિલાઓની તસવીર મોકલી હતી- તેને પણ પુરસ્કૃત કરવામાં આવી.
સાથીઓ, ‘મન કી બાત’ના માધ્યમથી આજે દરેક ગામ, દરેક શાળા, દરેક પંચાયતને, એવો આગ્રહ છે કે આ પ્રકારની પ્રતિયોગિતાઓનું નિરંતર આયોજન કરે. આજકાલ તો સોશિયલ મિડિયાની એટલી શક્તિ છે, ટેક્નોલોજી અને મોબાઇલ ઘરેઘરે પહોંચેલા છે. તમારા સ્થાનિક પર્વ હોય કે ઉત્પાદન, તમે આવું કરીને પણ તેને વૈશ્વિક બનાવી શકો છો.
સાથીઓ, ગામગામમાં યોજાનારા મેળાઓની જેમ જ આપણે ત્યાં વિભિન્ન નૃત્યોનો પણ પોતાનો જ વારસો છે. ઝારખંડ, ઓડિશા અને બંગાળના જનજાતિય વિસ્તારોમાં એક ખૂબ જ પ્રસિદ્ધ નૃત્ય છે જેને ‘છઉ’ ના નામથી બોલાવે છે. 15 થી 17 નવેમ્બર સુધી એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે શ્રીનગરમાં ‘છઉ’ પર્વનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બધાએ ‘છઉ’ નૃત્યનો આનંદ ઉઠાવ્યો. શ્રીનગરના નવયુવાનોને ‘છઉ’ નૃત્યની ટ્રેનિંગ આપવા માટે એક વર્કશોપનું પણ આયોજન થયું. આ રીતે, કેટલાક સપ્તાહ પહેલાં જ કઠુઆ જિલ્લામાં ‘બસોહલી ઉત્સવ’ આયોજીત કરવામાં આવ્યો. આ જગ્યા જમ્મુથી 150 કિલોમીટર દૂર છે. આ ઉત્સવમાં સ્થાનિક કળા, લોકનૃત્ય અને પારંપરિક રામલીલાનું આયોજન થયું.
સાથીઓ, ભારતીય સંસ્કૃતિની સુંદરતાને સાઉદી અરબમાં પણ અનુભવવામાં આવી. આ મહિને સાઉદી અરબમાં ‘સંસ્કૃતિ ઉત્સવ’ નામનું એક આયોજન થયું. તે પોતાની રીતે ખૂબ જ અનોખું હતું, કારણ કે આ આખો કાર્યક્રમ જ સંસ્કૃતમાં થયો. સંવાદ, સંગીત, નૃત્ય બધું જ સંસ્કૃતમાં, તેમાં, ત્યાંના સ્થાનિક લોકોની ભાગીદારી પણ હતી.
મારા પરિવારજનો, ‘સ્વચ્છ ભારત’ હવે તો સમગ્ર દેશનો પ્રિય વિષય બની ગયો છે, મારો તો પ્રિય વિષય છે જ અને મને તેની સાથે જોડાયેલા કોઇ સમાચાર જેવા મળે છે, ત્યારે મારું મન તે તરફ ચાલ્યું જ જાય છે, અને સ્વાભાવિક છે, પછી તો તેને ‘મન કી બાત’ માં જગ્યા મળી જ જાય છે. સ્વચ્છ ભારત અભિયાને સાફસફાઇ અને સાર્વજનિક સ્વચ્છતા સંદર્ભે લોકોની વિચારધારાને બદલી નાંખી છે. આ પહેલ આજે રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક બની ચૂકી છે, જેને કરોડો દેશવાસીઓના જીવનને વધુ સારું બનાવ્યું છે. આ અભિયાને અલગ-અલગ ક્ષેત્રના લોકો, વિશેષરૂપે યુવાઓને સામૂહિક ભાગીદારી માટે પ્રેરિત કર્યું છે. આવો જ એક સહારનીય પ્રયાસ સુરતમાં જોવા મળ્યો છે. યુવાઓની એક ટીમે અહીં ‘પ્રોજેક્ટ સુરત’ ની શરુઆત કરી છે. તેનું લક્ષ્ય સુરતને એક એવુ મોડેલ શહેર બનાવવાનું છે, જે સફાઇ અને ટકાઉ વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ બને. ‘સફાઇ સન્ડે’ ના નામથી શરૂ થયેલા આ પ્રયાસ હેઠળ સુરતના યુવાનો પહેલાં સાર્વજનિક જગ્યાઓ અને ડુમાસ બીચની સફાઇ કરતાં હતા. પછી તે લોકો તાપી નદીના કિનારાની સફાઇમાં પણ પૂરી ધગશથી લાગી ગયા અને તમને જાણીને આનંદ થશે, જોતજોતામાં તેની સાથે જોડાયેલા લોકોની સંખ્યા, 50 હજારથી વધુ થઇ ગઇ છે. લોકોથી મળેલા સમર્થનથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો, જે પછી તેમણે કચરો એકઠો કરવાનું કામ પણ શરૂ કર્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ટીમે લાખો કિલો કચરો હટાવ્યો છે. જમીન સ્તર પર કરવામાં આવેલા આવા પ્રયાસો, ખૂબ જ મોટો બદલાવ લાવનારા હોય છે.
સાથીઓ, ગુજરાતથી જ એક વધુ જાણકારી મળી છે. કેટલાક સપ્તાહ પહેલાં ત્યાં અંબાજીમાં ‘ભાદરવી પૂનમના મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં 50 લાખથી વધુ લોકો આવ્યા હતા. આ મેળો દર વર્ષે યોજાય છે. તેની સૌથી મોટી વાત એ રહી કે, મેળામાં આવેલા લોકોએ ગબ્બર ટેકરીના એક મોટા હિસ્સામાં સફાઇ અભિયાન ચલાવ્યું. મંદિરોની આસપાસના સમગ્ર ક્ષેત્રને સ્વચ્છ રાખવાનું આ અભિયાન ખૂબ જ પ્રેરણાદાયી છે.
સાથીઓ, હું હંમેશાં કહું છું કે સ્વચ્છતા કોઇ એક દિવસ કે એક સપ્તાહ ચાલનારૂં અભિયાન નથી પરંતુ તે તો જીવનમાં ઉતારવાનું કામ છે. આપણે આપણી આસપાસ એવા લોકોને જોઇએ પણ છીએ, જેમણે પોતાનું પૂરૂં જીવન, સ્વચ્છતા સાથે જોડાયેલા વિષયો પર જ લગાવી દીધું. તમિળનાડુના કોયમ્બટૂરમાં રહેનારા લોગાનાથનજી પણ અનુપમ છે. બાળપણમાં ગરીબ બાળકોના ફાટેલા કપડાં જોઇને તેઓ ઘણીવાર દુઃખી થઇ જતા હતા. તે પછી તેમણે આવા બાળકોની મદદનું પ્રણ લીધું અને પોતાની કમાઇનો એક હિસ્સો તેમને દાન આપવાનું શરૂ કર્યું. જ્યારે પૈસાની ખોટ પડી તો લોગાનાથનજીએ શૌચાલય પણ સાફ કર્યા જેથી જરૂરિયાતવાળા બાળકોની મદદ થઇ શકે. તેઓ ગત 25 વર્ષથી પૂરા સમર્પિત ભાવથી પોતાના આ કામમાં લાગેલા છે અને અત્યાર સુધી 150૦થી વધુ બાળકોની મદદ કરી ચૂક્યા છે. હું ફરી એક વાર તેમના આવા પ્રયાસોની પ્રશંસા કરું છું. દેશભરમાં થઇ રહેલા આ પ્રકારના અનેક પ્રયાસો ન માત્ર આપણને પ્રેરણા આપે છે પરંતુ કંઇક નવું કરી છુટવાની ઇચ્છા શક્તિ પણ જગાવે છે.
મારા પરિવારજનો, ૨૧મી સદીના સૌથી મોટા પડકારો પૈકી એક છે- ‘જળ સુરક્ષા’. જળનું સંરક્ષણ કરવું, જીવનને બચાવવાથી ઓછું નથી. જયારે આપણે સામૂહિકતાની આ ભાવના સાથે કોઇ કામ કરીએ છીએ તો સફળતા પણ મળે છે. તેનું એક ઉદાહરણ દેશના દરેક જિલ્લામાં બની રહેલા ‘અમૃત સરોવર’ પણ છે. ‘અમૃત મહોત્સવ’ દરમ્યાન ભારતે જે ૬૫ હજારથી વધુ ‘અમૃત સરોવર’ બનાવ્યા છે, તે આવનારી પેઢીઓને લાભ આપશે. હવે આપણી પણ જવાબદારી છે કે જ્યાં-જ્યાં ‘અમૃત સરોવર’ બન્યાં છે, તેમની નિરંતર દેખભાળ થાય, તે જળસંરક્ષણના પ્રમુખ સ્ત્રોત બની રહે.
સાથીઓ, જળસંરક્ષણની આવી જ ચર્ચાઓ વચ્ચે મને ગુજરાતના અમરેલીમાં થયેલા ‘જળ ઉત્સવ’ની પણ ખબર પડી. ગુજરાતમાં બારેય માસ વહેતી નદીઓનો પણ અભાવ છે, આથી લોકોને મોટાભાગે વરસાદના પાણી પર જ નિર્ભર રહેવું પડે છે. ગત 20-25 વર્ષમાં સરકાર અને સામાજીક સંગઠનોના પ્રયાસ પછી ત્યાંની સ્થિતિમાં પરિવર્તન જરૂર આવ્યું છે. અને આથી ત્યાં ‘જળ ઉત્સવ’ની મોટી ભૂમિકા છે. અમરેલીમાં થયેલા ‘જળ ઉત્સવ’ દરમ્યાન ‘જળસંરક્ષણ’ અને તળાવના સંરક્ષણ સંદર્ભે લોકોમાં જાગૃતિ વધારવામાં આવી. તેમાં વોટર સ્પોર્ટસને પણ ઉત્તેજન આપવામાં આવ્યું, જળસંરક્ષણના વિશેષજ્ઞો સાથે મંથન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સહભાગી લોકોને તિરંગા વાળો વોટર ફાઉન્ટેન ઘણો પસંદ આવ્યો. આ જળઉત્સવનું આયોજન સુરતના હીરાવેપારમાં નામ કમાનારા સવજીભાઇ ધોળકિયાના ફાઉન્ડેશને કર્યું. હું તેમાં સહભાગી દરેક વ્યક્તિને અભિનંદન આપું છું, જળસંરક્ષણ માટે આવી જ રીતે કામ કરવાની શુભકામના આપું છું.
મારા પરિવારજનો, આજે દુનિયાભરમાં કૌશલ્ય વિકાસના મહત્ત્વને સ્વીકાર્યતા મળી રહી છે. જ્યારે આપણે કોઇને કોઇ કૌશલ્ય શીખવીએ છીએ, તો તેને માત્ર કૌશલ્ય જ નથી આપતા પરંતુ તેને આવકનો એક સ્ત્રોત પણ આપીએ છીએ. અને જ્યારે મને ખબર પડી કે એક સંસ્થા છેલ્લા ચાર વર્ષ દશકથી કૌશલ્ય વિકાસના કામમાં લાગેલી છે, તો મને વધુ સારું લાગ્યું. આ સંસ્થા, આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં છે અને તેનું નામ ‘બેલ્જીપુરમ યુથ ક્લબ’ છે. કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ‘બેલ્જીપુરમ યુથ ક્લબે’ લગભગ સાત હજાર મહિલાઓને સશક્ત બનાવી છે. તેમાંની મોટા ભાગની મહિલાઓ આજે પોતાની શક્તિ પર કંઇ ને કંઇ કામ કરી રહી છે. આ સંસ્થાએ બાળમજૂરી કરનારા બાળકોને પણ કોઇને કોઇ કૌશલ્ય શીખવાડીને તેમને તે દુષચક્રમાંથી બહાર કાઢવામાં મદદ કરી છે. ‘બેલ્જીપુરમ યુથ ક્લબ’ની ટીમે કિસાન ઉત્પાદ સંઘ એટલે કે FPOs સાથે જોડાયેલા ખેડૂતોને પણ નવા કૌશલ્યો શીખવાડ્યા એનાથી મોટી સંખ્યામાં ખેડૂતો સશક્ત થયા છે. સ્વચ્છતા સંદર્ભે પણ આ યુથ કલબ ગામેગામમાં જાગૃતિ ફેલાવી રહી છે. તેણે અનેક શૌચાલયોના નિર્માણમાં પણ મદદ કરી છે. હું કૌશલ્ય વિકાસ માટે આ સંસ્થા સાથે જોડાયેલા બધા લોકોને ખૂબખૂબ અભિનંદન આપું છું, તેમની પ્રશંસા કરું છું. આજે, દેશના ગામે ગામમાં કૌશલ્ય વિકાસ માટે આવા જ સામૂહિક પ્રયાસોની આવશ્યકતા છે.
સાથીઓ, જ્યારે કોઇ એક લક્ષ્ય માટે સામૂહિક પ્રયાસ થાય છે તો સફળતાની ઉંચાઇ પણ ઔર વધી જાય છે. હું તમને લદ્દાખનું એક પ્રેરક ઉદાહરણ જણાવવા માગું છું. તમે પશ્મિના શાલ વિશે તો જરૂર સાંભળ્યું હશે. છેલ્લા કેટલાક સમયથી લદ્દાખી પશ્મિનાની પણ ખૂબ ચર્ચા થઇ રહી છે. લદ્દાખી પશ્મિના લુમ્સ ઓફ લદ્દાખ નામથી દુનિયાભરના બજારોમાં પહોંચી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેને તૈયાર કરવામાં ૧૫ ગામોની ૪50થી વધુ મહિલાઓ જોડાયેલી છે. પહેલાં તેઓ પોતાના ઉત્પાદનો ત્યાં આવનારા પર્યટકોને જ વેચતી હતી. પરંતુ હવે ડીજીટલ ભારતના આ યુગમાં તેમની બનાવેલી આ ચીજો, દેશ-દુનિયાના અલગ-અલગ બજારોમાં પહોંચવા લાગી છે. એટલે કે, આપણું લોકલ હવે ગ્લોબલ થઇ રહ્યું છે અને તેનાથી આ મહિલાઓની કમાણી પણ વધી છે.
સાથીઓ, નારીશક્તિની આવી સફળતાઓ દેશના ખૂણેખૂણામાં ભરેલી પડી છે. જરૂરિયાત આવી વાતોને વધુમાં વધુ સામે લાવવાની છે. અને એ બતાવવા માટે ‘મન કી બાત’ થી વધુ બીજું શું હોઇ શકે ? તો તમે પણ આવા ઉદાહરણોને મારી સાથે વધુમાં વધુ વહેંચો. હું પણ પૂરો પ્રયાસ કરીશ કે તેમને તમારી વચ્ચે લાવી શકું.
મારા પરિવારજનો, ‘મન કી બાત’માં આપણે આવા સામૂહિક પ્રયાસોની ચર્ચા કરતા રહ્યા છીએ, જેનાથી સમાજમાં મોટા-મોટા પરિવર્તન આવ્યા છે. ‘મન કી બાત’ની એક વધુ ઉપલબ્ધિ એ પણ છે કે તેણે ઘરેઘરમાં રેડિયોને ઔર વધુ લોકપ્રિય બનાવી દીધો છે. MyGov પર મને ઉત્તરપ્રદેશના અમરોહાના રામસિંહ બૌદ્ધજીનો એક પત્ર મળ્યો છે. રામસિંહજી છેલ્લા અનેક દશકોથી રેડિયો સંગ્રહ કરવાના કામમાં લાગેલા છે. તેમનું કહેવું છે કે ‘મન કી બાત’ પછીથી તેમના રેડિયો મ્યુઝિયમ પ્રત્યે લોકોની ઉત્સુકતા ઔર વધી ગઇ છે. આવી જ રીતે ‘મન કી બાત’થી પ્રેરાઇને અમદાવાદ પાસે તીર્થધામ પ્રેરણાતીર્થે એક રસપ્રદ પ્રદર્શન યોજ્યું છે. તેમાં દેશ-વિદેશના 100થી વધુ પ્રાચીન રેડિયો રાખવામાં આવ્યા છે. અહીં ‘મન કી બાત’ના અત્યારસુધીની બધી કડીઓને સાંભળી શકાય છે. બીજા અનેક ઉદાહરણ છે, જેનાથી ખબર પડે છે કે કેવી રીતે લોકોએ ‘મન કી બાત’થી પ્રેરાઇને પોતાનું કામ શરૂ કર્યું. આવું જ એક ઉદાહરણ કર્ણાટકના ચામરાજનગરના વર્ષાજીનું છે, જેમને ‘મન કી બાતે’ પોતાના પગ પર ઉભા થવા માટે પ્રેરિત કર્યા. આ કાર્યક્રમની એક કડીથી પ્રેરિત થઇને તેમણે કેળામાંથી જૈવિક ખાતર બનાવવાનું કામ શરૂ કર્યું. પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ રાખનારા વર્ષાજીની આ પહેલ, બીજા લોકો માટે પણ રોજગારના અવસર લઇને આવી છે.
મારા પરિવારજનો, આવતીકાલે 27 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાનું પર્વ છે. આ દિવસે ‘દેવ દિવાળી’ પણ ઉજવવામાં આવે છે. અને મારું તો મન રહે છે કે હું કાશીની ‘દેવ દિવાળી’ જરૂર જોઉ. આ વખતે હું કાશી પણ નથી જઇ શકવાનો પરંતુ મન કી બાતના માધ્યમથી બનારસના લોકોને મારી શુભકામનાઓ જરૂર મોકલી રહ્યો છું. આ વખતે પણ કાશીના ઘાટો પર લાખો દીવડાઓ પ્રગટાવવામાં આવશે, ભવ્ય આરતી થશે, લેસર શો થશે, લાખોની સંખ્યામાં દેશવિદેશથી આવેલા લોકો ‘દેવ દિવાળી’નો આનંદ ઉઠાવશે.
સાથીઓ, કાલે, પૂર્ણિમાના દિવસે જ ગુરુ નાનક દેવજીનું પણ પ્રકાશ પર્વ છે. ગુરુ નાનક દેવજીનો અણમોલ સંદેશ ભારત જ નહીં, દુનિયાભર માટે આજે પણ પ્રેરક અને પ્રાસંગિક છે. તે આપણને સાદગી, સદભાવ અને બીજા પ્રત્યે સમર્પિત થવા માટે પ્રેરિત કરે છે. ગુરુ નાનક દેવજીએ સેવા ભાવના, સેવાકાર્યોની જે શિખામણ આપી, તેમનું પાલન, આપણા શીખ ભાઇબહેન, પૂરા વિશ્વમાં કરતાં નજરે પડે છે. હું મન કી બાતના બધા શ્રોતાઓને ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની શુભકામનાઓ આપું છું.
મારા પરિવારજનો, મન કી બાતમાં આ વખતે મારી સાથે આટલું જ. જોતજોતામાં ૨૦૨૩ સમાપ્તિ તરફ વધી રહ્યુ છે. અને દરેક વખતની જેમ હું અને તમે એ પણ વિચારી રહ્યા છીએ કે અરે... આટલી જલદી આ વર્ષ વિતી ગયું. પરંતુ એ પણ સત્ય છે કે આ વર્ષ ભારત માટે અસીમ ઉપલબ્ધિવાળું વર્ષ રહ્યુ છે, અને ભારતની ઉપલબ્ધિઓ, દરેક ભારતીયની ઉપલબ્ધિ છે. મને ખુશી છે કે મન કી બાત ભારતીયોની આવી ઉપલબ્ધિઓને સામે લાવવાનું એક સશક્ત માધ્યમ બન્યું છે. આવતી વખતે દેશવાસીઓની ઘણી બધી સફળતાઓ પર આપની સાથે ફરીથી વાત થશે. ત્યાં સુધી મને વિદાય આપો.. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય પરિવારજનો, નમસ્કાર, ‘મન કી બાત’માં આપનું ફરી સ્વાગત છે. આ એપીસોડ એવા સમયમાં થઇ રહ્યો છે. જયારે સમગ્ર દેશમાં તહેવારોનો ઉમંગ છે. આપ સહુને આવનારા બધા તહેવારોના ખૂબ ખૂબ અભિનંદન.
સાથીઓ, તહેવારોના આ ઉમંગની વચ્ચે, દિલ્લીના એક સમાચારથી જ હું મન કી બાતની શરૂઆત કરવા માંગું છું. આ મહિનાની શરૂઆતમાં ગાંધી જયંતિના અવસર પર દિલ્લીમાં ખાદીનું વિક્રમજનક વેચાણ થયું. અહીં કોનોટ પ્લેસમાં, એક જ ખાદી સ્ટોરમાં, એક જ દિવસમાં, દોઢ કરોડથી વધુ રૂપિયાનો સામાન લોકોએ ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એક વાર વેચાણના પોતાના બધા જ જૂના વિક્રમો તોડી નાંખ્યા છે. તમને એક બીજી વાત જાણીને પણ સારૂં લાગશે, 10 વર્ષ પહેલાં દેશમાં જ્યાં ખાદી ઉત્પાદનોનું વેચાણ ખૂબ મુશ્કેલીથી 30 હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું હતું, હવે તે વધીને સવા લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહ્યું છે. ખાદીનું વેચાણ વધવાનો અર્થ છે, તેનો ફાયદો શહેરથી લઇ ગામ સુધીમાં અલગ-અલગ વર્ગો સુધી પહોંચે છે. આ વેચાણનો લાભ આપણા વણકરો, હસ્તશિલ્પના કારીગરો, આપણા ખેડૂતો, આયુર્વેદિક છોડ લગાવનારા કુટિર ઉદ્યોગ બધાને મળી રહ્યો છે, અને આ જ તો ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની તાકાત છે અને ધીરેધીરે આપ સહુ દેશવાસીઓનું સમર્થન પણ વધતું જઇ રહ્યું છે.
સાથીઓ, આજે હું મારો એક અનુરોધ તમારી સામે ફરી કહેવા માંગું છું અને ખૂબ જ આગ્રહપૂર્વક ફરીથી કહેવા માંગું છું. જયારે પણ તમે પર્યટન પર જાવ, તીર્થાટન પર જાવ, તો ત્યાંના સ્થાનિક કલાકારો દ્વારા બનાવવામાં આવેલાં ઉત્પાદનોને અવશ્ય ખરીદો. તમે તમારી એ યાત્રાના કુલ બજેટમાં સ્થાનિક ઉત્પાદનોની ખરીદીને એક મહત્વપૂર્ણ પ્રાથમિકતાના રૂપમાં જરૂર રાખો. 10 ટકા હોય, 20 ટકા હોય, જેટલું તમારૂં બજેટ બેસતું હોય, લોકલ પર જરૂર ખર્ચ કરજો અને ત્યાંજ ખર્ચ કરજો.
સાથીઓ, દર વખતની જેમ, આ વખતે પણ, આપણા તહેવારોમાં આપણી પ્રાથમિકતા ‘વોકલ ફોર લોકલ’ હોય અને આપણે મળીને તે સપનાને પૂરૂં કરીએ, આપણું સપનું છે ‘આત્મનિર્ભર ભારત’. આ વખતે એવા ઉત્પાદનથી જ ઘરને પ્રકાશિત કરીએ જેમાં મારા કોઇ દેશવાસીના પરસેવાની સુગંધ હોય, મારા દેશના કોઇ યુવાનની પ્રતિભા હોય, તેના બનવામાં મારા દેશવાસીને રોજગાર મળતો હોય, રોજીંદી જીંદગીની કોઇપણ આવશ્યકતા હોય- આપણે લોકલ જ લઇશું. પરંતુ, તમારે, એક બીજી વાત પર ધ્યાન રાખવું પડશે. ‘વોકલ ફોર લોકલ’ની આ ભાવના માત્ર તહેવારોની ખરીદી સુધી જ સીમીત નથી અને ક્યાંક તો મેં જોયું છે, દિવાળીનો દિવડો લે છે અને પછી સોશિયલ મિડિયા પર મૂકે છે ‘વોકલ ફોર લોકલ’. ના જી, તે તો શરૂઆત છે. આપણે ઘણું આગળ વધવાનું છે, જીવનની દરેક આવશ્યકતા- આપણા દેશમાં, હવે, બધું જ ઉપલબ્ધ છે. આ દ્રષ્ટિકોણ માત્ર નાના દુકાનદારો અને લારીગલ્લા પરથી સામાન લેવા સુધી સીમીત નથી. આજે ભારત, દુનિયાનું મોટું મેન્યુફેક્ચરીંગ હબ બની રહ્યું છે. અનેક મોટી બ્રાન્ડ અહીં પોતાની પ્રોડક્ટ તૈયાર કરી રહી છે. જો આપણે તે પ્રોડક્ટને અપનાવીએ તો, મેક ઇન ઇન્ડિયાને ઉત્તેજન મળે છે, અને એ પણ, ‘લોકલ માટે વોકલ’ જ થવાનું હોય છે, અને હા, આવા પ્રોડક્ટને ખરીદતાં સમયે આપણા દેશની શાન યુપીઆઇ ડીજીટલ પેમેન્ટ સીસ્ટમથી પેમેન્ટ કરવાના આગ્રહી બનીએ, જીવનમાં ટેવ રાખીએ, અને તે પ્રોડક્ટની સાથે, અથવા, તે કારીગરની સાથે સેલ્ફી નમો એપ પર મારી સાથે શેર કરો અને તે પણ મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટ ફોનથી. હું તેમાંથી કેટલીક પોસ્ટને સોશિયલ મિડિયા પર શેર કરીશ જેથી બીજા લોકોને પણ ‘વોકલ ફોર લોકલ’ની પ્રેરણા મળે.
સાથીઓ, જયારે તમે, ભારતમાં બનેલા, ભારતીયો દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનોથી તમારી દિવાળીને ઝગમગ કરશો, પોતાના પરિવારની પ્રત્યેક નાનીમોટી જરૂરિયાત લોકલથી પૂરી કરશો તો દિવાળીની ઝગમગાહટ ઓર વધશે જ વધશે, પરંતુ, તે કારીગરોની જીંદગીમાં, એક, નવી દિવાળી આવશે, જીવનનું એક પ્રભાત આવશે, તેમનું જીવન શાનદાર બનશે. ભારતને આત્મનિર્ભર બનાવો, મેક ઇન ઇન્ડિયા જ પસંદ કરતા જાવ, જેથી તમારી સાથે સાથે અન્ય કરોડો દેશવાસીઓની દિવાળી શાનદાર બને, જાનદાર બને, પ્રકાશિત બને, રસપ્રદ બને.
મારા પ્રિય દેશવાસીઓ, 31 ઓકટોબરનો દિવસ આપણા બધા માટે ખૂબ જ વિશેષ હોય છે. આ દિવસે આપણા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ મનાવીએ છીએ. આપણે ભારતવાસી, તેમને, અનેક કારણોથી યાદ કરીએ છીએ, અને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ છીએ. સૌથી મોટું કારણ છે- દેશનાં 580થી વધુ રજવાડાને જોડવામાં તેમની અતુલનીય ભૂમિકા. આપણે જાણીએ છીએ પ્રત્યેક વર્ષે 31 ઓકટોબરે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા દિવસ સાથે જોડાયેલો મુખ્ય સમારોહ થાય છે. આ વખતે તે ઉપરાંત દિલ્હીમાં કર્તવ્ય પથ પર એક ખૂબ જ વિશેષ કાર્યક્રમ આયોજીત થવા થઇ રહ્યો છે. તમને યાદ હશે, મેં ગત દિવસોમાં દેશના દરેક ગામમાંથી, દરેક ઘરમાંથી માટી સંગ્રહિત કરવાનો અનુરોધ કર્યો હતો. દરેક ઘરથી માટી સંગ્રહિત કર્યા પછી તેને કળશમાં રાખવામાં આવી અને પછી અમૃત કળશ યાત્રાઓ કાઢવામાં આવી. દેશના ખૂણેખૂણેથી એકત્રિત કરવામાં આવેલી આ માટી, આ હજારો અમૃતકળશ યાત્રાઓ હવે દિલ્હી પહોંચી રહી છે. અહીં દિલ્હીમાં તે માટીને એક વિશાળ ભારત કળશમાં નાંખવામાં આવશે અને આ પવિત્ર માટીથી દિલ્લીમાં ‘અમૃતવાટિકા’નું નિર્માણ થશે. આ દેશની રાજધાનીના હૃદયમાં અમૃત મહોત્સવના ભવ્ય વારસાના રૂપમાં હાજર રહેશે. 31 ઓકટોબરે જ દેશભરમાં ગત અઢી વર્ષથી ચાલી રહેલા સ્વતંત્રતાના અમૃત મહોત્સવનું સમાપન થશે. આપ સૌએ મળીને તેને આ દુનિયામાં સૌથી લાંબા સમય સુધી ચાલનારા મહોત્સવમાંનો એક બનાવી દીધો. પોતાના સેનાનીઓનું સન્માન હોય કે પછી હર ઘર તિરંગા, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં, લોકોએ પોતાના સ્થાનિક ઇતિહાસને, એક નવી ઓળખ આપી છે. આ દરમ્યાન, સામુદાયિક સેવાનું પણ અદભૂત ઉદાહરણ જોવા મળ્યું છે.
સાથીઓ, હું આજે તમને એક બીજા ખુશખબર સંભળાવવા જઇ રહ્યો છું, ખાસ કરીને મારા નવયુવાન દિકરા-દિકરીઓને, જેમના મનમાં દેશ માટે કંઇક કરવાની ધગશ છે, સપના છે, સંકલ્પ છે. આ ખુશખબર દેશવાસીઓ માટે તો છે જ, મારા નવયુવાન સાથીઓ તમારા માટે વિશેષ છે. બે દિવસ બાદ જ 31 ઓકટોબરે એક ખૂબ જ મોટા રાષ્ટ્રવ્યાપી સંગઠનનો પાયો નાંખવામાં આવશે અને તે પણ સરદાર સાહેબની જયંતિના દિવસે. આ સંગઠનનું નામ છે- મેરા યુવા ભારત, અર્થાત્ માય ભારત. માય ભારત સંગઠન, ભારતના યુવાનોને રાષ્ટ્રનિર્માણના વિભિન્ન આયોજનોમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવવાનો અવસર આપશે. આ, વિકસિત ભારતના નિર્માણમાં ભારતની યુવાશક્તિને એક કરવાનો એક અનોખો પ્રયાસ છે. મેરા યુવા ભારતની વેબસાઇટ માય ભારત પણ શરૂ થવાની છે. હું યુવાનોને અનુરોધ કરીશ, વારંવાર અનુરોધ કરીશ કે તમે સહુ મારા દેશના નવયુવાનો, તમે સહુ મારા દેશના દિકરા-દિકરી MyBharat.Gov.in પર રજીસ્ટર કરો અને વિભિન્ન કાર્યક્રમો માટે સાઇન અપ કરો. 31 ઓકટોબરે પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે. હું તેમને પણ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
મારા પરિવારજનો, આપણું સાહિત્ય, લિટરેચર, એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રગાઢ કરવાનું સૌથી સારા માધ્યમો પૈકીનું એક છે. હું તમારી સાથે તમિળનાડુના ગૌરવશાળી વારસા સાથે જોડાયેલા બે ખૂબ જ પ્રેરક પ્રયાસોને વહેંચવા માંગું છું. મને તમિળનાં પ્રસિધ્ધ લેખિકા બહેન શિવશંકરીજી વિશે જાણવાનો અવસર મળ્યો છે. તેમણે એક પ્રોજેક્ટ કર્યો છે- Knit India, Through Literature તેનો અર્થ છે- સાહિત્યથી દેશે એક સૂત્રમાં પરોવવું અને જોડવું. તેઓ આ પ્રોજેક્ટ પર ગત 16 વર્ષોથી કામ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ દ્વારા તેમણે 18 ભારતીય ભાષાઓમાં લખાયેલા સાહિત્યનો અનુવાદ કર્યો છે. તેમણે અનેકવાર કન્યા કુમારીથી કાશ્મીર સુધી અને ઇમ્ફાલથી જેસલમેર સુધી દેશભરમાં યાત્રાઓ કરી, જેથી અલગ-અલગ રાજયોના લેખકો અને કવિઓના ઇન્ટરવ્યુ કરી શકે. શિવશંકરીજીએ અલગ-અલગ જગ્યાઓ પર પોતાની યાત્રા કરી, ટ્રાવેલ કોમેન્ટરી સાથે તેમને પ્રકાશિત કરી છે. તે તમિળ અને અંગ્રેજી બંને ભાષાઓમાં છે. આ પ્રોજેક્ટમાં ચાર મોટા ભાગ છે અને દરેક ભાગ ભારતના અલગઅલગ હિસ્સાઓને સમર્પિત છે. મને તેમની આ સંકલ્પ શક્તિ પર ગર્વ છે.
સાથીઓ, કન્યાકુમારીના થિરૂ એ.કે.પેરૂમલજીનું કામ ખૂબ જ પ્રેરિત કરનારૂં છે. તેમણે તમિળનાડુની જે વાર્તાકથનની પરંપરા છે તેને સંરક્ષિત કરવાનું પ્રશંસનીય કામ કર્યું છે. તેઓ પોતાના મિશનમાં ગત 40 વર્ષથી જોડાયેલા છે. તેના માટે તેઓ તમિળનાડુના અલગ-અલગ હિસ્સાઓની મુસાફરી કરે છે અને લોકકળાના રૂપોને શોધીને તેને પોતાના પુસ્તકનો હિસ્સો બનાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે અત્યારસુધી આવા લગભગ 100 પુસ્તકો લખી નાંખ્યા છે. તે ઉપરાંત પેરૂમલજીને બીજો એક શોખ પણ છે. તમિળનાડુની મંદિર સંસ્કૃતિ વિશે સંશોધન કરવાનું તેમને ખૂબ જ પસંદ છે. તેમણે લેધર પપેટ પર પણ ઘણું સંશોધન કર્યું છે જેનો લાભ ત્યાંના સ્થાનિક કલાકારોને મળી રહ્યો છે. શિવશંકરીજી અને એ.કે.પેરુમલજીના પ્રયાસ પ્રત્યેક માટે ઉદાહરણ છે. ભારતને પોતાની સંસ્કૃતિને સુરક્ષિત કરનારા આવા દરેક પ્રયાસ પર ગર્વ છે, જે આપણી રાષ્ટ્રીય એકતાને મજબૂતી આપવાની સાથે જ દેશનું નામ, દેશનું માન, બધું જ વધારે.
મારા પરિવારજનો, આવનારી 15 નવેંબરે સમગ્ર દેશ જનજાતિય ગૌરવ દિવસ મનાવશે. આ વિશેષ દિવસ ભગવાન બિરસા મુંડાની જયંતિ સાથે જોડાયેલો છે. ભગવાન બિરસા મુંડા આપણા બધાના હૃદયમાં વસેલા છે. સાચું સાહસ શું છે અને પોતાની સંકલ્પ શક્તિ પર અડગ રહેવાનું કોને કહે છે, આ આપણે તેમના જીવનમાંથી શીખી શકીએ છીએ. તેમણે વિદેશી શાસનને કયારેક સ્વીકાર ન કર્યો. તેમણે એવા સમાજની પરિકલ્પના કરી હતી, જયાં અન્યાય માટે કોઇ જગ્યા નહોતી. તેઓ ઇચ્છતા હતા કે દરેક વ્યક્તિને સન્માન અને સમાનતાનું જીવન મળે. ભગવાન બિરસા મુંડાએ પ્રકૃતિ સાથે સદભાવથી રહેવું તેના પર સદા ભાર મૂક્યો. આજે આપણે જોઇ શકીએ છીએ કે આપણા આદિવાસી ભાઇબહેન પ્રકૃતિની દેખભાળ અને તેના સંરક્ષણ માટે દરેક રીતે સમર્પિત છે. આપણા બધા માટે, આપણા આદિવાસી ભાઇ-બહેનોનું આ કામ ખૂબ મોટી પ્રેરણા છે.
સાથીઓ, કાલે એટલે કે 30 ઓકટોબરે ગોવિંદ ગુરૂજીની પુણ્યતિથિ પણ છે. આપણા ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી અને વંચિત સમુદાયોના જીવનમાં ગોવિંદ ગુરૂજીનું ખૂબ જ વિશેષ મહત્વ રહ્યું છે. ગોવિંદ ગુરૂજીને પણ હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. નવેંબર મહિનામાં આપણે માનગઢ નરસંહારની વરસી પણ મનાવીએ છીએ. હું આ નરસંહારમાં શહીદ, મા ભારતીનાં બધા સંતાનોને નમન કરૂં છું.
સાથીઓ, ભારત વર્ષમાં આદિવાસી યોદ્ધાઓનો સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે. આ ભારત ભૂમિ પર મહાન તિલકા માંઝીએ અન્યાય વિરૂધ્ધ શંખ ફુંક્યો હતો. આ ધરતી પરથી સિદ્ધો-કાન્હૂ એ સમાનતાનો અવાજ ઉઠાવ્યો. આપણને ગર્વ છે કે યોદ્ધા ટંટ્યા ભીલે આપણી ધરતી પર જન્મ લીધો. આપણે શહીદવીર નારાયણસિંહને પૂરી શ્રદ્ધા સાથે યાદ કરીએ છીએ, જે કઠિન પરિસ્થિતિઓમાં પોતાના લોકો સાથે ઉભા રહ્યા. વીર રામજી ગોંડ હોય, વીર ગુંડાધુર હોય, ભીમા નાયક હોય, તેમનું સાહસ આજે પણ આપણને પ્રેરિત કરે છે. અલ્લુરી સીતારામ રાજૂએ આદિવાસી ભાઇ-બહેનોમાં જે અલખ જગાડ્યો, દેશ તેને આજે પણ યાદ કરે છે. ઇશાનમાં કિયાંગ નોબાંગ અને રાણી ગાઇદિન્લ્યુ જેવા સ્વતંત્રતા સેનાનીમાંથી પણ આપણને ઘણી પ્રેરણા મળે છે. આદિવાસી સમાજમાંથી જ દેશને રાજમોહીની દેવી અને રાણી કમલાપતિ જેવી વિરાંગનાઓ મળી. દેશ આ સમયે આદિવાસી સમાજને પ્રેરણા આપનારા રાણી દુર્ગાવતીજીની 500મી જયંતિ મનાવી રહ્યો છે. હું આશા કરું છું કે દેશના વધુમાં વધુ યુવાનો પોતાના ક્ષેત્રની આદિવાસી વિભૂતિઓ વિશે જાણશે અને તેમનામાંથી પ્રેરણા લેશે. દેશ પોતાના આદિવાસી સમાજનો કૃતજ્ઞ છે, જેમણે રાષ્ટ્રના સ્વાભિમાન અને ઉત્થાનને સદૈવ સર્વોપરી રાખ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, તહેવારોની આ ઋતુમાં, આ સમયે દેશમાં રમતગમતનો ઝંડો પણ લહેરાઇ રહ્યો છે. ગત દિવસોમાં એશિયાઇ રમતો પછી પેરા એશિયન ગેમ્સમાં પણ ભારતીય ખેલાડીઓએ જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી છે. આ રમતોમાં ભારતે 111 ચંદ્રકો જીતીને એક નવો ઇતિહાસ રચી દીધો છે. હું પેરા એશિયન ગેમ્સમાં રમનારા બધા જ એથ્લેટ્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, હું તમારૂં ધ્યાન સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સની તરફ પણ લઇ જવા માંગું છું. તેનું આયોજન બર્લિનમાં થયું હતું. આ પ્રતિયોગિતા આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ ડીસેબીલીટી વાળા એથ્લીટોની અદભૂત ક્ષમતા સામે લાવે છે. આ પ્રતિયોગિતામાં ભારતીય ટુકડીએ 75 સુવર્ણ ચંદ્રકો સહિત 200 ચંદ્રકો જીત્યા. પછી રોલર સ્કેટીંગ હોય, બીચ વોલીબોલ હોય, ફૂટબોલ હોય કે લૉન ટેનિસ, ભારતીય ખેલાડીઓએ ચંદ્રકોનો વરસાદ વરસાવી દીધો. આ ચંદ્રક વિજેતાઓની જીવનયાત્રા ઘણી પ્રેરણાદાયક છે. હરિયાણાના રણવીર સૈનીએ ગોલ્ફમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. બાળપણથી જ ઑટીઝમ સામે લડી રહેલા રણવીર માટે કોઇપણ પડકાર ગોલ્ફ માટેના તેના જનૂનને ઘટાડી શક્યો નહીં. તેમની માતા તો ત્યાં સુધી કહે છે કે પરિવારમાં આજે બધા ગોલ્ફર બની ગયા છે. પુડુચેરીના 16 વર્ષના ટી.વિશાલે 4 ચંદ્રકો જીત્યા. ગોવાની સીયા સરોદે પાવર લિફ્ટીંગમાં ૨ સુવર્ણચંદ્રક સહિત 4 ચંદ્રકો પોતાના નામે કર્યા. 9 વર્ષની ઉંમરમાં પોતાની માતાને ખોયા પછી તેમણે પોતાને નિરાશ ન થવા દીધા. છત્તીસગઢના દુર્ગના રહેનારા અનુરાગ પ્રસાદે પાવરલિફટીંગમાં 3 સુવર્ણ અને 1 રજતચંદ્રક જીત્યા છે. આવી જ પ્રેરક ગાથા ઝારખંડના ઇન્દુ પ્રકાશની છે, જેમણે સાયકલિંગમાં 2 ચંદ્રકો જીત્યા છે. ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવવા છતાં, ઇન્દુએ ગરીબીને ક્યારેય પોતાની સફળતા સામે દિવાલ બનવા નથી દીધી. મને વિશ્વાસ છે કે, આ રમતોમાં ભારતીય ખેલાડીઓની સફળતા ઇન્ટેલેક્ચ્યુઅલ ડીસેબીલીટીનો સામનો કરી રહેલા અન્ય બાળકો અને પરિવારોને પણ પ્રેરિત કરશે. મારી આપ સહુને પણ પ્રાર્થના છે કે તમારા ગામમાં, તમારા ગામની આસપાસ, આવા બાળકો, જેમણે આ રમતગમતમાં ભાગ લીધો છે કે વિજયી થયા છે, તમે સપરિવાર તેમની સાથે જાવ. તેમને અભિનંદન આપો. અને કેટલીક પળો તે બાળકો સાથે વિતાવો. તમને એક નવો જ અનુભવ થશે. પરમાત્માએ તેમની અંદર એક એવી શક્તિ ભરી છે, તમને પણ તેના દર્શનનો અવસર મળશે. જરૂર જજો.
મારા પરિવારજનો, તમે બધાએ ગુજરાતના તીર્થક્ષેત્ર અંબાજી મંદિર વિશે તો અવશ્ય સાંભળ્યું જ હશે. તે એક મહત્વપૂર્ણ શક્તિપીઠ છે, જયાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન માટે પહોંચે છે. અહીં ગબ્બર પર્વતના રસ્તામાં તમને વિભિન્ન પ્રકારની યોગ મુદ્રાઓ અને આસનોની પ્રતિમાઓ જોવા મળશે. શું તમે જાણો છો કે આ પ્રતિમાઓની વિશેષ શું વાત છે ? હકીકતમાં તે સ્ક્રેપથી બનેલા શિલ્પો છે, એક રીતે ભંગારથી બનેલા અને જે ખૂબ જ અદભૂત છે. એટલે કે આ પ્રતિમાઓ વપરાઇ ચૂકેલી, ભંગારમાં ફેંકી દેવામાં આવેલી જૂની ચીજોમાંથી બનાવવામાં આવી છે. અંબાજી શક્તિપીઠ પર દેવીમાના દર્શનની સાથેસાથે આ પ્રતિમાઓ પણ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે. આ પ્રયાસની સફળતાને જોઇને, મારા મનમાં એક સૂચન પણ આવી રહ્યું છે. આપણા દેશમાં એવા ઘણા બધા લોકો છે, જે વેસ્ટમાંથી આ પ્રકારની કલાકૃતિઓ બનાવી શકે છે. તો મારો ગુજરાત સરકારને અનુરોધ છે કે તેઓ એક પ્રતિયોગિતા શરૂ કરે અને આવા લોકોને આમંત્રિત કરે. આ પ્રયાસ, ગબ્બર પર્વતનું આકર્ષણ વધારવાની સાથે જ સમગ્ર દેશમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ અભિયાન માટે લોકોને પ્રેરિત કરશે.
સાથીઓ, જયારે પણ સ્વચ્છ ભારત અને ‘વેસ્ટ ટુ વેલ્થ’ની વાત આવે છે, તો આપણને, દેશના ખૂણેખૂણેથી અગણિત ઉદાહરણ જોવા મળે છે. આસામના કામરૂપ મેટ્રોપોલીટન જીલ્લામાં અક્ષર ફોરમ નામની એક સ્કૂલ બાળકોમાં, ટકાઉ વિકાસની ભાવના ભરવાનું, સંસ્કારનું, એક નિરંતર કામ કરી રહી છે. અહીં ભણનારા વિદ્યાર્થી દર સપ્તાહે પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરે છે, જેનો ઉપયોગ ઇકો ફ્રેન્ડલી ઇંટો અને ચાવીનાં કી ચેઇન જેવા સામાન બનાવવામાં થાય છે. અહીં વિદ્યાર્થીઓને રીસાયકલીંગ અને પ્લાસ્ટીક વેસ્ટમાંથી પ્રોડક્ટ બનાવવાનું પણ શીખવાડાય છે. નાની ઉંમરમાં જ પર્યાવરણ પ્રત્યે આ જાગૃતિ, આ બાળકોને દેશના એક કર્તવ્યનિષ્ઠ નાગરિક બનાવવામાં ખૂબ જ મદદ કરશે.
મારા પરિવારજનો, આજે જીવનનું કોઇ એવું ક્ષેત્ર નથી, જયાં આપણને નારીશક્તિનું સામર્થ્ય જોવા ન મળતું હોય. આ યુગમાં, જયારે બધી તરફ તેમની ઉપલબ્ધિઓને પ્રશંસવામાં આવે છે, તો આપણે ભક્તિની શક્તિ દેખાડનારી એક એવી મહિલા સંતને પણ યાદ રાખવાની છે, જેનું નામ ઇતિહાસના સોનેરી પૃષ્ઠોમાં અંકિત છે. દેશ આ વર્ષે મહાન સંત મીરાબાઇની પાંચસો પચ્ચીસમી જયંતિ ઉજવી રહ્યો છે. તે દેશભરના લોકો માટે અનેક કારણોથી એક પ્રેરણાશક્તિ રહી છે. જો કોઇની સંગીતમાં રૂચિ હોય, તો તેઓ સંગીત પ્રત્યે સમર્પણનું મોટું ઉદાહરણ જ છે, જો કોઇ કવિતાઓનાં પ્રેમી હોય, તો ભક્તિરસમાં ડૂબેલા મીરાબાઇના ભજન, તેને અલગ જ આનંદ આપે છે. જો કોઇ દૈવીય શક્તિમાં વિશ્વાસ રાખતું હોય, તો મીરાબાઇનું શ્રીકૃષ્ણમાં લીન થઇ જવું તેના માટે એક મોટી પ્રેરણા બની શકે છે. મીરાબાઇ, સંત રવિદાસને પોતાના ગુરૂ માનતા હતા. તેઓ કહેતા પણ હતા-
ગુરૂ મિલિયા રૈદાસ, દીન્હી જ્ઞાન કી ગુટકી
દેશની માતાઓ-બહેનો અને દિકરીઓ માટે મીરાબાઇ આજે પણ પ્રેરણાપુંજ છે. તે કાળખંડમાં પણ તેમણે પોતાના ભીતરના અવાજને જ સાંભળ્યો અને રૂઢિવાદી ધારણાઓની વિરૂદ્ધ ઊભા રહ્યાં. એક સંતના રૂપમાં પણ તેઓ આપણને સૌને પ્રેરિત કરે છે. તેઓ ભારતીય સમાજ અને સંસ્કૃતિને સશક્ત કરવા માટે ત્યારે આગળ આવ્યા, જયારે દેશ અનેક પ્રકારના આક્રમણોનો સામનો કરી રહ્યો હતો. સરળતા અને સાદગીમાં કેટલી શક્તિ હોય છે, તે આપણને મીરાબાઇના જીવનકાળમાંથી જાણવા મળે છે. હું સંત મીરાબાઇને નમન કરૂં છું.
મારા પ્રિય પરિવારજનો, આ વખતે ‘મન કી બાત’માં આટલું જ. તમારી બધા સાથે થતો દરેક સંવાદ મને નવી ઉર્જાથી ભરી દે છે. તમારા સંદેશાઓમાં આશા અને સકારાત્મકતા સાથે જોડાયેલી સેંકડો ગાથાઓ મારા સુધી પહોંચતી રહે છે. મારો ફરીવાર તમને અનુરોધ છે- આત્મનિર્ભર ભારત અભિયાન પર ભાર આપો. સ્થાનિક ઉત્પાદનો ખરીદો, લોકલ માટે વોકલ બનો. જેવી રીતે તમે તમારા ઘરને સ્વચ્છ રાખો છો, તેવી જ રીતે તમારી શેરી અને શહેરને સ્વચ્છ રાખો અને તમને ખબર છે, ૩૧ ઓકટોબર સરદાર સાહેબની જયંતિ, દેશ એકતાદિવસના રૂપમાં મનાવે છે, દેશમાં અનેક સ્થાનો પર રન ફોર યુનિટીના કાર્યક્રમો થાય છે, તમે પણ 31 ઓકટોબરે રન ફોર યુનિટી કાર્યક્રમ આયોજીત કરો. બહુ મોટી સંખ્યામાં તમે પણ જોડાવ, એકતાના સંકલ્પને મજબૂત કરો. ફરી એકવાર હું આવનારા પર્વો માટે અનેક-અનેક શુભકામનાઓ આપું છું. તમે બધા પરિવાર સાથે ખુશીઓ મનાવો, સ્વસ્થ રહો, આનંદમાં રહો, આ મારી કામના છે. અને હા, દિવાળીના સમયે ક્યાંક એવી ભૂલ ન થઇ જાય કે કયાંક આગની કોઇ ઘટના ન થઇ જાય. કોઇના જીવન પર જોખમ થઇ જાય તો તમે જરૂર સંભાળો, પોતાને પણ સંભાળો અને પૂરા ક્ષેત્રને પણ સંભાળો. ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય પરિવારજનો, નમસ્કાર. ‘મન કી બાત’ના વધુ એક એપિસૉડમાં મને આપ સહુ સાથે દેશની સફળતાને, દેશવાસીઓની સફળતાને, તેમની પ્રેરણાત્મક જીવનયાત્રાને, તમારી સાથે વહેંચવાનો અવસર મળ્યો છે. આ દિવસોમાં સહુથી વધુ પત્રો, સંદેશાઓ, જે મને મળ્યા છે તે બે વિષયો પર વધારે છે. પહેલો વિષય છે, ચંદ્રયાન-3ના સફળ ઉતરાણનો અને બીજો વિષય છે દિલ્લીમાં જી-૨૦નું સફળ આયોજન. દેશના દરેક ભાગમાંથી, સમાજના દરેક વર્ગમાંથી, દરેક આયુના લોકોના, મને અગણિત પત્રો મળ્યા છે. જ્યારે ચંદ્રયાન-૩નું લૅન્ડર ચંદ્રમા પર ઉતરવાનું હતું ત્યારે કરોડો લોકો અલગ-અલગ માધ્યમો દ્વારા એક સાથે એ ઘટનાની પળેપળના સાક્ષી બની રહ્યા હતા. ઇસરોની યૂટ્યૂબ લાઇવ ચૅનલ પર ૮૦ લાખથી વધુ લોકોએ આ ઘટનાને જોઈ – તે પોતાની રીતે એક વિક્રમ છે. તેના પરથી ખબર પડે છે કે ચંદ્રયાન-૩ પ્રત્યે કરોડો ભારતીયોનો કેટલો ગાઢ લગાવ છે. ચંદ્રયાનની આ સફળતા પર દેશમાં આ દિવસોમાં એક ખૂબ જ શાનદાર પ્રશ્નોત્તરી સ્પર્ધા પણ ચાલી રહી છે અને તેને નામ આપવામાં આવ્યું છે- ‘ચંદ્રયાન ૩ મહા ક્વિઝ’. MyGov portal પર થઈ રહેલી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે. MyGovની શરૂઆત પછી કોઈ પણ ક્વિઝમાં આ સૌથી મોટી સહભાગિતા છે. હું તમને પણ કહીશ કે જો તમે અત્યાર સુધી તેમાં ભાગ નથી લીધો તો હવે મોડું ન કરતા, હજુ તેમાં છ દિવસ બચ્યા છે. આ ક્વિઝમાં જરૂર ભાગ લો.
મારા પરિવારજનો, ચંદ્રયાન-૩ની સફળતા પછી જી-૨૦ના શાનદાર આયોજને પ્રત્યેક ભારતીયની પ્રસન્નતાને બમણી કરી દીધી. ભારત મંડપમ્ તો પોતાની રીતે એક સેલિબ્રિટી જેવો થઈ ગયો છે. લોકો તેની સાથે સેલ્ફી પડાવે છે અને ગર્વ સાથે પૉસ્ટ પણ કરી રહ્યા છે. ભારતે આ શિખર પરિષદમાં આફ્રિકી સંઘને જી-૨૦માં પૂર્ણ સભ્ય બનાવીને પોતાના નેતૃત્વનો ડંકો વગાડ્યો છે. તમારા ધ્યાનમાં હશે, જ્યારે ભારત ખૂબ જ સમૃદ્ધ હતું, તે જમાનામાં, આપણા દેશમાં, અને દુનિયામાં, સિલ્ક રૂટની ખૂબ જ ચર્ચા થતી હતી. આ સિલ્ક રૂટ વેપાર-કારોબારનું બહુ જ મોટું માધ્યમ હતો. હવે આધુનિક જમાનામાં, ભારતે એક બીજો આર્થિક કૉરિડૉર, જી-૨૦માં સૂચવ્યો છે. તે છે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકૉનૉમિક કૉરિડૉર. આ કૉરિડૉર આવનારાં સેંકડો વર્ષો સુધી વિશ્વ વેપારનો આધાર બનવા જઈ રહ્યો છે અને ઇતિહાસ એ વાતને હંમેશાં યાદ રાખશે કે આ કૉરિડૉરનો સૂત્રપાત ભારતની ધરતી પર થયો હતો.
સાથીઓ, જી-૨૦ દરમિયાન, જે રીતે ભારતની યુવાશક્તિ, આ આયોજન સાથે જોડાઈ, તેની આજે વિશેષ ચર્ચા આવશ્યક છે. આખું વર્ષ દેશની અનેક યુનિવર્સિટીઓમાં જી-૨૦ સાથે જોડાયેલા કાર્યક્રમો થયા. હવે આ શ્રૃંખલામાં દિલ્લીમાં એક વધુ રોમાંચક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે – ‘G-20 University Connect Programme’. આ કાર્યક્રમના માધ્યમથી દેશભરના લાખો યુનિવર્સિટી વિદ્યાર્થીઓ એકબીજા સાથે જોડાશે. તેમાં IIT, IIM, NIT અને મેડિકલ કૉલેજો જેવી અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ ભાગ લેશે. હું ઈચ્છીશ કે જો તમે કૉલેજ વિદ્યાર્થી હો તો ૨૬ સપ્ટેમ્બરે થનારા આ કાર્યક્રમને જરૂર જોજો, તેની સાથે જરૂર જોડાજો. ભારતના ભવિષ્યમાં, યુવાઓના ભવિષ્ય પર, તેમાં ઘણી રસપ્રદ વાતો થવાની છે.
હું પોતે પણ આ કાર્યક્રમમાં સહભાગી થઈશ. મને પણ મારા કૉલેજ સ્ટુડન્ટ સાથે સંવાદની પ્રતીક્ષા છે.
મારા પરિવારજનો, આજથી બે દિવસ પછી, ૨૭ સપ્ટેમ્બરે ‘વિશ્વ પર્યટન દિવસ’ છે. પર્યટનને કેટલાક લોકો માત્ર આનંદથી ફરવું માને છે, પરંતુ પર્યટનનું એક મોટું પાસું ‘રોજગાર’ સાથે જોડાયેલું છે. કહે છે કે સૌથી ઓછા મૂડીરોકાણમાં, સૌથી વધુ રોજગાર, જો કોઈ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો તે, પર્યટન ક્ષેત્ર જ છે. પર્યટન ક્ષેત્રને વધારવામાં, કોઈ પણ દેશ માટે સદભાવના, તેના પ્રત્યે આકર્ષણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. વિતેલાં કેટલાંક વર્ષોમાં ભારત પ્રત્યે આકર્ષણ ખૂબ જ વધ્યું છે અને જી-૨૦ના સફળ આયોજન પછી દુનિયાના લોકોનો રસ ભારતમાં ઘણો વધ્યો છે.
સાથીઓ, જી-૨૦માં એક લાખથી વધુ પ્રતિનિધિઓ ભારત આવ્યા. તેઓ અહીંની વિવિધતાઓ, અલગ-અલગ પરંપરાઓ, ભિન્નભિન્ન ખાણીપીણી અને આપણા વારસાથી પરિચિત થયા. અહીં આવેલા પ્રતિનિધિઓ પોતાની સાથે જે શાનદાર અનુભવ લઈને ગયા છે, તેનાથી પર્યટનનો વધુ વિસ્તાર થશે. તમને લોકોને ખબર જ હશે કે ભારતમાં એકથી એક ચડિયાતાં વિશ્વ વારસા સ્થાનો (વર્લ્ડ હેરિટેજ સાઇટ) છે અને તેની સંખ્યા સતત વધતી જઈ રહી છે. કેટલાક દિવસો પહેલાં, શાંતિ નિકેતન અને કર્ણાટકનાં પવિત્ર હોયસલા મંદિરોને વિશ્વ વારસા સ્થાનો જાહેર કરાયાં છે. હું આ શાનદાર ઉપલબ્ધિ માટે સમસ્ત દેશવાસીઓને અભિનંદન પાઠવું છું. મને વર્ષ ૨૦૧૮માં શાંતિ નિકેતનની યાત્રા કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. શાંતિનિકેતન સાથે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું જોડાણ રહ્યું છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનનો ધ્યેયમંત્ર સંસ્કૃતના એક પ્રાચીન શ્લોકથી લીધો હતો. તે શ્લોક છે-
“यत्र विश्वम भवत्येक नीडम्”
અર્થાત્, જ્યાં એક નાનકડા માળામાં સમગ્ર સંસાર સમાવિષ્ટ થઈ જાય છે. કર્ણાટકના જે હોયસલા મંદિરોને યુનેસ્કૉએ વિશ્વ વારસા સૂચિમાં સમાવ્યાં છે, તે, ૧૩મી શતાબ્દિનાં શ્રેષ્ઠ સ્થાપત્યો માટે પ્રસિદ્ધ છે. તે મંદિરોને યુનેસ્કૉ તરફથી માન્યતા મળવી, મંદિર નિર્માણની ભારતીય પરંપરાનું પણ સન્માન છે. ભારતમાં હવે વિશ્વ વારસાઈ સંપત્તિની કુલ સંખ્યા ૪૨ થઈ ગઈ છે. ભારતનો પ્રયાસ છે કે આપણાં વધુમાં વધુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થાનોને વિશ્વ વારસા સ્થાનોની માન્યતા મળે. મારો આપ સહુને અનુરોધ છે કે જ્યારે પણ તમે ક્યાંક ફરવા જવાની યોજના બનાવો તો એ પ્રયાસ કરો કે ભારતની વિવિધતાના દર્શન કરો. તમે અલગ-અલગ રાજ્યની સંસ્કૃતિને સમજો, હેરિટેજ સાઇટને જુઓ. તેનાથી, તમે પોતાના દેશના ગૌરવશાળી ઇતિહાસથી તો પરિચિત થશો જ, સ્થાનિક લોકોની આવક વધારવાનું મોટું માધ્યમ પણ બનશો.
મારા પરિવારજનો, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંગીત હવે વૈશ્વિક બની ચૂક્યું છે. દુનિયાભરના લોકોનો તેની સાથે લગાવ દિન-પ્રતિદિન વધતો જ જઈ રહ્યો છે. એક વ્હાલી દીકરી દ્વારા કરવામાં આવેલી એક પ્રસ્તુતિ, તેનો એક નાનકડો ઑડિયો તમને સંભળાવું છું.
### (MKB EP 105 AUDIO Byte 1)###
તેને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત રહી ગયા ને ! કેટલો મધુર સ્વર છે અને દરેક શબ્દમાં જે ભાવ ઝળકે છે, ઈશ્વર પ્રત્યે તેનો લગાવ આપણે અનુભવી શકીએ છીએ. જો હું એમ કહું કે આ સૂરીલો અવાજ જર્મનીની એક દીકરીનો છે તો કદાચ તમે વધુ આશ્ચર્યમાં પડી જશો. આ દીકરીનું નામ – કૈસમી છે. ૨૧ વર્ષની કૈસમી આ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ છવાયેલી છે. જર્મનીની રહેવાસી કૈસમી ક્યારેય ભારત નથી આવી, પરંતુ તે ભારતીય સંગીત પાછળ ઘેલી છે.
જેણે ક્યારેય ભારત જોયું પણ નથી, તેની ભારતીય સંગીતમાં આ રૂચિ, ખૂબ જ પ્રેરણાદાયક છે. કૈસમી જન્મથી જ જોઈ શકતી નથી, પરંતુ આ મુશ્કેલ પડકાર તેને અસાધારણ ઉપલબ્ધિઓથી રોકી શકી નથી. સંગીત અને સર્જનાત્મકતા અંગે તેની લગન કંઈક એવી હતી કે બાળપણથી જ તેણે ગાવાનું શરૂ કરી દીધું. આફ્રિકન ડ્રમિંગની શરૂઆત તો તેણે માત્ર ત્રણ વર્ષની આયુમાં જ કરી દીધી હતી. ભારતીય સંગીતનો પરિચય તેને પાંચ-છ વર્ષ પહેલાં જ થયો હતો. ભારતના સંગીતે તેને એટલું મોહી લીધું, એટલું મોહી લીધું કે તે તેમાં પૂરી રીતે મગ્ન થઈ ગઈ. તેણે તબલા વગાડવાનું પણ શીખ્યું છે. સૌથી પ્રેરણાદાયક વાત તો એ છે કે તે અનેક ભારતીય ભાષામાં ગાવાની નિપુણતા પ્રાપ્ત કરી ચૂકી છે. સંસ્કૃત, હિન્દી, મલયાલમ, તમિલ, કન્નડ કે પછી અસમી, બંગાળી, મરાઠી, ઉર્દૂ તે બધામાં તેણે સૂર સાધ્યા છે. તમે વિચારી શકો કે કોઈને બીજી અજાણી ભાષાની બે-ત્રણ લીટી બોલવી પડે તો કેટલી મુશ્કેલી આવે છે, પરંતુ કૈસમી માટે જાણે કે, ડાબા હાથનો ખેલ છે. તમારા બધા માટે અહીં, કન્નડમાં ગાયેલા તેના એક ગીતને પ્રસ્તુત કરું છું.
###(MKB EP 105 AUDIO Byte 2)###
ભારતીય સંસ્કૃતિ અને સંગીત અંગે જર્મનીની કૈસમીની આ લગનની હું અંતઃકરણથી પ્રશંસા કરું છું. તેનો આ પ્રયાસ દરેક ભારતીયને પ્રભાવિત કરનારો છે.
મારા પરિવારજનો, આપણા દેશમાં શિક્ષણને હંમેશાં એક સેવાના રૂપમાં જોવામાં આવે છે. મને ઉત્તરાખંડના કેટલાક એવા યુવાનો વિશે જાણવા મળ્યું છે,
જે, આ ભાવના સાથે બાળકોના શિક્ષણ માટે કામ કરી રહ્યા છે. નૈનીતાલ જિલ્લાના કેટલાક યુવાનોએ બાળકો માટે અનોખી ઘોડા લાઇબ્રેરી શરૂ કરી છે. આ લાઇબ્રેરીની સૌથી મોટી વિશેષતા એ છે કે દુર્ગમમાં દુર્ગમ વિસ્તારોમાં પણ તેના દ્વારા બાળકો સુધી પુસ્તકો પહોંચી રહ્યાં છે અને એટલું જ નહીં, આ સેવા, બિલકુલ નિઃશુલ્ક છે. અત્યાર સુધી તેના માધ્યમથી નૈનીતાલનાં ૧૨ ગામોને આવરી લેવાયાં છે. બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા આ ભલા કામમાં મદદ કરવા માટે સ્થાનિક લોકો પણ આગળ આવી રહ્યા છે. આ ઘોડા લાઇબ્રેરી દ્વારા એ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે અંતરિયાળ ગામોમાં રહેનારાં બાળકોને શાળાનાં પુસ્તકો ઉપરાંત, ‘કવિતાઓ’, ‘વાર્તાઓ’ અને ‘નૈતિક શિક્ષણ’નાં પુસ્તકો પણ વાંચવાનો પૂરો અવસર મળે. આ અનોખી લાઇબ્રેરી બાળકોને પણ ખૂબ જ પસંદ પડી રહી છે.
સાથીઓ, મને હૈદરાબાદમાં લાઇબ્રેરી સાથે જોડાયેલા આવા જ એક અનોખા પ્રયાસ વિશે જાણવા મળ્યું છે. અહીં, સાતમા ધોરણમાં ભણનારી દીકરી ‘આકર્ષણા સતીશ’એ તો કમાલ જ કરી દીધો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર ૧૧ વર્ષની આયુમાં તે બાળકો માટે એક-બે નહીં, સાત-સાત લાઇબ્રેરી ચલાવી રહી છે. ‘આકર્ષણા’ને બે વર્ષ પહેલાં તેની પ્રેરણા, તે જ્યારે તેનાં માતાપિતા સાથે, એક કેન્સર હૉસ્પિટલ ગઈ હતી, ત્યારે મળી. તેના પિતા જરૂરિયાતવાળા લોકોની મદદ માટે ત્યાં ગયા હતા. બાળકોએ ત્યાં તેમની પાસે ‘colouring books’ની માગણી કરી અને આ વાત, આ વ્હાલી ઢીંગલીને એટલી સ્પર્શી ગઈ કે તેણે અલગ-અલગ પ્રકારનાં પુસ્તકો ભેગાં કરવાનો નિશ્ચય કર્યો. તેણે પોતાનાં, અડોશપડોશનાં ઘરો, સગાંસંબંધીઓ અને સાથીઓ પાસેથી પુસ્તકો એકઠાં કરવાનું શરૂ કરી દીધું અને તમને એ જાણીને આનંદ થશે કે પહેલી લાઇબ્રેરી તે કેન્સર હૉસ્પિટલમાં જ બાળકો માટે ખોલવામાં આવી. જરૂરિયાતવાળાં બાળકો માટે અલગ-અલગ સ્થાનો પર આ
દીકરીએ અત્યાર સુધીમાં જે સાત લાઇબ્રેરી ખોલી છે, તેમાં હવે લગભગ છ હજાર પુસ્તકો ઉપલબ્ધ છે. નાનકડી ‘આકર્ષણા’ જે રીતે બાળકોનું ભવિષ્ય સુધારવાનું મોટું કામ કરી રહી છે, તે દરેક વ્યક્તિને પ્રેરણા આપનારું છે.
સાથીઓ, એ વાત સાચી છે કે આજનો સમય ડિજિટલ ટૅક્નૉલૉજી અને ઇ-બુક્સનો છે, તેમ છતાં આ પુસ્તકો, આપણા જીવનમાં એક સારા મિત્રની ભૂમિકા નિભાવે છે. આથી, આપણે બાળકોને પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવા જોઈએ.
મારા પરિવારજનો, આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે -
जीवेषु करुणा चापि, मैत्री तेषु विधीयताम् |
અર્થાત્, જીવો પર કરુણા કરો અને તેમને પોતાના મિત્રો બનાવો. આપણે ત્યાં મોટા ભાગનાં દેવી-દેવતાઓની સવારી જ પશુ-પક્ષી છે. ઘણા લોકો મંદિરે જાય છે, ભગવાનના દર્શન કરે છે, પરંતુ જે જીવ-જંતુ તેમની સવારી હોય છે તે તરફ, એટલું ધ્યાન આપતા નથી. આ જીવ-જંતુ આપણી આસ્થાના કેન્દ્રમાં તો રહેવાં જ જોઈએ, આપણે તેનું યથા સંભવ સંરક્ષણ પણ કરવું જોઈએ. વિતેલાં કેટલાંક વર્ષોમાં, દેશમાં, સિંહ, વાઘ, દીપડા અને હાથીઓની સંખ્યામાં ઉત્સાહવર્ધક વૃદ્ધિ જોવા મળી છે. અનેક બીજા પ્રયાસો પણ નિરંતર ચાલુ છે, જેથી આ ધરતી પર રહેતા બીજા જીવજંતુઓને બચાવી શકાય. આવો જ એક અનોખો પ્રયાસ રાજસ્થાનના પુષ્કરમાં પણ કરવામાં આવી રહ્યો છે. અહીં, સુખદેવ ભટ્ટ જી અને તેમની ટીમ મળીને વન્ય જીવોને બચાવવામાં લાગેલી છે. અને જાણો છો કે તેમની ટીમનું નામ શું છે? તેમની ટીમનું નામ છે – કોબ્રા. આ ખતરનાક નામ એટલા માટે છે કારણકે તેમની ટીમ આ ક્ષેત્રમાં ખતરનાક સાપોને બચાવવાનું કામ પણ કરે છે. આ ટીમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે,
જે માત્ર એક કૉલ પર ઘટનાસ્થળ પર પહોંચી જાય છે અને પોતાના મિશનમાં લાગી જાય છે. સુખદેવજીની આ ટીમે અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ ઝેરીલા સાપોનું જીવન બચાવ્યું છે. આ પ્રયાસથી એક તરફ લોકોનું જોખમ દૂર થયું છે, તો બીજી તરફ, પ્રકૃતિનું સંરક્ષણ પણ થઈ રહ્યું છે. આ ટીમ અન્ય બીમાર જાનવરોની સેવાના કામમાં પણ જોડાયેલી છે.
સાથીઓ, તમિલનાડુના ચેન્નાઈમાં ઑટો ડ્રાઇવર એમ. રાજેન્દ્ર પ્રસાદ જી પણ એક અનોખું કામ કરી રહ્યા છે. તેઓ છેલ્લાં ૨૫-૩૦ વર્ષથી કબૂતરોની સેવાના કામમાં લાગેલા છે. તેમના પોતાના જ ઘરમાં ૨૦૦થી વધુ કબૂતર છે. ત્યાં પક્ષીઓનાં ભોજન, પાણી, સ્વાસ્થ્ય જેવી દરેક આવશ્યકતાનું પૂરું ધ્યાન રાખે છે. તેના પર તેમના ઘણા રૂપિયા પણ ખર્ચાય છે, પરંતુ તેઓ પોતાના કામમાં મક્કમ છે. સાથીઓ, લોકોને શુભ આશયથી આવું કામ કરતા જોઈને, ખરેખર, ખૂબ જ શાંતિ મળે છે, ઘણી પ્રસન્નતા થાય છે. જો તમને પણ આવા કેટલાક સારા પ્રયાસો વિશે જાણકારી મળે તો તેને જરૂર વહેંચજો.
મારા પ્રિય પરિવારજનો, સ્વતંત્રતાનો આ અમૃતકાળ, દેશ માટે પ્રત્યેક નાગરિકનો કર્તવ્યકાળ પણ છે. પોતાનું કર્તવ્ય નિભાવતા જ આપણે આપણાં લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ, પોતાના મુકામ સુધી પહોંચી શકીએ છીએ. કર્તવ્યની ભાવના, આપણને બધાને એક સૂત્રમાં બાંધે છે. ઉત્તર પ્રદેશના સમ્ભલમાં, દેશે કર્તવ્ય ભાવનાનું એક એવું ઉદાહરણ જોયું છે જેને હું તમારી સાથે વહેંચવા માગું છું. તમે વિચારો, ૭૦થી વધુ ગામ હોય, હજારોની વસતિ હોય અને બધા લોકો મળીને, એક લક્ષ્ય, એક ધ્યેયની પ્રાપ્તિ માટે સાથે આવી જાય, જોડાઈ જાય, આવું ઓછું જ થાય છે, પરંતુ સમ્ભલમાં લોકોએ આ કરીને દેખાડ્યું. આ લોકોએ મળીને જન ભાગીદારી અને સામૂહિકતાનું ખૂબ જ શાનદાર ઉદાહરણ સ્થાપ્યું છે. હકીકતે, આ ક્ષેત્રમાં દાયકાઓ પહેલાં, ‘સોત’ નામની એક નદી હતી.
અમરોહાથી શરૂ કરીને સમ્ભલ થઈને બદાયૂં સુધી વહેનારી આ નદી એક સમયે આ ક્ષેત્રમાં જીવનદાયિનીના રૂપમાં ઓળખાતી હતી. આ નદીમાં અવિરત જળ પ્રવાહિત થતું રહેતું હતું, જે અહીંના ખેડૂતો માટે ખેતીનો મુખ્ય આધાર હતું. સમય સાથે નદીનો પ્રવાહ ઓછો થયો, નદી જે રસ્તે વહેતી હતી, ત્યાં અતિક્રમણ થઈ ગયું અને આ નદી વિલુપ્ત થઈ ગઈ. નદીને માતા માનનારા આપણા દેશમાં, સમ્ભલના લોકોએ આ સોત નદીને પણ પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો. ગત વર્ષે ડિસેમ્બરમાં સોત નદીના કાયાકલ્પનું કામ ૭૦થી વધુ ગ્રામ પંચાયતોએ મળીને શરૂ કર્યું. ગ્રામ પંચાયતના લોકોએ સરકારી વિભાગોને પણ પોતાની સાથે લીધા. તમને જાણીને આનંદ થશે કે વર્ષના પહેલા છ મહિનામાં જ આ લોકો નદીના ૧૦૦ કિલોમીટરથી વધુ રસ્તાનો પુનરોદ્ધાર કરી ચૂક્યા છે. જ્યારે વરસાદની ઋતુ શરૂ થઈ તો ત્યાંના લોકોની મહેનત રંગ લાવી અને સોત નદી, પાણીથી, ભરપૂર ભરાઈ ગઈ. અહીંના ખેડૂતો માટે આ આનંદનો એક મોટો અવસર બનીને આવ્યો છે. લોકોએ નદીના કિનારે વાંસના ૧૦ હજારથી પણ વધુ ઝાડ વાવ્યાં છે, જેથી તેના કિનારા પૂરી રીતે સુરક્ષિત રહે. નદીના પાણીમાં ત્રીસ હજારથી વધુ ગમ્બૂસિયા માછલીઓને પણ છોડવામાં આવી છે જેથી મચ્છર ન થાય. સાથીઓ, સોત નદીનું ઉદાહરણ આપણને બતાવે છે કે જો આપણે નિશ્ચય કરી લઈએ તો મોટામાં મોટા પડકારને પાર કરીને એક મોટું પરિવર્તન લાવી શકીએ છીએ. તમે પણ કર્તવ્ય પથ પર ચાલીને તમારી આસપાસ આવાં ઘણાં પરિવર્તનોનું માધ્યમ બની શકો છો.
મારા પરિવારજનો, જ્યારે આશય અટલ હોય અને કંઈક શીખવાની લગન હોય તો, કોઈ કામ, મુશ્કેલ રહેતું નથી. પશ્ચિમ બંગાળનાં શ્રીમતી શકુંતલા સરદારે આ વાતને એકદમ સાચી સાબિત કરીને બતાવી છે.
આજે તેઓ અનેક બીજી મહિલાઓ માટે પ્રેરણા બની ગયાં છે. શકંતુલાજી જંગલ મહલના શાતનાલા ગામનાં રહેવાસી છે. લાંબા સમય સુધી તેમનો પરિવાર પ્રતિ દિન મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. તેમના પરિવાર માટે ઘર ચલાવવું મુશ્કેલ હતું. પછી તેમણે એક નવા માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો અને સફળતા પ્રાપ્ત કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. તમારે એ જરૂર જાણવું હશે કે તેમણે આ કમાલ કેવી રીતે કર્યો. તેનો ઉત્તર છે – એક સીવણ મશીન. એક સીવણ મશીન દ્વારા તેમણે ‘સાલ’નાં પાંદડાઓ પર સુંદર ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું. તેમના આ કૌશલ્યએ પૂરા પરિવારના જીવનને બદલી નાખ્યું. તેમના બનાવેલા આ અદ્ભુત ક્રાફ્ટની માગ સતત વધતી જઈ રહી છે. શકુંતલાજીએ આ કૌશલ્યથી, ન માત્ર પોતાનું, પરંતુ ‘સાલ’નાં પાંદડાઓને એકઠાં કરનારા અનેક લોકોનું જીવન પણ બદલી નાખ્યું છે. હવે તેઓ અનેક મહિલાઓને પ્રશિક્ષણ દેવાનું કામ પણ કરી રહ્યાં છે. તમે વિચારી શકો કે એક પરિવાર, જે ક્યારેક, મજૂરી પર નિર્ભર હતો, તે હવે બીજાને રોજગાર માટે પ્રેરિત કરી રહ્યો છે. તેમણે રોજની મજૂરી પર નિર્ભર રહેતા પોતાના પરિવારને પોતાના પગ પર ઊભો કરી દીધો છે. તેનાથી તેમના પરિવારને અન્ય ચીજો પર ધ્યાન આપવાનો અવસર મળ્યો છે. એક બીજી વાત થઈ છે, જેવી શકુંતલા જીની સ્થિતિ કંઈક ઠીક થઈ, તો તેમણે બચત કરવાનું પણ શરૂ કરી દીધું છે. હવે તેઓ જીવન વીમા યોજનાઓમાં નિવેશ કરવા લાગ્યાં છે, જેથી પોતાનાં બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ હોય. શકુંતલાજીની લગન માટે તેમની જેટલી પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે. ભારતના લોકો આવી જ પ્રતિભાઓથી ભરપૂર હોય છે- તમે તેમને અવસર આપો અને જુઓ, તેઓ શું – શું કમાલ કરી દેખાડે છે.
મારા પરિવારજનો, દિલ્લીમાં જી-૨૦ શિખર પરિષદ દરમિયાન એ દૃશ્યને કોણ ભૂલી શકે છે, જ્યારે અનેક વિશ્વ નેતાઓ બાપુને શ્રદ્ધાસુમન અર્પિત કરવા
એક સાથે રાજઘાટ પહોંચ્યા હતા. તે એ વાતનું એક મોટું પ્રમાણ છે કે દુનિયાભરમાં બાપુના વિચાર આજે પણ કેટલા પ્રાસંગિક છે. મને એ વાતનો પણ આનંદ છે કે ગાંધી જયંતી અંગે પૂરા દેશમાં સ્વચ્છતા સાથે સંબંધિત ઘણા બધા કાર્યક્રમોની યોજના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનાં બધાં કાર્યાલયોમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ ખૂબ જ જોરશોરથી ચાલુ છે. Indian Swachhata League માં પણ ઘણી સારી ભાગીદારી જોવા મળી રહી છે. આજે હું ‘મન કી બાત’ના માધ્યમથી બધા દેશવાસીઓને એક અનુરોધ કરવા માગું છું- ૧ ઑક્ટોબર અર્થાત્ રવિવારની સવારે દસ વાગે સ્વચ્છતા પર એક મોટું આયોજન થવા જઈ રહ્યું છે. તમે પણ તમારો સમય કાઢીને સ્વચ્છતા સાથે જોડાયેલા આ અભિયાનમાં તમારો સહકાર આપો. તમે તમારી ગલી, આડોશ-પડોશ, પાર્ક, નદી, સરોવર કે પછી બીજા કોઈ સાર્વજનિક સ્થળ પર આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈ શકો છો અને જ્યાં-જ્યાં અમૃત સરોવર બન્યાં છે ત્યાં તો સ્વચ્છતા અવશ્ય કરવાની છે. સ્વચ્છતાની આ કાર્યાંજલી જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલી હશે. હું તમને ફરીથી યાદ અપાવીશ કે આ ગાંધી જયંતિના અવસરે ખાદીનું કોઈ ને કોઈ ઉત્પાદન જરૂર ખરીદો.
મારા પરિવારજનો, આપણા દેશમાં ત્યોહારોની ઋતુ પણ શરૂ થઈ ચૂકી છે. તમારા બધાનાં ઘરમાં પણ કંઈ નવું ખરીદવાની યોજના બની રહી હશે. કોઈ એ પ્રતીક્ષામાં હશે કે નવરાત્રિના સમયે તેઓ પોતાનું શુભ કામ શરૂ કરશે. ઉમંગ, ઉત્સાહના આ વાતાવરણમાં તમે Vocal For Local નો મંત્ર પણ જરૂર યાદ રાખજો. જ્યાં સુધી સંભવ હોય, તમે, ભારતમાં બનેલાં સામાનની ખરીદી કરો, ભારતીય ઉત્પાદનોનો ઉપયોગ કરો અને Made In India સામાનનો જ ઉપહાર આપો. તમારી નાનકડી ખુશી, બીજા કોઈના પરિવારની ખૂબ જ મોટી ખુશીનું કારણ બનશે. તમે, જે ભારતીય સામાન ખરીદશો, તેનો સીધો ફાયદો, આપણા શ્રમિકો, કામદારો, શિલ્પકારો અને અન્ય વિશ્વકર્મા ભાઈઓ-બહેનોને મળશે.
આજકાલ તો ઘણાં બધાં સ્ટાર્ટ અપ પણ સ્થાનિક પ્રૉડક્ટને ઉત્તેજન આપી રહ્યાં છે. તમે સ્થાનિક ચીજો ખરીદશો તો સ્ટાર્ટ અપના આ યુવાનોને પણ ફાયદો થશે.
મારા પ્રિય પરિવારજનો, ‘મન કી બાત’માં આજે બસ, આટલું જ. હવે પછી જ્યારે ‘મન કી બાત’માં તમને મળીશ તો નવરાત્રિ અને દશેરા વિતી ચૂક્યાં હશે. તહેવારોની આ ઋતુમાં તમે પણ પૂરા ઉત્સાહથી પ્રત્યેક પર્વ મનાવો, તમારા પરિવારમાં ખુશી રહે, મારી આ જ કામના છે. આ પર્વોની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારી સાથે ફરી મુલાકાત થશે, બીજા પણ કેટલાક નવા વિષયો સાથે, દેશવાસીઓની નવી સફળતાઓની સાથે. તમે, તમારો સંદેશ મને જરૂર મોકલતા રહો, પોતાના અનુભવો શૅર કરવાનું ન ભૂલતા. હું પ્રતીક્ષા કરીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય પરિવારજનો નમસ્કાર! ‘મન કી બાત’ના ઓગસ્ટ એપિસોડમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મને યાદ નથી કે શ્રાવન મહિનામાં 'મન કી બાત' કાર્યક્રમ બે વાર યોજાયો હોય એવું ક્યારેય બન્યું હોય, પણઆ વખતે પણ એવું જ થઈ રહ્યું છે.શ્રાવન એટલે મહાશિવનો મહિનો, ઉત્સવ અને ઉલ્લાસનો મહિનો. ચંદ્રયાનની સફળતાએ આ ઉજવણીના વાતાવરણમાં અનેકગણો વધારો કર્યો છે.ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચ્યે ત્રણ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ સફળતા એટલી મોટી છે કે તેના વિશે જેટલી ચર્ચા થાય એટલી ઓછી છે. આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે મને મારી એક જૂની કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે...
આકાશ તરફ મસ્તક ઉઠાવી
ઘનઘોર વાદળોને ચીરીને
રોશનીનો શુભ સંકલ્પ લો
સૂર્ય તો હમણાં જ ઉગ્યો છે.
દ્રઢ નિશ્ચય સાથે ચાલીને
તમામ મુશ્કેલીને પાર કરી
ઘોર અંધકારને દૂર કરવા
હમણાં જ તો સૂર્ય ઉગ્યો છે.
આકાશ તરફ મસ્તક ઉઠાવી
ઘનઘોર વાદળોને ચીરીને
રોશનીનો શુભ સંકલ્પ લો
સૂર્ય તો હમણાં જ ઉગ્યો છે.
મારા પરિવારજનો, 23 ઓગસ્ટે ભારત અને ભારતના ચંદ્રયાન એ સાબિત કર્યું છે કે ચંદ્ર પર પણ સંકલ્પનો સૂર્ય ઉગે છે. મિશન ચંદ્રયાન નવા ભારતની એ spiritનું પ્રતીક બની ગયું છે, જે કોઈપણ પરિસ્થિતિમાં જીતવા માંગે છે, અને તે કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે જીતવું તે પણ જાણે છે.
સાથીઓ, આ મિશનનું એક પાસું હતું જેના વિશે હું આજે આપ સૌ સાથે ખાસ ચર્ચા કરવા માંગુ છું. તમને યાદ હશે કે આ વખતે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આપણે Women Led Developmentનેરાષ્ટ્રીયચરિત્રનારૂપમાં શસક્ત કરવાનો છે. જ્યાં સ્ત્રી શક્તિનું સામર્થ્ય જોડાય છે ત્યાં અશક્યને પણ શક્ય બનાવી શકાય છે.ભારતનું મિશન ચંદ્રયાન પણ સ્ત્રી શક્તિનું જીવંત ઉદાહરણ છે. આ સમગ્ર મિશનમાં ઘણી Women Scientists અને Engineers સીધી રીતે સામેલ થઈ છે. તેમણે વિવિધ systems ના project director, project manager જેવી ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. ભારતની દીકરીઓ હવે અનંત ગણાતા એવા અંતરિક્ષને, જગ્યાને પણ પડકારી રહી છે. જ્યારે કોઈ દેશની દીકરીઓ આટલી મહત્વાકાંક્ષી બની જાય તો તે દેશને વિકસિત થતા કોણ રોકી શકે!
સાથીઓ, આપણે આટલી ઉંચી ઉડાન એટલે પૂરી કરી છે કારણ કે હવે આપણાં સપના મોટા છે અને આપણાં પ્રયત્નો પણ મોટા છે. ચંદ્રયાન-3ની સફળતામાં આપણા વૈજ્ઞાનિકોની સાથે અન્ય ક્ષેત્રોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તમામ પાર્ટસ અને તકનીકી આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં ઘણા દેશવાસીઓએ યોગદાન આપ્યું છે. જ્યારે દરેકના પ્રયત્નો ભેગા થયા ત્યારે સફળતા પણ મળી. આજ ચંદ્રયાન-3ની સૌથી મોટી સફળતા છે. હું ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ આપણું Space Sector દરેકના પ્રયત્નોથી આવી અસંખ્ય સફળતાઓ હાંસલ કરે.
મારા પરિવારના સભ્યો, સપ્ટેમ્બર મહિનો ભારતના સામર્થ્યનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. ભારત આવતા મહિને યોજાનારી G-20 Leaders’ Summit માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 40 દેશોના વડાઓ અને અનેક Global Organisations રાજધાની દિલ્હી આવી રહ્યા છે. G-20 Summitના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી હશે. પોતાની presidency દરમિયાન ભારતે G-20 ને વધુ inclusive forum બનાવ્યું છે. ભારતના આમંત્રણ પર African Union પણ G-20માં જોડાયું અને આફ્રિકાના લોકોનો અવાજ વિશ્વના આ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ(platform) સુધી પહોંચ્યો. મિત્રો, ગયા વર્ષે જ્યારથી ભારતે બાલીમાં G-20નું પ્રમુખપદ સંભાળ્યું છે, ત્યારથી ઘણું બધું બન્યું છે જે આપણને ગર્વથી ભરી દે છે. દિલ્હીમાં મોટા કાર્યક્રમોની પરંપરાથી દૂર જઈને અમે તેને દેશના વિવિધ શહેરોમાં લઈ ગયા. દેશના 60 શહેરોમાં આને લગતી લગભગ 200 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. G-20 Delegates, જ્યાં પણ ગયા ત્યાં લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ Delegates આપણા દેશની diversity અને આપણી vibrant democracy જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. તેમને એ પણ સમજાયું કે ભારતમાં ઘણી બધી શક્યતાઓ છે.
મિત્રો, G-20ની આપણી Presidency, People’s Presidency છે, જેમાં જનભાગીદારીની ભાવના સૌથી આગળ છે. G-20 ના અગિયાર Engagement Groups છે, જેમાં Academia, Civil Society, યુવા, મહિલાઓ, આપણા સંસદસભ્યો, Entrepreneurs અને Urban Administration સાથે સંકળાયેલા લોકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એક યા બીજી રીતે આ અંગે દેશભરમાં આયોજિત કાર્યક્રમો સાથે (1.5) દોઢ કરોડથી વધુ લોકો જોડાયેલા છે. લોકભાગીદારી માટેના અમારા આ પ્રયાસમાં માત્ર એક જ નહીં પરંતુ બે વિશ્વ રેકોર્ડ(record)પણ સર્જાયા છે. વારાણસીમાં આયોજિત G-20 Quizમાં 800 શાળાઓના 1.25 લાખ વિદ્યાર્થીઓ(Students)ની ભાગીદારી એક નવો વિશ્વ રેકોર્ડ બની ગયો. તે જ સમયે, લમ્બાની કારીગરોએ પણ કમાલ કરી. 450 કારીગરોએ લગભગ 1800 Unique Patchesનું અદભૂત Collection બનાવીને તેમની કુશળતા અને Craftsmanshipનું પ્રદર્શન કર્યું છે. G-20માં આવેલા દરેક પ્રતિનિધિ આપણા દેશની Artistic Diversity જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આવો જ એક શાનદાર કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો. 15 રાજ્યોમાંથી 15,000 મહિલાઓએ ત્યાં આયોજિત સાડી Walkathon ભાગ લીધો હતો. આ કાર્યક્રમથી સુરતની Textile Industryને માત્ર પ્રોત્સાહન જ મળ્યું નથી, (Vocal for Local)’વોકલ ફોર લોકલ’ ને પણ પ્રોત્સાહન મળ્યું હતું અને સ્થાનિક માટે ગ્લોબલ બનવાનો માર્ગ પણ મોકળો થયો હતો. શ્રીનગરમાં જી-20 બેઠક બાદ કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. હું તમામ દેશવાસીઓને કહેવા માંગુ છું કે ચાલો આપણે સાથે મળીને G-20 સંમેલનને સફળ બનાવીએ અને દેશની પ્રતિષ્ઠા વધારીએ.
મારા પરિવારજનો, 'મન કી બાત'ના Episodeમાં, આપણે ઘણીવાર આપણી યુવા પેઢીની ક્ષમતા વિશે ચર્ચા કરીએ છીએ. આજે, રમતગમત એક એવું ક્ષેત્ર છે જ્યાં આપણા યુવાનો સતત નવી સફળતાઓ હાંસલ કરી રહ્યા છે. આજે 'મન કી બાત'માં હું એક એવી Tournament વિશે વાત કરીશ જ્યાં તાજેતરમાં આપણા ખેલાડીઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. થોડા દિવસો પહેલા ચીનમાં World University Games યોજાઈ હતી. આ વખતે આ ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું Best Ever Performance રહ્યું હતું. અમારા ખેલાડીઓએ કુલ 26 મેડલ જીત્યા જેમાંથી 11 Gold Medal (ગોલ્ડમેડલ) હતા. તમને એ જાણીને આનંદ થશે કે 1959થી અત્યાર સુધી યોજાયેલી તમામ World University Gamesમાં જીતેલા તમામ મેડલને ઉમેરીએ તો પણ આ સંખ્યા માત્ર 18 સુધી પહોંચે છે. આ દાયકાઓમાં માત્ર 18, જ્યારે આ વખતે અમારા ખેલાડીઓએ 26 મેડલ જીત્યા છે. તેથી, World University Gamesમાં મેડલ જીતનારા કેટલાક યુવા ખેલાડીઓ, વિદ્યાર્થીઓ હાલમાં મારી સાથે Phone Line (ફોન લાઇન) પર જોડાયેલા છે. ચાલો હું તમને પહેલા તેમના વિશે કહું. યુપીની રહેવાસી પ્રગતિએ Archery (તીરંદાજી)માં Medal જીત્યો છે. આસામના રહેવાસી અમ્લાને Athletics (એથ્લેટિક્સ)માં Medal જીત્યો છે. યુપીની રહેવાસી પ્રિયંકાએ Race Walkમાં મેડલ જીત્યો છે. મહારાષ્ટ્રની રહેવાસી અભિદન્યાએ Shooting (શૂટિંગ)માં મેડલ જીત્યો છે.
મોદીજી:- નમસ્કાર, મારા પ્રિય યુવા ખેલાડીઓ.
યુવા ખેલાડી:- નમસ્તે સર.
મોદીજી:-તમારી સાથે વાત કર્યા પછી મને ખૂબ સારું લાગે છે. હું ભારતની યુનિવર્સિટીઓમાંથી સૌપ્રથમ પસંદ કરાયેલ પ્રથમ ટીમ, તમે લોકોએ ભારતનું નામ રોશન કરીને જે ગૌરવ અપાવ્યું છે, એ માટે હું તમને બધાને અભિનંદન આપું છું. તમે વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં તમારા પ્રદર્શનથી દરેક દેશવાસીને ગર્વ અપાવ્યો છે. એ બદલ સૌપ્રથમ હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
પ્રગતિ, હું આપનાથી આ વાર્તાલાપની શરૂઆત કરી રહ્યો છું. સૌથી પહેલા મને એ કહો કે બે Medal જીતીને તમે અહીંથી નીકળ્યા ત્યારે તમે આવું વિચાર્યું હતું? અને આટલી મોટી જીત હાંસલ કર્યા પછી, હવે તમે શું અનુભવો છો?
પ્રગતિ:- સર, હું ખૂબ જ Proud Feel કરી રહી હતી, મને એટલું સારું લાગ્યું કે હું અહીં મારા દેશનો ધ્વજ એટલો ઊંચો ફરકાવીને આવી છું કે, ઠીક છે કે એકવાર હું Gold Fightમાં પહોંચી ગઇ હતી ત્યારે હું હારી ગઇ હતી, તેથી મને Regret થઈ રહ્યો હતો. પણ બીજી વાર મનમાં થયું કે હવે કંઈપણ થઈ જશે તો હું તેને નીચે જવા નહીં દઉં. તેને દરેક પરિસ્થિતિમાં સૌથી વધુ ઊંચે ફરકાવીશ. જ્યારે અમે Fight છેલ્લે જીતી હતી, ત્યારે અમે એ જ Podium પર ખૂબ જ સારી ઉજવણી કરી હતી. તે moment ખૂબ જ સુંદર હતી. એટલો Proud Feel થતો હતો કે હું કહી શકતી નથી.
મોદીજી:- પ્રગતિ, તમને Physically બહુ problems થયા હતા. તમે તેમાંથી બહાર આવ્યા. આપણાં દેશના યુવાનો માટે આ એક મોટી પ્રેરણા છે. શું થયુ તું તમને?
પ્રગતિ:- સર, 5 મે, 2020 ના રોજ, મને બ્રેઈન હેમરેજ થયું હતું. હું Ventilator પર હતી. હું બચી શકીશ કે નહીં તેનું કોઈ Confirmation નહોતું. અને જો હું જીવીશ તો હું કેવી રીતે જીવીશ? પણ એટલું બધું હતું કે હા, મારામાં અંદરથી હિંમત હતી કે મારે ground પર પાછા ઊભા રહેવું છે, arrow ચલાવવાનું છે. મારા માટે, મારો જીવ બચ્યો તો એમાં સૌથી મોટો હાથ ભગવાનનો, પછી ડૉક્ટરનો, પછી Archeryનો.
અમ્લાન પણ અમારી સાથે છે. અમ્લાન, મને કહો કે તમે Athletics માં આટલો રસ કેવી રીતે વિકસાવ્યો!
અમ્લાન:- જી, નમસ્કાર સર.
મોદીજી:- નમસ્કાર! નમસ્કાર!
અમ્લાન:- સર, પહેલા Athletics માં બહુ રસ નહોતો. અગાઉ અમે Football માં વધુ હતા. પણ મારા ભાઈના મિત્રે મને કહ્યું કે અમ્લાન તારે એથ્લેટિક્સ, સ્પર્ધામાં જવું જોઈએ. તેથી મેં વિચાર્યું કે ઠીક છે, તેથી જ્યારે હું પ્રથમ વખત State Meet રમ્યો ત્યારે હું તેમાં હારી ગયો. તેથી મને હાર ગમતી ન હતી. તેથી આ કરતી વખતે, હું Athleticsમાં પ્રવેશ્યો. પછી ધીમે ધીમે મજા આવવા લાગી છે. તો બસ એ જ રીતે મારો રસ વધ્યો.
મોદીજી:- અમ્લાન જરા મને કહો કે તમે મોટાભાગે ક્યાં પ્રેક્ટિસ કરતા હતા!
અમ્લાન:- મોટાભાગે મેં હૈદરાબાદમાં સાઈ રેડ્ડી સરની નીચે Practice કરી છે. ત્યાર બાદ ભુવનેશ્વરમાં Shift થઈને ત્યાંથી મેં Professionally Start કર્યું.
મોદીજીઃ- ઓકે, પ્રિયંકા પણ અમારી સાથે છે. પ્રિયંકા, તું 20 કિલોમીટરની Race Walk Teamનો ભાગ હતી. આખો દેશ આજે તમને સાંભળી રહ્યો છે, અને તેઓ આ Sport વિશે જાણવા માંગે છે. તમે મને કહો કે આ માટે કયા પ્રકારની કુશળતા જરૂરી છે. અને તમારી Career ક્યાંથી ક્યાં સુધી પહોંચી છે?
પ્રિયંકા:- મારા જેવી event તો ખૂબ જ tough છે કારણ કે અમારી પાસે પાંચ judge ઊભા હોય છે. જો આપણે ભાગી જઈએ તો પણ તેઓ અમને બહાર કાઢે છે અથવા આપણે રસ્તા પરથી સહેજ પણ ઉતરી જઈએ તો Jump હોય તો પણ તેઓ અને બહાર કાઢે છે. અથવા જો અમે Knee Bend કરીએ તો પણ તેઓ કાઢી મૂકે છે અને મને Warning પણ બે વાર આપવામાં આવી હતી. તે પછી, મેં મારી Speed ને એટલી નિયંત્રિત કરી કે ક્યાંકને ક્યાંક મારે ઓછામાં ઓછો અહીંથી Team Medal તો જીતવો જ છે, કારણ કે અમે અહીં દેશ માટે આવ્યા છીએ અને અમે ખાલી હાથે જવા માંગતા નથી.
મોદીજી:- હા, અને પપ્પા, ભાઈ વગેરે બધા મજામાં છે ને?
પ્રિયંકા:- હા સર, બધુ બરાબર છે, હું બધાને કહું છું કે તમે અમને ખૂબ motivate કરો છો, ખરેખર સર, મને ખૂબ સારું લાગે છે, કારણ કે Indiaમાં World University જેવી રમતની બહુ માંગ પણ નથી. પરંતુ હવે અમને આ રમતમાં એટલો બધો Support મળી રહ્યો છે, તેનો અર્થ એ પણ છે કે અમે Tweet જોઈ રહ્યા છીએ, કે દરેક Tweet કરી રહ્યા છે કે અમે ઘણા Medal જીત્યા છે, તેથી તે ખૂબ જ સારું લાગે છે કે Olympicsની જેમ, આને પણ, આટલું પ્રોત્સાહન મળી રહ્યું છે.
મોદીજી:- ચાલો પ્રિયંકા, મારા તરફથી અભિનંદન. તમે બહુ મોટું નામ રોશન કર્યું છે, ચાલો આપણે અભિદન્યાની સાથે વાત કરીએ.
અભિદન્યા:- નમસ્તે સર.
મોદીજી:- મને તમારા વિશે કહો.
અભિદન્યા:- સર હું મહારાષ્ટ્રના કોલ્હાપુરથી છું, હું shootingમાં 25m sports pistol અને 10m air pistol બંને event કરું છું. મારા માતા-પિતા બંને High School Teacher છે, તેથી મેં 2015માં shooting start કર્યું. જ્યારે મેં shooting start કર્યું ત્યારે કોલ્હાપુરમાં એટલી બધી facilities ઉપલબ્ધ ન હતી. વડગાંવથી કોલ્હાપુર સુધી બસમાં મુસાફરી કરવામાં દોઢ કલાકનો સમય લાગે છે, પછી પાછા આવવામાં દોઢ કલાક લાગે છે અને ચાર કલાકની training, આ રીતે , 6-7 કલાક. એટલે training માટે આવતા-જતા, તેથી હું મારી શાળાને પણ મિસ કરતી, પછી મમ્મી-પપ્પાએ કહ્યું કે દીકરા, એક કામ કર, અમે તને Saturday-Sunday શૂટિંગ રેન્જમાં લઈ જઈશું, અને બાકીનો સમય તમે અન્ય games કરો. તેથી હું મારા બાળપણમાં ઘણી બધી games રમતી હતી, કારણ કે મારા માતા-પિતા બંનેને રમતગમતમાં ખૂબ જ રસ હતો, પરંતુ તેઓ કંઈ કરી શકતા ન હતા, Financial Support એટલો ન હતો અને એટલી માહિતી પણ ન હતી, તેથી મારી માતાનું મોટું સ્વપ્ન હતું કે, મારે દેશનું પ્રતિનિધિત્વ કરવું જોઇએ, અને પછી દેશ માટે medal પણ જીતવો જોઇએ. તેથી તેનું સપનું પૂરું કરવા માટે હું નાનપણથી જ રમતગમતમાં ઘણો રસ લેતી હતી અને પછી મેં Taekwondo પણ કર્યો છે, તેમાં પણ હું black belt છું અને બોક્સિંગ, જુડો અને ફેન્સિંગ અને ડિસ્કસ થ્રો જેવી ઘણી રમતો કર્યા પછી. પછી 2015 માં હું શૂટિંગ પર આવી. પછી મેં 2-3 વર્ષ સુધી ખૂબ સંઘર્ષ કર્યો અને પ્રથમ વખત હું યુનિવર્સિટી ચેમ્પિયનશિપ માટે મલેશિયામાં સિલેક્ટ થઇ અને તેમાં મને બ્રોન્ઝ મેડલ મળ્યો, તેથી મને ખરેખર ત્યાંથી push મળ્યો. પછી મારી શાળાએ મારા માટે શૂટિંગ રેન્જ બનાવી, પછી હું ત્યાં તાલીમ લેતી અને પછી તેઓએ મને તાલીમ માટે પૂણે મોકલી. તો અહીં ગગન નારંગ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ગન ફોર ગ્લોરી છે, તેથી હું તેના હેઠળ તાલીમ લઈ રહી છું, હવે ગગન સરે મને ખૂબ સપોર્ટ કર્યો છે અને મારી રમત માટે મને પ્રોત્સાહિત કરી છે.
મોદીજીઃ- સારું, જો તમે ચારેય જણ મને કંઈક કહેવા માંગતા હોય, તો હું તે સાંભળવા માંગુ છું. પ્રગતિ હોય, અમ્લાન હોય, પ્રિયંકા હોય, અભિદન્યા હોય. તમે બધા મારી સાથે જોડાયેલા છો, તેથી જો તમે કંઈક કહેવા માંગતા હો, તો હું ચોક્કસપણે સાંભળીશ.
અમ્લાનઃ- સર, મને એક પ્રશ્ન છે સર.
મોદીજીઃ- જી.
અમ્લાન- સર, તમને કઈ રમત સૌથી વધુ ગમે છે?
મોદીજીઃ- ભારતે રમતગમતની દુનિયામાં ઘણો વિકાસ કરવો જોઈએ અને તેથી જ હું આ વસ્તુઓને ખૂબ પ્રમોટ કરી રહ્યો છું, પરંતુ હોકી, ફૂટબોલ, કબડ્ડી, ખો-ખો, આ આપણી જમીન સાથે જોડાયેલી રમતો છે, આમાં આપણે આગળ વધવું પડશે. પાછળ ન રહેવું જોઈએ અને હું જોઉં છું કે આપણા લોકો તીરંદાજીમાં સારો દેખાવ કરી રહ્યા છે, તેઓ શૂટિંગમાં સારો દેખાવ કરી રહ્યા છે. અને બીજું, હું જોઈ રહ્યો છું કે આપણા યુવાનો અને આપણા પરિવારોમાં પણ રમત પ્રત્યેની લાગણી જે પહેલા હતી એવી નથી.
પહેલા, જ્યારે બાળક રમવા જતું હતું, ત્યારે રોકતા હતા, અને હવે, ઘણું બદલાઈ ગયું છે, અને તમે લોકો જે સફળતા મેળવી રહ્યા છો, તે બધા પરિવારોને પ્રોત્સાહિત કરે છે. દરેક રમતમાં, આપણા બાળકો જ્યાં પણ જતા હોય છે, તેઓ દેશ માટે કંઈકને કંઈક કરીને પાછા આવે છે. અને આ સમાચારો આજે દેશમાં આગવી રીતે બતાવવામાં આવે છે, કહેવામાં આવે છે અને શાળા-કોલેજોમાં પણ તેની ચર્ચા થાય છે. ચાલો! મને તે ખૂબ જ ગમ્યું. મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ શુભકામના.
યુવા ખેલાડીઃ- ખૂબ ખૂબ આભાર! Thank You Sir! આભાર.
મોદીજીઃ- આભાર! નમસ્કાર.
મારા પરિવારજનો, આ વખતે 15મી ઓગસ્ટે દેશે 'સબકા પ્રયાસ'ની શક્તિ જોઈ. તમામ દેશવાસીઓના પ્રયાસોએ 'હર ઘર તિરંગા અભિયાન'ને વાસ્તવમાં 'હર મન તિરંગા અભિયાન' બનાવ્યું. આ અભિયાન દરમિયાન ઘણા રેકોર્ડ પણ બન્યા હતા. દેશવાસીઓએ કરોડોમાં તિરંગા ખરીદ્યા. 1.5 લાખ પોસ્ટ ઓફિસ દ્વારા લગભગ 1.5 કરોડ તિરંગાનું વેચાણ થયું હતું. તેના કારણે આપણા કામદારો, વણકરોએ અને ખાસ કરીને મહિલાઓએ પણ કરોડો રૂપિયાની કમાણી કરી છે. આ વખતે દેશવાસીઓએ તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ગયા વર્ષે 15 ઓગસ્ટ સુધી લગભગ 5 કરોડ દેશવાસીઓએ તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરી હતી. આ વર્ષે આ આંકડો પણ 10 કરોડને પાર કરી ગયો છે.
સાથીઓ, અત્યારે દેશમાં 'મેરી માટી, મેરા દેશ'ની દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં દેશના દરેક ગામમાં દરેક ઘરમાંથી માટી એકત્ર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવશે. દેશની પવિત્ર માટી હજારો અમૃતના કળશમાં જમા થશે. ઓક્ટોબરના અંતમાં હજારો લોકો અમૃત કળશ યાત્રા સાથે દેશની રાજધાની દિલ્હી પહોંચશે. આ માટીમાંથી જ દિલ્હીમાં અમૃત વાટિકા બનાવવામાં આવશે. મને ખાતરી છે કે દરેક દેશવાસીના પ્રયાસો આ અભિયાનને સફળ બનાવશે.
મારા પરિવારજનો, આ વખતે મને સંસ્કૃત ભાષામાં ઘણા પત્રો મળ્યા છે. તેનું કારણ એ છે કે શ્રાવણ મહિનાની પૂર્ણિમા, આ તિથીને વિશ્વ સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સર્વેભ્યઃ વિશ્વ-સંસ્કૃત-દિવસસ્ય, હાર્દયઃ શુભકામનાઃ
વિશ્વ સંસ્કૃત દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત એ વિશ્વની સૌથી જૂની ભાષાઓમાંની એક છે. તેને ઘણી આધુનિક ભાષાઓની માતા પણ કહેવામાં આવે છે. તેની પ્રાચીનતાની સાથે સાથે સંસ્કૃત તેની વૈજ્ઞાનિકતા અને વ્યાકરણ માટે પણ જાણીતી છે. ભારતનું કેટલું પ્રાચીન જ્ઞાન હજારો વર્ષોથી સંસ્કૃત ભાષામાં સચવાયેલું છે. યોગ, આયુર્વેદ અને તત્વજ્ઞાન જેવા વિષયો પર સંશોધન કરતા લોકો હવે વધુ ને વધુ સંસ્કૃત શીખી રહ્યા છે. ઘણી સંસ્થાઓ પણ આ દિશામાં ખૂબ સારું કામ કરી રહી છે. ઉદાહરણ તરીકે, સંસ્કૃત પ્રમોશન ફાઉન્ડેશન યોગ માટે સંસ્કૃત, આયુર્વેદ માટે સંસ્કૃત અને બૌદ્ધ ધર્મ માટે સંસ્કૃત જેવા ઘણા અભ્યાસક્રમો ચલાવે છે. 'સંસ્કૃત ભારતી' લોકોને સંસ્કૃત શીખવવાનું અભિયાન ચલાવે છે. આમાં તમે 10 દિવસની 'સંસ્કૃત વાર્તાલાપ શિબિર'માં ભાગ લઈ શકો છો. મને ખુશી છે કે આજે લોકોમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતિ અને ગૌરવ વધ્યું છે. તેની પાછળ વિતેલા વર્ષોમાં દેશનું પણ વિશેષ યોગદાન છે. ઉદાહરણ તરીકે, 2020માં ત્રણ સંસ્કૃત ડીમ્ડ યુનિવર્સિટીઓને Central Universities બનાવવામાં આવી હતી. સંસ્કૃત યુનિવર્સિટીઓની ઘણી કોલેજો અને સંસ્થાઓ પણ વિવિધ શહેરોમાં ચાલી રહી છે. IIT અને IIM જેવી સંસ્થાઓમાં સંસ્કૃત કેન્દ્રો ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે.
સાથીઓ, તમે ઘણી વાર એક વાતનો અનુભવ કર્યો હશે, મૂળ સાથે જોડાવાની, આપણી સંસ્કૃતિ સાથે જોડાવાની, આપણી પરંપરાનું એક ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે – આપણી માતૃભાષા. જ્યારે આપણે આપણી માતૃભાષા સાથે જોડાઈએ છીએ, ત્યારે આપણે સ્વાભાવિક રીતે આપણી સંસ્કૃતિ સાથે જોડાઈએ છીએ. આપણે આપણા સંસ્કારો સાથે જોડાઈએ છીએ, આપણે આપણી પરંપરા સાથે જોડાઈએ છીએ, આપણે આપણા પ્રાચીન વૈભવ સાથે જોડાયેલા રહીએ છીએ. તેવી જ રીતે, ભારતની બીજી માતૃભાષા છે, તેલુગુ ભાષા. 29 ઓગસ્ટને તેલુગુ દિવસ તરીકે ઉજવવામાં આવશે.
અન્દરિકી તેલુગુ ભાષા દિનોત્સવ શુભાકાંક્ષલુ
તેલુગુ દિવસના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. તેલુગુ ભાષાના સાહિત્ય અને વારસામાં ભારતીય સંસ્કૃતિના અનેક અમૂલ્ય રત્નો છુપાયેલા છે. તેલુગુની આ વિરાસતનો લાભ સમગ્ર દેશને મળે તે માટે પણ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મારા પરિવારના સભ્યો, મેં 'મન કી બાત'ના ઘણા એપિસોડમાં પ્રવાસન વિશે વાત કરી છે. વસ્તુઓ કે સ્થળને રૂબરૂ જોવું, થોડી ક્ષણો માટે સમજવું અને જીવવું એ એક અલગ જ અનુભવ આપે છે. સમુદ્રનું કોઈ ગમે તેટલું વર્ણન કરે, પણ આપણે સમુદ્રને જોયા વિના તેની વિશાળતાને અનુભવી શકતા નથી. હિમાલય વિશે ગમે તેટલી વાતો કરીએ, હિમાલયને જોયા વિના આપણે તેની સુંદરતાનું મૂલ્યાંકન કરી શકતા નથી. એટલા માટે હું તમને બધાને વારંવાર વિનંતી કરું છું કે જ્યારે પણ આપણને તક મળે ત્યારે આપણે આપણા દેશની સુંદરતા અને વિવિધતા જોવા જવું જોઈએ. ઘણીવાર આપણે એક બીજી વસ્તુ પણ જોઈએ છીએ, ભલે આપણે વિશ્વના દરેક ખૂણે શોધ કરીએ, પરંતુ આપણે આપણા પોતાના શહેર અથવા રાજ્યની ઘણી શ્રેષ્ઠ જગ્યાઓ અને વસ્તુઓથી અજાણ હોઈએ છીએ.
ઘણી વખત એવું બને છે કે લોકો પોતાના શહેરના ઐતિહાસિક સ્થળો વિશે વધુ જાણતા નથી. ધનપાલજી સાથે પણ કંઈક આવું જ થયું. ધનપાલજી બેંગ્લોરની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. લગભગ 17 વર્ષ પહેલા તેમને સાઈટસીઈંગ વિંગમાં જવાબદારી મળી હતી. હવે લોકો તેને બેંગ્લોર દર્શિની નામથી ઓળખે છે. ધનપાલજી પ્રવાસીઓને શહેરના વિવિધ પ્રવાસન સ્થળો પર લઈ જતા હતા. આવી જ એક સફરમાં એક પ્રવાસીએ તેમને પૂછ્યું કે બેંગ્લોરમાં આવેલી ટાંકીને સેંકી ટાંકી કેમ કહેવાય છે. તેને ખૂબ જ ખરાબ લાગ્યું કે તેને જવાબ ખબર નથી. આવી સ્થિતિમાં તેણે પોતાનું જ્ઞાન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમના વારસાને જાણવાની જીજ્ઞાસામાં, તેમને ઘણા પથ્થરો અને શિલાલેખો મળ્યા. ધનપાલજીનું મન આ કામમાં એટલું મગ્ન હતું કે તેમણે epigraphy એટલે કે શિલાલેખ સંબંધિત વિષયમાં Diploma પણ કર્યો. જો કે તે હવે નિવૃત્ત છે, બેંગલુરુના ઈતિહાસને શોધવાનો તેમનો જુસ્સો હજુ પણ જીવંત છે.
સાથીઓ, મને Brian D. Kharpran બ્રાયન ડી. ખારપ્રાન વિશે જણાવતા ખૂબ જ આનંદ થાય છે. તે મેઘાલયનો રહેવાસી છે અને Speleology સ્પેલોલોજીમાં ઘણો રસ ધરાવે છે. સરળ ભાષામાં તેનો અર્થ છે - ગુફાઓનો અભ્યાસ. વર્ષો પહેલા જ્યારે તેમણે ઘણી વાર્તાઓના પુસ્તકો વાંચ્યા ત્યારે તેમનામાં આ રસ જાગ્યો. 1964માં, તેણે શાળાના વિદ્યાર્થી તરીકે તેની પ્રથમ Exploration કર્યું. 1990 માં, તેણે તેના મિત્ર સાથે મળીને એક સંગઠન બનાવ્યું અને તેના દ્વારા તેણે મેઘાલયની અજાણી ગુફાઓ વિશે જાણવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં, તેમણે તેમની ટીમ સાથે મેઘાલયમાં 1700 થી વધુ ગુફાઓ શોધી કાઢી અને રાજ્યને વિશ્વ ગુફાના નકશા પર મૂક્યું. ભારતની કેટલીક સૌથી લાંબી અને સૌથી ઊંડી ગુફાઓ મેઘાલયમાં છે. Brian Ji અને તેમની ટીમે Cave Fauna એટલે કે ગુફાના તે જીવોનું પણ દસ્તાવેજીકરણ કર્યું છે, જે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. હું આ સમગ્ર ટીમના પ્રયત્નોની પ્રશંસા કરું છું, સાથે જ હું તમને મેઘાલયની ગુફાઓની મુલાકાત લેવાનો પ્લાન બનાવવા વિનંતી કરું છું.
મારા પરિવારના સભ્યો, તમે બધા જાણો છો કે ડેરી સેક્ટર આપણા દેશના સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાંનું એક છે. તેણે આપણી માતાઓ અને બહેનોના જીવનમાં મોટો ફેરફાર લાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. થોડા દિવસો પહેલા જ મને ગુજરાતની બનાસ ડેરીની એક Interesting Initiative વિશે જાણવા મળ્યું. બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી ગણાય છે. અહીં દરરોજ સરેરાશ 75 લાખ લિટર દૂધ Process થાય છે. આ પછી તેને અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. અન્ય રાજ્યોમાં અહીં દૂધ સમયસર પહોંચાડવા માટે, અત્યાર સુધી ટેન્કર અથવા દૂધની ટ્રેન (ટ્રેનો)નો સહારો લેવામાં આવતો હતો. પરંતુ આમાં પણ ઓછા પડકારો ન હતા. પહેલા તો loading અને unloadingમાં ઘણો સમય લાગતો હતો અને ક્યારેક દૂધ પણ બગડી જતું હતું. આ સમસ્યાને દૂર કરવા માટે ભારતીય રેલવેએ એક નવો પ્રયોગ કર્યો છે. રેલવેએ પાલનપુરથી નવી રેવાડી સુધી Truck-on-Track સુવિધા શરૂ કરી. આમાં, દૂધની ટ્રક સીધી ટ્રેનમાં લોડ કરવામાં આવે છે. એટલે કે transportationની મોટી સમસ્યા આનાથી દૂર થઈ ગઈ છે. Truck-on-Track સુવિધાના પરિણામો ખૂબ જ સંતોષકારક રહ્યા છે. પહેલા જે દૂધ પહોંચવામાં 30 કલાક લાગતું હતું તે હવે અડધાથી પણ ઓછા સમયમાં પહોંચી રહ્યું છે. જેના કારણે જ્યાં ઈંધણથી થતું પ્રદૂષણ અટક્યું છે ત્યાં ઈંધણનો ખર્ચ પણ બચી રહ્યો છે. આનાથી ટ્રક ચાલકોને પણ ઘણો ફાયદો થયો છે, તેમનું જીવન સરળ બન્યું છે.
સાથીઓ, આજે આપણી ડેરીઓ પણ સામૂહિક પ્રયાસોને કારણે આધુનિક વિચારસરણી સાથે આગળ વધી રહી છે. બનાસ ડેરીએ પણ પર્યાવરણ સંરક્ષણની દિશામાં કેવી રીતે એક પગલું આગળ વધાર્યું છે તે સીડબોલ વૃક્ષારોપણ અભિયાન દ્વારા જાણી શકાય છે. Varanasi Milk Union અમારા ડેરી ખેડૂતોની આવક વધારવા માટે manure management પર કામ કરી રહ્યું છે. કેરળની મલબાર Milk Union Dairy નો પ્રયાસ પણ અનોખો છે. તે પ્રાણીઓના રોગોની સારવાર માટે Ayurvedic Medicines વિકસાવવામાં રોકાયેલ છે.
સાથીઓ, આજે ઘણા લોકો એવા છે જેઓ ડેરી અપનાવીને Diversify લાવી રહ્યા છે. તમે અમનપ્રીત સિંહ વિશે પણ જાણતા હશો, જે રાજસ્થાનના કોટામાં ડેરી ફાર્મ ચલાવે છે. ડેરીની સાથે તેમણે બાયોગેસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું અને બે બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા. આ કારણે તેમનો વીજળી પરનો ખર્ચ લગભગ 70 ટકા જેટલો ઓછો થયો છે. તેમનો આ પ્રયાસ દેશભરના ડેરી ખેડૂતોને પ્રેરણા આપશે. આજે ઘણી મોટી ડેરીઓ બાયોગેસ પર ધ્યાન આપી રહી છે. આ પ્રકારનું Community Driven Value addition ખૂબ જ રોમાંચક છે. મને ખાતરી છે કે આ પ્રકારનો trends સમગ્ર દેશમાં ચાલુ રહેશે.
મારા પરિવારજનો, આજે મન કી બાતમાં આટલું જ. હવે તહેવારોની મોસમ પણ આવી ગઈ છે. આપ સૌને રક્ષાબંધનની અગાઉથી શુભકામનાઓ. સેલિબ્રેશન સમયે આપણે Vocal for Localનોમંત્ર પણ યાદ કરવાનો હોય છે. 'આત્મનિર્ભર ભારત'નું આ અભિયાન દરેક દેશવાસીઓનું પોતાનું અભિયાન છે. અને જ્યારે ઉત્સવનું વાતાવરણ હોય ત્યારે આપણે આપણી આસ્થાના સ્થળો અને તેની આસપાસના વિસ્તારને પણ કાયમ માટે સ્વચ્છ રાખવાના હોય છે. આવતી વખતે તમારી પાસે ફરીથી 'મન કી બાત' હશે, કેટલાક નવા વિષયો સાથે મળીશું. દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસો અને તેમની સફળતાની ચર્ચા કરીશું. ત્યાં સુધી મને વિદાય આપો. ખુબ ખુબ આભાર નમસ્કાર!

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. જુલાઈનો મહિનો એટલે ચોમાસાનો મહિનો, વરસાદનો મહિનો. ગત કેટલાક દિવસ, કુદરતી આપત્તિઓના કારણે ચિંતા અને પરેશાનીપૂર્ણ રહ્યા છે. યમુના સહિત અનેક નદીમાં પૂરથી અનેક વિસ્તારમાં લોકોને તકલીફ પડી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ થઈ છે. આ દરમિયાન, દેશના પશ્ચિમ હિસ્સામાં, કેટલાક સમય પહેલાં ગુજરાતના વિસ્તારોમાં, બિપરજોય વાવાઝોડું પણ આવ્યું. પરંતુ સાથીઓ, આ આપત્તિઓની વચ્ચે, આપણે બધાં દેશવાસીઓએ ફરી દેખાડ્યું છે કે સામૂહિક પ્રયાસની શક્તિ શું હોય છે. સ્થાનિક લોકોએ, આપણા એનડીઆરએફના જવાનોએ, સ્થાનિક પ્રશાસનના લોકોએ, દિવસ-રાત જાગીને આવી આપત્તિઓનો સામનો કર્યો છે. કોઈ પણ આપત્તિ સામે લડવામાં આપણાં સામર્થ્ય અને સંસાધનોની ભૂમિકા મોટી હોય છે. પરંતુ તેની સાથે જ, આપણી સંવેદનશીલતા અને એકબીજાનો હાથ પકડવાની ભાવના, એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. સર્વજન હિતાયની આ જ ભાવના ભારતની ઓળખ પણ છે અને ભારતની શક્તિ પણ છે.
સાથીઓ, વરસાદનો આ સમય વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ માટે એટલો જ આવશ્યક હોય છે. સ્વતંત્રતાના અમૃત મહોત્સવ દરમિયાન બનેલાં ૬૦ હજારથી વધુ અમૃત સરોવરમાં પણ રોનક વધી ગઈ છે. હજુ ૫૦ હજારથી વધુ અમૃત સરોવરો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આપણા દેશવાસીઓ પૂરી જાગૃતિ અને જવાબદારી સાથે જળ સંરક્ષણ માટે નવા-નવા પ્રયાસો કરી રહ્યા છે. તમને યાદ હશે, કેટલાક સમય પહેલાં, હું મધ્ય પ્રદેશના શહડોલ ગયો હતો. ત્યાં મારીમુલાકાત પકરિયા ગામનાં આદિવાસી ભાઈઓ-બહેનો સાથે થઈ હતી. ત્યાં મારી તેમની સાથે પ્રકૃત્તિ અને પાણીને બચાવવા માટે પણ ચર્ચા થઈહતી. હમણાં મને જાણવા મળ્યું છે કે પકરિયા ગામનાં આદિવાસી ભાઈઓ-બહેનોએ તેના અંગે કામ શરૂ કરી દીધું છે. ત્યાં પ્રશાસનની મદદથી, લોકોએ લગભગ સો કુવાને વૉટર રિચાર્જ સિસ્ટમમાં પરિવર્તિત કરી દીધા છે. વરસાદનું પાણી હવે આ કુવામાં ચાલ્યું જાય છે અને કુવામાંથી પાણી જમીનની અંદર ઉતરે છે. તેનાથી વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તર પણ ધીરેધીરે સુધરશે. હવે ગામના બધા લોકોએ પૂરા ક્ષેત્રના લગભગ ૮૦ કુવાને રિચાર્જ માટે ઉપયોગમાં લાવવાનું લક્ષ્ય નિર્ધાર્યું છે. એવા જ ઉત્સાહવર્ધક સમાચાર ઉત્તર પ્રદેશથી આવ્યા છે. કેટલાક દિવસ પહેલાં, ઉત્તર પ્રદેશમાં એક દિવસમાં, ૩૦ કરોડ વૃક્ષ વાવવાનો વિક્રમ સર્જવામાં આવ્યો છે. આ અભિયાનની શરૂઆત રાજ્ય સરકારે કરી, તેને પૂરું ત્યાંના લોકોએ કર્યું. આવો પ્રયાસ જનભાગીદારીની સાથોસાથ જન-જાગરણનું પણ મોટું ઉદાહરણ છે. હું ઈચ્છીશ કે આપણે બધાં પણ, વૃક્ષ વાવવા અને પાણી બચાવવાના આ પ્રયાસોનો હિસ્સો બનીએ.
મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. સદાશિવ મહાદેવની સાધના-આરાધનાની સાથે જ શ્રાવણ હરિયાળી અને ખુશીઓ સાથે જોડાયેલો હોય છે. આથી શ્રાવણનું આધ્યાત્મિક સાથે જ સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ બહુ જ મહત્ત્વ છે. શ્રાવણના હિંચકા, શ્રાવણની મહેંદી, શ્રાવણના ઉત્સવ અર્થાત્ શ્રાવણનો અર્થ જ આનંદ અને ઉલ્લાસ થાય છે.
સાથીઓ, આપણી આ આસ્થા અને આ પરંપરાઓનો એક પક્ષ બીજો પણ છે. આપણા આ પર્વ અને પરંપરાઓ આપણને ગતિશીલ બનાવે છે. શ્રાવણમાં શિવ આરાધના માટે અનેક ભક્તો કાંવડ યાત્રા પર નીકળે છે. શ્રાવણના કારણે આ દિવસોમાં ૧૨ જ્યોતિર્લિંગોમાં પણ બહુ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે.તમને એ જાણીને પણ સારું લાગશે કે બનારસ પહોંચનારા લોકોની સંખ્યા પણ વિક્રમ તોડી રહી છે. હવે કાશીમાં દર વર્ષે ૧૦ કરોડથી પણ વધુ પર્યટકો પહોંચી રહ્યા છે. અયોધ્યા, મથુરા, ઉજ્જૈન જેવાં તીર્થો પર આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. તેનાથી લાખો ગરીબોને રોજગાર મળી રહ્યો છે, તેમનું જીવનયાપન થઈ રહ્યું છે. આ બધું, આપણા સાંસ્કૃતિક જન-જાગરણનું પરિણામ છે. તેના દર્શન માટે, હવે તો પૂરી દુનિયાના લોકો આપણાં તીર્થોમાં આવી રહ્યા છે. મને આવા જ બે અમેરિકી દોસ્તો વિશે જાણવા મળ્યું છે જે કેલિફૉર્નિયાથી અમરનાથ યાત્રા પર આવ્યા હતા. આ વિદેશી મહેમાનોએ અમરનાથ યાત્રા સાથે જોડાયેલા સ્વામી વિવેકાનંદના અનુભવો વિશે ક્યાંક સાંભળ્યું હતું. તેનાથી તેમને એટલી બધી પ્રેરણા મળી કે તેઓ પોતે પણ અમરનાથ યાત્રા કરવા આવી ગયા. તેઓ આને ભગવાન ભોળાનાથના આશીર્વાદ માને છે. આ જ ભારતની વિશેષતા છે કે બધાને અપનાવે છે, બધાને કંઈ ને કંઈ આપે છે. આવાં જ એક ફ્રેન્ચ મૂળનાં મહિલા છે – શારલોટ શોપા. ગત દિવસોમાં જ્યારે હું ફ્રાન્સ ગયો હતો ત્યારે તેમની સાથે મારી મુલાકાત થઈ હતી. શારલોટ શોપા એક યોગાભ્યાસુ છે. યોગ શિક્ષક છે અને તેમની આયુ ૧૦૦ વર્ષથી પણ વધુ છે. તેઓ શતક પાર કરી ચૂક્યાં છે. તેઓ છેલ્લાં ૪૦ વર્ષથી યોગાભ્યાસ કરી રહ્યાં છે. તેઓ પોતાના સ્વાસ્થ્ય અને ૧૦૦ વર્ષની આ આયુનું શ્રેય યોગને જ આપે છે. તેઓ દુનિયામાં ભારતના યોગ વિજ્ઞાન અને તેની શક્તિનો પ્રમુખ ચહેરો બની ગયાં છે. તેનાથી બધાએ શીખવું જોઈએ. આપણે ન માત્ર પોતાના વારસાને અંગીકાર કરીએ, પણ તેને જવાબદારી સાથે વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરીએ. અને મને આનંદ છે કે આવો જ એક પ્રયાસ ઉજ્જૈનમાં ચાલી રહ્યો છે. અહીં દેશભરના ચિત્રકારો, પુરાણો પર આધારિત આકર્ષક ચિત્રકથાઓ બનાવી રહ્યા છે. આ ચિત્રો, બૂંદી શૈલી, નાથદ્વારા શૈલી, પહાડી શૈલી અને અપભ્રંશ શૈલી જેવી અનેક વિશિષ્ટ શૈલીઓમાં બનશે. તેમને ઉજ્જૈનના ત્રિવેણી સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવશે જેથી કેટલાક સમય પછી, જ્યારે તમે ઉજ્જૈન જશો તો મહાકાળ, મહાલોકની સાથોસાથ વધુ એક દિવ્ય સ્થાનના તમે દર્શન કરી શકશો.
સાથીઓ, ઉજ્જૈનમાં બની રહેલાં આ ચિત્રોની વાત કરતાં મને એક બીજું અનોખું ચિત્ર યાદ આવી ગયું. આ ચિત્ર રાજકોટના એક ચિત્રકાર પ્રભાતસિંહ મોડભાઈ બરહાટજીએ બનાવ્યું હતું. આ ચિત્ર વીર છત્રપતિ શિવાજી મહારાજના જીવનના એક પ્રસંગ પર આધારિત હતું. ચિત્રકાર પ્રભાતભાઈએ દર્શાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક પછી પોતાની કુળદેવી તુળજા માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા તો તે સમયે કેવું વાતાવરણ હતું. પોતાની પરંપરાઓ, પોતાના વારસાને જીવંત રાખવા માટે આપણે તેમને એકઠો કરવો પડે છે, તેમને જીવવો પડે છે, તેમને આગામી પેઢીઓ સુધી પહોંચાડવો પડે છે. મને આનંદ છે કે આજે, આ દિશામાં, અનેક પ્રયાસ થઈ રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, અનેક વાર જ્યારે આપણે ઇકૉલૉજી, ફ્લૉરા, ફૉના, બાયૉ ડાયવર્સિટી જેવા શબ્દો સાંભળીએ છીએ તો કેટલાક લોકોને લાગે છે કે આ તો સ્પેશિયલાઇઝ્ડ સબ્જેક્ટ છે. તેની સાથે જોડાયેલા નિષ્ણાતોના વિષય છે, પરંતુ એવું નથી. જો આપણે ખરેખર પ્રકૃત્તિને પ્રેમ કરતા હોઈએ તો આપણા નાના-નાના પ્રયાસો થકી પણ આપણે ઘણું બધું કરી શકીએ તેમ છીએ. તમિલનાડુમાં વાડાવલ્લીના એક સાથી છે સુરેશ રાઘવનજી. રાઘવનજીને ચિત્રકામનો શોખ છે. તમે જાણો છો કે ચિત્ર કળા અને કેન્વાસ સાથે જોડાયેલો વિષય છે, પરંતુ રાઘવજીએ નક્કી કર્યું કે તેઓ પોતાનાં ચિત્રો દ્વારા વૃક્ષો અને જીવજંતુઓની જાણકારીને સંરક્ષિત કરશે. તેઓ અલગ-અલગ ફ્લૉરા અને ફૉનાનાં ચિત્રો બનાવીને તેની સાથે જોડાયેલી જાણકારીનું દસ્તાવેજીકરણ કરે છે. તેઓ અત્યાર સુધીમાં ડઝનેક એવાં પક્ષીઓ, પશુઓ, ઑર્કિડનાં ચિત્ર બનાવી ચૂક્યાં છે, જે વિલુપ્ત થવાના આરે છે. કળા દ્વારા પ્રકૃત્તિની સેવા કરવાનું આ ઉદાહરણ ખરેખર અદભૂત છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે હું તમને એક બીજી રસપ્રદ વાત પણ કહેવા માગું છું. કેટલાક દિવસો પહેલાં સૉશિયલ મીડિયા પર એક અદભૂત ક્રેઝ જોવા મળ્યો. અમેરિકાએ આપણને સોથી વધુ દુર્લભ અને પ્રાચીન કળાકૃતિઓ પાછી આપી છે. તે સમાચાર બહાર આવ્યા પછી સૉશિયલ મીડિયા પર આ કળાકૃતિઓ અંગે ખૂબ ચર્ચા થઈ. યુવાનોમાં પોતાના વારસા પ્રત્યે ગર્વનો ભાવ જોવા મળ્યો. ભારત પાછી ફરેલી આ કળાકૃતિઓ લગભગ અઢી હજાર વર્ષથી લઈ અઢીસો વર્ષ જેટલી પ્રાચીન છે. તમને એ જાણીને પણ આનંદ થશે કે આ દુર્લભ ચીજોનો સંબંધ દેશનાં અલગ-અલગ ક્ષેત્ર સાથે છે. આ ટેરાકૉટા, પથ્થર, ધાતુ અને લાકડાનો ઉપયોગ કરીને બનાવાઈ છે. તેમાંથી કેટલીક તો એવી છે જે તમને આશ્ચર્યમાં ડૂબાડી દેશે. તમે તેમને જોશો તો જોતા જ રહી જશો. તેમાં ૧૧મી સદીનું એક સુંદર સેન્ડસ્ટૉન શિલ્પ પણ તમને જોવા મળશે. તે નૃત્ય કરતી એક અપ્સરાની કળાકૃતિ છે જેનો સંબંધ મધ્ય પ્રદેશ સાથે છે. ચૌલ યુગની અનેક મૂર્તિઓ પણ તેમાં સમાવિષ્ટ છે. દેવી અને ભગવાન મુર્ગનની પ્રતિમાઓ તો ૧૨મી સદીની છે અને તમિલનાડુની વૈભવશાળી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. ભગવાન ગણેશની લગભગ એક હજાર વર્ષ જૂની કાંસાની પ્રતિમા પણ ભારતને પાછી આપવામાં આવી છે. લલિતાસનમાં બેઠેલા ઉમા-મહેશ્વરની એક મૂર્તિ ૧૧મી સદીની કહેવાય છે. તેમાં તેઓ બંને નંદી પર આસીન છે. પથ્થરોથી બનેલી જૈન તીર્થંકરોની બે મૂર્તિઓ પણ ભારત પરત ફરી છે. ભગવાન સૂર્ય દેવની બે પ્રતિમાઓ પણ તમારું મન મોહી લશે. તેમાંથી એક રેતીમાંથી બનેલી છે. તેમાંથી એક સેન્ડસ્ટૉનમાંથી બનેલી છે. પરત કરવામાં આવેલી આ ચીજોમાં લાકડાથી બનાવાયેલી એક પેનલ પણ છે જે સમુદ્રમંથનની કથાને સામે લાવે છે. ૧૬મી-૧૭મી સદીની આ પેનલનો સંબંધ દક્ષિણ ભારત સાથે છે.
સાથીઓ, અહીં તો મેં બહુ ઓછાં નામ લીધાં છે, પરંતુ જો જોશો તો આ સૂચિ ઘણી મોટી છે. હું અમેરિકી સરકારનો આભાર વ્યક્ત કરવા માગીશ જેમણે આપણા આ બહુમૂલ્ય વારસાને પરત કર્યો છે. ૨૦૧૬ અને ૨૦૨૧માં પણ જ્યારે મેં અમેરિકા યાત્રા કરી હતી ત્યારે પણ અનેક કળાકૃતિ ભારતને પરત કરવામાં આવી હતી. મને વિશ્વાસ છે કે આવા પ્રયાસોથી આપણા સાંસ્કૃતિક વારસાની ચોરી રોકવા માટે આ વાતને કારણે દેશભરમાં જાગૃતિ વધશે. તેનાથી આપણા સમૃદ્ધ વારસા સાથે દેશવાસીઓનો લગાવ પણ વધુ ગાઢ બનશે.
મારા પ્રિય દેશવાસીઓ, દેવભૂમિ ઉત્તરાખંડની કેટલીક માતાઓ અને બહેનોએ જે પત્રો મને લખ્યા છે તે ભાવુક કરી દેનારા છે. તેમણે પોતાના દીકરાને, પોતાના ભાઈને, ઘણા બધા આશીર્વાદ આપ્યા છે. તેમણે લખ્યું છે કે તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે આપણી સાંસ્કૃતિક વારસો રહેલો ભોજપત્ર, તેમની આજીવિકાનું સાધન બની શકે છે. તમે વિચારી રહ્યા હશો કે આખી ઘટના છે શું?
સાથીઓ, આ પત્ર લખ્યા છે ચમોલી જિલ્લાના નીતી-માણા ઘાટીની મહિલાઓએ. આ એ મહિલાઓ છે જેમણે ગત વર્ષે ઑક્ટોબરમાં મને ભોજપત્ર પર એક અનોખી કળાકૃતિ ભેટમાં આપી હતી. આ ઉપહાર મેળવીને હું ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. છેવટે, આપણે ત્યાં પ્રાચીન કાળથી આપણાં શાસ્ત્રો અને ગ્રંથો, આ જ ભોજપત્રો પર લખાતાં રહ્યાં છે. મહાભારત પણ આ ભોજપત્ર પર લખાયું હતું. આજે, દેવભૂમિની આ મહિલાઓ, આ ભોજપત્રથી, ખૂબ જ સુંદર-સુંદર કળાકૃતિઓ અને સ્મૃતિ ચિહ્નો બનાવી રહી છે.માણા ગામની યાત્રા દરમિયાન મેં તેમના આ અનોખા પ્રયાસના વખાણ કર્યા હતા. મેં દેવભૂમિ આવતા પર્યટકોને અપીલ કરી હતી કે તેઓ યાત્રા દરમિયાન વધુમાં વધુ સ્થાનિક ઉત્પાદનો ખરીદે. તેની ત્યાં ખૂબ જ અસર થઈ છે. આજે, ભોજપત્રનાં ઉત્પાદનોને ત્યાં આવતા તીર્થયાત્રીઓ ઘણા પસંદ કરી રહ્યા છે અને તેને સારા ભાવ પર ખરીદી પણ રહ્યા છે. ભોજપત્રનો આ પ્રાચીન વારસો, ઉત્તરાખંડની મહિલાઓના જીવનમાં ખુશાલીઓના નવા-નવા રંગો ભરી રહ્યો છે. મને એ જાણીને પણ ખુશી થઈ કે ભોજપત્રથી નવાં-નવાં ઉત્પાદનો બનાવવા માટે રાજ્ય સરકાર મહિલાઓની તાલીમ પણ આપી રહી છે.
રાજ્ય સરકારે ભોજપત્રની દુર્લભ પ્રજાતિઓને સંરક્ષિત કરવા માટે પણ અભિયાન શરૂ કર્યું છે. જે ક્ષેત્રોને ક્યારેક દેશનો આખરી છેડો માનવામાં આવતાં હતાં, તેમને હવે, દેશનું પ્રથમ ગામ માનીને વિકાસ થઈ રહ્યો છે. આ પ્રયાસ પોતાની પરંપરા અને સંસ્કૃતિને સાચવવાની સાથે આર્થિક પ્રગતિનું માધ્યમ પણ બની રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં મને આ વખતે ઘણી સંખ્યામાં એવા પત્રો પણ મળ્યા છે જે મનને ખૂબ જ સંતોષ આપે છે. આ પત્રો તે મુસ્લિમ મહિલાઓએ લખ્યા છે, જેઓ તાજેતરમાં જ હજ યાત્રા કરીને આવી છે. તેમની આ યાત્રા અનેક અર્થમાં ખૂબ જ વિશેષ છે. તેઓ એવી મહિલાઓ છે, જેમણે, હજની યાત્રા, કોઈ પુરુષ સહયોગી વગર અથવા મેહરમ વગર પૂરી કરી છે અને આ સંખ્યા સો-પચાસ નથી, પરંતુ ચાર હજારથી વધુ છે. આ એક મોટું પરિવર્તન છે. પહેલાં, મુસ્લિમ મહિલાઓને મેહરમ વગર હજ કરવાની છૂટ નહોતી. હું ‘મન કી બાત’ના માધ્યમથી સાઉદી અરબ સરકારનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મેહરમ વગર ‘હજ’ પર જઈ રહેલી મહિલાઓ માટે ખાસ મહિલા સંયોજકોની નિમણૂક કરાઈ હતી.
સાથીઓ, વિતેલાં કેટલાંક વર્ષોમાં હજ નીતિમાં જે પરિવર્તન કરવામાં આવ્યું છે, તેની ભરપૂર પ્રશંસા થઈ રહી છે. આપણી મુસ્લિમ માતાઓ અને બહેનોએ આ વિશે મને ઘણું બધું લખ્યું છે. હવે, વધુમાં વધુ લોકોને હજ પર જવાનો અવસર મળી રહ્યો છે. હજ યાત્રાથી પાછા ફરેલા લોકોએ, વિશેષ રૂપે, આપણી માતાઓ-બહેનોએ આ પત્રો લખીને જે આશીર્વાદ આપ્યા છે, તે ખૂબ જ પ્રેરક છે.
મારા પ્રિય દેશવાસીઓ, જમ્મુ-કાશ્મીરમાં મ્યૂઝિકલ નાઇટ હોય, ઊંચાઈ પર બાઇક રેલીઓ હોય, ચંડીગઢમાં લૉકલ ક્લબો હોય અને પંજાબમાં અનેક બધાં સ્પૉર્ટ્સ ગ્રૂપો હોય, આ સાંભળીને એવું લાગશે કે મનોરંજનની વાત થઈ રહી છે, સાહસની વાત થઈ રહી છે. પરંતુ વાત કંઈક બીજી છે. આ આયોજન એક, સમાન ઉદ્દેશ સાથે સંકળાયેલું છે. અને આ સમાન ઉદ્દેશ છે – ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિનું અભિયાન. જમ્મુ-કાશ્મીરના યુવાનોને ડ્રગ્સથી બચાવવા માટે અનેક નવીન પ્રયાસો જોવા મળ્યા છે. અહીં મ્યૂઝિકલ નાઇટ, બાઇક રેલીઓ જેવા કાર્યક્રમ થઈ રહ્યા છે. ચંડીગઢમાં આ સંદેશને ફેલાવવા માટે લૉકલ ક્લબોને જોડવામાં આવી છે. તેઓ તેને વાદા ક્લબ કહે છે. વાદા અર્થાત્ વિક્ટરી અગેઇન્સ્ટ ડ્રગ્સ ઍબ્યૂઝ. પંજાબમાં અનેક સ્પૉર્ટ્સ ગ્રૂપ પણ બનાવવામાં આવ્યાં છે જે ફિટનેસ પર ધ્યાન આપવા અને નશામુક્તિ માટે જાગૃતિનું અભિયાન ચલાવી રહ્યાં છે. નશા વિરુદ્ધ અભિયાનમાં યુવાનોની વધતી ભાગીદારી ખૂબ જ ઉત્સાહ વધારનારી છે. આ પ્રયાસો, ભારતમાં નશા વિરુદ્ધ અભિયાનને ખૂબ જ શક્તિ આપે છે. આપણે દેશની ભાવિ પેઢીને બચાવવી હોય તો તેમને ડ્રગ્સથી દૂર રાખવી જ પડશે. આ વિચાર સાથે ૧૫ ઑગસ્ટ ૨૦૨૦એ નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન સાથે ૧૧ કરોડથી વધુ લોકોને જોડવામાં આવ્યા છે. બે સપ્તાહ પહેલાં ભારતે ડ્રગ્સ વિરુદ્ધ ઘણી મોટી કાર્યવાહી કરી. ડ્રગ્સની લગભગ દોઢ લાખ કિલોની ખેપને જપ્ત કર્યા પછી તેને નષ્ટ કરી દેવામાં આવી છે. ભારતે ૧૦ લાખ કિલો ડ્રગ્સને નષ્ટ કરવાનો અનોખો વિક્રમ પણ બનાવ્યો છે. આ ડ્રગ્સની કિંમત ૧૨,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ હતી. હું, એ બધાંની પ્રશંસા કરવા માગું છું, જે નશામુક્તિના આ ભલા અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. નશાની લત, ન કેવળ પરિવાર, પરંતુ પૂરા સમાજ માટે મોટી પરેશાની બની જાય છે. આવાં, આ ભય હંમેશ માટે સમાપ્ત થાય, તેના માટે, આવશ્યક છે કે આપણે બધાં એક થઈને આ દિશાં આગળ વધીએ.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે વાત ડ્રગ્સની અને યુવા પેઢીની થઈ રહી હોય તો હું તમને મધ્ય પ્રદેશની એક પ્રેરણાદાયક મુસાફરી વિશે પણ જણાવવા માગું છું. આ પ્રેરણાદાયક મુસાફરી છે મિની બ્રાઝિલની. તમે વિચારી રહ્યા હશો કે મધ્ય પ્રદેશમાં મિની બ્રાઝિલ ક્યાંથી આવી ગયું. અહીં જ તો ટ્વિસ્ટ છે. મધ્ય પ્રદેશના શહડોલમાં એક ગામ છે બિચારપુર. બિચારપુરને મિની બ્રાઝિલ કહેવાય છે. મિની બ્રાઝિલ એટલા માટે, કારણકે આ ગામ આજે ફૂટબૉલના ઉભરતા સિતારાઓનું ગઢ બની ગયું છે. જ્યારે કેટલાંક અઠવાડિયાં પહેલાં હું શહડોલ ગયો હતો તો મારી મુલાકાત ત્યાં આવા અનેક ફૂટબૉલ ખેલાડીઓ સાથે થી હતી. મને લાગ્યું કે આ વિશે આપણા દેશવાસીઓ અને ખાસ કરીને યુવા સાથીઓએ જરૂર જાણવું જોઈએ.
સાથીઓ, બિચારપુર ગામની મિની બ્રાઝિલ બનવાની યાત્રા બે-અઢી દાયકા પહેલાં શરૂ થઈ હતી. તે દરમિયાન, બિચારપુર ગામ ગેરકાયદે દારૂ માટે કુખ્યાત હતું અથવા નશાની ઝપટમાં હતું. આ વાતાવરણનું સૌથી મોટું નુકસાન અહીંના યુવાનોને થઈ રહ્યું હતું. એક પૂર્વ રાષ્ટ્રીય ખેલાડી અને કૉચ રઈસ એહમદે આ યુવાનોની પ્રતિભાને ઓળખી. રઈસજી પાસે સંસાધનો વધુ નહોતાં, પરંતુ તેમણે, પૂરી લગનથી, યુવાનોને ફૂટબૉલ શીખવાડવાનું શરૂ કર્યું. કેટલાંક વર્ષોની અંદર જ અહીં ફૂટબૉલ એટલી લોકપ્રિય થઈગઈ કે બિચારપુર ગામની ઓળખ જ ફૂટબૉલથી થવા લાગી. હવે અહીં ફૂટબૉલ ક્રાંતિ નામથી એક કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને આ રમત સાથે જોડવામાં આવે છે અને તેમને તાલીમ આપવામાં આવે છે. આ કાર્યક્રમ એટલો સફળ થયો છે કે બિચારપુરથી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના ૪૦થી વધુ ખેલાડીઓ નીકળ્યા છે. આ ફૂટબૉલ ક્રાંતિ હવે ધીરે-ધીરે પૂરા ક્ષેત્રમાં ફેલાઈ રહી છે. શહડોલ અને તેની આસપાસના ઘણા મોટા વિસ્તારમાં ૧,૨૦૦થી વધુ ફૂટબૉલ ક્લબ બની ચૂકી છે. ત્યાંથી મોટી સંખ્યામાં એવા ખેલાડીઓ નીકળી રહ્યા છે જે રાષ્ટ્રીય સ્તર પર રમી રહ્યા છે. ફૂટબૉલના અનેક મોટા પૂર્વ ખેલાડી અને કૉચ, આજે, અહીં, યુવાનોને, તાલીમ આપી રહ્યા છે. તમે વિચારો કે એક આદિવાસી વિસ્તાર જે ગેરકાયદે દારૂ માટે ઓળખાતો હતો, નશા માટે કુખ્યાત હતો, તે હવે દેશની ફૂટબૉલ નર્સરી બની ગયો છે. આથી જ તો કહે છે, મન હોય તો માળવે જવાય. આપણા દેશમાં પ્રતિભાઓની અછત નથી. આવશ્યકતા છે તેમને શોધવાની અને ઘડવાની. તે પછી આ જ યુવાનો દેશનું નામ ઉજાળે પણ છે અને દેશના વિકાસને દિશા પણ આપે છે.
મારા પ્રિય દેશવાસીઓ, સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરા થવાના અવસરે આપણે બધાં પૂરા ઉત્સાહથી અમૃત મહોત્સવ મનાવી રહ્યાં છીએ. અમૃત મહોત્સવ દરમિયાન દેશમાં લગભગ બે લાખ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ એક-એકથી ચડિયાતા રંગોથી સજ્જ હતા, વિવિધતાઓથી ભરપૂર હતા. આ આયોજનોની એક સુંદરતા એ પણ હતી કે તેમાં વિક્રમજનક સંખ્યામાં યુવાનોએ હિસ્સો લીધો. આ દરમિયાન આપણા યુવાનોને દેશની મહાન વિભૂતિઓ વિશે ઘણું બધું જાણવાનું મળ્યું.પહેલા કેટલાક મહિનાઓની વાત કરીએ તો, જનભાગીદારી સાથે જોડાયેલા અનેક રસપ્રદ કાર્યક્રમો જોવા મળ્યા. આવો જ એક કાર્યક્રમ હતો- દિવ્યાંગ લેખકો માટે ‘રાઇટર્સ મીટ’નું આયોજન. તેમાં વિક્રમજનક સંખ્યામાં લોકોની સહભાગિતા જોવા મળી. તો, આંધ્ર પ્રદેશના તિરુપતિમાં રાષ્ટ્રીય સંસ્કૃત સંમેલનનું આયોજન થયું. આપણે બધાં જાણીએ છીએ કે આપણા ઇતિહાસમાં કિલ્લાઓનું, ફૉર્ટનું, કેટલું મહત્ત્વ રહ્યું છે. તેને દર્શાવનારા એક અભિયાન, ‘કિલ્લે ઔર કહાનિયાં’ એટલે કે કિલ્લાઓ સાથે જોડાયેલી વાર્તાઓ પણ લોકોને ઘણી પસંદ પડી.
સાથીઓ, આજે જ્યારે દેશમાં, ચારે તરફ અમૃત મહોત્સવની ગૂંજ છે, ૧૫ ઑગસ્ટ નજીક જ છે તો દેશમાં એક બીજા મોટા અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. શહીદ વીર-વીરાંગનાઓને સમ્માન આપવા માટે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન શરૂ થશે. તે અંતર્ગત દેશભરમાં આપણા અમર બલિદાનીઓની સ્મૃતિમાં અનેક કાર્યક્રમ આયોજિત થશે. આ વિભૂતિઓની સ્મૃતિમાં, દેશની લાખો ગ્રામ પંચાયતોમાં, વિશેષ શિલાલેખ પણ સ્થાપિત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ દેશભરમાં અમૃત કળશ યાત્રા પણ કાઢવામાં આવશે. દેશના ગામેગામથી, ખૂણેખૂણેથી, ૭,૫૦૦ કળશમાં માટી લઈને આ અમૃત કળશ યાત્રા દેશની રાજધાની દિલ્લી પહોંચશે. આ યાત્રા પોતાની સાથે દેશના અલગ-અલગ હિસ્સામાંથી છોડ લઈને પણ આવશે. ૭,૫૦૦ કળશમાં આવેલી આ માટી અને છોડને મેળવીને પછી નેશનલ વૉર મેમોરિયલ સમીપ અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે. આ અમૃત વાટિકા ‘એક ભારતશ્રેષ્ઠ ભારત’નું પણ ખૂબ જ ભવ્ય પ્રતીક બનશે. મેં ગત વર્ષે લાલ કિલ્લાથી આગામી ૨૫ વર્ષના અમૃત કાળ માટે પંચ પ્રાણની વાત કરી હતી. ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનમાં ભાગ લઈને આપણે આ પંચ પ્રાણોને પૂરા કરવાના સોગંદ પણ લઈશું. તમે બધાં, દેશની પવિત્ર માટીને હાથમાં લઈને સોગંદ લેતા, તમારી સેલ્ફીને yuva.gov.in પર અવશ્ય અપલૉડ કરજો. ગત વર્ષે સ્વતંત્રતા દિવસના અવસરે ‘હર ઘર તિરંગા અભિયાન’ માટે જે રીતે સમગ્ર દેશ એક સાથે આવ્યો હોવ, તે જ રીતે, આપણે આ વખતે પણ ફરીથી, પ્રત્યેક ઘરે તિરંગો ફરકાવવાનો છે અને આ પરંપરાને સતત આગળ વધારવાની છે. આ પ્રયાસોથી આપણને આપણાં કર્તવ્યોનો બોધ થશે, દેશની સ્વતંત્રતા માટે આપવામાં આવેલાં અસંખ્ય બલિદાનોનો બોધ થશે, સ્વતંત્રતાના મૂલ્યની અનુભૂતિ થશે, તેથી, દરેક દેશવાસીએ, આ પ્રયાસો સાથે, જરૂર જોડાવું જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આજે બસ આટલું જ. હવે કેટલાક દિવસોમાં આપણે ૧૫ ઑગસ્ટ સ્વતંત્રતાના આ મહાન પર્વનો હિસ્સો બનીશું. દેશની સ્વતંત્રતા માટે મરમીટનારને હંમેશાં યાદ રાખવાના છે. આપણે, તેમનાં સપનાંઓને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરવાની છે અને ‘મન કી બાત’ દેશવાસીઓની આ મહેનતને, તેમના સામૂહિક પ્રયાસોને સામે લાવવાનું જ એક માધ્યમ છે. હવે પછી, કેટલાક નવા વિષયો સાથે, તમારી સાથે મુલાકાત થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા વહાલા દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આમ તો, મન કી બાત દર મહિનાના છેલ્લા રવિવારે હોય છે, પરંતુ આ વખતે એક અઠવાડિયું વહેલા થઇ રહી છે. આપ સૌ જાણો છો જ કે, આવતા અઠવાડિયે હું અમેરિકામાં હોઇશ, અને ત્યાં ઘણીબધી દોડાદોડ પણ રહેશે. અને એટલા માટે મેં વિચાર્યું કે, ત્યાં જતાં પહેલાં તમારી સાથે વાત કરી લઉં. અને તેનાથી વધુ સારૂં શું હોય કે, જનતા જનાર્દનના આશિર્વાદ, તમારી પ્રેરણા મળવાથી મારી ઉર્જા પણ વધતી રહેશે.
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.
સાથીઓ, કુદરતી આફતો ઉપર કોઇનો કાબૂ નથી હોતો, પરંતુ પાછલા વર્ષોમાં ભારતે આપત્તિ વ્યવસ્થાપનની જે તાકાત વિકસાવી છે તે આજે એક ઉદાહરણ બની રહી છે. કુદરતી આપત્તિઓનો સામનો કરવાની એક મોટી રીત છે, પ્રકૃતિનું સંરક્ષણ. આજકાલ ચોમાસાના સમયમાં તો, આ દિશામાં આપણી જવાબદારી વિશેષ વધી જાય છે. એટલા માટે જ આજે દેશ ‘Catch the Rain’ એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ જેવા અભિયાનો દ્વારા સામૂહિક પ્રયાસો કરી રહ્યો છે. ગયા મહિને મન કી બાતમાં જ આપણે જળસંરક્ષણથી જોડાયેલા સ્ટાર્ટઅપની ચર્ચા કરી હતી. આ વખતે પણ કેટલાય લોકો વિશે પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે, તેઓ પાણીનું એક એક ટીપું બચાવવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. આવા જ એક સાથી છે, ઉત્તપ્રદેશના બાંદા જીલ્લાના તુલસીરામ યાદવજી. તુલસીરામ યાદવ લુકતરા ગ્રામ પંચાયતના સરપંચ છે. તમે પણ જાણો છો કે, બાંદા અને બુંદેલખંડ વિસ્તારમાં પાણીની કેટલી મુશ્કેલી રહી છે. આ પડકારને પહોંચી વળવા માટે તુલસીરામજીએ ગામના લોકોનો સાથ લઇને આ વિસ્તારમાં 40થી વધુ તળાવ બનાવડાવ્યા છે. તુલસીરામજીએ પોતાની ઝુંબેશનો આધાર બનાવ્યો છે – ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં. આજે તેમની મહેનતનું જ પરિણામ છે કે, તેમના ગામમાં જમીનમાંના પાણીનું સ્તર ઉંચે આવી રહ્યું છે. એવા જ ઉત્તરપ્રદેશના હાપુડ જીલ્લામાં લોકોએ મળીને એક વિલુપ્ત નદીને પુનર્જીવીત કરી છે. ત્યાં ઘણા સમય પહેલાં નીમ નામની એક નદી વહેતી હતી. સમયની સાથે તે લુપ્ત થઇ ગઇ. પરંતુ સ્થાનિક સ્મૃતિઓ અને લોકકથાઓમાં તેને હંમેશા યાદ કરવામાં આવતી હતી. આખરે લોકોએ પોતાની આ કુદરતી વિરાસતને ફરીથી સજીવ કરવાનો નિશ્ચય કર્યો. લોકોના સામૂહીક પ્રયાસોથી અત્યારે નીમ નદી ફરીથી જીવંત થવા લાગી છે. નદીના ઉદગમસ્થાનને અમૃત સરોવર તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે.
સાથીઓ, આ નદી, નહેર, સરોવર, આ બધાં માત્ર જળસ્ત્રોતો જ નથી હોતા, પરંતુ તેમની સાથે જીવનના રંગ અને ભાવનાઓ પણ જોડાયેલી હોય છે. આવું જ એક દ્રશ્ય હજી થોડા દિવસ પહેલાં જ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું. આ વિસ્તાર મોટેભાગે દુષ્કાળના ભરડામાં જ રહે છે. પાંચ દાયકાના ઇંતજાર પછી અહિં નીલવંડે ડેમની નહેરનું કામ હવે પૂરૂં થઇ રહ્યું છે. થોડા દિવસ પહેલાં ચકાસણી દરમ્યાન, નહેરમાં પાણી છોડવામાં આવ્યું હતું. એ સમયે જે તસવીરો આવી તે ખરેખર ભાવુક કરનારી હતી. ગામના લોકો એવી રીતે નાચી રહ્યા હતા, જાણે હોળી દિવાળીનો તહેવાર હોય.
સાથીઓ, જયારે વ્યવસ્થાપનની વાત થઇ રહી છે તો, હું આજે છત્રપતિ શિવાજી મહારાજને પણ યાદ કરીશ. છત્રપતિ શિવાજી મહારાજની વિરતાની સાથે જ, તેમની શાસન વ્યવસ્થા અને તેમનું વ્યવસ્થાપન કૌશલ્યમાંથી પણ ઘણુંબધું શીખવા મળે છે. ખાસ કરીને, જળવ્યવસ્થાપન અને નૌસેનાની બાબતમાં છત્રપતિ શિવાજી મહારાજે જે કાર્યો કર્યા, તે આજે પણ ભારતીય ઇતિહાસનું ગૌરવ વધારે છે. તેમણે બંધાવેલા જળદુર્ગ આટલી સદીઓ પછી પણ સમુદ્રની વચ્ચે આજે પણ શાનથી ઉભા છે. આ મહિનાની શરૂઆતમાં જ છત્રપતિ શિવાજી મહારાજના રાજયાભિષેકને સાડા ત્રણસો વર્ષ પૂરાં થયાં છે. આ પ્રસંગને એક મોટા પર્વના રૂપમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં તેની સાથે જોડાયેલા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મને યાદ છે, કેટલાય વર્ષ પહેલાં 2014માં મને રાયગઢ જવાનું, એ પવિત્ર ભૂમિને નમન કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. આપણા બધાનું આ કર્તવ્ય છે કે, આ પ્રસંગે આપણે છત્રપતિ શિવાજી મહારાજના વ્યવસ્થાપન કૌશલ્યને જાણીએ, તેમાંથી શીખીએ. તેનાથી આપણી અંદર આપણી વિરાસત પર ગર્વની લાગણી પણ જાગશે અને ભવિષ્ય માટેના કર્તવ્યોની પ્રેરણા પણ મળશે.
મારા વહાલા દેશવાસીઓ, તમે રામાયણની એ નાની એવી ખિસકોલી વિશે ચોક્કસ સાંભળ્યું હશે, જે રામસેતુ બનાવવામાં મદદ કરવા માટે આગળ આવી હતી. કહેવાનો અર્થ એ છે કે, જયારે નિયત સાફ હોય, પ્રયાસોમાં પ્રમાણિકતા હોય તો, પછી કોઇપણ લક્ષ્ય મુશ્કેલ નથી રહેતું. આજે ભારત પણ આવી જ પ્રમાણિક નિયતથી જ એક બહુ મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. આ પડકાર છે, ટીબીનો જેને ક્ષય રોગ પણ કહેવામાં આવે છે. ભારતે સંકલ્પ કર્યો છે 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત બનાવવાનો. લક્ષ્ય ચોક્કસ બહુ મોટું છે. એક સમય હતો કે જયારે ટીબીની ખબર પડતાં જ કુટુંબના લોકો પણ તેનાથી દૂર થઇ જતા હતા, પરંતુ આ આજનો સમય છે, જયારે ટીબીના દર્દીને કુટુંબનો સભ્ય બનાવીને જ તેની મદદ કરાઇ રહી છે. આ ક્ષય રોગને મૂળમાંથી જ નાબૂદ કરવા માટે નિઃક્ષય મિત્રોએ મોરચો સંભાળી લીધો છે. દેશમાં બહુ મોટી સંખ્યામાં વિવિધ સામાજીક સંસ્થાઓ નિઃક્ષય મિત્ર બની છે. ગામમાં પંચાયતમાં, હજારો લોકોએ પોતે આગળ આવીને ટીબીના દર્દીઓને દત્તક લીધા છે. ઘણાં બાળકો હોય તો પણ તેઓ ટીબીના દર્દીઓની મદદ માટે આગળ આવ્યા છે. આ લોકભાગીદારી જ આ અભિયાનની સૌથી મોટી તાકાત છે. આ ભાગીદારીના કારણે આજે દેશમાં 10 લાખથી વધુ ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. અને આ પુણ્યનું કામ કર્યું છે, લગભગ 85 હજાર નિઃક્ષય મિત્રોએ. મને આનંદ છે કે, દેશના કેટલાય સરપંચોએ ગ્રામ પ્રધાનોએ પણ આ બીડું ઝડપ્યું છે કે, તેઓ પોતાના ગામમાં ટીબીને નાબૂદ કરીને જ જંપશે.
નૈનીતાલના એક ગામના નિઃક્ષય મિત્ર શ્રીમાન દીકરસિંહ મેવાડીએ ટીબીના છ દર્દીઓને દત્તક લીધા છે. તે જ રીતે કિન્નૌરની ગ્રામપંચાયતના પ્રધાન નિઃક્ષય મિત્ર શ્રીમાન જ્ઞાનસિંહજી પણ પોતાના બ્લોકમાં ટીબીના દર્દીઓને જરૂરી તમામ સહાયતા પૂરી પાડવામાં લાગેલા છે. ભારતને ટીબી મુક્ત બનાવવાની ઝુંબેશમાં આપણા બાળકો અને યુવાસાથીઓ પણ પાછળ નથી. હિમાચલ પ્રદેશના ઉનાની સાત વર્ષની દિકરી નલીનીસિંહની કમાલ જુઓ. દિકરી નલીની પોતાના ખિસ્સાખર્ચમાંથી ટીબીના દર્દીઓની મદદ કરી રહી છે. આપ જાણો છો કે, બાળકોને પોતાના ગલ્લા પ્રત્યે કેટલો પ્રેમ હોય છે, પરંતુ મધ્યપ્રદેશના કટની જીલ્લાની તેર વર્ષની મીનાક્ષી અને પશ્ચિમબંગાળના ડાયમંડ હાર્બરના 11 વર્ષના બસ્વર મુખર્જી બંને કંઇક અનોખા બાળક છે. આ બંને બાળકોએ પોતાના ગલ્લાના પૈસા પણ ટીબીમુક્ત ભારતના અભિયાનમાં લગાવી દીધા છે. આ બધા ઉદાહરણ ભાવુકતાથી ભરેલા હોવાની સાથેસાથે ખુબ પ્રેરક પણ છે. નાની ઉંમરમાં આટલો મોટો વિચાર રાખનારા આ તમામ બાળકોની હું દિલથી પ્રશંસા કરૂં છું.
મારા વહાલા દેશવાસીઓ, આપણે ભારતવાસીઓનો સ્વભાવ હોય છે કે, આપણે હંમેશા નવા વિચારોના સ્વાગત માટે તૈયાર રહીએ છીએ. આપણે પોતાની ચીજોને પ્રેમ કરીએ છીએ, અને નવી ચીજોને આત્મસાત પણ કરીએ છીએ. તેનું એક ઉદાહરણ છે, જાપાનની રીત મિયાવાકી, જો કોઇ જગ્યાની માટી ફળદ્રુપ ન રહી હોય તો, મિયાવાકી રીત અપનાવીને તે વિસ્તારને ફરીથી લીલોછમ કરવાની બહુ સારી રીત હોય છે. મિયાવાકી જંગલ ઝડપથી ફેલાય છે, અને બે ત્રણ દાયકામાં જ જૈવ વિવિધતાનું કેન્દ્ર બની જાય છે. હવે, તેનો પ્રસાર બહુ ઝડપથી ભારતના પણ જુદાજુદા વિસ્તારોમાં થઇ રહ્યો છે. આપણે ત્યાં કેરળના એક શિક્ષક શ્રી રાફી રામનાથજીએ પણ આ પદ્ધતિથી એક વિસ્તારની સિકલ બદલી નાંખી છે. હકીકતમાં રામનાથજી પોતાના વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને પર્યાવરણ વિશે ઉંડાણપૂર્વક સમજાવવા ઇચ્છતા હતા. તે માટે તેમણે એક વનૌષધિ ઉદ્યાન જ બનાવી નાંખ્યું. તેમનો આ ઉદ્યાન હવે એક જૈવ વિવિધતા ક્ષેત્ર બની ચૂક્યો છે. તેમની આ સફળતાએ તેમને વધુ ને વધુ પ્રેરણા આપી. ત્યારપછી રાફીજીએ મિયાવાકી પદ્ધતિથી એક મીની ફોરેસ્ટ એટલે કે, નાનું જંગલ બનાવ્યું અને તેને નામ આપ્યું ’વિદ્યાવનમ’. હવે આટલું સુંદર નામ તો એક શિક્ષક જ રાખી શકે છે. ’વિદ્યાવનમ’. રામનાથજીના આ ’વિદ્યાવનમ’માં નાની એવી જગ્યામાં ૧૧૫ જાતના સાડા ચારસોથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેમના વિદ્યાર્થીઓ પણ આ વૃક્ષોની સારસંભાળમાં મદદ કરે છે. આ સુંદર જગ્યાને જોવા માટે આસપાસના શાળાના વિદ્યાર્થીઓ સામાન્ય નાગરિકો વગેરેની સારી ભીડ ઉમટી પડે છે. મિયાવાકી જંગલોને કોઇપણ જગ્યા, ત્યાં સુધી કે, તે શહેરોમાં પણ સહેલાઇથી ઉછેરી શકાય છે. થોડા સમય પહેલાં જ મેં ગુજરાતમાં કેવડિયા એકતાનગરમાં મિયાવાકી વનનું ઉદઘાટન કર્યું હતું. કચ્છમાં પણ ૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં મિયાવાકી પદ્ધતિથી સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે. કચ્છ જેવી જગ્યાએ તેની સફળતા એ દર્શાવે છે કે, મુશ્કેલમાં મુશ્કેલ પ્રાકૃતિક પરિવેશમાં પણ આ પદ્ધતિ કેટલી અસરકારક છે. એ જ રીતે, અંબાજી અને પાવાગઢમાં પણ મિયાવાકી પદ્ધતિથી રોપા વાવવામાં આવ્યા છે. મને જાણવા મળ્યું છે કે, લખનૌના અલીગંજમાં પણ એક મિયાવાકી ઉદ્યાન તૈયાર કરવામાં આવી રહ્યું છે. વિતેલા ચાર વર્ષમાં મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં આવા ૬૦થી વધુ જંગલો પર કામ કરવામાં આવ્યું છે. હવે તો, આ પદ્ધતિ પૂરી દુનિયામાં પસંદ કરવામાં આવી રહી છે. સિંગાપુર, પેરિસ, ઓસ્ટ્રેલિયા, મલેશિયા જેવા કેટલાય દેશોમાં આ પદ્ધતિનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. હું દેશવાસીઓને ખાસ કરીને, શહેરોમાં રહેતા લોકોને આગ્રહ કરીશ કે તેઓ મિયાવાકી પદ્ધતિ વિશે જાણવાનો ચોક્કસ પ્રયાસ કરે. તેના દ્વારા આપ આપની ધરતી અને પ્રકૃતિને લીલીછમ અને સ્વચ્છ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપી શકો છો.
મારા વહાલા દેશવાસીઓ, આજકાલ આપણા દેશમાં જમ્મુકશ્મીરની ખૂબ ચર્ચા થાય છે. કયારેક ત્યાં વધી રહેલા પર્યટનને લીધે તો, કયારેક જી-20ના શાનદાર આયોજનનોના કારણે. થોડા સમય પહેલાં મન કી બાતમાં મેં આપને જણાવ્યું હતું કે, કેવી રીતે કશ્મીરનાં ’નાદરૂ’, દેશની બહાર પણ પસંદ કરવામાં આવે છે. હવે, જમ્મુકશ્મીરના બારામુલ્લા જીલ્લાના લોકોએ એક કમાલ કરી બતાવી છે. બારમુલામાં ખેતીવાડી તો, ઘણાં સમયથી થાય છે, પરંતુ અહીં દૂધની અછત રહેતી હતી. બારામુલાના લોકો એ આ પડકારને એક તકના રૂપમાં જોયો. ત્યાં લોકોએ મોટી સંખ્યામાં ડેરીનું કામ શરૂ કર્યું. આ કામમાં સૌથી આગળ ત્યાંની મહિલાઓ આવી. જેમ કે, એક બહેન છે, ઇશરત નબી. ઇશરત સ્નાતક થયેલા છે, અને તેમણે મીર સીસ્ટર્સ ડેરી ફાર્મ શરૂ કર્યું છે. તેમના ડેરી ફાર્મમાંથી દરરોજ લગભગ દોઢસો લીટર દૂધનું વેચાણ થઇ રહ્યું છે. એવા જ સોપોરના એક સાથી છે વસીમ અનાયત. વસીમની પાસે બે ડઝનથી વધુ પશુ છે, અને તેઓ દરરોજ 200 લીટરથી વધુ દૂધ વેચે છે. વધુ એક યુવાન આબીદ હુસેન પણ ડેરીનું કામ કરી રહ્યા છે. તેમનું કામ પણ ખૂબ આગળ વધી રહ્યું છે. આવા લોકોની મહેનતના લીધે આજે બારામુલામાં દરરોજ સાડાપાંચ લાખ લીટર દૂધનું ઉત્પાદન થઇ રહ્યું છે. સમગ્ર બારમુલા જીલ્લો એક નવી શ્વેતક્રાંતિની ઓળખ બની રહ્યો છે. પાછલા અઢી ત્રણ વર્ષમાં ત્યાં ૫૦૦થી વધુ દૂધઉત્પાદન કેન્દ્રો સ્થપાયા છે. બારામુલાનો ડેરી ઉદ્યોગ એ વાતનો સાક્ષી છે કે, આપણા દેશનો દરેક ભાગ કેટલી શક્યતાઓથી ભરેલો છે. કોઇ વિસ્તારના લોકોની સામૂહિક ઇચ્છા શક્તિ કોઇપણ લક્ષ્ય પ્રાપ્ત કરીને બતાવી શકે છે.
મારા વહાલા દેશવાસીઓ, આ મહીને રમતજગતથી ભારત માટે કેટલીય મોટી ખુશખબરો આવી છે. ભારતની ટીમે પહેલીવાર મહિલા જૂનિયર એશિયા કપ જીતીને ત્રિરંગાની શાન વધારી છે. આ મહિને જ આપણી પુરૂષોની હોકી ટીમે પણ જુનિયર એશિયા કપ જીત્યો છે. તેની સાથોસાથ આપણે આ સ્પર્ધાના ઇતિહાસમાં સૌથી વધુ જીત મેળવનારી ટીમ પણ બની ગયા છીએ. જુનિયર નિશાનેબાજી વિશ્વકપમાં પણ આપણી જુનિયર ટીમે કમાલ કરી બતાવી છે. ભારતીય ટીમે આ સ્પર્ધામાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. આ સ્પર્ધામાં કુલ જેટલા સુવર્ણચંદ્રક હતા તેમાંથી 20 ટકા એટલે કે, પાંચમા ભાગના એકલા ભારતના ભાગે આવ્યા છે. આ જૂન મહિનામાં જ Asian Under Twenty Athletics Championship પણ યોજાઇ. તેમાં ચંદ્રકોના કોષ્ટકમાં ભારત 45 દેશોમાં ટોચના 3 દેશોમાં રહ્યું.
સાથીઓ, પહેલાં એક સમય હતો જયારે આપણને આંતરરાષ્ટ્રીય આયોજનો વિશે જાણવા તો મળતું હતું, પરંતુ તેમાં મોટાભાગે ભારતનું કયાંક કોઇ નામ નહોતું દેખાતું. પરંતુ આજે હું માત્ર છેલ્લા કેટલાક અઠવાડિયાઓની જ સફળતાનો ઉલ્લેખ કરી રહ્યો છું, તો પણ યાદી ખૂબ લાંબી બની જાય છે. આ જ આપણા યુવાનોની અસલી તાકાત છે. એવી કેટલીયે રમતો અને સ્પર્ધાઓ છે જયાં આજે ભારત પહેલીવાર પોતાની હાજરી નોંધાવી રહ્યો છે. જેમ કે, લાંબા કૂદકામાં શ્રીશંકર મુરલીએ પેરિસ ડાયંમડ લીગ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશને કાંસ્યચંદ્રક અપાવ્યો છે. આ સ્પર્ધામાં ભારતનો આ પહેલો ચંદ્રક છે. આવી જ એક સફળતા આપણી ૧૭ વર્ષથી ઓછી વયની મહિલા કુસ્તી ટીમે કીર્ગીસ્તાનમાં પણ મેળવી છે. હું દેશના આ તમામ ખેલાડીઓ તેમના માતાપિતા અને તાલીમ ગુરૂઓ સહિત સૌને તેમના પ્રયાસો માટે ખૂબખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, આંતરરાષ્ટ્રીય આયોજનોમાં દેશની આ સફળતાની પાછળ રાષ્ટ્રીય સ્તરે આપણા ખેલાડીઓની સખત મહેનત હોય છે. આજે દેશના જુદાજુદા રાજયોમાં એક નવા ઉત્સાહની સાથે રમતગમત સ્પર્ધાઓનું આયોજન થાય છે. આ ખેલાડીઓને રમત જીત અને હારથી શીખવાની તક મળે છે. જેમ કે, હજી હમણાં જ ઉત્તરપ્રદેશમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોનું આયોજન થયું. તેમાં યુવાઓમાં ખૂબ ઉત્સાહ અને જોશ જોવા મળ્યા. આ રમતોમાં આપણા યુવાઓએ 11 વિક્રમ તોડ્યા છે. આ રમતોમાં પંજાબ યુનિવર્સિટી, અમૃતસરની ગુરૂ નાનકદેવ યુનિવર્સિટી અને કર્ણાટકની જૈન યુનિવર્સિટી ચંદ્રકોની યાદીમાં ટોચના ત્રણ સ્થાનો પર રહી છે.
સાથીઓ, આવી સ્પર્ધાઓનું એક મોટું પાસું એ પણ હોય છે કે, તેનાથી યુવા ખેલાડીઓની અનેક પ્રેરણાદાયક વાતો પણ સામે આવે છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોમાં નૌકાયન સ્પર્ધામાં આસામની કોટન યુનિવર્સિટીના અન્યતમ રાજકુમાર એવા પહેલાં દિવ્યાંગ ખેલાડી બન્યા જેમણે તેમાં ભાગ લીધો. બર્કતુલ્લાહ યુનિવર્સિટીની નિધી પવૈયા ગોઠણમાં ગંભીર ઇજા થવા છતાં ગોળાફેંકમાં સુવર્ણચંદ્રક જીતવામાં સફળ રહી. સાવિત્રીબાઇ ફુલે પૂણે યુનિવર્સિટીના શુભમ ભંડારેને પગના કાંડાની ઇજાના કારણે ગયા વર્ષે બેંગ્લુરૂમાં નિરાશ થવું પડ્યું હતું. પરંતુ આ વખતે તેઓ સ્ટીપલચેજના સુવર્ણચંદ્રક વિજેતા બન્યા છે. બર્દવાન યુનિવર્સિટીની સરસ્વતી કુંડુ પોતાની કબડ્ડી ટીમની સૂકાની છે. તે અપાર મુશ્કેલીઓનો સામનો કરીને અહીં સુધી પહોંચી છે. આવું સુંદર પ્રદર્શન કરનારા ઘણાબધા ખેલાડીઓને TOPS Scheme થી ઘણી મદદ મળી રહી છે. આપણા ખેલાડીઓ જેટલું રમશે એટલા જ વધુ ખિલશે.
મારા વહાલા દેશવાસીઓ, 21 જૂન પણ હવે આવી જ ગઇ છે. આ વખતે પણ દુનિયાના ખૂણેખૂણામાં લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. આ વર્ષના યોગ દિવસનું વિષય વસ્તુ છે, વસુધૈવ કુટુંબક્મ માટે યોગ એટલે કે, એક વિશ્વ, એક પરિવારના રૂપમાં સૌના કલ્યાણ માટે યોગ. યોગની એ ભાવનાને આ વિષય વસ્તુ વ્યકત કરે છે. જે સૌને જોડનારી અને સાથે રહીને ચાલનારી છે. દર વખતની જેમ આ વખતે પણ દેશના ખૂણેખૂણામાં યોગ સાથે જોડાયેલા કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે.
સાથીઓ, આ વખતે મને ન્યૂયોર્કના સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય યુએનમાં યોજાનારા યોગ દિવસ કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે. હું જોઇ રહ્યો છું કે, સોશ્યલ મિડિયા ઉપર પણ યોગ દિવસને લઇને ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સાથીઓ, મારો આપ સૌને આગ્રહ છે કે, આપ યોગને પોતાના જીવનમાં જરૂર અપનાવો. તેને પોતાની દિનચર્યાનો ભાગ બનાવો, જો હજી પણ તમે યોગ સાથે જોડાયેલા ન હો તો, આગામી 21 જૂન આ સંકલ્પ માટે ખૂબ શ્રેષ્ઠ તક છે. યોગમાં તો આમ પણ, વધારે ધામધૂમની જરૂરત જ નથી હોતી. જુઓ કે, આપ જયારે યોગ સાથે જોડાશો તો, આપના જીવનમાં કેટલું મોટું પરિવર્તન આવે છે.
મારા વહાલા દેશવાસીઓ, પરમદિવસે એટલે કે, 20 જૂને ઐતિહાસિક રથયાત્રાનો દિવસ છે. દુનિયાભરમાં રથયાત્રાની એક વિશિષ્ટ ઓળખ છે. દેશના વિવિધ રાજયોમાં ખૂબ ધૂમધામથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ઓડિશાના પુરીમાં નીકળતી રથયાત્રા તો, પોતે જ અદભૂત હોય છે. જયારે, હું ગુજરાતમાં હતો તો, મને અમદાવાદમાં નીકળતી વિશાળ રથયાત્રામાં સામેલ થવાની તક મળતી હતી. આ રથયાત્રાઓમાં જે રીતે દેશભરના, દરેક સમાજ, દરેક વર્ગના લોકો ઉમટી પડે છે. તે ખુદ બહુ અનુકરણીય છે. તે આસ્થાની સાથે સાથે જ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતિબિંબ પાડે છે. આ પાવન પુનિત અવસરે આપ સૌને મારા તરફથી ખૂબખૂબ શુભેચ્છાઓ. મારી શુભેચ્છા છે કે, ભગવાન જગન્નાથ બધા દેશવાસીઓને સારૂં સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિના આશિર્વાદ આપે.
સાથીઓ, ભારતીય પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ઉત્સવની ચર્ચા કરતાં હું દેશના રાજભવનોમાં થયેલા રસપ્રદ આયોજનોનો પણ ચોક્કસ ઉલ્લેખ કરીશ. હવે, દેશમાં રાજભવનોની ઓળખ સામાજીક અને વિકાસ કાર્યોમાં થવા લાગી છે. આજે આપણા રાજભવન ટીબી મુક્ત ભારત અભિયાનના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા અભિયાનના ધ્વજવાહક બની રહ્યા છે. વિતેલા સમયમાં ગુજરાત હોય, ગોવા હોય, તેલંગણા હોય, મહારાષ્ટ્ર હોય કે સિક્કિમ હોય તેમના સ્થાપના દિવસે જુદાજુદા રાજભવનોએ જે ઉત્સાહની સાથે તેની ઉજવણી કરી તે, ખુદ એક ઉદાહરણ છે. આ એક સર્વશ્રેષ્ઠ પહેલ છે, જે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાને બળવત્તર બનાવે છે.
સાથીઓ, ભારત લોકશાહીની જનની છે. મધર ઓફ ડેમોક્રસી છે. આપણે આપણા લોકશાહી આદર્શોને સર્વોપરી માનીએ છીએ, આપણા બંધારણને સર્વોપરી માનીએ છીએ. એટલે આપણે 25 જૂનને પણ ક્યારેય ભૂલી નહીં શકીએ. આ એ જ દિવસ છે જયારે, આપણા દેશ ઉપર કટોકટી લાદવામાં આવી હતી. તે ભારતના ઇતિહાસનો કાળો સમયગાળો હતો. લાખો લોકોએ આ કટોકટીનો પૂરી તાકાતથી વિરોધ કર્યો હતો. લોકશાહીના સમર્થકો ઉપર તે દરમિયાન, એટલા અત્યાચાર કરવામાં આવ્યા, એટલી યાતનાઓ આપવામાં આવી, કે આજે પણ મન કંપી ઉઠે છે. આ અત્યાચારો ઉપર પોલીસ અને પ્રશાસન દ્વારા કરાયેલી સજાઓ વિશે ઘણાબધા પુસ્તકો લખવામાં આવ્યા છે. મને પણ સંઘર્ષમાં ગુજરાત નામથી એક પુસ્તક લખવાની તે સમયે તક મળી હતી. થોડા દિવસ પહેલાં જ કટોકટી પર લખવામાં આવેલું વધુ એક પુસ્તક મારી સામે આવ્યું. જેનું શિર્ષક છે, Torture of Political Prisoners in India. કટોકટી દરમ્યાન, છપાયેલા આ પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે કે, કેવી રીતે તે સમયની સરકાર લોકશાહીના રખેવાળો સાથે ક્રુરતમ વહેવાર કરી રહી હતી. આ પુસ્તકમાં કેટલાયે ઉદાહરણ અભ્યાસ આપેલા છે. અને ઘણા બધી તસ્વીરો છે. હું ઇચ્છું છું કે, આજે જયારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે, દેશની આઝાદીને જોખમમાં મૂકનારા એવા અપરાધોનું પણ જરૂર અવલોકન કરો. તેનાથી આજની યુવા પેઢીને લોકશાહીના અર્થો અને તેનું મહત્વ સમજવામાં વધુ સરળતા રહેશે.
મારા વહાલા દેશવાસીઓ, મન કી બાત રંગબેરંગી મોતીઓથી ગુંથેલી એક સુંદર માળા છે. જેનું દરેક મોતી ખૂબ અનોખું અને અણમોલ છે. આ કાર્યક્રમની દરેક કડી ખૂબ જ જીવંત હોય છે. આપણામાં સામૂહિકતાની ભાવનાની સાથેસાથે સમાજ પ્રત્યેના કર્તવ્ય ભાવ અને સેવાભાવથી ભરી દે છે. અહીં તે વિષયો ઉપર ખૂલીને ચર્ચા થાય છે. જેના વિશે આપણને સામાન્ય રીતે બહુ ઓછું વાંચવા, સાંભળવા મળે છે. મોટે ભાગે આપણે જોઇએ છીએ કે, મન કી બાતમાં કોઇ વિષયનો ઉલ્લેખ થયા પછી કેવી રીતે અનેક દેશવાસીઓને નવી પ્રેરણા મળી છે. હાલમાં જ મને આપણા દેશના પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના આનંદા શંકર જયંતનો એક પત્ર મળ્યો. તેમણે પોતાના પત્રમાં મન કી બાતની તે કડી વિશે લખ્યું છે જેમાં આપણે વાર્તાકથન વિશે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં આપણે આ ક્ષેત્રે જોડાયેલા લોકોની પ્રતિભાને પ્રસિદ્ધ કરી હતી. મન કી બાતના આ કાર્યક્રમથી પ્રેરિત થઇને આનંદા શંકર જયંતે કુટ્ટી કહાણી તૈયાર કરી છે. તે બાળકો માટે અલગ અલગ ભાષાઓની વાર્તાઓનો એક ખૂબ સુંદર સંગ્રહ છે. આ પ્રયાસ એટલા માટે પણ ખૂબ સારો છે કે, તેનાથી આપણા બાળકોમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ વધુ ઉંડો થાય છે. તેમણે આ વાર્તાઓના કેટલાક રસપ્રદ વિડિયોઝ પોતાની યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ કરેલા છે. મેં આનંદા શંકર જયંતના આ પ્રયાસની ખાસ કરીને એટલા માટે ચર્ચા કરી કેમ કે, તે જોઇને મને ખૂબ સારૂં લાગ્યું કે, કેવી રીતે દેશવાસીઓના સારા કામ બીજાને પણ પ્રેરિત કરી રહ્યા છે. તેનાથી શીખીને તેઓ પણ પોતાના હુન્નરથી દેશ અને સમાજ માટે કંઇક વધુ સારૂં કરવાની કોશિષ કરે છે. આ જ તો આપણા ભારતવાસીઓની સંઘ શક્તિ છે, જે દેશની પ્રગતિમાં નવી શક્તિ સિંચી રહી છે.
મારા વહાલા દેશવાસીઓ, આ વખતે મન કી બાતમાં મારી સાથે બસ આટલું જ. આવતી વખતે નવા વિષયો સાથે, આપની સાથે, ફરી મુલાકાત થશે. ચોમાસાનો સમય છે, એટલે, પોતાની તબિયતનું ખૂબ ધ્યાન રાખજો. સમતોલ આહાર લેજો અને સ્વસ્થ રહેજો. હા, યોગ જરૂર કરજો. હવે કેટલીયે શાળાઓમાં ઉનાળાની રજાઓ પૂરી થવામાં છે. હું બાળકોને પણ કહીશ કે, ઘરકામ છેલ્લા દિવસ સુધી પડ્યું રહેવા ના દેશો. કામ પૂરૂં કરો અને નિશ્ચિંત રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર, આપ સહુનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ વખતે ‘મન કી બાત’નો આ હપ્તો બીજી સદીનો પ્રારંભ છે. ગત મહિને આપણે બધાંએ તેની વિશેષ સદીની ઉજવણી કરી હતી. તમારી ભાગીદારી જ આ કાર્યક્રમની સૌથી મોટી શક્તિ છે. ૧૦૦મા હપ્તાના પ્રસારણના સમયે, એક રીતે, સમગ્ર દેશ એક સૂત્રમાં બંધાઈ ગયો હતો. આપણાં સફાઈ કર્મચારી ભાઈ-બહેન હોય કે પછી અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજો, ‘મન કી બાત’એ બધાંને એક સાથે લાવવાનું કામ કર્યું છે. તમે બધાંએ જે આત્મીયતા અને સ્નેહ ‘મન કી બાત’ માટે દર્શાવ્યો છે, તે અભૂતપૂર્વ છે, ભાવુક કરી દેનારો છે. જ્યારે ‘મન કી બાત’નું પ્રસારણ થયું તો તે સમયે દુનિયાના અલગ-અલગ દેશોમાં, અલગ-અલગ ટાઇમ-ઝૉનમાં ક્યાંક સાંજ પડી રહી હતી તો ક્યાંક મોડી રાત હતી, તેમ છતાં, મોટી સંખ્યામાં લોકોએ ૧૦૦મા હપ્તાને સાંભળવા માટે સમય કાઢ્યો. મેં હજારો કિમી દૂર ન્યૂઝીલન્ડનો તે વિડિયો પણ જોયો જેમાં ૧૦૦ વર્ષનાં એક બા પોતાના આશીર્વાદ આપી રહ્યાં છે. ‘મન કી બાત’ સંદર્ભે દેશ-વિદેશના લોકોએ પોતાના વિચારો રાખ્યા છે. ઘણા બધા લોકોએ Constructive Analysis પણ કર્યું છે. લોકોએ એ વાતની પ્રશંસા કરી કે ‘મન કી બાત’માં દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓની જ ચર્ચા થાય છે. હું ફરી એક વાર આપ સહુને આ આશીર્વાદ માટે પૂરા આદર સાથે ધન્યવાદ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ગત દિવસોમાં, આપણે ‘મન કી બાત’માં કાશી-તમિલ સંગમમની વાત કરી, સૌરાષ્ટ્ર-તમિલ સંગમમની વાત કરી.
કેટલાક સમય પહેલાં જ વારાણસીમાં કાશી-તેલુગુ સંગમમ્ પણ થયો. એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને બળ આપનારો આવો જ એક અનોખો પ્રયાસ દેશમાં થયો છે. આ પ્રયાસ છે, યુવા સંગમનો. મેં વિચાર્યું, આ વિશે વિસ્તારથી શા માટે એ લોકોને જ ન પૂછવામાં આવે જે આ અનોખા પ્રયાસના હિસ્સા રહ્યા છે. આ માટે, અત્યારે મારી સાથે ફૉન પર બે યુવાનો જોડાયેલા છે- એક છે અરુણાચલ પ્રદેશના ગ્યામર ન્યોકુમજી અને બીજી દીકરી છે બિહારની દીકરી- વિશાખાસિંહજી. આવો પહેલા આપણે ગ્યામર ન્યોકુમજી સાથે વાત કરીએ.
પ્રધાનમંત્રીજી: ગ્યામરજી, નમસ્તે.
ગ્યામરજી: નમસ્તે મોદીજી.
પ્રધાનમંત્રીજી: અચ્છા, ગ્યામરજી, જરા સૌથી પહેલાં તો હું તમારા વિશે જાણવા માગું છું.
ગ્યામરજી: મોદીજી, સૌથી પહેલા તો હું તમારો અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે ખૂબ જ કિંમતી સમય કાઢીને મારી સાથે વાત કરવાની મને તક આપી છે. હું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી, અરુણાચલ પ્રદેશમાં પ્રથમ વર્ષમાં મિકેનિકલ ઍન્જિનિયરિંગમાં ભણી રહ્યો છું.
પ્રધાનમંત્રીજી: અને પરિવારમાં શું કરે છે, પિતાજી વગેરે?
ગ્યામરજી: જી, મારા પિતાજી નાનામોટા ધંધા અને પછી થોડી ખેતી કરે છે.
પ્રધાનમંત્રીજી: યુવા સંગમ વિશે તમને કેવી રીતે ખબર પડી, યુવા સંગમમાં કયા ગયા , કેવી રીતે ગયા, શું થયું?
ગ્યામરજી: મોદીજી, મને યુવા સંગમ વિશે અમારી જે સંસ્થા છે- જે NIT છે તેણે અમને કહ્યું હતું કે તમે તેમાં ભાગ લઈ શકો છો. તો મેં પછી થોડું ઇન્ટરનેટમાં શોધ્યું, પછી મને ખબર પડી કે આ ખૂબ જ સારો કાર્યક્રમ છે જેના દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે વિઝન છે તેમાં પણ ખૂબ જ યોગદાન આપી શકાય છે. અને મને કંઈક નવી ચીજ જાણવાની તક મળશે, તો તરત મેં પછી તે વેબસાઈટમાં જઈને નોંધણી કરાવી. મારો અનુભવ ખૂબ જ મજાનો રહ્યો, ખૂબ જ સારો રહ્યો.
પ્રધાનમંત્રીજી: કોઈ પસંદગી તમારે કરવાની હતી?
ગ્યામરજી: મોદીજી, જ્યારે વેબસાઇટ ખોલી હતી તો અરુણાચલના લોકો માટે બે વિકલ્પો હતા. પહેલો હતો આંધ્ર પ્રદેશ જેમાં આઈઆઈટી તિરુપતિ હતી અને બીજો હતો સેન્ટ્રલ યુનિવર્સિટી રાજસ્થાન. તો મેં રાજસ્થાનને પહેલા વિકલ્પ તરીકે પસંદ કર્યું હતું. બીજો વિકલ્પ મેં આઈઆઈટી તિરુપતિને રાખ્યો હતો. તો મારી પસંદગી રાજસ્થાન માટે થઈ હતી. તો હું રાજસ્થાન ગયો હતો.
પ્રધાનમંત્રીજી: કેવી રહી તમારી રાજસ્થાન યાત્રા? તમે પહેલી વાર રાજસ્થાન ગયા હતા?
ગ્યામરજી: હા, હું પહેલી વાર અરુણાચલ બહાર ગયો હતો. મેં તો રાજસ્થાનના કિલ્લા એ બધું મેં બસ ફિલ્મ અને ફૉનમાં જ જોયું હતું ને, તો મેં જ્યારે, હું પહેલી વાર ગયો તો મારો અનુભવ ખૂબ જ, ત્યાંના લોકો ખૂબ જ સારા હતા અને અમારી જે સરભરા કરી, ખૂબ જ સારી હતી. અમને નવી-નવી ચીજો શીખવા મળી. મને રાજસ્થાનનાં મોટાં તળાવો અને ત્યાંના લોકો જેમ કે વરસાદના પાણીનું એકત્રીકરણ…ખૂબ જ નવી-નવી ચીજો શીખવા મળી જે મને સાવ ખબર જ નહોતી. તો આ કાર્યક્રમ મને ખૂબ જ સારો લાગ્યો, રાજસ્થાનની મુલાકાત.
પ્રધાનમંત્રીજી: જુઓ, તમને તો સૌથી મોટો ફાયદો એ થયો છે કે અરુણાચલ પણ વીરોની ભૂમિ છે, રાજસ્થાન પણ વીરોની ભૂમિ છે અને રાજસ્થાનમાં સેનામાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો છે, અને અરુણાચલમાં સીમા પર જે સૈનિકો છે તેમાં જ્યારે પણ રાજસ્થાનના લોકો મળે તો તમે જરૂર તેમની સાથે વાત કરજો, કે જુઓ, હું રાજસ્થાન ગયો હતો, તો આવો અનુભવ રહ્યો, તમારી નિકટતા, એકદમ વધી જશે. અચ્છા, તમને ત્યાં કોઈ સમાનતા પણ ધ્યાનમાં આવી હશે. તમને લાગ્યું હશે કે હા, યાર, અરુણાચલમાં પણ આવું જ છે.
ગ્યામરજી: મોદીજી, મને જે એક સમાનતા મને મળી ને, તે હતી
કે જે દેશપ્રેમ છે ને, અને જે એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે વિઝન અને જે feeling મને દેખાયાં, કારણકે અરુણાચલમાં પણ લોકો પોતાને ખૂબ જ ગર્વિત અનુભવે છે કે તેઓ ભારતીય છે અને રાજસ્થાનમાં પણ લોકો પોતાની માતૃભૂમિ માટે ખૂબ જ ગર્વ અનુભવે છે. એ ચીજ મને ખૂબ જ વધુ નજરે પડી અને ખાસ કરીને જે યુવા પેઢી છે ને, કારણકે મેં ત્યાં ઘણા બધા યુવાનો સાથે વાતચીત કરી ને તો એ ચીજ જે મને બહુ જ સામ્યતા ધરાવતી દેખાઈ. તેઓ ઈચ્છે છે કે ભારત માટે કંઈક કરવું અને પોતાના દેશ માટે પ્રેમ છે તે ચીજ બંને રાજ્યોમાં ખૂબ જ સરખી નજરે પડી.
પ્રધાનમંત્રીજી: તો ત્યાં જે મિત્રો મળ્યા તેમની સાથે પરિચય વધાર્યો કે આવીને ભૂલી ગયા?
ગ્યામરજી: ના, અમે વધાર્યો, પરિચય કર્યો.
પ્રધાનમંત્રીજી: હા…! તો તમે સૉશિયલ મિડિયામાં ઍક્ટિવ છો?
ગ્યામરજી: જી મોદીજી, હું ઍક્ટિવ છું.
પ્રધાનમંત્રીજી: તો, તમારે બ્લૉગ લખવો જોઈએ. તમારો આ યુવા સંગમનો અનુભવ કેવો રહ્યો, તમે તેમાં કેવી રીતે નોંધણી કરાવી, રાજસ્થાનમાં અનુભવ કેવો રહ્યો જેથી દેશભરના યુવાનોને ખબર પડે કે એક ભારત શ્રેષ્ઠ ભારતનું મહાત્મ્ય શું છે, આ યોજના શું છે? તેનો ફાયદો યુવકો કેવી રીતે લઈ શકે છે? તમારો પૂરો અનુભવનો બ્લૉગ લખવો જોઈએ, તો ઘણા બધા લોકોને વાંચવાના કામમાં આવશે.
ગ્યામરજી: જી, હું જરૂર કરીશ.
પ્રધાનમંત્રીજી: ગ્યામરજી, ખૂબ સારું લાગ્યું, તમારી સાથે વાત કરીને અને તમે બધા યુવાનો દેશ માટે, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે, કારણકે આ ૨૫ વર્ષ અત્યંત મહત્ત્વપૂર્ણ છે- તમારા જીવનનાં પણ અને દેશના જીવનનાં પણ. તો મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે, ધન્યવાદ.
ગ્યામરજી: ધન્યવાદ મોદીજી, આપને પણ.
પ્રધાનમંત્રીજી: નમસ્કાર ભાઈ.
સાથીઓ, અરુણાચલના લોકો એટલી આત્મીયતાથી ભરપૂર હોય છે કે તેમની સાથે વાત કરીને, મને ખૂબ જ આનંદ આવે છે. યુવા સંગમમાં ગ્યામરજીનો અનુભવ તો સારો રહ્યો. આવો, હવે બિહારની દીકરી વિશાખાસિંહજી સાથે વાત કરીએ.
પ્રધાનમંત્રીજી: વિશાખાજી, નમસ્કાર.
વિશાખાજી: સર્વ પ્રથમ તો ભારતના માનનીય પ્રધાનમંત્રીજીને મારા પ્રણામ અને મારી સાથે બધા delegates તરફથી તમને ખૂબ-ખૂબ પ્રણામ.
પ્રધાનમંત્રીજી: અચ્છા, વિશાખાજી, પહેલાં તમારા વિશે જણાવો. પછી મારે યુવા સંગમના વિષયમાં પણ જાણવું છે.
વિશાખાજી: હું બિહારના સાસારામ નામના શહેરની નિવાસી છું અને મને યુવા સંગમ વિશે મારી કૉલેજના વૉટ્સઍપ ગ્રૂપના મેસેજ દ્વારા ખબર પડી હતી સૌથી પહેલા. તો, તે પછી મેં તપાસ કરી તેના વિશે અને ડિટેઇલ્સ કાઢી કે આ શું છે? તો મને ખબર પડી કે આ પ્રધાનમંત્રીજીની એક યોજના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ હેઠળ યુવા સંગમ છે. તો તે પછી મેં ઍપ્લાય કર્યું અને જ્યારે મેં ઍપ્લાય કર્યું તો હું ઍક્સાઇટેડ હતી તેમાં જોડાવા માટે, પરંતુ જ્યારે હું ત્યાં ફરીને તમિલનાડુ જઈને પાછી આવી, તો ત્યાં મને જે લાભ મળ્યો તે પછી મને હવે ખૂબ જ વધુ ગર્વ અનુભવ થાય છે that I have been the part of this programme, તો મને ખૂબ જ વધુ ખુશી છે તે કાર્યક્રમમાં ભાગ લેવાની અને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું આપનો કે આપે અમારા જેવા યુવાનો માટે આટલો સારો કાર્યક્રમ બનાવ્યો જેનાથી આપણે ભારતના વિભિન્ન ભાગની સંસ્કૃતિને અપનાવી શકીએ છીએ.
પ્રધાનમંત્રીજી: વિશાખાજી, તમે શું ભણો છો?
વિશાખાજી: હું કમ્પ્યૂટર સાયન્સ ઍન્જિનિયરિંગની બીજા વર્ષની વિદ્યાર્થિની છું.
પ્રધાનમંત્રીજી: અચ્છા વિશાખાજી, તમેં કયા રાજ્યમાં જવું છે, ક્યાં જોડાવું છે તે નિર્ણય કેવી રીતે કર્યો?
વિશાખાજી: જ્યારે મેં આ યુવા સંગમ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું ગૂગલ પર, ત્યારે મને ખબર પડી ગઈ હતી કે બિહારના delegatesને તમિલનાડુના delegates સાથે ઍક્સ્ચૅન્જ કરવામાં આવે છે. તમિલનાડુ સંસ્કૃતિની રીતે ઘણું સમૃદ્ધ રાજ્ય છે આપણા દેશનું, તો તે સમયે પણ જ્યારે મેં એ જાણ્યું, એ જોયું કે બિહારના લોકોને તમિલનાડુ મોકલવામાં આવી રહ્યા છે, તો તેણે પણ મને વધુ મદદ કરી એ નિર્ણય લેવામાં કે મારે ફૉર્મ ફિલ કરવું જોઈએ, ત્યાં જવું જોઈએ કે નહીં અને હું સાચે જ આજે ખૂબ જ વધુ ગૌરવાન્વિત અનુભવી રહી છું કે મેં તેમાં ભાગ લીધો અને મને ખૂબ જ આનંદ છે.
પ્રધાનમંત્રીજી: તમારે પહેલી વાર જવાનું થયું તમિલનાડુ?
વિશાખાજી: જી, હું પહેલી વાર ગઈ હતી.
પ્રધાનમંત્રીજી: અચ્છા, કોઈ ખાસ યાદગાર ચીજ, જો તમે કહેવા ઈચ્છતા હો, તો શું કહેશો? દેશના યુવાનો સાંભળી રહ્યા છે તમને.
વિશાખાજી: જી, પૂરી યાત્રા જ મારા માટે ખૂબ જ સારી રહી. એક-એક પડાવ પર અમે ઘણી બધી ચીજો શીખી છે. મેં તમિલનાડુ જઈને સારા મિત્રો બનાવ્યા છે. ત્યાંની સંસ્કૃતિને અપનાવી છે. ત્યાંના લોકોને હું મળી. પરંતુ સૌથી વધુ સારી ચીજ જે મને લાગી ત્યાં તે પહેલી ચીજ એ હતી કે કોઈને પણ તક નથી મળી ઈસરોમાં જવાની અને અમે પ્રતિનિધિઓ હતાં તો અમને એ તક મળી હતી કે અમે ઈસરોમાં જઈએ. પ્લસ, બીજી વાત સૌથી સારી હતી તે જ્યારે અમે રાજભવન ગયાં અને અમે તમિલનાડુના રાજ્યપાલજીને મળ્યાં. તે બે ક્ષણ જે હતી તે મારા માટે ઘણી સારી હતી અને મને એવું લાગ્યું કે જે ઍજમાં અમે છીએ ઍઝ અ યૂથ, અમને એ તક ન મળી શકત જે યુવા સંગમ દ્વારા મળી છે. તો આ ઘણી સારી અને સૌથી યાદગાર ક્ષણો હતી મારા માટે.
પ્રધાનમંત્રીજી: બિહારમાં જમવાની રીત અલગ છે, તમિલનાડુમાં જમવાની રીત અલગ છે.
વિશાખાજી: જી.
પ્રધાનમંત્રીજી: તો તે સેટ થઈ ગઈ હતી પૂરી રીતે?
વિશાખાજી: ત્યાં જ્યારે અમે લોકો ગયા હતા તો South Indian Cuisine છે ત્યાં તમિલનાડુમાં. તો જેવા અમે લોકો ગયાં તો અમારા જવાની સાથે અમને ડોસા, ઇડલી, સાંભર, ઉત્તપમ, વડા, ઉપમા આ બધું પીરસવામાં આવ્યું હતું. તો પહેલા અમે જ્યારે ટ્રાય કર્યું તો that was too good! ત્યાંનું ખાણું જે છે તે બહુ જ હૅલ્ધી છે ઍક્ચ્યુઅલી ખૂબ જ, ટેસ્ટમાં પણ ખૂબ જ સારું છે અને અમારા નૉર્થના ભોજન કરતાં ખૂબ જ અલગ છે તો મને ત્યાં જમવાનું પણ બહુ સારું લાગ્યું અને ત્યાંના લોકો પણ બહુ સારા લાગ્યા.
પ્રધાનમંત્રીજી: તો હવે તો દોસ્ત પણ બની ગયા હશે ને તમિલનાડુમાં?
વિશાખાજી: જી. જી ત્યાં અમે રોકાયાં હતાં NIT Trichy માં, તે પછી IIT Madrasમાં તો તે બંને જગ્યાના સ્ટુડન્ટ્સ સાથે તો મારી દોસ્તી થઈ ગઈ છે. પ્લસ વચમાં એક CIIની Welcome Ceremony હતી તો ત્યાં, ત્યાંની આસપાસની કૉલેજના ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા. તો ત્યાં અમે તે વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી અને મને ખૂબ જ સારું લાગ્યું તે લોકો સાથે મળીને. ઘણા લોકો તો મારા મિત્રો પણ છે. અને કેટલાક Delegates પણ મળ્યાં હતાં, જે તમિલનાડુના Delegates બિહાર આવી રહ્યાં હતાં, તો અમારી વાતચીત તેમની સાથે થઈ હતી અને અમે અત્યારે પણ અરસપરસ વાત કરીએ છીએ તો મને ઘણું સારું લાગે છે.
પ્રધાનમંત્રીજી: તો વિશાખાજી, તમે એક બ્લૉગ લખો અને સૉશિયલ મિડિયા પર, આ તમારો આખો અનુભવ, એક તો આ યુવા સંગમનો, પછી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો અને પછી તમિલનાડુમાં જે આત્મીયતા મળી, જે તમારો સ્વાગત-સત્કાર થયો. તમિલ લોકોનો જે પ્રેમ મળ્યો, તે બધી ચીજો દેશને જણાવો તમે. તો તમે લખશો?
વિશાખાજી: જી, જરૂર.
પ્રધાનમંત્રીજી: તો મારી તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને ખૂબ-ખૂબ ધન્યવાદ.
વિશાખાજી: જી, thank you so much. નમસ્કાર.
ગ્યામર અને વિશાખા, તમને મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ. યુવા સંગમમાં તમે જે શીખ્યું છે તે જીવનપર્યંત તમારી સાથે રહે. આ જ મારી તમારા બધાં પ્રત્યે શુભકામના છે.
સાથીઓ, ભારતની શક્તિ તેની વિવિધતામાં છે. આપણા દેશમાં જોવા માટે ઘણું બધું છે. તેને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલયે ‘યુવા સંગમ’ નામથી એક શ્રેષ્ઠ પહેલ કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય people to people connect વધારવાની સાથે જ દેશના યુવાનોને પરસ્પર હળવામળવાની તક આપવાનો છે. વિભિન્ન રાજ્યોની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તેની સાથે જોડવામાં આવી છે. ‘યુવા સંગમ’માં યુવાનો બીજાં રાજ્યોનાં શહેરો અને ગામડાંઓમાં જાય છે. ‘યુવાસંગમ’ના પહેલા રાઉન્ડમાં લગભગ ૧,૨૦૦ યુવાનો દેશનાં ૨૨ રાજ્યોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. જે પણ યુવાનો તેનો હિસ્સો બન્યા છે, તેઓ પોતાની સાથે એવી સ્મૃતિ લઈને પાછા ફર્યા છે જે જીવનભર તેમના હૃદયમાં વસેલી રહેશે. આપણે જોયું છે કે અનેક મોટી કંપનીના CEO, બિઝનેસ લીડર્સે ‘બૅગ પૅકર્સ’ની જેમ ભારતમાં સમય વિતાવ્યો છે. હું જ્યારે બીજા દેશના લીડરોને મળું છું તો ઘણી વાર તેઓ પણ કહે છે કે તેઓ પોતાની યુવાવસ્થામાં ભારત ફરવા આવ્યા હતા. આપણા ભારતમાં એટલું બધું જાણવા અને જોવા માટે છે કે તમારી ઉત્સુકતા દર વખતે વધતી જ જશે. મને આશા છે કે આ રોમાંચક અનુભવોને જાણીને તમે પણ દેશના અલગ-અલગ હિસ્સાઓની યાત્રા માટે જરૂર પ્રેરાશો.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસ પહેલાં જ હું જાપાનના હિરોશિમામાં હતો. ત્યાં મને ‘હિરોશિમા પીસ મેમોરિયલ મ્યૂઝિયમ’માં જવાનો અવસર મળ્યો. આ એક ભાવુક કરી દેનારો અનુભવ હતો. જ્યારે આપણે ઇતિહાસની સ્મૃતિઓને સાચવીને રાખીએ છીએ તો તે આવનારી પેઢીઓની બહુ જ મદદ કરે છે. ઘણી વાર મ્યૂઝિયમમાં આપણને નવા પાઠ મળે છે તો અનેક વાર આપણને ઘણું બધું શીખવા મળે છે. કેટલાક દિવસો પહેલાં જ ભારતમાં International Museum Expo નું પણ આયોજન કરાયું હતું. તેમાં દુનિયાના 1200 થી વધુ મ્યૂઝિયમની વિશેષતાઓને દર્શાવવામાં આવી હતી. આપણે ત્યાં ભારતમાં અલગ-અલગ પ્રકારનાં આવાં અનેક મ્યૂઝિયમ છે જે આપણા અતીત સાથે જોડાયેલાં અનેક પાસાંને પ્રદર્શિત કરે છે, જેમ કે ગુરુગ્રામમાં એક અનોખું સંગ્રહાલય છે- Museo Camera તેમાં 1860 પછીના આઠ હજારથી વધુ કેમેરાનો સંગ્રહ રહેલો છે. તમિલનાડુના Museum of possibilities ને આપણા દિવ્યાંગજનોને ધ્યાનમાં રાખીને, ડિઝાઇન કરવામાં આવ્યું છે. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય પણ આવું જ એક મ્યૂઝિયમ છે જેમાં 70 હજારથી વધુ ચીજો સંરક્ષિત કરવામાં આવી છે. વર્ષ 2010 માં સ્થાપિત, Indian Memory Project એક રીતે online museum છે. તે દુનિયાભરમાંથી મોકલાયેલી તસવીરો અને વાર્તાઓના માધ્યમથી ભારતના ગૌરવશાળી ઇતિહાસની કડીઓને જોડવામાં લાગેલું છે. વિભાજનની વિભિષિકા સાથે જોડાયેલી સ્મૃતિઓને પણ સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિતેલાં વર્ષોમાં આપણે ભારતમાં નવા-નવા પ્રકારના મ્યૂઝિયમ અને મેમોરિયલ બનતાં જોયાં છે. સ્વાધીનતા સંગ્રામમાં આદિવાસી ભાઈ-બહેનોના યોગદાનને સમર્પિત 10 નવાં મ્યૂઝિયમ બનાવવામાં આવી રહ્યાં છે. કોલકાતાના વિક્ટૉરિયા મેમોરિયલમાં બિપ્લોબી ભારત ગેલેરી હોય કે પછી જલિયાવાલાં બાગ મેમોરિયલનો પુનરોદ્ધાર, દેશના બધા પૂર્વ પ્રધાનમંત્રીઓને સમર્પિત PM Museum પણ આજે દિલ્હીની શોભા વધારી રહ્યું છે. દિલ્હીમાં જ National War Memorial અને Police Memorialમાં દર રોજ અનેકો લોકો શહીદોને નમન કરવા આવે છે. ઐતિહાસિક દાંડી યાત્રાને સમર્પિત દાંડી મેમોરિયલ હોય કે પછી Statue Of Unity Museum. ચાલો, મારે અહીં જ અટકી જવું પડશે કારણકે દેશભરમાં મ્યૂઝિયમની સૂચિ ઘણી લાંબી છે અને પહેલી વાર દેશમાં બધાં મ્યૂઝિયમ વિશે જરૂરી જાણકારીઓને સંકલિત પણ કરવામાં આવી છે. મ્યૂઝિયમ કયા થીમ પર આધારિત છે, ત્યાં કયા પ્રકારની વસ્તુઓ રાખી છે, ત્યાંની સંપર્કની વિગતો શું છે- આ બધું એક ઑનલાઇન ડિરેક્ટરીમાં સમાવાયું છે. મારો તમને અનુરોધ છે કે તમે જ્યારે પણ તક મળે, પોતાના દેશનાં આ MUSEUMSને જોવા જરૂર જજો. તમે ત્યાંની આકર્ષક તસવીરોને # (હેશટેગ) Museum Memories પર શૅર કરવાનું પણ ન ભૂલતા. તેનાથી પોતાની વૈભવશાળી સંસ્કૃતિની સાથે આપણા ભારતીયોનું જોડાણ વધુ મજબૂત થશે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધાએ એક કહેવત અનેક વાર સાંભળી હશે- વારંવાર સાંભળી હશે. ‘બિન પાની સબ સૂન’. પાણી વગર જીવન પર સંકટ તો રહે જ છે, વ્યક્તિ અને દેશનો વિકાસ પણ ઠપ થઈ જાય છે. ભવિષ્યના આ પડકારને જોઈને આજે દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આપણાં અમૃત સરોવરો, એટલા માટે વિશેષ છે કારણકે, તે સ્વતંત્રતાના અમૃત કાળમાં બની રહ્યાં છે અને તેમાં લોકોનો અમૃત પ્રયાસ લાગેલો છે. તમને જાણીને સારું લાગશે કે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ અમૃત સરોવરોનું નિર્માણ પણ થઈ ચૂક્યું છે. તે જળ સંરક્ષણની દિશામાં ઘણું મોટું પગલું છે.
સાથીઓ, આપણે દરેક ઉનાળામાં આ જ રીતે, પાણી સાથે જોડાયેલા પડકારો વિશે વાત કરતા રહીએ છીએ. આ વખતે પણ આપણે આ વિષયને લઈશું પરંતુ આ વખતે ચર્ચા કરીશું જળ સંરક્ષણ સાથે જોડાયેલાં સ્ટાર્ટ અપ્સની. એક સ્ટાર્ટ અપ છે- FluxGen. તે સ્ટાર્ટ અપ IOT enabled ટેક્નિક દ્વારા વૉટર મેનેજમેન્ટનો વિકલ્પ આપે છે. તે ટૅક્નૉલૉજી પાણીના વપરાશની પૅટર્ન જણાવશે અને પાણીના અસરકારક વપરાશમાં મદદ કરશે. એક બીજું સ્ટાર્ટ અપ છે- LivNSense. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર આધારિત પ્લેટફૉર્મ છે. તેની મદદથી પાણી વિતરણની અસરકારક દેખરેખ કરી શકાશે. તેનાથી એ પણ ખબર પડશે કે ક્યાં કેટલું પાણી વેડફાઈ રહ્યું છે. એક બીજું સ્ટાર્ટ અપ છે ‘કુંભી કાગઝ’. આ કુંભી કાગઝ એક એવો વિષય છે, મને પાકો વિશ્વાસ છે કે તમને પણ ખૂબ જ ગમશે. ‘કુંભી કાગઝ’ સ્ટાર્ટ અપે પોતાનું એક વિશેષ કામ શરૂ કર્યું છે. તે જળકુંભીથી કાગળ બનાવવાનું કામ કરી રહ્યું છે, અર્થાત્, જે જળકુંભી ક્યારેક જળસ્રોતો માટે એક સમસ્યા સમજવામાં આવતી હતી તે હવે કાગળ બનાવવા લાગી છે.
સાથીઓ, અનેક યુવાનો જો ઇનૉવેશન અને ટૅક્નૉલૉજી પર કામ કરી રહ્યા છે તો અનેક યુવાનો એવા પણ જે સમાજને જાગૃત કરવાના મિશનમાં પણ લાગેલાં છે, જેમ કે છત્તીસગઢના બાલોદ જિલ્લાના યુવાનો. ત્યાંના યુવાનોએ પાણી બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. તેઓ ઘરે-ઘરે જઈને લોકોને જળ સંરક્ષણ માટે જાગૃત કરે છે. ત્યાં લગ્ન જેવા કોઈ પ્રસંગનું આયોજન થાય છે તો યુવાનોનું આ ગ્રૂપ ત્યાં જઈને પાણીના દુરુપયોગને કેવી રીતે રોકી શકાય તેની જાણકારી આપે છે. પાણીના સદુપયોગ સાથે જોડાયેલો એક પ્રેરક પ્રયાસ ઝારખંડના ખૂંટી જિલ્લામાં પણ થઈ રહ્યો છે. ખૂંટીમાં લોકોએ પાણીના સંકટમાંથી ઉગરવા માટે બોરી બાંધનો રસ્તો કાઢ્યો છે. બોરી બાંધનું પાણી એકઠું થવાના કારણે ત્યાં શાક-ભાજીઓ પણ ઉત્પન્ન થવા લાગી છે. તેનાથી લોકોની આવક પણ વધી રહી છે અને વિસ્તારની જરૂરિયાતો પણ પૂરી થઈ રહી છે. જનભાગીદારીનો કોઈ પણ પ્રયાસ કેવી રીતે અનેક પરિવર્તનને સાથે લઈને આવે છે તેનું ખૂંટી એક આકર્ષક ઉદાહરણ બની ગયું છે. હું ત્યાંના લોકોના આ પ્રયાસને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ૧૯૬૫ના યુદ્ધના સમયે, આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ જય જવાન, જય કિસાનનું સૂત્ર આપ્યું હતું. પછી અટલજીએ તેમાં જય વિજ્ઞાન પણ જોડ્યું હતું. કેટલાંક વર્ષ પહેલાં દેશના વૈજ્ઞાનિકો સાથે વાત કરતાં મેં જય અનુસંધાનની વાત કરી હતી. ‘મન કી બાત’માં આજે વાત એક એવા વ્યક્તિની, એક એવી સંસ્થાની, જે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન, આ ચારેયનું પ્રતિબિંબ છે. આ સજ્જન છે, મહારાષ્ટ્રના શ્રીમાન શિવાજી શામરાવ ડોલેજી. શિવાજી ડોલે નાસિક જિલ્લાના એક નાનકડા ગામમાં રહે છે. તેઓ ગરીબ આદિવાસી ખેડૂત પરિવારમાંથી આવે છે અને એક પૂર્વ સૈનિક પણ છે. સેનામાં રહીને તેમણે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યું. નિવૃત્ત થયા પછી તેમણે કંઈક નવું શીખવાનો નિર્ણય કર્યો અને Agricultureમાં ડિપ્લૉમા કર્યો, અર્થાત્, તેઓ જય જવાનથી જય કિસાન તરફ આગળ વધ્યા. હવે દરેક પળે તેમનો પ્રયાસ હોય છે કે કૃષિ ક્ષેત્રમાં કેવી રીતે વધુમાં વધુ યોગદાન આપી શકાય. પોતાના આ અભિયાનમાં શિવાજી ડોલેજીએ 20 લોકોની એક નાનકડી ટીમ બનાવી અને કેટલાક પૂર્વ સૈનિકોને પણ તેમાં જોડ્યા. તે પછી તેમની આ ટીમે ‘વેંકટેશ્વર કૉ-ઑપરેટિવ પાવર ઍન્ડ એગ્રો પ્રૉસેસિંગ લિમિટેડ’ નામની એક સહકારી સંસ્થાનું પ્રબંધન પોતાના હાથમાં લઈ લીધું. આ સહકારી સંસ્થા નિષ્ક્રિય હતી, જેને પુનર્જીવિત કરવાનું બીડું તેમણે ઝડપ્યું. જોતજોતામાં આજે વેંકટેશ્વર કૉ-ઑપરેટિવનો વિસ્તાર અનેક જિલ્લામાં થઈ ગયો છે. આજે આ ટીમ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કામ કરી રહી છે. તેમાં લગભગ ૧૮ હજાર લોકો જોડાયેલા છે, જેમાં મોટી સંખ્યામાં આપણા પૂર્વ સૈનિકો પણ છે. નાસિકના માલેગાંવમાં આ ટીમના સભ્ય 500 એકરથી વધુ જમીનમાં ‘ઍગ્રો ફાર્મિંગ’ કરી રહ્યા છે. આ ટીમ જળ સંરક્ષણ માટે પણ અનેક તળાવો બનાવવામાં પણ લાગેલી છે. ખાસ વાત એ છે કે તેમણે ઑર્ગેનિક ફાર્મિંગ અને ડૅરી પણ શરૂ કરી છે. હવે તેમની ઉગાડેલી દ્રાક્ષને યુરોપમાં નિકાસ કરવામાં આવે છે. આ ટીમની જે બે મોટી વિશેષતાઓએ મારું ધ્યાન આકર્ષિત કર્યું છે તે છે જય વિજ્ઞાન અને જય અનુસંધાન. તેના સભ્યો ટૅક્નૉલૉજી અને ‘મૉડર્ન ઍગ્રો પ્રેક્ટિસ’નો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. બીજી વિશેષતા એ છે કે તેઓ નિકાસ માટે જરૂરી અનેક પ્રકારનાં સર્ટિફિકેશન પર પણ ધ્યાન આપી રહ્યા છે. ‘સહકારથી સમૃદ્ધિ’ની ભાવના સાથે કામ કરી રહેલી આ ટીમની હું પ્રશંસા કરું છું. આ પ્રયાસથી મોટી સંખ્યામાં લોકોનું સશક્તિકરણ તો થયું જ છે, પરંતુ આજીવિકાનાં અનેક સાધન પણ બન્યાં છે. મને આશા છે કે આ પ્રયાસ ‘મન કી બાત’ના પ્રત્યેક શ્રોતાને પ્રેરિત કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ૨૮ મેએ, મહાન સ્વતંત્રતા સેનાની, વીર સાવરકરજીની જયંતી છે. તેમના ત્યાગ, સાહસ અને સંકલ્પ શક્તિ સાથે જોડાયેલી ગાથાઓ આજે પણ આપણને સહુને પ્રેરે છે. હું તે દિવસ નથી ભૂલી શકતો જ્યારે હું અંડમાનમાં, એ કોટડીમાં ગયો હતો જ્યાં વીર સાવરકરે કાળા પાણીની સજા ભોગવી હતી. વીર સાવરકરનું વ્યક્તિત્વ દૃઢતા અને વિશાળતાયુક્ત હતું. તેમના નિર્ભિક અને સ્વાભિમાની સ્વભાવને ગુલામીની માનસિકતા જરા પણ પસંદ નહોતી આવતી. સ્વતંત્રતા આંદોલન જ નહીં, સામાજિક સમાનતા અને સામાજિક ન્યાય માટે પણ વીર સાવરકરે જેટલું કર્યું તેને આજે પણ યાદ કરવામાં આવે છે.
સાથીઓ, કેટલાક દિવસ પછી ચાર જૂને સંત કબીરદાસજીની પણ જયંતી છે. કબીરદાસજીએ જે માર્ગ આપણને દેખાડ્યો છે તે આજે પણ એટલો જ પ્રાસંગિક છે. કબીરદાસજી કહેતા હતા,
“कबीरा कुआँ एक है, पानी भरे अनेक |
बर्तन में ही भेद है, पानी सब में एक ||”
અર્થાત્, કુવા પર ભલે ભિન્ન-ભિન્ન પ્રકારના લોકો પાણી ભરવા આવે, પરંતુ કુવો કોઈની વચ્ચે ભેદ નથી કરતો, પાણી તો બધાં વાસણમાં એક જ હોય છે. સંત કબીરે સમાજને વિભાજીત કરનારી દરેક કુપ્રથાનો વિરોધ કર્યો હતો. સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે, જ્યારે દેશ વિકસિત થવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, તો આપણે, સંત કબીરમાંથી પ્રેરણા લેતાં, સમાજને સશક્ત કરવાના પોતાના પ્રયાસ વધુ વધારવા જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમારી સાથે દેશની એક એવી મહાન હસ્તી વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું જેમણે રાજનીતિ અને ફિલ્મ જગતમાં પોતાની અદ્ભુત પ્રતિભાના જોરે અમિટ છાપ છોડી. તે મહાન હસ્તીનું નામ છે એન. ટી. રામારાવ, જેમને આપણે બધાં NTRના નામથી પણ ઓળખીએ છીએ. આજે એન. ટી. આર.ની 100મી જયંતી છે. પોતાની બહુમુખી પ્રતિભાના જોરે તેઓ ન માત્ર તેલુગુ સિનેમાના મહાનાયક બન્યા, પરંતુ તેમણે કરોડો લોકોનાં મન પણ જીત્યાં. શું તમને ખબર છે કે તેમણે ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું? તેમણે અનેક ઐતિહાસિક પાત્રોને પોતાના અભિનયના બળ પર ફરીથી જીવંત કરી દીધાં હતાં. ભગવાન કૃષ્ણ, રામ અને એવી કેટલીય અન્ય ભૂમિકાઓમાં એન. ટી. આર.નો અભિનય લોકોને એટલો પસંદ આવ્યો કે લોકો આજે પણ તેમને યાદ કરે છે. એન. ટી. આર.એ સિનેમા જગતની સાથોસાથ રાજનીતિમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમાં પણ તેમને લોકોનો ભરપૂર પ્રેમ અને આશીર્વાદ મળ્યો. દેશ-દુનિયામાં લાખો લોકોનાં મન પર રાજ કરનારા એન. ટી. રામારાવજીને હું મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આ વખતે આટલું જ. આવતી વખતે કેટલાક નવા વિષયો સાથે આપની વચ્ચે આવીશ, ત્યાં સુધી
કેટલાક વિસ્તારોમાં ગરમી હજુ પણ વધી હશે. ક્યાંક-ક્યાંક વરસાદ પણ શરૂ થઈ જશે. તમારે ઋતુની દરેક પરિસ્થિતિમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. 21 જૂને આપણે ‘વિશ્વ યોગ દિવસ’ પણ મનાવીશું. તેની પણ દેશ-વિદેશમાં તૈયારીઓ ચાલી રહી છે. તમે આ તૈયારીઓ વિશે પણ તમારા ‘મનની વાત’ મને લખતા રહેજો. કોઈ અન્ય વિષય પર બીજી કોઈ જાણકારી જો તમને મળે તો તે પણ મને જણાવજો. મારા પ્રયાસ વધુમાં વધુ સૂચનોને ‘મન કી બાત’માં લેવાના રહેશે. એક વાર ફરી તમારા સહુનો ખૂબ-ખૂબ ધન્યવાદ. હવે મળીશું- આગલા મહિને, ત્યાં સુધી મને વિદાય આપો. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ‘મન કી બાત’ની સોમી કડી છે. મને તમારા બધાના હજારો પત્રો મળ્યા છે. લાખો સંદેશાઓ મળ્યા છે અને મેં પ્રયાસ કર્યો છે કે વધુમાં વધુ પત્રોને વાંચું, જોઉં. સંદેશાઓને જરા સમજવાનો પ્રયાસ કરું. તમારા પત્રો વાંચીને અનેક વાર હું ભાવુક થયો, ભાવસભર થઈ ગયો, ભાવનાઓમાં વહી ગયો અને પછી પોતાને સંભાળી પણ લીધો. તમે મને ‘મન કી બાત’ના સોમા હપ્તા માટે વધામણી આપી છે પરંતુ હું સાચા હૃદયથી કહું છું કે વાસ્તવમાં વધામણીને પાત્ર તો તમે સહુ ‘મન કી બાત’ના શ્રોતા છો, આપણા દેશવાસી છો. ‘મન કી બાત’ કોટિ-કોટિ ભારતીયોના ‘મન કી બાત’ છે, તેમની ભાવનાની અભિવ્યક્તિ છે.
સાથીઓ, 3 ઑક્ટોબર 2014, વિજયાદશમીનો તે તહેવાર હતો અને આપણે બધાંએ મળીને વિજયાદશમીના દિવસે ‘મન કી બાત’ની યાત્રા શરૂ કરી હતી. વિજયાદશમી અર્થાત દુર્ગણો પર સદ્ગુણોની જીતનો તહેવાર. ‘મન કી બાત’ પણ દેશવાસીઓના સદ્ગુણો, સકારાત્મકતાનો એક અનોખો તહેવાર બની ગયો છે. એક એવો તહેવાર જે દર મહિને આવે છે, જેની પ્રતીક્ષા આપણને સહુને હોય છે. આપણે તેમાં પૉઝિટિવિટીને સેલિબ્રેટ કરીએ છીએ. આપણે તેમાં લોકોની સહભાગિતાને પણ ઉજવીએ છીએ. ઘણી વાર વિશ્વાસ નથી થતો કે ‘મન કી બાત’ને આટલા મહિના અને આટલાં વર્ષો વિતી ગયાં. દરેક કડી પોતાની રીતે વિશેષ રહી. દરેક વખતે, નવાં ઉદાહરણોની નવીનતા, દરેક વખતે દેશવાસીઓની નવી સફળતાનો વિસ્તાર. ‘મન કી બાત’માં સમગ્ર દેશના ખૂણે-ખૂણેથી લોકો જોડાયા, દરેક આયુ-વર્ગના લોકો જોડાયા. બેટી-બચાવો, બેટી પઢાઓની વાત હોય, સ્વચ્છ ભારત આંદોલન હોય, ખાદી પ્રત્યે પ્રેમ હોય કે પછી પ્રકૃતિની વાત,
સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ હોય કે પછી અમૃત સરોવરની વાત, ‘મન કી બાત’ જે વિષય સાથે જોડાઈ તે જન આંદોલન બની ગયો અને તમે લોકોએ બનાવી દીધો. જ્યારે મેં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રાધ્યક્ષ બરાક ઓબામા સાથે સંયુક્ત રીતે ‘મન કી બાત’ કરી હતી તો તેની ચર્ચા પૂરા વિશ્વમાં થઈ હતી.
સાથીઓ, ‘મન કી બાત’ મારા માટે બીજાના ગુણોની પૂજા કરવા જેવી જ રહી છે. મારા એક માર્ગદર્શક હતા – શ્રી લક્ષ્મણરાવજી ઈનામદાર. અમે તેમને વકીલ સાહેબ કહેતા હતા. તેઓ હંમેશાં કહેતા હતા કે આપણે બીજાના ગુણોની પૂજા કરવી જોઈએ. સામે કોઈ પણ હોય, તમારી સાથે હોય, કે તમારા વિરોધી હોય, આપણે તેમના સારા ગુણોને જાણવાનો, તેમનામાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમની આ વાતે મને હંમેશાં પ્રેરણા આપી છે. ‘મન કી બાત’ બીજાના ગુણોમાંથી શીખવાનું બહુ મોટું માધ્યમ બની ગઈ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ કાર્યક્રમે મને ક્યારેય તમારાથી દૂર નથી થવા દીધો. મને યાદ છે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો ત્યાં સામાન્ય જન સાથે હળવા-મળવાનું સ્વાભાવિક રીતે જ થઈ જતું હતું. મુખ્યમંત્રીનું કામકાજ અને કાર્યકાળ આવો જ હોય છે. હળવા-મળવાના અવસરો ઘણા મળતા જ રહે છે. પરંતુ વર્ષ 2014માં દિલ્લી આવ્યા પછી મેં જોયું કે અહીંનું જીવન તો ખૂબ જ અલગ છે. કામનું સ્વરૂપ અલગ, જવાબદારી અલગ, સ્થિતિઓ, પરિસ્થિતિઓનાં બંધન, સુરક્ષાની ઝાકમઝાળ,સમયની સીમા. શરૂઆતના દિવસોમાં કંઈક અલગ અનુભવતો હતો, ખાલીપણાનો અનુભવ કરતો હતો. પચાસ વર્ષ પહેલાં મેં મારું ઘર એટલા માટે નહોતું છોડ્યું કે એક દિવસ પોતાના જ લોકો સાથે સંપર્ક અઘરો થઈ જાય. જે દેશવાસી મારું બધું જ છે, હું તેમનાથી દૂર રહીને જીવી ન શકું.
‘મન કી બાત’એ મને આ પડકારનું સમાધાન આપ્યું, સામાન્ય માનવી સાથે જોડાવાનો માર્ગ આપ્યો. પદભાર અને પ્રૉટૉકૉલ, વ્યવસ્થા સુધી જ સીમિત રહ્યો અને જનભાવ, કોટિ-કોટિ જનોની સાથે, મારો ભાવ, વિશ્વનો અતૂટ અંગ બની ગયો. દર મહિને દેશના લોકોના હજારો સંદેશાઓ વાંચું છું, દર મહિને દેશવાસીઓના એક-એકથી ચડિયાતાં અદ્ભુત સ્વરૂપનાં દર્શન કરું છું. હું દેશવાસીઓના તપ-ત્યાગની પરાકાષ્ઠાને જોઉં છું, અનુભવું છું. મને લાગતું જ નથી કે હું તમારાથી થોડો પણ દૂર છું. મારા માટે ‘મન કી બાત’ એ એક કાર્યક્રમ નથી, મારા માટે એક આસ્થા, પૂજા, વ્રત છે. જેવી રીતે લોકો ઈશ્વરની પૂજા કરે છે, તો પ્રસાદનો થાળ લાવે છે, મારા માટે ‘મન કી બાત’ ઈશ્વર રૂપી જનતા જનાર્દનનાં ચરણોમાં પ્રસાદના થાળ જેવો હોય છે. ‘મન કી બાત’ મારા માટે મનની આધ્યાત્મિક યાત્રા બની ગઈ છે.
‘મન કી બાત’ સ્વથી સમષ્ટિની યાત્રા છે.
‘મન કી બાત’ અહમ્થી વયમ્ની યાત્રા છે.
આ તો હું નહીં, તું જ, એની સંસ્કાર સાધના છે.
તમે કલ્પના કરો, મારો કોઈ દેશવાસી 40-40 વર્ષથી નિર્જન પહાડી અને ઉજ્જડ જમીન પર ઝાડ રોપી રહ્યો છે, અનેક લોકો 30-30 વર્ષથી જળ સંરક્ષણ માટે વાવ અને તળાવ બનાવી રહ્યા છે, તેમની સફાઈ કરી રહ્યા છે. કોઈ 25-30 વર્ષથી નિર્ધન બાળકોને ભણાવી રહ્યું છે, કોઈ ગરીબોના ઉપચારમાં મદદ કરી રહ્યું છે. કેટલીય વાર ‘મન કી બાત’માં તેમનો ઉલ્લેખ કરતા હું ભાવુક બની ગયો છું. આકાશવાણીના સાથીઓને અનેક વાર તેને ફરીથી રેકૉર્ડ કરવું પડ્યું છે. આજે, જૂનું કેટલું બધું, આંખો સામે આવી રહ્યું છે. દેશવાસીઓના આ પ્રયાસોએ મને સતત પોતાની જાતને ખૂંપાવવાની પ્રેરણા આપી છે.
સાથીઓ, ‘મન કી બાત’માં જે લોકોનો આપણે ઉલ્લેખ કરીએ છીએ તે બધા આપણા નાયકો છે, જેમણે આ કાર્યક્રમને જીવંત બનાવ્યો છે. આજે જ્યારે આપણે 100મી કડીના મુકામ પર પહોંચ્યા છીએ તો મારી એ પણ ઈચ્છા છે કે આપણે એક વાર ફરી આ બધા નાયકો પાસે જઈને તેમની યાત્રા વિશે જાણીએ. આજે આપણે કેટલાક સાથીઓ સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરીશું. મારી સાથે જોડાઈ રહ્યા છે હરિયાણાના ભાઈ સુનિલ જગલાનજી. સુનિલ જગલાનજીનો મારા મન પર આટલો પ્રભાવ એટલા માટે પડ્યો કારણકે હરિયાણામાં લિંગ અનુપાત પર ઘણી ચર્ચા થતી હતી અને મેં પણ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’નું અભિયાન હરિયાણાથી જ શરૂ કર્યું હતું. અને તેની વચ્ચે જ્યારે સુનિલજીના ‘સેલ્ફી વિથ ડૉટર કેમ્પેઇન’ પર મારી નજર પડી તો મને ખૂબ જ સારું લાગ્યું. મેં પણ તેમની પાસેથી શીખ્યું અને તેને ‘મન કી બાત’માં સમાવિષ્ટ કર્યું. જોતજોતામાં ‘સેલ્ફિ વિથ ડૉટર’ એક વૈશ્વિક અભિયાનમાં પરિવર્તિત થઈ ગયું. અને તેમાં મુદ્દો સેલ્ફી નહોતો, ટૅક્નૉલૉજી નહોતો, પરંતુ તેમાં ડૉટરને, દીકરીને પ્રમુખતા આપવામાં આવી હતી. જીવનમાં દીકરીનું સ્થાન કેટલું મોટું હોય છે, આ અભિયાનથી તે પણ બહાર આવ્યું. આવા જ અનેક પ્રયાસનું પરિણામ છે કે આજે હરિયાણામાં લિંગ અનુપાતમાં સુધારો થયો છે. આવો, આજે સુનિલજી સાથે થોડી ગોષ્ઠિ કરીએ છીએ.
પ્રધાનમંત્રીજી- નમસ્કાર સુનિલજી,
સુનિલ- નમસ્કાર સર, મારો આનંદ ખૂબ વધી ગયો છે, સર, તમારો અવાજ સાંભળીને.
પ્રધાનમંત્રીજી- સુનિલજી, ‘સેલ્ફી વિથ ડૉટર’ દરેકને યાદ છે. આજે જ્યારે તેની ફરી ચર્ચા થઈ રહી છે, તો તમને કેવું લાગી રહ્યું છે?
સુનિલ- પ્રધાનમંત્રીજી, તે હકીકતમાં તમે જે અમારા પ્રદેશ હરિયાણાથી પાણીપતની ચોથી લડાઈ દીકરીઓના ચહેરા પર સ્મિત લાવવા માટે શરૂ કરી હતી જેને તમારા નેતૃત્વમાં સમગ્ર દેશે જીતવાનો પ્રયાસ કર્યો હતો, તો ખરેખર તે મારા માટે અને દરેક દીકરીના પિતા અને દીકરીઓને ચાહનારાઓ માટે બહુ મોટી વાત છે.
પ્રધાનમંત્રીજી- સુનિલજી, હવે તમારી દીકરીઓ કેવી છે, આજકાલ શું કરી રહી છે?
સુનિલ-જી, મારી દીકરીઓ નંદિની અને યાચિકા છે, એક સાતમા ધોરણમાં ભણે છે, એક ચોથા ધોરણમાં ભણે છે અને તમારી મોટી પ્રશંસક છે. તેમણે તમારા માટે થેંક્યૂ પ્રાઇમ મિનિસ્ટર કરીને પોતાની સહવિદ્યાર્થીઓ જે છે, વાસ્તવમાં પત્રો પણ લખાવ્યા હતા.
પ્રધાનમંત્રીજી – વાહ વાહ. અચ્છા, દીકરીઓને તમે મારા અને ‘મન કી બાત’ના શ્રોતાઓનાઘણા બધા આશીર્વાદ આપજો.
સુનિલ- ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા કારણે તો દેશની દીકરીઓના ચહેરા પર સતત સ્મિત વધી રહ્યું છે.
પ્રધાનમંત્રીજી- ખૂબ ખૂબ ધન્યવાદ, સુનિલજી.
સુનિલ- જી, ધન્યવાદ.
સાથીઓ, મને એ વાતનો ખૂબ જ સંતોષ છે કે ‘મન કી બાત’માં આપણે દેશની નારી શક્તિની સેંકડો પ્રેરણાદાયક ગાથાઓનો ઉલ્લેખ કર્યો છે. પછી તે આપણી સેના હોય કે પછી ખેલ જગત હોય,મેં જ્યારે પણ મહિલાઓની ઉપલબ્ધિઓ પર વાત કરી છે, તેની ખૂબ જ પ્રશંસા થઈ છે. જેમ કે આપણે છત્તીસગઢના દેઉર ગામની મહિલાઓની ચર્ચા કરી હતી. આ મહિલાઓ સ્વયં સહાયતા સમૂહો દ્વારા ગામના પાદર, સડકો અને મંદિરોની સફાઈ માટે અભિયાન ચલાવે છે. આ જ રીતે, તમિલનાડુની તે આદિવાસી મહિલાઓ, જેમણે હજારો Eco friendly Terracotta cups (ટેરાકૉટા કપ્સ)ની નિકાસ કરી, તેમનામાંથી પણ દેશે ખૂબ જ પ્રેરણા મેળવી. તમિલનાડુમાં જ ૨૦ હજાર મહિલાઓએ સાથે આવીને વેલ્લોરમાં નાગ નદીને પુનર્જીવિત કરી હતી. આવાં કેટલાંય અભિયાનોને આપણી નારીશક્તિએ નેતૃત્વ આપ્યું છે અને ‘મન કી બાત’ તેમના પ્રયાસોને સામે લાવવાનો મંચ બની છે.
સાથીઓ, હવે આપણી સાથે ફૉન લાઇન પર એક બીજા સજ્જન ઉપસ્થિત છે. તેમનું નામ છે મંજૂર અહમદ. ‘મન કી બાત’માં જમ્મુ-કાશ્મીરની પેન્સિલ સ્લેટના વિશે વાત કરતા મંજૂર અહમદજીનો ઉલ્લેખ થયો હતો.
પ્રધાનમંત્રીજી-મંજૂર જી, કેમ છો તમે?
મંજૂરજી- થેંક્યૂ સર...એકદમ મજામાં, સાહેબ.
પ્રધાનમંત્રીજી-‘મન કી બાત’ની આ 100મી કડીમાં તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગી રહ્યું છે.
મંજૂરજી- થેંક્યૂ સાહેબ.
પ્રધાનમંત્રીજી- અચ્છા, આ પેન્સિલ સ્લેટવાળું કામ કેવું ચાલે છે?
મંજૂરજી- ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે. સાહેબ, ખૂબ જ સારી રીતે. જ્યારથી સાહેબ તમે અમારી વાત ‘મન કી બાત’માં કરી સાહેબ, ત્યારથી ખૂબ કામ વધી ગયું, સાહેબ અને બીજાની પણ આજીવિકા ખૂબ જ વધી છે, આ કામમાં.
પ્રધાનમંત્રીજી- કેટલા લોકોને હવે આજીવિકા મળતી હશે?
મંજૂર જી- અત્યારે મારી પાસે ૨૦૦ પ્લસ છે...
પ્રધાનમંત્રીજી- અરે વાહ! મને બહુ જ ખુશી થઈ.
મંજૂરજી- જી સાહેબ, અત્યારે એક-બે મહિનામાં તેને expand કરી રહ્યો છું અને 200 લોકોની આજીવિકા વધી જશે, સાહેબ.
પ્રધાનમંત્રીજી- વાહ, વાહ! જુઓ મંજૂર જી...
મંજૂરજી – જી સાહેબ...
પ્રધાનમંત્રીજી- મને બરાબર યાદ છે અને તે દિવસે તમે મને કહ્યું હતું કે આ એક એવું કામ છે જેની ન કોઈ ઓળખ છે, ન પોતાની ઓળખ છે અને તમને ખૂબ જ વેદના હતી અને આ કારણે તમને ખૂબ જ મુશ્કેલી પડતી હતી, તે પણ તમે કહી રહ્યા હતા, પરંતુ હવે તો ઓળખ પણ બની ગઈ અને ૨૦૦થી વધુ લોકોને આજીવિકા પણ આપી રહ્યા છો.
મંજૂરજી- જી સાહેબ, જી સાહેબ.
પ્રધાનમંત્રીજી- અને નવું expansion કરીને અને 200 લોકોને આજીવિકા આપી રહ્યા છો, તે તો ખૂબ જ આનંદ થાય તેવા સમાચાર આપ્યા તમે.
મંજૂરજી- Even સાહેબ, અહીં જે ખેડૂત છે, સાહેબ, તેમને પણ આમાં ખૂબ જ ફાયદો થયો, સાહેબ, ત્યારથી. 2000નું ઝાડ વેચતા હતા, અત્યારે ત્યાં ઝાડ 5000 સુધી પહોંચી ગયાં, સાહેબ. એટલી માગ વધી ગઈ છે તેમાં ત્યારથી...અને તેમાં પોતાની ઓળખ પણ બની ગઈ છે. તેના ઘણા બધા ઑર્ડર છે, મારી પાસે સાહેબ. અત્યારે હું આગામી એક-બે મહિનામાં વધુ expand કરીને અને બસ્સો–અઢીસો, બે-ચાર ગામમાં જેટલા પણ છોકરા-છોકરીઓ છે તેમાં ઍડ્જસ્ટ થઈ શકે છે, તેમને પણ આજીવિકા મળી શકે છે, સાહેબ.
પ્રધાનમંત્રીજી- જુઓ મંજૂરજી, vocal for local ની શક્તિ કેટલી જબરદસ્ત છે, તમે તેને સાકાર કરીને દેખાડી દીધી છે.
મંજૂરજી- જી સાહેબ.
પ્રધાનમંત્રીજી- મારી તરફથી તમને અને ગામના બધા ખેડૂતોને અને તમારી સાથે કામ કરી રહેલા બધા સાથીઓને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ, ધન્યવાદ ભાઈ.
મંજૂરજી- જી,ધન્યવાદ સાહેબ.
સાથીઓ, આપણા દેશમાં આવા કેટલાય પ્રતિભાશાળી લોકો છે, જે પોતાની મહેનતનાજોરેસફળતાના શિખર સુધી પહોંચ્યા છે. મને યાદ છે, વિશાખાપટ્નમના વેંકટ મુરલી પ્રસાદજીએ એક આત્મનિર્ભર ભારત chart share કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ વધુમાં વધુ ભારતીય ઉત્પાદનોનો જ ઉપયોગ કરશે.
જ્યારે બેતિયાના પ્રમોદજીએ LEDબલ્બ બનાવવાનું નાનું યૂનિટ ચાલુ કર્યું અથવા ગઢમુક્તેશ્વરના સંતોષજીએ સાદડીઓ (mats)બનાવવાનું કામ કર્યું, ‘મન કી બાત’ જ તેમનાં ઉત્પાદનોને સહુની સામે લાવવાનું માધ્યમ બન્યું. આપણે Make In Indiaનાં અનેક ઉદાહરણોથી લઈને Space Start Ups સુધીની ચર્ચા ‘મન કી બાત’માં કરી છે.
સાથીઓ, તમને યાદ હશે, કેટલાક હપ્તા પહેલાં મેં મણિપુરનાં બહેન વિજયશાંતિ દેવીજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિજયશાંતિજી કમળના રેસાઓથી કપડાં બનાવે છે. ‘મન કી બાત’માં તેમના આ અનોખા eco friendly idea ની વાત થઈ તો તેમનું કામ વધુ popular થઈ ગયું. આજે વિજયશાંતિજી ફૉન પર આપણી સાથે છે.
પ્રધાનમંત્રીજી- નમસ્તે વિજયશાંતિજી. How are you?
વિજયશાંતિજી- Sir, I am fine.
પ્રધાનમંત્રીજી-And how’s your work going on?
વિજયશાંતિજી-Sir, still working along with my 30 women
પ્રધાનમંત્રીજી-In such a short period, you have reached 30 persons
team!
વિજયશાંતિજી- Yes sir, this year also more expand with 100 women in
my area.
પ્રધાનમંત્રીજી-So your target is 100 women...
વિજયશાંતિજી-yaa ! 100 womens.
પ્રધાનમંત્રીજી-And now people are familiar with this lotus team fiber.
વિજયશાંતિજી-Yes Sir, eveyone’s know from ‘Mann Ki Baat’ programme all over India.
પ્રધાનમંત્રીજી :- So now it’s very popular
વિજયશાંતિજી- Yes sir, from Prime Minister ‘Mann kiBaat’ programme everyone knows about lotus fibre.
પ્રધાનમંત્રીજી :- So now you got the market also ?
વિજયશાંતિજી:-Yes, I have got a market from USA also.They want to buy in bulk, in lots quantities, but I want to give from this year to send the U.S also.
પ્રધાનમંત્રીજી:- So, now you are exporter ?
વિજયશાંતિજી:-Yes sir, from this year, I export our product made in India Lotus fibre.
પ્રધાનમંત્રીજી :- So, when I say Vocal for Local and now Local for Global
વિજયશાંતિજી:-Yes sir, I want to reach my product all over the globe of all world.
પ્રધાનમંત્રીજી :- So congratulation and wish you best luck.
વિજયશાંતિજી:- Thank you sir .
પ્રધાનમંત્રીજી :- Thank you, Thank you VijayaShanti.
વિજયશાંતિજી:- Thank You sir.
સાથીઓ, ‘મન કી બાત’ની એક બીજી વિશેષતા રહી છે. ‘મન કી બાત’ દ્વારા કેટલાંય જન આંદોલનો એ જન્મ લીધો છે અને તેમણે ગતિ પણ પકડી છે. જેમ કે આપણાં રમકડાં, આપણા રમકડા ઉદ્યોગને ફરીથી સ્થાપિત કરવાનું મિશન ‘મન કી બાત’થી જ શરૂ થયું હતું. ભારતીય જાતિના શ્વાન આપણા દેશી ડૉગ્સ તેને લઈને જાગૃતિ વધારવાની શરૂઆત પણ ‘મન કી બાત’થી જ કરી હતી. આપણે એક બીજું અભિયાન શરૂ કર્યું હતું કે આપણા ગરીબ, નાના દુકાનદારો સાથે ભાવની રકઝક નહીં કરીએ, ઝગડો નહીં કરીએ. જ્યારે ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત થઈ ત્યારે પણ ‘મન કી બાત’એ દેશવાસીઓને આ સંકલ્પ સાથે જોડવામાં અગત્યની ભૂમિકા નિભાવી. આવાં દરેક ઉદાહરણ, સમાજમાં પરિવર્તનનું કારણ બન્યાં છે. સમાજને પ્રેરિત કરવાનું આવું જ બીડું પ્રદીપ સાંગવાનજીએ પણ ઉઠાવેલું છે. ‘મન કી બાત’માં આપણે પ્રદીપ સાંગવાનજીના ‘હીલિંગ હિમાલયાઝ’ અભિયાનની ચર્ચા કરી હતી. તેઓ ફૉનલાઇન પર આપણી સાથે છે.
મોદીજી- પ્રદીપજી, નમસ્કાર.
પ્રદીપજી-સર, જયહિન્દ.
મોદીજી-જય હિન્દ, જય હિન્દ, ભાઈ. કેમ છો તમે?
પ્રદીપજી-સાહેબ, ખૂબ જ મજામાં. તમારો અવાજ સાંભળીને તો વધુ મજામાં...
મોદીજી-તમે હિમાલયને heal કરવાનું વિચાર્યું.
પ્રદીપજી- હા, જી સાહેબ.
મોદીજી- અભિયાન પણ ચલાવ્યું. આજકાલ તમારું અભિયાન કેવું ચાલી રહ્યું છે?
પ્રદીપજી- સાહેબ, બહુ સારું ચાલી રહ્યું છે. 2020થી એમ માનો કે, જેટલું કામ અમે પાંચ વર્ષમાં કરતા હતા, હવે એક વર્ષમાં થઈ જાય છે.
મોદીજી-અરે વાહ!
પ્રદીપજી-હા જી, હા જી, સાહેબ. શરૂઆત ખૂબ જ નર્વસ થઈ હતી. ખૂબ જ ડર હતો એ વાતને લીધે કે જિંદગીભર આ કરી શકીશું કે નહીં કરી શકીએ. પરંતુ થોડો support મળ્યો અને 2020 સુધી અમે ખૂબ જ struggle પણ કરી રહ્યા હતા honestly. લોકો ખૂબ જ ઓછી સંખ્યામાં જોડાઈ રહ્યા હતા. ઘણા બધા એવા લોકો હતા જે support નહોતા કરી શકતા. અમારા અભિયાનને એટલું મહત્ત્વ પણ નહોતા આપી રહ્યા. But 2020 પછી જ્યારે ‘મન કી બાત’માં ઉલ્લેખ થયો તે પછી ઘણી બધી ચીજો બદલાઈ ગઈ. એટલે કે પહેલાં, અમે વર્ષમાં 6થી 7 cleaning drive કરી શકતા હતા, 10 cleaning drive કરી શકતા હતા. આજની date માં અમે daily bases પર પાંચ ટન કચરો એકઠો કરીએ છીએ, અલગ-અલગ location માં.
મોદીજી- અરે વાહ!
પ્રદીપજી- ‘મન કી બાત’માં ઉલ્લેખ થયા પછી તમે સાહેબ, believe કરો મારી વાતને, કે, હું almost give up કરવાના stage પર હતો એક ટાઇમે અને તેના પછી ઘણું બધું પરિવર્તન આવ્યું મારા જીવનમાં અને ચીજો એટલી speed up થઈ ગઈ કે જે ચીજો અમે વિચારી પણ નહોતી.
So I’m really thankful કે ખબર નહીં કઈ રીતે, અમારા જેવા લોકોને તમે શોધી નાખો છો. કોણ આટલા અંતરીયાળ વિસ્તારમાં કામ કરે છે હિમાલયના ક્ષેત્રમાં જઈને બેસીને અમે કામ કરી રહ્યા છીએ. આટલી ઊંચાઈએ અમે કામ કરી રહ્યા છીએ. ત્યાં તમે શોધી કાઢ્યા અમને. અમારા કામને દુનિયા સમક્ષ લાવ્યા. તો મારા માટે બહુ જ emotional moment હતી ત્યારે પણ અને આજે પણ કે હું જે આપણા દેશના જે પ્રથમ સેવક છે તેમની સાથે હું વાતચીત કરી શકું છું. મારા માટે તેનાથી મોટા સૌભાગ્યની વાત ન હોઈ શકે.
મોદીજી- પ્રદીપજી! તમે તો હિમાલયના શિખર પર સાચા અર્થમાં સાધના કરી રહ્યા છો અને મને પાકો વિશ્વાસ છે જ્યારે તમારું નામ સાંભળતા જ લોકોને યાદ આવી જાય છે કે તમે કેવી રીતે પહાડોની સ્વચ્છતાના અભિયાન સાથે જોડાયેલા છો.
પ્રદીપજી-હા જી સર.
મોદીજી- અને જેવું તમે જણાવ્યું કે હવે તો બહુ જ મોટી ટીમ બનતી જઈ રહી છે અને તમે આટલા મોટા પ્રમાણમાં daily કામ કરી રહ્યા છો.
પ્રદીપજી-હા જી, સર.
મોદીજી- અને મને પૂરો વિશ્વાસ છે કે તમારા આ પ્રયાસોથી, તેની ચર્ચાથી, હવે તો કેટલાય પર્વતારોહી સ્વચ્છતા સાથે જોડાયેલા photo post કરવા લાગ્યા છે.
પ્રદીપજી- હા જી, સાહેબ. ખૂબ જ.
મોદીજી-આ સારી વાત છે. તમારા જેવા સાથીઓના પ્રયાસના કારણે waste is also a wealth એ લોકોના મગજમાં હવે સ્થિર થઈ રહ્યું છે અને પર્યાવરણની પણ રક્ષા હવે થઈ રહી છે અને હિમાલય જે આપણું ગર્વ છે, તેને સંભાળવો, શણગારવો અને સામાન્ય માનવી પણ જોડાઈ રહ્યો છે. પ્રદીપજી, ખૂબ જ સારું લાગ્યું મને. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ.
પ્રદીપજી-Thank you sir. Thank you so much. જય હિન્દ.
સાથીઓ, આજે દેશમાં પર્યટન એટલી ઝડપથી વધી રહ્યું છે. આપણાં આ પ્રાકૃતિક સંસાધન હોય, નદીઓ, પહાડ, તળાવ, કે પછી આપણાં તીર્થસ્થાન હોય, તેમને સાફ રાખવાં ખૂબ જ આવશ્યક છે. તે પર્યટન ઉદ્યોગની ઘણી મદદ કરશે. પર્યટનમાં સ્વચ્છતાની સાથે-સાથે આપણે અતુલનીય ભારત ચળવળની પણ અનેક વાર ચર્ચા કરી છે. આ ચળવળમાં લોકોને પહેલી વાર એવી કેટલીય જગ્યાઓ વિશે જાણવા મળ્યું જે તેમની આસપાસ જ હતી. હું હંમેશાં કહું છું કે આપણે વિદેશોમાં પર્યટન પર જતા પહેલાં દેશમાં ઓછામાં ઓછાં ૧૫ પર્યટન સ્થાનો પર અવશ્ય જવું જોઈએ અને આ સ્થાનો જે રાજ્યમાં તમે રહો છો ત્યાંનાં ન હોવાં જોઈએ. તમારા રાજ્યની બહાર, કોઈ અન્ય રાજ્યના હોવાં જોઈએ. આ જ રીતે આપણે સ્વચ્છ સિયાચિન, single use plastic અને e-waste જેવા ગંભીર વિષયો પર પણ સતત વાત કરી છે. આજે પૂરી દુનિયા પર્યાવરણના જે issueના લીધે એટલી વ્યાકુળ છે, તેના સમાધાનમાં ‘મન કી બાત’નો આ પ્રયાસ ખૂબ જ મહત્ત્વનો છે.
સાથીઓ, ‘મન કી બાત’ અંગે મને આ વખતે એક બીજો ખાસ સંદેશ UNESCOનાં મહિલા ડીજી ઔદ્રે ઑજુલે (Audrey Azoulay) નો આવ્યો છે. તેમણે બધા દેશવાસીઓને સો એપિસૉડ (100th episodes) ની આ ભવ્ય યાત્રા માટે શુભકામનાઓ આપી છે. સાથે જ, તેમણે કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે. આવો, પહેલાં UNESCOનાં DGના મનની વાત સાંભળીએ.
#Audio (UNESCO DG)
DG UNESCO: Namaste Excellency, Dear Prime Minister on behalf of UNESCO I thank you for this opportunity to be part of the 100th episode of the ‘Mann Ki Baat’ Radio broadcast. UNESCO and India have a long common history. We have very strong partnerships together in all areas of our mandate - education, science, culture and information and I would like to take this opportunity today to talk about the importance of education. UNESCO is working with its member states to ensure that everyone in the world has access to quality education by 2030. With the largest population in the world, could you please explain Indian way to achieving thisobjective. UNESCO also works to support culture and protect heritage and India is chairing the G-20 this year. World leaders would be coming to Delhi for this event. Excellency, how does India want to put culture and education at the top of the international agenda? I once again thank you for this opportunity and convey my very best wishes through you to the people of India....see you soon. Thank you very much.
PM Modi: Thank you, Excellency. I am happy to interact with you in the 100th‘Mann kiBaat’ programme. I am also happy that you have raised the important issues of education and culture.
સાથીઓ, UNESCOનાં ડીજીએ education અને cultural preservation, અર્થાત્ શિક્ષણ અને સંસ્કૃતિ સંરક્ષણ વિશે ભારતના પ્રયાસો વિશે જાણવા માગ્યું છે. આ બંને વિષય ‘મન કી બાત’ના ગમતા વિષય રહ્યા છે.
વાત શિક્ષણની હોય કે સંસ્કૃતિની, તેના સંરક્ષણની વાત હોય કે સંવર્ધનની, ભારતની આ પ્રાચીન પરંપરા રહી છે. તે દિશામાં આજે દેશ જે કામ કરી રહ્યો છે, તે ખૂબ જ પ્રશંસનીય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય કે પ્રાદેશિક ભાષામાં અભ્યાસનો વિકલ્પ હોય, શિક્ષણમાં ટૅક્નૉલૉજીનો સમાવેશ/એકીકરણ હોય, તમને આવા અનેક પ્રયાસ જોવા મળશે. વર્ષો પહેલાં, ગુજરાતમાં વધુ સારું શિક્ષણ આપવા અને ડ્રૉપઆઉટ રેટને ઓછો કરવા માટે ‘ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ જેવા કાર્યક્રમ જનભાગીદારીના એક અદ્ભુત ઉદાહરણ બની ગયાં હતાં. ‘મન કી બાત’માં આપણે આવા કેટલાય લોકોના પ્રયાસોને હાઇલાઇટ કર્યા છે, જે નિઃસ્વાર્થ ભાવથી શિક્ષણ માટે કામ કરી રહ્યા છે. તમને યાદ હશે, એક વાર આપણે ઓડિશામાં રેકડીમાં ચા વેચનારા સ્વર્ગીય ડી. પ્રકાશરાવજી વિશે ચર્ચા કરી હતી, જે ગરીબ બાળકોને ભણાવવાના મિશન પર લાગેલા હતા.
ઝારખંડનાં ગામોમાં ડિજિટલ લાઇબ્રેરી ચલાવનારા સંજય કશ્યપજી હોય, કોરોના દરમિયાન ઇ-લર્નિંગ દ્વારા અનેક બાળકની મદદ કરનારાં હેમલતા એન. કે. જી હોય, આવાં અનેક શિક્ષકનાં ઉદાહરણ આપણે ‘મન કી બાત’માં લીધાં છે.આપણે સંસ્કૃતિ સંરક્ષણના પ્રયાસોને પણ ‘મન કી બાત’માં સતત સ્થાન આપ્યું છે.
લક્ષદ્વીપના Kummel Brothers Challengers Club હોય કે કર્ણાટકના ‘ક્વેમશ્રી’જી ‘કલા ચેતના’ જેવા મંચ હોય, દેશના ખૂણેખૂણાથી લોકોએ મને પત્ર લખીને આવાં ઉદાહરણો મોકલ્યાં છે. આપણે તે ત્રણ સ્પર્ધાઓ વિશે પણ વાત કરી હતી જે દેશભક્તિ પર હાલરડાં અને રંગોળી સાથે જોડાયેલી હતી. તમને ધ્યાનમાં હશે, એક વાર આપણે દેશભરના વાર્તા કહેનારાઓ પાસેથી વાર્તા કહેવાના માધ્યમથી શિક્ષણની ભારતીય શૈલીઓ પર ચર્ચા કરી હતી. મારો અતૂટ વિશ્વાસ છે કે સામૂહિક પ્રયાસથી મોટું પરિવર્તન લાવી શકાય છે. આ વર્ષે આપણે જ્યારે સ્વતંત્રતાના અમૃતકાળમાં આગળ વધી રહ્યા છીએ, ત્યારે જી-૨૦ની અધ્યક્ષતા પણ કરી રહ્યા છીએ. આ પણ એક કારણ છે કે શિક્ષણની સાથે-સાથે વિવિધ વૈશ્વિક સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટે આપણો સંકલ્પ વધુ મજબૂત થયો છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા ઉપનિષદોનો એક મંત્ર સદીઓથી આપણા માનસને પ્રેરણા આપતો આવ્યો છે.
चरैवेति चरैवेति चरैवेति |
ચાલતા રહો- ચાલતા રહો-ચાલતા રહો |
આજે આપણે આ ચરૈવેતિ ચરૈવેતિની ભાવના સાથે ‘મન કી બાત’નો ૧૦૦મો એપિસૉડ પૂરો કરી રહ્યા છીએ. ભારતના સામાજિક તાણાવાણાને મજબૂતી આપવામાં ‘મન કી બાત’ કોઈ પણ માળાના દોરાની જેમ છે,
જે દરેકના મનને જોડીને રાખે છે. દરેક એપિસૉડમાં દેશવાસીઓની સેવા અને સામર્થ્યએ બીજાને પ્રેરણા આપી છે. આ કાર્યક્રમમાં દરેક દેશવાસી બીજા દેશવાસીની પ્રેરણા બને છે. એક રીતે, ‘મન કી બાત’નો દરેક એપિસૉડ બીજા એપિસૉડ માટે ભૂમિકા તૈયાર કરે છે. ‘મન કી બાત’ હંમેશાં સદ્ ભાવના, સેવા ભાવના અને કર્તવ્ય ભાવનાથી જ આગળ વધી છે. સ્વતંત્રતાના અમૃત કાળમાં આ પૉઝિટિવિટી દેશને આગળ લઈ જશે, નવી ઊંચાઈ પર લઈ જશે અને મને આનંદ છે કે ‘મન કી બાત’માં જે શરૂઆત થઈ, તે આજે દેશની નવી પરંપરા પણ બની રહી છે. એક એવી પરંપરા જેમાં આપણને બધાના પ્રયાસની ભાવનાના દર્શન થાય છે.
સાથીઓ, હું આજે આકાશવાણીના સાથીઓનો પણ ધન્યવાદ કરીશ જે ખૂબ જ ધૈર્યપૂર્વક આ પૂરા કાર્યક્રમને રેકૉર્ડ કરે છે. તે અનુવાદકો, જે ખૂબ જ ઓછા સમયમાં, ખૂબ જ ઝડપથી ‘મન કી બાત’નો વિભિન્ન પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરે છે,હું તેમનો પણ આભારી છું. હું દૂરદર્શનના અને MyGovના સાથીઓને પણ ધન્યવાદ આપું છું. દેશભરની ટીવી ચૅનલો, ઇલેક્ટ્રૉનિક મિડિયાના લોકો, જે ‘મન કી બાત’ને વિના કૉમર્શિયલ બ્રૅક દેખાડે છે,
તે બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને અંતમાં, હું તેમનો પણ આભાર વ્યક્ત કરીશ જે ‘મન કી બાત’ની કમાન સંભાળી રહ્યા છે- ભારતના લોકો, ભારતમાં આસ્થા રાખનારા લોકો. આ બધું તમારી પ્રેરણા અને શક્તિથી જ સંભવ થઈ શક્યું છે.
સાથીઓ, આમ તો મારા મનમાં આજે એટલું બધું કહેવા માટે છે કે સમય અને શબ્દ બંને ઓછા પડે છે. પરંતુ મને વિશ્વાસ છે કે તમે બધાં, મારા ભાવોને સમજશો, મારી ભાવનાઓને સમજશો. તમારા પરિવારના જ એક સભ્ય તરીકે ‘મન કી બાત’ના સહારે તમારી વચ્ચે રહ્યો છું, તમારી વચ્ચે રહીશ. આગલા મહિને આપણે એક વાર ફરી મળીશું. ફરીથી નવા વિષયો અને નવી જાણકારીઓ સાથે દેશવાસીઓની સફળતાને સેલિબ્રેટ કરીશું. ત્યાં સુધી મને વિદાય આપો અને તમારું તેમજ તમારા પોતાના લોકોનું ખૂબ જ ધ્યાન રાખજો. ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપ સહુનું એક વાર ફરી ખૂબ-ખૂબ સ્વાગત છે. આજે આ ચર્ચાને શરૂ કરતાં મનમસ્તિષ્કમાં અનેક ભાવ ઉમટી રહ્યા છે. અમારો અને તમારો ‘મન કી બાત’નો આ સાથ તેના નવાણુંમા (99) હપ્તામાં પહોંચી ગયો છે. સામાન્ય રીતે આપણે આપણે સાંભળીએ છીએ કે નવાણુંનો અંક બહુ જ અઘરો હોય છે. ક્રિકેટમાં તો ‘નર્વસ નાઇન્ટિઝ’ને ખૂબ જ કઠિન પડાવ માનવામાં આવે છે. પરંતુ જ્યાં ભારતના જન-જનના ‘મનની વાત’ હોય ત્યાંની પ્રેરણા જ કંઈક અલગ હોય છે. મને એ વાતની પણ પ્રસન્નતા છે કે ‘મન કી બાત’ના સોમા (100મા) હપ્તા અંગે દેશના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. મને ઘણા સારા સંદેશાઓ મળી રહ્યા છે, ફૉન આવી રહ્યા છે. આજે જ્યારે આપણે સ્વતંત્રતાનો અમૃત કાળ મનાવી રહ્યા છીએ, નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યા છીએ, તો સોમી (100મા) ‘મન કી બાત’ અંગે તમારાં સૂચનો અને વિચારોને જાણવા માટે હું પણ ખૂબ જ ઉત્સુક છું. મને, તમારા આવાં સૂચનોની આતુરતાપૂર્વક પ્રતીક્ષા છે. આમ તો આતુરતા હંમેશાં હોય છે, પરંતુ આ વખતે પ્રતીક્ષા જરા વધુ છે. તમારાં આ સૂચનો અને વિચાર જ ૩૦ એપ્રિલે થનારા સોમી (100મા) ‘મન કી બાત’ને વધુ યાદગાર બનાવશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે, જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે, કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવ-સેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા.
આથી તો આપણને બાળપણમાં શિવિ અને દધીચિ જેવા દેહદાન કરનારાઓની વાર્તા સંભળાવવામાં આવે છે.
સાથીઓ, આધુનિક મેડિકલ સાયન્સના આ યુગમાં ઑર્ગન ડૉનેશન, કોઈને જીવન આપવાનું એક ખૂબ જ મોટું માધ્યમ બની ચૂક્યું છે. કહે છે કે જ્યારે એક વ્યક્તિ મૃત્યુ પછી પોતાનું શરીર દાન કરે છે તો તેનાથી આઠથી નવ લોકોને એક નવું જીવન મળવાની સંભાવના થાય છે. સંતોષની વાત એ છે કે આજે દેશમાં ઑર્ગન ડૉનેશન પ્રત્યે જાગૃતિ પણ વધી રહી છે. વર્ષ 2013માં આપણા દેશમાં ઑર્ગન ડૉનેશનના પાંચ હજારથી પણ ઓછા કિસ્સાઓ હતા, પરંતુ વર્ષ 2022માં આ સંખ્યા વધીને ૧૫ હજારથી વધી ગઈ છે. ઑર્ગન ડૉનેશન કરનારી વ્યક્તિઓએ, તેમના પરિવારે ખરેખર ખૂબ જ પુણ્યનું કામ કર્યું છે.
સાથીઓ, મારું ઘણા સમયથી મન હતું કે હું આવું પુણ્ય કાર્ય કરનારા લોકોના ‘મનની વાત’ જાણું અને તેને દેશવાસીઓ સાથે વહેંચું. આથી આજે ‘મન કી બાત’માં આપણી સાથે એક વહાલી દીકરી, એક સુંદર ઢીંગલીના પિતા અને તેમની માતાજી આપણી સાથે જોડાવા જઈ રહી છે. પિતાજીનું નામ છે સુખબીરસિંહ સંધૂ જી અને માતાજીનું નામ છે સુપ્રીત કૌરજી, આ પરિવાર પંજાબના અમૃતસરમાં રહે છે. ઘણી પ્રાર્થના પછી તેમને એક સુંદર ઢીંગલી, દીકરી થઈ હતી. ઘરના લોકોએ ખૂબ જ પ્રેમથી તેનું નામ રાખ્યું હતું – અબાબત કૌર. અબાબતનો અર્થ બીજાની સેવા સાથે જોડાયેલો છે. બીજાનું કષ્ટ દૂર કરવા સાથે જોડાયેલો છે. અબાબત જ્યારે માત્ર ઓગણચાલીસ (39) દિવસની હતી ત્યારે તે આ દુનિયા છોડીને ચાલી ગઈ. પરંતુ સુખબીરસિંહ સંધૂ અને તેમની પત્ની સુપ્રીત કૌરજીએ, તેમના પરિવારે ઘણો જ પ્રેરણાદાયક નિર્ણય કર્યો. આ નિર્ણય હતો- ઓગણચાલીસ (39) દિવસની ઉંમરની દીકરીના અંગદાનનો- ઑર્ગન ડૉનેશનનો. આપણી સાથે આ સમયે ફૉન લાઇન પર સુખબીરસિંહ અને તેમનાં શ્રીમતીજી ઉપસ્થિત છે. આવો, તેમની સાથે વાત કરીએ.
પ્રધાનમંત્રીજી:- સુખબીરજી નમસ્તે.
સુખબીરજી:- નમસ્તે માનનીય પ્રધાનમંત્રીજી. સત શ્રી અકાલ.
પ્રધાનમંત્રીજી:- સત શ્રીઅકાલજી, સત શ્રી અકાલજી, સુખબીરજી, હું આજે ‘મન કી બાત’ના સંદર્ભમાં વિચારી રહ્યો હતો તો મને લાગ્યું કે અબાબતની વાત એટલી પ્રેરણાદાયક છે કે તે તમારા જ મોંઢે સાંભળું કારણકે ઘરમાં દીકરીનો જન્મ જ્યારે થાય છે તો અનેક સપના, અનેક ખુશીઓ લઈને આવે છે, પરંતુ દીકરી આટલી જલ્દી ચાલી જાય તે કષ્ટ કેટલું ભયંકર હશે તેનો પણ હું અંદાજ લગાવી શકું છું. જે રીતે તમે નિર્ણય કર્યો, તો હું બધી વાત જાણવા માગું છું, જી.
સુખબીરજી:- સર, ભગવાને ખૂબ જ સારું બાળક આપ્યું હતું અમને, ખૂબ જ વ્હાલી ઢીંગલી અમારા ઘરમાં આવી હતી. તેના જન્મતાં જ અમને ખબર પડી કે તેના મગજમાં નાડીઓનો એક એવો ગુચ્છો બનેલો છે કે જેના કારણે તેના હૃદયનો આકાર મોટો થઈ રહ્યો છે. તો અમે ચિંતા પડી ગયાં કે બાળકની તબિયત આટલી સારી છે , આટલું સુંદર છે અને આટલી મોટી સમસ્યા લઈને જન્મ્યું છે. પહેલા ૨૪ દિવસ સુધી તો બાળક ઘણું ઠીક રહ્યું, બિલકુલ નૉર્મલ રહ્યું. અચાનક તેનું હૃદય, એકદમ કામ કરવાનું બંધ થઈ ગયું, તો અમે તરત જ તેને હૉસ્પિટલ લઈને ગયા, ત્યાં ડૉક્ટરોએ તેને જીવતી તો કરી દીધી, પરંતુ સમજવામાં સમય લાગ્યો કે તેને શું તકલીફ પડી, આટલી મોટી તકલીફ નાના બાળકને અને અચાનક હૃદયરોગનો હુમલો થયો તો અમે તેને સારવાર માટે પીજીઆઈ ચંડીગઢ લઈ ગયા. પરંતુ બીમારી એવી હતી કે તેની સારવાર આટલી નાની ઉંમરમાં સંભવ નહોતી. ડૉક્ટરોએ ઘણો પ્રયાસ કર્યો કે તેને જીવતી કરવામાં આવે. જો છ મહિના સુધી બાળક જીવી જાય તો તેના ઑપરેશનનું વિચારી શકાય તેમ હતું. પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું, માત્ર ૩૯ દિવસની જ્યારે થઈ ત્યારે ડૉક્ટરે કહ્યું કે તેને ફરી વાર હૃદયરોગનો હુમલો થયો છે. હવે આશા બહુ જ ઓછી રહી ગઈ હતી. તો અમે બંને પતિ-પત્ની રોતાંરોતાં એવા નિર્ણય પર પહોંચ્યા કે અમે જોયું હતું તેને બહાદુરીથી ઝઝૂમતા, વારંવાર એવું લાગી રહ્યુ હતું કે જાણે હવે ચાલી જશે, પરંતુ તે ફરી બેઠી થઈ જતી હતી, તો અમને એવું લાગ્યું કે આ બાળકનો અહીં આવવાનો કોઈ હેતુ છે તો તેણે જ્યારે બિલકુલ જ જવાબ દઈ દીધો તો અમે બંનેએ નિર્ણય કર્યો કે શા માટે આપણે આ બાળકના ઑર્ગન ડૉનેટ ન કરી દઈએ. કદાચ, બીજા કોઈના જીવનમાં ઉજાસ આવી જાય, પછી અમે પીજીઆઈના જે ઍડ્મિનિસ્ટ્રેટિવ બ્લૉક છે તેમાં સંપર્ક કર્યો અને તેમણે અમને માર્ગદર્શન આપ્યું કે આટલા નાના બાળકની માત્ર કિડની જ લઈ શકાય છે. પરમાત્માએ હિંમત આપી ગુરુ નાનક સાહેબનું ચિંતન છે. આ વિચારથી અમે નિર્ણય લઈ લીધો.
પ્રધાનમંત્રીજી:- ગુરુઓએ જે ઉપદેશ આપ્યો છે જી, તેને તમે જીવીને બતાવ્યો છે. સુપ્રીતજી છે શું? તેમની સાથે વાત થઈ શકશે?
સુખબીરજી:- જી સર.
સુપ્રીતજી:- હેલ્લો.
પ્રધાનમંત્રીજી:- સુપ્રીતજી, હું તમને પ્રણામ કરું છું.
સુપ્રીતજી:- નમસ્કાર, સર નમસ્કાર સર. આ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે આપ અમારી સાથે વાત કરી રહ્યા છો.
પ્રધાનમંત્રીજી:- તમે આટલું મોટું કામ કર્યું છે અને હું માનું છું કે દેશ જ્યારે આ બધી વાતો સાંભળશે તો ઘણા લોકો કોઈનો જીવ બચાવવા માટે આગળ આવશે. અબાબતનું આ યોગદાન છે, તે ખૂબ જ મોટું છે જી.
સુપ્રીતજી:- સર, આ પણ ગુરુ નાનક બાદશાહજીની કદાચ ભેટ હતી કે તેમણે હિંમત આપી, આવો નિર્ણય લેવામાં.
પ્રધાનમંત્રીજી- ગુરુઓની કૃપા વગર તો કંઈ બની જ ન શકે જી.
સુપ્રીતજી:- બિલકુલ સર, બિલકુલ.
પ્રધાનમંત્રીજી:- સુખબીરજી, જ્યારે તમે હૉસ્પિટલાં હતાં અને આ હચમચાવી દે તેવા સમાચાર જ્યારે ડૉક્ટરે તમને આપ્યા, તે પછી પણ તમે સ્વસ્થ મનથી તમે અને તમારાં શ્રીમતીજીએ આટલો મોટો નિર્ણય કર્યો, ગુરુઓનો ઉપદેશ તો છે જ કે તમારા મનમાં આટલો મોટો ઉદાર વિચાર અને સાચે જ અબાબતનો જે અર્થ સામાન્ય ભાષામાં કહીએ તો મદદગાર થાય છે. આ કામ કરી દીધું, તે પળ વિશે હું સાંભળવા માગું છું.
સુખબીરજી:- સર, ખરેખર તો અમારા એક પારિવારિક મિત્ર છે- પ્રિયાજી. તેમણે પોતાનાં ઑર્ગન ડૉનેટ કર્યાં હતાં. તેમનામાંથી પણ અમને પ્રેરણા મળી તો તે સમયે અમને લાગ્યું કે શરીર તો પંચ તત્ત્વોમાં વિલીન થઈ જશે. જ્યારે કોઈ જુદું પડી જાય છે, ચાલ્યું જાય છે તો તેના શરીરને સળગાવી દેવામાં આવે છે કે દાટી દેવામાં આવે છે, પરંતુ જો તેનાં ઑર્ગન કોઈનાં કામમાં આવી જાય તો આ ભલાઈનું જ કામ છે અને તે સમયે, અમને વધુ ગર્વની અનુભૂતિ થઈ જ્યારે ડૉક્ટરે, કહ્યું અમને કે, તમારી દીકરી ભારતની સૌથી નાની ઉંમરની દાતા બની છે, જેનાં ઑર્ગન સફળતાપૂર્વક પ્રત્યારોપિત થયાં, તો અમારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું કે જે નામ અમે અમારાં માતાપિતાનું, આટલી ઉંમર સુધી ન કરી શક્યાં, એક નાનકડી બાળકી આવીને આટલા દિવસોમાં અમારું નામ ઊંચું કરી ગઈ અને તેનાથી બીજી મોટી વાત એ છે કે આજે તમારી સાથે વાત થઈ રહી છે આ વિષયમાં. અમે ગર્વની અનુભૂતિ કરી રહ્યા છીએ.
પ્રધાનમંત્રીજી:- સુખબીરજી, આજે તમારી દીકરીનું માત્ર એક જ અંગ જીવિત છે તેવું નથી. તમારી દીકરી માનવતાની અમરગાથાની અમર યાત્રી બની ગઈ છે. તેના શરીરના અંશના મારફત તે આજે પણ ઉપસ્થિત છે. આવા ઉમદા ભલાઈના કામ માટે, હું તમને, તમારાં શ્રીમતીજીની, તમારા પરિવારની પ્રશંસા કરું છું.
સુખબીરજી:- આપનો આભાર સર.
સાથીઓ, ઑર્ગન ડૉનેશન માટે સૌથી મોટી ધગશ એ જ હોય છે કે જતાં-જાં પણ કોઈનું ભલું થઈ જાય. કોઈનું જીવન બચી જાય. જે લોકો ઑર્ગન ડૉનેશનની રાહ જુએ છે, તેઓ જાણે છે કે રાહની એક-એક પળ વિતાવવી, કેટલી મુશ્કેલ હોય છે. અને આવામાં જ્યારે કોઈ અંગદાન કે દેહદાન કરનારું મળી જાય છે તો તેમાં ઈશ્વરનું સ્વરૂપ જ દેખાય છે. ઝારખંડનાં નિવાસી સ્નેહલતા ચૌધરીજી પણ આવી જ હતી જેમણે ઈશ્વર બનીને બીજાને જિંદગી આપી. ૬૩ વર્ષની સ્નેહલતા ચૌધરીજી, પોતાનું હૃદય, કિડની અને લિવર દાન કરીને ચાલી ગઈ. આજે ‘મન કી બાત’માં તેમના ભાઈ અભિજીત ચૌધરી પણ અમારી સાથે છે. આવો તેમની પાસેથી સાંભળીએ.
પ્રધાનમંત્રીજી:- અભિજીતજી, નમસ્કાર.
અભિજીતજી:- પ્રણામ સર.
પ્રધાનમંત્રીજી:- અભિજીતજી, તમે એક એવી માતાના દીકરા છો જેમણે તમને જન્મ આપીને એક રીતે જીવન તો આપ્યું જ, પરંતુ પોતાના મૃત્યુ પછી પણ તમારી માતા જી અનેક લોકોને જીવન આપીને ગયાં. એક પુત્ર તરીકે અભિજીત જી, તમે જરૂર ગર્વ અનુભવતા હશો.
અભિજીતજી:- હા જી સર.
પ્રધાનમંત્રીજી:- તમે, તમારી માતાજીના વિશે જરા જણાવો, કઈ પરિસ્થિતિઓમાં ઑર્ગન ડૉનેશનનો નિર્ણય લેવામાં આવ્યો?
અભિજીતજી:- મારી માતાજી સરાઇકેલા નામનું એક નાનકડું ગામ છે, ઝારખંડમાં, ત્યાં મારાં મમ્મીપપ્પા બંને રહે છે. તેઓ છેલ્લાં પચ્ચીસ વર્ષથી સતત મૉર્નિંગ વૉક કરતા હતા અને પોતાની ટેવ મુજબ સવારે ચાર વાગે પોતાના મૉર્નિંગ વૉક માટે નીકળ્યાં હતાં. તે સમયે એક મૉટરસાઇકલવાળાએ તેમને પાછળથી ધક્કો માર્યો અને તેઓ તે સમયે પડી ગયાં જેનાથી તેમના માથામાં ખૂબ જ ગંભીર ઈજા થઈ. તરત જ અમે લોકો તેમને સદર હૉસ્પિટલ સરાઈકેલા લઈ ગયા જ્યાં ડૉક્ટર સાહેબે તેમને મલમ પટ્ટી કરી પરંતુ લોહી બહુ નીકળી રહ્યું હતું. અને તેમને કોઈ ભાન નહોતું. તરત જ અમે લોકો તેમને ટાટા મેઇન હૉસ્પિટલ લઈને ચાલ્યા ગયા. ત્યાં તેમની સર્જરી થઈ, 48 કલાકના ઑબ્ઝર્વેશન પછી ડૉક્ટર સાહેબે કહ્યું કે હવે તક ઘણી ઓછી છે. પછી અમે તેમને ઍરલિફ્ટ કરીને દિલ્લીની એઇમ્સ લઈ આવ્યાં અમે લોકો. ત્યાં તેમની ટ્રીટમેન્ટ થઈ લગભગ સાત-આઠ દિવસ. તે પછી પૉઝિશન ઠીક હતી, એકદમ તેમનું બ્લડ પ્રૅશર નીચું આવી ગયું. તે પછી ખબર પડી કે તેમનું બ્રેઇન ડેડ થઈ ગયું છે. તે પછી ડૉક્ટર સાહેબ અમને પ્રૉટોકૉલ સાથે બ્રીફ કરી રહ્યા હતા ઑર્ગન ડૉનેશન વિશે. અમે અમારા પિતાજીને કદાચ આ વાત જણાવી ન શકત, કે ઑર્ગન ડૉનેશન જેવી કોઈ ચીજ પણ હોય છે, કારણકે અમને લાગ્યું કે તેઓ એ વાતને પચાવી નહીં શકે તો તેમના મગજમાંથી અમે એ કાઢવા માગતા હતા કે આવું કંઈ ચાલી રહ્યું છે. જેવું જ અમે તેમને કહ્યું કે ઑર્ગન ડૉનેશનની વાત ચાલી રહી છે ત્યારે તેમણે એવું કહ્યું કે નહીં, નહીં, મમ્મીની આ બહુ ઈચ્છા હતી અને આપણે આમ કરવાનું છે. અમે ઘણા નિરાશ થઈ ગયા તે સમય સુધી, જ્યાં સુધી અમને એ ખબર પડી કે મમ્મી નહીં બચી શકે, પરંતુ જેવી આ ઑર્ગન ડૉનેશનવાળી ચર્ચા શરૂ થઈ તો નિરાશા એક ખૂબ જ સકારાત્મક બાજુ ચાલી ગઈ અને અમે ઘણા એક ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આવી ગયા.તેને કરતાં-કરતાં પછી અમે લોકો, રાત્રે આઠ વાગે કાઉન્સેલિંગ થયું. બીજા દિવસે, અમે લોકોએ ઑર્ગન ડૉનેશન ક ર્યું. તેમાં મમ્મીની એક વિચારસરણી બહુ જ મોટી હતી કે પહેલાં તે નેત્રદાન અને આ બધી ચીજોમાં- સામાજિક પ્રવૃત્તિઓમાં ઘણી જ સક્રિય હતી. કદાચ આ જ વિચારને કારણે આટલી મોટી ચીજ અમે લોકો કરી શક્યા અને મારા પિતાજીનો જે નિર્ણય હતો તે ચીજ વિશે, આ કારણે તે ચીજ થઈ શકી.
પ્રધાનમંત્રીજી:- કેટલા લોકોના કામ આવ્યાં અંગો?
અભિજીતજી:- તેમનું હૃદય, તેમની બે કિડની, લિવર અને બંને આંખ...આ ડૉનેશન થયું હતું તો ચાર લોકોનો જીવ અને બે જણાને આંખ મળી છે.
પ્રધાનમંત્રીજી:- અભિજીતજી, તમારા પિતાજી અને માતાજી બંને નમનના અધિકારી છે. હું તેમને પ્રણામ કરું છું અને તમારા પિતાજીએ આટલા મોટા નિર્ણયમાં, તમારા પરિવારજનોનું નેતૃત્વ કર્યું તે ખરેખર ખૂબ જ પ્રેરક છે અને હું માનું છું કે મા તો મા જ હોય છે. માતા પોતાની રીતે પ્રેરણા હોય છે, પરંતુ માતા જે પરંપરાઓ છોડીને જાય છે તે એક પછી એક પેઢીએ, ખૂબ જ મોટી તાકાત બની જાય છે. અંગદાન માટે તમારી માતાજીની પ્રેરણા આજે પૂરા દેશ સુધી પહોંચી રહી છે. હું તમારા આ પવિત્ર કાર્ય અને મહાન કાર્ય માટે તમારા સમગ્ર પરિવારને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. અભિજીતજી, ધન્યવાદ જી અને તમારા પિતાજીને અમારા પ્રણામ અવશ્ય કહેજો.
અભિજીતજી:- જરૂર, જરૂર, થેંક યૂ.
સાથીઓ, ૩૯ દિવસની અબાબત કૌર હોય કે ૬૩ વર્ષનાં સ્નેહલતા ચૌધરી, તેમના જેવા દાનવીર, આપણને જીવનનું મહત્ત્વ સમજાવીને જાય છે. આપણા દેશમાં, આજે મોટી સંખ્યામાં એવા જરૂરિયાતવાળા છે જે સ્વસ્થ જીવનની આશામાં કોઈ અંગ દાન કરનારાની પ્રતીક્ષા કરે છે. મને સંતોષ છે કે અંગદાનને સરળ બનાવવા અને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશમાં એક જેવી નીતિ પર પણ કામ થઈ રહ્યું છે. આ દિશામાં રાજ્યોની ડૉમિસાઇલ જેવી શરતને હટાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, અર્થાત્, હવે દેશના કોઈ પણ રાજ્યમાં જઈને દર્દી અંગ પ્રાપ્ત કરવા માટે નોંધણી કરાવી શકશે. સરકારે ઑર્ગન ડૉનેશન નાટે ૬૫ વર્ષથી ઓછી આયુની સીમાને પણ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેમના પ્રયાસો વચ્ચે, મારો દેશવાસીઓને અનુરોધ છે કે ઑર્ગન ડૉનર, વધુમાં વધુ સંખ્યામાં આગળ આવે. તમારો એક નિર્ણય, અનેક લોકોની જિંદગી બચાવી શકે છે, જિંદગી બનાવી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ નવરાત્રિનો સમય છે, શક્તિની ઉપાસનાનો સમય છે. આજે, ભારતનું જે સામર્થ્ય નવી રીતે નિખરીને સામે આવી રહ્યું છે, તેમાં ઘણી મોટી ભૂમિકા આપણી નારી શક્તિની છે. અત્યારે એવાં અનેક ઉદાહરણ આપણી સામે આવ્યાં છે. તમે સૉશિયલ મિડિયા પર, એશિયાની પહેલી મહિલા લૉકો પાઇલૉટ સુરેખા યાદવજીને જરૂર જોયાં હશે. સુરેખાજી એક વધુ કીર્તિમાન રચતાં, વંદે ભારત ઍક્સ્પ્રેસનાં પણ પહેલાં મહિલા લૉકો પાઇલૉટ બની ગયાં છે. આ મહિને, નિર્માતા ગુનીત માંગા અને નિર્દેશક કાર્તિકી ગોંસાલ્વિસની દસ્તાવેજી ‘એલિફન્ટ વ્હિસ્પર્સ’એ ઑસ્કાર જીતીને દેશનું નામ ઉજાળ્યું છે. દેશ માટે એક વધુ ઉપલબ્ધિ ભાભા એટૉમિક રિસર્ચ સેન્ટરનાં વૈજ્ઞાનિક બહેન જ્યોતિર્મયી મોહંતીજીએ પણ પ્રાપ્ત કરી છે.જ્યોતિર્મયીજીને કેમિસ્ટ્રી અને કેમિકલ ઍન્જિનિયરિંગના ક્ષેત્રમાં IUPACનો વિશેષ એવૉર્ડ મળ્યો છે. આ વર્ષની શરૂઆતમાં જ ભારતની અંડર-૧૯ મહિલા ક્રિકેટ ટીમે ટી-20 વિશ્વ કપ જીતીને નવો ઇતિહાસ રચ્યો. જો તમે રાજનીતિ તરફ જોશો તો એક નવી શરૂઆત નાગાલેન્ડમાં થઈ છે. નાગાલેન્ડમાં 75 વર્ષમાં પહેલી વાર બે મહિલા ધારાસભ્યો જીતીને વિધાનસભા પહોંચી છે. તેમાંથી એકને નાગાલેન્ડ સરકારમાં મંત્રી પણ બનાવાયાં છે. અર્થાત્ રાજ્યના લોકોને પહેલી વાર એક મહિલા મંત્રી પણ મળ્યાં છે.
સાથીઓ, કેટલાક દિવસો પહેલાં મારી મુલાકાત, એ વીર દીકરીઓ સાથે થઈ, જે તુર્કિએમાં વિનાશકારી ભૂકંપ પછી ત્યાંના લોકોની મદદ માટે ગઈ હતી. તે બધી એનડીઆરએફની ટુકડીમાં સહભાગી હતી. તેમનાં સાહસ અને કુશળતાની સમગ્ર દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ શાંતિસેનામાં માત્ર મહિલાની પ્લાટૂનની પણ તૈનાતી કરવામાં આવી છે.
આજે, દેશની દીકરીઓ, આપણી ત્રણેય સેનામાં, પોતાના શૌર્યનો ધ્વજ ઊંચાઈએ ફરકાવી રહી છે. ગ્રૂપ કૅપ્ટન શાલિજા ધામી કૉમ્બેટ યૂનિટમાં કમાન્ડ ઍપૉઇન્ટમેન્ટ મેળવનારી પહેલી મહિલા વાયુ સેના અધિકારી બની છે. તેમની પાસે લગભગ ૩ હજાર કલાકનો ઉડ્ડયન અનુભવ છે. આ રીતે, ભારતીય સેનાની વીર કૅપ્ટન શિવા ચૌહાણ સિયાચીનમાં તૈનાત થનારી પહેલી મહિલા અધિકારી બની છે. સિયાચિનમાં જ્યાં પારો ઋણ સાઇઠ (-60) ડિગ્રી સુધી ચાલ્યો જાય છે, ત્યાં શિવા ત્રણ મહિનાઓ સુધી તૈનાત રહેશે.
સાથીઓ, આ સૂચિ એટલી લાંબી છે કે અહીં બધાંની ચર્ચા કરવી પણ મુશ્કેલ છે. આવી બધી મહિલાઓ, આપણી દીકરીઓ, આજે, ભારત અને ભારતનાં સપનાંઓને ઊર્જા આપી રહી છે. નારીશક્તિની આ ઊર્જા જ વિકસિત ભારતનો પ્રાણવાયુ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં સ્વચ્છ ઊર્જા, રિન્યૂએબલ એનર્જીની ઘણી વાતો થઈ રહી છે. હું, જ્યારે વિશ્વમાં લોકોને મળું છૂં તો તેઓ આ ક્ષેત્રમાં ભારતની અભૂતપૂર્વ સફળતાની જરૂર ચર્ચા કરે છે. ખાસ કરીને ભારત સૉલાર ઍનર્જીના ક્ષેત્રમાં જે ઝડપથી આગળ વધી રહ્યું છે તે પોતાની રીતે એક મોટી ઉપલબ્ધિ છે. ભારતના લોકો તો સદીઓથી સૂર્ય સાથે વિશેષ રીતે સંબંધ રાખે છે. આપણે ત્યાં સૂર્યની શક્તિ વિશે જે વૈજ્ઞાનિક સમજ રહી છ, સૂર્યની ઉપાસનાની જે પરંપરા રહી છે, તે અન્ય સ્થાનો પર, ઓછી જોવા મળે છે. મને આનંદ છે કે આજે દરેક દેશવાસી સૌર ઊર્જાનું મહત્ત્વ પણ સમજી રહ્યો છે અને ‘ક્લીન એનર્જી’માં પોતાનું યોગદાન પણ આપવા ઈચ્છે છે. ‘સૌનો પ્રયાસ’ની આ જ લાગણી આજે ભારતના સૉલાર મિશનને આગળ વધારી રહી છે. મહારાષ્ટ્રના પૂણેમાં, આવા જ એક ઉત્કૃષ્ટ પ્રયાસે મારું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અહીં MSR-Olive Housing Society ના લોકોએ નક્કી કર્યું કે તેઓ સૉસાયટીમાં પીવાનું પાણી, લિફ્ટ અને લાઇટ જેવા સામૂહિક ઉપયોગની ચીજો, હવે સૉલાર એનર્જીથી જ ચલાવશે. તે પછી આ સૉસાયટી બધાએ મળીને સૉલાર પેનલ લગાવી. આજે આ સૉલાર પેનલથી દર વર્ષે લગભગ 90 હજાર કિલો વૉટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. તેનાથી દર મહિને લગભગ 40,000 રૂપિયાની બચત થઈ રહી છે. આ બચતનો લાભ સૉસાયટીના બધા લોકોને થઈ રહ્યો છે.
સાથીઓ, પૂણેની જેમ જ દમણ-દીવમાં જે દીવ છે, જે એક અલગ જિલ્લો છે, ત્યાંના લોકોએ પણ, એક અદ્ભુત કામ કરીને દેખાડ્યું છે. તમે જાણતા જ હશો કે દીવ, સોમનાથ પાસે છે. દીવ ભારતનો પહેલો એવો જિલ્લો બન્યો છે જે દિવસના સમયે, બધી જરૂરિયાતો માટે સો ટકા ક્લીન એનર્જીનો ઉપયોગ કરી રહ્યો છે.દીવની આ સફળતાનો મંત્ર પણ ‘સૌના પ્રયાસ’ જ છે. ક્યારેક ત્યાં વીજળી ઉત્પાદન માટે સંસાધનોનો પડકાર હતો. લોકોએ આ પડકારના સમાધાન માટે સૉલાર એનર્જીને પસંદ કરી. ત્યાં ઉજ્જડ જમીન અને અનેક ઈમારતો પર સૉલાર પેનલલગાવવામાં આવી. આ પેનલથી, દીવમાં, દિવસના સમયે, જેટલી વીજળીની જરૂરિયાત હોય છે, તેનાથી વધુ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. આ સૉલાર પ્રૉજેક્ટથી, વીજળી ખરીદી પર ખર્ચ થતા લગભગ બાવન કરોડ રૂપિયા પણ બચ્યા છે. તેનાથી પર્યાવરણની પણ મોટી રક્ષા થઈ છે.
સાથીઓ, પૂણે અને દીવે જે કરીને દેખાડ્યું છે, આવા પ્રયાસો દેશભરમાં અન્ય અનેક જગ્યાએ પણ થઈ રહ્યા છે. તેનાથી ખબર પડે છે કે પર્યાવરણ અને પ્રકૃતિ વિશે આપણે ભારતીયો કેટલા સંવેદનશીલ છીએ, અને આપણો દેશ, કેવી રીતે ભવિષ્યની પેઢી માટે ખૂબ જ જાગૃત છે. હું આ પ્રકારના બધા પ્રયાસોની હૃદયથી પ્રશંસા કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં સમય સાથે સ્થિતિ-પરિસ્થિતિઓ અનુસાર, અનેક પરંપરાઓ વિકસિત થાય છે. આ પરંપરાઓ, આપણી સંસ્કૃતિનું સામર્થ્ય વધારે છે અને તેને નિત્ય નૂતન પ્રાણશક્તિ પણ આપે છે. કેટલાક મહિનાઓ પહેલાં આવી જ એક પરંપરા શરૂ થઈ કાશીમાં. કાશી-તમિલ સંગમમ્ દરમિયાન, કાશી અને તમિલ ક્ષેત્રની વચ્ચે સદીઓથી ચાલી રહેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરવામાં આવી. આપણે જ્યારે એકબીજા વિશે જાણીએ છીએ, શીખીએ છીએ, તો એકતાની આ ભાવના વધુ પ્રગાઢ થાય છે. એકતાની આ ભાવના સાથે આગામી મહિને ગુજરાતના વિભિન્ન હિસ્સાઓમાં સૌરાષ્ટ્ર–તમિલ સંગમમ્ થવા જઈ રહ્યો છે.સૌરાષ્ટ્ર–તમિલ સંગમમ્ ૧૭થી ૩૦ એપ્રિલ સુધી ચાલશે. ‘મન કી બાત’ના કેટલાક શ્રોતાઓ અવશ્ય વિચારતા હશે કે ગુજરાતના સૌરાષ્ટ્રનો તમિલનાડુ સાથે શું સંબંધ છે? વાસ્તવમાં, સદીઓ પહેલાં સૌરાષ્ટ્રના અનેક લોકો તમિલનાડુના અલગ-અલગ હિસ્સાઓમાં વસી ગયા હતા. આલોકો આજે ‘સૌરાષ્ટ્રી તમિલ’ના નામથી ઓળખાય છે. તેમની ખાણીપીણી, રહેણીકરણી, સામાજિક સંસ્કારોમાં આજે પણ કંઈક-કંઈક સૌરાષ્ટ્રની ઝલક જોવા મળી જાય છે. મને આ આયોજન અંગે તમિલનાડુના ઘણા બધા લોકોના પ્રશંસા ભરેલા પત્રો મળ્યા છે. મદુરાઈમાં રહેતા જયચંદ્રજીએ એક ખૂબ જ ભાવુક વાત લખી છે. તેમણે કહ્યું કે “હજારો વર્ષ પછી, પહેલી વાર કોઈએ સૌરાષ્ટ્ર-તમિલના આ સંબંધો વિશે વિચાર્યું છે. સૌરાષ્ટ્રથી તમિલનાડુ આવીને વસેલા લોકોને પૂછ્યું છે.” જયચંદ્રજીની વાતો, હજારો તમિલ ભાઈ-બહેનોની અભિવ્યક્તિ છે.
સાથીઓ, ‘મન કી બાત’ના શ્રોતાઓને, હું, આસામ સાથે જોડાયેલા એક સમાચાર વિશે કહેવા માગું છું. આ પણ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરે છે. તમે બધાં જાણો છો કે આપણે વીર લાસિત બોરફૂકનજીની 400મી જયંતી ઉજવી રહ્યા છીએ. વીર લાસિત બોરફૂકને અત્યાચારી મોગલ સલ્તનતના હાથોમાંથી ગુવાહાટીને સ્વતંત્ર કરાવ્યું હતું. આજે દેશ, આ મહાન યૌદ્ધાના અદમ્ય સાહસથી પરિચિત થઈ રહ્યો છે. કેટલાક દિવસો પહેલાં, લાસિત બોરફૂકનના જીવન પર આધારિત નિબંધ લેખનનું એક અભિયાન ચલાવાયું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેના માટે લગભગ ૪૫ લાખ લોકોએ નિબંધ મોકલ્યા. તમને એ જાણીને પણ આનંદ થશે કે હવે તે ગીનિઝ રેકૉર્ડ બની ચૂક્યો છે. અને સૌથી મોટી વાત એ છે અને વધુ પ્રસન્નતાની વાત એ છે કે વીર લાસિત બોરફૂકન પર આ જે નિબંધ લખવામાં આવ્યા છે તેમાં લગભગ ૨૩ અલગ-અલગ ભાષાઓમાં લખાયા છે અને લોકોએ મોકલ્યા છે.તેમાં, અસમિયા ભાષા ઉપરાંત હિન્દી, અંગ્રેજી, બાંગ્લા, બોડો, નેપાળી, સંસ્કૃત, સંથાલી જેવી ભાષાઓમાં લોકોએ નિબંધો મોકલ્યા છે. હું આ પ્રયાસનો હિસ્સો બનેલા બધાં લોકોની હૃદયથી પ્રશંસા કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે કાશ્મીર કે શ્રીનગરની વાત થાય છે તો સૌથી પહેલાં, આપણી સામે, તેની ઘાટીઓ અને ડલ સરોવરની તસવીર આવે છે. આપણામાંથી પ્રત્યેક ડાલ સરોવરના દૃશ્યનો આનંદ માણવા માગે છે પરંતુ ડલ ઝીલમાં એક બીજી વાત વિશેષ છે. ડલ ઝીલ, પોતાના સ્વાદિષ્ટ લૉટસ સ્ટેમ્સ- કમલની દાંડી અથવા કમળ કાકડી માટે પણ ઓળખાય છે. કમળની દાંડીને દેશના અલગ-અલગ સ્થાનોમાં, અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. કાશ્મીરમાં તેને નાદરુ કહે છે. કાશ્મીરના નાદરુની માગ સતત વધી રહી છે. આ માગને જોતાં ડલ સરોવરમાં નાદરુની ખેતી કરનારા ખેડૂતોએ એક એફપીઓ બનાવ્યું છે. આ એફપીઓમાં લગભગ 250 ખેડૂતો જોડાયા છે. આજે આ ખેડૂતો પોતાના નાદરુને વિદેશોમાં પણ મોકલવા લાગ્યા છે. હજુ થોડા સમય પહેલાં જઆ ખેડૂતોએ એની બે સામાન (ખેપ) યુએઇ મોકલી છે. આ સફળતા કાશ્મીરનું નામ તો કરી જ રહી છે, સાથે જ, તેનાથી સેંકડો ખેડૂતોની આવક પણ વધી છે.
સાથીઓ, કાશ્મીરના લોકોનો કૃષિ સાથે જ જોડાયેલો આવો જ એક બીજો પ્રયાસ આજકાલ પોતાની સફળતાની સુગંધ ફેલાવી રહ્યો છે. તમે વિચારતા હશો કે હું સફળતાની સુગંધ કેમ બોલી રહ્યો છું. વાત છે જ સુગંધની. સુવાસની તો વાત છે. હકીકતે, જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાં એક નગર છે ‘ભદરવાહ’. ત્યાંના ખેડૂતો દાયકાઓથી મકાઈની પારંપરિક ખેતી કરતા આવ્યા છે. પરંતુ કેટલાક ખેડૂતોએ કંઈક અલગ કરવાનું વિચાર્યું. તેઓ ફ્લૉરીકલ્ચર, અર્થાત્ ફૂલોની ખેતી તરફ વળ્યા. આજે, ત્યાંના લગભગ ૨૫ સો ખેડૂતો (અઢી હજાર ખેડૂતો) લવેન્ડરની ખેતી કરી રહ્યા છે. તેને કેન્દ્ર સરકારના એરોમા મિશનની મદદ પણ મળી છે. આ નવી ખેતીએ ખેડૂતોની આવકમાં મોટી વૃદ્ધિ કરી છે અને આજે, લવેન્ડરની સાથેસાથે તેની સફળતાની સુવાસ પણ દૂર-દૂર સુધી ફેલાઈ રહી છે.
સાથીઓ, જ્યારે કાશ્મીરની વાત હોય, કમળની વાત હોય, ફૂલની વાત હોય, સુગંધની ત હોય તો કમળના ફૂલ પર બિરાજરમાન રહેનારાં માતા શારદાનું સ્મરણ થવું બહુ જ સ્વાભાવિક છે. કેટલાક દિવસો પહેલાં કુપવાડામાં માતા શારદાના ભવ્ય મંદિરનું લોકાર્પણ થયું છે. આ મંદિર એ જ માર્ગ પર બન્યું છે જ્યાં ક્યારેક શારદા પીઠના દર્શન માટે જતા હતા. સ્થાનિક લોકોએ આ મંદિરના નિર્માણમાં ઘણી મદદ કરી છે. હું જમ્મુ-કાસ્મીરના લોકોને આ શુભ કાર્ય માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે ‘મન કી બાત’માં બસ આટલું જ. આવતી વખતે, તમારી સાથે ‘મન કી બાત’ના સોમા (100મા) હપ્તામાં મુલાકાત થશે. તમે બધા, પોતાનાં સૂચનો અવશ્ય મોકલજો. માર્ચના આ મહિનામાં આપણે, હોળીથી લઈને નવરાત્રિ સુધી, અનેક પર્વ અને તહેવારોમાં વ્યસ્ત રહ્યા છીએ. રમઝાનનો પવિત્ર મહિનો પણ શરૂ થઈ ચૂક્યો છે. આગામી કેટલાક દિવસોમાં શ્રી રામ નવમીનું મહા પર્વ પણ આવનાર છે. તે પછી મહાવીર જયંતી, ગુડ ફ્રાઇડે અને ઇસ્ટર પણ આવશે. એપ્રિલના મહિનામાં આપણે, ભારતની બે મહાન વિભૂતિઓનો જન્મદિવસ મનાવીએ છીએ. આ બે મહાપુરુષ છે- મહાત્મા જ્યોતિબા ફૂલે અને બાબાસાહેબ આંબેડકર. આ બંને જ મહાપુરુષોએ સમાજમાં ભેદભાવ દૂર કરવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આજે, સ્વતંત્રતાના અમૃતકાલમાં, આપણે આવી મહાન વિભૂતિઓ પાસેથી શીખવા અને નિરંતર પ્રેરણા લેવાની આવશ્યકતા છે.આપણે, આપણાં કર્તવ્યોને, સહુથી આગળ રાખવાનાં છે. સાથીઓ, આ સમયે, કેટલીક જગ્યાઓ પર કૉરોના પણ વધી રહ્યો છે. આથી તમારે બધાંએ સાવધાની રાખવાની છે, સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવાનું છે. આવતા મહિને, ‘મન કી બાત’ના સોમા (100મા) હપ્તામાં, આપણે લોકો, ફરી મળીશું, ત્યાં સુધી મને વિદાય આપો. ધન્યવાદ. નમસ્કાર.

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતની આ ૯૮મી કડીમાં આપ સૌની સાથે જોડાઇને મને ખૂબ આનંદ આવી રહ્યો છે. સેન્ચ્યુરી તરફ વધી રહેલી મન કી બાતને તમે બધાએ, સહભાગીદારીથી અદભૂત પ્લેટફોર્મ બનાવી દીધું છે. દરમહિને લાખો સંદેશાઓમાં કેટલાય લોકોની મન કી બાત મારા સુધી પહોંચે છે. તમે તમારા મનની શક્તિને તો જાણો જ છો, તેવી જ રીતે, સમાજની શક્તિથી કેવી રીતે દેશની શક્તિ વધે, તે આપણે મન કી બાતની અલગઅલગ કડીઓમાં જોયું, સમજ્યું અને મે અનુભવ કર્યો છે, સ્વીકાર પણ કર્યો છે. મને તે દિવસ યાદ છે, જયારે આપણે મન કી બાતમાં ભારતના પરંપરાગત ખેલકૂદને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તે પછી તરત જ દેશમાં ભારતીય ખેલકૂદ સાથે જોડાવાની, તેમાં રમવાની, અને તેને શીખવાની એક લહેર વ્યાપી ગઇ હતી. મન કી બાતમાં જયારે પણ ભારતીય રમકડાંની વાત થઇ ત્યારે દેશના લોકોએ તેને પણ ઉત્સાહભેર વધાવી લીધી હતી. હવે ભારતીય રમકડાઓનો એટલો ક્રેઝ વધ્યો છે કે, વિદેશોમાં પણ તેની માંગ ખૂબ વધી રહી છે. જયારે મન કી બાતમાં આપણે સ્ટોરી ટેલીંગમાં ભારતની વિવિધ પધ્ધતિઓ વિશે વાત કરી, ત્યારે તેની ખ્યાતિ પણ દૂરદૂર સુધી વ્યાપી ગઇ. વધુને વધુ લોકો ભારતની સ્ટોરી ટેલીંગની પદ્ધતિઓ તરફ આકર્ષિત થવા લાગ્યા.
મિત્રો, તમને યાદ હશે, સરદાર પટેલ જયંતિ પર એટલે કે , એકતા દિવસના અવસર પર મન કી બાતમાં આપણે ૩ સ્પર્ધાની વાત કરી હતી. આ સ્પર્ધાઓ, દેશભક્તિ પર ગીત, હાલરડાં અને રંગોળી હતી. મને એ જણાવતાં આનંદ થાય છે કે આ સ્પર્ધાઓમાં સમગ્ર દેશના ૭૦૦થી વધુ જીલ્લાઓના પાંચ લાખથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો, મોટાઓ, અને વડીલો બધાંએ તેમાં ઉત્સાહથી ભાગ લીધો અને ૨૦થી વધુ ભાષાઓમાં તેની એન્ટ્રીઝ મોકલી હતી. આ સ્પર્ધાઓમાં ભાગ લેનારા દરેક સ્પર્ધકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તમારામાંથી દરેક પોતાનામાં જ ચેમ્પિયન છે, કલાસાધક છે. તમે દરેકે સાબિત કર્યું કે, પોતાના દેશની વિવિધતા અને સંસ્કૃતિ માટે તમારા હૃદયમાં કેટલો પ્રેમ છે.
મિત્રો, આજે આ અવસર પર મને લતા મંગેશકરજી, લતા દીદીની યાદ આવે તે ખૂબ સ્વાભાવિક છે, કેમ કે, જયારે આ સ્પર્ધાઓ શરૂ થઇ હતી ત્યારે લતા દીદીએ ટ્વીટ કરીને દેશની જનતાને વિનમ્ર આગ્રહ કર્યો હતો કે, તેઓ આ સ્પર્ધામાં જોડાય.
મિત્રો, હાલરડા લેખનની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર, કર્ણાટકના ચામરાજ નગર જિલ્લાના બી.એમ.મંજુનાથે જીત્યો છે. તેમને આ પુરસ્કાર કન્નડમાં લખેલા તેમના હાલરડાં “મલગૂ કન્દા” માટે મળ્યો છે. તેને લખવાની પ્રેરણા તેમને તેમના માતા અને દાદીના ગાયેલા હાલરડાંઓથી મળી હતી. તમે સાંભળશો, તો તમને પણ આનંદ આવશે.
(Kannad Sound Clip (35 seconds) HINDI Translation)
“સૂઇ જા, સૂઇ જા, દિકરા,
મારા સમજદાર દિકરા, સૂઇ જા
દિવસ પૂરો થયો છે, અને અંધારૂં છવાઇ ગયું છે,
નિંદર રાણી આવી જશે,
તારાઓના બગીચામાંથી,
સપનાઓ લઇને આવશે,
સૂઇ જા, સૂઇ જા,
જોજો....જો... જો...
જોજો....જો... જો...”
અસમના કામરૂપ જીલ્લાના રહેવાસી દિનેશ ગોવાલાજીએ આ સ્પર્ધામાં બીજો પુરસ્કાર જીત્યો હતો. તેમણે જે હાલરડું લખ્યું છે તેમાં પ્રદેશની માટી અને સ્ટીલના વાસણો બનાવનાર કારીગરોની પ્રખ્યાત કળાની છાપ છે.
(Assamese Sound Clip (35 seconds) HINDI Translation)
કુંભાર દાદા થેલો લઇને આવ્યા છે,
થેલામાં શું છે ?
ખોલીને જોયું કુંભારના થેલાને,
થેલામાં હતી એક સુંદર કટોરી !
મારી ગુડિયાએ કુંભારને પૂછ્યું,
કેવી છે આ નાની કટોરી!
ગીત અને હાલરડાંની જેમ જ રંગોળી સ્પર્ધા પણ ખૂબ લોકપ્રિય રહી. તેમાં ભાગ લેનારાઓએ એક એકથી ચડિયાતી સુંદર રંગોળી બનાવીને મોકલી. તેમાં વિજેતા, પંજાબના કમલકુમાર રહ્યાં. તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને અમર શહીદ વીર ભગતસિંહની ખૂબ જ સુંદર રંગોળી બનાવી હતી. મહારાષ્ટ્રના સાંગલીના સચિન નરેન્દ્ર અવસારીજીએ પોતાની રંગોળીમાં જલિયાંવાલા બાગ અને તેનો નરસંહાર અને શહીદ ઉધમસિંહની બહાદૂરીને ચિત્રિત કરી હતી. ગોવાના રહેવાસી ગુરૂદત્ત વાન્ટેકરજીએ ગાંધીજીની રંગોળી બનાવી હતી, જયારે પોંડીચેરીના મલાતિસેલ્વમજીએ પણ આઝાદીના કેટલાય મહાન નેતાઓ પર કેન્દ્રિત રંગોળી બનાવી હતી. દેશભક્તિ ગીત પ્રતિયોગિતાના વિજેતા આંધ્રપ્રદેશના ટી.વિદય દુર્ગાજી છે. તેમણે તેલુગુમાં પોતાની રચના મોકલી હતી. તેમણે પોતાના પ્રદેશના પ્રસિદ્ધ સ્વતંત્રસેનાની નરસિંહા રેડ્ડી ગારૂજીથી ઘણા પ્રેરિત રહ્યા છે, તમે પમ સાંભળો, વિજય દુર્ગાજીની રચના.
(Telugu Sound Clip (27 seconds) HINDI Translation)
રેનાડું પ્રાંતના સૂરજ,
હે વીર નરસિંહ !
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અંકુર છો, અંકુશ છો!
અંગ્રેજોના ન્યાય રહિત નિરંકુશ દમનકાંડને જોઇને
તારૂં લોહી ઉકળ્યું અને જ્વાળા બન્યો !
રેનાડું પ્રાંતના સૂરજ,
હે વીર નરસિંહ!
તેલુગુ પછી હવે હું તમને મૈથિલીમાં એક ક્લીપ સંભળાવું છું. જેને દીપક વત્સજીએ મોકલી છે. તેમણે પણ આ સ્પર્ધામાં પુરસ્કાર મેળવ્યો છે.
(Maithili Sound Clip (30 seconds) HINDI Translation)
ભારત વિશ્વની શાન છે ભાઇ,
આપણો દેશ મહાન છે,
ત્રણેય દિશાઓ સમુદ્રથી ઘેરાયેલી,
ઉત્તરમાં કૈલાશ બળવાન છે,
ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી,
કોશી, કમલા,
આપણો દેશ મહાન છે ભાઇ,
તિરંગામાં પ્રાણ છે,
મિત્રો આશા છે કે, તમને આ ક્લીપ ગમી હશે. સ્પર્ધાઓમાં આવેલી આ પ્રકારની રચનાઓની યાદી ખૂબ લાંબી છે, તમે સંસ્કૃતિ મંત્રાલયની વેબસાઇટ પર જઇને તમારા પરિવાર સાથે મળીને તેને જોઇ અને સાંભળી શકો છો, તમને ખૂબ પ્રેરણા મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, હવે બનારસની વાત કરીએ, શરણાઇની કરીએ, ઉસ્તાદ બિસ્મિલ્લાહખાનની જયારે વાત હોય, ત્યારે સ્વાભાવિક છે મારૂં ધ્યાન તે તરફ આકર્ષાય. થોડાક દિવસ પહેલાં “ઉસ્તાદ બિસ્મિલ્લાહખાન યુવા પુરસ્કાર” આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર સંગીત અને કલા ક્ષેત્રના નવા ઉભરી રહેલા પ્રતિભાશાળી કલાકારોને આપવામાં આવે છે. આ કલાકારો કલા અને સંગીત વિશ્વની લોકપ્રિયતા વધારવાની સાથે તેના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ તમામમાં તે કલાકારો પણ સમાવિષ્ટ છે જેમણે એવા વાદ્યોમાં પોતાનું જીવન ખર્ચી નાંખ્યું જે વાદ્યોની ખ્યાતિ સમયની સાથે ઓછી થઇ રહી છે. હવે તમે બધા જ આ સાઉન્ડ ક્લીપને ધ્યાનથી સાંભળો.
(Sound Clip (21 seconds) Instrument- ‘सुरसिंगार’, Artist -जॉयदीप मुखर्जी)
શું તમે જાણો છો કે આ ક્યું વાદ્ય છે ? શક્ય છે કે તમને કદાય ખબર ના પણ હોય ! આ વાદ્યનું નામ “સુરસિંગાર” છે. અને આ ધૂનને તૈયાર કરી છે જોયદિપ મુખર્જીએ. જોયદીપજી, ઉસ્તાદ બિસ્મિલ્લાહખાન પુરસ્કારથી સન્માનિત યુવાનોમાં સામેલ છે. આ વાદ્યની ધૂન છેલ્લા ૫૦ અને ૬૦ દસકાઓથી દુર્લભ થઇ ગઇ હતી. પરંતુ જોયદીપ સુરસિંગારને ફરીથી પ્રખ્યાત બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. તેવી જ રીતે એક બહેન ઉપ્પલપૂ નાગમણિજીનો પ્રયાસ પણ ખૂબ જ પ્રેરિત કરે છે, તેમણે મેન્ડોલીનમાં કર્ણાટક વાદ્યયંત્રમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેવી જ રીતે સંગ્રામસિંહ સુહાસ ભંડારેજીને વારકરી કીર્તન માટે પુરસ્કાર મળ્યો છે, આ યાદીમાં માત્ર સંગીત સાથે જોડાયેલ કલાકારો જ નહિં – વી દુર્ગા દેવીજીને નૃત્યની એક પ્રાચીન શૈલી, “કરકટ્ટમ” માટે પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર અન્ય એક વિજેતા, રાજકુમાર નાયકજીને, કે જેમણે તેલંગણાના ૩૧ જીલ્લામાં ૧૦૧ દિવસ સુધી ચાલનાર પેરિની ઓડીસીનું આયોજન કર્યુ હતું. આજે લોકો તેમને પેરિની રાજકુમારના નામથી ઓળખવા લાગ્યા છે, પેરિની નાટ્યમ, ભગવાન શિવને સમર્પિત એક નૃત્ય છે. જે કાકતીય રાજવંશના સમયમાં ઘણું લોકપ્રિય હતું. આ રાજવંશના મૂળિયા આજે તેલંગણા સુધી જોડાયેલા છે. એક અન્ય પુરસ્કાર વિજેતા સાઇખૌમ સુરચંદ્રા સિંહજી છે. તે મૈતેઇ પુંગ વાદ્ય બનાવવાના પારંગત તરીકે તેઓ ઓળખયા છે. આ વાદ્યનો સંબંધ મણિપુર સાથે જોડાયેલો છે. પુરણસિંહ એક દિવ્યાંગ કલાકાર છે, જે રાજૂલા-મલુશાહી, ન્યૌલી, હુડકા બોલ, જાગર જૈવી વિભિન્ન સંગીતકળાને લોકપ્રિય બનાવી રહ્યા છે. તેમણે આ સંદર્ભે કેટલાય ઓડિયો રેકોર્ડિંગ્સ તૈયાર કર્યા છે. ઉત્તરાખંડના લોકસંગીતમાં પોતાની કળાનું દર્શન કરાવીને પુરણસિંહે કેટલાય પુરસ્કાર જીત્યા છે. સમયની સીમાને ધ્યાનમાં રાખીને હું અહિંયા દરેક વિજેતાઓની વાતો ભલે ન કરી શકું, પરંતુ મને વિશ્વાસ છે કે, તમે એ વિષે જરૂર વાંચશો. મને આશા છે કે, આ દરેક કલાકાર કળાને વધુ ખ્યાતનામ બનાવવા માટે દરેકને પ્રેરિત કરતા રહેશે.
મારા વ્હાલા દેશવાસીઓ, ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહેલા આપણા દેશમાં ડીજીટલ ઇન્ડિયાની શક્તિ ખૂણેખૂણે જોઇ શકાય છે. ડીજીટલ ઇન્ડિયાની તાકાતને ઘરે ઘરે પહોંચાડવા માટે અલગ અલગ એપ્સની ખૂબ મોટી ભૂમિકા હોય છે. એવી જ એક એપ છે ઇ-સંજીવની. આ એપથી ટેલી કન્સલટેશન એટલે કે, દૂર બેઠાબેઠા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, ડોકટર પાસેથી પોતાની બિમારી વિશે સલાહ સૂચન લઇ શકાય છે. આ એપનો ઉપયોગ કરીને અત્યાર સુધી ટેલી-કન્સલટેશન કરનારાઓની સંખ્યા ૧૦ કરોડને પણ પાર કરી ગઇ છે. તમે કલ્પના કરી શકો છો, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ૧૦ કરોડ કન્સલટેશન્સ ! દર્દી અને ડોકટરની વચ્ચે અદભૂત સંબંધ – આ ખૂબ મોટી સિદ્ધિ છે. આ સિદ્ધિ માટે હું તમામ ડોકટરો અને આ સુવિધાનો લાભ લેનારા દર્દીઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારતના લોકોએ, ટેકનોલોજીને, કેવી રીતે પોતાના જીવનનો ભાગ બનાવ્યો છે, તે આ જીવતું-જાગતું ઉદાહરણ છે. આપણે જોયું કે, કોરોના સમયમાં ઇ-સંજીવની એપના માધ્યમથી ટેલી-કન્સલટેશન લોકો માટે વરદાનરૂપ સાબીત થયું છે. મને પણ ઇચ્છા થઇ કે, મન કી બાત માટે આપણે આ વિષય સંદર્ભે એક ડોકટર અને એક દર્દી સાથે વાત કરીએ, સંવાદ કરીએ, અને તમારા સુધી એ વાતો પહોંચાડીએ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે, ટેલી-કન્સલટેશન, લોકો માટે, કેટલું ઉપયોગી નીવડ્યું છે. આપણી સાથે સિક્કિમના ડોકટર મદન મણીજી છે. ડૉકટર મદન મણીજી સિક્કિમના રહેવાસી છે, પરંતુ તેમણે MBBS ધનબાદથી કર્યું છે. અને પછી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી M.D કર્યું છે. તમણે ગ્રામીણ વિસ્તારોના કેટલાય લોકોને ટેલી-કન્સલટેશનના માધ્યમથી સહાય કરી છે.
પ્રધાનમંત્રી જીઃ-નમસ્કાર, નમસ્કાર, મદન મણિજી.
ડૉ.મદનમણિઃ-જી, નમસ્કાર, સાહેબ.
પ્રધાનમંત્રી જીઃ- હું નરેન્દ્ર મોદી બોલી રહ્યો છું.
ડૉ.મદનમણિઃ-જી, જી, સાહેબ.
પ્રધાનમંત્રી જીઃ-તમે તો બનારસમાં ભણ્યા છો.
ડૉ.મદનમણિઃ-જી, હું બનારસમાં ભણ્યો છું સાહેબ.
પ્રધાનમંત્રી જીઃ-તમારું મેડિકલ એજ્યુકેશન ત્યાં જ થયું.
ડૉ.મદનમણિઃ-જી, જી,.
પ્રધાનમંત્રી જીઃ-તો જયારે તમે બનારસમાં હતા ત્યારનું બનારસ અને હાલનું બદલાયેલું બનારસ કયારેય જોવા ગયા કે નહિં.
ડૉ.મદનમણિઃ-જી, પ્રધાનમંત્રીજી, જયારથી હું પાછો સિક્કિમ આવ્યો છું, ત્યારથી હું જઇ નથી શક્યો, પરંતુ મેં સાંભળ્યું છે કે, બનારસ ખૂબ બદલાઇ ગયું છે.
પ્રધાનમંત્રી જીઃ-તો તમને બનારસ છોડ્યે કેટલા વર્ષ થયાં ?
ડૉ.મદનમણિઃ-બનારસ ૨૦૦૬માં છોડ્યું હતું સાહેબ,
પ્રધાનમંત્રી જીઃ-અરે..., તો તો તમારે જરૂર જવું જોઇએ.
ડૉ.મદનમણિઃ-જી, જી.
પ્રધાનમંત્રી જીઃ-મેં ફોન એટલા માટે કર્યો હતો કે, તમે સિક્કિમના છેક અંતરિયાળ પહાડોમાં રહીને ત્યાંના લોકોને ટેલી-કન્સલટેશની ઘણી સેવાઓ આપી રહ્યા છો.
ડૉ.મદનમણિઃ-જી.
પ્રધાનમંત્રી જીઃ-હું મન કી બાતના શ્રોતામિત્રોને તમારો અનુભવ સંભળાવવા માંગું છું.
ડૉ.મદનમણિઃ-જી.
પ્રધાનમંત્રી જીઃ-મને જણાવોને, તમારો અનુભવ કેવો રહ્યો ?
ડૉ.મદનમણિઃ-અનુભવ, ખૂબ સારો રહ્યો પ્રધાનમંત્રીજી. એમાં એવું છે કે, સિક્કિમમાં ખૂબ પાસે જે PHC છે, ત્યાં ગાડીથી જવા માટે પણમાં ઓછામાં ઓછા ૧૦૦-૨૦૦ રૂપિયા ખર્ચાય છે. અને ડોકટર મળે કે ના પણ મળે તે અલગ સમસ્યા. તો ટેલી-કન્સલટેશનના માધ્યમથી અંતરિયાળ વિસ્તારના લોકો પણ અમારા સુધી સીધા જોડાય છે. અને લોકો પોતાની જૂની બિમારીઓ, તેમના રીપોર્ટસ અને તેમની વર્તમાન પરિસ્થિતિ અમને જણાવે છે.
પ્રધાનમંત્રી જીઃ-એટલે કે, ડોક્યુમેન્ટ ટ્રાન્સફર કરો છો.
ડૉ.મદનમણિઃ-જી, જી. ડોક્યુમેન્ટ ટ્રાન્સફર પણ કરીએ છીએ અને જો તેઓ ટ્રાન્સફર ના કરી શકે તો અમને વાંચીને સંભળાવે છે.
પ્રધાનમંત્રી જીઃ-ત્યાંના વેલનેસ સેન્ટરના ડોકટર જણાવે છે...
ડૉ.મદનમણિઃ-જી, વેલનેસ સેન્ટરમાં જે Community Health Officer રહે છે તેઓ .
પ્રધાનમંત્રી જીઃ-અને જે દર્દી છે તે પોતાની સમસ્યાઓ તમને સીધી જ જણાવે છે.
ડૉ.મદનમણિઃ-જી, દર્દીઓ પણ અમને પોતાની સમસ્યાઓ જણાવે છે, પછી તેમના જૂના રેકોર્ડસ જોઇને અમારે કંઇ અન્ય બાબતો જાણવી હોય, જેમ કે, છાતીની તપાસ કરાવવી હોય, પગમાં સોજા છે કે નહીં ? તેની તપાસ કરાવવી હોય, અને તે CHO એ તપાસ નથી કરી તો અમે લોકો તેમને કહીએ છીએ કે, જુવો સોજા છે કે, નહીં. આંખો જુઓ, એનીમિયા છે કે નહીં, અને જો તેમને ઉદરસ આવતી હોય તો છાતીની તપાસ કરાવવા અને તેનાં ધબકારા માટેની તપાસ કરાવવાનું જણાવીએ છીએ.
પ્રધાનમંત્રી જીઃ-તમે વોઇસ કોલ કરો છો કે વીડીયો કોલનો ઉપયોગ કરો છો ?
ડૉ.મદનમણિઃ-જી, વિડિયો કોલનો ઉપયોગ કરીએ છીએ.
પ્રધાનમંત્રી જીઃ-તો દર્દીઓને તમે જ તપાસો છો.
ડૉ.મદનમણિઃ-જી. દર્દીઓને જોઇને તપાસી શકીએ છીએ.
પ્રધાનમંત્રી જીઃ-દર્દીને કેવી લાગણી થાય છે ?
ડૉ.મદનમણિઃ-દર્દીને સારૂં લાગે છે, કારણ કે, તેઓ ડોકટરને નજીકથી જોઇ શકે છે. તેમને મુંઝવણ રહેતી હોય છે કે, તેમની દવાઓની માત્રા ઓછી કરવાની છે કે વધારવાની છે, કેમ કે, સિક્કિમમાં મોટાભાગના દર્દીઓ એવા છે કે જેમને ડાયાબીટીસ, હાઇપરટેન્શન હોય છે. અને ડાયાબીટીસ તેમજ હાઇપરટેન્શનની દવાઓની માત્રા વધઘટ કરવા કે તેને બદલવા માટે તેમને ડોકટરને મળવા માટે ઘણું દૂર જવું પડતું હોય છે, પરંતુ ટેલી-કન્સલટેશનના માધ્યમથી તેમની દરેક સમસ્યાઓ પળ માત્રમાં દૂર થઇ જાય છે. અને દવાઓ પણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાંથી મફતમાં મળી જાય છે. તો તેઓ ત્યાંથી દવાઓ પણ લેતા જાય છે.
પ્રધાનમંત્રી જીઃ-અચ્છા, મદન મણિજી, તમે તો જાણો જ છો કે, દર્દીનો એક સ્વભાવ હોય છે કે, જયાં સુધી તેઓ ડોકટર આવે નહીં, ડોકટરને જુવે નહીં, ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. અને ડોકટરને પણ દર્દીઓને તપાસવાની આદત રહેલી હોય છે, અને હવે આ બધું જ ટેલીકોમમાં કન્સલટેશનના માધ્યમથી થાય છે, ત્યારે ડોકટરને કેવો અનુભવ થાય છે, તેમજ દર્દીને કેવો અનુભવ થાય છે ?
ડૉ.મદનમણિઃ-જી, અમને પણ જ્યારે એવું લાગે કે, દર્દીને બરાબર તપાસવો પડશે ત્યારે અમે લોકો વિડીયોમાં જ CHOને દર્દીને તપાસવાની દરેક બાબતો અંગે જાણ કરીએ છીએ, અને કયારેક તો દર્દીને વિડિયોમાં પાસે બોલાવીને તેની જે પણ મુશ્કેલીઓ છે, જેમ કે કોઇને ચામડીની સમસ્યા હોય, તો તેને વિડીયોના માધ્યમથી જોઇ લઇએ છીએ, તેનાથી તેઓને સંતોષ થાય છે.
પ્રધાનમંત્રી જીઃ-અને પછી તેમના ઉપચાર પછી તેમને સંતોષ મળે ત્યારે કેવો અનુભવ થાય છે ? દર્દી સુધારો અનુભવે છે ?
ડૉ.મદનમણિઃ-જી, તેમને ખૂબ સંતોષ મળે છે, અને અમને પણ સંતોષ મળે છે સાહેબ, હું અત્યારે સ્વાસ્થ્ય વિભાગમાં છું, અને સાથોસાથ ટેલી-કન્સલટેશન પણ કરૂં છું. તો ફાઇલની સાથેસાથે દર્દીને તપાસવાનો મને ખૂબ સારો અનુભવ થયો છે.
પ્રધાનમંત્રી જીઃ-સરેરાશ, કેટલા દર્દીઓ ટેલી-કન્સલટેશનના માધ્યમથી આવે છે ?
ડૉ.મદનમણિઃ-અત્યાર સુધી મેં ૫૩૬ દર્દીઓને તપાસ્યા છે.
પ્રધાનમંત્રી જીઃ-અરે.. વાહ, એનો અર્થ એ થયો કે, તમને મહારથ હાંસલ થઇ ગઇ છે.
ડૉ.મદનમણિઃ-જી, આ ફરજ નિભાવીને સારૂં લાગે છે,
પ્રધાનમંત્રી જીઃ-હું તમને શુભકામનાઓ આપું છું. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે સિક્કિમના દૂરદૂરના જંગલોમાં, પહાડોમાં રહેનારા લોકોની ખૂબ જ સેવા કરી રહ્યા છો. અને ખુશીની વાત એ છે કે, આપણા દેશના દૂરદૂરના વિસ્તારમાં પણ ટેકનોલોજીનો આટલો સરસ ઉપયોગ થઇ રહ્યો છે. મારા તરફથી તમને ખૂબ જ શુભેચ્છાઓ.
ડૉ.મદનમણિઃ-જી, આભાર સર,
મિત્રો, ડોકટર મદન મદન મણિજીની વાતોથી જાણવા મળે છે કે, ઇ-સંજીવની એપ કેવી રીતે તેમની મદદ કરી રહી છે. ડૉકટર મદનજી પછી હવે આપણે બીજા એક મદનજી સાથે વાત કરીએ. તે ઉત્તરપ્રદેશના ચંદૌલી જીલ્લાના રહેવાસી મદન મોહન લાલજી છે. આ એક સુંદર સંયોગ કે, ચંદૌલી પણ બનારસ સાથે જોડાયેલું છે. તો આવો મદન મોહનજી પાસેથી જાણીએ ઇ-સંજીવનીના વિષયમાં એક દર્દી કેવો અનુભવ કરે છે ?
પ્રધાનમંત્રી જીઃ-મદન મોહનજી પ્રણામ.
મદન મોહન જીઃ-નમસ્કાર, નમસ્કાર સાહેબ,
પ્રધાનમંત્રી જીઃ-નમસ્કાર., અચ્છા, મને જણાવો કે, તમે ડાયાબીટીસના દર્દી છો.
મદન મોહન જીઃ- જી,
પ્રધાનમંત્રી જીઃ-અને તમે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેલી-કન્સલટેશનના માધ્યમથી પોતાની બિમારી માટે મદદ લો છો.
મદન મોહન જીઃ-જી.,
પ્રધાનમંત્રી જીઃ-એક દર્દી તરીકે હું તમારા અનુભવ સાંભળવા માંગું છું, જેથી હું દેશવાસીઓ સુધી એ વાત પહોંચાડી શકું કે, આપણા ગામડાઓમાં રહેતા લોકો ટેકનોલોજીનો કેવો સુંદર રીતે ઉપયોગ કરી શકે છે.
મદન મોહન જીઃ- જી., સાહેબ હોસ્પીટલો દૂર છે. અને જ્યારે ડાયાબીટીસનો હુમલો થાય ત્યારે અમારે પાંચથી છ કિલોમીટર દૂર જઇને નિદાન કરાવવું પડતું હતું, તેની તપાસ કરાવવી પડતી હતી. અને હવે જયારથી તમારા દ્વારા આ વ્યવસ્થા બનાવાઇ છે ત્યારથી તપાસ કરાવવા જઉં છું ત્યારે બહારના ડોકટરો સાથે પણ મારી વાત કરાવવામાં આવે છે. અને દવા પણ આપવામાં આવે છે. આનાથી મને અને અન્ય લોકોને પણ ઘણો લાભ થયો છે.
પ્રધાનમંત્રી જીઃ-તો તમે દર વખતે એક જ ડોકટરને બતાવો છો કે, ડોકટર બદલાતા હોય છે ?
મદન મોહન જીઃ-જ્યાં સ્થાનિક ડૉકટરને મુંઝવણ અનુભવાય છે ત્યારે તેઓ અમારી વાત અન્ય ડોકટરો સાથે કરાવે છે.
પ્રધાનમંત્રી જીઃ-અને ડોકટર તમને જે સલાહ-સૂચન કરે છે તેનો લાભ થાય છે.
મદન મોહન જીઃ-અમને તેનો ખૂબ જ લાભ થાય છે, અને ગામડાંના અન્ય લોકોને પણ તેનાથી ખૂબ લાભ થાય છે. દરેક લોકો ત્યાં પૂછે છે કે, ભાઇ અમારું BP છે, અમને ડાયાબીટીસ છે, તપાસ કરો, દવા જણાવો. અને પહેલા તો અમે પાંચથી છ કિલોમીટર દૂર જતા હતા. લાંબી લાઇનોમાં ઉભા રહેતા હતા. પેથોલોજીમાં પણ લાંબી લાઇનો લાગતી હતી. પૂરો એક દિવસ બગડતો હતો.
પ્રધાનમંત્રી જીઃ-એનો અર્થ એમ કે, તમારો સમય પણ વેડફાતા બચી રહ્યો છે.
મદન મોહન જીઃ-અને પૈસા પણ ખર્ચ થતા હતા, જયારે અહિંયા નિઃશુલ્ક સેવાઓ અપાઇ રહી છે.
પ્રધાનમંત્રી જીઃ-અચ્છા, તો તમે જ્યારે પ્રત્યક્ષરૂપે ડોકટરને મળો છો ત્યારે તમને વિશ્વાસ થાય છે કે, ડોકટર છે, તેમણે મારી નાડી તપાસી લીધી છે, મારી આંખો તપાસી લીધી છે, મારી જીભને પણ જોઇ લીધી છે. તો એક અલગ અનુભવ થતો હોય છે. હવે જ્યાર ટેલી-કન્સલટેશનના માધ્યમથી તપાસ થાય છે, તો ત્યારે તમને અદ્દલ એવો સંતોષ થાય છે ?
મદન મોહન જીઃ-હા, સંતોષ થાય છે. તેઓ અમારી નાડી પકડી રહ્યા છે, સ્ટેથોસ્કોપથી તપાસી રહ્યા છે, એવો અનુભવ પણ થાય છે. અને અમે ખુશ થઇએ છીએ કે, તમારા દ્વારા આટલી સુંદર વ્યવસ્થા બનાવવામાં આવી છે, જેના કારણે હવે અમારી તમામ સમસ્યાઓનું નિવારણ થઇ ગયું છે. પહેલા અમારે ખૂબ જ સમસ્યાઓ ઉઠાવવી પડતી હતી, ગાડીનું ભાડું ચૂકવવું પડતું હતું અને ત્યાં જઇને લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડતું હતું, જયારે હવે અમે ઘરે બેઠાબેઠા તમામ પ્રકારની સુવિધાઓ મેળવી રહ્યા છીએ.
પ્રધાનમંત્રી જીઃ-મદન મોહનજી, મારા તરફથી તમને અઢળક શુભકામનાઓ, આટલી ઉંમરે પણ તમે નવી ટેકનોલોજી શીખ્યા, અન્ય લોકોને પણ આ વિષે જણાવજો. જેથી તેમનો પણ સમય બચી જાય, પૈસા પણ બચે અને તેમને જે માર્ગદર્શન મળે છે, તેનાથી દવાઓ પણ સારી રીતે મેળવી શકાય છે.
મદન મોહન જીઃ-હા, સાહેબ, જરૂર..
પ્રધાનમંત્રી જીઃ-ફરીથી તમને અઢળક શુભકામનાઓ, મદન મોહનજી.
મદન મોહન જીઃ-સાહેબ, તમે કાશી વિશ્વનાથને બનારસનું કેન્દ્ર બનાવી દીધું, તેનો વિકાસ કર્યો. અમારા તરફથી તમને ખૂબ શુભેચ્છાઓ.
પ્રધાનમંત્રી જીઃ- ધન્યવાદ. મેં કયાં બનાવ્યું છે, એ તો બનારસના લોકોએ બનાવ્યું છે, અમને તો મા ગંગાની સેવા માટે મા ગંગાએ બોલાવ્યા. તમને પણ ખૂબ શુભકામનાઓ, પ્રણામ.
મદન મોહન જીઃ-જી. નમસ્કાર સાહેબ,
પ્રધાનમંત્રી જીઃ- જી, નમસ્કાર.
મિત્રો, દેશનાં સામાન્ય માનવી માટે, મધ્યમ વર્ગ માટે, પહાડી વિસ્તારના રહેવાસીઓ માટે, ઇ-સંજીવની, જીવન રક્ષા માટેની એપ બની રહી છે. આ ભારતની ડિઝીટલ ક્રાંતિની શક્તિ છે અને તેનો પ્રભાવ આજે આપણે તમામ ક્ષેત્રોમાં જોઇ રહ્યાં છે. ભારતનાં UPI ની શક્તિ પણ આપ સૌ જાણો છો. દુનિયાનાં ઘણાં દેશો આ તરફ આકર્ષાયા છે. થોડાંક દિવસો પહેલા ભારત અને સિંગાપુર વચ્ચે UPI-Pay Now Link Launch કરવામાં આવ્યું છે. હવે સિંગાપુર અને ભારતનાં લોકો, પોતાનાં મોબાઇલ વડે બિલકુલ એવી જ રીતે પૈસા ટ્રાન્સફર કરી શકસે જેમ તેઓ પોતાનાં દેશમાં કરી શકે છે. ભારતની ઇ-સંજીવની એપ હોય કે પછી UPI, તે Ease of Living ને વધારવામાં ખૂબ સહાયક સાબિત થયું છે.
મારાં વ્હાલાં દેશવાસીઓ, જ્યારે કોઈ દેશમાં વિલુપ્ત થઇ રહેલાં પક્ષીની પ્રજાતીને, કોઇ જીવ-જંતુને બચાવી લેવામાં આવે છે, ત્યારે તેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થાય છે. આપણાં દેશમાં આવી અનેક મહાન પરંપરાઓ છે કે જે લુપ્ત થઇ ગઇ હતી, લોકોનાં મનમસ્તિષ્ક પરથી ભૂલાઇ ચુકી હતી, પરન્તુ હવે તેને લોકોની ભાગીદારીની શક્તિથી પુર્નજીવિત કરવાનાં પ્રયત્નો કરાઇ રહ્યાં છે તો તેની ચર્ચા માટે મન કી બાતનાં મંચ કરતાં વધુ સારું મંચ બીજું કયું હોઇ શકે ?
હવે, હું તમને જે જણાવવા માંગું છું તે જાણીને તમે ખૂબ ખુશ થશો, આપણા વારસા માટે ગૌરવ અનુભવશો. અમેરિકામાં રહેતા શ્રીમાન કંચન બેનરજીના વારસાના રક્ષણને જોડતા આવા જ એક અભિયાન તરફ મારૂં ધ્યાન આકર્ષિત થયું છે, હું તેમને અભિનંદન પાઠવું છું. મિત્રો, પશ્ચિમ બંગાળમાં હુબલી જીલ્લાના બાસ બેરિયામાં આ મહિને “ત્રિબેની કુમ્ભો મોહોત્શોવ”નું આયોજન કરાયું. તેમાં આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા. પરંતુ શું તમે જાણો છો, કે આ મહોત્સવ આટલો વિશેષ કેમ છે ? વિશેષ એટલા માટે છે કેમ કે, આ પરંપરાને ૭૦૦ વર્ષ પછી પુનર્જીવીત કરવામાં આવી છે. આમ તો, આ પરંપરા હજારો વર્ષ જૂની છે, પરંતુ દુર્ભાગ્યથી ૭૦૦ વર્ષ પહેલાં બંગાળના ત્રિબેનીમાં યોજાનાર આ મહોત્સવ બંધ થઇ ગયો હતો. આ મહોત્સવને સ્વતંત્રતા પછી શરૂ કરવો જોઇતો હતો પરંતુ તે ન થઇ શક્યો. બે વર્ષ પહેલાં, સ્થાનિક લોકો અને “ત્રિબેની કુમ્ભો પૉરિચાલોના શૉમિતિ”ના માધ્યમથી આ મહોત્સવ ફરી શરૂ કરવામાં આવ્યો. હું આ આયોજન સાથે જોડાયેલ દરેક લોકોને ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમે માત્ર એક પરંપરાને જ જીવીત નથી કરી રહ્યા પરંતુ તમે ભારતના સાંસ્કૃતિક વારસાની પણ રક્ષા કરી રહ્યા છો.
મિત્રો, પશ્ચિમ બંગાળમાં ત્રિબેની વર્ષોથી એક પવિત્ર સ્થાનના રૂપમાં ઓળખાય છે. તેનો ઉલ્લેખ વિભિન્ન મંગલકાવ્ય, વૈષ્ણવ સાહિત્ય, શાક્ત સાહિત્ય અને અન્ય બંગાળી સાહિત્યિક રચનાઓમાં પણ મળે છે. વિભિન્ન ઐતિહાસિક દસ્તાવેજો દ્વારા એ જાણ થાય છે કે, ક્યારેક આ ક્ષેત્ર સંસ્કૃત, શિક્ષા અને ભારતીય સંસ્કૃતિનું કેન્દ્ર હતું. કેટલાય સંત તેને માઘ સંક્રાંતિમાં કુંભ સ્નાન માટે પવિત્ર સ્થાન માનતા હતા. ત્રિબેનીમાં તમને કેટલાય ગંગાઘાટ, શિવમંદિર અને ટેરાકોટા વાસ્તુકલાથી નિર્માણ પામેલી પ્રાચીન ઇમારતો જોવા પણ મળશે. ત્રિબેનીના વારસાને પુનઃસ્થાપિત કરવા માટે અને કુંભ પરંપરાના ગૌરવને પુનઃજીવીત કરવા માટે અહિં ગયા વર્ષે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાત સદીઓ પછી, ૩ દિવસના કુંભ મહાસ્નાન અને મેળાએ આ વિસ્તારમાં એક નવીન ઉર્જાનો સંચાર કર્યો હતો. ૩ દિવસ સુધી દરરોજ થતી ગંગા આરતી, રૂદ્રાભિષેક અને યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ વર્ષે થઇ ચૂકેલ મહોત્સવમાં વિભિન્ન આશ્રમ, મઠ અને અખાડા પણ સામેલ થયા હતા. બંગાળી પરંપરાઓથી જોડાયેલ વિભિન્ન કળા જેમ કે, કિર્તન, બાઉલ, ગોડિયોં નૃત્તોં, સ્ત્રી-ખોલ, પોટેર ગાન, છોઉ નાચ, આ તમામ કળા સાંજના કાર્યક્રમોમાં આકર્ષણનું કેન્દ્ર હતી. આપણા યુવાનોને દેશના સુવર્ણ ભૂતકાળ સાથે જોડવા માટેનો આ એક સરાહનીય પ્રયાસ છે. ભારતમાં આવી કેટલીય પરંપરા છે, જેને આપણે પુનર્જીવીત કરવાની જરૂર છે. મને આશા છે કે, આ વિશે થનાર ચર્ચાવિચારણા, લોકોને આ દિશા તરફ પ્રેરિત કરશે.
મારા વ્હાલા દેશવાસીઓ, સ્વચ્છ ભારત અભિયાનમાં આપણા દેશમાં લોકભાગીદારીના માળખાઓને જ બદલી નાંખ્યા છે. દેશમાં કયારેય પણ કશું સ્વચ્છતા સાથે જોડાયેલું હોય છે ત્યારે લોકો તેની જાણકારી મારા સુધી પહોંચાડે છે. આવી જ એક વાત માટે મારૂં ધ્યાન હરિયાણાના યુવાનોના સ્વચ્છતા અભિયાન પર કેન્દ્રિત થયું છે. હરિયાણામાં એક ગામ છે-દુલ્હેડી. અહિંના યુવાનોએ નિશ્ચય કર્યો કે, આપણે ભિવાની શહેરને સ્વચ્છતાની બાબતમાં એક મિશાલ બનાવવી છે. તેમણે યુવા સ્વચ્છતા તેમજ જનસેવા સમિતિ નામથી એક સંગઠન બનાવ્યું છે. આ સમિતિ સાથે જોડાયેલ યુવાનો સવારે ચાર વાગે ભિવાની પહોચીં જાય છે. શહેરના અલગઅલગ વિસ્તારોમાં ભેગા થઇને તેઓ સ્વચ્છતા અભિયાન ચલાવે છે. આ લોકો અત્યાર સુધી શહેરના અલગઅલગ વિસ્તારમાંથી કેટલાય ટન કચરાને સાફ કરી ચૂક્યા છે.
મિત્રો, સ્વચ્છ ભારત અભિયાનનું એક મહત્વપૂર્ણ આયામ વેસ્ટ ટુ વેલ્થ પણ છે. ઓડિશાના કેંદ્રપાડા જીલ્લાના એક બહેન કમલા મોહરાના એક સ્વયં સહાયતા જૂથ ચલાવે છે. આ જૂથની મહિલાઓ દૂધની થેલી અને અન્ય પ્લાસ્ટિક પેકિંગથી છાબડી અને મોબાઇલ સ્ટેન્ડ જેવી અન્ય વસ્તુઓ પણ બનાવે છે. આ તેમના માટે સ્વચ્છતાની સાથે સાથે કમાણીનો પણ એક સારો માર્ગ બની રહ્યો છે. જો આપણે નિશ્ચય કરી લઇએ તો સ્વચ્છ ભારતમાં આપણું ખૂબ મોટું યોગદાન આપી શકીએ છીએ. નાનામાં નાની પહેલ જેમ કે, પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ આપણે કાપડની થેલીનો સંકલ્પ લેવો જ જોઇએ. તમે ભવિષ્યમાં જોશો કે, તમારો આ સંકલ્પ કેટલો સંતોષ આપશે. અને અન્ય લોકોને પણ પ્રેરિત કરશે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે આપણે સાથે મળીને એકવાર ફરી પ્રેરણાદાયક વિષયો પર વાત કરી. પરિવાર સાથે મળીને તેને સાંભળી અને તેને દિવસ દરમિયાન યાદ કરતાં રહીશું. આપણે દેશની કર્મઠતાની જેટલી ચર્ચા કરીએ છીએ એટલી જ ઉર્જા મળે છે. આ ઉર્જા પ્રવાહની સાથે આપણે આજે મન કી બાતની ૯૮મી કડી સુધી પહોંચી ગયા છે. આજથી થોડા દિવસ પછી હોળીનો તહેવાર છે. તમને બધાને હોળીની શુભકામનાઓ. આપણે આપણા તહેવારો વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે જ ઉજવવાના છે. તમારા અનુભવો મારી સાથે વહેંચવાના ભૂલશો નહિં. ત્યાં સુધી મને રજા આપશો. આવતી વખતે આપણે ફરીથી નવા વિષયો સાથે મળીશું, ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2023 ની આ પહેલી મન કી બાત અને તેની સાથે સાથે આ કાર્યક્રમનો આજે 97 મો એપિસોડ પણ છે. આપ બધાની સાથે ફરી એકવાર વાતચીત કરીને મને ઘણી જ ખુશી થઈ રહી છે. દર વર્ષે જાન્યુઆરીનો મહિનો ઘણો eventful હોય છે. આ મહિને 14 જાન્યુઆરીની આસપાસ ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી, આખા દેશમાં તહેવારોની રોનક હોય છે. ત્યારબાદ દેશ પોતાનો ગણતંત્ર દિવસ પણ મનાવે છે. આ વખતે પણ ગણતંત્ર દિવસ સમારોહમાં અનેક પાસાઓની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. જેસલમેરથી પુલ્કિતે મને લખ્યું છે કે 26 જાન્યુઆરીની પરેડ દરમિયાન કર્તવ્ય પથના નિર્માણ કરનારા શ્રમિકોને જોઈને ઘણું સારું લાગ્યું. કાનપુરથી જયાએ લખ્યું છે કે તેમણે પરેડમાં સામેલ ઝાંખીઓમાં ભારતની સંસ્કૃતિના વિવિધ પાસાઓને જોઈને આનંદ આવ્યો. આ પરેડમાં પહેલીવાર ભાગ લેનારી Women Camel Riders અને સીઆરપીએફની મહિલાદળની ટુકડીઓની પણ ઘણી જ પ્રશંસા થઈ રહી છે.
સાથીઓ, દેહરાદૂનના વત્સલ જીએ પણ મને લખ્યું છે કે 25 જાન્યુઆરીની હું હંમેશા રાહ જોતો હોવ છું કારણ કે તે દિવસે પદ્મ પુરસ્કારોની જાહેરાત થાય છે અને એક પ્રકારે 25 તારીખની સાંજ જ મારી 26 જાન્યુઆરીના ઉમંગને ઘણી જ વધારી દે છે. પાયાના સ્તરે પોતાના સમર્પણ અને સેવાભાવથી ઉપલબ્ધી મેળવનારાઓને People’s Padma ને લઈને પણ કેટલાય લોકોએ પોતાની ભાવના વહેંચી છે. આ વખતે પદ્મ પુરસ્કારથી સન્માનિત લોકોમાં આદિવાસી સમુદાય અને આદિવાસી જીવન સાથે જોડાયેલા લોકોનું સારું પ્રતિનિધિત્વ રહ્યું છે. આદિવાસી જીવન શહેરોની દોડાદોડી કરતા અલગ છે, તેના પડકારો પણ અલગ છે, આમ છતાં આદિવાસી સમાજ પોતાની પરંપરાઓને બચાવવા હંમેશા તત્પર રહે છે. આદિવાસી સમાજ સાથે જોડાયેલી વસ્તુઓના સંરક્ષણ અને તેના સંશોધન પર પણ પ્રયાસ થઈ રહ્યા છે. આવી જ રીતે ટોટો, હો, કૂઈ, કૂવી અને માંડા જેવી જનજાતીય ભાષાઓ પર કામ કરનારા કેટલાય મહાનુભાવોને પદ્મ પુરસ્કાર મળ્યા છે. તે આપણા બધા માટે ગર્વની વાત છે. ઘાનીરામ ટોટો, જાનુમ સિંહ સોય અને બી.રામકૃષ્ણ રેડ્ડી જીના નામ, હવે તો આખો દેશ તેમનાથી પરિચીત થઈ ગયો છે. સિદ્ધી, જારવા અને ઓંગે જેવી અન્ય જનજાતીઓ સાથે કામ કરનારા લોકોને પણ આ વખતે સન્માનિત કરવામાં આવ્યા છે. જેમ કે હિરાબાઈ લોબી, રતનચંદ્ર કાર અને ઈશ્વરચંદ્ર વર્માજી. જનજાતી સમાજ આપણી ધરતી, આપણા વારસાનો અભિન્ન હિસ્સો રહ્યો છે. દેશ અને સમાજના વિકાસમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે. તેમના માટે કામ કરનારા વ્યક્તિત્વનું સન્માન, નવી પેઢીને પણ પ્રોત્સાહિત કરશે. આ વર્ષે પદ્મ પુરસ્કારોની ગૂંજ એ વિસ્તારોમાં પણ સંભળાઈ રહી છે, જે નક્સલ પ્રભાવિત વિસ્તારો હતા. પોતાના પ્રયત્નોથી નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ભટકી ગયેલા યુવાનોને સાચો માર્ગ દેખાડનારાઓને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેના માટે કાંકેરમાં લાકડા પર કોતરણી કરનાર અજયકુમાર મંડાવી અને ગઢચિરોલીના પ્રસિદ્ધ ઝાડીપટ્ટી રંગભૂમી સાથે જોડાયેલા પરશુરામ કોમાજી ખૂણે ને પણ સન્માન મળ્યું છે. તેવી જ રીતે નોર્થ-ઈસ્ટ માં પોતાની સંસ્કૃતિના સંરક્ષણ કરવામાં લાગેલા રામકુઈવાંગબે નિઉમે, વિક્રમ બહાદૂર જમાતિયા અને કરમા વાંગચૂને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
સાથીઓ આ વખતે પદ્મ પુરસ્કારોથી સન્માનિત થનારા લોકોમાં કેટલાય લોકો એવા સામેલ છે જેમણે સંગીતની દુનિયાને સમૃદ્ધ કરી છે. કોણ હશે જેને સંગીત પસંદ નહીં હોય. દરેક લોકોની સંગીતની પસંદ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ સંગીત દરેક લોકોના જીવનનો ભાગ હોય છે. આ વખતે પદ્મ પુરસ્કાર મેળવનારા લોકોમાં એ લોકો છે જે સંતૂર, બમહૂમ, દ્વિતારા જેવા આપણા પારંપરિક વાદ્યોની ધૂન ફેલાવવામાં ઉચ્ચ કૌશલ મેળવેલ છે. ગુલામ મોહમ્મદ જાજ, મોઆ સુ-પોંગ, રી-સિંહબોર, કુરકા-લાંગ, મુનિ-વેંકટપ્પા અને મંગલ કાંતિ રાય, અને આવા કેટલાય નામો છે જેની ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. સાથીઓ પદ્મ પુરસ્કાર મેળવનારા અનેક લોકો, આપણી વચ્ચેના એ સાથીઓ છે, જેમણે હંમેશા દેશને સર્વોપરી રાખ્યો, રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંત માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તેઓ સેવાભાવથી પોતાના કામમાં લાગેલા રહ્યા અને તેના માટે તેમણે ક્યારેય કોઈ પુરસ્કારની આશા નથી રાખી. તેઓ જેને માટે કામ કરી રહ્યા છે તેમના ચહેરાનો સંતોષ જ તેમના માટે સૌથી મોટો અવોર્ડ છે. આવા સમર્પિત લોકોનું સન્માન કરીને આપણા દેશવાસીઓનું ગૌરવ વધ્યું છે. હું બધા પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામ ભલે અહીં ન લઈ શકું પરંતુ આપને મારો આગ્રહ ચોક્કસ છે કે તમે પદ્મ પુરસ્કાર મેળવનારા આ મહાનુભાવોના પ્રેરક જીવનના વિષયમાં વિસ્તારપૂર્વક જાણો અને બીજાને પણ જણાવો.
સાથીઓ આજે જ્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ગણતંત્ર દિવસની ચર્ચા કરી રહ્યા છીએ, તો હું અહીં એક રસપ્રદ પુસ્તકનો પણ ઉલ્લેખ કરીશ. થોડા સપ્તાહ પહેલાં જ મને મળેલા આ પુસ્તકમાં એક ઘણાં જ રસપ્રદ વિષય પર ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકનું નામ India - The Mother of Democracy છે અને તેમાં કેટલાય સારા નિબંધો છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતન્ત્ર છે અને આપણે ભારતીયોને એ વાતનો ગર્વ પણ છે કે આપણો દેશ Mother of Democracy પણ છે. લોકતંત્ર આપણી નસેનસમાં છે, આપણી સંસ્કૃતિમાં છે – સદીઓથી તે આપણા કામકાજનો પણ અભિન્ન ભાગ રહ્યો છે.
સ્વભાવથી આપણે એક Democratic Society છીએ. ડૉ. આંબેડકરે બૌદ્ધ ભિક્ષુ સંઘની સરખામણી ભારતીય સંસદ સાથે કરી હતી. તેમણે તેને એક એવી સંસ્થા ગણાવી હતી જ્યાં Motions, Resolutions, Quorum, વોટિંગ અને વોટની ગણતરી માટે કેટલાય નિયમો હતા. બાબાસાહેબનું માનવું હતું કે ભગવાન બુદ્ધને તેની પ્રેરણા તે સમયની રાજકિય વ્યવસ્થાઓથી મળી શકી હશે .
તામિલનાડુમાં એક નાનું પરંતુ ચર્ચિત ગામ છે – ઉતિરમેરૂર. અહીં અગિયારસો - બારસો વર્ષ પહેલાનો શિલાલેખ આખી દુનિયાને અચંબિત કરે છે. આ શિલાલેખ એક લઘુ બંધારણ જેવો છે. તેમાં વિસ્તૃત રીતે જણાવાયું છે કે ગ્રામસભાનું સંચાલન કેવી રીતે થવું જોઈએ અને તેના સભ્યોની પસંદગીની પ્રક્રિયા કેવી હોય. આપણા દેશના ઈતિહાસમાં ડેમોક્રેટિક વેલ્યૂઝનું વધુ એક ઉદાહરણ છે – 12મી સદીના ભગવાન બસવેશ્વરનો અનુભવ મંડપમ્. અહીં ફ્રિ ડિબેટ અને ડિસ્કશનને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ Magna Carta થી પણ પહેલાંની વાત છે. વારાંગલના કાકતીય વંશના રાજાઓની ગણતાંત્રિક પરંપરાઓ પણ ઘણી પ્રસિદ્ધ છે. ભક્તિ આંદોલને , પશ્ચિમી ભારતમાં લોકતંત્રની સંસ્કૃતિને આગળ વધારી. પુસ્તકમાં શીખ પંથની લોકતાંત્રિક ભાવનાઓ પર પણ એક લેખને સામેલ કરવામાં આવ્યો છે, જે ગુરુ નાનકદેવ જી દ્વારા સર્વસંમતિથી લેવાયેલા નિર્ણયો પર પ્રકાશ પાડે છે. મધ્યભારતની ઉરાવ અને મુંડા જનજાતીઓમાં community driven અને consensus driven decision પર પણ આ પુસ્તકમાં સારી માહિતી છે. તમે આ પુસ્તકને વાંચ્યા પછી અનુભવશો કે કેવી રીતે દેશના દરેક ભાગમાં સદીઓથી લોકતંત્રની ભાવના પ્રવાહિત થઈ રહી છે. Mother of Democracy ના રૂપમાં, આપણે સતત આ વિષયનું ઉંડાણપૂર્વક ચિંતન પણ કરવું જોઈએ, ચર્ચા પણ કરવી જોઈએ, અને દુનિયાને અવગત પણ કરાવવી જોઈએ. તેનાથી દેશમાં લોકતંત્રની ભાવના વધારે તીવ્ર બનશે.
મારા પ્રિય દેશવાસીઓ જો હું તમને પૂછું કે યોગ દિવસ અને વિવિધ પ્રકારના આપણા મોટા અનાજોમાં શું કોમન છે તો તમે વિચારશો કે આ કેવી સરખામણી કહેવાય? જો હું તમને જણાવું કે બંનેમાં ઘણું બધું કોમન છે તો તમને આશ્ચર્ય થશે. હકિકતમાં સંયુક્ત રાષ્ટ્રએ International Yoga Day અને International Year of Millets, બંનેનો નિર્ણય ભારતના પ્રસ્તાવ પછી જ લીધો છે. બીજી વાત એ કે યોગ પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે અને જાડુ ધાન્ય પણ સ્વાસ્થ્ય માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. ત્રીજી વાત વધારે મહત્વપૂર્ણ છે – બંને અભિયાનોમાં લોક-ભાગીદારીને કારણે ક્રાંતિ આવી રહી છે. જેવી રીતે લોકોએ વ્યાપક સ્તરે સક્રિય ભાગીદારી કરીને યોગ અને ફિટનેસને પોતાના જીવનનો ભાગ બનાવ્યો છે, તેવી જ રીતે જાડા ધાન્ય ને પણ લોકો મોટાપાયે અપનાવી રહ્યા છે. લોકો હવે જાડા ધાન્ય (Millets) ને પોતાની ખોરાકનો ભાગ બનાવી રહ્યા છે. આ બદલાવનો બહુ મોટો પ્રભાવ પણ જોવા મળે છે. તેનાથી એક તરફ નાના ખેડૂતો ઘણાં જ ઉત્સાહિત છે જે પારંપારિક રીતે જાડા ધાન્યનું ઉત્પાદન કરતા હતા. તેઓ એ વાતથી ખુશ છે કે દુનિયા હવે જાડા ધાન્ય (Millets) નું મહત્વ સમજી રહી છે. બીજી તરફ એફપીઓ અને entrepreneurs એ જાડા ધાન્યને બજાર સુધી પહોંચાડવાનો અને તેને લોકોને ઉપલબ્ધ કરાવવના પ્રયત્ન શરૂ કરી દીધા છે.
આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લામાં રહેનારા કે.વી.રામા સુબ્બા રેડ્ડી જીએ જાડુ ધાન્ય (Millets) માટે સારા એવા પગારની નોકરી છોડી દીધી. માં ના હાથે બનેલા જાડા ધાન્ય (Millets) ના પકવાનોનો સ્વાદ એટલો દાઢે વળગી ગયો હતો કે તેમણે તેમના ગામમાં જ બાજરાનું પ્રોસેસિંગ યૂનિટ જ શરૂ કરી દીધું. સુબ્બા રેડ્ડી જી લોકોને બાજરાના ફાયદા પણ જણાવે છે અને તેને સરળતાથી ઉપલબ્ધ પણ કરાવે છે. મહારાષ્ટ્રમાં અલીબાગની પાસે કેનાડ ગામમાં રહેતા શર્મિલા ઓસવાલ જી છેલ્લા 20 વર્ષથી જાડા ધાન્ય (Millets) ની પેદાશમાં અનોખું યોગદાન આપી રહ્યા છે. તેઓ ખેડૂતોને સ્માર્ટ એગ્રિકલ્ચરની ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમના પ્રયત્નોથી ન માત્ર જાડા ધાન્યનું ઉત્પાદન વધ્યું છે પરંતુ ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધી થઈ છે. જો આપને છત્તીસગઢના રાયગઢ જવાની તક મળે તો અહીંયાના મીલેટ કાફે મા જરૂર જજો. થોડા જ મહીનાઓ પહેલાં શરૂ થયેલા આ મીલેટ કાફેમાં ચીલ્લા, ઢોસા, મોમોઝ, પિઝા અને મંચુરિયન જેવી વસ્તુઓ ઘણી જ પોપ્યુલર થઈ રહી છે.
હું આપને વધુ એક વાત પૂછું? તમે entrepreneur શબ્દ સાંભળ્યો હશે પરંતુ શું તમે Milletpreneurs, સાંભળ્યું છે? ઓડિશાના Milletpreneurs આજે ઘણાં જ ચર્ચામાં છે. આદિવાસી જિલ્લા સુંદરગઢની લગભગ દોઢ હજાર મહિલાઓનું સેલ્ફ હેલ્પ ગ્રુપ ઓડિશા મીલેટ મિશન સાથે જોડાયેલું છે. અહીં મહિલાઓ જાડા ધાન્ય (Millets) માંથી કૂકીઝ, રસગુલ્લા, ગુલાબજાંબુ અને કેક પણ બનાવી રહી છે. બજારમાં તેની ખૂબ માંગ હોવાથી મહિલાઓની આવક પણ વઘી રહી છે.
કર્ણાટકના કલબુર્ગીમાં અલંદ ભૂતાઈ Millets Farmers Producer Company એ ગત વર્ષે Indian Institute of Millets Research ની દેખરેખ હેઠળ કામ શરૂ કર્યું હતું. અહીંયાના ખાખરા, બિસ્કિટ અને લાડુ લોકોને ભાવી રહ્યા છે. કર્ણાટકના જ બિદર જિલ્લામાં હલસુર મીલેટ પ્રોડ્યુસર કંપની સાથે જોડાયેલી મહિલાઓ જાડા ધાન્યની ખેતીની સાથે તેનો લોટ પણ તૈયાર કરી રહી છે. તેનાથી તેમની કમાણી પણ ઘણી જ વધી છે. પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છત્તિસગઢના સંદિપ શર્માજીના એફપીઓથી આજે 12 રાજ્યોના ખેડૂતો જોડાયેલા છે. બિલાસપુરનું આ એફપીઓ, 8 પ્રકારના જાડા ધાન્ય (Millets) નો લોટ અને તેના વ્યંજન બનાવી રહ્યા છે.
સાથીઓ આજે હિન્દુસ્તાનના ખૂણે-ખૂણામાં જી-20 સમિટ સતત ચાલી રહી છે અને મને ખુશી છે કે દેશના દરેક ખૂણામાં જ્યાં પણ જી-20 સમિટ થઈ રહી છે, જાડા ધાન્ય (Millets) માંથી બનેલા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વ્યંજન તેમાં સામેલ થાય છે. અહીં બાજરામાંથી બનેલી ખીચડી, પૌઆ, ખીર અને રોટલીની સાથે જ રાગીથી બનેલા પાયસમ, પૂરી અને ઢોસા જેવા વ્યંજનો પણ પીરસવામાં આવે છે. જી-20ના દરેક venue પર મીલેટ એક્ઝીબિશનમાં જાડા ધાન્ય (Millets) માંથી બનેલા હેલ્થ ડ્રિંક્સ, સિરિઅલ્સ અને નૂડલ્સને દેખાડવામાં આવ્યા છે. આખી દુનિયામાં ઈન્ડિયન મિશન પણ તેની લોકપ્રિયતા વધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો કે દેશનો આ પ્રયત્ન અને દુનિયામાં વધતી જાડા ધાન્ય (Millets) ની માંગ આપણા નાના ખેડૂતોને કેટલી તાકાત આપવાની છે. મને એ જોઈને પણ સારું લાગે છે કે આજે વિવિધ પ્રકારની નવી નવી વસ્તુઓ બાજરામાંથી બની રહી છે, તે યુવા પેઢીને પણ તેટલી જ પસંદ આવી રહી છે. International Year of Millets ની આવી શાનદાર શરૂઆત માટે અને તેને સતત આગળ વધારવા માટે હું મન કી બાતના શ્રોતાઓને પણ અભિનંદન પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે તમારી સાથે કોઈ ટુરિસ્ટ હબ ગોવાની વાત કરે છે તો તમારા મનમાં શું ખ્યાલ આવે છે? સ્વાભાવિક છે ગોવાનું નામ આવે એટલે અહીંયાની સુંદર કોસ્ટલાઈન, બીચ અને પસંદગીની ખાણી-પીણીની વાતો ધ્યાનમાં આવવા લાગે છે. પરંતુ ગોવામાં આ મહિને કંઈક એવું થયું જે ચર્ચામાં છે. આજે મન કી બાતમાં હું તેને તમારી સાથે વહેંચવા માંગુ છું. ગોવામાં થયેલી આ ઈવેન્ટ છે – પર્પલ ફેસ્ટ. આ ફેસ્ટને 6 થી 8 જાન્યુઆરી દરમિયાન પણજીમાં યોજવામાં આવ્યો હતો. દિવ્યાંગજનોના કલ્યાણ ને લઈને તે પોતાનામાં જ એક અનોખો પ્રયાસ હતો.
પર્પલ ફેસ્ટ કેટલો મોટો મોકો હતો તેનો અંદાજ તમે એ વાત પરથી મેળવી શકો કે 50 હજારથી પણ વધારે આપણા ભાઈ-બહેન તેમાં સામેલ થયા હતા. અહીંયા આવેલા લોકો એ વાતથી રોમાંચિત હતા કે હવે તેઓ મીરામાર બીચ ફરવાનો આનંદ માણી શકશે. હકિકતમાં મીરામાર બીચ આપણા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે ગોવાના Accessible Beaches માંથી એક બની ગયો છે. અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ, ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ, મેરેથોન કોમ્પિટિશન સાથે એક બહેરા અને પ્રજ્ઞાચક્ષુઓનું કન્વેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા યૂનિક બર્ડ વોચિંગ પ્રોગ્રામ ઉપરાંત ફિલ્મ પણ દેખાડવામાં આવી. તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આપણા દિવ્યાંગ ભાઈ-બહેનો તેમજ બાળકો તેનો પૂરેપૂરો આનંદ લઈ શકે. પર્પલ ફેસ્ટની એક ખાસ વાત તેમાં દેશના પ્રાઈવેટ સેક્ટરની પણ ભાગીદારી રહી. તેમના તરફથી એવા પ્રોડકટ્સ શો-કેસ કરવામાં આવ્યા જે દિવ્યાંગ ફ્રેન્ડલી છે. આ ફેસ્ટમાં દિવ્યાંગ કલ્યાણ પ્રત્યે જાગૃતિ વધારવાના અનેક પ્રયત્નો જોવા મળ્યા. પર્પલ ફેસ્ટને સફળ બનાવવા માટે હું , તેમાં ભાગ લેનારા દરેક લોકોને ધન્યવાદ પાઠવું છું. સાથે જ એ વોલેન્ટિયર્સને પણ અભિનંદન પાઠવું છું, જેમણે આ આયોજન કરવા દિવસ-રાત એક કરી દીધા હતા. મને પૂરો વિશ્વાસ છે કે Accessible India ના આપણા વિઝનને સાકાર કરવામાં આ પ્રકારના અભિયાન ઘણાં જ કારગર સાબિત થશે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે મન કી બાતમાં હું એક એવા વિષય પર વાત કરીશ જેમાં આપને આનંદ પણ આવશે, ગર્વ પણ થશે અને આપ કહી ઉઠશો – વાહ ભાઈ વાહ...દિલ ખુશ થઈ ગયું. દેશની સૌથી જૂની સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાંની એક બેંગાલુરુની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એટલે કે આઈઆઈએસસી એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. મન કી બાતમાં અગાઉ હું આની ચર્ચા કરી ચૂક્યો છું કે કેવી રીતે આ સંસ્થાની સ્થાપનાની પાછળ ભારતની બે મહાન વિભૂતીઓ જમશેદજી ટાટા અને સ્વામી વિવેકાનંદની પ્રેરણા રહી છે તો તમને અને મને આનંદ અને ગર્વ આપનારી વાત એ છે કે વર્ષ 2022માં આ સંસ્થાના નામે કુલ 145 પેટન્ટ રહેલી છે. તેનો મતલબ છે – દર પાંચ દિવસે બે પેટન્ટ. આ રેકોર્ડ પોતાનામાં જ એક અદભૂત છે. આ સફળતા માટે હું આઈઆઈએસસી ની ટીમને અભિનંદન પાઠવું છું. સાથીઓ, આજે પેટન્ટ ફાઈલિંગમાં ભારતનો ક્રમ 7મો અને ટ્રેડમાર્કમા 5મો ક્રમ છે. માત્ર પેટન્ટની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષોમાં તેમાં લગભગ 50 ટકાની વૃદ્ધી થઈ છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં પણ ભારતના રેન્કિંગમાં જબરદસ્ત સુધારો થયો છે અને હવે તે 40 મા ક્રમે આવી ગયું છે, જ્યારે 2015માં ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 80માં નંબરથી પણ પાછળ હતું. વધુ એક રસપ્રદ વાત હું આપને જણાવવા માગું છું. ભારતમાં છેલ્લા 11 વર્ષોમાં પહેલી વખત ડોમેસ્ટિક પેટન્ટ ફાઈલિંગની સંખ્યા ફોરેન ફાઈલિંગથી વધારે જોવા મળી છે. તે ભારતના વધતા વૈજ્ઞાનિક સામર્થ્યને પણ દેખાડે છે.
સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે 21મી સદીની ગ્લોબલ ઈકોનોમીમાં નોલેજ જ સર્વોપરી છે. મને વિશ્વાસ છે કે ભારતના Techade નું સપનું આપણા ઈનોવેટર્સ અને તેમની પેટન્ટના દમ પર ચોક્કસથી પૂરું થશે. તેનાથી આપણે બધા આપણા જ દેશમાં તૈયાર વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી અને પ્રોડક્ટ્સનો ભરપૂર લાભ લઈ શકીશું.
મારા પ્રિય દેશવાસીઓ, NaMoApp પર મેં તેલંગણાના એન્જિનિયર વિજય જીની એક પોસ્ટ જોઈ. તેમાં વિજયજીએ ઈ-વેસ્ટ વિશે લખ્યું છે. વિજયજીનો આગ્રહ છે કે હું મન કી બાતમાં આ વિષય પર ચર્ચા કરું. આ કાર્યક્રમમાં પહેલાં પણ આપણે વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી કંચનની વાત કરી હતી, પરંતુ આવો આજે તેનાથી જ જોડાયેલી ઈ-વેસ્ટની ચર્ચા કરીએ.
સાથીઓ આજે દરેક ઘરમાં મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ જેવી ડિવાઈસ સામાન્ય થઈ ગયી છે. આખા દેશમાં તેની સંખ્યા અબજોમાં હશે. આજના લેટેસ્ટ ડિવાઈસ ભવિષ્યના ઈ-વેસ્ટ પણ હોય છે. જ્યારે કોઈ નવી ડિવાઈસ ખરીદે છે અથવા પોતાની જૂની ડિવાઈસ બદલે છે તો એ ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે કે તેને બરાબર રીતે discard કરવામાં આવે છે કે નહીં. જો ઈ-વેસ્ટને બરાબર રીતે dispose કરવામાં ન આવે તો તે આપણા પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ સાવધાની પૂર્વક જો તેને કરવામાં આવે છે તો તે રિસાયકલ અને રિયૂઝની સર્ક્યૂલર ઈકોનોમીની(CIRCULAR ECONOMY) બહુ જ મોટી તાકાત બની શકે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે 50 મીલિયન ટન ઈ-વેસ્ટ ફેંકવામાં આવે છે. તમે અંદાજો લગાવી શકશો કે કેટલો હશે? માનવ ઈતિહાસમાં જેટલા વ્યવસાયિક હવાઈજહાજ બન્યા છે તે બધાનું વજન ભેગું કરી દેવામાં આવે તો જેટલો ઈ-વેસ્ટ નીકળે છે તેને બરાબર પણ નહીં થાય. આ એવું છે જેમકે દર સેકન્ડે 800 લેપટોપ ફેંકી દેવાતા હોય. તમે જાણીને ચોંકી જશો કે અલગ-અલગ પ્રક્રિયાઓ મારફતે આ ઈ-વેસ્ટથી લગભગ 17 પ્રકારના કીંમતી ધાતુઓ Precious Metal કાઢી શકાય છે. તેમાં સોનું, ચાંદી, ત્રાંબુ, નિકલ સામેલ છે. તેથી જ ઈ-વેસ્ટનો સદુપયોગ કરવો, કચરાને કંચન બનાવવાથી જરા પણ ઓછું નથી. આજે એવા સ્ટાર્ટ-અપની અછત નથી જે આ દિશામાં ઈનોવેટિવ કામ કરી રહ્યા છે. આજે લગભગ 500 જેટલા E-Waste Recyclers આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને ઘણાં બધા નવા ઉદ્યમીઓને પણ તેની સાથે જોડવામાં આવી રહ્યા છે. આ સેક્ટરે હજારો લોકોને સીધી રીતે રોજગારી પણ પૂરી પાડી છે. બેંગાલુરુની E-Parisara પણ આવા જ એક પ્રયત્નમાં જોડાયેલી છે. તેણે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની કિમતી ધાતુઓને અલગ કરીને સ્વદેશી ટેક્નોલોજી વિકસિત કરી છે. આવી જ રીતે મુંબઈમાં કામ કરતી ઈકોરિકો એ મોબાઈલ એપથી ઈ-વેસ્ટ કલેક્ટ કરવાની સિસ્ટમ તૈયાર કરી છે. ઉત્તરાખંડના રૂરકીની એટ્ટેરો રિસાયક્લિંગે તો આ ક્ષેત્રમાં દુનિયાભરમાં કેટલીયે પેટન્ટ મેળવી છે. તેણે પણ પોતાની ઈ-વેસ્ટ રિસાયક્લિંગ ટેક્નોલોજી તૈયાર કરીને ઘણી જ નામના મેળવી છે. ભોપાલમાં મોબાઈલ એપ અને વેબસાઈટ – કબાડીવાલાની મદદથી ઘણા ટન ઈ-વેસ્ટ એકત્રિત કરાઈ રહ્યું છે. આવા તો કેટલાય ઉદાહરણો છે. આ બધા ભારતને ગ્લોબલ રિસાયક્લિંગ હબ બનાવવામાં મદદ કરી રહ્યા છે પરંતુ આવા initiative ની સફળતા માટે એક જરૂરી શરત એ પણ છે તે એ કે ઈ-વેસ્ટના નિકાલની સુરક્ષિત ઉપયોગી પદ્ધતિઓ વિશે લોકોને જાગૃત કરતા રહેવા પડશે. ઈ-વેસ્ટના ક્ષેત્રમાં કામ કરનારા કહે છે કે અત્યારે દર વર્ષે માત્ર 15-17 ટકા ઈ-વેસ્ટને જ રિસાયકલ કરવામાં આવી રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આખી દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ અને બાયોડાયર્સિટીના રક્ષણની ઘણી ચર્ચા થાય છે. આ દિશામાં ભારતના નક્કર પ્રયત્નો વિશે આપણે સતત વાત કરીએ છીએ. ભારતે તેની વેટલેન્ડ માટે જે કામ કર્યું છે તે જાણીને તમને પણ ઘણું સારું લાગશે. કેટલાક શ્રોતાઓ વિચારી રહ્યા હશે કે વેટલેન્ડ શું હોય છે? વેટલેન્ડ સાઈટ એટલે એ જગ્યા જ્યાં દળદાર માટીવાળી જમીન પર આખું વર્ષ પાણી ભરાયેલું રહે છે. થોડા દિવસ પછી 2 ફેબ્રુઆરીએ જ વર્લ્ડ વેટલેન્ડ ડે છે. આપણી ધરતીના અસ્તિત્વ માટે વેટલેન્ડ ઘણી જ જરૂરી છે કારણ કે તેના પર ઘણાંબધા પક્ષીઓ, જીવ-જંતુઓ નિર્ભર હોય છે. તે બાયોડાયવર્સિટીને સમૃદ્ધ કરવાની સાથે પૂર નિયંત્રણ અને ભૂમિગત જળ સંચય પણ સુનિશ્ચિત કરે છે. તમારામાંથી ઘણાં લોકો જાણતા હશે રામસર સાઈટ એવા વેટલેન્ડ હોય છે જે આંતરરાષ્ટ્રીય મહત્વ ના છે. વેટલેન્ડ ભલે કોઈ દેશમાં હોય પરંતુ તેણે અનેક માપદંડોને પૂરા કરવાના હોય છે, ત્યારે જઈને તેને રામસર સાઈટ જાહેર કરવામાં આવે છે. રામસર સાઈટ્સમાં 20 હજાર અથવા તેનાથી વધારે વોટર બર્ડ્સ હોવા જોઈએ. સ્થાનિક માછલીઓની પ્રજાતિઓની મોટી સંખ્યા હોવી જરૂરી છે. આઝાદીના 75 વર્ષ પર અમૃત મહોત્સવ દરમિયાન રામસર સાઈટ્સ સાથે જોડાયેલી એક સારી વાત આપની સાથે વહેંચવા માંગુ છું. આપણા દેશમાં રામસર સાઈટ્સની કુલ સંખ્યા હવે 75 થઈ ગઈ છે, જ્યારે 2014 પહેલાં દેશમાં માત્ર 26 રામસર સાઈટ્સ હતી. તેના માટે સ્થાનિક સમુદાય ધન્યવાદને પાત્ર છે. જેમણે આ બાયોડાયવર્સિટીને સાચવીને રાખી છે. આ પ્રકૃતિ સાથે સદભાવપૂર્વક રહેવાની આપણી સદીઓ જૂની સંસ્કૃતિ અને પરંપરાનું પણ સન્માન છે. ભારતના આ વેટલેન્ડ્સ આપણા પ્રાકૃતિક સામર્થ્યનું પણ ઉદાહરણ છે. ઓડિશાનુ ચિલ્કા સરોવર 40થી વધારે WaterBird Species ને આશ્રય આપવા માટે જાણીતું છે. કઈબુલ-લમજાહ, લોકટાકને Swamp Deerનું એકમાત્ર Natural Habitat માનવામાં આવે છે. તામિલનાડુના વેડન્થાંગલને 2022માં રામસર સાઈટ જાહેર કરવામાં આવ્યું હતું. અહીંયાની બર્ડ પોપ્યુલેશનને સાચવવાનો બધો જ શ્રેય આસપાસના ખેડૂતોને જાય છે. કાશ્મીરમાં પંજાથ નાગ સમુદાય Annual Fruit Blossom festival દરમિયાન એક દિવસ ખાસ ગામડાંના ઝરણાંની સાફ-સફાઈ માટે રાખે છે. World’s Ramsar Sites માં મોટાભાગે Unique Culture Heritage પણ છે. મણિપુરનું લોકટાક અને પવિત્ર સરોવર રેણુકા સાથે ત્યાંની સંસ્કૃતિનુ ઘણુ ઉંડું જોડાણ રહ્યું છે. આવી જ રીતે Sambhar નો સંબંધ માં દુર્ગાના અવતાર શાકમ્ભરી દેવી સાથે પણ છે. ભારતમાં વેટલેન્ડનો આ વિસ્તાર એ લોકોને કારણે શક્ય બની શકે છે જે રામસર સાઈટ્સની આસપાસ રહે છે. હું એવા બધા લોકોની ઘણી જ પ્રશંસા કરું છું, મન કી બાતના શ્રોતાઓ તરફથી તેમને શુભકામનાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે આપણા દેશમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં ઘણી જ તીવ્ર ઠંડી પડી. આ ઠંડીમાં લોકોએ પહાડો પર બરફવર્ષા ની પણ ખૂબ મજા લીધી. જમ્મુ-કાશ્મીરથી કેટલીક એવી છબીઓ આવી જેણે આખા દેશનું મન મોહી લીધું. સોશિયલ મીડિયા પર તો આખી દુનિયાના લોકો આ છબીને પસંદ કરે છે. બરફવર્ષાને કારણે આપણી કાશ્મીર ખીણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી જ સુંદર થઈ ગઈ છે. બનીહાલ થી બડગામ જતી ટ્રેનનો વીડિયો પણ લોકો ખાસ પસંદ કરી રહ્યા છે. સુંદર બરફવર્ષા, ચારેય તરફ સફેદ ચાદર જેવો બરફ. લોકો કહી રહ્યા છે કે આ દ્રશ્ય પરીઓની કથાઓ જેવું લાગે છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ કોઈ વિદેશની નહીં, પરંતુ આપણા જ દેશના કાશ્મીરની છબીઓ છે. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું છે – સ્વર્ગ આનાથી વધારે સુંદર શું હશે? તે વાત બિલકુલ સાચી છે. ત્યારે જ તો કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. તમે પણ આ છબીઓને જોઈને કાશ્મીરની મુલાકાત લેવાનું જરૂર વિચારતા હશો. હું ઈચ્છીશ કે તમે પોતે પણ જાઓ અને તમારા સાથીઓને પણ લઈ જાઓ. કાશ્મીરમાં બરફથી ઢંકાયેલા પહાડો, પ્રાકૃતિક સૌંદર્યની સાથે સાથે અન્ય પણ ઘણું જોવાનું અને જાણવાનું છે. જેમ કે કાશ્મિરના સૈયદાબાદમાં વિન્ટર ગેમ્સ આયોજિત કરવામાં આવી હતી. આ ગેમ્સની થીમ હતી – સ્નો ક્રિકેટ. તમે વિચારી રહ્યા હશો કે સ્નો ક્રિકેટ તો ઘણી જ રોમાંચક રમત હશે – તમે બિલકુલ સાચું વિચારી રહ્યા છો. કાશ્મીરી યુવાનો બરફની વચ્ચે ક્રિકેટને વધુ અદભુત બનાવી દે છે. તેને મારફતે કાશ્મીરમાં એવા યુવા ખેલાડીઓની શોધ પણ થાય છે જે આગળ વધીને ટીમ ઈન્ડિયા તરફથી પણ રમશે. આ પણ એક રીતે ખેલો ઈન્ડિયા મૂવમેન્ટનું વિસ્તરણ જ છે. કાશ્મીરમાં યુવાનોમાં રમતોને લઈને ઉત્સાહ ઘણો જ વધી રહ્યો છે. આવનારા સમયમાં આમાંથી કેટલાય યુવાનો દેશ માટે મેડલ જીતશે, તિરંગો લહેરાવશે. મારું આપને સૂચન હશે કે હવે પછી તમે જ્યારે કાશ્મીરની યાત્રા પ્લાન કરો તો આવા આયોજનોને જોવા માટે પણ સમય કાઢજો. આ અનુભવ આપની યાત્રાને વધુ યાદગાર બનાવી દેશે.
મારા પ્રિય દેશવાસીઓ, ગણતંત્રને મજબૂત કરવાના આપણા પ્રયત્નો સતત ચાલતા રહેવા જોઈએ. ગણતંત્ર મજબૂત થાય છે જન-ભાગીદારીથી, બધાના પ્રયત્નોથી, દેશ પ્રત્યેના પોતપોતાના કર્તવ્યોને નિભાવવાથી, અને મને સંતોષ છે કે આપણી મન કી બાત આવા કર્તવ્યનિષ્ઠ સેનાનીઓનો બુલંદ અવાજ છે. હવે પછી ફરી મુલાકાત થશે આવા કર્તવ્યનિષ્ઠ લોકોની રસપ્રદ તથા પ્રેરક ગાથાઓની સાથે.
ખૂબ ખૂબ ધન્યવાદ....

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે આપણે ‘મન કી બાત’ના છન્નુમી કડી સાથે જોડાઈ રહ્યા છીએ. ‘મન કી બાત’નો આગામી હપ્તો વર્ષ 2023નો પહેલો હપ્તો થશે. તમે લોકોએ જે સંદેશા મોકલ્યા, તેમાં વિદાય લઈ રહેલા 2022 વિશે વાત કરવા પણ ખૂબ આગ્રહ સાથે કહ્યું છે. અતીતનું અવલોકન તો આપણને વર્તમાન અને ભવિષ્યની તૈયારીઓની પ્રેરણા હંમેશાં આપતું રહ્યું છે. 2022માં દેશના લોકોનું સામર્થ્ય, તેમનો સહયોગ, તેમનો સંકલ્પ, તેમની સફળતાનો વિસ્તાર એટલો વધુ રહ્યો કે ‘મન કી બાત’માં બધાને સાંકળવું તો મુશ્કેલ થશે. 2022 ખરેખર અનેક રીતે ખૂબ જ પ્રેરક રહ્યું. અદ્ભુત રહ્યું. આ વર્ષે ભારતે પોતાની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરા કર્યાં અને આ વર્ષે અમૃત કાળનો પ્રારંભ થયો. આ વર્ષે દેશે અનેક ક્ષેત્રે ઝડપ પકડી છે, બધા દેશવાસીઓએ એકથી એક ચડિયાતું કામ કર્યું. 2022ની વિભિન્ન સફળતાઓએ, આજે, પૂરા વિશ્વમાં ભારતનું એક વિશેષ સ્થાન બનાવ્યું છે. 2022 અર્થાત્ ભારત દ્વારા દુનિયામાં પાંચમા સૌથી મોટા અર્થતંત્રનો પડાવ પ્રાપ્ત કરવો, 2022 અર્થાત્ ભારત દ્વારા 220 કરોડ રસીનો અવિશ્વસનીય આંકડો પાર કરવાનો વિક્રમ, 2022 અર્થાત્ ભારત દ્વારા નિકાસનો 400 અબજ ડૉલરનો જાદુઈ આંકડો પાર કરવો, 2022 અર્થાત્ દેશના જન-જન દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને અપનાવવો, તેને જીવીને દેખાડવો, 2022 અર્થાત્ ભારતના પહેલા સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતનું સ્વાગત, 2022 અર્થાત્ અવકાશ, ડ્રૉન અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતનો ધ્વજ ફરકાવવો, 2022 અર્થાત્ દરેક ક્ષેત્રમાં ભારતની શક્તિ. રમતના મેદાનમાં પણ, ચાહે, રાષ્ટ્રકુળ રમતો હોય કે આપણી મહિલા હોકી ટીમની જીત, આપણા યુવાનોએ જબરદસ્ત સામર્થ્ય દેખાડ્યું.
સાથીઓ, આ બધાની સાથે જ વર્ષ 2022 એક બીજા કારણથી સદૈવ યાદ કરાશે. તે છે, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનો વિસ્તાર. દેશના લોકોએ એકતા અને સંપને ઉજવવા માટે પણ અનેક અદ્ભુત આયોજન કર્યાં. ગુજરાતનો માધવપુર મેળો હોય, જ્યાં રુક્મિણી વિવાહ અને ભગવાન કૃષ્ણના પૂર્વોત્તરના સંબંધોને ઉજવવામાં આવે છે અથવા તો પછી કાશી-તમિલ સંગમમ્ હોય, આ પર્વોમાં પણ એકતાના અનેક રંગો દેખાયા. 2022માં દેશવાસીઓએ એક બીજો અમર ઇતિહાસ લખ્યો. ઑગસ્ટના મહિનમાં ચાલેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન કોણ ભૂલી શકે છે? તે પળ યાદ કરતાં દરેક દેશવાસીના રૂંવાડા ઊભા થઈ જતા હતા. સ્વતંત્રતાનાં 75 વર્ષના આ અભિયાનમાં સમગ્ર દેશ તિરંગામય થઈ ગયો. 6 કરોડથી વધુ લોકોએ તો તિરંગા સાથે સેલ્ફી પણ મોકલી. સ્વતંત્રતાનો આ અમૃત મહોત્સવ હજુ આગામી વર્ષ પણ ચાલશે. અમૃતકાળના પાયાને વધુ મજબૂત કરશે.
સાથીઓ, આ વર્ષે ભારતને જી20 સમૂહની અધ્યક્ષતાની જવાબદારી પણ મળી છે. મેં ગત વખતે આના પર વિસ્તારથી ચર્ચા પણ કરી હતી. વર્ષ 2023માં આપણે જી20ના ઉત્સાહને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે. આ આયોજનને એક જન આંદોલન બનાવવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે દુનિયાભરમાં ધૂમધામથી ક્રિસમસનો તહેવાર પણ મનાવવામાં આવી રહ્યો છે. તે જીસસ ક્રાઇસ્ટના જીવન, તેમના ઉપદેશને યાદ કરવાનો દિવસ છે. હું તમને સહુને ક્રિસમસની ખૂબ શુભેચ્છાઓ આપું છું.
સાથીઓ, આજે આપણા બધાના શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીનો જન્મદિન પણ છે. તેઓ એક મહાન રાજનેતા હતા. જેમણે દેશને અસાધારણ નેતૃત્વ આપ્યું.
દરેક ભારતવાસીના હૃદયમાં તેમના માટે એક વિશેષ સ્થાન છે. મને કોલકાતાથી આસ્થાજીનો પત્ર મળ્યો છે. આ પત્રમાં તેમણે તાજેતરની તેમની દિલ્લી મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. તેઓ લખે છે કે આ દરમિયાન તેમણે પીએમ મ્યૂઝિયમ જોવા માટે સમય કાઢ્યો. આ મ્યૂઝિયમમાં તેમને અટલજીની ગેલેરી ખૂબ જ પસંદ આવી. અટલજી સાથે ત્યાં પાડવામાં આવેલી તસવીર તો તેમના માટે યાદગાર બની ગઈ છે. અટલજીની ગેલેરીમાં આપણે દેશ માટે તેમના બહુમૂલ્ય યોગદાનની ઝલક જોઈ શકીએ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, શિક્ષણ હોય, કે પછી વિદેશ નીતિ, તેમણે ભારતને દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જવાનું કામ કર્યું. હું ફરી એક વાર અટલજીને હૃદયથી નમન કરું છું.
સાથીઓ, કાલે 26 ડિસેમ્બરે ‘વીર બાળ દિવસ’ છે અને મને આ અવસર પર દિલ્લીમાં સાહિબજાદા જોરાવરસિંહજી અને સાહિબજાદા ફતેહસિંહજીની વીરગતિને સમર્પિત એક કાર્યક્રમમાં સહભાગી થવાનું સૌભાગ્ય મળશે. દેશ, સાહિબજાદે અને માતા ગુજરીના બલિદાનને સદૈવ યાદ રાખશે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં કહેવાય છે-
सत्यम् किम प्रमाणम्, प्रत्यक्षम् किम प्रमाणम् ।
અર્થાત્ સત્યને પ્રમાણની આવશ્યકતા નથી હોતી, જે પ્રત્યક્ષ છે તેને પણ પ્રમાણની કોઈ આવશ્યકતા નથી હોતી. પરંતુ વાત જ્યારે આધુનિક મેડિકલ સાયન્સની હોય તો તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે- પ્રમાણ, પુરાવો. સદીઓથી ભારતીય જીવનનો હિસ્સો રહેલા યોગ અને આયુર્વેદ જેવા આપણાં શાસ્ત્રોની સામે પુરાવા આધારિત સંશોધનની ખોટ, સદૈવ એક પડકાર રહ્યો છે. પરિણામ દેખાય છે, પરંતુ પ્રમાણ નથી હોતાં. પરંતુ મને આનંદ છે કે પુરાવા આધારિત સંશોધનના યુગમાં, હવે યોગ અને આયુર્વેદ, આધુનિક યુગની તપાસ અને કસોટીઓ પર સાચાં ઠરી રહ્યાં છે.
તમે બધાએ મુંબઈના ટાટા મેમોરિયલ સેન્ટર વિશે જરૂર સાંભળ્યું હશે. આ સંસ્થાએ રિસર્ચ, ઇનોવેશન અને કેન્સર કૅરમાં ખૂબ નામ કમાયું છે. આ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક સઘન સંશોધનમાં જણાયું છે કે સ્તન કેન્સરના દર્દીઓ માટે યોગ ખૂબ જ વધુ અસરકારક છે. ટાટા મેમોરિયલ સેન્ટરે પોતાના સંશોધનનાં પરિણામોને અમેરિકામાં થયેલી ખૂબ જ પ્રતિષ્ઠિત સ્તન કેન્સર પરિષદમાં પ્રસ્તુત કર્યાં છે. આ પરિણામોએ દુનિયાના મોટા-મોટા નિષ્ણાતોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કારણકે ટાટા મેમોરિયલ સેન્ટરે પુરાવા સાથે જણાવ્યું છે કે દર્દીઓને યોગથી કેવો લાભ થયો છે. આ સેન્ટરના સંશોધન પ્રમાણે, યોગના નિયમિત અભ્યાસથી સ્તન કેન્સરના દર્દીઓની બીમારીના ફરીથી થવાના અને મૃત્યુના જોખમમાં 15 ટકા ઘટાડો થયો છે. ભારતીય પારંપરિક ચિકિત્સામાં આ પહેલું ઉદાહરણ છે જેને પશ્ચિમી રીતવાળા કડક માપદંડો પર ચકાસવામાં આવ્યું છે. સાથે જ આ પહેલો અભ્યાસ છે, જેમાં સ્તન કેન્સરગ્રસ્ત મહિલાઓમાં યોગથી જીવનની ગુણવત્તા વધુ સારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેના દીર્ઘકાલીન લાભો પણ સામે આવ્યા છે. ટાટા મેમોરિયલ સેન્ટરે પોતાના અભ્યાસનાં પરિણામોને પેરિસમાં થયેલા યુરોપિયન સૉસાયટી ઑફ મેડિકલ ઑન્કોલૉજીમાં, તે સંમેલનમાં પ્રસ્તુત કર્યાં છે.
સાથીઓ, આજના યુગમાં, ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ જેટલી વધુ પુરાવા આધારિત હશે, તેટલી જ સમગ્ર વિશ્વમાં તેની સ્વીકાર્યતા વધશે. આ વિચાર સાથે, દિલ્લીના એઇમ્સમાં પણ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યાં આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓને માન્ય કરવા માટે છ વર્ષ પહેલાં સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટિવ મેડિસિન ઍન્ડ રિસર્ચની સ્થાપના કરવામાં આવી.
તેમાં લેટેસ્ટ મૉડર્ન ટૅક્નિક અને સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સેન્ટર પહેલાં જ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલમાં 20 પત્રો પ્રકાશિત કરી ચૂક્યું છે. અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયૉલૉજીની જર્નલમાં પ્રકાશિત એક પત્રમાં સિન્કપીથી પીડિત દર્દીને યોગથી થનારા લાભ વિશે જણાવવામાં આવ્યું છે. આ જ રીતે ન્યૂરૉલૉજી જર્નલના પત્રમાં માઇગ્રેનમાં યોગથી થનારા ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત અનેક બીજી બીમારીમાં પણ યોગથી લાભ વિશે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેમ કે હૃદય રોગ, અવસાદ, સ્લીપ ડિસઑર્ડર અને ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને થનારી સમસ્યાઓ.
સાથીઓ, કેટલાક દિવસો પહેલાં વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસ માટે હું ગોવામાં હતો. તેમાં 40થી વધુ દેશોના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા અને ત્યાં ૫૫૦થી વધુ વૈજ્ઞાનિક પત્રો પ્રસ્તુત કરવામાં આવ્યા. ભારત સહિત દુનિયાભરની 215 કંપનીઓએ ત્યાં પ્રદર્શનમાં પોતાનાં ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું. ચાર દિવસ સુધી ચાલેલા આ પ્રદર્શનમાં એક લાખથી પણ વધુ લોકોએ આયુર્વેદ સાથે જોડાયેલા પોતાના અનુભવને માણ્યો. આયુર્વેદ કૉંગ્રેસમાં પણ મેં દુનિયાભરમાંથી જોડાયેલા આયુર્વેદ નિષ્ણાતો સામે પુરાવા આધારિત સંશોધનોનો આગ્રહ પુનરાવર્તિત કર્યો. જે રીતે કોરોના વૈશ્વિક રોગચાળાના આ સમય દરમિયાન યોગ અને આયુર્વેદની શક્તિ આપણે જોઈ રહ્યા છીએ, તેમાં તેની સાથે જોડાયેલું પુરાવા આધારિત સંશોધન ખૂબ જ મહત્ત્ત્વપૂર્ણ સાબિત થશે. મારો તમને અનુરોધ છે કે યોગ, આયુર્વેદ અને આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓ સાથે જોડાયેલા આવા પ્રયાસો વિશે જો તમારી પાસે કોઈ જાણકારી હોય તો તમે સૉશિયલ મિડિયા પર જરૂર જણાવશો.
મારા પ્રિય દેશવાસીઓ, વિતેલાં કેટલાંક વર્ષોમાં આપણે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક મોટા પડકારો પર વિજય મેળવ્યો છે. તેનો સંપૂર્ણ શ્રેય આપણા તબીબી નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને દેશવાસીઓની ઈચ્છાશક્તિને મળે છે. આપણે ભારતને અછબડા, પોલિયો અને ગિની કૃમિ જેવી બીમારીઓને સમાપ્ત કરીને દેખાડી છે.
આજે, ‘મન કી બાત’ના શ્રોતાઓને હું એક વધુ પડકાર વિશે જણાવવા માગું છું જે હવે સમાપ્ત થવાના આરે છે. તે પડકાર, તે બીમારી છે ‘કાલાજાર’. આ બીમારી પરોપજીવી સેન્ડ ફ્લાય અર્થાત્ બાલુ માખી કરડવાથી ફેલાય છે. જ્યારે કોઈને ‘કાલાજાર’ થાય છે તો તેને મહિનાઓ સુધી તાવ રહે છે અને લોહીની ઘટ થઈ જાય છે, શરીર નબળું પડી જાય છે અને વજન પણ ઘટી જાય છે. આ બીમારી બાળકોથી લઈને મોટા સુધી કોઈને પણ થઈ શકે છે. પરંતુ બધાના પ્રયાસથી, ‘કાલાજાર’ નામની આ બીમારી, હવે, ઝડપથી સમાપ્ત થતી જઈ રહી છે. કેટલાક સમય પહેલાં સુધી, કાલાજારનો પ્રકોપ, ચાર રાજ્યોમાં 50થી વધુ જિલ્લાઓમાં ફેલાયેલો હતો. પરંતુ હવે તે બીમારી બિહાર અને ઝારખંડના ચાર જિલ્લાઓ સુધી જ સીમિત રહી ગઈ છે. મને વિશ્વાસ છે કે બિહાર, ઝારખંડના લોકોનું સામર્થ્ય, તેમની જાગૃતિ, આ ચાર જિલ્લાઓમાં પણ ‘કાલાજાર’ને સમાપ્ત કરવામાં સરકારના પ્રયાસોમાં મદદ કરશે. ‘કાલાજાર’ પ્રભાવિત ક્ષેત્રોના લોકોને પણ મારો અનુરોધ છે કે તેઓ બે વાતોનું જરૂર ધ્યાન રાખે. એક – સેન્ડ ફ્લાય અથવા બાલુ માખી પર નિયંત્રણ અને બીજું, જેમ બને તેમ જલ્દી આ રોગની ઓળખ કરી તેની પૂરી સારવાર કરાવવી. ‘કાલાજાર’ની સારવાર સરળ છે, તેના માટે કામ આવતી દવાઓ પણ બહુ જ કારગર નિવડે છે. બસ, તમારે સતર્ક રહેવાનું છે. તાવ આવે તો બેદરકારી ન રાખતા અને બાલુ માખીને ખતમ કરવાવાળી દવાઓનો છંટકાવ પણ કરતા રહો.
જરા વિચારો, આપણો દેશ જ્યારે ‘કાલાજાર’થી મુક્ત થઈ જશે તો તે આપણા બધા માટે કેટલી આનંદની વાત હશે. બધાના પ્રયાસની આ ભાવનાથી આપણે ભારતને 2025 સુધી ટી.બી. મુક્ત કરવા માટે પણ કામ કરી રહ્યા છે. તમે જોયું હશે, વિતેલા દિવસોમાં, જ્યારે ટી.બી.મુક્ત ભારત અભિયાન શરૂ થયું તો હજારો લોકો ટી. બી. દર્દીઓની મદદ કરવા આગળ આવ્યા. તે લોકો નિક્ષય મિત્ર બનીને, ટી.બી.ના દર્દીઓની દેખભાળ કરી રહ્યા છે. તેમની આર્થિક મદદ કરી રહ્યા છે. જન સેવા અને જન ભાગીદારીની આ શક્તિ, દરેક મુશ્કેલ લક્ષ્યને પ્રાપ્ત કરીને જ દેખાડે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણી પરંપરા અને સંસ્કૃતિનો ગંગા માતા સાથે અતૂટ સંબંધ છે. ગંગા જળ આપણી જીવનધારાનો અભિન્ન હિસ્સો રહ્યું છે અને આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે –
नमामि गंगे तव पाद पकंजं
सुर असुरै: वन्दित दिव्य रूपम् ।
भुक्तिम् च मुक्तिम् च ददासि नित्यम्,
भाव अनुसारेण सदा नराणाम्।।
અર્થાત્ હે મા ગંગા! તમે, તમારા ભક્તોને, તેમના ભાવને અનુરૂપ સાંસારિક સુખ, આનંદ અને મોક્ષ પ્રદાન કરો છો. બધા તમારાં પવિત્ર ચરણોને વંદન કરે છે. હું પણ તમારાં પવિત્ર ચરણોમાં મારા પ્રણામ અર્પિત કરું છું. આવામાં વર્ષોથી ખળ-ખળ વહેતી મા ગંગાને સ્વચ્છ રાખવી આપણા બધાની બહુ મોટી જવાબદારી છે. આ ઉદ્દેશ્ય સાથે આઠ વર્ષ પહેલાં આપણે ‘નમામિ ગંગે અભિયાન’ની શરૂઆત કરી હતી. આપણા બધા માટે ગૌરવની વાત છે કે ભારતની આ પહેલને આજે દુનિયાભરની પ્રશંસા મળી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રોએ ‘નમામિ ગંગે મિશન’ને પર્યાવરણ પ્રણાલિને પુનઃસ્થાપિત કરતા દુનિયાના ટોચના દસ ઇનિશિએટિવમાં સામેલ કર્યું છે. વધુ આનંદની વાત એ છે કે સમગ્ર વિશ્વના 160 આવાં ઇનિશિએટિવમાં ‘નમામિ ગંગા’ને આ સન્માન મળ્યું છે.
સાથીઓ, ‘નમામિ ગંગે’ અભિયાનની સૌથી મોટી ઊર્જા લોકોની નિરંતર સહભાગિતા છે. ‘નમામિ ગંગે’ અભિયાનમાં ગંગા પ્રહરીઓ અને ગંગા દૂતોની પણ મોટી ભૂમિકા છે. તેઓ વૃક્ષારોપણ, ઘાટોની સફાઈ, ગંગા આરતી, શેરી નાટક, ચિત્રકારી અને કવિતાઓ દ્વારા જાગૃતિ ફેલાવવામાં લાગેલા છે. આ અભિયાનથી જૈવવૈવિધ્યમાં પણ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. હિલ્સા માછલી, ગંગા ડૉલ્ફિન અને કાચબાની વિભિન્ન પ્રજાતિઓમાં પણ ઘણી વૃદ્ધિ થઈ છે. ગંગાનું પર્યાવરણ તંત્ર સ્વચ્છ થવાથી, આજીવિકાના અન્ય અવસરો પણ વધી રહ્યા છે. અહીં હું ‘જલજ આજીવિકા મૉડલ’ની પણ ચર્ચા કરવા ઈચ્છીશ, જે જૈવવૈવિધ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ પર્યટન આધારિત નૌકા સહેલને 26 સ્થાનો પર શરૂ કરવામાં આવી છે. સ્પષ્ટ છે કે ‘નમામિ ગંગે મિશન’નો વિસ્તાર, તેનો પરીઘ, નદી સફાઈથી ઘણો બધો વધ્યો છે. તે, એક તરફ, આપણી ઈચ્છાશક્તિ અને અથાગ પ્રયાસોનું એક પ્રત્યક્ષ પ્રમાણ છે તો બીજી તરફ, તે પર્યાવરણ સંરક્ષણની દિશામાં વિશ્વને પણ એક નવો રસ્તો દેખાડનારું છે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે આપણી સંકલ્પ શક્તિ મજબૂત હોય તો મોટામાં મોટો પડકાર પણ સરળ બની જાય છે. તેનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે- સિક્કિમના થેગૂ ગામના ‘સંગે શેરપાજીએ’. તેઓ છેલ્લાં 14 વર્ષથી 12,000 ફૂટથી પણ વધુ ઊંચાઈ પર પર્યાવરણ સંરક્ષણના કામમાં લાગેલા છે. સંગેજીએ સાંસ્કૃતિક અને પૌરાણિક રીતે મહત્ત્વના સોમગો (tsomgo) ને સ્વચ્છ રાખવાનું બીડું ઝડપ્યું છે. પોતાના અથાગ પ્રયાસોથી તેમણે આ ગ્લેશિયર લેકનું રંગરૂપ જ બદલી નાખ્યું છે.
વર્ષ 2008માં સંગે શેરપાજીએ જ્યારે સ્વચ્છતાનું આ અભિયાન શરૂ કર્યું હતું, ત્યારે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જોતજોતામાં, તેમના આ ઉમદા કાર્યમાં યુવાનો અને ગ્રામીણો સાથે જ પંચાયતનો પણ ભરપૂર સહયોગ મળવા લાગ્યો. આજે તમે જો સોમગો સરોવરને જોવા જશો તો ત્યાં ચારે તરફ તમને ગાર્બેજ બિન્સ મળશે. હવે અહીં જમા થયેલા કચરાને રિસાઇકલિંગ માટે મોકલવામાં આવે છે. અહીં આવનારા પર્યટકોને કપડાંથી બનેલી ગાર્બેજ બિન પણ આપવામાં આવે છે જેથી કચરો અહીં-ત્યાં ન ફેંકે. હવે ખૂબ જ સાફ થઈ ચૂકેલા આ સરોવરને જોવા માટે દર વર્ષે લગભગ પાંચ લાખ પર્યટકો ત્યાં જાય છે. સોમગો સરોવરના સંરક્ષણના આ અનોખા પ્રયાસ માટે સંગે શેરપાજીને અનેક સંસ્થાઓએ સન્માનિત પણ કર્યા છે. આવા જ પ્રયાસોના કારણે આજે સિક્કિમની ગણતરી ભારતના સૌથી સ્વચ્છ રાજ્યોમાં થાય છે. હું સંગે શેરપાજી અને તેમના સાથીઓ સાથે દેશભરમાં પર્યાવરણ સંરક્ષણના ઉમદા કાર્યમાં લાગેલા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું.
સાથીઓ, મને આનંદ છે કે ‘સ્વચ્છ ભારત મિશન’ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયું છે. વર્ષ 2014માં આ જન આંદોલનના શરૂ થવાની સાથે જ, તેને, નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે, લોકોએ, અનેક અનોખા પ્રયાસ કર્યા છે અને આ પ્રયાસ માત્ર સમાજની અંદરથી જ નહીં, પરંતુ સરકારની અંદર પણ થઈ રહ્યા છે. આ સતત પ્રયાસોનું પરિણામ એ છે કે- કચરો, ગંદકી હટવાના કારણે, બિનજરૂરી સામાન હટવાના કારણે, કચેરીઓમાં ઘણી જગ્યા ખુલી જાય છે, નવી જગ્યા મળે છે. પહેલાં જગ્યાના અભાવમાં દૂર-દૂર ભાડા પર કચેરીઓ રાખવી પડતી હતી. આ દિવસોમાં સાફ-સફાઈના કારણે એટલી જગ્યા મળી રહી છે કે હવે, એક જ સ્થાન પર બધાં કાર્યાલયો બેસી રહ્યાં છે.
ગત દિવસોમાં માહિતી અને પ્રસારણ ખાતાએ પણ મુંબઈમાં, અમદાવાદમાં, કોલકાતામાં, શિલોંગમાં, અનેક શહેરોમાં પોતાનાં કાર્યલયોમાં ભરપૂર પ્રયાસ કર્યો અને તેના કારણે આજે તેમને બે-બે, ત્રણ-ત્રણ માળ, પૂરી રીતે નવી રીતથી કામમાં આવી શક્યાં, તે ઉપલબ્ધિ થઈ ગઈ. આ પોતાની રીતે, સ્વચ્છતાના કારણે, આપણા સંસાધનોનો મહત્તમ ઉપયોગનો ઉત્તમ અનુભવ મળી રહ્યો છે. સમાજમાં પણ, ગામેગામ, શહેરેશહેરમાં પણ, આ પ્રકારથી કાર્યાલયોમાં પણ, આ અભિયાન, દેશ માટે પણ દરેક રીતે ઉપયોગી સિદ્ધ થઈ રહ્યું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં આપણી કળા-સંસ્કૃતિ વિશે એક નવી જાગૃતિ આવી રહી છે. એક નવી ચેતના જાગૃત થઈ રહી છે. ‘મન કી બાત’માં, આપણે, ઘણી વાર, આવાં ઉદાહરણોની ચર્ચા પણ કરીએ છીએ. જે રીતે કળા, સાહિત્ય અને સંસ્કૃતિ સમાજની સામૂહિક મૂડી હોય છે, તે જ રીતે તેમને આગળ વધારવાની જવાબદારી સંપૂર્ણ સમાજની હોય છે. આવો જ એક સફળ પ્રયાસ લક્ષદ્વીપમાં થઈ રહ્યો છે. ત્યાં કલ્પેની દ્વીપ પર એક ક્લબ છે- કૂમેલ બ્રધર્સ ચેલેન્જર્સ ક્લબ. આ ક્લબ યુવાનોને સ્થાનીય સંસ્કૃતિ અને પારંપરિક કળાઓના સંરક્ષણ માટે પ્રેરે છે. ત્યાં યુવાનોને સ્થાનિક કળા કોલકલી, પરીચાકલી, કિલિપ્પાટ્ટ અને પારંપરિક ગીતોનું પ્રશિક્ષણ અપાય છે. એટલે કે જૂનો વારસો, નવી પેઢીના હાથોમાં સુરક્ષિત થઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે અને સાથીઓ, મને આનંદ છે કે આ પ્રકારના પ્રયાસો દેશમાં જ નહીં, વિદેશમાં પણ થઈ રહ્યા છે. તાજેતરમાં જ દુબઈથી સમાચાર આવ્યા કે ત્યાં કલારી ક્લબે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નામ પ્રાપ્ત કર્યું છે. તમને થશે કે દુબઈના ક્લબે રેકૉર્ડ બનાવ્યો તેનો ભારત સાથે શું સંબંધ? વાસ્તવમાં, આ રેકૉર્ડ, ભારતની પ્રાચીન માર્શલ આર્ટ કલારીપયટ્ટૂ સાથે જોડાયેલો છે.
આ રેકૉર્ડ એક સાથે સૌથી વધુ લોકો દ્વારા કલારીના પ્રદર્શનનો છે. કલારી ક્લબ દુબઈએ દુબઈ પોલીસ સાથે મળીને તેનું આયોજન કર્યું અને યુએઇના રાષ્ટ્રીય દિવસે પ્રદર્શન કર્યું. આ આયોજનમાં ચાર વર્ષના બાળકોથી માંડીને 60 વર્ષ સુધીના લોકોએ કલારીની પોતાની ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. અલગ-અલગ પેઢીઓ પોતાની પ્રાચીન પરંપરાને કેવી આગળ વધારે છે, પૂરા મનોયોગથી વધારે છે, તેનું આ અદ્ભુત ઉદાહરણ છે.
સાથીઓ, ‘મન કી બાત’ના શ્રોતાઓને હું કર્ણાટકના ગડક જિલ્લામાં રહેનારા ‘ક્વેમશ્રી’જી વિશે પણ બતાવવા માગું છું. ‘ક્વેમશ્રી’ દક્ષિણમાં કર્ણાટકની કળા-સંસ્કૃતિને પુનર્જીવિત કરવાના મિશનમાં છેલ્લાં 25 વર્ષથી અનવરત લાગેલા છે. તમે વિચારી શકો કે તેમની તપશ્ચર્યા કેટલી મોટી છે? પહેલાં તો તેઓ હૉટલ મેનેજમેન્ટના વ્યવસાય સાથે જોડાયેલા હતા. પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરા વિશે તેમની લાગણી એટલી ગાઢ હતી કે તેમણે તેને પોતાનું મિશન બનાવી લીધું. તેમણે ‘કલા ચેતના’ નામથી એક મંચ બનાવ્યો. આ મંચ, આજે કર્ણાટકના, અને દેશ-વિદેશના કલાકારોના અનેક કાર્યક્રમ આયોજિત કરે છે. તેમાં સ્થાનિક કળા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે અનેક ઇનૉવેટિવ કામ પણ થાય છે.
સાથીઓ, પોતાની કળા-સંસ્કૃતિ પ્રત્યે દેશવાસીઓનો આ ઉત્સાહ ‘પોતાના વારસા પર ગર્વ’ની ભાવનું જ પ્રગટીકરણ છે. આપણા દેશમાં તો દરેક ખૂણામાં આવા અનેક રંગો વિખરાયેલા પડ્યા છે. આપણે પણ તેમને સજાવવા-સંવારવા અને સંરક્ષિત કરવા માટે નિરંતર કામ કરવું જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, દેશના અનેક ક્ષેત્રમાં વાંસથી અનેક સુંદર અને ઉપયોગી ચીજો બનાવવામાં આવે છે. વિશેષ રીતે આદિવાસી ક્ષેત્રમાં વાંસના કુશળ કારીગર અને કુશળ કલાકારો છે. જ્યારથી દેશે વાંસથી જોડાયેલા અંગ્રેજોના જમાનાના કાયદાઓને બદલ્યા છે, ત્યારથી તેનું એક મોટું બજાર તૈયાર થઈ ગયું છે.
મહારાષ્ટ્રના પાલઘર જેવા ક્ષેત્રમાં પણ આદિવાસી સમાજના લોકો વાંસનાં અનેક સુંદર ઉત્પાદનો બનાવે છે. વાંસથી બનનારાં બૉક્સ, ખુરશી, ચાયદાની, ટોકરીઓ અને ટ્રે જેવી ચીજો ખૂબ લોકપ્રિય થઈ રહી છે. એટલું જ નહીં, તે લોકો વાંસના ઘાસથી સુંદર કપડાં અને સજાવટની ચીજો પણ બનાવે છે. તેનાથી આદિવાસી મહિલાઓને પણ આજીવિકા મળી રહી છે અને તેમના હુનરને ઓળખ પણ મળી રહી છે.
સાથીઓ, કર્ણાટકનું એક દંપતી સોપારીના રેસાથી બનેલાં અનોખાં ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડી રહ્યું છે. કર્ણાટકના શિવમોગાનું આ દંપતી છે- શ્રીમાન સુરેશ અને તેમનાં પત્ની શ્રીમતી મૈથિલી. આ લોકો સોપારીના રેસાથી ટ્રે, પ્લેટ અને હેન્ડબેગથી લઈને અનેક ડૅકૉરેટિવ ચીજો બનાવી રહ્યાં છે. આવા રેસાથી બનેલાં ચપ્પલો પણ આજે લોકોને ખૂબ પસંદ પડી રહ્યાં છે. તેમનાં ઉત્પાદનો આજે લંડન અને યુરોપના બીજાં બજારોમાં વેચાઈ રહ્યાં છે. આ જ તો આપણાં પ્રાકૃતિક સંસાધનો અને પારંપરિક હુનરની ખાસિયત છે, જે બધાને પસંદ આવી રહી છે. ભારતના આ પારંપરિક જ્ઞાનમાં દુનિયા ટકાઉ ભવિષ્યનો રસ્તો જોઈ રહી છે. આપણે, સ્વયં પણ, આ દિશામાં વધુમાં વધુ જાગૃત થવાની આવશ્યકતા છે. આપણે સ્વયં પણ આવાં સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરીએ અને બીજાઓને પણ આ ઉપહાર સ્વરૂપે આપીએ. તેનાથી આપણી ઓળખ પણ મજબૂત થશે અને સ્થાનિક અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે, અને, મોટી સંખ્યાંમાં, લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થશે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે આપણે ધીરે-ધીરે ‘મન કી બાત’ના 100મા હપ્તાના અભૂતપૂર્વ પડાવ તરફ આગળ વધી રહ્યા છીએ. મને અનેક દેશવાસીના પત્રો મળ્યા છે, જેમાં તેમણે 100મા હપ્તા વિશે ઘણી જિજ્ઞાસા પ્રગટ કરી છે.
100મા હપ્તામાં, આપણે શું વાત કરીએ, તેને કેવી રીતે ખાસ બનાવીએ, તેના માટે તમે મને સૂચનો મોકલશો તો મને ઘણું સારું લાગશે. આગામી વખતે, આપણે વર્ષ 2023માં મળીશું. હું તમને બધાને વર્ષ 2023ની શુભકામનાઓ પાઠવું છું. આ વર્ષ પણ દેશ માટે ખાસ રહે, દેશ નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરતો રહે, આપણે મળીને સંકલ્પ પણ લેવાનો છે, સાકાર પણ કરવાનો છે. આ સમયે ઘણા બધા લોકો રજાના મૂડમાં પણ છે. તમે તહેવારોનો, આ અવસરોનો ઘણો આનંદ લો, પરંતુ થોડા સતર્ક પણ રહેજો. તમે પણ જોઈ રહ્યા છો કે દુનિયાના અનેક દેશમાં કોરોના વધી રહ્યો છે, આથી આપણે માસ્ક અને હાથ ધોવા જેવી સાવધાનીઓનું હજુ વધુ ધ્યાન રાખવાનું છે. આપણે સાવધાન રહીશું તો સુરક્ષિત પણ રહીશું અને આપણા ઉલ્લાસમાં કોઈ અંતરાય પણ નહીં આવે. તેની સાથે, તમને સહુને ફરી એક વાર ઘણી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતમાં ફરી એક વખત તમારા બધાનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ કાર્યક્રમની 95મી કડી છે. આપણે બહુ ઝડપથી મન કી બાતના શતક તરફ આગળ વધી રહ્યા છીએ. આ કાર્યક્રમ મારા માટે 130 કરોડ દેશવાસીઓ સાથે જોડાવાનું એક માધ્યમ છે. દરેક એપિસોડની પહેલા ગામડાં-શહેરોમાંથી આવેલા અઢળક પત્રોને વાંચવા, બાળકોથી લઈ વૃદ્ધોના ઓડિયો મેસેજને સાંભળવા, તે મારા માટે એક આધ્યાત્મિક અનુભવ જેવું હોય છે.
સાથીઓ, આજના કાર્યક્રમની શરૂઆત હું એક અનોખી ભેટની ચર્ચાની સાથે કરવા ઈચ્છું છું. તેલંગાણાના રાજન્ના સિર્સિલ્લા જિલ્લામાં એક વણકર ભાઈ છે – યેલ્ધી હરિપ્રસાદ ગારૂ. તેમણે મને પોતાના હાથેથી જી-20નો આ લોકોએ વણીને મોકલ્યો છે. આ શાનદાર ભેટ જોઈને હું તો દંગ રહી ગયો. હરિપ્રસાદજીએ પોતાની કળામાં એટલી મહારથ મેળવેલી છે કે તેઓ દરેકનું ધ્યાન આકર્ષિત કરી લે છે. હરિપ્રસાદ જીએ હાથથી વણેલા જી-20ના આ લોગોની સાથે જ મને એક પત્ર પણ મોકલ્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે આવતા વર્ષે જી-20 શિખર સંમેલનની યજમાની કરવી ભારત માટે ઘણાં જ ગૌરવની વાત છે. દેશની આ જ ઉપલબ્ધિની ખુશીમાં તેમણે જી-20નો આ લોગો પોતાના હાથે તૈયાર કર્યો છે. વણાટની આ ઘણી જ સારી પ્રતિભા તેમને તેમના પિતા તરફથી વારસામાં મળી છે અને આજે તેઓ સંપૂર્ણ Passion સાથે તેમાં જોડાયા છે.
સાથીઓ, થોડા સમય પહેલાં જ મને જી-20 લોગો અને ભારતની Presidencyની વેબસાઈટને launch કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. આ લોગોની પસંદગી એક પબ્લિક કોન્ટેસ્ટ દ્વારા થઈ હતી. જ્યારે મને હરિપ્રસાદ ગારૂ દ્વારા મોકલવામાં આવેલી આ ભેટ મળી તો મારા મનમાંથી એક વિચાર ઉઠ્યો. તેલંગાણાના કોઈ જિલ્લામાં બેઠેલી વ્યક્તિ પણ જી-20 જેવી સમિટ થી પોતાની જાતને કેટલો જોડાવાનો અનુભવ કરી શકે છે, તે જોઈને મને ઘણો જ આનંદ થયો. આજે હરિપ્રસાદ ગારૂ જેવા અનેક લોકોએ મને પત્ર લખીને આ બાબતે લખ્યું છે કે દેશને આટલી મોટી સમિટની યજમાનીનો મોકો મળવાની તેમની છાતી ફૂલી ગઈ છે. હું તમને પૂણેમાં રહેતા સુબ્બારાવ ચિલ્લારા જી અને કોલકાતાના તુષાર જગમોહન ના સંદેશ વિશે પણ ઉલ્લેખ કરીશ. તેમણે જી-20ને લઈને ભારતના pro-active efforts ના ઘણા જ વખાણ કર્યા છે.
સાથીઓ, જી-20ની દુનિયાની વસતીમાં બે તૃતિયાંશ, વર્લ્ડ ટ્રેડમાં ત્રણ ચતુર્થાંશ અને વર્લ્ડ જીડીપીમાં 85 ટકા ભાગીદારી છે. તમે કલ્પના કરી શકો છો – ભારત હવેના ત્રણ દિવસ પછી એટલે કે 1 ડિસેમ્બરથી આટલા મોટા સમૂહની, આટલા સામર્થ્યવાન સમૂહની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. ભારત માટે, દરેક ભારતવાસી માટે, આ કેટલો મોટો તહેવાર આવ્યો છે. તે એટલા માટે પણ વિશેષ થઈ જાય છે કારણ કે આ જવાબદારી ભારતને આઝાદીના અમૃતકાળમાં મળી છે.
સાથીઓ, જી-20ની અધ્યક્ષતા આપણા માટે એક મોટી opportunity બની ને આવી છે. આપણે આ મોકાનો સંપૂર્ણ ઉપયોગ કરીને Global Good વિશ્વ કલ્યાણ પર ફોકસ કરવાનું છે. તે પછી peace હોય કે unity, પર્યાવરણને લઈને સંવેદનશીલતાની વાત હોય કે પછી sustainable developmentની, ભારત પાસે તેનાથી જોડાયેલા પડકારોનું સમાધાન છે. આપણે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર ની જે થીમ આપી છે, તેમાં વસુધૈવ કુટુંબક્મ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા દેખાય છે. આપણે હંમેશા કહીએ છીએ,
ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ,
સર્વેષાં શાંતિર્ભવતુ,
સર્વેષાં પૂર્ણભવતુ,
સર્વેષાં મડ્ગલંભવતુ
ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિ...
એટલે કે દરેકનું કલ્યાણ થાય, બધાને શાંતિ મળે, બધાને પૂર્ણતા મળે અને બધાનું મંગળ થાય. આવનારા દિવસોમાં દેશના અલગ-અલગ ભાગમાં જી-20 સાથે જોડાયેલા અનેક કાર્યક્રમો આયોજિત કરાશે. આ દરમિયાન દુનિયાના વિવિધ ભાગમાંથી લોકોને તમારા રાજ્યમાં આવવાનો મોકો મળશે. મને ભરોસો છે કે તમે તમારે ત્યાંની સંસ્કૃતિના વિવિધ અને વિશિષ્ટ રંગોને દુનિયાની સામે લાવશો અને તમારે એ પણ યાદ રાખવાનું છે કે જી-20માં આવનારા લોકો ભલે અત્યારે એક ડેલિગેટના રૂપમાં આવે, પરંતુ ભવિષ્યનાં પ્રવાસીઓ પણ છે. મારો આપ બધાને આગ્રહ છે કે, ખાસ કરીને મારા યુવાન સાથીઓને, હરિપ્રસાદ ગારૂની જેમ જ તમે પણ કોઈના કોઈ રૂપમાં જી-20 સાથે જરૂર જોડાવ. કપડાં પર જી-20નો ભારતીય લોગો, ઘણી cool રીતે, stylish રીતે બનાવી શકાય છે, છાપી પણ શકાય છે. હું સ્કૂલો, કોલેજ, યુનિવર્સિટિઓને પણ આગ્રહ કરીશ કે તેઓ તેમને ત્યાં જી-20 સાથે જોડાયેલી ચર્ચા, પરિચર્ચા અને હરિફાઈ કરવાના કાર્યક્રમો બનાવે. તમે G20.in વેબસાઈટ પર જશો તો તમને તમારી રૂચી અનુસાર ત્યાં ઘણી વસ્તુઓ મળી જશે.
માર પ્રિય દેશવાસીઓ, 18 નવેમ્બરે આખા દેશે સ્પેસ સેક્ટરમાં એક નવો ઈતિહાસ બનતો જોયો. આ દિવસે ભારતે પોતાનું પ્રથમ રોકેટ અંતરિક્ષમાં મોકલ્યું, જેને ભારતના પ્રાઈવેટ સેક્ટરે ડિઝાઈન અને તૈયાર કર્યું હતું. આ રોકેટનું નામ – વિક્રમ એસ. શ્રીહરિકોટાથી સ્વદેશી સ્પેસ સ્ટાર્ટ-અપના આ પહેલા રોકેટે જેવી ઐતિહાસિક ઉડાન ભરી, દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચું થઈ ગયું.
સાથીઓ, વિક્રમ એસ રોકેટ ઘણી બધી ખૂબીઓથી ભરેલું છે. બીજા રોકેટની તુલનામાં તે ખૂબ જ હલ્કું પણ છે અને સસ્તું પણ છે. તેનો ડેવેલપમેન્ટ ખર્ચ અંતરિક્ષ અભિયાન સાથે જોડાયેલા બીજા દેશોના ખર્ચ કરતાં ઘણો જ ઓછો છે. ઓછી કિંમતમાં વિશ્વસ્તરના સ્ટાન્ડર્ડ, સ્પેસ ટેક્નોલોજીમાં તો હવે એ ભારતની અનોખી ઓળખાણ બની ગયું છે. આ રોકેટને બનાવવામાં વધુ એક આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. તમે એ જાણીને હેરાન થઈ જશો કે રોકેટના કેટલાક મહત્વના ભાગો, 3ડી-પ્રિન્ટિંગ દ્વારા બનાવવામાં આવ્યા છે. સાચે જ વિક્રમ-એસના લોન્ચ મિશનને પ્રારંભ નામ આપવામાં આવ્યું છે, જે બિલકુલ ફિટ બેસે છે. તે ભારતમાં પ્રાઈવેટ સ્પેસ સેક્ટર માટે એક નવા યુગના ઉદયનું પ્રતિક છે. આ દેશમાં આત્મવિશ્વાસથી ભરેલા એક નવા યુગનો આરંભ છે. તમે કલ્પના કરી શકો છો કે જે બાળકો ક્યારેક હાથેથી કાગળના પ્લેન બનાવીને ઉડાડતા હતા, તેમને હવે ભારતમાં જ પ્લેન બનાવવાનો મોકો મળી રહ્યો છે. તમે કલ્પના કરી શકો છો કે જે બાળકો ક્યારેક ચંદ્ર-તારાઓને જોઈને આકાશમાં આકૃતિઓ બનાવ્યા કરતાં હતા, તેમને હવે ભારતમાં જ રોકેટ બનાવવાનો મોકો મળી રહ્યો છે. સ્પેસને પ્રાઈવેટ સેક્ટર માટે ખોલવામાં આવ્યા બાદ, યુવાનોના આ સપનાં પણ સાકાર થઈ રહ્યા છે. રોકેટ બનાવી રહેલા આ યુવાનો માનો કે કહી રહ્યા છે – સ્કાય ઈઝ નોટ ધ લિમિટ.
સાથિઓ, ભારત સ્પેસના સેક્ટરમાં પોતાની સફળતા, તેના પડોશી દેશો સાથે પણ વહેંચે છે. કાલે જ ભારતે એક સેટેલાઈટ લોન્ચ કર્યો, જેને ભારત અને ભૂતાને ભેગા મળીને ડેવેલપ કર્યો છે. આ સેટેલાઈટ ઘણાં જ સારા રિઝોલ્યૂશનની છબીઓ મોકલશે જેનાથી ભૂતાનને તેમના પ્રાકૃતિક સ્ત્રોતોની વ્યવસ્થામાં મદદ મળશે. આ સેટેલાઈટનું લોન્ચિંગ, ભારત-ભૂતાનના મજબૂત સંબંધોનું પ્રતિબિંબ છે.
સાથિઓ, તમે જોયું હશે કે ગત કેટલીક મન કી બાતમાં આપણે સ્પેસ, ટેક, ઈનોવેશન પર ઘણી વાત કરી છે. તેના ખાસ બે કારણો છે, એક તો એ કે આપણા યુવાનો, આ ક્ષેત્રમાં ઘણું જ શાનદાર કામ કરી રહ્યા છે. They are thinking big and achieving big. હવે તેઓ નાની નાની સફળતાઓથી સંતુષ્ટ થવાના નથી. બીજું એ કે ઈનોવેશન અને વેલ્યૂ ક્રિએશનના આ રોમાંચક પ્રવાસમાં તેઓ તેમના બાકી યુવાન સાથીઓ અને સ્ટાર્ટ-અપ્સને પણ encourage કરી રહ્યા છે.
સાથીઓ, જ્યારે આપણે ટેક્નોલોજી સાથે જોડાયેલા ઈનોવેશન્સની વાત કરી રહ્યા છીએ, તો ડ્રોનને કેવી રીતે ભૂલી શકીએ છીએ? ડ્રોનના ક્ષેત્રમાં પણ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. થોડા દિવસો પહેલાં જ આપણે જોયું કે હિમાચલ પ્રદેશના કિન્નોરમાં કેવી રીતે ડ્રોનની મદદથી સફરજન ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા. કિન્નોર, હિમાચલનો ઘણો દૂર આવેલો જિલ્લો છે અને ત્યાં આ મોસમમાં ઘણો જ બરફ રહેતો હોય છે. આટલા બરફમાં કિન્નૌરનો ઘણાં દિવસો સુધી રાજ્યના અન્ય ભાગો સાથેનો સંપર્ક ઘણો જ મુશ્કેલ બની જાય છે. તેવામાં ત્યાંથી સફરજનનું ટ્રાન્સપોર્ટેશન પણ તેટલું જ મુશ્કેલ થઈ જાય છે. હવે ડ્રોન ટેક્નોલોજી થી હિમાચલના સ્વાદિષ્ટ કિન્નૌરી સફરજન લોકો સુધી વધુ ઝડપથી પહોંચવા લાગશે. તેનાથી આપણા ખેડૂત ભાઈ-બહેનોનો ખર્ચો ઓછો થશે, સફરજન સમયસર બજારમાં પહોંચી શકશે, સફરજનની બરબાદી ઓછી થશે.
સાથીઓ, આજે આપણા દેશવાસી પોતાના ઈનોવેશનથી તે વસ્તુઓને પણ શક્ય બનાવી રહ્યા છે, જેની પહેલાં કલ્પના પણ કરી શકાતી નહોતી. તેને જોઈને કોને ખુશી નહીં થાય? હાલના જ વર્ષોમાં આપણા દેશે સફળતાઓનો એક લાંબો પ્રવાસ ખેડ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે ભારતીયો અને ખાસ કરીને આપણી યુવાન પેઢી હવે રોકાય એવી નથી.
પ્રિય દેશવાસીઓ, હું તમારા લોકો માટે એક નાની ક્લિપ પ્લે કરવા જઈ રહ્યો છું...
સોન્ગ...
આપ બધાએ આ ગીતને ક્યારેક ને ક્યારેક તો ચોક્કસ સાંભળ્યું હશે. આખરે તે બાપૂનું પસંદગીનું ગીત છે, પરંતુ જો હું એ કહું કે તેને સૂરોમાં ઢાળનારા ગાયક ગ્રીસના છે, તો તમે ચોક્કસ હેરાન થઈ જશો. અને આ વાત આપને ગર્વથી પણ ભરી દેશે. આ ગીતના ગાયક ગ્રીસના – Konstantinos Kalaitzis. તેમણે તેને ગાંધીની 150મી જન્મજયંતિના સમારોહ દરમિયાન ગાયું હતું. પરંતુ આજે હું તેની ચર્ચા કંઈક અલગ કારણથી કરી રહયો છું. તેમના મનમાં ઈન્ડિયા અને ઈન્ડિયન મ્યૂઝિકને લઈને ગજબનું passion છે. ભારત સાથે તેમની એટલી લાગણી છે, ગત 42 વર્ષોમાં તેઓ લગભગ દર વર્ષે ભારત આવ્યા છે. તેમણે ભારતીય સંગીતના origin, અલગ-અલગ Indian Musical systems, વિવિધ પ્રકારના રાગ, તાલ અને રાસ સાથે જ વિવિધ ઘરાનાઓ વિશે પણ સ્ટડી કર્યો છે. તેમણે ભારતીય સંગીતની કેટલીયે મહાન વિભૂતિઓના યોગદાનનું અધ્યયન કર્યું છે, ભારતના ક્લાસિકલ ડાન્સના અલગ-અલગ પાસાઓને પણ તેમણે નજીકથી સમજ્યા છે. ભારત સાથે જોડાયેલા તેમના આ તમામ અનુભવોને તેમણે હવે પુસ્તકો ઘણી જ સારી રીતે પરોસ્યા છે. ઈન્ડિયન મ્યૂઝિક નામની તેમની બુકમાં લગભગ 760 છબીઓ છે. તેમાંથી મોટાભાગની છબીઓ તેમણે પોતે ખેંચી છે. બીજા દેશોમાં ભારતીય સંસ્કૃતિ ને લઈને આવો ઉત્સાહ અને આકર્ષણ ખરેખર આનંદથી ભરી દેનારો છે.
સાથીઓ, થોડા અઠવાડિયાં પહેલા એક ખબર આવી હતી જે આપણને ગર્વથી ભરી દેનારી છે. તમને જાણીને સારું લાગશે કે વિતેલા 8 વર્ષોમાં ભારતમાંથી મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સની નિકાસ સાડા ત્રણ ગણી વધી ગઈ છે. ઈલેક્ટ્રિકલ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સની વાત કરીએ તો તેની નિકાસ 60 ગણી વધી ગઈ છે. તેનાથી ખ્યાલ આવે છે કે ભારતીય સંસ્કૃતિ અને સંગીતનો craze દુનિયાભરમાં વધી રહ્યો છે. ઈન્ડિયન મ્યૂઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સના સૌથી મોટા ખરીદદાર યુએસએ, જર્મની, ફ્રાન્સ, જાપાન અને યુકે જેવા વિકસિત દેશો છે. આપણાં બધા માટે સૌભાગ્યની વાત એ છે કે આપણા દેશમાં મ્યુઝિક, ડાન્સ અને આર્ટનો આટલો સમૃદ્ધ વારસો છે.
સાથીઓ, મહાન મનીષી કવિ ભતૃહરિને આપણે બધા તેમના દ્વારા રચિત ‘નીતિ શતક’ માટે જાણીએ છીએ. એક શ્લોકમાં તેઓ કહે છે કે કલા, સંગીત અને સાહિત્ય થી આપણી લાગણી જ માનવતાની અસલી ઓળખ છે. વાસ્તવમાં આપણી સંસ્કૃતિ તેને Humanity થી પણ ઉપર divinity સુધી લઈ જાય છે. વેદોમાં સામવેદ ને તો આપણા વિવિધ સંગીતનો સ્ત્રોત કહેવામાં આવ્યો છે. માં સરસ્વતીની વીણા હોય, ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી હોય, કે પછી ભોલેનાથનું ડમરૂં, આપણા દેવી-દેવતાઓ પણ સંગીતથી અલગ નથી. આપણે ભારતીયો દરેક વસ્તુમાં સંગીત શોધી જ લઈએ છીએ. ચાહે તે નદીનું ખળખળ પાણી હોય, વરસાદના ટીપાં હોય, પક્ષીઓનો કલરવ હોય કે પછી હવાનો ગૂંજતો સ્વર, આપણી સભ્યતામાં સંગીત દરેક જગ્યાએ સમાયેલું છે. આ સંગીત ન માત્ર શરીરને શાંતિ આપે છે, પરંતુ મન ને પણ આનંદિત કરે છે. સંગીત આપણા સમાજને પણ જોડે છે. જો ભાંગડા અને લાવણીમાં જોશ અને આનંદનો ભાવ હોય છે, તો રવિન્દ્ર સંગીત, આપણી આત્માને આનંદિત કરી નાખે છે. દેશભરના આદિવાસીઓની અલગ-અલગ રીતની સંગીતની પરંપરાઓ છે. તે આપણને એકબીજા સાથે હળીમળીને અને પ્રકૃતિ સાથે રહેવાની પ્રેરણા આપે છે.
સાથીઓ, સંગીતની આપણી શૈલીઓએ ન માત્ર આપણી સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે પરંતુ દુનિયાભરના સંગીત પર પોતાની અમિટ છાપ પણ છોડી છે. ભારતીય સંગીતની ખ્યાતિ વિશ્વના ખૂણેખૂણામાં ફેલાઈ ચૂકી છે. હું આપને વધુ એક ઓડિયો ક્લિપ સંભળાવું છું.
સોન્ગ...
તમે વિચારી રહ્યા હશો કે ઘરની નજીક કોઈ મંદિરમાં ભજન-કિર્તન ચાલી રહ્યું છે. પરંતુ આ અવાજ પણ ભારતથી હજારો માઈલ દૂર વસેલા દક્ષિણ અમેરિકાના દેશ Guyana થી તમારા સુધી પહોંચ્યો છે. 19મી અને 20મી સદીમાં ખૂબ મોટી સંખ્યામાં આપણે ત્યાંથી લોકો Guyana ગયા હતા. તેઓ અહિંયાથી ભારતની કેટલીયે પરંપરાઓ તેમની સાથે લઈ ગયા હતા. ઉદાહરણ તરીકે જેવી રીતે આપણે ભારતમાં હોળી મનાવીએ છીએ, Guyana માં પણ હોળીનો ઉમંગ ધામધૂમથી ઉજવાય છે. જ્યાં હોળીના રંગ હોય છે, ત્યાં ફગવા, એટલે કે ફગુઆનું સંગીત પણ હોય છે. Guyana ના ફગવામાં ત્યાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા લગ્નના ગીતો ગાવાની એક ખાસ પરંપરા છે. આ ગીતોને ચૌતલ કહેવાય છે. તેને એ જ પ્રકારની ધૂન અને હાઈ પીચ પર ગાવામાં આવે છે, જેવું આપણે ત્યાં હોય છે. તેટલું જ નહીં, Guyanaમાં ચૌતલ હરિફાઈ પણ થાય છે. આવી રીતે ઘણાં જ ભારતીયો, ખાસ કરીને પૂર્વિય ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો ફિજી પણ ગયા હતા. તેઓ પરંપરાગત ભજન-કિર્તન ગાતા હતા, જેમાં મુખ્યરૂપથી રામચરિતમાનસના દોહા હોય છે. તેમણે ફિજીમાં પણ ભજન-કિર્તન સાથે જોડાયેલી કેટલીયે મંડળીઓ બનાવી દીધી છે. ફિજીમાં રામાયણ મંડળીના નામથી આજે પણ બે હજારથી વધારે ભજન-કિર્તન મંડળીઓ છે. તેમને આજે દરેક ગામ-મહોલ્લામાં જોવામાં આવે છે. મેં તો અહીં માત્ર કેટલાક ઉદાહરણ આપ્યા છે. જો તમે આખી દુનિયામાં જોશો તો આ ભારતીય સંગીતને ચાહનારાઓની આ યાદી તો ખૂબ લાંબી છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા, હંમેશા એ વાત પર ગર્વ કરીએ છીએ કે આપણો દેશ દુનિયાની સૌથી પ્રાચિન પરંપરાઓનું ઘર છે. તેથી જ તે આપણી જવાબદારી પણ છે કે આપણે આપણી પરંપરાઓ અને પરંપરાગત જ્ઞાનનું સંરક્ષણ કરીએ, તેનું સંવર્ધન પણ કરીએ અને બની શકે તેટલું આગળ પણ વધારીએ. આવો જ એક સારો પ્રયત્ન આપણા પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડના કેટલાક સાથીઓ કરી રહ્યા છે. મને આ પ્રયત્ન ઘણો સારો લાગ્યો, તો મેં વિચાર્યું કે મન કી બાતના શ્રોતાઓ સાથે પણ વહેચું.
સાથીઓ, નાગાલેન્ડમાં નાગા સમાજની જીવનશૈલી, તેમની કલા-સંસ્કૃતિ અને સંગીત, જે દરેક લોકોને આકર્ષિત કરે છે. તે આપણા દેશનો ગૌરવશાળી વારસાનો મહત્વનો ભાગ છે. નાગાલેન્ડના લોકોનું જીવન અને તેમની skills sustainable life style માટે પણ ઘણું જ મહત્વપૂર્ણ છે. આ પરંપરાઓ અને સ્કિલ્સને બચાવીને આગળની પેઢી સુધી પહોંચાડવા માટે ત્યાંના લોકોએ એક સંસ્થા બનાવી છે, જેનું નામ છે – લિડી-ક્રો-યૂ. નાગા સંસ્કૃતિના જે સુંદર વારસાઓ ધીરેધીરે ખોવાઈ રહ્યા હતા, લિડિ-ક્રો-યૂ સંસ્થાએ તેમને પુનઃજીવિત કરવાનું કામ કર્યું છે. ઉદાહરણની દ્રષ્ટિએ નાગા લોક-સંગીત પોતાનામાં જ એક સમૃદ્ધ વિધા છે. આ સંસ્થાએ નાગા સંગીતના આલ્બમ લોન્ચ કરવાનું કામ શરૂ કર્યું છે. અત્યારસુધી આવા ત્રણ આલ્બમ લોન્ચ કરવામાં આવી ચૂક્યા છે. આ લોકો લોક-સંગીત, લોક-નૃત્ય સાથે જોડાયેલા વર્કશોપ પણ આયોજિત કરે છે. યુવાનોને આ બધી વસ્તુઓ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. એટલું જ નહીં, નાગાલેન્ડની પરંપરાગત શૈલીમાં કપડાં બનાવવા, સિલાઈ-વણાટ જેવા જે કામ, તેની પણ ટ્રેનિંગ યુવાનોને આપવામાં આવે છે. પૂર્વોત્તરમાં બામ્બૂ થી પણ કેટલીયે જાતની વસ્તુઓ બનાવવામાં આવે છે. નવી પેઢીના યુવાનોને બામ્બૂ પ્રોડક્ટ બનાવવાનું પણ શિખવાડવામાં આવે છે. તેનાથી આ યુવાનોનું તેમની સંસ્કૃતિ સાથે જોડાણ તો થાય જ છે સાથે જ તેમને માટે રોજગારના નવા નવા અવસર પણ ખૂલે છે. નાગા લોક-સંસ્કૃતિ વિશે વધુને વધુ લોકો જાણે, તેના માટે પણ લિડિ-ક્રો-યૂ ના લોકો પ્રયત્ન કરે છે.
સાથીઓ, આપના ક્ષેત્રમાં પણ આવી સાંસ્કૃતિક શૈલીઓ અને પરંપરાઓ હશે. તમે પણ તમારા ક્ષેત્રમાં આવી રીતના પ્રયત્નો કરી શકો છો. જો તમારી જાણકારીમાં ક્યાંક આવો કોઈ અનોખો પ્રયત્ન થઈ રહ્યો હોય તો આપ તેની જાણકારી મારી સાથે ચોક્કસ વહેંચી શકો છો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં કહેવાયું છે કે...
વિદ્યાધનં સર્વધનપ્રધાનમ્
એટલે કે કોઈ જો વિદ્યાનું દાન કરે છે તો તે સમાજ હિતમાં સૌથી મોટું કામ કરી રહ્યા છે. શિક્ષાના ક્ષેત્રમાં પ્રગટાવવામાં આવેલો એક નાનો દિવો પણ આખા સમાજને ઝળહળતો કરી શકે છે. મને એ જોઈને ઘણી જ ખુશી થાય છે કે આજે દેશભરમાં આવા કેટલાય પ્રયત્નો થઈ રહ્યા છે. યુપીની રાજધાની લખનૌથી ૭૦-૮૦ કિલોમીટર દૂર હરદોઈનું એક ગામ છે બાંસા. મને આ ગામના જતિન લલિત સિંહ જી વિશે જાણકારી મળી છે, જે શિક્ષાની જ્યોત જગાવવામાં લાગેલા છે. જતિન જી એ બે વર્ષ પહેલાં અહીં community Library and Resource Centre શરૂ કર્યું હતું. તેમના આ સેન્ટરમાં હિન્દી અને અંગ્રેજી સાહિત્ય, કોમ્પ્યુટર, કાયદો અને કેટલીયે સરકારી પરીક્ષાઓની તૈયારીઓ સાથે જોડાયેલા 3000 થી પણ વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. આ લાયબ્રેરીમાં બાળકોની પસંદનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. અહીં ઉપલબ્ધ કોમિક્સના પુસ્તક હોય કે પછી એજ્યુકેશનલ ટોય્ઝ બાળકોને ઘણાં જ પસંદ આવી રહ્યા છે. નાના બાળકો રમત-રમતમાં અહીં નવી નવી વસ્તુઓ શીખવા આવે છે. શિક્ષણ ઓફલાઈન હોય કે ઓનલાઈન, લગભગ 40 volunteers આ સેન્ટર પર વિદ્યાર્થીઓને ગાઈડ કરવામાં લાગેલા હોય છે. દરરોજ ગામનાં લગભગ 80 વિદ્યાર્થીઓ આ લાયબ્રેરીમાં ભણવા આવે છે.
સાથીઓ, ઝારખંડના સંજય કશ્યપ જી પણ ગરીબ બાળકોના સપનાંઓને નવી ઉડાન આપી રહ્યા છે. પોતાના વિદ્યાર્થી જીવનમાં સંજય જીએ સારા પુસ્તકોની અછતનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં તેમણે નક્કી કરી લીધું કે પુસ્તકોની અછતને કારણે પોતાના ક્ષેત્રના બાળકોનું ભવિષ્ય અંધકારમય નહીં થવા દે. પોતાના આ જ મિશનને કારણે આજે તેઓ ઝારખંડના કેટલાય જિલ્લામાં બાળકો માટે લાયબ્રેરી મેન બની ગયા છે. સંજય જી એ જ્યારે પોતાની નોકરીની શરૂઆત કરી હતી, તેમણે પ્રથમ પુસ્તકાલય પોતાના પૈતૃક સ્થાન પર બનાવ્યું હતું. નોકરી દરમિયાન તેમની જ્યાં પણ બદલી થતી હતી, ત્યાંના ગરીબ અને આદિવાસી બાળકોની શિક્ષણ માટે લાયબ્રેરી ખોલવાના મિશનમાં લાગી જતા હતા. આવું કરતાં કરતાં તેમણે ઝારખંડના કેટલાય જિલ્લામાં બાળકો માટે લાયબ્રેરી ખોલી દીધી છે. લાયબ્રેરી ખોલવાનું તેમનું આ મિશન આજે એક સામાજિક આંદોલનનું રૂપ લઈ રહ્યું છે. સંજય જી હોય કે જતીન જી, આવા અનેક પ્રયત્નો માટે હું તેમના વિશેષ વખાણ કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, મેડિકલ સાયન્સની દુનિયાએ રિસર્ચ અને ઈનોવેશન્સ સાથે જ અત્યાધુનિક ટેક્નોલોજી અને ઉપકરણોના આધારે ઘણી જ પ્રગતિ કરી છે, પરંતુ કેટલીક બિમારીઓ, આજે પણ આપણા માટે ઘણો મોટો પડકાર બની ગઈ છે. આવી જ એક બિમારી છે – Muscular Dystrophy. આ મુખ્યત્વે એવી વારસાગત બિમારી છે જે કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે જેમાં શરીરની માંસપેશીઓ નબળી પડવા લાગે છે. દર્દી માટે રોજબરોજના પોતાના નાનાં-નાનાં કામકાજ કરવાનું પણ મુશ્કેલ બની જાય છે. આવા દર્દીઓના ઉપચાર અને દેખભાળ માટે મોટી સેવા-ભાવનાની જરૂરિયાત હોય છે. આપણે ત્યાં હિમાચલ પ્રદેશમાં સોલનમાં એક એવું સેન્ટર છે જે Muscular Dystrophy ના દર્દીઓ માટે આશાનું એક નવું કિરણ બન્યું છે. આ સેન્ટરનું નામ છે – માનવ મંદિર. તેને Indian Association of Muscular Dystrophy દ્વારા ચલાવવામાં આવે છે. માનવ મંદિર પોતાના નામને અનુરૂપ જ માનવ સેવાનું અદભુત ઉદાહરણ છે. અહીં દર્દીઓ માટે ઓપીડી અને એડમિશનની સેવા ત્રણ-ચાર વર્ષ પહેલાં શરૂ થઈ હતી. માનવ મંદિરમાં લગભગ 50 દર્દીઓ માટે બેડ્સની સુવિધા પણ છે. ફિઝીયોથેરાપી, ઈલેક્ટ્રોથેરાપી અને હાઈડ્રોથેરાપીની સાથે સાથે યોગ-પ્રાણાયમની મદદથી પણ અહીં રોગનો ઉપચાર કરવામાં આવે છે.
સાથીઓ, દરેક પ્રકારની હાઈ-ટેક સુવિધાઓની મદદથી આ કેન્દ્રમાં દર્દીઓના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો પણ પ્રયત્ન કરાય છે. Muscular Dystrophy સાથે જોડાયેલા આ પડકાર, તેના વિશે જાગૃતિનો અભાવ પણ છે. તેથી જ આ કેન્દ્ર હિમાચલ પ્રદેશ જ નહીં, દેશભરમાં દર્દીઓ માટે જાગૃકતા શિબિરનું પણ આયોજન કરે છે. સૌથી વધારે હિંમત આપનારી વાત તો એ છે કે આ સંસ્થાનું વ્યવસ્થાપન મુખ્યત્વે આ બિમારીથી પીડિત લોકો જ કરી રહ્યા છે, જેમ કે સામાજિક કાર્યકર્તા ઉર્મિલા બાલ્દી જી, Indian Association of Muscular Dystrophy ના અધ્યક્ષ બહેન સંજના ગોયલજી અને આ એસોસિએશન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા શ્રીમાન વિપુલ ગોયલ જી, આ સંસ્થા માટે ઘણી જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. માનવ મંદિરને હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરની રીતે વિકસિત કરવાની કોશિશો પણ ચાલુ જ છે. તેનાથી અહીં દર્દીઓને વધુ સારો ઈલાજ મળી શકશે. હું આ દિશામાં પ્રયત્નશીલ બધા લોકોના હ્રદયપૂર્વક વખાણ કરું છું, સાથે જ Muscular Dystrophy નો સામનો કરી રહેલા બધા લોકો સાજા થઈ જાય તેવી આશા કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આજે મન કી બાત માં આપણે દેશવાસીઓના જે રચનાત્મક અને સામાજિક કાર્યોની ચર્ચા કરી, તે દેશની ઉર્જા અને ઉત્સાહના ઉદાહરણ છે. આજે દરેક દેશવાસી કોઈને કોઈ ક્ષેત્રમાં, દરેક સ્તર પર, દેશ માટે કંઈક અલગથી કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજની ચર્ચામાં જ આપણે જોયું કે જી-20 જેવા આંતરરાષ્ટ્રિય આયોજનમાં આપણા એક વણકર સાથીએ પોતાની જવાબદારી સમજી, તેને નિભાવવા માટે આગળ આવ્યા. આવી જ રીતે કોઈ પર્યાવરણ માટે પ્રયત્ન કરી રહ્યા છે, કોઈ પાણી માટે કામ કરી રહ્યા છે, કેટલાય લોકો શિક્ષણ, ચિકિત્સા અને સાયન્સ ટેક્નોલોજી થઈ લઈને સાંસ્કૃતિક પરંપરાઓ સુધી અસાધારણ કામ કરી રહ્યા છે. તેવું એટલા માટે કારણ કે આજે આપણો દરેક નાગરિક પોતાના કર્તવ્યને સમજી રહ્યો છે. જ્યારે આવી કર્તવ્ય ભાવના કોઈ રાષ્ટ્રના નાગરિકોમાં આવી જાય છે, તો તેમનું સ્વર્ણિમ ભવિષ્ય પોતાનામાં જ નક્કી થઈ જાય છે અને દેશના જ સ્વર્ણિમ ભવિષ્યમાં આપણા બધાનું સ્વર્ણિમ ભવિષ્ય છે.
હું ફરી એકવાર દેશવાસીઓને તેમના પ્રયત્નો માટે નમન કરું છું. આવતા મહિને આપણે ફરી મળીશું અને આવા જ કેટલાય ઉત્સાહવર્ધક વિષયો પર ચોક્કસ વાત કરીશું. આપના સૂચનો અને વિચારો ચોક્કસ મોકલતા રહેજો. તમને બધાને ખૂબ-ખૂબ ધન્યવાદ...

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે દેશના અનેક હિસ્સાઓમાં સૂર્ય ઉપાસનાનું મહાપર્વ ‘છઠ’ મનાવાઈ રહ્યું છે. ‘છઠ’ પર્વનો હિસ્સો બનવા માટે લાખો શ્રદ્ધાળુઓ પોતાના ગામ, પોતાના ઘર, પોતાના પરિવાર વચ્ચે પહોંચ્યા છે. મારી પ્રાર્થના છે કે છઠ માતા બધાની સમૃદ્ધિ, બધાના કલ્યાણના આશીર્વાદ આપે.
સાથીઓ, સૂર્ય ઉપાસનાની પરંપરા એ વાતનું પ્રમાણ છે કે આપણી સંસ્કૃતિ, આપણી આસ્થાનો પ્રકૃતિ સાથે કેટલો ગાઢ સંબંધ છે. આ પૂજા દ્વારા આપણા જીવનમાં સૂર્યના પ્રકાશનું મહત્ત્વ સમજાવાયું છે. સાથે જ એ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે ઉતાર-ચડાવ જીવનનો અભિન્ન હિસ્સો છે. આથી આપણે દરેક પરિસ્થિતિમાં એક સમાન ભાવ રાખવો જોઈએ. છઠ માતાની પૂજામાં અલગ-અલગ ફળો અને ઠેકુઆનો પ્રસાદ ચડાવવામાં આવે છે. આ વ્રત પણ કોઈ કઠિન સાધનાથી ઓછું નથી હોતું. છઠ પૂજાની વધુ એક વિશેષ વાત એ હોય છે કે તેમાં પૂજા માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તેને સમાજના વિભિન્ન લોકો મળીને તૈયાર કરે છે. તેમાં વાંસની ટોકરી કે સુપડીનો ઉપયોગ થાય છે. માટીના દીવાઓનું પોતાનું મહત્ત્વ હોય છે. તેના દ્વારા ચણાનો પાક ઉગાડનાર ખેડૂતો અને પતાસા બનાવનાર નાનાં ઉદ્યમીઓનું સમાજમાં મહત્ત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમના સહયોગ વિના છઠની પૂજા સંપન્ન જ ન થઈ શકે. છઠનું પર્વ આપણા જીવનમાં સ્વચ્છતાના મહત્ત્વ પર પણ ભાર આપે છે. આ પર્વ આવતાંસામુદાયિક સ્તર પર સડક, નદી, ઘાટ, પાણીના વિભિન્ન સ્ત્રોત, બધાંની સફાઈ કરવામાં આવે છે. છઠનું પર્વ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પણ ઉદાહરણ છે. આજે બિહાર અને પૂર્વાંચલના લોકો દેશના જે પણ ખૂણામાં છે, ત્યાં ધૂમધામથી છઠનું આયોજન થઈ રહ્યું છે. દિલ્લી, મુંબઈ સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓ અને
ગુજરાતના અનેક હિસ્સાઓમાં છઠનું મોટા સ્તર પર આયોજન થવા લાગ્યું છે. મને તો યાદ છે કે પહેલાં ગુજરાતમાં આટલી છઠ પૂજા નહોતી થતી. પરંતુ સમયની સાથે આજે લગભગ આખા ગુજરાતમાં છઠ પૂજાના રંગ નજરે પડવા લાગ્યા છે. આ જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિદેશોમાં થી પણ છઠ પૂજાની કેટલી ભવ્ય તસવીરો સામે આવે છે. એટલે કે ભારતનો સમૃદ્ધ વારસો, આપણી આસ્થા, દુનિયાના ખૂણા-ખૂણામાં પોતાની ઓળખ વધારી રહ્યાં છે. આ મહાપર્વમાં સહભાગી થનારા દરેક આસ્થાવાનને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં આપણે પવિત્ર છઠ પૂજાની વાત કરી, ભગવાન સૂર્ય ની ઉપાસનાની વાત કરી. તો શા માટે સૂર્ય ઉપાસનાની સાથોસાથ આજે આપણે તેમના વરદાનની પણ ચર્ચા ન કરીએ? સૂર્ય દેવનું આ વરદાન છે- સૌર ઊર્જા. સોલાર એનર્જી આજે એક એવો વિષય છે જેમાં સમગ્ર દુનિયા પોતાનું ભવિષ્ય જોઈ રહી છે અને ભારત માટે તો સૂર્ય દેવ સદીઓથી ઉપાસના જ નહીં, જીવન પદ્ધતિના કેન્દ્રમાં પણ રહ્યા છે. ભારત આજે પોતાના પારંપરિક અનુભવોને આધુનિક વિજ્ઞાન સાથે જોડી રહ્યું છે ત્યારે, આજે આપણે સૌર ઊર્જાથી વીજળી બનાવનારા સૌથી મોટા દેશોમાં સમાવિષ્ટ થઈ ગયા છીએ. સૌર ઊર્જાથી આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવી રહ્યું છે તે પણ અધ્યયન નો વિષય છે.
તમિલનાડુમાં, કાંચીપુરમમાં એક ખેડૂત છે – થિરુ કે. એઝિલન. તેમણે ‘પી. એમ. કુસુમ યોજના’નો લાભ લીધો અને પોતાના ખેતરમાં દસ હૉર્સપાવરનો સૉલાર પમ્પ સેટ લગાવ્યો. હવે તેમને પોતાના ખેતર માટે વીજળી પર કંઈ ખર્ચ કરવો નથી પડતો. ખેતરમાં સિંચાઈ માટે હવે તેઓ સરકારના વીજળી પૂરવઠા પર નિર્ભર પણ નથી. આ જ રીતે રાજસ્થાનના ભરતપુરમાં ‘પી. એમ. કુસુમ યોજના’ના વધુ એક લાભાર્થી ખેડૂત છે- કમલજી મીણા. કમલજીએ ખેતરમાં સૉલાર પમ્પ લગાવ્યો જેનાથી તેમનો ખર્ચ ઓછો થઈ ગયો છે. ખર્ચ ઓછો થયો તો આવક પણ વધી ગઈ. કમલજી સોલાર વીજળીથી બીજા અનેક નાના ઉદ્યોગોને પણ જોડી રહ્યા છે.
તેમના વિસ્તારમાં લાકડાનું કામ છે, ગાયના છાણ થી બનનારાં ઉત્પાદનો છે, તેમાં પણ સૉલાર વીજળીનો ઉપયોગ થઈ રહ્યો છે, તેઓ ૧૦-૧૨ લોકોને આજીવિકા પણ આપી રહ્યા છે, અર્થાત્ કુસુમ યોજનાથી કમલજીએ જે શરૂઆત કરી, તેની સુવાસ કેટલાય લોકો સુધી પહોંચવા લાગી છે.
સાથીઓ, શું તમે ક્યારેય વિચારી શકો છો કે તમે આખો મહિનો વીજળીનો ઉપયોગ કરો અને તમારું વીજળી બિલ આવવાના બદલે તમને વીજળીના પૈસા મળે? સૌર ઊર્જાએ આ પણ કરી દેખાડ્યું છે. તમે કેટલાક દિવસ પહેલાં, દેશના પહેલા સૂર્ય ગ્રામ- ગુજરાતના મોઢેરાની ઘણી ચર્ચા સાંભળી હશે. મોઢેરા સૂર્ય ગ્રામનાં મોટા ભાગનાં ઘર, સૉલાર પાવરથી વીજળી ઉત્પાદન કરવા લાગ્યાં છે. હવે ત્યાંનાં અનેક ઘરોમાં મહિનાના અંતેવીજળીનું બિલ નથી આવતું, પરંતુ વીજળીની કમાણીના ચૅક આવી રહ્યા છે. આ થતું જોઈને, અનેક ગામોના લોકો મને પત્રો લખીને કહી રહ્યા છે કે તેમના ગામને પણ સૂર્ય ગ્રામમાં પરિવર્તિત કરી દેવામાં આવે, એટલે કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતમાં સૂર્ય ગ્રામોનું નિર્માણ ઘણું મોટું જનાંદોલન બનશે અને તેની શરૂઆત મોઢેરા ગામના લોકો કરી જ ચૂક્યા છે.
આવો, ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ મોઢેરાના લોકો સાથે મેળવીએ. આપણી સાથે આ સમય ફૉન લાઇન પર જોડાયા છે શ્રીમાન વિપિનભાઈ પટેલ.
પ્રધાનમંત્રીજી: વિપિનભાઈ, નમસ્તે. જુઓ, હવે તો મોઢેરા સમગ્ર દેશ માટે એક મૉડલના રૂપમાં ચર્ચામાં આવી ગયું છે. પરંતુ જ્યારે તમને તમારા સંબંધીઓ, પરિચિતો બધી વાતો પૂછતા હશે તો તમે તેમને શું-શું કહો છો, શું ફાયદો થયો?
વિપિનભાઈ: સાહેબ, લોકો અમને પૂછે તો અમે કહીએ છીએ કે અમને જે બિલ આવતું હતું, લાઇટ બિલ, તે હવે શૂન્ય આવી રહ્યું છે અને ક્યારેક ૭૦ રૂપિયા આવી જાય છે પરંતુ અમારા સમગ્ર ગામમાં આર્થિક પરિસ્થિતિ સુધરી રહી છે.
પ્રધાનમંત્રીજી: અર્થાત્ એક રીતે, પહેલાં જે વીજળી બિલની ચિંતા હતી તે સમાપ્ત થઈ ગઈ.
વિપિનભાઈ: હા સાહેબ, તે વાત તો સાચી છે, સાહેબ. હવે કોઈ ટેન્શન નથી, સમગ્ર ગામમાં. બધા લોકોને લાગી રહ્યું છે કે સાહેબે જે કર્યું તો તે ઘણું સારું કર્યું. તેઓ ખુશ છે સાહેબ. આનંદિત થઈ રહ્યા છે બધા.
પ્રધાનમંત્રીજી: હવે પોતાના ઘરમાં જ પોતે જ વીજળીના કારખાનાના માલિક બની ગયા. પોતાના ઘરની છત પર વીજળી બની રહી છે.
વિપિનભાઈ: હા, સાહેબ, સાચી વાત છે, સાહેબ.
પ્રધાનમંત્રીજી: તો આ જે પરિવર્તન આવ્યું છે તેની ગામના લોકો પર શું અસર છે?
વિપિનભાઈ: સાહેબ, સમગ્ર ગામના લોકો, તેઓ ખેતી કરી રહ્યા છે તો પછી અમારે વીજળીની જે ઝંઝટ હતી તેમાંથી મુક્તિ મળી ગઈ છે. વીજળીનું બિલ તો ભરવાનું નથી, તેથી નિશ્ચિંત થઈ ગયા છીએ, સાહેબ.
પ્રધાનમંત્રીજી: અર્થાત, વીજળીનું બિલ પણ ગયું અને સુવિધા વધી ગઈ.
વિપિનભાઈ: ઝંઝટ જ ગઈ સાહેબ અને સાહેબ, જ્યારે તમે અહીં આવ્યા હતા અને તે થ્રીડી શૉ, જેનું અહીં ઉદ્ઘાટન કર્યું હતું તે પછી તો મોઢેરા ગામમાં ચાર ચાંદ લાગી ગયા છે સાહેબ અને તે જે સેક્રેટરી આવ્યા હતા સાહેબ…
પ્રધાનમંત્રીજી: જી, જી…
વિપિનભાઈ: તો અમારું ગામ ફેમસ થઈ ગયું, સાહેબ.
પ્રધાનમંત્રીજી: જી હા, સંયુક્ત રાષ્ટ્ર સંઘ ના મહા સચિવ તેમની પોતાની ઈચ્છા હતી. તેમણે મને ઘણો આગ્રહ કર્યો કે ભાઈ, આટલું મોટું કામ કર્યું છે તો હું ત્યાં જઈને જોવા ઈચ્છું છું. ચાલો, વિપિનભાઈ, તમને અને તમારા ગામના બધા લોકોને મારા તરફથી ઘણી-ઘણી શુભકામનાઓ અને દુનિયા તમારામાંથી પ્રેરણા લે અને આ સૉલાર એનર્જીનું અભિયાન ઘરે-ઘરે ચાલે.
વિપિનભાઈ: ઠીક છે, સાહેબ. તે અમે બધા લોકોને કહીશું કે ભાઈ, સૉલાર લગાવડાઓ, તમારા પૈસાથી પણ લગાવો, ઘણો ફાયદો છે.
પ્રધાનમંત્રીજી: હા, લોકોને સમજાવો. ચાલો, ઘણી-ઘણી શુભકામનાઓ. ધન્યવાદ ભાઈ.
વિપિનભાઈ: થેંક યૂ, સાહેબ, થેંક યૂ સાહેબ, મારું જીવન ધન્ય થઈ ગયું આપની સાથે વાત કરીને.
વિપિનભાઈનો ઘણો-ઘણો ધન્યવાદ.
આવો હવે મોઢેરા ગામનાં વર્ષાબેન સાથે પણ વાત કરીએ.
વર્ષાબેન: હેલ્લો, નમસ્તે સાહેબ.
પ્રધાનમંત્રીજી: નમસ્તે-નમસ્તે વર્ષાબેન. કેમ છો તમે?
વર્ષાબેન: અમે તો ઘણાં મજામાં છીએ, સાહેબ. આપ કેમ છો?
પ્રધાનમંત્રીજી: હું પણ મજામાં છું.
વર્ષાબેન: અમે ધન્ય થઈ ગયાં સાહેબ, આપની સાથે વાત કરીને.
પ્રધાનમંત્રીજી: અચ્છા, વર્ષાબેન…
વર્ષાબેન: હા.
પ્રધાનમંત્રીજી: તમે મોઢેરામાં, તમે તો એક તો સૈનિક પરિવારમાંથી છો.
વર્ષાબેન: હું સૈનિક પરિવારમાંથી છું. હું પૂર્વ સૈનિકની પત્ની બોલી રહી છું.
પ્રધાનમંત્રીજી: તો પહેલાં હિન્દુસ્તાનમાં ક્યાં-ક્યાં જવાની તક મળી તમને?
વર્ષાબેન: મને રાજસ્થાનમાં મળ્યું, ગાંધીનગરમાં મળ્યું, કચરા કાંઝોર જમ્મુ છે ત્યાં તક મળી, સાથે રહેવાની. બહુ જ સુવિધા ત્યાં મળી રહી હતી સાહેબ.
પ્રધાનમંત્રીજી: હા. આ સૈન્યમાં હોવાના કારણે તમે હિન્દી પણ સરસ બોલી રહ્યાં છો.
વર્ષાબેન: હા જી. શીખી છે સાહેબ. હા.
પ્રધાનમંત્રીજી: મને જણાવો કે મોઢેરામાં જે આટલું મોટું પરિવર્તન આવ્યું, આ સૉલાર રૂફટૉપ પ્લાન્ટ તમે લગાવી દીધો. શરૂઆતમાં લોકો કહી રહ્યા હશે, ત્યારે તો
તમને મનમાં થયું હશે, આનો શું અર્થ? શું કરી રહ્યા છીએ? શું થશે? આમ કંઈ થોડી વીજળી આવે? આ બધી વાતો તમારા મનમાં આવી હશે? હવે શું અનુભવ થઈ રહ્યો છે? તેનો ફાયદો શું થયો છે?
વર્ષાબેન: ખૂબ જ સાહેબ, ફાયદો જ ફાયદો થયો છે, સાહેબ. અમારા ગામમાં તો રોજ દિવાળી મનાવાઈ રહી છે તમારા કારણે. ૨૪ કલાક અમને વીજળી મળી રહી છે, બિલ તો આવતું જ નથી ને, બિલકુલ. અમારા ઘરમાં અમે ઇલેક્ટ્રિક બધી ચીજો ઘરમાં લાવી દીધી છે, બધી ચીજોનો ઉપયોગ કરી રહ્યા છીએ, તમારા કારણે સાહેબ. બિલ આવતું જ નથી તો અમે મુક્ત મને, બધાનો ઉપયોગ કરી શકીએ છીએ ને?
પ્રધાનમંત્રીજી: આ વાત સાચી છે, તમે વીજળીનો મહત્ત્મ ઉપયોગ કરવાનો નિર્ણય કરી લીધો છે.
વર્ષાબેન: કરી લીધો, સાહેબ, કરી લીધો. અત્યારે અમારે કોઈ સમસ્યા જ નથી. અમે મુક્ત મને, આ બધું, વૉશિંગ મશીન છે, એસી છે, બધું વાપરી શકીએ છીએ સર.
પ્રધાનમંત્રીજી: અને ગામના બાકીના લોકો પણ ખુશ છે, આ કારણે?
વર્ષાબેન: ઘણા-ઘણા ખુશ છે, સાહેબ.
પ્રધાનમંત્રીજી: અચ્છા, આ તમારા પતિદેવ તો ત્યાં સૂર્યમંદિરમાં કામ કરે છે ને? તો ત્યાં જે લાઇટ શૉ થયો તેનો મોટો કાર્યક્રમ થયો અને હવે દુનિયાભરના મહેમાનો આવી રહ્યા છે…
વર્ષાબેન: દુનિયાભરના ફૉરેનર આવી રહ્યા છે, પણ તમે વર્લ્ડમાં પ્રસિદ્ધ બનાવી દીધું છે અમારા ગામને.
પ્રધાનમંત્રીજી: તો તમારા પતિનું હવે કામ વધી ગયું હશે, આટલા મહેમાનો ત્યાં મંદિરમાં જોવા માટે આવી રહ્યા છે…
વર્ષાબેન: અરે! કોઈ વાંધો નથી, જેટલું પણ કામ વધે, સાહેબ, કોઈ વાંધો નથી. અમને કોઈ સમસ્યા નથી, મારા પતિને, બસ આપ વિકાસ કરતા જાવ અમારા ગામનો.
પ્રધાનમંત્રીજી: હવે ગામનો વિકાસ તો આપણે બધાંએ મળીને કરવાનો છે.
વર્ષાબેન: હા, હા, સાહેબ, અમે આપની સાથે છીએ.
પ્રધાનમંત્રીજી: અને હું તો મોઢેરાના લોકોને અભિનંદન આપીશ કારણકે ગામે આ યોજનાને સ્વીકારી લીધી અને તેમને વિશ્વાસ થઈ ગયો કે હા, અમે અમારા ઘરમાં વીજળી બનાવી શકીએ છીએ.
વર્ષાબેન: ૨૪ કલાક સાહેબ. અમારા ઘરમાં વીજળી આવે છે અને અમે ઘણાં ખુશ છીએ.
પ્રધાનમંત્રીજી: ચાલો, મારી આપને ઘણી શુભકામનાઓ. જે પૈસા બચ્યા છે તેનો બાળકોની ભલાઈ માટે ઉપયોગ કરજો. આ પૈસાનો ઉપયોગ સારો થાય જેથી તમારા જીવનને ફાયદો થાય. મારી આપને ઘણી શુભકામનાઓ છે. અને બધાં મોઢેરાવાળાઓને મારા નમસ્કાર.
સાથીઓ, વર્ષાબેન અને વિપિનભાઈએ જે કહ્યું છે તે સમગ્ર દેશ માટે, ગામો-શહેરો માટે એક પ્રેરણા છે. મોઢેરાનો આ અનુભવ સમગ્ર દેશમાં પુનરાવર્તિત કરી શકાય છે. સૂર્યની શક્તિ, હવે પૈસા પણ બચાવશે અને આવક પણ વધારશે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના એક સાથી છે- મંજૂર અહમદ લર્હવાલ. કાશ્મીરમાં ઠંડીના કારણે વીજળીનો ખર્ચ ઘણો થાય છે. આ કારણે, મંજૂરજીનું વીજળીનું બિલ પણ ૪ હજાર રૂપિયાથી વધુ આવતું હતું, પરંતુ જ્યારથી મંજૂરજીએ પોતાના ઘર પર સૉલાર રૂફટૉપ પ્લાન્ટ લગાવ્યો છે, તેમનો ખર્ચો અડધાથી ઓછો થઈ ગયો છે. આ જ રીતે ઓડિશાની એક દીકરી કુન્ની દેઉરી, સૌર ઊર્જાને પોતાની સાથે-સાથે બીજી
મહિલાઓની આજીવિકાનું માધ્યમ બનાવી રહી છે. કુન્ની, ઓડિશાના કેન્દુઝર જિલ્લાના કરદાપાલ ગામમાં રહે છે. તે આદિવાસી મહિલાઓને સૉલારથી ચાલતા રીલિંગ મશીન પર સિલ્કની વણાટની ટ્રેનિંગ આપે છે. સૉલાર મશીનના કારણે આ આદિવાસી મહિલાઓના માથે વીજળીના બિલનો બોજો પડતો નથી અને તેમની આવક થઈ રહી છે. આ જ તો સૂર્ય દેવની સૌર ઊર્જાનું વરદાન તો છે. વરદાન અને પ્રસાદ તો જેટલો વિસ્તાર થાય, તેટલો જ સારો હોય છે. આથી, મારી આપ સહુને પ્રાર્થના છે કે તમે પણ તેમાં જોડાવ અને બીજાને પણ જોડો.
મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે હું તમારી સાથે સૂરજની વાતો કરી રહ્યો હતો. મારું ધ્યાન સ્પેસ તરફ જઈ રહ્યું છે. તે એટલા માટે કે આપણો દેશ સૉલાર સેક્ટર સાથે જ સ્પેસ સેક્ટરમાં પણ કમાલ કરી રહ્યો છે. સમગ્ર દુનિયા, આજે, ભારતની ઉપલબ્ધિઓને જોઈને આશ્ચર્યચકિત છે. આથી મેં વિચાર્યું કે ‘મન કી બાત’ના શ્રોતાઓને તે જણાવીને હું તેમની પણ ખુશી વધારું.
સાથીઓ, થોડાક દિવસો પહેલાં તમે જોયું હશે કે ભારતે એક સાથે ૩૬ ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કર્યા છે. દિવાળીના બરાબર એક દિવસ પહેલાં મળેલી આ સફળતા એક રીતે તે આપણા યુવાનો તરફથી દેશને એક વિશેષ દિવાળી ભેટ છે. આ લૉંચિંગથી કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કોહિમા સુધી, સમગ્ર દેશમાં, ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂતી મળશે. તેની મદદથી ખૂબ જ અંતરિયાળ વિસ્તારો પણ દેશના બાકી હિસ્સાઓ સાથે વધુ સરળતાથી જોડાઈ શકાશે. દેશ જ્યારે આત્મનિર્ભર થાય છે તો કેવી રીતે સફળતાની નવી ઊંચાઈ પર પહોંચી જાય છે- તે તેનું પણ એક ઉદાહરણ છે. તમારી સાથે વાત કરતા મને જૂનો સમય પણ યાદ આવી રહ્યો છે જ્યારે ભારતને ક્રાયૉજેનિક રૉકેટ ટૅક્નૉલૉજી આપવાથી મનાઈ કરી દીધી હતી. પરંતુ ભારતના વૈજ્ઞાનિકોએ સ્વદેશી ટૅક્નૉલૉજી તો વિકસિત કરી જ, પરંતુ આજે તેની મદદથી એક સાથે ડઝન ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલી રહ્યું છે.
આ લૉંચિંગની સાથે ભારત ગ્લૉબલ કૉમર્શિયલ માર્કેટમાં એક મજબૂત પ્લેયર બનીને ઉભર્યું છે, જેથી અંતરિક્ષના ક્ષેત્રમાં ભારત માટે અવસરોનાં નવાં દ્વાર ખુલ્યાં છે.
સાથીઓ, વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલી રહેલો આપણો દેશ, બધાના પ્રયાસોથી જ, પોતાનાં લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં પહેલાં સ્પેસ સેક્ટર, સરકારી વ્યવસ્થાઓના પરીઘમાં જ સીમિત હતો. જ્યારે આ સ્પેસ સેક્ટર ભારતના યુવાનો માટે, ભારતના પ્રાઇવેટ સેક્ટર માટે, ખોલી દેવામાં આવ્યું ત્યારથી તેમાં ક્રાંતિકારી પરિવર્તન આવવા લાગ્યાં છે. ભારતીય ઉદ્યોગો અને સ્ટાર્ટ અપ્સ આ ક્ષેત્રમાં નવાં-નવાં ઇનોવેશન અને નવી-નવી ટૅક્નૉલૉજી લાવવામાં લાગેલા છે. વિશેષકરીને, INSpaceના સહયોગથી આ ક્ષેત્રમાં મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે.
INSpace દ્વારા બિનસરકારી કંપનીઓને પણ પોતાના પેલૉડ અને સેટેલાઇટ લૉંચ કરવાની સુવિધા મળી રહી છે. હું વધુમાં વધુ સ્ટાર્ટ અપ્સ અને ઇનૉવેટર્સને અનુરોધ કરીશ કે તેઓ સ્પેસ સેક્ટરમાં ભારતમાં સર્જાઈ રહેલા આ મોટાં અવસરોનો પૂરો લાભ ઉઠાવે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે, યુવા શક્તિની વાત આવે, નેતૃત્વ શક્તિની વાત આવે, તો આપણા મનમાં ઘસાયેલી, જૂની ઘણી બધી ધારણાઓ ઘર કરી ગઈ છે. અનેક વાર આપણે જોઈએ છીએ કે જ્યારે વિદ્યાર્થી શક્તિની વાત થાય છે તો તેને છાત્ર સંઘ ચૂંટણી સાથે જોડીને તેનું પરીઘ સીમિત કરી દેવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી શક્તિનું પરીઘ ઘણું મોટું છે, ખૂબ વિશાળ છે. વિદ્યાર્થી શક્તિ, ભારતને શક્તિશાળી બનાવવાનો આધાર છે. અંતે તો, આજે જે યુવા છે, તે જ તો ભારતને વર્ષ ૨૦૪૭ સુધી લઈ જશે. જ્યારે ભારત સ્વતંત્રતાની શતાબ્દિ મનાવશે તો યુવાઓની આ શક્તિ, તેમની મહેનત, તેમનો પરસેવો, તેમની પ્રતિભા, ભારતને એ ઊંચાઈ પર લઈ જશે, જેનો સંકલ્પ દેશ, આજે લઈ રહ્યો છે. આપણા આજના યુવાઓ, જે રીતે દેશ માટે કામ કરી રહ્યા છે, રાષ્ટ્ર નિર્માણમાં લાગેલા છે, તે જોઈને હું ભરોસાથી છલોછલ છું.
જે રીતે આપણા યુવાનો હેકાથૉન્સમાં પ્રૉબ્લેમ સૉલ્વ કરે છે, રાત-રાત જાગીને કલાકોના કલાકો કામ કરે છે, તે ખૂબ જ પ્રેરણા આપનારું છે. વિતેલાં વર્ષોમાં થયેલી હેકાથૉન્સમાં દેશના લાખો યુવાનોએ મળીને અનેક પડકારોને પૂરા કર્યા છે, દેશને નવાં સૉલ્યૂશન આપ્યાં છે.
સાથીઓ, તમને યાદ હશે, મેં લાલ કિલ્લા પરથી ‘જય અનુસંધાન’નું આહ્વાન કર્યું હતું. મેં આ દાયકાને-ડીકેડને ભારતનો ટૅકેડ બનાવવાની વાત પણ કરી હતી. મને એ જોઈને ઘણું સારું લાગ્યું કે તેનું સુકાન આપણા આઈઆઈટીના વિદ્યાર્થીઓએ પણ સંભાળી લીધું છે. આ જ મહિને ૧૪-૧૫ ઑક્ટોબરે બધી ૨૩ આઈઆઈટી પોતાનાં ઇનૉવેશન અને રીસર્ચ પ્રૉજેક્ટને પ્રદર્શિત કરવા માટે પહેલી વાર એક મંચ પર આવી. આ મેળામાં દેશભરમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ અને સંશોધકોએ ૭૫થી વધુ ઉત્કૃષ્ટ પ્રૉજેક્ટને પ્રદર્શિત કર્યા. આરોગ્ય ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, રૉબોટિક્સ, સેમી કન્ડક્ટર, ફાઇવ-જી કમ્યૂનિકેશન, આવી ઘણી બધી થીમ પર આ પ્રૉજેક્ટ બનાવવામાં આવ્યા હતા. આમ તો આ બધા જ પ્રૉજેક્ટ એક-એકથી ચડિયાતા હતા, પરંતુ હું કેટલાક પ્રૉજેક્ટ વિશે તમારું ધ્યાન આકર્ષિત કરવા માગું છું. જેમ કે, આઈઆઈટી ભુવનેશ્વરની એક ટીમે નવજાત શિશુઓ માટે પૉર્ટેબલ વેન્ટિલેટર વિકસિત કર્યું છે. તે બેટરીથી ચાલે છે અને તેનો ઉપયોગ અંતરિયાળ ક્ષેત્રોમાં સરળતાથી કરી શકાય છે. તે એ બાળકોનાં જીવનને બચાવવામાં ઘણું સહાયરૂપ સાબિત થઈ શકે છે જેમનો જન્મ નિર્ધારિત સમય પહેલાં થઈ જાય છે. ઇલેક્ટ્રિક મૉબિલિટી હોય કે ડ્રૉન ટૅક્નૉલૉજી, કે પછી ફાઇવ-જી હોય, આપણા ઘણા વિદ્યાર્થીઓ, તેની સાથે જોડાયેલી નવી ટૅક્નૉલૉજી વિકસિત કરવામાં લાગેલા છે. અનેક બધી આઈઆઈટી મળીને એક બહુભાષક પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે, જે સ્થાનિક ભાષાઓને શીખવાની રીતને સરળ કરે છે. આ પ્રૉજેક્ટ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને, તેનાં લક્ષ્યોની પ્રાપ્તિમાં પણ ઘણી મદદ કરશે. તમને એ જાણીને પણ સારું લાગશે કે આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી કાનપુરે ભારતના સ્વદેશી ફાઇવ-જી ટેસ્ટ બૅડને તૈયાર કરવામાં અગ્રણી ભૂમિકા નિભાવી છે.
નિશ્ચિત રીતે, આ એક શાનદાર શરૂઆત છે. મને આશા છે કે આવનારા સમયમાં, આ પ્રકારના અનેક પ્રયાસો જોવા મળશે. મને એ પણ આશા છે કે આઈઆઈટીથી પ્રેરણા લઈને બીજી સંસ્થાઓ પણ સંશોધન અને વિકાસ સાથે જોડાયેલી પોતાની પ્રવૃત્તિઓમાં તેજી લાવશે.
મારા પ્રિય દેશવાસીઓ, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા, આપણા સમાજના કણ-કણમાં સમાહિત છે અને તેને આપણે આપણી ચારે તરફ અનુભૂત કરી શકીએ છીએ. દેશમાં એવા લોકોની ખોટ નથી, જે પર્યાવરણની રક્ષા માટે પોતાનું જીવન અર્પણ કરી દે છે.
કર્ણાટકના બેંગલુરુમાં રહેતા સુરેશકુમારજી પાસેથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. તેમનામાં પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા માટે ગજબની ધગશ છે. વીસ વર્ષ પહેલાં તેમણે શહેરના સહકારનગરના જંગલને ફરીથી લીલુંછમ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. આ કામ મુશ્કેલીઓથી ભરપૂર હતું, પરંતુ વીસ વર્ષ પહેલાં લગાવેલા છોડ આજે ૪૦-૪૦ ફીટ ઊંચા વિશાળકાય ઝાડ બની ચૂક્યાં છે. હવે તેમની સુંદરતા પ્રત્યેકનું મન મોહી લે છે. તેથી ત્યાં રહેનારા લોકોને પણ ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે. સુરેશકુમારજી બીજું એક અદ્બુત કામ પણ કરે છે. તેમણે કન્નડ ભાષા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે સહકારનગરમાં એક બસ શેલ્ટર પણ બનાવી છે. તેઓ સેંકડો લોકોને કન્નડમાં લખાયેલી પિત્તળની તકતી પણ ભેટમાં આપી ચૂક્યા છે. નિવસન તંત્ર અને સંસ્કૃતિ બંને સાથે-સાથે આગળ વધે અને ફૂલેફાલે, વિચારો…આ કેટલી મોટી વાત છે.
સાથીઓ, આજે પર્યાવરણને અનુકૂળ રહેણીકરણી અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો માટે લોકોમાં પહેલાંથી વધુ જાગૃતિ જોવા મળી રહી છે. મને તમિલનાડુના આવા જ એક રસપ્રદ પ્રયાસ વિશે પણ જાણવાની તક મળી. આ શાનદાર પ્રયાસ કોઇમ્બતૂરના અનાઈકટ્ટીમાં આદિવાસી મહિલાઓની એક ટીમનો છે. આ મહિલાઓએ નિકાસ માટે પર્યાવરણને અનુકૂળ દસ હજાર ટેરાકોટા ટી કપનું નિર્માણ કર્યું.
કમાલની વાત તો એ છે કે ટેરાકોટા ટી કપ બનાવવાની પૂરી જવાબદારી આ મહિલાઓએ સ્વયં ઉપાડી. માટી મિશ્રણથી માંડીને છેવટના પેકેજિંગ સુધી બધાં કામો સ્વયં કર્યાં. તેના માટે તેમણે પ્રશિક્ષણ પણ લીધું હતું. આ અદ્ભુત પ્રયાસની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે.
સાથીઓ, ત્રિપુરાનાં કેટલાંક ગામોએ પણ ઘણું મોટુંદૃષ્ટાંત પૂરું પાડ્યું છે. તમે લોકોએ બાયૉ-વિલેજ તો જરૂર સાંભળ્યું હશે પરંતુ ત્રિપુરાનાં કેટલાંક ગામ, બાયૉ-વિલેજ 2ની સીડી ચડી ગયાં છે. બાયૉ-વિલેજ 2માં એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે પ્રાકૃતિક આપત્તિઓથી થનારા નુકસાનને કેવી રીતે ઓછામાં ઓછું કરવામાં આવે. તેમાં વિભિન્ન ઉપાયોથી લોકોના જીવનસ્તરને ઉત્કૃષ્ટ બનાવવા પર પૂરું ધ્યાન આપવામાં આવે છે. સૉલાર એનર્જી, બાયૉગેસ, મધમાખી ઉછેર અને જૈવિક ખાતરો..આ બધાં પર પૂરું ધ્યાન રહે છે. એકંદરે, જો જોઈએ તો આબોહવા પરિવર્તન વિરુદ્ધના અભિયાનને બાયૉ-વિલેજ 2 ખૂબ જ મજબૂતી આપનારું છે. હું દેશના અલગ-અલગ હિસ્સામાં પર્યાવરણ સંરક્ષણ માટે વધી રહેલા ઉત્સાહને જોઈને ખૂબ જ ખુશ છું. કેટલાક દિવસો પહેલાં જ, ભારતમાં, પર્યાવરણની રક્ષા માટે સમર્પિત મિશન લાઇફને પણ શરૂ કરવામાં આવ્યું છે. મિશન લાઇફનો સીધો સિદ્ધાંત છે- એવી જીવનશૈલી, એવી લાઇફસ્ટાઇલને ઉત્તેજન જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે. મારો અનુરોધ છે કે તમે પણ મિશન લાઇફને જાણો, તેને અપનાવવાનો પ્રયાસ કરો.
સાથીઓ, કાલે, ૩૧ ઑક્ટોબરે, રાષ્ટ્રીય એકતા દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલજીની જયંતિનો પુણ્ય અવસર છે. આ દિવસે દેશના ખૂણેખૂણામાં રન ફૉર યૂનિટીનું આયોજન કરવામાં આવે છે. આ દોડ, દેશમાં એકતાના સૂત્રને મજબૂત કરે છે, આપણા યુવાનોને પ્રેરિત કરે છે. આજથી કેટલાક દિવસો પહેલાં, આવી જ ભાવના આપણી રાષ્ટ્રીય રમતો દરમિયાન પણ જોવા મળી. ‘જુડેગા ઇન્ડિયા તો જીતેગા ઇન્ડિયા’, આ થીમ સાથે રાષ્ટ્રીય રમતોએ એક તરફ એકતાનો મજબૂત સંદેશ આપ્યો, તો બીજી બાજુ ભારતની રમતગમતની સંસ્કૃતિને ઉત્તેજન આપવાનું કામ પણ કર્યું છે.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, વિતેલા દિવસોમાં જે વાતે આપણા બધાંનું ધ્યાન આકર્ષિત કર્યું છે તે છે, ચિત્તા. ચિત્તા વિશે વાત કરવા માટે ઢગલાબંધ સંદેશા આવ્યા છે. પછી તે ઉત્તરપ્રદેશના અરૂણકુમાર ગુપ્તાજીનો હોય કે, તેલંગણાના એન. રામચંદ્રન રઘુરામજીનો, ગુજરાતના રાજનજીનો હોય કે પછી, દિલ્હીના સુબ્રતજીનો. દેશના ખૂણેખૂણાથી લોકોએ ભારતમાં ચિત્તાના પુનરાગમન પર આનંદ વ્યક્ત કર્યો છે. ૧૩૦ કરોડ ભારતવાસી ખુશ છે, ગર્વથી ભરેલા છે – આ છે ભારતનો પ્રકૃતિપ્રેમ. તેના વિષે લોકોનો એક સર્વસામાન્ય સવાલ એ જ છે કે, મોદીજી અમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે ?
સાથીઓ, આ માટે એક કાર્યદળ બનાવવામાં આવ્યું છે. આ કાર્યદળ ચિત્તાની દેખરેખ રાખશે અને એ જોશે કે, અહિંના વાતાવરણમાં તેઓ કેટલા હળીમળી શક્યા છે. તેના આધારે થોડા મહિના પછી કોઇક નિર્ણય લેવામાં આવશે અને ત્યારે તમે સૌ ચિત્તાને જોઇ શકશો. પરંતુ ત્યાં સુધી હું આપ સૌને થોડું કામ સોંપી રહ્યો છું, તેના માટે MyGov ના પ્લેટફોર્મ પર એક સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં લોકોને હું કેટલીક બાબતો શેર કરવાનો આગ્રહ કરૂં છું. ચિત્તાને લઇને આપણે જે અભિયાન ચલાવી રહ્યા છીએ તે અભિયાનનું આખરે શું નામ હોવું જોઇએ ! શું આપણે આ બધા ચિત્તાના નામકરણ વિષે પણ વિચારી શકીએ છીએ કે, તેમાંથી દરેકને ક્યા નામથી બોલાવવામાં આવે. આમ તો, આ નામકરણ જો પરંપરાગત હશે તો વધુ સારૂં રહેશે, કેમ કે, આપણો સમાજ અને સંસ્કૃતિ, પરંપરા અને વારસા સાથે જોડાયેલી કોઇપણ ચીજ હોય આપણને તે સાહજિક રીતે પોતાની તરફ આકર્ષિત કરે છે. તેટલું જ નહિં, તમે તે પણ જણાવજો કે, આખરે માણસોએ પ્રાણીઓની સાથે કેવી રીતે વર્તવું જોઇએ. આપણી મૌલિક ફરજોમાં પણ પ્રાણીઓ પ્રત્યે સદભાવ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મારી આપ સૌને અપીલ છે કે, આપ આ સ્પર્ધામાં જરૂર ભાગ લો. કોને ખબર ઇનામ સ્વરૂપે ચિત્તા જોવાની પહેલી તક તમને જ મળી જાય.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે ૨૫ સપ્ટેમ્બરે દેશના પ્રખર માનવતાવાદી, ચિંતક અને મહાન સપૂત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે. કોઇપણ દેશના યુવાનો જેમ જેમ પોતાની ઓળખ અને ગૌરવ ઉપર ગર્વ કરે છે. તેમને પોતાના મૌલિક વિચારો અને દર્શન એટલા જ આકર્ષિત કરે છે. દીનદયાળજીના વિચારોની સૌથી મોટી ખૂબી એ જ રહી છે કે, તેમણે પોતાના જીવનમાં વિશ્વની મોટીમોટી ઉથલપાથલને જોઇ હતી. તેઓ વિચારધારાઓના સંઘર્ષના સાક્ષી બન્યા હતા. એટલે જ તેમણે “એકાત્મ માનવદર્શન” અને “અંત્યોદય”નો એક વિચાર દેશની સામે ધર્યો, જે સંપૂર્ણપણે ભારતીય હતો. દીનદયાળજીનો એકાત્મક માનવદર્શન એક એવો વિચાર છે જે વિચારધારાના નામે દ્વંદ્વ અને દુરાગ્રહથી મુક્તિ અપાવે છે. તેમણે માનવમાત્રને એકસરખા માનનારા ભારતીય દર્શનને ફરીથી દુનિયાની સામે મૂક્યું. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે - ‘आत्मवत् सर्वभूतेषु’, એટલે કે આપણે જીવમાત્રને પોતાને સમાન માનીએ, પોતાના જેવો જ વ્યવહાર કરીએ. આધુનિક, સામાજીક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પણ ભારતીય દર્શન કેવી રીતે દુનિયાને માર્ગ બતાવી શકે છે તે દીનદયાળજીએ આપણને શિખવ્યું. એક રીતે જોઇએ તો, આઝાદી પછી દેશમાં જે હીનભાવના હતી તેનાથી મુક્તિ અપાવીને તેમણે આપણી પોતાની બૌધ્ધિક ચેતનાને જાગૃત કરી. તેઓ કહેતા પણ હતા- “આપણી આઝાદી ત્યારે સાર્થક થઇ શકે છે જયારે તે આપણી સંસ્કૃતિ અને ઓળખની અભિવ્યક્તિ કરે.” આ વિચારના આધારે તેમણે દેશના વિકાસનું દ્રષ્ટિબિંદુ નિર્મિત કર્યું હતું. દીનદયાળ ઉપાધ્યાયજી કહેતા હતા કે, દેશની પ્રગતિનો માપદંડ અંતિમ પગથિયે પડેલી વ્યક્તિ હોય છે. આઝાદીના અમૃતકાળમાં આપણે દીનદયાળજીને જેટલા જાણીશું, તેમની પાસેથી જેટલું શીખીશું, તેટલી જ દેશને આગળ લઇ જવાની આપણને બધાને પ્રેરણા મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજથી ત્રણ દિવસ પછી એટલે કે, ૨૮ સપ્ટેમ્બરે અમૃત મહોત્સવનો એક ખાસ દિવસ આવી રહ્યો છે. આ દિવસ આપણે ભારતમાતાના વીર સપૂત ભગતસિંહજીની જયંતિ ઉજવીશું. ભગતસિંહજીની જયંતિ પહેલા જ તેમને શ્રદ્ધાંજલી સ્વરૂપે એક મહત્વનો નિર્ણય કરાયો છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગતસિંહજીના નામ પર રાખવામાં આવશે. ઘણાં સમયથી તેની રાહ જોવાઇ રહી હતી. હું ચંદીગઢ, પંજાબ, હરીયાણા અને દેશના તમામ લોકોને આ નિર્ણયના ખૂબખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ આપણે આપણા સ્વતંત્રતા સેનાનીઓ પાસેથી પ્રેરણા લઇએ, તેમના આદર્શોનું પાલન કરીને તેમના સપનાઓનું ભારત બનાવીએ, તે જ તેમના પ્રત્યે આપણી શ્રદ્ધાંજલી હોય છે. શહીદોના સ્મારક, તેમના નામે સ્થાનો અને સંસ્થાઓના નામ આપણને કર્તવ્ય માટે પ્રેરણા પૂરી પાડે છે. હજી થોડા દિવસ પહેલાં જ દેશે કર્તવ્યપથ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિની સ્થાપના દ્વારા પણ એવો જ એક પ્રયત્ન કર્યો છે. અને હવે શહીદ ભગતસિંહના નામથી ચંદીગઢ એરપોર્ટનું નામ આ દિશામાં વધુ એક પગલું છે. હું ઇચ્છું છું કે, અમૃત મહોત્સવમાં આપણે જે રીતે સ્વતંત્રતા સેનાનીઓ સાથે જોડાયેલા વિશેષ પ્રસંગોએ ઉજવણી કરી રહ્યા છીએ. તે જ રીતે ૨૮ સપ્ટેંબર પણ દરેક યુવા કંઇક નવો પ્રયાસ ચોકકસ કરે.
મારા વ્હાલા દેશવાસીઓ, આમ તો, ૨૮ ડીસેંબરની ઉજવણી કરવા માટે તમારા બધાની પાસે વધુ એક કારણ પણ છે. જાણો છો એ શું છે ? હું માત્ર બે શબ્દ કહીશ, પરંતુ મને ખબર છે તમારૂં જોશ ચારગણાથી વધારે વધી જશે. આ બે શબ્દો છે, સર્જીકલ સ્ટ્રાઇક. વધી ગયોને તમારો જુસ્સો. આપણા દેશમાં અમૃતમહોત્સવનું જે અભિયાન ચાલી રહ્યું છે, તેને આપણે પૂરા મનોયોગથી ઉજવીએ. પોતાની ખુશીઓને બધાની સાથે શેર કરીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, કહેવાય છે કે, જીવનના સંઘર્ષોથી ઘડાયેલી વ્યક્તિની સામે કોઇપણ અવરોધ ટકી શક્તો નથી. પોતાની રોજબરોજની જીંદગીમાં આપણે કેટલાક એવા સાથીઓને પણ જોઇએ છીએ, જ કોઇને કોઇ શારીરીક પડકારોનો સામનો કરી રહ્યા છે. ઘણાબધા એવા પણ લોકો છે જે કાં તો સાંભળી નથી શક્તા અથવા બોલીને પોતાની વાત રજૂ નથી કરી શક્તા. એવા સાથીઓ માટે સૌથી મોટું બળ હોય છે- સાંકેતિક ઇશારાની ભાષા (સાઇન લેંગ્વેઝ). પરંતુ ભારતમાં વર્ષોથી એક મોટી મુશ્કેલી એ હતી કે, સાઇન લેંગ્વેઝ માટે કોઇ સ્પષ્ટ હાવભાવ નક્કી નહોતા, ધારાધોરણ નહોતા. આ મુશ્કેલીને દૂર કરવા માટે જ વર્ષ ૨૦૧૫માં Indian Sign Language Research and Training Center ની સ્થાપના કરાઇ હતી. મને આનંદ છે કે, આ સંસ્થા અત્યારસુધી ૧૦ હજાર શબ્દો અને અભિવ્યક્તિની ડીક્ષનેરી તૈયાર કરી ચૂકી છે. બે દિવસ પહેલાં જ એટલે કે, ૨૩મી સપ્ટેંબરે સાંકેતિક ભાષા દિવસ પર કેટલાય શાળાકીય અભ્યાસક્રમોને પણ સાઇન લેંગ્વેઝમાં શરૂ કરવામાં આવ્યા છે. સાઇન લેંગ્વેઝના નિર્ધારીત ધારાધોરણોને જાળવી રાખવા માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પણ સારો એવો ભાર મૂકવામાં આવ્યો છે. સાઇન લેંગ્વેઝની જે ડીક્ષનરી બની છે, તેનો વિડિયો બનાવીને પણ તેનો સતત પ્રસાર કરાઇ રહ્યો છે. યુ ટ્યુબ પર અનેક લોકોએ, અનેક સંસ્થાઓએ ભારતીય સાઇન લેંગ્વેઝમાં પોતાની ચેનલ શરૂ કરી દીધી છે, એટલે કે, સાત-આઠ વર્ષ પહેલાં સાઇન લેંગ્વેઝ માટે જે અભિયાનનો દેશમાં આરંભ થયો હતો તેનો હવે મારા લાખો દિવ્યાંગ ભાઇઓ-બહેનોને લાભ થવા લાગ્યો છે. હરિયાણાવાસી પૂજાજી તો ભારતીય સાઇન લેંગ્વેઝથી ખૂબ ખુશ છે. પહેલાં તેઓ તેમના દિકરા સાથે વાતચીત કરી શક્તા ન હતા, પરંતુ ૨૦૧૮માં સાઇન લેંગ્વેઝની તાલીમ લીધા પછી મા-દીકરો બંનેનું જીવન સરળ બની ગયું છે. પૂજાજીના દીકરાએ પણ સાઇન લેંગ્વેઝ શીખી અને પોતાની શાળામાં તેણે વાર્તાકથનમાં ઇનામ જીતીને પણ બતાવી આપ્યું છે. આ રીતે ટીંકાજીની છ વર્ષની એક દીકરી છે જે સાંભળી શક્તી નથી. ટીંકાજીએ તેમની દીકરીને સાઇન લેંગ્વેઝનો અભ્યાસ કરાવ્યો હતો, પરંતુ તેમને પોતાને સાઇન લેંગ્વેઝ આવડતી ન હતી. આ કારણે તેઓ પોતાની દીકરી સાથે સંવાદ કરી શક્તા ન હતા. હવે ટીંકાજીએ પણ સાઇન લેંગ્વેઝની તાલીમ લીધી છે, અને મા-દીકરી બંને પરસ્પર ખૂબ વાતો કર્યા કરે છે. આ પ્રયાસોનો બહુ મોટો લાભ કેરળના મંજૂજીને પણ થયો છે. મંજૂજી જન્મથી જ સાંભળી નથી શકતા, એટલું જ નહીં, તેમના માતાપિતાના જીવનમાં પણ આ જ સ્થિતિ રહી છે. આ સ્થિતિમાં સાઇન લેંગ્વેઝ જ આખા પરિવાર માટે સંવાદનું સાધન બની ગઇ છે. હવે તો, મંજૂજીએ પોતે જ સાઇન લેંગ્વેઝની શિક્ષીકા બનવાનો નિર્ણય કરી લીધો છે.
સાથીઓ, આ વિશે મન કી બાતમાં હું એટલે પણ ચર્ચા કરી રહ્યો છું જેથી ભારતીય સાઇન લેંગ્વેઝ વિશે જાગૃતિ વધે. તેનાથી આપણે આપણા દિવ્યાંગ સાથીઓની વધુમાં વધુ મદદ કરી શકીશું. ભાઇઓ અને બહેનો થોડા દિવસ પહેલાં મને બ્રેઇલમાં લખાયેલા હેમકોશની એક નકલ પણ મળી છે. હેમકોશ અસમિયા ભાષાના સૌથી જૂના શબ્દકોશમાંનો એક છે. તે ૧૯મી સદીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. તેનું સંપાદન વિખ્યાત ભાષાવિદ હેંમંચંદ્ર બરૂઆજીએ કર્યું હતું. હેમકોશની બ્રેઇલ આવૃત્તિ લગભગ ૧૦ હજાર પાનાની છે, અને તે ૧૫ ભાગથી પણ વધારે ભાગમાં પ્રકાશિત કરવામાં આવી રહી છે. તેમાં એક લાખથી પણ વધુ શબ્દોનો અનુવાદ થવાનો છે. હું આ સંવેદનશીલ પ્રયાસની ભરપૂર પ્રશંસા કરૂં છું. આ રીતે દરેક પ્રયાસ દિવ્યાંગ સાથીઓનું કૌશલ્ય અને સામર્થ્ય વધારવામાં ખૂબ મદદ કરે છે. આજે ભારત પેરાસ્પોર્ટસમાં પણ સફળતાના ધ્વજ લહેરાવી રહ્યું છે. આપણે બધા કેટલીયે રમત સ્પર્ધાઓમાં તેના સાક્ષી રહ્યા છીએ. આજે કેટલાય લોકો એવા છે જે દિવ્યાંગોની વચ્ચે ફીટનેસ કલ્ચરને પાયાના સ્તરે પ્રોત્સાહન આપવામાં જોડાયેલા છે. તેનાથી દિવ્યાંગોના આત્મવિશ્વાસને ઘણું બળ મળે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં હું સુરતની એક દીકરી અન્વીને મળ્યો. અન્વી અને અન્વીના યોગ સાથે મારી એ મુલાકાત એટલી યાદગાર બની રહી છે કે, તેના વિશે હું મન કી બાતના તમામ શ્રોતાઓને જરૂર જણાવવા ઇચ્છું છું. સાથીઓ, અન્વી જન્મથી જ Down Syndrome થી પીડીત છે, અને તે બાળપણથી જ હૃદયની ગંભીર બીમારીનો પણ સામનો કરી રહી છે. એ જયારે માત્ર ૩ મહિનાની હતી ત્યારે તેના પર ઓપન હાર્ટસર્જરી કરવી પડી હતી. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં ન તો અન્વીએ કે ન તેના માતાપિતાએ કયારેય હાર માની છે. અન્વીના માતાપિતાએ Down Syndrome વિશે પણ પૂરી જાણકારી એકત્રિત કરી, અને પછી નક્કી કર્યું કે, અન્વીની બીજા પરની નિર્ભરતાને કેવી રીતે ઓછી કરીશું. તેમણે અન્વીને પાણીનો ગ્લાસ કેવી રીતે ઉઠાવવો, બૂટની દોરી કેવી રીતે બાંધવી, કપડાના બટન કેવી રીતે બંધ કરવા, એવી નાનીનાની બાબતો શીખવવાનું શરૂ કર્યું. કઇ ચીજની ક્યાં જગ્યા છે, કઇ તેઓ સારી છે, આ બધું બહુ ધીરજ રાખીને તેમણે અન્વીને શીખવવાની કોશીષ કરી. દીકરી અન્વીએ જે રીતે શીખવાની ઇચ્છાશક્તિ બતાવી, પોતાની પ્રતિભા બતાવી, તેનાથી તેના માતાપિતાને પણ ખૂબ હિંમત આવી. તેમણે અન્વીને યોગ શીખવા માટે પ્રેરિત કરી. મુસીબત એટલી ગંભીર હતી કે, અન્વી પોતાના બે પગ પર ઉભી પણ રહી શક્તી પણ ન હતી. આ પરિસ્થિતિમાં તેના માતાપિતાએ અન્વીને યોગ શીખવા માટે પ્રેરિત કરી. તેઓ જ્યારે પહેલી વખત યોગ શીખવનારા કોચની પાસે તેને લઇ ગયા તો તે પણ બહુ દુવિધામાં હતા કે, આ માસૂમ બાળકી યોગ કરી શકશે ખરી ? પરંતુ કોચને પણ કદાચ તેનો અંદાજ નહોતો કે, અન્વી કઇ માટીની બનેલી છે. તે પોતાની માતાની સાથે યોગનો અભ્યાસ કરવા લાગી અને હવે તો તે યોગમાં નિષ્ણાત બની ચૂકી છે. અન્વી આજે દેશભરની સ્પર્ધાઓમાં ભાગ લે છે અને ચંદ્રકો જીતે છે. યોગ એ અન્વીને નવું જીવન આપી દીધું છે. અન્વીના માતાપિતાએ મને જણાવ્યું કે, યોગથી અન્વીના જીવનમાં અદભૂત બદલાવ જોવા મળ્યો છે. હવે તેનો આત્મવિશ્વાસ ગજબનો વધી ગયો છે. યોગથી અન્વીની શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે અને દવાઓની જરૂરિયાત પણ ઓછી થઇ રહી છે. હું ઇચ્છું છું કે, દેશવિદેશમાં ઉપસ્થિત મન કી બાતના શ્રોતાઓ અન્વીને યોગથી થયેલા લાભનું વૈજ્ઞાનિક અધ્યયન કરે. મને લાગે છે કે, અન્વી એક અભ્યાસનો ઉત્તમ એક કેસ સ્ટડી છે, જે યોગની શક્તિને તપાસવા- ચકાસવા માંગે છે, એવા વૈજ્ઞાનિકોએ આગળ આવીને અન્વીની આ સફળતાનો અભ્યાસ કરીને યોગની શક્તિથી દુનિયાને પરિચિત કરાવવી જોઇએ. આવું કોઇ પણ સંશોધન દુનિયાભરમાં Down Syndromeથી પીડીત બાળકોની બહુ મોટી મદદ કરી શકે છે. દુનિયા હવે એ વાતને સ્વીકારી ચૂકી છે કે, શારિરીક અને માનસિક આરોગ્ય માટે યોગ ઘણો ઉપયોગી છે. ખાસ કરીને, ડાયાબીટીસ અને બલ્ડપ્રેશર સાથે જોડાયેલી તકલીફોમાં યોગથી ઘણી મદદ મળે છે. યોગની આવી જ શક્તિને જોઇને સંયુકત રાષ્ટ્રે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. હવે સંયુકત રાષ્ટ્રે ભારતના વધુ એક પ્રયાસને માન્યતા આપી છે. તેને સન્માનિત કર્યો છે. આ પ્રયાસ છે, વર્ષ ૨૦૧૮માં શરૂ કરવામાં આવેલો “India Hypertension Control Initiative”. તેના અંતર્ગત બ્લડપ્રેશરની તકલીફોનો સામનો કરી રહેલા લાખો લોકોનો ઇલાજ સરકારી સેવા કેન્દ્રોમાં કરાઇ રહ્યો છે. જે રીતે આ પહેલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે તે અભૂતપૂર્વ છે. જે લોકોનો ઇલાજ કરાયો છે. તેમાંથી લગભગ અડધાનું બ્લડપ્રેશર કાબૂમાં છે, તે આપણા બધા માટે ઉત્સાગ વધારનારી બાબત છે. આ પહેલ માટે કામ કરનારા તે તમામ લોકોને હું ખૂબખૂબ ધન્યવાદ આપું છું. જેમણે પોતાના અથાક પરિશ્રમથી તેને સફળ બનાવ્યી છે.
સાથીઓ, માનવજીવનની વિકાસયાત્રા સતત પાણી સાથે જોડાયેલી છે. પછી તે સમુદ્ર હોય, નદી હોય કે તળાવ હોય. ભારતનું પણ સદભાગ્ય છે કે, લગભગ સાડાસાત હજાર કિલોમીટરથી વધુ લાંબા દરિયાકિનારાના કારણે આપણો સમુદ્ર સાથેનો નાતો અતૂટ રહ્યો છે. આ દરિયાકાંઠાની સરહદ કેટલાય રાજ્યો અને દ્વીપોથી પસાર થાય છે. ભારતના અલગઅલગ સમુદાયો અને વિવિધતાઓથી ભરેલી સંસ્કૃતિને અહિં પાંગરતી જોઇ શકાય છે. એટલું જ નહીં, દરિયાકાંઠાના આ વિસ્તારોની ખાણીપીણી લોકોને ખૂબ આકર્ષિત કરે છે. પરંતુ આ રસપ્રદ વાતોની સાથે જ એક દુઃખદ પાસું પણ છે. આપણા આ દરિયાકાંઠાના વિસ્તારો પર્યાવરણ સાથે જોડાયેલા કેટલાય પડકારોનો સામનો કરી રહ્યા છે. આબોહવા પરિવર્તન, સમુદ્રી જૈવિકતંત્ર માટે એક મોટો ખતરો બનેલું છે. તો, બીજી તરફ આપણા સમુદ્રકિનારા પર ફેલાયેલી ગંદકી પરેશાન કરનારી છે. આપણી એ જવાબદારી બને છે કે, આપણે આ પડકારોન પહોંચી વળવા ગંભીર અને એકધારા પ્રયાસો કરીએ. અહીં હું દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સફાઇની એક કોશીષ “સ્વચ્છ સાગર-સુરક્ષિત સાગર” વિશે વાત કરવા ઇચ્છીશ. પાંચ જુલાઇએ શરૂ થયેલું આ અભિયાન ગઇ ૧૭ સપ્ટેંબરે વિશ્વકર્મા જયંતિના દિવસે સંપન્ન થયું. તે જ દિવસે સાગરતટ સ્વચ્છતા દિવસ પણ હતો. આઝાદીના અમૃત મહોત્સવમાં શરૂ થયેલી આ ઝુંબેશ ૭૫ દિવસ સુધી ચાલી. તેમાં લોકભાગીદારી સ્વંયભૂ જોવા મળતી હતી. આ પ્રયાસ દરમિયાન પૂરા અઢી મહિના સુધી સફાઇના અનેક કાર્યક્રમો જોવા મળ્યા. ગોવામાં એક લાંબી માનવસાંકળ બનાવવામાં આવી હતી. કાકીનાડા ગણપતિ વિસર્જન દરમિયાન લોકોને પ્લાસ્ટીકથી થતા નુકસાન વિશે જણાવવામાં આવ્યું. એનએસએસના લગભગ પાંચ હજાર યુવા સાથીઓએ તો ૩૦ ટનથી વધુ પ્લાસ્ટીક એકઠું કર્યું. ઓડીશામાં ૩ દિવસની અંદર ૨૦ હજારથી વધુ શાળાના વિદ્યાર્થીઓએ પ્રણ લીધું કે, તેઓ પોતાની સાથોસાથ પરિવાર અને આસપાસના લોકોને પણ સ્વચ્છ સાગર અને સુરક્ષિત સાગર માટે પ્રેરિત કરશે. હું આ તમામ લોકોને ધન્યવાદ આપું છું. જેમણે આ અભિયાનમાં ભાગ લીધો હતો.
ચૂંટાયેલા પદાધિકારીઓ, ખાસ કરીને શહેરોના મેયર અને ગામોના સરપંચો સાથે જ્યારે હું વાતચીત કરું છું તો એ આગ્રહ જરૂર કરું છું કે, સ્વચ્છતા જેવા પ્રયત્નોમાં સ્થાનિક સમુદાયો અને સ્થાનિક સંગઠ્ઠનોને પણ સામેલ કરે કંઇક નવીનતાપૂર્ણ રીતો અપનાવે.
બેંગલુરૂમાં એક ટીમ છે- યુથ ફોર પરિવર્તન. છેલ્લા આઠ વર્ષોથી આ ટીમ સ્વચ્છતા અને અન્ય સામુદાયિક પ્રવૃત્તિઓ સાથે કામ કરી રહી છે. તેમનો મુદ્રાલેખ બિલકુલ સ્પષ્ટ છે. ફરિયાદ કરવાનું બંધ કરો, કાર્ય શરૂ કરો. આ ટીમે અત્યારસુધીમાં શહેરભરના ૩૭૦થી વધુ સ્થાનોનું સૌંદર્યીકરણ કર્યું છે. દરેક સ્થાને યુથ ફોર પરિવર્તનના અભિયાને સો થી દોઢસો નાગરિકોને જોડ્યા છે. દર રવિવારે આ કાર્યક્રમ સવારે શરૂ થાય છે, અને બપોર સુધી ચાલે છે. આ કાર્યમાં કચરો તો એકઠો કરાય છે જ, સાથે દિવાલો પર ચિત્રકામ અને કલાત્મક ચિત્રણનું કામ પણ થાય છે. અનેક જગ્યાએ તો તમે સુવિખ્યાત લોકોના સ્કેચીજ અને તેમના પ્રેરણાદાયક વાક્યો પણ જોઇ શકો છો. બેંગલુરૂના યુથ ફોર પરિવર્તનના પ્રયાસો પછી હું આપને મેરઠના કબાડ સે જુગાડ અભિયાન વિશે પણ જણાવવા માંગું છું. આ અભિયાન પર્યાવરણની સુરક્ષાની સાથેસાથે શહેરને સુંદર બનાવવાના કામ સાથે પણ જોડાયેલું છે. આ ઝુંબેશની ખાસ વાત એ છે કે, તેમાં લોઢાનો ભંગાર, પ્લાસ્ટીકનો કચરો, જૂનાં ટાયર અને પીપડા જેવી નકામી બની ગયેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરાય છે. ઓછા ખર્ચમાં સાર્વજનિક સ્થળોને કેવી રીતે સુંદર બનાવી શકાય તેનું આ અભિયાન પણ એક ઉદાહરણ છે. આ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોની હું હૃદયથી પ્રશંસા કરૂં છું.
મારા વ્હાલા દેશવાસીઓ, અત્યારે દેશમાં ચારેતરફ ઉત્સવોની રોનક છે. કાલે પહેલી નવરાત્રી છે, તેમાં આપણે દેવીના પહેલા સ્વરૂપ માતા શૈલપૂત્રીની ઉપાસના કરીશું. ત્યાંથી લઇને નવ દિવસના નિયમ સંયમ અને ઉપવાસ, પછી વિજયાદશમીનું પર્વ પણ હશે. એટલે કે, એક રીતે જોતાં તો આપણે જોઇશું કે, આપણા પર્વોમાં આસ્થા અને આધ્યાત્મિકતાની સાથોસાથ કેટલો ઉંડો સંદેશ પણ છુપાયેલો છે. અનુશાસન અને સંયમથી સિદ્ધિની પ્રાપ્તિ અને ત્યારપછી વિજયનું પર્વ. આ જ તો જીવનમાં કોઇપણ લક્ષને પ્રાપ્ત કરવાનો માર્ગ હોય છે. દશેરા પછી ધનતેરસ અને દિવાળીના પર્વો પણ આવશે.
સાથીઓ, પાછલા કેટલાક વર્ષોથી આપણા તહેવારોની સાથે દેશનો એક નવો સંકલ્પ પણ જોડાઇ ગયો છે. આપ સૌ જાણો છો કે, આ સંકલ્પ છે – “Vocal for Local” નો. હવે આપણે તહેવારોના આનંદમાં આપણા સ્થાનિક કારીગરોને, શિલ્પકારોને અને વેપારીઓને પણ સામેલ કરીએ છીએ. આગામી બે ઓકટોબરે બાપુની જયંતિના અવસરે આપણે આ અભિયાનને વધુ વેગવાન બનાવવાનો સંકલ્પ લેવાનો છે. ખાદી, હાથશાળ, હસ્તકલાકારીગરીની આ બધી ચીજવસ્તુઓની સાથે સાથે સ્થાનિક ચીજવસ્તુઓ પણ ચોક્કસ ખરીદીએ. આખરે તો આ તહેવારોનો સાચો આનંદ પણ ત્યારે જ મળે છે, જયારે હરકોઇ આ તહેવારનો હિસ્સો બને, માટે સ્થાનિક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતાં લોકોને આપણે ટેકો પણ આપવાનો છે. એક સારી રીત એ છે કે, તહેવારના સમયે આપણે જે પણ ભેટ આપીએ તેમાં આ પ્રકારના ઉત્પાદનને સામેલ કરીએ. અત્યારે આ અભિયાન એટલા માટે પણ ખાસ છે કે, આઝાદીના અમૃતમહોત્સવ દરમિયાન, આપણે આત્મનિર્ભર ભારતનું પણ લક્ષ્ય રાખીને ચાલી રહ્યા છીએ. જે ખરા અર્થમાં આઝાદીના દિવાનાને એક સાચી શ્રદ્ધાંજલી હશે. એટલા માટે મારૂં આપ સૌને નિવેદન છે કે, આ વખતે ખાદી, હાથશાળ કે હસ્તકલાકારીગરીના આ ઉત્પાદનોને ખરીદીને આપ બધા વિક્રમ તોડી નાંખો. આપણે જોયું છે કે, તહેવારો પર પેકિંગ અને પેકેજીંગ માટે પ્લાસ્ટીકની કોથળીઓનો પણ ખૂબ ઉપયોગ થતો રહ્યો છે. સ્વચ્છતાના પર્વો પર પોલીથીનનો નુકસાનકારક કચરો એ પણ આપણા પર્વોની ભાવનાની વિરૂદ્ધ છે. માટે આપણે સ્થાનિક સ્તરે બનેલી પ્લાસ્ટીક સિવાયની કોથળીઓનો જ ઉપયોગ કરીએ. આપણે ત્યાં સુતરાઉ કાપડની, શણની, કેળાના રેસાની એમ કેટલાય પ્રકારની પરંપરાગત થેલીઓનું ચલણ એકવાર ફરીથી વધી રહ્યું છે. હવે એ આપણી જવાબદારી છે કે, આપણે તહેવારોના અવસરે તેને પ્રોત્સાહન આપીએ અને સ્વચ્છતાની સાથે પોતાના અને પર્યાવરણના આરોગ્યનો પણ ખ્યાલ રાખીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે,
‘परहित सरिस धरम नहीं भाई’
એટલે કે, અન્યનું હિત કરવા સમાન, અન્યની સેવા કરવા ઉપકાર કરવા સમાન બીજો કોઇ ધર્મ નથી. વિતેલા દિવસોમાં દેશમાં સમાજસેવાની આ જ ભાવનાની વધુ એક ઝલક જોવા મળી. તમે પણ જોયું હશે કે, લોકો આગળ આવીને કોઇને કોઇ ટીબીથી પીડીત દર્દીને દત્તક લે છે. તેમને પૌષ્ટિક ખોરાક આપવાનું બીડું ઉઠાવી રહ્યા છે. હકીકતમાં ટીબીમુક્ત ભારત અભિયાનનો આ એક ભાગ છે. જેનો આધાર લોકભાગીદારી છે, કર્તવ્ય ભાવના છે. યોગ્ય પોષણથી જ યોગ્ય સમયે મળેલી દવાઓથી ટીબીનો ઇલાજ શક્ય છે. મને વિશ્વાસ છે કે, લોકભાગીદારીની આ શક્તિથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારત જરૂર ટીબીથી મુક્ત થઇ જશે.
સાથીઓ, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમમ દીવથી પણ મને એક એવું ઉદાહરણ જાણવા મળ્યું છે જે હૃદયસ્પર્શી છે. ત્યાંના આદિવાસી ક્ષેત્રમાં રહેતાં જીનુ રાવતીયાજીએ લખ્યું છે કે, ત્યાં ચાલી રહેલા ગ્રામ દત્તક કાર્યક્રમ અંતર્ગત મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ ૫૦ ગામોને દત્તક લીધાં છે. એમાં જીનુજીનું ગામ પણ સામેલ છે. મેડીકલના વિદ્યાર્થીઓ બીમારીથી બચવા માટે ગામના લોકોને જાગૃત કરે છે, બીમારીમાં મદદ પણ કરે છે અને સરકારી યોજનાઓ વિશે પણ જાણકારી આપે છે. પરોપકારની આ ભાવના ગ્રામવાસીઓના જીવનમાં નવી ખુશીઓ લઇને આવી છે. હું તે માટે મેડિકલ કોલેજના બધા વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું.
સાથીઓ, મન કી બાતમાં નવાનવા વિષયોની ચર્ચા થતી રહે છે. કેટલીયે વાર આ કાર્યક્રમ દ્વારા આપણને કેટલાક જૂના વિષયોની ઉંડાણમાં પણ ઉતરવાની તક મળી છે. ગયા મહિને મન કી બાતમાં મે બરછટ અનાજ અને વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવવાને લગતી ચર્ચા કરી હતી. આ બાબતે લોકોમાં ખૂબ ઉત્સુકતા છે. મને એવા સંખ્યાબંધ પત્રો મળે છે. જેમાં લોકો જણાવી રહ્યા છે કે, તેમણે કેવી રીતે બાજરાને પોતાના દૈનિક ભોજનનો ભાગ બનાવી દીધો છે. કેટલાક લોકોએ બાજરીમાંથી બનતી પરંપરાગત વાનગીઓ વિશે પણ જણાવ્યું છે. આ એક મોટા પરિવર્તનનો સંકેત છે. લોકોના આ ઉત્સાહને જોઇને મને લાગે છે કે, આપણે સૌએ મળીને એક ઇ-બુક તૈયાર કરવી જોઇએ. જેમાં લોકો બાજરીમાંથી બનતી વાનગીઓ અને પોતાના અનુભવોનું આદાનપ્રદાન કરી શકે. તેનાથી આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ શરૂ થતાં પહેલાં આપણી પાસે બાજરા વિશે એક જાહેર માહીતી કોશ પણ તૈયાર થશે. અને પછી તેને માય ગોવ પોર્ટલ પર પ્રકાશિત કરી શકીએ છીએ.
સાથીઓ, મન કી બાતમાં આ વખતે આટલું જ. પરંતુ જતાં જતાં હું આપને રાષ્ટ્રીય રમતો વિશે પણ જણાવવા માંગું છું. ૨૯ સપ્ટેંબરથી ગુજરાતમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન થઇ રહ્યું છે. આ એક ખૂબ મોટી તક છે. કેમ કે, રાષ્ટ્રીય રમતોનું આયોજન કેટલાય વર્ષો પછી થઇ રહ્યું છે. કોવિડ મહામારીના કારણે છેલ્લે તેનું આયોજન રદ કરવું પડ્યું હતું. આ રમતગમત સ્પર્ધામાં ભાગ લેનારા દરેક ખેલાડીને મારી અનેક અનેક શુભેચ્છાઓ. એ દિવસે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે હું તેમના વચ્ચે રહીશ. આપ સૌ પણ રાષ્ટ્રીય રમતોને જરૂરથી નિહાળશો અને પોતાના ખેલાડીઓનો જૂસ્સો વધારશો. હવે, હું આજ માટે વિદાય લઇ રહ્યો છું. આવતા મહિને મન કી બાતમાં નવા વિષયો સાથે આપની સાથે ફરી મુલાકાત થશે. ધન્યવાદ. નમસ્કાર..

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ઑગસ્ટના આ મહિનામાં, તમારા બધાના પત્રો, સંદેશાઓ અને કાર્ડે મારા કાર્યાલયને તિરંગામય કરી દીધું છે. મને ભાગ્યે જ એવો કોઈ પત્ર મળ્યો હશે, જેના પર તિરંગો ન હોય અથવા તિરંગા અને સ્વતંત્રતા સાથે જોડાયેલી વાત ન હોય. બાળકોએ, યુવાન સાથીઓએ તો અમૃત મહોત્સવ પર ખૂબ જ સુંદર-સુંદર ચિત્ર અને કલાકારી પણ બનાવીને મોકલી છે. સ્વતંત્રતાના આ મહિનામાં આપણા સમગ્ર દેશમાં, દરેક શહેર, દરેક ગામમાં, અમૃત મહોત્સવની અમૃત ધારા વહી રહી છે. અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસના આ વિશેષ અવસર પર આપણે દેશની સામૂહિક શક્તિના દર્શન કર્યા છે. એક ચેતનાની અનુભૂતિ કરી છે. આટલો મોટો દેશ, આટલી વિવિધતાઓ, પરંતુ જ્યારે વાત તિરંગો ફરકાવવાની આવી તો, પ્રત્યેક વ્યક્તિ, એક જ ભાવનામાં વહેતી દેખાઈ. તિરંગાના ગૌરવના પ્રથમ પ્રહરી બનીને લોકો પોતે આગળ આવ્યા. આપણે સ્વચ્છતા અભિયાન અને રસીકરણ અભિયાનમાં પણ દેશની ભાવનાને જોઈ હતી. અમૃત મહોત્સવમાં આપણને ફરી દેશભક્તિની એવી જ લાગણી જોવા મળી રહી છે. આપણા સૈનિકોએ ઊંચા-ઊંચા પહાડના શિખરો પર, દેશની સીમાઓ પર અને સમુદ્રની વચ્ચે તિરંગો ફરકાવ્યો. લોકોએ તિરંગા અભિયાન માટે અલગ-અલગ નવીન વિચારો પણ અજમાવ્યા. જેમ કે યુવાન સાથી કૃશનીલ અનિલજીએ, અનિલજી એક પઝલ આર્ટિસ્ટ છે. તેમણે રેકૉર્ડ સમયમાં સુંદર તિરંગા મૉઝેક આર્ટ તૈયાર કરી છે. કર્ણાટકના કોલારમાં, લોકોએ 630 ફીટ લાંબો અને 205 ફીટ પહોળો તિરંગો પકડીને અનોખું દૃશ્ય પ્રસ્તુત કર્યું. આસામમાં સરકારી કર્મચારીઓએ દિઘાલીપુખુરી વૉર મેમોરિયલમાં તિરંગોફરકાવવા માટે પોતાના હાથથી 20 ફીટનો તિરંગો બનાવ્યો. એ જ રીતે, ઈન્દોરમાં, લોકોએ માનવ શ્રૃંખલા દ્વારા ભારતનો નકશો બનાવ્યો. ચંડીગઢમાં યુવાનોએ વિશાળ માનવ તિરંગો બનાવ્યો. આ બંને પ્રયાસ ગિનીઝ રેકૉર્ડમાં પણ નોંધવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે, હિમાચલ પ્રદેશની ગંગોટ પંચાયતમાં એક ખૂબ જ પ્રેરણાદાયક ઉદાહરણ પણ જોવા મળ્યું. આ પંચાયતમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પ્રવાસી મજૂરોનાં બાળકોને મુખ્ય અતિથિના રૂપમાં સહભાગી બનાવવામાં આવ્યા.
સાથીઓ, અમૃત મહોત્સવના આ રંગો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના બીજા દેશોમાં પણ જોવા મળ્યા. બોત્સ્વાનામાં ત્યાંના રહેનારા સ્થાનિક ગાયકોએ ભારતની સ્વતંત્રતાનાં 75 વર્ષ મનાવવા માટે દેશભક્તિનાં 75 ગીતો ગાયાં. તેમાં વધુ વિશેષ વાત છે કે આ ગીતો હિન્દી, પંજાબી, ગુજરાતી, બાંગ્લા, અસમિયા, તમિલ, તેલુગુ, કન્નડ અને સંસ્કૃત જેવી ભાષામાં ગાવામાં આવ્યાં. આ જ રીતે, નામીબિયામાં ભારત-નામીબિયાના સાંસ્કૃતિક-પારંપરિક સંબંધો પર વિશેષ સ્ટેમ્પ જાહેર કરવામાં આવી છે.
સાથીઓ, હું વધુ એક ખુશીની વાત કહેવા માગું છું. હમણાં કેટલાક દિવસો પહેલાં, મને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કાર્યક્રમમાં જવાનો અવસર મળ્યો. ત્યાં તેમણે ‘સ્વરાજ’ નામના દૂરદર્શન ધારાવાહિકનું સ્ક્રીનિંગ રાખ્યું હતું. મને તેના પ્રિમિયર પર જવાની તક મળી. તે સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લેનારા અનામી નાયક-નાયિકાઓના પ્રયાસોથી દેશની યુવા પેઢીને પરિચિત કરવાની એક સુંદર પહેલ છે. દૂરદર્શન પર દર રવિવાર રાત્રે 9 વાગે, તેનું પ્રસારણ થાય છે. અને મને કહેવામાં આવ્યું કે ૭૫ સપ્તાહ સુધી તે ચાલવાનું છે. મારો અનુરોધ છે કે તમે સમય કાઢીને તેને સ્વયં પણજુઓ અને પોતાના ઘરનાં બાળકોને પણ અવશ્ય દેખાડો અને સ્કૂલ-કૉલેજના લોકો તો તેનું રેકૉર્ડિંગ કરીને જ્યારે સોમવારે સ્કૂલ-કૉલેજ ખુલે તો વિશેષ કાર્યક્રમની રચના પણ કરી શકે છે, જેથી સ્વતંત્રતાના જન્મના આ મહાનાયકો પ્રત્યે આપણા દેશમાં એક નવી જાગૃતિ પેદા થશે. સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ આગામી વર્ષ અર્થાત્ ઑગસ્ટ 2023 સુધી ચાલશે. દેશ માટે, સ્વતંત્રતા સેનાનીઓ માટે જે લેખન-આયોજન વગેરે આપણે કરી રહ્યા હતા, આપણે તેમને હજુ આગળ વધારવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા પૂર્વજોનું જ્ઞાન, આપણા પૂર્વજોની દીર્ઘ દૃષ્ટિ અને આપણા પૂર્વજોનું એકાત્મ ચિંતન, આજે પણ કેટલું મહત્ત્વપૂર્ણ છે, જ્યારે તેના ઊંડાણમાં જઈએ છીએ તો આપણને આશ્ચર્ય થાય છે. હજારો વર્ષ જૂનો આપણો ઋગ્વેદ. ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે:
ओमान मापो मानुषी: अम्रुक्तं धात तोकाय तनयाय शं यो: ।
यूयं हिष्ठा भिषजो मातृतमा विश्व्यस्य स्थातु: जगतो जनित्री: ।।
અર્થાત્ – હે જળ, તમે માનવતાના પરમ મિત્ર છો. તમે જીવનદાયિની છો, તમારાથી જ અન્ન ઉત્પન્ન થાય છે અને તમારાથી જ અમારાં સંતાનોનું હિત થાય છે. તમે અમને સુરક્ષા પ્રદાન કરનારા છો અને બધી બુરાઈઓથી દૂર રાખો છો. તમે સૌથી ઉત્તમ ઔષધિ છો અને તમે જ આ બ્રહ્માંડના પાલનહાર છો.
વિચારો, આપણી સંસ્કૃતિમાં, હજારો વર્ષ પહેલાં, જળ અને જળ સંરક્ષણનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. જ્યારે આ જ્ઞાન, આપણે આજના સંદર્ભમાં જોઈએ છીએ તો રોમાંચિત થઈ ઊઠીએ છીએ, પરંતુ જ્યારે આ જ્ઞાનને દેશ પોતાના સામર્થ્યના રૂપમાં સ્વીકારે છે તો તેની શક્તિ અનેક ગણી વધી જાચ છે. તમને યાદ હશે, ‘મન કી બાત’માં જ ચાર મહિના પહેલાં મેં અમૃત સરોવરની વાત કરી હતી. તે પછીઅલગ-અલગ જિલ્લાઓમાં સ્થાનિક પ્રશાસન લાગ્યું, સ્વયંસેવી સંસ્થાઓ લાગી અને સ્થાનિક લોકો જોડાયા, જોતજોતામાં, અમૃત સરોવરનું નિર્માણ એક જન આંદોલન બની ગયું છે. જ્યારે દેશ માટે કંઈક કરવાની ભાવના હોય, પોતાનાં કર્તવ્યોની અનુભૂતિ હોય, આવનારી પેઢીઓની ચિંતા હોય તો સામર્થ્ય પણ જોડાય છે અને સંકલ્પ પ્રમાણિક બની જાય છે. મને તેલંગાણાના વારંગલના એક શાનદાર પ્રયાસની જાણકારી મળી છે. અહીં એક નવી ગ્રામ પંચાયતનું ગઠન થયું છે જેનું નામ છે ‘મંગત્યા-વાલ્યા થાંડા’. આ ગામ વન વિસ્તારની નજીક છે. અહીં ગામની પાસે જ એક એવું સ્થાન હતું જ્યાં ચોમાસા દરમિયાન ઘણું પાણી એકઠું થઈ જતુ હતું. ગામના લોકોની પહેલ પર હવે આ સ્થાનને અમૃત સરોવર અભિયાન હેઠળ વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ વખતે ચોમાસા દરમિયાન થયેલા વરસાદમાં આ સરોવર પાણીથી એકદમ ભરાઈ ગયું છે.
હું મધ્ય પ્રદેશના મંડલામાં મોચા ગ્રામ પંચાયતમાં બનેલા અમૃત સરોવર વિશે પણ તમને જણાવવા માગું છું. આ અમૃત સરોવર કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન પાસે બનેલું છે અને તેનાથી આ વિસ્તારની સુંદરતા ઓર વધી ગઈ છે. ઉત્તર પ્રદેશના લલિતપુરમાં, નવનિર્મિત શહીદ ભગતસિંહ અમૃત સરોવર પણ લોકોને ઘણું આકર્ષિત કરી રહ્યું છે. ત્યાંની નિવારી ગ્રામ પંચાયતમાં બનેલું આ સરોવર ચાર ઍકરમાં ફેલાયેલું છે. સરોવરના કિનારે થયેલું વૃક્ષારોપણ તેની શોભા વધારી રહ્યું છે. સરોવર પાસે લાગેલા ૩૫ ફીટ ઊંચા તિરંગાને જોવા માટે પણ દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે. અમૃત સરોવરનું આ અભિયાન કર્ણાટકમાં પણ જુસ્સાભેર ચાલી રહ્યું છે. ત્યાંના બાગલકોટ જિલ્લાના ‘બિલ્કેરુર’ ગામમાં લોકોએ ખૂબ જ સુંદર અમૃત સરોવર બનાવ્યું છે. હકીકતે, આ ક્ષેત્રમાં, પહાડમાંથી નીકળતા પાણીનાકારણે લોકોને ઘણી મુશ્કેલી પડતી હતી, ખેડૂતો અને તેમના પાકને પણ નુકસાન થતું હતું. અમૃત સરોવર બનાવવા માટે ગામના લોકો, આખા પાણીને ચેનલાઇઝ કરીને એક તરફ લઈ ગયા. તેનાથી વિસ્તારમાં પૂરની સમસ્યા પણ દૂર થઈ ગઈ. અમૃત સરોવર અભિયાન આપણી આજની અનેક સમસ્યાઓનું સમાધાન તો કરે જ છે, આપણી આવનારી પેઢીઓ માટે પણ એટલું જ આવશ્યક છે. આ અભિયાન હેઠળ, અનેક જગ્યાઓ પર, જૂનાં જળાશયોનો પણ કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે. અમૃત સરોવરનો ઉપયોગ, પશુઓની તરસ છિપાવવાની સાથે, ખેતી માટે પણ થઈ રહ્યો છે. આ તળાવોના કારણે આસપાસનાં ક્ષેત્રોના ભૂગર્ભ જળનું સ્તર વધ્યું છે. તો તેની ચારે તરફ હરિયાળી પણ વધી રહી છે. એટલું જ નહીં, અનેક જગ્યાએ લોકો અમૃત સરોવરમાં મત્સ્ય પાલનની તૈયારીઓમાં પણ લાગેલા છે. મારો, તમને બધાને અને ખાસ તો મારા યુવાન સાથીઓને અનુરોધ છે કે તમે અમૃત સરોવર અભિયાનમાં આગળ વધીને ભાગ લો અને જળ સંચય અને જળ સંરક્ષણના આ પ્રયાસોને પૂરી તાકાત આપો, તેને આગળ વધારો.
મારા પ્રિય દેશવાસીઓ, આસામના બોન્ગાઈ ગામમાં એક રસપ્રદ પરિયોજના ચલાવવામાં આવી રહી છે- પ્રૉજેક્ટ સંપૂર્ણા. આ પ્રૉજેક્ટનો હેતુ છે કુપોષણ વિરુદ્ધ લડાઈ અને આ લડાઈની રીત પણ ખૂબ જ અનોખી છે. તેના હેઠળ, કોઈ આંગણવાડી કેન્દ્રની એક સ્વસ્થ બાળકની માતા, એક કુપોષિત બાળકની માને દર સપ્તાહે મળે છે અને પોષણ સંબંધિત બધી જાણકારીઓ પર ચર્ચા કરે છે. અર્થાત્, એક માતા, બીજી માતાની મિત્ર બનીને તેની મદદ કરે છે, તેને શિખામણ આપે છે. આ પ્રૉજેક્ટની મદદથી, આ ક્ષેત્રમાં, એક વર્ષમાં, 90 ટકાથી વધુ બાળકોનું કુપોષણ દૂર થયું છે. તમે કલ્પના કરીશકો છો, શું કુપોષણ દૂર કરવામાં ગીત-સંગીત અને ભજનનો પણ ઉપયોગ થઈ શકે છે? મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં ‘મેરા બચ્ચા અભિયાન’, આ ‘મેરા બચ્ચા અભિયાન’માં તેનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો. તેના હેઠળ, જિલ્લામાં ભજન-કીર્તન આયોજિત કરવામાં આવ્યાં, જેમાં પોષણ ગુરુ કહેવાતા શિક્ષકોને બોલાવવામાં આવ્યા. એક મટકા કાર્યક્રમ પણ થયો, તેમાં મહિલાઓ, આંગણવાડી કેન્દ્ર માટે મુઠ્ઠી ભરીને અનાજ લાવે છે અને આ અનાજથી શનિવારે ‘બાળભોજ’નું આયોજન થાય છે. તેનાથી આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની ઉપસ્થિતિ વધવાની સાથે જ કુપોષણ પણ ઓછું થયું છે. કુપોષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક અનોખું અભિયાન ઝારખંડમાં પણ ચાલી રહ્યું છે. ઝારખંડના ગિરિડીહમાં સાપ-સીડીની એક રમત તૈયાર કરવામાં આવી છે. રમતરમતમાં બાળકો, સારી અને ખરાબ ટેવો વિશે શીખે છે.
સાથીઓ, કુપોષણ સાથે જોડાયેલા આટલા બધા અભિનવ પ્રયોગો વિશે, હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કારણકે આપણે બધાએ પણ આવનારા મહિનામાં, આ અભિયાન સાથે જોડાવાનું છે. સપ્ટેમ્બરનો મહિનો તહેવારોની સાથોસાથ પોષણ સાથે જોડાયેલા મોટા અભિયાનને પણ સમર્પિત છે. આપણે પ્રતિ વર્ષ 1થી 30 સપ્ટેમ્બરની વચ્ચે પોષણ માસ મનાવીએ છીએ. કુપોષણની વિરુદ્ધ સમગ્ર દેશમાં અનેક ક્રિએટિવ અને વૈવિધ્યસભર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટૅકનૉલૉજીનો વધુ સારો ઉપયોગ અને જનભાગીદારી પણ, પોષણ અભિયાનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બન્યા છે. દેશમાં લાખો આંગણવાડી કાર્યકર્તાઓને મોબાઇલ ડિવાઈસ આપવાથી લઈને આંગણવાડી સેવાઓની પહોંચનું નિરીક્ષણ કરવા માટે પોષણ ટ્રેકર પણ લૉંચ કરવામાં આવ્યું છે. બધા આકાંક્ષી જિલ્લાઓ અને ઈશાન ભારતનાં રાજ્યોમાં ૧૪થી ૧૮ વર્ષની દીકરીઓને પણ, પોષણ અભિયાનના પરીઘમાં લાવવામાં આવીછે. કુપોષણની સમસ્યાનું નિરાકરણ આ પગલાંઓ સુધી જ સીમિત નથી. આ લડાઈમાં, બીજી અનેક પહેલની પણ અગત્યની ભૂમિકા છે. ઉદાહરણ રૂપે, જળ જીવન મિશનને જ લઈએ, તો ભારતને કુપોષણમુક્ત કરવામાં આ મિશનની પણ બહુ મોટી અસર થવાની છે. કુપોષણના પડકારોને પહોંચી વળવામાં, સામાજિક જાગૃતિ સાથે જોડાયેલા પ્રયાસો, મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. હું તમને બધાને અનુરોધ કરીશ કે તમે આવનારા પોષણ માસમાં, કુપોષણ અથવા માલન્યૂટ્રિશનને દૂર કરવાના પ્રયાસોમાં ભાગ જરૂર લો.
મારા પ્રિય દેશવાસીઓ, ચેન્નાઈથી શ્રીદેવી વરદરાજનજીએ મને એક રિમાઇન્ડર મોકલ્યું છે. તેમણે MyGovપર પોતાની વાત કંઈક આ પ્રકારે લખી છે- નવા વર્ષને આવવામાં હવે પાંચ મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે અને આપણે બધાં જાણીએ છીએ કે આવનારું નવું વર્ષ Intertnational Year Of Millets ના રૂપમાં મનાવવામાં આવશે. તેમણે મને દેશનો એક Millet Map પણ મોકલ્યો છે. સાથે જ પૂછ્યું છે કે શું તમે ‘મન કી બાત’માં આવનારા હપ્તામાં તેના પર ચર્ચા કરી શકો છો? મને, પોતાના દેશવાસીઓમાં આ પ્રકારની લાગણી જોઈને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. તમને સ્મરણ હશે કે સંયુક્ત રાષ્ટ્રએ એક પ્રસ્તાવ પસાર કરીને વર્ષ ૨૦૨૩ને International Year of Millets ઘોષિત કર્યું છે. તમને એ જાણીને પણ ખૂબ જ આનંદ થશે કે ભારતના આ પ્રસ્તાવને ૭૦થી વધુ દેશોનું સમર્થન મળ્યું હતું. આજે, વિશ્વ ભરમાં, આ જાડા અનાજની, Milletની ચાહના વધતી જઈ રહી છે. સાથીઓ, જ્યારે હું જાડા અનાજની વાત કરું છુ તો મારા એક પ્રયાસને પણ આજે તમને જણાવવા માગું છું. ગત કેટલાક સમયમાં ભારતમાં કોઈ પણ વિદેશી મહેમાન જ્યારે આવે છે,રાષ્ટ્રાધ્યક્ષ જ્યારે ભારત આવે છે તો મારો પ્રયાસ હોય છેકે ભોજનમાં ભારતના Millets અર્થાત્ આપણા જાડાં અનાજમાંથી બનતાં વ્યંજન બનાવડાવું. અને અનુભવ એવો થયો છે કે આ મહાનુભાવોને, આ વ્યંજનો ઘણાં પસંદ આવે છે અને આપણા જાડા અનાજના સંબંધમાં, Milletsના સંબંધમાં, ઘણી જાણકારીઓ એકત્ર કરવાનો તેઓ પ્રયાસ પણ કરે છે. Millets,જાડા અનાજ પ્રાચીન કાળથી જ આપણી કૃષિ સંસ્કૃતિ અને સભ્યતાનો હિસ્સો રહ્યા છે. આપણા વેદોમાં પણ જાડાં અનાજનો ઉલ્લેખ મળે છે અને આ જ રીતે પુરાણનુરુ અને તોલ્કાપ્પિયમમાં પણ, તેના વિશે જણાવવામાં આવ્યું છે. તમે દેશના કોઈ પણ હિસ્સામાં જાવ, તમને ત્યાંના લોકોની ખાણીપીણીમાં, અલગ-અલગ પ્રકારનાં જાડાં અનાજ જરૂર જોવા મળશે. આપણી સંસ્કૃતિની જેમ જ, જાડાં અનાજમાં પણ ઘણી વિવિધતાઓ મળી આવે છે. જુવાર, બાજરો, રાગી, સાવાં, કંગની, ચીના, કોદો, કુટકી, કુટ્ટુ, આ બધાં જાડાં અનાજ જ તો છે. ભારત વિશ્વમાં જાડા અનાજનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આથી આ પહેલને સફળ બનાવવાની મોટી જવાબદારી પણ આપણા ભારતવાસીઓના ખભા પર જ છે. આપણે બધાએ મળીને તેને જન આંદોલન બનાવવાનું છે અને દેશના લોકોમાં જાડા અનાજ પ્રત્યે જાગૃતિ પણ વધારવાની છે. અને સાથીઓ, તમે તો સારી રીતે જાણો છો, જાડા અનાજ, ખેડૂતો માટે પણ ફાયદારૂપ છે અને તે પણ ખાસ કરીને નાના ખેડૂતોને. વાસ્તવમાં, ખૂબ જ ઓછા સમયમાં પાક તૈયાર થઈ જાય છે અને તેમાં વધુ પાણીની આવશ્યકતા પણ નથી હોતી. આપણા નાના ખેડૂતો માટે તો જાડાં અનાજ વિશેષ રીતે લાભકારી છે. જાડા અનાજના ભૂસાને સારો ચારો પણ માનવામાં આવે છે. આજકાલ, યુવાન પેઢી હેલ્ધી લિવિંગ અને ઇટિંગ પર ખૂબ જ ધ્યાન આપે છે. આ હિસાબે જોઈએ તો પણ જાડા અનાજમાં ભરપૂર પ્રૉટિન, ફાઇબર અને ખનીજ ત્તત્વો હાજર હોય છે. અનેક લોકો તો તેને સુપર ફૂડ પણ કહે છે. જાડાં અનાજથી એક નહીં, અનેકલાભ છે.સ્થૂળતાને ઓછી કરવાની સાથે જ ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને હૃદયસંબંધિત રોગોનાં જોખમોને પણ ઓછું કરે છે. તેની સાથે જ તે પેટ અને લીવરની બીમારીઓથી બચાવમાં પણ મદદગાર છે. થોડા વખત પહેલાં જ આપણે કુપોષણ વિશે વાત કરી.કુપોષણ સામે લડવામાં પણ જાડાં અનાજ ઘણાં લાભદાયક છે કારણકે તે પ્રૉટીન સાથે-સાથે ઊર્જાથી પણ ભરેલાં હોય છે. દેશમાં આજે જાડાં અનાજને ઉત્તેજન આપવા માટે ઘણું બધું કરવામાં આવે છે. તેની સાથે જોડાયેલ સંશોધન અને નવીન શોધ પર ધ્યાન આપવાની સાથે જ એફપીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે, જેથી ઉત્પાદન વધારી શકાય. મારો, મારા ખેડૂત ભાઈ-બહેનોને એ જ અનુરોધ છે કે જાડાં અનાજને અધિકમાં અધિક અપનાવો અને તેનો ફાયદો ઉઠાવો. મને એ જોઈને ઘણું સારું લાગે છે કે આજે અનેક એવાં સ્ટાર્ટ અપ ઉભરી રહ્યાં છે જે જાડાં અનાજ પર કામ કરી રહ્યાં છે. તેમાંનાં કેટલાક મિલેટ કૂકીઝ બનાવી રહ્યા છે, તો કેટલાંક મિલેટ પૅન કેક્સ અને ડોસા પણ બનાવી રહ્યાં છે. તો કેટલાંક એવાં છે જે મિલેટ એનર્જી બાર્સ અને મિલેટ બ્રૅકફાસ્ટ તૈયાર કરી રહ્યાં છે. હું આ ક્ષેત્રમાં કામ કરતા બધા લોકોને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. તહેવારોની આ ઋતુમાં આપણે લોકો ઘણા બધાં પકવાનોમાં પણ જાડાં અનાજનો ઉપયોગ કરીએ છીએ. તમે તમારાં ઘરોમાં બનતાં આવાં પકવાનોની તસવીરો સૉશિયલ મિડિયા પર જરૂર શૅર કરો, જેથી લોકોમાં જાડાં અનાજ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં કેટલાક દિવસો પહેલાં, મેં અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં જોરસિંગ ગામના એક સમાચાર જોયા. આ સમાચાર એક એવા પરિવર્તન વિશે હતા, જેની ઈંતેજારી, આ ગામના લોકોને અનેક વર્ષોથી હતી. હકીકતે, જોરસિંગ ગામમાં આ મહિને જ, સ્વતંત્રતા દિવસનાં દિનથીફોર-જી ઇન્ટરનેટ સેવાઓ શરૂ થઈ ગઈ છે.
જેવી રીતે, પહેલાં ક્યારેક ગામમાં વીજળી પહોંચતી તો લોકો ખુશ થતા હતા, હવે નવા ભારતમાં આવી જ ખુશી ફોર-જી પહોંચવાથી થાય છે. અરુણાચલ અને ઈશાન ભારતના દૂર-સુદૂર વિસ્તારોમાં ફોર-જીના રૂપમાં એક નવો સૂર્યોદય થયો છે, ઇન્ટરનેટ જોડાણ એક નવું પ્રભાત લાવ્યું છે. જે સુવિધાઓ ક્યારેક માત્ર મોટાં શહેરોમાં જ મળતી હતી, તે ડિજિટલ ઇન્ડિયાએ ગામેગામ પહોંચાડી દીધી છે. આ કારણથી દેશમાં નવા ડિજિટલ સાહસિકો પેદા થઈ રહ્યા છે.
રાજસ્થાનના અજમેર જિલ્લાના સેઠાસિંહ રાવતજી ‘દરજી ઑનલાઇન’ નામનો ઇ-સ્ટૉર ચલાવે છે. તમે વિચારતા હશો કે આ તે વળી કેવું કામ ? દરજી ઑનલાઇન? વાસ્તવમાં, સેઠાસિંહ રાવત કૉવિડ પહેલાં દરજીનું કામ કરતા હતા. કૉવિડ આવ્યું તો રાવતજીએ આ પડકારને આફત નહીં, પરંતુ અવસરના રૂપમાં લીધો. તેમણે ‘કૉમન સર્વિસ સેન્ટર’ અર્થાત્ CSC E Store જૉઇન કર્યો અને ઑનલાઇન કામકાજ શરૂ કર્યું. તેમણે જોયું કે ગ્રાહકો મોટી સંખ્યામાં માસ્કનો ઑર્ડર આપી રહ્યા છે. તેમણે કેટલીક મહિલાઓને કામ પર રાખી અને માસ્ક બનાવવા લાગ્યા. તે પછી તેમણે ‘દરજી ઑનલાઇન’ નામથી પોતાનો ઑનલાઇન સ્ટૉર શરૂ કર્યો જેમાં બીજાં પણ અનેક પ્રકારનાં કપડાં તેઓ બનાવીને વેચવા લાગ્યા. આજે ડિજિટલ ઇન્ડિયાની તાકાતથી સેઠાસિંહજીનું કામ એટલું વધી ચૂક્યું છે કે હવે તેમને પૂરા દેશમાંથી ઑર્ડર મળે છે. સેંકડો મહિલાઓને તેમણે પોતાને ત્યાં આજીવિકા આપી છે. ડિજિટલ ઇન્ડિયાએ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રહેતા ઓમપ્રકાશસિંહજીને પણ ડિજિટલ સાહસિક બનાવી દીધા છે. તેમણે પોતાના ગામમાં એક હજારથી વધુ બ્રૉડબેન્ડ જોડાણ સ્થાપિત કર્યાં છે. ઓમપ્રકાશજીએ પોતાના કૉમન સર્વિસ સેન્ટરની આસપાસ નિ:શુલ્ક વાઇફાઇ ઝૉનનું પણ નિર્માણ કર્યું છે જેથી જરૂરિયાતવાળા લોકોને ઘણી મદદ મળે છે. ઓમપ્રકાશજીનું કામ હવે એટલું વધી ગયું છે કે તેમણે 20થી વધુ લોકોને નોકરી પર રાખી લીધા છે. આ લોકો, ગામડાંઓની શાળાઓ, હૉસ્પિટલો, તાલુકા કચેરીઓ અને આંગણવાડી કેન્દ્રો સુધી બ્રૉડબૅન્ડ કનેક્શન પહોંચાડી રહ્યા છે અને તેનાથી આજીવિકા પણ પ્રાપ્ત કરી રહ્યા છે. કૉમન સર્વિસ સેન્ટરની જેમ જ ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ એટલે કે GEM પૉર્ટલ પર પણ આવી અનેક સફળ ગાથાઓ જોવા મળી રહી છે.
સાથીઓ, મને ગામડાંઓમાંથી એવા અનેક સંદેશાઓ મળે છે જે ઇન્ટરનેટના કારણે આવેલાં પરિવર્તનો વિશે મને જણાવે છે. ઇન્ટરનેટે આપણા યુવા સાથીઓના અભ્યાસ અને શીખવાની રીતોને જ બદલી નાખી છે. જેમ કે, ઉત્તર પ્રદેશની ગુડિયાસિંહ જ્યારે ઉન્નાવના અમોઇયા ગામમાં પોતાના સાસરે આવી તો તેમને પોતાના ભણતરની ચિંતા થઈ.પરંતુ ભારતનેટે તેમની આ ચિંતાનું સમાધાન કરી દીધું. ગુડિયાએ ઇન્ટરનેટ દ્વારા પોતાના અભ્યાસને આગળ વધાર્યો અને પોતાનો સ્નાતક અભ્યાસપણ પૂરો કર્યો. ગામેગામમાં આવાં અનેક જીવન ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી નવી શક્તિ મેળવી રહ્યા છે. તમે મને ગામડાંઓના ડિજિટલ સાહસ વિશે, વધુમાં વધુ લખીને મોકલો અને તેમની સફળ ગાથાઓને સૉશિયલ મિડિયા પર પણ જણાવો.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક સમય પહેલાં, મને હિમાચલ પ્રદેશથી ‘મન કી બાત’ના એક શ્રોતા રમેશજીનો પત્ર મળ્યો. રમેશજીએ પોતાના પત્રમાં પહાડોની અનેક ખૂબીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે પહાડીઓ પર લોકો ભલે દૂર-દૂર વસતા હોય, પરંતુ લોકોનાં હૈયાં ખૂબ જ નજીક હોય છે. ખરેખર, પહાડો પર રહેનારા લોકોના જીવનથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. પહાડોની જીવનશૈલી અને સંસ્કૃતિથી આપણને પહેલો પાઠ તો એ મળે છે કેઆપણે પરિસ્થિતિઓના દબાણમાં ન આવીએ તો સરળતાથી તેના પર વિજય પણ પ્રાપ્ત કરી શકીએ છીએ અને બીજું, આપણે સ્થાનિક સંસાધનોથી કેવી રીતે આત્મનિર્ભર બની શકીએ છીએ? જે પહેલી શિખામણનો ઉલ્લેખ મેં કર્યો, તેનું એક સુંદર ચિત્ર આ દિવસોમાં સ્પીતિ ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે. સ્પીતી એક જનજાતીય ક્ષેત્ર છે. ત્યાં, આ દિવસોમાં વટાણા તોડવાનું કામ ચાલે છે. પહાડી ખેતરો પર એ એક મહેનતભર્યું અને મુશ્કેલ કામ હોય છે. પરંતુ અહીં, ગામની મહિલાઓ એકઠી થઈને, એક સાથે મળીને, એકબીજાનાં ખેતરોમાંથી વટાણા તોડે છે. આ કામની સાથેસાથે મહિલાઓ સ્થાનિક ગીત ‘છપરા માઝી છપરા’ પણ ગાય છે. એટલે કે અહીં, પરસ્પર સહયોગ પણ લોકપરંપરાનો હિસ્સો છે. સ્પીતીમાં સ્થાનિક સંસાધનોના સદુપયોગનું પણ સુંદર ઉદાહરણ મળે છે. સ્પીતીમાં જે ખેડૂતો ગાય પાળે છે, તેના ગોબરને સૂકવીને કોથળામાં ભરીલે છે. જ્યારે શિયાળો આવે છે તો આ કોથળાઓને ગાયના રહેવાની જગ્યામાં, જેને ત્યાં ખૂડ કહે છે, તેમાં પાથરી દેવામાં આવે છે. હિમવર્ષાની વચ્ચે, આ કોથળા ગાયોને ઠંડીથી સુરક્ષા આપે છે. ઠંડી ચાલી જાય તે પછી આ ગોબર ખેતીમાં ખાતર તરીકે વપરાય છે.
અર્થાત્, પશુઓના મળમાંથી જ તેમની સુરક્ષા પણ થાય છે અને ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ પણ થાય છે. ખેતીનો પડતર ખર્ચ પણ ઓછો અને ખેતરમાં ઉપજ પણ વધુ. આથી તો આ ક્ષેત્ર, આ દિવસોમાં, પ્રાકૃતિક ખેતી માટે પણ એક પ્રેરણા બની રહ્યું છે.
સાથીઓ, આ પ્રકારના અનેક પ્રશંસનીય પ્રયાસો, આપણા એક બીજા પહાડી રાજ્ય, ઉત્તરાખંડમાં પણ જોવા મળે છે. ઉત્તરાખંડમાં અનેક પ્રકારની ઔષધિ અને વનસ્પતિઓ જોવા મળે છે. તે આપણા આરોગ્ય માટે ઘણી જ ફાયદારૂપ હોય છે. તેમાંથી એક ફળ છે – બેડુ. તેને હિમાલયન ફિગ નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફળમાં, ખનીજઅને વિટામીન ભરપૂર માત્રામાં મળે છે. લોકો, ફળના રૂપમાં તો તેનું સેવન કરે જ છે, સાથે જ અનેક બીમારીઓના ઉપચારમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ ફળની આ ખૂબીઓને જોઈને જ હવે બેડુના જ્યુસ, તેનાથી બનેલા જામ, ચટણી, અથાણાં અને તેને સૂકવીને તૈયાર કરવામાં આવતા સૂકા ફળને બજારમાં મૂકવામાં આવ્યાં છે. પિથૌરાગઢ પ્રશાસનની પહેલ અને સ્થાનિક લોકોના સહયોગથી બેડૂને બજાર સુધી અલગ-અલગ રૂપોમાં પહોંચાડવામાં સફળતા મળી છે. બેડૂને પહાડી અંજીરના નામથી બ્રાન્ડિંગ કરીને ઑનલાઇન માર્કેટમાં પણ ઉતારવામાં આવ્યું છે. તેનાથી ખેડૂતોને આવકનો નવો સ્રોત તો મળ્યો જ છે, સાથે જ બેડૂના ઔષધીય ગુણોના ફાયદા દૂર-દૂર સુધી પહોંચવા લાગ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આજે શરૂઆતમાં આપણે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ વિશે વાત કરી છે. સ્વતંત્રતા દિવસના મહાન પર્વની સાથોસાથ આવનારા દિવસોમાં અનેક પર્વ પણ આવનારા છે. હવે કેટલાક દિવસો પછી જ ભગવાન ગણેશજીની આરાધનાનું પર્વ ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થી, અર્થાત, ગણપતિ બપ્પાના આશીર્વાદનું પર્વ. ગણેશ ચતુર્થી પહેલા ઓણમનું પર્વ પણ શરૂ થઈ રહ્યું છે. વિશેષ રીતે કેરળમાં ઓણમ શાંતિ અને સમૃદ્ધિની ભાવના સાથે મનાવવામાં આવશે. 30 ઑગસ્ટે હરતાલિકા ત્રીજ પણ છે. ઓડિશામાં 1 સપ્ટેમ્બરે નુઆખાઈનું પર્વ પણ મનાવવામાં આવશે.નુઆખાઈનો અર્થ થાય છે, નવું ખાણું, અર્થાત્, તે પણ બીજા પર્વોની જેમ જ, આપણી કૃષિ પરંપરા સાથે જોડાયેલો તહેવાર છે. દરમિયાનમાં જ, જૈન સમાજનો સંવત્સરી પર્વ પણ આવશે. આપણા આ બધા પર્વો, આપણી સાંસ્કૃતિક સમૃદ્ધિ અને જીવંતતાનો પર્યાય છે. હું, તમને સહુને, આ તહેવારો અને વિશેષ અવસરો માટે શુભકામનાઓ પાઠવુ છું. આપર્વોની સાથોસાથ કાલે ૨૯ ઑગસ્ટે, મેજર ધ્યાનચંદજીની જયંતી પર રાષ્ટ્રીય ખેલ દિવસ પણ મનાવવામાં આવશે. આપણા યુવા ખેલાડીઓ વૈશ્વિક મંચ પર આપણા તિરંગાની શાન વધારતા રહે, તે જ આપણી ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલી હશે. દેશ માટે આપણે બધા મળીને આવાં જ કામો કરતા રહીએ, દેશનું માન વધારતા રહીએ, આવી કામના સાથે હું મારી વાત સમાપ્ત કરું છું. આવતા મહિને, એક વાર ફરી, તમારી સાથે ‘મન કી બાત’ થશે. ખૂબ-ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’નો આ ૯૧મો હપ્તો છે. આપણે લોકોએ પહેલાં એટલી બધી વાતો કરી છે, અલગ-અલગ વિષયો પર પોતાની વાતો મૂકી છે, પરંતુ આ વખતની ‘મન કી બાત’ ખૂબ જ વિશેષ છે. તેનું કારણ છે, આ વખતનો સ્વતંત્રતા દિવસ, જ્યારે ભારત તેની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરાં કરશે. આપણે બધાં ખૂબ જ અદ્ભુત અને ઐતિહાસિક પળના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. ઈશ્વરે આપણને આ ખૂબ જ મોટું સૌભાગ્ય આપ્યું છે. તમે પણ વિચારો, જો ગુલામીના દૌરમાં જન્મ્યા હોત તો આ દિવસની કલ્પના આપણા માટે કેવી હોત? ગુલામીમાંથી મુક્તિની એ તડપ, પરાધીનતાની બેડીઓમાંથી સ્વતંત્રતાનો એ અજંપો – કેટલો મોટો રહ્યો હોત! તે દિવસો, જ્યારે આપણે, રોજેરોજ, લાખો દેશવાસીઓને સ્વતંત્રતા માટે લડતા, ઝઝૂમતા, બલિદાન આપતાં જોતા હોત. જ્યારે આપણે, રોજ સવારે એ સપના સાથે જાગી રહ્યા હોત કે મારું ભારત ક્યારે સ્વતંત્ર થશે અને બની શકે કે આપણા જીવનમાં તે પણ દિવસ આવત કે જ્યારે વંદેમાતરમ્ અને ભારત માતા કી જય બોલતાં-બોલતાં, આપણે આગામી પેઢીઓ માટે, પોતાનું જીવન સમર્પિત કરી દેત, જુવાની વ્યતિત કરી દેત.
સાથીઓ, ૩૧ જુલાઈ અર્થાત્ આજના જ દિવસે, આપણે બધાં દેશવાસીઓ, શહીદ ઉધમસિંહજીની શહીદીને નમન કરીએ છીએ. હું આવા અન્ય બધાં મહાન ક્રાંતિકારીઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું.
સાથીઓ, એ જોઈને મને ઘણો આનંદ થાય છે કે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એક જન આંદોલનનું રૂપ લઈ રહ્યો છે.
બધાં ક્ષેત્રો અને સમાજના પ્રત્યેક વર્ગના લોકો તેની સાથે જોડાયેલા અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ આ મહિનાની શરૂઆતમાં મેઘાલયમાં યોજાયો. મેઘાલયના બહાદુર યૌદ્ધા, યૂ. ટિરોતસિંહજીની પુણ્યતિથિએ લોકોએ તેમને યાદ કર્યા. ટિરોતસિંહજીએ ખાસી હિલ્સ (Khasi Hills) પર નિયંત્રણ કરવા અને ત્યાંની સંસ્કૃતિ પર પ્રહાર કરવાના અંગ્રેજોના ષડયંત્રનો પૂરજોશ વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઘણા બધા કલાકારોએ સુંદર પ્રસ્તુતિ કરી. ઇતિહાસને જીવંત કરી દીધો. તેમાં એક carnivalનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં મેઘાલયની મહાન સંસ્કૃતિને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી. આજથી કેટલાંક અઠવાડિયાં પહેલાં, કર્ણાટકમાં, અમૃત ભારતી કન્નાડાર્થી નામનું એક અભિયાન પણ ચલાવવામાં આવ્યું. તેમાં રાજ્યનાં ૭૫ સ્થાનો પર સ્વતંત્રતાના અમૃત મહોત્સવ સાથે જોડાયેલા મોટા ભવ્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા. તેમાં કર્ણાટકના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાની સાથે જ સ્થાનિક સાહિત્યિક ઉપલબ્ધિઓને પણ સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
સાથીઓ, આ જુલાઈમાં એક ઘણો જ રોચક પ્રયાસ થયો છે જેનું નામ છે- આઝાદીની રેલગાડી અને રેલવે સ્ટેશન. તે પ્રયાસનું લક્ષ્ય છે કે લોકો સ્વતંત્રતાની લડાઈમાં ભારતીય રેલવેની ભૂમિકા જાણે. દેશમાં અનેક એવાં રેલવે સ્ટેશનો છે, જે સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસ સાથે જોડાયેલાં છે. તમે પણ, આ રેલવે સ્ટેશનો વિશે જાણીને આશ્ચર્ય પામી જશો. ઝારખંડના ગોમો જંક્શનને, હવે સત્તાવાર રીતે, નેતાજી સુભાષચંદ્ર બોઝ જંક્શન ગોમોના નામથી ઓળખવામાં આવે છે. જાણો છો કેમ? વાસ્તવમાં, આ સ્ટેશન પર કાલકા મેલમાં સવાર થઈને નેતાજી સુભાષ બ્રિટિશ અધિકારીઓને થાપ આપવામાં સફળ રહ્યા હતા. તમે બધાંએ લખનઉ પાસે કાકોરી રેલવે મથકનું નામ પણ ચોક્કસ સાંભળ્યું હશે.
આ મથક સાથે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ ખાન જેવા જાંબાઝોનું નામ જોડાયેલું છે. ત્યાં ટ્રેનથી જઈ રહેલા અંગ્રેજોના ખજાનાને લૂટીને વીર ક્રાંતિકારીઓએ અંગ્રેજોને પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. તમે જ્યારે પણ તમિલનાડુના લોકો સાથે વાત કરશો, તો તમને થુથુકડી જિલ્લાના વાન્ચી મણિયાચ્ચી જંક્શન વિશે જાણવાનું મળશે. તે મથક તમિલ સ્વતંત્રતા સેનાની વાન્ચીનાથનજીના નામ પર છે. આ એ જ સ્થાન છે જ્યાં ૨૫ વર્ષના યુવાન વાન્ચીએ બ્રિટિશ કલેક્ટરને તેનાં દુષ્કૃત્યોની સજા આપી હતી.
સાથીઓ, આ સૂચિ ઘણી લાંબી છે. દેશભરનાં ૨૪ રાજ્યોમાં ફેલાયેલાં આવાં ૭૫ રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. આ ૭૫ સ્ટેશનોને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી રહ્યાં છે. તેમાં અનેક પ્રકારના કાર્યક્રમોને પણ આયોજિત કરવામાં આવી રહ્યા છે. તમારે પણ સમય કાઢીને તમારી પાસેના આવા ઐતિહાસિક સ્ટેશન પર અવશ્ય જવું જોઈએ. તમને, સ્વતંત્રતા આંદોલનના આવા ઇતિહાસ વિશે વિસ્તારથી જાણવા મળશે જેનાથી તમે અજાણ રહ્યા છો. હું આસપાસની શાળાના વિદ્યાર્થીઓને અનુરોધ કરીશ, શિક્ષકોને આગ્રહ કરીશ કે તમારી શાળાના નાનાં-નાનાં બાળકોને લઈને અવશ્ય સ્ટેશન પર જાવ અને પૂરો ઘટનાક્રમ તે બાળકોને સંભળાવો, સમજાવો.
મારા પ્રિય દેશવાસીઓ, સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત, ૧૩થી ૧૫ ઑગસ્ટ સુધી, એક special movement, ‘હર ઘર તિરંગા- હર ઘર તિરંગા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ movement નો ભાગ બનીને, ૧૩થી ૧૫ ઑગસ્ટ સુધી, તમે તમારા ઘર પર તિરંગો જરૂર ફરકાવો, અથવા તેને ઘર પર લગાવો. તિરંગો આપણને જોડે છે, આપણને દેશ માટે કંઈક કરવા માટે પ્રેરે છે. મારું એક સૂચન એવું પણ છે કે ૨ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ સુધી, આપણે બધાં, પોતાની સૉશિયલ મિડિયા પ્રૉફાઇલ પિક્ચર્સમાં તિરંગો લગાવી શકીએ છીએ.
શું તમે જાણો છો, ૨ ઑગસ્ટનો આપણા તિરંગા સાથે એક વિશેષ સંબંધ પણ છે? આ દિવસે પિંગલી વેંકૈયાજીની જયંતી આવે છે, જેમણે આપણા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન બનાવી હતી. હું તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. પોતાના રાષ્ટ્રીય ધ્વજ વિશે વાત કરતા હું, મહાન ક્રાંતિકારી મેડમ કામાને પણ યાદ કરીશ. તિરંગાને આકાર આપવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે.
સાથીઓ, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં થઈ રહેલા આ બધાં આયોજનોનો સૌથી મોટો સંદેશ એ જ છે કે આપણે બધા દેશવાસીઓ પોતાના કર્તવ્યનું પૂરી નિષ્ઠાથી પાલન કરીએ. ત્યારે જ આપણે આ અગણિત સ્વતંત્રતા સેનાનીઓનું સપનું પૂરું કરી શકીશું. તેમનાં સપનાંનું ભારત બનાવી શકીશું. આથી આપણાં આગામી ૨૫ વર્ષનો આ અમૃતકાળ પ્રત્યેક દેશવાસી માટે, કર્તવ્યકાળની જેમ છે. દેશને સ્વતંત્ર કરાવવા, આપણા વીર સેનાની, આપણને આ ઉત્તરદાયિત્વ આપીને ગયા છે અને આપણે તેને પૂરી રીતે નિભાવવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વિરુદ્ધ આપણી દેશવાસીઓની લડાઈ હજુ ચાલુ છે. સમગ્ર દુનિયા આજે ઝઝૂમી રહી છે. સર્વાંગીણ આરોગ્યકાળજીમાં લોકોની વધતી રૂચિએ તેમાં બધાની ખૂબ જ મદદ કરી છે. આપણે બધાં જાણીએ છીએ કે તેમાં ભારતીય પારંપરિક પદ્ધતિઓ કેટલી ઉપયોગી છે. કોરોના વિરુદ્ધ લડાઈમાં, આયુષે તો, વૈશ્વિક સ્તર પર મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. વિશ્વભરમાં આયુર્વેદ અને ભારતીય ઔષધિઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. તે એક મોટું કારણ છે કે જેના લીધે આયુષ નિકાસમાં વિક્રમી તેજી આવી છે અને તે પણ ઘણું સુખદ છે કે આ ક્ષેત્રમાં અનેક નવાં સ્ટાર્ટ અપ પણ સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ, એક ગ્લૉબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ અને ઇનૉવેશન સમિટ બેઠક થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે તેમાં લગભગ દસ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણ પ્રસ્તાવો મળ્યા છે.
એક બીજી મહત્ત્વની વાત એ થઈ કે કોરોના કાળમાં, ઔષધીય વનસ્પતિ પર સંશોધનમાં પણ ઘણી વૃદ્ધિ થઈ છે. આ વિશે ઘણા બધા સંશોધન અભ્યાસ પ્રકાશિત થઈ રહ્યા છે. નિશ્ચિત રૂપે, આ એક સારી શરૂઆત છે.
સાથીઓ, દેશમાં વિભિન્ન પ્રકારના ઔષધીયો છોડ અને જડીબુટ્ટીઓ વિશે એક બીજો સારો પ્રયાસ થયો છે. હમણાં જ જુલાઈ મહિનામાં જ, Indian Virtual Herbarium ને શરૂ કરવામાં આવ્યું હતું. આ એ વાતનું ઉદાહરણ છે કે આપણે ડિજિટલ વિશ્વનો ઉપયોગ પોતાનાં મૂળ સાથે જોડાવવામાં કઈ રીતે કરી શકીએ છીએ. Indian Virtual Herbarium સંરક્ષિત છોડ કે છોડના ભાગની ડિજિટલ તસવીરોનો એક રોચક સંગ્રહ છે, જે વેબ પર નિઃશુલ્ક પ્રાપ્ય છે. આ virtual herbarium પર અત્યારે લાખથી વધુ છોડના પ્રકારો અને તેની સાથે જોડાયેલી વૈજ્ઞાનિક માહિતી ઉપલબ્ધ છે. Virtual Herbarium માં ભારતની વાનસ્પતિક વિવિધતાની એક સમૃદ્ધ તસવીર પણ જોવા મળે છે. મને વિશ્વાસ છે કે Indian Virtual Herbarium ભારતીય વનસ્પતિઓ પર સંશોધન માટે એક મહત્ત્વનો સ્રોત બનશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે દર વખતે દેશવાસીઓની એવી સફળતાની ચર્ચા કરીએ છીએ જે આપણા ચહેરા પર મધુર સ્મિત આણે છે. જો કોઈ સફળતાની વાત, મધુર સ્મિત લાવે, અને સ્વાદમાં પણ મીઠાશ ભરે તો તમે તેને જરૂર સોનામાં સુગંધ કહેશો. આપણા ખેડૂતો આ દિવસોમાં મધના ઉત્પાદનમાં આવી જ કમાલ કરી રહ્યા છે. મધની મીઠાશ આપણા ખેડૂતોનું જીવન પણ બદલી રહી છે, તેમની આવક પણ વધી રહી છે. હરિયાણામાં, યમુનાનગરમાં, એક મધમાખીપાલક સાથી રહે છે – સુભાષ કંબોજજી. સુભાષજીએ વૈજ્ઞાનિક રીતે મધમાખીપાલનનું પ્રશિક્ષણ લીધું.
તે પછી તેમણે ફક્તછ બૉક્સ સાથે પોતાનું કામ શરૂ કર્યું. આજે તેઓ લગભગ બે હજાર બૉક્સમાં મધમાખીપાલન કરી રહ્યા છે. તેમનું મધ અનેક રાજ્યોમાં સપ્લાય થાય છે. જમ્મુના પલ્લી ગામમાં વિનોદકુમારજી પણ દોઢ હજારથી વધુ કૉલોનીઓમાં મધમાખીપાલન કરી રહ્યા છે. તેમણે ગયા વર્ષે, રાની માખી પાલનનું પ્રશિક્ષણ લીધું છે. આ કામથી, તેઓ વર્ષે ૧૫થી ૨૦ લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. કર્ણાટકના ખેડૂત છે, મધુકેશ્વર હેગડેજી. મધુકેશ્વરજીએ કહ્યું કે તેમણે ભારત સરકાર પાસે ૫૦ મધમાખી કૉલોનીઓ માટે સબસિડી લીધી હતી. આજે તેમની પાસે ૮૦૦થી વધુ કૉલોનીઓ છે અને તેઓ અનેક ટન મધ વેચે છે. તેમણે પોતાના કામમાં નવાચાર કર્યું, અને તેઓ જાંબુ મધ, તુલસી મધ, આમળા મધ, જેવાં વાનસ્પતિક મધ પણ બનાવી રહ્યા છે. મધુકેશ્વરજી, મધુ ઉત્પાદનમાં તમારા નવાચાર અને સફળતા, તમારા નામને સાર્થક કરે છે.
સાથીઓ, તમે બધાં જાણો છો કે, આપણા પારંપરિક સ્વાસ્થ્ય વિજ્ઞાનમાં મધને કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આયુર્વેદ ગ્રંથોમાં તો, મધને અમૃત કહેવાયું છે. મધ ન કેવળ આપણને સ્વાદ આપે છે, પરંતુ આરોગ્ય પણ આપે છે. મધ ઉત્પાદનમાં, આજે એટલી બધી સંભાવનાઓ છે કે વ્યાવસાયિક અભ્યાસ કરનારા યુવાનો પણ તેને પોતાની આજીવિકા બનાવી રહ્યા છે. આવા જ એક યુવાન છે- ઉત્તર પ્રદેશના ગોરખપુરના નિમિતસિંહ. નિમિતજીએ બી. ટૅક. કર્યું છે. તેમના પિતા પણ ડૉક્ટર છે, પરંતુ અભ્યાસ પછી નોકરીની જગ્યાએ તેમણે સ્વરોજગારનો નિર્ણય કર્યો. તેમણે મધ ઉત્પાદનનું કામ શરૂ કર્યું. ગુણવત્તા તપાસ માટે લખનઉમાં પોતાની એક પ્રયોગશાળા પણ બનાવી. નિમિતજી હવે મધ અને બી વૅક્સથી સારી એવી કમાણી કરી રહ્યા છે અને અલગ-અલગ રાજ્યોમાં જઈને ખેડૂતોને પ્રશિક્ષિત પણ કરી રહ્યા છે.
આવા યુવાનોની મહેનતથી જ આજે દેશ આટલો મોટો મધ ઉત્પાદક બની રહ્યો છે. તમને જાણીને આનંદ થશે કે દેશની મધ નિકાસ પણ વધી ગઈ છે. દેશે રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન જેવાં અભિયાનો ચલાવ્યાં, ખેડૂતોએ પૂરો પરિશ્રમ કર્યો, અને આપણા મધની મીઠાશ, દુનિયા સુધી પહોંચવા લાગી. હવે આ ક્ષેત્રમાં બીજી પણ મોટી સંભાવનાઓ રહેલી છે. હું ઈચ્છીશ કે આપણા યુવાનો આ અવસરો સાથે જોડાઈને તેનો લાભ લે અને નવી સંભાવનાઓને સાકાર કરે.
મારા પ્રિય દેશવાસીઓ, મને હિમાચલ પ્રદેશથી ‘મન કી બાત’ના એક શ્રોતા આશીષ બહલજીનો એક પત્ર મળ્યો છે. તેમણે પોતાના પત્રમાં ચંબાના ‘મિંજર મેળા’નો ઉલ્લેખ કર્યો છે. વાસ્તવમાં, મિંજર મકાઈનાં ફૂલોને કહે છે. જ્યારે મકાઈમાં માંજર આવે છે, તો મિંજર મેળો યોજવામાં આવે છે અને આ મેળામાં, દેશભરના પર્યટકો, દૂર-દૂરથી ભાગ લેવા આવે છે. સંયોગથી મિંજર મેળો આ સમયે ચાલી પણ રહ્યો છે. જો તમે હિમાચલ પ્રદેશ ફરવા ગયા હો તો આ મેળાને જોવા ચંબા જઈ શકો છો. ચંબા તો એટલું સુંદર છે કે ત્યાંનાં લોકગીતોમાં વારંવાર કહેવાય છે-
‘ચંબે ઇક દિન ઓણા કને મહીના રૈણા’.
અર્થાત્ જે લોકો એક દિવસ માટે ચંબા આવે છે, તેઓ ત્યાંની સુંદરતા જોઈને મહિના સુધી ત્યાં રોકાઈ જાય છે.
સાથીઓ, આપણા દેશમાં મેળાનું પણ ઘણું સાંસ્કૃતિક મહત્ત્વ છે. મેળો, જન-મન બંનેને જોડે છે. હિમાચલમાં વર્ષા પછી જ્યારે ખરીફનો પાક પાકે છે, ત્યારે સપ્ટેમ્બરમાં, શિમલા, મંડી, કુલ્લૂ અને સોલનમાં સૈરી અથવા સૈર પણ ઉજવવામાં આવે છે. સપ્ટેમ્બરમાં જ જાગરા પણ આવનાર છે. જાગરાના મેળાઓમાં મહાસૂ દેવતાનું આહ્વાહન કરીને બીસૂ ગીત ગાવામાં આવે છે. મહાસૂ દેવતાનું આ જાગર હિમાચલમાં શિમલા, કિન્નૌર અને સિરમૌર સાથે-સાથે ઉત્તરાખંડમાં પણ થાય છે.
સાથીઓ, આપણા દેશમાં અલગ-અલગ રાજ્યોમાં આદિવાસી સમાજમાં પણ અનેક પારંપરિક મેળાઓ થાય છે. તેમાંથી કેટલાક મેળા આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, તો કેટલાકનું આયોજન, આદિવાસી ઇતિહાસ અને વારસા સાથે જોડાયેલું છે, જેમ કે, જો તમને તક મળે તો તેલંગાણાના મેડારમનો ચાર દિવસનો સમક્કા-સરલમ્મા જાતરા મેળો જોવા જરૂર જજો. આ મેળાને તેલંગાણાનો મહાકુંભ કહેવાય છે. સરલમ્મા જાતરા મેળો, બે આદિવાસી મહિલા નાયિકાઓ, સમક્કા અને સરલમ્માના સન્માનમાં યોજવામાં આવે છે. તે તેલંગાણા જ નહીં, પરંતુ છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કોયા આદિવાસી સમુદાય માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. આંધ્ર પ્રદેશમાં મારીદમ્માનો મેળો પણ આદિવાસી સમાજની માન્યતાઓ સાથે જોડાયેલો મોટો મેળો છે. મારીદમ્માનો મેળો જેઠ અમાસથી અષાઢ અમાસ સુધી ચાલે છે અને અહીંનો આદિવાસી સમાજ તેને શક્તિ ઉપાસના સાથે જોડે છે. અહીં, પૂર્વી ગોદાવરીના પેદ્ધાપુરમ્માં, મરીદમ્મા મંદિર પણ છે. આ રીતે રાજસ્થાનમાં ગરાસિયા જનજાતિના લોકો વૈશાખ શુક્લ ચતુર્દશીના દિને ‘સિયાવા કા મેલા’, અથવા ‘મનખાં રો મેલા’નું આયોજન કરે છે.
છત્તીસગઢમાં બસ્તરના નારાયણપુરનો ‘માવલી મેળો’ પણ ખૂબ જ વિશેષ હોય છે. પાસે જ, મધ્ય પ્રદેશનો ‘ભગોરિયો મેળો’ પણ ઘણો પ્રસિદ્ધ છે. કહે છે કે, ભગોરિયા મેળાની શરૂઆત, રાજા ભોજના સમયમાં થઈ છે. ત્યારે ભીલ રાજા કાસૂમરા અને બાલૂને પોત-પોતાની રાજધાનીમાં પહેલી વાર આ મેળા યોજ્યા હતા. ત્યારથી આજ સુધી, આ મેળા, એટલા જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ જ રીતે, ગુજરાતમાં તરણેતર અને માધવપુર જેવા અનેક મેળા ઘણા પ્રખ્યાત છે.
મેળા, પોતાની રીતે, આપણા સમાજ, જીવનની ઊર્જાનો બહુ મોટો સ્રોત હોય છે. તમારી આસપાસ પણ આવા અનેક મેળા થતા હશે. આધુનિક સમયમાં સમાજની આ જૂની કડીઓ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવા માટે ખૂબ જ આવશ્યક છે. આપણા યુવાનોએ તેની સાથે અવશ્ય જોડાવું જોઈએ અને તમે જ્યારે પણ આ મેળાઓમાં જાવ, તો ત્યાંની તસવીરો સૉશિયલ મિડિયા પર પણ મૂકો. તમે ઈચ્છો તો કોઈ ખાસ હેશટેગનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી આ મેળાઓ વિશે બીજા લોકો પણ જાણશે. તમે સાંસ્કૃતિક મંત્રાલયની વેબસાઇટ પર પણ તસવીરો અપલૉડ કરી શકો છો. આગામી કેટલાક દિવસમાં સાંસ્કૃતિક મંત્રાલય એક સ્પર્ધા શરૂ કરવા જઈ રહ્યું છે, જ્યાં મેળાની સૌથી સારી તસવીર મોકલનારને પુરસ્કાર પણ આપવામાં આવશે. તો પછી વાર ન લગાડો. મેળામાં ફરો, તેની તસવીરો મૂકો અને બની શકે કે તમને પણ પુરસ્કાર મળી જાય.
મારા પ્રિય દેશવાસીઓ, તમને ધ્યાનમાં હશે કે ‘મન કી બાત’ના એક હપ્તામાં મેં કહ્યું હતું કે ભારત પાસે રમકડાં નિકાસનું powerhouse બનવાની પૂરી ક્ષમતા છે. મેં રમતગમતમાં ભારતના સમૃદ્ધ વારસાની વિશેષ રીતે ચર્ચા કરી હતી. ભારતના સ્થાનિક રમકડાં, પરંપરા અને પ્રકૃતિ બંને ને અનુરૂપ હોય છે. પર્યાવરણને અનુકૂળ હોય છે. હું આજે તમારી સાથે ભારતીય રમકડાંઓની સફળતા જણાવવા માગું છું. આપણા યુવાનો, સ્ટાર્ટ અપ અને સાહસિકોના જોર પર આપણા રમકડા ઉદ્યોગે જે કરી દેખાડ્યું છે, જે સફળતા પ્રાપ્ત કરી છે, તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આજે જ્યારે ભારતીય રમકડાંની વાત થાય છે તો, બધી બાજુ વૉકલ ફૉર લૉકલનો જ પડઘો સંભળાય છે. તમને એ જાણીને પણ સારું લાગશે કે ભારતમાં હવે, વિદેશથી આવતાં રમકડાંની સંખ્યા સતત ઘટી રહી છે.
પહેલાં ત્રણ હજાર કરોડ રૂપિયા થી પણ વધુ નાં રમકડાં બહારથી આવતાં હતાં, ત્યારે આજે તેની આયાત ૭૦ ટકા સુધી ઘટી ગઈ છે અને આનંદની વાત એ છે કે આ દરમિયાન ભારતે બે હજાર છસ્સો કરોડ રૂપિયાથી વધુનાં રમકડાંની વિદેશોમાં નિકાસ કરી છે. જ્યારે, પહેલાં ૩૦૦-૪૦૦ કરોડ રૂપિયાનાં રમકડાં જ ભારતથી બહાર જતાં હતાં અને તમે જાણો જ છો કે આ બધું, કોરોનાકાળમાં થયું છે. ભારતના રમકડાં ઉદ્યોગે પોતાનામાં પરિવર્તન લાવીને દેખાડ્યું છે. ભારતીય ઉત્પાદકો હવે ભારતની પૌરાણિક કથાઓ, ઇતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત રમકડાં બનાવી રહ્યા છે. દેશમાં ઠેક-ઠેકાણે રમકડાંના જે સમૂહ છે, રમકડાં બનાવનારા જે નાના-નાના સાહસિકો છે, તેમને તેનો બહુ મોટો લાભ મળી રહ્યો છે. આ નાના સાહસિકોનાં બનાવેલાં રમકડાં, હવે દુનિયાભરમાં જઈ રહ્યાં છે. ભારતના રમકડાં નિર્માતા, વિશ્વની અગ્રણીglobal toy brands સાથે મળીને પણ કામ કરી રહ્યા છે. મને એ પણ ખૂબ જ સારું લાગ્યું કે, આપણું સ્ટાર્ટ અપ ક્ષેત્ર પણ રમકડાંની દુનિયા પર પૂરું ધ્યાન આપી રહ્યું છે. તેઓ આ ક્ષેત્રમાં અનેક મજાની ચીજો પણ કરી રહ્યા છે. બેંગલુરુમાં, શૂમી ટૉયઝ નામનું સ્ટાર્ટ અપ પર્યાવરણને અનુકૂળ રમકડાં પર ધ્યાન આપી રહ્યું છે. ગુજરાતમાં આર્કિડઝૂ કંપની એઆર આધારિત ફ્લેશ કાર્ડ અને એઆર આધારિત સ્ટૉરી બુક બનાવી રહી છે. પૂણેની કંપની, ફન્વેન્શન લર્નિંગ, રમકડાં અને એક્ટિવિટી પઝલ્સ દ્વારા વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી તેમજ ગણિતમાં બાળકોનો રસ વધારવામાં લાગેલી છે. હું રમકડાંની દુનિયામાં કામ કરી રહેલા આવા બધા ઉત્પાદકોને, સ્ટાર્ટ અપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવો, આપણે બધાં મળીને, ભારતીય રમકડાંઓને, દુનિયાભરમાં હજુ વધુ લોકપ્રિય બનાવીએ.
તેની સાથે જ, હું વાલીઓને પણ અનુરોધ કરીશ કે તેઓ વધુમાં વધુ ભારતીય રમકડાંઓ, પઝલ્સ અને રમતો ખરીદે.
સાથીઓ, વર્ગખંડ હોય કે રમતનું મેદાન, આજે આપણા યુવાનો, દરેક ક્ષેત્રમાં, દેશને ગૌરવાન્વિત કરી રહ્યા છે. આ મહિને, પી. વી. સિંધુએ સિંગાપુર ઑપનનો પોતાનો પહેલો ખિતાબ જીત્યો છે. નીરજ ચોપરાએ પણ પોતાનું સારું પ્રદર્શન ચાલુ રાખતાં, વર્લ્ડ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દેશ માટે રજત ચંદ્રક જીત્યો છે. આયર્લેન્ડ પેરા બૅડમિન્ટન ઇન્ટરનેશનલમાં પણ આપણા ખેલાડીઓએ ૧૧ ચંદ્રક જીતીને દેશનું માન વધાર્યું છે. રોમમાં થયેલી વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પણ ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આપણા એથલેટ સૂરજે તો Greco-Roman ઇવન્ટમાં કમાલ જ કરી બતાવી. તેમણે ૩૨ વર્ષના લાંબા અંતરાલ પછી આ ઇવેન્ટમાં રેસલિંગનો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ખેલાડીઓ માટે તો આ પૂરો મહિનો જ પ્રવૃત્તિઓથી ભરપૂર રહ્યો છે. ચેન્નાઈમાં ૪૪મી ચેસ ઑલમ્પિયાડની યજમાની કરવી ભારત માટે ઘણા જ સન્માનની વાત છે. ૨૮ જુલાઈએ જ આ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો અને મને તેના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું. તે દિવસે યુકેમાં રાષ્ટ્રમંડળ રમતોની પણ શરૂઆત થઈ. યુવાન જોશથી ભરપૂર ભારતીય ટુકડી ત્યાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. હું બધા ખેલાડીઓ અને એથ્લેટને દેશવાસીઓ તરફથી શુભકામના પાઠવું છું. મને એ વાતનો પણ આનંદ છે કે ભારત ફિફા અંડર -૧૭ વીમેન્સ વર્લ્ડ કપની પણ યજમાની કરવા જઈ રહ્યું છે. આ સ્પર્ધા ઑક્ટોબર આસપાસ યોજાશે, જે રમતો પ્રત્યે દેશની દીકરીઓનો ઉત્સાહ વધારશે.
સાથીઓ, કેટલાક દિવસો પહેલાં જ, દેશભરમાં દસમા અને બારમા ધોરણનાં પરિણામો પણ જાહેર થયાં છે. હું એ બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું જેમણે પોતાના કઠિન પરિશ્રમ અને લગનથી સફળતા પ્રાપ્ત કરી છે. રોગચાળાના કારણે, ગત બે વર્ષ, ઘણાં પડકારરૂપ રહ્યાં છે. આ પરિસ્થિતિઓમાં પણ આપણા યુવાનોએ જે સાહસ અને સંયમનો પરિચય આપ્યો, તે ખૂબ જ પ્રશંસનીય છે. હું બધાના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પર, દેશની યાત્રા સાથે, આપણી ચર્ચા શરૂ કરી હતી. આવતા વખતે, જ્યારે આપણે મળીશું તો આપણા આગામી ૨૫ વર્ષની યાત્રા પણ શરૂ થઈ ગઈ હશે. પોતાના ઘર અને સ્વજનોનાં ઘર પર, આપણો પ્રિય તિરંગો ફરકે, તે માટે આપણે બધાંએ જોડાવાનું છે. તમે આ વખતે સ્વતંત્રતા દિવસ કેવી રીતે મનાવ્યો, શું વિશેષ કર્યું, તે પણ મને જરૂર જણાવજો. આવતા વખતે, આપણે, આપણા આ અમૃતપર્વના અલગ-અલગ રંગો પર ફરીથી વાત કરીશું, ત્યાં સુધી મને આજ્ઞા આપજો. ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાશિયો, નમસ્કાર. ‘મન કી બાત’ માટે મને તમારા બધાના ખૂબ પત્રો મળ્યા છે, social media અને NaMoAppપર પણ ઘણાં બધાં સંદેશ મળ્યા છે, આ માટે હું આપ સૌનૌ આભારી છું.
આ કાર્યક્રમ માટે આપણાં સૌનાં પ્રયત્નો હોય છે કે આપણે એકબીજાનાં પ્રેરણાત્મક પ્રયાસોની ચર્ચાવિચારણા કરીએ, જન-આંદોલનથી પરિવર્તનની ગાથા, પૂરા દેશને જણાવીએ.
આ જ કડીમાં હું આજે તમારી સાથે, દેશનાં એક એવાં જન-આંદોલનની ચર્ચા કરવાં માગું છું જેનું દેશનાં દરેક નાગરિકનાં જીવનમાં ખૂબ મહત્વ છે. પરંતુ એ પહેલાં હું આજની પેઢીનાં નવયુવાનોને, 24-25 વર્ષનાં યુવાનોને, એક સવાલ પૂછવા માંગુ છું અને સવાલ ખૂબ ગંભીર છે, અને મારાં સવાલ પર જરૂરથી વિચાર કરજો. શું તમને ખબર છે કે, તમારાં માતા-પિતા જ્યારે તમારી ઉંમરનાં હતા ત્યારે એક વખત તેમની પાસેથી પણ જીવનનો અધિકાર લઇ લેવામાં આવ્યો હતો! તમે વિચારી રહ્યાં હશો કે, આવું કેવી રીતે થઇ શકે?
આ તો અશક્ય છે. પરંતુ મારા નવયુવાન સાથિયો, આપણાં દેશમાં એકવખત આવું થયું હતું. વર્ષો પહેલાં 1975 ની સાલની આ વાત છે. જૂનનો એ સમય હતો જ્યારે emergency લાગુ કરવામાં આવી હતી, કટોકટી લાદવામાં આ હતી. તેમાં, દેશનાં નાગરિકોનાં તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યાં હતાં. તેમાંથી એક અધિકાર, બંધારણનાં Article 21 અંતર્ગત તમામ ભારતીઓને ‘Right to Life and Personal Liberty’ પણ હતો. તે સમયે ભારતનાં લોકતંત્રને કચડી નાખવાનો પ્રયત્ન કરાયો હતો. દેશની અદાલતો, દરેક બંધારણિય સંસ્થા, પ્રેસ, તમામ પર નિયંત્રણ લાગુ કરવામાં આવ્યું હતું.
Censorship ની એવી સ્થિતિ હતી કે પરવાનગી વગર કંઇ પણ પ્રકાશિત કરી નહોતું શકાતું. મને યાદ છે કે, ત્યારે પ્રખ્યાત કિશોર કુમારે સરકારનાં વખાણ કરવાની ના પાડી ત્યારે તેમનાં પર બૈન લગાવવામાં આવ્યો હતો. રેડિયો પરથી તેમની entry કાઢી નાખવામાં આવી હતી. પરંતુ ઘણાં પ્રયત્નો, હજારો ધરપકડ, અને લાખો લોકો પર અત્યાચાર કરાયા પછી, ભારતનાં લોકોનો, લોકતંત્ર પરથી વિશ્વાસ તૂટ્યો નહીં, થોડો પણ નહીં. ભારતનાં આપણાં લોકોમાં, વર્ષોથી, જે લોકતંત્રનાં સંસ્કાર ચાલી રહ્યાં છે, જે લોકતાંત્રિક ભાવના આપણાં રગેરગમાં વહે છે અંતમાં તેનો જ વિજયી થયો.
ભારતનાં લોકોએ લોકતાંત્રિક રીતે emergency ને હટાવી, ફરીથી લોકતંત્રની સ્થાપના કરી. સરમુખત્યારશાહીની માનસિકતાને, સરમુખત્યારશાહીની વૃતિ-પ્રવૃતીને લોકતાંત્રિક પધ્ધતિથી પરાજીત કરવાનું આવું દૃષ્ટાંત સમગ્ર દુનિયામાં મળવું મુશ્કેલ છે. Emergency સમયે લોકતંત્રનાં એક સૈનિકનાં રૂપમાં મને પણ દેશવાસીઓનાં સંઘર્ષોનો, સાક્ષી બનવાનું, હિસ્સેદાર બનવાનું સૌભાગ્ય મળ્યું હતું.
આજે, જ્યારે દેશ આપણી આઝાદીનાં 75 વર્ષનો ઉત્સવ ઊજવી રહ્યું છે, અમૃત મહોત્સવ ઊજવી રહ્યું છે, ત્યારે કટોકટીનાં એ ભયાનક સમયને પણ આપણે ક્યારેય ભૂલવું ના જોઇએ. આવનારી પેઢીઓએ પણ એ ભૂલવું ના જોઇએ. અમૃત મહોત્સવ હજારો વર્ષોંની ગુલામીથી મુક્તિની વિજય ગાથા જ નહીં, પરંતુ આઝાદી પછીનાં 75 વર્ષોંની યાત્રાને પણ સમાવી છે. ઇતિહાસનાં દરેક મુખ્ય સમયમાંથી શીખતાં-શીખતાં જ આપણે આગળ વધી રહ્યાં છીએ.
મારાં પ્રિય દેશવાસીઓ, આપણમાંથી કદાચ જ કોઇ એવું છે કે,જેણે પોતાનાં જીવનમાં આકાશ સાથે જોડાયેલ કોઇ કલ્પના નહીં કરી હોય. બાળપણમાં દરેકને ચાંદ-તારાઓની વાર્તાઓ આકર્ષિત કરતી હોય છે. યુવાનો માટે આકાશ આંબવું એ પોતાનાં સપનાંઓને સાકાર કરવાનો પર્યાય છે. આજે આપણું ભારત જ્યારે આટલાં બધાં ક્ષેત્રોમાં સફળતાનાં આકાશનેસ્પર્શીરહ્યું છે, ત્યારે આકાશ અથવા અંતરિક્ષથી દૂર કેવી રીતે રહી શકે. વીતેલાં કેટલાંક સમયમાં આપણાં દેશમાં Space Sector સાથે જોડાયેલ કેટલાંય મોટાં-મોટાં કાર્યો થયાં છે.
દેશની આવી જ સિધ્ધીઓમાંથી એક છે In-Space નામની Agency નું નિર્માણ કાર્ય. એક એવી Agency, કે જે Space Sector માં, ભારતનાં Private Sectorમાટે નવી તકોને Promote કરી રહી છે. આ શરૂઆતે આપણાં દેશનાં યુવાનોને વિશેષ રીતે આકર્ષિત કર્યાં છે.
મને આ સંદર્ભે ઘણાં બધાં યુવા મિત્રોનાં સંદેશ મળ્યાં છે. થોડાંક દિવસ પહેલાં જ્યારે હું IN-Space નાં headquarter નાં લોકાર્પણ માટે ગયો હતો ત્યારે મેં કેટલાંય યુવા Start-Ups નાં Ideas અને ઉત્સાહને જોયાં. મેં તેમની સાથે ઘણાં સમય સુધી વાતો પણ કરી. તમે પણ જ્યારે એ વિશે જાણશો ત્યારે આશ્ચર્ય પામ્યા વગર રહી જ નહીં શકો, જેમ કે, SpaceStart-Ups ની સંખ્યા અને Speed ને જ લઇએ. આજથી થોડાંક વર્ષો પહેલાં સુધી આપણાં દેશમાં, SpaceSectorમાં, Start-Ups નાં વિષયમાં, કોઇ વિચાર માત્ર પણ નહોતું કરતું. આજે આ સંખ્યા સો થી પણ વધુ છે.
આ તમામ Start-Ups એવાં અદભુત વિચારો પર કામ કરી રહ્યાં છે કે જેનાં વિશે પહેલાં કાંતો વિચારાતું પણ નહોતું અથવા તો PrivateSector માટેઅશક્ય માનવામાં આવતું હતું. ઉદાહરણ જોઇએ તો, ચેન્નઇ અને હૈદ્રાબાદ નાં બે Start-Ups છે – અગ્નિકુલ અને સ્કાઈટરૂટ. આ Start-Ups એવાં Launch Vehicle વિકસિત કરી રહ્યાં છે કે જે અંતરિક્ષમાં નાનાં payloads લઇને જશે. તેનાથી Space Launching નું મૂલ્ય ઘણું ઓછું થવાની શક્યતા છે.
આવું જ હૈદ્રાબાદનું અન્ય Start-UpsDhruva Space, Satellite Deployer અને Satellite માટે High Technology solar Panels પર કામ કરી રહ્યું છે. હું એક અન્ય Start-Ups દિગંતરાનાં તનવીર અહેમદને પણ મળ્યો હતો, જે Space નાં કચરાંને મૈપ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મેં તેમને એક Challenge પણ આપી છે, કે તેઓ એવી કોઇક Technology પર કામ કરે જેનાથી Spaceનાં કચરાનું સમાધાન થઇ શકે. દિગંતરા અને Dhruva Space બંને 30 જૂને ઇસરોનાં Launch Vehicle થી પોતાનું પહેલું Launch કરવાનાં છે. આવી જ રીતે, બેંગલોરનાં એક Space Start-UpsAstrome નાં founder નેહા પણ એક મજાનાં Idea પર કામ કરી રહ્યાં છે.
આ Start-Ups એવાં Flat Antenna બનાવી રહ્યાં છે જે માત્ર નાનાં જ નહીં હોય, પરંતુ તેની કિમત પણ ખૂબ ઓછી હશે. દુનિયામાં આ Technology ની Demand વધવાની પણ સંભાવના છે.
સાથીઓ, In-Space નાં કાર્યક્રમમાં, હું મેહસાણાની School Student દિકરી તન્વી પટેલને પણ મળ્યો હતો. તે એક ખૂબ નાનાં Satellite પર કામ કરી રહી છે, જે આગામી થોડાંક મહીનાઓમાં Space માંLaunch થવા જઇ રહ્યો છે. તન્વીએ મને ગુજરાતીમાં ખૂબ સરળતાથી પોતાનાં કામ વિશે જણાવ્યું હતું. તન્વીની જેમ જ દેશનાં લગભગ સાડા સાતસો School Student, અમૃત મહોત્સવમાં આવાં જ 75 Satellite પર કામ કરી રહ્યાં છે, અને વધારે આનંદની વાત તો એ છે કે, આમાનાં વધુ Students દેશનાં નાનાં શહેરોનાં છે.
સાથીઓ, આ તે જ યુવાનો છે, જેમનાં મનમાં આજથી થોડાં વર્ષો પહેલાં Space Sector ની છબી Secret Mission જેવી હતી, પરંતુ દેશે Space Reforms કર્યાં, અને તે જ યુવાનો હવે પોતાનાં Satellite Launch કરી રહ્યાં છે. જ્યારે દેશનાં યુવાનો આકાશને સ્પર્શવા માટે તૈયાર છે ત્યારે આપણો દેશ પાછળ કેવી રીતે રહી શકે?
મારાં પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ માં, હવે એક એવાં વિષયની વાત કરીશું, જને સાંભળીને તમારું મન પ્રફુલ્લિત થઇ જશે અને તમને પ્રેરણા પણ મળશે. પાછલાં દિવસોમાં, આપણાં ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા ફરીથી સમાચારમાં છવાઇ ગયાં હતા. ઓલમ્પિક પછી પણ, તેઓ એક પછી એક સફળતાની નવી-નવી સિદ્ધીઓ હાંસિલ કરી રહ્યાં છે.
Finland માં નીરજે Paavo Nurmi Games માં સિલ્વર મેડલ જીત્યો. આટલું જ નહીં, તેમણે Javelin Throw નાં Record પણ તોડ્યાં. Kuortane Games માં નીરજે એકવાર ફરીથી ગોલ્ડજીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.
આ ગોલ્ડ તેમણે એવી પરીસ્થિતીમાં જીત્યો છે જ્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ ખરાબ હતું. આ જ જુસ્સો આજનાં યુવાનોની ઓળખ છે. Start-Ups થી લઇને Sports World સુધી ભારતનાં યુવાનો નવાં-નવાં રેકોર્ડ બનાવી રહ્યાં છે. તાજેતરમાં જ આયોજીત Khelo India Youth Games માં પણ આપણાં રમતવીરોએ કેટલાય Record બનાવ્યાં. આપને જાણીને આંદન થશે કે, આ રમતોમાં કુલ 12 Record તૂટ્યાં છે – એટલું જ નહીં, 11 Records મહિલા રમતવીરોનાં નામે અંકિત થયાં છે. મણિપુરનાં M.Martina Devi એ Weightlifting માં આઠ Records બનાવ્યાં છે.
આવી જ રીતે સંજના, સોનાક્ષી અને ભાવનાએ પણ અલગ-અલગ રેકોર્ડ્સ બનાવ્યાં છે. પોતાની મેહનતથી આ રમતવીરોએ સાબિત કર્યું છે કે આગામી સમયમાં આંતર્રાષ્ટ્રીય રમતોમાં ભારતની સાખ કેટલી વધવાની છે. હું આ દરેક રમતવીરોને શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપું છું.
સાથીઓ, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની એક મહત્વની વાત એ છે કે, આ વખતે પણ એવી કેટલીય પ્રતિભાઓ ઊભરીને સામે આવી છે, કે જે ખૂબ સામાન્ય પરિવારોમાંથી આવે છે. આ રમતવીરોએ પોતાનાં જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને સફળતાનાં આ મુકામ સુધી પહોચ્યા છે. તેમની સફળતામાં, તેમનાં પરિવાર અને માતા-પિતાની પણ મહત્વની ભૂમિકા છે.
70 કિલોમીટર સાઇકલીંગમાં ગોલ્ડ જીતનાર શ્રીનગરનાં આદિલ અલ્તાફનાં પિતા ટેલરીંગનું કામ કરે છે, પરંતુ તેમણે પોતાનાં પુત્રનાં સપનાને પૂરાં કરવા માટે કોઇ કસર બાકી નથી રાખી. આજે, આદિલે પોતાનાં પિતા અને સમગ્ર જમ્મૂ-કશ્મીરનું માથું ગર્વથી ઊંચુ કરાવ્યું છે. વેઇટ લિફ્ટીંગમાં ગોલ્ડ જીતનાર ચેન્નઇનાં એલ.ધનુષનાં પિતા પણ એક સાધારણ સુથાર છે.
સાંગલીની દિકરી કાજોલ સરગારનાં પિતા ચા વેચવાનું કામ કરે છે. કાજોલ પોતાનાં પિતાનાં કામમાં મદદ કરે છે અને વેઇટ લિફ્ટીંગની પ્રેક્ટિસ પણ કરે છે. તેની અને તેનાં પરિવારની આ મેહનત રંગ લાવી અને કાજોલે વેઇટ લીફ્ટીંગમાં ખૂબ પ્રશંસા મેળવી.
અદલ આવો જ ચમત્કાર રોહતકની તનુએ કર્યો છે. તનુનાં પિતા રાજબીર સિંહ રોહતકમાં એક સ્કૂલનાં બસ ડ્રાઇવર છે. તનુએ કુશ્તીમાં સ્વર્ણ પદક મેળવીને પોતાનું અને પોતાનાં પરિવારનું તેમજ પોતાનાં પિતાનું સપનું સાચું કરીને બતાવ્યું છે.
સાથીઓ, રમતગમત ક્ષેત્રમાં, હવે ભારતીય રમતવીરોની પ્રતિષ્ઠા વધી રહી છે, સાથે ભારતીય રમતોની પણ નવી ઓળખ બની રહી છે. જેમ કે, આ વખતે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં ઓલમ્પિકમાં સમાવિષ્ટ થનાર સ્પર્ધા સિવાય પાંચ સ્વદેશી રમત પણ સમાવેશ પામશે. આ પાંચ રમત એટલે – ગતકા, થાંગ તા, યોગાસન, કલરીપાયટ્ટૂ અને મલ્લખમ્બ.
સાથીઓ, ભારતમાં આવી જ રમતોની આંતર્રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ યોજાવા જઇ રહ્યી છે જે રમતનો જન્મ વર્ષોં પહેલાં આપણાં જ દેશમાં થયો હતો, ભારતમાં થયો હતો. તે આયોજન એટલે 28 જુલાઇથી શરૂ થનાર શતરંજ ઓલમ્પિયાડનું. આ વખતે, શતરંજ ઓલમ્પિયાડમાં 180 કરતાં પણ વધુ દેશ ભાગ લઇ રહ્યાં છે. રમત અને ફિટનેસની આપણી આજની ચર્ચા અન્ય એક નામ વગર પૂરી ના થઇ શકે – તે નામ છે તેલંગાનાની માઉન્ટેનીયર પૂર્ણા માલાવથનું. પૂર્ણાએ સેવેન સમિટ્સ ચેલેન્જને પૂરી કરીને સફળતાનો વધુ એક ઝંડો લહેરાવ્યો છે.
સેવેન સમિટ્સ ચેલેન્જ એટલે દુનિયાનાં સૌથી અઘરાં અને ઊંચા સાત પહાડો પર ચઢવાની ચેલેન્જ. પૂર્ણાએ પોતાનાં ઉત્સાહ સાથે નોર્થ અમેરિકાની સૌથી ઊચી પહાડી, માઉન્ટ દેનાલીની ચઢાઈ પૂરી કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. પૂર્ણા, ભારતની એ જ દિકરી છે કે જેણે માત્ર 13 વર્ષની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ પર જીત મેળવવાનું અદભુત પરાક્રમ કરી બતાવ્યું હતું.
સાથઈઓ, જ્યારે રમત વિશે વાત થઇ રહી છે ત્યારે હું આજે ભારતની સૌથી પ્રતિભાશાળી ક્રિકેટરોમાની એક મિતાલી રાજની ચર્ચા કરીશ. તેમણે આ જ મહિને ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે, તેની આ ઘોષણાએ કેટલાય રમતપ્રેમીઓને ભાવુક બનાવ્યાં.
મિતાલી, માત્ર એક અસાધારણ રમતવીર જ નથી પરંતુ અનેક રમતવીરો માટે પ્રેરણાસ્ત્રોત પણ છે. હું મિતાલીને તેનાં ભવિષ્ય માટે ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
મારાં પ્રિય દેશવાસીઓ, આપણે મન કી બાતમાં waste to wealth થી જોડાયેલ સફળ પ્રયત્નોની ચર્ચા કરી રહ્યાં છીએ. આવું એક ઊદાહરણ છે, મિઝોરમની રાજધાની આઇજવાલનું. આઇજવાલમાં એક સુંદર નદી છે – ચિટે લુઇ, તે વર્ષોંથી ગંદકી અને કચરાનાં ઢગલામાં બદલાઇ ગઇ છે. પાછલાં થોડાંક વર્ષોમાં આ નદીને બચાવવા માટેનાં પ્રયત્નો થઇ રહ્યાં છે. તેનાં માટે સ્થાનિક એજન્સીઓ, સ્વયંસેવી સંસ્થાઓ અને સ્થાનીક લોકો મળીને save ચિટે લુઈ action plan પણ ચલાવી રહ્યાં છે. નદીની સફાઇનાં આ અભિયાનમાં waste થી Wealth creation નો અવસર પણ બન્યો છે.
જોકે, આ નદીમાં અને તેનાં કિનારાઓમાં પણ ખૂબ માત્રામાં પ્લાસ્ટિક અને પોલીથીનનો કચરો ભરાયેલો હતો. નદીને બચાવવા માટે કામ કરતી સંસ્થાએ, આ જ પોલીથીનથી રસ્તો બનાવવાનો નિર્ણય લીધો, એટલે કે, જે કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવે તેનાંથી મિજોરમનાં એક ગામમાં, રાજ્યનો પહેલો પ્લાસ્ટિક રોડ બનાવવામાં આવ્યો એટલે કે સ્વસ્છતા પણ અને વિકાસ પણ.
સાથીઓ, આવો જ એક પ્રયાસ પુડુચેરીનાં યુવાનોએ પણ પોતાની સ્વયંસેવી સંસ્થાઓનાં માધ્યમથી શરૂ કર્યો છે. પુડુચેરી સમુદ્ર કિનારે સ્થાપિત છે. ત્યાનાં beaches અને સમુદ્રની સુંદરતાને જોવાં માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. પરંતુ પુડુચેરીનાં સમુદ્ર કિનારેપણ plastic થી થનાર ગંદકી વધી રહી હતી, એટલાં માટે પોતાનાં સમુદ્ર, beaches અને ecology ને બચાવવા માટે અહીંનાં લોકોએ Recycling for Life અભિયાન શરૂ કર્યું છે.
આજે, પુડુચેરીનાં કરાઈકલમાં હજારો કિલો કચરો દરરોજ એકત્ર કરવામાં આવે છે, અને તેને જુદો કરવામાં આવે છે. તેમાંથી જે organic કચરો હોય છે,
તેનાંથી ખાતર બનાવવામાં આવે છે, અન્ય વસ્તુઓને અલગ કરીને recycle કરવામાં આવે છે. આ પ્રકારનાં પ્રયત્નો પ્રેરણાદાયી તો છે જ, single use plastic વિરુદ્ધ ભારતનાં અભિયાનને વેગ પણ આપે છે.
સાથીઓ, આ વખતે જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે હિમાચલ પ્રદેશમાં એક અનોખી cycling rally પણ ચાલી રહી છે. હું આ વિશે પણ તમને જણાવવાં માગું છું.
સ્વચ્છતાનો સંદેશ લઇને સાયકલ સવારોની એક સમૂહ શિમલાથી મંડી સુધી પહોચ્યું છે. પહાડી રસ્તાઓ પર લગભગ પોણા બસ્સો કિલોમીટરનું આ અંતર, આ લોકો, સાયકલ ચલાવીને પૂર્ણ કરશે. આ સમૂહમાં બાળકો પણ છે અને વૃદ્ધો પણ છે. આપણું પર્યાવરણ સ્વચ્છ રહે, આપણાં પહાડ-નદીઓ, સમુદ્ર સ્વચ્છ રહે તો સ્વાસ્થ્ય પણ એટલું જ સુંદર અને સ્વસ્થ રહે છે. તમે મને, આ પ્રકારનાં આપનાં પ્રયત્નો વિશે અચૂક લખતાં રહેજો.
મારાં પ્રિય દેશવાસિઓ, આપણાં દેશમાં મોનસૂનનો વ્યાપ વધી રહ્યો છે. અનેક રાજ્યોમાં વરસાદ વધી રહ્યો છે. આ સમય જલ અને જલ સંરક્ષણની દિશામાં વિશેષ પ્રયત્નો કરવાનો પણ છે. આપણાં દેશમાં તો વર્ષોથી આ જવાબદારી સમાજ નિભાવી રહ્યું છે. તમને યાદ હશે કે, મન કી બાતમાં આપણે એક વખત step wells એટલે કે કૂવાની વિરાસત વિશે ચર્ચા કરી હતી. સ્ટેપવેલ એ કૂવાઓને કહેવામાં આવે છે કે જેનાં સુધી પહોંચવા માટે નીચે ઉતરીને જવું પડે છે – સુલ્તાનનો કૂવો. તેને રાવ સુલ્તાન સિંહએ બનાવ્યો હતો, પરંતુ ઉપેક્ષાના કારણે ધીરે-ધીરે તે જગ્યા વેરાન થતી ગઇ અને કચરાંનો ખડકલામાં પરિવર્તીત થઇ ગઇ.
એક દિવસ કેટલાક યુવાન અમસ્તા જ ફરતાં ફરતાં કૂવા સુધી પહોંચ્યા અને તેની સ્થિતી જોઇને ખૂબ દુખી થયાં. આ યુવાનોએ તે જ સમયે સુલતાનનાં કૂવાની સ્થિતી અને નસીબ બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે પોતાનાં આ mission ને – સુલ્તાન સે સુરતાન – નામ આપ્યું. તમે વિચારતાં હશો કે આ સુર-તાન શું છે. જોકે, વાત એમ છે કે પોતાનાં પ્રયત્નોથી આ યુવાનોએ માત્ર કૂવાનો જ કાયાકલ્પ ન કર્યો, પરંતુ તેને સંગીતનાં સૂર અને તાન સાથે પણ જોડી દીધું.
સુલ્તાનનાં કૂવાની સફાઇ પછી તેની સજાવટ માટે ત્યાં સૂર અને સંગીતનો કાર્યક્રમ થાય છે. આ પરિવર્તનની એટલી બધી ચર્ચા છે કે, વિદેશથી પણ કેટલાય લોકો તેને જોવાં માટે આવી રહ્યાં છે. આ સફળ પ્રયત્નોની ખાસ વાત એ છે કે અભિયાન શરૂ કરનાર યુવાનો chartered accountants છે. સંયોગથી, હવે થોડાંક દિવસો પછી, 1 જુલાઇએ chartered accountants day છે.
હું, દેશનાં તમામ CAs ને શુભકામનાઓ પાઠવું છું. આપણે, આપણાં જળ-સ્ત્રોતોને, સંગીત અને અન્ય સામાજિક કાર્યક્રમો સાથે જોડીને તેનાં માટે આ પ્રકારનો જાગૃતિનો ભાવ પૈદા કરી શકીએ છીએ. જલ સુરક્ષા તો વાસ્તવમાં જીવન સુરક્ષા છે. તમે જોયું હશે કે, આજકાલ કેટલાય નદી મહોત્સવ થઇ રહ્યાં છે. તમારાં શહેરોમાં પણ આ પ્રકારનાં જે પણ જળસ્ત્રોત છે ત્યાં કંઇક ને કંઇક આયોજન અવશ્ય કરો.
મારાં પ્રિય દેશવાસીઓ, આપણાં ઉપનિષદોનો એક જીવનમંત્ર છે –चरैवेति-चरैवेति-चरैवेति– તમે પણ આ મંત્રને જરૂર સાંભળ્યો જ હશે. તેનો અર્થ છે – ચાલતાં રહો, ચાલતાં રહો. આ મંત્ર આપણાં દેશમાં એટલા માટે લોકપ્રિય છે કેમકે સતત ચાલતા રહેવું, ગતિશીલ બની રહેવું, આપણાં સ્વભાવનો ભાગ છે. એક રાષ્ટ્રનાં રૂપમાં, આપણે, હજારો વર્ષોની વિકાસયાત્રા કરીને અહીં સુધી પહોંચ્યાં છે. એક સમાજનાં રૂપમાં, આપણે હમેશા, નવાં વિચારો, નવા પરિવર્તનોનો સ્વીકાર કરીને આગળ વધતાં રહ્યાં છીએ. તેની પાછળ આપણી સાંસ્કૃતિક ગતિશીલતા અને યાત્રાઓનું ખૂબ મોટું યોગદાન છે.
એટલાં માટે, આપણાં ત્રુષિ મુનીઓએ તીર્થયાત્રા જેવી ધાર્મિક જવાબદારીઓ આપણને સોંપી હતી. અલગ-અલગ તીર્થ યાત્રાઓ પર આપણે સૌ જતાં જ હોઇએ છીએ. તમે જોયું હશે કે આ વખતે ચારધામ યાત્રામાં કેવી રીતે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થયા હતાં. આપણાં દેશમાં સમય-સમય પર અલગ-અલગ દેવ યાત્રાઓ પણ નિકળે છે. દેવ યાત્રા એટલે જેમાં માત્ર શ્રદ્ધાળુ જ નહીં પરંતુ આપણાં ભગવાન પણ યાત્રા પર નિકળે છે. હમણાં થોડાંક જ દિવસોમાં 1 જુલાઇથી ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ યાત્રા શરૂ થવા જઇ રહી છે.
ઓડિસામાં, પૂરીની યાત્રાથી તો દરેક દેશવાસી પરિચિત જ છે. લોકોનો પ્રયાસ હોય છે કે આ અવસર પર પુરી જવાનું સૌભાગ્ય મળે. બીજા રાજ્યોમાં પણ ખૂબ ધૂમધામથી જગન્નાથ યાત્રા કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથ યાત્રા અષાઢ મહીનાની બીજથી શરૂ થાય છે.
આપણાં ગ્રંથોમાં - આષાઢસ્ય દ્વિતીયદિવસે... રથયાત્રા – આ પ્રકારે સંસ્કૃત શ્વોલોકોમાં રચાયેલું વર્ણન જોઇ શકાય છે. ગુજરાતનાં અમદાવાદમાં પણ દર વર્ષે અષાઢની બીજથી રથયાત્રા શરૂ થાય છે. હું ગુજરાતમાં હતો, ત્યારે મને પણ દર વર્ષે આ યાત્રામાં સેવાનું સૌભાગ્ય મળતું હતું. અષાઢ બીજ, જેને અષાઢી બીજ પણ કહેવામાં આવે છે, આ દિવસથી જ કચ્છનાં નવાં વર્ષની પણ શરૂઆત થાય છે.
હું, મારા દરેક કચ્છી ભાઇઓ-બહેનોને નવાવર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. મારાં માટે આ દિવસ એટલાં માટે પણ ખાસ છે કેમકે મને યાદ છે, અષાઢ બીજનાં એક દિવસ પહેલાં એટલે કે અષાઢની પ્રથમ તિથીએ અમે ગુજરાતમાં એક સંસ્કૃત ઉત્સવની શરૂઆત કરી હતી, જેમાં સંસ્કૃત ભાષામાં ગીત-સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજાય છે. આ આયોજનનું નામ છે – આષાઢસ્ય પ્રથમ દિવસે. ઉત્સવને આ ખાસ નામ આપવાં પાછળનું કારણ એ છે કે સંસ્કૃતનાં મહાન કવિ કાલિદાસે અષાઢ મહિનાનાં વર્ષાનાં આગમન પરથી જ - મેઘદૂતમ્ - લખ્યું હતું. મેઘદૂતમમાં એક શ્લોક છે – આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમ્ આશ્લિષ્ટ સાનુમ્, એટલે કે અષાઢનાં પ્રથમ દિવસે પર્વત શીખરોથી ઘેરાયેલાં વાદળો, આ જ શ્લોક આ આયોજનોનો આધાર બન્યો.
સાથીઓ, અમદાવાદ હોય કે પૂરી, ભગવાન જગન્નાથ પોતાની યાત્રાનાં માધ્યમથી કેટલાંય ગહન માનવીય સંદેશ પણ આપે છે.
ભગવાન જગન્નાથ જગતનાં સ્વામી તો છે જ પરંતુ તેમની યાત્રામાં ગરીબો, વંચિતોની વિશેષ ભાગીદારી હોય છે. ભગવાન પણ સમાજનાં દરેક વર્ગ અને વ્યક્તિ સાથે ચાલે છે. આવી જ રીતે આપણાં દેશમાં જેટલી પણ યાત્રાઓ થાય છે, તે તમામમાં ગરીબ-અમીર, ઊંચ-નીચ આવાં કોઇ ભેદભાવ દેખાતા નથી.
તમામ ભેદભાવથી ઉપર ઉઠીને યાત્રા જ સર્વોપરી હોય છે. જેમ કે, મહારાષ્ટ્રમાં પંઢરપુરની યાત્રામાં કોઇ પણ ન તો મોટું હોય છે ન તો નાનું હોય છે. દરેક વારકરી હોય છે, ભગવાન વિઠ્ઠલનો સેવક હોય છે. હવે ચાર દિવસ પછી 30 જૂનથી અમરનાથ યાત્રા પણ શરૂ થવા જઇ રહી છે. સમગ્ર દેશમાં શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે જમ્મૂ-કાશ્મીર પહોંચે છે. જમ્મૂ-કાશ્મીરનાં સ્થાનિક લોકો એટલી જ શ્રદ્ધાથી આ યાત્રાની જવાબદારી ઉપાડે છે અને તીર્થયાત્રીઓને સહકાર આપે છે.
સાથીઓ, દક્ષિણમાં આવું જ મહત્વ સબરીમાલા યાત્રાનું પણ છે. સબરીમાલાનાં પહાડો પર ભગવાન અયપ્પાનાં દર્શન કરવાં માટે આ યાત્રા ત્યારથી ચાલી રહી છે જ્યારે ત્યાંના રસ્તાઓ સંપૂર્ણરીતે જંગલો વચ્ચે ઘેરાયેલાં હતાં. આજે પણ લોકો જ્યારે આ યાત્રાઓમાં જાય છે ત્યારે તેને ધાર્મિંક અનુષ્ઠાનોથી લઇને રહેવાની વ્યવસ્થા સુધી, ગરીબો માટે કેટલાંય નવાં અવસર ખુલે છે, એટલે કે, આ યાત્રાઓ પ્રત્યક્ષ રૂપે આપણને ગરીબોની સેવાનો અવસર આપે છે અને ગરીબો માટે એટલી જ હિતકારી હોય છે. એટલાં માટે જ, દેશ પણ હવે આધ્યાત્મિક યાત્રાઓમાં, શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ વધારવા માટે ઘણાં પ્રયત્નો કરી રહ્યો છે. તમે પણ આવી કોઇક યાત્રામાં જશો ત્યારે તમને આધ્યાત્મની સાથે-સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં પણ દર્શન થશે.
મારાં પ્રિય દેશવાસીઓ, હમેશાની જેમ આ વખતે પણ મન કી બાતનાં માધ્યમથી તમારાં સૌ સાથે જોડાવાનો આ અનુભવ ખૂબ સુખદ રહ્યો. આપણે દેશવાસીઓની સફળતા અને સિદ્ધીઓની ચર્ચા કરી. આ બધાંની વચ્ચે, આપણે કોરોના વિરુદ્ધ સાવધાનીનું પણ ધ્યાન રાખવાનું છે. જોકે, સંતોષની વાત એ છે કે આજે દેશ પાસે વેક્સીનનું વ્યાપક સુરક્ષા કવચ ઉપલબ્ધ છે.
આપણે 200 કરોડ વેક્સીનનાં ડોઝ સુધી પહોંચી ગયા છીએ. દેશમાં ખૂબ ઝડપથી precaution dose પણ લગાવવામાં આવી રહ્યો છે.
જો તમારા બીજો dose પછી precaution dose નો સમય થઇ ગયો હોય તો આપ, ત્રીજો dose જરૂરથી લેજો. તમારાં પરિવારનાં લોકોને, ખાસ કરીને વૃદ્ધોંને પણ precaution dose અપાવજો. આપણે હાથની સ્વસ્છતા અને માસ્ક જેવી જરૂરી સાવધાનીઓને પણ અનુસરવાનું છે.
આપણે વરસાદનાં વાતાવરણમાં આસ-પાસ ગંદકીથી થનાર બિમારીઓથી પણ સતર્ક રહેવાનું છે. તમે બધા સજાગ રહો, સ્વસ્છ રહો અને આવી જ ઊર્જાથી આગળ વધતાં રહો. હવે પછીનાં મહીને ફરી એક વખત મળીશું,
ત્યાં સુધી ખૂબ-ખૂબ ધન્યવાદ, નમસ્કાર.

મારાં પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ફરી એક વાર ‘મન કી બાત’ નાં માધ્યમ થી આપ સૌ મારાં કરોડો પરિવારજનોને મળવાનો અવસર મળ્યો છે.
‘મન કી બાત’ માં આપ સૌનું સ્વાગત છે. થોડાંક દિવસ પહેલાં દેશે એક એવી સિદ્ધી હાંસલ કરી છે, જે આપણને સૌને પ્રેરણા આપે છે. ભારતનાં સામર્થ્ય પ્રત્યે એક નવો વિશ્વાસ જગાડે છે. તમે લોકો ક્રિકેટનાં મેદાન પર ટીમ ઇન્ડિયાનાં કોઇ બેટ્સમેનની સેન્ચ્યુરી સાંભળીને ખુશ થતાં હશો, પરંતુ ભારતે એક અન્ય મેદાનમાં પણ સેન્ચ્યુરી લગાડી છે અને તે ખૂબ વિશેષ છે.
આ મહિનાની પાંચમી તારીખે દેશમાં યુનિકોર્નની સંખ્યા 100 નાં આંકડાં સુધી પહોંચી ગઈ છે, અને તમને તો ખબર જ છે કે, એક યુનિકોર્ન એટલે ઓછામાં ઓછા સાડા સાત હજાર કરોડ રૂપિયાનું સ્ટાર્ટ અપ. આ તમામ યુનિકોર્નનું કુલ વેલ્યુએશન 330 બિલીયન ડોલર, એટલે કે 25 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. નિશ્ચિત રૂપે આ દરેક ભારતીય માટે ગર્વ લેવા જેવી વાત છે.
તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે, આપણાં કુલ યુનિકોર્નમાંથી 44 - ફોર્ટીફોર યુનિકોર્ન તો ગયા વર્ષે જ સ્થપાયા હતાં. એટલું જ નહીં આ વર્ષનાં 3-4 મહિનામાં જ બીજાં નવાં 14 યુનિકોર્ન બની ગયા છે. આનો અર્થ એ થયો કે, ગ્લોબલ પેન્ડેમિકનાં આ સમયમાં પણ આપણાં સ્ટાર્ટ અપ્સ વેલ્થ અને વેલ્યૂ ક્રિએટ કરતા રહ્યા છે.
ઇન્ડિયન યુનિકોર્ન્સનો એવરેજ એન્યુઅલ ગ્રોથ રેટ યુએસએ, યુકે અને અન્ય કેટલાંય દેશો કરતા પણ વધુ છે. એનાલિસ્ટ્સનું તો એવું પણ કહેવું છે કે આવનારાં વર્ષોમાં આ સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળશે.
એક સારી વાત એ પણ છે કે, આપણાં યુનિકોર્ન્સ ડાઇવર્સીફાઇંગ છે. જે ઇ-કોમર્સ, ફિન-ટેક, એડ-ટેક, બાયો-ટેક જેવાં કેટલાંય ક્ષેત્રોમાં કામ કરી રહ્યાં છે. એક અન્ય વાત જેને હું વધુ મહત્વની માનું છું તે એ કે સ્ટાર્ટ-અપ્સની દુનિયા ન્યૂ ઇન્ડિયાનાં સ્પિરીટને રિફ્લેક્ટ કરી રહી છે.
આજે, ભારતનું સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માત્ર મોટાં શહેરો સુધી જ સીમિત નથી, નાનાં-નાનાં શહેરો અને કસ્બાઓમાંથી પણ ઉદ્યોગ સાહસિકો સામે આવી રહ્યાં છે. આનાંથી સમજી શકાય છે કે ભારતમાં જેની પાસે ઇનોવેટિવ આઇડિયા છે તે વેલ્થ ક્રિએટ કરી શકે છે.
મિત્રો, દેશની આ સફળતાની પાછળ દેશની યુવા શક્તિ, દેશનું ટેલેન્ટ અને સરકાર, બધાં મળીને પ્રયત્નો કરી રહ્યાં છે, દરેકનું યોગદાન છે, પરન્તુ આમાં અન્ય એક મહત્વપૂર્ણ બાબત પણ છે અને તે એ કે સ્ટાર્ટ-અપ વર્લ્ડમાં રાઇટ મોનિટરિંગ એટલે કે સાચું માર્ગદર્શન, એક સારો મેન્ટોર સ્ટાર્ટ-અપને નવીં ઊંચાઇઓ સુધી લઇ જઇ શકે છે. તે ફાઉન્ડર્સને રાઇટ ડિસિઝન માટે દરેક રીતે ગાઇડ કરી શકે છે. મને, એ વાતનો ગર્વ છે કે ભારતમાં આવાં ઘણાં મેન્ટોર છે જેમણે સ્ટાર્ટ-અપ ને આગળ વધારવાં માટે પોતાને સમર્પિત કરી દીધી છે.
શ્રીધર વેમ્બૂજીને તાજેતરમાં જ પદ્મ સમ્માન મળ્યું. તે સ્વયં સફળ ઉદ્યોગ સાહસિક છે, પરન્તુ હવે તેમણે બીજાં ઉદ્યોગ સાહસિકોને ગ્રૂમ કરવાનું બીડું ઝડપ્યું છે. શ્રીધરજી એ પોતાનું કામ ગ્રામીણ વિસ્તારમાંથી શરૂ કર્યું છે.
તેઓ ગ્રામીણ યુવાનો ને ગામમાં જ રહીને તે ક્ષેત્રમાં કંઇક નવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આપણાં ત્યાં મદન પડાકી જેવાં લોકો પણ છે જેમણે રુરલ એન્ટરપ્રિન્યોર્સને પ્રેરણા આપવા માટે 2014માં વન-બ્રિજ નામનું પ્લેટફોર્મ બનાવ્યું હતું. આજે, વન-બ્રિજ દક્ષિણ અને પૂર્વી-ભારતનાં 75થી પણ વધુ જિલ્લામાં કાર્યરત છે. તેનાથી જોડાયેલ 9000 થી પણ વધુ રુરલ એન્ટરપ્રિન્યોર્સ ગામડાંનાં ગ્રાહકોને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. મીરા શેનોયજી પણ એવી જ એક મિસાલ છે તેઓ રુરલ, ટ્રાયબલ અને ડિસેબલ્ડ યુથ માટે માર્કેટ લીંફૂડ સ્કિલ્સ ટ્રેઇનિંગનાં ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામ કરી રહ્યાં છે.
અહીંયા મેં તો થોડાંક જ નામનો ઉલ્લેખ કર્યો છે પરન્તુ આજે આપણી વચ્ચે મેન્ટોર્સ ની ઊણપ નથી. આપણાં માટે ખૂબ ખુશીની વાત છે કે સ્ટાર્ટ-અપ માટે આજે દેશમાં એક સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ તૈયાર થઇ રહી છે. મને વિશ્વાસ છે કે આવનારાં સમયમાં આપણને ભારતનાં સ્ટાર્ટ-અપ વર્લ્ડમાં પ્રગતિની નવી ઊડાન જોવાં મળશે.
સાથીઓ થોડાંક દિવસો પહેલાં મને એક એવી ઇન્ટરેસ્ટિંગ અને અટ્રેક્ટિવ વસ્તુ મળી, જેમાં દેશવાસીઓની ક્રિએટીવિટી અને તેમનાં આર્ટિસ્ટિક ટેલેન્ટનો રંગ ભરેલો છે. એક ભેટ છે, જે તમિલનાડુનાં થંજાવુરનાં એક સેલ્ફ હેલ્પ ગ્રૃપે મને મોકલી છે. આ ભેટમાં ભારતીયતાની સુગંધ છે અને માતૃ-શક્તિનાં આશિર્વાદ તેમજ મારાં પર તેમનાં સ્નેહની ઝાંખી પણ જોવાં મળે છે. આ એક સ્પેશિયલ થંજાવુર ડૉલ છે, જેને જીઆઇ ટેગ પણ મળેલ છે.
હું થંજાવુર સેલ્ફ-હેલ્પ ગ્રૃપ ને વિશેષ ધન્યવાદ પાઠવું છું, કે જેમણે મને સ્થાનિક સંસ્કૃતિમાં ઓતપ્રોથ આ ભેટ મોકલી છે. જોકે, સાથીઓ આ થંજાવુર ડૉલ જેટલી સુંદર હોય છે, એટલી જ સુંદરતાથી તે મહિલા સશક્તિકરણની નવી ગાથા પણ લખી રહી છે.
થંજાવુરમાં મહિલાઓનાં સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ નાં સ્ટોર્સ અને કિઓસ્ક પણ ખુલી રહ્યાં છે. જેનાં થકી કેટલાંય ગરીબ પરિવારોનું જીવન બદલાઇ ગયું છે. આવાં કિઓસ્ક અને સ્ટોર્સની મદદથી મહિલાઓ હવે પોતાનાં પ્રોડક્ટ સીધાં ગ્રાહકો વેચી શકે છે.
આ પહેલને ‘થારગઇગલ કઇવિનઈ પોરુત્તકલ વિરપ્પનઈ અંગાડી’ નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પહેલ સાથે 22 સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ જોડાયેલાં છે. તમને એ જાણીને પણ આનંદ થશે કે મહિલા સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ, મહિલા સ્વયં સહાયતા સમૂહનાં આ સ્ટોર થંજાવુરનાં અતિ પ્રાઇમ લોકેશનમાં ખુલ્યાં છે. તેની સંભાળની સંપૂર્ણ જવાબદારી પણ મહિલાઓ જ ઊપાડી રહી છે.
આ મહિલા સેલ્ફ હેલ્પ ગૃપ થંજાવુર ડૉલ અને બ્રોન્ઝ લેમ્પ જેવાં જીઆઇ પ્રોડક્ટ ઉપરાંત રમકડાં, મેટ અને આર્ટિફિશિયલ જ્વેલેરી પણ બનાવે છે. આવાં સ્ટોર્સનાં કારણે જીઆઇ પ્રોડક્ટની સાથે-સાથે હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ્સનાં વેચાણમાં ઘણી તેજી જોવાં મળી છે. આ ઝુંબેશને પરિણામે, ન માત્ર કારીગરોને પ્રોત્સાહન મળ્યું છે, બલ્કે મહિલાઓની આવક વધવાથી તેમનું સશક્તિકરણ પણ થઇ રહ્યું છે. મારો ‘મન કી બાત’ નાં શ્રોતા મિત્રોને પણ એક આગ્રહ છે તમે, પોતાના ક્ષેત્રમાં એ જાણકારી મેળવો કે ત્યાં કયા-કયા મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૃપ કામ કરી રહ્યાં છે.
તેમનાં પ્રોડક્ટ્સ વિશે પણ તમે જાણકારી ભેગી કરો અને તે વસ્તુઓને વધુમાં વધુ ઉપયોગમાં લાવો. આમ કરીને, તમે સેલ્ફ હેલ્પ ગ્રૃપની આવક વધારવામાં મદદ તો કરશો જ, ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ ને પણ વેગ આપશો.
સાથીઓ, આપણાં દેશમાં ઘણી બધી ભાષાઓ, લિપિઓ અને બોલિઓનો સમૃદ્ધ ખજાનો છે. અલગ-અલગ ક્ષેત્રોમાં અલગ-અલગ પહેરવેશ, ખાનપાન અને સંસ્કૃતિએ આપણી ઓળખ છે. આ ડાયવર્સિટી, આ વિવિધતા, એક રાષ્ટ્રનાં રૂપમાં, આપણને વધુ સશક્ત બનાવે છે અને એકજૂથ રાખે છે. અને લગતું જ એક ખૂબ જ પ્રેરક ઉદાહરણ – એક બેટી કલ્પનાનું છે, જેને હું આપ સૌ સાથે વહેંચવાં માગું છું. તેનું નામ કલ્પના છે પરન્તુ તેમનો પ્રયત્ન ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની સાચી ભાવનાથી ભરપૂર છે. તાજેતરમાં જ કલ્પનાએ કર્ણાટકમાં પોતાની 10 માં ધોરણની પરીક્ષા પાસ કરી છે, પરન્તુ તેની સફળતાની ખાસ વાત એ છે કે કલ્પનાને થોડાંક સમય પહેલાં સુધી કન્નડ ભાષા પણ આવડતી નહોતી.
તેમણે ત્રણ મહિનામાં માત્ર કન્નડ ભાષા જ ન શીખી, તેમાં 92 નંબર લાવીને પણ બતાવ્યાં. તમને એ જાણીને આશ્ચર્ય થતું હશે પણ આ સાચી વાત છે. તેના વિશેની બીજી કેટલીય વાતો એવી છે કે જે તમને આશ્ચર્યમાં પણ મૂકી દેશે અને પ્રેરણા પણ આપશે. કલ્પના, મૂળે ઉત્તરાખંડનાં જોશીમઠની રહેવાસી છે.
તે પહેલાં ટીબી થી પીડાઇ રહી હતી અને તે જ્યારે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની આંખોની રોશની પણ જતી રહી હતી.
પરન્તુ કહેવાય છે ને કે, જહાં ચાહ વહાં રાહ. ત્યાર બાદ કલ્પના મૈસુરૂમાં રહેતાં પ્રોફેસર તારામૂર્તિનાં સંપર્કમાં આવી, જેમણે કલ્પનાને ન માત્ર પ્રોત્સાહિત કરી પરન્તુ બધી રીતે તેની મદદ પણ કરી. આજે તે પોતાની મહેનતથી આપણાં બધાં માટે ઉદાહરણ બની ગઇ છે. હું, કલ્પનાને તેમનાં હિમ્મ્ત માટે ધન્યવાદ પાઠવું છું.
આવી જ રીતે, આપણાં દેશમાં એવાં કેટલાય લોકો છે જે દેશની ભાષાગત વિવિધતાને મજબૂત કરવાનું કામ કરી રહ્યાં છે. આવાં જ એક મિત્ર છે પશ્ચિમ બંગાળનાં પુરુલિયાનાં શ્રીપતિ ટૂડૂજી. ટૂડૂજી, પુરુલિયાનાં સિદ્ધો-કાનો-બિરસા યુનિવર્સિટીમાં સંથાલી ભાષાનાં પ્રોફેસર છે. તેમણે, સંથાલી સમાજ માટે તેમની પોતીકી ‘ઓલ ચિકી’ લિપિમાં, દેશનાં બંધારણની પ્રત તૈયાર કરી છે. શ્રીપતિ ટૂડૂજી કહે છે કે, આપણું બંધારણ આપણાં દેશમાં દરેક નાગરિકને તેના અધિકાર અને કર્તવ્યનો બોધ કરાવે છે. એટલાં માટે, દરેક નાગરિકે તેનાથી પરિચિત હોવું જરૂરી છે. એટલા માટે, તેમણે સંથાલી સમાજ માટે તેમની જ લિપિમાં બંધારણની કોપી તૈયાર કરીને ભેટ સ્વરૂપે આપી છે. હું, શ્રીપતિજીનાં આ વિચાર અને તેમનાં પ્રયત્નોને બિરદાવું છું. આ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાનું જીવંત ઉદાહરણ છે. આ ભાવનાને આગળ વધારનારાં આવાં ઘણાં બધાં પ્રયત્નોનાં વિષયમાં તમને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની વેબસાઇટ પર પણ જાણકારી મળશે. અંહી તમને ખાનપાન, કળા, સંસ્કૃતિ, પર્યટનની સાથે આવાં કેટલાંય વિષયોને લગતી પ્રવૃતિઓ વિશેની જાણકારી મળશે.
તમે, તે એક્ટિવિટીનો ભાગ પણ બની શકો છો, તેનાથી તમને, પોતાના દેશ વિશે જાણકારી પણ મળશે અને તમે દેશની વિવિધતાનો અનુભવ પણ કરી શકશો.
મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે આપણાં દેશમાં ઉત્તરાખંડમાં ‘ચાર-ધામ’ની પવિત્ર યાત્રા ચાલી રહી છે. ‘ચાર-ધામ’ અને ખાસ કરીને કેદારનાથમાં દરરોજ હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. લોકો પોતાની ચારધામ યાત્રાના સુખદ અનુભવો શેઅર કરી રહ્યા છે. પરન્તુ મેં એ પણ જોયું છે કે, શ્રદ્ધાળુઓ કેદારનાથમાં કેટલાક યાત્રીઓ દ્વારા ફેલાવાતી ગંદકીનાં કારણે ખૂબ દુખી પણ છે. કેટલાય લોકોએ આ વિશે સોશિયલ મિડિયા પર પણ લખ્યું છે. આપણે પવિત્ર યાત્રામાં જઇએ અને ત્યાં ગંદગીનો ખડકલો થાય એ યોગ્ય નથી. પરન્તુ સાથીઓ, આ ફરિયાદો વચ્ચે કેટલીય સુંદર તસ્વીરો પણ જોવાં મળી રહી છે. જ્યાં શ્રદ્ધા છે, ત્યાં સર્જન અને સકારાત્મકતા પણ છે. કેટલાય શ્રદ્ધાળું એવાં પણ છે કે જે બાબા કેદારનાં ધામમાં દર્શન-પૂજનની સાથોસાથ સ્વચ્છતાની સાધના પણ કરી રહ્યાં છે.
કોઈ પોતાનાં રોકાણની જગ્યાએ સાફસફાઇ કરી રહ્યાં છે તો કોઇ યાત્રા માર્ગ પરથી કચરો સાફ કરી રહ્યાં છે. સ્વચ્છ ભારત અભિયાન ટીમની સાથે મળીને કેટલીયે સંસ્થાઓ અને સ્વયંસેવી સંગઠનો પણ ત્યાં કામ કરી રહ્યાં છે. સાથીઓ, આપણે ત્યાં જેમ તીર્થયાત્રાનું મહત્વ છે તેમ તીર્થ સેવાનું પણ મહત્વ સૂચવવામાં આવ્યું છે, અને હું તો એમ પણ કહીશ કે, તીર્થ-સેવા વગર, તીર્થ-યાત્રા પણ અધૂરી છે. દેવભૂમિ ઉત્તરાખંડમાં કેટલાય લોકો છે જે સ્વચ્છતા અને સેવાની સાધનામાં જોડાયેલાં છે. રુદ્ર પ્રયાગમાં રહેતાં શ્રીમાન મનોજ બૈંજવાલજી પાસેથી પણ તમને ઘણી પ્રેરણા મળશે. મનોજજી એ પાછલાં પચ્ચીસ વર્ષોથી પર્યાવરણની જાણવણીનું બીડું લઈ રાખ્યું છે. તેઓ સ્વચ્છતા અભિયાન ચલાવવાની સાથે જ પવિત્ર સ્થાનોને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં પણ જોતરાયેલા રહે છે. વળી, ગુપ્તકાશીમાં રહેતાં સુરેન્દ્ર બગવાડીજી એ પણ સ્વચ્છતાને પોતાનો જીવનમંત્ર બનાવી લીધો છે. તેઓ ગુપ્તકાશીમાં નિયમિત રૂપથી સફાઈ કાર્યક્રમ ચલાવે છે અને મને જાણ થઇ છે કે, આ અભિયાનનું નામ પણ તેમણે ‘મન કી બાત’ રાખ્યું છે. આવી જ રીતે દેવર ગામનાં ચમ્પાદેવી ગયા ત્રણ વર્ષથી પોતાનાં ગાંમની મહિલાઓને કચરો વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ શીખવાડી રહ્યાં છે. ચંપાજીએ અસંખ્ય છોડ રોપ્યા છે અને તેમણે જાતમહેનતથી એક સુંદર હરિયાળું વન તૈયાર કરી દીધું છે.
સાથીઓ, આવાં જ લોકોનાં પ્રયત્નોથી દેવભૂમિ અને તીર્થોની તે દૈવીય અનુભૂતિ જળવાઇ રહી છે, જેનો અનુભવ કરવા માટે આપણે ત્યાં જઇએ છીએ, આ દેવત્વ અને આધ્યાત્મિકતાને જાળવી રાખવાની જવાબદારી આપણી પણ તો છે.
અત્યારે આપણાં દેશમાં ‘ચારધામ યાત્રા’ ની સાથે આગામી સમયમાં ‘અમરનાથ યાત્રા’, ‘પંઢરપુર યાત્રા’ અને ‘જગન્નાથ યાત્રા’ જેવી કેટલીએ યાત્રાઓ થશે. શ્રાવણ મહિનામાં તો કદાચ દરેક ગામમાં કોઇક ને કોઇક મેળો લાગતો હોય છે.
સાથીઓ, આપણે જ્યાં પણ જઇએ, આ તીર્થ ક્ષેત્રોની ગરિમા જળવાય, શુદ્ધતા, સાફ-સફાઇ, એક પવિત્ર વાતાવરણ સચવાય તે આપણે ક્યારેય ન ભૂલીએ. તેને હમેશા જાળવી રાખએ અને તેથી જરૂરી છે કે આપણે હમેશા સ્વચ્છતાનાં સંકલ્પને યાદ રાખીએ. થોડાંક જ દિવસો પછી, 5મી જૂનને સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસ’ નાં રૂપમાં ઊજવે છે. પર્યાવરણને કેન્દ્રમાં રાખીને આપણે આપણી આસ-પાસ સકારાત્મક અભિયાન ચલાવવાં જોઇએ અને આ નિરંતર કરવા જેવું કાર્ય છે. તમે, આ વખતે બધાંને સાથે લઇને સ્વચ્છતા અને વૃક્ષારોપણ માટે કોઇક પ્રયત્ન જરૂર કરો. તમે સ્વયં છોડ વાવો અને અન્યોને પણ પ્રેરિત કરો.
મારાં વહાલાં દેશવાસીઓ, આગામી મહીનાની 21 જૂને આપણે આઠમો ‘અંતર્રાષ્ટ્રીય યોગ દિવસ’ ઊજવવાનાં છીએ. આ વખતે યોગ દિવસની થીમ – યોગા ફોર હ્યુમેનીટી – છે. હું આપ સૌને ‘યોગ દિવસ’ ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવવાનો આગ્રહ કરીશ. હાં, કોરોનાને લગતી સાવચેતીઓનું પાલન પણ કરજો. આમ તો, હવે સમગ્ર દુનિયામાં કોરોનાને લઇને પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થઇ હોય તેવું લાગે છે. વધુને વધુ વેક્સિનેશન કવરેજનાં કારણે હવે લોકો પહેલાં કરતાં વધુ બહાર નિકળી રહ્યાં છે. અને તેથી સમગ્ર દુનિયામાં ‘યોગ દિવસ’ ને લઇને ઘણી તૈયારીઓ થઈ રહેલી જોવાં મળી રહી છે.
કોરોના મહામારીએ આપણને સૌને એ અનુભવ કરાવ્યો છે કે આપણાં જીવનમાં, સ્વાસ્થ્યનું કેટલું બધું મહત્વ છે અને યોગ તેમાં કેટલું મોટું માધ્યમ છે. લોકો અનુભવી રહ્યાં છે કે યોગથી ફિઝીકલ, સ્પીરિચ્યુઅલ અને ઇન્ટલેક્ચ્યુઅલ વેલ બિઇંગમાં પણ કેટલો વધારો થાય છે. વિશ્વનાં ટોપ બિઝનેસ પર્સન્સથી લઇને ફિલ્મ અને સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ સુધી, સ્ટુડન્ટ્સથી લઇને સામાન્ય માનવી સુધી, સહુ યોગને પોતાનાં જીવનનું અભિન્ન અંગ બનાવી રહ્યાં છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સમગ્ર દુનિયામાં યોગની વધતી લોકપ્રિયતાને જોઇને તમને બધાને ખૂબ સારું લાગતું હશે. સાથીઓ, આ વખતે દેશ-વિદેશમાં ‘યોગ દિવસ’ પર થનાર કેટલાક ખૂબ જ ઇનોવેટીવ ઉદાહરણો વિશે મને જાણકારી મળી છે. તેમાંનું જ એક છે – ગાર્ડિયન રિંગ – એક ખૂબ મોટો યુનિક પ્રોગ્રામ થવાનો છે. તેમાં મુવમેન્ટ ઓફ સનને સેલિબ્રેટ કરવામાં આવશે, એટલે કે, સૂરજ જેમ-જેમ યાત્રા કરશે, ધરતીનાં ભિન્ન-ભિન્ન સ્થળોએથી, આપણે યોગનાં માધ્યમથી તેનું સ્વાગત કરીશું. અલગ-અલગ દેશોમાંનાં ઇન્ડિયન મિશન્સ ત્યાંના લોકલ ટાઇમ પ્રમાણે સૂર્યોદયનાં સમયે યોગ કાર્યક્રમનું આયોજન કરશે. એક દેશ પછી બીજાં દેશમાં કાર્યક્રમ શરૂ થશે. પૂર્વથી પશ્ચિમ સુધી નિરંતર યાત્રા ચાલતી રહેશે, અને એવી જ રીતે, કાર્યક્રમ આગળ વધતો રહેશે. આ કાર્યક્રમોની સ્ટ્રિમીંગ પણ એવી જ રીતે એક પછી એક, જોડાતી જશે, એટલે કે, આ એક રીતે રીલે યોગા સ્ટ્રિમીંગ ઇવેન્ટ હશે. તમે પણ બધાં તેને જરૂર જોજો.
સાથીઓ, આપણાં દેશમાં આ વખતે ‘અમૃત મહોત્સવ’ ને ધ્યાનમાં રાખીને દેશનાં 75 પ્રમુખ સ્થળો પર પણ ‘અંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નું આયોજન થશે.
આ અવસર પર કેટલાય સંગઠનો અને દેશવાસીઓ પોતપોતાનાં સ્તર પર પોતપોતાનાં ક્ષેત્રોની ખાસ જગ્યાઓ પર કંઇક ને કંઇક ઇનોવેટીવ કરવાની તૈયારી કરી રહ્યાં છે. હું, તમને પણ આગ્રહ કરું છું કે આ વખતે યોગ દિવસ ઊજવવા માટે, તમે, તમારા શહેર, કસ્બા અથવા ગામમાં કોઇ એવી જગ્યા પસંદ કરો જે સૌથી વિશેષ હોય. આ જગ્યા કોઇ પ્રાચીન મંદિર કે પર્યટન કેન્દ્ર હોઇ શકે છે, અથવા તો કોઇ પ્રસિદ્ધ નદી, ઝરણું અથવા તળાવનો કિનારો પણ હોઇ શકે છે. તેનાથી યોગની સાથોસાથ તમારાં વિસ્તારની ઓળખ પણ વધશે અને પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. અત્યારે ‘યોગ દિવસ’ ને લઇને 100 દિવસનું કાઉન્ટડાઉન પણ ચાલી રહ્યું છે, અથવા એમ કહો કે ખાનગી અને સામાજિક પ્રયાસો મારફત યોજાનાર કાર્યક્રમે, ત્રણ મહિના પહેલાંથી જ શરૂ થઇ ચૂક્યા છે. જેમ કે દિલ્લીમાં 100માં દિવસના અને 75માં દિવસના કાઉન્ટડાઉન પ્રોગ્રામ્સ થયાં છે. એવી જ રીતે આસામનાં શિવસાગરમાં 50માં અને હૈદરાબાદમાં 25માં કાઉન્ટડાઉન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. હું ઇચ્છું છું કે તમે પણ અત્યારથી ‘યોગ દિવસ’ ની તૈયારિયો શરૂ કરી દો. વધુને વધુ લોકોને મળો, બધાને ‘યોગ દિવસ’નાં કાર્યક્રમ સાથે જોડાવા માટે આગ્રહ કરો, પ્રેરિત કરો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે બધા ‘યોગ દિવસ’ માં ઉત્સાહભેર જોડાશો, સાથે સાથે યોગને પોતાના રોજીંદા જીવનમાં પણ અપનાવશો.
સાથીઓ, થોડાં દિવસ પહેલાં હું જાપાન ગયો હતો. મારાં કેટલાંય કાર્યક્રમો વચ્ચે મને કેટલાંક શાનદાર લોકોને મળવાનો અવસર મળ્યો. હું ‘મન કી બાત’ માં તમારી સાથે તેમનાં વિશે વાત કરવા માગું છું. તે લોકો છે તો જાપાનનાં, પરન્તુ ભારત માટે તેમને ગજબની લાગણી અને પ્રેમ છે. તેમાંના એક છે હિરોશિ કોઇકેજી, જે એક પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર છે. તમને એ જાણીને ખુશી થશે કે તેમણે મહાભારત પ્રોજેક્ટને ડિરેક્ટ કર્યો છે. આ પ્રોજેક્ટની શરૂઆત કમ્બોડિયામાં થઇ હતી અને પાછલાં નવ વર્ષોથી તે નિરંતર ચાલે છે. હિરોશિ કોઇકેજી દરેક કાર્ય ખૂબ જ નોખી રીતે કરે છે. તેઓ દર વર્ષે એશિયાનાં કોઇ એક દેશની યાત્રા કરે છે અને ત્યાંનાં લોકલ આર્ટિસ્ટ અને મ્યુજિશીયનની સાથે મહાભારતનાં કેટલાંક અંશોને પ્રોડ્યુસ કરે છે. આ પ્રોજેક્ટનાં માધ્યમથી તેમણે ભારત, કમ્બોડિયા અને ઇન્ડોનેશિયાની સહિત નવ દેશોમાં પ્રોડક્શન કર્યા છે અને સ્ટેજ પ્રર્ફોર્મન્સ પણ આપ્યા છે. હિરોશિ કોઇકેજી એવાં કલાકારોને સાથે એકત્ર કરે છે જેમનું ક્લાસિકલ અને ટ્રેડિશનલ એશિયન પરફોર્મિગ આર્ટમાં ડાયવર્સ બેકગ્રાઉન્ડ રહેલું હોય. આના કારણે તેમનાં કામમાં વિવિધ રંગો જોવા મળે છે. ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા અને જાપાનનાં પર્ફોમર્સ જાવા નૃત્ય, બાલી નૃત્ય, થાઈ નૃત્યનાં માધ્યમથી તેને વધુ આકર્ષક બનાવે છે. ખાસ વાત એ છે કે, તેમાં પ્રત્યેક પરફોર્મર પોતાની જ માતૃભાષામાં બોલે છે અને કોરિયોગ્રાફી ખૂબ સુંદર રીતે આ વિવિધતાને પ્રદર્શિત કરે છે. અને મ્યુઝિકની ડાયવર્સિટી આ પ્રોડક્શનને વધુ જીવંત બનાવી દે છે. તેમનો હેતુ એ વાતને ઊજાગર કરવાનો છે કે આપણાં સમાજમાં ડાયવર્સિટી અને કો-એક્ઝિસ્ટન્સ નું શું મહત્વ છે અને શાંતિનું રૂપ વાસ્તવમાં કેવું હોવું જોઇએ.
આ સિવાય, હું જાપાનમાં અન્ય જે બે લોકોને મળ્યો તે છે – આત્સુશિ માત્સુઓજી અને કેન્જી યોશીજી. આ બંને ટેમ પ્રોડક્શન કંપની સાથે જોડાયેલા છે. આ કંપનીનો સંબંધ રામાયણની તે જાપાની એનિમેશન ફિલ્મ સાથે છે જે 1993 માં રિલીઝ થઇ હતી. આ પ્રોજેક્ટ જાપાનનાં ખૂબ પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર યુગો સાકોજી સાથે જોડાયેલો હતો. લગભગ 40 વર્ષ પહેલાં, 1983 માં, તેમને પહેલી વાર રામાયણ વિશે જાણવા મળ્યું હતું. ‘રામાયણ’ તેમનાં હ્રદયને સ્પર્શી ગયી, ત્યાર બાદ તેમણે તેનાં પર ઊંડાણપૂર્વક રિસર્ચ શરૂ કર્યું. આટલું જ નહીં પણ તેમણે જાપાની ભાષામાં રામાયણનાં 10 વર્ઝન વાંચી નાખ્યા. અને તેઓ અહીં જ ન અટક્યા તેઓ તેને એનિમેશનમાં પણ રૂપાંતરિક કરવા માંગતા હતા. આ માટે ઇન્ડિયન એનિમેટર્સે પણ તેમની ઘણી મદદ કરી, તેમને ફિલ્મમાં દેખાડવામાં આવેલ ભારતીય રીતી-રિવાજો અને પરંપરાઓ વિશે ગાઇડ કરવામાં આવ્યાં. તેમને જણાવવામાં આવ્યું કે ભારતમાં લોકો ધોતી કેવી રીતે પહેરે છે, સાડી કેવી રીતે પહેરે છે, વાળ કેવી રીતે ઓળે છે. બાળકો પરિવારમાં અંદરોઅંદર એકબીજાનું માન-સમ્માન કેવી રીતે કરે છે, આશીર્વાદની પરંપરા શું હોય છે. સવારે ઉઠીને પોતાના ઘરનાં જે વડીલો છે તેમને પ્રણામ કરવું, તેમનાં આશીર્વાદ લેવા – આ તમામ બાબતો 30 વર્ષો પછી હવે આ એનિમેશન ફિલ્મ ફરીથી 4k માં રી-માસ્ટર કરાઈ રહી છે. આ પ્રોજેક્ટ ખૂબ ઝડપથી પૂરો થવાની સંભાવના છે. આપણાથી હજારો કિલોમીટર દૂર જાપાનમાં રહેતા લોકો, જે ન તો આપણી ભાષા જાણે છે, ન તો આપણી પરમ્પરાઓ વિશે એટલું જાણે છે, તેમ છતાં તેમનું આપણી સંસ્કૃતિ માટેનું સમર્પણ, શ્રદ્ધા, આદર ખૂબ પ્રશંસનીય છે. – કયો હિન્દુસ્તાની આ વાત માટે ગર્વ નહીં કરે ?
મારા વહાલાં દેશવાસીઓ, સ્વ થી ઉપર ઊઠીને સમાજની સેવાનો મંત્ર, સેલ્ફ ફોર સોસાયટીનો મંત્ર, આપણાં સંસ્કારોનો ભાગ છે. આપણાં દેશમાં અગણિત લોકોએ આ મંત્રને પોતાના જીવનનો ધ્યેય બનાવેલ છે. મને આંધ્રપ્રદેશમાં, મર્કાપુરમમાં રહેતાં એક સાથી, રામ ભૂપાલ રેડ્ડીજી વિશે જાણકારી મળી. તમે જાણીને અચંબામાં મૂકાશો કે રામભૂપાલ રેડ્ડીજીએ રિટાયરમેન્ટ પછી મળેલી પોતાની સંપૂર્ણ કમાણીને દિકરીઓના અભ્યાસ માટે દાન કરી દીધી છે. તેમણે લગભગ 100 જેટલી દીકરીઓ માટે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ખાતા ખોલાવ્યા અને તેમાં પોતાનાં 25 લાખથી પણ વધુ રૂપિયા જમા કરાવી દીધા. આવી જ સેવાનું અન્ય એક ઉદાહરણ યૂ.પી. માં આગરાનાં કચૌરા ગામનું છે. ઘણાં વર્ષોથી આ ગામમાં મીઠા પાણીની તંગી હતી. આ દરમિયાન, ગામનાં એક ખેડૂત કુંવરસિંહ ને ગામથી 6-7 કિલોમીટર દૂર પોતાનાં ખેતરમાં મીઠું પાણી મળી ગયું. તે તેમનાં માટે ખૂબ આનંદનો અવસર હતો. તેમણે વિચાર્યું કે આ પાણીથી ગામના બાકીનાં તમામ લોકોની સેવા કરીએ તો કેવું સારું. પરન્તુ ખેતરથી ગામ સુધી પાણી લઇ જવા માટે 30-32 લાખ રૂપિયા જોઇતા હતા. થોડાંક સમય પછી કુંવર સિંહનાં નાનાં ભાઇ શ્યામ સિંહ સેનામાંથી નિવૃત થઇને ગામ આવ્યા. તેમને આ વાત જાણવા મળી. તેમણે નિવૃતિ સમયે મળેલ પોતાની સંપૂર્ણ ધનરાશિ આ કામ માટે આપી દીધી અને ખેતરથી ગામ સુધી પાઇપલાઇન પાથરીને ગામનાં લોકો સુધી મીઠું પાણી પહોંચાડ્યું. જો ઇચ્છાશક્તિ હોય, પોતાના કર્તવ્યો પ્રત્યે ગંભીરતા હોય, તો એક વ્યક્તિ પણ કેવી રીતે સમગ્ર સમાજનું ભવિષ્ય બદલી શકે છે, આ પ્રયત્ન તે વાતની સૌથી મોટી પ્રેરણા છે.
આપણે કર્તવ્ય પથ પર ચાલીને જ સમાજને સશક્ત કરી શકીએ છીએ, દેશને સશક્ત કરી શકીએ છીએ. આઝાદીનાં આ ‘અમૃત મહોત્સવ’ માં આ જ આપણો સંકલ્પ હોવો જોઇએ અને આ જ આપણી સાધના પણ હોવી જોઇએ અને જેનો એક જ માર્ગ છે – કર્તવ્ય, કર્તવ્ય અને કર્તવ્ય.
મારાં વહાલાં દેશવાસીઓ, આજે ‘મન કી બાત’ માં આપણે સમાજ સાથે જોડાયેલાં કેટલાંય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. તમે બધા, અલગ-અલગ વિષયો સાથે જોડાયેલાં મહત્વપૂર્ણ સૂચનો મને મોકલતાં રહો છો, અને તેનાં જ આધારે આપણી ચર્ચા આગળ વધે છે. ‘મન કી બાત’ નાં આગામી સંસ્કરણ માટે પણ આપના સૂચનો મોકલવાનું ભૂલતા નહીં. હાલમાં આઝાદીનાં અમૃત મહોત્સવ સાથે જોડાયેલ જે કાર્યક્રમ ચાલી રહ્યાં છે, જે આયોજનોમાં તમે ઉપસ્થિત રહો છો, તે વિષય સંદર્ભે પણ મને જરૂર જણાવજો. Namo app અને MyGov પર હું તમારા સૂચનોની રાહ જોઇશ. આવતી વખતે આપણે ફરી એકવાર મળીશું, ફરીથી દેશવાસીઓ સાથે જોડાયેલ આવાં જ વિષયો પર વાતો કરીશું. તમે, તમારું ધ્યાન રાખજો અને તમારી આસપાસના તમામ જીવજંતુઓનો પણ ખ્યાલ રાખજો. ઉનાળાની આ ઋતુમાં તમે પશુ-પક્ષીઓ માટે દાણાં-પાણી આપવાનું તમારું માનવીય દાયિત્વ પણ નિભાવતા રહો – તે જરૂર યાદ રાખજો, ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
નવા વિષયો સાથે, નવાં પ્રેરક ઉદાહરણો સાથે, નવા-નવા સંદેશાઓને સમેટીને એક વાર ફરી હું તમારી સાથે ‘મન કી બાત’ કરવા આવ્યો છું. શું તમને ખબર છે કે આ વખતે મને સૌથી વધુ પત્રો અને સંદેશ કયા વિષય પર મળ્યા છે? એ વિષય એવો છે જે ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય સાથે જોડાયેલો છે. હું વાત કરી રહ્યો છું દેશને મળેલા પ્રધાનમંત્રીસંગ્રહાલયની. આ ૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પર પ્રધાનમંત્રીસંગ્રહાલયનું લોકાર્પણ થયું છે. તેને દેશના નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એક શ્રોતા છે શ્રીમાન સાર્થકજી, તેઓ ગુરુગ્રામ રહે છે અને પહેલી તક મળતા જ તેઓ પ્રધાનમંત્રીસંગ્રહાલય જોવા આવ્યા છે. સાર્થકજીએ Namo App પર જે સંદેશ મને લખ્યો છે તે ખૂબ જ રસપ્રદ છે. તેમણે લખ્યું છે કે તેઓ વર્ષોથી સમાચાર ચેનલો જુએ છે, સમાચારપત્રો વાંચે છે, સૉશિયલ મિડિયા સાથે પણ જોડાયેલા છે, આથી તેમને લાગતું હતું કે તેમનું સામાન્ય જ્ઞાન સારું હશે, પરંતુ જ્યારે તેઓ પી. એમ. સંગ્રહાલય ગયા તો તેમને ખૂબ જ આશ્ચર્ય થયું, તેમને અનુભવાયું કે તેઓ પોતાના દેશ અને દેશનું નેતૃત્વ કરનારા લોકો વિશે ઘણું બધું જાણતા જ નથી. તેમણે પી. એમ. સંગ્રહાલયની કેટલીક એવી ચીજો વિશે લખ્યું છે જે તેમની જિજ્ઞાસાને વધારનારી હતી, જેમ કે તેમને લાલબહાદુર શાસ્ત્રીજીનો તે ચરખો જોઈને ઘણી ખુશી થઈ, જે તેમને સાસરિયા પક્ષ તરફથી ભેટ મળ્યો હતો. તેમણે શાસ્ત્રીજીની પાસબુક પણ જોઈ અને એ પણ જોયું કે તેમની પાસે કેટલી ઓછી બચત હતી. સાર્થકજીએ લખ્યું છે કે તેમને એ પણ નહોતી ખબર કે મોરારજીભાઈ દેસાઈ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાતા પહેલાં ગુજરાતમાં નાયબ કલેક્ટર હતા. પ્રશાસનિક સેવામાં તેમની એક લાંબી કારકિર્દી રહી છે. સાર્થકજી, ચૌધરી ચરણસિંહજી વિશે લખે છે કે તેમને ખબર જ નહોતી કે જમીનદારી ઉન્મૂલન ક્ષેત્રમાં ચૌધરી ચરણસિંહજીનું ખૂબ જ મોટું યોગદાન હતું. એટલું જ નહીં, તેઓ વધુમાં લખે છે કે જ્યારે જમીન સુધારાના વિષયમાં ત્યાં તેમણે જોયું કે
શ્રીમાન પી. વી. નરસિમ્હારાવજી જમીન સુધારાના કામમાં ખૂબ જ ગાઢ રૂચિ લેતા હતા.સાર્થકજીને પણ આ મ્યૂઝિયમમાં આવીને જ ખબર પડી કે ચંદ્રશેખરજીએ ૪ હજાર કિલોમીટરથી વધુ પગપાળા ચાલીને ઐતિહાસિક ભારત યાત્રા કરી હતી. તેમણે જ્યારે સંગ્રહાલયમાં એ ચીજોને જોઈ જે અટલજી ઉપયોગ કરતા હતા, તેમનાં ભાષણોને સાંભળ્યાં તો તેઓ ગર્વાન્વિત થઈ ગયા. સાર્થકજીએ એ પણ કહ્યું કે આ સંગ્રહાલયમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડૉ. આંબેડકર, જયપ્રકાશ નારાયણ અને આપણા પ્રધાનમંત્રીજવાહરલાલ નહેરુ વિશે પણ ઘણી રોચક જાણકારીઓ છે.
સાથીઓ, દેશના વડા પ્રધાનોના યોગદાનને યાદ કરવા માટે સ્વતંત્રતાના અમૃત મહોત્સવથી વધુ સારો સમય કયો હોઈ શકે? દેશ માટે ગૌરવની વાત છે કે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એક જન આંદોલનનું રૂપ લઈ રહ્યો છે. ઇતિહાસ વિશે લોકોનો રસ ઘણો વધી રહ્યો છે અને તેવામાં પી. એમ. મ્યૂઝિયમ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જે દેશના અણમોલ વારસા સાથે તેમને જોડી રહ્યું છે.
એમ તો, સાથીઓ, જ્યારે સંગ્રહાલય વિશે તમારી સાથે આટલી વાતો થઈ રહી છે તો મને મન થયું કે હું પણ તમને કેટલાક પ્રશ્નો કરું. જોઈએ કે તમારું સામાન્ય જ્ઞાન કેટલું છે? તમને કેટલી જાણકારી છે? મારા નવયુવાન સાથીઓ, તમે તૈયાર છો? કાગળ, કલમ હાથમાં લઈ લીધાં? હવે હું તમને જે પૂછવા જઈ રહ્યો છું તેનો ઉત્તર Namo App કે સૉશિયલ મિડિયા પર #museumquiz સાથે શૅર કરી શકો છો અને અવશ્ય કરો. મારો તમને અનુરોધ છે કે તમે આ બધા પ્રશ્નોના જવાબ જરૂર આપો. તેનાથી દેશભરના લોકોને સંગ્રહાલય વિશે રસ વધુ વધશે. શું તમે જાણો છો કે દેશના કયા શહેરમાં એક પ્રસિદ્ધ રેલવે સંગ્રહાલય છે, જ્યાં છેલ્લાં ૪૫ વર્ષથી લોકોને ભારતીય રેલવેના વારસાને જોવાની તક મળે છે? હું તમને એક સંકેત આપું છું. તમે અહીં Fairy Queen, Saloon Of Prince Of Walesથી લઈને Fireless Steam Locomotive પણ જોઈ શકો છો. શું તમે જાણો છો કે મુંબઈમાં એ કયું સંગ્રહાલય છે જ્યાં આપણને બહુ જ રોચક રીતે ચલણ (કરન્સી)નો વિકાસ (ઇવૉલ્યૂશન) જોવા મળે છે?
અહીં ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિના સિક્કા હાજર છે તો બીજી તરફ ઇ-મની પણ હાજર છે. ત્રીજો પ્રશ્ન. વિરાસત એ ખાલસા આ સંગ્રહાલય સાથે જોડાયેલી છે. શું તમે જાણો છો કે આ સંગ્રહાલય પંજાબના કયા શહેરમાં આવેલું છે? પતંગબાજીમાં તો તમને સહુને ખૂબ જ આનંદ આવતો હશે, આગલો પ્રશ્ન તેની સાથે જોડાયેલો છે. દેશનું એક માત્ર પતંગ સંગ્રહાલય ક્યાં છે? ચાલો, હું તમને એક સંકેત આપું છું. અહીં જે સૌથી મોટો પતંગ રાખ્યો છે તેનો આકાર ૨૨ x (ગુણ્યા/બાય)૧૬ ફૂટ છે. કંઈ ખબર પડી કે નહીં? નહીં? તો એક વધુ ચીજ કહું છું. તે જે શહેરમાં છે તેનો બાપુ સાથે વિશેષ સંબંધ રહ્યો છે. બાળપણમાં ટપાલ ટિકિટોના સંગ્રહનો શોખ કોને નથી હોતો. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં ટપાલ ટિકિટ સાથે જોડાયેલું નેશનલ મ્યૂઝિયમ ક્યાં છે? હું તમને એક વધુ પ્રશ્ન કરું છું. ગુલશન મહલ નામના ભવનમાં કયું મ્યૂઝિયમછે? તમારા માટે સંકેત એ છે કે આ સંગ્રહાલયમાં તમે ફિલ્મના નિર્દેશક પણ બની શકો છો, કેમેરા, એડિટિંગની ઝીણામાં ઝીણી બાબતોને પણ જોઈ શકો છો. અચ્છા, શું તમે એવા કોઈ સંગ્રહાલય વિશે જાણો છો જે ભારતના કાપડ સાથે જોડાયેલા વારસાની ઉજવણી કરે છે? આ સંગ્રહાલયમાં મિનિયેચર પેઇન્ટિંગ્સ, જૈન મેનૂસ્ક્રિપ્ટ્સ, સ્કલ્પ્ચર, ઘણું બધું છે. તે પોતાના અનોખા પ્રદર્શન માટે પણ જાણીતું છે.
સાથીઓ, ટૅક્નૉલૉજીના આ સમયમાં તમારા માટે જવાબ શોધવો ઘણો સરળ છે. આ પ્રશ્નો મેં એટલા માટે પૂછ્યા જેથી આપણી નવી પેઢીમાં જિજ્ઞાસા વધે, તેઓ તેના વિશે વધુ વાંચે, તેમને જોવા જાય. હવે તો સંગ્રહાલયના મહત્ત્વના કારણે અનેક લોકો, પોતે આગળ આવીને, મ્યૂઝિયમ માટે ઘણું દાન પણ કરી રહ્યા છે. ઘણા લોકો પોતાના જૂના કલેક્શનને, ઐતિહાસિક વસ્તુઓને પણ મ્યૂઝિયમને દાનમાં આપી રહ્યા છે. તમે જ્યારે આવું કરો છો તે એક રીતે તમે એક સાંસ્કૃતિક મૂડીને સમગ્ર સમાજ સાથે વહેંચો છો. ભારતમાં પણ લોકો હવે તેના માટે આગળ આવી રહ્યા છે. હું, આવા બધા ખાનગી પ્રયાસોની પણ પ્રશંસા કરું છું. આજે બદલાતા સમયમાં અને કૉવિડ પ્રૉટૉકૉલના કારણે મ્યૂઝિયમમાં નવી રીતભાત અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મ્યૂઝિયમમાં ડિજિટાઇઝેશન પર પણ ધ્યાન વધ્યું છે.
તમે બધા જાણો છો કે ૧૮ મેએ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવશે. તેને જોતાં, મારા યુવાન સાથીઓ માટે મારી પાસે એક આઇડિયા છે. આવનારા રજાના દિવસોમાં, તમે તમારી મિત્રોની મંડળી સાથે, કોઈ સ્થાનિક મ્યૂઝિયમ જોવા જાવ તો કેવું? તમે તમારો અનુભવ #MuseumMemories ની સાથે જરૂર શૅર કરો. તમે આવું કરશો તો બીજાના મનમાં પણ સંગ્રહાલય વિશે જિજ્ઞાસા વધશે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે તમારા જીવનમાં ઘણા સંકલ્પ લેતા હશો. તેમને પૂરા કરવા માટે પરિશ્રમ પણ કરતા હશો. સાથીઓ, પરંતુ તાજેતરમાં જ, મને એવા સંકલ્પ વિશે જાણવા મળ્યું, જે ખરેખર ઘણો અલગ હતો, ઘણો અનોખો હતો. આથી મેં વિચાર્યું કે ‘મન કી બાત’ના શ્રોતાઓને તે જરૂર જણાવું.
સાથીઓ, શું તમે વિચારી શકો છો કે કોઈ પોતાના ઘરેથી એવો સંકલ્પ લઈને નીકળે કે આજે દિવસભર તે આખું શહેર ફરશે અને એક પણ પૈસાની લેવડદેવડ રોકડમાં નહીં કરે? કેશમાં નહીં કરે? છે ને રસપ્રદ સંકલ્પ? દિલ્લીની બે દીકરીઓ સાગરિકા અને પ્રેક્ષાએ આવા જ કેશલેસ ડે આઉટનો એક્સ્પેરિમેન્ટ કર્યો. સાગરિકા અને પ્રેક્ષા દિલ્લીમાં જ્યાં પણ ગઈ, તેમને ડિજિટલ પેમેન્ટની સુવિધા મળી ગઈ. યુપીઆઈ ક્યૂઆર કૉડના કારણે તેમને રોકડા કાઢવાની જરૂર જ ન પડી. ત્યાં સુધી કે સ્ટ્રીટ ફૂડ અને લારી પર પણ મોટા ભાગની જગ્યાએ તેમને ઑનલાઇન લેવડદેવડની સુવિધા મળી.
સાથીઓ, કોઈ કહેશે કે આ તો દિલ્લી છે, મેટ્રૉ સિટી છે, ત્યાં તો આ બધું સરળ છે. પરંતુ એવું નથી કે યુપીઆઈનો આ પ્રસાર માત્ર દિલ્લી જેવાં મોટાં શહેરો પૂરતો જ સીમિત છે. એક સંદેશ મને ગાઝિયાબાદથી આનંદિતા ત્રિપાઠીનો પણ મળ્યો છે. આનંદિતા ગયા સપ્તાહે પોતાના પતિની સાથે નૉર્થ ઇસ્ટ ફરવા ગયાં હતાં. તેમણે આસામથી લઈને મેઘાલય અને અરુણાચલ પ્રદેશના તવાંગ સુધી પોતાની મુસાફરીનો અનુભવ મને જણાવ્યો. તમને એ જાણીને સુખદ આશ્ચર્ય થશે કે અનેક દિવસોની આ મુસાફરીમાં અંતરિયાળ વિસ્તારોમાં પણ તેમને રોકડા કાઢવાની જરૂરિયાત જ ન પડી. જે જગ્યાઓ પર કેટલાંક વર્ષો પહેલાં સુધી ઇન્ટરનેટની સુવિધા પણ નહોતી,
ત્યાં પણ હવે યુપીઆઈથી પેમેન્ટની સુવિધા હાજર છે. સાગરિકા, પ્રેક્ષા અને આનંદિતાના અનુભવોને જોઈને હું તમને પણ અનુરોધ કરીશ કે કેશલેસ ડે આઉટનો ઍક્સ્પેરિમેન્ટ કરી જુઓ, જરૂર કરો.
સાથીઓ, ગત કેટલાંક વર્ષોમાં ભીમ યુપીઆઈ ઝડપથી આપણા અર્થતંત્ર અને ટેવોનો ભાગ બની ગઈ છે. હવે તો નાનાં-નાનાં શહેરોમાં અને મોટા ભાગનાં ગામોમાં પણ લોકો યુપીઆઈથી જ લેવડદેવડ કરે છે. ડિજિટલ ઇકૉનૉમીથી દેશમાં એક સંસ્કૃતિ પણ જન્મી રહી છે. ગલી-વિસ્તારોની નાની-નાની દુકાનોમાં ડિજિટલ પેમેન્ટ હોવાના કારણે તેમને વધુમાં વધુ ગ્રાહકોને સર્વિસ દેવાનું સરળ થઈ ગયું છે. તેમને હવે છુટ્ટા પૈસાની પણ તકલીફ નથી થતી. તમે પણ યુપીઆઈની સુવિધા રોજિંદા જીવનમાં અનુભવતા હશો. ક્યાંય પણ જાવ, રોકડા લઈને જવાની, બૅંક જવાની, ઍટીએમ શોધવાની ઝંઝટ નથી રહી. મોબાઇલથી જ બધાં પેમેન્ટ થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા આ નાનાં-નાનાં ઑનલાઇન પેમેન્ટથી દેશમાં કેટલી મોટી ડિજિટલ ઇકૉનૉમી તૈયાર થઈ છે? આ સમયે આપણા દેશમાં લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાની લેવડદેવડ દરરોજ થઈ રહી છે. ગત માર્ચ મહિનામાં તો યુપીઆઈ લેવડદેવડ લગભગ ૧૦ લાખ કરોડ સુધી પહોંચી ગઈ. તેનાથી દેશમાં સુવિધા પણ વધી રહી છે અને પ્રમાણિકતાનું વાતાવરણ પણ બની રહ્યું છે. હવે તો દેશમાં Fin-Techસાથે જોડાયેલાં અનેક નવાં સ્ટાર્ટ-અપ પણ આગળ વધી રહ્યાં છે. હું ઈચ્છીશ કે જો તમારી પાસે પણ ડિજિટલ પેમેન્ટ અને સ્ટાર્ટ અપ ઇકૉ સિસ્ટમની આ શક્તિ સાથે જોડાયેલા કોઈ અનુભવ હોય તો તેમને જણાવો. તમારા અનુભવ બીજા અનેક દેશવાસીઓ માટે પ્રેરણા બની શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ટૅક્નૉલૉજીની આ શક્તિ સામાન્ય લોકોનું જીવન બદલી રહી છે, તે આપણને આપણી આસપાસ સતત દેખાઈ રહ્યું છે. ટૅક્નૉલૉજીએ એક બીજું મોટું કામ કર્યું છે. આ કામ છે દિવ્યાંગ સાથીઓની અસાધારણ ક્ષમતાનો લાભ, દેશ અને દુનિયાને અપાવવાનો. આપણાં દિવ્યાંગ ભાઈ-બહેન શું કરી શકે છે તે આપણે ટૉકિયો પેરાલિમ્પિક્સમાં જોયું છે. રમતની જેમ જ કળા, શિક્ષણ અને બીજાં અનેક ક્ષેત્રોમાં દિવ્યાંગ સાથીઓ કમાલ કરી રહ્યા છે. પરંતુ જ્યારે આ સાથીઓને ટૅક્નૉલૉજીની તાકાત મળી જાય છે,
તો તેઓ વધુમોટાં શિખર સર કરી શકે છે. આથી દેશ આજકાલ સતત સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દિવ્યાંગો માટે સુલભ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. દેશમાં એવાં અનેક સ્ટાર્ટ અપ્સ અને સંગઠન પણ છે જે આ દિશામાં પ્રેરણાદાયી કામ કરી રહ્યાં છે. આવી જ એક સંસ્થા છે- Voice Of Specially-abled people, આ સંસ્થા assistive technologyના ક્ષેત્રમાં નવા અવસરોને પ્રમૉટ કરે છે. જે દિવ્યાંગ કલાકાર છે તેમના કામને, દુનિયા સુધી પહોંચાડવા માટે એક નવીન શરૂઆત પણ કરવામાં આવી છે. Voice Of Specially-abledpeopleના આ કલાકારોનાં ચિત્રોની ડિજિટલ આર્ટ ગેલેરી તૈયાર કરી છે. દિવ્યાંગ સાથી કઈ રીતે અસાધારણ પ્રતિભા ધરાવતા હોય છે અને તેમની પાસે કેટલી અસાધારણ ક્ષમતા હોય છે- આ આર્ટ ગેલેરી તેનું ઉત્તમ ઉદાહરણ છે. દિવ્યાંગ સાથીઓના જીવનમાં કેવા-કેવા પડકારો હોય છે, તેમાંથી નીકળીને તેઓ ક્યાં સુધી પહોંચે છે! આવા અનેક વિષયોને આ ચિત્રોમાં તમે અનુભવી શકો છો. તમે પણ જો કોઈ દિવ્યાંગ સાથીને જાણતા હો, તેમની પ્રતિભાને જાણતા હો તો ડિજિટલ ટૅક્નૉલૉજીની મદદથી તેને દુનિયા સામે લાવી શકો છો. જે દિવ્યાંગ સાથી છે તે પણ આ પ્રકારના પ્રયાસો સાથે જરૂર જોડાય.
મારા પ્રિય દેશવાસીઓ, દેશના મોટા ભાગના હિસ્સામાં ગરમી ખૂબ ઝડપથી વધી રહી છે. વધી રહેલી ગરમી, પાણી બચાવવાની આપણી જવાબદારીને પણ એટલી જ વધારી દે છે. બની શકે કે તમે જ્યાં હો ત્યાં પર્યાપ્ત માત્રામાં પાણી ઉપલબ્ધ હોય. પરંતુ તમારે એ કરોડો લોકોને હંમેશાં યાદ રાખવાના છે જે જળ સંકટવાળાં ક્ષેત્રોમાં રહે છે, જેમના માટે પાણીનું એક-એક ટીપું અમૃત સમાન હોય છે.
સાથીઓ, આ સમયે સ્વતંત્રતાનાં ૭૫મા વર્ષમાં, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં, દેશ જે સંકલ્પો સાથે આગળ વધી રહ્યો છે, તેમાં એક જળ સંરક્ષણ પણ છે. અમૃત મહોત્સવ દરમિયાન દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવામાં આવશે.
તમે કલ્પના કરી શકો છો કે કેટલું મોટું અભિયાન છે? તે દિવસો દૂર નથી જ્યારે તમારાં પોતાનાં શહેરોમાં ૭૫ અમૃત સરોવર હશે. હું, તમને સહુને, અને ખાસ કરીને, યુવાનો પાસેથી ઈચ્છીશ કે તેઓ આ અભિયાન વિશે જાણે અને તેમની જવાબદારી પણ ઉઠાવે. જો તમારા ક્ષેત્રમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલો કોઈ ઇતિહાસ હોય, કોઈ સેનાનીની સ્મૃતિ હોય તો તેને પણ અમૃત સરોવર સાથે જોડી શકો છો. એમ તો, મને એ જાણીને સારું લાગ્યું કે અમૃત સરોવરનો સંકલ્પ લીધા પછી અનેક સ્થળો પર ઝડપથી કામ શરૂ થઈ ચૂક્યું છે. મને યુપીના રામપુરની ગ્રામ પંચાયત પટવાઈ વિશે જાણવા મળ્યું છે. ત્યાં ગ્રામ સભાની ભૂમિ પર એક તળાવ હતું, પરંતુ તે ગંદકી અને કચરાના ઢગલાથી ખદબદતું હતું. છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં, ઘણી મહેનત કરીને, સ્થાનિક લોકોની મદદથી, સ્થાનિક શાળાનાં બાળકોની મદદથી, તે ગંદા તળાવનો કાયાકલ્પ થઈ ગયો છે. હવે, તે સરોવરના કિનારે રિટેઇનિંગ વૉલ, ચાર દીવાલો, ફૂડ કૉર્ટ, ફૂવારા અને લાઇટિંગની પણ ન જાણે, કેટ-કેટલી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હું રામપુરની પટવાઈ ગ્રામ પંચાયતને, ગામના લોકોને, ત્યાંનાં બાળકોના આ પ્રયાસ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
સાથીઓ, પાણીની ઉપલબ્ધતા અને પાણીની તંગી, આ કોઈ પણ દેશની પ્રગતિ અને ગતિને નિર્ધારિત કરે છે. તમે પણ અવલોકન કર્યું હશે કે ‘મન કી બાત’માં, હું, સ્વચ્છતા જેવા વિષયો સાથે વારંવાર જળ સંરક્ષણની વાત જરૂર કરું છું. આપણા ગ્રંથમાં તો સ્પષ્ટ રૂપે કહેવાયું છે કે-
पानियम् परमम् लोके, जीवानाम् जीवनम् समृतम ।।
અર્થાત્, સંસારમાં, જળ જ, દરેક જીવના, જીવનનો આધાર છે અને જળ જ સૌથી મોટું સંસાધન પણ છે. આથી તો આપણા પૂર્વજોએ જળ સંરક્ષણ પર આટલું જોર આપ્યું. વેદોથી લઈને પુરાણો સુધી, દરેક જગ્યાએ પાણી બચાવવા માટે, તળાવ, સરોવર વગેરે બનાવવાને, મનુષ્યનું સામાજિક અને આધ્યાત્મિક કર્તવ્ય બતાવવામાં આવ્યું છે. વાલ્મીકિ રામાયણમાં જળ સ્ત્રોતોને જોડવા પર, જળ સંરક્ષણ પર, વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આ જ રીતે, ઇતિહાસના સ્ટુડન્ટ્સ જાણતા હશે કે સિન્ધુ સરસ્વતી અને હડપ્પા સભ્યતા દરમિયાન પણ ભારતમાં પાણી સંબંધે કેટલી વિકસિત એન્જિનિયરિંગ હતી. પ્રાચીન કાળમાં અનેક શહેરોમાં જળ સ્રોતોની પરસ્પર ઇન્ટર કનેક્ટેડ સિસ્ટમ રહેતી હતી, અને આ તે સમય હતો જ્યારે વસતિ એટલી બધી નહોતી. પ્રાકૃતિક સંસાધનોની પણ તંગી નહોતી. એક રીતે, વિપુલતા હતી, તેમ છતાં, જળ સંરક્ષણ વિશે, ત્યારે, જાગૃતિ સૌથી વધુ હતી. પરંતુ આજે સ્થિતિ તેનાથી વિપરીત છે. મારો તમને સહુને અનુરોધ છે, તમે તમારા વિસ્તારના આવાં જૂનાં તળાવો, કૂવા અને સરોવરો વિશે જાણો. અમૃત સરોવર અભિયાનના કારણે જળ સંરક્ષણની સાથોસાથ તમને વિસ્તારની ઓળખ પણ થશે. તેનાથી શહેરોમાં, વિસ્તારોમાં, સ્થાનિક પર્યટનનાં સ્થળ પણ વિકસિત થશે. લોકોને હરવા-ફરવાની પણ એક જગ્યા મળશે.
સાથીઓ, જળ સાથે જોડાયેલો દરેક પ્રયાસ આપણી કાલ સાથે જોડાયેલો છે. તેમાં સમગ્ર સમાજની જવાબદારી હોય છે. તેના માટે સદીઓથી અલગ-અલગ સમાજ, અલગ-અલગ પ્રયાસ સતત કરતા આવ્યા છે. જેમ કે ‘કચ્છના રણ’ની એક જનજાતિ ‘માલધારી’ જળ સંરક્ષણ માટે ‘વૃદાસ’ નામનો ઉપયોગ કરે છે. તેના હેઠળ નાના કૂવા બનાવવામાં આવે છે અને તેના બચાવ માટે આસપાસ ઝાડ લગાવવામાં આવે છે. આ જ રીતે મધ્ય પ્રદેશની ભીલ જનજાતિએ પોતાની એક ઐતિહાસિક પરંપરા ‘હલમા’ને જળ સંરક્ષણ માટે ઉપયોગ કરી છે. આ પરંપરા હેઠળ આ જનજાતિના લોકો પાણી સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉપાય શોધવા માટે એક જગ્યાએ એકત્રિત થાય છે. હલમા પરંપરાથી મળેલાં સૂચનોના કારણે આ ક્ષેત્રમાં પાણીનું સંકટ ઓછું થયું છે અને ભૂગર્ભ જળનું સ્તર પણ વધી રહ્યું છે.
સાથીઓ, આવા જ કર્તવ્યનો ભાવ જો બધાના મનમાં આવી જાય તો જળ સંકટ સાથે જોડાયેલા મોટામાં મોટા પડકારનો ઉકેલ આવી શકે છે. આવો, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં આપણે જળ સંરક્ષણ અને જીવન સંરક્ષણનો સંકલ્પ લઈએ.
આપણે ટીપું-ટીપું જળ બચાવીશું અને દરેક જીવન બચાવીશું.
મારા પ્રિય દેશવાસીઓ, તમે જોયું હશે કે કેટલાક દિવસો પહેલાં મેં મારા યુવાન મિત્રો સાથે, સ્ટુડન્ટ્સ સાથે ‘પરીક્ષા પર ચર્ચા’ કરી હતી. આ ચર્ચા દરમિયાન કેટલાક સ્ટુડન્ટ્સે કહ્યું કે તેમને એક્ઝામમાં ગણિતથી ડર લાગે છે. આ પ્રકારની વાત અનેક વિદ્યાર્થીઓએ મને પોતાના સંદેશમાં પણ મોકલી હતી. તે સમયે જ મેં એવું નક્કી કર્યું હતું કે ગણિત-મેથેમેટિક્સ પર હું આ વખતે ‘મન કી બાત’માં જરૂર ચર્ચા કરીશ.
સાથીઓ, ગણિત તો એવો વિષય છે જેના વિશે આપણે ભારતીયોએ સૌથી વધુ સહજ હોવું જોઈએ. છેવટે, ગણિત અંગે સમગ્ર દુનિયાને સૌથી વધુ શોધ અને યોગદાન ભારતના લોકોએ જ તો આપ્યું છે. શૂન્ય, અર્થાત્, ઝીરોની શોધ અને તેના મહત્ત્વ વિશે તમે ઘણું સાંભળ્યું પણ હશે. ઘણી વાર, તમે એમ પણ સાંભળતા હશો કે જો ઝીરોની શોધ ન થઈ હોત તો કદાચ આપણે, દુનિયાની આટલી વૈજ્ઞાનિક પ્રગતિ પણ ન જોઈ શક્યા હોત. કેલ્ક્યુલસથી લઈને કમ્પ્યૂટર્સ સુધી – આ બધી વૈજ્ઞાનિક શોધ ઝીરો પર જ તો આધારિત છે. ભારતના ગણિતજ્ઞો અને વિદ્વાનોએ ત્યાં સુધી લખ્યું છે કે
यत् किंचित वस्तु तत सर्व, गणितेन बिना नहि !
અર્થાત્, આ સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ પણ છે તે બધું જ ગણિત પર જ આધારિત છે. તમે વિજ્ઞાનનો અભ્યાસ યાદ કરો, તો તેનો અર્થ તમને સમજાઈ જશે. વિજ્ઞાનનો દરેક પ્રિન્સિપલ એક મેથેમેટિકલ ફૉર્મ્યુલામાં જ તો વ્યક્ત કરાય છે. ન્યૂટનના લૉઝ હોય, આઇનસ્ટાઇનનું ફેમસ ઇક્વેશન, બ્રહ્માંડ સાથે જોડાયેલું આખું વિજ્ઞાન એક ગણિત જ તો છે. હવે તો વૈજ્ઞાનિક પણ થિયરી ઑફ એવરીથિંગની પણ ચર્ચા કરે છે. અર્થાત્, એક એવી સિંગલ ફૉર્મ્યૂલા જેનાથી બ્રહ્માંડની દરેક ચીજને અભિવ્યક્ત કરી શકાય. ગણિતની મદદથી વૈજ્ઞાનિક સમજના આટલા વિસ્તારની કલ્પના આપણા ઋષિઓએ હંમેશાં કરી છે. આપણે જો શૂન્યનો આવિષ્કાર કર્યો તો સાથે જ અનંત, અર્થાત્ ઇન્ફાનાઇટને પણ ઍક્સ્પ્રેસ કર્યું છે. સામાન્ય બોલચાલમાં જ્યારે આપણે સંખ્યાઓ અને નંબર્સની વાત કરીએ છીએતો મિલિયન, બિલિયન અને ટ્રિલિયન સુધી બોલીએ અને વિચારીએ છીએ,
પરંતુ વેદોમાં અને ભારતીય ગણિતમાં આ ગણના ઘણે આગળ સુધી જાય છે. આપણે ત્યાં એક જૂનો શ્લોક પ્રચલિત છે-
एकं दशं शतं चैव, सहस्त्रम अयुतं तथा ।
लक्षं च नियुंत चैव, कोटि: अर्बुदम् एव च ।।
वृन्दं खर्वो निखर्व: च, शंख: पद्म: च सागर: ।
अन्त्यं मध्यं परार्ध: च, दश वृद्ध्या यथा क्रमम् ।।
આ શ્લોકમાં સંખ્યાનો ઑર્ડર જણાવવામાં આવ્યો છે. જેમ કે,
એક, દસ, સો, હજાર અને અયુત ।
લાખ, નિયુત, અને કોટિ એટલે કે કરોડ ।
આ પ્રકારે આ સંખ્યા જાય છે- શંખ, પદ્મ અને સાગર સુધી. એક સાગરનો અર્થ થાય છે ૧૦ની પાવર ૫૭. એટલું જ નહીં, તેનાથી આગળ પણ, ઓધ અને મહોધ જેવી સંખ્યાઓ હોય છે. એક મહોધ હોય છે- ૧૦ની પાવર ૬૨ જેટલું અર્થાત એકની આગળ ૬૨ શૂન્ય, સિક્સ્ટી ટુ ઝીરો. આપણે આટલી મોટી સંખ્યાની કલ્પના પણ મગજમાં કરીએ છીએ તો મુશ્કેલી થાય છે, પરંતુ ભારતીય ગણિતમાં તેનો પ્રયોગ હજારો વર્ષોથી થતો આવ્યો છે. હમણાં કેટલાક દિવસો પહેલાં જ મને ઇન્ટેલ કંપનીના સીઇઓ મળ્યા હતા. તેમણે મને એક પેઇન્ટિંગ આપ્યું હતું જેમાં પણ વામન અવતારના માધ્યમથી ગણના અથવા માપની આવી જ એક પદ્ધતિનું ભારતીય પદ્ધતિનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. ઇન્ટેલનું નામ આવ્યું તો કમ્પ્યૂટર તમારા મગજમાં આપોઆપ આવી ગયું હશે. કમ્પ્યૂટરની ભાષામાં તમે બાઇનરી સિસ્ટમ વિશે પણ સાંભળ્યું હશે, પરંતુ, શું તમને ખબર છે કે આપણા દેશમાં આચાર્ય પિંગળા જેવા ઋષિ થયા હતા, જેમણે બાઇનરીની કલ્પના કરી હતી. આ જ રીતે આર્યભટ્ટથી લઈને રામાનુજન જેવા ગણિતજ્ઞો સુધી ગણિતના અનેક સિદ્ધાંતો પર આપણે ત્યાં કામ થયું છે.
સાથીઓ, આપણે ભારતીયો માટે ગણિત ક્યારેય મુશ્કેલ વિષય નથી રહ્યો, તેનું એક મોટું કારણ આપણું વૈદિક ગણિત પણ છે.
આધુનિક કાળમાં વૈદિક ગણિતનો શ્રેય જાય છે- શ્રી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજને. તેમણે કેલ્ક્યુલેશનની પ્રાચીન રીતોને રિવાઇવ કરી અને તેને વૈદિક ગણિત નામ આપ્યું. વૈદિક ગણિતની સૌથી ખાસ વાત એ છે કે તેના દ્વારા તમે અઘરામાં અઘરી ગણતરીઓ આંખ પટપટાવતા સુધીમાં મનમાં જ કરી લો છો. આજ કાલ તો સૉશિયલ મિડિયા પર વૈદિક ગણિત શીખવા અને શીખવનારા આવા અનેક યુવાનોના વિડિયો પણ તમે જોયા હશે.
સાથીઓ, આજે ‘મન કી બાત’માં વૈદિક ગણિત શીખવનારા એક આવા જ સાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ સાથી છે કોલકાતાના ગૌરવ ટેકરીવાલજી. અને તેઓ છેલ્લા બે-અઢી દાયકાથી વૈદિક મેથેમેટિક્સ આ મૂવમેન્ટને ખૂબ જ સમર્પિત ભાવથી આગળ વધારી રહ્યા છે. આવો, તેમની સાથે કેટલીક વાતો કરીએ.
મોદીજી- ગૌરવજી, નમસ્તે.
ગૌરવ- નમસ્તે સર.
મોદીજી- મેં સાંભળ્યું છે કે તમે વૈદિક મેથ્સમાં ઘણી રૂચિ ધરાવો છો, ઘણું બધું કરો છો. તો પહેલા તો હું તમારા વિષયમાં કંઈક જાણવા ઈચ્છીશ અને પછી આ વિષયમાં તમારી રૂચિ કેમ છે, જરા બતાવો.
ગૌરવ- સર, જ્યારે હું વીસ વર્ષ પહેલાં, જ્યારે બિઝનેસ સ્કૂલ માટે એપ્લાય કરી રહ્યો હતો તો તેની કમ્પિટિટિવ ઍક્ઝામ આપવાની રહેતી જેનું નામ હતું કેટ. તેમાં ઘણા બધા ગણિતના પ્રશ્નો પૂછાતા. તેના જવાબ ઓછામાં ઓછા સમયમાં આપવા પડતા હતા. તો મારી માતાએ મને એક બુક લાવીને આપી જેનું નામ હતું વૈદિક ગણિત. સ્વામી શ્રી ભારતીકૃષ્ણ તીર્થજી મહારાજે તે બુક લખી હતી. અને તેમાં તેમણે ૧૬ સૂત્રો આપ્યાં હતાં. જેમાં ગણિત ખૂબ જ સરળ અને ખૂબ જ ઝડપી થઈ જતું હતું. જ્યારે મેં તે વાંચ્યું તો મને ખૂબ જ પ્રેરણા મળી અને પછી મારી રૂચિ જાગૃત થઈ મેથેમેટિક્સમાં. મને સમજાયું કે તે સબ્જેક્ટ જે ભારતની ભેટ છે, જે આપણો વારસો છે, તેને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડી શકાય છે.
ત્યારથી મેં તેને એક મિશન બનાવ્યું કે વૈદિક ગણિતને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવે. કારણકે ગણિતનો ભય દરેકને સતાવે છે. અને વૈદિક ગણિતથી સરળ બીજું શું હોઈ શકે?
મોદીજી- ગૌરવજી, કેટલાં વર્ષોથી તમે તેમાં કામ કરી રહ્યા છો?
ગૌરવ- મને આજે થઈ ગયા, લગભગ ૨૦ વર્ષ સર. હું તેમાં જ લાગેલો છું.
મોદીજી- અને અવેરનેસ માટે શું કરો છો, કયા-કયા પ્રયોગ કરો છો, કેવી રીતે જાવ છો લોકો પાસે?
ગૌરવ- અમે લોકો શાળામાં જઈએ છીએ, અમે લોકો ઑનલાઇન શિક્ષણ આપીએ છીએ. અમારી સંસ્થાનું નામ છે વેદિક મેથ્સ ફૉરમ ઇન્ડિયા. તે સંસ્થા હેઠળ અમે લોકો ઇન્ટરનેટના માધ્યમથી ૨૪ કલાક વેદિક મેથ્સ ભણાવીએ છીએ, સર.
મોદીજી- ગૌરવજી, તમે તો જાણતા હશો કે હું સતત બાળકો સાથે વાતચીત કરવાનું પસંદ કરું છું અને હું અવસર શોધતો રહું છું અને ઍક્ઝામ વૉરિયર સાથે તો હું બિલકુલ એક રીતે, મેં તેમને ઇન્સ્ટિટ્યૂશનલાઇઝ્ડ કરી દીધું છે અને મારો પણ અનુભવ છે કે મોટા ભાગે જ્યારે હું બાળકો સાથે વાત કરું છું તો ગણિતનું નામ સાંભળતા જ લોકો ભાગી જાય છે અને મારો તો એ પ્રયાસ રહ્યો છે કે વગર કારણે આ જે એક ભય ઊભો થયો છે તેને કાઢવામાં આવે, આ કાલ્પનિક ડર કાઢવામાં આવે અને નાની-નાની ટૅક્નિક, જે પરંપરાથી ચાલતી આવે છે, જે ભારત માટે, ગણિતનો વિષય કંઈ નવો નથી. કદાચ, દુનિયામાં પુરાતન પરંપરાઓમાં ભારત પાસે ગણિતની પરંપરા રહી છે, તો ઍક્ઝામ વૉરિયરમાંથી ડર કાઢવાનો છે, તો તમે શું કહેશો તેમને?
ગોરવ- સર, આ તો સૌથી વધુ ઉપયોગી છે બાળકો માટે, કારણકે ઍક્ઝામનો જે ડર હોય છે તે દરેક પરિવારમાં ઘર કરી ગયો છે. ઍક્ઝામ માટે બાળકો ટ્યૂશન લે છે, પેરન્ટ્સ હેરાન રહે છે. ટીચર પણ હેરાન રહે છે. તો વૈદિક ગણિતથી તે બધું છૂમંતર થઈ જાય છે. આ સાધારણ ગણિતની સરખામણીમાં વૈદિક ગણિત પંદરસો ટકા ઝડપી છે અને તેનાથી બાળકોમાં બહુ કૉન્ફિડન્સ આવે છે અને મગજ પણ ઝડપથી ચાલે છે.
દા. ત. અમે લોકોએ વૈદિક ગણિત સાથે યોગને પણ ઇન્ટ્રૉડ્યુસ કર્યો છે. જેથી બાળકો જો ઈચ્છે તો આંખો બંધ કરીને પણ કેલ્ક્યુલેશન કરી શકે છે, વૈદિક ગણિત પદ્ધતિ દ્વારા.
મોદીજી- આમ તો ધ્યાનની જે પરંપરા છે તેમાં, આ પ્રકારે ગણિત કરવું, તે પણ ધ્યાનનો એક પ્રાઇમરી કૉર્સ હોય છે.
ગૌરવ – રાઇટ, સર.
મોદીજી- ચાલો, ગૌરવજી, ઘણું સારું લાગ્યું મને, અને તમે મિશન મૉડમાં આ કામને ઉઠાવ્યું છે અને વિશેષ કરીને તમારાં માતા એક સારા ગુરુના રૂપમાં તમને આ રસ્તા પર લઈ આવ્યાં. મારી તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
ગૌરવ- આભાર સર. હું તમારો આભાર વ્યક્ત કરું છું, સર. કે વૈદિક ગણિતને તમે આટલું મહત્ત્વ આપ્યું અને મને પસંદ કર્યો, સર. તો we are very thankful.
મોદીજી- ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
ગૌરવ- નમસ્તે સર.
સાથીઓ, ગૌરવજીએ ખૂબ જ સારી રીતે જણાવ્યું કે વૈદિક ગણિત કેવી રીતે ગણિતને મુશ્કેલમાંથી મજેદાર બનાવી શકે છે. એટલું જ નહીં, વૈદિક ગણિતથી તમે મોટાં-મોટાં સાયન્ટિફિક પ્રૉબ્લેમ્સ પણ સૉલ્વ કરી શકો છો. હું ઈચ્છીશ કે, બધાં માતાપિતા પોતાનાં બાળકોને વૈદિક ગણિત જરૂર શીખવાડે. તેનાથી, તેમનો કૉન્ફિડન્સ તો વધશે જ, તેમના બ્રેઇનનો એનાલિટિકલ પાવર પણ વધશે અને હા, ગણિત વિશે કેટલાંક બાળકોમાં જે પણ થોડોઘણો ડર હોય છે તે ડર પણ પૂરી રીતે સમાપ્ત થઈ જશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આજે મ્યૂઝિયમથી લઈને મેથ સુધી અનેક જ્ઞાનવર્ધક વિષયો પર ચર્ચા થઈ. આ બધા વિષયો તમારા લોકોનાં સૂચનોથી જ ‘મન કી બાત’નો હિસ્સો બની જાય છે. મને તમે, આ રીતે, ભવિષ્યમાં પણ પોતાનાં સૂચનો Namo App અને MyGov દ્વારા મોકલતાં રહેજો. આવનારા દિવસાં દેશમાં ઈદનો તહેવાર પણ આવનાર છે.
ત્રણ મેએ અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામની જયંતી પણ ઉજવાશે. કેટલાક દિવસો પછી વૈશાખ બુદ્ધ પૂર્ણિમાનું પર્વ પણ આવશે. આ બધા તહેવાર સંયમ, પવિત્રતા, દાન અને સૌહાર્દના પર્વ છે. તમને બધાને આ પર્વની અગ્રીમ શુભકામનાઓ. આ પર્વને ખૂબ જ ઉલ્લાસ અને સૌહાર્દ સાથે મનાવો. આ બધા વચ્ચે તમારે કોરોનાથી પણ સતર્ક રહેવાનું છે. માસ્ક પહેરવું, નિયમિત અંતરાલ પર હાથ ધોતા રહેવું, બચાવ માટે જે પણ જરૂરી ઉપાય છે, તમે તેનું પાલન કરતા રહેજો. આવતી વખતે ‘મન કી બાત’માં આપણે ફરી મળીશું અને તમારા મોકલાયેલા કેટલાક બીજા નવા વિષયો પર ચર્ચા કરીશું, ત્યાં સુધી વિદાય લઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. વિતેલા સપ્તાહે આપણે એક એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી જેણે આપણને બધાંને ગર્વાન્વિત કર્યા. તમે સાંભળ્યું હશે કે ભારતે ગત સપ્તાહે ૪૦૦ અબજ ડૉલર, એટલે કે ૩૦ લાખ કરોડ રૂપિયાનું નિકાસ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પહેલી વાર સાંભળવામાં લાગે છે કે આ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી વાત છે, પરંતુ આ અર્થવ્યવસ્થાથી પણ વધુ, ભારતના સામર્થ્ય, ભારતની ક્ષમતા સાથે જોડાયેલી વાત છે. એક સમયે ભારતનો નિકાસનો આંકડો ક્યારેક ૧૦૦ અબજ, ક્યારેક દોઢસો અબજ, ક્યારેક ૨૦૦ અબજ સુધી રહેતો હતો. હવે આજે જ્યારે ભારત ૪૦૦ અબજ ડૉલર પર પહોંચી ગયું છે ત્યારે તેનો એક અર્થ એ છે કે દુનિયા ભરમાં ભારતમાં બનેલી ચીજોની માગ વધી રહી છે. બીજો અર્થ એ છે કે ભારતની સપ્લાય ચેઇન દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે અને તેનો એક બહુ મોટો સંદેશ પણ છે. દેશ વિરાટ ડગલું જ્યારે ભરે છે, જ્યારે સપનાંઓથી મોટા સંકલ્પ હોય છે, જ્યારે સંકલ્પ માટે દિવસ-રાત પ્રમાણિકતાથી પ્રયાસ થાય છે તો તે સંકલ્પ સિદ્ધ પણ થાય છે. અને તમે જુઓ, કોઈ વ્યક્તિના જીવનમાં પણ તો આવું જ થતું હોય છે. જ્યારે કોઈના સંકલ્પ, તેના પ્રયાસ, તેનાં સપનાંથી પણ મોટા થઈ જાય છે તો સફળતા તેની પાસે સામે ચાલીને આવે છે.
સાથીઓ, દેશના ખૂણે-ખૂણેથી નવાં-નવાં ઉત્પાદન જ્યારે વિદેશ જઈ રહ્યાં છે. આસામના હૈલાકાંડીના લેધર પ્રૉડક્ટ હોય કે પછી ઉસ્માનાબાદના હેન્ડલૂમ પ્રૉડક્ટ, બીજાપુરનાં ફળ-શાક હોય કે ચંદોલીના બ્લેક રાઇસ, બધાની નિકાસ વધી રહી છે. હવે તમને લદ્દાખની વિશ્વ પ્રસિદ્ધ એપ્રિકૉટ દુબઈમાં પણ મળશે અને સાઉદી અરબમાં તમિલનાડુથી મોકલાયેલાં કેળાં મળશે. હવે સૌથી મોટી વાત એ છે કે નવાં-નવાં ઉત્પાદનો નવા-નવા દેશોમાં મોકલાઈ રહ્યાં છે. જેમ કે હિમાચલ, ઉત્તરાખંડમાં ઉગેલી બાજરી- જાડા અનાજની પહેલી ખેપ ડેનમાર્કમાં નિકાસ કરવામાં આવી. આંધ્ર પ્રદેશના કૃષ્ણા અને ચિત્તૂર જિલ્લાના બંગનપલ્લી અને સુવર્ણરેખા કેરી, દક્ષિણ કોરિયામાં નિકાસ કરવામાં આવી હતી. ત્રિપુરાથી તાજાં ફણસ, હવાઈ માર્ગે, લંડન નિકાસ કરવામાં આવ્યાં અને પહેલી વાર નાગાલેન્ડના રાજા મરચાને લંડન મોકલવામાં આવ્યું. આ રીતે ભાલિયા ઘઉંની પહેલી ખેપ ગુજરાતથી કેન્યા અને શ્રીલંકા નિકાસ કરવામાં આવી. અર્થાત્, હવે તમે બીજા દેશોમાં જશો તો મેઇડ ઇન ઇન્ડિયા પ્રૉડક્ટ્સ પહેલાંની સરખામણીમાં ઘણી વધુ નજરે પડશે.
સાથીઓ, આ યાદી બહુ લાંબી છે અને જેટલી લાંબી આ યાદી છે, તેટલી જ મોટી મેઇક ઇન ઇન્ડિયાની તાકાત છે. તેટલું જ વિરાટ ભારતનું સામર્થ્ય છે. અને સામર્થ્યનો આધાર છે- આપણા ખેડૂતો. આપણા કારીગરો, આપણા વણકરો, આપણા એન્જિનિયરો, આપણા લઘુ ઉદ્યમી, આપણું MSME ક્ષેત્ર, અલગ-અલગ અનેક વ્યવસાયના લોકો, આ બધા તેની સાચી તાકાત છે. તેમની મહેનતથી જ ૪૦૦ અબજ ડૉલરના નિકાસનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શક્યું છે અને મને આનંદ છે કે ભારતના લોકોનું આ સામર્થ્ય હવે દુનિયાના ખૂણે-ખૂણે, નવાં બજારોમાં પહોંચી રહ્યું છે. જ્યારે એક-એક ભારતવાસી લૉકલ માટે વૉકલ થાય છે ત્યારે લૉકલને ગ્લૉબલ થવાં વાર લાગતી નથી. આવો, લૉકલને ગ્લૉબલ બનાવીએ અને આપણાં ઉત્પાદનોની પ્રતિષ્ઠા હજુ વધુ વધારીએ.
સાથીઓ, ‘મન કી બાત’ના શ્રોતાઓને એ જાણીને સારું લાગશે કે ઘરેલુ સ્તર પર પણ આપણા લઘુ ઉદ્યમીઓની સફળતા આપણને ગર્વ અપાવે તેવી છે. આજે આપણા લઘુ ઉદ્યમી સરકારી ખરીદીમાં ગર્વમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ અર્થાત્ GEMના માધ્યમથી મોટી ભાગીદારી નિભાવી રહ્યા છે. ટૅક્નૉલૉજીના માધ્યમથી ખૂબ જ પારદર્શી વ્યવસ્થા વિકસિત કરવામાં આવી છે. ગત એક વર્ષમાં GEM પૉર્ટલ મારફત, સરકારે એક લાખ કરોડ રૂપિયાથી વધુની ચીજો ખરીદી છે. દેશના ખૂણે-ખૂણેથી લગભગ સવા લાખ લઘુ ઉદ્યમીઓ, નાના દુકાનદારોએ પોતાનો સામાન સરકારને સીધો વેચ્યો છે. એક જમાનો હતો, જ્યારે મોટી કંપનીઓ જ સરકારને સામાન વેચતી હતી. પરંતુ હવે દેશ બદલાઈ રહ્યો છે, જૂની વ્યવસ્થાઓ પણ બદલાઈ રહી છે. હવે નાનામાં નાનો દુકાનદાર પણ GEM પૉર્ટલ પર સરકારે પોતાનો સામાન વેચી શકે છે- આ જ તો નવું ભારત છે. તે ન માત્ર મોટાં સપનાં જુએ છે, પરંતુ તેને લક્ષ્ય સુધી પહોંચાડવાનું સાહસ પણ દેખાડે છે. જ્યાં પહેલા કોઈ નથી પહોંચ્યું. આ જ સાહસની શક્તિ પર આપણે બધા ભારતીયો મળીને આત્મનિર્ભર ભારતનું સપનું પણ અવશ્ય પૂરું કરીશું.
મારા પ્રિય દેશવાસીઓ, તાજેતરમાં જ યોજાયેલા પદ્મ સમ્માન સમારોહમાં તમે બાબા શિવાનંદજીને જરૂર જોયા હશે. ૧૨૬ વર્ષના વૃદ્ધની સ્ફૂર્તિ જોઈને મારી જેમ બધા જ આશ્ચર્ય પામી ગયા અને મેં જોયું, આંખ પટપટાવી ત્યાં તો તેઓ નંદી મુદ્રામાં પ્રણામ કરવા લાગ્યા. મેં પણ બાબા શિવાનંદજીને ઝૂકીને વારંવાર પ્રણામ કર્યા. ૧૨૬ વર્ષની ઉંમર અને બાબા શિવાનંદની ફિટનેસ, બંને, આજે દેશમાં ચર્ચાનો વિષય છે. મેં સૉશિયલ મિડિયા પર અનેક લોકોની ટીપ્પણી જોઈ, કે બાબા શિવાનંદ, પોતાની ઉંમરથી ચાર ગણી ઓછી ઉંમરના લોકોથી પણ વધુ ફિટ છે. ખરેખર, બાબા શિવાનંદનું જીવન આપણને બધાને પ્રેરિત કરનારું છે. હું તેમના દીર્ઘ આયુની કામના કરું છું. તેમનામાં યોગ પ્રતિ એક પ્રેમ છે અને તેઓ ખૂબ જ આરોગ્યમય જીવનચર્યા જીવે છે.
जीवेम् शरद: शतम् ।
આપણી સંસ્કૃતિમાં બધાને સો વર્ષના સ્વસ્થ જીવનની શુભકામનાઓ આપવામાં આવે છે. આપણે સાત એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવીશું. આજે સમગ્ર વિશ્વમાં આરોગ્ય માટે ભારતીય ચિંતન, ચાહે તે પછી યોગ હોય કે આયુર્વેદ, તેના પ્રત્યે ઝુકાવ વધી રહ્યો છે. હમણાં જ તમે જોયું હશે કે ગત સપ્તાહે જ કતારમાં એક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૧૪ દેસોના નાગરિકોએ ભાગ લઈ એક નવો વિશ્વ વિક્રમ બનાવી દીધો. આ રીતે આયુષ ઉદ્યોગનું બજાર પણ સતત મોટું થઈ રહ્યું છે. છ વર્ષ પહેલાં આયુર્વેદ સાથે જોડાયેલી દવાઓનું બજાર ૨૨ હજાર કરોડ રૂપિયાની આસપાસ હતું. આજે આયુષ મેન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહી છે, અર્થાત્ આ ક્ષેત્રમાં સંભાવનાઓ સતત વધી રહી છે. સ્ટાર્ટ અપ વિશ્વમાં પણ આયુષ આકર્ષણનો વિષય બનતો જાય છે.
સાથીઓ, આરોગ્ય ક્ષેત્રના બીજાં સ્ટાર્ટ અપ પર તો હું પહેલાં અનેક વાર વાત કરી ચૂક્યો છું, પરંતુ આ વખતે આયૂષ સ્ટાર્ટ અપ પર તમારી સાથે વિશેષ રીતે વાત કરીશ. એક સ્ટાર્ટ અપ છે – Kapiva (કપિવા). તેના નામમાં જ તેનો અર્થ છુપાયેલો છે. તેમાં Kaનો અર્થ થાય છે કફ, Piનો અર્થ થાય છે પિત્ત અને Vaનો અર્થ થાય છે- વાત. આ સ્ટાર્ટ અપ આપણી પરંપરાઓ મુજબ આરોગ્યપ્રદ ખાવાની ટેવો પર આધારિત છે. એક બીજું સ્ટાર્ટ અપ નિરોગ સ્ટ્રીટ પણ છે. આયુર્વેદ આરોગ્ય આર્થિક પ્રણાલિમાં એક અનોખી પરિકલ્પના છે. તેનું ટૅક્નૉલૉજી ચાલિત પ્લેટફૉર્મ દુનિયાભરના આયુર્વેદિક ડૉક્ટરોને સીધા લોકો સાથે જોડે છે. ૫૦ હજારથી વધુ પ્રૅક્ટિશનર તેની સાથે જોડાયેલા છે. આ રીતે અત્રેય ઇન્નૉવેશન્સ એક આરોગ્ય કાળજી ટૅક્નૉલૉજી સ્ટાર્ટ અપ છે જે સમગ્ર સુખાકારીના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. ઇક્ઝૉરિયલે ન માત્ર અશ્વગંધાના ઉપયોગ માટે જાગૃતિ ફેલાવી છે, પરંતુ ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનની પ્રક્રિયામાં પણ મોટા પાયે રોકાણ કર્યું છે. ક્યૉરવેદ એ જડીબૂટિઓની આધુનિક શોધ અને પારંપરિક જ્ઞાનના સંગમથી સમગ્ર જીવન માટે આહારવિહાર પૂરક (ડાયેટ્રી સપ્લીમેન્ટ)નું નિર્માણ કર્યું છે.
સાથીઓ, હજુ તો મેં કેટલાંક જ નામ ગણાવ્યાં છે, આ યાદી તો ઘણી લાંબી છે. આ ભારતના યુવા ઉદ્યમીઓ અને ભારતમાં બની રહેલી નવી સંભાવનાઓનું પ્રતીક છે. મારો આરોગ્ય ક્ષેત્રના સ્ટાર્ટ અપ અને ખાસ કરીને આયુષ સ્ટાર્ટ અપને એક અનુરોધ પણ છે. તમે જે પણ ઑનલાઇન પૉર્ટલ બનાવો છો, જે પણ સામગ્રી સર્જો છો, તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત બધી ભાષાઓમાં પણ બનાવવાનો પ્રયાસ કરો. દુનિયામાં ઘણા બધા એવા દેશ છે જ્યાં અંગ્રેજી એટલી બોલાતી નથી અને ન તો સમજે છે. આવા દેશોને પણ ધ્યાનમાં રાખીને પોતાની જાણકારીનો પ્રચાર-પ્રસાર કરો. મને વિશ્વાસ છે, ભારતનાં આયુષ સ્ટાર્ટ અપ વધુ સારી ગુણવત્તાનાં ઉત્પાદનોની સાથે ટૂંક સમયમાં, દુનિયાભરમાં છવાઈ જશે.
સાથીઓ, સ્વાસ્થ્યનો સીધો સંબંધ સ્વચ્છતા સાથે પણ જોડાયેલો છે. ‘મન કી બાત’માં આપણે હંમેશાં સ્વચ્છતાના આગ્રહીઓના પ્રયાસોને જરૂર જણાવીએ છીએ. આવા જ સ્વચ્છાગ્રહી છે- ચંદ્રકિશોર પાટીલજી. તેઓ મહારાષ્ટ્રના નાસિકમાં રહે છે. ચંદ્રકિશોરજીનો સ્વચ્છતા અંગેનો સંકલ્પ બહુ પ્રબળ છે. તેઓ ગોદાવરી નદીની પાસે ઊભા રહે છે અને લોકોને સતત નદીમાં કચરો ન ફેંકવા માટે પ્રેરિત કરે છે. તેમને જો કોઈ આવું કરતો દેખાય તો તેને તરત ના પાડે છે. આ કામમાં ચંદ્રકિશોરજી પોતાનો ઘણો સમય આપે છે. સાંજ સુધી તેમની પાસે એવી ચીજોનો ઢગલો થઈ જાય છે, જે લોકો નદીમાં ફેંકવા માટે લાવેલા હોય છે. ચંદ્રકિશોરજીના આ પ્રયાસ, જાગૃતિને પણ વધારે છે અને પ્રેરણા પણ આપે છે. આ રીતે, એક બીજા સ્વચ્છાગ્રહી છે- ઉડીસામાં પુરીના રાહુલ મહારાણા. રાહુલ દર રવિવારે સવારે-સવારે પુરીમાં તીર્થસ્થળો પાસે આવે છે અને ત્યાં પ્લાસ્ટિકનો કચરો સાફ કરે છે. તેઓ અત્યાર સુધીમાં સેંકડો કિલો પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી સાફ કરી ચૂક્યા છે. પુરીના રાહુલ હોય કે નાસિકના ચંદ્રકિશોર, તેઓ આપણને બધાંને ઘણું બધું શીખવાડે છે. નાગરિક તરીકે, આપણે આપણાં કર્તવ્યોને નિભાવીએ, પછી તે સ્વચ્છતા હોય, પોષણ હોય, કે પછી રસીકરણ, આ બધા પ્રયાસોથી પણ સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આવો વાત કરીએ કેરળના મુપટ્ટમ શ્રી નારાયણનજીની. તેમણે એક પ્રૉજેક્ટની શરૂઆત કરી છે જેનું નામ છે Pots for water of life. તમે જ્યારે આ પ્રૉજક્ટ વિશે જાણશો તો વિચારશો કે કેવું કમાલનું કામ છે?
સાથીઓ, મુપટ્ટમ શ્રી નારાયણનજી, ઉનાળાની ગરમી દરમિયાન પશુ-પક્ષીઓને પાણીની તકલીફ ન પડે તે માટે માટીનાં વાસણો વહેંચવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ઉનાળામાં તેઓ પશુ-પક્ષીઓની આ તકલીફ જોઈને પોતે પણ તકલીફ પામતા હતા. પછી તેમણે વિચાર્યું કે તેઓ પોતે જ કેમ માટીનાં વાસણો વહેંચવાનું શરૂ કરે, જેથી બીજા પાસે તે વાસણોમાં માત્ર પાણી ભરવાનું કામ રહે. તમને આશ્ચર્ય થશે કે નારાયણનજી દ્વારા વહેંચવામાં આવેલાં વાસણોનો આંકડો એક લાખને પાર કરવા જઈ રહ્યો છે. તેમના અભિયાનમાં એક લાખમું વાસણ તેઓ ગાંધીજી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમને દાન કરશે. આજે જ્યારે ઉનાળાની ઋતુએ ટકોરા માર્યા છે તો નારાયણનજીનું આ કામ આપણને બધાને જરૂર પ્રેરિત કરશે અને આપણે પણ આ ઉનાળામાં આપણા પશુ-પક્ષી મિત્રો માટે પાણીની વ્યવસ્થા કરીશું.
સાથીઓ, હું ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ અનુરોધ કરીશ કે આપણે આપણા સંકલ્પોનો ફરી ઉચ્ચાર કરીએ. પાણીનું એક-એક ટીપું બચાવવા માટે આપણે જે પણ કંઈ કરી શકીએ તે આપણે જરૂર કરવું જોઈએ. તે ઉપરાંત પાણીના રિસાઇકલિંગ પર પણ આપણે એટલું જ જોર આપતા રહેવાનું છે. ઘરમાં વપરાયેલું પાણી કુંડામાં છોડને પાણી પાવા કામ આવી શકે છે. બગીચામાં કામ આવી શકે છે. તે જરૂર ફરી વપરાવું જોઈએ. થોડા પ્રયાસોથી તમે તમારા ઘરમાં આવી વ્યવસ્થાઓ બનાવી શકો છો. રહીમદાસજી, સદીઓ પહેલાં, કંઈક હેતુથી જ કહી ગયા હતા કે ‘રહિમન પાની રાખિએ, બિન પાની સબ સૂન’. અને પાણી બચાવવાના આ કામમાં મને બાળકો પાસે ઘણી આશા છે. સ્વચ્છતાને જે રીતે આપણાં બાળકોએ આંદોલન બનાવ્યું, તે જ રીતે ‘પાણી યૌદ્ધા’ બનાવીને, પાણી બનાવવામાં મદદ કરી શકે છે.
સાથીઓ, આપણા દેશમાં જળ સંરક્ષણ, જળ સ્રોતોની સુરક્ષા સદીઓથી સમાજના સ્વભાવનો હિસ્સો રહ્યો છે. મને આનંદ છે કે દેશમાં ઘણા લોકોએ પાણી જાળવવાને જ જીવનનું ધ્યેય બનાવી લીધું છે. જેમ કે ચેન્નાઈમાં એક સાથી છે અરુણ કૃષ્ણમૂર્તિજી. અરુણજી પોતાના વિસ્તારમાં તળાવોને સાફ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે ૧૫૦થી વધુ તળાવોની સફાઈની જવાબદારી ઉપાડી અને તેને સફળતા સાથે પૂરી કરી. આ જ રીતે, મહારાષ્ટ્રના એક સાથી રોહન કાળે છે. રોહન વ્યવસાયથી એક એચઆર વ્યાવસાયિક છે. તેઓ મહારાષ્ટ્રમાં અનેક વાવના સંરક્ષણની ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમાંથી અનેક વાવ તો સેંકડો વર્ષ જૂની છે અને આપણા વારસાનો હિસ્સો હોય છે. સિકંદરાબાદમાં બંસીલાલ- પેટ કૂવો પણ આવી જ એક વાવ છે. વર્ષોની ઉપેક્ષાના કારણે આ વાવ માટી અને કચરાથી પુરાઈ ગઈ હતી. પરંતુ હવે ત્યાં એક વાવને પુનર્જીવિત કરવાનું અભિયાન જનભાગીદારીથી શરૂ થયું છે.
સાથીઓ, હું જે રાજ્યમાંથી આવું છું ત્યાં પાણીની સદા બહુ જ કમી રહી છે. ગુજરાત જેવા રાજ્યમાં વાવની મોટી ભૂમિકા રહી છે. આ કૂવા અથવા વાવડીઓના સંરક્ષણ માટે ‘જળ મંદિર યોજના’એ બહુ મોટી ભૂમિકા ભજવી. સમગ્ર ગુજરાતમાં અનેક વાવડીઓને પુનર્જીવિત કરવામાં આવી. તેનાથી તે વિસ્તારોમાં પાણીનું સ્તર વધારવામાં પણ ઘણી મદદ મળી. આવું જ અભિયાન તમે સ્થાનિક સ્તર પર ચલાવી શકો છો. ચેક ડેમ બનાવવાના હોય કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો હોય, તેમાં વ્યક્તિગત પ્રયાસ પણ મહત્ત્વના છે અને સામૂહિક પ્રયાસો પણ જરૂરી છે. જેમ કે સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં આપણા દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછાં ૭૫ અમૃત સરોવર બનાવી શકાય છે. કેટલાંક જૂનાં સરોવરોને સુધારી શકાય છે, કેટલાંક નવાં સરોવર બનાવી શકાય છે. મને વિશ્વાસ છે કે તમે આ દિશામાં કંઈ ને કંઈ પ્રયાસ જરૂર કરશો.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ તેની એક સુંદરતા એ પણ છે કે મને તમારા સંદેશ અનેક ભાષાઓ, અનેક બોલીઓમાં મળે છે. અનેક લોકો MYGov પર ઑડિયો મેસેજ પણ મોકલે છે. ભારતની સંસ્કૃતિ, આપણી ભાષાઓ, આપણી બોલીઓ, આપણી રહેણીકરણી, ખાણીપીણીનો વિસ્તાર, આ બધી વિવિધતાઓ આપણી ઘણી મોટી શક્તિ છે. પૂર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, ભારતને આ વિવિધતાઓ એક કરીને રાખે છે. એક ભારત-શ્રેષ્ઠ ભારત બનાવે છે. તેમાં પણ આપણાં ઐતિહાસિક સ્થળો અને પૌરાણિક કથાઓ, બંનેનું ઘણું યોગદાન હોય છે. તમે વિચારી રહ્યા હશો કે આ વાત હું અત્યારે તમને કેમ કરી રહ્યો છું? તેનું કારણ છે માધવપુર મેળો. માધવપુર મેળો ક્યાં યોજાય છે, કેમ યોજાય છે, કેવી રીતે તે ભારતની વિવિધતા સાથે જોડાયેલો છે તે જાણવું મન કી બાતના શ્રોતાઓને બહુ જ રસપ્રદ લાગશે.
સાથીઓ, ‘માધવપુર મેળો’ ગુજરાતના પોરબંદરના સમુદ્ર પાસે માધવપુર ગામમાં લાગે છે. પરંતુ તેનો હિન્દુસ્તાનના પૂર્વીય છેડા સાથે પણ સંબંધ જોડાય છે. તમે વિચારતા હશો કે આવું કઈ રીતે સંભવ છે? તો તેનો પણ ઉત્તર એક પૌરાણિક કથામાં મળે છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ પૂર્વોત્તરનાં રાજકુમારી રુક્મિણી સાથે થયો હતો. આ વિવાહ પોરબંદરના માધવપુરમાં સંપન્ન થયો અને આ વિવાહના પ્રતીક રૂપે આજે પણ ત્યાં માધવપુર મેળો યોજાય છે. પૂર્વ અને પશ્ચિમનો આ ગાઢ સંબંધ, આપણો વારસો છે. સમયની સાથે હવે લોકોના પ્રયાસથી, માધવપુર મેળામાં નવી-નવી ચીજો જોડાઈ રહી છે. આપણે ત્યાં કન્યા પક્ષને ઘરાતી કહેવાય છે અને આ મેળામાં હવે ઈશાન ભારતથી ઘણા ઘરાતી પણ આવવા લાગ્યા છે. એક સપ્તાહ સુધી ચાલતા માધવપુર મેળામાં ઈશાન ભારતના બધાં રાજ્યોના કલાકારો પહોંચે છે, હસ્તકળા સાથે જોડાયેલા કલાકારો પહોંચે છે અને આ મેળાની રોનકને ચાર ચાંદ લગાવી દે છે. એક સપ્તાહ સુધી ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનો આ મેળ, આ માધવપુર મેળો, એક ભારત-શ્રેષ્ઠ ભારતનું બહુ સુંદર ઉદાહરણ બની રહ્યો છે. મારો તમને અનુરોધ છે કે તમે પણ આ મેળા વિશે વાંચો અને જાણો.
મારા પ્રિય દેશવાસીઓ, દેશમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ, હવે જનભાગીદારીનું નવું ઉદાહરણ બની રહ્યો છે. કેટલાક દિવસો પહેલાં ૨૩ માર્ચે શહીદ દિવસ પર દેશના અલગ-અલગ ખૂણામાં અનેક સમારોહ થયા. દેશે પોતાનાં સ્વતંત્રતાનાં નાયક-નાયિકાઓને યાદ કર્યાં, શ્રદ્ધાપૂર્વક યાદ કર્યાં. આ દિવસે જ મને કોલકાતાના વિક્ટૉરિયા મેમોરિયલમાં વિપ્લોબી ભારત ગેલેરીનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો. ભારતના વીર ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલી આપવા માટે તે પોતાની રીતે બહુ જ અનોખી ગેલેરી છે. જો અવસર મળે તો તમે તેને જોવા જરૂર જજો. સાથીઓ, એપ્રિલના મહિનામાં આપણે બે મહાન વિભૂતિઓની જયંતી પણ મનાવીશું. આ બંનેએ ભારતીય સમાજ પર પોતાનો ગાઢ પ્રભાવ ઊભો કર્યો છે. તેમનું નામ છે મહાત્મા ફૂલે અને બાબાસાહેબ આંબેડકર. મહાત્મા ફૂલેની જયંતી ૧૧ એપ્રિલે છે અને બાબાસાહેબની જયંતી આપણે ૧૪ એપ્રિલે ઉજવીશું. આ બંને મહાપુરુષોએ ભેદભાવ અને અસમાનતા વિરુદ્ધ મોટી લડાઈ લડી. મહાત્મા ફૂલેએ તે જમાનામાં દીકરીઓ માટે શાળાઓ ખોલી. કન્યા શિશુ હત્યા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમણે જળ સંકટથી મુક્તિ અપાવવા માટે પણ મોટાં અભિયાન ચલાવ્યાં.
સાથીઓ, મહાત્મા ફૂલેની આ ચર્ચામાં સાવિત્રીબાઈ ફૂલનો ઉલ્લેખ પણ જરૂરી છે. સાવિત્રીબાઈ ફૂલેએ અનેક સામાજિક સંસ્થાઓના નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવી. એક શિક્ષિકા અને એક સમાજ સુધારક તરીકે તેમણે સમાજને જાગૃત પણ કર્યો અને તેની હિંમત પણ વધારી. બંનેએ સાથે મળીને સત્યશોધક સમાજની સ્થાપના કરી. જન-જનના સશક્તિકરણના પ્રયાસ કર્યા. આપણે બાબાસાહેબ આંબેડકરનાં કાર્યોમાં પણ મહાત્મા ફૂલેનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તેઓ કહેતા હતા કે કોઈ પણ સમાજના વિકાસનું આકલન તે સમાજમાં મહિલાઓની સ્થિતિને જોઈને કરી શકાય છે. મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, બાબાસાહેબ આંબેડકરનાં જીવનમાંથી પ્રેરણા લઈને, હું બધાં માતાપિતા અને વાલીઓને અનુરોધ કરું છું કે તેઓ દીકરીઓને જરૂર ભણાવે. દીકરીઓનો શાળામાં પ્રવેશ વધારવા માટે કેટલાક દિવસો પહેલાં જ કન્યા શિક્ષણ પ્રવેશ ઉત્સવ પણ શરૂ કરાયો છે, જે દીકરીઓનું ભણતર કોઈ કારણથી છૂટી ગયું છે તેમને ફરી શાળા લઈ જવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સાથીઓ, આપણા બધાં માટે સૌભાગ્યની વાત છે કે આપણે બાબાસાહેબ સાથે જોડાયેલાં પંચ તીર્થો માટે કાર્ય કરવાનો પણ અવસર મળ્યો છે. તેમનું જન્મ સ્થાન મહુ હોય, મુંબઈમાં ચૈત્યભૂમિ હોય, લંડનનું તેમનું ઘર હોય, નાગપુરની દીક્ષા ભૂમિ હોય, કે પછી દિલ્લીમાં બાબાસાહેબનું મહાપરિનિર્વાણ સ્થળ, મને બધી જગ્યાઓ પર, બધાં તીર્થો પર જવાનું સૌભાગ્ય મળ્યું છે. હું ‘મન કી બાત’ના શ્રોતાઓને અનુરોધ કરીશ કે તેઓ મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલાં સ્થાનોનાં દર્શન કરવા અવશ્ય જાય. તમને ત્યાં ઘણું બધું શીખવા મળશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આ વખતે આપણે અનેક વિષયો પર વાત કરી. આગામી મહિને અનેક પર્વ-તહેવારો આવી રહ્યા છે. કેટલાક દિવસો પછી જ નવરાત્રિ છે. નવરાત્રિમાં આપણે વ્રત-ઉપવાસ, શક્તિની સાધના કરીએ છીએ. શક્તિની પૂજા કરીએ છીએ, એટલે કે આપણી પરંપરાઓ આપણને ઉલ્લાસ પણ શીખવે છે અને સંયમ પણ. સંયમ અને તપ પણ આપણા માટે પર્વ જ છે. આથી નવરાત્રિ હંમેશાંથી આપણા બધા માટે ખૂબ જ વિશેષ રહી છે. નવરાત્રિના પહેલા જ દિવસે ગુડી પડવાનું પર્વ પણ છે. એપ્રિલમાં જ ઇસ્ટર પણ આવે છે અને રમઝાનના પવિત્ર દિવસો પણ શરૂ થઈ રહ્યા છે. આપણે બધાંને સાથ લઈને પોતાના પર્વ મનાવીએ, ભારતની વિવિધતાને સશક્ત કરીએ, બધાને આ જ કામના છે. આ વખતે ‘મન કી બાત’માં આટલું જ. આગામી મહિને તમારી સાથે નવા વિષયો સાથે ફરી મુલાકાત થશે. ખૂબ-ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં ફરી એક વાર આપ સર્વેનું સ્વાગત છે. આજે મન કી બાતની શરૂઆત આપણે, ભારતની સફળતાના ઉલ્લેખ સાથે કરીશું. આ મહિનાની શરૂઆતમાં, ભારત ઇટાલીથી તેના મૂલ્યવાન વારસામાંથી એક પરત લાવવામાં સફળ રહ્યું છે. આ એક વારસો છે, અવલોકિતેશ્વર પદ્મપાણીની હજાર વર્ષથી વધુ જૂની પ્રતિમા. આ મૂર્તિ બિહારમાં ગયાજીના દેવી સ્થાન કુંડલપુર મંદિરમાંથી થોડા વર્ષો પહેલા ચોરાઈ ગઈ હતી. પરંતુ ઘણા પ્રયત્નો બાદ હવે ભારતને આ પ્રતિમા પરત મળી છે. એ જ રીતે, થોડા વર્ષો પહેલા તમિલનાડુના વેલ્લોરમાંથી ભગવાન આંજનેય્યર, હનુમાનજીની મૂર્તિ ચોરાઈ હતી. હનુમાનજીની આ મૂર્તિ પણ 600-700 વર્ષ જૂની હતી. આ મહિનાની શરૂઆતમાં, અમને ઓસ્ટ્રેલિયામાં આ મળી, અમારા હાઇકમિશનને તે મળી ચૂકી છે.
સાથીઓ, આપણા હજારો વર્ષના ઈતિહાસમાં દેશના ખૂણે ખૂણે એક પછી એક મૂર્તિઓ હંમેશા બનાવવામાં આવતી હતી, તેમાં શ્રધ્ધા પણ હતી, સામર્થ્ય પણ હતું, અને કૌશલ્ય પણ.. અને વિવિધતાથી ભરપૂર હતી અને આપણી દરેક મૂર્તિના તત્કાલીન સમયનો પ્રભાવ જોવા મળે છે. તેઓ ભારતીય શિલ્પકલાનું અનોખું ઉદાહરણ તો હતું જ અને તેમની સાથે આપણી શ્રદ્ધા પણ જોડાયેલી હતી. પરંતુ, ભૂતકાળમાં ઘણી મૂર્તિઓ ચોરાઈને ભારતની બહાર જતી રહી હતી. કયારેક આ દેશમાં તો કયારેક તે દેશમાં આ મૂર્તિઓ વેચાતી અને તેમના માટે તે માત્ર કલાકૃતિ હતી. ન તો તેઓને તેના ઈતિહાસ સાથે કોઈ લેવાદેવા હતી કે ન તેની શ્રદ્ધા સાથે લેવા દેવા હતા. આ મૂર્તિઓને પરત લાવવાની ભારત માતા પ્રત્યેની આપણી જવાબદારી છે. આ મૂર્તિઓમાં ભારતના આત્માનો, આસ્થાનો અંશ છે. તેમનું એક સાંસ્કૃતિક-ઐતિહાસિક મહત્વ પણ છે. આ જવાબદારીને સમજીને ભારતે તેના પ્રયાસો વધાર્યા. અને તેનું કારણ એ પણ હતું કે ચોરી કરવાની જે વૃત્તિ હતી તેમાં પણ ડર ઉત્પન્ન થયો. જે દેશોમાં આ મૂર્તિઓ ચોરી કરીને લઈ જવામાં આવી હતી, હવે તેઓને પણ એવું લાગવા માંડ્યું છે કે ભારત સાથેના સંબંધોમાં soft powerની જે diplomatic channel હોય છે તેમાં તેનું પણ પણ ઘણું મહત્વ હોઈ શકે છે. કારણ કે તેની સાથે ભારતની ભાવનાઓ જોડાયેલી છે, ભારતની શ્રદ્ધા જોડાયેલી છે, અને એક રીતે, તે people to people relation માં પણ તે ઘણી શક્તિ ઉત્પન્ન કરે છે. હમણાં થોડા દિવસો પહેલા જ તમે જોયું હશે કે કાશીમાંથી ચોરાયેલી માતા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ પણ પાછી લાવવામાં આવી હતી. તે ભારત પ્રત્યે બદલાતા વિશ્વ દૃષ્ટિકોણનું આ ઉદાહરણ છે. વર્ષ 2013 સુધી લગભગ 13 મૂર્તિઓ ભારતમાં આવી હતી. પરંતુ, છેલ્લા સાત વર્ષમાં, 200 થી પણ વધુ કિંમતી મૂર્તિઓને ભારત સફળતાપૂર્વક પરત લાવ્યું છે. અમેરિકા, બ્રિટન, હોલેન્ડ, ફ્રાન્સ, કેનેડા, જર્મની, સિંગાપોર જેવા અનેક દેશોએ ભારતની આ ભાવનાને સમજી છે અને મૂર્તિઓને પરત લાવવામાં આપણી મદદ કરી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે હું અમેરિકા ગયો હતો, ત્યારે મને ત્યાં ઘણી જૂની મૂર્તિઓ અને સાંસ્કૃતિક મહત્વની ઘણી વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી. જ્યારે દેશનો કોઈ પણ મૂલ્યવાન વારસો પરત મળે છે તો સ્વાભાવિક છે ઈતિહાસમાં શ્રદ્ધા ધરાવનારાઓ, પુરાતત્વમાં શ્રદ્ધા ધરાવનારાઓ, આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો અને એક ભારતીય તરીકે આપણને સૌને સંતોષ મળે તે સ્વાભાવિક છે.
સાથીઓ, ભારતીય સંસ્કૃતિ અને આપણા વારસાની વાત કરતા હું આજે આપને મન કી બાત માં બે લોકોને મળાવવા માગું છું. આ દિવસોમાં ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર તાન્ઝાનિયાના બે ભાઈ-બહેન કિલી પૉલ અને તેમની બહેન નીમા તે ઘણાં જ ચર્ચામાં છે, અને મને પાક્કો ભરોસો છે, તમે પણ તેમના વિશે ચોક્કસ સાંભળ્યું હશે. તેમની અંદર ભારતીય સંગીતને લઈને એક ઝનૂન છે, એક દિવાનગી છે અને તેને કારણે જ તેઓ ઘણાં જ લોકપ્રિય પણ છે. Lip Sync ની તેમની રીત થી ખબર પડે છે કે આને માટે તેઓ કેટલી વધારે મહેનત કરે છે. હાલ માં જ પ્રજાસત્તાક દિવસના અવસરે આપણું રાષ્ટ્રગીત જન, ગણ, મન ગાતો તેમનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. થોડા દિવસો પહેલાં તેમણે લતા દીદીનું એક ગીત ગાઈને તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પણ આપી હતી. હું આ અદ્ભુત Creativity માટે આ બંન્ને ભાઈ-બહેન કિલી અને નીમા, તેમની ખૂબ પ્રશંસા કરું છું. થોડા દિવસ પહેલા ટાંઝાનિયામાં ભારતીય દૂતાવાસમાં તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ભારતીય સંગીતનો જાદૂ કંઈક એવો છે, જે બધાને મોહિત કરી લે છે. મને યાદ છે, કેટલાક વર્ષો પહેલાં દુનિયાના દોઢસો થી વધુ દેશના ગાયકો-સંગીતકારોએ પોત-પોતાના દેશમાં, પોત-પોતાની વેશભૂષામાં પૂજ્ય બાપૂનું પ્રિય, મહાત્મા ગાંધીનું પ્રિય ભજન, વૈષ્ણવ જન ગાવાનો સફળ પ્રયોગ કર્યો હતો.
--
આજે જ્યારે ભારત પોતાની આઝાદીના 75મા વર્ષનું મહત્વપૂર્ણ પર્વ મનાવી રહ્યા છીએ, તો દેશભક્તિના ગીતોને લઈને પણ આવા પ્રયોગ કરી શકાય છે. કે જ્યાં વિદેશી નાગરિકોને, ત્યાંના પ્રસિદ્ધ ગાયકોને, ભારતીય દેશભક્તિના ગીત ગાવા માટે આમંત્રિત કરીએ. એટલું જ નહીં, જો ટાંઝાનિયામાં કિલિ અને નીમા ભારતના ગીતોને આ રીતે Lip Sync કરી શકે છે તો શું મારા દેશમાં, આપણા દેશની કેટલીયે ભાષાઓમાં, કેટલાય પ્રકારના ગીત છે, શું આપણે કોઈ ગુજરાતી બાળક તમિલ ગીત પર કરે, કોઈ કેરળના બાળકો આસામી ગીત પર કરે, કોઈ કન્નડ બાળકો જમ્મુ-કાશ્મીરના ગીતો પર કરે. એક એવો માહોલ બનાવી શકીએ છીએ આપણે, જેમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ આપણે અનુભવ કરી શકીએ. એટલું જ નહીં આપણે આઝાદીના અમૃત મહોત્સવને એક નવી રીતે ચોક્કસ મનાવી શકીએ છીએ. હું દેશના નવયુવાનોને આહ્વાન કરું છું, આવો, કે ભારતીય ભાષાઓનાં જે પોપ્યુલર ગીતો છે, તેને આપ આપની રીતે વીડિયો બનાવો, બહુ જ પોપ્યુલર થઈ જશો તમે. અને દેશની વિવિધતાઓનો નવી પેઢીને પરિચય થશે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં થોડા દિવસો પહેલાં જ આપણે માતૃભાષા દિવસ મનાવ્યો. જે વિદ્વાન લોકો છે, તેઓ માતૃભાષા શબ્દ ક્યાંથી આવ્યો, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેને લઈને ઘણાં academic input આપી શકે છે. હું તો માતૃભાષા માટે એ જ કહીશ કે જેમ આપણા જીવનને આપણી માં ઘડે છે, તેવી જ રીતે માતૃભાષા પણ આપણા જીવનને ઘડે છે. માં અને માતૃભાષા બંને મળીને જીવનના foundation ને મજબૂત બનાવે છે, ચિરંજીવ બનાવે છે. જેમ આપણે આપણી માં ને નથી છોડી શકતા, તેવી જ રીતે આપણી માતૃભાષાને પણ ન છોડી શકીએ. મને વર્ષો પહેલાંની એક વાત યાદ છે, જ્યારે મારે અમેરિકા જવાનું થયું, તો અલગ અલગ પરિવારોમાં જવાનો મોકો મળતો હતો, કે એક વખત મારે એક તેલૂગુ પરિવારમાં જવાનું થયું અને મને એક બહુ જ ખુશીનું દ્રશ્ય ત્યાં જોવા મળ્યું. તેમણે મને જણાવ્યું કે અમે લોકોએ પરિવારમાં નિયમ બનાવ્યો છે કે કેટલુંય કામ કેમ ન હોય, પરંતુ જો અમે શહેરની બહાર નથી તો પરિવારના બધા જ સભ્યો ડિનર, ટેબલ પર સાથે બેસીને લઈશું અને બીજું એ કે ડિનર ના ટેબલ પર compulsory બધા તેલૂગુ ભાષામાં જ બોલશે. જે બાળકો ત્યાં જન્મ્યા હતા, તેમના માટે પણ આ નિયમ હતો. પોતાની માતૃભાષા પ્રત્યે આ પ્રેમ જોઈને આ પરિવારથી હું ઘણો જ પ્રભાવિત થયો હતો.
સાથીઓ, આઝાદીના 75 વર્ષ પછી પણ કેટલાક લોકો એવા માનસિક દ્વંદ્વમાં જીવી રહ્યા છે જેને કારણે તેમને તેમની ભાષા, તેમનો પહેરવેશ, પોતાની ખાણી-પીણીને લઈને એક સંકોચ થાય છે, જ્યારે વિશ્વમાં ક્યાંય એવું નથી. આપણી માતૃભાષા છે, આપણે તેને ગર્વ સાથે બોલવી જોઈએ. અને આપણું ભારત તો ભાષાઓના મામલામાં એટલું સમૃદ્ધ છે કે તેની તુલના જ ન થઈ શકે. આપણી ભાષાઓની સૌથી મોટી સુંદરતા એ છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી, કચ્છથી કોહિમા સુધી સેંકડો ભાષાઓ, હજારો બોલી, એકબીજાથી અલગ પરંતુ એકબીજામાં રચાયેલી-ગૂંથાયેલી છે – ભાષા અનેક, ભાવ એક. સદીઓથી આપણી ભાષાઓ એકબીજા પાસેથી શીખીને પોતાને પરિષ્કૃત કરી રહી છે, એકબીજાનો વિકાસ કરી રહી છે. ભારતમાં વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ છે અને એ વાતનો દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ કે દુનિયાનો આટલો મોટો વારસો આપણી પાસે છે. તેવી જ રીતે જેટલા જૂના ધર્મશાસ્ત્ર છે, તેની અભિવ્યક્તિ પણ આપણી સંસ્કૃત ભાષામાં છે. ભારતના લોકો લગભગ 121 એટલે કે આપણને ગર્વ થશે, 121 પ્રકારની માતૃભાષાઓ સાથે જોડાયેલા છે અને તેમાંથી 14 ભાષાઓ તો એવી છએ જે એક કરોડથી પણ વધુ લોકો રોજિંદા જીવનમાં બોલે છે. એટલે જેટલી કોઈ યુરોપિયન દેશની કુલ જનસંખ્યા નથી, તેનાથી વધારે લોકો આપણે ત્યાં અલગ-અલગ 14 ભાષાઓ સાથે જોડાયેલા છે. વર્ષ 2019માં હિન્દી, દુનિયાની સૌથી વધારે બોલાતી ભાષાઓમાં ત્રીજા ક્રમાંક પર હતી. એ વાતનો પણ દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ. ભાષા માત્ર અભિવ્યક્તિનું જ માધ્યમ નથી, પરંતુ ભાષા સમાજની સંસ્કૃતિ અને વારસાને પણ સાચવવાનું કામ કરે છે. આપણી ભાષાના વારસાનો સાચવવાનું આવું જ કામ સૂરીનામમાં સુરજન પરોહી જી કરી રહ્યા છે. આ મહિનાની 2 તારીખે તેઓ 84 વર્ષના થયા. તેમના પૂર્વજ પણ વર્ષો પહેલાં, હજારો શ્રમિકો સાથે, રોજી-રોટી માટે સૂરીનામ ગયા હતા. સુરજન પરોહી જી હિન્દીમાં ઘણી જ સારી કવિતા લખે છે, ત્યાંના રાષ્ટ્રીય કવિઓમાં તેમનું નામ લેવામાં આવે છે. એટલે કે આજે પણ તેમના હ્રદયમાં હિન્દુસ્તાન ઘબકે છે, તેમના કાર્યોમાં હિન્દુસ્તાની માટીની સુગંધ છે. સૂરીનામના લોકોએ સુરજન પરોહી જીના નામ પર એક સંગ્રહાલય પણ બનાવ્યું છે. મારા માટે એ ઘણું જ સુખદ છે કે વર્ષ 2015માં મને તેમને સન્માનિત કરવાનો મોકો મળ્યો હતો.
સાથીઓ, આજના દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ પણ છે.
“સર્વ મરાઠી બંધુ ભગિનિના મરાઠી ભાષા દિનાચ્યા હાર્દિક શુભેચ્છા.”
આ દિવસ મરાઠી કવિરાજ વિષ્ણુ બામન શિરવાડકર જી, શ્રીમાન કુસુમાગ્રજ જીને સમર્પિત છે. આજે જ કુસુમાગ્રજ જીની જન્મ જયંતિ પણ છે. કુસુમાગ્રજ જીએ મરાઠીમાં કવિતાઓ લખી, અનેક નાટકો લખ્યા, મરાઠી સાહિત્યને નવી ઉંચાઈ આપી.
સાથીઓ, આપણે ત્યાં ભાષાની પોતાની ખૂબીઓ છે, માતૃભાષાનું પોતાનું વિજ્ઞાન છે. આ વિજ્ઞાનને સમજીને, રાષ્ટ્રિય શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષામાં ભણતર પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણા Professional courses પણ સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવે, તેના પ્રયત્નો થઈ રહ્યા છે. આઝાદીના અમૃતકાળમાં આ પ્રયત્નોને આપણે સહુએ મળીને ઘણી જ ઝડપ આપવી જોઈએ, તે સ્વાભિમાનનું કામ છે. હું ઈચ્છીશ, તમે જે પણ માતૃભાષા બોલો છો, તેની ખૂબીઓ વિશે અવશ્ય જાણો અને કંઈકને કંઈક લખો.
સાથીઓ, થોડા દિવસો પહેલાં મારી મુલાકાત, મારા મિત્ર અને કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી રાઈલા ઓડિંગા જી સાથે થઈ હતી. આ મુલાકાત રસપ્રદ તો હતી જ પરંતુ ઘણી ભાવુક હતી. અમે ઘણાં સારા મિત્રો રહ્યા તો ખૂલીને ઘણી વાતો પણ કરી લઈએ છીએ. જ્યારે અમે બંને વાત કરી રહ્યા હતા, તો ઓડિંગા જીએ તેમની દીકરી વિશે જણાવ્યું. તેમની દીકરી Rosemary ને Brain Tumour થઈ ગઈ હતી અને તેને કારણે તેમણે તેમની દીકરીની Surgery કરાવવી પડી હતી. પરંતુ તેનું દુષ્પરિણામ એ હતું કે Rosemaryની આંખનું તેજ લગભગ-લગભગ જતું રહ્યું, દેખાવાનું બંધ થઈ ગયું. હવે તમે કલ્પના કરી શકો છો કે તે દીકરીની શું સ્થિતી થઈ હશે અને એક પિતાની સ્થિતીનો પણ આપણે અંદાજ લગાવી શકીએ.
--
તેમની ભાવનાઓને સમજી શકીએ છીએ. તેમણે દુનિયાભરની હોસ્પિટલોમાં, દુનિયાનો કોઈપણ મોટો દેશ એવો નહીં હોય, કે જ્યાં તેમણે તેમની દીકરીની સારવાર માટે ભરપૂર કોશિષ ન કરી હોય. દુનિયાના મોટા-મોટા દેશો ખૂંદી વળ્યા, પરંતુ કોઈ સફળતા ન મળી અને એક પ્રકારે બધી આશાઓ છોડી દીધી, આખા ઘરમાં નિરાશાનું વાતાવરણ બની ગયું. તેવામાં કોઈએ તેમને, ભારતમાં આયુર્વેદની સારવાર માટે આવવા માટે સૂચન આપ્યું અને તેઓ ઘણું કરી ચૂક્યા હતા, થાકી પણ ગયા હતા, છતાં તેમને લાગ્યું કે ચલો ભાઈ, એકવખત ટ્રાય કરીએ શું થાય છે? તેઓ ભારત આવ્યા, કેરળની એક આયુર્વેદિક હોસ્પિટલમાં પોતાની દીકરીની સારવાર શરૂ કરાવી. ઘણો સમય દીકરી અહીંયા રહી. આયુર્વેદની આ સારવારની અસર એ થઈ કે Rosemaryની આંખોનું તેજ ઘણુંખરું પાછું આવી ગયું હતું. તમે કલ્પના કરી શકો છો, કે જેમ એક નવું જીવન મળી ગયું અને તેજ તો Rosemaryના જીવનમાં આવ્યું. પરંતુ આખા પરિવારમાં એક નવું તેજ, નવું જીવન આવ્યું અને ઓડિંગા જી એટલા ભાવુક થઈને આ વાત મને જણાવી રહ્યા હતા, કે તેમની ઈચ્છા છે કે ભારતના આયુર્વેદનું જ્ઞાન છે, વિજ્ઞાન છે, તે કેન્યામાં લઈ આવે. જે પ્રકારના Plants તેમાં કામ આવે છે તે Plantsની ખેતી કરશે અને તેનો લાભ વધુને વધુ લોકોને મળે તેને માટે તેઓ પૂર્ણ પ્રયત્ન કરશે.
મારા માટે એ ઘણી જ ખુશીની વાત છે કે આપણી ધરતી અને પરંપરાથી કોઈના જીવનમાંથી આટલું મોટું કષ્ટ દૂર થયું. આ સાંભળીને આપને પણ ખુશી થશે. કોણ ભારતવાસી હશે જેને ગર્વ ન હોય ? આપણે બધા જાણીએ છીએ કે ઓડિંગા જી જ નહીં, પરંતુ દુનિયાના લાખો લોકો આયુર્વેદથી આવી જ રીતે લાભ ઉઠાવી રહ્યા છે.
બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ આયુર્વેદના ઘણાં મોટા પ્રશંસકોમાંના એક છે. જ્યારે પણ મારી તેમની સાથે મુલાકાત થાય છે, તેઓ આયુર્વેદનો ઉલ્લેખ જરૂર કરે છે. તેમને ભારતની કેટલીયે આયુર્વેદિક સંસ્થાઓની જાણકારી પણ છે.
સાથીઓ, ગત સાત વર્ષોમાં દેશમાં આયુર્વેદના પ્રચાર-પ્રસાર પર બહુ ધ્યાન આપવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયના ગઠનથી ચિકિત્સા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આપણી પારંપરિક રીતને લોકપ્રિય બનાવવાના સંકલ્પને વધુ મજબૂતી મળી છે. મને એ વાતની ખુશી છે કે પાછલા થોડા સમયમાં આયુર્વેદના ક્ષેત્રમાં પણ કેટલાય નવા સ્ટાર્ટ-અપ સામે આવ્યા છે. આ જ મહિનાની શરૂઆતમાં આયુષ સ્ટાર્ટ-અપ ચેલેન્જ શરૂ થઈ હતી. આ ચેલેન્જનું લક્ષ્ય, આ ક્ષેત્રમાં કામ કરનારા સ્ટાર્ટ-અપને identify કરીને તેને સપોર્ટ કરવાનું છે. આ ક્ષેત્રમાં કામ કરી રહેલા યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ આ ચેલેન્જમાં ચોક્કસ ભાગ લે.
સાથીઓ, એક વખત જ્યારે લોકો મળીને કંઈક કરવાનું નક્કી કરી લે છે તો તેઓ અદ્ભુત ચીજો કરી જાય છે. સમાજમાં કેટલાય એવા બદલાવ થયા છે, જેમાં જન ભાગીદારી સામૂહિક પ્રયત્નો- તેની બહુ જ મોટી ભૂમિકા રહી છે. “મિશન જલ થલ” નામનું આવુંજ એક જન આંદોલન કાશ્મીરના શ્રીનગર માં ચાલી રહ્યું છે. આ શ્રીનગરના ઝરણાઓ અને તળાવોની સાફ-સફાઇ અને તેની જુની રોનક લાવવાનો એક પ્રયાસ છે. “મિશન જલ થલ”નું ફોકસ ‘કુશળ સાર’ અને ‘ગિલ સાર’ પર છે. જનભાગીદારીની સાથે-સાથે તેમાં ટેક્નોલોજીની પણ ઘણી મદદ લેવામાં આવી રહી છે. ક્યાં-ક્યાં અતિક્રમણ થયું છે, ક્યાં ગેરકાયદે નિર્માણ થયું છે, તેની જાણકારી મેળવવા માટે આ ક્ષેત્રનો કાયદેસરનો સર્વે કરાવવામાં આવ્યો. તેની સાથે જ પ્લાસ્ટિક વેસ્ટને હટાવવા અને કચરાની સફાઈનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું. મિશનના બીજા ચરણમાં જૂની વોટર ચેનલ્સ અને તળાવોને ભરનારા 19 ઝરણાને Restore કરવાનો પણ ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ Restoration Project ના મહત્વ વિશે વધારેમાં વધારે જાગૃતિ ફેલાય, તેને માટે સ્થાનિક લોકો અને યુવાનોને વોટર એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. હવે અહીંના સ્થાનિક લોકો ગિલ સાર લેક માં પ્રવાસી પક્ષીઓ અને માછલીઓની સંખ્યા વધતી રહે તેને માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે અને તેને જોઈને ખુશી પણ થાય છે. હું આવા શાનદાર પ્રયત્ન માટે શ્રીનગરના લોકોને ઘણી જ શુભેચ્છા પાઠવું છું.
સાથીઓ, આઠ વર્ષ પહેલા દેશે જે સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું, સમય સાથે તેનો વિસ્તાર પણ વધતો ગયો, નવા નવા ઈનોવેશન પણ જોડાતા ગયા. ભારતમાં તમે ક્યાંય પણ જશો તો જોશો કે દરેક જગ્યાએ સ્વચ્છતા માટે કોઈને કોઈ પ્રયત્ન જરૂર થઈ રહ્યા છે. આસામના કોકરાઝારમાં આવા જ એક પ્રયત્ન વિશે મને જાણવા મળ્યું. અહીં Morning Walkers ના એક સમૂહે ‘સ્વચ્છ અને હરિત કોકરાઝાર’ મિશન હેઠળ ઘણી જ પ્રશંસનીય પહેલ કરી છે. આ બધાએ નવા ફ્લાયઓવર ક્ષેત્રમાં ત્રણ કિલોમીટર લાંબા માર્ગની સફાઈ કરીને સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો. આવી જ રીતે વિશાખાપટ્ટનમમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પોલિથીનને બદલે કપડાંની થેલીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અહીંના લોકો પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે Single Use Plastic ઉત્પાદકોની સામે અભિયાન ચલાવી રહ્યા છે. તેની સાથે-સાથે આ લોકો ઘરે જ કચરાને અલગ કરવા માટે જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે. મુંબઈની સોમૈયા કોલેજના વિદ્યાર્થીએ સ્વચ્છતાના તેના અભિયાનમાં સુંદરતાને પણ સામેલ કરી લીધી છે. તેમણે કલ્યાણ રેલવે સ્ટેશનની દિવાલોને સુંદર પેઈન્ટિંગ્સથી સજાવી છે. રાજસ્થાનના સવાઈ માધોપુરનું પણ પ્રેરક ઉદાહરણ મારી જાણકારીમાં આવ્યું છે. અહીંના યુવાનોએ રણથંભોરમાં ‘Mission Beat Plastic’ નામનું અભિયાન ચલાવ્યું છે. જેમાં રણથંભોરના જંગલોમાંથી પ્લાસ્ટિક અને પોલિથીનને હટાવવામાં આવ્યા છે. સહુના પ્રયત્નની આ જ ભાવના, દેશમાં જનભાગીદારીને મજબૂત કરે છે અને જ્યારે જનભાગીદારી હોય તો સૌથી મોટા લક્ષ્ય ચોક્કસ પૂરા થાય છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજથી થોડા દિવસો પછી જ, 8 માર્ચે આખી દુનિયામાં ‘International Women’s Day’, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવશે. મહિલાઓના સાહસ, કૌશલ અને પ્રતિભાથી જોડાયેલા કેટલાય ઉદાહરણ આપણે મન કી બાતમાં સતત વહેંચતા રહ્યા છીએ. આજે પછી તે સ્કિલ ઈન્ડિયા હોય, સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય, કે નાના-મોટા ઉદ્યોગ હોય, મહિલાઓએ દરેક જગ્યાએ મોરચો સંભાળ્યો છે. તમે કોઈપણ ક્ષેત્રમાં જુઓ, મહિલાઓ જૂની માનસિકતાઓને તોડી રહી છે. આજે આપણા દેશમાં પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધી અલગ-અલગ કાર્યક્ષેત્રમાં મહિલાઓ નવી નવી ઉંચાઈ પ્રાપ્ત કરી રહી છે. સેનામાં પણ દીકરીઓ હવે નવી અને મોટી ભૂમિકાઓમાં જવાબદારી નિભાવી રહી છે અને દેશની રક્ષા કરી રહી છે. ગયા મહિને પ્રજાસત્તાક દિવસ પર આપણે જોયું કે આધુનિક ફાઈટર પ્લેનને પણ દીકરીઓ ઉડાવી રહી છે. દેશે સૈનિક સ્કૂલોમાં પણ દીકરીઓના એડમિશન પરથી પ્રતિબંધ હટાવ્યો અને આખા દેશમાં દીકરીઓ સૈનિક સ્કૂલમાં દાખલ થઈ રહી છે.
--
આવી જ રીતે આપણા સ્ટાર્ટ-અપ જગતને જોઈએ તો છેલ્લા વર્ષોમાં, દેશમાં હજારો નવા સ્ટાર્ટ-અપ શરૂ થયા. જેમાંથી લગભગ અડધા સ્ટાર્ટ-અપમાં મહિલાઓ નિર્દેશકની ભૂમિકામા છે. છેલ્લા કેટલાક સમયમાં મહિલાઓ માટે ‘માતૃત્વ અવકાશ’ વધારવા જેવા નિર્ણય લેવામાં આવ્યા છે. બાળક અને બાળકીઓને સમાન અધિકાર આપતા લગ્નની ઉંમર સમાન કરવા માટે દેશ પ્રયાસ કરી રહ્યો છે. તેનાથી દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. આપ દેશમાં વધુ એક બદલાવ થતો જોઈ રહ્યા હશો. આ બદલાવ છે – આપણા સામાજિક અભિયાનોની સફળતા. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ની સફળતા ને જ જુઓ, આજે દેશમાં લિંગ ગુણોત્તર સુધર્યો છે. સ્કૂલ જનારી દીકરીઓની સંખ્યામાં સુધારો થયો છે. આમાં આપણી પણ જવાબદારી છે કે આપણી દીકરીઓ વચ્ચેથી સ્કૂલ ન છોડી દે. તેવી જ રીતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશમાં મહિલાઓને ખૂલ્લામાં શૌચમાંથી મુક્તિ મળી છે. ટ્રિપલ તલાક જેવા સામાજિક અનિષ્ટનો અંત પણ થઈ રહ્યો છે. જ્યારથી ટ્રિપલ તલાકની સામે કાયદો આવ્યો છે, દેશમાં ત્રણ તલાકના મામલામાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે. આ આટલા બધા બદલાવ આટલા ઓછા સમયમાં કેવી રીતે થઈ રહ્યા છે ? આ પરિવર્તન એટલે આવી રહ્યા છે કારણ કે આપણા દેશમાં પરિવર્તન અને પ્રગતિશીલ પ્રયત્નોનું નેતૃત્વ હવે ખુદ મહિલાઓ કરી રહી છે.
મારા પ્રિય દેશવાસીઓ, કાલે 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે છે. આ દિવસ Raman Effectની શોધ માટે પણ ઓળખાય છે. હું સી.વી. રમન જીની સાથે એ બધા જ વૈજ્ઞાનિકોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું, જેમણે આપણી Scientific Journey ને સમૃદ્ધ બનાવવામા પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સાથીઓ, આપણા જીવનમાં સુગમતા અને સરળતામાં ટેક્નોલોજીએ ઘણી જગ્યા બનાવી લીધી છે. કઈ ટેક્નોલોજી સારી છે, કઈ ટેક્નોલોજીનો સારો ઉપયોગ કયો છે, આ બધા વિષયોથી આપણે સારી રીતે પરિચિત હોઈએ જ છીએ. પરંતુ એ પણ સાચું છે કે આપણા પરિવારના બાળકોને એ ટેક્નોલોજીનો આધાર શું છે, તેની પાછળનું સાયન્સ શું છે, એ તરફ આપણું ધ્યાન જાતું જ નથી. આ સાયન્સ ડે પર મારો બધા જ પરિવારોને આગ્રહ છે કે તેઓ પોતાના બાળકોમાં Scientific Temperament વિકસિત કરવા માટે ચોક્કસ નાના-નાનાં પ્રયત્નોથી શરૂ કરી શકે છે. હવે જેમ દેખાતું નથી, ચશ્મા લગાવ્યા પછી સાફ દેખાવા લાગે છે, તો બાળકોને આસાનીથી સમજાવી શકાય છે કે તેની પાછળનું વિજ્ઞાન શું છે. માત્ર ચશ્મા જોયાં, આનંદ કરીએ, એટલું જ નહીં. આરામથી તમે એક નાના કાગળ પર તેમને જણાવી શકો છો. હવે તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, કેલ્ક્યૂલેટર કેવી રીતે કામ કરે છે, રિમોટ કન્ટ્રોલ કેવી રીતે કામ કરે છે, સેન્સર શું હોય છે? આ Scientific વાતો તેની સાથે-સાથે ઘરમાં ચર્ચામાં હોય છે શું? હોઈ શકે છે, ઘણાં આરામથી- આપણે આ ચીજોનું, ઘરની રોજિંદી જિંદગીની પાછળ શું સાયન્સ છે- તે કઈ વાત છે -જે એ કરી રહી છે, તેને સમજાવી શકીએ છીએ. તેવી જ રીતે શું ક્યારેય આપણે બાળકોને સાથે રાખીને આકાશમાં એકસાથે જોયું છે શું? રાત્રે તારાઓ વિશે પણ જરૂર વાતો થઈ હોય. વિવિધ constellations જોવા મળે છે, તેના વિશે જણાવો. એવું કરીને આપ બાળકોમાં ફિઝીક્સ અને એસ્ટ્રોનોમી પ્રત્યે નવા વલણો ઉત્પન્ન કરી શકો છો. આજકાલ ઘણી જ સારી Apps પણ છે જેનાથી તમે તારાઓ અને ગ્રહોને locate કરી શકો છો, અથવા જે તારો આકાશમાં દેખાઈ રહ્યો છે તેને ઓળખી શકો છો, તેના વિશે પણ જાણી શકો છો. હું આપણા સ્ટાર્ટ-અપને પણ કહીશ કે આપ આપના કૌશલ્ય અને Scientific Character નો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલા કાર્યમાં પણ કરો. આ દેશ પ્રત્યે આપણી Collective Scientific Responsibility પણ છે. જેમ આજકાલ હું જોઈ રહ્યો છું કે આપણા સ્ટાર્ટ-અપ વર્ચ્યુઅલ રિઆલીટીની દુનિયામાં ઘણું જ સારું કામ કરી રહ્યા છે. Virtual Classesના આ યુગમાં બાળકોને ધ્યાનમાં રાખીને આવી જ એક વર્ચ્યુઅલ લેબ બનાવી શકાય છે. આપણે વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા બાળકોને chemistry ની લેબનો અનુભવ ઘરે બેઠા કરાવી શકીએ છીએ. આપણા શિક્ષકો અને વાલીઓને મારી વિનંતી છે કે આપ તમામ વિદ્યાર્થીઓ અને બાળકોને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરો અને તેમની સાથે મળીને પ્રશ્નોના સાચા જવાબો શોધો. આજે હું કોરોના સામેની લડાઈમાં ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાની પણ પ્રશંસા કરવા માંગુ છું. તેમની સખત મહેનતને કારણે Made In India વેક્સીનનું નિર્માણ શક્ય બની શક્યું, જેનાથી વિશ્વને ઘણી મદદ મળી છે. Science ની માનવતા માટે આ જ તો ભેટ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે પણ આપણે ઘણા વિષયો પર ચર્ચા કરી. આવનારા માર્ચ મહિનામાં, ઘણા તહેવારો આવી રહ્યા છે - શિવરાત્રી છે અને હવે થોડા દિવસો પછી તમે બધા હોળીની તૈયારીમાં લાગી જશો. હોળી આપણને એકસૂત્રમાં પરોવનારો તહેવાર છે. આમાં પારકા-પોતાના, દ્વેષ-વિદ્વેષ, નાના-મોટા, તમામ ભેદ ભૂંસાઈ જાય છે. તેથી જ કહેવાય છે કે હોળીનો રંગ કરતાં પણ વધારે ઘાટા રંગ પ્રેમ અને સંવાદિતાના હોય છે. હોળીમાં ગુજિયાની સાથે સાથે સંબંધોની પણ અનોખી મીઠાશ હોય છે. આપણે આ સંબંધોને વધુ મજબૂત બનાવવાના છે અને સંબંધ ફક્ત આપણા પરિવારના લોકો સાથે જ નથી પરંતુ તે લોકો સાથે પણ- જે મોટા પરિવારનો ભાગ છે. તેની સૌથી મહત્વપૂર્ણ રીત પણ આપે યાદ રાખવાની છે- આ રીત છે, 'વોકલ ફોર લોકલ' સાથે તહેવારની ઉજવણીની. તમે તહેવારો પર સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરો, જેનાથી આપની આસપાસ રહેનારા લોકોના જીવનમાં પણ રંગ ઉમેરાય, રંગ રહે, ઉમંગ રહે. આપણો દેશ જેટલી સફળતાથી કોરોનાની સામે લડાઈ લડી રહ્યો છે, અને આગળ વધી રહ્યો છે, તેનાથી તહેવારોમાં જોશ પણ અનેકગણો વધી ગયો છે. આ જ જોશની સાથે આપણે આપણા તહેવાર મનાવવાના છે, અને સાથે જ પોતાની સાવધાની પણ રાખવાની છે. હું આપ બધાને આવનારા તહેવારોની શુભેચ્છાઓ આપુ છું. મને હંમેશા આપની વાતોની, આપના પત્રોની, આપના સંદેશાઓની રાહ રહેશે. ખૂબ-ખૂબ શુભેચ્છા.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે મન કી બાતની એક વધુ કડી દ્વારા આપણે એક સાથે જોડાઇ રહ્યા છીએ. આ ૨૦૨૨ની પહેલી મન કી બાત છે. આજે આપણે ફરી એવી ચર્ચાઓને આગળ વધારીશું જે આપણા દેશ અને દેશવાસીઓની સકારાત્મક પ્રેરણાઓ અને સામૂહિક પ્રયત્નો સાથે જોડાયેલી હોય છે. આજે આપણા પૂજય બાપુ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે. ૩૦ જાન્યુઆરીનો આ દિવસ આપણને બાપુના ઉપદેશોની પણ યાદ અપાવે છે. હજી થોડા દિવસ પહેલાં જ આપણે ગણતંત્ર દિવસ પણ ઉજવ્યો. દિલ્હીમાં રાજપથ પર આપણે દેશના શૌર્ય અને સામર્થ્યની જે ઝલક જોઇ તેણે સૌને ગર્વ અને ઉત્સાહથી ભરી દીધા છે. આ વખતે તમે એક બદલાવ જોયો હશે. હવે પ્રજાસત્તાક દિવસ સમારંભ ૨૩ જાન્યુઆરી એટલે કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીથી શરૂ થશે અને ૩૦ જાન્યુઆરી સુધી એટલે કે, ગાંધીજીની પુણ્યતિથિ સુધી ચાલશે. ઇન્ડિયા ગેટ પર નેતાજીની ડીજીટલ પ્રતિમા પણ સ્થાપિત કરી દેવાઇ છે. આ બાબતનું જે રીતે દેશે સ્વાગત કર્યું, દેશના ખૂણેખૂણાથી આનંદનું જે મોજું ફરી વળ્યું, દરેક દેશવાસીએ જે પ્રકારની ભાવનાઓ પ્રગટ કરી તેને આપણે કયારેય ભૂલી નહીં શકીએ.
સાથીઓ, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયાસોના માધ્યમથી પોતાના રાષ્ટ્રીય પ્રતિકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યો છે. આપણે જોયું કે, ઇન્ડિયા ગેટને અડીને “અમર જવાન જયોતિ” છે અને નજીકમાં જ “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર પ્રજ્જવલિત જયોત છે તેને એક કરી દેવામાં આવી છે. આ ભાવુક અવસરે કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” માં આઝાદી પછી શહીદ થયેલા દેશના તમામ વીરોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સેનાના કેટલાક ભૂતપૂર્વ જવાનોએ મને પત્ર લખીને કહ્યું છે કે, “શહીદોની સ્મૃતિની સામે પ્રજ્જવલિત થઇ રહેલી અમર જવાન જયોતિ શહીદોના અમરત્વનું પ્રતિક છે.” ખરેખર “અમર જવાન જયોતિ”ની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમનું યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહીશ કે, જયારે પણ તક મળે “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર જરૂર જજો. પોતાના પરિવાર અને બાળકોને પણ ચોકક્સ લઇ જજો. ત્યાં તમને એક અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.
સાથીઓ, અમૃત મહોત્સવના આ આયોજનોની વચ્ચે દેશમાં કેટલાયે મહત્વના રાષ્ટ્રીય પુરસ્કારો પણ આપવામાં આવ્યા. તેમાંનો એક છે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. આ પુરસ્કાર એવા બાળકોને મળ્યા, જેમણે નાની ઉંમરમાં જ સાહસિક અને પ્રેરણાદાયક કામ કર્યું છે. આપણે બધાંએ પોતાના ઘરમાં આ બાળકો વિશે જરૂર જણાવવું જોઇએ. તેનાથી આપણાં બાળકોને પણ પ્રેરણા મળશે અને તેમનામાં દેશનું નામ રોશન કરવાનો ઉત્સાહ જાગશે. દેશમાં હમણાં જ પદ્મપુરસ્કારોની પણ જાહેરાત થઇ છે. પદ્મપુરસ્કાર મેળવનારામાં કેટલાય એવા નામ પણ છે જેમના વિશે બહુ ઓછા લોકો જામે છે. આ આપણા દેશના unsung heroes છે. જેમણે સાધારણ સંજોગોમાં પણ અસાધારણ કામ કર્યું છે. જેમ કે, ઉત્તરાખંડના બસંતી દેવીજીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બસંતી દેવીએ તેમનું પૂરૂં જીવન સંઘર્ષોની વચ્ચે વિતાવ્યું. નાની ઉંમરમાં જ તેમના પતિનું અવસાન થઇ ગયું હતું અને તેઓ એક આશ્રમમાં રહેવા લાગ્યાં. ત્યાં રહીને તેમણે નદીને બચાવવા માટે સંઘર્ષ કર્યો અને પર્યાવરણ માટે અસાધારણ યોગદાન આપ્યું. તેમણે મહિલાઓના સશક્તીકરણ માટે પણ ઘણું કામ કર્યું છે. આ રીતે જ મણિપુરના ૭૭ વર્ષના લૌરેમ્બમ બીનો દેવી દાયકાઓથી મણિપુરની લીબા વસ્ત્રકળાનું સંરક્ષણ કરી રહ્યા છે. તેમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના અર્જુનસિંહને બૈગા આદિવાસી નૃત્યની કળાને ઓળખ અપાવવા માટે પદ્મ સન્માન મળ્યું છે. પદ્મ સન્માન મેળવનારા વધુ એક મહાનુભાવ છે શ્રીમાન અમાઇ મહાલિંગા નાઇક. તેઓ એક ખેડૂત છે. અને કર્ણાટકના નિવાસી છે. તેમને કેટલાક લોકો ટનલ મેન પણ કહે છે. તેમણે ખેતીમાં એવા એવા નવીનીકરણ કર્યા છે, જેને જોઇને કોઇપણ દંગ રહી જાય. તેમના પ્રયાસોનો બહુ મોટો લાભ નાના ખેડૂતોને થઇ રહ્યો છે. આવા બીજા પણ કેટલાય unsung heroes(અસ્તુત્ય નાયકો) છે. દેશે તેમના યોગદાન માટે જેમને સન્માનિત કર્યા છે. આપ તેમના વિષે જાણવાની પણ ચોક્કસ કોશિશ કરજો. તેમનાથી આપણને જીવનમાં ઘણુંબધું શીખવા મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, અમૃત મહોત્સવ વિશે તમે બધા સાથીઓ મને ઢગલાબંધ પત્રો અને સંદેશા મોકલો છો, અનેક સૂચનો કરો છે. આ શ્રેણીમાં કંઇક એવું થયું છે, જે મારા માટે અવિસ્મરણીય છે. એક કરોડથી વધુ બાળકોએ મને પોતાની મન કી બાત પોસ્ટકાર્ડ દ્વારા લખી મોકલી છે. આ એક કરોડ પોસ્ટકાર્ડ દેશના, જુદાજુદા ભાગમાંથી આવ્યા છે, વિદેશથી પણ આવ્યા છે. તેમાંથી ઘણા પોસ્ટકાર્ડ મેં સમય કાઢીને વાંચવાનો પ્રયત્ન કર્યો છે. આ પોસ્ટકાર્ડઝમાં એ બાબતનું દર્શન થાય છે કે દેશના ભવિષ્ય માટે આપણી નવી પેઢીની વિચારસરણી કેટલી વ્યાપક અને કેટલી વિશાળ છે. મેં મન કી બાતના શ્રોતાઓ માટે કેટલાક પોસ્ટકાર્ડ અલગ તારવ્યા છે જેને હું તમારી સાથે શેર કરવા માંગું છું. જેમ કે આ એક, આસામના ગુવાહાટીથી રિધ્ધિમા સ્વર્ગિયારીનું પોસ્ટકાર્ડ છે. રિધ્ધિમા સાતમા ધોરણની વિદ્યાર્થિની છે, અને તેમણે લખ્યું છે કે, આઝાદીના એકસોમા વર્ષમાં તેઓ એક એવું ભારત જોવા ઇચ્છે છે જે દુનિયાનો સૌથી સ્વચ્છ દેશ હોય, આતંકવાદથી સંપૂર્ણપણે મુક્ત હોય, સો ટકા સાક્ષરદેશોમાં સામેલ હોય, અકસ્માત મુક્ત દેશ હોય, અને ટકાઉ ટેકનોલોજીથી અન્ન સલામતીમાં સક્ષમ હોય. રિધ્ધિમા, આપણી દીકરીઓ જે વિચારે છે, જે સપના દેશ માટે જુએ છે, તે તો પૂરા થાય છે જ. જયારે સૌના પ્રયત્નો જોડાશે, તમારી યુવાપેઢી તેને લક્ષ્ય બનાવીને કામ કરશે, તો તમે ભારતને જેવું બનાવવા ઇચ્છો છો, તેવું ચોક્કસ બનશે. એક પોસ્ટકાર્ડ મને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની નવ્યા વર્માનો પણ મળ્યો છે. નવ્યાએ લખ્યું છે કે, તેમનું સપનું ૨૦૪૭માં એવા ભારતનું છે, જયાં બધાને સન્માનપૂર્ણ જીવન મળે, જયાં ખેડૂત સમૃદ્ધ હોય અને ભ્રષ્ટાચાર ન હોય. નવ્યા દેશ માટેનું તમારૂં સપનું બહું વખાણવાલાયક છે. આ દિશામાં દેશ ઝડપથી આગળ પણ વધી રહ્યો છે. તમે ભ્રષ્ટાચારમુક્ત ભારતની વાત કરી. ભ્રષ્ટાચાર તો ઉધઇની જેમ દેશને પોલો કરી નાંખે છે. તેનાથી મુક્તિ માટે ૨૦૪૭ની રાહ શા માટે જોવી ? આ કામ આપણે સૌ દેશવાસીઓએ, આજની યુવાપેઢીએ મળીને કરવાનું છે, બને તેટલું જલ્દી કરવાનું છે. અને એ માટે બહુ જરૂરી છે કે આપણે આપણા કર્તવ્યોને પ્રાથમિકતા આપીએ. જયાં ફરજ નિભાવવાનો અહેસાસ થાય છે. કર્તવ્ય સર્વોપરી હોય છે. ત્યાં ભ્રષ્ટાચાર ફરકી પણ નથી શકતો.
સાથીઓ, વધુ એક પોસ્ટકાર્ડ મારી સામે છે ચેન્નાઇના મોહંમદ ઇબ્રાહીમનો. ઇબ્રાહીમ ૨૦૪૭માં ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટી શક્તિના રૂપમાં જોવા ઇચ્છે છે. તેઓ ઇચ્છે છે કે, ચંદ્ર પર ભારતનું પોતાનું સંશોધન મથક હોય, અને મંગળ પર ભારત, માનવ વસ્તીને, વસાવવાનું કામ શરૂ કરે. સાથોસાથ ઇબ્રાહીમ પૃથ્વીને પણ પ્રદૂષણથી મુક્ત કરવામાં ભારતની મોટી ભૂમિકા જુએ છે. ઇબ્રાહીમ, જે દેશની પાસે તમારા જેવા નવજુવાન હોય, તેમના માટે કશું પણ અસંભવ નથી.
સાથીઓ, મારી સામે એક પત્ર છે. મધ્યપ્રદેશના રાયસેનમાં સરસ્વતી વિદ્યામંદિરની દસમા ધોરણની વિદ્યાર્થિની ભાવનાનો. સૌથી પહેલા તો હું ભાવનાને કહીશ કે, તમે જે રીતે તમારા પોસ્ટકાર્ડને ત્રિરંગાથી શણગાર્યું છે તે મને બહુ ગમ્યું. ભાવનાએ ક્રાંતિકારી શિરીષકુમાર વિષે લખ્યું છે.
સાથીઓ, ગોવાથી મને લોરેન્શિયો પરેરાનું પોસ્ટકાર્ડ મળ્યું છે. તે બારમા ધોરણના વિદ્યાર્થી છે. તેમના પત્રનો પણ વિષય છે. આઝાદીના unsung heroes(અસ્તૃત્ય નાયકો). હું તેનો ગુજરાતી ભાવાર્થ તમને જણાવું છું. તેમણે લખ્યું છે, “ભીખાજી કામા ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ થનારા સૌથી બહાદુર મહિલાઓમાંના એક હતાં.” તેમણે દીકરીઓને સશક્ત બનાવવા માટે દેશવિદેશમાં ઘણા અભિયાન ચલાવ્યાં. અનેક પ્રદર્શનો યોજ્યા. ચોક્કસપણે ભીખાજી કામા સ્વાધીનતા આંદોલનના સૌથી નીડર મહિલાઓમાંના એક હતા. ૧૯૦૭માં તેમણે જર્મનીમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ ત્રિરંગાને સ્વરૂપ આપવામાં જે વ્યક્તિએ જેમને સાથ આપ્યો હતો, તે હતા – શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માજીનું નિધન ૧૯૩૦માં જીનીવામાં થયું હતું. તેમની અંતિમ ઇચ્છા હતી કે, ભારતની આઝાદી પછી તેમના અસ્થિ ભારત લાવવામાં આવે. આમ તો, ૧૯૪૭માં આઝાદીના બીજા દિવસે જ તેમના અસ્થિ ભારત પરત લાવવા જોઇતા હતા, પરંતુ તે કામ ન થયું. કદાય પરમાત્માની ઇચ્છા હશે કે આ કામ હું કરૂં અને આ કામ કરવાનું સૌભાગ્ય પણ મને જ મળ્યું. હું જયારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે વર્ષ ૨૦૦૩માં તેમના અસ્થિ ભારત લાવવામાં આવ્યા હતા. શ્યામજી કૃષ્ણ વર્માની યાદમાં તેમના જન્મસ્થાન, કચ્છના માંડવીમાં એક સ્મારકનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
સાથીઓ, ભારતની આઝાદીના અમૃત મહોત્સવનો ઉત્સાહ કેવળ આપણા દેશમાં જ નથી. મને ભારતના મિત્ર દેશ ક્રોએશિયાથી પણ ૭૫ પોસ્ટકાર્ડ મળ્યા છે. ક્રોએશિયાના જાગ્રેબમાં School of Applied Arts and Design ના વિદ્યાર્થીઓએ આ ૭૫ કાર્ડઝ ભારતના લોકો માટે મોકલ્યા છે અને અમૃત મહોત્સવના અભિનંદન આપ્યા છે. હું આપ સૌ દેશવાસીઓ તરફથી ક્રોએશિયા અને ત્યાંના લોકોને ધન્યવાદ આપું છું.
મારા દેશવાસીઓ, ભારત શિક્ષણ અને જ્ઞાનની તપોભૂમિ રહ્યું છે. આપણે શિક્ષણને પુસ્તકિયા જ્ઞાન સુધી મર્યાદિત નથી રાખ્યું, પરંતુ તેને જીવનના એક સમગ્ર અનુભવના રૂપે જોયું છે. આપણા દેશની મહાન વિભૂતિઓનો પણ શિક્ષણ સાથે ગાઢ નાતો રહ્યો છે. પંડિત મદન મોહન માલવીયજીએ જયાં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી, તો મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી. આપણા આણંદમાં એક બહુ સરસ જગ્યા છે – વલ્લભ વિદ્યાનગર. સરદાર પટેલના આગ્રહથી તેમના બે સહયોગીઓ, ભાઇ કાક અને ભીખા ભાઇએ ત્યાં યુવાનો માટે શિક્ષણકેન્દ્રોની સ્થાપના કરી. એ રીતે જ પશ્ચિમ બંગાળમાં ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરે શાન્તિનિકેતનની સ્થાપના કરી. મહારાજા ગાયકવાડ પણ કેળવણીના પ્રબળ સમર્થકોમાંના એક હતા. તેમણે અનેક શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કરાવ્યું અને ડોકટર આંબેડકર તથા શ્રી અરબિંદો સહિત અનેક વિભૂતિઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરી. એવા જ મહાનુભાવોની યાદીમાં એક નામ રાજા મહેન્દ્ર પ્રતાપસિંહનું પણ છે. રાજા મહેન્દ્ર પ્રતાપસિંહજીએ એક ટેકનીકલ સ્કૂલની સ્થાપના માટે પોતાનું ઘર જ સોંપી દીધું હતું. તેમણે અલીગઢ અને મથુરામાં શિક્ષણ કેન્દ્રના નિર્માણ માટે ખૂબ આર્થિક મદદ કરી. થોડા સમય પહેલાં મને અલીગઢમાં તેમના નામે એખ યુનિવર્સિટીનું ખાતમૂહુર્ત કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મને આનંદ છે કે, જ્ઞાનના પ્રકાશને જન-જન સુધી પહોંચાડવાની આ જીવંત ભાવના ભારતમાં આજે પણ અખંડ છે. શું તમે જાણો છે કે, આ ભાવનાની સૌથી સુંદર વાત શું છે? એ સુંદર વાત એક છે કે શિક્ષણ માટેની જાગૃતિ સમાજમાં દરેક સ્તરે જોવા મળી રહી છે. તમિલનાડુના તિરૂપુર જીલ્લાના ઉદુમલપેટ બ્લોકમાં રહેતા તાયમ્મલજીનું ઉદાહરણ તો ખૂબ જ પ્રેરણાદાયક છે. તાયમ્મલજીની પાસે પોતાની કોઇ જમીન નથી. વર્ષોથી તેમનો પરિવાર નાળિયેર પાણી વેચીનો પોતાનું ગુજરાન ચલાવે છે. આર્થિક સ્થિતિ ભલે સારી ન હોય પરંતુ તાયમ્મલજીએ તેમના દીકરાદીકરીને ભણાવવામાં કોઇ કસર બાકી રાખી નથી. તેમના સંતાનો ચિન્નવિરમપટ્ટી પંચાયતની યુનિયન મિડલ સ્કૂલમાં ભણતા હતા. એમ જ એક દિવસ શાળામાં વાલીઓ સાથેની મિટીંગમાં વાત આવી કે વર્ગો અને શાળાની સ્થિતિ સુધારવામાં આવે, શાળાનું આંતરમાળખું સારૂં કરવામાં આવે. તાયમ્મલજી પણ આ વાલીમીટીંગમાં હતા. તેમણે બધું સાંભળ્યું. આ બેઠકમાં ફરી ચર્ચા તે કામો માટે પૈસાની ખેંચ પર આવીને અટકી ગઇ. ત્યાર બાદ તાયમ્મલજીએ જે કર્યું તેની કલ્પના કોઇ કરી શકે તેમ નહોતું. જે તાયમ્મલજીએ નાળિયેર પાણી વેચીને થોડી મૂડી એકઠી કરી હતી. તેમણે એક લાખ રૂપિયા સ્કૂલ માટે દાન કરી દીધા. ખરેખર આવું કરવા માટે બહુ મોટું દિલ જોઇએ. સેવાભાવ જોઇએ. તાયમ્મલજીનું કહેવું છે કે, હજી જે શાળા છે, તેમાં આઠમા ધોરણ સુધીનું જ શિક્ષણ અપાય છે. હવે જ્યારે શાળાનું આંતરમાળખું સુધરી જશે તો અહીંયા ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ મળવા લાગશે. આપણા દેશમાં શિક્ષણ વિશે આ એ જ ભાવના છે જેની હું ચર્ચા કરી રહ્યો હતો. મને આઇ.આઇ.ટી. બી.એચ.યુ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના આ રીતના દાન વિશે પણ જાણવા મળ્યું છે. બી.એચ.યુ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી જય ચૌધરીજીએ આઇ.આઇ.ટી. બી.એચ.યુ. ફાઉન્ડેશનને દસ લાખ ડોલર એટલે કે લગભગ સાડા સાત કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
સાથીઓ, આપણા દેશમાં જુદાજુદા ક્ષેત્રો સાથે જોડાયેલા એવા ઘણા લોકો છે, જે બીજાની મદદ કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે છે. મને અત્યંત આનંદ છે કે આ રીતના પ્રયાસો ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં, ખાસ કરીને આપણી અલગ અલગ આઇઆઇટીમાં સતત જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં પણ આ પ્રકારના પ્રેરણ ઉદાહરણોની ખોટ નથી. આ રીતના પ્રયાસોને વધુ પ્રોત્સાહન આપવા ગયા વર્ષે સપ્ટેમ્બર માસથી દેશમાં વિદ્યાંજલી અભિયાનની પણ શરૂઆત થઇ છે. તેનો હેતુ વિવિધ સંગઠનો, કંપનીઓનો ફાળો અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી દેશભરની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. વિદ્યાંજલી અભિયાન સામુહિક ભાગીદારી અને માલિકીની ભાવનાથી આગળ વધી રહ્યું છે. પોતાની શાળા, કોલેજ સાથે સતત જોડાયેલા રહેવું, પોતાની શક્તિ અનુસાર કંઇક ને કંઇક યોગદાન આપતા રહેવું એ એક એવી બાબત છે જેનો સંતોષ અને આનંદ અનુભવ લઇને જ જાણી શકાય છે.
મારા વ્હાલા દેશવાસીઓ, પ્રકૃતિને પ્રેમ અને જીવ માત્ર માટે કરૂણા એ આપણી સંસ્કૃતિ પણ છે અને સહજ સ્વભાવ પણ છે આપણા આ સંસ્કારોની ઝલક હમણાં તાજેતરમાં જ ત્યારે જોવા મળી જયારે મધ્યપ્રદેશના પેંચ વાઘ અભ્યારણ્યમાં એક વાઘણે દુનિયાને અલવિદા કરી દીધી. આ વાઘણને લોકો કોલર વાળી વાઘણ કહેતા હતા. વન વિભાગે તેને ટી-૧૫ નામ આપ્યું હતું. આ વાઘણના મૃત્યુએ લોકોને એટલા ભાવુક બનાવી દીધા, જાણે તેમનું કોઇ સ્વજન દુનિયા છોડી ગયું હોય. લોકોએ રીતસર તેના અંતિમ સંસ્કાર કર્યા, તેને પૂરા સન્માન અને સ્નેહ સાથે વિદાઇ આપી. તમે પણ આ તસ્વીરો સોશિયલ મીડિયામાં જરૂર જોઇ હશે. પૂરી દુનિયામાં પ્રકૃતિ અને જીવો માટે આપણા, ભારતીયોના આ પ્રેમની ખૂબ પ્રશંસા થઇ. કોલરવાળી વાઘણે તેના જીવનકાળમાં ૨૯ બચ્ચાંને જન્મ આપ્યો અને ૨૫ને પાળી પોષીને મોટાં પણ કર્યાં. આપણે ટી-૧૫ના આ જીવનને પણ ઉજવ્યું અને તેણે જયારે દુનિયા છોડી તો તેને ભાવસભર વિદાઇ પણ આપી. આ જ તો ભારતના લોકોની ખૂબી છે. આપણે દરેક ચેતન જીવ સાથે પ્રેમનો સંબંધ બનાવી લઇએ છીએ. એવું જ એક દ્રશ્ય આપણને આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ જોવા મળ્યું. આ પરેડમાં રાષ્ટ્રપતિના અંગરક્ષકોના ચાર્જર ઘોડા વિરાટે પોતાની આખરી પરેડમાં ભાગ લીધો. આ ઘોડો વિરાટ, ૨૦૦૩માં રાષ્ટ્રપતિભવન આવ્યો હતો અને દરેક વખતે પ્રજાસત્તાક દિવસે કમાન્ડન્ટ ચાર્જરના રૂપમાં પરેડની આગેવાની લેતો હતો. જયારે કોઇ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષનું રાષ્ટ્રપતિભવનમાં સ્વાગત થયું હતું, ત્યારે પણ તે પોતાની આ ભૂમિકા નિભાવતો હતો. આ વર્ષે સેના દિવસે એ અશ્વ વિરાટને સેના પ્રમુખ દ્વારા સેનાધ્યક્ષ પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યું. વિરાટની વિરાટ સેવાઓને જોઇને તેની સેવાનિવૃત્તિ પછી એટલી જ ભવ્ય રીતે તેને વિદાઇ આપવામાં આવી.
મારા વ્હાલા દેશવાસીઓ, જયારે એક નિષ્ઠ પ્રયાસ થાય છે, સદભાવનાથી કામ થાય છે તો તેના પરિણામ પણ મળે છે. તેનું એક સર્વોત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, આસામથી આસામનું નામ લેતાં જ ત્યાંના ચાના બગીચા અને ઘણા બધાં રાષ્ટ્રીય ઉદ્યાનોનો વિચાર આવે છે. સાથોસાથ એક શીંગી ગૈંડા એટલે કે, One horn Rhinoનું ચિત્ર પણ આપણા મનમાં ઉપસી આવે છે. આપ સૌ જાણો છો કે આ એક શીંગી ગૈંડો અસમિયા સંસ્કૃતિનો ભાગ રહ્યો છે. ભારત રત્ન ભૂપેન હજારિકાજીનું આ ગીત દરેકના કાનમાં ગુંજતું હશે.
સાથીઓ, આ ગીતનો અર્થ છે તે ખૂબ સુસંગત છે. આ ગીતમાં કહેવાયું છે, કાઝીરંગાનો લીલોછમ પરિવેશ, હાથી અને વાઘના નિવાસ, એક શીંગી ગેંડાને પૃથ્વી જુએ, પક્ષીઓનો મધુરવ કલરવ સાંભળે. આસામની વિશ્વપ્રસિદ્ધ હાથશાળ પર વણેલા મૂંગા અને એરીના પોષાકોમાં પણ ગૈંડાની આકૃતિ જોવા મળે છે. આસામની સંસ્કૃતિમાં જે ગૈંડાનો આટલો મોટો મહિમા છે, તેને પણ સંકટોનો સામનો કરવો પડતો હતો. વર્ષ ૨૦૧૩માં ૩૭ અને ૨૦૧૪માં ૩૨ ગૈંડાને શિકારીઓએ મારી નાંખ્યા હતા. આ પડકારને પહોંચી વળવા માટે છેલ્લા સાત વર્ષમાં સરકારે વિશેષ પ્રયાસોથી ગૈંડાના શિકાર વિરૂદ્ધ એક બહુ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું. ગઇ ૨૨ સપ્ટેમ્બરે વિશ્વ ગેંડા દિવસના અવસરે શિકારીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા ૨૪૦૦થી વધુ શીંગડાઓને સળગાવી દેવામાં આવ્યા હતા. ચોર શિકારીઓ માટે આ એક સખત સંદેશ હતો. એવા જ પ્રયાસોના પરિણામે હવે આસામમાં ગેંડાઓના શિકારમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ૨૦૧૩માં જયાં ૩૭ ગેંડાની હત્યા કરાઇ હતી ત્યાં ૨૦૨૦માં ૨ અને ૨૦૨૧માં માત્ર ૧ ગૈંડાના શિકારનો મામલો સામે આવ્યો છે. ગેંડાને બચાવવા માટેના આસામના લોકોના સંકલ્પની હું પ્રસંશા કરૂં છું.
સાથીઓ, ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગો અને આધ્યાત્મિક શક્તિએ હંમેશા દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષ્યા છે. હું જો આપને કહું કે ભારતીય સંસ્કૃતિ, અમેરિકા, કેનેડા, દુબઇ, સિંગાપુર, પશ્ચિમી યુરોપ અને જાપાનમાં ખૂબ જ લોકપ્રિય છે તો આ વાત આપને બહુ સામાન્ય લાગશે, આપને કોઇ નવાઇ નહીં લાગે. પરંતુ, હું જો એમ કહું કે, ભારતીય સંસ્કૃતિનું લેટીન અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં પણ ભારે આકર્ષણ છે, તો તમે એક વખત ચોકકસ વિચારમાં પડી જશો. મેક્સિકોમાં ખાદીને પ્રોત્સાહન આપવાની વાત હોય કે, પછી બ્રાઝિલમાં ભારતીય પરંપરાઓને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ, મન કી બાતમાં આપણે અગાઉ આ વિષયો પર ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે હું આપને આર્જેન્ટીનામાં ફરકી રહેલા ભારતીય સંસ્કૃતિના ધ્વજ વિષે વાત કરીશ. આર્જેન્ટીનામાં આપણી સંસ્કૃતિને ખૂબ પસંદ કરવામાં આવે છે. ૨૦૧૮માં મેં આર્જેન્ટીનાની મારી મુલાકાત દરમિયાન યોગના કાર્યક્રમમાં - શાંતિ માટે યોગમાં ભાગ લીધો હતો. અહીં આર્જેન્ટીનામાં એક સંસ્થા છે - હસ્તિનાપુર ફાઉન્ડેશન. તમને સાંભળીને નવાઇ લાગે છે ને ! ક્યાં આર્જેન્ટીના અને ત્યાં પણ હસ્તિનાપુર ફાઉન્ડેશન ! આ ફાઉન્ડેશન આર્જેન્ટીનામાં ભારતીય વૈદિક પરંપરાઓના પ્રસારમાં વ્યસ્ત છે. તેના સ્થાપના ૪૦ વર્ષ પહેલાં એક મહિલા પ્રોફેસર એડા અલબ્રેસ્ટે કરી હતી. આજે પ્રોફેસર એડા અલબ્રેસ્ટ ૯૦ વર્ષના થવા જઇ રહ્યા છે. ભારતની સાથે એમનો લગાવ કેવી રીતે થયો તે પણ ખૂબ રસપ્રદ છે. તેઓ જયારે ૧૮ વર્ષના હતા ત્યારે પહેલીવાર ભારતીય સંસ્કૃતિની શક્તિનો તેમને પરિચય થયો. તેમણે ભારતમાં સારો એવો સમય વિતાવ્યો. ભગવદગીતા અને ઉપનિષદો વિષે ઉંડાણથી અભ્યાસ કર્યો. આજે હસ્તિનાપુર ફાઉન્ડેશનના ૪૦ હજારથી વધુ સભ્યો છે અને આર્જેન્ટીના તથા અન્ય લેટિન અમેરિકી દેશોમાં તેની લગભગ ૩૦ શાખાઓ છે. હસ્તિનાપુર ફાઉન્ડેશને સ્પેનિશ ભાષામાં ૧૦૦થી વધુ વૈદિક અને દાર્શનિક ગ્રંથ પણ પ્રકાશિત કર્યા છે. તેમનો આશ્રમ પણ ખૂબ મનમોહક છે. આશ્રમમાં ૧૨ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં અનેક દેવીદેવતાઓની મૂર્તિઓ છે. આ બધાના કેન્દ્રમાં એક એવું મંદિર પણ છે તે અદ્વૈતવાદી ધ્યાન માટે બનાવવામાં આવ્યું છે.
સાથીઓ, આવા જ સેંકડો ઉદાહરણ એ દર્શાવે છે, કે આપણી સંસ્કૃતિ આપણા માટે જ નહીં, બલ્કે પૂરી દુનિયા માટે એક અણમોલ વારસો છે. દુનિયાભરના લોકો તેને જાણવા માંગે છે, સમજવા માંગે છે, જીવવા માંગે છે. આપણે પણ પૂરી જવાબદારી સાથે આપણા સાંસ્કૃતિક વારસાને ખુદ પોતાના જીવનનો હિસ્સો બનાવીને બધા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઇએ.
મારા વ્હાલા દેશવાસીઓ, હવે હું આપને અને ખાસ કરીને આપણા યુવાઓને એક પ્રશ્ન કરવા માંગું છું. હવે વિચારો, તમે એક વારમાં કેટલા પુશ-અપ્સ કરી શકો છે. આપને હું જે જણાવવાનો છું તે ચોક્કસપણે આશ્ચર્યમાં મૂકી દેશે. મણિપુરમાં ૨૪ વર્ષના યુવાન થૌનાઓજમ નિંરજોય સિંહે એક મિનિટમાં ૧૦૯ પુશ-અપ્સ કરીને વિક્રમ સર્જયો છે. નિરંજોય સિંહ માટે વિક્રમ તોડવો કોઇ નવી વાત નથી. તેમણે આ અગાઉ પણ એક મિનિટમાં એક હાથથી સૌથી વધુ નકલ પુશ-અપ્સનો વિક્રમ રચ્યો હતો. મને પૂરો વિશ્વાસ છે કે નિરંજોય સિંહથી તમે પ્રેરિત થશો અને શારીરિક તંદુરસ્તીને તમારા જીવનનો હિસ્સો બનાવશો.
સાથીઓ, આજે હું તમને લદ્દાખની એક એવી જાણકારી આપવા માંગું છું તે જેના વિશે જાણીને તમને ચોક્કસ ગર્વ થશે. લદ્દાખને બહુ જલ્દી એક શાનદાર ઓપન સિન્થેટીક ટ્રેક અને એસ્ટ્રો ટર્ફ ફૂટબોલ સ્ટેડિયમની ભેટ મળવાની છે. આ સ્ટેડિયમ દસ હજાર ફૂટથી વધુ ઉંચાઇએ બની રહ્યું છે અને તેનું નિર્માણ જલદી પૂરૂં થવામાં છે. લદ્દાખનું આ સૌથી મોટું ખુલ્લું સ્ટેડિયમ હશે, જયાં ૩૦ હજાર દર્શકો એક સાથે બેસી શકશે. લદ્દાખના આ આધુનિક ફૂટબોલ સ્ટેડિયમમાં આઠ લેન વાળો એક સિન્થેટીક ટ્રેક પણ હશે. આ ઉપરાંત ત્યાં એક હજાર પથારીવાળી એક છાત્રાલયની સગવડ પણ હશે. તમને એ જાણીને આનંદ થશે કે આ સ્ટેડિયમને ફૂટબોલની સૌથી મોટી સંસ્થા ફીફાએ પણ પ્રમાણિત કર્યું છે. રમતગમતનું આવું કોઇ મોટું આંતરમાળખું જયારે પણ તૈયાર થાય છે, તો તે દેશના યુનાવો માટે સર્વોત્તમ તકો લઇને આવે છે. સાથોસાથ જયાં વ્યવસ્થા થાય છે ત્યાં પણ દેશભરના લોકોની આવનજાવન થતી હોય છે. પ્રવાસનને પ્રોત્સાહન મળે છે અને રોજગારીની અનેક તકોનું સર્જન થાય છે. લદ્દાખના અનેક યુવાનોને પણ આ સ્ટેડિયમનો લાભ થશે.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાત માં આ વખતે પણ આપણે અનેક વિષયો પર વાત કરી. હજી એક વધુ વિષય છે, જે અત્યારે સૌના મનમાં છે અને તે છે કોરોનાનો વિષય. કોરોનાની નવી લહેર સામે ભારત બહુ સફળતાપૂર્વક લડી રહ્યો છે અને એ પણ ગર્વની વાત છે કે, અત્યારસુધીમાં લગભગ સાડા ચાર કરોડ બાળકોએ કોરોના રસીનો ડોઝ લઇ લીધો છે. એનો અર્થ એ થયો કે ૧૫ થી ૧૮ વર્ષની વય શ્રેણીના લગભગ ૬૦ ટકા તરૂણોએ ૩ થી ૪ અઠવાડિયામાં જ રસી લઇ લીધી છે. તેનાથી આપણા યુવાનોની માત્ર રક્ષા જ નહીં થાય પરંતુ તેમનો અભ્યાસ ચાલુ રાખવામાં પણ મદદ મળશે. વધુ એક સારી વાત એ છે કે, ૨૦ દિવસના સમયમાં જ એક કરોડ લોકોએ પ્રિકોશન ડોઝ પણ લઇ લીધો છે. આપણા દેશની રસી પર દેશવાસીઓનો ભરોસો આપણી બહુ મોટી તાકાત છે. હવે તો કોરોનાનો ચેપ લાગવાના કેસ પણ ઓછા થવાના શરૂ થઇ ગયા છે – આ ખૂબ હકારાત્મક સંકેત છે. લોકો સલામત રહે, દેશની આર્થિક પ્રવૃતિઓની ગતિ યથાવત રહે. તે જ દરેક દેશવાસીની કામના છે. અને આપ તો જાણો છો જ, મન કી બાતમાં કેટલીક વાતો કહ્યા વિના હું રહી જ, નથી શકતો, જેમ કે, સ્વચ્છતા અભિયાનને આપણે ભૂલવાનું નથી, સિંગલ યુઝ પ્લાસ્ટીક વિરૂદ્ધના અભિયાનમાં આપણે વધુ ઝડપ લાવવી જરૂરી છે, વોકલ ફોર લોકલ ના મંત્ર એ આપણી જવાબદારી છે, આપણે આત્મનિર્ભર ભારત અભિયાન માટે ખરા દિલથી જોડાઇ રહેવાનું છે. આપણા સૌના પ્રયાસોથી જ દેશ, વિકાસની નવી ઉંચાઇએ પહોંચશે. એ જ મનોકામના સાથે, હું, આપની વિદાય લઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ..

મારા વ્હાલાં દેશવાસીઓ, નમસ્કાર. અત્યારે તમે 2021ને વિદાય આપી રહ્યાં છો અને 2022નાં સ્વાગતની તૈયારીમાં જોડાઇ ગયાં છો. નવાં વર્ષે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા આવનારાં વર્ષ માટે કંઇક વધુ સરસ કરવા માટેનાં તેમજ બનવા માટેનાં સંકલ્પ લે છે. પાછલાં સાત વર્ષોથી આપણી ‘મન કી બાત’ પણ વ્યક્તિનાં, સમાજનાં, દેશનાં સારા પાસાંઓને ઉજાગર કરી, અને સારાં બનવાં માટેની પ્રેરણા આપતી આવી છે. આ સાત વર્ષોમાં, ‘મન કી બાત’ કરતાં કરતાં હું સરકારની ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા કરી જ શકતો હતો. તમને લોકોને પણ સારું લાગતુ, તમે લોકોએ વખાણ પણ કર્યા હોત પરંતુ મારો દાયકાનો અનુભવ છે કે મીડિયાની ચમક-દમકથી દૂર, સમાચારપત્રોની હેડલાઇન્સથી દૂર, એવાં કરોડો લોકો છે જે ઘણું બધું સારું કામ કરી રહ્યાં છે. તેઓ દેશની આવતીકાલ માટે પોતાનાં પ્રયત્નો થકી પોતાની આજને ન્યોછાવર કરી રહ્યાં છે. તેઓ દેશની આવનારી પેઢીઓ માટે પોતાના પ્રયત્નો થકી આજે દિલથી કાર્યરત છે. આવાં લોકોની વાત, ખૂબ શાંતિ આપે છે, ઊંડી પ્રેરણા આપે છે. મારાં માટે ‘મન કી બાત’ હમેશાથી એવાં લોકોનાં પ્રયત્નોથી જ ભરપૂર છે, ફળદ્રુપ, સજાવાયેલો એક સુંદર બગીચા સમાન રહ્યું છે. અને ‘મન કી બાત’ માં દર મહિને મારી મહેનત એ જ વાત માટે રહે છે કે આ બગીચાની કઇ પાંખડી આપ સૌ વચ્ચે લઇને આવું. મને ખુશી છે કે આપણી બહુરત્ના વસુંધરાનાં પુણ્ય કાર્યોનો અવિરત પ્રવાહ નિરંતર વહેતો રહે છે. અને આજે જ્યારે દેશ ‘અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે ત્યારે આ જનશક્તિ છે, જન-જનની શક્તિ છે, તેમનો ઉલ્લેખ, તેમનાં પ્રયત્નો, તેમની મહેનત, ભારતનાં અને માનવતાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ખાતરી આપી રહ્યું છે.
સાથીઓ, આ જનશક્તિની તાકાત છે, સૌનો પ્રયત્ન છે કે ભારત 100 વર્ષમાં આવેલ સૌથી મોટી મહામારી સામે લડી શક્યું. આપણે દરેક મુસીબતનાં સમયે એકબીજા સાથે, એક પરિવારની જેમ ઊભાં રહ્યાં. આપણાં વિસ્તાર અથવા શહેરમાં કોઇની મદદ કરવી હોય, તો જેનાથી જે શક્ય બન્યું તેનાથી વધુ કરવાનાં પ્રયત્નો કર્યાં. આજે વિશ્વમાં વેક્સિનેશનનાં જે આંકડા છે, તેની તુલના ભારત સાથે કરીએ તો જણાય છે કે દેશે કેટલું અભૂતપૂર્વ કામ કર્યું છે, કેટલું મોટું લક્ષ્ય હાસલ કર્યું છે. વેક્સિનનો 140 કરોડ માટેનો ડોઝ પૂરો કરવો, પ્રત્યેક ભારતીયની પોતાની ઉપલબ્ધિ છે. આ પ્રત્યેક ભારતીયનો, વ્યવસ્થા પર, વિશ્વાસ દર્શાવે છે, વિજ્ઞાન પર વિશ્વાસ દર્શાવે છે, વૈજ્ઞાનિકો પર વિશ્વાસ દર્શાવે છે, અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારીઓને નિભાવી રહેલ, આપણાં ભારતીયોની ઇચ્છાશક્તિનું પ્રમાણ પણ છે. પરંતુ સાથીઓ, આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે કોરોનાંનો એક નવો વેરીયન્ટ ટકોરા મારી ચૂક્યો છે. પાછળનાં બે વર્ષોનો આપણો અનુભવ છે કે આ વૈશ્વિક મહામારીને ખતમ કરવા માટે એક નાગરિક તરીકે આપણો પોતાનો પ્રયત્ન ખૂબ મહત્વપૂર્ણ છે. આ જે નવો ઓમિક્રોન વેરીયન્ટ આવ્યો છે, તેનું સંશોધન આપણાં વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે. દરરોજ તેમને નવો ડેટા મળી રહ્યો છે, તેમની સલાહો પર કામ થઇ રહ્યું છે. આવાં સમયે પોતાની સતર્કતા, પોતાની શિસ્ત, કોરોનાનાં આ વેરિએન્ટની વિરુધ્ધ દેશની ખૂબ મોટી શક્તિ બની રહેશે. આપણી સામૂહિક શક્તિ જ કોરોનાને હરાવશે, આ જ દાયિત્વ બોધ સાથે આપણે વર્ષ 2022 માં પ્રવેશ કરવાનો છે.
મારા વ્હાલાં દેશવાસીઓ, મહાભારતનાં યુદ્ધ વખતે, ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું - ‘नभः स्पृशं दीप्तम्’ એટલે કે ગર્વ સાથે આકાશને આંબજે. આ ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય પણ છે.
મા ભારતીની સેવામાં વ્યસ્ત અનેક જીવન આકાશની ઊંચાઇને ગૌરવ સાથે સ્પર્શે છે, આપણને ઘણું બધું શીખવે છે. આવું જ જીવન રહ્યું છે ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહનું, વરુણ સિંહ, તે હેલીકોપ્ટરને ઊડાવી રહ્યાં હતાં જે આ મહિને તમિલનાડુમાં અકસ્માતનો ભોગ બન્યું. તે અકસ્માતમાં આપણે, દેશનાં પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમનાં પત્નિ સાથે કેટલાંય વીરોને ગુમાવ્યાં. વરુણ સિંહ પણ મૃત્યુ સામે વીરતાપૂર્વક લડ્યાં, પરંતુ આખરે તેઓ આપણને છોડીને જતાં રહ્યાં. વરુણ જ્યારે હોસ્પિટલમાં હતાં, તે સમયે મેં સોશિયલ મિડીયા પર એવું જોયું, જે મારા દિલને સ્પર્શી ગયું. આ વર્ષે ઓગસ્ટમાં જ તેમને શૌર્ય ચક્ર આપવામાં આવ્યું હતું. આ સન્માન મળ્યાં પછી તેમણે તેમનાં સ્કૂલનાં આચાર્યને એક પત્ર લખ્યો હતો. તે પત્રને વાંચીને મારાં મનમાં પહેલો વિચાર આવ્યો કે સફળતાનાં શિખરે પહોંચીને પણ તે મૂળિયાંને પોષણ આપવાનું નથી ભૂલ્યાં. બીજું – કે જ્યારે તેમની પાસે ઊજવણી કરવાનો સમય હતો ત્યારે તેમણે આગામી પેઢીઓની ચિંતા કરી. તેઓ ઇચ્છતા હતા કે જે સ્કૂલમાં તેઓ ભણ્યાં, ત્યાંના વિદ્યાર્થીઓનું જીવન પણ ઊજવણીરૂપ બની રહે. પોતાનાં પત્રમાં વરુણ સિંહજીએ પોતાના પરાક્રમનાં વખાણ નથી કર્યા પરંતુ પોતાની અસફળતાઓની વાત કરી છે. કેવી રીતે તેમણે પોતાની ઊણપોને તેમની કાબેલિયતમાં ફેરવી, તેની વાત કરી છે. પત્રમાં એક જગ્યાએ તેમણે લખ્યું છે – “સાધારણ હોવું બરાબર છે. દરેક જણ શાળામાં શ્રેષ્ઠ નથી હોતું અને દરેક જણ 90 ટકા સ્કોર નથી કરી શકતું. જો તમે કરો છો, તો તે એક અદભુત સિદ્ધિ છે અને તેને બિરદાવવી જ જોઈએ. જો કે, તમે ન કરો, તો એવું ન વિચારો કે તમે સામાન્ય છો. તમે શાળામાં સામાન્ય હોઈ શકો છો પરંતુ તેમ હોવું એ જીવનમાં આવનારી વસ્તુઓનો કોઈ માપદંડ નથી. તમારાં અંતરાત્માનાં અવાજને સાંભળો; તે કલા, સંગીત, ગ્રાફિક ડિઝાઇન, સાહિત્ય, વગેરે હોઈ શકે છે. તમે જે પણ ક્ષેત્રમાં કામ કરો છો, સમર્પિત રહો.તમારું શ્રેષ્ઠ કરો. ક્યારેય નકારાત્મક વિચારોમાં ન જાવ, હું હજી વધારે પ્રયત્નો કરી શકયો હોત.”
સાથીઓ, સરેરાશથી અસાધારણ બનવાનો તેમણે જે મંત્ર આપ્યો છે, તે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આ જ પત્રમાં વરુણ સિંહે લખ્યું છે - "ક્યારેય આશા ના છોડવી. ક્યારેય એવું ન વિચારો કે તમે જે બનવા માંગો છો તેમાં તમે સારા બની શકતા નથી. તે સરળ નથી, તે સમય અને આરામનો ભોગ (બલિદાન) લેશે. હું સામાન્ય હતો, અને આજે, હું મારી કારકિર્દીમાં મુશ્કેલ સીમાચિહ્નો પર પહોંચી ગયો છું. એવું ન વિચારો કે 12મા ધોરણનાં બોર્ડનાં માર્કસ નક્કી કરે છે કે તમે જીવનમાં શું હાંસલ કરવા સક્ષમ છો. તમારામાં વિશ્વાસ રાખો અને તેના માટે કામ કરો.”
વરુણે લખ્યું હતું કે જો તેઓ એક પણ વિદ્યાર્થીને પ્રેરણા આપી શકે તો તે પણ ઘણું હશે. પરંતુ આજે હું કહેવાં માંગુ છું કે, - તેમણે સમગ્ર દેશને પ્રેરણા આપી છે. તેમનો પત્ર ભલે માત્ર વિદ્યાર્થીઓ સાથે વાત કરતો હોય પરંતુ તેમણે આપણા પૂરા સમાજને સંદેશો આપ્યો છે.
સાથીઓ, દર વર્ષે હું આવાં જ વિષય પર વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરું છું. આ વર્ષે પણ પરીક્ષા પહેલાં હું વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. આ કાર્યકમ માટે બે દિવસ પછી 28 ડિસેમ્બરથી MyGov.in પર રજિસ્ટ્રેશન પણ શરૂ થવાં જઇ રહ્યું છે. આ રજિસ્ટ્રેશન 28 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેનાં માટે ક્લાસ 9 થી 12 સુધીનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા માટે ઓનલાઇન કોમ્પિટિશનનું પણ આયોજન યોજાશે. હું ઇચ્છિશ કે, આપ સૌ તેમાં જરૂર ભાગ લો. આપ સૌને મળવાની તક મળશે. આપણે સૌ મળીને પરીક્ષા, કરિયર, સફળતા અને વિદ્યાર્થીઓનાં જીવન સાથે જોડાયેલ અનેક પાસાઓ પર મંથન કરીશું.
મારા વ્હાલાં દેશવાસીઓ, ‘મન કી બાત’ માં, હવે હું તમને કંઇક સંભળાવવા જઇ રહ્યો છું, જે સીમા પાર, ક્યાંક ખૂબ દૂરથી આવી છે. આ તમને આનંદિત પણ કરશે અને આશ્ચર્યચકિત પણ કરશે -
Vocal #(Vande Matram)
वन्दे मातरम् । वन्दे मातरम्
सुजलां सुफलां मलयजशीतलाम्
शस्यशामलां मातरम् । वन्दे मातरम्
शुभ्रज्योत्स्नापुलकितयामिनीं
फुल्लकुसुमितद्रुमदलशोभिनीं
सुहासिनीं सुमधुर भाषिणीं
सुखदां वरदां मातरम् ।। १ ।।
वन्दे मातरम् । वन्दे मातरम् ।
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સાંભળીને તમને સૌને ખૂબ સારું લાગ્યું હશે, ગર્વની અનુભૂતિ થઇ હશે. વંદે માતરમમાં જે ભાવ ગર્ભિત છે, તે આપણને ગર્વ અને જુસ્સાથી ભરી દે છે.
સાથીઓ, આપ એ જરૂર વિચારી રહ્યાં હશો કે, આ સુંદર ઓડિયો ક્યાંનો છે, કયા દેશથી આવ્યો છે? આનો જવાબ આપનાં આશ્ચર્યમાં વધારો કરી દેશે. વન્દે માતરમની પ્રસ્તુતિ આપનારા આ વિદ્યાર્થીઓ ગ્રીસનાં છે. ત્યાં તેઓ ઇલીયાના ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં ભણે છે. તેમણે જેટલી સુંદરતાથી અને ભાવથી ‘વંદે માતરમ’ ગાયું છે તે અદભુત અને પ્રશંસનીય છે. આવાં જ પ્રયત્નો, બે દેશોનાં લોકોને વધુ નજીક લાવે છે. હું ગ્રીસનાં આ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને અને તેમનાં શિક્ષકોને અભિનંદન પાઠવું છું. આઝાદીનાં અમૃત મહોત્સવ દરમિયાન કરાયેલ તેમનાં પ્રયત્નોની પ્રશંસા કરું છું.
સાથીઓ, હું લખનૌમાં રહેતાં નિલેશજીની એક પોસ્ટની પણ ચર્ચા કરવાં માગું છું. નિલેશજીએ લખનૌમાં બનેલ એક અનોખા Drone Show ની ખૂબ પ્રશંસા કરી છે. આ Drone Show લખનૌનાં રેસીડેન્સી વિસ્તારમાં આયોજીત કરાયો હતો. 1857નાં પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામની સાક્ષી, રેસીડન્સીની દિવાલો પર આજે પણ નજર આવે છે. રેસીડન્સીમાં થયેલ Drone Showમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં અલગ-અલગ તબક્કાઓને જીવંત બનાવ્યા. એ ‘ચોરી ચોરા આંદોલન’ હોય, ‘કાકોરી ટ્રેન’ની ઘટના હોય અથવા પછી તે નેતાજી સુભાષનું અદમ્ય સાહસ અને પરાક્રમ હોય, આ Drone Show એ સૌનું દિલ જીતી લીધું. તમે પણ આવી જ રીતે પોતાનાં શહેરોનાં, ગામડાંઓનાં, આઝાદીનાં આંદોલન સાથે જોડાયેલ અનોખા તબક્કાઓને લોકોની સામે લાવી શકો છો. તેમાં ટેકનોલોજીની પણ ખૂબ મદદ લઇ શકો છો. આઝાદીનો અમૃત મહોત્સવ, આપણને આઝાદીનાં યુધ્ધની યાદોને જીવવાનો અવસર આપે છે, તેનો અનુભવ કરવાનો અવસર આપે છે. તે દેશ માટે એક નવો સંકલ્પ લેવાનો, કંઇક કરવાની ઇચ્છાશક્તિને બતાવવાનો, પ્રેરક ઉત્સવ છે, પ્રેરક અવસર છે. આવો, સ્વતંત્રતા સંગ્રામની મહાન વિભૂતીઓથી પ્રેરીત બનતાં રહીએ, દેશ માટે આપણાં પ્રયત્નોને વધું મજબૂત બનાવતાં રહીએ.
મારા વ્હાલાં દેશવાસીઓ, આપણું ભારત કેટલીય અસાધારણ પ્રતિભાઓથી સંપન્ન છે, જેમનું કૃતિત્વ બીજાઓને પણ કંઇક કરવા માટે પ્રેરિત કરે છે. આવા જ એક વ્યક્તિ છે તેલંગણાનાં ડોક્ટર કુરેલા વિઠ્ઠલાચાર્યજી. તેમની ઉંમર 84 વર્ષ છે. વિઠ્ઠલાચાર્યજી તેનું ઉદાહરણ છે કે જ્યારે વાત પોતાનાં સપનાંઓ પૂરા કરવાની હોય ત્યારે ઉંમર મહત્વની નથી હોતી.
સાથીઓ, વિઠ્ઠલાચાર્યજીની બાળપણથી એક ઇચ્છા હતી કે તે એક મોટું પુસ્તકાલય ખોલે. દેશ ત્યારે ગુલામ હતો, કેટલીક પરિસ્થિતિઓ એવી હતી કે બાળપણનું સપનું, ત્યારે સપનું જ રહી ગયું. સમય સાથે વિઠ્ઠલાચાર્યજી, લેક્ચરર બન્યાં, તેલુગુ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો અને તેમાં જ કેટલીય સરસ રચનાઓનું સર્જન પણ કર્યું. 6-7 વર્ષ પહેલાં એક વાર ફરી તેઓ પોતાનું સપનું પૂરું કરવાં માટે લાગી ગયાં. તેમણે પોતાની પુસ્તકો દ્વારા પુસ્તકાલયની શરૂઆત કરી. પોતાનાં જીવનભરની કમાણી તેમાં ખર્ચી નાખી. ધીરે-ધીરે લોકો તેની સાથે જોડાતાં ગયાં અને યોગદાન આપતાં રહ્યાં. યદાદ્રી-ભુવનાગિરી જીલ્લાનાં રમન્નાપેટ મંડળનાં આ પુસ્તકાલયમાં લગભગ બે લાખ જેટલાં પુસ્તકો છે. વિઠ્ઠલાચાર્યજી કહે છે કે અભ્યાસને લઇને તેમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે કોઇ બીજાને ન કરવો પડે. તેમને આજે એ જોઇને ખૂબ સારું લાગે છે કે, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે. તેમનાં પ્રયત્નોથી પ્રેરીત થઇને, કેટલાંય બીજાં ગામડાંઓનાં લોકો પણ પુસ્તકાલય બનાવવાં લાગી ગયા છે.
સાથીઓ, પુસ્તકો માત્ર જ્ઞાન જ નથી આપતું પરંતુ વ્યક્તિત્વને નિખારે છે, જીવનને પણ ગઢે છે. પુસ્તકો વાંચવાનો શોખ એક અદભુત સંતોષ આપે છે. આજકાલ હું જોઉં છું કે, લોકો ખૂબ ગર્વ સાથે જણાવે છે કે આ વર્ષે મેં આટલાં પુસ્તકો વાંચ્યાં. હવે આગળ મારે કેટલાંક પુસ્તકો વધુ વાંચવા છે. આ એક સારો ટ્રેન્ડ છે, જેને વધુ વિકસાવવો જોઇએ. હું પણ ‘મન કી બાત’નાં શ્રોતાઓને કહીશ કે, તમે આ વર્ષની પોતાની એ પાંચ પુસ્તકો વિશે જણાવો, જે તમારાં પ્રિય હોય. આ મુજબ તમે 2022મા બીજા પાઠકોને સારી પુસ્તકો પસંદ કરવામાં મદદ કરી શકશો.
આવા સમયમાં જ્યારે આપણો સ્ક્રિન ટાઇમ વધી રહ્યો છે ત્યારે બુક રિડીંગ વધુમાં વધું પ્રખ્યાત બને, તે માટે પણ આપણે મળીને પ્રયત્નો કરવાં જોઇએ.
મારાં વ્હાલાં દેશવાસીઓ, તાજેતરમાં જ મારું ધ્યાન એક રસપ્રદ પ્રયત્ન તરફ ગયું છે. એ પ્રયત્ન આપણાં પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક મૂલ્યોને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં લોકપ્રિય બનાવવાનાં છે. પૂનામાં Bhandarkar Oriental Research Institute નામનું એક કેન્દ્ર છે. આ કેન્દ્રમા બીજાં દેશોનાં લોકોને મહાભારતનાં મહત્વથી પરિચિત કરાવવા માટે ઓનલાઇન કોર્સ શરૂ કર્યો છે. તમે એ જાણીને દંગ રહી જશો કે આ કોર્સ ભલે તાજેતરમાં જ શરૂ કરાયો છે પરંતુ જે કંટેન્ટ ભણાવવામાં આવે છે તેને તૈયાર કરવાની શરૂઆત 100 વર્ષથી પણ પહેલાં થઇ હતી. જ્યારે સંસ્થાએ એનાથી જોડાયેલ કોર્સ શરૂ કર્યો તો તેને જબરદસ્ત પ્રતિભાવ મળ્યો. હું આ શાનદાર પહેલની ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કારણકે લોકોને જાણ થાય કે આપણી પરંપરાનાં વિભિન્ન પાસાંઓને કેવી રીતે મોડર્ન પધ્ધતિથી પ્રસ્તુત કરાઇ રહ્યાં છે. સાત સમુદ્ર પાર બેઠેલાં લોકો સુધી તેનો લાભ કેવી રીતે પહોંચે, તેનાં માટે પણ નિતનવા પ્રયત્નો અપનાવવામાં આવી રહ્યાં છે.
સાથીઓ, આજે દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિ વિશે જાણવામાં રસ વધી રહ્યો છે. ભિન્ન-ભિન્ન દેશોનાં લોકો માત્ર આપણી સંસ્કૃતિ વિશે જાણવાં માટે ઉત્સુક જ નથી પણ તેને વધારવામાં મદદ પણ કરી રહ્યાં છે. આવાં જ એક વ્યક્તિ છે, સર્બિયન સ્કોલર ડો. મોમિર નિકિચ (Serbian Scholar Dr. Momir Nikich). તેમણે એક Bilingual Sanskrit-Serbian ડિક્શનરી તૈયાર કરી છે. આ ડિક્શનરીમાં સામેલ કરેલ સંસ્કૃતનાં 70 હજારથી પણ વધુ શબ્દોનો સર્બિયન ભાષામાં અનુવાદ કરાયો છે. તમને એ જાણીને વધુ સારું લાગશે કે ડો. નિકિચે 70 વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષા શીખી છે.
તેઓ જણાવે છે કે આની પ્રેરણા તેમને મહાત્મા ગાંધીનાં લેખોને વાંચીને મળી. આ જ પ્રકારનું ઉદાહરણ મંગોલિયાનાં 93 વર્ષનાં પ્રોફેસર જે. ગેંદેધરમનું પણ છે. પાછલાં ચાર દાયકાઓથી તેમણે ભારતનાં લગભગ 40 પ્રાચીન ગ્રંથો, મહાકાવ્યો અને રચનાઓનો મંગોલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. આપણાં દેશમાં પણ આ પ્રકારનાં જુસ્સા સાથે ઘણાં બધાં લોકો કામ કરી રહ્યાં છે. મને ગોવાનાં સાગર મુલેજીનાં પ્રયત્નો વિશે પણ જાણવાં મળ્યું, જે સેંકડોં વર્ષ જુની ‘કાવી’ ચિત્રકળાને લુપ્ત થતાં બચાવવા તરફ લાગેલા છે. ‘કાવી’ ચિત્રકળાએ ભારતનાં પ્રાચીન ઇતિહાસને પોતાનાંમાં સમાવ્યો છે. જોકે, ‘કાવ’નો અર્થ થાય છે – લાલ માટી. પ્રાચીન કાળમાં આ કળામાં લાલ માટીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગોવામાં પોર્ટુગિઝ શાસન દરમિયાન ત્યાંથી પલાયન થનારા લોકોએ બીજા રાજ્યનાં લોકોને પણ આ અદભુત ચિત્રકળાનો પરિચય કરાવ્યો. સમયની સાથે તે ચિત્રકળા લુપ્ત થઇ રહી હતી. પરંતુ સાગર મુલેજીએ આ કળામાં નવા પ્રાણ પૂર્યા છે. તેમનાં આ પ્રયત્નને ભરપૂર પ્રશંસા પણ મળી રહી છે. સાથીઓ, એક નાનો પ્રયત્ન, એક નાનું પગલું, આપણી સમૃદ્ધ કળાઓનાં સંરક્ષણમાં ખૂબ મોટું યોગદાન આપી શકે છે. જો આપણાં દેશનાં લોકો નિશ્ચય કરી લે, તો દેશભરમાં આપણી પ્રચીન કળાઓને સજાવવા, માવજત અને સંરક્ષનો ઉત્સાહ એક જન-આંદોલનનું રૂપ લઇ શકે છે. મેં અહીં અમુક જ પ્રયત્નો વિશે વાત કરી છે. દેશભરમાં આ પ્રકારનાં અનેક પ્રયત્નો થઇ રહ્યાં છે. તમે તેની જાણકારી Namo App મારફતે મારાં સુધી જરૂર પહોંચાડો.
મારા વ્હાલાં દેશવાસીઓ, અરુણાચલ પ્રદેશનાં લોકોએ સમગ્ર વર્ષ દરમિયાન એક અનોખું અભિયાન ચલાવ્યું છે અને તેને નામ આપ્યું છે – “અરુણાચલ પ્રદેશ એરગન સરેંડર અભિયાન”. આ અભિયાનમાં, લોકો, સ્વેચ્છાએ પોતાની એરગન સરેંડર કરી રહ્યાં છે – જાણો છો કેમ?
જેનાથી અરુણાચલ પ્રદેશમાં પક્ષીઓનો અંધાધૂંધ શિકાર રોકી શકાય. સાથીઓ, અરુણાચલ પ્રદેશ પક્ષીઓની 500થી પણ વધુ પ્રજાતિઓનું ઘર છે. એમાં કેટલીક એવી દેશી પ્રજાતિઓ પણ સામેલ છે, જે દુનિયામાં ક્યાંય બીજે મળી નથી શકતી. પરંતુ ધીરે-ધીરે હવે જંગલોમાં પક્ષીઓની સંખ્યામાં ઘટ આવી રહી છે. તેને સુધારવાં માટે જ હવે એરગન સરેંડર અભિયાન ચાલી રહ્યું છે. પાછલા કેટલાક મહિનાઓમાં પહાડથી મેદાનનાં વિસ્તારો સુધી, એક Communityથી લઇને બીજી Community સુધી, રાજ્યમાં દરેક દિશામાં લોકોએ આને ખુલ્લા દિલથી સ્વીકાર્યું છે. અરુણાચલનાં લોકો પોતાની ઇચ્છાથી આજ સુધી 1600થી પણ વધુ એરગન સરેંડર કરી ચુક્યાં છે. હું અરુણાચલનાં લોકોની, આ માટે પ્રશંસા કરું છું, તેમને અભિનંદન પાઠવું છું.
મારાં વ્હાલાં દેશવાસીઓ, આપ સૌ તરફથી 2022 થી જોડાયેલ ઘણાં બધા સંદેશ અને સૂચન આવ્યાં છે. એક વિષય દર વખતની જેમ મોટાભાગનાં લોકોનાં સંદેશામાં છે. તે છે સ્વચ્છતા અને સ્વચ્છ ભારતનો. સ્વચ્છતાનો આ સંકલ્પ અનુશાસનથી, સજાગતાથી અને સમર્પણથી જ પૂરો થશે. આપણે એનસીસી કેડેટ્સ (NCC Cadets) દ્વારા શરૂ કરાયેલ પુનીત સાગર અભિયાનમાં પણ તેની ઝલક જોઇ શકીએ છીએ. આ અભિયાનમાં 30 હજારથી વધુ એનસીસી કેડેટ્સ સામેલ થયાં. NCCનાં આ કેડેટ્સે દરિયાકિનારાઓ(beaches) પરની સફાઇ કરી, ત્યાંથી પ્લાસ્ટિક કચરો ઉપાડીને તેને રિસાઇકલીંગ માટે ભેગો કર્યો. આપણાં દરિયાકિનારાઓ, આપણાં પહાડો ફરવાલાયક ત્યારે જ બને છે જ્યારે ત્યાં સફાઇ થાય. ઘણાં બધાં લોકો કોઇક સ્થળે જવા માટે જીવનભર સપનાં જુએ છે, પરંતુ જ્યારે ત્યાં જાય છે ત્યારે જાણતા-અજાણતાં જ કચરો પણ ફેલાવીને આવે છે. આ દરેક દેશવાસીઓની જવાબદારી છે કે જે જગ્યા આપણને આટલી ખુશી આપે છે, આપણે તેને અસ્વચ્છ ન કરીએ.
સાથીઓ, મને saafwater (સાફવોટર) નામનાં એક સ્ટાર્ટ-અપ વિશે જાણ થઇ, જેને કેટલાંક યુવાનોએ શરૂ કર્યું છે. તે Artificial Intelligence અને internet of thingsની મદદથી લોકોને તેમનાં વિસ્તારમાં પાણીની શુદ્ધતા અને ગુણવત્તા સાથે જોડાયેલ બાબતો વિશે જાણકારી આપશે. તે સ્વચ્છતાનું જ આગળનું પગલું છે. લોકોનાં સ્વસ્છ અને સ્વસ્થ ભવિષ્ય માટે તે સ્ટાર્ટ અપનાં મહત્વને જોતાં તેને એક ગ્લોબલ એવોર્ડ પણ મળ્યો છે.
સાથીઓ, ‘एक कदम स्वच्छता की ओर’ આ પ્રયત્નમાં સંસ્થાઓ હોય કે સરકાર, દરેકની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આપ સૌ જાણો છો કે પહેલાં સરકારી કચેરીઓમાં જૂની ફાઇલો અને કાગળોનો કેટલો ઢગલો પડી રહેતો હતો. જ્યારથી સરકારે જૂની પધ્ધતિઓને બદલવાનું શરૂ કર્યું છે, તે ફાઇલ્સ અને કાગળનાં ઢગલાં Digitize થઇને કોમ્પ્યુટરનાં ફોલ્ડરમાં સમાતા જઇ રહ્યાં છે. જેટલું જૂનું અને પેન્ડિગ મટીરીઅલ છે, તેને પૂરું કરવાં માટે મંત્રાલયો અને વિભાગોમાં વિશેષ અભિયાન પણ ચલાવાઇ રહ્યું છે. આ અભિયાનથી કેટલીક ખૂબ રસપ્રદ બાબતો સામે આવી છે. પોસ્ટખાતામાં જ્યારે તે સફાઇ અભિયાન ચાલ્યું ત્યારે ત્યાંનું જંકયાર્ડ સંપૂર્ણ રીતે ખાલી થઇ ગયું. હવે આ જંકયાર્ડને courtyard અને cafeteriaમાં બદલી કઢાયું છે. એક તરફ જંકયાર્ડ ટુ વ્હિલર્સ માટે પાર્કિંગ સ્પેસ બનાવાયું છે. આ રીતે પર્યાવરણ મંત્રાલયે પોતાનાં ખાલી થયેલ જંકયાર્ડને વેલનેસ સેન્ટરમાં પરિવર્તીત કરી દીધું, શહેરી કાર્ય મંત્રાલયે તો એક સ્વચ્છ ATM પણ સ્થાપિત કર્યું છે. તેનો હેતુ છે કે લોકો કચરો આપે અને બદલામાં કેશ લઇને જાય. Civil Aviation Ministry નાં વિભાગોએ વૃક્ષ પરથી ખરી પડતાં સૂકાં પાંદડાંઓને અને જૈવિક કચરામાંથી જૈવિક ખાતર બનાવવાનું શરૂ કર્યું છે.
આ વિભાગ વેસ્ટ પેપરમાંથી સ્ટેશનરી પણ બનાવવાનું કામ કરી રહ્યું છે. આપણાં સરકારી વિભાગ પણ સ્વચ્છતા જેવાં વિષય પર આટલાં ઇનોવેટીવ થઇ શકે છે. કેટલાંક વર્ષ પહેલાં સુધી કોઇને પણ આવો વિશ્વાસ પણ નહોતો થતો, પરંતુ આજે તે વ્યવસ્થાનો ભાગ બની રહ્યું છે. આ જ તો દેશનો નવો વિચાર છે જેનું નેતૃત્વ દરેક દેશવાસી મળીને કરી રહ્યાં છે.
મારાં વ્હાલા દેશવાસીઓ, ‘મન કી બાત’ માં આ વખતે પણ આપણે ઘણાં બધાં વિષયો પર વાત કરી છે. દર વખતની જેમ, એક મહિના પછી, આપણે ફરી મળીશું, પરંતુ 2022માં. દરેક નવી શરૂઆત પોતાનાં સામર્થ્યને ઓળખવાનો પણ એક અવસર લઇને આવે છે. જે લક્ષ્યોની પહેલાં આપણે કલ્પના પણ નહોતી કરતાં, આજે દેશ તેનાં માટે પ્રયત્ન કરી રહ્યો છે. આપણે ત્યાં કહેવાયું છે –
क्षणश: कणशश्चैव, विद्याम् अर्थं च साधयेत् |
क्षणे नष्टे कुतो विद्या, कणे नष्टे कुतो धनम् ||
એટલે કે, જ્યારે આપણે વિદ્યા અર્જિત કરવી હોય, કંઇક નવું શીખવું હોય, કરવું હોય ત્યારે આપણે દરેક પળનો ઉપયોગ કરવો જોઇએ. અને જ્યારે આપણે ધન અર્જિત કરવું હોય, એટલે કે, ઉન્નતિ-પ્રગતિ કરવી હોય ત્યારે દરેક કણનું એટલે કે દરેક સંસાધનનો, યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. કેમકે, પળ નષ્ટ થવાથી વિદ્યા અને જ્ઞાન જતુ રહે છે અને કણ નષ્ટ થવાથી, ધન અને પ્રગતિનાં રસ્તા બંધ થઇ જાય છે. આ વાત આપણાં સૌ દેશવાસીઓ માટે પ્રેરણા છે. આપણે કેટલું બધું શીખવાનું છે, નવા નવા ઇનોવેશન્સ કરવાનાં છે, નવા-નવા લક્ષ્ય હાસિલ કરવાનાં છે, એટલાં માટે આપણે એક પણ પળ વેડફ્યા વગર કાર્યરત રહેવું પડશે. આપણે દેશને વિકાસની નવી ઊંચાઇઓ પર લઇને જવાનો છે, એટલા માટે આપણે આપણા દરેક સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવો પડશે.
તે એક રીતે, આત્મનિર્ભર ભારતનો પણ મંત્ર છે, કેમકે, આપણે જ્યારે આપણાં સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીશું, તેને વ્યર્થ નહીં થવા દઇએ, ત્યારે જ આપણે લોકલની તાકાતને ઓળખીશું, ત્યારે જ તો દેશ આત્મનિર્ભર બનશે. એટલા માટે, આવો આપણે આપણો સંકલ્પ દોહરાવીએ કે મોટું વિચારીશું, મોટા સપના જોઇશું અને તેને પૂરા કરવા માટે જીવ રેડી દઇશું. અને, આપણાં સપનાં માત્ર આપણાં સુધી સીમિત નહીં રહે. આપણાં સપનાં એવાં બનશે કે જેનાથી આપણો સમાજ અને દેશનો વિકાસ જોડાયેલ હોય, આપણી પ્રગતિથી દેશની પ્રગતિનાં રસ્તા ખુલશે અને તેનાં માટે, આપણે આજને જોતરવી પડશે, એક પળ પણ વેડફ્યા વગર, એક કણ વેડફ્યા વગર. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જ સંકલ્પ સાથે આવનારા વર્ષોમાં દેશ આગળ વધશે, અને 2022, એક નવા ભારતનાં નિર્માણ માટેનું સ્વર્ણિમ પૃષ્ઠ બનશે. આ જ વિશ્વાસ સાથે, આપ સૌને 2022ની ઘણી બધી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર... આજે આપણે ફરી એકવાર મન કી બાત માટે એકસાથે જોડાઈ રહ્યા છીએ. બે દિવસ પછી ડિસેમ્બરનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને ડિસેમ્બર આવતા જ સાઈકોલોજીકલી આપણને એવું લાગે છે કે ચાલો ભઈ, વર્ષ પૂરું થઈ ગયું. આ વર્ષનો છેલ્લો મહિનો છે અને નવા વર્ષ માટે તાણા-વાણાં બનાવવાનું શરૂ કરી દઈએ છીએ. આ જ મહિને નેવી ડે અને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે પણ દેશ મનાવી રહ્યો છે. આપણને બધાને ખબર છે કે 16 ડિસેમ્બરે 1971 ના યુદ્ધનું સ્વર્ણિમ જયંતિ વર્ષ પણ દેશ મનાવી રહ્યો છે. હું આ બધા અવસરો પર દેશના સુરક્ષા દળોનું સ્મરણ કરું છું, આપણાં વીરોનું સ્મરણ કરું છું. અને ખાસ કરીને આવા વીરોને જન્મ આપનારી વીર માતાઓનું સ્મરણ કરું છું. હંમેશાની જેમ આ વખતે પણ મને નમો એપ, માય જીઓવી પર તમારા બધાના ઘણાં સૂચનો મળ્યા છે. તમે લોકોએ મને પરિવારનો એક ભાગ માનીને તમારા જીવનના સુખ-દુઃખ વહેંચ્યા છે. આમાં ઘણાં નવયુવાનો પણ છે, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ છે. મને ખરેખર ઘણું સારું લાગે છે કે મન કી બાત નું આપણો આ પરિવાર સતત મોટો જ થઈ રહ્યો છે, મન થી પણ જોડાઈ રહ્યા છે અને હેતુ સાથે પણ જોડાઈ રહ્યા છે અને આપણા ગાઢ સંબંધો, આપણી અંદર, સતત સકારાત્મકતાનો એક પ્રવાહ, પ્રવાહિત કરી રહ્યા છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, મને સીતાપુરના ઓજસ્વીએ લખ્યું છે કે અમૃત મહોત્સવથી જોડાયેલી ચર્ચાઓ તેમને ખૂબ પસંદ પડી રહી છે. તેઓ પોતાના દોસ્તો સાથે મન કી બાત સાંભળે છે અને સ્વાધિનતા સંગ્રામ વિશે ઘણું જાણવાનો, શીખવાનો, સતત પ્રયાસ કરી રહ્યા છે. સાથીઓ, અમૃત મહોત્સવ શીખવાની સાથે આપણે દેશ માટે કંઈક કરવાની પણ પ્રેરણા આપે છે અને હવે તો દેશભરમાં સામાન્ય લોકો હોય કે સરકારો, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી, અમૃત મહોત્સવનો પડઘો અને સતત આ મહોત્સવથી જોડાયેલા કાર્યક્રમોની શ્રુંખલા ચાલી રહી છે. એવો જ એક રસપ્રદ પ્રોગ્રામ ગત દિવસોમાં દિલ્હીમાં યોજાયો. ‘આઝાદી કી કહાની – બચ્ચોં કી જુબાની’ કાર્યક્રમમાં બાળકોએ સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલી ગાથાઓને સંપૂર્ણ મનોભાવ સાથે પ્રસ્તુત કરી. ખાસ વાત એ પણ રહી કે તેમાં ભારતની સાથે નેપાળ, મોરેશિયસ, ટાંઝાનિયા, ન્યૂઝીલેન્ડ અને ફીજીના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. આપણા દેશનું મહારત્ન ઓએનજીસી. ઓએનજીસી પણ કંઈક અલગ રીતે પોતાનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. ઓએનજીસી આ દિવસોમાં ઓઈલ ફિલ્ડ માં પોતાના વિદ્યાર્થીઓ માટે સ્ટડી ટૂરનું આયોજન કરી રહ્યું છે. આ ટૂરમાં યુવાનોને ઓએનજીસી ના ઓઈલ ફિલ્ડ ઓપરેશનની જાણકારી પણ આપવામાં આવી રહી છે – ઉદ્દેશ્ય એ છે કે આપણા ઉભરતા એન્જિનિયર રાષ્ટ્ર નિર્માણના પ્રયત્નોમાં સંપૂર્ણ જોશ અને ઝનૂન સાથે હાથ મિલાવી શકે.
સાથીઓ, આઝાદીમાં આપણા જનજાતીય સમુદાયના યોગદાનને જોતાં દેશે જનજાતીય ગૌરવ સપ્તાહ પણ મનાવ્યો છે. દેશના અલગ-અલગ ભાગોમાં આનાથી જોડાયેલા કાર્યક્રમો પણ થયા. આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં જારવા અને ઓંગે, એવી જનજાતીય સમુદાયના લોકોએ પોતાની સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન કર્યું છે. એક કમાલનું કામ હિમાચલ પ્રદેશમાં ઉનાના મિનિએચર રાઈટર રામકુમાર જોશી જીએ પણ કર્યું છે, તેમણે પોસ્ટેજ સ્ટેમ્પ પર જ એટલે કે આટલી નાની પોસ્ટેજ સ્ટેમ્પ પર નેતાજી સુભાષચંદ્ર બોઝ અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી જીના અનોખા ચિત્રો બનાવ્યા છે. હિન્દીમાં લખેલા રામ શબ્દ પર તેમણે ચિત્ર તૈયાર કર્યાં, જેમાં સંક્ષિપ્તમાં બંને મહાપુરુષોના જીવનને પણ કોતર્યું છે. મધ્યપ્રદેશના કટનીથી પણ કેટલાક સાથીઓએ એક દાસ્તાનગોઈ કાર્યક્રમની જાણકારી આપી છે. તેમાં રાણી દુર્ગાવતીના અદમ્ય સાહસ અને બલિદાનની યાદો તાજી કરવામાં આવી છે. એવો જ એક કાર્યક્રમ કાશીમાં થયો. ગોસ્વામી તુલસીદાસ, સંત કબિર, સંત રવિદાસ, ભારતેન્દુ હરીશચંદ્ર, મુન્શી પ્રેમચંદ અને જયશંકર પ્રસાદ જેવા મહાન વિભૂતીઓના સન્માનમાં ત્રણ દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અલગ-અલગ સમયમાં આ બધાની, દેશની જન-જાગૃતિમાં ખૂબ મોટી ભૂમિકા રહી છે. તમને ખ્યાલ હશે કે મન કી બાતના ગત એપિસોડ દરમિયાન મેં ત્રણ સ્પર્ધાઓનો ઉલ્લેખ કર્યો હતો, કોમ્પિટિશનની વાત કહી હતી – એક દેશભક્તિનું ગીત લખવું, દેશભક્તિ સાથે જોડાયેલી, આઝાદીના આંદોલન સાથે જોડાયેલી ઘટનાઓની રંગોળી બનાવવી અને આપણા બાળકોના મનમાં ભવ્ય ભારતનું સપનું જગાડનારા હાલરડાં લખવામાં આવે. મને આશા છે કે આ સ્પર્ધાઓ માટે પણ આપ જરૂર એન્ટ્રી પણ મોકલી ચૂક્યા હશો, યોજના પણ બનાવી ચૂક્યા હશો અને તમારા સાથીઓ સાથે ચર્ચા પણ કરી ચૂક્યા હશો. મને આશા છે કે ભવ્યતાથી હિન્દુસ્તાનના દરેક ખૂણામાં આ કાર્યક્રમને તમે જરૂર આગળ વધારશો.
મારા પ્રિય દેશવાસીઓ, આ ચર્ચાથી હવે હું તમને સીધા વૃંદાવન લઈને જાઉં છું. વૃંદાવન વિશે કહેવાય છે કે આ ભગવાનના પ્રેમનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. આપણાં સંતોએ પણ કહ્યું છે કે –
યહ આસા ધરિ ચિત્ત મેં, યહ આસા ધરિ ચિત્ત મેં
કહત જથા મતિ મોર
વૃંદાવન સુખ રંગ કૌ, વૃંદાવન સુખ રંગ કૌ
કાહુ ન પાયૌ ઔર...
એટલે કે વૃંદાવનનો મહિમા, આપણે બધા, પોતપોતાના સામર્થ્યના હિસાબથી જરૂર કહીએ છીએ પરંતુ વૃંદાવનનું જે સુખ છે, અહીંનો જે રસ છે, તેનો અંત, કોઈ નથી પામી શકતું, તે તો અસિમ છે. એટલે જ તો વૃંદાવન આખી દુનિયાના લોકોને પોતાની તરફ આકર્ષિત કરતું રહયું છે. તેનો પ્રભાવ તમને દુનિયાના દરેક ખૂણે-ખૂણેથી મળે જશે.
પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં એક શહેર છે પર્થ. ક્રિકેટ પ્રેમી લોકો આ જગ્યાથી સારી રીતે પરિચિત હશે, કારણ કે પર્થમાં હંમેશા ક્રિકેટ મેચ થઈ રહે છે. પર્થમાં એક સેક્રડ ઈન્ડિયા ગેલેરી એ નામથી એક આર્ટ ગેલેરી પણ છે. આ ગેલેરી સ્વાન વેલીના એક સુંદર ક્ષેત્રમાં બનાવવામાં આવી છે અને તે ઓસ્ટ્રેલિયાના એક રહેવાસી જગત તારીણી દાસીના પ્રયત્નોનું પરિણામ છે. જગત તારીણી જી આમ તો ઓસ્ટ્રેલિયાના છે, જન્મ પણ ત્યાં જ થયો, પાલન-પોષણ પણ ત્યાં જ થયું પરંતુ 13 વર્ષથી પણ વધુનો સમય વૃંદાવનમાં આવીને તેમણે વિતાવ્યો. તેમનું કહેવું છે કે જો તેઓ ઓસ્ટ્રેલિયા પાછા જતા તો રહ્યા, પોતાના દેશ પરત ફર્યા પરંતુ તેઓ ક્યારેય પણ વૃંદાવનને ક્યારેય ભૂલી નથી શક્યા. તેથી જ તેમણે વૃંદાવન અને તેના આધ્યાત્મિક ભાવ સાથે જોડાવા માટે ઓસ્ટ્રેલિયામાં જ વૃંદાવન ઉભું કરી દીધું. પોતાની કળાને જ એક માધ્યમ બનાવીને એક અદભૂત વૃંદાવન તેમણે બનાવી દીધું. અહીં આવનારા લોકોને કેટલીયે રીતની કલાકૃતિઓને જોવાનો લ્હાવો મળે છે. તેમને ભારતના સર્વાધિક પ્રસિદ્ધ તીર્થસ્થળો – વૃંદાવન, નવાદ્વિપ અને જગન્નાથપુરીની પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. અહીંયા ભગવાન કૃષ્ણના જીવન સાથે જોડાયેલી કેટલીક કલાકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. એક કલાકૃતિ એવી છે કે જેમાં ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉઠાવી રાખ્યો છે, જેની નીચે વૃંદાવનના લોકો આશ્રય લઈ રહ્યા છે. જગત તારીણી જી નો આ અદભૂત પ્રયાસ સાચે જ આપણને કૃષ્ણ ભક્તિની શક્તિના દર્શન કરાવે છે. હું તેમને તેમના આ પ્રયત્ન માટે ઘણી-ઘણી શુભેકામનાઓ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં હું ઓસ્ટ્રેલિયાના પર્થમાં બનેલા વૃંદાવનના વિષયમાં વાત કરી રહ્યો હતો. એ પણ એક રસપ્રદ ઈતિહાસ છે કે ઓસ્ટ્રેલિયાનો એક સંબંધ આપણા બુંદેલખંડના ઝાંસી થી પણ છે. વાસ્તવમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સામે કાયદાકીય લડાઈ લડી રહ્યા હતા, તો તેમના વકિલ હતા જોન લૈંગ. જોન લૈંગ મૂળ રૂપથી ઓસ્ટ્રેલિયાના જ રહેવાસી હતા. ભારતમાં રહીને તેમણે રાણી લક્ષ્મીબાઈનો કોર્ટ કેસ લડ્યો હતો. આપણા સ્વતંત્રતા સંગ્રામમાં ઝાંસી અને બુંદેલખંડનું કેટલું મોટું યોગદાન છે, એ આપણે બધા જાણીએ છીએ. અહીં રાણી લક્ષ્મીબાઈ અને ઝલકારી બાઈ જેવી વીરાંગનાઓ પણ થઈ ગઈ અને મેજર ધ્યાનચંદ જેવા ખેલરત્ન પણ આ જ ક્ષેત્રે દેશને આપ્યા છે.
સાથીઓ, વીરતા માત્ર યુદ્ધના મેદાનમાં જ દેખાડવામાં આવે, એવું જરૂરી નથી હોતું. વીરતા જ્યારે એક વ્રત બની જાય છે અને તેનું વિસ્તરણ થાય છે તો દરેક ક્ષેત્રમાં અનેક કાર્યો સિદ્ધ થવા લાગે છે. મને આવી જ વીરતા વિશે શ્રીમતી જ્યોત્સનાએ પત્ર લખીને જણાવ્યું છે. જાલૌનમાં એક પરંપરાગત નદી હતી – નૂન નદી. નૂન, અહીંના ખેડૂતો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હતો, પરંતુ ધીરેધીરે નૂન નદી લુપ્ત થવાના આરે પહોંચી ગઈ, જે થોડું ઘણું અસ્તિત્વ આ નદીનું બચ્યું હતું, તેમાં તે નાળામાં તબદિલ થઈ રહી હતી, તેનાથી ખેડૂતો માટે સિંચાઈનું પણ મોટું સંકટ ઉભું થઈ ગયું હતું. જાલૌનના લોકોએ આ સ્થિતીને બદલવાનું બીડું ઝડપ્યું. આ જ વર્ષે માર્ચમાં તેના માટે એક કમિટી બનાવવામાં આવી. હજારો ગ્રામીણ અને સ્થાનિક લોકો પોતાની રીતે જ આ અભિયાન સાથે જોડાયા. અહીંની પંચાયતોએ ગ્રામજનો સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું, અને આજે આટલા ઓછા સમયમાં અને બહુ જ ઓછા ખર્ચામાં આ નદી ફરીથી જીવીત થઈ ગઈ છે. કેટલાય ખેડૂતોને તેનાથી ફાયદો થઈ રહ્યો છે. યુદ્ધના મેદાનથી અલગ વીરતાનું આ ઉદાહરણ, આપણા દેશવાસીઓની સંકલ્પ શક્તિઓને દેખાડે છે અને એ પણ જણાવે છે કે જો આપણે નક્કી કરી જ લઈએ તો કંઈપણ અસંભવ નથી અને એટલે જ હું કહું છું – સહુનો પ્રયત્ન...
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરીએ છીએ તો બદલામાં પ્રકૃતિ આપણને પણ સંરક્ષણ અને સુરક્ષા આપે છે. આ વાતને આપણે આપણા પોતાના જીવનમાં અનુભવ કરીએ છીએ અને એવું જ એક ઉદાહરણ તમિલનાડુના લોકોએ વ્યાપક સ્તર પર પ્રસ્તુત કર્યું છે. આ ઉદાહરણ તમિલનાડુના તૂતુકુડી જિલ્લાનું છે. આપણે જાણીએ છીએ કે તટીય વિસ્તારોમાં કેટલીયે વખત જમીન ડૂબવાનો ખતરો રહે છે. તૂતુકુડીમાં પણ કેટલાય નાનાનાનાં આયલેન્ડ અને ટાપૂ એવા હતા જેના સમુદ્રમાં ડૂબવાનો ખતરો વધી રહ્યો હતો. અહીંયાના લોકોએ અને તજજ્ઞોએ આ પ્રાકૃતિક આપત્તિનો બચાવ પ્રકૃતિની મદદથી શોધી કાઢ્યો. આ લોકો હવે આ ટાપુઓ પર પલ્મોરાના ઝાડ લગાવી રહ્યા છે. આ ઝાડ સાયક્લોન અને તોફાનોમાં પણ ઉભા રહે છે અને જમીનને સુરક્ષા આપે છે. તેમનાથી હવે આ વિસ્તારને બચાવવાનો એક નવો ભરોસો જાગ્યો છે.
સાથીઓ, પ્રકૃતિથી આપણા માટે ખતરો ત્યારે જ ઉભો થાય છે જ્યારે આપણે તેના સંતુલનને બગાડીએ છીએ અથવા તેની પવિત્રતા નષ્ટ કરીએ છીએ. પ્રકૃતિ માં ની જેમ આપણું પાલન પણ કરે છે અને આપણી દુનિયામાં નવા નવા રંગ પણ ભરે છે.
હમણાં હું સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો હતો, મેઘાલયમાં એક ફ્લાઈંગ બોટનો ફોટો ઘણો જ વાઈરલ થઈ રહ્યો છે. પહેલી જ નજરમાં આ ફોટો આપણને આકર્ષિત કરે છે. તમારામાંથી પણ મોટાભાગના લોકોએ તેને ઓનલાઈન જરૂર જોયો હશે. હવામાં તરતી આ હોડીને જ્યારે આપણે નજીકથી જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ નદી તો પાણીમાં ચાલી રહી છે. નદીનું પાણી એટલું સાફ છે કે આપણને તેની સપાટી દેખાતી જ નથી અને હોડી હવામાં તરતી હોય તેવું લાગી રહ્યું હોય છે. આપણા દેશમાં અનેક રાજ્ય છે, અને ક્ષેત્રો છે જ્યાંના લોકોએ પોતાના પ્રાકૃતિક વારસાના રંગોને સંભાળીને રાખ્યા છે. આ લોકોએ પ્રકૃતિ સાથે મળીને રહેવાની જીવનશૈલી આજે પણ જીવંત રાખી છે. આ આપણા બધા માટે પણ પ્રેરણા છે. આપણી આસપાસ જે પણ પ્રાકૃતિક સંસાધનો છે, આપણે તેને બચાવીએ, તેમને ફરીથી તેમનું અસલી રૂપ પરત કરીએ. તેમાં જ આપણું હિત છે, જગતનું હિત છે.
મારા પ્રિય દેશવાસીઓ, સરકાર જ્યારે યોજનાઓ બનાવે છે, બજેટ ખર્ચ કરે છે, સમય પર યોજનાઓને પૂરી કરે છે તો લોકોને લાગે છે કે તે કામ કરી રહી છે. પરંતુ સરકારના અનેક કાર્યોમાં વિકાસની અનેક યોજનાઓ વચ્ચે માનવીય સંવેદનાઓથી જોડાયેલી વાતો હંમેશા એક અલગ સુખ આપે છે. સરકારના પ્રયત્નોથી, સરકારની યોજનાઓથી કેવી રીતે કોઈ જીવન બદલાયું, એ બદલાયેલા જીવનનો અનુભવ શું છે ? જ્યારે એ સાંભળીએ છીએ તો આપણે પણ સંવેદનાઓથી ભરાઈ જઈએ છીએ. તે મનને સંતોષ પણ આપે છે અને તે યોજનાને લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા પણ આપે છે. એક પ્રકારે આ સ્વાન્તઃ સુખાય, તો છે અને તેથી આજે મન કી બાત માં આપણી સાથે બે એવા જ સાથી પણ જોડાઈ રહ્યા છે જે પોતાના ઈરાદાઓથી એક નવું જીવન જીતીને આવ્યા છે. તેમણે આયુષ્યમાન ભારત યોજનાની મદદથી પોતાનો ઈલાજ કરાવ્યો અને એક નવી જિંદગીની શરૂઆત કરી છે. આપણા પહેલા સાથી છે, રાજેશ કુમાર પ્રજાપતિ. જેમને હ્રદય રોગની બિમારી, હાર્ટની સમસ્યા હતી.
તો આવો, રાજેશ જી સાથે વાત કરીએ...
પ્રધાનમંત્રીજીઃ- રાજેશ જી નમસ્તે
રાજેશ પ્રજાપતિઃ- નમસ્તે સર નમસ્તે
પ્રધાનમંત્રીજીઃ- તમારી રાજેશ જી બિમારી શું હતી ? પછી કોઈ ડોક્ટર પાસે ગયા હશો, મને જરા સમજાવો સ્થાનિક ડોક્ટરે કહ્યું હશે પછી કોઈ બીજા ડોક્ટર પાસે ગયા હશો? પછી તમે નિર્ણય નહીં કરતા હોવ અથવા કરતા હશો, શું શું થતું હશે.
રાજેશ પ્રજાપતિઃ- જી મને હાર્ટમાં પ્રોબ્લેમ સર આવી ગયો હતો, સર, મારા હ્રદયમાં બળતરા થતી હતી સર, પછી મેં ડોક્ટરને દેખાડ્યું. ડોક્ટરે પહેલા તો જણાવ્યું બની શકે છે કે બેટા તમને એસિડીટી હશે, તો મેં ઘણાં દિવસ એસિડીટીની દવા કરાવી, તેનાથી જ્યારે મને ફાયદો ન થયો પછી ડોક્ટર કપૂરને દેખાડ્યું, તો તેમણે કહ્યું જે લક્ષણ છે તેમાં એન્જિયોગ્રાફીથી ખબર પડશે, પછી તેમણે મને રિફર કર્યા શ્રી રામમૂર્તિમાં. પછી અમે મળ્યા અમરેશ અગ્રવાલ જીને. તો તેમણે મારી એન્જિયોગ્રાફી કરી. પછી તેમણે જણાવ્યું કે બેટા આ તો તમારી નસ બ્લોકેજ છે, તો અમે કહ્યું સર આમાં કેટલો ખર્ચ આવશે ? તો તેમણે કહ્યું કાર્ડ છે આયુષ્યમાનવાળું જે પ્રધાનમંત્રીજીએ બનાવીને આપ્યું. તો અમે કહ્યું સર અમારી પાસે કાર્ડ છે. તો તેમણે મારું તે કાર્ડ લીધું અને મારો બધો ઈલાજ તે જ કાર્ડથી થયો. સર અને જે આપે જે બનાવ્યું છે કાર્ડ તે ઘણી જ સારી રીતે અને અમારા જેવા ગરીબ લોકો માટે ઘણી જ સરળતા છે આનાથી. અને આપનો હું કેવી રીતે ધન્યવાદ કરું ?
પ્રધાનમંત્રીજીઃ- આપ શું કરો છો રાજેશ જી ?
રાજેશ પ્રજાપતિઃ- સર હું અત્યારે તો ખાનગી નોકરી કરું છું. સર.
પ્રધાનમંત્રીજીઃ- અને ઉંમર કેટલી છે તમારી ?
રાજેશ પ્રજાપતિઃ- મારી ઓગણપચાસ વર્ષ છે. સર
પ્રધાનમંત્રીજીઃ- આટલી નાની ઉંમરમાં આપને હાર્ટની ટ્રબલ થઈ ગઈ?
રાજેશ પ્રજાપતિઃ- હાં જી સર શું કહું હવે ?
પ્રધાનમંત્રીજીઃ- તમારા પરિવારમાં તમારા પિતાજીને અથવા કોઈ માતાજીને અથવા આ પ્રકારે પહેલા થયું છે?
રાજેશ પ્રજાપતિઃ- ના સર કોઈને નહોતું સર, આ પહેલી વખત મારી સાથે જ થયું છે.
પ્રધાનમંત્રીજીઃ- આ આયુષ્યમાન કાર્ડ ભારત સરકાર આ કાર્ડ આપે છે, ગરીબો માટે બહુ મોટી યોજના છે તો એ આપને કેવી રીતે ખબર પડી ?
રાજેશ પ્રજાપતિઃ- સર આ તો એટલી મોટી યોજના છે, ગરીબ માણસને ઘણો જ લાભ મળે છે અને એટલા ખુશ છે સર, અમે તો હોસ્પિટલમાં જોયું છે કે આ કાર્ડ થી કેટલાય લોકોને સરળતા મળે છે. જ્યારે ડોક્ટરને કહે છે કે કાર્ડ છે મારી પાસે, સર તો ડોક્ટર કહે છે ઠીક છે તે કાર્ડ લઈને આવો, હું એ જ કાર્ડથી તમારો ઈલાજ કરી દઈશ.
પ્રધાનમંત્રીજીઃ- અચ્છા, કાર્ડ ન હોય તો તમને કેટલો ખર્ચો ડોક્ટરે કીધો હતો?
રાજેશ પ્રજાપતિઃ- ડોક્ટર સાહેબે કહ્યું હતું બેટા આમાં ઘણો જ ખર્ચો આવશે. બેટા જો કાર્ડ નહીં હોય. તો મેં કહ્યું સર કાર્ડ તો છે મારી પાસે તો તેમણે કહ્યું તરત આપ દેખાડો તો મેં તરત જ દેખાડ્યું તે કાર્ડથી મારો પૂરો ઈલાજ કરવામાં આવ્યો. મારે એક પૈસાનો પણ ખર્ચ થયો નહીં, બધી દવાઓ પણ એ કાર્ડમાંથી જ નીકળી ગઈ.
પ્રધાનમંત્રીજીઃ- તો રાજેશજી તમને હવે સંતોષ છે, તબિયત ઠીક છે.
રાજેશ પ્રજાપતિઃ- જી સર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સર આપની ઉંમર પણ એટલી લાંબી થાય કે હંમેશા સત્તામાં જ રહો અને અમારા પરિવારના લોકો પણ આપનાથી એટલા ખુશ છે કે શું કહું આપને.
પ્રધાનમંત્રીજીઃ- રાજેશજી આપ મને સત્તામાં રહેવાની શુભેચ્છા ન આપો. હું આજે પણ સત્તામાં નથી અને ભવિષ્યમાં પણ સત્તામાં જવા નથી ઈચ્છતો. હું માત્ર સેવામાં રહેવા ઈચ્છું છું, મારા માટે આ પદ, આ પ્રધાનમંત્રી, બધી વસ્તુઓ એ સત્તા માટે છે જ નહીં ભાઈ, સેવા માટે છે.
રાજેશ પ્રજાપતિઃ- સેવા જ તો જોઈએ અમને લોકોને, બીજું શું જોઈએ.
પ્રધાનમંત્રીજીઃ- જુઓ ગરીબો માટે આ આયુષ્યમાન ભારત યોજના તે પોતાનામાં....
રાજેશ પ્રજાપતિઃ- જી સર ઘણી જ સારી વસ્તુ છે.
પ્રધાનમંત્રીજીઃ- પરંતુ જુઓ રાજેશજી તમે મારું એક કામ કરો, કરશો ?
રાજેશ પ્રજાપતિઃ- જી બિલકુલ કરીશું સર.
પ્રધાનમંત્રીજીઃ- જુઓ, થાય છે શું કે લોકોને એની ખબર નથી હોતી, તમે એક જવાબદારી નિભાવો, એવા કેટલા ગરીબ પરિવાર છે તમારી આસપાસ તેમને આ લાભ તમને કેવી રીતે મળ્યો, કેવી રીતે મદદ મળી, તે જણાવો.
રાજેશ પ્રજાપતિઃ- જરૂરથી કહીશું સર.
પ્રધાનમંત્રીજીઃ- અને તેમને કહો કે તેઓ પણ આવું કાર્ડ બનાવાડી લે જેથી કરીને પરિવારમાં ખબર નહીં ક્યારે મુસીબત આવી જાય અને આજે ગરીબ દવાઓ માટે પરેશાન રહે એ તો ઠીક નથી. હવે પૈસાના કારણે તેઓ દવા ન લે અથવા બિમારીનો ઉપાય ન કરે તો એ પણ એક મોટી ચિંતાનો વિષય છે અને ગરીબોનું તો શું થાય છે જેમ કે તમને આ હાર્ટનો પ્રોબ્લેમ થયો, તો કેટલા મહિના આપ કામ જ ન કરી શક્યા હશો.
રાજેશ પ્રજાપતિઃ- હું તો દસ પગલાં પણ નહોતો ચાલી શકતો, અને ન ચડી શકતો હતો સર.
પ્રધાનમંત્રીજીઃ- બસ તો આપ, આપ રાજેશજી મારા એક સાચા સાથી બનીને જેટલા ગરીબોને આપ આ આયુષ્યમાન ભારત યોજના સંબંધમાં સમજાવી શકો છો, બિમાર લોકોની મદદ કરી શકો છો, જુઓ તમને પણ સંતોષ થશે અને મને ઘણી ખુશી થશે કે ચાલો એક રાજેશજીની તબિયત તો ઠીક થઈ ગઈ પરંતુ રાજેશજીએ સેંકડો લોકોની તબિયત ઠીક કરાવી દીધી, આ આયુષ્યમાન ભારત યોજના, તે ગરીબો માટે છે, મધ્યમવર્ગ માટે છે, સામાન્ય પરિવારો માટે છે, તો ઘર-ઘર સુધી આ વાતને તમે પહોંચાડશો.
રાજેશ પ્રજાપતિઃ- બિલકુલ પહોંચાડશું સર. હું તો ત્યાં ત્રણ દિવસ હોસ્પિટલમાં રોકાયો સર તો બિચારા ઘણા લોકો આવ્યા, બધી સુવિધાઓ તેમને સમજાવી, કાર્ડ હશે તો મફતમાં થઈ જશે.
પ્રધાનમંત્રીજીઃ- ચાલો રાજેશજી, તમે તમારી જાતને સ્વસ્થ રાખો, થોડી શરીરની ચિંતા કરો, બાળકોની ચિંતા કરો અને ઘણી પ્રગતિ કરો, મારી ઘણી શુભકામનાઓ છે આપને.
સાથીઓ, આપણે રાજેશજીની વાતો સાંભળી, આવો હવે આપણી સાથે સુખદેવીજી જોડાઈ રહ્યા છે, ઘૂંટણની સમસ્યાએ તેમને ઘણાં જ પરેશાન કરી દીધા હતા. આવો આપણે સુખદેવીજી પાસેથી પહેલા તેમના દુઃખ ની વાત સાંભળીએ અને પછી સુખ કેવી રીતે આવ્યું તે સમજીએ.
મોદીજીઃ- સુખદેવીજી નમસ્તે. આપ ક્યાંથી વાત કરી રહ્યા છો?
સુખદેવીજીઃ- દાનદપરાથી
મોદીજીઃ- ક્યાં, ક્યાં આવ્યું એ ?
સુખદેવીજીઃ- મથુરામાં
મોદીજીઃ- મથુરામાં, પછી તો સુખદેવીજી, આપને નમસ્તે પણ કહેવું છે અને સાથે-સાથે રાધે-રાધે પણ કહેવું પડશે.
સુખદેવીજીઃ- હા..રાધે-રાધે
મોદીજીઃ- અચ્છા અમે સાંભળ્યું કે આપને તકલીફ થઈ હતી. આપનું કોઈ ઓપરેશન થયું હતું. જરા જણાવશો શું વાત હતી?
સુખદેવીજીઃ- હા...મારા ઘૂંટણ ખરાબ થઈ ગયા હતા. તો ઓપરેશન થયું છે મારું. પ્રયાગ હોસ્પિટલમાં.
મોદીજીઃ- તમારી ઉંમર કેટલી છે સુખદેવીજી?
સુખદેવીજીઃ- ઉંમર 40 વર્ષ
મોદીજીઃ- 40 વર્ષ અને સુખદેવ નામ, અને સુખદેવીને બિમારી થઈ ગઈ.
સુખદેવીજીઃ- બિમારી તો મને 15-16 વર્ષથી જ લાગી ગઈ છે.
મોદીજીઃ- અરે બાપ રે... આટલી નાની ઉંમરમાં તમારા ઘૂંટણ ખરાબ થઈ ગયા.
સુખદેવીજીઃ- એ જે ગઠીયો-વા કહેવાય છે, એ જે સાંધાના દુખાવામાં ઘૂંટણ ખરાબ થઈ ગયા.
મોદીજીઃ- તો 16 વર્ષથી 40 વર્ષની ઉંમર સુધી તમે તેનો ઈલાજ નથી કરાવ્યો.
સુખદેવીજીઃ- ના.. કરાવ્યો હતો. દુખાવાની દવા ખાતી રહી, નાના-મોટા ડોક્ટરોએ તો એવી દેશી દવા અને વિવિધ દવાઓ આપી. થેલાછાપ ડોક્ટરોથી તો ઘૂંટણનો દુખાવો વધુ ખરાબ થઈ ગયો. હું 1-2 કિલોમીટર ચાલી તો ઘૂંટણ ખરાબ થઈ ગયા મારા.
મોદીજીઃ- તો સુખદેવજી ઓપરેશનનો વિચાર કેવી રીતે આવ્યો? તેને માટે પૈસાની શું વ્યવસ્થા કરી? કેવી રીતે થયું આ બધું?
સુખદેવીજીઃ- મેં તે આયુષ્યમાન કાર્ડથી ઈલાજ કરાવ્યો છે.
મોદીજીઃ- તો તમને આયુષ્યમાન કાર્ડ મળી ગયું હતું?
સુખદેવીજીઃ- હા..
મોદીજીઃ- અને આયુષ્યમાન કાર્ડથી ગરીબોનો મફતમાં ઉપચાર થાય છે, તે ખબર હતી?
સુખદેવીજીઃ- શાળામાં મીટિંગ થઈ રહી હતી. ત્યાંથી મારા પતિને ખબર પડી તો મારા નામે કાર્ડ બનાવ્યું.
મોદીજીઃ- હા...
સુખદેવીજીઃ- પછી ઈલાજ કરાવ્યો કાર્ડથી અને મેં કોઈપણ પૈસા નથી ચૂકવ્યા. કાર્ડથી જ ઈલાજ થયો મારો. ખૂબ સારો ઈલાજ થયો છે.
મોદીજીઃ- અચ્છા ડોક્ટરે પહેલા જો કાર્ડ ન હોય તો કેટલો ખર્ચો જણાવ્યો હતો?
સુખદેવીજીઃ- અઢી લાખ રૂપિયા, ત્રણ લાખ રૂપિયા. 6-7 વર્ષોથી હું ખાટલામાં પડી છું. હું એમ કહેતી હતી કે હે ભગવાન મને લઈ લે તુ, મારે નથી જીવવું.
મોદીજીઃ- 6-7 વર્ષ ખાટલામાં હતા. બાપ રે બાપ.
સુખદેવીજીઃ- હા...
મોદીજીઃ- ઓહો..
સુખદેવીજીઃ- જરા પણ ઉઠાતું કે બેસાતું નહોતું.
મોદીજીઃ- તો અત્યારે તમારા ઘૂંટણ પહેલાં કરતાં સારા છે?
સુખદેવીજીઃ- હું ઘણું ફરું છું. ફરું છું. રસોડાનું કામ કરું છું. ઘરનું કામ કરું છું. બાળકોને ખાવાનું પણ બનાવી આપું છું.
મોદીજીઃ- તો મતલબ કે આયુષ્યમાન ભારત કાર્ડે તમને ખરેખર આયુષ્યમાન બનાવી દીધા.
સુખદેવીજીઃ- ખૂબ-ખૂબ ધન્યવાદ તમારી યોજનાના કારણે હું ઠીક થઈ ગઈ અને હું મારા પગ ઉપર થઈ ગયી છું.
મોદીજીઃ- તો હવે તો બાળકોને પણ આનંદ આવતો હશે.
સુખદેવીજીઃ- હા..જી.. બાળકોને તો ખૂબ જ પરેશાની થતી હતી. માં પરેશાન હોય તો બાળકો પણ પરેશાન જ હોય ને.
મોદીજીઃ- જુઓ, આપણા જીવનમાં સૌથી મોટું સુખ આપણું સ્વાસ્થ્ય જ હોય છે. આ સુખી જીવન બધાને મળે તે જ આયુષ્યમાન ભારતની ભાવના છે, ચાલો સુખદેવીજી, મારી તમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ, ફરી એકવાર તમને રાધે-રાધે.
સુખદેવીજીઃ- રાધે રાધે...નમસ્તે.
મારા પ્રિય દેશવાસીઓ, યુવાનોથી સમૃદ્ધ દરેક દેશમાં ત્રણ વસ્તુ ઘણું મહત્વ ધરાવે છે. અને તે જ ક્યારેક તો યુવાનોની સાચી ઓળખ બની જાય છે. પહેલી ચીજ છે – આઈડીયાઝ અને ઈનોવેશન. બીજી છે – જોખમ લેવાનો જુસ્સો અને ત્રીજી છે – કેન ડૂ સ્પિરીટ એટલે કે કોઈપણ કામને પૂર્ણ કરવાની જીદ, પછી પરિસ્થિતી કેટલી પણ વિપરિત ન હોય – જ્યારે આ ત્રણેય વસ્તુઓ એકબીજામાં મળી જાય તો અદભૂત પરિણામ મળે છે. ચમત્કાર થાય છે. આજકાલ આપણે ચારેય તરફ સાંભળીએ છીએ, સ્ટાર્ટ-અપ, સ્ટાર્ટ-અપ, સ્ટાર્ટ-અપ. સાચી વાત છે. આ સ્ટાર્ટ-અપનો યુગ છે અને એ પણ સાચું છે કે સ્ટાર્ટ-અપની દુનિયામાં આજે ભારત વિશ્વમાં એક પ્રકારનું નેતૃત્વ કરી રહ્યું છે. વર્ષે વર્ષે સ્ટાર્ટ-અપને રેકોર્ડ રોકાણ મળી રહ્યું છે. આ ક્ષેત્ર બહુ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને ત્યાં સુધી કે દેશના નાનાં-નાનાં શહેરોમાં પણ સ્ટાર્ટ-અપની પહોંચ વધી ગઈ છે. આજકાલ યુનિકોર્ન શબ્દ ખૂબ ચર્ચામાં છે. તમે બધાએ તેના વિશે સાંભળ્યું હશે. યુનિકોર્ન એક એવું સ્ટાર્ટ-અપ હોય છે જેનું વેલ્યુએશન ઓછામાં ઓછું એક બિલિયન ડોલર થાય છે એટલે કે લગભગ સાત હજાર કરોડથી પણ વધારે.
સાથીઓ, વર્ષ 2015 સુધી દેશમાં ઘણી મુશ્કેલીથી 9 કે 10 યુનિકોર્ન થતા હતા. તમને એ જાણીને ખૂબ જ આનંદ થશે કે યુનિકોર્નની દુનિયામાં ભારતે ખૂબ ઝડપી ઉડાન ભરી છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષમાં એક મોટો બદલાવ આવ્યો છે. માત્ર 10 મહિનામાં જ ભારતમાં દર 10 દિવસમાં એક યુનિકોર્ન બને છે. તે એટલા માટે પણ મોટી વાત છે કારણ કે આપણા યુવાનો એ આ સફળતા કોરોના મહામારીની વચ્ચે મેળવી છે. આજે ભારતમાં 70 થી વધારે યુનિકોર્ન બની ચૂક્યા છે. એટલે કે 70થી વધારે સ્ટાર્ટ-અપ એવા છે જે 1 બિલિયનથી વધારે વેલ્યુએશન પાર કરી ગયા છે. સાથીઓ, સ્ટાર્ટ-અપની આ સફળતાનું કારણે બધાનું તેના તરફ ધ્યાન ગયું છે અને જે પ્રકારે દેશમાંથી, વિદેશમાંથી, રોકાણકારો તરફથી તેને સમર્થન મળી રહ્યું છે. કદાચ થોડા વર્ષો પહેલાં તેની કલ્પના પણ કોઈ નહોતું કરી શકતું.
સાથીઓ, સ્ટાર્ટ-અપના માધ્યમથી ભારતીય યુવાનો ગ્લોબલ પ્રોબ્લેમ્સના સમાધાનમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આજે આપણે એક યુવક મયૂર પાટિલ સાથે વાત કરીશું, તેમણે પોતાના દોસ્તો સાથે મળીને પ્રદૂષણના પ્રોબ્લેમનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે.
મોદીજીઃ- મયૂરજી નમસ્તે.
મયૂર પાટીલઃ- નમસ્તે સર જી...
મોદીજીઃ- મયૂરજી તમે કેમ છો?
મયૂર પાટીલઃ- બસ એકદમ સરસ સર..તમે કેમ છો?
મોદીજીઃ- હું ઘણો જ પ્રસન્ન છું. અચ્છા મને જણાવો કે તમે હમણાં કંઈક સ્ટાર્ટ-અપની દુનિયામાં છો.
મયૂર પાટીલઃ- હા...જી
મોદીજીઃ- અને વેસ્ટમાંથી બેસ્ટ પણ કરી રહ્યા છો
મયૂર પાટીલઃ- હા..જી.
મોદીજીઃ- એન્વાયર્મેન્ટનું પણ કરી રહ્યા છો, થોડું મને આપના વિશે જણાવો. તમારા કામ વિશે જણાવો અને આ કામ પાછળ આપને કેવી રીતે વિચાર આવ્યો ?
મયૂર પાટીલઃ- સર જ્યારે કોલેજમાં હતો ત્યારે મારી પાસે મોટર સાયકલ હતી. જેની માઈલેજ ઘણી જ ઓછી હતી અને એમિશન ઘણું જ વધારે હતું. તે ટુ સ્ટ્રોક મોટર સાયકલ હતી. તો એમિશન ઘટાડવા માટે અને તેની માઈલેજ થોડી વધારવા માટે મેં કોશિશ ચાલુ કરી હતી. કંઈક 2011-12માં મેં તેની લગભગ 62 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઈલેજ વધારી દીધી હતી. તો ત્યાંથી જ મને પ્રેરણા મળી કે કંઈક એવી વસ્તુ બનાવીએ જે માસ પ્રોડક્શન કરી શકીએ, તો ઘણાં જ લોકોને તેનો ફાયદો થશે., તો 2017-18માં અમે લોકોએ તેની ટેક્નોલોજીને ડેવેલપ કરી અને રિજનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં અમે લોકોએ 10 બસોમાં તેનો ઉપયોગ કર્યો. તેનું પરિણામ ચેક કરવા માટે અને લગભગ અમે લોકોએ તેના 40 ટકા એમિશન ઘટાડી નાખ્યું. બસમાં...
મોદીજીઃ- હમમમ....હવે આ ટેક્નોલોજી તમે જે શોધી છે તેની પેટન્ટ વગેરે કરાવી લીધી છે.
મયૂર પાટીલઃ- હા..જી..પેટન્ટ થઈ ગઈ છે. આ વર્ષે અમને પેટન્ટ ગ્રાન્ટ થઈને આવી જશે.
મોદીજીઃ- અને આગળ આને વધારવાનો શું પ્લાન છે? તમારો. કેવી રીતે કરી રહ્યા છો? જેમ બસનું પરિણામ આવ્યું. તેની પણ બધી જ ચીજો બહાર આવી ગઈ હશે. તો આગળ શું વિચારી રહ્યા છો ?
મયૂર પાટીલઃ- સર સ્ટાર્ટ-અપ ઈન્ડિયાની અંદર નીતિ આયોગથી અટલ ન્યૂ ઈન્ડિયા ચેલેન્જ જે છે, ત્યાંથી અમને ગ્રાન્ટ મળી અને તે ગ્રાન્ટના બેઝ પર અમે લોકોએ હમણાં ફેક્ટરી ચાલુ કરી. જ્યાં અમે એર ફિલ્ટરનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ.
મોદીજીઃ- તો ભારત સરકાર તરફથી તમને કેટલી ગ્રાન્ટ મળી ?
મયૂર પાટીલઃ- 90 લાખ
મોદીજીઃ- 90 લાખ
મયૂર પાટીલઃ- હાં..જી..
મોદીજીઃ- અને તેનાથી તમારું કામ થઈ ગયું
મયૂર પાટીલઃ- હા...અત્યારે તો ચાલું થઈ ગયું છે. પ્રોસેસમાં છે.
મોદીજીઃ- તમે કેટલા દોસ્તો મળીને કરી રહ્યા છો. આ બધું
મયૂર પાટીલઃ- અમે ચાર લોકો છીએ સર..
મોદીજીઃ- અને ચારેય લોકો પહેલાં સાથે જ ભણતાં હતા અને તેમાંથી જ તમને એક વિચાર આવ્યો આગળ વધવાનો.
મયૂર પાટીલઃ- હા..જી..હા...જી... અમે કોલેજમાં જ હતા.. અને કોલેજમાં અમે લોકોએ આ બધું વિચાર્યું અને આ મારો આઈડિયા હતો કે મારી મોટરસાયકલનું પ્રદૂષણ ઘટી જાય અને માઈલેજ વધે.
મોદીજીઃ- અચ્છા..પ્રદૂષણ ઓછું કરે છે, માઈલેજ વધારે છે તો એવરેજ ખર્ચ કેટલો બચે છે ?
મયૂર પાટીલઃ- સર મોટરસાયકલ પર અમે લોકોએ પરિક્ષણ કર્યું તેની માઈલેજ હતી 25 કિલોમીટર પ્રતિ લિટર હતી. તે અમે લોકોએ વધારીને 39 કિલોમીટર પ્રતિ લિટર તો લગભગ 14 કિલોમીટરનો ફાયદો થયો અને તેમાંથી 40 ટકા કાર્બન એમિશન ઘટી ગયું. અને જ્યારે બસ પર કર્યું, રિજનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને તો ત્યાં 10 ટકા ફ્યૂઅલ એફિશિયન્સી ઈન્ક્રિઝ થઈ અને તેમાં પણ 35-40 ટકા એમિશન ઘટી ગયું.
મોદીજીઃ- મયૂર મને તમારી સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું અને તમારા સાથીઓને પણ મારા તરફથી શુભેચ્છાઓ આપશો કે કોલેજ લાઈફમાં પોતાની જે સમસ્યા હતી તે સમસ્યાનું સમાધાન પણ તમે શોધ્યું અને તે સમાધાનમાંથી જે માર્ગ પસંદ કર્યો, તેણે પર્યાવરણની સમસ્યાને એડ્રેસ કરવા માટે તમે બીડું ઝડપ્યું. અને તે આપણે દેશના યુવાનોનું સામર્થ્ય રહ્યું છે કે કોઈપણ પડકાર ઉઠાવી લે છે અને માર્ગ શોધી લે છે. મારા તરફથી તમને ખૂબ શુભેચ્છાઓ. ખૂબ-ખૂબ ધન્યવાદ.
મયૂર પાટીલઃ- થેન્ક યૂ સર...થેન્ક યૂ..
સાથીઓ, થોડાક વર્ષો પહેલાં જો કોઈ કહેતું કે તે બિઝનેસ કરવા માંગે છે અથવા કોઈ એક નવી કંપની શરૂ કરવા ઈચ્છે છે, ત્યારે પરિવારના મોટા વડિલોનો જવાબ હતો કે – તુ નોકરી કેમ નથી કરવા માંગતો, નોકરી કર ને ભાઈ. અરે નોકરીમાં સલામતી હોય છે, પગાર હોય છે. ઝંઝટ પણ ઓછી હોય છે. પરંતુ આજે જો કોઈ પોતાની કંપની શરૂ કરવા ઈચ્છે છે તો તેની આસપાસના બધા લોકો ઘણા ઉત્સાહિત થાય છે અને તેમાં તેને પૂરો સાથ-સહકાર આપે છે. સાથીઓ, ભારતની ગ્રોથ સ્ટોરીનો આ ટર્નિંગ પોઈન્ટ છે જ્યાં હવે લોકો ફક્ત જોબ સીકર બનાવાનું સપનું નથી જોઈ રહ્યા પરંતુ જોબ ક્રિએટર બની રહ્યા છે. તેનાથી વિશ્વના મંચ પર ભારતની સ્થિતી વધુ મજબૂત બનશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે મન કી બાતમાં આપણે અમૃત મહોત્સવની વાત કરી. અમૃતકાળમાં કેવી રીતે આપણા દેશવાસીઓ નવા નવા સંકલ્પો પૂરા કરી રહ્યા છે તેની ચર્ચા કરી અને સાથે જ ડિસેમ્બર મહિનામાં જ સેનાના શૌર્ય સાથે જોડાયેલી તકોનો પણ ઉલ્લેખ કર્યો. ડિસેમ્બર મહિનામાં જ વધુ એક મોટો દિવસ આપણી વચ્ચે આવે છે જેનાથી આપણે પ્રેરણા લઈએ છીએ. આ દિવસ છે 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ. બાબા સાહેબે પોતાનું આખું જીવન દેશ અને સમાજ માટે પોતાના કર્તવ્યોના નિર્વહન માટે સમર્પિત કર્યું હતું. આપણે દેશવાસીઓ એ ક્યારેય ન ભૂલીએ કે આપણા બંધારણની મૂળ ભાવના, આપણું બંધારણ આપણે બધા દેશવાસીઓનો પોત-પોતાના કર્તવ્યોના નિર્વહનની અપેક્ષા કરે છે – તો આવો આપણે પણ સંકલ્પ લઈએ કે અમૃત મહોત્સવમાં આપણે કર્તવ્યોને પૂરી નિષ્ઠા સાથે નિભાવવાનો પ્રયત્ન કરીશું. આ જ બાબા સાહેબ માટે આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે.
સાથીઓ, હવે આપણે ડિસેમ્બર મહિનામાં પ્રવેશ કરી રહ્યા છીએ, સ્વાભાવિક છે કે હવે પછીની મન કી બાત 2021ના વર્ષની છેલ્લી મન કી બાત હશે. 2022માં ફરીથી યાત્રા શરૂ કરીશું અને હું હા.. તમારી પાસેથી ઘણાં સૂચનોની અપેક્ષા કરતો જ રહુ છું, કરતો રહીશ. તમે આ વર્ષને કેવી રીતે વિદાય કરો છો, નવા વર્ષમાં શું નવું કરવાના છો, તે પણ જરૂર જણાવશો અને હા તે ક્યારેય ન ભૂલતા કે કોરોના હજુ પણ ગયો નથી. સાવધાની રાખવી એ જ આપણા બધાની જવાબદારી છે. ખૂબ-ખૂબ ધન્યવાદ...

મારા પ્રિય દેશવાસીઓ, તમને સહુને નમસ્કાર. કોટિ-કોટિ નમસ્કાર. અને હું કોટિ-કોટિ નમસ્કાર એટલા માટે પણ કહી રહ્યો છું કે સો કરોડ રસીના ડૉઝ પછી આજે દેશ નવા ઉત્સાહ, નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણા રસીકરણના કાર્યક્રમની સફળતા, ભારતના સામર્થ્યને દર્શાવે છે. સહુના પ્રયાસના મંત્રની શક્તિને દર્શાવે છે.
સાથીઓ, સો કરોડ રસી ડૉઝનો આંકડો બહુ મોટો જરૂર છે, પરંતુ તેમાં લાખો નાના-નાના પ્રેરક અને ગર્વથી ભરી દેનારા અનેક અનુભવ, અનેક ઉદાહરણ જોડાયેલાં છે. અનેક લોકો પત્ર લખીને મને પૂછી રહ્યા છે કે રસીકરણની શરૂઆત સાથે જ મને એ વિશ્વાસ થઈ ગયો હતો કે આ અભિયાનને આટલી મોટી સફળતા મળશે. મને આ દૃઢ વિશ્વાસ એટલા માટે હતો કારણકે હું મારા દેશ, પોતાના દેશના લોકોની ક્ષમતાઓથી સારી રીતે પરિચિત છું. હું જાણતો હતો કે આપણા આરોગ્ય કર્મચારીઓ દેશવાસીઓના રસીકરણમાં કોઈ કસર નહીં છોડે. આપણા સ્વાસ્થ્ય કર્મચારીઓએ પાતના અથાક પરિશ્રમ અને સંકલ્પથી એક નવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું. તેમણે નવીનતાની સાથે પોતાના દૃઢ નિશ્ચયથી માનવતાની સેવાનું એક નવું માપદંડ સ્થાપિત કર્યું. તેમના વિશે અગણિત ઉદાહરણ છે, જે બતાવે છે કે તેમણે કઈ રીતે સઘળા પડકારોને પાર કરતા વધુમાં વધુ લોકોને સુરક્ષા કવચ પ્રદાન કર્યું. આપણે અનેક સમાચારપત્રોમાં વાંચ્યું છે, બહાર પણ સાંભળ્યું છે, આ કામ કરવા માટે આપણા આ લોકોએ કેટલી મહેનત કરી છે, એક-એકથી ચડિયાતાં અનેક પ્રેરક ઉદાહરણ આપણી સામે છે. હું આજે ‘મન કી બાત’ના શ્રોતાઓને ઉત્તરાખંડના બાગેશ્વરનાં એક આવા જ એક મહિલા આરોગ્ય કર્મચારી પૂનમ નોટિયાલજી સાથે મેળવવા માગું છું. સાથીઓ, આ બાગેશ્વર ઉત્તરાખંડની એ ધરતી પર છે જે ઉત્તરાખંડે સો ટકા પહેલા ડૉઝ લગાવવાનું કામ પૂરું કરી દીધું છે. ઉત્તરાખંડ સરકાર પણ તેના માટે અભિનંદનને પાત્ર છે કારણકે બહુ જ દુર્ગમ ક્ષેત્ર છે, કઠિન ક્ષેત્ર છે. આ જ રીતે, હિમાચલે પણ આવી કઠિન પરિસ્થિતિઓમાં સો ટકા ડૉઝનું કામ કરી લીધું છે. મને જણાવવામાં આવ્યું છે કે પૂનમજીએ પોતાના ક્ષેત્રના લોકોના રસીકરણ માટે દિવસ-રાત મહેનત કરી છે.
વડા પ્રધાન જી: પૂનમજી નમસ્તે.
પૂનમ નોટિયાલ: સાહેબ પ્રણામ.
વડા પ્રધાન જી: પૂનમજી, પોતાનો પરિચય આપો જરા દેશના શ્રોતાઓ સામે.
પૂનમ નોટિયાલ: સાહેબ, હું પૂનમ નોટિયાલ છું. સાહેબ, હું ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ચાની કોરાલી સેન્ટરમાં કાર્યરત્ છું. હું એક ANM છું.
વડા પ્રધાન જી: પૂનમજી, મારું સદ્ભાગ્ય છે કે મને બાગેશ્વર આવવાનો અવસર મળ્યો હતો. તે એક રીતે તીર્થક્ષેત્ર રહ્યું છે જ્યાં પ્રાચીન મંદિર વગેરે પણ છે, હું બહુ પ્રભાવિત થયો હતો. સદીઓ પહેલાં લોકોએ કેવી રીતે કામ કર્યું હશે.
પૂનમ નોટિયાલ: હા જી સાહેબ.
વડા પ્રધાન જી: પૂનમજી, શું તમે પોતાના ક્ષેત્રના બધા લોકોનું રસીકરણ કરાવી લીધું છે?
પૂનમ નોટિયાલ: હા જી સાહેબ, બધા લોકોનું થઈ ગયું છે.
વડા પ્રધાન જી: તમને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડ્યો છે શું?
પૂનમ નોટિયાલ: હા જી સાહેબ. સાહેબ, અમે લોકો જેમ વરસાદ પડતો હતો ત્યાં અને રસ્તા બ્લૉક થઈ જતા હતા. સાહેબ, નદી પાર કરીને ગયા છીએ અમે લોકો. અને સાહેબ, ઘરે-ઘરે ગયા છીએ. જેમ કે NHCVC અંતર્ગત અમે લોકો ઘરે-ઘરે ગયા છીએ. જે લોકો કેન્દ્રમાં નહોતા આવી શકતા, જેમ કે વૃદ્ધ લોકો અને દિવ્યાંગ લોકો, ગર્ભવતી મહિલાઓ, ધાત્રી મહિલાઓ, આ લોકો સાહેબ.
વડા પ્રધાન જી: પરંતુ ત્યાં તો પહાડો પર ઘર પણ બહુ દૂર-દૂર હોય છે.
પૂનમ નોટિયાલ: જી.
વડા પ્રધાન જી: તો એક દિવસમાં કેટલું કરી શકતાં હતાં તમે?
પૂનમ નોટિયાલ: સાહેબ, કિલોમીટરનો હિસાબ- 10 કિલોમીટર ક્યારેક 8 કિલોમીટર.
વડા પ્રધાન જી: ઠીક છે, આ જો મેદાનમાં રહેનારા લોકો છે તેમને એ સમજમાં નહીં આવે કે 8-10 કિલોમીટર શું હોય છે. મને ખબર છે કે પહાડના 8-10 કિલોમીટર એટલે આખો દિવસ ચાલ્યો જાય.
પૂનમ નોટિયાલ: હા જી.
વડા પ્રધાન જી: પરંતુ એક દિવસમાં કારણકે આ બહુ મહેનતનું કામ છે અને રસીકરણનો પૂરો સામાન ઉઠાવીને જવું. તમારી સાથે કોઈ સહાયક રહેતા હતા કે નહીં?
પૂનમ નોટિયાલ: હા જી. ટીમ સભ્ય, અમે પાંચ લોકો રહેતા હતા સાહેબ.
વડા પ્રધાન જી: હા.
પૂનમ નોટિયાલ: તો તેમાં ડૉક્ટર આવી ગયા, પછી ANM આવી ગયા, ફાર્માસિસ્ટ આવી ગયા, આશા આવી ગઈ અને ડેટા એન્ટ્રી ઑપરેટર આવી ગયા.
વડા પ્રધાન જી: અચ્છા, તે ડેટા એન્ટ્રી, ત્યાં કનેક્ટિવિટી મળી જતી હતી કે પછી બાગેશ્વર આવ્યા પછી કરતાં હતાં?
પૂનમ નોટિયાલ: સાહેબ, ક્યાંક ક્યાંક મળી જતી, ક્યાંક-ક્યાંક બાગેશ્વર આવ્યા પછી કરતાં હતાં અમે લોકો.
વડા પ્રધાન જી: અચ્છા. મને જણાવવામાં આવ્યું છે પૂનમજી કે તમે ચીલાથી હટીને લોકોને રસી આપી છે. આ શું કલ્પના આવી. તમારા મનમાં વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે કર્યું તમે?
પૂનમ નોટિયાલ: અમે લોકોઓ, પૂરી ટીમે સંકલ્પ કર્યો હતો કે અમે લોકો એક પણ વ્યક્તિ છૂટવી ન જોઈએ. આપણા દેશમાંથી કોરોના બીમારી દૂર ભાગવી જોઈએ. મેં અને આશાએ મળીને પ્રત્યેક વ્યક્તિની ગામ મુજબ યાદી બનાવી, પછી તે મુજબ જે લોકો કેન્દ્રમાં આવ્યા તેમને કેન્દ્રમાં રસી આપી. પછી અમે લોકો ઘરે-ઘરે ગયાં. સાહેબ, તે પછી પણ કેટલાક લોકો છૂટી ગયા હતા, જે લોકો આવી શકતા નહોતા કેન્દ્રમાં.
વડા પ્રધાન જી: અચ્છા, લોકોને સમજાવવા પડતા હતા?
પૂનમ નોટિયાલ: હા જી, સમજાવ્યા, હા જી.
વડા પ્રધાન જી: લોકોનો ઉત્સાહ છે, હજુ પણ રસી લેવાનો?
પૂનમ નોટિયાલ: હા જી સાહેબ, હા જી. હવે તો લોકો સમજી ગયા છે. પહેલાં તો બહુ તકલીફ પડી અમને લોકોને. લોકોને સમજાવવા પડતા હતા કે આ જે રસી છે સુરક્ષિત છે અને અસરકારક છે, અમે લોકો પણ લગાવી ચૂક્યાં છીએ, તો અમે લોકો તો ઠીક છીએ, તમારી સામે છીએ અને અમારા સ્ટાફે, બધાને લગાવી દીધી છે તો અમે લોકો ઠીક છીએ.
વડા પ્રધાન જી: ક્યાંક રસી લગાવ્યા પછી કોઈની ફરિયાદ આવી પછી થી?
પૂનમ નોટિયાલ: ના ના સાહેબ. આવું તો નથી થયું.
વડા પ્રધાન જી: કંઈ નથી થયું?
પૂનમ નોટિયાલ: જી.
વડા પ્રધાન જી: બધાંયને સંતોષ હતો?
પૂનમ નોટિયાલ: હા જી.
વડા પ્રધાન જી: કે ઠીક થઈ ગયું?
પૂનમ નોટિયાલ: હા જી.
વડા પ્રધાન જી: ચાલો, તમે બહુ મોટું કામ કર્યું છે અને હું જાણું છું કે આ સમગ્ર ક્ષેત્ર કેટલું કઠિન છે અને પગપાળા ચાલવું પહાડો પર. એક પહાડ પર જાવ, પછી નીચે ઉતરો, પછી બીજા પહાડ પર જાવ, ઘર પણ દૂર-દૂર, તે છતાં પણ, તમે સારું કામ કર્યું.
પૂનમ નોટિયાલ: ધન્યવાદ સાહેબ. મારું સૌભાગ્ય. તમારી સાથે વાત થઈ મારી.
તમારા જેવી લાખો આરોગ્ય કર્મચારીઓના પરિશ્રમના કારણે જ ભારત સો કરોડ રસી ડૉઝનો મુકામ પાર કરી શક્યું છે. આજે હું માત્ર તમારો જ આભાર વ્યક્ત નથી કરી રહ્યો પરંતુ તે દરેક ભારતવાસીનો આભાર વ્યક્ત કરી રહ્યો છું જેણે બધાને રસી, મફત રસી અભિયાનને આટલી ઊંચાઈ આપી, સફળતા આપી. તમને તમારા પરિવારને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, તમે જાણો છો કે, આગામી રવિવારે 31 ઑક્ટોબરે, સરદાર પટેલજીની જયંતી છે. ‘મન કી બાત’ના દરેક શ્રોતાની તરફથી, અને મારી તરફથી, હું લોહપરુષને નમન કરું છું. સાથીઓ, 31 ઑક્ટોબરે આપણે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના રૂપમાં મનાવીએ છીએ. આપણા બધાની જવાબદારી છે કે આપણે એકતાનો સંદેશ આપનારી કોઈ ને કોઈ પ્રવૃત્તિ સાથે જરૂર જોડાઈએ. તમે જોયું હશે, તાજેતરમાં ગુજરાત પોલીસે કચ્છના લખપત કિલ્લાથી સ્ટેચ્યૂ ઑફ યૂનિટી સુધી બાઇક રેલી કાઢી છે. ત્રિપુરા પોલીસના જવાન તો એકતા દિવસ મનાવવા માટે ત્રિપુરાથી સ્ટેચ્યૂ ઑફ યૂનિટી સુધી બાઇક રેલી કરી રહ્યા છે. અર્થાત્, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી દેશને જોડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન પણ ઉડીથી પઠાણકોટ સુધી આવી જ બાઇક રેલી કાઢીને દેશની એકતાનો સંદેશ આપી રહ્યા છે. હું આ બધા જવાનોને નમન કરું છું. જમ્મુ-કાશ્મીરના જ કુપવાડા જિલ્લાની અનેક બહેન વિશે પણ મને ખબર પડી છે. આ બહેનો કાશ્મીરમાં સેના અને સરકારી કાર્યાલયો માટે તિરંગો સિવવાનું કામ કરી રહી છે. આ કામ દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત છે. હું આ બહેનોના જુસ્સાની પ્રશંસા કરું છું. તમારે પણ ભારતની એકતા માટે, ભારતની શ્રેષ્ઠતા માટે કંઈ ને કંઈ જરૂર કરવું જોઈએ. જોજો, તમારા મનને કેટલી સંતુષ્ટિ મળે છે.
સાથીઓ, સરદાર સાહેબ કહેતા હતા કે “આપણે પોતાના એકજુટ સાહસથી જ દેશને નવી મહાન ઊંચાઈઓ સુધી પહોંચાડી શકીએ છીએ. જો આપણામાં એકતા નહીં હોય તો આપણે પોતાને નવી-નવી વિપદાઓમાં ફસાવી દઈશું.” અર્થાત્ રાષ્ટ્રીય એકતા છે તો ઊંચાઈ છે, વિકાસ છે. આપણે સરદાર પટેલજીના જીવનમાંથી તેમના વિચારોમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ તાજેતરમાં જ સરદાર સાહેબ પર એક ચિત્રાત્મક જીવનકથા પ્રકાશિત કરી છે. હું ઈચ્છીશ કે આપણે બધા યુવા સાથીઓ તેને જરૂર વાંચીએ. તેનાથી તમને રસપ્રદ અંદાજમાં સરદાર સાહેબના વિશે જાણવાનો અવસર મળશે.
પ્રિય દેશવાસીઓ, જીવન નિરંતર પ્રગતિ ઈચ્છે છે, વિકાસ ઈચ્છે છે, ઊંચાઈઓ પાર કરવા માગે છે. વિજ્ઞાન ભલે જ આગળ વધી જાય, પ્રગતિની ગતિ કેટલી પણ ઝડપી કેમ ન હોય, ભવન કેટલાં ભવ્ય કેમ ન બની જાય, પરંતુ તેમ છતાં જીવનમાં અધૂરપ અનુભવાય છે. પરંતુ તેમાં ગીત-સંગીત, કલા, નાટ્ય-નૃત્ય, સાહિત્ય જોડાય જાય તો તેની આભા, તેની જીવંતતા અનેક ગણી વધી જાય છે. એક રીતે જીવનને સાર્થક બનાવવું હોય તો આ બધું હોવું પણ એટલું જ જરૂરી બની જાય છે. તેથી જ કહેવાય છે કે આ બધી બાબતો આપણા જીવનમાં એક ઉદ્દીપકનું કામ કરે છે, આપણી ઊર્જા વધારવાનું કામ કરે છે. માનવ મનના અંતર્મનને વિકસિત કરવામાં, આપણા અંતર્મનની યાત્રાનો માર્ગ બનાવવામાં પણ ગીત-સંગીત અને વિભિન્ન કલાઓની મોટી ભૂમિકા હોય છે અને તેની એક મોટી તાકાત એ હોય છે કે તેમને ન સમય બાંધી શકે છે, ન સીમા બાંધી શકે છે અને ન તો મત-મતાંતર બાંધી શકે છે. અમૃત મહોત્સવમાં પણ પોતાની કલા, સંસ્કૃતિ, ગીત, સંગીતના રંગ અવશ્ય ભરવા જોઈએ. મને પણ તમારી તરફથી અમૃત મહોત્સવ અને ગીત-સંગીત-કલાની આ તાકાત સાથે જોડાયેલાં અનેક સૂચનો મળી રહ્યાં છે. આ સુઝાવ મારા માટે ખૂબ જ મૂલ્યવાન છે. મેં તેમને સંસ્કૃતિ મંત્રાલયને અભ્યાસ માટે મોકલ્યાં હતાં. મને આનંદ છે કે મંત્રાલયે આટલા ઓછા સમયમાં આ સૂચનોને ઘણી ગંભીરતાથી લીધાં અને તેના પર કામ પણ કર્યું. તેમાંથી જ એક સૂચન છે, દેશબક્તિનાં ગીતો સાથે જોડાયેલી સ્પર્ધા. સ્વતંત્રતાની લડાઈમાં અલગ-અલગ ભાષા, બોલીમાં દેશભક્તિનાં ગીતો અને ભજનોએ સમગ્ર દેશને એક કર્યો હતો. હવે અમૃતકાળમાં, આપણા યુવાનો, દેશભક્તિનું આવું જ ગીત લખીને, આ આયોજનમાં વધુ ઊર્જા ભરી શકે છે. દેશભક્તિનાં આ ગીતો માતૃભાષામાં હોઈ શકે છે, રાષ્ટ્રભાષામાં હોઈ શકે છે અને અંગ્રેજીમાં પણ લખી શકાય છે. પરંતુ એ જરૂરી છે કે આ રચનાઓ નવા ભારતની નવી વિચારસરણીવાળી હોય, દેશની વર્તમાન સફળતામાંથી પ્રેરણા લઈને ભવિષ્ય માટે દેશને સંકલ્પિત કરનારી હોય. સંસ્કૃતિ મંત્રાલયની તૈયારી તાલુકા સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી તેની સાથે જોડાયેલી સ્પર્ધા કરાવવાની છે.
સાથીઓ, આ જ રીતે ‘મન કી બાત’ના એક શ્રોતાએ સૂચન કર્યું છે કે અમૃત મહોત્સવને રંગોળી કલા સાથે પણ જોડવો જોઈએ. આપણે ત્યાં રંગોળીના માધ્યમથી તહેવારોમાં રંગ ભરવાની પરંપરા તો સદીઓની છે. રંગોળીમાં દેશની વિવિધતાનાં દર્શન થાય છે. અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામોથી અલગ-અલગ વિચાર પર રંગોળી બનાવાય છે. આથી, સંસ્કૃતિ મંત્રાલય તેની સાથે જોડાયેલી એક રાષ્ટ્રીય સ્પર્ધા કરાવવા જઈ રહ્યું છે. તમે કલ્પના કરો, જ્યારે સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલી રંગોળી બનશે તો લોકો પોતાનાં દ્વાર પર, દીવાલ પર કોઈ સ્વતંત્રતાના સૈનિકનું ચિત્ર બનાવશે, સ્વતંત્રતાની કોઈ ઘટનાને રંગોથી દર્શાવશે, તો અમૃત મહોત્સવનો પણ રંગ વધુ વધી જશે.
સાથીઓ, એક પ્રથા આપણે ત્યાં હાલરડાંની પણ છે. આપણે ત્યાં હાલરડાં દ્વારા નાનાં બાળકોને સંસ્કાર આપવામાં આવે છે, સંસ્કૃતિ સાથે તેમનો પરિચય કરાવવામાં આવે છે. હાલરડાંની પણ પોતાની વિવિધતા છે. તો શા માટે આપણે, અમૃતકાળમાં, આ કલાને પણ પુનર્જીવિત કરીએ અને દેશભક્તિ સાથે જોડાયેલાં આવાં હાલરડાં લખીએ, કવિતાઓ, ગીત, કંઈ ને કંઈ જરૂર લખીએ જે ખૂબ સરળતાથી, દરેક ઘરમાં માતાઓ પોતાનાં નાના-નાનાં બાળકોને સંભળાવી શકે. આ હાલરડાંમાં આધુનિક ભારતનો સંદર્ભ હોય, 21મી સદીના ભારતનાં સપનાંનું દર્શન હોય. તમારા બધા શ્રોતાઓના સૂચનો પછી મંત્રાલયે તેની સાથે જોડાયેલી સ્પર્ધા પણ કરાવવાનો નિર્ણય કર્યો છે.
સાથીઓ, આ ત્રણેય સ્પર્ધા 31 ઑક્ટોબરે સરદાર સાહેબની જયંતીથી શરૂ થવા જઈ રહી છે. આવનારા દિવસોમાં સંસ્કૃતિ મંત્રાલય તેની સાથે જોડાયેલી બધી જાણકારી આપશે. આ જાણકારી મંત્રાલયની વેબસાઇટ પર પણ રહેશે અને સૉશિયલ મિડિયા પર પણ આપવામાં આવશે. હું ઈચ્છીશ કે તમે બધાં તેની સાથે જોડાવ. આપણા યુવા-સાથી જરૂર તેમાં પોતાની કલાનું, પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરે. તેનાથી તમારા વિસ્તારની કલા અને સંસ્કૃતિ પણ દેશના ખૂણે-ખૂણા સુધી પહોંચશે, તમારી વાતો સમગ્ર દેશ સાંભળશે.
પ્રિય દેશવાસીઓ, આ સમય આપણે અમૃત મહોત્સવમાં દેશના વીર પુત્રો-પુત્રીઓને તે મહાન પુણ્યાત્માઓને યાદ કરી રહ્યા છીએ, આગામી મહિને 15 નવેમ્બરે આપણઆ દેશના આવ જ મહાપુરુષ વીર યૌદ્ધા, ભગવાન બિરસા મુંડાજીની જયંતી પણ આવનારી છે. ભગવાન બિરસા મુંડાને ‘ધરતી આબા’ પણ કહેવાય છે. શું તમે જાણો છો કે તેનો અર્થ શું થાય છે? તેનો અર્થ છે ધરતી પિતા. ભગવાન બિરસા મુંડાએ જે રીતે પોતાની સંસ્કૃતિ, પોતાના જંગલ, પોતાની જમીનની રક્ષા માટે સંઘર્ષ કર્યો, તે ધરતી આબા જ કરી શકે. તેમણે આપણને પોતાની સંસ્કૃતિ અને મૂળ પ્રત્યે ગર્વ કરવાનું શીખવાડ્યું. વિદેશી શાસને તેમને અનેક ધમકીઓ આપી, ભારે દબાણ કર્યું, પરંતુ તેમણે આદિવાસી સંસ્કૃતિને છોડી નહીં. પ્રકૃતિ અને પર્યાવરણને જો આપણે પ્રેમ કરવાનું શીખવું હોય તો તે માટે પણ ધરતી આબા ભગવાન બિરસા મુંડા આપણા માટે બહુ મોટી પ્રેરણા છે. તેમણે વિદેશી શાસનની એ દરેક નીતિનો પૂરજોશમાં વિરોધ કર્યો જે પર્યાવરણને નુકસાન પહોંચાડનારી હતી. ગરીબ અને મુસીબતથી ઘેરાયેલા લોકોની મદદ કરવામાં ભગવાન બિરસા મુંડા સદૈવ આગળ રહ્યા. તેમણે સામાજિક કુરીતિઓને સમાપ્ત કરવા માટે સમાજને જાગૃત પણ કર્યો. ઉલગુલાન આંદોલનમાં તેમના નેતૃત્વને ભલા કોણ ભૂલી શકે છે? આ આંદોલને
અંગ્રેજોને હચમચાવી દીધા હતા. તે પછી અંગ્રેજોએ ભગવાન બિરસા મુંડા પર બહુ મોટું ઈનામ રાખ્યું હતું. બ્રિટિશ શાસને તેમને જેલમાં પૂર્યા, તેમને એટલા બધા પ્રતાડિત કર્યા હતા કે 25 વર્ષથી પણ નાની ઉંમરમાં તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા. તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા પરંતુ માત્ર શરીરથી.
જનમાનસમાં તો ભગવાન બિરસા મુંડા હંમેશાં-હંમેશાં માટે વસેલા છે. લોકો માટે તેમનું જીવન એક પ્રેરણા શક્તિ બનેલું છે. આજે પણ તેમના સાહસ અને વીરતાથી ભરેલાં લોકગીત અને વાર્તાઓ ભારતના મધ્ય વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. હું ‘ધરતી આબા’ બિરસા મુંડાને નમન કરું છું અને યુવાનોને આગ્રહ કરું છું કે તેમના વિશે વધુ વાંચે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં આપણા આદિવાસી સમૂહના વિશિષ્ટ યોગદાન વિશે તમે જેટલું જાણશો, તેટલા જ ગૌરવની અનુભૂતિ થશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે 24 ઑક્ટોબરે, UN Day અર્થાત સંયુક્ત રાષ્ટ્ર દિવસ મનાવાય છે. આ એ દિવસ છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ હતી, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના સમયથી જ ભારત તેની સાથે જોડાયેલું રહ્યું છે. શું તમે જાણો છો કે ભારતની સ્વતંત્રતા પહેલાં 1945માં જ સંયુક્ત રાષ્ટ્રના ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? સંયુક્ત રાષ્ટ્રથી જોડાયેલું એક અનોખું પાસું એ છે કે સંયુક્ત રાષ્ટ્રનો પ્રભાવ અને તેની શક્તિ વધારવામાં, ભારતની નારી શક્તિએ મોટી ભૂમિકા નિભાવી છે. 1947-48માં જ્યારે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારોની વૈશ્વિક ઘોષણા તૈયાર થઈ રહી હતી તો તે ઘોષણા પત્રમાં લખાતું હતું, પરંતુ ભારતના એ પ્રતિનિધિએ આ અંગે આપત્તિ વ્યક્ત કરી ત્યારબાદ વૈશ્વિક ઘોષણામાં લખવામાં આવ્યું કે “All men are created equal” આ વાત લૈંગિક સમાનતાની ભારતની સદીઓ જૂની પરંપરાને અનુરૂપ હતી. શું તમે જાણો છો કે શ્રીમતી હંસા મહેતા તેમાં પ્રતિનિધિ હતાં જેમના કારણે તે સંભવ થઈ શક્યું, તે દરમિયાન એક અન્ય પ્રતિનિધિ શ્રીમતી લક્ષ્મી મેનને લૈંગિક સમાનતાના મુદ્દા પર જોરદાર રીતે પોતાની વાત મૂકી હતી. એટલું જ નહીં, 1953માં શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિત, સંયુક્ત રાષ્ટ્રની મહા સભાનાં પહેલાં મહિલા પ્રમુખ પણ બન્યાં હતાં.
સાથીઓ, આપણે એ ભૂમિના લોકો છીએ જે આ વિશ્વાસ કરે છે, જેઓ આ પ્રાર્થના કરે છે:
ૐ દ્યો: શાન્તિરન્તરિક્ષં શાન્તિ:,
પૃથ્વી શાન્તિરાપ: શાન્તિરોષધય: શાન્તિ: ।
વનસ્પતય: શાન્તિર્વિશ્વે દેવા: શાન્તિર્બ્રહ્મ શાન્તિ:,
સર્વશાન્તિ: શાન્તિરેવ શાન્તિ:, સા મા શાન્તિરેધિ ।।
ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ: ।।
ભારતે સદૈવ વિશ્વ શાંતિ માટે કામ કર્યું છે. આપણને આ વાતનો ગર્વ છે કે ભારત 1950ના દાયકાથી સતત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનનો હિસ્સો રહ્યું છે. ગરીબી હટાવવા, આબોહવા પરિવર્તન અને શ્રમજીવીઓ સાથે સંબંધિત મુદ્દાઓના સમાધાનમાં પણ ભારત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. તે ઉપરાંત યોગ અને આયૂષને લોકપ્રિય બનાવવા માટે ભારત ‘હૂ’ અર્થાત્ વિશ્વ આરોગ્ય સંસ્થાની સાથે મળીને કામ કરી રહ્યું છે. માર્ચ 2021માં હૂએ ઘોષણા કરી હતી કે ભારતમાં પારંપરિક ચિકિત્સા માટે એક વૈશ્વિક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે.
સાથીઓ, સંયુક્ત રાષ્ટ્રના વિશે વાત કરતા આજે મને અટલજીના શબ્દો પણ યાદ આવી રહ્યા છે. 1977માં તેમણે સંયુક્ત રાષ્ટ્રને હિન્દીમાં સંબોધિત કરીને ઇતિહાસ રચી દીધો હતો. આજે હું ‘મન કી બાત’ના શ્રોતાઓને અટલજીના આ સંબોધનનો એક અંશ સંભળાવવા માગું છું. સાંભળો, અટલજીનો પ્રભાવશાળી અવાજ-
“યહાં મૈં રાષ્ટ્રોં કી સત્તા ઔર મહત્તા કે બારે મેં નહીં સોચ રહા હૂં. આમ આદમી કી પ્રતિષ્ઠા ઔર પ્રગતિ મેરે લિએ કહીં અધિક મહત્ત્વ રખતી હૈ. અંતત: હમારી સફલતાએં ઔર અસફલતાએં કેવલ એક હી માપદંડ સે નાપી જાની ચાહિએ કિ ક્યા હમ પૂરે માનવ સમાજ, વસ્તુત: હર નર-નારી ઔર બાલક કે લિયે ન્યાય ઔર ગરિમા કી આશ્વસ્તિ દેને મેં પ્રયત્નશીલ હૈ?”
સાથીઓ, અટલજીની આ વાતો આપણને આજે પણ દિશા દર્શાવે છે. આ ધરતીને એક વધુ સારો અને સુરક્ષિત ગ્રહ બનાવવામાં ભારતનું યોગદાન વિશ્વ ભર માટે ખૂબ જ મોટી પ્રેરણા છે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં કેટલાક દિવસો પહેલાં જ 21 ઑક્ટોબરે આપણે પોલીસ સ્મૃતિ દિવસ મનાવ્યો છે. પોલીસના જે સાથીઓએ દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા છે તે દિવસે આપણે તેમને વિશેષ રીતે યાદ કરીએ છીએ. હું આજે આપણા આ પોલીસ કર્મચારીઓની સાથે તેમના પરિવારોને પણ યાદ કરવા ઈચ્છું છું. પરિવારના સહયોગ અને ત્યાગ વગર પોલીસ જેવી કઠિન સેવા ખૂબ જ મુશ્કેલ છે. પોલીસ સેવા સાથે જોડાયેલી એક બીજી વાત છે જે હું ‘મન કી બાત’ના શ્રોતાઓને બતાવવા ઈચ્છું છું. પહેલાં એ ધારણા બની ગઈ હતી કે સેના અને પોલીસ જેવી સેવા માત્ર પુરુષો માટે જ હોય છે. પરંતુ આજે એવું નથી. બ્યુરૉ ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટના આંકડા બતાવે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહિલા પોલીસ કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. 2014માં જ્યાં તેમની સંખ્યા એક લાખ પાંચ હજારની નજીક હતી ત્યાં 2020 સુધી તેમાં બે ગણીથી પણ વધુ વૃદ્ધિ થઈ છે અને આ સંખ્યા હવે બે લાખ પંદર હજાર સુધી પહોંચી ગઈ છે. એટલે સુધી કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં પણ છેલ્લાં સાત વર્ષોમાં મહિલાઓની સંખ્યા લગભગ બમણી થઈ છે. અને હું માત્ર સંખ્યાની જ વાત નથી કરી રહ્યો. ઉદાહરણ તરીકે, કેટલીક દીકરીઓ સૌથી અઘરી ગણાતી Trainingમાંની એક વિશેષ જંગલ યુદ્ધ કમાન્ડોનું પ્રશિક્ષણ લઈ રહી છે. તે આપણી કૉબ્રા બટાલિયનનો હિસ્સો બનશે.
સાથીઓ, આજે આપણે વિમાન મથકે જઈએ છીએ, મેટ્રો સ્ટેશને જઈએ છીએ કે પછી સરકારી કાર્યાલયોને જોઈએ છીએ, સીઆઈએસએફની જાબાંજ મહિલાઓ દરેક સંવેદનશીલ જગ્યાની સુરક્ષા કરતી જોવા મળે છે. તેની સૌથી સકારાત્મક અસર આપણા પોલીસ બળની સાથોસાથ સમાજના મનોબળ પર પણ પડી રહી છે. મહિલા સુરક્ષા કર્મચારીઓની ઉપસ્થિતિથી લોકોમાં, ખાસ કરીને મહિલાઓમાં સહજ જ એક વિશ્વાસ ઉત્પન્ન થાય છે. તેઓ તેમનાથી સ્વાભાવિક રીતે પોતાને જોડાયેલી અનુભવે છે. મહિલાઓની સંવેદનશીલતાના કારણે પણ લોકો તેમના પર વધુ ભરોસો કરે છે. આપણી આ મહિલા પોલીસ કર્મચારીઓ દેશની લાખો વધુ દીકરીઓ માટે પણ આદર્શ બનવા લાગી છે. હું મહિલા પોલીસ કર્મચારીઓને અનુરોધ કરવા માગીશ કે તેઓ શાળા ખુલ્યા પછી પોતાનાં ક્ષેત્રોની શાળાઓની મુલાકાત લે, ત્યાં બાળકીઓ સાથે વાત કરે. મને વિશ્વાસ છે કે આ વાતચીતથી આપણી નવી પેઢીને એક નવી દિશા મળસે. એટલું જ નહીં, તેનાથી પોલીસ પર જનતાનો વિશ્વાસ પણ વધશે. હું આશા કરું છું કે ભવિષ્યમાં પણ વધુ સંખ્યામાં મહિલાઓ પોલીસ સેવામાં જોડાશે, આપણા દેશની નવા યુગની Policingનું નેતૃત્વ કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, વિતેલાં કેટલાંક વર્ષોમાં આપણા દેશમાં આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ જે ઝડપે વધી રહ્યો છે, તેના પર ઘણી વાર મને ‘મન કી બાત’ના શ્રોતાઓ પોતાની વાતો લખતા રહે છે. આજે હું આવા જ એક વિષયની ચર્ચા તમારી સાથે કરવા માગું છું, જે આપણા દેશ, વિશેષ તો આપણા યુવાનો અને નાનાં-નાનાં બાળકો સુધીનાની કલ્પનાઓમાં છવાયેલો છે. આ વિષય છે ડ્રૉનનો, ડ્રૉનની ટૅક્નૉલૉજીનો. કેટલાંક વર્ષો પહેલાં સુધી જ્યારે ક્યાંક ડ્રૉનનું નામ આવતું હતું તો લોકોના મનમાં પહેલો વિચાર શું આવતો હતો? સેનાનો, હથિયારોનો, યુદ્ધનો. પરંતુ આજે આપણે ત્યાં કોઈ લગ્ન જાન હોય કે કાર્યક્રમ થાય છે તો આપણે ડ્રૉનથી ફૉટો અને વિડિયો બનાવતા જોઈએ છીએ. ડ્રૉનનું પરીઘ, તેની તાકાત માત્ર આટલી જ નથી. ભારત દુનિયાના એ પહેલા દેશોમાંથી છે જે ડ્રૉનની મદદથી જમીનનો ડિજિટલ રેકૉર્ડ તૈયાર કરી રહ્યું છે. ભારત ડ્રૉનનો ઉપયોગ પરિવહન માટે કરવા પર બહુ વ્યાપક રીતે કામ કરી રહ્યું છે. પછી તે ગામમાં ખેતીવાડી હોય કે ઘર પર સામાનની ડિલિવરી હોય. સંકટના સમયે મદદ પહોંચાડવાની હોય કે કાયદા વ્યવસ્થા પર નજર રાખવાની હોય. એ હવે બહુ દૂરની વાત નથી કે આપણે જોઈશું કે ડ્રૉન આપણી આ બધી જરૂરિયાતો માટે હાજર હશે. તેમાંથી મોટા ભાગની તો શરૂઆત થઈ ચૂકી છે. જેમ કે કેટલાક દિવસો પહેલાં ગુજરાતના ભાવનગરમાં ડ્રૉન મારફત ખેતરોમાં નૈનો યૂરિયાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કૉવિડ રસી અભિયાનમાં પણ ડ્રૉન પોતાની ભૂમિકા નિભાવી રહ્યાં છે. તેની એક તસવીર આપણને મણિપુરમાં જોવા મળી હતી. ત્યાં એક દ્વીપ પર ડ્રૉનથી રસી પહોંચાડવામાં આવી હતી. તેલંગાણામાં પણ ડ્રૉનથી રસી પહોંચાડવા માટે પરીક્ષણ થઈ ચૂક્યું છે. એટલું જ નહીં, હવે આંતરમાળખામાં અનેક મોટા પ્રૉજેક્ટ પર નજર રાખવા માટે ડ્રૉનનો ઉપયોગ થઈ રહ્યો છે. મેં એક એવા યુવાન વિદ્યાર્થી વિશે પણ વાંચ્યું છે જેણે પોતાના ડ્રૉનની મદદથી માછીમારોનું જીવન બચાવવાનું કામ કર્યું છે.
સાથીઓ, પહેલાં આ ક્ષેત્રમાં એટલા નિયમો, કાયદાઓ અને પ્રતિબંધ લગાવીને રખાયા હતા કે ડ્રૉનની સાચી ક્ષમતાનો ઉપયોગ પણ સંભવ નહોતો. જે ટૅક્નૉલૉજીને અવસર તરીકે જોવો જોઈતો હતો, તેને સંકટ તરીકે જોવામાં આવ્યો. જો તમારે કોઈ પણ કામ માટે ડ્રૉન ઉડાડવું હોય તો લાયસન્સ અને પરમિશનની એટલી ઝંઝટ રહેતી હતી કે લોકો ડ્રૉનના નામથી જ કાન પકડી લેતા હતા. આપણે નક્કી કર્યું કે આ માનસિકતાને બદલવી જોઈએ અને નવાં વલણને અપનાવવું જોઈએ. આથી આ વર્ષે 25 ઑગસ્ટે દેશ એક નવી ડ્રૉન નીતિ લઈને આવ્યો. આ નીતિ ડ્રૉન સાથે જોડાયેલી વર્તમાન અને ભવિષ્યની સંભાવનાઓના હિસાબથી બનાવવામાં આવી છે. તેમાં હવે બહુ બધાં ફૉર્મ ચક્કરમાં નહીં પડવું પડે, ન તો પહેલા જેટલી ફી ચૂકવવી પડે. મને તમને જણાવતા આનંદ થાય છે કે નવી ડ્રૉન નીતિ આવ્યા પછી અનેક ડ્રૉન સ્ટાર્ટ અપમાં વિદેશી અને દેશી રોકાણકારોએ રોકાણ કર્યું છે. અનેક કંપનીઓ મેન્યુફૅક્ચરિંગ યૂનિટ પણ લગાવી રહી છે. ભૂમિ દળ, નૌકા દળ અને વાયુ દળે ભારતીય ડ્રૉન કંપનીઓને 500 કરોડ રૂપિયાથી વધુના ઑર્ડર આપ્યા છે. અને આ તો હજુ શરૂઆત છે. આપણે અહીં જ રોકાવાનું નથી. આપણે ડ્રૉન ટૅક્નૉલૉજીમાં અગ્રણી દેશ બનવાનું છે. તેના માટે સરકાર દરેક સંભવ પગલું ઉઠાવી રહી છે. હું દેશના યુવાનોને પણ કહીશ કે તમે ડ્રૉન નીતિ પછી ઊભા થયેલા અવસરોનો લાભ ઉઠાવવા વિશે જરૂર વિચારો, આગળ આવો.
મારા પ્રિય દેશવાસીઓ, ઉત્તર પ્રદેશના મેરઠથી ‘મન કી બાત’નાં એક શ્રોતા શ્રીમતી પ્રભા શુક્લએ મને સ્વચ્છતા સાથે જોડાયેલો એક પત્ર મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે “ભારતમાં તેહવારો પર આપણે બધાં સ્વચ્છતાને ઉજવીએ છીએ. તે જ રીતે જો આપણે સ્વચ્છતાને પ્રત્યેક દિવસની ટેવ બનાવી લઈએ તો સમગ્ર દેશ સ્વચ્છ થઈ જશે.” મને પ્રભાજીની વાત ઘણી પસંદ આવી. ખરેખર, જ્યાં સફાઈ છે, ત્યાં સ્વાસ્થ્ય છે, જ્યાં સ્વાસ્થ્ય છે, ત્યાં સામર્થ્ય છે અને જ્યાં સામર્થ્ય છે, ત્યાં સમૃદ્ધિ છે. આથી જ તો દેશ સ્વચ્છ ભારત અભિયાન પર આટલું જોર દઈ રહ્યો છે.
સાથીઓ, મને રાંચી પાસેના એક ગામ સપારોમ, નયા સરાય, ત્યાં વિશે જાણીને ઘણું સારું લાગ્યું. આ ગામમાં એક તળાવ હતું, પરંતુ લોકો આ તળાવવાળી જગ્યાનો ખુલ્લામાં શૌચ માટે ઉપયોગ કરતા હતા. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જ્યારે બધાના ઘરમાં શૌચાલય બની ગયાં તો ગામવાળાઓએ વિચાર્યું કે શા માટે ગામને સ્વચ્છ કરીને સાથોસાથ સુંદર ન બનાવવામાં આવે? પછી તો શું હતું, બધાએ મળીને તળાવવાળી જગ્યા પર બગીચો બનાવી દીધો. આજે તે જગ્યા લોકો માટે, બાળકો માટે, એક સાર્વજનિક સ્થાન બની ગઈ છે. તેનાથી સમગ્ર ગામના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું છે. હું તમને છત્તીસગઢના દેઉર ગામની મહિલાઓ વિશે પણ બતાવવા માગું છું. અહીંની મહિલાઓ એક સ્વયં સહાયતા સમૂહ ચલાવે છે અને હળીમળીને ગામના ચોક-પાદર, સડકો અને મંદિરોની સફાઈ કરે છે.
સાથીઓ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રામવીર તંવરજીને લોકો ‘પૉન્ડ મેન’ નામથી જાણે છે. રામવીરજી તો મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી નોકરી રહ્યા હતા. પરંતુ તેમના મનમાં સ્વચ્છતાની એવી ધૂન જાગી કે તેઓ નોકરી છોડીને તળાવોની સફાઈમાં લાગી ગયા. રામવીરજી અત્યાર સુધી અનેક તળાવોની સફાઈ કરીને તેમને પુનર્જીવિત કરી ચૂક્યા છે.
સાથીઓ, સ્વચ્છતાના પ્રયાસ ત્યારે જ પૂરી રીતે સફળ થાય છે જ્યારે દરેક નાગરિક સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજે. અત્યારે દિવાળી પર આપણે બધાં પોતાના ઘરની સાફસફાઈમાં તો લાગી જ જઈએ છીએ. પરંતુ આ દરમિયાન આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા ઘરની સાથે આપણી આસપાસ પણ સ્વચ્છ રહે. એવું ન થવું જોઈએ કે આપણે આપણું ઘર તો સાફ કરીએ પરંતુ આપણા ઘરની ગંદગી આપણા ઘરની બહાર, આપણી સડકો પર નાખી દઈએ. અને હા, હું જ્યારે સ્વચ્છતાની વાત કરૂં છું ત્યારે કૃપા કરીને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્તિની વાત આપણે ક્યારેય નથી ભૂલવાની. તો આવો, આપણે સંકલ્પ લઈએ કે સ્વચ્છ ભારત અભિયાનના ઉત્સાહને ઓછો નહીં થવા દઈએ. આપણે બધાં મળીને આપણા દેશને પૂરી રીતે સ્વચ્છ બનાવીશું અને સ્વચ્છ રાખીશું.
મારા પ્રિય દેશવાસીઓ, ઑક્ટોબરનો પૂરો મહિનો જ તહેવારોના રંગમાં રંગાયેલો રહે છે અને આજથી થોડા દિવસો પછી દિવાળી તો આવી જ રહી છે. દિવાળી, તે પછી ગોવર્ધન પૂજા, પછી ભાઈ બીજ, આ ત્રણ તહેવાર તો હશે જ, સાથે છઠ પૂજા પણ હશે. નવેમ્બરમાં જ ગુરુ નાનક દેવજીની જંયતિ પણ છે. આટલા તહેવાર એક સાથે હોય તો તેની તૈયારીઓ પણ ઘણા સમય પહેલાં જ શરૂ થઈ જાય છે. તમે બધાં પણ અત્યારથી ખરીદીની યોજના કરવા લાગ્યા હશો, પરંતુ તમને યાદ છે ને કે ખરીદી અર્થાત્ વૉકલ ફૉર લૉકલ. તમે લૉકલ ખરીદશો તો તમારો તહેવાર પણ ઉજળો થશે અને કોઈ ગરીબ ભાઈ-બહેન, કોઈ કારીગર, કોઈ વણકરના ઘરમાં પણ પ્રકાશ આવશે. મને પૂરો ભરોસો છેકે જે અભિયાન આપણે બધાંએ મળીને શરૂ કર્યું છે, આ વખતે તહેવારોમાં તે વધુ મજબૂત થસે. તમે તમારે ત્યાંનાં જે સ્થાનિક ઉત્પાદનો ખરીદો, તેના વિશે સૉશિયલ મિડિયા પર લખો. પોતાની સાથેના લોકોને પણ જણાવો. આગલા મહિને આપણે ફરી મળીશું તો ફરી આવા જ અનેક વિષયો પર વાત કરીશું.
તમારા સહુનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. તમે જાણો છો કે એક જરૂરી કાર્યક્રમ માટે મારે અમેરિકા જવું પડી રહ્યું છે તો મેં વિચાર્યું કે એ સારું રહેશે કે અમેરિકા જતાં પહેલાં જ હું મન કી બાત રેકોર્ડ કરી દઉં. સપ્ટેમ્બરમાં જે દિવસે મન કી બાત છે, તે જ તારીખે એક મહત્વપૂર્ણ દિવસ હોય છે. આમ તો આપણે ઘણાં બધા દિવસો યાદ રાખીએ છીએ, વિવિધ પ્રકારના દિવસો મનાવીએ છીએ અને જો આપણા ઘરમાં નવયુવાન દિકરા-દિકરી હોય, જો તેમને પૂછો તો આખા વર્ષ દરમિયાન કયા દિવસો ક્યારે આવે છે તેની આખી યાદી સંભળાવી દેશે, પરંતુ એક દિવસ એવો છે જે આપણે સહુ એ યાદ રાખવો જોઈએ અને એ દિવસ એવો છે જે ભારતની પરંપરાઓ સાથે બહુ જ સુસંગત છે. સદીઓથી જે પરંપરાઓ સાથે આપણે જોડાયેલા છીએ તેને જોડનારો છે. તે છે ‘વર્લ્ડ રિવર ડે’ એટલે કે ‘વિશ્વ નદી દિવસ’. આપણે ત્યાં કહેવાયું છે -
“પિબન્તિ નદ્યઃ સ્વય-મેવ નામ્ભઃ
એટલે કે નદીઓ પોતાનું જળ પોતે જ નથી પીતી, પરંતુ પરોપકાર માટે આપે છે. આપણે માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી, આપણે માટે નદી એક જીવંત એકમ છે, અને એટલે જ, એટલે જ આપણે નદીઓને માં કહીએ છીએ. આપણા કેટલાય પર્વ હોય, તહેવાર હોય, ઉત્સવ હોય, ઉમંગ હોય, આ બધા આપણી આ માતાઓના ખોળામાં જ તો હોય છે.
તમે બધા જાણો જ છો – મહા મહિનો આવે છે તો આપણા દેશમાં ઘણાં લોકો આખા એક મહિનો મા ગંગા અથવા કોઈ બીજી નદીના કિનારે કલ્પવાસ કરે છે. હવે તો એ પરંપરા નથી રહી પરંતુ પહેલાના જમાનામાં તો પરંપરા હતી કે ઘરમાં સ્નાન કરીએ છીએ તો પણ નદીઓનું સ્મરણ કરવાની પરંપરા આજે ભલે લુપ્ત થઈ ગઈ હોય અથવા ક્યાંક બહુ જ અલ્પમાત્રામાં બચી હોય, પરંતુ એક બહુ જ મોટી પરંપરા હતી જે પ્રાતઃ માં જ સ્નાન કરતા સમયે જ વિશાળ ભારતની એક યાત્રા કરાવી દેતી હતી, માનસિક યાત્રા! દેશના ખૂણે-ખૂણેથી જોડાવાની પ્રેરણા બની જાતી હતી. અને એ શું હતું ભારતમાં સ્નાન કરતી વખતે એક શ્લોક બોલવાની પરંપરા રહી છે –
“ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતિ
નર્મદે સિન્ધુ કાવેરી જલે અસ્મિન્ સન્નિધિં કુરૂ.”
પહેલા આપણાં ઘરોમાં પરિવારના વડિલો આ શ્લોક બાળકોને યાદ કરાવતા હતા અને તેનાથી આપણા દેશમાં નદીઓ ને લઈને આસ્થા ઉભી થતી હતી. વિશાળ ભારતનું એક માનચિત્ર મનમાં અંકિત થઈ જતું હતું. નદીઓ પ્રત્યે જોડાણ બની જતું હતું. જે નદીને મા ના રૂપમાં આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, જીવીએ છીએ, તે નદી પ્રત્યે એક આસ્થાનો ભાવ પેદા થતો હતો. એક સંસ્કાર પ્રક્રિયા હતી.
સાથીઓ, જ્યારે આપણે દેશમાં નદીઓના મહિમા પર વાત કરી રહ્યા છીએ તો સ્વાભાવિક રૂપથી દરેક એક પ્રશ્ન ઉઠાવશે અને પ્રશ્ન ઉઠાવવાનો હક પણ છે અને તેનો જવાબ આપવો તે આપણી જવાબદારી પણ છે. કોઈપણ સવાલ પૂછશે કે ભાઈ, તમે નદીના આટલા ગાણાં ગાઈ રહ્યા છો, નદીને મા કહી રહ્યા છો તો આ નદી પ્રદૂષિત કેમ થઈ જાય છે? આપણા શાસ્ત્રોમાં તો નદીઓમાં જરા સરખું પણ પ્રદૂષણ કરવું ખોટું દર્શાવવામાં આવ્યું છે. અને આપણી પરંપરાઓ પણ એવી રહી છે, તમે તો જાણો જ છો આપણા હિન્દુસ્તાનનો જે પશ્ચિમી ભાગ છે, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન, ત્યાં પાણીની ઘણી જ અછત છે. કેટલીયે વખત દુકાળ પડે છે. તેથી હવે ત્યાંના સમાજ જીવનમાં એક નવી પરંપરા વિકાસ પામી છે. જેવી ગુજરાતમાં વરસાદની શરૂઆત થાય ત્યારે ગુજરાતમાં ‘જલ-જીલણી એકાદશી’ મનાવાય છે. મતલબ કે આજના યુગમાં આપણે જેને કહીએ છીએ, ‘Catch the Rain’ એ આ જ વાત છે કે જળના એક એક ટીપાંને પોતાનામાં સમાવી લેવું, જલ-જીલણી. તેવી જ રીતે વરસાદ પછી બિહાર અને પૂર્વના ભાગોમાં છઠનું મહાપર્વ મનાવવામાં આવે છે. મને આશા છે કે છઠ પૂજાને જોતાં નદીઓના કિનારે, ઘાટની સફાઈ અને સમારકામની તૈયારી શરૂ કરી દેવામાં આવી હશે. આપણે નદીઓને સફાઈ અને તેને પ્રદૂષણથી મુક્ત કરવાનું કામ સહુના પ્રયાસ અને સહુના સહયોગથી જ કરી શકીએ છીએ. ‘નમામિ ગંગે મિશન’ પણ આજે આગળ વધી રહ્યું છે, તો તેમાં બધા લોકોને પ્રયાસ, એક પ્રકારથી જન-જાગૃતિ, જન આંદોલન, તેની બહુ મોટી ભૂમિકા છે.
સાથીઓ, જ્યારે નદીની વાત થઈ જ રહી છે, મા ગંગાની વાત થઈ રહી છે તો વધુ એક વાત તરફ આપનું ધ્યાન આકર્ષિત કરવાનું મન થાય છે. વાત જ્યારે ‘નમામિ ગંગે’ ની થઈ રહી છે તો ચોક્કસ એક વાત પર આપનું ધ્યાન ગયું હશે અને આપણા નવયુવાનોનું તો ચોક્કસ ગયું હશે. આજકાલ એક વિશેષ ઈ-ઓક્શન, ઈ-હરાજી ચાલી રહી છે. આ ઈલેક્ટ્રોનિક -હરાજી તે ભેટ-સોગાદોની થઈ રહી છે જે મને સમય સમય પર લોકોએ આપી હતી. આ હરાજી થી જે પૈસા આવશે, તે ‘નમામિ ગંગે અભિયાન’ માટે જ સમર્પિત કરવામાં આવે છે. આપ જે આત્મિય ભાવનાથી મને ભેટ આપો છો, તે જ ભાવનાને આ અભિયાને વધુ મજબૂત કરી છે.
સાથીઓ, દેશભરમાં નદીઓને પુનઃજીવિત કરવા માટે, પાણીની સ્વચ્છતા માટે સરકાર અને સમાજસેવી સંગઠન નિરંતર કંઈક ને કંઈક કરતા રહે છે. આજ થી જ નહીં, દાયકાઓથી આ ચાલી રહ્યું છે. કેટલાક લોકો તો આવા કામો માટે પોતાને સમર્પિત કરી ચૂક્યા હોય છે. અને આ જ પરંપરાએ, આ જ પ્રયત્નએ, આ જ આસ્થાએ, આપણી નદીઓને બચાવી રાખી છે અને હિન્દુસ્તાનના કોઈપણ ખૂણામાંથી જ્યારે એવી ખબર મારા કાને આવે છે તો આવા કામ કરનારાઓ પ્રત્યે એક મોટો આદરનો ભાવ મારા મનમાં જાગે છે અને મારું પણ મન કરે છે કે તે વાતો આપને જણાવું. તમે જુઓ, તમિલનાડુના વેલ્લોર અને તિરૂવન્નામલાઈ જિલ્લાનું એક ઉદાહરણ આપવા માગું છું. અહીં એક નદી વહેતી હતી, નાગાનધી. હવે આ નાગાનધી વર્ષો પહેલાં સૂકાઈ ગઈ હતી. તેને જ કારણે ત્યાંના જળસ્તર પણ બહુ જ નીચે ચાલ્યા ગયા હતા. પરંતુ ત્યાંની મહિલાઓએ બીડું ઝડપ્યું કે તેઓ તેમની નદીને પુનઃજીવિત કરશે. પછી તો શું હતું, તેમણે લોકોને જોડ્યાં, જનભાગીદારીથી નહેર ખોદી, ચેકડેમ બનાવ્યા, રિચાર્જ કૂવા બનાવ્યાં.આપને પણ જાણીને ખુશી થશે સાથીઓ કે આજે તે નદી પાણીથી ભરાઈ ગઈ છે. અને જ્યારે નદી પાણીથી ભરાઈ જાય છે ને તો મનને એટલી શાંતિ મળે છે, મેં પ્રત્યક્ષ તેનો અનુભવ કર્યો છે.
તમારામાંથી ઘણાં લોકો જાણતા હશે કે જે સાબરમતીના તટ પર મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ બનાવ્યો હતો, ગત કેટલાક દાયકાઓમાં આ સાબરમતી નદી સૂકાઈ ગઈ હતી. વર્ષમાં 6-8 મહિના પાણી નજરે જ નહોતું પડતું, પરંતુ નર્મદા નદી અને સાબરમતી નદીને જોડી દીધી, તો જો આજે તમે અમદાવાદ જશો તો સાબરમતી નદીનું પાણી એવું મનને પ્રફૂલ્લિત કરી દે છે. આવી જ રીતે ઘણાં કામો જેવા કે તમિલનાડુની આપણી આ બહેનો કરી રહી છે, દેશના અલગ અલગ ખૂણાઓમાં ચાલી રહ્યા છે. હું તો જાણું છું કેટલાય આપણા ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા સંત છે, ગુરુજન છે, તેઓ પણ તેમની આધ્યાત્મિક યાત્રાની સાથે-સાથે પાણી માટે, નદી માટે ઘણું બધું કરી રહ્યા છે, કેટલાયે નદીના કિનારે વૃક્ષ લગાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તો ક્યાંક નદીઓમાં વહી રહેલા ગંદા પાણીને રોકવામાં આવી રહ્યું છે.
સાથીઓ, વર્લ્ડ રિવર ડે, જ્યારે આજે મનાવી રહ્યા છીએ તો આ કામ પ્રત્યે સમર્પિત દરેકની હું પ્રશંસા કરું છું, અભિનંદન પાઠવું છું. પરંતુ દરેક નદીની પાસે રહેતા લોકોને, દેશવાસીઓને હું આગ્રહ કરીશ કે ભારતમાં ખૂણે-ખૂણામાં વર્ષમાં એકવાર તો નદી ઉત્સવ મનાવવો જ જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, ક્યારેય પણ નાની વાતને, નાની વસ્તુને નાની માનવાની ભૂલ ન કરવી જોઈએ. નાનાં-નાનાં પ્રયત્નોથી ક્યારેક ક્યારેક બહુ મોટા-મોટા પરિવર્તન આવે છે, અને જો મહાત્મા ગાંધીજીના જીવનની તરફ આપણે જોઈશું તો આપણે દરેક પળે અનુભવશું કે નાની-નાની વાતોનું તેમના જીવનમાં કેટલું મોટું મહત્વ હતું અને નાની-નાની વાતોને લઈને, મોટા-મોટા સંકલ્પોને કેવી રીતે તેમણે સાકાર કર્યા હતા. આપણા આજના નવયુવાનોએ એ જરૂર જાણવું જોઈએ કે સાફ-સફાઈના અભિયાને કેવી રીતે આઝાદીના આંદોલનને એક નિરંતર ઉર્જા આપી હતી. એ મહાત્મા ગાંધી જ તો હતા, જેમણે સ્વચ્છતા ને જન-આંદોલન બનાવવાનું કામ કર્યું હતું. મહાત્મા ગાંધીએ સ્વચ્છતાને સ્વાધિનતાના સપના સાથે જોડી દીધી હતી. આજે આટલા દાયકાઓ પછી, સ્વચ્છતા આંદોલને ફરી એકવાર દેશને નવા ભારતના સપનાં સાથે જોડવાનું કામ કર્યું છે. અને તે આપણી આદતોને બદલવાનું પણ અભિયાન બની રહ્યું છે અને આપણે તે ન ભૂલીએ કે સ્વચ્છતા એ માત્ર એક કાર્યક્રમ છે. સ્વચ્છતા એ પેઢી દર પેઢી સંસ્કાર ફેલાવવાની એક જવાબદારી છે અને પેઢી દર પેઢી સ્વચ્છતાનું અભિયાન ચાલે છે, ત્યારે સંપૂર્ણ સમાજજીવનમાં સ્વચ્છતાનો સ્વભાવ બને છે. અને તેથી જ વર્ષ-બે વર્ષ, એક સરકાર – બીજી સરકાર એવા વિષય નથી, પેઢી દર પેઢી આપણે સ્વચ્છતાના સંબંધમાં સજાગ પણે અવિરત રૂપથી થાક્યા વગર, રોકાયા વગર, એકદમ શ્રદ્ધા સાથે જોડાઈ રહેવાનું છે અને સ્વચ્છતાના અભિયાનને ચલાવતા રહેવાનું છે. અને મેં તો પહેલાં પણ કીધું હતું, કે સ્વચ્છતા એ પૂજ્ય બાપૂને આ દેશની બહુ મોટી શ્રદ્ધાંજલિ છે અને આ શ્રદ્ધાંજલિ આપણે દરેક વખતે આપતા રહેવું છે, સતત આપતા રહેવું છે.
સાથીઓ, લોકો જાણે છે કે સ્વચ્છતાના સંબંધમાં બોલવાનો મોકો હું ક્યારેય છોડતો નથી અને કદાચ તેથી જ આપણી મન કી બાત ના એક શ્રોતા શ્રીમાન રમેશ પટેલજીએ લખ્યું, આપણે બાપૂ પાસેથી શીખીને આ આઝાદીના અમૃત મહોત્સવમાં આર્થિક સ્વચ્છતાનો પણ સંકલ્પ લેવો જોઈએ. જેવી રીતે શૌચાલયોના નિર્માણે ગરીબોને ગરિમા વધારી, તેવી જ રીતે આર્થિક સ્વચ્છતા, ગરીબોને અધિકાર સુનિશ્ચિત કરે છે, તેમનું જીવન સરળ બનાવે છે. હવે તમે એ જાણો છો, જનધન ખાતાને લઈને દેશે જે અભિયાન શરૂ કર્યું છે. તેને કારણે આજે ગરીબોના, તેમના હકના પૈસા સીધાસીધા તેમના ખાતામાં જઈ રહ્યા છે, જેના કારણે ભ્રષ્ટાચાર જેવા અવરોધોમાં ઘણો મોટી માત્રામાં ઘટાડો થયો છે. એ વાત સાચી છે આર્થિક સ્વચ્છતામાં ટેક્નોલોજી બહુ જ મદદ કરી શકે છે. આપણા માટે ખુશીની વાત છે આજે પછાત ગામડાંઓમાં પણ fin-tech UPIથી ડિજીટલ લેણ-દેણ કરવાની દિશામાં સામાન્ય મનુષ્ય પણ જોડાઈ રહ્યો છે, તેનું વલણ પણ વધી રહ્યું છે. આપને હું એક આંકડો જણાવું છું, આપને ગર્વ થશે, ગત ઓગસ્ટ મહિનામાં એક મહિનામાં UPIથી 355 કરોડ transaction થયા, એટલે કે લગભગ-લગભગ 350 કરોડથી પણ વધુ transaction, એટલે કે આપણે કહી શકીએ છીએ કે ઓગસ્ટ મહિનામાં 350 કરોડથી વધારે વખત ડિજીટલ લેણ-દેણ માટે UPI નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે એવરેજ 6 લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું ડિજીટલ પેમેન્ટ UPI થી થઈ રહ્યું છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થામાં સ્વચ્છતા, પારદર્શિતા આવી રહી છે અને આપણે જાણીએ છીએ, હવે fin-tech નું મહત્વ ઘણું જ વધી રહ્યું છે.
સાથીઓ, જેવી રીતે બાપૂએ સ્વચ્છતાને સ્વાધિનતા સાથે જોડ્યું તેવી જ રીતે ખાદીને આઝાદીની ઓળખ બનાવી દીધી હતી. આજે આઝાદીના 75માં વર્ષમાં આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવને મનાવી રહ્યા છીએ, આજે આપણે સંતોષપૂર્વક કહી શકીએ છીએ કે આઝાદીના આંદોલનમાં જે ગૌરવ ખાદીનું હતું, આજે આપણી યુવા પેઢી ખાદીને તે ગૌરવ આપી રહી છે. આજે ખાદી અને હેન્ડલૂમનું ઉત્પાદન કેટલાય ગણું વધ્યું છે અને તેની માગ પણ વધી છે. આપ પણ જાણો છો કે એવી કેટલીયે તકો આવી છે, જ્યારે દિલ્હીના ખાદીના શો-રૂમમાં એક દિવસમાં એક કરોડથી પણ વધારેનો વેપાર થયો છે. હું પણ ફરીથી તમને યાદ અપાવવા માગું છું કે 2 ઓક્ટોબર, પૂજ્ય બાપૂની જન્મ-જયંતિ પર આપણે બધા ફરીથી એક વખત એક નવો રેકોર્ડ બનાવીએ. આપ આપના શહેરમાં જ્યાં પણ ખાદી વેચાતી હોય, હેન્ડલૂમ વેચાતું હોય, હેન્ડીક્રાફ્ટ વેચાતું હોય અને દિવાળીનો તહેવાર સામે છે, તહેવારોની મોસમ માટે ખાદી, હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગથી જોડાયેલી તમારી દરેક ખરીદી, Vocal For Local’ આ અભિયાનને મજબૂત કરનારી હોય, જૂના બધા રેકોર્ડ તોડનારી હોય.
સાથીઓ, અમૃત મહોત્સવના આ સમયમાં દેશમાં આઝાદીના ઈતિહાસની ન કહેવાયેલી ગાથાઓ ને જન-જન સુધી પહોંચાડવાનું એક અભિયાન પણ ચાલી રહ્યું છે અને તેને માટે નવા લેખકોને, દેશના અને દુનિયાના યુવાનોને આહ્વાન કરાવામાં આવ્યું હતું. આ અભિયાન માટે અત્યાર સુધી 13 હજાર થી પણ વધુ લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તે પણ 14 અલગ-અલગ ભાષાઓમાં. અને મારા માટે ખુશીની વાત એ પણ છે કે 20 થી વધુ દેશોમાં કેટલાય અપ્રવાસી ભારતીઓએ પણ આ અભિયાન સાથે જોડાવા માટે પોતાની ઈચ્છા દર્શાવી છે. વધુ એક રસપ્રદ જાણકારી છે, લગભગ 5000થી વધુ નવા ઉભરતા લેખક આઝાદીની જંગની કથાઓને શોધી રહ્યા છે. તેમણે જે Unsung Heroes છે, જેઓ અનામી છે, ઈતિહાસના પાનાંઓ પર જેના નામ નામ નજરે નથી આવતાં, તેવા Unsung Heroesની થીમ પર, તેમના જીવન પર, તે ઘટનાઓ પર કંઈક લખવાનું બીડું ઉપાડ્યું છે એટલે કે દેશના યુવાનોએ નક્કી કરી લીધું છે, એ સ્વતંત્રતા સેનાનીઓના ઈતિહાસને પણ દેશની સામે લાવશે જેમની ગત 75 વર્ષમાં કોઈ ચર્ચા પણ નથી થઈ. બધા શ્રોતાઓને મારો આગ્રહ છે, શિક્ષણ જગત સાથે જોડાયેલા બધાને મારો આગ્રહ છે. આપ પણ યુવાનોને પ્રેરિત કરો. આપ પણ આગળ આવો અને માને પાક્કો વિશ્વાસ છે કે આઝાદીના અમૃત મહોત્સવમાં ઈતિહાસ લખવાનું કામ કરનારા લોકો ઈતિહાસ બનાવવાના પણ છે.
મારા પ્રિય દેશવાસીઓ, સિયાચિન ગ્લેશિયર વિશે તો આપણે બધા જાણીએ છીએ. ત્યાંની ઠંડી એવી ભયાનક છે, જેમાં રહેવું સામાન્ય માણસ માટે સરળ વાત નથી. દૂર-દૂર સુધી બરફ જ બરફ અને છોડ કે ઝાડનું તો નામોનિશાન નથી. અહીંયાનું તાપમાન માઈનસ 60 ડિગ્રી સુધી પણ જાય છે. થોડા દિવસો પહેલાં જ સિયાચિનના આ દુર્ગમ વિસ્તારમાં 8 દિવ્યાંગજનોની ટીમે જે કમાલ કરીને દેખાડ્યો છે, તે દરેક દેશવાસી માટે ગર્વની વાત છે. આ ટીમે સિયાચિન ગ્લેશિયરની 15 હજાર ફીટથી પણ વધુની ઉંચાઈ પર સ્થિત કુમાર પોસ્ટ પર પોતાનો ઝંડો લહેરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. શરીરના પડકારો છતાં પણ આપણા આ દિવ્યાંગોએ જે કાર્ય કરી દેખાડ્યું છે તે આખા દેશ માટે પ્રેરણા છે અને જ્યારે આ ટીમના સભ્યો વિશે જાણશો તો તમે પણ મારી જેમ હિંમત અને ઉત્સાહથી છલકાઈ જશો. આ બહાદુર દિવ્યાંગોના નામ છે – મહેશ નેહરા, ઉત્તરાખંડના અક્ષત રાવત, મહારાષ્ટ્રના પુષ્પક ગવાંડે, હરિયાણાના અજય કુમાર, લદ્દાખના લોબ્સાંગ ચોસ્પેલ, તમિલનાડુના મેજર દ્વારકેશ, જમ્મુ-કાશ્મીરના ઈરફાન અહમદ મીર અને હિમાચલ પ્રદેશની ચોન્જિન એન્ગમો. સિયાચીન ગ્લેશિયર પર જીત મેળવવાનું આ ઓપરેશન ભારતીય સેનાના વિશેષ દળોના veterans ની મદદથી સફળ થયું છે. હું આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઉપલબ્ધિ માટે ટીમની પ્રશંસા કરું છું. તે આપણા દેશવાસીઓના “Can Do Culture”, “Can Do Determination” “Can Do Attitude” સાથે દરેક પડકારનો સામનો કરવાની ભાવનાને પણ પ્રગટ કરે છે.
સાથીઓ આજે દેશમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે કેટલાય પ્રયત્નો થઈ રહ્યા છે. મને ઉત્તરપ્રદેશમાં થઈ રહેલા એવા જ એક પ્રયત્ન One Teacher, One Call વિશે જાણવાનો મોકો મળ્યો. બરેલીમાં આ અનોખો પ્રયત્ન દિવ્યાંગ બાળકોને નવો માર્ગ દેખાડી રહ્યો છે. આ અભિયાનનું નેતૃત્વ કરી રહી છે ડભૌરા ગંગાપુરમાં એક સ્કૂલની પ્રિન્સિપાલ દીપમાલા પાંડેજી. કોરોનાકાળમાં આ અભિયાનને કારણે ન માત્ર મોટી સંખ્યામાં બાળકોનું એડમિશન શક્ય બની શક્યું પરંતુ તેનાથી લગભગ 350 થી વધુ શિક્ષક પણ સેવા-ભાવ સાથે જોડાઈ ચૂક્યા છે. આ શિક્ષકો ગામે-ગામ જઈને દિવ્યાંગ બાળકોને બોલાવે છે, શોધે છે અને પછી તેમની કોઈ ને કોઈ સ્કૂલમાં ભરતી સુનિશ્ચિત કરે છે. દિવ્યાંગ જનો માટે દીપમાલા જી અને સાથી શિક્ષકોના આ નેક પ્રયત્નોની હું ખૂબ-ખૂબ પ્રશંસા કરું છું. શિક્ષણના ક્ષેત્રમાં આવો દરેક પ્રયત્ન આપણા દેશના ભવિષ્યને સુધારનારો છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણા લોકોની જિંદગીની હાલત એ છે કે એક દિવસમાં સેંકડો વખત કોરોના શબ્દ આપણા કાને પડે છે, સો વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી, કોવિડ-19 એ દરેક દેશવાસીઓને ઘણું બધું શિખવાડ્યું છે. હેલ્થકેર અને વેલનેસ ને લઈને આજે જિજ્ઞાસા પણ વધી છે અને જાગૃતિ પણ. આપણા દેશમાં પારંપરિક રૂપથી આવા નેચરલ પ્રોડક્ટ્સ મોટી માત્રામાં ઉપલબ્ધ છે જે વેલનેસ એટલે કે સ્વાસ્થ્ય માટે ઘણાં જ ફાયદાકારક છે. ઓડિશાના કાલાહાંડીના નાંદોલમાં રહેતા પતાયત સાહૂજી આ ક્ષેત્રમાં વર્ષોથી એક અનોખું કાર્ય કરી રહ્યા છે. તેમણે દોઢ એકર જમીન પર મેડિસીનલ પ્લાન્ટ્સ લગાવ્યા છે. એટલું જ નહીં સાહૂજીએ તો આ મેડિસીનલ પ્લાન્ટ્સનું ડોક્યુમેન્ટેશન પણ કર્યું છે. મને રાંચીના સતીશ જીએ પત્રના માધ્યમથી આવી જ વધુ એક જાણકારી વિશે જણાવ્યું. સતીજ જીએ ઝારખંડના એક એલો વેરા વિલેજ તરફ મારું ધ્યાન દોર્યું છે. રાંચી પાસે જ દેવરી ગામની મહિલાઓએ મંજૂ કચ્છપ જી ના નેતૃત્વમાં બિરસા કૃષિ વિદ્યાલયથી એલોવેરાની ખેતીનું શિક્ષણ લીધું હતું. ત્યારબાદ તેમણે એલોવેરાની ખેતી શરૂ કરી. આ ખેતીથી ન માત્ર સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લાભ મળ્યો, પરંતુ આ મહિલાઓની આવક પણ વધી ગઈ છે. કોવિડ મહામારી દરમિયાન પણ તેમને સારી આવક થઈ છે. તેનું એક મોટું કારણ એ હતું કે સેનિટાઈઝર બનાવનારી કંપનીઓ સીધા આ લોકો પાસેથી જ એલોવેરા ખરીદી રહી હતી. આજે આ કાર્યમાં લગભગ ચાલીસ મહિલાઓની ટીમ જોડાયેલી છે. અને કેટલાય એકરમાં એલોવેરાની ખેતી થાય છે. ઓડિશાના પતાયત સાહૂ જી હોય કે પછી દેવરીમાં મહિલાઓની આ ટીમ, તેમણે ખેતીને જેવી રીતે સ્વાસ્થ્યના ક્ષેત્ર સાથે જોડી છે, તે પોતાનામાં જ એક મોટું ઉદાહરણ છે.
સાથીઓ, આવનારા 2 ઓક્ટોબરે લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ હોય છે. તેમની સ્મૃતિમાં, આ દિવસ આપણને ખેતીમાં નવા નવા પ્રયોગો કરનારાઓની જાણકારી પણ આપે છે. મેડિસીનલ પ્લાન્ટના ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવા માટે Medi-Hub TBI ના નામથી એક ઈન્ક્યૂબેટર, ગુજરાતના આણંદમાં કામ કરી રહ્યા છે. Medicinal અને Aromatic Plants સાથે જોડાયેલું આ ઈન્ક્યૂબેટર બહુ જ ઓછા સમયમાં જ 15 entrepreneurs ના બિઝનેસ આઈડિયાને સપોર્ટ કરી ચૂક્યું છે. આ ઈન્ક્યૂબેટરની મદદ લઈને જ સુધા ચેબ્રોલૂ જીએ પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું છે. તેમની કંપનીમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેમના પર innovative herbal formulations ની પણ જવાબદારી છે. વધુ એક entrepreneur સુભાશ્રી જી છે જેને પણ આ Medicinal અને Aromatic Plants Incubator થી મદદ મળી છે. સુભાશ્રી જીની કંપની હર્બલ રૂમ અને કાર ફ્રેશનર ના ક્ષેત્રમાં કામ કરી રહી છે. તેમણે એક હર્બલ ટેરેસ ગાર્ડન પણ બનાવ્યું છે જેમાં 400 થી વધારે Medicinal Herbs છે.
સાથીઓ, બાળકોમાં Medicinal અને Herbal Plants પ્રત્યે જાગૃતિ વધારવા માટે આયુષ મંત્રાલયએ એક રસપ્રદ પહેલ કરી છે અને તેનું બીડું ઝડપ્યું છે આપણા પ્રોફેસર આયુષ્યમાનજીએ. એવું બની શકે કે, તમે એ વિચારો કે આ પ્રોફેસર આયુષ્યમાન છે કોણ? ખરેખર તો પ્રોફેસર આયુષ્યમાન એક કોમિક બુકનું નામ છે. તેમાં અલગ-અલગ કાર્ટૂન પાત્રોની મદદથી નાની-નાની વાર્તાઓ તૈયાર કરવામાં આવી છે. સાથે જ એલોવેરા, તુલસી, આમળાં, ગિલોય, નીમ, અશ્વગંધા અને બ્રાહ્મી જેવા સ્વાસ્થ્યપ્રદ Medicinal Plantની ઉપયોગીતા વિશે જણાવવામાં આવ્યું છે.
સાથીઓ, આજના સંજોગોમાં જે પ્રકારે Medicinal Plant અને હર્બલ ઉત્પાદનોને લઈને દુનિયાભરમાં લોકોનું વલણ વધ્યું છે, તેમાં ભારત પાસે અપાર શક્યતાઓ છે. વિતેલા સમયમાં આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટના exportમાં પણ ઘણી વૃદ્ધિ જોવા મળી છે.
હું Scientists, Researchers અને Start-upની દુનિયા સાથે જોડાયેલા લોકોને, આવા પ્રોડક્ટની તરફ ધ્યાન આપવાનો આગ્રહ કરું છું, જે લોકોની વેલનેસ અને ઈમ્યૂનિટી તો વધારે જ, આપણા ખેડૂતો અને નવયુવાનોની આવકને પણ વધારવામાં મદદરૂપ સાબિત થાય.
સાથીઓ, પરંપરાગત ખેતીથી આગળ વધીને, ખેતીમાં થઈ રહેલા નવા પ્રયોગ, નવા વિકલ્પ, સતત સ્વરોજગારના નવા સાધનો બનાવી રહ્યા છે. પુલવામાના બે ભાઈઓની વાત પણ તેનું જ એક ઉદાહરણ છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બિલાલ અહેમદ શેખ અને મુનિર અહેમદ શેખે જે પ્રકારથી પોતાના માટે નવા માર્ગો શોધ્યા, તે ન્યૂ ઈન્ડિયા નું એક ઉદાહરણ છે. 39 વર્ષના બિલાલ અહેમદ જી Highly Qualified છે, તેમણે કેટલીયે ડિગ્રીઓ મેળવી છે. પોતાના ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા અનુભવોનો ઉપયોગ આજે તેઓ ખેતીમાં પોતાનું સ્ટાર્ટ-અપ બનાવીને કરી રહ્યા છે. બિલાલ જીએ પોતાના ઘરે જ વર્મી કમ્પોસ્ટનું યુનિટ લગાવ્યું છે. આ યુનિટથી તૈયાર થનારા બાયો ફર્ટિલાઈઝરથી ન માત્ર ખેતીમાં ઘણો લાભ થયો, પરતું તે લોકો માટે રોજગારની તક પણ લઈને આવ્યું છે. દર વર્ષે આ ભાઈઓના યૂનિટથી ખેડૂતોને લગબગ ત્રણ હજાર ક્વિંટલ વર્મી કમ્પોસ્ટ મળી રહ્યું છે. આજે તેમની આ વર્મી કમ્પોસ્ટિંગ યુનિટમાં 15 લોકો કામ પણ કરી રહ્યા છે. તેમના આ યુનિટને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અને તેમાંથી મોટાભાગે એવા યુવાનો હોય છે જે ખેતીના ક્ષેત્રમાં કંઈક કરવા માંગે છે. પુલવામાના શેખ ભાઈઓએ Job Seeker બનવાની જગ્યાએ Job Creator બનવાનો સંકલ્પ લીધો અને જે તેઓ જમ્મુ-કાશ્મીર જ નહીં, પરંતુ આખા દેશભરમાં લોકોને નવો માર્ગ દેખાડી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, 25 સપ્ટેમ્બરે દેશના મહાન સંતાન પંડિત દીનદયાલ ઉપાધ્યાય જીની જન્મજયંતિ હોય છે. દીનદયાલજી ગત સદીના સૌથી મોટા વિચારકોમાંનાં એક છે. તેમનું અર્થ-દર્શન, સમાજને સશક્ત કરવા માટે -તેમની નીતિઓ, તેમના દ્વારા દેખાડવામાં આવેલો અંત્યોદયનો માર્ગ, આજે પણ એટલો પ્રાસંગિક છે, તેટલો જ પ્રેરણાદાયી પણ છે. ત્રણ વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બરે તેમની જન્મ-જયંતિ પર જ દુનિયાની સૌથી મોટી Health Assurance Scheme – આયુષ્યમાન ભારત યોજના લાગુ કરવામાં આવી હતી. આજે દેશના બે-સવા બે કરોડથી પણ વધુ ગરીબોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી ચૂકી છે. ગરીબો માટે આટલી મોટી યોજના, દીનદયાળ જીના અંત્યોદય દર્શનને જ સમર્પિત છે. આજના યુવાનો જો તેમના મૂલ્યો અને આદર્શોને તેમના જીવનમાં ઉતારે તો તે તેમને ઘણું જ કામ આવી શકે છે. એક વખત લખનૌમાં દીનદયાળ જીએ કહ્યું હતું, - “કેટલી સારી સારી વસ્તુઓ, સારા-સારા ગુણ છે – તે બધું આપણને સમાજ પાસેથી જ પ્રાપ્ત થાય છે. આપણે સમાજનું ઋણ ચૂકવવાનું છે, આવી રીતનો વિચાર કરવો જ જોઈએ.” એટલે કે દીનદયાળ જીએ શિખામણ આપી કે આપણે સમાજ પાસેથી, દેશ પાસેથી એટલું બધું લઈએ છીએ, જે કંઈ પણ છે, તે દેશને કારણે જ તો છે, તેથી દેશ પ્રત્યે આપણું ઋણ કેવી રીતે ચૂકવીશું, તેના વિશે વિચારવું જોઈએ. તે આજના યુવાનો માટે એક બહુ મોટો સંદેશ છે.
સાથીઓ, દીનદયાળજીના જીવનમાંથી, આપણને ક્યારેય હાર ન માનવાની શીખ પણ મળે છે. વિપરિત રાજનીતિક અને વૈચારિક પરિસ્થિતીઓ હોવા છતાં, ભારતના વિકાસ માટે સ્વદેશી મોડલના વિઝન થી તેઓ ક્યારેય ડગ્યા નથી. આજે ઘણાં બધાં યુવાનો પહેલેથી બનેલા માર્ગથી, અલગ થઈને, આગળ વધવા માંગે છે. તેઓ વસ્તુઓને પોતાની રીતે કરવા માગે છે. દીનદયાળજીના જીવનથી તેમને ઘણી જ મદદ મળી શકે છે. તેથી યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ તેમના વિશે જરૂરથી જાણે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે આજે ઘણાં વિષયો પર ચર્ચા કરી. જેમ આપણે વાત પણ કરી રહ્યા હતા, આવનારો સમય તહેવારોનો છે. આખો દેશ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ના, અસત્ય પર વિજયનું પર્વ પણ મનાવવાનો છે. પરંતુ આ ઉત્સવમાં આપણે વધુ એક લડાઈ વિશે યાદ રાખવાનું છે – તે છે દેશની કોરોના સાથેની લડાઈ. ટીમ ઈન્ડિયા આ લડાઈમાં રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. Vaccination માં દેશે કેટલાયે એવા રેકોર્ડ બનાવ્યા છે જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. આ લડાઈમાં દરેક ભારતવાસીની મહત્વની ભૂમિકા છે. આપણે આપણો વારો આવતાં જ વેક્સિન તો લગાવવાની જ છે પણ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે કોઈ આ સુરક્ષા ચક્રથી છૂટી ન જાય. પોતાની આસપાસ જેને વેક્સિન નથી લાગી તેમને પણ વેક્સિન સેન્ટર સુધી લઈ જવાના છે. વેક્સિન લાગ્યા પછી પણ જરૂરી પ્રોટોકોલનું પાલન કરવાનું છે. મને આશા છે કે આ લડાઈમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયા પોતાનો ઝંડો લહેરાવશે. આપણે આવતા વખતે કેટલાક અન્ય વિષયો પર મન કી બાત કરીશું. આપ બધાને, દરેક દેશવાસીને, તહેવારોની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ...
ધન્યવાદ....

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણને સહુને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ છે. અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે મનાવે પણ છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયમાં મેજર ધ્યાનચંદજીનો આત્મા જ્યાં પણ હશે, બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરતો હશે. કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકી એ કર્યું હતું. અને ચાર દસકા બાદ લગભગ લગભગ 41 વર્ષ પછી, ભારતના નવયુવાનોએ, દિકરા અને દિકરીઓએ હોકીની અંદર ફરી એકવાર પ્રાણ પૂરી દીધો છે. અને કેટલાય પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં પદક નથી મળતો, ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીમાં પદક મળ્યો, ચાર દસકા બાદ મળ્યો. તમે કલ્પના કરી શકો છો, મેજર ધ્યાનચંદજીના હ્રદય પર, તેમના આત્મા પર તેઓ જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે અને ધ્યાનચંદજીનું આખું જીવન રમતગમતને સમર્પિત હતું અને તેથી આજે, જ્યારે આપણને આપણા દેશના નવયુવાનોમાં, આપણા દિકરા-દિકરીઓમાં, રમતગમત પ્રત્યે જે આકર્ષણ નજરે પડી રહ્યું છે. માતા-પિતાને પણ બાળકો જો રમતગમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, આ જે તત્પરતા દેખાઈ રહી છે ને, હું સમજું છું, આ જ મેજર ધ્યાનચંદજીને ઘણી મોટી શ્રદ્ધાંજલી છે.
સાથીઓ, જ્યારે રમત-ગમતની વાત થાય છે ને ત્યારે સ્વાભાવિક છે આપણી સામે આખી યુવા પેઢી નજરે પડે છે. અને જ્યારે યુવા પેઢીની સામે બારીકાઈથી નજર કરીએ છીએ, કેટલો મોટો ફેરફાર નજરે પડે છે.
યુવાનોનું મન બદલાઈ ચૂક્યું છે. અને આજનું યુવા મન ઘસાયેલા જૂના રીત-રિવાજોથી કંઈક નવું કરવા ઈચ્છે છે, અલગ કરવા માગે છે. આજનું યુવા મન પહેલેથી બનાવેલા માર્ગ પર ચાલવા નથી માંગતું. તેઓ નવો માર્ગ બનાવવા માગે છે. અજાણી જગ્યા પર ચાલવા માગે છે. મંઝિલ પણ નવી, લક્ષ્ય પણ નવું, માર્ગ પણ નવો, અને ઈચ્છા પણ નવી, અરે એકવાર મનમાં નક્કી કરી લે છે ને યુવાનો, પૂરા દિલથી તેમાં લાગી જાય છે. દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે હમણાં થોડા સમય પહેલાં જ ભારતે, તેના સ્પેસ સેક્ટરને ખૂલ્લું મૂક્યું અને જોતજોતામાં યુવા પેઢીએ તે તકને ઝડપી લીધી અને તેનો લાભ ઉઠાવવા માટે કોલેજોના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી, ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા નવયુવાન, તત્પરતાથી આગળ આવ્યા છે અને મને પાક્કો ભરોસો છે કે આવનારા દિવસોમાં બહુ મોટી સંખ્યા એવા સેટેલાઈટ્સની હશે, જે આપણા યુવાનોએ, આપણા વિદ્યાર્થીઓએ, આપણી કોલેજોએ, આપણી યુનિવર્સિટીઓએ, લેબમાં કામ કરતા વિદ્યાર્થીઓએ કામ કર્યું હશે.
તેવી જ રીતે આજે જ્યાં પણ જુઓ, કોઈપણ પરિવારમાં જાઓ, કેટલોયે સંપન્ન પરિવાર હોય, ભણેલો-ગણેલો પરિવાર હોય, પરંતુ જો પરિવારમાં નવયુવાન સાથે વાત કરો તો એ શું કહે છે, તે પોતાના પારિવારિક પરંપરાઓથી થોડું હટીને વાત કરે છે, હું તો સ્ટાર્ટ-અપ કરીશ, સ્ટાર્ટ-અપ્સમાં જતો રહીશ. એટલે કે રિસ્ક લેવા માટે તેનું મન થનગની રહ્યું છે. આજે નાના-નાના શહેરોમાં પણ સ્ટાર્ટ-અપ કલ્ચરનો વિસ્તાર થઈ રહ્યો છે અને હું તેમાં ઉજ્જવળ ભવિષ્યનો સંકેત જોઈ શકું છું. હમણાં થોડા દિવસો પહેલાં જ આપણા દેશમાં રમકડાંની ચર્ચા થઈ રહી હતી. જોતજોતામાં જ્યારે આપણા યુવાનોના ધ્યાને આ વિષય આવ્યો, તેમણે પણ મગજમાં નક્કી કરી લીધું કે દુનિયામાં ભારતના રમકડાંની ઓળખ
કેવી રીતે બને. અને નવા-નવા પ્રયોગ કરી રહ્યા છે અને દુનિયામાં રમકડાંનું ઘણું મોટું માર્કેટ છે, 6-7 લાખ કરોડનું માર્કેટ છે. આજે ભારતની ભાગીદારી ઘણી ઓછી છે. પરંતુ રમકડાં કેવી રીતે બનાવવા, રમકડાંની વિવિધતા શું હોય, રમકડાંમાં ટેક્નોલોજી શું હોય, ચાઈલ્ડ સાઈકોલોજીને અનુરૂપ રમકડાં કેવા હોય. આજે આપણા દેશના યુવાનો તેની તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, કેટલાક કોન્ટ્રિબ્યુટ કરવા માંગે છે. સાથીઓ, વધુ એક વાત, જે મનને ખુશીઓથી ભરી દે છે અને વિશ્વાસને વધુ મજબૂત પણ કરે છે. અને તે શું છે, ક્યારેય તમે માર્ક કર્યું છે. સામાન્ય રીતે આપણે ત્યાં સ્વભાવ એવો બની ચૂક્યો હતો- થાય છે, ચલો યાર ચાલે છે, પરંતુ હું જોઈ રહ્યો છું, મારા દેશનું યુવા મન હવે સર્વશ્રેષ્ઠની તરફ પોતાને કેન્દ્રિત કરી રહ્યું છે. સર્વોત્તમ કરવા માગે છે, સર્વોત્તમ રીતે કરવા માગે છે. તે પણ રાષ્ટ્રની બહુ મોટી શક્તિ બનીને ઉભરી આવશે.
સાથીઓ, આ વખતે ઓલમ્પિકે બહુ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. ઓલમ્પિકની રમતો પૂરી થઈ, હવે પેરાલિમ્પિક ચાલી રહ્યો છે. દેશને આપણા આ રમતગમતના જગતમાં જે કંઈ પણ થયું, વિશ્વની તુલનામાં ભલે ઓછું હશે પરંતુ વિશ્વાસ ભરવા માટે તો ઘણું બધું થયું. આજે યુવાનો માત્ર સ્પોર્ટ્સની તરફ નજર માંડે છે એટલું જ નથી પરંતુ તે તેની સાથે જોડાયેલી શક્યતાઓ તરફ પણ જોઈ રહ્યા છે. તેની આખી ઈકો-સિસ્ટમને બહુ બારિકાઈથી જોઈ રહ્યા છે, તેના સામર્થ્યને સમજી રહ્યા છે અને કોઈને કોઈ રૂપમાં પોતાને જોડવા પણ માગે છે. હવે તેઓ કન્વેન્શનલ વસ્તુઓથી આગળ જઈને New Disciplines ને અપનાવી રહ્યા છે. અને મારા દેશવાસીઓ, જ્યારે આટલું મોમેન્ટમ આવ્યું છે, દરેક પરિવારમાં રમત-ગમતની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમે જ જણાવો, શું આ મોમેન્ટમને હવે બંધ કરવું જોઈએ, રોકાવા દેવું જોઈએ. જી નહીં.
આપ પણ મારી જેમ જ વિચારતા હશો. હવે દેશમાં રમતો, રમત-ગમત, સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સમેન સ્પિરિટ હવે રોકાવાનું નથી. આ મોમેન્ટમને પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં, રાષ્ટ્રિય જીવનમાં સ્થાયી બનાવવાનું છે – ઉર્જાથી ભરી દેવાનું છે, સતત નવી ઉર્જાથી ભરવાનું છે. ઘર હોય, બહાર હોય, ગામ હોય, શહેર હોય, આપણા રમત-ગમતના મેદાનો ભરેલા હોવા જોઈએ, બધા રમે – બધા ખીલે અને તમને યાદ છે ને મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું- સહુનો પ્રયાસ – જી હાં... સહુનો પ્રયાસ. સહુના પ્રયાસોથી ભારત રમતગમતમાં એ ઉંચાઈ પ્રાપ્ત કરી શકશે જેનું એ હકદાર છે. મેજર ધ્યાનચંદજી જેવા લોકોએ જે માર્ગ બતાવ્યો છે, તેમાં આગળ વધવું આપણી જવાબદારી છે. વર્ષો બાદ દેશમાં એવો સમય આવ્યો છે કે રમતગમત પ્રત્યે પરિવાર હોય, સમાજ હોય, રાજ્ય હોય, રાષ્ટ્ર હોય – એક મનથી સહુ કોઈ જોડાઈ રહ્યા છે.
મારા પ્રિય નવયુવાનો આપણે આ અવસરનો ફાયદો ઉઠાવીને અલગઅલગ પ્રકારના સ્પોર્ટ્સમાં મહારથ પણ મેળવવો જોઈએ. ગામેગામ રમતગમતની સ્પર્ધાઓ સતત ચાલતી રહેવી જોઈએ. સ્પર્ધામાંથી જ રમતગમતનો વિસ્તાર થાય છે, રમતગમત વિકાસ થાય છે, ખેલાડી પણ તેમાંથી જ નીકળે છે. આવો, આપણે બધા દેશવાસી આ મોમેન્ટમ ને એટલું આગળ વધારી શકીએ છીએ, જેટલું યોગદાન આપણે આપી શકીએ છીએ, -સહુનો પ્રયાસ - આ મંત્રથી સાકાર કરીને દેખાડીએ.
મારા પ્રિય દેશવાસીઓ, કાલે જન્માષ્ટમીનું મહાપર્વ પણ છે. જન્માષ્ટમીનું આ પર્વ એટલે, ભગવાન શ્રી કૃષ્ણના જન્મનું પર્વ. આપણે ભગવાનના બધા રૂપથી પરિચિત છીએ, નટખટ કનૈયાથી લઈને વિરાટ રૂપ ધારણ કરનારા કૃષ્ણ સુધી, શાસ્ત્ર સામર્થ્ય થી લઈને શસ્ત્ર સામર્થ્યવાળા કૃષ્ણ સુધી. કળા હોય, સૌદર્ય હોય, માધુર્ય હોય,
ક્યાં-ક્યાં કૃષ્ણ છે. પરંતુ આ વાતો હું એટલા માટે કરી રહ્યો છું કે જન્માષ્ટમીથી કેટલાક દિવસો પૂર્વ, હું એક એટલો રસપ્રદ અનુભવમાંથી પસાર થયો છું તો મારું મન કરે છે કે એ વાત હું તમારી સાથે કરું. આપને યાદ હશે, આ મહિનાની 20 તારીખે ભગવાન સોમનાથ મંદિર સાથે જોડાયેલા નિર્માણ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરથી 3-4 કિલોમીટર દૂર ભાલકા તીર્થ છે, એ ભાલકા તીર્થ એ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ ધરતી પર પોતાની અંતિમ પળ વિતાવી હતી. એક પ્રકારથી આ લોકની અનેક લીલાઓનું ત્યાં સમાપન થયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તે આખા વિસ્તારમાં વિકાસના ઘણાં કામ થઈ રહ્યા છે. હું ભાલકા તીર્થ અને ત્યાં થઈ રહેલા કાર્યો વિશે વિચારી રહ્યો હતો અને મારી નજર એક સુંદર આર્ટ બુક પર પડી. આ પુસ્તક મારા ઘરની બહાર કોઈ મારા માટે છોડીને ગયું હતું. તેમાં ભગવાન શ્રી કૃષ્ણના અનેક રૂપ, અનેક ભવ્ય છબીઓ હતી. ઘણીં જ મોહક છબીઓ હતી અને ઘણી જ મીનીંગફૂલ છબીઓ હતી. મેં પુસ્તકના પાનાં ફેરવવાનું શરૂ કર્યું, તો મારી જિજ્ઞાસા જરા વધી ગઈ. જ્યારે મેં આ પુસ્તક અને તેના બધા ચિત્રોને જોયા અને તેના પર મારા માટે એક સંદેશ લખેલો અને જે એ વાંચ્યું તો મારું મન થયું કે તેમને હું મળું. જે આ પુસ્તક મારા ઘરની બહાર છોડીને જતા રહ્યા હતા, મારે તેમને મળવું જોઈએ. તો મારી ઓફિસે તેમનો સંપર્ક કર્યો. બીજા જ દિવસે તેમને મળવા બોલાવ્યા અને મારી જિજ્ઞાસા આર્ટ બુકને જોઈને એટલી હતી કે શ્રી કૃષ્ણના અલગઅલગ રૂપ જોઈને. આ જ જિજ્ઞાસામાં મારી મુલાકાત થઈ
જદુરાની દાસી જી સાથે. તે અમેરિકન છે, જન્મ અમેરિકામાં થયો, પાલન-પોષણ અમેરિકામાં થયું, જદુરાની દાસી જી ઈસ્કોન સાથે જોડાયેલા છે, હરે કૃષ્ણા મૂવમેન્ટ સાથે જોડાયેલા છે અને તેમની એક બહુ જ મોટી વિશેષતા છે ભક્તિ આર્ટ્સમાં તેઓ નિપુણ છે. તમે જાણો છો હમણાં બે દિવસ પછી જ એક સપ્ટેમ્બરે ઈસ્કોનના સંસ્થાપક શ્રીલ પ્રભુપાદ સ્વામી જીની 125મી જન્મજયંતિ છે. જદુરાની દાસી જી આ જ વિષયમાં ભારત આવ્યા હતા. મારી સામે મોટો સવાલ એ હતો કે જેમનો જન્મ અમેરિકામાં થયો, જે ભારતીય ભાવોથી આટલા દૂર રહ્યા, તેઓ છેલ્લે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના આટલા મોહક ચિત્ર બનાવી લે છે. મારી તેમની સાથે લાંબી વાત થઈ હતી પરંતુ હું આપને તેનો કેટલાક ભાગ સંભળાવું છું.
પીએમ સર – જદુરાની જી, હરે કૃષ્ણ
મેં ભક્તિ આર્ટ વિશે બહુ ઓછું વાંચ્યું છે પણ અમારા શ્રોતાઓને તેના વિશે વધુ જણાવો. તેના પ્રત્યેનો તમારો જુસ્સો અને રસ મહાન છે.
જદુરાની જી - તો ભક્તિ આર્ટ, અમારી પાસે ભક્તિ આર્ટ પ્રકાશમાં એક લેખ છે જે સમજાવે છે કે કેવી રીતે આ કલા મન અને કલ્પનાથી નથી આવી રહી પણ તે ભ્રમ સંહિતા જેવા પ્રાચીન વૈદિક ગ્રંથોમાંથી આવેલી છે.
વેં ઓંકારાય પતિતં સ્કિલતં સિકંદ,
વૃંદાવનના ગોસ્વામી તરફથી, ખુદ ભગવાન બ્રહ્મા તરફથી.
ઈશ્વરઃ પરમઃ કૃષ્ણઃ સચ્ચિદાનન્દ વિગ્રહઃ
તે કેવી રીતે વાંસળીનું વહન કરે છે, તેની બધી ઇન્દ્રિયો કેવી રીતે અન્ય ઇન્દ્રિયો માટે કાર્ય કરી શકે છે અને શ્રીમદ ભાગવતમ...
બર્હાપીંડ નટવરપુઃ કર્ણયોઃ કર્ણિકારં
બધું, તે તેના કાન પર કર્ણિકા ફૂલ પહેરે છે, તે તેના કમળના પગની છાપ વૃંદાવનની ભૂમિ પર પાડે છે,
ગાયના ધણ તેના મહિમાનો અવાજ કરે છે, તેની વાંસળી તમામ નસીબદાર માણસોના હૃદય અને મનને આકર્ષે છે. તેથી બધું પ્રાચીન વૈદિક શાસ્ત્રોમાંથી આવેલું છે અને આ શાસ્ત્રોની શક્તિ જે ટ્રાન્સડેન્ટલ વ્યક્તિત્વમાંથી આવી રહી છે અને શુદ્ધ ભક્તો જે કલામાં લાવી રહ્યા છે તેમની શક્તિ છે અને તેથી જ તે પરિવર્તનશીલ છે, તે મારી શક્તિ નથી.
પીએમ સર – જદુરાની જી, મારી પાસે આપના માટે અન્ય પ્રકારનો સવાલ છે. 1966 થી એક રીતે અને 1976 થી શારીરિક રીતે તમે લાંબા સમયથી ભારત સાથે સંકળાયેલા છો, કૃપા કરીને મને કહો કે ભારતનો તમારા માટે અર્થ શું છે?
જદુરાની જી - પ્રધાનમંત્રીજી, ભારત મારા માટે બધું છે. હું થોડા દિવસો પહેલા માનનીય રાષ્ટ્રપતિ સમક્ષ ઉલ્લેખ કરતી હતી કે ભારતે ટેકનિકલ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી આગળ આવ્યું છે અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ અને આઇફોન અને મોટી ઇમારતો અને ઘણી સુવિધાઓ સાથે પશ્ચિમના કલ્ચરને ખૂબ જ સારી રીતે અનુસરે છે પણ મને ખબર છે કે તે વાસ્તવિક નથી. ભારતનું ગૌરવ. ભારતને ગૌરવશાળી બનાવે છે તે હકીકત એ છે કે કૃષ્ણ પોતે અહીં અવતારી દેખાયા હતા, ભગવાન રામ અહીં દેખાયા હતા, બધી પવિત્ર નદીઓ અહીં છે, વૈષ્ણવ સંસ્કૃતિના તમામ પવિત્ર સ્થળો અહીં છે અને તેથી ભારત ખાસ કરીને વૃંદાવન બ્રહ્માંડમાં સૌથી મહત્વની જગ્યા છે, વૃંદાવન બધા વૈકુંઠ ગ્રહોનો સ્ત્રોત છે, દ્વારિકાનો સ્રોત છે, સમગ્ર ભૌતિક સર્જનનો સ્ત્રોત છે, તેથી હું ભારતને પ્રેમ કરું છું.
પીએમ સર – આપનો આભાર જદુરાની જી...હરે કૃષ્ણા
સાથીઓ, દુનિયાના લોકો જ્યારે આજે ભારતીય અધ્યાત્મ અને દર્શન વિશે આટલું બધું વિચારે છે તો આપણી પણ જવાબદારી છે કે આપણે આ મહાન પરંપરાઓને આગળ લઈ જઈએ. જે સમાપ્ત થાય છે
તેને છોડવાનું જ છે. પરંતુ જે કાળઅતિત છે તેને આગળ પણ લઈ જવાનું છે. આપણે આપણા પર્વ મનાવીએ, તેની વૈજ્ઞાનિકતા ને સમજીએ, તેની પાછળના અર્થને સમજીએ. એટલું જ નહીં દરેક પર્વમાં કોઈને કોઈ સંદેશ હોય છે, કોઈને કોઈ સંસ્કાર હોય છે. આપણે તેને જાણવાનું પણ છે, જીવવાનું પણ છે અને આવનારી પેઢીઓ માટે વારસાના રૂપમાં તેને આગળ વધારવાનું છે. હું ફરી એકવાર બધા દેશવાસીઓ ને જન્માસ્ટમીની ઘણી-ઘણી શુભેચ્છાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આ કોરોના સમયમાં સ્વચ્છતાના વિષયમાં મને જેટલી વાતો કરવાની હતી, લાગે છે કદાચ તેમાં થોડી ઉણપ આવી ગઈ હતી. મને પણ લાગે છે કે સ્વચ્છતા ના અભિયાનને આપણે રત્તીભર પણ ઓઝલ નથી થવા દેવું. રાષ્ટ્ર નિર્માણ માટે સહુનો પ્રયાસ કેવી રીતે સહુનો વિકાસ કરે છે તેના ઉદાહરણ આપણને પ્રેરણા પણ આપે છે અને કંઈક કરવા માટે એક નવી ઉર્જા ભરી દે છે, નવો વિશ્વાસ ભરી દે છે, આપણા સંકલ્પમાં પ્રાણ ફૂંકી દે છે. આપણે તે બહુ સારી રીતે જાણીએ છીએ કે જ્યારે પણ સ્વચ્છ ભારત અભિયાનની વાત આવે છે તો ઈન્દોરનું નામ આવે જ આવે છે કારણ કે ઈન્દોરે સ્વચ્છતાના સંબંધમાં પોતાની એક વિશેષ ઓળખ બનાવી છે અને ઈન્દોરના નાગરિકો તેના અભિનંદનના અધિકારી પણ છે. આપણું આ ઈન્દોર કેટલાય વર્ષોથી સ્વચ્છ ભારત રેંકિંગ માં પહેલા નંબર પર રહ્યું છે. હવે ઈન્દોરના લોકો સ્વચ્છ ભારતના આ રેંકિંગથી સંતોષ મેળવીને બેસવા નથી માંગતા, આગળ વધવા માગે છે, કંઈક નવું કરવા માગે છે.
અને તેમણે શું મનમાં નક્કી કરી લીધું છે, તેમણે વોટર પ્લસ સીટી બનાવી રાખવા માટે ખરા દિલથી જોડાઈ ગયા છે. વોટર પ્લસ સીટી એટલે કે એવું શહેર જ્યાં ટ્રીટમેન્ટ વગર કોઈપણ સીવેજ કોઈ સાર્વજનિક જળ સ્ત્રોતમાં નાખવામાં નથી આવતું. અહીંના નાગરિકોએ પોતે આગળ આવીને પોતાના નાળાઓને સીવર લાઈન સાથે જોડ્યા છે. સ્વચ્છતા અભિયાન પણ ચલાવ્યું છે અને તેને કારણે સરસ્વતી અને કાન્હ નદીઓમાં ઠલવાતું ગંદુ પાણી પણ ઘણું ઓછું થયું છે અને સુધારો નજરે પડી રહ્યો છે. આજે જ્યારે આપણો દેશ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે તો આપણે એ યાદ રાખવાનું છે કે સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પોને આપણે ક્યારેય મંદ પડવા દેવાના નથી. આપણા દેશમાં જેટલા વધારે શહેરો વોટર પ્લસ સીટી હશે, તેટલી જ સ્વચ્છતા પણ વધશે, આપણી નદીઓ પણ સાફ રહેશે અને પાણી બચાવવાની એક માનવીય જવાબદારી નિભાવવાના સંસ્કાર પણ હશે.
સાથીઓ મારી સામે એક ઉદાહરણ બિહારના મધુબનીથી આવ્યું છે. મધુબનીમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કૃષિ વિશ્વવિદ્યાલય અને ત્યાંના સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ મળીને એક સારો પ્રયાસ કર્યો છે. તેનો લાભ ખેડૂતોને તો થઈ જ રહ્યો છે, તેનાથી સ્વચ્છ ભારત અભિયાનને પણ નવી તાકાત મળી રહી છે. વિશ્વવિદ્યાલયની આ પહેલનું નામ છે – સુખેત મોડલ... સુખેત મોડલનો હેતુ છે ગામોમાંથી પ્રદૂષણને ઘટાડવાનો છે. આ મોડલ હેઠળ ગામના ખેડૂતો પાસેથી ગોબર અને ખેતર-ઘરમાંથી નીકળનારો અન્ય કચરો એકઠો કરવામાં આવે છે અને બદલામાં ગામના લોકોને રસોઈ ગેસ સિલિંડર માટે પૈસા આપવામાં આવે છે.
જે કચરો ગામમાંથી એકત્રિત થાય છે તેના સમાધાન માટે વર્મી કમ્પોસ્ટ બનાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. એટલે કે સુખેત મોડલના ચાર લાભ તો સીધેસીધા નજરે પડી રહ્યા છે. એક તો ગામોને પ્રદૂષણથી મુક્તિ, બીજું ગામોને ગંદકીથી મુક્તિ, ત્રીજું ગામના લોકોને રસોઈ ગેસ સિલિંડર માટે પૈસા, અને ચોથું ગામના ખેડૂતોને જૈવિક ખાતર. તમે વિચારો, આવી રીતના પ્રયત્નો આપણા ગામોની શક્તિને કેટલી વધારી શકે છે. આ જ તો આત્મનિર્ભરતાનો વિષય છે. હું દેશની પ્રત્યેક પંચાયતને કહીશ કે આવું કંઈક કરવાનું તેઓ પણ તેમને ત્યાં વિચારે. અને સાથીઓ, જ્યારે આપણે એક લક્ષ્ય લઈને નીકળી પડીએ છીએ ત્યારે પરિણામ મળવું નિશ્ચિત જ હોય છે. હવે જુઓ આપણા તમિલનાડુમાં શિવગંગા જિલ્લાની કાન્જીરંગાલ પંચાયત. જુઓ આ નાની પંચાયતે શું કર્યું, અહીં આપને વેસ્ટથી વેલ્થ નું વધુ એક મોડલ જોવા મળશે. અહીંયા ગ્રામ પંચાયતે સ્થાનિક લોકો સાથે મળીને કચરામાંથી વિજળી બનાવાનો એક લોકલ પ્રોજેક્ટ પોતાના ગામમાં લગાવી દીધો છે. આખા ગામમાંથી કચરો ભેગો થાય છે તેમાંથી વિજળી બને છે અને બચેલા પ્રોડક્ટને કિટનાશકના રૂપમાં વેચી દેવામાં પણ આવે છે. ગામના આ પાવર પ્લાન્ટની ક્ષમતા પ્રતિદિવસ બે ટન કચરાના નિસ્તારણની છે. તેનાથી બનનારી વિજળી ગામની સ્ટ્રીટ લાઈટ અને બીજી અન્ય જરૂરિયાતોમાં ઉપયોગ થઈ રહી છે. તેનાથી પંચાયતના પૈસા તો બચી જ રહ્યા છે તે પૈસા વિકાસના બીજા કામોમાં વાપરવામાં આવી રહ્યા છે. હવે મને જણાવો, તમિલનાડુના શિવગંગા જિલ્લાની એક નાની પંચાયત આપણે બધા દેશવાસીઓને કંઈક કરવાની પ્રેરણા આપે છે કે નથી આપતી. કમાલ કર્યો છે આ લોકોએ.
મારા પ્રિય દેશવાસીઓ,
મન કી બાત હે ભારતની સીમાઓ સુધી સીમિત નથી રહ્યું. દુનિયાના અલગ અલગ ખૂણાઓમાં પણ મન કી બાત ની ચર્ચા થાય છે. અને વિદેશોમાં રહેતા આપણા ભારતીય સમુદાયના લોકો છે, તેઓ પણ મને ઘણી નવી નવી જાણકારી આપતા રહે છે. અને મને પણ ક્યારેક ક્યારેક મન કી બાતમાં વિદેશોમાં જે અનોખા કાર્યક્રમ ચાલે છે તેની વાતો તમારી સાથે વહેંચલી ગમે છે. આજે પણ હું આપનો કેટલાક એવા લોકો સાથે પરિચય કરાવીશ પરંતુ તે પહેલા હું તમને એક ઓડિયો સંભળાવવા માંગુ છું. જરા ધ્યાનથી સાંભળજો.
સંસ્કૃત ઓડિયો.... (આર જે ગંગા)
##
[रेडियो युनिटी नाईन्टी एफ्.एम्.-2]
नमोनमः सर्वेभ्यः | मम नाम गङ्गा | भवन्तः शृण्वन्तु रेडियो-युनिटी-नवति-एफ्.एम् –‘एकभारतं श्रेष्ठ-भारतम्’ | अहम् एकतामूर्तेः मार्गदर्शिका एवं रेडियो-युनिटी-माध्यमे आर्.जे. अस्मि | अद्य संस्कृतदिनम् अस्ति | सर्वेभ्यः बहव्यः शुभकामनाः सन्ति| सरदार-वल्लभभाई-पटेलमहोदयः ‘लौहपुरुषः’ इत्युच्यते | २०१३-तमे वर्षे लौहसंग्रहस्य अभियानम् प्रारब्धम् | १३४-टन-परिमितस्य लौहस्य गलनं कृतम् | झारखण्डस्य एकः कृषकः मुद्गरस्य दानं कृतवान् | भवन्तः शृण्वन्तु रेडियो-युनिटी-नवति-एफ्.एम् –‘एकभारतं श्रेष्ठ-भारतम्’ |
[रेडियो युनिटी नाईन्टी एफ्.एम्.-2]
##
સાથીઓ.. ભાષા તો તમે સમજી જ ગયા હશો. આ રેડિયો પર સંસ્કૃતમાં વાત કરવામાં આવી રહી છે અને જે વાત કરી રહ્યા છે તે છે આરજે ગંગા. આરજે ગંગા, ગુજરાતના રેડિયો જોકી ના ગ્રુપના એક સભ્ય છે. તેમના અન્ય પણ સાથીઓ છે, જેમ કે આરજે નિલમ, આરજે ગુરુ અને આરજે હેતલ. આ બધા લોકો મળીને ગુજરાતમાં, કેવડિયામાં આ સમયે સંસ્કૃત ભાષાનું માન વધારવામાં લાગેલા છે. અને તમને ખબર છે ને આ કેવડિયા એ જ છે જ્યાં દુનિયાનું સૌથી ઉંચું સ્ટેચ્યુ, આપણા દેશનું ગૌરવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં છે, તે કેવડિયાની હું વાત કરું છું. અને આ બધા રેડિયો જોકીઝ છે જે એક સાથે કેટલીયે ભૂમિકા નિભાવે છે. તેઓ ગાઈડના રૂપમાં પણ પોતાની સેવા આપે છે, અને સાથે સાથે કોમ્યુનિટી રેડિયો ઈનિશિયેટીવ, રેડિયો યુનિટી 90 એફએમ, તેનું પણ સંચાલન કરે છે. આ આરજે, પોતાના શ્રોતાઓ સાથે સંસ્કૃતમાં વાત કરે છે, તેમને સંસ્કૃતમાં જાણકારી ઉપલબ્ધ કરાવે છે.
સાથીઓ, આપણે ત્યાં સંસ્કૃત વિશે કહેવામાં આવ્યું છે –
અમૃતમ, સંસ્કૃતમ, મિત્ર, સરસમ્ સરલમ્ વચઃ
એકતા મૂલકમ્ રાષ્ટ્રે, જ્ઞાન વિજ્ઞાન પોષકમ્...
એટલે કે આપણી સંસ્કૃત ભાષા સરસ પણ છે, સરળ પણ છે.
સંસ્કૃત, તેના વિચારો, આપણા સાહિત્યના માધ્યમથી તે જ્ઞાન વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાનું પણ પોષણ કરે છે, તેને મજબૂત કરે છે. સંસ્કૃત સાહિત્યમાં માનવતા અને જ્ઞાનનું એવું જ દિવ્ય દર્શન છે,
જે કોઈને પણ આકર્ષિત કરી શકે છે. હાલમાં જ મને કેટલાય એવા લોકો વિશે જાણવા મળ્યું, જે વિદેશોમાં સંસ્કૃત ભણાવવાનું પ્રેરક કાર્ય કરી રહ્યા છે. એવા જ એક વ્યક્તિ છે શ્રીમાન રટગર કોર્ટેનહોસ્ટ, જે આયરલેન્ડમાં સંસ્કૃતના જાણીતા વિદ્વાન અને શિક્ષક છે અને ત્યાંના બાળકોને સંસ્કૃત ભણાવે છે. અહીં આપણે ત્યાં પૂર્વમાં ભારત અને થાઈલેન્ડ વચ્ચે સાંસ્કૃતિક સંબંધોની મજબૂતીમાં સંસ્કૃત ભાષાની પણ એક મહત્વની ભૂમિકા છે. ડો. ચિરાપત પ્રપંડવિદ્યા અને ડો. કુસુમા રક્ષામણી, આ બંને થાઈલેન્ડમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમણે થાઈ અને સંસ્કૃત ભાષામાં તુલનાત્મક સાહિત્યની પણ રચના કરી છે. એવા જ એક પ્રોફેસર છે શ્રીમાન બોરિસ જાખરિન, રશિયામાં મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં તેઓ સંસ્કૃત ભણાવે છે. તેમણે કેટલાય શોધ પત્રો અને પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેમણે કેટલાય પુસ્તકોનો સંસ્કૃત ભાષામાંથી રશિયન ભાષામાં અનુવાદ પણ કર્યો છે. તેવી જ રીતે સિડની સંસ્કૃત સ્કૂલ, ઓસ્ટ્રેલિયાના એ પ્રમુખ સંસ્થાઓમાંની એક છે જ્યાં વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા ભણાવવામાં આવે છે. આ સ્કૂલ બાળકો માટે સંસ્કૃત ગ્રામર કેમ્પ, સંસ્કૃત નાટક અને સંસ્કૃત દિવસ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.
સાથીઓ, હાલના દિવસોમાં જે પ્રયાસો થયા છે, તેનાથી સંસ્કૃતને લઈને એક નવી જાગૃતિ આવી છે. હવે સમય છે કે આ દિશામાં આપણે આપણા પ્રયત્નો વધારીએ. આપણા વારસાને સાચવવો, તેને સંભાળવો, નવી પેઢીને આપવો, આ બધા આપણા કર્તવ્ય છે અને ભાવી પેઢીનો તેના પર હક પણ છે. હવે સમય છે આ કામો માટે પણ બધાનો પ્રયત્ન વધે.
સાથીઓ, જો આપ પણ આવી જ રીતના પ્રયત્નોમાં જોડાયેલા એવા કોઈ વ્યક્તિને જાણો છો, આવી કોઈ જાણકારી તમારી પાસે છે, તો #CelebratingSanskrit સાથે સોશિયલ મીડિયા પર તેને સંબંધિત જાણકારી ચોક્કસ શેર કરો.
મારા પ્રિય દેશવાસીઓ, આવનારા થોડા દિવસોમાં જ વિશ્વકર્મા જયંતિ પણ આવવાની છે. ભગવાન વિશ્વકર્માને આપણે ત્યાં વિશ્વની સર્જન શક્તિનું પ્રતિક માનવામાં આવ્યા છે. જે પણ પોતાના કૌશલ્યોથી કોઈ વસ્તુનું નિર્માણ કરે છે, સર્જન કરે છે, પછી તે સિવણ કામ હોય, સોફ્ટવેર હોય, કે પછી સેટેલાઈટ, આ બધું ભગવાન વિશ્વકર્માનું પ્રગટીકરણ છે. દુનિયામાં ભલે સ્કિલની ઓળખ આજે નવી રીતે થઈ રહી છે, પરંતુ આપણા ઋષિઓએ તો હજારો વર્ષોથી સ્કિલ અને સ્કેલ પર ભાર આપ્યો છે. તેમણે સ્કિલને, આવડતને, કૌશલને, આસ્થા સાથે જોડીને આપણા જીવન દર્શનનો ભાગ બનાવી દીધો છે. આપણા વેદોએ પણ કેટલાય સૂક્ત ભગવાન વિશ્વકર્માને સમર્પિત કરી દીધા છે. સૃષ્ટિની જેટલી પણ મોટી રચનાઓ છે, જે પણ નવા અને મોટા કામ થયા છે, આપણા શાસ્ત્રોમાં તેનો શ્રેય ભગવાન વિશ્વકર્માને જ આપ્યો છે. તે એક રીતે એ વાતનું પ્રતિક છે કે સંસારમાં જે કંઈ પણ ડેવેલપમેન્ટ અને ઈનોવેશન થાય છે, તે સ્કિલને મારફતે જ થાય છે. ભગવાન વિશ્વકર્મા ની જયંતિ અને તેમની પૂજાની પાછળ આ જ ભાવ છે. અને આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે, -
વિશ્વસ્ય કૃતે યસ્ય કર્મવ્યાપારઃ સઃ વિશ્વકર્મા...
એટલે કે જે સૃષ્ટિ અને નિર્માણથી જોડાયેલા બધા લોકો કર્મ કરે છે તેઓ વિશ્વકર્મા છે. આપણા શાસ્ત્રોની નજરમાં આપણી આસપાસ નિર્માણ અને સર્જનમાં લાગેલા જેટલા પણ સ્કિલ્ડ, કુશળ લોકો છે, તેઓ ભગવાન વિશ્વકર્માનો વારસો છે. તેના વગર આપણે આપણા જીવનની કલ્પના પણ નથી કરી શકતા. તમે વિચારી જુઓ, તમારા ઘરમાં વિજળીની કોઈ સમસ્યા આવી જાય અને તમને કોઈ ઈલેક્ટ્રિશિયન ન મળે તો શું થશે? તમારી સામે આટલી મોટી પરેશાની આવી જશે. આપણું જીવન આવા જ અનેક સ્કિલ્ડ લોકોને કારણે ચાલે છે. તમે તમારી આસપાસ જુઓ, લોખંડનું કામ કરનારા હોય, માટીના વાસણો બનાવનારા હોય, લાકડાનો સામાન બનાવનારા હોય, વિજળીનું કામ કરનારા લોકો હોય, ઘરમાં પેઈન્ટ કરનારા લોકો હોય, સફાઈ કર્મી હોય કે પછી મોબાઈલ-લેપટોપનું રિપેર કરનારા આ બધા સાથી પોતાની સ્કિલને કારણે જ ઓળખાય છે. આધુનિક સ્વરૂપમાં તેઓ પણ વિશ્વકર્મા જ છે. પરંતુ સાથીઓ, તેનું એક પાસું એ પણ છે અને તે ક્યારેક ક્યારેક ચિંતા પણ કરાવે છે. જે દેશમાં, જ્યાંની સંસ્કૃતિમાં, પરંપરામાં, વિચારમાં, કૌશલ્યને, સ્કિલ મેનપાવર ને ભગવાન વિશ્વકર્મા સાથે જોડી દેવામાં આવ્યા હોય, ત્યાં સ્થિતી કેવી રીતે બદલાઈ ગઈ, એક સમય, આપણા પારિવારિક જીવન, સામાજિક જીવન, રાષ્ટ્ર જીવન, પર કૌશલ્યનો બહુ મોટો પ્રભાવ રહેતો હતો. પરંતુ ગુલામીના લાંબા સમયમાં કુશળતાને આ રીતનું સન્માન આપનારી ભાવના ધીરે ધીરે વિસરાઈ ગઈ. વિચાર કંઈક એવો થઈ ગયો છે કે કુશળતા આધારિત કાર્યોને નાનું સમજવામાં આવ્યું. અને હવે આજે જુઓ, આખી દુનિયા સૌથી વધારે કુશળતા એટલે કે સ્કિલ પર જ જોર આપે છે.
ભગવાન વિશ્વકર્માની પૂજા પણ માત્ર ઔપચારિકતાઓથી જ પૂરી નથી થઈ. આપણે કૌશલ્યને સન્માન આપવું પડશે, કુશળ બનવા માટે મહેનત પણ કરવી પડશે. કુશળ હોવાનું ગૌરવ પણ હોવું જોઈએ. જ્યારે આપણે કંઈકને કંઈક નવું કરીએ, કંઈક ઈનોવેટ કરીએ, કંઈક એવું સર્જન કરીએ, જેનાથી સમાજનું હિત થાય, લોકોનું જીવન સરળ બને, ત્યારે આપણી વિશ્વકર્મા પૂજા સાર્થક થશે. આજે દુનિયામાં સ્કિલ્ડ લોકો માટે અવસરોની અછત નથી. પ્રગતિને કેટલાય માર્ગો આજે સ્કિલ થી તૈયાર થઈ રહ્યા છે. તો આવો આ વખતે આપણે ભગવાન વિશ્વકર્માની પૂજા પર આસ્થાની સાથે-સાથે તેમના સંદેશને પણ અપનાવવાનો સંકલ્પ કરીએ. આપણી પૂજાનો ભાવ એ જ હોવો જોઈએ કે આપણે સ્કિલના મહત્વને સમજીશું અને સ્કિલ્ડ લોકોને, પછી તે કોઈપણ કામ કરતા હોય, તેમને પૂરું સન્માન પણ આપીશું.
મારા પ્રિય દેશવાસીઓ, આ સમય આઝાદીના 75માં વર્ષનો છે. આ વર્ષે તો આપણે રોજ નવા સંકલ્પ લેવાના છે, નવું વિચારવાનું છે, અને કંઈક નવું કરવાની આપણી ઉત્કંઠા પણ વધારવાની છે. આપણું ભારત જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે આપણા આ સંકલ્પ જ તેની સફળતાના પાયામાં નજરે પડશે. તેથી આપણે આ મોકો ગુમાવવાનો નથી. આપણે તેમાં વધારેમાં વધારે યોગદાન આપવાનું છે. અને આ પ્રયાસો વચ્ચે આપણે વધુ એકવાત યાદ રાખવાની છે. દવા પણ અને કડકાઈ પણ. દેશમાં 62 કરોડથી પણ વધારે વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે પરંતુ તેમ છતાં આપણે સાવધાની રાખવાની છે, સતર્કતા રાખવાની છે. અને હાં... હંમેશાની જેમ, જ્યારે પણ તમે કંઈક નવું કરો, નવું વિચારો,
તો તેમાં મને ચોક્કસ સામેલ કરશો. મને આપના પત્ર અને મેસેજની રાહ રહેશે. એ જ આશા સાથે, આપ બધાને આવનારા પર્વોની ફરી એકવાર ઘણી શુભેચ્છાઓ... ખૂબ ખૂબ ધન્યવાદ....
નમસ્કાર....

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
બે દિવસ પહેલાં જ કેટલીક અદ્ભૂત તસવીરો, કેટલીક યાદગાર પળો, હજુ પણ મારી આંખોની સામે છે. આથી આ વખતે ‘મન કી બાત’ની શરૂઆત એ જ પળોથી કરીએ છીએ. ટૉક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈને હું જ નહીં, સમગ્ર દેશ રોમાંચિત થઈ ગયો. સમગ્ર દેશે જાણે કે એક થઈને પોતાના આ યૌદ્ધાઓને કહ્યું,
વિજયી ભવ । વિજયી ભવ ।
જ્યારે આ ખેલાડીઓ ભારતથી ગયા હતા તો મને તેમની સાથે વાતચીત કરવાની, તેમના વિશે જાણવાની અને દેશને જણાવવાની તક મળી હતી. આ ખેલાડીઓ, જીવનના અનેક પડકારોને પાર કરીને અહીં પહોંચ્યા છે. આજે તેમની પાસે, તમારા પ્રેમ અને સમર્થનની તાકાત છે. આથી, આવો મળીને આપણાં બધાં ખેલાડીઓઓને આપણી શુભકામનાઓ આપીએ, તેમની હિંમત વધારીએ. સૉશિયલ મિડિયા પર ઑલિમ્પિક્સ ખેલાડીઓના સમર્થન માટે આપણું વિક્ટરી પંચ કેમ્પેઇન હવે શરૂ થઈ ચૂક્યું છે. તમે પણ પોતાની ટીમ સાથે પોતાનો વિક્ટરી પંચ શૅર કરો ભારત માટે ચીયર કરો.
સાથીઓ, જે દેશ માટે તિરંગો ઉઠાવે છે તેમના સમ્માનમાં ભાવનાઓ ઉમટી આવવી સ્વાભાવિક છે. દેશભક્તિની આ ભાવના, આપણને બધાંને જોડે છે. કાલે એટલે કે ૨૬ જુલાઈએ ‘કારગિલ વિજય દિવસ’ પણ છે. કારગિલનું યુદ્ધ ભારતની સેનાઓના શૌર્ય અને સંયમનું એવું પ્રતીક છે, જેને સમગ્ર દુનિયાએ જોયું છે. આ વખતે આ ગૌરવશાળી દિવસ પણ ‘અમૃત મહોત્સવ’ની વચ્ચે મનાવવામાં આવશે. આથી તે વધુ પણ ખાસ થઈ જાય છે. હું ઈચ્છીશ કે તમે કારગિલની રોમાંચિત કરી દેનારી ગાથા જરૂર વાંચજો, કારગિલના વીરોને આપણે બધાં નમન કરીએ.
સાથીઓ, આ વખતે ૧૫ ઑગસ્ટના રોજ દેશ પોતાના સ્વતંત્રતાના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. એ આપણા બધાનું મોટું સૌભાગ્ય છે કે જે સ્વતંત્રતા માટે દેશે સદીઓની રાહ જોઈ, તેનાં ૭૫ વર્ષ થવાના આપણે સાક્ષી બની રહ્યા છીએ. તમને યાદ હશે, સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ મનાવવા માટે ૧૨ માર્ચના રોજ બાપુના સાબરમતી આશ્રમથી ‘અમૃત મહોત્સવ’ની શરૂઆત થઈ હતી. આ દિવસે બાપુની દાંડી યાત્રાને પણ પુનર્જીવિત કરવામાં આવી હતી, ત્યારથી જમ્મુ-કાશ્મીરથી લઈને પુડુચેરી સુધી, ગુજરાતથી લઈને પૂર્વોત્તર સુધી, દેશભરમાં ‘અમૃત મહોત્સવ’ સાથે જોડાયેલા કાર્યક્રમો ચાલી રહ્યા છે. અનેક એવી ઘટનાઓ, આવા સ્વતંત્રતા સૈનિકો, જેમનું યોગદાન તો ઘણું મોટું છે, પરંતુ તેટલી ચર્ચા નથી થઈ શકી, આજે લોકો તેમના વિશે પણ જાણી શકે છે. હવે, જેમ કે, મોઇરાંગ ડેને જ લો. મણિપુરનું નાનકડું ગામ મોઇરાંગ, ક્યારેક નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ એટલે કે આઈએનએનું એક પ્રમુખ ઠેકાણું હતું. અહીં, સ્વતંત્રતાના પહેલાં જ, આઈએનએના કર્નલ શૌકત મલિકજીએ ઝંડો લહેરાવ્યો હતો.
‘અમૃત મહોત્સવ’ દરમિયાન ૧૪ એપ્રિલે તે મોઇરાંગમાં એક વાર ફરી તિરંગો લહેરાવવામાં આવ્યો. એવા કેટલાય સ્વાધીનતા સેનાની અને મહાપુરુષ છે જેમને ‘અમૃત મહોત્સવ’માં દેશ યાદ કરી રહ્યો છે. સરકાર અને સામાજિક સંગઠનોની તરફથી પણ સતત તેની સાથે જોડાયેલા કાર્યક્રમ આયોજિત કરાઈ રહ્યા છે. આવું જ એક આયોજન આ વખતે ૧૫ ઑગસ્ટે થવા જઈ રહ્યું છે, તે એક પ્રયાસ છે- રાષ્ટ્રગાન સાથે જોડાયેલો. સાંસ્કૃતિક મંત્રાલયનો પ્રયત્ન છે કે આ દિવસે વધુમાં વધુ ભારતવાસીઓ મળીને રાષ્ટ્રગાન ગાય, તેના માટે એક વેબસાઇટ પણ બનાવવામાં આવી છે- રાષ્ટ્રગાન ડૉટ ઇન. આ વેબસાઇટની મદદથી તમે રાષ્ટ્રગાન ગાઈને તેને રેકૉર્ડ કરી શકશો, આ અભિયાન સાથે જોડાઈ શકશો. મને આશા છે, તમે આ અનોખી પહેલ સાથે જરૂર જોડાશો. આ રીતે ઘણાં બધાં અભિયાન, ઘણા બધા પ્રયાસ તમને આવનારા દિવસોમાં જોવા મળશે. ‘અમૃત મહોત્સવ’ કોઈ સરકારનો કાર્યક્રમ નથી, કોઈ રાજકીય પક્ષનો કાર્યક્રમ નથી, તે કોટિ-કોટિ ભારતવાસીઓનો કાર્યક્રમ છે. દરેક સ્વતંત્ર અને કૃતજ્ઞ ભારતીયનું પોતાના સ્વતંત્ર સેનાનીઓને નમન છે અને આ મહોત્સવની મૂળ ભાવનાનો વિસ્તાર તો બહુ જ વિશાળ છે- આ ભાવના છે, પોતાના સ્વાતંત્ર્ય સૈનિકોના માર્ગ પર ચાલવું, તેમનાં સપનાંનો દેશ બનાવવો. જેમ, દેશની સ્વતંત્રતાના ઈચ્છુકો, સ્વતંત્રતા માટે એક થઈ ગયા હતા તેમ જ આપણે દેશના વિકાસ માટે એક થઈ જવાનું છે. આપણે દેશ માટે જીવવાનું છે, દેશ માટે કામ કરવાનું છે અને તેમાં નાના-નાના પ્રયાસો પણ મોટું પરિણામ લાવી શકે છે. રોજનું કામકાજ કરતા કરતાં પણ આપણે રાષ્ટ્ર નિર્માણ કરી શકીએ છીએ જેમ કે વૉકલ ફૉર લૉકલ. આપણા દેશના સ્થાનિક વેપારીઓ, કલાકારો, શિલ્પકારો, વણકરોનું સમર્થન કરવું, આપણા સહજ સ્વભાવમાં હોવું જોઈએ. ૭ ઑગસ્ટે આવનાર નેશનલ હેન્ડલૂમ ડૅ, એક એવો અવસર છે જ્યારે આપણે પ્રયાસપૂર્વક આ કામ કરી શકીએ છીએ. નેશનલ હેન્ડલૂમ ડૅની સાથે ખૂબ જ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોડાયેલી છે. આ દિવસે, ૧૯૦૫માં સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ હતી.
સાથીઓ, આપણા દેશના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં, હેન્ડલૂમ, કમાણીનું બહુ મોટું સાધન છે. આ એવું ક્ષેત્ર છે જેનાથી લાખો મહિલાઓ, લાખો વણકરો, લાખો શિલ્પી જોડાયેલાં છે. તમારા નાના-નાના પ્રયાસ વણકરોમાં એક નવી આશા જગાડશે. તમે, પોતે કંઈ ને કંઈ તો ખરીદો જ, અને પોતાની વાત બીજાને પણ કહો, અને જ્યારે આપણે સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ મનાવી રહ્યા છે ત્યારે તો આટલું કરવું આપણી જવાબદારી જ છે ભાઈઓ. તમે જોયું હશે, વર્ષ ૨૦૧૪ પછી જ ‘મન કી બાત’માં આપણે ઘણી વાર ખાદીની વાત કરીએ છીએ. આ તમારો જ પ્રયાસ છે કે આજે દેશમાં ખાદીનું વેચાણ અનેક ગણું વધી ગયું છે. શું કોઈએ વિચાર્યું હતું કે ખાદીના કોઈ સ્ટૉરમાંથી એક દિવસમાં એક કરોડ રૂપિયાથી વધારાનું વેચાણ થઈ શકે છે? પરંતુ તમે તે પણ કરી દેખાડ્યું છે. તમે જ્યારે પણ ક્યાંય પણ ખાદીનું કંઈક ખરીદો છો તો તેનો લાભ આપણા ગરીબ વણકર ભાઈઓ-બહેનોને જ મળે છે. આથી ખાદી ખરીદવી એક રીતે જનસેવા પણ છે, દેશ સેવા પણ છે. મારો તમને અનુરોધ છે કે તમે બધા મારા પ્રિય ભાઈઓ-બહેનો ગ્રામીણ વિસ્તારોમાં બની રહેલાં હેન્ડલૂમ ઉત્પાદનો જરૂર ખરીદો અને તેને #MyHandloomMyPride સાથે શૅર કરો.
સાથીઓ, વાત જ્યારે સ્વતંત્રતાના આંદોલન અને ખાદીની હોય તો પૂજ્ય બાપુનું સ્મરણ થવું સ્વાભાવિક છે. જેમ બાપુના નેતૃત્વમાં ‘ભારત છોડો આંદોલન’ ચાલ્યું હતું, તે જ રીતે આજે દરેક દેશવાસીએ ‘ભારત જોડો આંદોલન’નું નેતૃત્વ કરવાનું છે. એ આપણું કર્તવ્ય છે કે આપણે આપણું કામ એ રીતે કરીએ જે વિવિધતાઓ સાથે આપણા ભારતને જોડવામાં મદદગાર હોય. તો આવો, આપણે ‘અમૃત મહોત્સવ’ નિમિત્તે, આ અમૃત સંકલ્પ લઈએ કે દેશ જ આપણી સૌથી મોટી આસ્થા સૌથી મોટી પ્રાથમિકતા બની રહેશે. ‘Nation First, Always First’ ના મંત્રની સાથે જ આપણે આગળ વધવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે, હું ‘મન કી બાત’ સાંભળી રહેલા મારા યુવા સાથીઓનો વિશેષ આભાર વ્યક્ત કરવા માગું છું. હમણાં કેટલાક દિવસો પહેલાં જ MyGovની તરફથી ‘મન કી બાત’ના શ્રોતાઓ વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં એ જોવામાં આવ્યું કે ‘મન કી બાત’ માટે સંદેશ અને સૂચન મોકલનારાઓમાં પ્રમુખ રીતે કયા લોકો છે. અભ્યાસ પછી એ જાણકારી સામે આવી કે સંદેશ અને સૂચન કરનારા લોકોમાં લગભગ ૭૫ ટકા લોકો ૩૫ વર્ષથી ઓછી ઉંમરના હોય છે એટલે કે ભારતની યુવા શક્તિનાં સૂચનો ‘મન કી બાત’ને દિશા આપી રહ્યાં છે. હું તેને બહુ સારા સંકેતના રૂપમાં જોઉં છું. ‘મન કી બાત’ એક એવું માધ્યમ છે જ્યાં સકારાત્મકતા છે- સંવેદનશીલતા છે. ‘મન કી બાત’માં આપણે સકારાત્મક વાતો કરીએ છીએ, તેની લાક્ષણિકતા સામૂહિક છે. સકારાત્મક વિચારો અને સૂચનો માટે ભારતના યુવાઓની આ સક્રિયતા મને આનંદિત કરે છે. મને એ વાતનો આનંદ છે કે ‘મન કી બાત’ના માધ્યમથી મને યુવાઓના મનને પણ જાણવાનો અવસર મળે છે.
સાથીઓ, તમારા લોકો તરફથી મળતાં સૂચનો જ ‘મન કી બાત’ની સાચી તાકાત છે. તમારાં સૂચનો જ ‘મન કી બાત’ના માધ્યમથી ભારતની વિવિધતાને પ્રગટ કરે છે, ભારતવાસીઓની સેવા અને ત્યાગની સુગંધને ચારેય દિશાઓમાં ફેલાવે છે, આપણા મહેનતુ યુવાઓની શોધોથી બધાને પ્રેરે છે. ‘મન કી બાત’માં તમે અનેક પ્રકારના વિચારો મોકલો છો. આપણે બધા પર તો ચર્ચા નથી કરી શકતા, પરંતુ તેમાંના ઘણા વિચારોને હું સંબંધિત વિભાગોને જરૂર મોકલું છું, જેથી તેના પર આગળ કામ કરી શકાય.
સાથીઓ, હું તમને સાઈ પ્રનીથજીના પ્રયાસો વિશે જણાવવા માગું છું. સાઈ પ્રનીથજી એક સૉફ્ટવેર એન્જિનિયર છે. આંધ્ર પ્રદેશના નિવાસી છે. ગયા વર્ષે તેમણે જોયું કે તેમને ત્યાં ઋતુ બગડવાના કારણે ખેડૂતોને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું. હવામાન વિજ્ઞાનમાં તેમનો રસ વર્ષોથી હતો. આથી તેમણે પોતાનો રસ અને પોતાની પ્રતિભાને ખેડૂતોની ભલાઈ માટે ઉપયોગી બનાવવાનો નિર્ણય કર્યો. હવે તેઓ અલગ-અલગ ડેટા સૉર્સમાંથી વેધર ડેટા ખરીદે છે, તેનું વિશ્લેષણ કરે છે અને સ્થાનિક ભાષામાં અલગ-અલગ માધ્યમોથી ખેડૂતોને જરૂરી જાણકારી પહોંચાડે છે. વેધર અપડેટ ઉપરાંત, પ્રનીથજી અલગ આબોહવા સ્થિતિમાં લોકોએ શું કરવું જોઈએ, તેનું માર્ગદર્શન પણ આપે છે. ખાસ કરીને પૂરથી બચવા માટે કે પછી તોફાન કે વીજળી પડવા પર કેવી રીતે બચવું જોઈએ તેના વિશે પણ તેઓ લોકોને જણાવે છે.
સાથીઓ, એક તરફ, આ નવયુવાન સૉફ્ટવેર એન્જિનિયરનો આ પ્રયાસ પણ આપણા મનને સ્પર્શી જશે તો બીજી તરફ આપણા બીજા એક સાથી દ્વારા કરવામાં આવી રહેલ ટૅક્નૉલૉજીનો ઉપયોગ પણ તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ સાથી છે ઓડિશાના સંબલપુર જિલ્લાના એક ગામમાં રહેનારા શ્રીમાન ઈસાક મુંડા જી. ઈસાક પણ ક્યારેક એક દહાડિયા મજૂરના રૂપમાં કામ કરતા હતા, પરંતુ હવે તેઓ ઇન્ટરનેટ પર જાણીતી હસ્તિ બની ગયા છે. પોતાની યૂટ્યૂબ ચેનલ દ્વારા તેઓ ઘણા રૂપિયા કમાઈ રહ્યા છે. તેઓ પોતાના વિડિયોમાં સ્થાનિક વાનગીઓ, પારંપરિક ખાણીપીણીની ટેવોને મુખ્યત્વે દર્શાવે છે. એક યૂટ્યૂબરના રૂપમાં તેમની યાત્રા માર્ચ ૨૦૨૦થી શરૂ થઈ હતી જ્યારે તેમણે ઓડિશાની જાણીતી સ્થાનિક વાનગી પખાલ સાથે જોડાયેલો એક વિડિયો પૉસ્ટ કર્યો હતો. ત્યારથી તેઓ સેંકડો વિડિયો પૉસ્ટ કરી ચૂક્યા છે. તેમનો આ પ્રયાસ અનેક કારણોથી બધાથી અલગ છે. ખાસ કરીને એટલા માટે કે તેનાથી શહેરોમાં રહેનારા લોકોને એ જીવનશૈલી જોવાનો અવસર મળે છે જેના વિશે તેઓ ખાસ કંઈ જાણતા નથી. ઈસાક મુંડા જી સંસ્કૃતિ અને રાંધણકળાને બરાબર મેળવીને ઉજવણી કરી રહ્યા છે અને આપણને બધાંને પ્રેરણા પણ આપી રહ્યા છે.
સાથીઓ, જ્યારે આપણે ટૅક્નૉલૉજીની ચર્ચા કરી રહ્યા છીએ તો હું એક બીજા રસપ્રદ વિષયની ચર્ચા કરવા માગું છું. તમે તાજેતરમાં જ વાંચ્યું હશે, જોયું હશે કે આઈઆઈટી મદ્રાસના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત એક સ્ટાર્ટ અપએ એક થ્રીડી પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું છે. થ્રીડી પ્રિન્ટિંગ કરીને ઘરનું નિર્માણ. છેવટે તે થયું કેવી રીતે? હકીકતે, આ સ્ટાર્ટઅપે સૌથી પહેલાં થ્રીડી પ્રિન્ટરમાં એક, ત્રિપરિમાણીય ડિઝાઇનને નાખી અને પછી એક વિશેષ પ્રકારના કૉન્ક્રિટના માધ્યમથી થર પર થર એમ એક થ્રીડી માળખું બનાવી દીધું. તમને એ જાણીને આનંદ થસે કે દેશભરમાં આ પ્રકારના અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. એક સમય હતો જ્યારે નાનાં-નાનાં બાંધકામના કામમાં પણ વર્ષો લાગી જતાં હતાં. પરંતુ આજે ટૅક્નૉલૉજીના કારણે ભારતમાં સ્થિતિ બદલાઈ રહી છે. કેટલાક સમય પહેલાં આપણે દુનિયાભરની એવી નવીન શોધો કરનારી કંપનીઓને આમંત્રિત કરવા માટે એક વૈશ્વિક ગૃહ નિર્માણ ટૅક્નૉલૉજી પડકાર શરૂ કર્યો હતો. દેશમાં આ રીતનો અલગ પ્રકારનો આ અનોખો પ્રયાસ છે. આથી આપણે તેને લાઇટ હાઉસ પ્રૉજેક્ટ નામ આપ્યું. અત્યારે દેશમાં છ અલગ-અલગ જગ્યાઓ પર લાઇટ હાઉસ પ્રૉજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ લાઇટ હાઉસ પ્રૉજેક્ટમાં મૉડર્ન ટૅક્નૉલૉજી અને ઇનૉવેટિવ રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી બાંધકામનો સમય ઓછો થઈ જાય છે. સાથે જ જે ઘર બને છે તે વધુ ટકાઉ, સસ્તાં અને આરામદાયક હોય છે. મેં તાજેતરમાં જ ડ્રૉન દ્વારા આ પ્રૉજેક્ટની સમીક્ષા કરી હતી અને કાર્યની પ્રગતિને જીવંત જોઈ હતી.
ઈન્દોરના પ્રૉજેક્ટમાં બ્રિક અને મૉર્ટાર વૉલની જગ્યાએ પ્રિ ફેબ્રિકેટેડ સેન્ડવિચ પેનલ સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રાજકોટમાં લાઇટ હાઉસ, ફ્રેન્ચ ટૅક્નૉલૉજીથી બનાવાઈ રહ્યા છે જેમાં ટનલ દ્વારા મોનોલિથિક કૉન્ક્રિટ કન્સ્ટ્રક્શન ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ ટૅક્નૉલૉજીથી બનેલાં ઘર વિપત્તિઓનો સામનો કરવામાં ઘણા વધુ સક્ષમ હશે. ચેન્નાઇમાં અમેરિકા અને ફિનલેન્ડની ટૅક્નૉલૉજી, પ્રિ કાસ્ટ કૉન્ક્રિટ સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી મકાન ઝડપથી પણ બનશે અને ખર્ચ પણ ઓછો આવશે. રાંચીમાં જર્મનીની થ્રીડી કન્સ્ટ્રક્શન સિસ્ટમનો પ્રયોગ કરીને ઘર બનાવાશે. તેમાં દરેક ઓરડાને અલગ રીતે બનાવવામાં આવશે. તેમાં પછી પૂરા ઢાંચાને તે જ રીતે જોડવામાં આવશે જે રીતે બ્લૉક ટૉય એટલે કે રમકડાંના ઘરને જોડવામાં આવે છે. અગરતલામાં ન્યૂઝીલેન્ડની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને સ્ટીલ ફ્રેમની સાથે મકાન બનાવવામાં આવી રહ્યા છે, જે મોટા ભૂંકપને પણ ખમી શકે છે. તો બીજી તરફ લખનઉમાં કેનેડાની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં પ્લાસ્ટર અને પેઇન્ટરની જરૂરિયાત નહીં પડે અને ઝડપથી ઘર બનાવવા માટે પહેલેથી જ તૈયાર દીવાલોનો પ્રયોગ કરવામાં આવશે.
સાથીઓ, આજે દેશમાં એવો પ્રયાસ થઈ રહ્યો છે કે આ પ્રૉજેક્ટ ઇન્ક્યુબેશન સેન્ટર એટલે કે ઉદ્ભવન કેન્દ્રની જેમ કામ કરે. તેનાથી આપણા યોજના ઘડવૈયાઓ, આર્કિટૅક્ટો, એન્જિનિયરો અને વિદ્યાર્થીઓ નવી ટૅક્નૉલૉજીને જાણી શકશે અને તેનો પ્રયોગ પણ કરી શકશે. હું આ વાતોને ખાસ રીતે આપણા યુવાઓ માટે વહેંચી રહ્યો છું જેથી આપણા યુવાઓ રાષ્ટ્રહિતમાં ટૅક્નૉલૉજીનાં નવાં-નવાં ક્ષેત્રોની તરફ પ્રોત્સાહિત થઈ શકે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે અંગ્રેજીની એક કહેવત સાંભળી હશે- To learn is to grow અર્થાત્ શીખવું જ આગળ વધવું છે. જ્યારે આપણે કંઈક નવું શીખીએ છીએ તો આપણા માટે પ્રગતિના નવા-નવા રસ્તા આપોઆપ ખુલી જાય છે. જ્યારે પણ ક્યાંય પરંપરાગત માર્ગથી હટીને કંઈક નવું કરવાનો પ્રયાસ થયો છે તો માનવતા માટે નવાં દ્વાર ખુલ્યાં છે, એક નવા યુગનો આરંભ થયો છે. અને તમે જોયું જ હશે કે જ્યારે ક્યાંય કંઈક નવું થાય છે તો તેનું પરિણામ બધાને આશ્ચર્યચકિત કરી દે છે. હવે જેમ કે જો હું તમને પૂછું કે તે કયાં રાજ્ય છે જેને તમે સફરજન, એપલ સાથે જોડશો? તો જાહેર છે કે તમારા મનમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડનું નામ આવશે. પરંતુ જો હું કહું કે આ યાદીમાં તમે મણિપુરને પણ જોડી દો તો કદાચ તમે આશ્ચર્ય પામી જશો. કંઈક નવું કરવાની ધગશમાં મણિપુરે આ પરાક્રમ કરી દેખાડ્યું છે. આજકાલ મણિપુરના ઉખરુલ જિલ્લામાં, સફરજનની ખેતી જોર પકડી રહી છે. અહીંના ખેડૂતો પોતાના બગીચાઓમાં સફરજન ઉગાડી રહ્યા છે. સફરજન ઉગાડવા માટે આ લોકોએ રીતસર હિમાચલ જઈને પ્રશિક્ષણ પણ લીધું છે. તેમાંના જ એક છે ટી એસ રિંગફામી યોંગ (T.S.Ringphami Young) . તેઓ વ્યવસાયથી એક ઍરોનૉટિકલ એન્જિનિયર છે. તેમણે તેમનાં પત્ની શ્રીમતી ટી. એસ. એન્જેલ સાથે મળીને સફરજન ઉગાડ્યાં છે. આ જ રીતે અવુન્ગશી શિમરે ઑગસ્ટીના (Avungshee Shimre Augasteena)એ પણ પોતાના બગીચામાં સફરજનનું ઉત્પાદન કર્યું છે. અવુન્ગશી દિલ્લીમાં નોકરી કરતાં હતાં. તે છોડીને પોતાનાં ગામ પાછાં ફર્યાં અને સફરજનની ખેતી શરૂ કરી. મણિપુરમાં આજે આવા અનેક સફરજન ખેડૂતો છે જેમણે કંઈક અલગ અને નવું કરીને દેખાડ્યું છે.
સાથીઓ, આપણા આદિવાસી સમુદાયમાં પણ બોર ઘણાં લોકપ્રિય રહ્યાં છે. આદિવાસી સમુદાયોના લોકો હંમેશાં બોરની ખેતી કરતા આવ્યા છે. પરંતુ કૉવિડ-૧૯ રોગચાળા પછી તેમની ખેતી વિશેષ રૂપે વધી રહી છે. ત્રિપુરાના ઉનાકોટીના આવા જ ૩૨ વર્ષના મારા યુવા સાથી છે બિક્રમજીત ચકમા. તેમણે બોરની ખેતીની શરૂઆત કરી ઘણો નફો કમાયો છે અને હવે તેઓ લોકોને બોરની ખેતી કરવા માટે પ્રેરિત પણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર પણ આવા લોકોની મદદ માટે આગળ આવી છે. સરકાર દ્વારા તેના માટે અનેક વિશેષ નર્સરી બનાવાઈ છે જેથી બોરની ખેતી સાથે જોડાયેલા લોકોની માગણીઓ પૂરી કરી શકાય. ખેતીમાં પણ નવીનતા થઈ રહી છે તો ખેતીની આડ પેદાશોમાં પણ સર્જનાત્મકતા જોવામાં આવી રહી છે.
સાથીઓ, મને ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કરવામાં આવેલા એક પ્રયાસ વિશે પણ ખબર પડી છે. કૉવિડ દરમિયાન જ લખીમપુર ખીરીમાં એક અનોખી પહેલ થી છે. ત્યાં મહિલાઓને કેળાનાં બેકાર તનામાંથી રેશા (ફાઇબર) બનાવવાનું પ્રશિક્ષણ આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું. વૅસ્ટમાંથી બૅસ્ટ બનાવવાનો માર્ગ. કેળાના તનાને કાપીને મશીનની મદદથી બનાના ફાઇબર તૈયાર કરવામાં આવે છે જે શણની જેમ હોય છે. આ ફાઇબરથી થેલો, સાદડી, દરી, અનેક ચીજો બનાવાય છે. તેનાથી એક તો પાકના કચરાનો ઉપયોગ શરૂ થઈ ગયો, બીજી તરફ ગામમાં રહેતી આપણી બહેન-દીકરીઓને આવકનું વધુ એક સાધન મળી ગયું. બનાના ફાઇબરના આ કામથી એક સ્થાનિક મહિલાને ચારસોથી છસો રૂપિયા પ્રતિદિનની કમાણી થઈ જાય છે. લખીમપુર ખીરીમાં સેંકડો એકર જમીન પર કેળાંની ખેતી થાય છે. કેળાના પાક પછી સામાન્ય રીતે ખેડૂતોને તેના તનાને ફેંકવા માટે વધારાનો ખર્ચ કરવો પડતો હતો. હવે તેમના આ પૈસા પણ બચી જાય છે એટલે કે એક પંથ દો કાજ – આ કહેવત અહીં બિલકુલ બંધ બેસે છે.
સાથીઓ, એક તરફ બનાના ફાઇબરથી પ્રૉડક્ટ્સ બનાવાય છે તો બીજી તરફ કેળાના લોટથી ડોસા અને ગુલાબજાંબુ જેવાં સ્વાદિષ્ટ વ્યંજન પણ બનાવાય છે. કર્ણાટકના ઉત્તર કન્નડ અને દક્ષિણ કન્નડ જિલ્લાઓમાં મહિલાઓ આ અનોખું કાર્ય કરી રહી છે. આ શરૂઆત પણ કોરોના કાળથી જ થઈ છે. આ મહિલાઓએ ન માત્ર કેળાના લોટથી ડોસા, ગુલાબજાંબુ જેવી ચીજો બનાવી, પરંતુ તેમની તસવીરોને સૉશિયલ મિડિયા પર પણ મૂકી છે. જ્યારે વધુ લોકોને કેળાના લોટ વિશે ખબર પડી તો તેમની માગ પણ વધી અને આ મહિલાઓની આવક પણ. લખીમપુર ખીરીની જેમ અહીં પણ આ નવીન વિચારોનું મહિલાઓ જ નેતૃત્વ કરી રહી છે
સાથીઓ, આવાં ઉદાહરણ જીવનામં કંઈક નવું કરવાની પ્રેરણા બની જાય છે. તમારી આસપાસ પણ આવા અનેક લોકો હશે. જ્યારે તમારો પરિવાર મનની વાતો કરી રહ્યો હોય તો તમે તેમને પણ તમારી વાતચીતનો હિસ્સો બનાવો. ક્યારેક સમય કાઢીને બાળકો સાથે આવા પ્રયાસોને જોવા પણ જાવ અને અવસર મળી જાય તો સ્વંય પણ આવું કંઈક કરીને દેખાડો. અને હા, આ બધું તમે મારી સાથે NamoApp કે MyGov પર વહેંચશો તો મને વધુ સારું લાગશે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા સંસ્કૃત ગ્રંથોમાં એક શ્લોક છે
आत्मार्थम् जीव लोके अस्मिन्, को न जीविति मानव : ।
परम् परोपकारार्थम्, यो जीवति स जीवति ।।
અર્થાત્ પોતાના માટે તો સંસારમાં દરેક જીવે છે, પરંતુ વાસ્તવમાં તે જ વ્યક્તિ જીવે છે જે પરોપકાર માટે જીવે છે. ભારત માતાનાં દીકરા-દીકરીઓના પરોપકારિક પ્રયાસોની વાતો- આ જ તો છે ‘મન કી બાત’. આજે પણ આવા જ કેટલાક બીજા સાથીઓ વિશે આપણે વાતો કરીએ. એક સાથી ચંડીગઢ શહેરના છે. ચંડીગઢમાં હું પણ કેટલાંક વર્ષો સુધી રહી ચૂક્યો છું. તે એક ખૂબ જ આનંદી અને સુંદર શહેર છે. અહીં રહેનારાઓ ઉદાર છે અને હા, તમે જો ખાવાના શોખીન હો તો અહીં તમને વધુ મજા આવશે. આ જ ચંડીગઢના સૅક્ટર ૨૯માં સંજય રાણા જી ફૂડ સ્ટૉલ ચલાવે છે અને સાઇકલ પર છોલે-ભટુરે વેચે છે. એક દિવસ તેમની દીકરી રિદ્ધિમા અને ભત્રીજી રિયા એક વિચાર સાથે તેમની પાસે આવી. બંનેએ તેમને કૉવિડ રસી લગાવનારાઓને ફ્રીમાં છોલે-ભટુરે ખવડાવવા કહ્યું. તેઓ તેના માટે રાજી થઈ ગયા. તેમણે તરત જ આ સારો અને ભલો પ્રયાસ પણ શરૂ કરી દીધો. સંજય રાણાજીના છોટે-ભટુરે નિઃશુલ્ક ખાવા તમારે દેખાડવું પડે છે કે તમે તે જ દિવસે રસી લગાવડાવી છે. રસીનો સંદેશ દેખાડતા જ તેઓ તમને સ્વાદિષ્ટ છોલે-ભટુરે આપશે. કહે છે કે સમાજનું ભલાઈનું કામ કરવા માટે પૈસાથી વધુ, સેવા ભાવ, કર્તવ્ય ભાવની વધુ આવશ્યકતા હોય છે. આપણા સંજયભાઈ આ વાતને સાચી સાબિત કરી રહ્યા છે.
સાથીઓ, આવું જ એક બીજું કામ છે જેની હું આજે ચર્ચા કરવા માગીશ. આ કામ થઈ રહ્યું છે તમિલનાડુની નીલગીરીમાં. અહીં રાધિકા શાસ્ત્રીજીએ એમ્બ્યુરેક્સ (AmbuRx) પ્રૉજેક્ટની શરૂઆત કરી છે. આ પ્રૉજેક્ટનો હેતુ છે, પહાડી વિસ્તારોમાં દર્દીઓની સારવાર માટે સરળ પરિવહન ઉપલબ્ધ કરાવવું. રાધિકા કન્નૂરમાં એક કાફે ચલાવે છે. તેમણે પોતાના કાફેના સાથીઓ પાસેથી એમ્બ્યુરેક્સ માટે ભંડોળ મેળવ્યું. નીલગિરીના પહાડો પર આજે છ એમ્બ્યુરેક્સ કાર્યરત્ છે અને અંતરિયાળ વિસ્તારોમાં આપત્ત્તિની સ્થિતિમાં દર્દીઓના કામમાં પણ આવી રહી છે. એમ્બ્યુરેક્સમાં સ્ટ્રેચર, ઑક્સિજન સિલિન્ડર, પ્રાથમિક સહાયતા પેટી જેવી અનેક ચીજોની વ્યવસ્થા છે.
સાથીઓ, સંજય જી હોય કે રાધિકા જી, તેમનાં ઉદાહરણોથી ખબર પડે છે કે આપણે આપણું કાર્ય, આપણો વ્યવસાય, નોકરી કરતા-કરતા પણ સેવાનાં કાર્ય કરી શકીએ છીએ.સાથીઓ, કેટલાક દિવસો પહેલાં એક ખૂબ જ મજેદાર અને ખૂબ જ લાગણીસભર કાર્યક્રમ થયો જેનાથી ભારત-જ્યૉર્જિયાની મૈત્રીને એક મજબૂતી મળી. સમારોહમાં ભારતના સેન્ટ ક્વીન કેટેવાનના હૉલી રેલિક અર્થાત્ તેમના પવિત્ર સ્મૃતિ ચિહ્ન જ્યૉર્જિયાની સરકાર અને ત્યાંની જનતાને સોંપ્યું. તેના માટે આપણા વિદેશ પ્રધાન સ્વયં ત્યાં ગયા હતા. ખૂબ જ ભાવુક વાતાવરણમાં થયેલા આ સમારોહમાં જ્યૉર્જિયાના પ્રમુખ, વડા પ્રધાન, તેમના ધર્મગુરુ, અને મોટી સંખ્યામાં જ્યૉર્જિયાના લોકો ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં ભારતની પ્રશંસામાં જે શબ્દો કહેવામાં આવ્યા તે ખૂબ જ યાદગાર છે. આ એક સમારોહે બંને દેશોની સાથે જ ગોવા અને જ્યૉર્જિયા વચ્ચેના સંબંધોને પણ વધુ પ્રગાઢ બનાવી દીધા છે. આવું એટલા માટે કારણકે સેન્ટ ક્વીન કેટેવાનના આ પવિત્ર અવશેષ ૨૦૦૫માં ગોવાના સેન્ટ ઑગસ્ટાઇન ચર્ચમાં મળ્યા હતા.
સાથીઓ, તમારા મનમાં સવાલ થયો હશે કે આ બધું શું છે, આ ક્યારે અને કેવી રીતે થયું? હકીકતે, તે આજથી ચારસો પાંચસો વર્ષ પહેલાંની વાત છે. ક્વીન કેટેવાન જ્યૉર્જિયાના રાજપરિવારની દીકરી હતી. દસ વર્ષના કારાવાસ પછી ૧૬૨૪માં તે વીરગતિને પ્રાપ્ત થઈ હતી. એક પ્રાચીન પુર્તગાલી દસ્તાવેજ અનુસાર, સેન્ટ ક્વીન કેટેવાનનાં અસ્થિઓને જૂના ગોવાના સેન્ટ ઑગસ્ટાઇન કૉન્વેન્ટમાં રાખવામાં આવ્યાં હતાં. પરંતુ અવશેષ ૧૯૩૦ના ભૂકંપમાં ગાયબ થઈ ગયા હતા.
ભારત સરકાર અને જ્યૉર્જિયાના ઇતિહાસકારો, સંશોધકો, પુરાતત્ત્વવિદો અને જ્યૉર્જિયન ચર્ચના દાયકાઓના અથાક પ્રયાસો પછી ૨૦૦૫માં તે પવિત્ર અવશેષોને શોધવામાં સફળતા મળી હતી. આ વિષય જ્યૉર્જિયાના લોકો માટે ખૂબ જ ભાવનાત્મક છે. આથી તેમની ઐતિહાસિક, પંથીય અને આધ્યાત્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ અવશેષોનો એક અંશ જ્યૉર્જિયાના લોકોને ભેટમાં આપવાનો નિર્ણય કર્યો. ભારત અને જ્યૉર્જિયાના સંયુક્ત ઇતિહાસના એક અનોખા પક્ષને સાચવીને રાખવા માટે માટે હું ગોવાના લોકોનો હૃદયથી ધન્યવાદ કરીશ. ગોવા અનેક મહાન આધ્યાત્મિક વારસાની ભૂમિ રહી છે. સેન્ટ ઑગસ્ટાઇન ચર્ચ, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ – churches and convents of Goa નો એક હિસ્સો છે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યૉર્જિયાથી હવે હું તમને સીધો સિંગાપુર લઈ જઉં છું જ્યાં આ મહિનાની શરૂઆતમાં એક ગૌરવશાળી અવસર સામે આવ્યો સિંગાપુરના પ્રધાનમંત્રી અને મારા મિત્ર લી સેન લુંગએ તાજેતરમાં જ રિનૉવેટ કરાવેલા સિલાટ રૉડ ગુરુદ્વારાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે પારંપરિક શીખ પાઘડી પણ પહેરી હતી. આ ગુરુદ્વારા લગભગ સો વર્ષ પહેલાં બન્યું હતું અને અહીં ભાઈ મહારાજ સિંહને સમર્પિત એક સ્મારક પણ છે ભાઈ મહારાજસિંહજીએ ભારતની સ્વતંત્રતા માટે લડાઈ લડી હતી અને આ પળ સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ મનાવી રહ્યાં છીએ ત્યારે વધુ પ્રેરક બની જાય છે. બે દેશો વચ્ચે, લોકોથી લોકો વચ્ચેનો સંપર્ક, તેને મજબૂતી, આવી જ વાતો, આવા પ્રયાસોથી મળે છે. તેનાથી એ પણ ખબર પડે છે કે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રહેવા અને એકબીજાની સંસ્કૃતિને સમજવાનું કેટલું મહત્ત્વ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ‘મન કી બાત’માં આપણે અનેક વિષયોની ચર્ચા કરી. એક બીજો વિષય છે જે મારા હૈયાની બહુ નજીક છે. આ વિષય છે જળ સંરક્ષણનો. મારું બાળપણ જ્યાં વિત્યું ત્યાં પાણીની હંમેશાં ખેંચ રહેતી હતી. અમે લોકો વરસાદ માટે તડપતા હતા અને આથી પાણીનું એક-એક ટીપું બચાવવું અમારા સંસ્કારોનો હિસ્સો રહ્યો છે. હવે ‘જન ભાગીદારીથી જળ સંરક્ષણ’ આ મંત્રએ ત્યાંની તસવીર બદલી નાખી છે. પાણીના એક-એક ટીપાને બચાવવું, પાણીના કોઈ પણ પ્રકારના વેડફાટને રોકવો તે આપણી જીવનશૈલીનો એક સહજ હિસ્સો બની જવો જોઈએ. આપણા પરિવારોની એવી પરંપરા બની જવી જોઈએ, જેનાથી દરેક સભ્યને ગર્વ થાય.
સાથીઓ, પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા ભારતના સાંસ્કૃતિક જીવનમાં, આપણા દૈનિક જીવનમાં, વણાયેલી છે. તો વરસાદ અને ચોમાસું હંમેશાં આપણા વિચારો, આપણા તત્ત્વચિંતન અને આપણી સભ્યતાને આકાર આપતા આવ્યા છે. ઋતુસંહાર અને મેઘદૂતમાં મહા કવિ કાલિદાસે વર્ષા અંગે બહુ જ સુંદર વર્ણન કર્યું છે. સાહિત્ય પ્રેમીઓ વચ્ચે આ કવિતાઓ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. ઋગ્વેદના પર્જન્ય સુક્તમમાં પણ વર્ષાના સૌંદર્યનું સુંદર વર્ણન છે. આ જ રીતે શ્રીમદ્ ભાગવતમાં પણ કાવ્યાત્મક રૂપથી પૃથ્વી, સૂર્ય અને વર્ષા વચ્ચે સંબંધોનો વિસ્તાર આપવામાં આવ્યો છે.
अष्टौ मासान् निपीतं यद्, भूम्या: च, ओद-मयम् वसु ।
स्वगोभि: मोक्तुम् आरेंभे, पर्जन्य: काल आगते ।।
અર્થાત્ સૂર્યએ આઠ મહિના સુધી જળના રૂપમાં પૃથ્વીની સંપત્તિનું દોહન કર્યું હતું, હવે ચોમાસાની ઋતુમાં, સૂર્ય આ સંચિત સંપત્તિ પૃથ્વીને પરત કરી રહ્યો છે. ખરેખર, ચોમાસા અને વરસાદની ઋતુ સુંદર અને આનંદદાયક જ નથી હોતી પરંતુ તે પોષણ દેનારી, જીવન દેનારી પણ હોય છે. વર્ષાનું પાણી જે આપણને મળી રહ્યું છે તે આપણી ભાવિ પેઢીઓ માટે છે, તે આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ.
આજે મારા મનમાં એ વિચાર આવ્યો કે કેમ ન આ રોચક સંદર્ભો સાથે જ મારી વાત સમાપ્ત કરું. તમને બધાંને આવનારા પર્વોની ખૂબ ખૂબ શુભકામનાઓ. પર્વ અને ઉત્સવોના સમયે એ જરૂર યાદ રાખજો કે કોરોના હજુ આપણી વચ્ચેથી ગયો નથી. કોરોના સાથે જોડાયેલા નિયમો તમારે ભૂલવાના નથી. તમે સ્વસ્થ અને પ્રસન્ન રહો.
ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ઘણી વાર ‘મન કી બાત’માં તમારા પ્રશ્નોનો વરસાદ વરસતો રહે છે. આ વખતે મેં વિચાર્યું કે કંઈક અલગ કરવામાં આવે. હું તમને પ્રશ્ન કરું. તો ધ્યાનથી સાંભળો મારા પ્રશ્નો. ઑલિમ્પિકમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતનાર પહેલો ભારતીય કોણ હતો?
ઑલિમ્પિકમાં કઈ રમતમાં ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ ચંદ્રકો જીત્યાં છે?
ઑલિમ્પિકમાં કયા ખેલાડીએ સૌથી વધુ પદકો જીત્યાં છે?
સાથીઓ, તમે મને જવાબ મોકલો કે ન મોકલો, પણ MyGovમાં ઑલિમ્પિક પર જે ક્વિઝ છે તેમાં પ્રશ્નોના ઉત્તર મોકલશો તો ઘણાં બધાં ઈનામો જીતશો. તમે ‘Road to Tokoy Quiz’માં ભાગ લેજો. ભારતે પહેલાં કેવો દેખાવ કર્યો છે? આપણી ટૉક્યો ઑલિમ્પિક માટે કેવી તૈયારી છે? તે બધું તમે જાતે જાણો અને બીજાને પણ જણાવજો. હું તમને બધાને અનુરોધ કરું છું કે તમે આ ક્વિઝ કૉમ્પિટિશનમાં જરૂર ભાગ લેજો.
સાથીઓ, હવે વાત ટૉક્યો ઑલિમ્પિકની થઈ રહી હોય તો ભલા, મિલ્ખાસિંહજી જેવા દંતકથારૂપ એથ્લેટને કોણ ભૂલી શકે છે? થોડાક દિવસો પહેલાં જ કોરોનાએ તેમને આપણી પાસેથી છિનવી લીધા. જ્યારે તેઓ હૉસ્પિટલમાં હતા તો મને તેમની સાથે વાત કરવાનો અવસર મળ્યો હતો. વાત કરતી વખતે મેં તેમને અનુરોધ કર્યો હતો. મેં કહ્યું હતું કે તમે તો ૧૯૬૪માં ટૉક્યો ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આથી આ વખતે જ્યારે આપણા ખેલાડી ઑલિમ્પિક માટે ટૉક્યો જઈ રહ્યા છે તો તમારે આપણા એથ્લેટનું મનોબળ વધારવાનું છે, તેમને પોતાના સંદેશથી પ્રેરિત કરવાના છે. તેઓ રમત માટે એટલા સમર્પિત અને ભાવુક હતા કે બીમારીમાં પણ તેમણે તરત જ તેના માટે હા પાડી દીધી, દુર્ભાગ્યથી નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. મને આજે પણ યાદ છે કે વર્ષ ૨૦૧૪માં તેઓ સુરત આવ્યા હતા. અમે લોકોએ એક નાઇટ મેરેથૉનનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે તેમની સાથે જે ગપશપ થઈ, રમતો વિશે જે વાત થઈ, તેનાથી મને પણ બહુ જ પ્રેરણા મળી હતી. આપણે બધા જાણીએ છીએ કે મિલ્ખાસિંહજીનો પૂરો પરિવાર ખેલોને સમર્પિત રહ્યો છે, ભારતનું ગૌરવ વધારતો રહ્યો છે.
સાથીઓ, હવે ટેલન્ટ એટલે કે પ્રતિભા, ડેડિકેશન એટલે કે સમર્પણ, ડિટરમિનેશન એટલે કે દૃઢતા અને સ્પૉર્ટ્સમેન સ્પિરિટ એટલે કે ખેલદિલી એક સાથ મળે છે ત્યારે કોઈ ચેમ્પિયન બને છે. આપણા દેશમાં તો મોટા ભાગના ખેલાડી નાનાં-નાનાં શહેરો, નગરો, ગામોમાંથી આવે છે. ટૉક્યો જઈ રહેલા આપણા ઑલિમ્પિગક દળોમાં પણ આવા અનેક ખેલાડીઓ સામેલ છે જેમનું જીવન ખૂબ જ પ્રેરિત કરે છે. આપણા પ્રવીણ જાધવજી વિશે તમે સાંભળશો તો તમને પણ લાગશે કે કેટલા કઠિન સંઘર્ષમાંથી પસાર થઈને પ્રવીણજી અહીં પહોંચ્યા છે. પ્રવીણ જાધવજી મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક ગામના રહેવાસી છે. તેઓ તીરંદાજીના નિપુણ ખેલાડી છે. તેમનાં માતાપિતા મજૂરી કરીને પરિવાર ચલાવે છે અને તેમનો દીકરો પોતાની પહેલી ઑલિમ્પિક્સ રમવા ટૉક્યો જઈ રહ્યો છે. તે માત્ર તેમનાં માતાપિતા જ નહીં, આપણા બધા માટે કેટલા ગૌરવની વાત છે. આ જ રીતે, એક બીજાં ખેલાડી છે, આપણાં નેહા ગોયલજી. નેહા ટૉક્યો જઈ રહેલી મહિલા હૉકી ટીમની સભ્ય છે. તેમની માતા અને બહેનો સાઇકલની ફૅક્ટરીમાં કામ કરીને પરિવારનો ખર્ચ કાઢે છે. નેહાની જેમ જ દીપિકાકુમારીજીના જીવનની યાત્રા પણ ઉતાર-ચડાવવાળી રહી છે. દીપિકાના પિતા ઑટો રિક્ષા ચલાવે છે અને તેમની માતા નર્સ છે અને હવે જુઓ, દીપિકા હવે ટૉક્યો ઑલમ્પિક્સમાં ભારત તરફથી એક માત્ર મહિલા તીરંદાજ છે. ક્યારેક વિશ્વની નંબર એક તીરંદાજ રહેલી દીપિકા સાથે આપણા સહુની શુભકામનાઓ છે.
સાથીઓ, જીવનમાં આપણે જ્યાં પણ પહોંચીએ છીએ, જેટલી પણ ઊંચાઈ પ્રાપ્ત કરીએ છીએ, જમીન સાથે આ જોડાણ, હંમેશાં, આપણને આપણાં મૂળ સાથે બાંધી રાખે છે. સંઘર્ષના દિવસો પછી મળેલી સફળતાનો આનંદ પણ કંઈક ઓર જ હોય છે. ટૉક્યો જઈ રહેલા આપણા ખેલાડીઓએ બાળપણમાં સાધન-સંસાધનોના દરેક અભાવનો સામનો કર્યો, પરંતુ તેઓ ટકી રહ્યા, જોડાયેલા રહ્યા. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનાં પ્રિયંકા ગોસ્વામીજીનું જીવન પણ ઘણી શીખ આપે છે. પ્રિયંકાના પિતા બસ કન્ડક્ટર છે. બાળપણમાં પ્રિયંકાને તે બેગ બહુ જ પસંદ હતી જે ચંદ્રક મેળવનાર ખેલાડીઓને મળે છે. આ આકર્ષણમાં તેમણે પહેલી વાર રેસ વૉકિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. હવે, આજે તે તેની મોટી ચેમ્પિયન છે.
ભાલા ફેંકમાં ભાગ લેનારા શિવપાલસિંહજી, બનારસના રહેવાસી છે. શિવપાલજીનો તો પૂરો પરિવાર જ આ રમત સાથે જોડાયેલો છે. તેમના પિતા, કાકા અને ભાઈ, બધા ભાલા ફેંકવામાં નિષ્ણાત છે. પરિવારની આ પરંપરા તેમના માટે ટૉક્યો ઑલિમ્પિક્સમાં કામ આવવાની છે. ટૉક્યો ઑલિમ્પિક માટે જઈ રહેલા ચિરાગ શેટ્ટી અને તેમના ભાગીદાર સાત્વિક સાઈરાજની હિંમત પણ પ્રેરિત કરનારી છે. તાજેતરમાં જ ચિરાગના નાનાજીનું કોરોનાથી નિધન થઈ ગયું હતું. સાત્વિક પણ પોતે ગયા વર્ષે કોરોના પૉઝિટિવ થઈ ગયા હતા. પરંતુ આ મુશ્કેલીના દિવસો પછી પણ તે બંને મેન્સ ડબલ શટલ કૉમ્પિટિશનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાની તૈયારીમાં લાગેલા છે.
એક બીજા ખેલાડીનો હું તમને પરિચય કરાવવા માગીશ. તેઓ છે હરિયાણાના ભિવાનીના મનીષ કૌશિકજી. મનીષજી ખેતી કરતા પરિવારમાંથી આવે છે. બાળપણમાં ખેતીમાં કામ કરતાં-કરતાં મનીષને બૉક્સિંગનો શોખ થઈ ગયો હતો. આજે તે શોખ તેમને ટૉક્યો લઈ જઈ રહ્યો છે. એક બીજાં ખેલાડી છે સી. એ. ભવાનીદેવીજી. નામ ભવાની છે અને તેઓ તલવારબાજીમાં નિપુણ છે. ચેન્નાઈનાં રહેવાસી ભવાની પહેલાં ભારતીય Fencer છે જેમણે ઑલિમ્પિકમાં ક્વૉલિફાય કર્યું છે. હું ક્યાંક વાંચી રહ્યો હતો કે ભવાનીજીનું પ્રશિક્ષણ ચાલુ રહે તે માટે તેમની માતાએ પોતાનાં ઘરેણાં સુદ્ધાં ગિરવે મૂક્યાં હતાં.
સાથીઓ, આવાં તો અગણિત નામ છે પરંતુ ‘મન કી બાત’માં, આજે થોડાંક નામોનો જ ઉલ્લેખ કરી શક્યો છું. ટૉક્યો જઈ રહેલા દરેક ખેલાડીનો પોતાનો સંઘર્ષ રહ્યો છે, વર્ષોની મહેનત રહી છે. તેઓ માત્ર પોતાના માટે જ નથી જઈ રહ્યા પરંતુ દેશ માટે જઈ રહ્યા છે. આ ખેલાડીઓએ ભારતનું ગૌરવ પણ વધારવાનું છે અને લોકોનું હૃદય પણ જીતવાનું છે અને આથી મારા દેશવાસીઓ, હું તમને પણ સલાહ દેવા માગું છું, આપણે જાણે-અજાણ્યે પણ આપણા આ ખેલાડીઓ પર દબાણ નથી બનાવવાનું પરંતુ ખુલ્લા મનથી, તેમનો સાથ આપવાનો છે, દરેક ખેલાડીનો ઉત્સાહ વધારવાનો છે.
સૉશિયલ મિડિયા પર તમે #Cheer4Indiaની સાથે તમે આ ખેલાડીઓને શુભકામનાઓ આપી શકો છો. તમે કંઈક બીજું પણ નવીન કરવા માગતા હો તો તે પણ જરૂર કરો. જો તમને આવો કોઈ વિચાર આવે છે જે આપણા ખેલાડીઓ માટે આપણે સૌએ મળીને કરવો જોઈએ તો તે તમે મને જરૂર મોકલજો. આપણે બધા મળીને ટૉક્યો જનારા આપણા ખેલાડીઓનું સમર્થન કરીશું Cheer4India!!! Cheer4India!!! Cheer4India!!!
મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વિરુદ્ધ આપણી દેશવાસીઓની લડાઈ ચાલુ છે, પરંતુ આ લડાઈમાં આપણે બધા મળીને અનેક અસાધારણ મુકામ પણ પ્રાપ્ત કરી રહ્યા છીએ. હમણાં થોડા દિવસ પહેલાં જ આપણા દેશે એક અભૂતપૂર્વ કામ કર્યું છે. ૨૧ જૂને રસીકરણ અભિયાનના આગામી ચરણની શરૂઆત થઈ અને તે દિવસે દેશે ૮૬ લાખથી વધુ લોકોને નિઃશુલ્ક રસી લગાવવાનો રેકૉર્ડ પણ બનાવી લીધો અને તે પણ એક જ દિવસમાં. આટલી મોટી સંખ્યામાં ભારત સરકાર તરફથી નિઃશુલ્ક રસીકરણ અને તે પણ એક દિવસમાં! સ્વાભાવિક છે, તેની ચર્ચા પણ ઘણી થઈ.
સાથીઓ, એક વર્ષ પહેલાં બધાની સામે પ્રશ્ન હતો કે રસી ક્યારે આવશે? આજે આપણે એક દિવસમાં લાખો લોકોને ભારતમાં બનેલી રસી નિઃશુલ્ક લગાવી રહ્યા છીએ અને આ જ તો નવા ભારતની તાકાત છે.
સાથીઓ, રસીની સુરક્ષા દેશના દરેક નાગરિકને મળે, આપણે લગાતાર પ્રયાસ કરતા રહેવાનો છે. અનેક જગ્યાએ રસી લેવામાં સંકોચને સમાપ્ત કરવા માટે અનેક સંગઠનો, નાગરિક સંગઠનોના લોકો આગળ આવ્યા છે અને બધા મળીને ઘણું સારું કામ કરી રહ્યા છે. ચાલો, આપણે પણ આજે એક ગામ જઈએ અને તે લોકો સાથે વાત કરીએ. રસી વિશે મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લાના ડુલારિયા ગામ જઈએ.
પ્રધાનમંત્રી: હેલ્લો.
રાજેશ: નમસ્કાર.
પ્રધાનમંત્રી: નમસ્તે જી.
રાજેશ: મારું નામ રાજેશ હિરાવે, ગ્રામ પંચાયત ડુલારિયા, ભીમપુર બ્લૉક.
પ્રધાનમંત્રી: રાજેશજી, મેં ફૉન એટલા માટે કર્યો કે હું જાણવા માગતો હતો કે અત્યારે તમારા ગામમાં હવે કોરોનાની શું સ્થિતિ છે?
રાજેશ: સર, અહીં કોરોનાની સ્થિતિ તો અત્યારે એવું કંઈ નથી અહીંયા.
પ્રધાનમંત્રી: અત્યારે લોકો બીમાર નથી?
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: ગામની વસતિ કેટલી છે? ગામમાં કેટલા લોકો છે?
રાજેશ: ગામમાં ૪૬૨ પુરુષ છે અને ૩૩૨ મહિલા છે, સર.
પ્રધાનમંત્રી: અચ્છા, રાજેશજી, તમે રસી લીધી છે કે નહીં?
રાજેશ: ના સર, હજુ સુધી નથી લીધી.
પ્રધાનમંત્રી: અરે! કેમ નથી લીધી?
રાજેશ: સરજી, અહીંયા કેટલાક લોકોએ કંઈક વૉટ્સઍપ પર એવો ભ્રમ ફેલાવી દીધો હતો કે તેનાથી લોકો ભ્રમિત થઈ ગયા.
પ્રધાનમંત્રી: તો શું તમારા મનમાં પણ ડર છે?
રાજેશ: જી સર, આખા ગામમાં આવો ભ્રમ ફેલાવી દીધો હતો, સર.
પ્રધાનમંત્રી: અરે રે રે, તમે આ વાત શું કરી દીધી? જુઓ રાજેશજી,
રાજેશ: જી...
પ્રધાનમંત્રી: મારે તમને પણ અને મારા બધા ગામનાં ભાઈઓ-બહેનોને એ જ કહેવું છે કે ડર હોય તો કાઢી નાખો.
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: આપણા આખા દેશમાં ૩૧ કરોડથી વધુ લોકોએ રસી લઈ લીધી છે.
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: તમને ખબર છે ને, મેં પોતે પણ બંને ડૉઝ લઈ લીધા છે.
રાજેશ: જી સર.
પ્રધાનમંત્રી: અરે, મારી માતા જે લગભગ સો વર્ષનાં છે, તેમણે પણ બંને ડૉઝ લગાવી લીધા છે. ક્યારેક ક્યારેક કોઈને તેનાથી તાવ વગેરે આવી જાય છે પરંતુ તે ખૂબ જ સામાન્ય હોય છે, કેટલાક કલાકો માટે જ થાય છે જુઓ, રસી નહીં લેવી ઘણું ખતરનાક હોઈ શકે છે.
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: તેનાથી તમે પોતાને તો ખતરામાં નાખો જ છો, સાથે જ પરિવાર અને ગામને પણ ખતરામાં નાખી શકો છો.
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: અને રાજેશજી, આથી જ જેટલી જલદી બની શકે તેટલી જલદી રસી લગાવી લો અને ગામમાં બધાને જણાવો કે ભારત સરકાર તરફથી નિઃશુલ્ક રસી આપવામાં આવી રહી છે અને ૧૮ વર્ષથી ઉપરના બધા માટે તે નિઃશુલ્ક રસી છે.
રાજેશ: જી...જી...
પ્રધાનમંત્રી: તો આ તમે પણ લોકોને ગામમાં જણાવો અને ગામમાં આ ડરના વાતાવરણનું તો કોઈ કારણ જ નથી.
રાજેશ: કારણ આ જ સર, કેટલાક લોકોએ એવી ખોટી અફવા ફેલાવી દીધી જેનાથી લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા. તેનું ઉદાહરણ જેમ, જેમ કે આ રસીને લગાવવાથી તાવ આવવો, તાવથી બીજી બીમારી ફેલાઈ જવી, અર્થાત્ વ્યક્તિનું મૃત્યુ થઈ જવું... ત્યાં સુધીની અફવા ફેલાવી.
પ્રધાનમંત્રી: ઓહોહો...જુઓ, આજ તો આટલા રેડિયો, આટલાં ટીવી, આટલા બધા સમાચારો મળે છે અને આથી લોકોને સમજાવવાનું ખૂબ જ સરળ બની જાય છે અને જુઓ, હું તમને કહું, ભારતનાં અનેક ગામો એવાં છે જ્યાં બધા લોકો રસી લગાવી ચૂક્યા છે, અર્થાત્ ગામના સો ટકા લોકો. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું છું...
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: કાશ્મીરમાં બાંદીપુરા જિલ્લો છે. આ બાંદીપુરા જિલ્લામાં એક વ્યવન ગામના લોકોએ મળીને ૧૦૦ ટકા સો ટકા રસીનું લક્ષ્ય બનાવ્યું અને તેને પૂરું પણ કરી નાખ્યું. આજે કાશ્મીરના આ ગામના ૧૮ વર્ષથી ઉપરના બધા લોકો રસી લગાવી ચૂક્યા છે. નાગાલેન્ડનાં પણ ત્રણ ગામો વિશે મને જાણવા મળ્યું કે ત્યાં પણ બધા લોકોએ સો ટકા રસી લગાવી લીધી છે.
રાજેશ: જી...જી...
પ્રધાનમંત્રીઃ રાજેશજી તમે પણ તમારા ગામમાં અને આસપાસના ગામમાં આ વાત પહોંચાડજો, અને જેમ તમે કહો છો તેમ, તે આ ભ્રણ છે, તો એ ભ્રમ જ છે.
રાજેશ: જી સર.
પ્રધાનમંત્રી: તો ભ્રમનો જવાબ એ છે કે તમે પોતાને રસી લગાવીને સમજાવવા પડશે બધાને. કરશો ને તમે?
રાજેશ: જી સર.
પ્રધાનમંત્રી: પાકું કરશો ને?
રાજેશ: જી સર. જી સર. તમારી સાથે વાત કરીને મને એવું લાગ્યું કે હું પોતે પણ રસી લગાવીશ અને લોકોને તેના વિશે હું આગળ વધારું.
પ્રધાનમંત્રી: અચ્છા, ગામમાં બીજા પણ કોઈ છે, જેની સાથે હું વાત કરી શકો છું?
રાજેશ: જી છે સર.
પ્રધાનમંત્રી: કોણ વાત કરશે?
કિશોરીલાલ: હેલ્લો સર...નમસ્કાર.
પ્રધાનમંત્રી: નમસ્તે જી, કોણ બોલી રહ્યા છે?
કિશોરીલાલ: સર, મારું નામ છે કિશોરીલાલ દુર્વે.
પ્રધાનમંત્રી: તો, કિશોરીલાલજી, હમણાં રાજેશજી સાથે વાત થઈ રહી હતી.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: અરે તેઓ તો ખૂબ જ દુઃખી થઈને જણાવી રહ્યા હતા કે રસી વિશે લોકો અલગ-અલગ વાતો કરે છે.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: તમે પણ આવું સાંભળ્યું છે શું?
કિશોરીલાલ: હા, સાંભળ્યું તો છે, સર આવું...
પ્રધાનમંત્રી: શું સાંભળ્યું છે?
કિશોરીલાલ: કારણ એ છે સર, કે બાજુમાં મહારાષ્ટ્ર છે. ત્યાંથી કેટલાક સંબંધોથી જોડાયેલા કેટલાક લોકો અફવા ફેલાવે છે કે રસી લગાવવાથી લોકો મરી રહ્યા છે, કોઈ બીમાર થઈ રહ્યા છે. સર, લોકો વધુ ભ્રમમાં છે સર, એટલે નથી લઈ રહ્યા.
પ્રધાનમંત્રી: નહીં...શું કહો છો? હવે કોરોના ચાલી ગયો, એવું કહે છે?
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: કોરોનાથી કંઈ નથી થતું તેવું કહે છે?
કિશોરીલાલ: નહીં, કોરોના ચાલ્યો ગયો એવું નથી બોલતા સર. કોરોના તો છે જ તેવું કહે છે પરંતુ રસી જે લે છે તેનાથી અર્થાત્ બીમારી થઈ રહી છે, બધા મરી રહ્યા છે. આ સ્થિતિ જણાવે છે સર તેઓ.
પ્રધાનમંત્રી: અચ્છા, રસીના કારણે મરી રહ્યા છે?
કિશોરીલાલ: અમારું ક્ષેત્ર આદિવાસી ક્ષેત્ર છે સર, આમ પણ લોક તેમાં જલદી ડરી જાય છે... ભ્રમ ફેલાવી દેવાના કારણે લોકો રસી નથી લઈ રહ્યા સર.
પ્રધાનમંત્રી: જુઓ, કિશોરીલાલજી.
કિશોરીલાલ: જી હા સર...
પ્રધાનમંત્રી: આ અફવાઓ ફેલાવનારા લોકો તો અફવાઓ ફેલાવતા રહેશે.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: આપણે તો જિંદગીઓ બચાવવાની છે, આપણા ગામવાળાઓને બચાવવાના છે, આપણા દેશવાસીઓને બચાવવાના છે. અને જો કોઈ કહે છે કે કોરોના ચાલ્યો ગયો તો એ ભ્રમમાં ન રહેતા.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: આ બીમારી એવી છે, તે બહુરૂપિયા જેવી છે.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: તે રૂપ બદલે છે...નવા-નવા રંગરૂપ લઈને પહોંચી જાય છે.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: અને તેમાં બચવા માટે આપણી પાસે બે રસ્તા છે. એક તો કોરોના માટે જે નિયમો બનાવ્યા, માસ્ક પહેરવું, સાબુથી વારંવાર હાથ ધોવા, અંતર જાળવવું અને બીજો રસ્તો છે તેની સાથોસાથ રસી લગાવવી, તે પણ એક સારું સુરક્ષા કવચ છે તો તેની ચિંતા કરો.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: અચ્છા, કિશોરીલાલજી, એ જણાવો.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: તમે લોકો અરસપરસ વાતો કરો છો તો તમે કેવી રીતે સમજાવો છો લોકોને? તમે સમજાવવાનું કામ કરો છો કે તમે પણ અફવામાં આવી જાવ છો?
કિશોરીલાલ: સમજાવીએ શું, તે લોકો વધુ થઈ જાય તો સર, અમે પણ ભયમાં આવી જઈએ ને સર.
પ્રધાનમંત્રી: જુઓ કિશોરીલાલજી, મારી તમારી સાથે વાત થઈ છે, તમે મારા સાથી છો.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: તમારે ડરવાનું નથી અને લોકોના ડરને પણ કાઢવાનો છે. કાઢશો ને?
કિશોરીલાલ: જી સર. કાઢીશું સર, લોકોના ડરને પણ કાઢીશું સર. હું પોતે પણ લગાવડાવીશ.
પ્રધાનમંત્રી: જુઓ, અફવાઓ પર બિલકુલ ધ્યાન ન દેતા.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: તમે જાણો છો, આપણા વૈજ્ઞાનિકોએ કેટલી મહેનત કરીને આ રસી બનાવી છે?
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: આખું વરસ, દિવસ-રાત આટલા મોટા-મોટા વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે અને આથી આપણે વિજ્ઞાન પર ભરોસો કરવો જોઈએ, વૈજ્ઞાનિકો પર ભરોસો કરવો જોઈએ કે જુઓ ભાઈ, આવું નથી હોતું, આટલા લોકોએ રસી લઈ લીધી છે, કંઈ નથી થતું.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: અને અફવાઓથી બહુ બચીને રહેવું જોઈએ, ગામને પણ બચાવવું જોઈએ.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: અને રાજેશજી, કિશોરીલાલજી, તમારા જેવા સાથીઓને પણ હું કહીશ કે તમે તમારા ગામમાં જ નહીં, બીજાં ગામોને પણ આ અફવાઓથી રોકવાનું કામ કરજો અને લોકોને જણાવજો કે મારી સાથે વાત થઈ છે.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: જણાવજો, મારું નામ જણાવી દેજો.
કિશોરીલાલ: જણાવશું સર અને લોકોને સમજાવીશું અને અમે પોતે પણ લેશું.
પ્રધાનમંત્રી: જુઓ, તમારા પૂરા ગામને મારી તરફથી શુભકામનાઓ આપજો.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: અને બધાને કહેજો કે જ્યારે પણ પોતાનો નંબર આવે...
કિશોરીલાલ: જી...
પ્રધાનમંત્રી: રસી જરૂર લેજો.
કિશોરીલાલ: ઠીક છે સર.
પ્રધાનમંત્રી: હું ઈચ્છીશ કે ગામની મહિલાઓને, આપણી માતાઓ-બહેનોને...
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: આ કામમાં વધુમાં વધુ જોડો અને સક્રિયતાથી તેમને સાથે રાખો.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: ક્યારેક ક્યારેક માતાઓ-બહેનો વાત કરે છે ને તો લોકો જલદી માની જાય છે.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: તમારા ગામમાં જ્યારે રસીકરણ પૂરું થઈ જાય તો મને જણાવશો તમે?
કિશોરીલાલ: હા, જણાવીશું, સર.
પ્રધાનમંત્રી: પાકું જણાવશો ને?
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: જુઓ, હું રાહ જોઈશ તમારા કાગળની.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: ચાલો, રાજેશજી, કિશોરજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી સાથે વાત કરવાની તક મળી.
કિશોરીલાલ: ધન્યવાદ સર, તમે અમારી સાથે વાત કરી. તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
સાથીઓ, ક્યારેક ને ક્યારેક આ વિશ્વ માટે કેસ સ્ટડીનો વિષય બનશે કે ભારતના ગામના લોકોને, આપણા વનવાસી-આદિવાસી ભાઈ-બહેનોએ, આ કોરોનાકાળમાં, કઈ રીતે, પોતાના સામર્થ્ય અને સૂજબૂજનો પરિચય આપ્યો. ગામના લોકોએ ક્વૉરન્ટાઇન સેન્ટર બનાવ્યાં, સ્થાનિક જરૂરિયાતોને જોઈને કૉવિડ નિયમો બનાવ્યા. ગામના લોકોએ કોઈને ભૂખ્યા સૂવા નથી દીધા, ખેતીનું કામ પણ અટકવા નથી દીધું. નજીકના શહેરોમાં દૂધ-શાક, આ બધું પ્રતિ દિવસ પહોંચાડતા રહ્યા, આ પણ, ગામોએ સુનિશ્ચિત કર્યું, અર્થાત્ પોતાને સંભાળ્યા, અને બીજાને પણ સંભાળ્યા. આવી જ રીતે આપણે રસીકરણ અભિયાનમાં પણ કરતા રહેવાનું છે. આપણે જાગૃત રહેવાનું પણ છે અને જાગૃત કરવાના પણ છે. ગામોમાં દરેક વ્યક્તિને રસી લગાવવામાં આવે તે દરેક ગામનું લક્ષ્ય હોવું જોઈએ. યાદ રાખો, અને હું તો તમને ખાસ રીતે કહેવા માગું છું. તમે એક પ્રશ્ન તમારા મનને પૂછો- દરેક વ્યક્તિ સફળ થવા માગે છે પરંતુ નિર્ણાયક સફળતાનો મંત્ર શું છે? નિરંતરતા. આથી આપણે સુસ્ત નથી પડવાનું. કોઈ ભ્રાંતિમાં નથી રહેવાનું. આપણે સતત પ્રયાસ કરતા રહેવાના છે. કોરોના પર જીત પ્રાપ્ત કરવાની છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં હવે ચોમાસાની ઋતુ પણ આવી ગઈ છે. વાદળો જ્યારે વરસે છે તો કેવળ આપણા માટે જ નહીં વરસતા, પરંતુ વાદળ આવનારી પેઢીઓ માટે પણ વરસે છે. વાદળનું પાણી જમીનમાં આવીને એકઠું પણ થાય છે, જમીનના જળસ્તરને પણ સુધારે છે. અને આથી, હું જળ સંરક્ષણને દેશ સેવાનું જ એક રૂપ માનું છું. તમે પણ જોયું હશે, આપણામાંથી અનેક લોકો આ પુણ્યને પોતાની જવાબદારી માનીને કામમાં લાગેલા રહે ચે. આવા જ એક શખ્સ છે ઉત્તરાખંડના પૌંડી ગઢવાલના સચ્ચિદાનંદ ભારતીજી. ભારતીજી એક શિક્ષક છે. અને તેમણે પોતાનાં કાર્યોથી લોકોને ખૂબ જ સારી શિખામણ આપી છે. આજે તેમની મહેનતથી જ પૌંડી ગઢવાલના ઉફરૈંખાલ ક્ષેત્રમાં પાણીનું મોટું સંકટ સમાપ્ત થઈ ગયું છે. જ્યાં લોકો પાણી માટે તરસતા હતા ત્યાં આજે આખા વર્ષની પાણીની આપૂર્તિ થઈ રહી છે.
સાથીઓ, પહાડોમાં જળ સંરક્ષણની એક પારંપરિક રીત રહી છે જેને ‘ચાલખાલ’ પણ કહેવાય છે. અર્થાત્ પાણી એકઠું કરવા માટે મોટો ખાડો ખોદવાનો. આ પરંપારમાં ભારતીજીએ કંઈક નવી રીતોને પણ જોડી દીધી. તેમણે સતત નાનાં-નાનાં તળાવો બનાવડાવ્યાં. તેનાથી ન માત્ર ઉફરૈંખાલની પહાડી હરી-ભરી થઈ, પરંતુ લોકોની પીવાના પાણીની તકલીફ પણ દૂર થઈ ગઈ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતીજી આવાં ૩૦ હજારથી વધુ જળ-તળાવ બનાવી ચૂક્યાં છે. ૩૦ હજાર. તેમનું આ ભગીરથ કાર્ય આજે પણ ચાલુ છે અને અનેક લોકોને પ્રેરણા આપી રહ્યા છે.
સાથીઓ, આ જ રીતે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં અન્ધાવ ગામના લોકોએ પણ એક અલગ જ રીતનો પ્રયાસ કર્યો છે. તેમણે પોતાના અભિયાનને ઘણું જ રસપ્રદ નામ આપ્યું છે- ‘ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં.’ આ અભિયાન હેઠળ ગામના અનેક બીઘા ખેતરમાં ઊંચી-ઊંચી વાડ બનાવવામાં આવી છે. તેનાથી વરસાદનું પાણી ખેતરમાં એકઠું થવા લાગ્યું અને જમીનમાં જવા લાગ્યું. હવે તે બધા લોકો ખેતરની વાડ પર ઝાડ લગાવવાની પણ યોજના બનાવી રહ્યા છે. અર્થાત હવે ખેડૂતોને પાણી, ઝાડ અને પૈસા ત્રણેય મળશે. પોતાનાં સારાં કાર્યોથી, તેમના ગામની ઓળખાણ તો દૂર-દૂર સુધી આમ પણ થઈ રહી છે.
સાથીઓ, આ બધાથી પ્રેરણા લઈને આપણે આપણી આસપાસ જે પણ રીતે પાણી બચાવી શકીએ, આપણે બચાવવું જોઈએ. ચોમાસાનો આ મહત્ત્વપૂર્ણ સમય આપણે ગુમાવવાનો નથી.
મારા પ્રિય દેશવાસીઓ, આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે –
“नास्ति मूलम् अनौषधम् ।।“
અર્થાત્ પૃથ્વી પર એવી કોઈ વનસ્પતિ જ નથી જેમાં કોઈ ને કોઈ ઔષધીય ગુણ ન હોય. આપણી આસપાસ એવાં અનેક ઝાડછોડ હોય છે જેનામાં અદભૂત ગુણ હોય છે પરંતુ ઘણી વાર આપણને તેમના વિશે ખબર જ નથી હોતી. મને નૈનિતાલના એક સાથી, ભાઈ પરિતોષે આવા જ વિષય પર એક પત્ર પણ મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે તેમને ગળો અને બીજી અનેક વનસ્પતિઓના આટલા ચમત્કારિક મેડિકલ ગુણો વિશે કોરોના આવ્યા પછી જ ખબર પડી. પરિતોષે મને પણ અનુરોધ કર્યો છે કે હું ‘મન કી બાત’ના બધા શ્રોતાઓને કહું કે તમે તમારી આસપાસની વનસ્પતિઓ વિશે જાણો, અને બીજાઓને પણ જણાવો. વાસ્તવમાં, આ તો આપણી સદીઓ જૂની વિરાસત છે, જેને આપણે જાળવવાની છે. આ દિશામાં મધ્ય પ્રદેશના સતનાના એક સાથી છે શ્રીમાન રામલોટન કુશવાહાજી, તેમણે ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. રામલોટનજીએ પોતાના ખેતરમાં એક દેશી મ્યૂઝિયમ બનાવ્યું છે. આ મ્યૂઝિયમમાં તેમણે સેંકડો ઔષધીય છોડ અને બીજોનો સંગ્રહ કર્યો છે. તેમને તેઓ દૂર-સુદૂર ક્ષેત્રોમાંથી અહીં લાવ્યા. તે ઉપરાંત તેઓ દર વર્ષે અનેક પ્રકારનાં ભારતીય શાકો પણ ઉગાડે છે. રામલોટનજીનો આ બાગ, આ દેશી મ્યૂઝિયમને જોવા લોકો આવે છે અને તેનાથી પણ શીખે છે. ખરેખર, આ એક બહુ સારો પ્રયોગ છે જેને દેશનાં અલગ-અલગ ક્ષેત્રોમાં કરી શકાય છે. હું ઈચ્છીશ કે તમારામાંથી જે લોકો આ પ્રકારનો પ્રયાસ કરી શકે છે, તેઓ જરૂર કરે. તેનાથી તમારી આવકનાં નવાં સાધન પણ ખુલી શકે છે. એક લાભ એ પણ થશે કે સ્થાનિક વનસ્પતિઓના માધ્યમથી તમારા ક્ષેત્રની ઓળખ પણ વધશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજથી થોડા દિવસો પછી પહેલી જુલાઈએ આપણે નેશનલ ડૉક્ટર્સ ડે માનવીશું. આ દિવસ દેશના મહાન ચિકિત્સક અને રાજદ્વારી ડૉ. બી. સી. રોય.ની જયંતીને સમર્પિત છે. કોરોના કાળમાં ડૉક્ટરના યોગદાનના આપણે સહુ આભારી છે. આપણા ડૉક્ટરોએ પોતાના જીવની પરવા ન કરતા આપણી સેવા કરી છે. આથી આ વખતે નેશનલ ડૉક્ટર્સ ડે વધુ ખાસ બની જાય છે.
સાથીઓ, દવાની દુનિયાના સૌથી સમ્માનિત લોકોમાંના એક હિપૉક્રેટ્સે કહ્યું હતું-
“Wherever the art of Medicine is loved, there is also a love of Humanity.”
અર્થાત્ જ્યાં આર્ટ ઑફ મેડિસિન માટે પ્રેમ હોય છે ત્યાં માનવતા માટે પણ પ્રેમ હોય છે. ડૉક્ટર્સ, આ પ્રેમની શક્તિથી જ આપણી સેવા કરી શકે છે. આથી આપણી એ જવાબદારી છે કે આપણે એટલા જ પ્રેમથી તેમનો ધન્યવાદ કરીએ, તેમની હિંમત વધારીએ. આમ તો આપણા આ દેશમાં અનેક લોકો એવા પણ છે જે ડૉક્ટરોની મદદ માટે આગળ આવીને કામ કરે છે. શ્રીનગરથી આવ જ એક પ્રયાસ વિશે મને ખબર પડી. અહીં ડાલ સરોવરમાં એક બૉટ એમ્બ્યુલન્સ સર્વિસની શરૂઆત કરવામાં આવી. આ સેવાને શ્રીનગરના તારિક અહેમદ પતલૂજીએ શરૂ કરી જે એક હાઉસબૉટ માલિક છે. તેમણે પોતે પણ કૉવિડ-૧૯ સામે લડાઈ લડી છે અને તેનાથી તેમને એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવા માટે પ્રેરણા મળી. તેમની આ એમ્બ્યુલન્સથી લોકોને જાગૃત કરવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે. તેઓ આ એમ્બ્યુલન્સથી સતત ઘોષણાઓ પણ કરી રહ્યા છે. પ્રયાસ એ છે કે લોકો માસ્ક પહેરવાથી લઈને દરેક પ્રકારની આવશ્યક સાવધાની રાખે.
સાથીઓ, ડૉક્ટર્સ ડેની સાથે એક જુલાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે પણ મનાવાય છે. મેં કેટલાંક વર્ષ પહેલાં દેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પાસે વૈશ્વિક સ્તરની ભારતીય ઑડિટ ફર્મ્સનો ઉપહાર માગ્યો હતો. આજે હું તેમને તેનું સ્મરણ કરાવવા માગું છું. અર્થવ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહુ સારી અને સકારાત્મક ભૂમિકા નિભાવી શકે છે. હું આ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમના પરિવારના સભ્યોને મારી શુભકામનાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વિરુદ્ધ ભારતની લડાઈની એક મોટી વિશેષતા છે. આ લડાઈમાં દેશના દરેક વ્યક્તિએ પોતાની ભૂમિકા નિભાવી છે. મેં ‘મન કી બાત’માં ઘણી વાર તેનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ કેટલાક લોકોને ફરિયાદ પણ રહે છે કે તેના વિશે આટલી વાત થઈ નથી શકતી. અનેક લોકો, ચાહે તે બૅન્ક સ્ટાફ હોય, શિક્ષકો હોય, નાના વેપારી કે દુકાનદાર હોય, દુકાનોમાં કામ કરનારા લોકો હોય, રેંકડી-લારી ચલાવનારા ભાઈ-બહેન હોય, સિક્યોરિટી વૉચમેન હોય કે પછી ટપાલી અને ટપાલ ખાતાના કર્મચારી- વાસ્તવમાં આ યાદી બહુ જ લાંબી છે અને દરેકે પોતાની ભૂમિકા નિભાવી છે. શાસન-પ્રશાસનમાં પણ અનેક લોકો અલગ-અલગ સ્તર પર જોડાયેલા રહ્યા છે.
સાથીઓ, તમે સંભવતઃ ભારત સરકારમાં સચિવ રહેલા ગુરુપ્રસાદ મહાપાત્રજીનું નામ સાંભળ્યું હશે. હું આજે ‘મન કી બાત’માં તેમનો ઉલ્લેખ પણ કરવા માગું છું. ગુરુપ્રસાદજીને કોરોના થઈ ગયો હતો, તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા, અને પોતાનું કર્તવ્ય પણ નિભાવી રહ્યા હતા. દેશમાં ઑક્સિજનનું ઉત્પાદન વધે, દૂર-સુદૂરના વિસ્તારો સુધી ઑક્સિજન પહોંચે તેના માટે તેમણે દિવસ-રાત કામ કર્યું. એક તરફ ન્યાયાલયોના ચક્કર, મિડિયાનું દબાણ- એક સાથે અનેક મોરચાઓ પર તેઓ લડતા રહ્યા. બીમારી દરમિયાન તેમણે કામ કરવાનું બંધ ન કર્યું. મનાઈ કર્યા પછી પણ તેઓ જિદ કરીને ઑક્સિજન પર થનારી વિડિયો પરિષદમાં પણ સામેલ થઈ જતા હતા. દેશવાસીઓની એટલી ચિંતા હતી તેમને. તેઓ હૉસ્પિટલની પથારી પર પોતાની પરવા કર્યા વગર દેશના લોકો સુધી ઑક્સિજન પહોંચાડવાની વ્યવસ્થામાં લાગેલા રહ્યા. આપણા બધા માટે આ દુઃખદ છે કે આ કર્મયોગીને પણ દેશે ખોઈ દીધા છે- કોરોનાએ તેમને આપણી પાસેથી છિનવી લીધા છે. આવા અગણ્ય લોકો છે જેમની ચર્ચા ક્યારેય થઈ નથી શકી. આવી દરેક વ્યક્તિને આપણી શ્રદ્ધાંજલી એ જ હશે કે આપણે કોરોના નિયમોનું પૂરી રીતે પાલન કરીએ, રસી જરૂર લગાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ની સૌથી સારી વાત એ છે કે તેમાં મારાથી વધુ આપ સહુનું યોગદાન રહે છે. હમણાં જ મેં MyGovમાં એક પૉસ્ટ જોઈ, જે ચેન્નાઈના થિરુ આર. ગુરુપ્રસાદજીની છે. તેમણે જે લખ્યું છે તે જાણીને તમને પણ સારું લાગશે. તેમણે લખ્યું છે કે તેઓ ‘મન કી બાત’ કાર્યક્રમના નિયમિત શ્રોતા છે. ગુરુપ્રસાદજીની પૉસ્ટમાંથી હવે હું કેટલીક પંક્તિઓ ઉધ્વત કરું છું. તેમણે લખ્યું છે-
તમે જ્યારે પણ તમિલનાડુ વિશે વાત કરો છો તો મારો રસ વધી જાય છે. તમે તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિની મહાનતા, તમિલ તહેવારો અને તમિલનાડુનાં પ્રમુખ સ્થાનોની ચર્ચા કરી છે.
ગુરુપ્રસાદજી આગળ લખે છે કે- ‘મન કી બાત’માં મેં તમિલનાડુના લોકોની ઉપલબ્ધિઓ વિશે પણ અનેક વાર જણાવ્યું છે. તિરુક્કુરલ પ્રતિ આપના પ્રેમ અને તિરુવલ્લુવરજી પ્રતિ આપના આદર વિશે તો કહેવું જ શું. આથી મેં ‘મન કી બાત’માં આપે તમિલનાડુ વિશે જે કંઈ બોલ્યું છે તે બધું સંકલિત કરીને એક ઇ-બુક તૈયાર કરી છે. શું આપ આ ઇ-બુક વિશે કંઈ બોલશો અને તેને NamoApp પર પણ રિલીઝ કરશો? ધન્યવાદ.
હા હું ગુરુપ્રસાદજીનો પત્ર તમારી સામે વાંચી રહ્યો હતો.
ગુરુપ્રસાદજી, તમારી આ પૉસ્ટ વાંચીને ખૂબ જ આનંદ આવ્યો. હવે તમે તમારી ઇ-બુકમાં એક વધુ પાનું જોડી દો.
...’નાન તમિલકલા ચારાક્તિન પેરિયે અભિમાની .
નાન ઉલગતલયે પલમાયાં તમિલ મોલિયન પેરિયે અભિમાની.’
ઉચ્ચારણનો દોષ અવશ્ય હશે પરંતુ મારો પ્રયાસ અને મારો પ્રેમ ક્યારેય પણ ઓછો નહીં હોય. જે તમિલભાષી નથી તેમને હું જણાવવા માગું છું, ગુરુપ્રસાદજીને મેં કહ્યું છે-
હું તમિલ સંસ્કૃતિનો ખૂબ જ મોટો પ્રશંસક છું.
હું દુનિયાની સૌથી જૂની ભાષા તમિલનો મોટો પ્રશંસક છું.
સાથીઓ, દરેક હિન્દુસ્તાનીને, વિશ્વની સૌથી પ્રાચીન ભાષા આપણા દેશની છે, તેનું ગુણગાન કરવું જ જોઈએ. તેના પર ગર્વ અનુભવવો જોઈએ. હું પણ તમિલ વશે ખૂબ જ ગર્વ કરું છું. ગુરુપ્રસાદજી, તમારો આ પ્રયાસ મારા માટે નવી દૃષ્ટિ આપનારો છે. કારણકે હું ‘મન કી બાત’ કરું છું તો સહજ-સરળ રીતે મારી વાત રાખું છું. મને નહોતી ખબર કે આનું આ પણ એક તત્ત્વ હશે. તમે જ્યારે જૂની બધી વાતોને એકઠી કરી તો મેં પણ એક વાર નહીં, પરંતુ બે વાર વાંચી. ગુરુપ્રસાદજી, તમારી આ ઇ-બુકને હું NamoApp પર જરૂર અપલૉડ કરાવીશ. ભવિષ્યના પ્રયાસો માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે કોરોનાની કઠણાઈઓ અને સાવધાનીઓ પર વાત કરી. દેશ અને દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા કરી. હવે એક બીજો મોટો અવસર પણ આપણી સામે છે. ૧૫ ઑગસ્ટ આવવાની છે. સ્વતંત્રતાનાં ૭૫ વર્ષનો અમૃત મહોત્સવ આપણા માટે બહુ મોટી પ્રેરણા છે. આપણે દેશ માટે જીવવાનું શીખીએ. સ્વતંત્રતાની લડાઈ- દેશ માટે મરનારાઓની કથા છે. સ્વતંત્રતા પછીના આ સમયને આપણે દેશ માટે જીવનારાઓની કથા બનાવવાની છે. આપણો મંત્ર હોવો જોઈએ- India first. આપણા દરેક નિર્ણય, દરેક નિર્ણયનો આધાર હોવો જોઈએ- India first.
સાથીઓ, અમૃત મહોત્સવમાં દેશે અનેક સામૂહિક લક્ષ્યો પણ નક્કી કર્યા છે. જેમ કે, આપણે આપણા સ્વાધીનતા સૈનિકોને યાદ કરીને તેની સાથે જોડાયેલા ઇતિહાસને પુનર્જીવિત કરવાનો છે. તમને યાદ હશે કે ‘મન કી બાત’માં મેં યુવાનોને સ્વાધીનતા સંગ્રામ પર ઇતિહાસ લેખન કરી, સંશોધન કરીને, તેની અપીલ કરી હતી. હેતુ એ હતો કે યુવાન પ્રતિભાઓ આગળ આવે, યુવાન વિચારસરણી, યુવાન વિચાર સામે આવે, યુવાન કલમો નવી ઊર્જા સાથે લેખન કરે. મને એ જોઈને બહુ સારું લાગ્યું કે ખૂબ જ ઓછા સમયમાં અઢી હજારથી વધુ યુવાનો આ કામ કરવા માટે આગળ આવ્યા છે. સાથીઓ, રસપ્રદ વાત એ છે કે ૧૯મી-૨૦મી સદીની લડાઈ વિશે તો સામાન્ય રીતે વાત થતી રહે છે પણ આનંદ એ વાતનો છે કે ૨૧મી સદીમાં જે યુવાનો જન્મ્યા છે, ૨૧મી સદીમાં જેમનો જન્મ થયો છે એવા મારા નવયુવાન સાથીઓ ૧૯મી-૨૦મી સદીની સ્વતંત્રતાની લડાઈને લોકો સામે રાખવાનો મોરચો સંભાળ્યો છે. આ બધા લોકોએ MyGov પર તેની પૂરી માહિતી મોકલી છે. આ લોકો હિન્દી, અંગ્રેજી, તમિલ, કન્નડ, બાંગ્લા, તેલુગુ, મરાઠી, મલયાલમ, ગુજરાતી, આવી દેશની અલગ-અલગ ભાષાઓમાં સ્વાધીનતા સંગ્રામ પર લખશે. કોઈ સ્વાધીનતા સંગ્રામથી જોડાયેલા રહેલાં પોતાનાં આસપાસનાં સ્થાનોની જાણકારી મેળવી રહ્યું છે તો કોઈ આદિવાસી સ્વાધીનતા સૈનિકો પર પુસ્તક લખી રહ્યું છે. એક સારી શરૂઆત છે. મારો આપ સહુને અનુરોધ છે કે અમૃત મહોત્સવથી જેવી રીતે પણ જોડાઈ શકો, જરૂર જોડાવ. આપણું એ સૌભાગ્ય છે કે આપણે સ્વતંત્રતાનાં ૭૫ વર્ષના પર્વના સાક્ષી બની રહ્યા છીએ. આથી હવે પછી જ્યારે આપણે ‘મન કી બાત’માં મળીશું, તો અમૃત મહોત્સવની વધુ તૈયારીઓ પર પણ વાત કરીશું. તમે સહુ સ્વસ્થ રહો, કોરોના સાથે જોડાયેલા નિયમોનું પાલન કરીને આગળ વધો, પોતપોતાના નવા પ્રયાસોથી દેશને આવી જ રીતે ગતિ આપતા રહો, આ જ શુભકામનાઓ સાથે, ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણે જોઈએ છીએ કે દેશ કઈ રીતે પૂરી તાકાત સાથે કૉવિડ-૧૯ સામે લડી રહ્યો છે. ગત સો વર્ષમાં આ સૌથી મોટો રોગચાળો છે અને આ રોગચાળા વચ્ચે ભારતે અનેક કુદરતી આપત્તિઓનો પણ મજબૂત રીતે સામનો કર્યો છે. આ દરમિયાન વાવાઝોડું અમ્ફાન આવ્યું, વાવાઝોડું નિસર્ગ આવ્યું, અનેક રાજ્યોમાં પૂર આવ્યાં, નાનામોટા ભૂકંપ આવ્યા, ભૂસ્ખલન થયાં. હમણાંહમણાં ગત ૧૦ દિવસોમાં જ દેશે ફરી બે મોટાં વાવાઝોડાંનો સામનો કર્યો. પશ્ચિમી દરિયાકાંઠે વાવાઝોડું ‘તાઉ-તે’ અને પૂર્વીય દરિયાકાંઠે વાવાઝોડું ‘યાસ’. આ બંને ચક્રાવાતોએ અનેક રાજ્યોને પ્રભાવિત કર્યાં છે. દેશ અને દેશની જનતા તેમની સામે પૂરી તાકાત સાથે લડી અને ઓછામાં ઓછી જાનહાનિ સુનિશ્ચિત કરી. આપણે હવે એ અનુભવ કરીએ છીએ કે અગાઉનાં વર્ષોની સરખામણીમાં, વધુમાં વધુ લોકોનો જીવ બચાવી રહ્યા છીએ. વિપત્તિની આ કઠિન અને અસાધારણ પરિસ્થિતિમાં વાવાઝોડાંથી પ્રભાવિત થયેલાં બધાં રાજ્યોના લોકોએ જે રીતે સાહસનો પરિચય આપ્યો છે, સંકટની આ ઘડીમાં ખૂબ જ ધૈર્ય સાથે અનુશાસન સાથે મુકાબલો કર્યો છે- હું આદરપૂર્વક, હૃદયપૂર્વક બધા નાગરિકોની પ્રશંસા કરું છું. જે લોકોએ આગળ આવીને રાહત અને બચાવના કાર્યમાં ભાગ લીધો, એવા સર્વે લોકોની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. હું એ બધાને વંદન કરું છું. કેન્દ્ર, રાજ્ય સરકારો અને સ્થાનિક પ્રશાસન, બધાં, એક સાથે મળીને આ આપત્તિનો સામનો કરવામાં લાગેલા છે. હું તે બધાં લોકોના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના નિકટના લોકોને ગુમાવ્યા છે. આપણે બધાં આ મુશ્કેલ સમયમાં તે લોકો સાથે મજબૂતીથી ઊભા છીએ જેમણે આ આપત્તિથી નુકસાન વેઠ્યું છે.
મારા પ્રિય દેશવાસીઓ, પડકાર ગમે તેટલો મોટો હોય, ભારતના વિજયનો સંકલ્પ હંમેશાં એટલો જ મોટો રહ્યો છે. દેશની સામૂહિક શક્તિ અને આપણા સેવા ભાવે દેશને દરેક તોફાનમાંથી બહાર કાઢ્યો છે. તાજેતરના દિવસોમાં આપણે જોયું છે કે આપણા ડૉક્ટરો, નર્સો અને અગ્ર હરોળના યોદ્ધાઓએ પોતાની ચિંતા છોડીને દિવસ-રાત કામ કર્યું છે અને આજે પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એવા લોકો પણ છે જેમની કોરોનાના બીજા મોજા સામે લડવામાં ઘણી મોટી ભૂમિકા રહી છે. મને ‘મન કી બાત’ના અનેક શ્રોતાઓએ NamoApp પર અને પત્ર દ્વારા આ યૌદ્ધાઓ વિશે ચર્ચા કરવાનો અનુરોધ કર્યો છે.
સાથીઓ, જ્યારે બીજું મોજું આવ્યું, અચાનક જ ઑક્સિજનની માગ અનેક ગણી વધી ગઈ તો બહુ મોટો પડકાર હતો. મેડિકલ ઑક્સિજનને દેશના દૂરના ભાગોમાં પહોંચાડવું એ પોતાની રીતે બહુ મોટો પડકાર હતો. ઑક્સિજન ટૅન્કર બહુ ઝડપથી ચાલે. નાનકડી પણ ભૂલ થાય, તો તેમાં બહુ મોટા વિસ્ફોટનું જોખમ હોય છે. ઇન્ડસ્ટ્રિયલ ઑક્સિજનનું ઉત્પાદન કરનારા ઘણા પ્લાન્ટ દેશના પૂર્વીય ભાગોમાં છે ત્યાંથી બીજાં રાજ્યોમાં ઑક્સિજન પહોંચાડવા માટે પણ અનેક દિવસો લાગે છે. દેશ સામે આવેલા આ પડકારમાં દેશની મદદ કરી, ક્રાયૉજેનિક ટૅન્કર ચલાવનારા ડ્રાઇવરોએ, ઑક્સિજન ઍક્સ્પ્રેસે, વાયુ દળના પાઇલૉટોએ. એવા અનેક લોકોએ યુદ્ધ સ્તર પર કામ કરીને હજારો-લાખો લોકોનું જીવન બચાવ્યું. આજે ‘મન કી બાત’માં આપણી સાથે આવા જ એક સાથી જોડાઈ રહ્યા છે- ઉત્તર પ્રદેશના જૌનપુરમાં રહેતા શ્રીમાન દિનેશ ઉપાધ્યાય જી....
મોદી જી- દિનેશજી, નમસ્કાર.
દિનેશ ઉપાધ્યાય જી- સર જી, પ્રણામ.
મોદીજી- સૌથી પહેલાં તો હું ઈચ્છીશ કે તમે જરા તમારા વિશે અમને જરૂર જણાવો.
દિનેશ ઉપાધ્યાય જી- સર, મારું નામ દિનેશ બાબુલનાથ ઉપાધ્યાય છે. હું ગામ હસનપુર, પૉસ્ટ જમુઆ, જિલ્લા જૌનપુરનો નિવાસી છું, સર.
મોદીજી-ઉત્તર પ્રદેશના છો?
દિનેશ- હા. હા. સર.
મોદીજી- જી
દિનેશ- અને સર, મારે એક દીકરો છે, બે દીકરી અને પત્ની તેમજ માતાપિતા.
મોદીજી- અને, તમે શું કરો છો?
દિનેશજી-સર, હું ઑક્સિજન ટૅન્કર ચલાવું છું, સર... પ્રવાહી ઑક્સિજનનું.
મોદીજી- બાળકોનો અભ્યાસ બરાબર થઈ રહ્યો છે ને?
દિનેશ- હા સર. બાળકોનો અભ્યાસ ચાલી રહ્યો છે. દીકરીઓ પણ ભણી રહી છે, બંને અને મારો દીકરો પણ ભણી રહ્યો છે.
મોદીજી- આ ઑનલાઇન ભણતર પણ બરાબર ચાલે છે ને, તેમનું?
દિનેશ- હા સર, સારી રીતે કરી રહ્યા છે. અત્યારે મારી દીકરીઓ ભણી રહી છે. ઑનલાઇનમાં જ ભણી રહી છે સર. સર, ૧૫થી ૧૭ વર્ષ થઈ ગયા સર, હું ઑક્સિજન ટૅન્કર ચલાવું છું, સર.
મોદીજી- અચ્છા! તમે આ ૧૫-૧૭ વર્ષથી માત્ર ઑક્સિજન લઈને જાવ છો તો ટ્રક ડ્રાઇવર નથી. તમે એક રીતે લાખોનું જીવન બચાવવામાં લાગેલા છો.
દિનેશ- સર, અમારું કામ જ એવું છે સર, ઑક્સિજન ટૅન્કરનું કે અમારી જે કંપની છે INOX કંપની તે પણ અમારા લોકોનું બહુ ધ્યાન રાખે છે અને અમે લોકો ક્યાંય પણ જઈને ઑક્સિજન ખાલી કરીએ તો અમને બહુ આનંદ થાય છે, સર.
મોદીજી- પરંતુ અત્યારે કોરોનાના સમયમાં તમારી જવાબદારી ઘણી વધી ગઈ છે.
દિનેશ- હા સર, ઘણી વધી ગઈ છે.
મોદી જી- જ્યારે તમે ટ્રકની ડ્રાઇવિંગ સીટ પર બેસો છો તો તમારા મનમાં શું ભાવ હોય છે? પહેલાંની સરખામણીમાં શું અલગ અનુભવ? ઘણું દબાણ પણ રહેતું હશે. માનસિક તણાવ પણ રહેતો હશે. પરિવારની ચિંતા, કોરોના અથવા વાતાવરણ, લોકોની તરફથી દબાણ, માગણીઓ. શું-શું થતું હશે?
દિનેશ- સર અમને કોઈ ચિંતા નથી થતી. અમને ખાલી એ જ થાય છે કે અમારે અમારું જે કર્તવ્ય નિભાવવાનું છે, સરજી, તે અમે ટાઇમ પર લઈને જો અમારા ઑક્સિજનથી કોઈને જીવન મળે છે તો તે અમારા માટે બહુ ગૌરવની વાત છે.
મોદીજી- બહુ ઉત્તમ રીતે તમે તમારી ભાવના વ્યક્ત કરી રહ્યા છો. ચાલો એ કહો કે આજે આ રોગચાળાના સમયમાં તમારા કામના મહત્ત્વને જોઈએ છીએ, જે કદાચ પહેલાં આટલું નહીં સમજ્યા હોય, હવે સમજી રહ્યા છીએ તો શું તમારા અને તમારા કામ પ્રત્યે તેમના દૃષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું છે?
દિનેશ- હા સરજી. થોડા સમય પહેલાં અમે ઑક્સિજનના ડ્રાઇવર ક્યાંય પણ જામમાં આમતેમ ફસાયેલા રહેતા હતા, પરંતુ આજની તારીખમાં તંત્રના લોકોએ પણ અમારા લોકોની ઘણી મદદ કરી. અને જ્યાં પણ અમે જઈએ છીએ તો અમે પણ અમારી અંદર જિજ્ઞાસા આવી જાય છે, અમે કેટલી ઝડપથી પહોંચીને લોકોનો જીવ બચાવીએ, સર. પછી ભલે ભોજન મળે કે ન મળે, કંઈ પણ તકલીફ પડે પરંતુ અમે હૉસ્પિટલ પહોંચીએ છીએ જ્યારે ટૅન્કર લઈને અને જોઈએ છીએ કે હૉસ્પિટલવાળા અમને vનો ઈશારો કરે છે, તેમના પરિવારના લોકો જેમના ઘરના લોકો અંદર દાખલ હોય છે.
મોદીજી- અચ્છા, વિક્ટરીનો વી બતાવે છે?
દિનેશ- હા સર. વી બતાવે છે, કોઈ અંગૂઠો બતાવે છે. અમને બહુ જ શાંતિ મળે છે અમારા જીવનમાં કે અમે કોઈ સારું કામ જરૂર કર્યું છે કે મને આવી સેવા કરવાનો અવસર મળ્યો છે.
મોદીજી- બધો થાક ઉતરી જતો હશે...
દિનેશ- હા સર. હા સર.
મોદીજી- તો ઘર આવીને બાળકોને બધી વાતો કરો છો તમે?
દિનેશ – ના સર. બાળકો તો અમારા ગામમાં રહે છે. અમે તો અહીં INOX Air productમાં , હું ડ્રાઇવરી (ડ્રાઇવર તરીકે) કરું છું. ૮-૯ મહિના પછી ત્યારે ઘર જઉં છું.
મોદીજી- તો ક્યારેક ફૉન પર બાળકો સાથે વાતો કરતા હશો ને?
દિનેશ- હા સર. નિયમિત થાય છે.
મોદીજી- તો તેમના મનમાં થતું હશે પિતાજી જરા સંભાળો આવા સમયે?
દિનેશ-સર જી, તે લોકો કહે છે કે પાપા કામ કરો, પરંતુ તમારી સુરક્ષા સાથે કરો અને અમે લોકો સર, સુરક્ષા સાથે કામ કરીએ છીએ. અમારો માનગાંવ પ્લાન્ટ પણ છે. INOX અમારા લોકોની ઘણી મદદ કરે છે.
મોદીજી- ચાલો. દિનેશજી, મને ઘણું સારું લાગ્યું. તમારી વાતો સાંભળીને અને દેશને પણ લાગશે કે આ કોરોનાની લડાઈમાં કેવા-કેવા લોકો કેવી-કેવી રીતે, કામ કરી રહ્યા છે. તમે નવ-નવ મહિના સુધી તમારાં બાળકોને નથી મળતાં. પરિવારને નથી મળતાં કારણકે માત્ર લોકોનો જીવન બચી જાય. જ્યારે દેશ આ સાંભળશે તો દેશને ગર્વ થશે કે લડાઈ આપણે જીતીશું કારણકે દિનેશ ઉપાધ્યાય જેવા લાખો લોકો આપણી સાથે છે જે પૂરી તાકાતથી લાગેલા છે.
દિનેશ- સર જી. આપણે લોકો કોરોનાને કોઈ ને કોઈ દિવસે જરૂર હરાવીશું, સરજી.
મોદીજી- ચાલો, દિનેશજી, તમારી ભાવનાઓ એ જ તો દેશની તાકાત છે. બહુ બહુ ધન્યવાદ દિનેશજી. અને તમારા બાળકોને મારા આશીર્વાદ કહેશો.
દિનેશ- ઠીક છે, સર. પ્રણામ.
મોદીજી- ધન્યવાદ.
દિનેશ- પ્રણામ. પ્રણામ.
મોદીજી- ધન્યવાદ.
સાથીઓ, દિનેશજી જેમ કહી રહ્યા હતા ખરેખર જ્યારે એક ટૅન્કર ડ્રાઇવર ઑક્સિજન લઈને હૉસ્પિટલ પહોંચે છે તો ઈશ્વરે મોકલેલા દૂત જ લાગે છે. આપણે સમજી શકીએ છીએ કે આ કામ જવાબદારીવાળું હોય છે અને તેમાં કેટલું માનસિક દબાણ પણ હોય છે.
સાથીઓ, પડકારના આ સમયમાં, ઑક્સિજનના પરિવહનને સરળ કરવા માટે ભારતીય રેલવે પણ આગળ આવ્યું છે. ઑક્સિજન ઍક્સ્પ્રેસ, ઑક્સિજન રેલવેએ સડક પર ચાલનારા ઑક્સિજન ટૅન્કરથી અનેક ગણી વધુ ઝડપથી, અનેક ગણી વધુ પ્રમાણમાં, ઑક્સિજન દેશના ખૂણે-ખૂણામાં પહોંચાડ્યો છે. માતાઓ અને બહેનોને એ જાણીને ગર્વ થશે કે એક ઑક્સિજન ઍક્સ્પ્રેસ તો પૂરી રીતે મહિલાઓ જ ચલાવી રહી છે. દેશની દરેક નારીને આ વાતનો ગર્વ થશે. એટલું જ નહીં, દરેક હિન્દુસ્તાનીને ગર્વ થશે. મેં ઑક્સિજન ઍક્સ્પ્રેસની એક લૉકૉ-પાઇલૉટ શિરિષા ગજનીજીને ‘મન કી બાત’માં આમંત્રિત કર્યાં છે.
મોદીજી-શિરિષાજી, નમસ્તે.
શિરિષા- નમસ્તે સર. કેમ છો સર?
મોદીજી- હું બહુ સારો છું. શિરિષાજી, મેં સાંભળ્યું છે કે તમે તો રેલવે પાઇલૉટના રૂપમાં કામ કરી રહ્યાં છો અને મને કહેવામાં આવ્યું કે તમારી મહિલાઓની આખી ટોળી આ ઑક્સિજન ઍક્સ્પ્રેસને ચલાવી રહી છે. શિરિષાજી, તમે ખૂબ જ શાનદાર કામ કરી રહ્યાં છો. કોરોના કાળમાં તમારી જેમ અનેક મહિલાઓએ આગળ આવીને કોરોના સામે લડવામાં દેશને તાકાત આપી છે. તમે પણ નારી શક્તિનું એક મોટું ઉદાહરણ છો. પરંતુ દેશ જાણવા માગશે, હું જાણવા માગું છું કે તમને આ પ્રેરણા ક્યાંથી મળે છે?
શિરિષા- સર, મને પ્રેરણા મારાં માતાપિતાથી મળે છે, સર. મારા પિતાજી સરકારી કર્મચારીછે. ખરેખર તો મારે બે મોટી બહેન છે. અમે ત્રણ બહેનો છીએ પરંતુ મારા પિતાજી અમને કામ કરવા માટે ઘણું પ્રોત્સાહન આપે છે. મારી સૌથી મોટી બહેન સરકારી બૅન્કમાં નોકરી કરે છે અને હું રેલવેમાં છું. મારાં માતાપિતા મને પ્રોત્સાહન આપે છે.
મોદીજી- અચ્છા શિરિષાજી, તમે સામાન્ય દિવસોમાં પણ રેલવેને તમારી સેવાઓ આપી છે. ટ્રેનને સ્વાભાવિક ચલાવી છે પરંતુ જ્યારે આ એક તરફ ઑક્સિજનની આટલી માગણી અને જ્યારે તમે ઑક્સિજનને લઈને જઈ રહ્યા છો તો થોડું જવાબદારીભર્યું કામ રશે, થોડી વધુ જવાબદારી હશે? સામાન્ય માલને લઈ જવી અલગ વાત છે, ઑક્સિજન તો બહુ નાજુક હોય છે આ ચીજો, તો શું અનુભવ થયો હતો?
શિરિષા- મને આનંદની લાગણી થઈ આ કામ કરવા માટે. ઑક્સિજન સ્પેશિયલ દેવાના સમયે બધું તપાસી લઈએ, સુરક્ષાની રીતે, ફૉર્મેશનની રીતે, કોઈ લીકેજ તો નથી ને. તે ઉપરાંત ભારતીય રેલવે પણ ઘણી મદદરૂપ છે સર. આ ઑક્સિજન ચલાવવા માટે મને લીલો માર્ગ આપ્યો, આ ગાડી ચલાવવા માટે ૧૨૫ કિલોમીટર અંતર દોઢ કલાકમાં કપાઈ ગયું. આટલી જવાબદારી રેલવેએ પણ ઉપાડી, મેં પણ ઉપાડી, સર.
મોદીજી- વાહ. ચાલો, શિરિષાજી, હું તમને ઘણા અભિનંદન આપું છું અને તમારા પિતાજી- માતાજીને વિશેષ રૂપે પ્રણામ કરું છું જેમણે ત્રણેય દીકરીઓને આટલી પ્રેરણા આપી અને તેમને આગળ વધારી અને આ પ્રકારની હિંમત આપી છે. અને હું સમજું છું કે આવાં માતાપિતાને પણ પ્રણામ અને તમે બધી બહેનોને પણ પ્રણામ જેમણે આ રીતે દેશની સેવા પણ કરી અને જુસ્સો પણ બતાવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ શિરિષાજી.
શિરિષા- ધન્યવાદ સર. આભાર સર. તમારા આશીર્વાદ જોઈએ છે સર મને.
મોદીજી- બસ, પરમાત્માના આશીર્વાદ તમારા પર સદા રહે, તમારાં માતાપિતાના આશીર્વાદ પણ સદા રહે. ધન્યવાદજી.
શિરિષા- ધન્યવાદ સર.
સાથીઓ, આપણે હમણાં શિરિષાજીની વાત સાંભળી. તેમના અનુભવ, પ્રેરણા પણ આપે છે, ભાવુક પણ કરે છે. વાસ્તવમાં આ લડાઈ એટલી મોટી છે કે તેમાં રેલવેની જેમ આપણો દેશ, જળ, સ્થળ, નભ, ત્રણેય માર્ગે કામ કરી રહ્યો છે. એક તરફ ખાલી ટૅન્કરને વાયુ દળનાં વિમાનો દ્વારા ઑક્સિજન પ્લાન્ટ સુધી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે, બીજી તરફ નવા ઑક્સિજન પ્લાન્ટ બનાવવાનું કામ પણ પૂરું કરવામાં આવી રહ્યું છે. સાથે જ વિદેશોથી ઑક્સિજન, ઑક્સિજન કન્સન્ટ્રેટર અને ક્રાયૉજેનિક ટૅન્કરો પણ દેશમાં લાવવામાં આવી રહ્યાં છે. આથી, તેમાં નૌ સેના પણ લાગી, વાયુ દળ પણ લાગ્યું, ભૂમિ દળ પણ લાગ્યું અને ડીઆરડીઓ જેવી આપણી સંસ્થા પણ લાગેલી છે. આપણા અનેક વૈજ્ઞાનિકો, ઉદ્યોગના નિષ્ણાતો અને ટૅક્નિશિયનો પણ યુદ્ધ સ્તર પર કામ કરી રહ્યા છે. તે બધાંના કામને જાણવાની, સમજવાની જિજ્ઞાસા બધા દેશવાસીઓના મનમાં છે આથી, આપણી સાથે આપણી વાયુ સેનાના ગ્રૂપ કેપ્ટન પટનાયકજી જોડાઈ રહ્યા છે.
મોદીજી- પટનાયકજી, જય હિન્દ.
ગ્રૂપ કેપ્ટન-સર, જય હિન્દ. સર હું ગ્રૂપ કેપ્ટન એ. કે. પટનાયક છું. વાયુ સેનાના સ્ટેશન હિંડનથી વાત કરું છું.
મોદીજી- પટનાયકજી, કોરોના સાથે લડાઈ દરમિયાન તમે ઘણી મોટી જવાબદારી સંભાળી રહ્યા છો. દુનિયાભરમાં જઈને ટૅન્કર લાવવું, ટૅન્કર અહીં પહોંચાડવું. હું જાણવા માગું છું કે એક સૈનિક તરીકે એક અલગ પ્રકારનું કામ તમે કર્યું છે. મરવું-મારવા માટે દોડવાનું રહે છે, આજે તમે જિંદગી બચાવવા માટે દોડી રહ્યા છો. કેવો અનુભવ થઈ રહ્યો છે?
ગ્રૂપ કેપ્ટન- સર, આ સંકટના સમયમાં આપણા દેશવાસીઓની મદદ કરી શકીએ છીએ તે અમારા માટે ઘણું જ સૌભાગ્યનું કામ છે સર અને આ જે પણ અમને મિશન મળેલા છે અમે બખૂબી તેને નિભાવી રહ્યા છીએ. અમારી ટ્રેનિંગ અને સપૉર્ટ સર્વિસ જે છે, અમારી પૂરી મદદ કરી રહી છે અને સૌથી મોટી ચીજ છે સર, તેમાં જે અમને કામનો સંતોષ મળી રહ્યો છે તે ખૂબ જ ઉચ્ચ સ્તરનો છે અને તેના કારણે અમે સતત ઑપરેશન કરી શકીએ છીએ.
મોદીજી- કેપ્ટન, તમે આ દિવસોમાં જે જે પ્રયાસ કર્યા છે અને તે પણ ઓછામાં ઓછા સમયમાં બધું કરવું પડ્યું છે. તેમાં હવે આ દિવસોમાં શું કર્યું તમે?
ગ્રૂપ કેપ્ટન- સર, ગત એક મહિનામાં અમે સતત ઑક્સિજન ટૅન્કર અને લિક્વિડ ઑક્સિજન કન્ટેઇનર, ડૉમેસ્ટિક ડેસ્ટિનેશન અને આંતરરાષ્ટ્રીય સ્થળ બંનેથી ઉઠાવી રહ્યા છીએ સર. લગભગ ૧,૬૦૦ સૉર્ટિઝથી વધુ વાયુ દળ કરી ચૂક્યું છે અને ૩,૦૦૦થી વધુ કલાક અમે ઊડી ચૂક્યા છીએ. લગભગ ૧૬૦ આંતરરાષ્ટ્રીય મિશન કરી ચૂક્યા છીએ. જે રીતે અમે દરેક જગ્યાએથી ઑક્સિજન ટૅન્કર જે પહેલાં અથવા ઘરેલુમાં બેથી ત્રણ દિવસ લાગતા હતા, અમે તેને ૨થી ૩ કલાકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ સર અને આંતરરાષ્ટ્રીય મિશનમાં પણ ૨૪ કલાકની અંદર દિવસ-રાત સતત કામગીરી કરીને, સમગ્ર વાયુ દળ તેમાં લાગેલું છે કે જેટલી ઝડપથી બની શકે આપણે એટલા વધુ ટૅન્કર લાવી શકીએ અને દેશની મદદ કરી શકીએ, સર.
મોદીજી- કેપ્ટન, તમને આંતરરાષ્ટ્રીયમાં અત્યારે ક્યાં ક્યાં દોડવું- ભાગવું પડ્યું?
ગ્રૂપ કેપ્ટન- સર, ટૂંકી નૉટિસમાં અમારે સિંગાપુર, દુબઈ, બેલ્જિયમ, જર્મની અને યુ.કે. આ બધી જગ્યાઓમાં ભારતીય વાયુ સેનાના અલગ-અલગ ફ્લીટ, સર, આઈએલ-૭૬, સી-૧૭ અને બાકી ઘણાં વિમાનો ગયાં હતાં સી-૧૩૦ જે ખૂબ જ ટૂંકી નૉટિસમાં આ મિશનનું પ્લાન કરીને. અમારી ટ્રેનિંગ અને જોશના કારણે અમે સમયસર આ મિશનને પૂરું કરી શક્યા સર.
મોદીજી- જુઓ, આ વખતે દેશ ગર્વ અનુભવ કરે છે કે જળ હોય, સ્થળ હોય, નભ હોય, આપણા બધા જવાન આ કોરોનાની સામે લડાઈમાં લાગેલા છે અને કેપ્ટન તમે પણ ઘણી મોટી જવાબદારી નિભાવી છે તો હું તમને પણ ઘણા અભિનંદન આપું છું.
ગ્રૂપ કેપ્ટન- સર, ઘણો બધો આભાર, સર. અમે પૂરી કોશિશમાં પૂરી તાકાતથી લાગેલા છીએ અને મારી દીકરી પણ મારી સાથે છે સર, અદિતિ.
મોદીજી- અરે વાહ.
અદિતિ-નમસ્તે મોદીજી.
મોદીજી- નમસ્તે, બેટી નમસ્તે. અદિતિ, તમે કેટલાં વર્ષનાં છો?
અદિતિ- હું ૧૨ વર્ષની છું અને હું આઠમા ધોરણમાં ભણું છું
મોદીજી- તો આ પિતાજી બહાર જાય છે, ગણવેશમાં રહે છે.
અદિતિ- હા, તેમના માટે મને બહુ ગર્વ થાય છે, ઘણું ગૌરવ અનુભવું છું કે તેઓ આટલું બધું મહત્ત્વપૂર્ણ કામ કરી રહ્યા છે. જે બધા કોરોના પીડિત લોકો છે તેમની મદદ આટલી બધી કરી રહ્યા છે અને આટલા બધા દેશોથી ઑક્સિજન ટૅન્કર લાવી રહ્યા છે, કન્ટેઇનર લાવી રહ્યા છે.
મોદીજી- પરંતુ દીકરી તું પાપાને બહુ મિસ કરે છે ને?
અદિતિ- હા, ઘણા મિસ કરું છું. તેઓ આજકાલ વધુ ઘર પર રહી પણ નથી શકતા કારણકે આટલી બધી આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં જઈ રહ્યા છે અને કન્ટેઇનર અને ટૅન્કર તેમના પ્રૉડક્શન પ્લાન્ટ સુધી પહોંચાડી રહ્યા છે જેથી જે કોરોના પીડિત લોકો છે તેમને સમયસર ઑક્સિજન મળી શકે અને તેમનો જીવ બચી શકે.
મોદીજી- તો બેટા, આ જે ઑક્સિજનના કારણે લોકોનો જીવ બચાવવાનું કામ તો હવે ઘર-ઘરમાં લોકોને ખબર પડી છે.
અદિતિ- હા.
મોદીજી- જ્યારે તમારા મિત્રવર્તુળના તારા સાથી વિદ્યાર્થીઓ જાણતા હશે કે તારા પિતાજી ઑક્સિજનની સેવામાં લાગેલા છે, તો તારા પ્રત્યે ઘણા આદરથી જોતા હશે તે લોકો?
અદિતિ- હા, મારા બધા મિત્રો પણ કહે છે કે તારા પાપા આટલું બધું અગત્યનું કામ કરી રહ્યા છે અને તને પણ ઘણો ગર્વ થતો હશે અને ત્યારે મને પણ આટલો બધો ગર્વ થાય છે. અને મારો જે આખો પરિવાર છે, મારાં નાના-નાની, દાદી, બધાં જ લોકોને પાપા પર ગર્વ થાય છે, મારી મમ્મી અને એ લોકો પણ ડૉક્ટર છે, તે લોકો પણ દિવસ-રાત કામ કરી રહ્યા છે અને બધાં સૈન્ય દળો, મારા પાપાના બધા સ્કવૉડ્રનના અંકલો અને બધાં જે દળો છે બધા લોકો, આખી સેના બહુ કામ કરે છે અને મને વિશ્વાસ છે કે બધાના પ્રયાસોની સાથે આપણે લોકો કોરોના સામે આ લડાઈ જરૂર જીતશું.
મોદીજી- આપણે ત્યાં કહેવાય છે કે દીકરી જ્યારે બોલે છે ને, તો તેના શબ્દોમાં સરસ્વતી બિરાજમાન થાય છે અને જ્યારે અદિતિ બોલી રહી છે કે આપણે જરૂર જીતીશું તો એક રીતે તે ઈશ્વરની વાણી બની જાય છે. અચ્છા અદિતિ, અત્યારે તો ઑનલાઇન ભણતી હોઈશ ને?
અદિતિ-હા, અત્યારે તો અમારા બધા ઑનલાઇન વર્ગો ચાલી રહ્યા છે અને અત્યારે અમે લોકો ઘરમાં બધાં પૂરી સાવધાની લઈ રહ્યાં છીએ અને ક્યાંય પણ બહાર જવું હોય તો પછી, ડબલ માસ્ક પહેરીને અને બધું જ, બધી સાવધાનીઓ અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવીને કરી રહ્યાં છીએ, બધી ચીજોનું ધ્યાન રાખી રહ્યાં છીએ.
મોદીજી- સારૂં બેટા, તને શેનો-શેનો શોખ છે? શું પસંદ છે?
અદિતિ- મારો શોખ છે કે હું સ્વિમિંગ અને બાસ્કેટ બોલ રમું છું પરંતુ અત્યારે તો તે થોડું બંધ થઈ ગયું છે અને આ લૉકડાઉન અને કોરોના વાઇરસ દરમિયાન મેં બૅકિંગ અને કૂકિંગનો મને ખૂબ જ શોખ છે અને હું અત્યારે બૅકિંગ અને કૂકિંગ કરીને જ્યારે પાપા આટલું બધું કામ કરીને આવે છે તો હું તેમના માટે કૂકિઝ અને કેક બનાવું છું.
મોદીજી- વાહ, વાહ, વાહ. ચાલ બેટા, બહુ દિવસો પછી તને પાપા સાથે રહેવાનો સમય મળ્યો છે. ઘણું સારું લાગ્યું અને કેપ્ટન તમને પણ હું ઘણા અભિનંદન આપું છું પરંતુ જ્યારે હું કેપ્ટનને અભિનંદન આપું છું તેનો અર્થ માત્ર તમને જ નહીં, આપણાં બધાં દળો, નૌ સેના, ભૂમિ દળ, વાયુ સેના જે રીતે બચાવ કાર્યમાં લાગેલા છે, હું બધાને, બધાને વંદન કરું છું. ધન્યવાદ ભાઈ.
ગ્રૂપ કેપ્ટન, આભાર સર.
સાથીઓ, આપણા આ જવાનોએ, આ યૌદ્ધાઓએ જે કામ કર્યું છે, તેના માટે દેશ તેમને વંદન કરે છે. આ રીતે લાખો લોકો દિવસ-રાત લાગેલા છે. જે કામ તેઓ કરી રહ્યા છે તે તેમના દિન-પ્રતિદિન કામનો હિસ્સો નથી. આ પ્રકારની આપત્તિ તો દુનિયામાં સો વર્ષ પછી આવી છે. એક સદી પછી આટલું મોટું સંકટ! આથી, આ પ્રકારના કામનો કોઈ પાસે કોઈ પણ અનુભવ નહોતો. તેની પાછળ દેશસેવાનો જે જુસ્સો છે અને એક સંકલ્પ શક્તિ છે. તેનાથી દેશે એ કામ કર્યું છે જે પહેલાં ક્યારેય નથી થયું. તમે અંદાજ લગાવી શકો છો, સામાન્ય દિવસોમાં આપણે ત્યાં એક દિવસમાં ૯૦૦ મેટ્રિક ટન પ્રવાહી મેડિકલ ઑક્સિજનનું ઉત્પાદન થતું હતું. હવે તે ૧૦ ગણાથી પણ વધુ વધીને લગભગ ૯,૫૦૦ મેટ્રિક ટન પ્રતિ દિન ઉત્પાદન થઈ રહ્યું છે. આ ઑક્સિજનને આપણા યૌદ્ધાઓ દેશના ખૂણે-ખૂણે પહોંચાડી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, ઑક્સિજન પહોંચાડવા માટે દેશમાં આટલા બધા પ્રયાસ થયા, આટલા બધા લોકો જોડાયા, એક નાગરિક તરીકે આ બધાં કાર્યો પ્રેરણા દે છે. એક ટીમ બનાવીને દરેકે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. મને બેંગ્લુરુથી ઊર્મિલાજીએ કહ્યું છે કે તેમના પતિ લેબ ટૅક્નિશિયન છે અને એમ પણ કહ્યું છે કે આટલા પડકાર વચ્ચે સતત ટેસ્ટિંગનું કામ તેઓ કેવી રીતે કરતા રહ્યા.
સાથીઓ, કોરોનાની શરૂઆતમાં દેશમાં માત્ર એક જ ટેસ્ટિંગ લેબ હતી, પરંતુ આજે અઢી હજારથી વધુ લેબ કામ કરી રહી છે. શરૂઆતમાં થોડા સેંકડો ટેસ્ટ એક દિવસમાં થઈ શકતા હતા, હવે ૨૦ લાખથી વધુ ટેસ્ટ એક દિવસમાં થવા લાગ્યા છે. અત્યાર સુધી દેશમાં ૩૩ કરોડથી વધુ નમૂનાઓની તપાસ થઈ ચૂકી છે. આ આટલું મોટું કામ આ સાથીઓના કારણે જ સંભવ થઈ રહ્યું છે. અનેક અગ્ર હરોળના કામદારો નમૂના એકત્ર કરવાના કામમાં લાગેલા છે. ચેપી દર્દીઓ વચ્ચે જવું, તેમના નમૂના લેવા, આ કેટલી સેવાનું કામ છે. પોતાના બચાવ માટે આ સાથીઓને આટલી ગરમીમાં પણ સતત પીપીઇ કિટ પહેરી રાખવી પડે છે. તે પછી તે નમૂનો લેબમાં પહોંચે છે. આથી, જ્યારે હું તમારા બધાના સૂચનો અને પ્રશ્નો વાંચી રહ્યો હતો તો મેં નક્કી કર્યું કે આપણા આ સાથીઓની પણ ચર્ચા અવશ્ય થવી જોઈએ. તેમના અનુભવોમાંથી આપણને પણ ઘણું જાણવાનું મળશે. તો આવો, દિલ્લીમાં એક લેબ ટૅક્નિશિયન તરીકે કામ કરનારા આપણા સાથી પ્રકાશ કાંડપાલજી સાથે વાત કરીએ.
મોદીજી- પ્રકાશજી, નમસ્કાર.
પ્રકાશજી- નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રીજી.
મોદીજી- પ્રકાશજી, સૌ પહેલાં તો તમે ‘મન કી બાત’ના આપણા બધા શ્રોતાઓને પોતાના વિશે જણાવો. તમે કેટલા સમયથી આ કામ કરી રહ્યા છો અને કોરોનાના સમયે તમને કેવો અનુભવ રહ્યો કારણકે દેશના લોકોને આ પ્રકારથી તમે ન ટીવી પર દેખાઓ છો, ન અખબારમાં દેખાવો છો. તેમ છતાં એક ઋષિની જેમ લેબમાં રહીને કામ કરી રહ્યા છો. તો હું ઈચ્છીશ કે તમે જ્યારે કહેશો તો દેશવાસીઓને પણ જાણકારી મળશે કે દેશમાં કેવી રીતે કામ થઈ રહ્યું છે.
પ્રકાશજી- હું દિલ્લી સરકારની સ્વાયત્ત સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર ઍન્ડ બિલિયરી સાયન્સીસ નામની હૉસ્પિટલમાં ગત દસ વર્ષથી લેબ ટૅક્નિશિયન તરીકે કાર્યરત છું. મારો સ્વાસ્થ્ય ક્ષેત્રનો અનુભવ ૨૨ વર્ષનો છે. આઈએલબીએસથી પહેલાં હું દિલ્લીની એપોલો હૉસ્પિટલ, રાજીવ ગાંધી કેન્સર હૉસ્પિટલ, રૉટરી બ્લડ બૅન્ક જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કામ કરી ચૂક્યો છું. સર, જોકે બધી જગ્યાએ મેં રક્ત કોષ વિભાગમાં મારી સેવાઓ આપી, પરંતુ ગત વર્ષે ૧ એપ્રિલ ૨૦૨૦થી હું આઈએલબીએસના વાયરૉલૉજી ડિપાર્ટમેન્ટ હેઠળ કૉવિડ ટેસ્ટિંગ લેબમાં કામ કરી રહ્યો છું. નિઃસંદેહ, કૉવિડ રોગચાળામાં સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત બધાં સાધનો-સંસાદનો પર ઘણું દબાણ આવ્યું, પરંતુ હું આ સંઘર્ષના યુગમાં અંગત રીતે આમાં એવો અવસર માનું છું કે જ્યારે રાષ્ટ્ર, માનવતા, સમાજ આપણી પાસે વધુ ઉત્તરદાયિત્વ, સહયોગ, આપણી પાસે વધુ સામર્થ્ય અને આપણી પાસે વધુ ક્ષમતાના પ્રદર્શનની અપેક્ષા રાખતો હોય અને આશા કરતો હોય. અને સર, જ્યારે આપણે રાષ્ટ્રની, માનવતાની, સમાજની અપેક્ષા અને આશાને અનુરૂપ પોતાના સ્તર પર જે એક બુંદ બરાબર છે, આપણે તેના પર કામ કરીએ છીએ, ખરા ઉતરીએ છીએ તો એક ગૌરવની અનુભૂતિ થાય છે. ક્યારેક જ્યારે આપણા ઘરના લોકો પણ આશંકિત હોય છે અથવા તેમને થોડો ભય લાગે છે તો આવા અવસર પર તેમને સ્મરણ કરાવું છું કે આપણા દેશના જવાન કે જે સદૈવ પોતાના પરિવારથી દૂર સીમાઓ પર વિષમ અને અસામાન્ય પરિસ્થિતિઓમાં દેશની રક્ષા કરી રહ્યા છે તેમની સરખામણીમાં તો અમારું જે જોખમ છે તે ઘણું ઓછું છે. તો તેઓ પણ આ બાબતને સમજે છે અને મારી સાથે એક રીતે તેઓ પણ સહયોગ કરે છે અને તેઓ પણ આ આપત્તિમાં સમાન રૂપે જે પણ સહયોગ છે તેમાં પોતાની સહયોગિતા આપે છે.
મોદીજી- પ્રકાશજી, એક રીતે સરકાર બધાને કહી રહી છે કે અંતર રાખો- અંતર રાખો, કોરોનામાં એકબીજાથી દૂર રહો. અને તમારે તો સામેથી જ કોરોનાના જીવાણુઓ વચ્ચે રહેવું જ પડે છે, સામેથી જવું પડે છે. તો આ પોતાની રીતે એક જિંદગીને સંકટમાં નાખનારો મામલો છે તો પરિવારને ચિંતા થવી બહુ સ્વાભાવિક છે. પરંતુ છતાં આ લેબ ટૅક્નિશિયનનું કામ સામાન્ય સંજોગોમાં એક છે અને આવી રોગચાળાની સ્થિતિમાં બીજું છે અને તે તમે કરી રહ્યા છો. તો કામના કલાકો પણ ઘણા વધી ગયા હશે. રાત-રાત લેબમાં વિતાવવી પડતી હશે. કારણકે આટલા કરોડો લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે તો બોજો પણ વધી ગયો હશે. પરંતુ પોતાની સુરક્ષા માટે આ સાવધાની રાખો છો કે નથી રાખતા?
પ્રકાશજી- બિલકુલ રાખીએ છીએ સર. અમારી આઈએલબીએસની જે લેબ છે, તે ‘હૂ’ (WHO)થી માન્યતા પ્રાપ્ત છે. તો જે બધા પ્રૉટોકોલ છે તે આંતરરાષ્ટ્રીય ધોરણોના છે, અમે ત્રિસ્તરીય જે અમારો પોશાક છે તેમાં અમે જઈએ છીએ લેબમાં, અને તેમાં જ અમે કામ કરીએ છીએ. અને ત્યારબાદ તેના નિકાલનું, લેબલ લગાવવાનું અને તેના ટેસ્ટિંગનો એક આખો પ્રૉટોકોલ છે અને તે પ્રૉટોકોલ હેઠળ કામ કરીએ છીએ. તો સર, એ પણ ઈશ્વરની કૃપા છે કે મારો પરિવાર અને મારા ઓળખીતા મોટા ભાગના જે અત્યારે સુધી આ ચેપથી બચેલા છે. તો એક વાત છે કે જો તમે સાવધાની રાખો અને સંયમ રાખો તો તમે થોડા ઘણા તેનાથી બચીને રહી શકો છો.
મોદીજી- પ્રકાશજી, તમારા જેવા હજારો લોકો ગયા એક વર્ષમાં લેબમાં બેઠા રહ્યા અને આટલી તસદી લઈ રહ્યા છો. આટલા લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છો. જે દેશ આજે જાણી રહ્યો છે. પરંતુ પ્રકાશજી, હું તમારા માધ્યમથી તમારા વ્યવસાયના બધા સાથીઓનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું. અને તમે સ્વસ્થ રહો. તમારો પરિવાર સ્વસ્થ રહે. મારી ઘણી બધી શુભકામનાઓ છે.
પ્રકાશજી- ધન્યવાદ પ્રધાનમંત્રીજી. હું તમારો ઘણો-ઘણો આભારી છું કે તમે મને આ અવસર આપ્યો.
મોદીજી- ધન્યવાદ ભાઈ.
સાથીઓ, એક રીતે વાત તો મેં ભાઈ પ્રકાશજી સાથે કરી છે, પરંતુ તેમની વાતોમાં હજારો લેબ ટૅક્નિશિયનોની સેવાની સુગંધ આપણા સુધી પહોંચી રહી છે. આ વાતોમાં હજારો-લાખો લોકોનો સેવાભાવ તો દેખાય જ છે, આપણને બધાને પોતાની જવાબદારીનો બોધ પણ થાય છે. જેટલી મહેનત અને લગનથી ભાઈ પ્રકાશજી જેવા આપણા સાથી કામ કરી રહ્યા છે, એટલી જ નિષ્ઠાથી તેમનો સહયોગ, કોરોનાને હરાવવામાં ઘણી મદદ કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં આપણે આપણા ‘કોરોના યૌદ્ધાઓ’ની ચર્ચા કરી રહ્યા હતા. છેલ્લા દોઢ વર્ષમાં આપણે તેમનું ઘણું સમર્પણ અને પરિશ્રમ જોયો છે. પરંતુ આ લડાઈમાં બહુ મોટી ભૂમિકા દેશનાં અનેક ક્ષેત્રોના અનેક યૌદ્ધાઓની પણ છે. તમે વિચારો, આપણા દેશ પર આટલું મોટું સંકટ આવ્યું, તેની અસર દેશની દરેક વ્યવસ્થા પર પડી. કૃષિ વ્યવસ્થાએ પોતાને આ હુમલાથી ઘણી હદ સુધી સુરક્ષિત રાખી. સુરક્ષિત જ નથી રાખી, પરંતુ પ્રગતિ પણ કરી, આગળ પણ વધી. શું તમને ખબર છે કે આ રોગચાળામાં પણ આપણા ખેડૂતોએ વિક્રમજનક ઉત્પાદન કર્યું, તો આ વખતે દેશે વિક્રમજનક પાક ખરીદ્યો પણ છે. આ વખતે અનેક જગ્યાએ સરસવ માટે ખેડૂતોને ટેકાના ભાવથી પણ વધુ ભાવ મળ્યા છે. વિક્રમજનક ખાદ્યાન્ન ઉત્પાદનના કારણે જ આપણો દેશ દરેક દેશવાસીને એક બળ પ્રદાન કરી શકે છે. આજે આ સંકટ કાળમાં ૮૦ કરોડ ગરીબોને મફત રાશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે જેથી ગરીબના ઘરમાં પણ ક્યારેય એવો દિવસ ન આવે જ્યારે ચૂલો ન પ્રગટે.
સાથીઓ, આજે આપણા દેશમાં ખેડૂતો, અનેક ક્ષેત્રોમાં નવી વ્યવસ્થાઓનો લાભ ઉઠાવીને કમાલ કરી રહ્યા છે. જેમ કે અગરતલાના ખેડૂતોને જ લો. આ ખેડૂતો ફણસનો બહુ સારો પાક લે છે. તેની માગ દેશવિદેશમાં થઈ શકે છે, આથી આ વખતે અગરતલાના ખેડૂતોની ફણસ રેલવે દ્વારા ગુવાહાટી લાવવામાં આવી. ગુવાહાટીથી હવે તે ફણસ લંડન મોકલવામાં આવી રહી છે. આ જ રીતે આપણા બિહારની શાહી લીચીનું નામ પણ સાંભળ્યું હશે. ૨૦૧૮માં સરકારે શાહી લીચીને જીઆઈ ટૅગ પણ આપ્યો હતો જેથી તેની ઓળખ મજબૂત થાય અને ખેડૂતોને વધુ ફાયદો થાય. આ વખતે બિહારની આ શાહી લીચી પણ હવાઈ માર્ગે લંડન મોકલવામાં આવી છે. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ આપણો દેશ આવા જ અનોખા સ્વાદ અને ઉત્પાદનથી ભરેલો પડ્યો છે. દક્ષિણ ભારતમાં વિજયનગરમ્ની કેરી વિશે તમે જરૂર સાંભળ્યું હશે. હવે આ કેરી કોને ખાવાનું નહીં ગમે? આથી, હવે કિસાન-રેલ સેંકડો ટન વિજયનગરમ્ કેરી દિલ્લી પહોંચાડી રહી છે. દિલ્લી અને ઉત્તર ભારતના લોકોને વિજયનગરમ્ કેરી ખાવા મળશ અને વિજયનગરમ્ના ખેડૂતોને સારી એવી કમાણી પણ થશે. કિસાન રેલ અત્યાર સુધી લગભગ બે લાખ ટન ઉપજનું પરિવહન કરી ચૂકી છે. હવે ખેડૂતો બહુ ઓછી કિંમતે ફળ, શાક, અનાજ દેશના ખૂણે-ખૂણે મોકલી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ૩૦ મેએ આપણે ‘મન કી બાત’ કરી રહ્યા છીએ અને સંયોગથી આ સરકારને સાત વર્ષ પૂરા થવાનો પણ સમય છે. આ વર્ષોમાં દેશ ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ’ મંત્ર પર ચાલ્યો છે. દેશની સેવામાં દરેક ક્ષણે સમર્પિત ભાવથી આપણે બધાએ કામ કર્યું છે. મને અનેક સાથીઓએ પત્ર મોકલ્યો છે અને કહ્યું છે કે ‘મન કી બાત’માં સાત વર્ષની આપણી-તમારી આ સંયુક્ત યાત્રા પર પણ ચર્ચા કરું. સાથીઓ, આ સાત વર્ષમાં જે કંઈ પણ ઉપલબ્ધિ રહી છે તે દેશની રહી છે, દેશવાસીઓની રહી છે. અનેક રાષ્ટ્રીય ગૌરવની ક્ષણો આ વર્ષોમાં સાથે મળીને અનુભવ કરી છે. જ્યારે આપણે જોઈએ છીએ કે હવે ભારત બીજા દેશોની વિચારસરણી અને તેમના દબાણમાં નહીં, પોતાના સંકલ્પથી ચાલે છે તો આપણને બધાને ગર્વ થાય છે. જ્યારે આપણે જોઈએ છીએ કે હવે ભારત પોતાની વિરુદ્ધ ષડયંત્ર કરનારાને જડબાતોડ જવાબ આપે છે તો આપણો આત્મવિશ્વાસ વધુ વધે છે. જ્યારે ભારત રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર સમજૂતી નથી કરતો, જ્યારે આપણી સેનાઓની તાકાત વધે છે તો આપણને લાગે છે કે હા, આપણે સાચા માર્ગે છીએ.
સાથીઓ, મને અનેક દેશવાસીઓના સંદેશ, તેમના પત્રો, દેશના ખૂણે-ખૂણેથી મળે છે. અનેક લોકો દેશને ધન્યવાદ આપે છે કે ૭૦ વર્ષ પછી તેમના ગામમાં પહેલી વાર વીજળી પહોંચી છે, તેમના દીકરા-દીકરી અજવાળામાં, પંખા નીચે બેસીને ભણી રહ્યાં છે. અનેક લોકો કહે છે કે અમારું પણ ગામ હવે પાકી સડક સાથે શહેર સાથે જોડાઈ ગયું છે. મને યાદ છે કે એક આદિવાસી વિસ્તારમાં કેટલાક સાથીઓએ મને સંદેશ મોકલ્યો હતો કે સડક બનાવ્યા પછી પહેલી વાર તેમને એવું લાગ્યું કે તેઓ પણ બાકીની દુનિયા સાથે જોડાઈ ગયા છે. આ જ રીતે ક્યાંક કોઈ બૅન્ક ખાતું ખોલવાની ખુશી જણાવે છે તો કોઈ અલગ-અલગ યોજનાઓની મદદથી જ્યારે નવો રોજગાર શરૂ કરે છે તો તે ખુશીમાં મને પણ આમંત્રિત કરે છે. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ ઘર મળ્યા પછી ગૃહપ્રવેશના આયોજનમાં કેટલાંય નિમંત્રણ મને આપણા દેશવાસીઓની તરફથી સતત મળતા રહે છે. આ સાત વર્ષોમાં તમારા બધાની આવી કરોડો ખુશીઓમાં હું સહભાગી થયો છું. હમણાં કેટલાક દિવસો પહેલાં જ મને ગામના એક પરિવારે ‘જલ જીવન મિશન’ હેઠળ ઘરમાં લાગેલા પાણીના નળની એક તસવીર મોકલી. તેમણે આ ફૉટોની કૅપ્શન લખી હતી- ‘મારા ગામની જીવનધારા.’ આવા અનેક પરિવારો છે. સ્વતંત્રતા પછી સાત દશકોમાં આપણા દેશના માત્ર સાડા ત્રણ કરોડ ગ્રામીણ ઘરોમાં જ પાણીનાં જોડાણ હતાં. પરંતુ ગત ૨૧ મહિનાઓમાં જ સાડા ચાર કરોડ ઘરોને સ્વચ્છ પાણીનાં જોડાણ આપવામાં આવ્યાં છે. તેમાંથી ૧૫ મહિના તો કોરોનાકાળના જ હતા. આ જ રીતનો એક નવો વિશ્વાસ દેશમાં ‘આયુષ્યમાન યોજના’થી આવ્યો છે. જ્યારે કોઈ ગરીબ મફત ઈલાજથી સ્વસ્થ થઈને ઘરે જાય છે તો તેને લાગે છે કે તેને નવું જીવન મળ્યું છે. તેને ભરોસો થાય છે કે દેશ તેની સાથે છે. આવા અનેક પરિવારોનાં આશીર્વચન, કરોડો માતાઓના આશીર્વાદ લઈને આપણો દેશ મજબૂતી સાથે વિકાસની તરફ અગ્રેસર છે.
સાથીઓ, આ સાત વર્ષોમાં ભારતે ‘ડિજિટલ લેણદેણ’માં દુનિયાને નવી દિશા દેખાડવાનું કામ કર્યું છે. આજે કોઈ પણ જગ્યાએ જેટલી સરળતાથી તમે ચપટીમાં ડિજિટલ પેમેન્ટ કરી દો છો, તે કોરોનાના આ સમયમાં ઘણું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આજે સ્વચ્છતા પ્રત્યે દેશવાસીઓની ગંભીરતા અને સતર્કતા વધી રહી છે. આપણે વિક્રમજનક સેટેલાઇટ પણ પ્રક્ષેપિત કરી રહ્યા છીએ અને રેકૉર્ડ સડકો પણ બનાવી રહ્યા છીએ. આ સાત વર્ષમાં જ દેસના અનેક જૂના વિવાદો પણ પૂરી શાંતિ અને સૌહર્દથી ઉકેલવામાં આવ્યા છે. પૂર્વોત્તરથી લઈને કાશ્મીર સુધી શાંતિ અને વિકાસનો એક નવો વિશ્વાસ જાગ્યો છે. સાથીઓ, શું તમે વિચાર્યું છે કે આ બધું કામ જે દાયકાઓમાં પણ ન થઈ શક્યું, તે આ સાત વર્ષમાં કેવી રીતે થયું? તે બધું એટલા માટે સંભવ થયું કારણકે આ સાત વર્ષમાં આપણે સરકાર અને જનતાથી વધુ એક દેશના રૂપમાં કામ કર્યું, એક ટીમના રૂપમાં કામ કર્યું, ‘ટીમ ઇન્ડિયા’ના રૂપમાં કામ કર્યું. દરેક નાગરિકે દેશને આગળ વધારવામાં એકાદ-એકાદ ડગ આગળ ભરવાનો પ્રયાસ કર્યો છે. હા, જ્યાં સફળતાઓ હોય છે, ત્યાં પરીક્ષાઓ પણ હોય છે. આ સાત વર્ષમાં આપણે સાથે મળીને જ અનેક કઠિન પરીક્ષાઓ પણ આપી છે અને દરેક વખતે આપણે બધા મજબૂત થઈને નીકળ્યા છીએ. કોરોના રોગચાળાના રૂપમાં, આટલી મોટી પરીક્ષા તો સતત ચાલી રહી છે. આ તો એક એવું સંકટ છે જેણે સમગ્ર વિશ્વને પરેશાન કર્યું છે, અનેક લોકોએ પોતાના માણસોને ગુમાવ્યા છે. મોટા મોટા દેશ પણ આ વિનાશથી બચી નથી શક્યા. આ વૈશ્વિક રોગચાળા વચ્ચે ભારત ‘સેવા અને સહયોગ’ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આપણે પહેલા મોજામાં પૂરી હિંમત સાથે લડાઈ લડી હતી, આ વખતે પણ વાઇરસ સામે ચાલી રહેલી લડાઈમાં ભારત વિજયી થશે. બે ગજનું અંતર, માસ્ક સાથે જોડાયેલા નિયમોહોય કે પછી રસી, આપણે ઢીલાશ નથી કરવાની. એ જ આપણી જીતનો રસ્તો છે. હવે પછી જ્યારે આપણે ‘મન કી બાત’માં મળીશું તો દેશવાસીઓના અનેક બીજાં પ્રેરણાદાયી ઉદાહરણો પર વાત કરીશું અને નવા વિષયો પર ચર્ચા કરીશું. તમે તમારાં સૂચનો મને આ રીતે જ મોકલતા રહો. તમે બધા સ્વસ્થ રહો. દેશને આ રીતે આગળ વધારતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે આપની સાથે મન કી બાત એક એવા સમયે કરી રહ્યો છું જ્યારે કોરોના, આપણા બધાના ધૈર્ય, આપણા બધાના દુઃખ સહન કરવાની મર્યાદાની કસોટી કરી રહ્યો છે. ઘણાંય આપણા, આપણને ખોટા સમયે છોડીને જતા રહ્યા છે. કોરોનાના પહેલા વેવનો સફળતાપૂર્વક સામનો કર્યા બાદ, દેશ ઉત્સાહથી ભરેલો હતો, આત્મવિશ્વાસથી ભરેલો હતો, પરંતુ આ તોફાને દેશને હચમચાવી નાખ્યો છે.
સાથીઓ, વિતેલા દિવસોમાં આ સંકટ સાથે લડવા માટે, મારી અલગ અલગ સેક્ટરના એક્સપર્ટ્સ સાથે, તજજ્ઞો સાથે લાંબી ચર્ચા થઈ છે. આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રીના લોકો હોય, વેક્સિન મેન્યુફેક્ચરર્સ હોય, ઓક્સિજનના પ્રોડક્શન સાથે જોડાયેલા લોકો હોય કે પછી મેડિકલ ફિલ્ડના જાણકાર, તેમણે પોતાના મહત્વપૂર્ણ સૂચનો સરકારને આપ્યા છે. આ સમયમાં, આપણે આ લડાઈને જીતવા માટે એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિક સલાહને પ્રાથમિકતા આપવાની છે. રાજ્ય સરકારના પ્રયત્નોને આગળ વધારવામાં, ભારત સરકાર પૂર્ણ ક્ષમતા સાથે જોડાઈ ગઈ છે. રાજ્ય સરકારો પણ તેમની જવાબદારી નિભાવવાની પૂરી કોશિશ કરી રહી છે.
સાથીઓ, કોરોના સામે, આ સમયે બહુ મોટી લડાઈ, દેશના ડોક્ટર અને હેલ્થ વર્કર્સ લડી રહ્યા છે. ગત એક વર્ષમાં તેમને આ બિમારીને લઈને દરેક પ્રકારના અનુભવ પણ થયા છે. આપણી સાથે, અત્યારે મુંબઈના પ્રસિદ્ધ ડોક્ટર શશાંક જોશીજી જોડાઈ રહ્યા છે.
ડોક્ટર શશાંકજીને કોરોનાના ઈલાજ અને તેનાથી જોડાયેલા સંશોધનનો ઘણો જ બહોળો અનુભવ છે, તેઓ ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝીસીઅન્સના ડીન પણ રહી ચૂક્યા છે. આવો વાત કરીએ ડોક્ટર શશાંક સાથે.
મોદીજી – નમસ્કાર ડો.શશાંકજી
ડો.શશાંક – નમસ્કાર સર
મોદીજી – હમણાં થોડા દિવસો પહેલાં જ આપની સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો. આપના વિચારોની સ્પષ્ટતા મને ઘણી જ સારી લાગી હતી. મને લાગ્યું કે દેશના બધા નાગરિકોએ તમારા વિચારો જાણવા જોઈએ. જે વાતો સાંભળવામાં આવે છે તેને જ એક સવાલ રૂપે આપની સામે પ્રસ્તુત કરું છું. ડો.શશાંક – તમે લોકો આ સમયમાં દિવસ-રાત જીવન રક્ષાના કામમાં લાગેલા છો, સૌથી પહેલા તો હું ઈચ્છીશ કે તમે સેકન્ડ વેવ વિશે લોકોને જણાવો. મેડિકલી એ કેવી રીતે અલગ છે અને શું શું સાવધાની રાખવી જરૂરી છે.
ડો. શશાંક – ધન્યવાદ સર, આ જે બીજી લહેર (વેવ) આવી છે, તે ઝડપથી આવેલ છે. તે જે પહેલો વેવ હતો, તેનાથી આ વાયરસ વધારે ઝડપથી ચાલી રહ્યો છે, પરંતુ સારી વાત એ છે કે તેનાથી વધુ ઝડપથી રિકવરી પણ છે અને મૃત્યુદર ઘણો જ ઓછો છે. તેમાં બે-ત્રણ ફેરફાર છે, પહેલાં તો એ કે તે યુવાનોમાં અને બાળકોમાં પણ થોડો જોવા મળી રહ્યો છે. તેના લક્ષણ છે, પહેલાં જેવા લક્ષણ હતા, શ્વાસ ચઢવો, સૂકી ઉધરસ આવવી, તાવ આવવો, એ બધું તો ઠીક છે અને તેની સાથે થોડી સુગંધ જતી રહેવી, સ્વાદ જતો રહેવો તે પણ છે. અને લોકો થોડા ભયભીત થયા છે. ભયભીત થવાની જરા પણ જરૂર નથી. 80-90 ટકા લોકોમાં આમાંથી કોઈપણ લક્ષણ જોવા મળતાં નથી, આ મ્યૂટેશન – મ્યૂટેશન- જે કહેવાય છે, ગભરાવાની જરૂર નથી. આ મ્યૂટેશન થતા રહે છે જેમ કે આપણે કપડાં બદલાવીએ છીએ તેવી જ રીતે વાયરસ પણ પોતાના રંગ બદલતો રહે છે અને તેથી જરા પણ ડરવાની જરૂર નથી અને આ વેવ ને આપણે ચોક્કસ પસાર કરી દેશું. વેવ આવતો-જતો રહે છે, અને આ વાયરસ આવતો-જતો રહેતો હોય છે તો આ જ અલગ-અલગ લક્ષણ છે અને મેડિકલી આપણે સાવધાન રહેવું જોઈએ. એક 14 થી 21 દિવસનું આ કોવિડનું ટાઈમટેબલ છે જેમાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
મોદીજી – ડો. શશાંક, મારા માટે પણ આપે જે એનાલિસીસ જણાવ્યું, ઘણું જ રસપ્રદ છે, મને કેટલાય પત્રો મળ્યા છે, જેમાં ટ્રીટમેન્ટ વિશે પણ લોકોમાં ઘણી આશંકાઓ છે, કેટલીક દવાઓની માગ ઘણી જ વધારે છે, તેથી હું ઈચ્છું છું કે કોવિડની ટ્રિટમેન્ટ વિશે પણ આપ લોકોને જરૂર જણાવો.
ડો.શશાંક – હા, સર... લોકો ક્લિનિકલ ટ્રિટમેન્ટ ઘણી મોડી ચાલુ કરે છે અને પોતાની રીતે બિમારી દબાઈ જશે તેવો ભરોસો રાખે છે, અને મોબાઈલ પર આવતી વાતો પર ભરોસો રાખે છે, અને જો સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરે તો આ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. તો કોવિડમાં ક્લિનિક ટ્રિટમેન્ટ પ્રોટોકોલ છે, તેમાં ત્રણ પ્રકારની તિવ્રતા છે, હલકો કે માઈલ્ડ કોવિડ, મધ્યમ કે મોડરેટ કોવિડ અને તીવ્ર કોવિડ જેને સિવિયર કોવિડ કહે છે, તેના માટે છે. તો જે હલકો કોવિડ છે તેના માટે તો આપણે ઓક્સિજનનું મોનિટરિંગ કરીએ છીએ, પલ્સનું મોનિટરિંગ કરીએ છીએ, તાવનું મોનિટરિંગ કરીએ છીએ, તાવ વધી જાય તો ક્યારેક પેરાસેટામોલ જેવી દવાનો ઉપયોગ કરીએ છીએ અને આપણા ડોક્ટર્સ સાથે સંપર્ક કરવો જોઈએ, જે મોડરેટ કોવિડ હોય છે, મધ્યમ કોવિડ હોય છે, અથવા તીવ્ર કોવિડ હોય છે તો તમારા ડોક્ટર સાથે સંપર્ક કરવો બહુ જ જરૂરી છે. સાચી અને સસ્તી દવાઓ ઉપલબ્ધ છે. તેમાં સ્ટિરોઈડ જે છે તે જીવન બચાવી શકે છે, જે ઈન્હેલર્સ આપી શકે છે, ટેબ્લેટ આપણે આપી શકીએ છીએ અને સાથે જ પ્રાણ-વાયુ જે ઓક્સિજન છે તે આપવું પડે છે અને તેને માટે નાની-નાની સારવાર છે પરંતુ ઘણીવાર શું થાય છે કે એક નવી experimental દવા છે જેનું નામ છે રેમડેસિવીર. આ દવાથી એક વાત એ ચોક્કસ છે કે હોસ્પિટલમાં બે-ત્રણ દિવસ ઓછું રહેવું પડે છે અને ક્લિનિકલ રિકવરીમાં તેની થોડી સહાય હોય છે. આ દવા પણ ક્યારે કામ કરે છે, જ્યારે પહેલા 9-10 દિવસમાં આપવામાં આવે છે અને તે પાંચ જ દિવસ આપવી પડે છે, તો આ લોકો જે દોડી રહ્યા છે રેમડેસિવીરની પાછળ, તેમ જરા પણ દોડવું જોઈએ નહીં. આ દવાનું થોડું કામ છે, જેમને ઓક્સિજન લાગે છે, પ્રાણવાયુ ઓક્સિજન લાગે છે, જે હોસ્પિટલમાં દાખલ થાય છે અને ડોક્ટર જ્યારે કહે ત્યારે જ લેવી જોઈએ. આ તો બધા લોકોએ સમજવું ઘણું જ જરૂરી છે. આપણે પ્રાણાયામ કરીશું, આપણા શરીરના જે ફેફસાં છે તેને થોડા expand કરીશું અને આપણું લોહી પાતળું કરવા માટેનું જે ઈન્જેક્શન આવે છે જેને આપણે heparin કહીએ છીએ. આવી નાની-નાની દવાઓ આપીશું તો 98 ટકા લોકો સાજા થઈ જાય છે. તો સકારાત્મક રહેવું ઘણું જ જરૂરી છે. ટ્રિટમેન્ટ પ્રોટોકોલ વૈદ્યની સલાહ અનુસાર લેવું ઘણું જરૂરી છે. અને આ જે મોંઘી મોંઘી દવાઓ છે, તેની પાછળ દોડવાની કોઈ જ જરૂર નથી સર, આપણી પાસે સારી સારવાર ચાલુ છે, પ્રાણવાયુ ઓક્સિજન છે, વેન્ટિલેટરની પણ સુવિધા છે, બધું જ છે સર, અને ક્યારેક ક્યારેક આ દવાઓ જો મળી પણ જાય છે તો યોગ્ય લોકોને જ આપવી જોઈએ તો તેને માટે ઘણો જ ભ્રમ ફેલાયેલો છે અને તેથી એ સ્પષ્ટિકરણ કરવા માંગુ છું સર કે આપણી પાસે દુનિયાની સૌથી બેસ્ટ ટ્રિટમેન્ટ ઉપલબ્ધ છે, તમે જોશો કે ભારતમાં સૌથી સારો રિકવરી રેટ છે. જો તમે compare કરો યુરોપ સાથે, અમેરિકા ત્યાં કરતાં આપણે ત્યાંના ટ્રિટમેન્ટ પ્રોટોકોલથી દર્દી સાજા થઈ રહ્યા છે સર..
મોદી જી – ડો. શશાંક તમારો ખૂબ ખૂબ આભાર.
ડોક્ટર શશાંકે જે જાણકારી આપણને આપી, તે બહુ જ જરૂરી છે અને આપણને બધાને કામ આવશે.
સાથીઓ, હું તમને આગ્રહ કરું છું કે તમને જો કોઈ પણ જાણકારી જોઈતી હોય, કોઈ શંકા હો, તો સાચા source પાસેથી જ જાણકારી લો. તમારા જે ફેમીલી ડોક્ટર હોય, આસપાસના જે ડોક્ટર્સ હોય, તમે તેમની સાથે ફોન પર સંપર્ક કરીને સલાહ લો. હું જોઈ રહ્યો છું કે આપણા ઘણાં ડોક્ટર પોતે પણ આ જવાબદારી ઉઠાવી રહ્યા છે. કેટલાય ડોક્ટર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણકારી આપી રહ્યા છે. ફોન પર, વોટ્સએપ પર પણ કાઉન્સેલિંગ કરી રહ્યા છે. કેટલીયે હોસ્પિટલોની વેબસાઈટ છે, જ્યાં જાણકારી પણ ઉપલબ્ધ છે, અને ત્યાં આપ ડોક્ટર્સ સાથે પરામર્શ પણ કરી શકો છો. તે ઘણું જ પ્રશંસનિય છે.
મારી સાથે શ્રીનગરથી ડોક્ટર નાવીદ નજીર શાહ જોડાઈ રહ્યા છે. ડોક્ટર નાવીદ શ્રીનગરની એક ગર્વન્મેન્ટ મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે. નાવીદજી પોતાની દેખરેખ હેઠળ ઘણાએ કોરોના દર્દીઓને સાજા કરી ચૂક્યા છે અને રમજાનના આ પવિત્ર મહિનામાં ડો. નાવીદ પોતાનું કાર્ય પણ નિભાવી રહ્યા છે, અને તેમણે આપણી સાથે વાતચીત માટે સમય પણ કાઢ્યો છે. આવો તેમની સાથે જ વાત કરીએ.
મોદી જી – નાવીદ જી નમસ્કાર...
ડો.નાવીદ – નમસ્કાર સર...
ડોક્ટર નાવીદ મન કી બાત ના અમારા શ્રોતાઓએ આ મુશ્કેલ સમયમા પેનિક મેનેજમેન્ટનો સવાલ ઉઠાવ્યો છે. આપ આપના અનુભવથી તેમને શું જવાબ આપશો ?
ડો. નાવીદ – જુઓ જ્યારે કોરોના શરૂ થયો હતો ત્યારે કાશ્મીરમાં સૌથી પહેલા હોસ્પિટલ ડેઝિગ્નેટ થઈ As Covid hospital, તે અમારી સીટી હોસ્પિટલ હતી. જે મેડિકલ કોલેજ હેઠળ આવે છે. તો તે સમયે એક ડરનું વાતાવરણ હતું. લોકોમાં તો હતો જ અને કદાચ તેઓ સમજતા હતા કે કોવિડનું ઈન્ફેક્શન જો કોઈને થઈ જાય તો death sentence માનવામાં આવશે, અને તેવામાં અમારી હોસ્પિટલમાં ડોક્ટર સાહેબો અથવા પેરા-મેડિકલ સ્ટાફ કામ કરતા હતા, તેમનામાં પણ એક ડરનું વાતાવરણ હતું કે અમે આ દર્દીઓને કેવી રીતે face કરીશું, અમને ઈન્ફેક્શન થવાનો ખતરો તો નથી ને. પરંતુ જેમ ટાઈમ પસાર થયો, અમે પણ જોયું કે જો સંપૂર્ણ રીતે આપણે જે protective gear પહેરવાની જે પ્રથા છે તેના પર અમલ કરીએ તો આપણે પણ સુરક્ષિત રહી શકીએ છીએ અને અમારો જે બાકીનો સ્ટાફ છે તે પણ સુરક્ષિત રહી શકે છે અને આગળ-આગળ અમે જોતા ગયા કે દર્દીઓ કે કેટલાક લોકો જેઓ બિમાર હતા, જે asymptomatic, જેમનામાં બિમારીના કોઈ જ લક્ષણ નહોતા. અમે જોયું લગભગ લગભગ 90-95 ટકા થી વધુ જે દર્દી છે તેઓ without in medication પણ સાજા થઈ જાય છે. તો સમય એવી રીતે પસાર થતો ગયો, લોકોમાં કોરોનાનો જે ડર હતો તે ઘણો જ ઓછો થઈ ગયો. આજની જ વાત આ જે સેકન્ડ વેવ જે આ વખતે આવ્યો છે, આ કોરોનામાં આ સમયમાં પણ આપણે પેનિક થવાની જરૂર નથી. આ સમયે પણ જે protective measures છે, જે SOPs છે, જો તેના પણ આપણે અમલ કરીશું જેમ કે માસ્ક પહેરવું, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, તેના ઉપરાંત ફિઝીકલ ડિસ્ટન્સ મેઈન્ટેઈન કરવું કે social gathering avoid કરીએ- તો આપણે આપણા રોજના કામ પણ ઘણી સારી રીતે કરી શકીએ છીએ અને આ બિમારીથી પ્રોટેક્શન પણ મેળવી શકીએ છીએ.
મોદી જી – ડો. નાવિદ વેક્સિનને લઈને પણ લોકોના કેટલાય સવાલો છે, જેમ કે વેક્સિનથી કેટલી સુરક્ષા મળશે, વેક્સિન પછી કેટલા ખાતરીબદ્ધ થઈ શકીએ? આપ કંઈક વાત તેની જણાવો તો શ્રોતાઓને ઘણો જ લાભ થશે.
ડો.નાવીદ – જ્યારે કોરોનાનું ઈન્ફેક્શન સામે આવ્યું ત્યારથી લઈને આજ સુધી આપણી પાસે કોવિડ-19 માટે કોઈ જ effective treatment available નથી, તો આપણે આ બિમારી સામે લડત માત્ર બે ચીજથી આપી શકીએ, એક તો protective measures અને અમે પહેલેથી જ કહી રહ્યા હતા કે જો કોઈ ઈફેક્ટિવ વેક્સિન આપણી પાસે આવે તો તે આપણને આ બિમારીથી છૂટકારો અપાવી શકે છે અને આપણા દેશમાં બે વેક્સિન આ સમયે ઉપલબ્ધ છે, કોવેક્સિન અને કોવિશિલ્ડ છે જે અહીંયા જ બનેલી વેક્સિન છે. અને કંપનીઓ પણ જે trials કરી છે, તેમા પણ જોવામાં આવ્યું કે તેની efficacy જે છે તે 60 ટકાથી પણ વધારે છે, અને જો આપણે જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો અમારી UT માં અત્યારસુધી 15થી 16 લાખ લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. હા.. સોશિયલ મીડિયામાં ઘણાં તેના misconception કે myths છે તેમાં આવ્યું હતું કે આ..આ સાઈડ ઈફેક્ટ છે. અત્યારસુધી આપણે ત્યાં જેણે પણ વેક્સિન લીધી છે, કોઈ સાઈડ ઈફેક્ટ તેમનામાં જોવા મળી નથી. માત્ર, જે સામાન્ય કોઈ વેક્સિન સાથે associated હોય છે, કોઈને તાવ આવવો, આખા શરીરમાં દુખાવો અથવા local site જ્યાં ઈન્જેક્શન આપવામાં આવે છે ત્યાં દુખાવો થવો -તેવી જ સાઈડ ઈફેક્ટ્સ અમે બધા દર્દીઓમાં જોઈ છે, કોઈ અમે adverse effect નથી જોઈ. અને હા બીજી વાત, લોકોમાં એ પણ આશંકા છે કે કેટલાક લોકો after vaccination એટલે કે રસી લીધા બાદ પોઝીટીવ થઈ ગયા. તેમાં કંપની તરફથી જ ગાઈડલાઈન છે કે જેણે રસી લીધી છે, ત્યારબાદ તેનામાં ઈન્ફેક્શન લાગે છે, તો તે પોઝીટીવ થઈ શકે છે. પરંતુ બિમારીની જે severity છે, એટલે કે બિમારીની ગંભીરતા જે છે, તે દર્દીઓમાં એટલી બધી નહીં હોય એટલે કે તેઓ પોઝીટીવ થઈ શકે છે પરંતુ જે બિમારી છે તે એક જીવલેણ બિમારી તેમને માટે સાબિત નથી થઈ શકતી. તેથી જે પણ આ misconception છે વેક્સિન વિશે, તેને આપણે મનમાંથી કાઢી નાખવું જોઈએ અને જેનો-જેનો વારો આવ્યો- કારણ કે 1 મે થી આપણા આખા દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના જે લોકો છે તેમને વેક્સિન લગાવવાનો કાર્યક્રમ શરૂ થશે, તો લોકોને અપીલ એ જ કરીશું કે આપ આવો, વેક્સિન લઈ લો અને પોતાને પણ સુરક્ષિત કરો અને ઓવરઓલ આપણી society અને આપણી community કોવિડ-19ના ઈન્ફેક્શનથી સુરક્ષિત થઈ જશે.
મોદી જી – ડો.નાવીદ આપનો ખૂબ ખૂબ આભાર અને આપને રમજાનના પવિત્ર મહિનાની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
ડો.નાવીદ- ખૂબ ખૂબ આભાર..
મોદી જી – સાથીઓ કોરોનાના આ સંકટમાં વેક્સિનનું મહત્વ સૌને સમજાઈ રહ્યું છે, તેથી મારો આગ્રહ છે કે વેક્સિનને લઈને કોઈપણ અફવા માં ન આવો. તમને બધાને ખ્યાલ જ હશે કે ભારત સરકાર તરફથી બધી રાજ્ય સરકારોને મફત વેક્સિન મોકલવામાં આવી છે જેનો લાભ 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકો લઈ શકે છે. હવે તો 1 મે થી દેશમાં 18 વર્ષની ઉપરની દરેક વ્યક્તિ માટે વેક્સિન ઉપલબ્ધ થવાની છે. હવે દેશનું કોર્પોરેટ સેક્ટર, કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને વેક્સિન લેવાના અભિયાનમાં ભાગીદાર બની શકશે. મારે એ પણ કહેવું છે કે ભારત સરકાર તરફથી મફત વેક્સિનનો કાર્યક્રમ હમણાં જે ચાલી રહ્યો છે, તે આગળ પણ ચાલતો જ રહેશે. મારો રાજ્યોને પણ આગ્રહ છે, કે તેઓ ભારત સરકારના આ મફત વેક્સિન અભિયાનનો લાભ પોતાના રાજ્યના વધુને વધુ લોકો સુધી પહોંચાડે.
સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે બિમારીમાં આપણા માટે, આપણા પરિવારની દેખરેખ કરવી, માનસિક રીતે કેટલું મુશ્કેલ હોય છે, પરંતુ આપણી હોસ્પિટલોના નર્સિંગ સ્ટાફને તો આ જ કામ સતત, કેટલાય દર્દીઓ માટે એકસાથે કરવાનું હોય છે. આ સેવાભાવ આપણા સમાજની બહુ જ મોટી તાકાત છે. નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવતી સેવા અને પરિશ્રમ વિશે સારી રીતે તો કોઈ નર્સ જ કહી શકે છે. તેથી મેં રાયપુરના ડોક્ટર બી.આર.આંબેડકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહેલી સિસ્ટર ભાવના ધ્રુવ જીને મન કી બાતમાં આમંત્રિત કર્યા છે, તે અનેક કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આવો, તેમની સાથે વાત કરીએ.
મોદી જી – નમસ્કાર ભાવના જી
ભાવના – આદરણીય પ્રધાનમંત્રી જી...નમસ્કાર..
મોદી જી – ભાવના જી...
ભાવના- Yes sir
મોદી જી – મન કી બાત સાંભળનારાઓને તમે એ ચોક્કસ જણાવો કે તમારા પરિવારમાં આટલી બધી જવાબદારીઓ, આટલા બધા multitask અને તેના પછી પણ આપ કોરોનાના દર્દીઓ સાથે કામ કરી રહ્યા છો. કોરોનાના દર્દીઓ સાથે તમારો અનુભવ જે રહ્યો, તે ચોક્કસ દેશવાસીઓ સાંભળવા માંગશે કારણ કે સિસ્ટર જે હોય છે, નર્સ જે હોય છે જે દર્દીની એકદમ નજીક હોય છે અને સૌથી લાંબા સમય સુધી હોય છે તો તે બધી વસ્તુને બહુ બારિકાઈથી સમજી શકે છે.
ભાવના – જી સર, મારો ટોટલ એક્સપિરિયન્સ કોવિડમાં સર, 2 મહિનાનો છે સર. અમે 14 દિવસ ડ્યૂટી કરીએ છીએ અને 14 દિવસ પછી અમને આરામ આપવામાં આવે છે. પાછા બે મહિના પછી અમારી આ કોવિડ ડ્યૂટી ફરીથી શરૂ થાય છે. જ્યારે સૌથી પહેલાં મારી કોવિડ ડ્યૂટી લાગી, તો સૌથી પહેલાં મેં મારા પરિવારજનોને આ કોવિડ ડ્યૂટીની વાત જણાવી.
આ મે મહિનાની વાત છે અને મેં, જેવું મેં share કર્યું કે બધા ડરી ગયા, ગભરાઈ ગયા અને મને કહેવા લાગ્યા કે બેટા સંભાળીને કામ કરજે, એક emotional situation હતી સર...વચ્ચે જ્યારે મારી દિકરીએ મને પૂછ્યું, mumma તમે કોવિડ ડ્યૂટી માટે જાવ છો, તો તે સમય મારા માટે ઘણી જ emotional moment હતી. પરંતુ જ્યારે હું કોવિડ દર્દી પાસે ગઈ, તો મેં એક જવાબદારી ઘરમાં છોડી દીધી અને જ્યારે હું કોવિડ દર્દીને મળી સર, તો તેઓ તેનાથી વધુ ગભરાયેલા હતા, કોવિડના નામથી બધા દર્દી એટલા ડરેલા હતા સર, કે તેમને સમજાતું નહોતું કે તેમની સાથે શું થઈ રહ્યું છે, અમે આગળ શું કરીશું. અમે તેમનો ડર દૂર કરવા માટે તેમને ઘણું જ સારું healthy environment આપ્યું સર... અમને જ્યારે આ કોવિડ ડ્યૂટી કરવાનું કહ્યું તો સર સૌથી પહેલાં અમને PPE Kit પહેરવાનું કહેવામાં આવ્યું સર, જે ઘણું જ મુશ્કેલ છે. PPE Kit પહેરીને ડ્યૂટી કરવી. સર એ ઘણું tough હતું અમારા માટે, મેં 2 મહિના ડ્યૂટીમાં દરેક જગ્યાએ 14-14 દિવસ ડ્યૂટી કરી, વોર્ડમાં, આઈસીયુમાં, આઈસોલેશનમાં સર..
મોદી જી – એટલે કે કુલ એક વર્ષથી તો આપ આ જ કામને કરી રહ્યા છો.
ભાવના - Yes sir, ત્યાં જતાં પહેલાં મને ખબર નહોતી કે મારા colleagues કોણ છે. મેં એક ટીમ મેમ્બરની રીતે કામ કર્યું સર. તેમના જે પણ પ્રોબ્લેમ હતા, તેને share કર્યા, મેં દર્દીઓ વિશે જાણ્યું અને તેઓના stigma દૂર કર્યા સર, કેટલાય લોકો એવા હતા સર જે કોવિડના નામથી જ ડરતા હતા. એ બધા symptoms તેમનામાં દેખાતા હતા જ્યારે અમે તેમની history લેતા હતા, પરંતુ તેઓ ડરને કારણે તેઓ પોતાનો ટેસ્ટ નહોતા કરાવી શકતા, તો અમે તેમને સમજાવતા હતા અને સર, જ્યારે severity વધી જતી હતી ત્યારે તેમના lungs already infected થઈ ચૂક્યા હોય છે ત્યારે તેમને આઈસીયુની જરૂર રહેતી હતી, ત્યારે તેઓ આવતા હતા અને સાથે આખો પરિવાર આવતો હતો. તો આવા 1-2 કેસ મેં જોયા સર અને એવું પણ નથી, દરેક age group સાથે કામ કર્યું સર મેં. જેમાં નાનાં બાળકો હતા, મહિલા, પુરુષ, વડિલો, બધા જ પ્રકારના દર્દી હતા સર... તે બધા સાથે અમે વાત કરી તો બધાએ કહ્યું કે અમે ડરને કારણે ન આવી શક્યા, બધાનો અમને આ જ જવાબ મળ્યો સર. તો આપણે તેમને સમજાવીએ સર, કે ડર જેવું કંઈ નથી હોતું, તમે અમને સાથ આપો, અમે તમને સાથ આપીશું બસ તમે જે પણ પ્રોટોકોલ્સ છે તેને follow કરો, બસ હું આટલું જ તેમના માટે કરી શકી.
મોદી જી – ભાવના જી, મને ઘણું જ સારું લાગ્યું આપની સાથે વાત કરીને, તમે ઘણી જ સારી માહિતી આપી છે. તમારા પોતાના અનુભવ ઉપરથી આપી છે, તો ચોક્કસ દેશવાસીઓને તેનાથી એક પોઝીટિવીટીનો મેસેજ જશે. તમારો ખૂબ ખૂબ આભાર ભાવના જી...
ભાવના - Thank you so much sir... Thank you so much... જય હિન્દ સર...
મોદી જી – જય હિન્દ
ભાવના જી અને નર્સિંગ સ્ટાફના તમારા જેવા હજારો-લાખો ભાઈ-બહેનો બહુ સારી રીતે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. તે આપણા બધા માટે બહુ મોટી પ્રેરણા છે. આપ આપના સ્વાસ્થ્ય પર પણ વધારે ધ્યાન આપો. આપના પરિવારનું પણ ધ્યાન રાખો.
સાથીઓ, આપણી સાથે, અત્યારે બેંગલુરુથી સિસ્ટર સુરેખા જી પણ જોડાયા છે. સુરેખા જી K.C. General Hospital માં Senior Nursing Officer છે. આવો, તેમના અનુભવો પણ જાણીએ.
મોદી જી – નમસ્તે સુરેખા જી...
સુરેખા - I am really proud and honoured sir to speak to Prime Minister of our country.
મોદી જી – સુરેખાજી, આપ આપના સાથી નર્સ અને હોસ્પિટલ સ્ટાફ સાથે મળીને બહુ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો. ભારત દેશ આપનો આભારી છે. COVID-19 સામેની આ લડાઇમાં, નાગરીકો માટે આપનો શું સંદેશ છે..
સુરેખા - સુરેખા – યસ સર... એક જવાબદાર નાગરિક હોવાને કારણે હું કંઈક એવું કહેવા માંગુ છું કે કૃપા કરીને તમારી આસપાસના લોકો માટે થોડા વિનમ્ર બનો અને પ્રારંભિક પરીક્ષણ અને યોગ્ય ટ્રેકિંગની મદદથી મૃત્યુ દર ઘટાડવામાં આપણને મદદ મળશે, તદુપરાંત, જો તમને કોઈ લક્ષણો જોવા મળે છે તો જાતે આઈસોલેટ થઈને નજીકના ડોકટરની સલાહ લો અને વહેલી તકે સારવાર મેળવો. શક્ય તેટલું ઝડપથી. તેથી, આપણા આખા સમુદાયને આ રોગ વિશે જાગરૂકતા, જાણવાની અને સકારાત્મક રહેવાની જરૂર છે, ગભરાશો નહીં અને કોઈ તણાવમાં આવશો નહીં. તે દર્દીની સ્થિતિ વધુ ખરાબ કરે છે. અમે આપણી સરકારના ઘણાં આભારી છીએ અને વેક્સિન લેવા બદલ પણ ગર્વ અનુભવીએ છીએ અને મેં પણ વેક્સિન લઈ લીધી છે અને મારા સ્વાનુભવથી હું સમગ્ર દેશના નાગરિકોને કહેવા માંગુ છું કે કોઈપણ વેક્સિન બહુ ઝડપથી 100 ટકા સુરક્ષા નથી આપતી. ઈમ્યૂનિટી વધારવા માટે થોડો સમય ચોક્કસ લાગે છે. વેક્સિન લેવા માટે જરા પણ ગભરાશો નહીં. કૃપા કરીને આપ વેક્સિન લઈ લો, તેની બહુ જ ઓછી સાઈડ ઈફેક્ટ છે અને હું એક સંદેશો ચોક્કસ વહેતો કરવા માંગીશ કે ઘરે રહો, સ્વસ્થ રહો, જે બિમાર છે તેવા લોકો સાથે સંપર્ક ટાળો અને નાક, આંખ અને મોં ને બિનજરૂરી સ્પર્શ કરવાનું ટાળો. મહેરબાની કરીને વ્યક્તિગત અંતર જાળવવાનો પ્રયત્ન કરો, બરાબર રીતે માસ્ક પહેરો, નિયમિતપણે હાથ ધોવાનું રાખો અને ઘરે જ રહીને તમે ઘરગથ્થુ ઉપચારો પણ કરી શકો છો. મહેરબાની કરીને આયુર્વેદિક કાવો પીવો, વરાળ લો, રોજ mouth gargling કરો અને શ્વાસોચ્છવાસની કસરત પણ તમે કરી શકો છો. અને છેલ્લે બીજી એક વસ્તુ જે મહત્વની છે કે ફ્રન્ટલાઈન વર્કર્સ અને વ્યાવસાયિકો માટે સહાનુભૂતિ રાખો. અમને તમારા સપોર્ટ અને સહકારની જરૂર છે. આપણે સાથે મળીને લડીશું. આપણે આ રોગચાળામાંથી પસાર થઈ જઈશું અને લોકોને આ જ મારો સંદેશ છે સર...
મોદી જી - Thank you Surekha ji.
સુરેખા - Thank you sir.
સુરેખા જી ખરેખર, તમે ઘણાં જ મુશ્કેલ સમયમાં મોરચો સંભાળીને બેઠા છો. આપ આપનું ધ્યાન રાખજો. આપના પરિવારને પણ મારી ઘણી ઘણી શુભેચ્છાઓ. હું દેશના લોકોને પણ આગ્રહ કરીશ કે જે ભાવના જી, સુરેખા જીએ તેમના અનુભવ પરથી જણાવ્યું છે. કોરોના સામે લડવા માટે પોઝીટીવ સ્પિરિટ ઘણો જ જરૂરી છે અને દેશવાસીઓએ તેને જાળવી રાખવાનો છે.
સાથીઓ, ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની સાથે-સાથે આ સમયમાં લેબ ટેક્નિશિયન અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ જેવા ફ્રન્ટલાઈન વર્કર્સ પણ ભગવાનની જેમ કામ કરી રહ્યા છે. જ્યારે કોઈ એમ્બ્યુલન્સ કોઈ દર્દી સુધી પહોંચે છે તો તેને એમ્બ્યુલન્સ ડ્રાઈવર દેવદૂત જેવા જ લાગે છે. તે બધાની સેવાઓ વિશે, તેમના અનુભવો વિશે, દેશે જરૂર જાણવું જોઈએ. મારી સાથે અત્યારે એવા જ એક સજ્જન છે – શ્રીમાન પ્રેમ વર્મા જી.., જે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે. તેમના નામ પરથી જ ખ્યાલ આવે છે કે પ્રેમ વર્મા જી પોતાના કામને, પોતાના કર્તવ્યને પૂરા પ્રેમ અને લગન સાથે કરે છે. આવો તેમની સાથે વાત કરીએ....
મોદી જી - નમસ્તે પ્રેમ જી
પ્રેમ જી - નમસ્તે સર જી
શ્રી મોદી – ભાઈ.. પ્રેમ
પ્રેમ જી - હા જી..સર.
મોદી જી – આપ આપના કાર્ય વિશે જણાવો.
પ્રેમ જી – હા....જી..
મોદી જી – થોડું વિસ્તારપૂર્વક જણાવો. તમારો જે અનુભવ છે તે પણ જણાવો.
પ્રેમ જી – હું CATS Ambulance માં driver ની post પર છું અને Control અમને એક tab પર call આપે છે. 102 તરફથી જે call આવે છે, અમે move કરીએ છીએ દર્દીની પાસે. અમે દર્દીને ત્યાં જઈએ છીએ, તેમની પાસે, બે વર્ષથી continue કરી રહ્યો છું આ કામ. મારી kit પહેરીને, મારા gloves, mask પહેરીને patient ને, જ્યાં તેઓ drop કરવા માટે કહે છે, જે પણ hospital માં, અમે બહુ જ જલ્દી તેમને drop કરીએ છીએ.
મોદી જી – તમને તો વેક્સિનના બે ડોઝ મળી ચૂક્યા હશે.
પ્રેમ જી – બિલકુલ સર
મોદી જી – તો બીજા લોકો પણ વેક્સિન લે. તેના માટે આપનો શું સંદેશ છે?
પ્રેમ જી – સર બિલકુલ... બધાએ આ ડોઝ લેવો જ જોઈએ અને પરિવાર માટે સારી જ છે. હવે મને મારી મમ્મી કહે છે, આ નોકરી છોડી દે. મેં કહ્યું મમ્મી જો હું પણ નોકરી છોડીને બેસી જઈશ તો બધા દર્દીઓને કોણ કેવી રીતે મૂકવા જશે. કારણ કે આ કોરોના કાળમાં બધા ભાગી રહ્યા છે. બધા નોકરી છોડી છોડીને જઈ રહ્યા છે. મમ્મી પણ મને કહે છે કે બેટા એ નોકરી છોડી દે. મેં કહ્યું નહીં મમ્મી હું નોકરી નહીં છોડું.
મોદી જી – પ્રેમ જી માતાને દુખી ન કરતાં. માતાને સમજાવજો.
પ્રેમ જી – હા...જી
મોદી જી – પરંતુ આ જે તમે માતાની વાત જણાવીને
પ્રેમ જી – હા....જી..
મોદી જી – તે બહુ જ સ્પર્શી જતી વાત છે.
પ્રેમ જી – હા....જી..
મોદી જી – આપના માતા જી ને પણ
પ્રેમ જી – હા....જી..
મોદી જી – મારા પ્રણામ કહેજો..
પ્રેમ જી – બિલકુલ
મોદી જી – હાં..
પ્રેમ જી – હા....જી..
મોદી જી – અને પ્રેમ જી હું આપના માધ્યમથી
પ્રેમ જી – હા....જી..
મોદી જી – આ એમ્બ્યુલન્સ ચલાવનારા આપણા ડ્રાઈવર પણ
પ્રેમ જી – હા....જી..
મોદી જી – કેટલું મોટું risk લઈને કામ કરે છે
પ્રેમ જી – હા....જી..
મોદી જી – અને દરેકની માતા શું વિચારતી હશે?
પ્રેમ જી – બિલકુલ સર
મોદી જી – તે વાત જ્યારે શ્રોતાઓ સુધી પહોંચશે
પ્રેમ જી – હા....જી..
મોદી જી – હું ચોક્કસ માનું છું કે તેમના હ્રદયને પણ સ્પર્શી જશે.
પ્રેમ જી – હા....જી..
મોદી જી – પ્રેમ જી ખૂબ ખૂબ ધન્યવાદ. તમે એક પ્રકારે પ્રેમની ગંગા વહાવી રહ્યા છો.
પ્રેમ જી – ધન્યવાદ સરજી...
મોદી જી – ધન્યવાદ ભાઈ
પ્રેમ જી – ધન્યવાદ
સાથીઓ, પ્રેમ વર્માજી અને તેમના જેવા હજારો લોકો, આજે પોતાનું જીવન દાવ પર લગાવીને લોકોની સેવા કરી રહ્યા છે. કોરોના સામે આ લડાઈમાં જેટલા પણ જીવન બચી રહ્યા છે તેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સનું પણ બહુ મોટું યોગદાન છે. પ્રેમ જી આપને અને દેશભરમાં આપના બધા સાથીઓને હું ખૂબ ખૂબ આભાર માનુ છું. આપ સમય પર પહોંચતા રહો અને જીવન બચાવતા રહો.
મારા પ્રિય દેશવાસીઓ, એ સાચું છે કે કોરોનાથી ઘણાં બધા લોકો સંક્રમિત થઈ રહ્યા છે પરંતુ કોરોનાથી સાજા થનારાઓની સંખ્યા પણ તેટલી જ વધુ છે. ગુરુગ્રામની પ્રીતિ ચતુર્વેદી જીએ હાલમાં જ કોરોનાને હરાવ્યો છે. પ્રીતિ જી મન કી બાતમાં આપણી સાથે જોડાય છે. તેમના અનુભવ આપણને બધાને ઘણાં જ કામ આવશે.
મોદી જી – પ્રીતિ જી નમસ્તે..
પ્રીતિ – નમસ્તે સર...આપ કેમ છો?
મોદી જી – હું ઠીક છું. સૌથી પહેલાં તો હું આપની કોવિડ-19 સાથે
પ્રીતિ – જી
મોદી જી – સફળતાપૂર્વક લડવા બદલ
પ્રીતિ – જી
મોદી જી – પ્રશંસા કરીશ.
પ્રીતી - Thank you so much sir
મોદી જી – મારી આશા છે કે તમારું સ્વાસ્થ્ય ઘણું ઝડપથી સારું થાય
પ્રીતિ – જી આભાર સર..
મોદી જી – પ્રીતિ જી
પ્રીતિ – હા..જી..સર
મોદી જી- આ આખા વેવમાં માત્ર આપનો જ નંબર લાગ્યો કે પરિવારના અન્ય સભ્યો પણ આમાં ફસાઈ ગયા છે
પ્રીતિ – નહીં..નહીં..સર હું એકલી જ થઈ હતી.
મોદી જી – ચાલો, ભગવાનની કૃપા રહી.. અચ્છા હું ઈચ્છીશ,
પ્રીતિ – હા..જી...સર
મોદી જી – કે તમે આ પીડાની અવસ્થાના કેટલાક અનુભવ જો વહેંચી શકો તો કદાચ જે શ્રોતા છે તેમને પણ આવા સમયમાં કેવી રીતે પોતાની જાતને સંભાળવવી જોઈએ તેનું માર્ગદર્શન મળશે.
પ્રીતિ – જી..સર...ચોક્કસ.. સર initially stageમાં મને બહુ જ વધારે lethargy, એટલે કે સુસ્તી જેવું લાગતું અને ત્યારબાદ મારા ગળામાં થોડી ખરાશ થવા લાગી. તો પછી મને લાગ્યું તો ખરું કે આ symptoms તો છે તો મેં ટેસ્ટ કરાવ્યો. બીજા દિવસે રિપોર્ટ આવ્યા બાદ જેવો તે પોઝીટિવ આવ્યો, મેં મારી જાતને quarantine કરી લીધી. એક રૂમમાં આઈસોલેટ કરીને ડોક્ટર્સ સાથે મેં કન્સલ્ટ કર્યું. તેમની medication start કરી દીધું.
મોદી જી – તો તમારા quick action ને કારણે તમારો પરિવાર બચી ગયો.
પ્રીતિ – જી સર...પછી તો બધાનો રિપોર્ટ કરાવ્યો હતો. બાકી બધા નેગેટિવ હતા. હું જ પોઝિટીવ હતી. તેની પહેલાં જ મેં મારી જાતને આઈસોલેટ કરી લીધી હતી એક રૂમની અંદર. પોતાની જરૂરિયાતનો બધો સામાન સાથે રાખીને, પોતાની જાતે જ એક રૂમમાં બંધ થઈ ગઈ હતી. અને તેની સાથે-સાથે મેં ડોક્ટર સાથે medication start કરી દીધી.
સર મેં મેડિકેશનની સાથેસાથે મેં યોગ, આયુર્વેદિક અને મેં આ બધું શરૂ કર્યું અને સાથે મેં કાવો પણ લેવાનો શરૂ કર્યો હતો. Immunity boost કરવા માટે સર હું દિવસમાં મતલબ જ્યારે પણ ભોજન કરતી હતી તેમાં મેં healthy food જે protein rich diet હતું તે લીધું. મેં ઘણું વધારે fluid લીધું, મેં steam લીધી, gargle કર્યું અને ગરમ પાણી લીધું. હું આખો દિવસ આ જ બધી વસ્તુઓ મારા જીવનમાં લેવા લાગી. અને સર આ દિવસોમાં તો, સૌથી મોટી વાત હું કહેવા માંગીશ, ગભરાવું તો જરા પણ નહીં. બહુ જ mentally strong બનવાનું છે જેને માટે હું યોગમાં બહુ જ વધારે breathing exercise કરતી હતી અને તે કરવાથી મને સારું લાગતું હતું.
મોદી જી – હા..અચ્છા પ્રીતિ જી જ્યારે હવે તમારી આ આખી process પૂરી થઈ ગઈ. આપ સંકટમાંથી બહાર આવી ગયા.
પ્રીતિ – હા..જી
મોદી જી – હવે તમારો ટેસ્ટ પણ નેગેટિવ આવી ગયો છે
પ્રીતિ – હા....જી સર
મોદી જી – તો પછી આપ આપના સ્વાસ્થ્ય માટે, તેની દેખભાળ માટે અત્યારે શું કરો છો?
પ્રીતિ – સર... એક તો મેં યોગ બંધ નથી કર્યા.
મોદી જી – હા
પ્રીતિ – ઠીક છે...હું હજુ પણ કાવો પીવું છું અને પોતાની ઈમ્યૂનિટી બૂસ્ટ રાખવા માટે હું સારું હેલ્ધી ફૂડ ખાઉં છું અત્યારે.
મોદી જી – હા
પ્રીતિ – જે હું બહુ જ પોતાની જાતને neglect કરી દેતી હતી, તેના પર વધારે ધ્યાન આપી રહી છું.
મોદી જી – ધન્યવાદ પ્રીતિ જી..
પ્રીતિ - Thank you so much sir.
મોદી જી – આપે જે જાણકારી આપી, મને લાગે છે કે તે ઘણાં બધા લોકોને કામ આવશે. તમે સ્વસ્થ રહો, તમારા પરિવારના લોકો સ્વસ્થ રહે, મારી આપને ઘણી ઘણી શુભેચ્છાઓ.
મારા વહાલા દેશવાસીઓ, આજે આપણા તબીબી ક્ષેત્રના લોકોની જેમ, Frontline Workers પણ દિન-પ્રતિદિન સેવા કાર્યમાં રોકાયેલા છે. તેવી જ રીતે સમાજના અન્ય લોકો પણ આ સમયે પાછળ નથી. દેશ ફરી એકવાર કોરોના સામે સંયુક્ત રીતે લડી રહ્યો છે. આ દિવસોમાં, હું જોઉં છું કે કોઈ Quarantine માં રહેતા પરિવારોને દવાઓ પહોંચાડે છે, કોઈ શાકભાજી, દૂધ, ફળો વગેરે મોકલી રહ્યું છે. કોઈ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની મફત સેવાઓ આપી રહ્યું છે. આ પડકારજનક સમયમાં દેશના જુદા જુદા ખૂણાઓમાં પણ સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી રહી છે અને અન્યોને મદદ કરવા જે પણ થઇ શકે તે પ્રયાસ કરી રહી છે. આ વખતે ગામોમાં પણ નવી જાગૃતિ જોવા મળી રહી છે. કોવિડના નિયમોનું સખત પાલન કરીને, લોકો તેમના ગામને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યાં છે, બહારથી આવતા લોકો માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરમાં પણ કેટલાય યુવાનો સામે આવ્યા છે, જે પોતાના વિસ્તારમાં કોરોનાના કેસ ન વધે તેને માટે સ્થાનિક નિવાસીઓ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે એક તરફ દેશ દિવસ-રાત હોસ્પિટલ, વેન્ટિલેટર્સ અને દવાઓ માટે કામ કરી રહ્યો છે તો બીજી બાજુ, દેશવાસીઓ પણ સ્વેચ્છાએ કોરોનાના પડકારનો સામનો કરી રહ્યા છે. આ ભાવના આપણને કેટલી તાકાત આપે છે, કેટલો વિશ્વાસ આપે છે. આ જે પણ પ્રયાસો થઈ રહ્યા છે, સમાજની બહુ મોટી સેવા છે. તે સમાજની શક્તિ વધારે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે 'મન કી બાત' ની આખી ચર્ચા કોરોના રોગચાળા પર રાખી, કારણ કે, આજે આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે, આ રોગને હરાવવાની. આજે ભગવાન મહાવીર જયંતિ પણ છે. આ પ્રસંગે, હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. ભગવાન મહાવીરનો સંદેશો આપણને તપ અને આત્મ સંયમની પ્રેરણા આપે છે. હમણાં પવિત્ર રમજાન માસ પણ ચાલી રહ્યો છે. હવે બુદ્ધ પૂર્ણિમા પણ આવશે.
ગુરુ તેગબહાદુર જીનું 400મું પ્રકાશ પર્વ પણ છે. એક મહત્વપૂર્ણ દિવસ પોચિશે બોઈશાક – ટાગોર જયંતિનો છે. આ બધું આપણને આપણું કર્તવ્ય નિભાવવાની પ્રેરણા આપે છે. એક નાગરિક તરીકે આપણે આપણા જીવનમાં જેટલી કુશળતા સાથે આપણા કર્તવ્યોને નિભાવશું, સંકટથી મુક્ત થઈને ભવિષ્યના રસ્તા પર તેટલી જ ઝડપથી આગળ વધીશું. તેવી આશા સાથે હું આપ બધાને ફરી એકવાર આગ્રહ કરું છું કે વેક્સિન આપણે બધાએ લેવાની જ છે અને સંપૂર્ણ સાવધાની પણ રાખવાની છે. દવા પણ અને કડકાઈ પણ... આ મંત્રને ક્યારેય ભૂલવાનો નથી. આપણે બહુ જલ્દી સાથે મળીને આ મુશ્કેલીમાંથી બહાર આવીશું. એ જ વિશ્વાસ સાથે આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર....

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આ વખતે, જયારે હું મનકી બાત માટે જે પણ પત્રો આવે છે, ટીપ્પણીઓ આવે છે, જાત-જાતના ઇન્ – પુટ્સ મળે છે, તેમના ઉપર નજર ફેરવી રહ્યો હતો, તો કેટલાય લોકોએ એક બહુ મહત્વની વાત યાદ કરી. માય ગોવ પર આર્યન, બેંગલુરૂથી અનૂપ રાવ, નોયડાથી દેવેશ, થાણેથી સુજીત, આ બધાંએ કહ્યું કે મોદીજી આ વખતે મનકી બાતની પંચોતેરમી કડી છે. એ માટે આપને અભિનંદન. હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપે આટલી બારીકાઇથી મનકી બાદને ફોલો કરી છે અને આપ જોડાયેલા રહ્યા છો. આ મારા માટે પણ બહુ જ ગર્વની બાબત છે. આનંદની બાબત છે, મારા તરફથી પણ આપને ધન્યવાદ છે જ, સાથે મનકી બાતના બધા શ્રોતાઓનો પણ આભાર વ્યક્ત કરૂં છું, કેમ કે આપના સાથ વિના આ સફર શક્ય જ નહોતી. એવું લાગે છે, જાણે આ કાલની જ વાત હોય, જયારે આપણે સૌએ સાથે મળીને આ વૈચારિક સફર શરૂ કરી હતી. ત્યારે 3 ઓકટોબર 2014ના રોજ વિજયદશમીનું પાવન પર્વ હતું અને સંજોગ જુઓ કે આજે હોલિકા દહન છે. ‘એક દીવાથી પ્રગટે બીજો, અને રાષ્ટ્ર રોશન થાય આપણું’ – આ ભાવનાથી ચાલતાં – ચાલતાં આપણે આ મઝલ કાપી છે. આપણે દેશના ખૂણેખૂણેથી લોકો સાથે વાત કરી અને તેમનાં અસામાન્ય કાર્યો વિષે જાણ્યું છે. આપણે પણ અનુભવ કર્યો હશે કે આપણા દેશના અંતરિયાળ ખૂણામાં પણ કેટલી અભૂતપૂર્વ ક્ષમતા પડેલી છે! ભારત માતાના ખોળામાં કેવાં કેવાં રત્નો ઉછરી રહ્યાં છે. મારા માટે તો તે પોતે પણ સમાજ પ્રત્યે જોવાનો, સમાજને જાણવાનો, સમાજના સામર્થ્યને ઓળખવાનો એક અદભૂત અનુભવ રહ્યો છે. આ 75 હપ્તાઓ(કડીઓ) દરમ્યાન કેટ-કેટલા વિષયોમાં પસાર થવાનું રહ્યું!? કયારેક નદીની વાત, તો કયારેક હિમાલયના શીખરોની વાત, તો ક્યારેક રણની વાત, કયારેક કુદરતી આફની વાત, તો કયારેક માનવ-સેવાની અગણિત ગાથાઓની અનુભૂતિ, કયારેક ટેકનોલોજીની નવી શોધ, તો કયારેક કોઇ અજાણ્યા ખૂણામાં, કંઇક નવું કરી બતાવનારા કોઇના અનુભવની ગાથા. હવે તમે જ જુઓ, શું સ્વચ્છતાની વાત હોય, કે પછી આપણા વારસાના જતનની ચર્ચા હોય, એટલું જ નહીં, રમકડાં બનાવવાની વાત હોય, તેમાં શું શું નહોતું!? કદાચ, (ગણતરી કરીએ કે) કેટલા વિષયોને આપણે સ્પર્શ્યા છીએ, તો તે પણ કદાય અગણિત બની જશે. (ગણ્યા ગણાય નહીં તેટલા હશે.) આ દરમ્યાન, જેમણે ભારતના ઘડતરમાં અતુલ્ય યોગદાન આપ્યું છે તેવી મહાન વિભૂતીઓને સમય-સમય પર શ્રદ્ધાંજલિ આપી, તેમના વિષે જાણ્યું છે. આપણે લોકોએ કેટલાય વૈશ્વિક મુદ્દા ઉપર પણ વાત કરી, તેમાંથી પ્રેરણા લેવાના પ્રયત્નો કર્યા છે. કેટલીયે બાબતો તમે મને બતાવી, કેટલાય ideas આપ્યા. આ રીતે આ વિચાર યાત્રામાં તમે સાથે-સાથે ચાલતા રહ્યા, જોડાતા રહ્યા અને કંઇકને કંઇક નવું ઉમેરતા પણ રહ્યા. આજે આ 75મી કડીના પ્રસંગે સૌથી પહેલા મનકી બાતને સફળ બનાવવા બદલ, સમૃદ્ધ કરવા બદલ અને તેની સાથે જોડાયેલા રહવા બદલ, હું દરેક શ્રોતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.
મારા વ્હાલા દેશવાલીઓ, જુઓ કેટલો મોટો સુખદ સંયોગ છે કે આજે મને 75મી મનકી બાત કરવાની તક અને આ જ મહિનો આઝાદીના 75 વર્ષના ‘અમૃત મહોત્સવ’ના આરંભનો મહિનો. અમૃત મહોત્સવ દાંડીકૂચના દિવસથી શરૂ થયો હતો અને 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. અમૃત મહોત્સવને લગતા કાર્યક્રમો સતત પૂરા દેશમાં થઇ રહ્યા છે. અલગ અલગ સ્થળોથી આ કાર્યક્રમોની તસવીરો, માહિતી લોકો share કરી રહ્યા છે, નમો એપ પર એવી જ કેટલીક તસવીરોની સાથે ઝારખંડના નવીનજીએ મને એક સંદેશો મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે તેમણે અમૃત મહોત્સવના કાર્યક્રમો જોયા અને નક્કી કર્યું કે તેઓ પણ સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલાં ઓછામાં ઓછાં 10 સ્થાને જશે. તેમની યાદીમાં પહેલું નામ, ભગવાન બિરસા મુંડાના જન્મસ્થાનનું છે. નવીનજીએ લખ્યું છે કે ઝારખંડના આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓની ગાથાઓ તેઓ દેશના બીજા ભાગોમાં પણ પહોંચાડશે. ભાઇ નવીન, તમારા આ વિચાર માટે હું તમને અભિનંદન આપું છું.
સાથીઓ, કોઇ સ્વતંત્રતા સેનાનીની સંઘર્ષ કથા હોય, કોઇ સ્થળનો ઇતિહાસ હોય, દેશની કોઇક સંસ્કૃતિક ગાથા હોય, અમૃત મહોત્સવ દરમ્યાન આપ તેને દેશ સમક્ષ લાવી શકો છો. દેશવાસીઓને તેની સાથે જોડવાનું માધ્યમ બની શકો છો. તમે જોજો, જોત-જોતામાં અમૃત મહોત્સવ આવાં કેટલાંય પ્રેરણાદાયક અમૃતબિંદુઓથી ભરાઇ જશે, અને પછી એવી અમૃતધારા વહેશે જે આપણને આઝાદીનાં સો વર્ષ સુધી પ્રેરણા આપતી રહેશે. દેશને નવી ઉંચાઇએ લઇ જશે, કંઇકને કંઇક કરવાનો જુસ્સો જન્માવશે. સ્વતંત્રતા સંગ્રામમાં આપણા સેનાનીઓએ અનેક કષ્ટ એટલા માટે સહ્યાં, કેમ કે, તેઓ દેશ માટે ત્યાગ અને બલિદાનને પોતાનું કર્તવ્ય સમજતા હતા. તેઓના ત્યાગ અને બલિદાનની અમરકથાઓ હવે આપણને કર્તવ્ય માર્ગ માટે સતત પ્રેરિત કરે અને જેમ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે :
નિયતમ્ કુરૂ કર્મ ત્વમ્,
કર્મ જયાયો હયકર્મણ:
તેમ, તે જ ભાવથી, આપણે બધાં, પોતાનાં નિયત કર્તવ્યોનું પૂરી નિષ્ઠાથી પાલન કરીએ. અને આઝાદીના અમૃત મહોત્સવનો અર્થ જ એ છે કે આપણે નવા સંકલ્પો કરીએ. તે સંકલ્પોને સિદ્ધ કરવા માટે તન-મનથી મચી પડીએ અને સંકલ્પો એવા હોય કે જે સમાજની ભલાઇના હોય, દેશના ભલા માટેના હોય, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટેના હોય. અને સંકલ્પ એવો હોય કે જેમાં મારે, પોતાના ભાગે, ખુદે કંઇકને કંઇક કરવાનું હોય, મારૂં પોતાનું કર્તવ્ય જોડાયેલું હોય. મને વિશ્વાસ છે, ગીતાને જીવવાનો આ સોનેરી અવસર, આપણા લોકો પાસે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ગયા વર્ષે આ માર્ચનો જ મહિનો હતો, દેશે પહેલી વાર, જનતાકર્ફ્યૂ શબ્દ સાંભળ્યો હતો. પરંતુ આ મહાન દેશની મહાન પ્રજાની, મહાશક્તિનો અનુભવ જુઓ. જનતા કરફયુ પૂરા વિશ્વ માટે એક આશ્ચર્ય બની ગયો હતો. શિસ્તનું એ અભૂતપૂર્વ ઉદાહરણ હતું. ભાવી પેઢીઓ આ એક વાતને લઇને ચોક્કસ ગર્વ લેશે. એ જ રીતે આપણા કોરોના વોરિયર્સ(યોદ્ધાઓ) પ્રત્યે સન્માન, આદર, થાળી વગાડવી, તાળી પાડવી, દિવા પ્રગટાવવાને ગણાય.. તમને ખ્યાલ નથી કે કોરોના વોરિયર્સના દિલોને તે કેટલું સ્પર્શી ગ્યું હતું ! અને આજ કારણ છે કે તેઓ આખું વરસ, થાક્યા વગર, અટક્યા વિના, (સેવા કરતા રહ્યા) અડગ રગ્યા. દેશના એકેએક નાગરિકનું જીવન બચાવવા તન-મનથી ઝઝૂમતા રહ્યા. ગયા વર્ષે આ સમયે સવાલ હતો કે કોરોનાની રસી ક્યાં સુધીમાં આવશે ? સાથીઓ, આપણા બધાં માટે ગર્વની બાબત છે કે આજે ભારત, દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યો છે. રસીકરણ કાર્યક્રમની તસવીરો વિષે મને ભૂવનેશ્વરનાં પુષ્પા શુકલાજીએ લખ્યું છે. તેમનું કહેવું છે કે ઘરનાં વડીલો-વૃદ્ધોમાં રસીને લઇને જે ઉત્સાહ જોવા મળે છે, તેની ચર્ચા હું મનકી બાતમાં કરૂં. વાત સાચી પણ છે સાથીઓ, દેશના ખૂણેખૂણાથી આપણે એવા સમાચાર સાંભળીએ છીએ, એવી તસવીરો જોઇ રહ્યાં છીએ જે આપણા હૃદયને સ્પર્શી જાય છે. ઉત્તરપ્રદેશના જૌનપુરના 109 વર્ષના વયોવૃદ્ધ માજી રામદુલૈયાજીએ રસી લીધી છે. એ જ રીતે દિલ્હીમાં પણ 107 વર્ષનાં કેવલકૃષ્ણાજીએ, વેક્સિનનો ડોઝ લીધો છે. હૈદરાબાદમાં 100 વરસના જય ચૌધરીજીએ રસી મૂકાવી છે અને સૌને અપીલ પણ છે કે રસી અવશ્ય લો. ટ્વીટર-ફેસબુક પર પણ હું જોઇ રહ્યો છું કે કેવી રીતે લોકો પોતાના ઘરનાં વડિલોને રસી અપાવ્યા પછી તેમના ફોટો અપલોડ કરી રહ્યાં છે. કેરળના એક યુવાન, આનંદન નાયરે તો તેને એક નવો શબ્દ આપ્યો છે – ‘વેક્સિન સેવા’. એવા જ સંદેશ દિલ્હીથી શિવાની, હિમાચલથી હિમાંશું અને અન્ય કેટલાય યુવાનોએ પણ મોકલ્યા છે. હું, આપ સૌ શ્રોતાઓના આ વિચારોની પ્રશંશા કરું છું. આ બધાં વચ્ચે કોરોના સામેની લડાઇનો મંત્ર પણ ચોક્કસ યાદ રાખો કે – દવા પણ – સખ્તાઇ પણ. અને ‘ મારે ફક્ત બોલવાનું છે ’ એવું નહિં. આપણે જીવવાનું પણ છે. બોલવાનું પણ છે, કહેવાનું પણ છે અને લોકોનેય ‘ દવા પણ – કડકાઇ પણ ’ એ માટે કટીબદ્ધ કરતા રહેવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, મારે આજે ઇન્દોરનાં રહેવાસી સૌમ્યાજીને ધન્યવાદ આપવા છે. તેમણે એક વિષય પ્રત્યે મારૂં ધ્યાન ખેંચ્યું છે, અને તેનો ઉલ્લેખ મનકી બાતમાં કરવાનું કહ્યું છે. આ વિષય છે – ભારતનાં ક્રિકેટર મીતાલી રાજજીનો નવો રેકોર્ડ. મિતાલીજી તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ હજાર રન બનાવનારાં પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બન્યાં છે. તેમની આ સિદ્ધિ બદલ તેમને ખૂબખૂબ અભિનંદન. (વન ડે ઇન્ટરનેશનલ) એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં સાત હજાર રન કરનારાં પણ તેઓ એકમાત્ર આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડી છે. મહિલા ક્રિકેટ ક્ષેત્રે તેમનું યોગદાન બહુ શાનદાર છે. બે દાયકાથી વધુની કારકિર્દીમાં મિતાલી રાજજીએ હજારો – લાખોને પ્રેરિક કર્યા છે. તેમના કઠોર પરિશ્રમ અને સફળતાની ગાથા, માત્ર મહિલા ક્રિકેટરો માટે જ નહિં, બલ્કે પુરૂષ ક્રિકેટરો માટે પણ એક પ્રેરણા છે.
સાથીઓ, એ વાત પણ રસપ્રદ છે કે આ જ માર્ચના મહિનામાં આપણે જયારે મહિલા દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે અનેક મહિલા ખેલાડીઓએ ચંદ્રકો અને વિક્રમો પોતાના નામે કર્યા છે. દિલ્હીમાં નિશાનેબાજીમાં આયોજીત ISSF વિશ્વકપમાં ભારત ટોચ પર રહ્યું. સુવર્ણચંદ્રકની સંખ્યાની બાબતમાં ભારતે બાજી મારી. ભારતનાં મહિલા અને પુરૂષ નિશાનેબાજોના શાનદાર પ્રદર્શનના કારણે જ આ શક્ય બની શક્યું. તેની વચ્ચે પી.વી.સિંધુજીએ BWF સ્વીસ ઓપન સુપર 300 ટુર્નામેન્ટમાં રજતચંદ્રક જીત્યો છે. આજે શિક્ષણથી લઇને ઉદ્યોગસાહસિકતા સુધી, સશસ્ત્ર સેનાથી લઇને વિજ્ઞાન અને ટેકનોલોજી સુધી, દરેક જગ્યાએ દેશની દીકરીઓ પોતાની અલગ ઓળખ ઉભી કરી રહી છે, મને વધારે આનંદ એ વાતનો છે કે દીકરીઓ, રમતોમાં પોતાનો એક નવો મુકામ સ્થાપી રહી છે. વ્યાવસાયિક પસંદના રૂપમાં રમતગમત એક નવી પસંદ બનીને ઉપસી રહી છે.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા સમય પહેલાં યોજાયેલી વહાણવટા ભારત શિખર પરિષદ તમને યાદ છે ને ? આ શિખર પરિષદમાં મેં શું કહ્યું હતું, તે તમને યાદ છે ? સ્વાભાવિક છે આટલા બધા કાર્યક્રમો યોજાતા રહે છે, આટલી બધી બાબતો બનતી રહે છે, તેમાં દરેક બાબત ક્યાં યાદ રહે છે ? અને એટલું ધ્યાન પણ કયાં જાય છે ? આ સ્વાભાવિક છે. પરંતુ, મને સારૂં લાગ્યું કે મારા એક આગ્રાહને ગુરૂપ્રસાદજીએ બહુ રસ લઇને આગળ વધાર્યો છે. આ શિખર સંમેલનમાં મેં દેશના દીવાદાંડી સંકુલોની આસપાસ પ્રવાસન સુવિધાઓ વિકસાવવા બાબતે વાત કરી હતી. ગુરૂપ્રસાદજીએ તમિલનાડુની બે દિવાદાંડી – ચેન્નાઇ લાઇટ હાઇસ અને મહાબલીપુરમ લાઇટ હાઉસની પોતાની 2019ની મુલાકાતના અનુભવો જણાવ્યા છે. તેમણે બહુ રસપ્રદ હકીકતો જણાવી છે, જે મનકી બાત સાંભળનારાને પણ નવાઇ પમાડશે. જેમ કે, ચેન્નાઇ લાઇટ હાઉસ દુનિયાની પસંદગીની દિવાદાંડીઓમાંથી એક છે જેમાં એલિવેટર ઉપલબ્ધ છે, એટલું જ નહિં, ભારતનું તે એકમાત્ર લાઇટહાઉસ છે, જે શહેરની સરહદની અંદર આવેલું છે. તેમાં વીજળી માટે સૌર પેનલ લગાવેલી છે. ગુરૂપ્રસાદજીએ દિવાદાંડીના વિરાસત સંગ્રહાલય વિષે પણ વાત કરી, જે દરિયાઇ માર્ગ પરિવહનના ઇતિહાસને પણ સામે લાવે છે. આ સંગ્રહાલયમાં તેલથી સળગતી મોટી મોટી બત્તીઓ, કેરોસીનની બત્તીઓ, પેટ્રોલિયમ ગેસ અને જૂના સમયમાં વપરાતા વીજળીના ગોળા પ્રદર્શિત કરેલા છે. ભારતની સૌથી પ્રાચીન મહાબલીપુરમ લાઇટ હાઇસ વિષે પણ ગુરૂપ્રસાદજીએ સવિસ્તર લખ્યું છે. એમનું કહેવું છે કે દિવાદાંડીની બાજુમાં સેંકડો વર્ષ પહેલાં પલ્લવ રાજા મહેન્દ્ર વર્મન પ્રથમ દ્વારા બનાવવામાં આવેલું ઉન્નાકનેસ્વરા મંદિર છે.
સાથીઓ, મનકી બાત દરમ્યાન, મેં પ્રવાસનના વિવિધ પાસાંઓ વિષે અનેક વખત વાત કરી છે. પરંતુ આ દિવાદાંડીઓ પ્રવાસનની દ્રષ્ટિએ અજોડ હોય છે. પોતાની ભવ્ય બાંધણીના કારણે દિવાદાંડીઓ હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં પણ 71 દિવાદાંડીઓ અલગ તારવવામાં આવી છે. આ તમામ દિવાદાંડીઓમાં તેમની ક્ષમતા મુજબ સંગ્રહાલય, એમ્ફી થિયેટર, ઓપન એર થિયેટર, અલ્પાહારગૃહ, બાળઉદ્યાન, પર્યાવરણ સાનુકૂળ નિવાસગૃહો અને કુદરતી સૌંદર્ય સ્થળ તેયાર કરવામાં આવશે. જયારે દિવાદાંડીની વાત થઇ રહી છે તો હું એક અજોડ દિવાદાંડી વિષે આપને પણ જણાવવા ઇચ્છીશ. આ દિવદાંડી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝિંઝુવાડા નામના એક ગામમાં છે. જાણો છો ? આ દિવાદાંડી કેમ ખાસ છે ? ખાસ એટલા માટે છે કે જયાં આ દિવાદાંડી આવેલી છે, ત્યાંથી હાલ દરિયાકિનારો સો કિલોમીટરથી પણ વધારે દૂર છે. તમને આ ગામમાં એવા પથ્થર પણ મળી જશે, જે એવું સૂચવે છે કે અહીં કયારેક એક વ્યસ્ત બંદર આવેલું હશે. એનો અર્થ એ થયો કે પહેલાં દરિયાકિનારો છેક ઝીંઝુવાડા સુધી હતો. સમુદ્રનું ઘટવું, વધવું, પાછા ખસવું, આટલે દૂર જતું રહેવું, એ પણ તેનું એક સ્વરૂપ છે. આ જ મહિને જાપાનમાં આવેલી વિકરાઇ સુનામીને 10 વરસ પૂરાં થઇ રહ્યાં છે. એ સુનામીમાં હજારો લોકોના જીવ ગયા હતા. એવી જ એક સુનામી ભારતમાં 2004માં આવી હતી. સુનામી દરમિયાન આપણે આપણી દિવાદાંડીમાં કામ કરનારા 14 કર્મચારીઓને ગુમાવ્યા હતા. આંદામાન નિકોબારમાં અને તામિલનાડુમાં દિવાદાંડી પર તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. સખત મહેનત કરનારા આપણા આ લાઇટ કિપર્સને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું, અને લાઇટ કિપર્સના કામની ભરપૂર પ્રશંસા કરૂં છું.
પ્રિય દેશવાસીઓ, જીવનના દરેક ક્ષેત્રમાં નવીનતા, આધુનિકતા અનિવાર્ય હોય છે. નહિંતર એ જ બાબત કોઇકોઇ વાર આપણા માટે બોજ બની જાય છે. ભારતના કૃષિજગતમાં આધુનિકતા એ સમયની માંગ છે. ઘણું મોડું થઇ ચૂક્યું છે. આપણે ઘણો સમય ગુમાવી ચૂક્યા છીએ. ખેતીક્ષેત્રમાં રોજગારીની નવી તકો પેદા કરવા માટે, ખેડૂતોની આવક વધારવા માટે, પરંપરાગત ખેતીની સાથે જ, નવા વિકલ્પો, નવીનવી શોધોને અપનાવવાનું પણ એટલું જ જરૂરી છે. શ્વેતક્રાંતિ દરમ્યાન દેશે આ અનુભવ કરેલો છે. મધમાખી પાલન દેશમાં મધક્રાંતિ અથવા મધુર ક્રાંતિનો આધાર બની રહ્યું છે. બહુ મોટી સંખ્યામાં ખેડૂતો તેની સાથે જોડાઇ રહ્યા છે. કંઇક નવીન(Innovation) કરી રહ્યા છે. જેમ કે, પશ્ચિમ બંગાળના દાર્જીલિંગમાં એક ગામ છે, ગુરદુમ. પર્વતોની આટલી ઉંચાઇ ભૌગોલિક તકલીફો પરંતુ ત્યાંના લોકોએ મધમાખી પાલનનું કામ શરૂ કર્યું, અને આજે આ જગ્યાએ બનેલા મધની સારી માંગ થઇ રહી છે. તેનાથી ખેડૂતોની આવક પણ વધી રહી છે. પશ્ચિમ બંગાળના જ સુંદરવન ક્ષેત્રનું કુદરતી ઓર્ગેનિક મધ તો દેશ અને દુનિયામાં પસંદ કરવામાં આવે છે. આવો જ એક વ્યક્તિગત અનુભવ મને ગુજરાતનો પણ છે. ગુજરાતના બનાસકાંઠામાં વર્ષ 2016માં એક આયોજન થયું હતું. તે કાર્યક્રમમાં મેં લોકોને કહ્યું કે, અહિં એટલી બધી શક્યતા છે, તો શા માટે બનાસકાંઠા અને આપણા અહિંના જ ખેડૂતો મધુરક્રાંતિનું નવું પ્રકરણ ન લખે ? અને તમને જાણીને આનંદ થશે કે, આટલા ઓછા સમયમાં બનાસકાંઠા મધ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આજે બનાસકાંઠાના કિસાનો મધમાંથી દર વર્ષે લાખો રૂપિયા કમાઇ રહ્યા છે. એવું જ એક ઉદાહરણ હરિયાણાના યમુનાનગરનું પણ છે. યમુનાનગરમાં ખેડૂતો મધમાખી પાલન કરીને દર વર્ષે સેંકડો ટન મધ પેદા કરે છે, પોતાની આવક વધારી રહ્યા છે. ખેડૂતોની આ મહેનતના પરિણામે જ દેશમાં મધનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. અને વાર્ષિક લગભગ સવા લાખ ટન ઉપર પહોંચ્યું છે. તેમાંથી મોટા પ્રમાણમાં મધ વિદેશમાં નિકાસ પણ થઇ રહ્યું છે.
સાથીઓ, મધમાખી પાલનમાં માત્ર મધમાંથી જ આવક નથી થતી, પરંતુ મધપૂડાનું મીણ પણ આવકનું બહુ મોટું માધ્યમ છે. ઔષધ ઉદ્યોગ, ખાધાન્ન ઉદ્યોગ, કાપડ અને કોસ્મેટિકસ ઉદ્યોગ એમ દરેક જગ્યાએ આ મીણની માંગ છે. આપણો દેશ હાલ તો મીણની આયાત કરે છે. પરંતુ આપણા ખેડૂતો હવે આ સ્થિતિ ઝડપથી બદલી રહ્યા છે. એટલે કે, એક રીતે આત્મનિર્ભર ભારત અભિયાનમાં મદદ કરી રહ્યા છે. આજે તો પૂરી દુનિયા આયુર્વેદ અને પ્રાકૃતિક સ્વાસ્થ્ય ઉત્પાદનો તરફ મીટ માંડી રહી છે. એવામાં મધની માંગ વધુ ઝડપથી વધી રહી છે. હું ઇચ્છું છું કે, દેશના વધુને વધુ ખેડૂતો પોતાની ખેતીની સાથે સાથે મધમાખી પાલનના વ્યવસાયમાં પણ જોડાય. તે ખેડૂતોની આવક પણ વધારશે, અને તેમના જીવનમાં મીઠાશ પણ ઘોળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, હજી થોડા દિવસ પહેલાં જ World Sparrow Day મનાવવામાં આવ્યો. Sparrow એટલે ગોરૈયા, કયાંક તેને ચકલી કહે છે, કયાંચ ચિમની કહે છે, કયાંક ધાન ચીરીકા પણ કહેવામાં આવે છે. પહેલા આપણા ઘરોમાં દિવાલો પર આસપાસના વૃક્ષો પર ચકલી ચહેકતી રહેતી હતી. પરંતુ હવે લોકો ચકલીને એમ કહીને યાદ કરે છે કે, ગયે વખતે વર્ષો પહેલાં ચકલીને જોઇ હતી. આજે તેને બચાવવા માટે આપણે પ્રયાસ કરવા પડે છે. બનારસના મારા એક સાથી ઇન્દ્રપાલસિંહ બત્રાજીએ એવું કામ કર્યું છે કે, જેને હું મનકી બાતના શ્રોતાઓને અવશ્ય જણાવવા ઇચ્છું છું. બત્રાજીએ પોતાના ઘરને ચકલીનું નિવાસસ્થાન બનાવી દીધું છે. તેમણે પોતાના ઘરમાં લાકડાના એવા માળા બનાવ્યા જેમાં ચકલી આરામથી રહી શકે. આજે બનારસના કેટલાય ઘર આ ઝુંબેશ સાથે જોડાઇ રહ્યા છે. તેનાથી ઘરોમાં એક અદભૂત પ્રાકૃતિક વાતાવરણ પણ બની ગયું છે. હું ઇચ્છું છું કે, પ્રકૃતિ, પર્યાવરણ, પ્રાણી, પક્ષી જેમના માટે પણ બની શકે, ઓછા વત્તા પ્રયાસો આપણે પણ કરવા જોઇએ. એવા જ એક સાથી છે, બિજયકુમાર કાબી જી. બિજયજી ઓડિશાના કેન્દ્રપાડાના રહેવાસી છે. કેન્દ્રપાડા સમુદ્રના કિનારે આવેલું છે. એટલે આ જીલ્લાના કેટલાય ગામ એવા છે, જેના પર સમુદ્રના ઉંચા મોજા અને વાવાઝોડાનો ખતરો રહે છે. તેનાથી કેટલીયવાર ઘણું નુકસાન પણ થાય છે. બિજયજીને થયું કે, જો આ કુદરતી આફતને કોઇ રોકી શકે છે, તો તે પ્રકૃતિ જ રોકી શકે છે. બસ પછી તો, બિજયજીએ બડાકૌટ ગામથી પોતાનું અભિયાન શરૂ કર્યું. તેમણે 12 વર્ષ ! સાથીઓ 12 વર્ષ ! મહેનત કરીને ગામની બહાર સમુદ્ર બાજુ 25 એકરનું ચેરનું જંગલ ઉભું કરી દીધું. આજે આ જંગલ આ ગામની સુરક્ષા કરી રહ્યું છે. એવું જ કામ ઓડીશાના જ પારાદીપ જીલ્લામાં એક એન્જિનિયર અમરેશ સામંતજીએ પણ કર્યું છે. અમરેશજીએ નાના નાના જંગલ ઉછેર્યા છે. તેનાથી આજે કેટલાય ગામોનો બચાવ થઇ રહ્યો છે. સાથીઓ, આ રીતના કામોમાં જો આપણે સમાજને સાથે જોડી દઇએ તો, મોટા પરિણામ આવે છે. જેમ કે, તમિલનાડુના કોયમ્બતૂરમાં બસ કંડકટરનું કામ કરતા મરીમુથ્થુ યોગનાથનજી છે. યોગનાથનજી પોતાની બસના મુસાફરોને ટીકીટ તો આપે છે, સાથે એક છોડ પણ મફત આપે છે. આ રીતે યોગનાથનજી કોણ જાણે કેટલા રોપા વવડાવી ચૂક્યા છે. યોગનાથનજી પોતાના વેતનનો સારો એવો ભાગ આ કામમાં ખર્ચ કરતા આવ્યા છે. હવે, આ સાંભળ્યા પછી એવો કયો નાગરિક હશે કે જે, મરીમુથ્થુ યોગનાથનજીના કામની પ્રશંસા ન કરે. હું પણ ખરા દીલથી તેમના આ પ્રયાસોને ખૂબ અભિનંદન આપું છું. તેમના આ પ્રેરક કાર્ય માટે.
મારા વ્હાલા દેશવાસીઓ, waste માંથી wealth એટલે કે, કચરામાંથી કંચન બનાવવા વિષે આપણે બધાએ જોયું પણ છે, સાંભળ્યું પણ છે, અને આપણે પણ બીજાને જણાવતા રહીએ છીએ. કંઇક એ જ રીતે કચરાને મૂલ્યમાં બદલવાનું પણ કામ કરાઇ રહ્યું છે. આવું જ એક ઉદાહરણ કેરળના કોચ્ચીની સેન્ટ ટેરેસા કોલેજનું છે. મને યાદ છે કે, 2017માં હું આ કોલેજના કેમ્પસમાં એક પુસ્તકપઠન પર આધારીત કાર્યક્રમમાં સામેલ થયો હતો. આ કોલેજના વિદ્યાર્થીઓ પુનઃ વાપરી શકાય તેવા રમકડાં બનાવે છે. તે પણ ખૂબ સર્જનાત્મક રીતે. આ વિદ્યાર્થીઓ જૂના કપડાં, ફેંકી દીધેલા લાકડાના ટુકડા, થેલીઓ અને ખોખાઓનો ઉપયોગ રમકડાં બનાવવામાં કરી રહ્યાં છે. કોઇ વિદ્યાર્થી (puzzle)પઝલ બનાવે છે. તો કોઇ કાર અને ટ્રેન બનાવી રહ્યું છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન આપવામાં આવે છે કે, રમકડાં સલામત હોવાની સાથોસાથ child friendly પણ હોય. અને આ પૂરા પ્રયાસની એક સારી વાત એ પણ છે કે, આ રમકડાં આંગણવાડીના બાળકોને રમવા માટે આપવામાં આવે છે. આજે જ્યારે ભારત રમકડાંના ઉત્પાદનમાં સારૂં એવું આગળ વધી રહ્યું છે, ત્યારે vaste માંથી value નું આ અભિયાન, આ અભિનવ પ્રયોગ ઘણો મહત્વનો છે. ઘણો સાર્થક છે.
આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક પ્રોફેસર શ્રીનિવાસ પદકાંડલા જી રહે છે. તેઓ ખૂબ રસપ્રદ કામ કરી રહ્યા છે. તેમણે વાહનોના ધાતુના ભંગારમાંથી શિલ્પ (sculptures) બનાવેલા છે. તેમના દ્વારા બનાવાયેલા આ વિશાળ સક્લ્પચર્સ સાર્વજનિક ઉદ્યાનોમાં મૂકવામાં આવ્યા છે, અને લોકો તેને બહુ ઉત્સાહથી જુએ છે. ઇલેક્ટ્રોનિક અને વાહનોના કચરાના પુનઃ ઉપયોગનો આ એક અભિનવ પ્રયોગ છે. હું એકવાર ફરી કોચ્ચી અને વિજયવાડાના આ પ્રયાસોની પ્રશંસા કરૂં છું, અને આશા રાખું છું કે, અન્ય લોકો પણ એવા પ્રયાસોમાં આગળ આવશે.
મારા વ્હાલા દેશવાસીઓ, ભારતના લોકો દુનિયાના કોઇપણ ખૂણામાં જાય છે, તો ગર્વથી કહે છે કે તે ભારતીય છે. આપણે આપણા યોગ, આયુર્વેદ, દર્શન, કોઇજાણે શું નથી આપણી પાસે, કે જેના માટે આપણે ગર્વ કરીએ છીએ ! ગર્વની વાતો કરીએ છીએ. સાથે જ પોતાની સ્થાનિક ભાષા, બોલી, ઓળખ, પહેરવેશ, ખાનપાન, વગેરેનો પણ ગર્વ કરીએ છીએ. આપણે નવું તો મેળવવાનું છે અને તે જ તો જીવન હોય છે. પરંતુ સાથોસાથ પુરાતન ખોવાનું પણ નથી. આપણે બહુ મહેનત કરીને પોતાની આસપાસ હયાત અપાર સાંસ્કૃતિક વિરાસતનું સંવર્ધન કરવાનું છે, નવી પેઢી સુધી પહોંચાડવાનું છે. આ જ કામ આજે આસામના રહેવાસી ‘સિકારી ટિસ્સૌ’ જી બહુ લગનથી કરી રહ્યા છે. કાર્બિ આંગલોંગ જીલ્લાના સિકારી ટિસ્સૌ જી છેલ્લા 20 વર્ષથી કાર્બી ભાષાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છે. કોઇ એક જમાનામાં કોઇ યુગમાં કાર્બિ આદિવાસી ભાઇઓ-બહેનોની ભાષા કાર્બિ આજે મુખ્ય પ્રવાહમાંથી ગુમ થઇ રહી છે. શ્રીમાન સિકારી ટિસ્સૌ જીએ નક્કી કર્યું હતું કે, પોતાની આ ઓળખને તેઓ બચાવશે. અને આજે તેમના પ્રયાસોથી કાર્બિ ભાષાની સારી એવી જાણકારી દસ્તાવેજીત થઇ ગઇ છે. તેમને પોતાના પ્રયત્નો માટે કેટલીયે જગ્યાએ પ્રશંસા પણ મળી છે, અને પુરસ્કારો પણ મળ્યા છે. મનકી બાત દ્વારા શ્રીમાન સિકારી ટિસ્સૌ જી ને હું તો અભિનંદન આપું છું, પરંતુ દેશના અનેક ખૂણામાં આ પ્રકારના કેટલાય સાધક હશે. જે એક કામને લઇને તેમાં ખપી જતા હશે. હું તે બધાને પણ અભિનંદન આપું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, કોઇપણ નવી શરૂઆત એટેલે કે, New Biggning હંમેશા બહુ ખાસ હોય છે. નવી શરૂઆતનો અર્થ થાય છે, નવી શક્યતાઓ – નવા પ્રયાસ. અને નવા પ્રયાસોનો અર્થ છે, નવી ઉર્જા અને નવું જોશ. એ જ કારણ છે કે, અલગ અલગ રાજયો અને વિસ્તારોમાં તેમજ વિવિધતાથી ભરેલી આપણી સંસ્કૃતિમાં કોઇપણ શરૂઆતને ઉત્સવના રૂપમાં મનાવવાની પરંપરા રહી છે. અને આ સમયે નવી શરૂઆત અને નવા ઉત્સવોના આગમનનો છે. હોળી પણ તો વસંતના ઉત્સવના રૂપમાં જ ઉજવવાની એક પરંપરા છે. જે સમયે આપણે રંગોથી હોળી ઉજવી રહ્યા હોઇએ છીએ, તે જ સમયે વસંત પણ આપણી ચારેય તરફ નવા રંગ પાથરી રહી હોય છે. આ જ સમયે ફૂલો ખિલવાનું શરૂ થાય છે, અને પ્રકૃતિ જીવંત બની ઉઠે છે. દેશના જુદાજુદા વિસ્તારોમાં ટૂંક સમયમાં જ નવું વર્ષ પણ ઉજવવામાં પણ આવશે. પછી એ ઉગાદી હોય યા પુથંડૂ, ગુડી પડવો હોય કે બીહુ, નવરેહ હોય કે, પોડલા કે પછી બોઇશાખ હોય અથવા બૈસાખી, પૂરો દેશ ઉમંગ ઉત્સાહ અને નવી આશાઓના રંગમાં તરબોળ દેખાશે. આ જ સમયે કેરળ પણ સુંદર તહેવાર વિશુ ઉજવે છે. તેના પછી બહુ જલદી ચૈત્રી નવરાત્રિનું પાવન પર્વ પણ આવશે. ચૈત્ર મહિનાના નવમા દિવસે આપણે ત્યાં રામનવમીનું પર્વ હોય છે. તેને ભગવાન રામના જન્મોત્સવની સાથે જ ન્યાય અને પરાક્રમના એક નવા યુગની શરૂઆતના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. આ દરમ્યાન, ચારેય તરફ ધૂમધામ સાથે જ ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ હોય છે. જે લોકોને વધુ નજીક લાવે છે. તેમને પરિવાર અને સમાજ સાથે જોડે છે. પરસ્પર સંબંધોને મજબૂત બનાવે છે. આ તહેવારોના પ્રસંગે હું તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ, આ દરમ્યાન, 4 એપ્રિલે દેશ ઇસ્ટર પણ ઉજવશે. Jesus Chirstના પુર્નજીવનના ઉત્સવના રૂપમાં ઇસ્ટરનો તહેવાર ઉજવવામાં આવે છે. પ્રતિકાત્મકરૂપે કહીએ તો ઇસ્ટર જીવનની નવી શરૂઆત સાથે જોડાયેલું છે. ઇસ્ટર આશાઓના પુર્નજીવીત થવાનું પ્રતિક છે. On the holy and auspicious occation, I greet not only the Christian Community in India, but also Christians globally.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે મનકી બાતમાં આપણે અમૃત મહોત્સવ અને દેશ પ્રત્યેના આપણા કર્તવ્યોની વાત કરી. આપણે અન્ય પર્વો અને તહેવારોની પણ ચર્ચા કરી. તેની વચ્ચે એક વધુ પર્વ પણ આવવાનું છે. જે આપણા બંધારણીય અધિકારો અને ફરજોની યાદ અપાવે છે. તે છે 14 એપ્રિલ, ડોકટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ. આ વખતે અમૃત મહોત્સવમાં તો આ પર્વ પણ ખાસ બની ગયું છે. મને વિશ્વાસ છે કે, બાબાસાહેબની આ જન્મજયંતિને આપણે જરૂર યાદગાર બનાવીશું. પોતાના કર્તવ્યોનો સંકલ્પ લઇને તેમને શ્રદ્ધાંજલિ આપીશું. આ જ વિશ્વાસ સાથે આપ સૌને પર્વ તહેવારોની એકવાર ફરી શુભેચ્છાઓ. આપ સૌ ખુશ રહો, સ્વસ્થ રહો અને ખૂબ ઉલ્લાસ મનાવો. એ જ કામનાની સાથે ફરીથી યાદ અપાવું છું, દવા પણ સખ્તાઇ પણ. ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, ગઇકાલે માઘ પૂર્ણિમાનું પર્વ હતું. મહા મહિનો ખાસ કરીને નદીઓ, સરોવરો અને જળસ્ત્રોત સાથે જોડાયેલો માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે,
માઘે નિમગ્નાઃ સલિલે સુશીતે, વિમુક્તપાપાઃ ત્રિદિવમ્ પ્રયાન્તિ…
એટલે કે મહા મહિનામા કોઈપણ પવિત્ર જળાશયમાં સ્નાનને પવિત્ર માનવામાં આવે છે. દુનિયાના દરેક સમાજમાં નદી સાથે જોડાયેલી કોઈને કોઈ પરંપરા હોય જ છે. નદીના તટ પર અનેક સભ્યતાઓ પણ વિકસિત થઈ છે. આપણી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે, તેથી તેનો વિસ્તાર આપણે ત્યાં વધુ મળે છે. ભારતમાં કોઈ એવો દિવસ નહીં હોય જ્યારે દેશના કોઈને કોઈ ખૂણામાં પાણી સાથે જોડાયેલો કોઈ ઉત્સવ ન હોય. મહા મહિનાના દિવસોમાં તો લોકો પોતાના ઘર-પરિવાર, સુખ-સુવિધા છોડીને આખો મહિનો નદીના કિનારે કલ્પવાસ કરવા જાય છે. આ વખતે હરિદ્વારમાં કુંભ પણ થઈ રહ્યો છે. જળ આપણા માટે જીવન પણ છે, આસ્થા પણ છે અને વિકાસની ધારા પણ છે. પાણી એક રીતે પારસથી પણ વધારે મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે પારસના સ્પર્શથી લોખંડ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. તેવી જ રીતે પાણીનો સ્પર્શ જીવન માટે પણ જરૂરી છે, વિકાસ માટે જરૂરી છે.
સાથીઓ, મહા મહિનાને જળ સાથે જોડવાનું સંભવતઃ વધુ એક કારણ એ પણ છે કે તેના પછી ઠંડી પૂર્ણ થઈ જાય છે, અને ગરમીના પગરવ મંડાય છે, તેથી પાણીના સંરક્ષણ માટે આપણે અત્યારથી જ પ્રયાસો શરૂ કરી દેવા જોઈએ. કેટલાક દિવસો બાદ માર્ચ મહિનામાં જ 22 તારીખે ‘World Water Day’ પણ છે.
મને યુ.પી.ના આરાધ્યા જી એ લખ્યું છે કે દુનિયામાં કરોડો લોકો, પોતાના જીવનનો મોટો ભાગ પાણીની અછતને પૂર્ણ કરવામાં લગાવી દે છે. પાણી વગર બધું વ્યર્થ….એમ જ નથી કહેવામાં આવ્યું. પાણીના સંકટને ઉકેલવા માટે એક બહુ જ સારો મેસેજ પશ્ચિમ બંગાળના ઉત્તર દીનાજપુર થી સુજીત જીએ મને મોકલ્યો છે. સુજીત જી એ લખ્યું છે કે પ્રકૃતિએ જળના રૂપમાં આપણને એક સામૂહિક ઉપહાર આપ્યો છે, તેથી તેને બચાવવાની જવાબદારી પણ સામૂહિક છે. એ વાત સાચી છે જેમ સામૂહિક ઉપહાર છે, તેવી જ રીતે સામૂહિક જવાબદારી પણ છે. સુજીત જીની વાત બિલકુલ સાચી છે. નદી, તળાવ, સરોવર, વર્ષા કે જમીનનું પાણી, આ બધું બધા માટે છે.
સાથીઓ, એક સમય હતો જ્યારે ગામમાં કૂવા, ખાબોચિયાં, તેની દેખભાળ બધા મળીને કરતાં હતાં, હવે આવો જ એક પ્રયત્ન, તમિલનાડુના તિરૂવન્નામલાઈમાં થઈ રહ્યો છે. અહીં સ્થાનિક લોકોએ પોતાના કૂવાઓને સંરક્ષિત કરવા માટે અભિયાન ચલાવ્યું છે. આ લોકો તેમના વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલા સાર્વજનિક કૂવાઓને ફરીથી જીવીત કરી રહ્યા છે.
મધ્યપ્રદેશના અગરોથા ગામની બબીતા રાજપૂત જી પણ જે કરી રહ્યા છે, તેનાથી આપ સહુને પ્રેરણા મળશે. બબીતા જીનું ગામ બુંદેલખંડમાં છે. તેમના ગામની પાસે એક બહુ મોટું તળાવ હતું જે સૂકાઈ ગયું હતું. તેમણે ગામની જ અન્ય મહિલાઓને સાથે લીધી અને તળાવ સુધી પાણી લઈ જવા એક નહેર બનાવી દીધી. આ નહેરથી વરસાદનું પાણી સીધું તળાવમાં જવા લાગ્યું. હવે આ તળાવ પાણથી ભરેલું રહે છે.
સાથીઓ ઉત્તરાંખડના બાગેશ્વરમાં રહેતા જગદીશ કુનિયાલ જીનું કામ પણ ઘણું બધું શિખવાડે છે. જગદીશ જીનું ગામ અને આસપાસનું ક્ષેત્ર પાણીની જરૂરિયાત માટે એક પ્રાકૃતિક સ્ત્રોત પર નિર્ભર હતું. પરંતુ થોડા વર્ષો પહેલાં આ સ્ત્રોત સૂકાઈ ગયો. તેનાથી આખા વિસ્તારમાં પાણીનું સંકટ વધતું ગયું. જગદીશ જી એ આ સંકટનો ઉકેલ વૃક્ષારોપણથી લાવવાનું નક્કી કર્યું. તેમણે આખા વિસ્તારમાં ગામના લોકો સાથે મળીને હજારો વૃક્ષ લગાવ્યાં અને આજે તેમના વિસ્તારનું સૂકાઈ ગયેલો જળસ્ત્રોત ફરથી ભરાઈ ગયો છે.
સાથીઓ, પાણીને લઈને આપણે આવી જ રીતે આપણી સામૂહિક જવાબદારીઓને સમજવી પડશે. ભારતનાં મોટાભાગના વિસ્તારોમાં મે-જૂનમાં વરસાદ શરૂ થઈ જાય છે. શું આપણે અત્યારથી જ આપણી આસપાસના જળસ્ત્રોતોની સફાઈ માટે, વર્ષા જળના સંગ્રહ માટે, 100 દિવસનું કોઈ અભિયાન શરૂ કરી શકીએ છીએ? આ જ વિચાર સાથે હવેથી થોડા દિવસો પછી જળ શક્તિ મંત્રાલય દ્વારા પણ જળ શક્તિ અભિયાન – ‘Catch the Rain’ પણ શરૂ કરવામાં આવી રહયું છે. આ અભિયાનનો મૂળ મંત્ર છે, ‘Catch the Rain, where it falls, when it falls’. આપણે અત્યારથી જ જોડાઈશું, આપણે પહેલાંથી જ જે Rain Water Harvesting System છે તેને સુધારી દઈશું, ગામમાં, તળાવોમાં, ખાબોચિયાંની સફાઈ કરાવી લઈશું, જળસ્ત્રોતો સુધી જઈ રહેલા પાણીના રસ્તાની અડચણો દૂર કરી નાખીશું તો વધારેમાં વધારે વર્ષા જળનો સંગ્રહ કરી શકીશું.
મારા પ્રિય દેશવાસીઓ જ્યારે પણ મહા મહિનો અને તેના આધ્યાત્મિક સામાજિક મહત્વની ચર્ચા થાય છે, તો આ ચર્ચા એક નામ વગર પૂરી નથી થતી. આ નામ છે સંત રવિદાસ જીનું. મહા પૂર્ણિમાના દિવસે જ સંત રવિદાસ જીની જન્મજયંતિ હોય છે. આજે પણ સંત રવિદાસ જી ના શબ્દ, તેમનું જ્ઞાન, આપણું પથપ્રદર્શન કરે છે. તેમણે કહ્યું હતું,…
એકૈ માતી કે સભ ભાંડે
સભ કા એકૌ સિરજનહાર.
રવિદાસ વ્યાપૈ એકૈ ઘટ ભીતર,
સભ કૌ એકૈ ઘડૈ કુમ્હાર…
આપણે બધા એક જ માટીના વાસણો છીએ, આપણને બધાને એકે જ ઘડ્યા છે. સંત રવિદાસ જીએ સમાજમાં વ્યાપ્ત વિકૃતિઓ પર હંમેશા ખૂલીને પોતાની વાત કહી છે. તેમણે આ વિકૃતિઓને સમાજની સામે રાખી, તેને સુધારવાનો રાહ દેખાડ્યો અને એટલે જ મીરા જીએ કહ્યું હતું,…
ગુરુ મિલિયા રૈદાસ, દીન્હી જ્ઞાન કી ગુટકી.
એટલે કે ગુરૂના રૂપમાં રૈદાસ મળ્યા અને તેમણે સાચા જ્ઞાનનો ઘુંટડો પીવડાવ્યો.
આ મારું સૌભાગ્ય છે કે હું સંત રવિદાસ જીના જન્મ સ્થળ વારાણસી સાથે જોડાયેલો છું. સંત રવિદાસ જીના જીવનની આધ્યાત્મિક ઉંચાઈનો અને તેમની ઉર્જાનો મેં એ તીર્થસ્થળ પર અનુભવ કર્યો છે.
સાથીઓ, રવિદાસ જી કહેતા હતા, ….
કરમ બંધન મેં બન્ધ રહિયો, ફલ કી ના તજ્જિયો આસ,
કર્મ માનુષ કા ધર્મ હૈ, સત ભાખૈ રવિદાસ…
એટલે કે આપણે સતત આપણું કર્મ કરતા રહેવું જોઈએ, પછી ફળ તો મળશે જ મળશે, એટલે કે કર્મ થી જ સિદ્ધી તો મળે જ મળે છે. આપણા યુવાઓને એક વાત સંત રવિદાસ જી થી જરૂર શીખવી જોઈએ. યુવાનોએ કોઈપણ કામ કરવા માટે પોતાને, જૂના રીત-રિવાજમાં બાંધવા ન જોઈએ. આપ આપના જીવનને પોતે જ નક્કી કરો. તમારા રીત-રિવાજ પણ પોતે જ બનાવો અને તમારું લક્ષ્ય પણ પોતે જ નક્કી કરો. જો તમારો વિવેક, તમારો આત્મવિશ્વાસ મજબૂત છે તો તમારે દુનિયામાં કોઈપણ વસ્તુથી ડરવાની જરૂર નથી. હું આમ એટલા માટે કહું છું કારણ કે કેટલીયે વખત આપણા યુવાનો એક ચાલતા આવતા વિચારના દબાણમાં તેઓ કામ નથી કરી શકતા, જે કરવું ખરેખર તેમને પસંદ હોય છે. તેથી તમારે ક્યારેય પણ નવું વિચારવામાં, નવું કરવામાં સંકોચ કરવો જોઈએ નહીં. આવી જ રીતે સંત રવિદાસ જીએ વધુ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. આ સંદેશ છે, ‘પગભર થવું’…આપણે આપણા સપનાઓ માટે કોઈ બીજા પર નિર્ભર રહીએ તે જરાપણ બરાબર નથી. જે જેવું છે તે તેમ ચાલતું રહે, રવિદાસ જી ક્યારેય પણ એના પક્ષમાં નહોતા અને આજે આપણે જોઈએ છીએ કે દેશના યુવાનો પણ આ વિચારના પક્ષમાં બિલકુલ નથી. આજે જ્યારે હું દેશના યુવાનોમાં Innovative Spirit જોવું છું તો મને લાગે છે કે આપણા યુવાનો પર સંત રવિદાસ જીને જરૂરથી ગર્વ થતો હશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે National Science Day પણ છે. આજનો દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર સી.વી.રમન જી દ્વારા કરવામાં આવેલી Raman Effect ની શોધને સમર્પિત છે. કેરળથી યોગેશ્વરન જીએ NamoApp પર લખ્યું છે કે Raman Effect ની શોધે આખા વિજ્ઞાનની દિશાને જ બદલી નાખી હતી. તેનાથી જોડાયેલો એક બહુ સારો સંદેશ મને નાશિકના સ્નેહીલ જીએ મોકલ્યો છે. સ્નેહીલ જીએ લખ્યું છે કે આપણા દેશના અગણિત વૈજ્ઞાનિકો છે, જેમના યોગદાન વગર સાયન્સ આટલી પ્રગતિ ન કરી શક્યું હોત. આપણે જે રીતે દુનિયાના બીજા વૈજ્ઞાનિકો વિશે જાણીએ છીએ, તેવી જ રીતે આપણે ભારતના વૈજ્ઞાનિકો વિશે પણ જાણવું જોઈએ. હું પણ મન કી બાતના આ શ્રોતાઓની વાતથી સહમત છું. હું ચોક્કસ ઈચ્છીશ કે આપણા યુવાનો, ભારતના વૈજ્ઞાનિક – ઈતિહાસને, આપણા વૈજ્ઞાનિકોને જાણે, સમજે અને ખૂબ વાંચે.
સાથીઓ, જ્યારે આપણે સાયન્સની વાત કરીએ છીએ તો ઘણીવાર તેને લોકો ફિઝીક્સ-કેમેસ્ટ્રી અથવા તો લેબ્સ સુધી જ સીમિત કરી દે છે, પરંતુ સાયન્સનો વિસ્તાર તો તેનાથી ઘણો જ વધારે છે અને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’માં સાયન્સની શક્તિનું બહુ મોટું યોગદાન પણ છે. આપણે સાયન્સને Lab to Land ના મંત્ર સાથે આગળ વધારવું પડશે.
દાખલા તરીકે, હૈદરાબાદના ચિંતલા વેંકટ રેડ્ડી જી છે. રેડ્ડી જી ના એક ડોક્ટર મિત્રએ તેમને એક વખત વિટામીન-ડી ની ઉણપથી થનારી બિમારીઓ અને તેના ખતરા વિશે જણાવ્યું. રેડ્ડી જી ખેડૂત છે, તેમણે વિચાર્યું કે તેઓ આ સમસ્યાના સમાધાન માટે શું કરી શકે છે? પછી તેમણે મહેનત કરી અને ઘઉં, ચોખાની એવી પ્રજાતિઓને વિકસિત કરી કે જે ખાસ કરીને વિટામિન-ડી થી યુક્ત હોય. આ મહિને World Intellectual Property Organization, Geneva થી patent પણ મળી છે. આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે વેંકટ રેડ્ડી જીને ગત વર્ષે પદ્મ શ્રી થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આવા જ ઘણાં ઈનોવેટિવ રીતે લદ્દાખના ઉરગેન ફૂત્સૌગ પણ કામ કરી રહ્યા છે. ઉરગેન જી આટલી ઉંચાઈ પર ઓર્ગેનિક રીતે ખેતી કરીને લગભગ 20 પાક ઉગાડી રહ્યા છે, તે પણ cyclic રીતે, એટલે કે એક પાકના waste ને બીજા પાકમાં, ખાતરની રીતે ઉપયોગ કરે છે. છે ને કમાલની વાત.
આવી જ રીતે ગુજરાતના પાટણ જિલ્લામાં કામરાજભાઈ ચૌધરીએ ઘરમાં જ સહજનના સારા બીજનો વિકાસ કર્યો છે. કેટલાક લોકો સહજનને સરગવો પણ કહે છે, તેને મોરિંગ અથવા તો ડ્રમ સ્ટિક પણ કહેવાય છે. સારા બીજની મદદથી જે સરગવાનો ઉછેર થાય છે, તેની ક્વોલિટી પણ સારી હોય છે. તેમની ઉપજને તેઓ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ મોકલીને, તેમની આવક વધારી રહ્યા છે.
સાથીઓ, આજકાલ ચીયા સિડ્સ નું નામ તમે લોકો બહુ સાંભળતો હશે. હેલ્થ અવેરનેસ સાથે જોડાયેલા લોકો તેને ઘણું મહત્વ આપે છે અને દુનિયામાં તેની મોટી માગ પણ છે. ભારતમાં તેને મોટાભાગે બહારથી જ મંગાવાય છે, પરંતુ હવે ચીયા સિડ્સમાં આત્મનિર્ભરતાનું બીડું પણ લોકો ઉઠાવી રહ્યા છે. આવી જ રીતે યુપીના બારાબાંકીમાં હરિશ્ચન્દ્ર જીએ ચીયા સિડ્સની ખેતી શરૂ કરી છે. ચીયા સિડ્સની ખેતી તેમની આવક પણ વધારશે અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ મદદ કરશે.
સાથીઓ, Agriculture Waste થી Wealth create કરવાના પણ કેટલાય પ્રયોગ દેશભરમાં સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. જેમ કે મદુરાઈના મુરગેસન જી એ કેળાના વેસ્ટમાંથી દોરડું બનાવવાનું એક મશીન બનાવ્યું છે. મુરગેસન જીના આ ઈનોવેશન થી પર્યાવરણ અને ગંદકીનું પણ સમાધાન થશે અને ખેડૂતો માટે વધારાની આવકનો પણ રસ્તો બનશે.
સાથીઓ મન કી બાતના શ્રોતાઓને આટલા બધા લોકો વિશે જણાવવાનો મારો હેતુ એ જ છે કે આપણે તેમની પાસેથી પ્રેરણા લઈએ. જ્યારે દેશનો દરેક નાગરિક પોતાના જીવનમાં વિજ્ઞાનનો વિસ્તાર કરશે, દરેક ક્ષેત્રમાં કરશે, તો પ્રગતિના રસ્તાઓ પણ ખૂલશે અને દેશ આત્મનિર્ભર પણ બનશે. અને મને વિશ્વાસ છે કે આ દેશનો દરેક નાગરિક કરી શકે છે.
મારા પ્રિય સાથીઓ, કોલકાતાના રંજન જીએ તેમના પત્રમાં ખૂબ જ રસપ્રદ અને પાયાનો સવાલ પૂછ્યો છે અને સાથે જ શ્રેષ્ઠ રીતે તેનો જવાબ આપવાની કોશિશ પણ કરી છે. તેઓ લખે છે કે જ્યારે આપણે આત્મનિર્ભર થવાની વાત કરીએ છીએ, તો તેનો આપણે માટે કયો અર્થ થાય છે? આ જ સવાલના જવાબમાં તેમણે પોતે જ આગળ લખ્યું છે કે – આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર એક ગવર્મેન્ટ પોલીસી જ નથી પરંતુ એક નેશનલ સ્પિરિટ છે. તેઓ માને છે કે આત્મનિર્ભર થવાનો અર્થ છે કે પોતાના નસીબનો નિર્ણય પોતે જ કરવો એટલે કે પોતાના જ ભાગ્યના નિયંત્રક હોવું. રંજન બાબુ ની વાત સો ટકા સાચી છે. તેમની વાતને આગળ વધારતા હું એ પણ કહીશ કે આત્મનિર્ભરતાની પહેલી શરત એ હોય છે કે – પોતાના દેશની ચીજો પર ગર્વ હોવો, પોતાના દેશના લોકો દ્વારા બનાવેલી વસ્તુઓ પર ગર્વ હોવો. જ્યારે પ્રત્યેક દેશવાસી ગર્વ કરે છે, પ્રત્યેક દેશવાસી જોડાય છે, તો આત્મનિર્ભર ભારત, માત્ર એક આર્થિક અભિયાન ન રહેતા, એક નેશનલ સ્પિરીટ બની જાય છે. જ્યારે આકાશમાં આપણે આપણા દેશમાં બનેલા ફાઈટર પ્લેન તેજસ ને કરતબો કરતાં જોઈએ છીએ, જ્યારે ભારતમાં બનેલા ટેન્ક, ભારતમાં બનેલી મિસાઈલ, આપણું ગૌરવ વધારે છે, જ્યારે સમૃદ્ધ દેશોમાં આપણે મેટ્રો ટ્રેનના મેડ ઈન ઈન્ડિયા કોચ જોઈએ છીએ, જ્યારે ડઝન દેશો સુધી મેડ ઈન ઈન્ડિયા કોરોના વેક્સિન પહોંચતી જોઈએ છીએ, તો આપણું માથું વધુ ઉંચું થઈ જાય છે. અને એવું જ નથી, કે મોટી-મોટી ચીજો જ ભારતને આત્મનિર્ભર બનાવશે. ભારતમાં બનેલા કપડાં, ભારતના ટેલેન્ટેડ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા હેન્ડિક્રાફ્ટનો સામાન, ભારતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ભારતના મોબાઈલ, દરેક ક્ષેત્રમાં આપણે આ ગૌરવને વધારવું પડશે. જ્યારે આપણે આવા વિચાર સાથે આગળ વધીશું, ત્યારે જ સાચા અર્થમાં આત્મનિર્ભર બની શકીશું અને સાથીઓ મને ખુશી છે કે આત્મનિર્ભર ભારતનો આ મંત્ર દેશના ગામે-ગામ પહોંચી રહ્યો છે. બિહારના બેતિયામાં આવું જ થયું છે. જેના વિશે મને મીડિયામાં વાંચવા મળ્યું છે.
બેતિયાના રહેવાસી પ્રમોદ જી, દિલ્હીમાં એક ટેક્નિશિયન તરીકે એલઈડી બલ્બ બનાવતી ફેક્ટરીમાં કામ કરતા હતા, તેમણે આ ફેક્ટરીમાં કામ દરમિયાન આખી પ્રક્રિયાને તેઓ બહુ બારીકીથી સમજ્યા. પરંતુ કોરોનાના સમયમાં પ્રમોદ જીએ પોતાના ઘરે પરત ફરવું પડ્યું. તમે જાણો છો પરત ફર્યા બાદ પ્રમોદ જીએ શું કર્યું ? તેમણે પોતે એલઈડી બલ્બ બનાવવાનું નાનું યુનિટ શરૂ કરી દીધું. તેમણે પોતાના ક્ષેત્રના કેટલાક યુવાનોને સાથે લીધા અને કેટલાક મહિનાઓમાં જ ફેક્ટરી વર્કરથી લઈને ફેક્ટરી ઓનર બનવા સુધીનો પ્રવાસ પૂર્ણ કર્યો. તે પણ પોતાના ઘરમાં જ રહીને.
વધુ એક ઉદાહરણ છે – યુપી ના ગઢમુક્તેશ્વરનું. ગઢમુક્તેશ્વરથી શ્રીમાન સંતોષ જીએ લખ્યું છે કે કેવી રીતે કોરોના કાળમાં તેમણે આપત્તિને અવસરમાં બદલી. સંતોષ જી ના દાદા-પરદાદા ઘણા સારા કારીગર હતા, ચટાઈ બનાવવાનું કામ કરતા હતા. કોરોનાના સમયમાં જ્યારે અન્ય કામ રોકાઈ ગયા તો આ લોકોએ એકદમ ઉર્જા અને ઉત્સાહ સાથે ચટાઈ બનાવવાનું શરૂ કર્યું. બહુ જલ્દી, તેમને ન માત્ર ઉત્તરપ્રદેશ, પરંતુ બીજા રાજ્યોમાંથી પણ ચટાઈના ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા. સંતોષ જી એ એ પણ જણાવ્યું કે તેનાથી આ ક્ષેત્રની સેંકડો વર્ષ જૂની સુંદર કળા ને પણ એક નવી તાકાત મળી છે.
સાથીઓ, દેશભરમાં આવા કેટલાય ઉદાહરણ છે, જ્યાં લોકો આત્મનિર્ભર ભારત અભિયાન માં આવી રીતે પોતાનું યોગદા આપી રહ્યા છે. આજે આ એક ભાવ બની ચૂક્યો છે, જે સામાન્ય લોકોના હ્રદયમાં પ્રવાહિત થઈ રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ, મેં નમો એપ પર ગુડગાંવ નિવાસી મયૂરની એક interesting post જોઈ. તેઓ Passionate Bird watcher અને Nature Lover છે. મયૂર જીએ લખ્યું છે કે હું તો હરિયાણામાં રહું છું, પરંતુ હું ઈચ્છું છું કે તમે આસામના લોકો અને ખાસ કરીને કાઝીરંગાના લોકોની ચર્ચા કરો. મને લાગ્યું કે મયૂર જી Rhinos વિશે વાત કરશે, જેને ત્યાંનું ગૌરવ કહેવાય છે. પરંતુ મયૂર જીએ કાઝીરંગામાં Water Fowls (વોટર ફાઉલ્સ ) ની સંખ્યામાં થયેલા વધારાને લઈને આસામના લોકોની પ્રશંસા માટે કહ્યું છે. હું શોધી રહ્યો હતો કે આપણે Water Fowls ને સાધારણ શબ્દોમાં શું કહી શકીએ છીએ, તો એક શબ્દ મળ્યો, – જલપક્ષી. એવા પક્ષી જેમનું રહેઠાણ ઝાડ પર નહીં, પાણી પર હોય છે, જેમ કે બતક વગેરે. કાઝીરંગા નેશનલ પાર્ક એન્ડ ટાઈગર રિઝર્વ ઓથોરિટી કેટલાક સમયથી Annual Waterfowls Census કરતું આવ્યું છે. આ સેન્સસ થી જળ પક્ષીઓની સંખ્યાની જાણકારી મળે છે અને તેમના ગમતાં Habitat ની જાણકારી મળે છે. હમણાં બે-ત્રણ અઠવાડિયા પહેલાં જ ફરી સર્વે થયો છે. તમને પણ એ જાણીને આનંદ થશે કે આ વખતે જળ પક્ષીઓની સંખ્યા, ગત વર્ષની તુલનામાં લગભગ 175 ટકા વધુ આવી છે. આ સેન્સસ દરમિયાન કાઝીરંગા નેશનલ પાર્કમાં Birds ની કુલ 112 Species ને જોવામાં આવી છે. તેમાંથી 58 Species યુરોપ, Central Asia અને East Asia સહિત દુનિયાના વિવિધ ભાગોમાંથી આવેલા Winter Migrants છે. તેનું સૌથી મહત્વપૂર્ણ કારણ એ છે કે અહીં ઘણાં સારા Water Conservation હોવાની સાથે Human Interference બહુ ઓછા છે. આમ તો કેટલાક મામલામાં Positive Human Interference પણ બહુ મહત્વપૂર્ણ હોય છે.
આસામના શ્રી જાદવ પાયેન્ગ ને જ જુઓ. તમારામાંથી કેટલાક લોકો તેમના વિશે જરૂર જાણતા હશે. પોતાના કાર્યો માટે તેમને પદ્મ સન્માન મળ્યું છે. શ્રી જાદવ પાયેન્ગ એ વ્યક્તિ છે જેમણે આસામમાં મજૂલી આયલેન્ડમાં લગભગ 300 હેક્ટર પ્લાન્ટેશનમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું છે. તેઓ વન સંરક્ષણ માટે કામ કરી રહ્યા છે, અને લોકોને પ્લાન્ટેશન તેમજ બાયોડાયવર્સિટી ના કન્ઝર્વેશન ને લઈને પ્રેરિત કરવામાં પણ જોડાયેલા છે.
સાથીઓ, આસામમાં આપણા મંદિર પણ, પ્રકૃતિના સંરક્ષણમાં પોતાની અલગ જ ભૂમિકા નિભાવી રહ્યા છે, જો તમે આપણા મંદિરોને જોશો, તો જાણશો કે દરેક મંદિર પાસે તળાવ હોય છે. હજો સ્થિત હયાગ્રીવ મઘેબ મંદિર, સોનિતપુરનું નાગશંકર મંદિર અને ગુવાહાટીમાં સ્થિત ઉગ્રતારા ટેમ્પલ પાસે આ પ્રકારના કેટલાય તળાવો છે. તેમનો ઉપયોગ વિલુપ્ત થતા કાચબાઓને પ્રજાતિઓને બચાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આસામમાં કાચબાઓની સૌથી વધારે પ્રજાતિઓ મળે છે. મંદિરોના આ તળાવ કાચબાના સંરક્ષણ, પ્રજનન અને તેમના વિશે પ્રશિક્ષણ માટે એક શ્રેષ્ઠ સ્થળ બની શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક લોકો સમજે છે કે ઈનોવેશન કરવા માટે તમારું સાયન્ટિસ્ટ હોવું જરૂરી છે, કેટલાક વિચારે છે કે બીજાને કંઈક શિખવાડવા માટે તમારું ટીચર હોવું જરૂરી છે. આ વિચારને પડકાર આપનારા વ્યક્તિ હંમેશા પ્રશંસાને પાત્ર હોય છે. હવે જેમ શું કોઈ કોઈને સોલ્જર બનવા માટે પ્રશિક્ષિત કરે છે, તો શું તેણે સૈનિક હોવું જરૂરી છે? તમે વિચારી રહ્યા હશો કે, હા….. જરૂરી છે. પરંતુ અહીં થોડો ટ્વીસ્ટ છે.
MyGov પર કમલકાંત જીએ મીડિયાનો એક રિપોર્ટ શેર કર્યો છે, જે કંઈક અલગ વાત કરે છે. ઓડિશામાં અરાખુડામાં એક સજ્જન છે – નાયક સર. આમ તો તેમનું નામ સિલૂ નાયક છે, પણ બધા તેમને નાયક સર કહીને જ બોલાવે છે. આમ તો તેઓ Man on a Mission છે. તેઓ એ યુવાનોને મફતમાં પ્રશિક્ષિત કરે છે જે સેનામાં ભરતી થવા માગે છે. નાયક સરના ઓર્ગેનાઈઝેશનનું નામ મહાગુરુ બટાલિયન છે. તેમાં ફિઝીકલ ફિટનેસ થી લઈને ઈન્ટર્વ્યૂ સુધી અને રાઈટિંગ થી લઈને ટ્રેનિંગ સુધી, આ બધા પાસાઓ વિશે જણાવવામાં આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેમણે જે લોકોને પ્રશિક્ષણ આપ્યું છે, તેમણે પાયદળ, જળ સેના અને વાયુ સેના, સીઆરપીએફ, બીએસએફ જેવા યુનિફોર્મ ફોર્સિસમાં પોતાની જગ્યા બનાવી છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સિલૂ નાયક જીએ પોતે ઓડિશા પોલીસમાં ભરતી થવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહોતા, તેમ છતાં તેમણે પોતાના પ્રશિક્ષણના દમ પર અનેક યુવાનોને રાષ્ટ્રસેવા માટે યોગ્ય બનાવ્યા છે. આવો આપણે બધા મળીને નાયક સરને શુભેચ્છા આપીએ કે તેઓ આપણા દેશ માટે વધુ નાયકોને તૈયાર કરે.
સાથીઓ, ક્યારેક ક્યારેક બહુ નાનો અને સાધારણ સવાલ પણ મનને અસ્થિર બનાવી દે છે. એ સવાલ લાંબા નથી હોતા, બહુ સિમ્પલ હોય છે, તેમ છતાં તે આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે. કેટલાક દિવસો પહેલાં હૈદરાબાદના અપર્ણા રેડ્ડી જીએ મને એવો જ એક સવાલ પૂછ્યો. તેમણે કહ્યું કે – આપ આટલા વર્ષોથી પીએમ છો, આટલા વર્ષો સી.એમ રહ્યા, શું આપને ક્યારેય લાગે છે કે ક્યાંક કંઈક ઉણપ રહી ગઈ? અપર્ણા જીનો સવાલ બહુ જ સહજ છે પરંતુ એટલો જ મુશ્કેલ પણ. મેં આ સવાલ પર વિચાર કર્યો અને પોતાને કહ્યું કે મારી એક ઉણપ એ રહી છે કે હું દુનિયાની સૌથી પ્રાચિન ભાષા – તમિલ શીખવા માટે બહુ પ્રયાસ ન કરી શક્યો, હું તમિલ ના શીખી શક્યો. આ એક એવી સુંદર ભાષા છે, જે દુનિયાભરમાં લોકપ્રિય છે. ઘણાં લોકોએ મને તમિલ લિટરેચર ની ક્વોલિટી અને તેમાં લખેલી કવિતાઓના ઉંડાણ વિશે ઘણું જણાવ્યું છે. ભારત આવી અનેક ભાષાઓનું સ્થળ છે જે આપણી સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતિક છે. ભાષા વિશે વાત કરતા હું એક નાની Interesting clip આપ સહુની સાથે વહેંચવા માગું છું.
SOUND CLIP STATUE OF UNITY
ખરેખર હમણાં આપ જે સાંભળી રહ્યા હતા તે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક ગાઈડ, સંસ્કૃતમાં લોકોને સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા વિશે જણાવી રહ્યા છે. તમને જાણીને આનંદ થશે કે કેવડિયામાં 15 થી પણ વધારે ગાઈડ, ધારા પ્રવાહ સંસ્કૃતમાં લોકોને ગાઈડ કરે છે. હવે હું આપને વધુ એક અવાજ સંભળાવું છું….
SOUND CLIP – CRICKET COMMENTARY
આપ પણ આ સાંભળીને હેરાન થઈ ગયા હશો. ખરેખર, આ સંસ્કૃતમાં કરવામાં આવેલી ક્રિકેટ કોમેન્ટ્રી છે. વારાણસીમાં, સંસ્કૃત મહાવિદ્યાલયો વચ્ચે એક ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે. આ મહાવિદ્યાલય છે – શાસ્ત્રાર્થ મહાવિદ્યાલય, સ્વામી વેદાંતી વેદ વિદ્યાપીઠ, શ્રી બ્રહ્મ વેદ વિદ્યાલય અને ઈન્ટરનેશનલ ચંદ્રમૌલી ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટુર્નામેન્ટની મેચ દરમિયાન કોમેન્ટરી સંસ્કૃતમાં પણ કરવામાં આવે છે. હમણાં મેં એ કોમેન્ટરીનો એક નાનો ભાગ આપને સંભળાવ્યો. એટલું જ નહીં, આ ટુર્નામેન્ટમાં ખેલાડી અને કોમેન્ટેટર પારંપારિક પોષાકમાં નજરે પડે છે. જો તમને એનર્જી, એક્સાઈટમેન્ટ, સસ્પેન્સ બધું એકસાથે જોઈએ તો તમારે રમતોની કોમેન્ટરી સાંભળવી જોઈએ. ટીવી આવ્યાના બહુ પહેલાં સ્પોર્ટ્સ કોમેન્ટરી જ એ માધ્યમ હતું જેની મદદથી ક્રિકેટ અને હોકી જેવી રમતોનો રોમાંચ દેશભરના લોકો અનુભવ કરતાં હતાં. ટેનિસ અને ફૂટબોલ મેચોની કોમેન્ટરી પણ ઘણી સારી રીતે પીરસવામાં આવે છે. આપણે જોયું છે કે જે રમતોમાં કોમેન્ટરી સમૃદ્ધ છે, તેનો પ્રચાર-પ્રસાર બહુ ઝડપથી થાય છે. આપણે ત્યાં પણ ઘણી ભારતીય રમતો છે પરંતુ તેમાં કોમેન્ટરી કલ્ચર નથી આવ્યું અને તેને કારણે જ તે લુપ્ત થવાની સ્થિતીમાં છે. મારા મનમાં એક વિચાર છે – કેમ અલગ અલગ સ્પોર્ટ્સ અને ખાસ કરીને ભારતીય રમતોની સારી કોમેન્ટરી વધારે ને વધારે ભાષાઓમાં ન હોય, આપણે તેને પ્રોત્સાહિત કરવા માટે ચોક્કસ વિચાર કરવો જોઈએ. હું રમત-ગમત મંત્રાલય અને પ્રાઈવેટ સંસ્થાના સહયોગીઓને આના વિશે વિચારવાનો આગ્રહ કરીશ.
મારા પ્રિય યુવા સાથીઓ, આવનારા કેટલાક મહિના આપના બધાના જીવનમાં વિશેષ મહત્વ રાખે છે. મોટાભાગના યુવા સાથીઓની exams, પરીક્ષાઓ હશે. આપને યાદ છે ને – Warrior બનવાનું છે, Worrior નહીં, હસતાં-હસતાં એક્ઝામ આપવા જવાનું છે અને હસતાં હસતાં પાછા આવવાનું છે. કોઈ બીજા સાથે નહીં પરંતુ પોતાનાથી જ સ્પર્ધા કરવાની છે. પૂરતી ઉંઘ પણ લેવાની છે, અને ટાઈમ મેનેજમેન્ટ પણ કરવાનું છે. રમતો રમવાનું પણ નથી છોડવાનું નથી, કારણ કે જે રમે તે ખીલે. રિવિઝન અને યાદ કરવાની સ્માર્ટ રીત અપનાવવાની છે, એટલે કે કુલ મળીને આ એક્ઝામ્સમાં પોતાના બેસ્ટને બહાર લાવવાનું છે. તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે થશે. આપણે બધા મળીને આ કરવાના છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે બધા કરીશું “પરીક્ષા પે ચર્ચા…” પરંતુ માર્ચમાં થનારી પરીક્ષા પે ચર્ચાથી પહેલા મારી આપ સર્વે એક્ઝામ્સ વોરિયર્સને, પેરન્ટ્સને અને ટીચર્સને એક રિક્વેસ્ટ છે કે તમારા અનુભવ, તમારી ટીપ્સ જરૂર શેર કરો. તમે MyGov પર શેર કરી શકો છો. નરેન્દ્ર મોદી એપ પર શેર કરી શકો. આ વખતની પરીક્ષા પર ચર્ચામાં યુવાઓની સાથે સાથે પેરન્ટ્સ અને ટીચર્સ પણ આમંત્રિત છે. કેવી રીતે પાર્ટિસિપેટ કરવાનું છે, કેવી રીતે પ્રાઈઝ જીતવાનું છે, કેવી રીતે મારી સાથે ડિસ્કશનનો અવસર મેળવવાનો છે, આ બધી જાણકારી આપને MyGov પર મળશે. અત્યારસુધી એક લાખ થી વધારે વિદ્યાર્થી, લગભગ 40 હજાર પેરન્ટ્સ અને લગભગ 10 હજાર ટીચર ભાગ લઈ ચૂક્યા છે. આપ પણ આજે જ પાર્ટિસિપેટ કરો. આ કોરોનાના સમયમાં મેં કેટલોક સમય કાઢીને એક્ઝામ વોરિયર બુક માં પણ કેટલાક મંત્ર જોડ્યા છે. હવે તેમાં પેરન્ટ્સ માટે પણ કેટલાક મંત્ર જોડવામાં આવ્યા છે. આ મંત્રો સાથે જોડાયેલી ઘણીબધી interesting activities નરેન્દ્ર મોદી એપ પર આપવામાં આવી છે જે આપની અંદરના એક્ઝામ વોરિયરને ignite કરવામાં મદદ કરશે. આપ તેને જરૂર ટ્રાય કરીને જુઓ. બધા યુવા સાથીઓને આવનારી પરીક્ષાઓ માટે ઘણી-ઘણી શુભેચ્છાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, માર્ચનો મહિનો આપણા ફાઈનાન્શિયલ યર નો છેલ્લો મહિનો પણ હોય છે, તેથી તમારામાંથી ઘણાં લોકોની ઘણી વ્યસ્તતા રહેશે. હવે જેવી રીતે દેશમાં આર્થિક ગતિવિધીઓ વધી રહી છે તેનાથી આપણા વેપારીઓ અને ઉદ્યમી સાથીઓની વ્યસ્તતા પણ ઘણી વધી રહી છે. આ બધા કાર્યો વચ્ચે આપણે કોરોના થી સાવધાની ઘટાડવાની નથી. આપ બધા સ્વસ્થ રહો, ખુશ રહેશો, કર્તવ્ય પથ પર અડગ રહેશો, તો દેશ ઝડપથી આગળ વધતો રહેશે.
આપ બધાને તહેવારોની અગાઉથી શુભેચ્છાઓ, સાથે-સાથે કોરોના ના સંબંધમાં જે પણ નિયમોનું પાલન કરવાનું છે તેમાં કોઈ ઢિલાશ નહીં આવવી જોઈએ. ખૂબ…ખૂબ ધન્યવાદ….

મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર. જયારે હું મન કી બાત કરૂં છું તો એવું લાગે છે જાણે તમારી વચ્ચે તમારા પરિવારના સભ્યના રૂપમાં હાજર છું. આપણી નાની નાની વાતો જે એકબીજાને કંઇક શીખવી જાય, જીવનના ખટમીઠા અનુભવો જે દિલથી જીવવાની પ્રેરણા બની જાય બસ, આ જ તો છે મન કી બાત. આજે 2021ની જાન્યુઆરીનો છેલ્લો દિવસ છે. શું તમે પણ મારી જેમ એવું વિચારી રહ્યા છો કે હજી થોડા દિવસ પહેલાં તો 2021નું વર્ષ શરૂ થયું હતું ? લાગતું જ નથી કે જાન્યુઆરીનો પૂરો મહિનો વિતી ગયો છે. આને જ તો સમયની ગતિ કહે છે. થોડા દિવસ પહેલાની જ વાત લાગે છે જાણે, આપણે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા, પછી આપણે લોહડી મનાવી, મકરસંક્રાંતિ ઉજવી, પોંગલ, બીહુ ઉજવ્યા. દેશના જુદાજુદા ભાગોમાં તહેવારોની ભરમાર રહી. 23 જાન્યુઆરીએ આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસની પરાક્રમ દિવસના રૂપમાં ઉજવણી કરી. અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની શાનદાર પરેડ પણ જોઇ. સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિજી દ્વારા સંબોધન પછી અંદાજપત્ર સત્ર પણ શરૂ થઇ ગયું છે. આ બધા વચ્ચે એક વધુ કાર્ય થયું જેની આપણને બધાને ખૂબ રાહ હોય છે. એ છે પદ્મપુરસ્કારોની જાહેરાત. રાષ્ટ્રે અસાધારણ કામ કરી રહેલા લોકોને તેમની ઉપલબ્ધિઓ અને માનવતા પ્રત્યેના તેમના યોગદાન માટે સન્માનિત કર્યા. આ વર્ષે પણ પુરસ્કાર મેળવનારાઓમાં એવા લોકો સામેલ છે જેમણે વિવિધ ક્ષેત્રોમાં સર્વોત્તમ કામ કર્યું છે, પોતાના કામથી કોઇકનું જીવન બદલ્યું છે. દેશને આગળ ધપાવ્યો છે. એટલે કે, તળિયાના સ્તરે કામ કરનારા અનામી નાયકોને પદ્મ સન્માન આપવાની જે પરંપરા આપણા દેશે થોડા વર્ષ પહેલાં શરૂ કરી હતી તે આ વર્ષે પણ અખંડિત રાખવામાં આવી છે. મારો આપ સૌને આગ્રહ છે કે, આ લોકો વિષે, તેમના યોગદાન વિષે જરૂર જાણો, પરિવારમાં તેમના વિષે ચર્ચા કરો. તમે જોજો સૌને તેનાથી કેટલી પ્રેરણા મળે છે.
આ મહિને ક્રિકેટ પીચ પરથી પણ ખૂબ સારા સમાચાર મળ્યા. આપણી ક્રીકેટ ટીમે શરૂઆતની મુશ્કેલીઓ પછી શાનદાર પુનરાગમન કરીને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી. આપણા ખેલાડીઓની સખત મહેનત અને સંઘબળ પ્રેરણાદાયક છે. આ બધા વચ્ચે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ત્રિરંગાનું અપમાન જોઇ દેશ બહુ દુઃખી પણ થયો. આપણે આવનારા સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનો છે. આપણે ગયા વર્ષે અસાધારણ સંયમ અને સાહસનો પરિચય આપ્યો. આ વર્ષે પણ આપણે સખત મહેનત કરીને પોતાના સંકલ્પોને સિદ્ધ કરવાના છે. આપણા દેશને વધુ ઝડપથી આગળ લઇ જવાનો છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આ વર્ષની શરૂઆતની સાથે જ કોરોના વિરૂદ્ધની આપણી લડાઇને પણ લગભગ લગભગ 1 વર્ષ પૂરૂં થયું છે. જે રીતે કોરોના વિરૂદ્ધની ભારતની લડાઇ એક ઉદાહરણ બની છે. તે રીતે જ હવે આપણો રસીકરણ કાર્યક્રમ પણ દુનિયામાં એક ઉદાહરણરૂપ બની રહ્યો છે. ભારત આજે દુનિયાનો સૌથી મોટો કોવિડ રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યો છે. તમે જાણો છો ? તેનાથી પણ વધુ ગર્વની વાત શી છે ? આપણે સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની સાથે જ દુનિયામાં સૌથી વધુ ગતિએ આપણા નાગરિકોનું રસીકરણ પણ કરી રહ્યા છીએ. ફકત 15 દિવસમાં જ ભારત પોતાના 30 લાખથી વધુ કોરોના યોદ્ધાઓનું રસીકરણ કરી ચૂક્યો છે. જયારે અમેરિકા જેવા સમૃદ્ધ દેશને પણ આ કામમાં 18 દિવસ થયા હતા. અને બ્રિટનને 36 દિવસ.
સાથીઓ, ભારતમાં નિર્મિત રસી આજે ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક તો છે જ. સાથે ભારતના આત્મબળનું પણ પ્રતિક છે. નમો એપ પર યુપીના ભાઇ હિમાંશુ યાદવે લખ્યું છે કે, મેઇડ ઇન ઇન્ડિયા વેકસીનથી મનમાં એક નવો આત્મવિશ્વાસ આવી ગયો છે. મદુરાઇથી કિર્તીજી લખે છે કે, તેમના કેટલાય વિદેશી મિત્રો તેમને સંદેશા મોકલીને ભારતનો આભાર માની રહ્યા છે. કિર્તીજીના મિત્રોએ તેમને લખ્યું છે કે, ભારતે જે રીતે કોરોના સામેની લડાઇમાં દુનિયાને મદદ કરી છે. તેથી ભારત વિશે તેમના મનમાં ઇજ્જત ઔર વધી ગઇ છે. કિર્તીજી દેશનું આ ગૌરવ ગાન સાંભળીને મન કી બાતના શ્રોતાઓને પણ ગર્વ થાય છે. આજકાલ મને પણ જુદાજુદા દેશોના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓ તરફથી પણ ભારત માટે એવા જ સંદેશા મળી રહ્યા છે. તમે પણ જોયું હશે હમણાં જ બ્રાઝીલના રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને જે રીતે ભારતને ધન્યવાદ આપ્યા છે. તે જોઇને દરેક ભારતીયને કેટલું સારૂં લાગ્યું છે. હજારો કિલોમીટર દૂર દુનિયાના દૂરસૂદૂરના ખૂણામાં વસનારાને રામાયણના તે પ્રસંગની ઉંડી જાણકારી છે, તેની તેમના મન ઉપર ઉંડી અસર છે. આ આપણી સંસ્કૃતિની વિશેષતા છે.
સાથીઓ, આ રસીકરણના કાર્યક્રમમાં તમે વધુ એક વાત પર પણ ચોકકસ ધ્યાન આપ્યું હશે. સંકટના સમયે ભારત દુનિયાની સેવા એટલા માટે કરી શક્યો છે કેમ કે, ભારત આજે દવાઓ અને રસીઓની બાબતમાં સક્ષમ છે. આત્મનિર્ભર છે. આ જ વિચાર આત્મનિર્ભર ભારત અભિયાનનો પણ છે. ભારત જેટલું સક્ષમ હશે તેટલી જ વધુ માનવતાની સેવા કરશે. તેટલો જ વધુ લાભ દુનિયાને થશે.
મારા વ્હાલા દેશવાસીઓ, દર વખતે તમારા ઢગલાબંધ પત્રો મળે છે. નમો એપ અને માય ગોવ પર તમારા સંદેશા, ફોન કોલ્સના માધ્યમથી તમારી વાતો જાણવાની તક મળે છે. આ સંદેશામાં જ એક એવો પણ સંદેશ છે જેણે મારૂં ધ્યાન ખેંચ્યું. – આ સંદેશ છે. બેન પ્રિયંકા પાંડેજીનો. 23 વર્ષની દિકરી પ્રિયંકાજી, હિન્દી સાહિત્યનાં વિદ્યાર્થીની છે. અને બિહારના સિવાનમાં રહે છે. પ્રિયંકાજીએ નમો એપ પર લખ્યું છે કે, તે દેશના 15 ઘરેલૂ પર્યટનસ્થળો પર જવાના મારા સૂચનથી ખૂબ પ્રેરીત થયા હતા. એટલા માટે 1લી જાન્યુઆરીએ તેઓ એક જગ્યાએ જવા નીકળ્યાં જે બહુ ખાસ હતી. તે જગ્યા હતી. તેમના ઘરથી 15 કિલોમીટર દૂર દેશના પહેલા રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદજીના વડવાઓનું નિવાસસ્થાન. પ્રિયંકાજીએ બહુ સુંદર વાત લખી છે કે, આપણા દેશની મહાન વિભૂતિઓ વિષે જાણવાની દિશામાં તેમનું આ પહેલું પગલું હતું. પ્રિયંકાજીને ત્યાં ડોકટર રાજેન્દ્ર પ્રસાદજી દ્વારા લખેલા પુસ્તકો મળ્યા, અને એક ઐતિહાસિક તસ્વીરો મળી, ખરેખર, પ્રિયંકાજી તમારો આ અનુભવ બીજાઓને પણ પ્રેરિત કરશે.
સાથીઓ, આ વર્ષથી આપણી આઝાદીના 75 વર્ષનો સમારોહ – અમૃત મહોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. એવામાં જેમના કારણે આપણને આઝાદી મળી તે આપણા મહાનાયકો સાથે જોડાયેલી સ્થાનિક જગ્યાઓની ભાળ મેળવવાનો આ સર્વોત્તમ સમય છે.
સાથીઓ, આપણે આઝાદીના આંદોલન અને બિહારની વાત કરી રહ્યા છીએ. તો હું નમો એપ પર જ કરવામાં આવેલી વધુ એક ટિપ્પણીની પણ ચર્ચા કરવા માંગું છું. મુંગેરના રહેવાસી જયરામ વિપ્લવજીએ મને તારાપુર શહીદ દિવસ વિષે લખ્યું છે. 15 ફેબ્રુઆરી 1932ના રોજ દેશભક્તોની એક ટુકડીના કેટલાય વીર નવજવાનોની અંગ્રેજોએ ખૂબ નિર્મમતાથી હત્યા કરી હતી. તેમનો એક માત્ર ગુનો એ હતો કે તેઓ “વંદેમાતરમ” અને “ભારત માતા કી જય”ના સૂત્રો પોકારી રહ્યા હતા. તે શહીદોને હું નમન કરૂં છું અને તેમના સાહસનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરું છું. હું જયરામ વિપ્લવજીને ધન્યવાદ આપવા માંગું છું. તેઓ એક એવી ઘટનાને દેશની સામે લઇને આવ્યા જેના વિષે જેટલી ચર્ચા થવી જોઇતી હતી તેટલી ખાસ ચર્ચા નથી થઇ.
મારા વ્હાલા દેશવાસીઓ, ભારતના દરેક ભાગમાં, દરેક શહેર, નગર અને ગામમાં આઝાદીની લડાઇ પૂરી તાકાત સાથે લડવામાં આવી હતી. ભારતની ભૂમિના દરેક ખૂણામાં એવા મહાન સપૂતો અને વીરાંગનાઓએ જન્મ લીધો છે. જેમણે રાષ્ટ્ર માટે પોતાનું જીવન ન્યૌછાવર કરી દીધું. તેથી તે બહુ મહત્વનું છે કે, આપણા માટે કરવામાં આવેલા તેમના સંઘર્ષો અને તેમની સાથે જોડાયેલી યાદોને આપણે સાચવીને રાખીએ અને તે માટે તેમના વિષે લખીને આપણે આપણી ભાવિ પેઢીઓ માટે તેમની સ્મૃતિઓને જીવતી રાખી શકીએ છીએ. તમામ દેશવાસીઓને અને ખાસ કરીને આપણા યુવા સાથીઓને હું આહવાન કરૂં છું કે, તેઓ દેશના સ્વતંત્રતા સેનાનીઓ વિષે, આઝાદી સાથે જોડાયેલી ઘટનાઓ વિષે લખે. પોતાના વિસ્તારમાં સ્વતંત્રતા સંગ્રામ વખતની વિરતાની ગાથાઓ વિષે પુસ્તકો લખે. હવે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ ઉજવશે તો તમારૂં લેખન આઝાદીના નાયકોને ઉત્તમ શ્રદ્ધાંજલિ હશે. યુવા લેખકો માટે ભારતના 75 વર્ષ નિમિત્તે એક પહેલ શરૂ કરાઇ રહી છે. તેનાથી બધા રાજયો અને ભાષાઓના યુવા લેખકોને પ્રોત્સાહન મળશે. દેશમાં મોટી સંખ્યામાં આ વિષય પર લખનારા લેખકો તૈયાર થશે- કે જેમનો ભારતના વારસા અને સંસ્કૃતિ વિષે ઉંડો અભ્યાસ હશે. આપણે આવી ઉગતી પ્રતિભાઓને પૂરી મદદ કરવાની છે. તેનાથી ભવિષ્યની દિશા નક્કી કરનારા વૈચારિક નેતાઓનું એક વર્ગ પણ તૈયાર થશે. હું આપણા યુવા મિત્રોને આ પહેલનો ભાગ બનવા અને પોતાના સાહિત્યીક કૌશલ્યનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે આમંત્રિત કરૂં છું. આ વિષે જોડાયેલી માહીતી શિક્ષણમંત્રાલયની વેબસાઇટ પરથી મેળવી શકો છો.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાતમાં શ્રોતાઓને શું ગમે છે તે આપ જ વધુ સારી રીતે જાણો છો. પરંતુ મને મન કી બાતમાં સૌથી સારૂં એ લાગે છે કે મને ઘણું બધું જાણવા શીખવા અને વાંચવા મળે છે. એક રીતે પરોક્ષરૂપે તમારા બધા સાથે જોડાવાની તક મળે છે. કોઇનો પ્રયાસ, કોઇનો જુસ્સો, કોઇનું દેશ માટે કંઇક કરી છુટવાનું જનૂન. આ બધું જ મને ખૂબ પ્રેરિત કરે છે. ઉર્જાથી ભરી દે છે.
હૈદરાબાદના બોયિનપલ્લીમાં એક સ્થાનિક શાકબજાર કઇ રીતે પોતાની જવાબદારી અદા કરી રહી છે. તે વાંચીને પણ મને ખૂબ સારૂં લાગ્યું. આપણે બધાએ જોયું છે કે, શાકબજારમાં અનેક કારણોથી સારા એવા શાકભાજી બગડી જાય છે. આ શાકભાજી આમતેમ ફેલાય છે. ગંદકી પણ ફેલાવે છે. પરંતુ બોયિનપલ્લીની શાકબજારે નક્કી કર્યું કે, દરરોજ બચી જતા આ શાકભાજીને આમતેમ ફેંકવામાં નહીં આવે. શાકબજાર સાથે જોડાયેલા લોકોએ નક્કી કર્યું કે, તેનાથી વીજળી બનાવવામાં આવશે. નકામા શાકભાજીથી વીજળી બનાવવા વિશે ભાગ્યે જ તમે ક્યારેય સાંભળ્યું હશે. આ જ તો ઇનોવેશનની તાકાત છે. આજે બોયિનપલ્લીના બજારમાં પહેલા જે કચરો હતો તેનાથી જ સંપત્તિનું સર્જન થઇ રહ્યું છે – આ જ તો કચરામાંથી કંચન બનાવવાની યાત્રા છે. ત્યાં દરરોજ લગભગ 10 ટન કચરો નીકળે છે, તેને એક પ્લાન્ટમાં એકઠો કરવામાં આવે છે. પ્લાન્ટની અંદર આ કચરામાંથી દરરોજ 500 યુનિટ વીજળી બને છે. અને લગભગ 30 કિલો જૈવિક ઇંધણ – બાયોફ્યુઅલ પણ બને છે. આ વીજળીથી જ શાકબજારમાં રોશની થાય છે. અને જે બાયોફ્યુઅલ બને છે તેનાથી બજારની કેન્ટીનમાં રસોઇ કરવામાં આવે છે. છે ને કમાલનો પ્રયાસ..!
આવી જ એક કમાલ હરિયાણાના પંચકૂલાની બડૌત ગ્રામ પંચાયતે પણ કરી દેખાડી છે. આ પંચાયતના વિસ્તારમાં પાણીના નિકાલનો પ્રશ્ન હતો. તેણે કારણે ગંદુ પાણી આમતેમ ફેલાઇ રહ્યું હતું, બિમારી ફેલાવતું હતું. પરંતુ બડૌતના લોકોએ નક્કી કર્યું કે, આ પાણીના કચરામાંથી પણ સંપત્તિનું સર્જન કરીશું. ગ્રામપંચાયતે આખા ગામમાંથી આવતા ગંદા પાણીને એક જગ્યાએ એકઠું કરીને ફીલ્ટર કરવાનું શરૂ કર્યું. અને ગાળેલું આ પાણી હવે ગામના ખેતરોમાં સિંચાઇ માટે ઉપયોગ કરાઇ રહ્યું છે. એટલે કે, પ્રદૂષણ, ગંદકી અને બિમારીઓથી છૂટકારો પણ મળ્યો અને ખેતરોમાં સિંચાઇ પણ થઇ.
સાથીઓ, પર્યાવરણના રક્ષણથી આવકના કેવા રસ્તા પણ ખૂલ્યા છે. તેનું એક ઉદાહરણ અરૂણાચલ પ્રદેશના તવાંગમાં પણ જોવા મળ્યું. અરૂણચલ પ્રદેશના આ પહાડી વિસ્તારમાં સદીઓથી “મોન શુગુ” નામનું કાગળ બનાવામાં આવે છે. આ કાગળ ત્યાંના સ્થાનિક શુગુ શેંગ નામના એક છોડની છાલમાંથી બનાવાય છે. એટલા માટે આ કાગળને બનાવવા માટે ઝાડ કાપવા પડતા નથી. આ ઉપરાંત તેને બનાવવામાં કોઇ રસાયણનો ઉપયોગ પણ નથી થતો. એટલે કે, આ કાગળ પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે. અને આરોગ્ય માટે પણ. એક એ પણ સમય હતો જયારે આ કાગળની નિકાસ થતી હતી. પરંતુ જયારે આધુનિક પદ્ધતિથી મોટા પ્રમાણમાં કાગળ બનવા લાગ્યા તો આ સ્થાનિક કલા બંધ થવાના આરે પહોંચી ગઇ હતી. હવે એક સ્થાનિક સામાજિક કાર્યકર્તા ગોમ્બૂએ આ કલાને ફરી જીવીત કરવાનો પ્રયાસ કર્યો છે. તેનાથી અહીંના આદિવાસી ભાઇઓ-બહેનોને રોજગારી પણ મળી રહી છે.
મેં વધુ એક ખબર કેરળની જોઇ છે. જે આપણને બધાને પોતાની જવાબદારીનો અહેસાસ કરાવે છે. કેરળના કોટ્ટયમમાં એક દિવ્યાંગ વડીલ છે. એન.એસ.રાજપ્પન સાહેબ રાજપ્પનજી લકવાના કારણે ચાલી શકતા નથી. પરંતુ એનાથી સ્વચ્છતા પ્રત્યેના તેમના સમર્પણમાં કોઇ ઓટ નથી આવી. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી હોડીથી વેમ્બનાડ સરોવરમાં જાય છે. અને સરોવરમાં ફેંકેલી પ્લાસ્ટીકની બોટલો બહાર કાઢીને લઇ આવે છે. વિચારો, રાજપ્પનજીની વિચારસરણી કેટલી ઉચ્ચ છે. આપણે પણ રાજપ્પનજીથી પ્રેરણા લઇને સ્વચ્છતા માટે જયાં શક્ય હોય ત્યાં પોતાનું યોગદાન આપવું જોઇએ.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં તમે જોયું હશે કે, અમેરિકાના સાનફ્રાન્સિસ્કોથી બેંગલુરૂ માટે એક નોનસ્ટોપ ફલાઇટનું સૂકાન ભારતની ચાર મહિલા પાઇલોટોએ સંભાળ્યું હતું. 10 હજાર કિલોમીટરથી પણ વધુ લાંબી આ સફર કાપીને વિમાન સવા બસ્સોથી વધુ મુસાફરોને ભારત લઇને આવ્યું. તમે આ વખતે 26 જાન્યુઆરીની પરેડમાં પણ જોયું હશે કે જ્યાં ભારતીય હવાઇદળની બે મહિલા અધિકારીઓએ નવો ઇતિહાસ રચી દીધો છે. ક્ષેત્ર કોઇપણ હોય દેશની મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. પરંતુ આપણે મોટાભાગે જોઇએ છીએ કે, દેશના ગામોમાં થઇ રહેલા આ પ્રકારના પરિવર્તનની એટલી ચર્ચા નથી થતી. એટલે જ જયારે મેં એક ખબર મધ્યપ્રદેશના જબલપુરના જોયા તો મને લાગ્યું કે, તેનો ઉલ્લેખ મારે મન કી બાતમાં ચોક્કસ કરવો જોઇએ. આ ખબર પણ બહુ પ્રેરણાદાયક છે. જબલપુરના ચીચગાંવમાં કેટલીક આદિવાસી મહિલાઓ એક રાઇસમિલમાં દાડિયા તરીકે કામ કરતી હતી. કોરોના વૈશ્વિક મહામારીએ જે રીતે દુનિયાની દરેક વ્યક્તિને અસર કરી છે. તે રીતે આ મહિલાઓ પણ અસરગ્રસ્ત થઇ. તેમની રાઇસમિલમાં કામ અટકી ગયું. સ્વાભાવિક છે કે, તેનાથી તેમની આવકમાં પણ મુશ્કેલી પડવા લાગી. પરંતુ તે મહિલાઓ નિરાશ ન થઇ. તેમણે હાર ન માની. તેમણે નક્કી કર્યું કે, તેઓ સાથે મળીને પોતાની ખુદની રાઇસમિલ શરૂ કરશે. જે મિલમાં તેઓ કામ કરતી હતી તે મિલમાલિક પોતાની મશીનરી વેચવા માગતા હતા. તેમાંથી મીના રાહંગડાલેજીએ બધી મહિલાઓને એકઠી કરીને સ્વયં સહાયતા જૂથ બનાવ્યું અને બધાએ પોતપોતાની બચાવેલી મૂડીમાંથી પૈસા એકઠા કર્યા. આ રકમ ઓછી પડી. એટલે તે માટે આજીવિકા મિશન અંતર્ગત બેંકમાંથી કરજ લીધું અને હવે જુઓ, આદિવાસી બહેનોએ એ જ રાઇસમિલ ખરીદી લીધી. જેમાં તેઓ કયારેક કામ કરતી હતી. આજે તેઓ પોતાની ખુદની રાઇલમિલ ચલાવી રહી છે. આટલા જ દિવસોમાં આ રાઇસમિલે લગભગ 3 લાખ રૂપિયાનો નફો કર્યો છે. આ નફામાંથી મીનાજી અને તેમની સાથી બહેનો સૌથી પહેલાં બેંકની લોન ચૂકવવા અને પછી પોતાનો વેપાર વધારવા માટે તૈયારી કરી રહી છે. કોરોનાએ જે પરિસ્થિતિ ઉભી કરી તેનો મુકાબલો કરવા માટે દેશના ખૂણેખૂણામાં આવા અદભૂત કામ થયા છે.
મારા વ્હાલા દેશવાસીઓ, જો હું તમને બુંદેલખંડ વિષે વાત કરૂં તો એવી કંઇ બાબતો છે જે તમારા મનમાં આવશે. ઇતિહાસમાં રસ ધરાવતા લોકો આ ક્ષેત્રને ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ સાથે જોડશે. તો કેટલાક લોકો સુંદર અને શાંત ઓરછા વિષે વિચારશે. કેટલાક લોકોને આ વિસ્તારમાં પડતી અતિશય ગરમીની પણ યાદ આવી જશે. પરંતુ હાલમાં અહીં કંઇક વિશેષ બની રહ્યું છે. જે સારૂં એવું ઉત્સાહવર્ધક છે. અને તેના વિશે આપણે જરૂર જાણવું જોઇએ. થોડા દિવસ પહેલાં ઝાંસીમાં એક મહિના સુધી ચાલનારો સ્ટ્રોબેરી ઉત્સવ શરૂ થયો. સૌ કોઇને આશ્ચર્ય થશે કે, સ્ટ્રોબેરી અને બુંદેલખંડ ! પરંતુ આ હકીકત છે. હવે બુંદેલખંડમાં સ્ટ્રોબેરીની ખેતીને લઇને ઉત્સાહ વધી રહ્યો છે. અને તેમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. ઝાંસીની એક દિકરીએ. ગુરલીન ચાવલાએ. કાયદાની વિદ્યાર્થીની ગુરલીને પહેલાં પોતાના ઘરે અને પછી પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીની ખેતીનો સફળ પ્રયોગ કરીને વિશ્વાસ ઉભો કર્યો કે ઝાંસીમાં પણ આ થઇ શકે છે. ઝાંસીનો આ સ્ટ્રોબેરી ઉત્સવ ઘરે રહીને કામ કરોની સંકલ્પના પર ભાર મૂકે છે. આ મહોત્સવના માધ્યમથી ખેડૂતો અને યુવાનોને પોતાના ઘરની પાછળ ખાલી જગ્યા પર અથવા છત પર ટેરેસ ગાર્ડનમાં બાગાયત કામ કરવા અને સ્ટ્રોબેરી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. નવી ટેકનોલોજીની મદદથી આવા જ પ્રયાસો દેશના અન્ય ભાગોમાં પણ થઇ રહ્યા છે. જે સ્ટ્રોબેરી કયારેક પહાડોની ઓળખાણ હતી તે હવે કચ્છની રેતાળ જમીન પર પણ થવા લાગી છે. ખેડૂતોની આવક વધી રહી છે.
સાથીઓ, સ્ટ્રોબેરી ઉત્સવ જેવા પ્રયોગ નવાચારની ભાવનાને તો પ્રદર્શિત કરે જ છે. પરંતુ સાથોસાથ એ પણ બતાવે છે કે આપણા દેશનું ખેતીક્ષેત્ર કેવી રેતી નવી ટેકનોલોજીને અપનાવી રહ્યું છે.
સાથીઓ, ખેતીને આધુનિક બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે, અને અનેક કદમ ઉઠાવી રહી છે. સરકારના પ્રયાસો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં જ મેં એક વિડિયો જોયો હતો. આ વિડિયો પશ્ચિમ બંગાળના પશ્ચિમ મીદનાપુરના નયા પિંગલા ગામના એક ચિત્રકાર સરમુદ્દીનનો હતો. તે ખુશી વ્યકત કરી રહ્યા હતા કે, રામાયણ પર બનાવવામાં આવેલું તેમનું ચિત્ર બે લાખ રૂપિયામાં વેચાયું છે. તેનાથી તેમના ગામવાસીઓને પણ ખૂબ ખુશી થઇ છે. આ વિડિયોને જોયા પછી મને તેના વિષે વધુ જાણવાની ઉત્સુકતા થઇ. આ જ ક્રમમાં મને પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી એક ખૂબ સારી જાણકારી મળી. જે હું આપને જણાવવા ઇચ્છું છું. પર્યટનમંત્રાલયની પ્રાદેશિક કચેરીએ મહિનાની શરૂઆતમાં જ બંગાળના ગામોમાં ‘Incredible India Weekend Gateway’ ની શરૂઆત કરી. તેમાં પશ્ચિમ મીદનાપુર, બાંકુરા, બિરભૂમ, પૂરૂલિયા, પૂર્વ વર્ધમાન, વગેરે જીલ્લાના હસ્તશિલ્પ કલાકારોએ મુલાકાતીઓ માટે હસ્તકળા કાર્યશાળાનું આયોજન કર્યું. મને એ પણ જણાવવામાં આવ્યું કે, ‘Incredible India Weekend Gateway’ દરમ્યાન હસ્ત કલાકારીગરીની ચીજવસ્તુઓનું જે કુલ વેચાણ થયું તે હસ્તશિલ્પકારોને અત્યંત પ્રોત્સાહીત કરનારૂં છે. દેશભરના લોકો પણ નવી નવી રીતો દ્વારા આપણી કળાને લોકપ્રિય બનાવી રહ્યા છે. ઓડિશાના રાઉરકેલાની ભાગ્યશ્રી સાહુને જ જોઇ લો. આમ તો તેઓ એન્જીનિયરીંગના વિદ્યાર્થીની છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં તેમણે પટ્ટચિત્રકળા શીખવાનું શરૂ કર્યું અને તેમાં નિપૂણતા હાંસલ કરી લીધી છે. પરંતુ શું તમે જાણો છો કે એમણે ચિત્રકામ કયાં કર્યું. Soft Stones પર ! કોલેજ જવાના રસ્તે ભાગ્યશ્રીને આ સોફ્ટ સ્ટોન્સ મળ્યા. જેને તેમણે એકઠા કરી લીધા અને સાફ કર્યા. પછી તેમણે દરરોજ બે કલાક આ પથ્થરો પર પટ્ટચિત્ર શૈલીમાં ચિત્રકામ કર્યું. તેઓ આ પથ્થરો પર ચિત્રકામ કરી પોતાના દોસ્તોને ભેટ આપવા લાગ્યા. લોકડાઉન દરમિયાન તેમણે બોટલો ઉપર પણ ચિત્રો દોરવાનું શરૂ કરી દીધું. હવે તો તેઓ આ કળાઓ વિશે કાર્યશાળા પણ આયોજીત કરે છે. થોડા દિવસ પહેલાં જ સુભાષબાબુની જયંતિ ઉપર ભાગ્યશ્રીએ પથ્થર પર જ તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપી. ભવિષ્યના તેમના આ પ્રયાસો માટે હું તેમને શુભેચ્છાઓ પાઠવું છું. કળા અને રંગોની મદદથી ઘણુંબધું નવું શીખી શકાય છે, કરી શકાય છે. ઝારખંડના દુમકામાં કરવામાં આવેલા એવા જ અનુપમ પ્રયાસ વિશે મને જણાવવામાં આવ્યું. અહીં માધ્યમિક શાળાના એક આચાર્યે બાળકોને ભણાવવા અને શીખવવા માટે ગામની દિવાલોને અંગ્રેજી અને હિંદીના અક્ષરોથી ચિતરાવી દીધી, સાથોસાથ તેમાં અલગઅલગ ચિત્રો પણ બનાવાયા છે. તેનાથી ગામના બાળકોને સારી એવી મદદ મળી રહી છે. આ પ્રકારના પ્રયાસોમાં લાગેલા છે તેવા તમામ લોકોને હું અભિનંદન આપું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, ભારતથી હજારો કિલોમીટર દૂર કેટલાય મહાસાગરો, મહાદ્વીપોની પેલે પાર એક દેશ છે. જેનું નામ છે, ચીલી. Chile ભારતથી ચીલી પહોંચતા ઘણો વધારે સમય લાગે છે. પરંતુ ભારતીય સંસ્કૃતિની ફોરમ ત્યાં ઘણા સમય પહેલાંથી જ પ્રસરેલી છે. વધુ એક ખાસ વાત એ છે કે, ત્યાં યોગ બહુ વધારે લોકપ્રિય છે. તમને એ જાણીને સારૂં લાગશે કે, ચીલીની રાજધાની સાન્ટીયાગોમાં 30થી વધારે યોગ વિદ્યાલય છે. ચીલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. મને જણાવવામાં આવ્યું છે કે, ત્યાંના House of Deputies માં યોગ દિવસને લઇને ખૂબ જ ઉષ્માભર્યું વાતાવરણ હોય છે. કોરોનાના આ સમયમાં રોગપ્રતિકાર શક્તિ પર ભાર અને રોગપ્રતિકાર શક્તિ વધારવામાં યોગની તાકાતને જોઇને હવે તે લોકો યોગને પહેલાં કરતાં ઘણું વધારે મહત્વ આપી રહ્યા છે. ચીલીની કોંગ્રેસ એટલે કે ત્યાંની સંસદે એક પ્રસ્તાવ પસાર કર્યો છે. ત્યાં ચાર નવેંબરે રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. હવે તમે એ વિચારી શકો છો કે આખરે 4 નવેંબરમાં એવું શું છે ? 4 નવેંબર, 1962ના દિવસે હોજે રાફાલ એસ્ટ્રાડા દ્વારા ચીલીની પહેલી યોગ સંસ્થા સ્થાપવામાં આવી હતી. તે દિવસને રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરીને એસ્ટ્રાડાજીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ચીલીની સંસદ દ્વારા અપાયેલું એક વિશેષ સન્માન છે. જેના પર દરેક ભારતીયને ગર્વ છે. આમ તો, ચીલીની સંસદ સાથે જોડાયેલી વધુ એક વાત પણ તમને રસપ્રદ લાગશે. ચીલીની સંસદના ઉપરાષ્ટ્રપતિનું નામ રબિન્દ્રનાથ ક્વિન્ટેરોસ છે. તેમનું આ નામ વિશ્વકવિ ગુરૂદેવ ટાગોરથી પ્રેરિત થઇને રાખવામાં આવ્યું છે.
મારા વ્હાલા દેશવાસીઓ, મહારાષ્ટ્રના જાલનાના ડોકટર સ્વપ્નીલ મંત્રી અને કેરળના પલક્કડના રાજગોપાલને મને માય ગોવ પર આગ્રહ કર્યો છે કે હું મન કી બાતમાં માર્ગ સલામતિ વિશે પણ આપની સાથે વાત કરૂં. આ મહિને જ 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી આપણો દેશ માર્ગ સલામતિ મહિનો એટલે કે, ‘Road Safety Month’ પણ મનાવી રહ્યો છે. માર્ગ અકસ્માતો આજે આપણા દેશમાં જ નહિં, પરંતુ દુનિયાભરમાં ચિંતાનો વિષય છે. આજે ભારતમાં માર્ગ સલામતિ માટે સરકારની સાથે જ વ્યક્તિગત અને સામૂહિક સ્તરે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિંદગી બચાવવાના આ પ્રયાસોમાં આપણે બધાએ સક્રિય રૂપે ભાગીદાર થવું જોઇએ.
સાથીઓ, તમે જોયું હશે કે, સરહદ માર્ગ સંગઠન જે રસ્તા બનાવે છે તેના પરથી પસાર થતાં આપને મોટા મોટા નવીનતાપૂર્ણ સૂત્રો જોવા મળે છે. ‘This is highway not runway’ અથવા ‘Be Mr. Late than Late Mr.’ જેવા સૂત્રો માર્ગ પર સાવધાની રાખવા માટે લોકોને જાગૃત કરવામાં સારા એવા અસરકારક હોય છે. હવે તમે પણ એવા જ નવીનતાપૂર્ણ સૂત્રો અથવા આકર્ષક શબ્દસમૂહ-રૂઢિપ્રયોગો માય ગોવ પર મોકલી શકો છો. તમારા સારા સૂત્રો પણ આ અભિયાનમાં ઉપયોગ કરવામાં આવશે.
સાથીઓ, માર્ગ સલામતિ વિશે વાત કરતાં હું નમો એપ પર કોલકતાના અપર્ણા દાસજીની એક પોસ્ટની પણ ચર્ચા કરવા ઇચ્છું છું. અપર્ણાજીએ મને ‘FASTag’ કાર્યક્રમ પર વાત કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, ‘FASTag’ થી મુસાફરીનો અનુભવ જ બદલાઇ ગયો છે. તેનાથી સમયની બચત તો થાય છે જ. સાથે ટોલ પ્લાઝા પર અટકવાની, રોકડ ચૂકવણીની ચિંતા કરવા જેવી મુશ્કેલીઓ પણ ખતમ થઇ ગઇ છે. અપર્ણાજીની વાત સાચી પણ છે. પહેલાં આપણે ત્યાં ટોલ પ્લાઝા પર એક ગાડીને સરેરાશ 7 થી 8 મિનીટ થઇ જતી હતી. પરંતુ ‘FASTag’ આવ્યા પછી આ સમય સરેરાશ માત્ર દોઢ બે મિનીટનો રહી ગયો છે. ટોલ પ્લાઝા ઉપર રાહ જોવાના સમયમાં ઘટાડો થવાથી ગાડીના ઇંધણની પણ બચત થઇ રહી છે. તેનાથી દેશવાસીઓના લગભગ 21 હજાર કરોડ રૂપિયા બચવાનું અનુમાન છે. એટલે કે, પૈસાની પણ બચત અને સમયની પણ બચત. મારો આપ સૌને આગ્રહ છે કે, તમામ માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાની સાથે તમારૂં પણ ધ્યાન રાખો અને બીજાનું જીવન પણ બચાવો.
મારા વ્હાલા દેશવાસીઓ, આપણે ત્યાં કહેવામાં આવે છે કે, “जलबिंदु निपातेन क्रमशः पूर्यते घटः” એટલે કે, એક એક ટીપાથી જ ઘડો ભરાય છે. આપણા એક એક પ્રયાસથી જ આપણો સંકલ્પ સિદ્ધ થાય છે. એટલા માટે 2021ની શરૂઆત જે લક્ષ્યોની સાથે આપણે કરી છે. તેને આપણે બધાએ મળીને જ પૂરા કરવાના છે. તો આવો આપણે બધા મળીને આ વર્ષને સાર્થક કરવા માટે પોતપોતાના ડગલાં આગળ વધારીએ. તમે તમારો સંદેશ, તમારા વિચારો જરૂર મોકલતા રહેજો. આવતા મહિને આપણે ફરી મળીશું.
इति–विदा पुनर्मिलनाय !

મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર, આજે 27 ડિસેમ્બર છે. ચાર દિવસ બાદ જ 2021ની શરૂઆત થવા જઈ રહી છે. આજે મન કી બાત એક પ્રકારે 2020ની છેલ્લી મન કી બાત છે. આગળની મન કી બાત 2021માં પ્રારંભ થશે. સાથીઓ, મારી સામે તમારા લખેલા ઘણાં બધા પત્રો છે. MyGOV પર તમે જે વિચારો મોકલો છો, તે પણ મારી સામે છે. કેટલાય લોકોએ ફોન કરીને પોતાની વાત જણાવી છે. મોટાભાગના સંદેશાઓમાં વિતેલા વર્ષોનો અનુભવ અને 2021 સાથે જોડાયેલા સંકલ્પો છે. કોલ્હાપુરથી અંજલિએ લખ્યું છે, કે નવા વર્ષે આપણે બીજાને શુભેચ્છા પાઠવીએ છીએ, શુભકામનાઓ આપીએ છીએ, તો આ વખતે આપણે એક નવું કામ કરીએ. કેમ ન આપણે આપણા દેશને શુભેચ્છા આપીએ, દેશને પણ શુભકામનાઓ આપીએ. અંજલિજી ખરેખર, ઘણો જ સારો વિચાર છે. આપણો દેશ 2021માં સફળતાઓના નવા શિખરો સર કરે, દુનિયામાં ભારતની ઓળખ વધુ સશક્ત થાય, તેની ઈચ્છાથી મોટું શું હોઈ શકે છે.
સાથીઓ, NamoApp પર અભિષેકજી એ એક મેસેજ પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું છે કે 2020 એ જે-જે દેખાડી દીધું, જે-જે શિખવાડી દીધું, તે ક્યારેય વિચાર્યું પણ નહોતું. કોરોના સાથે જોડાયેલી તમામ વાતો તેમણે લખી છે. આ પત્રોમાં, આ સંદેશાઓમાં. મને એક વાત જે common દેખાઈ રહી છે, ખાસ જોવામાં આવી રહી છે, તે હું આજે આપની સાથે share કરવા માંગીશ. મોટાભાગના પત્રોમાં લોકોએ દેશના સામર્થ્ય, દેશવાસીઓની સામૂહિક શક્તિની ભરપૂર પ્રશંસા કરી છે. જ્યારે જનતા કર્ફ્યૂ જેવો અભિનવ પ્રયોગ, આખા વિશ્વ માટે પ્રેરણા બન્યો, જ્યારે તાળી-થાળી વગાડીને દેશે આપણા કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું, એકતા દેખાડી હતી, તેને પણ કેટલાય લોકોએ યાદ કર્યું છે.
સાથીઓ, દેશના સામાન્ય થી સામાન્ય માનવીએ આ બદલાવને અનુભવ્યો છે. મેં દેશમાં આશાનો એક અદભૂત પ્રવાહ પણ જોયો છે. પડકારો ઘણાં આવ્યા. સંકટ પણ અનેક આવ્યા. કોરોનાને કારણે દુનિયામાં supply chain ને લઈને પણ અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ આપણે દરેક સંકટમાંથી નવી શિખ લીધી. દેશમાં નવું સામર્થ્ય પેદા થયું. જો શબ્દોમાં કહેવું હોય તો આ સામર્થ્યનું નામ છે, આત્મનિર્ભરતા.
સાથીઓ, દિલ્હીમાં રહેતા અભિનવ બેનર્જીએ પોતાનો જે અનુભવ મને લખીને મોકલ્યો છે તે પણ ઘણો રસપ્રદ છે. અભિનવજી ને તેમના સગાંમાં બાળકોને ગીફ્ટ આપવા માટે કેટલાક રમકડાં ખરીદવા હતા, તેથી તેઓ દિલ્હીની ઝંડેવાલા માર્કેટ ગયા હતા. તમારામાંથી ઘણાં લોકો જાણતા જ હશે, આ માર્કેટ દિલ્હીમાં સાઈકલ અને રમકડાં માટે જાણીતી છે. પહેલાં ત્યાં મોંઘા રમકડાંનો મતલબ પણ imported રમકડાં થતો હતો, અને સસ્તા રમકડાં પણ બહારથી આવતા હતા. પરંતુ અભિનવજીએ પત્રમાં લખ્યું છે કે, હવે ત્યાંના કેટલાય દુકાનદાર customers ને એમ કહી-કહીને રમકડાં વેચી રહ્યા છે કે સારું રમકડું છે, કારણ કે તે ભારતમાં બનેલું છે, ‘Made in India’ છે. Customers પણ India made toys ની જ માગ કરી રહ્યા છે. આ જ તો છે, આ એક વિચારમાં કેટલું મોટું પરિવર્તન – આ તો જીવતો-જાગતો પૂરાવો છે. દેશવાસીઓના વિચારમાં કેટલું મોટું પરિવર્તન આવી રહ્યું છે અને તે પણ એક વર્ષની અંદર-અંદર. આ પરિવર્તનને આંકવું સરળ નથી. અર્થશાસ્ત્રી પણ તેને પોતાની રીતે માપી શકતા નથી.
સાથીઓ, મને વિશાખાપટ્ટ્નમથી વેંકટ મુરલીપ્રસાદજીએ જે લખ્યું છે, તેમાં પણ એક અલગ જ પ્રકારનો આઈડિયા છે. વેંકટજીએ લખ્યું છે, હું આપને twenty, twenty one માટે બે હજાર એકવીસ માટે, મારું ABC attach કરી રહ્યો છું. મને કંઈ સમજણ ન પડી, કે આખરે ABC થી એમનો મતલબ શું છે. ત્યારે મેં જોયું કે વેંકટજીએ પત્રની સાથે એક ચાર્ટ પણ અટેચ કરી રાખ્યો હતો. મેં એ ચાર્ટ જોયો અને પછી સમજ્યો કે ABC નો તેમનો મતલબ છે – આત્મનિર્ભર ભારત ચાર્ટ, ABC. તે ઘણું જ રસપ્રદ છે. વેંકટજીએ એ બધી વસ્તુનું આખું લીસ્ટ બનાવ્યું છે, જેનો તેઓ દરરોજ વપરાશ કરે છે. તેમાં electronics, stationery, self care items આ ઉપરાંત અન્ય પણ ઘણું બધું સામેલ છે. વેંકટજીએ કહ્યું કે આપણે જાણતા-અજાણતા, એ વિદેશી પ્રોડક્ટ્સનો વપરાશ કરી રહ્યા છીએ, જેના વિકલ્પો ભારતમાં સરળતાથી ઉપલબ્ધ છે. હવે તેમણે સોગંધ ખાધા છે કે હું એ જ પ્રોડક્ટનો વપરાશ કરીશ, જેમાં આપણા દેશવાસીઓની મહેનત અને પરસેવો લાગ્યો હોય.
સાથીઓ, પરંતુ તેની સાથે જ તેમણે કંઈક એવું પણ કહ્યું છે, જે મને ઘણું રોચક લાગ્યું છે. તેમણે લખ્યું છે કે આપણે આત્મનિર્ભર ભારતનું સમર્થન કરી રહ્યા છીએ, પરંતુ આપણા manufacturers, તેમને માટે પણ સાફ સંદેશ હોવો જોઈએ, કે તે products ની quality સાથે કોઈ સમજૂતી ન કરે. વાત તો સાચી છે. Zero effect, zero defect ના વિચાર સાથે કામ કરવાનો આ ઉચિત સમય છે. હું દેશના manufacturers અને industry leaders ને આગ્રહ કરું છું, દેશના લોકોએ મજબૂત પગલાં ઉઠાવ્યા છે, મજબૂત પગલાં આગળ ભર્યા છે. વોકલ ફોર લોકલ એ આજે ઘર-ઘરમાં ગૂંજી રહ્યું છે. તેવામાં, હવે એ સુનિશ્ચિત કરવાનો સમય છે કે આપણા પ્રોડક્ટ્સ વિશ્વ સ્તરના હોય. જે પણ ગ્લોબલ બેસ્ટ છે, તે આપણે ભારતમાં બનાવીને દેખાડીએ. તેને માટે આપણા ઉદ્યમી સાથીઓએ આગળ આવવાનું છે. સ્ટાર્ટ-અપ્સ ને પણ આગળ આવવાનું છે. ફરી એકવાર હું વેંકટજીને તેમના ઘણાં જ સારા પ્રયાસ માટે શુભેચ્છા આપું છું.
સાથીઓ, આપણે એ ભાવનાને જાળવી રાખવાની છે, બચાવીને રાખવાની છે અને વધારતા રહેવાની છે. મેં પહેલાં પણ કહ્યું છે, અને પાછું હું દેશવાસીઓને આગ્રહ કરું છું. તમે પણ એક યાદી બનાવો. દિવસભર આપણે જે ચીજવસ્તુઓ કામમાં લઈએ છીએ, તે બધી ચીજોનું વિશ્લેષણ કરી અને એ જુઓ કે જાણતા-અજાણતા કઈ વિદેશમાં બનેલી ચીજોએ આપણા જીવનમાં પ્રવેશ કરી લીધો છે. એક પ્રકારે, આપણને બંદી બનાવી લીધા છે. તેના ભારતમાં બનેલા વિકલ્પો વિશે જાણો, અને તે પણ નક્કી કરો કે હવેથી ભારતમાં બનેલા, ભારતના લોકોની મહેનત અને પરસેવાથી બનેલા ઉત્પાદનોનો આપણે ઉપયોગ કરીશું. તમે દર વર્ષે new year resolutions લ્યો છો, આ વખતે એક resolution પોતાના દેશ માટે પણ જરૂર લેવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં (આતતાઈઓ)થી, અત્યાચારીઓથી દેશની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, સભ્યતા, આપણા રીત-રિવાજને બચાવવા માટે, કેટલા મોટા બલિદાનો આપવામાં આવ્યા છે, આજે તેને યાદ કરવાનો દિવસ પણ છે. આજના જ દિવસે ગુરુ ગોવિંદજીના પુત્રો, સાહેબજાદા જોરાવરસિંહ અને ફતેહસિંહને દિવાલમાં જીવતા ચણી દેવામાં આવ્યા હતા. અત્યાચારીઓ ઈચ્છતા હતા કે સાહેબજાદાઓ પોતાની આસ્થા છોડી દે, મહાન ગુરુ પરંપરાની શિખ છોડી દે. પરંતુ આપણા સાહેબજાદાઓએ આટલી ઓછી ઉંમરમાં પણ ગજબનું સાહસ દેખાડ્યું, ઈચ્છાશક્તિ દેખાડી. દિવાલમાં ચણી દેવામાં આવ્યા તે વખતે, પત્થરો લાગતા રહ્યા, દિવાલ ઉંચી થઈ રહી, મોત સામે દેખાઈ રહી હતી, પરંતુ તેમ છતાં તેઓ ટસ ના મસ ના થયા. આજના જ દિવસે ગુરુ ગોવિંદ સિંહજીની માતા જી – માતા ગુજરી એ પણ શહિદી વહોરી હતી. લગભગ એક સપ્તાહ પહેલા, શ્રી ગુરુ તેગ બહાદુર જી ની પણ શહિદીનો દિવસ હતો. મને અહીં દિલ્હીમાં ગુરુદ્વારા રકાબગંજ જઈને, ગુરુ તેગ બહાદુર જી ને શ્રદ્ધા સુમન અર્પિત કરવાનો, માથું નમાવવાનો મોકો પ્રાપ્ત થયો. આ જ મહિને, શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી થી પ્રેરિત તેમના લોકો જમીન પર સૂવે છે. લોકો, શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી ના પરિવારના લોકો દ્વારા આપવામાં આવેલી શહીદીને મોટી ભાવનાપૂર્ણ અવસ્થામાં યાદ કરે છે. આ શહિદીએ સંપૂર્ણ માનવતાને, દેશ ને, નવી શિખ આપી છે. આ શહિદીએ, આપણી સભ્યતાને સુરક્ષિત રાખવાનું મહાન કાર્ય કર્યું છે. આપણે બધા આ શહિદીના ઋણી છીએ. ફરી એકવાર હું શ્રી ગુરુ તેગ બહાદુર જી, માતા ગુજરી જી, ગુરુ ગોવિંદ સિંહજી અને ચારેય સાહેબજાદોની શહિદીને નમન કરું છું. આવી જ રીતે અનેક શહીદીઓએ ભારતના આજના સ્વરૂપને બચાવીને રાખ્યું છે, બનાવીને રાખ્યું છે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે હું એવી વાત કહેવા જઈ રહ્યો છું, જેનાથી આપને આનંદ પણ થશે અને ગર્વ પણ થશે. ભારતમાં Leopards એટલે કે દિપડાની સંખ્યામાં 2014થી 2018 વચ્ચે 60 ટકાથી વધુનો વધારો થયો છે. 2014માં દેશમાં દિપડાની સંખ્યા લગભગ 7900 હતી, તો 2019માં તેમની સંખ્યા વધીને 12,852 થઈ ગઈ છે. આ એ જ લેપર્ડ છે જેના વિશે જીમ કોરબેટે કહ્યું હતું, જે લોકોએ લેપર્ડને પ્રકૃતિમાં સ્વચ્છંદતાથી ફરતા નથી જોયા, તેઓ તેની સુંદરતાની કલ્પના નથી કરી શકતા. તેના રંગોની સુંદરતા અને તેની ચાલની મોહકતાનો અંદાજ નહીં લગાવી શકો. દેશના મોટાભાગના રાજ્યોમાં ખાસ કરીને મધ્ય ભારતમાં દિપડાઓની સંખ્યા વધી છે. દિપડાની સૌથી વધુ સંખ્યાવાળા રાજ્યોમાં મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. આ એક મોટી ઉપલબ્ધિ છે. દિપડા, આખી દુનિયામાં વર્ષોથી ખતરાઓનો સામનો કરતા આવ્યા છે. દુનિયાભરમાં તેમના habitatને નુકસાન થયું છે. તેવા સમયમાં ભારતમાં દિપડાઓની વસતીમાં સતત વધારો કરીને આખા વિશ્વને એક રાહ દેખાડી છે. આપને એ વાતની પણ જાણકારી હશે કે ગત કેટલાક વર્ષોમાં, ભારતમાં સિંહની વસતી પણ વધી છે, વાઘની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ છે, સાથે જ ભારતીય વનક્ષેત્રમાં પણ વધારો થયો છે. તેનું કારણ એ છે કે સરકારે જ નહીં પરંતુ ઘણાં લોકો, civil society, કેટલીયે સંસ્થાઓ પણ આપણા છોડ-ઝાડ અને વન્યજીવોના સંરક્ષણમાં જોડાયેલી છે. તે બધા શુભેચ્છાને પાત્ર છે.
સાથીઓ, મેં તમિલનાડુના કોઈમ્બતૂરમાં એક હ્રદયસ્પર્શી પ્રયાસ વિશે વાંચ્યું. આપે પણ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ્સ જોયા હશે. આપણે બધાએ માણસો વાળી wheelchair જોઈ છે. પરંતુ કોઈમ્બતૂરની એક પુત્રી ગાયત્રીએ, પોતાના પિતાજી સાથે, એક પીડિત dog માટે wheelchair બનાવી દીધી. આ સંવેદનશીલતા, પ્રેરણા આપનારી છે, અને એ ત્યારે જ થઈ શકે, જ્યારે વ્યક્તિ દરેક જીવ પ્રતિ દયા અને કરૂણાથી ભરેલો હોય. દિલ્હી-એનસીઆર અને દેશના બીજા શહેરોમાં થથરાવતી ઠંડીની વચ્ચે બેઘર પશુઓની દેખભાળ માટે કેટલાય લોકો, ઘણું બધું કરી રહ્યા છે. તેઓ તે પશુઓના ખાવા-પીવા અને તેમને માટે સ્વેટર અને સૂવા સુધીની પણ વ્યવસ્થા કરે છે. કેટલાક લોકો તો એવા છે કે જે રોજ સેંકડોની સંખ્યામાં આવા પશુઓ માટે ભોજનની વ્યવસ્થા કરે છે. આવા પ્રયાસોને બિરદાવવા જોઈએ. કંઈક આવી જ રીતના નેક પ્રયાસ, ઉત્તરપ્રદેશના કૌશામ્બીમાં પણ કરવામાં આવી રહ્યા છે. ત્યાં જેલમાં બંધ કેદી, ગાયોને ઠંડીથી બચાવવા માટે જૂના અને ફાટેલા ધાબળાંમાંથી કવર બનાવી રહ્યા છે. આ ધાબળાઓને કૌશામ્બી સહિત બીજા જિલ્લાની જેલમાંથી એકત્ર કરવામાં આવે છે અને પછી તેને સીવીને ગૌ-શાળા મોકલી આપવામાં આવે છે. કૌશામ્બી જેલના કેદી, દરેક અઠવાડીએ અનેક કવર તૈયાર કરી રહ્યા છે. આવો, બીજાની દેખભાળ માટે સેવા-ભાવથી ભરેલા આ પ્રકારના પ્રયાસોને પ્રોત્સાહિત કરીએ. આ વાસ્તવમાં એક એવું સત્કાર્ય છે, જે સમાજની સંવેદનાઓને સશક્ત કરે છે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે જે પત્ર મારી સામે છે, તેમાં બે મોટા ફોટો છે. આ ફોટો એક મંદિરનો છે, અને before અને after નો છે. આ ફોટો સાથે જે પત્ર છે, તેમાં યુવાનોની એક એવી ટીમ વિશે જણાવવામાં આવ્યું છે, જે પોતાને યુવા બ્રિગેડ કહે છે. વાસ્તવમાં આ યુવા બ્રિગેડે કર્ણાટકમાં, શ્રી રંગપટ્ટન પાસે આવેલા વીરભદ્ર સ્વામી નામના એક પ્રાચીન શિવમંદિરની કાયાકલ્પ કરી નાખી. મંદિરમાં ચારે તરફ ઘાસ અને ઝાંખરા ભરેલા હતા, એટલા કે રસ્તે ચાલતા લોકો પણ કહી ન શકે કે અહીં એક મંદિર છે. એક દિવસ કેટલાક પર્યટકોએ આ ભૂલાયેલા-વિસરાયેલા મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. યુવા બ્રિગેડે જ્યારે આ વીડિયોને સોશિયલ મીડિયા પર જોયો, તો તેમનાથી રહેવાયું નહીં અને પછી આ ટીમે મળીને તેનો જીણોદ્ધાર કરવાનો નિર્ણય કર્યો. તેમણે મંદિર પરિસરમાં ઉગેલા કાંટાળા ઝાંખરા, ઘાંસ અને છોડને હટાવ્યા. જ્યાં મરમ્મત અને નિર્માણની આવશ્યકતા હતી, તે કર્યું. તેમના સારા કામને જોતાં સ્થાનિક લોકોએ પણ મદદ માટે હાથ લંબાવ્યો. કોઈએ સીમેન્ટ આપ્યો તો કોઈએ પેઈન્ટ, આવી કેટલીયે ચીજો સાથે લોકોએ પોતાનું યોગદાન આપ્યું. આ બધા યુવા કેટલાય અલગ રીતના પ્રોફેશન સાથે જોડાયેલા છે. તેવામાં તેમણે weekends દરમિયાન સમય કાઢ્યો અને મંદિર માટે કાર્ય કર્યું. યુવાનોએ મંદિરમાં દરવાજા લગાવવાની સાથે સાથે વીજળીનું કનેક્શન પણ લગાવડાવ્યું. આવી રીતે તેમણે મંદિરના જૂના વૈભવને ફરીથી સ્થાપિત કરવાનું કામ કર્યું. ઝનૂન અને દ્રઢનિશ્ચય એવી બે વસ્તુ છે જેનાથી લોકો દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. જ્યારે હું ભારતના યુવાનોને જોવું છું તો પોતાને આનંદિત અને આશ્વસ્થ અનુભવું છું. આનંદિત અને આશ્વસ્થ એટલે કે મારા દેશના યુવાનોમાં ‘Can Do’નો Approach છે અને ‘Will Do’ નો Spirit છે. તેમના માટે કોઈપણ પડકાર મોટો નથી. કંઈપણ તેમની પહોંચથી દૂર નથી. મેં તમિલનાડુના એક ટિચર વિશે વાંચ્યું. તેમનું નામ હેમલતા એન.કે છે, જે વિડ્ડુપુરમની એક શાળામાં દુનિયાની સૌથી જૂની ભાષા તમિલ ભણાવે છે. કોવિડ-19નો રોગચાળો પણ તેમના અધ્યાપન કાર્યામાં આડો ન આવી શક્યો. હા, તેમની સામે પડકાર જરૂર હતો, પરંતુ તેમણે એક ઈનોવેટિવ રસ્તો કાઢ્યો. તેમણે કોર્સના બધા 53 ચેપ્ટર્સને રેકોર્ડ કર્યા, animated video તૈયાર કર્યા અને તેને એક પેન ડ્રાઈવમાં લઈને પોતાના વિદ્યાર્થીઓને વહેંચી દીધા. તેનાથી તેમના વિદ્યાર્થીઓને ઘણી જ મદદ મળી, તેઓ ચેપ્ટર્સને visually પણ સમજી શક્યા. સાથે જ તેઓ પોતાના વિદ્યાર્થીઓ સાથે ટેલિફોન પર પણ વાત કરતા રહ્યા. તેનાથી students માટે ભણવાનું ઘણું જ રોચક થઈ ગયું. દેશભરમાં કોરોનાના આ સમયમાં ટીચર્સે જે ઈનોવેટીવ રીતો અપનાવી છે, જે course material creatively તૈયાર કર્યા છે, તે ઓનલાઈન ભણતરના આ સમયમાં અમૂલ્ય છે. મારો બધા ટીચર્સને આગ્રહ છે કે તેઓ આ કોર્સ મટીરિયલને શિક્ષણ મંત્રાલયના દીક્ષા પોર્ટલ પર જઈને જરૂર અપલોડ કરે. તેનાથી દેશના દૂર-દૂરના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થી-વિધ્યાર્થિનીઓને ઘણો જ લાભ થશે.
સાથીઓ, આવો હવે વાત કરીએ ઝારખંડની કોરવા જનજાતિના હીરામનજી ની. હીરામન જી ગઢવા જિલ્લાના સિંજો ગામમાં રહે છે. આપને એ જાણીને આશ્ર્ચર્ય થશે કે કોરવા જનજાતિની વસતી માત્ર 6000 છે, જે શહેરોથી દૂર પહાડો અને જંગલોમાં વસવાટ કરે છે. પોતાના સમુદાયની સંસ્કૃતિ અને ઓળખને બચાવવા માટે હીરામન જીએ એક બીડું ઝડપ્યું છે. તેમણે 12 વર્ષના અથાગ પરિશ્રમ બાદ વિલુપ્ત થતી, કોરવા ભાષાનો શબ્દકોષ તૈયાર કર્યો છે. તેમણે આ શબ્દકોષમાં ઘર-ગૃહસ્થીમાં પ્રયોગ થનારા શબ્દોથી લઈને દૈનિક જીવનમાં વપરાતા કોરવા ભાષાના અઢળક શબ્દોને અર્થ સાથે લખ્યા છે. કોરવા સમુદાય માટે હીરામન જીએ જે કરીને દેખાડ્યું છે, તે દેશ માટે એક ઉદાહરણ છે.
મારા પ્રિય દેશવાસીઓ, એવું કહેવાય છે કે અકબરના દરબારમાં એક પ્રમુખ સભ્ય – અબુલ ફઝલ હતા. તેમણે એકવાર કાશ્મીરની યાત્રા બાદ કહ્યું હતું કે કાશ્મીરમાં એક એવી જગ્યા છે જેને જોઈને ચીડિયા અને ગુસ્સાવાળા લોકો પણ ખૂશીથી ઝૂમી ઉઠશે. વાસ્તવમાં તેઓ કાશ્મીરમાં કેસરના ખેતરોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. કેસર, સદીઓથી કાશ્મીર સાથે જોડાયેલું છે. કાશ્મીરી કેસર મુખ્યરૂપથી પુલવામાં, બડગામ અને કિશ્તવાડ જેવી જગ્યાઓ પર ઉગાડવામાં આવે છે. આ વર્ષે મે મહિનામાં કાશ્મીરી કેસરને Geographical Indication Tag એટલે કે GI Tag આપવામાં આવ્યું. તેના થકી આપણે કાશ્મીરી કેસરને એક Globally Popular Brand બનાવવા માગીએ છીએ. કાશ્મીરી કેસર વૈશ્વિક સ્તર પર એક એવા મસાલાના રૂપમાં પ્રસિદ્ધ છે જેના કેટલાય પ્રકારના ઔષધીય ગુણો છે. તે અત્યંત સુગંધિત હોય છે, તેનો રંગ ઘાટો હોય છે અને તેના તાંતણા લાંબા અને જાડા હોય છે. જે તેની મેડિકલ વેલ્યૂને વધારે છે. આ જમ્મુ અને કાશ્મીરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ક્વોલિટીની વાત કરીએ તો કાશ્મીરનું કેસર બહુ જ યુનિક છે અને બીજા દેશોના કેસરથી બિલકુલ અલગ છે. કાશ્મીરના કેસરને GI Tag Recognition થી એક અલગ જ ઓળખ મળી છે. આપને એ જાણીને ખુશી થશે કે કાશ્મીરી કેસરને GI Tag નું સર્ટિફિકેટ મળ્યા બાદ દુબઈના એક સુપર માર્કેટમાં તેને લોન્ચ કરવામાં આવ્યું. હવે તેની નિકાસ વધવા લાગશે. આ આત્મનિર્ભર ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂતી આપશે. કેસરના ખેડૂતોને તેનાથી વિશેષ લાભ થશે. પુલવામા માં ત્રાલના શાર વિસ્તારમાં રહેતા અબ્દુલ મજીદ વાની ને જ જોઈ લો. તેઓ પોતાના GI Tagged કેસરને National Saffron Missionની મદદથી પમ્પોરના ટ્રેડિંગ સેન્ટરમાં ઈ-ટ્રેડિંગની મદદથી વેચી રહ્યા છે. તેમના જેવા કેટલાય લોકો કાશ્મીરમાં આ કામ કરી રહ્યા છે. હવેથી જ્યારે આપ કેસરને ખરીદવાનું મન કરો, તો કાશ્મીરનું જ કેસર ખરીદવાનું વિચારજો. કાશ્મીરના લોકોની મહેનત એવી છે કે ત્યાંના કેસરનો સ્વાદ જ અલગ હોય છે.
મારા પ્રિય દેશવાસીઓ હમણાં બે દિવસ પહેલાં જ ગીતા જયંતિ હતી. ગીતા, આપણને આપણા જીવનમાં દરેક સંદર્ભે પ્રેરણા આપે છે. પરંતુ શું તમે કદી વિચાર્યું છે, ગીતા આટલો અદભૂત ગ્રંથ કેમ છે? તે એટલા માટે કે તે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણની જ વાણી છે. પરંતુ ગીતાની વિશિષ્ટતા એ પણ છે કે તે જાણવાની જિજ્ઞાસાથી શરૂ થાય છે. પ્રશ્નથી શરૂ થાય છે. અર્જુને ભગવાને પ્રશ્ન કર્યો, જિજ્ઞાસા કરી, ત્યારે જ તો ગીતાનું જ્ઞાન સંસારને મળ્યું. ગીતાની જ જેમ, આપણી સંસ્કૃતિમાં જેટલું પણ જ્ઞાન છે, બધું જિજ્ઞાસાથી જ શરૂ થાય છે. વેદાંતનો તો પહેલો મંત્ર જ છે, – ‘अथातो ब्रह्म जिज्ञासा’ એટલે કે આવો આપણે બ્રહ્મની જિજ્ઞાસા કરીએ. તેથી જ તો આપણે ત્યાં બ્રહ્મના પણ સંશોધનની વાત કહેવામાં આવે છે. જિજ્ઞાસાની તાકાત જ એવી છે. જિજ્ઞાસા તમને સતત કંઈક નવા માટે પ્રેરિત કરે છે. બાળપણમાં આપણે એટલે જ તો શીખીએ છીએ કારણ કે આપણી અંદર જિજ્ઞાસા હોય છે. એટલે કે જ્યાં સુધી જિજ્ઞાસા છે, ત્યાં સુધી જીવન છે. જ્યાં સુધી જિજ્ઞાસા છે ત્યાં સુધી નવું શીખવાનો ક્રમ ચાલુ જ છે. તેમાં કોઈ ઉંમર, કોઈ પરિસ્થિતી મહત્વ નથી ધરાવતી. જિજ્ઞાસાની એવી જ ઉર્જાનું એક ઉદાહરણ મને ખબર પડી તમિલનાડુના વડિલ શ્રી ટી શ્રીનિવાસાચાર્ય સ્વામી જી વિશે. શ્રી ટી શ્રીનિવાસાચાર્ય સ્વામી જી 92 વર્ષના છે, Ninety Two Years. તેઓ આ ઉંમરે પણ કોમ્પ્યુટર પર પોતાનું પુસ્તક લખી રહ્યા છે, તે પણ જાતે ટાઈપ કરીને. તમે વિચારતા હશો કે પુસ્તક લખવાનું તો ઠીક છે, પરંતુ શ્રીનિવાસાચાર્ય જી ના સમયે તો કોમ્પ્યુટર હશે જ નહીં. તો પછી તેમણે કોમ્પ્યુટર ક્યારે શિખ્યું.? એ વાત સાચી છે કે તેમના કોલેજના સમયમાં કોમ્પ્યુટર નહોતું. પરંતુ તેમના મનમાં જિજ્ઞાસા અને આત્મવિશ્વાસ અત્યારે પણ એટલો જ છે જેટલો તેમની યુવાવસ્થામાં હતો. વાસ્તવમાં શ્રીનિવાસાચાર્ય સ્વામી જી સંસ્કૃત અને તમીલના વિદ્વાન છે. તેઓ અત્યારસુધી 16 આધ્યાત્મિક ગ્રંથ પણ લખી ચૂક્યા છે. પરંતુ કોમ્પ્યુટર આવ્યા બાદ, તેમને જ્યારે લાગ્યું કે હવે તો પુસ્તક લખવા અને પ્રિન્ટ થવાની રીત બદલાઈ ગઈ છે, તો તેમણે 86 વર્ષની ઉંમરમાં, eighty six ની ઉંમરમાં કોમ્પ્યુટર શીખ્યું, પોતાના માટે જરૂરી સોફ્ટવેર શીખ્યા. હવે તેઓ તેમનું આખું પુસ્તક કરે છે.
સાથીઓ, શ્રી ટી શ્રીનિવાસાચાર્ય સ્વામી જીનું જીવન એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે, કે જીવન ત્યાં સુધી ઉર્જાથી ભરેલું રહે છે, જ્યાં સુધી જીવનમાં જિજ્ઞાસા નથી મરતી, શીખવાની ઈચ્છા નથી મરતી. તેથી જ આપણે ક્યારેય એ ન વિચારવું જોઈએ કે આપણે પાછળ રહી ગયા, આપણે ચૂકી ગયા. કાશ…આપણે પણ આ શીખી લેતા. આપણે એ પણ ન વિચારવું જોઈએ કે આપણે નહીં શીખી શકીએ, અથવા આગળ નહીં વધી શકીએ.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં આપણે જિજ્ઞાસાથી, કંઈક નવું શીખવાની અને કરવાની વાત કરી રહ્યા હતા. નવા વર્ષે, નવા સંકલ્પોની વાત પણ કરી રહ્યા હતા. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે, જે સતત કંઈકને કંઈક નવું કરી રહ્યા છે, નવા-નવા સંકલ્પોને સિદ્ધ કરતા રહે છે. આપે પણ આપણા જીવનમાં અનુભવ્યું હશે કે, જ્યારે આપણે સમાજ માટે કંઈક કરીએ છીએ તો ઘણું બધું કરવાની ઉર્જા સમાજ પોતે જ આપણને આપે છે. સામાન્ય લાગતી પ્રેરણાઓથી બહુ મોટા કામ પણ થઈ જાય છે. એવા જ એક યુવાન છે શ્રીમાન પ્રદિપ સાંગવાન. ગુરુગ્રામના પ્રદિપ સાંગવાન 2016થી Healing Himalayas નામથી અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ પોતાની ટીમ અને વોલેન્ટિયર્સ સાથે હિમાલયના અલગ-અલગ વિસ્તારોમાં જાય છે, અને જે પ્લાસ્ટિક કચરા ટૂરિસ્ટ ત્યાં છોડીને જાય છે, તે સાફ કરે છે. પ્રદિપજી અત્યારસુધી હિમાલયના અલગ અલગ ટુરિસ્ટ લોકેશનમાંથી ટનબંધ પ્લાસ્ટિક સાફ કરી ચૂક્યા છે. આવી જ રીતે કર્ણાટકના એક યુવા દંપત્તિ છે, અનુદીપ અને મિનૂષા. અનુદીપ અને મિનૂષાએ હમણાં ગત મહિને નવેમ્બરમાં જ લગ્ન કર્યા છે. લગ્ન બાદ ઘણાં યુવાનો ફરવા જાય છે, પરંતુ આ બંનેએ કંઈક અલગ જ કર્યું. આ બંને હંમેશા જોતા હતા કે લોકો પોતાના ઘરની બહાર ફરવા જાય છે, પરંતુ જ્યાં જાય છે ત્યાં ઘણો કચરો છોડીને આવે છે. કર્ણાટકના સોમેશ્વર બીચ પર આવી જ સ્થિતી છે. અનુદીપ અને મિનૂષાએ નક્કી કર્યું કે સોમેશ્વર બીચ પર લોકો જે કચરો છોડીને ગયા છે, તેને સાફ કરશે. બંને પતિ-પત્નીએ લગ્ન બાદ તેમનો પહેલો સંકલ્પ આ જ લીધો. બંને એ મળીને સમુદ્ર તટનો ઘણો કચરો સાફ કરી નાખ્યો છે. અનુદીપે તેમના આ સંકલ્પ વિશે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યું છે. પછી શું, તેમના આટલા સુંદર વિચારથી પ્રભાવિત થઈને અઢળક યુવાનો તેમની સાથે આવીને જોડાઈ ગયા. તમને જાણીને આશ્ચર્ય થશે. આ લોકોએ મળીને સોમેશ્વર બીચ પરથી 800 કિલોથી વધુ કચરો સાફ કર્યો છે.
સાથીઓ, આ પ્રયાસો વચ્ચે આપણે એ પણ વિચારવાનું છે કે કચરો આ બીચ beaches પર, પહાડો પર, પહોંચે છે કેવી રીતે? આખરે આપણાંમાંથી જ કોઈ લોકો આ કચરો ત્યાં છોડીને આવે છે. આપણે પ્રદીપ અને અનુદીપ-મિનૂષાની જેમ સફાઈ અભિયાન ચલાવવું જોઈએ. પરંતુ તેની પહેલાં આપણે એ સંકલ્પ લેવો જોઈએ કે અમે કચરો ફેલાવશું નહીં. આમ પણ સ્વચ્છ ભારત અભિયાનનો પહેલો સંકલ્પ પણ તો આ જ છે. હા, વધુ એક વાત હું આપને યાદ અપાવવા માંગુ છું. કોરોના ને કારણે આ વર્ષે એટલી ચર્ચા થઈ નથી શકી. આપણે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો જ છે. આ પણ 2021ના સંકલ્પોમાંથી એક છે. છેલ્લે હું આપને નવા વર્ષ માટે ઘણી ઘણી શુભેચ્છાઓ આપું છું. આપ પોતે સ્વસ્થ રહો, આપના પરિવારને સ્વસ્થ રાખો. આવનારા વર્ષ જાન્યુઆરીમાં નવા વિષયો પર મન કી બાત થશે…
ઘણી…ઘણી શુભેચ્છા….

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતની શરૂઆતમાં હું આજે, હું તમારી બધાની સાથે એક ખુશખબરી વહેંચવા માંગુ છું. દરેક ભારતીયને એ જાણીને ગર્વ થશે કે દેવી અન્નપૂર્ણાની એક બહુ જ જૂની પ્રતિમા, કેનેડાથી ભારત પરત આવી રહી છે. આ પ્રતિમા લગભગ 100 વર્ષ પહેલા, 1913ની આસપાસ, વારાણસીના એક મંદિરમાંથી ચોરી કરીને, દેશની બહાર મોકલી દેવાઈ હતી. હું કેનેડાની સરકાર અને આ પુણ્યકાર્યને સંભવ બનાવનારા બધા લોકોની સહ્રદયતા માટે આભાર વ્યક્ત કરું છું. માતા અન્નપૂર્ણાનો કાશી સાથે બહુ જ વિશેષ સંબંધ છે. હવે તેમની પ્રતિમાનું પાછું આવવું, આપણા બધા માટે સુખદ છે. માતા અન્નપૂર્ણાની પ્રતિમાની જેમ જ આપણા ઘણાં અણમોલ કિંમતી વારસાઓ, રાષ્ટ્રિય ટોળકીઓનો શિકાર થતી રહી છે. આ ટોળકી, આંતરરાષ્ટ્રિય બજારમાં તેને બહુ જ ઉંચી કિંમતમાં વેચે છે. હવે તેમના પર કડકાઈ તો લગાવાઈ જ રહી છે, તેને પરત લાવવા માટે ભારતે પોતાના પ્રયાસો પણ વધાર્યા છે. આવી જ કોશિશોને કારણે વિતેલા કેટલાક વર્ષોમાં ભારત, કેટલીયે પ્રતિમાઓ અને કલાકૃતિઓને પરત લાવવામાં સફળ રહ્યું છે. માતા અન્નપૂર્ણાની પ્રતિમાના પરત આવવાની સાથે, એક સંયોગ એ પણ જોડાયેલો છે કે, કેટલાક દિવસો અગાઉ જ World Heritage Week મનાવવામાં આવ્યું. World Heritage Week, સંસ્કૃતિ પ્રેમીઓ માટે, જૂના સમયમાં પરત જવા, તેના ઈતિહાસના મહત્વની ક્ષણોને જાણવાનો એક શ્રેષ્છ તક પૂરી પાડે છે. કોરોનાના સમય છતાં પણ આ વખતે આપણે ઈનોવેટિવ રીતે લોકોને આ Heritage Week મનાવતા જોયા. Crisis માં
culture ઘણું જ કામ આવે છે, તેની સાથે વ્યવહાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ટેક્નોલોજીના માધ્યમથી પણ કલ્ચર, એક ઈમોશનલ રિચાર્જની રીતે કામ કરે છે. આજે દેશમાં કેટલાય મ્યુઝિયમ અને લાઈબ્રેરીઓ પોતાના સંગ્રહને સંપૂર્ણ રીતે ડિજીટલ બનાવવા પર કામ કરી રહ્યા છે. દિલ્હીમાં આપણા રાષ્ટ્રિય સંગ્રહાલયે આ સંબંધમાં કેટલાક પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. રાષ્ટ્રિય સંગ્રહાલય દ્વારા લગભગ દસ વર્ચ્યુઅલ ગેલેરી, introduce કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે – છે ને મજેદાર ! હવે તમે ઘરે બેઠા જ દિલ્હીના નેશનલ મ્યુઝિયમ ગેલેરીની ટૂર કરી શકશો. જ્યાં એક તરફ સાંસ્કૃતિક વારસાઓને ટેક્નોલોજીના માધ્યમથી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા મહત્વનું છે, તો આ વારસાઓના સંરક્ષણ માટે ટેક્નોલોજીનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે. હાલમાં જ એક interesting project વિશે વાંચી રહ્યો હતો. નોર્વેના ઉત્તરમાં સ્વૉલબાર્ડ (Svalbard) નામનો એક ટાપુ છે. આ ટાપુમાં એક પ્રોજેક્ટ, Arctic world archive બનાવવામાં આવ્યું છે. આ archive માં બહુમૂલ્ય એવા હેરિટેજ ડેટાને એવી રીતે રાખવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારની પ્રાકૃતિક કે માનવસર્જિત આપત્તિ પણ તેને અસર કરી શકે નહીં. હમણાં હાલમાં જ એ જાણકારી આવી છે કે અજન્તા ગુફાઓના વારસાને પણ ડિજીટાઈઝ કરવાના પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. તેમાં અજન્તા ગુફાઓની સંપૂર્ણ ઝાંખી જોવા મળશે. તેમાં ડિજીટાઈઝ્ડ અને restored painting ની સાથે સાથે તેનાથી સંબંધિત દસ્તાવેજ અને quotes પણ સામેલ હશે. સાથીઓ. રોગચાળાએ એક તરફ જ્યાં આપણા કામ કરવાની રીત-રિવાજ બદલી નાખ્યા છે તો બીજી તરફ પ્રકૃતિને નવી રીતે અનુભવ કરવાનો પણ મોકો આપ્યો છે. પ્રકૃતિને જોવાના આપણા દ્રષ્ટિકોણમાં પણ બદલાવ આવ્યો છે. હવે આપણે શિયાળાની ઋતુમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણને પ્રકૃતિના અલગ-અલગ રંગ જોવા મળશે. ગત કેટલાક દિવસોથી ઈન્ટરનેટ ચેરી બ્લોસમ્સની વાઈરલ છબીઓથી ભરેલું છે. તમે વિચાર કરી રહ્યા હશો જ્યારે હું ચેરી બ્લોસમ્સની વાત કરું છું તો જાપાનની આ પ્રસિદ્ધ ઓળખની વાત કરી રહ્યો છું – પરંતુ એવું નથી. આ જાપાનની છબીઓ નથી. આ આપણા મેઘાલયના શિલોંગની છબીઓ છે. મેઘાલયની સુંદરતાને આ ચેરી બ્લોસમ્સે વધારી દીધી છે.
સાથીઓ, આ મહિને 12 નવેમ્બરથી ડોક્ટર સલીમ અલીજી નો 125મો જયંતિ સમારોહ શરૂ થયો છે. ડોક્ટર સલીમે પક્ષીઓની દુનિયામાં બર્ડ વોચિંગને લઈને ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. દુનિયાના bird watchers ને ભારત પ્રત્યે આકર્ષિત પણ કર્યા છે. હું હંમેશાથી બર્ડ વોચિંગના શોખીન લોકોનો પ્રસંશક રહ્યો છું. ધણી જ ધીરજ સાથે તેઓ કલાકો સુધી સવારથી સાંજ સુધી Bird watching કરી શકે છે, પ્રકૃતિના અનોખા દ્રષ્ટિકોણનો આનંદ ઉઠાવી શકે છે અને પોતાના જ્ઞાનને આપણા લોકો સુધી પણ પહોંચાડી રહ્યા છે. ભારતમાં પણ ઘણી બર્ડ વોચિંગ સોસાયટી સક્રિય છે. આપ પણ જરૂર આ વિષય સાથે જોડાવ. મારી દોડાદોડથી ભરેલી જિંદગીમાં મને પણ ગત દિવસોમાં કેવડિયામાં પક્ષીઓ સાથે સમય વિતાવવાનો ઘણો જ યાદગાર મોકો મળ્યો. પક્ષીઓ સાથે વિતાવેલો સમય, આપને પ્રકૃતિ સાથે પણ જોડશે અને પર્યાવરણ માટે પણ પ્રેરણા આપશે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતની સંસ્કૃતિ અને શાસ્ત્ર હંમેશાથી આખી દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. કેટલાય લોકો તો તેની શોધમાં
ભારત આવ્યા અને હંમેશા માટે અહીંયાના જ થઈને રહી ગયા, તો કેટલાય લોકો પરત પોતાના દેશ જઈને, આ સંસ્કૃતિના વાહક બની ગયા. મને“Jonas Masetti” ના કામ વિશે જાણવાનો મોકો મળ્યો, જેને વિશ્વનાથના નામથી પણ જાણવામાં આવે છે. જોનસ બ્રાઝિલમાં લોકોને વેદાંત અને ગીતા શીખવાડે છે. તેઓ વિશ્વવિદ્યા નામની એક સંસ્થા ચલાવે છે, જે રિયો ડિ જનેરોથી કલાકના અંતરે પેટ્રોપોલિસના પહાડોમાં આવેલી છે. જોનસે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી સ્ટોક માર્કેટમાં પોતાની કંપનીમાં કામ કર્યું, પછી તેમનું વલણ ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને વેદાન્ત તરફ થઈ ગયું. સ્ટોકથી લઈને સ્પિરિચ્યુઆલિટી સુધી, ખરેખર તો તેમની એક લાંબી યાત્રા છે. જોનસે ભારતમાં વેદાન્ત દર્શનનો અભ્યાસ કર્યો અને 4 વર્ષ સુધી તેઓ કોઈમ્બતુરના આર્ષ વિદ્યા ગુરુકુલમમાં રહ્યા છે. જોનસમાં વધુ એક ખાસીયત છે કે તેઓ પોતાના મેસેજને આગળ પહોંચાડવા માટે ટેક્નોલોજીનો પ્રયોગ કરી રહ્યા છે. તેઓ નિયમિત રીતે ઓનલાઈન પ્રોગ્રામ્સ કરે છે. તેઓ રોજ પોડકાસ્ટ કરે છે. પાછલા 7 વર્ષોમાં જોનસે વેદાન્ત પર પોતાના Free Open Coursesના માધ્યમથી દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. જોનસ ન માત્ર એક મોટું કામ કરે છે પરંતુ તેને એક એવી ભાષામાં કરી રહ્યા છે, જેને સમજનારાઓની સંખ્યા પણ ઘણી વધારે છે. લોકોને તેને લઈને ઘણી રૂચી છે કે કોરોના અને ક્વોરન્ટાઈનના આ સમયમાં વેદાન્ત કેવી રીતે મદદ કરી શકે છે? મન કી બાત ના માધ્યમથી હું જોનસને તેમના પ્રયાસો માટે અભિનંદન આપું છું અને તેમના ભવિષષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવું છું.
સાથીઓ આવી રીતે હમણાં એક ખબર પર તમારું ધ્યાન જરૂર ગયું હશે. ન્યૂઝીલેન્ડમાં ત્યાંના નવનિયુક્ત એમ.પી. ડૉ. ગૌરવ શર્માએ વિશ્વની પ્રાચિન ભાષાઓમાંની એક સંસ્કૃત ભાષામાં શપથ લીધા છે. એક ભારતીય તરીકે, ભારતીય સંસ્કૃતિનો આ પ્રસાર આપણને બધાને ગર્વથી ભરી દે છે. મન કી બાતના માધ્યમથી હું ગૌરવ શર્માજી ને શુભેચ્છાઓ આપું છું. આપણા બધાની શુભેચ્છા છે કે તેઓ ન્યૂઝીલેન્ડના લોકોની સેવામાં નવી સિદ્ધીઓ પ્રાપ્ત કરે.
મારા પ્રિય દેશવાસીઓ, કાલે 30 નવેમ્બરે આપણે શ્રી ગુરુ નાનક દેવજીનું 551મું પ્રકાશ પર્વ મનાવીશું. આખી દુનિયામાં ગુરુ નાનક દેવજીનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે.
Vancouver થી Wellington સુધી, Singapore થી South Africa સુધી તેમના સંદેશ દરેક જગ્યાએ સાંભળવા મળે છે. ગુરુગ્રંથ સાહિબમાં કહેવામાં આવ્યું છે – સેવક કો સેવા બન આઈ, એટલે કે સેવકનું કામ સેવા કરવાનું છે. વિતેલા કેટલાક વર્ષોમાં કેટલાય મહત્વના તબક્કાઓ આવ્યા અને એક સેવક તરીકે આપણને ઘણું બધું કરવાની તક પ્રાપ્ત થઈ. ગુરુ સાહિબે આપણી પાસેથી સેવા લીધી. ગુરુ નાનક દેવજી નો જ 550મું પ્રકાશ પર્વ, શ્રી ગુરુ ગોવિંદ સિંહજીનું 350મું પ્રકાશ પર્વ, આવતા વર્ષે શ્રી ગુરુ તેગ બહાદુરજીનું 400મું પ્રકાશ પર્વ પણ છે. મને અનુભવાય છે કે ગુરુ સાહેબની મારા પર વિશેષ કૃપા રહી કે તેમણે મને તેમના કાર્યોમાં બહુ નજીકથી જોડ્યો.
સાથીઓ, શું તમે જાણો છો કે કચ્છમાં એક ગુરુદ્વારા છે, લખપત ગુરુદ્વારા સાહિબ. શ્રી ગુરુ નાનકજી પોતાના ઉદાસી દરમિયાન લખપત ગુરુદ્વારા સાહિબમાં રોકાયા હતા. 2001માં ભૂકંપથી આ ગુરુદ્વારાને પણ નુકસાન પહોંચ્યું હતું. એ ગુરુ સાહેબની કૃપા રહી હતી કે હું તેનો જીણોદ્ધાર સુનિશ્ચિત કરી શક્યો. ન માત્ર ગુરુદ્વારાની મરામત કરવામાં આવી પરંતુ તેના ગૌરવ અને ભવ્યતાને પણ ફરીથી સ્થાપિત કરવામાં આવ્યા. આપણને બધાને ગુરુ સાહેબના ભરપૂર આશિર્વાદ પણ મળ્યા. લખપત ગુરુદ્વારા સંરક્ષણના પ્રયાસોને 2004માં UNESCO Asia Pacific Heritage Award માં Award of Distinction આપવામાં આવ્યો. એવોર્ડ પ્રદાન કરનારી Jury એ જોયું કે પાયાની મરામત દરમિયાન શિલ્પ સાથે જોડાયેલી બારીકીઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. જ્યુરીએ એ પણ નોંધ્યું કે ગુરુદ્વારાના પુનઃનિર્માણ કાર્યમાં શીખ સમુદાયની ન માત્ર સક્રિય ભાગીદારી રહી પરંતુ, તેમના જ માર્ગદર્શનમાં આ કામ થયું. લખપત ગુરુદ્વારા જવાનું સૌભાગ્ય મને ત્યારે મળ્યું હતું જ્યારે હું મુખ્યમંત્રી પણ નહોતો. મને ત્યાં જઈને અનંત ઉર્જા મળતી હતી. આ ગુરુદ્વારામાં જઈને કોઈપણ પોતાને ધન્ય અનુભવે છે. હું એ વાત માટે ઘણો જ કૃતજ્ઞ છું કે ગુરુ સાહેબે મારી પાસેથી નિરંતર સેવા લીધી છે. ગત વર્ષ નવેમ્બરમાં જ કરતાપુર સાહિબ કોરિડોરનું ખૂલવું ઘણું જ ઐતિહાસિક રહ્યું.
એ વાતને હું જીવનભર મારા હ્રદયમાં સાચવીને રાખીશ. એ આપણા બધાનું સૌભાગ્ય છે કે આપણને શ્રી દરબાર સાહિબની સેવા કરવાનો વધુ એક મોકો મળ્યો. વિદેશમાં રહેનારા આપણા શીખ ભાઈ-બહેનો માટે હવે દરબાર સાહિબની સેવા માટે પૈસા મોકલવાનું વધુ સરળ થઈ ગયું છે. આ પગલાંથી વિશ્વભરની સંગત દરબાર સાહિબની વધુ નજીક આવી ગઈ છે.
સાથીઓ, તે ગુરુ નાનક દેવજી જ હતા, જેમણે લંગરની પરંપરા શરૂ કરી હતી અને આજે આપણે જોયું કે દુનિયાભરમાં શીખ સમુદાયે કેવી રીતે કોરોનાના આ સમયમાં લોકોનો ખાવાનું ખવડાવવાની પોતાની પરંપરા જાળવી રાખી છે, માનવતાની સેવાની – આ પરંપરા, આપણા બધા માટે નિરંતર પ્રેરણાનું કામ કરે છે. હું ઈચ્છું છું કે આપણે બધા સેવકની જેમ કામ કરતા રહીએ. ગુરુ સાહેબ મારી પાસેથી તેમજ દેશવાસીઓ પાસેથી આવી જ રીતે સેવા લેતા રહે. ફરી એકવાર, ગુરુ નાનક જયંતી પર મારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, ગત દિવસોમાં મને દેશભરની કેટલીયે યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સાથે વાતચીતનો, તેમની education journeyની મહત્વપૂર્ણ events માં સામેલ થવાનો મોકો પ્રાપ્ત થયો છે. ટેક્નોલોજીના માધ્યમથી IIT-Guwahati, IIT-Delhi, ગાંધીનગરની Deendayal Petroleum University, દિલ્હીની JNU, Mysore University અને લખનૌ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે connect થઈ શક્યો.
દેશના યુવાનોની વચ્ચે રહેવું ઘણું જ તાજગી આપનારું અને ઉર્જાથી ભરેલું હોય છે. વિશ્વવિદ્યાલયના પરિસર તો એક રીતે Mini India જેવા હોય છે. એક તરફ જ્યાં આ કેમ્પસમાં ભારતની વિવિધતાના દર્શન થાય છે, તો બીજી તરફ ત્યાં New India માટે મોટા-મોટા બદલાવનું passion પણ જોવા મળે છે. કોરોનાથી પહેલાના દિવસોમાં જ્યારે હું રૂબરૂ કોઈ ઈન્સ્ટિટ્યૂટની ઈવેન્ટમાં જતો હતો, તો એ આગ્રહ પણ કરતો હતો કે આસપાસની શાળાઓમાંથી ગરીબ બાળકોને પણ આ સમારોહમાં આમંત્રિત કરવામાં આવે. તે બાળકો, તે સમારોહમાં મારા સ્પેશ્યીલ ગેસ્ટ બનીને આવતા રહ્યા છે. એક નાનું બાળક તે ભવ્ય સમારોહમાં કોઈ યુવાનને ડોક્ટર, એન્જિનિયર, સાઈન્ટિસ્ટ બનતા જોવે છે, કોઈને મેડલ લેતા જોવે છે, તો તેનામાં નવા સપનાઓ જાગે છે – હું પણ કરી શકું છું, એ આત્મવિશ્વાસ જાગે છે. સંકલ્પ માટે પ્રેરણા મળે છે.
સાથીઓ, આ ઉપરાંત વધુ એક વાત જાણવામાં મારી હંમેશા રૂચી રહેતી હોય છે કે તે institution ના alumni કોણ છે, તે સંસ્થાના પોતાના alumni સાથે regular engagementની વ્યવસ્થા છે કે કેમ? તેમનું alumni network કેટલું જીવંત છે…
મારા યુવા દોસ્તો, આપ ત્યાં સુધી જ કોઈ સંસ્થાના વિદ્યાર્થી હોવ છો જ્યાં સુધી આપ અભ્યાસ કરો છો, પરંતુ ત્યાંના alumni, આપ
જીવનભર રહો છો. સ્કૂલ, કોલેજમાંથી બહાર નીકળ્યા બાદ બે વસ્તુ ક્યારેય પૂરી થતી નથી – એક, તમારા શિક્ષણનો પ્રભાવ અને બીજું આપનું આપની સ્કૂલ, કોલેજ સાથેનું જોડાણ. જ્યારે પણ ક્યારેક alumni એકબીજા સાથે વાત કરે છે, તો સ્કૂલ, કોલેજની તેમની યાદોમાં, પુસ્તકો અને ભણવાથી પણ વધારે કેમ્પસમાં વિતાવેલો સમય અને દોસ્તો સાથે વિતાવેલી પળો હોય છે, અને એ જ યાદોથી જન્મ લે છે એક ભાવ, institution માટે કંઈક કરવાનો. જ્યાં આપના વ્યક્તિત્વનો વિકાસ થયો છે, ત્યાંના વિકાસ માટે આપ કંઈક કરો તેનાથી મોટી ખુશી શું હોઈ શકે છે? મેં કેટલાક એવા પ્રયાસો વિશે વાંચ્યું છે, જ્યાં પૂર્વ વિદ્યાર્થીઓએ તેમની જૂની સંસ્થાઓને બને તેટલું વધારે આપ્યું છે. આજકાલ alumni તેને લઈને ઘણાં સક્રિય છે. IITians એ તેમની સંસ્થા માટે Conference Centres, Management Centres, Incubation Centres જેવી કેટલીયે અલગ-અલગ વ્યવસ્થાઓ પોતે બનાવીને આપી છે. આ બધા પ્રયાસો વર્તમાન વિદ્યાર્થીઓના learning experience ને સુધારે છે. IIT દિલ્હીએ એક endowment fundની શરૂઆત કરી છે, જે એક ઘણો જ શાનદાર idea છે. વિશ્વની જાણીતી યુનિવર્સિટીમાં આવા પ્રકારના endowments બનાવવાનું કલ્ચર રહેલું છે, જે વિદ્યાર્થીઓની મદદ કરે છે. મને લાગે છે કે ભારતના વિશ્વવિદ્યાલયો પણ આ કલ્ચરને institutionalize કરવામાં સક્ષમ છે.
જ્યારે કંઈક પાછું આપવાની વાત આવે છે તો કંઈ મોટું કે નાનું નથી હોતું. નાનામાં નાની મદદ પણ મહત્વ ધરાવે છે. દરેક પ્રયાસ મહત્વપૂર્ણ હોય છે. ઘણીવાર પૂર્વ વિદ્યાર્થીઓ પોતાની સંસ્થાના ટેક્નોલોજી અપગ્રેડેશનમાં, બિલ્ડીંગના નિર્માણમાં, એવોર્ડ્સ અને સ્કોલરશિપ શરૂ કરવામાં, સ્કિલ ડેવેલપમેન્ટના પ્રોગ્રામ શરૂ કરવામાં, ઘણી મહત્વની ભૂમિકા નિભાવે છે. કેટલીક શાળાઓના old student association એ mentorship programmes શરૂ કર્યા છે. તેમાં તેઓ અલગ-અલગ બેચના વિદ્યાર્થીઓને guide કરે છે. સાથે જ education prospect પર ચર્ચા કરે છે. કેટલીક સ્કૂલોમાં ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલોની alumni association બહુ જ strong છે, જે sports tournament અને community service જેવી ગતિવિધીઓનું આયોજન કરતા રહે છે. હું પૂર્વ વિદ્યાર્થીઓને આગ્રહ કરવા માંગીશ કે તેમણે જે સંસ્થામાં અભ્યાસ કર્યો છે, તેની સાથે પોતાના bondingને વધુ મજબૂત કરતા રહે. પછી તે સ્કૂલ હોય, કોલેજ હોય, કે યુનિવર્સિટી. મારો સંસ્થાઓને પણ આગ્રહ છે કે alumni engagementના નવા અને innovative પદ્ધતિઓ પર કામ કરે. Creative platforms develop કરે જેથી alumniની સક્રિય ભાગીદારી થઈ શકે.
મોટી કોલેજ અને યુનિવર્સિટી જ નહીં, આપણાં ગામોની સ્કૂલોનું પણ strong vibrant active alumni network હોય.
મારા પ્રિય દેશવાસીઓ, 5 ડિસેમ્બરે શ્રી અરબિંદોની પુણ્યતિથી છે. શ્રી અરબિંદોને આપણે જેટલા વાંચીએ છીએ, તેટલું જ ઉંડાણ આપણને મળતું જાય છે. મારા યુવાન સાથીઓ શ્રી અરબિંદોને જેટલા જાણશે, તેટલા જ પોતાને જાણશે અને પોતાને સમૃદ્ધ કરશે. જીવનની જે ભાવ-અવસ્થામાં આપ છો, જે સંકલ્પોને સિદ્ધ કરવામાં આપ પ્રયત્નશીલ છો, તેની વચ્ચે આપ હંમેશાથી શ્રી અરબિંદોને એક નવી પ્રેરણા આપતા જોશો, એક નવો માર્ગ દેખાડતા જોશો. જેમ આજે જ્યારે આપણે લોકલ માટે વોકલ એ અભિયાન સાથે આગળ વધી રહ્યા છીએ તો શ્રી અરબિંદોનું સ્વદેશીનું દર્શન આપણને માર્ગ દેખાડે છે. બાંગ્લામાં એક બહુ પ્રભાવશાળી કવિતા છે.
છુઈ શુતો પૉય-મોન્તો આશે તુંગ હોતે |
દિય-શલાઈ કાઠી, તાઉ આસે પોતે ||
પ્રો-દિપ્તી જાલિતે ખેતે, શુતે, જેતે |
કિછુતે લોક નૉય શાધીન ||
એટલે કે આપણે ત્યાં સોય અને દિવાસળી પણ વિદેશી જહાજમાં આવે છે. ખાણી-પીણી, સૂવાનું, કોઈપણ વાતમાં લોકો સ્વતંત્ર નથી.
તેઓ કહેતા પણ હતા, સ્વદેશીનો અર્થ છે કે આપણે આપણા ભારતીય કામદારો, કારીગરોએ બનાવેલી વસ્તુઓને પ્રાથમિકતા આપીએ.
એવું પણ નથી કે શ્રી અરબિંદોએ વિદેશોથી કંઈક શિખવાનો પણ ક્યારેય વિરોધ કર્યો હોય. જ્યાં જે નવું છે ત્યાંથી આપણે શીખીએ, જે આપણા દેશમાં સારું હોઈ શકે છે, તેનો આપણે સહયોગ અને પ્રોત્સાહન આપીએ, આ જ તો આત્મનિર્ભર ભારત અભિયાનમાં વોકલ ફોર લોકલ મંત્રની આ ભાવના છે.
ખાસ કરીને સ્વદેશીને અપનાવવાને લઈને તેમણે જે કંઈપણ કહ્યું તે આ જે દરેક દેશવાસીએ વાંચવું જોઈએ. સાથીઓ, આવી જ રીતે શિક્ષણને લઈને પણ શ્રી અરબિંદોના વિચાર બહુ જ સ્પષ્ટ હતા. તેઓ શિક્ષણને માત્ર પુસ્તકિયું જ્ઞાન, ડિગ્રી અને નોકરી સુધી જ સીમિત નહોતા માનતા. શ્રી અરબિંદો કહેતા હતા, આપણું રાષ્ટ્રિય શિક્ષણ, આપણી યુવા પેઢીના હ્રદય અને મગજની ટ્રેનિંગ હોવી જોઈએ, એટલે કે મસ્તિષ્કનો વૈજ્ઞાનિક વિકાસ થાય અને હ્રદયમાં ભારતીય ભાવનાઓ પણ હોય, ત્યારે એક યુવાન દેશનો વધુ એક સારો નાગરિક બની શકે છે, શ્રી અરબિંદોએ રાષ્ટ્રિય શિક્ષણને લઈને જે વાત તે વખતે કહી હતી, જે અપેક્ષા કરી હતી, આજે દેશ તેને નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિના રૂપમાં પૂરી કરી રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતમાં ખેતી અને તેનાથી જોડાયેલી વસ્તુઓ સાથે નવા પરિમાણો જોડાઈ રહ્યા છે. વિતેલા દિવસોમાં થયેલા કૃષિ સુધારે ખેડૂતો માટે નવી સંભાવનાના દ્વાર પણ ખોલ્યા છે. વર્ષોથી ખેડૂતોની જે માગ છે, જે માગોને પૂરી કરવા માટે કોઈને કોઈ સમયમાં દરેક રાજકીય દળે તેમને વાયદાઓ કર્યા હતા, તે માગ પૂરી થઈ છે.
ઘણા વિચાર-વિમર્શ બાદ ભારતની સંસદે કૃષિ સુધાર ને કાયદાકીય સ્વરૂપ આપ્યું. આ સુધારાઓથી ન માત્ર ખેડૂતોના બંધનો સમાપ્ત થયા છે પરંતુ તેમને નવા અધિકારો પણ મળ્યા છે, નવી તકો પણ મળી છે. આ અધિકારોએ બહુ જ ઓછા સમયમાં ખેડૂતોની મુશ્કેલીઓને ઘટાડવાનું શરૂ કરી દીધું છે.
મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના ખેડૂત, જિતેન્દ્ર ભોઈજીએ નવા કૃષિ કાયદાઓનો ઉપયોગ કેવી રીતે કર્યો, તે તમારે પણ જાણવું જોઈએ. જિતેન્દ્ર ભોઈજીએ મકાઈની ખેતી કરી હતી અને સારા ભાવ માટે તેને વેપારીઓને વેચવાનું નક્કી કર્યું. પાકની કુલ કિંમત નક્કી થઈ લગભગ ત્રણ લાખ બત્રીસ હજાર રૂપિયા. જિતેન્દ્ર ભોઈને પચ્ચીસ હજાર રૂપિયા એડવાન્સ મળી ગયા હતા. નક્કી એ થયું હતું કે બાકીના પૈસા તેમને પંદર દિવસમાં ચૂકવી દેવામાં આવશે. પરંતુ પછીથી પરિસ્થિતીઓ એવી બની કે તેમને બાકીનું પેમેન્ટ મળ્યું નહીં. ખેડૂતો પાસેથી પાક ખરીદી લો, મહિના – મહિના સુધી પેમેન્ટ ન કરો, સંભવિત મકાઈ ખરીદનારાઓ વર્ષોથી ચાલતી આવતી એ જ પરંપરાને નિભાવી રહ્યા હતા. તેવી જ રીતે ચાર મહિના સુધી જિતેન્દ્રજીનું પેમેન્ટ થયું નહીં. તેવી સ્થિતીમાં તેમની મદદ કરી, સપ્ટેમ્બરમાં જે પાસ થયો છે, જે નવો કૃષિ કાયદો બન્યો છે – તે તેમના કામ આવ્યો. આ કાયદામાં એ નક્કી કરવામાં આવ્યું કે પાક ખરીદના ત્રણ દિવસમાં જ ખેડૂતને પૂરું પેમેન્ટ કરવું પડે છે અને જો પેમેન્ટ નથી થતું તો ખેડૂતો ફરિયાદ દાખલ કરાવી શકે છે. કાયદામાં વધુ એક બહુ મોટી વાત છે, આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ક્ષેત્રના એસ.ડી.એમ એ એક મહિનાની અંદર જ ખેડૂતની ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે.
હવે જ્યારે આવા કાયદાની તાકાત આપણા ખેડૂતભાઈ પાસે હતી, તો તેમની સમસ્યાનું સમાધાન તો થવાનું જ હતું, તેમણે ફરિયાદ કરી અને થોડા જ દિવસમાં તેમની બાકી રકમ ચૂકવી દેવામાં આવી. એટલે કે કાયદાની સાચી અને પૂરી જાણકારી જ જિતેન્દ્ર જીની તાકાત બની.
ક્ષેત્ર કોઈપણ હોય, દરેક પ્રકારના ભ્રમ અને અફવાઓથી દૂર, સાચી જાણકારી, દરેક વ્યક્તિ માટે બહુ મોટો ટેકો હોય છે. ખેડૂતોમાં જાગૃતિ વધારવાનું આવું જ એક કામ કરી રહ્યા છે રાજસ્થાનના બારાં જિલ્લામાં રહેતા મોહમ્મદ અસલમજી. તેઓ એક ખેડૂત ઉત્પાદક સંઘના સીઈઓ પણ છે. જી હા…તમે સાચું સાંભળ્યું, ખેડૂત ઉત્પાદક સંઘના સીઈઓ. આશા છે, મોટી મોટી કંપનીઓના સીઈઓ ને આ સાંભળીને સારું લાગશે કે હવે દેશના દૂર-દૂરના વિસ્તારોમાં કામ કરી રહેલા ખેડૂત સંગઠનોમાં પણ સીઈઓ બનવા લાગ્યા છે, તો સાથીઓ, મોહમ્મદ અસલમજીએ પોતાના ક્ષેત્રનાં અનેક ખેડૂતોને મેળવીને એક વોટ્સએપ ગ્રુપ બનાવી લીધું છે. આ ગ્રુપ પર તેઓ દરરોજ આસપાસની બજારોમાં શું ભાવ ચાલી રહ્યો છે, તેની જાણકારી ખેડૂતોને આપે છે. એમનું પોતાનું એફપીઓ પણ ખેડૂતો પાસેથી પાક ખરીદે છે, તેથી તેમના આ પ્રયાસથી ખેડૂતોને નિર્ણય લેવામાં મદદ મળે છે.
સાથીઓ, જાગૃતિ છે તો જીવંતતા છે. પોતાની જાગૃતિથી હજારો લોકોનું જીવન પ્રભાવિત કરનારા એક કૃષિ ઉદ્યમી શ્રી વિરેન્દ્ર યાદવજી છે. વિરેન્દ્ર યાદવજી ક્યારેક ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા.
બે વર્ષ પહેલાં જ તેઓ ભારત આવ્યા અને હવે હરિયાણાના કૈથલમાં રહે છે. બીજા લોકોની જેમ, ખેતીમાં સૂકા ઘાસની તેમની સામે મોટી સમસ્યા હતી. તેના સોલ્યુશન માટે બહુ વ્યાપક સ્તર પર કામ થઈ રહ્યું છે,
પરંતુ આજે મન કી બાતમાં હું વિરેન્દ્ર જીનો ખાસ કરીને ઉલ્લેખ એટલે કરી રહ્યો છું, કારણ કે તેમના પ્રયાસ અલગ છે, એક નવી દિશા દેખાડે છે. સૂકા ઘાસનું સમાધાન કરવા માટે વિરેન્દ્રજીએ પૂળાની ગાંઠ બનાવનારું straw baler મશીન ખરીદ્યું. તેને માટે તેમને કૃષિ વિભાગ તરફથી આર્થિક મદદ પણ મળી. આ મશીનથી તેમણે સૂકા ઘાંસના ગઠ્ઠા બનાવવાના શરૂ કર્યા. ગઠ્ઠા બનાવ્યા બાદ તેમણે સૂકા ઘાંસને એગ્રો એનર્જી પ્લાન્ટ અને પેપર મીલને વેચી દીધા. તમે જાણીને હેરાન રહી જશો કે વિરેન્દ્રજીએ સૂકા ઘાંસમાંથી માત્ર બે વર્ષમાં દોઢ કરોડ રૂપિયાથી પણ વધુનો વેપાર કર્યો છે, અને તેમાં પણ લગભગ 50 લાખ રૂપિયાનો નફો કમાયા છે. તેનો ફાયદો એ ખેડૂતોને પણ થઈ રહ્યો છે, જેમના ખેતરોમાંથી વિરેન્દ્રજી સૂકુ ઘાંસ ઉઠાવે છે. આપણે કચરામાંથી કંચનની વાત તો ઘણી સાંભળી છે, પરંતુ સૂકા ઘાંસનો નિકાલ કરીને પૈસા અને પુણ્ય કમાવાનું આ અનોખું ઉદાહરણ છે. મારા નવયુવાનો, ખાસકરીને ખેતીનો અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ તેમની આસપાસના ગામોમાં જઈને ખેડૂતોને આધુનિક ખેતી વિશે, હાલમાં જ થયેલા ખેતી વિષયક સુધારા વિશે જાગૃત કરે. તેવું કરીને આપ દેશમાં થઈ રહેલા મોટા બદલાવમાં સહભાગી બનશો.
મારા પ્રિય દેશવાસીઓ,
મન કી બાત માં આપણે અલગ-અલગ, વિવિધ અનેક વિષયો પર વાત કરીએ છીએ. પરંતુ એક એવી વાતને પણ એક વર્ષ થઈ રહ્યું છે, જેને આપણે ક્યારેય ખુશીથી યાદ કરવાનું નહીં ઈચ્છીએ. લગભગ એક વર્ષ થઈ રહ્યું છે, જ્યારે દુનિયાને કોરોનાના પહેલા કેસ વિશે ખબર પડી હતી. ત્યારથી લઈને અત્યારસુધી આખા વિશ્વએ અનેક ઉતાર-ચડાવ જોયા છે. લોકડાઉનના તબક્કાની બહાર નીકળીને હવે વેક્સિન પર ચર્ચા થવા લાગી છે. પરંતુ કોરોનાને લઈને કોઈપણ પ્રકારની લાપરવાહી હજુ પણ બહુ જ ઘાતક છે. આપણે કોરોના સામે આપણી લડાઈને મજબૂતી સાથે ચાલુ રાખવાની છે. સાથીઓ કેટલાક દિવસો બાદ જ 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથી પણ છે. આ દિવસ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપવાની સાથે દેશ પ્રત્યે આપણા સંકલ્પો, બંધારણે, એક નાગરિક તરીકે આપણા કર્તવ્યને નિભાવવાની જે શિખ આપણને આપી છે, તેનું પુનરાવર્તન કરવાનું છે. દેશના મોટા ભાગમાં શિયાળાની ઋતુ પણ જોર પકડી રહી છે. અનેક જગ્યાઓ પર બરફવર્ષા થઈ રહી છે. આ ઋતુમાં આપણે પરિવારના બાળકો અને વડિલોનું, બિમાર લોકોનું વિશેષ ધ્યાન રાખવાનું છે, પોતે પણ સાવધાની રાખવાની છે. મને ખુશી થાય છે, જ્યારે હું એ જોવું છું કે લોકો પોતાની આસપાસના જરૂરિયાતમંદોની પણ ચિંતા કરે છે. ગરમ કપડાં આપીને તેમની મદદ કરે છે. નિરાધાર પ્રાણીઓ માટે પણ શિયાળો ઘણી મુશ્કેલી લઈને આવે છે.
તેમની મદદ માટે પણ ઘણાં લોકો આગળ આવે છે. આપણી યુવા પેઢી આવા કાર્યોમાં બહુ વધુ સક્રિય હોય છે. સાથીઓ હવે પછી જ્યારે આપણે મન કી બાતમાં મળીશું તો 2020નું આ વર્ષ સમાપ્તિ તરફ હશે.
નવી આશાઓ, નવા વિશ્વાસ સાથે આપણે આગળ વધીશું. હવે જે પણ સૂચનો હોય, ideas હોય, તેને મારી સાથે ચોક્કસ વહેંચતા રહો. આપ બધાને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ, આપ બધા સ્વસ્થ રહો, દેશ માટે સક્રિય રહો. ખૂબ-ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ છે. આ પાવન અવસરે આપ સૌને અનેક અનેક શુભેચ્છા… દશેરાનું આ પર્વ અસત્ય પર સત્યની જીતનું પર્વ છે. પરંતુ સાથે જ, એક રીતે એ સંકટો પર ધૈર્યના વિજયનું પર્વ પણ છે. આજે આપ સૌ ખૂબ સંયમપૂર્વક જીવી રહ્યાં છો. મર્યાદામાં રહીને પર્વો, તહેવારો ઉજવી રહ્યાં છો, માટે જે લડાઇ આપણે લડી રહ્યાં છીએ તેમાં જીત પણ નક્કી છે. પહેલાં, દુર્ગા મંડપોમાં, માં ના દર્શન માટે એટલી ભીડ એકઠી થતી હતી, બિલકુલ મેળા જેવું વાતાવરણ રહેતું હતું. પરંતુ આ વખતે એવું નથી બની શક્યું. પહેલાં, દશેરાએ પણ મોટામોટા મેળા થતા હતા, પરંતુ આ વખતે તેમનું સ્વરૂપ પણ અલગ જ છે. રામલીલાનો તહેવાર પણ, કે જેનું બહું મોટું આકર્ષણ હતું, પરંતુ તેમાં પણ અંકુશ મૂકાયેલાં છે. પહેલાં, નવરાત્રીમાં ગુજરાતના ગરબાનો ગુંજારવ ચારે તરફ છવાયેલો રહેતો હતો, આ વખતે બધાં મોટાં મોટાં આયોજન બંધ છે. હજી આગળ પણ કેટલાંય પર્વ આવવાનાં છે. હમણાં જ ઇદ આવશે, શરદપૂર્ણિમા છે, વાલ્મીકી જયંતી છે. પછી, ધનતેરસ, દિવાળી, ભાઇબીજ, છઠી માતાની પૂજા છે, ગુરૂ નાનકદેવજીની જયંતી છે, કોરોનાના આ સંકટકાળમાં આપણે સંયમથી જ કામ લેવાનું છે. મર્યાદામાં જ રહેવાનું છે.
સાથીઓ, આપણે જયારે તહેવારની વાત કરીયે છીએ, તે માટેની તૈયારીઓ કરીયે છીએ, ત્યારે સૌથી પહેલાં મનમાં એ જ થાય કે બજારે ક્યારે જવાનું છે ? શું શું ખરીદવાનું છે ? ખાસ કરીને, બાળકોમાં તો એનો વિશેષ ઉત્સાહ હોય છે, તહેવારોમાં આ વખતે નવું શું મળવાનું છે ? તહેવારોના ઉમંગ અને બજારની રોનક એક-બીજા સાથે જોડાયેલાં છે. પરંતુ આ વખતે તમે જયારે ખરીદી કરવા જાવ ત્યારે “વોકલ ફોર લોકલ”નો પોતાનો સંકલ્પ ચોક્કસ યાદ રાખજો. બજારમાં સામાન ખરીદતી વખતે આપણે સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવાની છે.
સાથીઓ, તહેવારોના આ હર્ષોલ્લાસ વચ્ચે આપણે લોકડાઉનના સમયને પણ યાદ કરવો જોઇએ. લોકડાઉનના સમયમાં આપણે સમાજના તે સાથીઓને વધુ નિકટતાથી જાણ્યા છે, કે જેમના વિના આપણું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાત. સફાઇ કર્મચારી, ઘરમાં કામ કરનારાં ભાઇઓ-બહેનો, સ્થાનિક શાકભાજીવાળા, દૂધવાળા, ચોકીદાર, આ બધાંની આપણા જીવનમાં શું ભૂમિકા છે તે આપણે સારી રીતે અનુભવ્યું છે. મુશ્કેલ સમયમાં, તેઓ આપણી સાથે હતા, આપણાં બધાંની સાથે હતાં. હવે, આપણાં પર્વોમાં, આપણાં આનંદમાં પણ, આપણે તેમને સાથે રાખવાનાં છે. મારો આગ્રહ છે કે જે પણ રીતે શક્ય હોય, તેમને પોતાના આનંદમાં ચોક્કસ સામેલ કરજો. પરિવારના સભ્યની જેમ સામેલ કરજો, પછી તમે જોજો, તમારો આનંદ પણ કેટલો વધી જાય છે !…
સાથીઓ, આપણે આપણા એ ઝાંબાજ વીર સૈનિકોને પણ યાદ રાખવાના છે, જે આ તહેવારોમાં પણ સરહદે અડીખમ ઉભા છે. ભારત માતાની સેવા અને રક્ષણ કરી રહ્યા છે. આપણે તેમને યાદ કરીને જ આપણા તહેવાર ઉજવવાના છે. આપણે ઘરમાં એક દીવડો ભારત માતાનાં આ વીર દીકરા-દીકરીઓના સન્માનમાં પણ પ્રગટાવવાનો છે. હું, આપણા વીરજવાનોને પણ કહેવા માગું છું કે આપ ભલે સરહદે છો, પરંતુ પૂરો દેશ તમારી સાથે છે. તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. એવી હર કોઇ વ્યક્તિ કે જેમના દીકરા-દીકરીઓ આજે સરહદ પર છે, તે પરિવારોના ત્યાગને પણ હું નમન કરૂં છું. જે દેશ સાથે જોડાયેલી કોઇને કોઇ જવાબદારીના કારણે પોતાના ઘરે નથી, પોતાના પરિવારથી દૂર છે, હું હ્રદયથી તેમનો આભાર વ્યક્ત કરૂં છું.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે જયારે આપણે લોકલ માટે વોકલ બની રહ્યા છીએ તો દુનિયા પણ આપણી લોકલ ચીજવસ્તુઓની ચાહક બની રહી છે. આપણી કેટલીયે લોકલ ચીજવસ્તુઓમાં ગ્લોબલ બનવાની બહુ મોટી શક્તિ છે. જેમ કે એક ઉદાહરણ છે – ખાદીનું. દીર્ઘકાળ સુધી ખાદી, સાદાઇની ઓળખ રહી છે, પરંતુ આપણી ખાદી આજે પર્યાવરણ અનુરૂપ કાપડના રૂપમાં ઓળખાવા લાગી છે. આરોગ્યની દ્રષ્ટિએ તે શરીર સાનુકૂળ કાપડ છે. બારમાસી કાપડ છે. અને આજે ખાદી ફેશનની અભિવ્યક્તિ ફેશન સ્ટેટમેન્ટ તો બની જ રહી છે. ખાદીની લોકપ્રિયતા તો વધી જ રહી છે, સાથે જ, દુનિયામાં અનેક જગ્યાએ, ખાદી બનાવાઇ પણ રહી છે, મેક્સિકોમાં એક સ્થળ છે “ઓહાકા”, આ વિસ્તારમાં કેટલાંય ગામ એવાં છે, જયાં સ્થાનિક ગ્રામજનો ખાદી વણવાનું કામ કરે છે. આજે ત્યાંની ખાદી “ઓહાકા ખાદી”ના નામથી વિખ્યાત બની ચૂકી છે. ઓહાકામાં ખાદી કેવી રીતે પહોંચી તે પણ ઓછું રસપ્રદ નથી. હકીકતમાં મેક્સિકોના એક યુવાન, માર્ક બ્રાઉને એક વાર મહાત્મા ગાંધી પર એક ફિલ્મ જોઇ. બ્રાઉન આ ફિલ્મ જોઇને બાપુથી એટલા પ્રભાવિત થયા કે તેઓ ભારતમાં બાપુના આશ્રમે આવ્યા અને બાપુ વિષે ઊંડાણથી જાણ્યુ – સમજ્યું. બ્રાઉનને ત્યારે અહેસાસ થયો કે ખાદી માત્ર એક કપડું નથી, પરંતુ એ તો એક પૂરી જીવન જીવવાની રીત છે. ગ્રામીણ અર્થતંત્ર અને આત્મનિર્ભરતાનું દર્શન તેની સાથે કેવી રીતે જોડાયેલું છે તે જાણી બ્રાઉન તેનાથી ખૂબ પ્રભાવિત થયા. અહીંથી જ બ્રાઉને નક્કી કર્યુ કે મેક્સિકો જઇને તેઓ ખાદીનું કામ શરૂ કરશે. તેમણે મેક્સિકોના ઓહાકામાં ગ્રામજનોને ખાદીનું કામ શીખવ્યું, તેમને તાલીમ આપી, અને આજે ઓહાકા ખાદી એક બ્રાન્ડ બની ગઇ છે. આ પ્રોજેક્ટની વેબસાઇટ પર લખ્યું છે The Symbol of Dharma in motion “ગતિમાન ધર્મનું પ્રતીક”. આ વેબસાઇટ પર માર્ક બ્રાઉનનો ખૂબ રસપ્રદ ઇન્ટરવ્યુ પણ મળશે. તેઓ કહે છે કે શરૂમાં લોકોને ખાદીમાં શંકા હતી. પરંતુ છેવટે તેમાં લોકોની રૂચી વધી અને તેનું બજાર તૈયાર થઇ ગયું. તેઓ કહે છે, આ રામરાજય સાથે જોડાયેલી બાબતો છે, જયારે તમે લોકોની જરૂરીયાતો પૂરી કરો છો, તો પછી લોકો પણ તમારી સાથે જોડાતા જાય છે.
સાથીઓ, દિલ્હીના કોનોટ પ્લેસના ખાદીભંડારમાં આ વખતે ગાંધી જયંતીએ એક જ દિવસમાં એક કરોડ રૂપિયાથી વધુની ખરીદી થઇ. એ જ રીતે કોરોનાકાળમાં ખાદીના માસ્ક પણ ખૂબ લોકપ્રિય બની રહ્યાં છે. આખા દેશમાં કેટલાંય સ્થળે સ્વસહાય જૂથો અને બીજી સંસ્થાઓ ખાદીનાં માસ્ક બનાવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના બારાબંકીમાં એક મહિલા છે – સુમનદેવીજી. સુમનજીએ સ્વસહાય જૂથની પોતાની સાથી મહિલાઓ સાથે મળીને ખાદીના માસ્ક બનાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે અન્ય મહિલાઓ પણ તેમની સાથે જોડાતી ગઇ. હવે તેઓ બધાં મળીને ખાદીનાં હજારો માસ્ક બનાવી રહ્યાં છે. આપણી સ્થાનિક ચીજોની ખૂબી છે કે તેની સાથે મોટાભાગે એક આખું દર્શન જોડાયેલું હોય છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આપણને જયારે પોતાની ચીજવસ્તુઓ પર ગર્વ થાય છે, તો દુનિયામાં પણ તેના પ્રત્યેની જિજ્ઞાશા વધી જાય છે. જેવી રીતે આપણા આધ્યાત્મે, યોગે, આયુર્વેદે પૂરી દુનિયાને આકર્ષિત કરી છે. આપણી કેટલીયે રમતો પણ દુનિયાને આકર્ષિત કરી રહી છે. આજકાલ આપણું મલખમ્બ પણ અનેક દેશોમાં પ્રચલિત થઇ રહ્યું છે. અમેરિકામાં ચિન્મય પાટણકર અને પ્રજ્ઞા પાટણકરે જયારે પોતાના ઘરેથી જ મલખમ શીખવવાનું શરૂ કર્યું હતું, ત્યારે એમણે પણ ધાર્યું નહોતું કે તેને આટલી સફળતા મળશે. અમેરિકામાં આજે કેટલાંય સ્થળોએ મલખમ તાલીમ કેન્દ્રો ચાલી રહ્યાં છે. અમેરિકાના યુવાનો મોટી સંખ્યામાં તેની સાથે જોડાઇ રહ્યા છે, મલખમ શીખી રહ્યાં છે. આજે જર્મની હોય, પોલેન્ડ હોય, મલેશિયા હોય, એવા લગભગ 20 અન્ય દેશોમાં પણ મલખમ ખૂબ જાણીતું બની રહ્યું છે. હવે તો તેની વિશ્વ સ્પર્ધા શરૂ કરાઇ છે, જેમાં કેટલાય દેશોના હરીફો ભાગ લે છે. ભારતમાં તો પ્રાચીનકાળથી એવી કેટલીયે રમતો રહી છે જે આપણી અંદર, એક અસાધારણ વિકાસ કરે છે. આપણા મન, શરીર સંતુલનને એક નવા આયામ પર લઇ જાય છે. પરંતુ બની શકે કે નવી પેઢીના આપણા યુવા સાથીઓ મલખમથી એટલા પરિચીત નહીં હોય. તમે એને ઇન્ટરનેટ પર ચોક્કસ સર્ચ કરજો અને જોજો.
સાથીઓ, આપણા દેશમાં કેટલાય પ્રકારની માર્શલ આર્ટ છે. હું ઇચ્છું છું કે આપણા યુવા સાથીઓ તેના વિશે પણ જાણે, તે શીખે અને સમય અનુસાર તેમાં નવીનતા પણ લાવે. જીવનમાં જયારે મોટા પડકારો નથી હોતા, ત્યારે વ્યક્તિત્વનું સર્વશ્રેષ્ઠ પણ બહાર નીકળીને નથી આવતું. એટલા માટે પોતાની જાતને હંમેશાં પડકારો ફેંકતા રહો.
મારા વ્હાલા દેશવાસીઓ, કહેવાય છે કે Learning is Growing – શીખવું એ વૃદ્ધિ પામવું છે. આજે મન કી બાતમાં હું આપનો પરિચય એક એવી વ્યક્તિ સાથે કરાવીશ જેમનામાં એક અનોખું ઝનૂન છે. આ ઝનૂન છે બીજા સાથે વાંચન અને શીખવાના આનંદને વહેંચવાનું. તે છે પોન મરિયપ્પન. પોન મરિયપ્પન તમિલનાડુના તુતુકુડીમાં રહે છે. તુતુકુડીને પર્લ સિટી એટલે કે મોતીઓના શહેરના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. એક સમયે તે પાંડિયન સામ્રાજયનું એક મહત્વનું કેન્દ્ર હતું. ત્યાં રહેતાં મારા દોસ્ત પોન મરિયપ્પન વાળ કાપવાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને એક સલૂન ચલાવે છે. બહુ નાનું એવું સલૂન છે. તેમણે એક અનોખું અને પ્રેરણાદાયક કામ કર્યું છે. પોતાના સલૂનના એક ભાગને જ પુસ્તકાલય બનાવી દીધું છે. જો કોઇ વ્યક્તિ સલૂનમાં પોતાના વારાની રાહ જોતી વખતે ત્યાં કંઇક વાંચે છે અને જે વાંચ્યું છે તેના વિશે થોડું લખે છે, તો પોન મરિયપ્પનજી તે ગ્રાહકને વળતર આપે છે. છે ને મજેદાર ! ! આવો તુતુકુડી જઇએ અને પોન મરિયપ્પનજી સાથે વાત કરીએ.
પ્રધાનમંત્રીઃ- પોન મરિયપ્પનજી. વણક્કમ.. નલ્લા ઇર કિંગડા
? કેમ છો ?
પોન મરિયપ્પનઃ- માનનીય પ્રધાનમંત્રીજી, વણક્કમ..
પ્રધાનમંત્રીઃ- વણક્કમ, વણક્કમ.. ઉન્ગલકકે ઇન્દ લાઇબ્રેરી આઇડિયા, યેપ્પડી વન્દદા ? આપને પુસ્તકાલયનો આ જે વિચાર છે, તે કેવી રીતે આવ્યો ?
પોન મરિયપ્પન:– માનનીય પ્રધાનમંત્રીજી હું આઠમા ધોરણ સુધી ભણેલો છું. તેનાથી આગળ મારી કૌટુંબિક પરિસ્થિતિના લીધે હું મારૂં ભણવાનું આગળ વધારી ના શક્યો, હું જયારે ભણેલા-ગણેલા લોકોને જોતો, ત્યારે મારા મનમાં એક ઉણપ અનુભવાઇ રહી હતી. એટલે મારા મનમાં થયું કે કેમ આપણે એક પુસ્તકાલય ના બનાવી દઇએ ? અને તેનાથી ઘણ બધા લોકોને તેનો લાભ થશે. આ જ વાત મારા માટે એક પ્રેરણા બની.
પ્રધાનમંત્રીઃ- ઉન્ગલક્કે યેન્દ પુત્તહમ પિડિક્કુમ ? તમને ક્યું પુસ્તક ખૂબ ગમે છે ?
પોન મરિયપ્પનઃ- મને તિરુકુરૂલ બહુ પ્રિય છે.
પ્રધાનમંત્રીઃ- ઉન્ગકિટ્ટ પેસિયાદિલ – યેનકક. રોમ્બા મગિલચી નલવાડ તુક્કલ. તમારી સાથે વાત કરવામાં મને ખૂબ આનંદ થયો. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પોન મરિયપ્પનઃ- હું પણ માનનીય પ્રધાનમંત્રીજી સાથે વાત કરતાં અતિ આનંદ અનુભવ કરી રહ્યો છું.
પ્રધાનમંત્રીઃ- નલવાડ તુક્કલ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પોન મરિયપ્પનઃ- ધન્યવાદ પ્રધાનમંત્રીજી.
પ્રધાનમંત્રીઃ- તમારો આભાર.
આપણે હમણાં જ પોન મરિયપ્પનજી સાથે વાત કરી. જૂઓ, કેવી રીતે તેઓ લોકોનું કેશકર્તન તો કરે છે જ, તેમને પોતાનું જીવન સુધારવાની તક પણ આપે છે. થિરૂકુરલની લોકપ્રિયતા વિશે સાંભળીને બહુ સારૂં લાગ્યું, થિરૂકુરલની લોકપ્રિયતા વિશે આપ સૌએ પણ સાંભળ્યું. આજે હિંદુસ્તાનની તમામ ભાષાઓમાં થિરૂકુરલ ઉપલબ્ધ છે. જો તક મળે તો જરૂર વાંચવું જોઇએ. જીવન માટે તે એક પ્રકારે માર્ગદર્શક છે.
સાથીઓ, પંરતુ તમને એ જાણીને આનંદ થશે કે સમગ્ર ભારતમાં અનેક લોકો એવા છે જેમને જ્ઞાનનો પ્રસાર કરવાથી અપાર આનંદ મળે છે, આ એવા લોકો છે જે હંમેશા એ બાબતે તત્પર રહે છે કે દરેક જણ ભણવા માટે પ્રેરિત થાય. મધ્યપ્રદેશના સિંગરૌલીનાં શિક્ષિકા – ઉષા દુબેજીએ તો “સ્કૂટી”ને જ હરતાફરતા પુસ્તકાલયમાં ફેરવી નાખ્યું છે. તેઓ દરરોજ પોતાના હરતા-ફરતા પુસ્તકાલય સાથે કોઇ ને કોઇ ગામમાં પહોંચી જાય છે અને ત્યાં બાળકોને ભણાવે છે. બાળકો તેમને પ્રેમથી ચોપડીઓવાળાં દીદી કહીને બોલાવે છે. આ વર્ષે ઓગસ્ટમાં અરૂણાચલ પ્રદેશમાં નિરજૂલીના “રેયો” ગામમાં એક સ્વસહાય પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે. બન્યું એવું કે ત્યાંની મીના ગુરૂંગ અને દિવાંગ હોસાઇને જયારે જાણવા મળ્યું કે ગામમાં કોઇ પુસ્તકાલય નથી તો તેમણે તેનું ભંડોળ ઉભું કરવા હાથ લંબાવ્યા. તમને એ જાણીને અચરજ થશે કે આ પુસ્તકાલય માટે સભ્યપદની કોઇ આવશ્યકતા જ નથી. કોઇ પણ વ્યક્તિ બે અઠવાડિયા માટે પુસ્તક લઇ જઇ શકે છે. વાંચ્યા પછી તે પરત આપવાનું હોય છે. આ પુસ્તકાલય સાતેય દિવસ, ચોવીસેય કલાક ખુલ્લું રહે છે. આસપાસના વાલીઓ આ જોઇને ઘણા ખુશ છે કે, એમનાં બાળકો પુસ્તક વાંચવામાં વ્યસ્ત છે. ખાસ કરીને એવા સમયે કે જયારે શાળાઓએ પણ ઓનલાઇન વર્ગો શરૂ કરી દીધા છે. તે જ રીતે ચંડીગઢમાં એક સ્વૈચ્છિક સંસ્થા ચલાવતા સંદીપ કુમારજીએ એક મીની વેનમાં હરતું ફરતું પુસ્તકાલય બનાવ્યું છે. તેના દ્વારા ગરીબ બાળકોને વાંચવા માટે મફત પુસ્તકો આપવામાં આવે છે. તેની સાથે જ ગુજરાતના ભાવનગરની પણ બે સંસ્થાઓ વિશે હું જાણું છું જે ખૂબ સુંદર કામ કરી રહી છે. તેમાંથી એક છે “વિકાસ વર્તુંળ ટ્રસ્ટ”. આ સંસ્થા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ મદદરૂપ છે. આ ટ્રસ્ટ 1975થી કામ કરી રહ્યું છે અને તે 5 હજાર પુસ્તકોની સાથે 140થી વધુ સામયિક ઉપલબ્ધ કરાવે છે. એવી જ એક સંસ્થા “પુસ્તક પરબ” છે. આ નવિનતાસભર યોજના છે જે સાહિત્યનાં પુસ્તકોની સાથે જ બીજાં પુસ્તકો પણ મફત ઉપલબ્ધ કરાવે છે. આ પુસ્તકાલયમાં આધ્યાત્મિક, આયુર્વેદિક ઉપચાર, અને કેટલાંયે અન્ય વિષયોને લગતાં પુસ્તકો પણ સામેલ છે. આપને જો આવા પ્રકારના પ્રયાસો વિષે કંઇ પણ જાણ હોય તો મારો આગ્રહ છે કે તમે તેને સોશિયલ મીડિયા પર જરૂર શેર કરજો. આ ઉદાહરણો પુસ્તક વાંચવા કે પુસ્તકાલય ખોલવા પૂરતાં મર્યાદિત નથી. બલ્કે એ નવા ભારતની તે ભાવનાનું પણ પ્રતીક છે જેમાં સમાજના વિકાસ માટે દરેક ક્ષેત્ર અને દરેક વર્ગના લોકો નવી-નવી અને ઇનોવેટીવ રીતો અપનાવી રહ્યા છે.
ગીતામાં કહેવામાં આવ્યું છે.—
ન હિ જ્ઞાનેન સદ્દશં પવિત્રમ્ ઇહ વિદ્યતે.
અર્થાત્ જ્ઞાનને સમાન, સંસારમાં કશું પણ પવિત્ર નથી. જ્ઞાનનો પ્રસાર કરનારા, આવા ઉમદા પ્રયાસ કરનારા, બધા મહાનુભાવોને હું દિલથી અભિનંદન આપું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડાક જ દિવસો પછી સરદાર વલ્લભભાઇ પટેલજીની જન્મજયંતી, 31 ઓકટોબરને આપણે સૌ, રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીશું. “મન કી બાત”માં આપણે અગાઉ પણ સરદાર પટેલ વિષે વિસ્તારપૂર્વક વાત કરી છે. આપણે તેમનાં વિરાટ વ્યક્તિત્વનાં કેટલાંય પાસાં વિષે ચર્ચા કરી છે. બહુ ઓછા લોકો મળશે જેમનાં વ્યક્તિત્વમાં એક સાથે કેટલાંય ગુણો હાજર હોય. વૈચારિક ઊંડાણ, નૈતિક સાહસ, રાજનૈતિક વિલક્ષણતા, કૃષિ ક્ષેત્રનું ઊંડું જ્ઞાન અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે સમર્પણ ભાવ. શું તમે સરદાર પટેલ વિશેની એ વાત જાણો છો જે તેમની રમૂજવૃત્તિ દર્શાવતી હોય. તે લોહપુરૂષની છબીની જરા કલ્પના કરો કે જે રાજા-રજવાડાં સાથે મંત્રણા કરી રહ્યા હતા, પૂજય બાપુના લોક આંદોલનનું વ્યવસ્થાપન કરી રહ્યા હતા, સાથોસાથ અંગ્રેજો સામે લડાઇ પણ લડી રહ્યા હતા. અને આ બધાં વચ્ચે પણ તેમની રમૂજવૃત્તિ પૂરા રંગમાં રહેતી હતી. બાપુએ સરદાર પટેલ વિશે કહ્યું હતું – તેમની વિનોદપૂર્ણ વાતો મને એટલું હસાવતી હતી કે હસતાં હસતાં પેટમાં આંટી પડી જતી હતી. આવું દિવસમાં એકાદ વાર નહીં, કેટલીયે વાર થતું હતું. આમાં આપણા માટે પણ એક શીખ છે, પરિસ્થિતિઓ ગમે તેટલી વિષમ કેમ ના હોય, પોતાની રમૂજવૃત્તિને જીવતી રાખો. તે આપણને સહજ તો રાખશે જ, આપણે પોતાની સમસ્યાનો ઉકેલ પણ કાઢી શકીશું. સરદાર સાહેબે આ જ તો કર્યું હતું.
મારા પ્યારા દેશવાસીઓ, સરદાર પટેલે પોતાનું પુરૂં જીવન દેશની એકતા માટે સમર્પિત કરી દીધું. તેમણે ભારતીય જનમાનસને સ્વતંત્રતા આંદોલન સાથે જોડ્યું. તેમણે સ્વતંત્રતાની સાથે ખેડૂતોના મુદ્દાઓને પણ જોડવાનું કામ કર્યું. તેમણે રાજા-રજવાડાઓને આપણા રાષ્ટ્રની સાથે એક કરવાનું કામ કર્યું. વિવિધતામાં એકતાના મંત્રને તેઓ દરેક ભારતીયના મનમાં જગાડી રહ્યા હતા.
સાથીઓ, આજે આપણે પોતાની વાણી, પોતાનો વ્યવહાર, પોતાના કર્મથી તે તમામ બાબતોને આગળ વધારવાની છે જે આપણને એક કરે. જે દેશના એક ભાગમાં રહેતા નાગરિકના મનમાં, બીજા ખૂણામાં રહેતા નાગરિક માટે સહજતા અને પોતાપણાનો ભાવ પેદા કરી શકે. આપણા પૂર્વજોએ સદીઓથી આવા પ્રયાસ નિરંતર કર્યા છે. હવે જૂઓ, કેરળમાં જન્મેલા પૂજય આદિ શંકરાચાર્યજીએ ભારતની ચારે દિશાઓમાં ચાર મહત્વપૂર્ણ મઠોની સ્થાપના કરી, ઉત્તરમાં બદ્રિકાશ્રમ, પૂર્વમાં પૂરી, દક્ષિણમાં શ્રૃંગેરી અને પશ્ચિમમાં દ્વારકા. તેમણે શ્રીનગરની યાત્રા પણ કરી, એ જ કારણ છે કે ત્યાં એક ‘શંકરાચાર્ય હિલ’ છે. તીર્થાટન પોતે જ ભારતને એક તાંતણે બાંધે છે. જયોતિર્લિંગો અને શક્તિપીઠોની શ્રૃંખલા ભારતને એક તાંતણે બાંધે છે. ત્રિપુરાથી લઇને ગુજરાત સુધી, જમ્મુ-કાશ્મીરથી લઇને તમિલનાડુ સુધી સ્થપાયેલાં આપણા શ્રધ્ધાનાં કેન્દ્રો આપણને “એક” કરે છે. ભક્તિ આંદોલન સમગ્ર ભારતમાં એક મોટું લોકઆંદોલન બની ગયું, જેણે આપણને ભક્તિના માધ્યમથી એકસંપ કર્યા. આપણા રોજીંદાજીવનમાં પણ આ બાબતો કેવીક તો ઓગળી ગઇ છે, જેમાં એકતાની તાકાત છે. દરેક અનુષ્ઠાન પહેલાં વિભિન્ન નદીઓનું આહવાન કરવામાં આવે છે. જેમાં છેક ઉત્તરમાં સ્થિત સિંધુ નદીથી લઇને દક્ષિણ ભારતની જીવનદાયીની કાવેરી નદી સુધી સામેલ છે. મોટેભાગે આપણે ત્યાં લોકો કહે છે, સ્નાન કરતી વખતે પવિત્ર ભાવથી એકતાનો મંત્ર બોલે છે –
ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતિ
નર્મદે સિન્ધુ કાવેરી, જલેડસ્મિન સન્નિધિમ્ કુરૂ..
આ જ રીતે શીખોનાં પવિત્ર સ્થળોમાં “નાંદેડ સાહિબ” અને “પટના સાહિબ” ગુરૂદ્વારા સામેલ છે. આપણા શીખ ગુરૂઓએ પણ પોતાના જીવન અને સત્કાર્યોના માધ્યમથી એકતાની ભાવનાને પ્રગાઢ બનાવી છે. ગઇ શતાબ્દિમાં આપણા દેશમાં ડોકટર બાબાસાહેબ આંબેડકર જેવી મહાન વિભૂતીઓ થઇ છે, જેમણે આપણને સૌને બંધારણના માધ્યમથી એકસંપ કર્યા.
સાથીઓ, Unity is power, Unity is Strength. એકતા શક્તિ છે, એકતા મજબૂતાઇ છે. Unity is Progress, Unity is empowerment. એકતા પ્રગતિ છે, એકતા સશક્તિકરણ છે. United we will scale new heights. એક રહીને જ આપણે નવી ઉંચાઇઓ સર કરીશું.
જો કે, એવી શક્તિઓ પણ હાજર હોય છે, જે સતત આપણા મનમાં શંકાનાં બીજ વાવવાની કોશિશ કરતી રહે છે, દેશને વહેંચવાનો પ્રયાસ કરે છે. દેશે પણ દર વખતે આ બદ-ઇરાદાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. આપણે સતત પોતાની સર્જનાત્મકતાથી, પ્રેમથી, હરપળ પ્રયાસપૂર્વક પોતાના નાનામાં નાનાં કામોમાં, “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના સુંદર રંગોને સામે લાવવાના છે, એકતાના નવા રંગો પૂરવાના છે, અને દરેક નાગરિકે પૂરવાના છે. આ સંદર્ભમાં હું આપ સૌને એક વેબસાઇટ જોવાનો આગ્રહ કરૂં છું. ‘એક ભારત ડોટ ગોવ ડોટ ઇન ’ – તેમાં રાષ્ટ્રીય અખંડિતતાની આપણી ઝુંબેશને આગળ વધારવાના અનેક પ્રયાસ જોવા મળશે. એનો એક રસપ્રદ કોર્નર છે – ‘ આજ કા વાક્ય ’. આ વિભાગમાં આપણે દરરોજ એક વાક્યને અલગ અલગ ભાષાઓમાં કેવી રીતે બોલી શકીએ તે શીખી શકીએ છીએ. તમે આ વેબસાઇટમાં યોગદાન પણ કરો. જેમ કે, દરેક રાજય અને સંસ્કૃતિમાં અલગ અલગ ખાનપાન હોય છે. આ વાનગીઓ સ્થાનિક ખાસ ચીજવસ્તુઓ એટલે કે અનાજ અને મસાલા વડે બનાવવામાં આવે છે. શું આપણે આ સ્થાનિક ખાદ્યચીજની બનાવવાની રીત – રેસીપીને તેનાં ઘટકોનાં સ્થાનિક નામો સાથે ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ વેબસાઇટ પર શેર કરી શકીએ ? Unity અને Immunity એકતા અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે આનાથી વધુ સારી રીત બીજી કઇ હોઇ શકે?
સાથીઓ, આ મહિનાની 31 તારીખે કેવડિયામાં ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાનારા અનેક કાર્યક્રમોમાં સામેલ થવાનો મને મોકો મળશે. તમે લોકો પણ જરૂર જોડાજો.
મારા વ્હાલા દેશવાસીઓ, 31 ઓકટોબરે આપણે વાલ્મીકી જયંતી પણ ઉજવીશું. મહર્ષિ વાલ્મીકીને હું નમન કરૂં છું અને આ ખાસ પ્રસંગ માટે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મહર્ષિ વાલ્મીકીના મહાન વિચારો કરોડો લોકોને પ્રેરીત કરે છે, બળ આપે છે. લાખો-કરોડો ગરીબો અને દલિતો માટે તેઓ બહુ મોટી આશા છે. તેમની અંદર આશા અને વિશ્વાસનો સંચાર કરે છે. તેઓ કહે છે – કોઇપણ મનુષ્યની ઇચ્છાશક્તિ જો તેની સાથે હોય, તો તે કોઇપણ કામ બહુ સરળતાથી કરી શકે છે. આ ઇચ્છાશક્તિ જ છે જે કેટલાય યુવાનોને અસાધારણ કાર્ય કરવાની તાકાત આપે છે. મહર્ષિ વાલ્મીકીએ હકારાત્મક વિચારસરણી પર ભાર મૂક્યો. તેમના માટે સેવા અને માનવીય ગૌરવનું સ્થાન સર્વોપરી છે. મહર્ષિ વાલ્મીકીના આચાર, વિચાર અને આદર્શ આજે ‘ન્યૂ ઇન્ડિયા’ ના આપણા સંકલ્પ માટે પ્રેરણા પણ છે અને દિશા-સૂચન પણ છે. ભાવિ પેઢીઓના માર્ગદર્શન માટે રામાયણ જેવા મહાગ્રંથની તેમણે રચના કરી તે માટે આપણે મહર્ષિ વાલ્મીકીના સદાય ઋણી રહીશું.
31 ઓકટોબરે ભારતનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને આપણે ગુમાવ્યાં હતાં. હું આદરપૂર્વક તેમને શ્રધ્ધાંજલિ આપું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, કાશ્મીરનું પુલવામા આજે પૂરા દેશને ભણાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. સમગ્ર દેશમાં બાળકો આજે પોતાનું Home Work ઘરકામ કરે છે, નોટ્સ બનાવે છે ત્યારે ક્યાંકને ક્યાંક તેની પાછળ પુલવામાના લોકોની સખત મહેનત પણ છે. કાશ્મીર ખીણ, આખા દેશની લગભગ ૯0 ટકા પેન્સીલ સ્લેટની- લાકડાની પટ્ટીની માગ પૂરી કરે છે. અને તેમાં બહુ મોટી ભાગીદારી પુલવામાની છે. એક સમયે આપણે વિદેશમાંથી પેન્સીલ માટે લાકડું મંગાવતા હતા. પરંતુ હવે આ ક્ષેત્રમાં આપણું પુલવામા દેશને આત્મનિર્ભર બનાવી રહ્યું છે. હકીકતમાં પુલવામાની આ પેન્સીલ સ્લેટ્સ રાજયો વચ્ચેનું અંતર ઓછું કરી રહી છે. ખીણના ચીનારનું લાકડું ભેજના વધુ પ્રમાણવાળું અને પોચું હોય છે. જે તેને પેન્સીલના ઉત્પાદન માટે સૌથી અનૂકુળ બનાવે છે. પુલવામામાં ઉક્ખૂને પેન્સીલ વિલેજના નામથી ઓળખવામાં આવે છે. અહીં પેન્સીલ સ્લેટના ઉત્પાદનનાં કેટલાંય એકમો છે. જે રોજગાર પૂરો પાડી રહ્યા છે. અને તેમાં સારી એવી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે.
સાથીઓ, પુલવામાની પોતાની આ ઓળખ ત્યારે સ્થાપિત થઇ છે, જયારે ત્યાંના લોકોએ કંઇક નવું કરવાનો નિર્ધાર કર્યો, કામની બાબતમાં જોખમ ઉઠાવ્યું અને પોતાની જાતને તેના પ્રત્યે સમર્પિત કરી દીધી. આવા જ કર્મઠ લોકોમાંના એક છે – મંજૂર અહમદ અલાઇ. મંજૂરભાઇ પહેલાં લાકડા કાપનારા એક સામાન્ય મજૂર હતા. મંજૂરભાઇ કંઇક નવું કરવા ઇચ્છતા હતા જેથી એમની આવનારી પેઢીઓ ગરીબીમાં ના જીવે. તેમણે પોતાની વારસાગત જમીન વેચી નાખી અને એપલ વૂડન બોકસ એટલે કે સફરજન ભરવાની લાકડાની પેટીઓ બનાવવાનું એકમ શરૂ કર્યું. તેઓ પોતાના નાનકડા બિઝનેસમાં લાગેલા હતા. ત્યારે મંજૂરભાઇને કયાંકથી ખબર પડી કે પેન્સીલના ઉત્પાદનમાં Poplar Wood એટલે કે ચિનારના લાકડાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ જાણકારી મળ્યા પછી મંજૂરભાઇએ પોતાની ઉદ્યોગસાહસિકતાનો પરિચય આપતાં કેટલાંક વિખ્યાત પેન્સીલ ઉત્પાદન એકમોને poplar wood પૂરૂં પાડવાનું શરૂ કર્યું. મંજૂરજીને આ ખૂબ ફાયદાકારક લાગ્યું અને તેમની આવક પણ સારી એવી વધવા લાગી. સમય વીતતાં તેમણે પેન્સીલ સ્લેટ ઉત્પાદનની મશીનરી લઇ લીધી અને ત્યાર પછી તેમણે દેશની મોટીમોટી કંપનીઓને પેન્સીલ સ્લેટ પૂરી પાડવાનું શરૂ કરી દીધું. આજે મંજૂરભાઇના આ બિઝનેસનું ટર્નઓવર કરોડોમાં છે અને તેઓ લગભગ બસો લોકોને આજીવિકા પણ પૂરી પાડી રહ્યા છે. આજે મન કી બાતના માધ્યમથી બધા દેશવાસીઓ તરફથી હું મંજૂરભાઇ સહિત પુલવામાના મહેનતુ ભાઇઓ-બહેનોની અને તેમના પરિવારજનોની પ્રશંસા કરૂં છું. આપ સૌ દેશના young minds ને શિક્ષિત કરવા માટે પોતાનું કિંમતી યોગદાન આપી રહ્યાં છો.
મારા પ્યારા દેશવાસીઓ, લોકડાઉન દરમ્યાન ટેકનોલોજી આધારિત સેવા પૂરી પાડવાના અનેક પ્રયોગ આપણા દેશમાં થયા છે. અને હવે એવું નથી રહ્યું કે બહુ મોટી ટેકનોલોજી અને માલ પરિવહન કંપનીઓ જ આ કરી શકે છે. ઝારખંડમાં આ કામ મહિલાઓના સ્વસહાયજૂથે કરી બતાવ્યું છે. આ મહિલાઓએ ખેડૂતોના ખેતરમાંથી શાકભાજી અને ફળ લીધાં અને સીધાં જ ઘરો સુધી પહોંચાડ્યાં. આ મહિલાઓએ ‘આજીવિકા ફાર્મ ફ્રેશ’ નામની એક એપ બનાવડાવી, જેના દ્વારા લોકો સહેલાઇથી શાકભાજી મંગાવી શકતા હતા. આ પૂરા પ્રયાસથી ખેડૂતોને પોતાનાં શાકભાજી અને ફળોના સારા ભાવ મળ્યા અને લોકોને પણ તાજાં શાકભાજી મળતાં રહ્યાં. ત્યાં ‘આજીવિકા ફાર્મ ફ્રેશ’ એપનો વિચાર ખૂબ લોકપ્રિય થઇ રહ્યો છે. લોકડાઉનમાં તેમણે 50 લાખ રૂપિયાથી પણ વધુનાં ફળ અને શાકભાજી લોકો સુધી પહોંચાડ્યાં છે. સાથીઓ, કૃષિ ક્ષેત્રમાં નવી સંભાવનાઓ ઉભી થતી જોઇ, આપણા યુવાનો પણ સારી એવી સંખ્યામાં તેમાં જોડાઇ રહ્યા છે. મધ્યપ્રદેશના બડવાનીમાં અતુલ પાટીદાર પોતાના વિસ્તારના 4 હજાર ખેડૂતોને ડીજીટલ રૂપે જોડી ચૂકયા છે. આ ખેડૂતો અતુલ પાટીદારના ‘ ઇ-પ્લેટફોર્મ ફાર્મકાર્ડ ’ દ્વારા ખાતર, બિયારણ, જંતુનાશક, ફૂગનાશક વગેરે ખેતી માટે જરૂરી સામાન ઘરે બેઠાં જ મેળવી રહ્યા છે. એટલે કે ખેડૂતોને ઘર સુધી તેમની જરૂરીયાતની વસ્તુઓ મળી રહી છે. આ ડીજીટલ પ્લેટફોર્મ પર આધુનિક કૃષિ ઉપકરણો પણ ભાડે મળી રહે છે. લોકડાઉનના સમયે પણ આ ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂતોને હજારો પેકેટ પહોંચાડવામાં આવ્યાં. જેમાં કપાસ અને શાકભાજીનાં બિયારણ પણ હતાં. અતુલજી અને તેમની ટીમ ખેડૂતોને ટેકનિકની બાબતમાં પણ જાગૃત કરી રહી છે, ઓનલાઇન પેમેન્ટ તથા ખરીદી શીખવી રહી છે.
સાથીઓ, હાલમાં મહારાષ્ટ્રની એક ઘટના પર મારૂં ધ્યાન ગયું. ત્યાં એક ખેડૂત ઉત્પાદક કંપનીએ મકાઇની ખેતી કરનારા ખેડૂતો પાસેથી મકાઇ ખરીદી. કંપનીએ આ વખતે ખેડૂતોને ભાવ ઉપરાંત બોનસ પણ આપ્યું. ખેડૂતોને પણ એક સુખદ આશ્ચર્ય થયું. જયારે તે કંપનીને પૂછ્યું તો તેણે કહ્યું કે ભારત સરકારે જે નવા કૃષિ કાનૂન બનાવ્યા છે તે અંતર્ગત ખેડૂત પોતાની જણસ ભારતમાં કયાંય પણ વેચી શકે છે, અને તેમને સારા ભાવ મળી રહ્યા છે. એટલે તેમણે વિચાર્યું કે આ વધારાનો નફો ખેડૂતોને પણ વહેંચવો જોઇએ. તેના પર ખેડૂતોનો પણ હક છે, અને તેમણે ખેડૂતોને આ રીતે બોનસ આપ્યું છે, સાથીઓ, અત્યારે આ બોનસ ભલે થોડું હોય, પણ આ શરૂઆત બહુ મોટી છે. તેનાથી આપણને એ ખબર પડે છે કે નવા કૃષિ-કાનૂનથી પાયાના સ્તરે કેવા પ્રકારનું પરિવર્તન ખેડૂતોના પક્ષમાં આવવાની સંભાવનાઓ ભરેલી છે.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાતમાં આજે દેશવાસીઓની અસાધારણ ઉપલબ્ધીઓ, આપણા દેશ, આપણી સંસ્કૃતિના અલગઅલગ પાસાંઓ વિશે આપ સૌ સાથે વાત કરવાની તક મળી. આપણો દેશ પ્રતિભાશાળી લોકોથી ભરેલો છે. જો તમે પણ એવા લોકોને જાણતા હો તો તેમના વિશે વાત કરો, લખો અને તેમની સફળતાઓને શેર કરો. આવનારા તહેવારોના આપને અને આપના પૂરા પરિવારને ખૂબખૂબ અભિનંદન. પરંતુ એક વાત યાદ રાખજો, અને તહેવારોમાં જરા વિશેષ રીતે યાદ રાખજો, કે માસ્ક પહેરવાનો છે, હાથ સાબુથી ધોતા રહેવાનું છે અને બે ગજનું અંતર જાળવી રાખવાનું છે.
સાથીઓ, આવતા મહિને ફરી આપની સાથે મન કી બાત થશે. ખૂબ ખૂબ ધન્યવાદ… !

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. કોરોનાના આ કપરા સમયમાં આખી દુનિયા અનેક પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે. આજે જ્યારે બે ગજનું અંતર એક અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે, તો આ જ સંકટની ઘડીએ પરિવારના સભ્યોને એકબીજા સાથે જોડવા અને નજીક લાવવાનું કામ પણ કર્યું છે. પરંતુ આટલા લાંબા સમય સુધી એક સાથે રહેવું, કેવી રીતે રહેવું, સમય કેવી રીતે પસાર કરવો, દરેક પળ ખુશીઓથી ભરેલી કેવી રીતે હોય? તો કેટલાક પરિવારોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને તેનું કારણ તે હતું કે, આપણી પરંપરાઓ, જે પરિવારમાં એક પ્રકારનાં સંસ્કાર સરિતા તરીકે ચાલતી હતી, તેની અછતનો અનુભવ થવા લાગ્યો છે, એવું લાગે છે, ઘણા પરિવારો છે કે જ્યાં આ બધું સમાપ્ત થઈ ચૂક્યું છે, અને તેને કારણે, તે અછત હોવા છતાં, પરિવારો માટે આ કટોકટીનો સમય ગાળવો થોડો મુશ્કેલ બની ગયો હતો, અને તેમાં એક મહત્વની વાત કઇ હતી? દરેક કુટુંબમાં, પરિવારના કોઈને કોઈ વૃદ્ધ લોકો, વડીલો વાર્તાઓ કહેતા હતા અને ઘરને નવી પ્રેરણા, નવી ઉર્જાથી ભરી દે છે. આપણે ચોક્કસ અનુભવ્યું હશે કે આપણા પૂર્વજોએ જે શૈલીઓ ઘડી હતી, તે આજે પણ કેટલી મહત્ત્વની છે અને જ્યારે તે નથી હોતા, ત્યારે આપણને તેનો કેટલો અભાવ લાગે છે. આવી જ એક શૈલી, જેમ મેં કહ્યું, વાર્તા કહેવાની કળા story telling છે. સાથીઓ, વાર્તાઓનો ઇતિહાસ એટલો જ જૂનો છે જેટલી માનવ સભ્યતા.
‘where there is a soul there is a story’
વાર્તાઓ, લોકોના રચનાત્મક અને સંવેદનશીલ પક્ષને સામે લાવે છે. તેને પ્રગટ કરે છે. વાર્તાની તાકાતને અનુભવવી હોય તો જ્યારે કોઈ માં પોતાના નાના બાળકને સૂવડાવવા માટે અથવા તો તેને ખાવાનું ખવડાવવા માટે વાર્તા સંભળાવી રહી હોય ત્યારે જુઓ. હું મારા જીવનમાં ઘણાં લાંબા સમય સુધી એક ભટકતા તપસ્વીના રૂપમાં રહ્યો. ફરતા રહેવું એ જ મારું જીવન હતું. રોજ નવું ગામ, નવા લોકો, નવા પરિવાર, પરંતુ જ્યારે હું પરિવારમાં જતો હતો, તો હું બાળકો સાથે જરૂર વાત કરતો હતો અને ક્યારેક-ક્યારેક બાળકોને કહેતો હતો કે ચલો ભઈ, મને કોઈ વાર્તા સંભળાવો, તો હું હેરાન થઈ જતો, બાળકો મને કહેતા હતા, નહીં અંકલ વાર્તા નહીં, અમે રમૂજી ટૂચકાઓ સંભળાવીશું, અને મને પણ તેઓ એમ જ કહેતા હતા કે અંકલ આપ અમને રમૂજી ટૂચકાઓ સંભળાવો, એટલે કે તેમને વાર્તાઓનો કોઈ પરિચય જ નહોતો. મોટાભાગનું તેમનું જીવન રમૂજી ટૂચકાઓમાં જ સમાયેલું હતું.
સાથીઓ ભારતમાં વાર્તા કહેવાની, કિસ્સાઓ કહેવાની કળાની એક સમૃદ્ધ પરંપરા રહી છે. આપણને ગર્વ છે કે આપણે તે દેશના રહેવાસી છીએ જ્યાં હિતોપદેશ અને પંચતંત્રની પરંપરા રહી છે, જ્યાં વાર્તાઓમાં પશુ-પક્ષીઓ અને પરીઓની કાલ્પનિક દુનિયા બનાવવામાં આવી, જેથી વિવેક અને બુદ્ધિમતાની વાતોને સરળતાથી સમજાવી શકાય. આપણે ત્યાં કથાની પરંપરા રહી છે. આ ધાર્મિક વાર્તાઓ કહેવાની પ્રાચિન પદ્ધતિ છે. તેમાં કતાકાલક્ષેવમ પણ સામેલ રહ્યું છે. આપણે ત્યાં વિવિધ પ્રકારની લોક કથાઓ પ્રચલિત છે. તામિલનાડુ અને કેરળમાં વાર્તા સંભળાવવાની બહુ જ રોચક પદ્ધતિ છે. તેને વિલ્લૂ પાટ કહેવામાં આવે છે. તેમાં વાર્તા અને સંગીતનું બહુ જ આકર્ષક સામંજસ્ય હોય છે. ભારતમાં કઠપૂતળીની જીવંત પરંપરા પણ રહી છે. હમણાં science અને science fiction સાથે જોડાયેલી વાર્તાઓ તેમજ વાર્તા કહેવાની શૈલી પણ લોકપ્રિય થઈ રહી છે. હું જોઈ રહ્યો છું કે કેટલાય લોકો કિસ્સાઓ કહેવાની કળાને આગળ વધારવા માટે ઘણી જ પ્રશંસનિય પહેલ કરી રહ્યા છે. મને gaathastory.in જેવી વેબસાઈટ વિશે જાણકારી મળી, જેને અમર વ્યાસ બીજા લોકો સાથે મળીને ચલાવે છે. અમર વ્યાસ IIM અમદાવાદથી MBA કર્યા બાદ વિદેશ ચાલ્યા ગયા, પછી પરત ફર્યા. હમણાં બેંગલુરુમાં રહે છે અને સમય કાઢીને વાર્તાઓ સાથે જોડાયેલું આ પ્રકારનું રસપ્રદ કાર્ય કરી રહ્યા છે. આવા કેટલાય પ્રયત્નો છે જે ગ્રામિણ ભારતની વાર્તાઓને ઘણી પ્રચલિત કરી રહ્યા છે. વૈશાલી વ્યવહારે દેશપાંડે જેવા કેટલાય લોકો છે જે તેને મરાઠીમાં પણ લોકપ્રિય બનાવી રહ્યા છે.
ચેન્નઈના શ્રીવિદ્યા વીર રાઘવન પણ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વાર્તાઓના પ્રચાર-પ્રસાર કરવામાં લાગેલા છે, તો કથાલય અને The Indian story telling network નામની બે વેબસાઈટ પણ આ ક્ષેત્રમાં જબરદસ્ત કાર્ય કરી રહી છે. ગીતા રામાનુજમે kathalaya.org માં વાર્તાઓને કેન્દ્રિત કરી છે, તો The Indian story telling network ના માધ્યમથી અલગ-અલગ શહેરોના story tellersનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. બેંગલુરુમાં એક વિક્રમ શ્રીધર છે, જે બાપુ સાથે જોડાયેલી વાર્તાઓને લઈને ઘણાં ઉત્સાહિત છે. હજુ પણ ઘણાં લોકો, આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા હશે – આપ જરૂર તેમના વિશે સોશિયલ મીડિયા પર શેર કરો.
આજે આપણી સાથે બેંગલુરુ Story telling societyની બહેન અપર્ણા અત્રેય અને અન્ય સભ્યો જોડાયા છે. આવો તેમની સાથે વાત કરીએ અને જાણીએ તેમના અનુભવો.
પ્રધાનમંત્રી – હેલો
અપર્ણા – નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રી જી. કેમ છો આપ ?
પ્રધાનમંત્રી – હું ઠીક છું. આપ કેમ છો અપર્ણાજી?
અપર્ણા – એકદમ સારી સરજી. સૌથી પહેલાં હું બેંગલુરુ સ્ટોરી ટેલીંગ સોસાયટીની તરફથી ઘન્યવાદ આપવા માંગુ છું કે આપે અમારા જેવા કલાકારોને આ મંચ પર બોલાવ્યા છે અને વાત કરી રહ્યા છો.
પ્રધાનમંત્રી – અને મેં સાંભળ્યું છે કે આજે તો કદાચ તમારી આખી ટીમ પણ તમારી સાથે બેઠી છે.
અપર્ણા – જી…જી. બિલકુલ. બિલકુલ સર.
પ્રધાનમંત્રી – તો સારું રહેશે કે આપની ટીમનો પરિચય કરાવી દો. જેથી મન કી બાતના જે શ્રોતાઓ છે તેમને પરિચય થઈ જાય કે તમે લોકો કેવું મોટું અભિયાન ચલાવી રહ્યા છો.
અપર્ણા – સર, હું અપર્ણા અત્રેય છું, બે બાળકોની માં છું, એક ભારતીય વાયુસેનાના અધિકારીની પત્ની છું અને એક passionate storyteller છું સર. સ્ટોરીટેલીંગની શરૂઆત 15 વર્ષ પહેલાં થઈ હતી જ્યારે હું સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી. ત્યારે હું CSR projectsમાં voluntary કામ કરવા માટે જ્યારે ગઈ હતી ત્યારે હજારો બાળકોને વાર્તાઓના માધ્યમથી શિક્ષણ આપવાનો મોકો મળ્યો અને આ વાર્તા જે હું કહી રહી હતી તે મારી દાદીમાં પાસેથી સાંભળી હતી. પરંતુ જ્યારે વાર્તા સાંભળતી વખતે મેં જે ખુશી તે બાળકોમાં જોઈ, હું શું કહું આપને, કેટલું સ્મિત હતું, કેટલી ખુશી હતી, તે તે જ સમયે મેં નક્કી કર્યું કે સ્ટોરીટેલીંગ મારા જીવનનું એક લક્ષ્ય હશે, સર.
પ્રધાનમંત્રી – આપની ટીમમાં અન્ય કોણ કોણ છે ત્યાં?
અપર્ણા – મારી સાથે શૈલજા સંપત.
શૈલજા – નમસ્કાર સર.
પ્રધાનમંત્રી – નમસ્કાર જી.
શૈલજા – હું શૈલજા સંપત વાત કરી રહી છું. હું તો પહેલાં ટીચર હતી, ત્યાર પછી જ્યારે મારા બાળકો મોટા થયા ત્યારે મેં થીયેટરમાં કામ શરૂ કર્યું અને finally વાર્તાઓને સંભળાવવામાં સૌથી વધુ સંતોષ મળ્યો. પ્રધાનમંત્રી – ધન્યવાદ
શૈલજા – મારી સાથે સૌમ્યા છે.
સૌમ્યા – નમસ્કાર સર.
પ્રધાનમંત્રી – નમસ્તે જી.
સૌમ્યા – હું છું સૌમ્યા શ્રીનિવાસન. હું એક સાયકોલોજીસ્ટ છું. હું જ્યારે કામ કરું છું, બાળકો અને મોટા લોકો સાથે તેમાં વાર્તાઓ દ્વારા મનુષ્યોના નવરસોને જગાડવાની કોશિષ કરું છું અને તેમની સાથે ચર્ચાઓ પણ કરું છું. આ મારું લક્ષ્ય છે. ‘Healing and transformative storytelling’ |
અપર્ણા – નમસ્તે સર.
પ્રધાનમંત્રી – નમસ્તે જી.
અપર્ણા – મારું નામ અપર્ણા જયશંકર છે. આમ તો મારું સૌભાગ્ય છે કે હું મારા નાના-નાની અને દાદા-દાદી સાથે આ દેશના વિવિધ ભાગોમાં મારું પાલન થયું છે તેથી રામાયણ, પુરાણો અને ગીતાની વાર્તાઓ મને વારસામાં રોજ રાતે મળતી હતી અને બેંગલુરુ સ્ટોરી ટેલીંગ સોસાયટી જેવી સંસ્થા છે તો મારે સ્ટોરીટેલર બનવાનું જ હતું. મારી સાથે મારી સાથી લાવણ્યા પ્રસાદ છે.
પ્રધાનમંત્રી – લાવણ્યાજી નમસ્તે.
લાવણ્યા – નમસ્તે સર. હું એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયર પરંતુ હવે એક પ્રોફેશનલ સ્ટોરીટેલર છું. સર હું મારા દાદા પાસેથી વાર્તાઓ સાંભળીને મોટી થઈ છું. હું વરિષ્ઠ નાગરિકો સાથે કામ કરું છું. રૂટ નામના મારા એક સ્પેશિયલ પ્રોજેક્ટ કે જેમાં હું તેમને તેમના પરિવાર માટે તેમની જીવન વાર્તાના દસ્તાવેજીકરણ કરવામાં મદદ કરું છું.
પ્રધાનમંત્રી – લાવણ્યા જી આપને ઘણી શુભેચ્છાઓ. અને જેમ આપે કહ્યું મેં પણ એક વખત મન કી બાતમાં બધાને કહ્યું હતું કે આપ પરિવારમાં દાદા-દાદી, નાના-નાની હોય, તો તેમની પાસેથી તેમના બાળપણની વાર્તાઓ પૂછો અને તેને ટેપ કરી લ્યો, રેકોર્ડ કરી લ્યો, ઘણું જ કામ આવશે એ મેં કહ્યું હતું. પરંતુ મને ઘણું જ સારું લાગ્યું કે એક તો આપ બધાએ આપનો જે પરિચય આપ્યો તેમાં પણ તમારી કળા, તમારી કોમ્યુનિકેશન સ્કિલ અને ઘણાં જ ઓછા શબ્દોમાં ઘણી જ સારી રીતે આપે આપનો પરિચય કરાવ્યો તેથી હું પણ આપને અભિનંદન પાઠવું છું.
લાવણ્યા – આભાર સર… આભાર..
હવે જે આપણા મન કી બાતના શ્રોતાઓ છે તેમનું પણ મન કરતું હશે વાર્તા સાંભળવાનું. શું હું આપને રિક્વેસ્ટ કરી શકું કે એક-બે વાર્તાઓ આપ લોકો સંભળાવો.?
સમૂહ સ્વર – જી બિલકુલ, તે અમારું સૌભાગ્ય છે જી.
ચાલો ચાલો સાંભળીએ , વાર્તા એક રાજાની. રાજાનું નામ હતું કૃષ્ણ દેવ રાય અને રાજ્યનું નામ હતું વિજયનગર. હવે રાજા અમારા હતા તો ઘણાં ગુણવાન. જો તેમનામાં કોઈ ખોટ દેખાડવી જ હોય તો તે હતી, સૌથી વધારે પ્રેમ પોતાના મંત્રી તેનાલી રામા તરફ અને બીજો ભોજન તરફ. રાજા જી રોજ બપોરના ભોજન માટે બહુ આશા સાથે બેસતા હતા – કે આજે કંઈક સારુ બન્યું હશે અને રોજ તેમના રસોઈયા તેમને એ જ શાકભાજી ખવડાવતા હતા – તૂરિયા, દૂધી, કોળું, ટિંડોરા, ઉફફ્. એમ જ એક દિવસ રાજાએ ખાતા ખાતા ગુસ્સામાં થાળી ફેંકી દીધી અને તેમના રસોઈયાને આદેશ આપ્યો કે કાલે અન્ય કોઈ સ્વાદિસ્ટ શાક બનાવજો અથવા તો કાલે હું તને ફાંસી પર ચડાવી દઈશ. રસોઈયો બિચારો ડરી ગયો. હવે નવા શાક માટે તે ક્યાં જાય. રસોઈયો દોડતો દોડતો ગયો સીધો તેનાલી રામા પાસે અને તેને આખી વાત સંભળાવી. સાંભળીને તેનાલી રામાએ રસોઈયાને એક ઉપાય આપ્યો. બીજા દિવસે રાજા બપોરના ભોજન માટે આવ્યા અને રસોઈયાને બોલાવ્યો. આજે કંઈક નવું સ્વાદિષ્ટ બન્યું છે કે હું ફાંસીનો માંચડો તૈયાર કરું. ડરેલા રસોઈયાએ ઝડપથી થાળી સજાવી અને રાજા માટે ગરમાગરમ ખાવાનું પીરસ્યું. થાળીમાં નવું શાક હતું. રાજા ઉત્સાહિત થઈ ગયા અને થોડું શાક ચાખ્યું. વાહ….. શું શાક હતું. ન તૂરિયાની જેમ ફિક્કું કે ન કોળાની જેમ મીઠું હતું. રસોઈયાએ જે પણ મસાલા શેકીને, વાટીને નાખ્યા હતા, બધા બહુ સારી રીતે ચડી ગયા હતા. આંગળીઓ ચાટતા ચાટતા સંતુષ્ટ રાજાએ રસોઈયાને બોલાવ્યો અને પૂછ્યું કે આ કયું શાક હતું. આનું નામ શું છે.?
જેમ શિખવાડવામાં આવ્યું હતું તેવી જ રીતે રસોઈયાએ જવાબ આપ્યો. મહારાજ આ મુગટધારી રિંગણું છે. પ્રભુ, તમારી જેમ જ આ પણ શાકનો રાજા છે અને તેથી અન્ય શાક દ્વારા રિંગણાને મુગટ પહેરાવવામાં આવ્યો. રાજા ખુશ થયા અને ઘોષિત કર્યું કે આજથી અમે આ જ મુગટધારી રિંગણાં ખાશું. અને માત્ર અમે જ નહીં, અમારા રાજ્યમાં પણ, માત્ર રિંગણ જ બનશે અને કોઈ અન્ય શાક નહીં બને.
રાજા અને પ્રજા બંને ખુશ હતા. એટલે કે પહેલા-પહેલાં તો બધા ખુશ હતા કે તેમને નવું શાક મળ્યું છે, પરંતુ જેમ-જેમ દિવસો વધતા ગયા, સૂર વિસરાતો ગયો. એક ઘરમાં રિંગણ ભડથું તો બીજા ઘરમાં રિંગણભાજા. એકને ત્યાં કટ્ટાનો સંભાર તો બીજાને ત્યાં વાંગી ભાત. એક જ રિંગણું બિચારું કેટલા રૂપ ધારણ કરે. ધીરે ધીરે રાજા પણ કંટાળી ગયા. રોજ એ જ રિંગણું. અને એક દિવસ એવો આવ્યો કે રાજાએ રસોઈયાને બોલાવ્યો અને ખૂબ વઢ્યા. તને કોણે કહ્યું હતું કે રિંગણાના માથે મુગટ હોય છે. આ રાજ્યમાં હવેથી કોઈ રિંગણાં નહીં ખાય. કાલથી બાકી કોઈપણ શાક બનાવજે, પરંતુ રિંગણાં ન બનાવતો. જેવી આપની આજ્ઞા, મહારાજ કહીને રસોઈયો સીધો ગયો તેનાલી રામા પાસે. તેનાલી રામાના પગ પકડીને કહ્યું કે મંત્રી જી…ધન્યવાદ, આપે મારા પ્રાણ બચાવી લીધા. તમારા ઉપાયને કારણે હવે હું કોઈપણ શાક રાજાને ખવડાવી શકું છું. તેનાલી રામાએ હસતા હસતાં કહ્યું, એ મંત્રી જ શું કે જે રાજાને ખુશ ન રાખી શકે. અને આવી રીતે રાજા કૃષ્ણ દેવ રાય અને મંત્રી તેનાલી રામાની વાર્તાઓ બનતી રહી અને લોકો સાંભળતા રહ્યા. ધન્યવાદ.
પ્રધાનમંત્રી – આપે વાતમાં એટલી, exactness હતી, એટલી બારિકીઓને પકડી હતી, હું સમજું છું કે બાળકો, મોટાઓ કોઈપણ સાંભળશે, કેટલીયે વસ્તુનું સ્મરણ રાખશે. ઘણી જ સારી રીતે આપે કહ્યું અને વિશેષ coincidence એવો છે કે દેશમાં પોષણ મહિનો ચાલી રહ્યો છે અને તમારી વાર્તા ભોજન સાથે જોડાયેલી હતી.
… અને હું જરૂર આ જે સ્ટોરી ટેલર્સ આપ લોકો છો, તેમજ અન્ય લોકો પણ છે. આપણે કેવી રીતે આપણા દેશની નવી પેઢીને આપણા મહાપુરુષ, મહાન માતાઓ-બહેનો જે થઈ ગઈ છે. કથાઓના માધ્યમથી તેમની સાથે કેવી રીતે જોડાઈ શકાય. આપણે કથા-શાસ્ત્રનો વધુને વધુ પ્રચાર કરીએ, પોપ્યુલર કરીએ, અને દરેક ઘરમાં સારી કથા કહેવી, સારી વાર્તાઓ બાળકોને સંભળાવવી, તે જન-જીવનની બહુ મોટી ક્રેડિટ હોય. આ વાતાવરણ કેવી રીતે બનાવીએ, તે દિશામાં આપણે બધાએ મળીને કામ કરવું જોઈએ, પરંતુ મને ઘણું જ સારું લાગ્યું આપ લોકો સાથે વાત કરીને અને હું આપ બધાને શુભકામનો આપું છું. ધન્યવાદ.
સમૂહ સ્વર – ધન્યવાદ સર…
વાર્તા દ્વારા સંસ્કાર સરિતાને આગળ વધારનારી આ બહેનોને આપણે સાંભળી. હું જ્યારે તેમની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો, આટલી લાંબી વાત હતી, તો મને લાગ્યું કે મન કી બાત ની સમયની સીમા છે, તો મારી તેમનાથી જે વાત થઈ છે, તે બધી વાતો, હું મારી NarendraModiApp પર અપલોડ કરીશ. આખી વાર્તાઓ ત્યાં જરૂરથી સાંભળજો. અત્યારે મન કી બાતમાં મેં તેનો બહુ જ નાનો અંશ જ આપની સામે પ્રસ્તુત કર્યો છે. હું જરૂર આપને આગ્રહ કરીશ, પરિવારમાં, દર અઠવાડિયે આપ વાર્તાઓ માટે કેટલોક સમય ફાળવો, અને એ પણ કરી શકીએ કે પરિવારના દરેક સભ્યને દરેક સપ્તાહ માટે એક વિષય નક્કી કરો, જેમ કે માની લ્યો કરૂણા છે, સંવેદનશીલતા છે, પરાક્રમ છે, ત્યાગ છે, શૌર્ય છે – કોઈ એક ભાવ અને પરિવારના બધા સભ્યો, તે અઠવાડિયે એક જ વિષય પર દરેકે દરેક લોકો વાર્તાઓ શોધે અને પરિવારના બધા મળીને એક-એક વાર્તાઓ કહેશે.
તમે જુઓ કે પરિવારમાં કેટલો મોટો ખજાનો થઈ જશે. રિસર્ચનું કેટલું મોટું કામ થઈ જશે, દરેકને કેટલો આનંદ આવશે અને પરિવારમાં એક નવો પ્રાણ, નવી ઉર્જા આવશે – તેવી જ રીતે આપણે એક કામ એ પણ કરી શકીએ છીએ. હું કથા સંભળાવનાર બધાને આગ્રહ કરીશ કે આપણે આઝાદીના 75 વર્ષ મનાવવા જઈ રહ્યા છીએ, શું આપણે આપણી કથાઓમાં આખા ગુલામીના કપરા સમયની જેટલી પણ પ્રેરક ઘટનાઓ છે તેને કથામાં પ્રચારિત કરી શકીએ છીએ. ખાસ કરીને 1857 થી 1947 સુધી, દરેક નાની-મોટી ઘટનાથી હવે અમારી નવી પેઢીને કથાઓ દ્વારા પરિચિત કરાવી શકો છો. મને વિશ્વાસ છે કે આપ જરૂર આ કામને કરશો. વાર્તા કહેવાની આ કળા દેશમાં વધુ મજબૂત બને અને તેનો વધુ પ્રચાર થાય અને સહજ બને તેથી આવો આપણે બધા પ્રયત્ન કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, આવો, વાર્તાઓની દુનિયાથી હવે આપણે સાત સમુદ્ર પાર જઈએ, આ અવાજ સાંભળો.
નમસ્તે ભાઈઓ અને બહેનો, મારું નામ સેદૂ દામબેલે છે. હું વેસ્ટ આફ્રિકાના એક દેશ માલીથી છું. મને ફેબ્રુઆરીમાં ભારતની વિઝીટ પર સૌથી મોટા ધાર્મિક તહેવાર કુંભ મેળામાં સામેલ થવાનો મોકો મળ્યો. મારા માટે બહુ જ ગર્વની વાત છે. મને કુંભ મેળામાં સામેલ થઈને ઘણું જ સારું લાગ્યું અને ભારતના કલ્ચરને જોઈને ઘણું બધું શિખવા મળ્યું. હું વિનંતી કરવા ઈચ્છું છું કે અમને લોકોએ એકવાર ફરી ભારત વિઝીટ કરવાનો મોકો આપવામા આવે જેથી અમે ભારત વિશે વધુ શીખી શકીએ. નમસ્કાર.
પ્રધાનમંત્રી – છે ને મજેદાર… તો આ હતા માલીના સેદૂ દામબેલે. માલી, ભારતથી દૂર પશ્ચિમ આફ્રિકાનો એક મોટો અને લેન્ડ લોક્ડ દેશ છે. સેદૂ દેમબેલે માલી એક શહેર કીટાની એક પબ્લિક સ્કૂલમાં શિક્ષક છે. તેઓ બાળકોને ઈંગ્લિશ, સંગીત અને ચિત્ર ભણાવે છે, શિખવાડે છે. પરંતુ તેમની વધુ એક ઓળખાણ પણ છે. લોકો તેમને માલીના હિન્દુસ્તાનના બાબૂ કહે છે, અને તેમને આવું કહેવડાવવામાં બહુ ગર્વની અનુભૂતિ થાય છે. પ્રત્યેક રવિવારે બપોર પછી માલીમાં એક કલાકનો રેડિયો કાર્યક્રમ પ્રસ્તુત કરે છે, તે કાર્યક્રમનું નામ છે ઈન્ડિયન ફ્રિક્વન્સી ઓન બોલિવુડ સોંગ્સ. તેને તેઓ છેલ્લા 23 વર્ષોથી પ્રસ્તુત કરતા આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ફ્રેન્ચની સાથે માલીની લોકભાષા બમ્બારામાં પોતાની કોમેન્ટ્રી કરે છે અને બહુ જ નાટકિય ઢબે કરે છે. ભારત પ્રત્યે તેમના મનમાં ઘણો જ પ્રેમ છે. ભારત સાથેના તેમના ઉંડા જોડાણનું કારણ એ પણ છે કે તેમનો જન્મ પણ 15 ઓગસ્ટે થયો છે. સેદૂ જીએ બે કલાકનો વધુ એક કાર્યક્રમ હવે પ્રત્યેક રવિવારે રાત્રે 9 વાગ્યે શરૂ કર્યો છે, તેમાં બોલિવુડની એક આખી ફિલ્મની વાર્તા ફ્રેન્ચ અને બમ્બારામાં સંભળાવે છે. ક્યારેક ક્યારેક કોઈ ઈમોશનલ સીન વિશે વાત કરતા સમયે તેઓ પોતે પણ, તેમના શ્રોતા પણ એકસાથે રડી પડે છે. સેદૂ જીના પિતાએ જ ભારતીય સંસ્કૃતિ સાથે તેમની ઓળખાણ કરાવી હતી. તેમના પિતા, સિનેમા, થિયેટરમાં કામ કરતા હતા અને ત્યાં ભારતીય ફિલ્મો પણ દેખાડવામાં આવે છે. આ 15 ઓગસ્ટે તેમણે હિંદીમાં એક વીડિયોના માધ્યમથી ભારતના લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી હતી. આજે તેમના બાળકો ભારતનું રાષ્ટ્રગીત સરળતાથી ગાય છે. આપ આ બંને વીડિયો જરૂર જુઓ અને તેમના ભારત પ્રેમને અનુભવો. સેદૂ જીએ જ્યારે કુંભ મેળાની મુલાકાત લીધી હતી અને તે સમયે તેઓ તે ડેલિગેશનનો ભાગ હતા, જેમાં હું મળ્યો હતો, ભારત માટે તેમનું આ પ્રકારનું ઝનૂન, સ્નેહ અને પ્રેમ ખરેખર આપણા બધા માટે ગર્વની વાત છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં કહેવાય છે કે જે જમીન સાથે જેટલો જોડાયેલો હોય છે, તે મોટામાં મોટા તોફાનોમાં પણ એટલો જ અડગ રહે છે. કોરોનાના આ કપરા સમયમાં આપણું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂતો તેનું જીવંત ઉદાહરણ છે. સંકટના આ કાળમાં પણ આપણા દેશના કૃષિ ક્ષેત્રએ પોતાની તાકાત દેખાડી છે. સાથીઓ, દેશનું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂતો, આપણાં ગામડાં, આત્મનિર્ભર ભારતનો આધાર છે. તે મજબૂત હશે તો આત્મનિર્ભર ભારતનો આધાર મજબૂત હશે. વિતેલા કેટલાક સમયમાં આ ક્ષેત્રોએ પોતાને અનેક બંધનોમાંથી મુક્ત કર્યા છે, અનેક દંતકથાઓને તોડવાનો પ્રયાસ કર્યો છે. મને કેટલાય એવા ખેડૂતોના પત્રો મળે છે, ખેડૂત સંગઠનો સાથે મારી વાત થાય છે, જેઓ કહે છે કે કેવી રીતે ખેતીમાં નવા નવા આયામો જોડાઈ રહ્યા છે, કેવી રીતે ખેતીમાં બદલાવ આવી રહ્યો છે. જે મેં તેમની પાસેથી સાંભળ્યું છે, જે મેં અન્ય લોકો પાસેથી સાંભળ્યું છે, મારું મન કરે છે, આજે મન કી બાતમાં તે ખેડૂતોની કેટલીક વાતો જરૂર આપને જણાવું.
હરિયાણાના સોનિપત જિલ્લામાં આપણા એક ખેડૂત ભાઈ રહે છે, તેમનું નામ છે શ્રી કંવર ચૌહાણ. તેમણે જણાવ્યું છે કે કેવો એક સમય હતો જ્યારે તેમણે બજારની બહાર પોતાના ફળ અને શાકભાજી વેચવામાં ઘણી મુશ્કેલી આવતી હતી. જો તે બજારથી બહાર પોતાના ફળ અને શાકભાજી વેચતા હતા તો કેટલીયે વખત તેમના ફળ, શાકભાજી અને ગાડીઓ સુદ્ધા જપ્ત થઈ જતાં હતાં. પરંતુ 2014માં ફળ અને શાકભાજીને એપીએમસી એક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા, તેનો તેમને અને આસપાસના સાથી ખેડૂતોને ઘણો જ ફાયદો થયો. ચાર વર્ષ પહેલાં તેમણે પોતાના ગામના સાથી ખેડૂતો સાથે મળીને એક ખેડૂત સમૂહની સ્થાપના કરી હતી. આજે ગામના ખેડૂત સ્વિટ કોર્ન, અને બેબી કોર્નની ખેતી કરે છે. તેમના ઉત્પાદનો આજે દિલ્હીની આઝાદપુર બજાર, મોટી રિટેલ ચેઈન તથા ફાઈવસ્ટાર હોટલ્સમાં સીધા સપ્લાય થાય છે. આજે ગામના ખેડૂતો સ્વિટ કોર્ન અને બેબી કોર્નની ખેતીથી અઢી થી ત્રણ લાખ પ્રતિ એકર, પ્રતિ વર્ષ કમાણી કરી રહ્યા છે. એટલું જ નહીં આ જ ગામના 60થી વધુ ખેડૂતો, નેટ હાઉસ બનાવીને, પોલી હાઉસ બનાવીને, ટમેટા, કાકડી, કેપ્સિકમ મરચાં(શિમલા મરચું) તેની અલગ-અલગ વેરાઈટીનું ઉત્પાદન કરીને દર વર્ષે પ્રતિ એકર 10 થી 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. જાણો છો, આ ખેડૂતો પાસે શું અલગ છે. પોતાના ફળ-શાકભાજીને ક્યાંય પણ, કોઈને પણ વેચવાની તાકાત છે, અને આ તાકાત જ તેમની આ પ્રગતિનો આધાર છે. હવે આ જ તાકાત દેશના બીજા ખેડૂતોને પણ મળી છે. ફળ-શાકભાજી માટે જ નહીં, પોતાના ખેતરમાં તેઓ જે અનાદ પકાવે છે – ધાન્ય, ઘઉં, સરસોં, શેરડી જે ઉગાડી રહ્યા છે, તેને તેમની ઈચ્છા અનુસાર જ્યાં વધુ ભાવ મળે, ત્યાં જ વેચવાની હવે તેમને આઝાદી મળી ગઈ છે.
સાથીઓ, ત્રણ-ચાર વર્ષ પહેલાં જ મહારાષ્ટ્રમાં ફળ અને શાકભાજીને એપીએમસીના કાર્યક્ષેત્રની બહાર કરવામાં આવ્યા હતા. આ બદલાવે કેવી રીતે મહારાષ્ટ્રના ફળ અને શાકભાજી ઉગાડનારા ખેડૂતોની સ્થિતી બદલી, તેનું ઉદાહરણ છે, Sri Swami Samarth Farmer’s producer company limited – આ ખેડૂતોનો સમૂહ છે. પૂણે અને મુંબઈમાં ખેડૂત અઠવાડિક બજાર પોતે ચલાવી રહ્યા છે. આ બજારોમાં લગભગ 70 ગામોના, સાડા ચાર હજાર ખેડૂતોનું ઉત્પાદન સીધું જ વેચવામાં આવે છે – કોઈ વચેટિયા નહીં. ગ્રામીણ-યુવા, સીધા બજારમાં ખેતી અને વેચાણની પ્રક્રિયામાં સામેલ થાય છે. તેનો સીધો લાભા ખેડૂતોને થાય છે, ગામનાં નવયુવાનોને રોજગારમાં થાય છે.
વધુ એક ઉદાહરણ, તામિલનાડુના થેનિ જિલ્લાનું છે, અહીં છે તામિલનાડુ કેલા ફાર્મર પ્રોડ્યુસ કંપની, આ ફાર્મર પ્રોડ્યુસ કંપની કહેવા માટે તો કંપની છે, પરંતુ હકીકતમાં આ ખેડૂતોએ મળીને પોતાનો એક સમૂહ બનાવ્યો છે. ખૂબ જ સરળ વ્યવસ્થા છે અને તે પણ પાંચ-છ વર્ષ પહેલાં બનાવ્યું છે. આ ખેડૂત સમૂહે લોકડાઉન દરમિયાન આસપાસના ગામોમાંથી સેંકડો મેટ્રિક ટન શાકભાજી, ફળો અને કેળાંની ખરીદી કરી અને ચેન્નઈ શહેરને શાકભાજી કોમ્બો કીટ આપી. તમે વિચારો, કેટલા નવયુવાનોને તેમણે રોજગાર આપ્યો, અને મજાની વાત તો એ છે કે વચેટિયા ન હોવાને કારણે ખેડૂતોને પણ લાભ થયો, અને ગ્રાહકોને પણ લાભ થયો. આવું જ એક લખનૌનું ખેડૂતોનું સમૂહ છે. તેમણે નામ રાખ્યું છે, ઈરાદા ફાર્મર પ્રોડ્યુસર, તેમણે પણ લોકડાઉન દરમિયાન ખેડૂતોના ખેતરોમાંથી સીધા ફળ અને શાકભાજી લીધી અને સીધા જઈને લખનૌના બજારોમાં વેચી – વચેટિયાઓથી મુક્તિ થઈ ગઈ અને ગમે તે ભાવ તેમણે પ્રાપ્ત કર્યા. સાથીઓ ગુજરાતમાં બનાસકાંઠાના રામપુરા ગામમાં ઈસ્માઈલભાઈ કરીને એક ખેડૂત છે. તેમની વાત પણ ઘણી રસપ્રદ છે. ઈસ્માઈલભાઈ ખેતી કરવા માંગે છે, પરંતુ હવે જેમ વધુમાં વધુ વિચાર એવો બની ગયો છે, તેમના પરિવારને પણ લાગતું હતું કે ઈસ્માઈલભાઈ આ કેવી વાત કરી રહ્યા છે. ઈસ્માઈલભાઈના પિતા ખેતી કરતા હતા, પરંતુ તેમાં તેમને હંમેશા નુકસાન જ થતું હતું. તો પિતાજીએ ના પણ પાડી, પરંતુ પરિવારના લોકોના ના પાડવા છતાં ઈસ્માઈલભાઈએ નક્કી કર્યું કે તેઓ ખેતી જ કરશે. ઈસ્માઈલભાઈએ વિચારી લીધું હતું કે ખેતી નુકસાનનો સોદો છે, તેઓ આ વિચાર અને સ્થિતી બંનેને બદલીને દેખાડશે. તેમણે ખેતી શરૂ કરી પરંતુ નવી રીત થી, ઈનોવેટિવ રીતે. તેમણે ડ્રીપથી સિંચાઈ કરીને, બટાકાની ખેતી શરૂ કરી અને આજે તેમના બટાકા એક ઓળખાણ બની ગયા છે. તેઓ એવી રીતે બટાકા ઉગાડી રહ્યા છે, જેની ક્વોલિટી ઘણી જ સારી હોય છે. ઈસ્માઈલભાઈ આ બટાકા સીધા જ મોટી-મોટી કંપનીઓને વેચે છે, વચેટિયાઓનું નામો-નિશાન નહીં, અને પરિણામ – બહુ સારો નફો કમાઈ રહ્યા છે. હવે તો તેમણે તેમના પિતાનું બધુ દેવું પણ ચૂકવી દીધું છે અને સૌથી મોટી વાત જાણો છો, ઈસ્માઈલભાઈ આજે પોતાના વિસ્તારના સેંકડો અન્ય ખેડૂતોની પણ મદદ કરી રહ્યા છે. તેમની પણ જિંદગી બદલી રહ્યા છે.
સાથીઓ, આજની તારીખમાં ખેતીને આપણે જેટલા આધનિક વિકલ્પ આપશું, તેટલી જ તે આગળ વધશે. તેમાં નવી નવી રીત-રસમો આવશે, નવા ઈનોવેશન્સ જોડાશે. મણિપુરમાં રહેતી બિજયશાન્તિ એક નવા ઈનોવેશન ને લઈને ખૂબ ચર્ચામાં છે. તેમણે ક્મલની નાળમાંથી દોરા બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આજે તેમના ઈનોવેશનને કારણે કમળની ખેતી અને ટેક્સ્ટાઈલમાં એક નવો જ માર્ગ બની ગયો છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું આપને ભૂતકાળના એક ભાગમાં લઈ જવા માંગુ છું. એકસો વર્ષ જૂની વાત છે. 1919નું વર્ષ હતું. અંગ્રેજી સરકારે જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકોની કતલ કરી હતી. આ નરસંહાર પછી એક બાર વર્ષનો છોકરો એક ઘટના સ્થળ પર ગયો. તે ખુશમિજાજ અને ચંચળ બાળક પરંતુ તેણે જલિયાંવાલા બાગમાં જે જોયું, તે તેના વિચારથી પણ ઉપર હતું. તે સ્તબ્ધ હતો, એ વિચારીને કે કોઈ પણ આટલું નિર્દયી કેવી રીતે હોઈ શકે છે. તે નિર્દોષ ગુસ્સાની આગમાં સળગવા લાગ્યો હતો. તે જ જલિયાંવાલા બાગમાં તેણે અંગ્રેજી શાસન સામે લડવાના સોગંધ લીધા. શું આપને ખબર પડી હું કોની વાત કરી રહ્યો છું. હા… હું શહીદ વીર ભગતસિંહની વાત કરી રહ્યો છું. કાલે 28 સપ્ટેમ્બરે આપણે શહીદ વીર ભગતસિંહની જયંતિ મનાવીશું. હું બધા જ દેશવાસીઓ સાથે સાહસ અને વીરતાની પ્રતિમૂર્તિ શહીદ વીર ભગતસિંહને નમન કરું છું. શું તમે કલ્પના કરી શકો છો, એક સરકાર, જેનું દુનિયાના આટલા મોટા ભાગ પર શાસન હતું, તેના વિશે કહેવામાં આવતું હતું કે તેમના શાસનમાં સૂર્ય ક્યારેય અસ્ત નથી થતો. આટલી તાકતવાળી સરકાર, એક 23 વર્ષના યુવકથી ભયભીત થઈ ગઈ હતી. શહીદ ભગતસિંહ પરાક્રમી હોવાની સાથે સાથે વિદ્વાન પણ હતા, ચિંતક પણ હતા. પોતાના જીવનની ચિંતા કર્યા વગર ભગતસિંહ અને તેમના ક્રાંતિવીર સાથીઓએ આવા સાહસિક કાર્યોને અંત સુધી પહોંચાડ્યા, જેનું દેશની આઝાદીમાં બહુ મોટું યોગદાન રહ્યું. શહીદ વીર ભગતસિંહના જીવનનો એક સુંદર પાસુ એ છે કે તેઓ ટીમ વર્કના મહત્વને ઘણું જ સારી રીતે સમજતા હતા. લાલા લાજપતરાય પ્રત્યે તેમનું સમર્પણ હોય કે પછી ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ સહિત ક્રાંતિકારીઓ સાથે તેમનું જોડાણ, તેમને માટે ક્યારેય વ્યક્તિગત ગૌરવ, મહત્વપૂર્ણ નથી રહ્યું.
તેઓ જ્યાં સુધી જીવ્યા, માત્ર એક મિશન માટે જ જીવ્યા અને તેને જ માટે તેમણે પોતાનું બલિદાન આપી દીધું – તે મિશન હતું ભારતને અન્યાય અને અંગ્રેજી શાસનથી મુક્તિ અપાવવાનું. મેં નમો એપ પર હૈદરાબાદના અજય એસ.જીની એક કમેન્ટ વાંચી. અજયજી લખે છે – આજના યુવા કેવી રીતે ભગતસિંહ જેવા બની શકે છે? જુઓ, આપણે ભગતસિંહ બની શકીએ કે ન બની શકીએ, પરંતુ ભગતસિંહ જેવો દેશપ્રેમ, દેશ માટે કંઈક કરી છૂટવાની લાગણી, જરૂર આપણા બધાનાં હ્રદયમાં હોય. શહીદ ભગતસિંહને આ જ આપણી સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે. ચાર વર્ષ પહેલા, લગભગ આ જ સમય હતો, જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન દુનિયાએ આપણા સૈનિકોનું સાહસ, શૌર્ય અને નિર્ભિકતાને જોઈ. આપણા બહાદુર સૈનિકોનો એક જ હેતુ, એક જ લક્ષ્ય હતું, કોઈપણ કિંમતે ભારત માંના ગૌરવ અને સન્માનની રક્ષા કરવી. તેમણે પોતાની જિંદગીની જરા પણ પરવા ન કરી. તેઓ પોતાના કર્તવ્યપથ પર આગળ વધતા ગયા અને આપણે બધાએ જોયું કે કેવી રીતે તેઓ વિજયી થઈને સામે આવ્યા. ભારત માતાનું ગૌરવ વધાર્યું.
મારા પ્રિય દેશવાસીઓ, આવનારા દિવસોમાં આપણે દેશવાસીઓ, કેટલાય મહાન લોકોને યાદ કરીશું, જેનું ભારતના નિર્માણમા અમિટ યોગદાન છે. 02 ઓક્ટોબર આપણા બધા માટે પવિત્ર અને પ્રેરક દિવસ હોય છે. આ દિવસ માં ભારતીના બે સપૂતો, મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરવાનો દિવસ છે.
પૂજ્ય બાપૂના વિચાર અને આદર્શ આજે પહેલાંથી ઘણાં વધારે પ્રાસંગિક છે, મહાત્મા ગાંધીનું જે આર્થિક ચિંતન હતું, જો તે જ સ્પિરિટને પકડવામાં આવ્યો હોત, સમજવામાં આવ્યો હોત, એ માર્ગ પર ચાલવામાં આવ્યું હોત, તો આજે આત્મનિર્ભર ભારત અભિયાનની જરૂરિયાત ન પડી હોત. ગાંધીજીના આર્થિક ચિંતનમાં ભારતની નસે-નસની સમજ હતી, ભારતની મહેક હતી. પૂજ્ય બાપુનું જીવન આપણને યાદ અપાવે છે કે આપણે એ સુનિશ્ચિત કરીએ કે આપણું આ કાર્ય એવું હોય, જેનાથી ગરીબથી ગરીબ વ્યક્તિનું ભલું થાય. તો શાસ્ત્રીજીનું જીવન આપણને વિનમ્રતા અને સાદગીનો સંદેશ આપે છે. 11 ઓક્ટોબરનો દિવસ પણ આપણા માટે ઘણો જ વિશેષ હોય છે. આ દિવસે આપણે ભારત રત્ન લોકનાયક જયપ્રકાશજીને તેમની જયંતિ પર સ્મરણ કરીએ છીએ. જે.પી. એ આપણા લોકતાંત્રિક મૂલ્યોની રક્ષામાં અગ્રણી ભૂમિકા નિભાવી છે. આપણે ભારત રત્ન નાનાજી દેશમુખને પણ યાદ કરીએ છીએ, જેની જયંતિ પણ 11 તારીખે જ છે. નાનાજી દેશમુખ, જયપ્રકાશ નારાયણ જીના બહુ જ નજીકના સાથી હતા. જ્યારે જે.પી. ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી રહ્યા હતા, તો પટનામાં તેમના પર પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે નાનાજી દેશમુખે તે હુમલો પોતાના પર લઈ લીધો હતો. આ હુમલામાં નાનાજી ને ઘણી ઈજા પહોંચી હતી, પરંતુ જે.પી. નું જીવન બચાવવામાં તેઓ સફળ રહ્યા હતા. આ 12 ઓક્ટોબરે રાજમાતા વિજયારાજે સિંધિયા જીની પણ જયંતિ છે, તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું. તેઓ એક રાજપરિવારમાંથી હતા, તેમની પાસે સંપત્તિ, શક્તિ અને બીજા સંસાધનનોની કોઈ જ અછત નહોતી. પરંતુ તેમ છતાં તેમણે પોતાનું જીવન, એક માં ની જેમ વાત્સલ્ય ભાવથી જન-સેવા માટે ખપાવી દીધું. તેમનું હ્રદય ઘણું જ ઉદાર હતું. આ 12 ઓક્ટોબરના દિવસે તેમની જન્મ શતાબ્દી વર્ષના સમારોહનો સમાપન દિવસ હશે, અને આજે જ્યારે હું રાજમાતા જીની વાત કરી રહ્યો છુ્ં, તો મને પણ એક બહુ જ ભાવુક ઘટના યાદ આવે છે. આમ તો તેમની સાથે ઘણાં વર્ષો સુધી કામ કરવાનો મોકો મળ્યો, કેટલીયે ઘટનાઓ છે. પરંતુ મારું મન કરે છે, આજે એક ઘટનાનો જરૂર ઉલ્લેખ કરું. કન્યાકુમારી થી કાશ્મીર, અમે એકતા યાત્રા લઈને નીકળ્યા હતા. ડૉ.મુરલી મનોહર જોશી જીના નેતૃત્વમાં યાત્રા ચાલી રહી હતી. ડિસેમ્બર, જાન્યુઆરી કડકડતી ઠંડીના દિવસો હતા. અમે રાત્રે લગભગ બાર – એક વાગ્યે, મધ્યપ્રદેશ, ગ્વાલિયર પાસે શિવપુરી પહોંચ્યા, નિવાસસ્થાન પર જઈને, કારણ કે દિવસભરનો થાક હતો, ન્હાઈ-ધોઈને સૂતા હતા, અને સવારની તૈયારી કરી લેતા હતા. લગભગ 2 વાગ્યા હશે, હું ન્હાઈ-ધોઈને સૂવાની તૈયારી કરી રહ્યો હતો, તો કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો તો રાજમાતા સાહેબ સામે ઉભા હતા. કડકડતી ઠંડીના દિવસો અને રાજમાતા સાહેબને જોઈને હું હેરાન હતો. મેં માં ને પ્રણામ કર્યા, મેં કિધું, માં અડધી રાત્રે. તેઓ બોલ્યા, નહીં બેટા, આપ, એમ કરો, મોદી જી દૂધ પી લ્યો, આ ગરમ દૂધ પી ને જ સૂઈ જાઓ. હળદરવાળું દૂધ પોતે લઈને આવ્યા. હા,.. પરંતુ જ્યારે બીજા દિવસે મેં જોયું, તે માત્ર મને જ નહીં, અમારી યાત્રાની વ્યવસ્થામાં જે 30-40 લોકો હતા, તેમાં ડ્રાઈવર પણ હતા, અન્ય કાર્યકર્તાઓ પણ હતા, દરેકના ઓરડામાં જઈને પોતે રાત્રે 2 વાગ્યે બધાને દૂધ પીવડાવ્યું. માં નો પ્રેમ શું હોય છે, વાત્સલ્ય શું હોય છે, તે ઘટનાને હું ક્યારેય નહીં ભૂલી શકું. એ અમારું સૌભાગ્ય છે કે આવા મહાન વિભૂતિઓએ આપણી ધરતીને પોતાના ત્યાગ અને તપસ્યાથી સિંચ્યા છે. આવો આપણે સહુ મળીને એક એવા ભારતનું નિર્માણ કરીએ, જેના પર આ મહાપુરુષોને ગર્વની અનુભૂતિ થાય. તેમના સપનાને આપણો સંકલ્પ બનાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ, કોરોનાના આ કપરા સમયમાં હું ફરી એકવાર આપને યાદ કરાવીશ, માસ્ક અવશ્ય રાખો, ફેસ કવર વગર બહાર ન જાઓ. બે ગજનું અંતરનો નિયમ, આપને પણ બચાવી શકે છે, આપના પરિવારને પણ બચાવી શકે છે. આ કેટલાક નિયમ છે, તે કોરોનાની સામે લડાઈના હથિયાર છે, દરેક નાગરિકના જીવનને બચાવવાનું મજબૂત સાધન છે. અને આપણે ન ભૂલીએ જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીં. આપ સ્વસ્થ રહો, આપનું પરિવાર સ્વસ્થ રહે, એ જ શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ….
નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. સામાન્ય રીતે આ સમય ઉત્સવનો હોય છે, દરેક જગ્યાએ મેળાઓ ભરાય છે, ધાર્મિક પૂજા-પાઠ થાય છે. કોરોનાના આ સંકટકાળમાં લોકોમાં ઉંમગ તો છે, ઉત્સાહ પણ છે પરંતુ આપણા દરેકના મનને સ્પર્શી જાય તેવું અનુશાસન પણ છે. ઘણી ખરી રીતે જોવા જઈએ તો નાગરિકોમાં જવાબદારીની સમજ પણ છે. લોકો પોતાનું ધ્યાન રાખીને, બીજાઓનું ધ્યાન રાખીને, પોતાના રોજીંદા કામ પણ કરી રહ્યા છે. દેશમાં થઈ રહેલા પ્રત્યેક આયોજનમાં જે રીતનો સંયમ અને સાદગી આ વખતે જોવાઈ રહી છે, તે અભૂતપૂર્વ છે. ગણેશોત્સવ પણ ક્યાંક ઓનલાઈન મનાવવામાં આવી રહ્યો છે, તો મોટાભાગની જગ્યાઓએ આ વખતે ઈકોફ્રેન્ડ્લી ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. સાથીઓ, આપણે જો બહુ બારીકાઈથી જોઈએ તો એક વાત ચોક્કસ આપણા ધ્યાનમાં આવશે – આપણા ઉત્સવ અને પર્યાવરણ. આ બંને વચ્ચે બહુ ગાઢ સંબંધ રહ્યો છે. જ્યાં એક તરફ આપણા ઉત્સવોમાં પર્યાવરણ અને પ્રકૃતિની સાથે સહજીવનનો સંદેશ છુપાયેલો હોય છે, તો બીજી તરફ, કેટલાયે ઉત્સવો પ્રકૃતિની રક્ષા માટે જ મનાવવામાં આવે છે. જેમ કે બિહારના પશ્ચિમ ચંપારણમાં સદીઓથી થારૂ આદિવાસી સમાજના લોકો 60 કલાકનું લોકડાઉન અથવા તેમના જ શબ્દોમાં કહીએ તો, 60 કલાકના બરનાનું પાલન કરે છે. પ્રકૃતિની રક્ષા માટે બરનાને થારૂ સમાજે પોતાની પરંપરાનો ભાગ બનાવી લીધો છે, અને સદીઓથી બનાવેલો છે. આ દરમિયાન ન કોઈ ગામમાં આવે છે, કે ન કોઈ પોતાના ઘરની બહાર નીકળે છે, અને લોકો માને છે કે જો તેઓ બહાર નીકળ્યા અથવા કોઈ બહારથી આવ્યું તો તેમના આવવા-જવાથી, લોકોની રોજીંદી ગતિવિધીઓથી, નવા છોડ-ઝાડને નુકસાન થઈ શકે છે. બરનાની શરૂઆતમાં ભવ્ય રીતે આપણા આદિવાસી ભાઈ-બહેનો પૂજા-પાઠ કરે છે, અને તેના સમાપન પર આદિવાસી પરંપરાના ગીત,સંગીત, નૃત્ય જેવા કાર્યક્રમો પણ જોરશોર સાથે થાય છે.
સાથીઓ, આ દિવસોમાં ઓણમનો તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વ ચિંગમ મહિનામાં આવે છે. આ દરમિયાન લોકો કંઈક નવું ખરીદે છે, પોતાના ઘરને સજાવે છે, પૂકલ્લમ બનાવે છે, ઓણમ-સાદિયાનો આનંદ લે છે, વિવિધ પ્રકારની રમતો અને સ્પર્ધાઓ પણ થાય છે. ઓણમની ધૂમ તો આજે દૂરસુદૂર વિદેશો સુધી પહોંચી છે. અમેરિકા હોય, યૂરોપ હોય, કે ખાડીનાં દેશો હોય, ઓણમનો ઉલ્લાસ આપને દરેક જગ્યાએ મળશે. ઓણમ એક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ બની રહ્યો છે.
સાથીઓ, ઓણમ આપણી કૃષિ સાથે જોડાયેલો તહેવાર છે. તે આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે પણ એક નવી શરૂઆતનો સમય હોય છે. ખેડૂતોની શક્તિથી જ તો આપણું જીવન, આપણો સમાજ ચાલે છે. આપણા તહેવારો ખેડૂતોના પરિશ્રમથી જ રંગબેરંગી બને છે. આપણા અન્નદાતાને, ખેડૂતોની જીવન આપનારી શક્તિને તો વેદોમાં પણ બહુ ગૌરવપૂર્ણરૂપથી નમન કરવામાં આવી છે.
ઋગ્વેદમાં મંત્ર છે,
અન્નાનામ પતયે નમઃ, ક્ષેત્રાણામ પતયે નમઃ…
એટલે કે અન્નદાતાને નમન, ખેડૂતોને નમન… આપણા ખેડૂતોએ કોરોનાની આ મુશ્કેલ પરિસ્થિતીમાં પણ પોતાની તાકાતને સાબિત કરી છે. આપણા દેશમાં આ વખતે ખરીફ પાકની રોપણી ગત વર્ષની તુલનામાં 7 ટકા વધારે થઈ છે.
ડાંગરની રોપણી આ વખતે લગભગ 10 ટકા, કઠોળ પાક લગભગ 5 ટકા, જાડા અનાજ- Coarse Cereals લગભગ 3 ટકા, તેલીબિયાં લગભગ 13 ટકા, કપાસ લગભગ 3 ટકા વધુ રોપવામાં આવ્યા છે. હું તેને માટે દેશના ખેડૂતોને શુભેચ્છા પાઠવું છું, તેમના પરિશ્રમને નમન કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, કોરોનાના આ સમયગાળામાં દેશ કેટલાયે મોરચે એક સાથે લડી રહ્યો છે, પરંતુ તેની સાથે-સાથે, કેટલીયે વાર મનમાં એ પણ સવાલ થતો રહ્યો છે કે આટલા લાંબા સમય સુધી ઘરમાં રહેવાને કારણે મારા નાના-નાના બાળમિત્રોનો સમય કેવી રીતે પસાર થતો હશે. અને એટલે જ મેં ગાંધીનગરની ચિલ્ડ્ર્ન યુનિવર્સિટી – જે દુનિયામાં એક નોખા પ્રકારનો પ્રયોગ છે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, આ બધાની સાથે મળીને, આપણે બાળકો માટે શું કરી શકીએ છીએ, તેના પર મંથન કર્યું, ચિંતન કર્યું. મારા માટે તે અતિ સુખદ હતું, લાભકારી હતું કારણ કે એક રીતે તે મારા માટે પણ કંઈક નવું જાણવાનો, નવું શિખવાનો લ્હાવો બની ગયો.
સાથીઓ, આમારા ચિંતનનો વિષય હતો, રમકડાં. અને ખાસ કરીને ભારતીય રમકડાં. અમે આ વાત પર મંથન કર્યું કે ભારતના બાળકોને અવનવા રમકડાં કેવી રીતે મળે, ભારત રમકડાં ઉત્પાદનનું એક મોટું મથક કેવી રીતે બને. આમ તો હું “મન કી બાત” સાંભળનારા બાળકોના માતા-પિતા પાસે ક્ષમા માંગુ છું, કારણ કે બની શકે કે હવે આ “મન કી બાત” સાંભળ્યા પછી રમકડાંની નવી નવી ડિમાન્ડ સાંભળવાનું કદાચ તેમની સામે એક નવું કામ આવી જશે.
સાથીઓ, રમકડાં જ્યાં એક્ટિવિટીને વધારનારા હોય છે, તો રમકડાં આપણી મહત્વાકાંક્ષાઓને પણ પાંખો આપે છે. રમકડાં ન માત્ર મનને બહેલાવે છે, રમકડાં મનને બનાવે પણ છે, અને હેતુ પણ ઘડે છે. મેં ક્યાંક વાંચ્યું કે રમકડાંના સંબંધમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે, બેસ્ટ ટોય, એ હોય છે જે Incomplete હોય. એવું રમકડું જે અધૂરું હોય, અને બાળકો હળીમળીને રમત-રમતમાં તેને પૂરું કરે. ગુરુદેવ ટાગોરે કહ્યું હતું કે જ્યારે તેઓ નાનાં હતાં ત્યારે પોતાની કલ્પનાથી જ ઘરમાં મળી રહેતાં સામાનમાંથી જ પોતાના દોસ્તો સાથે પોતાના રમકડાં અને રમતો બનાવતા હતા. પરંતુ એક દિવસ બાળપણની એ મોજ-મસ્તીની પળોમાં મોટેરાઓની દખલ થઇ. થયું એવું કે તેમનો એક સાથી એક મોટું અને સુંદર વિદેશી રમકડું લઈને આવ્યો. રમકડાંને લઈને રોફ અનુભવતા દરેક સાથીનું ધ્યાન રમત કરતાં વધુ તે રમકડા પર ચોંટી ગયું. દરેકના આકર્ષણનું કેન્દ્ર રમત નહીં પરંતુ રમકડું બની ગયું. જે બાળક કાલ સુધી બધા સાથે રમતું હતું, બધા સાથે રહેતું હતું, હળી-મળી જતું હતું, રમતમાં ડૂબી જતું હતું, તે હવે આઘું રહેવા લાગ્યું હતું. એક રીતે અન્ય બાળકો સાથે વેગળાપણાનો ભાવ તેના મનમાં બેસી ગયો. મોંઘા રમકડાંમાં બનાવવા માટે કંઈ પણ નહોતું, શિખવા માટે પણ કંઈ નહોતું. એટલે કે એક આકર્ષક રમકડાંએ એક ઉત્કૃષ્ઠ બાળકને ક્યાંક દબાવી દીધો, છૂપાવી દીધો, મુરઝાવી દીધો. આ રમકડાંએ ધનનું, સંપત્તિનું, સહેજ મોટાઈનું પ્રદર્શન કર્યું પરંતુ તે બાળકની ક્રિએટીવ સ્પિરિટને વધતા અને ઘડાતા રોકી દીધી. રમકડું તો આવી ગયું, પરંતુ ખેલ પૂરૂં થઇ ગયું અને બાળકોનું ખિલવાનું પણ રોકાઈ ગયું. તેથી જ ગુરુદેવ કહેતા હતા કે રમકડાં એવા હોવા જોઈએ જે બાળકના બાળપણને બહાર લાવે, તેની ક્રિએટીવીટીને સામે લાવે. બાળકોના જીવનના અલગ-અલગ પાસાંઓ પર રમકડાંઓનો જે પ્રભાવ છે, તેના પર રાષ્ટ્રિય શિક્ષા નીતિમાં પણ ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. રમત-રમતમાં શિખવું, રમકડાં બનાવવાનું શિખવું, રમકડાં જ્યાં બને છે ત્યાંની મુલાકાત કરવી, આ બધાને અભ્યાસક્રમ નો ભાગ બનાવવામાં આવ્યો છે.
સાથીઓ, આપણા દેશમાં લોકલ રમકડાંની બહુ સમૃદ્ધ પરંપરા રહી છે. કેટલાય પ્રતિભાશાળી અને કુશળ કારીગરો છે જે સારા રમકડાં બનાવવામાં પારંગત છે. ભારતના કેટલાક ક્ષેત્રો ટોય ક્લસ્ટર એટલે કે રમકડાંનાં કેન્દ્ર તરીકે પણ વિકસિત થઈ રહ્યા છે. જેમકે કર્ણાટકના રામનગરમમાં ચન્નાપટના, આંધ્રપ્રદેશના કૃષ્ણામાં કોંડાપલ્લી, તામિલનાડુમાં તાંજોર, આસામમાં ધુબરી, ઉત્તરપ્રદેશનું વારાણસી – કેટલીયે એવી જગ્યાઓ છે, કેટલાય નામ ગણાવી શકીએ છીએ. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વનો રમકડાં ઉદ્યોગ 7 લાખ કરોડ રૂપિયાથી પણ વધારેનો છે. 7 લાખ કરોડ રૂપિયાનો આટલો મોટો વેપાર, પરંતુ ભારતનો ભાગ તેમાં બહુ જ ઓછો છે. હવે તમે વિચારો કે જે રાષ્ટ્ર પાસે આટલો વારસો હોય, પરંપરા હોય, વિવિધતા હોય, યુવા આબાદી હોય, શું રમકડાંના બજારમાં તેની ભાગીદારી આટલી ઓછી હોય, એ આપણને સારું લાગશે ? જી નહીં. આ સાંભળ્યા પછી તમને પણ સારું નહીં લાગે. જુઓ સાથીઓ, ટોય ઈન્ડસ્ટ્રી બહુ જ વ્યાપક છે. ગૃહ ઉદ્યોગ, નાનાં અને લઘુ ઉદ્યોગ, એમએસએમઈ, ઉપરાંત મોટા ઉદ્યોગ અને પ્રાઈવેટ ઉદ્યમી પણ તેની હેઠળ આવે છે. તેને આગળ વધારવા માટે દેશે મળીને મહેનત કરવી પડશે. હવે જેમ કે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં શ્રીમાન સી.વી.રાજૂ છે. તેમના ગામના એતી-કોપ્પકા રમકડાં એક સમયે ઘણાં પ્રચલિત હતા. તેની ખાસિયત એ હતી કે આ રમકડાં લાકડાંમાંથી બનતા હતા અને બીજી વાત એ કે આ રમકડાંઓમાં તમને કોઈ એન્ગલ કે ખૂણો નહીં જોવા મળે. આ રમકડાં દરેક તરફથી રાઉન્ડ હતા, તેથી બાળકોને વાગવાની પણ શક્યતા નહોતી રહેતી. સી.વી.રાજૂએ એતી-કોપ્પકા રમકડાં માટે હવે પોતાના ગામના કારીગરો સાથે મળીને એક રીતે નવી ઝૂંબેશ શરૂ કરી દીધી છે. સારી ક્વોલિટીના એતી-કોપ્પકા રમકડાં બનાવીને સી.વી.રાજૂએ સ્થાનિક રમકડાંની ખોવાયેલી ગરિમાને પાછી લાવી દીધી છે. રમકડાં સાથે આપણે બે વસ્તુ કરી શકીએ છીએ – આપણા ગૌરવશાળી ભૂતકાળને આપણા જીવનમાં ફરી ઉતારી શકીએ છીએ અને આપણા સ્વર્ણિમ ભવિષ્યને પણ સુધારી શકીએ છીએ. હું આપણા સ્ટાર્ટ-અપ મિત્રોને, આપણા નવા ઉદ્યમીઓને કહું છું – ટીમ અપ ફોર ટોય્ઝ… આવો, મળીને રમકડાં બનાવીએ. હવે બધા માટે લોકલ રમકડાં માટે વોકલ બનવાનો સમય છે. આવો, આપણે આપણા યુવાઓ માટે કેટલાક નવા પ્રકારના, સારી ગુણવત્તાવાળા રમકડાં બનાવીએ. રમકડાં એ હોય જેની હાજરીમાં આપણું બાળપણ ખીલે પણ અને ખિલખિલાટ પણ કરે. આપણે એવા રમકડાં બનાવીએ, જે પર્યાવરણને પણ અનુકૂળ હોય.
સાથીઓ, આવી જ રીતે હવે કોમ્પ્યુટર અને સ્માર્ટફોનના આ જમાનામાં કોમ્પ્યુટર ગેમ્સનું પણ બહુ ચલણ છે. આ ગેમ્સ બાળકો પણ રમે છે, મોટાઓ પણ રમે છે. પરંતુ તેમાં પણ જેટલી ગેમ્સ હોય છે, તેની થીમ પણ મોટાભાગે બહારની જ હોય છે. આપણા દેશમાં આટલા આઈડીયા છે, આટલા કોન્સેપ્ટ છે, ઘણો સમૃદ્ધ આપણો ઈતિહાસ રહ્યો છે. શું આપણે તેના પર ગેમ્સ બનાવી શકીએ છીએ? હું દેશના યુવા ટેલેન્ટને કહું છું કે આપ ભારતમાં પણ ગેમ્સ બનાવો અને ભારતની પણ ગેમ્સ બનાવો. કહેવાય પણ છે કે – Let the games begin ! તો ચાલો રમત શરૂ કરીએ.
સાથીઓ, આત્મનિર્ભર ભારત અભિયાનમાં વર્ચ્યુઅલ ગેમ્સ હોય, રમકડાંનું ક્ષેત્ર હોય, બધાએ બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે અને આ અવસર પણ છે. જ્યારે આજથી સો વર્ષ પહેલા અસહયોગ આંદોલન શરૂ થયું, તો ગાંધીજીએ લખ્યું હતું કે, – “અસહયોગ આંદોલન, દેશવાસીઓમાં આત્મસન્માન અને પોતાની શક્તિની ઓળખ કરાવવાનો એક પ્રયાસ છે. ”
આજે, જ્યારે આપણે દેશને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તો આપણે પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું છે, દરેક ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવાનો છે. અસહયોગ આંદોલનના રૂપમાં જે બીજ વાવવામાં આવ્યું હતું, તેને હવે આત્મનિર્ભર ભારતના વટવૃક્ષમાં પરિવર્તિત કરવું આપણા બધાની જવાબદારી છે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતિયોની ઈનોવેશન અને સોલ્યુશન આપવાની ક્ષમતાથી દરેક વ્યક્તિ વાકેફ છે અને જ્યારે સમર્પણ ભાવ હોય, સંવેદના હોય, તો આ શક્તિ અસીમ બની જાય છે. આ મહિનાની શરૂઆતમાં દેશના યુવાનોની સામે એક એપ ઈનોવેશન ચેલેન્જ રાખવામાં આવી. આ આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જમાં આપણા યુવાઓએ ભારે ઉત્સાહથી ભાગ લીધો. લગભગ 7 હજાર એન્ટ્રી આવી, તેમાં પણ લગભગ લગભગ બે તૃતિયાંશ એપ્સ Tier two અને tier three શહેરોના યુવાનોએ બનાવી છે. આ આત્મનિર્ભર ભારત માટે, દેશના ભવિષ્ય માટે ઘણાં જ શુભ સંકેત છે. આત્મનિર્ભર એપ ઈનોવેશન ચેલેન્જ ના પરિણામ જોઈને આપ ચોક્કસ પ્રભાવિત થશો. ઘણી તપાસ અને ચકાસણી બાદ, અલગ-અલગ કેટેગરીમાં લગભગ બે ડઝન એપ ને અવોર્ડ પણ આપવામાં આવ્યા છે. આપ ચોક્કસ આ એપ વિશે જાણો અને તેમની સાથે જોડાઓ. બની શકે કે આપ પણ આવું કંઈક બનાવવા માટે પ્રેરિત થઈ જાવ. તેમાં એક એપ છે, કુટુકી કિડ્સ લર્નિંગ એપ. આ નાનાં બાળકો માટેની એવી Interactive app છે જેમાં ગીતો અને વાર્તાઓના માધ્યમથી બાળકો મેથ્સ-સાયન્સમાં ઘણું બધું શીખી શકે છે. તેમાં એક્ટિવીટી પણ છે, રમત પણ છે. એવી જ રીતે એક માઈક્રો બ્લોગીંગ પ્લેટફોર્મની પણ એપ છે. તેનું નામ છે – કૂ…કે ડબલ ઓ… કૂ. તેમાં આપણે આપણી માતૃભાષામાં ટેક્સ્ટ, વીડિયો અને ઓડિયોના માધ્યમથી પોતાની વાત મૂકી શકીએ છીએ, ઈન્ટરેક્ટ કરી શકીએ છીએ. તેવી જ રીતે ચિન્ગારી એપ પણ યુવાઓમાં ઘણી પોપ્યુલર થઈ રહી છે. એક એપ છે Ask Sarkar. તેમાં ચેટ બોટના માધ્યમથી તમે ઈન્ટરેક્ટ કરી શકો છો અને કોઈપણ સરકારી યોજના વિશે સાચી જાણકારી મેળવી શકો છો અને તે પણ ટેક્સ્ટ, ઓડિયો અને વીડિયો ત્રણેય માધ્યમથી. તે આપની ઘણી મદદ કરી શકે છે. વધુ એક એપ છે, Step Set Go… આ ફિટનેસ એપ છે. તમે કેટલું ચાલ્યા, કેટલી કેલરી બર્ન કરી, તે બધો હિસાબ આ એપ રાખે છે અને તમને ફિટ રહેવા માટે મોટીવેટ પણ કરે છે. મેં તો આ કેટલાક જ ઉદાહરણ આપ્યા છે. કેટલીયે અન્ય એપ એ પણ આ ચેલેન્જ જીતી છે. કેટલીયે બિઝનેસ એપ છે, ગેમ્સ ની એપ છે, જેમ કે Is Equal To, Books & Expense, Zoho Workplace, FTC Talent. તમે તેના વિશે નેટ પર સર્ચ કરો, આપને ઘણી જાણકારી મળશે. આપ પણ આગળ આવો, કંઈક ઈનોવેટ કરો, કંઈક ઈમ્પ્લિમેન્ટ કરો. આપના પ્રયાસો, આજના નાના-નાના સ્ટાર્ટઅપ, કાલે મોટી-મોટી કંપનીઓમાં બદલાશે અને દુનિયામાં ભારતની ઓળખ બનશે. અને તમે એ ન ભૂલો કે આજે જે દુનિયામાં બહુ મોટી-મોટી કંપનીઓ નજરે પડે છે ને, તે પણ ક્યારેક સ્ટાર્ટ-અપ હતી.
પ્રિય દેશવાસીઓ, આપણાં બાળકો, આપણા વિદ્યાર્થીઓ, પોતાની પૂરી ક્ષમતા દેખાડી શકે, પોતાનું સામર્થ્ય દેખાડી શકે, તેમાં બહુ મોટી ભૂમિકા ન્યૂટ્રિશનની પણ હોય છે, પોષણની પણ હોય છે. આખા દેશમાં સપ્ટેમ્બર મહિનાને પોષણ મહિનો – Nutrition Month ના રૂપમાં મનાવવામાં આવશે. નેશન અને ન્યૂટ્રિશનનો બહુ ગાઢ સંબંધ હોય છે. આપણે ત્યાં એક કહેવત છે, – “યથા અન્નમ તથા મનમ”
એટલે કે જેવું અન્ન હોય છે, તેવો જ આપણો માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ થાય છે. વિશેષજ્ઞો કહે છે કે શિશુને ગર્ભમાં અને બાળપણમાં જેટલું સારું પોષણ મળે છે, તેટલો સારો તેનો માનસિક વિકાસ થાય છે અને તે સ્વસ્થ રહે છે. બાળકોના પોષણ માટે પણ તેટલું જ જરૂરી છે કે માં ને પણ પૂરું પોષણ મળે અને પોષણ કે ન્યૂટ્રિશનનો મતલબ માત્ર એટલો જ નથી કે તમે શું ખાઈ રહ્યા છો, કેટલું ખાઈ રહ્યા છો, કેટલીવાર ખાઇ રહ્યા છો. તેનો મતલબ છે તમારા શરીરને કેટલા જરૂરી પોષક તત્વ, ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહ્યા છે. તમને આયર્ન, કેલ્શિયમ, મળી રહ્યા છે કે નહીં, સોડિયમ મળી રહ્યું છે કે નહીં, વિટામીન મળી રહ્યા છે કે નહીં, આ બધા ન્યૂટ્રિશનના ખૂબ મહત્વનાં પાસાં છે. ન્યૂટ્રિશનના આ આંદોલનમાં લોકોની ભાગીદારી પણ બહુ જરૂરી છે. જન-ભાગીદારી જ તેને સફળ બનાવે છે. ગત કેટલાક વર્ષોમાં આ દિશામાં દેશમાં ઘણાં પ્રયાસો કરવામાં આવ્યા છે. ખાસ કરીને આપણા ગામોમાં તેને જનભાગીદારી થી જન-આંદોલન બનાવવામાં આવી રહ્યું છે. પોષણ સપ્તાહ હોય, પોષણ માસ હોય, તેના માધ્યમથી વધુમાં વધુ જાગૃકતા પેદા કરાઈ રહી છે. શાળાઓને જોડવામાં આવી છે. બાળકો માટેની સ્પર્ધાઓ થાય, તેમાં અવેરનેસ વધે, તેના માટે પણ સતત પ્રયાસ થઈ રહ્યા છે. જેમ ક્લાસમાં એક ક્લાસ મોનિટર હોય છે, તેવી જ રીતે ન્યૂટ્રિશન મોનિટર પણ હોય, રિપોર્ટ કાર્ડની જેમ ન્યૂટ્રિશન કાર્ડ પણ બને, તેવા પ્રકારની પણ શરૂઆત કરવામાં આવી રહી છે. પોષણ મહિના દરમિયાન MyGOV પોર્ટલ પર એક ફૂડ એન્ડ ન્યૂટ્રિશન ક્વિઝ પણ આયોજિત કરવામાં આવશે અને સાથે જ એક મીમ કોમ્પિટિશન પણ થશે. આપ પોતે પણ પાર્ટિસીપેટ કરો અને અન્યને પણ મોટિવેટ કરો.
સાથીઓ, જો આપને ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મોકો મળ્યો હશે, અને કોવિડ પછી જ્યારે તે ખૂલશે અને આપને જવાનો મોકો મળશે, તો ત્યાં એક નવીન પ્રકારનો ન્યૂટ્રિશન પાર્ક બનાવવામાં આવ્યો છે. રમત-રમતમાં જ ન્યૂટ્રિશનનું શિક્ષણ, આનંદ-પ્રમોદ સાથે ત્યાં ચોક્કસ જોઈ શકો છો.
સાથીઓ, ભારત એક વિશાળ દેશ છે, ખાણી-પીણીમાં ઘણી વિવિધતા છે. આપણા દેશમાં છ અલગ-અલગ ઋતુઓ હોય છે, અલગ-અલગ ક્ષેત્રોમાં ત્યાંના મોસમ પ્રમાણે અલગ-અલગ વસ્તુઓ પેદા થાય છે. તેથી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દરેક ક્ષેત્રનાં મોસમ, ત્યાંના સ્થાનિક ભોજન તથા ત્યાં પેદા થતા અન્ન, ફળ, શાકભાજી અનુસાર એક પોષક, nutrient rich, diet plan બને. હવે જેમ કે મીલેટ – જાડું અનાજ, રાગી છે, જુવાર છે, તે બહુ જ ઉપયોગી પોષક આહાર છે. એક “ભારતીય કૃષિ કોષ” તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં દરેક જિલ્લામાં કયા-કયા પાક થાય છે, તેની ન્યૂટ્રિશન વેલ્યૂ કેટલી છે, તેની સંપૂર્ણ માહીતી હશે. તે તમારા બધા માટે બહુ કામનો કોષ હોઈ શકે છે. આવો, આ પોષણ માસમાં પૌષ્ટિક ખાવા અને સ્વસ્થ રહેવા માટે આપણે બધાને પ્રેરિત કરીએ.
પ્રિય દેશવાસીઓ, ગત દિવસોમાં જ્યારે આપણે આપણો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા હતા,ત્યારે એક રસપ્રદ માહિતી પર મારું ધ્યાન ગયું. આ માહિતી છે આપણા સુરક્ષા બળોના બે જાંબાઝોની. એક છે સોફી અને બીજી વિદા. સોફી અને વિદા ઈન્ડિયન આર્મીના શ્વાન છે, Dogs છે અને તેમને Chief of Army Staff ‘Commendation Cards’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. સોફી અને વિદાને આ સન્માન એટલે મળ્યું કે તેમણે પોતાના દેશની રક્ષા કરતા કરતા પોતાનું કર્તવ્ય ઘણું સારી રીતે નિભાવ્યું છે. આપણી સેનાઓમાં, આપણા સુરક્ષાદળો પાસે આવા કેટલાયે બહાદુર શ્વાન છે, Dogs છે, જે દેશ માટે જીવે છે અને દેશ માટે પોતાનું બલિદાન પણ આપે છે. કેટલાયે બોમ્બ વિસ્ફોટને, કેટલાંયે આતંકી ષડયંત્રોને રોકવામાં આવા Dogs એ બહુ મહત્વની ભૂમિકા નિભાવી છે. થોડા સમય પહેલાં મને દેશની સુરક્ષામાં Dogs ની ભૂમિકા વિશે ઘણું વિસ્તારપૂર્વક જાણવાનો મોકો મળ્યો. કેટલાય કિસ્સા પણ સાંભળ્યા. એક Dog બલરામે 2006માં અમરનાથ યાત્રાના રસ્તામાં મોટી માત્રામાં દારૂ-ગોળા શોધી કાઢ્યા હતા. 2002માં Dog ભાવનાએ IED શોધ્યા હતા. IED કાઢતા દરમિયાન આતંકીઓએ વિસ્ફોટ કરી દીધો અને શ્વાન શહીદ થઈ ગઇ હતી. બે-ત્રણ વર્ષ પહેલાં છત્તીસગઢના બીજાપુરમાં સીઆરપીએફનો સ્નિફર ડોગ ક્રેકર પણ IED બ્લાસ્ટમાં શહીદ થઈ ગયો હતો. થોડા દિવસો પહેલાં જ તમે કદાચ ટીવી પર એક ભાવુક કરી દેનાર દ્રશ્ય જોયું હશે, જેમાં બીડ પોલીસ પોતાના સાથી ડોગ રોકી ને સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપી રહી હતી. રોકીએ 300 થી પણ વધુ કેસને ઉકેલવામાં પોલીસની મદદ કરી હતી. ડોગ્સની ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસ્ક્યૂ મિશન માં પણ મોટી ભૂમિકા હોય છે. ભારતમાં તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ – એનડીઆરએફ એ આવા ડઝનબંધ ડોગ્સને specially train કર્યા છે. ક્યાંક ધરતીકંપ થતાં, ઈમારત પડી જવા પર, કાટમાળમાં દબાયેલા જીવીત લોકોને બહાર કાઢવામાં આ ડોગ્સ બહુ expert હોય છે.
સાથીઓ, મને પણ એ જણાવવામાં આવ્યું કે ઈન્ડિયન બ્રિડના ડોગ્સ પણ ઘણા સારા હોય છે. ઘણાં સક્ષમ હોય છે. ઈન્ડિયન બ્રિડમાં મુઘોલ હાઉન્ડ છે, હિમાચલી હાઉન્ડ છે, તે ઘણી જ સારી નસલ છે. રાજાપલાયમ, કન્ની, ચિપ્પીપરાઈ અને કોમ્બાઈ પણ ઘણી સારી ઈન્ડિયન બ્રિડ છે. તેમના પાલનમાં ખર્ચ પણ ઘણો ઓછો થાય છે અને તે ભારતીય માહોલમાં ઢળેલા પણ હોય છે. હવે આપણી સુરક્ષા એજન્સીઓ પણ આ ઈન્ડિયન બ્રિડના ડોગ્સને પોતાની સુરક્ષા ટીમમાં સામેલ કરી રહી છે. ગત કેટલાક સમયમાં આર્મી, સીઆઈએસએફ, એનએસજી એ મુઘોલ હાઉન્ડ ડોગ્સને train કરીને ડોગ સ્ક્વોડમાં સામેલ કર્યા છે. સીઆરપીએફ એ કોમ્બાઈ ડોગ્સને સામેલ કર્યા છે. Indian Council of Agriculture Research પણ ભારતીય નસલના ડોગ્સ પર રિસર્ચ કરી રહ્યું છે. હેતુ એ જ છે કે ઈન્ડિયન બ્રિડ્સને વધુ સારા બનાવી શકાય અને ઉપયોગી બનાવી શકાય. આપ ઈન્ટરનેટ પર તેમના નામ સર્ચ કરો, તેના વિશે જાણો, તમે તેમની સુંદરતા, તેમની ગુણવત્તા, જોઈને અચંબિત થઈ જશો. હવે જ્યારે પણ આપ ડોગ પાળવાનું વિચારો, આપ જરૂર આમાંથી જ કોઈ ઈન્ડિયન બ્રિડના ડોગને ઘરે લઈ આવજો. આત્મનિર્ભર ભારત જ્યારે જન-મનનો મંત્ર બની જ રહ્યું છે, તો કોઈપણ ક્ષેત્ર પાછળ કેવી રીતે છૂટી શકે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો બાદ, પાંચ સપ્ટેમ્બરે આપણે શિક્ષક દિવસ મનાવીશું. આપણે બધા જ્યારે આપણા જીવનની સફળતાઓને આપણી જીવનયાત્રાને જોઈએ છીએ તો આપણને આપણા કોઈને કોઈ શિક્ષકની યાદ ચોક્કસ આવે છે. ઝડપથી બદલાતા સમય અને કોરોનાના સંકટકાળમાં આપણા શિક્ષકો સામે પણ સમયની સાથે બદલાવનો એક પડકાર છે. મને ખુશી છે કે આપણા શિક્ષકોએ ન માત્ર આ પડકારનો સ્વિકાર કર્યો પરંતુ તેને અવસરમાં ફેરવી પણ દીધો છે. ભણવામાં ટેકનીકનો વધુમાં વધુ ઉપયોગ કેમ થાય, નવી રીતોને કેવી રીતે અપનાવીએ, વિદ્યાર્થીઓને મદદ કેવી રીતે કરીએ, તે આપણા શિક્ષકોએ સહજતાથી અપનાવ્યું છે અને પોતાના વિદ્યાર્થીઓને પણ શિખવાડ્યું છે. આજે દેશમાં દરેક જગ્યાએ કંઈને કંઈક ઈનોવેશન થઈ રહ્યાં છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ મળીને કંઈક નવું કરી રહ્યા છે. મને ભરોસો છે કે જેવી રીતે દેશમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિના માધ્યમથી એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે, આપણા શિક્ષક તેનો પણ લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.
સાથીઓ, અને ખાસ કરીને મારા શિક્ષક સાથીઓ, વર્ષ 2022માં આપણો દેશ સ્વતંત્રતાના 75 વર્ષનો પર્વ ઉજવશે. સ્વતંત્રતાની પહેલાં અનેક વર્ષો સુધી આપણા દેશમાં આઝાદીની લડાઈ, તેનો એક લાંબો ઈતિહાસ રહ્યો છે. આ દરમિયાન દેશનો કોઈ ખૂણો એવો નહોતો જ્યાં આઝાદીના લડવૈયાઓએ પોતાના પ્રાણ ન્યોછાવર ન કર્યા હોય, પોતાનું સર્વસ્વ ન ત્યાગી દીધું હોય. એ બહુ જ આવશ્યક છે કે આપણી આજની પેઢી, આપણા વિદ્યાર્થીઓ આઝાદીની લડાઈ, આપણા દેશના નાયકોથી પરિચીત રહે, તેમને એટલા જ અનુભવે. પોતાના જિલ્લામાં, પોતાના વિસ્તારમાં આઝાદીના આંદોલન સમયે શું થયું, કેવી રીતે થયું, કોણ શહીદ થયું, કોણ કેટલા સમય સુધી દેશ માટે જેલમાં રહ્યું. આ વાતો આપણા વિદ્યાર્થીઓ જાણશે તો તેમના વ્યક્તિત્વમાં પણ તેનો પ્રભાવ દેખાશે. તેને માટે ઘણાં કામ કરી શકાય. જેમાં આપણા શિક્ષકોની મોટી જવાબદારી છે. જેમ કે, આપ જે જિલ્લામાં છો, ત્યાં શતાબ્દિઓ સુધી આઝાદીની લડાઈ ચાલી, તે આઝાદીની લડાઈમાં ત્યાં કોઈ ઘટના ઘટી છે કે કેમ? તેને લઈને વિદ્યાર્થીઓ પાસે રિસર્ચ કરાવી શકાય. તેને શાળાના હસ્તલિખિત અંકના રૂપમાં તૈયાર કરી શકાય. આપના શહેરમાં સ્વતંત્રતા આંદોલનથી જોડાયેલી કોઈ જગ્યા હોય તો વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ત્યાં લઈ જઈ શકો છો. કોઈ શાળાના વિદ્યાર્થીઓ નક્કી કરી લે કે તે આઝાદીના 75મા વર્ષે પોતાના ક્ષેત્રના આઝાદીના 75 નાયકો પર કવિતાઓ લખશે, નાટ્ય કથા લખશે. આપના પ્રયાસો દેશના હજારો-લાખો અનામી નાયકોને સામે લાવશે જે દેશ માટે જીવ્યા, જે દેશ માટે ખપી ગયા, જેમના નામ સમયની સાથે વિસ્મૃત થઈ ગયા, એવા મહાન વ્યક્તિઓને જો આપણે સામે લાવીશું, આઝાદીના 75મા વર્ષે તેમને યાદ કરીશું તો તે તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે અને જ્યારે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન મનાવી રહ્યા છીએ ત્યારે હું મારા શિક્ષક સાથીઓને જરૂર આગ્રહ કરીશ કે તેઓ આના માટે એક માહોલ બનાવે, બધાને જોડે અને બધા મળીને જોડાઈ જાય.
મારા પ્રિય દેશવાસીઓ, દેશ આજે જે વિકાસ યાત્રા પર ચાલી રહ્યો છે, તેની સફળતા સુખદ ત્યારે જ થશે જ્યારે દરેક દેશવાસી તેમાં સામેલ હોય, આ યાત્રાના યાત્રી હોય, આ પથના પથિક હોય, તેથી એ જરૂરી છે કે દરેક દેશવાસી સ્વસ્થ રહે, સુખી રહે અને આપણે મળીને કોરોનાને સંપૂર્ણપણે હરાવીએ. કોરોના ત્યારે જ હારશે જ્યારે આપ સુરક્ષિત રહેશો, જ્યારે આપ “દો ગજકી દૂરી, માસ્ક જરૂરી” “બે ગજનું અંતર, માસ્ક નિરંતર”, આ સંકલ્પનું સંપૂર્ણ રીતે પાલન કરશો. તમે બધા સ્વસ્થ રહો, સુખી રહો, એ જ શુભેચ્છાઓ સાથે આગામી “મન કી બાત”માં ફરી મળીશું.
ખૂબ…ખૂબ ધન્યવાદ….નમસ્કાર…

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
આજે ૨૬ જુલાઇ છે અને આજનો દિવસ બહુ વિશેષ છે. આજે કારગીલ વિજય દિવસ છે. 21 વર્ષ પહેલાં આજના જ દિવસે કારગીલના યુદ્ધમાં આપણી સેનાએ ભારતના વિજયનો ધ્વજ લહેરાવ્યો હતો. સાથીઓ, કારગીલનું યુદ્ધ જે પરિસ્થિતીમાં લડાયું તેને ભારત ક્યારેય ભૂલી નહીં શકે. પાકિસ્તાને મોટા–મોટા મનસૂબા રાખીને ભારતની ભૂમિ પડાવી લેવા અને પોતાને ત્યાં ચાલતા આંતરિક કલહથી ધ્યાન બીજે દોરવા માટે આ દુઃસાહસ કર્યું હતું. તે વખતે ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો બનાવવા પ્રયાસરત હતું. પરંતુ કહેવાય છે નેઃ
‘બયરૂં અકારણ સહ કાહૂં સો, જો કર હિત અનહિત તાહૂ સો.’
એટલે કે દુષ્ટનો સ્વભાવ જ હોય છે, હરકોઇ સાથે વિના કારણે દુશ્મની કરવી. આવા સ્વભાવના લોકો જેઓ તેનું હિત કરતા હોય તેનું પણ નુકસાન જ વિચારે છે. એટલા માટે ભારતની મિત્રતાના જવાબમાં પાકિસ્તાન દ્વારા પીઠ પાછળ છરી મારવાની કોશિષ કરાઇ હતી. પરંતુ ત્યાર પછી ભારતની વીર સેનાએ જે પરાક્રમ બતાવ્યું, ભારતે પોતાની જે તાકાત બતાવી, તેને પૂરી દુનિયાએ નિહાળ્યું હતું. તમે કલ્પના કરી શકો છો, ઉંચા પહાડો પર બેઠેલા દુશ્મનો અને નીચેથી લડી રહેલી આપણી સેનાઓ, આપણા વીર જવાનો. પરંતુ જીત પહાડની ઉંચાઇની નહીં, ભારતની સેનાઓની ઉંચી હિંમત અને સાચી વિરતાની થઇ.
સાથીઓ,
તે સમયે મને પણ કારગીલ જવાનું અને આપણા જવાનોની વીરતાના દર્શનનું સદભાગ્ય મળ્યું હતું. તે દિવસો મારા જીવનની સૌથી અણમોલ પળોમાંના એક છે. હું જોઇ રહ્યો છું કે, આજે આખા દેશમાં લોકો કારગીલ વિજયને યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક #courageinkargil સાથે લોકો આપણા વીરોને નમન કરી રહ્યા છે, જે શહીદ થયા છે, તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હું આજે તમામ દેશવાસીઓ વતી આપણા આ વીર જવાનોની સાથે–સાથે મા ભારતીના સાચા સપૂતોને જેમણે જન્મ આપ્યો હતો, તે વીર માતાઓને પણ નમન કરૂં છું. દેશના નવયુવાનોને મારો આગ્રહ છે કે, આજે આખો દિવસ કારગીલ વિજય સાથે જોડાયેલા આપણા જવામર્દોની વાતો, વીરમાતાઓના ત્યાગ વિષે એકબીજાને જણાવો. શેર કરો. સાથીઓ, હું આપને આજે એક આગ્રહ કરૂં છું. એક વેબસાઇટ છે www.gallantryawards.gov.in તમે આ વેબસાઇટની ચોક્કસ વિઝિટ કરો. ત્યાં આપને આપણા વીર પરાક્રમી યોદ્ધાઓ વિષે, તેમના પરાક્રમો વિષે ઘણી બધી માહિતી મળશે. અને તમે જયારે પણ પોતાના સાથીઓ સાથે ચર્ચા કરશો ત્યારે તે માહિતી તેમના માટે પણ પ્રેરણારૂપ બનશે. તમે ચોક્કસ આ વેબસાઇટની વિઝિટ કરજો. અને હું તો કહીશ કે વારેવારે વિઝિટ કરતા રહેજો.
સાથીઓ,
કારગીલ યુદ્ધ વખતે અટલજીએ લાલકિલ્લા પરથી જે કહ્યું હતું, તે આજે પણ આપણા બધા માટે ખૂબ પ્રાસંગિક છે. અટલજીએ ત્યારે દેશને ગાંધીજીના એક મંત્રની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીનો મંત્ર હતો કે, જો કોઇને પણ ક્યારેય કોઇ દુવિધા હોય કે, તેમણે શું કરવું અને શું ન કરવું તો તેમણે ભારતના સૌથી ગરીબ અને અસહાય વ્યક્તિ વિષે વિચારવું જોઇએ. તેમણે એ વિચારવું જોઇએ કે, તેઓ જે કરવા જઇ રહ્યા છે તેનાથી તે વ્યક્તિનું ભલું થશે કે નહિં થાય. ગાંધીજીના આ વિચારોથી આગળ વધીને અટલજીએ કહ્યું હતું કે, કારગીલ યુદ્ધે આપણને એક બીજો મંત્ર આપ્યો છે. – આ મંત્ર હતો, કે કોઇપણ મહત્વનો નિર્ણય લેતા પહેલાં આપણે એ વિચારીએ કે, શું આપણું આ પગલું તે સૈનિકોના સન્માનને અનુરૂપ છે. જેમણે તે દુર્ગમ પહાડોમાં પોતાના પ્રાણની આહૂતી આપી હતી. આવો, અટલજીના અવાજમાં જ તેમની આ ભાવનાને આપણે સાંભળીએ, સમજીએ અને સમયની માંગ છે કે, તેનો સ્વીકાર કરીએ.
સાઉન્ડ બાઇટ – અટલજી–
“આપણને સૌને યાદ છે કે, ગાંધીજીએ આપણને એક મંત્ર આપ્યો હતો, તેમણે કહ્યું હતું કે, જો કોઇ અવઢવ હોય કે, તમારે શું કરવું જોઇએ. તો તમે ભારતની તે સૌથી અસહાય વ્યક્તિ વિષે વિચારો અને પોતાને પૂછો કે શું તમે જે કરવા જઇ રહ્યા છો તેનાથી તે વ્યક્તિની ભલાઇ થશે ? કારગીલે આપણને બીજો મંત્ર આપ્યો છે. કોઇ મહત્વનો નિર્ણય લેતાં પહેલાં આપણે એ વિચારીએ કે શું આપણું એ પગલું એ સૈનિકોના સન્માનને અનુરૂપ છે. જેમણે તે દુર્ગમ પહાડોમાં પોતાના પ્રાણોની આહૂતી આપી હતી. ”
સાથીઓ,
યુદ્ધની પરિસ્થિતીમાં આપણે જે વાત કહીએ છીએ, કરીએ છીએ, તેની, સરહદે ઉભેલા સૈનિકોના મનોબળ પર, તેમના પરિવારના મનોબળ પર બહુ ઉંડી અસર પડે છે. આ વાત આપણે ક્યારેય ભૂલવી ન જોઇએ. અને એટલા માટે આપણો આચાર, આપણો વહેવાર, આપણી વાણી, આપણું નિવેદન, આપણી મર્યાદા, આપણું લક્ષ્ય આ તમામની કસોટી થાય છે. આ બધામાં આપણે યાદ રાખવું જોઇએ કે, આપણે જે કરી રહ્યા છીએ, કહી રહ્યા છીએ, તેનાથી સૈનિકોનું મનોબળ વધે, તેમનું સન્માન વધે. રાષ્ટ્ર સર્વોપરી છે. એ મંત્ર સાથે એકતાના તાંતણે બંધાયેલા દેશવાસીઓ આપણા સૈનિકોની તાકાતને અનેક હજારગણી વધારી દે છે. આપણે ત્યાં તો કહેવાય છે ને “સંઘે શક્તિ કલૌયુગે”.
કોઇકોઇ વાર આપણે આ વાતને સમજયા વિના સોશિયલ મીડિયા ઉપર એવી ચીજોને પ્રોત્સાહન આપી દઇએ છીએ, જે આપણા દેશને મોટું નુકસાન કરે છે. કોઇકોઇ વાર જિજ્ઞાસાને કારણે આપણે તેને ફોરવર્ડ કરતા રહીએ છીએ. ખબર છે કે આ ખોટું છે. પરંતુ તે કરતા રહીએ છીએ. આજકાલ લડાઇ કેવળ સરહદ પર જ નથી લડવામાં આવતી. દેશમાં પણ કેટલાય મોરચે એક સાથે લડવામાં આવે છે. અને એક દેશવાસીએ તેમાં પોતાની ભૂમિકા નક્કી કરવાની હોય છે. આપણે પણ આપણી ભૂમિકા, દેશની સરહદ પર દુર્ગમ પરિસ્થિતીમાં લડી રહેલા સૈનિકોને યાદ કરતાં-કરતાં નક્કી કરવી પડશે.
મારા વ્હાલા દેશવાસીઓ,
છેલ્લા કેટલાક મહિનાથી આખા દેશે એકસંપ થઇને જે રીતે કોરોનાનો સામનો કર્યો છે. તેણે અનેક દહેશતને ખોટી પુરવાર કરી દીધી છે. આજે આપણા દેશમાં સાજા થવાનો દર અન્ય દેશોની સરખામણીએ બહેતર છે. તેની સાથે આપણા દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાઓનો દર પણ દુનિયાના મોટાભાગના દેશો કરતાં ઘણો ઓછો છે. ચોક્કસપણે એકપણ વ્યક્તિને ખોવાનું દુઃખદ છે, પરંતુ ભારત પોતાના લાખો દેશવાસીઓના જીવન બચાવવામાં સફળ પણ રહ્યો છે. પરંતુ સાથીઓ કોરોનાનું જોખમ હજી ટળ્યું નથી. અનેક ઠેકાણે તે હજીપણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આપણે ખૂબ જ વધારે સાવચેત રહેવાની જરૂર છે. આપણે એ ધ્યાન રાખવાનું છે કે, કોરોના જેટલો શરૂઆતમાં ઘાતક હતો તેટલો જ હજીપણ ઘાતક છે. એટલે આપણે પૂરેપૂરી સાવચેતી રાખવાની છે. ચહેરા પર માસ્ક બાંધવાનું કે ગમછાનો ઉપયોગ કરવાનો છે. બે ગજનું અંતર, વારંવાર હાથ ધોવાના, કયાંય પણ થુંકવાનું નહિં, સાફસફાઇનું પૂરૂં ધ્યાન રાખવાનું, – આજ આપણા હથિયાર છે. જે આપણને કોરોનાથી બચાવી શકે છે. કોઇકોઇવાર માસ્ક પહેરવામાં આપણને તકલીફ થાય છે, અને મનમાં થાય છે કે ચહેરા પરથી માસ્ક ઉતારી દઇએ. વાતચીત કરવાનું શરૂ કરી દઇએ છીએ. ખરેખર જયારે માસ્કની વધુ જરૂર હોય છે, ત્યારે જ આપણે માસ્ક હટાવી લઇએ છીએ. આ સમયમાં હું આપને આગ્રહ કરૂં છું કે, જયારે પણ તમને માસ્કને લીધે પરેશાની અનુભવાતી હોય, મન થતું હોય કે માસ્ક કાઢી નાંખવો છે તો પળવાર માટે ડોકટરોને યાદ કરજો કે, નર્સોને યાદ કરજો, આપણાએ કોરોના યોદ્ધાઓને યાદ કરજો. તમે જુઓ છો કે તેઓ માસ્ક પહેરીને કલાકો સુધી સતત આપણા બધાના જીવન બચાવવા માટે લાગેલા છે. આઠ-આઠ, દસ-દસ કલાક સુધી માસ્ક પહેરી રાખે છે. શું એમને તકલીફ નહીં થતી હોય. થોડા એમને પણ યાદ કરો. તમને પણ થશે કે, આપણે એક નાગરિકના નાતે એમાં જરાપણ બેદરકારી દાખવવાની નથી. અને ન કોઇને બેદરકારી બતાવવા દેવાની છે. એક તરફ આપણે કોરોના વિરૂદ્ધની લડાઇને પૂરી સાવધાની અને સતર્કતાથી લડવાની છે, તો બીજી તરફ કઠોળ મહેનતથી, વ્યવસાય, નોકરી, અભ્યાસ જે પણ કર્તવ્ય આપણે નિભાવીએ છીએ તેમાં ગતિ લાવવાની છે. તેને પણ નવી ઉંચાઇએ લઇ જવાની છે.
સાથીઓ,
કોરોનાકાળમાં આપણા ગ્રામીણ ક્ષેત્રોએ તો આખા દેશને નવી દિશા બતાવી છે. આવા ગામોમાંથી સ્થાનિક નાગરીકોના, ગ્રામપંચાયતોના અનેક સારા પ્રયાસો સતત બહાર આવી રહ્યા છે. જમ્મુમાં એક ગામ ત્રેવા ગ્રામપંચાયત છે. ત્યાંનાં સરપંચ છે – બલબીરકૌરજી. મને જણાવાયું છે બલબીરકૌરજીએ પોતાની પંચાયતમાં 30 પથારીનું એક કવોરંનટાઇન સેન્ટર બનાવ્યું છે. પંચાયત તરફ જતાં રસ્તા પર પાણીની વ્યવસ્થા કરી. લોકોને હાથ ધોવામાં કોઇ તકલીફ ન પડે તેની વ્યવસ્થા કરાવી. એટલું જ નહિં, આ બલબીરકૌરજી ખુદ પોતાના ખભા પર સ્પ્રેપંપ ભરાવીને સ્વયંસેવકોની સાથે મળીને પૂરા ગામમાં આસપાસના વિસ્તારોમાં સેનીટાઇજેશનનું કામ પણ કરે છે. એવા જ એક કાશ્મીરી મહિલા સરપંચ છે. ગાંદરબલના ચૌટલીવારના જૈતુના બેગમ. જૈતુના બેગમજીએ નક્કી કર્યું કે, તેમની પંચાયત કોરોના સામેનો જંગ લડશે. અને કમાણીની નવી તકો પણ ઉભી કરશે. તેમણે સમગ્ર વિસ્તારમાં વિનામૂલ્યે માસ્ક વહેંચ્યા. મફત રાશન વહેંચ્યું. સાથે જ તેમણે લોકોને ખેતી માટે બીયારણ અને સફરજનના છોડ પણ આપ્યા. જેથી લોકોને ખેતીમાં, બાગાયતમાં કોઇ મુશ્કેલી ન પડે. સાથીઓ, કાશ્મીરથી વધુ એક પ્રેરક ઘટના આવી છે. ત્યાં અનંતનાગમાં મહાપાલિકા અધ્યક્ષ છે શ્રીમાન મોહંમદ ઇકબાલ. તેમને પોતાના વિસ્તારમાં સેનીટાઇજેશન માટે સ્પ્રેયરની જરૂર હતી. તેમણે માહિતી મેળવી તો ખબર પડી કે, મશીન તો બીજા શહેરમાંથી લાવવું પડશે અને કિંમત પણ હશે છ લાખ રૂપિયા. તો શ્રીમાન ઇકબાલજીએ પોતે જ પ્રયાસો કરીને પોતાની જાતે જ સ્પ્રેયર મશીન બનાવી લીધું અને તે પણ માત્ર 50 હજાર રૂપિયામાં. આવા તો કેટલાય બીજા ઉદાહરણ છે. આખા દેશમાં, ખૂણેખૂણામાંથી આવી અનેક પ્રેરક ઘટનાઓ રોજ સામે આવે છે. એ બધી અભિનંદનને પાત્ર છે. પડકાર ઉભો થયો, પરંતુ લોકોએ એટલી તાકાતથી તેનો સામનો પણ કર્યો.
મારા વ્હાલા દેશવાસીઓ,
સાચા અભિગમ દ્વારા, સર્જનાત્મક અભિગમ દ્વારા આફતને અવસરમાં, વિપત્તિને વિકાસમાં બદલવામાં હંમેશા ખૂબ મદદ મળે છે. અત્યારે આપણે કોરોનાના સમયમાં પણ જોઇ રહ્યા છીએ કે, કેવી રીતે આપણા દેશના યુવાનો, મહિલાઓએ પોતાની પ્રતિભા અને કૌશલ્યના સહારે કેટલાક નવા પ્રયોગો શરૂ કર્યા છે. બિહારમાં કેટલાય મહિલા સ્વસહાય જૂથોએ મધુબની ચિત્રકામવાળા માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. અને જોતજોતાંમાં આ માસ્ક ખૂબ લોકપ્રિય બની ગયા છે. આ મધુબની માસ્ક એક રીતે પોતાની પરંપરાનો પ્રચાર તો કરે છે, પરંતુ લોકોને આરોગ્યની સાથે રોજગારી પણ આપી રહ્યા છે. તમે જાણો જ છો કે, ઇશાન ભારતમાં બામ્બુ એટલે કે, વાંસ કેટલા વિપુલ પ્રમાણમાં થાય છે. હવે આ જ વાંસમાંથી ત્રિપુરા, મણિપુર, આસામના કારીગરોએ ઉચ્ચ ગુણવત્તાવાળી પાણીની બોટલ અને ટિફિનબોક્ષ બનાવવાનું શરૂ કર્યું છે. તમે એની ગુણવત્તા જોશો તો વિશ્વાસ નહીં થાય કે, વાંસમાંથી બનાવેલી બોટલો પણ આટલી શાનદાર હોઇ શકે છે. અને વળી, આ બોટલો ઇકોફ્રેન્ડલી – પ્રકૃતિને અનુરૂપ છે. આ બોટલો જયારે બનાવે છે ત્યારે વાંસને પહેલાં તો લીમડો અને બીજી વનૌષધિઓ સાથે ઉકાળવામાં આવે છે તેનાથી તેમાં ઔષધિય ગુણો પણ ઉમેરાય છે. નાના-નાના સ્થાનિક ઉત્પાદનો દ્વારા કેવી રીતે મોટી સફળતા મળે છે તેનું એક ઉદાહરણ ઝારખંડથી પણ મળ્યું છે. ઝારખંડના બિશુનપુરમાં અત્યારે 30થી વધુ જૂથ મળીને લેમન ગ્રાસની ખેતી કરે છે. લેમન ગ્રાસ ચાર મહિનામાં તૈયાર થઇ જાય છે અને તેનું તેલ બજારમાં સારા ભાવે વેચાય છે. આજકાલ તેની સારી એવી માંગ પણ છે. હું દેશના બે વિસ્તારો વિષે પણ વાત કરવા માંગું છું. બંને એકબીજાથી સેંકડો કીલોમીટર દૂર છે. અને પોતપોતાની રીતે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કંઇક અલગ રીતે કામ કરી રહ્યા છે. એક છે લદ્દાખ અને બીજો છે કચ્છ. લેહ અને લદ્દાખનું નામ સામે આવતાં જ સુંદર ખીણો અને ઉંચા-ઉંચા પહાડોના દ્રશ્યો આપણી સામે આવવા લાગે છે. તાજી હવાની લહેરખીઓનો અનુભવ થવા લાગે છે. ત્યાં કચ્છનો ઉલ્લેખ થતાં જ રણ, દૂર-દૂર સુધી ફેલાયેલું રણ, ઝાડપાન કયાંય નજર ન આવે. આ બધું આપણી નજર સામે તરવરવા લાગે છે. લદ્દાખમાં એક ખાસ ફળ થાય છે. જેનું નામ ચૂલી અથવા એપ્રિકોટ એટલે કે, જરદાલુ છે. આ પાક લદ્દાખ ક્ષેત્રના અર્થતંત્રને બદલવાની ક્ષમતા રાખે છે. પરંતુ અફસોસની વાત એ છે કે, પુરવઠાની સાંકળ, મોસમનો માર જેવાં અનેક પડકારોનો સતત સામનો કરતો રહે છે. એનો ઓછામાં ઓછો નાશ થાય તે માટે આજકાલ એક નવીનીકરણનો ઉપયોગ શરૂ થયો છે. બે રીતે કામ કરતી એક વ્યવસ્થા છે. જેનું નામ છે solar apricot dryer and space heater સૌર ઉર્જા વડે જરદાલુ અને અન્ય ફળો તથા શાકભાજીને જરૂર મુજબ આ પ્રણાલી સૂકવી શકે છે અને તે પણ આરોગ્યપ્રદ રીતે. પહેલાં જયારે જરદાલુને ખેતરની બાજૂમાં જ સૂકવતા હતા તો તેમાંથી બગાડ ખૂબ થતો હતો. સાથે ધૂળ અને વરસાદના પાણીને લીધે ફળોની ગુણવત્તા ઉપર પણ અસર થતી હતી. બીજી તરફ હાલ કચ્છમાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી માટે પ્રશંસનીય પ્રયત્નો કરી રહ્યા છે. ઘણા લોકો જયારે સાંભળે છે ત્યારે એમને નવાઇ લાગે છે. કચ્છ અને ડ્રેગન ફ્રૂટ ? પરંતુ ત્યાં આજે કેટલાય ખેડૂત આ ખેતીમાં જોડાયા છે. ફળની ગુણવત્તા અને ઓછી જમીનમાં વધારે ઉત્પાદન લેવા માટે ઘણી શોધખોળ કરવામાં આવી રહી છે. મને જાણવા મળ્યું છે કે, ડ્રેગન ફ્રૂટની લોકપ્રિયતા સતત વધી રહી છે. ખાસ કરીને નાસ્તામાં તેનો ઉપયોગ સારો એવો વધ્યો છે. કચ્છના ખેડૂતોનો સંકલ્પ છે કે, દેશને ડ્રેગન ફ્રૂટની આયાત ન કરવી પડે. આ જ તો આત્મનિર્ભરતાની વાત છે.
સાથીઓ,
જયારે આપણે કંઇક નવું કરવાનું વિચારીએ છીએ, નવીનતાપૂર્વક વિચારીએ છીએ તો એવા કામ પણ શક્ય બની જાય છે જેમની સામાન્ય રીતે કોઇક કલ્પના પણ નથી કરતું. જેમ કે બિહારના કેટલાક યુવાનોની જ વાત લઇએ. પહેલા તેઓ સામાન્ય નોકરી કરતા હતા. એક દિવસ તેમણે નક્કી કર્યું કે, તે મોતીની ખેતી કરશે. એમના વિસ્તારમાં લોકોને આ વિષે બહુ ખબર નહોતી. પરંતુ પહેલાં તો બધી જાણકારી એકત્રિત કરી. જયપુર અને ભુવનેશ્વર જઇને તાલીમ લીધી. અને પોતાના ગામમાં જ મોતીની ખેતી શરૂ કરી દીધી. આજે તે પોતે તો તેમાંથી સારી કમાણી કરી જ રહ્યા છે, પરંતુ સાથે તેમણે મુઝફ્ફપુર, બેગુસરાઇ અને પટનામાં બીજા રાજયોમાંથી પાછા આવેલા પ્રવાસી કામદારોને પણ તેની તાલીમ આપવાનું શરૂ કરી દીધું છે. તેનાથી અનેક લોકો માટે આત્મનિર્ભરતાનો માર્ગ ખૂલી ગયો છે.
સાથીઓ,
થોડા દિવસો પછી રક્ષાબંધનનું પાવનપર્વ આવી રહ્યું છે. આ દિવસોમાં હું જોઇ રહ્યો છું કે, કેટલાય લોકો અને સંસ્થાઓ આ વખતે રક્ષાબંધનને જૂદી જ રીતે ઉજવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ઘણા લોકો તેને વોકલ ફોર લોકલ સાથે જોડી રહ્યા છે. અને આ વાત યોગ્ય પણ છે. આપણા પર્વ આપણા સમાજના ઘરની કોઇ બાજુની જ વ્યક્તિનો વેપાર વધે, તેનો તહેવાર પણ ખુશખુશાલ થાય ત્યારે પર્વનો આનંદ કંઇક ઔર થઇ જાય છે. બધા દેશવાસીઓને રક્ષાબંધનની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
સાથીઓ,
સાતમી ઓગષ્ટે રાષ્ટ્રીય હાથશાળ દિવસ છે. ભારતનો હાથશાળ ઉદ્યોગ આપણી હસ્તકલાકારીગરી પોતાનામાં સેંકડો વર્ષોનો ઇતિહાસ સમેટીને બેઠા છે. આપણા બધાનો પ્રયાસ એ જ હોવો જોઇએ કે, ભારતીય હાથશાળ ઉદ્યોગ અને હસ્તકળાનો આપણે વધુમાં વધુ માત્ર ઉપયોગ જ ન કરીએ પરંતુ તેના વિષે આપણે વધુમાં વધુ લોકોને માહીતગાર પણ કરીએ. ભારતની હાથશાળ અને હસ્તકલાકારીગરી કેટલી સમૃદ્ધ છે, તેમાં કેટલી વિવિધતા છે. એ જેટલું વધારે દુનિયા જાણશે તેટલો જ સ્થાનિક કારીગરો અને વણકરોને લાભ થશે.
સાથીઓ,
ખાસ કરીને મારા યુવા સાથીઓ, આપણો દેશ બદલાઇ રહ્યો છે. કેવી રીતે બદલાઇ રહ્યો છે ? કેટલો ઝડપથી બદલાઇ રહ્યો છે ? કેવા-કેવા ક્ષેત્રોમાં બદલાઇ રહ્યો છે ? એક હકારાત્મક વિચારસરણી સાથે જો આપણે નજર રાખીશું તો આપણે પોતે જ અચંબામાં પડી જઇશું. એક સમય હતો જયારે રમતગમતથી લઇને અન્ય ક્ષેત્રોમાં પણ મોટાભાગના લોકો કાં તો મોટા-મોટા શહેરોમાંથી આવતા હતા, અથવા મોટા-મોટા પરિવારમાંથી કે પછી વિખ્યાત શાળાઓ અથવા કોલેજોમાંથી જ આવતા હતા. હવે દેશ બદલાઇ રહ્યો છે. ગામોમાંથી, નાના શહેરોમાંથી, સામાન્ય પરિવારમાંથી આપણા યુવાઓ આગળ આવી રહ્યા છે. સફળતાના નવા શિખરો સર કરી રહ્યા છે. આ લોકો મુશ્કેલીઓની વચ્ચે પણ નવા-નવા સપના સેવીને આગળ વધી રહ્યા છે. કંઇક એવું જ આપણને હજી હમણાં જ જે બોર્ડ પરીક્ષાઓના પરિણામ આવ્યા તેમાં પણ જોવા મળે છે. આજે મન કી બાતમાં આપણે કેટલાક એવા જ પ્રતિભાશાળી દિકરા-દીકરીઓ સાથે વાત કરીએ છીએ. એવી જ એક પ્રતિભાશાળી દિકરી છે. કૃતિકા નાંદલ. કૃતિકાજી હરિયાણામાં પાણીપતથી છે.
મોદીજીઃ- હલ્લો કૃતિકાજી નમસ્તે,
કૃતિકાઃ- નમસ્તે સર.
મોદીજીઃ- આટલા સરસ પરિણામ માટે તમને ખૂબ-ખૂબ અભિનંદન.
કૃતિકાઃ- ધન્યવાદ સર.
મોદીજીઃ- અત્યારે તો તમે ટેલિફોન લેતા-લેતા પણ થાકી ગયા હશોને. કેટલા બધા લોકોના ફોન આવતા હશે નહિં.
કૃતિકાઃ- જી. સર..
મોદીજીઃ- અને જે લોકો અભિનંદન આપે છે, તેઓ પણ ગર્વ અનુભવતા હશે. કે તે તમને ઓળખે છે. તમને કેવું લાગે છે.
કૃતિકાઃ- સર, બહુ સારૂં લાગે છે. પપ્પા-મમ્મીને ગર્વનો અનુભવ કરાવીને પોતાને પણ એટલો જ ગર્વ થઇ રહ્યો છે.
મોદીજીઃ- અચ્છા એ કહો કે, તમારી સૌથી મોટી પ્રેરણા કોણ છે?
કૃતિકાઃ- સર. મારા મમ્મી જ મારી સૌથી મોટી પ્રેરણા છે.
મોદીજીઃ- વાહ. સારૂં એ કહો કે તમે મમ્મી પાસેથી શું શીખી રહ્યા છો?
કૃતિકાઃ- સર. એમણે પોતાની જીંદગીમાં અનેક મુશ્કેલીઓ જોઇ છે. તો પણ તે એટલા નિડર અને એટલા મજબૂત છે સર. એમને જોઇ-જોઇને એટલી પ્રેરણા મળે છે. કે હું પણ તેમના જેવી જ બનું.
મોદીજીઃ- મમ્મી કેટલું ભણેલા છે?
કૃતિકાઃ- સર. બી.એ. કરેલું છે એમણે..
મોદીજીઃ- બી.એ. કરેલું છે ?
કૃતિકાઃ- જી સર..
મોદીજીઃ- અચ્છા તો મમ્મી તમને શીખવતા પણ હશે ને.
કૃતિકાઃ- જી. સર. શીખવે છે ને. દુનિયાદારી વિષે દરેક બાબત જણાવે છે.
મોદીજીઃ- એ વઢતા પણ હશે ને.
કૃતિકાઃ- જી સર. એ વઢે પણ છે.
મોદીજીઃ- સારૂં બેટા તમે આગળ શું કરવા ઇચ્છો છો.
કૃતિકાઃ- સર. હું ડોકટર બનવા ઇચ્છું છું.
મોદીજીઃ- અરે વાહ,
કૃતિકાઃ- એમ.બી.બી.એસ.
મોદીજીઃ- જુઓ. ડોકટર બનવું આસાન કામ નથી.
કૃતિકાઃ- જી સર.
મોદીજીઃ- ડીગ્રી તો મેળવી લેશો. કેમ કે, તમે ખૂબ હોશિયાર છો બેટા, પણ ડોકટરનું જે જીવન છે. એ સમાજ માટે બહુ સમર્પિત હોય છે.
કૃતિકાઃ- જી સર.
મોદીજીઃ- એણે તો કયારેક રાત્રે, ચેનથી સૂવા પણ નથી મળતું. કયારેક દર્દીનો ફોન આવે છે, હોસ્પીટલમાંથી ફોન આવી જાય છે. અને પછી દોડવું પડે છે. એક રીતે ચોવીસેય કલાક અને 365 દિવસ ડોકટરની જીંદગી લોકોની સેવામાં જ લાગેલી રહે છે.
કૃતિકાઃ- યસ સર.
મોદીજીઃ- અને ખતરો પણ રહે છે. કેમ કે, ખબર નહિં આજકાલ જે પ્રકારની બીમારીઓ થઇ રહી છે. એટલે ડોકટર સામે પણ બહુ મોટું સંકટ તોળાયેલું રહે છે.
કૃતિકાઃ- જી સર.
મોદીજીઃ- અચ્છા કૃતિકા, હરિયાણા તો રમતગમતમાં સમગ્ર હિંદુસ્તાન માટે કાયમ પ્રેરણા આપનારૂં, પ્રોત્સાહન આપનારૂં રાજય રહ્યું છે.
કૃતિકાઃ- હા જી. સર.
મોદીજીઃ- તો તમે પણ કોઇ રમતગમતમાં ભાગ લો છો ખરા. શું તમને કોઇ રમત પસંદ છે?
કૃતિકાઃ- સર. બાસ્કેટબોલ રમતી હતી સ્કૂલમાં.
મોદીજીઃ- અચ્છા તમારી ઉંચાઇ કેટલી છે. વધારે છે ઉંચાઇ?
કૃતિકાઃ- નહિં સર. પાંચ બે જ છે.
મોદીજીઃ- અચ્છા તો પછી તમે આ રમત કેમ પસંદ કરો છો?
કૃતિકાઃ- સર. એ તો બસ એક શોખ છે, રમી લઉં છું.
મોદીજીઃ- સારૂં. સારૂં..
ચાલો કૃતિકાજી. તમારા મમ્મીને પણ મારા તરફથી પ્રણામ કહેજો. તમને આ રીતે યોગ્ય બનાવ્યા. તમારા જીવનનું ઘડતર કર્યું. તમારા મમ્મીને પણ પ્રણામ અને તમને ખૂબ-ખૂબ અભિનંદન. ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
કૃતિકાઃ- ધન્યવાદ સર.
આવો હવે આપણે જઇએ છીએ કેરળ, એર્નાકુલમ.
કેરળના નવયુવાન સાથે વાત કરીશું.
મોદીજીઃ- હેલો.
વિનાયકઃ- હેલો સર. નમસ્કાર.
મોદીજીઃ- સો વિનાયક. કોન્ગ્રેચ્યુલેશન.
વિનાયકઃ- હા, થેંક્યુ સર.
મોદીજીઃ- શાબાશ વિનાયક. શાબાશ.
વિનાયકઃ- હા. થેંક્યુ સર.
મોદીજીઃ- હાવ ઇઝ ધ જોશ.
વિનાયકઃ- હાઇ સર.
મોદીજીઃ- શું તમે કોઇ રમત રમો છો.
વિનાયકઃ- બેડમિન્ટન.
મોદીજીઃ- બેડમિન્ટન,
વિનાયકઃ- હા. યસ.
મોદીજીઃ- સ્કૂલમાં કે પછી તાલીમ લેવાની કોઇ તક મળી હતી.
વિનાયકઃ- ના સર. સ્કૂલમાં જ. અમને થોડી તાલીમ મળી હતી.
મોદીજીઃ- હં..હં..
વિનાયકઃ- અમારા ટીચર પાસેથી..
મોદીજીઃ- હં.. હં..
વિનાયકઃ- એ રીતે મને બહારની રમતોમાં પણ ભાગ લેવાની તક મળી.
મોદીજીઃ- વાહ, (વોવ)
વિનાયકઃ- એટલે સ્કૂલમાંથી જ.
મોદીજીઃ- તો તમે કેટલા રાજયોની મુલાકાત લીધી.
વિનાયકઃ- હું ખાલી કેરળ અને તમિલનાડુ જ ગયો છું.
મોદીજીઃ- ખાલી કેરળ ને તમિલનાડુ ?
વિનાયકઃ- હા. સર.
મોદીજીઃ- તો તમને દિલ્હીની મુલાકાત લેવાનું ગમશે.
વિનાયકઃ- હા સર. હવે હું આગળ મારા અભ્યાસ માટે દિલ્હી યુનિવર્સિટીમાં અરજી કરી રહ્યો છું.
મોદીજીઃ- વાહ.. એટલે તમે દિલ્હી આવો છો. એમ..
વિનાયકઃ- હા. યસ સર.
મોદીજીઃ- અચ્છા મને એ કહો કે, ભવિષ્યમાં બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ માટે તમારો સંદેશ છે.
વિનાયકઃ- સખત મહેનત અને સમયનો યોગ્ય ઉપયોગ.
મોદીજીઃ- એટલે કે, સમયનું ચોક્કસ વ્યવસ્થાપન.
વિનાયકઃ- હા. સર.
મોદીજીઃ- વિનાયક. મને તમારા શોખ વિષે કંઇક કહેશો.
વિનાયકઃ- બેડમિન્ટન અને પછી રોઇન્ગ.(નૌકાયન)
મોદીજીઃ- અને તમે સોશિયલ મીડિયા પર એકટીવ છો.
વિનાયકઃ- સ્કૂલમાં અમને કોઇ ઇલેક્ટ્રોનિક સાધન અથવા ચીજવસ્તુ વાપરવાની છુટ નથી.
મોદીજીઃ- એટલા તમે નસીબદાર છો.
વિનાયકઃ- યસ. સર..
મોદીજીઃ- સારૂં વિનાયક, ફરી એકવાર અભિનંદન. અને ભવિષ્યની શુભેચ્છાઓ.
વિનાયકઃ- થેંક્યું સર.
આવો હવે આપણે ઉત્તરપ્રદેશ જઇએ. ઉત્તરપ્રદેશમાં અમરોહાના શ્રીમાન ઉસ્માન શૈખી સાથે વાત કરીશું.
મોદીજીઃ- હેલો ઉસ્માન. ખૂબ-ખૂબ અભિનંદન. તમને અનેક અનેક અભિનંદન.
ઉસ્માનઃ- થેંક્યુ સર.
મોદીજીઃ- અચ્છા ઉસ્માન મને એ કહો કે, તમે જેવું ઇચ્છયું હતું તેવું જ પરિણામ આવ્યું કે કંઇક ઓછું આવ્યું.
ઉસ્માનઃ- ના સર. જેવું ઇચ્છયું હતું તેવું જ મળ્યું છે. મારા મમ્મી-પપ્પા પણ ખૂબ ખુશ છે.
મોદીજીઃ- વાહ, સારૂં, પરિવારમાં બીજા ભાઇ પણ શું આટલા જ તેજસ્વી છે કે ઘરમાં તમે એક જ હોંશિયાર છો.
ઉસ્માનઃ- ખાલી હું એક જ છું. મારો ભાઇ થોડો તોફાની છે.
મોદીજીઃ- હા. હા..
ઉસ્માનઃ- બાકી મારા કારણે બહુ ખુશ રહે છે.
મોદીજીઃ- સરસ.. સરસ.. સારૂં તમે જયારે ભણતા હતા તો ઉસ્માન તમારો માનીતો વિષય કયો હતો.
ઉસ્માનઃ- ગણિત.
મોદીજીઃ- અરે વાહ, તો શું તમને ગણિતમાં રસ પડતો હતો. એ કેવી રીતે બન્યું. કયા શિક્ષકે તમને પ્રેરિત કર્યા.
ઉસ્માનઃ- જી. અમારા એક વિષય શિક્ષક છે, રજત સર. એમણે મને પ્રેરણા આપી. અને ખૂબ સારૂં ભણાવે છે. અને ગણિત તો શરૂઆતથી જ મારૂં સારૂં રહ્યું છે. અને એ સારો એવો રસપ્રદ વિષય પણ છે.
મોદીજીઃ- હં.. હં..
ઉસ્માનઃ- તો જેટલી વધુ મહેનત કરીએ છીએ. તેટલો તેમાં વધારે સર પડે છે. એટલે એ મારો માનીતો વિષય છે.
મોદીજીઃ- હં.. હં.. તમને ખબર છે કે ઓનલાઇન વૈદિક ગણિતના કલાસ ચાલે છે.
ઉસ્માનઃ- હા સર.
મોદીજીઃ- હં.. કયારેય એનો પ્રયત્ન કર્યો છે ખરો.
ઉસ્માનઃ- ના. સર હજી સુધી નથી કર્યો.
મોદીજીઃ- તમે જુઓ. તમારા ઘણા બધા દોસ્તોને થશે કે, તમે જાદુગર છો. કેમ કે, કમ્પ્યુટરની ઝડપે તમે ગણતરી કરી શકો છો. વૈદિક ગણિતની મદદથી. બહુ સરળ રીતો તેમાં આપેલી છે. અને આજકાલ તો તે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે.
ઉસ્માનઃ- જી સર..
મોદીજીઃ- તમને ગણિતમાં રસ છે. એટલે ઘણીબધી નવીનવી ચીજો પણ તમે આપી શકો છો.
ઉસ્માનઃ- જી સર.
મોદીજીઃ- સારૂં ઉસ્માન તમે ખાલી સમયમાં શું કરો છો.
ઉસ્માનઃ- ખાલી સમયમાં કંઇકને કંઇક લખતો રહું છું હું. મને લેખનમાં બહુ રસ પડે છે.
મોદીજીઃ- અરે વાહ, એનો અર્થ તો તમે ગણિતમાં પણ રસ લો છો. અને સાહિત્યમાં પણ રસ લો છો.
ઉસ્માનઃ- હા સર..
મોદીજીઃ- શું લખો છો. કવિતાઓ લખો છો. શાયરીઓ લખો છો.
ઉસ્માનઃ- કંઇ પણ.. વર્તમાન ઘટનાઓ સાથે સંબંધિત કોઇપણ મુદ્દો હોય તેના પર લખતો રહું છું.
મોદીજીઃ- હં…હં..
ઉસ્માનઃ- નવી-નવી જાણકારી મળતી રહે છે. જેમ કે, જીએસટીનો મુદ્દો, આપણી નોટબંધી. આ બધી બાબતો..
મોદીજીઃ- અરે વાહ, તો તમે કોલેજના અભ્યાસ માટે શું આયોજન કરી રહ્યા છો.
ઉસ્માનઃ- કોલેજનો અભ્યાસ, સર મારી જીમેઇન્સની પહેલી પરિક્ષા કલીયર થઇ ગઇ છે. અને હવે હું સપ્ટેમ્બરમા બીજા પ્રયત્ન માટે બેસીશ. મારો મુખ્ય ધ્યેય છે કે હું પહેલા આઇઆઇટીમાંથી સ્નાતકની ડીગ્રી લઉં અને ત્યારપછી સિવિલ સર્વિસીસમાં જાઉં. અને એક આઇએએસ બનું.
મોદીજીઃ- અરે વાહ, સારૂં તમે ટેકનોલોજીમાં પણ રસ લો છો.
ઉસ્માનઃ- યસ સર. એટલા માટે તો મેં આઇટીનો વિકલ્પ લીધો છે. પહેલીવાર શ્રેષ્ઠ આઇઆઇટીનો.
મોદીજીઃ- ચાલો તો ઉસ્માન મારા તરફથી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. અને તમારો ભાઇ થોડો તોફાની છે. તો તમારો સમય પણ સારો જતો હશે. અને તમારા બા-બાપુજીને પણ મારા તરફથી પ્રણામ કહેજો. તેમણે તમને આ રીતે તક આપી તમારી હિંમત વધારી એ જાણીને મને બહુ સારૂં લાગ્યું કે તમે અભ્યાસની સાથેસાથે વર્તમાન સમસ્યાઓનું પણ અધ્યયન કરો છો. અને લખો પણ છો. જુઓ લખવાનો ફાયદો એ થાય છે કે, તમારા વિચારોમાં શાર્પનેસ આવે છે. લખવાથી બહુ સારો ફાયદો થાય છે. તો મારા તરફથી તમને ખૂબ-ખૂબ ધન્યવાદ.
ઉસ્માનઃ- થેંક્યું સર.
આવો હવે ફરી એકદમ નીચે દક્ષિણમાં જઇએ. તમિલનાડુ, નામાક્કલથી દિકરી કન્નિગા સાથે વાત કરીશું. અને હા, કન્નિગાની વાત તો ખૂબ જ પ્રેરણાદાયક છે.
મોદીજીઃ- કન્નિગાજી. વડક્કમ.
કન્નિગાઃ- વડક્કમ સર.
મોદીજીઃ- કેમ છો.
કન્નિગાઃ- મજામાં સર.
મોદીજીઃ- સૌ પહેલાં તો તમારી મહાન સફળતા માટે તમને ખૂબ-ખૂબ અભિનંદન.
કન્નિગાઃ- થેંક્યુ સર.
મોદીજીઃ- જયારે હું નમક્કલનું નામ સાંભળું છું, તો મને આંજનેય મંદિર યાદ આવે છે.
કન્નિગાઃ- યસ સર.
મોદીજીઃ- હવે હું તમને મારી સાથેની વાતચીત પણ યાદ કરાવીશ.
કન્નિગાઃ- યસ સર.
મોદીજીઃ- એટલી ફરીવાર કોંગ્રેચ્યુલેશન.
કન્નિગાઃ- થેંક્યું સર.
મોદીજીઃ- તમે તમારી પરીક્ષા માટે તો ખૂબ સખત મહેનત કરી હશે નહિં. તમારી તૈયારીનો અનુભવ કેવો હતો.
કન્નિગાઃ- સર. અમે શરૂઆતથી જ સખત મહેનત કરીએ છીએ. આ પરિણામ વિષે મેં આટલી સારી ધારણા નહોતી રાખી. પરંતુ મેં સારૂં લખ્યું હતું. એટલે પરિણામ સારૂં મળ્યું.
મોદીજીઃ- તમે કેટલી અપેક્ષા રાખી હતી.
કન્નિગાઃ- 485 કે 486 આવશે એવું મેં વિચાર્યું હતું.
મોદીજીઃ- અને આવ્યા કેટલા ?
કન્નિગાઃ- 490
મોદીજીઃ- તો તમારા કુટુંબના સભ્યો અને ટીચર્સનો પ્રતિભાવ શું છે ?
કન્નિગાઃ- એ બધા તો ખૂબ ખુશ છે અને એમને ગર્વ પણ છે સર.
મોદીજીઃ- તમારો માનીતો વિષય કયો છે ?
કન્નિગાઃ- મેથેમેટિક્સ, ગણિત.
મોદીજીઃ- ઓહો. અને તમારૂં ભવિષ્યનું આયોજન શું છે ?
કન્નિગાઃ- જો, એએફએમસીમાં પ્રવેશ શક્ય બને તો હું ડોકટર બનવા માંગું છું સર.
મોદીજીઃ- તો તમારા કુટુંબના સભ્યો પણ તબીબી વ્યવસાયમાં છે કે બીજે ક્યાંય.
કન્નિગાઃ- નો સર. મારા પપ્પા ડ્રાઇવર છે, પણ મારી બહેન એમબીબીએસનું ભણે છે.
મોદીજીઃ- અરે વાહ.. સૌપ્રથમ તો હું તમારા પિતાજીને પ્રણામ કરીશ. જે તમારી બહેન અને તમારી ખૂબ સંભાળ લે છે. ખરેખર તેમની સેવા મહાન છે.
કન્નિગાઃ- યસ સર.
મોદીજીઃ- અને, તેઓ બધા માટે પ્રેરણારૂપ છે.
કન્નિગાઃ- હા સર.
મોદીજીઃ- મારા તમને, તમારી બહેનને, તમારા પિતાજીને અને તમારા કુટુંબને ખૂબ ખૂબ અભિનંદન.
કન્નિગાઃ- થેંક્યું સર.
સાથીઓ,
એવા તો અનેક યુવાદોસ્તો છે. મુશ્કેલ પરિસ્થિતીમાં પણ જેમની હિંમતની, જેમની સફળતાની કહાની આપણને પ્રેરિત કરે છે. મને થતું હતું કે, વધુમાં વધુ યુવા સાથીઓ સાથે વાત કરવાની તક મળે, પરંતુ સમયની પણ કેટલીક મર્યાદા હોય છે. હું તમામ યુવાસાથીઓને એ આગ્રહ કરીશ કે, તેઓ પોતાની વાત કે જેનાથી દેશને પ્રેરણા મળી શકે. તે પોતાની આપવીતી આપણા બધા સાથે ચોક્કસ શેર કરે, વહેંચે, જણાવે.
મારા વ્હાલા દેશવાસીઓ,
સાત સમુંદર પાર ભારતથી હજારો માઇલ દૂર એક નાનો એવો દેશ છે. જેનું નામ છે “સુરિનામ”. સુરિનામ સાથે ભારતના ખૂબ જ નિકટના સંબંધો છે. 100થી પણ વધુ વર્ષના સમય પહેલાં ભારતથી લોકો ત્યાં ગયા. અને તેને જ પોતાનું ઘર બનાવી લીધું. આજે એમની ચોથી-પાંચમી પેઢી ત્યાં વસે છે. અને સુરિનામમાં ચોથા ભાગનાથી પણ વધુ લોકો ભારતીય મૂળના છે. શું તમે જાણો છો, ત્યાંની સામાન્ય ભાષાઓમાંથી એક “સરનામિ” પણ “ભોજપુરી”ની જ એક બોલી છે. આ સાંસ્કૃતિક સંબંધોને લઇને આપણે ભારતીય ખૂબ ગર્વનો અનુભવ કરીએ છીએ.
તાજેતરમાં જ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી સુરિનામના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ ભારતના મિત્ર છે. અને વર્ષ 2018માં આયોજીત Person of Indian Origin (PIO) Parliamentary conference – એટલે કે ભારતીય મૂળના રાજનૈતિકો માટેના સંમેલનમાં પણ ભાગ લીધો હતો. શ્રી ચંદ્રિકા પ્રસાદ સંતોખીજીએ શપથની શરૂઆત વેદમંત્રો સાથે કરી હતી. તેઓ સંસ્કૃતમાં બોલ્યા હતા. તેમણે વેદોનો ઉલ્લેખ કર્યો અને ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ની સાથે પોતાના શપથ પૂરા કર્યા હતા. પોતાના હાથમાં વેદ લઇને તેઓ બોલ્યા હતા, હું ચંદ્રિકા પ્રસાદ સંતોખી અને આગળ તેમણે શપથમાં શું કહ્યું ? તેમણે વેદના જ એક મંત્રનું ઉચ્ચારણ કર્યું. તેમણે કહ્યું,
ॐ अग्ने व्रतपते व्रतं चरिष्यामि तच्छकेयम तन्मे राध्यताम |
इदमहमनृतात सत्यमुपैमि ||
અર્થાત્ હે અગ્નિ, સંકલ્પના દેવતા હું એક પ્રતિજ્ઞા કરી રહ્યો છું, મને તેના માટે શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરો. મને અસત્યથી દૂર રહેવા અને સત્યની તરફ જવાના આશીર્વાદ આપો. ખરેખર આ આપણા બધા માટે ગૌરવની બાબત છે.
હું શ્રી ચંદ્રિકા પ્રસાદ સંતોખીને અભિનંદન આપું છું અને પોતાના રાષ્ટ્રની સેવા કરવા માટે 130 કરોડ ભારતીયો તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવું છું.
મારા વ્હાલા દેશવાસીઓ,
અત્યારે વરસાદની ઋતુ પણ છે. ગયે વખતે પણ મે આપને કહ્યું હતું કે, વરસાદમાં ગંદકી અને તેનાથી થતી બીમારીઓનું જોખમ વધી જાય છે. દવાખાનાઓમાં ભીડ પણ વધી જાય છે. એટલે આપ સૌ સાફસફાઇ ઉપર ઘણું વધારે ધ્યાન આપો. રોગપ્રતિકારક શક્તિ વધારનારી ચીજો આયુર્વેદિક ઉકાળો વગેરે લેતા રહો. કોરોના સંક્રમણના સમયમાં આપણે બીજી બીમારીઓથી પણ દૂર રહીએ. જેથી આપણને દવાખાનાના ધક્કા ન ખાવા પડે. તેનો પણ પૂરો ખ્યાલ રાખવો પડશે.
સાથીઓ,
વરસાદની આ ઋતુમાં દેશનો એક મોટો ભાગ પૂરનો પણ સામનો કરી રહ્યો છે. બિહાર, આસામ જેવા રાજયોના કેટલાય વિસ્તારોમાં તો પૂરે બહુ મોટી મુશ્કેલી ઉભી કરેલ છે. એટલે કે, એક તરફ કોરોના છે, તો બીજી તરફ આ વધુ એક પડકાર છે. એ સ્થિતિમાં બધી સરકારો, એનડીઆરએફની ટીમો, રાજયની આફત નિયંત્રણ ટીમો, સેવાભાવી સંસ્થાઓ, બધા એકસાથે મળીને લાગેલા છે. દરેક રીતે બચાવ અને રાહતના કામ કરી રહ્યા છે. આ આફતથી અસરગ્રસ્ત તમામ લોકો સાથે સમગ્ર દેશ ઉભો છે.
સાથીઓ,
આવતી વખતે જયારે આપણે મન કી બાતમાં મળીશું . તેના પહેલા જ 15મી ઓગષ્ટ પણ આવી રહી છે. આ વખતે 15મી ઓગષ્ટ પણ જુદી જ પરિસ્થિતીમાં હશે – કોરોના મહામારીની આફતની વચ્ચે જ હશે. સૌ યુવાનોને બધા દેશવાસીઓને મારો અનુરોધ છે કે, આપણે સ્વતંત્રતા દિવસે મહામારીથી આઝાદીનો સંકલ્પ લઇએ. પોતાના કર્તવ્યોનું પાલન કરવાનો સંકલ્પ લઇએ. આપણો દેશ આજે જે ઉંચાઇ પર છે. તે કેટલીયે એવી મહાન વિભૂતિઓની તપસ્યાના કારણે છે. જેમણે રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આવી જ મહાન વિભૂતિઓમાંના એક છે લોકમાન્ય તિલક. 1લી ઓગષ્ટ 2020ના રોજ લોકમાન્ય તિલકજીની 100મી પુણ્યતિથિ છે. લોકમાન્ય તિલકજીનું જીવન આપણા બધા માટે બહુ મોટી પ્રેરણા છે. આપણને બધાને તે ઘણું બધું શીખવે છે.
આવતી વખતે જયારે આપણે મળીશું તો, ફરી ઘણી વાતો કરીશું. મળીને કંઇક નવું શીખીશું. અને બધાની સાથે વહેંચીશું. આપ સૌ પોતાનું ધ્યાન રાખજો. પોતાના પરિવારનું ધ્યાન રાખજો. અને સ્વસ્થ રહેજો. બધા દેશવાસીઓને આવનારા તમામ પર્વોની ખૂબ–ખૂબ શુભેચ્છાઓ.
ખૂબ–ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
‘મન કી બાત’એ વર્ષ ૨૦૨૦માં પોતાની અડધી મુસાફરી પૂરી કરી લીધી છે. આ દરમિયાન આપણે અનેક વિષયો પર વાત કરી. સ્વાભાવિક છે કે જે વૈશ્વિક રોગચાળો આવ્યો, માનવ જાતિ પર જે સંકટ આવ્યું, તેના પર, આપણી વાતચીત કંઈક વધુ જ રહી, પરંતુ આજકાલ હું જોઈ રહ્યો છું, લોકોમાં સતત એક વિષય પર ચર્ચા થઈ રહી છે કે છેવટે આ વર્ષ ક્યારે પૂરું થશે? કોઈ બીજાને ફૉન કરી રહ્યું છે તો વાતચીત આ વિષયથી જ શરૂ થઈ રહી છે કે આ વર્ષ ઝડપથી કેમ નથી વિતી રહ્યું. કોઈ લખી રહ્યું છે, મિત્રો સાથે વાત કરી રહ્યું છે, કહી રહ્યું છે કે આ વર્ષ સારું નથી, કોઈ કહી રહ્યું છે કે ૨૦૨૦ શુભ નથી. બસ, લોકો એમ જ ઈચ્છે છે કે કોઈ પણ રીતે આ વર્ષ જલદી-જલદી વિતી જાય.
સાથીઓ,
ક્યારેક ક્યારેક હું વિચારું છું કે આવું કેમ થઈ રહ્યું છે, બની શકે કે આવી વાતચીતનાં કંઈક કારણ પણ હોય. ૬-૭ મહિના પહેલાં, આપણે ક્યાં જાણતા હતા કે કોરોના જેવું સંકટ આવશે અને તેના વિરુદ્ધ આ લડાઈ આટલી લાંબી ચાલશે. આ સંકટ તો હજુ ચાલુ જ છે, ઉપરથી દેશ પર નવા-નવા પડકારો આવી રહ્યા છે. હજુ કેટલાક દિવસ પહેલાં પૂર્વ ભારતમાં અમ્ફાન વાવાઝોડું આવ્યું તો પશ્ચિમી ભારતમાં નિસર્ગ વાવાઝોડું આવ્યું. અનેક રાજ્યોમાં આપણા ખેડૂત ભાઈ-બહેનો તીડ ટુકડીઓના આક્રમણથી પરેશાન છે અને એટલું પૂરતું ન હોય તેમ દેશના અનેક હિસ્સાઓમાં નાના-નાના ભૂકંપ અટકવાનું નામ નથી લઈ રહ્યા અને આબધાંની વચ્ચે આપણા કેટલાક પડોશીઓ દ્વારા જે થઈ રહ્યું છે, દેશ તે પડકારોનો પણ સામનો કરી રહ્યો છે. ખરેખર, એક સાથે આટલી આપત્તિઓ, આ સ્તરની આપત્તિઓ બહુ ભાગ્યે જ જોવા-સાંભળવા મળે છે. સ્થિતિ તો એ થઈ ગઈ છે કે કોઈ નાની-નાની ઘટના પણ થાય છે તો લોકો તેને પડકારો સાથે જોડીને જુએ છે.
સાથીઓ,
મુશ્કેલીઓ આવે છે, સંકટો આવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ આપત્તિઓના કારણે આપણે વર્ષ ૨૦૨૦ને ખરાબ માની લેવું જોઈએ? શું પહેલાંના છ મહિના જેવા વિત્યા, તેના કારણે એમ માની લેવું કે આખું વર્ષ આવું જ છે, આવું વિચારવું શું યોગ્ય છે? જી નહીં. મારા પ્રિય દેશવાસીઓ- બિલકુલ નહીં. એક વર્ષમાં એક પડકાર આવે કે પચાસ પડકારો આવે, સંખ્યા ઓછી-વત્તી હોવાથી, તે વર્ષ ખરાબ નથી થઈ જતું. ભારતનો ઇતિહાસ જ આપત્તિઓ અને પડકારો પર જીત પ્રાપ્ત કરીને અને વધુ નિખરીને નીકળવાનો રહ્યો છે. સેંકડો વર્ષો સુધી અલગ-અલગ આક્રાંતાઓએ ભારત પર હુમલાઓ કર્યા, તેને સંકટોમાં નાખ્યું, લોકોને લાગતું હતું કે ભારતની સંરચના જ નષ્ટ થઈ જશે, ભારતની સંસ્કૃતિ જ સમાપ્ત થઈ જશે, પરંતુ આ સંકટોમાંથી ભારત વધુ ભવ્ય થઈને બહાર આવ્યું.
સાથીઓ,
આપણે ત્યાં કહેવાય છે – સૃજન શાશ્વત છે, સૃજન નિરંતર છે.
મને એક ગીતની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે-
યહ કલ-કલ છલ-છલ બહતી ક્યા કહતી ગંગા ધારા?
યુગ યુગ સે બહતા આતા, યહ પુણ્ય પ્રવાહ હમારા.
આ જ ગીતમાં આગળ આવે છે-
ક્યા ઉસકો રોક સકેંગે, મિટનેવાલે મિટ જાયેં,
કંકડ પથ્થર કી હસ્તી, ક્યા બાધા બનકર આયે.
ભારતમાં પણ, જ્યાં એક તરફ મોટાં-મોટાં સંકટો આવતાં ગયાં, ત્યાં બધી બાધાઓને દૂર કરીને અનેકો અનેક સૃજન પણ થયાં. નવાં સાહિત્ય રચાયાં, નવાં સંશોધનો થયાં, નવા સિદ્ધાંતો જોડવામાં આવ્યા, અર્થાત્ સંકટ દરમિયાન પણ, દરેક ક્ષેત્રમાં સૃજનની પ્રક્રિયા ચાલુ રહી અને આપણી સંસ્કૃતિ પુષ્પિત-પલ્લવિત થતી રહી, દેશ આગળ વધતો જ રહ્યો. ભારતે હંમેશાં સંકટોને, સફળતાની સીડીઓમાં પરિવર્તિત કર્યાં છે. આ ભાવના સાથે, આપણે આજ પણ, આ બધાં સંકટો વચ્ચે આગળ વધતા જ રહેવાનું છે. તમે પણ આ વિચારથી આગળ વધશો, ૧૩૦ કરોડ દેશવાસીઓ આગળ વધશે તો આ વર્ષ દેશ માટે નવો વિક્રમ બનાવનારું વર્ષ સાબિત થશે. આ વર્ષમાં, દેશ નવાં લક્ષ્યો પ્રાપ્ત કરશે, નવી ઉડાન ભરશે, નવી ઊંચાઈઓને સ્પર્શશે. મને પૂરો વિશ્વાસ ૧૩૦ કરોડ દેશવાસીઓની શક્તિ પર છે, તમારા સહુ પર છે, આ દેશની મહાન પરંપરા પર છે.
મારા પ્રિય દેશવાસીઓ,
સંકટ ગમે તેટલું મોટું ભલે હોય, ભારતના સંસ્કાર, નિઃસ્વાર્થ ભાવથી સેવા કરવાની પ્રેરણા આપે છે. ભારતે જે રીતે મુશ્કેલ સમયમાં દુનિયાની મદદ કરી, તેણે આજે, શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત કરી છે. દુનિયાએ આ દરમિયાન ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને પણ અનુભવી છે અને તેની સાથે જ, દુનિયાએ પોતાની સંપ્રભુતા અને સીમાઓની રક્ષા કરવા માટે ભારતની તાકાત અને ભારતની પ્રતિબદ્ધતાને પણ જોયાં છે. લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોનારાઓને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવે છે તો આંખમાં આંખ નાખીને
જોવાનું અને ઉચિત જવાબ દેવાનું પણ જાણે છે. આપણા વીર સૈનિકોએ દેખાડી દીધું છે કે તેઓ ક્યારેય મા ભારતીના ગૌરવ પર આંચ નહીં આવવા દે.
સાથીઓ,
લદ્દાખમાં આપણા જે વીર જવાન શહીદ થયા છે, તેમના શૌર્યને સમગ્ર દેશ નમન કરી રહ્યો છે, શ્રદ્ધાંજલિ દઈ રહ્યો છે. સમગ્ર દેશ તેમનો કૃતજ્ઞ છે, તેમની સામે નત મસ્તક છે. આ સાથીઓના પરિવારોની જેમ જ દરેક ભારતીય તેમને ગુમાવવાની પીડા અનુભવી રહ્યો છે. પોતાના વીર સપૂતોના બલિદાન પર તેમના સ્વજનોમાં ગર્વની જે ભાવના છે, દેશ માટે જે લાગણી છે, તે જ તો દેશની તાકાત છે. તમે જોયું હશે, જેમના સપૂતો શહીદ થયા તે માતાપિતા પોતાના બીજા સપૂતોને પણ, ઘરનાં બીજાં બાળકોને પણ સેનામાં મોકલવાની વાત કરી રહ્યા છે. બિહારના નિવાસી શહીદ કુંદનકુમારના પિતાજીના શબ્દો તો કાનમાં ગૂંજી રહ્યા છે. તેઓ કહી રહ્યા હતા, તેમના પૌત્રોને પણ દેશની રક્ષા માટે સેનામાં મોકલશે. આ જ ભાવના દરેક શહીદ પરિવારની છે વાસ્તવમાં, આ સ્વજનોનો ત્યાગ પૂજનીય છે. ભારતમાતાની રક્ષા માટે જે સંકલ્પથી આપણા જવાનોએ બલિદાન આપ્યું છે, તે સંકલ્પને આપણે પણ જીવનનું ધ્યેય બનાવવાનું છે, દરેક દેશવાસીને બનાવવાનું છે. આપણો દરેક પ્રયાસ આ દિશામાં હોવો જોઈએ, જેનાથી સીમાઓની રક્ષા માટે દેશની તાકાત વધે, દેશ વધુ સક્ષમ બને, દેશ આત્મનિર્ભર બને- આ આપણી શહીદોને સાચી શ્રદ્ધાંજલી હશે. મને, આસામથી રજનીજીએ લખ્યું છે, તેમણે પૂર્વીય લદ્દાખમાં જે કંઈ થયું તે જોયા પછી, એક પ્રણ લીધું છે- પ્રતિજ્ઞા એ કે તેઓ સ્થાનિક (લૉકલ) જ ખરીદશે, એટલું જ નહીં લૉકલ માટે તે વૉકલ પણ થશે. આવા સંદેશ મને દેશના દરેક ખૂણામાંથી આવી રહ્યા છે. ઘણા બધા લોકો મને પત્ર લખી જણાવી રહ્યા છે કે તેઓ આ દિશામાં આગળ વધી ગયા છે.આ જ રીતે, તમિલનાડુના મદુરાઈથી મોહન રામમૂર્તિજીએ લખ્યું છે કે તે ભારતને સંરક્ષણના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનતું જોવા માગે છે.
સાથીઓ,
સ્વતંત્રતા પહેલાં આપણો દેશ સંરક્ષણના ક્ષેત્રમાં દુનિયાના અનેક દેશોથી આગળ હતો આપણે ત્યાં અનેક ઑર્ડિનન્સ ફૅક્ટરીઓ હતી. તે સમયે અનેક દેશ, જે આપણાથી ઘણા પાછળ હતા, તેઓ આજે આપણાથી આગળ છે. સ્વતંત્રતા પછી સંરક્ષણ ક્ષેત્રમાં આપણે જે પ્રયાસ કરવા જોઈતા હતા, આપણે આપણા જૂના અનુભવોનો જે લાભ ઉઠાવવો જોઈતો હતો, આપણે તે લાભ ઉઠાવી શક્યા નહીં. પરંતુ આજે સંરક્ષણ ક્ષેત્રમાં, ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં ભારત આગળ વધવાનો નિરંતર પ્રયાસ કરી રહ્યું છે, ભારત આત્મનિર્ભરતાની તરફ ડગ ભરી રહ્યું છે.
સાથીઓ,
કોઈ પણ મિશન લોકોની સહભાગિતા-જનભાગીદારી વગર પૂરું ન થઈ શકે, સફળ ન થઈ શકે. આથી, આત્મનિર્ભર ભારતની દિશામાં, એક નાગરિક તરીકે આપણો બધાનો સંકલ્પ, સમર્પણ અને સહયોગ ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય છે. તમે લૉકલ ખરીદશો, લૉકલ માટે વૉકલ બનશો તો સમજજો, તમે દેશને મજબૂત કરવામાં તમારી ભૂમિકા નિભાવી રહ્યા છો. આ પણ એક રીતે દેશની સેવા જ છે. તમે કોઈ પણ વ્યવસાયમાં હો, દરેક જગ્યાએ, દેશ સેવાનો બહુ મોટો અવકાશ હોય જ છે. દેશની આવશ્યકતાને સમજીને, જે પણ કાર્ય કરીએ છીએ તે દેશની સેવા જ હોય છે. તમારી આ સેવા, દેશને ક્યાંક ને ક્યાક મજબૂત પણ કરે છે અને આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણો દેશ જેટલો મજબૂત થશે, દુનિયામાં શાંતિની સંભાવના પણ એટલી જ મજબૂત થશે. આપણે ત્યાં કહેવાય છે-
વિદ્યા વિવાદાય ધનં મદાય, શક્તિ: પરેષાં પરિપીડનાય ।
ખલસ્ય સાધો: વિપરીતમ્ એતત્ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય ।।
અર્થાત્ જે સ્વભાવથી જ દુષ્ટ છે તે વિદ્યાનો પ્રયોગ વ્યક્તિ વિવાદમાં, ધનનો પ્રયોગ ઘમંડમાં, અને તાકાતનો ઉપયોગ બીજાને તકલીફ આપવામાં કરે છે. પરંતુ સજ્જનની વિદ્યા જ્ઞાન માટે, ધન મદદ માટે અને તાકાત રક્ષા કરવામાં ઉપયોગમાં લેવાય છે. ભારતે પોતાની તાકાતનો હંમેશાં આ ભાવનાથી જ ઉપયોગ કર્યો છે. ભારતનો સંકલ્પ છે – ભારતના સ્વાભિમાન અને સંપ્રભુતાની રક્ષા. ભારતનું લક્ષ્ય છે- આત્મનિર્ભર ભારત. ભારતની પરંપરા છે- ભરોસો, મિત્રતા. ભારતનો ભાવ છે- બંધુતા. આપણે આ જ આદર્શો સાથે આગળ વધતા રહીશું.
મારા પ્રિય દેશવાસીઓ,
કોરોનાના સંકટ કાળમાં દેશ લૉકડાઉનમાંથી બહાર નીકળી ગયો છે. હવે આપણે અનલૉકના તબક્કામાં છીએ અનલૉકના આ સમયમાં, બે વાતો પર ખૂબ જ ધ્યાન આપવાનું છે- કોરોનાને હરાવવો અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવી, તેને તાકાત આપવી. સાથીઓ, લૉકડાઉનથી વધુ સતર્કતા આપણે અનલૉક દરમિયાન રાખવાની છે. તમારી સતર્કતા તમને કોરોનાથી બચાવશે. એ વાતને હંમેશાં યાદ રાખજો કે જો તમે માસ્ક નહીં પહેરો, બે ગજના અંતરનું પાલન નહીં કરો કે પછી બીજી જરૂરી સાવધાનીઓ નહીં રાખો તો તમે તમારી સાથોસાથ બીજાને પણ જોખમમાં મૂકી રહ્યા છો. ખાસ કરીને, ઘરનાં બાળકો અને વડીલોને, આથી, બધાં દેશવાસીઓને મારું નિવેદન છે અને આ નિવેદન હું વારંવાર કરું છું અને મારું નિવેદન છે કે તમે અસાવધાની ન રાખતા, તમારી પણ કાળજી રાખજો અને બીજાની પણ.
સાથીઓ,
અનલૉકના તબક્કામાં ઘણી બધી એવી ચીજો પણ અનલૉક થઈ રહી છે જેમાં ભારત દાયકાઓથી બંધાયેલું હતું. વર્ષોથી આપણું ખાણકામ ક્ષેત્ર લૉકડાઉનમાં હતું. વ્યાવસાયિક હરાજીને અનુમતિ દેવાના એક નિર્ણયે સ્થિતિને પૂરી રીતે બદલી નાખી છે. કેટલાક દિવસો પહેલાં અંતરિક્ષ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યા. આ સુધારાઓ દ્વારા વર્ષોથી લૉકડાઉનમાં જકડાયેલા આ ક્ષેત્રને સ્વતંત્રતા મળી. આનાથી આત્મનિર્ભર ભારતના અભિયાનને ન માત્ર ગતિ મળશે, પરંતુ દેશ ટૅક્નૉલૉજીમાં પણ આધુનિક બનશે. આપણા કૃષિ ક્ષેત્રને જોઈએ તો, આ ક્ષેત્રમાં પણ ઘણી બધી ચીજો દાયકાઓથી લૉકડાઉનમાં ફસાયેલી હતી. આ ક્ષેત્રને પણ હવે અનલૉક કરી નાખવામાં આવ્યું છે. તેનાથી જ્યાં એક તરફ ખેડૂતોને પોતાનો પાક, ક્યાંય પણ, કોઈને પણ વેચવાની સ્વતંત્રતા મળી છે, તો બીજી તરફ, તેમને અધિક ધિરાણ મળવાનું પણ સુનિશ્ચિત થયું છે. આવાં અનેક ક્ષેત્રો છે જ્યાં આપણો દેશઆ બધાં સંકટોની વચ્ચે ઐતિહાસિક નિર્ણય લઈને વિકાસના નવા માર્ગો ખોલી રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ,
દર મહિને આપણે એવા સમાચાર વાંચીએ અને જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે. તે આપણને એ વાતનું સ્મરણ કરાવે છે કે દરેક ભારતીય કઈ રીતે એકબીજાની મદદ માટે તત્પર છે, તે જે કંઈ પણ કરી શકે છે તે કરવામાં લાગેલો છે.
અરુણાચલ પ્રદેશની આવી જ એક પ્રેરક વાત મને માધ્યમોમાં વાંચવા મળી. અહીં સિયાંગજિલ્લાના મિરેમ ગામે એક અનોખું કાર્ય કરી બતાવ્યું જે સમગ્ર ભારત માટે, એક ઉદાહરણ બની ગયું છે. આ ગામના અનેક લોકો બહાર રહીને નોકરી કરે છે. ગામના લોકોએ જોયું છે કે કોરોના મહામારી સમયે તે બધાં, પોતાના ગામમાં પાછા ફરી રહ્યા છે. આવામાં, ગામના લોકોએ પહેલેથી ગામની બહાર ક્વૉરન્ટાઇનની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો. તેમણે પરસ્પર મળીને, ગામથી થોડે જ દૂર ૧૪ અસ્થાયી ઝૂંપડીઓ બનાવી અને એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યારે ગામના લોકો પાછા ફરશે તો તેમને આ ઝૂંપડીઓમાં કેટલાક દિવસ ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવશે. આ ઝૂંપડીમાં શૌચાલય, વીજળી-પાણી સહિત દૈનિક જરૂરિયાતની દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. જાહેર છે કે મિરેમ ગામના લોકોના આ સામૂહિક પ્રયાસ અને જાગૃતિએ બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું.
સાથીઓ,
આપણે ત્યાં કહેવાય છે-
સ્વભાવં ન જહાતિ એવ સાધુઃ આપદ્રતોપી સન ।
કર્પૂર: પાવક સ્પૃષ્ટ: સૌરભં લભતેતરામ ।।
અર્થાત જે રીતે કપૂર આગમાં તપવા છતાં પોતાની સુગંધ નથી છોડતો તે જ રીતે સારા લોકો આપત્તિમાં પણપોતાના ગુણ, પોતાનો સ્વભાવ છોડતા નથી. આજે આપણા દેશની જે શ્રમશક્તિ છે, જે શ્રમિક સાથી છે, તે પણ તેનું જીવતુંજાગતું ઉદાહરણ છે. તમે જુઓ, આ દિવસોમાં આપણા પ્રવાસી શ્રમિકોની એવી અનેક કથાઓ આવે છે જે સમગ્ર દેશને પ્રેરણા આપી રહી છે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ગામડે પાછા ફરેલા મજૂરોએ કલ્યાણીનદીનું પ્રાકૃતિક સ્વરૂપ પાછું લાવવા મટે કામ શરૂ કરી દીધું. નદીનો ઉદ્ધાર થતો જોઈને, આસપાસના ખેડૂતો, આસપાસના લોકો પણ ઉત્સાહિત છે. ગામમાં આવ્યા પછી, ક્વૉરન્ટાઇન સેન્ટરમાં રહીને, આઇસૉલેશન સેન્ટરમાં રહીને, આપણા શ્રમિક સાથીઓએ જે રીતે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરીને પોતાની આસપાસની સ્થિતિઓનેબદલી છે, તે અદભૂત છે. પરંતુ સાથીઓ, આવા તો અનેક કિસ્સા-કથાઓ દેશનાં લાખો ગામની છે, જે આપણા સુધી પહોંચી શકી નથી.
જેવો આપણા દેશનો સ્વભાવ છે, મને વિશ્વાસ છે, સાથીઓ કે, આપણા ગામમાં પણ, આપણી આસપાસ પણ આવી અનેક ઘટનાઓ બની હશે. જો તમારા ધ્યાનમાં આવી વાત આવી હોય તો તમે આવી પ્રેરક ઘટના મને જરૂર લખી મોકલજો. સંકટના આ સમયમાં પણ, આ સકારાત્મક ઘટનાઓ, આવી કથાઓ બીજા લોકોને પણ પ્રેરણા આપશે.
મારા પ્રિય દેશવાસીઓ,
કોરોના વાઇરસે નિશ્ચિત રીતે આપણા જીવન જીવવાની રીતમાં પરિવર્તન લાવી દીધું છે. હું લંડનથી પ્રકાશિત ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં એક ખૂબ જ રસપ્રદ લેખ વાંચી રહ્યો હતો. તેમાં લખેલું હતું કે કોરોના કાળ દરમિયાન આદુ, હળદર સહિત બીજા મસાલાની માગ, એશિયા ઉપરાંત અમેરિકામાં પણ વધી ગઈ છે. સમગ્ર દુનિયાનું ધ્યાન આ સમયે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર છે અને રોગપ્રતિકારક શક્તિ વધારનારી આ ચીજોનો સંબંધ આપણા દેશ સાથે છે. આપણે તેની ખાસિયત વિશ્વના લોકોને એવી સહજ અને સરળ ભાષામાં બતાવવી જોઈએ જેનાતી તેઓ સરળતાથી સમજી શકે અને આપણે એક તંદુરસ્ત ગ્રહ બનાવવામાં આપણું યોગદાન આપી શકીએ.
મારા પ્રિય દેશવાસીઓ,
કોરોના જેવું સંકટ ન આવ્યું હોત તો કદાચ જીવન શું છે, જીવન શા માટે છે, જીવન કેવું છે, આપણને કદાચ આ યાદ જ ન આવ્યું હોત. અનેક લોકો આ કારણથી માનસિક તણાવમાં જીવતા રહ્યા છે. તો બીજી તરફ, લોકોએ મને એ પણ જણાવ્યું છે કે તેમણે લૉકડાઉન દરમિયાન આનંદનાં નાના-નાનાં પાસાં પણ જીવનમાં ફરીથી શોધ્યાં છે. અનેક લોકોએ મને પારંપરિક ઘરની અંદર રમાતી રમતો અને આખા પરિવાર સાથે તેનો આનંદ લેવાનો અનુભવ મોકલ્યો છે.
સાથીઓ,
આપણા દેશમાં પારંપરિક રમતોનો બહુ સમૃદ્ધ વારસો છે. જેમ કે, તમે એક રમતનું નામ સાંભળ્યું હશે- પચીસી. આ રમત તમિલનાડુમાં ‘પલ્લાન્ગુલી’, કર્ણાટકમાં ‘અલિ ગુલી મણે’ અને આંધ્ર પ્રદેશમાં ‘વામન ગુંટલૂ’ નામથી રમાય છે. તે એક પ્રકારની સ્ટ્રેટેજી રમત છે જેમાં એક બૉર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અનેક ખાંચા હોય છે જેમાં હાજર ગોળી કે બીજને ખેલાડીઓએ પકડવાની હોય છે. કહેવાય છે કે આ રમત દક્ષિણ ભારતથી દક્ષિણ પૂર્વ એશિયા અને પછી દુનિયામાં ફેલાયેલી છે.
સાથીઓ,
આજે દરેક બાળક સાપ-સીડીની રમત વિશે જાણે છે, પરંતુ શું તમને ખબર છે કે આ પણ એક ભારતીય પારંપરિક રમતનું જ રૂપ છે જેને મોક્ષ પાટમ અથવા પરમપદમ્ કહેવાય છે. આપણે ત્યાં એક બીજી પારંપરિક રમત રહી છે- ગુટ્ટા (પાંચીકા). મોટા પણ પાંચીકા રમે છે અને બાળકો પણ. બસ, એક જ કદના પાંચ નાના-નાના પથ્થર ઉઠાવો અને જ્યાં સુધી તે પથ્થર હવામાં હોય, તમારે જમીન પર રહેલા બાકીના પથ્થર ઉઠાવવાના હોય છે. સામાન્ય રીતે, આપણે ત્યાં ઘરની અંદરની રમતોમાં કોઈ મોટાં સાધનોની જરૂર પડતી નથી. કોઈ એક ચોક કે પથ્થર લઈ આવે છે તેનાતી જમીન પર જ કંઈક રેખા દોરે છે અને પછી રમત શરૂ થઈ જાય છે. જે રમતોમાં પાસાંની જરૂર પડે છે, કોડીઓ કે આંબલીનાં બીજથી પણ કામ ચાલી જાય છે.
સાથીઓ,
મને ખબર છે, આજે જ્યારે હું આ વાત કરી રહ્યો છું, તો અનેક લોકો પોતાના બાળપણમાં સરી ગયા હશે, અનેકોને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા હશે. હું એમ કહીશ કે તે દિવસોને તમે ભૂલ્યા કેમ? તે રમતોને તમે ભૂલ્યા કેમ? મારો ઘરનાં નાના-નાની, દાદા-દાદી, ઘરના વડીલોને આગ્રહ છે કે નવી પેઢીમાં આ રમતો જો તમે ટ્રાન્સ્ફર નહીં કરો તો કોણ કરશે? જ્યારે ઑનલાઇન ભણતરની વાત આવી રહી છે તો સંતુલન બનાવવા માટે ઑનલાઇન રમતોથી મુક્તિ પામવા માટે પણ આપણે આવું કરવું જ પડશે. આપણી યુવા પેઢીઓ માટે પણ, આપણા સ્ટાર્ટ અપ માટે પણ, અહીં, એક નવો અવસર છે અને મજબૂત અવસર છે. આપણે ભારતની પારંપરિક ઘર બેઠાં રમાતી રમતોને નવી અને આકર્ષક રીતે પ્રસ્તુત કરીએ. તેની સાથે જોડાયેલી ચીજોને ભેગી કરનારા, સપ્લાય કરનારા, સ્ટાર્ટ અપ ઘણા લોકપ્રિય થઈ જશે અને આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણી ભારતીય રમતો પણ લૉકલ છે અને આપણે લૉકલ માટે વૉકલ થવાનું પ્રણ પહેલાં જ લઈ ચૂક્યા છે અને મારા બાળ-સખા મિત્રો, દરેક ઘરનાં બાળકોને, મારા નાના સાથીઓને પણ આજે હું એક વિશેષ અનુરોધ કરું છું. બાળકો, તમે મારો અનુરોધ માનશો ને? જુઓ, મારો આગ્રહ છે કે હું જે કહું છું, તમે જરૂર કરો. એક કામ કરો- જ્યારે થોડો સમય મળે તો માતાપિતાને પૂછીને, મોબાઇલ ઉઠાવો અને તમારાં દાદા-દાદી, નાના-નાની કે ઘરમાં જે પણ વડીલ છે તેનો ઇન્ટરવ્યૂ રેકૉર્ડ કરજો, તમારા મોબાઇલ ફૉનમાં પણ રેકૉર્ડ કરો. જે રીતે તમે ટીવી પર જોયું હશે, પત્રકાર કેવી રીતે ઇન્ટરવ્યૂ કરે છે, બસ, એવો જ ઇન્ટરવ્યૂ તમે કરો અને તમે તેમને પ્રશ્ન શું પૂછશો? હું તમને સૂચન કરું છું. તમે તેમને જરૂર પૂછો કે તેઓ, બાળપણમાં તેમની રહેણીકરણી કેવી હતી, તેઓ કઈ રમતો રમતાં હતાં. ક્યારેય નાટક જોવા જતાં હતાં, સિનેમા જોવા જતાં હતાં, ક્યારેક રજાઓમાં મામાના ઘરે જતાં હતાં, ક્યારેક ખેતરમાં જતાં હતાં, તહેવાર કેવી રીતે મનાવતા હતા, અનેક વાતો તમે તેમને
પૂછી શકો છો, તેમને પણ ૪૦-૫૦ વર્ષ ૬૦ વર્ષ જૂની તેમની જિંદગીમાં જવું, ઘણું આનંદ આપશે અને તમારા માટે પણ ૪૦-૫૦ વર્ષ પહેલાં હિન્દુસ્તાન કેવું હતું, તમે જ્યાં રહો છો તે વિસ્તાર કેવો હતો, ત્યાં પરિસર કેવું હતું, લોકોના રીતરિવાજો કેવા હતા- બધી ચીજો, ઘણી સરળતાથી તમને શીખવા મળશે, જાણવા મળશે અને તમે જોજો, તમને ઘણી મજા આવસે અને પરિવાર માટે પણ એક ઘણા જ અમૂલ્ય ખજાનો, એક સારું વિડિયો આલ્બમ પણ બની જશે.
સાથીઓ,
એ સત્ય છે કે આત્મકથા કે જીવની, ઑટોબાયોગ્રાફી અથવા બાયૉગ્રાફી ઇતિહાસની સચ્ચાઈની નિકટ આવવા માટે ઘણું ઉપયોગી માધ્યમ હોય છે. તમે પણ તમારા વડીલો-વૃદ્ધો સાથે વાત કરશો તો તેમના સમયની વાતોને તેમના બાળપણ, તેમના યુવાકાળની વાતોને વધુ સરળતાથી સમજી શકશો. આ વધુ સારી તક છે કે વૃદ્ધો પણ પોતાના બાળપણ વિશે, તેમના જમાના વિશે, પોતાનાં ઘરનાં બાળકોને જણાવે.
સાથીઓ,
દેશના એક મોટા હિસ્સામાં હવે ચોમાસું પહોંચી ચૂક્યું છે. આ વખતે વરસાદ વિશે મૌસમ વૈજ્ઞાનિકો પણ ખૂબ જ ઉત્સાહિત છે, ખૂબ અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. વરસાદ સારો થશે તો આપણા ખેડૂતોનો પાક સારો થશે, વાતાવરણ પણ હર્યુંભર્યું થશે. વરસાદની ઋતુમાં પ્રકૃતિ પણ જાણે પોતાને નવપલ્લવિત કરી લે છે. માનવ, પ્રાકૃતિક સંસાધનોનું જેટલું દોહન કરે છે, પ્રકૃતિ એક રીતે, વરસાદના સમયે તેની ભરપાઈ કરે છે, રિફિલિંગ કરે છે. પરંતુ આ રિફિલિંગ પણ ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણે પણ તેમાં આપણી ધરતીમાનો સાથ આપીએ, આપણી જવાબદારી નિભાવીએ. આપણા દ્વારા કરવામાં આવેલો થોડો પણ પ્રયાસ, પ્રકૃતિને, પર્યાવરણને બહુ મદદ કરે છે. આપણા અનેક દેશવાસીઓ તો તેમાં ઘણું મોટું કામ કરી રહ્યા છે.
કર્ણાટકના મંડાવલીમાં એક ૮૦-૮૫ વર્ષના વૃદ્ધ છે કામેગોવડા. કામેગોવડાજી એક સાધારણ ખેડૂત છે. પરંતુ તેમનું વ્યક્તિત્વ બહુ અસાધારણ છે. તેમણે એક એવું કામ કર્યું છે કે કોઈ પણ આશ્ચર્યમાં પડી જશે. ૮૦-૮૫ વર્ષના કામેગોવડાજી પોતાના પ્રાણીઓને ચરાવે છે, પરંતુ સાથોસાથ તેમણે પોતાના ક્ષેત્રમાં નવું તળાવ બનાવવાનું બીડું પણ ઝડપ્યું છે. તેઓ પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માગે છે. આ માટે જળસંરક્ષણના કામમાં નાનાંનાનાં તળાવો બનાવવાના કામમાં લાગેલા છે. તમને આશ્ચર્ય થશે કે ૮૦-૮૫ વર્ષના કામેગોવડાજી અત્યાર સુધીમાં ૧૬ તળાવ ખોદી ચૂક્યા છે, પોતાની મહેનતથી, પોતાના પરિશ્રમથી. બની શકે કે જે તળાવ તેમણે બનાવ્યાં, તે બહુ મોટાં ન હોય, પરંતુ તેમના આ પ્રયાસો ઘણા મોટા છે. આજે સમગ્ર વિસ્તારને, આ તળાવથી એક નવું જીવન મળ્યું છે.
સાથીઓ,
ગુજરાતના વડોદરાનું પણ એક ઉદાહરણ ઘણું પ્રેરક છે. અહીં, જિલ્લા પ્રશાસન અને સ્થાનિક લોકોએ મળીને એક રસપ્રદ ઝુંબેશ ચલાવી છે. આ ઝુંબેશના કારણે આજે વડોદરામાં એક હજાર શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ થવા લાગ્યો છે. એક અનુમાન છેક આ કારણે દર વર્ષે સરેરાશ લગભગ ૧૦ કરોડ લિટર પાણી બેકાર વહી જવાથી બચાવાઈ રહ્યું છે.
સાથીઓ,
આ વરસાદમાં પ્રકૃતિની રક્ષા માટે, પર્યાવરણની રક્ષા માટે, આપણે પણ, કંઈક આ પ્રકારે વિચારવાની, કંઈક કરવાની પહેલ કરવી જોઈએ. જેમ કે અનેક સ્થાનો પર ગણેશ ચતુર્થી માટે તૈયારીઓ શરૂ થશે. શું આ વખતે આપણે એવો પ્રયાસ કરી શકીએ કે ઇકૉ ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ બનાવીશું અને તેમનું જ પૂજન કરીશું? શું આપણે એવી પ્રતિમાઓનું પૂજન કરવાથી બચી શકીએ જે નદી-તળાવોમાં વિસર્જિત કરાયા પછી પણ જળ માટે, જળમાં રહેતા જીવજંતુઓ માટે સંકટ બની જાય છે? મને વિશ્વાસ છે કે તમે આવું જરૂર કરશો અને આ બધી વાતોની વચ્ચે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે ચોમાસાની ઋતુમાં અનેક બીમારીઓ પણ આવે છે. કોરોના કાળમાં આપણે તેનાથી પણ બચીને રહેવાનું છે. આયુર્વેદિક ઔષધિઓ, ઉકાળો, ગરમ પાણી…આ બધાનો ઉપયોગ કરતા રહો. સ્વસ્થ રહો.
મારા પ્રિય દેશવાસીઓ,
આજે ૨૮ જૂને ભારત પોતાના એક પૂર્વ પ્રધાનમંત્રી ને શ્રદ્ધાંજલી આપી રહ્યો છે જેમણે એક કટોકટીભર્યા સમયમાં દેશનું નેતૃત્વ કર્યું. આપણા, આ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી. વી. નરસિમ્હા રાવજીની આજે જન્મશતાબ્દિ વર્ષની શરૂઆતનોદિવસ છે. જ્યારે આપણે પી. વી. નરસિમ્હા રાવજી વિશે વાત કરીએ છીએ તો સ્વાભાવિક રીતે રાજનેતા તરીકે તેમની છબિ આપણી સામે ઉભરે છે. પરંતુ તે પણ સાચી વાત છે કે તેઓ અનેક ભાષા જાણતા હતા. ભારતીય અને વિદેશી ભાષાઓ બોલી શકતા હતા. તેઓ એક તરફ ભારતીય મૂલ્યોમાં ઓતપ્રોત હતા તો બીજી તરફ, તેને પાશ્ચાત્ય સાહિત્ય અને વિજ્ઞાનનું પણ જ્ઞાન હતું. તેઓ ભારતના સૌથી અનુભવી નેતાઓમાંના એક હતા. પરંતુ તેમના જીવનનું એક બીજું પાસું પણ છે. અને એ ઉલ્લેખનીય છે, આપણે જાણવું પણ જોઈએ.
સાથીઓ,
શ્રી નરસિમ્હા રાવજી પોતાની કિશોરાવસ્થામાં જ સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ ગયા હતા. જ્યારે હૈદરાબાદના નિઝામે વન્દે માતરમ્ ગાવાની અનુમતિ આપવા નકારી દીધું હતું ત્યારે તેમના વિરુદ્ધ આંદોલન કરવામાં તેમણે પણ સક્રિય રીતે હિસ્સો લીધો હતો. તે સમયે તેમની ઉંમર કેવળ ૧૭ વર્ષ હતી. નાની ઉંમરથી જ શ્રીમાન નરસિમ્હા રાવ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આગળ હતા. પોતાનો અવાજ બુલંદ કરવામાં કોઈ કસર છોડતા નહોતા. નરસિમ્હા રાવજી ઇતિહાસને પણ બહુ સારી રીતે સમજતા હતા. ખૂબ જ સાધારણ પૃષ્ઠભૂમિથી ઊઠીને તેમનું આગળ વધવું, શિક્ષણ પર તેમનો ભાર, શીખવાની તેમની પ્રવૃત્તિ અને તે બધાની સાથે તેમની નેતૃત્વ ક્ષમતા- બધું જ સ્મરણીય છે. મારો આગ્રહ છે કે નરસિમ્હા રાવજીના જન્મ શતાબ્દિ વર્ષમાં તમે બધા લોકો તેમના જીવન અન વિચારો વિશે વધુમાં વધુ જાણવાનો પ્રયાસ કરો. હું ફરી એક વાર તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ,
આ વખતે ‘મન કી બાત’માં અનેક વિષયો પર વાત થઈ. હવે પછી જ્યારે આપણે મળીશું તો કંઈક બીજા નવા વિષયો પર વાત થશે. તમે તમારા સંદેશ, તમારા નવીન વિચારો મને જરૂર મોકલતા રહેજો. આપણે બધાં મળીને આગળ વધીશું, અને આવનારા દિવસો વધુ સકારાત્મક થશે, મેં જેમ આજે શરૂઆતમાં કહ્યું કે આપણે આ વર્ષ એટલે કે ૨૦૨૦માં જ વધુ સારું કરીશું, આગળ વધીશું અને દેશ નવી ઊંચાઈઓને આંબશે. મને વિશ્વાસ છે કે ૨૦૨૦ ભારતને આ દશકમાં નવી દિશા આપનારું વર્ષ સાબિત થશે. આ ભરોસાને લઈને તમે પણ આગળ વધીએ, સ્વસ્થ રહીએ, સકારાત્મક રહીએ. આ શુભકામનાઓ સાથે, તમારો સહુનો ખૂબ ખૂબ ધન્યવાદ.
નમસ્કાર.

‘મન કી બાત 2.0’ના 12મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઇ દેશમાં તમામ લોકોના સહિયારા પ્રયાસોથી આક્રમકતાપૂર્વક લડવામાં આવી રહી છે. તેમણે લોકોને વિનંતી કરી હતી કે, હવે અર્થતંત્રમાં મોટાભાગના વિભાગો ખુલ્લા કરવામાં આવ્યા હોવાથી કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સૌએ વધુ સતર્ક અને સાવચેત રહેવાનું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રમિક વિશેષ ટ્રેનો અને અન્ય વિશેષ ટ્રેનો સાથે પૂરતા પ્રમાણમાં સાવચેતીના પગલાંઓનું પાલન કરીને ટ્રેનોની સેવાઓ ફરી શરૂ થઇ ગઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, હવાઇ સેવાઓ પણ ફરી શરૂ થઇ ગઇ છે અને ઉદ્યોગો પણ ફરી સામાન્ય સ્થિતિમાં આવી રહ્યા છે. તેમણે આગળ વાત વધારતા કહ્યું હતું કે, કોઇપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઇએ અને દરેક લોકોને સૂચન આપ્યું હતું કે તેઓ ‘દો ગજ કી દૂરી’ (બે ગજનું અંતર જાળવે), ચહેરા પર માસ્ક પહેરવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરે જ રહેવું વગેરે માપદંડોનું પાલન કરે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ઘણી બધી મુશ્કેલીઓ વેઠ્યા પછી, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટેના દેશના કૌશલ્યપૂર્ણ પ્રયાસો એળે ન જવા જોઇએ.
પ્રધાનમંત્રીએ આપણા દેશવાસીઓ સેવાનો જે જુસ્સો બતાવ્યો તેની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આ જ આપણી સૌથી મોટી તાકાત છે. તેમણે કહ્યું કે, આપણે- સેવા પરમો ધર્મ ઉક્તિથી પરિચિત છીએ; સેવાથી આનંદ મળે છે… સેવા જ સંતોષ છે. સમગ્ર દેશમાં તબીબી સેવાઓમાં જોડાયેલા કર્મચારીઓ પ્રત્યે ઘેરા આદરની લાગણી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં કાર્યરત ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, સફાઇ કામદારો, પોલીસ જવાનો અને મીડિયા કર્મચારીઓની ફરજ નિષ્ઠાને બિરદાવી હતી. તેમણે કટોકટીના આ સમયમાં સ્વ-સહાય સમૂહોની મહિલાઓ દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર કામની પણ પ્રશંસા કરી હતી.
તેમણે તામિલનાડુના કે.સી. મોહન, અગરતલાના ગૌતમ દાસ, પઢાણકોટના દિવ્યાંગ રાજુના દૃશ્ટાંતોનો ઉલ્લેખ કર્યો હતો જેમણે મર્યાદિત માધ્યમો વચ્ચે પણ આગળ આવીને કટોકટીના આ સમયમાં બીજા લોકોને મદદ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં ખૂણે ખૂણામાંથી સ્વ સહાય સમૂહોની મહિલાઓના ખંતની સંખ્યાબંધ ગાથાઓ અહીં રજૂ થઇ શકે તેમ છે.
મહામારીના આ સમયનો સામનો કરવા માટે સક્રિયતાપૂર્વક કામ કરનારી દરેક વ્યક્તિના પ્રયાસોને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા હતા. તેમણે નાસિકના રાજેન્દ્ર યાદવનું ઉદાહરણ આપ્યું હતું જેમણે પોતાના ટ્રેક્ટર સાથે લગાવેલું સેનિટાઇઝેશન મશીન તૈયાર કર્યું હતું. સંખ્યાબંધ દુકાનદારોએ ‘દો ગજ કી દૂરી’નું પાલન કરવા માટે તેમની દુકાનો આગળ મોટી પાઇપલાઇનો લગાવીને આડશ ઉભી કરી છે.
મહામારીના સમયના કારણે લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેમણે પીડાવું પડ્યું તે બદલ ખૂબ જ દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે સમાજના તમામ વર્ગોને અસર પડી છે પરંતુ વંચિત શ્રમિકો અને કામદાર વર્ગોને સૌથી વધુ ભોગવવું પડ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો, દરેકે દરેક વિભાગો અને સંસ્થાઓ તેમને રાહત આપવા માટે એકબીજા સાથે હાથ મિલાવીને સંપૂર્ણ ઝડપ સાથે કામ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશ સમજે છે અને તેને લાગે છે કે, તેઓ કેવી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે અને કેન્દ્ર, રાજ્યો તેમજ સ્થાનિક વહીવટીતંત્રની સંસ્થાઓમાંથી તમામ લોકો અવિરત કામ કરી રહ્યા છે. તેમણે એવા તમામ લોકોની પ્રશંસા કરી હતી જેઓ ટ્રેનો, બસો દ્વારા લાખો મુસાફરોને સલામતીપૂર્વક તેમના વતન રાજ્યોમાં પહોંડવા માટે, તેમને ભોજન આપવા માટે અને દરેક જિલ્લામાં તેમના ક્વૉરેન્ટાઇન્ટ માટે સુવિધા ઉભી કરવા માટે અથાક પરિશ્રમ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, પરિસ્થિતિ માટે નવા ઉકેલની કલ્પના કરવીએ વર્તમાન સમયની માંગ છે. તેમણે કહ્યું કે, સરકારે આ દિશામાં કેટલાક પગલાં લીધા છે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા કેટલાક નિર્ણયોથી ગ્રામ્ય રોજગારી, સ્વરોજગારી અને નાના કદના ઉદ્યોગો માટે ખૂબ જ મોટાપાયે સંભાવનાઓના દ્વાર ખુલ્યા છે. તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આત્મનિર્ભર ભારતથી આ દાયકામાં દેશ નવી ઊંચાઇઓએ પહોંચવા માટે સમર્થ બનશે.
પ્રધાનમંત્રીએ વારંવાર ભારપૂર્વક કહ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીના સમય દરમિયાન, દરેક જગ્યાએ લોકો ‘યોગ’ અને ‘આયુર્વેદ’ વિશે અને તેને જીવનની રીત તરીકે અપનાવવા વિશે વધુને વધુ જાણવા માટે ઇચ્છુક છે. તેમણે “કમ્યુનિટી, ઇમ્યુનિટી અને યુનિટી” (સમુદાય, પ્રતિકારકતા અને એકતા) માટે યોગની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીના સમય દરમિયાન, યોગનું મહત્વ વધી ગયું છે કારણ કે, આ વાયરસ શ્વસનતંત્રને અસર કરે છે. યોગમાં એવા સંખ્યાબંધ પ્રકારના પ્રાણાયામ છે જે શ્વસનતંત્રને મજબૂત કરે છે અને તેમની લાભદાયી અસરો લાંબા સમય સુધી ટકી રહે છે.
વધુમાં, પ્રધાનમંત્રીએ તમામ લોકોને અપીલ કરી હતી કે તેઓ આંતરરાષ્ટ્રીય વીડિયો બ્લોગ સંપર્ધા ‘માય લાઇફ, માય યોગ’ માટે વીડિયો શેર કરે. આ સ્પર્ધાનું આયોજન આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ દરેક લોકોને વિનંતી કરી હતી કે, તેઓ આ સ્પર્ધામાં ભાગ લે અને આગામી આતંરરાષ્ટ્રીય યોગ દિવસમાં પણ ભાગ લે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ મહામારીને ખતમ કરવાના સરકારના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા અને ‘આયુષમાન ભારત’ યોજના અંતર્ગત એક કરોડથી વધુ લોકોને લાભા મળ્યો છે તે બાબત જણાવતા ગૌરવ અનુભવ્યું હતું. તેમણે ‘આયુષમાન ભારત’ના લાભર્થીઓને તેમજ આ મહામારીના સમયમાં દર્દીઓની સારવાર કરનારા તમામ ડૉક્ટરો, નર્સો અને તમામ તબીબી સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે અત્યારે કોરોના વાયરસ સામે લડી રહ્યા છીએ ત્યારે સાથે સાથે અમ્ફાન ચક્રાવાત જેવી મોટી કુદરતી આપત્તીનો પણ સામનો કરી રહ્યા છીએ. તેમણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના લોકોની હિંમત અને સાહસને બિરદાવ્યા હતા તેમણે મુશ્કેલીના આ સમયમાં અમ્ફાન ચક્રાવાતની સ્થિતિ સામે પણ લડત આપી હતી. તેમણે આ રાજ્યોમાં અગ્નિપરીક્ષાના આ સમયમાં મુશ્કેલીઓ વેઠનારા ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને જેઓ જે પ્રકારે હિંમત અને દૃઢતાપૂર્વક પરિસ્થિતિ સામે લડ્યા તે પ્રશંસનીય હોવાનું પણ તેમણે કહ્યું હતું.
શ્રી મોદીએ કહ્યું હતું કે, ચક્રાવાતી આપત્તી ઉપરાંત દેશના ઘણા ભાગો તીડના આક્રમણથી પણ અસરગ્રસ્ત છે. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, કટોકટીના આ સમયમાં સરકાર અવિરત કામ કરી રહી છે જેથી સામગ્ર દેશમાં સામાન્ય નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો ના કરવો પડે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, કૃષિ વિભાગો અથવા વહીવટીતંત્રો દ્વારા તમામ પ્રકારે પ્રયાસો ચાલી રહ્યા છે, દરેક વ્યક્તિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને મદદ કરવા માટે પ્રયાસ કરી રહી છે અને કટોકટીના આ સમયમાં પાકનું નુકસાન ઘટાડવા માટે પ્રયાસરત છે.
પ્રધાનમંત્રીએ એ બાબતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, વર્તમાન પેઢીને પાણી બચાવવા માટે તેમની જવાબદારી સમજાશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, અત્યારે વરસાદી પાણીને બચાવવાની જરૂર છે અને કહ્યું કે, દરેક વ્યક્તિ જળ સંવર્ધન માટે અચૂકપણે તત્પર હોવી જ જોઇએ. તેમણે દરેક દેશવાસીઓને એવી પણ વિનંતી કરી હતી કે, આ ‘પર્યાવરણ દિવસ’ નિમિત્તે તેઓ કેટલાક વૃક્ષો રોપીને તેમજ પ્રકૃતિ સાથે દૈનિક સંબંધો આગળ વધારવા માટે કેટલાક સંકલ્પો કરીને પ્રકૃતિની સેવામાં સહભાગી બને. તેમણે કહ્યું કે, લૉકડાઉનના કારણે જીવનની ગતિ ધીમી પડી ગઇ છે પરંતુ તેણે પ્રકૃતિ અને પ્રત્યે વધુ સારી રીતે ધ્યાન આપવાની તક આપી છે અને વન્ય પશુઓ હવે વધુ બહાર આવી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ તેમના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, બેદરકાર અથવા ઉદસીન બનવું એ કોઇ વિકલ્પ નથી. કોરોના સામેની લડાઇ હજુ પણ એટલી જ ગંભીર છે!

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપ સર્વે ‘લોકડાઉનમાં’ આ ‘મન કી બાત’ સાંભળી રહ્યા છો. આ ‘મન કી બાત’ માટે આવનારા વિચારો, ફોન કોલની સંખ્યા સામાન્ય રૂપથી ઘણી વધારે છે. કેટલાય વિષયોને પોતાનામાં સમાવીને, તમારી આ મનની વાતો, મારા સુધી પહોંચી છે. મેં કોશિશ કરી છે કે તેમને વધુમાં વધુ વાંચી શકું, સાંભળી શકું. તમારી વાતોથી કેટલીયે એવી બાબતો જાણવા મળી છે જેના પર આ દોડાદોડીમાં ધ્યાન નથી જતું. મારું મન કરે છે કે યુદ્ધ વચ્ચે થઈ રહેલી આ ‘મન કી બાત’માં, તેવી જ કેટલીક બાબતોને આપ બધા દેશવાસીઓ સાથે વહેંચું.
સાથીઓ, ભારતની કોરોના સામેની લડાઈ સાચા અર્થમાં PEOPLE DRIVEN છે. ભારતમાં કોરોના સામેની લડાઈ જનતા લડી રહી છે, આપ લડી રહ્યા છો, જનતાની સાથે મળીને શાસન-પ્રશાસન લડી રહ્યું છે. ભારત જેવો વિશાળ દેશ, જે વિકાસ માટે પ્રયત્નશીલ છે, ગરીબી સાથે નિર્ણાયક લડાઈ લડી રહ્યો છે. તેની પાસે કોરોના સામે લડવાનો અને જીતવાનો આ જ એક ઉપાય છે. અને આપણે ભાગ્યશાળી છીએ કે આજે આખો દેશ, દેશનો દરેક નાગરિક, દરેક લોકો, આ લડાઈના સિપાઈ છે, લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે. તમે ક્યાંય પણ નજર નાખો, તમને ખબર પડી જશે કે ભારતની લડાઈ PEOPLE DRIVEN છે. જ્યારે આખું વિશ્વ આ મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. ભવિષ્યમાં જ્યારે તેની ચર્ચા થશે, તેની રીતભાતની વાત થશે, મને વિશ્વાસ છે કે ભારતની આ ‘PEOPLE DRIVEN’ લડાઈ, તેની જરૂર ચર્ચા થશે. આખા દેશમાં, શેરીઓમાં, દરેક જગ્યાએ આજે લોકો એકબીજાની મદદ કરવા માટે આગળ આવ્યા છે. ગરીબો માટે ખાવાથી લઈને રેશનિંગની પણ વ્યવસ્થા થાય, લોકડાઉનનું પાલન થાય, હોસ્પિટલોની વ્યવસ્થા થાય, મેડિકલ ઈક્વીપમેન્ટનું દેશમાં જ નિર્માણ થાય – આજે આખો દેશ, એક લક્ષ્ય , એક દિશા, સાથે-સાથે ચાલી રહ્યો છે. તાળી, થાળી, દિવો, મીણબત્તી આ દરેક વસ્તુઓએ જે ભાવનાને જન્મ આપ્યો. જે જુસ્સાથી દેશવાસીઓએ કંઈક કરવાનું નક્કી કરી લીધું – દરેકને આ વાતે પ્રેરિત કર્યા છે. શહેર હોય કે ગામ, એવું લાગી રહ્યું છે કે જાણે દેશમાં એક બહુ મોટો મહાયજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં દરેક પોતાનું યોગદાન આપવા આતુર છે. આપણા ખેડૂત ભાઈ-બહેનોને જ જોઈ લો, એક તરફ તેઓ આ મહામારી વચ્ચે પોતાના ખેતરોમાં દિવસ-રાત મહેનત કરી રહ્યા છે અને એ વાતની પણ ચિંતા કરી રહ્યા છે કે દેશમા કોઈપણ ભૂખ્યું ન સૂવે. દરેક વ્યક્તિ, પોતાના સામર્થ્ય પ્રમાણે આ લડાઈ લડી રહી છે. કોઈ ભાડાં માફ કરી રહ્યા છે, તો કોઈ પોતાનું આખું પેન્શન અથવા પુરસ્કારરૂપે મળેલા નાણાંને PM CARES માં જમા કરાવી રહ્યા છે. કોઈ ખેતરનું બધું શાકભાજી દાન કરી રહ્યું છે તો કોઈ દરરોજ સેંકડો ગરીબોને મફત ભોજન કરાવી રહ્યું છે. કોઈ માસ્ક બનાવી રહ્યું છે, કેટલાય આપણા મજૂર ભાઈ-બહેનો quarantine માં રહીને, જે શાળામાં રહે છે, તેનું રંગકામ કરી રહ્યા છે.
સાથીઓ, બીજાની મદદ માટે આપની અંદર, હૃદયના કોઈ ખૂણામાં, જે આ ઉભરતો ભાવ છે, એ જ કોરોના સામે ભારતની આ લડાઈને તાકાત આપી રહ્યો છે. તો આ લડાઈને હકીકતમાં PEOPLE DRIVEN બનાવી રહ્યા છે અને અમે જોયું છે કે ગત કેટલાક વર્ષોમાં આપણા દેશમાં આ મિજાજ બન્યો છે, સતત મજબૂત થતો રહ્યો છે. પછી તે કરોડો લોકો દ્વારા ગેસ સબસિડી છોડવાનું હોય, લાખો સિનિયર સિટિઝન દ્વારા રેલવેની સબસિડી છોડવાનું હોય, સ્વચ્છ ભારત અભિયાનનું નેતૃત્વ લેવાનું હોય, ટોઈલેટ બનાવવાના હોય, અગણિત વાતો એવી છે. આ બધી વાતોથી ખબર પડે છે કે, આપણે બધાએ – એક મન, એક મજબૂત દોરાથી જોડી દીધા છે. એક થઈને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપી છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું ખૂબ જ નમ્રતાપૂર્વક, બહુ જ આદર સાથે આજે 130 કરોડ દેશવાસીઓની આ ભાવનાને મસ્તક ઝુકાવી નમન કરું છું. આપ, આપની ભાવનાને અનુરૂપ દેશ માટે આપની રૂચીના હિસાબે, સમય અનુસાર, કંઈક કરી શકો, તેને માટે સરકારે એક ડિજિટલ પ્લેટફોર્મ પણ તૈયાર કર્યું છે. આ પ્લેટફોર્મ છે, – coronawarriors.gov.in. હું ફરી કહું છું, coronawarriors.gov.in. સરકારે આ પ્લેટફોર્મના માધ્યમથી તમામ સામાજિક સંસ્થાઓના Volunteers, civil societyના પ્રતિનિધીઓ અને સ્થાનિક તંત્રને એકબીજા સાથે જોડી દીધા છે. બહુ જ ઓછા સમયમાં આ પોર્ટલ સાથે સવા કરોડ લોકો જોડાઈ ગયા છે. તેમાં ડૉક્ટર, નર્સથી લઈને આપણી આશા, એએનએમ બહેનો, આપણા એનસીસી, એનએસએસના સાથીઓ, અલગ અલગ field ના તમામ professionals, તેમણે આ પ્લેટફોર્મને પોતાનું પ્લેટફોર્મ બનાવી લીધું છે. આ લોકો સ્થાનિક સ્તર પર crisis management plan બનાવનારાઓને અને તેને પૂર્ણ કરવામાં પણ બહુ મદદ કરે છે. આપ પણ coronawarriors.gov.in સાથે જોડાઈને દેશની સેવા કરી શકો છો, Covid Warriors બની શકો છો.
સાથીઓ, દરેક મુશ્કેલ ઘડી, દરેક લડાઈ, કંઈકને કંઈક પાઠ આપે છે. કંઈકને કંઈક શીખવાડીને જાય છે, શીખામણ આપે છે. તો કોઈ શક્યતાઓનો માર્ગ બતાવે છે અને કોઈ નવા લક્ષ્યસ્થાનની દિશા પણ દેખાડે છે. આ પરિસ્થિતીમાં આપ બધા દેશવાસીઓએ, જે સંકલ્પ શક્તિ દેખાડી છે, તેમાં, ભારતમાં એક નવા બદલાવની શરૂઆત પણ થઈ છે. આપણો બિઝનેસ, આપણા કાર્યાલયો, આપણી શિક્ષણ સંસ્થાઓ, આપણું મેડિકલ સેક્ટર, દરેક, ઝડપથી નવા ટેકનિકલ બદલાવ તરફ જઈ રહ્યા છે. ટેક્નોલોજીના ફ્રન્ટ પર તો ખરેખર એવું લાગી રહ્યું છે કે દેશનો દરેક INNOVATOR નવી પરિસ્થિતી અનુસાર કંઈકને કંઈક નવું નિર્માણ કરી રહ્યો છે.
સાથીઓ, દેશ જ્યારે એક ટીમ બનીને કામ કરે છે ત્યારે શું થાય છે, તે આપણે અનુભવ કરી રહ્યા છીએ. આજે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, તેમનો દરેક વિભાગ અને સંસ્થા રાહત માટે હળીમળીને ખૂબ જ SPEED થી કામ કરી રહ્યા છે. આપણા એવિએશન સેક્ટર માં કામ કરી રહેલા લોકો હોય, રેલવે કર્મચારી હોય, તેઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. જેથી દેશવાસીઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. તમારામાંથી કદાચ ઘણા લોકોને ખબર હશે કે દેશના દરેક ભાગમાં દવાઓ મોકલવા માટે ‘લાઈફ લાઈન ઉડાન’ નામથી એક વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. આપણા આ સાથીઓએ, આટલા ઓછા સમયમાં દેશની અંદર જ ત્રણ લાખ કિલોમીટરનું હવાઈ ઉડ્ડયન કર્યું છે અને 500 ટનથી પણ વધારે મેડિકલ સામગ્રી, દેશના ખૂણે-ખૂણે, તમારા સુધી પહોંચાડી છે. તેવી જ રીતે રેલવેના સાથીઓ, પણ લોકડાઉનમાં પણ સતત મહેનત કરી રહ્યા છે. જેથી દેશના સામાન્ય લોકોને જરૂરી વસ્તુઓની અછત ન રહે. આ કામ માટે ભારતીય રેલવે લગભગ 60 થી વધુ રેલ માર્ગ પર 100થી પણ વધુ પાર્સલ ટ્રેન ચલાવી રહ્યું છે. તેવી જ રીતે દવાઓની આપૂર્તિ માટે આપણા પોસ્ટ વિભાગના લોકો, ઘણી મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આપણા આ બધા સાથીઓ સાચા અર્થમાં કોરોના warriors જ છે.
સાથીઓ, ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ’ હેઠળ ગરીબોના અકાઉન્ટમાં પૈસા સીધા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. ‘વૃદ્ધાવસ્થા પેન્શન’ પૂરું પાડવામાં આવ્યું છે. ગરીબોને ત્રણ મહિના મફત ગેસ સિલિન્ડર, કરિયાણું જેવી સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ બધા કામોમાં સરકારના અલગ-અલગ વિભાગોના લોકો, બેન્કિંગ સેક્ટરના લોકો, એક ટીમની રીતે દિવસ-રાત કામ કરી રહ્યા છે. અને હું આપણા દેશની રાજ્ય સરકારોની, પણ એ વાત માટે પ્રશંસા કરીશ કે આ મહામારી સામે લડવા માટે ઘણી જ સક્રિય ભૂમિકા નિભાવી રહી છે. સ્થાનિક તંત્ર, રાજ્ય સરકારો જે જવાબદારી નિભાવી રહ્યા છે, કોરોના સામેની લડાઈમાં બહુ મોટી ભૂમિકા છે. તેમનો આ પરિશ્રમ ઘણો જ પ્રશંસનીય છે.
મારા પ્રિય દેશવાસીઓ, દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓથી જોડાયેલા લોકોએ હમણાં હાલમાં જ જે અધ્યાદેશ લાવવામાં આવ્યો છે, તેના પર પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે. આ અધ્યાદેશમાં કોરોના warriors સાથે હિંસા, પરેશાની, અને તેમને કોઈપણ રીતે જખ્મી કરનારા લોકો સામે ઘણી સખત સજાની જોગવાઈ કરવામાં આવી છે. આપણા ડૉક્ટર, નર્સ, પેરા-મેડિકલ સ્ટાફ, કોમ્યુનિટી હેલ્થ વર્કર અને આવા દરેક લોકો, જે દેશને ‘કોરોના મુક્ત’ કરવામાં દિવસ-રાત લાગેલા છે, તેમની રક્ષા કરવા માટે આ પગલું જરૂરી હતું.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા અનુભવ કરી રહ્યા છીએ કે આ મહામારી સામે, આ લડાઈ દરમિયાન, આપણે આપણા જીવનને, સમાજને, આપણી આસપાસ થઈ રહેલી ઘટનાઓને, એક FRESH દ્રષ્ટિકોણથી જોવાનો મોકો પણ મળ્યો છે. સમાજના દૃષ્ટિકોણમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. આજે આપણા જીવન સાથે જોડાયેલી દરેક વ્યક્તિના મહત્વનો, આભાસ આપણને થાય છે. આપણા ઘરમાં કામ કરનારા લોકો હોય, આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે કામ કરનારા આપણા સામાન્ય કામદારો હોય, પડોસની દુકાનમાં કામ કરનારા લોકો હોય, આ બધાની કેટલી મોટી ભૂમિકા છે – આપણને તે અનુભવ થઈ રહ્યો છે. તેવી જ રીતે જરૂરી સેવાઓની ડિલિવરી કરનારા લોકો, બજારમાં કામ કરનારા આપણા મજૂર ભાઈ-બહેનો, આપણી આસપાસના ઓટોચાલક, રિક્શાચાલક – આજે આપણે અનુભવ કરી રહ્યા છીએ કે આ બધા વગર આપણું જીવન કેટલું મુશ્કેલ હોઈ શકે છે.
આજકાલ સોશિયલ મીડિયા માં આપણે લોકો સતત જોઈ રહ્યા છીએ કે, લોકડાઉન દરમિયાન લોકો પોતાના આ સાથીઓને ન માત્ર યાદ કરી રહ્યા છે, તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખી રહ્યા છે, પરંતુ તેમના વિશે ઘણાં જ સન્માન સાથે લખી પણ રહ્યા છે. આજે, દેશના દરેક ખૂણામાંથી એવું ચિત્ર આવી રહ્યું છે કે લોકો સફાઈ કર્મીઓ પર પુષ્પ વર્ષા કરી રહ્યા છે. પહેલાં તેમના કાર્યને કદાચ આપ NOTICE નહોતા કરતા. ડૉક્ટર હોય, સફાઈ કર્મી હોય, અન્ય સેવા કરનારા લોકો હોય – એટલું જ નહીં આપણી પોલીસ વ્યવસ્થાને લઈને પણ સામાન્ય લોકોની વિચારસરણીમાં ઘણો બદલાવ આવ્યો છે. પહેલાં પોલીસ વિશે વિચારતાં જ નકારાત્મકતા સિવાય આપણને કંઈ દેખાતું જ નહોતું. આપણા પોલીસકર્મીઓ આજે ગરીબો, જરૂરિયાતવાળા લોકોને ખાવું પહોંચાડી રહ્યા છે, દવા પહોંચાડી રહ્યા છે. જેવી રીતે દરેક મદદ માટે પોલીસ સામે આવી રહ્યા છે તેનાથી POLICING ના માનવીય અને સંવેદનશીલ પાસાઓ આપણી સામે ઉભરીને આવી રહ્યા છે, આપણા મનને ઢંઢોળી દીધું છે, આપણા હ્રદયને સ્પર્શી ગયા છે. એક એવો મોકો કે, જેમાં આમ જનતા પોલીસ સાથે ભાવાત્મક રીતે જોડાઈ રહી છે. આપણા પોલીસ કર્મીઓએ તેને, જનતાની સેવાના એક મોકાના રૂપમાં લીધું છે અને મને વિશ્વાસ છે કે આ ઘટનાઓથી, આવનારા સમયમા સાચા અર્થમાં ઘણો જ સકારાત્મક બદલાવ આવી શકે છે અને આપણે આ સકારાત્મકતાને ક્યારેય પણ નકારાત્મકતાના રંગથી ન રંગવી જોઈએ.
સાથીઓ, આપણે સાંભળીએ છીએ કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ, આ શબ્દોને એક સાથે જોઈએ અને તેની પાછળનો ભાવ જોઈએ તો આપને જીવનને સમજવાનુ પણ એક નવુ દ્વાર ખૂલતુ દેખાશે. જો માનવ પ્રકૃતિની ચર્ચા કરીએ તો ‘આ મારું છે, હું આનો ઉપયોગ કરું છું’, તેને અને આ ભાવનાને ઘણી જ સ્વાભાવિક માનવામાં આવે છે. કોઈને તેમાં કોઈ વાંધો હોતો નથી. તેને આપણે ‘પ્રકૃતિ’ કહી શકીએ છીએ. પરંતુ ‘જે મારું નથી’, ‘જેના પર મારો હક નથી’ તેને હું બીજા પાસેથી છીનવી લઉં છું, તેને છીનવીને ઉપયોગમાં લઉં છું, ત્યારે આપણે તેને વિકૃતિ કહી શકીએ. આ બંનેથી પણ ઉપર, પ્રકૃતિ અને વિકૃતિથી ઉપર, જ્યારે કોઈ સંસ્કારિત-મન વિચારે છે અથવા વ્યવહાર કરે છે તો આપણને ‘સંસ્કૃતિ’ નજરે પડે છે. જ્યારે કોઈ પોતાના હકની વસ્તુ, પોતાની મહેનતથી કમાયેલી વસ્તુ, પોતાની જરૂરીયાત ની વસ્તુ, ઓછી હોય કે વધુ, તેની પરવા કર્યા વગર કોઈ વ્યક્તિની જરૂરિયાતને જોતાં, પોતાની ચિંતા છોડી દઈને પોતાના હકના હિસ્સાને વહેંચીને કોઈ બીજાની જરૂરિયાતો પૂરી કરે છે – તે જ ‘સંસ્કૃતિ’ છે. સાથીઓ જ્યારે કસોટીનો કાળ હોય છે, ત્યારે આ ગુણોનું પરીક્ષણ થાય છે.
આપે પાછલા દિવસોમાં જોયું હશે કે ભારતે પોતાના સંસ્કારોને અનુરૂપ, આપણા વિચારોને અનુરૂપ, આપણી સંસ્કૃતિને આગળ ધપાવતા કેટલાક નિર્ણયો લીધા છે. સંકટની આ પળમાં દુનિયા માટે પણ, સમૃદ્ધ દેશો માટે પણ દવાઓનું સંકટ વધારે રહ્યું છે. એક એવો સમય છે કે જો ભારત દુનિયાને દવા ન આપે તો કોઈ ભારતને દોષી ન માને. દરેક દેશ સમજે છે કે ભારત માટે પણ તેની પ્રાથમિકતા પોતાના દેશના નાગરિકોના જીવન બચાવવાની છે. પરંતુ સાથીઓ ભારતે, પ્રકૃતિ, વિકૃતિના વિચારથી પણ આગળ રહીને નિર્ણય લીધો. ભારતે પોતાની સંસ્કૃતિને અનુરૂપ નિર્ણય લીધો. આપણે ભારતની આવશ્યકતાઓ માટે જે કરવાનું હતું, તેનો પ્રયાસ તો વધાર્યો જ પરંતુ દુનિયાભરથી આવી રહેલી માનવતાની રક્ષાની માગ પર પણ સંપૂર્ણ ધ્યાન આપ્યું. આપણે વિશ્વના દરેક જરૂરિયાતવાળાઓ સુધી દવાઓ પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું અને માનવતાના આ કામને કરીને દેખાડ્યું. આજે જ્યારે, મારી અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફોન પર વાત થાય છે તો તેઓ ભારતની જનતાનો આભાર જરૂર વ્યક્ત કરે છે. જ્યારે તે લોકો કહે છે ‘Thank you India’, ‘Thank you people of India’ તો દેશ માટે ગર્વ વધી જાય છે. આવી જ રીતે આ સમયમાં દુનિયાભરમાં ભારતના આયુર્વેદ અને યોગના મહત્વને પણ લોકો ઘણા વિશિષ્ટ ભાવથી જોવે છે. સોશિયલ મીડિયા પર જુઓ, દરેક જગ્યાએ IMMUNITY વધારવા માટે, કેવી રીતે, ભારતના આયુર્વેદ અને યોગની ચર્ચા થઈ રહી છે. કોરોનાની દ્રષ્ટિથી, આયુષ મંત્રાલયે IMMUNITY વધારવા માટે જે, પ્રોટોકોલ આપ્યો છે, મને વિશ્વાસ છે કે તમે લોકો તેનો પ્રયોગ જરૂર કરતા હશો. ગરમ પાણી, કાવો અને જે અન્ય દિશા-નિર્દેશ, આયુષ મંત્રાલયે બહાર પાડ્યા છે તે આપ આપની દિનચર્યામાં સમાવશો, તો આપને ઘણાં લાભ થશે.
સાથીઓ, આમ તો એ દુર્ભાગ્ય રહ્યું કે કેટલીય વખત આપણે, આપણી જ શક્તિઓ અને સમૃદ્ધ પરંપરાને ઓળખવાની ના પાડી દઈએ છીએ. પરંતુ જ્યારે વિશ્વનો કોઈ બીજો દેશ evidence based research ના આધાર પર આ વાત કરે છે. આપણી જ FORMULA આપણને શીખવાડે છે તો આપણે તેને તરત લઈ લઈએ છીએ. કદાચ, તેની પાછળ બહુ મોટું કારણ, સેંકડો વર્ષોની આપણી ગુલામીનો સમયગાળો રહ્યો છે. તેને કારણે ક્યારેક-ક્યારેક આપણને આપણી જ શક્તિ પર વિશ્વાસ થતો નથી. આપણો આત્મવિશ્વાસ ઓછો દેખાય છે. તેથી આપણે આપણા દેશની સારી વાતોને, આપણા પારંપારિક સિદ્ધાંતોને evidence based research ના આધાર પર, આગળ વધારવાને બદલે તેને છોડી દઈએ છીએ. તેને હીન સમજીએ છીએ. ભારતની યુવા પેઢીએ હવે, આ પડકારોનો સ્વિકાર કરવો પડશે. જેવી રીતે વિશ્વએ યોગનો સહર્ષ સ્વિકાર કર્યો છે, તેવી જ રીતે હજારો વર્ષો જૂના, આપણા આયુર્વેદના સિદ્ધાંતોનો પણ વિશ્વ ચોક્કસ સ્વિકાર કરશે. હા, તેને માટે યુવા-પેઢીએ સંકલ્પ લેવો પડશે અને દુનિયા જે ભાષામાં સમજે છે તે વૈજ્ઞાનિક ભાષામાં આપણે સમજાવવું પડશે, કંઈક કરી દેખાડવું પડશે.
સાથીઓ આમ તો COVID-19 ને કારણે કેટલાય સકારાત્મક બદલાવ, આપણી કામ કરવાની પધ્ધતિ, આપણી જીવનશૈલી અને આપણી આદતોમાં પણ સ્વાભાવિક રીતે પોતાની જગ્યા બનાવી રહ્યા છે. આપે બધાએ અનુભવ્યું હશે કે આ સંકટે, કેવા અલગ અલગ વિષયો પર, આપણી ચેતના અને આપણી સમજણને જાગૃત કર્યા છે. જે અસર, આપણને આપણી આસપાસ જોવા મળી રહી છે, તેમાં સૌથી પહેલી છે માસ્ક પહેરવા અને પોતાના ચહેરાને ઢાંકીને રાખવો. કોરોનાને કારણે બદલાતી સ્થિતીમાં, માસ્ક પણ આપણા જીવનનો ભાગ બની રહ્યા છે. આમ, જોકે આપણને તેની આદત ક્યારેય રહી નહોતી કે આપણી આસપાસના ઘણાં લોકો માસ્કમાં જોવા મળે. પરંતુ હવે તેવું જ થઈ રહ્યું છે. હાં… તેનો એ મતલબ નથી કે જે માસ્ક લગાવે છે તે બધા બિમાર છે. અને જ્યારે હું માસ્કની વાત કરું છું તો મને જૂની વાતો યાદ આવે છે. તમને બધાને પણ યાદ હશે. એક જમાનો હતો, કે આપણા દેશના કેટલાય એવા વિસ્તારો હતા કે જ્યાં જો કોઈ નાગરિક ફળ ખરીદતા જોવા મળે તો તેની અડોશ-પડોશના લોકો તેને જરૂર પૂછતા હતા – ઘરમાં કોઈ બિમાર છે? એટલે કે ફળ ફક્ત બિમારીમાં જ ખાવામાં આવે છે – એવી એક ધારણા બનેલી હતી. પરંતુ સમય બદલાયો અને ધારણા પણ બદલાઈ. તેવું જ માસ્કને લઈને, પણ ધારણા હવે બદલાવા જઈ રહી છે. તમે જોશો, માસ્ક સભ્ય સમાજનું પ્રતિક બની જશે. જો બિમારીથી પોતાને બચાવવા છે અને બીજાને પણ બચાવવા છે તો માસ્ક લગાવવા પડશે અને મારૂ તો બહુ SIMPLE સુચન છે – ગમછો, મોઢું ઢાંકવાનું છે.
સાથીઓ આપણા સમાજમાં વધુ એક મોટી જાગૃતિ એ આવી છે કે હવે બધા લોકો એમ સમજી રહ્યા છે કે જાહેર સ્થળો પર થૂંકવાથી શું નુકસાન થઈ શકે છે. અહીં-તહી ક્યાંય પણ થૂંકી દેવું, ખોટી આદતોનો ભાગ હતો. તે સ્વચ્છતા અને સ્વાસ્થ્યને પણ ગંભીર પડકાર આપતા હતા. આમ પણ એક રીતે જોઈએ તો આપણે હંમેશાથી આ સમસ્યાને જાણતા આવ્યા છીએ, પરંતુ આ સમસ્યા, સમાજમાંથી સમાપ્ત થવાનું નામ જ નહોતી લેતી. હવે તે સમય આવ્યો છે કે આ ખરાબ આદતને હંમેશ-હંમેશ માટે ખતમ કરી દેવામાં આવે. એવું કહેવાય પણ છે કે , ‘better late than never’. તો ભલે મોડું થયું હોય પરંતુ હવે આ થૂંકવાની આદત છોડી દેવી જોઈએ. આ વાતો જ્યાં basic hygiene નું સ્તર વધારશે, તો કોરોનાના ચેપને ફેલાવતો રોકવામાં પણ મદદ કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, એ સુખદ સંયોગ છે કે આજે જ્યારે આપની સાથે હું ‘મન કી બાત’ કરી રહ્યો છું તો અક્ષય તૃતિયાનું પવિત્ર પર્વ પણ છે. સાથીઓ ‘ક્ષય’ નો અર્થ થાય છે વિનાશ, પરંતુ જે ક્યારેય નષ્ટ ન થાય, જે ક્યારેય સમાપ્ત ન થાય તે છે ‘અક્ષય’. આપણા ઘરોમાં આપણે બધા આ પર્વને દર વર્ષે મનાવીએ છીએ પરંતુ આ વર્ષે આપણા માટે તેનું મહત્વ વિશેષ છે. આજના મુશ્કેલ સમયમાં આ એક એવો દિવસ છે જે આપણને યાદ અપાવે છે કે આપણી આત્મા, આપણી ભાવના, અક્ષય છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભલે કેટલીયે મુશ્કેલીઓ રસ્તો રોકે, ભલે કેટલીયે આપત્તિઓ આવે, ભલે કેટલીયે બિમારીઓનો સામનો કરવો પડે – તેનાથી લડવાની અને ઝઝૂમવાની માનવીય ભાવના અક્ષય છે. માનવામાં આવે છે કે આ એ જ દિવસ છે જે દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન સૂર્યદેવના આશિર્વાદથી પાંડવોને અક્ષય પાત્ર મળ્યું હતું. અક્ષય પાત્ર એટલ કે એવું વાસણ કે જેમાં ભોજન ક્યારેય સમાપ્ત થાય જ નહીં. આપણા અન્નદાતા ખેડૂતો દરેક પરિસ્થિતીમાં દેશ માટે, આપણા સહુ માટે, આ જ ભાવનાથી પરિશ્રમ કરે છે. તેમના જ પરિશ્રમથી આજે આપણા બધા માટે, ગરીબો માટે, દેશ પાસે અક્ષય અન્ન ભંડાર છે. આ અક્ષય તૃતિયા પર આપણે આપણા પર્યાવરણ, જંગલ, નદીઓ અને આખી ECO SYSTEM ના સંરક્ષણ વિશે પણ વિચારવું જોઈએ, જે આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જો આપણે અક્ષય રહેવા માંગીએ છીએ તો આપણે પહેલાં એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણી ધરતી અક્ષય રહે.
શું તમે જાણો છો કે અક્ષય તૃતિયાનું આ પર્વ, દાનની શક્તિ એટલે કે POWER OF GIVING નો પણ એક અવસર છે. આપણે હ્રદયની ભાવનાથી જે કંઈ પણ આપીએ છીએ, હકીકતમાં મહત્વ તેનું જ હોય છે. એ વાત મહત્વપૂર્ણ નથી કે આપણે શું આપીએ છીએ અને કેટલું આપીએ છીએ. સંકટના આ સમયમાં આપણો નાનકડો પ્રયાસ, આપણી આસપાસના ઘણાં લોકો માટે બહુ મોટી મદદ બની શકે છે. સાથીઓ, જૈન પરંપરામાં પણ આ બહુ પવિત્ર દિવસ છે કારણ કે પહેલા તિર્થંકર ભગવાન ઋષભદેવના જીવનનો આ એક મહત્વનો દિવસ રહ્યો છે. તેવામાં જૈન સમાજ તેને એક પર્વના રૂપમાં મનાવે છે તેથી એ સમજવું સહેલું છે કે કેમ આ દિવસે લોકો કોઈપણ શુભકાર્યનો પ્રારંભ કરવાનું પસંદ કરે છે. આજે કંઈક નવું શરૂ કરવાનો દિવસ છે તો તેવામાં શું આપણે બધા મળીને, આપણા પ્રયાસોથી, આપણી ધરતીને અક્ષય અને અવિનાશી બનાવવાનો સંકલ્પ લઈ શકીએ છીએ. સાથીઓ આજે ભગવાન બસવેશ્વરજીની જયંતિ પણ છે. એ મારું સૌભાગ્ય રહ્યું છે કે મને ભગવાન બસવેશ્વરની સ્મૃતિઓ અને તેમના સંદેશાઓ સાથે વારંવાર જોડાવાનો, શીખવાનો મોકો મળ્યો છે. દેશ અને દુનિયામાં ભગવાન બસવેશ્વરના બધા અનુયાયીઓને તેમની જયંતિ પર ઘણી ઘણી શુભેચ્છાઓ.
સાથીઓ રમઝાનનો પણ પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. જ્યારે છેલ્લે રમઝાન મનાવવામાં આવ્યો ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ વખતે રમઝાનમાં આટલી મોટી મુસિબતોનો સામનો કરવો પડશે. પરંતુ હવે જ્યારે આખા વિશ્વમાં આ મુસિબત આવી જ ગઈ છે તો આપણી સામે મોકો છે કે આ રમઝાનને સંયમ, સદભાવના, સંવેદનશીલતા અને સેવાભાવનું પ્રતિક બનાવીએ. આ વખતે આપણે પહેલાં થી પણ વધુ ઈબાદત કરીએ, જેથી ઈદ આવતાં અગાઉ જ દુનિયા કોરોનાથી મુક્ત થઈ જાય અને આપણે પહેલાંની જેમ ઉમંગ અને ઉત્સાહ સાથે ઈદ મનાવીએ. મને વિશ્વાસ છે કે રમઝાનના આ દિવસોમાં સ્થાનિક તંત્રના દિશા-નિર્દેશોનું પાલન કરતાં, કોરોના સામે ચાલી રહેલી આ લડાઈને આપણે વધુ મજબૂત કરીશું. માર્ગો પર, બજારોમાં, શેરીઓમાં, physical distancing નું પાલન હજુ પણ ઘણું આવશ્યક છે. હું આજે તે બધા community leaders પ્રતિ આભાર પ્રગટ કરું છું જે લોકો બે ગજનું અંતર અને ઘરની બહાર ન નીકળવાને લઈને લોકોને જાગૃત કરી રહ્યા છે. ખરેખર કોરોના એ આ વખતે ભારત સહિત, દુનિયાભરમાં તહેવારોની ઊજવણીનુ સ્વરૂપ જ બદલી નાખ્યું છે. રંગ-રૂપ બદલી નાખ્યા છે. હમણાં ગત દિવસોમાં જ આપણે ત્યાં પણ બિહૂ, બૈસાખી, પુંથડું, વિશૂ, ઓડિયા ન્યૂયર જેવા અનેક તહેવારો આવ્યા. આપણે જોયું કે લોકોએ કેવી રીતે આ તહેવારોને ઘરમાં રહીને, ઘણી સાદગીપૂર્વક અને સમાજ પ્રત્યે શુભચિંતન સાથે, તહેવારોને મનાવ્યા. સામાન્ય રીતે તેઓ આ તહેવારોને પોતાના દોસ્તો અને પરિવાર સાથે સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવતા હતા. ઘરની બહાર નીકળીને પોતાની ખુશી વહેંચતા હતા. પરંતુ આ વખતે દરેક લોકોએ સંયમ રાખ્યો. લોકડાઉનના નિયમોનું પાલન કર્યું. આપણે જોયું છે કે આ વખતે આપણા ઈસાઈ દોસ્તોએ ‘ઈસ્ટર’ પણ ઘરે જ મનાવ્યો છે. પોતાના સમાજ, પોતાના દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવી, આજની ઘણી મોટી જરૂરિયાત છે. ત્યારે જ આપણે કોરોનાના ફેલાવા પર રોક લગાવવામાં સફળ થઈશું. કોરોના જેવી વૈશ્વિક મહામારીને હરાવી શકીશું.
મારા પ્રિય દેશવાસીઓ, આ વૈશ્વિક મહામારીના સંકટ વચ્ચે આપના પરિવારના એક સભ્ય તરીકે, અને આપ બધા પણ મારા પરિવારજન છો, ત્યારે કંઈક સંકેત આપવા, કંઈક ઉપાયો આપવા, એ મારી જવાબદારી બને છે. મારા દેશવાસીઓને, હું આપને આગ્રહ કરીશ – આપણે ક્યારેય અતિ આત્મવિશ્વાસમાં ન ફસાઈ જઈએ. આપણે એવો વિચાર ન કરીએ કે આપણા શહેરમાં, આપણા ગામમાં, આપણી શેરીમાં, આપણા કાર્યાલયમાં હજુ સુધી કોરોના પહોંચ્યો નથી તેથી હવે પહોંચવાનો પણ નથી. જુઓ આવી ભૂલ ક્યારેય ના કરતા. દુનિયાનો અનુભવ આપણને ઘણું કહી રહ્યો છે અને આપણે ત્યાં તો સતત કહેવામાં આવે છે કે ‘સાવધાની હટી, દુર્ઘટના ઘટી’. યાદ રાખો, આપણા પૂર્વજોએ આ દરેક વિષયોમાં આપણું બહુ સારું માર્ગદર્શન કર્યું છે. આપણા પૂર્વજોએ કહ્યું છે,
‘अग्निः शेषम ऋणः शेषम्
व्याधिः शेषम् तथैवच
पुनः पुनः प्रवर्धेत
तस्मात् शेषम् न कारयेत ||’
એટલે કે હળવાશમાં લઈને છોડવામાં આવેલી આગ, ઋણ અને બિમારી, મોકો મળતાં જ ફરીથી વધીને ખતરનાક થઈ જાય છે. તેથી તેનો સંપૂર્ણ રીતે ઉપચાર ઘણો જ આવશ્યક હોય છે. તેથી અતિ-ઉત્સાહમાં સ્થાનિક સ્તર પર, ક્યાંય પણ કોઈ લાપરવાહી થવી જોઈએ નહીં. તેનું હંમેશા આપણે ધ્યાન રાખવું જ પડશે. હું ફરી એકવાર કહીશ – બે ગજ અંતર બનાવી રાખો, પોતાને સ્વસ્થ રાખો, ‘બે ગજ અંતર બહુ જ જરૂરી છે’. આ સર્વના ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરીને હું મારી વાત સમાપ્ત કરું છું. હવે પછીની ‘મન કી બાત’માં જ્યારે મળીશું ત્યારે આ વૈશ્વિક મહામારીથી થોડી મુક્તિના ખબર દુનિયાભરથી આવે, માનવજાત આ મુસિબતમાંથી બહાર આવે – એ જ પ્રાર્થના સાથે આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ….

મારા વ્હાલા દેશવાસીઓ, સામાન્ય રીતે મન કી બાતમાં હું અનેક વિષયોને લઇને આવું છું. પરંતુ આજે દેશ અને દુનિયાના મનમાં માત્ર ને માત્ર એક જ વાત છે, કોરોના વૈશ્વિક મહામારીના કારણે ઉભું થયેલું ભયંકર સંકટ. આ સંજોગોમાં હું અન્ય કોઇ વાતો કરૂં તો તે યોગ્ય નહિં ગણાય. પરંતુ સૌથી પહેલાં હું બધા દેશવાસીઓ પાસે ક્ષમા માગું છું, અને મારો આત્મા કહે છે કે, તમે મને ચોક્કસ ક્ષમા કરશો. કેમ કે, કેટલાક એવા નિર્ણયો લેવા પડ્યા છે જેના કારણે તમને બધાને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉઠાવવી પડી રહી છે, ખાસ કરીને મારા ગરીબ ભાઇઓ બહેનોને જોઉં છું તો ચોક્કસ એવું લાગે છે કે, એમને થતું હશે કે આ કેવા પ્રધાનમંત્રી છે જેમણે અમને આ મુસીબતમાં નાંખી દીધા. તેમની પણ હું ખાસ ક્ષમા માગું છું. બની શકે કે, ઘણા લોકો મારાથી નારાજ પણ હશે, કે એવા તો કેવા બધાને ઘરમાં પૂરી રાખ્યા છે. હું તમારા બધાની મુશ્કેલીઓ સમજું છું. તમને પડી રહેલી પરેશાનીઓ પણ સમજું છું. પરંતુ ભારત જેવા ૧૩૦ કરોડની વસતીવાળા દેશે કોરોના વિરૂદ્ધની લડાઇ માટે આ પગલું ઉઠાવ્યા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો. કોરોના વિરૂદ્ધ લડાઇ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઇ છે, અને આ લડાઇમાં આપણે જીતવાનું છે. અને એટલા માટે જ આવા કઠોળ પગલાં ઉઠાવવા બહુ જરૂરી હતા. આવા પગલાં માટે કોઇને મન ન થાય પરંતુ દુનિયાની સ્થિતિ જોયા પછી લાગે છે કે, આ એક જ રસ્તો બચ્યો છે. તમને તમારા પરિવારને સલામત રાખવા છે, હું ફરીએકવાર તમને જે પણ અગવડ પડી છે, મુશ્કેલી પડી છે, તેને માટે ક્ષમા માગું છું. સાથીઓ, આપણે ત્યાં કહેવાય છે “એવં એવં વિકારઃ અપી તરૂન્હા સાધ્યતે સુખમ્” એટલે કે, બિમારી અને તેના પ્રકોપને શરૂઆતમાં જ ડામી દેવા જોઇએ. પછી રોગ અસાધ્ય બની જાય છે ત્યારે તેનો ઇલાજ પણ મુશ્કેલ બની જાય છે. અને આજ પૂરૂં હિંદુસ્તાન, દરેક હિંદુસ્તાની આજ કરી રહ્યો છે. ભાઇઓ, બહેનો, માતાઓ અને વડીલો કોરોના વાયરસે દુનિયાને કેદમાં ઝકડી લીધી છે. અને તે જ્ઞાન, વિજ્ઞાન, ગરીબ, તવંગર, નબળા, તાકાતવાન એમ હર કોઇને પડકાર ફેંકી રહ્યો છે. તે ન તો કોઇ દેશના સીમાડામાં બંધાયેલો છે, ન કોઇ ક્ષેત્ર જુવે છે, અને ન કોઇ ઋતુ જુવે છે. આ વાયરસ માણસને મારવાની, તેણે ખતમ કરવાની જીદ લઇને બેઠો છે, અને એટલા માટે સૌ કોઇએ, પૂરી માનવજાતે આ વાયરસને ખતમ કરવા માટે એકસંપ થઇને સંકલ્પ કરવો જ પડશે. કેટલાક લોકોને એવું લાગે છે કે તેઓ લૉકડાઉનનું પાલન કરીને જાણે બીજાની મદદ કરી રહ્યા છે. અરે ભાઇ, આવો ભ્રમ રાખવો એ યોગ્ય નથી. આ લૉકડાઉન તમને ખુદને બચાવવા માટે છે. તમને બચાવવાની સાથે તમારા પરિવારને પણ બચાવવાનો છે. હાલ તો તમારે આવનારા કેટલાય દિવસો સુધી આ રીતે ધીરજ બતાવવી જ પડશે. લક્ષ્મણરેખાનું પાલન કરવુ જ રહ્યું. સાથીઓ, હું એ પણ જાણું છું કે, કોઇ કાયદો તોડવા નથી ઇચ્છતું, નિયમનો ભંગ કરવા નથી ઇચ્છતું, પરંતુ કેટલાક લોકો એવું કરે છે, કેમ કે, હજી પણ તેઓ સ્થિતિની ગંભીરતા સમજી નથી રહ્યા. આવા લોકોને હું એ જ કહીશ કે, લૉકડાઉનનો નિયમ તોડશો તો કોરોના વાયરસથી બચવાનું મુશ્કેલ બની જશે. દુનિયાભરમાં ઘણા લોકો આવા વહેમમાં હતા. આજે એ બધા પસ્તાઇ રહ્યા છે. સાથીઓ, આપણે ત્યાં કહેવાય છે, “આરોગ્યં પરમ ભાગ્યં, સ્વાસ્થયં સ્વાર્થ સાધનમ્” અર્થાત્ આરોગ્ય જ સૌથી મોટું ભાગ્ય છે, ને દુનિયામાં બધા સુખનું સાધન સ્વાસ્થ્ય જ છે. આ સ્થિતિમાં નિયમ તોડનારા પોતાના જ જીવન સાથે બહુ મોટી રમત રમી રહ્યા છે. સાથીઓ, આ લડાઇના અનેક યોદ્ધા છે, જે ઘરમાં નહીં, ઘરની બહાર રહીને કોરોના વાયરસનો મુકાબલો કરી રહ્યા છે. તેઓ આપણા પહેલી હરોળના સૈનિકો છે. ખાસ કરીને આપણી નર્સ બહેનો છે, નર્સોનું કામ કરનારા ભાઇઓ છે, ડૉકટરો છે, અર્ધતબીબી કર્મચારીગણ છે. એવા સાથીઓ, કે જે કોરોનાને હરાવી ચૂકયા છે. આજે આપણે તેમની પાસેથી પ્રેરણા લેવાની છે. પાછલા દિવસોમાં મેં એવા કેટલાક લોકો સાથે ફોન પર વાત કરી છે, તેમનો ઉત્સાહ પણ વધાર્યો છે, અને તેમની સાથે વાત કરીને મારો પણ ઉત્સાહ વધ્યો છે. હું એમની પાસેથી ઘણુંબધું શીખ્યો છું. મને બહુ મન થતું હતું એટલા માટે, આ વખતે મન કી બાતમાં એવા સાથીઓનો અનુભવ એમની સાથે થયેલી વાતચીત, એમાંથી કેટલીક વાતચીત હું આપને જણાવી રહ્યો છું. સૌથી પહેલાં આપણી સાથે જોડાશે શ્રીરામ ગમ્પા તેજાજી. આમ તો તેઓ આઇટી પ્રોફેશનલ છે. આવો તેમના અનુભવો સાંભળીએ.
હા, રામ
રામઃ- નમસ્તેજી.
મોદીજીઃ- હા, રામ નમસ્તે.
રામઃ- નમસ્તે, નમસ્તે,
મોદીજીઃ- મેં સાંભળ્યું છે કે, તમે કોરોના વાયરસના આ ગંભીર સંકટમાંથી બહાર નીકળી આવ્યા છો.
રામઃ- હાજી,
મોદીજીઃ- હું તમારી સાથે થોડી વાત કરવા માંગું છું. તમે આ, સંકટમાંથી ઉગરી ગયા છો. તો, હું તમારો અનુભવ સાંભળવા ઇચ્છું છું.
રામઃ- હું આઇટી ક્ષેત્રનો કર્મચારી છું. કામને લીધે દુબઇ ગયો હતો. હું એક મીટીંગ માટે. ત્યાં જાણતા અજાણતા આ ચેપ લાગી ગયો. પરત આવતાં જ તાવ અને આ બધું ચાલુ થઇ ગયું હતું. તો પાંચ-છ દિવસ પછી ડૉકટરોએ કોરોના વાયરસનો ટેસ્ટ કર્યો અને ત્યારે એ ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારે ગાંધી હોસ્પીટલ, સરકારી હોસ્પીટલ, હૈદરાબાદમાં મને દાખલ કર્યો હતો. અને ત્યાર પછી ૧૪ દિવસે હું સાજો થઇ ગયો હતો. અને મને હોસ્પીટલમાંથી રજા આપી દીધી હતી. તો થોડું ડરામણું હતું આ બધું.
મોદીજીઃ- એટલે કે, તમને જયારે ચેપ લાગ્યો હોવાની ખબર પડી.
રામઃ- હા,
મોદીજીઃ- અને તે પહેલાં તમને ખબર તો હશે જ. કે આ વાયરસ બહુ ભયંકર છે. અને તકલીફદાયક લાગી રહ્યું છે.
રામઃ- હા,
મોદીજીઃ- તો જયારે તમને આ ચેપ લાગ્યો, ત્યારે તમને એકદમથી તમારો પ્રતિભાવ શું હતો ?
રામઃ- પહેલા તો બહુ ડરી ગયો હતો. પહેલા તો માની જ નહોતો શકતો કે, મને આ બીમારી થઇ ગઇ છે. એવું તો શું થઇ ગયું ? કેમ કે, ભારતમાં તો કંઇક બે-ત્રણ લોકોને જ કોરોના થયો હતો. એટલે કંઇ ખબર તો નહોતી, એના વિશે. મને જયારે હોસ્પીટલમાં દાખલ કર્યો હતો ત્યારે મને અલાયદા વોર્ડમાં(ક્વોરન્ટાઇનમાં) રાખ્યો હતો. ત્યારે તો શરૂના બે-ત્રણ દિવસ બધું એમ જ ચાલતું રહ્યું હતું. પરંતુ ત્યાંના ડૉકટરો અને નર્સો જે છે ને,
મોદીજીઃ- હા.
રામઃ- એ બહું સારા હતા. મારી સાથે, દરરોજ મને કોલ કરીને મારી સાથે વાત કરતા હતા, અને મને ભરોસો આપતા હતા કે, કંઇ નહીં થાય. તમે સાજા થઇ જશો. આવી બધી વાતો કરતા રહેતા હતા. દિવસમાં બે-ત્રણવાર ડૉકટર વાત કરતા હતા. નર્સો પણ વાત કરતી હતી. તો પહેલા જે ડર હતો, પરંતુ પછીથી એવું લાગ્યું કે, હા આટલા સારા લોકો સાથે છું, એમને ખબર છે કે શું કરવાનું છે, અને એટલે હું સાજો થઇ જઇશ. એવું લાગ્યું હતું.
મોદીજીઃ- પરિવારના લોકોની મનોસ્થિતિ કેવી હતી.
રામઃ- મને જયારે હોસ્પીટલમાં દાખલ કર્યો હતો ત્યારે પહેલાં તો બધા બહુ તણાવમાં હતા. ત્યાં વધારે ધ્યાન તો એ બધું હતું. પરંતુ હા, સૌથી પહેલાં તો ઘરનાના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બધાના રિપોર્ટ નેગેટીવ આવી ગયા હતા. એ ઇશ્વરની સૌથી મોટી કૃપા હતી અમારા માટે. અમારા કુટુંબ માટે, અને જેઓ મારી આસપાસ હતા તે બધા માટે. ત્યારપછી તો દરરોજ તબિયતમાં સુધારો દેખાઇ રહ્યો હતો. ડૉકટર મારી સાથે વાત કરતા રહ્યા હતા, અને પરિવારને પણ જણાવતા રહ્યા હતા.
મોદીજીઃ- તમે પોતે કઇ કઇ સાવચેતી રાખી. અને તમે કટુંબ માટે કઇ કઇ સાવચેતી રાખી.
રામઃ- કુટુંબ માટે તો પહેલાં આ વિષે જયારે મને ખબર પડી ત્યારે તો હું ક્વોરન્ટાઇનમાં હતો. પરંતુ ક્વોરન્ટાઇન પછી પણ ડૉકટરોએ કહ્યું હતું કે, હજી બીજા ૧૪ દિવસ ઘરે જ રહેવાનું છે, અને તમારે તમારા રૂમમાં જ રહેવાનું છે, અને મારી જાતને ઘરમાં જ ક્વોરન્ટાઇન રહેવાનું કહ્યું હતું. એટલે ઘરે આવ્યા પછી પણ હું મારા ઘરમાં જ છું. મોટાભાગે મારા રૂમમાં જ રહું છું. માસ્ક પહેરીને જ રહું છું. આખો દિવસ, જયારે પણ બહાર ખાવાપીવા માટે નીકળું છું તો, હાથ બરાબર સાફ કરું છું. અને એ બધું બહુ અગત્યનું છે.
મોદીજીઃ- ચાલો, રામ તમે સાજા થઇ ગયા. તે સારૂં થયું. તમને અને તમારા પરિવારને મારી અનેક અનેક શુભેચ્છાઓ છે.
રામઃ- થેંક્યુ સર.
મોદીજીઃ- પણ હું ઇચ્છું છું કે, તમારો અનુભવ.
રામઃ- હાજી.
મોદીજીઃ- તમે તો આઇટી પ્રોફેશનમાં છો.
રામઃ- હા.
મોદીજીઃ- તો ઓડિયો બનાવીને
રામઃ- હાજી.
મોદીજીઃ- લોકોને મોકલો. સોશિયલ મિડિયામાં એને વાયરલ કરો. એનાથી શું થશે કે લોકો ડરશે નહીં. અને સાથોસાથ કાળજી લેવાથી કેવી રીતે બચી શકાય છે. તેની વાત બહુ સરળતાથી લોકો સુધી પહોંચી જશે.
રામઃ- હાજી, અત્યારે જયારે બહાર આવીને જોઇ રહ્યો છું કે, બધા ક્વોરન્ટાઇનનો અર્થ કે જેલ જેવો માને છે. જાણે લોકો એવું માની રહ્યા છે. પરંતુ એવું નથી. બધાને ખબર હોવી જોઇએ કે, સરકારી ક્વોરન્ટાઇન તેમના પોતાના માટે છે. તેમના પરિવાર માટે છે. તો તેના વિશે વધુમાં વધુ લોકોને કહેવા માગું છું કે, ટેસ્ટ કરાવો. ક્વોરન્ટાઇનમાં રહો. એટલે કે, ડરવાનું નથી. ક્વોરન્ટાઇનનો અર્થ કે, આપણને તેનાથી ડર ન હોવો જોઇએ. સૂગ ન હોવી જોઇએ.
મોદીજીઃ- સારૂં રામ, તમને અનેક અનેક શુભેચ્છાઓ.
મોદીજીઃ- થેંક્યું ભાઇ.. થેંક્સ એ લોટ..
રામઃ- થેંક્યું..
સાથીઓ, રામે જણાવ્યું છે તેમ, તેમણે કોરોનાનો અંદેશો થયા પછી ડૉકટરોએ તેમને જે કંઇ સૂચનાઓ આપી તેનું તેમણે પાલન કર્યું અને તેનું જ પરિણામ છે કે આજે તેઓ સાજા થઇને સામાન્ય જીવન જીવી રહ્યા છે. આપણી સાથે એવા જ એક વધુ સાથી જોડાઇ રહ્યા છે, જેમણે કોરોનાને હરાવ્યો છે. એમનો તો પૂરો પરિવાર આ સંકટમાં ફસાઇ ગયો હતો. યુવાન દિકરો પણ ફસાઇ ગયો હતો. આવો, આપણે આગ્રાના શ્રી અશોક કપૂર સાથે વાત કરીએ.
મોદીજીઃ- અશોકજી નમસ્કાર.. નમસ્કાર..
અશોકઃ- નમસ્કારજી. મારૂં સૌભાગ્ય છે કે, આપની સાથે વાત થઇ રહી છે.
મોદીજીઃ- ચાલો મારૂં પણ સદભાગ્ય છે. મેં ફોન એટલા માટે કર્યો હતો કે, આપનો પૂરો પરિવાર આ સંકટમાં ફસાઇ ગયો હતો.
અશોકઃ- જી. જી…
મોદીજીઃ- તો હું એ, જરૂર જાણવા ઇચ્છીશ કે તમને આ સમસ્યા, આ ચેપની ખબર કેવી રીતે પડી ? શું થયું ? હોસ્પીટલમાં શું થયું ? જેથી હું તમારી વાત સાંભળીને જો કોઇ બાબત દેશને જણાવવા જેવી લાગશે તો હું તેનો ઉપયોગ કરીશ.
અશોકઃ- બિલકુલ સાહેબ.. એવું હતું કે, મારે બે દિકરા છે. એ ઇટલી ગયા હતા, ત્યાં પગરખાંનું પ્રદર્શન હતું. અને અહીંયા પગરખાંનું કામ કરીએ છીએ. ફેકટરી છે, મેન્યુફેકચરીંગની.
મોદીજીઃ- હા,
અશોકઃ- તો ત્યાં ગયા હતા ઇટલી પ્રદર્શનમાં. જયારે એ લોકો પાછા આવ્યા ને.
મોદીજીઃ- હં…
અશોકઃ- તો મારા જમાઇ પણ ગયા હતા. એ દિલ્હી રહે છે. તો એમને થોડીક મુશ્કેલીઓ થઇ, અને તે હોસ્પીટલ ગયા. રામમનોહર લોહિયા..
મોદીજીઃ- હં…
અશોકઃ- તો એ લોકોએ, એમને પોઝીટીવ ગણાવ્યા. અને એમને મોકલી દીધા. સબદરજંગ.
મોદીજીઃ- હં.. પછી..
અશોકઃ- ત્યાંથી અમારા પર ફોન આવ્યો કે, તમે લોકો પણ સાથે ગયા હતા ને એટલે તમે પણ ટેસ્ટ કરાવો. તો બંને દિકરા પહોંચી ગયા ટેસ્ટ કરાવવા. અહીં આગ્રા જીલ્લા હોસ્પીટલમાં. આગ્રા જીલ્લા હોસ્પીટલમાં. આગ્રાજીલ્લા હોસ્પીટલવાળાઓએ એમને કહ્યું કે તમારા આખા કુટુંબને બોલાવી લો. કયાંક કોઇને ચેપ લાગ્યો ન હોય. છેવટે અમે બધા ગયા.
મોદીજીઃ- હં…
અશોકઃ- તો બીજા દિવસે એમણે કહ્યું કે, તમને છ યે જણને – મારા બે દિકરા, હું, મારા પત્ની, આમ તો હું ૭૩ વર્ષનો છું. મારા પત્ની અને અમારી વહુઓ અને મારો પૌત્ર જે ૧૬ વર્ષનો છે. તો અમને છ યે ને તેમણે પોઝીટીવ ગણાવ્યા, અને કહ્યું કે, તમને દિલ્હી લઇ જવા પડશે.
મોદીજીઃ- ઓહ, માય ગોડ.
અશોકઃ- પણ સર, અમે ડર્યા નહીં. અમે કહ્યું કંઇ વાંધો નહીં. સારૂં છે કે ખબર પડી ગઇ. અમે લોકો દિલ્હી ગયા. સબદરજંગ હોસ્પીટલ. આ આગ્રાવાળાઓએ જ મોકલ્યા. અમને એમ્બ્યુલન્સ પણ આપી. કોઇ ચાર્જ પણ ન લીધો. બહુ મોટી મહેરબાની છે. આગ્રાના ડૉકટરોની. વહીવટીતંત્રની. અમને એમણે પૂરો સહયોગ આપ્યો.
મોદીજીઃ- એટલે એમ્બ્યુલન્સથી આવ્યા તમે.
અશોકઃ- હા.. જી, એમ્બ્યુલન્સથી. સાજા સમા હતા. બેસીને જ ગયા. તેમણે અમને બે એમ્બ્યુલન્સ આપી દીધી. સાથે ડૉકટર પણ હતા અને તેમણે અમને સબદરજંગ હોસ્પીટલમાં ઉતાર્યા. સબદરજંગ હોસ્પીટલમાં ડૉકટરોએ, જે દરવાજા ઉપર જ ઉભા હતા. તેમણે અમને જે ખાસ વોર્ડ હતો, તેમાં દાખલ કરી દીધા. અમને છ યે ને એમણે અલગ અલગ રૂમ આપ્યા. બહુ સારા રૂમ હતા. બધું જ હતું. તો સર, પછી અમે ૧૪ દિવસ ત્યાં હોસ્પીટલમાં એકલા જ રહેતા હતા. અને જયાં સુધી ડૉકટરોની વાત છે. તો તેમનો બહુ સહયોગ મળ્યો. બહુ સારી રીતે એમણે અમારી સારવાર કરી, પછી એ ડૉકટરો હોય કે પછી બીજા કર્મચારી. ખરેખર તો તેઓ જયારે પોતાનો ડ્રેસ પહેરીને આવતા હતા ને સાહેબ, ખબર જ નહોતી પડતી કે, આ ડૉકટર છે કે વોર્ડ બોય છે કે નર્સ છે. અને તે જે કહેતા હતા તે અમે માનતા હતા. અત્યારે અમારામાંથી કોઇનેય કોઇ પ્રકારનો એક ટકાનોય પ્રોબ્લેમ નથી આવ્યો.
મોદીજીઃ- તમારો આત્મવિશ્વાસ, બહુ મજબૂત જણાય છે.
અશોકઃ- જી. સર.. હું બિલકુલ સાજો છું. બલકે મે તો સર મારા ઘુંટણનું પણ ઓપરેશન કરાવ્યું છે. તેમ છતાં હું બિલકુલ સાજો છું.
મોદીજીઃ- પણ તો ય જયારે આટલું મોટું સંકટ પરિવારમાં આવ્યું હોય અને ૧૬ વર્ષના દિકરા સુધી પહોંચી ગયું હોય, ત્યારે…
અશોકઃ- એની પરીક્ષા હતી સર.. આઇસીએસઇના પેપર હતા ને.. તો તેનું પણ પેપર હતું. તો મેં ન આપવા દીધી પરીક્ષા. મેં કહ્યું જોયું જશે પછી. જીંદગી રહેશે તો બીજા ઘણા પેપર અપાશે. કંઇ વાંધો નહીં.
મોદીજીઃ- ખરી વાત છે, ચાલો તમારો અનુભવ એમાં કામ આવ્યો. પૂરા પરિવારને ભરોસો અપાવ્યો. હિંમત પણ અપાવી.
અશોકઃ- જી.. અમે આખો પરિવાર ત્યા ગયા. ત્યાં એક બીજાનો સહારો હતો. મળતા નહોંતા, ફોન પર વાત કરી લેતા હતા. હળતા મળતા નહોંતા અને ડૉકટરોએ પણ અમારી જેટલી સંભાળ લેવી જોઇએ તેટલી લીધી. અમે તેમના આભારી છીએ. કે તેમણે અમારી બહુ સારી સારવાર કરી. જે કર્મચારીઓ, નર્સો હતા તેમણે પણ અમને પૂરો સહયોગ આપ્યો સર..
મોદીજીઃ- ચાલો મારી આપને, અને આપના પૂરા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અશોકઃ- થેંક્યુજી.. ધન્યવાદ.. આપની સાથે મારી વાત થઇ તેની પણ અમને બહુ ખૂશી છે.
મોદીજીઃ- મને પણ ખુશી છે.
અશોકઃ- ત્યારપછી પણ સર, અમારા માટે કોઇપણ પ્રકારની મતલબ જાગૃતિ માટે કયાંક જવાનું હોય, કંઇ કરવાનું હોય તો તે સેવા માટે અમે, કોઇપણ વખતે તૈયાર છીએ.
મોદીજીઃ- ના.. ના.. તમે તમારી રીતે, આગ્રામાં સેવા બજાવો. કોઇ ભૂખ્યું હોય તો તેને ભોજન આપો.
અશોકઃ- બિલકુલ.. બિલકુલ..
મોદીજીઃ- ગરીબની ચિંતા કરો અને લોકો નિયમોનું પાલન કરે તે માટે લોકોને સમજાવો કે, તમારો પરિવાર કેવી રીતે આ બિમારીમાં સપડાયો હતો. પરંતુ તમે નિયમોનું પાલન કરીને પોતાના પરિવારને બચાવ્યો. એ રીતે બધા લોકો જો નિયમોનું પાલન કરશે. તો દેશ બચી જશે.
અશોકઃ- સર, અમે. મોદી સર. અમે અમારો વિડીયો વગેરે બનાવીને ચેનલ્સને આપ્યો છે.
મોદીજીઃ- અચ્છા..
અશોકઃ- ચેનલવાળાએ બતાવ્યો પણ છે. એટલા માટે કે લોકો જાગૃત થાય અને..
મોદીજીઃ- સોશિયલ મિડિયામાં બહુ પ્રચલિત કરવો જોઇએ.
અશોકઃ- જી.. જી.. સર… અને અમે જે કોલોનીમાં રહીએ છીએ. બહુ સ્વચ્છ કોલોની છે. તેમાં અમે બધાને કહી દીધું છે કે, જુઓ અમે આવી ગયા છીએ તો ડરશો નહીં. કોઇને પણ કોઇ સમસ્યા હોય તો જઇને ટેસ્ટ કરાવો. અને જે લોકો અમને મળ્યા હોય તેઓ તો ટેસ્ટ કરાવે. ઇશ્વરની દયાથી સાજા સમા રહે. જી. સર..
મોદીજીઃ- ચાલો ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને..
સાથીઓ, હું અશોકજી અને તેમના પરિવારના દીર્ઘાયુની પ્રાર્થના કરૂં છું. તેમણે જે રીતે ગભરાયા વિના, ડર્યા વિના, વેળાસર, યોગ્ય પગલાં લીધાં, સમયસર ડૉકટરોનો સંપર્ક સાધ્યો અને યોગ્ય સાવચેતી રાખી તે રીતે આપણે આ મહામારીને હરાવી શકીએ છીએ. સાથીઓ, તબીબી સ્તરે આપણે આ મહામારીનો સામનો કરી રહ્યા છીએ તેના અનુભવો જાણવા માટે પહેલી હરોળમાં મોરચો સંભાળી રહેલા કેટલાક ડૉકટરો સાથે પણ મેં વાત કરી. રોજબરોજની એમની કામગીરી આવા દર્દીઓ સાથે જ રહેતી હોય છે. આવો આપણી સાથે દિલ્હીથી ડૉકટર નીતેશ ગુપ્તા જોડાઇ રહ્યા છે.
મોદીજીઃ- નમસ્તે ડૉકટર..
ડૉ.નીતેશઃ- નમસ્તે સર…
મોદીજીઃ- નમસ્તે નીતીશજી, તમે તો બિલકુલ મોર્ચા પર અડીખમ ઉભા છો. તો હું એ જાણવા માગું છું કે, હોસ્પીટલોમાં તમારા બાકીના સાથીઓનો મૂડ કેવો છે ? કહોને જરા.
ડૉ.નીતેશઃ- સૌનો મૂડ બરાબર ઉંચો છે. આપના આશીર્વાદ બધાની સાથે છે. આપે બધી હોસ્પીટલોમાં બધું આપેલું છે. અમે જે કંઇ પણ માંગીએ છીએ. તે સપોર્ટ અમને મળ્યો છે. અમે જે પણ ચીજવસ્તુ માંગીએ છીએ, તે બધી જ આપ પૂરી પાડી રહ્યા છો. એટલે અમે લોકો બિલકુલ જેમ સરહદ પર સેના લડે છે એ રીતે અહીં લાગેલા છીએ. અને અમારૂં માત્ર એક જ કર્તવ્ય છે કે, દર્દી સાજો થઇને ઘરે જાય.
મોદીજીઃ- તમારી વાત સાચી છે. આ યુદ્ધ જેવી જ સ્થિતિ છે. અને તમે બધા પણ મોર્ચો સંભાળીને બેઠા છો.
ડૉ.નીતેશઃ- હા. જી. સર..
મોદીજીઃ- તમારે તો ઇલાજની સાથે સાથે દર્દીને માહિતગાર પણ કરવા પડતા હશે ને ?
ડૉ.નીતેશઃ- હા. જી. સર.. એ સૌથી વધુ જરૂરી બાબત છે. કેમ કે, દર્દી સાંભળીને એકદમ ડરી જાય છે કે, તેની સાથે આ શું થઇ રહ્યું છે ? તેમને સમજાવવા પડે છે. કે કાંઇ નથી. આગલા ૧૪ દિવસમાં તમે સાજા થઇ જશો. અને ચોક્કસ ઘરે પહોંચશો. તો અમે અત્યારસુધી આવા ૧૬ દર્દીઓને ઘરે મોકલી ચૂક્યા છીએ.
મોદીજીઃ- જયારે તમે વાત કરો છો. તો એકંદર તમારી સામે શું આવે છે ? કે જયારે ગભરાયેલા લોકો છે. તો તેમની ચિંતા તમને સતાવે છે.
ડૉ.નીતેશઃ- તેમને એ જ થતું હોય છે, કે આગળ શું થશે ? હવે શું થશે ? તેઓ બહારની દુનિયામાં જુએ છે કે બહાર આટલા બધા માણસો મરી જાય છે તો, અમારી સાથે શું એવું જ થશે ? ત્યારે અમે તેમને સમજાવીએ છીએ કે, તમારી આ મુશ્કેલી કયારે દૂર થશે ? તમારો કેસ બહુ હળવો છે. જેઓ સામાન્ય શરદી, ઉધરસનો કેસ હોય છે તેવો જ છે. તો જેમ પાંચ-સાત દિવસમાં એ મટી જાય છે. તેમ તમે પણ સાજા થઇ જશો. પછી અમે તમારો ટેસ્ટ કરીશું. અને જો તે નેગેટીવ આવશે તો અમે તમને ઘરે મોકલી શકીએ છીએ. એટલા માટે અમે બે-ચાર કલાકે વારંવાર તેમની પાસે જઇએ છીએ, મળીએ છીએ, તેમના ખબર અંતર પૂછીએ છીએ, આખો દિવસ તેમને સધિયારો મળે છે. તો, એમને સારૂં લાગે છે.
મોદીજીઃ- તેમનામાં આત્મવિશ્વાસ પેદા થાય છે, પણ શરૂમાં તો ડરી જતા હશેને..
ડૉ.નીતેશઃ- હા. જી.. શરૂમાં તો તેઓ ડરી જાય છે. પણ જયારે અમે તેમને સમજાવીએ છીએ તો બીજા-ત્રીજા દિવસ સુધીમાં જયારે તે પોતે થોડા સાજા થવા લાગે છે, તો તેમને પણ લાગે છે કે હું સાજો થઇ શકું છું.
મોદીજીઃ- પણ બધા ડૉકટરોને લાગતું હશે કે, જીવનનું આ સૌથી મોટું સેવાનું કામ તેમના ઉપર આવ્યું છે, આવો ભાવ પેદા થાય છે બધામાં.
ડૉ.નીતેશઃ- હા.. જી.. બિલકુલ પેદા થાય છે. અમે અમારી ટીમને બિલકુલ પ્રોત્સાહિત કરતા રહીએ છીએ કે, ડરવાની કોઇ વાત નથી. એવી કોઇ બાબત નથી, આપણે જો પૂરી સાવચેતી રાખીશું, દર્દીને પણ સારી રીતે સાવચેતી રાખવાનું સમજાવશું કે આપણે આવી રીતે જ કરવાનું છે, તો બધું બરાબર થતું રહેશે.
મોદીજીઃ- ચાલો સારૂં છે ડૉકટર.. પણ તમારે ત્યાં તો બહુ મોટી સંખ્યામાં દર્દીઓ પણ આવે છે. અને તમે બધા બિલકુલ દિલ રેડીને મંડાયેલા છો. તમારી સાથે વાત કરીને બહુ સારૂં લાગ્યું. પરંતુ આ લડાઇમાં હું તમારી સાથે છું અને લડાઇ લડતા રહેજો.
ડૉ.નીતેશઃ- તમારા આશીર્વાદ મળતા રહે એ જ અમે ઇચ્છીએ છીએ.
મોદીજીઃ- ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાઇ..
ડૉ.નીતેશઃ- સર થેંક્યું..
મોદીજીઃ- થેંક્યું નિતીશજી. તમને ખૂબ ખૂબ સાધુવાદ.. આપના જેવાના જ પ્રયાસોથી ભારત કોરોના સામેની લડાઇમાં ચોક્કસ વિજયી થશે. મારો આપને પણ આગ્રહ છે કે, તમે તમારૂં ધ્યાન રાખજો. તમારા સાથીઓનું ધ્યાન રાખજો. તમારા પરિવારનું ધ્યાન રાખજો. દુનિયાનો અનુભવ દર્શાવે છે કે, આ બિમારીથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા અચાનક વધી જાય છે. અચાનક થતા વધારાના કારણે વિદેશોમાં સારામાં સારી સ્વાસ્થ્ય સેવાઓ પણ થાકી જતી આપણે જોઇએ છીએ. ભારતમાં આવી સ્થિતિ ન આવે એટલા માટે જ આપણે સતત પ્રયાસ કરવાના છે. વધુ એક ડૉકટર આપણી સાથે પૂણેથી જોડાઇ રહ્યા છે. શ્રીમાન ડોકટર બોરસે.
મોદીજીઃ- નમસ્તે ડૉકટર..
ડૉકટરઃ- નમસ્તે.. નમસ્તે..
મોદીજીઃ નમસ્તે.. તમે તો બિલકુલ જનસેવા એ જ પ્રભુસેવાના વિચારથી સેવામાં લાગેલા છો. તો હું આજે આપની સાથે થોડી વાતો કરવા માંગું છું. જે દેશવાસીઓ માટે આપનો સંદેશ બને. એક તો અનેક લોકોના મનમાં એવો પ્રશ્ન છે કે, ડૉકટરનો સંપર્ક કયારે કરવો જોઇએ ? અને કયારે તેમણે કોરોનાનું પરીક્ષણ કરાવવું જોઇએ ? એક ડૉકટર હોવાના નાતે આપે તો પૂરી રીતે પોતાની જાતને આ કોરોનાના દર્દીઓ માટે સમર્પિત કરી દીધી છે. તો આપની વાતમાં ખૂબ તાકાત છે. અને હું આપની પાસેથી સાંભળવા માંગું છું.
ડૉકટરઃ- સરજી.. અહીંયા જે બી.જે.મેડીકલ કોલેજ પૂણે છે, તેમાં હું પ્રોફેસર છું. અને અમારા પૂનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પીટલ છે. નાયડુ હોસ્પીટલના નામથી. ત્યાં જાન્યુઆરી ૨૦૨૦થી એક સ્ક્રીનીંગ કેન્દ્ર ચાલુ થઇ ગયું છે. તેમાં આજ સુધીમાં કોવીડ ૧૯ના ૧૬ પોઝીટીવ કેસ મળી આવ્યા છે. અને એ જે ૧૬ કોવીડ ૧૯ના પોઝીટવ દર્દીઓ છે. તેમાંથી અમે સારવાર આપીને તેમને ક્વોરન્ટાઇન કરીને, અલાયદા રાખીને સારવાર આપીને સાત જણને રજા આપી દીધી છે સર.. અને જે હજી બાકી નવ કેસ છે તેમની સ્થિતિ પણ ખૂબ સ્થિર છે અને તબિયતમાં સુધારો પણ થઇ રહ્યો છે. તેમના શરીરમાં વાયરસ હોવા છતાં પણ તેઓ સાજા થઇ રહ્યા છે. અને તેઓ કોરોના વાયરસની અસરથી મુક્ત થઇ રહ્યા છે. અને અત્યારે અહીં જે નમૂનાનું કદ છે, તે નાનું, ૧૬ કેસનું જ છે સર.. પરંતુ એવું જણાઇ રહ્યું છે કે યુવાન વસતિ પણ અસરગ્રસ્ત થઇ રહી છે. અને યુવાન વસતિ અસરગ્રસ્ત હોવા છતાં પણ જે બિમારી છે. તે બહુ ગંભીર બિમારી નથી સર.. રોગની તેમને હળવી અસર છે. અને તે દર્દીઓ સાજા થઇ રહ્યા છે સર.. અને અહીંયા જે નવ લોકો બાકી છે. તેમની સ્થિતિ બગડવાના બદલે સુધરી રહી છે. અમે તેમના પર દૈનિક ધોરણે દેખરેખ રાખી રહ્યા છીએ અને તેઓ ચાર-પાંચ દિવસમાં સાજા થઇ જશે. અને અમારે ત્યાં જે શંકાસ્પદ લોકો આવ્યા છે, જેઓ દેશવિદેશમાં પ્રવાસ કરનારા છે અને બીજાના સંપર્કમાં આવેલા છે એવા લોકોના સર અમે નમૂના લઇ લઇએ છીએ. એટલે કે અમે તેમના ઓરોફેઇંગીલ સ્વેબ અને નાકના પ્રવાહીનો નમૂનો લઇ લઇએ છીએ અને નાકના પ્રવાહીનો નમૂનો જો પોઝીટીવ આવે છે તો અમે તેમને પોઝીટીવ વોર્ડમાં દાખલ કરી દઇએ છીએ. અને જો નમૂનો નેગેટીવ આવે છે તો તેમને ઘરમાં જ અલાયદા રહેવાની સૂચના આપીને ઘરમાં કેવી રીતે અલગ રહેવાનું છે, ઘરમાં જઇને શું કરવાનું છે ? તેની સલાહ આપીને તેમને ઘરે મોકલી દઇએ છીએ.
મોદીજીઃ- તેમાં તમે શું સમજાવો છો ? ઘરમાં રહેવા માટે શું શું સમજાવો છો ? તે વાત કરો.
ડૉકટરઃ- સર. એક તો જો ઘરમાં જ રહેવાના હોય તો, તેમને ઘરમાં પણ અલગ રહેવાનું છે, પછી કોઇનાય થી પણ ઓછામાં ઓછું છ ફૂટનું અંતર રાખવાનું છે. એ પહેલી વાત. બીજી વાત તેમણે માસ્ક પહેરવાનું છે. અને વારેવારે હાથ ધોવાના છે. એ માટે જો તમારી પાસે સેનીટાઇઝર ન હોય તો આપણા સાદા સાબુથી અને પાણીથી હાથ ધોવાના છે. અને તે પણ વારેવારે. અને જયારે તમને ખાંસી કે છીંક આવે તો કપડાનો સાદો રૂમાલ નાક અને મોં આડે રાખીને તેના પર જ ખાંસી ખાવાની છે. જેથી તમારા શરીરમાંના પ્રવાહીના છાંટા દૂર ન જાય અને જમીન પર પણ ન પડે, અને જમીન પર નહીં પડવાથી તે કોઇના હાથ પર ચોંટતા નથી. જેથી વાયરસનો ફેલાવો શક્ય નહીં બને. એ સમજાવી રહ્યા છીએ સર. બીજી વાત એ સમજાવી રહ્યા છીએ કે, ક્વોરન્ટાઇન દરમિયાન તેમણે ઘરમાં જ રહેવાનું છે. અને ઘરની બહાર નીકળવાનું નથી. જો કે, અત્યારે તો લૉકડાઉન થઇ ગયું છે અને હકીકતમાં આ ચોક્કસ સ્થિતિમાં તેમણે લૉકડાઉનની સાથે સાથે ઓછામાં ઓછા ૧૪ દિવસ માટે ઘરમાં જ પૂરાઇ રહેવાનું છે. આ ક્વોરન્ટાઇનની સૂચના અમે તેમને આપીએ છીએ. સંદેશ આપીએ છીએ. સર.
મોદીજીઃ- ચાલો ડૉકટર, તમે બહુ સારી સેવા કરી રહ્યા છો. અને પૂરા સમર્પણ ભાવથી કરી રહ્યા છો. અને તમારી પૂરી ટીમ આ સેવામાં જોડાયેલી છે. મને વિશ્વાસ છે કે, આપણા જેટલા પણ દર્દી આવેલા છે, તે બધા જ સાજા અને સુરક્ષિત થઇને પોતાના ઘરે જશે. અને દેશમાં પણ આપણે આ લડાઇ જીતીશું. તમારા બધાની મદદથી.
ડૉકટરઃ- સર. અમને વિશ્વાસ છે કે, આપણે જીતીશું. આ લડાઇ જીતી જઇશું.
મોદીજીઃ- ખૂબ ખૂબ શુભેચ્છાઓ ડૉકટર આપને, ધન્યવાદ ડૉકટર..
ડૉકટરઃ- થેંક્યું. થેંક્યું.. સર..
સાથીઓ, આપણા આ તમામ સાથી આપને, પૂરા દેશને સંકટમાંથી બહાર કાઢવામાં લાગેલા છે. તેઓ આપણને જે કંઇ બાબતો જણાવે છે તેને આપણે માત્ર સાંભળવાની જ નથી. બલ્કે પોતાના જીવનમાં ઉતારવાની પણ છે. આજે જયારે હું ડૉકટરોના ત્યાગ, તપસ્યા, સમર્પણ, જોઇ રહ્યો છું. ત્યારે મને આચાર્ય ચરકે કહેલી વાત યાદ આવે છે. આચાર્ય ચરકે ડૉકટરો માટે બહુ ચોક્કસ વાત કહી છે અને આજે તે આપણે આપણા ડૉકટરોના જીવનમાં જોઇ રહ્યા છીએ. આચાર્ય ચરકે કહ્યું છે…
ન આત્માર્થમ્ ન અપિ કામાર્થમ્ અતભૂત દયાં પ્રતિ..
વતર્તે યત્ ચિકિત્સાયાં સ સવર્મ ઇતિ વર્તતે..
એટલે કે, ધન અને કોઇ ખાસ કામનાને લઇને નહિં પરંતુ દર્દીની સેવા માટે દયાભાવ રાખીને જે કાર્ય કરે છે તે સર્વશ્રેષ્ઠ ચિકિત્સક હોય છે.
સાથીઓ, માનવતાથી છલોછલ દરેક નર્સને હું આજે નમન કરું છું. આપ સૌ જે સેવાભાવ સાથે કાર્ય કરો છો, તે અતુલ્ય છે. આ પણ એક યોગાનુયોગ છે કે, આ વર્ષને એટલે કે ૨૦૨૦ના વર્ષને પૂરી દુનિયા આંતરરાષ્ટ્રીય નર્સ અને આયા વર્ષ તરીકે મનાવી રહી છે. એનો સંબંધ ૨૦૦ વર્ષ પહેલાં ૧૮૨૦માં જન્મેલા ફ્લોરેન્સ નાઇટીંગલ સાથે જોડાયેલો છે. જેમણે માનવસેવાને, નર્સિંગને એક નવી ઓળખ આપી, એક નવી ઉંચાઇ બક્ષી. દુનિયાની દરેક નર્સના સેવાભાવને સમર્પિત આ વર્ષ ચોક્કસપણે પુરા નર્સિંગ સમુદાય માટે બહુ મોટી પરીક્ષાની ઘડી બનીને આવ્યું છે. મને વિશ્વાસ છે કે, આપ સૌ આ પરીક્ષામાં સફળ તો થશો જ. પરંતુ અનેકના જીવન પણ બચાવશો. આપના જેવા તમામ સાથીઓની હિંમત અને જુસ્સાના કારણે જ આટલી મોટી લડાઇ આપણે લડી રહ્યા છીએ. આપના જેવા સાથી પછી એ ડૉકટર હોય, નર્સ હોય, અર્ધતબીબી કાર્યકર્તા હોય, આશાબહેન, એએનએમ કાર્યકર્તા, સફાઇ કર્મચારી હોય વગેરે. આપ સૌના સ્વાસ્થ્યની પણ દેશને ખૂબ ચિંતા છે. એને ધ્યાનમાં રાખીને આવા લગભગ ૨૦ લાખ સાથીઓ માટે, ૫૦ લાખ રૂપિયા સુધીના આરોગ્યવીમાની જાહેરાત સરકારે કરી છે, જેથી આપ આ લડાઇમાં ખૂબ વધારે આત્મવિશ્વાસ સાથે દેશનું નેતૃત્વ કરી શકો.
મારા વ્હાલા દેશવાસીઓ, કોરોના વાયરસ સામેની આ લડાઇમાં આપણી આસપાસ એવા અનેક લોકો છે, જે સમાજના સાચા નાયક છે. અને આ પરિસ્થિતિમાં પણ સૌથી આગળ ઉભા છે. મને નરેન્દ્ર મોદી એપ ઉપર, નમો એપ પર, બેંગલુરૂના નિરંજન સુધાકર હેબ્બાલીજીએ લખ્યું છે કે, આવા લોકો દૈનિક જીવનના નાયક છે. આ વાત સાચી પણ છે, આ એ લોકો છે જેમના કારણે આપણી રોજબરોજની જીંદગી સરળતાથી ચાલતી રહે છે. આપ કલ્પના કરો કે એક દિવસ જો તમારા ઘરમાં નળમાં આવતું પાણી બંધ થઇ જાય કે પછી તમારા ઘરની વીજળી અચાનક કપાઇ જાય ત્યારે આ રોજબરોજના નાયકો જ હોય છે, જે આપણી મુશ્કેલીઓને દૂર કરે છે. તમારી પાડોશમાં આવેલા પરચૂરણની નાની દુકાન વિશે જરા આપ વિચારો. આજના આ મુશ્કેલ સમયમાં એ દુકાનદાર પણ જોખમ ઉઠાવી રહ્યો છે. આખરે શા માટે ? એટલા માટેને કે તમને જરૂરિયાતની ચીજવસ્તુઓ મળવામાં કોઇ પરેશાની ન થાય. બિલકુલ એ રીતે પેલા ડ્રાઇવરો, પેલા કામદારો વિષે વિચારો. જે અટક્યા વિના પોતાનું કામ કરતા રહે છે. જેથી દેશભરમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાઇચેઇનમાં કોઇ અવરોધ ન આવે. તમે જોયું હશે કે બેંકીંગ સેવાઓને સરકારે ચાલુ રાખી છે, અને બેંકીંગ ક્ષેત્રના આપણા ભાઇઓ, બહેનો પૂરી લગનથી પૂરા મનથી આ લડાઇનું નેતૃત્વ કરીને બેંકોને સંભાળે છે. તમારી સેવામાં હાજર છે. આજના આ સમયે આ સેવા નાનીસૂની નથી. બેંકના આ લોકોને પણ આપણે ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. ઇ-કોમર્સ સાથે જોડાયેલી કંપનીઓમાં આપણા સાથીઓ ડીલીવરી પર્સનના રૂપમાં મોટી સંખ્યામાં કામ કરી રહ્યા છે. આ લોકો આ મુશ્કેલ સમયમાં પણ કરીયાણું અને જરૂરી ચીજો તમને પહોંચાડવામાં લાગેલા છે. જરા વિચારો કે લૉકડાઉન વખતે તમે જે ટીવી જોઇ શકો છો. ઘરમાં રહેવા છતાં જે ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. એ બધી સેવાઓને સારી રીતે ચાલુ રાખવા માટે કોઇને કોઇ પોતાનું જીવન સોંપી રહ્યો છે. આ સમય દરમ્યાન, તમારામાંથી મોટાભાગના લોકો જેઓ ડીજીટલ પેમેન્ટ સહેલાઇથી કરી શકે છે. તેની પાછળ પણ ઘણા લોકો કામ કરી રહ્યા છે. લૉકડાઉન દરમ્યાન આ જ એ લોકો છે જે દેશના કામકાજને સંભાળી રહ્યા છે. આજે હું તમામ દેશવાસીઓ તરફથી તે બધા લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરું છું અને તેમને અનુરોધ કરૂં છું કે તેઓ પોતાના માટે પણ દરેક રીતે સુરક્ષાની સાવચેતી રાખે. પોતાનો પણ ખ્યાલ રાખે. પોતાના કુટુંબીજનોનો પણ ખ્યાલ રાખે.
મારા વ્હાલા દેશવાસીઓ, મને કેટલીક એવી ઘટનાઓ જાણવા મળી છે જેમાં કોરોના વાયરસના શંકાસ્પદ લોકો કે પછી જેમને ઘરે કોરન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે, તેમની સાથે કેટલાક લોકો ખરાબ વર્તન કરી રહ્યા છે. આવી વાતો સાંભળીને મને અત્યંત દુઃખ થયું છે. આ ખૂબ કમનસીબ બાબત છે. આપણે એ સમજવું જોઇએ કે, હાલના સંજોગોમાં અત્યારે એકબીજાથી માત્ર સામાજીક અંતર બનાવીને રાખવાનું છે, નહિં કે લાગણીઓથી અથવા માનવીય અંતર રાખવાનું છે. એવા લોકો કોઇ ગુનેગાર નથી બલ્કે વાયરસના સંભવિત પીડીત માત્ર છે. આ લોકોએ બીજાને ચેપથી બચાવવા માટે પોતાની જાતને અલગ કરી છે અને એકાંતમાં રહી રહ્યા છે. કેટલીક જગ્યાએ લોકોએ પોતાની જવાબદારી ગંભીરતાથી પણ સ્વીકારી છે. ક્યાં સુધી કે, તેમનામાં વાયરસના કોઇ લક્ષણ જોવા નહીં મળ્યા હોવા છતાં તેમણે પોતાને એકાંતમાં રાખીને ક્વોરન્ટાઇન કર્યા છે. આવું તેમણે એટલા માટે કર્યું છે કે તેઓ વિદેશથી પાછા આવ્યા છે. અને બમણી સાવચેતી રાખી રહ્યા છે. તેઓ એ ચોક્કસ કરવા માગે છે કે કોઇપણ સંજોગોમાં કોઇ બીજી વ્યક્તિને આ વાયરસનો ચેપ ન લાગે. એટલા માટે જયારે લોકો ખૂદ આટલી જવાબદારી ઉઠાવી રહ્યા હોય તો તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું કોઇપણ દ્રષ્ટિએ યોગ્ય નથી. બ્લકે તેમને સહાનુભૂતિપૂર્વક સહયોગ આપવાની જરૂર છે.
કોરોના વાયરસ સામે લડવાની સૌથી કારગત રીત સામાજીક અંતર જાળવવાની છે. પરંતુ આપણે એ સમજવું જરૂરી છે કે, સામાજીક અંતરનો અર્થ સામાજીક સંપર્ક બંધ કરી દેવો એવો નથી. હકીકતમાં આ સમય પોતાના તમામ જૂના સામાજીક સંબંધોમાં નવા પ્રાણ ફૂંકવાનો છે. આ સંબંધોને તાજા કરવાનો છે. એક રીતે આ સમય આપણને એ પણ કહે છે કે સામાજીક અંતર વધારો, પરંતુ દિલનું અંતર ઘટાડો. હું ફરી કહું છું સામાજીક અંતર વધારો, અને લાગણીઓનું – દિલનું અંતર ઘટાડો. કોટાથી યશવર્ધને નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે તેઓ લૉકડાઉનમાં કૌટુંબિક સંબંધો મજબૂત બનાવી રહ્યા છે. બાળકો સાથે બોર્ડગેમ અને ક્રિકેટ રમે છે. રસોડામાં નવી નવી વાનગીઓ બનાવે છે. જબલપુરા નિરૂપમા હર્ષેય નરેન્દ્ર મોદી એપ ઉપર લખે છે કે, તેમને પહેલીવાર રજાઇ બનાવવાનો પોતાનો શોખ પૂરો કરવાની તક મળી છે. એટલું જ નહિં, તેઓ તેની સાથેસાથે બાગકામનો શોખ પણ પૂરો કરી રહ્યાં છે. તો રાયપુરના પરિક્ષીત ગુરૂગ્રામના આર્યમન અને ઝારખંડના સુરતજીની પોષ્ટ પણ વાંચવા મળી. જેમાં તેમણે પોતાના સ્કૂલના દોસ્તોનું ઇ-પુર્નમિલન કરવાની ચર્ચા કરી છે. તેમનો આ વિચાર ખૂબ રસપ્રદ છે. બની શકે કે તમને પણ દાયકાઓ પહેલાના પોતાની સ્કૂલ, કોલેજના દોસ્તો સાથે વાત કરવાની તક મળે. તમે પણ આ વિચારને અજમાવી જુઓ. ભુવનેશ્વરના પ્રત્યુષને કલકતાના વસુંધાએ જણાવ્યું છે કે, આજકાલ તેઓ એવા પુસ્તકો વાંચી રહ્યા છે જેને આજ સુધી વાંચી શક્યા ન હતા. સોશિયલ મિડીયામાં મેં જોયું છે કે કેટલાક લોકોએ વર્ષોથી ઘરમાં પડેલા તબલા, વીણા જેવા સંગીતના સાધનો કાઢીને રિયાઝ કરવાનું શરૂ કરી દીધું છે. તમે પણ એવું કરી શકો છો. તેનાથી તમને સંગીતનો આનંદ તો મળશે જ. સાથે જૂની યાદો પણ તાજી થઇ ઉઠશે. એટલે કે મુશ્કેલીની આ ઘડીમાં તમને મુશ્કેલીમાંથી એક એવી પળ મળી છે જેમાં પોતાની જાતથી જોડાવાની તક તો મળી છે જ. સાથે પોતાના શોખને પણ પોષી શકશો. તમને પોતાના જૂના દોસ્તો અને પરિવાર સાથે પણ જોડાવવાની પૂરી તક મળશે.
નમો એપ પર મને રૂડકીથી શશીજીએ પૂછ્યું છે કે લૉકડાઉનના સમયમાં હું મારી ચુસ્તતા માટે શું કરી રહ્યો છું ? આ સંજોગોમાં નવરાત્રીના ઉપવાસ કેવી રીતે કરું છું ? હું એકવાર ફરી આપને જણાવું કે, મેં આપને બહાર નીકળવાની મનાઇ કરી છે. પરંતુ તમને પોતાની અંદર નીરખવાની તક પણ આપી છે. આ તક છે બહાર ન નીકળો, પરંતુ પોતાની અંદર દાખલ થાઓ. પોતાની જાતને જાણવાનો પ્રયાસ કરો. જયાં સુધી નવરાત્રીના ઉપવાસની વાત છે, તો એ મારી અને શક્તિના, ભક્તિના વચ્ચેનો વિષય છે. જયાં સુધી ચુસ્તતાની વાત છે, મને લાગે છે એ વાત લાંબી થઇ જશે. તો હું એવું કરું છું કે, ચુસ્તતા જાળવવા માટે હું શું કરું છું. તે વિષે સોશિયલ મિડીયામાં કેટલાક વિડિયો અપલોડ કરીશ. નરેન્દ્ર મોદી એપ ઉપર તમે આ વિડિયો જરૂર જોજો. જે હું કરું છું સંભવતઃ તેમાંથી કેટલીક બાબતો આપને પણ કામ આવશે. પરંતુ એક વાત સમજી લો કે હું ચુસ્તતાનો નિષ્ણાત નથી, ન હું યોગશિક્ષક છું, હું માત્ર તેનું પાલન કરનારો છું. હા, એટલું જરૂર માનું છું કે, યોગના કેટલાક આસનોથી મને ઘણો લાભ થયો છે. બની શકે કે, લૉકડાઉન દરમ્યાન, તમને આ વાતો કંઇક કામ આવી જાય.
સાથીઓ, કોરોના સામેનું યુદ્ધ અભૂતપૂર્વ પણ છે, અને પડકારજનક પણ. એટલા માટે આ દરમ્યાન લેવાઇ રહેલા નિર્ણયો પણ એવા છે, જે દુનિયાના ઇતિહાસમાં કયારેય જોવા અને સાંભળવા ન મળ્યા હોય. કોરોનાને રોકવા માટે તમામ ભારતીયોએ જે પગલાં ભર્યા છે, જે પ્રયાસો હાલ આપણે કરી રહ્યા છીએ તે જ ભારતને કોરોના મહામારી પર જીત અપાવશે. એક એક ભારતીયનો સંયમ અને સંકલ્પ પણ આપણને આ મુશ્કેલ સંજોગોમાંથી બહાર કાઢશે. સાથેસાથે ગરીબો પ્રત્ય આપણી સંવેદનાઓ વધુ તીવ્ર બનવી જોઇએ. આપણી માનવતાનો વાસ એ બાબતમાં જ છે, કે ક્યાંય પણ કોઇ ગરીબ, દુઃખી, ભૂખ્યું નજરે પડે છે તો આ સંકટની ઘડીમાં આપણે પહેલાં તેનું પેટ ભરીશું, તેની જરૂરીયાતની ચિંતા કરીશું. અને હિંદુસ્તાન આ કરી શકે છે. તે આપણા સંસ્કાર છે. એ આપણી સંસ્કૃતિ છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે દરેક ભારતીય પોતાના જીવનની રક્ષા માટે ઘરમાં બંધ છે. પરંતુ આવનારા સમયમાં આ જ હિંદુસ્તાની પોતાના દેશના વિકાસ માટે બધી દિવાલો તોડીને આગળ નીકળશે. દેશને આગળ લઇ જશે. તમે તમારા પરિવાર સાથે ઘરમાં જ રહો. સુરક્ષિત અને સાવચેત રહો. આપણે આ જંગ જીતવો છે. જરૂર જીતીશું, મન કી બાત માટે ફરી આવતા મહિને મળીશું. અને ત્યાં સુધી આ સંકટો પર વિજય મેળવવામાં આપણે સફળ બની પણ જઇએ તેવી એક કલ્પના સાથે, એવી એક શુભેચ્છા સાથે, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, આ મારું સૌભાગ્ય છે કે ‘મન કી બાત’ના માધ્યમથી મને કચ્છથી લઈને કોહિમા, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, દેશભરના બધા નાગરિકોને ફરી એકવાર નમસ્કાર કરવાનો મોકો મળ્યો છે. આપને બધાને નમસ્કાર. આપણા દેશની વિશાળતા અને વિવિધતા તેને યાદ કરવી, તેને નમન કરવું, દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. અને આ વિવિધતાના અનુભવનો અવસર તો હંમેશા અભીભૂત કરી દેનારો, આનંદથી ભરી દેનારો, એક પ્રકારે પ્રેરણાનું પુષ્પ હોય છે. થોડા દિવસો પહેલા મેં દિલ્હીના ‘હુનર હાટ’માં એક નાની જગ્યામાં આપણા દેશની વિશાળતા, સંસ્કૃતિ, પરંપરાઓ, ખાણીપીણી અને લાગણીઓની વિવિધતાઓના દર્શન કર્યા. પારંપરિક વસ્ત્રો, હસ્તશિલ્પ, કાર્પેટ, વાસણો, વાંસ અને પિત્તળની વસ્તુઓ, પંજાબની ફૂલકારી, આંધ્રપ્રદેશનું શાનદાર લેધરનું કામ, તમિલનાડુના સુંદર ચિત્રો, ઉત્તરપ્રદેશના પિત્તળના ઉત્પાદનો, ભદોહીની કાર્પેટ, કચ્છની કોપરની વસ્તુઓ, અનેક સંગીત વાદ્ય યંત્ર, અગણિત વાતો, સમગ્ર ભારતની કળા અને સંસ્કૃતિની ઝાંખી, ખરેખર અનોખી જ હતી અને તેની પાછળ શિલ્પકારોની સાધના, લગન અને પોતાની કુશળતા પ્રત્યે પ્રેમની વાતો પણ ઘણી જ પ્રેરણાદાયક હોય છે. ‘હુનર હાટ’માં દિવ્યાંગ મહિલાના શબ્દો સાંભળીને ખૂબ સંતોષ થયો. તેણે મને કહ્યું કે અગાઉ તે ફૂટપાથ પર પોતાના ચિત્રો વેચતી હતી. પરંતુ હુનર હાટમાં જોડાયા પછી તેની જિંદગી બદલાઈ ગઈ. આજે તે ફક્ત આત્મનિર્ભર નથી પણ તેણે પોતાનું ઘર પણ ખરીદ્યું છે. હુનાર હાટમાં, મને ઘણા વધુ શિલ્પકારોને મળવાની અને તેમની સાથે વાતચીત કરવાની તક પણ મળી. મને કહેવામાં આવ્યું છે કે હુનર હાટમાં ભાગ લેનારા કારીગરોમાં પચાસ ટકાથી વધુ મહિલાઓ છે. અને છેલ્લા ત્રણ વર્ષમાં હુનર હાટ દ્વારા લગભગ ત્રણ લાખ કારીગરો, શિલ્પકારોને રોજગારની ઘણી તકો મળી છે. ‘હુનર હાટ’ કલા પ્રદર્શિત કરવા માટેનું એક મંચ તો છે જ, સાથે જ તે લોકોના સપનાઓને પાંખો પણ આપી રહ્યું છે. આ એક જગ્યા છે જ્યાં આ દેશની વિવિધતાને અવગણવી અશક્ય છે. શિલ્પકલા તો છે જ સાથે આપણી ખાણીપીણીની વિવિધતા પણ છે. ત્યાં એક જ લાઇનમાં ઇડલી-ઢોસા, છોલે-ભટુરે, દાળ-બાટી, ખમણ-ખાંડવી અને કેટકેટલું હતું. મેં પોતે પણ ત્યાં બિહારના સ્વાદિષ્ટ લીટ્ટી-ચોખાનો આનંદ માણ્યો. ભરપૂર આનંદ માણ્યો. ભારતના દરેક ભાગમાં આવા મેળા અને પ્રદર્શનોનું આયોજન થતું રહે છે. ભારતને જાણવા માટે, ભારતના અનુભવ માટે, જ્યારે પણ તક મળે, ચોક્કસ જવું જોઈએ. એક ભારત-શ્રેષ્ઠ ભારતને, મનભરીને જીવવાની આ તક બની જાય છે. તમે ન માત્ર દેશની કલા અને સંસ્કૃતિ સાથે જોડાશો પરંતુ આપ દેશના મહેનતુ કારીગરોની અને ખાસ કરીને મહિલાઓની સમૃદ્ધિમાં પણ પોતાનું યોગદાન આપી શકશો. – જરૂર જજો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશની મહાન પરંપરાઓ છે. આપણા પૂર્વજોએ આપણને જે વારસામાં આપ્યું છે, જે શિક્ષણ અને દિક્ષા આપણને મળી છે, જેમાં જીવો પ્રત્યે દયાનો ભાવ, પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ, આ બધી વાતો આપણા સાંસ્કૃતિક વારસા છે અને ભારતના આ વાતાવરણનું આતિથ્ય માણવા માટે દુનિયાભરથી અલગ-અલગ પ્રજાતિઓના પક્ષીઓ પણ દર વર્ષે ભારત આવે છે. ભારત આખું વર્ષ કેટલાયે સ્થળાંતર પ્રજાતિઓ માટેનું આશ્રયસ્થાન બની રહે છે. અને એ પણ કહે છે કે આ જે પક્ષીઓ આવે છે, પાંચસોથી પણ વધુ, અલગ-અલગ પ્રકારના અને અલગ-અલગ વિસ્તારમાંથી આવે છે. ગત દિવસોમાં ગાંધીનગરમાં ‘COP – 13 convention’ જેમાં આ વિષય પર ઘણું ચિંતન થયું, મનન થયું, મંથન પણ થયું અને ભારતના પ્રયત્નોની ઘણી પ્રશંસા પણ થઈ. સાથીઓ આ આપણા માટે ગર્વની વાત છે કે આવનારા ત્રણ વર્ષો સુધી ભારત migratory species પર થનારા ‘COP convention’ની અધ્યક્ષતા કરશે. આ તકને કેવી રીતે ઉપયોગી બનાવાય, તેના માટે આપ આપના સૂચનો ચોક્કસ મોકલો.
COP Convention પર થઈ રહેલી આ ચર્ચાની વચ્ચે મારું ધ્યાન મેઘાલયથી જોડાયેલી એક મહત્વની જાણકારી પર ગયું. હમણાં જ જીવ વૈજ્ઞાનીઓએ માછલીની એક એવી નવી પ્રજાતિની શોધ કરી છે જે માત્ર મેઘાલયમાં ગુફાઓની અંદર જ મળી આવે છે. માનવામાં આવે છે કે આ માછલીઓ જમીનની અંદર રહેનારા જળ-જીવોની પ્રજાતિઓમાં સૌથી મોટી છે. આ માછલી એવી ઉંડી અને અંધારી underground caves માં રહે છે કે જ્યાં પ્રકાશ પણ કદાચ જ પહોંચી શકે છે. વૈજ્ઞાનીકો પણ એ વાતથી આશ્ચર્યચકિત છે કે આટલી મોટી માછલી આટલી ઉંડી ગુફાઓમાં કેવી રીતે જીવીત રહે છે? આ એક સુખદ વાત છે કે આપણું ભારત અને ખાસ કરીને મેઘાલય એક દુર્લભ પ્રજાતિનું ઘર છે. આ ભારતની જૈવ-વિવિધતાને નવા પરિમાણો પૂરા પાડવાના છે. આપણી આસપાસ એવી ઘણી અજાયબીઓ છે જે હજુ સુધી undiscovered છે. આ અજાયબીઓની જાણકારી મેળવવા માટે શોધની ઉત્કંઠા જરૂરી હોય છે.
મહાન તમિલ કવયિત્રી અવ્વૈયારએ લખ્યું છે કે,
“कट्टत केमांवु कल्लादरु उडगड़वु, कड्डत कयिमन अड़वा कल्लादर ओलाआडू”
તેનો અર્થ છે કે આપણે જાણીએ છીએ, તે માત્ર મુઠ્ઠીભર એક રેતી છે પરંતુ જે આપણે નથી જાણતા. તે પોતાનામાં આખા બ્રહ્માંડને સમાન છે. આ દેશની વિવિધતા સાથે પણ આવું જ છે, જેટલું જાણીએ એટલું ઓછું છે. આપણી biodiversity પણ માનવ જાત માટે એક અનોખો ખજાનો છે જેને આપણે સંભાળવાનો છે, સુરક્ષિત રાખવાનો છે અને explore પણ કરવાનો છે.
મારા પ્રિય યુવા સાથીઓ, હમણાં આપણા દેશમાં બાળકોમાં, યુવાનોમાં સાયન્સ અને ટેકનોલોજી પ્રત્યે રસ સતત વધી રહ્યો છે. અંતરિક્ષમાં Record Satellite નું પ્રક્ષેપણ, નવા-નવા રેકોર્ડ, નવા-નવા મિશન દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. જ્યારે હું ‘ચંદ્રયાન-2’ ના સમયે બેંગલુરુમાં હતો, તો મેં જોયું કે ત્યાં ઉપસ્થિત બાળકોનો ઉત્સાહ સમાતો નહોતો. ઉંઘનું નામો નિશાન નહોતું. એક પ્રકારે આખી રાત તેઓ જાગતા રહ્યા. તેમનામાં Science, Technology અને innovation ને લઈને જે ઉત્સુકતા હતી તે આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. બાળકોના, યુવાનોના, આ જ ઉત્સાહને વધારવા માટે, તેમનામાં scientific temper ને વધારવા માટે વધુ એક વ્યવસ્થા શરૂ થઈ છે. હવે તમે શ્રીહરિકોટાથી થનારા રોકેટ લોન્ચિંગને સામે બેસીને જોઈ શકો છો. હાલમાં જ તેને બધા માટે ખૂલ્લું મૂકી દેવાયું છે. Visitor Gallery બનાવવામાં આવી છે જેમાં 10 હજાર લોકોને બેસવાની વ્યવસ્થા છે. ઈસરોની વેબસાઈટ પર આપેલી લીંકના માધ્યમથી ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો. મને કહેવામાં આવ્યું છે કે કેટલીયે શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને રોકેટ લોન્ચિંગ દેખાડવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે પ્રવાસ પર પણ લઈ જઈ રહ્યા છે. હું બધી શાળાઓના પ્રિન્સિપાલ અને શિક્ષકોને આગ્રહ કરીશ કે આવનારા સમયમાં તેઓ આનો લાભ ચોક્કસ ઉઠાવે.
સાથીઓ, હું આપને વધુ એક રોમાંચક જાણકારી આપવા માગું છું. મેં નમો એપ પર ઝારખંડના ધનબાદમાં રહેતા પારસની કમેન્ટ વાંચી. પારસ ઈચ્છે છે કે હું ઈસરોના ‘યુવિકા’ પ્રોગ્રામ વિશે યુવા-સાથીઓને જણાવું. યુવાઓને વિજ્ઞાન સાથે જોડવા માટે ‘યુવિકા’, ઈસરોનો એક બહુ મોટો પ્રશંસનિય પ્રયત્ન છે. 2019માં આ કાર્યક્રમ શાળાના Students માટે launch કરવામાં આવ્યો હતો. ‘યુવિકા’ નો મતલબ છે, યુવા વૈજ્ઞાનિ કાર્યક્રમ (YUva Vigyani Karyakram). આ કાર્યક્રમ આપણા vision, “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન” ને અનુરૂપ છે. આ પ્રોગ્રામમાં પોતાની પરીક્ષાઓ પછી, વેકેશનમાં વિદ્યાર્થીઓ ઈસરોના અલગ-અલગ સેન્ટરમાં જઈને Space Technology, Space Science અને Space Applications વિશે શીખે છે. આપને જો જાણવું છે કે ટ્રેનિંગ કેવી છે? કેવા પ્રકારની છે? કેટલી રોમાંચક છે? છેલ્લે જેમણે તેમાં ભાગ લીધો છે, તેમના અનુભવો અવશ્ય વાંચો. તમારે પોતાને ભાગ લેવો હોય તો ઈસરો સાથે જોડાયેલી ‘યુવિકા’ની વેબસાઈટ પર જઈને તમારું રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. મારા યુવા સાથીઓ હું તમારા માટે જણાવું છું વેબસાઈટનું નામ લખી લ્યો અને ચોક્કસ આજે જ વીઝીટ કરો – www.yuvika.isro.gov.in લખી નાખ્યું ને?
મારા પ્રિય દેશવાસીઓ, 31 જાન્યુઆરી 2020ના રોજ લદ્દાખની સુંદર જગ્યા એક ઐતિહાસીક ઘટનાની સાક્ષી બની. લેહના કુશોક બાકુલા રિમ્પોચી એરપોર્ટથી ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન ઉડ્યું તો એક નવો ઈતિહાસ બની ગયો. આ ઉડાનમાં 10% ભારતીય બાયો જેટ-ફ્યૂઅલનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. આવું પહેલી વખત થયું જ્યારે બંને એન્જિનમાં આ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલું જ નહીં, લેહના જે વિમાનમથક પરથી આ વિમાન ઉડ્યું, તે ન માત્ર ભારતમાં પરંતુ દુનિયામાં સૌથી ઉંચાઈ પર સ્થિત એરપોર્ટમાંનું એક છે. ખાસ વાત તો એ છે કે બાયો જેટ-ફ્યૂઅલને non-edible tree borne oil થી તૈયાર કરવામાં આવ્યું છે. તેને ભારતના અલગ-અલગ આદિવાસી વિસ્તારોમાંથી ખરીદવામાં આવે છે. આ પ્રયત્નોથી ન માત્ર કાર્બનનું ઉત્સર્જન ઘટશે પરંતુ કાચા તેલની આયાત પર પણ ભારતની નિર્ભરતા ઓછી થઈ શકે છે. હું આ મોટા કાર્યમાં જોડાયેલા બધા લોકોને અભિનંદન આપું છું. ખાસ કરીને
CSIR, Indian Institute of Petroleum, દહેરાદૂનના વૈજ્ઞાનિકોને, જેમણે બાયો-ફ્યૂઅલથી વિમાન ઉડાડવાની તકનીકને શક્ય બનાવી દીધું. તેમનો આ પ્રયાસ મેક ઈન ઈન્ડિયા ને પણ સશક્ત કરે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણું નવું ભારત, હવે જૂના અભિગમ સાથે ચાલવા તૈયાર નથી. ખાસ કરીને, ન્યૂ ઈન્ડિયાની આપણી બહેનો અને માતાઓ તો આગળ વધીને એ પડકારોને પોતાના હાથમાં લઈ રહી છે જેનાથી આખા સમાજમાં એક સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. બિહારના પૂર્ણિયાની વાત, દેશભરના લોકોને પ્રેરણાથી ભરી દેનારી છે. આ એ વિસ્તાર છે જે દશકોથી પૂરની ઘટના સાથે ઝઝૂમતો રહ્યો છે. તેવામાં અહીં ખેતી અને આવકના અન્ય સંસાધનોને મેળવવા ઘણું મુશ્કેલ રહ્યું છે. પરંતુ આ જ પરિસ્થિતીઓમાં પૂર્ણિયાની કેટલીક મહિલાઓએ એક અલગ જ રસ્તો પસંદ કર્યો છે. સાથીઓ, પહેલા આ વિસ્તારની મહિલાઓ, શેતૂર અથવા શેતૂરીના ઝાડ પર રેશમના કિડાઓથી કોકૂન (Cocoon) તૈયાર કરતી હતી જેનો તેમને બહુ મામૂલી ભાવ મળતો હતો. જ્યારે તેને ખરીદનારા લોકો, આ જ કોકૂનથી રેશમના દોરા બનાવીને મોટો નફો કમાતા હતા. પરંતુ આજે પૂર્ણિયાની મહિલાઓએ એક નવી શરૂઆત કરી અને આખું ચિત્ર બદલી નાખ્યું છે. આ મહિલાઓએ સરકારના સહયોગથી શેતૂરી ઉત્પાદન સમૂહ બનાવ્યા. ત્યારબાદ તેમણે કોકૂનથી રેશમના દોરા તૈયાર કર્યા અને તે દોરાથી તેમણે પોતે જ સાડીઓ બનાવવાની શરૂ કરી દીધી. આપ જાણીને હેરાન થઈ જશો કે પહેલા જે કોકૂનને વેચીને મામૂલી રકમ મળતી હતી, પરંતુ આજે તેનાથી બનેલી સાડીઓ હજારો રૂપિયામાં વેચાઈ રહી છે. આદર્શ જીવિકા મહિલા શેતૂરી ઉત્પાદન સમૂહ ની દીદીઓએ જે કમાલ કરી છે, તેની અસર હવે કેટલાય ગામોમાં જોવા મળી રહી છે. પૂર્ણિયાના કેટલાયે ગામના ખેડૂત દીદીઓ, હવે ન માત્ર સાડીઓ તૈયાર કરાવી રહી છે પરંતુ મોટા મેળાઓમાં, પોતાના સ્ટોલ લગાવીને વેચી પણ રહી છે. એક ઉદાહરણ કે – આજની મહિલા નવી શક્તિ, નવા વિચારની સાથે કેવી રીતે નવા લક્ષ્યોને પ્રાપ્ત કરી રહી છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશની મહિલાઓ, આપણી દિકરીઓની ઉદ્યમશીલતા, તેમના સાહસ, દરેક માટે ગર્વની વાત છે. આપણી આસપાસ આપણને અનેક આવા ઉદાહરણો મળે છે. જેનાથી ખબર પડે છે કે દિકરીઓ કેવી રીતે જૂના પ્રતિબંધોને તોડી રહી છે, નવી ઉંચાઈ પ્રાપ્ત કરી રહી છે. હું આપની સાથે, બાર વર્ષની દિકરી કામ્યા કાર્તિકેયનની સિદ્ધીની ચર્ચા જરૂર કરવા માંગીશ. કામ્યાએ માત્ર બાર વર્ષની ઉંમરમાં જ Mount Aconcagua, તેને ફતેહ કરવાનું કામ કરી બતાવ્યું છે. આ દક્ષિણ અમેરિકામાં ANDES પર્વતનું સૌથી ઉંચું શિખર છે, જે લગભગ 7000 મીટર ઉંચું છે. દરેક ભારતીયોને એ વાત અસર કરશે જ્યારે આ મહિનાની શરૂઆતમાં કામ્યાએ શિખર પર ફતેહ મેળવી અને સૌથી પહેલા, ત્યાં આપણો ત્રિરંગો લહેરાવ્યો. મને એ પણ કહેવામાં આવ્યું છે કે દેશને ગૌરવાન્વિત કરનારી કામ્યા, એક નવા મિશન પર છે, જેનું નામ છે ‘મિશન સાહસ’. જેના હેઠળ તે બધા ખંડોના સૌથી ઉંચા શિખર ને ફતેહ કરવામાં લાગી છે. આ અભિયાનમાં તેણે ઉત્તર અને દક્ષિણ ધૃવ પર Ski પણ કરવાનું છે. હું કામ્યાને મિશન સાહસ માટે શુભકામનાઓ પાઠવું છું. આમ પણ કામ્યાની સિદ્ધી બધાને ફિટ રહેવા માટે પ્રેરિત કરે છે. આટલી નાની ઉંમરમાં કામ્યા જે ઉંચાઈ પર પહોંચી છે તેમાં ફિટનેસનું પણ બહુ મોટું યોગદાન છે. A Nation that is fit, will be a nation that is hit. એટલે કે જે દેશ ફિટ છે તે હંમેશા હિટ પણ રહેશે. આમ પણ આવનારો મહિનો તો adventure Sports માટે પણ બહુ યોગ્ય છે. ભારતની geography એવી છે કે આપણા દેશમાં adventure Sports માટે ઘણી તકો પ્રદાન કરે છે. એક તરફ જ્યાં ઉંચા-ઉંચા પહાડો છે તો બીજી તરફ દૂર-દૂર સુધી ફેલાયેલું રણ છે. એક તરફ જ્યાં ગાઢ જંગલો વસેલા છે, તો બીજી તરફ સમુદ્રનો અફાટ વિસ્તાર છે. તેથી જ મારો આપ સહુને વિશેષ આગ્રહ છે કે તમે પણ, તમારી પસંદની જગ્યા, તમારા રસની પ્રવૃત્તિ પસંદ કરો અને તમારા જીવનને adventure સાથે જરૂર જોડો. જિંદગીમાં adventure તો હોવું જ જોઈએ. આમ પણ સાથીઓ, બાર વર્ષની દિકરી કામ્યાની સફળતા બાદ, તમે જ્યારે 105 વર્ષના ભાગીરથી અમ્માની સફળતાની વાત સાંભળશો તો દંગ રહી જશો. સાથીઓ જો આપણે જીવનમાં પ્રગતિ કરવા માગતા હોઈએ, વિકાસ કરવા માગતા હોઈએ, કંઈક કરી છૂટવા માંગતા હોઈએ તો પહેલી શરત એ જ હોય છે કે આપણી અંદરનો વિદ્યાર્થી ક્યારેય મરવો જોઈએ નહીં. આપણી 105 વર્ષની ભાગીરથી અમ્મા, આપણને આ જ પ્રેરણા આપે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે ભાગીરથી અમ્મા કોણ છે? ભાગીરથી અમ્મા કેરળના કોલ્લમમાં રહે છે. બાળપણમાં જ તેમણે તેમની માં ને ગુમાવી દીધા. નાની ઉંમરમાં લગ્ન બાદ પતિને પણ ગુમાવી દીધા. પરંતુ ભાગીરથી અમ્મા હિંમત હાર્યા નહીં, પોતાની ભાવના ગુમાવી નહીં. દસ વર્ષથી પણ ઓછી ઉંમરમાં તેમણે પોતાની શાળા છોડવી પડી હતી. 105 વર્ષની ઉંમરમાં તેમણે ફરી શળા શરૂ કરી. અભ્યાસ શરૂ કર્યો. આટલી ઉંમર હોવા છતાં ભાગીરથી અમ્માએ લેવલ-4ની પરીક્ષા આપી અને ઉત્સુકતાપૂર્વક પરિણામની રાહ જોવા લાગ્યા. તેમણે પરીક્ષામાં 75 ટકા અંક પ્રાપ્ત કર્યા. એટલું જ નહીં, ગણિતમાં તો 100 ટકા અંક મેળવ્યા. અમ્મા હવે આગળ ભણવા માંગે છે. આગળની પરીક્ષાઓ આપવા માંગે છે. અલબત્, ભાગીરથી અમ્મા જેવા લોકો આ દેશની તાકાત છે. પ્રેરણાનો એક બહુ મોટો સ્ત્રોત છે. હું આજે વિશેષરૂપથી ભાગીરથી અમ્માને પ્રણામ કરું છું.
સાથીઓ જીવનના વિપરીત સમયમાં આપણી હિંમત, આપણી ઈચ્છાશક્તિ કોઈપણ પરિસ્થિતીને બદલી નાખે છે. હમણાં હાલમાં જ મેં મીડિયામાં એક એવી સ્ટોરી વાંચી જેને હું આપની સાથે જરૂર share કરવા માગું છું. આ વાત છે મુરાદાબાદના હમીરપુર ગામમાં રહેનારા સલમાનની. સલમાન, જન્મથી જ દિવ્યાંગ છે. તેમના પગ તેમને સાથ નથી આપતા. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તેમણે હાર ન માની અને પોતે જ પોતાનું કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો. સાથે જ એ નિશ્ચય પણ કર્યો કે હવે તે પોતાના જેવા દિવ્યાંગ સાથીઓની મદદ પણ કરશે. પછી શું, સલમાને પોતાના જ ગામમાં ચપ્પલ અને ડિટર્જેન્ટ બનાવવાનું કામ શરૂ કરી દીધું. જોત જોતામાં તેમની સાથે 30 દિવ્યાંગ સાથી જોડાઈ ગયા. અહીં એ પણ તમારે નોંધવું જોઈએ કે સલમાનને પોતાને ચાલવામાં તકલીફ હતી પરંતુ તેમણે બીજાને ચાલવાનું સરળ બનાવનારા ચપ્પલ બનાવવાનો નિર્ણય કર્યો. ખાસ વાત તો એ છે કે સલમાને, સાથી દિવ્યાંગજનોને પણ પોતે જ ટ્રેઈનિંગ આપી. હવે આ બધા મળીને manufacturing પણ કરે છે અને marketing પણ. પોતાની મહેનતથી આ લોકોએ, ન માત્ર પોતાના માટે રોજગાર સુનિશ્ચિત કર્યો પરંતુ પોતાની કંપનીને પણ નફામાં પહોંચાડી દીધી. હવે આ લોકો મળીને આખા દિવસમાં દોઢસો જોડી ચપ્પલ તૈયાર કરી લે છે. એટલું જ નહીં, સલમાને આ વર્ષે 100 વધુ દિવ્યાંગોને રોજગારી આપવાનો સંકલ્પ પણ લીધો છે. હું આ બધાની હિંમત, તેમની ઉદ્યમશીલતાને, સલામ કરું છું. આવી જ સંકલ્પશક્તિ, ગુજરાતના કચ્છ વિસ્તારમાં, અજરક ગામના લોકોએ પણ દેખાડી છે. વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ બધા લોકો ગામ છોડી રહ્યા હતા, ત્યારે ઈસ્માઈલ ખત્રી નામના વ્યક્તિએ ગામમાં જ રહીને અજરખ પ્રિન્ટની પોતાની પારંપારિક કળાને બચાવવાનો નિર્ણય કરી લીધો. પછી તો શું, જોત-જોતામાં પ્રકૃતિના રંગોની બનેલી અજરખ કળા, દરેકને ગમવા લાગી અને આ આખું ગામ, હસ્તશિલ્પની પોતાની પારંપારિક વિદ્યા સાથે જોડાઈ ગયું. ગામના લોકોએ ન માત્ર સેંકડો વર્ષ જૂની પોતાની આ કળાને બચાવી, પરંતુ તેને આધુનિક ફેશન સાથે પણ જોડી દીધા. હવે મોટા મોટા ડિઝાઈનર, મોટી મોટી ડિઝાઈન સંસ્થાઓ, અજરખ પ્રિન્ટનો ઉપયોગ કરવા લાગ્યા છે. ગામના પરિશ્રમી લોકોના કારણે આજે અજરખ પ્રિન્ટ એક મોટી બ્રાન્ડ બની રહી છે. દુનિયાના મોટા ખરીદકર્તાઓ આ પ્રિન્ટ ની તરફ આકર્ષિત થઈ રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, હાલમાં જ દેશભરમાં મહાશિવરાત્રીનું પર્વ ઉજવવામાં આવ્યું છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના આશિર્વાદ દેશની ચેતનાને જાગૃત કરે છે. મહાશિવરાત્રી પર ભોલે બાબાના આશિર્વાદ તમારા પર રહે, આપની દરેક ઈચ્છા શિવજી પૂરી કરે, આપ ઉર્જાવાન રહો, સ્વસ્થ રહો, સુખી રહો અને દેશ પ્રત્યે પોતાના કર્તવ્યનું પાલન કરતા રહો.
સાથીઓ, મહાશિવરાત્રીની સાથે જ વસંત ઋતુની આભા પણ દિવસે ને દિવસે વધતી જશે. આવનારા દિવસોમાં હોળીનો તહેવાર છે અને ત્યારબાદ તરત ગુડી-પડવો પણ આવશે. નવરાત્રીનું પર્વ પણ તેની સાથે જોડાયેલું હોય છે. રામનવમીનો તહેવાર પણ આવશે. પર્વ અને તહેવાર, આપણા દેશમાં સામાજિક જીવનના અભિન્ન ભાગ રહ્યા છે. દરેક તહેવારની પાછળ કોઈને કોઈ એવો સામાજિક સંદેશો છુપાયેલો હોય છે જે સમાજને જ નહી, આખા દેશને એકતામાં બાંધીને રાખે છે. હોળી પછી ચૈત્ર શુક્લ પક્ષથી ભારતીય વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત પણ થાય છે. તેના માટે પણ ભારતીય નવા વર્ષની પણ હું આપને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આગામી ‘મન કી બાત’ સુધી તો મને લાગે છે કે કદાચ વિદ્યાર્થીઓ પરીક્ષામાં વ્યસ્ત હશે. જેમની પરીક્ષા પૂરી થઈ ગઈ હશે તે મસ્ત હશે. જે વ્યસ્ત છે, જે મસ્ત છે, તેમને પણ અનેક-અનેક શુભકામનાઓ પાઠવતા આવો, આગામી ‘મન કી બાત’ માટે અનેક-અનેક વાતોને લઈને ફરીથી મળીશું.
ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 26 જાન્યુઆરી છે. પ્રજાસત્તાક પર્વની અનેક-અનેક શુભકામનાઓ. 2020નું આ પ્રથમ ‘મન કી બાત’નું મિલન છે. આ વર્ષનો પણ આ પહેલો કાર્યક્રમ છે, આ દશકનો પણ આ પહેલો કાર્યક્રમ છે. સાથીઓ, આ વખતે ‘પ્રજાસત્તાક દિવસ’ સમારોહના કારણે તમારી સાથે ‘મન કી બાત’, તેના સમયમાં પરિવર્તન કરવાનું ઉચિત લાગ્યું. અને આથી, એક અલગ સમય નક્કી કરીને આજે તમારી સાથે ‘મન કી બાત’ કરી રહ્યો છું. સાથીઓ, દિવસ બદલાય છે, અઠવાડિયું બદલાઈ જાય છે, મહિનો બદલાઈ જાય છે, વર્ષ બદલાઈ જાય છે પરંતુ ભારતના લોકોનો ઉત્સાહ અને આપણે પણ કંઈ કમ નથી, આપણે પણ કંઈ કરીને જ રહીશું. ‘Can do’, આ ‘Can do’નો ભાવ, સંકલ્પ બનીને ઉભરી રહ્યો છે. દેશ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના, દરેક દિવસે, પહેલાંથી વધુ મજબૂત થતી જાય છે. સાથીઓ, ‘મન કી બાત’ના મંચ પર, આપણે બધાં, એક વાર ફરી એકઠાં થયાં છે. નવા-નવા વિષયો પર ચર્ચા કરવા માટે અને દેશવાસીઓની નવી-નવી ઉપલબ્ધિઓને ઉજવવા માટે, ભારતને ઉજવવા માટે. ‘મન કી બાત’ વહેંચવાનું, શીખવાનું અને એક સાથે વિકસવાનું એક સારું મંચ બની ગયું છે. દર મહિને હજારોની સંખ્યામાં લોકો પોતાનાં સૂચનો, પોતાના પ્રયાસ, પોતાના અનુભવ વહેંચે છે. તેમનામાંથી સમાજને પ્રેરણા મળે, આવી કેટલીક વાતો, લોકોના અસાધારણ પ્રયાસો પર આપણને ચર્ચા કરવાનો અવસર મળે છે.
‘કોઈએ કંઈ કરી દેખાડ્યું છે’ – તો શું આપણે પણ કરી શકીએ છીએ? શું આ પ્રયોગને સમગ્ર દેશમાં પુનરાવર્તિત રીને એક મોટું પરિવર્તન લાવી શકીએ છીએ? શું તેને સમાજની એક સહજ ટેવના રૂપમાં વિકસિત કરીને, તે પરિવર્તનને સ્થાયી કરી શકીએ છીએ? આવા જ કંઈક પ્રશ્નોના જવાબ શોધતાંશોધતાં દર મહિને ‘મન કી બાત’માં કંઈક અનુરોધ, કંઈક આહ્વાન, કંઈક કરી બતાવવાના સંકલ્પનો ક્રમ ચાલે છે. ગયાં અનેક વર્ષોમાં આપણે કંઈ નાના-નાના સંકલ્પો લીધા હશે, જેમ કે ‘No to single use plastic’, ખાદી અને સ્થાનિક ચીજો ખરીદવાની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, દીકરીઓનું સન્માન અને ગર્વની ચર્ચા હોય. ઓછું રોકડ અર્થતંત્રનું આ નવું પાસું- તેમને શક્તિ આપવાની હોય. આવા અનેક બધા સંકલ્પોનો જન્મ આપણી આ હળવી મનની વાતોથી થયો છે. અને તેને શક્તિ પણ તમે લોકોએ જ આપી છે.
મને એક ખૂબ જ પ્રેમભર્યો પત્ર મળ્યો છે. બિહારના શ્રીમાન શૈલેશનો. આમ તો અત્યારે તેઓ બિહારમાં નથી રહેતા. તેમણે કહ્યું છે કે તેઓ દિલ્લીમાં રહીને કોઈ એનજીઓમાં કામ કરે છે. શ્રીમાન શૈલેશજી લખે છે, “મોદીજી, આપ દર ‘મન કી બાત’માં કંઈક અપીલ કરો છો. મેં તેમાંથી અનેક ચીજોને કરી છે. આ ઠંડીમાં મેં લોકોનાં ઘરોમાંથી કપડાં એકઠાં કરીને જરૂરિયાતવાળા લોકોને વહેંચ્યાં છે. મેં ‘મન કી બાત’માથી પ્રેરણા લઈને અનેક ચીજોને કરવાનું શરૂ કર્યું. પરંતુ પછી ધીરેધીરે કેટલુંક હું ભૂલી ગયો અને કેટલીક ચીજો છૂટી ગઈ. મેં આ નવા વર્ષે એક ‘મન કી બાત’નો સંકલ્પપત્ર બનાવ્યો છે, જેમાં મેં આ બધી ચીજોની એક યાદી બનાવી છે. જે રીતે લોકો નવા વર્ષ પર નવા વર્ષના સંકલ્પો લે છે, મોદીજી આ મારા માટે નવા વર્ષનો સામાજિક સંકલ્પ છે. મને લાગે છે કે આ બધી નાની-નાની ચીજો છે, પરંતુ ઘણું પરિવર્તન લાવી શકે છે. શું તમે આ સંકલ્પપત્ર પર તમારા હસ્તાક્ષર આપીને મને પાછો મોકલી શકો છો?” શૈલેશજી- તમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. તમને નવા વર્ષના સંકલ્પ માટે ‘મન કી બાતનું સંકલ્પપત્ર’ આ ખૂબ જ નવીન છે. હું મારી તરફથી શુભકામનાઓ લખીને, તેને જરૂર તમને પાછો મોકલીશ. સાથીઓ, આ ‘મન કી બાત સંકલ્પપત્ર’ને જ્યારે હું વાંચી રહ્યો હતો, ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે આટલી બધી વાતો છે! આટલા બધા હૅશટૅગ છે! અને આપણે બધાંએ મળીને અનેક બધા પ્રયાસ પણ કર્યા છે. ક્યારેક આપણે ‘સંદેશ ટૂ સૉલ્જર’ની સાથે આપણા જવાનો સાથે ભાવનાત્મક રૂપથી અને મજબૂતીથી જોડાવાનું અભિયાન ચલાવ્યું, ‘Khadi for Nation – Khadi for Fashion’ની સાથે ખાદીના વેચાણને નવા મુકામ પર પહોંચાડ્યું. ‘સ્થાનિક ચીજો ખરીદો’નો મંત્ર અપનાવ્યો. ‘હમ ફિટ તો ઇંડિયા ફિટ’થી ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધારી. ‘My Clean India’ અથવા ‘Statue Cleaning’ના પ્રયાસોથી સ્વચ્છતાને જન આંદોલન બનાવ્યું. હૅશ ટૅગ (#NoToDrugs,) હૅશ ટૅગ (#BharatKiLakshami), હૅશ ટૅગ (#Self4Society), હૅશ ટૅગ (#StressFreeExams), હૅશ ટૅગ (#SurakshaBandhan), હૅશ ટૅગ (#DigitalEconomy), હૅશ ટૅગ (#RoadSafety) ઓ હો હો! અગણિત છે!
શૈલેશજી, તમારા આ ‘મન કી બાત’ના સંકલ્પપત્રને જોઈને અનુભૂતિ થઈ કે આ સૂચિ ખરેખર બહુ લાંબી છે. આવો, આ યાત્રાને ચાલુ રાખીએ. આ ‘મન કી બાત સંકલ્પપત્ર’માંથી તમારી રુચિના કોઈ પણ કાર્ય સાથે જોડાવ. હૅશ ટૅગનો ઉપયોગ કરીને, સૌની સાથે, ગર્વથી પોતાના પ્રદાનને વહેંચો. દોસ્તોને, પરિવારને અને બધાંને પ્રેરણા આપીએ. જ્યારે દરેક ભારતવાસી એક ડગ ચાલે છે તો આપણું ભારતવર્ષ 130 કરોડ ડગ આગળ વધે છે. આથી ચરૈવેતિ-ચરૈવેતિ-ચરૈવેતિ, ચાલતા રહો-ચાલતા રહો-ચાલતા રહો આ મંત્રને લઈને પોતાના પ્રયાસ કરતા રહો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે ‘મન કી બાત સંકલ્પપત્ર’ વિશે વાત કરી. સ્વચ્છતા પછી જનભાગીદારીની ભાવના, સહભાગિતાની ભાવના, આજે એક બીજા ક્ષેત્રમાં ઝડપથી વધી રહી છે અને તે છે ‘જળ સંરક્ષણ’. ‘જળ સંરક્ષણ’ માટે અનેક વ્યાપક અને નવીન પ્રયાસો દેશના દરેક ખૂણામાં ચાલી રહ્યા છે. મને એ કહેતા ઘણી ખુશી થાય છે કે ગત ચોમાસાના સમયે શરૂ કરાયેલું આ ‘જળશક્તિ અભિયાન’ જનભાગાદારીથી અત્યધિક સફળતાની તરફ આગળ વધી રહ્યું છે. મોટી સંખ્યામાં તળાવો, તળાવડી વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું. સૌથી મોટી વાત એ છે કે આ અભિયાનમાં સમાજના દરેક વર્ગના લોકોએ પોતાનું યોગદાન આપ્યું. હવે રાજસ્થાનના ઝાલોર જિલ્લાને જ જુઓને- અહીંની બે ઐતિહાસિક વાવ કચરા અને ગંદા પાણીનો ભંડાર બની ગઈ હતી. પછી શું? ભદ્રાયુ અને થાનવાલા પંચાયતના સેંકડો લોકોએ ‘જળશક્તિ અભિયાન’ હેઠળ તેને પુનર્જીવિત કરવાનું બીડું ઝડપ્યું.વરસાદ પહેલાં જ તે લોકો આ વાવડીમાં ભેગું થયેલું ગંદું પાણી, કચરા અને કાદવને સાફ કરવામાં લાગી ગયા. આ અભિયાન માટે કોઈએ શ્રમદાન આપ્યું તો કોઈએ ધનનું દાન. અને આનું જ પરિણામ છે કે આ વાવડીઓ આજે ત્યાંની જીવનરેખા બની ગઈ છે. કંઈક આવી જ વાર્તા છે ઉત્તર બારાબંકીની. ત્યાં 43 હૅક્ટર ક્ષેત્રમાં ફેલાયેલું સરાહી સરોવર પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યું હતું. પરંતુ ગ્રામીણોએ પોતાની સંકલ્પ શક્તિથી તેમાં નવો પ્રાણ ફૂંકી દીધો. આટલા મોટા મિશનના માર્ગમાં તેમણે કોઈ કચાશ આવવા ન દીધી. એક પછી એક અનેક ગામો પરસ્પર જોડાતાં ગયાં. તેમણે સરોવરની ચારે તરફ, એક મીટર ઊંચી પાળી બનાવી દીધી. હવે સરોવર પાણીથી ભરપૂર છે અને આસપાસનું વાતાવરણ પક્ષીઓના કલરવથી ગૂંજી રહ્યું છે.
ઉત્તરાખંડનું અલ્મોડા-હલ્દવાની હાઇવે પાસે આવેલા ‘સુનિયાકોટ ગામ’માંથી પણ જનભાગીદારનું આવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે. ગામના લોકોએ જળ સંકટમાંથી બહાર નીકળવા માટે પોતે જ ગામડા સુધી પાણી લાવવાનો સંકલ્પ કર્યો. પછી શું? લોકોએ એકબીજા પાસેથી પૈસા એકઠા કર્યા, યોજના બનાવી, શ્રમદાન થયું અને લગભગ એક કિલોમીટર દૂર સુધી પાઇપ બિછાવાઈ. પમ્પિંગ સ્ટૅશન લગાવવામાં આવ્યું અને જોતજોતામાં બે દશક જૂની સમસ્યા હંમેશાં માટે સમાપ્ત થઈ ગઈ. તો તમિલનાડુથી બૉરવેલને વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો એક ખૂબ જ નવીન કીમિયો સામે આવ્યો છે. દેશભરમાં ‘જળ સંરક્ષણ’ સાથે જોડાયેલી આવી અગણિત કથાઓ છે, જે ન્યૂ ઇન્ડિયાના સંકલ્પને શક્તિ આપી રહી છે. આજે આપણા જળશક્તિ વિજેતાઓની કથાઓ સાંભળવા સમગ્ર દેશ આતુર છે. મારો આપને અનુરોધ છે કે જળસંચય અને જળસંરક્ષણ પર કરવામાં આવેલા, પોતાના દ્વારા કે તમારી આસપાસ થઈ રહેલા પ્રયાસોની કથાઓ, તસવીરો અને વિડિયો #jalshakti4India તેના પર જરૂર મૂકશો.
મારા પ્રિય દેશવાસીઓ અને ખાસ કરીને મારા યુવા સાથીઓ, આજે ‘મન કી બાત’ના માધ્યમથી, હું આસામની સરકાર અને આસામના લોકોને ‘ખેલો ઇન્ડિયા’ની શાનદાર યજમાની માટે ખૂબખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, 22 જાન્યુઆરીએ જ ગુવાહાટીમાં ત્રીજી ‘ખેલો ઇન્ડિયા’ રમતોનું સમાપન થયું છે. તેમાં વિભિન્ન રાજ્યોના લગભગ 6 હજાર ખેલાડીઓએ ભાગ લીધો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે રમતોના આ મહોત્સવની અંદર 80 વિક્રમો તૂટ્યા છે અને મને ગર્વ છે કે તેમાંથી 56 વિક્રમ તોડવાનું કામ આપણી દીકરીઓએ કર્યું છે. આ સિદ્ધિ દીકરીઓનાં નામે થઈ છે. હું બધા વિજેતાઓની સાથે, તેમાં ભાગ લેનારા બધાં સ્પર્ધકોને અભિનંદન આપું છું. સાથે જ ‘ખેલો ઇન્ડિયા રમતો’ના સફળ આયોજન માટે તેની સાથે જોડાયેલા બધાં લોકો, પ્રશિક્ષકો અને તકનીકી અધિકારીઓનો આભાર માનું છું. એ આપણાં બધાં માટે ખૂબ જ સુખદ છે કે વર્ષ-પ્રતિ વર્ષ ‘ખેલો ઇન્ડિયા રમતો’માં ખેલાડીઓની ભાગીદારી વધી રહી છે. તે બતાવે છે કે નિશાળના સ્તર પર બાળકોમાં રમતો પ્રત્યેનો ઝુકાવ કેટલો વધી રહ્યો છે. હું તમને કહેવા માગું છું કે વર્ષ 2018માં જ્યારે ‘ખેલો ઇન્ડિયા રમતો’ની શરૂઆત થઈ હતી ત્યારે તેમાં પાંત્રીસ સો ખેલાડીઓએ ભાગ લીધો હતો પરંતુ માત્ર ત્રણ વર્ષમાં ખેલાડીઓની સંખ્યા 6 હજારથી વધુ થઈ ગઈ છે, અર્થાત્ લગભગ બમણી. એટલું જ નહીં, માત્ર ત્રણ વર્ષમાં ‘ખેલો ઇન્ડિયા રમતો’ના માધ્યમથી બત્રીસ સો પ્રતિભાશાળી બાળકો ઉભરીને સામે આવ્યાં છે. તેમાંથી અનેક બાળકો એવાં છે જે અભાવ અને ગરીબી વચ્ચે મોટાં થયાં છે. ‘ખેલો ઇન્ડિયા રમતો’માં ભાગ લેનારાં બાળકો અને તેમનાં માતાપિતાના ધૈર્ય અને દૃઢ સંકલ્પોની કથાઓ એવી છે જે દરેક હિન્દુસ્તાનીને પ્રેરણા આપશે. હવે ગુવાહાટીની પૂર્ણિમા મંડલને જ લો. તે પોતે ગુવાહાટી નગર નિગમમાં એક સફાઈ કર્મચારી છે, પરંતુ તેમની દીકરી માલવિકાએ ફૂટબોલમાં પોતાની શક્તિ દર્શાવી તો તેમના એક દીકરા સુજીતે ખો-ખોમાં, તો બીજા દીકરા પ્રદીપે હૉકીમાં આસામનું પ્રતિનિધિત્વ કર્યું.
કંઈક આવી જ ગર્વાન્વિત કરી દેતી કથા તમિલનાડુના યોગાનંથનની છે. તે પોતે તો તમિલનાડુમાં બીડી બનાવવાનું કાર્ય કરે છે, પરંતુ તેમની દીકરી પૂર્ણાશ્રીએ વેઇટ લિફ્ટિંગનો સુવર્ણ ચંદ્રક જીતીને દરેકનું હૃદય જીતી લીધું. જો હું ડેવિડ બૅકહામનું નામ લઈશ તો તમે કહશો કે જાણીતા આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ખેલાડી. પરંતુ હવે તમારી પાસે પણ એક ડેવિડ બૅકહામ છે અને તેણે ગુવાહાટીમાં યૂથ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો છે અને તે પણ સાઇકલિંગ સ્પર્ધાની 200 મીટર સ્પ્રિંટ સ્પર્ધામાં. કેટલાક સમય પહેલાં હું જ્યારે અંડમાન-નિકોબાર ગયો હતો, કાર-નિકોબાર દ્વીપના રહેવાસી ડેવિડનાં માથેથી તેમનાં માતાપિતાની છત્રછાયા ઊઠી ગઈ હતી. કાકા તેમને ફૂટબૉલર બનાવવા માગતા હતા તો જાણીતા ફૂટબૉલરના નામે તેમનું નામ રાખી દીધું. પરંતુ તેમનું મન સાઇકલિંગમાં લાગેલું હતું. ‘ખેલો ઇન્ડિયા’ યોજના હેઠળ તેમની પસંદગી થઈ પણ ગઈ અને આજે જુઓ, તેમણે સાઇકલિંગમાં એક નવો કીર્તિમાન રચી નાખ્યો.
ભિવાનીના પ્રશાંતસિંહ કન્હૈયાએ પૉલ વૉલ્ટ સ્પર્ધામાં પોતાનો જ રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 19 વર્ષના પ્રશાંત એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય લાગશે કે પ્રશાંત માટીમાં પૉલ વૉલ્ટનો અભ્યાસ કરતા હતા. તે જાણ્યા પછી રમત વિભાગે તેમના પ્રશિક્ષકને જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એકેડેમી ચલાવવામાં મદદ કરી અને આજે પ્રશાંત ત્યાં પ્રશિક્ષણ મેળવી રહ્યા છે.
મુંબઈની કરીના શાન્ક્તાની કથામાં પણ કોઈ પણ પરિસ્થિતિમાં હાર નહીં માનવાની એક દૃઢ ઈચ્છાશક્તિ દરેકને પ્રેરણા આપે તેવી છે. કરીનાએ તરણમાં 100 મીટર બ્રૅસ્ટ સ્ટ્રૉક સ્પર્ધાની અંડર-17 શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે અને નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો છે. દસમા ધોરણમાં ભણતી કરીના માટે એક સમય એવો પણ આવ્યો જ્યારે ઘૂંટણમાં ઈજાના કારણે તેને પ્રશિક્ષણ છોડવું પડ્યું પરંતુ કરીના અને તેમની માતાએ હિંમત ન હારી અને આજે પરિણામ આપણાં બધાંની સામે છે. હું બધાં ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. તેની સાથે જ હું બધાં દેશવાસીઓની તરફથી આ બધાંનાં માબાપને પણ નમન કરું છું જેમણે ગરીબીને બાળકોના ભવિષ્યનો અવરોધ બનવા નથી દીધી. આપણે બધાં જાણીએ છીએ કે રાષ્ટ્રીય ખેલ સ્પર્ધાના માધ્યમથી જ્યાં ખેલાડીઓને પોતાનું જનૂન દર્શાવવાનો તક મળે છે તો બીજી તરફ તેઓ બીજાં રાજ્યોની સંસ્કૃતિથી પણ પરિચિત થાય છે. આથી અમે ‘ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ’ની જેમ જ દર વર્ષે ‘ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ’ પણ આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે.
સાથીઓ, આગામી મહિને 22મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ સુધી ઓડિશાના કટક અને ભુવનેશ્વરમાં પહેલી ‘ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ’ આયોજિત થવા જઈ રહી છે. તેમાં ભાગીદારી માટે 3,000થી વધુ ખેલાડીઓ લાયક ઠરી ચૂક્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, પરીક્ષાની ઋતુ આવી ગઈ છે તો દેખીતું છે કે બધાં વિદ્યાર્થીઓ પોતપોતાની તૈયારીને અંતિમ ઓપ દેવામાં લાગેલાં હશે. દેશના કરોડો વિદ્યાર્થી સાથીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ના અનુભવ પછી હું વિશ્વાસ સાથે કહી શકું છું કે દેશનો યુવાન આત્મવિશ્વાસથી ભરેલો છે અને દરેક પડકાર માટે તૈયાર છે.
સાથીઓ, એક તરફ પરીક્ષાઓ અને બીજી તરફ, ઠંડીની ઋતુ. આ બંને વચ્ચે મારો આગ્રહ છે કે પોતાને ચુસ્તતંદુરસ્ત જરૂર રાખો. થોડો વ્યાયામ જરૂર કરજો, થોડું રમજો. રમતગમત ફિટ રહેવાનો મૂળ મંત્ર છે. આમ તો હું આ દિવસોમાં જોઈ રહ્યો છું કે ‘ફિટ ઇન્ડિયા’ વિષય પર અનેક કાર્યક્રમો થાય છે. 18મી જાન્યુઆરીએ યુવાનોએ દેશભરમાં સાઇકલૉથૉનનું આયોજન કર્યું જેમાં જોડાયેલા લાખો દેશવાસીઓએ ફિટનેસનો સંદેશો આપ્યો. આપણું ન્યૂ ઇન્ડિયા સંપૂર્ણ રીતે ફિટ રહે તે માટે દરેક સ્તર પર જે પ્રયાસો જોવા મળી રહ્યા છે તે જોશ અને ઉત્સાહથી ભરી દેનારા છે. ગત વર્ષે નવેમ્બરમાં શરૂ થયેલી ‘ફિટ ઇન્ડિયા સ્કૂલ’ની ઝુંબેશ પણ હવે રંગ લાવી રહી છે. મને જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી 65,000થી વધુ શાળાઓએ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને ‘ફિટ ઇન્ડિયા સ્કૂલ’ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. દેશની બાકી બધી શાળાઓને મારો અનુરોધ છે કે તે શારીરિક પ્રવૃત્તિઓ અને રમતોને અભ્યાસની સાથે જોડીને ‘ફિટ સ્કૂલ’ જરૂર બને. તેની સાથે જ હું બધાં દેશવાસીઓને એ અનુરોધ કરું છું કે તેઓ પોતાની દિનચર્યામાં શારીરિક પ્રવૃત્તિઓને વધુમાં વધુ ઉત્તેજન આપે. રોજ પોતાને યાદ અપાવો કે આપણે ફિટ તો ઇન્ડિયા ફિટ.
મારા પ્રિય દેશવાસીઓ, બે સપ્તાહ પહેલાં, ભારતના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ તહેવારોની ધૂમ હતી. જ્યારે પંજાબમાં લોહડી, જોશ અને ઉત્સાહની ઉષ્ણતા ફેલાવી રહી હતી, તો તમિલનાડુની બહેનો અને ભાઈઓ પોંગલનો તહેવાર મનાવી રહ્યા હતા, તિરુવલ્લુવરની જયંતી ઉજવી રહ્યાં હતાં. આસામમાં બિહુની મનોહારી છટા જોવા મળી રહી હતી, ગુજરાતમાં બધી તરફ ઉત્તરાયણની ધૂમ અને પતંગોથી ભરપૂર આકાશ હતું. આવા સમયમાં, દિલ્લી એક ઐતિહાસિક ઘટનાની સાક્ષી બની રહી હતી. દિલ્લીમાં એક મહત્ત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. તેની સાથે જ 25 વર્ષ જૂની બ્રૂ રિયાંગ શરણાર્થી, કટોકટીનો એક પીડાદાયક અધ્યાયનો અંત થયો,- હંમેશાં હંમેશાં માટે તે સમાપ્ત થઈ ગઈ. પોતાની વ્યસ્ત દિનચર્યા અને તહેવારોની ઋતુના કારણે તમે કદાચ આ ઐતિહાસિક સમજૂતી વિશે વિસ્તારથી જાણી ન શક્યા હો, એટલે મને લાગ્યું કે તેના વિશે ‘મન કી બાત’માં હું તમારી સાથે અવશ્ય ચર્ચા કરું. આ સમસ્યા 90ના દશકની છે. 1997માં જાતિવાદી તણાવના કારણે બ્રૂ રિયાંગ જનજાતિના લોકોને મિઝોરમમાંથી નીકળીને ત્રિપુરામાં શરણ લેવું પડ્યું હતું. આ શરણાર્થીઓને ઉત્તર ત્રિપુરાના કંચનપુર સ્થિત અસ્થાયી શિબિરોમાં રાખવામાં આવ્યા. એ ખૂબ જ પીડાદાયક છે કે બ્રૂ રિયાંગ સમાજના લોકોએ શરણાર્થીઓના રૂપમાં પોતાના જીવનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો ગુમાવી દીધો. તેમના માટે શિબિરોમાં જીવન વિતાવવાનો અર્થ હતો- દરેક મૂળભૂત સુવિધાથી વંચિત રહેવું. 23 વર્ષ સુધી- ન ઘર, ન જમીન, ન પરિવાર માટે, બીમારી માટે ઈલાજનો પ્રબંધ અને ન બાળકોના શિક્ષાની ચિંતા અથવા તેમના માટે સુવિધા. જરા વિચારો, 23 વર્ષ સુધી શિબિરોમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવન વિતાવવું, તેમના માટે કેટલું દુષ્કર રહ્યું હશે. જીવનની દરેક પળ, દરેક દિવસનું એક અનિશ્ચિત ભવિષ્ય સાથે આગળ વધવું, કેટલું કષ્ટદાયક રહ્યું હશે. સરકારો આવી અને ગઈ, પરંતુ તેમની પીડાનો ઉકેલ નીકળી ન શક્યો. પરંતુ આટલા કષ્ટ છતાં ભારતીય સંવિધાન અને સંસ્કૃતિ પ્રત્યે તેમનો વિશ્વાસ અડગ જળવાયેલો રહ્યો. અને આ વિશ્વાસનું પરિણામ છે કે તેમના જીવનમાં આજે એક નવું પ્રભાત ઉગ્યું છે. સમજૂતી હેઠળ, હવે તેમના માટે ગરીમાપૂર્ણ જીવન જીવવાનો રસ્તો ખુલી ગયો છે. છેવટે 2020નું નવું દશક બ્રૂ-રિયાંગ સમુદાયના જીવનમાં એક નવી આશા અને અપેક્ષાનું કિરણ લઈને આવ્યું. લગભગ 34,000 બ્રૂ શરણાર્થીઓને ત્રિપુરામાં વસાવાશે. એટલું જ નહીં, તેમના પુનર્વાસ અને સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર લગભગ 600 કરોડ રૂપિયાની મદદ કરશે. પ્રત્યેક વિસ્થાપિત પરિવારને પ્લૉટ આપવામાં આવશે. ઘર બનાવવામાં મદદ કરવામાં આવશે. તેની સાથે જ તેમના કરિયાણાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેઓ હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકશે. આ સમજૂતી અનેક કારણોથી બહુ વિશેષ છે. તે સહકારી સમવાયતંત્રની ભાવનાને દર્શાવે છે. આ સમજૂતી બંને રાજ્યોની જનતાની સંમતિ અને શુભકામનાઓથી જ સંભવ થયું છે. તેના માટે હું બંને રાજ્યોની જનતાનો, ત્યાંના મુખ્ય પ્રધાનોનો વિશેષ રૂપે આભાર માનવા માગું છું. આ સમજૂતી ભારતીય સંસ્કૃતિમાં સમાહિત કરુણાભાવ અને સહૃદયતાને પણ પ્રગટ કરે છે. બધાને પોતાના માનીને ચાલવા અને સંપ સાથે રહેવું આ પવિત્રભૂમિના સંસ્કારોમાં વસેલું છે. એક વાર ફરી હું આ રાજ્યોના નિવાસીઓ અને બ્રૂ રિયાંગ સમુદાયના લોકોને હું વિશેષ રૂપે અભિનંદન પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આટલી મોટી ‘ખેલો ઇન્ડિયા’ રમતોનું સફળ આયોજન કરનારા આસામમાં એક બીજું મોટું કામ થયું છે. તમે પણ જોયું હશે કે હજુ કેટલાક દિવસો પહેલાં જ આસામમાં, આઠ અલગ-અલગ ત્રાસવાદી જૂથોના 644 લોકોએ પોતાનાં હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું. જે પહેલાં હિંસાના રસ્તે ચાલ્યા ગયા હતા તેમણે પોતાનો વિશ્વાસ શાંતિમાં વ્યક્ત કર્યો અને દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો નિર્ણય કર્યો છે, મુખ્ય ધારામાં પાછા ફર્યા છે. ગત વર્ષે ત્રિપુરામાં પણ 80થી વધુ લોકો હિંસાનો માર્ગ છોડીને મુખ્ય ધારામાં પાછા ફર્યા છે. જેમણે એમ વિચારીને હથિયાર ઊઠાવી લીધા હતા કે હિંસાથી સમસ્યાઓનું સમાધાન નીકળી શકે છે, તેમનો એ વિશ્વાસ દૃઢ થયો છે કે શાંતિ અને સંપ જ કોઈ પણ વિવાદને ઉકેલવાનો એક માત્ર રસ્તો છે. દેશવાસીઓને એ જાણીને ખૂબ જ પ્રસન્નતા થશે કે ઈશાન ભારતમાં વિદ્રોહ બહુ મોટા પ્રમાણમાં ઓછો થયો છે અને તેનું સૌથી મોટું કારણ એ છે કે આ ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક મુદ્દાને શાંતિ સાથે, પ્રમાણિકતા સાથે, ચર્ચા કરીને ઉકેલવામાં આવી રહ્યો છે. દેશના કોઈ પણ ખૂણામાં અત્યારે પણ હિંસા અને હથિયારના જોરે સમસ્યાઓનો ઉકેલ શોધી રહેલા લોકોને આજે, આ પ્રજાસત્તાક દિનના પવિત્ર અવસરે અપીલ કરું છું કે તેઓ પાછા ફરે. મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં, પોતાની અને આ દેશની ક્ષમતાઓ પર ભરોસો રાખો. આપણે એકવીસમી સદીમાં છીએ જે જ્ઞાન-વિજ્ઞાન અને લોકતંત્રનો યુગ છે. શું તમે કોઈ એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં હિંસાથી જીવન વધુ સારું થયું હોય? શું તમે કોઈ કેવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં શાંતિ અને સદભાવ જીવન માટે મુસીબત બન્યા હોય? હિંસા કોઈ પણ સમસ્યાનું સમાધાન કરતી નથી. દુનિયાની કોઈ પણ સમસ્યાનો ઉકેલ, કોઈક બીજી સમસ્યા પેદા કરવાથી નહીં, પરંતુ વધુમાં વધુ સમાધાન શોધીને જ મેળવી શકાય છે. આવો, આપણે બધાં મળીને એક એવા નવા ભારતનું નિર્માણ કરવામાં જોડાઈ જઈએ, જ્યાં શાંતિ દરેક પ્રશ્નના જવાબનો આધાર હોય. એકતા દરેક સમસ્યાના સમાધાનના પ્રયાસમાં હોય. અને ભાઈચારો દરેક વિભાજન અને ભાગલાના પ્રયાસને નિષ્ફળ બનાવે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ગણતંત્ર દિવસના પાવન અવસર પર મને ‘ગગનયાન’ વિશે જણાવતાં અપાર હર્ષ થઈ રહ્યો છું. દેશ, તે દિશામાં એક બીજું ડગલું આગળ વધી ગયો છે. 2022માં આપણી સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવાનાં છે. અને આ પ્રસંગે આપણે ‘ગગનયાન મિશન’ની સાથે એક ભારતવાસીને અંતરિક્ષમાં લઈ જવાના પોતાના સંકલ્પને સિદ્ધ કરવાનો છે. ‘ગગનયાન મિશન’ 21મી સદીમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં ભારતની એક ઐતિહાસિક ઉપલબ્ધિ હશે. નવા ભારત માટે, આ એક સીમાચિહ્ન સાબિત થશે.
સાથીઓ, તમને ખબર જ હશે કે આ મિશનમાં ઍસ્ટ્રૉનૉટ એટલે કે અંતરિક્ષયાત્રી માટે ચાર ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી છે. આ ચારેય યુવા ભારતીય વાયુ સેનાના પાઇલૉટ છે. આ પ્રતિભાશાળી યુવાનો ભારતના કૌશલ્ય, પ્રતિભા, સાહસ અને સપનાંઓના પ્રતીક છે. આપણા ચારેય મિત્ર, આગામી કેટલાક દિવસોમાં પ્રશિક્ષણ માટે રશિયા જવાના છે. મને વિશ્વાસ છે કે તેઓ ભારત અને રશિયા વચ્ચે મૈત્રી અને સહયોગનો વધુ એક સુવર્ણ અધ્યાય બનશે. તેમને એક વર્ષથી વધુ સમય સુધી પ્રશિક્ષણ આપવામાં આવશે. તે પછી દેશની આશાઓ અને આકાંક્ષાઓની ઉડાનથી અંતરિક્ષ સુધી લઈ જવાની જવાબદારી તેમનામાંથી એકના ખભા પર જ હશે. આજે ગણતંત્ર દિવસના શુભ અવસર પર આ ચારેય યુવાનો અને આ મિશન સાથે જોડાયેલા ભારત અને રશિયાના વૈજ્ઞાનિકો અને ઈજનેરોને હું અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ગત માર્ચમાં એક વીડિયો, મિડિયા અને સૉશિયલ મિડિયામાં ચર્ચાનો વિષય બનેલા હતા. ચર્ચા એ હતી કે એકસો સાત વર્ષનાં એક વૃદ્ધ માતા રાષ્ટ્રપતિભવન સમારોહમાં પ્રૉટોકૉલને તોડીને રાષ્ટ્રપતિજીને કેવા આશીર્વાદ આપી રહ્યાં છે. આ મહિલાં હતાં સાલુમરદા થિમક્કા, જેઓ કર્ણાટકમાં ‘વૃક્ષ માતા’ના નામે પ્રખ્યાત છે. અને તે સમારોહ હતો- પદ્મ પુરસ્કારનો. ખૂબ જ સાધારણ પૃષ્ઠભૂમાંથી આવતાં થિમક્કાના અસાધારણ યોગદાનને દેશે જાણ્યું સમજ્યું અને સન્માન આપ્યું હતું. તેમને પદ્મશ્રી સન્માન મળી રહ્યું હતું.
સાથીઓ, આજે ભારત પોતાની આ મહાન વિભૂતિના સંદર્ભે ગર્વની અનુભૂતિ કરે છે. ધરાતલ સાથે જોડાયેલા લોકોનું સન્માનિત કરીને ગૌરવાન્વિત અનુભવે છે. દર વર્ષની જેમ, ગઇકાલે સાંજે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી દેવામાં આવી છે. મારો અનુરોધ છે કે તમે આ બધાં લોકો વિશે જરૂર વાંચો. તેમના યોગદાન વિશે પરિવારમાં ચર્ચા કરો. 2020માં પદ્મ પુરસ્કારો માટે આ વર્ષે 46 હજારથી વધુ નામાંકન પ્રાપ્ત થયા છે. આ સંખ્યા 2014ની સરખામણીએ 20 ગણાથી વધુ છે. આ આંકડા જન-જનના એ વિશ્વાસને દર્શાવે છે કે પદ્મ એવૉર્ડ હવે પીપલ્સ એવૉર્ડ બની ગયા છે. આજે પદ્મ પુરસ્કારોની બધી પ્રક્રિયા ઑનલાઇન છે. પહેલાં જે નિર્ણય સીમિત લોકો વચ્ચે થતા હતા તે આજે પૂરી રીતે લોકો દ્વારા સંચાલિત છે. એક રીતે કહીએ તો પદ્મ પુરસ્કારો માટે દેશમાં એક નવો વિશ્વાસ અને સન્માન પેદાં થયાં છે. હવે સન્માન મેળવનારાઓમાં અનેક લોકો એવા હોય છે જે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને જમીનથી ઊઠ્યા છે. સીમિત સંસાધનનાં વિઘ્નો અને પોતાની આસપાસ ઘનઘોર નિરાશાને તોડીને આગળ વધ્યા છે. હકીકતે, તેમની દૃઢ ઈચ્છાશક્તિ સેવાની ભાવના અને નિઃસ્વાર્થ ભાવ આપણને સહુને પ્રેરિત કરે છે. હું એક વાર ફરી બધા પદ્મ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપું છું. અને તમને બધાંને તેમના વિશે વાંચવા, વધુ જાણકારી મેળવવા માટે વિશેષ અનુરોધ કરું છું. તેમના જીવનની અસાધારણ કથાઓ, સમાજને સાચા અર્થમાં પ્રેરિત કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, ફરી એક વાર ગણતંત્ર પર્વની અનેક-અનેક શુભકામનાઓ. આ સમગ્ર દેશ, તમારા જીવનમાં, ભારતના જીવનમાં, નવા સંકલ્પોવાળું બને, નવી સિદ્ધિઓવાળું બને. અને વિશ્વ, ભારત પાસેથી જે અપેક્ષા રાખે છે તે અપેક્ષાઓને પૂર્ણ કરવાનું સામર્થ્ય ભારત પ્રાપ્ત કરીને રહે. આ એક વિશ્વાસ સાથે આવો, નવા દશકની શરૂઆત કરીએ. નવા સંકલ્પો સાથે મા ભારતી માટે લાગી જઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2019ની વિદાયની પળો આપણી સામે છે. ત્રણ દિવસની અંદર 2019 વિદાય લઈ લેશે અને આપણે ન માત્ર 2020માં પ્રવેશ કરીશું, નવા વર્ષમાં પ્રવેશ કરીશું, પરંતુ નવા દાયકામાં પણ પ્રવેશ કરીશું, 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરીશું. હું બધા દેશવાસીઓને 2020 માટે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આ દાયકા વિશે એક વાત તો નિશ્ચિત છે, તેમાં દેશના વિકાસને ગતિ આપવામાં એ લોકો સક્રિય ભૂમિકા નિભાવશે કે જેમનો જન્મ 21મી સદીમાં થયો છે – જે આ સદીના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને સમજીને મોટા થઈ રહ્યાં છે. આવા યુવાઓને, આજે ઘણા બધા શબ્દોમાં ઓળખવામાં આવે છે. કોઈ તેમને Millenialsના રૂપમાં ઓળખે છે તો કેટલાક તેમને Generation Z અથવાતો Gen Z પણકહે છે. અને વ્યાપક રૂપમાં એક વાત તો લોકોના મગજમાં બંધ બેસી ગઈ છે કે આSocial Media Generation છે. આપણે બધાં અનુભવ કરીએ છીએ કે આપણી આ પેઢી ખૂબ જ પ્રતિભાશાળી છે. કંઈક નવું કરવાનું, અલગ કરવાનું તેમનું સપનું હોય છે. તેમનાં પોતાનાં મંતવ્યો પણ હોય છે અને સૌથી વધુ ખુશીની વાત એ છે અને ખાસ કરીને, હું ભારત વિશે કહેવા માગીશ કે આજકાલ આપણે યુવાઓને જોઈએ છીએ તો તેઓ વ્યવસ્થાને પસંદ કરે છે, સિસ્ટમને પસંદ કરે છે. એટલું જ નહીં, તેઓ સિસ્ટમને અનુસરવાનું પણ પસંદ કરે છે. અને ક્યારેક ક્યાંય સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરે તો તેઓ બેચેન પણ થઈ જાય છે અને હિંમત સાથે સિસ્ટમને પ્રશ્ન પણ કરે છે.હું તેને સારું માનું છું. એક વાત તો પાકી છે કે આપણા દેશના યુવાઓને, આપણે એમ પણ કહી શકીએ કે અરાજકતા પ્રત્યે નફરત છે. અવ્યવસ્થા, અસ્થિરતા તેના પ્રત્યે તેમને બહુ જ ચીડ છે. તેઓ પરિવારવાદ, જાતિવાદ, વ્હાલા-દવલા, સ્ત્રી-પુરુષ, આ ભેદભાવોને પસંદ કરતા નથી. ક્યારેક ક્યારેક આપણે જોઈએ છીએ કે વિમાન મથકે કે સિનેમા ઘરોમાં પણ કોઈ કતારમાં ઊભું હોય અને વચ્ચે કોઈ ઘૂસી જાય તો સૌથી પહેલાં અવાજ ઉઠાવનારા યુવાઓ જ હોય છે. અને આપણે તો જોયું છે કે આવી કોઈ ઘટના બને છે તો બીજા નવયુવાનો તરત પોતાનો મોબાઇલ ફૉન કાઢીને તેનો વિડિયો બનાવી લે છે અને જોતજોતામાં તે વિડિયો વાઇરલ પણ થઈ જાય છે. અને તે ખોટું કરે છે તો અનુભવે છે કે શું થઈ ગયું! તો, એક નવા પ્રકારની વ્યવસ્થા, નવા પ્રકારનો યુગ, નવા પ્રકારનો વિચાર, તેને આપણી યુવા પેઢી પ્રતિબિંબિતકરે છે. આજે ભારતને આ યુવા પેઢી પાસે ઘણી આશાઓ છે. આ યુવાઓએ જ દેશને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “My faith is in the younger generation, the modern generation, out of them, will come my workers.” તેમણે કહ્યું હતું કે “મારો વિશ્વાસ યુવા પેઢીમાં છે, આ આધુનિક Generationમાં છે, મૉડર્ન Generationમાં છે” અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે “તેમાંથી જ મારા કાર્યકર્તા નીકળશે.”યુવાઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું, “યુવાવસ્થાની કિંમત ન તો આંકી શકાય છે અને ન તો તેનું વર્ણન કરી શકાય છે.”આ જીવનનો સૌથી મૂલ્યવાન કાળખંડ હોય છે. તમારું ભવિષ્ય, તમારું જીવન એ વાત પર નિર્ભર કરે છે કે તમે તમારી યુવાવસ્થાનો ઉપયોગ કઇ રીતે કરો છો. વિવેકાનંદજીના અનુસાર, યુવા તે છે જે ઊર્જા અને ગતિશીલતાથી ભરપૂર છે અને પરિવર્તનની શક્તિ ધરાવે છે. મને પૂરો વિશ્વાસ છે કે ભારતમાં આ દાયકો, આ Decade ન માત્ર યુવાઓના વિકાસનો રહેશે પરંતુ યુવાઓના સામર્થ્યથી દેશનો વિકાસ કરનારો પણ સાબિત થશે અને ભારતને આધુનિક બનાવવામાં આ પેઢીની ઘણી મોટી ભૂમિકા રહેવાની છે, તેનો હું સ્પષ્ટ અનુભવ કરી રહ્યો છું. આગામી 12 જાન્યુઆરીએ વિવેકાનંદ જયંતી પર જ્યારે દેશ યુવા-દિવસ મનાવી રહ્યો હશે, ત્યારે પ્રત્યેક યુવા, આ દાયકામાં પોતાની આ જવાબદારી પર જરૂર ચિંતન પણ કરે અને આ દાયકા માટે કોઈ સંકલ્પ પણ અવશ્ય લે.
મારા પ્રિય દેશવાસીઓ, તમારામાંથી અનેક લોકોને કન્યાકુમારીમાં જે ખડક પર સ્વામી વિવેકાનંદજીએ આત્મચિંતન કર્યું હતું ત્યાં જે વિવેકાનંદ રૉક મેમોરિયલ બન્યું છે, તેની જાણકારી હશે જ, તેનાં પચાસ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. છેલ્લા પાંચ દાયકામાં, આ સ્થાન ભારતનું ગૌરવ રહ્યું છે. કન્યાકુમારી, દેશ દુનિયા માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાષ્ટ્રભક્તિથી ભરપૂર આધ્યાત્મિક ચેતનાનો અનુભવ કરવા માગતાં – દરેક માટે, તે તીર્થક્ષેત્ર બની રહ્યું છે, શ્રદ્ધાકેન્દ્ર બની રહ્યું છે. સ્વામીજીના સ્મારકે દરેક પંથ, દરેક આયુના, વર્ગના લોકોને, રાષ્ટ્રભક્તિ માટે પ્રેરિત કર્યા છે. ‘દરિદ્ર નારાયણની સેવા’ આ મંત્રને જીવવાનો રસ્તો બતાવ્યો છે.જે પણ ત્યાં ગયું છે તેની અંદર શક્તિનો સંચાર થાય, સકારાત્મકતાનો ભાવ જાગે, દેશને માટે કંઈક કરવાની ભાવના જન્મે, તે બહુ સ્વાભાવિક છે.
આપણા માનનીય રાષ્ટ્રપતિ મહોદયજી પણ ગત દિવસોમાં આ પચાસ વર્ષ નિમિત્તે રૉક મેમોરિયલનો પ્રવાસ કરીને આવ્યા છે અને મને આનંદ છે કે આપણા ઉપરાષ્ટ્રપતિજી પણ ગુજરાતના કચ્છના રણમાં, જ્યાં એક ઘણો જ ઉત્તમ રણોત્સવ થાય છે, તેના ઉદઘાટન માટે ગયા હતા. જ્યારે આપણા રાષ્ટ્રપતિજી- ઉપરાષ્ટ્રપતિજી પણ ભારતમાં જ આવાં મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળોએ જઈ રહ્યા છે, તો દેશવાસીઓને તેનાથી જરૂર પ્રેરણા મળે છે. તમે પણ જરૂર જજો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે અલગ-અલગ કૉલેજોમાં, યુનિવર્સિટીઓમાં, શાળાઓમાં ભણીએ તો છીએ જ, પરંતુ અભ્યાસ પૂરો થયા પછી alumnimeet –એટલે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મિલાપ ઘણો સુખદ અવસર હોય છે અને આ મિલાપમાં આ બધા નવયુવાનો મળીને જૂનાં સંસ્મરણોમાં ખોવાઈ જાય છે, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પાછા ચાલ્યા જાય છે પરંતુ ક્યારેક ક્યારેક આવો મિલાપ વિશેષ આકર્ષણનું કારણ બની જાય છે, તેના પર ધ્યાન જાય છે અને દેશવાસીઓનું પણ ધ્યાન તેના તરફ જવું ઘણું જરૂરી હોય છે. જૂના સહાધ્યાયીઓનો મિલાપ હકીકતે જૂના દોસ્તો સાથે મળવું, યાદોને તાજી કરવી, તેનો પોતાનો એક અલગ જ આનંદ હોય છે અને જ્યારે બધાનો સમાન હેતુ હોય, કોઈ સંકલ્પ હોય, કોઈ ભાવનાત્મક લગાવ જોડાઈ જાય તો પછી તેમાં અનેક રંગો ભરાઈ જાય છે. તમે જોયું હશે કે જૂના સહાધ્યાયીઓનાં મિલાપ જૂથો ક્યારેક ક્યારેક પોતાની શાળાઓ માટે કંઈક ને કંઈક યોગદાન પણ આપે છે. કોઈ કમ્પ્યૂટરાઇઝ્ડ કરવા માટે વ્યવસ્થા કરી આપે છે, કોઈ સારી લાઇબ્રેરી બનાવી દે છે, કોઈ પાણીની સારી સુવિધા ઊભી કરી આપે છે, કેટલાક લોકો નવા ઓરડાઓ બનાવવા માટે મદદ કરે છે, કેટલાક લોકો રમત સંકુલ માટે કામ કરે છે. કંઈ ન કંઈ કરી લે છે. તેમને આનંદ આવે છે કે જે જગ્યાએ પોતાની જિંદગી બની, તેના માટે જીવનમાં કંઈક કરવું, તે ભાવના દરેકના મનમાં રહે છે અને રહેવી પણ જોઈએ અને તેના માટે લોકો આગળ પણ આવે છે. પરંતુ હું આજે એક વિશેષ અવસરને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા માગું છું. હમણાં ગત દિવસોમાં, પ્રસાર માધ્યમોમાં બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના ભૈરવગંજ આરોગ્ય કેન્દ્રની વાત જ્યારે મેં સાંભળી તો મને એટલું સારું લાગ્યું કે હું તમને કહ્યા વગર નહીં રહી શકું. આ ભૈરવગંજ આરોગ્ય કેન્દ્રમાં મફતમાં આરોગ્ય તપાસ કરાવવા માટે આસપાસનાં ગામડાઓમાંથી હજારો લોકોની ભીડ એકઠી થઈ ગઈ. હવે આ વાત સાંભળીને તમને કોઈ આશ્ચર્ય નહીં થાય. તમને લાગશે કે તેમાં શું નવી વાત છે? લોકો તો આવે. જી નહીં. અહીં ઘણું બધું નવું છે. આ કાર્યક્રમ સરકારનો નહોતો. ન તો સરકારની પહેલ હતી. તે ત્યાંની કે. આર. હાઇસ્કૂલ, તેના જે પૂર્વ વિદ્યાર્થીઓ હતા, તેમનો જૂના સહાધ્યાયીઓનો મિલાપ હતો, તેનાઅંતર્ગત ઉઠાવાયેલું આ પગલું હતું અને તેનું નામ આપવામાં આવ્યું‘સંકલ્પ નાઇન્ટી ફાઇવ’. ‘સંકલ્પ નાઇન્ટી ફાઇવ’નો અર્થ છે – આ હાઇસ્કૂલની 1995 બેચના વિદ્યાર્થીઓનો સંકલ્પ. હકીકતે આ બેચના વિદ્યાર્થીઓએ એક જૂના સહાધ્યાયીઓનો મિલાપ રાખ્યો હતો અને કંઈક અલગ કરવાનું વિચાર્યું હતું. તેમાં પૂર્વ વિદ્યાર્થીઓએ સમાજ માટે કંઈક કરવાનું નક્કી કર્યું અને તેમણે જવાબદારી ઉઠાવી લોક આરોગ્ય જાગૃતિની. ‘સંકલ્પ નાઇન્ટી ફાઇવ’ની આ ઝુંબેશમાં બેતિયાની સરકારી મેડિકલ કૉલેજ અને અનેક હૉસ્પિટલો પણ જોડાઈ ગઈ. તે પછી તો જાણે કે જન સ્વાસ્થ્ય અંગે એક આખું અભિયાન જ ચાલી નીકળ્યું. નિઃશુલ્ક તપાસ હોય, મફતમાં દવાઓ આપવાની હોય કે પછી જાગૃતિ ફેલાવવાની હોય -‘સંકલ્પ નાઇન્ટી ફાઇવ’ દરેક માટે એક ઉદાહરણ બનીને સામે આવ્યું છે. આપણે ઘણી વાર કહીએ છીએ કે જ્યારે દેશનો દરેક નાગરિક એક ડગલું આગળ વધે છે તો આ દેશ 130 કરોડ ડગ આગળ વધે છે. આવી વાતો જ્યારે સમાજમાં પ્રત્યક્ષ રૂપે જોવા મળે છે તો દરેકને આનંદ થાય છે, સંતોષ મળે છે અને જીવનમાં કંઈક કરવાની પ્રેરણા પણ મળે છે. એક તરફ, જ્યાં બિહારના બેતિયામાં, પૂર્વ વિદ્યાર્થીઓના સમૂહે સ્વાસ્થ્ય સેવાનું બીડું ઉઠાવ્યું તો ઉત્તર પ્રદેશના ફૂલપુરની કેટલીક મહિલાઓએ પોતાના જીવનથી સમગ્ર વિસ્તારને પ્રેરણા આપી છે. આ મહિલાઓએ સાબિત કર્યું છે કે જો એકસંપ થઈને કોઈ સંકલ્પ લેવામાં આવે તો પછી પરિસ્થિતિઓને બદલવાથી કોઈ ન રોકી શકે. કેટલાક સમય પહેલાં સુધી ફૂલપુરની આ મહિલાઓ આર્થિક તંગી અને ગરીબીથી હેરાન હતી, પરંતુ તેમનામાં પોતાના પરિવાર અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ધગશ હતી. આ મહિલાઓએ કાદીપુરના સ્વયં સહાયતા સમૂહ- વીમેન સેલ્ફ હૅલ્પ ગ્રૂપ – તેની સાથે જોડાઈને ચપ્પલ બનાવવાનું હુન્નર શીખ્યા, તેનાથી તેમણે ન માત્ર પોતાના પગમાં ભોંકાયેલા મજબૂરીના કાંટાને કાઢી નાખ્યો, પરંતુ આત્મનિર્ભર બનીને પોતાના પરિવારનોસધિયારો પણ બની ગઈ. ગ્રામીણ આજીવિકા મિશનની મદદથી હવે તો અહિંયા ચપ્પલ બનાવવાનો પ્લાન્ટ પણ સ્થાપિત થઈ ગયો છે. જ્યાં આધુનિક મશીનોથી ચપ્પલો બનાવવામાં આવી રહ્યાં છે. હું વિશેષ, રીતે સ્થાનિક પોલીસ અને તેમના પરિવારોને પણ અભિનંદન પાઠવું છું, તેમણે પોતાના માટે અને પોતાના પરિવારજનો માટે આ મહિલાઓ દ્વારા બનાવાયેલા ચપ્પલોને ખરીદીને તેમને પ્રોત્સાહિત કર્યા છે. આજે આ મહિલાઓના સંકલ્પથી ન માત્ર તેમના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત થઈ છે, પરંતુ તેમના જીવનનું સ્તર પણ ઊંચું ઉઠ્યું છે. જ્યારે ફૂલપૂરના પોલીસના જવાનોની કે તેમના પરિવારજનોની વાત સાંભળું છું તો તમને યાદ હશે કે મેં લાલ કિલ્લા પરથી 15મી ઑગસ્ટે દેશવાસીઓને એક વાત માટે અનુરોધ કર્યો હતો અને મેં કહ્યું હતું કે આપણે સહુ દેશવાસીઓ સ્થાનિક ઉત્પાદનો ખરીદવાનો આગ્રહ રાખીએ. આજે ફરીથી મારું એક સૂચન છે કે શું આપણે સ્થાનિક સ્તર પર બનાવાયેલાં ઉત્પાદનોને પ્રોત્સાહિત કરી શકીએ? શું આપણી ખરીદીમાં તેને પ્રાથમિકતા આપી શકીએ? શું આપણે સ્થાનિક ઉત્પાદનોને આપણી પ્રતિષ્ઠા અને શાન સાથે જોડી શકીએ? શું આપણે આ ભાવના સાથે પોતાના સાથી દેશવાસીઓ માટે સમૃદ્ધિ લાવવાનું માધ્યમ બની શકીએ? સાથીઓ, મહાત્મા ગાંધીએ સ્વદેશીની આ ભાવનાને એક એવા દીપકના રૂપમાં જોઈ જે લાખો લોકોના જીવનને પ્રકાશિત કરતો હોય. ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ લાવતો હોય. સો વર્ષ પહેલાં ગાંધીજીએ એક મોટું જન આંદોલન શરૂ કર્યું હતું. તેનું એક લક્ષ્ય હતું, ભારતીય ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાં. આત્મનિર્ભર બનવાનો આ જ માર્ગ ગાંધીજીએ દેખાડ્યો હતો. 2022માં આપણે આપણી સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં કરીશું.જે સ્વતંત્ર ભારતમાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, તે ભારતને સ્વતંત્ર કરવા માટે લાખો સપૂતોએ, દીકરા-દીકરીઓએ અનેક યાતનાઓ સહન કરી છે, અનેકોએ પ્રાણની આહુતિ આપી છે. લાખો લોકોએ ત્યાગ, તપસ્યા, બલિદાનના કારણે જેસ્વતંત્રતા મળી, તે સ્વતંત્રતાનો આપણે ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છીએ, સ્વતંત્ર જિંદગી આપણે જીવી રહ્યાં છીએ અને દેશ માટે મરી ફીટનારા દેશ માટે પોતાનું જીવન અર્પણ કરી દેનારા, નામી-અનામી, અગણિત લોકો, કદાચ મુશ્કેલીથી, આપણે ઘણા ઓછા લોકોનાં નામો જાણતાં હોઈશું, પરંતુ તેમણે બલિદાન આપ્યું, તે સપનાંઓને લઈને, સ્વતંત્ર ભારતનાં સપનાંઓને લઈને – સમૃદ્ધ, સુખી, સંપન્ન, સ્વતંત્ર ભારત માટે.
મારા પ્રિય દેશવાસીઓ, શું આપણે સંકલ્પ કરી શકીએ કે 2022, સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, બની શકે તો આ બે-ત્રણ વર્ષ આપણે સ્થાનિક ઉત્પાદનો ખરીદવાનાં આગ્રહી બનીએ? ભારતમાં બનેલું, આપણા દેશવાસીઓના હાથે બનેલું, આપણા દેશવાસીઓના પરસેવાની જેમાં સુગંધ હોય, એવી ચીજોને આપણે ખરીદવાનો આગ્રહ રાખી શકીએ? હું લાંબા સમય માટે નથી કહી રહ્યો, માત્ર 2022 સુધી, સ્વતંત્રતાના 75 વર્ષ થાય ત્યાં સુધી જ. અને આ કામ, સરકારી ન હોવું જોઈએ, અનેક સ્થાનો પર નવયુવાનો આગળ આવે, નાનાં-નાનાં સંગઠનો બનાવે, લોકોને પ્રેરિત કરે, સમજાવે અને નિશ્ચય કરે- આવો, આપણે સ્થાનિક ચીજો ખરીદીશું, સ્થાનિક ઉત્પાદનો પર ભાર મૂકીશું, દેશવાસીઓના પરસેવાની જેમાં સુગંધ હોય- માત્ર તે જ. મારા સ્વતંત્ર ભારતની સોનેરી પળ હોય, આ સપનાંઓને લઈને આપણે ચાલીએ.
મારા પ્રિય દેશવાસીઓ, આ આપણા બધા માટે, ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે દેશના નાગરિકો, આત્મનિર્ભર બને અને સન્માન સાથે પોતાનું જીવન વ્યતિત કરે. હું એક એવી પહેલની ચર્ચા કરવા માગીશ જેણે મારું ધ્યાન ખેંચ્યું અને તે પહેલ છે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો હિમાયત કાર્યક્રમ. હિમાયત હકીકતે કૌશલ્ય વિકાસ અને રોજગાર સાથે જોડાયેલો છે. તેમાં 15થી 35 વર્ષ સુધીનાં કિશોર અને યુવાનો જોડાય છે. તે જમ્મુકાશ્મીરના એ લોકો છે જેમનો અભ્યાસ, કોઈ કારણથી પૂરો થઈ શક્યો નથી, જેમને અધવચ્ચે જ સ્કૂલ-કૉલેજ છોડવી પડી.
મારા પ્રિય દેશવાસીઓ, તમને જાણીને ખૂબ જ સારું લાગશે કે આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં અઢાર હજાર યુવાનોને 77 અલગ-અલગ વ્યવસાયઓનું પ્રશિક્ષણ અપાયું છે. તેમાંથી લગભગ પાંચ હજાર લોકો તો ક્યાંક ને ક્યાંક નોકરી કરી રહ્યા છે અને ઘણા બધા સ્વરોજગાર તરફ આગળ વધી રહ્યા છે. હિમાયત કાર્યક્રમથી પોતાનું જીવન બદલનારા આ લોકોની જે વાતો સાંભળવા મળી છે તે સાચે જ હૃદયને સ્પર્શી જાય છે.
પરવીન ફાતિમા, તમિલનાડુના તીરુપુરના એક ગારમેન્ટ યુનિટમાં બઢતી પછી સુપરવાઇઝર કમ કૉઑર્ડિનેટર બન્યા છે. એક વર્ષ પહેલાં સુધી, તેઓ કારગિલના એક નાનકડા ગામમાં રહેતાં હતાં. આજે તેમના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું, આત્મવિશ્વાસ આવ્યો- તેઓ આત્મનિર્ભર થયાં છે અને પોતાનાં સમગ્ર પરિવાર માટે પણ આર્થિક પ્રગતિનો અવસર લઈને આવ્યાં છે. પરવીન ફાતિમાની જેમ જ હિમાયત કાર્યક્રમે લેહ-લદ્દાખ ક્ષેત્રની નિવાસી અન્ય દીકરીઓનું પણ ભાગ્ય બદલ્યું છે અને તે બધી આજે તમિલનાડુના એ જ ફર્મમાં કામ કરી રહી છે. આ જ રીતે હિમાયત ડોડાના ફિયાઝ અહમદ માટે વરદાન બનીને આવ્યો. ફિયાઝે 2012માં 12મું ધોરણ પાસ કર્યું, પરંતુ બીમારીના કારણે, તેઓ પોતાનો અભ્યાસ ચાલુ ન રાખી શક્યા. ફિયાઝ બે વર્ષ સુધી હૃદયની બીમારી સામે ઝઝૂમતા રહ્યા. તે દરમિયાન, તેમના એક ભાઈ અને બહેનનું મૃત્યુ પણ થઈ ગયું. એક રીતે તેમના પરિવાર પર તકલીફોનો પહાડ તૂટી પડ્યો. છેવટે, તેને હિમાયતથી મદદ મળી. હિમાયત દ્વારા ITES એટલે કે ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી એનેબલ્ડ સર્વિસીસમાં પ્રશિક્ષણ મળ્યું અને તેઓ આજે પંજાબમાં નોકરી કરી રહ્યા છે.
ફિયાઝ અહમદે સ્નાતકનો અભ્યાસ, જે તેમણે સાથેસાથે ચાલુ રાખ્યો, તે હવે પૂરો થવાનો છે. તાજેતરમાં જ હિમાયતના એક કાર્યક્રમમાં તેમને પોતાનો અનુભવ જણાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. પોતાની કથની કહેતી વખતે તેમની આંખોમાંથી અશ્રુ છલકાઈ ગયાં. તે જ રીતે અનંતનાગના રકીબ ઉલ રહમાન, આર્થિક તંગીના કારણે પોતાનો અભ્યાસ પૂરો ન કરી શક્યા. એક દિવસ, રકીબને પોતાના બ્લૉકમાં જે એક કેમ્પ લાગેલો હતો, મૉબિલાઇઝેશન કેમ્પ, તેના દ્વારા હિમાયત કાર્યક્રમની ખબર પડી. રકીબે તરત રિટેલ ટીમ લીડર કૉર્સમાં પ્રવેશ મેળવી લીધો. ત્યાં પ્રશિક્ષણ પૂરું કર્યા પછી આજે તેઓ એક કૉર્પોરેટ હાઉસમાં નોકરી કરી રહ્યા છે. ‘હિમાયત મિશન’થી લાભાન્વિત પ્રતિભાશાળી યુવાનોનાં આવાં અનેક ઉદાહરણો છે જે જમ્મુ-કાશ્મીરમાં પરિવર્તનના પ્રતીક બન્યા છે. હિમાયત કાર્યક્રમ, સરકાર, ટ્રેનિંગ પાર્ટનર, નોકરી આપનારી કંપનીઓ અને જમ્મુ-કાશ્મીરના લોકો વચ્ચે એક સુંદર તાલમેળનું આદર્શ ઉદાહરણ છે.આ કાર્યક્રમે જમ્મુ-કાશ્મીરમાં યુવાઓની અંદર એક નવો આત્મવિશ્વાસ જગાડ્યો છે અને આગળ વધવાનો માર્ગ પણ પ્રશસ્ત કર્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ, 26 તારીખે આપણે આ દાયકાનું છેલ્લું સૂર્યગ્રહણ જોયું. કદાચ સૂર્યગ્રહણની આ ઘટનાના કારણે જ My GOV પર રિપુને ખૂબ જ રસપ્રદ ટીપ્પણી લખી છે. તેઓ લખે છે, “નમસ્કાર સર, મારું નામ રિપુન છે. હું ઈશાન ભારતનો રહેવાસી છું, પરંતુ આજકાલ હું દક્ષિણમાં કામ કરી રહ્યો છું. એક વાત હું આપને જણાવવા માગું છું. મને યાદ છે કે અમારા ક્ષેત્રમાં આકાશ ચોખ્ખું હોવાના કારણે અમે કલાકો આકાશના તારાઓને તાકીતાકીને જોતા હતા. તારાઓને જોવાનું મને ખૂબ જ ગમતું હતું. હવે હું એક વ્યાવસાયિક છું અને મારી દિનચર્યાના કારણે હું આ ચીજોને સમય આપી શકતો નથી…શું તમે આ વિષય પર કંઈક વાત કરી શકો? વિશેષ રૂપે, ખગોળશાસ્ત્રને યુવાનો વચ્ચે કેવી રીતે લોકપ્રિય બનાવી શકાય?”
મારા પ્રિય દેશવાસીઓ, મને સૂચનો અનેક આવે છે, પરંતુ હું કહી શકું છું કે આ પ્રકારનું સૂચન કદાચ પહેલી વાર મારી પાસે આવ્યું છે. આમ તો વિજ્ઞાન પર, અનેક પાસાં પર વાતચીત કરવાની તક મળી છે. ખાસ કરીને યુવાન પેઢીના અનુરોધ પર મને વાતચીત કરવાની તક મળી છે. પરંતુ આ વિષય તો વણસ્પર્શ્યો જ રહી ગયો હતો અને હમણાં 26 તારીખે સૂર્યગ્રહણ થયું તો લાગે છે કે કદાચ આ વિષયમાં તમને પણ કંઈ ને કંઈ રૂચિ હશે જ. તમામ દેશવાસીઓ- ખાસ કરીને મારા યુવા સાથીઓની જેમ હું પણ, જે દિવસે, 26 તારીખે, સૂર્યગ્રહણ હતું, તો દેશવાસીઓની જેમ મને પણ અને જેમ મારી યુવાપેઢીના મનમાં જે ઉત્સાહ હતો તેવો મારા મનમાં પણ હતો અને હું પણ સૂર્યગ્રહણ જોવા માગતો હતો, પરંતુ અફસોસની વાત એ રહી કે તે દિવસે કે દિલ્હીમાં આકાશમાં વાદળો છવાયેલાં હતાં અને હું તે આનંદ ન ઉઠાવી શક્યો. જોકે ટીવી પર કૉઝિકૉડ અને ભારતના બીજા હિસ્સામાં દેખાઈ રહેલા સૂર્યગ્રહણની સુંદર તસવીરો જોવા મળી. સૂર્ય ચમકતી વીંટીના આકારનો દેખાઈ રહ્યો હતો. અને તે દિવસે મને કંઈક આ વિષયના જે નિષ્ણાતો છે તેમની સાથે સંવાદ કરવાની તક પણ મળી અને તેઓ જણાવી રહ્યા હતા કે આવું એટલા માટે થાય છે કારણકે ચંદ્રમા પૃથ્વીથી ઘણો દૂર હોય છે અને આથી, તેનો આકાર સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી શકતો નથી. અને તેથી, આ રીતે, એક વીંટીનો આકાર બની જાય છે. આ સૂર્યગ્રહણ, એક એન્યુલરએક્લિપ્સ હતો, જેને વલય ગ્રહણ અથવા કુંડળ ગ્રહણ પણ કહે છે. ગ્રહણ આપણને એ વાતની યાદ અપાવે છે કે આપણે પૃથ્વી પર રહીને અંતરિક્ષમાં ફરી રહ્યા છે. અંતરિક્ષમાં સૂર્ય, ચંદ્રમા અને અન્ય ગ્રહો જેવા અનેક ખગોળીય પિંડો ફરતા રહે છે. ચંદ્રમાની છાયાથી જ આપણને ગ્રહણનાં અલગ-અલગ રૂપ જોવાં મળે છે. સાથીઓ, ભારતમાં ઍસ્ટ્રૉનૉમી અર્થાત ખગોળ વિજ્ઞાનનો ઘણો જ પ્રાચીન અને ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. આકાશમાં ઝબૂકતા તારાઓની સાથે આપણો સંબંધ એટલો જ જૂનો છે જેટલી પ્રાચીન આપણી સભ્યતા છે. તમારામાંના ઘણા લોકોને ખબર હશે કે ભારતમાં અલગ-અલગ સ્થાનો પર ખૂબ જ ભવ્ય જંતરમંતર છે, તે જોવાલાયક છે. અને આ જંતરમંતરનો ઍસ્ટ્રૉનૉમી સાથે ગાઢ સંબંધ છે.મહાન આર્યભટ્ટની વિલક્ષણ પ્રતિભા વિશે કોણ નથી જાણતું? પોતાનાપુસ્તકના અધ્યાય‘કાલક્રિયા’માં તેમણે સૂર્યગ્રહણની સાથોસાથ ચંદ્રગ્રહણની પણ વિસ્તારથી વ્યાખ્યા કરી છે. તે પણ તત્ત્વચિંતન અને ગણિતીય – બંને દૃષ્ટિકોણથી કરી છે. તેમણે ગણિતીય રીતે બતાવ્યું કે પૃથ્વીની છાયા કે પડછાયાના કદની ગણતરી કેવી રીતે કરી શકાય. તેમણે ગ્રહણની અવધિ અને હદની ગણતરી કરવાની પણ ચોક્કસ જાણકારીઓ આપી. ભાસ્કર જેવા તેમના શિષ્યોએ આ ભાવનાને અને આ જ્ઞાનને આગળ વધારવા માટે ભરપૂર પ્રયાસો કર્યા. તે પછી ચૌદમી-પંદરમી સદીમાં, કેરળમાં સંગમ ગ્રામના માધવે બ્રહ્માંડમાં સ્થિત ગ્રહોની સ્થિતિની ગણના કરવા માટે કલનશાસ્ત્રનો ઉપયોગ કર્યો. રાતે દેખાતુંઆકાશ માત્ર જિજ્ઞાસાનો જ વિષય નહોતો પરંતુ ગણિતની દૃષ્ટિએ વિચારનારા અને વૈજ્ઞાનિકો માટે એક મહત્ત્વપૂર્ણ સ્રોત હતો. કેટલાંક વર્ષો પહેલાં મેં ‘Pre Modern Kutchi Navigation Techniques and voyages’ આ પુસ્તકનું અનાવરણ કર્યું હતું. આ પુસ્તક એક રીતે તો ‘માલમ’ની ડાયરી છે. માલમ એક નાવિક તરીકે જે અનુભવ કરતા હતા તેમણે પોતાની રીતે તેને ડાયરીમાં લખ્યો હતો. આધુનિક યુગમાં તે જ માલમની પોથીને અને તે પણ ગુજરાતી પાંડુલિપિઓનો સંગ્રહ, જેમાં પ્રાચીન નેવિગેશન ટૅક્નૉલૉજીનું વર્ણન કરે છે અને તેમાં વારંવાર ‘માલમની પોથી’માં આકાશનું, તારાઓનું, તારાઓની ગતિનું વર્ણન કરાયું છે અને તે સ્પષ્ટ બતાવાયું છે કે સમુદ્રમાં મુસાફરી કરતા સમયે, તારાઓના સહારે દિશા નક્કી કરાતી હતી. ગંતવ્ય સ્થળે પહોંચવાનો રસ્તો તારાઓ બતાવે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ઍસ્ટ્રૉનૉમીનું ક્ષેત્ર ભારતમાં ઘણું આગળ છે અને આપણીઅનેક પહેલ, નવી કેડી કંડારનારી પણ છે. આપણી પાસે પૂણેની નજીકવિશાળકાય મીટરવૅવ ટૅલિસ્કૉપ છે. એટલું જ નહીં, કોડાઈકેનાલ, ઉદગમંડલમ, ગુરુશિખર અને હાન્લે લદ્દાખમાં પણ શક્તિશાળી ટૅલિસ્કૉપ છે. 2016માં, બેલ્જિયમના તત્કાલીન વડા પ્રધાન અને મેં નૈનીતાલમાં 3.6 મીટર દેવસ્થળ ઑપ્ટિકલ ટેલિસ્કૉપનું ઉદઘાટન કર્યું હતું. તેને એશિયાનું સૌથી મોટું ટૅલિસ્કૉપ કહેવાય છે. ઇસરો પાસે ઍસ્ટ્રૉસેટ નામનો એક ખગોળીય ઉપગ્રહ છે. સૂર્ય વિશે સંશોધન કરવા માટે ઇસરો ‘આદિત્ય’ નામથી એક અન્ય ઉપગ્રહ પણ પ્રક્ષેપિત કરવાનું છે. ખગોળવિજ્ઞાન વિશે, ચાહે તે આપણું પ્રાચીન જ્ઞાન હોય, કે આધુનિક ઉપલબ્ધિઓ, આપણે તેમને અવશ્ય સમજવું જોઈએ અને તેના પર ગર્વ કરવો જોઈએ. આજે આપણા યુવા વૈજ્ઞાનિકોમાં ન માત્ર આપણો વૈજ્ઞાનિક ઇતિહાસ જાણવાની ઝંખના દેખાય છે, પરંતુ તેઓ ઍસ્ટ્રૉનૉમીના ભવિષ્ય માટે પણ એક દૃઢ ઈચ્છાશક્તિ રાખે છે.
આપણા દેશનાં પ્લેનેટૉરિયમ, નાઇટ સ્કાયને સમજવાની સાથે સ્ટાર ગેઝીંગ–તારક દર્શનને શોખના રૂપમાં વિકસિત કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. અનેક લોકો એમેચ્યોર ટેલિસ્કૉપને અગાશી કે બાલ્કનીમાં લગાવે છે. તારક દર્શનથી ગ્રામીણ શિબિરો ને ગ્રામીણ પ્રવાસને પણ પ્રોત્સાહન મળી શકે છે. અને અનેક એવી શાળાઓ-કૉલેજોછે જે ઍસ્ટ્રૉનૉમીની ક્લબો પણ બનાવે છે અને આ પ્રયોગને આગળ પણ વધારવો જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, આપણી સંસદને, લોકતંત્રના મંદિરના રૂપમાં આપણે જાણીએ છીએ. એક વાતનો હું આજે ગર્વથી ઉલ્લેખ કરવા માગું છું કે તમે જે પ્રતિનિધિઓને ચૂંટીને સંસદમાં મોકલ્યા છે તેમણે છેલ્લાં 60 વર્ષના અનેક વિક્રમો તોડ્યા છે. ગત છ માસમાં 17મી લોકસભાના બંને ગૃહો ખૂબ જ ઉત્પાદક રહ્યાં છે. લોકસભાએ તો 114 ટકા કામ કર્યું, તો રાજ્યસભાએ 94 ટકા કામ કર્યું. અને તે પહેલાં, બજેટ સત્રમાં, લગભગ 135 ટકા કામ કર્યું હતું. મોડી રાત સુધી સંસદ ચાલી. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે બધાં સાંસદ તેના માટે બધાઈને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે. તમે જે જનપ્રતિનિધિઓને મોકલ્યા છે, તેમણે 60 વર્ષના બધા વિક્રમો તોડી નાખ્યા છે. આટલું કામ થયું, તે પોતાની રીતે, ભારતના લોકતંત્રની તાકાતનું પણ, લોકતંત્ર પ્રતિ આસ્થાનું પણ પરિચાયક છે. હું બને ગૃહોના પીઠાસીન અધિકારીઓ, બધા રાજકીય પક્ષોને, બધા સાંસદોને, તેમની આ સક્રિય ભૂમિકા માટે ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું.
મારા પ્રિય દેશવાસીઓ, સૂર્ય, પૃથ્વી, ચંદ્રમાની ગતિ માત્ર ગ્રહણ નક્કી નથી કરતી, પરંતુ ઘણી બધી ચીજો પણ તેની સાથે જોડાયેલી છે. બધાં જાણે છે કે સૂર્યની ગતિના આધારે જાન્યુઆરીના મધ્યમાં, સમગ્ર ભારતમાં વિભિન્ન પ્રકારના તહેવારો મનાવાશે. પંજાબથી લઈને તમિલનાડુ સુધી અને ગુજરાતથી લઈને આસામ સુધી, લોકો અનેક તહેવારોની ઉજવણી કરશે.જાન્યુઆરીમાં ખૂબ જ ધામધૂમથી મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ મનાવાય છે. તેમને ઊર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ દરમિયાન પંજાબમાં લોહડી, તમિલનાડુમાં પોંગલ, આસામમાં માઘબિહુ પણ મનાવવામાં આવશે. આ તહેવાર, ખેડૂતોની સમૃદ્ધિ અને પાક સાથે પણ બહુ નિકટતાથી જોડાયેલા છે. આ તહેવારો આપણને ભારતની એકતા અને ભારતની વિવિધતા વિશે યાદ અપાવે છે. પોંગલના છેલ્લા દિવસે મહાન તિરુવલ્લુવરની જયંતી મનાવવાનું સૌભાગ્ય આપણને દેશવાસીઓને મળે છે. આ દિવસ મહાન લેખક-વિચારક સંત તિરુવલ્લુવરજીને, તેમના જીવનને સમર્પિત હોય છે.
મારા પ્રિય દેશવાસીઓ, 2019ની આ છેલ્લી ‘મન કી બાત’ છે. 2020માં આપણે ફરી મળીશું. નવું વર્ષ, નવું દશક, નવો સંકલ્પ, નવી ઊર્જા, નવો ઉમંગ, નવો ઉત્સાહ- આવો ચાલીએ. સંકલ્પની પૂર્તિ માટેનું સામર્થ્ય સંચિત કરતા ચાલીએ. દૂર સુધી ચાલવાનું છે, ઘણું બધું કરવાનું છે, દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડવાનો છે. 130 કરોડ દેશવાસીઓના પુરુષાર્થ પર, તેમના સામર્થ્ય પર, તેમના સંકલ્પ પર, અપાર શ્રદ્ધા રાખીને, આવો આપણે ચાલીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણી બધી શુભકામનાઓ.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. આજે મન કી બાતની શરૂઆત, યુવા દેશના, યુવા, જે ઉત્સાહ, જે દેશભક્તિ, જે સેવાના રંગમાં રંગાયેલા છે તે નવજુવાન. તમે જાણો છો ને. નવેમ્બર મહિનાનો ચોથો રવિવાર દર વર્ષે એનસીસી દિવસના રૂપમાં મનાવાય છે. સામાન્ય રીતે આપણી યુવા પેઢીને ફ્રેન્ડશિપ દિવસ બરાબર યાદ રહે છે, પરંતુ ઘણા લોકો છે જેમને એનસીસી ડે પણ એટલો જ યાદ રહે છે. તો ચાલો આજે એનસીસી વિશે વાત કરીએ. મને પણ કેટલીક યાદો તાજી કરવાનો અવસર મળી જશે. સૌથી પહેલાં તો એનસીસીના બધા પૂર્વ અને વર્તમાન કેડેટને એનસીસી ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. કારણ કે હું પણ આપની જેમ જ કેડેટ રહ્યો છું અને મનથી પણ, આજે પણ પોતાને કેડેટ જ માનું છું. એ તો આપણને બધાને ખબર છે જ કે એનસીસી એટલે નેશનલ કેડેટ કૉર્પ્સ. દુનિયાના સૌથી મોટા ગણવેશધારી યુવા સંગઠનોમાં ભારતનું એનસીસી એક છે. આ એક ટ્રાય સર્વિસ ઑર્ગેનાઇઝેશન છે જેમાં સેના, નૌ સેના, વાયુ સેના ત્રણેય સમાવિષ્ટ છે. નેતૃત્વ, દેશભક્તિ, નિ:સ્વાર્થ સેવા, શિસ્ત, કઠોર પરિશ્રમ એ બધાને પોતાના ચરિત્રનો હિસ્સો બની લે, પોતાનો શોખ બનાવવાની એક રોમાંચક યાત્રા અર્થાત્ એનસીસી. આ યાત્રા વિશે કંઈક વધુ વાત કરવા માટે આજે ફૉન કૉલ્સ દ્વારા કેટલાક નવજુવાનો, જેમણે એનસીસીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, આવો તેમની સાથે વાત કરીએ.
પ્રધાનમંત્રી : સાથીઓ, આપ સહુ કેમ છો?
તરન્નુમ ખાન : જય હિન્દ પ્રધાનમંત્રીજી
પ્રધાનમંત્રી : જય હિન્દ
તરન્નુમ ખાન : સર, મારું નામ જુનિયર અંડર ઑફિસર તરન્નુમ ખાન છે
પ્રધાનમંત્રી : તરન્નુમ, આપ ક્યાંથી છો?
તરન્નુમ ખાન : હું દિલ્લીની છું, સર.
પ્રધાનમંત્રી : અચ્છા. તો એનસીસીમાં કેટલા વર્ષ કેવો અનુભવ રહ્યો આપનો?
તરન્નુમ ખાન : સર, હું એનસીસીમાં વર્ષ ૨૦૧૭માં જોડાઈ હતી અને
આ ત્રણ વર્ષ મારી જિંદગીનાં શ્રેષ્ઠ વર્ષો રહ્યાં છે.
પ્રધાનમંત્રી : વાહ, સાંભળીને બહુ સારું લાગ્યું.
તરન્નુમ ખાન : સર, હું આપને જણાવવા માગીશ કે મારો સૌથી સારો અનુભવ જે રહ્યો તે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કેમ્પમાં રહ્યો હતો. તે અમારો કેમ્પ ઑગસ્ટમાં થયો હતો જેમાં NER ‘નોર્થ ઇસ્ટર્ન રિજિયન’નાં બાળકો પણ આવ્યા હતા. તે કેડેટની સાથે અમે દસ દિવસ માટે રહ્યા. અમે તેમની રહેણી કરણી શીખ્યાં. અમે જોયું કે તેમની ભાષા કેવી છે? તેમની પરંપરા, તેમની સંસ્કૃતિ, અમે તેમની આવી અનેક ચીજો શીખી. જેમ કે via zhomi નો અર્થ થાય છે હેલો… કેમ છો, તેમ જ અમારી કલ્ચરલ નાઇટ થઈ હતી. તેની અંદર તેમણે અમને પોતાનો ડાન્સ શીખવ્યો, તહેરા કહે છે તેમના ડાન્સને. અને તેમણે મને ‘મેખાલા’ પહેરવાનું પણ શીખવ્યું. હું સાચું કહું છું, તેની અંદર ખૂબ જ સુંદર અમે બધાં લાગી રહ્યાં હતાં દિલ્લીવાળા તેમજ અમારા નાગાલેન્ડના દોસ્ત પણ. અમે તેમને દિલ્લી દર્શન પર પણ લઈને ગયા હતા, જ્યાં અમે તેમને નેશનલ વૉર મેમોરિયલ અને ઇન્ડિયા ગેટ બતાવ્યાં. ત્યાં અમે તેમને દિલ્લીની ચાટ પણ ખવડાવી, ભેળપુરી પણ ખવડાવી, પરંતુ તેમને થોડું તીખું લાગ્યું કારણ કે તેમણે કહ્યું કે તેઓ મોટા ભાગે સૂપ પીવાનું પસંદ કરે છે, થોડી ઉકાળેલી શાકભાજી ખાવાનું પસંદ કરે છે તો તેમનું ભોજન તો એટલું ન ભાવ્યું, પરંતુ તે ઉપરાંત અમે તેમની સાથે ઘણી તસવીરો પડાવી, અમારો ઘણો અનુભવ તેમની સાથે વહેંચ્યો.
પ્રધાનમંત્રી : આપે તેમની સાથે સંપર્ક ચાલુ રાખ્યો છે ને?
તરન્નુમ ખાન : જી સાહેબ, અમારો સંપર્ક તેમની સાથે હજુ જળવાઈ રહ્યો છે.
પ્રધાનમંત્રી : ચાલો, સારું કર્યું આપે.
તરન્નુમ ખાન : જી સર.
પ્રધાનમંત્રી : બીજા કોણ સાથી છે તમારી સાથે?
શ્રી હરિ જી. વી. : જય હિન્દ સર.
પ્રધાનમંત્રી : જય હિન્દ.
શ્રી હરિ જી. વી. : હું સીનિયરઅંડર ઑફિસર શ્રી જી. વી.હરી બોલી રહ્યો છું.
હું બેંગ્લુરુ, કર્ણાટકનો રહેવાસી છું.
પ્રધાનમંત્રી : અને આપ ક્યાં ભણો છો?
શ્રી હરિ જી. વી. : સર બેંગ્લુરુમાં ક્રિષ્ટુ જયંતી કૉલેજમાં.
પ્રધાનમંત્રી : અચ્છા, બેંગ્લુરુમાં જ છો.
શ્રી હરિ જી. વી. : હા, સર.
પ્રધાનમંત્રી : કહો.
શ્રી હરિ જી. વી. : સર, હું કાલે જ યૂથ ઍક્સચેન્જ પ્રૉગ્રામ સિંગાપોરથી પાછો આવ્યો છું.
પ્રધાનમંત્રી : અરે વાહ!
શ્રી હરિ જી. વી. : હા સર.
પ્રધાનમંત્રી : તો તમને મોકો મળી ગયો ત્યાં જવાનો.
શ્રી હરિ જી. વી. : હા સર.
પ્રધાનમંત્રી : કેવો અનુભવ રહ્યો સિંગાપોરનો?
શ્રી હરિ જી. વી. : ત્યાં છ દેશો આવ્યા હતા જેમાં હતા યુનાઇટેડ કિંગ્ડમ, યુનાઇટેડ સ્ટૅટ્સ ઑફ અમેરિકા, સિંગાપોર, બ્રુનેઇ, હૉંગકૉંગ અને નેપાળ. ત્યાં અમે કૉમ્બેટલેસન્સ અને ઇન્ટરનેશનલ મિલિટરી એક્સર્સાઇઝનું એક ઍક્સ્ચેન્જ શીખ્યું હતું. ત્યાં અમારું પર્ફૉર્મન્સ કંઈક અલગ જ હતું. સર, તેમાંથી અમને વૉટર સ્પૉર્ટ્સ અને ઍડ્વેન્ચર એક્ટિવિટિઝ શીખવાડી હતી અને વૉટર પૉલો ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. અને કલ્ચરલમાં અમે ઑવરઑલ પર્ફૉર્મર્સ હતા સર. તેમને અમારી ડ્રિલ અને વર્ડ ઑફ કમાન્ડ બહુ સારાં લાગ્યાં હતાં.
પ્રધાનમંત્રી : તમે કેટલા લોકો હતા હરિ?
શ્રી હરિ જી. વી. : સર, ૨૦ લોકો. અમે ૧૦ છોકરા, ૧૦ છોકરીઓ હતાં.
પ્રધાનમંત્રી : હા, અહીં જ, ભારતનાં બધાં અલગ-અલગ રાજ્યનાં હતાં?
શ્રી હરિ જી. વી. : હા સર.
પ્રધાનમંત્રી : ચાલો, તમારા બધા સાથી તમારો અનુભવ સાંભળવા માટે બહુ જ આતુર હશે, પરંતુ મને સારું લાગ્યું. બીજાં કોણ છે તમારી સાથે?
વિનોલેકિસો : જય હિન્દ સર.
પ્રધાનમંત્રી : જય હિન્દ.
વિનોલેકિસો : મારું નામ છે સીનિયર અંડર ઑફિસર વિનોલેકિસો.
હું નૉર્થ ઇસ્ટર્ન રિજિયન નાગાલેન્ડ સ્ટેટનો છું સર.
પ્રધાનમંત્રી : હા, વિનોલે. જણાવો શું અનુભવ છે આપનો?
વિનોલેકિસો : સર, હું સેન્ટ જૉસેફ્સ કૉલેજ jakhana (ઑટોનોમસ)માં ભણી રહ્યો છું. બી. એ. હિસ્ટરી (ઑનર્સ)માં. મેં વર્ષ ૨૦૧૭માં એનસીસીમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે મારો જિંદગીનો સૌથી મોટો અને સારો નિર્ણય હતો સર.
પ્રધાનમંત્રી : એનસીસીના કારણે હિન્દુસ્તાનમાં ક્યાં ક્યાં જવાની તક મળી છે?
વિનોલેકિસો : સર, મેં એનસીસીમાં પ્રવેશ મેળવ્યો અને ઘણું શીખ્યો હતો અને મને તક પણ ઘણી મળી હતી અને મારો એક અનુભવ હતો જે હું આપને જણાવવા માગું છું. મેં આ વર્ષે ૨૦૧૯ જૂન મહિનાથી એક કેમ્પ એટેન્ડ કર્યો તે છે કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેઇનિંગ કેમ્પ અને તે સેઝૉલી કોહિમામાં યોજાયો હતો. આ કેમ્પમાં ૪૦ કેડેટે હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી : તો, નાગાલેન્ડમાં બધા તમારા સાથી જાણવા માગતા હશે હિન્દુસ્તાનમાં ક્યાં ગયા, શું-શું જોયું? બધો અનુભવ સંભળાવો છો, બધાને?
વિનોલેકિસો : હા સર.
પ્રધાનમંત્રી : બીજા કોણ છે તમારી સાથે?
અખિલ : જય હિન્દ સર, મારું નામ જુનિયર અંડર ઑફિસર અખિલ છે.
પ્રધાનમંત્રી : હા, અખિલ જણાવો.
અખિલ : હું હરિયાણાના રોહતકનો રહેવાસી છું, સર.
પ્રધાનમંત્રી : હા…
અખિલ : હું દયાલસિંહ કૉલેજ, દિલ્લી યુનિવર્સિટીથી ફિઝિક્સ ઑનર્સ કરી રહ્યો છું.
પ્રધાનમંત્રી : હા… હા…
અખિલ : સર, મને એનસીસીમાં સૌથી સારી શિસ્ત લાગી છે.
પ્રધાનમંત્રી : વાહ…
અખિલ : તેણે મને વધુ જવાબદાર નાગરિક બનાવ્યો છે સર.
એનસીસી કેડેટની ડ્રિલ, ગણવેશ મને ખૂબ જ પસંદ છે.
પ્રધાનમંત્રી : કેટલા કેમ્પ કરવાની તક મળી, ક્યાં-ક્યાં જવાની તક મળી?
અખિલ : સર, મેં ત્રણ કેમ્પ કર્યા છે સર. હું હાલમાં જ ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દહેરાદૂનમાં એટેચમેન્ટ કેમ્પનો હિસ્સો રહ્યો છું.
પ્રધાનમંત્રી : કેટલા સમયનો હતો?
અખિલ : સર, તે ૧૩ દિવસનો કેમ્પ હતો.
પ્રધાનમંત્રી : અચ્છા.
અખિલ : સર, મેં ત્યાં ભારતીય સેનામાં અધિકારી કેવી રીતે બનાય છે તેને બહુ નજીકથી જોયું છે અને તે પછી મારો ભારતીય સેનામાં અધિકારી બનવાનો સંકલ્પ વધુ દૃઢ થયો છે સર.
પ્રધાનમંત્રી : વાહ…
અખિલ : અને સર મેં ગણતંત્ર દિવસની પરેડમાં પણ ભાગ લીધો હતો અને તે મારા માટે અને મારા પરિવાર માટે ઘણા ગર્વની વાત હતી.
પ્રધાનમંત્રી : શાબાશ…
અખિલ : મારાથી વધુ ખુશ મારી મા હતી સર. જ્યારે અમે સવારે બે વાગે ઊઠીને રાજપથ પર પ્રૅક્ટિસ કરવા જતા હતા તો અમારામાં જોશ એટલું બધું રહેતું હતું કે તે જોવા લાયક હતું. અન્ય ફૉર્સેસ કન્ટિન્ટજન્ટના લોકો જે અમને એટલા પ્રોત્સાહિત કરતા હતા કે રાજપથ પર માર્ચ કરતી વખતે, અમારા રૂંવાડા ઊભા થઈ ગયા હતા, સર.
પ્રધાનમંત્રી : ચાલો, તમારા ચારેય સાથે વાત કરવાની તક મળી અને તે પણ એનસીસીડે પર. મારા માટે ખૂબ જ ખુશીની વાત છે કારણકે મારું પણ સૌભાગ્ય રહ્યું કે હું પણ બાળપણમાં મારા ગામની શાળામાં એનસીસી કેડેટ રહ્યો હતો તો મને ખબર છે કે તે શિસ્ત, તે ગણવેશ, તેના કારણે જે confidence level વધે છે, તે બધી વાતો બાળપણમાં મને એક એનસીસી કેડેટના રૂપમાં અનુભવ કરવાનો મોકો મળ્યો હતો.
વિનોલે : પ્રધાનમંત્રીજી, મારો એક પ્રશ્ન છે.
પ્રધાનમંત્રી : હા, પૂછો…
વિનોલે : કે તમે પણ એનસીસીનો હિસ્સો રહ્યા છો
પ્રધાનમંત્રી : કોણ? વિનોલે બોલી રહી છો?
વિનોલે : હા સર, હા સર.
પ્રધાનમંત્રી : હા, વિનોલે પૂછો.
વિનોલે : શું તમને કયારેય સજા મળી હતી?
પ્રધાનમંત્રી : (હસીને) તેનો અર્થ કે તમને લોકોને સજા મળે છે?
વિનોલે : હા, સર.
પ્રધાનમંત્રી : જી નહીં, મારી સાથે આવું ક્યારેય નથી થયું કારણ કે હું ખૂબ જ, એક રીતે શિસ્તમાં માનનારો રહ્યો છું પરંતુ એક વાર જરૂર ગેરસમજ થઈ હતી. જ્યારે અમે કેમ્પમાં હતા તો હું એક ઝાડ પર ચડી ગયો હતો. તો પહેલાં તો એવું લાગ્યું કે મેં કોઈ કાયદો તોડી દીધો છે, પરંતુ બાદમાં બધાને ધ્યાનમાં આવ્યું કે ત્યાં પતંગની દોરીમાં એક પંખી ફસાઈ ગયું હતું. તો તેને બચાવવા માટે હું ત્યાં ચડી ગયો હતો. તો ખેર પહેલાં તો લાગતું હતું કે મારી સામે કોઈ Discipline Action લેવામાં આવશે પરંતુ બાદમાં મારી ઘણી પ્રશંસા થઈ. તો એક રીતે એક અલગ જ અનુભવ થયો મને.
તરન્નુમ ખાન : જી સર. આ જાણીને ઘણું સારું લાગ્યું સર.
પ્રધાનમંત્રી : થેંક યૂ.
તરન્નુમ ખાન : હું તરન્નુમ વાત કરી રહી છું.
પ્રધાનમંત્રી : હા, તરન્નુમ જણાવો.
તરન્નુમ ખાન : જો તમારી આજ્ઞા હોય તો હું આપને એક પ્રશ્ન પૂછવા માગીશ સર.
પ્રધાનમંત્રી : જી… જી.. કહો
તરન્નુમ ખાન : સર, આપે આપના સંદેશાઓમાં અમને કહ્યું છે કે ભારતીય નાગરિકે ત્રણ વર્ષમાં ૧૫ જગ્યાઓ પર તો જવું જ જોઈએ. આપ અમને કહેવા માગશો કે અમારે ક્યાં ક્યાં જવું જોઈએ? અને આપને કઈ જગ્યાએ જઇને સૌથી સારૂં લાગ્યું?
પ્રધાનમંત્રી : આમ તો હું હિમાલયને ઘણો પસંદ કરતો રહ્યો છું, હંમેશાં.
તરન્નુમ ખાન : જી…
પ્રધાનમંત્રી : પરંતુ તેમ છતાં હું ભારતના લોકોને અનુરોધ કરીશ કે જો તમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે…
તરન્નુમ ખાન : જી…
પ્રધાનમંત્રી : ગાઢ જંગલ, ઝરણાં, એક અલગ જ પ્રકારનું વાતાવરણ જોવું છે તો હું બધાને કહું છું કે આપ ઈશાન ભારત જરૂર જાવ.
તરન્નુમ ખાન : જી સર.
પ્રધાનમંત્રી : આ હું હંમેશાં કહું છું અને તેના કારણે ઈશાન ભારતમાં પર્યટન પણ ઘણું વધશે, અર્થંતંત્રને પણ ઘણો ફાયદો થશે અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સપનાને પણ ત્યાં મજબૂતી મળશે.
તરન્નુમ ખાન : જી સર.
પ્રધાનમંત્રી : પરંતુ હિન્દુસ્તાનમાં દરેક જગ્યાએ ઘણું બધું જોવા જેવું છે, અધ્યયન કરવા જેવું છે અને એક રીતે આત્માને સાફ કરવા જેવું છે.
શ્રી હરિ જી. વી. : પ્રધાનમંત્રીજી, હું શ્રી હરિ બોલી રહ્યો છું.
પ્રધાનમંત્રી : જી હરિ કહો…
શ્રી હરિ જી. વી. : હું આપની પાસેથી જાણવા માગું છું કે જો આપ એક Polotician ન હોત તો આપ શું હોત?
પ્રધાનમંત્રી : હવે એ તો ઘણો અઘરો પ્રશ્ન છે કારણકે દરેક બાળકના જીવનમાં અનેક પડાવ આવે છે. ક્યારેક આ બનવાનું મન કરે છે તો ક્યારેક તે બનવાનું મન કરે છે પરંતુ એ વાત સાચી છે કે મને ક્યારેય રાજનીતિમાં જવાનું મન નહોતું, ન તો ક્યારેય વિચાર્યું હતું, પરંતુ હવે પહોંચી ગયો છું તો મન દઈને દેશ માટે કામ કરું, તે માટે વિચારતો રહું છું અને આથી હવે હું ‘અહીં ન હોત તો ક્યાં હોત’ તે વિચારવું જ ન જોઈએ મારે. હવે તો મન દઈને જ્યાં છું ત્યાં મન ભરીને જીવવું જોઈએ અને પૂરી તાકાત સાથે દેશ માટે કામ કરવું જોઈએ. ન દિવસ જોવાનો છે કે ન તો રાત જોવાની છે. બસ આ જ એક ઉદ્દેશ્યથી મેં મારી જાતને હોમી દીધી છે.
અખિલ : પ્રધાનમંત્રીજી…
પ્રધાનમંત્રી : જી..
અખિલ : તમે દિવસમાં એટલા વ્યસ્ત રહો છો તો મારી એ જાણવાની જિજ્ઞાસા હતી કે તમને ટીવી જોવાનો, ફિલ્મ જોવાનો કે પુસ્તકો વાંચવાનો સમય મળે છે?
પ્રધાનમંત્રી : આમ મારી રુચિ પુસ્તક વાંચવામાં તો રહેતી હતી. ફિલ્મ જોવામાં તો ક્યારેય રુચિ પણ નથી રહી, તેમાં સમયનું બંધન તો નહીં અને ન તો તે રીતે ટી. વી. જોઈ શકું છું. ઘણું જ ઓછું. ક્યારેક ક્યારેક પહેલા ડિસ્કવરી ચેનલ જોતો હતો, જિજ્ઞાસાના કારણે. અને પુસ્તકો વાંચતો હતો પરંતુ આ દિવસોમાં તો વાંચી શકતો નથી અને બીજું, ગૂગલના કારણે પણ ટેવ ખરાબ થઈ ગઈ છે કારણકે જો કોઈ સંદર્ભ જોવો હોય તો તરત શૉર્ટકટ શોધી લઈએ છીએ. તો કેટલીક ટેવો જે બધાની બગડી છે, મારી પણ બગડી છે. ચાલો દોસ્તો, મને ઘણું સારું લાગ્યું, આપ સહુની સાથે વાત કરવા માટે અને હું આપના માધ્યમથી એનસીસીના બધા કેડેટસને ખૂબ ખૂબ શુભકામનાઓઆપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો, થેંકયૂ.
બધા એનસીસી કેડેટ : ઘણો ઘણો આભાર સર. થેંકયૂ.
પ્રધાનમંત્રી : થેંકયૂ, થેંકયૂ.
બધા એનસીસી કેડેટ : જય હિન્દ સર.
પ્રધાનમંત્રી : જય હિન્દ.
બધા એનસીસી કેડેટ : જય હિન્દ સર.
પ્રધાનમંત્રી : જય હિન્દ, જય હિન્દ.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા દેશવાસીઓએ એ ક્યારેય પણ ભૂલવું ન જોઈએ કે ૭ ડિસેમ્બરે સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ મનાવાય છે. આ એ દિવસ છે જ્યારે આપણે આપણા વીર સૈનિકોને, તેમના પરાક્રમને, તેમના બલિદાનને યાદ તો કરીએ છીએ પરંતુ યોગદાન પણ આપીયે છીએ. માત્ર સન્માનનો ભાવ એટલાથી વાત ન ચાલે. સહભાગ પણ જરૂરી હોય છે અને ૭ ડિસેમ્બરે પ્રત્યેક નાગરિકે આગળ આવવું જોઈએ. દરેક પાસે તે દિવસે સશસ્ત્ર દળોનો ધ્વજ હોવો જ જોઈએ. અને સહુ કોઇનું યોગદાન પણ હોવું જોઇએ. આવો, આ અવસર પર આપણે આપણા સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ, શૌર્ય અને સમર્પણ ભાવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને વીર સૈનિકોનું સ્મરણ કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટથી તો આપ પરિચિત થઇ જ ગયા હશો. સીબીએસઈએ એક પ્રશંસનીય પહેલ કરી છે. ફિટ ઇન્ડિયા સપ્તાહની. શાળાઓ, ફિટ ઇન્ડિયા સપ્તાહ ડિસેમ્બર મહિનામાં ક્યારેય પણ મનાવી શકે છે. તેમાં ફિટનેસ અંગે અનેક પ્રકારનાં આયોજનો કરાવવાનાં છે. તેમાં ક્વિઝ, નિબંધ, લેખ, ચિત્રકામ, પારંપરિક અને સ્થાનિક રમતો, યોગાસન, ડાન્સ અને ખેલકૂદ પ્રતિયોગિતાઓ સામેલ છે. ફિટ ઇન્ડિયા સપ્તાહમાં વિદ્યાર્થીઓની સાથો–સાથ તેમના શિક્ષક અને માતાપિતા પણ ભાગ લઈ શકે છે. પરંતુ એ ન ભૂલશો કે ફિટ ઇન્ડિયા એટલે નહીં કે માત્ર મગજની કસરત, કાગળ પરની કસરત, કે લેપટોપ કે કમ્પ્યૂટર પર કે મોબાઇલ ફૉન પર ફિટનેસની ઍપ જોતા રહેવી. જી નહીં. પરસેવો વહાવડાવવાનો છે. ભોજનની ટેવો બદલવાની છે. વધુમાં વધુ ફોકસ એક્ટિવિટી કરવાની ટેવ પાડવાની છે. હું દેશનાં બધાં રાજ્યોનાં સ્કૂલ બૉર્ડ અને સ્કૂલ પ્રબંધનને અપીલ કરું છું કે દરેક શાળામાં, ડિસેમ્બર મહિનામાં ફિટ ઇન્ડિયા સપ્તાહ મનાવવો જોઈએ. તેનાથી ફિટનેસની ટેવ આપણા બધાની દિનચર્યામાં સામેલ થશે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં ફિટનેસને આધારે સ્કૂલોના મૂલ્યાંકનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ મૂલ્યાંકનને પ્રાપ્ત કરનારી તમામ શાળાઓ, ફિટ ઇન્ડિયા લૉગો અને ધ્વજનો પ્રયોગ પણ કરી શકશે. ફિટ ઇન્ડિયા પૉર્ટલ પર જઈને સ્કૂલ પોતાને ફિટ ઘોષિત કરી શકે છે. ફિટ ઇન્ડિયા થ્રી સ્ટાર અને ફિટ ઇન્ડિયા ફાઇવ સ્ટાર મૂલ્યાંકન પણ આપવામાં આવશે. હું અનુરોધ કરું છું કે બધી શાળાઓ ફિટ ઇન્ડિયા મૂલ્યાંકનમાં સામેલ થાય અને ફિટ ઇન્ડિયા એક સહજ સ્વભાવ બને. એક જનાંદોલન બને. જાગૃતિ આવે. તેના માટે પ્રયાસ કરવો જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, આપણો દેશ એટલો વિશાળ છે, એટલી વિવિધતાઓથી ભરેલો છે, એટલો પુરાતન છે કે ઘણી બધી વાતો આપણા ધ્યાનમાં જ નથી આવતી અને તે સ્વાભાવિક પણ છે. તેવી એક વાત હું આપને જણાવવા માગું છું. કેટલાક દિવસો પહેલાં My Gov પર એક ટીપ્પણી પર મારી નજર પડી. આ ટીપ્પણી આસામના નૌગાંવના શ્રીમાન રમેશ શર્માજીએ લખી હતી. તેમણે લખ્યું, બ્રહ્મપુત્ર નદી પર એક ઉત્સવ ચાલી રહ્યો છે. જેનું નામ છે બ્રહ્મપુત્ર પુષ્કર. ૪ નવેમ્બરથી ૧૬ નવેમ્બર સુધી આ ઉત્સવ હતો અને આ બ્રહ્મપુત્ર પુષ્કરમાં સામેલ થવા માટે દેશના ભિન્નભિન્ન ભાગોથી કેટલાય લોકો ત્યાં સામેલ થયા છે. આ સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું ને? હા, આ જ તો વાત છે. આ એટલો મહત્વપૂર્ણ ઉત્સવ છે અને આપણા પૂર્વજોએતેની એવી રચના કરી છે કે જ્યારે આખી વાત સાંભળશો તો તમને પણ આશ્ચર્ય થશે. પરંતુ દુર્ભાગ્યથી તેનો જેટલો વ્યાપક પ્રચાર થવો જોઈએ, જેટલી દેશના ખૂણે ખૂણામાં જાણકારી હોવી જોઈએ, તેટલી માત્રામાં નથી હોતી. અને એ પણ વાત સાચી છે કે આનું સંપૂર્ણ આયોજન એક રીતે “એક દેશ એક સંદેશ” અને “આપણે બધાં એક છીએ” તે ભાવ ભરનારૂં છે, તાકાત આપનારૂં છે.
સૌથી પહેલાં તો રમેશજી, તમારો બહુ બહુ આભાર કે તમે ‘મન કી બાત’ના માધ્યમથી દેશવાસીઓ વચ્ચે આ માહીતી વહેંચવાનો નિશ્ચય કર્યો. તમે પીડા પણ વ્યક્ત કરી છે કે આટલી મહત્વપૂર્ણ વાતની કોઈ વ્યાપક ચર્ચા નથી થતી, પ્રચાર નથી થતો. તમારી પીડા હું સમજી શકું છું. દેશમાં મોટા ભાગના લોકો આ વિશે જાણતા નથી. હા, જો કદાચ કોઈએ તેને ઇન્ટરનેશનલ રિવર ફેસ્ટિવલ કહી દીધો હોત કે મોટા-અઘરા શબ્દોથી વર્ણવ્યું હોત, તો કદાચ, આપણા દેશમાં કેટલાક લોકો છે જે જરૂર તેના પર કંઈ ને કંઈ ચર્ચા કરત અને પ્રચાર પણ થઈ જતો.
મારા પ્રિય દેશવાસીઓ, પુષ્કરમ, પુષ્કરાલુ, પુષ્કર: શું તમે ક્યારેય આ શબ્દો સાંભળ્યા છે, શું તમે જાણો છો, તમને ખબર છે કે આ શું છે. હું જણાવું છું. આ દેશની અલગ-અલગ નદીઓ પર જે ઉત્સવ આયોજિત થાય છે તેમનાં ભિન્ન-ભિન્ન નામ છે. દર વર્ષે એક નદી પર એટલે કે તે નદીનો વારો બાર વર્ષ પછી આવે છે અને આ ઉત્સવ દેશના અલગ-અલગ ભાગની બાર નદીઓ પર થાય છે વારાફરતી થાય છે અને બાર દિવસ ચાલે છે, કુંભની જેમ આ ઉત્સવ પણ રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપે છે અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું દર્શન કરાવે છે. પુષ્કરમ આ એવો ઉત્સવ છે જેમાં નદીનું મહાત્મય, નદીનું ગૌરવ, જીવનમાં નદીની મહત્તા એક સહજ રૂપે ઉજાગર થાય છે!
આપણા પૂર્વજોએ પ્રકૃતિને, પર્યાવરણને, જળને, જમીનને, જંગલને ખૂબ જ મહત્વ આપ્યું. તેમણે નદીઓના મહત્વને સમજ્યું અને સમાજમાં નદીઓ પ્રત્યે સકારાત્મક ભાવ કેવી રીતે જન્મે, એક સંસ્કાર કેવી રીતે બને, નદી સાથે સંસ્કૃતિની ધારા, નદી સાથે સંસ્કારી ધારા, નદીની સાથે સમાજને જોડવાનો પ્રયાસ આ નિરંતર ચાલતું રહ્યું અને મજેદાર વાત એ છે કે સમાજ નદીઓ સાથે પણ જોડાયો અને પરસ્પર પણ જોડાયો. ગયા વર્ષે તમિલનાડુની તામીર બરની નદી પર પુષ્કરમ થયો હતો. આ વર્ષે આ બ્રહ્મપુત્ર નદી પર આયોજિત થયો અને આગામી વર્ષે તુંગભદ્રા નદી આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં આયોજિત થશે. એક રીતે તમે આ બાર સ્થાનોની યાત્રા એક ટુરિસ્ટ સર્કિટના રૂપમાં પણ કરી શકો છો. અહીં હું આસામના લોકોના ઉમળકા, ઉષ્મા તેમના આતિથ્યની પ્રશંસા કરવા માગું છું જેમણે પૂરા દેશથી આવેલા તીર્થયાત્રીઓનો ઘણો સુંદર સત્કાર કર્યો.
આયોજકોએ સ્વચ્છતાનો પણ પૂરો ખ્યાલ રાખ્યો. પ્લાસ્ટિક મુક્ત ક્ષેત્ર સુનિશ્ચિત કર્યાં. જગ્યાએ-જગ્યાએ જૈવ શૌચાલયોની વ્યવસ્થા પણ કરી. મને આશા છે કે નદીઓ પ્રત્યે આ પ્રકારનો ભાવ જગાવવાનો આ હજારો વર્ષ જૂનો આપણો ઉત્સવ ભાવિ પેઢીને પણ જોડશે. પ્રકૃતિ, પર્યાવરણ, પાણી… આ બધી ચીજો આપણા પર્યટનનો પણ હિસ્સો બને, જીવનનો પણ હિસ્સો બને.
મારા પ્રિય દેશવાસીઓ, Namo App પર મધ્ય પ્રદેશથી દીકરી શ્વેતા લખે છે, સર હું નવમા ધોરણમાં છું. મારી બૉર્ડની પરીક્ષામાં હજુ એક વર્ષનો સમય છે, પરંતુ હું વિદ્યાર્થીઓ અને એકઝામ વોરિયર્સ સાથે તમારી વાતચીત સતત સાંભળું છું, મેં તમને એટલા માટે લખ્યું છે કારણકે તમે અમને અત્યાર સુધી એ નથી જણાવ્યું કે આગામી પરીક્ષા પર ચર્ચા ક્યારે થશે? કૃપયા તમે તેને જલ્દીથી જલ્દી કરો. જો સંભવ હોય તો જાન્યુઆરીમાં જ આ કાર્યક્રમનું આયોજન કરો. સાથીઓ, ‘મન કી બાત’ વિશે મને આ જ વાત ઘણી સારી લાગે છે- મારા યુવા મિત્રો, મને જે અધિકાર અને જે સ્નેહ સાથે ફરિયાદ કરે છે, આદેશ આપે છે, સૂચનો આપે છે, તે જોઈને મને ઘણો આનંદ થાય છે. શ્વેતાજી, તમે ખૂબ જ સાચા સમયે આ વિષયને ઉપાડ્યો છે. પરીક્ષાઓ આવવાની છે, તો દર વર્ષની જેમ આપણે પરીક્ષા પર ચર્ચા પણ કરવાની છે. તમારી વાત સાચી છે. આ કાર્યક્રમને સહેજ વહેલા આયોજિત કરવાની આવશ્યકતા છે.
ગત કાર્યક્રમ પછી અનેક લોકોએ તેને વધુ પ્રભાવી બનાવવા માટે પોતાનાં સૂચનો પણ મોકલ્યાં છે અને ફરિયાદ પણ કરી હતી કે ગત વખતે મોડો થયો હતો, પરીક્ષા ખૂબ જ નિકટ આવી ગઈ હતી. અને શ્વેતાનું સૂચન સાચું છે કે મારે તેને જાન્યુઆરીમાં કરવો જોઈએ. માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને MyGov ની ટીમ, મળીને તેના પર કામ કરી રહી છે. પરંતુ હું પ્રયત્ન કરીશ, આ વખતે પરીક્ષા પર ચર્ચા જાન્યુઆરીની શરૂઆતમાં કે વચ્ચે થઈ જાય. દેશભરના વિદ્યાર્થીઓ-સાથીઓ પાસે બે અવસર છે. પહેલો, પોતાની શાળામાંથી જ આ કાર્યક્રમનો હિસ્સો બનવું. બીજો, અહીં દિલ્લીમાં થનારા કાર્યક્રમમાં ભાગ લેવો. દિલ્લી માટે દેશભરમાંથી વિદ્યાર્થીઓની પસંદગી My Govના માધ્યમથી કરવામાં આવશે. સાથીઓ, આપણે બધાએ મળીને પરીક્ષાના ભયને ભગાડવાનો છે. મારા યુવા સાથીઓ પરીક્ષાના સમયે હસતાં-કિલકિલાટ કરતાં જોવા મળે, વાલીઓ તણાવમુક્ત થાય, શિક્ષકો આશ્વસ્ત થાય, આ જ ઉદ્દેશ્યને લઈને ગયાં અનેક વર્ષોથી આપણે ‘મન કી બાત’ના માધ્યમથી ‘પરીક્ષા પર ચર્ચા’ ટાઉન હૉલના માધ્યમથી કે પછી એક્ઝામ વૉરિયર્સ બુકના માધ્યમથી સતત પ્રયાસ કરી રહ્યા છીએ. આ મિશનને દેશભરના વિદ્યાર્થીઓએ, વાલીઓએ અને શિક્ષકોએ ગતિ આપી. આથી હું આ બધાંનો આભારી છું અને આગામી પરીક્ષા પર ચર્ચાનો કાર્યક્રમ આપણે બધાં મળીને મનાવીએ – આપ સહુને નિમંત્રણ છે.
સાથીઓ, ગત ‘મન કી બાત’માં આપણે વર્ષ ૨૦૧૦માં અયોધ્યા મામલામાં આવેલા અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના આદેશ વિશે ચર્ચા કરી હતી અને મેં કહ્યું હતું કે દેશે ત્યારે કઈ રીતે શાંતિ અને ભાઈચારો જાળવી રાખ્યો હતો. નિર્ણય આવતા પહેલાં પણ અને નિર્ણય આવ્યા પછી પણ. આ વખતે પણ જ્યારે ૯ નવેમ્બરે સર્વોચ્ચ ન્યાયાલયનો આદેશ આવ્યો તો ૧૩૦ કરોડ ભારતીયોએ ફરીથી એ સાબિત કરી દીધું કે તેમના માટે દેશહિતથી વધીને કંઈ નથી. દેશમાં શાંતિ, એકતા અને સદ્ભાવનાનાં મૂલ્યો સર્વોપરિ છે. રામ મંદિર પર જ્યારે નિર્ણય આવ્યો તો સમગ્ર દેશે તેને દિલ ખોલીને ગળે લગાવ્યો. પૂરી સહજતા અને શાંતિની સાથે સ્વીકાર્યો. આજે ‘મન કી બાત’ના માધ્યમથી હું દેશવાસીઓને સાધુવાદ આપું છું, ધન્યવાદ આપવા માગું છું. તેમણે જે રીતના ધૈર્ય, સંયમ અને પરિપક્વતાનો પરિચય આપ્યો છે, હું તેના માટે વિશેષ આભાર પ્રગટ કરવા માગું છું. એક તરફ જ્યાં લાંબા સમય પછી કાનૂની ઝઘડો સમાપ્ત થયો છે, તો બીજી તરફ ન્યાયપાલિકા પ્રત્યે દેશનું સન્માન વધ્યું છે. સાચા અર્થમાં આ નિર્ણય આપણી ન્યાયપાલિકા માટે એક સીમાચિહ્ન સાબિત થયો છે. સર્વોચ્ચ ન્યાયાલયના આ ઐતિહાસિક નિર્ણય પછી હવે દેશ નવી આશાઓ અને નવી આકાંક્ષાઓ સાથે નવા રસ્તા પર, નવા ઉદ્દેશ્યોને લઈને ચાલી નીકળ્યો છે. ન્યૂ ઇન્ડિયા, આ જ ભાવનાને અપનાવીને શાંતિ, એકતા અને સદ્ભાવના સાથે આગળ વધે- આ જ મારી કામના છે, આપણા સહુની કામના છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણી સભ્યતા, સંસ્કૃતિ અને ભાષાઓ સમગ્ર વિશ્વને વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે. ૧૩૦ કરોડ ભારતીયોનો આ એ દેશ છે જ્યાં કહેવામાં આવતું હતું કે બાર ગાઉએ બોલી બદલાય. આપણી ભારત ભૂમિ પર સેંકડો ભાષાઓ સદીઓથી પુષ્પિત પલ્લવિત થતી રહી છે. જોકે આપણને એ વાતની પણ ચિંતા થાય છે કે ક્યાંક ભાષાઓ અને બોલીઓ લુપ્ત તો નહીં થઈ જાય ને? ગત દિવસોમાં મને ઉત્તરાખંડના ધારચુલાની વાર્તા વાંચવા મળી. મને ખૂબ જ સંતુષ્ટિ થઇ. તે વાર્તા પરથી ખબર પડે છે કે કઈ રીતે લોકો પોતાની ભાષાઓને પ્રોત્સાહન આપવા આગળ આવી રહ્યા છે. કંઈક નવું કરી રહ્યા છે. ધારચુલાની ખબર પર, મારું ધ્યાન પણ એટલા માટે ગયું કે કોઈક સમયે હું ધારચુલામાં આવતાજતાં રોકાતો હતો. તેની પેલે પાર નેપાળ, આ તરફ કાલી ગંગા- તો સ્વાભાવિક રીતે ધારચુલા સાંભળતાં જ આ સમાચાર પર મારું ધ્યાન ગયું. પિથોરાગઢના ધારચુલામાં, રંગ સમુદાયના ઘણા લોકો રહે છે. તેમની પરસ્પર બોલચાલની ભાષા રગલો છે. તે લોકો એ વિચારીને અત્યંત દુઃખી થઈ જતાં કે તેમની ભાષા બોલનારા લોકો સતત ઘટી રહ્યા છે. પછી શું? એક દિવસ આ બધાએ પોતાની ભાષાને બચાવવાનો સંકલ્પ લઈ લીધો. જોતજોતામાં આ મિશનમાં રંગ સમુદાયના લોકો જોડાતા ગયા. તમને આશ્ચર્ય થશે, આ સમુદાયના લોકોની સંખ્યા ગણીગાંઠી છે. એક મોટા અંદાજ મુજબ, કદાચ દસ હજાર હશે, પરંતુ રંગ ભાષાને બચાવવા માટે બધા લાગી ગયા, પછી ચોર્યાસી વર્ષના વૃદ્ધ દીવાનસિંહ હોય કે બાવીસ વર્ષની યુવા વૈશાલી ગબર્યાલ… પ્રાધ્યાપક હોય કે વેપારી, દરેક જણ દરેક સંભવ કોશિશમાં લાગી ગયા. આ મિશનમાં સૉશિયલ મિડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરાયો. અનેક વૉટ્સેપ ગ્રૂપ બનાવવામાં આવ્યાં. સેંકડો લોકોને તેના પર પણ જોડવામાં આવ્યા. આ ભાષાની કોઈ લિપિ નથી. માત્ર બોલચાલમાં જ, એક રીતે, તેનું ચલણ છે. આવામાં, લોકો વાર્તાઓ, કવિતાઓ અને ગીતો પૉસ્ટ કરવા લાગ્યા. એકબીજાની ભાષા સુધારવા લાગ્યા. એક રીતે વૉટ્સએપ જ વર્ગખંડ બની ગયો જ્યાં બધા જ શિક્ષકો પણ છે અને વિદ્યાર્થીઓ પણ છે. રંગ લોકભાષાને સંરક્ષિત કરવાના આ પ્રયાસમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, સામયિકો કાઢવામાં આવી રહ્યાં છે, અને તેમાં સામાજિક સંસ્થાઓની પણ મદદ મળી રહી છે.
સાથીઓ, ખાસ વાત એ પણ છે કે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૧૯ એટલે કે આ વર્ષને ‘સ્વદેશી ભાષાઓનું આંતરરાષ્ટ્રીય વર્ષ’ જાહેર કર્યું છે. એટલે કે આ ભાષાઓને સંરક્ષિત કરવા પર જોર દેવામાં આવી રહ્યું છે જે વિલુપ્ત થવાના આરે છે. દોઢસો વર્ષ પહેલાં, આધુનિક હિન્દીના જનક ભારતેન્દુ હરીશચંદ્રજીએ પણ કહ્યું હતું: –
“निज भाषा उन्नति अहै, सब उन्नति को मूल,
बिन निज भाषा–ज्ञान के, मिटत न हिय को सूल ||”
અર્થાત, માતૃભાષાના જ્ઞાન વિના ઉન્નતિ સંભવ નથી. આવામાં રંગ સમુદાયની આ પહેલ સમગ્ર દુનિયાને એક માર્ગ દેખાડનારી છે. જો તમે પણ આ વાર્તાથી પ્રેરાયા હો તો આજથી જ તમારી માતૃભાષા કે બોલીનો સ્વયં ઉપયોગ કરો. પરિવાર, સમાજને પ્રેરિત કરો.
૧૯મી સદીના અંતિમ કાળમાં મહા કવિ સુબ્રમણ્યમ ભારતીજીએ કહ્યું હતું અને તમિલમાં કહ્યું હતું. તે પણ આપણા લોકો માટે ઘણું પ્રેરક છે. સુબ્રમણ્યમ ભારતીજીએ તમિલ ભાષામાં કહ્યું હતું-
मुप्पदु कोडी मुगमुडैयाळ – Muppadhukodimugamudayal
उयिर् मोइम्बुर ओंद्दुडैयाळ – enilmaipuramondrudayal
इवळ सेप्पु मोळी पधिनेट्टूडैयाळ – Ivalseppumozhipadhinetudayal
एनिर्सिन्दनैओंद्दुडैयाळ – enilsindhanaiondrudayal
અને તે સમયમાં, ૧૯મી સદીના આ અંતિમ ઉત્તરાર્ધની આ વાત છે. અને તેમણે કહ્યું છે કે ભારત માતાના ૩૦ કરોડ ચહેરા છે, પરંતુ શરીર એક છે. તે ૧૮ ભાષાઓ બોલે છે, પરંતુ વિચારધારા એક છે.
મારા પ્રિય દેશવાસીઓ, ક્યારેક-ક્યારેક જીવનમાં નાનીનાની ચીજો પણ આપણને ઘણો મોટો સંદેશ આપી જાય છે. હવે જુઓને, મિડિયામાં જ સ્કુબાડાઇવરોની એક વાર્તા હું વાંચી રહ્યો હતો. એક એવી વાર્તા છે જે દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. વિશાખાપટ્ટનમમાં ગોતાખોરીનું પ્રશિક્ષણ આપનારા સ્કુબાડાઇવરો એક દિવસ મેન્ગામેરિપેટા બીચ પર દરિયામાંથી પાછા ફરી રહ્યા હતા તો સમુદ્રમાં તરતી કેટલીક પ્લાસ્ટિકની બૉટલો અને પાઉચ સાથે અથડાઈ રહ્યા હતા. તેને સાફ કરતા તેમને આ મામલો ઘણો ગંભીર લાગ્યો.આપણો સમુદ્ર કઈ રીતે કચરાથી ભરી દેવામાં આવી રહ્યો છે. ગત કેટલાક દિવસોથી આ ગોતાખોર સમુદ્રમાં, તટથી લગભગ ૧૦૦ મીટર દૂર જાય છે, ઊંડા પાણીમાં ડૂબકી લગાવે છે અને પછી ત્યાં રહેલા કચરાને બહાર કાઢે છે. અને મને જણાવવામાં આવ્યું છે કે ૧૩ દિવસોમાં જ એટલે કે બે સપ્તાહની અંદર જ લગભગ ૪૦૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો તેમણે સમુદ્રમાંથી કાઢ્યો છે. આ સ્કુબાડાઇવરોની નાનકડી શરૂઆત એક મોટા અભિયાનનું રૂપ લેતું જાય છે. તેમને હવે સ્થાનિક લોકોની પણ મદદ મળવા લાગી છે. આસપાસના માછીમારો પણ તેમને દરેક પ્રકારની સહાયતા કરવા લાગ્યા છે. જરા વિચારો, આ સ્કુબાડાઇવરોમાંથી પ્રેરણા લઈને જો આપણે પણ આપણી આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરવાનો સંકલ્પ કરી લઈએ તો ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ સમગ્ર દુનિયા માટે એક નવું ઉદાહરણ પ્રસ્તુત કરી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, બે દિવસ પછી ૨૬ નવેમ્બર છે. આ દિવસ સમગ્ર દેશ માટે ઘણો ખાસ છે. આપણા ગણતંત્ર માટે વિશેષ રીતે મહત્વપૂર્ણ છે કારણકે આ દિવસને આપણે ‘સંવિધાન દિવસ’ તરીકે મનાવીએ છીએ. અને આ વખતનો ‘સંવિધાન દિવસ’ પોતાની રીતે વિશેષ છે કારણ કે આ વખતે બંધારણને અપનાવવાનાં ૭૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આ વખતે આ અવસર પર સંસદમાં વિશેષ આયોજન થશે અને પછી આખું વર્ષ દેશભરમાં અલગ-અલગ કાર્યક્રમો થશે. આવો, આ અવસર પર આપણે સંવિધાન સભાના બધા સભ્યોને આદરપૂર્વક નમન કરીએ, પોતાની શ્રદ્ધા અર્પિત કરીએ. ભારતનું બંધારણ એવું છે જે પ્રત્યેક નાગરિકનાઅધિકારો અને સન્માનની રક્ષા કરે છે અને તે આપણા બંધારણ ઘડવૈયાઓની દૂરદર્શિતાના કારણે જ સુનિશ્ચિત થઈ શક્યું છે. હું કામના કરું છું કે ‘સંવિધાન દિવસ’ આપણા સંવિધાનના આદર્શોને જાળવી રાખવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવામાં આપણી પ્રતિબદ્ધતાને બળ આપે. છેવટે! આ જ તો સપનું આપણા બંધારણના ઘડવૈયાઓએ જોયું હતું.
મારા પ્રિય દેશવાસીઓ, શિયાળો શરૂ થઈ ગયો છે, ગુલાબી ઠંડી હવે અનુભવાઈ રહી છે. હિમાલયના કેટલાક ભાગે બરફની ચાદર ઓઢવાનું શરૂ કરી દીધું છે પરંતુ આ ઋતુ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની છે. તમે, તમારો પરિવાર, તમારું મિત્રવર્તુળ, તમારા સાથી, આ અવસર ન ગુમાવતા. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારવા માટે ઋતુનો ભરપૂર ફાયદો ઊઠાવો.
ખૂબ–ખૂબ શુભકામનાઓ. ખૂબ–ખૂબ ધન્યવાદ.

મારા વ્હાલા દેશવાસીઓ, આજે દીવાળીનું પાવનપર્વ છે. આપ સૌને દીવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે ત્યાં કહેવાય છે –
શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધનસમ્પદા ।
શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે ।
કેટલો ઉત્તમ સંદેશ છે ! આ શ્લોકમાં કહ્યું છે – “પ્રકાશ જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઇને આવે છે, જે વિપરીત બુદ્ધિનો નાશ કરીને સદબુદ્ધિના દર્શન કરાવે છે. આવી દિવ્યજયોતિને મારા વંદન” આ દીવાળીને યાદ રાખવા માટે તેનાથી વધુ સારો વિચાર બીજો કયો હોઇ શકે કે, આપણે પ્રકાશને ફેલાવીએ, હકારાત્મકતાનો ફેલાવો કરીએ અને શત્રુતાની ભાવનાને જ નષ્ટ કરવાની પ્રાર્થના કરીએ. આજકાલ દુનિયાના અનેક દેશોમાં દીવાળી ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેમાં કેવળ ભારતીય સમુદાય જ સામેલ થાય છે એવું નથી, પરંતુ હવે કેટલાય દેશોની સરકારો, ત્યાંના નાગરિકો, ત્યાંના સામાજિક સંગઠ્ઠનો પણ દીવાળીનું પર્વ પૂરા હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. એક પ્રકારે ત્યાં ભારત ઉભું કરી દે છે.
સાથીઓ, દુનિયામાં festival tourisamનું પણ પોતાનું એક આકર્ષણ છે. આપણો ભારત દેશ જે ઉત્સવોનો દેશ છે તેમાં festival tourisamની પણ અપાર સંભાવનાઓ છે. આપણો પ્રયાસ હોવો જોઇએ કે હોળી હોય, દીવાળી હોય, ઓણમ હોય, પોંગલ હોય, બીહુ હોય, આવા તહેવારોનો પ્રસાર કરીએ અને તહેવારોની ખુશીઓમાં અન્ય રાજયો, અન્ય દેશોના લોકોને પણ સામેલ કરીએ. આપણે ત્યાં તો દરેક રાજય દરેક ક્ષેત્રના પોતપોતાના કેટલાય વિભિન્ન ઉત્સવ હોય છે કે બીજા દેશોના લોકોની તો તેમાં ખૂબ રૂચિ હોય છે. એટલા માટે ભારતમાં ઉત્સવ પર્યટન વધારવામાં દેશની બહાર રહેનારા ભારતીયોની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે.
મારા વ્હાલા દેશવાસીઓ, ગઇ મન કી બાતમાં આપણે નક્કી કર્યું હતું કે, આ દીવાળીએ કંઇક અલગ કરીશું. મે કહ્યું હતું- “આવો આપણે સહુ આ દીવાળીએ ભારતની નારીશક્તિ અને તેમની ઉપલબ્ધિઓની ઉજવણી કરીએ, એટલે કે ભારતની લક્ષ્મીનું સન્માન કરીએ.” અને જોતજોતામાં તેના પછી તરત સોશિયલ મિડિયા પર અગણિત પ્રેરણાત્મક કથાઓનો અંબાર લાગી ગયો. વારંગલના કોડીપાકા રમેશે નમો એપ પર લખ્યું છે કે મારી મા જ મારી શક્તિ છે. 1990માં જયારે મારા પિતાજીનું અવસાન થયું હતું ત્યારથી મારી માએ જ અમારી, પાંચેય દિકરાની જવાબદારી ઉઠાવી હતી. આજે અમે પાંચેય ભાઇ સારા વ્યવસાયમાં છીએ. મારી મા જ મારા માટે ભગવાન છે. મારા માટે તે સર્વસ્વ છે અને તે જ ખરા અર્થમાં ભારતની લક્ષ્મી છે.
રમેશજી, તમારાં માતાને મારા પ્રણામ. ટ્વીટર પર એકટિવ રહેનારા દિપીકા સ્વામીનું કહેવું છે કે, તેમના માટે મેજર ખુશ્બુ કંવર ભારતના લક્ષ્મી છે. જે બસ કંડકટરની દિકરી છે. અને તેમણે આસામ રાઇફલ્સની સર્વમહિલા ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. કવિતા તિવારી માટે તો ભારતની લક્ષ્મી તેમની દિકરી જ છે. જે તેમની તાકાત પણ છે. તેમને ગૌરવ છે કે, તેમની દિકરી સુંદર ચિત્રકામ કરે છે. તેમને (CLAT)ની પરીક્ષામાં ખૂબ સારો ક્રમાંક મેળવ્યો છે. તો મેઘા જૈનજીએ પણ લખ્યું છે કે, 92 વર્ષના એક વૃદ્ધ મહિલા વર્ષોથી ગ્વાલિયર રેલ્વેસ્ટેશન પર મુસાફરોને મફતમાં પાણી પીવડાવે છે. મેઘાજી ભારતની આ લક્ષ્મીની વિનમ્રતા અને કરૂણાથી ખૂબ પ્રેરિત થયાં છે. આવી તો અનેક કથાઓ લોકોએ Share કરી છે. આપ ચોક્કસ વાંચો, પ્રેરણા મેળવો અને પોતે પણ તમારી આસપાસની આવી કોઇ પ્રેરક કથા હોય તો Share કરો. ભારતની આ તમામ લક્ષ્મીઓને મારા પણ આદરપૂર્વક વંદન છે.
મારા વ્હાલા દેશવાસીઓ, 17મી સદીનાં સુવિખ્યાત કવિયત્રી સાંચી હોનમ્મા થઇ ગયા. તેમણે 17મી સદીમાં કન્નડ ભાષામાં એક કવિતા લખી હતી. એ ભાવ, એ શબ્દો ભારતની દરેક લક્ષ્મી કે જેમના વિષે આપણે વાત કરી રહ્યા છીએ તેમને બિલકુલ વ્યકત કરે છે. એવું લાગે છે જાણે તેનો પાયો 17મી શતાબ્દીમાં જ નાખી દેવામાં આવ્યો હતો. કેટલા સુંદર શબ્દો, કેટલો સરસ ભાવ, અને કેટલા ઉત્તમ વિચાર કન્નડ ભાષાની આ કવિતામાં છે.
પૈણ્ણિન્દા પેર્મેગોંડનૂ હિમવંતનુ,
પૈણ્ણિન્દા ભૃગુ પેર્ચિદનુ
પૈણ્ણિન્દા જનકરાયનુ જસવડેદનુ
અર્થાત્, હીમવંત એટલે કે, પર્વતરાજે પોતાની દિકરી પાર્વતીના કારણે, ભૃગુ ઋષિએ પોતાની દિકરી લક્ષ્મીના કારણે અને રાજા જનકે પોતાની દિકરી સીતાના કારણે પ્રસિદ્ધિ મેળવી. આપણી દિકરીઓ આપણું ગૌરવ છે અને આ દિરરીઓના મહાત્મયને લીધે જ આપણા સમાજની એક મજબૂત ઓળખ છે અને તેનું ઉજ્જવળ ભવિષ્ય છે.
મારા વ્હાલા દેશવાસીઓ, 12મી નવેંબર 2019 એ દિવસ છે જે દિવસે દુનિયાભરમાં શ્રી ગુરૂનાનક દેવજીનો 550મો પ્રકાશ ઉત્સવ ઉજવવામાં આવશે. ગુરૂનાકજીનો પ્રભાવ ભારતમાં જ નહિં પરંતુ પુરા વિશ્વમાં છે. દુનિયાના કેટલાક દેશોમાં આપણા શીખ ભાઇઓ બહેનો વસેલા છે જે ગુરૂ નાનકદેવજીના આદર્શો પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે. વૈન્કૂવર (Vancouver) અને તહૈરાનમાં મે કરેલી ગુરૂદ્વારાઓની મારી યાત્રાને હું ક્યારેય ભૂલી નહીં શકું. શ્રી ગુરૂ નાનકદેવજી વિષે એવું ઘણું બધું છે જે હું આપને કહી શકું તેમ છું, પરંતુ એના માટે મન કી બાતની કેટલીયે કડીઓ જોઇએ. તેમણે સેવાને હંમેશા સર્વોપરી રાખી. ગુરૂ નાનકદેવજી માનતા હતા કે, નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવેલા સેવાકાર્યની કોઇ કિંમત આંકી ન શકાય. તેઓ છૂતાછૂત જેવી સામાજીક બૂરાઇઓ સામે મજબૂતાઇથી ઉભા રહ્યા હતા. શ્રી ગુરૂ નાનકદેવજીએ પોતાનો સંદેશ દુનિયામાં દૂરસૂદુર સુધી પહોંચાડ્યો. તેઓ પોતાના સમયમાં સૌથી વધુ યાત્રા કરનારામાંના એક હતા. કેટલાંય સ્થાનો પર ગયા અને જ્યાં પણ ગયા, ત્યાં પોતાની સરળતા, વિનમ્રતા અને સાદાઇથી સૌના દિલ જીતી લીધા. ગુરૂ નાનકદેવજીએ કેટલીયે મહત્વની ધાર્મિક યાત્રાઓ કરી. જેને “ઉદાસી” કહેવામાં આવે છે. સદભાવના અને સમાનતાનો સંદેશ લઇને તેઓ ઉત્તર હોય કે દક્ષિણ, પૂર્વ હોય કે પશ્ચિમ, દરેક દિશામાં ગયા, દરેક સ્થળે લોકોને સંતો અને ઋષિઓને મળ્યા. એવું માનવામાં આવે છે કે આસામના સુવિખ્યાત સંત શંકરદેવ પણ તેમનાથી પ્રેરિત થયા હતા. તેમણે હરિદ્વારની પવિત્ર ભૂમિની યાત્રા કરી. કાશીમાં એક પવિત્ર સ્થળ “ગુરૂબાગ ગુરૂદ્વારા” છે. કહેવાય છે કે, શ્રી ગુરૂ નાનકદેવજી ત્યાં રહ્યા હતા. તેઓ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા “રાજગીર” અને “ગયા” જેવા ધાર્મિક સ્થળોએ પણ ગયા હતા. દક્ષિણમાં ગુરૂ નાનકદેવજીએ શ્રીલંકા સુધીની યાત્રા કરી હતી. કર્ણાટકમાં બિદરની યાત્રા વખતે ગુરૂ નાનકદેવજી પોતે જ ત્યાંની પાણીની સમસ્યાનો ઉકેલ લાવ્યા હતા. બિદરમાં “ગુરૂનાનક જીરા સાહેબ” નું એક પ્રસિદ્ધ સ્થળ છે. જે આપણને ગુરૂનાનક દેવજીની યાદ પણ અપાવે છે. અને તે તેમને સમર્પિત છે. એક “ઉદાસી” દરમ્યાન ગુરૂનાનક દેવજીએ ઉત્તરમાં કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારોની પણ યાત્રા કરી હતી. તેના લીધે શીખ અનુયાયીઓ અને કાશ્મીર વચ્ચે સારો એવો ગાઢ સંબંધ સ્થપાયો. ગુરૂ નાનક દેવજી તિબેટ પણ ગયા જ્યાંના લોકોએ તેમને ગુરૂ માન્યા હતા. જ્યાંની તેમણે યાત્રા કરી હતી તેવા ઉઝબેકિસ્તાનમાં પણ તેઓ પૂજ્ય છે. પોતાની એક ઉદાસી દરમ્યાન તેમણે મુસ્લિમ દેશોની પણ મોટાપ્રમાણમાં યાત્રા કરી હતી. જેમાં સાઉદી અરબ, ઇરાક અને અફઘાનિસ્તાનનો પણ સમાવેશ થાય છે. તેમણે લાખો લોકોના દિલમાં સ્થાન મેળવ્યું. જેમણે પૂરી શ્રદ્ધા સાથે તેઓના ઉપદેશનું પાલન કર્યું અને આજે પણ કરી રહ્યા છે. હજી થોડા દિવસ પહેલાં જ લગભગ 85 દેશોના રાજદૂત દિલ્હીથી અમૃતસર ગયા હતા. ત્યાં તેમણે અમૃતસરના સુવર્ણમંદિરનાં દર્શન કર્યા અને આ બધું જ ગુરૂનાનક દેવજીના 550મા પ્રકાશપર્વનું નિમિત્ત બન્યું હતું. આ બધા રાજદૂતોએ ત્યાં સુવર્ણમંદિરના દર્શન તો કર્યા જ. પરંતુ સાથે તેમને શીખપરંપરા અને સંસ્કૃતિ વિષે જાણવાની તક પણ મળી. ત્યાર બાદ કેટલાય રાજદૂતોએ સોશિયલ મિડિયા પર તેની તસવીરો મૂકી હતી. ખૂબ ગૌરવ સાથે પોતાના સારા અનુભવો પણ વર્ણવ્યા હતા. મારી ઇચ્છા છે કે, ગુરૂનાનક દેવજીનું 550મું પ્રકાશપર્વ આપણને તેમના વિચારો અને આદર્શોને આપણા જીવનમાં ઉતારવાની વધુ પ્રેરણા આપે. ફરી એકવાર હું મારૂં મસ્તક ઝુકાવીને ગુરૂનાનક દેવજીને નમન કરૂં છું.
મારા વ્હાલા ભાઇઓ અને બહેનો, મને વિશ્વાસ છે કે, 31 ઓકટોબરનો દિવસ આપ સૌને ચોક્કસ યાદ હશે. આ દિવસ ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિનો છે. કે જેઓ દેશને એકતાના સૂત્રમાં પરોવનારા મહાનાયક હતા. સરદાર પટેલમાં જ્યાં લોકોને એક સાથે જોડવાની અદભૂત ક્ષમતા હતી, તો બીજી તરફ જેમની સાથે વૈચારિક મતભેદ હોય તેવા લોકો સાથે પણ પોતાનો તાલમેળ બેસાડી દેતા હતા. સરદાર પટેલ જીણામાં જીણી બાબતને પણ ખૂબ ઉંડાણપૂર્વક જોતા હતા, પારખતા હતા. તેઓ સાચા અર્થમાં વિગતપુરૂષ (Man Of Details) હતા. તેની સાથે તેઓ સંગઠ્ઠન કૌશલ્યમાં પણ નિપૂણ હતા. યોજનાઓ તૈયાર કરવામાં અને વ્યૂહરચનામાં તેમને આવડત હતી. સરદાર સાહેબની કાર્યશૈલી વિષે જયારે પણ વાંચીએ છીએ, સાંભળીએ છીએ તો જાણવા મળે છે કે તેમનું આયોજન કેટલું જબરજસ્ત હતું. 1921માં અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશનમાં સામેલ થવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં પ્રતિનિધિઓ પહોંચવાના હતા. અધિવેશનની સંપૂર્ણ વ્યવસ્થાની જવાબદારી સરદાર પટેલ પર હતી આ તકનો ઉપયોગ તેમણે શહેરમાં પાણી પુરવઠાનું નેટવર્ક સુધારવા માટે પણ કર્યો. અને એ સુનિશ્ચિત કર્યું કે, કોઇને પણ પાણીની મુશ્કેલી ન પડે. એટલું જ નહિં તેમને એ વાતની પણ કાળજી હતી કે અધિવેશન સ્થળે કોઇ પ્રતિનિધિનો સામાન અથવા પગરખાં ચોરાઇ ન જાય અને તેને ધ્યાનમાં રાખીને સરદાર પટેલે જે કર્યું તે જાણીને આપને ખૂબ નવાઇ લાગશે. તેમણે ખેડૂતોનો સંપર્ક કર્યો અને તેમને ખાદીની થેલીઓ બનાવવાનો આગ્રહ કર્યો. ખેડૂતોએ થેલીઓ બનાવી અને પ્રતિનિધિઓને વેચી. આ થેલીઓમાં પગરખાં નાંખીને પોતાની સાથે રાખવાના કારણે પ્રતિનિધિઓના મનમાંથી પગરખાં ચોરાઇ જવાનું ટેન્શન દૂર થઇ ગયું. બીજી તરફ ખાદીના વેચાણમાં પણ સારો એવો વધારો થયો. બંધારણ સભામાં નોંધપાત્ર ભૂમિકા ભજવવા માટે આપણો દેશ સરદાર પટેલનો હંમેશા કૃતજ્ઞ રહેશે. તેમણે મૌલિક અધિકારો સુનિશ્ચિત કરવાનું મહત્વનું કાર્ય કર્યું. જેનાથી જ્ઞાતિ અને સંપ્રદાયના આધારે થનારા ભેદભાવનો કોઇ અવકાશ જ ન રહે.
સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ભારતના પહેલા ગૃહમંત્રીના રૂપમાં સરદાર પટેલે રજવાડાઓને એક કરવાનું, એક બહુ મોટું ભગીરથ અને ઐતિહાસિક કામ કર્યું. સરદાર વલ્લભભાઇની એ પણ એક વિશેષતા હતી કે, જેમની નજર દરેક ઘટના પર રહેતી હતી. એક તરફ એમનું ધ્યાન હૈદરાબાદ, જૂનાગઢ અને અન્ય રાજયો પર કેન્દ્રિત હતું. તો બીજી તરફ તેમનું ધ્યાન દુરસૂદુર લક્ષદ્વીપ પર હતું. ખરૂં કહું તો જ્યારે આપણે સરદાર પટેલના પ્રયાસોની વાત કરીએ છીએ તો દેશના એકીકરણમાં કેટલાંક ખાસ પ્રાંતોમાંની તેમની ભૂમિકાની પણ ચર્ચા થાય છે. લક્ષદ્વીપ જેવી નાની જગ્યા માટે પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. કદાચ જ, આ વાત લોકો યાદ કરે છે. આપ સારી રીતે જાણો છો કે, લક્ષદ્વીપ કેટલાક ટાપુઓનો સમૂહ છે. તે ભારતના સૌથી સુંદર ક્ષેત્રોમાંનો એક છે. 1947માં ભારતના વિભાજન પછી તરત જ આપણા પાડોશીની નજર લક્ષદ્વીપ ઉપર હતી અને તેણે પોતાના ધ્વજની સાથે જહાજ મોકલ્યું હતું. સરદાર પટેલને જેવી આ વાતની જાણ થઇ કે, તરત તેમણે સમય બગાડ્યા વિના, સહેજ પણ વાર કર્યા વિના તરત કઠોર કાર્યવાહી શરૂ કરી. તેમણે મુદલીયાર ભાઇઓ, આર્કોટ રામાસામી મુદલીયાર અને આર્કોટ લક્ષ્મણ સ્વામી મુદલીયારને કહ્યું કે, તેઓ ત્રાણવણકોરના લોકોને સાથે લઇને તરત કૂચ કરે અને ત્યાં ત્રિરંગો લહેરાવે. લક્ષદ્વિપમાં તિરંગો પહેલો લહેરાવો જોઇએ. તેમના આદેશ પછી તરત ત્રિરંગો લહેરાવવામાં આવ્યો અને લક્ષદ્વિપ ઉપર કબજો કરવાના પાડોશીના દરેક મનસૂબાને જોતજોતામાં ધ્વસ્ત કરી દીધા. આ ઘટના પછી સરદાર પટેલે મુદલીયાર ભાઇઓને કહ્યું કે, તેઓ વ્યક્તિગત રીતે એ સુનિશ્ચિત કરે કે, લક્ષદ્વિપના વિકાસ માટે જરૂરી મદદ મળતી રહે. આજે લક્ષદ્વિપ ભારતની પ્રગતિમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યો છે. તે એક આકર્ષક પર્યટન સ્થળ પણ છે. મને આશા છે કે આપ સૌ પણ આ સુંદર ટાપુઓ અને સમુદ્રકિનારાની મુલાકાત લેશો.
મારા વ્હાલા દેશવાસીઓ, 31 ઓકટોબર 2018નો એ દિવસ કે જે દિવસે સરદાર સાહેબની યાદમાં બનાવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ અને દુનિયાને સમર્પિત કરવામાં આવ્યું હતું. દુનિયાની આ સૌથી ઉંચી પ્રતિમા છે. અમેરિકામાં આવેલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ ઉંચાઇમાં બમણી છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા દરેક હિન્દુસ્તાનીને ગર્વથી ભરી દે છે. દરેક હિંદુસ્તાનીનું મસ્તક શાનથી ઉંચું થઇ જાય છે. તમને જાણીને ખુશી થશે કે, એક વર્ષમાં 26 લાખથી વધુ પર્યટક સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે પહોંચ્યા હતા. તેનો અર્થ એ થયો કે, દરરોજ સરેરાશ સાડા આઠ હજાર લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતાના દર્શન કર્યા. સરદાર વલ્લભભાઇ પટેલ પ્રત્યે તેમના હૃદયમાં જે આસ્થા છે, શ્રદ્ધા છે તેને તેઓએ પ્રગટ કરી અને હવે તો ત્યાં કેકટસ ગાર્ડન, બટરફલાય ગાર્ડન, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યૂટ્રીશનલ પાર્ક, એકતા નર્સરી જેવા અનેક આકર્ષણનાં કેન્દ્રો સતત વિકસી રહ્યાં છે. અને તેના કારણે સ્થાનિક અર્થતંત્રને પણ બળ મળી રહ્યું છે. અને લોકોને રોજગારીની નવી તકો પણ મળી રહી છે. અહીં આવતા પર્યટકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેટલાય ગામના લોકો પોતપોતાના ઘરમાં હોમસ્ટેની સગવડ પણ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. હોમસ્ટે સુવિધા ઉપલબ્ધ કરાવનારા લોકોને વ્યાવસાયિક તાલીમ પણ આપવામાં આવી રહી છે. ત્યાંના લોકોએ હવે ડ્રેગન ફ્રૂટની ખેતી પણ શરૂ કરી દીધી છે. અને મને વિશ્વાસ છે કે, બહુ જલ્દી તે ત્યાંના લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત પણ બની જશે.
સાથીઓ, દેશ માટે, બધા રાજ્યો માટે પર્યટન ઉદ્યોગ માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અભ્યાસનો એક વિષય બની શકે છે. આપણે સૌ તેના સાક્ષી છીએ કે, કેવી રીતે એક વર્ષની અંદર જ એક સ્થળ વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળરૂપે વિકસિત થાય છે. ત્યાં દેશવિદેશમાંથી લોકો આવે છે. પરિવહનની, રહેવાની, ગાઇડની, પર્યાવરણ સાનૂકુળ વ્યવસ્થાઓ, એક પછી એક જાતે જ ખૂબ સરસ વ્યવસ્થાઓ વિકસી રહી છે. બહુ મોટું અર્થતંત્ર વિકસી રહ્યું છે અને પર્યટકોની જરૂરિયાતો મુજબ લોકો ત્યાં સગવડો ઉભી કરી રહ્યા છે. સરકાર પણ પોતાની ભૂમિકા નિભાવી રહી છે. સાથીઓ, એવો કયો હિંદુસ્તાની હશે જેને એ વાતનો ગર્વ નહીં હોય કે, વિતેલા દિવસોમાં ટાઇમ મેગેઝીને પણ દુનિયાના 100 મહત્વનાં પર્યટક સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને મહત્વનું સ્થાન આપ્યું છે. મને આશા છે કે આપ સૌ પણ પોતાના કિંમતી સમયમાંથી કેટલોક સમય કાઢીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા તો જશો જ. પરંતુ મારો આગ્રહ છે કે, પ્રવાસ કરવા માટે સમય કાઢનાર દરેક હિંદુસ્તાની ભારતના ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળોનો પ્રવાસ કુટુંબની સાથે કરે. જયાં જાય ત્યાં રાતવાસો કરે. એ મારો આગ્રહ તો યથાવત છે જ.
સાથીઓ, આપ જાણો છો કે, 2014થી દર વર્ષે 31 ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ આપણને પોતાના દેશની એકતા, અખંડતા અને સુરક્ષાનું કોઇપણ ભોગે રક્ષણ કરવાનો સંદેશ આપે છે. દર વખતની જેમ 31 ઓકટોબરે એકતા દોડ- રન ફોર યુનિટીનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. તેમાં સમાજના દરેક વર્ગના, દરેક શ્રેણીના લોકો સામેલ થશે. રન ફોર યુનિટી એ વાતનું પ્રતિક છે કે, આ દેશ એક છે. એક દિશામાં આગળ વધી રહ્યો છે. અને એક લક્ષ્યને હાંસલ કરવા માંગે છે. એ લક્ષ્ય એટલે એક ભારત-શ્રેષ્ઠ ભારત.
પાછલા પાંચ વર્ષમાં જોવા મળ્યું છે કે, એકલા દિલ્હીમાં જ નહિં પરંતુ હિંદુસ્તાનના સેંકડો શહેરોમાં, કેન્દ્રશાસિત પ્રદેશોમાં, પાટનગરોમાં, જીલ્લા કેન્દ્રોમાં, નાનાં નાનાં બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો તેમાં સામેલ થઇ રહ્યા છે. પછી તે પુરૂષ હોય, મહિલા હોય, શહેરીજન હોય, ગ્રામજન હોય, બાળક હોય, નવયુવાન હોય, વૃદ્ધ હોય કે દિવ્યાંગજન હોય. સૌ કોઇ મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. આમ પણ આજકાલ જોઇએ તો, લોકોમાં મેરાથોન માટે એક શોખ અને જનૂન જોવા મળી રહ્યું છે. રન ફોર યુનિટી પણ એક એવી જ અનોખી જોગવાઇ છે. દોડવું એ મન, મગજ અને શરીર એમ સૌ માટે ફાયદાકારક છે. અહીં તો દોડવાથી ફીટ ઇન્ડિયાની ભાવના ચરિતાર્થ થાય છે. અને સાથે સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારત, ના હેતુ સાથે પણ આપણે જોડાઇ જઇએ છીએ. અને એટલા માટે જ માત્ર શરીર નહીં, મન અને સંસ્કાર ભારતની એકતા માટે, ભારતને નવી ઉંચાઇએ પહોંચાડવા માટે જોડાય છે. અને એટલા માટે આપ જે પણ શહેરમાં રહેતા હો, ત્યાં, પોતાની આસપાસ રન ફોર યુનિટી વિષે માહીતી મેળવીને જોડાઇ શકો છો. તે માટે એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે, runforunity.gov.in આ પોર્ટલમાં દેશભરની તે તમામ જગ્યાઓની માહીતી આપવામાં આવી છે. જયાં રન ફોર યુનિટીનું આયોજન થવાનું છે. મને આશા છે કે, આપ સૌ 31 ઓકટોબરે જરૂર દોડશો, ભારતની એકતા માટે અને પોતાની ફીટનેસ માટે પણ.
મારા વ્હાલા દેશવાસીઓ, સરદાર પટેલે દેશને એકતાના તાંતણે બાંધ્યો. એકતાનો આ મંત્ર આપણા જીવનમાં સંસ્કારની જેમ વણાઇ ગયો છે. અને ભારત જેવા વિવિધતાઓથી ભરેલા દેશમાં આપણે દરેક સ્તરે દરેક રાહ પર દરેક વળાંક પર દરેક પડાવ પર એકતાના આ મંત્રને મજબૂતાઇ પ્રદાન કરતા રહેવું જોઇએ. મારા વ્હાલા દેશવાસીઓ, દેશની એકતા અને પરસ્પર સદભાવનાને મજબૂત બનાવવા માટે આપણો સમાજ હંમેશાથી ખૂબ સક્રિય અને સતર્ક રહ્યો છે. આપણે આપણી આસપાસ જ જોઇએ તો એવાં કેટલાંય ઉદાહરણો મળશે જે પરસ્પર સદભાવ વધારવા માટે સતત કામ કરતા રહ્યાં છે. પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે, સમાજના પ્રયાસ તેનું યોગદાન સ્મૃતિપટ પરથી બહુ જલ્દી ગાયબ થઇ જાય છે.
સાથીઓ, મને યાદ છે કે, જયારે સપ્ટેમ્બર 2010માં અલ્હાબાદ હાઇકોર્ટે રામજન્મભૂમિ અંગે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. જરા એ દિવસોને યાદ કરો કે, ત્યારે કેવું વાતાવરણ હતું. જાતજાતના કેટલા લોકો મેદાનમાં આવી ગયા હતા !! પોતપોતાનાં હિત ધરાવતા કેવાકેવા જૂથો આ પરિસ્થિતિનો પોતાની રીતે ફાયદો ઉઠાવવા રમત રમી રહ્યા હતા. વાતાવરણમાં ગરમી પેદા કરવા માટે કેવા કેવા પ્રકારની ભાષા બોલવામાં આવી રહી હતી. અલગ અલગ સ્વરમાં, તિખાશ ભરવા માટેનો પણ પ્રયાસ કરાઇ રહ્યો હતો. કેટલાંક ભાષણબાજોએ અને બટકબોલાઓએ માત્રને માત્ર પોતાને ચમકાવવાના આશયથી કોણજાણે શું શું કહ્યું હતું ! કેવી કેવી !! બેજવાબદારીભરી વાતો કરી હતી. આપણને બધું યાદ છે. પરંતુ આ બધું પાંચ દિવસ, સાત દિવસ, દસ દિવસ ચાલતું રહ્યું. પણ જેવો ચૂકાદો આવ્યો, એક આનંદદાયક આશ્ચર્યજનક બદલાવનો દેશે અનુભવ કર્યો હતો. એકબાજુ બે અઠવાડિયા સુધી વાતાવરણ ગરમ કરવા ઘણું બધું થયું હતું. પરતું જયારે રામ જન્મભૂમિ પર ચૂકાદો આવ્યો ત્યારે સરકારે, રાજકીય પક્ષોએ, સામાજિક સંગઠનોએ, નાગરિક સમાજે તમામ સંપ્રદાયોના પ્રતિનિધિઓએ, સાધુ-સંતોએ ખૂબ જ સમતોલને સંયમિત નિવેદનો કર્યા. વાતાવરણમાંથી તંગદિલી ઘટાડવાનો પ્રયાસ કરાયો. પરંતુ આજે મને એ દિવસ બરાબર યાદ છે હું જયારે પણ તે દિવસને યાદ કરૂં છું તો, મારા મનને આનંદ થાય છે. ન્યાયપાલિકાની ગરીમાને ખૂબ જ ગૌરવપૂર્ણ રીતે સન્માન આપવામાં આવ્યું અને કયાંય પણ ગરમાગરમીનું, તંગદિલીનું વાતાવરણ બનવા દેવામાં ન આવ્યું. આ બાબત આપણે હંમેશા યાદ રાખવી જોઇએ કે આપણને ખૂબ શક્તિ આપે છે. તે દિવસ, તે ક્ષણ આપણા બધા માટે એક કર્તવ્ય બોધ છે. એકતાનો સ્વર દેશને કેટલી મોટી તાકાત આપી શકે છે. તેનું આ ઉદાહરણ છે.
મારા વ્હાલા દેશવાસીઓ, 31 ઓકટોબર આપણા દેશનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરાજીની હત્યા થઇ હતી તે દિવસ પણ છે. દેશને એક બહુ મોટો આઘાત લાગ્યો હતો. આજે હું તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે ઘરઘરની જો કોઇ એક વાત બહુ દૂર સુધી સાંભળવા મળે છે, દરેક ગામની કોઇ એક વાત સાંભળવા મળે છે, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ હિંદુસ્તાનના દરેક ખૂણામાંથી એક એક વાત સાંભળવા મળે છે. તો તે છે સ્વચ્છતાની વાત. દરેક વ્યક્તિને, દરેક પરિવારને, દરેક ગામને સ્વચ્છતા વિષે પોતાના સુખદ અનુભવો કહેવાની ઇચ્છા થાય છે. કેમ કે, સ્વચ્છતાનો આ પ્રયાસ સવાસો કરોડ હિંદુસ્તાનનો પ્રયાસ છે. પરિણામના માલિક પણ સવાસો કરોડ હિંદુસ્તાનીઓ જ છે. પરંતુ તે એક સુખદ અને રસપ્રદ અનુભવ પણ છે. મેં એ વાતો સાંભળી છે એટલે હું વિચારૂં છું કે, હું આપને પણ સંભળાવું. તમે કલ્પના કરો વિશ્વની સૌથી ઉંચી યુદ્ધભૂમિ કે જયાંનું તાપમાન શૂન્યથી 50 – 60 ડીગ્રી માઇનસમાં જતું રહે છે. હવામાં ઓક્સિજન પણ નામ માત્રનો હોય છે. આટલા વિપરિત સંજોગોમાં આટલા પડકારો વચ્ચે રહેવું એ પણ કોઇ પરાક્રમથી ઓછું નથી. આવા વિકટ સંજોગોમાં આપણા બહાદુર જવાનો છાતી કાઢીને દેશની સરહદોની સુરક્ષા તો કરે જ છે. પરંતુ ત્યાં પણ સ્વચ્છ સીયાચીન અભિયાન ચલાવી રહ્યા છે. ભારતીય સેનાની આ અદભૂત વચનબદ્ધતા માટે હું દેશવાસીઓ તરફથી તેમની પ્રશંસા કરૂં છું. કૃતજ્ઞતા વ્યકત કરૂં છું. ત્યાં એટલી બધી ઠંડી છે કે, કશાયનું પણ સડવું મુશ્કેલ છે. એવી સ્થિતિમાં કચરો જુદો પાડવો અને તેનું વ્યવસ્થાપન કરવું એ પોતે જ ખૂબ મહત્વનું કામ છે. આ સ્થિતિમાં હિમશીખરો અને એની આસપાસના વિસ્તારોમાંથી 130 ટન અને તેનાથી પણ વધારે કચરો દૂર કરવો એ પણ ત્યાંના નાજૂક નિવસનતંત્રની વચ્ચે ! આ કેટલી મોટી સેવા છે ! આ એક એવું નિવસનતંત્ર છે. જે હિમદિપડા જેવી દુર્લભ પ્રજાતિઓનું ઘર છે. અહીં ibex એટલે કે પહાડી બકરા અને ભૂરૂં રીંછ જેવા દુર્લભ જાનવરો પણ રહે છે. આપણે બધા જાણીએ છીએ કે, સીયાચીન એ એક એવો હિમઆચ્છાદિત વિસ્તાર છે જે નદીઓ અને સ્વચ્છ પાણીનો સ્રોત છે. એટલા માટે ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનો અર્થ એ થાય છે કે, નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે શુદ્ધ પાણી નિશ્ચિત કરવું. આ લોકો તેની સાથે નુબ્રા અને શ્યોક જેવી નદીઓના પાણીનો ઉપયોગ પણ કરે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, ઉત્સવ આપણા સૌના જીવનમાં એક નવી ચેતના જગાવવાનું પર્વ હોય છે. અને ખાસ કરીને દીવાળીમાં તો કંઇક ને કંઇક નવું ખરીદવાનું, બજારમાંથી કંઇક લાવવાનું, દરેક પરિવારમાં ઓછાવત્તા પ્રમાણમાં બનતું જ હોય છે. મેં એક વાર કહ્યું હતું કે, આપણે સ્થાનિક ચીજો જ ખરીદવાની કોશિષ કરીએ. આપણી જરૂરિયાતની વસ્તુ આપણા ગામમાંથી જો મળતી હોય તો તાલુકામાં જવાની જરૂર નથી. તાલુકામાં મળતી હોય તો જીલ્લા સુધી જવાની જરૂર નથી. આપણે જેટલી વધુ સ્થાનિક ચીજો ખરીદવાનો પ્રયાસ કરીશું. ગાંધી સાર્ધશતાબ્દિ પોતાની રીતે જ એક મહાન તક બની જશે. અને મારો તો આગ્રહ રહ્યો છે કે, આપણા વણકર ભાઇઓ-બહેનોના હાથે બનેલી આપણા ખાદીના કાર્યકરોના હાથે બનેલી કંઇક ને કંઇક ચીજ તો આપણે ખરીદવી જ જોઇએ. આ દીવાળીએ પણ, દીવાળી પહેલાં તો આપે ઘણુંબધું ખરીદી લીધું હશે. પરંતુ ઘણા બધા લોકો એવા પણ હશે જે વિચારતા હશે કે, દિવાળી પછી જઇશું તો કદાચ, થોડુંક સસ્તુ પણ મળી જશે. તો ઘણા લોકો એવા પણ હશે જેમની ખરીદી હજી બાકી પણ હશે. તો દીવાળીની શુભેચ્ચાઓ સાથે સાથે હું આપને આગ્રહ કરીશ કે, આવો આપણે સ્થાનિક ચીજો ખરીદવાના આગ્રહી બનીએ. સ્થાનિક ચીજો જ ખરીદીએ. તમે જોજો, મહાત્મા ગાંધીનું સપનું સાકાર કરવામાં આપણે પણ કેટલી મહત્વની ભૂમિકા અદા કરી શકીએ છીએ. હું ફરી એકવાર આ દીવાળીના પાવન પ્રસંગે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દીવાળીમાં આપણે જાતજાતના ફટાકડા ફોડીએ છીએ. પરંતુ કયારેક અસાવધાનીમાં આગ લાગી જાય છે. કયાંક ઇજા પણ થાય છે. મારો આપ સૌને આગ્રહ છે કે, પોતાનું પણ ધ્યાન રાખશો, અને ઉત્સવને પણ ખૂબ ઉમંગથી ઉજવશો. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ખૂબ–ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. સાથીઓ, આજે ‘મન કી બાત’માં દેશના તે મહાન વ્યક્તિત્વ વિશે હું વાત કરીશ. આપણે સહુ હિન્દુસ્તાનવાસીઓના દિલમાં તેમના પ્રત્યે બહુ સન્માન છે. તેમના પ્રત્યે આદર ન રાખતા હોય, સન્માન ન કરતા હોય તેવો ભાગ્યે જ કોઈ નાગરિક હશે. તેઓ વયમાં આપણા બધાથી બહુ મોટા છે અને દેશના અલગ-અલગ તબક્કામાં, અલગ-અલગ દૌરનાં તેઓ સાક્ષી છે. તેમને આપણે દીદી કહીએ છીએ – લતા દીદી. તેઓ આ 28 સપ્ટેમ્બરે 90 વર્ષનાં થઈ રહ્યાં છે. વિદેશ યાત્રા પર નીકળતા પહેલાં, મને દીદી સાથે ફોન પર વાત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. તે વાતચીત એવી જ હતી, જે બહુ વાત્સલ્ય સાથે, નાના ભાઈ, પોતાની મોટી બહેન સાથે વાત કરે છે. હું આ પ્રકારના વ્યક્તિગત સંવાદ વિશે ક્યારેય કહેતો નથી, પરંતુ આજે ઈચ્છું છું કે તમે પણ લતા દીદીની વાતો સાંભળો, તે વાતચીત સાંભળો. સાંભળો કે કેવી રીતે આયુષ્યના આ તબક્કામાં પણ લતા દીદી દેશની સાથે જોડાયેલી તમામ વાતો માટે ઉત્સુક છે, તત્પર છે અને જીવનનો સંતોષ પણ, ભારતની પ્રગતિમાં છે, બદલતા ભારતમાં છે, નવી ઊંચાઈઓ સ્પર્શી રહેલા ભારતમાં છે.
મોદી જીઃ લતા દીદી, પ્રણામ. હું નરેન્દ્ર મોદી બોલી રહ્યો છું.
લતા દીદી : પ્રણામ.
મોદીજી: મેં ફોન એટલા માટે કર્યો કારણ કે આ વખતે આપના જન્મદિવસ પર…
લતાજી: હા હા
મોદીજી: હું હવાઈ જહાજમાં પ્રવાસ કરી રહ્યો છું.
લતાજી: અચ્છા
મોદીજી: તો મેં વિચાર્યું કે પહેલાં જ
લતાજી: હા હા
મોદીજી: આપને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ, વહેલી શુભેચ્છા આપી દઉં. આપનું સ્વાસ્થ્ય સારું રહે, આપના આશીર્વાદ અમારા પર રહે, બસ એ જ પ્રાર્થના અને આપને પ્રણામ કરવા માટે, મેં અમેરિકા જતા પહેલાં જ આપને ફોન કરી દીધો.
લતાજી: આપનો ફોન આવશે તે સાંભળીને હું ઘણી બધી, એ થઈ ગઈ હતી. આપ જઈને પરત ક્યારે ફરશો?
મોદીજી: હું 28મીએ મોડી રાત્રે અને 29મીએ સવારે પાછો આવીશ અને ત્યારે તો આપનો જન્મદિન થઈ ગયો હશે.
લતાજી: અચ્છા, અચ્છા. જન્મદિન તો શું મનાવવાનો, અને બસ ઘરમાં જ બધા લોકો…
મોદીજી: દીદી, જુઓ મને તો…
લતાજી: આપના આશીર્વાદ મળે તો
મોદીજી: અરે, આપના આશીર્વાદ અમે માગીએ છીએ, આપ તો અમારાથી મોટા છો.
લતાજી: વયમાં મોટા તો ઘણા, કેટલાક લોકો હોય છે પરંતુ પોતાના કામથી જે મોટું હોય છે, તેમના આશીર્વાદ મળવો એ મોટી બાબત હોય છે.
મોદીજી: દીદી, તમે ઉંમરમાં તો બહુ મોટા છો અને કામમાં પણ મોટા છો અને આપે જે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે સાધના અને તપશ્ચર્યા કરીને મેળવી છે.
લતાજી: જી, હું તો વિચારું છું કે મારાં માતાપિતાના આશીર્વાદ છે અને શ્રોતાઓના આશીર્વાદ છે. હું કંઈ નથી.
મોદીજી: જી, આજ તો આપની નમ્રતા છે, તે આપણી નવી પેઢીના બધા માટે, તે બહુ મોટું શિક્ષણ છે. બહુ મોટી પ્રેરણા અમારા માટે છે કે આપે જીવનમાં આટલું બધું ક્લીયર કર્યા પછી પણ, આપનાં માતાપિતાના સંસ્કાર અને તે નમ્રતાને હંમેશાં પ્રાથમિકતા આપી છે.
લતાજી: જી.
મોદીજી: અને મને તો ખુશી છે કે જ્યારે આપ ગર્વથી કહો છો કે આપની માતા ગુજરાતી હતાં.
લતાજી: જી.
મોદીજી: અને હું જ્યારે પણ આપની પાસે આવ્યો
લતાજી: જી.
મોદીજી: આપે મને કંઈને કંઈ ગુજરાતી ખવડાવ્યું.
લતાજી: જી. આપ શું છો તે આપને પોતાને પણ ખબર નથી. હું જાણું છું કે આપના આવવાથી ભારતનું ચિત્ર બદલાઈ રહ્યું છે અને તે, મને તેનાથી બહુ જ આનંદ થાય છે. ઘણું સારું લાગે છે.
મોદીજી: બસ દીદી, આપના આશીર્વાદ રહે, સમગ્ર દેશ પર આપના આશીર્વાદ રહે, અને અમારા જેવા લોકો કંઈ ને કંઈ સારું કરતા રહે, મને આપે હંમેશાં પ્રેરણા આપી છે. આપનો પત્ર પણ મને મળતો રહે છે અને આપની કંઈ ને કંઈ ભેટ-સોગાદ પણ મને મળતી રહે છે તો આ આત્મીયતા, જે એક પારિવારિક સંબંધ છે તેનો એક વિશેષ આનંદ મને થાય છે.
લતાજી: જી જી. નહીં હું આપને બહુ તકલીફ આપવા માગતી નથી કારણકે હું જોઉં છું, જાણું છું કે આપ કેટલા વ્યસ્ત હો છો અને આપને કેટલું કામ હોય છે. શું-શું વિચારવું પડે છે. જ્યારે આપ જઈને આપની માતાના ચરણસ્પર્શ કરીને આવ્યા, જોયું તો મેં પણ કોઈને મોકલ્યા હતા તેમની પાસે અને તેમના આશીર્વાદ લીધા.
મોદીજી: હા. મારી બાને યાદ હતું અને તેમણે મને વાત કરી હતી.
લતાજી: જી.
મોદીજી: હા.
લતાજી: અને ટેલિફોન પર તેમણે મને આશીર્વાદ આપ્યા તો મને ઘણું સારું લાગ્યું.
મોદીજી: મારી બા ઘણી પ્રસન્ન હતી, આપના આ પ્રેમના કારણે.
લતાજી: જી. જી.
મોદીજી: અને હું આપનો બહુ આભારી છું કે આપ હંમેશાં મારી ચિંતા કરો છો. અને ફરી એક વાર હું આપને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.
લતાજી: જી.
મોદીજી: આ વખતે મુંબઈ આવ્યો હતો તો ઈચ્છા હતી કે પ્રત્યક્ષ મળવા આવી જઉં.
લતાજી: જી જી, જરૂર.
મોદીજી: પરંતુ સમયની એટલી વ્યસ્તતા હતી કે હું ન આવી શક્યો.
લતાજી: જી.
મોદીજી: પરંતુ હું બહુ જલદી આવીશ.
લતાજી: જી
મોદીજી: અને ઘરે આવીને કેટલીક ગુજરાતી વાનગીઓ આપના હાથેથી ખાઈશ.
લતાજી: જી, જરૂર જરૂર જરૂર. એ તો મારું સૌભાગ્ય હશે.
મોદીજી: પ્રણામ દીદી.
લતાજી: પ્રણામ.
મોદીજી: ખૂબ ખૂબ શુભકામનાઓ. આપને.
લતાજી: ખૂબ-ખૂબ પ્રણામ.
મોદીજી: પ્રણામ જી.
મારા પ્રિય દેશવાસીઓ, નવરાત્રિની સાથે જ, આજથી, તહેવારોનું વાતાવરણ ફરી એક વાર નવા ઉમંગ, નવી ઊર્જા, નવો ઉત્સાહ, નવા સંકલ્પથી ભરાઈ જશે. તહેવારોની મૌસમ છે ને. આગામી કેટલાંય સપ્તાહ સુધી દેશભરમાં તહેવારોની રોનક રહેશે. આપણે બધા, નવરાત્રિ મહોત્સવ, ગરબા, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી, ભાઈબીજ, છઠ પૂજા, અગણિત તહેવારો મનાવીશું. આપ સહુને, આવનારા તહેવારોની ખૂબ ખૂબ શુભકામનાઓ. તહેવારોમાં પરિવારના બધા લોકો સાથે આવશે. ઘર ખુશીઓથી ભરાયેલું રહેશે. પરંતુ તમે જોયું હશે કે આપણી આસપાસ પણ ઘણાં બધા એવા લોકો છે જે આ તહેવારોની ખુશીઓથી વંચિત રહી જાય છે અને એટલે જ તો કહેવાય છે કે દીવા તળે અંધારું. કદાચ, આ કહેવત માત્ર શબ્દ નથી, આપણા બધા માટે, એક આદેશ છે, એક દર્શન છે, એક પ્રેરણા છે. વિચારો, એક તરફ કેટલાંક ઘર રોશનીથી ઝગમગી ઊઠે છે, તો બીજી તરફ, તેની સામે, આસપાસ કેટલાંક ઘરોમાં અંધારું છવાયેલું રહે છે. કેટલાંક ઘરોમાં મીઠાઈઓ બગડી જાય છે, તો કેટલાંક ઘરોમાં બાળકો મીઠાઈ માટે વલખાં મારે છે. ક્યાંક કબાટમાં કપડાં રાખવાની જગ્યા નથી હોતી, તો ક્યાંક તન ઢાંકવાની મથામણ ચાલતી હોય છે. શું તેને દીવા તળે અંધારું નહીં કહીએ? આ જ તો દીવા તળે અંધારું છે. આ તહેવારોનો અસલી આનંદ ત્યારે છે જ્યારે આ અંધારું હટે, આ અંધારું ઓછું થાય- ઉજાશ ફેલાય. આપણે, ત્યાં પણ ખુશીઓ વહેંચીએ જ્યાં અભાવ છે અને તે આપણો સ્વભાવ પણ બને. આપણાં ઘરોમાં મીઠાઈઓની, કપડાંની, ભેટોની, જ્યાં ડિલિવરી થાય તો એક પળ બીજાને આપવા માટે પણ વિચારીએ. ઓછોમાં ઓછું, આપણાં ઘરોમાં જે વસ્તુ વધુ પ્રમાણમાં છે, જેને આપણે કોઈ કામમાં નથી લેતા, આવી ચીજોને બીજામાં વહેંચીએ. અનેક શહેરોમાં, અનેક એનજીઓના યુવા સાથીઓનાં સ્ટાર્ટ અપ આવું કામ કરે છે. તેઓ લોકોના ઘરોમાંથી કપડાં, મીઠાઈઓ, ભોજ, બધું એકઠું કરીને જરૂરિયાતાર્થીઓને શોધી શોધીને તેમના સુધી પહોંચાડે છે અને ગુપચૂપ આ પ્રવૃત્તિ કરે છે. શું આ વખતે, તહેવારોની આ મૌસમમાં પૂરી જાગૃતિ અને સંકલ્પ સાથે, આ દીવા તળે અંધારું મિટાવી શકીએ? અનેક ગરીબ પરિવારોના ચહેરા પર આવેલું સ્મિત, તહેવારો પર તમારી ખુશીઓને બે ગણી કરી દેશે, આપનો ચહેરો ઓર ચમકી ઉઠશે. આપનો દીવડો વધુ પ્રકાશમાન થઈ જશે. આપની દિવાળી વધુ ઉજળી થઈ જશે.
મારા પ્રિય ભાઈઓ-બહેનો, દીપાવલીમાં સૌભાગ્ય અને સમૃદ્ધિના રૂપમાં લક્ષ્મીજીનું ઘરેઘરે આગમન થાય છે. પરંપરાગત રૂપમાં લક્ષ્મીજીનું સ્વાગત છે. શું આ વખતે આપણે નવી રીતે લક્ષ્મીજીનું સ્વાગત કરી શકીએ આપણી સંસ્કૃતિમાં દીકરીઓને લક્ષ્મીજી માનવામાં આવે છે કારણકે દીકરી સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે. શું આ વખતે આપણે આપણા સમાજમાં, ગામડાંઓમાં, શહેરોમાં, દીકરીઓના સન્માનના કાર્યક્રમો રાખી શકીએ? સાર્વજનિક કાર્યક્રમો રાખી શકીએ? આપણી વચ્ચે અનેક એવી દીકરીઓ હશે જે પોતાની મહેનત અને લગનથી, પ્રતિભાથી પરિવારનું, સમાજનું, દેશનું નામ ઉજાળી રહી હશે. શું આ દિવાળી પર ભારતની આ લક્ષ્મીના સન્માનનો કાર્યક્રમ આપણે કરી શકીએ? આપણી આસપાસ અનેક દીકરીઓ, અનેક વહુઓ એવી હશે જે અસાધારણ કામ કરી રહી હશે. કોઈ ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરી રહી હશે. કોઈ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવામાં લાગેલી હશે, તો કોઈ ડૉક્ટર, ઍન્જિનિયર બનીને સમાજની સેવા કરી રહી હશે. વકીલ બનીને, કોઈને ન્યાય અપાવવા માટે પ્રયાસ કરી રહી હશે. આપણો સમાજ, આવી દીકરીઓની ઓળખ કરે, સન્માન કરે અને તેમના પર ગર્વ લે. તેમના સન્માનના કાર્યક્રમો દેશભરમાં થાય. એક કામ બીજું એ કરી શકીએ છીએ કે આ દીકરીઓની ઉપલબ્ધિઓ વિશે સૉશિયલ મિડિયામાં વધુમાં વધુ શૅર કરીએ અને # (હૅશટેગ) ઉપયોગ કરીએ #bharatkilaxmi (ભારત કી લક્ષ્મી). જેવી રીતે આપણે બધાએ મળીને એક મહાઅભિયાન ચલાવ્યું હતું સેલ્ફી વિથ ડૉટર અને તે દુનિયાભરમાં ફેલાઈ ગયું હતું તે રીતે આ વખતે આપણે અભિયાન ચલાવીએ- ભારત કી લક્ષ્મી. ભારતની લક્ષ્મીના પ્રોત્સાહનનો અર્થ છે દેશ અને દેશવાસીઓની સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત કરવો.
મારા પ્રિય દેશવાસીઓ, મેં પહેલાં પણ કહ્યું હતું કે 'મન કી બાત'નો એક મોટો લાભ એ છે કે મને અનેક જાણ્યા-અજાણ્યા લોકો સાથે પ્રત્યક્ષ-પરોક્ષ સંવાદ કરવાનું સૌભાગ્ય મળી જાય છે. ગત દિવસો દૂર-સુદૂર અરુણાચલના એક વિદ્યાર્થિની અલીના તાયંગે મને બહુ રસપ્રદ પત્ર મોકલ્યો છે. અને તેમાં લખ્યું છે, હું પત્ર વાંચી રહ્યો છું, તમારી સામે…
“આદરણીય પ્રધાનમંત્રીજી,
મારું નામ અલીના તાયંગ છે. હું રોઇંગ, અરુણાચલ પ્રદેશથી છું. આ વખતે જ્યારે મારી પરીક્ષાનું પરિણામ આવ્યું તો મને કેટલાક લોકોએ પૂછ્યું કે તેં એક્ઝામ વૉરિયર્સ પુસ્તક વાંચ્યું? આ પુસ્તક તો મેં નથી વાંચ્યું. પરંતુ પાછા આવીને મેં આ પુસ્તક વાંચ્યું અને તેને બે-ત્રણ વાર વાંચ્યું. તેના વિશે મારો અનુભવ ઘણો સારો રહ્યો. મને લાગ્યું કે જો મેં આ પુસ્તક પરીક્ષા પહેલાં વાંચ્યું હોત, તો મને ઘણો લાભ મળ્યો હોત. મને આ પુસ્તકનાં અનેક પાસાં ઘણાં સારાં લાગ્યાં. પરંતુ મેં એ પણ ચીજો જોઈ કે વિદ્યાર્થીઓ માટે તો ઘણા સારા મંત્ર છે, પરંતુ માતાપિતા અને શિક્ષકો માટે તો આ પુસ્તકમાં વધુ કંઈ નથી. હું ઈચ્છીશ કે જો તમે આ પુસ્તકની નવી આવૃત્તિ વિશે કંઈક વિચારી રહ્યા હો તો તેમાં માતાપિતા અને શિક્ષકો માટે કંઈક વધુ મંત્ર, કંઈક વધુ સામગ્રી જરૂર જોડજો.”
જુઓ, મારા યુવા સાથીઓને પણ ભરોસો છે કે દેશના પ્રધાનસેવકને કામ કહેશો તો તે થઈ જશે.
મારા નાનકડા વિદ્યાર્થી મિત્ર, પહેલા તો આ પત્ર લખવા માટે આપનો ધન્યવાદ. એક્ઝામ વૉરિયર્સ 2-3 વાર વાંચવા માટે ધન્યવાદ. અને વાંચતી વખતે, તેમાં શું ખામી છે તે પણ મને કહેવા માટે ઘણો ધન્યવાદ અને સાથે-સાથે મારા આ નાનકડા મિત્રએ મને કામ પણ સોંપી દીધું છે. કંઈક કરવાનો આદેશ આપી દીધો છે. હું જરૂર તમારા આદેશનું પાલન કરીશ. તમે જે કહ્યું છે કે જો હું નવી આવૃત્તિ માટે સમય કાઢી શકું તો જરૂર તેમાં હું માતાપિતા માટે, શિક્ષકો માટે કંઈક વાતો લખવાનો પ્રયાસ કરીશ. પરંતુ હું તમને બધાને આગ્રહ કરીશ કે શું તમે લોકો મને મદદ કરી શકો છો? રોજબરોજની જિંદગીમાં, તમે શું અનુભવ કરો છો? દેશના બધા વિદ્યાર્થીઓને, શિક્ષકોને, માતાપિતાને મારો આગ્રહ છે કે તમે તણાવરહિત પરીક્ષા સાથે જોડાયેલાં પાસાંઓ વિશે તમારો અનુભવ મને કહો. તમારાં સૂચનો આપો. હું જરૂર તેનું અધ્યયન કરીશ. તેના પર વિચારીશ અને તેમાંથી મને જે કંઈ ઠીક લાગશે તેને પણ હું મારા પોતાના શબ્દોમાં, મારી રીતે જરૂર લખવાનો પ્રયાસ કરીશ અને બની શકે છે કે જો તમારાં સૂચનો વધુ આવશે તો મારી નવી આવૃત્તિ નક્કી છપાશે જ. તો હું રાહ જોઈશ તમારા વિચારોની. અરુણાચલના આપણા નાના મિત્ર, વિદ્યાર્થી અલીના તાયંગનો ફરી એક વાર આભાર વ્યક્ત કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, તમે સમાચારપત્રોના માધ્યમથી, ટીવીના માધ્યમથી દેશના પ્રધાનમંત્રીના વ્યસ્ત કાર્યક્રમોના વિષયમાં જાણો પણ છો, વ્યસ્તતાની ચર્ચા પણ કરો છો. પરંતુ તમને ખબર છે ને કે હું પણ તમારી જેમ જ એક સામાન્ય માનવી છું. એક સામાન્ય નાગરિક છું અને આથી એક સામાન્ય જિંદગીમાં જે જે ચીજોનો પ્રભાવ થાય છે તેવો પ્રભાવ મારા જીવનમાં મારા મન પર પણ થાય છે કારણકે હું પણ તમારી વચ્ચેથી જ આવ્યો છું ને. જુઓ, આ વખતે યુએસ ઑપનમાં, જીતની, જેટલી ચર્ચા હતી, તેટલી જ રનર અપ Daniil Medvedevના વક્તવ્યની પણ હતી. સૉશિયલ મિડિયા પર ઘણું ચાલી રહ્યું હતું. તો પછી મેં પણ તે વક્તવ્ય સાંભળ્યું અને મૅચ પણ જોઈ. 23 વર્ષના Daniil Medvedev, તેમની સાદગી અને તેમની પરિપક્વતા, બધાને પ્રભાવિત કરનારાં હતાં. હું તો ઘણો પ્રભાવિત થયો. આ વક્તવ્યની બસ થોડા સમય પહેલાં જ તેઓ 19 વાર ગ્રાન્ડ સ્લેમના વિજેતા અને ટૅનિસના દંતકથારૂપ રાફેલ નાડાલથી ફાઇનલમાં હારીને આવ્યા હતા. આ અવસર પર કોઈ બીજું હોત તો તે ઉદાસ અને નિરાશ થઈ ગયું હોત, પરંતુ તેમનો ચહેરો કરમાયો નહીં, પરંતુ તેમણે, પોતાની વાતોથી, બધાના ચહેરા પર સ્મિત લાવી દીધું. તેમની વિનમ્રતા, સરળતા અને સાચા અર્થમાં ખેલદિલીની ભાવનાનું જે રૂપ જોવા મળ્યું તેના બધા પ્રશંસક થઈ ગયા. તેમની વાતોનું ત્યાં હાજર દર્શકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું. Daniil એ વિજેતા નાડાલની પણ ખૂબ જ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કઈ રીતે નાડાલે લાખો યુવાઓને ટૅનિસ માટે પ્રેરિત કર્યા છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે તેમની સાથે રમવું કેટલું પડકારજનક હતું. અઘરા પડકારમાં હાર પછી પણ તેમણે પોતાના પ્રતિદ્વંદી નાડાલની ખૂબ જ પ્રશંસા કરીને ખેલદિલીનો જીવતો જાગતો પુરાવો આપી દીધો. જોકે બીજી તરફ વિજેતા નાડાલે પણ Daniilની રમતની ખૂબ જ પ્રશંસા કરી. એક જ મેચમાં હારનારાનું જોશ અને જીતનારાની વિનમ્રતા બંને જોવાલાયક હતી. જો તમે Daniil Medvedevનું વક્તવ્ય ન સાંભળ્યું હોય તો હું તમને બધાને, વિશેષ રૂપે યુવાઓને કહીશ કે તેનો આ વિડિયો જરૂર જુઓ. તેમાં દરેક વર્ગ અને દરેક ઉંમરના લોકોને શીખવા માટે ઘણું બધું છે. આ એ ક્ષણ હોય છે જે હાર-જીતની ઉપર હ ય છે. હાર-જીતનું કોઈ મહત્ત્વ નથી હોતું. જિંદગી જીતી જાય છે અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં ઘણી સારી ઢબે આ વાતને કહેવાઈ છે. આપણા પૂર્વજોની વિચારસરણી ખરેખર પ્રશંસનીય છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું છે :
विद्या विनय उपेता हरति
न चेतांसी कस्य मनुजस्य
मणि कांचन संयोग:
जनयति लोकस्य लोचन आनन्दम
અર્થાત્, જ્યારે કોઈ વ્યક્તિમાં યોગ્યતા અને વિનમ્રતા એક સાથે સમાહિત થઈ જાય તો પછી તે કોનું હૃદય ન જીતી શકે? વાસ્તવમાં, આ યુવા ખેલાડીએ દુનિયાભરના લોકોનું હૃદય જીતી લીધું છે.
મારા પ્રિય દેશવાસીઓ, અને ખાસ કરીને મારા યુવાન મિત્રો, હું હવે જે વાત કરવા જઈ રહ્યો છું, તે સીધીસીધી તમારી ભલાઈ માટે કરી રહ્યો છું. વાદ-વિવાદ ચાલતા રહેશે, પક્ષ-વિપક્ષ ચાલતો રહેશે, પરંતુ કેટલીક ચીજો જો વધતા પહેલાં જ રોકી લેવામાં આવે તો બહુ મોટો લાભ થાય છે. જે ચીજો બહુ વધી જાય છે, બહુ ફેલાઈ જાય છે, તેને બાદમાં રોકવી ઘણી અઘરી પડે છે. પરંતુ જો શરૂઆતમાં જ આપણે જાગૃત થઈને તેને રોકી લઈએ તો ઘણું બધું બચાવી શકાય છે. મારું મન કહે છે કે આ ભાવથી, આજે ખાસ કરીને યુવાન મિત્રોને જરૂર કેટલીક વાતો કરું. આપણે બધા જાણીએ છીએ કે તમાકુનો નશો આરોગ્ય માટે ઘણો નુકસાનદાયક હોય છે અને તેની લત છોડવી પણ ઘણી મુશ્કેલ થઈ જાય છે. તમાકુ ખાનારા લોકોને કેન્સર, ડાયાબિટિસ, બ્લડ પ્રૅશર જેવી બીમારીઓનો ખતરો ઘણો બધો વધી જાય છે. આવું દરેક કહે છે. તમાકુનો નશો તેમાં હાજર નિકૉટિનના કારણે હોય છે. કિશોરાવસ્થામાં તેના સેવનથી મગજનો વિકાસ પણ પ્રભાવિત થાય છે. પરંતુ આજે હું, તમારી સાથે એક નવા વિષય પર વાત કરવા માગું છું. તમને ખબર હશે જ કે હાલમાં જ ભારતમાં ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાન્ય સિગરેટથી અલગ ઇ-સિગારેટ એક પ્રકારનું ઇલેક્ટ્રૉનિક ઉપકરણ હોય છે. ઇ-સિગારેટમાં નિકૉટિનયુક્ત પ્રવાહી પદાર્થોને ગરમ કરીને એક પ્રકારનો રાસાયણિક ધૂમાડો બને છે. તેના માધ્યમથી નિકૉટિનનું સેવન કરવામાં આવે છે. સામાન્ય સિગારેટના ખતરાને આપણે બહુ સારી રીતે સમજીએ છીએ, પરંતુ ઇ-સિગારેટ વિશે એક ખોટી ધારણા જન્માવામાં આવી છે. એવી ભ્રાન્તિ ફેલાવવામાં આવી છે કે ઇ-સિગારેટથી કોઈ ખતરો નથી. બાકી સિગારેટની જેમ તેનાથી દુર્ગંધ ન ફેલાય તે માટે તેમાં સુગંધિત રસાયણ સુદ્ધાં મેળવવામાં આવતાં હતાં. આપણે આસપાસ જોયું છે કે જો ઘરમાં પિતા ચૅઇન સ્મૉકર હોય તો પણ તેઓ ઘરના બાકીના લોકોને ધૂમ્રપાન કરતા રોકે છે, ટોકે છે. અને ઈચ્છે છે કે તેમનાં બાળકોને સિગરેટ-બીડીની ટેવ ન પડે. તેમની એવી કોશિશ હોય છે કે પરિવારનો કોઈ પણ સભ્ય ધૂમ્રપાન ન કરે, સ્મૉકિંગ ન કરે. તેઓ જાણે છે કે ધૂમ્રપાનથી, તમાકુથી શરીરને ભારે નુકસાન થાય છે. સિગરેટના ખતરા વિશે કોઈ પણ પ્રકારનો ભ્રમ નથી. તેનાથી નુકસાન થાય છે. તે વેચનાર પણ જાણે છે. પીનારો પણ જાણે છે અને જોનારો પણ જાણે છે. પરંતુ ઇ-સિગારેટનો મામલો ઘણો જ અલગ છે. ઇ-સિગારેટ વિશે લોકોમાં આટલી જાગૃતિ નથી. તેઓ તેના ખતરા વિશે પણ પૂરી રીતે અજાણ છે અને તેના કારણે ક્યારેક-ક્યારેક કુતૂહલમાં ઇ-સિગારેટ ચૂપચાપ ઘરમાં પ્રવેશ કરી જાય છે અને ક્યારેક તો જાદુ દેખાડી રહ્યો છું તેમ કરીને પણ બાળકો એકબીજાને દેખાડતા રહે છે. પરિવારમાં મા-બાપ સામે પણ જુઓ, હું આજે નવો જાદુ દેખાડું છું. જુઓ, મારા મોઢામાંથી હું ધૂમાડો કાઢું છું. જુઓ, વગર આગ લગાડે, વગર દીવાસળી સળગાવે, જુઓ હું ધૂમાડો કાઢું છું. જાણે કોઈ જાદુનો ટીવી શૉ દેખાડી રહ્યો હોય અને પરિવારના લોકો તાળી પણ પાડી દે છે. ખબર જ નથી. એક વાર જેમ ઘરના કિશોર અને યુવાનો તેની ચુંગાલમાં ફસાઈ ગયા તો પછી ધીરેધીરે તેઓ આ નશાના વ્યસની થઈ જાય છે. આ ખરાબ લતના શિકાર બની જાય છે. આપણું યુવાન ધન બરબાદીના રસ્તા પર ચાલી નીકળે છે. અજાણ્યામાં ચાલી નીકળે છે. વાસ્તવમાં ઇ-સિગારેટમાં અનેક હાનિકારક રસાયણો મેળવવામાં આવે છે, જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તમે જાણો જ છો કે જ્યારે કોઈ આપણી આસપાસ ધૂમ્રપાન કરે છે તો આપણને તેની ખબર ગંધથી પડી જાય છે. તેના ખિસ્સામાં સિગારેટનું પેકેટ હોય ત્યારે પણ ગંધથી ખબર પડી જાય છે. પરંતુ ઇ-સિગારટેની સાથે આવી વાત નથી. આવામાં, અનેક કિશોર અને યુવાનો જાણે-અજાણે અને ક્યારેક ફૅશન સ્ટેટમેન્ટના રૂપમાં ઘણા ગર્વની સાથે પોતાનાં પુસ્તકોની વચ્ચે, પોતાના દફ્તરમાં, પોતાના ખિસ્સામાં, ક્યારેકક્યારેક પોતાના હાથમાં લઈને ફરતા દેખાઈ રહ્યા છે અને તેઓ તેના શિકાર થઈ જાય છે. યુવાન પેઢી દેશનું ભવિષ્ય છે. ઇ-સિગારેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેથી નશાની આ નવી રીત આપણા યુવાન દેશને બરબાદ ન કરી નાખે. દરેક પરિવારનાં સપનાં કચડી ન નાખે. બાળકોની જિંદગી બરબાદ ન થઈ જાય. આ બીમારી, આ ટેવ સમાજમાં મૂળિયાં ન જમાવી દે.
હું તમને સહુને આગ્રહ કરું છું કે તમાકુના વ્યસનને છોડી દો અને ઇ-સિગારેટના સંબંધમાં કોઈ ગેરસમજ ન રાખો. આવો આપણે બધા મળીને એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ.
હા, તમને Fit India યાદ છે ને? ફિટ ઇન્ડિયાનો અર્થ એવો થોડો છે કે હાથ-પગ…સવાર સાંજ બે-બે કલાક આપણે જિમ ચાલ્યા જઈએ તો થઈ જશે. આ બધાથી પણ બચવાનું હોય છે ફિટ ઇન્ડિયા માટે. મને વિશ્વાસ છે કે મારી વાત તમને ખરાબ નહીં લાગે. જરૂર સારી લાગશે.
મારા પ્રિય ભાઈઓ-બહેનો, આપણા બધા માટે આ સૌભાગ્યની વાત છે કે આપણા ભારતવર્ષ એવા અસાધારણ લોકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે જેણે પોતાના માટે નહીં, પરંતુ બીજાની ભલાઈ માટે પોતાનું આખું જીવન સમર્પી દીધું છે.
આ આપણી ભારતમાતા, આ આપણો દેશ બહુરત્ના વસુંધરા છે. અનેક માનવરત્ન આ ધરતીમાંથી નીકળે છે. ભારતવર્ષ એવા અસાધારણ લોકોની જન્મભૂમિ, કર્મભૂમિ રહ્યું છે. અને આ એ લોકો છે જેમણે પોતાના માટે નહીં, બીજાના માટે, પોતાને સમર્પી દીધા છે. આવી જ એક મહાન વિભૂતિને 13 ઑક્ટોબરે વેટિકન સિટીમાં સન્માનિત કરાઈ રહ્યા છે. દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે પૉપ ફ્રાન્સિસ આવનારી 13 ઑક્ટોબરે મરિયમ થ્રેસિયાને સંત ઘોષિત કરશે. સિસ્ટર મરિયમ થ્રેસિસે 50 વર્ષના પોતાના નાનકડા જીવનકાળમાં જ માનવતાની ભલાઈ માટે જે કાર્ય કર્યાં, તે સમગ્ર દુનિયા માટે ઉદાહરણરૂપ છે. સમાજસેવા અને શિક્ષાના ક્ષેત્ર સાથે તેમનો અદ્ભુત લગાવ હતો. તેમણે અનેક શાળાઓ, હૉસ્ટેલ અને અનાથાલય બનાવ્યાં અને જીવનપર્યંત આ મિશનમાં લાગેલાં રહ્યાં. સિસ્ટર થ્રેસિયાએ જે પણ કાર્ય કર્યું તેને નિષ્ઠા અને લગન સાથે, પૂરા સમર્પણ ભાવથી પૂરું કર્યું. તેમણે Congregation of the sisters of the holy familyની સ્થાપના કરી. જે આજે પણ તેમના જીવનદર્શન અને મિશનને આગળ વધારી રહ્યું છે. હું ફરી એક વાર સિસ્ટર મરિયમ થ્રેસિયાને શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું અને ભારતના લોકોને ખાસ કરીને આપણા ખ્રિસ્તી ભાઈઓ-બહેનોને આ ઉપલબ્ધિ માટે ઘણા બધા અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ભારત જ નહીં, આજે પૂરી દુનિયા માટે એ ગર્વનો વિષય છે કે આજે જ્યારે આપણે ગાંધી 150 મનાવી રહ્યા છીએ, તો તેની સાથે જ 130 કરોડ દેશવાસીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો છે. પર્યાવરણ સંરક્ષણની દિશામાં, ભારતે પૂરા વિશ્વમાં જે રીતનું નેતૃત્વ કર્યું છે, તેને જોઈને આજે બધા દેશોની નજર ભારત પર મંડાયેલી છે. મને પૂરો વિશ્વાસ છે કે તમે બધા 2 ઑક્ટોબરે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ માટે થનારા અભિયાનનો હિસ્સો બનશો જ. ઠેકઠેકાણે લોકો પોતપોતાની રીતે આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. પરંતુ આપણા જ દેશના એક નવયુવાને એક ઘણું અનોખું અભિયાન ચલાવ્યું છે. તેમના આ કામ પર મારું ધ્યાન ગયું તો મેં તેમની સાથે ફોન પર વાત કરીને તેના આ નવા પ્રયોગને જાણવા-સમજવાનો પ્રયાસ કર્યો. બની શકે છે કે તેમની આ વાતો દેશના બીજા લોકોને પણ કામમાં આવે. શ્રીમાન રિપુદમન બેલવીજી એક સારો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ plogging કરે છે. જ્યારે પહેલી વાર મેં plogging શબ્દ સાંભળ્યો તો મારા માટે પણ નવો હતો. વિદેશોમાં તો કદાચ તે શબ્દ કેટલીક માત્રામાં ઉપયોગ થયો છે. પરંતુ ભારતમાં, રિપુદમન બેલ્વીજીએ આને બહુ જ પ્રચારિત કર્યો છે. આવો, તેમની સાથે કેટલીક વાતો કરીએ.
મોદીજી: હેલ્લો રિપુદમનજી, નમસ્કાર. હું નરેન્દ્ર મોદી બોલી રહ્યો છું.
રિપુદમન: જી સર, ખૂબ જ આભાર સાહેબ.
મોદીજી: રિપુદમનજી.
રિપુદમન: હા જી, સાહેબ.
મોદીજી: તમે આ જે Plogging અંગે આટલા સમર્પણભાવથી કામ કરી રહ્યા છો…
રિપુદમન: જી સાહેબ.
મોદીજી: તો મારા મનમાં જિજ્ઞાસા હતી તો મેં વિચાર્યું કે હું પોતે જ ફોન કરીને તમને પૂછું.
રિપુદમન: ઓકે.
મોદીજી: આ વિચાર તમારા મનમાં ક્યાંથી આવ્યો?
રિપુદમન: હા જી સાહેબ.
મોદીજી: આ શબ્દ, આ રીત કેવી રીતે મનમાં આવી?
રિપુદમન: સાહેબ, યુવાનાને આજે કંઈક Cool જોઈએ, કંઈક Interesting જોઈએ, તેમને પ્રેરિત કરવા માટે, તો હું તો પ્રેરિત થઈ ગયો. જો મારે 130 કરોડ ભારતીયોને આ અભિયાન સાથે જોડવા હોય તો મારે કંઈક Cool કરવું પડે, કંઈક રસપ્રદ કરવું પડે, તો હું પોતે એક દોડવીર છું, સવારે જ્યારે આપણે દોડવા જઈએ છીએ તો ટ્રાફિક ઓછો હોય છે. લોકો ઓછા હોય છે તો કચરો અને પ્લાસ્ટિક સૌથી વધુ દેખાય છે તો instead of cribbing and complaining મેં વિચાર્યું કે તેના વિશે કંઈક કરીએ અને પોતાના રનિંગ ગ્રૂપ સાથે સ્ટાર્ટ કર્યું દિલ્લીમાં અને પછી સમગ્ર ભારતમાં તેને લઈને ગયો. દરેક જગ્યાએથી સારો આવકાર મળ્યો…
મોદીજી: ઍક્ઝેટલી તમે શું કરતા હતા? થોડું સમજાવો જેથી મને પણ ધ્યાનમાં આવે અને 'મન કી બાત'ના માધ્યમથી દેશવાસીઓને પણ ખબર પડે.
રિપુદમન: સાહેબ, તો અમે એ સ્ટાર્ટ કર્યું ‘Run and clean up movement’. જ્યાં પણ અમે running groupsને તેના work out પછી, તેમની cool down activityમાં અમે કહ્યું, તમે કચરો ઉઠાવવાનું શરૂ કરો, પ્લાસ્ટિક ઉપાડવાનું શરૂ કરો, તો તમે દોડવાની સાથોસાથ સફાઈ પણ કરી રહ્યા છો. એકાએક ઘણો વ્યાયામ ઉમેરાય છે. તો તમે માત્ર running નથી કરતા અને ઉઠકબેઠક કરી રહ્યા છો, deep squats કરી રહ્યા છો, તમે lunges કરી રહ્યા છો, તમે આગળ ઝૂકી (forward bent કરી) રહ્યા છો. તો આ એક સંપૂર્ણ કસરત (holistic work out) થઈ ગઈ. અને આપને જાણીને આનંદ થશે કે ગયા વર્ષે ઘણાં બધા fitness સામયિકોમાં indiaના top fitness trendમાં આ આનંદને નામાંકિત કરાયો છે…
મોદીજી: તમને અભિનંદન આ વાત માટે.
રિપુદમન: ધન્યવાદ સાહેબ.
મોદીજી: તો અત્યારે તમે 5 સપ્ટેમ્બરથી કોચીથી શરૂ કર્યું છે?
રિપુદમનઃ જી સાહેબ, આ મિશનનું નામ છે ‘R I Elan Run to make India Litter Free’. જેવી રીતે આપે 2 ઑક્ટોબરને એક ઐતિહાસિક ચુકાદો આપવાનો છે અને મને ખાતરી છે કે કચરા મુક્ત થશે તો પ્લાસ્ટિક મુક્ત પણ થશે અને તે એક વ્યક્તિગત જવાબદારી આવશે અને તેથી I am running and cleaning up thousand kilometres covering 50 cities.
તો બધાએ કહ્યું કે કદાચ તે દુનિયાની સૌથી લાંબી સ્વચ્છતા ઝુંબેશ હશે અને તેની સાથોસાથ આપણે એક બહુ જ કૂલ સાહેબ, સૉશિયલ મિડિયા # હૅશટેગ વાપર્યો છે. આપણે #PlasticUpvaas જ્યાં આપણે લોકોને કહી રહ્યા છીએ કે તમે અમને કહો, તમે કઈ સિંગલ ચીજ છે, કોઈ પણ સિંગલ યુઝ..માત્ર સિંગલ યુઝ પ્લાસ્ટિક જ નહીં પરંતુ સિંગલ યુઝવાળી કોઈ પણ ચીજ જે તમે તમારા જીવનમાંથી સંપૂર્ણપણે હટાવી દેશો.
મોદીજી: વાહ…તમે 5 સપ્ટેમ્બરથી નીકળ્યા છો તો શું અનુભવ રહ્યો તમારો અત્યાર સુધીનો?
રિપુદમન: સાહેબ, અત્યાર સુધી તો ઘણો સારો અનુભવ રહ્યો છે. ગયાં બે વર્ષમાં પણ અમે 300 આસપાસ plogging drives સમગ્ર ભારતમાં કરી છે, તો જ્યારે અમે કોચીથી શરૂઆત કરી તો દોડનારાં જૂથો જોડાયાં, ત્યાંના જે સ્થાનિક સફાઇ કરવાવાળા હોય છે તેમને મેં સાથે જોડ્યા. કોચી પછી મદુરાઈ, કોઇમ્બતુર, સાલેમ, હમણાં અમે ઉડુપીમાં કર્યું. ત્યાં એક શાળાનું આમંત્રણ આવ્યું તો નાનાંનાનાં બાળકો, સાહેબ, ત્રીજા ધોરણથી લઈને છઠ્ઠા ધોરણ સુધી, તેમને એક કાર્યશાળા માટે બોલાવ્યા હતા. મને. અડધા કલાક માટે અને તે અડધા કલાકની કાર્યશાળા ત્રણ કલાકની plogging drive બની ગઈ. સાહેબ, કારણકે બાળકો એટલા ઉત્સાહિત હતા કે તેઓ આ કરવા માગતા હતા અને તેઓ તેને પાછું કરવા માગતા હતા અને પોતાનાં માબાપને બતાવવું, પોતાના પડોશીઓને બતાવવું, પોતાના મિત્રોને બતાવવું, સૌથી મોટું પ્રેરણાદાયક હોય છે આપણા માટે તેને આગળના સ્તર પર લઈ જવું.
મોદીજીઃ રિપુજી, પરિશ્રમ નથી આ, એક સાધના છે. સાચે જ તમે સાધના કરી રહ્યા છો.
રિપુદમન: જી સાહેબ.
મોદીજી: મારી તરફથી ઘણા અભિનંદન આપું છું, પરંતુ માનો કે તમારે ત્રણ વાતો દેશવાસીઓને કહેવાની છે તો એવી કઈ ત્રણ વાતો ચોક્કસ શું સંદેશ આપવા માગશો તમે?
રિપુદમનઃ હું ખરેખર ત્રણ પગલાં આપવામાં માગીશ. ભારતને ગંદકીથી મુક્ત કરવા, કુડા મુક્ત ભારત માટે. પહેલું પગલું, કચરો કચરાપેટીમાં જ નાખો. બીજું પગલું, જો તમને કોઈ કચરો દેખાય જમીન પર તો તેને ઉઠાવો અને કચરાપેટીમાં નાખો. ત્રીજું પગલું. જો કચરા પેટી ન દેખાય તો પોતાના ખિસ્સામાં રાખો અથવા પોતાની ગાડીમાં રાખીને ઘરે લઈ જાવ. સૂકા અને ભીના કચરામાં અલગ પાડો અને સવારે મહાનગરપાલિકાની ગાડી આવે તેને આપી દો. જો આપણે આ ત્રણ પગલાંને અનુસરીશું તો આપણે ગંદકીમુક્ત ભારત જોઈશું. આપણને કચરામુક્ત ભારત મળશે.
મોદીજી: જુઓ રિપુજી, ઘણા સરળ શબ્દો અને સામાન્ય માનવી કરી શકે તે ભાષામાં તમે એક રીતે ગાંધીજીનાં સપનાંને લઈને ચાલી રહ્યા છો. સાથોસાથ ગાંધીજીની જે સરળ શબ્દોમાં વાત કરવાની પદ્ધતિ હતી તેને તમે અપનાવી લીધી છે.
રિપુદમન: ધન્યવાદ.
મોદીજી: તેથી તમે અભિનંદનને પાત્ર છો રિપુદમનજી, તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું અને તેમણે એક ખૂબ જ નવીન રીતે અને ખાસ કરીને નવયુવાનોને પસંદ આવે તે રીતે આ આખા કાર્યક્રમને બનાવ્યો છે.
હું તેમને ખૂબ જ અભિનંદન આપું છું અને સાથીઓ, આ વખતે પૂજ્ય બાપુની જયંતીના અવસર પર રમતગમત મંત્રાલય પણ ‘Fit India Plogging Run’ નું આયોજન કરવા જઈ રહ્યું છે. બે ઑક્ટોબરે બે કિલોમીટર plogging, પૂરા દેશભરમાં આ કાર્યક્રમ થવાના છે. આ કાર્યક્રમ કેવી રીતે કરવા જોઈએ, કાર્યક્રમમાં શું થાય છે તે રિપુદમનજીના અનુભવથી આપણે સાંભળ્યું છે. બે ઑક્ટોબરથી શરૂ થનારા આ અભિયાનમાં આપણે બધાએ એ કરવાનું છે કે આપણે બે કિલોમીટર સુધી જૉગિંગ પણ કરીએ અને રસ્તામાં પડેલા પ્લાસ્ટિકના કચરાને એકઠો પણ કરીએ. તેનાથી આપણે ન માત્ર આપણા આરોગ્યનો ખ્યાલ રાખીશું પરંતુ ધરતી માના આરોગ્યની પણ રક્ષા કરી શકીશું. આ અભિયાનથી, લોકોમાં ફિટનેસ સાથે સ્વચ્છતા વિશે પણ જાગૃતિ વધી રહી છે. મને વિશ્વાસ છે કે 130 કરોડ દેશવાસીઓ આ દિશાં એક પગલું ઉઠાવશે તો સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત થવાની દિશામાં આપણું ભારત 130 કરોડ પગલાં આગળ વધી જશે. રિપુદમનજીને, ફરી એક વાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને તેમને, તેમની ટીમને, આ નવી કલ્પના માટે, મારા તરફથી ઘણા બધા અભિનંદન. આભાર.
મારા પ્રિય દેશવાસીઓ, 2 ઑક્ટોબરની તૈયારીઓ તો સમગ્ર દેશ અને દુનિયામાં ચાલી રહી છે, પરંતુ આપણે ‘ગાંધી 150’ને કર્તવ્યપથ પર લઈ જવા માગીએ છીએ. પોતાના જીવનને દેશહિતમાં બદલવા માટે આગળ વધવા માગીએ છીએ. એક વાત વહેલી યાદ કરાવવાની ઈચ્છા થાય છે. આમ તો, હું આગામી ‘મન કી બાત’માં તેને વિસ્તારથી જરૂર કરીશ પરંતુ આજે જરા અગાઉથી એટલા માટે કહી રહ્યો છું જેથી તમને તૈયારી કરવાનો અવસર મળે. તમને યાદ છે કે 31 ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી છે. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું આપણું સહુનું સપનું છે અને આ નિમિત્તે, દર વર્ષે 31 ઑક્ટોબરે આપણે સમગ્ર દેશમાં ‘Run For Unity’ દેશની એકતા માટે દોડ. બાળકો, વૃદ્ધ, બધા લોકો, શાળા, કૉલેજ બધા, હજારોની સંખ્યામાં, હિન્દુસ્તાનનાં લાખો ગામોંમાં તે દિવસે દેશની એકતા માટે આપણે દોડવાનું છે. તો તમે અત્યારથી જ તૈયારી શરૂ કરી દો. વિસ્તારથી તો આગળ વાત જરૂર કરીશ પરંતુ અત્યારે સમય છે, કેટલાક લોકો અભ્યાસ પણ શરૂ કરી શકે છે, કંઈક યોજના પણ કરી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, તમને યાદ હશે કે 15 ઑગસ્ટે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે 2022 સુધી તમે ભારતનાં 15 સ્થાનો પર જાવ. ઓછામાં ઓછાં 15 સ્થાનો અને તે પણ બની શકે તો એક રાત, બે રાત રોકાવાનો કાર્યક્રમ બનાવો. તમે હિન્દુસ્તાનને જુઓ, સમજો, અનુભવ કરો. આપણી પાસે કેટલી વિવિધતાઓ છે, અને જ્યારે આ દિવાળીના તહેવારમાં રજાના દિવસો આવે છે, લોકો જરૂર જાય છે અને આથી હું ફરીથી આગ્રહ કરીશ કે તમે ભારતના કોઈ પણ એવાં 15 સ્થાનો પર ફરવા જરૂર જાવ.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં પરમ દિવસે જ વિશ્વ પર્યટન દિવસ મનાવાયો અને દુનિયાની કેટલીક જવાબદાર સંસ્થાઓ પર્યટનને ક્રમ પણ આપે છે અને તમને જાણીને ખુશી થશે કે ભારતે પ્રવાસ અને પર્યટન સ્પર્ધા સૂચકાંક (Travel and Tourism competition index)માં ઘણો સુધાર કર્યો છે. અને તે બધું તમારા બધાના સહયોગના કારણે થયું છે. ખાસ કરીને પર્યટનનું મહત્ત્વ સમજવાના કારણે થયું છે. સ્વચ્છતા અભિયાનનું પણ તેમાં ઘણું મોટું યોગદાન છે. અને આ સુધાર કેટલો છે, હું કહું તમને? તમને જરૂર આનંદ થશે. આજે આપણો ક્રમ 34 છે અને પાંચ વર્ષ પહેલાં આપણો ક્રમ 65મો હતો એટલે એક રીતે આપણે ઘણો મોટો કૂદકો મારી દીધો છે.
જો આપણે વધુ પ્રયત્ન કર્યા તો સ્વતંત્રતાનાં 75 વર્ષ આવતાં સુધીમાં આપણે પર્યટનમાં દુનિયાનાં પ્રમુખ સ્થાનોમાં પોતાની જગ્યા બનાવી લઈશું.
મારા પ્રિય દેશવાસીઓ, તમને બધાને ફરી એક વાર વિવિધતાથી ભરેલા ભારતના વિવિધ તહેવારોની પણ ઘણી બધી શુભકામનાઓ. હા, એ પણ જરૂર જોજો કે દિવાળીના દિવસોમાં ફટાકડા વગેરેના કારણે ક્યાંય આગ, ક્યાંય કોઈ વ્યક્તિનું નુકસાન ન થઈ જાય. તેના માટે જે પણ સાવધાની રાખવી જોઈએ તે તમે જરૂર રાખજો. ખુશી પણ હોવી જોઈએ, આનંદ પણ હોવો જોઈએ, ઉત્સાહ પણ હોવો જોઈએ અને આપણા તહેવાર સામૂહિકતાની સુગંધ પણ લાવે છે, સામૂહિકતાના સંસ્કાર પણ લાવે છે. સામૂહિક જીવન જ એક નવું સામર્થ્ય આપે છે. આ નવા સામર્થ્યની સાધનાનો મુકામ હોય છે તહેવાર. આવો, મળીને ઉમંગથી, ઉત્સાહથી નવા સપના, નવા સંકલ્પની સાથે આપણે તહેવારોને પણ મનાવીએ. ફરી એક વાર ખૂબ-ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, તાજેતરના દિવસોમાં આપણો દેશ એકતરફ વરસાદનો આનંદ માણી રહ્યો છે, તો બીજી તરફ હિંદુસ્તાનના ખૂણેખૂણામાં કોઇને કોઇ પ્રકારના ઉત્સવો અને મેળા ઉજવી રહ્યો છે. દિવાળી સુધી આ બધું એમ જ ચાલતું રહે છે. અને કદાચ આપણા પૂર્વજોએ ઋતુચક્ર, અર્થચક્ર અને સમાજજીવનની વ્યવસ્થાને એવી ખૂબી પૂર્વક ગોઠવી છે કે, કોઇપણ પરિસ્થિતિમાં સમાજમાં કયારેય પણ બીબાઢાળપણું ન આવે. વીતેલા દિવસોમાં આપણે કેટલાય ઉત્સવો ઉજવ્યા. હજી ગઇકાલે જ પૂરા હિંદુસ્તાનમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. કોઇ કલ્પના પણ કરી શકે છે કે, એ કેવું વ્યક્તિત્વ હશે, કે આજે હજારો વર્ષો પછી પણ દરેક ઉત્સવ નવીનતા લઇને આવે છે, પ્રેરણા લઇને આવે છે. નવી ઉર્જા લઇને આવે છે. અને હરકોઇ વ્યક્તિ શ્રીકૃષ્ણના જીવનમાંથી વર્તમાન સમસ્યાઓનો ઉકેલ શોધી શકે છે. હજારો વર્ષ પુરાણું જીવન કે જે, આજે પણ સમસ્યાઓના ઉકેલ માટે ઉદાહરણ આપી શકતું હોય, પ્રેરણા આપી શકતું હોય, તો તે શ્રીકૃષ્ણનું જીવન છે, આટલું સામર્થ્ય હોવા છતાં પણ કયારેક તેઓ રાસમાં લીન બની જતા હતા. તો કયારેક ગાયોની વચ્ચે, કયારેક ગોવાળોની વચ્ચે, કયારેક રમતમાં તો કયારેક વાંસળી વગાડવામાં લીન થઇ જતા હતા. ખબર નહીં, વિવિધતાઓથી ભરેલું આ વ્યક્તિત્વ અપ્રતિમ સામર્થ્યવાન પરંતુ સમાજશક્તિને સમર્પિત, લોકશક્તિને સમર્પિત, લોકસંગઠકના રૂપમાં, નવા વિક્રમો સ્થાપનારૂં વ્યક્તિત્વ શ્રીકૃષ્ણ છે. મિત્રતા કેવી હોય તો સુદામાનો પ્રસંગ કોણ ભૂલી શકે છે અને યુદ્ધભૂમિમાં આટલી બધી મહાનતાઓ હોવા છતાં પણ સારથીનું કામ સ્વીકારી લેવું, કયારેક શીલા ઉઠાવી લેવી. કયારેક એંઠી પતરાળીઓ ઉપાડવી, એટલે કે, દરેક બાબતમાં એક નવીનતાનો અનુભવ થાય છે. અને એટલા માટે, આજે જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે, બે મોહનની તરફ મારૂં ધ્યાન જાય છે. એક સુદર્શનચક્રધારી મોહન તો, બીજા ચરખાધારી મોહન. સુદર્શનચક્રધારી મોહન યમુનાનો તટ છોડીને ગુજરાતમાં સમુદ્રતટ પર જઇને દ્વારિકાનગરીમાં સ્થિર થયા. અને સમુદ્રતટ તરફ જન્મેલા મોહન યમુનાના તટ પર આવીને દિલ્હીમાં જીવનના છેલ્લા શ્વાસ લે છે. સુદર્શનચક્રધારી મોહને એ સમયની પરિસ્થિતિમાં હજારો વર્ષ પહેલાં પણ યુદ્ધ નિવારવા માટે સંઘર્ષને ટાળવા માટે, પોતાની બુદ્ધિનો, પોતાના કર્તવ્યનો, પોતાના સામર્થ્યનો, પોતાના ચિંતનનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. અને ચરખાધારી મોહને પણ એક એવો રસ્તો પસંદ કર્યો, સ્વતંત્રતા માટે માનવીય મુલ્યોના જતન માટે, વ્યક્તિત્વના મૂળતત્વોને બળ મળે તે માટે, આઝાદીના જંગને એવું એક રૂપ આપ્યું, એવો એક વળાંક આપ્યો જે પૂરી દુનિયા માટે આશ્ચર્ય છે, આજે પણ આશ્ચર્ય છે. નિઃસ્વાર્થ સેવાનું મહત્વ હોય, જ્ઞાનનું મહત્વ હોય, કે પછી જીવનમાં તમામ ઉતાર-ચઢાવ વચ્ચે પણ હસતા રહીને આગળ વધવાનું મહત્વ હોય, આ બધું જ આપણે ભગવાન શ્રીકૃષ્ણના સંદેશમાંથી શીખી શકીએ છીએ. અને એટલા માટે તો શ્રીકૃષ્ણ જગદગુરૂના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. – કૃષ્ણં વંદે જગદગુરૂમ્.
આજે જ્યારે આપણે ઉત્સવોની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે, ભારત વધુ એક મોટા ઉત્સવની તૈયારીમાં લાગેલું છે. અને ભારત જ નહીં, દુનિયાભરમાં તેની ચર્ચા થઇ રહી છે. મારા વ્હાલા દેશવાસીઓ, હું વાત કરી રહ્યો છું. મહાત્મા ગાંધીજીની 150મી જયંતિની. 2 ઓકટોબર, 1869ના રોજ પોરબંદર સમુદ્રના તટ પર જેને આજે આપણે કીર્તીમંદિર કહીએ છીએ તે નાના એવા ઘરમાં, એક વ્યક્તિ નહીં, પણ એક યુગનો જન્મ થયો હતો. જેમણે માનવ ઇતિહાસને નવો વળાંક આપ્યો, નવા વિક્રમો સ્થાપિત કર્યા. મહાત્મા ગાંધી સાથે એક વાત હંમેશા જોડાયેલી રહી, એક રીતે તેઓના જીવનનો એક ભાગ બની રહી. અને તે હતી, સેવા, સેવાભાવ, સેવા પ્રત્યેની કર્તવ્યપરાયણતા. એમનું સમગ્ર જીવન જોઇએ તો, દક્ષિણ આફ્રિકામાં એવા સમુદાયના લોકોની સેવા કરી જે વંશીય ભેદભાવનો સામનો કરી રહ્યા હતા. તે સમયે તે વાત નાની નહોતી. તેમણે એ ખેડૂતોની સેવા કરી જેમની સાથે ચંપારણ્યમાં ભેદભાવ રાખવામાં આવતો હતો, તેમણે એ મજૂરોની સેવા કરી જેમને યોગ્ય મજૂરી આપવામાં નહોતી આવતી, તેમણે ગરીબ, અસહાય, નબળા અને ભૂખ્યા લોકોની સેવાને પોતાના જીવનનું પરમ કર્તવ્ય માન્યુ. રક્તપિત્ત વિષે કેટલી બધી ભ્રામક માન્યતાઓ હતી? તે તમામ ભ્રામક માન્યતાઓ નાબૂદ કરવા માટે પોતે રક્તપિત્તગ્રસ્ત લોકોની સેવા કરતા હતા અને પોતાના જીવનથી સેવાના માધ્યમથી ઉદાહરણ પૂરૂં પાડતા હતા. તેમણે સેવાને શબ્દોથી નહીં, જીવીને શીખવી હતી. સત્યની સાથે ગાંધીજીનો જેટલો અતૂટ સંબંધ રહ્યો છે એટલો જ અનન્ય અને અતૂટ નાતો સેવાની સાથે પણ રહ્યો છે. કોઇને પણ, જ્યારે પણ, જયાં પણ, જરૂર પડી ત્યારે મહાત્મા ગાંધી સેવા માટે હંમેશા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માત્ર સેવાને જ મહત્વ નહોતું આપ્યું, પરંતુ તેની સાથે જોડાયેલા આત્મસુખ ઉપર પણ એટલો જ ભાર આપ્યો હતો. સેવા શબ્દની સાર્થકતા એ અર્થમાં જ છે કે, તે આનંદની સાથે કરવામાં આવે. – સેવા પરમો ધર્મઃ. પરંતુ તેની સાથે ઉત્કૃષ્ટ આનંદ, ‘સ્વાન્તઃ સુખાય’ ભાવની અનુભૂતિ પણ સેવામાં અંતર્નિહિત છે. બાપુના જીવનમાંથી આપણે આ બહુ સારી રીતે સમજી શકીએ છીએ. મહાત્મા ગાંધી અગણિત ભારતીયોનો અવાજ તો બન્યા જ, પરંતુ માનવમૂલ્યો અને માનવગૌરવ માટે પણ એક પ્રકારે વિશ્વનો અવાજ બની ગયા હતા. મહાત્મા ગાંધી માટે વ્યક્તિ ને સમાજ, માનવ અને માનવતા એ જ સર્વસ્વ હતું. પછી તે, આફ્રિકામાં ફિનીક્સ ફાર્મ હોય, અથવા ટોલસ્ટૉય ફાર્મ હોય કે, સાબરમતી આશ્રમ હોય, અથવા વર્ધા આશ્રમ. તમામ સ્થળોએ તેમણે પોતાની એક અનોખી રીતે સમાજ સંવર્ધન, સમુદાય ગતિશીલન પર ખાસ ભાર મૂક્યો. મારૂં અહીં સદભાગ્ય છે કે, મને પૂજય મહાત્મા ગાંધી સાથે જોડાયેલા કેટલાય મહત્વના સ્થળોએ જઇને નમન કરવાનો મોકો મળ્યો છે. હું કહી શકું એમ છું કે, ગાંધી સેવાભાવથી સંગઠનભાવ પર પણ જોર આપતા હતા. સમાજસેવા અને સમાજસંવર્ધન, communiry service અને community mobilisation એવી ભાવના છે જેને આપણે આપણા વહેવારીક જીવનમાં પણ ઉતારી શકીએ છીએ. ખરા અર્થમાં, આ જ તો મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ છે, સાચી કર્માંજલી છે. આવી તકો તો ઘણી આવે છે, આપણે તેની સાથે જોડાઇએ પણ છીએ, પણ શું ગાંધીજીનાં 150 વર્ષનો અવસર આવીને જતો રહે તે આપણને મંજૂર છે ખરો? ના જી દેશવાસીઓ. આપણે બધા, પોતાની જાતને પૂછીએ, ચિંતન કરીએ, મંથન કરીએ, સામૂહીક રીતે ચર્ચાવિચારણા કરીએ. આપણે સમાજના અન્ય લોકો સાથે મળીને, તમામ વર્ગોની સાથે મળીને, તમામ વયના લોકો સાથે મળીને, પછી એ ગામ હોય, શહેર હોય, પુરૂષ હોય કે સ્ત્રી હોય, બધા સાથે મળીને વિચારીએ કે, સમાજ માટે શું કરીએ, વ્યક્તિગત રીતે હું એ પ્રયાસોમાં શું યોગદાન આપું. મારા તરફથી તેમાં મૂલ્યવર્ધન થાય? અને સામૂહિકતાની પોતાની એક તાકાત હોય છે. ગાંધી સાર્ધશતાબ્દિના આ તમામ કાર્યક્રમોમાં સામૂહિકતા પણ હોય અને સેવા પણ હોય. આપણે આખો મહોલ્લો મળીને કેમ ના નીકળી પડીએ! આપણી જો ફૂટબોલની ટીમ હોય તો ફૂટબોલની ટીમ, ફૂટબોલ રમીશું જ, પરંતુ સાથે ગાંધી આદર્શોને અનુરૂપ સેવાનું એકાદ કામ પણ કરીશું. આપણું મહિલા મંડળ હોય, તો લેડીઝ કલબનાં આધુનિક યુગનાં જે કામ હોય છે તે તો કરતાં જ રહીશું. પણ લેડીઝ કલબની બધી સખીઓ સાથે મળીને કોઇ ને કોઇ એક સેવાકાર્ય પણ સાથે મળીને કરીશું. ઘણું બધું કરી શકીએ છીએ, જૂનાં પુસ્તકો એકઠાં કરીને ગરીબોમાં વહેંચીએ, જ્ઞાનનો ફેલાવો કરીએ. અને હું માનું છું, કદાચ 130 કરોડ દેશવાસીઓ પાસે 130 કરોડ કલ્પનાઓ છે, 130 કરોડ સાહસ બની શકે છે. કોઇ મર્યાદા નથી, જે મનમાં આવે તે કરીએ. બસ સદભાવના હોય, સદ્હેતુ હોય, સદ્ઇચ્છા હોય અને પૂરા સમર્પણભાવથી સેવા કરાય અને તે પણ સ્વાંતઃ સુખાય, એક અનન્ય આનંદની અનુભૂતિ માટે કરાય.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા મહિના પહેલાં હું ગુજરાતમાં દાંડી ગયો હતો. સ્વતંત્રતા સંગ્રામમાં મીઠાનો સત્યાગ્રહ, દાંડી એ ખૂબ મહત્વનો ટર્નિંગ પોઇન્ટ છે. મેં દાંડીના મહાત્મા ગાંધીને સમર્પિત એક અતિ આધુનિક સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું. મારો આપને આગ્રહ છે કે, આપ પણ આગામી સમયમાં મહાત્મા ગાંધી સાથે જોડાયેલા કોઇને કોઇ એક સ્થળની મુલાકાત જરૂર લો. એ કોઇપણ સ્થળો હોઇ શકે છે. પોરબંદર હોય, સાબરમતી આશ્રમ હોય, વર્ધાનો આશ્રમ હોય કે, દિલ્હીમાં મહાત્મા ગાંધી સાથે જોડાયેલાં હોય. તમે જ્યારે પણ એવી જગ્યાએ જાવ, તો તમારી તસવીરો સોશ્યલ મીડિયા પર શેર જરૂર કરો. જેથી બીજા લોકો પણ તેનાથી પ્રેરિત થાય. અને તેની સાથે તમારી ભાવના વ્યક્ત કરતાં બે-ચાર વાક્યો પણ લખો. તમારા મનમાં જાગતા ભાવ કોઇપણ મહાન સાહિત્ય રચના કરતાં પણ વધુ તાકાતવાન હશે અને શક્ય છે કે, આજના સમયમાં તમારી નજરે, તમારી કલમથી લખેલું ગાંધીનું એ રૂપ, કદાચ એ વધુ સાંપ્રત પણ લાગશે. આગામી સમયમાં અનેક કાર્યક્રમ, સ્પર્ધાઓ, પ્રદર્શનોનું આયોજન પણ કરાયું છે. પરંતુ આ સંદર્ભમાં એક વાત ખૂબ રસપ્રદ છે, જે હું તમારી સાથે વહેંચવા માંગું છું. વેનીસ બાયએનલ નામનો એક ખૂબ જાણીતો કળાનો કાર્યક્રમ છે. જયાં દુનિયાભરના કળાકાર એકત્રિત થાય છે. આ વખતે વેનીસ બાયએનલના ઇન્ડિયા પેવેલિયનમાં ગાંધીજીની યાદો સાથે જોડાયેલું ખૂબ જ રસપ્રદ પ્રદર્શન રાખવામાં આવેલું છે. તેમાં હરિપુરાની તસવીરો વિશેષ રૂપથી રસપ્રદ હતી. તમને યાદ હશે કે, ગુજરાતના હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું, જ્યાં સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ ચૂંટાયા હતા તે ઘટના પણ ઇતિહાસમાં સામેલ છે. આ કળા તસ્વીરોનો એક ખૂબ જ સુંદર ઇતિહાસ છે. કોંગ્રેસના હરિપુરા સત્ર પહેલાં મહાત્મા ગાંધીએ 1937-38માં શાંતિનિકેતન કળા ભવનના તે વખતના પ્રાચાર્ય નંદલાલ બોઝને આમંત્રિત કર્યા હતા. ગાંધીજી ઇચ્છતા હતા કે, તેઓ ભારતમાં રહેતા લોકોની જીવનશૈલીને કળાના માધ્યમથી બતાવે અને તેમની કલા કાર્યનું પ્રદર્શન અધિવેશન દરમ્યાન યોજવામાં આવે. આ એ જ નંદલાલ બોઝ છે, જેમની કળાકૃતિઓ આપણા બંધારણની શોભા વધારે છે. બંધારણને એક નવી ઓળખાણ આપે છે. અને તેમની આ કળા સાધનાએ બંધારણની સાથેસાથે નંદલાલ બોઝને પણ અમર બનાવી દીધા છે. નંદલાલ બોઝે હરિપુરાની આજુબાજુનાં ગામોની મુલાકાત લીધી ને ત્યારપછી ગ્રામીણ ભારતનું જીવન પ્રદર્શિત કરતાં કેટલાંક કળાચિત્રો બનાવ્યાં. અણમોલ કળાકૃતિઓની વેનીસમાં ખૂબ ચર્ચા થઇ. ગાંધીજીની 150મી જન્મજયંતિએ ફરી એકવાર શુભેચ્છાઓ સાથે હું તમામ હિન્દુસ્તાનીઓ પાસેથી કોઇ ને કોઇ સંકલ્પ કરવાની અપેક્ષા રાખું છું. દેશ માટે, સમાજ માટે, કોઇ પારકા માટે કંઇકને કંઇક કરવું જોઇએ. અને એ જ બાપુને સારી, પ્રામાણિક કાર્યાંજલિ હશે.
મા ભારતીના સપૂતો, તમને યાદ હશે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે બીજી ઓકટોબર પહેલાં લગભગ બે અઠવાડિયાં સુધી દેશભરમાં “સ્વચ્છતા એ જ સેવા” અભિયાન ચલાવીએ છીએ. આ વખતે આ અભિયાન 11મી સપ્ટેમ્બરથી શરૂ થશે. અભિયાન દરમ્યાન આપણે પોત-પોતાનાં ઘરની બહાર નીકળીને શ્રમદાન દ્વારા મહાત્મા ગાંધીને કાર્યાંજલિ અર્પીશું. ઘર હોય કે ગલી, ચોક હોય કે નાળી, શાળા, કોલેજથી લઇને બધાં સાર્વજનિક સ્થળો પર સ્વચ્છતાનું મહાઅભિયાન ચલાવીશું. આ વખતે પ્લાસ્ટિક પર ખાસ ભાર આપેલો છે. 15મી ઓગષ્ટે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, જે ઉત્સાહ અને ઉર્જા સાથે સવાસો કરોડ દેશવાસીઓએ સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું. ખુલ્લામાં શૌચથી મુક્તિ માટે કાર્ય કર્યું. તે જ રીતે આપણે સાથે મળીને એક જ વખત કામ આવતા પ્લાસ્ટિકનો ઉપયોગ નાબૂદ કરવો છે. આ ઝુંબેશ વિષે સમાજના તમામ વર્ગોમાં ઉત્સાહ છે. મારા કેટલાય વેપારી ભાઇઓ-બહેનોએ દુકાનમાં બોર્ડ જ લટકાવી દીધું છે. એક પ્લેકાર્ડ ટાંગી દીધું છે. જેના પર લખેલું હોય છે કે, ગ્રાહકો પોતાની થેલી સાથે લઇને જ આવે. તેનાથી પૈસા પણ બચશે અને પર્યાવરણના જતનમાં પોતાનું યોગદાન પણ આપી શકશે. આ વખતે બીજી ઓકટોબરે જ્યારે બાપુની 150મી જયંતિ ઉજવીશું તે પ્રસંગે આપણે તેમને ખુલ્લામાં મળત્યાગથી મુક્ત ભારત તો સમર્પિત કરીશું જ, સાથે તે દિવસે પૂરા દેશમાં પ્લાસ્ટિક વિરૂદ્ધ એક નવા લોક-આંદોલનનો પાયો પણ નાંખીશું. હું સમાજના બધા વર્ગોને, દરેક ગામ, નાના-મોટા શહેરોના રહેવાસીઓને અપીલ કરૂં છું, બે હાથ જોડીને પ્રાર્થના કરૂં છું કે, આ વર્ષે આપણે ગાંધી જયંતિ એક પ્રકારે આ ભારત માતાને પ્લાસ્ટિક કચરાથી મુક્તિના રૂપમાં ઉજવીએ. 2 ઓકટોબરને વિશેષ દિવસના રૂપમાં ઉજવીએ. મહાત્મા ગાંધી જયંતિનો દિવસ એક વિશેષ શ્રમદાનનો ઉત્સવ બને. દેશની તમામ નગરપાલિકાઓ, નગરનિગમો, જિલ્લા-વહિવટીતંત્ર, ગ્રામપંચાયતો, સરકારી-બિનસરકારી તમામ વ્યવસ્થાતંત્રો, તમામ સંગઠનો, એકેએક નાગરિક, સૌ કોઇને મારો અનુરોધ છે કે, પ્લાસ્ટિક કચરાના એકત્રિકરણ અને ભંડારણ માટે યોગ્ય વ્યવસ્થા કરાય. હું કોર્પોરેટ ક્ષેત્રને પણ અપીલ કરૂં છું કે, આ બધ્ધો પ્લાસ્ટિક કચરો જ્યારે એકઠો થઇ જાય તો યોગ્ય નિકાલ માટે તેઓ આગળ આવે, નિકાલની વ્યવસ્થા કરાય. તેને રીસાયકલ કરી શકાય છે. તેનાથી બળતણ બનાવી શકાય છે. આ રીત આપણે આ દિવાળી સુધીમાં પ્લાસ્ટીક કચરાના સુરક્ષિત નિકાલનું કાર્ય પણ પૂરૂં કરી શકીએ છીએ. બસ સંકલ્પની જરૂર છે. પ્રેરણા માટે આમતેમ જોવાની જરૂર નથી. ગાંધીથી મોટી પ્રેરણા બીજી કઇ હોઇ શકે છે!
મારા વ્હાલા દેશવાસીઓ, આપણાં સંસ્કૃત સુભાષિત એક રીતે જ્ઞાનનાં રત્નો હોય છે. આપણને જીવનમાં જે જોઇએ તે તેમાંથી મળી શકે છે. હમણાં-હમણાં તેમની સાથેનો મારો સંપર્ક ઓછો થઇ ગયો છે. પરંતુ પહેલાં મારો સંપર્ક ઘણો વધારે હતો. આજ હું એક સંસ્કૃત સુભાષિતથી એક બહુ મહત્વની વાતને સ્પર્શ કરવા ઇચ્છું છું. અને તે સદીઓ પહેલાં લખાયેલી વાતો છે. પરંતુ આજે પણ તેનું કેટલું મહત્વ છે! એક ઉત્તમ સુભાષિત છે અને તે સુભાષિતે કહ્યું છેઃ
પૃથિવ્યાં ત્રીણિ રત્નાનિ, જલમ્ અન્નમ્ સુભાષિતમ્,
મૂઢૈઃ પાષાણખંડેશું રત્ન સંજ્ઞા પ્રદીયતે
એટલે કે, પૃથ્વીમાં જળ, અન્ન અને સુભાષિત એ ત્રણ રત્નો છે. મૂર્ખાઓ પથ્થરને રત્ન કહે છે. આપણી સંસ્કૃતિમાં અન્નનો ખૂબ અધિક મહિમા છે. તે ત્યાં સુધી કે, પણે અન્નના જ્ઞાનને પણ વિજ્ઞાનમાં બદલી નાંખ્યું છે. સંતુલિત અને પોષક આહાર આપણા બધા માટે જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ અને નવજાત બાળકો માટે, કેમ કે એ લોકો જ આપણા સમાજના ભવિષ્યનો પાયો છે. પોષણ અભિયાન અંતર્ગત દેશભરમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી પોષણને લોક આંદોલન બનાવવામાં આવી રહ્યું છે. લોકો નવી અને રસપ્રદ રીતોથી કૂપોષણ સામે લડાઇ લડી રહ્યા છે. એક વાર મારા ધ્યાનમાં એક વાત લાવવામાં આવી હતી. નાસીકમાં ‘મુઠ્ઠીભર ધાન્ય’ એક મોટું આંદોલન બની ગયું છે. તેમાં પાકની લણણીના દિવસોમાં આંગણવાડી કાર્યકરો અનાજ એકઠું કરે છે. આ અનાજનો ઉપયોગ બાળકો અને મહિલાઓ માટે તાજું ભોજન બનાવવામાં કરવામાં આવે છે. તેમાં દાન કરનારી વ્યક્તિ એક રીતે જાગૃત નાગરિક, સમાજસેવક બની જાય છે. ત્યાર પછી તે આ ધ્યેય માટે પોતે પણ સમર્પિત થઇ જાય છે. આ આંદોલનનો તે એક સિપાઇ બની જાય છે. આપણે બધાંએ, હિંદુસ્તાનના ખૂણેખૂણામાં અન્ન-પ્રાશન સંસ્કાર વિષે સાંભળ્યું છે. બાળકને જ્યારે પહેલીવાર નક્કર ખોરાક ખવડાવવાનું શરૂ કરીએ છીએ ત્યારે આ સંસ્કાર કરવામાં આવે છે. પ્રવાહી ખોરાક નહીં, ઘન ખોરાક. ગુજરાતે 2010માં વિચાર્યું કે, અન્ન પ્રાશન સંસ્કાર પ્રસંગે બાળકોને પૂરક આહાર આપવામાં આવે, જેથી લોકોને તેના વિષે જાગૃત કરી શકાય. આ એક ખૂબ જ સુંદર પહેલ છે. જેને કયાંય પણ અપનાવી શકાય છે. કેટલાંય રાજયોમાં લોકો તિથિ ભોજન અભિયાન ચલાવે છે. પરિવારમાં જો કોઇનો જન્મદિવસ હોય, સારો દિવસ હોય, કોઇ સ્મૃતિ દિવસ હોય, તો તે પરિવારના સભ્યો પૌષ્ટિક ભોજન, સ્વાદિષ્ટ ભોજન બનાવીને આંગણવાડીમાં જાય છે, સ્કૂલોમાં જાય છે અને પરિવારના સભ્યો જાતે જ બાળકોને પીરસે છે, ખવડાવે છે, પોતાની ખુશી પણ વહેંચે છે, અને ખુશીમાં વધારો કરે છે. સેવાભાવ અને આનંદભાવનું અદભૂત મિલન જોવા મળે છે. સાથીઓ, એવી તો કેટલીયે નાની-નાની બાબતો છે. જેનાથી આપણો દેશ કુપોષણ વિરૂદ્ધ એક અસરકારક લડાઇ લડી શકે છે. આજે જાગૃતિના અભાવે કુપોષણથી ગરીબ પણ, અને સુખી પણ, બન્ને પ્રકારના પરિવાર પીડિત છે. પૂરા દેશમાં સપ્ટેમ્બર મહિનો પોષણ અભિયાન રૂપે મનાવવામાં આવશે. આપ ચોક્કસ તેમાં જોડાવ, જાણકારી મેળવો, કંઇક નવું પ્રદાન કરો. આપ પણ યોગદાન આપો. જો તમે એકાદ વ્યક્તિને કૂપોષણ મુક્ત બનાવશો, તો તેનો અર્થ એ છે કે, આપણે દેશને કૂપોષણથી મુક્ત કરીએ છીએ.
ફીમેલ વોઇસઃ- “હેલો, સર મારૂં નામ સૃષ્ટિ વિદ્યા છે. અને હું સેકન્ડ યરની સ્ટુડન્ટ છું. સર, મેં બાર ઓગષ્ટે આપનો એપીસોડ જોયો હતો. બેયર ગ્રીલ્સ સાથે. જેમાં આપ આવ્યા હતા. તો સર, મને આપનો એ એપીસોડ જોઇને ખૂબ સારૂં લાગ્યું. સૌ પ્રથમ તો એ સાંભળીને સારૂં લાગ્યું કે, આપને આપણી સૃષ્ટિ, વન્યજીવન અને પર્યાવરણની કેટલી બધી ચિંતા છે! કેટલી વધારે કાળજી છે! અને સર મને એ પણ બહુ ગમ્યુ, આપને આ નવા રૂપમાં, નવા સાહસિક રૂપમાં જોઇને. તો સર, હું એ જાણવા ઇચ્છું છું કે, આપનો એપીસોડ દરમ્યાન અનુભવ કેવો રહ્યો અને સર, અંતમાં હું એક વાત જોડવા ચાહું છું કે, આપનું ફીટનેસ લેવલ /(તંદુરસ્તીનું સ્તર) જોઇને મારા જેવા યંગસ્ટર્સ ખૂબ ઇમ્પ્રેસ/ પ્રભાવિત અને ખૂબ ખૂબ Motivate / પ્રોત્સાહિત થયા છીએ આપને આટલા ચૂસ્ત અને તંદુરસ્ત જોઇને”
સૃષ્ટિજી, તમારા ફોન કોલ માટે ધન્યવાદ. તમારી જેમ જ, હરિયાણાના સોહનાથી કે.કે.પાંડેયજી અને સુરતનાં ઐશ્વર્યા શર્માજી સહિત કેટલાય લોકોએ ડિસ્કવરી ચેનલ પર બતાવવામાં આવેલા “Man Vs. Wild” એપીસોડ વિષે જાણવા ઇચ્છા વ્યકત કરી છે. આ એક એપીસોડથી હું માત્ર હિન્દુસ્તાનના જ નહીં. બલ્કે દુનિયાભરના યુવાનો સાથે જોડાઇ ગયો છું. મેં પણ કયારેય વિચાર્યું નહોતું કે, આપણા દેશના અને દુનિયાના યુવાનોના દિલોમાં મારૂં આ રીતે સ્થાન બની જશે. મેં પણ કયારેય વિચાર્યું નહોતું કે, આપણા દેશના અને દુનિયાના યુવાનો કેટલી વિવિધતાસભર બાબતો તરફ ધ્યાન આપે છે. મેં કયારેય વિચાર્યું નહોતું કે દુનિયાભરનાં યુવાન હૈયાંને સ્પર્શવાની મારી જિંદગીમાં કોઇ તક મળશે. અને બને છે કેવું – હમણાં ગયા અઠવાડિયે હું ભૂતાન ગયો હતો. મેં જોયું છે કે,પ્રધાનમંત્રી તરીકે મને જયારથી કયાંય પણ જવાની તક મળી છે, અને તેમાંય આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કારણે સ્થિતિ એવી બની ગઇ છે કે, દુનિયામાં જે કોઇને મળું છું અને બેસું છું તો કોઇને કોઇ પાંચ-સાત મિનિટ તો યોગ વિષે મારી સાથે સવાલ-જવાબ અચૂક કરે છે. ભાગ્યે જ દુનિયાના કોઇ મોટા એવા નેતા હશે જેમણે મારી સાથે યોગ વિષે ચર્ચા ના કરી હોય. અને આખી દુનિયામાં મને અનુભવ થયો છે. પરંતુ હમણાં એક નવો અનુભવ થઇ રહ્યો છે. અને જે પણ મળે છે, જયાં પણ વાત કરવાની તક મળે છે, તે વન્યજીવનના વિષયમાં ચર્ચા કરે છે. પર્યાવરણ વિષે ચર્ચા કરે છે. વાઘ, સિંહ, જીવસૃષ્ટિ વગેરે વિષે. મને નવાઇ લાગે છે કે, લોકોને કેટલો રસ હોય છે! ડિસ્કવરીએ આ કાર્યક્રમને 165 દેશોમાં તેમની ભાષામાં પ્રસારિત કરવાનું આયોજન કર્યું છે. આજે જ્યારે પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન વિશે એક વૈશ્વિક મંથનનો દોર ચાલી રહ્યો છે. મને આશા છ કે, આ કાર્યક્રમ ભારતનો સંદેશ, ભારતની પરંપરા, ભારતની સંસ્કાર યાત્રામાં પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા, આ તમામ બાબતોથી વિશ્વને પરિચિત કરાવવામાં ડિસ્કવરી ચેનલનો આ એપીસોડ ખૂબ મદદ કરશે એવો મને પાકો વિશ્વાસ છે. અને આપણા ભારતમાં આબોહવા ન્યાય અને સ્વચ્છ પર્યાવરણની દિશામાં લીધેલાં પગલાં વિષે લોકો હવે જાણવા ઇચ્છે છે. પરંતુ એક વધુ રસપ્રદ વાત એ પણ છે, જે કેટલાક લોકો સંકોચ સાથે પણ મને જરૂર પૂછે છે કે, મોદીજી એ કહો કે, તમે હિંદી બોલતા હતા અને બીયર ગ્રીલ્સ હિંદી જાણતા નથી, તો આટલો ઝડપથી તમારી સાથે સંવાદ કેવી રીતે થતો હતો. કે પછી બાદમાં, એડિટ કરવામાં આવ્યું છે. શું એટલું વારે-વારે શૂટીંગ કરાયું છે. ખરેખર શું થયું છે. બહુ જીજ્ઞાસાથી પૂછે છે. જૂઓ, આમાં કશું જ રહસ્ય નથી. કેટલાંય લોકોના મનમાં આ સવાલ છે તો હું એ રહસ્ય જાહેર કરી જ દઉં છું. આમ જુઓ તો તે રહસ્ય છે જ નહીં. હકીકત એ છે કે, બીયર ગ્રીલ્સ સાથેની વાતચીતમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરાયો છે. જ્યારે હું કંઇ પણ બોલતો હતો, ત્યારે તેની સાથેસાથે તેનો અંગ્રેજીમાં અનુવાદ થતો હતો. સાથો સાથ જ ભાષાંતર થતું હતું અને બીયર ગ્રીલ્સના કાનમાં એક નાનું એક કોર્ડલેસ ઉપકરણ લગાડેલું હતું તેનાથી તેને અંગ્રેજીમાં સંભળાતું હતું. આમ હું બોલતો હતો હિંદી, પણ એને સંભળાતું હતું અંગ્રેજી, અને તેના લીધે સંવાદ વધુ સરળ બની જતો હતો. અને ટેકનોલોજીની આ જ તો કમાલ છે. આ શો પછી બહુ મોટી સંખ્યામાં લોકો મને જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન વિષે ચર્ચા કરતા જોવા મળ્યા છે. તમે પણ કુદરત અને વન્યજીવન પ્રકૃત્તિ તેમજ અન્ય જીવોને લગતાં સ્થળો પર ચોક્કસ જાવ. મેં પહેલાં પણ કહ્યું છે અને ભારપૂર્વક તમને કહું છું. તમારા જીવનમાં ઇશાન ભારત ચોક્કસ જાવ. શું પ્રકૃત્તિ છે ત્યાં!! તમે જોતાં રહી જશો. તમારી અંદરનું વિશ્વ વિસ્તરી જશે. 15 ઓગષ્ટે લાલ કિલ્લા પરથી મેં આપ સૌને આગ્રહ કર્યો હતો કે, આગામી 3 વર્ષમાં ભારતનાં ઓછામાં ઓછાં 15 સ્થળોની મુલાકાતે જાવ. તે પણ 100 ટકા પર્યટનના હેતુથી જ એવાં 15 સ્થળોએ જાવ, જુઓ, અભ્યાસ કરો, પરિવારને લઇને જાવ, થોડો સમય ત્યાં ગાળો, વીતાવો. વિવિધતાઓથી ભરેલો દેશ! તમને પણ આ વિવિધતાઓ એક શિક્ષકના રૂપમાં અંદરથી વિવિધતાઓથી ભરી દેશે. તમારા પોતાના જીવનનું વિસ્તરણ થશે. તમારૂં ચિંતન વ્યાપક બનશે. અને મારા પર ભરોસો રાખો, કે ભારતની અંદર જ એવાં સ્થળો છે જયાંથી તમે, નવી સ્ફૂર્તિ, નવો ઉત્સાહ, નવો ઉમંગ, નવી પ્રેરણા મેળવીને આવશો. અને શક્ય છે કે, કેટલાંક સ્થળોએ તો તમને વારેવારે જવાનું મન થશે. તમારા કુટુંબને પણ મન થશે.
મારા વ્હાલા દેશવાસીઓ, ભારતમાં પર્યાવરણની સંભાળ અને ચિંતા સ્વાભાવિક જ જોવા મળે છે. ગયા મહિને દેશમાં વાઘની વસતિગણતરી જાહેર કરવાનું મને સદભાગ્ય સાંપડ્યું હતું. તમે જાણો છો કે, ભારતમાં કેટલા વાઘ છે? ભારતમાં વાઘની સંખ્યા 2967 છે. Two Thousand Nine Hundred Sixty Seven. થોડા વરસ પહેલાં તેનાથી અડધા તો મહામહેનતે હતા. વાઘ. વાઘ માટે 2010માં રશિયાના પિટર્સબર્ગમાં વાઘ શિખર સંમેલન યોજાયું હતું. દુનિયામાં વાઘની ઘટી રહેલી વસતિ અંગે તેમાં ચિંતા વ્યકત કરતાં એક સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સંકલ્પ હતો 2022 સુધીમાં દુનિયામાં વાઘની સંખ્યા બમણી કરવી. પરંતુ આ નૂતન ભારત છે કે, આપણે લક્ષ્યને વહેલામાં વહેલું સિધ્ધ કરીએ છીએ. આપણે 2019માં આપણે ત્યાંના વાઘોની વસતિ બમણી કરી દીધી. ભારતમાં કેવળ વાઘની વસતિ જ નહિં, બલ્કે, આરક્ષિત વિસ્તારો અને સામુદાયિક આરક્ષિત સ્થાનોની સંખ્યા પણ વધી છે. હું જ્યારે વાઘની વસતિ જાહેર કરી રહ્યો હતો ત્યારે મને ગુજરાતના ગીરના સિંહ પણ યાદ આવી ગયા. મેં જ્યારે ત્યાં મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી હતી ત્યારે ગીરના જંગલમાં સિંહોનો આવાસ વિસ્તાર સંકોચાઇ રહ્યો હતો. તેમની સંખ્યા ઘટી રહી હતી. અમે ગીરમાં એક પછી એક પગલાં ભર્યા. 2007માં ત્યાં મહિલા ગાર્ડઝ(રખેવાળ) તહેનાત કરવાનો નિર્ણય લીધો. પર્યટન વધારવા માટે માળખાકીય સુધારા કર્યા. આપણે જ્યારે પણ પ્રકૃતિ અને વન્ય જીવી વાત કરીયે છીએ તો કેવળ સંરક્ષણની જ વાત કરીએ છીએ. પરંતુ હવે આપમે સંરક્ષણથી આગળ વધીને કરૂણાની – કંપેશન વિષે પણ વિચારવું જ પડશે. આ બાબતે આપણાં શાસ્ત્રોમાં બહુ સરસ માર્ગદર્શન મળ્યું છે. સદીઓ પહેલાં આપણા શાસ્ત્રોમાં આપણે કહ્યું છે.
નિર્વનો બધ્યતે વ્યાધ્રો, નિવ્યાઘ્રં છિદ્દયતે વનમ્
તસ્માદ્ વ્યાધ્રો વનમ્ રક્ષેત્, વનં વ્યાઘ્રં ન પાલયેત્
અર્થાત્ જો વન ન હોય તો, વાઘ મનુષ્યની વસતિમાં આવવા મજબૂર બની જાય છે. અને માર્યા જાય છે. અને જો જંગલમાં વાઘ ન હોય તો, મનુષ્ય જંગલ કાપીને તેનો નાશ કરી નાંખે છે. એટલે હકીકતમાં વાઘ વનનું રક્ષણ કરે છે. વન વાઘનું નહિં.
આપણા પૂર્વજોએ આ વિષયને કેટલી ઉત્તમ રીતે સમજાવ્યો છે! એટલે આપણે આપણા વનો, વનસ્પતિઓ અને વન્યજીવોનું માત્ર સંરક્ષણ કરવાની જ નહિં પરંતુ એવું વાતાવરણ બનાવવાની પણ જરૂર પડશે. જેનાથી તે યોગ્ય રીતે ફૂલીફાલી શકે.
મારા વ્હાલા દેશવાસીઓ, 11 સપ્ટેમ્બર, 1893નું સ્વામી વિવેકાનંદજીનું એ ઐતિહાસિક પ્રવચન કોણ ભૂલી શકે છે? પૂરા વિશ્વની માનવજાતને હચમચાવી દેનાર ભારતના એ યુવાન સંન્યાસી દુનિયામાં ભારતની તેજસ્વી ઓળખ છોડીને આવ્યા હતા. જે ગુલામ ભારતની તરફ દુનિયા બહુ વિકૃત ભાવથી જોઇ રહી હતી. તે દુનિયાને 11 સપ્ટેમ્બર, 1893ના રોજ સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરૂષના શબ્દોએ ભારત તરફની દૃષ્ટિ બદલવા માટે મજબૂર કરી દીધી. સ્વામી વિવેકાનંદજીએ ભારતના જે રૂપને જોયુ હતું, સ્વામી વિવેકાનંદજીએ ભારતના જે સામર્થ્યને જાણ્યું હતું, આવો, આપણે તેને જીવવાની કોશિષ કરીએ. આપણી અંદર છે બધું જ છે. આત્મવિશ્વાસની સાથે નીકળી પડીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, આપને સૌને યાદ હશે કે, 29 ઓગષ્ટને રાષ્ટ્ર ખેલ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે દેશભરમાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટ-ચુસ્ત ભારત ઝુંબેશ શરૂ કરવાના છીએ. પોતાને ચુસ્ત બનાવવાના છીએ. દેશને ચુસ્ત બનાવવાનો છે. બાળકો, વડીલો, યુવાનો, મહિલાઓ એમ સૌ કોઇ માટે આ ખૂબ રસપ્રદ અભિયાન હશે. અને તે તમારૂં પોતાનું હશે. પરંતુ તેની વિગતો હું આજે આપવાનો નથી. 29મી ઓગષ્ટની રાહ જુઓ. તે દિવસે હું પોતે તેની વિગતવાર વાત કરવાનો છું. અને તમને તેની સાથે જોડ્યા વિના રહેવાનો નથી. કેમ કે, હું તમને તંદુરસ્ત, ચુસ્ત જોવા માંગું છું. ફીટનેસ – ચુસ્તી માટે તમને જાગ્રત બનાવવા માંગું છું. અને ચુસ્ત ભારત માટે, દેશ માટે, આપણે સાથે મળીને કોઇ લક્ષ્ય પણ નક્કી કરીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, હું આપની રાહ જોઇશ, 29 ઓગષ્ટે, ફીટ ઇન્ડિયામાં, સપ્ટેમ્બર મહિનામાં પોષણ અભિયાનમાં, અને ખાસ કરીને 11 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર ”સ્વચ્છતા અભિયાનમાં” અને 2 ઓકટોબર સંપૂર્ણપણે સમર્પિત પ્લાસ્ટીક મુક્તિ માટે. પ્લાસ્ટીકથી મુક્તિ મેળવવા માટે, આપણે બધા ઘરમાં, ઘરની બહાર બધી જગ્યાએ પૂરી તાકાતથી લાગી જઇશું અને મને ખબર છે કે, આ બધાં અભિયાન સોશ્યલ મિડિયામાં તો ધૂમ મચાવશે. આવો એક નવા ઉમંગ, નવા સંકલ્પ, નવી શક્તિ સાથે નીકળી પડીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે મન કી બાતમાં આટલું જ.. ફરી મળીશું. હું આપની વાતોની, આપના સૂચનોની રાહ જોઇશ. આવો, આપણે બધાં મળીને આઝાદીના દિવાનાઓના સપનાનું ભારત બનાવવા માટે, ગાંધીના સપનાં સાકાર કરવા માટે નીકળી પડીએ – સ્વાન્તઃ સુખાય, અંતરના આનંદને સેવાભાવથી પ્રગટ કરતાં કરતાં નીકળી પડીએ..
ખૂબ-ખૂબ ધન્યવાદ..
નમસ્કાર..

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ની હંમેશાંની જેમ, મને પણ અને તમને પણ પ્રતીક્ષા રહે છે. આ વખતે પણ મેં જોયું કે ઘણા બધા પત્રો, કૉમેન્ટ, ફૉન કૉલ મળ્યા છે- ઘણી બધી વાર્તાઓ છે, સૂચનો છે, પ્રેરણાઓ છે- દરેક વ્યક્તિ કંઈ ને કંઈ કરવા માગે છે અને કહેવા પણ માગે છે- એક લાગણી અનુભવાય છે અને તે બધાંમાં ઘણું બધું છે, જે હું સમેટવા માગીશ, પરંતુ સમયની એક સીમા છે, તેથી તેને સમેટી પણ શકતો નથી. એવું લાગી રહ્યું છે કે તમે મારી બહુ કસોટી કરી રહ્યા છો. તેમ છતાં, તમારી જ વાતોને આ ‘મન કી બાત’માં પરોવીને ફરીથી એક વાર તમારી વચ્ચે વહેંચવા માગું છું.
તમને યાદ હશે કે ગયા વખતે મેં પ્રેમચંદજીની વાર્તાઓના એક પુસ્તક વિશે ચર્ચા કરી હતી અને આપણે નક્કી કર્યું હતું કે જે પણ પુસ્તક વાંચીએ તેના વિશે કંઈક વાતો NarendraModi Appના માધ્યમથી બધાની સાથે વહેંચીશું. હું જોઈ રહ્યો હતો કે મોટી સંખ્યામાં લોકોએ અનેક પ્રકારના પુસ્તકોની જાણકારી વહેંચી છે. મને સારું લાગ્યું કે લોકો વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, ઇનોવેશન, ઇતિહાસ, સંસ્કૃતિ, વેપાર, જીવનચરિત્ર એવા અનેક વિષયો પર લખાયેલાં પુસ્તકો પર અને તેને લઈને ચર્ચા કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો મને એમ પણ સલાહ આપી કે હું બીજાં પુસ્તકો વિશે પણ વાત કરું. ઠીક છે, હું જરૂર કેટલાંક બીજાં પુસ્તકો વિશે તમારી સાથે વાત કરીશ. પરંતુ એક વાત મારે સ્વીકારવી પડશે કે હવે હું પુસ્તકો વાંચવામાં બહુ વધુ સમય આપી શકતો નથી. પરંતુ એક ફાયદો એ જરૂર થયો છે કે તમે લોકો જે લખીને મોકલો છો તો અનેક પુસ્તકો વિશે મને જાણવાની તક જરૂર મળી રહી છે. પરંતુ ગત મહિનાના અનુભવ પરથી મને લાગે છે કે તેને આપણે આગળ વધારવાનું છે. શા માટે આપણે NarendraModiApp પર એક કાયમી Book’s corner જન બનાવી દઈએ? અને જ્યારે પણ આપણે નવાં પુસ્તકો વાંચીએ તેના વિશે ત્યાં લખીએ, ચર્ચા કરીએ. અને તમે આપણા આ Book’s corner માટે સારું નામ પણ સૂચવી શકો છો. હું ઈચ્છું છું કે આ Book’s corner વાચકો અને લેખકો માટે એક સક્રિય મંચ બની જાય. તમે વાંચતા રહો, લખતા રહો અને ‘મન કી બાત’ના બધા સાથીઓ સાથે તેને વહેંચતા પણ રહો.
સાથીઓ, એવું લાગી રહ્યું છે કે જળસંરક્ષણ… ‘મન કી બાત’માં જ્યારે મેં આ વાતને છેડી હતી… પરંતુ કદાચ આજે હું અનુભવ કરી રહ્યો છું કે મારા કહેતા પહેલા પણ જળસંરક્ષણ તે વિષય તમારા હૃદયને સ્પર્શનારો વિષય હતો, સામાન્ય માનવીની પસંદનો વિષય હતો. અને હું અનુભવ કરી રહ્યો છું કે પાણીના વિષયે આજકાલ હિન્દુસ્તાનનાં દિલોને હચમચમાવી નાખ્યાં છે. જળસંરક્ષણ અંગે દેશભરમાં અનેક પ્રકારના પ્રભાવી પ્રયાસો ચાલી રહ્યા છે. લોકોએ પરંપરાગત રીતો અને ઉપાયો વિશે જાણકારીઓ તો જણાવી જ છે. મિડિયાએ પણ જળસંરક્ષણ પર અનેક નવીન ઝુંબેશો આદરી છે. સરકાર હોય, એનજીઓ હોય, બધાં યુદ્ધસ્તર પર કંઈક ને કંઈક કરી રહ્યાં છે. સામૂહિકતાનું સામર્થ્ય જોઈને મનને બહુ સારું લાગી રહ્યું છે, બહુ સંતોષ થઈ રહ્યો છે. જેમ કે ઝારખંડમાં રાંચીથી કેટલેક દૂર, ઓરમાંઝી પ્રખન્ડના આરા કેરમ ગામમાં, ત્યાંના ગ્રામીણોએ જળપ્રબંધન વિશે જે ઉત્સાહ દેખાડ્યો છે તે દરેક માટે ઉદાહરણ બની ગયું છે. ગ્રામીણોએ શ્રમ દાન કરીને પહાડથી વહેતા ઝરણાને એક નિશ્ચિત દિશા આપવાનું કામ કર્યું. તે પણ શુદ્ધ દેશી પદ્ધતિ. તેનાથી ન માત્ર માટીની કપાત અને પાકનો વેડફાટ રોકાયો છે, પરંતુ ખેતરોને પણ પાણી મળી રહ્યું છે. ગ્રામીણોનું આ શ્રમદાન હવે પૂરા ગામ માટે જીવનદાનથી ઓછું નથી. તમને સહુને એ જાણીને પણ ઘણી ખુશી થશે કે ઈશાન ભારતનું સુંદર રાજ્ય મેઘાલય દેશનું પહેલું એવું રાજ્ય બની ગયું છે જેણે પોતાની જળ નીતિ- વૉટર પૉલિસી તૈયાર કરી છે. હું ત્યાંની સરકારને અભિનંદન આપું છું.
હરિયાણામાં, તે પાકની ખેતીને પ્રોત્સાહન અપાય છે જેમાં ઓછા પાણીની જરૂર પડે છે અને ખેડૂતને પણ કંઈ નુકસાન થતું નથી. હું હરિયાણા સરકારને વિશેષ રૂપથી અભિનંદન આપવા માગું છું કે તેમણે ખેડૂતો સાથે સંવાદ કરીને તેમને પરંપરાગત ખેતીથી હટીને ઓછા પાણીવાળા પાક માટે પ્રેરિત કર્યા.
હવે તહેવારોનો સમય આવી ગયો છે. તહેવારોના પ્રસંગે ઘણા મેળા પણ યોજાય છે. જળસંરક્ષણ માટે શા માટે આપણે આ મેળાનો ઉપયોગ પણ ન કરીએ? મેળામાં સમાજનો દરેક વર્ગ પહોંચે છે. તે મેળામાં પાણી બચાવવાનો સંદેશ આપણે ઘણી જ પ્રભાવી રીતે આપી શકીએ છીએ, પ્રદર્શન યોજી શકીએ છીએ, શેરી નાટકો કરી શકીએ છીએ, ઉત્સવોની સાથેસાથે જળસંરક્ષણનો સંદેશ ઘણી સરળતાથી આપણે પહોંચાડી શકીએ છીએ.
સાથીઓ, જીવનમાં કેટલીક વાતો આપણામાં ઉત્સાહ ભરી દે છે અને વિશેષ રૂપે બાળકોની ઉપલબ્ધિઓ, તેમનાં પરાક્રમો, આપણને બધાંને નવી ઊર્જા આપે છે અને આથી આજે મને, કેટલાંક બાળકો વિશે વાત કરવાનું મન થાય છે અને આ બાળકો છે – નીધિ બાઇપોટુ, મોનીષ જોશી, દેવાંશી રાવત, તનુષ જૈન,
હર્ષ દેવધરકર, અનંત તિવારી, પ્રીતિ નાગ, અથર્વ દેશમુખ, અરોન્યતેશ ગાંગુલી અને હૃતિક અલા-મંદા.
હું તેમના વિશે જે કહીશ તેનાથી તમારામાં પણ ગર્વ અને જોશ ભરાઈ જશે. આપણે બધાં જાણીએ છીએ કે કેન્સર એક એવો શબ્દ છે જેનાથી સમગ્ર દુનિયા ડરે છે. એવું લાગે છે કે મૃત્યુ દ્વાર પર ઊભું છે, પરંતુ આ બધાં દસ બાળકોએ પોતાની જિંદગીના જંગમાં, ન માત્ર કેન્સર જેવી ઘાતક બીમારીને પરાજિત કરી છે, પરંતુ પોતાના પરાક્રમથી પૂરી દુનિયામાં ભારતનું નામ ઉજાળ્યું છે. રમતોમાં આપણે ઘણી વાર જોઈએ છીએ કે ખેલાડી સ્પર્ધા જીત્યા કે ચંદ્રક મેળવ્યા પછી ચેમ્પ્યિન બને છે પરંતુ આ એક દુર્લભ અવસર રહ્યો, જ્યાં આ લોકો ખેલ સ્પર્ધામાં ભાગ લીધા પહેલાં જ ચેમ્પિયન હતા અને તે પણ જિંદગીની જંગના ચેમ્પિયન.
હકીકતે, આ મહિને મૉસ્કોમાં વર્લ્ડ ચિલ્ડ્રન્સ વિનર્સ ગેમ્સનું આયોજન થયું. આ એક એવી અનોખી રમત સ્પર્ધા છે જેમાં યંગ કેન્સર સર્વાઇવર એટલે કે એ લોકો જે જીવનમાં કેન્સરથી લડીને બહાર નીકળ્યા છે તે જ ભાગ લે છે. આ પ્રતિયોગિતામાં શૂટિંગ, ચેસ, સ્વિમિંગ, રનિંગ, ફૂટબૉલ અને ટેબલ ટેનિસ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. આપણા દેશના આ બધા દસ ચેમ્પિયનોએ આ ટુર્નામેન્ટમાં ચંદ્રકો જીત્યા. તેમાં કેટલાક ખેલાડીઓએ તો એક કરતા વધુ રમતોમાં ચંદ્રકો જીત્યા.
મારા પ્રિય દેશવાસીઓ, મને પૂરો વિશ્વાસ છે કે તમને આકાશને પાર, અંતરિક્ષમાં, ભારતની સફળતા વિશે, જરૂર ગર્વ થયો હશે- હું ચંદ્રયાન-2ની વાત કરું છું.
રાજસ્થાનના જોધપુરના સંજીવ હરિપુરા, કોલકાતાના મહેન્દ્રકુમાર ડાગા, તેલંગણાથી પી. અરવિંદરાવ, આવા અનેક, દેશભરના અલગ-અલગ ભાગોથી, અનેક લોકોએ મને NarendraModi App અને MyGov પર લખ્યું છે અને તેમણે ‘મન કી બાત’માં ચંદ્રયાન-2 વિશે ચર્ચા કરવાનો આગ્રહ કર્યો છે.
હકીકતે, અંતરિક્ષની દૃષ્ટિએ 2019 ભારત માટે ઘણું સારું રહ્યું. આપણા વૈજ્ઞાનિકોએ માર્ચમાં, A-SAT છોડ્યો હતો અને તે પછી ચંદ્રયાન-2. ચૂંટણીની દોડાદોડીમાં તે સમયે A-SAT જેવા મોટા અને મહત્ત્વપૂર્ણ સમાચારની વધુ ચર્ચા થઈ નહોતી શકી. આપણે A-SAT મિસાઇલથી માત્ર ત્રણ મિનિટમાં, ત્રણસો કિલોમીટર દૂર સેટેલાઇટને તોડી પાડવાની ક્ષમતા પ્રાપ્ત કરી હતી. આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારું ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો અને હવે 22 જુલાઈના રોજ સમગ્ર દેશે ગર્વની સાથે જોયું કે ચંદ્રયાન-2એ શ્રીહરિકોટાથી અંતરિક્ષની તરફ પોતાનાં ડગ ઉપાડ્યાં. ચંદ્રયાન-2ના પ્રક્ષેપણની તસવીરોએ દેશવાસીઓને ગૌરવ અને જોશથી, પ્રસન્નતાથી ભરી દીધા.
ચંદ્રયાન-2 મિશન અનેક રીતે વિશેષ છે. ચંદ્રયાન-2 ચંદ્ર વિશે આપણી સમજને વધુ સ્પષ્ટ કરશે. તેનાથી આપણને ચંદ્ર વિશે વધુ વિસ્તારથી જાણકારીઓ મળશે. પરંતુ જો તમે મને પૂછશો કે ચંદ્રયાન-2થી મને કઈ બે મોટી શીખામણ મળી, તો હું કહીશ, આ બે શીખામણ છે- ફેઇથ અને ફીયરલેસનેસ એટલે કે શ્રદ્ધા અને નિર્ભિકતા. આપણને આપણી ટેલન્ટ્સ અને કેપેસિટિઝ પર ભરોસો હોવો જોઈએ, આપણને આપણી પ્રતિભા અને ક્ષમતા પર વિશ્વાસ હોવો જોઈએ. તમને એ જાણીને આનંદ થશે કે ચંદ્રયાન-2 પૂરી રીતે ભારતીય રંગમાં ઢળેલું છે. તે ઉદ્દેશ્ય અને ભાવનાની રીતે ભારતીય છે. પૂરી રીતે તે એક સ્વદેશી મિશન છે. આ મિશને એક વાર ફરી એ સાબિત કરી દીધું છે કે જ્યારે વાત નવા-નવા ક્ષેત્રમાં કંઈક નવીન કરી બતાવવાની હોય, નાવિન્યપૂર્ણ ઉત્સાહની હોય તો આપણા વૈજ્ઞાનિકો સર્વશ્રેષ્ઠ છે, વિશ્વસ્તરીય છે.
બીજો મહત્ત્વપૂર્ણ પાઠ એ રહ્યો કે કોઈ પણ વિઘ્નથી ગભરાવું ન જોઈએ. જે રીતે આપણા વૈજ્ઞાનિકોએ વિક્રમી સમયમાં, દિવસ-રાત એક કરીને બધી ટૅક્નિકલ સમસ્યાઓને ઠીક કરીને ચંદ્રયાન-બેને લૉન્ચ કર્યું તે અભૂતપૂર્વ છે. વૈજ્ઞાનિકોની આ મહાન તપસ્યાને સમગ્ર દુનિયાએ જોઈ. તેના પર આપણને સહુને ગર્વ હોવો જોઈએ અને વ્યવધાન છતાં પણ પહોંચવાનો સમય તેમણે બદલ્યો નહીં. આ વાતનું પણ ઘણાને આશ્ચર્ય છે. આપણને આપણા જીવનમાં પણ ટેમ્પરરી સેટબેક્સ અર્થાત્ અસ્થાયી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ હંમેશાં યાદ રાખો કે તેને પાર પાડવાનું સામર્થ્ય આપણી અંદર જ હોય છે. મને પૂરી આશા છે કે ચંદ્રયાન-2 અભિયાન દેશના યુવાઓને વિજ્ઞાન અને ઇનોવેશન માટે પ્રેરિત કરશે. છેવટે, વિજ્ઞાન જ તો વિકાસનો માર્ગ છે. હવે આપણને આતુરતાથી સપ્ટેમ્બર મહિનાની રાહ છે જ્યારે ચંદ્રમાની સપાટી પર લેન્ડર વિક્રમ અને રૉવર-પ્રજ્ઞાનનું ઉતરાણ થશે.
આજે ‘મન કી બાત’ના માધ્યમથી, હું દેશના વિદ્યાર્થી દોસ્તોની સાથે, યુવા સાથીઓની સાથે પણ એક બહુ જ રસપ્રદ સ્પર્ધા વિશે જાણકારી વહેંચવા માગું છું અને દેશના યુવક-યુવતીઓને નિમંત્રિત કરું છું- એક ક્વિઝ કોમ્પિટિશન માટે. અંતરિક્ષ સાથે સંબંધિત જિજ્ઞાસાઓ, ભારતનું સ્પેસ મિશન, સાયન્સ અને ટૅક્નૉલૉજી- આ ક્વિઝ કોમ્પ્ટિશનના મુખ્ય વિષયો હશે, જેમ કે રૉકેટ છોડવા માટે શું-શું કરવું પડે છે. સેટેલાઇટને કેવી રીતે કક્ષામાં સ્થાપિત કરવામાં આવે છે અને સેટેલાઇટથી આપણે કઈ કઈ માહિતીઓ મેળવીએ છીએ, A-SAT શું હોય છે, ઘણી બધી વાતો છે. MyGov website પર પહેલી ઑગસ્ટે સ્પર્ધાની વિગતો આપવામાં આવશે.
હું યુવા સાથીઓને, વિદ્યાર્થીઓને, અનુરોધ કરું છું કે આ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લો અને પોતાની સહભાગિતાથી તેને રસપ્રદ, રોચક અને યાદગાર બનાવો. હું શાળાઓને, વાલીઓને, ઉત્સાહી આચાર્યોને અને શિક્ષકોને વિશેષ આગ્રહ કરું છું કે તેઓ પોતાની શાળાઓને વિજયી બનાવવા માટે ભરપૂર મહેનત કરે. બધા વિદ્યાર્થીઓને તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે અને સૌથી રોમાંચક બાબત એ છે કે દરેક રાજ્યમાંથી સૌથી વધુ ગુણાંક મેળવનારા વિદ્યાર્થીઓને ભારત સરકાર પોતાના ખર્ચે શ્રીહરિકોટા લઈ જશે અને સપ્ટેમ્બરમાં તેમને એ પળના સાક્ષી બનવાનો અવસર મળશે કે જ્યારે ચંદ્રયાન ચંદ્રમાની સપાટી પર ઉતરાણ કરી રહ્યું હશે. આ વિજયી વિદ્યાર્થીઓ માટે તેમના જીવનની આ ઐતિહાસિક ઘટના હશે. પરંતુ તે માટે તમારે ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવો પડશે, સૌથી વધુ અંક પ્રાપ્ત કરવાના રહેશે, તમારે વિજયી થવાનું રહેશે.
સાથીઓ, મારું આ સૂચન તમને જરૂર ગમ્યું હશે- છે ને મજેદાર અવસર. તો આપણે ક્વિઝમાં ભાગ લેવાનું ન ભૂલીએ અને વધુમાં વધુ સાથીઓને પ્રેરિત પણ કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, તમે એક વાત નોંધી હશે. આપણી મનની વાતોએ સ્વચ્છતા અભિયાનને સમય સમય પર ગતિ આપી છે અને આ જ રીતે સ્વચ્છતા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોએ પણ ‘મન કી બાત’ને હંમેશાં પ્રેરણા આપી છે. પાંચ વર્ષ પહેલાં શરૂ કરાયેલી આ યાત્રા આજે જન-જનની સહભાગિતાથી, સ્વચ્છતા માટે નવા-નવા માનદંડ સ્થાપિત કરી રહી છે. એવું નથી કે આપણે સ્વચ્છતામાં આદર્શ સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે, પરંતુ જે પ્રકારે ODFથી લઈને સાર્વજનિક સ્થળો સુધી સ્વચ્છતા અભિયાનને સફળતા મળી છે, તે એકસો ત્રીસ કરોડ દેશવાસીઓના સંકલ્પની તાકાત છે, પરંતુ આપણે આટલેથી અટકવાના નથી. આ આંદોલન હવે સ્વચ્છતાથી સુંદરતાની તરફ આગળ વધી રહ્યું છે. હમણાં કેટલાક દિવસો પહેલાં જ હું મિડિયામાં શ્રીમાન યોગેશ સૈની અને તેમની ટીમની વાત જોઈ રહ્યો હતો. યોગેશ સૈની એન્જિનિયર છે અને અમેરિકામાં પોતાની નોકરી છોડીને મા ભારતીની સેવા માટે પાછા આવ્યા છે. તેમણે કેટલાક સમય પહેલાં દિલ્હીને સ્વચ્છ જ નહીં, પરંતુ સુંદર બનાવવાનું બીડું ઝડપ્યું છે. તેમણે પોતાની ટીમ સાથે લોધી ગાર્ડનની કચરાપેટીઓથી શરૂઆત કરી. સ્ટ્રીટ આર્ટના માધ્યમથી, દિલ્હીના અનેક વિસ્તારોને, સુંદર ચિત્રકામથી સજાવવા-શણગારવાનું કામ કર્યું. ઑવર બ્રિજ અને શાળાઓની દીવાલોથી લઈને ઝૂંપડપટ્ટીઓ સુધી, તેમણે પોતાના કસબને કંડારવાનું શરૂ કર્યું તો લોકોનો સાથ પણ મળતો ગયો અને આ ક્રમ શરૂ થઈ ગયો. તમને યાદ હશે કે કુંભ દરમિયાન પ્રયાગરાજને પણ કઈ રીતે સ્ટ્રીટ પેઇન્ટિંગથી સજાવવામાં આવ્યું હતું. મને ખબર પડી ભાઈ યોગેશ સૈનીએ અને તેમની ટીમે તેમાં ઘણી મોટી ભૂમિકા ભજવી હતી. રંગ અને રેખાઓમાં કોઈ અવાજ ભલે ન હોય, પરંતુ તેનાથી બનેલી તસવીરોથી જે ઈન્દ્રધનુષ બને છે તેમનો સંદેશ હજારો શબ્દોથી પણ વધુ પ્રભાવકારી સિદ્ધ થાય છે અને સ્વચ્છતા અભિયાનની સુંદરતામાં પણ આ વાતનો અનુભવ આપણે કરીએ છીએ. આપણા માટે ઘણું જરૂરી છે કે વેસ્ટ ટૂ વેલ્થ બનાવવાની સંસ્કૃતિ આપણા સમાજમાં વિકસે. એક રીતે કહીએ તો, આપણે કચરાને કંચન બનાવવાની દિશામાં આગળ વધવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, ગત દિવસોમાં MyGov પર મેં એક ઘણી જ રસપ્રદ ટીપ્પણી વાંચી. આ કૉમેન્ટ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રહેનારા ભાઈ મુહમ્મદ અસલમની હતી.
તેમણે લખ્યું- ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળવાનું ગમે છે. મને એ જણાવતાં ખુશી થાય છે કે મેં મારા રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં Community Mobilization Programme – Back To Village ના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી. આ કાર્યક્રમનું આયોજન જૂન મહિનામાં થયું હતું. મને લાગે છે કે આવા કાર્યક્રમ દર ત્રણ મહિને આયોજિત થવા જોઈએ. તેની સાથે જ, કાર્યક્રમની ઑનલાઇન મૉનિટરિંગની વ્યવસ્થા પણ હોવી જોઈએ. મારા વિચારથી તે આ પ્રકારનો પહેલો કાર્યક્રમ હતો, જેમાં જનતાએ સરકાર સાથે સીધો સંવાદ કર્યો.
ભાઈ મુહમ્મદ અસલમજીએ જે સંદેશ મને મોકલ્યો અને તેને વાંચ્યા પછી ‘Back To Village’ કાર્યક્રમ વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ અને જ્યારે મેં આ વિશે વિસ્તારથી જાણ્યું તો મને લાગ્યું કે સમગ્ર દેશને પણ તેની જાણકારી હોવી જોઈએ. કાશ્મીરના લોકો વિકાસની મુખ્યધારા સાથે જોડાવા કેટલા આતુર છે, કેટલા ઉત્સાહી છે, તે આ કાર્યક્રમથી ખબર પડે છે. આ કાર્યક્રમમાં, પહેલી વાર મોટા-મોટા અધિકારીઓ સીધા ગામોમાં પહોંચ્યા. જે અધિકારીઓને કયારેય ગામના લોકોએ જોયા પણ નહોતા તેઓ સામે ચાલીને તેમના દરવાજે પહોંચ્યા જેથી વિકાસના કામમાં આવી રહેલાં વિઘ્નોને સમજી શકાય, સમસ્યાઓને દૂર કરી શકાય. આ કાર્યક્રમ અઠવાડિયા સુધી ચાલ્યો અને રાજ્યની બધી લગભગ સાડા ચાર હજાર પંચાયતોમાં સરકારી અધિકારીઓએ ગામના લોકોને સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની વિસ્તારથી જાણકારી આપી. તે પણ જાણ્યું કે તેમના સુધી સરકારી સેવાઓ પહોંચે પણ છે કે નહીં. પંચાયતોને કેવી રીતે વધુ મજબૂત કરી શકાય? તેમની આવકને કેવી રીતે વધારી શકાય? તેમની સેવાઓ સામાન્ય માનવીના જીવનમાં શું પ્રભાવ પેદા કરી શકે છે? ગામના લોકોએ પણ નિઃસંકોચ પોતાની સમસ્યાઓ બતાવી. સાક્ષરતા, સેક્સ રેશિયો, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, જળસંરક્ષણ, વીજળી, પાણી, બાળકીઓનું શિક્ષણ, વૃદ્ધોના પ્રશ્નો…આવા અનેક પ્રશ્નો પર પણ ચર્ચા થઈ.
સાથીઓ, આ કાર્યક્રમમાં માત્ર નામપૂરતું નહોતું કે અધિકારીઓ દિવસભર ગામડામાં ફરીને પાછા આવી જાય પરંતુ આ વખતે અધિકારીઓએ બે દિવસ અને એક રાત પંચાયતમાં જ વિતાવી. તેનાથી તેમને ગામમાં સમય પસાર કરવાની તક મળી. દરેકને મળવાનો પ્રયાસ કર્યો. દરેક સંસ્થા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. તે કાર્યક્રમને રસપ્રદ બનાવવા માટે બીજી અનેક ચીજોને પણ સમાવિષ્ટ કરાઈ. ખેલો ઇન્ડિયા હેઠળ બાળકો માટે રમત સ્પર્ધા યોજવામાં આવી. વળી, સ્પૉર્ટ્સ કિટ, મનરેગાના જૉબ કાર્ડ અને એસસી-એસટી પ્રમાણપત્રો પણ વહેંચવામાં આવ્યા. Financial Literacy Camp લગાડવામાં આવ્યા. એગ્રિકલ્ચર, હૉર્ટિકલ્ચર જેવા સરકારી વિભાગોની તરફથી સ્ટૉલ લગાવવામાં આવ્યા અને સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી. એક રીતે, આ આયોજન, એક વિકાસ ઉત્સવ બની ગયો, જનભાગીદારીનો ઉત્સવ બની ગયો, જનજાગૃતિનો ઉત્સવ બની ગયો. કાશ્મીરના લોકો વિકાસના આ ઉત્સવમાં મોકળાશથી ભાગીદાર બન્યા. આનંદની વાત એ છે કે ‘Back to village’ કાર્યક્રમનું આયોજન એવાં અંતરિયાળ ગામોમાં પણ કરવામાં આવ્યું, જ્યાં પહોંચવામાં સરકારી અધિકારીઓને દુર્ગમ રસ્તાઓથી થઈને પહાડો ચડતાં-ચડતાં ક્યારેક તો એક દિવસ, દોઢ દિવસ પગપાળા યાત્રા પણ કરવી પડી. આ અધિકારીઓ તે સીમાવર્તી પંચાયતો સુધી પણ પહોંચ્યા, જે હંમેશાં સીમા પારથી થતા ગોળીબારોના ઓથારમાં રહે છે. એટલું જ નહીં, શોપિયાં, પુલવામા, કુલગામ અને અનંતનાગ જિલ્લાના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પણ અધિકારી કોઈ પણ ભય વગર પહોંચ્યા. કેટલાક અધિકારીઓ તો પોતાના સ્વાગતથી એટલા અભિભૂત થયા કે તેઓ બે દિવસથી વધુ સમય સુધી ગામડામાં રોકાઇ રહ્યા. તે વિસ્તારોમાં ગ્રામ સભાઓનું આયોજન થવું, તેમાં મોટી સંખ્યામાં લોકોનું ભાગ લેવું અને પોતાના માટે યોજનાઓ તૈયાર કરવી, આ બધું ઘણું સુખદ છે. નવો સંકલ્પ, નવો જોશ અને શાનદાર પરિણામો. આવા કાર્યક્રમો અને તેમાં લોકોની ભાગીદારી એ બતાવે છે કે કાશ્મીરનાં આપણાં ભાઈબહેન સુશાસન ચાહે છે. તેનાથી એ પણ સિદ્ધ થાય છે કે વિકાસની શક્તિ બોમ્બ-બંદૂકની શક્તિ પર હંમેશાં ભારે પડે છે. તે સ્પષ્ટ છે કે જે લોકો વિકાસના માર્ગમાં નફરત ફેલાવવા માગે છે, અવરોધ પેદા કરવા માગે છે, તેઓ ક્યારેય પોતાના નાપાક ઈરાદાઓમાં સફળ નહીં થઈ શકે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત શ્રીમાન દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રેએ પોતાની એક કવિતામાં શ્રાવણ માસનો મહિમા કંઈક આ રીતે પ્રસ્તુત કર્યો છે.
આ કવિતામાં તેમણે કહ્યું છે-
होडिगे मडिगे आग्येद लग्ना । अदराग भूमि मग्ना ।
અર્થાત્ વરસાદી વાછટ અને પાણીની ધારાનું બંધન અનોખું છે અને તેના સૌંદર્યને જોઈને પૃથ્વી મગ્ન છે.
સંપૂર્ણ ભારતવર્ષમાં અલગ-અલગ સંસ્કૃતિ અને ભાષાઓના લોકો શ્રાવણ મહિનાને પોતપોતાની રીતે ઉજવે છે. આ ઋતુમાં આપણે જ્યારે પણ આપણી આસપાસ જોઈએ છીએ તો એવું લાગે છે કે જાણે, ધરતીએ હરિયાળી ચાદર ઓઢી લીધી હોય. ચારેકોર, એક નવી ઊર્જાનો સંચાર થવા લાગે છે. આ પવિત્ર મહિનામાં અનેક શ્રદ્ધાળુઓ કાવડ યાત્રા અને અમરનાથ યાત્રા પર જાય છે, જયારે અનેક લોકો, નિયમિત રીતે ઉપવાસ કરે છે અને ઉત્સુકતાપૂર્વક જન્માષ્ટમી અને નાગપંચમી જેવા તહેવારોની રાહ જુએ છે. આ દરમિયાન જ ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર પણ આવે છે. શ્રાવણ મહિનાની જ્યારે વાત થઈ રહી છે ત્યારે તમને જાણીને ઘણો આનંદ થશે કે આ વખતે અમરનાથ યાત્રામાં છેલ્લાં ચાર વર્ષમાં સૌથી વધુ શ્રદ્ધાળુ સામેલ થયા છે. 1 જુલાઈથી અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ તીર્થયાત્રીઓ પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કરી ચૂક્યા છે. 2015માં પૂરા 60 દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં જેટલા તીર્થયાત્રીઓ સામેલ થયા હતા, તેનાથી વધુ આ વખતે માત્ર 28 દિવસોમાં જ સામેલ થઈ ચૂક્યા છે.
અમરનાથ યાત્રાની સફળતા માટે, હું ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના લોકો અને તેમના આતિથ્યની પણ પ્રશંસા કરવા માગું છું. જે લોકો પણ યાત્રાથી પાછા ફરે છે તેઓ રાજ્યના લોકોના ઉમળકા અને આત્મીયતાની ભાવનાના પ્રશંસક બની જાય છે. આ બધી ચીજો ભવિષ્યમાં પર્યટન માટે ઘણી લાભદાયક સાબિત થનારી છે. મને કહેવામાં આવ્યું કે ઉત્તરાખંડમાં પણ આ વર્ષે જ્યારથી ચારધામ યાત્રા શરૂ થઈ છે, ત્યારથી દોઢ મહિનાની અંદર આઠ લાખથી વધુ શ્રદ્ધાળુ કેદારનાથ ધામના દર્શન કરી ચૂક્યા છે. 2013માં આવેલી ભીષણ આપત્તિ પછી, પહેલી વાર આટલી રેકૉર્ડ સંખ્યામાં તીર્થયાત્રી ત્યાં પહોંચ્યા છે.
મારી આપ સહુને અપીલ છે કે દેશના તે હિસ્સાઓમાં આપ જરૂર જાવ, જેની સુંદરતા ચોમાસા દરમિયાન ખૂબ જ ખીલી ઊઠે છે. પોતાના દેશની આ સુંદરતાને જોવા અને પોતાના દેશના લોકોની લાગણીને સમજવા માટે પર્યટન અને યાત્રા, કદાચ, તેનાથી મોટો શિક્ષક બીજો કોઈ ન હોઈ શકે.
મારી આપ સહુને શુભકામના છે કે શ્રાવણનો આ સુંદર અને જીવંત મહિનો તમારા બધામાં નવી ઊર્જા, નવી આશા અને નવી અપેક્ષાઓનો સંચાર કરે. આ જ રીતે ઑગસ્ટ મહિનો ‘ભારત છોડો’ની યાદ લઈને આવે છે. હું ઈચ્છીશ કે આપ સહુ 15 ઑગસ્ટની કંઈક વિશેષ તૈયારીઓ કરો. આઝાદીનું આ પર્વ મનાવવાની નવી રીત શોધો. જનભાગીદારી વધે. 15 ઑગસ્ટ લોકોત્સવ કેવી રીતે બને? જનોત્સવ કેવી રીતે બને? તેની ચિંતા આપ જરૂર કરો. બીજી તરફ આ જ એ સમય છે જ્યારે દેશના અનેક હિસ્સાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક ભાગોમાં દેશવાસીઓ પૂરથી ગ્રસ્ત છે. પૂરથી અનેક પ્રકારનું નુકસાન પણ ઉઠાવવું પડે છે. પૂરના સંકટથી ઘેરાયેલા તમામ લોકોને હું આશ્વસ્ત કરું છું કે કેન્દ્ર, રાજ્ય સરકારો સાથે મળીને, પ્રભાવિત લોકોને દરેક પ્રકારની સહાયતા ઉપલબ્ધ કરાવવાનું કામ ખૂબ ઝડપથી કરી રહ્યું છે. આમ તો આપણે જ્યારે ટીવી પર જોઈએ છે ત્યારે વરસાદનું એક જ પાસું આપણને દેખાય છે- બધી તરફ પૂર, ભરાયેલાં પાણી, ટ્રાફિક જામ. ચોમાસાની બીજી તસવીર- જેમાં આનંદિત થતો આપણો ખેડૂત, કલરવ કરતાં પક્ષી, વહેતાં ઝરણાં, હરિયાળી ચાદર ઓઢેલી ધરતી…આ બધું જોવા માટે તો તમારે પોતે જ પરિવાર સાથે બહાર નીકળવું પડશે. વરસાદ, તાજગી અને ખુશી અર્થાત ફ્રેશનેસ અને હેપ્પીનેસ- બંનેને પોતાની સાથે લાવે છે. મારી કામના છે કે આ ચોમાસું તમને બધાને અવિરત ખુશીઓથી ભરતું રહે. આપ સૌ સ્વસ્થ રહો.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ ક્યાં શરૂ કરીએ, ક્યાં રોકાઈએ-ઘણું મુશ્કેલ કામ લાગે છે, પરંતુ છેવટે સમયની સીમા પણ હોય છે. એક મહિનાની રાહ પછી ફરી આવીશ. ફરી મળીશ. આખો મહિનો તમે મને ઘણી વાતો કહેજો. હું આવનારી ‘મન કી બાત’માં તે બધાને જોડવાનો પ્રયાસ કરીશ અને મારા યુવા સાથીઓને ફરી યાદ અપાવું છું કે તમે ક્વિઝ કોમ્પિટિશનની તક છોડતા નહીં. તમે શ્રીહરિકોટા જવાની જે તક મળવાની છે તેને કોઈ પણ સ્થિતિમાં ગુમાવશો નહીં.
તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. એક લાંબા અંતરાલ બાદ ફરીથી એકવાર, આપ સહુની વચ્ચે, ‘મન કી બાત’, લોકોની વાત, જન-જનની વાત, લોકમનની વાત, તેની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ચૂંટણીની દોડાદોડીમાં વ્યસ્તતા તો ઘણી હતી પરંતુ ‘મન કી બાત’ની જે મજા છે, તે ગાયબ હતી. એક ઓછાપણુ અનુભવી રહ્યો હતો. પોતાનાની વચ્ચે બેસીને, હળવા માહોલમાં 130 કરોડ દેશવાસીઓના પરિવારના એક સ્વજનના રૂપમાં, કેટલીયે વાતો સાંભળતા હતા, પુનરાવર્તન કરતા હતા અને ક્યારેક-ક્યારેક આપણી જ વાતો આપણા માટે પ્રેરણા બની જતી હતી.
તમે કલ્પના કરી શકો છો કે આ વચ્ચેનો સમયગાળો ગયો હશે, કેવો ગયો હશે. રવિવાર, છેલ્લો રવિવાર – 11 વાગ્યે મને પણ લાગતું હતું કે અરે, કંઈક છૂટી ગયું – તમને પણ લાગતું હતું ને ! ચોક્કસ લાગતું હશે. કદાચ આ કોઈ નિર્જીવ કાર્યક્રમ નહોતો. આ કાર્યક્રમમાં જીવંતતા હતી, પોતિકાપણું હતું, મનનો મેળ હતો, દિલોનું જોડાણ હતું અને તેને કારણે વચ્ચેનો જે સમય ગયો, તે સમય ઘણો કઠિન લાગ્યો મને. હું દરેક ક્ષણે કંઈક miss કરી રહ્યો હતો અને જ્યારે હું ‘મન કી બાત’ કરું છું ત્યારે ભલે બોલતો હું હોવ છું, શબ્દો કદાચ મારા છે, અવાજ મારો છે પરંતુ કથા તમારી છે, પુરુષાર્થ તમારો છે, પરાક્રમ તમારું છે. હું તો માત્ર મારા શબ્દો, મારી વાણીનો ઉપયોગ કરતો હતો અને તેને કારણે હું આ કાર્યક્રમને નહીં, તમને miss કરી રહ્યો હતો. એક ખાલીપણું અનુભવી રહ્યો હતો. એકવાર તો મન થઈ ગયું કે ચૂંટણી સમાપ્ત થતાં જ તરત જ તમારી વચ્ચે જ ચાલ્યો આવું. પરંતુ પછી લાગ્યું – ના તે રવિવાર વાળો ક્રમ જળવાવો જોઈએ. પરંતુ આ રવિવારે બહુ રાહ જોવડાવી. ખેર, આખરે મોકો મળી જ ગયો છે. એક પારિવારિક વાતાવરણમાં ‘મન કી બાત’, નાની-નાની, હળવી, સમાજ, જીવનમાં, જે બદલાવનું કારણ બને છે. એક રીતે તેનો આ ક્રમ, એક નવા ભાવને જન્મ આપતો અને એક પ્રકારથી નવા ભારતની ભાનવાને સમર્થન આપતો આ ક્રમ આગળ વધે.
કેટલાયે બધા સંદેશા ગત કેટલાક મહિનામાં આવ્યા છે જેમાં લોકોએ કહ્યું કે ‘મન કી બાત’ ને તેઓ મિસ કરી રહ્યા હતા. જ્યારે હું વાંચું છું, સાંભળુ છું, મને સારું લાગે છે. હું પોતિકાપણું અનુભવું છું. ક્યારેક-ક્યારેક મને એ લાગે છે કે આ મારી સ્વથી સમષ્ટિની યાત્રા છે. આ મારી અહમ થી વયમની યાત્રા છે. મારા માટે, તમારી સાથે મારો આ મૌન સંવાદ એક પ્રકારથી મારી આધ્યાત્મિક યાત્રાની અનુભૂતિનો પણ અંશ હતો. કેટલાય લોકોએ મને ચૂંટણીની દોડાદોડમાં, હું કેદારનાથ શા માટે જતો રહ્યો, ઘણાં સવાલો પૂછ્યા છે. તમારો હક છે, તમારી જિજ્ઞાસા પણ હું સમજી શકું છું અને મને લાગે છે કે ક્યારેક મારા એ ભાવોને તમારા સુધી ક્યારેક પહોંચાડું પરંતુ આજે મને લાગે છે કે જો હું એ દિશામાં ચાલી નીકળીશ તો કદાચ ‘મન કી બાત’ નું રૂપ જ બદલાઈ જશે અને તેથી જ ચૂંટણીની આ દોડાદોડી, જય-પરાજયના અનુમાન, હજુ પોલિંગ પણ બાકી હતું અને હું નીકળી પડ્યો. મોટાભાગના લોકોએ તેમાંથી રાજકીય અર્થ કાઢ્યા છે. મારા માટે, મને મળવાનો એ અવસર હતો. એક પ્રકારથી હું, મને મળવા ચાલ્યો ગયો હતો. હું વધારે વાતો તો આજે નહીં કહું, પરંતુ એટલું જરૂર કહીશ કે ‘મન કી બાત’ના આ અલ્પ વિરામને કારણે જે ખાલીપણું હતું, કેદારની ખીણમાં, એક એકાંત ગુફામાં, કદાચ તેણે કંઈક ભરવાનો અવસર જરૂર આપ્યો હતો. બાકી તમારી જિજ્ઞાસા છે, – વિચારું છું કે ક્યારેક તેની પણ ચર્ચા કરીશ. ક્યારે કરીશ, હું નહીં કહી શકું પરંતુ કરીશ જરૂર, કારણ કે તમારો મારા પર હક બને છે. જેવી રીતે કેદારના વિષયમાં લોકોએ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેવી જ રીતે એક સકારાત્મક ચીજોને બળ આપવાનો તમારો પ્રયાસ, તમારી વાતોમાં સતત હું અનુભવી રહ્યો છું. ‘મન કી બાત’ માટે જે પત્રો આવે છે, જે input પ્રાપ્ત થાય છે, તે નિયમિત સરકારી કામકાજથી બિલકુલ અલગ હોય છે. એક પ્રકારે તમારા પત્રો પણ મારા માટે પ્રેરણાનું કારણ બની જાય છે તો ક્યારેક ઉર્જાનું કારણ બની જાય છે. ક્યારેક ક્યારેક તો મારી વિચાર પ્રક્રિયાને આગળ ધપાવવાનું કામ તમારા કેટલાક શબ્દો કરી દે છે. લોકો, દેશ અને સમાજની સામે ઉભેલા પડકારોને સામે રાખે છે તો તેની સાથે-સાથે સમાધાન પણ દેખાડે છે. મેં જોયું છે કે પત્રોમાં લોકો સમસ્યાઓનું તો વર્ણન કરે છે પરંતુ એ પણ વિશેષતા છે કે સાથે સાથે, સમાધાનના પણ કંઈકને કંઈક સૂચનો, કંઈકને કંઈક કલ્પના, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પ્રગટ કરી દે છે. જો કોઈ સ્વચ્છતા માટે લખે છે તો ગંદકી પ્રત્યે તેની નારાજગી પણ દેખાડી રહ્યા છે પરંતુ સ્વચ્છતાના પ્રયત્નોના વખાણ પણ કરતા હોય છે. કોઈ પર્યાવરણની ચર્ચા કરે છે તો તેની પીડા તો અનુભવાય જ છે, પરંતુ સાથે સાથે તેમણે, પોતે જે પ્રયોગ કર્યા હોય તે પણ જણાવે છે – જે પ્રયોગ તેમણે જોયા છે તે પણ જણાવે છે અને જે કલ્પનાઓ તેમના મનમાં છે તેનું પણ ચિત્રણ કરે છે. એટલે કે એક પ્રકારથી સમસ્યાઓનું સમાધાન સમાજવ્યાપી કેવી રીતે હોય, તેની ઝલક તમારી વાતોમાં હું અનુભવી રહ્યો છું. ‘મન કી બાત’ દેશ અને સમાજ માટે એક અરીસાની જેમ છે. તે આપણને દેખાડે છે કે દેશવાસીઓની અંદર આંતરિક મજબૂતી, તાકાત અને ટેલેન્ટની પણ કોઈ અછત નથી. જરૂરિયાત છે એ મજબૂતી અને ટેલેન્ટને સમાવવાની, અવસર આપવાની, તેને ક્રિયાન્વિત કરવાની. ‘મન કી બાત’ એ પણ જણાવે છે કે દેશના વિકાસમાં બધા 130 કરોડ દેશવાસી મજબૂતી અને સક્રિયતાથી જોડાવા ઈચ્છે છે અને હું એક વાત જરૂરથી કહીશ કે ‘મન કી બાત’માં મને એટલા પત્રો આવે છે, એટલા ટેલિફોન કોલ આવે છે, એટલા સંદેશા મળે છે, પરંતુ ફરિયાદનું તત્વ બહુ જ ઓછું હોય છે અને કોઈએ કંઈક માંગ્યું હોય, પોતાના માટે માંગ્યું હોય તેવી તો એક પણ વાત, ગત પાંચ વર્ષમાં મારા ધ્યાનમાં આવી નથી. તમે કલ્પના કરી શકો છો, દેશના વડાપ્રધાનને કોઈ પત્ર લખે, પરંતુ પોતાને માટે કંઈ માંગે નહીં, આ દેશના કરોડો લોકોની ભાવના કેટલી ઉંચી હશે. હું જ્યારે આવી ચીજોનું એનાલિસિસ કરું છું – તમે કલ્પના કરી શકો છો, મારા દિલને કેટલો આનંદ આવતો હશે, મને કેટલી ઉર્જા મળતી હશે. તમને કલ્પના નથી કે તમે મને ચલાવો છો, તમે મને દોડાવો છો, તમે મને પળે પળ પ્રાણવાન બનાવી રહ્યા છો અને એ જ સંબંધ હું કંઈક મિસ કરતો હતો. આજે મારું મન ખુશીઓથી ભરેલું છે. જ્યારે મેં છેલ્લે કહયું હતું કે આપણે ત્રણ-ચાર મહિના પછી મળીશું, તો લોકોએ તેનો પણ રાજકીય અર્થ કાઢ્યો હતો અને લોકોએ કહ્યું કે અરે! મોદીજીને કેટલો આત્મવિશ્વાસ છે, તેમને ભરોસો છે. આત્મવિશ્વાસ મોદીનો નહોતો – આ વિશ્વાસ, તમારા વિશ્વાસના ફાઉન્ડેશનનો હતો. તમે જ હતા જેણે વિશ્વાસનું રૂપ લીધું હતું અને તેને જ કારણે સહજ રૂપથી છેલ્લી ‘મન કી બાત’ માં મેં કહી દીધું હતું કે હું કેટલાક મહિનાઓ પછી ફરીથી તમારી પાસે આવીશ. Acutally તો હું આવ્યો નથી, તમે મને લાવ્યા છો, તમે જ મને બેસાડ્યો છે અને તમે જ મને ફરી એકવાર બોલવાની તક આપી છે. આ જ ભાવના સાથે ચલો, ‘મન કી બાત’નો ક્રમ આગળ વધારીયે.
જ્યારે દેશમાં કટોકટી લગાવવામાં આવી ત્યારે તેનો વિરોધ માત્ર રાજકીય ક્ષેત્ર સુધી સીમિત રહ્યો નહોતો, રાજનેતાઓ સુધી સીમિત નહોતું રહ્યું, જેલના સળીયા સુધી, આંદોલન સમેટાઈ નહોતું ગયું. જન-જનના દિલમાં એક આક્રોશ હતો. ગુમાવેલા લોકતંત્રની એક તરસ હતી. દિવસ-રાત જ્યારે સમયસર ખાવાનું ખાઈએ છીએ ત્યારે ભૂખ શું હોય છે તે ખબર નથી હોતી તેવી જ રીતે સામાન્ય જીવનમાં લોકતંત્રના અધિકારોની શું મજા છે એ તો ત્યારે ખબર પડે છે, જ્યારે કોઈ લોકતાંત્રિક અધિકારોને છીનવી લે છે. કટોકટીમાં દેશના દરેક નાગરિકને લાગવા લાગ્યું હતું કે તેનું કંઈક છીનવી લેવામાં આવ્યું છે. જેનો તેણે જીવનમાં ક્યારેય ઉપયોગ નહોતો કર્યો તે પણ જો છીનવાઈ ગયું છે તો તેનું એક દર્દ, તેના દિલમાં હતું અને તે એટલા માટે નહોતું કે ભારતના બંધારણે કેટલીક વ્યવસ્થા કરી છે જેને કારણે લોકતંત્ર સમૃદ્ધ થયું છે. સમાજ વ્યવસ્થાને ચલાવવા માટે, બંધારણની પણ જરૂરિયાત હોય છે, કાયદા-કાનૂન, નિયમોની પણ આવશ્યકતા હોય છે, અધિકાર અને કર્તવ્યની પણ વાત થાય છે પરંતુ ભારત ગર્વ સાથે કહી શકે છે કે અમારા માટે, કાયદા નિયમોથી પર, લોકતંત્ર અમારા સંસ્કાર છે, લોકતંત્ર અમારી સંસ્કૃતિ છે, લોકતંત્ર અમારો વારસો છે અને તે વારસાને લઈને અમે મોટા થયા છીએ અને તેથી તેની અછત દેશવાસીઓ અનુભવી રહ્યા છે અને કટોકટીમાં આપણે અનુભવ કર્યો હતો અને તેથી દેશે, પોતાના માટે નહીં, એક આખી ચૂંટણીની પોતાના હિત માટે નહીં, લોકતંત્રની રક્ષા માટે આહૂતિ આપી દીધી હતી. કદાચ દુનિયાના કોઈ દેશમાં ત્યાંના દરેક લોકોએ લોકતંત્ર માટે પોતાના બાકી હકોની, અધિકારોની, આવશ્યકતાઓની પરવા ન કરતા માત્ર લોકતંત્ર માટે મતદાન કર્યું હોય, તો એવી એક ચૂંટણી આ દેશે 77 માં જોઈ. હાલમાં જ લોકતંત્રનું મહાપર્વ, બહુ મોટું ચૂંટણી અભિયાન, આપણા દેશમાં સંપન્ન થયું. અમીરથી લઈને ગરીબ, દરેક લોકો આ પર્વમાં ખુશીથી, આપણા દેશના ભવિષ્યનો ફેંસલો કરવા તત્પર હતા.
જ્યારે કોઈ પણ ચીજ આપણી બહુ જ નજીક હોય છે આપણે તેના મહત્વને underestimate કરીએ છીએ, તેના amazing facts ની પણ અવગણના થઈ જાય છે. આપણને જે બહુમૂલ્ય લોકતંત્ર મળ્યું છે તેને આપણે બહુ જ સરળતાથી granted માની લઈએ છીએ પરંતુ, આપણે સ્વયં એ યાદ અપાવતા રહેવું જોઈએ કે આપણું લોકતંત્ર બહુ જ મહાન છે અને આ લોકતંત્રને આપણી નસેનસમાં જગ્યા મળી છે – સદીઓની સાધનાથી, પેઢી દર પેઢીના સંસ્કારોથી, એક વિશાળ વ્યાપક મનની અવસ્થાથી. ભારતમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 61 કરોડથી વધારે લોકોએ વોટ આપ્યો, sixty one Crore. આ સંખ્યા આપણને બહુ જ સામાન્ય લાગી શકે છે પરંતુ જો દુનિયાના હિસાબથી હું કહું, જો એક ચીનને આપણે છોડી દઈએ તો ભારતમાં દુનિયાના કોઈપણ દેશની
વસ્તી થી વધારે લોકોએ વોટિંગ કર્યું હતું. જેટલા મતદાતાઓએ 2019ની લોકસભા ચૂંટણીમાં વોટ આપ્યો, તેની સંખ્યા અમેરિકાની કુલ જનસંખ્યાથી પણ વધારે છે, લગભગ બે ગણી છે. ભારતમાં કુલ મતદાતાઓની જેટલી સંખ્યા છે તે આખા યુરોપની જનસંખ્યાથી પણ વધારે છે. આ આપણા લોકતંત્રની વિશાળતા અને વ્યાપકતાનો પરિચય કરાવે છે. 2019ની લોકસભાની ચૂંટણી અત્યાર સુધીના ઈતિહાસમાં, દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણી હતી. તમે કલ્પના કરી શકો છો, આ પ્રકારની ચૂંટણી પૂર્ણ કરાવવામાં કેટલા મોટા સ્તર પર સ્ત્રોતો અને માનવશક્તિની આવશ્યકતા ઉભી થઈ હશે. લાખો શિક્ષકો, અધિકારીઓ અને કર્મચારીઓની દિવસ-રાતની મહેનતથી ચૂંટણી શક્ય બની શકી. લોકતંત્રના આ મહાયજ્ઞને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે જ્યાં અર્ધસૈનિક દળના લગભગ 3 લાખ સુરક્ષાકર્મીઓએ પોતાની જવાબદારી નિભાવી, તો અલગ-અલગ રાજ્યોના 20 લાખ પોલીસકર્મીઓએ પણ પરિશ્રમની પરાકાષ્ઠા કરી. આ જ લોકોની સખત મહેનતના ફળ સ્વરૂપે, આ વખતે ગત વખતથી પણ વધારે મતદાન થયું. મતદાન માટે આખા દેશમાં લગભગ 10 લાખ પોલિંગ સ્ટેશન, લગભગ 40 લાખથી વધુ ઈવીએમ મશીન, 17 લાખથી વધુ વીવીપેટ મશીન, તમે કલ્પના કરી શકો છો કેટલો મોટો તામ-ઝામ. આ બધું એટલા માટે કરવામાં આવ્યું કે એ સુનિશ્ચિત થઈ શકે કે કોઈ મતદાતા પોતાના મતાધિકારોથી વંચિત ન હોય. અરૂણાચલ પ્રદેશના એક રિમોટ વિસ્તારમાં માત્ર એક મહિલા મતદાતા માટે પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ચૂંટણી પંચના અધિકારીઓએ ત્યાં પહોંચવા માટે, બે-બે દિવસ સુધી યાત્રા કરવી પડી – આ જ તો લોકતંત્રનું સાચું સન્માન છે. દુનિયામાં સૌથી વધુ ઉંચાઈ પર સ્થિત મતદાન કેન્દ્ર પણ ભારતમાં જ છે. આ મતદાના કેન્દ્ર હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ ક્ષેત્રમાં 15000 ફીટની ઉંચાઈ પર સ્થિત છે. આ ઉપરાંત આ ચૂંટણીમાં ગર્વથી ભરેલું વધુ એક તથ્ય પણ છે. કદાચ ઈતિહાસમાં પહેલીવાર થયું હશે કે મહિલાઓએ પુરુષોની જેમ જ ઉત્સાહથી મતદાન કર્યું છે. આ ચૂંટણીમાં મહિલાઓ અને પુરુષોની મતદાનની ટકાવારી લગભગ-લગભગ બરાબર હતી. તેનાથી જ જોડાયેલું વધુ એક ઉત્સાહવર્ધક તથ્ય એ છે કે આજે સંસદમાં રેકોર્ડ 78 (seventy eight) મહિલા સાંસદ છે. હું ચૂંટણી પંચને અને ચૂંટણી પ્રક્રિયાથી જોડાયેલા પ્રત્યેક વ્યક્તિને ઘણા-ઘણા અભિનંદન આપું છું અને ભારતના જાગૃત મતદાતાઓને નમન કરું છું.
મારા પ્યારા દેશવાસીઓ, તમે કેટલીયે વખત મારા મોંએથી સાંભળ્યું હશે કે ‘બુકે નહીં બુક’, મારો આગ્રહ હતો કે શું આપણે સ્વાગત-સત્કારમાં ફૂલોને બદલે પુસ્તકો આપી શકીએ છીએ. ત્યારથી ઘણી જગ્યાએ લોકો પુસ્તકો આપવા લાગ્યા છે. મને હાલમાં જ કોઈએ પ્રેમચંદ કી લોકપ્રિય કહાનીયાં નામનું પુસ્તક આપ્યું. મને ઘણું સારું લાગ્યું. જો કે બહુ સમય નથી મળી શક્યો, પરંતુ પ્રવાસ દરમિયાન મને તેમની કેટલીક વાર્તા ફરીથી વાંચવાનો મોકો મળી ગયો. પ્રેમચંદે તેમની વાર્તામાં સમાજનું જે યથાર્થ ચિત્રણ કર્યું છે, વાંચતી વખતે તેમની છબી તમારા મનમાં બનવા લાગે છે. તેમની લખેલી એક-એક વાત જીવંત થઈ જાય છે. સહજ, સરળ ભાષામાં માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરનારી તેમની વાર્તાઓ, મારા મનને પણ સ્પર્શી ગઈ. તેમની વાર્તાઓમાં આખા ભારતનું મનોભાવ સમાયેલું છે. જ્યારે હું તેમની લખેલી નશા નામની વાર્તા વાંચી રહ્યો હતો, તો મારું મન પોતાની રીતે જ સમાજમાં વ્યાપેલી આર્થિક વિષમતાઓ પર જતું રહ્યું. મને મારા યુવાવસ્થાના દિવસો યાદ આવી ગયા કે કેવી રીતે આ વિષય પર રાત-રાત સુધી ચર્ચાઓ થતી હતી. જમીનદારના પુત્ર ઈશ્વરી અને ગરીબ પરિવારના વીરની આ વાર્તાથી શીખ મળે છે કે જો તમે સાવધાન નથી તો ખરાબ સંગતની અસર ક્યારે ચડી જાય છે, ખબર નથી પડતી. બીજી વાર્તા, જેણે મારા હ્રદયને અંદર સુધી સ્પર્શી લીધું, એ હતી ‘ઈદગાહ’. એક બાળકની સંવેદનશીલતા, તેનો તેની દાદી માટે વિશુદ્ધ પ્રેમ, આટલી નાની ઉંમરમાં આટલો પરિપક્વ ભાવ. 4-5 વર્ષનો હામિદ જ્યારે મેળામાંથી ચીપીયો લઈને તેની દાદી પાસે પહોંચે છે તો સાચે જ માનવીય સંવેદના તેની ચરમસિમા પર પહોંચી જાય છે. આ વાર્તાની છેલ્લી પંક્તિ બહુ જ ભાવુક કરનારી છે કારણ કે તેમાં જીવનની એક મોટી સચ્ચાઈ છે, ‘બાળક હામિદ વૃદ્ધ હામિદની જગ્યાએ હતો – વૃદ્ધા અમીના, બાળકી અમીના બની ગઈ હતી’.
આવી જ એક માર્મિક વાર્તા છે ‘પૂસ કી રાત’. આ વાર્તામાં ગરીબ ખેડૂતના જીવનની મુશ્કેલીનું સજીવ ચિત્રણ જોવા મળ્યું. પોતાનો પાક નષ્ટ થયો હોવા છતાં, પણ હલ્કૂ ખેડૂત એટલા માટે ખુશ થાય છે કે હવે તેને સખત ઠંડીમાં ખેતરમાં નહીં સૂવું પડે. જો કે આ વાર્તા લગભગ સદી પહેલાંની છે પરંતુ તેની પ્રાંસગિકતા, આજે પણ તેટલી જ અનુભવાય છે. તેને વાંચ્યા બાદ મને એક અલગ પ્રકારની જ અનુભૂતિ થઈ.
જ્યારે વાંચવાની વાત થઈ રહી છે, ત્યારે કોઈ મીડિયામાં, હું કેરળની અક્ષરા લાઈબ્રેરી વિશે વાંચતો હતો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ લાઈબ્રેરી ઈડુક્કીના ગાઢ જંગલો વચ્ચે વસેલા એક ગામડાંમાં છે. અહીંના પ્રાથમિક વિદ્યાલયના શિક્ષક પી.કે.મુરલીધરન અને નાની ચા ની દુકાન ચલાવનારા પી.વી.ચિન્નાથમ્પી, આ બંનેએ આ લાઈબ્રેરી માટે અથાગ પરિશ્રમ કર્યો છે. એક સમય એવો પણ રહ્યો, જ્યારે પોટલામાં બાંધીને અને પીઠ પર લાદીને અહીંયા પુસ્તકો લાવવામાં આવ્યા હતા. આજે આ લાઈબ્રેરી, આદિવાસી બાળકોની સાથે, દરેકને એક નવો માર્ગ દેખાડી રહી છે.
ગુજરાતમાં ‘વાંચે ગુજરાત’ અભિયાન એક સફળ પ્રયોગ રહ્યો. લાખોની સંખ્યામાં દરેક ઉંમરના વ્યક્તિએ પુસ્તકો વાંચવાના આ અભિયાનમાં ભાગ લીધો હતો. આજની ડિજીટલ દુનિયામાં ગૂગલ ગુરુના સમયમાં, હું તમને પણ આગ્રહ કરીશ કે કેટલોક સમય કાઢીને પોતાના રોજના daily routine માં પુસ્તકોને જરૂર સ્થાન આપો. તમે ખરેખર બહુ જ enjoy કરશો અને જે પણ પુસ્તકો વાંચો તેના વિશે ‘નરેન્દ્ર મોદી એપ’ પર જરૂરથી લખો જેથી ‘મન કી બાત’ના દરેક શ્રોતા પણ તેના વિશે જાણી શકે.
મારા પ્રિય દેશવાસીઓ, મને એ વાતની ખુશી છે કે આપણા દેશના લોકો એ મુદ્દા પર વિચારી રહ્યા છે જે ન માત્ર વર્તમાન પરંતુ ભવિષ્ય માટે પણ મોટો પડકાર છે. હું ‘નરેન્દ્ર મોદી એપ’ અને ‘Mygov’ પર તમારી Comments વાંચી રહ્યો હતો અને મેં જોયું કે પાણીની સમસ્યાને લઈને કેટલાય લોકોએ ઘણું લખ્યું છે. બેલાગાવીના પવન ગૌરાઈ, ભૂવનેશ્વરના સિતાંશુ મોહન પરીદા આ ઉપરાંત યશ શર્મા, શાહાબ અલ્તાફ ઉપરાંત પણ ઘણા લોકોએ મને પાણી સાથે જોડાયેલા પડકાર વિશે લખ્યું છે. પાણીનું આપણી સંસ્કૃતિમાં ઘણું જ મહત્વ છે. ઋગ્વેદના ‘આપઃ સુક્તમ’ માં પાણી વિશે કહેવામાં આવ્યું છે,
आपो हिष्ठा मयो भुवः, तान ऊर्जे दधातन, महे रणाय चक्षसे ।
यो वः शिवतमो रसः, तस्य भाजयते:, नः उषतीरिव मातरः ।।
એટલે કે જળ જ જીવન આપનાર શક્તિ, ઉર્જાનો સ્ત્રોત છે. આપ માં સમાન એટલે કે માતાની જેમ આપના આશિર્વાદ આપો. આપની કૃપા અમારા પર વરસાવતા રહેજો. પાણીની અછતથી દેશના કેટલાય ભાગો દર વર્ષે પ્રભાવિત થાય છે. તમને આશ્ચર્ય થશે કે આખા વર્ષમાં વરસાદથી જે પાણી પ્રાપ્ત થાય છે તેના માત્ર 8 ટકા જ આપણા દેશમાં બચાવવામાં આવે છે. માત્ર 8 ટકા. હવે સમય આવ્યો છે કે આ સમસ્યાનું સમાધાન કાઢવામાં આવે. મને વિશ્વાસ છે કે, આપણે અન્ય કેટલીયે સમસ્યાઓની જેમ જ જનભાગીદારીથી, જનશક્તિથી, એકસો ત્રીસ કરોડ દેશવાસીઓના સામર્થ્ય, સહયોગ અને સંકલ્પથી આ સંકટનું પણ સમાધાન કરી જ લેશું. પાણીનું મહત્વ સર્વોપરી રાખતા, દેશમાં નવું જળશક્તિ મંત્રાલય બનાવવામાં આવ્યું છે. તેનાથી પાણીથી સંબંધિત દરેક વિષયો પર ઝડપથી નિર્ણયો લેવામં આવશે. કેટલાક દિવસો પહેલા મેં કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો. મેં દેશભરના સરપંચોને પત્ર લખ્યો, ગ્રામ પ્રધાનોને. મેં ગ્રામ પ્રધાનોને લખ્યું કે પાણી બચાવવા માટે, પાણીનો સંગ્રહ કરવા માટે, વરસાદનું ટીપે-ટીપું પાણી બચાવવા માટે, તેઓ ગ્રામ સભાની બેઠક બોલાવીને, ગામલોકો સાથે બેસીને તેઓ વિચાર-વિમર્શ કરે. મને પ્રસન્નતા છે કે તેમણે આ કાર્યમાં પૂર્ણ ઉત્સાહ દેખાડ્યો અને આ મહિનાની 22 તારીખે હજારો પંચાયતોમાં કરોડો લોકોએ શ્રમદાન કર્યું. ગામ-ગામમાં લોકોએ પાણીના એક-એક ટીપાંનો સંગ્રહ કરવાનો સંકલ્પ લીધો.
આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં હું તમને એક સરપંચની વાત સંભળાવવા માગું છું. સાંભળો, ઝારખંડના હજારીબાગ જિલ્લામાં કટકમસાંડી બ્લોકની લુપુંગ પંચાયતના સરપંચે આપણને સહુને શું સંદેશ આપ્યો છે :
“મારું નામ દિલીપ કુમાર રવિદાસ છે. પાણી બચાવવા માટે જ્યારે વડાપ્રધાનજીએ અમને પત્ર લખ્યો તો અમને વિશ્વાસ જ ન થયો કે વડાપ્રધાને અમને પત્ર લખ્યો છે. જ્યારે અમે 22 તારીખે ગામના લોકોને ભેગા કરીને, વડાપ્રધાનનો પત્ર વાંચીને સંભળાવ્યો તો ગામના લોકો બહુ ઉત્સાહિત થયા અને પાણી બચાવવા માટે તળાવની સફાઈ અને નવું તળાવ બનાવવા માટે શ્રમદાન કરીને પોત-પોતાની ભાગીદારી નિભાવવા તૈયાર થઈ ગયા. વરસાદ પહેલા આ ઉપાય કરવાથી, આવનારા સમયમાં અમને પાણીની અછત નહીં રહે. એ સારું થયું કે અમારા વડાપ્રધાને અમને ઠીક સમય પર અમને ચેતવી દીધા.”
બિરસા મુંડાની ઘરતી, જ્યાં પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડી રાખવો સંસ્કૃતિનો ભાગ છે. ત્યાંના લોકો ફરી એકવાર જળ સંરક્ષણ માટે પોતાની સક્રિય ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. મારા તરફથી દરેક ગ્રામ પ્રધાનોને, દરેક સરપંચોને તેમની સક્રિયતા માટે ઘણી-ઘણી શુભકામનાઓ. દેશભરમાં આવા કેટલાય સરપંચ છે જેમણે જળ સંરક્ષણનું બીડું ઝડપી લીધું છે. એક પ્રકારે આખા ગામનો એ અવસર બની ગયો છે. એવું લાગી રહ્યું છે કે ગામના લોકો, હવે પોતાના ગામમાં જાણે જળ મંદિર બનાવવાની સ્પર્ધામાં લાગી ગયા છે. જેમ કે મેં કહ્યું, સામૂહિક પ્રયાસના ઘણા જ સકારાત્મક પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આખા દેશમાં જળ સંકટથી બહાર આવવાની કોઈ એક ફોર્મ્યૂલા ન હોઈ શકે. તેને માટે દેશના વિવિધ ભાગોમાં અલગ-અલગ રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ દરેકનું લક્ષ્ય એક જ છે, અને તે છે પાણી બચાવવું, જળ સંરક્ષણ.
પંજાબમાં drainage lines ને ઠીક કરવામાં આવી રહી છે. આ પ્રયાસથી water logging ની સમસ્યાથી છૂટકારો મળી રહ્યો છે. તેલંગાણાના થીમાઈપલ્લીમાં ટેન્ક નિર્માણથી ગામના લોકોની જિંદગી બદલાઈ રહી છે. રાજસ્થાનના કબીરધામમાં ખેતરોમાં બનાવવામાં આવેલા નાનાં તળાવોથી એક મોટો બદલાવ આવ્યો છે. હું તમિલનાડુના વેલ્લોરમાં એક સામૂહિક પ્રયાસ વિશે વાંચી રહ્યો હતો જ્યાં નાગ નદીને પુનઃજીવિત કરવા માટે 20 હજાર મહિલાઓ એક સાથે આવી. મેં ગઢવાલની એ મહિલાઓ વિશે પણ વાંચ્યું છે જે સાથે મળીને rainwater harvesting પર ઘણું સારું કામ કરી રહી છે. મને વિશ્વાસ છે કે આ પ્રકારના કેટલાય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જ્યારે આપણે એક થઈને, મજબૂતીથી પ્રયાસ કરીએ છીએ તો અશક્યને પણ શક્ય કરી શકીએ છીએ. જ્યારે જન-જન જોડાશે, જળ બચશે. આજે ‘મન કી બાત’ ના માધ્યમથી હું દેશવાસીઓને 3 અનુરોધ કરી રહ્યો છું.
મારો પહેલો અનુરોધ છે, – જેવી રીતે દેશવાસીઓએ સ્વચ્છતાને એક જન આંદોલનનું રૂપ આપી દીધું. આવો, તેવી જ રીતે જળ સંરક્ષણ માટે પણ એક જન આંદોલનની શરૂઆત કરીએ. આપણે સહુ સાથે મળીને પાણીનું દરેક ટીપું બચાવવાનો સંકલ્પ કરીએ અને મને તો વિશ્વાસ છે કે પાણી પરમેશ્વરનો આપેલો પ્રસાદ છે, પાણી પારસનું રૂપ છે. પહેલા કહેવાતું હતું કે પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે. હું કહું છું કે પાણી પારસ છે અને પારસથી, પાણીના સ્પર્શથી નવજીવન નિર્મિત થઈ જાય છે. પાણીનું એક-એક ટીપું બચાવવા માટે એક જાગૃતિ અભિયાનની શરૂઆત કરો. તેમાં પાણી સાથે જોડાયેલી સમસ્યાઓ વિશે જણાવો, સાથે જ પાણી બચાવવાના ઉપાયોનો પ્રચાર-પ્રસાર કરો. હું વિશેષ રૂપથી અલગ-અલગ ક્ષેત્રની હસ્તીઓને, જળ સંરક્ષણ માટે innovative campaigns નું નેતૃત્વ કરવાનો આગ્રહ રાખું છું. ફિલ્મ જગત હોય, રમત-ગમતનું ક્ષેત્ર હોય, મીડિયાના આપણા સાથીઓ હોય, સામાજિક સંગઠનો સાથે જોડાયેલા લોકો હોય, સાંસ્કૃતિક સંગઠનો સાથે જોડાયેલા લોકો હોય, કથા-કિર્તન કરનારા લોકો હોય, દરેક વ્યક્તિ પોત-પોતાની રીતે આ આંદોલનનું નેતૃત્વ કરે. સમાજને જગાડે, સમાજને જોડે, સમાજની સાથે જોડાય. તમે જુઓ, તમારી આંખોની સામે આપણે પરિવર્તન જોઈ શકીશું.
દેશવાસીઓ મારો બીજો અનુરોધ છે. આપણા દેશમા પાણીના સંરક્ષણ માટે કેટલીયે પારંપારિક રીતો સદીઓથી ઉપયોગમાં લેવાઈ રહી છે. હું તમને બધાને, જળ સંરક્ષણની એ પારંપારિક રીતોને share કરવાનો આગ્રહ કરું છું. તમારામાંથી કોઈને પણ જો પોરબંદર, પૂજ્ય બાપૂના જન્મ સ્થાન પર જવાનો મોકો મળ્યો હશે તો પૂજ્ય બાપૂના ઘરની પાછળ જ બીજું ઘર છે, ત્યાં 200 વર્ષ જૂનો પાણીનો ટાંકો છે અને આજે પણ તેમાં પાણી છે અને વરસાદના પાણીને રોકવાની વ્યવસ્થા છે, તો હું હંમેશા કહેતો હતો કે જે પણ કીર્તિમંદિર જાય, તે આ પાણીના ટાંકાને જરૂર જુએ. આવા કેટલાય પ્રકારના પ્રયોગ દરેક જગ્યા પર હશે.
આપ સહુને મારો ત્રીજો અનુરોધ છે. જળ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વ્યક્તિઓની, સ્વયં સેવી સંસ્થાઓની અને આ ક્ષેત્રમાં કામ કરનારા દરેકની, તેમની જે જાણકારી હોય, તેને તમે share કરો જેથી એક બહુજ સમૃદ્ધ, પાણી માટે સમર્પિત, પાણી માટે સક્રિય સંગઠનોનો, વ્યક્તિઓનો એક ડેટાબેઝ બનાવી શકાય. આવો, આપણે જળ સંરક્ષણથી જોડાયેલી, વધુમાં વધુ પદ્ધતિઓની એક સૂચી બનાવીને, લોકોને જળ સંરક્ષણ માટે પ્રેરિત કરીએ. તમે બધા #JanShakti4JalShaktiહેશટેગનો ઉપયોગ કરીને તમારું content share કરી શકો છો.
મારા પ્રિય દેશવાસીઓ, મારે એક વાત માટે પણ આપનો આભાર વ્યક્ત કરવો છે અને દુનિયાના લોકોનો પણ આભાર વ્યક્ત કરવો છે. 21 જૂને ફરી એકવાર યોગ દિવસ પર જે સક્રિયતા સાથે, ઉમંગ સાથે, એક-એક પરિવારની ત્રણ-ત્રણ, ચાર-ચાર પેઢીઓએ, એક સાથે આવીને યોગ દિવસને મનાવ્યો. Holistic Health Care માટે જે જાગૃતિ આવી છે તેમાં યોગ દિવસનું મહાત્મ્ય વધતું જઈ રહ્યું છે. વિશ્વના દરેક ખૂણામાં, સૂરજ ઉગતાં જ જો કોઈ યોગ પ્રેમી તેનું સ્વાગત કરે છે, તો સૂરજ આથમવા સુધીની એ આખી યાત્રા છે. કદાચ જ કોઈ એવી જગ્યા હશે જ્યાં માનવ હોય અને યોગ સાથે જોડાયેલો ન હોય, આટલું મોટું, યોગે રૂપ લઈ લીધું છે. ભારતમાં, હિમાલયથી હિન્દ મહાસાગર સુધી, સિયાચીનથી લઈને સબમરીન સુધી, એરફોર્સથી લઈને aircraft carriers સુધી, AC gymsથી લઈને તપી રહેલા રણ સુધી, ગામડાંથી લઈને શહેરો સુધી – જ્યાં પણ શક્ય હતું, એવી દરેક જગ્યા પર ન માત્ર યોગ કરવામાં આવ્યો, પરંતુ તેને સામૂહિક રૂપથી celebrate પણ કરવામા આવ્યો.
દુનિયાના કેટલાય દેશોના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, જાણીતી હસ્તીઓ, સામાન્ય નાગરિકોએ મને ટ્વીટર પર દેખાડ્યું કે કેવી રીતે તેણે પોતપોતાના દેશમાં યોગ મનાવ્યો. એ દિવસે, દુનિયા એક બહુ મોટા ખુશખુશાલ પરિવાર જેવી લાગી રહી હતી.
આપણે સહુ જાણીએ છીએ કે એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે સ્વસ્થ અને સંવેદનશીલ વ્યક્તિઓની આવશ્યકતા હોય છે અને યોગ તે સુનિશ્ચિત કરે છે. તેથી યોગનો પ્રચાર-પ્રસાર સમાજ સેવાનું એક મહાન કાર્ય છે. શું આવી સેવાને માન્યતા આપીને તેને સન્માનિત ન કરવી જોઈએ.? વર્ષ 2019માં યોગના પ્રમોશન અને development માટે ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે Prime Minister’s Awards ની જાહેરાત, મારા માટે એક મોટા સંતોષની વાત હતી. આ પુરસ્કાર દુનિયાભરના એ સંગઠનોને આપવામાં આવ્યો છે જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય કે તેમણે કેવી રીતે યોગના પ્રચાર-પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉદાહરણ માટે ‘જાપાન યોગ નિકેતન’ ને જ લઈ લો, જેણે યોગને આખા જાપાનમાં લોકપ્રિય બનાવ્યો છે. ‘જાપાન યોગ નિકેતન’ત્યાંની કેટલીયે ઈન્સ્ટિટ્યૂટ અને ટ્રેનિંગ કોર્સિસ ચલાવે છે અથવા ઈટલીના Ms. Antonietta Rozzi તેનું જ નામ લઈ લો, જેમણે ‘સર્વ યોગ ઈન્ટરનેશનલ’ ની શરૂઆત કરી અને આખા યુરોપમાં યોગનો પ્રચાર-પ્રસાર કર્યો. તે પોતાનામાં જ એક પ્રેરક ઉદાહરણ છે. જો આ યોગથી જોડાયેલો વિષય છે, તો શું ભારતીયો તેમાં પાછળ રહી શકે છે? બિહાર યોગ વિદ્યાલય, મુંગેર તેને પણ સન્માનિત કરવામાં આવી, ગત કેટલાય દસકાઓથી તે યોગને સમર્પિત છે. આવી જ રીતે સ્વામી રાજર્ષિ મુનિને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે લાઈફ મિશન અને લકુલિશ યોગ યુનિવર્સિટીની સ્થાપના કરી. યોગની વ્યાપક ઉજવણી અને યોગનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવાવાળાઓનું સન્માન, બંનેએ જ આ યોગ દિવસને ખાસ બનાવી દીધો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણી આ યાત્રા આજે આરંભ થઈ રહી છે. નવા ભાવ, નવી અનુભૂતિ, નવા સંકલ્પ, નવું સામર્થ્ય, પરંતુ હા, હું તમારા સૂચનોની રાહ જોતો રહીશ. તમારા વિચારો સાથે જોડાવું, મારા માટે એક બહુ મોટી યાત્રા છે. ‘મન કી બાત’ તો નિમિત્ત છે. આવો આપણે મળતા રહીએ. વાતો કરતા રહીએ. તમારા ભાવોને સાંભળતો રહું, સાચવતો રહું, સમજતો રહું. ક્યારેક-ક્યારેક તે ભાવોને જીવવાનો પ્રયાસ કરતો રહું. તમારા આશિર્વાદ મળતા રહે. તમે જ મારી પ્રેરણા છો, તમે જ મારી ઉર્જા છો. આવો સાથે મળીને ‘મન કી બાત’ ની મજા લેતા લેતા, જીવનની જવાબદારીઓને પણ નિભાવતા જઈએ. ફરી એકવાર આવતા મહીને ‘મન કી બાત’ માટે ફરીથી મળીશું. તમને બધાને મારા ખૂબ-ખૂબ ધન્યવાદ…
નમસ્કાર….

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે મનકી બાત શરુ કરતા મારૂં હૃદય ભરાયેલુ છે. દસ દિવસ પહેલા ભારતમાતાએ પોતાના વિર સપૂતોને ગુમાવ્યા છે. આપણે સવાસો કરોડ ભારતીયોના રક્ષણ માટે આ પરાક્રમી વીરોએ પોતાની આહુતી આપી દીધી. દેશવાસીઓ, શાંતિથી સુઇ શકે એટલા માટે આ આપણા વીર સપૂતોએ દિવસ-રાત એક કરી દીધા હતા. પુલવામાના ત્રાસવાદી હુમલામાં વીરજવાનોની શહીદી પછી આખા દેશના લોકોમાં અને લોકોના મનમા આઘાત અને આક્રોશ છે. શહીદો અને તેમના પરીવારો પ્રત્યે ચારેતરફ સંવેદનાઓ ઉમટી પડી છે. આ ત્રાસવાદી હિંસા ના વિરોધમાં જે આવેગ આપના અને મારા મનમાં છે તે જ ભાવ દરેક દેશવાસીઓના હૈયામાં છે અને માનવતામાં વિશ્વાસ રાખનારા વિશ્વના માનવતાવાદી સમુદાયોમાં પણ છે. ભારતમાતાનું રક્ષણ કરતાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા દેશના તમામ વીર સપૂતોને હું નમન કરૂં છું. આ શહીદી આતંકવાદનો સમૂળગો નાશ કરવા માટે આપણને હંમેશા પ્રેરીત કરતી રહેશે, આપણા સંકલ્પને વધુને વધુ મજબૂત બનાવતી રહેશે. દેશની સામે આવી પડેલા પડકારોનો સામનો આપણે બધાએ જ્ઞાતિવાદ, સંપ્રદાયવાદ, પ્રદેશવાદ અને બીજા તમામ મતભેદોને ભૂલાવીને કરવાનો છે. જેથી આતંકવાદ સામેના આપણા કદમ પહેલાથી પણ ઘણા વધારે દ્રઢ બને. આપણા સશસ્ત્રદળો કાયમથી અદ્વિતિય સાહસ અને પરાક્રમનો પરિચય આપતા રહ્યા છે. શાંતિ સ્થાપવા માટે એકતરફ તેમણે અદભૂત ક્ષમતા બતાવી છે. તો બીજી તરફ હુમલાખોરોને પણ તેમની ભાષામાં જવાબ આપવાનું કામ કર્યું છે. આપે જોયું હશે કે, હુમલો કર્યાના 100 કલાકમાં જ કેવા પગલાં લેવામાં આવ્યા છે. સેનાએ આતંકવાદીઓ અને તેમને મદદ કરનારાઓનો સમૂળગો નાશ કરવાનો સંકલ્પ કરી લીધો છે. વીર સૈનિકોની શહીદી પછી પ્રસાર માધ્યમો દ્વારા તેઓના પરિવારના સભ્યોની જે પ્રેરણાદાયક બાબતો સામે આવી છે તેને પૂરા દેશને હિંમત અને બળ આપ્યું છે. બિહારના ભાગલપુરના શહીદ રતન ઠાકુરના પિતા રામનિરંનજીએ દુઃખની આ ઘડીમાં પણ જે જુસ્સાનો પરિચય કરાવ્યો છે તે આપણને બધાને પ્રેરિત કરે છે. તેમણે કહ્યું છે કે, તેઓ પોતાના બીજા દિકરાને પણ દુશ્મનો સામે લડવા માટે મોકલશે અને જરૂર પડી તો પોતે પણ લડવા જશે. ઓડીસાના જગતસિંહપુરના શહીદ પ્રસન્ના સાહુના પત્ની મીનાજીના અદમ્ય સાહસને પૂરો દેશ સલામ કરી રહ્યો છે. તેઓએ પોતાના એકના એક દિકરાને પણ સીઆરપીએફમાં ભરતી કરવાના શપથ લીધા છે. શહીદ વિજય સોરેનનો પાર્થિવ દેહ જયારે ત્રિરંગામાં લપેટાઇને ઝારખંડના ગુમલા પહોંચ્યો ત્યારે તેમના માસૂમ દિકરાએ એ જ કહ્યું હતું કે, હું પણ ફોજમાં જોડાઇશ જ. આ માસૂમનો જુસ્સો સમગ્ર ભારતના એકેએક બાળકની ભાવના વ્યકત કરે છે. આવી જ ભાવનાઓ આપણા વીરપરાક્રમી શહીદોના ઘરઘરમાં જોવા મળી રહી છે. તેમાં આપણો એક પણ વીર શહીદ અપવાદ નથી. તેમનો પરિવાર અપવાદ નથી. પછી તે દેવરીયાના શહીદ વિજય મૌર્યનો પરિવાર હોય, કાંગડાના શહીદ તિલકરાજના માતાપિતા હોય કે પછી કોટાના શહીદ હેમરાજનનો છ વર્ષનો દિકરો હોય. શહીદોના દરેક પરિવારની વાત પ્રેરણાથી ભરેલી છે. હું યુવા પેઢીને અનુરોધ કરૂં છું કે, તેઓ આ પરિવારોએ જે જુસ્સો બતાવ્યો છે, જે ભાવના બતાવી છે, તેને જાણવાનો અને સમજવાનો પ્રયાસ કરે. દેશભક્તિ શું હોય છે ? ત્યાગ, તપસ્યા શું હોય છે ? તે જાણવા આપણે ઇતિહાસની પ્રાચીન ઘટના તરફ જવાની જરૂર નહીં પડે. આપણી આંખોની સામે જ આ જીવતા જાગતા ઉદાહરણ છે અને તે જ ઉજ્જવળ ભારતના ભવિષ્ય માટે પ્રેરણાનું કારણ છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આઝાદી પછી આટલા લાંબા સમય સુધી આપણે બધા જે વોરમેમોરીયલ(યુદ્ધ સ્મૃતિસ્થાન)ની રાહ જોઇ રહ્યા હતા તે હવે પૂરી થવા જઇ રહી છે. તેના માટે દેશવાસીઓની જીજ્ઞાસા, ઉત્સુકતા, બહુ સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદી એપ પર ઉડુપી કર્ણાટકના શ્રી ઓમકાર શેટ્ટીજીએ નેશનલ વોર મેમોરીયલ(રાષ્ટ્રીય યુદ્ધ સ્મૃતિસ્થાન) તૈયાર થવા બદલ પોતાની પ્રસન્નતા વ્યકત કરી છે. મને આશ્ચર્ય પણ થતું હતું અને પીડા પણ થતી હતી કે, ભારતમાં કોઇ નેશનલ વોર મેમોરીયલ ન હતું. આ એવું સ્મૃતિસ્થાન(સ્મારક) છે કે, જયાં રાષ્ટ્રના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોની શૌર્યગાથાઓને સાચવીને રાખી શકાય. મે નિશ્ચય કર્યો કે, દેશમાં એક એવું સ્મારક ચોક્કસ હોવું જોઇએ. આપણે નેશનલ વોર મેમોરિયલ(રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક)ના નિર્માણનો નિર્ણય કર્યો અને મને આનંદ છે કે, આ સ્મારક આટલા ઓછા સમયમાં બનીને તૈયાર થઇ ચૂક્યું છે. આવતીકાલે એટલે કે 25મી ફેબ્રુઆરીએ આપણે કરોડો દેશવાસી આ રાષ્ટ્રીય સૈનિક સ્મારક આપણી સેનાને અર્પણ કરીશું. દેશ પોતાનું ઋણ ચૂકવવાનો એક નાનો એવો પ્રયાસ કરશે. દિલ્હીનું દિલ એટલે તે જગ્યા કે જયાં ઇન્ડિયાગેટ અને અમર જવાન જયોતિ આવેલા છે. બસ તેની બિલકુલ નજીકમાં આ એક નવું સ્મારક બનાવવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે, આપણે દેશવાસીઓ માટે આ રાષ્ટ્રીય સૈનિક સ્મારક જવાનું કોઇ તિર્થસ્થળે જવા બરાબર હશે. સ્વતંત્રતા પછી સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનો પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતિક આ રાષ્ટ્રીય સૈનિક સ્મારક છે. સ્મારકની ડીઝાઇન આપણા અમર સૈનિકોના અદમ્ય સાહસને પ્રદર્શિત કરે છે. રાષ્ટ્રીય સૈનિક સ્મારકનો કન્સેપ્ટ(વિભાવના-પરિકલ્પના) concept, Four Concentric Circles એટલે કે ચાર ચક્રો પર કેન્દ્રિત છે. જયાં એક સૈનિકના જન્મથી લઇને શહિદી સુધીની યાત્રાનું ચિત્રણ છે. અમરચક્રની જવાળા શહીદ સૈનિકની અમરતાનું પ્રતિક છે. બીજું સર્કલ વીરતા ચક્રનું છે જે સૈનિકોના સાહસ અને બહાદુરી વ્યકત કરે છે. આ એક એવી Gallary (દીર્ઘા) છે. જયાં દિવાલો ઉપર સૈનિકોની બહાદુરીની ગાથાઓ અંકિત કરાઇ છે. ત્યારપછી ત્યાગચક્ર છે. આ સર્કલ સૈનિકોના બલીદાનના દર્શન કરાવે છે. તેમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોના નામ સોનેરી અક્ષરોમાં લખાયેલા છે. તેના પછી રક્ષકચક્ર સુરક્ષા પ્રદર્શિત કરે છે. આ સર્કલમાં ગાઢ વૃક્ષોની પંકિત છે. આ વૃક્ષો સૈનિકોના પ્રતિક છે. અને દેશના નાગરિકોને એ ભરસો આપતો સંદેશો આપી રહ્યા છે કે, પળેપળ સૈનિક સરહદે તૈનાત છે. અને દેશવાસી સુરક્ષિત છે. એકંદર જોતાં રાષ્ટ્રીય સૈનિક સ્મારકની ઓળખ એક એવા સ્થાનના રૂપમાં ઉભી થશે જયાં લોકો દેશના મહાન શહીદો વિશે જાણવા પોતાની કૃતજ્ઞતા વ્યકત કરવા એમના પર અધ્યયન કરવાના ઉદ્દેશ્યથી આવશે. અહીંયા એ બલિદાન આપનારાઓની વાતો છે. જેમણે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. જેથી આપણે જીવીત રહી શકીએ, જેથી દેશ સુરક્ષિત રહે અને વિકાસ કરી શકે. દેશના વિકાસમાં આપણા સશસ્ત્રદળો, પોલીસ અને અર્ધલશ્કરીદળોના મહાન યોગદાનને શબ્દોમાં અભિવ્યક્ત કરવાનું શક્ય નથી. ગયા વર્ષે ઓકટોબર માસમાં મને નેશનલ પોલીસ મેમોરીયલને પણ દેશને સમર્પિત કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. તે પણ આપણા તે જ વિચારનું પ્રતિબિંબ હતું. જેના હેઠળ આપણે માનીએ છીએ કે, જે અવિરત આપણી સુરક્ષામાં વ્યસ્ત રહે છે તેવા પુરૂષ અને મહિલા પોલીસ જવાનો પ્રત્યે દેશે કૃતજ્ઞ થવું જોઇએ. હું આશા રાખું છું કે, આપ રાષ્ટ્રીય સૈનિક સ્મારક અને નેશનલ પોલીસ મેમોરીયલ જોવા જરૂર જશો. આપ જયારે પણ ત્યાં જાઓ ત્યારે ત્યાં લીધેલી તમારી તસ્વીરોને સોશ્યલ મીડીયા પર ચોક્કસ શેર કરજો. જેથી બીજા લોકોને પણ તેમાંથી પ્રેરણા મળે. અને તેઓ પણ આ પવિત્ર સ્થળ, આ મેમોરીયલ જોવા માટે ઉત્સુક બને.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાત માટે આપના હજારો પત્રો અને કમેન્ટસ મને અલગ–અલગ માધ્યમોથી વાંચવા મળતા રહે છે. આ વખતે જયારે હું આપની કમેન્ટ્સ વાંચી રહ્યો હતો. ત્યારે આતિશ મુખોપાધ્યાયજીની એક ખૂબ રસપ્રદ ટીપ્પણી મારા ધ્યાનમાં આવી. એમણે લખ્યું છે કે, વર્ષ 1900માં 3જી માર્ચે અંગ્રેજોએ જયારે બિરસા મુંડાની ધરપકડ કરી હતી ત્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. યોગાનુયોગ 3જી માર્ચે જ જમશેદજી તાતાની જયંતિ પણ છે. તેઓ આગળ લખે છે કે, આ બંને વ્યક્તિત્વ સંપૂર્ણપણે અલગઅલગ પારિવારિક પૃષ્ઠ ભૂમિમાંથી આવેલા છે. જેમણે ઝારખંડનો વારસો અને ઇતિહાસને સમૃદ્ધ કર્યા. મન કી બાતમાં બિરસા મુંડા અને જમશેદજી તાતાને શ્રદ્ધાંજલિ આપવાનું એક રીતે ઝારખંડના ગૌરવશાળી ઇતિહાસ અને વારસાને નમન કરવા બરાબર છે. આતિશજી હું આપની સાથે સહમત છું. આ બે મહાન વિભૂતિઓએ ઝારખંડનું જ નહિં, આખા દેશનું નામ રોશન કર્યું છે. સમગ્ર દેશ તેઓના યોગદાન માટે કૃતજ્ઞ છે. આજે જો આપણા નવયુવાનોને માર્ગદર્શન માટે કોઇ પ્રેરણાદાયક વ્યક્તિત્વની જરૂર છે તો તે છે, ભગવાન બિરસા મુંડા. તેઓ જયારે સૂતા હતા ત્યારે અંગ્રેજોએ છુપાઇને બહુ ચાલાકીથી તેમને પકડયા હતા. શું તમે જાણો છો કે, અંગ્રેજોએ આવી કાયરતાપૂર્ણ કાર્યવાહીનો આશરો શા માટે લીધો ? કારણ કે, આટલું મોટું સામ્રાજ્ય ઉભું કરનારા અંગ્રેજો પણ તેમનાથી ડરતા હતા. ભગવાન બિરસા મુંડાએ કેવળ પોતાના પરંપરાગત તીરકામઠાથી જ બંદૂકો અને તોપોથી સજ્જ અંગ્રેજી શાસનને હચમચાવી નાંખ્યું હતું. હકીકતમાં લોકોને જયારે એક પ્રેરણાદાયક નેતૃત્વ મળે છે ત્યારે હથિયારોની શક્તિ ઉપર લોકોની સામૂહીક ઇચ્છાશક્તિ ભારે પડે છે. ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો સામે કેવળ રાજકીય આઝાદી માટે સંઘર્ષ નહોતો કર્યો. પરંતુ આદિવાસીઓના સામાજીક અને આર્થિક અધિકારો માટે પણ લડાઇ લડ્યા હતા. પોતાના ટૂંકા જીવનમાં તેઓએ આ બધું કરી બતાવ્યું. વંચિતો અને શોષિતોના અંધકારભર્યા જીવનમાં તેમણે સૂરજની જેમ ચમક પ્રસરાવી. ભગવાન બિરસા મુંડાએ 25 વર્ષની નાની વયે જ પોતાનું બલિદાન આપ્યું. બિરસા મુંડા જેવા ભારતમાતાના સપૂત દેશના તમામ ભાગોમાં થયા છે. હિંદુસ્તાનનો કોઇ ખૂણો એવો નહીં હોય, જયાં સદીઓ સુધી ચાલેલા આઝાદીના આ જંગમાં કોઇએ યોગદાન આપ્યું ન હોય. પરંતુ દુર્ભાગ્ય એ છે કે, તેઓના ત્યાગ, શૌર્ય અને બલિદાનની વાતો નવી પેઢી સુધી પહોંચી જ નથી. જો ભગવાન બિરસા મુંડા જેવા વ્યક્તિત્વે આપણને પોતાના અસ્તિત્વનું ભાન કરાવ્યું, તો જમશેદજી તાતા જેવા મહાનુભાવે દેશને મોટીમોટી સંસ્થાઓ આપી. જમશેદજી તાતા ખરા અર્થમાં દિર્ઘદ્રષ્ટા હતા. જેમણે માત્ર ભારતના ભવિષ્યને જ ન જોયું, પણ તેનો મજબૂત પાયો નાંખ્યો. તેઓ બહુ સારી રીતે જાણતા હતા કે ભારતને વિજ્ઞાન ટેકનોલોજી અને ઉદ્યોગોનું કેન્દ્ર બનાવવું ભવિષ્ય માટે જરૂરી છે, તે એમનું જ વિઝન હતું. કે, જેના પરિણામે તાતા ઇન્સિટીટયુટ ઓફ સાયન્સની સ્થાપના થઇ જેને હવે ઇન્ડિયન ઇન્સ્ટીટીયુટ ઓફ સાયન્સ (ભારતીય વિજ્ઞાન સંસ્થા) કહેવામાં આવે છે. એટલું જ નહીં, તેમણે તાતા સ્ટીલ જેવી વિશ્વસ્તરની સંસ્થાઓ અને ઉદ્યોગોની પણ સ્થાપના કરી. જમશેદજી તાતા અને સ્વામી વિવેકાનંદજીની મુલાકાત યાત્રા દરમિયાન જહાજમાં થઇ હતી. તે વખતે તેઓ બંનેની ચર્ચામાં એક મહત્વનો મુદ્દો ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર પ્રસારને લગતો હતો. કહેવાય છે કે, આ ચર્ચામાંથી જ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ(ભારતીય વિજ્ઞાન સંસ્થા)નો પાયો નંખાયો.
મારા વ્હાલા દેશવાસીઓ, આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજીભાઇ દેસાઇનો જન્મ 29મી ફેબ્રુઆરીએ થયો હતો. આપ સૌ જાણો છો કે, આ દિવસ ચાર વર્ષમાં એક જ વાર આવે છે. સહજ અને શાંત વ્યક્તિત્વના માલિક મોરારજીભાઇ દેસાઇ દેશના સૌથી શિસ્તબદ્ધ નેતાઓમાંના એક હતા. સ્વતંત્ર ભારતમાં સંસદમાં સૌથી વધુ અંદાજપત્ર રજૂ કરવાનો વિક્રમ મોરારજીભાઇ દેસાઇના જ નામે છે. મોરારજી દેસાઇએ એવા મુશ્કેલ સમયમાં ભારતનું કુશળ નેતૃત્વ કર્યું, જયારે દેશના લોકતાંત્રિક તાણાવાણાને ખતરો હતો. એ માટે આપણી ભાવિ પેઢીઓ પણ તેમની આભારી રહેશે. મોરારજીભાઇ દેસાઇએ લોકશાહીની રક્ષા માટે કટોકટી વિરૂદ્ધના આંદોલનમાં ઝંપલાવ્યું હતું. તે માટે તેમને વૃદ્ધાવસ્થામાં પણ ભારે કિંમત ચૂકવવી પડી હતી. તે સમયની સરકારે તેમની ધરપકડ કરીને તેમને જેલમાં નાંખ્યા હતા. પરંતુ 1977માં જયારે જનતા પક્ષ ચૂંટણી જીત્યો તો તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા. તેમના કાર્યકાળ દરમ્યાન ન જ 44મો બંધારણિય સુધારો લાવવામાં આવ્યો. એ મહત્વનો એટલા માટે છે કે, કટોકટી દરમ્યાન જે 42મો સુધારો કરવામાં આવ્યો હતો. તેમાં સર્વોચ્ચ અદાલતની સત્તા ઓછી કરવાની અને બીજી એવી જોગવાઇઓ હતી જે આપણા લોકશાહી મૂલ્યોની હત્યા કરતી હતી. 44માં સુધારાથી તે સત્તાઓ પાછી આપવામાં આવી. 44મા સુધારા દ્વારા જેમ સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહીના સમાચારોનું અખબારોમાં પ્રકાશનની જોગવાઇ કરવામાં આવી હતી તે રીતે જ સર્વોચ્ચ અદાલતની કેટલીક સત્તાને પણ ફરી બહાલ કરવામાં આવી. આ સુધારામાં એવી પણ જોગવાઇ કરવામાં આવી કે બંધારણની કલમ-20 અને 21 હેઠળ મળેલા મૌલિક અધિકારોનું કટોકટી દરમ્યાન પણ હનન(હત્યા) કરી શકાઇ નહીં. પહેલીવાર એવી વ્યવસ્થા કરવામાં આવી કે મંત્રીમંડળની લેખિત ભલામણ પછી જ રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કરશે. સાથોસાથ એ પણ નક્કી કરવામાં આવ્યું કે કટોકટીની મુદ્ત એક વારમાં છ મહિનાથી વધારે વધારી શકાય નહીં. આ રીતે મોરારજીભાઇએ એ સુનિશ્ચિત કર્યું કે, કટોકટી લાદીને 1975માં જે રીતે લોકતંત્રની હત્યા કરવામાં આવી હતી. તેનું ભવિષ્યમાં ફરી પુનરાવર્તન ન થઇ શકે. ભારતીય લોકશાહીનો મહિમા જાળવી રાખવામાં તેમના અમૂલ્ય યોગદાનને આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે. ફરી એકવાર આ મહાન નેતાને હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, દર વર્ષની જેમ આ વર્ષે પણ પદ્મપુરસ્કારો વિશે લોકોમાં ખૂબ ઉત્સુકતા હતી. આજે આપણે એક નૂતન ભારતના પથ ઉપર અગ્રેસર છીએ, તેમાં આપણે એ લોકોનું સન્માન કરવા માંગીએ છીએ જે પાયાના સ્તરે પોતાનું કામ નિષ્કામ ભાવથી કરી રહ્યા છે. પોતાના પરિશ્રમના જોરે જેઓ જુદી-જુદી રીતે અન્યના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. પોતાના પરિશ્રમના જોરે જેઓ જુદી-જુદી રેતી અન્યના જીવનમાં હકારાત્મક પરીવર્તન લાવી રહ્યા છે. હકીકતમાં તેઓ સાચા કર્મયોગી છે. જે જનસેવા, સમાજસેવા અને આ બધાની આગળ રાષ્ટ્રસેવામાં નિસ્વાર્થ લાગેલા રહે છે. તમે જોયું હશે કે, જયારે પદ્મપુરસ્કારોની જાહેરાત થાય છે ત્યારે લોકો પૂછે છે કે, આ કોણ છે ? એક રીતે તેને હું બહુ મોટી સફળતા માનું છું. કેમ કે, આ એવા લોકો છે જે ટીવી, સામાયિકો કે છાપાઓનાં પહેલાં પાનાં પર નથી દેખાતાં. તેઓ ઝાકઝમાળની દુનિયાથી દૂર છે. પરંતુ આ એવા લોકો છે જે પોતાના નામની પરવા નથી કરતા. અને બસ પાયાના સ્તરે કામ કરવામાં જ વિશ્વાસ રાખે છે. “યોગઃ કર્મસુ કૌશલમ્” ગીતાના આ સંદેશને તેઓ એક રીતે જીવી રહ્યા છે. હું એવા કેટલાક લોકો વિષે આપને જણાવવા માંગું છું. ઓડીસાના દૈતારી નાયક વિશે આપે જરૂર સાંભળ્યું હશે. તેમને canal man of the odisha (ઓડીશાના નહેરપુરૂષ) એમ જ નથી કહેવામાં આવતા. દૈતારી નાયકે પોતાના ગામમાં પોતાના હાથે જ પહાડ ખોદીને 3 કિલોમીટર સુધી નહેરનો રસ્તો બનાવી દીધો. પોતાના પરિશ્રમથી સિંચાઇ અને પાણીની સમસ્યા હંમેશ માટે દુર કરી દીધી. ગુજરાતના અબ્દુલ ગફુર ખત્રીજીની વાત લઇએ તો, તેમણે કચ્છના પરંપરાગત રોગન રંગકળાને પુનર્જીવીત કરવાનું અદભૂત કામ કર્યું. તેઓ આ દુર્લભ ચિત્રકળાને નવી પેઢી સુધી પહોંચાડવાનું મહાન કાર્ય કરી રહ્યા છે. અબ્દુલ ગફુર દ્વારા બનાવવામાં આવેલી “Tree of life” (જીવન વૃક્ષ) કલાકૃતિને જ મે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભેટ આપી હતી. પદ્મપુરસ્કાર મેળવવામાં મરાઠાવાડના શબ્બીદ સૈયદને ગૌમાતાના સેવકના રૂપમાં ઓળખવામાં આવે છે. તેમણે જે રીતે પોતાનું સમગ્ર જીવન ગૌ માતાની સેવામાં સોંપી દીધું છે તે પોતે જ અજોડ છે. મદુરૈ ચિન્ના પિલ્લઇ પણ એક એવી જ વિભૂતિ છે જેમણે સૌથી પહેલાં તમિલનાડુમાં કલન્જિયમ આંદોલન દ્વારા પિડીતો અને શોષિતોને સશક્ત કરવાનો પ્રયાસ કર્યો. સાથોસાથ સમુદાય આધારીત લઘુ આર્થિક વ્યવસ્થાની પણ શરૂઆત કરી. અમેરિકાના Tao Porchon-Lynch વિશે સાંભળીને તમે સુખદ આશ્ચર્ય પામી જશો. Lynch આજે યોગની જીવતી જાગતી સંસ્થા બની ગયા છે. 100 વર્ષની ઉંમરે પણ તેઓ દુનિયાભરના લોકોને યોગની તાલીમ આપી રહ્યા છે. અને અત્યાર સુધીમાં દોઢ હજાર લોકોને યોગશિક્ષક બનાવી ચૂકયા છે. ઝારખંડમાં લેડી ટારઝનના નામથી જાણીતા જમુના ટુડુએ ટીમ્બરના માફીયા અને નકસલવાદીઓનો સામનો કરવાનું સાહસિક કાર્ય કર્યું. તેમણે માત્ર 50 હેકટર જંગલને વેરાન થતું નથી બચાવ્યું પરંતુ દસ હજાર મહિલાઓને સંગઠિત કરીને વૃક્ષો અને વન્ય જીવોના રક્ષણ માટે પ્રેરિત કરી. જમુનાજીના પરિશ્રમનો જ એ પ્રતાપ છે કે, આજે ગામલોકો દરેક બાળકના જન્મ વખતે 18 વૃક્ષો અને દીકરાના લગ્ન વખતે 10 વૃક્ષ વાવે છે. ગુજરાતના મુક્તાબેન પંકજકુમાર ડગલીની વાત આપને પ્રેરણાથી ભરી દેશે. પોતે દિવ્યાંગ હોવા છતાં પણ તેમણે દિવ્યાંગ મહિલાનોના ઉત્થાન માટે જે કાર્યો કર્યા તેનું ઉદાહરણ મળવું મુશ્કેલ છે. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ નામની સંસ્થાની સ્થાપના કરી ને તેઓ નેત્રહિન બાળકોને સ્વનિર્ભર બનાવવાનું પુનિત કાર્ય કરી રહ્યા છે. બિહારના મુજફ્ફરપુરના કિસાન ચાચી એટલે કે રાજકુમારી દેવીની વાત ખૂબ જ પ્રેરક છે. મહિલા સશક્તિકરણ અને ખેતીને ફાયદાકારક બનાવવાની દિશામાં તેમણે એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. કિસાન ચાચીએ તેમના વિસ્તારની 300 મહિલાઓને સ્વસહાય જૂથમાં જોડીને તેમને આર્થિક રીતે પગભર બનવા પ્રેરિત કરી છે. તેમણે ગામની મહિલાઓને ખેતીની સાથેસાથે રોજગારીના અન્ય સાધનોની તાલીમ આપી. ખાસ બાબત તો એ છે કે, તેમણે ખેતીની સાથે ટેકનોલોજીને જોડવાનું કામ કર્યું. અને મારા દેશવાસીઓ કદાચ પહેલીવાર એવું બન્યુ છે કે, આ વર્ષે જે પદ્મપુરસ્કાર આપવામાં આવ્યા. તેમાં 12 ખેડૂતોને પદ્મપુરસ્કાર મળ્યા છે. સામાન્ય રીતે કૃષિજગત સાથે સંકળાયેલા પ્રત્યક્ષ રીતે ખેતી કરનારા બહુ ઓછા લોકો પદ્મશ્રીની યાદીમાં આવેલા છે. આ બાબત પોતે જ બદલાઇ રહેલા હિન્દુસ્તાનની જીવતી જાગતી તસ્વીર છે.
મારા વ્હાલા દેશવાસીઓ, હું પાછલા થોડા દિવસોથી જેનો અનુભવ કરી રહ્યો છું તેવા સૌના હૃદયને સ્પર્શી જાય તેવો અનુભવ વિશે આજે વાત કરવા માંગું છું. આજકાલ દેશમાં જયા પણ જાઉં છું ત્યાં મારો પ્રયાસ રહ્યો છે કે, આયુષ્યમાન ભારતની યોજના PmJay એટલે કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કેટલાક લાભાર્થીઓને મળું. કેટલાક લોકો સાથે વાત કરવાની તક મળી છે. એકલી મા તેના બાળકોને પૈસાના અભાવે સારવાર કરાવી શક્તિ ન હતી. આ યોજનાથી તેમનો ઇલાજ થયો. અને ફરી સાજા થઇ ગયા. ઘરના મોભી મહેનત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવનારા અકસ્માતનો ભોગ બન્યા. કામ કરી શકતા ન હતા. આ યોજનાનો તેમને લાભ મળ્યો અને ફરી સાજા થયા. નવું જીવન મળ્યું.
ભાઇઓ-બહેનો છેલ્લાં પાંચ મહિનામાં લગભગ 12 લાખ ગરીબ કુટુંબો આ યોજનાનો લાભ ઉઠાવી ચૂક્યા છે. મે જોયું છે કે, ગરીબના જીવનમાં તેનું કેટલું મોટું પરિવર્તન આવી રહ્યું છે. આપ સૌ પણ જો કોઇપણ આવી ગરીબ વ્યક્તિને જાણતા હો કે જે, પૈસાના અભાવે સારવાર કરાવી શકતા ન હોય, તો તેને આ યોજના વિશે ચોક્કસ જણાવજો. આ યોજના દરેક એવી ગરીબ વ્યક્તિ માટે જ છે.
મારા વ્હાલા દેશવાસીઓ, શાળાઓમાં પરીક્ષાનો સમય શરૂ થવામાં જ છે. સમગ્ર દેશમાં અલગ અલગ શિક્ષણબોર્ડ આગામી કેટલાક અઠવાડિયામાં 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે કાર્યવાહીનો પ્રારંભ કરશે. પરીક્ષા દેનારના તમામ વિદ્યાર્થીઓને, તેમના વાલીઓને અને સૌ શિક્ષકોને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ છે.
થોડા દિવસ પહેલાં દિલ્હીમાં “પરીક્ષા પે ચર્ચા”નું એક બહુ મોટું આયોજન ટાઉનહોલ સ્વરૂપમાં થયું. આ ટાઉનહોલ કાર્યક્રમમાં મને ટેકનોલોજીના માધ્યમથી દેશવિદેશના કરોડો વિદ્યાર્થીઓ સાથે અનેક અભિભાવકો સાથે, શિક્ષકો સાથે વાત કરવાની તક મળી. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની વિશેષતા એ રહી કે, પરીક્ષા સાથે જોડાયેલા જુદાજુદા વિષયો ઉપર ખુલ્લા દિલે વાતચીત થઇ. કેટલાક એવા પાસાઓ સામે આવ્યા જે નિશ્ચિતરૂપે વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક બની શકે છે. બધા વિદ્યાર્થીઓ તેમના માતા-પિતા અને શિક્ષકો યુ-ટયુબ પર આ સંપૂર્ણ કાર્યક્રમને જોઇ શકે છે. તો આગામી પરીક્ષા માટે મારા સૌ પરીક્ષાના યૌદ્ધાઓને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
મારા વ્હાલા દેશવાસીઓ, ભારતની વાત હોય અને તહેવારની વાત ન હોય ! એવું તો બની જ ન શકે. કદાય આપણા દેશમાં જ કોઇ દિવસ એવો નહીં હોય કે જેનું મહત્વ જ ન હોય, જેનો કોઇ તહેવાર જ ન હોય. કારણ કે, હજારો વર્ષ પ્રાચીન સંસ્કૃતિનો આ વારસો આપણી પાસે છે. થોડાક દિવસો પછી મહાશિવરાત્રીનો તહેવાર આવશે. અને આ વખતે તો શિવરાત્રી સોમવારે છે અને જયારે શિવરાત્રી સોમવારે હો તો તેનું એક વિશેષ મહત્વ આપણા મનમંદિરમાં છવાઇ જાય છે. આ શિવરાત્રીના પાવન પર્વે પણ મારી આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં હું કાશી ગયો હતો. ત્યાં મને દિવ્યાંગ ભાઇઓ-બહેનો સાથે સમય વિતાવવાની તક મળી. તેમની સાથે કેટલાય વિષયો પર ચર્ચા થઇ. અને તેમનો આત્મવિશ્વાસ ખરેખર પ્રભાવિત કરે તેવો હતો, પ્રેરક હતો. વાતચીત દરમ્યાન તેમાંના એક પ્રજ્ઞાચક્ષુ યુવાન સાથે હું જયારે વાત કરી રહ્યો હતો ત્યારે તેણે મને ક્હ્યું કે, હું તો મંચનો કલાકાર(સ્ટેજ આર્ટિસ્ટ) છું. હું મનોરંજનના કાર્યક્રમમાં મીમીક્રી કરૂં છું. તો મે એને એમ જ પૂછી લીધું કે, આપ કોની મીમીક્રી કરો છો ? તો એમણે કહ્યું કે, હું પ્રધાનમંત્રીની મીમીક્રી કરૂં છું. તો મે એમને કહ્યું કે, જરા કરીને બતાવો. તો મારા માટે ખૂબ સુખદ આશ્ચર્ય હતું. તેમણે મન કી બાતમાં જે રીતે હું વાત કરૂં છું એની પૂરી મીમીક્રી કરી. અને મન કી બાતની જ મીમીક્રી કરી. મને આ સાંભળીને બહુ જ સારૂં લાગ્યું કે, લોકો માત્ર મન કી બાત સાંભળતા જ નથી. પરંતુ તેને કેટલાય પ્રસંગે યાદ પણ કરે છે. હું ખરેખર તે દિવ્યાંગ નવયુવાનની શક્તિથી ખૂબ જ પ્રભાવિત થયો.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાત ના કાર્યક્રમના માધ્યમથી આપ સૌ સાથે જોડાવવાનો મારા માટે એક અનોખો અનુભવ રહ્યો છે. રેડીયોના માધ્યમથી હું એક રીતે કરોડો પરિવારો સાથે દર મહિને મળું છું. રૂબરૂ થાઉ છું. કેટલીકવાર તો આપ સૌ સાથે વાત કરતાં, આપના પત્રો વાંચતા કે આપે ફોન પર મોકલેલા વિચાર સાંભળતા મને એવું પ્રતીત થાય છે કે, આપે મને પોતાના કુટુંબનો હિસ્સો માની લીધો છે. આ મારા માટે ખૂબ જ સુખદ અનુભૂતિ છે. દોસ્તો ચૂંટણી લોકશાહીનો ખૂબ જ મોટો ઉસ્તવ હોય છે. આવતા બે મહિના આપણે બધા ચૂંટણીની દોડાદોડમાં વ્યસ્ત હોઇશું. હું પોતે પણ આ ચૂંટણીમાં એક ઉમેદવાર રહીશ. સ્વસ્થ લોકશાહી પરંપરાનું સન્માન કરતાં હવે પછીની મન કી બાત મે મહિનાના છેલ્લા રવિવારે થશે. એટલે કે માર્ચ મહીનો, એપ્રિલ મહિનો અને પૂરો મે મહિનો આ ત્રણ મહિનાની બધી જ આપણી જે ભાવનાઓ છે. તે સૌને હું ચૂંટણી પછી એક નવા વિશ્વાસની સાથે, આપના આશીર્વાદની તાકાતની સાથે, ફરી એક વાર મન કી બાતના માધ્યમથી આપણી વાતચીતના દોરનો આરંભ કરીશું. અને વર્ષો સુધી આપની સાથે મન કી બાત કરતો રહીશ. ફરી એક વાર આપ સૌને હૃદયથી ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આ મહિનાની 21 તારીખે દેશને એક ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. કર્ણાટકના ટુમકુર જિલ્લાના શ્રી સિદ્ધગંગા મઠના ડૉક્ટર શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજી આપણા વચ્ચે નથી રહ્યા. શિવકુમાર સ્વામીજીએ પોતાનું સંપૂર્ણ જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું. ભગવાન બસવેશ્વરે આપણને શિખવાડ્યું છે- ‘कायकवे कैलास’ અર્થાત્ કઠિન પરિશ્રમ કરતા પોતાની જવાબદારી નિભાવતા જવી, ભગવાન શિવના નિવાસસ્થાન કૈલાસમ ધામમાં હોવાને સમાન છે. શિવકુમાર સ્વામીજી આ દર્શનના અનુયાયી હતા અને તેમણે પોતાનાં 111 વર્ષોનાં જીવનકાળમાં હજારો લોકોના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે કાર્ય કર્યું. તેમની ખ્યાતિ એક એવા વિદ્વાનના રૂપમાં હતી જેમની અંગ્રેજી, સંસ્કૃત અને કન્નડ ભાષાઓ પર અદ્ભુત પક્કડ હતી. તેઓ એક સમાજ સુધારક હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન એ ધ્યેય પાછળ લગાવી દીધું કે લોકોને ભોજન, આશ્રય, શિક્ષણ અને આધ્યાત્મિક જ્ઞાન મળે. ખેડૂતોનું દરેક પ્રકારે કલ્યાણ થાય, તે સ્વામીજીના જીવનની પ્રાથમિકતા રહેતી હતી. સિદ્ધગંગા મઠ નિયમિત રૂપે પશુ અને કૃષિ મેળાઓનું આયોજન કરતો હતો. મને અનેક વાર પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. વર્ષ 2007માં શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના શતાબ્દિ વર્ષ ઉત્સવ સમારોહના અવસર પર આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ ટુમકુર ગયા હતા. કલામસાહેબે આ અવસર પર પૂજ્ય સ્વામીજી માટે એક કવિતા સંભળાવી હતી. તેમણે કહ્યું હતું:
‘O my citizens – In giving, you receive happiness,
In Body and Soul, You have everything to give.
If you have knowledge – share it.
If you have resources – share them with the needy.
You, your mind and heart
To remove the pain of the suffering, And cheer the sad hearts.
In giving, you receive happiness. Almighty will bless, all your actions.”
ડૉક્ટર કલામ સાહેબની આ કવિતા શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના જીવન અને સિદ્ધગંગા મઠના મિશનને સુંદર રૂપે પ્રસ્તુત કરે છે. એક વાર ફરી, હું આવા મહાપુરુષને મારા શ્રદ્ધાસુમન અર્પિત કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશમાં બંધારણ લાગુ થયું અને આ દિવસે આપણો દેશ ગણતંત્ર બન્યો અને કાલે જ આપણે આન-બાન-શાન સાથે ગણતંત્ર દિવસ પણ મનાવ્યો, પરંતુ હું આજે કંઈક બીજી વાત કરવા માગું છું. આપણા દેશમાં એક બહુ જ મહત્ત્વપૂર્ણ સંસ્થા છે, જે આપણા લોકતંત્રનું અભિન્ન અંગ તો છે જ અને આપણા ગણતંત્રથી પણ જૂની છે- હું ભારતના ચૂંટણી પંચ વિશે વાત કરી રહ્યો છું. 25 જાન્યુઆરીએ ચૂંટણી પંચની સ્થાપના દિવસ હતો, જેમણે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’, ‘National Voters Day’ના રૂપમાં મનાવવામાં આવે છે. ભારતમાં જે સ્તરે ચૂંટણીનું આયોજન થાય છે તેને જોઈને વિશ્વના લોકોને આશ્ચર્ય થાય છે અને આપણું ચૂંટણી પંચ જે સુંદર રીતે તેનું આયોજન કરે છે તેને જોઈને પ્રત્યેક દેશવાસીને ચૂંટણી પંચ પર ગર્વ થાય તે સ્વાભાવિક છે. આપણા દેશમાં એ સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડવામાં નથી આવતી કે ભારતનો પ્રત્યેક નાગરિક જે એક નોંધાયેલો મતદાતા છે, registered મતદાતા છે તેને મતદાન કરવાનો અવસર મળે.
જ્યારે આપણે સાંભળીએ છીએ કે હિમાચલ પ્રદેશમાં સમુદ્ર સપાટીથી 15 હજાર ફીટની ઊંચાઈવાળા ક્ષેત્રમાં પણ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે છે તો આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં અંતરિયાળ દ્વીપોમાં પણ મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને તમે ગુજરાતના વિષયમાં જરૂર સાંભળ્યું હશે કે ગીરના જંગલમાં એક સુદૂર ક્ષેત્રમાં એક પૉલિંગ બૂથ છે જે માત્ર એક મતદાતા માટે છે. કલ્પના કરો…માત્ર એક મતદાતા માટે! જ્યારે આ વાતો સાંભળીએ છીએ તો ચૂંટણી પંચ પર ગર્વ થાય તે સ્વાભાવિક છે. તે એક મતદાતાને ધ્યાનમાં રાખતા, તે મતદાતાને તેના મતાધિકારનો ઉપયોગ કરવાનો અવસર મળે, તે માટે ચૂંટણી પંચના કર્મચારીઓની પૂરી ટીમ અંતરિયાળ ક્ષેત્રમાં જાય છે અને મતદાનની વ્યવસ્થા કરે છે અને આ જ તો આપણા લોકતંત્રની સુંદરતા છે.
હું આપણા લોકતંત્રને મજબૂત કરવાના નિરંતર પ્રયાસ કરવા માટે ચૂંટણી પંચની પ્રશંસા કરું છું. હું બધાં રાજ્યોના ચૂંટણી પંચની, બધા સુરક્ષા કર્મચારીઓ, અન્ય કર્મચારીઓની પણ પ્રશંસા કરું છું જે મતદાન પ્રક્રિયામાં ભાગ લે છે અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરે છે.
આ વર્ષે આપણા દેશમાં લોકસભાની ચૂંટણી થશે, આ પહેલો અવસર હશે જ્યાં 21મી સદીમાં જન્મેલા યુવાનો લોકસભા ચૂંટણીમાં પોતાના મતનો ઉપયોગ કરશે. તેમના માટે દેશની જવાબદારી પોતાના ખભા પર લેવાનો અવસર આવી ગયો છે. હવે તેઓ દેશમાં નિર્ણય પ્રક્રિયાનો હિસ્સેદાર બનવા જઈ રહ્યા છે. પોતાનાં સપનાંઓને દેશનાં સપનાંઓ સાથે જોડવાનો સમય આવી ગયો છે. હું યુવા પેઢીને અનુરોધ કરું છું કે જો તેઓ મતદાન કરવાના પાત્ર છે તો પોતાને જરૂર મતદાતાના રૂપમાં નોંધાવે. આપણામાંના પ્રત્યેકને અહેસાસ હોવો જોઈએ કે દેશમાં મતદાતા બનવું, મતના અધિકારને પ્રાપ્ત કરવો, તે જીવનની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિમાંથી એક મહત્ત્વપૂર્ણ પડાવ છે. સાથેસાથે મતદાન કરવું તે મારું કર્તવ્ય છે- આ ભાવ આપણી અંદર સતત રહેવો જોઈએ. જીવનમાં ક્યારેય કોઈ પણ કારણથી, જો મતદાન ન કરી શક્યા તો ખૂબ જ પીડા થવી જોઈએ. ક્યારેય ક્યાંય દેશમાં કંઈક ખોટું થતા જુઓ તો દુઃખ થવું જોઈએ. હા, મેં મત નહોતો આપ્યો, તે દિવસે હું મત આપવા નહોતો ગયો- તેનું જ નુકસાન આજે મારો દેશ ભોગવી રહ્યો છે. આપણને આ જવાબદારીનો અહેસાસ હોવો જોઈએ. તે આપણી વૃત્તિ, તે આપણી પ્રવૃત્તિ બનવી જોઈએ. તે આપણા સંસ્કાર હોવા જોઈએ. હું દેશની જાણીતી હસ્તીઓને અનુરોધ કરું છું કે આપણે બધાં મળીને મતદાતાની નોંધણી થાય કે પછી મતદાનના દિવસે મત આપવાનો હોય તે વિશે અભિયાન ચલાવીને લોકોને જાગૃત કરીએ. મને આશા છે કે ભારે સંખ્યામાં યુવાનો મતદાતાના રૂપમાં નોંધણી કરાવશે અને પોતાની ભાગીદારીથી આપણા લોકતંત્રને વધુ મજબૂતી પ્રદાન કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતની આ મહાન ધરતીએ ઘણાં બધાં મહાપુરુષોને જન્મ આપ્યો છે અને આ મહાપુરુષોએ માનવતા માટે કેટલાંક અદ્ભુત-અવિસ્મરણીય કાર્ય કર્યાં છે. આપણો દેશ બહુરત્ના વસુંધરા છે. આવા મહાપુરુષોમાંના એક હતા- નેતાજી સુભાષચંદ્ર બોઝ. 23 જાન્યુઆરીએ સમગ્ર દેશે એક અલગ અંદાજથી તેમની જયંતી મનાવી. નેતાજીની જયંતી પર મને ભારતની સ્વતંત્રતાના સંઘર્ષમાં પોતાનું યોગદાન આપનારા વીરોને સમર્પિત એક મ્યુઝિયમ- સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તમે જાણો છો કે લાલ કિલ્લાની અંદર સ્વતંત્રતાથી અત્યાર સુધી અનેક ઓરડા, ઈમારતો બંધ પડી હતી. તે બંધ પડેલા લાલ કિલ્લાના ઓરડાઓને ખૂબ જ સુંદર સંગ્રહાલયમાં બદલી નાખવામાં આવ્યા છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ઇન્ડિયન નેશનલ આર્મીને સમર્પિત સંગ્રહાલય ‘યાદ-એ-જલિયાં’ અને 1857-ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામને સમર્પિત સંગ્રહાલય અને આ સમગ્ર પરિસરને ‘ક્રાન્તિ મંદિર’ના રૂપમાં દેશને સમર્પિત કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલયોની એક-એક ઈંટમાં આપણા ગૌરવશાળી ઈતિહાસની સુગંધ વસેલી છે. સંગ્રહાલયના ખૂણેખૂણે આપણા સ્વાધીનતા સંગ્રામના વીરોની ગાથાને પ્રસ્તુત કરનારી વાતો, આપણને ઇતિહાસની અંદર જવા માટે પ્રેરિત કરે છે. આ સ્થાન પર ભારત માતાના વીર સપૂતો- કર્નલ પ્રેમ સહગલ, કર્નલ ગુરુબખ્શસિંહ ઢિલ્લોં અને મેજર જનરલ શાહનવાઝ ખાં પર અંગ્રેજ શાસને કેસ ચલાવ્યા હતા.
જ્યારે હું લાલ કિલ્લામાં ક્રાન્તિ મંદિરમાં તે નેતાજી સાથે જોડાયેલી યાદોનું દર્શન કરી રહ્યો હતો ત્યારે મને નેતાજીના પરિવારના સભ્યોએ એક ખૂબ જ ખાસ ટોપી ભેટમાં આપી. નેતાજી આ ટોપીને પહેરતા હતા. મેં સંગ્રહાલયમાં જ તે ટોપીને રખાવી દીધી જેથી ત્યાં મુલાકાત લેતા લોકો પણ તે ટોપીને જુએ અને તેનાથી દેશભક્તિની પ્રેરણા લે. હકીકતે પોતાના નાયકોના શૌર્ય અને દેશભક્તિને નવી પેઢી સુધી વારંવાર અલગ-અલગ રૂપથી નિરંતર પહોંચાડવાની આવશ્યકતા હોય છે. હજુ મહિના પહેલાં જ 30 ડિસેમ્બરે હું આંદામાન અને નિકોબાર દ્વીપ ગયો હતો. એક કાર્યક્રમમાં બરાબર એ જ જગ્યાએ તિરંગો લહેરાવ્યો હતો જ્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝે 75 વર્ષ પહેલાં તિરંગો લહેરાવ્યો હતો. આ રીતે ઑક્ટોબર 2018માં લાલ કિલ્લા પર જ્યારે તિરંગો ફરકાવવામાં આવ્યો તો બધાંને આશ્ચર્ય થયું કારણકે ત્યાં તો 15 ઑગસ્ટે જ આવી પરંપરા છે. આ અવસર હતો આઝાદ હિન્દ સરકારના ગઠનનાં 75 વર્ષ પૂરા થવાનો.
સુભાષબાબુને હંમેશાં એક વીર સૈનિક અને કુશળ સંગઠનકર્તાના રૂપમાં યાદ કરવામાં આવશે. એક એવા વીર સૈનિક જેમણે સ્વતંત્રતાની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. ‘દિલ્લી ચલો’, ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા’ જેવાં ઓજસ્વી સૂત્રો સાથે નેતાજીએ દરેક ભારતીયના હૃદયમાં જગ્યા બનાવી. અનેક વર્ષો સુધી એવી માગણી રહી હતી કે નેતાજીની સાથે જોડાયેલી ફાઇલોને સાર્વજનિક કરવામાં આવે અને મને એ વાતની ખુશી છે કે તે કામ અમે લોકો કરી શક્યા. મને તે દિવસ યાદ છે જ્યારે નેતાજીનો સમગ્ર પરિવાર પ્રધાનમંત્રી નિવાસ આવ્યો હતો. અમે મળીને નેતાજીની સાથે જોડાયેલી ઘણી બધી વાતો કરી અને નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
મને આનંદ છે કે ભારતના મહાન નાયકો સાથે જોડાયેલાં અનેક સ્થાનોને દિલ્લીમાં વિકસિત કરવાનો પ્રયાસ થયો છે. ચાહે તે બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલો 26 અલીપુર રૉડ હોય કે પછી સરદાર પટેલ સંગ્રહાલય હોય કે પછી તે ક્રાન્તિ મંદિર હોય. જો તમે દિલ્લી જાવ તો આ સ્થાનોને જોવા માટે જરૂર જજો.
મારા પ્રિય દેશવાસીઓ, આજે જ્યારે આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને તે પણ ‘મન કી બાત’માં, તો હું તમને નેતાજીની જિંદગી સાથે જોડાયેલો એક કિસ્સો કહેવા માગું છું. મેં હંમેશાં રેડિયોને લોકો સાથે જોડાવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ માન્યું છે જે રીતે નેતાજીનો પણ રેડિયો સાથે ગાઢ સંબંધ હતો અને તેમણે પણ દેશવાસીઓ સાથે સંવાદ કરવા માટે રેડિયોને પસંદ કર્યો હતો.
1942માં સુભાષબાબુએ આઝાદ હિન્દ રેડિયોની શરૂઆત કરી હતી અને રેડિયોના માધ્યમથી તેઓ ‘આઝાદ હિન્દ ફૌજ’ના સૈનિકો સાથે અને દેશના લોકો સાથે સંવાદ કરતા હતા. સુભાષબાબુનો રેડિયો પર વાતચીત શરૂ કરવાનો એક અલગ જ અંદાજ હતો. તેઓ વાતચીત શરૂ કરતા સૌથી પહેલાં કહેતા હતા – This is Subhash Chandra Bose speaking to you over the Azad Hind Radio અને આટલું સાંભળતાં જ શ્રોતાઓમાં જાણે કે એક નવો જોશ, એક નવી ઊર્જાનો સંચાર થઈ જતો હતો.
મને કહેવામાં આવ્યું કે તે રેડિયો સ્ટેશન, સાપ્તાહિક સમાચાર બુલેટિન પણ પ્રસારિત કરતું હતું જે અંગ્રેજી, હિન્દી, તમિલ, બાંગ્લા, મરાઠી, પંજાબી, પશ્તો અને ઉર્દૂ આદિ ભાષાઓમાં રહેતું હતું. આ રેડિયો સ્ટેશનના સંચાલનમાં ગુજરાતના રહેવાસી એમ. આર. વ્યાસજીએ ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. આઝાદ હિન્દ રેડિયો પર પ્રસારિત થનારા કાર્યક્રમ સામાન્ય લોકોમાં ઘણા લોકપ્રિય હતા અને તેમના કાર્યક્રમોથી આપણા સ્વાધીનતા સંગ્રામના યૌદ્ધાઓને પણ ઘણું બળ મળ્યું.
આ ક્રાન્તિ મંદિરમાં એક દૃશ્યકળા સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. ભારતીય કળા અને સંસ્કૃતિ ઘણી જ આકર્ષક રીતે બતાવવાનો આ પ્રયાસ થયો છે. સંગ્રહાલયમાં ચાર ઐતિહાસિક પ્રદર્શનો છે અને ત્યાં ત્રણ સદી જૂનાં 450થી વધુ ચિત્રો અને કળાકારીગરી મૂકવામાં આવી છે. સંગ્રહાલયમાં અમૃતા શેરગિલ, રાજા રવિ વર્મા, અવનીંદ્ર નાથ ટાગોર, ગગનેન્દ્ર ટાગોર, નંદલાલ બોઝ, જામિની રાય, સેલોજ મુખર્જી જેવા મહાન કલાકારોનાં ઉત્કૃષ્ટ કાર્યોને સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. અને હું તમને સહુને વિશેષ રીતે અનુરોધ કરીશ કે તમે ત્યાં જજો અને ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોરનાં કાર્યોને પણ જરૂર જુઓ.
હવે તમે વિચારી રહ્યા હશો કે અહીં વાત કળાની થઈ રહી છે અને હું તમને ગુરુદેવ ટાગોરનાં ઉત્કૃષ્ટ કાર્યોને જોવાની વાત કરી રહ્યો છું. તમે હજુ સુધી ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોરને એક લેખક અને એક સંગીતકારના રૂપમાં જાણ્યા હશે. પરંતુ હું તમને જણાવવા માગીશ કે ગુરુદેવ એક ચિત્રકાર પણ હતા. તેમણે અનેક વિષયો પર ચિત્રો બનાવ્યાં છે. તેમણે પશુપક્ષીઓનાં પણ ચિત્રો બનાવ્યાં છે, તેમણે અનેક સુંદર પરિદૃશ્યોનાં ચિત્રો પણ બનાવ્યાં છે અને તદુપરાંત તેમણે માનવ પાત્રોને પણ કળાના માધ્યમથી કેનવાસ પર ઉતારવાનું કામ કર્યું છે. અને ખાસ વાત એ છે કે ગુરુદેવ ટાગોરે પોતાના મોટા ભાગનાં કાર્યોને કોઈ નામ જ નથી આપ્યું. તેમનું માનવું હતું કે તેમનાં ચિત્રો જોનારા પોતે જ તે ચિત્રોને સમજે, ચિત્રોમાં તેમના દ્વારા આપવામાં આવેલા સંદેશને પોતાના દૃષ્ટિકોણથી જુએ. તેમનાં ચિત્રોને યુરોપીય દેશોમાં, રશિયામાં અને અમેરિકામાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. મને આશા છે કે તમે ક્રાન્તિ મંદિરમાં તેમનાં ચિત્રોને જોવા જરૂર જશો.
મારા પ્રિય દેશવાસીઓ, ભારત સંતોની ભૂમિ છે. આપણા સંતોએ પોતાના વિચારો અને કાર્યોના માધ્યમથી સદ્ભાવ, સમાનતા અને સામાજિક સશક્તિકરણનો સંદેશ આપ્યો છે. આવા જ એક સંત હતા- સંત રવિદાસ. 19 ફેબ્રુઆરીએ રવિદાસ જયંતી છે. સંત રવિદાસજીના દોહા ઘણા પ્રસિદ્ધ છે. સંત રવિદાસજી થોડી જ પંક્તિઓના માધ્યમથી મોટો સંદેશ આપતા હતા. તેમણે કહ્યું હતું-
‘जाति जाति में जाति है,
जो केतन के पात,
रैदास मनुष ना जुड सके
जब तक जाति न जात’
જે રીતે કેળાના થડને છોલવામાં આવે તો પાંદડાની નીચે પાંદડું, પછી પાંદડાની નીચે પાંદડું અને અંતમાં કંઈ નથી નીકળતું, પરંતુ સમગ્ર ઝાડ નાશ પામે છે, તે જ રીતે માણસને પણ જાતિઓમાં વહેંચવામાં આવ્યો છે અને માણસ માણસ નથી રહ્યો. તેઓ કહેતા હતા કે જો વાસ્તવમાં ભગવાન દરેક માણસમાં હોય તો તેમને જાતિ, પંથ અને અન્ય સામાજિક આધારો પર વહેંચવા ઉચિત નથી.
ગુરુ રવિદાસજીનો જન્મ વારાણસીની પવિત્ર ભૂમિ પર થયો હતો. સંત રવિદાસજીએ પોતાના સંદેશા માધ્યમથી પોતાના પૂરા જીવનકાળમાં શ્રમ અને શ્રમિકના મહત્ત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો. એમ કહીએ તો ખોટું નહીં હોય કે તેમણે દુનિયાને શ્રમની પ્રતિષ્ઠાનો વાસ્તવિક અર્થ સમજાવ્યો છે. તેઓ કહેતા હતા-
‘મન ચંગા તો કઠૌતી મેં ગંગા’
અર્થાત્ જો તમારું મન અને હૃદય પવિત્ર છે તો સાક્ષાત્ ઈશ્વર તમારા હૃદયમાં નિવાસ કરે છે. સંત રવિદાસજીના સંદેશાઓએ દરેક સ્તર, દરેક વર્ગના લોકોને પ્રભાવિત કર્યા છે. ચાહે ચિત્તોડના મહારાજા અને રાણી હોય કે પછી મીરાબાઈ હોય, બધાં તેમના અનુયાયી હતાં.
હું ફરી એક વાર સંત રવિદાસજીને નમન કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, કિરણ સિદરે MyGov પર લખ્યું છે કે હું ભારતના અંતરિક્ષ કાર્યક્રમ અને તેના ભવિષ્ય સાથે જોડાયેલાં પાસાંઓ પર પ્રકાશ ફેંકું. તેઓ મારી પાસે એ પણ ઈચ્છતા હતા કે હું વિદ્યાર્થીઓને અંતરિક્ષ કાર્યક્રમમાં રુચિ લેવા અને કંઈક અલગ હટીને, આકાશથી આગળ જવા વિચારવાનો અનુરોધ કરું- કિરણજી, હું તમારા આ વિચાર અને વિશેષ રૂપથી આપણાં બાળકો માટે આપવામાં આવેલા સંદેશની પ્રશંસા કરું છું.
કેટલાક દિવસો પહેલાં હું અમદાવાદ હતો, જ્યાં મને ડૉક્ટર વિક્રમ સારાભાઈની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મળ્યું. ડૉક્ટર વિક્રમ સારાભાઈનું ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં એક મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આપણા અંતરિક્ષ કાર્યક્રમમાં દેશના અસંખ્ય યુવાન વૈજ્ઞાનિકોનું યોગદાન છે. આપણે એ વાતનો ગર્વ કરીએ છીએ કે આજે આપણા વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલા ઉપગ્રહો અને Sounding rockets અંતરિક્ષ સુધી પહોંચી રહ્યાં છે. આ 24 જાન્યુઆરીએ આપણા વિદ્યાર્થો દ્વારા બનાવવામાં આવેલો ‘કલામ – સેટ’ લૉન્ચ કરવામાં આવ્યો છે. ઓડિશામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા Sounding rocketsએ પણ અનેક કીર્તિમાન બનાવ્યા છે. દેશ સ્વતંત્ર થયો ત્યારથી વર્ષ 2014 સુધી જેટલાં સ્પેસ મિશન થયાં, લગભગ તેટલાં જ સ્પેશ મિશનની શરૂઆત છેલ્લાં ચાર વર્ષમાં થઈ છે. આપણે એક જ અંતરિક્ષ યાનની સાથે એક સાથે 104 સેટેલાઇટ લૉન્ચ કરવાનો વિશ્વ વિક્રમ પણ બનાવ્યો છે. આપણે ટૂંક સમયમાં જ ચંદ્રયાન-2 અભિયાનના માધ્યમથી ચંદ્ર પર ભારતની ઉપસ્થિતિ નોંધાવવાના છીએ.
આપણો દેશ સ્પેસ ટૅક્નૉલૉજીનો ઉપયોગ જાનમાલની રક્ષામાં સુંદર રીતે કરી રહ્યો છે. ચાહે વાવાઝોડું હોય, કે પછી રેલ અને સડક સુરક્ષા, આ બધાંમાં સ્પેસ ટૅક્નૉલૉજીથી ઘણી સહાયતા મળી રહી છે. આપણા માછીમાર ભાઈઓ વચ્ચે Navic Devices વહેંચવામાં આવી છે જે તેમની સુરક્ષાની સાથેસાથે આર્થિક પ્રગતિમાં પણ સહાયક છે. આપણે સ્પેસ ટૅક્નૉલૉજીનો ઉપયોગ સરકારી સેવાઓની ડિલિવરી અને જવાબદેહીને વધુ સારી બનાવવા માટે કરી રહ્યા છીએ. ‘બધાં માટે ઘર’ આ યોજનામાં 23 રાજ્યોનાં લગભગ 40 લાખ ઘરોને જિઓ-ટેગ કરવામાં આવ્યાં છે. તેની સાથે જ મનરેગા હેઠળ લગભગ સાડા ત્રણ કરોડ સંપત્તિને પણ જિઓ ટેગ કરવામાં આવી છે. આપણા સેટેલાઇટ્સ આજે દેશની વધતી શક્તિનું પ્રતીક છે. દુનિયાના અનેક દેશોની સાથે આપણા વધુ સારા સંબધોમાં તેનું ઘણું યોગદાન છે. સાઉથ એશિયા સેટેલાઇટ્સ તો એક અનોખી પહેલ રહી છે જેનાથી આપણા પડોશી મિત્ર રાષ્ટ્રોને પણ વિકાસનો ઉપહાર આપ્યો છે. આપણી બેહદ competitive launch services ના માધ્યમથી ભારત આજે ન કેવળ વિકાસશીલ દેશોના, પરંતુ વિકસિત દેશોના સેટેલાઇટ્સને પણ લૉન્ચ કરે છે. બાળકો માટે આકાશ અને તારાઓ હંમેશાં આકર્ષક હોય છે. આપણો અંતરિક્ષ કાર્યક્રમ બાળકોને મોટું વિચારવા અને તે સીમાઓથી આગળ વધવાનો અવસર આપે છે જે અત્યાર સુધી અસંભવ માનવામાં આવતાં હતાં. તે આપણાં બાળકો માટે તારાઓને નિહાળતા રહેવાની સાથેસાથે નવાનવા તારાઓની શોધ કરવાની તરફ પ્રેરિત કરવાનું વિઝન છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું હંમેશાં કહું છું કે જે ખેલશે તે ખિલશે અને આ વખતે ખેલો ઇન્ડિયામાં ઘણા બધા તરુણ અને યુવાન ખેલાડીઓ ખિલીને સામે આવ્યા છે. જાન્યુઆરી મહિનામાં પૂણેમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં 18 ગેમ્સમાં લગભગ 6,000 ખેલાડીઓએ ભાગ લીધો. જ્યારે આપણા રમતની સ્થાનિક ઇકો સિસ્ટમ મજબૂત થશે એટલે કે જ્યારે આપણો આધાર મજબૂત થશે ત્યારે જ આપણા યુવાનો દેશ અને દુનિયા ભરમાં પોતાની ક્ષમતાનું સર્વોત્તમ પ્રદર્શન કરી શકશે. જ્યારે સ્થાનિક સ્તર પર ખેલાડી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે ત્યારે જ તેઓ વૈશ્વિક સ્તર પર પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ વખતે ‘ખેલો ઇન્ડિયા’માં દરેક રાજ્યના ખેલાડીઓએ પોતપોતાના સ્તર પર સારું પ્રદર્શન કર્યું છે. મેડલ જીતનારા અનેક ખેલાડીઓનું જીવન જબરદસ્ત પ્રેરણા આપનારું છે.
મુક્કાબાજીમાં યુવાન ખેલાડી આકાશ ગોરખાએ રજત ચંદ્રક જીત્યો. હું વાંચી રહ્યો હતો કે આકાશના પિતા રમેશજી, પૂણેમાં એક કૉમ્પ્લેક્સમાં વૉચમેન તરીકે કામ કરે છે. તેઓ પોતાના પરિવારની સાથે એક પાર્કિંગ શૅડમાં રહે છે. તો મહારાષ્ટ્રની અંડર 21 મહિલા કબડ્ડી ટીમની કપ્તાન સોનાલી હેલવી સતારાની રહેવાસી છે. તેણે ઘણી નાની ઉંમરમાં જ તેના પિતાને ગુમાવી દીધા અને તેના ભાઈ અને તેની માતાએ સોનાલીના હુનરને પ્રોત્સાહન આપ્યું. ઘણી વાર એવું જોવામાં આવે છે કે કબડ્ડી જેવી રમતોમાં દીકરીઓને આટલું પ્રોત્સાહન મળતું નથી. તેમ છતાં સોનાલીએ કબડ્ડીને પસંદ કરી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આસનસોલના દસ વર્ષના અભિનવ શૉ, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં સૌથી નાની ઉંમરનો સુવર્ણ ચંદ્રક વિજેતા છે. કર્ણાટકમાં એક ખેડૂતની દીકરી અક્ષતા બાસવાની કમતીએ વેઇટલિફ્ટિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. તેણે પોતાની જીતનો શ્રેય તેના પિતાને આપ્યો. તેના પિતા બેલગામમાં એક ખેડૂત છે. જ્યારે આપણે ઇન્ડિયાના નિર્માણની વાત કરી રહ્યા છીએ તો તે યુવા શક્તિનો સંકલ્પ જ તો ન્યૂ ઇન્ડિયા છે. ખેલો ઇન્ડિયાની આ કથાઓ બતાવી રહી છે કે ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં માત્ર મોટાં શહેરોના લોકોનું યોગદાન નથી, પરંતુ નાનાં શહેરો, ગામડાંઓમાંથી આવતા લોકો યુવાનો-બાળકો, યુવા ખેલ પ્રતિભાઓ- તેમનું પણ મોટું યોગદાન છે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે ઘણી બધી પ્રતિષ્ઠિત બ્યૂટી સ્પર્ધા વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ટૉઇલેટ ચમકાવવાની સ્પર્ધા વિશે સાંભળ્યું છે? અરે, છેલ્લા લગભગ એક મહિનાથી ચાલી રહેલી એક અનોખી સ્પર્ધામાં 50 લાખથી વધુ શૌચાલયોએ હિસ્સો લઈ પણ લીધો છે. આ અનોખી સ્પર્ધાનું નામ છે – સ્વચ્છ સુંદર શૌચાલય. લોકો પોતાના શૌચાલયને સ્વચ્છ રાખવાની સાથોસાથ તેને રંગરોગાન કરીને કેટલાંક ચિત્રો બનાવીને સુંદર પણ બનાવી રહ્યાં છે. તમને કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી સ્વચ્છ સુંદર શૌચાલયનાં અનેક ફોટા સૉશિયલ મિડિયા પર પણ જોવા મળશે. હું બધા સરપંચો અને ગ્રામપ્રધાનોને પોતાની પંચાયતમાં આ અભિયાનનું નેતૃત્વ કરવાનું આહ્વાન કરું છું. પોતાના સ્વચ્છ સુંદર શૌચાલયની તસવીર #MyIzzatGharની સાથે સૉશિયલ મિડિયા પર જરૂર શૅર કરો.
સાથીઓ, 2 ઑક્ટોબર 2014એ આપણે આપણા દેશને સ્વચ્છ અને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવા માટે એક સાથે મળીને એક ચિરસ્મરણીય યાત્રા શરૂ કરી હતી. ભારતના જન-જનના સહયોગથી આજે ભારત 2 ઑક્ટોબર 2019ના ઘણા પહેલાં જ ખુલ્લામાં શૌચ મુક્ત થવા તરફ અગ્રેસર છે જેનાથી બાપુને તેમની 150મી જયંતી પર તેમને શ્રદ્ધાંજલી આપી શકાય.
સ્વચ્છ ભારતની આ ચિરસ્મરણીય યાત્રામાં ‘મન કી બાત’ ના શ્રોતાઓનું પણ બહુ મોટું યોગદાન રહ્યું છે અને આથી જ તો તમારી સહુની સાથે એ વાત કરતા આનંદ થઈ રહ્યો છે કે પાંચ લાખ પચાસ હજારથી વધુ ગામડાંઓએ અને 600 જિલ્લાઓએ સ્વયંને ખુલ્લામાં શૌચથી મુક્ત ઘોષિત કરી દીધાં છે અને ગ્રામીણ ભારતમાં સ્વચ્છતા કવરેજ 98% ને પાર કરી ગયું છે અને લગભગ નવ કરોડ પરિવારોને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મારા નાનાભૂલકા સાથીઓ, પરીક્ષાઓના દિવસો આવશે. હિમાચલ પ્રદેશના નિવાસી અંશુલ શર્માએ MyGov પર લખ્યું છે કે મારે પરીક્ષાઓ અને પરીક્ષાના લડવૈયાઓ વિશે વાત કરવી જોઈએ. અંશુલજી, આ મુદ્દો ઉઠાવવા માટે તમારો ધન્યવાદ. હા, અનેક પરિવારો માટે વર્ષનો પહેલો હિસ્સો પરીક્ષાનો સમયગાળો હોય છે. વિદ્યાર્થી, તેમનાં માતાપિતાથી લઈને શિક્ષક સુધી, ઘણા બધા લોકો પરીક્ષાઓ સાથે સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહે છે.
હું બધા વિદ્યાર્થીઓ, તેમનાં માતાપિતા અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવું છું. હું આ વિષય પર આજે ‘મન કી બાત’ના આ કાર્યક્રમમાં ચર્ચા કરવાનું જરૂર પસંદ કરત, પરંતુ તમને એ જાણીને પ્રસન્નતા થશે કે હું બે દિવસ બાદ જ 29 જાન્યુઆરીએ સવારે 11 વાગે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનો છું. આ વખતે વિદ્યાર્થીઓની સાથોસાથ માતાપિતા અને શિક્ષકો પણ આ કાર્યક્રમનો હિસ્સો બનવાના છે. અને આ વખતે બીજા ઘણા દેશોના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ‘પરીક્ષા પે ચર્ચા’માં પરીક્ષાઓ સાથે જોડાયેલાં બધાં પાસાંઓ, વિશેષ રૂપે તણાવમુક્ત પરીક્ષા પરીક્ષાના સંબંધમાં મારા નૌજવાન મિત્રો સાથે ઘણી બધી વાતો કરીશ. મેં તે માટે લોકોને ઇનપૂટ અને આઇડિયા મોકલવાનો અનુરોધ કર્યો હતો અને મને ઘણો આનંદ છે કે MyGov પર મોટી સંખ્યામાં લોકો પોતાના વિચારો મૂકી રહ્યા છે. તેમાંથી કેટલાંક વિચારો અને સૂચનોને હું ચોક્કસ ટાઉન હૉલ પ્રૉગ્રામ દરમિયાન તમારી સામે રાખીશ. તમે જરૂર આ કાર્યક્રમનો હિસ્સો બનજો…સૉશિયલ મિડિયા અને નમો ઍપના માધ્યમથી તમે તેનું જીવંત પ્રસારણ પણ જોઈ શકશો.
મારા પ્રિય દેશવાસીઓ, 30 જાન્યુઆરીએ પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે. 11 વાગે સમગ્ર દેશ શહીદોને શ્રદ્ધાંજલી આપે છે. આપણે પણ જ્યાં હોઈએ ત્યાં બે મિનિટ શહીદોને શ્રદ્ધાંજલી જરૂર આપીએ. પૂજ્ય બાપુનું પુણ્ય સ્મરણ કરીએ અને પૂજ્ય બાપુનાં સપનાંઓને સાકાર કરવા, નવા ભારતનું નિર્માણ કરવું, નાગરિક તરીકે પોતાનાં કર્તવ્યોનો નિર્વાહ કરવો- આ સંકલ્પની સાથે, આવો આપણે આગળ વધીએ. 2019ની આ યાત્રાને સફળતાપૂર્વક આગળ વધારીએ. મારી તમને સહુને ઘણી ઘણી શુભકામનાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. વર્ષ 2018 પૂરૂં થઇ રહ્યું છે. આપણે વર્ષ 2019માં પ્રવેશ કરવાના છીએ. સ્વાભાવિક જ, આવા વખતે વીતેલા વર્ષની વાતોની ચર્ચા થતી હોય છે તો સાથે આવનારા વર્ષના સંકલ્પની પણ ચર્ચા સંભળાય છે. પછી તે વ્યક્તિનું જીવન હોય, સમાજનું જીવન હોય, રાષ્ટ્રનું જીવન હોય- દરેકે પાછળ વળી જોવાનું પણ હોય છે અને આગલની તરફ જેટલું દૂર સુધી જોઇ શકે, જોવાનો પ્રયાસ પણ કરવાનો હોય છે અને ત્યારે અનુભવોનો લાભ પણ મળે છે અને નવું કરવાનો આત્મવિશ્વાસ પણ જન્મે છે. આપણે એવું શું કરીએ જેનાથી પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકીએ અને સાથોસાથ દેશ અને સમાજને આગળ વધારવામાં પોતાનું યોગદાન દઇ શકીએ. તમને બધાને વર્ષ 2019ની ઘણી બધી શુભકામનાઓ. તમે બધાએ વિચાર્યું હશે કે, વર્ષ 2019ને કેવી રીતે યાદ રાખવું. 2019ને ભારત એક દેશના રૂપમાં, તેની એકસો ત્રીસ કરોડની જનતાના સામર્થ્યના રૂપમાં કેવી રીતે યાદ રાખશે – તે યાદ કરવું પણ મહત્વપૂર્ણ છે. તે આપણને બધાને ગૌરવ અપાવનારૂં છે.
2018માં, વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના “આયુષમાન ભારત”ની શરૂઆત થઇ. દેશના દરેક ગામ સુધી વીજળી પહોંચી ગઇ. વિશ્વની ગણમાન્ય સંસ્થાઓએ માન્યું છે કે, ભારત વિક્રમી ગતિની સીથે, દેશને ગરીબીમાંથી મુક્તિ અપાવી રહ્યું છે. દેશવાસીઓના અડગ સંકલ્પથી સ્વચ્છતા કવરેજ વધીને 95 ટકાને પાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
સ્વતંત્રતા પછી લાલ કિલ્લા પરથી પહેલીવાર, આઝાદ હિન્દ સરકારની 75મી વર્ષગાંઠ પર તિરંગો ફરકાવાયો. દેશને એકતાના સૂત્રમાં પરોવનાર, સરદાર વલ્લભભાઇ પટેલના સન્માનમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “Statue of Unity” દેશને મળી. દુનિયામાં દેશનું નામ ઊંચું થયું. દેશને સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર “Champions of the Earth” એવોર્ડથી સન્માનિત કરાયો. સૌર ઊર્જા અને કલાઇમેન્ટ ચેન્જમાં ભારતના પ્રયાસોને વિશ્વમાં સ્થાન મળ્યું. ભારતમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલી મહાસભા “International Solar Alliance” નું આયોજન થયું. આપણા સામૂહિક પ્રયાસોનું જ પરિણામ છે કે આપણા દેશની Ease of Doing Business Ranking માં અભૂતપૂર્વ સુધારો થયો છે. દેશના સ્વરક્ષણને નવી મજબૂતી મળી છે. આ વર્ષે આપણા દેશે સફળતાપૂર્વક Nuclear Triad ને પૂરૂં કર્યું છે, એટલે હવે આપણે જળ, સ્થળ અને નભ ત્રણેયમાં પરમાણુ શક્તિ સંપન્ન બની ગયા છીએ. દેશની દીકરીઓએ નાવિકા સાગર પરિક્રમાના માધ્યમથી સમગ્ર વિશ્વનું ભ્રમણ કરી દેશને ગર્વ અપાવ્યો છે. વારાણસીમાં ભારતના પહેલા જળમાર્ગની શરૂઆત થઇ. તેનાથી Water Ways ના ક્ષેત્રમાં નવી ક્રાંતિના સૂત્રપાત થયો છે. દેશના સૌથી લાંબા રેલ – રોડ પૂલ બોગીબિલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. સિક્કિમના પહેલા અને દેશના સો મા એરપોર્ટ – પાકયોંગની શરૂઆત થઇ. અંડર-19 ક્રિકેટ વિશ્વ કપ અને Blind ક્રિકેટ વિશ્વકપમાં ભારતે જીત મેળવી. આ વખતે એશિયાઇ રમતોમાં ભારતે મોટી સંખ્યામાં ચંદ્રકો જીત્યા. પેરા એશિયન ગેમ્સમાં પણ ભારતે ઘણું સારૂં પ્રદર્શન કર્યું છે. આમ, જો હું દરેક ભારતીયના પુરૂષાર્થની, આપણા સામૂહિક પ્રયાસોની વાતો કરતો રહું, તો આપણી “મન કી બાત” એટલી લાંબી ચાલશે કે કદાચ 2019 આવી જશે. આ બધું 130 કરોડ દેશવાસીઓના અથાગ પ્રયાસોથી સંભવ થઇ શક્યું છે. મને આશા છે કે, 2019માં પણ ભારતની ઉન્નતિ અને પ્રગતિની આ યાત્રા આમ જ ચાલુ રહેશે અને આપણો દેશ વધુ મજબૂતી સાથે નવી ઊંચાઇઓને આંબી શકશે.
મારા પ્રિય દેશવાસીઓ, આ ડિસેમ્બરમાં આપણે કેટલાક અસાધારણ દેશવાસીઓને ગુમાવી દીધા. 19 ડિસેમ્બરે ચેન્નાઇના ડૉકટર જયાચંદ્રનનું નિધન થઇ ગયું. ડોકટર જયાચંદ્રનને પ્રેમથી લોકો “મક્કલ મારૂથુવર” કહેતા હતા કારણ કે, તેઓ જનતાના હૃદયમાં વસેલા હતા. ડોકટર જયાચંદ્રન ગરીબોને સસ્તામાં સસ્તી સારવાર આપવા માટે જાણીતા હતા. લોકો કહે છે કે, તેઓ દર્દીની સારવાર માટે હંમેશા તત્પર રહેતા હતા. પોતાની પાસે સારવાર માટે આવતા વૃદ્ધ દર્દીઓને તેઓ આવવા – જવાનું ભાડું પણ આપતા હતા. મેં thebetterindia.com વેબસાઇટ પર સમાજને પ્રેરણા આપનારા તેમનાં અનેક આવાં કાર્યો વિશે વાંચ્યું છે.
આ જ રીતે, 25 ડિસેમ્બરે કર્ણાટકનાં સુલાગિટ્ટી નરસમ્માના નિધનની જાણકારી મળી. સુલાગિટ્ટી નરસમ્મા ગર્ભવતી માતા-બહેનોને પ્રસવમાં મદદ કરનારા સહાયિકા હતા. તેમણે કર્ણાટકમાં, ખાસ કરીને, ત્યાંના દુર્ગમ વિસ્તારોમાં હજારો માતાઓ-બહેનોને પોતાની સેવા આપી. આ વર્ષની શરૂઆતમાં તેમને “પદ્મશ્રી” થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ડોકટર જયાચંદ્રન અને સુલાગિટ્ટી નરસમ્મા જેવાં અનેક પ્રેરક વ્યક્તિત્વ છે, જેમણે સમાજમાં બધાંની ભલાઇ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. જ્યારે આપણે આરોગ્ય કાળજીની વાત કરીએ છીએ તો હું અહીં ઉત્તરપ્રદેશના બિજનૌરમાં ડોકટરોના સામાજિક પ્રયાસો વિશે પણ ચર્ચા કરવા ઇચ્છીશ. ગત દિવસોમાં અમારા પક્ષના કેટલાક કાર્યકર્તાઓએ મને કહ્યું કે, શહેરના કેટલાક યુવા ડોકટરો કેમ્પ લગાવીને ગરીબોને નિઃશુલ્ક ઉપચાર કરે છે. અહીંના Heart Lungs Critical Centralની તરફથી દર મહિને આવા મેડિકલ કેમ્પ લગાવવામાં આવે છે. જયાં અનેક પ્રકારની બિમારીઓની મફત તપાસ અને ઇલાજની વ્યવસ્થા થાય છે. આજે દર મહિને સેંકડો ગરીબ દર્દીઓ આ કેમ્પથી લાભાન્વિત થઇ રહ્યા છે. નિઃસ્વાર્થ ભાવથી સેવામાં જોડાયેલા આ ડોકટર મિત્રોનો ઉત્સાહ સાચે જ પ્રશંસાને પાત્ર છે. આજે હું આ વાત ખૂબ જ ગર્વથી કહેવા જઇ રહ્યો છું કે સામૂહિક પ્રયાસોના કારણે “સ્વચ્છ ભારત મિશન” એક સફળ અભિયાન બની ગયું છે. મને કેટલાક લોકોએ જણાવ્યું કે, કેટલાક દિવસ પહેલાં મધ્યપ્રદેશના જબલપુરમાં એક સાથે ત્રણ લાખથી વધુ લોકો સફાઇ અભિયાનમાં જોડાયા. સ્વચ્છતાના આ મહાયજ્ઞમાં નગરપાલિકા, સ્વયંસેવી સંગઠન, સ્કૂલ કોલેજના વિદ્યાર્થી, જબલપુરની જનતા જનાર્દન, બધા લોકોએ હોંશપૂર્વક ભાગ લીધો. મેં હમણાં જ thebetterindia.com નો ઉલ્લેખ કર્યો હતો, જયાં મને ડો.જયાચંદ્રન વિશે વાંચવા મળ્યું અને જ્યારે તક મળે ત્યારે thebetterindia.com પર જઇને આવી પ્રેરક ચીજોને જાણવાનો પ્રયાસ કરતો રહું છું. મને આનંદ છે કે, આજકાલ આવી અનેક વેબસાઇટ છે કે જે આવા વિચક્ષણ લોકોના જીવનથી પ્રેરણા આપતી અનેક કથાઓથી આપણને પરિચિત કરાવી રહી છે. જેમ thepositiveindia.com સમાજમાં સકારાત્મકતા ફેલાવવા અને સમાજને વધુ સંવેદનશીલ બનાવવાનું કામ કરી રહી છે. આ રીતે yourstory.comની તેના પર યુવાન શોધકો અને સાહસિકોની સફળતાની વાતને સરસ રીતે મૂકાય છે. આ રીતે sanskritbharati.in ના માધ્યમથી તમે ઘરે બેઠાં સરળ રીતે સંસ્કૃત શીખી શકો છો. શું આપણે એક કામ કરી શકીએ – આવી વેબસાઇટ વિશે પરસ્પર માહિતીનું આદાનપ્રદાન કરીએ. સકારાત્મકતાને સાથે મળીને viral કરીએ. મને વિશ્વાસ છે કે, આમાં વધુમાં વધુ લોકો સમાજમાં પરિવર્તન લાવનારા આપણા નાયકો વિશે જાણી શકશે.
નકારાત્મકતા ફેલાવવી સરળ હોય છે પરંતુ સમાજમાં આપણી આસપાસ ઘણાં સારા કામો થઇ રહ્યાં છે અને તે બધાં 130 કરોડ ભારતવાસીઓના સામૂહિક પ્રયાસોથી થઇ રહ્યાં છે. દરેક સમાજમાં રમતગમતનું આગવું મહત્વ હોય છે. જ્યારે રમતો રમાય છે ત્યારે પ્રેક્ષકોનાં મન પણ ઊર્જાથી ભરાઇ જાય છે. ખેલાડીઓનાં નામ, ઓળખ, સન્માન ઘણી બધી ચીજોનો આપણે અનુભવ, કરીએ છીએ. પરંતુ ક્યારેક ક્યાકેર તેની પાછળની ઘણી બધી વાતો એવી હોય છે જે રમતગમતથી પણ આગળ વધીને એવી હોય છે જે રમતજગતથી પણ આગળ વધીને હોય છે, ઘણી મોટી હોય છે. હું કાશ્મીરની એક દીકરી હનાયા વિસાર વિશે વાત કરવા માંગું છું. જેણે કોરિયામાં કરાટે ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. હનાયા 12 વર્ષની છે અને કાશ્મીરના અનંતનાગરની રહેવાસી છે. હનાયાએ મહેનત અને લગનથી કરાટેનો અભ્યાસ કર્યો અને તેનું ઝીણવટભર્યું અવલોકન કરી પોતાને સાબિત કરી બતાવી. સમસ્ત દેશવાસીઓ વતી તને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવું છું. હનાયાને ઘણી બધી શુભકામનાઓ અને આશીર્વાદ. આ જ રીતે 16 વર્ષની એક દીકરી રજની વિશે મિડિયામાં ઘણી ચર્ચા થઇ છે. તમે પણ જરૂર વાંચ્યું હશે. રજનીએ જુનિયર મહિલા મુક્કાબાજી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. રજનીએ ચંદ્રક જીતતાવેંત દૂધના એક સ્ટોલ પર ગઇ અને એક ગ્લાસ દૂધનો પીધો. તે પછી રજનીએ પોતાના ચંદ્રકને એક કપડામાં લપેટ્યો અને બેગમાં મૂકી દીધો. વિચારી રહ્યા હશો કે, રજનીએ એક ગ્લાસ દૂધ શા માટે પીધું ? તેણે આવું પોતાના પિતા જસમેરસિંહજીના સન્માનમાં કર્યું, તે પાણીપતના એક સ્ટોલ પર લસ્સી વેચે છે. રજનીએ જણાવ્યું કે, તેના પિતાએ તેને અહીં સુધી પહોંચાડવામાં ઘણો ત્યાગ કર્યો છે, ઘણું કષ્ટ વેઠ્યું છે. જસમેરસિંહ રોજ સવારે રજની અને તેનાં ભાઇ-બહેનો ઉઠે તે પહેલાં જ કામ પર ચાલ્યા જતા હતા. રજનીએ જ્યારે તેના પિતા સમક્ષ બોક્સિંગ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી તો પિતાએ તે માટે બધી શક્ય સહાય-સાધનો પ્રાપ્ત કરાવી તેનો ઉત્સાહ વધાર્યો. રજનીને મુક્કેબાજી અભ્યાસ જૂનાં મોજાં સાથે શરૂ કરવો પડ્યો કારણ કે, તે સમયે તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. આટલા બધાં વિઘ્નો છતાં પણ રજની હિંમત ન હારી અને મુક્કેબાજી શીખતી રહી. તેણે સર્બિયામાં પણ એક ચંદ્રક જીત્યો છે. હું રજનીને શુભેચ્છા અને આશીર્વાદ આપું છું. અને રજનીનો સાથ આપવા માટે અને તેનો ઉત્સાહ વધારવા માટે તેનાં માતાપિતા જસમેરસિંહજી અને ઉષારાનીજીને પણ અભિનંદન આપું છું. આ મહિને પૂણેની એક 20 વર્ષની દિકરી વેદાંગી કુલકર્ણી સાઇકલથી દુનિયાનું ભ્રમણ કરનારી સૌથી ઝડપી એશિયાઇ બની ગઇ છે. તે 159 દિવસ સુધી રોજ લગભગ 300 કિલોમીટર સાઇકલ ચલાવતી હતી. તમે વિચારી શકો – રોજ 300 કિલોમીટર સાઇકલ ચલાવવી! સાઇકલ ચલાવવા માટે તેનું જનુન ખરેખર પ્રશંસનીય છે. શું આ પ્રકારની સિદ્ધિ વિશે જાણીને આપણને પ્રેરણા ન મળે? ખાસ કરીને મારા યુવા મિત્રો, જ્યારે આવી ઘટનાઓ વિશે સાંભળીએ છીએ ત્યારે આપણે પણ મુશ્કેલીઓ વચ્ચે કંઇક કરી બતાવવાની પ્રેરણા મેળવીએ છીએ. જો સંકલ્પમાં સામર્થ્ય છે, ઉત્સાહ ભરપૂર છે તો અડચણો પોતે જ હટી જાય છે. મુશ્કેલીઓ ક્યારેય અડચણો ન બની શકે. આવાં અનેક ઉદાહરણો આપણે સાંભળીએ છીએ તો આપણને પણ આપણા જીવનમાં હર પળે એક નવી પ્રેરણા મળે છે.
મારા પ્યારા દેશવાસીઓ, જાન્યુઆરીમાં ઉમંગ અને ઉત્સાહથી ભરપૂર અનેક તહેવારો આવવાના છે – જેમ કે, લોહડી, પોંગલ, મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, માઘ બિહૂ, માઘી; પર્વોના અવસરે સમગ્ર ભારતમાં ક્યાંક પારંપરિક નૃત્યોનો રંગ જોવા મળશે તો ક્યાંક પાક તેયાર થવાની ખુશીઓમાં લોહડી પ્રગટાવાશે, ક્યાંક આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતી દેખાશે તો ક્યાંક મેળાની છટા વિખરાશે તો ક્યાંક રમતોમાં સ્પર્ધા થશે. તો ક્યાંક એકબીજાને તલના લાડુ ખવડાવાશે. લોકો એક બીજાને કહેશે – તિલ ગુડ ધ્યા આણિ ગોડ બોલા, આ બધા તહેવારોનાં નામ ભલે અલગ અલગ હોય પરંતુ બધાને ઉજવવાની ભાવના એક છે. આ ઉત્સવો ક્યાંકને ક્યાંક પાક અને કૃષિ સાથે જોડાયેલા છે, ખેડૂતો સાથે જોડાયેલા છે, ગામડાંઓ સાથે જોડાયેલાં છે, ખેતરો સાથે જોડાયેલાં છે. દરમિયાન સુર્ય ઉતરાયણ થઇને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસ પછી દિવસ ધીરે-ધીરે મોટો થવા લાગે છે અને ઠંડીના પાકની કાપણી થવા લાગે છે. આપણા અન્નદાતા ખેડૂત ભાઇઓ-બહેનોને પણ ઘણી બધી શુભકામનાઓ. “વિવિધતામાં એકતા” “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ની ભાવનાની મહેંક આપણા તહેવારોએ પોતાનામાં સમેટી છે. આપણે જોઇ શકીએ છીએ કે આપણા પર્વો, તહેવારો પ્રકૃતિ સાથે કેટલી નિકટતાથી જોડાયેલા છે. ભારતીય સંસ્કૃતિમાં સમાજ અને કુદરતને અલગ – અલગ માનવામાં નથી આવતા. અહીં વ્યક્તિ અને સમષ્ટિ એક જ છે. પ્રકૃતિ સાથે આપણો નિકટના સંબંધનું એક સારૂં ઉદાહરણ છે. તહેવારો પર આધારિત કેલેન્ડર. તેમાં આપણે વર્ષભરના પર્વ. તહેવારોની સાથેસાથે ગ્રહ-નક્ષત્રોની યાદી પણ હોય છે. આ પારંપરિક કેલેન્ડરથી ખબર પડે છે કે, પ્રાકૃતિક અને ખગોળીય ઘટનાઓ સાથે આપણો સંબંધ કેટલો જૂનો છે. ચંદ્ર અને સૂર્યની ગતિ પર આધારિત ચંદ્ર અને સૂર્ય કેલેન્ડર મુજબ પર્વ અને તહેવારોની તિથિ નિર્ધારિત થાય છે. આ એના પર નિર્ભર કરે છે કે, કોણ કયા કેલેન્ડરને માને છે. અનેક ક્ષેત્રોમાં ગ્રહ નક્ષત્રોની સ્થિતિ અનુસાર પણ પર્વ-તહેવારો મનાવાય છે. ગુડી પડવો, ચેટીચંડ, ઉગાદિ આ બધા ચંદ્ર કેલેન્ડર મુજબ મનાવાય છે. તો તમિલ પુથાંડું, વિષુ, વૈશાખ, બૈસાખી, પોઇલા બૈસાખ, બિહુ – આ બધા પર્વ સૂર્ય કેલેન્ડરના આધારે મનાવાય છે. આપણા અનેક તહેવારોમાં નદીઓ અને પાણી બચાવવાનો ભાવ વિશેષ રીતે સમાહિત છે. છઠ પર્વ – નદીઓ, તળાવો સૂર્ય ઉપાસના સાથે જોડાયેલું છે. મકર સંક્રાંતિ પર પણ લાખો કરોડો લોકો પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવે છે. આપણા પર્વ, તહેવાર આપણને સામાજિક મૂલ્યોની સમજ પણ આપે છે. એક તરફ તેનું પૌરાણિક મહત્વ છે, ત્યાં બીજી તરફ દરેક તહેવાર જીવનના પાઠ – એક બીજા સાથે ભાઇચારાથી રહેવાની પ્રેરણા ઘણી સહજતાથી શીખવી જાય છે. હું તમને સહુને 2019ની ઘણી ઘણી શુભકામનાઓ પાઠવું છું અને આવનારા તહેવારોનો તમે ભરપૂર આનંદ ઉઠો તેની કામના કરૂં છું. આ ઉત્સવો પર લેવામાં આવેલી તસવીરોને બધા સાથે શેર કરો, જેથી ભારતની વિવિધતા અને ભારતી સંસ્કૃતિની સુંદરતાને બધા જોઇ શકે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણી સંસ્કૃતિમાં એવી ચીજોની ભરમાર છે જેના પર આપણે ગર્વ કરી શકીએ છીએ અને સમગ્ર દુનિયાને અભિમાન સાથે દેખાડી શકીએ છીએ અને તેમાં એક છે, કુંભ મેળો. તમે કુંભ વિશે ઘણું બધું સાંભળ્યું હશે. ફિલ્મોમાં પણ તેની ભવ્યતા અને વિશાળતા વિશે ઘણું બધું જોયું હશે અને તે સાચું પણ હશે. કુંભનું સ્વરૂપ વિરાટ હોય છે – જેટલું દિવ્ય એટલું જ ભવ્ય. દેશ અને દુનિયાભરના લોકો આવે છે અને કુંભ સાથે જોડાઇ જાય છે. કુંભ મેળામાં આસ્થા અને શ્રદ્ધાનો જનસાગર ઉમટે છે. એક સાથે એક જગ્યા પર દેશવિદેશના લાખો કરોડો લોકો જોડાય છે. કુંભની પરંપરા આપણા મહાન સાંસ્કૃતિક વારસાથી પુષ્પિત અને પલ્લવિત થઇ છે. આ વખતે 15 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં આયોજિત થવા જઇ રહેલો વિશ્વ પ્રસિદ્ધ કુંભમેળો જેની કદાચ તમે બધાં પણ ઘણી જ ઉત્સુકતાથી પ્રતિક્ષા કરી રહ્યા હશો. કુંભમેળા માટે અત્યારથી જ સંત-મહાત્માઓના પહોંચવાનો સિલસિલો શરૂ પણ થઇ ગયો છે. તેના વૈશ્વિક મહત્વનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ગયા વર્ષે યુનેસ્કોએ કુંભમેળાને Intangible Cultutal Heritage of Humanity ની સૂચિમાં ચિન્હિત કર્યો છે. કેટલાક દિવસ પહેલાં અનેક દેશોના રાજદૂતોએ કુંભની તૈયારીઓને જોઇ, ત્યાં એક સાથે અનેક દેશોના રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યા. પ્રયાગરાજમાં આયોજિત થનારા આ કુંભ મેળામાં 150થી પણ વધુ દેશોના લોકોના આવવાની સંભાવના છે. કુંભની દિવ્યતાથી ભારતની ભવ્યતા સમગ્ર દુનિયામાં પોતાનો રંગ ફેલાવશે. કુંભ મેળા સ્વ શોધનું પણ એક મોટું માધ્યમ છે. જ્યાં આવનારી દરેક વ્યક્તિને અલગઅલગ અનૂભુતિ થાય છે. સાંસારિક ચીજોને આધ્યાત્મિક દ્રષ્ટકોણથી જુએ છે – સમજે છે. ખાસ કરીને યુવાઓ માટે આ એક ઘણો જ મોટો શીખવાનો અનુભવ હોઇ શકે છે. હું પોતે થોડા દિવસો પહેલાં પ્રયાગરાજ ગયો હતો. મેં જોયું કે, કુંભની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. પ્રયાગરાજના લોકો પણ કુંભ માટે ઘણા ઉત્સાહી છે. ત્યાં મેં Integrated Command & Control Centre નું લોકાર્પણ કર્યું. શ્રદ્ધાળુઓને તેમાં ઘણી સહાયતા મળશે. આ વખતે કુંભમાં સ્વચ્છતા પર પણ ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે. આયોજનમાં શ્રદ્ધાની સાથોસાથ સફાઇ પણ રહેશે તો દૂર-દૂર સુધી તેનો સારો સંદેશ પહોંચશે. આ વખતે દરેક શ્રદ્ધાળુ સંગમમાં પવિત્ર સ્નાન પછી અક્ષયવડના પણ પુણ્યદર્શન કરી શકશે. લોકોની આસ્થાના પ્રતીક આ અક્ષયવડ સેંકડો વર્ષોથી કિલ્લામાં બંધ હતો, જેના શ્રદ્ધાળુઓ દર્શન કરી શકતા ન હતા. હવે અક્ષયવડનાં દ્વાર બધા માટે ખોલી દેવામાં આવ્યા છે. મારો આપ સહુને અનુરોધ છે કે, તમે જ્યારે કુંભ આવો તો કુંભનાં અલગ-અલગ પાસાં અને તસવીરો Social Media પર જરૂર મૂકો જેથી વધુમાં વધુ લોકોને કુંભમાં જવાની પ્રેરણા મળે.
આધ્યાત્મનો કુંભ ભારતીય દર્શનનો મહાકુંભ બને.
આસ્થાનો આ કુંભ રાષ્ટ્રીયતાનો પણ કુંભ બને.
રાષ્ટ્રીય એકતાનો પણ મહાકુંભ બને.
શ્રદ્ધાળુઓનો આ કુંભ વૈશ્વિક પર્યટકોનો પણ મહાકુંભ બને.
કલાત્મકતાનો આ કુંભ, સૃજન શક્તિઓનો પણ મહાકુંભ બને.
મારા પ્રિય દેશવાસીઓ, 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ સમારોહ માટે આપણા દેશવાસીઓના મનમાં ઘણી ઉત્સુકતા રહે છે. તે દિવસે આપણે આપણી એ મહાન વિભૂતિઓને યાદ કરીએ છીએ, જેમણે આપણને સંવિધાન આપ્યું.
આ વર્ષે આપણે પૂજય બાપુની 150મી જયંતિનું પર્વ મનાવી રહ્યા છીએ. આપણા માટે સૌભાગ્યની વાત છે કે, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખશ્રી સિરિલ રામાફોસા વર્ષે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિના રૂપમાં ભારત પધારી રહ્યા છે. પૂજય બાપુ અને દક્ષિણ આફ્રિકાનો એક અતૂટ સંબંધ રહ્યો છે. તે દક્ષિણ આફ્રિકા જ હતું જયાંથી મોહન, “મહાત્મા” બની ગયા. દક્ષિણ આફ્રિકામાં જ મહાત્મા ગાંધીએ પોતાનો પહેલો સત્યાગ્રહ આરંભ્યો હતો અને રંગભેદના વિરોધમાં મજબૂતીથી ઊભા થયા હતા. તેમણે ફિનિક્સ અને ટોલ્સ્ટોય ફાર્મ્સની પણ સ્થાપના કરી હતી, જયાંથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને ન્યાય માટે ગૂંજ ઊઠી હતી. 2018 – નેલ્સન મંડેલાના જન્મ શતાબ્દિના વર્ષના રૂપમાં પણ મનાવાઇ રહ્યું છે. તેઓ “મડીબા” ના નામથી પણ જાણીતા હતા. આપણે બધાં જાણીએ છીએ કે, નેલ્સન મંડેલા સમગ્ર વિશ્વમાં રંગભેદ વિરૂદ્ધ સંઘર્ષના એક ઉદાહરણ હતા અને મંડેલાના પ્રેરણાસ્ત્રોત કોણ હતા ? તેમને આટલાં વર્ષ જેલમાં ગાળવાની સહનશક્તિ અને પ્રેરણા પૂજય બાપુ પાસેથી જ તો મળી હતી. મંડેલાએ બાપુ માટે કહ્યું હતું – “મહાત્મા આપણા ઇતિહાસના અભિન્ન અંગ છે કારણ કે, અહીં તેમણે સત્યને પોતાનો પ્રયોગ કર્યો હતો, અહીં જ તેમણે ન્યાય પ્રત્યે પોતાના સત્યાગ્રહનું દર્શન અને સંઘર્ષની પદ્ધતિ વિકસિત કરી.” તેઓ બાપુને આદર્શ માનતા હતા. બાપુ અને મંડેલા બંને, સમગ્ર વિશ્વ માટે ન માત્ર પ્રેરણાસ્ત્રોત છે, પરંતુ તેમના આદર્શો આપણને પ્રેમ અને કરૂણાથી ભરેલા સમાજના નિર્માણ માટે પણ સદૈવ પ્રોત્સાહિત કરે છે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો પહેલાં ગુજરાતના નર્મદા તટ પર કેવડિયામાં ડીજીપી પરિષદ થઇ જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા Statue of Unity છે, ત્યાં દેશના પોલીસ કર્મચારીઓ સાથે સાર્થક ચર્ચા થઇ. દેશ અને દેશવાસીઓની સુરક્ષાને વધુ મજબૂતી આપવા માટે ક્યા પ્રકારનાં પગલાં ભરવાં જોઇએ તેના પર વિસ્તારથી વાત થઇ. તે દરમ્યાન મેં રાષ્ટ્રીય એકતા માટે “સરદાર પટેલ પુરસ્કાર” શરૂ કરવાની પણ ઘોષણા કરી. આ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવશે જેમણે કોઇ પણ રૂપમાં રાષ્ટ્રીય એકતા માટે પોતાનું યોગદાન આપ્યું હોય. સરદાર પટેલ પોતાનું સમગ્ર જીવન દેશની એકતા માટે સમર્પિત કરી દીધું. તેઓ હંમેશા ભારતની અખંડતાને અક્ષુણ્ણ રાખવા પ્રયાસરત્ રહ્યા. સરદાર સાહેબ માનતા હતા કે, ભારતની શક્તિ અહીંની વિવિધતામાં નિહિત છે. સરદાર પટેલજીની તે ભાવનાનું સન્માન કરતા એકતાના આ પુરસ્કારના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, 13 જાન્યુઆરીએ ગુરૂ ગોવિંદસિંહજીની જયંતિનું પાવનપર્વ છે. ગુરૂ ગોવિંદસિંહજીનો જન્મ પટનામાં થયો હતો. જીવનના મોટા ભાગના સમય સુધી તેમની કર્મભૂમિ ઉત્તર ભારત રહી અને મહારાષ્ટ્રના નાંદેડમાં તેમણે પોતાના પ્રાણ ત્યાગ્યા. જન્મભૂમિ પટનામાં, કર્મભૂમિ ઉત્તર ભારતમાં અને જીવનની અંતિમ ક્ષણ નાંદેડમાં. એક રીતે કહીએ તો સમગ્ર ભારતવર્ષને તેમના આશીર્વાદ પ્રાપ્ત થયા. તેમના જીવનકાળને જોઇએ તો તેમાં સમગ્ર ભારતની ઝલક મળે છે. તેમના પિતાશ્રી ગુરૂ તેગ બહાદુરજીના શહીદ થયા પછી ગુરૂ ગોવિંદસિંહજીએ નવ વર્ષની અલ્પઆયુમાં જ ગુરૂનું પદ પ્રાપ્ત કરી લીધું હતું. ગુરૂ ગોવિંદસિંહજીને ન્યાયની લડાઇ લડવા માટેનું સાહસ શીખ ગુરૂઓ પાસેથી વારસમાં મળ્યું. તેઓ શાંત અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા, પરંતુ જ્યારેજ્યારે ગરીબો અને નબળા લોકોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેમની સાથે અન્યાય કરાયો, ત્યારે ત્યારે ગુરૂ ગોવિંદસિંહજીએ ગરીબો અને નબળા લોકો માટે પોતાનો અવાજ દ્રઢતા સાથે બુલંદ કર્યો અને આથી જ કહે છે –
“સવા લાખ સે એક લડાઉં,
ચિડિયો સોં મૈં બાજ તુડાઉં
તબે ગોવિંદ સિંહ ના કહાઉં!”
તેઓ કહેતા કે નબળા વર્ગના લોકો સાથે લડીને તાકાતનું પ્રદર્શન ન કરી શકાય. શ્રી ગોવિંદસિંહજી જાણતા હતા કે સૌથી મોટી સેવા છે – માનવીય દુઃખોને દૂર કરવાં. તેઓ વીરતા, શૌર્ય, ત્યાગ, ધર્મપરાયણતાથી ભરપૂર એક દિવ્ય પુરૂષ હતા જેમને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું એક અલૌકિક જ્ઞાન હતું. તેઓ એક તીરંદાજ તો હતા જ, તેની સાથે ગુરૂમુખી, બ્રજભાષા, સંસ્કૃત, ફારસી, હિન્દી અને ઉર્દુ સહિત અનેક ભાષાઓના જ્ઞાતા પણ હતા. હું ફરી એક વાર શ્રી ગુરૂગોવિંદ સિંહજીને નમન કરૂં છું.
મારા પ્રિય દેશવાસીઓ, દેશમાં અનેક એવાં સારાં પ્રકરણો થતાં રહે છે, જેની વ્યાપક ચર્ચા થઇ શકતી નથી, આવો જ એક અનોખો પ્રયાસ F.S.S.A.I. અર્થાત્ Food Safety And Standard Authority Of india દ્વારા થઇ રહ્યો છે. મહાત્મા ગાંધીની 150મી જયંતિના વર્ષના ઉપલક્ષ્યમાં દેશભરમાં અનેક કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે. આ શ્રૃંખલામાં F.S.S.A.I., Safe અને Healthy Diet habits – ભોજનની સારી ટેવોને પ્રોત્સાહિત આપવામાં લાગેલું છે. “Eat Right India” અભિયાન હેઠળ દેશભરમાં સ્વસ્થ ભારત યાત્રાઓ નીકળી રહી છે. આ અભિયાન 27મી જાન્યુઆરી સુધી ચાલશે. ક્યારેક ક્યારેક સરકારી સંગઠનોનો પરિચય એક નિયંત્રકની જેવો હોય છે પરંતુ એ પ્રશંસનીય છે કે, F.S.S.A.I. તેનાથી આગળ વધીને જનજાગૃતિ અને લોકશિક્ષણનું કામ કરી રહ્યું છે. જ્યારે ભારત સ્વચ્છ થશે, સ્વસ્થ થશે ત્યારે ભારત સમૃદ્ધ પણ થશે. સારા સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી છે – પૌષ્ટિક ભોજન. આ સંદર્ભમાં, આ પહેલ માટે F.S.S.A.I. ને હાર્દિક અભિનંદન આપું છું. મારો તમને બધાને અનુરોધ છે કે, આવો આ પહેલ સાથે જોડાઇએ. તમે પણ તેમાં ભાગ લો અને ખાસ કરીને હું આગ્રહ કરીશ કે બાળકોને આ ચીજો જરૂર દેખાડો. ખાવાપીવાનું મહત્વનું શિક્ષણ બાળપણથી જ જરૂરી હોય છે.
મારા પ્રિય દેશવાસીઓ, 2018નો આ અંતિમ કાર્યક્રમ છે. 2019માં આપણે ફરીથી મળીશું, ફરીથી “મનની વાતો” કરીશું, વ્યક્તિનું જીવન હોય, રાષ્ટ્રનું જીવન હોય, સમાજનું જીવન હોય, પ્રેરણા જ પ્રગતિનો આધાર હોય છે. આવો, નવી પ્રેરણા, નવી ઉમંગ, નવા સંકલ્પ, નવી સિદ્ધિ, નવી ઊંચાઇ – આગળ ચાલીએ, આગળ વધતા રહીએ, પોતે પણ બદલાઇએ, દેશને પણ બદલીએ, ખૂબ – ખૂબ આભાર..

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 3 ઑક્ટોબર 2014, વિજયાદશમીનું પાવન પર્વ. ‘મન કી બાત’ના માધ્યમથી આપણે બધાએ એક સાથે એક યાત્રા આરંભી હતી. ‘મન કી બાત’ આ યાત્રાના આજ 50 એપિસૉડ પૂરા થઈ ગયા છે. એ રીતે આજે આ ગૉલ્ડન જ્યુબિલી એપિસોડ – સુવર્ણ જયંતી એપિસૉડ છે. આ વખતે તમારા જે પત્રો અને ફૉન આવ્યા છે, તે મોટા ભાગના આ 50મા એપિસૉડના સંદર્ભે જ છે. માય ગોવ પર દિલ્લીના અંશુકુમાર, અમરકુમાર અને પટનાથી વિકાસ યાદવ, આ જ રીતે નરેન્દ્ર મોદી એપ પર દિલ્લીની મોનિકા જૈન, બર્દવાન, પશ્ચિમ બંગાળના પ્રસેનજીત સરકાર અને નાગપુરની સંગીતા શાસ્ત્રી આ બધાં લોકોએ લગભગ એક જ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે. તેમનું કહેવું છે કે ઘણી વાર લોકો તમને લેટેસ્ટ ટૅક્નૉલૉજી, સૉશિયલ મિડિયા અને મોબાઇલ ઍપ સાથે જોડે છે, પરંતુ તમે લોકો સાથે જોડાવા માટે રેડિયો જ કેમ પસંદ કર્યો? તમારી આ જિજ્ઞાસા ખૂબ જ સ્વાભાવિક છે કે આજના યુગમાં જ્યારે લગભગ રેડિયો ભૂલાઈ ગયો હતો તે સમયે મોદી રેડિયો લઈને શા માટે આવ્યા? હું તમને એક કિસ્સો સંભળાવવા માગું છું. આ 1998ની વાત છે, હું ભારતીય જનતા પક્ષના સંગઠનના કાર્યકર્તાના રૂપમાં હિમાચલમાં કામ કરતો હતો. મે નો મહિનો હતો અને હું સાંજના સમયે પ્રવાસ કરતો કોઈ અન્ય સ્થાન પર જઈ રહ્યો હતો. હિમાચલના પહાડોમાં સાંજે તો ઠંડક થઈ જાય જ છે, તો રસ્તામાં એક ઢાબા પર ચા માટે રોકાયો અને જ્યારે મેં ચા માટે ઑર્ડર આપ્યો તો તેના પહેલાં, તે ઘણું નાનું ઢાબું હતું, એક જ વ્યક્તિ પોતે ચા બનાવતો હતો, વેચતો હતો. ઉપર કપડું પણ નહોતું. એમ જ રૉડના કિનારા પર નાનકડી લારી લઈને ઊભો હતો. તો તેણે પોતાની પાસે એક કાચનું વાસણ હતું, તેમાંથી લાડુ કાઢ્યો, પછી બોલ્યો, "સાહેબ, ચા પછી, પહેલાં લાડુ ખાવ. મોઢું મીઠું કરો. " મને નવાઈ લાગી. મેં પૂછ્યું, "શું વાત છે, ઘરમાં કોઈ લગ્ન જેવો કોઈ પ્રસંગ છે કે શું ? તેણે કહ્યું, નહિં નહિં, સાહેબ તમને ખબર નથી શું, અરે ઘણી ખુશીની વાત છે. તે ઉછળી રહ્યો હતો. ખૂબ જ ઉમંગથી ભરેલો હતો. મેં પૂછ્યું શું થયું, " અરે કહે કે, આજે તો ભારતે બોંબ ફોડી દીધો છે. હું કહું છું કે, ભારતે બોંબ ફોડી દીધો છે. હું કાંઇ સમજ્યો નહીં તેણે કહ્યું, જુઓ સાહેબ રેડિયો સાંભળો, રેડિયો પર તે વિશે જ ચર્ચા ચાલી રહી હતી. તે સમયે આપણા વડાપ્રધાન અટલબિહારી વાજપેયી હતા, અને તે દિવસ હતો કે જયારે, ભારતે પરમાણુ પરિક્ષણ કર્યું હતું. અને તેમણે મિડિયા સામે આ અંગેની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાંભળીને જ તે નાચી રહ્યો હતો. અને અને મને ઘણું જ આશ્ચર્ય થયું કે આ જંગલ જેવા સૂમસામ વિસ્તારમાં, બર્ફીલા પહાડોની વચ્ચે એક સામાન્ય માણસ જે ચાની લારી લઈને પોતાનું કામ કરી રહ્યો છે અને દિવસભર રેડિયો સાંભળતો રહેતો હશે અને તે રેડિયોના સમાચારની તેના મન પર એટલી અસર હતી, એટલો પ્રભાવ હતો અને ત્યારથી મારા મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે રેડિયો જન-જન સાથે જોડાયેલો છે અને રેડિયોની બહુ મોટી તાકાત છે.
કમ્યૂનિકેશનની પહોંચ અને તેનું ઊંડાણ, કદાચ રેડિયોની બરાબરી કોઈ કરી શકતું નથી. મારા મનમાં તે સમયથી આ વાત ઘર કરી ગઈ છે અને તેની તાકાતનો મને ત્યારે જ અંદાજ આવી ગયો હતો. તો જ્યારે હું વડા પ્રધાન બન્યો ત્યારે સૌથી શક્તિશાળી માધ્યમ તરફ મારું ધ્યાન જાય તે ઘણું સ્વાભાવિક હતું. અને જ્યારે મેં, મે 2014માં એક 'પ્રધાનસેવક'ના રૂપમાં કાર્યભાર સંભાળ્યો તો મારા મનમાં ઈચ્છા હતી કે દેશની એકતા, આપણા ભવ્ય ઇતિહાસ, તેનું શૌર્ય, ભારતની વિવિધતાઓ, આપણા સમાજની રગ-રગમાં સમાયેલી સારપ, લોકોનો પુરુષાર્થ, ધગશ, ત્યાગ, તપસ્યા આ બધી વાતોને, ભારતની આ વાતને, જન-જન સુધી પહોંચાડવી જોઈએ. દેશનાં દૂર-સુદૂર ગામોથી લઈને મહાનગરો સુધી, ખેડૂતોથી લઈને યુવાન વ્યાવસાયિકો સુધી… અને બસ તેમાંથી આ ‘મન કી બાત’ની યાત્રાનો પ્રારંભ થયો.
દર મહિને લાખોની સંખ્યામાં પત્રોને વાંચતાં, ફૉન કૉલ સાંભળતાં, ઍપ અને માય ગોવ પર કૉમેન્ટ જોતાં અને આ બધાંને એક સૂત્રમાં પરોવીને, હળવી વાતો કરતાં-કરતાં 50 એપિસૉડની એક મુસાફરી, એક યાત્રા આપણે બધાંએ ભેગાં મળીને કરી લીધી છે. હાલમાં જ આકાશવાણીએ ‘મન કી બાત’ પર સર્વેક્ષણ પણ કરાવ્યું. મેં તેમાંથી કેટલાક એવા પ્રતિભાવોને જોયા જે ઘણા રસપ્રદ છે. જે લોકોની વચ્ચે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે તેમાંથી સરેરાશ 70 ટકા નિયમિત રૂપે ‘મન કી બાત’ સાંભળનારા લોકો છે. મોટા ભાગના લોકોને લાગે છે કે ‘મન કી બાત’નું સૌથી મોટું યોગદાન એ છે કે તેણે સમાજમાં હકારાત્મકતાની ભાવના વધારી છે. ‘મન કી બાત’ના માધ્યમથી જન આંદોલનોને મોટા સ્તર પર ઉત્તેજન મળ્યું છે. #indiapositive અંગે વ્યાપક ચર્ચા પણ થઈ છે. તે આપણા દેશવાસીઓના મનમાં વસેલી પૉઝિટિવિટીની ભાવનાની, હકારાત્મકતાની ભાવનાની પણ ઝલક છે. લોકોએ પોતાનો અનુભવ પણ જણાવ્યો છે કે ‘મન કી બાત’થી વૉલ્યન્ટિયરિઝમ એટલે કે સ્વયંસ્ફૂરણાથી કંઈક કરવાની ભાવના વધી છે. એક એવું પરિવર્તન આવ્યું છે જેમાં સમાજની સેવા માટે લોકો હોંશથી આગળ આવી રહ્યા છે. મને એ જોઈને ખુશી થઈ કે ‘મન કી બાત’ના કારણે રેડિયો વધુ ને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે. પરંતુ માત્ર રેડિયોના માધ્યમથી જ લોકો આ કાર્યક્રમ સાથે જોડાઈ રહ્યા હોય તેવું નથી. લોકો ટીવી, એફ. એમ. રેડિયો, મોબાઇલ, ઇન્ટરનેટ, ફેસબુક લાઇવ અને પેરિસ્કૉપની સાથેસાથે નરેન્દ્ર મોદી એપના માધ્યમથી પણ ‘મન કી બાત’માં જોડાઈ રહ્યા છે. હું ‘મન કી બાત’ પરિવારના આપ સૌ સભ્યોને તેના પર વિશ્વાસ વ્યક્ત કરવા અને તેનો હિસ્સો બનવા માટે અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપું છું.
(ફૉન કૉલ-1)
“માનનીય વડા પ્રધાન શ્રી, નમસ્તે. મારું નામ શાલિની છે અને હું હૈદરાબાદથી બોલી રહી છું. ‘મન કી બાત’કાર્યક્રમ જનતાની વચ્ચે એક ઘણો જ લોકપ્રિય કાર્યક્રમ છે. પ્રારંભમાં લોકોએ વિચાર્યું હતું કે આ કાર્યક્રમ પણ એક રાજકીય મંચ બનીને જ રહી જશે અને તે આલોચનાનો વિષય પણ બન્યો હતો. પરંતુ જેમ–જેમ આ કાર્યક્રમ આગળ વધ્યો, તેમ આપણે જોયું કે રાજકારણના સ્થાને, તે સામાજિક સમસ્યાઓ અને પડકારો પર જ કેન્દ્રિત રહ્યો અને આ રીતે મારા જેવા કરોડો સામાન્ય લોકો સાથે જોડાતો ગયો. ધીમેધીમે આલોચના પણ સમાપ્ત થવા લાગી. તો મારો પ્રશ્ન એ છે કે તમે આ કાર્યક્રમને કઈ રીતે રાજકારણથી દૂર રાખવામાં સફળ રહ્યા?શું ક્યારેય તમારું એવું મન નથી થયું કે તમે આ કાર્યક્રમનો રાજકારણ માટે ઉપયોગ કરો કે પછી આ મંચ પરથી તમારી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી શકો? ધન્યવાદ.”
(ફૉન કૉલ સમાપ્ત)
તમારા ફૉન કૉલ માટે ઘણો આભાર. તમારી આશંકા સાચી છે. હકીકતે નેતાને માઇક મળી જાય અને લાખો-કરોડોની સંખ્યામાં સાંભળનારા હોય તો પછી શું જોઈએ? કેટલાક યુવાન મિત્રોએ ‘મન કી બાત’માં આવેલા બધા વિષયો પર એક અભ્યાસ કર્યો તેઓએ બધાં જ એપિસોડનું શબ્દ વિશ્લેષણ, લેક્સિકલ એનાલિસિસ કર્યું, અને તેમણે અધ્યયન કર્યું કે કયો શબ્દ કેટલી વાર બોલવામાં આવ્યો. કયા શબ્દો વારંવાર બોલવામાં આવ્યા. તેમનું એક તારણ એ છે કે આ કાર્યક્રમ બિનરાજકીય રહ્યો છે. જ્યારે ‘મન કી બાત’ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે ન તો તેમાં રાજકારણ આવે, ન તેમાં સરકારની પ્રશંસા થાય, ન તેમાં ક્યાંય મોદી હોય અને મારા આ સંકલ્પને નિભાવવા માટે સૌથી મોટું બળ, સૌથી મોટી પ્રેરણા મળી તમારામાંથી. દરેક ‘મન કી બાત’ના પહેલાં આવતા પત્રો, ઑનલાઇન કૉમેન્ટ, ફૉન કૉલ, તેમાં શ્રોતાઓની અપેક્ષાઓ સ્પષ્ટ હોય છે. મોદી આવશે અને ચાલ્યા જશે, પરંતુ આ દેશ અટલ રહેશે, આપણી સંસ્કૃતિ અમર રહેશે. 130 કરોડ દેશવાસીઓની આ નાની નાની વાતો હંમેશાં જીવિત રહેશે. આ દેશને નવી પ્રેરણા, ઉત્સાહથી નવી ઊંચાઈઓ પર લેતી જશે. હું પણ ક્યારેક પાછળ વળીને જોઉં છું તો મને પણ ઘણું મોટું આશ્ચર્ય થાય છે. ક્યારેય કોઈ દેશના કોઈ ખૂણામાંથી પત્ર લખીને કહે છે- અમે નાના દુકાનદારો, રિક્ષા ચલાવનારાઓ, શાકભાજી વેચનારા, આવા લોકો સાથે બહુ ભાવતોલ ન કરવા જોઈએ. હું પત્ર વાંચું છું, આવો જ ભાવ ક્યારેક કોઈ બીજા પત્રમાં આવ્યો હોય, તેને સાથે ગૂંથી લઉં છું. બે વાતો હું મારા અનુભવની પણ તેની સાથે કહી દઉં છું, તમારા બધાંની સાથે વહેંચી લઉં છું અને પછી ખબર નહીં, ક્યારે તે વાત ઘર-પરિવારો સુધી પહોંચી જાય છે, સૉશિયલ મિડિયા અને વૉટ્સઍપ પર ફરતી રહે છે અને એક પરિવર્તનની તરફ આગળ વધતી રહે છે. તમે મોકલેલી સ્વચ્છતાની વાતોએ સામાન્ય લોકોનાં અનેક ઉદાહરણોએ, ખબર નહીં ક્યારે, ઘર-ઘરમાં એક નાનકડો સ્વચ્છતાનો બ્રાન્ડ ઍમ્બેસેડર ઊભો કરી દીધો છે જે ઘરના લોકોને પણ ટોકે છે અને ક્યારેક ફૉન કૉલ કરીને વડા પ્રધાનને પણ આદેશ આપે છે.
કોઈ સરકારની એટલી તાકાત ક્યારે હશે કે selfiewithdaughterની ઝુંબેશ હરિયાણાના એક નાનકડા ગામથી શરૂ થઈને આખા દેશમાં જ નહીં, વિદેશોમાં પણ પ્રસરી જાય. સમાજનો દરેક વર્ગ, સેલિબ્રિટીઓ, બધાં જોડાઈ જાય અને સમાજમાં વિચારપરિવર્તનની એક નવી, આધુનિક ભાષામાં, જેને આજની પેઢી સમજતી હોય તેવી અલખ જગાવી દે. ક્યારેક ક્યારેક ‘મન કી બાત’ની મજાક પણ ઉડે છે પરંતુ મારા મનમાં હંમેશાં જ 130 કરોડ દેશવાસીઓ વસેલા રહે છે. તેમનું મન મારું મન છે. ‘મન કી બાત’ સરકારી વાત નથી- આ સમાજની વાત છે. ‘મન કી બાત’ એક aspirational India, મહત્ત્વાકાંક્ષી ભારતની વાત છે. ભારતનો મૂળ પ્રાણ રાજકારણ નથી, ભારતનો મૂળ પ્રાણ રાજશક્તિ પણ નથી. ભારતનો મૂળ પ્રાણ સમાજનીતિ અને સમાજશક્તિ છે. સમાજજીવનનાં હજારો પાસાં હોય છે, તેમાં એક પાસું રાજકારણ પણ છે. રાજકારણ જ બધું થઈ જાય, તે સ્વસ્થ સમાજ માટે એક સારી વ્યવસ્થા નથી. ક્યારેક-ક્યારેક રાજકારણની ઘટનાઓ અને રાજકારણીઓ એટલાં હાવી થઈ જાય છે કે સમાજની અન્ય પ્રતિભાઓ અને અન્ય પુરુષાર્થો દબાઈ જાય છે. ભારત જેવા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે જનસામાન્યની પ્રતિભાઓ-પુરુષાર્થને ઉચિત સ્થાન મળે, તે આપણાં બધાંની સામૂહિક જવાબદારી છે અને ‘મન કી બાત’ આ દિશામાં એક નમ્ર અને નાનકડો પ્રયાસ છે.
(ફૉન કૉલ-2)
“નમસ્તે વડા પ્રધાનશ્રી. હું પ્રોમિતા મુખર્જી બોલી રહી છું, મુંબઈથી. સર, ‘મન કી બાત’નો દરેક એપિસૉડ ઇનસાઇટથી, જાણકારી ઇન્ફૉર્મેશનથી, પૉઝિટિવ સ્ટૉરીઓથી અને સામાન્ય માનવીનાં સારાં કામોથી ભરપૂર હોય છે. તો હું આપને એ પૂછવા માગું છું કે દરેક પ્રૉગ્રામ પહેલાં તમે કેટલી તૈયારી કરો છો?”
(ફૉન કૉલ સમાપ્ત)
ફૉન કૉલ માટે તમારો ઘણો આભાર. તમારો સવાલ એક રીતે આત્મીયતાથી પૂછાયેલો પ્રશ્ન છે. હું માનું છું કે ‘મન કી બાત’ના 50મા એપિસૉડની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તમે વડા પ્રધાનને નહીં, જાણે કે પોતાના એક નિકટના સાથીને પ્રશ્નો પૂછી રહ્યા છો. બસ, આ જ તો લોકતંત્ર છે. તમે જે પ્રશ્ન પૂછ્યો છે, જો હું તેનો સીધા શબ્દોમાં ઉત્તર આપું તો કહીશ- કંઈ પણ નહીં. ખરેખર તો, ‘મન કી બાત’ મારા માટે ઘણું સરળ કામ છે. દરેક વખતે ‘મન કી બાત’ પહેલાં લોકોના પત્રો આવે છે. માય ગોવ અને NarendraModi મોબાઇલ App પર લોકો પોતાના વિચારો જણાવે છે. એક ટૉલ ફ્રી નંબર પણ છે- 1800 11 7800. ત્યાં કૉલ કરીને લોકો પોતાના સંદેશાઓ પોતાના અવાજમાં રેકૉર્ડ પણ કરે છે. મારો પ્રયાસ રહે છે કે ‘મન કી બાત’ પહેલાં વધુમાં વધુ પત્રો અને કૉમેન્ટ હું પોતે વાંચું. હું ઘણા બધા ફૉન કૉલ સાંભળૂં પણ છું. જેમજેમ ‘મન કી બાત’નો એપિસૉડ નજીક આવે છે તો પ્રવાસ દરમિયાન, તમારા દ્વારા મોકલાયેલા વિચારો અને માહિતીને હું ઘણી બારીકાઈથી વાંચું છું.
દરેક પળે, મારા દેશવાસીઓ, મારા મનમાં વસેલા રહે છે અને આથી જ્યારે હું કોઈ પત્ર વાંચું છું તો પત્ર લખનારાની પરિસ્થિતિ, તેના ભાવ, મારા વિચારના હિસ્સા બની જાય છે. તે પત્ર મારા માટે માત્ર એક કાગળનો ટુકડો નથી રહેતો અને આમ પણ મેં લગભગ 40-45 વર્ષ અખંડ રૂપે એક પરિવ્રાજકનું જીવન જીવ્યું છે અને દેશના મોટા ભાગના જિલ્લાઓમાં ગયો છું અને દેશના દૂર-સુદૂર જિલ્લાઓમાં મેં ઘણો સમય પણ વિતાવ્યો છે. અને, આ કારણે જ્યારે હું પત્ર વાંચું છું તો હું તે સ્થાન અને સંદર્ભને સરળતાથી પોતાની સાથે જોડી શકું છું. પછી, હું કેટલીક હકીકતો જેમ કે ગામનું નામ, વ્યક્તિનું નામ, વગેરે ચીજોને નોંધી લઉં છું. સાચું પૂછો તો ‘મન કી બાત’માં અવાજ મારો છે, પરંતુ ઉદાહરણો, ભાવનાઓ અને લાગણી મારા દેશવાસીઓની જ છે. હું ‘મન કી બાત’માં યોગદાન કરનારા પ્રત્યેક વ્યક્તિનો આભાર માનવા માગું છું. એવા લાખો લોકો છે જેમનું નામ હું આજ સુધી ‘મન કી બાત’માં નથી લઈ શક્યો, પરંતુ તેઓ નિરાશ થયા વગર પોતાના પત્રો, પોતાની ટિપ્પણીઓ મોકલતા રહે છે- તમારા વિચાર, તમારી ભાવનાઓ મારા જીવનમાં ઘણું જ મહત્ત્વ રાખે છે. મને પૂરો વિશ્વાસ છે કે તમારાં બધાંની વાતો પહેલાંથી અનેક ગણી વધુ મને મળશે અને ‘મન કી બાત’ને વધુ રોચક, વધુ પ્રભાવી અને ઉપયોગી બનાવશે. એવી પણ કોશિશ કરાય છે કે જે પત્રો ‘મન કી બાત’માં સમાવિષ્ટ નથી કરાયા તે પત્રો અને સૂચનો પર સંબંધિત વિભાગો પણ ધ્યાન આપે. હું આકાશવાણી, એફ. એમ. રેડિયો, દૂરદર્શન, અન્ય ટી. વી. ચેનલો, સૉશિયલ મિડિયાના મારા સાથીઓને પણ ધન્યવાદ આપવા માગું છું. તેમના પરિશ્રમથી ‘મન કી બાત’ વધુમાં વધુ લોકો સુધી પહોંચે છે. આકાશવાણીની ટીમ દરેક એપિસૉડને ઘણીબધી ભાષાઓમાં પ્રસારણ માટે તૈયાર કરે છે. કેટલાક લોકો કુશળતાથી પ્રાદેશિક ભાષાઓમાં મોદીને મળતા આવતા અવાજમાં અને તે જ ટૉનમાં ‘મન કી બાત’ સંભળાવે છે. આ રીતે તેઓ માત્ર 30 મિનિટ માટે નરેન્દ્ર મોદી જ બની જાય છે. હું તે લોકોને પણ તેમની પ્રતિભા અને કૌશલ્ય માટે અભિનંદન આપું છું, આભાર માનું છું. હું તમને બધાને આગ્રહ કરીશ કે આ કાર્યક્રમને તમારી સ્થાનિક ભાષાઓમાં પણ અવશ્ય સાંભળો. હું મિડિયાના મારા એ સાથીઓને પણ હૃદયપૂર્વક અભિનંદન આપવા માગું છું જેઓ પોતાની ચેનલો પર ‘મન કી બાત’નું દર વખતે નિયમિત રીતે પ્રસારણ કરે છે. કોઈ પણ રાજકારણી મિડિયાથી ક્યારેય પણ ખુશ નથી હોતો, તેને લાગે છે કે તેને ઘણું ઓછું કવરેજ મળે છે અથવા જે કવરેજ મળે છે તે નેગેટિવ હોય છે, પરંતુ ‘મન કી બાત’માં ઉઠાવાયેલા અનેક વિષયોને મિડિયાએ પોતાના બનાવી લીધા છે. સ્વચ્છતા, સડક સુરક્ષા, ડ્રગ્ઝ ફ્રી ઇન્ડિયા, સૅલ્ફી વિથ ડૉટર જેવા અનેક વિષયો છે જેમને મિડિયાએ નવીન રીતે એક અભિયાનનું રૂપ આપીને આગળ વધારવાનું કામ કર્યું. ટી. વી. ચેનલોએ તેમને સૌથી વધુ જોવાતો રેડિયો કાર્યક્રમ બનાવી દીધો. હું મિડિયાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમારા સહયોગ વિના ‘મન કી બાત’ની આ યાત્રા અધૂરી જ રહેત.
(ફૉન કૉલ-3)
“નમસ્તે મોદીજી. હું નિધિ બહુગુણા બોલી રહી છું, મસૂરી ઉત્તરાખંડથી. હું બે બાળકોની માતા છું. હું ઘણી વાર જોઉં છું કે આ ઉંમરનાં બાળકો એ પસંદ નથી કરતા કે તેમને કોઈ કહે કે તેમણે શું કરવાનું છે; પછી તે શિક્ષકો હોય કે તેઓ તેમનાં માતાપિતા હોય. પરંતુ જ્યારે તમારી ‘મન કી બાત’માં તમે બાળકોને કંઈક કહો છો તો તેઓ દિલથી સમજે છે અને તે વાતનો અમલ કરે પણ છે– તો શું તમે અમારી સાથે આ રહસ્યને વહેંચશો? જે રીતે તમે બોલો છો કે તમે જે મુદ્દાઓ ઉઠાવો છો જે બાળકો સારી રીતે સમજીને અમલ કરે છે. ધન્યવાદ.“
(ફૉન કૉલ સમાપ્ત)
નિધિજી, તમારા ફૉન કૉલ માટે ઘણો આભાર. હકીકતે હું કહું તો મારી પાસે કોઈ રહસ્ય નથી. હું જે કરી રહ્યો છું તે બધા પરિવારોમાં પણ થતું જ હશે. સરળ ભાષામાં કહું તો હું પોતાને, તે યુવાની અંદર ઢાળવાનો પ્રયાસ કરું છું, પોતાને તે પરિસ્થિતિમાં રાખીને તેના વિચારોની સાથે એક સાંમજસ્ય બેસાડવાનો, એક વૅવલૅન્થ મેચ કરવાની કોશિશ કરું છું. આપણી પોતાની જિંદગીના તે જૂના બેગેજ છે, જ્યારે તે વચ્ચે નથી આવતા તો કોઈને પણ સમજવું સરળ બની જાય છે. ક્યારેકક્યારેક આપણા પૂર્વાગ્રહો જ, સંવાદ માટે સૌથી મોટું સંકટ બની જાય છે. સ્વીકાર-અસ્વીકાર અને પ્રતિક્રિયાઓના બદલે કોઈની વાત સમજવી, મારી પ્રાથમિકતા રહે છે. મારો અનુભવ રહ્યો છે કે આવામાં સામેના લોકો પણ, આપણને કન્વિન્સ કરવા માટે જાતજાતનો તર્ક કે દબાણ કરવાના બદલે, આપણી વૅવલૅન્થ પર આવવાનો પ્રયાસ કરે છે. આ રીતે કમ્યૂનિકેશન ગેપ સમાપ્ત થઈ જાય છે. પછી એક રીતે તે વિચારની સાથે આપણે બંને સહયાત્રી બની જઇએ છીએ. બંનેને ખબર જ નથી પડતી કે ક્યારે અને કેવી રીતે, એકે પોતાનો વિચાર છોડીને બીજાનો સ્વીકાર કરી લીધો છે- પોતાનો બનાવી લીધો છે. આજના યુવાઓની આ જ ખૂબી છે કે તેઓ એવું કંઈ પણ નહીં કરે જેના પર તેમને પોતાને જ વિશ્વાસ નથી અને જ્યારે તેઓ કોઈ ચીજ પર વિશ્વાસ કરે છે તો પછી તેના માટે બધું જ છોડીને તેની પાછળ લાગી જાય છે. ઘણી વાર લોકો પરિવારોમાં મોટી ઉંમરના લોકો અને તરુણો વચ્ચે કમ્યૂનિકેશન ગેપની ચર્ચા કરે છે. હકીકતે મોટા ભાગના પરિવારોમાં તરુણો સાથે વાતચીતનું વર્તુળ બહુ જ સીમિત હોય છે. મોટા ભાગના સમયમાં ભણતરની વાતો કે પછી ટેવો કે પછી જીવનશૈલીના મુદ્દે ‘આમ કર, આવું ન કર’ તેવી રોકટોક થતી હોય છે, કોઈ અપેક્ષા વગર ખુલ્લા મનની વાતો, ધીરેધીરે પરિવારોમાં ઘણી ઓછી થવા લાગી છે અને તે ચિંતાનો પણ વિષય છે.
Expectના બદલે accept અને dismiss કરવાના બદલે discuss કરવાથી સંવાદ પ્રભાવી બનશે. અલગ-અલગ કાર્યક્રમો કે પછી સૉશિયલ મિડિયાના માધ્યમથી યુવાનોની સાથે સતત વાતચીત કરવાનો મારો પ્રયાસ રહે છે. તેઓ જે કરી રહ્યા છે કે પછી વિચારી રહ્યા છે તેને શીખવાનો હું હંમેશાં પ્રયાસ કરતો રહું છું. તેમની પાસે હંમેશાં આઇડિયાનો ભંડાર રહે છે. તેઓ અત્યાધિક ઊર્જાવાન, નવીનતાથી ભરપૂર અને કેન્દ્રિત હોય છે. ‘મન કી બાત’ના માધ્યમથી યુવાનોના પ્રયાસોને, તેમની વાતોને, વધુમાં વધુ વહેંચવાનો હું પ્રયાસ કરું છું. ઘણી વાર ફરિયાદ હોય છે કે યુવાનો બહુ જ સવાલો પૂછે છે. હું કહું છું કે સારું છે કે નવજુવાનો સવાલ કરે છે. આ સારી વાત એટલા માટે છે કે તેનો અર્થ એ થયો કે તેઓ બધી ચીજોની મૂળમાંથી તપાસ કરવા માગે છે. કેટલાક લોકો કહે છે કે યુવાનોમાં ધૈર્ય નથી હોતું, પરંતુ મારું માનવું છે કે યુવાનો પાસે વેડફવા માટે સમય નથી. આ જ એ ચીજ છે જે આજે નવજુવાનોને વધુ ઇન્નૉવેટિવ બનવામાં મદદ કરે છે કારણકે તેઓ ચીજો ઝડપથી કરવા માગે છે. આપણને લાગે છે કે આજના યુવાઓ બહુ જ મહત્ત્વાકાંક્ષી છે અને ઘણી બધી મોટી મોટી ચીજો વિચારે છે. સારું છે, મોટાં સપનાં જુઓ અને મોટી સફળતાઓ મેળવો. આખરે, આ જ તો ન્યૂ ઇન્ડિયા છે. કેટલાક લોકો કહે છે કે યુવાન પેઢી એક જ સમયમાં અનેક ચીજો કરવા માગે છે. હું કહું છું કે તેમાં ખોટું શું છે? તેઓ મલ્ટિટાસ્કિંગમાં પારંગત છે આથી તેઓ આવું કરે છે. જો આપણે આસપાસ નજર દોડાવીશું તો ચાહે તે સૉશિયલ આંત્રપ્રિન્યૉરશિપ હોય કે સ્ટાર્ટ અપ હોય, રમતગમત હોય કે પછી અન્ય કોઈ ક્ષેત્ર- સમાજમાં મોટું પરિવર્તન લાવનાર યુવાનો જ છે. તે યુવાઓ, જેમણે સવાલ પૂછવાનું અને મોટાં સપનાં જોવાનું સાહસ દેખાડ્યું. જો આપણે યુવાનોના વિચારને ધરાતલ પર ઉતારી દઈએ અને તેમને અભિવ્યક્ત કરવા માટે ખુલ્લું વાતાવરણ આપીએ તો તેઓ દેશમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તેઓ આવું કરી પણ રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, ગુરુગ્રામથી વિનિતાજીએ માય ગોવ પર લખ્યું છે કે ‘મન કી બાત’માં મારે આવતીકાલે એટલે કે 26 નવેમ્બરે આવનારા ‘સંવિધાન દિવસ’ વિશે વાત કરવી જોઈએ. તેમનું કહેવું છે કે આ દિવસ વિશેષ છે કારણકે આપણે સંવિધાનને અપનાવવાના 70મા વર્ષમાં પ્રવેશ કરનારા છીએ.
વિનિતાજી, તમારા સૂચન માટે તમારો ઘણો આભાર.
હા, કાલે ‘સંવિધાન દિવસ’ છે. તે મહાન વિભૂતિઓને યાદ કરવાનો દિવસ, જેમણે આપણું બંધારણ બનાવ્યું. 26 નવેમ્બર, 1949ના રોજ આપણા બંધારણને અપનાવાયું હતું. બંધારણ ઘડવાના આ ઐતિહાસિક કાર્યને પૂરા કરવામાં બંધારણ સભાને 2 વર્ષ 11 મહિના અને 17 દિવસો લાગ્યા. કલ્પના કરો કે ત્રણ વર્ષની અંદર જ આ મહાન વિભૂતિઓએ આપણને આટલું વ્યાપક અને વિસ્તૃત સંવિધાન આપ્યું. તેમણે જે અસાધારણ ગતિથી બંધારણનું નિર્માણ કર્યું તે આજે પણ ટાઇમ મેનેજમેન્ટ અને પ્રૉડક્ટિવિટીનું એક ઉદાહરણ છે. તે આપણને પણ આપણી જવાબદારીઓને રેકૉર્ડ સમયમાં પૂરા કરવા માટે પ્રેરિત કરે છે. બંધારણ સભા દેશની મહાન પ્રતિભાઓનો સંગમ હતી, તેમાંથી દરેક વ્યક્તિ પોતાના દેશને એક એવું બંધારણ આપવા માટે પ્રતિબદ્ધ હતી જેથી ભારતના લોકો સશક્ત થાય, ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સમર્થ બને.
આપણા બંધારણમાં ખાસ વાત એ જ છે કે અધિકાર અને કર્તવ્ય એટલે કે રાઇટ્સ અને ડ્યુટીઝ, તેના વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. નાગરિકના જીવનમાં આ બંનેનો તાલમેળ દેશને આગળ લઈ જશે. જો આપણે બીજાના અધિકારોનું સન્માન કરીશું તો આપણા અધિકારોની રક્ષા આપોઆપ થઈ જશે અને આ રીતે જો આપણે બંધારણમાં આપવામાં આવેલાં પોતાનાં કર્તવ્યોનું પાલન કરીશું તો પણ આપણા અધિકારોની રક્ષા આપોઆપ જ થઈ જશે. મને અત્યારે પણ યાદ છે કે 2010માં જ્યારે ભારતના ગણતંત્રને 60 વર્ષ પૂરાં થયાં હતાં ત્યારે ગુજરાતમાં અમે હાથી પર રાખીને બંધારણની શોભાયાત્રા કાઢી હતી. યુવાઓમાં બંધારણ વિશે જાગૃતિ વધારવા માટે અને તેમને બંધારણનાં પાસાંઓ સાથે જોડવાનો તે એક યાદગાર પ્રસંગ હતો. વર્ષ 2020માં એક ગણતંત્રના રૂપમાં આપણે 70 વર્ષ પૂરાં કરીશું અને 2022માં આપણી સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થઈ જશે.
આવો, આપણે બધાં આપણાં બંધારણનાં મૂલ્યોને આગળ વધારીએ અને આપણા દેશમાં પીસ, પ્રૉગ્રેસ, પ્રૉસ્પરિટી એટલે કે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, બંધારણ સભા વિશે વાત કરતા તે મહાપુરુષના યોગદાનને ક્યારેક ભૂલાવી નહીં શકાય જે બંધારણ સભાના કેન્દ્રમાં રહ્યા હતા. તે મહાપુરુષ હતા પૂજનીય ડૉ. બાબાસાહેબ આંબેડકર. 6 ડિસેમ્બરે તેમનો મહાપરિનિર્વાણ દિવસ છે. હું બધા દેશવાસીઓની તરફથી બાબાસાહેબને નમન કરું છું જેમણે કરોડો ભારતીયોને સન્માનથી જીવવાનો અધિકાર આપ્યો છે. લોકતંત્ર બાબાસાહેબના સ્વભાવમાં વસેલું હતું અને તેઓ કહેતા હતા- ભારતનાં લોકતાંત્રિક મૂલ્યો ક્યાંય બહારથી નથી આવ્યાં. ગણતંત્ર શું હોય છે અને સંસદીય વ્યવસ્થા શું હોય છે- તે ભારત માટે ક્યારેય કોઈ નવી વાત નથી રહી. બંધારણ સભામાં તેમણે એક ખૂબ જ ભાવુક અપીલ કરી હતી કે આટલા સંઘર્ષ પછી મળેલી સ્વતંત્રતાની રક્ષા આપણે પોતાના લોહીના છેલ્લા ટીપા સુધી કરવાની છે. તેઓ એમ પણ કહેતા હતા કે આપણે ભારતીયો ભલે અલગ-અલગ પૃષ્ઠભૂમિના હોઈએ, પરંતુ આપણે બધી ચીજોની ઉપર દેશહિતને રાખવું પડશે. ઇન્ડિયા ફર્સ્ટ-ડૉ. બાબાસાહેબ આંબેડકરનો આ જ મૂળમંત્ર હતો. ફરી એક વાર પૂજ્ય બાબાસાહેબને વિનમ્ર શ્રદ્ધાંજલિ.
મારા પ્રિય દેશવાસીઓ, બે દિવસ પહેલાં 23 નવેમ્બરે આપણે બધાએ શ્રી ગુરુ નાનક દેવજીની જયંતી મનાવી છે અને આગામી વર્ષે એટલે કે 2019માં આપણે તેમનું 550મું પ્રકાશપર્વ મનાવવા જઈ રહ્યા છીએ. ગુરુ નાનક દેવજીએ હંમેશાં સમગ્ર માનવતાના કલ્યાણ માટે જ વિચાર્યું. તેમણે સમાજને હંમેશાં સત્ય, કર્મ, સેવા, કરુણા અને સૌહાર્દનો માર્ગ દેખાડ્યો. દેશ આગામી વર્ષે ગુરુ નાનક દેવજીની 550મી જયંતી સમારોહને ભવ્ય રૂપમાં મનાવશે. તેનો રંગ દેશ જ નહીં, દુનિયાભરમાં વિખરાશે. બધી રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ આ અવસરને ધામધૂમથી મનાવવાનો અનુરોધ કરાયો છે. આ રીતે ગુરુ નાનક દેવજીના સાથે જોડાયેલા પવિત્ર સ્થળોના માર્ગ પર એક ટ્રેન પણ ચલાવાશે. હમણાં જ જ્યારે હું તેને સંબંધિત એક બેઠક કરી રહ્યો હતો તો મને તે સમયે લખપત સાહિબ ગુરુદ્વારાની યાદ આવી. ગુજરાતના 2001ના ભૂકંપ દરમિયાન તે ગુરુદ્વારાને ખૂબ જ નુકસાન થયું હતું, પરંતુ જે રીતે સ્થાનિક લોકો સાથે મળીને રાજ્ય સરકારે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો તે આજે પણ એક ઉદાહરણ છે.
ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, કરતારપુર કૉરિડોર બનાવવાનો, જેથી આપણા દેશના યાત્રીઓ સરળતાથી પાકિસ્તાનમાં, કરતારપુરમાં ગુરુ નાનક દેવજીના તે પવિત્ર સ્થળ પર દર્શન કરી શકે.
મારા પ્રિય દેશવાસીઓ, 50 એપિસૉડ પછી આપણે ફરી એક વાર મળીશું, આગામી ‘મન કી બાત’માં અને મને વિશ્વાસ છે કે આજે ‘મન કી બાત’ના આ કાર્યક્રમ પાછળની ભાવનાઓ મને પહેલી વાર તમારી સમક્ષ રાખવાનો મોકો મળ્યો કારણકે તમે લોકોએ એવા જ સવાલ પૂછ્યા, પરંતુ આપણી આ યાત્રા ચાલુ રહેશે. તમારો સાથ જેટલો વધુ જોડાશે, તેટલી આપણી યાત્રા વધુ ગાઢ બનશે અને દરેકને સંતોષ આપનારી બનશે. ક્યારેકક્યારેક લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે ‘મન કી બાત’થી મને શું મળ્યું? હું આજે કહેવા માગીશ કે ‘મન કી બાત’ના જે પ્રતિભાવો આવે છે તેમાં એક વાત મારા મનને સ્પર્શી જાય છે. મોટા ભાગના લોકોએ કહ્યું કે જ્યારે અમે પરિવારનાં બધાં સાથે બેસીને ‘મન કી બાત’ સાંભળીએ છીએ તો એવું લાગે છે કે આપણા પરિવારના વડીલ આપણી વચ્ચે બેસીને આપણી પોતાની જ વાતોને આપણી સાથે વહેંચી રહ્યા છે. જ્યારે આ વાત મેં વ્યાપક રૂપે સાંભળી તો મને ઘણો સંતોષ થયો કે હું તમારો છું, તમારામાંથી જ છું અને એક રીતે હું પણ તમારા પરિવારના સભ્યોના રૂપમાં જ ‘મન કી બાત’ના માધ્યમથી વારંવાર આવતો રહીશ, તમારી સાથે જોડાતો રહીશ. તમારાં સુખદુઃખ, મારાં સુખદુઃખ, તમારી આકાંક્ષા, મારી આકાંક્ષા. તમારી મહત્ત્વાકાંક્ષા, મારી મહત્ત્વાકાંક્ષા.
આવો, આ યાત્રાને આપણે વધુ આગળ વધારીએ.
ખૂબ-ખૂબ આભાર.

મારા પ્રિય દેશવાસીઓ, આપ સહુને નમસ્કાર. 31 ઓક્ટોબર આપણા સહુના પ્રિય સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી, અને દર વર્ષની જેમ ‘Run For Unity’ માં દેશના યુવાનો એકતા માટે દોડવા તૈયાર થઈ ગયા છે. હવે તો ઋતુ પણ ઘણી સારી થઈ ગઈ છે. આ ‘Run For Unity’ માટે જોશને ઓર વધારનારું પરિબળ છે. મારો અનુરોધ છે કે તમે બધાં બહુ મોટી સંખ્યામાં એકતાની આ દોડ ‘Run For Unity’માં અવશ્ય ભાગ લો. સ્વતંત્રતાના લગભગ સાડા છ મહિના પહેલાં, 27 જાન્યુઆરી 1947ના રોજ વિશ્વના પ્રસિદ્ધ International Magazine, ‘Time’Magazine’એ જે સંસ્કરણ પ્રકાશિત કર્યું હતું તેના મુખપૃષ્ઠ પર સરદાર પટેલની તસવીર હતી. પોતાની મુખ્ય સ્ટૉરીમાં તેમણે ભારતનો એક નકશો છાપ્યો હતો અને તે આજે આપણે જોઈએ છીએ તેવો નકશો નહોતો. તે અનેક ભાગોમાં વહેંચાયેલા ભારતનો નકશો હતો. ત્યારે 550થી વધુ રજવાડાં હતાં. ભારત સંદર્ભે અંગ્રેજોને કોઈ રસ રહ્યો નહોતો, પરંતુ તેઓ આ દેશને છિન્નભિન્ન કરીને છોડવા માગતા હતા. ‘Time’Magazine’એ લખ્યું હતું કે ભારત પર વિભાજન, હિંસા, ખાદ્યાન્ન સંકટ, મોંઘવારી અને સત્તાની રાજનીતિ જેવા ખતરા ઝળુંબતા હતા. ‘Time’Magazine’ આગળ લખે છે કે આ બધાંની વચ્ચે દેશને એકતાના સૂત્રમાં પરોવવા અને જખ્મોને ભરવાની ક્ષમતા જો કોઈમાં હોય તો તે છે સરદાર વલ્લભભાઈ પટેલ. ‘Time’Magazine’ની સ્ટૉરી લોહપુરુષના જીવનનાં બીજાં પાસાંઓને પણ ઉજાગર કરે છે. કેવી રીતે તેમણે 1920ના દશકમાં અમદાવાદમાં આવેલા પૂર સંદર્ભે રાહત કાર્યોની વ્યવસ્થા કરી. કેવી રીતે તેમણે બારડોલી સત્યાગ્રહને દિશા આપી. દેશ માટે તેમની પ્રમાણિકતા અને પ્રતિબદ્ધતા એવી હતી કે ખેડૂત, મજૂરોથી લઈને ઉદ્યોગપતિ સુધી, બધાં જ તેમના પર ભરોસો કરતા હતા. ગાંધીજીએ સરદાર પટેલને કહ્યું હતું કે રાજ્યોની સમસ્યાઓ એટલી વિકટ છે કે માત્ર તમે જ તેનો ઉકેલ લાવી શકો છો અને સરદાર પટેલે એક-એક કરીને સમાધાન કાઢ્યાં અને દેશને એકતાના સૂત્રમાં પરોવવાના અસંભવિત કાર્યને પૂરું કરીને દેખાડ્યું. તેમણે બધાં રજવાડાંઓનું ભારતમાં વિલિનીકરણ કર્યું. પછી તે જૂનાગઢ હોય કે હૈદરાબાદ, ત્રાવણકોર હોય કે પછી રાજસ્થાનનાં રજવાડાં- એ સરદાર પટેલ જ હતા જેમની સૂઝબૂઝ અને રણનીતિક કૌશલ્યથી આજે આપણે એક હિન્દુસ્તાન જોઈ શકીએ છીએ. એકતાના બંધનમાં બંધાયેલા આ રાષ્ટ્રને, આપણી ભારત માતાને જોઈને આપણે સ્વાભાવિક રીતે સરદાર વલ્લભભાઈ પટેલનું પુણ્યસ્મરણ કરીએ છીએ. આ 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જયંતી ઓર વિશેષ બની રહેવાની છે- આ દિવસે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલી આપતા આપણે Statue Of Unity રાષ્ટ્રને સમર્પિત કરીશું. ગુજરાતમાં નર્મદા નદીના તટ પર સ્થાપિત આ પ્રતિમાની ઊંચાઈ અમેરિકાની Statue Of Libertyથી બમણી છે. તે વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી પ્રતિમા છે. દરેક ભારતીય એ વાત પર હવે ગર્વ કરી શકશે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ભારતની ધરતી પર છે. તે સરદાર પટેલ જે જમીન સાથે જોડાયેલા હતા, હવે આકાશની શોભા પણ વધારશે. મને આશા છે કે દેશનો દરેક નાગરિક મા ભારતીની આ મહાન ઉપલબ્ધિ માટે વિશ્વની સામે ગર્વની સાથે છાતી કાઢીને, માથું ઊંચું કરીને તેનું ગૌરવગાન કરશે અને સ્વાભાવિક છે કે દરેક હિન્દુસ્તાનીને Statue Of Unity જોવાનું મન થશે અને મને વિશ્વાસ છે કે હિન્દુસ્તાનના દરેક ખૂણેથી લોકો, હવે તેને પણ પોતાના એક ખૂબ જ પ્રિય પ્રવાસ સ્થળ તરીકે પસંદ કરશે.
મારા પ્રિય ભાઈઓ અને બહેનો, કાલે જ આપણે દેશવાસીઓએ Ínfantry day’ મનાવ્યો છે. હું તે બધાને નમન કરું છું. જે ભારતીય સેનાનો હિસ્સો છે. હું આપણા સૈનિકોના પરિવારને પણ તેમના સાહસ માટે સલામ કરું છું, પરંતુ શું તમે જાણો છો કે આપણે સહુ હિન્દુસ્તાનના નાગરિકો આ Ínfantry day’ શા માટે મનાવીએ છીએ? આ એ જ દિવસ છે, જ્યારે ભારતીય સેનાના જવાન કાશ્મીરની ધરતી પર ઉતર્યા હતા અને ઘૂસણખોરોથી ખીણની રક્ષા કરી હતી. આ ઐતિહાસિક ઘટનાનો પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સીધો સંબંધ છે. હું ભારતના મહાન સૈન્ય અધિકારી રહી ચૂકેલા સામ માણેકશૉનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાંચી રહ્યો હતો. તે ઇન્ટરવ્યૂમાં Field Marshal માણેકશૉ તે સમયને યાદ કરી રહ્યા હતા જ્યારે તેઓ કર્નલ હતા. આ જ દરમિયાન ઓક્ટોબર 1947માં, કાશ્મીરમાં સૈન્ય અભિયાન શરૂ થયું હતું. Field Marshal માણેકશૉએ જણાવ્યું હતું કે કઈ રીતે એક બેઠક દરમિયાન કાશ્મીરમાં સેના મોકલવામાં થઈ રહેલા વિલંબ માટે સરદાર વલ્લભભાઈ પટેલ નારાજ થઈ ગયા હતા. સરદાર પટેલે બેઠક દરમિયાન પોતાના ખાસ અંદાજમાં તેમની તરફ જોયું અને કહ્યું કે કાશ્મીરમાં સૈન્ય અભિયાનમાં જરા પણ વિલંબ ન થવો જોઈએ અને જેમ બને તેમ જલદી તેનું સમાધાન કાઢવામાં આવે. તે પછી સેનાના જવાનોએ કાશ્મીર ભણી વિમાનમાં ઉડાન ભરી અને આપણે જોયું કે કઈ રીતે સેનાને સફળતા મળી. 31 ઑક્ટોબરે આપણાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીજીની પણ પુણ્યતિથિ છે. ઈન્દિરાજીને પણ આદરપૂર્વક શ્રદ્ધાંજલી.
મારા પ્રિય દેશવાસીઓ, રમત કોને પસંદ નથી. રમત જગતમાં spirit, strength, skill, stamina – આ બધી વાતો ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. તે કોઈ પણ ખેલાડીની સફળતાની કસોટી હોય છે અને આ જ ચારેય ગુણો કોઈપણ રાષ્ટ્રના નિર્માણ માટે પણ મહત્ત્વપૂર્ણ હોય છે. કોઈ પણ દેશના યુવાનોની અંદર જો તે હોય તો તે દેશ ન માત્ર અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી જેવાં ક્ષેત્રોમાં પ્રગતિ કરશે, પરંતુ સ્પૉર્ટ્સમાં પણ પોતાનો ઝંડો ફરકાવશે. હાલમાં જ મારી બે યાદગાર મુલાકાતો થઈ. પહેલાં જાકાર્તામાં થયેલા એશિયન પેરા ગૅમ્સ 2018ના આપણા પેરા ઍથ્લેટ્સને મળવાનો મોકો મળ્યો. આ રમતોમાં ભારતે કુલ 72 ચંદ્રકો જીતીને નવો વિક્રમ બનાવ્યો અને ભારતનું ગૌરવ વધાર્યું. આ બધા પ્રતિભાવાન પેરા ઍથ્લેટ્સ સાથે મને અંગત રીતે મળવાનું સૌભાગ્ય મળ્યું અને મેં તેમને અભિનંદન આપ્યા. તેમની દૃઢ ઈચ્છાશક્તિ અને દરેક વિપરિત પરિસ્થિતિ સામે લડીને આગળ વધવાની ધગશ બધાં દેશવાસીઓને પ્રેરિત કરનારી છે. આ જ રીતે આર્જેન્ટિનામાં થયેલી સમર યૂથ ઑલિમ્પિક્સ 2018ના વિજેતાઓને મળવાની તક મળી. તમને એ જાણીને પ્રસન્નતા થશે કે યૂથ ઑલિમ્પિક્સ 2018માં આપણા યુવાનોએ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ આયોજનમાં આપણે 13 ચંદ્રકો ઉપરાંત mix eventsમાં 3 બીજા ચંદ્રકો પણ મેળવ્યા. તમને યાદ હશે કે આ વખતે એશિયાઈ રમતોમાં પણ ભારતનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું. જુઓ, છેલ્લી કેટલીક મિનિટોમાં મેં કેટલી વાર, અત્યાર સુધીનું શ્રેષ્ઠ, અત્યાર સુધીનું સૌથી શાનદાર એવા શબ્દોનો પ્રયોગ કર્યો. આ છે આજની ભારતીય રમતોની કહાણી જે દિવસે ને દિવસે નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. ભારત માત્ર રમતોમાં જ નહીં, પરંતુ એ ક્ષેત્રોમાં પણ નવા વિક્રમો બનાવી રહ્યું છે જેના વિશે ક્યારેય વિચારાયું પણ નહોતું. ઉદાહરણ માટે હું તમને પેરા ઍથ્લીટ નારાયણ ઠાકુર વિશે જણાવવા માગું છું જેમણે 2018ની એશિયન પેરા ગૅમ્સમાં દેશ માટે એથ્લેટિક્સમાં ગૉલ્ડ મેડલ જીત્યો છે. તે જન્મથી જ દિવ્યાંગ છે. જ્યારે તેઓ આઠ વર્ષના થયા તેમણે પોતાના પિતાને ગુમાવી દીધા. પછી આગામી આઠ વર્ષ તેમણે એક અનાથાલયમાં વિતાવ્યાં. અનાથાલય છોડ્યા પછી જિંદગીની ગાડી ચલાવવા માટે DTCની બસોને સાફ કરવા અને દિલ્હીમાં રસ્તાના કિનારે ઢાબામાં વેઇટર તરીકે કામ કર્યું. આજે તે જ નારાયણ international eventsમાં ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતી રહ્યા છે. એટલું જ નહીં, ભારતની રમતોમાં ઉત્કૃષ્ટતાના વધતા દાયરાને જુઓ, ભારતે જુડોમાં ક્યારેય પણ, પછી તે સિનિયર લેવલ હોય કે જુનિયર લેવલ, કોઈ પણ ઑલિમ્પિક મેડલ જીત્યો નથી. પરંતુ તબાબી દેવીએ youth olympicsમાં જુડોમાં રજત ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જી દીધો. 16 વર્ષની યુવા ખેલાડી તબાબી દેવી મણિપુરના એક ગામની રહેવાસી છે. તેમના પિતા એક મજૂર છે જ્યારે માતા માછલી વેચવાનું કામ કરે છે. તેમના પરિવાર સામે અનેક વાર એવો સમય પણ આવ્યો જ્યારે તેમની પાસે ભોજનના પૈસા પણ ન હોય. આવી પરિસ્થિતિઓમાં પણ તબાબી દેવીની હિંમત ડગી નહીં. અને તેમણે દેશ માટે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. આવી તો અગણિત કથાઓ છે. દરેક જીવન પ્રેરણાસ્રોત છે. દરેક યુવા ખેલાડી, તેમની ધગશ New Indiaની ઓળખ છે.
મારા પ્રિય દેશવાસીઓ, તમને બધાને યાદ હશે કે આપણે 2017માં Fifa Under 17 World Cupનું સફળ આયોજન કર્યું હતું. સમગ્ર વિશ્વએ ખૂબ જ સફળ ટુર્નામેન્ટ તરીકે તેની પ્રશંસા પણ કરી હતી. Fifa Under 17 World Cupમાં દર્શકોની સંખ્યાની બાબતમાં પણ એક નવો કીર્તિમાન રચાયો હતો. દેશના અલગ-અલગ સ્ટેડિયમમાં 12 લાખથી વધુ લોકોએ ફૂટબૉલ મેચોનો આનંદ લીધો અને યુવા ખેલાડીઓની હિંમત વધારી. આ વર્ષે ભારતને ભુવનેશ્વરમાં પુરુષ હૉકી વિશ્વ કપ 2018ના આયોજનનું સૌભાગ્ય મળ્યું છે. હૉકી વિશ્વ કપ 28 નવેમ્બરથી પ્રારંભ થઈને 16 ડિસેમ્બર સુધી ચાલશે. દરેક ભારતીય ચાહે તે કોઈ પણ રમત રમતો હોય કે કોઈ પણ ખેલમાં તેની રૂચિ હોય, તેના મનમાં હૉકી પ્રત્યે એક લગાવ અવશ્ય હોય છે. ભારતનો હૉકીમાં એક સ્વર્ણિમ ઇતિહાસ રહ્યો છે. ભૂતકાળમાં ભારતને અનેક પ્રતિયોગિતાઓમાં સુવર્ણ ચંદ્રકો મળ્યા છે અને એક વાર વિશ્વ કપ વિજેતા પણ રહ્યું છે. ભારતે હૉકીને અનેક મહાન ખેલાડીઓ પણ આપ્યા છે. વિશ્વમાં જ્યારે પણ હૉકીની ચર્ચા થશે તો ભારતના આ મહાન ખેલાડીઓ વિના હૉકીની કહાણી અધૂરી રહેશે. હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદથી તો આખી દુનિયા પરિચિત છે. તેમના પછી બલવિંદરસિંહ સિનિયર, લેસ્લી ક્લૉડિયસ, મોહમ્મદ શાહિદ, ઉધમસિંહથી લઈને ધનરાજ પિલ્લઈ સુધી હૉકીએ એક મોટી મજલ કાપી છે. આજે પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પોતાના પરિશ્રમ અને લગનના કારણે મળી રહેલી સફળતાથી હૉકીની નવી પેઢીને પ્રેરિત કરી રહ્યા છે. ખેલ પ્રેમીઓ માટે રોમાંચક મેચોને જોવાની એક સારી તક છે. ભુવનેશ્વર જાવ અને ન માત્ર ભારતીય ટીમનો ઉત્સાહ વધારો પરંતુ બધી ટીમોને પ્રોત્સાહિત કરો. ઓડિશા એક એવું રાજ્ય છે જેનો પોતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે, સમૃદ્ધ, સાંસ્કૃતિક વારસો છે અને ત્યાંના લોકો પણ ઉષ્માસભર હોય છે. ખેલ પ્રેમીઓ માટે આ ઓડિશાદર્શનનો પણ ઘણો મોટો અવસર છે આ દરમ્યાન રમતનો આનંદ ઉઠાવવાની સાથે તમે કોર્ણાકનું સૂર્ય મંદિર, પુરીમાં ભગવાન જગન્નાથ મંદિર અને ચિલ્કા લૅક સહિત અનેક વિશ્વપ્રસિદ્ધ દર્શનીય અને પવિત્ર સ્થળો પણ જરૂર જોઈ શકો છો. હું આ પ્રતિયોગિતા માટે ભારતીય પુરુષ હૉકી ટીમને શુભકામનાઓ પાઠવું છું અને તેમને વિશ્વાસ અપાવું છું કે સવા સો કરોડ ભારતીય તેમની સાથે અને તેમના સમર્થનમાં ઊભા છે અને ભારત આવનારી વિશ્વની બધી ટીમોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, સામાજિક કાર્ય માટે જે રીતે લોકો આગળ આવી રહ્યા છે, તે માટે સ્વયંસેવક બની રહ્યા છે, તે બધાં દેશવાસીઓ માટે પ્રેરણાદાયક છે, જોશ ભરનારું છે. આમ પણ સેવા પરમો ધર્મઃ તે ભારતનો વારસો છે. સદીઓ જૂની આપણી પરંપરા છે અને સમાજનાં દરેક ખૂણામાં, દરેક ક્ષેત્રમાં તેની સુગંધ આજે પણ આપણે અનુભવતા હોઈએ છીએ. પરંતુ નવા યુગમાં, નવી રીતે, નવી પેઢી, નવા ઉમંગથી, નવા ઉત્સાહથી, નવાં સપનાં લઈને આ કામોને કરવા માટે આજે આગળ આવી રહી છે. ગત દિવસો હું એક કાર્યક્રમમાં ગયો હતો જ્યાં એક પૉર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું, જેનું નામ છે- ‘Self 4 Society’. MyGov અને દેશની આઈ.ટી. અને ઇલેક્ટ્રૉનિક્સ ઇન્ડસ્ટ્રીએ પોતાના કર્મચારીઓને સામાજિક પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવા અને તેમને તેના અવસરો ઉપલબ્ધ કરવા માટે આ પૉર્ટલને લૉન્ચ કર્યું છે. આ કાર્ય માટે તેમનામાં જે ઉત્સાહ અને લગન છે તેને જોઈને દરેક ભારતીયને ગર્વ અનુભવાશે. IT to Society, મૈં નહીં હમ, અહમ્ નહીં વયમ્, સ્વથી સમષ્ટિ સુધીની યાત્રાની તેમાં સુગંધ છે. કોઈ બાળકોને ભણાવી રહ્યું છે તો કોઈ વૃદ્ધોને ભણાવી રહ્યું છે. કોઈ સ્વચ્છતામાં જોડાયેલું છે તો કોઈ ખેડૂતોની મદદ કરી રહ્યું છે અને તે બધું કરવા પાછળ કોઈ લાલસા નથી, પરંતુ તેમાં સમર્પણ અને સંકલ્પનો નિઃસ્વાર્થ ભાવ છે. એક યુવા તો દિવ્યાંગોની “વ્હીલચૅર બાસ્કેટબૉલ ટીમ” ની મદદ માટે પોતે વ્હીલચૅર બાસ્કેટબૉલ શીખ્યો. આ જે ધગશ છે, આ જે સમર્પણ છે- આ મિશન સાથે ચાલતી પ્રવૃત્તિ છે. શું કોઈ હિન્દુસ્તાનીને આ વાતનો ગર્વ નહીં થાય? જરૂર થશે. ‘મૈં નહીં હમ’ની આ ભાવના આપણને બધાંને પ્રેરિત કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે જ્યારે હું ‘મન કી બાત’ માટે તમારાં સૂચનો જોઈ રહ્યો હતો તો મને પુડુચેરીથી શ્રી મનીષ મહાપાત્રની એક ખૂબ જ રોચક ટીપ્પણી જોવા મળી. તેમણે MyGov પર લખ્યું છે- ‘કૃપા કરીને તમે ‘મન કી બાત’માં એ વિશે વાત કરો કે કેવી રીતે ભારતની જનજાતિઓનાં રીતિરિવાજો અને પરંપરાઓ પ્રકૃતિની સાથે સહઅસ્તિત્વનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. ટકાઉ વિકાસ માટે કેવી રીતે તેમની પરંપરાઓને આપણે આપણા જીવનમાં અપનાવવાની આવશ્યકતા છે, તેમનામાંથી કંઈક શીખવાની જરૂર છે.’ મનીષજી- આ વિષયને ‘મન કી બાત’ના શ્રોતાઓ વચ્ચે રાખવા માટે હું તમારી પ્રશંસા કરું છું. આ એક એવો વિષય છે જે આપણને આપણા ગૌરવપૂર્ણ અતીત અને સંસ્કૃતિની તરફ જોવા માટે પ્રેરિત કરે છે. આજે સમગ્ર વિશ્વ વિશેષ રૂપે પશ્ચિમના દેશો પર્યાવરણ સંરક્ષણની ચર્ચા કરી રહ્યા છે અને સંતુલિત જીવનશૈલી- Balanced life માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે. આમ તો, આપણું ભારત વર્ષ પણ આ સમસ્યાથી મુક્ત નથી, પરંતુ તેના હલ માટે આપણે બસ, આપણી અંદર ડોકિયું કરવાનું છે, આપણા સમૃદ્ધ ઇતિહાસ અને પરંપરાઓને જોવાની છે, અને ખાસ કરીને આપણા જનજાતીય સમુદાયોની જીવનશૈલીને સમજવાની છે. પ્રકૃતિની સાથે સામંજસ્ય બનાવીને રહેવું આપણા આદિવાસી સમુદાયોની સંસ્કૃતિમાં સામેલ રહ્યું છે. આપણાં આદિવાસી ભાઈઓ-બહેનો વૃક્ષો-છોડવાઓ અને ફૂલોની પૂજા દેવી-દેવતાઓની જેમ કરે છે. મધ્ય ભારતની ભીલ જનજાતિમાં વિશેષ કરીને, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના લોકો પીપળો અને અર્જુન જેવાં વૃક્ષોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. રાજસ્થાન જેવી મરુભૂમિમાં બિશ્નોઈ સમાજે પર્યાવરણ સંરક્ષણનો રસ્તો આપણને દેખાડ્યો છે. ખાસ કરીને વૃક્ષોનાં સંરક્ષણના સંદર્ભમાં તેમને પોતાના જીવનનો ત્યાગ કરવો સ્વીકાર્ય છે પરંતુ એક પણ ઝાડને નુકસાન થાય તે તેમને મંજૂર નથી. અરુણાચલના મિશમી, વાઘોની સાથે પોતાનો સંબંધ હોવાનો દાવો કરે છે. તેમને તેઓ પોતાનાં ભાઈબહેન સુદ્ધાં માને છે. નાગાલેન્ડમાં પણ વાઘને વનના રક્ષકના રૂપમાં જોવામાં આવે છે. મહારાષ્ટ્રમાં વારલી સમુદાયના લોકો વાઘને અતિથિ માને છે. તેમના માટે વાઘની હાજરી સમૃદ્ધિ લાવનાર હોય છે. મધ્ય ભારતમાં કોલ સમુદાય માં એક માન્યતા છે કે તેમનું પોતાનું ભાગ્ય વાઘ સાથે જોડાયેલું છે. જો વાઘને ભોજન ન મળ્યું તો ગામને પણ ભૂખ્યા રહેવું પડશે- તેવી તેમની શ્રદ્ધા છે. મધ્ય ભારતની ગોંડ જનજાતિ સંવનનની ઋતુમાં કેથન નદીના કેટલાક હિસ્સાઓમાં માછલી પકડવાનું બંધ કરી દે છે. આ ક્ષેત્રોને તેઓ માછલીઓનું આશ્રયસ્થાન માને છે. આ પ્રથાના કારણે જ તેમને સ્વસ્થ અને ભરપૂર માત્રામાં માછલીઓ મળે છે. આદિવાસી સમુદાય પોતાનાં ઘરોને કુદરતી સામગ્રીથી બનાવે છે. તે મજબૂત હોવાની સાથેસાથે પર્યાવરણને અનુકૂળ પણ હોય છે. દક્ષિણ ભારતના નીલગિરી પઠારનાં એકાંત ક્ષેત્રોમાં એક નાનકડો વિચરતો સમુદાય-તોડા, પારંપરિક રીતે તેમની વસાહતો સ્થાનિક સ્તર પર ઉપલબ્ધ ચીજોથી જ બનેલી હોય છે.
મારા પ્રિય ભાઈઓ-બહેનો, એ સત્ય છે કે આદિવાસી સમુદાય ખૂબ જ શાંતિપૂર્ણ અને પરસ્પર મેળાપની સાથે રહેવામાં વિશ્વાસ રાખે છે, પરંતુ જ્યારે કોઈ તેમનાં પ્રાકૃતિક સંસાધનોને નુકસાન કરી રહ્યું હોય તો તેઓ પોતાના અધિકારો માટે લડવાથી ડરતા પણ નથી. એ આશ્ચર્યની વાત નથી કે આપણા સૌથી પહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓમાં આદિવાસી સમુદાયના લોકો જ હતા. ભગવાન બિરસા મુંડાને કોણ ભૂલી શકે છે જેમણે પોતાની વન્ય ભૂમિની રક્ષા માટે બ્રિટિશ શાસન સામે કઠોર સંઘર્ષ કર્યો. મેં જે પણ વાત કહી છે તેની સૂચિ ઘણી લાંબી છે. આદિવાસી સમુદાયના આવાં ઘણાં ઉદાહરણો છે જે આપણને શીખવાડે છે કે પ્રકૃતિની સાથે સામંજસ્ય બનાવીને કેવી રીતે રહેવાય અને આજે આપણી પાસે જંગલોની જે સંપદા બચી છે તેના માટે દેશ આપણા આદિવાસીઓનો ઋણી છે. આવો! આપણે તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એ વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશે વાત કરીએ છીએ જે સમાજ માટે કંઈક અસાધારણ કાર્ય કરી રહ્યા છે. એવાં કાર્યો જે પહેલી નજરે તો સાધારણ લાગે છે પરંતુ વાસ્તવમાં તેમનો આપણી માનસિકતા બદલવામાં, સમાજની દિશા બદલવામાં ગાઢ પ્રભાવ પડે છે. કેટલાક દિવસો પહેલાં હું પંજાબના ખેડૂત ભાઈ ગુરુબચનસિંહજી વિશે વાંચી રહ્યો હતો. એક સામાન્ય અને મહેનતુ ખેડૂત ગુરુબચનસિંહજીના દિકરાનાં લગ્ન હતાં. આ લગ્ન પહેલાં ગુરુબચનજીએ વેવાઈને કહ્યું હતું કે આપણે સાદગીથી લગ્ન કરીશું. જાન હોય, બીજી ચીજો હોય, કોઈ ઝાઝો ખર્ચો કરવાની જરૂર નથી. આપણે તેને બહુ જ સાદો પ્રસંગ રાખવો છે, પછી અચાનક તેમણે કહ્યું, પરંતુ મારી એક શરત છે અને આજકાલ જ્યારે લગ્નમાં શરતની વાત આવે છે તો સામાન્ય રીતે એવું જ લાગે કે સામેવાળા કોઈ મોટી માગણી કરવાના છે. કેટલીક એવી ચીજો માગશે જે કદાચ દીકરીના પરિવારજનો માટે આપવી મુશ્કેલ બને, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભાઈ ગુરુબચનસિંહ હતા સીધાસાદા ખેડૂત, તેમણે વેવાઈને જે કહ્યું, જે શરત રાખી, તે આપણા સમાજની સાચી તાકાત છે. ગુરુબચનસિંહજીએ તેમને કહ્યું કે તમે મને વચન આપો કે હવે તમે ખેતમાં પરાળ નહીં બાળો. તમે વિચારી શકો છો કે કેટલી મોટી સામાજિક તાકાત છે આમાં. ગુરુબચનસિંહજીની આ વાત લાગે છે તો ઘણી મામૂલી પરંતુ તે બતાવે છે કે તેમનું વ્યક્તિત્વ કેટલું વિશાળ છે અને આપણે જોયું છે કે આપણા સમાજમાં આવા ઘણા પરિવારો હોય છે જે વ્યક્તિગત પ્રસંગને સમાજહિતના પ્રસંગમાં પરિવર્તિત કરી નાખે છે. શ્રીમાન ગુરુબચનસિંહના પરિવારે આવું જ એક ઉદાહરણ આપણી સામે બેસાડ્યું છે. મેં પંજાબના એક અન્ય ગામ કલ્લર માજરા વિશે વાંચ્યું છે જે નાભા પાસે છે. કલ્લર માજરા એટલા માટે ચર્ચિત બન્યું છે કારણકે ત્યાંના લોકો ધાનનો પરાળ સળગાવાના બદલે તેને જોતરીને તેને માટીમાં ભેળવી દે છે. તે માટે જે ટૅક્નૉલૉજી ઉપયોગમાં લાવવી પડે તેનો તેઓ જરૂર થી ઉપયોગ કરે છે. ભાઈ ગુરુબચનસિંહજીને અભિનંદન. કલ્લર માજરા અને તે બધી જગ્યાઓના લોકોને અભિનંદન જે વાતાવરણને સ્વચ્છ રાખવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. તમે બધાં સ્વસ્થ જીવનશૈલીના ભારતીય વારસાને એક સાચા ઉત્તરાધિકારી તરીકે આગળ વધારી રહ્યા છો. જે રીતે ટીપેટીપે સરોવર બને છે તેવી જ રીતે નાનીનાની જાગૃતિ અને સક્રિયતા અને સકારાત્મક કાર્ય હંમેશાં સકારાત્મક વાતાવરણ બનાવવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા ગ્રંથોમાં કહેવાયું છેઃ-
ॐ द्यौः शान्तिः अन्तरिक्षं शान्तिः,
पृथिवी शान्तिः आपः शान्तिः औषधयः शान्तिः |
वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः ब्रह्म शान्तिः,
सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ||
ॐ शान्ति: शान्ति: शान्ति: ||
તેનો અર્થ છે, હે ઈશ્વર, ત્રણેય લોકમાં બધી બાજુ શાંતિનો વાસ હોય, જળમાં, પૃથ્વીમાં, આકાશમાં, અંતરિક્ષમાં, અગ્નિમાં, પવનમાં, ઔષધિમાં, વનસ્પતિમાં, ઉપવનમાં, અવચેતનમાં, સંપૂર્ણ બ્રહ્માંડમાં શાંતિ સ્થાપિત કરો. જીવમાત્રમાં, હૃદયમાં, મારામાં, તારામાં, જગતના કણ-કણમાં, દરેક જગ્યાએ શાંતિ સ્થાપિત કરો.
ॐ शान्ति: शान्ति: शान्ति: ||
જ્યારે પણ વિશ્વ શાંતિની વાત થાય છે તો તેના માટે ભારતનું નામ અને યોગદાન સ્વર્ણ અક્ષરોમાં અંકિત દેખાશે. ભારત માટે આ વર્ષે 11 નવેમ્બરનું વિશેષ મહત્ત્વ છે કારણકે 11 નવેમ્બરે આજથી 100 વર્ષ પૂર્વે પ્રથમ વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું, તે સમાપ્તિને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે અર્થાત્ તે દરમિયાન થયેલા ભારે વિનાશ અને જાનહાનિની સમાપ્તિની પણ એક સદી પૂર્ણ થઈ જશે. ભારત માટે પ્રથમ વિશ્વ યુદ્ધ એક મહત્ત્વપૂર્ણ ઘટના હતી. સાચા અર્થમાં કહેવામાં આવે તો આપણને તે યુદ્ધ સાથે સીધી રીતે કોઈ લેવાદેવા નહોતી. તેમ છતાં પણ આપણા સૈનિકો બહાદુરીથી લડ્યા અને બહુ મોટી ભૂમિકા નિભાવી, સર્વોચ્ચ બલિદાન આપ્યું. ભારતીય સૈનિકોએ દુનિયાને દેખાડ્યું કે જ્યારે યુદ્ધની વાત આવે છે તો તે કોઈનાથી પાછળ નથી. આપણા સૈનિકોએ દુર્ગમ ક્ષેત્રોમાં, વિષમ પરિસ્થિતિઓમાં પણ પોતાનું શૌર્ય દેખાડ્યું છે. તે બધાંની પાછળ એક જ ઉદ્દેશ્ય રહ્યો- શાંતિની પુનઃસ્થાપના. પ્રથમ વિશ્વ યુદ્ધમાં દુનિયાએ વિનાશનું તાંડવ જોયું. અનુમાનો મુજબ, લગભગ 1 કરોડ સૈનિક અને લગભગ એટલા જ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તેનાથી સમગ્ર વિશ્વએ શાંતિનું મહત્ત્વ શું હોય છે તે સમજ્યું. છેલ્લાં 100 વર્ષોમાં શાંતિની પરિભાષા બદલાઈ ગઈ છે. આજે શાંતિ અને સૌહાર્દનો અર્થ માત્ર યુદ્ધ ન થવું તેવો નથી. ત્રાસવાદથી માંડીને ર્યાવરણમાં પરિવર્તન, આર્થિક વિકાસથી માંડીને સામાજિક ન્યાય, તે બધા માટે વૈશ્વિક સહયોગ અને સમન્વયની સાથે કામ કરવાની આવશ્યકતા છે. ગરીબમાં ગરીબ વ્યક્તિનો વિકાસ જ શાંતિનું સાચું પ્રતીક છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા ઈશાન ભારતની વાત જ કંઈક ઓર છે. પૂર્વોત્તરનું પ્રાકૃતિક સૌંદર્ય અનુપમ છે અને ત્યાંના લોકો અત્યંત પ્રતિભાશાળી છે. આપણું ઈશાન ભારત હવે તેનાં તમામ શ્રેષ્ઠ કાર્યો માટે પણ જાણીતું છે. ઈશાન ભારત એક એવું ક્ષેત્ર છે જેણે જૈવિક ખેતીમાં પણ બહુ મોટી પ્રગતિ કરી છે. કેટલાક દિવસો પહેલાં સિક્કિમે ટકાઉ ખાદ્ય પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિષ્ઠિત ફ્યુચર પૉલિસી ગૉલ્ડ એવૉર્ડ 2018 જીત્યો છે. આ એવૉર્ડ સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા F.A.O. એટલે કે Food and Agriculture Organisation તરફથી આપવામાં આવે છે. તમને જાણીને પ્રસન્નતા થશે કે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ નીતિ નિર્ધારણ માટે આપવામાં આવતો આ પુરસ્કાર તે ક્ષેત્રમાં ઓસ્કાર સમાન છે. એટલું જ નહીં, આપણા સિક્કિમે 25 દેશોની 51 નામાંકિત નીતિઓને પાછળ છોડીને આ એવૉર્ડ જીત્યો, તે માટે હું સિક્કિમના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ઓક્ટોબર સમાપ્ત થવા પર છે. ઋતુમાં પણ ઘણું પરિવર્તન અનુભવાઈ રહ્યું છે. હવે ઠંડીના દિવસો શરૂ થઈ ચૂક્યા છે અને મોસમ બદલવાની સાથોસાથ તહેવારોની મોસમ પણ આવી ગઈ છે. ધનતેરસ, દિવાળી, ભાઈબીજ, છઠ... એક રીતે કહેવાય કે નવેમ્બરનો મહિનો તહેવારોનો જ મહિનો છે. બધાં દેશવાસીઓને આ બધા તહેવારોની ઘણી ઘણી શુભકામનાઓ.
હું તમને સહુને અનુરોધ કરીશ કે આ તહેવારોમાં પોતાનું પણ ધ્યાન રાખો, પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો અને સમાજનાં હિતોનું પણ ધ્યાન રાખો. મને વિશ્વાસ છે કે આ તહેવારો નવા સંકલ્પનો અવસર છે. આ તહેવારો નવા નિર્ણયોનો અવસર છે. આ તહેવાર એક મિશન રૂપે આગળ વધવાનો, દૃઢ સંકલ્પ લેવાનો તમારા જીવનમાં પણ અવસર બની જાય. તમારી પ્રગતિ દેશની પ્રગતિનો એક મુખ્ય હિસ્સો છે. તમારી જેટલી પ્રગતિ થશે તેટલી જ દેશની પ્રગતિ થશે. મારી તમને સહુને ઘણીઘણી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેને આપણા સશસ્ત્ર દળો પર, આપણી સેનાના જવાનો પર ગર્વ ન હોય. પ્રત્યેક ભારતીય, ચાહે તે કોઈ પણ ક્ષેત્ર, જાતિ, ધર્મ, પંથ કે ભાષાનો કેમ ન હોય- આપણા સૈનિકો પ્રત્યે પોતાની ખુશી અભિવ્યક્ત કરવા અને સમર્થન દેખાડવા માટે હંમેશાં તત્પર રહે છે. ગઇકાલે ભારતના સવા સો કરોડ દેશવાસીઓએ “પરાક્રમ પર્વ” મનાવ્યું હતું. આપણે 2016માં થયેલી, તે સર્જિકલ સ્ટ્રાઇકને યાદ કરી, જ્યારે આપણા સૈનિકોએ આપણા રાષ્ટ્ર પર ત્રાસવાદની આડમાં પ્રૉક્સી વૉરની ધૃષ્ટતા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. દેશમાં અલગ-અલગ સ્થાનો પર આપણાં સશસ્ત્ર દળોએ પ્રદર્શનો આયોજિત કર્યાં જેથી દેશના વધુમાં વધુ નાગરિકો, ખાસ કરીને યુવા પેઢી એ જાણી શકે કે આપણી તાકાત શું છે, આપણે કેટલા સક્ષમ છીએ અને આપણા સૈનિકો કેવી રીતે પોતાનો જાન જોખમમાં મૂકીને આપણા દેશવાસીઓની રક્ષા કરે છે. પરાક્રમ પર્વ જેવો દિવસ યુવાઓને આપણી સશસ્ત્ર સેનાના ગૌરવપૂર્ણ વારસાની યાદ અપાવે છે. અને દેશની એકતા અને અખંડતા સુનિશ્ચિત કરવા માટે આપણને પ્રેરિત કરે છે. મેં પણ વીરોની ભૂમિ રાજસ્થાનના જોધપુરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો, હવે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે કે આપણા સૈનિકો એ બધાને જડબાતોડ જવાબ આપશે જે આપણા રાષ્ટ્રમાં, શાંતિ અને ઉન્નતિના વાતાવરણને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે. આપણે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ અને તેને ઉત્તેજન આપવા માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ સન્માન સાથે સમજૂતી કરીને અને તે પણ રાષ્ટ્રની સંપ્રભુતાની કિંમત પર, તો બિલકુલ નહીં. ભારત હંમેશાં શાંતિ પ્રત્યે વચનબદ્ધ અને સમર્પિત રહ્યો છે. 20મી સદીમાં બે વિશ્વયુદ્ધોમાં આપણા એક લાખથી વધુ સૈનિકોએ શાંતિ પ્રત્યે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું અને તે ત્યારે, જ્યારે આપણો તે યુદ્ધ સાથે કોઈ સંબંધ નહોતો. આપણી નજર ક્યારેય બીજી કોઈ ધરતી પર ક્યારેય નહોતી. તે તો શાંતિ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા હતી. કેટલાક દિવસ પહેલાં જ 23 સપ્ટેમ્બરે આપણે ઇઝરાયેલમાં હૈફા (Haifa)ની લડાઈનાં સો વર્ષ પૂરાં થવાં પર મૈસૂર, હૈદરાબાદ અને જોધપુર લેન્સર્સ (Lanceras)ના આપણા વીર સૈનિકોને યાદ કર્યા જેમણે આક્રાંતાઓથી હૈફાને મુક્તિ અપાવી હતી. તે પણ શાંતિની દિશામાં આપણા સૈનિકો દ્વારા કરવામાં આવેલું એક પરાક્રમ હતું. આજે પણ સંયુક્ત રાષ્ટ્રોના અલગ-અલગ શાંતિ રક્ષક દળોમાં ભારત સૌથી વધુ સૈનિકો મોકલનારા દેશોમાંથી એક છે. દાયકાઓથી આપણા બહાદુર સૈનિકોએ બ્લ્યુ હૅલ્મેટ પહેરીને વિશ્વમાં શાંતિ જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
મારા પ્રિય દેશવાસીઓ, આકાશની વાતો તો નિરાળી હોય જ છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી કે આકાશમાં પોતાની શક્તિનો પરિચય આપીને ભારતીય વાયુ સેનાએ દરેક દેશવાસીનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આપણને સુરક્ષાની અનુભૂતિ કરાવી છે. ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન લોકોને પરેડના જે હિસ્સાની ખૂબ જ આતુરતાથી રાહ હોય છે તેમાંની એક છે, “ફ્લાય પાસ્ટ” (Fly Past) જેમાં આપણી વાયુ સેના અજબગજબ કારનામાંઓની સાથે પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. 8 ઑક્ટોબરે આપણે ‘વાયુ સેના દિવસ’ મનાવીએ છીએ. 1932માં 6 પાઇલૉટ અને 19 વાયુ સૈનિકોની સાથે એક નાનકડી શરૂઆતથી આગળ વધતાં આપણી વાયુ સેના આજે 21મી સદીની સૌથી સાહસિક અને શક્તિશાળી વાયુ સેનામાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. તે પોતાની રીતે એક યાદગાર યાત્રા છે. દેશ માટે પોતાની સેવા આપનારા બધા હવાઈ યૌદ્ધાઓ (Air Warriors) અને તેમના પરિવારને હું અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. 1947માં જ્યારે પાકિસ્તાનના હુમલાખોરોએ એક અભૂતપૂર્વ હુમલો શરૂ કર્યો તો તે વખતે વાયુ સેના જ હતી જેણે શ્રીનગરને હુમલાખોરોથી બચાવવા માટે તે સુનિશ્ચિત કર્યું કે ભારતીય સૈનિક અને ઉપકરણ યુદ્ધના મેદાન સુધી સમયસર પહોંચી જાય. વાયુ સેનાએ 1965માં પણ દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો હતો. 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતાની લડાઈ કોણ નથી જાણતું? 1999માં કારગિલને ઘૂસણખોરોના કબજાથી મુક્ત કરાવવામાં વાયુ સેનાની પણ ભૂમિકા મહત્ત્વની રહી છે. ટાઇગર હિલમાં દુશ્મનોનાં સ્થાનો પર રાતદિવસ બૉમ્બમારો કરીને વાયુ સેનાએ તેમને ધૂળ ચાટતા કરી દીધા. રાહત અને બચાવ કાર્ય હોય કે પછી આપત્તિ પ્રબંધન, આપણા હવાઈ યૌદ્ધાઓના પ્રશંસનીય કાર્ય માટે દેશ તેમના પ્રતિ કૃતજ્ઞ છે. તોફાન, વાવાઝોડું, પૂરથી લઈને જંગલની આગ સુધી પ્રાકૃતિક આપત્તિઓનો સામનો કરવા માટે અને દેશવાસીઓની મદદ કરવા માટે તેમનું મનોબળ અદભૂત રહ્યું છે. દેશમાં gender equality એટલે કે સ્ત્રી-પુરુષની સમાનતા સુનિશ્ચિત કરવામાં વાયુ સેનાએ ઉદાહરણ સ્થાપ્યું છે અને પોતાના પ્રત્યેક વિભાગનાં દ્વાર દેશની દીકરીઓ માટે ખોલી દીધાં છે. હવે તો વાયુ સેના મહિલાઓને શૉર્ટ સર્વિસ કમિશનની સાથે પરમેનન્ટ કમિશનનો વિકલ્પ પણ આપી રહી છે જેની ઘોષણા આ વર્ષે 15 ઑગસ્ટે મેં લાલ કિલ્લા પરથી કરી હતી. ભારત ગર્વથી કહી શકે છે કે ભારતની સેનામાં સશસ્ત્ર દળોમાં પુરુષ શક્તિ જ નહીં, સ્ત્રીશક્તિનું પણ એટલું જ યોગદાન બનતું જઈ રહ્યું છે. નારી સશક્ત તો છે જ, પરંતુ હવે સશસ્ત્ર પણ બની રહી છે.
મારા પ્રિય દેશવાસીઓ, ગત દિવસો નૌ સેનાના આપણા એક અધિકારી અભિલાષ ટૉમી પોતાના જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા હતા. સમગ્ર દેશ ચિંતિત હતો કે ટૉમીને કેવી રીતે બચાવી શકાય. તમને ખબર છે કે અભિલાષ ટૉમી એક ખૂબ જ સાહસી-વીર અધિકારી છે. તેઓ એકલા જ કોઈ પણ આધુનિક ટૅક્નૉલૉજી વગર એક નાનકડી હોડી લઈને વિશ્વ ભ્રમણ કરનારા પહેલા ભારતીય હતા. ગત 80 દિવસોથી, તેઓ દક્ષિણ હિન્દ મહાસાગરમાં ગૉલ્ડન ગ્લૉબ રૅસ (golden globe race)માં ભાગ લેવા માટે સમુદ્રમાં પોતાની ગતિને જાળવી રાખીને આગળ વધી રહ્યા હતા પરંતુ ભયાનક સમુદ્રી તોફાને તેમના માટે મુસીબત પેદા કરી દીધી પરંતુ ભારતની નૌ સેનાના આ વીર, સમુદ્ર વચ્ચે અનેક દિવસો સુધી જઝૂમતા રહ્યા, જંગ કરતા રહ્યા. તેઓ પાણીમાં ખાધાપીધા વગર લડતા રહ્યા. જિંદગીથી હાર ન માની. સાહસ, સંકલ્પશક્તિ, પરાક્રમનું એક અદભૂત ઉદાહરણ બન્યા- કેટલાક દિવસો પહેલાં મેં જ્યારે અભિલાષને સમુદ્રથી બચાવીને બહાર લઈ અવાયા, તો ટેલિફૉન પર તેમની સાથે વાત કરી. હું પહેલાં પણ ટૉમીને મળી ચૂક્યો હતો. આટલા સંકટથી બહાર આવ્યા પછી પણ તેમની જે હિંમત હતી, તેમનું દૃઢ મનોબળ હતું અને ફરી એક વાર આવું જ કંઈક પરાક્રમ કરવાનો જે સંકલ્પ તેમણે મને જણાવ્યો તે દેશની યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. હું અભિલાષ ટૉમીના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું અને તેમનું આ સાહસ, તેમનું પરાક્રમ, તેમની સંકલ્પશક્તિ, જઝૂમવાની અને જીતવાની તાકાત આપણા દેશની યુવા પેઢીને જરૂર પ્રેરણા આપશે.
મારા પ્રિય દેશવાસીઓ, 2 ઑક્ટોબરનું આપણા રાષ્ટ્ર માટે શું મહત્વ છે, તે દરેક બાળક પણ જાણે છે. આ વર્ષની 2 ઑક્ટોબરનું એક વિશેષ મહત્ત્વ છે. આજથી બે વર્ષ માટે આપણે મહાત્મા ગાંધીની 150મી જયંતી નિમિત્તે વિશ્વભરમાં અનેક વિવિધ કાર્યક્રમો કરવાના છીએ. મહાત્મા ગાંધીના વિચારોએ પૂરી દુનિયાને પ્રેરિત કર્યા છે. ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર હોય કે પછી નેલ્સન મંડેલા જેવી મહાન વિભૂતિઓ, દરેકે ગાંધીજીના વિચારોમાંથી શક્તિ મેળવી અને પોતાના લોકોને સમાનતા અને સન્માનનો હક અપાવવા માટે તેઓ લાંબી લડાઈ લડી શક્યા. આજની ‘મન કી બાત’માં હું, તમારી સાથે પૂજ્ય બાપુના એક બીજા મહત્ત્વપૂર્ણ કાર્યની ચર્ચા કરવા માગું છું, જેને વધુમાં વધુ દેશવાસીઓએ જાણવું જોઈએ. 1941માં મહાત્મા ગાંધીએ કન્સ્ટ્રક્ટિવ પ્રૉગ્રામ (Constructive Programme) એટલે કે રચનાત્મક કાર્યક્રમના રૂપમાં કેટલાક વિચારોને લખવાનું શરૂ કર્યું. પછી 1945માં જ્યારે સ્વતંત્રતા સંગ્રામે વેગ પકડ્યો ત્યારે તેમણે તે વિચારોની સુધારેલી નકલ તૈયાર કરી. પૂજ્ય બાપુએ ખેડૂતો, ગામડાંઓ, શ્રમિકોના અધિકારોની રક્ષા, સ્વચ્છતા, શિક્ષણનો પ્રસાર જેવા અનેક વિષયો પર પોતાના વિચારોને દેશવાસીઓ સમક્ષ રાખ્યા છે. તેને ગાંધી ચાર્ટર (Gandhi Charter) પણ કહે છે. પૂજ્ય બાપુ લોક સંગ્રાહક હતા. લોકો સાથે જોડાઈ જવું અને તેમને પોતાની સાથે જોડી લેવા તે બાપુની વિશેષતા હતી. તે તેમના સ્વભાવમાં હતું. આ તેમના વ્યક્તિત્વની સૌથી અનોખી વિશેષતાના રૂપમાં દરેકે અનુભવ કર્યો છે. તેમણે પ્રત્યેક વ્યક્તિને એ અનુભવ કરાવ્યો કે તે દેશ માટે સૌથી મહત્ત્વપૂર્ણ અને નિતાંત આવશ્યક છે. સ્વતંત્રતા સંગ્રામમાં તેમનું સૌથી મોટું યોગદાન એ રહ્યું કે તેમણે તેને વ્યાપક જન આંદોલન બનાવી દીધું. સ્વતંત્રતા સંગ્રામના આંદોલનમાં મહાત્મા ગાંધીના આહવાન પર સમાજના દરેક ક્ષેત્ર, દરેક વર્ગના લોકોએ સ્વયંને સમર્પિત કરી દીધા. બાપુએ આપણને બધાને એક પ્રેરણાદાયક મંત્ર આપ્યો હતો જેને ઘણી વાર “ગાંધીજીના તલિસ્માન”ના નામે ઓળખવામાં આવે છે. તેમાં ગાંધીજીએ કહ્યું હતું, “હું તમને એક જન્તર આપું છું, જ્યારે પણ તમને સંદેહ હોય કે તમારો અહં તમારા પર સવાર થવા લાગે તો આ કસોટી અજમાવો, જે સૌથી ગરીબ અને નબળો માણસ તમે જોયો હોય તેનો ચહેરો યાદ કરો અને પોતાના હૃદયને પૂછો કે જે પગલું ભરવાનો તમે વિચાર કરી રહ્યા છો તે પગલું તે માણસ માટે કેટલું ઉપયોગી નિવડશે? શું તેનાથી તેને કોઈ લાભ થશે? શું તેનાથી તે પોતાના જ જીવન અને ભાગ્ય પર કંઈક કાબૂ રાખી શકશે? એટલે કે શું તેનાથી તે કરોડો લોકોને સ્વરાજ મળી શકશે જેઓ પેટ ભૂખ્યા છે અને આત્મા અતૃપ્ત છે? ત્યારે તમે જોશો કે તમારો સંદેહ મટી રહ્યો છે અને અહં સમાપ્ત થઈ રહ્યો છે.”
મારા પ્રિય દેશવાસીઓ, ગાંધીજીનો એક જંતર આજે પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે. આજે દેશમાં વધતો મધ્યમ વર્ગ, તેની વધતી જતી આર્થિક શક્તિ, વધતી જતી ખરીદ શક્તિ, શું આપણે કોઈ પણ ખરીદી કરવા જઈએ તો પળ ભર માટે પૂજ્ય બાપુનું સ્મરણ કરી શકીએ? પૂજ્ય બાપુના એ જંતરનું સ્મરણ કરી શકીએ? શું આપણે ખરીદી કરતી વખતે વિચારી શકીએ કે હું જે ચીજ ખરીદી રહ્યો છું કે ખરીદી રહી છું તેનાથી મારા દેશના કયા નાગરિકનું ભલું થશે? કોના ચહેરા પર ખુશી આવશે? કયો ભાગ્યશાળી હશે જેને સીધી કે આડકતરી રીતે તમારી ખરીદીથી લાભ થશે? અને ગરીબથી ગરીબને લાભ થશે તો મારી ખુશી અધિકથી અધિક હશે. ગાંધીજીના આ જંતરને યાદ કરીને આવનારા દિવસોમાં આપણે જ્યારે પણ કંઈક ખરીદીએ, ગાંધીજીની 150મી જયંતીને મનાવીએ છીએ ત્યારે આપણે જરૂર વિચારીએ કે આપણી દરેક ખરીદીથી કોઈ ને કોઈ દેશવાસીનું ભલું જરૂર થાય અને તેમાં પણ જેણે પોતાનો પરસેવો વહાવ્યો છે, જેણે પોતાના પૈસા લગાવ્યા છે, જેણે પોતાની પ્રતિભાને સમર્પિત કરી દીધી છે, તેવા બધાને કોઈ ને કોઈ લાભ થવો જોઈએ. આ જ તો ગાંધીનો જંતર છે, આ જ તો ગાંધીનો સંદેશ છે અને મને વિશ્વાસ છે કે સૌથી ગરીબ અને નબળો માણસ, તેના જીવનમાં તમારું એક નાનકડું પગલું બહુ મોટું પરિણામ લાવી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે ગાંધીજીએ કહ્યું હતું કે સફાઈ કરશો તો સ્વતંત્રતા મળશે ત્યારે તેમને કદાચ એ ખબર નહીં હોય કે તે કેવી રીતે થશે- પરંતુ તે થયું, ભારતને સ્વતંત્રતા મળી. આ જ રીતે આજે આપણને પણ લાગી શકે છે કે મારા આ નાનકડા કાર્યથી પણ મારા દેશની આર્થિક પ્રગતિમાં, આર્થિક સશક્તિકરણમાં, ગરીબને ગરીબી વિરુદ્ધ લડાઈ લડવાની તાકાત દેવામાં મારો બહુ મોટો ફાળો હોઈ શકે છે અને હું માનું છું કે આજના યુગની આ જ સાચી દેશભક્તિ છે, આ જ પૂજ્ય બાપુને કાર્યાંજલી છે. જેમ કે, વિશેષ અવસરો પર ખાદી અને હૅન્ડલૂમનાં ઉત્પાદનો ખરીદવા વિશે વિચારીએ તો તેનાથી અનેક વણકરોને મદદ મળશે. કહે છે કે લાલબહાદુર શાસ્ત્રીજી ખાદીના જૂના કે ફાટેલાં વસ્ત્રોને પણ એટલા માટે સાચવીને રાખતાં હતાં, કારણકે તેમાં કોઈનો પરિશ્રમ છુપાયેલો હોય છે. તેઓ કહેતા હતા કે આ બધાં ખાદીનાં કપડાં ખૂબ જ મહેનતથી બનાવાયેલાં છે- તેનો એક એક તાંતણો કામમાં આવવો જોઈએ. દેશ સાથે લગાવ અને દેશવાસીઓ પ્રત્યે પ્રેમની આ ભાવના નાના કદકાઠીવાળા તે મહામાનવની રગેરગમાં વસેલી હતી. બે દિવસ પછી પૂજ્ય બાપુની સાથે જ આપણે શાસ્ત્રીજીની જયંતી પણ મનાવીશું. શાસ્ત્રીજીનું નામ આવતાં જ આપણે ભારતવાસીઓના મનમાં અસીમ શ્રદ્ધાનો ભાવ ઉમટી આવે છે. તેમનું સૌમ્ય વ્યક્તિત્વ દરેક દેશવાસીઓને હંમેશાં ગર્વથી ભરી દે છે.
લાલબહાદુર શાસ્ત્રીજીની એ વિશેષતા હતી કે બહારથી તેઓ અત્યાધિક વિનમ્ર દેખાતા હતા પરંતુ અંદરથી પહાડની જેમ તેઓ દૃઢ નિશ્ચયી હતા. ‘જય જવાન જય કિસાન’નું તેમનું સૂત્ર તેમના આ વિરાટ વ્યક્તિત્વની ઓળખ છે. રાષ્ટ્ર પ્રત્યે તેમની નિ:સ્વાર્થ તપસ્યાનું જ ફળ હતું કે તેમના દોઢ વર્ષના સંક્ષિપ્ત કાર્યકાળમાં તેઓ દેશના જવાનો અને ખેડૂતોને સફળતાના શિખર પર પહોંચાડવાના મંત્રો આપી ગયા.
મારા પ્રિય દેશવાસીઓ, આજે જ્યારે આપણે પૂજ્ય બાપુનું સ્મરણ કરી રહ્યા છીએ તો બહુ સ્વાભાવિક છે કે સ્વચ્છતાની વાત કર્યા વગર ન રહી શકીએ. 15 સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા જ સેવા’ નામનું એક અભિયાન શરૂ થયું. કરોડો લોકો આ અભિયાન સાથે જોડાયા અને મને પણ સૌભાગ્ય મળ્યું કે હું દિલ્લીની આંબેડકર સ્કૂલમાં બાળકો સાથે સ્વચ્છતા શ્રમદાન કરું. હું તે સ્કૂલમાં ગયો જેનો પાયો સ્વયં પૂજ્ય બાબાસાહેબે નાખ્યો હતો. દેશભરમાં દરેક વર્ગના લોકો આ 15 તારીખે આ શ્રમદાન સાથે જોડાયા. સંસ્થાઓએ પણ તેમાં રંગેચંગે પોતાનું યોગદાન આપ્યું. સ્કૂલના વિદ્યાર્થીઓ, કૉલેજના છાત્રો, એનસીસી(NCC), એનએસએસ(NSS), યુવાં સંગઠનો, Media Groups, કૉર્પોરેટ જગત, બધાએ, બધાએ મોટા સ્તર પર સ્વચ્છતા શ્રમદાન કર્યું. હું તે માટે આ બધા સ્વચ્છતાપ્રેમી દેશવાસીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવો સાંભળીએ એક ફૉન કૉલ-
“નમસ્કાર! મારું નામ શૈતાનસિંહ, જિલ્લો બિકાનેર, તાલુકો – પૂગલ, રાજસ્થાનથી બોલું છું. હું પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છું. મને બંને આંખોથી દેખાતું નથી. હું સંપૂર્ણ અંધ વ્યક્તિ છું તો હું એમ કહેવા માગું છું ‘મન કી બાત’માં, જે સ્વચ્છ ભારતનું મોદીજીએ પગલું ભર્યું હતું તે ઘણું સુંદર છે. અમે અંધજનો શૌચ માટે જવામાં પરેશાન થતા હતા. હવે શું છે કે દરેક ઘરમાં શૌચાલય બની ગયું છે તો અમારો ઘણો સારો ફાયદો થયો છે તેમાં. આ પગલું ઘણું જ સુંદર ઉઠાવ્યું હતું અને આગળ પણ આ કામ ચાલતું રહેવું જોઈએ.”
ખૂબ-ખૂબ ધન્યવાદ! તમે ઘણી મોટી વાત કહી. દરેકના જીવનમાં સ્વચ્છતાનું પોતાનું મહત્ત્વ છે અને ‘સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ તમારા ઘરમાં શૌચાલય બન્યું અને તેનાથી હવે તમને સુવિધા થઈ રહી છે તેનાથી વધુ ખુશીની વાત આપણા બધા માટે બીજી કઈ હોઈ શકે! અને કદાચ આ અભિયાન સાથે જોડાયેલા લોકોને અંદાજ પણ નહીં હોય કે એક પ્રજ્ઞાચક્ષુ હોવાના લીધે તમે જોઈ શકતા નથી, પરંતુ શૌચાલય નહોતું ત્યારે તમારે કેટલી તકલીફો સાથે જીવન ગુજારવું પડતું હશે અને શૌચાલય બન્યા બાદ તમારા માટે તે કેટલું મોટું વરદાન બની ગયું! કદાચ તમે પણ આ પાસાને જોડતી વાત કરવા માટે ફૉન ન કર્યો હોત તો કદાચ સ્વચ્છતાના આ અભિયાન સાથે જોડાયેલા લોકોના ધ્યાનમાં પણ આ સંવેદનશીલ પાસું ન આવત. હું તમારા ફૉન માટે વિશેષ રીતે તમારો ધન્યવાદ કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ‘સ્વચ્છ ભારત મિશન’ માત્ર દેશમાં જ નહીં, પરંતુ પૂરી દુનિયામાં એક સફળ કહાની બની ગયું છે જેના વિશે બધા જ વાતો કરી રહ્યા છે. આ વખતે ભારત ઇતિહાસમાં દુનિયાનું સૌથી મોટું સ્વચ્છતા સંમેલન આયોજિત કરી રહ્યું છે. ‘મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન’ એટલે કે ‘મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શન’ (Mahatma Gandhi International Sanitation Convention) દુનિયાભરના સેનિટેશન મિનિસ્ટર્સ (Sanitation Ministers) અને આ ક્ષેત્રના વિશેષજ્ઞો એક સાથે આવીને સ્વચ્છતા સાથે સંબંધિત પોતાના પ્રયોગો અને અનુભવ જણાવી રહ્યા છે. ‘મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શન’ (Mahatma Gandhi International Sanitation Convention)નું સમાપન 2 ઑક્ટોબર 2018ના રોજ બાપુની 150મી જયંતી સમારોહના શુભારંભ સાથે થશે.
મારા પ્રિય દેશવાસીઓ, સંસ્કૃતની એક ઉક્તિ છે- “न्यायमूलंन्यायमूलं स्वराज्यं स्यात्स्यात्” અર્થાત્ સ્વરાજના મૂળમાં ન્યાય હોય છે. જ્યારે ન્યાયની ચર્ચા થાય છે તો માનવ અધિકારનો ભાવ તેમાં પૂરી રીતે સમાહિત હોય છે. શોષિત, પીડિત અને વંચિતજનોની સ્વતંત્રતા, શાંતિ અને તેમને ન્યાય સુનિશ્ચિત કરાવવા માટે તે વિશેષ રીતે અનિવાર્ય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા અપાયેલા સંવિધાનમાં ગરીબોના મૂળ અધિકારોની રક્ષા માટે અનેક જોગવાઈઓ આપવામાં આવી છે. તેમના જ વિઝન(vision)થી પ્રેરિત થઈને 12 ઑક્ટોબર 1993ના રોજ ‘રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ’ અર્થાત્ (National Human Rights Commission–NHRC)ની રચના કરવામાં આવી હતી. કેટલાક દિવસો પછી NHRCને ૨૫ વર્ષ પૂરાં થવાનાં છે. NHRCએ ન માત્ર માનવ અધિકારોની રક્ષા કરી, પરંતુ માનવીય ગરીમાને પણ વધારવાનું કામ કર્યું છે. આપણા પ્રાણપ્રિય નેતા આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમાન અટલબિહારી વાજપેયીજીએ સ્પષ્ટ રૂપે કહ્યું હતું કે માનવ અધિકાર આપણા માટે કોઈ પારકી અવધારણા નથી. આપણા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રતીક ચિહ્નમાં વૈદિક કાળનું આદર્શ સૂત્ર “न्यायमूसर्वे भवन्तु सुखिनः” અંકિત છે. એનએચઆરસીએ માનવ અધિકારો માટે વ્યાપક જાગૃતિ પેદા કરી છે, સાથે જ તેના દુરુપયોગને રોકવામાં પણ પ્રશંસનીય ભૂમિકા નિભાવી છે. 25 વર્ષની આ યાત્રામાં તેણે દેશવાસીઓમાં એક આશા, એક વિશ્વાસનું વાતાવરણ પેદા કર્યું છે. એક સ્વસ્થ સમાજ માટે, ઉત્તમ લોકતાંત્રિક મૂલ્યો માટે હું સમજું છું કે આ એક બહુ મોટી આશાસ્પદ ઘટના છે. આજે રાષ્ટ્રીય સ્તર પર માનવ અધિકારના કામની સાથે-સાથે 26 રાજ્ય માનવ અધિકાર આયોગની પણ રચના કરવામાં આવી છે. એક સમાજના રૂપમાં આપણે માનવ અધિકારોનું મહત્વ સમજવાની અને આચરણમાં લાવવાની જરૂર છે- તે જ “સૌનો સાથ, સૌનો વિકાસ”નો આધાર છે.
મારા પ્રિય દેશવાસીઓ, ઑક્ટોબર મહિનો હોય, જયપ્રકાશ નારાયણની જન્મજયંતી હોય, રાજમાતા વિજયારાજે સિંધિયાજીની જન્મ શતાબ્દિ વર્ષનો પ્રારંભ હોય- આ બધાં જ મહાપુરુષો આપણને બધાને પ્રેરણા આપતા રહ્યા છે, તેમને આપણે નમન કરીએ છીએ અને 31 ઑક્ટોબરે સરદાર સાહેબની જયંતી છે, હું આગામી ‘મન કી બાત’માં વિસ્તારથી વાત કરીશ, પરંતુ આજે હું જરૂર એટલા માટે ઉલ્લેખ કરવા માગું છું કે કેટલાંક વર્ષોથી સરદાર સાહેબની જન્મજયંતી પર 31 ઑક્ટોબરે ’Run for Unity’ હિન્દુસ્તાનના દરેક નાના-મોટા શહેરમાં, નગરમાં, ગામડામાં, ‘એકતા માટે દોડ’ તેનું આયોજન થાય છે. આ વર્ષે પણ આપણે પ્રયત્નપૂર્વક પોતાના ગામમાં, નગરમાં, શહેરમાં, મહાનગરમાં ’Run for Unity’ને organize કરીએ. ‘એકતા માટે દોડ’ આ જ તો સરદાર સાહેબનું, તેમનું સ્મરણ કરવાનો ઉત્તમ માર્ગ છે કારણકે તેમણે જીવનભર દેશની એકતા માટે કામ કર્યું. હું તમને બધાને અનુરોધ કરું છું કે 31 ઑક્ટોબરે ’Run for Unity’ના દ્વારા સમાજના દરેક વર્ગને, દેશના દરેક એકમને એકતાના સૂત્રમાં બાંધવાના અમારા પ્રયાસોને આપણે બળવત્તર બનાવીએ અને તે જ તેમના માટે સારી શ્રદ્ધાંજલી હશે.
મારા પ્રિય દેશવાસો, નવરાત્રિ હોય, દુર્ગાપૂજા હોય, વિજયાદશમી હોય, આ પવિત્ર પર્વો માટે હું તમને બધાને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ!

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ રક્ષાબંધનનું પર્વ ઉજવી રહ્યું છે. બધા દેશવાસીઓને આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રક્ષાબંધનનું પર્વ બેન અને ભાઇ વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. સદીઓથી આ તહેવાર સામાજિક સૌહાર્દનું પણ એક મોટું ઉદાહરણ રહ્યું છે. દેશના ઇતિહાસમાં એવી અનેક કથાઓ છે. જેમાં એક રાખડીએ બે અલગઅલગ રાજય અથવા ધર્મથી જોડાયેલા લોકોને વિશ્વાસના તાંતણે જોડી દીધા હતા. હમણાં થોડા દિવસ પછી જન્માષ્ટમીનું પર્વ પણ આવી રહ્યું છે. સમગ્ર વાતાવરણ હાથી, ઘોડા, પાલખી.. જય કનૈયા લાલ કી, ગોવિંદા ગોવિંદાના જયઘોષથી ગુંજી ઉઠશે. ભગવાન કૃષ્ણના રંગમાં રંગાઇને ઝૂમવાનો સહજ આનંદ કંઇક અલગ જ હોય છે. દેશના કેટલાય ભાગોમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં દહીં હાંડીની તૈયારીઓ પણ આપણા યુવાનો કરી રહ્યા છે. સૌ દેશવાસીઓને રક્ષાબંધન અને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ.
પ્રધાનમંત્રી મહોદય – નમસ્કારઃ. અહં ચિન્મયી, બૈંગલુરૂ નગરે વિજયભારતી–વિદ્યાલયે દશમ–કક્ષ્યાયાં પઠામિ. મહોદય અદ્ય સંસકૃત દિનમ અસ્તિ. સંસ્કૃતમ ભાષાં સરલા ઇતિ સર્વે વદન્તિ. સંસ્કૃતમ ભાષા વયં અત્ર વહઃ વહઃ અત્ર સમ્ભાષણમઅપિ કુર્મઃ. અતઃ સંસ્કૃત્ય મહ્તવઃ વિષયે ભવતઃ ગહઃ અભિપ્રાયઃ ઇતિ રૂપયાવદતુ.
માનનીય વડાપ્રધાનશ્રી, પ્રણામ, હું ચિન્મયી બેંગલોરમાં વિજયભારતી વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરું છું. આજે સંસ્કૃત દિવસ છે. બધા કહે છે કે, સંસ્કૃત ભાષા ખૂબ સરળ છે. અમે લોકો અહીંયા વારંવાર સંસ્કૃત ભાષામાં વાતચીત કરીએ છીએ. આથી સંસ્કૃત વિષેના મહત્વ વિષે આપનો અભિપ્રાય અભિવ્યક્ત કરવા નમ્ર નિવેદન છે.
ભગિની ! ચિન્મયિ ! !
ભવતી સંસ્કૃત – પ્રશ્નં પૃષ્ટવતી.
બહૂત્તમમ્ ! – બહૂત્તમમ્ ! !
અહં ભવત્યાઃ અભિનન્દનં કરોમિ.
સંસ્કૃત – સપ્તાહ – નિમિતમ દેશવાસિનાં
સર્વેષાં કૃતે મમ હાર્દિક – શુભકામનાઃ
બહેન ચિન્મયી, આજે સંસ્કૃત વિષે કરેલો પ્રશ્ન ખૂબ ખૂબ ઉત્તમ છે. હું આપને તે માટે અભિનંદન પાઠવું છું. સંસ્કૃત સપ્તાહ નિમિત્તે સૌ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ.
હું દિકરી ચિન્મયીનો ખૂબ ખૂભ આભારી છું કે જેણે આ વિષય ઉઠાવ્યો. સાથીઓ, રક્ષાબંધન ઉપરાંત શ્રાવણી પૂર્ણિમાના દિવસે સંસ્કૃત દિવસ પણ મનાવવામાં આવે છે. જેઓ આ મહાન વારસાને રક્ષવા, પોષવા અને આમ જનતા સુધી પહોંચાડવામાં લાગેલા રહ્યા છે. તે તમામ લોકોને હું અભિનંદન આપું છું. દરેક ભાષાનું પોતાનું એક મહાત્મય હોય છે. ભારતને એ વાતનો ગર્વ છે કે, તમિળ ભાષા વિશ્વની સૌથી પ્રાચીન ભાષા છે. અને આપણે બધા ભારતીયો એ વાત બાબતે પણ ગર્વ કરીએ છીએ કે, વેદકાળથી વર્તમાન સુધી સંસ્કૃત ભાષા એ પણ જ્ઞાનના પ્રચાર પ્રસારમાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે.
જીવનના દરેક ક્ષેત્ર સાથે જોડાયેલો જ્ઞાનનો ભંડાર સંસ્કૃત ભાષા અને તેના સાહિત્યમાં છે. પછી તે વિજ્ઞાન હોય કે, તંત્ર જ્ઞાન હોય. કૃષિ હોય કે આરોગ્ય હોય. જયોતિષ હોય કે, આર્કિટેકચર હોય. ગણિત હોય કે, પ્રબંધન હોય. અર્થશાસ્ત્રની વાત હોય કે, પર્યાવરણની વાત હોય, કહે છે કે, ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવાના મંત્રો આપણા વેદોમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ છે. આપ સૌને જાણીને ખુશી થશે કે, કર્ણાટક રાજયના શિવમોગા જિલ્લાના મટ્ટુર ગામના રહેવાસીઓ આજે પણ વાતચીત માટે સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરે છે.
તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે, સંસ્કૃત એક એવી ભાષા છે જેમાં અનંત શબ્દોનો નિર્માણ સંભવ છે. 2000 ધાતુ, 200 પ્રત્યય એટલે કે Suffix, 22 ઉપર્સગ એટલે કે prefix, અને સમાસ દ્વારા અગણિત શબ્દોની રચના સંભવ છે. અને એટલા માટે કોઇપણ સુક્ષ્મમાં સુક્ષ્મ ભાવ અથવા વિષયને એકદમ ચોક્કસપણે વ્યક્ત કરી શકાય છે. અને સંસ્કૃત ભાષાની આ એક વિશેષતા રહી છે કે, આજે પણ આપણે કોઇવાર પોતાની વાતને અસરકારક બનાવવા માટે અંગ્રેજી સુવાક્યનો ઉપયોગ કરીએ છીએ. કોઇવાર શેર શાયરીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જે લોકો સંસ્કૃત સુભાષિતોથી પરિચીત છે, તેમને ખબર છે કે, ઓછામાં ઓછા શબ્દોમાં એટલું ચોક્કસ વર્ણન સંસ્કૃત સુભાષિતોથી થઇ શકે છે. અને બીજું તે આપણી ધરતી સાથે, આપણી પંરપરા સાથે જોડાયેલા હોવાના કારણે,સમજવાનું પણ બહુ સરળ હોય છે. જેમ કે, જીવનમાં ગુરૂનું મહત્વ સમજાવવા માટે કહેવાયું છે કે,
એકમપિ અક્ષરમસ્તુ, ગુરૂઃ શિષ્યં પ્રબોધયેત.
પૃથિવ્યાં નાસ્તિ તદ્–દ્રવ્યં, યદ્–દત્વાં હયનૃણિ ભવેત.
અર્થાત્ કોઇ ગુરૂ પોતાના શિષ્યને એક અક્ષરનું પણ જ્ઞાન આપે છે તો, આખી પૃથ્વીમાં એવી કોઇ વસ્તુ કે ધન નથી જેનાથી શિષ્ય પોતાના ગુરૂનું તે ઋણ ઉતારી શકે. આવી રહેલો શિક્ષક દિવસ આપણે બધા આ ભાવથી ઉજવીએ. જ્ઞાન અને ગુરૂ અતુલ્ય છે, અમૂલ્ય છે, અણમોલ છે. મા સિવાય શિક્ષક જ હોય છે. જે બાળકના વિચારોને યોગ્ય દિશા આપવાની ફરજ બજાવે છે. અને જેની સૌથી વધુ અસર પણ જીવનભર જોવા મળે છે. શિક્ષક દિવસ નિમિત્તે આપણે મહાન ચિંતક અને દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણજીને હંમેશા યાદ કરીએ છીએ. તેમની જન્મજયંતિને પણ પૂરો દેશ શિક્ષક દિવસના રૂપમાં ઉજવે છે. હું દેશના બધા જ શિક્ષકોને આગામી શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. સાથોસાથ વિજ્ઞાન, શિક્ષણ અને વિદ્યાર્થીઓ પ્રત્યે આપના સમર્પણ ભાવને ધન્યવાદ આપું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, કઠોર પરિશ્રમ કરનારા આ આપણા ખેડૂતો માટે ચોમાસું નવી આશાઓ લઇને આવે છે. બળબળતા તાપમાં સૂકાતા ઝાડ–છોડ અને સૂકા જળાશયોને ચોમાસું રાહત આપે છે. પરંતુ કોઇકોઇવાર તે અતિવૃષ્ટિ અને વિનાશક પૂર પણ લાવે છે. કુદરતની એવી સ્થિતિ ઉભી થઇ છે કે, કેટલાક સ્થળોએ બીજા સ્થળો કરતાં વધારે વરસાદ થયો. હજી હમણાં જ આપણે બધા લોકોએ જોયું કે, કેરળમાં ભયંકર પૂરે જનજીવન ઉપર બહુ માઠી અસર કરી છે. આજે આ મુશ્કેલ સંજોગોમાં પૂરો દેશ કેરળની સાથે ઉભો છે. આપણી સહાનુભૂતિ તે પરિવારોની સાથે છે. જે પરિવારોએ પોતાના સ્વજનોને ખોયા છે, જીવનની જે ક્ષતિ થઇ છે તેની ભરપાઇ તો કરી શકાય તેમ નથી. પરંતુ શોકસંત્પત પરિવારોને હું ભરોસો આપવા માંગું છું કે, દુઃખની આ ઘડીમાં સવાસો કરોડ ભારતીયો આપણી સાથે ખભેખભો મેળવીને ઉભા છે. હું પ્રાર્થના કરૂં છું કે, જે લોકો આ કુદરતી આફતમાં ઘાયલ થયા છે. તે બધા જલ્દીમાં જલ્દી સાજા થઇ જાય. મને પૂરો વિશ્વાસ છે કે, રાજયના લોકોની હિંમત અને અદમ્ય સાહસના જોરે કેરળ બહુ જલદી ફરીથી બેઠું થઇ જશે.
આપત્તિઓ પોતાની પાછળ જે પ્રકારની બરબાદી છોડીને જાય છે. તે કમનસીબ છે. પરંતુ આપત્તિઓ વખતે આપણને માનવતાના પણ દર્શન થાય છે. જયાં પણ આફત આવી હોય, પછી એ કેરળ હોય કે, હિંદુસ્તાનના બીજા કોઇ જીલ્લા હોય, અથવા વિસ્તારો હોય. જનજીવન ફરીથી સામાન્ય થઇ શકે તે માટે કચ્છથી કામરૂપ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક પોતપોતાના સ્થળે કંઇકને કંઇક કરી રહ્યું છે. બધા વયજૂથના અને દરેક કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. કેરળના લોકોની મુસીબત ઓછામાં ઓછી કરી શકાય તેમના દુઃખમાં ભાગીદાર બની શકાય. તે સુનિશ્ચિત કરવા હર કોઇ લાગેલું છે. આપણે બધા જાણીએ છીએ કે, સશસ્ત્ર સેનાના જવાનો કેરળમાં ચાલી રહેલા બચાવકાર્યના સૂકાની છે. તેમણે પૂરમાં ફસાયેસા લોકોને બચાવવામાં કોઇ કસર નથી છોડી. પછી તે હવાઇદળ હોય, નૌકાદળ હોય, ભૂમિદળ હોય કે પછી બીએસએફ, સીઆઇએસએફ, આરએએફ હોય, સૌ કોઇએ બચાવ અને રાહત અભિયાનમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. એનડીઆરએફના બહાદુર જવાનોના કઠોર પરિશ્રમનો પણ હું વિશેષ ઉલ્લેખ કરવા માંગું છું. સંકટના આ સમયમાં તેમણે ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છે. એનડીઆરએફની ક્ષમતા તેમની કટિબદ્ધતા અને ત્વરિત નિર્ણય લઇને પરિસ્થિતિને સંભાળી લેવાનો પ્રયાસ દરેક હિંદુસ્તાની માટે શ્રદ્ધાનું એક નવું કેન્દ્ર બની ગયો છે. ગઇકાલે જ ઓણમનો તહેવાર હતો. આપણે પ્રાર્થના કરીએ કે, ઓણમનું પર્વ દેશને અને ખાસ કરીને કેરળને એવી શક્તિ આપે જેથી તે આ આફતમાંથી જલ્દીમાં જલ્દી બહાર આવે અને કેરળની વિકાસયાત્રાને અધિક ગતિ મળે. ફરી એકવાર હું તમામ દેશવાસીઓ તરફથી કેરળના લોકોને અને દેશભરના અન્ય વિસ્તારોમાં જયાંજયાં આફત આવી છે. તેમને ભરોસો આપવા માંગું છું કે, સંકટની આ ઘડીમાં પૂરો દેશ તેમની સાથે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આ વખતે હું મન કી બાત માટે આવેલા સૂચનોને જોઇ રહ્યો હતો. તેમાં સમગ્ર દેશમાંથી લોકોએ જે વિષય પર સૌથી વધારે લખ્યું છે તે વિષય છે, આપણા સૌના પ્રિય શ્રી અટલ બિહારી વાજપેયી. ગાઝિયાબાદથી કીર્તી, સોનિપતથી સ્વાતી વત્સ, કેરળથી ભાઇ પ્રવિણ, પશ્ચિમ બંગાળથી ડૉ.સ્વપ્ન બેનરજી, બિહારના કટિહારથી અખિલ પાંડે, કોણ જાણે કેટલાય અગણિત લોકોએ નરેન્દ્ર મોદી મોબાઇલ એપ પર અને માય ગોવ પર લખીને મને અટલજીના જીવનના જુદાજુદા પાસાઓ વિશે વાત કરવાનો આગ્રહ કર્યો છે. 16મી ઓગષ્ટના દિવસે દેશ અને દુનિયાએ જેવા અટલજીના નિધનના સમાચાર સાંભળ્યા, હરકોઇ શોકમાં ગરકાવ થઇ ગયું. એવા રાષ્ટ્રનેતા જેમણે 14 વર્ષ પહેલા પ્રધાનમંત્રીપદ છોડી દીધું હતું. એક રીતે જોઇએ તો, છેલ્લા 10 વર્ષથી તેઓ સક્રિય રાજકારણથી ઘણા દૂર ચાલ્યા ગયા હતા. સમાચારોમાં પણ કયાંય દેખાતા નહોતા, જાહેર જીવનમાં પણ નજરે પડતા નહોતા. 10 વર્ષનો સમયગાળો બહુ મોટો હોય છે. પરંતુ 16 ઓગષ્ટ પછી દેશ અને દુનિયાએ જોયું કે, હિંદુસ્તાનના અદના માનવીના મનમાં આ 10 વર્ષના સમયગાળાએ એક ક્ષણનો પણ વિરામ રહેવા નહોતો દીધો. અટલજી માટે જે પ્રકારની સ્નેહ, શ્રદ્ધા અને શોકની ભાવના પૂરા દેશમાં ઉભરાઇ આવી તે તેમના વિશાળ વ્યક્તિત્વને પ્રદર્શિત કરે છે. છેલ્લા કેટલાય દિવસોથી અટલજીના સર્વોત્તમ પાસા દેશની સામે આવી જ ગયા છે. લોકોએ એમને ઉત્તમ સાંસદ, સંવેદનશીલ લેખક, શ્રેષ્ઠ વકતા અને લોકપ્રિય પ્રધાનમંત્રીના રૂપમાં યાદ કર્યા છે. અને કરી રહ્યા છે. સુશાસન એટલે કે, ગુડ ગવર્નન્સને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ દેશ હંમેશા અટલજીનો આભારી રહેશે. પરંતુ આજે હું અટલજીના વિશાળ વ્યક્તિત્વના વધુ એક પાસાને માત્ર સ્પર્શ કરવા માંગું છું. અને તે છે અટલજીએ ભારતને જે રાજનૈતિક સંસ્કૃતિ આપી અને રાજનૈતિક સંસ્કૃતિમાં પરિવર્તન લાવવાનો કરેલો પ્રયાસ છે. આ સંસ્કૃતિને વ્યવસ્થાના બીબામાં ઢાળવાનો પ્રયાસ કર્યો. અને તેને કારણે ભારતને ખુબ લાભ થયો છે. અને આવનારા દિવસોમાં પણ ઘણો લાભ થવાનો છે. એ પણ નક્કી છે. ભારત હંમેશા 19મો સુધારા અધિનિયમ 2003, માટે અટલજીનું ઋણી રહેશે. આ પરિવર્તનના લીધે ભારતના રાજકારણમાં બે મહત્વના પરિવર્તન આવ્યા.
પહેલું એ કે રાજયોમાં મંત્રીમંડળનું કદ ફુલ વિધાનસભા બેઠકોના 15 ટકા સુધી મર્યાદિત કરવામાં આવ્યું.
બીજું એ કે, પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ નિર્ધારિત મર્યાદા એક તૃતિયાંશથી વધારીને બે તૃતિયાંશ કરવામાં આવી. તેની સાથોસાથ પક્ષપલટો કરનારાને અયોગ્ય જાહેર કરવા માટે સ્પષ્ટ દિશાનિર્દેશ પણ નક્કી કરવામાં આવ્યા.
કેટલાય વર્ષો સુધી ભારતમાં મોટામોટા મંત્રીમંડળો બનાવવાની રાજનૈતિક સંસ્કૃતિએ ઘર કર્યું હતું. આ મોટામોટા મંત્રીમંડળો કામની વહેંચણી માટે નહીં પરંતુ રાજનેતાઓને ખુશ કરવા માટે બનાવવામાં આવતા હતા. અટલજીએ આ સંસ્કૃતિ બદલી નાંખી. તેમના આ પગલાંથી પૈસા અને સંસાધનોની બચત થઇ. તેના સાથોસાથ કાર્યક્ષમતામાં પણ વધારો થયો. અટલજી જ એવા દીર્ઘદ્રષ્ટા હતા જેમણે સ્થિતિને બદલી અને આપણી રાજનૈતિક સંસ્કૃતિમાં સ્વસ્થ પરંપરા અમલમાં આવી. અટલજી એક સાચા દેશભક્ત હતા. તેમના કાર્યકાળમાં જ અંદાજપત્ર રજૂ કરવાના સમયમાં ફેરફાર થયો. પહેલાં અંગ્રેજોની પરંપરા અનુસાર સાંજે પાંચ વાગ્યે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હતું. કારણ તે સમયે લંડનમાં સંસદ શરૂ થવાનો સમય હતો. વર્ષ 2001માં અટલજીએ અંદાજપત્ર રજૂ કરવાનો સમય સાંજના પાંચ વાગ્યાથી બદલીને સવારના 11 વાગ્યાનો કરી નાંખ્યો. વધુ એક આઝાદી અટલજીના કાર્યકાળમાં જ મળી. અને ભારતીય ધ્વજસંહિતા બનાવવામાં આવી. અને 2002માં તેને અધિકૃત કરી દેવામાં આવી. આ સંહિતામાં કેટલાય એવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેનાથી જાહેર સ્થળો પર ત્રિરંગો લહેરાવવાનું શક્ય બન્યું છે. તેના કારણે જ વધુને વધુ ભારતીયોને પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવવાની તક મળી શકી છે. આ રીતે તેમણે આપણા પ્રાણપ્રિય તિરંગાને આમ જનતાની નજીક લાવી દીધો. તમે જોયું. કેવી રીતે અટલજીએ દેશમાં સાહસિક પગલાં લઇને પાયાના સુધારા કર્યા હતા. પછી તે ચૂંટણીપ્રક્રિયા હોય અને લોકપ્રતિનિધિઓને લગતી ખામીઓ દૂર કરવાની હોય, એ જ રીતે આજકાલ આપ જોઇ રહ્યા છો કે, દેશમાં કેન્દ્ર અને રાજયોની ચૂંટણીઓ એકસાથે કરાવવાની બાબતમાં ચર્ચા આગળ વધી રહી છે. આ વિષેની તરફેણ અને વિરૂદ્ધ એમ બંને તરફ લોકો પોતપોતાના મત વ્યક્ત કરી રહ્યા છે. આ એક સારી બાબત છે. અને લોકશાહી માટે એક શુભ સંકેત પણ છે. હું ચોક્કસ કહીશ કે, સ્વસ્થ લોકશાહી માટે, ઉત્તમ લોકશાહી માટે, સારી પરંપરાઓ વિકસિત થાય, લોકશાહીને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો થાય, ખુલ્લા મનથી ચર્ચાઓ આગળ વધારાય તે પણ અટલજીને એક ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી ગણાશે. સમૃદ્ધ અને વિકસિત ભારતનું સપનું પૂરૂં કરવાનો સંકલ્પ દોહરાવતાં હું આપ સૌના વતી અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.
મારા વ્હાલા દેશવાસીઓ, આજકાલ જયારે પણ સંસદની ચર્ચા થાય છે તો મોટાભાગે તેમાં અડચણ, શોરબકોર અને અવરોધોની બાબતમાં જ ચર્ચા થાય છે. પરંતુ જે કાંઇ સારૂં થાય છે. તેની ચર્ચા જોઇએ તેટલી થતી નથી. હજુ થોડા દિવસ પહેલાં જ સંસદનું ચોમાસું સત્ર પૂરૂં થયું છે. તમને એ જાણીને આનંદ થશે કે, લોકસભાની ઉત્પાદકતા 118 ટકા રહી અને રાજયસભાની 74 ટકા રહી. બધા સાંસદોએ પક્ષના હિતથી ઉપર ઉઠીને ચોમાસું સત્રને વધુમાં વધુ ઉપયોગી બનાવવાનો પ્રયાસ કર્યો. અને તેનું જ પરિણામ છે કે, લોકસભાએ 21 વિધેયક અને રાજયસભાએ 14 વિધેયક આ સત્રમાં પસાર કર્યા. સંસદનું આ ચોમાસુંસત્ર સામાજિક ન્યાય અને યુવાનોના કલ્યાણના સત્રના રૂપમાં હંમેશા યાદ કરવામાં આવશે. આ સત્રમાં યુવાનો અને પછાત વર્ગોને ફાયદો કરનારા કેટલાય મહત્વના વિધેયકોને પસાર કરવામાં આવ્યા. આપ સૌ જાણો છો કે, દાયકાઓથી અનુસૂચિત જાતિ – જનજાતિપંચની જેમ જ અન્ય પછાત વર્ગ – ઓબીસી પંચ બનાવવાની માંગ થઇ રહી હતી. પછાત વર્ગના અધિકારોને સુનિશ્ચિત કરવા માટે દેશે આ વખતે ઓબીસી પંચ બનાવવાનો સંકલ્પ પૂરો કર્યો. અને તેને એક બંધારણીય અધિકાર પણ આપ્યો. આ પગલું સામાજિક ન્યાયના ઉદ્દેશને આગળ ધપાવનારૂં સાબિત થશે. અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિના અધિકારોના રક્ષણ માટે સુધારાવિધેયકને પણ પસાર કરવાનું કામ આ સત્રમાં થયું છે. આ કાયદો અનુસુચિત જાતિ અને અનુસુચિતજનજાતિ સમુદાયના હિતોનું વધુ સારૂં રક્ષણ કરશે. સાથોસાથ તે અપરાધીઓને આ વર્ગના લોકો પર અત્યાચાર કરવાથી રોકશે અને દલિત સમુદાયોમાં વિશ્વાસનું સિંચન કરશે.
દેશની નારી શક્તિ વિરૂદ્ધ કોઇપણ પ્રકારના અન્યાયને કોઇપણ સભ્ય સમાજ સહન ન કરી શકે. બળાત્કારના દોષીઓને સહન કરવા માટે દેશ તૈયાર નથી. એટલા માટે જ સંસદે આપરાધિક કાનૂન સુધારા વિધેયક પસાર કરીને આવા ગુનેગારોને કઠોરમાં કઠોર સજાની જોગવાઇ કરી છે. દુષ્કર્મના દોષીઓને ઓછામાં ઓછી 10 વર્ષની સજા થશે. જયારે 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ પર બળાત્કાર કરનારાઓને ફાંસીની સજા થશે. આપે થોડા દિવસ પહેલાં છાપાઓમાં વાંચ્યું હશે કે, મધ્યપ્રદેશના મંદસૌરમાં એક અદાલતે કેવળ બે મહિનામાં સુનાવણી પૂરી કરીને એક સગીર પર કુકર્મના બે ગુનેગારોને ફાંસીની સજા ફરમાવી છે. તેની પહેલાં મઘ્યપ્રદેશના કટનીમાં એક અદાલતે માત્ર પાંચ દિવસની સુનાવણી પછી ગુનેગારોને ફાંસીની સજા કરી હતી. રાજસ્થાનમાં પણ ત્યાંની અદાલતોએ આવા જ ઝડપી ચૂકાદા આપ્યા છે. આ કાયદો મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ અપરાધના કિસ્સા રોકવામાં અસરકારક ભૂમિકા ભજવશે. સામાજિક પરિવર્તન વિના આર્થિક પ્રગતિ અધૂરી છે. લોકસભામાં 3 તલાક વિધેયકને પસાર કરી દેવામાં આવ્યું છે. જો કે, રાજયસભામાં આ સત્રમાં તેને પસાર કરવાનું શક્ય નથી બની શક્યું. પરંતુ હું મુસ્લિમ મહિલાઓને ખાત્રી આપું છું કે, પૂરો દેશ તેમને ન્યાય અપાવવા માટે પૂરી તાકાતની સાથે ઉભો છે. આપણે જયારે દેશહિતમાં આગળ વધીએ છીએ. ત્યારે ગરીબો, પછાતવર્ગના લોકો, શોષિતો અને વંચિતોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. ચોસામું સત્રમાં આ વખતે સૌએ સાથે મળીને એક આદર્શ પ્રસ્તુત કરી બતાવ્યો છે. દેશના તમામ સાંસદોનો આજે હું જાહેર હાર્દિક આભાર માનું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, હાલ કરોડો દેશવાસીઓનું ધ્યાન જાકાર્તામાં રમાઇ રહેલી એશિયાઇ રમતો પર લાગેલું છે. દરરોજ સવારે ઉઠીને લોકો સૌથી પહેલાં છાપાઓમાં, ટીવીમાં, સમાચારો પર, સોશિયલ મીડીયા પર, નજર નાંખે છે. અને જુએ છે કે, કોઇ ભારતીય ખેલાડીએ ચંદ્રક જીત્યો છે ખરો. એશિયાઇ રમતો હજી પણ ચાલી રહી છે. હું દેશ માટે ચંદ્રક જીતનારા બધા ખેલાડીઓને અભિનંદન આપવા માંગું છું. જેમની સ્પર્ધાઓ હજી બાકી છે તે ખેલાડીઓને પણ મારી ખૂબખૂબ શુભેચ્છા છે. ભારતના ખેલાડીઓ ખાસ કરીને નિશાનેબાજી અને કુસ્તીમાં તો ઉત્કૃષ્ટ દેખાવ કરી જ રહ્યા છે પરંતુ આપણા ખેલાડીઓ એવી રમતોમાં પણ ચંદ્રક લાવી રહ્યા છે જેમાં અગાઉ આપણો દેખાવ એટલો સારો નથી રહ્યો. જેમ કે, વુશુ અને નૌકાયન જેવી રમતો. આ માત્ર ચંદ્રક નથી, પરંતુ પુરાવો છે ભારતીય રમત અને ખેલાડીઓના આકાશ આંબતા જૂસ્સા અને સપનાનો. દેશ માટે ચંદ્રક જીતનારાની વધી રહેલી સંખ્યામાં આપણી દિકરીઓ સામેલ છે. તે એક ખૂબ જ સકારાત્મક સંકેત છે. તે જ રીતે ચંદ્રક જીતનારા યુવા ખેલાડીઓમાં 15-16 વર્ષની ઉંમરના આપણા ઉગતા યુવાનો પણ છે. આ પણ એક ખૂબ જ સારો સંકેત છે કે, જે ખેલાડીઓએ ચંદ્રક જીત્યા છે તેમાંથી મોટાભાગના નાના શહેરો અને ગામડાઓમાં રહેનારા છે. અને આ ખેલાડીઓએ કઠોર પરિશ્રમ દ્વારા આ સફળતા હાંસલ કરી છે.
29મી ઓગષ્ટે આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવીશું. એ નિમિત્તે હું તમામ ખેલપ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવું છું. સાથે હોકીના જાદુગર મહાન ખેલાડી શ્રી ધ્યાનચંદજીને પણ મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.
દેશના બધા નાગરિકોને હું અનુરોધ કરૂં છું કે, તેઓ જરૂર રમત રમે અને પોતાની ચુસ્તતાનું ધ્યાન રાખે. કેમ કે, સ્વસ્થ ભારત જ સંપન્ન અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરશે. જો ભારત તંદુરસ્ત હશે તો જ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. ફરીએક વાર હું એશિયન રમતોમાં ચંદ્રક જીતનારાઓને અભિનંદન પાઠવું છું. અને બાકી ખેલાડીઓને સારા દેખાવની શુભેચ્છાઓ પાઠવું છું. સૌને રાષ્ટ્રીય ખેલ દિવસની પણ ખૂબ ખૂબ શુભચ્છાઓ.
પ્રધાનમંત્રીજી, નમસ્કાર, હું કાનપુરથી ભાવના ત્રિપાઠી એક એન્જિનિયરીંગની વિદ્યાર્થીની વાત કરી રહી છું. પ્રધાનમંત્રીજી ગઇ મન કી બાતમાં આપે કોલેજમાં ભણતા વિદ્યાર્થી–વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી હતી અને તેના પહેલા પણ આપે ડોકટરો સાથે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો સાથે વાત કરી હતી. મારી આપને એક વિનંતી છે કે, આગામી 15મી સપ્ટેમ્બરે એન્જિનીયર્સ ડે મનાવવામાં આવશે. તે નિમિત્તે જો આપ, અમારા જેવા એન્જિનિયરીંગના વિદ્યાર્થી–વિદ્યાર્થીનીઓ સાથે કંઇક વાતો કરો. જેનાથી અમારા બધાનું મનોબળ વધશે અને અમને ખૂબ આનંદ થશે. તેમજ આગામી દિવસોમાં અમને પોતાના દેશ માટે કંઇક કરી છુટવાનું પ્રોત્સાહન મળશે. ધન્યવાદ..
નમસ્તે ભાવનાજી, હું આપની ભાવનાનું સન્માન કરૂં છું. આપણે સૌએ ઇંટ–પત્થરોથી ઘરો અને ઇમારતોને બનતી જોઇ છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે, લગભગ 1200 વર્ષ પહેલાં એક વિશાળ પહાડ જે એક આખી શીલા હતો તેને એક ઉત્કૃષ્ઠ વિશાળ અને અદભૂત મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. કદાચ કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે પરંતુ એવું બન્યું હતું. અને તે મંદિર છે – મહારાષ્ટ્રના ઇલોરામાં આવેલું કૈલાસનાથ મંદિર. તમને જો કોઇ જણાવે કે લગભગ હજાર વર્ષ પહેલાં ગ્રેનાઇટનો 60 મીટરથી પણ લાંબો એક સ્તંભ બનાવામાં આવ્યો. અને તેના શિખર પર ગ્રેનાઇટનો લગભગ 80 ટન વજનનો શિલાખંડ રાખવામાં આવ્યો. તો શું તમે સાચું માનશો ખરા. પરંતુ તામિલનાડુના તંજાવુરનું બૃહદેશ્વર મંદિર એવું સ્થાન છે, જયાં સ્થાપત્ય કલા અને એન્જિનિયરીંગનો આ અવિશ્વસનીય મેળ જોઇ શકાય છે. ગુજરાતના પાટણમાં 11મી સદીની રાણીની વાવ જોઇને હરકોઇ આશ્ચર્યચકિત રહી જાય છે. ભારતની ભુમિ એન્જિનિયરીંગની પ્રયોગશાળા રહી છે. ભારતમાં કેટલાય એવા એન્જિનિયરો થયા જેમણે અકલ્પનીયને કલ્પનીય બનાવ્યું. અને એન્જિનિયરીંગની દુનિયામાં ચમત્કાર કહી શકાય તેવા ઉદાહરણ પ્રસ્તુત કર્યા છે. મહાન એન્જિનિયરોના આપણા વારસામાં એક એવું રત્ન પણ આપણને મળ્યું જેમના કાર્યો આજે પણ લોકોને અચંબિત કરી રહયા છે. અને તે હતા. ભારતરત્ન ડૉ.એમ.વિશ્વેશ્વરય્યા. કાવેરી નદી પર તેમણે બાંધેલા કૃષ્ણરાજ સાગર બંધથી આજે પણ લાખોની સંખ્યામાં ખેડૂતો અને સામાન્ય નાગરિકો, લાભાન્વિત થઇ રહ્યા છે. દેશના તે ભાગમાં તો તેઓ પૂજનીય છે જ. પરંતુ બાકીનો પૂરો દેશ પણ તેમને ખૂબ સન્માન અને આત્મિયતા સાથે યાદ કરે છે. તેમની યાદમાં જ 15 સપ્ટેમ્બરને એન્જિનિયર્સ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. તેમના પદચિન્હો પર ચાલીને આપણા દેશના એન્જિનિયરો પૂરી દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. હું જયારે એન્જિનિયરીંગની દુનિયામાં ચમત્કારોની વાત કરૂં છું ત્યારે મને 2001માં ગુજરાતમાં કચ્છમાં જે ભયંકર ભૂકંપ આવ્યો હતો ત્યારની એક ઘટના યાદ આવે છે. તે સમયે હું એક સ્વયંસેવકના રૂપમાં ત્યાં કામ કરતો હતો. તો મને એક ગામમાં જવાની તક મળી. અને ત્યાં મને 100 વર્ષથી પણ વધારે ઉંમરના એક માજીને મળવાનો મોકો મળ્યો. તેઓ મારી તરફ જોઇને અમારી મજાક ઉડાવી રહ્યા હતા અને કહી રહ્યા હતા. જુઓ આ મારૂં મકાન છે. કચ્છમાં તેને ભૂંગો કહે છે. પછી બોલેલા આ મારા મકાને 3-3 ભૂકંપ જોયા છે. મે પોતે પણ 3 ભૂકંપ જોયા છે. આ જ ઘરમાં જોયા છે. પરંતુ કયાંય પણ તમને કોઇ નુકસાન જોવા નહીં મળે. આ ઘર અમારા પૂર્વજોએ અહીંની કુદરતી સ્થિતિ મુજબ, અહીંના વાતાવરણ મુજબ બનાવ્યું હતું. અને આ વાત તે એટલા ગર્વથી કહી રહ્યા હતા કે, મને એ જ વિચાર આવ્યો કે, સદીઓ પહેલા પણ તે સમયગાળાના એન્જિનીયરોએ સ્થાનિક પરિસ્થિતિ મુજબ કેવું સર્જન કર્યું હતું કે, જેને કારણે સામાન્ય માણસો સુરક્ષિત રહેતા હતા. હવે જયારે આપણે એન્જિનિયર્સ દિવસ મનાવીએ છીએ તો, આપણે ભવિષ્ય માટે પણ વિચારવું જોઇએ. જુદાજુદા સ્થળોએ કાર્યશાળાઓ કરવી જોઇએ. બદલાયેલા યુગમાં આપણે કઇકઇ નવી ચીજો શીખવી પડશે ? શીખવવી પડશે ?જોડવી પડશે ? આજકાલ આપત્તિ વ્યવસ્થાપન એક બહુ મોટું કામ બની ગયું છે. કુદરતી આફતો સામે વિશ્વ લડી રહ્યું છે. એવામાં સ્ટ્રકચરલ એન્જીનિયરીંગનું નવૂં રૂપ કેવું હોય ? તેના અભ્યાસક્રમો શું હોય ? વિદ્યાર્થીઓને શું શીખવવામાં આવે ? બાંધકામ પર્યાવરણને અનુકૂળ કેવી રીતે બને ? સ્થાનિક માલસામગ્રીનું મૂલ્યવર્ધન કરીને બાંધકામને કેવી રીતે આગળ વધારી શકાય ? ઝીરો વેસ્ટ એ આપણી પ્રાથમિકતા કેવી રીતે બને ? એવી અનેક બાબતો આપણે જયારે એન્જિનિયર્સ દિવસ મનાવીએ છીએ તો આપણે જરૂર વિચારવી જોઇએ.
મારા વ્હાલા દેશવાસીઓ, ઉત્સવોનું વાતાવરણ છે. અને તેની સાથે જ દિવાળીની તૈયારીઓ પણ શરૂ થઇ જાય છે. મન કી બાતમાં મળતા રહીશું. મનની વાતો કરતા રહીશું. અને અને આપણા મનથી દેશને આગળ વધારવામાં પણ એક થતા રહીશું. આવી જ એક ભાવનાની સાથે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ, ફરી મળીશું.

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, હાલમાં ઘણા સ્થળેથી સારા વરસાદના સામાચાર આવી રહ્યા છે. કોઈ-કોઈ સ્થળો પર અતિવૃષ્ટિને કારણે ચિંતાની ખબરો આવી રહી છે. તો, કેટલાક સ્થળે હજી પણ લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે. ભારતની વિશાળતા અને વિવિધતા કોઇ-કોઇ વાર વરસાદ પણ પસંદ નાપસંદનું રૂપ બતાવી દે છે. પરંતુ આપણે વરસાદને શું દોષ આપીએ. માનવી જ છે જેણે કુદરત સાથે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો અને તેનું પરિણામ છે કે, કોઇકોઇ વાર કુદરત આપણા પર કોપે છે. અને એટલા માટે જ આપણા સૌની એ ફરજ બને છે કે, આપણે પ્રકૃતિ પ્રેમી બનીએ, પ્રકૃતિના રક્ષક બનીએ. આપણે પ્રકૃતિના સંવર્ધક બનીએ, અને તો કુદરતે બક્ષેલી જે ચીજો છે તેમાં સમતોલન આપોઆપ જળવાઇ રહે છે.
થોડા દિવસ પહેલાં એક કુદરતી ઘટનાએ પૂરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. અને માનવ મનને હચમચાવી દીધું હતું. આપ સૌએ ટીવી પર જોયું હશે કે, થાઇલેન્ડમાં બાર કિશોર ફૂટબોલ ખેલાડીઓની ટીમ અને તેમના પ્રશિક્ષક ફરવા માટે એક ગુફામાં ગયા. ત્યાં સામાન્ય રીતે ગુફામાં જવા અને તેમાંથી બહાર નીકળવામાં કેટલાક કલાકોનો સમય લાગે છે. પરંતુ તે દિવસે કિસ્મતને કંઇક બીજું જ મંજૂર હતું. તેઓ જયારે ગુફાની અંદર સારાએવા દુર ચાલ્યા ગયા ત્યારે અચાનક ભારે વરસાદને કારણે ગુફાના પ્રવેશદ્વાર પાસે સારૂં એવું પાણી ભેગું થઇ ગયું. તેમનો બહાર નીકળવાનો રસ્તો બંધ થઇ ગયો. કોઇ માર્ગ ન મળવાને કારણે તે બધા ગુફાની અંદર એક નાના એવા ટેકરા પર અટકી ગયા. અને તે પણ એક બે દિવસ નહીં. પૂરા 18 દિવસ સુધી. તમે કલ્પના કરી શકો છો કે, કિશોર અવસ્થામાં સામે જયારે મોત દેખાતું હતું અને પળેપળ વીતાવવી પડતી હોય. તો તે પળ કેવી હશે. એક તરફ તેઓ સંકટનો સામનો કરી રહ્યા હતા. તો બીજી તરફ પૂરી દુનિયામાં માનવતા એક થઇને ઇશ્વરે બક્ષેલા માનવીય ગુણોને પ્રદર્શિત કરી રહી હતી. દુનિયાભરમાં લોકો આ બાળકોને સલામત બહાર કાઢવા માટે પ્રાર્થનાઓ કરી રહ્યા હતા. આ બાળકો કયાં છે. કેવી હાલતમાં છે. એમને કેવી રીતે બહાર કાઢી શકાય છે. તેનો માર્ગ શોધવા દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જો બચાવ કાર્ય સમયસર કરવામાં ન આવે તો ચોમાસાની ઋતુમાં તેઓને કેટલાક મહિના સુધી બહાર કાઢવાનું શક્ય નહોતું. જયારે સારા સમાચાર આવ્યા તો દુનિયાભરને શાંતિ થઇ. સંતોષ થયો. પરંતુ આ પૂરા ઘટનાક્રમને એક અલગ દ્રષ્ટિએ જોવાનું મને મન થાય છે કે, પૂરી કામગીરી કેવી રીતે કરાઇ. દરેક સ્તરે જવાબદારીનો જે અહેસાસ થયો તે અદભૂત હતો. ચાહે સરકાર હોય, આ બાળકોના માતાપિતા હોય, તેમના પરિવારના સભ્યો હોય, પ્રસાર માધ્યમો હોય, દેશના નાગરિકો હોય, બધા એ, હર કોઇએ, શાંતિ અને ધીરજનું અદભૂત આચરણ કરીને બતાવ્યું. બધા જ એક ટીમ બનીને પોતાના અભિયાન સાથે જોડાયેલા રહ્યા હતા. હર કોઇનો સંયમિત વ્યવહાર હું માનું છું કે, એક શીખવા જેવો વિષય છે, સમજવા જેવો છે. એવું નથી કે, માબાપ દુઃખી નહીં હોય, એવું નથી કે માતાઓની આંખમાંથી આંસું નહિં નિકળ્યા હોય, પરંતુ ધીરજ, સંયમ પૂરા સમાજનો શાંત ચિત્ત વ્યવહાર એ સ્વયં આપણા બધા માટે શીખવા જેવી બાબત છે. આ પૂરી કાર્યવાહીમાં થાઇલેન્ડના નૌકાદળના એક જવાને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. પૂરી દુનિયા એ બાબતે આશ્ચર્યચકિત છે કે, આટલી મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં પાણીથી છલોછલ એક અંધારી ગુફામાં આટલી બહાદુરી અને ધીરજની સાથે તેમણે પોતાની આશા ન છોડી. એ જ બતાવે છે કે, જયારે માનવતા એક સંપ થાય છે ત્યારે અદભૂત ચીજો બને છે. બસ જરૂર હોય છે તો કેવળ આપણે શાંત અને સ્થિર મનથી પોતાના લક્ષ્ય પર ધ્યાન આપીએ. તેમના માટે કામ કરતા રહીએ.
થોડા દિવસો પહેલાં આપણા દેશના પ્રિય કવિ નીરજજીએ આપણી વચ્ચેથી ચીરવિદાય લીધી. નીરજજીની એક વિશેષતા રહી હતી – આશા વિશ્વાસ દ્રઢ સંકલ્પ અને પોતાના પર ભરોસો. આપણને હિંદુસ્તાનીઓને પણ નીરજજીની દરેક વાત ખૂબ શક્તિ આપી શકે છે. પ્રેરણા આપી શકે છે. તેમણે લખ્યું હતું –
અંધિયાર ઢલકર હી રહેગા,
આંધિયાં ચાહે ઉઠાઓ,
બિજલીયાં ચાહે ગિરાઓ.
જલ ગયા હૈ દીપ તો અંધિયાર ઢલકર હી રહેગા.
નીરજજીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું..
“નમસ્તે પ્રધાનમંત્રીજી, મારૂં નામ સત્યમ છે. મે આ વર્ષે દિલ્હી યુનિવર્સિટીમાં પહેલા વર્ષમાં એડમીશન મેળવ્યું છે. અમારી શાળાની બોર્ડ પરિક્ષા વખતે આપે અમને પરીક્ષાના તણાવ અને કેળવણીની વાત કરી હતી. મારા જેવા વિદ્યાર્થીઓ માટે હવે આપનો શો સંદેશ છે.”
આમ તો જુલાઇ અને ઓગષ્ટના બે મહિના ખેડૂતો માટે અને બધા નવયુવાનો માટે બહુ મહત્વના હોય છે. કારણ કે, આ એ જ સમય છે, જયારે કોલેજનો બહુ વ્યસ્ત સમય હોય છે. સત્યમ જેવા લાખો યુવાનો સ્કૂલમાંથી નીકળીને કોલેજમાં દાખલ થાય છે. જો ફેબ્રુઆરી અને માર્ચ પરીક્ષાઓ, પેપરો અને ઉત્તરોમાં જાય છે. તો એપ્રિલ અને મે મહિના રજાઓમાં મોજમસ્તી કરવાની સાથેસાથે પરિણામો જીવનમાં આગળનો માર્ગ નક્કી કરવા, કારકીર્દી પસંદ કરવા વગેરેમાં ખર્ચાઇ જાય છે. જુલાઇ એક એવો મહિનો છે જયારે યુવાનો પોતાના જીવનના એ નવા માર્ગ પર ડગ માંડે છે. જયાં ધ્યાન પ્રશ્નો પરથી હટીને પ્રવેશ પાત્રતા, કટ ઓફ ઉપર ચાલ્યું જાય છે. વિદ્યાર્થીઓનું ધ્યાન ઘરથી હટીને છાત્રાલય પર સીમિત થાય છે. વિદ્યાર્થીઓ માબાપની છત્રછાયામાંથી પ્રોફેસરોની છત્રછાયામાં આવી જાય છે. મને પૂરો વિશ્વાસ છે કે, મારા યુવાન મિત્રો કોલેજ જીવનની શરૂઆત બાબતે ખૂબ ઉત્સાહી અને ખુશ હશે. પહેલીવાર ઘરથી બહાર નીકળવું, ગામ છોડીને બહાર જવું, એક રક્ષણાત્મક વાતાવરણમાંથી બહાર નીકળીને પોતાને પોતાનો સાથી બનવું પડતું હોય છે. આટલા બધા યુવાનો પહેલીવાર પોતાનું ઘર છોડીને પોતાના જીવનને એક નવી દીશામાં દોરી જવા નીકળી પડે છે. કેટલાય વિદ્યાર્થીઓ અત્યારસુધીમાં પોતપોતાની કોલેજમાં જોડાઇ ગયા હશે. કેટલાક જોડાઇ રહ્યા હશે. આપ સૌને હું એ જ કહીશ કે, શાંત રહો, જીવનને માણો, જીવનમાં આંતરમનનો ભરપૂર આનંદ લો. પુસ્તકો વિના તો બીજો કોઇ આરો જ નથી. અભ્યાસ તો કરવો જ પડે છે. પરંતુ નવીનવી ચીજો શોધવાની પ્રવૃત્તિ ચાલતી રહેવી જોઇએ. જૂના દોસ્તોનું પોતાનું એક મહામૂલ્ય છે. બાળપણના દોસ્તો મૂલ્યવાન હોય છે. પરંતુ નવા દોસ્તો પસંદ કરવા, બનાવવા અને ટકાવી રાખવા એ પણ સ્વયં એક બહુ મોટી સમજદારીનું કામ હોય છે. કંઇક નવું શીખીએ, જેમ કે, નવા નવા કૌશલ્યો, નવી નવી ભાષાઓ શીખીએ. જે યુવાનો પોતાનું ઘર છોડીને બહાર, કોઇ અન્ય સ્થળે ભણવા માટે ગયા છે. તે સ્થળોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ, તેના વિષે જાણીએ, ત્યાંના લોકોને, ભાષાને, સંસ્કૃતિને જાણીએ, ત્યાં પર્યટન સ્થળો પણ હશે, ત્યાં જઇએ. તેમના વિષે જાણીએ. જીવનમાં નવા દાવનો પ્રારંભ કરી રહેલા તમામ નવજુવાનોને મારી શુભેચ્છાઓ. હવે જ્યારે કોલેજ સીઝનની વાત થઇ રહી છે. તો મને સમાચારોમાં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે મધ્યપ્રદેશના એક અત્યંત ગરીબ પરિવાર સાથે જોડાયેલા એક વિદ્યાર્થી આશારામ ચૌધરીએ જીવનના મુશ્કેલ પડકારોને વટાવીને સફળતા હાંસલ કરી છે. તેમણે જોધપુર એઇમ્સની એમબીબીએસની પરિક્ષામાં, પહેલા જ પ્રયત્ને સફળતા મેળવી છે. તેમના પિતા કચરો વીણીને પોતાના કુટુંબનું પાલનપોષણ કરે છે. હું તેમની સફળતા માટે તેમને અભિનંદન આપું છું. એવા કેટલાય વિદ્યાર્થીઓ છે જે ગરીબ કુટુંબોમાંથી આવે છે. અને વિપરીત સંજોગો હોવા છતાંય પોતાની મહેનત અને લગનથી કંઇક એવું કરી બતાવ્યું છે જે આપણને સૌને પ્રેરણા આપે છે. પછી એ દિલ્હીના પ્રિન્સકુમાર હોય, કે જેમના પિતા ડીટીસીમાં બસ ડ્રાઇવર છે, કે પછી કોલકાતાના અભય ગુપ્તા હોય જેમણે ફૂટપાથ પર સ્ટ્રીટલાઇટ નીચે બેસીને પોતાનો અભ્યાસ કર્યો. અમદાવાદની દિકરી આફરીન શેખ હોય કે જેના પિતા ઓટોરીક્ષા ચલાવે છે. નાગપુરની દિકરી ખુશી હોય કે જેના પિતા પણ સ્કૂલબસમાં ડ્રાઇવર છે. અથવા હરિયાણાના કાર્તિક કે જેના પિતા ચોકીદાર છે. કે પછી, ઝારખંડના રમેશ સાહુ હોય, જેના પિતા ઇંટના ભઠ્ઠામાં મજૂરી કરે છે. રમેશ પોતે પણ મેળામાં રમકડાં વેચતા હતા. કે પછી, ગુડગાંવની દિવ્યાંગ દિકરી અનુષ્કા પાંડા હોય જે જન્મથી જ કરોડરજ્જુની બિમારી, સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની એક વારસાગત બિમારીથી પીડાય છે. આ બધાએ પોતાના દ્રઢ સંકલ્પ અને હિંમતથી દરેક અવરોધો વટાવીને આખી દુનિયા જુવે એવી સફળતા મેળવી છે. આપણે આપણી આસપાસ જોઇએ તો, આપણને પણ એવા કેટલાક ઉદાહરણો મળી આવશે.
દેશના કોઇપણ ખૂણામાં બનતી કોઇપણ સારી ઘટના મારા મનને ઉર્જા આપે છે. પ્રેરણા આપે છે. અને જયારે આ નવયુવાનોની કથા હું આપને કહી રહ્યો છું ત્યારે તેની સાથે મને કવિ નીરજજીની વાતો યાદ આવે છે. અને જીવનનો આ જ તો ધ્યેય છે. નીરજજીએ કહ્યું છે –
ગીત આકાશ કો ધરતી કા સુનાના હે મુઝે,
હર અંધે કો ઉઝાલે મે બુલાના હે મુઝે,
ફૂલ કી ગંધ સે તલવાર કો સેર કરના હે,
ઔર ગા-ગા કે પહાડોં કો જગાના હે મુઝે,
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલા મારી નજર એક સમાચાર પર ગઇ. તેમાં લખ્યું હતું, “બે યુવાનોએ મોદીનું સપનું સાચું કર્યું” જયારે અંદર વાંચ્યું તો જાણ્યું કે આજે આપણા યુવાનો ટેકનોલોજીનો સ્માર્ટ અને રચનાત્મક ઉપયોગ કરીને સામાન્ય વ્યકિતના જીવનમાં પરિવર્તનનો કેવો પ્રયાસ કરે છે. ઘટના કંઇક એવી હતી, એકવાર ટેકનોલોજી હબ તરીકે જાણીતા અમેરિકાના સાન જોસ શહેરમાં બે ભારતીય યુવાનો સાથે હું ચર્ચા કરી રહ્યો હતો. મે એમને અપીલ કરી હતી કે, ભારત માટે તેઓ પોતાની પ્રતિભાનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે. તે વિચારે અને સમય કાઢીને કંઇક કરે. મે બ્રેઇન ડ્રેઇન ને બ્રેઇન ગેઇનમાં બદલવાની તેમને અપીલ કરી હતી. રાયબરેલીના તે બંનેએ આઇટી વ્યવસાયિકો યોગેશ સાહુજી અને રજનીશ બાજપેયીજીએ મારા આ પડકારને ઝીલી લઇને એક અભિનવ પ્રયાસ કર્યો. યોગેશજી અને રજનીશજીએ પોતાના વ્યવસાયિક કૌશલ્યનો ઉપયોગ કરીને સાથે મળીને એક સ્માર્ટ ગાંવ એપ તૈયાર કરી છે. આ એપ માત્ર ગામના લોકોને પૂરી દુનિયા સાથે જોડી નથી રહી પરંતુ હવે તેઓ કોઇપણ માહીતી કે જાણકારી પોતાના મોબાઇલ પર મેળવી શકે. રાયબરેલીના તૌધકપુર ગામના આ નિવાસીઓ ગામના સરપંચ, જીલ્લા મેજીસ્ટ્રેટ, તાલુકા વિકાસ અધિકારી એમ સૌએ આ એપના ઉપયોગ માટે લોકોને જાગૃત કર્યા. આ એપ એક રીતે ગામમાં ડીજીટલ ક્રાંતિ લાવવાનું કામ કરી રહી છે. ગામમાં જે વિકાસના કામો થઇ રહ્યા છે. તેને આ એપ દ્વારા રેકોર્ડ કરવાનું તેના પર નજર રાખવાનું તેની પ્રગતિ પર ધ્યાન રાખવાનું હવે સરળ થઇ ગયું છે. આ એપમાં ગામની ફોન ડીરેકટરી, સમાચાર વિભાગ, પ્રસંગોની યાદી, આરોગ્ય કેન્દ્ર અને માહીતી કેન્દ્ર મોજૂદ છે. આ એપ ખેડૂતોને પણ ખૂબ ફાયદાકારક છે. એપનું ગ્રામર ફીચર, ખેડુતો વચ્ચે ફેકટ રેટ, એક રીતે તેમના ઉત્પાદનો માટે એક બજારની જેમ કામ કરે છે. આ ઘટનાને જો તમે ઝીણવટપૂર્વક જોશો તો એક વાત ઘ્યાનમાં આવશે કે, અમેરિકામાં ત્યાંની રહેણીકરણી, આચારવિચારની વચ્ચે જેમનું જીવન ગયું છે. કેટલાય વર્ષો પહેલાં જેમણે ભારત છોડ્યું હશે તેવા યુવાનો પણ પોતાના ગામની બારીકાઇઓને જાણે છે, પડકારનો સમજે છે, અને ગામ સાથે લાગણીથી જોડાયેલા છે. આ જ કારણથી કદાચ ગામને જે જોઇએ છે તે તેઓ સારી રીતે બનાવી શક્યા. તે તેને અનુરૂપ કંઇક સારૂં બનાવી શક્યા. પોતાના ગામ, પોતાના મૂળ સાથેનો આ લગાવ અને વતન માટે કંઇક કરી બતાવવાની ભાવના દરેક હિંદુસ્તાનીની અંદર સ્વાભાવિક રીતે પડેલી હોય છે. પરંતુ કોઇકોઇ વાર સમયને કારણે કયારેક અંતરને કારણે, કયારેક પરિસ્થિતિઓને કારણે, તેના પર એક પાતળી ધૂળ જામી જાય છે, પરંતુ જો કોઇ નાની એવી ચિનગારીનો પણ તેમને સ્પર્શ થઇ જાય તો સારી બાબતો ફરી એકવાર ઉભરીને આવી જાય છે. અને તેઓને પોતાના ભૂતકાળના દિવસો તરફ ખેંચીને લઇ આવે છે. આપણે પણ જરા તપાસી લઇએ કે, આપણા કિસ્સામાં પણ કંઇક આવું તો નથી થયું ને. પરિસ્થિતિઓ, અંતર, સંજોગો વગેરેએ આપણને ક્યાંક અળગા તો નથી કરી નાંખ્યાને, કયાંક ધૂળ તો નથી બાજી ગઇને, જરૂર વિચારજો.
“આદરણીય પ્રધાનમંત્રીજી, નમસ્કાર, હું સંતોષ કાકડે, કોલ્હાપુર મહારાષ્ટ્રથી વાત કરી રહ્યો છું. પંઢરપુરની વારીએ મહારાષ્ટ્રની પુરાણી પરંપરા છે. દર વર્ષે ખૂબ ઉત્સાહ અને ઉંમગથી તે મનાવવામાં આવે છે. લગભગ સાત-આઠ લાખ વાર્કરી તેમાં જોડાય છે. આ અનોખી પરંપરા વિશે દેશની બાકીની જનતા પણ માહીતગાર થાય એ માટે આપ વારી વિશે વધુ જાણકારી આપશો.”
સંતોષજી, તમારા ફોનકોલ માટે ખૂબખૂબ ધન્યવાદ. પંઢરપુર વારી ખરેખર પોતે એક અદભૂત યાત્રા છે. સાથીઓ અષાઢી એકાદશી, જે આ વખતે 23 જુલાઇએ હતી. તે દિવસે પંઢરપુર વારીની ભવ્ય પરિણીતીના રૂપમાં મનાવવામાં આવે છે. પંઢરપુર મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લાનું એક પવિત્ર શહેર છે. અષાઢી એકાદશીના લગભગ 15 – 20 દિવસ પહેલાથી જ વાર્કરી એટલે કે તીર્થયાત્રીઓ પાલખી સાથે પંઢરપુરની યાત્રા માટે પગપાળા નીકળી પડે છે. આ યાત્રા જેને વારી કહે છે, તેમાં લાખોની સંખ્યામાં વાર્કરીઓ જોડાય છે. સંત જ્ઞાનેશ્વર અને સંત તુકારામ જેવા મહાન સંતોની પાદુકાઓ પાલખીમાં રાખીને વિઠ્ઠલ.. વિઠ્ઠલ.. ગાતાં, નાચતાં, વગાડતાં પગપાળા પંઢરપુર જવા નીકળી પડે છે. આ વારી શિક્ષણ, સંસ્કાર અને શ્રદ્ધાની ત્રિવેણી છે. તીર્થયાત્રીઓ ભગવાન વિઠ્ઠલ કે જેમને વિઠોબા અથવા પાંડુરંગ પણ કહેવામાં આવે છે. તેમના દર્શન માટે ત્યાં પહોંચે છે. ભગવાન વિઠ્ઠલ ગરીબો, વંચિતો, પીડીતોના હિતોની રક્ષા કરે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગણા કયાં કયાંથી લોકોને અપાર શ્રદ્ધા છે. ભક્તિ છે. પંઢરપુરમાં વિઠોબા મંદિરના દર્શન કરવા અને ત્યાંની મહિમા, ત્યાંનું સૌંદર્ય, આધ્યાત્મિક આનંદનો એક અલગ અનુભવ છે. મન કી બાતના શ્રોતાઓને મારો આગ્રહ છે કે, તક મળે તો એકવાર જરૂર પંઢરપુર વારીનો અનુભવ લો. જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, રામદાસ, તુકારામ એવા અગણીત સંતો મહારાષ્ટ્રમાં આજે પણ અદના માનવીને શિક્ષિત કરી રહ્યા છે. અંધશ્રદ્ધાની સામે લડવાની શક્તિ આપી રહ્યા છે. અને હિંદુસ્તાનના ખૂણેખૂણામાં આ સંત પરંપરા પ્રેરણા આપી રહી છે. પછી એ તેમના ભારૂડ હોય, અથવા અભંગ હોય, આપણને તેમની પાસેથી સદભાવ, પ્રેમ અને ભાઇચારાનો સંદેશ મળે છે. અંધશ્રદ્ધાની સામે સમાજ લડી શકે તેનો મંત્ર મળે છે. આ એ લોકો હતા, જેમણે સમયસમય પર સમાજને રોક્યો, ટોકયો અને અરીસો પણ બતાવ્યો અને એ સુનિશ્ચિત કર્યું કે, જૂના કુરિવાજો આપણા સમાજમાંથી નાબૂદ થાય અને લોકોમાં કરૂણા, સમાનતા તથા શૂચિતાના સંસ્કારોનું સિંચન થાય, આપણી આ ભારતભૂમિ બહુરત્ન વસુંધરા છે. જેમાં સંતોની એક મહાન પરંપરા આપણા દેશમાં રહી છે. તે જ રીતે સામર્થયવાન મા ભારતીને સમર્પિત મહાપુરૂષોએ આ ધરતીને પોતાનું જીવન આહૂત કરી દીધું, સમર્પિત કરી દીધું. એવા જ એક મહાપુરૂષ છે લોકમાન્ય તિલક. જેમણે અનેક ભારતીયોના મન પર પોતાની ઉંડી છાપ છોડી છે. આપણે 23 જુલાઇએ તિલકજીની જયંતિ અને પહેલી ઓગષ્ટે તેમની પુણ્યતિથિ પ્રસંગે તેમનું પુણ્યસ્મરણ કરીએ છીએ. લોકમાન્ય તિલક સાહસ અને આત્મવિશ્વાસથી ભરેલા હતા. બ્રિટીશ શાસકોને તેમની ભૂલોનો અરીસો બતાવવાની શક્તિ અને બુદ્ધિમત્તા તેમનામાં હતી. અંગ્રેજો લોકમાન્ય તિલકથી એટલા બધા ડરેલા હતા કે, તેમણે 20 વર્ષંમાં તેમના પર 3 વાર રાજદ્રોહ લગાવવાની કોશીષ કરી અને આ કાંઇ નાનીસૂની વાત નથી. લોકમાન્ય તિલક અને અમદાવાદમાં તેમની પ્રતિમા સાથે જોડાયેલી એક રસપ્રદ ઘટના આજે હું દેશવાસીઓ સામે મૂકવા માંગું છું. ઓકટોબર 1916માં લોકમાન્ય તિલકજી જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે તે જમાનામાં આજથી કદાચ 100 વર્ષ પહેલાં 40 હજારથી વધુ લોકોએ અમદાવાદમાં તેમનું સ્વાગત કર્યું હતું. અને આ જ યાત્રા દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની સાથે વાતચીત કરવાની તક મળી હતી. અને સરદાર વલ્લભભાઇ પટેલ લોકમાન્ય તિલકજીથી એટલા બધા પ્રભાવિત હતા અને જયારે પહેલી ઓગષ્ટ, 1920ના રોજ લોકમાન્ય તિલકજીનું દેહાંત થયો ત્યારે તેમણે નિર્ણય કરી લીધો કે તેઓ અમદાવાદમાં તિલકજીનું સ્મારક બનાવશે. સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ નગરપાલિકાના મેયર ચૂંટાયા અને તરત જ તેમણે લોકમાન્ય તિલકના સ્મારક માટે બ્રિટનની મહારાણીના નામ પર બનાવેલા વિકટોરીયા ગાર્ડનને તેમણે પસંદ કર્યું. સ્વાભાવિક રીતે જ અંગ્રેજો આ નિર્ણયથી નારાજ હતા. અને કલેકટર તેને માટે પરવાનગી આપવાની સતત મનાઇ કરતા રહ્યા. પરંતુ સરદાર સાહેબ સરદાર સાહેબ હતા. તેઓ અડગ હતા અને તેમણે કહ્યું હતું કે, ભલે હોદ્દો છોડવો પડે પરંતુ લોકમાન્ય તિલકજીની પ્રતિમા તો બનીને જ રહેશે. અંતે પ્રતિમા બનીને તૈયાર થઇ અને સરદાર સાહેબે બીજા કોઇના હાથે નહિં પરંતુ 28 ફેબ્રુઆરી 1929ના રોજ ખૂદ મહાત્મા ગાંધીના હસ્તે તેનું ઉદઘાટન કરાવ્યું. અને સૌથી મજાની વાત તો એ છે કે, તે ઉદઘાટન સમારંભમાં પોતાના ભાષણમાં પૂજય બાપુએ કહ્યું, સરદાર પટેલના આવ્યા પછી અમદાવાદ નગરપાલિકાને એક વ્યક્તિ જ નથી મળી, પરંતુ નગરપાલિકાને તે હિંમત પણ મળી છે. જેના કારણે તિલકજીની પ્રતિમાનું નિર્માણ શક્ય થયું છે. અને મારા વ્હાલા દેશવાલીઓ, આ પ્રતિમાની વિશેષતા એ છે કે, આ તિલકજીની એક એવી દુર્લભ પ્રતિમા છે જેમાં તેઓ એક ખુરશી ઉપર બેઠેલા છે. તેમાં તિલકજીની બિલકુલ નીચે લખેલું છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. અને આ અંગ્રેજોના તે સમયની હું વાત સંભળાવી રહ્યો છું. લોકમાન્ય તિલકજીના પ્રયત્નોના કારણે જ સાર્વજનિક ગણેશઉત્સવની પરંપરા શરૂ થઇ. સાર્વજનિક ગણેશ ઉત્સવ પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસની સાથેસાથે સમાજ જાગૃતિ, સામૂહિકતા, લોકોમાં સમરસતા અને સમાનતાની ભાવનાને આગળ વધારવાનું એક પ્રભાવશાળી માધ્યમ બની ગયું હતું. આમ જુઓ તો, તે સમય એક એવો સમય હતો કે જ્યારે દેશ અંગ્રેજોની વિરૂદ્ધ લડાઇ માટે એક સંપ થાય, આ ઉત્સવોએ જાતિ અને સંપ્રદાયના વાડાઓને તોડીને બધાને એક સંપ કરવાનું કામ કર્યું. સમયની સાથે આ આયોજનોની લોકપ્રિયતા વધતી ગઇ. તેનાથી જ જાણવા મળે છે કે, આપણો પ્રાચીન વારસો અને ઇતિહાસના આપણા વીર નેતાઓ પ્રત્યે આ જે પણ આપણી યુવાપેઢીમાં કેવો ક્રેઝ છે. આજે કેટલાયે શહેરોમાં તો એવું બને છે કે, તમને લગભગ દરેક ગલીમાં ગણેશનો મંડપ જોવા મળે છે. ગલીના બધા પરિવારોના સભ્યો સાથે મળીને તેનું આયોજન કરે છે. એક ટીમના રૂપમાં કામ કરે છે. આપણા યુવાનો માટે પણ આ એક શ્રેષ્ઠ તક છે. જયાં તેઓ નેતૃત્વ અને સંગઠન જેવા ગુણો શીખી શકે છે. આ ગુણોને પોતાની અંદર વિકસીત કરી શકે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, મે ગયા વખતે પણ આગ્રહ કર્યો હતો અને આજે જયારે લોકમાન્ય તિલકજીને યાદ કરી રહ્યો છું ત્યારે ફરી એકવાર આપને આગ્રહ કરીશ કે, આ વખતે પણ આપણે ગણેશ ઉત્સવ મનાવીએ, ધૂમધામથી મનાવીએ, પૂરી તાકાતથી મનાવીએ, પરંતુ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવવાનો આગ્રહ રાખીએ. ગણેશજીની મૂર્તિથી લઇને સાજસજાવટનો સામાન એમ બધું ઇકોફ્રેન્ડલી હોય, અને હું તો ઇચ્છું છું કે, દરેક શહેરમાં ઇકોફ્રેન્ડલી ગણેશઉત્સવની અલગ સ્પર્ધા થાય. તેના ઇનામ આપવામાં આવે. અને હું તો ત્યાં સુધી કહીશ કે, માય ગોવ ઉપર પણ અને નરેન્દ્ર મોદી એપ ઉપર પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ચીજવસ્તુઓ વ્યાપક પ્રચાર માટે મૂકવામાં આવે. તમારી વાત હું ચોક્કસ લોકો સુધી પહોંચાડીશ. લોકમાન્ય તિલકે દેશવાસીઓમાં આત્મવિશ્વાસ જગાવ્યો અને તેમણે સૂત્ર આપ્યું હતું, સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે, અને અમે તે લઇને જ જંપીશું, આજે પણ એ કહેવાનો સમય છે. કે, સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે અને અમે તે લઇને જ જંપીશું. દરેક ભારતીયની પહોંચ સુશાસન અને વિકાસના સારા પરિણામો સુધી હોવી જોઇએ. આ જ તો એ વાત છે, જે એક નવા ભારતનું નિર્માણ કરશે. તિલકના જન્મના 50 વર્ષ પછી બરાબર એ જ દિવસે એટલે કે 23 જુલાઇએ ભારતમાતાના વધુ એક સપૂતનો જન્મ થયો. જેમણે પોતાનું જીવન એટલા માટે બલિદાન કરી દીધું કે, જેથી દેશવાસી આઝાદીની હવામાં શ્વાસ લઇ શકે. હું વાત કરી રહ્યો છું. ચંદ્રશેખર આઝાદની, ભારતમાં એવો કયો નવજુવાન હશે જે આ પંક્તિઓને સાંભળીને પ્રેરીત નહીં થાય.—
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ,
દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈં
આ પંક્તિઓએ અશફાક ઉલ્લાખાન, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક નવયુવાનોને પ્રેરિત કર્યા. ચંદ્રશેખર આઝાદની બહાદુરી અને સ્વતંત્રતા માટેના તેમના જનૂને કેટલાય યુવાનોને પ્રેરિત કર્યા. આઝાદે પોતાનું જીવન હોડ પર મૂકી દીધું. પરંતુ વિદેશી શાસનની સામે તેઓ કયારેય ન ઝૂક્યા. મારૂં સદભાગ્ય છે કે, મને મધ્યપ્રદેશમાં ચંદ્રશેખર આઝાદના ગામ અલિરાજપુર જવાનો મોકો પણ મળ્યો. અલ્હાબાદના ચંદ્રશેખર આઝાદ પાર્કમાં પણ શ્રદ્ધાસુમન અર્પણ કરવાની તક મળી. અને ચંદ્રશેખર આઝાદજી એવા વીરપુરૂષ હતા જે વિદેશીઓની ગોળીથી મરવા પણ નહોતા ઇચ્છતા. જીવશું તો આઝાદી માટે, લડતા લડતા અને મરીશું તો પણ આઝાદ રહીને જ મરીશું, એ જ તો એમની વિશેષતા હતી. ફરીએક વાર ભારતમાતાના આ બે મહાન સપૂતો લોકમાન્ય તિલકજી અને ચંદ્રશેખર આઝાદજીને હું શ્રદ્ધાપૂર્વક નમન કરૂં છું.
હજી થોડા દિવસ પહેલા જ ફિનલેન્ડમાં આયોજીત જુનિયર અંડર-20 વિશ્વ એથ્લેટીકસ ચેમ્પીયનશીપમાં 400 મીટરની દોડ સ્પર્ધામાં ભારતની બહાદુર દિકરી અને કિસાનપુત્રી હિમા દાસે સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચી દીધો. દેશની વધુ એક દિકરી એકતા ભયાને મારા પત્રના જવાબમાં ઇંડોનેશિયાથી મને ઇ-મેઇલ કર્યો છે કે, હજી તો તે ત્યાં એશીયન ગેમ્સની તૈયારી કરી રહી છે. ઇ-મેઇલમાં એકતા લખે છે – કોઇપણ રમતવીરના જીવનમાં સૌથી મહત્વની ક્ષણ તે હોય છે જયારે તે હાથમાં તિરંગો પકડે છે. અને મને ગર્વ છે કે, મે એ કરી બતાવ્યું છે. એકતા અમને બધાને આપ પર ગર્વ છે. આપે દેશનું નામ રોશન કર્યું છે. ટ્યુનિશિયામાં વિશ્વ પેરા એથ્લેટીકસ ગ્રાન્ડ પ્રી 2018માં એકતાએ સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીત્યા છે. તેમની આ સિદ્ધિ વિશેષ એટલા માટે છે કે, તેમણે પોતાના પડકારને પણ પોતાની કામયાબીનું માધ્યમ બનાવી દીધું છે. 2003માં માર્ગ અકસ્માતને કારણે દિકરી એકતા ભયાનના શરીરનો નીચેનો અડધો ભાગ નકામો બની ગયો છે. પરંતુ આ દિકરી હિંમત ન હારી અને પોતાને મજબૂત બનાવતા જઇ આ સિદ્ધિ હાંસલ કરી છે. વધુ એક દિવ્યાંગ યોગેશ કઠુનિયાજીએ પણ બર્લિનમાં પેરા એથ્લેટીકસ ગ્રાન્ડ પ્રી માં ડિસ્કસ થ્રો(ચક્રફેંક)માં સુવર્ણચંદ્રક જીતીને વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. અને તેમની સાથે સુંદરસિંહ ગુર્જરે પણ ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. હું એકતા ભયાનજી, યોગેશ કઠુનિયાજી અને સુંદરસિંહજી આપ સહુની હિંમત અને જુસ્સાને સલામ કરૂં છું, અભિનંદન આપું છું. આપ હજી પણ આગળ વધો. રમતા રહો, ખેલતા રહો.
મારા વ્હાલા દેશવાસીઓ, ઓગસ્ટ મહિનો ઇતિહાસની અનેક ઘટનાઓ, ઉત્સવોની ભરમારથી ભરેલો રહે છે. પરંતુ મૌસમના કારણે કોઇકોઇ વાર બિમારી પણ ઘરમાં પ્રવેશ કરી જાય છે. હું આપ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય માટે, દેશભક્તિની પ્રેરણા જગાડનારા આ ઓગસ્ટ મહિના માટે, અને સદીઓથી ચાલતા આવી રહેલા અનેક અનેક ઉત્સવો માટે, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ફરી એક વાર મન કી બાત માટે જરૂર મળીશું.
ખૂબ-ખૂબ ધન્યવાદ.

નમસ્કાર. મારા પ્રિય દેશવાસીઓ. આજે ફરી એકવાર મન કી બાતના આ કાર્યક્રમમાં તમારી બધાની સાથે રૂબરૂ થવાનું સૌભાગ્ય મળ્યું છે. હમણાં થોડા દિવસો પહેલાં જ બેંગલુરુમાં એક ઐતિહાસિક ક્રિકેટ મેચ યોજાઈ. તમે લોકો થોડું ઘણું સમજી જ ગયા હશો કે હું ભારત અને અફઘાનિસ્તાનની ટેસ્ટ મેચની વાત કરી રહ્યો છું. તે અફઘાનિસ્તાનની પ્રથમ આંતરારાષ્ટ્રીય મેચ હતી અને તે ભારતીય માટે ગર્વની વાત છે કે અફઘાનિસ્તાનની આ ઐતિહાસિક મેચ ભારત સાથે હતી. આ મેચમાં બંને ટીમોએ બહુ સારું પ્રદર્શન કર્યું હતુંઅને બીજા અફઘાનિસ્તાનના જ અન્ય બોલર રાશિદ ખાને તો આ વર્ષે આઈપીએલમાં પણ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું અને મને યાદ છે કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રીમાન અશરફ ગનીએ મને ટેગ કરીને પોતાના ટ્વીટર પર લખ્યું હતું, અફઘાનિસ્તાનના લોકોને પોતાના હીરો રાશિદ ખાન પર અત્યંત ગર્વ છે. હું આપણા ભારતીય મિત્રોનો આભારી છું કે જેમણે આપણા ખેલાડીઓને પોતાનું કૌશલ્ય દેખાડવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અફઘાનિસ્તાનમાં જે શ્રેષ્ઠ છે રાશિદ તેનું પ્રતિનિધિત્વ કરે છે. તે ક્રિકેટની દુનિયાની એસેટ છે અને તેની સાથે તેમણે થોડા મજાકના અંદાજમાં એ પણ લખ્યું કે નહીં અમે એને કોઈને આપી દઈએ. આ મેચ આપણા બધા માટે એક યાદગાર મેચ રહેશે. આ તો પહેલી મેચ હતી તેથી યાદ રહેવી ઘણું સ્વાભાવિક છે પરંતુ મને એ મેચ કોઈ વિશેષ કારણથી યાદ રહેશે. ભારતીય ટીમે કંઈક એવું કર્યું, જે આખા વિશ્વ માટે એક ઉદાહરણ છે. ભારતીય ટીમે ટ્રોફી લેતી વખતે એક વિજેતા ટીમ શું કરી શકે છે, તે તેમણે કર્યું. ભારતીય ટીમે ટ્રોફી લેતી વખતે અફઘાનિસ્તાનની ટીમ જે પહેલીવાર આંતરરાષ્ટ્રિય મેચ રમી રહી હતી, અફઘાનિસ્તાનની ટીમને આમંત્રિત કરી અને બંને ટીમોએ સાથે ફોટો પડાવ્યો. Sportsman spirit શું હોય છે, Sportsmanship શું હોય છે – આ એક ઘટનાથી આપણે અનુભવ કરી શકીએ છીએ. રમત સમાજને એક કરવા તેમજ આપણા યુવાનોમાં જે કૌશલ છે, તેમનામાં જે પ્રતિભા છે તેને શોધવાનો એક બહુ સારો ઉપાય છે. ભારત અને અફઘાનિસ્તાન બંને ટીમોને મારી શુભકામનાઓ છે. મને આશા છે કે અમે આગળ પણ આવી જ રીતે એકબીજા સાથે, પૂરા Sportsman spirit સાથે રમીશું પણ અને ખીલશું પણ.
મારા પ્રિય દેશવાસીઓ આ 21 જૂને ચોથા યોગ દિવસ પર એક અલગ જ નજારો હતો. આખી દુનિયા એકસાથે નજરે પડી. વિશ્વભરમાં લોકોએ પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે યોગાભ્યાસ કર્યો. Brusselsમાં Europian Parliament હોય, ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રનું મુખ્યાલય હોય, જાપાની નૌ-સેનાના લડાકૂ જહાજ હોય, દરેક જગ્યાએ લોકો યોગ કરતા નજરે પડ્યા. સાઉદી અરેબિયામાં પહેલીવાર યોગનો ઐતિહાસિક કાર્યક્રમ થયો અને મને કહેવામાં આવ્યું કે ઘણાં બધા આસનોના demonstration તો મહિલાઓએ કર્યું. લદ્દાખના ઉંચા બર્ફિલા શિખરો પર ભારત અને ચીનના સૈનિકોએ એકસાથે મળીને યોગાભ્યાસ કર્યો. યોગ બધી સીમાઓને તોડીને, જોડવાનું કામ કરે છે. સેંકડો દેશોના હજારો ઉત્સાહી લોકોએ જાતિ, ધર્મ, ક્ષેત્ર, રંગ અથવા લિંગ, દરેક પ્રકારના ભેદભાવથી ઉપર જઈને આ અવસરને એક ઘણો મોટો ઉત્સવ બનાવી દીધો. જો દુનિયાભરના લોકો આટલા ઉત્સાહિત થઈને યોગ દિવસના કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા હતા તો ભારતમાં તેનો ઉત્સાહ અનેક ગણો કેમ નહીં હોય.
દેશને ગર્વ થાય છે, જ્યારે સવા સો કરોડ લોકો જુએ છે કે અમારા દેશના સુરક્ષા બળના જવાનોએ નૌ-સેના, થલસેના તેમજ વાયુસેના ત્રણેય જગ્યાએ યોગનો અભ્યાસ કર્યો. કેટલાક વીર સૈનિકોએ ક્યાંક સબમરીનામાં યોગ કર્યો, તો કેટલાક સૈનિકોએ સિયાચીનમાં બરફના પહાડો પર યોગાભ્યાસ કર્યો. વાયુસેનાના આપણા યોદ્ધાઓએ તો આકાશની વચ્ચે, ધરતીથી 15 હજાર ફૂટની ઉંચાઈ પર યોગાસન કરીને બધાને સ્તબ્ધ કરી દીધા. જોવાનો નજારો એ હતો કે તેમણે વિમાનમાં બેસીને નહીં પરંતુ હવામાં તરતા યોગ કર્યા. સ્કૂલ હોય, કોલેજ હોય, કાર્યાલય હોય, પાર્ક હોય, ઉંચી ઈમારત હોય કે રમતગમતનું મેદાન હોય, દરેક જગ્યાએ યોગાભ્યાસ થયો. અમદાવાદનું એક દ્રશ્ય તો હ્રદય સ્પર્શી હતું. ત્યાં લગભગ 750 દિવ્યાંગ ભાઈ-બહેનોએ એક સ્થળ પર, એક સાથે ભેગા યોગાભ્યાસ કરીને વિશ્વ કિર્તિમાન સ્થાપિત કર્યો. યોગે જાતિ, પંથ અને ભૂગોળથી પણ આગળ જઈને વિશ્વભરના લોકોને ભેગા કરવાનું કામ કર્યું છે. વસુધૈવ કુટુંબકમ ના જે ભાવને આપણે સદીયોથી જીવતા આવ્યા છીએ. આપણા ઋષિ, મુનિ, સંત જેના પર હંમેશા જોર આપતા હતા, યોગે તેને સાચી રીતે સિદ્ધ કરીને દેખાડ્યું. હું માનું છું કે આજેયોગ એકwellness, revolution નું કામ કરી રહ્યું છે. હું આશા કરું છું કે યોગ થી wellnessની જે ચળવળ ચાલી છે, તે આગળ વધશે. વધારેમાં વધારે લોકો તેને પોતાના જીવનનો હિસ્સો બનાવશે.
મારા પ્રિય દેશવાસીઓ. My Gov અને નરેન્દ્ર મોદી એપ પર કેટલાય લોકોએ મને લખ્યું કે હું આ વખતે ‘મન કી બાત’માં 1 જુલાઈએ આવનારા ‘ડોક્ટર્સ ડે’ વિશે વાત કરું – સાચી વાત છે. આપણે મુસીબતના સમયમાં જ ડોક્ટરને યાદ કરીએ છીએ પરંતુ આ એક એવો દિવસ છે જ્યારે દેશ આપણા ડોક્ટર્સની ઉપલબ્ધિઓની ઉજવણી કરે છે અને સમાજ પ્રત્યે તેમની સેવા અને સમર્પણ માટે તેમને બહુ જ ધન્યવાદ આપે છે. આપણે એ લોકો છીએ જે સ્વાભાવતઃ માં ને ભગવાનના રૂપમાં પૂજીએ છીએ, ભગવાનની બરાબર માનીએ છીએ કારણે કે માં આપણને જીવન આપે છે. માં આપણને જન્મ આપે છે, તો કેટલીકવાર ડોક્ટર આપણને પુનઃ જન્મ આપે છે. ડોક્ટરની ભૂમિકા માત્ર બિમારીઓનો ઈલાજ કરવા સુધી સીમિત નથી. હંમેશા ડોક્ટર પરિવારના મિત્ર જેવા હોય છે. આપણા Lifestyle Guides છે, – “They not only cure but also heal”. આજે ડોક્ટર્સ પાસે Medical expertise તો હોય જ છે સાથે જ તેમની પાસે general life style trendsવિશે, તેનો આપણા સ્વાસ્થ્ય પર શું પ્રભાવ પડે છે, તે બધા વિશે બહુ ઉંડો અનુભવ હોય છે. ભારતીય ડોક્ટરોએ પોતાની ક્ષમતા અને કૌશલથી આખા વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. Medical professionમાં મહારથ, hardworking ની સાથે સાથે આપણા ડોક્ટર complex medical problems ને ઉકેલવા માટે પણ જાણીતા છે. મન કી બાત ના માધ્યથી હું દરેક દેશવાસીઓની તરફથી આપણા બધા ડોક્ટર સાથીઓને આગામી 1 જુલાઈએ આવનારા ‘ડોક્ટર્સ ડે’ની અઢળક શુભેચ્છા આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ. આપણે એવા ભાગ્યશાળી લોકો છીએ જેનો આ ભારત ભૂમિમાં જન્મ થયો છે. ભારત એક એવો સમૃદ્ધ ઈતિહાસ રહ્યું છે, જ્યારે કોઈ એવો મહિનો નહીં હોય, કોઈ એવો દિવસ નહીં હોય, જેમાં કોઈને કોઈ ઐતિહાસિક ઘટના ન ઘટી હોય. જોઈઓ તો ભારતમાં દરેક જગ્યાનો પોતાનો એક વારસો છે. ત્યાંથી જોડાયેલા કોઈ સંત છે, કોઈ મહાપુરુષ છે, કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ છે, દરેકનું પોતપોતાનું યોગદાન છે, પોતાનું મહાત્મ્ય છે.
“પ્રધાનમંત્રી જી નમસ્કાર. હું ડો. સુરેન્દ્ર મિશ્ર બોલું છું. અમને ખબર પડી છે કે 28 જૂને આપ મગહર આવી રહ્યા છો. હું મગહરની બાજુમાં જ એક નાના ગામ તડવા, જે ગોરખપુરમાં છે, ત્યાંનો રહેવાસી છું. મગહર કબીરનું સમાધી સ્થળ છે અને કબીરને લોકો અહીં સામાજિક સમરસતા માટે યાદ રાખે છે અને કબીરના વિચારો પર દરેક સ્તરે ચર્ચા થાય છે. આપની કાર્યયોજનાથી આ દિશામાં સમાજના દરેક સ્તર પર ઘણો પ્રભાવ પડશે. આપને પ્રાર્થના છે કે ભારત સરકારની જે કાર્યયોજના છે, તેના વિશે અવગત કરાવવા કૃપા કરશો. ”
આપના ફોન કોલ માટે ખૂબ-ખૂબ ધન્યવાદ. એ સાચું છે કે હું 28 તારીખે મગહર આવી રહ્યો છું અને આમ પણ જ્યારે હું ગુજરાતમાં હતો, ગુજરાતનો કબીરવડ તો આપ જાણતા જ હશો. જ્યારે હું ત્યાં કામ કરતો હતો, તો મેં એક સંત કબીરની પરંપરાથી જોડાયેલા લોકોનું એક બહુ મોટું રાષ્ટ્રિય અધિવેશન કર્યું હતું. તમે લોકો જાણો છો, કબીરદાસજી મગહર કેમ આવ્યા હતા? એ સમયે એક ધારણા હતી કે મગહરમાં જેનું મૃત્યુ થાય, તે સ્વર્ગ નથી જતા. તેનાથી ઉંધું કાશીમાં જે શરીર ત્યાગ કરે છે, તે સ્વર્ગમાં જાય છે. મગહરને અપવિત્ર માનવામાં આવતું હતું પરંતુ સંત કબીરદાસ તેના પર વિશ્વાસ નહોતા કરતા. તેમના સમયની આવી જ કુરીતિઓ અને અંધવિશ્વાસને તેમણે તોડવાનું કામ કર્યું અને તેથી તેઓ મગહર ગયા અને ત્યાંજ તેમણે સમાધી લીધી. સંત કબીરદાસજીએ તેમની સાખીઓ તેમજ દોહાના માધ્યમથી સામાજિક સમાનતા, શાંતિ અને ભાઈચારા પર ભાર આપ્યો. તે તેમના આદર્શ હતા. તેમની રચનાઓમાં આપણને આ જ આદર્શો જોવા મળે છે અને આજના યુગમાં પણ તે એટલા જ પ્રેરક છે. તેમનો એક દોહા છેઃ-
“કબીર સોઈ પીર હૈ, જો જાને પર પીર
જો પર પીર ન જાનહી, સો કા પીર મેં પીર”
તેનો મતલબ કે સાચો પીર સંત એ જ છે જે બીજાની પીડા ને જાણતો હોય અને સમજતો હોય, જે બીજાના દુઃખને નથી જાણતા તે નિષ્ઠુર છે. કબીરદાસજીએ સામાજિક સમરસતા પર વિશેષ ભાર આપ્યો હતો. તેઓ પોતાના સમયથી ઘણું આગળનું વિચારતા હતા. તે સમય જ્યારે વિશ્વમાં પડતી અને સંઘર્ષનો સમય ચાલી રહ્યો હતો, તેમણે શાંતિ અને સદભાવનો સંદેશ આપ્યો અને લોકમાનસને એક કરીને મતભેદોને દૂર કરવાનું કામ કર્યું.
“જગ મેં બૈરી કોઈ નહીં, જો મન શીતલ હોય,
યહ આપા તો ડાલ દે, દયા કરે સબ કોય”
અન્ય દોહામાં કબીર લખે છે કે,
“જહાં દયા તહં ધર્મ હૈ, જહાં લોભ તહં પાપ,
જહાં ક્રોધ તહં કાલ હૈ, જહાં ક્ષમા તહં આપ”.
તેમણે કહ્યું,
“જાતિ ન પૂછો સાધૂ કી, પૂછ લીજિયે જ્ઞાન”
અને લોકોને અપીલ કરી કે તેઓ ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને લોકોને જ્ઞાનના આધાર પર માને, તેમનું સન્માન કરે, તેમની વાતો આજે સદિઓ બાદ પણ તેટલી જ પ્રભાવી છે. અત્યારે જ્યારે આપણે સંત કબીરદાસજી વિશે વાત કરી રહ્યા છીએ તો મને તેમનો એક દોહા યાદ આવે છે. જેમાં તેઓ કહે છે,
“ગુરુ ગોવિન્દ દોઉ ખડે, કાકે લાગું પાય
બલિહારી ગુરુ આપને, ગોવિન્દ દિયો બતાય.”
આવી હોય છે આ ગુરુની મહાનતા અને એવા જ એક ગુરુ છે જગતગુરુ- ગુરુનાનક દેવ જેમણે કરોડો લોકોને સન્માર્ગ દેખાડ્યો, સદીઓથી પ્રેરણા આપતા રહ્યા છે. ગુરુ નાનક દેવે સમાજમાં જાતીગત ભેદભાવને પૂરા કરવા અને આખી માનવજાતીને એક માનીને તેમને ગળે લગાડવાની શિક્ષા આપી. ગુરુ નાનક દેવ કહેતા હતા કે ગરીબો અને જરૂરિયાતવાળાઓની સેવા જ ભગવાનની સેવા છે. તેઓ જ્યાં પણ ગયા તેમણે સમાજની ભલાઈ માટે કેટલીયે પહેલ કરી. સામાજિક ભેદભાવથી મુક્ત રસોઈની વ્યવસ્થા જ્યાં દરેક જાતિ, પંત, ધર્મ કે સંપ્રદાયનો વ્યક્તિ આવીને ખાવાનું ખાઈ શકે છે. ગુરુ નાનક દેવે જ તો આ લંગર વ્યવસ્થાની શરૂઆત કરી હતી. 2019માં ગુરુ નાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ મનાવવામાં આવશે. હું ઈચ્છું છું કે આપણે બધા લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે તેની સાથે જોડાઈએ. તમારા લોકોથી પણ મારો આગ્રહ છે કે ગુરુ નાનક દેવ જીના 550 મા પ્રકાશ પર્વ પર આખા સમાજમાં અને વિશ્વભરમાં તેને કેવી રીતે મનાવાય, નવા-નવા આઈડીયા કયા હોય, નવા-નવા વિચારો કયા હોય, નવી-નવી કલ્પનાઓ કઈ હોય, તેના પર આપણે વિચારીએ, તૈયારી કરીએ અને ઘણાં ગૌરવ સાથે તેને આપણે બધા, આ પ્રકાશ પર્વને પ્રેરણા પર્વ બનાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ. ભારતની આઝાદીનો સંઘર્ષ ઘણો લાંબો છે, બહુ વ્યાપક છે, બહુ ઉંડો છે, અગણિત શહિદીઓથી ભરેલો છે. પંજાબથી જોડાયેલો એક ઈતિહાસ છે. 2019માં જલિયાવાલા બાગની એ ભયાનક ઘટનાના પણ 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે જેને માનવતાને શરમમાં મૂકી દીધી હતી. 13 એપ્રિલ 1919નો એ કાળો દિવસ કોણ ભૂલી શકે છે જ્યારે પાવરનો દુરુપયોગ કરતાં ક્રૂરતાની બધી હદ પાર કરીને નિર્દોષ, હથિયાર વગરના અને માસૂમ લોકો પર ગોળીઓ ચલાવાઈ હતી. આ ઘટનાના 100 વર્ષ પૂરા થવાના છે. એનું આપણે સ્મરણ કરીએ, આપણે બધા તેના પર વિચાર કરી શકીએ છીએ, પરંતુ આ ઘટનાએ જે અમર સંદેશ આપ્યો, તેને આપણે હંમેશા યાદ રાખીએ. આ હિંસા અને ક્રૂરતાથી ક્યારેય પણ કોઈ સમસ્યાનું સમાધાન નથી કરી શકાતું. જીત હંમેશા શાંતિ અને અહિંસાની થાય છે, ત્યાગ અને બલિદાનની થાય છે.
મારા પ્રિય દેશવાસીઓ. દિલ્હીના રોહિણીના શ્રીમાન રમણ કુમારે નરેન્દ્ર મોદી મોબાઇલ એપ પર લખ્યું છે કે આવનારી 6 જુલાઈએ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મદિવસ છે અને તેઓ ઈચ્છે છે કે આ કાર્યક્રમમાં ડો.શ્યામા પ્રસાદ મુખર્જી વિશે દેશવાસીઓ સાથે વાત કરું. રમણજી સૌથી પહેલાં તો તમને ખૂબ-ખૂબ ધન્યવાદ. ભારતના ઈતિહાસમાં તમારી રૂચી જોઈને ઘણું સારું લાગ્યું. તમે જાણો છો, કાલે જ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ હતી 23 જૂને. ડો. શ્યામા પ્રસાદ મુખર્જી કેટલાય ક્ષેત્રો સાથે જોડાયેલા રહ્યા પરંતુ જે ક્ષેત્રો તેમનાથી સૌથી નજીક રહ્યા તે હતા education, administrations અને parliamentary affairs. બહુ ઓછા લોકોને ખબર હશે કે કોલકાતા વિશ્વવિદ્યાલયના સૌથી ઓછી ઉંમરના વાઈસ ચાન્સેલર હતા. જ્યારે તેઓ વાઈસ ચાન્સેલર બન્યા હતા ત્યારે તેમની ઉંમર માત્ર 33 વર્ષ હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે 1937માં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના નિમંત્રણ પર શ્રી ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે કોલકાતા વિશ્વવિદ્યાલયમાં convocation ને બાંગ્લા ભાષામાં સંબોધિત કર્યું હતું. એ પહેલો અવસર હતો, જ્યારે અંગ્રેજોની સલ્તનત હતી અને કોલકાતા વિશ્વવિદ્યાલયમાં કોઈએ બાંગ્લા ભાષામાં convocation ને સંબોધિત કર્યું હતું. 1947 થી 1950 સુધી ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ભારતના પહેલા ઉદ્યોગ મંત્રી રહ્યા અને એક અર્થમાં જોઈએ તો તેમણે ભારતનો અને ઔદ્યોગિક વિકાસનો મજબૂત શિલાન્યાસ કર્યો હતો, મજબૂત base તૈયાર કર્યો હતો, એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું. 1948માં આવેલી સ્વતંત્ર ભારતની પહેલી ઔદ્યોગીક નીતિ તેમના આઈડિયા અને વિઝનની છાપ લઈને આવી હતી. ડો. મુખર્જીનું સપનું હતું, ભારત દરેક ક્ષેત્રમાં ઔદ્યોગિક રૂપથી આત્મનિર્ભર હોય, કુશળ અને સમૃદ્ધ હોય. તેઓ ઈચ્છતા હતા કે ભારત મોટા ઉદ્યોગોને ડેવેલપ કરે અને સાથે જ MSME, હાથશાળ, વસ્ત્ર અને કુટિર ઉદ્યોગ પર પણ પૂરું ધ્યાન આપે. કુટિર અને લઘુ ઉદ્યોગોના સારા વિકાસ માટે તેમને ફાઈનાન્સ અને Organization Setup મળે, તેને માટે 1948 થી 1950 વચ્ચે All India Handicrafts Board, All IndiaHandloom Boardઅને Khadi& Village Industries Board ની સ્થાપના કરવામાં આવી હતી. ડો. મુખર્જીના ભારતના રક્ષા ઉત્પાદનના સ્વદેશીકરણ પર પણ વિશેષ ભાર આપ્યો હતો. Chittaranjan Locomotive Works factory, Hindustan Aircraft Factory, સિંદરીનું ખાતરનું કારખાનું અને દામોદર ઘાટી નિગમ, આ ચાર સૌથી સફળ અને મોટા પ્રોજેક્ટ્સ ને અને બીજા River Valley Projectsની સ્થાપનામાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું બહુ મોટું યોગદાન હતું. પશ્ચિમ બંગાળના વિકાસ માટે તેઓ ખૂબ જ સમર્પિત હતા. તેમની સમજ, વિવેક અને સક્રિયતાનું જ પરિણામ છે કે બંગાળનો એક હિસ્સો બચાવી શકાયો અને તે આજે ભારતનો હિસ્સો છે. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી માટે જે સૌથી મહત્વપૂર્ણ વાત જે હતી તે હતી, ભારતની અખંડિતતા અને એકતા – અને તેને માટે 52 વર્ષની ઓછી ઉંમરમાં જ તેમણે પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. આવો, આપણે હંમેશા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના એકતાના સંદેશને યાદ રાખીએ, સદભાવ અને ભાઈચારાની ભાવના સાથે, ભારતની પ્રગતિ માટે જોડાયેલા રહીએ.
મારા પ્રિયે દેશવાસીઓ ગત કેટલાક સપ્તાહમાં મને વીડિયો કોલના માધ્યમથી સરકારની વિભિન્ન યોજાનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. ફાઈલોથી આગળ વધીને લોકોની લાઈફમાં જે ફેરફાર આવી રહ્યા છે, તેના વિશે સીધા તેમની પાસેથી જાણવાનો અવસર મળ્યો. લોકોએ પોતાના સંકલ્પ, પોતાના સુખ-દુઃખ, પોતાની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું. હું માનું છું કે મારા માટે આ માત્ર એક સરકારી કાર્યક્રમ નહોતો પરંતુ એક અલગ રીતનો learning experience હતો અને આ દરમિયાન લોકોના ચહેરા પર જે ખુશીઓ જોવા મળી, તેનાથી મોટી સંતોષની પળ કોઈના જીવનમાં કઈ હોઈ શકે? જ્યારે એક સામાન્ય માનવીની વાત સાંભળતો હતો. તેમના ભોળા શબ્દો પોતાના અનુભવની કથા તેઓ જે કહી રહ્યા હતા, હ્રદયને સ્પર્શી જતી હતી. દૂર-દૂરના ગામોમાં દીકરીઓ common service center ના માધ્યમથી ગામના વૃદ્ધોના પેન્શનથી લઈને પાસપોર્ટ બનાવવા સુધીની સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. જ્યારે છત્તીસગઢની કોઈ બહેન સિતાફળને ભેગા કરીને તેનો આઈસક્રીમ બનાવીને વ્યવસાય કરતી હોય. ઝારખંડમાં અંજન પ્રકાશની જેમ દેશના લાખો યુવાનો જન ઔષધિ કેન્દ્ર ચલાવવાની સાથે સાથે આસપાસના ગામોમાં જઈને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તો પશ્ચિમ બંગાળના કેટલાય નવયુવાનો બે-ત્રણ વર્ષ પહેલા સરકારી નોકરી શોધતા હોય અને હવે તેઓ માત્ર પોતાનો સફળ વ્યવસાય કરી રહ્યા છે, એટલું જ નહીં, દસ-પંદર લોકોને નોકરી પણ આપી રહ્યા છે. તો આ તરફ તમિલનાડુ, પંજાબ, ગોવાની સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાની નાની ઉંમરમાં સ્કૂલની tinkering lab માં વેસ્ટ મેનેજમેન્ટ જેવા important topic પર કામ કરી રહ્યા હોય. ન જાણે કેટ-કેટલીયે વાતો હતી. દેશનો કોઈ ખૂણો એવો નહીં હોય જ્યાં લોકોને પોતાની સફળતાની વાત નહીં કહેવી હોય. મને ખુશી એ વાતની છે કે આ આખા કાર્યક્રમમાં સરકારની સફળતાથી વધારે સામાન્ય માનવીની સફળતાની વાતો દેશની શક્તિ, નવા ભારતના સપનાંની શક્તિ, નવા ભારતના સંકલ્પની શક્તિ – તેનો હું અનુભવ કરી રહ્યો હતો. સમાજમાં કેટલાક લોકો હોય છે. તેઓ જ્યાં સુધી નિરાશાની વાતો ન કરે, હતાશાની વાતો ન કરે, અવિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ ન કરે, જોડવા કરતાં તોડવાના રસ્તા ન શોધે ત્યાં સુધી તેમને ચેન ન પડે. એવા વાતાવરણમાં સામાન્ય માનવી જ્યારે નવી આશા, નવો ઉમંગ અને પોતાના જીવનમાં ઘટેલી ઘટનાઓની વાત લઈને આવે છે તો તે સરકારનો શ્રેય નથી હોતો. દૂર-દૂરના એક નાનાં ગામની નાની બાળકીની ઘટના પણ સવા સો કરોડ દેશવાસીઓ માટે પ્રેરણા બની જાય છે. મારા માટે ટેક્નોલોજીની મદદથી, video bridge ના માધ્યમથી લાભાર્થિઓ સાથે સમય વિતાવવાની એક પળ બહુ જ સુખદ, બહુ જ પ્રેરક રહી છે અને તેનાથી કાર્ય કરવાનો સંતોષ તો મળે જ છે પરંતુ વધુ કાર્ય કરવાનો ઉત્સાહ પણ મળે છે. ગરીબ થી ગરીબ વ્યક્તિ માટે જિંદગી આપવાનો એક નવો આનંદ, એક નવો ઉત્સાહ, વધુ એક નવી પ્રેરણા પ્રાપ્ત થાય છે .
હું દેશવાસીઓનો ઘણો આભારી છું. 40-40, 50-50 લાખ લોકો આ video bridge ના કાર્યક્રમમાં જોડાયા અને મને નવી તાકાત આપવાનું કામ તમે કર્યું. હું ફરી એકવાર તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માગું છું.
મારા પ્રિય દેશવાસીઓ. હું હંમેશા અનુભવ કરું છું, જો આપણે આપણી આસપાસ જોઈએ તો ક્યાંક ને ક્યાંક, કંઈક ને કંઈક સારું હોય છે. સારું કરવાવાળા લોકો હોય છે. સારાપણાની સુગંધ આપણે પણ અનુભવ કરી શકીએ છીએ. ગત દિવસોમાં એક વાત મારા મનમાં આવી અને તે એક અનોખું combination છે. તેમાં એક તરફ જ્યાં પ્રોફેશનલ્સ અને એન્જિનીયર્સ છે તો બીજી તરફ ખેતરમાં કામ કરનારા, ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈ-બહેન છે. હવે તમે વિચારતા હશો કે આ તો બે બિલકુલ અલગ-અલગ વ્યવસાય છે – તેનો શું સંબંધ? પરંતુ એવું છે કે બેંગલુરુમાં corporate professionals, IT engineersસાથે આવ્યા. તેમણે સાથે મળીને એક સહજ સમૃદ્ધિ ટ્રસ્ટ બનાવ્યું છે અને તેમણે ખેડૂતોની આવક બમણી થાય, તેના માટે આ ટ્રસ્ટને activate કર્યું છે. ખેડૂતો સાથે જોડાતા ગયા અને યોજાનઓ બનાવતા ગયા અને ખેડૂતોની આવક વધારવા માટે સફળ પ્રયાસો કરતા રહ્યા. ખેતીના નવી રીત શિખવાડવાની સાથે જૈવિક ખેતી કેવી રીતે કરાય, ખેતરમાં એક પાકની સાથે અન્ય પાક કેવી રીતે ઉગાડાય, તે ટ્રસ્ટ દ્વારા આ professionals, engineers, technocrats દ્વારા ખેડૂતોને training આપવામાં આવી. પહેલા જે ખેડૂત પોતાના ખેતરોમાં એક જ પાક પર નિર્ભર રહેતા હતા. ઉપજ પણ સારી નહોતી થતી અને નફો પણ વધુ નહોતો થતો. આજે તેઓ ન માત્ર શાકભાજી ઉગાડી રહ્યા છે પરંતુ પોતાના શાકભાજીનું માર્કેટિંગ પણ ટ્રસ્ટના માધ્યમથી કરીને સારા ભાવ મેળવી રહ્યા છે. અનાજ ઉત્પાદન કરનારા ખેડૂતો પણ તેનાથી જોડાયેલા છે. એક તરફ પાકના ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ સુધી પૂરી ચેઈનમાં ખેડૂતોની એક પ્રમુખ ભૂમિકા છે તો બીજી તરફ નફામાં ખેડૂતોની ભાગીદારી સુનિશ્ચિત, તેમનો હક સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે. પાક સારો ઉતરે, તેના માટે સારી નસલના બીજ હોય. તેના માટે અલગ સીડ-બેન્ક બનાવવામાં આવી. મહિલાઓ આ સીડ-બેન્કનું કામકાજ જોવે છે. મહિલાઓને પણ જોડવામાં આવી છે. હું આ યુવાનોને આ અભિનવ પ્રયોગ માટે ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું અને મને ખુશી છે કે professionals, technocrats, engineeringની દુનિયા સાથે જોડાયેલા આ નવયુવાનોએ પોતાની સીમાથી બહાર નીકળીને ખેડૂતો સાથે જોડાવું, ગામ સાથે જોડાવું, ખેતરો સાથે જોડાવાનો જે રસ્તો અપનાવ્યો છે. હું ફરી એકવાર મારા દેશની યુવા પેઢીને તેમના આ અભિનવ પ્રયોગોને, થોડું હું કદાચ જાણ્યો હોઈશ, કંઈક નહીં જાણ્યો હોઉં, કેટલાક લોકોને ખબર હશે, કેટલાકને નહીં ખબર હોય, પરંતુ નિરંતર કરોડો લોકો કંઈકને કંઈક સારું કરી રહ્યા છે, તે બધાને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ છે.
મારા પ્રિય દેશવાસીઓ. GST ને એક વર્ષ પૂર્ણ થવાનું છે.‘One Nation, One Tax’ દેશના લોકોનું સપનું હતું, તે આજે હકીકતમાં બદલાઈ ચૂક્યું છે.One Nation, One Tax reform, તેના માટે જો મારે સૌથી વધુ જો કોઈને creditઆપવી હોય તો હું રાજ્યોને credit આપું છું.GST Cooperative federalismનું એક બહુ સારું ઉદાહરણ છે, જ્યાં બધા રાજ્યોએ મળીને દેશહીતમાં નિર્ણય લીધો અને ત્યારે દેશમાં આટલું મોટું ટેક્સ રિફોર્મ લાગુ થઈ શક્યું. અત્યાર સુધી GST Councilની 27 મીટિંગ થઈ છે અને આપણે સૌ ગર્વ કરી શકીએ કે અલગ-અલગ રાજનીતિક વિચારધારાના લોકો ત્યાં બેસે છે, અલગ-અલગ રાજ્યોના લોકો બેસે છે, અલગ અલગ priority વાળા રાજ્યો હોય છે પરંતુ તે ઉપરાંત પણ GST Council માં અત્યારસુધી જેટલા પણ નિર્ણય લેવાયા છે, તે બધા સર્વસહમતિ થી લેવાયા છે. GST થી પહેલા દેશમાં 17 અલગ-અલગ પ્રકારના ટેક્સ હતા પરંતુ આ વ્યવસ્થામાં હવે માત્ર એક જ ટેક્સ આખા દેશમાં લાગુ કરાયો છે.GST ઈમાનદારીની જીત છે અને ઈમાનદારીનો એક ઉત્સવ પણ છે. પહેલા દેશમાં ઘણી વખત ટેક્સના મામલામાં ઈન્સ્પેક્ટરરાજની ફરિયાદો આવતી રહેતી હતી. GSTમાં ઈન્સ્પેક્ટરની જગ્યા IT એટલે કે Information Technology એ લઈ લીધી છે.Return થી લઈને Refund સુધી બધું Online Information Technologyદ્વારા થાય છે. GSTના આવવાથી ચેક પોસ્ટ બંધ થઈ ગઈ અને માલ-સામાનોનું આવન-જાવન ઝડપી થઈ ગયું, જેનાથી ન માત્ર સમય બચી રહ્યો છે પરંતુ Logistics નાક્ષેત્રમાં પણ તેનો ઘણો લાભ મળી રહ્યો છે.GST કદાચ દુનિયાનું સૌથી મોટું ટેક્સ રિફોર્મ હશે. ભારતમાં આટલું મોટું ટેક્સ રિફોર્મ સફળ એટલે થઈ શક્યું કારણ કે દેશના લોકોએ તેને અપનાવ્યું અને જનશક્તિ દ્વારા જ GST ની સફળતા સુનિશ્ચિત થઈ શકી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આટલું મોટું રિફોર્મ, આટલો મોટો દેશ, આટલી મોટી જન સંખ્યા તેને પૂરી રીતે સ્થિર થવામાં 5 થી 7 વર્ષનો સમય લાગે છે પરંતુ દેશના ઈમાનદાર લોકોનો ઉત્સાહ, દેશની ઈમાનદારીનો ઉત્સવ જનશક્તિની ભાગીદારીનું પરિણામ છે કે એક વર્ષની અંદર મોટી માત્રામાં આ નવી કર પ્રણાલી પોતાની જગ્યા બનાવી ચૂકી છે, સ્થિરતા પ્રાપ્ત કરી ચૂકી છે અને આવશ્યકતા અનુસાર પોતાની inbuilt વ્યવસ્થા દ્વારા તે સુધારા પણ કરતી રહે છે.તે પોતાનામાં એક બહુ મોટી સફળતા સવા સો કરોડ દેશવાસીઓએ અર્પણ કરી છે.
મારા પ્રિય દેશવાસીઓ. ફરી એકવાર મન કી બાત ને પૂર્ણ કરતાં હવે પછીના મન કી બાતની રાહ જોઈ રહ્યો છું, તમને મળવાની, તમારી સાથે વાતો કરવાની. તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ.
ખૂબ-ખૂબ ધન્યવાદ.

નમસ્કાર! ‘મન કી બાત’ના માધ્યમથી ફરી એક વાર તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. તમને લોકોને સારી રીતે યાદ હશે કે નૌ સેનાની છ મહિલા કમાન્ડરોનું એક દળ ગત કેટલાય મહિનાઓથી સમુદ્રની યાત્રા પર હતું. ‘નાવિકા સાગર પરિક્રમા’- જી, હું તેના વિષયમાં કેટલીક વાતો કરવા માગું છું. ભારતની આ છ દીકરીઓએ, તેમની આ ટીમે બસ્સો ચોપન દિવસોથી વધુ દિવસો સમુદ્રના માધ્યમથી INSV તારિણીમાં આખી દુનિયાની યાત્રા કરી 21 મેએ ભારત પાછી ફરી છે અને સમગ્ર દેશે તેમનું ખૂબ જ ઉષ્માભેર રીતે સ્વાગત કર્યું. તેમણે વિભિન્ન મહાસાગરો, અને અનેક સમુદ્રમાં યાત્રા કરતા, લગભગ બાવીસ હજાર નૉટિકલ માઇલનું અંતર કાપ્યું. વિશ્વમાં આ પ્રકારની આ પહેલી ઘટના હતી. ગત બુધવારે મને આ બધી દીકરીઓને મળવાનો, તેમના અનુભવો સાંભળવાનો અવસર મળ્યો. હું ફરી એક વાર આ દીકરીઓને, તેમના ઍડ્વેન્ચરને, નેવીની પ્રતિષ્ઠાને વધારવા માટે, ભારતનું માન-સન્માન વધારવા માટે અને ખાસ કરીને વિશ્વને પણ લાગે કે ભારતની દીકરીઓ પણ કમ નથી- આ સંદેશ પહોંચાડવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. Sense of adventure કોણ નથી જાણતું. જો આપણે માનવ જાતિની વિકાસ યાત્રા જોઈએ તો કોઈ ને કોઈ adventureની કોખમાંથી જ પ્રગતિનો જન્મ થયો છે. વિકાસ, adventureની ગોદમાંથી જ તો જન્મ લે છે. કંઈક કરવાનો ઈરાદો, પરંપરાથી હટીને કંઈક કરવાનો સંકલ્પ, કંઈક અસાધારણ કરવાની વાત, હું પણ કંઈક કરી શકું છું- આવી ધગશ રાખનારા ભલે ઓછા હોય, પરંતુ યુગો સુધી, કોટિકોટિ લોકોને પ્રેરણા મળી રહે છે. ગત દિવસોમાં તમે જોયું હશે કે માઉન્ટ ઍવરેસ્ટ પર ચડનારાઓના વિષયમાં, કેટલીક નવી-નવી વાતો ધ્યાનમાં આવી છે અને સદીઓથી એવરેસ્ટ, માનવ જાતિને લલકારતો રહ્યો અને બહાદુર લોકો તે પડકારને સ્વીકારતા પણ રહ્યા છે.
16 મે એ મહારાષ્ટ્રના ચંદ્રપુરની એક આશ્રમ શાળાનાં પાંચ આદિવાસી બાળકો-મનીષા ધુર્વે, પ્રમેશ આલે, ઉમાકાન્ત મડવી, કવિદાસ કાતમોડે, વિકાસ સોયામ- આ આપણાં આદિવાસી બાળકોના એક દળે દુનિયાના સૌથી ઊંચા શિખર પર ચડાઈ કરી. આશ્રમ શાળાના આ વિદ્યાર્થીઓએ ઑગસ્ટ 2017માં ટ્રેનિંગ શરૂ કરી હતી. વર્ધા, હૈદરાબાદ, દાર્જિલિંગ, લેહ, લદ્દાખ- ત્યાં તેમની ટ્રેનિંગ થઈ. આ યુવાઓને ‘મિશન શૌર્ય’ હેઠળ પસંદ કરવામાં આવ્યા અને નામને અનુરૂપ એવરેસ્ટ સર કરીને, તેમણે સમગ્ર દેશને ગૌરવાન્વિત કર્યો છે. હું ચંદ્રપુરની શાળાના લોકોને, મારા આ નાના સાથીઓને, હૃદયથી ખૂબ જ અભિનંદન આપું છું. હાલમાં જ 16 વર્ષીય શિવાંગી પાઠક, નેપાળની તરફથી એવરેસ્ટ સર કરનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા બની. બેટી શિવાંગીને ખૂબ ખૂબ અભિનંદન.
અજિત બજાજ અને તેમની પુત્રી દીયા એવરેસ્ટ સર કરનારી પહેલી ભારતીય પિતા-પુત્રની જોડી બની ગઈ. એવું નથી કે માત્ર યુવાનો જ એવરેસ્ટની ચડાઈ કરી રહ્યા છે. સંગીતા બહેલે 19 મેએ એવરેસ્ટની ચડાઈ કરી અને સંગીતા બહલની ઉંમર 50થી પણ વધુ છે. એવરેસ્ટ પર ચડાઈ કરનારા કેટલાક એવા પણ છે જેમણે દેખાડ્યું કે તેમની પાસે ન માત્ર કૌશલ્ય છે, પરંતુ સાથે તેઓ સંવેદનશીલ પણ છે. હમણાં ગત દિવસોમાં જ ‘સ્વચ્છ ગંગા અભિયાન’ હેઠળ બીએસએફના એક જૂથે એવરેસ્ટની ચડાઈ કરી, આ સમગ્ર ટીમ એવરેસ્ટનો ઘણો બધો કચરો નીચે ઉતારી લાવી છે. આ કાર્ય પ્રશંસનીય તો છે જ પરંતુ સાથેસાથે તે સ્વચ્છતા પ્રત્યે પર્યાવરણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે. વર્ષોથી લોકો એવરેસ્ટની ચડાઈ કરતા રહ્યા છે અને એવા અનેક લોકો છે જેમણે સફળતાપૂર્વક તે પૂરી કરી છે. હું આ બધા સાહસવીરોને, ખાસ કરીને દીકરીઓને, હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, અને ખાસ કરીને મારા નવયુવાન દોસ્તો! હમણાં બે મહિના પહેલાં જ્યારે મેં fit India ની વાત કરી હતી તો મેં વિચાર્યું નહોતું કે તેના પર આટલો બધો સારો પ્રતિભાવ મળશે. આટલી મોટી સંખ્યામાં દરેક ક્ષેત્રના લોકો તેના સમર્થનમાં આગળ આવશે. જ્યારે હું fit Indiaની વાત કરું છું તો હું માનું છું કે આપણે જેટલું રમીશું તેટલો જ દેશ રમશે. સૉશિયલ મિડિયા પર લોકો ફિટનેસ ચેલેન્જનો વિડિયો શૅર કરી રહ્યા છે, તેમાં એક બીજાને ટૅગ કરીને તેમને ચૅલેન્જ કરી રહ્યા છે. Fit Indiaના આ અભિયાનમાં આજે દરેક જણ જોડાઈ રહ્યો છે. ચાહે તે ફિલ્મની સાથે જોડાયેલા લોકો હોય, ખેલ જગત સાથે જોડાયેલા લોકો હોય કે દેશના સામાન્ય લોકો, સેનાના જવાન હોય, સ્કૂલના શિક્ષક હોય, ચારે તરફ એક જ ગૂંજ સંભળાય છે- ‘હમ ફિટ તો ઇન્ડિયા ફિટ’. મારા માટે ખુશીની વાત એ છે કે મને પણ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ચેલેન્જ આપી છે અને મેં તે ચૅલેન્જને સ્વીકારી છે. હું માનું છું કે આ ખૂબ સારી વાત છે અને આ પ્રકારની ચૅલેન્જ આપણને ફિટ રાખવામાં અને બીજાને પણ ફિટ રહેવા માટે પ્રોત્સાહિત કરશે.
મારા પ્રિય દેશવાસીઓ! ‘મન કી બાત’માં અનેક વાર ખેલના સંબંધમાં, ખેલાડીઓના સંબંધમાં, કંઈ ને કંઈ વાતો તમે મારી પાસેથી સાંભળી છે અને ગત વખતે તો રાષ્ટ્રકુળ રમતોના આપણા નાયક, પોતાના મનની વાત. આ કાર્યક્રમના માધ્યમથી કહી રહ્યા હતા-
“નમસ્કાર સર! હું છવિ યાદવ નોએડાથી બોલું છું. હું આપના ‘મન કી બાત’ને નિયમિત સાંભળું છું અને આજે તમને પોતાના મનની વાત કરવા માગું છું. આજકાલ ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું છે અને એક માતા હોવાના નાતે હું જોઈ રહી છું કે બાળકો મોટા ભાગે ઇન્ટરનેટ ગેમ્સ રમ્યા રાખે છે. અમે જ્યારે નાનાં હતાં ત્યારે અમે પરંપરાગત રમતો, જે ઘરની બહારની રમતો હોતી હતી, તે રમતાં હતાં, જેમ કે એક રમત હતી જેમાં સાત પથ્થરના ટુકડા. એકની ઉપર એક રાખીને તેને દડાથી મારતા હતા અને ઊંચ-નીચ થતી હતી, ખોખો, આ બધી રમતો આજકાલ ખોવાઈ ગઈ છે. મારું નિવેદન છે કે તમે આજકાલની પેઢીને પરંપરાગત રમતો વિશે કંઈક જણાવો, જેથી તેમની પણ રૂચિ તે તરફ વધે. ધન્યવાદ. “
છવિ યાદવજી, તમારા ફૉન કૉલ માટે તમારો ખૂબ જ આભાર. એ વાત સાચી છે કે જે રમતો ક્યારેક ગલી-ગલી, દરેક બાળકના જીવનનો હિસ્સો રહેતો હતો, તે આજે ગૂમ થઈ રહી છે. આ રમતો ખાસ કરીને ઉનાળાના વેકેશનનો વિશેષ હિસ્સો રહેતો હતો. ક્યારેક ભર બપોરે, ક્યારેક રાત્રે જમ્યા પછી, કોઈ ચિંતા વગર, બિલકુલ નિશ્ચિંત થઈને બાળકો કલાકોના કલાકો સુધી રમ્યા કરતા હતા અને કેટલીક રમતો તો એવી પણ છે જે આખો પરિવાર સાથે રમતો હતો- સાતોલીયું હોય કે લખોટી હોય, ખો ખો હોય, ભમરડો હોય કે મોઇ દાંડિયા (ગિલ્લી ડંડા) હોય, ન જાણે…કેટલીય અગણિત રમતો કાશ્મીરથી લઈને કન્યાકુમારી, કચ્છથી લઈને કામરૂપ સુધી હર કોઈ વ્યક્તિના બાળપણનો હિસ્સો રહેતો હતો. હા, એમ બની શકે કે અલગ-અલગ જગ્યાએ તે અલગ-અલગ નામોથી જાણીતી હતી. કોઈ તેને લાગોરી, સાતોલિયા, સાત પથ્થર, ડિકોરી, સતોદિયા, ન જાણે કેટલાંય નામો છે એક જ રમતનાં. પરંપરાગત રમતોમાં બે પ્રકારની રમતો છે. ઘરની બહાર પણ છે અને ઘરની અંદર પણ છે. આપણા દેશની વિવિધતાની પાછળ છુપાયેલી એકતા આ રમતોમાં પણ જોવા મળી શકે છે. એક જ રમત અલગ-અલગ જગ્યાએ, અલગ-અલગ નામોથી જાણીતી છે. હું ગુજરાતનો છું. મને ખબર છે કે ગુજરાતમાં એક રમત છે. તે કોડીઓ અથવા આંબલીના બીજ અથવા પાસા સાથે અને 8X8ના ચોરસ બૉર્ડ સાથે રમાય છે. આ રમત લગભગ દરેક રાજ્યમાં રમાતી હતી. કર્ણાટકમાં તેને ચૌકાબારા કહેવાતી હતી, મધ્ય પ્રદેશમાં અત્તુ. કેરળમાં પકીડાકાલી તો મહારાષ્ટ્રમાં ચંપલ, તો તમિલનાડુમાં દાયામ અને થાયામ, તો રાજસ્થાનમાં ચંગાપો…ન જાણે કેટલાંય નામો હતાં. પરંતુ રમ્યા પછી ખબર પડે છે કે દરેક રાજ્યવાળાની ભાષા ભલે જાણતા ન હોય – અરે વાહ! આ રમત તો અમે પણ રમતા હતા. આપણામાંથી કોણ એવું હશે જેણે બાળપણમાં મોઇ દાંડિયા (ગિલ્લી ડંડા) નહીં રમ્યા હોય? મોઈ દાંડિયા (ગિલ્લી ડંડા) તો ગામડાંથી લઈને શહેરો સુધી રમાતી રમત છે. દેશના અલગ-અલગ ભાગોમાં તેને અલગ-અલગ નામોથી જાણવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં તેને ગોટિબિલ્લા અથવા કર્રાબિલ્લા નામથી ઓળખવામાં આવે છે. ઉડીશામાં તેને ગુલિબાડી કહે છે તો મહારાષ્ટ્રમાં તેને વિત્તિડાલુ કહે છે. કેટલીક રમતોની પોતાની એક ઋતુ રહેતી હતી. જેમ કે પતંગ ચગાવવાની પણ એક ઋતુ હોય છે. જ્યારે બધા જ પતંગ ઉડાડતા હોય જ્યારે આપણે રમીએ છીએ આપણામાં જે અનોખા ગુણો હોય છે તેને આપણે મુક્તમને અભિવ્યક્ત કરી શકીએ છીએ. તમે જોયું હશે કે અનેક બાળકો શરમાળ સ્વભાવના હોય છે પરંતુ રમતી વખતે ખૂબ જ ચંચળ થઈ જાય છે. પોતાને અભિવ્યક્ત કરે છે, મોટા જે ગંભીર દેખાતા હોય છે, રમતી વખતે તેમનામાં જે એક બાળક છુપાયેલું હોય છે તે બહાર આવી જાય છે. પરંપરાગત રમતો કંઈક એવી રીતે બની છે કે શારીરિક ક્ષમતાની સાથેસાથે આપણી તર્કબદ્ધ વિચારસરણી, એકાગ્રતા, સજગતા, સ્ફૂર્તિને પણ વધારે છે. અને રમત માત્ર રમત નથી હોતી, તે જીવનનાં મૂલ્યો પણ શીખવાડે છે. લક્ષ્ય નક્કી કરવું, દૃઢતા કેવી રીતે કેળવવી, સંઘભાવના કેવી રીતે જગાવવી, પરસ્પર સહયોગ કેવી રીતે કરવો. ગત દિવસોમાં હું જોઈ રહ્યો હતો કે બિઝનેસ મેનેજમેન્ટ સાથે જોડાયેલા ટ્રેનિંગ પ્રૉગ્રામોમાં પણ ઑવરઑલ પર્સનાલિટી ડૅવલપમેન્ટ અને ઇન્ટરપર્સનલ સ્કિલ્સમાં સુધારા માટે પણ, આપણી જે પરંપરાગત રમતો હતી તેનો આજકાલ ઉપયોગ કરવામાં આવે છે અને ઘણી સરળતાથી ઑવરઑલ ડેવલપમેન્ટમાં આપણી રમતો કામમાં આવે છે અને આ રમતો રમવા માટે કોઈ ઉંમરનો બાધ તો નથી જ ને. બાળકોથી લઈને દાદાદાદી, નાનાનાની, જ્યારે બધા રમે છે તો પેલું જે કહેવાય છે ને કે જનરેશન ગેપ, તે તો ક્યાંય છૂમંતર થઈ જાય છે. અનેક રમતો આપણને સમાજ, પર્યાવરણ વગેરે વિશે પણ જાગરુક કરે છે. ક્યારેક ક્યારેક ચિંતા થાય છે કે ક્યાંક આપણી આ રમતો ગૂમ ન થઈ જાય અને માત્ર રમતો જ ગૂમ નહીં થાય, સાથે બાળપણ પણ ક્યાંક ગૂમ થઈ જશે અને પછી આ કવિતાઓને આપણે સાંભળતા હોઈશું-
યે દૌલત ભી લે લો,
યે શૌહરત ભી લે લો,
ભલે છીન લો મુઝસે મેરી જવાની,
મગર મુઝકો લોટા દો બચપન કા સાવન
વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની
આ ગીત આપણે સાંભળતા રહી જઈશું અને આથી જ આ પરંપરાગત રમતો, તેને ખોવી નથી. આજે આવશ્યકતા છે કે શાળા, શેરીઓ, યુવા મંડળ વગેરે આગળ આવીને આ રમતોને પ્રોત્સાહન આપે. Crowd sourcing દ્વારા આપણે પોતાની પરંપરાગત રમતોનો એક બહુ મોટો સંગ્રહ (Archive) બનાવી શકીએ છીએ. આ રમતોના વિડિયો બનાવી શકાય. એનિમેશન ફિલ્મો પણ બનાવી શકાય છે જેથી આપણી જે નવી પેઢી છે તેમના માટે આ ગલીઓમાં રમાતી રમતો ક્યારેક આશ્ચર્યનો વિષય હોય છે- તેને તેઓ જોશે, રમશે અને ખિલશે.
મારા પ્રિય દેશવાસીઓ! આગામી પાંચ જૂને આપણો દેશ સત્તાવાર રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન બનશે. ભારત માટે તે એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે અને જળવાયુ પરિવર્તનને ઘટાડવા માટેની દિશામાં વિશ્વમાં ભારતના વધતા નેતૃત્વને પણ સ્વીકૃતિ મળી રહી છે- તેનો આ પુરાવો છે. આ વખતની થીમ છે- ‘Beat plastic pollution’ પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથો. મારી આપ સહુને અપીલ છે કે આ થીમના ભાવને, તેના મહત્ત્વને સમજીને આપણે બધા એ સુનિશ્ચિત કરીએ કે આપણે પૉલિથિન, લૉ ગ્રેડ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ અને પ્લાસ્ટિક પ્રદૂષણની જે એક નકારાત્મક અસર આપણી પ્રકૃત્તિ પર, આપણા વન્ય જીવન પર અને આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે, તેને ઘટાડવાનો પ્રયાસ કરીએ. વિશ્વ પર્યાવરણ દિવસની વેબસાઇટ wed-india 2018 પર જાવ અને ત્યાં ઘણાં બધાં સૂચનો ખૂબ જ રોચક રીતે આપવામાં આવ્યાં છે- તે જુઓ, જાણો અને તેમને પોતાની રોજિંદી જિંદગીમાં ઉતારવાનો પ્રયાસ કરો. જ્યારે ભયંકર ગરમી પડે છે, પૂર આવે છે, વરસાદ રોકાવાનું નામ લેતો નથી, અસહ્ય ઠંડી પડે છે તો દરેક વ્યક્તિ ઍક્સ્પર્ટ બનીને ગ્લૉબલ વૉર્મિંગ, ક્લાઇમેટ ચૅન્જની વાતો કરે છે પરંતુ શું વાતો કરવાથી કામ થાય ખરું? પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનવું, પ્રકૃતિની રક્ષા કરવી એ આપણો સહજ સ્વભાવ હોવો જોઈએ, આપણા સંસ્કારોમાં હોવું જોઈએ. ગત કેટલાંક સપ્તાહોમાં આપણે બધાએ જોયું કે દેશનાં અલગ-અલગ ક્ષેત્રોમાં ધૂળ-આંધી ઊડી, ભારે પવનની સાથોસાથ વરસાદ પણ થયો જે કમોસમી છે. જાનહાનિ પણ થઈ, માલહાનિ પણ થઈ. આ બધી ચીજો મૂળતઃ હવામાનની ઢબમાં જે બદલાવ છે, તેનું જ પરિણામ છે. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાએ આપણને પ્રકૃતિની સાથે સંઘર્ષ કરવાનું નથી શીખવાડ્યું. આપણે પ્રકૃતિ સાથે સદ્ભાવથી રહેવાનું છે, પ્રકૃતિ સાથે જોડાઈને રહેવાનું છે. મહાત્મા ગાંધીએ તો જીવન ભર ડગલે ને પગલે આ વાતની વકીલાત કરી હતી. જ્યારે ભારતે Cop21 અને પેરિસ સમજૂતીમાં પ્રમુખ ભૂમિકા નિભાવી, જ્યારે આપણે (international sol