We will send you 4 digit OTP to confirm your number
My dear countrymen, Namaskar.
Once again, a very warm welcome to all of you in 'Mann Ki Baat'. This time this episode of 'Mann Ki Baat' is the beginning of its 2nd century. Last month all of us have celebrated the special century. Your participation is the greatest strength of this program. During the broadcast of the 100th episode, in a way the whole country was bound by a single thread. Be it sanitation personnel brothers and sisters or veterans from myriad sectors, 'Mann Ki Baat' has striven to bring everyone together. The intimacy and affection that all of you have shown for 'Mann Ki Baat' is unprecedented, it makes one emotional. When 'Mann Ki Baat' was broadcast, in different countries of the world, in various time zones, somewhere it was evening and somewhere it was late night... despite that, a large number of people took time out to listen to the 100th episode. I also saw that video from New Zealand, thousands of miles away, in which a 100 year old is expressing her motherly blessings. People from India and abroad have expressed their views on 'Mann Ki Baat'. Many people have also offered Constructive Analysis. People have appreciated the fact that in 'Mann Ki Baat' only the achievements of the country and the countrymen are discussed. I once again thank you all with all due respects for this blessing.
My dear countrymen, we talked about the Kashi-Tamil Sangamam, Saurashtra-Tamil Sangamam in 'Mann Ki Baat'. Kashi-Telugu Sangamam was also held a while ago in Varanasi. Another such unique effort to give strength to the spirit of Ek Bharat, Shrestha Bharat has taken place in the country. This is the effort of the Yuva Sangam. I thought, why not ask about this in detail from the very people who have been a part of this unique effort. That's why two young people are connected with me on the phone right now - one is Gyamar Nyokum ji from Arunachal Pradesh and the other is daughter Vishakha Singh ji from Bihar. Let us first talk to Gyamar Nyokum.
Prime Minister: Gyamar ji, Namaste!
Gyamar ji: Namaste Modi ji!
Prime Minister: Fine Gyamar ji, first of all I would like to
know about you.
Gyamar ji – Modi ji, first of all,I express my gratitude to you and the Government of India, that you gave me an opportunity and are talking to me by taking out valuable time. I am studying in the first year of Mechanical Engineering at the National Institute of Technology, Arunachal Pradesh
Prime Minister: And what do your father and others do in the family?
Gyamar ji: Yes my father runs a small business and after that
everyone does some farming.
Prime Minister: How did you come to know about the Yuva Sangam?
Where did you go for the Yuva Sangam, how did you go, what happened?
Gyamar ji: Modi ji, Our institution NIT told us about the Yuva Sangam and that we could participate in it. I again searched a little on the internet, and I came to know that this is a very good program, which could enable one to contribute a lot in the vision of Ek Bharat Shreshtha Bharat and I will get a chance to learn something new. I then right away, enrolled in it by going to the website. My experience was very enjoyable, very good.
Prime Minister: Did you have to make any selection?
Gyamar ji: Modi ji, When I opened the website, the people of Arunachal had two options... First was Andhra Pradesh which had IIT Tirupati and the second was Central University, Rajasthan so I put in my First preference as Rajasthan, Second Preference I did IIT Tirupati. I got selected for Rajasthan. Hence I went to Rajasthan.
Prime Minister: How was your Rajasthan visit? Did you go to Rajasthan for the first time?
Gyamar ji: Yes, I had gone out of Arunachal for the first time. I had seen all these forts of Rajasthan only in films and on the phone, so, when I went for the first time, my experience was very good, the people there were very good and the treatment given to us was very good. I got to learn many new things about the big lakes of Rajasthan and the people there, and rain water harvesting as well, which I did not know at all, so this Rajasthan visit was very good for me.
Prime Minister: See, the biggest advantage you have got is that Arunachal is also a land of brave hearts, Rajasthan is also a land of brave hearts and there are a large number of people from Rajasthan in the army, and whenever you meet people from Rajasthan among the soldiers on the border in Arunachal, you can definitely speak with them, that you had gone to Rajasthan,... had such an experience... after that your closeness with them will increase instantly. Well, you must have noticed some similarities there too, you would have thought that yes, it is the same in Arunachal too.
Gyamar ji: Modi ji, the one similarity I found was the love for the country and the vision and feeling of Ek Bharat Shreshtha Bharat, because in Arunachal too people feel very proud that they are Indians and similarly in Rajasthan also people are proud of their mother land. I noticed this a lot, and especially in the young generation, because I interacted with many youths there, so I saw a lot of similarity with what they want. And that is ... whatever you want to do for India and love for your country.... I saw a lot of similarity in both the states.
Prime Minister: So, did you increase your level of interaction with the friends that you made there ...or forgot them after returning?
Gyamar ji: No, we extended our introduction.
Prime Minister: Yes...! So are you active on Social Media?
Gyamar ji: Yes Modi ji, I am active.
Prime Minister: Then you should write a blog on your experiences in the Yuva Sangam, how you enrolled in it, how your experience in Rajasthan has been, so that the youth of the country know the signigficance and greatness of Ek Bharat Shreshtha Bharat, what this schemeis all about... how youths can take advantage of it, you should write a blog full of your experiences... then it will be useful for many people to read.
Gyamar ji: Yes, I certainly will do.
Prime Minister: Gyamar ji, it was a pleasure talking to you.
And all of you youth should strive for the country's bright future, because these 25 years are very important - for your life as well as for the life of the country, I extend my best wishes to you. Thank you.
Gyamar ji: Thank you Modi ji to you too.
Prime Minister: Namaskar brother!
Friends, the people of Arunachal are so full of warmth that I enjoy talking to them. Gyamarji's experience at the Yuva Sangam was excellent. Come, let's now speak to daughter from Bihar,Vishakha Singh ji.
Prime Minister: Vishakha ji, Namaskar.
Vishakha ji: First of all, my Pranam to Honorable Prime Minister of India and along with it, many salutations to you on behalf of all the delegates.
Prime Minister: Well Vishakha ji, first tell us about yourself. Then I also want to know about the Yuva Sangam.
Vishakha ji: I am a resident of Sasaram city of Bihar and I came to know about Yuva Sangam first through a message of my college WhatsApp group. So, after that I found out more details about it...exactly what it is! So I came to know that this is a coming together of the youth through Prime Minister's scheme 'Ek Bharat Shreshtha Bharat'. So after that I applied and when I applied, I was excited to join it, but after traveling from there to Tamil Nadu, and back ....with the exposure that I gained, I now feel very proud that I have been a part of this program, so I am very happy to have participated in that program and I express my gratitude to you from the core of my heart that you have made such a wonderful program for youths like us so that we can adapt to the culture of different regions of India.
Prime Minister: Vishakha ji, what do you study?
Vishakha ji: I am a second year student of Computer Science Engineering.
Prime Minister: Ok Vishakha ji, how did you decide on the choice of the State you would go to and get connected with?
Vishakha ji: When I started searching about this Yuva Sangam on Google, I came to know that delegates from Bihar were being exchanged with delegates from Tamil Nadu. Tamil Nadu is a very rich cultural state of our country, so even at that time when I came to know and saw that people from Bihar were being sent to Tamil Nadu, it also helped me a lot in taking the decision that I should fill the form and whether to go there or not. I really feel very proud today that I took part in it and I am very happy.
Prime Minister: Was it your first visit to Tamil Nadu?
Vishakha ji: Ji...I’d gone for the first time.
Prime Minister: Well, if you want to say something specially memorable, what would you say? The youth of the country are listening to you.
Vishakha ji: Yes, if we consider the whole journey, it has been wonderful for me. We have learnt very good things at each stage. I have made good friends in Tamil Nadu... have adapted to the culture there. I met people there. But the best thing that struck me there, was that firstly no one gets a chance to go to ISRO and we being delegates, got this opportunity to go to ISRO. Plus the second best thing was when we went to Raj Bhavan and met the Governor of Tamil Nadu. So those two moments were very good for me and I feel that in the age in which we are as a youth, we do not get the opportunity that we got through the Yuva Sangam. So it was perfect and most memorable moment for me.
Prime Minister: In Bihar food habits are different from the way they are in Tamilnadu!
Visakha ji: Yes.
Prime Minister: So it got set completely?
Vishakha ji: South Indian cuisine is prevalent in Tamilnadu. So as soon as we went there we were served Dosa, Idli, Sambhar, Uttapam, Vada, Upma. So first when we tried it was too good. The food there is very healthy, in fact it is very delicious and it is very different from the food of our north, so I liked the food there and the people there were also very nice.
Prime Minister: So now you must have made friends in Tamil Nadu too?
Vishakha ji: Yes! Yes there we stayed at NIT Trichy, after that at IIT Madras. I have become friends with the students at both those places.Plus there was a CII Welcome Ceremony meanwhile, so many students from nearby colleges also came there. So there we interacted with those students as well and I felt very happy to meet them, many of them are my friends too. And I also met some delegates who were coming to Bihar from Tamil Nadu, so we had a conversation with them as well and we still talk to each other, so I feel very happy.
Prime Minister: So Vishakha ji, do write a blog and share this experience on social media, firstly, of this Yuva Sangam, then of 'Ek Bharat-Shreshth Bharat' and then the warmth you felt in Tamil Nadu, and the welcome and hospitality that you received. You were showered with the the love of Tamil people, tell all these things to the country. so will you write?
Vishakha ji: Yes, of course!
Prime Minister: So I wish you all the best and thank you very much.
Visakha ji: Ji thank you so much. Namaskar
My best wishes to you Gyamar and Vishakha. May what you have learnt at the Yuva Sangam stay with you for the rest of your life. This is my best wish for all of you.
Friends, India's strength lies in its diversity. There is a lot to see in our country. Keeping this in view, the Ministry of Education has taken an excellent initiative named 'Yuvasangam'. The objective of this initiative is to increase People to People Connect as well as to give an opportunity to the youth of the country to mingle with each other. Higher educational institutions of various states have been linked to it. In 'Yuvasangam' youth visit cities and villages of other states, they get an opportunity to meet different types of people. In the first round of Yuvasangam, about 1200 youths have toured 22 states of the country. All the youth who have been a part of it, are returning with such memories, which will remain etched in their hearts for the rest of their lives. We have seen that CEOs, Business leaders of many big companies have spent time in India as Back-Packers. When I meet leaders of other countries, many a time they also tell me that they had gone to visit India in their youth. There is so much to know and see in our India that your curiosity will only increase every time. I hope that after coming to know of these exciting experiences, you too will definitely be inspired to travel to different parts of the country.
My dear countrymen, just a few days ago I was in Hiroshima, Japan.
There I got an opportunity to visit the Hiroshima Peace Memorial museum. It was an emotional experience. When we cherish the memories of history, it helps the coming generations a lot. Sometimes we get new lessons in museums... sometimes we get to learn a lot. A few days ago the International Museum Expo was also organized in India. It depicted the specialities of more than 1200 museums of the world. We have many different types of museums in India, which display many aspects related to our past, like, Gurugram has a unique museum - Museo Camera. It houses a collection of more than 8 thousand cameras belonging to the era after 1860. Tamil Nadu's Museum of Possibilities has been designed keeping in mind our Divyang people. Mumbai's Chhatrapati Shivaji Maharaj Vastu Sangrahalaya is such a museum, in which more than 70 thousand items have been preserved. Established in the year 2010, Indian Memory Project is a kind of online museum. It is engaged in connecting the links of India's glorious history through pictures and stories sent from all over the world. An attempt has been made to bring to the fore the memories related to the horrors of Partition. In the past years too, we have seen new types of museums and memorials coming up in India. Ten new museums dedicated to the contribution of tribal brothers and sisters in the freedom struggle are being set up. Whether it is Biplobi Bharat Gallery in Kolkata's Victoria Memorial or the revival of the Jallianwala Bagh Memorial.
The P.M.Museum dedicated to all the former Prime Ministers of the country is also adding to the beauty of Delhi today. Everyday many people come to pay respects to martyrs at the National War Memorial and Police Memorial in Delhi itself. Whether it is the Dandi Memorial dedicated to the historic Dandi March or the Statue of Unity Museum,... well, I will have to stop here because the list of museums across the country is very long and for the first time the necessary information about all the museums in the country has also been compiled. On what theme the museum is based, what kind of objects are kept there, what their contact details are - all this is collated in an online directory. I urge you that whenever you get a chance, you must visit these museums in our country. Don't forget to share the attractive pictures taken there on #(Hashtag) Museum Memories. This will further strengthen the connection of us Indians with our glorious culture.
My dear countrymen, we all must have heard a saying many times, must have heard it over and over again - without water everything is a void. Without water life is always in a crisis... the development of the individual and the country also comes to a standstill. Looking at this future challenge, today 75 Amrit Sarovars are being constructed in every district of the country. Our Amrit Sarovars are special because, they are being built in the Azadi Ka Amrit Kal and the essence of the effort of the people has been put in them. You will be pleased to know that till now more than 50 thousand Amrit Sarovars have been constructed. This is a giant step towards water conservation.
Friends, we keep talking about the challenges related to water every summer. This time also we will take up this topic, but this time we will discuss the start-ups related to water conservation. There is a Start-Up – Fluxgen. This Start-Up provides water management options through I.O.T enabled technologies. This technology will tell us about the patterns of water usage and will help in effective use of water. Another startup is LivNSense. This is a platform based on artificial intelligence and machine learning. With its help, effective monitoring of water distribution can be done. From this it will also be ascertained where and how much water is being wasted. Another Start-Up is 'KumbhiKagaz'. This KumbhiKagaz is a topic, I am sure you will like very much. KumbhiKagaz Start-Up has embarked upon a special task. They are working on making paper from water hyacinth, that is, water hyacinth, which was once considered a problem for water sources, is now being used to make paper.
Friends, if many youths are working through innovation and technology, there are many youths who are also engaged in the mission of making the society aware, like the youth of Balod district in Chhattisgarh. The youth here have started a campaign to save water. They go door-to-door to make people aware of water conservation. If there is an event like marriage somewhere, this group of youth goes there and gives information about how misuse of water can be stopped. An inspiring effort related to the efficient use of water is also being undertaken in Khunti district of Jharkhand. People in Khunti have found a way out of the water crisis through check dams. Due to accumulation of water from the check dams, greens and vegetables have also started growing here. On account of this the income of the people is also increasing, and the needs of the region are also being fulfilled. Khunti has become a fascinating example of how any public participation effort brings with it many changes. I congratulate the people there for this endeavour.
My dear countrymen, during the 1965 war, our former Prime Minister Lal Bahadur Shastri had given the slogan of Jai Jawan, Jai Kisan. Later, Atal ji had also added Jai Vigyan to it. A few years ago, while talking to the scientists of the country, I talked about Jai Anusandhan. In 'Mann Ki Baat', today's reference is about such a person, about such an organization, which is a reflection of all these four, Jai Jawan, Jai Kisan, Jai Vigyan and Jai Anusandhan. This is a gentleman, Shriman Shivaji Shamrao Dole from Maharashtra. Shivaji Dole hails from a small village in Nashik district. He comes from a poor tribal farmer family, and is also an ex-serviceman. While in the army, he dedicated his life to the country. After retirement, he decided to learn something new and did a Diploma in Agriculture, that is, he moved towards Jai Jawan, Jai Kisan. Now every moment, he strives to ensure how to contribute maximum in the agriculture sector. In this campaign, Shivaji Dole ji formed a small team of 20 people and added some ex-servicemen to it. After this his team took over the management of a co-operative organization named Venkateshwara Co-Operative Power &Agro Processing Limited. This co-operative organization was lying dormant, which he took up the challenge of reviving. Today Venkateshwara Co-Operative has expanded to many districts in no time.
Today this team is working in Maharashtra and Karnataka. About 18,000 people are associated with it, in which a large number of our Ex-Servicemen are also there. The members of this team are doing Agro Farming in more than 500 acres of land in Malegaon, Nashik. This team is also engaged in building many ponds for water conservation. The special thing is that they have also started Organic Farming and Dairy. Now grapes grown there are being exported to Europe as well. The two great features of this team, which attracted my attention, are these - Jai Vigyan and Jai Anusandhan. Its members are making maximum use of technology and Modern Agro Practices. The second feature is that they are also focusing on various certifications required for exports. I appreciate this team working with the spirit of 'prosperity through cooperation'. This effort has not only empowered a large number of people, but has also created many means of livelihood. I hope this effort inspires every listener of 'Mann Ki Baat'.
My dear countrymen, today the 28th of May, is the birth anniversary of the great freedom fighter, Veer Savarkar. The stories related to his sacrifice, courage and resolve inspire us all even today. I cannot forget the day when I went to the cell in Andaman where Veer Savarkar underwent the sentence of Kalapani. Veer Savarkar's personality comprised firmness and magnanimity. His fearless and self-respecting nature did not appreciate the mentality of slavery at all. Not only the freedom movement, whatever Veer Savarkar did for social equality and social justice is remembered even today.
Friends, a few days later, on the 4th of June, is also the birth anniversary of Sant Kabirdas ji. The path shown by Kabirdas ji is equally relevant even today. Kabirdas ji used to say, ‘Kabira Kuan Ek hai, Pani Bhare Anek Bartan mein hi bhed hai, Paani sab mein ek’ Which means: There could be myriad kinds of people who come to the well to draw water...But the well does not differentiate anyone...water remains the same in all utensils.
Sant Kabir opposed every evil practice that divided the society; tried to awaken the society. Today, when the country is moving forward with the determination to develop, we should increase our efforts to empower the society, taking inspiration from Sant Kabir.
My dear countrymen, I am now going to discuss with you about a great personality of the country who left an indelible mark through the the strength of his amazing talent in politics and the film industry. The name of this great personality is N.T. Rama Rao, whom we all know as NTR. Today, is the 100th birth anniversary of NTR. On the strength of his versatility of talent, he not only became the superstar of Telugu cinema, but also won the hearts of crores of people. Do you know that he had acted in more than 300 films? He revived many historical characters on the basis of his acting. People liked NTR's acting in the roles of Bhagwan Krishna, Ram and many others, so much that they still remember him. NTR had carved out his own identity in the cinema world as well as in politics. There too, he got lots of love and blessings from the people. I offer my humble tribute to N.T Rama Rao ji, who ruled the hearts of millions of people in the country and the world.
My dear countrymen, that’s all this time in 'Mann Ki Baat'. Next time I will come to you with some new topics... till then the 'heat' would have increased more in some regions. It would have also start raining at some places. You have to take care of your health in every weather condition. We will also celebrate 'World Yoga Day' on 21st June. Preparations are going on for that too in the country and abroad. Do keep writing your 'Mann Ki Baat' to me about these preparations as well. If you get any more information on any other subject, then tell me that as well. My effort will be to include maximum suggestions in 'Mann Ki Baat'. Once again, many thanks to all of you. We’ll meet next month, till then I take leave of you.
Namaskar!
My dear countrymen, Namaskar.
Once again, a very warm welcome to all of you in 'Mann Ki Baat'. This time this episode of 'Mann Ki Baat' is the beginning of its 2nd century. Last month all of us have celebrated the special century. Your participation is the greatest strength of this program. During the broadcast of the 100th episode, in a way the whole country was bound by a single thread. Be it sanitation personnel brothers and sisters or veterans from myriad sectors, 'Mann Ki Baat' has striven to bring everyone together. The intimacy and affection that all of you have shown for 'Mann Ki Baat' is unprecedented, it makes one emotional. When 'Mann Ki Baat' was broadcast, in different countries of the world, in various time zones, somewhere it was evening and somewhere it was late night... despite that, a large number of people took time out to listen to the 100th episode. I also saw that video from New Zealand, thousands of miles away, in which a 100 year old is expressing her motherly blessings. People from India and abroad have expressed their views on 'Mann Ki Baat'. Many people have also offered Constructive Analysis. People have appreciated the fact that in 'Mann Ki Baat' only the achievements of the country and the countrymen are discussed. I once again thank you all with all due respects for this blessing.
My dear countrymen, we talked about the Kashi-Tamil Sangamam, Saurashtra-Tamil Sangamam in 'Mann Ki Baat'. Kashi-Telugu Sangamam was also held a while ago in Varanasi. Another such unique effort to give strength to the spirit of Ek Bharat, Shrestha Bharat has taken place in the country. This is the effort of the Yuva Sangam. I thought, why not ask about this in detail from the very people who have been a part of this unique effort. That's why two young people are connected with me on the phone right now - one is Gyamar Nyokum ji from Arunachal Pradesh and the other is daughter Vishakha Singh ji from Bihar. Let us first talk to Gyamar Nyokum.
Prime Minister: Gyamar ji, Namaste!
Gyamar ji: Namaste Modi ji!
Prime Minister: Fine Gyamar ji, first of all I would like to
know about you.
Gyamar ji – Modi ji, first of all,I express my gratitude to you and the Government of India, that you gave me an opportunity and are talking to me by taking out valuable time. I am studying in the first year of Mechanical Engineering at the National Institute of Technology, Arunachal Pradesh
Prime Minister: And what do your father and others do in the family?
Gyamar ji: Yes my father runs a small business and after that
everyone does some farming.
Prime Minister: How did you come to know about the Yuva Sangam?
Where did you go for the Yuva Sangam, how did you go, what happened?
Gyamar ji: Modi ji, Our institution NIT told us about the Yuva Sangam and that we could participate in it. I again searched a little on the internet, and I came to know that this is a very good program, which could enable one to contribute a lot in the vision of Ek Bharat Shreshtha Bharat and I will get a chance to learn something new. I then right away, enrolled in it by going to the website. My experience was very enjoyable, very good.
Prime Minister: Did you have to make any selection?
Gyamar ji: Modi ji, When I opened the website, the people of Arunachal had two options... First was Andhra Pradesh which had IIT Tirupati and the second was Central University, Rajasthan so I put in my First preference as Rajasthan, Second Preference I did IIT Tirupati. I got selected for Rajasthan. Hence I went to Rajasthan.
Prime Minister: How was your Rajasthan visit? Did you go to Rajasthan for the first time?
Gyamar ji: Yes, I had gone out of Arunachal for the first time. I had seen all these forts of Rajasthan only in films and on the phone, so, when I went for the first time, my experience was very good, the people there were very good and the treatment given to us was very good. I got to learn many new things about the big lakes of Rajasthan and the people there, and rain water harvesting as well, which I did not know at all, so this Rajasthan visit was very good for me.
Prime Minister: See, the biggest advantage you have got is that Arunachal is also a land of brave hearts, Rajasthan is also a land of brave hearts and there are a large number of people from Rajasthan in the army, and whenever you meet people from Rajasthan among the soldiers on the border in Arunachal, you can definitely speak with them, that you had gone to Rajasthan,... had such an experience... after that your closeness with them will increase instantly. Well, you must have noticed some similarities there too, you would have thought that yes, it is the same in Arunachal too.
Gyamar ji: Modi ji, the one similarity I found was the love for the country and the vision and feeling of Ek Bharat Shreshtha Bharat, because in Arunachal too people feel very proud that they are Indians and similarly in Rajasthan also people are proud of their mother land. I noticed this a lot, and especially in the young generation, because I interacted with many youths there, so I saw a lot of similarity with what they want. And that is ... whatever you want to do for India and love for your country.... I saw a lot of similarity in both the states.
Prime Minister: So, did you increase your level of interaction with the friends that you made there ...or forgot them after returning?
Gyamar ji: No, we extended our introduction.
Prime Minister: Yes...! So are you active on Social Media?
Gyamar ji: Yes Modi ji, I am active.
Prime Minister: Then you should write a blog on your experiences in the Yuva Sangam, how you enrolled in it, how your experience in Rajasthan has been, so that the youth of the country know the signigficance and greatness of Ek Bharat Shreshtha Bharat, what this schemeis all about... how youths can take advantage of it, you should write a blog full of your experiences... then it will be useful for many people to read.
Gyamar ji: Yes, I certainly will do.
Prime Minister: Gyamar ji, it was a pleasure talking to you.
And all of you youth should strive for the country's bright future, because these 25 years are very important - for your life as well as for the life of the country, I extend my best wishes to you. Thank you.
Gyamar ji: Thank you Modi ji to you too.
Prime Minister: Namaskar brother!
Friends, the people of Arunachal are so full of warmth that I enjoy talking to them. Gyamarji's experience at the Yuva Sangam was excellent. Come, let's now speak to daughter from Bihar,Vishakha Singh ji.
Prime Minister: Vishakha ji, Namaskar.
Vishakha ji: First of all, my Pranam to Honorable Prime Minister of India and along with it, many salutations to you on behalf of all the delegates.
Prime Minister: Well Vishakha ji, first tell us about yourself. Then I also want to know about the Yuva Sangam.
Vishakha ji: I am a resident of Sasaram city of Bihar and I came to know about Yuva Sangam first through a message of my college WhatsApp group. So, after that I found out more details about it...exactly what it is! So I came to know that this is a coming together of the youth through Prime Minister's scheme 'Ek Bharat Shreshtha Bharat'. So after that I applied and when I applied, I was excited to join it, but after traveling from there to Tamil Nadu, and back ....with the exposure that I gained, I now feel very proud that I have been a part of this program, so I am very happy to have participated in that program and I express my gratitude to you from the core of my heart that you have made such a wonderful program for youths like us so that we can adapt to the culture of different regions of India.
Prime Minister: Vishakha ji, what do you study?
Vishakha ji: I am a second year student of Computer Science Engineering.
Prime Minister: Ok Vishakha ji, how did you decide on the choice of the State you would go to and get connected with?
Vishakha ji: When I started searching about this Yuva Sangam on Google, I came to know that delegates from Bihar were being exchanged with delegates from Tamil Nadu. Tamil Nadu is a very rich cultural state of our country, so even at that time when I came to know and saw that people from Bihar were being sent to Tamil Nadu, it also helped me a lot in taking the decision that I should fill the form and whether to go there or not. I really feel very proud today that I took part in it and I am very happy.
Prime Minister: Was it your first visit to Tamil Nadu?
Vishakha ji: Ji...I’d gone for the first time.
Prime Minister: Well, if you want to say something specially memorable, what would you say? The youth of the country are listening to you.
Vishakha ji: Yes, if we consider the whole journey, it has been wonderful for me. We have learnt very good things at each stage. I have made good friends in Tamil Nadu... have adapted to the culture there. I met people there. But the best thing that struck me there, was that firstly no one gets a chance to go to ISRO and we being delegates, got this opportunity to go to ISRO. Plus the second best thing was when we went to Raj Bhavan and met the Governor of Tamil Nadu. So those two moments were very good for me and I feel that in the age in which we are as a youth, we do not get the opportunity that we got through the Yuva Sangam. So it was perfect and most memorable moment for me.
Prime Minister: In Bihar food habits are different from the way they are in Tamilnadu!
Visakha ji: Yes.
Prime Minister: So it got set completely?
Vishakha ji: South Indian cuisine is prevalent in Tamilnadu. So as soon as we went there we were served Dosa, Idli, Sambhar, Uttapam, Vada, Upma. So first when we tried it was too good. The food there is very healthy, in fact it is very delicious and it is very different from the food of our north, so I liked the food there and the people there were also very nice.
Prime Minister: So now you must have made friends in Tamil Nadu too?
Vishakha ji: Yes! Yes there we stayed at NIT Trichy, after that at IIT Madras. I have become friends with the students at both those places.Plus there was a CII Welcome Ceremony meanwhile, so many students from nearby colleges also came there. So there we interacted with those students as well and I felt very happy to meet them, many of them are my friends too. And I also met some delegates who were coming to Bihar from Tamil Nadu, so we had a conversation with them as well and we still talk to each other, so I feel very happy.
Prime Minister: So Vishakha ji, do write a blog and share this experience on social media, firstly, of this Yuva Sangam, then of 'Ek Bharat-Shreshth Bharat' and then the warmth you felt in Tamil Nadu, and the welcome and hospitality that you received. You were showered with the the love of Tamil people, tell all these things to the country. so will you write?
Vishakha ji: Yes, of course!
Prime Minister: So I wish you all the best and thank you very much.
Visakha ji: Ji thank you so much. Namaskar
My best wishes to you Gyamar and Vishakha. May what you have learnt at the Yuva Sangam stay with you for the rest of your life. This is my best wish for all of you.
Friends, India's strength lies in its diversity. There is a lot to see in our country. Keeping this in view, the Ministry of Education has taken an excellent initiative named 'Yuvasangam'. The objective of this initiative is to increase People to People Connect as well as to give an opportunity to the youth of the country to mingle with each other. Higher educational institutions of various states have been linked to it. In 'Yuvasangam' youth visit cities and villages of other states, they get an opportunity to meet different types of people. In the first round of Yuvasangam, about 1200 youths have toured 22 states of the country. All the youth who have been a part of it, are returning with such memories, which will remain etched in their hearts for the rest of their lives. We have seen that CEOs, Business leaders of many big companies have spent time in India as Back-Packers. When I meet leaders of other countries, many a time they also tell me that they had gone to visit India in their youth. There is so much to know and see in our India that your curiosity will only increase every time. I hope that after coming to know of these exciting experiences, you too will definitely be inspired to travel to different parts of the country.
My dear countrymen, just a few days ago I was in Hiroshima, Japan.
There I got an opportunity to visit the Hiroshima Peace Memorial museum. It was an emotional experience. When we cherish the memories of history, it helps the coming generations a lot. Sometimes we get new lessons in museums... sometimes we get to learn a lot. A few days ago the International Museum Expo was also organized in India. It depicted the specialities of more than 1200 museums of the world. We have many different types of museums in India, which display many aspects related to our past, like, Gurugram has a unique museum - Museo Camera. It houses a collection of more than 8 thousand cameras belonging to the era after 1860. Tamil Nadu's Museum of Possibilities has been designed keeping in mind our Divyang people. Mumbai's Chhatrapati Shivaji Maharaj Vastu Sangrahalaya is such a museum, in which more than 70 thousand items have been preserved. Established in the year 2010, Indian Memory Project is a kind of online museum. It is engaged in connecting the links of India's glorious history through pictures and stories sent from all over the world. An attempt has been made to bring to the fore the memories related to the horrors of Partition. In the past years too, we have seen new types of museums and memorials coming up in India. Ten new museums dedicated to the contribution of tribal brothers and sisters in the freedom struggle are being set up. Whether it is Biplobi Bharat Gallery in Kolkata's Victoria Memorial or the revival of the Jallianwala Bagh Memorial.
The P.M.Museum dedicated to all the former Prime Ministers of the country is also adding to the beauty of Delhi today. Everyday many people come to pay respects to martyrs at the National War Memorial and Police Memorial in Delhi itself. Whether it is the Dandi Memorial dedicated to the historic Dandi March or the Statue of Unity Museum,... well, I will have to stop here because the list of museums across the country is very long and for the first time the necessary information about all the museums in the country has also been compiled. On what theme the museum is based, what kind of objects are kept there, what their contact details are - all this is collated in an online directory. I urge you that whenever you get a chance, you must visit these museums in our country. Don't forget to share the attractive pictures taken there on #(Hashtag) Museum Memories. This will further strengthen the connection of us Indians with our glorious culture.
My dear countrymen, we all must have heard a saying many times, must have heard it over and over again - without water everything is a void. Without water life is always in a crisis... the development of the individual and the country also comes to a standstill. Looking at this future challenge, today 75 Amrit Sarovars are being constructed in every district of the country. Our Amrit Sarovars are special because, they are being built in the Azadi Ka Amrit Kal and the essence of the effort of the people has been put in them. You will be pleased to know that till now more than 50 thousand Amrit Sarovars have been constructed. This is a giant step towards water conservation.
Friends, we keep talking about the challenges related to water every summer. This time also we will take up this topic, but this time we will discuss the start-ups related to water conservation. There is a Start-Up – Fluxgen. This Start-Up provides water management options through I.O.T enabled technologies. This technology will tell us about the patterns of water usage and will help in effective use of water. Another startup is LivNSense. This is a platform based on artificial intelligence and machine learning. With its help, effective monitoring of water distribution can be done. From this it will also be ascertained where and how much water is being wasted. Another Start-Up is 'KumbhiKagaz'. This KumbhiKagaz is a topic, I am sure you will like very much. KumbhiKagaz Start-Up has embarked upon a special task. They are working on making paper from water hyacinth, that is, water hyacinth, which was once considered a problem for water sources, is now being used to make paper.
Friends, if many youths are working through innovation and technology, there are many youths who are also engaged in the mission of making the society aware, like the youth of Balod district in Chhattisgarh. The youth here have started a campaign to save water. They go door-to-door to make people aware of water conservation. If there is an event like marriage somewhere, this group of youth goes there and gives information about how misuse of water can be stopped. An inspiring effort related to the efficient use of water is also being undertaken in Khunti district of Jharkhand. People in Khunti have found a way out of the water crisis through check dams. Due to accumulation of water from the check dams, greens and vegetables have also started growing here. On account of this the income of the people is also increasing, and the needs of the region are also being fulfilled. Khunti has become a fascinating example of how any public participation effort brings with it many changes. I congratulate the people there for this endeavour.
My dear countrymen, during the 1965 war, our former Prime Minister Lal Bahadur Shastri had given the slogan of Jai Jawan, Jai Kisan. Later, Atal ji had also added Jai Vigyan to it. A few years ago, while talking to the scientists of the country, I talked about Jai Anusandhan. In 'Mann Ki Baat', today's reference is about such a person, about such an organization, which is a reflection of all these four, Jai Jawan, Jai Kisan, Jai Vigyan and Jai Anusandhan. This is a gentleman, Shriman Shivaji Shamrao Dole from Maharashtra. Shivaji Dole hails from a small village in Nashik district. He comes from a poor tribal farmer family, and is also an ex-serviceman. While in the army, he dedicated his life to the country. After retirement, he decided to learn something new and did a Diploma in Agriculture, that is, he moved towards Jai Jawan, Jai Kisan. Now every moment, he strives to ensure how to contribute maximum in the agriculture sector. In this campaign, Shivaji Dole ji formed a small team of 20 people and added some ex-servicemen to it. After this his team took over the management of a co-operative organization named Venkateshwara Co-Operative Power &Agro Processing Limited. This co-operative organization was lying dormant, which he took up the challenge of reviving. Today Venkateshwara Co-Operative has expanded to many districts in no time.
Today this team is working in Maharashtra and Karnataka. About 18,000 people are associated with it, in which a large number of our Ex-Servicemen are also there. The members of this team are doing Agro Farming in more than 500 acres of land in Malegaon, Nashik. This team is also engaged in building many ponds for water conservation. The special thing is that they have also started Organic Farming and Dairy. Now grapes grown there are being exported to Europe as well. The two great features of this team, which attracted my attention, are these - Jai Vigyan and Jai Anusandhan. Its members are making maximum use of technology and Modern Agro Practices. The second feature is that they are also focusing on various certifications required for exports. I appreciate this team working with the spirit of 'prosperity through cooperation'. This effort has not only empowered a large number of people, but has also created many means of livelihood. I hope this effort inspires every listener of 'Mann Ki Baat'.
My dear countrymen, today the 28th of May, is the birth anniversary of the great freedom fighter, Veer Savarkar. The stories related to his sacrifice, courage and resolve inspire us all even today. I cannot forget the day when I went to the cell in Andaman where Veer Savarkar underwent the sentence of Kalapani. Veer Savarkar's personality comprised firmness and magnanimity. His fearless and self-respecting nature did not appreciate the mentality of slavery at all. Not only the freedom movement, whatever Veer Savarkar did for social equality and social justice is remembered even today.
Friends, a few days later, on the 4th of June, is also the birth anniversary of Sant Kabirdas ji. The path shown by Kabirdas ji is equally relevant even today. Kabirdas ji used to say, ‘Kabira Kuan Ek hai, Pani Bhare Anek Bartan mein hi bhed hai, Paani sab mein ek’ Which means: There could be myriad kinds of people who come to the well to draw water...But the well does not differentiate anyone...water remains the same in all utensils.
Sant Kabir opposed every evil practice that divided the society; tried to awaken the society. Today, when the country is moving forward with the determination to develop, we should increase our efforts to empower the society, taking inspiration from Sant Kabir.
My dear countrymen, I am now going to discuss with you about a great personality of the country who left an indelible mark through the the strength of his amazing talent in politics and the film industry. The name of this great personality is N.T. Rama Rao, whom we all know as NTR. Today, is the 100th birth anniversary of NTR. On the strength of his versatility of talent, he not only became the superstar of Telugu cinema, but also won the hearts of crores of people. Do you know that he had acted in more than 300 films? He revived many historical characters on the basis of his acting. People liked NTR's acting in the roles of Bhagwan Krishna, Ram and many others, so much that they still remember him. NTR had carved out his own identity in the cinema world as well as in politics. There too, he got lots of love and blessings from the people. I offer my humble tribute to N.T Rama Rao ji, who ruled the hearts of millions of people in the country and the world.
My dear countrymen, that’s all this time in 'Mann Ki Baat'. Next time I will come to you with some new topics... till then the 'heat' would have increased more in some regions. It would have also start raining at some places. You have to take care of your health in every weather condition. We will also celebrate 'World Yoga Day' on 21st June. Preparations are going on for that too in the country and abroad. Do keep writing your 'Mann Ki Baat' to me about these preparations as well. If you get any more information on any other subject, then tell me that as well. My effort will be to include maximum suggestions in 'Mann Ki Baat'. Once again, many thanks to all of you. We’ll meet next month, till then I take leave of you.
Namaskar!
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ‘મન કી બાત’ની સોમી કડી છે. મને તમારા બધાના હજારો પત્રો મળ્યા છે. લાખો સંદેશાઓ મળ્યા છે અને મેં પ્રયાસ કર્યો છે કે વધુમાં વધુ પત્રોને વાંચું, જોઉં. સંદેશાઓને જરા સમજવાનો પ્રયાસ કરું. તમારા પત્રો વાંચીને અનેક વાર હું ભાવુક થયો, ભાવસભર થઈ ગયો, ભાવનાઓમાં વહી ગયો અને પછી પોતાને સંભાળી પણ લીધો. તમે મને ‘મન કી બાત’ના સોમા હપ્તા માટે વધામણી આપી છે પરંતુ હું સાચા હૃદયથી કહું છું કે વાસ્તવમાં વધામણીને પાત્ર તો તમે સહુ ‘મન કી બાત’ના શ્રોતા છો, આપણા દેશવાસી છો. ‘મન કી બાત’ કોટિ-કોટિ ભારતીયોના ‘મન કી બાત’ છે, તેમની ભાવનાની અભિવ્યક્તિ છે.
સાથીઓ, 3 ઑક્ટોબર 2014, વિજયાદશમીનો તે તહેવાર હતો અને આપણે બધાંએ મળીને વિજયાદશમીના દિવસે ‘મન કી બાત’ની યાત્રા શરૂ કરી હતી. વિજયાદશમી અર્થાત દુર્ગણો પર સદ્ગુણોની જીતનો તહેવાર. ‘મન કી બાત’ પણ દેશવાસીઓના સદ્ગુણો, સકારાત્મકતાનો એક અનોખો તહેવાર બની ગયો છે. એક એવો તહેવાર જે દર મહિને આવે છે, જેની પ્રતીક્ષા આપણને સહુને હોય છે. આપણે તેમાં પૉઝિટિવિટીને સેલિબ્રેટ કરીએ છીએ. આપણે તેમાં લોકોની સહભાગિતાને પણ ઉજવીએ છીએ. ઘણી વાર વિશ્વાસ નથી થતો કે ‘મન કી બાત’ને આટલા મહિના અને આટલાં વર્ષો વિતી ગયાં. દરેક કડી પોતાની રીતે વિશેષ રહી. દરેક વખતે, નવાં ઉદાહરણોની નવીનતા, દરેક વખતે દેશવાસીઓની નવી સફળતાનો વિસ્તાર. ‘મન કી બાત’માં સમગ્ર દેશના ખૂણે-ખૂણેથી લોકો જોડાયા, દરેક આયુ-વર્ગના લોકો જોડાયા. બેટી-બચાવો, બેટી પઢાઓની વાત હોય, સ્વચ્છ ભારત આંદોલન હોય, ખાદી પ્રત્યે પ્રેમ હોય કે પછી પ્રકૃતિની વાત,
સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ હોય કે પછી અમૃત સરોવરની વાત, ‘મન કી બાત’ જે વિષય સાથે જોડાઈ તે જન આંદોલન બની ગયો અને તમે લોકોએ બનાવી દીધો. જ્યારે મેં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રાધ્યક્ષ બરાક ઓબામા સાથે સંયુક્ત રીતે ‘મન કી બાત’ કરી હતી તો તેની ચર્ચા પૂરા વિશ્વમાં થઈ હતી.
સાથીઓ, ‘મન કી બાત’ મારા માટે બીજાના ગુણોની પૂજા કરવા જેવી જ રહી છે. મારા એક માર્ગદર્શક હતા – શ્રી લક્ષ્મણરાવજી ઈનામદાર. અમે તેમને વકીલ સાહેબ કહેતા હતા. તેઓ હંમેશાં કહેતા હતા કે આપણે બીજાના ગુણોની પૂજા કરવી જોઈએ. સામે કોઈ પણ હોય, તમારી સાથે હોય, કે તમારા વિરોધી હોય, આપણે તેમના સારા ગુણોને જાણવાનો, તેમનામાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમની આ વાતે મને હંમેશાં પ્રેરણા આપી છે. ‘મન કી બાત’ બીજાના ગુણોમાંથી શીખવાનું બહુ મોટું માધ્યમ બની ગઈ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ કાર્યક્રમે મને ક્યારેય તમારાથી દૂર નથી થવા દીધો. મને યાદ છે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો ત્યાં સામાન્ય જન સાથે હળવા-મળવાનું સ્વાભાવિક રીતે જ થઈ જતું હતું. મુખ્યમંત્રીનું કામકાજ અને કાર્યકાળ આવો જ હોય છે. હળવા-મળવાના અવસરો ઘણા મળતા જ રહે છે. પરંતુ વર્ષ 2014માં દિલ્લી આવ્યા પછી મેં જોયું કે અહીંનું જીવન તો ખૂબ જ અલગ છે. કામનું સ્વરૂપ અલગ, જવાબદારી અલગ, સ્થિતિઓ, પરિસ્થિતિઓનાં બંધન, સુરક્ષાની ઝાકમઝાળ,સમયની સીમા. શરૂઆતના દિવસોમાં કંઈક અલગ અનુભવતો હતો, ખાલીપણાનો અનુભવ કરતો હતો. પચાસ વર્ષ પહેલાં મેં મારું ઘર એટલા માટે નહોતું છોડ્યું કે એક દિવસ પોતાના જ લોકો સાથે સંપર્ક અઘરો થઈ જાય. જે દેશવાસી મારું બધું જ છે, હું તેમનાથી દૂર રહીને જીવી ન શકું.
‘મન કી બાત’એ મને આ પડકારનું સમાધાન આપ્યું, સામાન્ય માનવી સાથે જોડાવાનો માર્ગ આપ્યો. પદભાર અને પ્રૉટૉકૉલ, વ્યવસ્થા સુધી જ સીમિત રહ્યો અને જનભાવ, કોટિ-કોટિ જનોની સાથે, મારો ભાવ, વિશ્વનો અતૂટ અંગ બની ગયો. દર મહિને દેશના લોકોના હજારો સંદેશાઓ વાંચું છું, દર મહિને દેશવાસીઓના એક-એકથી ચડિયાતાં અદ્ભુત સ્વરૂપનાં દર્શન કરું છું. હું દેશવાસીઓના તપ-ત્યાગની પરાકાષ્ઠાને જોઉં છું, અનુભવું છું. મને લાગતું જ નથી કે હું તમારાથી થોડો પણ દૂર છું. મારા માટે ‘મન કી બાત’ એ એક કાર્યક્રમ નથી, મારા માટે એક આસ્થા, પૂજા, વ્રત છે. જેવી રીતે લોકો ઈશ્વરની પૂજા કરે છે, તો પ્રસાદનો થાળ લાવે છે, મારા માટે ‘મન કી બાત’ ઈશ્વર રૂપી જનતા જનાર્દનનાં ચરણોમાં પ્રસાદના થાળ જેવો હોય છે. ‘મન કી બાત’ મારા માટે મનની આધ્યાત્મિક યાત્રા બની ગઈ છે.
‘મન કી બાત’ સ્વથી સમષ્ટિની યાત્રા છે.
‘મન કી બાત’ અહમ્થી વયમ્ની યાત્રા છે.
આ તો હું નહીં, તું જ, એની સંસ્કાર સાધના છે.
તમે કલ્પના કરો, મારો કોઈ દેશવાસી 40-40 વર્ષથી નિર્જન પહાડી અને ઉજ્જડ જમીન પર ઝાડ રોપી રહ્યો છે, અનેક લોકો 30-30 વર્ષથી જળ સંરક્ષણ માટે વાવ અને તળાવ બનાવી રહ્યા છે, તેમની સફાઈ કરી રહ્યા છે. કોઈ 25-30 વર્ષથી નિર્ધન બાળકોને ભણાવી રહ્યું છે, કોઈ ગરીબોના ઉપચારમાં મદદ કરી રહ્યું છે. કેટલીય વાર ‘મન કી બાત’માં તેમનો ઉલ્લેખ કરતા હું ભાવુક બની ગયો છું. આકાશવાણીના સાથીઓને અનેક વાર તેને ફરીથી રેકૉર્ડ કરવું પડ્યું છે. આજે, જૂનું કેટલું બધું, આંખો સામે આવી રહ્યું છે. દેશવાસીઓના આ પ્રયાસોએ મને સતત પોતાની જાતને ખૂંપાવવાની પ્રેરણા આપી છે.
સાથીઓ, ‘મન કી બાત’માં જે લોકોનો આપણે ઉલ્લેખ કરીએ છીએ તે બધા આપણા નાયકો છે, જેમણે આ કાર્યક્રમને જીવંત બનાવ્યો છે. આજે જ્યારે આપણે 100મી કડીના મુકામ પર પહોંચ્યા છીએ તો મારી એ પણ ઈચ્છા છે કે આપણે એક વાર ફરી આ બધા નાયકો પાસે જઈને તેમની યાત્રા વિશે જાણીએ. આજે આપણે કેટલાક સાથીઓ સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરીશું. મારી સાથે જોડાઈ રહ્યા છે હરિયાણાના ભાઈ સુનિલ જગલાનજી. સુનિલ જગલાનજીનો મારા મન પર આટલો પ્રભાવ એટલા માટે પડ્યો કારણકે હરિયાણામાં લિંગ અનુપાત પર ઘણી ચર્ચા થતી હતી અને મેં પણ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’નું અભિયાન હરિયાણાથી જ શરૂ કર્યું હતું. અને તેની વચ્ચે જ્યારે સુનિલજીના ‘સેલ્ફી વિથ ડૉટર કેમ્પેઇન’ પર મારી નજર પડી તો મને ખૂબ જ સારું લાગ્યું. મેં પણ તેમની પાસેથી શીખ્યું અને તેને ‘મન કી બાત’માં સમાવિષ્ટ કર્યું. જોતજોતામાં ‘સેલ્ફિ વિથ ડૉટર’ એક વૈશ્વિક અભિયાનમાં પરિવર્તિત થઈ ગયું. અને તેમાં મુદ્દો સેલ્ફી નહોતો, ટૅક્નૉલૉજી નહોતો, પરંતુ તેમાં ડૉટરને, દીકરીને પ્રમુખતા આપવામાં આવી હતી. જીવનમાં દીકરીનું સ્થાન કેટલું મોટું હોય છે, આ અભિયાનથી તે પણ બહાર આવ્યું. આવા જ અનેક પ્રયાસનું પરિણામ છે કે આજે હરિયાણામાં લિંગ અનુપાતમાં સુધારો થયો છે. આવો, આજે સુનિલજી સાથે થોડી ગોષ્ઠિ કરીએ છીએ.
પ્રધાનમંત્રીજી- નમસ્કાર સુનિલજી,
સુનિલ- નમસ્કાર સર, મારો આનંદ ખૂબ વધી ગયો છે, સર, તમારો અવાજ સાંભળીને.
પ્રધાનમંત્રીજી- સુનિલજી, ‘સેલ્ફી વિથ ડૉટર’ દરેકને યાદ છે. આજે જ્યારે તેની ફરી ચર્ચા થઈ રહી છે, તો તમને કેવું લાગી રહ્યું છે?
સુનિલ- પ્રધાનમંત્રીજી, તે હકીકતમાં તમે જે અમારા પ્રદેશ હરિયાણાથી પાણીપતની ચોથી લડાઈ દીકરીઓના ચહેરા પર સ્મિત લાવવા માટે શરૂ કરી હતી જેને તમારા નેતૃત્વમાં સમગ્ર દેશે જીતવાનો પ્રયાસ કર્યો હતો, તો ખરેખર તે મારા માટે અને દરેક દીકરીના પિતા અને દીકરીઓને ચાહનારાઓ માટે બહુ મોટી વાત છે.
પ્રધાનમંત્રીજી- સુનિલજી, હવે તમારી દીકરીઓ કેવી છે, આજકાલ શું કરી રહી છે?
સુનિલ-જી, મારી દીકરીઓ નંદિની અને યાચિકા છે, એક સાતમા ધોરણમાં ભણે છે, એક ચોથા ધોરણમાં ભણે છે અને તમારી મોટી પ્રશંસક છે. તેમણે તમારા માટે થેંક્યૂ પ્રાઇમ મિનિસ્ટર કરીને પોતાની સહવિદ્યાર્થીઓ જે છે, વાસ્તવમાં પત્રો પણ લખાવ્યા હતા.
પ્રધાનમંત્રીજી – વાહ વાહ. અચ્છા, દીકરીઓને તમે મારા અને ‘મન કી બાત’ના શ્રોતાઓનાઘણા બધા આશીર્વાદ આપજો.
સુનિલ- ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા કારણે તો દેશની દીકરીઓના ચહેરા પર સતત સ્મિત વધી રહ્યું છે.
પ્રધાનમંત્રીજી- ખૂબ ખૂબ ધન્યવાદ, સુનિલજી.
સુનિલ- જી, ધન્યવાદ.
સાથીઓ, મને એ વાતનો ખૂબ જ સંતોષ છે કે ‘મન કી બાત’માં આપણે દેશની નારી શક્તિની સેંકડો પ્રેરણાદાયક ગાથાઓનો ઉલ્લેખ કર્યો છે. પછી તે આપણી સેના હોય કે પછી ખેલ જગત હોય,મેં જ્યારે પણ મહિલાઓની ઉપલબ્ધિઓ પર વાત કરી છે, તેની ખૂબ જ પ્રશંસા થઈ છે. જેમ કે આપણે છત્તીસગઢના દેઉર ગામની મહિલાઓની ચર્ચા કરી હતી. આ મહિલાઓ સ્વયં સહાયતા સમૂહો દ્વારા ગામના પાદર, સડકો અને મંદિરોની સફાઈ માટે અભિયાન ચલાવે છે. આ જ રીતે, તમિલનાડુની તે આદિવાસી મહિલાઓ, જેમણે હજારો Eco friendly Terracotta cups (ટેરાકૉટા કપ્સ)ની નિકાસ કરી, તેમનામાંથી પણ દેશે ખૂબ જ પ્રેરણા મેળવી. તમિલનાડુમાં જ ૨૦ હજાર મહિલાઓએ સાથે આવીને વેલ્લોરમાં નાગ નદીને પુનર્જીવિત કરી હતી. આવાં કેટલાંય અભિયાનોને આપણી નારીશક્તિએ નેતૃત્વ આપ્યું છે અને ‘મન કી બાત’ તેમના પ્રયાસોને સામે લાવવાનો મંચ બની છે.
સાથીઓ, હવે આપણી સાથે ફૉન લાઇન પર એક બીજા સજ્જન ઉપસ્થિત છે. તેમનું નામ છે મંજૂર અહમદ. ‘મન કી બાત’માં જમ્મુ-કાશ્મીરની પેન્સિલ સ્લેટના વિશે વાત કરતા મંજૂર અહમદજીનો ઉલ્લેખ થયો હતો.
પ્રધાનમંત્રીજી-મંજૂર જી, કેમ છો તમે?
મંજૂરજી- થેંક્યૂ સર...એકદમ મજામાં, સાહેબ.
પ્રધાનમંત્રીજી-‘મન કી બાત’ની આ 100મી કડીમાં તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગી રહ્યું છે.
મંજૂરજી- થેંક્યૂ સાહેબ.
પ્રધાનમંત્રીજી- અચ્છા, આ પેન્સિલ સ્લેટવાળું કામ કેવું ચાલે છે?
મંજૂરજી- ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે. સાહેબ, ખૂબ જ સારી રીતે. જ્યારથી સાહેબ તમે અમારી વાત ‘મન કી બાત’માં કરી સાહેબ, ત્યારથી ખૂબ કામ વધી ગયું, સાહેબ અને બીજાની પણ આજીવિકા ખૂબ જ વધી છે, આ કામમાં.
પ્રધાનમંત્રીજી- કેટલા લોકોને હવે આજીવિકા મળતી હશે?
મંજૂર જી- અત્યારે મારી પાસે ૨૦૦ પ્લસ છે...
પ્રધાનમંત્રીજી- અરે વાહ! મને બહુ જ ખુશી થઈ.
મંજૂરજી- જી સાહેબ, અત્યારે એક-બે મહિનામાં તેને expand કરી રહ્યો છું અને 200 લોકોની આજીવિકા વધી જશે, સાહેબ.
પ્રધાનમંત્રીજી- વાહ, વાહ! જુઓ મંજૂર જી...
મંજૂરજી – જી સાહેબ...
પ્રધાનમંત્રીજી- મને બરાબર યાદ છે અને તે દિવસે તમે મને કહ્યું હતું કે આ એક એવું કામ છે જેની ન કોઈ ઓળખ છે, ન પોતાની ઓળખ છે અને તમને ખૂબ જ વેદના હતી અને આ કારણે તમને ખૂબ જ મુશ્કેલી પડતી હતી, તે પણ તમે કહી રહ્યા હતા, પરંતુ હવે તો ઓળખ પણ બની ગઈ અને ૨૦૦થી વધુ લોકોને આજીવિકા પણ આપી રહ્યા છો.
મંજૂરજી- જી સાહેબ, જી સાહેબ.
પ્રધાનમંત્રીજી- અને નવું expansion કરીને અને 200 લોકોને આજીવિકા આપી રહ્યા છો, તે તો ખૂબ જ આનંદ થાય તેવા સમાચાર આપ્યા તમે.
મંજૂરજી- Even સાહેબ, અહીં જે ખેડૂત છે, સાહેબ, તેમને પણ આમાં ખૂબ જ ફાયદો થયો, સાહેબ, ત્યારથી. 2000નું ઝાડ વેચતા હતા, અત્યારે ત્યાં ઝાડ 5000 સુધી પહોંચી ગયાં, સાહેબ. એટલી માગ વધી ગઈ છે તેમાં ત્યારથી...અને તેમાં પોતાની ઓળખ પણ બની ગઈ છે. તેના ઘણા બધા ઑર્ડર છે, મારી પાસે સાહેબ. અત્યારે હું આગામી એક-બે મહિનામાં વધુ expand કરીને અને બસ્સો–અઢીસો, બે-ચાર ગામમાં જેટલા પણ છોકરા-છોકરીઓ છે તેમાં ઍડ્જસ્ટ થઈ શકે છે, તેમને પણ આજીવિકા મળી શકે છે, સાહેબ.
પ્રધાનમંત્રીજી- જુઓ મંજૂરજી, vocal for local ની શક્તિ કેટલી જબરદસ્ત છે, તમે તેને સાકાર કરીને દેખાડી દીધી છે.
મંજૂરજી- જી સાહેબ.
પ્રધાનમંત્રીજી- મારી તરફથી તમને અને ગામના બધા ખેડૂતોને અને તમારી સાથે કામ કરી રહેલા બધા સાથીઓને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ, ધન્યવાદ ભાઈ.
મંજૂરજી- જી,ધન્યવાદ સાહેબ.
સાથીઓ, આપણા દેશમાં આવા કેટલાય પ્રતિભાશાળી લોકો છે, જે પોતાની મહેનતનાજોરેસફળતાના શિખર સુધી પહોંચ્યા છે. મને યાદ છે, વિશાખાપટ્નમના વેંકટ મુરલી પ્રસાદજીએ એક આત્મનિર્ભર ભારત chart share કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ વધુમાં વધુ ભારતીય ઉત્પાદનોનો જ ઉપયોગ કરશે.
જ્યારે બેતિયાના પ્રમોદજીએ LEDબલ્બ બનાવવાનું નાનું યૂનિટ ચાલુ કર્યું અથવા ગઢમુક્તેશ્વરના સંતોષજીએ સાદડીઓ (mats)બનાવવાનું કામ કર્યું, ‘મન કી બાત’ જ તેમનાં ઉત્પાદનોને સહુની સામે લાવવાનું માધ્યમ બન્યું. આપણે Make In Indiaનાં અનેક ઉદાહરણોથી લઈને Space Start Ups સુધીની ચર્ચા ‘મન કી બાત’માં કરી છે.
સાથીઓ, તમને યાદ હશે, કેટલાક હપ્તા પહેલાં મેં મણિપુરનાં બહેન વિજયશાંતિ દેવીજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિજયશાંતિજી કમળના રેસાઓથી કપડાં બનાવે છે. ‘મન કી બાત’માં તેમના આ અનોખા eco friendly idea ની વાત થઈ તો તેમનું કામ વધુ popular થઈ ગયું. આજે વિજયશાંતિજી ફૉન પર આપણી સાથે છે.
પ્રધાનમંત્રીજી- નમસ્તે વિજયશાંતિજી. How are you?
વિજયશાંતિજી- Sir, I am fine.
પ્રધાનમંત્રીજી-And how’s your work going on?
વિજયશાંતિજી-Sir, still working along with my 30 women
પ્રધાનમંત્રીજી-In such a short period, you have reached 30 persons
team!
વિજયશાંતિજી- Yes sir, this year also more expand with 100 women in
my area.
પ્રધાનમંત્રીજી-So your target is 100 women...
વિજયશાંતિજી-yaa ! 100 womens.
પ્રધાનમંત્રીજી-And now people are familiar with this lotus team fiber.
વિજયશાંતિજી-Yes Sir, eveyone’s know from ‘Mann Ki Baat’ programme all over India.
પ્રધાનમંત્રીજી :- So now it’s very popular
વિજયશાંતિજી- Yes sir, from Prime Minister ‘Mann kiBaat’ programme everyone knows about lotus fibre.
પ્રધાનમંત્રીજી :- So now you got the market also ?
વિજયશાંતિજી:-Yes, I have got a market from USA also.They want to buy in bulk, in lots quantities, but I want to give from this year to send the U.S also.
પ્રધાનમંત્રીજી:- So, now you are exporter ?
વિજયશાંતિજી:-Yes sir, from this year, I export our product made in India Lotus fibre.
પ્રધાનમંત્રીજી :- So, when I say Vocal for Local and now Local for Global
વિજયશાંતિજી:-Yes sir, I want to reach my product all over the globe of all world.
પ્રધાનમંત્રીજી :- So congratulation and wish you best luck.
વિજયશાંતિજી:- Thank you sir .
પ્રધાનમંત્રીજી :- Thank you, Thank you VijayaShanti.
વિજયશાંતિજી:- Thank You sir.
સાથીઓ, ‘મન કી બાત’ની એક બીજી વિશેષતા રહી છે. ‘મન કી બાત’ દ્વારા કેટલાંય જન આંદોલનો એ જન્મ લીધો છે અને તેમણે ગતિ પણ પકડી છે. જેમ કે આપણાં રમકડાં, આપણા રમકડા ઉદ્યોગને ફરીથી સ્થાપિત કરવાનું મિશન ‘મન કી બાત’થી જ શરૂ થયું હતું. ભારતીય જાતિના શ્વાન આપણા દેશી ડૉગ્સ તેને લઈને જાગૃતિ વધારવાની શરૂઆત પણ ‘મન કી બાત’થી જ કરી હતી. આપણે એક બીજું અભિયાન શરૂ કર્યું હતું કે આપણા ગરીબ, નાના દુકાનદારો સાથે ભાવની રકઝક નહીં કરીએ, ઝગડો નહીં કરીએ. જ્યારે ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત થઈ ત્યારે પણ ‘મન કી બાત’એ દેશવાસીઓને આ સંકલ્પ સાથે જોડવામાં અગત્યની ભૂમિકા નિભાવી. આવાં દરેક ઉદાહરણ, સમાજમાં પરિવર્તનનું કારણ બન્યાં છે. સમાજને પ્રેરિત કરવાનું આવું જ બીડું પ્રદીપ સાંગવાનજીએ પણ ઉઠાવેલું છે. ‘મન કી બાત’માં આપણે પ્રદીપ સાંગવાનજીના ‘હીલિંગ હિમાલયાઝ’ અભિયાનની ચર્ચા કરી હતી. તેઓ ફૉનલાઇન પર આપણી સાથે છે.
મોદીજી- પ્રદીપજી, નમસ્કાર.
પ્રદીપજી-સર, જયહિન્દ.
મોદીજી-જય હિન્દ, જય હિન્દ, ભાઈ. કેમ છો તમે?
પ્રદીપજી-સાહેબ, ખૂબ જ મજામાં. તમારો અવાજ સાંભળીને તો વધુ મજામાં...
મોદીજી-તમે હિમાલયને heal કરવાનું વિચાર્યું.
પ્રદીપજી- હા, જી સાહેબ.
મોદીજી- અભિયાન પણ ચલાવ્યું. આજકાલ તમારું અભિયાન કેવું ચાલી રહ્યું છે?
પ્રદીપજી- સાહેબ, બહુ સારું ચાલી રહ્યું છે. 2020થી એમ માનો કે, જેટલું કામ અમે પાંચ વર્ષમાં કરતા હતા, હવે એક વર્ષમાં થઈ જાય છે.
મોદીજી-અરે વાહ!
પ્રદીપજી-હા જી, હા જી, સાહેબ. શરૂઆત ખૂબ જ નર્વસ થઈ હતી. ખૂબ જ ડર હતો એ વાતને લીધે કે જિંદગીભર આ કરી શકીશું કે નહીં કરી શકીએ. પરંતુ થોડો support મળ્યો અને 2020 સુધી અમે ખૂબ જ struggle પણ કરી રહ્યા હતા honestly. લોકો ખૂબ જ ઓછી સંખ્યામાં જોડાઈ રહ્યા હતા. ઘણા બધા એવા લોકો હતા જે support નહોતા કરી શકતા. અમારા અભિયાનને એટલું મહત્ત્વ પણ નહોતા આપી રહ્યા. But 2020 પછી જ્યારે ‘મન કી બાત’માં ઉલ્લેખ થયો તે પછી ઘણી બધી ચીજો બદલાઈ ગઈ. એટલે કે પહેલાં, અમે વર્ષમાં 6થી 7 cleaning drive કરી શકતા હતા, 10 cleaning drive કરી શકતા હતા. આજની date માં અમે daily bases પર પાંચ ટન કચરો એકઠો કરીએ છીએ, અલગ-અલગ location માં.
મોદીજી- અરે વાહ!
પ્રદીપજી- ‘મન કી બાત’માં ઉલ્લેખ થયા પછી તમે સાહેબ, believe કરો મારી વાતને, કે, હું almost give up કરવાના stage પર હતો એક ટાઇમે અને તેના પછી ઘણું બધું પરિવર્તન આવ્યું મારા જીવનમાં અને ચીજો એટલી speed up થઈ ગઈ કે જે ચીજો અમે વિચારી પણ નહોતી.
So I’m really thankful કે ખબર નહીં કઈ રીતે, અમારા જેવા લોકોને તમે શોધી નાખો છો. કોણ આટલા અંતરીયાળ વિસ્તારમાં કામ કરે છે હિમાલયના ક્ષેત્રમાં જઈને બેસીને અમે કામ કરી રહ્યા છીએ. આટલી ઊંચાઈએ અમે કામ કરી રહ્યા છીએ. ત્યાં તમે શોધી કાઢ્યા અમને. અમારા કામને દુનિયા સમક્ષ લાવ્યા. તો મારા માટે બહુ જ emotional moment હતી ત્યારે પણ અને આજે પણ કે હું જે આપણા દેશના જે પ્રથમ સેવક છે તેમની સાથે હું વાતચીત કરી શકું છું. મારા માટે તેનાથી મોટા સૌભાગ્યની વાત ન હોઈ શકે.
મોદીજી- પ્રદીપજી! તમે તો હિમાલયના શિખર પર સાચા અર્થમાં સાધના કરી રહ્યા છો અને મને પાકો વિશ્વાસ છે જ્યારે તમારું નામ સાંભળતા જ લોકોને યાદ આવી જાય છે કે તમે કેવી રીતે પહાડોની સ્વચ્છતાના અભિયાન સાથે જોડાયેલા છો.
પ્રદીપજી-હા જી સર.
મોદીજી- અને જેવું તમે જણાવ્યું કે હવે તો બહુ જ મોટી ટીમ બનતી જઈ રહી છે અને તમે આટલા મોટા પ્રમાણમાં daily કામ કરી રહ્યા છો.
પ્રદીપજી-હા જી, સર.
મોદીજી- અને મને પૂરો વિશ્વાસ છે કે તમારા આ પ્રયાસોથી, તેની ચર્ચાથી, હવે તો કેટલાય પર્વતારોહી સ્વચ્છતા સાથે જોડાયેલા photo post કરવા લાગ્યા છે.
પ્રદીપજી- હા જી, સાહેબ. ખૂબ જ.
મોદીજી-આ સારી વાત છે. તમારા જેવા સાથીઓના પ્રયાસના કારણે waste is also a wealth એ લોકોના મગજમાં હવે સ્થિર થઈ રહ્યું છે અને પર્યાવરણની પણ રક્ષા હવે થઈ રહી છે અને હિમાલય જે આપણું ગર્વ છે, તેને સંભાળવો, શણગારવો અને સામાન્ય માનવી પણ જોડાઈ રહ્યો છે. પ્રદીપજી, ખૂબ જ સારું લાગ્યું મને. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ.
પ્રદીપજી-Thank you sir. Thank you so much. જય હિન્દ.
સાથીઓ, આજે દેશમાં પર્યટન એટલી ઝડપથી વધી રહ્યું છે. આપણાં આ પ્રાકૃતિક સંસાધન હોય, નદીઓ, પહાડ, તળાવ, કે પછી આપણાં તીર્થસ્થાન હોય, તેમને સાફ રાખવાં ખૂબ જ આવશ્યક છે. તે પર્યટન ઉદ્યોગની ઘણી મદદ કરશે. પર્યટનમાં સ્વચ્છતાની સાથે-સાથે આપણે અતુલનીય ભારત ચળવળની પણ અનેક વાર ચર્ચા કરી છે. આ ચળવળમાં લોકોને પહેલી વાર એવી કેટલીય જગ્યાઓ વિશે જાણવા મળ્યું જે તેમની આસપાસ જ હતી. હું હંમેશાં કહું છું કે આપણે વિદેશોમાં પર્યટન પર જતા પહેલાં દેશમાં ઓછામાં ઓછાં ૧૫ પર્યટન સ્થાનો પર અવશ્ય જવું જોઈએ અને આ સ્થાનો જે રાજ્યમાં તમે રહો છો ત્યાંનાં ન હોવાં જોઈએ. તમારા રાજ્યની બહાર, કોઈ અન્ય રાજ્યના હોવાં જોઈએ. આ જ રીતે આપણે સ્વચ્છ સિયાચિન, single use plastic અને e-waste જેવા ગંભીર વિષયો પર પણ સતત વાત કરી છે. આજે પૂરી દુનિયા પર્યાવરણના જે issueના લીધે એટલી વ્યાકુળ છે, તેના સમાધાનમાં ‘મન કી બાત’નો આ પ્રયાસ ખૂબ જ મહત્ત્વનો છે.
સાથીઓ, ‘મન કી બાત’ અંગે મને આ વખતે એક બીજો ખાસ સંદેશ UNESCOનાં મહિલા ડીજી ઔદ્રે ઑજુલે (Audrey Azoulay) નો આવ્યો છે. તેમણે બધા દેશવાસીઓને સો એપિસૉડ (100th episodes) ની આ ભવ્ય યાત્રા માટે શુભકામનાઓ આપી છે. સાથે જ, તેમણે કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે. આવો, પહેલાં UNESCOનાં DGના મનની વાત સાંભળીએ.
#Audio (UNESCO DG)
DG UNESCO: Namaste Excellency, Dear Prime Minister on behalf of UNESCO I thank you for this opportunity to be part of the 100th episode of the ‘Mann Ki Baat’ Radio broadcast. UNESCO and India have a long common history. We have very strong partnerships together in all areas of our mandate - education, science, culture and information and I would like to take this opportunity today to talk about the importance of education. UNESCO is working with its member states to ensure that everyone in the world has access to quality education by 2030. With the largest population in the world, could you please explain Indian way to achieving thisobjective. UNESCO also works to support culture and protect heritage and India is chairing the G-20 this year. World leaders would be coming to Delhi for this event. Excellency, how does India want to put culture and education at the top of the international agenda? I once again thank you for this opportunity and convey my very best wishes through you to the people of India....see you soon. Thank you very much.
PM Modi: Thank you, Excellency. I am happy to interact with you in the 100th‘Mann kiBaat’ programme. I am also happy that you have raised the important issues of education and culture.
સાથીઓ, UNESCOનાં ડીજીએ education અને cultural preservation, અર્થાત્ શિક્ષણ અને સંસ્કૃતિ સંરક્ષણ વિશે ભારતના પ્રયાસો વિશે જાણવા માગ્યું છે. આ બંને વિષય ‘મન કી બાત’ના ગમતા વિષય રહ્યા છે.
વાત શિક્ષણની હોય કે સંસ્કૃતિની, તેના સંરક્ષણની વાત હોય કે સંવર્ધનની, ભારતની આ પ્રાચીન પરંપરા રહી છે. તે દિશામાં આજે દેશ જે કામ કરી રહ્યો છે, તે ખૂબ જ પ્રશંસનીય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય કે પ્રાદેશિક ભાષામાં અભ્યાસનો વિકલ્પ હોય, શિક્ષણમાં ટૅક્નૉલૉજીનો સમાવેશ/એકીકરણ હોય, તમને આવા અનેક પ્રયાસ જોવા મળશે. વર્ષો પહેલાં, ગુજરાતમાં વધુ સારું શિક્ષણ આપવા અને ડ્રૉપઆઉટ રેટને ઓછો કરવા માટે ‘ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ જેવા કાર્યક્રમ જનભાગીદારીના એક અદ્ભુત ઉદાહરણ બની ગયાં હતાં. ‘મન કી બાત’માં આપણે આવા કેટલાય લોકોના પ્રયાસોને હાઇલાઇટ કર્યા છે, જે નિઃસ્વાર્થ ભાવથી શિક્ષણ માટે કામ કરી રહ્યા છે. તમને યાદ હશે, એક વાર આપણે ઓડિશામાં રેકડીમાં ચા વેચનારા સ્વર્ગીય ડી. પ્રકાશરાવજી વિશે ચર્ચા કરી હતી, જે ગરીબ બાળકોને ભણાવવાના મિશન પર લાગેલા હતા.
ઝારખંડનાં ગામોમાં ડિજિટલ લાઇબ્રેરી ચલાવનારા સંજય કશ્યપજી હોય, કોરોના દરમિયાન ઇ-લર્નિંગ દ્વારા અનેક બાળકની મદદ કરનારાં હેમલતા એન. કે. જી હોય, આવાં અનેક શિક્ષકનાં ઉદાહરણ આપણે ‘મન કી બાત’માં લીધાં છે.આપણે સંસ્કૃતિ સંરક્ષણના પ્રયાસોને પણ ‘મન કી બાત’માં સતત સ્થાન આપ્યું છે.
લક્ષદ્વીપના Kummel Brothers Challengers Club હોય કે કર્ણાટકના ‘ક્વેમશ્રી’જી ‘કલા ચેતના’ જેવા મંચ હોય, દેશના ખૂણેખૂણાથી લોકોએ મને પત્ર લખીને આવાં ઉદાહરણો મોકલ્યાં છે. આપણે તે ત્રણ સ્પર્ધાઓ વિશે પણ વાત કરી હતી જે દેશભક્તિ પર હાલરડાં અને રંગોળી સાથે જોડાયેલી હતી. તમને ધ્યાનમાં હશે, એક વાર આપણે દેશભરના વાર્તા કહેનારાઓ પાસેથી વાર્તા કહેવાના માધ્યમથી શિક્ષણની ભારતીય શૈલીઓ પર ચર્ચા કરી હતી. મારો અતૂટ વિશ્વાસ છે કે સામૂહિક પ્રયાસથી મોટું પરિવર્તન લાવી શકાય છે. આ વર્ષે આપણે જ્યારે સ્વતંત્રતાના અમૃતકાળમાં આગળ વધી રહ્યા છીએ, ત્યારે જી-૨૦ની અધ્યક્ષતા પણ કરી રહ્યા છીએ. આ પણ એક કારણ છે કે શિક્ષણની સાથે-સાથે વિવિધ વૈશ્વિક સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટે આપણો સંકલ્પ વધુ મજબૂત થયો છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા ઉપનિષદોનો એક મંત્ર સદીઓથી આપણા માનસને પ્રેરણા આપતો આવ્યો છે.
चरैवेति चरैवेति चरैवेति |
ચાલતા રહો- ચાલતા રહો-ચાલતા રહો |
આજે આપણે આ ચરૈવેતિ ચરૈવેતિની ભાવના સાથે ‘મન કી બાત’નો ૧૦૦મો એપિસૉડ પૂરો કરી રહ્યા છીએ. ભારતના સામાજિક તાણાવાણાને મજબૂતી આપવામાં ‘મન કી બાત’ કોઈ પણ માળાના દોરાની જેમ છે,
જે દરેકના મનને જોડીને રાખે છે. દરેક એપિસૉડમાં દેશવાસીઓની સેવા અને સામર્થ્યએ બીજાને પ્રેરણા આપી છે. આ કાર્યક્રમમાં દરેક દેશવાસી બીજા દેશવાસીની પ્રેરણા બને છે. એક રીતે, ‘મન કી બાત’નો દરેક એપિસૉડ બીજા એપિસૉડ માટે ભૂમિકા તૈયાર કરે છે. ‘મન કી બાત’ હંમેશાં સદ્ ભાવના, સેવા ભાવના અને કર્તવ્ય ભાવનાથી જ આગળ વધી છે. સ્વતંત્રતાના અમૃત કાળમાં આ પૉઝિટિવિટી દેશને આગળ લઈ જશે, નવી ઊંચાઈ પર લઈ જશે અને મને આનંદ છે કે ‘મન કી બાત’માં જે શરૂઆત થઈ, તે આજે દેશની નવી પરંપરા પણ બની રહી છે. એક એવી પરંપરા જેમાં આપણને બધાના પ્રયાસની ભાવનાના દર્શન થાય છે.
સાથીઓ, હું આજે આકાશવાણીના સાથીઓનો પણ ધન્યવાદ કરીશ જે ખૂબ જ ધૈર્યપૂર્વક આ પૂરા કાર્યક્રમને રેકૉર્ડ કરે છે. તે અનુવાદકો, જે ખૂબ જ ઓછા સમયમાં, ખૂબ જ ઝડપથી ‘મન કી બાત’નો વિભિન્ન પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરે છે,હું તેમનો પણ આભારી છું. હું દૂરદર્શનના અને MyGovના સાથીઓને પણ ધન્યવાદ આપું છું. દેશભરની ટીવી ચૅનલો, ઇલેક્ટ્રૉનિક મિડિયાના લોકો, જે ‘મન કી બાત’ને વિના કૉમર્શિયલ બ્રૅક દેખાડે છે,
તે બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને અંતમાં, હું તેમનો પણ આભાર વ્યક્ત કરીશ જે ‘મન કી બાત’ની કમાન સંભાળી રહ્યા છે- ભારતના લોકો, ભારતમાં આસ્થા રાખનારા લોકો. આ બધું તમારી પ્રેરણા અને શક્તિથી જ સંભવ થઈ શક્યું છે.
સાથીઓ, આમ તો મારા મનમાં આજે એટલું બધું કહેવા માટે છે કે સમય અને શબ્દ બંને ઓછા પડે છે. પરંતુ મને વિશ્વાસ છે કે તમે બધાં, મારા ભાવોને સમજશો, મારી ભાવનાઓને સમજશો. તમારા પરિવારના જ એક સભ્ય તરીકે ‘મન કી બાત’ના સહારે તમારી વચ્ચે રહ્યો છું, તમારી વચ્ચે રહીશ. આગલા મહિને આપણે એક વાર ફરી મળીશું. ફરીથી નવા વિષયો અને નવી જાણકારીઓ સાથે દેશવાસીઓની સફળતાને સેલિબ્રેટ કરીશું. ત્યાં સુધી મને વિદાય આપો અને તમારું તેમજ તમારા પોતાના લોકોનું ખૂબ જ ધ્યાન રાખજો. ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપ સહુનું એક વાર ફરી ખૂબ-ખૂબ સ્વાગત છે. આજે આ ચર્ચાને શરૂ કરતાં મનમસ્તિષ્કમાં અનેક ભાવ ઉમટી રહ્યા છે. અમારો અને તમારો ‘મન કી બાત’નો આ સાથ તેના નવાણુંમા (99) હપ્તામાં પહોંચી ગયો છે. સામાન્ય રીતે આપણે આપણે સાંભળીએ છીએ કે નવાણુંનો અંક બહુ જ અઘરો હોય છે. ક્રિકેટમાં તો ‘નર્વસ નાઇન્ટિઝ’ને ખૂબ જ કઠિન પડાવ માનવામાં આવે છે. પરંતુ જ્યાં ભારતના જન-જનના ‘મનની વાત’ હોય ત્યાંની પ્રેરણા જ કંઈક અલગ હોય છે. મને એ વાતની પણ પ્રસન્નતા છે કે ‘મન કી બાત’ના સોમા (100મા) હપ્તા અંગે દેશના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. મને ઘણા સારા સંદેશાઓ મળી રહ્યા છે, ફૉન આવી રહ્યા છે. આજે જ્યારે આપણે સ્વતંત્રતાનો અમૃત કાળ મનાવી રહ્યા છીએ, નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યા છીએ, તો સોમી (100મા) ‘મન કી બાત’ અંગે તમારાં સૂચનો અને વિચારોને જાણવા માટે હું પણ ખૂબ જ ઉત્સુક છું. મને, તમારા આવાં સૂચનોની આતુરતાપૂર્વક પ્રતીક્ષા છે. આમ તો આતુરતા હંમેશાં હોય છે, પરંતુ આ વખતે પ્રતીક્ષા જરા વધુ છે. તમારાં આ સૂચનો અને વિચાર જ ૩૦ એપ્રિલે થનારા સોમી (100મા) ‘મન કી બાત’ને વધુ યાદગાર બનાવશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે, જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે, કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવ-સેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા.
આથી તો આપણને બાળપણમાં શિવિ અને દધીચિ જેવા દેહદાન કરનારાઓની વાર્તા સંભળાવવામાં આવે છે.
સાથીઓ, આધુનિક મેડિકલ સાયન્સના આ યુગમાં ઑર્ગન ડૉનેશન, કોઈને જીવન આપવાનું એક ખૂબ જ મોટું માધ્યમ બની ચૂક્યું છે. કહે છે કે જ્યારે એક વ્યક્તિ મૃત્યુ પછી પોતાનું શરીર દાન કરે છે તો તેનાથી આઠથી નવ લોકોને એક નવું જીવન મળવાની સંભાવના થાય છે. સંતોષની વાત એ છે કે આજે દેશમાં ઑર્ગન ડૉનેશન પ્રત્યે જાગૃતિ પણ વધી રહી છે. વર્ષ 2013માં આપણા દેશમાં ઑર્ગન ડૉનેશનના પાંચ હજારથી પણ ઓછા કિસ્સાઓ હતા, પરંતુ વર્ષ 2022માં આ સંખ્યા વધીને ૧૫ હજારથી વધી ગઈ છે. ઑર્ગન ડૉનેશન કરનારી વ્યક્તિઓએ, તેમના પરિવારે ખરેખર ખૂબ જ પુણ્યનું કામ કર્યું છે.
સાથીઓ, મારું ઘણા સમયથી મન હતું કે હું આવું પુણ્ય કાર્ય કરનારા લોકોના ‘મનની વાત’ જાણું અને તેને દેશવાસીઓ સાથે વહેંચું. આથી આજે ‘મન કી બાત’માં આપણી સાથે એક વહાલી દીકરી, એક સુંદર ઢીંગલીના પિતા અને તેમની માતાજી આપણી સાથે જોડાવા જઈ રહી છે. પિતાજીનું નામ છે સુખબીરસિંહ સંધૂ જી અને માતાજીનું નામ છે સુપ્રીત કૌરજી, આ પરિવાર પંજાબના અમૃતસરમાં રહે છે. ઘણી પ્રાર્થના પછી તેમને એક સુંદર ઢીંગલી, દીકરી થઈ હતી. ઘરના લોકોએ ખૂબ જ પ્રેમથી તેનું નામ રાખ્યું હતું – અબાબત કૌર. અબાબતનો અર્થ બીજાની સેવા સાથે જોડાયેલો છે. બીજાનું કષ્ટ દૂર કરવા સાથે જોડાયેલો છે. અબાબત જ્યારે માત્ર ઓગણચાલીસ (39) દિવસની હતી ત્યારે તે આ દુનિયા છોડીને ચાલી ગઈ. પરંતુ સુખબીરસિંહ સંધૂ અને તેમની પત્ની સુપ્રીત કૌરજીએ, તેમના પરિવારે ઘણો જ પ્રેરણાદાયક નિર્ણય કર્યો. આ નિર્ણય હતો- ઓગણચાલીસ (39) દિવસની ઉંમરની દીકરીના અંગદાનનો- ઑર્ગન ડૉનેશનનો. આપણી સાથે આ સમયે ફૉન લાઇન પર સુખબીરસિંહ અને તેમનાં શ્રીમતીજી ઉપસ્થિત છે. આવો, તેમની સાથે વાત કરીએ.
પ્રધાનમંત્રીજી:- સુખબીરજી નમસ્તે.
સુખબીરજી:- નમસ્તે માનનીય પ્રધાનમંત્રીજી. સત શ્રી અકાલ.
પ્રધાનમંત્રીજી:- સત શ્રીઅકાલજી, સત શ્રી અકાલજી, સુખબીરજી, હું આજે ‘મન કી બાત’ના સંદર્ભમાં વિચારી રહ્યો હતો તો મને લાગ્યું કે અબાબતની વાત એટલી પ્રેરણાદાયક છે કે તે તમારા જ મોંઢે સાંભળું કારણકે ઘરમાં દીકરીનો જન્મ જ્યારે થાય છે તો અનેક સપના, અનેક ખુશીઓ લઈને આવે છે, પરંતુ દીકરી આટલી જલ્દી ચાલી જાય તે કષ્ટ કેટલું ભયંકર હશે તેનો પણ હું અંદાજ લગાવી શકું છું. જે રીતે તમે નિર્ણય કર્યો, તો હું બધી વાત જાણવા માગું છું, જી.
સુખબીરજી:- સર, ભગવાને ખૂબ જ સારું બાળક આપ્યું હતું અમને, ખૂબ જ વ્હાલી ઢીંગલી અમારા ઘરમાં આવી હતી. તેના જન્મતાં જ અમને ખબર પડી કે તેના મગજમાં નાડીઓનો એક એવો ગુચ્છો બનેલો છે કે જેના કારણે તેના હૃદયનો આકાર મોટો થઈ રહ્યો છે. તો અમે ચિંતા પડી ગયાં કે બાળકની તબિયત આટલી સારી છે , આટલું સુંદર છે અને આટલી મોટી સમસ્યા લઈને જન્મ્યું છે. પહેલા ૨૪ દિવસ સુધી તો બાળક ઘણું ઠીક રહ્યું, બિલકુલ નૉર્મલ રહ્યું. અચાનક તેનું હૃદય, એકદમ કામ કરવાનું બંધ થઈ ગયું, તો અમે તરત જ તેને હૉસ્પિટલ લઈને ગયા, ત્યાં ડૉક્ટરોએ તેને જીવતી તો કરી દીધી, પરંતુ સમજવામાં સમય લાગ્યો કે તેને શું તકલીફ પડી, આટલી મોટી તકલીફ નાના બાળકને અને અચાનક હૃદયરોગનો હુમલો થયો તો અમે તેને સારવાર માટે પીજીઆઈ ચંડીગઢ લઈ ગયા. પરંતુ બીમારી એવી હતી કે તેની સારવાર આટલી નાની ઉંમરમાં સંભવ નહોતી. ડૉક્ટરોએ ઘણો પ્રયાસ કર્યો કે તેને જીવતી કરવામાં આવે. જો છ મહિના સુધી બાળક જીવી જાય તો તેના ઑપરેશનનું વિચારી શકાય તેમ હતું. પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું, માત્ર ૩૯ દિવસની જ્યારે થઈ ત્યારે ડૉક્ટરે કહ્યું કે તેને ફરી વાર હૃદયરોગનો હુમલો થયો છે. હવે આશા બહુ જ ઓછી રહી ગઈ હતી. તો અમે બંને પતિ-પત્ની રોતાંરોતાં એવા નિર્ણય પર પહોંચ્યા કે અમે જોયું હતું તેને બહાદુરીથી ઝઝૂમતા, વારંવાર એવું લાગી રહ્યુ હતું કે જાણે હવે ચાલી જશે, પરંતુ તે ફરી બેઠી થઈ જતી હતી, તો અમને એવું લાગ્યું કે આ બાળકનો અહીં આવવાનો કોઈ હેતુ છે તો તેણે જ્યારે બિલકુલ જ જવાબ દઈ દીધો તો અમે બંનેએ નિર્ણય કર્યો કે શા માટે આપણે આ બાળકના ઑર્ગન ડૉનેટ ન કરી દઈએ. કદાચ, બીજા કોઈના જીવનમાં ઉજાસ આવી જાય, પછી અમે પીજીઆઈના જે ઍડ્મિનિસ્ટ્રેટિવ બ્લૉક છે તેમાં સંપર્ક કર્યો અને તેમણે અમને માર્ગદર્શન આપ્યું કે આટલા નાના બાળકની માત્ર કિડની જ લઈ શકાય છે. પરમાત્માએ હિંમત આપી ગુરુ નાનક સાહેબનું ચિંતન છે. આ વિચારથી અમે નિર્ણય લઈ લીધો.
પ્રધાનમંત્રીજી:- ગુરુઓએ જે ઉપદેશ આપ્યો છે જી, તેને તમે જીવીને બતાવ્યો છે. સુપ્રીતજી છે શું? તેમની સાથે વાત થઈ શકશે?
સુખબીરજી:- જી સર.
સુપ્રીતજી:- હેલ્લો.
પ્રધાનમંત્રીજી:- સુપ્રીતજી, હું તમને પ્રણામ કરું છું.
સુપ્રીતજી:- નમસ્કાર, સર નમસ્કાર સર. આ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે આપ અમારી સાથે વાત કરી રહ્યા છો.
પ્રધાનમંત્રીજી:- તમે આટલું મોટું કામ કર્યું છે અને હું માનું છું કે દેશ જ્યારે આ બધી વાતો સાંભળશે તો ઘણા લોકો કોઈનો જીવ બચાવવા માટે આગળ આવશે. અબાબતનું આ યોગદાન છે, તે ખૂબ જ મોટું છે જી.
સુપ્રીતજી:- સર, આ પણ ગુરુ નાનક બાદશાહજીની કદાચ ભેટ હતી કે તેમણે હિંમત આપી, આવો નિર્ણય લેવામાં.
પ્રધાનમંત્રીજી- ગુરુઓની કૃપા વગર તો કંઈ બની જ ન શકે જી.
સુપ્રીતજી:- બિલકુલ સર, બિલકુલ.
પ્રધાનમંત્રીજી:- સુખબીરજી, જ્યારે તમે હૉસ્પિટલાં હતાં અને આ હચમચાવી દે તેવા સમાચાર જ્યારે ડૉક્ટરે તમને આપ્યા, તે પછી પણ તમે સ્વસ્થ મનથી તમે અને તમારાં શ્રીમતીજીએ આટલો મોટો નિર્ણય કર્યો, ગુરુઓનો ઉપદેશ તો છે જ કે તમારા મનમાં આટલો મોટો ઉદાર વિચાર અને સાચે જ અબાબતનો જે અર્થ સામાન્ય ભાષામાં કહીએ તો મદદગાર થાય છે. આ કામ કરી દીધું, તે પળ વિશે હું સાંભળવા માગું છું.
સુખબીરજી:- સર, ખરેખર તો અમારા એક પારિવારિક મિત્ર છે- પ્રિયાજી. તેમણે પોતાનાં ઑર્ગન ડૉનેટ કર્યાં હતાં. તેમનામાંથી પણ અમને પ્રેરણા મળી તો તે સમયે અમને લાગ્યું કે શરીર તો પંચ તત્ત્વોમાં વિલીન થઈ જશે. જ્યારે કોઈ જુદું પડી જાય છે, ચાલ્યું જાય છે તો તેના શરીરને સળગાવી દેવામાં આવે છે કે દાટી દેવામાં આવે છે, પરંતુ જો તેનાં ઑર્ગન કોઈનાં કામમાં આવી જાય તો આ ભલાઈનું જ કામ છે અને તે સમયે, અમને વધુ ગર્વની અનુભૂતિ થઈ જ્યારે ડૉક્ટરે, કહ્યું અમને કે, તમારી દીકરી ભારતની સૌથી નાની ઉંમરની દાતા બની છે, જેનાં ઑર્ગન સફળતાપૂર્વક પ્રત્યારોપિત થયાં, તો અમારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું કે જે નામ અમે અમારાં માતાપિતાનું, આટલી ઉંમર સુધી ન કરી શક્યાં, એક નાનકડી બાળકી આવીને આટલા દિવસોમાં અમારું નામ ઊંચું કરી ગઈ અને તેનાથી બીજી મોટી વાત એ છે કે આજે તમારી સાથે વાત થઈ રહી છે આ વિષયમાં. અમે ગર્વની અનુભૂતિ કરી રહ્યા છીએ.
પ્રધાનમંત્રીજી:- સુખબીરજી, આજે તમારી દીકરીનું માત્ર એક જ અંગ જીવિત છે તેવું નથી. તમારી દીકરી માનવતાની અમરગાથાની અમર યાત્રી બની ગઈ છે. તેના શરીરના અંશના મારફત તે આજે પણ ઉપસ્થિત છે. આવા ઉમદા ભલાઈના કામ માટે, હું તમને, તમારાં શ્રીમતીજીની, તમારા પરિવારની પ્રશંસા કરું છું.
સુખબીરજી:- આપનો આભાર સર.
સાથીઓ, ઑર્ગન ડૉનેશન માટે સૌથી મોટી ધગશ એ જ હોય છે કે જતાં-જાં પણ કોઈનું ભલું થઈ જાય. કોઈનું જીવન બચી જાય. જે લોકો ઑર્ગન ડૉનેશનની રાહ જુએ છે, તેઓ જાણે છે કે રાહની એક-એક પળ વિતાવવી, કેટલી મુશ્કેલ હોય છે. અને આવામાં જ્યારે કોઈ અંગદાન કે દેહદાન કરનારું મળી જાય છે તો તેમાં ઈશ્વરનું સ્વરૂપ જ દેખાય છે. ઝારખંડનાં નિવાસી સ્નેહલતા ચૌધરીજી પણ આવી જ હતી જેમણે ઈશ્વર બનીને બીજાને જિંદગી આપી. ૬૩ વર્ષની સ્નેહલતા ચૌધરીજી, પોતાનું હૃદય, કિડની અને લિવર દાન કરીને ચાલી ગઈ. આજે ‘મન કી બાત’માં તેમના ભાઈ અભિજીત ચૌધરી પણ અમારી સાથે છે. આવો તેમની પાસેથી સાંભળીએ.
પ્રધાનમંત્રીજી:- અભિજીતજી, નમસ્કાર.
અભિજીતજી:- પ્રણામ સર.
પ્રધાનમંત્રીજી:- અભિજીતજી, તમે એક એવી માતાના દીકરા છો જેમણે તમને જન્મ આપીને એક રીતે જીવન તો આપ્યું જ, પરંતુ પોતાના મૃત્યુ પછી પણ તમારી માતા જી અનેક લોકોને જીવન આપીને ગયાં. એક પુત્ર તરીકે અભિજીત જી, તમે જરૂર ગર્વ અનુભવતા હશો.
અભિજીતજી:- હા જી સર.
પ્રધાનમંત્રીજી:- તમે, તમારી માતાજીના વિશે જરા જણાવો, કઈ પરિસ્થિતિઓમાં ઑર્ગન ડૉનેશનનો નિર્ણય લેવામાં આવ્યો?
અભિજીતજી:- મારી માતાજી સરાઇકેલા નામનું એક નાનકડું ગામ છે, ઝારખંડમાં, ત્યાં મારાં મમ્મીપપ્પા બંને રહે છે. તેઓ છેલ્લાં પચ્ચીસ વર્ષથી સતત મૉર્નિંગ વૉક કરતા હતા અને પોતાની ટેવ મુજબ સવારે ચાર વાગે પોતાના મૉર્નિંગ વૉક માટે નીકળ્યાં હતાં. તે સમયે એક મૉટરસાઇકલવાળાએ તેમને પાછળથી ધક્કો માર્યો અને તેઓ તે સમયે પડી ગયાં જેનાથી તેમના માથામાં ખૂબ જ ગંભીર ઈજા થઈ. તરત જ અમે લોકો તેમને સદર હૉસ્પિટલ સરાઈકેલા લઈ ગયા જ્યાં ડૉક્ટર સાહેબે તેમને મલમ પટ્ટી કરી પરંતુ લોહી બહુ નીકળી રહ્યું હતું. અને તેમને કોઈ ભાન નહોતું. તરત જ અમે લોકો તેમને ટાટા મેઇન હૉસ્પિટલ લઈને ચાલ્યા ગયા. ત્યાં તેમની સર્જરી થઈ, 48 કલાકના ઑબ્ઝર્વેશન પછી ડૉક્ટર સાહેબે કહ્યું કે હવે તક ઘણી ઓછી છે. પછી અમે તેમને ઍરલિફ્ટ કરીને દિલ્લીની એઇમ્સ લઈ આવ્યાં અમે લોકો. ત્યાં તેમની ટ્રીટમેન્ટ થઈ લગભગ સાત-આઠ દિવસ. તે પછી પૉઝિશન ઠીક હતી, એકદમ તેમનું બ્લડ પ્રૅશર નીચું આવી ગયું. તે પછી ખબર પડી કે તેમનું બ્રેઇન ડેડ થઈ ગયું છે. તે પછી ડૉક્ટર સાહેબ અમને પ્રૉટોકૉલ સાથે બ્રીફ કરી રહ્યા હતા ઑર્ગન ડૉનેશન વિશે. અમે અમારા પિતાજીને કદાચ આ વાત જણાવી ન શકત, કે ઑર્ગન ડૉનેશન જેવી કોઈ ચીજ પણ હોય છે, કારણકે અમને લાગ્યું કે તેઓ એ વાતને પચાવી નહીં શકે તો તેમના મગજમાંથી અમે એ કાઢવા માગતા હતા કે આવું કંઈ ચાલી રહ્યું છે. જેવું જ અમે તેમને કહ્યું કે ઑર્ગન ડૉનેશનની વાત ચાલી રહી છે ત્યારે તેમણે એવું કહ્યું કે નહીં, નહીં, મમ્મીની આ બહુ ઈચ્છા હતી અને આપણે આમ કરવાનું છે. અમે ઘણા નિરાશ થઈ ગયા તે સમય સુધી, જ્યાં સુધી અમને એ ખબર પડી કે મમ્મી નહીં બચી શકે, પરંતુ જેવી આ ઑર્ગન ડૉનેશનવાળી ચર્ચા શરૂ થઈ તો નિરાશા એક ખૂબ જ સકારાત્મક બાજુ ચાલી ગઈ અને અમે ઘણા એક ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આવી ગયા.તેને કરતાં-કરતાં પછી અમે લોકો, રાત્રે આઠ વાગે કાઉન્સેલિંગ થયું. બીજા દિવસે, અમે લોકોએ ઑર્ગન ડૉનેશન ક ર્યું. તેમાં મમ્મીની એક વિચારસરણી બહુ જ મોટી હતી કે પહેલાં તે નેત્રદાન અને આ બધી ચીજોમાં- સામાજિક પ્રવૃત્તિઓમાં ઘણી જ સક્રિય હતી. કદાચ આ જ વિચારને કારણે આટલી મોટી ચીજ અમે લોકો કરી શક્યા અને મારા પિતાજીનો જે નિર્ણય હતો તે ચીજ વિશે, આ કારણે તે ચીજ થઈ શકી.
પ્રધાનમંત્રીજી:- કેટલા લોકોના કામ આવ્યાં અંગો?
અભિજીતજી:- તેમનું હૃદય, તેમની બે કિડની, લિવર અને બંને આંખ...આ ડૉનેશન થયું હતું તો ચાર લોકોનો જીવ અને બે જણાને આંખ મળી છે.
પ્રધાનમંત્રીજી:- અભિજીતજી, તમારા પિતાજી અને માતાજી બંને નમનના અધિકારી છે. હું તેમને પ્રણામ કરું છું અને તમારા પિતાજીએ આટલા મોટા નિર્ણયમાં, તમારા પરિવારજનોનું નેતૃત્વ કર્યું તે ખરેખર ખૂબ જ પ્રેરક છે અને હું માનું છું કે મા તો મા જ હોય છે. માતા પોતાની રીતે પ્રેરણા હોય છે, પરંતુ માતા જે પરંપરાઓ છોડીને જાય છે તે એક પછી એક પેઢીએ, ખૂબ જ મોટી તાકાત બની જાય છે. અંગદાન માટે તમારી માતાજીની પ્રેરણા આજે પૂરા દેશ સુધી પહોંચી રહી છે. હું તમારા આ પવિત્ર કાર્ય અને મહાન કાર્ય માટે તમારા સમગ્ર પરિવારને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. અભિજીતજી, ધન્યવાદ જી અને તમારા પિતાજીને અમારા પ્રણામ અવશ્ય કહેજો.
અભિજીતજી:- જરૂર, જરૂર, થેંક યૂ.
સાથીઓ, ૩૯ દિવસની અબાબત કૌર હોય કે ૬૩ વર્ષનાં સ્નેહલતા ચૌધરી, તેમના જેવા દાનવીર, આપણને જીવનનું મહત્ત્વ સમજાવીને જાય છે. આપણા દેશમાં, આજે મોટી સંખ્યામાં એવા જરૂરિયાતવાળા છે જે સ્વસ્થ જીવનની આશામાં કોઈ અંગ દાન કરનારાની પ્રતીક્ષા કરે છે. મને સંતોષ છે કે અંગદાનને સરળ બનાવવા અને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશમાં એક જેવી નીતિ પર પણ કામ થઈ રહ્યું છે. આ દિશામાં રાજ્યોની ડૉમિસાઇલ જેવી શરતને હટાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, અર્થાત્, હવે દેશના કોઈ પણ રાજ્યમાં જઈને દર્દી અંગ પ્રાપ્ત કરવા માટે નોંધણી કરાવી શકશે. સરકારે ઑર્ગન ડૉનેશન નાટે ૬૫ વર્ષથી ઓછી આયુની સીમાને પણ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેમના પ્રયાસો વચ્ચે, મારો દેશવાસીઓને અનુરોધ છે કે ઑર્ગન ડૉનર, વધુમાં વધુ સંખ્યામાં આગળ આવે. તમારો એક નિર્ણય, અનેક લોકોની જિંદગી બચાવી શકે છે, જિંદગી બનાવી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ નવરાત્રિનો સમય છે, શક્તિની ઉપાસનાનો સમય છે. આજે, ભારતનું જે સામર્થ્ય નવી રીતે નિખરીને સામે આવી રહ્યું છે, તેમાં ઘણી મોટી ભૂમિકા આપણી નારી શક્તિની છે. અત્યારે એવાં અનેક ઉદાહરણ આપણી સામે આવ્યાં છે. તમે સૉશિયલ મિડિયા પર, એશિયાની પહેલી મહિલા લૉકો પાઇલૉટ સુરેખા યાદવજીને જરૂર જોયાં હશે. સુરેખાજી એક વધુ કીર્તિમાન રચતાં, વંદે ભારત ઍક્સ્પ્રેસનાં પણ પહેલાં મહિલા લૉકો પાઇલૉટ બની ગયાં છે. આ મહિને, નિર્માતા ગુનીત માંગા અને નિર્દેશક કાર્તિકી ગોંસાલ્વિસની દસ્તાવેજી ‘એલિફન્ટ વ્હિસ્પર્સ’એ ઑસ્કાર જીતીને દેશનું નામ ઉજાળ્યું છે. દેશ માટે એક વધુ ઉપલબ્ધિ ભાભા એટૉમિક રિસર્ચ સેન્ટરનાં વૈજ્ઞાનિક બહેન જ્યોતિર્મયી મોહંતીજીએ પણ પ્રાપ્ત કરી છે.જ્યોતિર્મયીજીને કેમિસ્ટ્રી અને કેમિકલ ઍન્જિનિયરિંગના ક્ષેત્રમાં IUPACનો વિશેષ એવૉર્ડ મળ્યો છે. આ વર્ષની શરૂઆતમાં જ ભારતની અંડર-૧૯ મહિલા ક્રિકેટ ટીમે ટી-20 વિશ્વ કપ જીતીને નવો ઇતિહાસ રચ્યો. જો તમે રાજનીતિ તરફ જોશો તો એક નવી શરૂઆત નાગાલેન્ડમાં થઈ છે. નાગાલેન્ડમાં 75 વર્ષમાં પહેલી વાર બે મહિલા ધારાસભ્યો જીતીને વિધાનસભા પહોંચી છે. તેમાંથી એકને નાગાલેન્ડ સરકારમાં મંત્રી પણ બનાવાયાં છે. અર્થાત્ રાજ્યના લોકોને પહેલી વાર એક મહિલા મંત્રી પણ મળ્યાં છે.
સાથીઓ, કેટલાક દિવસો પહેલાં મારી મુલાકાત, એ વીર દીકરીઓ સાથે થઈ, જે તુર્કિએમાં વિનાશકારી ભૂકંપ પછી ત્યાંના લોકોની મદદ માટે ગઈ હતી. તે બધી એનડીઆરએફની ટુકડીમાં સહભાગી હતી. તેમનાં સાહસ અને કુશળતાની સમગ્ર દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ શાંતિસેનામાં માત્ર મહિલાની પ્લાટૂનની પણ તૈનાતી કરવામાં આવી છે.
આજે, દેશની દીકરીઓ, આપણી ત્રણેય સેનામાં, પોતાના શૌર્યનો ધ્વજ ઊંચાઈએ ફરકાવી રહી છે. ગ્રૂપ કૅપ્ટન શાલિજા ધામી કૉમ્બેટ યૂનિટમાં કમાન્ડ ઍપૉઇન્ટમેન્ટ મેળવનારી પહેલી મહિલા વાયુ સેના અધિકારી બની છે. તેમની પાસે લગભગ ૩ હજાર કલાકનો ઉડ્ડયન અનુભવ છે. આ રીતે, ભારતીય સેનાની વીર કૅપ્ટન શિવા ચૌહાણ સિયાચીનમાં તૈનાત થનારી પહેલી મહિલા અધિકારી બની છે. સિયાચિનમાં જ્યાં પારો ઋણ સાઇઠ (-60) ડિગ્રી સુધી ચાલ્યો જાય છે, ત્યાં શિવા ત્રણ મહિનાઓ સુધી તૈનાત રહેશે.
સાથીઓ, આ સૂચિ એટલી લાંબી છે કે અહીં બધાંની ચર્ચા કરવી પણ મુશ્કેલ છે. આવી બધી મહિલાઓ, આપણી દીકરીઓ, આજે, ભારત અને ભારતનાં સપનાંઓને ઊર્જા આપી રહી છે. નારીશક્તિની આ ઊર્જા જ વિકસિત ભારતનો પ્રાણવાયુ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં સ્વચ્છ ઊર્જા, રિન્યૂએબલ એનર્જીની ઘણી વાતો થઈ રહી છે. હું, જ્યારે વિશ્વમાં લોકોને મળું છૂં તો તેઓ આ ક્ષેત્રમાં ભારતની અભૂતપૂર્વ સફળતાની જરૂર ચર્ચા કરે છે. ખાસ કરીને ભારત સૉલાર ઍનર્જીના ક્ષેત્રમાં જે ઝડપથી આગળ વધી રહ્યું છે તે પોતાની રીતે એક મોટી ઉપલબ્ધિ છે. ભારતના લોકો તો સદીઓથી સૂર્ય સાથે વિશેષ રીતે સંબંધ રાખે છે. આપણે ત્યાં સૂર્યની શક્તિ વિશે જે વૈજ્ઞાનિક સમજ રહી છ, સૂર્યની ઉપાસનાની જે પરંપરા રહી છે, તે અન્ય સ્થાનો પર, ઓછી જોવા મળે છે. મને આનંદ છે કે આજે દરેક દેશવાસી સૌર ઊર્જાનું મહત્ત્વ પણ સમજી રહ્યો છે અને ‘ક્લીન એનર્જી’માં પોતાનું યોગદાન પણ આપવા ઈચ્છે છે. ‘સૌનો પ્રયાસ’ની આ જ લાગણી આજે ભારતના સૉલાર મિશનને આગળ વધારી રહી છે. મહારાષ્ટ્રના પૂણેમાં, આવા જ એક ઉત્કૃષ્ટ પ્રયાસે મારું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અહીં MSR-Olive Housing Society ના લોકોએ નક્કી કર્યું કે તેઓ સૉસાયટીમાં પીવાનું પાણી, લિફ્ટ અને લાઇટ જેવા સામૂહિક ઉપયોગની ચીજો, હવે સૉલાર એનર્જીથી જ ચલાવશે. તે પછી આ સૉસાયટી બધાએ મળીને સૉલાર પેનલ લગાવી. આજે આ સૉલાર પેનલથી દર વર્ષે લગભગ 90 હજાર કિલો વૉટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. તેનાથી દર મહિને લગભગ 40,000 રૂપિયાની બચત થઈ રહી છે. આ બચતનો લાભ સૉસાયટીના બધા લોકોને થઈ રહ્યો છે.
સાથીઓ, પૂણેની જેમ જ દમણ-દીવમાં જે દીવ છે, જે એક અલગ જિલ્લો છે, ત્યાંના લોકોએ પણ, એક અદ્ભુત કામ કરીને દેખાડ્યું છે. તમે જાણતા જ હશો કે દીવ, સોમનાથ પાસે છે. દીવ ભારતનો પહેલો એવો જિલ્લો બન્યો છે જે દિવસના સમયે, બધી જરૂરિયાતો માટે સો ટકા ક્લીન એનર્જીનો ઉપયોગ કરી રહ્યો છે.દીવની આ સફળતાનો મંત્ર પણ ‘સૌના પ્રયાસ’ જ છે. ક્યારેક ત્યાં વીજળી ઉત્પાદન માટે સંસાધનોનો પડકાર હતો. લોકોએ આ પડકારના સમાધાન માટે સૉલાર એનર્જીને પસંદ કરી. ત્યાં ઉજ્જડ જમીન અને અનેક ઈમારતો પર સૉલાર પેનલલગાવવામાં આવી. આ પેનલથી, દીવમાં, દિવસના સમયે, જેટલી વીજળીની જરૂરિયાત હોય છે, તેનાથી વધુ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. આ સૉલાર પ્રૉજેક્ટથી, વીજળી ખરીદી પર ખર્ચ થતા લગભગ બાવન કરોડ રૂપિયા પણ બચ્યા છે. તેનાથી પર્યાવરણની પણ મોટી રક્ષા થઈ છે.
સાથીઓ, પૂણે અને દીવે જે કરીને દેખાડ્યું છે, આવા પ્રયાસો દેશભરમાં અન્ય અનેક જગ્યાએ પણ થઈ રહ્યા છે. તેનાથી ખબર પડે છે કે પર્યાવરણ અને પ્રકૃતિ વિશે આપણે ભારતીયો કેટલા સંવેદનશીલ છીએ, અને આપણો દેશ, કેવી રીતે ભવિષ્યની પેઢી માટે ખૂબ જ જાગૃત છે. હું આ પ્રકારના બધા પ્રયાસોની હૃદયથી પ્રશંસા કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં સમય સાથે સ્થિતિ-પરિસ્થિતિઓ અનુસાર, અનેક પરંપરાઓ વિકસિત થાય છે. આ પરંપરાઓ, આપણી સંસ્કૃતિનું સામર્થ્ય વધારે છે અને તેને નિત્ય નૂતન પ્રાણશક્તિ પણ આપે છે. કેટલાક મહિનાઓ પહેલાં આવી જ એક પરંપરા શરૂ થઈ કાશીમાં. કાશી-તમિલ સંગમમ્ દરમિયાન, કાશી અને તમિલ ક્ષેત્રની વચ્ચે સદીઓથી ચાલી રહેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરવામાં આવી. આપણે જ્યારે એકબીજા વિશે જાણીએ છીએ, શીખીએ છીએ, તો એકતાની આ ભાવના વધુ પ્રગાઢ થાય છે. એકતાની આ ભાવના સાથે આગામી મહિને ગુજરાતના વિભિન્ન હિસ્સાઓમાં સૌરાષ્ટ્ર–તમિલ સંગમમ્ થવા જઈ રહ્યો છે.સૌરાષ્ટ્ર–તમિલ સંગમમ્ ૧૭થી ૩૦ એપ્રિલ સુધી ચાલશે. ‘મન કી બાત’ના કેટલાક શ્રોતાઓ અવશ્ય વિચારતા હશે કે ગુજરાતના સૌરાષ્ટ્રનો તમિલનાડુ સાથે શું સંબંધ છે? વાસ્તવમાં, સદીઓ પહેલાં સૌરાષ્ટ્રના અનેક લોકો તમિલનાડુના અલગ-અલગ હિસ્સાઓમાં વસી ગયા હતા. આલોકો આજે ‘સૌરાષ્ટ્રી તમિલ’ના નામથી ઓળખાય છે. તેમની ખાણીપીણી, રહેણીકરણી, સામાજિક સંસ્કારોમાં આજે પણ કંઈક-કંઈક સૌરાષ્ટ્રની ઝલક જોવા મળી જાય છે. મને આ આયોજન અંગે તમિલનાડુના ઘણા બધા લોકોના પ્રશંસા ભરેલા પત્રો મળ્યા છે. મદુરાઈમાં રહેતા જયચંદ્રજીએ એક ખૂબ જ ભાવુક વાત લખી છે. તેમણે કહ્યું કે “હજારો વર્ષ પછી, પહેલી વાર કોઈએ સૌરાષ્ટ્ર-તમિલના આ સંબંધો વિશે વિચાર્યું છે. સૌરાષ્ટ્રથી તમિલનાડુ આવીને વસેલા લોકોને પૂછ્યું છે.” જયચંદ્રજીની વાતો, હજારો તમિલ ભાઈ-બહેનોની અભિવ્યક્તિ છે.
સાથીઓ, ‘મન કી બાત’ના શ્રોતાઓને, હું, આસામ સાથે જોડાયેલા એક સમાચાર વિશે કહેવા માગું છું. આ પણ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરે છે. તમે બધાં જાણો છો કે આપણે વીર લાસિત બોરફૂકનજીની 400મી જયંતી ઉજવી રહ્યા છીએ. વીર લાસિત બોરફૂકને અત્યાચારી મોગલ સલ્તનતના હાથોમાંથી ગુવાહાટીને સ્વતંત્ર કરાવ્યું હતું. આજે દેશ, આ મહાન યૌદ્ધાના અદમ્ય સાહસથી પરિચિત થઈ રહ્યો છે. કેટલાક દિવસો પહેલાં, લાસિત બોરફૂકનના જીવન પર આધારિત નિબંધ લેખનનું એક અભિયાન ચલાવાયું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેના માટે લગભગ ૪૫ લાખ લોકોએ નિબંધ મોકલ્યા. તમને એ જાણીને પણ આનંદ થશે કે હવે તે ગીનિઝ રેકૉર્ડ બની ચૂક્યો છે. અને સૌથી મોટી વાત એ છે અને વધુ પ્રસન્નતાની વાત એ છે કે વીર લાસિત બોરફૂકન પર આ જે નિબંધ લખવામાં આવ્યા છે તેમાં લગભગ ૨૩ અલગ-અલગ ભાષાઓમાં લખાયા છે અને લોકોએ મોકલ્યા છે.તેમાં, અસમિયા ભાષા ઉપરાંત હિન્દી, અંગ્રેજી, બાંગ્લા, બોડો, નેપાળી, સંસ્કૃત, સંથાલી જેવી ભાષાઓમાં લોકોએ નિબંધો મોકલ્યા છે. હું આ પ્રયાસનો હિસ્સો બનેલા બધાં લોકોની હૃદયથી પ્રશંસા કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે કાશ્મીર કે શ્રીનગરની વાત થાય છે તો સૌથી પહેલાં, આપણી સામે, તેની ઘાટીઓ અને ડલ સરોવરની તસવીર આવે છે. આપણામાંથી પ્રત્યેક ડાલ સરોવરના દૃશ્યનો આનંદ માણવા માગે છે પરંતુ ડલ ઝીલમાં એક બીજી વાત વિશેષ છે. ડલ ઝીલ, પોતાના સ્વાદિષ્ટ લૉટસ સ્ટેમ્સ- કમલની દાંડી અથવા કમળ કાકડી માટે પણ ઓળખાય છે. કમળની દાંડીને દેશના અલગ-અલગ સ્થાનોમાં, અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. કાશ્મીરમાં તેને નાદરુ કહે છે. કાશ્મીરના નાદરુની માગ સતત વધી રહી છે. આ માગને જોતાં ડલ સરોવરમાં નાદરુની ખેતી કરનારા ખેડૂતોએ એક એફપીઓ બનાવ્યું છે. આ એફપીઓમાં લગભગ 250 ખેડૂતો જોડાયા છે. આજે આ ખેડૂતો પોતાના નાદરુને વિદેશોમાં પણ મોકલવા લાગ્યા છે. હજુ થોડા સમય પહેલાં જઆ ખેડૂતોએ એની બે સામાન (ખેપ) યુએઇ મોકલી છે. આ સફળતા કાશ્મીરનું નામ તો કરી જ રહી છે, સાથે જ, તેનાથી સેંકડો ખેડૂતોની આવક પણ વધી છે.
સાથીઓ, કાશ્મીરના લોકોનો કૃષિ સાથે જ જોડાયેલો આવો જ એક બીજો પ્રયાસ આજકાલ પોતાની સફળતાની સુગંધ ફેલાવી રહ્યો છે. તમે વિચારતા હશો કે હું સફળતાની સુગંધ કેમ બોલી રહ્યો છું. વાત છે જ સુગંધની. સુવાસની તો વાત છે. હકીકતે, જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાં એક નગર છે ‘ભદરવાહ’. ત્યાંના ખેડૂતો દાયકાઓથી મકાઈની પારંપરિક ખેતી કરતા આવ્યા છે. પરંતુ કેટલાક ખેડૂતોએ કંઈક અલગ કરવાનું વિચાર્યું. તેઓ ફ્લૉરીકલ્ચર, અર્થાત્ ફૂલોની ખેતી તરફ વળ્યા. આજે, ત્યાંના લગભગ ૨૫ સો ખેડૂતો (અઢી હજાર ખેડૂતો) લવેન્ડરની ખેતી કરી રહ્યા છે. તેને કેન્દ્ર સરકારના એરોમા મિશનની મદદ પણ મળી છે. આ નવી ખેતીએ ખેડૂતોની આવકમાં મોટી વૃદ્ધિ કરી છે અને આજે, લવેન્ડરની સાથેસાથે તેની સફળતાની સુવાસ પણ દૂર-દૂર સુધી ફેલાઈ રહી છે.
સાથીઓ, જ્યારે કાશ્મીરની વાત હોય, કમળની વાત હોય, ફૂલની વાત હોય, સુગંધની ત હોય તો કમળના ફૂલ પર બિરાજરમાન રહેનારાં માતા શારદાનું સ્મરણ થવું બહુ જ સ્વાભાવિક છે. કેટલાક દિવસો પહેલાં કુપવાડામાં માતા શારદાના ભવ્ય મંદિરનું લોકાર્પણ થયું છે. આ મંદિર એ જ માર્ગ પર બન્યું છે જ્યાં ક્યારેક શારદા પીઠના દર્શન માટે જતા હતા. સ્થાનિક લોકોએ આ મંદિરના નિર્માણમાં ઘણી મદદ કરી છે. હું જમ્મુ-કાસ્મીરના લોકોને આ શુભ કાર્ય માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે ‘મન કી બાત’માં બસ આટલું જ. આવતી વખતે, તમારી સાથે ‘મન કી બાત’ના સોમા (100મા) હપ્તામાં મુલાકાત થશે. તમે બધા, પોતાનાં સૂચનો અવશ્ય મોકલજો. માર્ચના આ મહિનામાં આપણે, હોળીથી લઈને નવરાત્રિ સુધી, અનેક પર્વ અને તહેવારોમાં વ્યસ્ત રહ્યા છીએ. રમઝાનનો પવિત્ર મહિનો પણ શરૂ થઈ ચૂક્યો છે. આગામી કેટલાક દિવસોમાં શ્રી રામ નવમીનું મહા પર્વ પણ આવનાર છે. તે પછી મહાવીર જયંતી, ગુડ ફ્રાઇડે અને ઇસ્ટર પણ આવશે. એપ્રિલના મહિનામાં આપણે, ભારતની બે મહાન વિભૂતિઓનો જન્મદિવસ મનાવીએ છીએ. આ બે મહાપુરુષ છે- મહાત્મા જ્યોતિબા ફૂલે અને બાબાસાહેબ આંબેડકર. આ બંને જ મહાપુરુષોએ સમાજમાં ભેદભાવ દૂર કરવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આજે, સ્વતંત્રતાના અમૃતકાલમાં, આપણે આવી મહાન વિભૂતિઓ પાસેથી શીખવા અને નિરંતર પ્રેરણા લેવાની આવશ્યકતા છે.આપણે, આપણાં કર્તવ્યોને, સહુથી આગળ રાખવાનાં છે. સાથીઓ, આ સમયે, કેટલીક જગ્યાઓ પર કૉરોના પણ વધી રહ્યો છે. આથી તમારે બધાંએ સાવધાની રાખવાની છે, સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવાનું છે. આવતા મહિને, ‘મન કી બાત’ના સોમા (100મા) હપ્તામાં, આપણે લોકો, ફરી મળીશું, ત્યાં સુધી મને વિદાય આપો. ધન્યવાદ. નમસ્કાર.
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતની આ ૯૮મી કડીમાં આપ સૌની સાથે જોડાઇને મને ખૂબ આનંદ આવી રહ્યો છે. સેન્ચ્યુરી તરફ વધી રહેલી મન કી બાતને તમે બધાએ, સહભાગીદારીથી અદભૂત પ્લેટફોર્મ બનાવી દીધું છે. દરમહિને લાખો સંદેશાઓમાં કેટલાય લોકોની મન કી બાત મારા સુધી પહોંચે છે. તમે તમારા મનની શક્તિને તો જાણો જ છો, તેવી જ રીતે, સમાજની શક્તિથી કેવી રીતે દેશની શક્તિ વધે, તે આપણે મન કી બાતની અલગઅલગ કડીઓમાં જોયું, સમજ્યું અને મે અનુભવ કર્યો છે, સ્વીકાર પણ કર્યો છે. મને તે દિવસ યાદ છે, જયારે આપણે મન કી બાતમાં ભારતના પરંપરાગત ખેલકૂદને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તે પછી તરત જ દેશમાં ભારતીય ખેલકૂદ સાથે જોડાવાની, તેમાં રમવાની, અને તેને શીખવાની એક લહેર વ્યાપી ગઇ હતી. મન કી બાતમાં જયારે પણ ભારતીય રમકડાંની વાત થઇ ત્યારે દેશના લોકોએ તેને પણ ઉત્સાહભેર વધાવી લીધી હતી. હવે ભારતીય રમકડાઓનો એટલો ક્રેઝ વધ્યો છે કે, વિદેશોમાં પણ તેની માંગ ખૂબ વધી રહી છે. જયારે મન કી બાતમાં આપણે સ્ટોરી ટેલીંગમાં ભારતની વિવિધ પધ્ધતિઓ વિશે વાત કરી, ત્યારે તેની ખ્યાતિ પણ દૂરદૂર સુધી વ્યાપી ગઇ. વધુને વધુ લોકો ભારતની સ્ટોરી ટેલીંગની પદ્ધતિઓ તરફ આકર્ષિત થવા લાગ્યા.
મિત્રો, તમને યાદ હશે, સરદાર પટેલ જયંતિ પર એટલે કે , એકતા દિવસના અવસર પર મન કી બાતમાં આપણે ૩ સ્પર્ધાની વાત કરી હતી. આ સ્પર્ધાઓ, દેશભક્તિ પર ગીત, હાલરડાં અને રંગોળી હતી. મને એ જણાવતાં આનંદ થાય છે કે આ સ્પર્ધાઓમાં સમગ્ર દેશના ૭૦૦થી વધુ જીલ્લાઓના પાંચ લાખથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો, મોટાઓ, અને વડીલો બધાંએ તેમાં ઉત્સાહથી ભાગ લીધો અને ૨૦થી વધુ ભાષાઓમાં તેની એન્ટ્રીઝ મોકલી હતી. આ સ્પર્ધાઓમાં ભાગ લેનારા દરેક સ્પર્ધકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તમારામાંથી દરેક પોતાનામાં જ ચેમ્પિયન છે, કલાસાધક છે. તમે દરેકે સાબિત કર્યું કે, પોતાના દેશની વિવિધતા અને સંસ્કૃતિ માટે તમારા હૃદયમાં કેટલો પ્રેમ છે.
મિત્રો, આજે આ અવસર પર મને લતા મંગેશકરજી, લતા દીદીની યાદ આવે તે ખૂબ સ્વાભાવિક છે, કેમ કે, જયારે આ સ્પર્ધાઓ શરૂ થઇ હતી ત્યારે લતા દીદીએ ટ્વીટ કરીને દેશની જનતાને વિનમ્ર આગ્રહ કર્યો હતો કે, તેઓ આ સ્પર્ધામાં જોડાય.
મિત્રો, હાલરડા લેખનની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર, કર્ણાટકના ચામરાજ નગર જિલ્લાના બી.એમ.મંજુનાથે જીત્યો છે. તેમને આ પુરસ્કાર કન્નડમાં લખેલા તેમના હાલરડાં “મલગૂ કન્દા” માટે મળ્યો છે. તેને લખવાની પ્રેરણા તેમને તેમના માતા અને દાદીના ગાયેલા હાલરડાંઓથી મળી હતી. તમે સાંભળશો, તો તમને પણ આનંદ આવશે.
(Kannad Sound Clip (35 seconds) HINDI Translation)
“સૂઇ જા, સૂઇ જા, દિકરા,
મારા સમજદાર દિકરા, સૂઇ જા
દિવસ પૂરો થયો છે, અને અંધારૂં છવાઇ ગયું છે,
નિંદર રાણી આવી જશે,
તારાઓના બગીચામાંથી,
સપનાઓ લઇને આવશે,
સૂઇ જા, સૂઇ જા,
જોજો....જો... જો...
જોજો....જો... જો...”
અસમના કામરૂપ જીલ્લાના રહેવાસી દિનેશ ગોવાલાજીએ આ સ્પર્ધામાં બીજો પુરસ્કાર જીત્યો હતો. તેમણે જે હાલરડું લખ્યું છે તેમાં પ્રદેશની માટી અને સ્ટીલના વાસણો બનાવનાર કારીગરોની પ્રખ્યાત કળાની છાપ છે.
(Assamese Sound Clip (35 seconds) HINDI Translation)
કુંભાર દાદા થેલો લઇને આવ્યા છે,
થેલામાં શું છે ?
ખોલીને જોયું કુંભારના થેલાને,
થેલામાં હતી એક સુંદર કટોરી !
મારી ગુડિયાએ કુંભારને પૂછ્યું,
કેવી છે આ નાની કટોરી!
ગીત અને હાલરડાંની જેમ જ રંગોળી સ્પર્ધા પણ ખૂબ લોકપ્રિય રહી. તેમાં ભાગ લેનારાઓએ એક એકથી ચડિયાતી સુંદર રંગોળી બનાવીને મોકલી. તેમાં વિજેતા, પંજાબના કમલકુમાર રહ્યાં. તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને અમર શહીદ વીર ભગતસિંહની ખૂબ જ સુંદર રંગોળી બનાવી હતી. મહારાષ્ટ્રના સાંગલીના સચિન નરેન્દ્ર અવસારીજીએ પોતાની રંગોળીમાં જલિયાંવાલા બાગ અને તેનો નરસંહાર અને શહીદ ઉધમસિંહની બહાદૂરીને ચિત્રિત કરી હતી. ગોવાના રહેવાસી ગુરૂદત્ત વાન્ટેકરજીએ ગાંધીજીની રંગોળી બનાવી હતી, જયારે પોંડીચેરીના મલાતિસેલ્વમજીએ પણ આઝાદીના કેટલાય મહાન નેતાઓ પર કેન્દ્રિત રંગોળી બનાવી હતી. દેશભક્તિ ગીત પ્રતિયોગિતાના વિજેતા આંધ્રપ્રદેશના ટી.વિદય દુર્ગાજી છે. તેમણે તેલુગુમાં પોતાની રચના મોકલી હતી. તેમણે પોતાના પ્રદેશના પ્રસિદ્ધ સ્વતંત્રસેનાની નરસિંહા રેડ્ડી ગારૂજીથી ઘણા પ્રેરિત રહ્યા છે, તમે પમ સાંભળો, વિજય દુર્ગાજીની રચના.
(Telugu Sound Clip (27 seconds) HINDI Translation)
રેનાડું પ્રાંતના સૂરજ,
હે વીર નરસિંહ !
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અંકુર છો, અંકુશ છો!
અંગ્રેજોના ન્યાય રહિત નિરંકુશ દમનકાંડને જોઇને
તારૂં લોહી ઉકળ્યું અને જ્વાળા બન્યો !
રેનાડું પ્રાંતના સૂરજ,
હે વીર નરસિંહ!
તેલુગુ પછી હવે હું તમને મૈથિલીમાં એક ક્લીપ સંભળાવું છું. જેને દીપક વત્સજીએ મોકલી છે. તેમણે પણ આ સ્પર્ધામાં પુરસ્કાર મેળવ્યો છે.
(Maithili Sound Clip (30 seconds) HINDI Translation)
ભારત વિશ્વની શાન છે ભાઇ,
આપણો દેશ મહાન છે,
ત્રણેય દિશાઓ સમુદ્રથી ઘેરાયેલી,
ઉત્તરમાં કૈલાશ બળવાન છે,
ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી,
કોશી, કમલા,
આપણો દેશ મહાન છે ભાઇ,
તિરંગામાં પ્રાણ છે,
મિત્રો આશા છે કે, તમને આ ક્લીપ ગમી હશે. સ્પર્ધાઓમાં આવેલી આ પ્રકારની રચનાઓની યાદી ખૂબ લાંબી છે, તમે સંસ્કૃતિ મંત્રાલયની વેબસાઇટ પર જઇને તમારા પરિવાર સાથે મળીને તેને જોઇ અને સાંભળી શકો છો, તમને ખૂબ પ્રેરણા મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, હવે બનારસની વાત કરીએ, શરણાઇની કરીએ, ઉસ્તાદ બિસ્મિલ્લાહખાનની જયારે વાત હોય, ત્યારે સ્વાભાવિક છે મારૂં ધ્યાન તે તરફ આકર્ષાય. થોડાક દિવસ પહેલાં “ઉસ્તાદ બિસ્મિલ્લાહખાન યુવા પુરસ્કાર” આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર સંગીત અને કલા ક્ષેત્રના નવા ઉભરી રહેલા પ્રતિભાશાળી કલાકારોને આપવામાં આવે છે. આ કલાકારો કલા અને સંગીત વિશ્વની લોકપ્રિયતા વધારવાની સાથે તેના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ તમામમાં તે કલાકારો પણ સમાવિષ્ટ છે જેમણે એવા વાદ્યોમાં પોતાનું જીવન ખર્ચી નાંખ્યું જે વાદ્યોની ખ્યાતિ સમયની સાથે ઓછી થઇ રહી છે. હવે તમે બધા જ આ સાઉન્ડ ક્લીપને ધ્યાનથી સાંભળો.
(Sound Clip (21 seconds) Instrument- ‘सुरसिंगार’, Artist -जॉयदीप मुखर्जी)
શું તમે જાણો છો કે આ ક્યું વાદ્ય છે ? શક્ય છે કે તમને કદાય ખબર ના પણ હોય ! આ વાદ્યનું નામ “સુરસિંગાર” છે. અને આ ધૂનને તૈયાર કરી છે જોયદિપ મુખર્જીએ. જોયદીપજી, ઉસ્તાદ બિસ્મિલ્લાહખાન પુરસ્કારથી સન્માનિત યુવાનોમાં સામેલ છે. આ વાદ્યની ધૂન છેલ્લા ૫૦ અને ૬૦ દસકાઓથી દુર્લભ થઇ ગઇ હતી. પરંતુ જોયદીપ સુરસિંગારને ફરીથી પ્રખ્યાત બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. તેવી જ રીતે એક બહેન ઉપ્પલપૂ નાગમણિજીનો પ્રયાસ પણ ખૂબ જ પ્રેરિત કરે છે, તેમણે મેન્ડોલીનમાં કર્ણાટક વાદ્યયંત્રમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેવી જ રીતે સંગ્રામસિંહ સુહાસ ભંડારેજીને વારકરી કીર્તન માટે પુરસ્કાર મળ્યો છે, આ યાદીમાં માત્ર સંગીત સાથે જોડાયેલ કલાકારો જ નહિં – વી દુર્ગા દેવીજીને નૃત્યની એક પ્રાચીન શૈલી, “કરકટ્ટમ” માટે પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર અન્ય એક વિજેતા, રાજકુમાર નાયકજીને, કે જેમણે તેલંગણાના ૩૧ જીલ્લામાં ૧૦૧ દિવસ સુધી ચાલનાર પેરિની ઓડીસીનું આયોજન કર્યુ હતું. આજે લોકો તેમને પેરિની રાજકુમારના નામથી ઓળખવા લાગ્યા છે, પેરિની નાટ્યમ, ભગવાન શિવને સમર્પિત એક નૃત્ય છે. જે કાકતીય રાજવંશના સમયમાં ઘણું લોકપ્રિય હતું. આ રાજવંશના મૂળિયા આજે તેલંગણા સુધી જોડાયેલા છે. એક અન્ય પુરસ્કાર વિજેતા સાઇખૌમ સુરચંદ્રા સિંહજી છે. તે મૈતેઇ પુંગ વાદ્ય બનાવવાના પારંગત તરીકે તેઓ ઓળખયા છે. આ વાદ્યનો સંબંધ મણિપુર સાથે જોડાયેલો છે. પુરણસિંહ એક દિવ્યાંગ કલાકાર છે, જે રાજૂલા-મલુશાહી, ન્યૌલી, હુડકા બોલ, જાગર જૈવી વિભિન્ન સંગીતકળાને લોકપ્રિય બનાવી રહ્યા છે. તેમણે આ સંદર્ભે કેટલાય ઓડિયો રેકોર્ડિંગ્સ તૈયાર કર્યા છે. ઉત્તરાખંડના લોકસંગીતમાં પોતાની કળાનું દર્શન કરાવીને પુરણસિંહે કેટલાય પુરસ્કાર જીત્યા છે. સમયની સીમાને ધ્યાનમાં રાખીને હું અહિંયા દરેક વિજેતાઓની વાતો ભલે ન કરી શકું, પરંતુ મને વિશ્વાસ છે કે, તમે એ વિષે જરૂર વાંચશો. મને આશા છે કે, આ દરેક કલાકાર કળાને વધુ ખ્યાતનામ બનાવવા માટે દરેકને પ્રેરિત કરતા રહેશે.
મારા વ્હાલા દેશવાસીઓ, ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહેલા આપણા દેશમાં ડીજીટલ ઇન્ડિયાની શક્તિ ખૂણેખૂણે જોઇ શકાય છે. ડીજીટલ ઇન્ડિયાની તાકાતને ઘરે ઘરે પહોંચાડવા માટે અલગ અલગ એપ્સની ખૂબ મોટી ભૂમિકા હોય છે. એવી જ એક એપ છે ઇ-સંજીવની. આ એપથી ટેલી કન્સલટેશન એટલે કે, દૂર બેઠાબેઠા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, ડોકટર પાસેથી પોતાની બિમારી વિશે સલાહ સૂચન લઇ શકાય છે. આ એપનો ઉપયોગ કરીને અત્યાર સુધી ટેલી-કન્સલટેશન કરનારાઓની સંખ્યા ૧૦ કરોડને પણ પાર કરી ગઇ છે. તમે કલ્પના કરી શકો છો, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ૧૦ કરોડ કન્સલટેશન્સ ! દર્દી અને ડોકટરની વચ્ચે અદભૂત સંબંધ – આ ખૂબ મોટી સિદ્ધિ છે. આ સિદ્ધિ માટે હું તમામ ડોકટરો અને આ સુવિધાનો લાભ લેનારા દર્દીઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારતના લોકોએ, ટેકનોલોજીને, કેવી રીતે પોતાના જીવનનો ભાગ બનાવ્યો છે, તે આ જીવતું-જાગતું ઉદાહરણ છે. આપણે જોયું કે, કોરોના સમયમાં ઇ-સંજીવની એપના માધ્યમથી ટેલી-કન્સલટેશન લોકો માટે વરદાનરૂપ સાબીત થયું છે. મને પણ ઇચ્છા થઇ કે, મન કી બાત માટે આપણે આ વિષય સંદર્ભે એક ડોકટર અને એક દર્દી સાથે વાત કરીએ, સંવાદ કરીએ, અને તમારા સુધી એ વાતો પહોંચાડીએ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે, ટેલી-કન્સલટેશન, લોકો માટે, કેટલું ઉપયોગી નીવડ્યું છે. આપણી સાથે સિક્કિમના ડોકટર મદન મણીજી છે. ડૉકટર મદન મણીજી સિક્કિમના રહેવાસી છે, પરંતુ તેમણે MBBS ધનબાદથી કર્યું છે. અને પછી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી M.D કર્યું છે. તમણે ગ્રામીણ વિસ્તારોના કેટલાય લોકોને ટેલી-કન્સલટેશનના માધ્યમથી સહાય કરી છે.
પ્રધાનમંત્રી જીઃ-નમસ્કાર, નમસ્કાર, મદન મણિજી.
ડૉ.મદનમણિઃ-જી, નમસ્કાર, સાહેબ.
પ્રધાનમંત્રી જીઃ- હું નરેન્દ્ર મોદી બોલી રહ્યો છું.
ડૉ.મદનમણિઃ-જી, જી, સાહેબ.
પ્રધાનમંત્રી જીઃ-તમે તો બનારસમાં ભણ્યા છો.
ડૉ.મદનમણિઃ-જી, હું બનારસમાં ભણ્યો છું સાહેબ.
પ્રધાનમંત્રી જીઃ-તમારું મેડિકલ એજ્યુકેશન ત્યાં જ થયું.
ડૉ.મદનમણિઃ-જી, જી,.
પ્રધાનમંત્રી જીઃ-તો જયારે તમે બનારસમાં હતા ત્યારનું બનારસ અને હાલનું બદલાયેલું બનારસ કયારેય જોવા ગયા કે નહિં.
ડૉ.મદનમણિઃ-જી, પ્રધાનમંત્રીજી, જયારથી હું પાછો સિક્કિમ આવ્યો છું, ત્યારથી હું જઇ નથી શક્યો, પરંતુ મેં સાંભળ્યું છે કે, બનારસ ખૂબ બદલાઇ ગયું છે.
પ્રધાનમંત્રી જીઃ-તો તમને બનારસ છોડ્યે કેટલા વર્ષ થયાં ?
ડૉ.મદનમણિઃ-બનારસ ૨૦૦૬માં છોડ્યું હતું સાહેબ,
પ્રધાનમંત્રી જીઃ-અરે..., તો તો તમારે જરૂર જવું જોઇએ.
ડૉ.મદનમણિઃ-જી, જી.
પ્રધાનમંત્રી જીઃ-મેં ફોન એટલા માટે કર્યો હતો કે, તમે સિક્કિમના છેક અંતરિયાળ પહાડોમાં રહીને ત્યાંના લોકોને ટેલી-કન્સલટેશની ઘણી સેવાઓ આપી રહ્યા છો.
ડૉ.મદનમણિઃ-જી.
પ્રધાનમંત્રી જીઃ-હું મન કી બાતના શ્રોતામિત્રોને તમારો અનુભવ સંભળાવવા માંગું છું.
ડૉ.મદનમણિઃ-જી.
પ્રધાનમંત્રી જીઃ-મને જણાવોને, તમારો અનુભવ કેવો રહ્યો ?
ડૉ.મદનમણિઃ-અનુભવ, ખૂબ સારો રહ્યો પ્રધાનમંત્રીજી. એમાં એવું છે કે, સિક્કિમમાં ખૂબ પાસે જે PHC છે, ત્યાં ગાડીથી જવા માટે પણમાં ઓછામાં ઓછા ૧૦૦-૨૦૦ રૂપિયા ખર્ચાય છે. અને ડોકટર મળે કે ના પણ મળે તે અલગ સમસ્યા. તો ટેલી-કન્સલટેશનના માધ્યમથી અંતરિયાળ વિસ્તારના લોકો પણ અમારા સુધી સીધા જોડાય છે. અને લોકો પોતાની જૂની બિમારીઓ, તેમના રીપોર્ટસ અને તેમની વર્તમાન પરિસ્થિતિ અમને જણાવે છે.
પ્રધાનમંત્રી જીઃ-એટલે કે, ડોક્યુમેન્ટ ટ્રાન્સફર કરો છો.
ડૉ.મદનમણિઃ-જી, જી. ડોક્યુમેન્ટ ટ્રાન્સફર પણ કરીએ છીએ અને જો તેઓ ટ્રાન્સફર ના કરી શકે તો અમને વાંચીને સંભળાવે છે.
પ્રધાનમંત્રી જીઃ-ત્યાંના વેલનેસ સેન્ટરના ડોકટર જણાવે છે...
ડૉ.મદનમણિઃ-જી, વેલનેસ સેન્ટરમાં જે Community Health Officer રહે છે તેઓ .
પ્રધાનમંત્રી જીઃ-અને જે દર્દી છે તે પોતાની સમસ્યાઓ તમને સીધી જ જણાવે છે.
ડૉ.મદનમણિઃ-જી, દર્દીઓ પણ અમને પોતાની સમસ્યાઓ જણાવે છે, પછી તેમના જૂના રેકોર્ડસ જોઇને અમારે કંઇ અન્ય બાબતો જાણવી હોય, જેમ કે, છાતીની તપાસ કરાવવી હોય, પગમાં સોજા છે કે નહીં ? તેની તપાસ કરાવવી હોય, અને તે CHO એ તપાસ નથી કરી તો અમે લોકો તેમને કહીએ છીએ કે, જુવો સોજા છે કે, નહીં. આંખો જુઓ, એનીમિયા છે કે નહીં, અને જો તેમને ઉદરસ આવતી હોય તો છાતીની તપાસ કરાવવા અને તેનાં ધબકારા માટેની તપાસ કરાવવાનું જણાવીએ છીએ.
પ્રધાનમંત્રી જીઃ-તમે વોઇસ કોલ કરો છો કે વીડીયો કોલનો ઉપયોગ કરો છો ?
ડૉ.મદનમણિઃ-જી, વિડિયો કોલનો ઉપયોગ કરીએ છીએ.
પ્રધાનમંત્રી જીઃ-તો દર્દીઓને તમે જ તપાસો છો.
ડૉ.મદનમણિઃ-જી. દર્દીઓને જોઇને તપાસી શકીએ છીએ.
પ્રધાનમંત્રી જીઃ-દર્દીને કેવી લાગણી થાય છે ?
ડૉ.મદનમણિઃ-દર્દીને સારૂં લાગે છે, કારણ કે, તેઓ ડોકટરને નજીકથી જોઇ શકે છે. તેમને મુંઝવણ રહેતી હોય છે કે, તેમની દવાઓની માત્રા ઓછી કરવાની છે કે વધારવાની છે, કેમ કે, સિક્કિમમાં મોટાભાગના દર્દીઓ એવા છે કે જેમને ડાયાબીટીસ, હાઇપરટેન્શન હોય છે. અને ડાયાબીટીસ તેમજ હાઇપરટેન્શનની દવાઓની માત્રા વધઘટ કરવા કે તેને બદલવા માટે તેમને ડોકટરને મળવા માટે ઘણું દૂર જવું પડતું હોય છે, પરંતુ ટેલી-કન્સલટેશનના માધ્યમથી તેમની દરેક સમસ્યાઓ પળ માત્રમાં દૂર થઇ જાય છે. અને દવાઓ પણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાંથી મફતમાં મળી જાય છે. તો તેઓ ત્યાંથી દવાઓ પણ લેતા જાય છે.
પ્રધાનમંત્રી જીઃ-અચ્છા, મદન મણિજી, તમે તો જાણો જ છો કે, દર્દીનો એક સ્વભાવ હોય છે કે, જયાં સુધી તેઓ ડોકટર આવે નહીં, ડોકટરને જુવે નહીં, ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. અને ડોકટરને પણ દર્દીઓને તપાસવાની આદત રહેલી હોય છે, અને હવે આ બધું જ ટેલીકોમમાં કન્સલટેશનના માધ્યમથી થાય છે, ત્યારે ડોકટરને કેવો અનુભવ થાય છે, તેમજ દર્દીને કેવો અનુભવ થાય છે ?
ડૉ.મદનમણિઃ-જી, અમને પણ જ્યારે એવું લાગે કે, દર્દીને બરાબર તપાસવો પડશે ત્યારે અમે લોકો વિડીયોમાં જ CHOને દર્દીને તપાસવાની દરેક બાબતો અંગે જાણ કરીએ છીએ, અને કયારેક તો દર્દીને વિડિયોમાં પાસે બોલાવીને તેની જે પણ મુશ્કેલીઓ છે, જેમ કે કોઇને ચામડીની સમસ્યા હોય, તો તેને વિડીયોના માધ્યમથી જોઇ લઇએ છીએ, તેનાથી તેઓને સંતોષ થાય છે.
પ્રધાનમંત્રી જીઃ-અને પછી તેમના ઉપચાર પછી તેમને સંતોષ મળે ત્યારે કેવો અનુભવ થાય છે ? દર્દી સુધારો અનુભવે છે ?
ડૉ.મદનમણિઃ-જી, તેમને ખૂબ સંતોષ મળે છે, અને અમને પણ સંતોષ મળે છે સાહેબ, હું અત્યારે સ્વાસ્થ્ય વિભાગમાં છું, અને સાથોસાથ ટેલી-કન્સલટેશન પણ કરૂં છું. તો ફાઇલની સાથેસાથે દર્દીને તપાસવાનો મને ખૂબ સારો અનુભવ થયો છે.
પ્રધાનમંત્રી જીઃ-સરેરાશ, કેટલા દર્દીઓ ટેલી-કન્સલટેશનના માધ્યમથી આવે છે ?
ડૉ.મદનમણિઃ-અત્યાર સુધી મેં ૫૩૬ દર્દીઓને તપાસ્યા છે.
પ્રધાનમંત્રી જીઃ-અરે.. વાહ, એનો અર્થ એ થયો કે, તમને મહારથ હાંસલ થઇ ગઇ છે.
ડૉ.મદનમણિઃ-જી, આ ફરજ નિભાવીને સારૂં લાગે છે,
પ્રધાનમંત્રી જીઃ-હું તમને શુભકામનાઓ આપું છું. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે સિક્કિમના દૂરદૂરના જંગલોમાં, પહાડોમાં રહેનારા લોકોની ખૂબ જ સેવા કરી રહ્યા છો. અને ખુશીની વાત એ છે કે, આપણા દેશના દૂરદૂરના વિસ્તારમાં પણ ટેકનોલોજીનો આટલો સરસ ઉપયોગ થઇ રહ્યો છે. મારા તરફથી તમને ખૂબ જ શુભેચ્છાઓ.
ડૉ.મદનમણિઃ-જી, આભાર સર,
મિત્રો, ડોકટર મદન મદન મણિજીની વાતોથી જાણવા મળે છે કે, ઇ-સંજીવની એપ કેવી રીતે તેમની મદદ કરી રહી છે. ડૉકટર મદનજી પછી હવે આપણે બીજા એક મદનજી સાથે વાત કરીએ. તે ઉત્તરપ્રદેશના ચંદૌલી જીલ્લાના રહેવાસી મદન મોહન લાલજી છે. આ એક સુંદર સંયોગ કે, ચંદૌલી પણ બનારસ સાથે જોડાયેલું છે. તો આવો મદન મોહનજી પાસેથી જાણીએ ઇ-સંજીવનીના વિષયમાં એક દર્દી કેવો અનુભવ કરે છે ?
પ્રધાનમંત્રી જીઃ-મદન મોહનજી પ્રણામ.
મદન મોહન જીઃ-નમસ્કાર, નમસ્કાર સાહેબ,
પ્રધાનમંત્રી જીઃ-નમસ્કાર., અચ્છા, મને જણાવો કે, તમે ડાયાબીટીસના દર્દી છો.
મદન મોહન જીઃ- જી,
પ્રધાનમંત્રી જીઃ-અને તમે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેલી-કન્સલટેશનના માધ્યમથી પોતાની બિમારી માટે મદદ લો છો.
મદન મોહન જીઃ-જી.,
પ્રધાનમંત્રી જીઃ-એક દર્દી તરીકે હું તમારા અનુભવ સાંભળવા માંગું છું, જેથી હું દેશવાસીઓ સુધી એ વાત પહોંચાડી શકું કે, આપણા ગામડાઓમાં રહેતા લોકો ટેકનોલોજીનો કેવો સુંદર રીતે ઉપયોગ કરી શકે છે.
મદન મોહન જીઃ- જી., સાહેબ હોસ્પીટલો દૂર છે. અને જ્યારે ડાયાબીટીસનો હુમલો થાય ત્યારે અમારે પાંચથી છ કિલોમીટર દૂર જઇને નિદાન કરાવવું પડતું હતું, તેની તપાસ કરાવવી પડતી હતી. અને હવે જયારથી તમારા દ્વારા આ વ્યવસ્થા બનાવાઇ છે ત્યારથી તપાસ કરાવવા જઉં છું ત્યારે બહારના ડોકટરો સાથે પણ મારી વાત કરાવવામાં આવે છે. અને દવા પણ આપવામાં આવે છે. આનાથી મને અને અન્ય લોકોને પણ ઘણો લાભ થયો છે.
પ્રધાનમંત્રી જીઃ-તો તમે દર વખતે એક જ ડોકટરને બતાવો છો કે, ડોકટર બદલાતા હોય છે ?
મદન મોહન જીઃ-જ્યાં સ્થાનિક ડૉકટરને મુંઝવણ અનુભવાય છે ત્યારે તેઓ અમારી વાત અન્ય ડોકટરો સાથે કરાવે છે.
પ્રધાનમંત્રી જીઃ-અને ડોકટર તમને જે સલાહ-સૂચન કરે છે તેનો લાભ થાય છે.
મદન મોહન જીઃ-અમને તેનો ખૂબ જ લાભ થાય છે, અને ગામડાંના અન્ય લોકોને પણ તેનાથી ખૂબ લાભ થાય છે. દરેક લોકો ત્યાં પૂછે છે કે, ભાઇ અમારું BP છે, અમને ડાયાબીટીસ છે, તપાસ કરો, દવા જણાવો. અને પહેલા તો અમે પાંચથી છ કિલોમીટર દૂર જતા હતા. લાંબી લાઇનોમાં ઉભા રહેતા હતા. પેથોલોજીમાં પણ લાંબી લાઇનો લાગતી હતી. પૂરો એક દિવસ બગડતો હતો.
પ્રધાનમંત્રી જીઃ-એનો અર્થ એમ કે, તમારો સમય પણ વેડફાતા બચી રહ્યો છે.
મદન મોહન જીઃ-અને પૈસા પણ ખર્ચ થતા હતા, જયારે અહિંયા નિઃશુલ્ક સેવાઓ અપાઇ રહી છે.
પ્રધાનમંત્રી જીઃ-અચ્છા, તો તમે જ્યારે પ્રત્યક્ષરૂપે ડોકટરને મળો છો ત્યારે તમને વિશ્વાસ થાય છે કે, ડોકટર છે, તેમણે મારી નાડી તપાસી લીધી છે, મારી આંખો તપાસી લીધી છે, મારી જીભને પણ જોઇ લીધી છે. તો એક અલગ અનુભવ થતો હોય છે. હવે જ્યાર ટેલી-કન્સલટેશનના માધ્યમથી તપાસ થાય છે, તો ત્યારે તમને અદ્દલ એવો સંતોષ થાય છે ?
મદન મોહન જીઃ-હા, સંતોષ થાય છે. તેઓ અમારી નાડી પકડી રહ્યા છે, સ્ટેથોસ્કોપથી તપાસી રહ્યા છે, એવો અનુભવ પણ થાય છે. અને અમે ખુશ થઇએ છીએ કે, તમારા દ્વારા આટલી સુંદર વ્યવસ્થા બનાવવામાં આવી છે, જેના કારણે હવે અમારી તમામ સમસ્યાઓનું નિવારણ થઇ ગયું છે. પહેલા અમારે ખૂબ જ સમસ્યાઓ ઉઠાવવી પડતી હતી, ગાડીનું ભાડું ચૂકવવું પડતું હતું અને ત્યાં જઇને લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડતું હતું, જયારે હવે અમે ઘરે બેઠાબેઠા તમામ પ્રકારની સુવિધાઓ મેળવી રહ્યા છીએ.
પ્રધાનમંત્રી જીઃ-મદન મોહનજી, મારા તરફથી તમને અઢળક શુભકામનાઓ, આટલી ઉંમરે પણ તમે નવી ટેકનોલોજી શીખ્યા, અન્ય લોકોને પણ આ વિષે જણાવજો. જેથી તેમનો પણ સમય બચી જાય, પૈસા પણ બચે અને તેમને જે માર્ગદર્શન મળે છે, તેનાથી દવાઓ પણ સારી રીતે મેળવી શકાય છે.
મદન મોહન જીઃ-હા, સાહેબ, જરૂર..
પ્રધાનમંત્રી જીઃ-ફરીથી તમને અઢળક શુભકામનાઓ, મદન મોહનજી.
મદન મોહન જીઃ-સાહેબ, તમે કાશી વિશ્વનાથને બનારસનું કેન્દ્ર બનાવી દીધું, તેનો વિકાસ કર્યો. અમારા તરફથી તમને ખૂબ શુભેચ્છાઓ.
પ્રધાનમંત્રી જીઃ- ધન્યવાદ. મેં કયાં બનાવ્યું છે, એ તો બનારસના લોકોએ બનાવ્યું છે, અમને તો મા ગંગાની સેવા માટે મા ગંગાએ બોલાવ્યા. તમને પણ ખૂબ શુભકામનાઓ, પ્રણામ.
મદન મોહન જીઃ-જી. નમસ્કાર સાહેબ,
પ્રધાનમંત્રી જીઃ- જી, નમસ્કાર.
મિત્રો, દેશનાં સામાન્ય માનવી માટે, મધ્યમ વર્ગ માટે, પહાડી વિસ્તારના રહેવાસીઓ માટે, ઇ-સંજીવની, જીવન રક્ષા માટેની એપ બની રહી છે. આ ભારતની ડિઝીટલ ક્રાંતિની શક્તિ છે અને તેનો પ્રભાવ આજે આપણે તમામ ક્ષેત્રોમાં જોઇ રહ્યાં છે. ભારતનાં UPI ની શક્તિ પણ આપ સૌ જાણો છો. દુનિયાનાં ઘણાં દેશો આ તરફ આકર્ષાયા છે. થોડાંક દિવસો પહેલા ભારત અને સિંગાપુર વચ્ચે UPI-Pay Now Link Launch કરવામાં આવ્યું છે. હવે સિંગાપુર અને ભારતનાં લોકો, પોતાનાં મોબાઇલ વડે બિલકુલ એવી જ રીતે પૈસા ટ્રાન્સફર કરી શકસે જેમ તેઓ પોતાનાં દેશમાં કરી શકે છે. ભારતની ઇ-સંજીવની એપ હોય કે પછી UPI, તે Ease of Living ને વધારવામાં ખૂબ સહાયક સાબિત થયું છે.
મારાં વ્હાલાં દેશવાસીઓ, જ્યારે કોઈ દેશમાં વિલુપ્ત થઇ રહેલાં પક્ષીની પ્રજાતીને, કોઇ જીવ-જંતુને બચાવી લેવામાં આવે છે, ત્યારે તેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થાય છે. આપણાં દેશમાં આવી અનેક મહાન પરંપરાઓ છે કે જે લુપ્ત થઇ ગઇ હતી, લોકોનાં મનમસ્તિષ્ક પરથી ભૂલાઇ ચુકી હતી, પરન્તુ હવે તેને લોકોની ભાગીદારીની શક્તિથી પુર્નજીવિત કરવાનાં પ્રયત્નો કરાઇ રહ્યાં છે તો તેની ચર્ચા માટે મન કી બાતનાં મંચ કરતાં વધુ સારું મંચ બીજું કયું હોઇ શકે ?
હવે, હું તમને જે જણાવવા માંગું છું તે જાણીને તમે ખૂબ ખુશ થશો, આપણા વારસા માટે ગૌરવ અનુભવશો. અમેરિકામાં રહેતા શ્રીમાન કંચન બેનરજીના વારસાના રક્ષણને જોડતા આવા જ એક અભિયાન તરફ મારૂં ધ્યાન આકર્ષિત થયું છે, હું તેમને અભિનંદન પાઠવું છું. મિત્રો, પશ્ચિમ બંગાળમાં હુબલી જીલ્લાના બાસ બેરિયામાં આ મહિને “ત્રિબેની કુમ્ભો મોહોત્શોવ”નું આયોજન કરાયું. તેમાં આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા. પરંતુ શું તમે જાણો છો, કે આ મહોત્સવ આટલો વિશેષ કેમ છે ? વિશેષ એટલા માટે છે કેમ કે, આ પરંપરાને ૭૦૦ વર્ષ પછી પુનર્જીવીત કરવામાં આવી છે. આમ તો, આ પરંપરા હજારો વર્ષ જૂની છે, પરંતુ દુર્ભાગ્યથી ૭૦૦ વર્ષ પહેલાં બંગાળના ત્રિબેનીમાં યોજાનાર આ મહોત્સવ બંધ થઇ ગયો હતો. આ મહોત્સવને સ્વતંત્રતા પછી શરૂ કરવો જોઇતો હતો પરંતુ તે ન થઇ શક્યો. બે વર્ષ પહેલાં, સ્થાનિક લોકો અને “ત્રિબેની કુમ્ભો પૉરિચાલોના શૉમિતિ”ના માધ્યમથી આ મહોત્સવ ફરી શરૂ કરવામાં આવ્યો. હું આ આયોજન સાથે જોડાયેલ દરેક લોકોને ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમે માત્ર એક પરંપરાને જ જીવીત નથી કરી રહ્યા પરંતુ તમે ભારતના સાંસ્કૃતિક વારસાની પણ રક્ષા કરી રહ્યા છો.
મિત્રો, પશ્ચિમ બંગાળમાં ત્રિબેની વર્ષોથી એક પવિત્ર સ્થાનના રૂપમાં ઓળખાય છે. તેનો ઉલ્લેખ વિભિન્ન મંગલકાવ્ય, વૈષ્ણવ સાહિત્ય, શાક્ત સાહિત્ય અને અન્ય બંગાળી સાહિત્યિક રચનાઓમાં પણ મળે છે. વિભિન્ન ઐતિહાસિક દસ્તાવેજો દ્વારા એ જાણ થાય છે કે, ક્યારેક આ ક્ષેત્ર સંસ્કૃત, શિક્ષા અને ભારતીય સંસ્કૃતિનું કેન્દ્ર હતું. કેટલાય સંત તેને માઘ સંક્રાંતિમાં કુંભ સ્નાન માટે પવિત્ર સ્થાન માનતા હતા. ત્રિબેનીમાં તમને કેટલાય ગંગાઘાટ, શિવમંદિર અને ટેરાકોટા વાસ્તુકલાથી નિર્માણ પામેલી પ્રાચીન ઇમારતો જોવા પણ મળશે. ત્રિબેનીના વારસાને પુનઃસ્થાપિત કરવા માટે અને કુંભ પરંપરાના ગૌરવને પુનઃજીવીત કરવા માટે અહિં ગયા વર્ષે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાત સદીઓ પછી, ૩ દિવસના કુંભ મહાસ્નાન અને મેળાએ આ વિસ્તારમાં એક નવીન ઉર્જાનો સંચાર કર્યો હતો. ૩ દિવસ સુધી દરરોજ થતી ગંગા આરતી, રૂદ્રાભિષેક અને યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ વર્ષે થઇ ચૂકેલ મહોત્સવમાં વિભિન્ન આશ્રમ, મઠ અને અખાડા પણ સામેલ થયા હતા. બંગાળી પરંપરાઓથી જોડાયેલ વિભિન્ન કળા જેમ કે, કિર્તન, બાઉલ, ગોડિયોં નૃત્તોં, સ્ત્રી-ખોલ, પોટેર ગાન, છોઉ નાચ, આ તમામ કળા સાંજના કાર્યક્રમોમાં આકર્ષણનું કેન્દ્ર હતી. આપણા યુવાનોને દેશના સુવર્ણ ભૂતકાળ સાથે જોડવા માટેનો આ એક સરાહનીય પ્રયાસ છે. ભારતમાં આવી કેટલીય પરંપરા છે, જેને આપણે પુનર્જીવીત કરવાની જરૂર છે. મને આશા છે કે, આ વિશે થનાર ચર્ચાવિચારણા, લોકોને આ દિશા તરફ પ્રેરિત કરશે.
મારા વ્હાલા દેશવાસીઓ, સ્વચ્છ ભારત અભિયાનમાં આપણા દેશમાં લોકભાગીદારીના માળખાઓને જ બદલી નાંખ્યા છે. દેશમાં કયારેય પણ કશું સ્વચ્છતા સાથે જોડાયેલું હોય છે ત્યારે લોકો તેની જાણકારી મારા સુધી પહોંચાડે છે. આવી જ એક વાત માટે મારૂં ધ્યાન હરિયાણાના યુવાનોના સ્વચ્છતા અભિયાન પર કેન્દ્રિત થયું છે. હરિયાણામાં એક ગામ છે-દુલ્હેડી. અહિંના યુવાનોએ નિશ્ચય કર્યો કે, આપણે ભિવાની શહેરને સ્વચ્છતાની બાબતમાં એક મિશાલ બનાવવી છે. તેમણે યુવા સ્વચ્છતા તેમજ જનસેવા સમિતિ નામથી એક સંગઠન બનાવ્યું છે. આ સમિતિ સાથે જોડાયેલ યુવાનો સવારે ચાર વાગે ભિવાની પહોચીં જાય છે. શહેરના અલગઅલગ વિસ્તારોમાં ભેગા થઇને તેઓ સ્વચ્છતા અભિયાન ચલાવે છે. આ લોકો અત્યાર સુધી શહેરના અલગઅલગ વિસ્તારમાંથી કેટલાય ટન કચરાને સાફ કરી ચૂક્યા છે.
મિત્રો, સ્વચ્છ ભારત અભિયાનનું એક મહત્વપૂર્ણ આયામ વેસ્ટ ટુ વેલ્થ પણ છે. ઓડિશાના કેંદ્રપાડા જીલ્લાના એક બહેન કમલા મોહરાના એક સ્વયં સહાયતા જૂથ ચલાવે છે. આ જૂથની મહિલાઓ દૂધની થેલી અને અન્ય પ્લાસ્ટિક પેકિંગથી છાબડી અને મોબાઇલ સ્ટેન્ડ જેવી અન્ય વસ્તુઓ પણ બનાવે છે. આ તેમના માટે સ્વચ્છતાની સાથે સાથે કમાણીનો પણ એક સારો માર્ગ બની રહ્યો છે. જો આપણે નિશ્ચય કરી લઇએ તો સ્વચ્છ ભારતમાં આપણું ખૂબ મોટું યોગદાન આપી શકીએ છીએ. નાનામાં નાની પહેલ જેમ કે, પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ આપણે કાપડની થેલીનો સંકલ્પ લેવો જ જોઇએ. તમે ભવિષ્યમાં જોશો કે, તમારો આ સંકલ્પ કેટલો સંતોષ આપશે. અને અન્ય લોકોને પણ પ્રેરિત કરશે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે આપણે સાથે મળીને એકવાર ફરી પ્રેરણાદાયક વિષયો પર વાત કરી. પરિવાર સાથે મળીને તેને સાંભળી અને તેને દિવસ દરમિયાન યાદ કરતાં રહીશું. આપણે દેશની કર્મઠતાની જેટલી ચર્ચા કરીએ છીએ એટલી જ ઉર્જા મળે છે. આ ઉર્જા પ્રવાહની સાથે આપણે આજે મન કી બાતની ૯૮મી કડી સુધી પહોંચી ગયા છે. આજથી થોડા દિવસ પછી હોળીનો તહેવાર છે. તમને બધાને હોળીની શુભકામનાઓ. આપણે આપણા તહેવારો વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે જ ઉજવવાના છે. તમારા અનુભવો મારી સાથે વહેંચવાના ભૂલશો નહિં. ત્યાં સુધી મને રજા આપશો. આવતી વખતે આપણે ફરીથી નવા વિષયો સાથે મળીશું, ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2023 ની આ પહેલી મન કી બાત અને તેની સાથે સાથે આ કાર્યક્રમનો આજે 97 મો એપિસોડ પણ છે. આપ બધાની સાથે ફરી એકવાર વાતચીત કરીને મને ઘણી જ ખુશી થઈ રહી છે. દર વર્ષે જાન્યુઆરીનો મહિનો ઘણો eventful હોય છે. આ મહિને 14 જાન્યુઆરીની આસપાસ ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી, આખા દેશમાં તહેવારોની રોનક હોય છે. ત્યારબાદ દેશ પોતાનો ગણતંત્ર દિવસ પણ મનાવે છે. આ વખતે પણ ગણતંત્ર દિવસ સમારોહમાં અનેક પાસાઓની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. જેસલમેરથી પુલ્કિતે મને લખ્યું છે કે 26 જાન્યુઆરીની પરેડ દરમિયાન કર્તવ્ય પથના નિર્માણ કરનારા શ્રમિકોને જોઈને ઘણું સારું લાગ્યું. કાનપુરથી જયાએ લખ્યું છે કે તેમણે પરેડમાં સામેલ ઝાંખીઓમાં ભારતની સંસ્કૃતિના વિવિધ પાસાઓને જોઈને આનંદ આવ્યો. આ પરેડમાં પહેલીવાર ભાગ લેનારી Women Camel Riders અને સીઆરપીએફની મહિલાદળની ટુકડીઓની પણ ઘણી જ પ્રશંસા થઈ રહી છે.
સાથીઓ, દેહરાદૂનના વત્સલ જીએ પણ મને લખ્યું છે કે 25 જાન્યુઆરીની હું હંમેશા રાહ જોતો હોવ છું કારણ કે તે દિવસે પદ્મ પુરસ્કારોની જાહેરાત થાય છે અને એક પ્રકારે 25 તારીખની સાંજ જ મારી 26 જાન્યુઆરીના ઉમંગને ઘણી જ વધારી દે છે. પાયાના સ્તરે પોતાના સમર્પણ અને સેવાભાવથી ઉપલબ્ધી મેળવનારાઓને People’s Padma ને લઈને પણ કેટલાય લોકોએ પોતાની ભાવના વહેંચી છે. આ વખતે પદ્મ પુરસ્કારથી સન્માનિત લોકોમાં આદિવાસી સમુદાય અને આદિવાસી જીવન સાથે જોડાયેલા લોકોનું સારું પ્રતિનિધિત્વ રહ્યું છે. આદિવાસી જીવન શહેરોની દોડાદોડી કરતા અલગ છે, તેના પડકારો પણ અલગ છે, આમ છતાં આદિવાસી સમાજ પોતાની પરંપરાઓને બચાવવા હંમેશા તત્પર રહે છે. આદિવાસી સમાજ સાથે જોડાયેલી વસ્તુઓના સંરક્ષણ અને તેના સંશોધન પર પણ પ્રયાસ થઈ રહ્યા છે. આવી જ રીતે ટોટો, હો, કૂઈ, કૂવી અને માંડા જેવી જનજાતીય ભાષાઓ પર કામ કરનારા કેટલાય મહાનુભાવોને પદ્મ પુરસ્કાર મળ્યા છે. તે આપણા બધા માટે ગર્વની વાત છે. ઘાનીરામ ટોટો, જાનુમ સિંહ સોય અને બી.રામકૃષ્ણ રેડ્ડી જીના નામ, હવે તો આખો દેશ તેમનાથી પરિચીત થઈ ગયો છે. સિદ્ધી, જારવા અને ઓંગે જેવી અન્ય જનજાતીઓ સાથે કામ કરનારા લોકોને પણ આ વખતે સન્માનિત કરવામાં આવ્યા છે. જેમ કે હિરાબાઈ લોબી, રતનચંદ્ર કાર અને ઈશ્વરચંદ્ર વર્માજી. જનજાતી સમાજ આપણી ધરતી, આપણા વારસાનો અભિન્ન હિસ્સો રહ્યો છે. દેશ અને સમાજના વિકાસમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે. તેમના માટે કામ કરનારા વ્યક્તિત્વનું સન્માન, નવી પેઢીને પણ પ્રોત્સાહિત કરશે. આ વર્ષે પદ્મ પુરસ્કારોની ગૂંજ એ વિસ્તારોમાં પણ સંભળાઈ રહી છે, જે નક્સલ પ્રભાવિત વિસ્તારો હતા. પોતાના પ્રયત્નોથી નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ભટકી ગયેલા યુવાનોને સાચો માર્ગ દેખાડનારાઓને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેના માટે કાંકેરમાં લાકડા પર કોતરણી કરનાર અજયકુમાર મંડાવી અને ગઢચિરોલીના પ્રસિદ્ધ ઝાડીપટ્ટી રંગભૂમી સાથે જોડાયેલા પરશુરામ કોમાજી ખૂણે ને પણ સન્માન મળ્યું છે. તેવી જ રીતે નોર્થ-ઈસ્ટ માં પોતાની સંસ્કૃતિના સંરક્ષણ કરવામાં લાગેલા રામકુઈવાંગબે નિઉમે, વિક્રમ બહાદૂર જમાતિયા અને કરમા વાંગચૂને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
સાથીઓ આ વખતે પદ્મ પુરસ્કારોથી સન્માનિત થનારા લોકોમાં કેટલાય લોકો એવા સામેલ છે જેમણે સંગીતની દુનિયાને સમૃદ્ધ કરી છે. કોણ હશે જેને સંગીત પસંદ નહીં હોય. દરેક લોકોની સંગીતની પસંદ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ સંગીત દરેક લોકોના જીવનનો ભાગ હોય છે. આ વખતે પદ્મ પુરસ્કાર મેળવનારા લોકોમાં એ લોકો છે જે સંતૂર, બમહૂમ, દ્વિતારા જેવા આપણા પારંપરિક વાદ્યોની ધૂન ફેલાવવામાં ઉચ્ચ કૌશલ મેળવેલ છે. ગુલામ મોહમ્મદ જાજ, મોઆ સુ-પોંગ, રી-સિંહબોર, કુરકા-લાંગ, મુનિ-વેંકટપ્પા અને મંગલ કાંતિ રાય, અને આવા કેટલાય નામો છે જેની ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. સાથીઓ પદ્મ પુરસ્કાર મેળવનારા અનેક લોકો, આપણી વચ્ચેના એ સાથીઓ છે, જેમણે હંમેશા દેશને સર્વોપરી રાખ્યો, રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંત માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તેઓ સેવાભાવથી પોતાના કામમાં લાગેલા રહ્યા અને તેના માટે તેમણે ક્યારેય કોઈ પુરસ્કારની આશા નથી રાખી. તેઓ જેને માટે કામ કરી રહ્યા છે તેમના ચહેરાનો સંતોષ જ તેમના માટે સૌથી મોટો અવોર્ડ છે. આવા સમર્પિત લોકોનું સન્માન કરીને આપણા દેશવાસીઓનું ગૌરવ વધ્યું છે. હું બધા પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામ ભલે અહીં ન લઈ શકું પરંતુ આપને મારો આગ્રહ ચોક્કસ છે કે તમે પદ્મ પુરસ્કાર મેળવનારા આ મહાનુભાવોના પ્રેરક જીવનના વિષયમાં વિસ્તારપૂર્વક જાણો અને બીજાને પણ જણાવો.
સાથીઓ આજે જ્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ગણતંત્ર દિવસની ચર્ચા કરી રહ્યા છીએ, તો હું અહીં એક રસપ્રદ પુસ્તકનો પણ ઉલ્લેખ કરીશ. થોડા સપ્તાહ પહેલાં જ મને મળેલા આ પુસ્તકમાં એક ઘણાં જ રસપ્રદ વિષય પર ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકનું નામ India - The Mother of Democracy છે અને તેમાં કેટલાય સારા નિબંધો છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતન્ત્ર છે અને આપણે ભારતીયોને એ વાતનો ગર્વ પણ છે કે આપણો દેશ Mother of Democracy પણ છે. લોકતંત્ર આપણી નસેનસમાં છે, આપણી સંસ્કૃતિમાં છે – સદીઓથી તે આપણા કામકાજનો પણ અભિન્ન ભાગ રહ્યો છે.
સ્વભાવથી આપણે એક Democratic Society છીએ. ડૉ. આંબેડકરે બૌદ્ધ ભિક્ષુ સંઘની સરખામણી ભારતીય સંસદ સાથે કરી હતી. તેમણે તેને એક એવી સંસ્થા ગણાવી હતી જ્યાં Motions, Resolutions, Quorum, વોટિંગ અને વોટની ગણતરી માટે કેટલાય નિયમો હતા. બાબાસાહેબનું માનવું હતું કે ભગવાન બુદ્ધને તેની પ્રેરણા તે સમયની રાજકિય વ્યવસ્થાઓથી મળી શકી હશે .
તામિલનાડુમાં એક નાનું પરંતુ ચર્ચિત ગામ છે – ઉતિરમેરૂર. અહીં અગિયારસો - બારસો વર્ષ પહેલાનો શિલાલેખ આખી દુનિયાને અચંબિત કરે છે. આ શિલાલેખ એક લઘુ બંધારણ જેવો છે. તેમાં વિસ્તૃત રીતે જણાવાયું છે કે ગ્રામસભાનું સંચાલન કેવી રીતે થવું જોઈએ અને તેના સભ્યોની પસંદગીની પ્રક્રિયા કેવી હોય. આપણા દેશના ઈતિહાસમાં ડેમોક્રેટિક વેલ્યૂઝનું વધુ એક ઉદાહરણ છે – 12મી સદીના ભગવાન બસવેશ્વરનો અનુભવ મંડપમ્. અહીં ફ્રિ ડિબેટ અને ડિસ્કશનને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ Magna Carta થી પણ પહેલાંની વાત છે. વારાંગલના કાકતીય વંશના રાજાઓની ગણતાંત્રિક પરંપરાઓ પણ ઘણી પ્રસિદ્ધ છે. ભક્તિ આંદોલને , પશ્ચિમી ભારતમાં લોકતંત્રની સંસ્કૃતિને આગળ વધારી. પુસ્તકમાં શીખ પંથની લોકતાંત્રિક ભાવનાઓ પર પણ એક લેખને સામેલ કરવામાં આવ્યો છે, જે ગુરુ નાનકદેવ જી દ્વારા સર્વસંમતિથી લેવાયેલા નિર્ણયો પર પ્રકાશ પાડે છે. મધ્યભારતની ઉરાવ અને મુંડા જનજાતીઓમાં community driven અને consensus driven decision પર પણ આ પુસ્તકમાં સારી માહિતી છે. તમે આ પુસ્તકને વાંચ્યા પછી અનુભવશો કે કેવી રીતે દેશના દરેક ભાગમાં સદીઓથી લોકતંત્રની ભાવના પ્રવાહિત થઈ રહી છે. Mother of Democracy ના રૂપમાં, આપણે સતત આ વિષયનું ઉંડાણપૂર્વક ચિંતન પણ કરવું જોઈએ, ચર્ચા પણ કરવી જોઈએ, અને દુનિયાને અવગત પણ કરાવવી જોઈએ. તેનાથી દેશમાં લોકતંત્રની ભાવના વધારે તીવ્ર બનશે.
મારા પ્રિય દેશવાસીઓ જો હું તમને પૂછું કે યોગ દિવસ અને વિવિધ પ્રકારના આપણા મોટા અનાજોમાં શું કોમન છે તો તમે વિચારશો કે આ કેવી સરખામણી કહેવાય? જો હું તમને જણાવું કે બંનેમાં ઘણું બધું કોમન છે તો તમને આશ્ચર્ય થશે. હકિકતમાં સંયુક્ત રાષ્ટ્રએ International Yoga Day અને International Year of Millets, બંનેનો નિર્ણય ભારતના પ્રસ્તાવ પછી જ લીધો છે. બીજી વાત એ કે યોગ પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે અને જાડુ ધાન્ય પણ સ્વાસ્થ્ય માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. ત્રીજી વાત વધારે મહત્વપૂર્ણ છે – બંને અભિયાનોમાં લોક-ભાગીદારીને કારણે ક્રાંતિ આવી રહી છે. જેવી રીતે લોકોએ વ્યાપક સ્તરે સક્રિય ભાગીદારી કરીને યોગ અને ફિટનેસને પોતાના જીવનનો ભાગ બનાવ્યો છે, તેવી જ રીતે જાડા ધાન્ય ને પણ લોકો મોટાપાયે અપનાવી રહ્યા છે. લોકો હવે જાડા ધાન્ય (Millets) ને પોતાની ખોરાકનો ભાગ બનાવી રહ્યા છે. આ બદલાવનો બહુ મોટો પ્રભાવ પણ જોવા મળે છે. તેનાથી એક તરફ નાના ખેડૂતો ઘણાં જ ઉત્સાહિત છે જે પારંપારિક રીતે જાડા ધાન્યનું ઉત્પાદન કરતા હતા. તેઓ એ વાતથી ખુશ છે કે દુનિયા હવે જાડા ધાન્ય (Millets) નું મહત્વ સમજી રહી છે. બીજી તરફ એફપીઓ અને entrepreneurs એ જાડા ધાન્યને બજાર સુધી પહોંચાડવાનો અને તેને લોકોને ઉપલબ્ધ કરાવવના પ્રયત્ન શરૂ કરી દીધા છે.
આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લામાં રહેનારા કે.વી.રામા સુબ્બા રેડ્ડી જીએ જાડુ ધાન્ય (Millets) માટે સારા એવા પગારની નોકરી છોડી દીધી. માં ના હાથે બનેલા જાડા ધાન્ય (Millets) ના પકવાનોનો સ્વાદ એટલો દાઢે વળગી ગયો હતો કે તેમણે તેમના ગામમાં જ બાજરાનું પ્રોસેસિંગ યૂનિટ જ શરૂ કરી દીધું. સુબ્બા રેડ્ડી જી લોકોને બાજરાના ફાયદા પણ જણાવે છે અને તેને સરળતાથી ઉપલબ્ધ પણ કરાવે છે. મહારાષ્ટ્રમાં અલીબાગની પાસે કેનાડ ગામમાં રહેતા શર્મિલા ઓસવાલ જી છેલ્લા 20 વર્ષથી જાડા ધાન્ય (Millets) ની પેદાશમાં અનોખું યોગદાન આપી રહ્યા છે. તેઓ ખેડૂતોને સ્માર્ટ એગ્રિકલ્ચરની ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમના પ્રયત્નોથી ન માત્ર જાડા ધાન્યનું ઉત્પાદન વધ્યું છે પરંતુ ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધી થઈ છે. જો આપને છત્તીસગઢના રાયગઢ જવાની તક મળે તો અહીંયાના મીલેટ કાફે મા જરૂર જજો. થોડા જ મહીનાઓ પહેલાં શરૂ થયેલા આ મીલેટ કાફેમાં ચીલ્લા, ઢોસા, મોમોઝ, પિઝા અને મંચુરિયન જેવી વસ્તુઓ ઘણી જ પોપ્યુલર થઈ રહી છે.
હું આપને વધુ એક વાત પૂછું? તમે entrepreneur શબ્દ સાંભળ્યો હશે પરંતુ શું તમે Milletpreneurs, સાંભળ્યું છે? ઓડિશાના Milletpreneurs આજે ઘણાં જ ચર્ચામાં છે. આદિવાસી જિલ્લા સુંદરગઢની લગભગ દોઢ હજાર મહિલાઓનું સેલ્ફ હેલ્પ ગ્રુપ ઓડિશા મીલેટ મિશન સાથે જોડાયેલું છે. અહીં મહિલાઓ જાડા ધાન્ય (Millets) માંથી કૂકીઝ, રસગુલ્લા, ગુલાબજાંબુ અને કેક પણ બનાવી રહી છે. બજારમાં તેની ખૂબ માંગ હોવાથી મહિલાઓની આવક પણ વઘી રહી છે.
કર્ણાટકના કલબુર્ગીમાં અલંદ ભૂતાઈ Millets Farmers Producer Company એ ગત વર્ષે Indian Institute of Millets Research ની દેખરેખ હેઠળ કામ શરૂ કર્યું હતું. અહીંયાના ખાખરા, બિસ્કિટ અને લાડુ લોકોને ભાવી રહ્યા છે. કર્ણાટકના જ બિદર જિલ્લામાં હલસુર મીલેટ પ્રોડ્યુસર કંપની સાથે જોડાયેલી મહિલાઓ જાડા ધાન્યની ખેતીની સાથે તેનો લોટ પણ તૈયાર કરી રહી છે. તેનાથી તેમની કમાણી પણ ઘણી જ વધી છે. પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છત્તિસગઢના સંદિપ શર્માજીના એફપીઓથી આજે 12 રાજ્યોના ખેડૂતો જોડાયેલા છે. બિલાસપુરનું આ એફપીઓ, 8 પ્રકારના જાડા ધાન્ય (Millets) નો લોટ અને તેના વ્યંજન બનાવી રહ્યા છે.
સાથીઓ આજે હિન્દુસ્તાનના ખૂણે-ખૂણામાં જી-20 સમિટ સતત ચાલી રહી છે અને મને ખુશી છે કે દેશના દરેક ખૂણામાં જ્યાં પણ જી-20 સમિટ થઈ રહી છે, જાડા ધાન્ય (Millets) માંથી બનેલા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વ્યંજન તેમાં સામેલ થાય છે. અહીં બાજરામાંથી બનેલી ખીચડી, પૌઆ, ખીર અને રોટલીની સાથે જ રાગીથી બનેલા પાયસમ, પૂરી અને ઢોસા જેવા વ્યંજનો પણ પીરસવામાં આવે છે. જી-20ના દરેક venue પર મીલેટ એક્ઝીબિશનમાં જાડા ધાન્ય (Millets) માંથી બનેલા હેલ્થ ડ્રિંક્સ, સિરિઅલ્સ અને નૂડલ્સને દેખાડવામાં આવ્યા છે. આખી દુનિયામાં ઈન્ડિયન મિશન પણ તેની લોકપ્રિયતા વધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો કે દેશનો આ પ્રયત્ન અને દુનિયામાં વધતી જાડા ધાન્ય (Millets) ની માંગ આપણા નાના ખેડૂતોને કેટલી તાકાત આપવાની છે. મને એ જોઈને પણ સારું લાગે છે કે આજે વિવિધ પ્રકારની નવી નવી વસ્તુઓ બાજરામાંથી બની રહી છે, તે યુવા પેઢીને પણ તેટલી જ પસંદ આવી રહી છે. International Year of Millets ની આવી શાનદાર શરૂઆત માટે અને તેને સતત આગળ વધારવા માટે હું મન કી બાતના શ્રોતાઓને પણ અભિનંદન પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે તમારી સાથે કોઈ ટુરિસ્ટ હબ ગોવાની વાત કરે છે તો તમારા મનમાં શું ખ્યાલ આવે છે? સ્વાભાવિક છે ગોવાનું નામ આવે એટલે અહીંયાની સુંદર કોસ્ટલાઈન, બીચ અને પસંદગીની ખાણી-પીણીની વાતો ધ્યાનમાં આવવા લાગે છે. પરંતુ ગોવામાં આ મહિને કંઈક એવું થયું જે ચર્ચામાં છે. આજે મન કી બાતમાં હું તેને તમારી સાથે વહેંચવા માંગુ છું. ગોવામાં થયેલી આ ઈવેન્ટ છે – પર્પલ ફેસ્ટ. આ ફેસ્ટને 6 થી 8 જાન્યુઆરી દરમિયાન પણજીમાં યોજવામાં આવ્યો હતો. દિવ્યાંગજનોના કલ્યાણ ને લઈને તે પોતાનામાં જ એક અનોખો પ્રયાસ હતો.
પર્પલ ફેસ્ટ કેટલો મોટો મોકો હતો તેનો અંદાજ તમે એ વાત પરથી મેળવી શકો કે 50 હજારથી પણ વધારે આપણા ભાઈ-બહેન તેમાં સામેલ થયા હતા. અહીંયા આવેલા લોકો એ વાતથી રોમાંચિત હતા કે હવે તેઓ મીરામાર બીચ ફરવાનો આનંદ માણી શકશે. હકિકતમાં મીરામાર બીચ આપણા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે ગોવાના Accessible Beaches માંથી એક બની ગયો છે. અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ, ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ, મેરેથોન કોમ્પિટિશન સાથે એક બહેરા અને પ્રજ્ઞાચક્ષુઓનું કન્વેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા યૂનિક બર્ડ વોચિંગ પ્રોગ્રામ ઉપરાંત ફિલ્મ પણ દેખાડવામાં આવી. તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આપણા દિવ્યાંગ ભાઈ-બહેનો તેમજ બાળકો તેનો પૂરેપૂરો આનંદ લઈ શકે. પર્પલ ફેસ્ટની એક ખાસ વાત તેમાં દેશના પ્રાઈવેટ સેક્ટરની પણ ભાગીદારી રહી. તેમના તરફથી એવા પ્રોડકટ્સ શો-કેસ કરવામાં આવ્યા જે દિવ્યાંગ ફ્રેન્ડલી છે. આ ફેસ્ટમાં દિવ્યાંગ કલ્યાણ પ્રત્યે જાગૃતિ વધારવાના અનેક પ્રયત્નો જોવા મળ્યા. પર્પલ ફેસ્ટને સફળ બનાવવા માટે હું , તેમાં ભાગ લેનારા દરેક લોકોને ધન્યવાદ પાઠવું છું. સાથે જ એ વોલેન્ટિયર્સને પણ અભિનંદન પાઠવું છું, જેમણે આ આયોજન કરવા દિવસ-રાત એક કરી દીધા હતા. મને પૂરો વિશ્વાસ છે કે Accessible India ના આપણા વિઝનને સાકાર કરવામાં આ પ્રકારના અભિયાન ઘણાં જ કારગર સાબિત થશે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે મન કી બાતમાં હું એક એવા વિષય પર વાત કરીશ જેમાં આપને આનંદ પણ આવશે, ગર્વ પણ થશે અને આપ કહી ઉઠશો – વાહ ભાઈ વાહ...દિલ ખુશ થઈ ગયું. દેશની સૌથી જૂની સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાંની એક બેંગાલુરુની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એટલે કે આઈઆઈએસસી એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. મન કી બાતમાં અગાઉ હું આની ચર્ચા કરી ચૂક્યો છું કે કેવી રીતે આ સંસ્થાની સ્થાપનાની પાછળ ભારતની બે મહાન વિભૂતીઓ જમશેદજી ટાટા અને સ્વામી વિવેકાનંદની પ્રેરણા રહી છે તો તમને અને મને આનંદ અને ગર્વ આપનારી વાત એ છે કે વર્ષ 2022માં આ સંસ્થાના નામે કુલ 145 પેટન્ટ રહેલી છે. તેનો મતલબ છે – દર પાંચ દિવસે બે પેટન્ટ. આ રેકોર્ડ પોતાનામાં જ એક અદભૂત છે. આ સફળતા માટે હું આઈઆઈએસસી ની ટીમને અભિનંદન પાઠવું છું. સાથીઓ, આજે પેટન્ટ ફાઈલિંગમાં ભારતનો ક્રમ 7મો અને ટ્રેડમાર્કમા 5મો ક્રમ છે. માત્ર પેટન્ટની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષોમાં તેમાં લગભગ 50 ટકાની વૃદ્ધી થઈ છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં પણ ભારતના રેન્કિંગમાં જબરદસ્ત સુધારો થયો છે અને હવે તે 40 મા ક્રમે આવી ગયું છે, જ્યારે 2015માં ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 80માં નંબરથી પણ પાછળ હતું. વધુ એક રસપ્રદ વાત હું આપને જણાવવા માગું છું. ભારતમાં છેલ્લા 11 વર્ષોમાં પહેલી વખત ડોમેસ્ટિક પેટન્ટ ફાઈલિંગની સંખ્યા ફોરેન ફાઈલિંગથી વધારે જોવા મળી છે. તે ભારતના વધતા વૈજ્ઞાનિક સામર્થ્યને પણ દેખાડે છે.
સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે 21મી સદીની ગ્લોબલ ઈકોનોમીમાં નોલેજ જ સર્વોપરી છે. મને વિશ્વાસ છે કે ભારતના Techade નું સપનું આપણા ઈનોવેટર્સ અને તેમની પેટન્ટના દમ પર ચોક્કસથી પૂરું થશે. તેનાથી આપણે બધા આપણા જ દેશમાં તૈયાર વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી અને પ્રોડક્ટ્સનો ભરપૂર લાભ લઈ શકીશું.
મારા પ્રિય દેશવાસીઓ, NaMoApp પર મેં તેલંગણાના એન્જિનિયર વિજય જીની એક પોસ્ટ જોઈ. તેમાં વિજયજીએ ઈ-વેસ્ટ વિશે લખ્યું છે. વિજયજીનો આગ્રહ છે કે હું મન કી બાતમાં આ વિષય પર ચર્ચા કરું. આ કાર્યક્રમમાં પહેલાં પણ આપણે વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી કંચનની વાત કરી હતી, પરંતુ આવો આજે તેનાથી જ જોડાયેલી ઈ-વેસ્ટની ચર્ચા કરીએ.
સાથીઓ આજે દરેક ઘરમાં મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ જેવી ડિવાઈસ સામાન્ય થઈ ગયી છે. આખા દેશમાં તેની સંખ્યા અબજોમાં હશે. આજના લેટેસ્ટ ડિવાઈસ ભવિષ્યના ઈ-વેસ્ટ પણ હોય છે. જ્યારે કોઈ નવી ડિવાઈસ ખરીદે છે અથવા પોતાની જૂની ડિવાઈસ બદલે છે તો એ ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે કે તેને બરાબર રીતે discard કરવામાં આવે છે કે નહીં. જો ઈ-વેસ્ટને બરાબર રીતે dispose કરવામાં ન આવે તો તે આપણા પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ સાવધાની પૂર્વક જો તેને કરવામાં આવે છે તો તે રિસાયકલ અને રિયૂઝની સર્ક્યૂલર ઈકોનોમીની(CIRCULAR ECONOMY) બહુ જ મોટી તાકાત બની શકે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે 50 મીલિયન ટન ઈ-વેસ્ટ ફેંકવામાં આવે છે. તમે અંદાજો લગાવી શકશો કે કેટલો હશે? માનવ ઈતિહાસમાં જેટલા વ્યવસાયિક હવાઈજહાજ બન્યા છે તે બધાનું વજન ભેગું કરી દેવામાં આવે તો જેટલો ઈ-વેસ્ટ નીકળે છે તેને બરાબર પણ નહીં થાય. આ એવું છે જેમકે દર સેકન્ડે 800 લેપટોપ ફેંકી દેવાતા હોય. તમે જાણીને ચોંકી જશો કે અલગ-અલગ પ્રક્રિયાઓ મારફતે આ ઈ-વેસ્ટથી લગભગ 17 પ્રકારના કીંમતી ધાતુઓ Precious Metal કાઢી શકાય છે. તેમાં સોનું, ચાંદી, ત્રાંબુ, નિકલ સામેલ છે. તેથી જ ઈ-વેસ્ટનો સદુપયોગ કરવો, કચરાને કંચન બનાવવાથી જરા પણ ઓછું નથી. આજે એવા સ્ટાર્ટ-અપની અછત નથી જે આ દિશામાં ઈનોવેટિવ કામ કરી રહ્યા છે. આજે લગભગ 500 જેટલા E-Waste Recyclers આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને ઘણાં બધા નવા ઉદ્યમીઓને પણ તેની સાથે જોડવામાં આવી રહ્યા છે. આ સેક્ટરે હજારો લોકોને સીધી રીતે રોજગારી પણ પૂરી પાડી છે. બેંગાલુરુની E-Parisara પણ આવા જ એક પ્રયત્નમાં જોડાયેલી છે. તેણે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની કિમતી ધાતુઓને અલગ કરીને સ્વદેશી ટેક્નોલોજી વિકસિત કરી છે. આવી જ રીતે મુંબઈમાં કામ કરતી ઈકોરિકો એ મોબાઈલ એપથી ઈ-વેસ્ટ કલેક્ટ કરવાની સિસ્ટમ તૈયાર કરી છે. ઉત્તરાખંડના રૂરકીની એટ્ટેરો રિસાયક્લિંગે તો આ ક્ષેત્રમાં દુનિયાભરમાં કેટલીયે પેટન્ટ મેળવી છે. તેણે પણ પોતાની ઈ-વેસ્ટ રિસાયક્લિંગ ટેક્નોલોજી તૈયાર કરીને ઘણી જ નામના મેળવી છે. ભોપાલમાં મોબાઈલ એપ અને વેબસાઈટ – કબાડીવાલાની મદદથી ઘણા ટન ઈ-વેસ્ટ એકત્રિત કરાઈ રહ્યું છે. આવા તો કેટલાય ઉદાહરણો છે. આ બધા ભારતને ગ્લોબલ રિસાયક્લિંગ હબ બનાવવામાં મદદ કરી રહ્યા છે પરંતુ આવા initiative ની સફળતા માટે એક જરૂરી શરત એ પણ છે તે એ કે ઈ-વેસ્ટના નિકાલની સુરક્ષિત ઉપયોગી પદ્ધતિઓ વિશે લોકોને જાગૃત કરતા રહેવા પડશે. ઈ-વેસ્ટના ક્ષેત્રમાં કામ કરનારા કહે છે કે અત્યારે દર વર્ષે માત્ર 15-17 ટકા ઈ-વેસ્ટને જ રિસાયકલ કરવામાં આવી રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આખી દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ અને બાયોડાયર્સિટીના રક્ષણની ઘણી ચર્ચા થાય છે. આ દિશામાં ભારતના નક્કર પ્રયત્નો વિશે આપણે સતત વાત કરીએ છીએ. ભારતે તેની વેટલેન્ડ માટે જે કામ કર્યું છે તે જાણીને તમને પણ ઘણું સારું લાગશે. કેટલાક શ્રોતાઓ વિચારી રહ્યા હશે કે વેટલેન્ડ શું હોય છે? વેટલેન્ડ સાઈટ એટલે એ જગ્યા જ્યાં દળદાર માટીવાળી જમીન પર આખું વર્ષ પાણી ભરાયેલું રહે છે. થોડા દિવસ પછી 2 ફેબ્રુઆરીએ જ વર્લ્ડ વેટલેન્ડ ડે છે. આપણી ધરતીના અસ્તિત્વ માટે વેટલેન્ડ ઘણી જ જરૂરી છે કારણ કે તેના પર ઘણાંબધા પક્ષીઓ, જીવ-જંતુઓ નિર્ભર હોય છે. તે બાયોડાયવર્સિટીને સમૃદ્ધ કરવાની સાથે પૂર નિયંત્રણ અને ભૂમિગત જળ સંચય પણ સુનિશ્ચિત કરે છે. તમારામાંથી ઘણાં લોકો જાણતા હશે રામસર સાઈટ એવા વેટલેન્ડ હોય છે જે આંતરરાષ્ટ્રીય મહત્વ ના છે. વેટલેન્ડ ભલે કોઈ દેશમાં હોય પરંતુ તેણે અનેક માપદંડોને પૂરા કરવાના હોય છે, ત્યારે જઈને તેને રામસર સાઈટ જાહેર કરવામાં આવે છે. રામસર સાઈટ્સમાં 20 હજાર અથવા તેનાથી વધારે વોટર બર્ડ્સ હોવા જોઈએ. સ્થાનિક માછલીઓની પ્રજાતિઓની મોટી સંખ્યા હોવી જરૂરી છે. આઝાદીના 75 વર્ષ પર અમૃત મહોત્સવ દરમિયાન રામસર સાઈટ્સ સાથે જોડાયેલી એક સારી વાત આપની સાથે વહેંચવા માંગુ છું. આપણા દેશમાં રામસર સાઈટ્સની કુલ સંખ્યા હવે 75 થઈ ગઈ છે, જ્યારે 2014 પહેલાં દેશમાં માત્ર 26 રામસર સાઈટ્સ હતી. તેના માટે સ્થાનિક સમુદાય ધન્યવાદને પાત્ર છે. જેમણે આ બાયોડાયવર્સિટીને સાચવીને રાખી છે. આ પ્રકૃતિ સાથે સદભાવપૂર્વક રહેવાની આપણી સદીઓ જૂની સંસ્કૃતિ અને પરંપરાનું પણ સન્માન છે. ભારતના આ વેટલેન્ડ્સ આપણા પ્રાકૃતિક સામર્થ્યનું પણ ઉદાહરણ છે. ઓડિશાનુ ચિલ્કા સરોવર 40થી વધારે WaterBird Species ને આશ્રય આપવા માટે જાણીતું છે. કઈબુલ-લમજાહ, લોકટાકને Swamp Deerનું એકમાત્ર Natural Habitat માનવામાં આવે છે. તામિલનાડુના વેડન્થાંગલને 2022માં રામસર સાઈટ જાહેર કરવામાં આવ્યું હતું. અહીંયાની બર્ડ પોપ્યુલેશનને સાચવવાનો બધો જ શ્રેય આસપાસના ખેડૂતોને જાય છે. કાશ્મીરમાં પંજાથ નાગ સમુદાય Annual Fruit Blossom festival દરમિયાન એક દિવસ ખાસ ગામડાંના ઝરણાંની સાફ-સફાઈ માટે રાખે છે. World’s Ramsar Sites માં મોટાભાગે Unique Culture Heritage પણ છે. મણિપુરનું લોકટાક અને પવિત્ર સરોવર રેણુકા સાથે ત્યાંની સંસ્કૃતિનુ ઘણુ ઉંડું જોડાણ રહ્યું છે. આવી જ રીતે Sambhar નો સંબંધ માં દુર્ગાના અવતાર શાકમ્ભરી દેવી સાથે પણ છે. ભારતમાં વેટલેન્ડનો આ વિસ્તાર એ લોકોને કારણે શક્ય બની શકે છે જે રામસર સાઈટ્સની આસપાસ રહે છે. હું એવા બધા લોકોની ઘણી જ પ્રશંસા કરું છું, મન કી બાતના શ્રોતાઓ તરફથી તેમને શુભકામનાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે આપણા દેશમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં ઘણી જ તીવ્ર ઠંડી પડી. આ ઠંડીમાં લોકોએ પહાડો પર બરફવર્ષા ની પણ ખૂબ મજા લીધી. જમ્મુ-કાશ્મીરથી કેટલીક એવી છબીઓ આવી જેણે આખા દેશનું મન મોહી લીધું. સોશિયલ મીડિયા પર તો આખી દુનિયાના લોકો આ છબીને પસંદ કરે છે. બરફવર્ષાને કારણે આપણી કાશ્મીર ખીણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી જ સુંદર થઈ ગઈ છે. બનીહાલ થી બડગામ જતી ટ્રેનનો વીડિયો પણ લોકો ખાસ પસંદ કરી રહ્યા છે. સુંદર બરફવર્ષા, ચારેય તરફ સફેદ ચાદર જેવો બરફ. લોકો કહી રહ્યા છે કે આ દ્રશ્ય પરીઓની કથાઓ જેવું લાગે છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ કોઈ વિદેશની નહીં, પરંતુ આપણા જ દેશના કાશ્મીરની છબીઓ છે. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું છે – સ્વર્ગ આનાથી વધારે સુંદર શું હશે? તે વાત બિલકુલ સાચી છે. ત્યારે જ તો કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. તમે પણ આ છબીઓને જોઈને કાશ્મીરની મુલાકાત લેવાનું જરૂર વિચારતા હશો. હું ઈચ્છીશ કે તમે પોતે પણ જાઓ અને તમારા સાથીઓને પણ લઈ જાઓ. કાશ્મીરમાં બરફથી ઢંકાયેલા પહાડો, પ્રાકૃતિક સૌંદર્યની સાથે સાથે અન્ય પણ ઘણું જોવાનું અને જાણવાનું છે. જેમ કે કાશ્મિરના સૈયદાબાદમાં વિન્ટર ગેમ્સ આયોજિત કરવામાં આવી હતી. આ ગેમ્સની થીમ હતી – સ્નો ક્રિકેટ. તમે વિચારી રહ્યા હશો કે સ્નો ક્રિકેટ તો ઘણી જ રોમાંચક રમત હશે – તમે બિલકુલ સાચું વિચારી રહ્યા છો. કાશ્મીરી યુવાનો બરફની વચ્ચે ક્રિકેટને વધુ અદભુત બનાવી દે છે. તેને મારફતે કાશ્મીરમાં એવા યુવા ખેલાડીઓની શોધ પણ થાય છે જે આગળ વધીને ટીમ ઈન્ડિયા તરફથી પણ રમશે. આ પણ એક રીતે ખેલો ઈન્ડિયા મૂવમેન્ટનું વિસ્તરણ જ છે. કાશ્મીરમાં યુવાનોમાં રમતોને લઈને ઉત્સાહ ઘણો જ વધી રહ્યો છે. આવનારા સમયમાં આમાંથી કેટલાય યુવાનો દેશ માટે મેડલ જીતશે, તિરંગો લહેરાવશે. મારું આપને સૂચન હશે કે હવે પછી તમે જ્યારે કાશ્મીરની યાત્રા પ્લાન કરો તો આવા આયોજનોને જોવા માટે પણ સમય કાઢજો. આ અનુભવ આપની યાત્રાને વધુ યાદગાર બનાવી દેશે.
મારા પ્રિય દેશવાસીઓ, ગણતંત્રને મજબૂત કરવાના આપણા પ્રયત્નો સતત ચાલતા રહેવા જોઈએ. ગણતંત્ર મજબૂત થાય છે જન-ભાગીદારીથી, બધાના પ્રયત્નોથી, દેશ પ્રત્યેના પોતપોતાના કર્તવ્યોને નિભાવવાથી, અને મને સંતોષ છે કે આપણી મન કી બાત આવા કર્તવ્યનિષ્ઠ સેનાનીઓનો બુલંદ અવાજ છે. હવે પછી ફરી મુલાકાત થશે આવા કર્તવ્યનિષ્ઠ લોકોની રસપ્રદ તથા પ્રેરક ગાથાઓની સાથે.
ખૂબ ખૂબ ધન્યવાદ....
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે આપણે ‘મન કી બાત’ના છન્નુમી કડી સાથે જોડાઈ રહ્યા છીએ. ‘મન કી બાત’નો આગામી હપ્તો વર્ષ 2023નો પહેલો હપ્તો થશે. તમે લોકોએ જે સંદેશા મોકલ્યા, તેમાં વિદાય લઈ રહેલા 2022 વિશે વાત કરવા પણ ખૂબ આગ્રહ સાથે કહ્યું છે. અતીતનું અવલોકન તો આપણને વર્તમાન અને ભવિષ્યની તૈયારીઓની પ્રેરણા હંમેશાં આપતું રહ્યું છે. 2022માં દેશના લોકોનું સામર્થ્ય, તેમનો સહયોગ, તેમનો સંકલ્પ, તેમની સફળતાનો વિસ્તાર એટલો વધુ રહ્યો કે ‘મન કી બાત’માં બધાને સાંકળવું તો મુશ્કેલ થશે. 2022 ખરેખર અનેક રીતે ખૂબ જ પ્રેરક રહ્યું. અદ્ભુત રહ્યું. આ વર્ષે ભારતે પોતાની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરા કર્યાં અને આ વર્ષે અમૃત કાળનો પ્રારંભ થયો. આ વર્ષે દેશે અનેક ક્ષેત્રે ઝડપ પકડી છે, બધા દેશવાસીઓએ એકથી એક ચડિયાતું કામ કર્યું. 2022ની વિભિન્ન સફળતાઓએ, આજે, પૂરા વિશ્વમાં ભારતનું એક વિશેષ સ્થાન બનાવ્યું છે. 2022 અર્થાત્ ભારત દ્વારા દુનિયામાં પાંચમા સૌથી મોટા અર્થતંત્રનો પડાવ પ્રાપ્ત કરવો, 2022 અર્થાત્ ભારત દ્વારા 220 કરોડ રસીનો અવિશ્વસનીય આંકડો પાર કરવાનો વિક્રમ, 2022 અર્થાત્ ભારત દ્વારા નિકાસનો 400 અબજ ડૉલરનો જાદુઈ આંકડો પાર કરવો, 2022 અર્થાત્ દેશના જન-જન દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને અપનાવવો, તેને જીવીને દેખાડવો, 2022 અર્થાત્ ભારતના પહેલા સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતનું સ્વાગત, 2022 અર્થાત્ અવકાશ, ડ્રૉન અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતનો ધ્વજ ફરકાવવો, 2022 અર્થાત્ દરેક ક્ષેત્રમાં ભારતની શક્તિ. રમતના મેદાનમાં પણ, ચાહે, રાષ્ટ્રકુળ રમતો હોય કે આપણી મહિલા હોકી ટીમની જીત, આપણા યુવાનોએ જબરદસ્ત સામર્થ્ય દેખાડ્યું.
સાથીઓ, આ બધાની સાથે જ વર્ષ 2022 એક બીજા કારણથી સદૈવ યાદ કરાશે. તે છે, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનો વિસ્તાર. દેશના લોકોએ એકતા અને સંપને ઉજવવા માટે પણ અનેક અદ્ભુત આયોજન કર્યાં. ગુજરાતનો માધવપુર મેળો હોય, જ્યાં રુક્મિણી વિવાહ અને ભગવાન કૃષ્ણના પૂર્વોત્તરના સંબંધોને ઉજવવામાં આવે છે અથવા તો પછી કાશી-તમિલ સંગમમ્ હોય, આ પર્વોમાં પણ એકતાના અનેક રંગો દેખાયા. 2022માં દેશવાસીઓએ એક બીજો અમર ઇતિહાસ લખ્યો. ઑગસ્ટના મહિનમાં ચાલેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન કોણ ભૂલી શકે છે? તે પળ યાદ કરતાં દરેક દેશવાસીના રૂંવાડા ઊભા થઈ જતા હતા. સ્વતંત્રતાનાં 75 વર્ષના આ અભિયાનમાં સમગ્ર દેશ તિરંગામય થઈ ગયો. 6 કરોડથી વધુ લોકોએ તો તિરંગા સાથે સેલ્ફી પણ મોકલી. સ્વતંત્રતાનો આ અમૃત મહોત્સવ હજુ આગામી વર્ષ પણ ચાલશે. અમૃતકાળના પાયાને વધુ મજબૂત કરશે.
સાથીઓ, આ વર્ષે ભારતને જી20 સમૂહની અધ્યક્ષતાની જવાબદારી પણ મળી છે. મેં ગત વખતે આના પર વિસ્તારથી ચર્ચા પણ કરી હતી. વર્ષ 2023માં આપણે જી20ના ઉત્સાહને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે. આ આયોજનને એક જન આંદોલન બનાવવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે દુનિયાભરમાં ધૂમધામથી ક્રિસમસનો તહેવાર પણ મનાવવામાં આવી રહ્યો છે. તે જીસસ ક્રાઇસ્ટના જીવન, તેમના ઉપદેશને યાદ કરવાનો દિવસ છે. હું તમને સહુને ક્રિસમસની ખૂબ શુભેચ્છાઓ આપું છું.
સાથીઓ, આજે આપણા બધાના શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીનો જન્મદિન પણ છે. તેઓ એક મહાન રાજનેતા હતા. જેમણે દેશને અસાધારણ નેતૃત્વ આપ્યું.
દરેક ભારતવાસીના હૃદયમાં તેમના માટે એક વિશેષ સ્થાન છે. મને કોલકાતાથી આસ્થાજીનો પત્ર મળ્યો છે. આ પત્રમાં તેમણે તાજેતરની તેમની દિલ્લી મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. તેઓ લખે છે કે આ દરમિયાન તેમણે પીએમ મ્યૂઝિયમ જોવા માટે સમય કાઢ્યો. આ મ્યૂઝિયમમાં તેમને અટલજીની ગેલેરી ખૂબ જ પસંદ આવી. અટલજી સાથે ત્યાં પાડવામાં આવેલી તસવીર તો તેમના માટે યાદગાર બની ગઈ છે. અટલજીની ગેલેરીમાં આપણે દેશ માટે તેમના બહુમૂલ્ય યોગદાનની ઝલક જોઈ શકીએ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, શિક્ષણ હોય, કે પછી વિદેશ નીતિ, તેમણે ભારતને દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જવાનું કામ કર્યું. હું ફરી એક વાર અટલજીને હૃદયથી નમન કરું છું.
સાથીઓ, કાલે 26 ડિસેમ્બરે ‘વીર બાળ દિવસ’ છે અને મને આ અવસર પર દિલ્લીમાં સાહિબજાદા જોરાવરસિંહજી અને સાહિબજાદા ફતેહસિંહજીની વીરગતિને સમર્પિત એક કાર્યક્રમમાં સહભાગી થવાનું સૌભાગ્ય મળશે. દેશ, સાહિબજાદે અને માતા ગુજરીના બલિદાનને સદૈવ યાદ રાખશે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં કહેવાય છે-
सत्यम् किम प्रमाणम्, प्रत्यक्षम् किम प्रमाणम् ।
અર્થાત્ સત્યને પ્રમાણની આવશ્યકતા નથી હોતી, જે પ્રત્યક્ષ છે તેને પણ પ્રમાણની કોઈ આવશ્યકતા નથી હોતી. પરંતુ વાત જ્યારે આધુનિક મેડિકલ સાયન્સની હોય તો તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે- પ્રમાણ, પુરાવો. સદીઓથી ભારતીય જીવનનો હિસ્સો રહેલા યોગ અને આયુર્વેદ જેવા આપણાં શાસ્ત્રોની સામે પુરાવા આધારિત સંશોધનની ખોટ, સદૈવ એક પડકાર રહ્યો છે. પરિણામ દેખાય છે, પરંતુ પ્રમાણ નથી હોતાં. પરંતુ મને આનંદ છે કે પુરાવા આધારિત સંશોધનના યુગમાં, હવે યોગ અને આયુર્વેદ, આધુનિક યુગની તપાસ અને કસોટીઓ પર સાચાં ઠરી રહ્યાં છે.
તમે બધાએ મુંબઈના ટાટા મેમોરિયલ સેન્ટર વિશે જરૂર સાંભળ્યું હશે. આ સંસ્થાએ રિસર્ચ, ઇનોવેશન અને કેન્સર કૅરમાં ખૂબ નામ કમાયું છે. આ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક સઘન સંશોધનમાં જણાયું છે કે સ્તન કેન્સરના દર્દીઓ માટે યોગ ખૂબ જ વધુ અસરકારક છે. ટાટા મેમોરિયલ સેન્ટરે પોતાના સંશોધનનાં પરિણામોને અમેરિકામાં થયેલી ખૂબ જ પ્રતિષ્ઠિત સ્તન કેન્સર પરિષદમાં પ્રસ્તુત કર્યાં છે. આ પરિણામોએ દુનિયાના મોટા-મોટા નિષ્ણાતોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કારણકે ટાટા મેમોરિયલ સેન્ટરે પુરાવા સાથે જણાવ્યું છે કે દર્દીઓને યોગથી કેવો લાભ થયો છે. આ સેન્ટરના સંશોધન પ્રમાણે, યોગના નિયમિત અભ્યાસથી સ્તન કેન્સરના દર્દીઓની બીમારીના ફરીથી થવાના અને મૃત્યુના જોખમમાં 15 ટકા ઘટાડો થયો છે. ભારતીય પારંપરિક ચિકિત્સામાં આ પહેલું ઉદાહરણ છે જેને પશ્ચિમી રીતવાળા કડક માપદંડો પર ચકાસવામાં આવ્યું છે. સાથે જ આ પહેલો અભ્યાસ છે, જેમાં સ્તન કેન્સરગ્રસ્ત મહિલાઓમાં યોગથી જીવનની ગુણવત્તા વધુ સારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેના દીર્ઘકાલીન લાભો પણ સામે આવ્યા છે. ટાટા મેમોરિયલ સેન્ટરે પોતાના અભ્યાસનાં પરિણામોને પેરિસમાં થયેલા યુરોપિયન સૉસાયટી ઑફ મેડિકલ ઑન્કોલૉજીમાં, તે સંમેલનમાં પ્રસ્તુત કર્યાં છે.
સાથીઓ, આજના યુગમાં, ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ જેટલી વધુ પુરાવા આધારિત હશે, તેટલી જ સમગ્ર વિશ્વમાં તેની સ્વીકાર્યતા વધશે. આ વિચાર સાથે, દિલ્લીના એઇમ્સમાં પણ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યાં આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓને માન્ય કરવા માટે છ વર્ષ પહેલાં સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટિવ મેડિસિન ઍન્ડ રિસર્ચની સ્થાપના કરવામાં આવી.
તેમાં લેટેસ્ટ મૉડર્ન ટૅક્નિક અને સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સેન્ટર પહેલાં જ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલમાં 20 પત્રો પ્રકાશિત કરી ચૂક્યું છે. અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયૉલૉજીની જર્નલમાં પ્રકાશિત એક પત્રમાં સિન્કપીથી પીડિત દર્દીને યોગથી થનારા લાભ વિશે જણાવવામાં આવ્યું છે. આ જ રીતે ન્યૂરૉલૉજી જર્નલના પત્રમાં માઇગ્રેનમાં યોગથી થનારા ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત અનેક બીજી બીમારીમાં પણ યોગથી લાભ વિશે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેમ કે હૃદય રોગ, અવસાદ, સ્લીપ ડિસઑર્ડર અને ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને થનારી સમસ્યાઓ.
સાથીઓ, કેટલાક દિવસો પહેલાં વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસ માટે હું ગોવામાં હતો. તેમાં 40થી વધુ દેશોના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા અને ત્યાં ૫૫૦થી વધુ વૈજ્ઞાનિક પત્રો પ્રસ્તુત કરવામાં આવ્યા. ભારત સહિત દુનિયાભરની 215 કંપનીઓએ ત્યાં પ્રદર્શનમાં પોતાનાં ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું. ચાર દિવસ સુધી ચાલેલા આ પ્રદર્શનમાં એક લાખથી પણ વધુ લોકોએ આયુર્વેદ સાથે જોડાયેલા પોતાના અનુભવને માણ્યો. આયુર્વેદ કૉંગ્રેસમાં પણ મેં દુનિયાભરમાંથી જોડાયેલા આયુર્વેદ નિષ્ણાતો સામે પુરાવા આધારિત સંશોધનોનો આગ્રહ પુનરાવર્તિત કર્યો. જે રીતે કોરોના વૈશ્વિક રોગચાળાના આ સમય દરમિયાન યોગ અને આયુર્વેદની શક્તિ આપણે જોઈ રહ્યા છીએ, તેમાં તેની સાથે જોડાયેલું પુરાવા આધારિત સંશોધન ખૂબ જ મહત્ત્ત્વપૂર્ણ સાબિત થશે. મારો તમને અનુરોધ છે કે યોગ, આયુર્વેદ અને આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓ સાથે જોડાયેલા આવા પ્રયાસો વિશે જો તમારી પાસે કોઈ જાણકારી હોય તો તમે સૉશિયલ મિડિયા પર જરૂર જણાવશો.
મારા પ્રિય દેશવાસીઓ, વિતેલાં કેટલાંક વર્ષોમાં આપણે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક મોટા પડકારો પર વિજય મેળવ્યો છે. તેનો સંપૂર્ણ શ્રેય આપણા તબીબી નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને દેશવાસીઓની ઈચ્છાશક્તિને મળે છે. આપણે ભારતને અછબડા, પોલિયો અને ગિની કૃમિ જેવી બીમારીઓને સમાપ્ત કરીને દેખાડી છે.
આજે, ‘મન કી બાત’ના શ્રોતાઓને હું એક વધુ પડકાર વિશે જણાવવા માગું છું જે હવે સમાપ્ત થવાના આરે છે. તે પડકાર, તે બીમારી છે ‘કાલાજાર’. આ બીમારી પરોપજીવી સેન્ડ ફ્લાય અર્થાત્ બાલુ માખી કરડવાથી ફેલાય છે. જ્યારે કોઈને ‘કાલાજાર’ થાય છે તો તેને મહિનાઓ સુધી તાવ રહે છે અને લોહીની ઘટ થઈ જાય છે, શરીર નબળું પડી જાય છે અને વજન પણ ઘટી જાય છે. આ બીમારી બાળકોથી લઈને મોટા સુધી કોઈને પણ થઈ શકે છે. પરંતુ બધાના પ્રયાસથી, ‘કાલાજાર’ નામની આ બીમારી, હવે, ઝડપથી સમાપ્ત થતી જઈ રહી છે. કેટલાક સમય પહેલાં સુધી, કાલાજારનો પ્રકોપ, ચાર રાજ્યોમાં 50થી વધુ જિલ્લાઓમાં ફેલાયેલો હતો. પરંતુ હવે તે બીમારી બિહાર અને ઝારખંડના ચાર જિલ્લાઓ સુધી જ સીમિત રહી ગઈ છે. મને વિશ્વાસ છે કે બિહાર, ઝારખંડના લોકોનું સામર્થ્ય, તેમની જાગૃતિ, આ ચાર જિલ્લાઓમાં પણ ‘કાલાજાર’ને સમાપ્ત કરવામાં સરકારના પ્રયાસોમાં મદદ કરશે. ‘કાલાજાર’ પ્રભાવિત ક્ષેત્રોના લોકોને પણ મારો અનુરોધ છે કે તેઓ બે વાતોનું જરૂર ધ્યાન રાખે. એક – સેન્ડ ફ્લાય અથવા બાલુ માખી પર નિયંત્રણ અને બીજું, જેમ બને તેમ જલ્દી આ રોગની ઓળખ કરી તેની પૂરી સારવાર કરાવવી. ‘કાલાજાર’ની સારવાર સરળ છે, તેના માટે કામ આવતી દવાઓ પણ બહુ જ કારગર નિવડે છે. બસ, તમારે સતર્ક રહેવાનું છે. તાવ આવે તો બેદરકારી ન રાખતા અને બાલુ માખીને ખતમ કરવાવાળી દવાઓનો છંટકાવ પણ કરતા રહો.
જરા વિચારો, આપણો દેશ જ્યારે ‘કાલાજાર’થી મુક્ત થઈ જશે તો તે આપણા બધા માટે કેટલી આનંદની વાત હશે. બધાના પ્રયાસની આ ભાવનાથી આપણે ભારતને 2025 સુધી ટી.બી. મુક્ત કરવા માટે પણ કામ કરી રહ્યા છે. તમે જોયું હશે, વિતેલા દિવસોમાં, જ્યારે ટી.બી.મુક્ત ભારત અભિયાન શરૂ થયું તો હજારો લોકો ટી. બી. દર્દીઓની મદદ કરવા આગળ આવ્યા. તે લોકો નિક્ષય મિત્ર બનીને, ટી.બી.ના દર્દીઓની દેખભાળ કરી રહ્યા છે. તેમની આર્થિક મદદ કરી રહ્યા છે. જન સેવા અને જન ભાગીદારીની આ શક્તિ, દરેક મુશ્કેલ લક્ષ્યને પ્રાપ્ત કરીને જ દેખાડે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણી પરંપરા અને સંસ્કૃતિનો ગંગા માતા સાથે અતૂટ સંબંધ છે. ગંગા જળ આપણી જીવનધારાનો અભિન્ન હિસ્સો રહ્યું છે અને આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે –
नमामि गंगे तव पाद पकंजं
सुर असुरै: वन्दित दिव्य रूपम् ।
भुक्तिम् च मुक्तिम् च ददासि नित्यम्,
भाव अनुसारेण सदा नराणाम्।।
અર્થાત્ હે મા ગંગા! તમે, તમારા ભક્તોને, તેમના ભાવને અનુરૂપ સાંસારિક સુખ, આનંદ અને મોક્ષ પ્રદાન કરો છો. બધા તમારાં પવિત્ર ચરણોને વંદન કરે છે. હું પણ તમારાં પવિત્ર ચરણોમાં મારા પ્રણામ અર્પિત કરું છું. આવામાં વર્ષોથી ખળ-ખળ વહેતી મા ગંગાને સ્વચ્છ રાખવી આપણા બધાની બહુ મોટી જવાબદારી છે. આ ઉદ્દેશ્ય સાથે આઠ વર્ષ પહેલાં આપણે ‘નમામિ ગંગે અભિયાન’ની શરૂઆત કરી હતી. આપણા બધા માટે ગૌરવની વાત છે કે ભારતની આ પહેલને આજે દુનિયાભરની પ્રશંસા મળી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રોએ ‘નમામિ ગંગે મિશન’ને પર્યાવરણ પ્રણાલિને પુનઃસ્થાપિત કરતા દુનિયાના ટોચના દસ ઇનિશિએટિવમાં સામેલ કર્યું છે. વધુ આનંદની વાત એ છે કે સમગ્ર વિશ્વના 160 આવાં ઇનિશિએટિવમાં ‘નમામિ ગંગા’ને આ સન્માન મળ્યું છે.
સાથીઓ, ‘નમામિ ગંગે’ અભિયાનની સૌથી મોટી ઊર્જા લોકોની નિરંતર સહભાગિતા છે. ‘નમામિ ગંગે’ અભિયાનમાં ગંગા પ્રહરીઓ અને ગંગા દૂતોની પણ મોટી ભૂમિકા છે. તેઓ વૃક્ષારોપણ, ઘાટોની સફાઈ, ગંગા આરતી, શેરી નાટક, ચિત્રકારી અને કવિતાઓ દ્વારા જાગૃતિ ફેલાવવામાં લાગેલા છે. આ અભિયાનથી જૈવવૈવિધ્યમાં પણ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. હિલ્સા માછલી, ગંગા ડૉલ્ફિન અને કાચબાની વિભિન્ન પ્રજાતિઓમાં પણ ઘણી વૃદ્ધિ થઈ છે. ગંગાનું પર્યાવરણ તંત્ર સ્વચ્છ થવાથી, આજીવિકાના અન્ય અવસરો પણ વધી રહ્યા છે. અહીં હું ‘જલજ આજીવિકા મૉડલ’ની પણ ચર્ચા કરવા ઈચ્છીશ, જે જૈવવૈવિધ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ પર્યટન આધારિત નૌકા સહેલને 26 સ્થાનો પર શરૂ કરવામાં આવી છે. સ્પષ્ટ છે કે ‘નમામિ ગંગે મિશન’નો વિસ્તાર, તેનો પરીઘ, નદી સફાઈથી ઘણો બધો વધ્યો છે. તે, એક તરફ, આપણી ઈચ્છાશક્તિ અને અથાગ પ્રયાસોનું એક પ્રત્યક્ષ પ્રમાણ છે તો બીજી તરફ, તે પર્યાવરણ સંરક્ષણની દિશામાં વિશ્વને પણ એક નવો રસ્તો દેખાડનારું છે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે આપણી સંકલ્પ શક્તિ મજબૂત હોય તો મોટામાં મોટો પડકાર પણ સરળ બની જાય છે. તેનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે- સિક્કિમના થેગૂ ગામના ‘સંગે શેરપાજીએ’. તેઓ છેલ્લાં 14 વર્ષથી 12,000 ફૂટથી પણ વધુ ઊંચાઈ પર પર્યાવરણ સંરક્ષણના કામમાં લાગેલા છે. સંગેજીએ સાંસ્કૃતિક અને પૌરાણિક રીતે મહત્ત્વના સોમગો (tsomgo) ને સ્વચ્છ રાખવાનું બીડું ઝડપ્યું છે. પોતાના અથાગ પ્રયાસોથી તેમણે આ ગ્લેશિયર લેકનું રંગરૂપ જ બદલી નાખ્યું છે.
વર્ષ 2008માં સંગે શેરપાજીએ જ્યારે સ્વચ્છતાનું આ અભિયાન શરૂ કર્યું હતું, ત્યારે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જોતજોતામાં, તેમના આ ઉમદા કાર્યમાં યુવાનો અને ગ્રામીણો સાથે જ પંચાયતનો પણ ભરપૂર સહયોગ મળવા લાગ્યો. આજે તમે જો સોમગો સરોવરને જોવા જશો તો ત્યાં ચારે તરફ તમને ગાર્બેજ બિન્સ મળશે. હવે અહીં જમા થયેલા કચરાને રિસાઇકલિંગ માટે મોકલવામાં આવે છે. અહીં આવનારા પર્યટકોને કપડાંથી બનેલી ગાર્બેજ બિન પણ આપવામાં આવે છે જેથી કચરો અહીં-ત્યાં ન ફેંકે. હવે ખૂબ જ સાફ થઈ ચૂકેલા આ સરોવરને જોવા માટે દર વર્ષે લગભગ પાંચ લાખ પર્યટકો ત્યાં જાય છે. સોમગો સરોવરના સંરક્ષણના આ અનોખા પ્રયાસ માટે સંગે શેરપાજીને અનેક સંસ્થાઓએ સન્માનિત પણ કર્યા છે. આવા જ પ્રયાસોના કારણે આજે સિક્કિમની ગણતરી ભારતના સૌથી સ્વચ્છ રાજ્યોમાં થાય છે. હું સંગે શેરપાજી અને તેમના સાથીઓ સાથે દેશભરમાં પર્યાવરણ સંરક્ષણના ઉમદા કાર્યમાં લાગેલા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું.
સાથીઓ, મને આનંદ છે કે ‘સ્વચ્છ ભારત મિશન’ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયું છે. વર્ષ 2014માં આ જન આંદોલનના શરૂ થવાની સાથે જ, તેને, નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે, લોકોએ, અનેક અનોખા પ્રયાસ કર્યા છે અને આ પ્રયાસ માત્ર સમાજની અંદરથી જ નહીં, પરંતુ સરકારની અંદર પણ થઈ રહ્યા છે. આ સતત પ્રયાસોનું પરિણામ એ છે કે- કચરો, ગંદકી હટવાના કારણે, બિનજરૂરી સામાન હટવાના કારણે, કચેરીઓમાં ઘણી જગ્યા ખુલી જાય છે, નવી જગ્યા મળે છે. પહેલાં જગ્યાના અભાવમાં દૂર-દૂર ભાડા પર કચેરીઓ રાખવી પડતી હતી. આ દિવસોમાં સાફ-સફાઈના કારણે એટલી જગ્યા મળી રહી છે કે હવે, એક જ સ્થાન પર બધાં કાર્યાલયો બેસી રહ્યાં છે.
ગત દિવસોમાં માહિતી અને પ્રસારણ ખાતાએ પણ મુંબઈમાં, અમદાવાદમાં, કોલકાતામાં, શિલોંગમાં, અનેક શહેરોમાં પોતાનાં કાર્યલયોમાં ભરપૂર પ્રયાસ કર્યો અને તેના કારણે આજે તેમને બે-બે, ત્રણ-ત્રણ માળ, પૂરી રીતે નવી રીતથી કામમાં આવી શક્યાં, તે ઉપલબ્ધિ થઈ ગઈ. આ પોતાની રીતે, સ્વચ્છતાના કારણે, આપણા સંસાધનોનો મહત્તમ ઉપયોગનો ઉત્તમ અનુભવ મળી રહ્યો છે. સમાજમાં પણ, ગામેગામ, શહેરેશહેરમાં પણ, આ પ્રકારથી કાર્યાલયોમાં પણ, આ અભિયાન, દેશ માટે પણ દરેક રીતે ઉપયોગી સિદ્ધ થઈ રહ્યું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં આપણી કળા-સંસ્કૃતિ વિશે એક નવી જાગૃતિ આવી રહી છે. એક નવી ચેતના જાગૃત થઈ રહી છે. ‘મન કી બાત’માં, આપણે, ઘણી વાર, આવાં ઉદાહરણોની ચર્ચા પણ કરીએ છીએ. જે રીતે કળા, સાહિત્ય અને સંસ્કૃતિ સમાજની સામૂહિક મૂડી હોય છે, તે જ રીતે તેમને આગળ વધારવાની જવાબદારી સંપૂર્ણ સમાજની હોય છે. આવો જ એક સફળ પ્રયાસ લક્ષદ્વીપમાં થઈ રહ્યો છે. ત્યાં કલ્પેની દ્વીપ પર એક ક્લબ છે- કૂમેલ બ્રધર્સ ચેલેન્જર્સ ક્લબ. આ ક્લબ યુવાનોને સ્થાનીય સંસ્કૃતિ અને પારંપરિક કળાઓના સંરક્ષણ માટે પ્રેરે છે. ત્યાં યુવાનોને સ્થાનિક કળા કોલકલી, પરીચાકલી, કિલિપ્પાટ્ટ અને પારંપરિક ગીતોનું પ્રશિક્ષણ અપાય છે. એટલે કે જૂનો વારસો, નવી પેઢીના હાથોમાં સુરક્ષિત થઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે અને સાથીઓ, મને આનંદ છે કે આ પ્રકારના પ્રયાસો દેશમાં જ નહીં, વિદેશમાં પણ થઈ રહ્યા છે. તાજેતરમાં જ દુબઈથી સમાચાર આવ્યા કે ત્યાં કલારી ક્લબે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નામ પ્રાપ્ત કર્યું છે. તમને થશે કે દુબઈના ક્લબે રેકૉર્ડ બનાવ્યો તેનો ભારત સાથે શું સંબંધ? વાસ્તવમાં, આ રેકૉર્ડ, ભારતની પ્રાચીન માર્શલ આર્ટ કલારીપયટ્ટૂ સાથે જોડાયેલો છે.
આ રેકૉર્ડ એક સાથે સૌથી વધુ લોકો દ્વારા કલારીના પ્રદર્શનનો છે. કલારી ક્લબ દુબઈએ દુબઈ પોલીસ સાથે મળીને તેનું આયોજન કર્યું અને યુએઇના રાષ્ટ્રીય દિવસે પ્રદર્શન કર્યું. આ આયોજનમાં ચાર વર્ષના બાળકોથી માંડીને 60 વર્ષ સુધીના લોકોએ કલારીની પોતાની ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. અલગ-અલગ પેઢીઓ પોતાની પ્રાચીન પરંપરાને કેવી આગળ વધારે છે, પૂરા મનોયોગથી વધારે છે, તેનું આ અદ્ભુત ઉદાહરણ છે.
સાથીઓ, ‘મન કી બાત’ના શ્રોતાઓને હું કર્ણાટકના ગડક જિલ્લામાં રહેનારા ‘ક્વેમશ્રી’જી વિશે પણ બતાવવા માગું છું. ‘ક્વેમશ્રી’ દક્ષિણમાં કર્ણાટકની કળા-સંસ્કૃતિને પુનર્જીવિત કરવાના મિશનમાં છેલ્લાં 25 વર્ષથી અનવરત લાગેલા છે. તમે વિચારી શકો કે તેમની તપશ્ચર્યા કેટલી મોટી છે? પહેલાં તો તેઓ હૉટલ મેનેજમેન્ટના વ્યવસાય સાથે જોડાયેલા હતા. પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરા વિશે તેમની લાગણી એટલી ગાઢ હતી કે તેમણે તેને પોતાનું મિશન બનાવી લીધું. તેમણે ‘કલા ચેતના’ નામથી એક મંચ બનાવ્યો. આ મંચ, આજે કર્ણાટકના, અને દેશ-વિદેશના કલાકારોના અનેક કાર્યક્રમ આયોજિત કરે છે. તેમાં સ્થાનિક કળા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે અનેક ઇનૉવેટિવ કામ પણ થાય છે.
સાથીઓ, પોતાની કળા-સંસ્કૃતિ પ્રત્યે દેશવાસીઓનો આ ઉત્સાહ ‘પોતાના વારસા પર ગર્વ’ની ભાવનું જ પ્રગટીકરણ છે. આપણા દેશમાં તો દરેક ખૂણામાં આવા અનેક રંગો વિખરાયેલા પડ્યા છે. આપણે પણ તેમને સજાવવા-સંવારવા અને સંરક્ષિત કરવા માટે નિરંતર કામ કરવું જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, દેશના અનેક ક્ષેત્રમાં વાંસથી અનેક સુંદર અને ઉપયોગી ચીજો બનાવવામાં આવે છે. વિશેષ રીતે આદિવાસી ક્ષેત્રમાં વાંસના કુશળ કારીગર અને કુશળ કલાકારો છે. જ્યારથી દેશે વાંસથી જોડાયેલા અંગ્રેજોના જમાનાના કાયદાઓને બદલ્યા છે, ત્યારથી તેનું એક મોટું બજાર તૈયાર થઈ ગયું છે.
મહારાષ્ટ્રના પાલઘર જેવા ક્ષેત્રમાં પણ આદિવાસી સમાજના લોકો વાંસનાં અનેક સુંદર ઉત્પાદનો બનાવે છે. વાંસથી બનનારાં બૉક્સ, ખુરશી, ચાયદાની, ટોકરીઓ અને ટ્રે જેવી ચીજો ખૂબ લોકપ્રિય થઈ રહી છે. એટલું જ નહીં, તે લોકો વાંસના ઘાસથી સુંદર કપડાં અને સજાવટની ચીજો પણ બનાવે છે. તેનાથી આદિવાસી મહિલાઓને પણ આજીવિકા મળી રહી છે અને તેમના હુનરને ઓળખ પણ મળી રહી છે.
સાથીઓ, કર્ણાટકનું એક દંપતી સોપારીના રેસાથી બનેલાં અનોખાં ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડી રહ્યું છે. કર્ણાટકના શિવમોગાનું આ દંપતી છે- શ્રીમાન સુરેશ અને તેમનાં પત્ની શ્રીમતી મૈથિલી. આ લોકો સોપારીના રેસાથી ટ્રે, પ્લેટ અને હેન્ડબેગથી લઈને અનેક ડૅકૉરેટિવ ચીજો બનાવી રહ્યાં છે. આવા રેસાથી બનેલાં ચપ્પલો પણ આજે લોકોને ખૂબ પસંદ પડી રહ્યાં છે. તેમનાં ઉત્પાદનો આજે લંડન અને યુરોપના બીજાં બજારોમાં વેચાઈ રહ્યાં છે. આ જ તો આપણાં પ્રાકૃતિક સંસાધનો અને પારંપરિક હુનરની ખાસિયત છે, જે બધાને પસંદ આવી રહી છે. ભારતના આ પારંપરિક જ્ઞાનમાં દુનિયા ટકાઉ ભવિષ્યનો રસ્તો જોઈ રહી છે. આપણે, સ્વયં પણ, આ દિશામાં વધુમાં વધુ જાગૃત થવાની આવશ્યકતા છે. આપણે સ્વયં પણ આવાં સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરીએ અને બીજાઓને પણ આ ઉપહાર સ્વરૂપે આપીએ. તેનાથી આપણી ઓળખ પણ મજબૂત થશે અને સ્થાનિક અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે, અને, મોટી સંખ્યાંમાં, લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થશે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે આપણે ધીરે-ધીરે ‘મન કી બાત’ના 100મા હપ્તાના અભૂતપૂર્વ પડાવ તરફ આગળ વધી રહ્યા છીએ. મને અનેક દેશવાસીના પત્રો મળ્યા છે, જેમાં તેમણે 100મા હપ્તા વિશે ઘણી જિજ્ઞાસા પ્રગટ કરી છે.
100મા હપ્તામાં, આપણે શું વાત કરીએ, તેને કેવી રીતે ખાસ બનાવીએ, તેના માટે તમે મને સૂચનો મોકલશો તો મને ઘણું સારું લાગશે. આગામી વખતે, આપણે વર્ષ 2023માં મળીશું. હું તમને બધાને વર્ષ 2023ની શુભકામનાઓ પાઠવું છું. આ વર્ષ પણ દેશ માટે ખાસ રહે, દેશ નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરતો રહે, આપણે મળીને સંકલ્પ પણ લેવાનો છે, સાકાર પણ કરવાનો છે. આ સમયે ઘણા બધા લોકો રજાના મૂડમાં પણ છે. તમે તહેવારોનો, આ અવસરોનો ઘણો આનંદ લો, પરંતુ થોડા સતર્ક પણ રહેજો. તમે પણ જોઈ રહ્યા છો કે દુનિયાના અનેક દેશમાં કોરોના વધી રહ્યો છે, આથી આપણે માસ્ક અને હાથ ધોવા જેવી સાવધાનીઓનું હજુ વધુ ધ્યાન રાખવાનું છે. આપણે સાવધાન રહીશું તો સુરક્ષિત પણ રહીશું અને આપણા ઉલ્લાસમાં કોઈ અંતરાય પણ નહીં આવે. તેની સાથે, તમને સહુને ફરી એક વાર ઘણી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતમાં ફરી એક વખત તમારા બધાનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ કાર્યક્રમની 95મી કડી છે. આપણે બહુ ઝડપથી મન કી બાતના શતક તરફ આગળ વધી રહ્યા છીએ. આ કાર્યક્રમ મારા માટે 130 કરોડ દેશવાસીઓ સાથે જોડાવાનું એક માધ્યમ છે. દરેક એપિસોડની પહેલા ગામડાં-શહેરોમાંથી આવેલા અઢળક પત્રોને વાંચવા, બાળકોથી લઈ વૃદ્ધોના ઓડિયો મેસેજને સાંભળવા, તે મારા માટે એક આધ્યાત્મિક અનુભવ જેવું હોય છે.
સાથીઓ, આજના કાર્યક્રમની શરૂઆત હું એક અનોખી ભેટની ચર્ચાની સાથે કરવા ઈચ્છું છું. તેલંગાણાના રાજન્ના સિર્સિલ્લા જિલ્લામાં એક વણકર ભાઈ છે – યેલ્ધી હરિપ્રસાદ ગારૂ. તેમણે મને પોતાના હાથેથી જી-20નો આ લોકોએ વણીને મોકલ્યો છે. આ શાનદાર ભેટ જોઈને હું તો દંગ રહી ગયો. હરિપ્રસાદજીએ પોતાની કળામાં એટલી મહારથ મેળવેલી છે કે તેઓ દરેકનું ધ્યાન આકર્ષિત કરી લે છે. હરિપ્રસાદ જીએ હાથથી વણેલા જી-20ના આ લોગોની સાથે જ મને એક પત્ર પણ મોકલ્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે આવતા વર્ષે જી-20 શિખર સંમેલનની યજમાની કરવી ભારત માટે ઘણાં જ ગૌરવની વાત છે. દેશની આ જ ઉપલબ્ધિની ખુશીમાં તેમણે જી-20નો આ લોગો પોતાના હાથે તૈયાર કર્યો છે. વણાટની આ ઘણી જ સારી પ્રતિભા તેમને તેમના પિતા તરફથી વારસામાં મળી છે અને આજે તેઓ સંપૂર્ણ Passion સાથે તેમાં જોડાયા છે.
સાથીઓ, થોડા સમય પહેલાં જ મને જી-20 લોગો અને ભારતની Presidencyની વેબસાઈટને launch કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. આ લોગોની પસંદગી એક પબ્લિક કોન્ટેસ્ટ દ્વારા થઈ હતી. જ્યારે મને હરિપ્રસાદ ગારૂ દ્વારા મોકલવામાં આવેલી આ ભેટ મળી તો મારા મનમાંથી એક વિચાર ઉઠ્યો. તેલંગાણાના કોઈ જિલ્લામાં બેઠેલી વ્યક્તિ પણ જી-20 જેવી સમિટ થી પોતાની જાતને કેટલો જોડાવાનો અનુભવ કરી શકે છે, તે જોઈને મને ઘણો જ આનંદ થયો. આજે હરિપ્રસાદ ગારૂ જેવા અનેક લોકોએ મને પત્ર લખીને આ બાબતે લખ્યું છે કે દેશને આટલી મોટી સમિટની યજમાનીનો મોકો મળવાની તેમની છાતી ફૂલી ગઈ છે. હું તમને પૂણેમાં રહેતા સુબ્બારાવ ચિલ્લારા જી અને કોલકાતાના તુષાર જગમોહન ના સંદેશ વિશે પણ ઉલ્લેખ કરીશ. તેમણે જી-20ને લઈને ભારતના pro-active efforts ના ઘણા જ વખાણ કર્યા છે.
સાથીઓ, જી-20ની દુનિયાની વસતીમાં બે તૃતિયાંશ, વર્લ્ડ ટ્રેડમાં ત્રણ ચતુર્થાંશ અને વર્લ્ડ જીડીપીમાં 85 ટકા ભાગીદારી છે. તમે કલ્પના કરી શકો છો – ભારત હવેના ત્રણ દિવસ પછી એટલે કે 1 ડિસેમ્બરથી આટલા મોટા સમૂહની, આટલા સામર્થ્યવાન સમૂહની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. ભારત માટે, દરેક ભારતવાસી માટે, આ કેટલો મોટો તહેવાર આવ્યો છે. તે એટલા માટે પણ વિશેષ થઈ જાય છે કારણ કે આ જવાબદારી ભારતને આઝાદીના અમૃતકાળમાં મળી છે.
સાથીઓ, જી-20ની અધ્યક્ષતા આપણા માટે એક મોટી opportunity બની ને આવી છે. આપણે આ મોકાનો સંપૂર્ણ ઉપયોગ કરીને Global Good વિશ્વ કલ્યાણ પર ફોકસ કરવાનું છે. તે પછી peace હોય કે unity, પર્યાવરણને લઈને સંવેદનશીલતાની વાત હોય કે પછી sustainable developmentની, ભારત પાસે તેનાથી જોડાયેલા પડકારોનું સમાધાન છે. આપણે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર ની જે થીમ આપી છે, તેમાં વસુધૈવ કુટુંબક્મ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા દેખાય છે. આપણે હંમેશા કહીએ છીએ,
ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ,
સર્વેષાં શાંતિર્ભવતુ,
સર્વેષાં પૂર્ણભવતુ,
સર્વેષાં મડ્ગલંભવતુ
ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિ...
એટલે કે દરેકનું કલ્યાણ થાય, બધાને શાંતિ મળે, બધાને પૂર્ણતા મળે અને બધાનું મંગળ થાય. આવનારા દિવસોમાં દેશના અલગ-અલગ ભાગમાં જી-20 સાથે જોડાયેલા અનેક કાર્યક્રમો આયોજિત કરાશે. આ દરમિયાન દુનિયાના વિવિધ ભાગમાંથી લોકોને તમારા રાજ્યમાં આવવાનો મોકો મળશે. મને ભરોસો છે કે તમે તમારે ત્યાંની સંસ્કૃતિના વિવિધ અને વિશિષ્ટ રંગોને દુનિયાની સામે લાવશો અને તમારે એ પણ યાદ રાખવાનું છે કે જી-20માં આવનારા લોકો ભલે અત્યારે એક ડેલિગેટના રૂપમાં આવે, પરંતુ ભવિષ્યનાં પ્રવાસીઓ પણ છે. મારો આપ બધાને આગ્રહ છે કે, ખાસ કરીને મારા યુવાન સાથીઓને, હરિપ્રસાદ ગારૂની જેમ જ તમે પણ કોઈના કોઈ રૂપમાં જી-20 સાથે જરૂર જોડાવ. કપડાં પર જી-20નો ભારતીય લોગો, ઘણી cool રીતે, stylish રીતે બનાવી શકાય છે, છાપી પણ શકાય છે. હું સ્કૂલો, કોલેજ, યુનિવર્સિટિઓને પણ આગ્રહ કરીશ કે તેઓ તેમને ત્યાં જી-20 સાથે જોડાયેલી ચર્ચા, પરિચર્ચા અને હરિફાઈ કરવાના કાર્યક્રમો બનાવે. તમે G20.in વેબસાઈટ પર જશો તો તમને તમારી રૂચી અનુસાર ત્યાં ઘણી વસ્તુઓ મળી જશે.
માર પ્રિય દેશવાસીઓ, 18 નવેમ્બરે આખા દેશે સ્પેસ સેક્ટરમાં એક નવો ઈતિહાસ બનતો જોયો. આ દિવસે ભારતે પોતાનું પ્રથમ રોકેટ અંતરિક્ષમાં મોકલ્યું, જેને ભારતના પ્રાઈવેટ સેક્ટરે ડિઝાઈન અને તૈયાર કર્યું હતું. આ રોકેટનું નામ – વિક્રમ એસ. શ્રીહરિકોટાથી સ્વદેશી સ્પેસ સ્ટાર્ટ-અપના આ પહેલા રોકેટે જેવી ઐતિહાસિક ઉડાન ભરી, દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચું થઈ ગયું.
સાથીઓ, વિક્રમ એસ રોકેટ ઘણી બધી ખૂબીઓથી ભરેલું છે. બીજા રોકેટની તુલનામાં તે ખૂબ જ હલ્કું પણ છે અને સસ્તું પણ છે. તેનો ડેવેલપમેન્ટ ખર્ચ અંતરિક્ષ અભિયાન સાથે જોડાયેલા બીજા દેશોના ખર્ચ કરતાં ઘણો જ ઓછો છે. ઓછી કિંમતમાં વિશ્વસ્તરના સ્ટાન્ડર્ડ, સ્પેસ ટેક્નોલોજીમાં તો હવે એ ભારતની અનોખી ઓળખાણ બની ગયું છે. આ રોકેટને બનાવવામાં વધુ એક આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. તમે એ જાણીને હેરાન થઈ જશો કે રોકેટના કેટલાક મહત્વના ભાગો, 3ડી-પ્રિન્ટિંગ દ્વારા બનાવવામાં આવ્યા છે. સાચે જ વિક્રમ-એસના લોન્ચ મિશનને પ્રારંભ નામ આપવામાં આવ્યું છે, જે બિલકુલ ફિટ બેસે છે. તે ભારતમાં પ્રાઈવેટ સ્પેસ સેક્ટર માટે એક નવા યુગના ઉદયનું પ્રતિક છે. આ દેશમાં આત્મવિશ્વાસથી ભરેલા એક નવા યુગનો આરંભ છે. તમે કલ્પના કરી શકો છો કે જે બાળકો ક્યારેક હાથેથી કાગળના પ્લેન બનાવીને ઉડાડતા હતા, તેમને હવે ભારતમાં જ પ્લેન બનાવવાનો મોકો મળી રહ્યો છે. તમે કલ્પના કરી શકો છો કે જે બાળકો ક્યારેક ચંદ્ર-તારાઓને જોઈને આકાશમાં આકૃતિઓ બનાવ્યા કરતાં હતા, તેમને હવે ભારતમાં જ રોકેટ બનાવવાનો મોકો મળી રહ્યો છે. સ્પેસને પ્રાઈવેટ સેક્ટર માટે ખોલવામાં આવ્યા બાદ, યુવાનોના આ સપનાં પણ સાકાર થઈ રહ્યા છે. રોકેટ બનાવી રહેલા આ યુવાનો માનો કે કહી રહ્યા છે – સ્કાય ઈઝ નોટ ધ લિમિટ.
સાથિઓ, ભારત સ્પેસના સેક્ટરમાં પોતાની સફળતા, તેના પડોશી દેશો સાથે પણ વહેંચે છે. કાલે જ ભારતે એક સેટેલાઈટ લોન્ચ કર્યો, જેને ભારત અને ભૂતાને ભેગા મળીને ડેવેલપ કર્યો છે. આ સેટેલાઈટ ઘણાં જ સારા રિઝોલ્યૂશનની છબીઓ મોકલશે જેનાથી ભૂતાનને તેમના પ્રાકૃતિક સ્ત્રોતોની વ્યવસ્થામાં મદદ મળશે. આ સેટેલાઈટનું લોન્ચિંગ, ભારત-ભૂતાનના મજબૂત સંબંધોનું પ્રતિબિંબ છે.
સાથિઓ, તમે જોયું હશે કે ગત કેટલીક મન કી બાતમાં આપણે સ્પેસ, ટેક, ઈનોવેશન પર ઘણી વાત કરી છે. તેના ખાસ બે કારણો છે, એક તો એ કે આપણા યુવાનો, આ ક્ષેત્રમાં ઘણું જ શાનદાર કામ કરી રહ્યા છે. They are thinking big and achieving big. હવે તેઓ નાની નાની સફળતાઓથી સંતુષ્ટ થવાના નથી. બીજું એ કે ઈનોવેશન અને વેલ્યૂ ક્રિએશનના આ રોમાંચક પ્રવાસમાં તેઓ તેમના બાકી યુવાન સાથીઓ અને સ્ટાર્ટ-અપ્સને પણ encourage કરી રહ્યા છે.
સાથીઓ, જ્યારે આપણે ટેક્નોલોજી સાથે જોડાયેલા ઈનોવેશન્સની વાત કરી રહ્યા છીએ, તો ડ્રોનને કેવી રીતે ભૂલી શકીએ છીએ? ડ્રોનના ક્ષેત્રમાં પણ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. થોડા દિવસો પહેલાં જ આપણે જોયું કે હિમાચલ પ્રદેશના કિન્નોરમાં કેવી રીતે ડ્રોનની મદદથી સફરજન ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા. કિન્નોર, હિમાચલનો ઘણો દૂર આવેલો જિલ્લો છે અને ત્યાં આ મોસમમાં ઘણો જ બરફ રહેતો હોય છે. આટલા બરફમાં કિન્નૌરનો ઘણાં દિવસો સુધી રાજ્યના અન્ય ભાગો સાથેનો સંપર્ક ઘણો જ મુશ્કેલ બની જાય છે. તેવામાં ત્યાંથી સફરજનનું ટ્રાન્સપોર્ટેશન પણ તેટલું જ મુશ્કેલ થઈ જાય છે. હવે ડ્રોન ટેક્નોલોજી થી હિમાચલના સ્વાદિષ્ટ કિન્નૌરી સફરજન લોકો સુધી વધુ ઝડપથી પહોંચવા લાગશે. તેનાથી આપણા ખેડૂત ભાઈ-બહેનોનો ખર્ચો ઓછો થશે, સફરજન સમયસર બજારમાં પહોંચી શકશે, સફરજનની બરબાદી ઓછી થશે.
સાથીઓ, આજે આપણા દેશવાસી પોતાના ઈનોવેશનથી તે વસ્તુઓને પણ શક્ય બનાવી રહ્યા છે, જેની પહેલાં કલ્પના પણ કરી શકાતી નહોતી. તેને જોઈને કોને ખુશી નહીં થાય? હાલના જ વર્ષોમાં આપણા દેશે સફળતાઓનો એક લાંબો પ્રવાસ ખેડ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે ભારતીયો અને ખાસ કરીને આપણી યુવાન પેઢી હવે રોકાય એવી નથી.
પ્રિય દેશવાસીઓ, હું તમારા લોકો માટે એક નાની ક્લિપ પ્લે કરવા જઈ રહ્યો છું...
સોન્ગ...
આપ બધાએ આ ગીતને ક્યારેક ને ક્યારેક તો ચોક્કસ સાંભળ્યું હશે. આખરે તે બાપૂનું પસંદગીનું ગીત છે, પરંતુ જો હું એ કહું કે તેને સૂરોમાં ઢાળનારા ગાયક ગ્રીસના છે, તો તમે ચોક્કસ હેરાન થઈ જશો. અને આ વાત આપને ગર્વથી પણ ભરી દેશે. આ ગીતના ગાયક ગ્રીસના – Konstantinos Kalaitzis. તેમણે તેને ગાંધીની 150મી જન્મજયંતિના સમારોહ દરમિયાન ગાયું હતું. પરંતુ આજે હું તેની ચર્ચા કંઈક અલગ કારણથી કરી રહયો છું. તેમના મનમાં ઈન્ડિયા અને ઈન્ડિયન મ્યૂઝિકને લઈને ગજબનું passion છે. ભારત સાથે તેમની એટલી લાગણી છે, ગત 42 વર્ષોમાં તેઓ લગભગ દર વર્ષે ભારત આવ્યા છે. તેમણે ભારતીય સંગીતના origin, અલગ-અલગ Indian Musical systems, વિવિધ પ્રકારના રાગ, તાલ અને રાસ સાથે જ વિવિધ ઘરાનાઓ વિશે પણ સ્ટડી કર્યો છે. તેમણે ભારતીય સંગીતની કેટલીયે મહાન વિભૂતિઓના યોગદાનનું અધ્યયન કર્યું છે, ભારતના ક્લાસિકલ ડાન્સના અલગ-અલગ પાસાઓને પણ તેમણે નજીકથી સમજ્યા છે. ભારત સાથે જોડાયેલા તેમના આ તમામ અનુભવોને તેમણે હવે પુસ્તકો ઘણી જ સારી રીતે પરોસ્યા છે. ઈન્ડિયન મ્યૂઝિક નામની તેમની બુકમાં લગભગ 760 છબીઓ છે. તેમાંથી મોટાભાગની છબીઓ તેમણે પોતે ખેંચી છે. બીજા દેશોમાં ભારતીય સંસ્કૃતિ ને લઈને આવો ઉત્સાહ અને આકર્ષણ ખરેખર આનંદથી ભરી દેનારો છે.
સાથીઓ, થોડા અઠવાડિયાં પહેલા એક ખબર આવી હતી જે આપણને ગર્વથી ભરી દેનારી છે. તમને જાણીને સારું લાગશે કે વિતેલા 8 વર્ષોમાં ભારતમાંથી મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સની નિકાસ સાડા ત્રણ ગણી વધી ગઈ છે. ઈલેક્ટ્રિકલ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સની વાત કરીએ તો તેની નિકાસ 60 ગણી વધી ગઈ છે. તેનાથી ખ્યાલ આવે છે કે ભારતીય સંસ્કૃતિ અને સંગીતનો craze દુનિયાભરમાં વધી રહ્યો છે. ઈન્ડિયન મ્યૂઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સના સૌથી મોટા ખરીદદાર યુએસએ, જર્મની, ફ્રાન્સ, જાપાન અને યુકે જેવા વિકસિત દેશો છે. આપણાં બધા માટે સૌભાગ્યની વાત એ છે કે આપણા દેશમાં મ્યુઝિક, ડાન્સ અને આર્ટનો આટલો સમૃદ્ધ વારસો છે.
સાથીઓ, મહાન મનીષી કવિ ભતૃહરિને આપણે બધા તેમના દ્વારા રચિત ‘નીતિ શતક’ માટે જાણીએ છીએ. એક શ્લોકમાં તેઓ કહે છે કે કલા, સંગીત અને સાહિત્ય થી આપણી લાગણી જ માનવતાની અસલી ઓળખ છે. વાસ્તવમાં આપણી સંસ્કૃતિ તેને Humanity થી પણ ઉપર divinity સુધી લઈ જાય છે. વેદોમાં સામવેદ ને તો આપણા વિવિધ સંગીતનો સ્ત્રોત કહેવામાં આવ્યો છે. માં સરસ્વતીની વીણા હોય, ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી હોય, કે પછી ભોલેનાથનું ડમરૂં, આપણા દેવી-દેવતાઓ પણ સંગીતથી અલગ નથી. આપણે ભારતીયો દરેક વસ્તુમાં સંગીત શોધી જ લઈએ છીએ. ચાહે તે નદીનું ખળખળ પાણી હોય, વરસાદના ટીપાં હોય, પક્ષીઓનો કલરવ હોય કે પછી હવાનો ગૂંજતો સ્વર, આપણી સભ્યતામાં સંગીત દરેક જગ્યાએ સમાયેલું છે. આ સંગીત ન માત્ર શરીરને શાંતિ આપે છે, પરંતુ મન ને પણ આનંદિત કરે છે. સંગીત આપણા સમાજને પણ જોડે છે. જો ભાંગડા અને લાવણીમાં જોશ અને આનંદનો ભાવ હોય છે, તો રવિન્દ્ર સંગીત, આપણી આત્માને આનંદિત કરી નાખે છે. દેશભરના આદિવાસીઓની અલગ-અલગ રીતની સંગીતની પરંપરાઓ છે. તે આપણને એકબીજા સાથે હળીમળીને અને પ્રકૃતિ સાથે રહેવાની પ્રેરણા આપે છે.
સાથીઓ, સંગીતની આપણી શૈલીઓએ ન માત્ર આપણી સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે પરંતુ દુનિયાભરના સંગીત પર પોતાની અમિટ છાપ પણ છોડી છે. ભારતીય સંગીતની ખ્યાતિ વિશ્વના ખૂણેખૂણામાં ફેલાઈ ચૂકી છે. હું આપને વધુ એક ઓડિયો ક્લિપ સંભળાવું છું.
સોન્ગ...
તમે વિચારી રહ્યા હશો કે ઘરની નજીક કોઈ મંદિરમાં ભજન-કિર્તન ચાલી રહ્યું છે. પરંતુ આ અવાજ પણ ભારતથી હજારો માઈલ દૂર વસેલા દક્ષિણ અમેરિકાના દેશ Guyana થી તમારા સુધી પહોંચ્યો છે. 19મી અને 20મી સદીમાં ખૂબ મોટી સંખ્યામાં આપણે ત્યાંથી લોકો Guyana ગયા હતા. તેઓ અહિંયાથી ભારતની કેટલીયે પરંપરાઓ તેમની સાથે લઈ ગયા હતા. ઉદાહરણ તરીકે જેવી રીતે આપણે ભારતમાં હોળી મનાવીએ છીએ, Guyana માં પણ હોળીનો ઉમંગ ધામધૂમથી ઉજવાય છે. જ્યાં હોળીના રંગ હોય છે, ત્યાં ફગવા, એટલે કે ફગુઆનું સંગીત પણ હોય છે. Guyana ના ફગવામાં ત્યાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા લગ્નના ગીતો ગાવાની એક ખાસ પરંપરા છે. આ ગીતોને ચૌતલ કહેવાય છે. તેને એ જ પ્રકારની ધૂન અને હાઈ પીચ પર ગાવામાં આવે છે, જેવું આપણે ત્યાં હોય છે. તેટલું જ નહીં, Guyanaમાં ચૌતલ હરિફાઈ પણ થાય છે. આવી રીતે ઘણાં જ ભારતીયો, ખાસ કરીને પૂર્વિય ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો ફિજી પણ ગયા હતા. તેઓ પરંપરાગત ભજન-કિર્તન ગાતા હતા, જેમાં મુખ્યરૂપથી રામચરિતમાનસના દોહા હોય છે. તેમણે ફિજીમાં પણ ભજન-કિર્તન સાથે જોડાયેલી કેટલીયે મંડળીઓ બનાવી દીધી છે. ફિજીમાં રામાયણ મંડળીના નામથી આજે પણ બે હજારથી વધારે ભજન-કિર્તન મંડળીઓ છે. તેમને આજે દરેક ગામ-મહોલ્લામાં જોવામાં આવે છે. મેં તો અહીં માત્ર કેટલાક ઉદાહરણ આપ્યા છે. જો તમે આખી દુનિયામાં જોશો તો આ ભારતીય સંગીતને ચાહનારાઓની આ યાદી તો ખૂબ લાંબી છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા, હંમેશા એ વાત પર ગર્વ કરીએ છીએ કે આપણો દેશ દુનિયાની સૌથી પ્રાચિન પરંપરાઓનું ઘર છે. તેથી જ તે આપણી જવાબદારી પણ છે કે આપણે આપણી પરંપરાઓ અને પરંપરાગત જ્ઞાનનું સંરક્ષણ કરીએ, તેનું સંવર્ધન પણ કરીએ અને બની શકે તેટલું આગળ પણ વધારીએ. આવો જ એક સારો પ્રયત્ન આપણા પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડના કેટલાક સાથીઓ કરી રહ્યા છે. મને આ પ્રયત્ન ઘણો સારો લાગ્યો, તો મેં વિચાર્યું કે મન કી બાતના શ્રોતાઓ સાથે પણ વહેચું.
સાથીઓ, નાગાલેન્ડમાં નાગા સમાજની જીવનશૈલી, તેમની કલા-સંસ્કૃતિ અને સંગીત, જે દરેક લોકોને આકર્ષિત કરે છે. તે આપણા દેશનો ગૌરવશાળી વારસાનો મહત્વનો ભાગ છે. નાગાલેન્ડના લોકોનું જીવન અને તેમની skills sustainable life style માટે પણ ઘણું જ મહત્વપૂર્ણ છે. આ પરંપરાઓ અને સ્કિલ્સને બચાવીને આગળની પેઢી સુધી પહોંચાડવા માટે ત્યાંના લોકોએ એક સંસ્થા બનાવી છે, જેનું નામ છે – લિડી-ક્રો-યૂ. નાગા સંસ્કૃતિના જે સુંદર વારસાઓ ધીરેધીરે ખોવાઈ રહ્યા હતા, લિડિ-ક્રો-યૂ સંસ્થાએ તેમને પુનઃજીવિત કરવાનું કામ કર્યું છે. ઉદાહરણની દ્રષ્ટિએ નાગા લોક-સંગીત પોતાનામાં જ એક સમૃદ્ધ વિધા છે. આ સંસ્થાએ નાગા સંગીતના આલ્બમ લોન્ચ કરવાનું કામ શરૂ કર્યું છે. અત્યારસુધી આવા ત્રણ આલ્બમ લોન્ચ કરવામાં આવી ચૂક્યા છે. આ લોકો લોક-સંગીત, લોક-નૃત્ય સાથે જોડાયેલા વર્કશોપ પણ આયોજિત કરે છે. યુવાનોને આ બધી વસ્તુઓ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. એટલું જ નહીં, નાગાલેન્ડની પરંપરાગત શૈલીમાં કપડાં બનાવવા, સિલાઈ-વણાટ જેવા જે કામ, તેની પણ ટ્રેનિંગ યુવાનોને આપવામાં આવે છે. પૂર્વોત્તરમાં બામ્બૂ થી પણ કેટલીયે જાતની વસ્તુઓ બનાવવામાં આવે છે. નવી પેઢીના યુવાનોને બામ્બૂ પ્રોડક્ટ બનાવવાનું પણ શિખવાડવામાં આવે છે. તેનાથી આ યુવાનોનું તેમની સંસ્કૃતિ સાથે જોડાણ તો થાય જ છે સાથે જ તેમને માટે રોજગારના નવા નવા અવસર પણ ખૂલે છે. નાગા લોક-સંસ્કૃતિ વિશે વધુને વધુ લોકો જાણે, તેના માટે પણ લિડિ-ક્રો-યૂ ના લોકો પ્રયત્ન કરે છે.
સાથીઓ, આપના ક્ષેત્રમાં પણ આવી સાંસ્કૃતિક શૈલીઓ અને પરંપરાઓ હશે. તમે પણ તમારા ક્ષેત્રમાં આવી રીતના પ્રયત્નો કરી શકો છો. જો તમારી જાણકારીમાં ક્યાંક આવો કોઈ અનોખો પ્રયત્ન થઈ રહ્યો હોય તો આપ તેની જાણકારી મારી સાથે ચોક્કસ વહેંચી શકો છો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં કહેવાયું છે કે...
વિદ્યાધનં સર્વધનપ્રધાનમ્
એટલે કે કોઈ જો વિદ્યાનું દાન કરે છે તો તે સમાજ હિતમાં સૌથી મોટું કામ કરી રહ્યા છે. શિક્ષાના ક્ષેત્રમાં પ્રગટાવવામાં આવેલો એક નાનો દિવો પણ આખા સમાજને ઝળહળતો કરી શકે છે. મને એ જોઈને ઘણી જ ખુશી થાય છે કે આજે દેશભરમાં આવા કેટલાય પ્રયત્નો થઈ રહ્યા છે. યુપીની રાજધાની લખનૌથી ૭૦-૮૦ કિલોમીટર દૂર હરદોઈનું એક ગામ છે બાંસા. મને આ ગામના જતિન લલિત સિંહ જી વિશે જાણકારી મળી છે, જે શિક્ષાની જ્યોત જગાવવામાં લાગેલા છે. જતિન જી એ બે વર્ષ પહેલાં અહીં community Library and Resource Centre શરૂ કર્યું હતું. તેમના આ સેન્ટરમાં હિન્દી અને અંગ્રેજી સાહિત્ય, કોમ્પ્યુટર, કાયદો અને કેટલીયે સરકારી પરીક્ષાઓની તૈયારીઓ સાથે જોડાયેલા 3000 થી પણ વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. આ લાયબ્રેરીમાં બાળકોની પસંદનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. અહીં ઉપલબ્ધ કોમિક્સના પુસ્તક હોય કે પછી એજ્યુકેશનલ ટોય્ઝ બાળકોને ઘણાં જ પસંદ આવી રહ્યા છે. નાના બાળકો રમત-રમતમાં અહીં નવી નવી વસ્તુઓ શીખવા આવે છે. શિક્ષણ ઓફલાઈન હોય કે ઓનલાઈન, લગભગ 40 volunteers આ સેન્ટર પર વિદ્યાર્થીઓને ગાઈડ કરવામાં લાગેલા હોય છે. દરરોજ ગામનાં લગભગ 80 વિદ્યાર્થીઓ આ લાયબ્રેરીમાં ભણવા આવે છે.
સાથીઓ, ઝારખંડના સંજય કશ્યપ જી પણ ગરીબ બાળકોના સપનાંઓને નવી ઉડાન આપી રહ્યા છે. પોતાના વિદ્યાર્થી જીવનમાં સંજય જીએ સારા પુસ્તકોની અછતનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં તેમણે નક્કી કરી લીધું કે પુસ્તકોની અછતને કારણે પોતાના ક્ષેત્રના બાળકોનું ભવિષ્ય અંધકારમય નહીં થવા દે. પોતાના આ જ મિશનને કારણે આજે તેઓ ઝારખંડના કેટલાય જિલ્લામાં બાળકો માટે લાયબ્રેરી મેન બની ગયા છે. સંજય જી એ જ્યારે પોતાની નોકરીની શરૂઆત કરી હતી, તેમણે પ્રથમ પુસ્તકાલય પોતાના પૈતૃક સ્થાન પર બનાવ્યું હતું. નોકરી દરમિયાન તેમની જ્યાં પણ બદલી થતી હતી, ત્યાંના ગરીબ અને આદિવાસી બાળકોની શિક્ષણ માટે લાયબ્રેરી ખોલવાના મિશનમાં લાગી જતા હતા. આવું કરતાં કરતાં તેમણે ઝારખંડના કેટલાય જિલ્લામાં બાળકો માટે લાયબ્રેરી ખોલી દીધી છે. લાયબ્રેરી ખોલવાનું તેમનું આ મિશન આજે એક સામાજિક આંદોલનનું રૂપ લઈ રહ્યું છે. સંજય જી હોય કે જતીન જી, આવા અનેક પ્રયત્નો માટે હું તેમના વિશેષ વખાણ કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, મેડિકલ સાયન્સની દુનિયાએ રિસર્ચ અને ઈનોવેશન્સ સાથે જ અત્યાધુનિક ટેક્નોલોજી અને ઉપકરણોના આધારે ઘણી જ પ્રગતિ કરી છે, પરંતુ કેટલીક બિમારીઓ, આજે પણ આપણા માટે ઘણો મોટો પડકાર બની ગઈ છે. આવી જ એક બિમારી છે – Muscular Dystrophy. આ મુખ્યત્વે એવી વારસાગત બિમારી છે જે કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે જેમાં શરીરની માંસપેશીઓ નબળી પડવા લાગે છે. દર્દી માટે રોજબરોજના પોતાના નાનાં-નાનાં કામકાજ કરવાનું પણ મુશ્કેલ બની જાય છે. આવા દર્દીઓના ઉપચાર અને દેખભાળ માટે મોટી સેવા-ભાવનાની જરૂરિયાત હોય છે. આપણે ત્યાં હિમાચલ પ્રદેશમાં સોલનમાં એક એવું સેન્ટર છે જે Muscular Dystrophy ના દર્દીઓ માટે આશાનું એક નવું કિરણ બન્યું છે. આ સેન્ટરનું નામ છે – માનવ મંદિર. તેને Indian Association of Muscular Dystrophy દ્વારા ચલાવવામાં આવે છે. માનવ મંદિર પોતાના નામને અનુરૂપ જ માનવ સેવાનું અદભુત ઉદાહરણ છે. અહીં દર્દીઓ માટે ઓપીડી અને એડમિશનની સેવા ત્રણ-ચાર વર્ષ પહેલાં શરૂ થઈ હતી. માનવ મંદિરમાં લગભગ 50 દર્દીઓ માટે બેડ્સની સુવિધા પણ છે. ફિઝીયોથેરાપી, ઈલેક્ટ્રોથેરાપી અને હાઈડ્રોથેરાપીની સાથે સાથે યોગ-પ્રાણાયમની મદદથી પણ અહીં રોગનો ઉપચાર કરવામાં આવે છે.
સાથીઓ, દરેક પ્રકારની હાઈ-ટેક સુવિધાઓની મદદથી આ કેન્દ્રમાં દર્દીઓના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો પણ પ્રયત્ન કરાય છે. Muscular Dystrophy સાથે જોડાયેલા આ પડકાર, તેના વિશે જાગૃતિનો અભાવ પણ છે. તેથી જ આ કેન્દ્ર હિમાચલ પ્રદેશ જ નહીં, દેશભરમાં દર્દીઓ માટે જાગૃકતા શિબિરનું પણ આયોજન કરે છે. સૌથી વધારે હિંમત આપનારી વાત તો એ છે કે આ સંસ્થાનું વ્યવસ્થાપન મુખ્યત્વે આ બિમારીથી પીડિત લોકો જ કરી રહ્યા છે, જેમ કે સામાજિક કાર્યકર્તા ઉર્મિલા બાલ્દી જી, Indian Association of Muscular Dystrophy ના અધ્યક્ષ બહેન સંજના ગોયલજી અને આ એસોસિએશન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા શ્રીમાન વિપુલ ગોયલ જી, આ સંસ્થા માટે ઘણી જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. માનવ મંદિરને હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરની રીતે વિકસિત કરવાની કોશિશો પણ ચાલુ જ છે. તેનાથી અહીં દર્દીઓને વધુ સારો ઈલાજ મળી શકશે. હું આ દિશામાં પ્રયત્નશીલ બધા લોકોના હ્રદયપૂર્વક વખાણ કરું છું, સાથે જ Muscular Dystrophy નો સામનો કરી રહેલા બધા લોકો સાજા થઈ જાય તેવી આશા કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આજે મન કી બાત માં આપણે દેશવાસીઓના જે રચનાત્મક અને સામાજિક કાર્યોની ચર્ચા કરી, તે દેશની ઉર્જા અને ઉત્સાહના ઉદાહરણ છે. આજે દરેક દેશવાસી કોઈને કોઈ ક્ષેત્રમાં, દરેક સ્તર પર, દેશ માટે કંઈક અલગથી કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજની ચર્ચામાં જ આપણે જોયું કે જી-20 જેવા આંતરરાષ્ટ્રિય આયોજનમાં આપણા એક વણકર સાથીએ પોતાની જવાબદારી સમજી, તેને નિભાવવા માટે આગળ આવ્યા. આવી જ રીતે કોઈ પર્યાવરણ માટે પ્રયત્ન કરી રહ્યા છે, કોઈ પાણી માટે કામ કરી રહ્યા છે, કેટલાય લોકો શિક્ષણ, ચિકિત્સા અને સાયન્સ ટેક્નોલોજી થઈ લઈને સાંસ્કૃતિક પરંપરાઓ સુધી અસાધારણ કામ કરી રહ્યા છે. તેવું એટલા માટે કારણ કે આજે આપણો દરેક નાગરિક પોતાના કર્તવ્યને સમજી રહ્યો છે. જ્યારે આવી કર્તવ્ય ભાવના કોઈ રાષ્ટ્રના નાગરિકોમાં આવી જાય છે, તો તેમનું સ્વર્ણિમ ભવિષ્ય પોતાનામાં જ નક્કી થઈ જાય છે અને દેશના જ સ્વર્ણિમ ભવિષ્યમાં આપણા બધાનું સ્વર્ણિમ ભવિષ્ય છે.
હું ફરી એકવાર દેશવાસીઓને તેમના પ્રયત્નો માટે નમન કરું છું. આવતા મહિને આપણે ફરી મળીશું અને આવા જ કેટલાય ઉત્સાહવર્ધક વિષયો પર ચોક્કસ વાત કરીશું. આપના સૂચનો અને વિચારો ચોક્કસ મોકલતા રહેજો. તમને બધાને ખૂબ-ખૂબ ધન્યવાદ...
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે દેશના અનેક હિસ્સાઓમાં સૂર્ય ઉપાસનાનું મહાપર્વ ‘છઠ’ મનાવાઈ રહ્યું છે. ‘છઠ’ પર્વનો હિસ્સો બનવા માટે લાખો શ્રદ્ધાળુઓ પોતાના ગામ, પોતાના ઘર, પોતાના પરિવાર વચ્ચે પહોંચ્યા છે. મારી પ્રાર્થના છે કે છઠ માતા બધાની સમૃદ્ધિ, બધાના કલ્યાણના આશીર્વાદ આપે.
સાથીઓ, સૂર્ય ઉપાસનાની પરંપરા એ વાતનું પ્રમાણ છે કે આપણી સંસ્કૃતિ, આપણી આસ્થાનો પ્રકૃતિ સાથે કેટલો ગાઢ સંબંધ છે. આ પૂજા દ્વારા આપણા જીવનમાં સૂર્યના પ્રકાશનું મહત્ત્વ સમજાવાયું છે. સાથે જ એ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે ઉતાર-ચડાવ જીવનનો અભિન્ન હિસ્સો છે. આથી આપણે દરેક પરિસ્થિતિમાં એક સમાન ભાવ રાખવો જોઈએ. છઠ માતાની પૂજામાં અલગ-અલગ ફળો અને ઠેકુઆનો પ્રસાદ ચડાવવામાં આવે છે. આ વ્રત પણ કોઈ કઠિન સાધનાથી ઓછું નથી હોતું. છઠ પૂજાની વધુ એક વિશેષ વાત એ હોય છે કે તેમાં પૂજા માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તેને સમાજના વિભિન્ન લોકો મળીને તૈયાર કરે છે. તેમાં વાંસની ટોકરી કે સુપડીનો ઉપયોગ થાય છે. માટીના દીવાઓનું પોતાનું મહત્ત્વ હોય છે. તેના દ્વારા ચણાનો પાક ઉગાડનાર ખેડૂતો અને પતાસા બનાવનાર નાનાં ઉદ્યમીઓનું સમાજમાં મહત્ત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમના સહયોગ વિના છઠની પૂજા સંપન્ન જ ન થઈ શકે. છઠનું પર્વ આપણા જીવનમાં સ્વચ્છતાના મહત્ત્વ પર પણ ભાર આપે છે. આ પર્વ આવતાંસામુદાયિક સ્તર પર સડક, નદી, ઘાટ, પાણીના વિભિન્ન સ્ત્રોત, બધાંની સફાઈ કરવામાં આવે છે. છઠનું પર્વ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પણ ઉદાહરણ છે. આજે બિહાર અને પૂર્વાંચલના લોકો દેશના જે પણ ખૂણામાં છે, ત્યાં ધૂમધામથી છઠનું આયોજન થઈ રહ્યું છે. દિલ્લી, મુંબઈ સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓ અને
ગુજરાતના અનેક હિસ્સાઓમાં છઠનું મોટા સ્તર પર આયોજન થવા લાગ્યું છે. મને તો યાદ છે કે પહેલાં ગુજરાતમાં આટલી છઠ પૂજા નહોતી થતી. પરંતુ સમયની સાથે આજે લગભગ આખા ગુજરાતમાં છઠ પૂજાના રંગ નજરે પડવા લાગ્યા છે. આ જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિદેશોમાં થી પણ છઠ પૂજાની કેટલી ભવ્ય તસવીરો સામે આવે છે. એટલે કે ભારતનો સમૃદ્ધ વારસો, આપણી આસ્થા, દુનિયાના ખૂણા-ખૂણામાં પોતાની ઓળખ વધારી રહ્યાં છે. આ મહાપર્વમાં સહભાગી થનારા દરેક આસ્થાવાનને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં આપણે પવિત્ર છઠ પૂજાની વાત કરી, ભગવાન સૂર્ય ની ઉપાસનાની વાત કરી. તો શા માટે સૂર્ય ઉપાસનાની સાથોસાથ આજે આપણે તેમના વરદાનની પણ ચર્ચા ન કરીએ? સૂર્ય દેવનું આ વરદાન છે- સૌર ઊર્જા. સોલાર એનર્જી આજે એક એવો વિષય છે જેમાં સમગ્ર દુનિયા પોતાનું ભવિષ્ય જોઈ રહી છે અને ભારત માટે તો સૂર્ય દેવ સદીઓથી ઉપાસના જ નહીં, જીવન પદ્ધતિના કેન્દ્રમાં પણ રહ્યા છે. ભારત આજે પોતાના પારંપરિક અનુભવોને આધુનિક વિજ્ઞાન સાથે જોડી રહ્યું છે ત્યારે, આજે આપણે સૌર ઊર્જાથી વીજળી બનાવનારા સૌથી મોટા દેશોમાં સમાવિષ્ટ થઈ ગયા છીએ. સૌર ઊર્જાથી આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવી રહ્યું છે તે પણ અધ્યયન નો વિષય છે.
તમિલનાડુમાં, કાંચીપુરમમાં એક ખેડૂત છે – થિરુ કે. એઝિલન. તેમણે ‘પી. એમ. કુસુમ યોજના’નો લાભ લીધો અને પોતાના ખેતરમાં દસ હૉર્સપાવરનો સૉલાર પમ્પ સેટ લગાવ્યો. હવે તેમને પોતાના ખેતર માટે વીજળી પર કંઈ ખર્ચ કરવો નથી પડતો. ખેતરમાં સિંચાઈ માટે હવે તેઓ સરકારના વીજળી પૂરવઠા પર નિર્ભર પણ નથી. આ જ રીતે રાજસ્થાનના ભરતપુરમાં ‘પી. એમ. કુસુમ યોજના’ના વધુ એક લાભાર્થી ખેડૂત છે- કમલજી મીણા. કમલજીએ ખેતરમાં સૉલાર પમ્પ લગાવ્યો જેનાથી તેમનો ખર્ચ ઓછો થઈ ગયો છે. ખર્ચ ઓછો થયો તો આવક પણ વધી ગઈ. કમલજી સોલાર વીજળીથી બીજા અનેક નાના ઉદ્યોગોને પણ જોડી રહ્યા છે.
તેમના વિસ્તારમાં લાકડાનું કામ છે, ગાયના છાણ થી બનનારાં ઉત્પાદનો છે, તેમાં પણ સૉલાર વીજળીનો ઉપયોગ થઈ રહ્યો છે, તેઓ ૧૦-૧૨ લોકોને આજીવિકા પણ આપી રહ્યા છે, અર્થાત્ કુસુમ યોજનાથી કમલજીએ જે શરૂઆત કરી, તેની સુવાસ કેટલાય લોકો સુધી પહોંચવા લાગી છે.
સાથીઓ, શું તમે ક્યારેય વિચારી શકો છો કે તમે આખો મહિનો વીજળીનો ઉપયોગ કરો અને તમારું વીજળી બિલ આવવાના બદલે તમને વીજળીના પૈસા મળે? સૌર ઊર્જાએ આ પણ કરી દેખાડ્યું છે. તમે કેટલાક દિવસ પહેલાં, દેશના પહેલા સૂર્ય ગ્રામ- ગુજરાતના મોઢેરાની ઘણી ચર્ચા સાંભળી હશે. મોઢેરા સૂર્ય ગ્રામનાં મોટા ભાગનાં ઘર, સૉલાર પાવરથી વીજળી ઉત્પાદન કરવા લાગ્યાં છે. હવે ત્યાંનાં અનેક ઘરોમાં મહિનાના અંતેવીજળીનું બિલ નથી આવતું, પરંતુ વીજળીની કમાણીના ચૅક આવી રહ્યા છે. આ થતું જોઈને, અનેક ગામોના લોકો મને પત્રો લખીને કહી રહ્યા છે કે તેમના ગામને પણ સૂર્ય ગ્રામમાં પરિવર્તિત કરી દેવામાં આવે, એટલે કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતમાં સૂર્ય ગ્રામોનું નિર્માણ ઘણું મોટું જનાંદોલન બનશે અને તેની શરૂઆત મોઢેરા ગામના લોકો કરી જ ચૂક્યા છે.
આવો, ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ મોઢેરાના લોકો સાથે મેળવીએ. આપણી સાથે આ સમય ફૉન લાઇન પર જોડાયા છે શ્રીમાન વિપિનભાઈ પટેલ.
પ્રધાનમંત્રીજી: વિપિનભાઈ, નમસ્તે. જુઓ, હવે તો મોઢેરા સમગ્ર દેશ માટે એક મૉડલના રૂપમાં ચર્ચામાં આવી ગયું છે. પરંતુ જ્યારે તમને તમારા સંબંધીઓ, પરિચિતો બધી વાતો પૂછતા હશે તો તમે તેમને શું-શું કહો છો, શું ફાયદો થયો?
વિપિનભાઈ: સાહેબ, લોકો અમને પૂછે તો અમે કહીએ છીએ કે અમને જે બિલ આવતું હતું, લાઇટ બિલ, તે હવે શૂન્ય આવી રહ્યું છે અને ક્યારેક ૭૦ રૂપિયા આવી જાય છે પરંતુ અમારા સમગ્ર ગામમાં આર્થિક પરિસ્થિતિ સુધરી રહી છે.
પ્રધાનમંત્રીજી: અર્થાત્ એક રીતે, પહેલાં જે વીજળી બિલની ચિંતા હતી તે સમાપ્ત થઈ ગઈ.
વિપિનભાઈ: હા સાહેબ, તે વાત તો સાચી છે, સાહેબ. હવે કોઈ ટેન્શન નથી, સમગ્ર ગામમાં. બધા લોકોને લાગી રહ્યું છે કે સાહેબે જે કર્યું તો તે ઘણું સારું કર્યું. તેઓ ખુશ છે સાહેબ. આનંદિત થઈ રહ્યા છે બધા.
પ્રધાનમંત્રીજી: હવે પોતાના ઘરમાં જ પોતે જ વીજળીના કારખાનાના માલિક બની ગયા. પોતાના ઘરની છત પર વીજળી બની રહી છે.
વિપિનભાઈ: હા, સાહેબ, સાચી વાત છે, સાહેબ.
પ્રધાનમંત્રીજી: તો આ જે પરિવર્તન આવ્યું છે તેની ગામના લોકો પર શું અસર છે?
વિપિનભાઈ: સાહેબ, સમગ્ર ગામના લોકો, તેઓ ખેતી કરી રહ્યા છે તો પછી અમારે વીજળીની જે ઝંઝટ હતી તેમાંથી મુક્તિ મળી ગઈ છે. વીજળીનું બિલ તો ભરવાનું નથી, તેથી નિશ્ચિંત થઈ ગયા છીએ, સાહેબ.
પ્રધાનમંત્રીજી: અર્થાત, વીજળીનું બિલ પણ ગયું અને સુવિધા વધી ગઈ.
વિપિનભાઈ: ઝંઝટ જ ગઈ સાહેબ અને સાહેબ, જ્યારે તમે અહીં આવ્યા હતા અને તે થ્રીડી શૉ, જેનું અહીં ઉદ્ઘાટન કર્યું હતું તે પછી તો મોઢેરા ગામમાં ચાર ચાંદ લાગી ગયા છે સાહેબ અને તે જે સેક્રેટરી આવ્યા હતા સાહેબ…
પ્રધાનમંત્રીજી: જી, જી…
વિપિનભાઈ: તો અમારું ગામ ફેમસ થઈ ગયું, સાહેબ.
પ્રધાનમંત્રીજી: જી હા, સંયુક્ત રાષ્ટ્ર સંઘ ના મહા સચિવ તેમની પોતાની ઈચ્છા હતી. તેમણે મને ઘણો આગ્રહ કર્યો કે ભાઈ, આટલું મોટું કામ કર્યું છે તો હું ત્યાં જઈને જોવા ઈચ્છું છું. ચાલો, વિપિનભાઈ, તમને અને તમારા ગામના બધા લોકોને મારા તરફથી ઘણી-ઘણી શુભકામનાઓ અને દુનિયા તમારામાંથી પ્રેરણા લે અને આ સૉલાર એનર્જીનું અભિયાન ઘરે-ઘરે ચાલે.
વિપિનભાઈ: ઠીક છે, સાહેબ. તે અમે બધા લોકોને કહીશું કે ભાઈ, સૉલાર લગાવડાઓ, તમારા પૈસાથી પણ લગાવો, ઘણો ફાયદો છે.
પ્રધાનમંત્રીજી: હા, લોકોને સમજાવો. ચાલો, ઘણી-ઘણી શુભકામનાઓ. ધન્યવાદ ભાઈ.
વિપિનભાઈ: થેંક યૂ, સાહેબ, થેંક યૂ સાહેબ, મારું જીવન ધન્ય થઈ ગયું આપની સાથે વાત કરીને.
વિપિનભાઈનો ઘણો-ઘણો ધન્યવાદ.
આવો હવે મોઢેરા ગામનાં વર્ષાબેન સાથે પણ વાત કરીએ.
વર્ષાબેન: હેલ્લો, નમસ્તે સાહેબ.
પ્રધાનમંત્રીજી: નમસ્તે-નમસ્તે વર્ષાબેન. કેમ છો તમે?
વર્ષાબેન: અમે તો ઘણાં મજામાં છીએ, સાહેબ. આપ કેમ છો?
પ્રધાનમંત્રીજી: હું પણ મજામાં છું.
વર્ષાબેન: અમે ધન્ય થઈ ગયાં સાહેબ, આપની સાથે વાત કરીને.
પ્રધાનમંત્રીજી: અચ્છા, વર્ષાબેન…
વર્ષાબેન: હા.
પ્રધાનમંત્રીજી: તમે મોઢેરામાં, તમે તો એક તો સૈનિક પરિવારમાંથી છો.
વર્ષાબેન: હું સૈનિક પરિવારમાંથી છું. હું પૂર્વ સૈનિકની પત્ની બોલી રહી છું.
પ્રધાનમંત્રીજી: તો પહેલાં હિન્દુસ્તાનમાં ક્યાં-ક્યાં જવાની તક મળી તમને?
વર્ષાબેન: મને રાજસ્થાનમાં મળ્યું, ગાંધીનગરમાં મળ્યું, કચરા કાંઝોર જમ્મુ છે ત્યાં તક મળી, સાથે રહેવાની. બહુ જ સુવિધા ત્યાં મળી રહી હતી સાહેબ.
પ્રધાનમંત્રીજી: હા. આ સૈન્યમાં હોવાના કારણે તમે હિન્દી પણ સરસ બોલી રહ્યાં છો.
વર્ષાબેન: હા જી. શીખી છે સાહેબ. હા.
પ્રધાનમંત્રીજી: મને જણાવો કે મોઢેરામાં જે આટલું મોટું પરિવર્તન આવ્યું, આ સૉલાર રૂફટૉપ પ્લાન્ટ તમે લગાવી દીધો. શરૂઆતમાં લોકો કહી રહ્યા હશે, ત્યારે તો
તમને મનમાં થયું હશે, આનો શું અર્થ? શું કરી રહ્યા છીએ? શું થશે? આમ કંઈ થોડી વીજળી આવે? આ બધી વાતો તમારા મનમાં આવી હશે? હવે શું અનુભવ થઈ રહ્યો છે? તેનો ફાયદો શું થયો છે?
વર્ષાબેન: ખૂબ જ સાહેબ, ફાયદો જ ફાયદો થયો છે, સાહેબ. અમારા ગામમાં તો રોજ દિવાળી મનાવાઈ રહી છે તમારા કારણે. ૨૪ કલાક અમને વીજળી મળી રહી છે, બિલ તો આવતું જ નથી ને, બિલકુલ. અમારા ઘરમાં અમે ઇલેક્ટ્રિક બધી ચીજો ઘરમાં લાવી દીધી છે, બધી ચીજોનો ઉપયોગ કરી રહ્યા છીએ, તમારા કારણે સાહેબ. બિલ આવતું જ નથી તો અમે મુક્ત મને, બધાનો ઉપયોગ કરી શકીએ છીએ ને?
પ્રધાનમંત્રીજી: આ વાત સાચી છે, તમે વીજળીનો મહત્ત્મ ઉપયોગ કરવાનો નિર્ણય કરી લીધો છે.
વર્ષાબેન: કરી લીધો, સાહેબ, કરી લીધો. અત્યારે અમારે કોઈ સમસ્યા જ નથી. અમે મુક્ત મને, આ બધું, વૉશિંગ મશીન છે, એસી છે, બધું વાપરી શકીએ છીએ સર.
પ્રધાનમંત્રીજી: અને ગામના બાકીના લોકો પણ ખુશ છે, આ કારણે?
વર્ષાબેન: ઘણા-ઘણા ખુશ છે, સાહેબ.
પ્રધાનમંત્રીજી: અચ્છા, આ તમારા પતિદેવ તો ત્યાં સૂર્યમંદિરમાં કામ કરે છે ને? તો ત્યાં જે લાઇટ શૉ થયો તેનો મોટો કાર્યક્રમ થયો અને હવે દુનિયાભરના મહેમાનો આવી રહ્યા છે…
વર્ષાબેન: દુનિયાભરના ફૉરેનર આવી રહ્યા છે, પણ તમે વર્લ્ડમાં પ્રસિદ્ધ બનાવી દીધું છે અમારા ગામને.
પ્રધાનમંત્રીજી: તો તમારા પતિનું હવે કામ વધી ગયું હશે, આટલા મહેમાનો ત્યાં મંદિરમાં જોવા માટે આવી રહ્યા છે…
વર્ષાબેન: અરે! કોઈ વાંધો નથી, જેટલું પણ કામ વધે, સાહેબ, કોઈ વાંધો નથી. અમને કોઈ સમસ્યા નથી, મારા પતિને, બસ આપ વિકાસ કરતા જાવ અમારા ગામનો.
પ્રધાનમંત્રીજી: હવે ગામનો વિકાસ તો આપણે બધાંએ મળીને કરવાનો છે.
વર્ષાબેન: હા, હા, સાહેબ, અમે આપની સાથે છીએ.
પ્રધાનમંત્રીજી: અને હું તો મોઢેરાના લોકોને અભિનંદન આપીશ કારણકે ગામે આ યોજનાને સ્વીકારી લીધી અને તેમને વિશ્વાસ થઈ ગયો કે હા, અમે અમારા ઘરમાં વીજળી બનાવી શકીએ છીએ.
વર્ષાબેન: ૨૪ કલાક સાહેબ. અમારા ઘરમાં વીજળી આવે છે અને અમે ઘણાં ખુશ છીએ.
પ્રધાનમંત્રીજી: ચાલો, મારી આપને ઘણી શુભકામનાઓ. જે પૈસા બચ્યા છે તેનો બાળકોની ભલાઈ માટે ઉપયોગ કરજો. આ પૈસાનો ઉપયોગ સારો થાય જેથી તમારા જીવનને ફાયદો થાય. મારી આપને ઘણી શુભકામનાઓ છે. અને બધાં મોઢેરાવાળાઓને મારા નમસ્કાર.
સાથીઓ, વર્ષાબેન અને વિપિનભાઈએ જે કહ્યું છે તે સમગ્ર દેશ માટે, ગામો-શહેરો માટે એક પ્રેરણા છે. મોઢેરાનો આ અનુભવ સમગ્ર દેશમાં પુનરાવર્તિત કરી શકાય છે. સૂર્યની શક્તિ, હવે પૈસા પણ બચાવશે અને આવક પણ વધારશે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના એક સાથી છે- મંજૂર અહમદ લર્હવાલ. કાશ્મીરમાં ઠંડીના કારણે વીજળીનો ખર્ચ ઘણો થાય છે. આ કારણે, મંજૂરજીનું વીજળીનું બિલ પણ ૪ હજાર રૂપિયાથી વધુ આવતું હતું, પરંતુ જ્યારથી મંજૂરજીએ પોતાના ઘર પર સૉલાર રૂફટૉપ પ્લાન્ટ લગાવ્યો છે, તેમનો ખર્ચો અડધાથી ઓછો થઈ ગયો છે. આ જ રીતે ઓડિશાની એક દીકરી કુન્ની દેઉરી, સૌર ઊર્જાને પોતાની સાથે-સાથે બીજી
મહિલાઓની આજીવિકાનું માધ્યમ બનાવી રહી છે. કુન્ની, ઓડિશાના કેન્દુઝર જિલ્લાના કરદાપાલ ગામમાં રહે છે. તે આદિવાસી મહિલાઓને સૉલારથી ચાલતા રીલિંગ મશીન પર સિલ્કની વણાટની ટ્રેનિંગ આપે છે. સૉલાર મશીનના કારણે આ આદિવાસી મહિલાઓના માથે વીજળીના બિલનો બોજો પડતો નથી અને તેમની આવક થઈ રહી છે. આ જ તો સૂર્ય દેવની સૌર ઊર્જાનું વરદાન તો છે. વરદાન અને પ્રસાદ તો જેટલો વિસ્તાર થાય, તેટલો જ સારો હોય છે. આથી, મારી આપ સહુને પ્રાર્થના છે કે તમે પણ તેમાં જોડાવ અને બીજાને પણ જોડો.
મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે હું તમારી સાથે સૂરજની વાતો કરી રહ્યો હતો. મારું ધ્યાન સ્પેસ તરફ જઈ રહ્યું છે. તે એટલા માટે કે આપણો દેશ સૉલાર સેક્ટર સાથે જ સ્પેસ સેક્ટરમાં પણ કમાલ કરી રહ્યો છે. સમગ્ર દુનિયા, આજે, ભારતની ઉપલબ્ધિઓને જોઈને આશ્ચર્યચકિત છે. આથી મેં વિચાર્યું કે ‘મન કી બાત’ના શ્રોતાઓને તે જણાવીને હું તેમની પણ ખુશી વધારું.
સાથીઓ, થોડાક દિવસો પહેલાં તમે જોયું હશે કે ભારતે એક સાથે ૩૬ ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કર્યા છે. દિવાળીના બરાબર એક દિવસ પહેલાં મળેલી આ સફળતા એક રીતે તે આપણા યુવાનો તરફથી દેશને એક વિશેષ દિવાળી ભેટ છે. આ લૉંચિંગથી કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કોહિમા સુધી, સમગ્ર દેશમાં, ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂતી મળશે. તેની મદદથી ખૂબ જ અંતરિયાળ વિસ્તારો પણ દેશના બાકી હિસ્સાઓ સાથે વધુ સરળતાથી જોડાઈ શકાશે. દેશ જ્યારે આત્મનિર્ભર થાય છે તો કેવી રીતે સફળતાની નવી ઊંચાઈ પર પહોંચી જાય છે- તે તેનું પણ એક ઉદાહરણ છે. તમારી સાથે વાત કરતા મને જૂનો સમય પણ યાદ આવી રહ્યો છે જ્યારે ભારતને ક્રાયૉજેનિક રૉકેટ ટૅક્નૉલૉજી આપવાથી મનાઈ કરી દીધી હતી. પરંતુ ભારતના વૈજ્ઞાનિકોએ સ્વદેશી ટૅક્નૉલૉજી તો વિકસિત કરી જ, પરંતુ આજે તેની મદદથી એક સાથે ડઝન ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલી રહ્યું છે.
આ લૉંચિંગની સાથે ભારત ગ્લૉબલ કૉમર્શિયલ માર્કેટમાં એક મજબૂત પ્લેયર બનીને ઉભર્યું છે, જેથી અંતરિક્ષના ક્ષેત્રમાં ભારત માટે અવસરોનાં નવાં દ્વાર ખુલ્યાં છે.
સાથીઓ, વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલી રહેલો આપણો દેશ, બધાના પ્રયાસોથી જ, પોતાનાં લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં પહેલાં સ્પેસ સેક્ટર, સરકારી વ્યવસ્થાઓના પરીઘમાં જ સીમિત હતો. જ્યારે આ સ્પેસ સેક્ટર ભારતના યુવાનો માટે, ભારતના પ્રાઇવેટ સેક્ટર માટે, ખોલી દેવામાં આવ્યું ત્યારથી તેમાં ક્રાંતિકારી પરિવર્તન આવવા લાગ્યાં છે. ભારતીય ઉદ્યોગો અને સ્ટાર્ટ અપ્સ આ ક્ષેત્રમાં નવાં-નવાં ઇનોવેશન અને નવી-નવી ટૅક્નૉલૉજી લાવવામાં લાગેલા છે. વિશેષકરીને, INSpaceના સહયોગથી આ ક્ષેત્રમાં મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે.
INSpace દ્વારા બિનસરકારી કંપનીઓને પણ પોતાના પેલૉડ અને સેટેલાઇટ લૉંચ કરવાની સુવિધા મળી રહી છે. હું વધુમાં વધુ સ્ટાર્ટ અપ્સ અને ઇનૉવેટર્સને અનુરોધ કરીશ કે તેઓ સ્પેસ સેક્ટરમાં ભારતમાં સર્જાઈ રહેલા આ મોટાં અવસરોનો પૂરો લાભ ઉઠાવે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે, યુવા શક્તિની વાત આવે, નેતૃત્વ શક્તિની વાત આવે, તો આપણા મનમાં ઘસાયેલી, જૂની ઘણી બધી ધારણાઓ ઘર કરી ગઈ છે. અનેક વાર આપણે જોઈએ છીએ કે જ્યારે વિદ્યાર્થી શક્તિની વાત થાય છે તો તેને છાત્ર સંઘ ચૂંટણી સાથે જોડીને તેનું પરીઘ સીમિત કરી દેવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી શક્તિનું પરીઘ ઘણું મોટું છે, ખૂબ વિશાળ છે. વિદ્યાર્થી શક્તિ, ભારતને શક્તિશાળી બનાવવાનો આધાર છે. અંતે તો, આજે જે યુવા છે, તે જ તો ભારતને વર્ષ ૨૦૪૭ સુધી લઈ જશે. જ્યારે ભારત સ્વતંત્રતાની શતાબ્દિ મનાવશે તો યુવાઓની આ શક્તિ, તેમની મહેનત, તેમનો પરસેવો, તેમની પ્રતિભા, ભારતને એ ઊંચાઈ પર લઈ જશે, જેનો સંકલ્પ દેશ, આજે લઈ રહ્યો છે. આપણા આજના યુવાઓ, જે રીતે દેશ માટે કામ કરી રહ્યા છે, રાષ્ટ્ર નિર્માણમાં લાગેલા છે, તે જોઈને હું ભરોસાથી છલોછલ છું.
જે રીતે આપણા યુવાનો હેકાથૉન્સમાં પ્રૉબ્લેમ સૉલ્વ કરે છે, રાત-રાત જાગીને કલાકોના કલાકો કામ કરે છે, તે ખૂબ જ પ્રેરણા આપનારું છે. વિતેલાં વર્ષોમાં થયેલી હેકાથૉન્સમાં દેશના લાખો યુવાનોએ મળીને અનેક પડકારોને પૂરા કર્યા છે, દેશને નવાં સૉલ્યૂશન આપ્યાં છે.
સાથીઓ, તમને યાદ હશે, મેં લાલ કિલ્લા પરથી ‘જય અનુસંધાન’નું આહ્વાન કર્યું હતું. મેં આ દાયકાને-ડીકેડને ભારતનો ટૅકેડ બનાવવાની વાત પણ કરી હતી. મને એ જોઈને ઘણું સારું લાગ્યું કે તેનું સુકાન આપણા આઈઆઈટીના વિદ્યાર્થીઓએ પણ સંભાળી લીધું છે. આ જ મહિને ૧૪-૧૫ ઑક્ટોબરે બધી ૨૩ આઈઆઈટી પોતાનાં ઇનૉવેશન અને રીસર્ચ પ્રૉજેક્ટને પ્રદર્શિત કરવા માટે પહેલી વાર એક મંચ પર આવી. આ મેળામાં દેશભરમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ અને સંશોધકોએ ૭૫થી વધુ ઉત્કૃષ્ટ પ્રૉજેક્ટને પ્રદર્શિત કર્યા. આરોગ્ય ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, રૉબોટિક્સ, સેમી કન્ડક્ટર, ફાઇવ-જી કમ્યૂનિકેશન, આવી ઘણી બધી થીમ પર આ પ્રૉજેક્ટ બનાવવામાં આવ્યા હતા. આમ તો આ બધા જ પ્રૉજેક્ટ એક-એકથી ચડિયાતા હતા, પરંતુ હું કેટલાક પ્રૉજેક્ટ વિશે તમારું ધ્યાન આકર્ષિત કરવા માગું છું. જેમ કે, આઈઆઈટી ભુવનેશ્વરની એક ટીમે નવજાત શિશુઓ માટે પૉર્ટેબલ વેન્ટિલેટર વિકસિત કર્યું છે. તે બેટરીથી ચાલે છે અને તેનો ઉપયોગ અંતરિયાળ ક્ષેત્રોમાં સરળતાથી કરી શકાય છે. તે એ બાળકોનાં જીવનને બચાવવામાં ઘણું સહાયરૂપ સાબિત થઈ શકે છે જેમનો જન્મ નિર્ધારિત સમય પહેલાં થઈ જાય છે. ઇલેક્ટ્રિક મૉબિલિટી હોય કે ડ્રૉન ટૅક્નૉલૉજી, કે પછી ફાઇવ-જી હોય, આપણા ઘણા વિદ્યાર્થીઓ, તેની સાથે જોડાયેલી નવી ટૅક્નૉલૉજી વિકસિત કરવામાં લાગેલા છે. અનેક બધી આઈઆઈટી મળીને એક બહુભાષક પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે, જે સ્થાનિક ભાષાઓને શીખવાની રીતને સરળ કરે છે. આ પ્રૉજેક્ટ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને, તેનાં લક્ષ્યોની પ્રાપ્તિમાં પણ ઘણી મદદ કરશે. તમને એ જાણીને પણ સારું લાગશે કે આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી કાનપુરે ભારતના સ્વદેશી ફાઇવ-જી ટેસ્ટ બૅડને તૈયાર કરવામાં અગ્રણી ભૂમિકા નિભાવી છે.
નિશ્ચિત રીતે, આ એક શાનદાર શરૂઆત છે. મને આશા છે કે આવનારા સમયમાં, આ પ્રકારના અનેક પ્રયાસો જોવા મળશે. મને એ પણ આશા છે કે આઈઆઈટીથી પ્રેરણા લઈને બીજી સંસ્થાઓ પણ સંશોધન અને વિકાસ સાથે જોડાયેલી પોતાની પ્રવૃત્તિઓમાં તેજી લાવશે.
મારા પ્રિય દેશવાસીઓ, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા, આપણા સમાજના કણ-કણમાં સમાહિત છે અને તેને આપણે આપણી ચારે તરફ અનુભૂત કરી શકીએ છીએ. દેશમાં એવા લોકોની ખોટ નથી, જે પર્યાવરણની રક્ષા માટે પોતાનું જીવન અર્પણ કરી દે છે.
કર્ણાટકના બેંગલુરુમાં રહેતા સુરેશકુમારજી પાસેથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. તેમનામાં પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા માટે ગજબની ધગશ છે. વીસ વર્ષ પહેલાં તેમણે શહેરના સહકારનગરના જંગલને ફરીથી લીલુંછમ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. આ કામ મુશ્કેલીઓથી ભરપૂર હતું, પરંતુ વીસ વર્ષ પહેલાં લગાવેલા છોડ આજે ૪૦-૪૦ ફીટ ઊંચા વિશાળકાય ઝાડ બની ચૂક્યાં છે. હવે તેમની સુંદરતા પ્રત્યેકનું મન મોહી લે છે. તેથી ત્યાં રહેનારા લોકોને પણ ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે. સુરેશકુમારજી બીજું એક અદ્બુત કામ પણ કરે છે. તેમણે કન્નડ ભાષા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે સહકારનગરમાં એક બસ શેલ્ટર પણ બનાવી છે. તેઓ સેંકડો લોકોને કન્નડમાં લખાયેલી પિત્તળની તકતી પણ ભેટમાં આપી ચૂક્યા છે. નિવસન તંત્ર અને સંસ્કૃતિ બંને સાથે-સાથે આગળ વધે અને ફૂલેફાલે, વિચારો…આ કેટલી મોટી વાત છે.
સાથીઓ, આજે પર્યાવરણને અનુકૂળ રહેણીકરણી અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો માટે લોકોમાં પહેલાંથી વધુ જાગૃતિ જોવા મળી રહી છે. મને તમિલનાડુના આવા જ એક રસપ્રદ પ્રયાસ વિશે પણ જાણવાની તક મળી. આ શાનદાર પ્રયાસ કોઇમ્બતૂરના અનાઈકટ્ટીમાં આદિવાસી મહિલાઓની એક ટીમનો છે. આ મહિલાઓએ નિકાસ માટે પર્યાવરણને અનુકૂળ દસ હજાર ટેરાકોટા ટી કપનું નિર્માણ કર્યું.
કમાલની વાત તો એ છે કે ટેરાકોટા ટી કપ બનાવવાની પૂરી જવાબદારી આ મહિલાઓએ સ્વયં ઉપાડી. માટી મિશ્રણથી માંડીને છેવટના પેકેજિંગ સુધી બધાં કામો સ્વયં કર્યાં. તેના માટે તેમણે પ્રશિક્ષણ પણ લીધું હતું. આ અદ્ભુત પ્રયાસની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે.
સાથીઓ, ત્રિપુરાનાં કેટલાંક ગામોએ પણ ઘણું મોટુંદૃષ્ટાંત પૂરું પાડ્યું છે. તમે લોકોએ બાયૉ-વિલેજ તો જરૂર સાંભળ્યું હશે પરંતુ ત્રિપુરાનાં કેટલાંક ગામ, બાયૉ-વિલેજ 2ની સીડી ચડી ગયાં છે. બાયૉ-વિલેજ 2માં એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે પ્રાકૃતિક આપત્તિઓથી થનારા નુકસાનને કેવી રીતે ઓછામાં ઓછું કરવામાં આવે. તેમાં વિભિન્ન ઉપાયોથી લોકોના જીવનસ્તરને ઉત્કૃષ્ટ બનાવવા પર પૂરું ધ્યાન આપવામાં આવે છે. સૉલાર એનર્જી, બાયૉગેસ, મધમાખી ઉછેર અને જૈવિક ખાતરો..આ બધાં પર પૂરું ધ્યાન રહે છે. એકંદરે, જો જોઈએ તો આબોહવા પરિવર્તન વિરુદ્ધના અભિયાનને બાયૉ-વિલેજ 2 ખૂબ જ મજબૂતી આપનારું છે. હું દેશના અલગ-અલગ હિસ્સામાં પર્યાવરણ સંરક્ષણ માટે વધી રહેલા ઉત્સાહને જોઈને ખૂબ જ ખુશ છું. કેટલાક દિવસો પહેલાં જ, ભારતમાં, પર્યાવરણની રક્ષા માટે સમર્પિત મિશન લાઇફને પણ શરૂ કરવામાં આવ્યું છે. મિશન લાઇફનો સીધો સિદ્ધાંત છે- એવી જીવનશૈલી, એવી લાઇફસ્ટાઇલને ઉત્તેજન જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે. મારો અનુરોધ છે કે તમે પણ મિશન લાઇફને જાણો, તેને અપનાવવાનો પ્રયાસ કરો.
સાથીઓ, કાલે, ૩૧ ઑક્ટોબરે, રાષ્ટ્રીય એકતા દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલજીની જયંતિનો પુણ્ય અવસર છે. આ દિવસે દેશના ખૂણેખૂણામાં રન ફૉર યૂનિટીનું આયોજન કરવામાં આવે છે. આ દોડ, દેશમાં એકતાના સૂત્રને મજબૂત કરે છે, આપણા યુવાનોને પ્રેરિત કરે છે. આજથી કેટલાક દિવસો પહેલાં, આવી જ ભાવના આપણી રાષ્ટ્રીય રમતો દરમિયાન પણ જોવા મળી. ‘જુડેગા ઇન્ડિયા તો જીતેગા ઇન્ડિયા’, આ થીમ સાથે રાષ્ટ્રીય રમતોએ એક તરફ એકતાનો મજબૂત સંદેશ આપ્યો, તો બીજી બાજુ ભારતની રમતગમતની સંસ્કૃતિને ઉત્તેજન આપવાનું કામ પણ કર્યું છે.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, વિતેલા દિવસોમાં જે વાતે આપણા બધાંનું ધ્યાન આકર્ષિત કર્યું છે તે છે, ચિત્તા. ચિત્તા વિશે વાત કરવા માટે ઢગલાબંધ સંદેશા આવ્યા છે. પછી તે ઉત્તરપ્રદેશના અરૂણકુમાર ગુપ્તાજીનો હોય કે, તેલંગણાના એન. રામચંદ્રન રઘુરામજીનો, ગુજરાતના રાજનજીનો હોય કે પછી, દિલ્હીના સુબ્રતજીનો. દેશના ખૂણેખૂણાથી લોકોએ ભારતમાં ચિત્તાના પુનરાગમન પર આનંદ વ્યક્ત કર્યો છે. ૧૩૦ કરોડ ભારતવાસી ખુશ છે, ગર્વથી ભરેલા છે – આ છે ભારતનો પ્રકૃતિપ્રેમ. તેના વિષે લોકોનો એક સર્વસામાન્ય સવાલ એ જ છે કે, મોદીજી અમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે ?
સાથીઓ, આ માટે એક કાર્યદળ બનાવવામાં આવ્યું છે. આ કાર્યદળ ચિત્તાની દેખરેખ રાખશે અને એ જોશે કે, અહિંના વાતાવરણમાં તેઓ કેટલા હળીમળી શક્યા છે. તેના આધારે થોડા મહિના પછી કોઇક નિર્ણય લેવામાં આવશે અને ત્યારે તમે સૌ ચિત્તાને જોઇ શકશો. પરંતુ ત્યાં સુધી હું આપ સૌને થોડું કામ સોંપી રહ્યો છું, તેના માટે MyGov ના પ્લેટફોર્મ પર એક સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં લોકોને હું કેટલીક બાબતો શેર કરવાનો આગ્રહ કરૂં છું. ચિત્તાને લઇને આપણે જે અભિયાન ચલાવી રહ્યા છીએ તે અભિયાનનું આખરે શું નામ હોવું જોઇએ ! શું આપણે આ બધા ચિત્તાના નામકરણ વિષે પણ વિચારી શકીએ છીએ કે, તેમાંથી દરેકને ક્યા નામથી બોલાવવામાં આવે. આમ તો, આ નામકરણ જો પરંપરાગત હશે તો વધુ સારૂં રહેશે, કેમ કે, આપણો સમાજ અને સંસ્કૃતિ, પરંપરા અને વારસા સાથે જોડાયેલી કોઇપણ ચીજ હોય આપણને તે સાહજિક રીતે પોતાની તરફ આકર્ષિત કરે છે. તેટલું જ નહિં, તમે તે પણ જણાવજો કે, આખરે માણસોએ પ્રાણીઓની સાથે કેવી રીતે વર્તવું જોઇએ. આપણી મૌલિક ફરજોમાં પણ પ્રાણીઓ પ્રત્યે સદભાવ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મારી આપ સૌને અપીલ છે કે, આપ આ સ્પર્ધામાં જરૂર ભાગ લો. કોને ખબર ઇનામ સ્વરૂપે ચિત્તા જોવાની પહેલી તક તમને જ મળી જાય.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે ૨૫ સપ્ટેમ્બરે દેશના પ્રખર માનવતાવાદી, ચિંતક અને મહાન સપૂત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે. કોઇપણ દેશના યુવાનો જેમ જેમ પોતાની ઓળખ અને ગૌરવ ઉપર ગર્વ કરે છે. તેમને પોતાના મૌલિક વિચારો અને દર્શન એટલા જ આકર્ષિત કરે છે. દીનદયાળજીના વિચારોની સૌથી મોટી ખૂબી એ જ રહી છે કે, તેમણે પોતાના જીવનમાં વિશ્વની મોટીમોટી ઉથલપાથલને જોઇ હતી. તેઓ વિચારધારાઓના સંઘર્ષના સાક્ષી બન્યા હતા. એટલે જ તેમણે “એકાત્મ માનવદર્શન” અને “અંત્યોદય”નો એક વિચાર દેશની સામે ધર્યો, જે સંપૂર્ણપણે ભારતીય હતો. દીનદયાળજીનો એકાત્મક માનવદર્શન એક એવો વિચાર છે જે વિચારધારાના નામે દ્વંદ્વ અને દુરાગ્રહથી મુક્તિ અપાવે છે. તેમણે માનવમાત્રને એકસરખા માનનારા ભારતીય દર્શનને ફરીથી દુનિયાની સામે મૂક્યું. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે - ‘आत्मवत् सर्वभूतेषु’, એટલે કે આપણે જીવમાત્રને પોતાને સમાન માનીએ, પોતાના જેવો જ વ્યવહાર કરીએ. આધુનિક, સામાજીક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પણ ભારતીય દર્શન કેવી રીતે દુનિયાને માર્ગ બતાવી શકે છે તે દીનદયાળજીએ આપણને શિખવ્યું. એક રીતે જોઇએ તો, આઝાદી પછી દેશમાં જે હીનભાવના હતી તેનાથી મુક્તિ અપાવીને તેમણે આપણી પોતાની બૌધ્ધિક ચેતનાને જાગૃત કરી. તેઓ કહેતા પણ હતા- “આપણી આઝાદી ત્યારે સાર્થક થઇ શકે છે જયારે તે આપણી સંસ્કૃતિ અને ઓળખની અભિવ્યક્તિ કરે.” આ વિચારના આધારે તેમણે દેશના વિકાસનું દ્રષ્ટિબિંદુ નિર્મિત કર્યું હતું. દીનદયાળ ઉપાધ્યાયજી કહેતા હતા કે, દેશની પ્રગતિનો માપદંડ અંતિમ પગથિયે પડેલી વ્યક્તિ હોય છે. આઝાદીના અમૃતકાળમાં આપણે દીનદયાળજીને જેટલા જાણીશું, તેમની પાસેથી જેટલું શીખીશું, તેટલી જ દેશને આગળ લઇ જવાની આપણને બધાને પ્રેરણા મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, આજથી ત્રણ દિવસ પછી એટલે કે, ૨૮ સપ્ટેમ્બરે અમૃત મહોત્સવનો એક ખાસ દિવસ આવી રહ્યો છે. આ દિવસ આપણે ભારતમાતાના વીર સપૂત ભગતસિંહજીની જયંતિ ઉજવીશું. ભગતસિંહજીની જયંતિ પહેલા જ તેમને શ્રદ્ધાંજલી સ્વરૂપે એક મહત્વનો નિર્ણય કરાયો છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગતસિંહજીના નામ પર રાખવામાં આવશે. ઘણાં સમયથી તેની રાહ જોવાઇ રહી હતી. હું ચંદીગઢ, પંજાબ, હરીયાણા અને દેશના તમામ લોકોને આ નિર્ણયના ખૂબખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ આપણે આપણા સ્વતંત્રતા સેનાનીઓ પાસેથી પ્રેરણા લઇએ, તેમના આદર્શોનું પાલન કરીને તેમના સપનાઓનું ભારત બનાવીએ, તે જ તેમના પ્રત્યે આપણી શ્રદ્ધાંજલી હોય છે. શહીદોના સ્મારક, તેમના નામે સ્થાનો અને સંસ્થાઓના નામ આપણને કર્તવ્ય માટે પ્રેરણા પૂરી પાડે છે. હજી થોડા દિવસ પહેલાં જ દેશે કર્તવ્યપથ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિની સ્થાપના દ્વારા પણ એવો જ એક પ્રયત્ન કર્યો છે. અને હવે શહીદ ભગતસિંહના નામથી ચંદીગઢ એરપોર્ટનું નામ આ દિશામાં વધુ એક પગલું છે. હું ઇચ્છું છું કે, અમૃત મહોત્સવમાં આપણે જે રીતે સ્વતંત્રતા સેનાનીઓ સાથે જોડાયેલા વિશેષ પ્રસંગોએ ઉજવણી કરી રહ્યા છીએ. તે જ રીતે ૨૮ સપ્ટેંબર પણ દરેક યુવા કંઇક નવો પ્રયાસ ચોકકસ કરે.
મારા વ્હાલા દેશવાસીઓ, આમ તો, ૨૮ ડીસેંબરની ઉજવણી કરવા માટે તમારા બધાની પાસે વધુ એક કારણ પણ છે. જાણો છો એ શું છે ? હું માત્ર બે શબ્દ કહીશ, પરંતુ મને ખબર છે તમારૂં જોશ ચારગણાથી વધારે વધી જશે. આ બે શબ્દો છે, સર્જીકલ સ્ટ્રાઇક. વધી ગયોને તમારો જુસ્સો. આપણા દેશમાં અમૃતમહોત્સવનું જે અભિયાન ચાલી રહ્યું છે, તેને આપણે પૂરા મનોયોગથી ઉજવીએ. પોતાની ખુશીઓને બધાની સાથે શેર કરીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, કહેવાય છે કે, જીવનના સંઘર્ષોથી ઘડાયેલી વ્યક્તિની સામે કોઇપણ અવરોધ ટકી શક્તો નથી. પોતાની રોજબરોજની જીંદગીમાં આપણે કેટલાક એવા સાથીઓને પણ જોઇએ છીએ, જ કોઇને કોઇ શારીરીક પડકારોનો સામનો કરી રહ્યા છે. ઘણાબધા એવા પણ લોકો છે જે કાં તો સાંભળી નથી શક્તા અથવા બોલીને પોતાની વાત રજૂ નથી કરી શક્તા. એવા સાથીઓ માટે સૌથી મોટું બળ હોય છે- સાંકેતિક ઇશારાની ભાષા (સાઇન લેંગ્વેઝ). પરંતુ ભારતમાં વર્ષોથી એક મોટી મુશ્કેલી એ હતી કે, સાઇન લેંગ્વેઝ માટે કોઇ સ્પષ્ટ હાવભાવ નક્કી નહોતા, ધારાધોરણ નહોતા. આ મુશ્કેલીને દૂર કરવા માટે જ વર્ષ ૨૦૧૫માં Indian Sign Language Research and Training Center ની સ્થાપના કરાઇ હતી. મને આનંદ છે કે, આ સંસ્થા અત્યારસુધી ૧૦ હજાર શબ્દો અને અભિવ્યક્તિની ડીક્ષનેરી તૈયાર કરી ચૂકી છે. બે દિવસ પહેલાં જ એટલે કે, ૨૩મી સપ્ટેંબરે સાંકેતિક ભાષા દિવસ પર કેટલાય શાળાકીય અભ્યાસક્રમોને પણ સાઇન લેંગ્વેઝમાં શરૂ કરવામાં આવ્યા છે. સાઇન લેંગ્વેઝના નિર્ધારીત ધારાધોરણોને જાળવી રાખવા માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પણ સારો એવો ભાર મૂકવામાં આવ્યો છે. સાઇન લેંગ્વેઝની જે ડીક્ષનરી બની છે, તેનો વિડિયો બનાવીને પણ તેનો સતત પ્રસાર કરાઇ રહ્યો છે. યુ ટ્યુબ પર અનેક લોકોએ, અનેક સંસ્થાઓએ ભારતીય સાઇન લેંગ્વેઝમાં પોતાની ચેનલ શરૂ કરી દીધી છે, એટલે કે, સાત-આઠ વર્ષ પહેલાં સાઇન લેંગ્વેઝ માટે જે અભિયાનનો દેશમાં આરંભ થયો હતો તેનો હવે મારા લાખો દિવ્યાંગ ભાઇઓ-બહેનોને લાભ થવા લાગ્યો છે. હરિયાણાવાસી પૂજાજી તો ભારતીય સાઇન લેંગ્વેઝથી ખૂબ ખુશ છે. પહેલાં તેઓ તેમના દિકરા સાથે વાતચીત કરી શક્તા ન હતા, પરંતુ ૨૦૧૮માં સાઇન લેંગ્વેઝની તાલીમ લીધા પછી મા-દીકરો બંનેનું જીવન સરળ બની ગયું છે. પૂજાજીના દીકરાએ પણ સાઇન લેંગ્વેઝ શીખી અને પોતાની શાળામાં તેણે વાર્તાકથનમાં ઇનામ જીતીને પણ બતાવી આપ્યું છે. આ રીતે ટીંકાજીની છ વર્ષની એક દીકરી છે જે સાંભળી શક્તી નથી. ટીંકાજીએ તેમની દીકરીને સાઇન લેંગ્વેઝનો અભ્યાસ કરાવ્યો હતો, પરંતુ તેમને પોતાને સાઇન લેંગ્વેઝ આવડતી ન હતી. આ કારણે તેઓ પોતાની દીકરી સાથે સંવાદ કરી શક્તા ન હતા. હવે ટીંકાજીએ પણ સાઇન લેંગ્વેઝની તાલીમ લીધી છે, અને મા-દીકરી બંને પરસ્પર ખૂબ વાતો કર્યા કરે છે. આ પ્રયાસોનો બહુ મોટો લાભ કેરળના મંજૂજીને પણ થયો છે. મંજૂજી જન્મથી જ સાંભળી નથી શકતા, એટલું જ નહીં, તેમના માતાપિતાના જીવનમાં પણ આ જ સ્થિતિ રહી છે. આ સ્થિતિમાં સાઇન લેંગ્વેઝ જ આખા પરિવાર માટે સંવાદનું સાધન બની ગઇ છે. હવે તો, મંજૂજીએ પોતે જ સાઇન લેંગ્વેઝની શિક્ષીકા બનવાનો નિર્ણય કરી લીધો છે.
સાથીઓ, આ વિશે મન કી બાતમાં હું એટલે પણ ચર્ચા કરી રહ્યો છું જેથી ભારતીય સાઇન લેંગ્વેઝ વિશે જાગૃતિ વધે. તેનાથી આપણે આપણા દિવ્યાંગ સાથીઓની વધુમાં વધુ મદદ કરી શકીશું. ભાઇઓ અને બહેનો થોડા દિવસ પહેલાં મને બ્રેઇલમાં લખાયેલા હેમકોશની એક નકલ પણ મળી છે. હેમકોશ અસમિયા ભાષાના સૌથી જૂના શબ્દકોશમાંનો એક છે. તે ૧૯મી સદીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. તેનું સંપાદન વિખ્યાત ભાષાવિદ હેંમંચંદ્ર બરૂઆજીએ કર્યું હતું. હેમકોશની બ્રેઇલ આવૃત્તિ લગભગ ૧૦ હજાર પાનાની છે, અને તે ૧૫ ભાગથી પણ વધારે ભાગમાં પ્રકાશિત કરવામાં આવી રહી છે. તેમાં એક લાખથી પણ વધુ શબ્દોનો અનુવાદ થવાનો છે. હું આ સંવેદનશીલ પ્રયાસની ભરપૂર પ્રશંસા કરૂં છું. આ રીતે દરેક પ્રયાસ દિવ્યાંગ સાથીઓનું કૌશલ્ય અને સામર્થ્ય વધારવામાં ખૂબ મદદ કરે છે. આજે ભારત પેરાસ્પોર્ટસમાં પણ સફળતાના ધ્વજ લહેરાવી રહ્યું છે. આપણે બધા કેટલીયે રમત સ્પર્ધાઓમાં તેના સાક્ષી રહ્યા છીએ. આજે કેટલાય લોકો એવા છે જે દિવ્યાંગોની વચ્ચે ફીટનેસ કલ્ચરને પાયાના સ્તરે પ્રોત્સાહન આપવામાં જોડાયેલા છે. તેનાથી દિવ્યાંગોના આત્મવિશ્વાસને ઘણું બળ મળે છે.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં હું સુરતની એક દીકરી અન્વીને મળ્યો. અન્વી અને અન્વીના યોગ સાથે મારી એ મુલાકાત એટલી યાદગાર બની રહી છે કે, તેના વિશે હું મન કી બાતના તમામ શ્રોતાઓને જરૂર જણાવવા ઇચ્છું છું. સાથીઓ, અન્વી જન્મથી જ Down Syndrome થી પીડીત છે, અને તે બાળપણથી જ હૃદયની ગંભીર બીમારીનો પણ સામનો કરી રહી છે. એ જયારે માત્ર ૩ મહિનાની હતી ત્યારે તેના પર ઓપન હાર્ટસર્જરી કરવી પડી હતી. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં ન તો અન્વીએ કે ન તેના માતાપિતાએ કયારેય હાર માની છે. અન્વીના માતાપિતાએ Down Syndrome વિશે પણ પૂરી જાણકારી એકત્રિત કરી, અને પછી નક્કી કર્યું કે, અન્વીની બીજા પરની નિર્ભરતાને કેવી રીતે ઓછી કરીશું. તેમણે અન્વીને પાણીનો ગ્લાસ કેવી રીતે ઉઠાવવો, બૂટની દોરી કેવી રીતે બાંધવી, કપડાના બટન કેવી રીતે બંધ કરવા, એવી નાનીનાની બાબતો શીખવવાનું શરૂ કર્યું. કઇ ચીજની ક્યાં જગ્યા છે, કઇ તેઓ સારી છે, આ બધું બહુ ધીરજ રાખીને તેમણે અન્વીને શીખવવાની કોશીષ કરી. દીકરી અન્વીએ જે રીતે શીખવાની ઇચ્છાશક્તિ બતાવી, પોતાની પ્રતિભા બતાવી, તેનાથી તેના માતાપિતાને પણ ખૂબ હિંમત આવી. તેમણે અન્વીને યોગ શીખવા માટે પ્રેરિત કરી. મુસીબત એટલી ગંભીર હતી કે, અન્વી પોતાના બે પગ પર ઉભી પણ રહી શક્તી પણ ન હતી. આ પરિસ્થિતિમાં તેના માતાપિતાએ અન્વીને યોગ શીખવા માટે પ્રેરિત કરી. તેઓ જ્યારે પહેલી વખત યોગ શીખવનારા કોચની પાસે તેને લઇ ગયા તો તે પણ બહુ દુવિધામાં હતા કે, આ માસૂમ બાળકી યોગ કરી શકશે ખરી ? પરંતુ કોચને પણ કદાચ તેનો અંદાજ નહોતો કે, અન્વી કઇ માટીની બનેલી છે. તે પોતાની માતાની સાથે યોગનો અભ્યાસ કરવા લાગી અને હવે તો તે યોગમાં નિષ્ણાત બની ચૂકી છે. અન્વી આજે દેશભરની સ્પર્ધાઓમાં ભાગ લે છે અને ચંદ્રકો જીતે છે. યોગ એ અન્વીને નવું જીવન આપી દીધું છે. અન્વીના માતાપિતાએ મને જણાવ્યું કે, યોગથી અન્વીના જીવનમાં અદભૂત બદલાવ જોવા મળ્યો છે. હવે તેનો આત્મવિશ્વાસ ગજબનો વધી ગયો છે. યોગથી અન્વીની શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે અને દવાઓની જરૂરિયાત પણ ઓછી થઇ રહી છે. હું ઇચ્છું છું કે, દેશવિદેશમાં ઉપસ્થિત મન કી બાતના શ્રોતાઓ અન્વીને યોગથી થયેલા લાભનું વૈજ્ઞાનિક અધ્યયન કરે. મને લાગે છે કે, અન્વી એક અભ્યાસનો ઉત્તમ એક કેસ સ્ટડી છે, જે યોગની શક્તિને તપાસવા- ચકાસવા માંગે છે, એવા વૈજ્ઞાનિકોએ આગળ આવીને અન્વીની આ સફળતાનો અભ્યાસ કરીને યોગની શક્તિથી દુનિયાને પરિચિત કરાવવી જોઇએ. આવું કોઇ પણ સંશોધન દુનિયાભરમાં Down Syndromeથી પીડીત બાળકોની બહુ મોટી મદદ કરી શકે છે. દુનિયા હવે એ વાતને સ્વીકારી ચૂકી છે કે, શારિરીક અને માનસિક આરોગ્ય માટે યોગ ઘણો ઉપયોગી છે. ખાસ કરીને, ડાયાબીટીસ અને બલ્ડપ્રેશર સાથે જોડાયેલી તકલીફોમાં યોગથી ઘણી મદદ મળે છે. યોગની આવી જ શક્તિને જોઇને સંયુકત રાષ્ટ્રે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. હવે સંયુકત રાષ્ટ્રે ભારતના વધુ એક પ્રયાસને માન્યતા આપી છે. તેને સન્માનિત કર્યો છે. આ પ્રયાસ છે, વર્ષ ૨૦૧૮માં શરૂ કરવામાં આવેલો “India Hypertension Control Initiative”. તેના અંતર્ગત બ્લડપ્રેશરની તકલીફોનો સામનો કરી રહેલા લાખો લોકોનો ઇલાજ સરકારી સેવા કેન્દ્રોમાં કરાઇ રહ્યો છે. જે રીતે આ પહેલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે તે અભૂતપૂર્વ છે. જે લોકોનો ઇલાજ કરાયો છે. તેમાંથી લગભગ અડધાનું બ્લડપ્રેશર કાબૂમાં છે, તે આપણા બધા માટે ઉત્સાગ વધારનારી બાબત છે. આ પહેલ માટે કામ કરનારા તે તમામ લોકોને હું ખૂબખૂબ ધન્યવાદ આપું છું. જેમણે પોતાના અથાક પરિશ્રમથી તેને સફળ બનાવ્યી છે.
સાથીઓ, માનવજીવનની વિકાસયાત્રા સતત પાણી સાથે જોડાયેલી છે. પછી તે સમુદ્ર હોય, નદી હોય કે તળાવ હોય. ભારતનું પણ સદભાગ્ય છે કે, લગભગ સાડાસાત હજાર કિલોમીટરથી વધુ લાંબા દરિયાકિનારાના કારણે આપણો સમુદ્ર સાથેનો નાતો અતૂટ રહ્યો છે. આ દરિયાકાંઠાની સરહદ કેટલાય રાજ્યો અને દ્વીપોથી પસાર થાય છે. ભારતના અલગઅલગ સમુદાયો અને વિવિધતાઓથી ભરેલી સંસ્કૃતિને અહિં પાંગરતી જોઇ શકાય છે. એટલું જ નહીં, દરિયાકાંઠાના આ વિસ્તારોની ખાણીપીણી લોકોને ખૂબ આકર્ષિત કરે છે. પરંતુ આ રસપ્રદ વાતોની સાથે જ એક દુઃખદ પાસું પણ છે. આપણા આ દરિયાકાંઠાના વિસ્તારો પર્યાવરણ સાથે જોડાયેલા કેટલાય પડકારોનો સામનો કરી રહ્યા છે. આબોહવા પરિવર્તન, સમુદ્રી જૈવિકતંત્ર માટે એક મોટો ખતરો બનેલું છે. તો, બીજી તરફ આપણા સમુદ્રકિનારા પર ફેલાયેલી ગંદકી પરેશાન કરનારી છે. આપણી એ જવાબદારી બને છે કે, આપણે આ પડકારોન પહોંચી વળવા ગંભીર અને એકધારા પ્રયાસો કરીએ. અહીં હું દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સફાઇની એક કોશીષ “સ્વચ્છ સાગર-સુરક્ષિત સાગર” વિશે વાત કરવા ઇચ્છીશ. પાંચ જુલાઇએ શરૂ થયેલું આ અભિયાન ગઇ ૧૭ સપ્ટેંબરે વિશ્વકર્મા જયંતિના દિવસે સંપન્ન થયું. તે જ દિવસે સાગરતટ સ્વચ્છતા દિવસ પણ હતો. આઝાદીના અમૃત મહોત્સવમાં શરૂ થયેલી આ ઝુંબેશ ૭૫ દિવસ સુધી ચાલી. તેમાં લોકભાગીદારી સ્વંયભૂ જોવા મળતી હતી. આ પ્રયાસ દરમિયાન પૂરા અઢી મહિના સુધી સફાઇના અનેક કાર્યક્રમો જોવા મળ્યા. ગોવામાં એક લાંબી માનવસાંકળ બનાવવામાં આવી હતી. કાકીનાડા ગણપતિ વિસર્જન દરમિયાન લોકોને પ્લાસ્ટીકથી થતા નુકસાન વિશે જણાવવામાં આવ્યું. એનએસએસના લગભગ પાંચ હજાર યુવા સાથીઓએ તો ૩૦ ટનથી વધુ પ્લાસ્ટીક એકઠું કર્યું. ઓડીશામાં ૩ દિવસની અંદર ૨૦ હજારથી વધુ શાળાના વિદ્યાર્થીઓએ પ્રણ લીધું કે, તેઓ પોતાની સાથોસાથ પરિવાર અને આસપાસના લોકોને પણ સ્વચ્છ સાગર અને સુરક્ષિત સાગર માટે પ્રેરિત કરશે. હું આ તમામ લોકોને ધન્યવાદ આપું છું. જેમણે આ અભિયાનમાં ભાગ લીધો હતો.
ચૂંટાયેલા પદાધિકારીઓ, ખાસ કરીને શહેરોના મેયર અને ગામોના સરપંચો સાથે જ્યારે હું વાતચીત કરું છું તો એ આગ્રહ જરૂર કરું છું કે, સ્વચ્છતા જેવા પ્રયત્નોમાં સ્થાનિક સમુદાયો અને સ્થાનિક સંગઠ્ઠનોને પણ સામેલ કરે કંઇક નવીનતાપૂર્ણ રીતો અપનાવે.
બેંગલુરૂમાં એક ટીમ છે- યુથ ફોર પરિવર્તન. છેલ્લા આઠ વર્ષોથી આ ટીમ સ્વચ્છતા અને અન્ય સામુદાયિક પ્રવૃત્તિઓ સાથે કામ કરી રહી છે. તેમનો મુદ્રાલેખ બિલકુલ સ્પષ્ટ છે. ફરિયાદ કરવાનું બંધ કરો, કાર્ય શરૂ કરો. આ ટીમે અત્યારસુધીમાં શહેરભરના ૩૭૦થી વધુ સ્થાનોનું સૌંદર્યીકરણ કર્યું છે. દરેક સ્થાને યુથ ફોર પરિવર્તનના અભિયાને સો થી દોઢસો નાગરિકોને જોડ્યા છે. દર રવિવારે આ કાર્યક્રમ સવારે શરૂ થાય છે, અને બપોર સુધી ચાલે છે. આ કાર્યમાં કચરો તો એકઠો કરાય છે જ, સાથે દિવાલો પર ચિત્રકામ અને કલાત્મક ચિત્રણનું કામ પણ થાય છે. અનેક જગ્યાએ તો તમે સુવિખ્યાત લોકોના સ્કેચીજ અને તેમના પ્રેરણાદાયક વાક્યો પણ જોઇ શકો છો. બેંગલુરૂના યુથ ફોર પરિવર્તનના પ્રયાસો પછી હું આપને મેરઠના કબાડ સે જુગાડ અભિયાન વિશે પણ જણાવવા માંગું છું. આ અભિયાન પર્યાવરણની સુરક્ષાની સાથેસાથે શહેરને સુંદર બનાવવાના કામ સાથે પણ જોડાયેલું છે. આ ઝુંબેશની ખાસ વાત એ છે કે, તેમાં લોઢાનો ભંગાર, પ્લાસ્ટીકનો કચરો, જૂનાં ટાયર અને પીપડા જેવી નકામી બની ગયેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરાય છે. ઓછા ખર્ચમાં સાર્વજનિક સ્થળોને કેવી રીતે સુંદર બનાવી શકાય તેનું આ અભિયાન પણ એક ઉદાહરણ છે. આ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોની હું હૃદયથી પ્રશંસા કરૂં છું.
મારા વ્હાલા દેશવાસીઓ, અત્યારે દેશમાં ચારેતરફ ઉત્સવોની રોનક છે. કાલે પહેલી નવરાત્રી છે, તેમાં આપણે દેવીના પહેલા સ્વરૂપ માતા શૈલપૂત્રીની ઉપાસના કરીશું. ત્યાંથી લઇને નવ દિવસના નિયમ સંયમ અને ઉપવાસ, પછી વિજયાદશમીનું પર્વ પણ હશે. એટલે કે, એક રીતે જોતાં તો આપણે જોઇશું કે, આપણા પર્વોમાં આસ્થા અને આધ્યાત્મિકતાની સાથોસાથ કેટલો ઉંડો સંદેશ પણ છુપાયેલો છે. અનુશાસન અને સંયમથી સિદ્ધિની પ્રાપ્તિ અને ત્યારપછી વિજયનું પર્વ. આ જ તો જીવનમાં કોઇપણ લક્ષને પ્રાપ્ત કરવાનો માર્ગ હોય છે. દશેરા પછી ધનતેરસ અને દિવાળીના પર્વો પણ આવશે.
સાથીઓ, પાછલા કેટલાક વર્ષોથી આપણા તહેવારોની સાથે દેશનો એક નવો સંકલ્પ પણ જોડાઇ ગયો છે. આપ સૌ જાણો છો કે, આ સંકલ્પ છે – “Vocal for Local” નો. હવે આપણે તહેવારોના આનંદમાં આપણા સ્થાનિક કારીગરોને, શિલ્પકારોને અને વેપારીઓને પણ સામેલ કરીએ છીએ. આગામી બે ઓકટોબરે બાપુની જયંતિના અવસરે આપણે આ અભિયાનને વધુ વેગવાન બનાવવાનો સંકલ્પ લેવાનો છે. ખાદી, હાથશાળ, હસ્તકલાકારીગરીની આ બધી ચીજવસ્તુઓની સાથે સાથે સ્થાનિક ચીજવસ્તુઓ પણ ચોક્કસ ખરીદીએ. આખરે તો આ તહેવારોનો સાચો આનંદ પણ ત્યારે જ મળે છે, જયારે હરકોઇ આ તહેવારનો હિસ્સો બને, માટે સ્થાનિક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતાં લોકોને આપણે ટેકો પણ આપવાનો છે. એક સારી રીત એ છે કે, તહેવારના સમયે આપણે જે પણ ભેટ આપીએ તેમાં આ પ્રકારના ઉત્પાદનને સામેલ કરીએ. અત્યારે આ અભિયાન એટલા માટે પણ ખાસ છે કે, આઝાદીના અમૃતમહોત્સવ દરમિયાન, આપણે આત્મનિર્ભર ભારતનું પણ લક્ષ્ય રાખીને ચાલી રહ્યા છીએ. જે ખરા અર્થમાં આઝાદીના દિવાનાને એક સાચી શ્રદ્ધાંજલી હશે. એટલા માટે મારૂં આપ સૌને નિવેદન છે કે, આ વખતે ખાદી, હાથશાળ કે હસ્તકલાકારીગરીના આ ઉત્પાદનોને ખરીદીને આપ બધા વિક્રમ તોડી નાંખો. આપણે જોયું છે કે, તહેવારો પર પેકિંગ અને પેકેજીંગ માટે પ્લાસ્ટીકની કોથળીઓનો પણ ખૂબ ઉપયોગ થતો રહ્યો છે. સ્વચ્છતાના પર્વો પર પોલીથીનનો નુકસાનકારક કચરો એ પણ આપણા પર્વોની ભાવનાની વિરૂદ્ધ છે. માટે આપણે સ્થાનિક સ્તરે બનેલી પ્લાસ્ટીક સિવાયની કોથળીઓનો જ ઉપયોગ કરીએ. આપણે ત્યાં સુતરાઉ કાપડની, શણની, કેળાના રેસાની એમ કેટલાય પ્રકારની પરંપરાગત થેલીઓનું ચલણ એકવાર ફરીથી વધી રહ્યું છે. હવે એ આપણી જવાબદારી છે કે, આપણે તહેવારોના અવસરે તેને પ્રોત્સાહન આપીએ અને સ્વચ્છતાની સાથે પોતાના અને પર્યાવરણના આરોગ્યનો પણ ખ્યાલ રાખીએ.
મારા વ્હાલા દેશવાસીઓ, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે,
‘परहित सरिस धरम नहीं भाई’
એટલે કે, અન્યનું હિત કરવા સમાન, અન્યની સેવા કરવા ઉપકાર કરવા સમાન બીજો કોઇ ધર્મ નથી. વિતેલા દિવસોમાં દેશમાં સમાજસેવાની આ જ ભાવનાની વધુ એક ઝલક જોવા મળી. તમે પણ જોયું હશે કે, લોકો આગળ આવીને કોઇને કોઇ ટીબીથી પીડીત દર્દીને દત્તક લે છે. તેમને પૌષ્ટિક ખોરાક આપવાનું બીડું ઉઠાવી રહ્યા છે. હકીકતમાં ટીબીમુક્ત ભારત અભિયાનનો આ એક ભાગ છે. જેનો આધાર લોકભાગીદારી છે, કર્તવ્ય ભાવના છે. યોગ્ય પોષણથી જ યોગ્ય સમયે મળેલી દવાઓથી ટીબીનો ઇલાજ શક્ય છે. મને વિશ્વાસ છે કે, લોકભાગીદારીની આ શક્તિથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારત જરૂર ટીબીથી મુક્ત થઇ જશે.
સાથીઓ, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમમ દીવથી પણ મને એક એવું ઉદાહરણ જાણવા મળ્યું છે જે હૃદયસ્પર્શી છે. ત્યાંના આદિવાસી ક્ષેત્રમાં રહેતાં જીનુ રાવતીયાજીએ લખ્યું છે કે, ત્યાં ચાલી રહેલા ગ્રામ દત્તક કાર્યક્રમ અંતર્ગત મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ ૫૦ ગામોને દત્તક લીધાં છે. એમાં જીનુજીનું ગામ પણ સામેલ છે. મેડીકલના વિદ્યાર્થીઓ બીમારીથી બચવા માટે ગામના લોકોને જાગૃત કરે છે, બીમારીમાં મદદ પણ કરે છે અને સરકારી યોજનાઓ વિશે પણ જાણકારી આપે છે. પરોપકારની આ ભાવના ગ્રામવાસીઓના જીવનમાં નવી ખુશીઓ લઇને આવી છે. હું તે માટે મેડિકલ કોલેજના બધા વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું.
સાથીઓ, મન કી બાતમાં નવાનવા વિષયોની ચર્ચા થતી રહે છે. કેટલીયે વાર આ કાર્યક્રમ દ્વારા આપણને કેટલાક જૂના વિષયોની ઉંડાણમાં પણ ઉતરવાની તક મળી છે. ગયા મહિને મન કી બાતમાં મે બરછટ અનાજ અને વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવવાને લગતી ચર્ચા કરી હતી. આ બાબતે લોકોમાં ખૂબ ઉત્સુકતા છે. મને એવા સંખ્યાબંધ પત્રો મળે છે. જેમાં લોકો જણાવી રહ્યા છે કે, તેમણે કેવી રીતે બાજરાને પોતાના દૈનિક ભોજનનો ભાગ બનાવી દીધો છે. કેટલાક લોકોએ બાજરીમાંથી બનતી પરંપરાગત વાનગીઓ વિશે પણ જણાવ્યું છે. આ એક મોટા પરિવર્તનનો સંકેત છે. લોકોના આ ઉત્સાહને જોઇને મને લાગે છે કે, આપણે સૌએ મળીને એક ઇ-બુક તૈયાર કરવી જોઇએ. જેમાં લોકો બાજરીમાંથી બનતી વાનગીઓ અને પોતાના અનુભવોનું આદાનપ્રદાન કરી શકે. તેનાથી આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ શરૂ થતાં પહેલાં આપણી પાસે બાજરા વિશે એક જાહેર માહીતી કોશ પણ તૈયાર થશે. અને પછી તેને માય ગોવ પોર્ટલ પર પ્રકાશિત કરી શકીએ છીએ.
સાથીઓ, મન કી બાતમાં આ વખતે આટલું જ. પરંતુ જતાં જતાં હું આપને રાષ્ટ્રીય રમતો વિશે પણ જણાવવા માંગું છું. ૨૯ સપ્ટેંબરથી ગુજરાતમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન થઇ રહ્યું છે. આ એક ખૂબ મોટી તક છે. કેમ કે, રાષ્ટ્રીય રમતોનું આયોજન કેટલાય વર્ષો પછી થઇ રહ્યું છે. કોવિડ મહામારીના કારણે છેલ્લે તેનું આયોજન રદ કરવું પડ્યું હતું. આ રમતગમત સ્પર્ધામાં ભાગ લેનારા દરેક ખેલાડીને મારી અનેક અનેક શુભેચ્છાઓ. એ દિવસે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે હું તેમના વચ્ચે રહીશ. આપ સૌ પણ રાષ્ટ્રીય રમતોને જરૂરથી નિહાળશો અને પોતાના ખેલાડીઓનો જૂસ્સો વધારશો. હવે, હું આજ માટે વિદાય લઇ રહ્યો છું. આવતા મહિને મન કી બાતમાં નવા વિષયો સાથે આપની સાથે ફરી મુલાકાત થશે. ધન્યવાદ. નમસ્કાર..
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ઑગસ્ટના આ મહિનામાં, તમારા બધાના પત્રો, સંદેશાઓ અને કાર્ડે મારા કાર્યાલયને તિરંગામય કરી દીધું છે. મને ભાગ્યે જ એવો કોઈ પત્ર મળ્યો હશે, જેના પર તિરંગો ન હોય અથવા તિરંગા અને સ્વતંત્રતા સાથે જોડાયેલી વાત ન હોય. બાળકોએ, યુવાન સાથીઓએ તો અમૃત મહોત્સવ પર ખૂબ જ સુંદર-સુંદર ચિત્ર અને કલાકારી પણ બનાવીને મોકલી છે. સ્વતંત્રતાના આ મહિનામાં આપણા સમગ્ર દેશમાં, દરેક શહેર, દરેક ગામમાં, અમૃત મહોત્સવની અમૃત ધારા વહી રહી છે. અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસના આ વિશેષ અવસર પર આપણે દેશની સામૂહિક શક્તિના દર્શન કર્યા છે. એક ચેતનાની અનુભૂતિ કરી છે. આટલો મોટો દેશ, આટલી વિવિધતાઓ, પરંતુ જ્યારે વાત તિરંગો ફરકાવવાની આવી તો, પ્રત્યેક વ્યક્તિ, એક જ ભાવનામાં વહેતી દેખાઈ. તિરંગાના ગૌરવના પ્રથમ પ્રહરી બનીને લોકો પોતે આગળ આવ્યા. આપણે સ્વચ્છતા અભિયાન અને રસીકરણ અભિયાનમાં પણ દેશની ભાવનાને જોઈ હતી. અમૃત મહોત્સવમાં આપણને ફરી દેશભક્તિની એવી જ લાગણી જોવા મળી રહી છે. આપણા સૈનિકોએ ઊંચા-ઊંચા પહાડના શિખરો પર, દેશની સીમાઓ પર અને સમુદ્રની વચ્ચે તિરંગો ફરકાવ્યો. લોકોએ તિરંગા અભિયાન માટે અલગ-અલગ નવીન વિચારો પણ અજમાવ્યા. જેમ કે યુવાન સાથી કૃશનીલ અનિલજીએ, અનિલજી એક પઝલ આર્ટિસ્ટ છે. તેમણે રેકૉર્ડ સમયમાં સુંદર તિરંગા મૉઝેક આર્ટ તૈયાર કરી છે. કર્ણાટકના કોલારમાં, લોકોએ 630 ફીટ લાંબો અને 205 ફીટ પહોળો તિરંગો પકડીને અનોખું દૃશ્ય પ્રસ્તુત કર્યું. આસામમાં સરકારી કર્મચારીઓએ દિઘાલીપુખુરી વૉર મેમોરિયલમાં તિરંગોફરકાવવા માટે પોતાના હાથથી 20 ફીટનો તિરંગો બનાવ્યો. એ જ રીતે, ઈન્દોરમાં, લોકોએ માનવ શ્રૃંખલા દ્વારા ભારતનો નકશો બનાવ્યો. ચંડીગઢમાં યુવાનોએ વિશાળ માનવ તિરંગો બનાવ્યો. આ બંને પ્રયાસ ગિનીઝ રેકૉર્ડમાં પણ નોંધવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે, હિમાચલ પ્રદેશની ગંગોટ પંચાયતમાં એક ખૂબ જ પ્રેરણાદાયક ઉદાહરણ પણ જોવા મળ્યું. આ પંચાયતમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પ્રવાસી મજૂરોનાં બાળકોને મુખ્ય અતિથિના રૂપમાં સહભાગી બનાવવામાં આવ્યા.
સાથીઓ, અમૃત મહોત્સવના આ રંગો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના બીજા દેશોમાં પણ જોવા મળ્યા. બોત્સ્વાનામાં ત્યાંના રહેનારા સ્થાનિક ગાયકોએ ભારતની સ્વતંત્રતાનાં 75 વર્ષ મનાવવા માટે દેશભક્તિનાં 75 ગીતો ગાયાં. તેમાં વધુ વિશેષ વાત છે કે આ ગીતો હિન્દી, પંજાબી, ગુજરાતી, બાંગ્લા, અસમિયા, તમિલ, તેલુગુ, કન્નડ અને સંસ્કૃત જેવી ભાષામાં ગાવામાં આવ્યાં. આ જ રીતે, નામીબિયામાં ભારત-નામીબિયાના સાંસ્કૃતિક-પારંપરિક સંબંધો પર વિશેષ સ્ટેમ્પ જાહેર કરવામાં આવી છે.
સાથીઓ, હું વધુ એક ખુશીની વાત કહેવા માગું છું. હમણાં કેટલાક દિવસો પહેલાં, મને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કાર્યક્રમમાં જવાનો અવસર મળ્યો. ત્યાં તેમણે ‘સ્વરાજ’ નામના દૂરદર્શન ધારાવાહિકનું સ્ક્રીનિંગ રાખ્યું હતું. મને તેના પ્રિમિયર પર જવાની તક મળી. તે સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લેનારા અનામી નાયક-નાયિકાઓના પ્રયાસોથી દેશની યુવા પેઢીને પરિચિત કરવાની એક સુંદર પહેલ છે. દૂરદર્શન પર દર રવિવાર રાત્રે 9 વાગે, તેનું પ્રસારણ થાય છે. અને મને કહેવામાં આવ્યું કે ૭૫ સપ્તાહ સુધી તે ચાલવાનું છે. મારો અનુરોધ છે કે તમે સમય કાઢીને તેને સ્વયં પણજુઓ અને પોતાના ઘરનાં બાળકોને પણ અવશ્ય દેખાડો અને સ્કૂલ-કૉલેજના લોકો તો તેનું રેકૉર્ડિંગ કરીને જ્યારે સોમવારે સ્કૂલ-કૉલેજ ખુલે તો વિશેષ કાર્યક્રમની રચના પણ કરી શકે છે, જેથી સ્વતંત્રતાના જન્મના આ મહાનાયકો પ્રત્યે આપણા દેશમાં એક નવી જાગૃતિ પેદા થશે. સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ આગામી વર્ષ અર્થાત્ ઑગસ્ટ 2023 સુધી ચાલશે. દેશ માટે, સ્વતંત્રતા સેનાનીઓ માટે જે લેખન-આયોજન વગેરે આપણે કરી રહ્યા હતા, આપણે તેમને હજુ આગળ વધારવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા પૂર્વજોનું જ્ઞાન, આપણા પૂર્વજોની દીર્ઘ દૃષ્ટિ અને આપણા પૂર્વજોનું એકાત્મ ચિંતન, આજે પણ કેટલું મહત્ત્વપૂર્ણ છે, જ્યારે તેના ઊંડાણમાં જઈએ છીએ તો આપણને આશ્ચર્ય થાય છે. હજારો વર્ષ જૂનો આપણો ઋગ્વેદ. ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે:
ओमान मापो मानुषी: अम्रुक्तं धात तोकाय तनयाय शं यो: ।
यूयं हिष्ठा भिषजो मातृतमा विश्व्यस्य स्थातु: जगतो जनित्री: ।।
અર્થાત્ – હે જળ, તમે માનવતાના પરમ મિત્ર છો. તમે જીવનદાયિની છો, તમારાથી જ અન્ન ઉત્પન્ન થાય છે અને તમારાથી જ અમારાં સંતાનોનું હિત થાય છે. તમે અમને સુરક્ષા પ્રદાન કરનારા છો અને બધી બુરાઈઓથી દૂર રાખો છો. તમે સૌથી ઉત્તમ ઔષધિ છો અને તમે જ આ બ્રહ્માંડના પાલનહાર છો.
વિચારો, આપણી સંસ્કૃતિમાં, હજારો વર્ષ પહેલાં, જળ અને જળ સંરક્ષણનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. જ્યારે આ જ્ઞાન, આપણે આજના સંદર્ભમાં જોઈએ છીએ તો રોમાંચિત થઈ ઊઠીએ છીએ, પરંતુ જ્યારે આ જ્ઞાનને દેશ પોતાના સામર્થ્યના રૂપમાં સ્વીકારે છે તો તેની શક્તિ અનેક ગણી વધી જાચ છે. તમને યાદ હશે, ‘મન કી બાત’માં જ ચાર મહિના પહેલાં મેં અમૃત સરોવરની વાત કરી હતી. તે પછીઅલગ-અલગ જિલ્લાઓમાં સ્થાનિક પ્રશાસન લાગ્યું, સ્વયંસેવી સંસ્થાઓ લાગી અને સ્થાનિક લોકો જોડાયા, જોતજોતામાં, અમૃત સરોવરનું નિર્માણ એક જન આંદોલન બની ગયું છે. જ્યારે દેશ માટે કંઈક કરવાની ભાવના હોય, પોતાનાં કર્તવ્યોની અનુભૂતિ હોય, આવનારી પેઢીઓની ચિંતા હોય તો સામર્થ્ય પણ જોડાય છે અને સંકલ્પ પ્રમાણિક બની જાય છે. મને તેલંગાણાના વારંગલના એક શાનદાર પ્રયાસની જાણકારી મળી છે. અહીં એક નવી ગ્રામ પંચાયતનું ગઠન થયું છે જેનું નામ છે ‘મંગત્યા-વાલ્યા થાંડા’. આ ગામ વન વિસ્તારની નજીક છે. અહીં ગામની પાસે જ એક એવું સ્થાન હતું જ્યાં ચોમાસા દરમિયાન ઘણું પાણી એકઠું થઈ જતુ હતું. ગામના લોકોની પહેલ પર હવે આ સ્થાનને અમૃત સરોવર અભિયાન હેઠળ વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ વખતે ચોમાસા દરમિયાન થયેલા વરસાદમાં આ સરોવર પાણીથી એકદમ ભરાઈ ગયું છે.
હું મધ્ય પ્રદેશના મંડલામાં મોચા ગ્રામ પંચાયતમાં બનેલા અમૃત સરોવર વિશે પણ તમને જણાવવા માગું છું. આ અમૃત સરોવર કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન પાસે બનેલું છે અને તેનાથી આ વિસ્તારની સુંદરતા ઓર વધી ગઈ છે. ઉત્તર પ્રદેશના લલિતપુરમાં, નવનિર્મિત શહીદ ભગતસિંહ અમૃત સરોવર પણ લોકોને ઘણું આકર્ષિત કરી રહ્યું છે. ત્યાંની નિવારી ગ્રામ પંચાયતમાં બનેલું આ સરોવર ચાર ઍકરમાં ફેલાયેલું છે. સરોવરના કિનારે થયેલું વૃક્ષારોપણ તેની શોભા વધારી રહ્યું છે. સરોવર પાસે લાગેલા ૩૫ ફીટ ઊંચા તિરંગાને જોવા માટે પણ દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે. અમૃત સરોવરનું આ અભિયાન કર્ણાટકમાં પણ જુસ્સાભેર ચાલી રહ્યું છે. ત્યાંના બાગલકોટ જિલ્લાના ‘બિલ્કેરુર’ ગામમાં લોકોએ ખૂબ જ સુંદર અમૃત સરોવર બનાવ્યું છે. હકીકતે, આ ક્ષેત્રમાં, પહાડમાંથી નીકળતા પાણીનાકારણે લોકોને ઘણી મુશ્કેલી પડતી હતી, ખેડૂતો અને તેમના પાકને પણ નુકસાન થતું હતું. અમૃત સરોવર બનાવવા માટે ગામના લોકો, આખા પાણીને ચેનલાઇઝ કરીને એક તરફ લઈ ગયા. તેનાથી વિસ્તારમાં પૂરની સમસ્યા પણ દૂર થઈ ગઈ. અમૃત સરોવર અભિયાન આપણી આજની અનેક સમસ્યાઓનું સમાધાન તો કરે જ છે, આપણી આવનારી પેઢીઓ માટે પણ એટલું જ આવશ્યક છે. આ અભિયાન હેઠળ, અનેક જગ્યાઓ પર, જૂનાં જળાશયોનો પણ કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે. અમૃત સરોવરનો ઉપયોગ, પશુઓની તરસ છિપાવવાની સાથે, ખેતી માટે પણ થઈ રહ્યો છે. આ તળાવોના કારણે આસપાસનાં ક્ષેત્રોના ભૂગર્ભ જળનું સ્તર વધ્યું છે. તો તેની ચારે તરફ હરિયાળી પણ વધી રહી છે. એટલું જ નહીં, અનેક જગ્યાએ લોકો અમૃત સરોવરમાં મત્સ્ય પાલનની તૈયારીઓમાં પણ લાગેલા છે. મારો, તમને બધાને અને ખાસ તો મારા યુવાન સાથીઓને અનુરોધ છે કે તમે અમૃત સરોવર અભિયાનમાં આગળ વધીને ભાગ લો અને જળ સંચય અને જળ સંરક્ષણના આ પ્રયાસોને પૂરી તાકાત આપો, તેને આગળ વધારો.
મારા પ્રિય દેશવાસીઓ, આસામના બોન્ગાઈ ગામમાં એક રસપ્રદ પરિયોજના ચલાવવામાં આવી રહી છે- પ્રૉજેક્ટ સંપૂર્ણા. આ પ્રૉજેક્ટનો હેતુ છે કુપોષણ વિરુદ્ધ લડાઈ અને આ લડાઈની રીત પણ ખૂબ જ અનોખી છે. તેના હેઠળ, કોઈ આંગણવાડી કેન્દ્રની એક સ્વસ્થ બાળકની માતા, એક કુપોષિત બાળકની માને દર સપ્તાહે મળે છે અને પોષણ સંબંધિત બધી જાણકારીઓ પર ચર્ચા કરે છે. અર્થાત્, એક માતા, બીજી માતાની મિત્ર બનીને તેની મદદ કરે છે, તેને શિખામણ આપે છે. આ પ્રૉજેક્ટની મદદથી, આ ક્ષેત્રમાં, એક વર્ષમાં, 90 ટકાથી વધુ બાળકોનું કુપોષણ દૂર થયું છે. તમે કલ્પના કરીશકો છો, શું કુપોષણ દૂર કરવામાં ગીત-સંગીત અને ભજનનો પણ ઉપયોગ થઈ શકે છે? મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં ‘મેરા બચ્ચા અભિયાન’, આ ‘મેરા બચ્ચા અભિયાન’માં તેનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો. તેના હેઠળ, જિલ્લામાં ભજન-કીર્તન આયોજિત કરવામાં આવ્યાં, જેમાં પોષણ ગુરુ કહેવાતા શિક્ષકોને બોલાવવામાં આવ્યા. એક મટકા કાર્યક્રમ પણ થયો, તેમાં મહિલાઓ, આંગણવાડી કેન્દ્ર માટે મુઠ્ઠી ભરીને અનાજ લાવે છે અને આ અનાજથી શનિવારે ‘બાળભોજ’નું આયોજન થાય છે. તેનાથી આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની ઉપસ્થિતિ વધવાની સાથે જ કુપોષણ પણ ઓછું થયું છે. કુપોષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક અનોખું અભિયાન ઝારખંડમાં પણ ચાલી રહ્યું છે. ઝારખંડના ગિરિડીહમાં સાપ-સીડીની એક રમત તૈયાર કરવામાં આવી છે. રમતરમતમાં બાળકો, સારી અને ખરાબ ટેવો વિશે શીખે છે.
સાથીઓ, કુપોષણ સાથે જોડાયેલા આટલા બધા અભિનવ પ્રયોગો વિશે, હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કારણકે આપણે બધાએ પણ આવનારા મહિનામાં, આ અભિયાન સાથે જોડાવાનું છે. સપ્ટેમ્બરનો મહિનો તહેવારોની સાથોસાથ પોષણ સાથે જોડાયેલા મોટા અભિયાનને પણ સમર્પિત છે. આપણે પ્રતિ વર્ષ 1થી 30 સપ્ટેમ્બરની વચ્ચે પોષણ માસ મનાવીએ છીએ. કુપોષણની વિરુદ્ધ સમગ્ર દેશમાં અનેક ક્રિએટિવ અને વૈવિધ્યસભર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટૅકનૉલૉજીનો વધુ સારો ઉપયોગ અને જનભાગીદારી પણ, પોષણ અભિયાનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બન્યા છે. દેશમાં લાખો આંગણવાડી કાર્યકર્તાઓને મોબાઇલ ડિવાઈસ આપવાથી લઈને આંગણવાડી સેવાઓની પહોંચનું નિરીક્ષણ કરવા માટે પોષણ ટ્રેકર પણ લૉંચ કરવામાં આવ્યું છે. બધા આકાંક્ષી જિલ્લાઓ અને ઈશાન ભારતનાં રાજ્યોમાં ૧૪થી ૧૮ વર્ષની દીકરીઓને પણ, પોષણ અભિયાનના પરીઘમાં લાવવામાં આવીછે. કુપોષણની સમસ્યાનું નિરાકરણ આ પગલાંઓ સુધી જ સીમિત નથી. આ લડાઈમાં, બીજી અનેક પહેલની પણ અગત્યની ભૂમિકા છે. ઉદાહરણ રૂપે, જળ જીવન મિશનને જ લઈએ, તો ભારતને કુપોષણમુક્ત કરવામાં આ મિશનની પણ બહુ મોટી અસર થવાની છે. કુપોષણના પડકારોને પહોંચી વળવામાં, સામાજિક જાગૃતિ સાથે જોડાયેલા પ્રયાસો, મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. હું તમને બધાને અનુરોધ કરીશ કે તમે આવનારા પોષણ માસમાં, કુપોષણ અથવા માલન્યૂટ્રિશનને દૂર કરવાના પ્રયાસોમાં ભાગ જરૂર લો.
મારા પ્રિય દેશવાસીઓ, ચેન્નાઈથી શ્રીદેવી વરદરાજનજીએ મને એક રિમાઇન્ડર મોકલ્યું છે. તેમણે MyGovપર પોતાની વાત કંઈક આ પ્રકારે લખી છે- નવા વર્ષને આવવામાં હવે પાંચ મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે અને આપણે બધાં જાણીએ છીએ કે આવનારું નવું વર્ષ Intertnational Year Of Millets ના રૂપમાં મનાવવામાં આવશે. તેમણે મને દેશનો એક Millet Map પણ મોકલ્યો છે. સાથે જ પૂછ્યું છે કે શું તમે ‘મન કી બાત’માં આવનારા હપ્તામાં તેના પર ચર્ચા કરી શકો છો? મને, પોતાના દેશવાસીઓમાં આ પ્રકારની લાગણી જોઈને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. તમને સ્મરણ હશે કે સંયુક્ત રાષ્ટ્રએ એક પ્રસ્તાવ પસાર કરીને વર્ષ ૨૦૨૩ને International Year of Millets ઘોષિત કર્યું છે. તમને એ જાણીને પણ ખૂબ જ આનંદ થશે કે ભારતના આ પ્રસ્તાવને ૭૦થી વધુ દેશોનું સમર્થન મળ્યું હતું. આજે, વિશ્વ ભરમાં, આ જાડા અનાજની, Milletની ચાહના વધતી જઈ રહી છે. સાથીઓ, જ્યારે હું જાડા અનાજની વાત કરું છુ તો મારા એક પ્રયાસને પણ આજે તમને જણાવવા માગું છું. ગત કેટલાક સમયમાં ભારતમાં કોઈ પણ વિદેશી મહેમાન જ્યારે આવે છે,રાષ્ટ્રાધ્યક્ષ જ્યારે ભારત આવે છે તો મારો પ્રયાસ હોય છેકે ભોજનમાં ભારતના Millets અર્થાત્ આપણા જાડાં અનાજમાંથી બનતાં વ્યંજન બનાવડાવું. અને અનુભવ એવો થયો છે કે આ મહાનુભાવોને, આ વ્યંજનો ઘણાં પસંદ આવે છે અને આપણા જાડા અનાજના સંબંધમાં, Milletsના સંબંધમાં, ઘણી જાણકારીઓ એકત્ર કરવાનો તેઓ પ્રયાસ પણ કરે છે. Millets,જાડા અનાજ પ્રાચીન કાળથી જ આપણી કૃષિ સંસ્કૃતિ અને સભ્યતાનો હિસ્સો રહ્યા છે. આપણા વેદોમાં પણ જાડાં અનાજનો ઉલ્લેખ મળે છે અને આ જ રીતે પુરાણનુરુ અને તોલ્કાપ્પિયમમાં પણ, તેના વિશે જણાવવામાં આવ્યું છે. તમે દેશના કોઈ પણ હિસ્સામાં જાવ, તમને ત્યાંના લોકોની ખાણીપીણીમાં, અલગ-અલગ પ્રકારનાં જાડાં અનાજ જરૂર જોવા મળશે. આપણી સંસ્કૃતિની જેમ જ, જાડાં અનાજમાં પણ ઘણી વિવિધતાઓ મળી આવે છે. જુવાર, બાજરો, રાગી, સાવાં, કંગની, ચીના, કોદો, કુટકી, કુટ્ટુ, આ બધાં જાડાં અનાજ જ તો છે. ભારત વિશ્વમાં જાડા અનાજનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આથી આ પહેલને સફળ બનાવવાની મોટી જવાબદારી પણ આપણા ભારતવાસીઓના ખભા પર જ છે. આપણે બધાએ મળીને તેને જન આંદોલન બનાવવાનું છે અને દેશના લોકોમાં જાડા અનાજ પ્રત્યે જાગૃતિ પણ વધારવાની છે. અને સાથીઓ, તમે તો સારી રીતે જાણો છો, જાડા અનાજ, ખેડૂતો માટે પણ ફાયદારૂપ છે અને તે પણ ખાસ કરીને નાના ખેડૂતોને. વાસ્તવમાં, ખૂબ જ ઓછા સમયમાં પાક તૈયાર થઈ જાય છે અને તેમાં વધુ પાણીની આવશ્યકતા પણ નથી હોતી. આપણા નાના ખેડૂતો માટે તો જાડાં અનાજ વિશેષ રીતે લાભકારી છે. જાડા અનાજના ભૂસાને સારો ચારો પણ માનવામાં આવે છે. આજકાલ, યુવાન પેઢી હેલ્ધી લિવિંગ અને ઇટિંગ પર ખૂબ જ ધ્યાન આપે છે. આ હિસાબે જોઈએ તો પણ જાડા અનાજમાં ભરપૂર પ્રૉટિન, ફાઇબર અને ખનીજ ત્તત્વો હાજર હોય છે. અનેક લોકો તો તેને સુપર ફૂડ પણ કહે છે. જાડાં અનાજથી એક નહીં, અનેકલાભ છે.સ્થૂળતાને ઓછી કરવાની સાથે જ ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને હૃદયસંબંધિત રોગોનાં જોખમોને પણ ઓછું કરે છે. તેની સાથે જ તે પેટ અને લીવરની બીમારીઓથી બચાવમાં પણ મદદગાર છે. થોડા વખત પહેલાં જ આપણે કુપોષણ વિશે વાત કરી.કુપોષણ સામે લડવામાં પણ જાડાં અનાજ ઘણાં લાભદાયક છે કારણકે તે પ્રૉટીન સાથે-સાથે ઊર્જાથી પણ ભરેલાં હોય છે. દેશમાં આજે જાડાં અનાજને ઉત્તેજન આપવા માટે ઘણું બધું કરવામાં આવે છે. તેની સાથે જોડાયેલ સંશોધન અને નવીન શોધ પર ધ્યાન આપવાની સાથે જ એફપીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે, જેથી ઉત્પાદન વધારી શકાય. મારો, મારા ખેડૂત ભાઈ-બહેનોને એ જ અનુરોધ છે કે જાડાં અનાજને અધિકમાં અધિક અપનાવો અને તેનો ફાયદો ઉઠાવો. મને એ જોઈને ઘણું સારું લાગે છે કે આજે અનેક એવાં સ્ટાર્ટ અપ ઉભરી રહ્યાં છે જે જાડાં અનાજ પર કામ કરી રહ્યાં છે. તેમાંનાં કેટલાક મિલેટ કૂકીઝ બનાવી રહ્યા છે, તો કેટલાંક મિલેટ પૅન કેક્સ અને ડોસા પણ બનાવી રહ્યાં છે. તો કેટલાંક એવાં છે જે મિલેટ એનર્જી બાર્સ અને મિલેટ બ્રૅકફાસ્ટ તૈયાર કરી રહ્યાં છે. હું આ ક્ષેત્રમાં કામ કરતા બધા લોકોને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. તહેવારોની આ ઋતુમાં આપણે લોકો ઘણા બધાં પકવાનોમાં પણ જાડાં અનાજનો ઉપયોગ કરીએ છીએ. તમે તમારાં ઘરોમાં બનતાં આવાં પકવાનોની તસવીરો સૉશિયલ મિડિયા પર જરૂર શૅર કરો, જેથી લોકોમાં જાડાં અનાજ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં કેટલાક દિવસો પહેલાં, મેં અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં જોરસિંગ ગામના એક સમાચાર જોયા. આ સમાચાર એક એવા પરિવર્તન વિશે હતા, જેની ઈંતેજારી, આ ગામના લોકોને અનેક વર્ષોથી હતી. હકીકતે, જોરસિંગ ગામમાં આ મહિને જ, સ્વતંત્રતા દિવસનાં દિનથીફોર-જી ઇન્ટરનેટ સેવાઓ શરૂ થઈ ગઈ છે.
જેવી રીતે, પહેલાં ક્યારેક ગામમાં વીજળી પહોંચતી તો લોકો ખુશ થતા હતા, હવે નવા ભારતમાં આવી જ ખુશી ફોર-જી પહોંચવાથી થાય છે. અરુણાચલ અને ઈશાન ભારતના દૂર-સુદૂર વિસ્તારોમાં ફોર-જીના રૂપમાં એક નવો સૂર્યોદય થયો છે, ઇન્ટરનેટ જોડાણ એક નવું પ્રભાત લાવ્યું છે. જે સુવિધાઓ ક્યારેક માત્ર મોટાં શહેરોમાં જ મળતી હતી, તે ડિજિટલ ઇન્ડિયાએ ગામેગામ પહોંચાડી દીધી છે. આ કારણથી દેશમાં નવા ડિજિટલ સાહસિકો પેદા થઈ રહ્યા છે.
રાજસ્થાનના અજમેર જિલ્લાના સેઠાસિંહ રાવતજી ‘દરજી ઑનલાઇન’ નામનો ઇ-સ્ટૉર ચલાવે છે. તમે વિચારતા હશો કે આ તે વળી કેવું કામ ? દરજી ઑનલાઇન? વાસ્તવમાં, સેઠાસિંહ રાવત કૉવિડ પહેલાં દરજીનું કામ કરતા હતા. કૉવિડ આવ્યું તો રાવતજીએ આ પડકારને આફત નહીં, પરંતુ અવસરના રૂપમાં લીધો. તેમણે ‘કૉમન સર્વિસ સેન્ટર’ અર્થાત્ CSC E Store જૉઇન કર્યો અને ઑનલાઇન કામકાજ શરૂ કર્યું. તેમણે જોયું કે ગ્રાહકો મોટી સંખ્યામાં માસ્કનો ઑર્ડર આપી રહ્યા છે. તેમણે કેટલીક મહિલાઓને કામ પર રાખી અને માસ્ક બનાવવા લાગ્યા. તે પછી તેમણે ‘દરજી ઑનલાઇન’ નામથી પોતાનો ઑનલાઇન સ્ટૉર શરૂ કર્યો જેમાં બીજાં પણ અનેક પ્રકારનાં કપડાં તેઓ બનાવીને વેચવા લાગ્યા. આજે ડિજિટલ ઇન્ડિયાની તાકાતથી સેઠાસિંહજીનું કામ એટલું વધી ચૂક્યું છે કે હવે તેમને પૂરા દેશમાંથી ઑર્ડર મળે છે. સેંકડો મહિલાઓને તેમણે પોતાને ત્યાં આજીવિકા આપી છે. ડિજિટલ ઇન્ડિયાએ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રહેતા ઓમપ્રકાશસિંહજીને પણ ડિજિટલ સાહસિક બનાવી દીધા છે. તેમણે પોતાના ગામમાં એક હજારથી વધુ બ્રૉડબેન્ડ જોડાણ સ્થાપિત કર્યાં છે. ઓમપ્રકાશજીએ પોતાના કૉમન સર્વિસ સેન્ટરની આસપાસ નિ:શુલ્ક વાઇફાઇ ઝૉનનું પણ નિર્માણ કર્યું છે જેથી જરૂરિયાતવાળા લોકોને ઘણી મદદ મળે છે. ઓમપ્રકાશજીનું કામ હવે એટલું વધી ગયું છે કે તેમણે 20થી વધુ લોકોને નોકરી પર રાખી લીધા છે. આ લોકો, ગામડાંઓની શાળાઓ, હૉસ્પિટલો, તાલુકા કચેરીઓ અને આંગણવાડી કેન્દ્રો સુધી બ્રૉડબૅન્ડ કનેક્શન પહોંચાડી રહ્યા છે અને તેનાથી આજીવિકા પણ પ્રાપ્ત કરી રહ્યા છે. કૉમન સર્વિસ સેન્ટરની જેમ જ ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ એટલે કે GEM પૉર્ટલ પર પણ આવી અનેક સફળ ગાથાઓ જોવા મળી રહી છે.
સાથીઓ, મને ગામડાંઓમાંથી એવા અનેક સંદેશાઓ મળે છે જે ઇન્ટરનેટના કારણે આવેલાં પરિવર્તનો વિશે મને જણાવે છે. ઇન્ટરનેટે આપણા યુવા સાથીઓના અભ્યાસ અને શીખવાની રીતોને જ બદલી નાખી છે. જેમ કે, ઉત્તર પ્રદેશની ગુડિયાસિંહ જ્યારે ઉન્નાવના અમોઇયા ગામમાં પોતાના સાસરે આવી તો તેમને પોતાના ભણતરની ચિંતા થઈ.પરંતુ ભારતનેટે તેમની આ ચિંતાનું સમાધાન કરી દીધું. ગુડિયાએ ઇન્ટરનેટ દ્વારા પોતાના અભ્યાસને આગળ વધાર્યો અને પોતાનો સ્નાતક અભ્યાસપણ પૂરો કર્યો. ગામેગામમાં આવાં અનેક જીવન ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી નવી શક્તિ મેળવી રહ્યા છે. તમે મને ગામડાંઓના ડિજિટલ સાહસ વિશે, વધુમાં વધુ લખીને મોકલો અને તેમની સફળ ગાથાઓને સૉશિયલ મિડિયા પર પણ જણાવો.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક સમય પહેલાં, મને હિમાચલ પ્રદેશથી ‘મન કી બાત’ના એક શ્રોતા રમેશજીનો પત્ર મળ્યો. રમેશજીએ પોતાના પત્રમાં પહાડોની અનેક ખૂબીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે પહાડીઓ પર લોકો ભલે દૂર-દૂર વસતા હોય, પરંતુ લોકોનાં હૈયાં ખૂબ જ નજીક હોય છે. ખરેખર, પહાડો પર રહેનારા લોકોના જીવનથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. પહાડોની જીવનશૈલી અને સંસ્કૃતિથી આપણને પહેલો પાઠ તો એ મળે છે કેઆપણે પરિસ્થિતિઓના દબાણમાં ન આવીએ તો સરળતાથી તેના પર વિજય પણ પ્રાપ્ત કરી શકીએ છીએ અને બીજું, આપણે સ્થાનિક સંસાધનોથી કેવી રીતે આત્મનિર્ભર બની શકીએ છીએ? જે પહેલી શિખામણનો ઉલ્લેખ મેં કર્યો, તેનું એક સુંદર ચિત્ર આ દિવસોમાં સ્પીતિ ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે. સ્પીતી એક જનજાતીય ક્ષેત્ર છે. ત્યાં, આ દિવસોમાં વટાણા તોડવાનું કામ ચાલે છે. પહાડી ખેતરો પર એ એક મહેનતભર્યું અને મુશ્કેલ કામ હોય છે. પરંતુ અહીં, ગામની મહિલાઓ એકઠી થઈને, એક સાથે મળીને, એકબીજાનાં ખેતરોમાંથી વટાણા તોડે છે. આ કામની સાથેસાથે મહિલાઓ સ્થાનિક ગીત ‘છપરા માઝી છપરા’ પણ ગાય છે. એટલે કે અહીં, પરસ્પર સહયોગ પણ લોકપરંપરાનો હિસ્સો છે. સ્પીતીમાં સ્થાનિક સંસાધનોના સદુપયોગનું પણ સુંદર ઉદાહરણ મળે છે. સ્પીતીમાં જે ખેડૂતો ગાય પાળે છે, તેના ગોબરને સૂકવીને કોથળામાં ભરીલે છે. જ્યારે શિયાળો આવે છે તો આ કોથળાઓને ગાયના રહેવાની જગ્યામાં, જેને ત્યાં ખૂડ કહે છે, તેમાં પાથરી દેવામાં આવે છે. હિમવર્ષાની વચ્ચે, આ કોથળા ગાયોને ઠંડીથી સુરક્ષા આપે છે. ઠંડી ચાલી જાય તે પછી આ ગોબર ખેતીમાં ખાતર તરીકે વપરાય છે.
અર્થાત્, પશુઓના મળમાંથી જ તેમની સુરક્ષા પણ થાય છે અને ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ પણ થાય છે. ખેતીનો પડતર ખર્ચ પણ ઓછો અને ખેતરમાં ઉપજ પણ વધુ. આથી તો આ ક્ષેત્ર, આ દિવસોમાં, પ્રાકૃતિક ખેતી માટે પણ એક પ્રેરણા બની રહ્યું છે.
સાથીઓ, આ પ્રકારના અનેક પ્રશંસનીય પ્રયાસો, આપણા એક બીજા પહાડી રાજ્ય, ઉત્તરાખંડમાં પણ જોવા મળે છે. ઉત્તરાખંડમાં અનેક પ્રકારની ઔષધિ અને વનસ્પતિઓ જોવા મળે છે. તે આપણા આરોગ્ય માટે ઘણી જ ફાયદારૂપ હોય છે. તેમાંથી એક ફળ છે – બેડુ. તેને હિમાલયન ફિગ નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફળમાં, ખનીજઅને વિટામીન ભરપૂર માત્રામાં મળે છે. લોકો, ફળના રૂપમાં તો તેનું સેવન કરે જ છે, સાથે જ અનેક બીમારીઓના ઉપચારમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ ફળની આ ખૂબીઓને જોઈને જ હવે બેડુના જ્યુસ, તેનાથી બનેલા જામ, ચટણી, અથાણાં અને તેને સૂકવીને તૈયાર કરવામાં આવતા સૂકા ફળને બજારમાં મૂકવામાં આવ્યાં છે. પિથૌરાગઢ પ્રશાસનની પહેલ અને સ્થાનિક લોકોના સહયોગથી બેડૂને બજાર સુધી અલગ-અલગ રૂપોમાં પહોંચાડવામાં સફળતા મળી છે. બેડૂને પહાડી અંજીરના નામથી બ્રાન્ડિંગ કરીને ઑનલાઇન માર્કેટમાં પણ ઉતારવામાં આવ્યું છે. તેનાથી ખેડૂતોને આવકનો નવો સ્રોત તો મળ્યો જ છે, સાથે જ બેડૂના ઔષધીય ગુણોના ફાયદા દૂર-દૂર સુધી પહોંચવા લાગ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આજે શરૂઆતમાં આપણે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ વિશે વાત કરી છે. સ્વતંત્રતા દિવસના મહાન પર્વની સાથોસાથ આવનારા દિવસોમાં અનેક પર્વ પણ આવનારા છે. હવે કેટલાક દિવસો પછી જ ભગવાન ગણેશજીની આરાધનાનું પર્વ ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થી, અર્થાત, ગણપતિ બપ્પાના આશીર્વાદનું પર્વ. ગણેશ ચતુર્થી પહેલા ઓણમનું પર્વ પણ શરૂ થઈ રહ્યું છે. વિશેષ રીતે કેરળમાં ઓણમ શાંતિ અને સમૃદ્ધિની ભાવના સાથે મનાવવામાં આવશે. 30 ઑગસ્ટે હરતાલિકા ત્રીજ પણ છે. ઓડિશામાં 1 સપ્ટેમ્બરે નુઆખાઈનું પર્વ પણ મનાવવામાં આવશે.નુઆખાઈનો અર્થ થાય છે, નવું ખાણું, અર્થાત્, તે પણ બીજા પર્વોની જેમ જ, આપણી કૃષિ પરંપરા સાથે જોડાયેલો તહેવાર છે. દરમિયાનમાં જ, જૈન સમાજનો સંવત્સરી પર્વ પણ આવશે. આપણા આ બધા પર્વો, આપણી સાંસ્કૃતિક સમૃદ્ધિ અને જીવંતતાનો પર્યાય છે. હું, તમને સહુને, આ તહેવારો અને વિશેષ અવસરો માટે શુભકામનાઓ પાઠવુ છું. આપર્વોની સાથોસાથ કાલે ૨૯ ઑગસ્ટે, મેજર ધ્યાનચંદજીની જયંતી પર રાષ્ટ્રીય ખેલ દિવસ પણ મનાવવામાં આવશે. આપણા યુવા ખેલાડીઓ વૈશ્વિક મંચ પર આપણા તિરંગાની શાન વધારતા રહે, તે જ આપણી ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલી હશે. દેશ માટે આપણે બધા મળીને આવાં જ કામો કરતા રહીએ, દેશનું માન વધારતા રહીએ, આવી કામના સાથે હું મારી વાત સમાપ્ત કરું છું. આવતા મહિને, એક વાર ફરી, તમારી સાથે ‘મન કી બાત’ થશે. ખૂબ-ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’નો આ ૯૧મો હપ્તો છે. આપણે લોકોએ પહેલાં એટલી બધી વાતો કરી છે, અલગ-અલગ વિષયો પર પોતાની વાતો મૂકી છે, પરંતુ આ વખતની ‘મન કી બાત’ ખૂબ જ વિશેષ છે. તેનું કારણ છે, આ વખતનો સ્વતંત્રતા દિવસ, જ્યારે ભારત તેની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરાં કરશે. આપણે બધાં ખૂબ જ અદ્ભુત અને ઐતિહાસિક પળના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. ઈશ્વરે આપણને આ ખૂબ જ મોટું સૌભાગ્ય આપ્યું છે. તમે પણ વિચારો, જો ગુલામીના દૌરમાં જન્મ્યા હોત તો આ દિવસની કલ્પના આપણા માટે કેવી હોત? ગુલામીમાંથી મુક્તિની એ તડપ, પરાધીનતાની બેડીઓમાંથી સ્વતંત્રતાનો એ અજંપો – કેટલો મોટો રહ્યો હોત! તે દિવસો, જ્યારે આપણે, રોજેરોજ, લાખો દેશવાસીઓને સ્વતંત્રતા માટે લડતા, ઝઝૂમતા, બલિદાન આપતાં જોતા હોત. જ્યારે આપણે, રોજ સવારે એ સપના સાથે જાગી રહ્યા હોત કે મારું ભારત ક્યારે સ્વતંત્ર થશે અને બની શકે કે આપણા જીવનમાં તે પણ દિવસ આવત કે જ્યારે વંદેમાતરમ્ અને ભારત માતા કી જય બોલતાં-બોલતાં, આપણે આગામી પેઢીઓ માટે, પોતાનું જીવન સમર્પિત કરી દેત, જુવાની વ્યતિત કરી દેત.
સાથીઓ, ૩૧ જુલાઈ અર્થાત્ આજના જ દિવસે, આપણે બધાં દેશવાસીઓ, શહીદ ઉધમસિંહજીની શહીદીને નમન કરીએ છીએ. હું આવા અન્ય બધાં મહાન ક્રાંતિકારીઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું.
સાથીઓ, એ જોઈને મને ઘણો આનંદ થાય છે કે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એક જન આંદોલનનું રૂપ લઈ રહ્યો છે.
બધાં ક્ષેત્રો અને સમાજના પ્રત્યેક વર્ગના લોકો તેની સાથે જોડાયેલા અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ આ મહિનાની શરૂઆતમાં મેઘાલયમાં યોજાયો. મેઘાલયના બહાદુર યૌદ્ધા, યૂ. ટિરોતસિંહજીની પુણ્યતિથિએ લોકોએ તેમને યાદ કર્યા. ટિરોતસિંહજીએ ખાસી હિલ્સ (Khasi Hills) પર નિયંત્રણ કરવા અને ત્યાંની સંસ્કૃતિ પર પ્રહાર કરવાના અંગ્રેજોના ષડયંત્રનો પૂરજોશ વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઘણા બધા કલાકારોએ સુંદર પ્રસ્તુતિ કરી. ઇતિહાસને જીવંત કરી દીધો. તેમાં એક carnivalનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં મેઘાલયની મહાન સંસ્કૃતિને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી. આજથી કેટલાંક અઠવાડિયાં પહેલાં, કર્ણાટકમાં, અમૃત ભારતી કન્નાડાર્થી નામનું એક અભિયાન પણ ચલાવવામાં આવ્યું. તેમાં રાજ્યનાં ૭૫ સ્થાનો પર સ્વતંત્રતાના અમૃત મહોત્સવ સાથે જોડાયેલા મોટા ભવ્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા. તેમાં કર્ણાટકના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાની સાથે જ સ્થાનિક સાહિત્યિક ઉપલબ્ધિઓને પણ સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
સાથીઓ, આ જુલાઈમાં એક ઘણો જ રોચક પ્રયાસ થયો છે જેનું નામ છે- આઝાદીની રેલગાડી અને રેલવે સ્ટેશન. તે પ્રયાસનું લક્ષ્ય છે કે લોકો સ્વતંત્રતાની લડાઈમાં ભારતીય રેલવેની ભૂમિકા જાણે. દેશમાં અનેક એવાં રેલવે સ્ટેશનો છે, જે સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસ સાથે જોડાયેલાં છે. તમે પણ, આ રેલવે સ્ટેશનો વિશે જાણીને આશ્ચર્ય પામી જશો. ઝારખંડના ગોમો જંક્શનને, હવે સત્તાવાર રીતે, નેતાજી સુભાષચંદ્ર બોઝ જંક્શન ગોમોના નામથી ઓળખવામાં આવે છે. જાણો છો કેમ? વાસ્તવમાં, આ સ્ટેશન પર કાલકા મેલમાં સવાર થઈને નેતાજી સુભાષ બ્રિટિશ અધિકારીઓને થાપ આપવામાં સફળ રહ્યા હતા. તમે બધાંએ લખનઉ પાસે કાકોરી રેલવે મથકનું નામ પણ ચોક્કસ સાંભળ્યું હશે.
આ મથક સાથે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ ખાન જેવા જાંબાઝોનું નામ જોડાયેલું છે. ત્યાં ટ્રેનથી જઈ રહેલા અંગ્રેજોના ખજાનાને લૂટીને વીર ક્રાંતિકારીઓએ અંગ્રેજોને પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. તમે જ્યારે પણ તમિલનાડુના લોકો સાથે વાત કરશો, તો તમને થુથુકડી જિલ્લાના વાન્ચી મણિયાચ્ચી જંક્શન વિશે જાણવાનું મળશે. તે મથક તમિલ સ્વતંત્રતા સેનાની વાન્ચીનાથનજીના નામ પર છે. આ એ જ સ્થાન છે જ્યાં ૨૫ વર્ષના યુવાન વાન્ચીએ બ્રિટિશ કલેક્ટરને તેનાં દુષ્કૃત્યોની સજા આપી હતી.
સાથીઓ, આ સૂચિ ઘણી લાંબી છે. દેશભરનાં ૨૪ રાજ્યોમાં ફેલાયેલાં આવાં ૭૫ રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. આ ૭૫ સ્ટેશનોને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી રહ્યાં છે. તેમાં અનેક પ્રકારના કાર્યક્રમોને પણ આયોજિત કરવામાં આવી રહ્યા છે. તમારે પણ સમય કાઢીને તમારી પાસેના આવા ઐતિહાસિક સ્ટેશન પર અવશ્ય જવું જોઈએ. તમને, સ્વતંત્રતા આંદોલનના આવા ઇતિહાસ વિશે વિસ્તારથી જાણવા મળશે જેનાથી તમે અજાણ રહ્યા છો. હું આસપાસની શાળાના વિદ્યાર્થીઓને અનુરોધ કરીશ, શિક્ષકોને આગ્રહ કરીશ કે તમારી શાળાના નાનાં-નાનાં બાળકોને લઈને અવશ્ય સ્ટેશન પર જાવ અને પૂરો ઘટનાક્રમ તે બાળકોને સંભળાવો, સમજાવો.
મારા પ્રિય દેશવાસીઓ, સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત, ૧૩થી ૧૫ ઑગસ્ટ સુધી, એક special movement, ‘હર ઘર તિરંગા- હર ઘર તિરંગા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ movement નો ભાગ બનીને, ૧૩થી ૧૫ ઑગસ્ટ સુધી, તમે તમારા ઘર પર તિરંગો જરૂર ફરકાવો, અથવા તેને ઘર પર લગાવો. તિરંગો આપણને જોડે છે, આપણને દેશ માટે કંઈક કરવા માટે પ્રેરે છે. મારું એક સૂચન એવું પણ છે કે ૨ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ સુધી, આપણે બધાં, પોતાની સૉશિયલ મિડિયા પ્રૉફાઇલ પિક્ચર્સમાં તિરંગો લગાવી શકીએ છીએ.
શું તમે જાણો છો, ૨ ઑગસ્ટનો આપણા તિરંગા સાથે એક વિશેષ સંબંધ પણ છે? આ દિવસે પિંગલી વેંકૈયાજીની જયંતી આવે છે, જેમણે આપણા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન બનાવી હતી. હું તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. પોતાના રાષ્ટ્રીય ધ્વજ વિશે વાત કરતા હું, મહાન ક્રાંતિકારી મેડમ કામાને પણ યાદ કરીશ. તિરંગાને આકાર આપવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે.
સાથીઓ, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં થઈ રહેલા આ બધાં આયોજનોનો સૌથી મોટો સંદેશ એ જ છે કે આપણે બધા દેશવાસીઓ પોતાના કર્તવ્યનું પૂરી નિષ્ઠાથી પાલન કરીએ. ત્યારે જ આપણે આ અગણિત સ્વતંત્રતા સેનાનીઓનું સપનું પૂરું કરી શકીશું. તેમનાં સપનાંનું ભારત બનાવી શકીશું. આથી આપણાં આગામી ૨૫ વર્ષનો આ અમૃતકાળ પ્રત્યેક દેશવાસી માટે, કર્તવ્યકાળની જેમ છે. દેશને સ્વતંત્ર કરાવવા, આપણા વીર સેનાની, આપણને આ ઉત્તરદાયિત્વ આપીને ગયા છે અને આપણે તેને પૂરી રીતે નિભાવવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વિરુદ્ધ આપણી દેશવાસીઓની લડાઈ હજુ ચાલુ છે. સમગ્ર દુનિયા આજે ઝઝૂમી રહી છે. સર્વાંગીણ આરોગ્યકાળજીમાં લોકોની વધતી રૂચિએ તેમાં બધાની ખૂબ જ મદદ કરી છે. આપણે બધાં જાણીએ છીએ કે તેમાં ભારતીય પારંપરિક પદ્ધતિઓ કેટલી ઉપયોગી છે. કોરોના વિરુદ્ધ લડાઈમાં, આયુષે તો, વૈશ્વિક સ્તર પર મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. વિશ્વભરમાં આયુર્વેદ અને ભારતીય ઔષધિઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. તે એક મોટું કારણ છે કે જેના લીધે આયુષ નિકાસમાં વિક્રમી તેજી આવી છે અને તે પણ ઘણું સુખદ છે કે આ ક્ષેત્રમાં અનેક નવાં સ્ટાર્ટ અપ પણ સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ, એક ગ્લૉબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ અને ઇનૉવેશન સમિટ બેઠક થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે તેમાં લગભગ દસ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણ પ્રસ્તાવો મળ્યા છે.
એક બીજી મહત્ત્વની વાત એ થઈ કે કોરોના કાળમાં, ઔષધીય વનસ્પતિ પર સંશોધનમાં પણ ઘણી વૃદ્ધિ થઈ છે. આ વિશે ઘણા બધા સંશોધન અભ્યાસ પ્રકાશિત થઈ રહ્યા છે. નિશ્ચિત રૂપે, આ એક સારી શરૂઆત છે.
સાથીઓ, દેશમાં વિભિન્ન પ્રકારના ઔષધીયો છોડ અને જડીબુટ્ટીઓ વિશે એક બીજો સારો પ્રયાસ થયો છે. હમણાં જ જુલાઈ મહિનામાં જ, Indian Virtual Herbarium ને શરૂ કરવામાં આવ્યું હતું. આ એ વાતનું ઉદાહરણ છે કે આપણે ડિજિટલ વિશ્વનો ઉપયોગ પોતાનાં મૂળ સાથે જોડાવવામાં કઈ રીતે કરી શકીએ છીએ. Indian Virtual Herbarium સંરક્ષિત છોડ કે છોડના ભાગની ડિજિટલ તસવીરોનો એક રોચક સંગ્રહ છે, જે વેબ પર નિઃશુલ્ક પ્રાપ્ય છે. આ virtual herbarium પર અત્યારે લાખથી વધુ છોડના પ્રકારો અને તેની સાથે જોડાયેલી વૈજ્ઞાનિક માહિતી ઉપલબ્ધ છે. Virtual Herbarium માં ભારતની વાનસ્પતિક વિવિધતાની એક સમૃદ્ધ તસવીર પણ જોવા મળે છે. મને વિશ્વાસ છે કે Indian Virtual Herbarium ભારતીય વનસ્પતિઓ પર સંશોધન માટે એક મહત્ત્વનો સ્રોત બનશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે દર વખતે દેશવાસીઓની એવી સફળતાની ચર્ચા કરીએ છીએ જે આપણા ચહેરા પર મધુર સ્મિત આણે છે. જો કોઈ સફળતાની વાત, મધુર સ્મિત લાવે, અને સ્વાદમાં પણ મીઠાશ ભરે તો તમે તેને જરૂર સોનામાં સુગંધ કહેશો. આપણા ખેડૂતો આ દિવસોમાં મધના ઉત્પાદનમાં આવી જ કમાલ કરી રહ્યા છે. મધની મીઠાશ આપણા ખેડૂતોનું જીવન પણ બદલી રહી છે, તેમની આવક પણ વધી રહી છે. હરિયાણામાં, યમુનાનગરમાં, એક મધમાખીપાલક સાથી રહે છે – સુભાષ કંબોજજી. સુભાષજીએ વૈજ્ઞાનિક રીતે મધમાખીપાલનનું પ્રશિક્ષણ લીધું.
તે પછી તેમણે ફક્તછ બૉક્સ સાથે પોતાનું કામ શરૂ કર્યું. આજે તેઓ લગભગ બે હજાર બૉક્સમાં મધમાખીપાલન કરી રહ્યા છે. તેમનું મધ અનેક રાજ્યોમાં સપ્લાય થાય છે. જમ્મુના પલ્લી ગામમાં વિનોદકુમારજી પણ દોઢ હજારથી વધુ કૉલોનીઓમાં મધમાખીપાલન કરી રહ્યા છે. તેમણે ગયા વર્ષે, રાની માખી પાલનનું પ્રશિક્ષણ લીધું છે. આ કામથી, તેઓ વર્ષે ૧૫થી ૨૦ લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. કર્ણાટકના ખેડૂત છે, મધુકેશ્વર હેગડેજી. મધુકેશ્વરજીએ કહ્યું કે તેમણે ભારત સરકાર પાસે ૫૦ મધમાખી કૉલોનીઓ માટે સબસિડી લીધી હતી. આજે તેમની પાસે ૮૦૦થી વધુ કૉલોનીઓ છે અને તેઓ અનેક ટન મધ વેચે છે. તેમણે પોતાના કામમાં નવાચાર કર્યું, અને તેઓ જાંબુ મધ, તુલસી મધ, આમળા મધ, જેવાં વાનસ્પતિક મધ પણ બનાવી રહ્યા છે. મધુકેશ્વરજી, મધુ ઉત્પાદનમાં તમારા નવાચાર અને સફળતા, તમારા નામને સાર્થક કરે છે.
સાથીઓ, તમે બધાં જાણો છો કે, આપણા પારંપરિક સ્વાસ્થ્ય વિજ્ઞાનમાં મધને કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આયુર્વેદ ગ્રંથોમાં તો, મધને અમૃત કહેવાયું છે. મધ ન કેવળ આપણને સ્વાદ આપે છે, પરંતુ આરોગ્ય પણ આપે છે. મધ ઉત્પાદનમાં, આજે એટલી બધી સંભાવનાઓ છે કે વ્યાવસાયિક અભ્યાસ કરનારા યુવાનો પણ તેને પોતાની આજીવિકા બનાવી રહ્યા છે. આવા જ એક યુવાન છે- ઉત્તર પ્રદેશના ગોરખપુરના નિમિતસિંહ. નિમિતજીએ બી. ટૅક. કર્યું છે. તેમના પિતા પણ ડૉક્ટર છે, પરંતુ અભ્યાસ પછી નોકરીની જગ્યાએ તેમણે સ્વરોજગારનો નિર્ણય કર્યો. તેમણે મધ ઉત્પાદનનું કામ શરૂ કર્યું. ગુણવત્તા તપાસ માટે લખનઉમાં પોતાની એક પ્રયોગશાળા પણ બનાવી. નિમિતજી હવે મધ અને બી વૅક્સથી સારી એવી કમાણી કરી રહ્યા છે અને અલગ-અલગ રાજ્યોમાં જઈને ખેડૂતોને પ્રશિક્ષિત પણ કરી રહ્યા છે.
આવા યુવાનોની મહેનતથી જ આજે દેશ આટલો મોટો મધ ઉત્પાદક બની રહ્યો છે. તમને જાણીને આનંદ થશે કે દેશની મધ નિકાસ પણ વધી ગઈ છે. દેશે રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન જેવાં અભિયાનો ચલાવ્યાં, ખેડૂતોએ પૂરો પરિશ્રમ કર્યો, અને આપણા મધની મીઠાશ, દુનિયા સુધી પહોંચવા લાગી. હવે આ ક્ષેત્રમાં બીજી પણ મોટી સંભાવનાઓ રહેલી છે. હું ઈચ્છીશ કે આપણા યુવાનો આ અવસરો સાથે જોડાઈને તેનો લાભ લે અને નવી સંભાવનાઓને સાકાર કરે.
મારા પ્રિય દેશવાસીઓ, મને હિમાચલ પ્રદેશથી ‘મન કી બાત’ના એક શ્રોતા આશીષ બહલજીનો એક પત્ર મળ્યો છે. તેમણે પોતાના પત્રમાં ચંબાના ‘મિંજર મેળા’નો ઉલ્લેખ કર્યો છે. વાસ્તવમાં, મિંજર મકાઈનાં ફૂલોને કહે છે. જ્યારે મકાઈમાં માંજર આવે છે, તો મિંજર મેળો યોજવામાં આવે છે અને આ મેળામાં, દેશભરના પર્યટકો, દૂર-દૂરથી ભાગ લેવા આવે છે. સંયોગથી મિંજર મેળો આ સમયે ચાલી પણ રહ્યો છે. જો તમે હિમાચલ પ્રદેશ ફરવા ગયા હો તો આ મેળાને જોવા ચંબા જઈ શકો છો. ચંબા તો એટલું સુંદર છે કે ત્યાંનાં લોકગીતોમાં વારંવાર કહેવાય છે-
‘ચંબે ઇક દિન ઓણા કને મહીના રૈણા’.
અર્થાત્ જે લોકો એક દિવસ માટે ચંબા આવે છે, તેઓ ત્યાંની સુંદરતા જોઈને મહિના સુધી ત્યાં રોકાઈ જાય છે.
સાથીઓ, આપણા દેશમાં મેળાનું પણ ઘણું સાંસ્કૃતિક મહત્ત્વ છે. મેળો, જન-મન બંનેને જોડે છે. હિમાચલમાં વર્ષા પછી જ્યારે ખરીફનો પાક પાકે છે, ત્યારે સપ્ટેમ્બરમાં, શિમલા, મંડી, કુલ્લૂ અને સોલનમાં સૈરી અથવા સૈર પણ ઉજવવામાં આવે છે. સપ્ટેમ્બરમાં જ જાગરા પણ આવનાર છે. જાગરાના મેળાઓમાં મહાસૂ દેવતાનું આહ્વાહન કરીને બીસૂ ગીત ગાવામાં આવે છે. મહાસૂ દેવતાનું આ જાગર હિમાચલમાં શિમલા, કિન્નૌર અને સિરમૌર સાથે-સાથે ઉત્તરાખંડમાં પણ થાય છે.
સાથીઓ, આપણા દેશમાં અલગ-અલગ રાજ્યોમાં આદિવાસી સમાજમાં પણ અનેક પારંપરિક મેળાઓ થાય છે. તેમાંથી કેટલાક મેળા આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, તો કેટલાકનું આયોજન, આદિવાસી ઇતિહાસ અને વારસા સાથે જોડાયેલું છે, જેમ કે, જો તમને તક મળે તો તેલંગાણાના મેડારમનો ચાર દિવસનો સમક્કા-સરલમ્મા જાતરા મેળો જોવા જરૂર જજો. આ મેળાને તેલંગાણાનો મહાકુંભ કહેવાય છે. સરલમ્મા જાતરા મેળો, બે આદિવાસી મહિલા નાયિકાઓ, સમક્કા અને સરલમ્માના સન્માનમાં યોજવામાં આવે છે. તે તેલંગાણા જ નહીં, પરંતુ છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કોયા આદિવાસી સમુદાય માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. આંધ્ર પ્રદેશમાં મારીદમ્માનો મેળો પણ આદિવાસી સમાજની માન્યતાઓ સાથે જોડાયેલો મોટો મેળો છે. મારીદમ્માનો મેળો જેઠ અમાસથી અષાઢ અમાસ સુધી ચાલે છે અને અહીંનો આદિવાસી સમાજ તેને શક્તિ ઉપાસના સાથે જોડે છે. અહીં, પૂર્વી ગોદાવરીના પેદ્ધાપુરમ્માં, મરીદમ્મા મંદિર પણ છે. આ રીતે રાજસ્થાનમાં ગરાસિયા જનજાતિના લોકો વૈશાખ શુક્લ ચતુર્દશીના દિને ‘સિયાવા કા મેલા’, અથવા ‘મનખાં રો મેલા’નું આયોજન કરે છે.
છત્તીસગઢમાં બસ્તરના નારાયણપુરનો ‘માવલી મેળો’ પણ ખૂબ જ વિશેષ હોય છે. પાસે જ, મધ્ય પ્રદેશનો ‘ભગોરિયો મેળો’ પણ ઘણો પ્રસિદ્ધ છે. કહે છે કે, ભગોરિયા મેળાની શરૂઆત, રાજા ભોજના સમયમાં થઈ છે. ત્યારે ભીલ રાજા કાસૂમરા અને બાલૂને પોત-પોતાની રાજધાનીમાં પહેલી વાર આ મેળા યોજ્યા હતા. ત્યારથી આજ સુધી, આ મેળા, એટલા જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ જ રીતે, ગુજરાતમાં તરણેતર અને માધવપુર જેવા અનેક મેળા ઘણા પ્રખ્યાત છે.
મેળા, પોતાની રીતે, આપણા સમાજ, જીવનની ઊર્જાનો બહુ મોટો સ્રોત હોય છે. તમારી આસપાસ પણ આવા અનેક મેળા થતા હશે. આધુનિક સમયમાં સમાજની આ જૂની કડીઓ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવા માટે ખૂબ જ આવશ્યક છે. આપણા યુવાનોએ તેની સાથે અવશ્ય જોડાવું જોઈએ અને તમે જ્યારે પણ આ મેળાઓમાં જાવ, તો ત્યાંની તસવીરો સૉશિયલ મિડિયા પર પણ મૂકો. તમે ઈચ્છો તો કોઈ ખાસ હેશટેગનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી આ મેળાઓ વિશે બીજા લોકો પણ જાણશે. તમે સાંસ્કૃતિક મંત્રાલયની વેબસાઇટ પર પણ તસવીરો અપલૉડ કરી શકો છો. આગામી કેટલાક દિવસમાં સાંસ્કૃતિક મંત્રાલય એક સ્પર્ધા શરૂ કરવા જઈ રહ્યું છે, જ્યાં મેળાની સૌથી સારી તસવીર મોકલનારને પુરસ્કાર પણ આપવામાં આવશે. તો પછી વાર ન લગાડો. મેળામાં ફરો, તેની તસવીરો મૂકો અને બની શકે કે તમને પણ પુરસ્કાર મળી જાય.
મારા પ્રિય દેશવાસીઓ, તમને ધ્યાનમાં હશે કે ‘મન કી બાત’ના એક હપ્તામાં મેં કહ્યું હતું કે ભારત પાસે રમકડાં નિકાસનું powerhouse બનવાની પૂરી ક્ષમતા છે. મેં રમતગમતમાં ભારતના સમૃદ્ધ વારસાની વિશેષ રીતે ચર્ચા કરી હતી. ભારતના સ્થાનિક રમકડાં, પરંપરા અને પ્રકૃતિ બંને ને અનુરૂપ હોય છે. પર્યાવરણને અનુકૂળ હોય છે. હું આજે તમારી સાથે ભારતીય રમકડાંઓની સફળતા જણાવવા માગું છું. આપણા યુવાનો, સ્ટાર્ટ અપ અને સાહસિકોના જોર પર આપણા રમકડા ઉદ્યોગે જે કરી દેખાડ્યું છે, જે સફળતા પ્રાપ્ત કરી છે, તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આજે જ્યારે ભારતીય રમકડાંની વાત થાય છે તો, બધી બાજુ વૉકલ ફૉર લૉકલનો જ પડઘો સંભળાય છે. તમને એ જાણીને પણ સારું લાગશે કે ભારતમાં હવે, વિદેશથી આવતાં રમકડાંની સંખ્યા સતત ઘટી રહી છે.
પહેલાં ત્રણ હજાર કરોડ રૂપિયા થી પણ વધુ નાં રમકડાં બહારથી આવતાં હતાં, ત્યારે આજે તેની આયાત ૭૦ ટકા સુધી ઘટી ગઈ છે અને આનંદની વાત એ છે કે આ દરમિયાન ભારતે બે હજાર છસ્સો કરોડ રૂપિયાથી વધુનાં રમકડાંની વિદેશોમાં નિકાસ કરી છે. જ્યારે, પહેલાં ૩૦૦-૪૦૦ કરોડ રૂપિયાનાં રમકડાં જ ભારતથી બહાર જતાં હતાં અને તમે જાણો જ છો કે આ બધું, કોરોનાકાળમાં થયું છે. ભારતના રમકડાં ઉદ્યોગે પોતાનામાં પરિવર્તન લાવીને દેખાડ્યું છે. ભારતીય ઉત્પાદકો હવે ભારતની પૌરાણિક કથાઓ, ઇતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત રમકડાં બનાવી રહ્યા છે. દેશમાં ઠેક-ઠેકાણે રમકડાંના જે સમૂહ છે, રમકડાં બનાવનારા જે નાના-નાના સાહસિકો છે, તેમને તેનો બહુ મોટો લાભ મળી રહ્યો છે. આ નાના સાહસિકોનાં બનાવેલાં રમકડાં, હવે દુનિયાભરમાં જઈ રહ્યાં છે. ભારતના રમકડાં નિર્માતા, વિશ્વની અગ્રણીglobal toy brands સાથે મળીને પણ કામ કરી રહ્યા છે. મને એ પણ ખૂબ જ સારું લાગ્યું કે, આપણું સ્ટાર્ટ અપ ક્ષેત્ર પણ રમકડાંની દુનિયા પર પૂરું ધ્યાન આપી રહ્યું છે. તેઓ આ ક્ષેત્રમાં અનેક મજાની ચીજો પણ કરી રહ્યા છે. બેંગલુરુમાં, શૂમી ટૉયઝ નામનું સ્ટાર્ટ અપ પર્યાવરણને અનુકૂળ રમકડાં પર ધ્યાન આપી રહ્યું છે. ગુજરાતમાં આર્કિડઝૂ કંપની એઆર આધારિત ફ્લેશ કાર્ડ અને એઆર આધારિત સ્ટૉરી બુક બનાવી રહી છે. પૂણેની કંપની, ફન્વેન્શન લર્નિંગ, રમકડાં અને એક્ટિવિટી પઝલ્સ દ્વારા વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી તેમજ ગણિતમાં બાળકોનો રસ વધારવામાં લાગેલી છે. હું રમકડાંની દુનિયામાં કામ કરી રહેલા આવા બધા ઉત્પાદકોને, સ્ટાર્ટ અપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવો, આપણે બધાં મળીને, ભારતીય રમકડાંઓને, દુનિયાભરમાં હજુ વધુ લોકપ્રિય બનાવીએ.
તેની સાથે જ, હું વાલીઓને પણ અનુરોધ કરીશ કે તેઓ વધુમાં વધુ ભારતીય રમકડાંઓ, પઝલ્સ અને રમતો ખરીદે.
સાથીઓ, વર્ગખંડ હોય કે રમતનું મેદાન, આજે આપણા યુવાનો, દરેક ક્ષેત્રમાં, દેશને ગૌરવાન્વિત કરી રહ્યા છે. આ મહિને, પી. વી. સિંધુએ સિંગાપુર ઑપનનો પોતાનો પહેલો ખિતાબ જીત્યો છે. નીરજ ચોપરાએ પણ પોતાનું સારું પ્રદર્શન ચાલુ રાખતાં, વર્લ્ડ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દેશ માટે રજત ચંદ્રક જીત્યો છે. આયર્લેન્ડ પેરા બૅડમિન્ટન ઇન્ટરનેશનલમાં પણ આપણા ખેલાડીઓએ ૧૧ ચંદ્રક જીતીને દેશનું માન વધાર્યું છે. રોમમાં થયેલી વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પણ ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આપણા એથલેટ સૂરજે તો Greco-Roman ઇવન્ટમાં કમાલ જ કરી બતાવી. તેમણે ૩૨ વર્ષના લાંબા અંતરાલ પછી આ ઇવેન્ટમાં રેસલિંગનો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ખેલાડીઓ માટે તો આ પૂરો મહિનો જ પ્રવૃત્તિઓથી ભરપૂર રહ્યો છે. ચેન્નાઈમાં ૪૪મી ચેસ ઑલમ્પિયાડની યજમાની કરવી ભારત માટે ઘણા જ સન્માનની વાત છે. ૨૮ જુલાઈએ જ આ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો અને મને તેના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું. તે દિવસે યુકેમાં રાષ્ટ્રમંડળ રમતોની પણ શરૂઆત થઈ. યુવાન જોશથી ભરપૂર ભારતીય ટુકડી ત્યાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. હું બધા ખેલાડીઓ અને એથ્લેટને દેશવાસીઓ તરફથી શુભકામના પાઠવું છું. મને એ વાતનો પણ આનંદ છે કે ભારત ફિફા અંડર -૧૭ વીમેન્સ વર્લ્ડ કપની પણ યજમાની કરવા જઈ રહ્યું છે. આ સ્પર્ધા ઑક્ટોબર આસપાસ યોજાશે, જે રમતો પ્રત્યે દેશની દીકરીઓનો ઉત્સાહ વધારશે.
સાથીઓ, કેટલાક દિવસો પહેલાં જ, દેશભરમાં દસમા અને બારમા ધોરણનાં પરિણામો પણ જાહેર થયાં છે. હું એ બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું જેમણે પોતાના કઠિન પરિશ્રમ અને લગનથી સફળતા પ્રાપ્ત કરી છે. રોગચાળાના કારણે, ગત બે વર્ષ, ઘણાં પડકારરૂપ રહ્યાં છે. આ પરિસ્થિતિઓમાં પણ આપણા યુવાનોએ જે સાહસ અને સંયમનો પરિચય આપ્યો, તે ખૂબ જ પ્રશંસનીય છે. હું બધાના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પર, દેશની યાત્રા સાથે, આપણી ચર્ચા શરૂ કરી હતી. આવતા વખતે, જ્યારે આપણે મળીશું તો આપણા આગામી ૨૫ વર્ષની યાત્રા પણ શરૂ થઈ ગઈ હશે. પોતાના ઘર અને સ્વજનોનાં ઘર પર, આપણો પ્રિય તિરંગો ફરકે, તે માટે આપણે બધાંએ જોડાવાનું છે. તમે આ વખતે સ્વતંત્રતા દિવસ કેવી રીતે મનાવ્યો, શું વિશેષ કર્યું, તે પણ મને જરૂર જણાવજો. આવતા વખતે, આપણે, આપણા આ અમૃતપર્વના અલગ-અલગ રંગો પર ફરીથી વાત કરીશું, ત્યાં સુધી મને આજ્ઞા આપજો. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાશિયો, નમસ્કાર. ‘મન કી બાત’ માટે મને તમારા બધાના ખૂબ પત્રો મળ્યા છે, social media અને NaMoAppપર પણ ઘણાં બધાં સંદેશ મળ્યા છે, આ માટે હું આપ સૌનૌ આભારી છું.
આ કાર્યક્રમ માટે આપણાં સૌનાં પ્રયત્નો હોય છે કે આપણે એકબીજાનાં પ્રેરણાત્મક પ્રયાસોની ચર્ચાવિચારણા કરીએ, જન-આંદોલનથી પરિવર્તનની ગાથા, પૂરા દેશને જણાવીએ.
આ જ કડીમાં હું આજે તમારી સાથે, દેશનાં એક એવાં જન-આંદોલનની ચર્ચા કરવાં માગું છું જેનું દેશનાં દરેક નાગરિકનાં જીવનમાં ખૂબ મહત્વ છે. પરંતુ એ પહેલાં હું આજની પેઢીનાં નવયુવાનોને, 24-25 વર્ષનાં યુવાનોને, એક સવાલ પૂછવા માંગુ છું અને સવાલ ખૂબ ગંભીર છે, અને મારાં સવાલ પર જરૂરથી વિચાર કરજો. શું તમને ખબર છે કે, તમારાં માતા-પિતા જ્યારે તમારી ઉંમરનાં હતા ત્યારે એક વખત તેમની પાસેથી પણ જીવનનો અધિકાર લઇ લેવામાં આવ્યો હતો! તમે વિચારી રહ્યાં હશો કે, આવું કેવી રીતે થઇ શકે?
આ તો અશક્ય છે. પરંતુ મારા નવયુવાન સાથિયો, આપણાં દેશમાં એકવખત આવું થયું હતું. વર્ષો પહેલાં 1975 ની સાલની આ વાત છે. જૂનનો એ સમય હતો જ્યારે emergency લાગુ કરવામાં આવી હતી, કટોકટી લાદવામાં આ હતી. તેમાં, દેશનાં નાગરિકોનાં તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યાં હતાં. તેમાંથી એક અધિકાર, બંધારણનાં Article 21 અંતર્ગત તમામ ભારતીઓને ‘Right to Life and Personal Liberty’ પણ હતો. તે સમયે ભારતનાં લોકતંત્રને કચડી નાખવાનો પ્રયત્ન કરાયો હતો. દેશની અદાલતો, દરેક બંધારણિય સંસ્થા, પ્રેસ, તમામ પર નિયંત્રણ લાગુ કરવામાં આવ્યું હતું.
Censorship ની એવી સ્થિતિ હતી કે પરવાનગી વગર કંઇ પણ પ્રકાશિત કરી નહોતું શકાતું. મને યાદ છે કે, ત્યારે પ્રખ્યાત કિશોર કુમારે સરકારનાં વખાણ કરવાની ના પાડી ત્યારે તેમનાં પર બૈન લગાવવામાં આવ્યો હતો. રેડિયો પરથી તેમની entry કાઢી નાખવામાં આવી હતી. પરંતુ ઘણાં પ્રયત્નો, હજારો ધરપકડ, અને લાખો લોકો પર અત્યાચાર કરાયા પછી, ભારતનાં લોકોનો, લોકતંત્ર પરથી વિશ્વાસ તૂટ્યો નહીં, થોડો પણ નહીં. ભારતનાં આપણાં લોકોમાં, વર્ષોથી, જે લોકતંત્રનાં સંસ્કાર ચાલી રહ્યાં છે, જે લોકતાંત્રિક ભાવના આપણાં રગેરગમાં વહે છે અંતમાં તેનો જ વિજયી થયો.
ભારતનાં લોકોએ લોકતાંત્રિક રીતે emergency ને હટાવી, ફરીથી લોકતંત્રની સ્થાપના કરી. સરમુખત્યારશાહીની માનસિકતાને, સરમુખત્યારશાહીની વૃતિ-પ્રવૃતીને લોકતાંત્રિક પધ્ધતિથી પરાજીત કરવાનું આવું દૃષ્ટાંત સમગ્ર દુનિયામાં મળવું મુશ્કેલ છે. Emergency સમયે લોકતંત્રનાં એક સૈનિકનાં રૂપમાં મને પણ દેશવાસીઓનાં સંઘર્ષોનો, સાક્ષી બનવાનું, હિસ્સેદાર બનવાનું સૌભાગ્ય મળ્યું હતું.
આજે, જ્યારે દેશ આપણી આઝાદીનાં 75 વર્ષનો ઉત્સવ ઊજવી રહ્યું છે, અમૃત મહોત્સવ ઊજવી રહ્યું છે, ત્યારે કટોકટીનાં એ ભયાનક સમયને પણ આપણે ક્યારેય ભૂલવું ના જોઇએ. આવનારી પેઢીઓએ પણ એ ભૂલવું ના જોઇએ. અમૃત મહોત્સવ હજારો વર્ષોંની ગુલામીથી મુક્તિની વિજય ગાથા જ નહીં, પરંતુ આઝાદી પછીનાં 75 વર્ષોંની યાત્રાને પણ સમાવી છે. ઇતિહાસનાં દરેક મુખ્ય સમયમાંથી શીખતાં-શીખતાં જ આપણે આગળ વધી રહ્યાં છીએ.
મારાં પ્રિય દેશવાસીઓ, આપણમાંથી કદાચ જ કોઇ એવું છે કે,જેણે પોતાનાં જીવનમાં આકાશ સાથે જોડાયેલ કોઇ કલ્પના નહીં કરી હોય. બાળપણમાં દરેકને ચાંદ-તારાઓની વાર્તાઓ આકર્ષિત કરતી હોય છે. યુવાનો માટે આકાશ આંબવું એ પોતાનાં સપનાંઓને સાકાર કરવાનો પર્યાય છે. આજે આપણું ભારત જ્યારે આટલાં બધાં ક્ષેત્રોમાં સફળતાનાં આકાશનેસ્પર્શીરહ્યું છે, ત્યારે આકાશ અથવા અંતરિક્ષથી દૂર કેવી રીતે રહી શકે. વીતેલાં કેટલાંક સમયમાં આપણાં દેશમાં Space Sector સાથે જોડાયેલ કેટલાંય મોટાં-મોટાં કાર્યો થયાં છે.
દેશની આવી જ સિધ્ધીઓમાંથી એક છે In-Space નામની Agency નું નિર્માણ કાર્ય. એક એવી Agency, કે જે Space Sector માં, ભારતનાં Private Sectorમાટે નવી તકોને Promote કરી રહી છે. આ શરૂઆતે આપણાં દેશનાં યુવાનોને વિશેષ રીતે આકર્ષિત કર્યાં છે.
મને આ સંદર્ભે ઘણાં બધાં યુવા મિત્રોનાં સંદેશ મળ્યાં છે. થોડાંક દિવસ પહેલાં જ્યારે હું IN-Space નાં headquarter નાં લોકાર્પણ માટે ગયો હતો ત્યારે મેં કેટલાંય યુવા Start-Ups નાં Ideas અને ઉત્સાહને જોયાં. મેં તેમની સાથે ઘણાં સમય સુધી વાતો પણ કરી. તમે પણ જ્યારે એ વિશે જાણશો ત્યારે આશ્ચર્ય પામ્યા વગર રહી જ નહીં શકો, જેમ કે, SpaceStart-Ups ની સંખ્યા અને Speed ને જ લઇએ. આજથી થોડાંક વર્ષો પહેલાં સુધી આપણાં દેશમાં, SpaceSectorમાં, Start-Ups નાં વિષયમાં, કોઇ વિચાર માત્ર પણ નહોતું કરતું. આજે આ સંખ્યા સો થી પણ વધુ છે.
આ તમામ Start-Ups એવાં અદભુત વિચારો પર કામ કરી રહ્યાં છે કે જેનાં વિશે પહેલાં કાંતો વિચારાતું પણ નહોતું અથવા તો PrivateSector માટેઅશક્ય માનવામાં આવતું હતું. ઉદાહરણ જોઇએ તો, ચેન્નઇ અને હૈદ્રાબાદ નાં બે Start-Ups છે – અગ્નિકુલ અને સ્કાઈટરૂટ. આ Start-Ups એવાં Launch Vehicle વિકસિત કરી રહ્યાં છે કે જે અંતરિક્ષમાં નાનાં payloads લઇને જશે. તેનાથી Space Launching નું મૂલ્ય ઘણું ઓછું થવાની શક્યતા છે.
આવું જ હૈદ્રાબાદનું અન્ય Start-UpsDhruva Space, Satellite Deployer અને Satellite માટે High Technology solar Panels પર કામ કરી રહ્યું છે. હું એક અન્ય Start-Ups દિગંતરાનાં તનવીર અહેમદને પણ મળ્યો હતો, જે Space નાં કચરાંને મૈપ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મેં તેમને એક Challenge પણ આપી છે, કે તેઓ એવી કોઇક Technology પર કામ કરે જેનાથી Spaceનાં કચરાનું સમાધાન થઇ શકે. દિગંતરા અને Dhruva Space બંને 30 જૂને ઇસરોનાં Launch Vehicle થી પોતાનું પહેલું Launch કરવાનાં છે. આવી જ રીતે, બેંગલોરનાં એક Space Start-UpsAstrome નાં founder નેહા પણ એક મજાનાં Idea પર કામ કરી રહ્યાં છે.
આ Start-Ups એવાં Flat Antenna બનાવી રહ્યાં છે જે માત્ર નાનાં જ નહીં હોય, પરંતુ તેની કિમત પણ ખૂબ ઓછી હશે. દુનિયામાં આ Technology ની Demand વધવાની પણ સંભાવના છે.
સાથીઓ, In-Space નાં કાર્યક્રમમાં, હું મેહસાણાની School Student દિકરી તન્વી પટેલને પણ મળ્યો હતો. તે એક ખૂબ નાનાં Satellite પર કામ કરી રહી છે, જે આગામી થોડાંક મહીનાઓમાં Space માંLaunch થવા જઇ રહ્યો છે. તન્વીએ મને ગુજરાતીમાં ખૂબ સરળતાથી પોતાનાં કામ વિશે જણાવ્યું હતું. તન્વીની જેમ જ દેશનાં લગભગ સાડા સાતસો School Student, અમૃત મહોત્સવમાં આવાં જ 75 Satellite પર કામ કરી રહ્યાં છે, અને વધારે આનંદની વાત તો એ છે કે, આમાનાં વધુ Students દેશનાં નાનાં શહેરોનાં છે.
સાથીઓ, આ તે જ યુવાનો છે, જેમનાં મનમાં આજથી થોડાં વર્ષો પહેલાં Space Sector ની છબી Secret Mission જેવી હતી, પરંતુ દેશે Space Reforms કર્યાં, અને તે જ યુવાનો હવે પોતાનાં Satellite Launch કરી રહ્યાં છે. જ્યારે દેશનાં યુવાનો આકાશને સ્પર્શવા માટે તૈયાર છે ત્યારે આપણો દેશ પાછળ કેવી રીતે રહી શકે?
મારાં પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ માં, હવે એક એવાં વિષયની વાત કરીશું, જને સાંભળીને તમારું મન પ્રફુલ્લિત થઇ જશે અને તમને પ્રેરણા પણ મળશે. પાછલાં દિવસોમાં, આપણાં ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા ફરીથી સમાચારમાં છવાઇ ગયાં હતા. ઓલમ્પિક પછી પણ, તેઓ એક પછી એક સફળતાની નવી-નવી સિદ્ધીઓ હાંસિલ કરી રહ્યાં છે.
Finland માં નીરજે Paavo Nurmi Games માં સિલ્વર મેડલ જીત્યો. આટલું જ નહીં, તેમણે Javelin Throw નાં Record પણ તોડ્યાં. Kuortane Games માં નીરજે એકવાર ફરીથી ગોલ્ડજીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.
આ ગોલ્ડ તેમણે એવી પરીસ્થિતીમાં જીત્યો છે જ્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ ખરાબ હતું. આ જ જુસ્સો આજનાં યુવાનોની ઓળખ છે. Start-Ups થી લઇને Sports World સુધી ભારતનાં યુવાનો નવાં-નવાં રેકોર્ડ બનાવી રહ્યાં છે. તાજેતરમાં જ આયોજીત Khelo India Youth Games માં પણ આપણાં રમતવીરોએ કેટલાય Record બનાવ્યાં. આપને જાણીને આંદન થશે કે, આ રમતોમાં કુલ 12 Record તૂટ્યાં છે – એટલું જ નહીં, 11 Records મહિલા રમતવીરોનાં નામે અંકિત થયાં છે. મણિપુરનાં M.Martina Devi એ Weightlifting માં આઠ Records બનાવ્યાં છે.
આવી જ રીતે સંજના, સોનાક્ષી અને ભાવનાએ પણ અલગ-અલગ રેકોર્ડ્સ બનાવ્યાં છે. પોતાની મેહનતથી આ રમતવીરોએ સાબિત કર્યું છે કે આગામી સમયમાં આંતર્રાષ્ટ્રીય રમતોમાં ભારતની સાખ કેટલી વધવાની છે. હું આ દરેક રમતવીરોને શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપું છું.
સાથીઓ, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની એક મહત્વની વાત એ છે કે, આ વખતે પણ એવી કેટલીય પ્રતિભાઓ ઊભરીને સામે આવી છે, કે જે ખૂબ સામાન્ય પરિવારોમાંથી આવે છે. આ રમતવીરોએ પોતાનાં જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને સફળતાનાં આ મુકામ સુધી પહોચ્યા છે. તેમની સફળતામાં, તેમનાં પરિવાર અને માતા-પિતાની પણ મહત્વની ભૂમિકા છે.
70 કિલોમીટર સાઇકલીંગમાં ગોલ્ડ જીતનાર શ્રીનગરનાં આદિલ અલ્તાફનાં પિતા ટેલરીંગનું કામ કરે છે, પરંતુ તેમણે પોતાનાં પુત્રનાં સપનાને પૂરાં કરવા માટે કોઇ કસર બાકી નથી રાખી. આજે, આદિલે પોતાનાં પિતા અને સમગ્ર જમ્મૂ-કશ્મીરનું માથું ગર્વથી ઊંચુ કરાવ્યું છે. વેઇટ લિફ્ટીંગમાં ગોલ્ડ જીતનાર ચેન્નઇનાં એલ.ધનુષનાં પિતા પણ એક સાધારણ સુથાર છે.
સાંગલીની દિકરી કાજોલ સરગારનાં પિતા ચા વેચવાનું કામ કરે છે. કાજોલ પોતાનાં પિતાનાં કામમાં મદદ કરે છે અને વેઇટ લિફ્ટીંગની પ્રેક્ટિસ પણ કરે છે. તેની અને તેનાં પરિવારની આ મેહનત રંગ લાવી અને કાજોલે વેઇટ લીફ્ટીંગમાં ખૂબ પ્રશંસા મેળવી.
અદલ આવો જ ચમત્કાર રોહતકની તનુએ કર્યો છે. તનુનાં પિતા રાજબીર સિંહ રોહતકમાં એક સ્કૂલનાં બસ ડ્રાઇવર છે. તનુએ કુશ્તીમાં સ્વર્ણ પદક મેળવીને પોતાનું અને પોતાનાં પરિવારનું તેમજ પોતાનાં પિતાનું સપનું સાચું કરીને બતાવ્યું છે.
સાથીઓ, રમતગમત ક્ષેત્રમાં, હવે ભારતીય રમતવીરોની પ્રતિષ્ઠા વધી રહી છે, સાથે ભારતીય રમતોની પણ નવી ઓળખ બની રહી છે. જેમ કે, આ વખતે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં ઓલમ્પિકમાં સમાવિષ્ટ થનાર સ્પર્ધા સિવાય પાંચ સ્વદેશી રમત પણ સમાવેશ પામશે. આ પાંચ રમત એટલે – ગતકા, થાંગ તા, યોગાસન, કલરીપાયટ્ટૂ અને મલ્લખમ્બ.
સાથીઓ, ભારતમાં આવી જ રમતોની આંતર્રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ યોજાવા જઇ રહ્યી છે જે રમતનો જન્મ વર્ષોં પહેલાં આપણાં જ દેશમાં થયો હતો, ભારતમાં થયો હતો. તે આયોજન એટલે 28 જુલાઇથી શરૂ થનાર શતરંજ ઓલમ્પિયાડનું. આ વખતે, શતરંજ ઓલમ્પિયાડમાં 180 કરતાં પણ વધુ દેશ ભાગ લઇ રહ્યાં છે. રમત અને ફિટનેસની આપણી આજની ચર્ચા અન્ય એક નામ વગર પૂરી ના થઇ શકે – તે નામ છે તેલંગાનાની માઉન્ટેનીયર પૂર્ણા માલાવથનું. પૂર્ણાએ સેવેન સમિટ્સ ચેલેન્જને પૂરી કરીને સફળતાનો વધુ એક ઝંડો લહેરાવ્યો છે.
સેવેન સમિટ્સ ચેલેન્જ એટલે દુનિયાનાં સૌથી અઘરાં અને ઊંચા સાત પહાડો પર ચઢવાની ચેલેન્જ. પૂર્ણાએ પોતાનાં ઉત્સાહ સાથે નોર્થ અમેરિકાની સૌથી ઊચી પહાડી, માઉન્ટ દેનાલીની ચઢાઈ પૂરી કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. પૂર્ણા, ભારતની એ જ દિકરી છે કે જેણે માત્ર 13 વર્ષની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ પર જીત મેળવવાનું અદભુત પરાક્રમ કરી બતાવ્યું હતું.
સાથઈઓ, જ્યારે રમત વિશે વાત થઇ રહી છે ત્યારે હું આજે ભારતની સૌથી પ્રતિભાશાળી ક્રિકેટરોમાની એક મિતાલી રાજની ચર્ચા કરીશ. તેમણે આ જ મહિને ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે, તેની આ ઘોષણાએ કેટલાય રમતપ્રેમીઓને ભાવુક બનાવ્યાં.
મિતાલી, માત્ર એક અસાધારણ રમતવીર જ નથી પરંતુ અનેક રમતવીરો માટે પ્રેરણાસ્ત્રોત પણ છે. હું મિતાલીને તેનાં ભવિષ્ય માટે ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
મારાં પ્રિય દેશવાસીઓ, આપણે મન કી બાતમાં waste to wealth થી જોડાયેલ સફળ પ્રયત્નોની ચર્ચા કરી રહ્યાં છીએ. આવું એક ઊદાહરણ છે, મિઝોરમની રાજધાની આઇજવાલનું. આઇજવાલમાં એક સુંદર નદી છે – ચિટે લુઇ, તે વર્ષોંથી ગંદકી અને કચરાનાં ઢગલામાં બદલાઇ ગઇ છે. પાછલાં થોડાંક વર્ષોમાં આ નદીને બચાવવા માટેનાં પ્રયત્નો થઇ રહ્યાં છે. તેનાં માટે સ્થાનિક એજન્સીઓ, સ્વયંસેવી સંસ્થાઓ અને સ્થાનીક લોકો મળીને save ચિટે લુઈ action plan પણ ચલાવી રહ્યાં છે. નદીની સફાઇનાં આ અભિયાનમાં waste થી Wealth creation નો અવસર પણ બન્યો છે.
જોકે, આ નદીમાં અને તેનાં કિનારાઓમાં પણ ખૂબ માત્રામાં પ્લાસ્ટિક અને પોલીથીનનો કચરો ભરાયેલો હતો. નદીને બચાવવા માટે કામ કરતી સંસ્થાએ, આ જ પોલીથીનથી રસ્તો બનાવવાનો નિર્ણય લીધો, એટલે કે, જે કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવે તેનાંથી મિજોરમનાં એક ગામમાં, રાજ્યનો પહેલો પ્લાસ્ટિક રોડ બનાવવામાં આવ્યો એટલે કે સ્વસ્છતા પણ અને વિકાસ પણ.
સાથીઓ, આવો જ એક પ્રયાસ પુડુચેરીનાં યુવાનોએ પણ પોતાની સ્વયંસેવી સંસ્થાઓનાં માધ્યમથી શરૂ કર્યો છે. પુડુચેરી સમુદ્ર કિનારે સ્થાપિત છે. ત્યાનાં beaches અને સમુદ્રની સુંદરતાને જોવાં માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. પરંતુ પુડુચેરીનાં સમુદ્ર કિનારેપણ plastic થી થનાર ગંદકી વધી રહી હતી, એટલાં માટે પોતાનાં સમુદ્ર, beaches અને ecology ને બચાવવા માટે અહીંનાં લોકોએ Recycling for Life અભિયાન શરૂ કર્યું છે.
આજે, પુડુચેરીનાં કરાઈકલમાં હજારો કિલો કચરો દરરોજ એકત્ર કરવામાં આવે છે, અને તેને જુદો કરવામાં આવે છે. તેમાંથી જે organic કચરો હોય છે,
તેનાંથી ખાતર બનાવવામાં આવે છે, અન્ય વસ્તુઓને અલગ કરીને recycle કરવામાં આવે છે. આ પ્રકારનાં પ્રયત્નો પ્રેરણાદાયી તો છે જ, single use plastic વિરુદ્ધ ભારતનાં અભિયાનને વેગ પણ આપે છે.
સાથીઓ, આ વખતે જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે હિમાચલ પ્રદેશમાં એક અનોખી cycling rally પણ ચાલી રહી છે. હું આ વિશે પણ તમને જણાવવાં માગું છું.
સ્વચ્છતાનો સંદેશ લઇને સાયકલ સવારોની એક સમૂહ શિમલાથી મંડી સુધી પહોચ્યું છે. પહાડી રસ્તાઓ પર લગભગ પોણા બસ્સો કિલોમીટરનું આ અંતર, આ લોકો, સાયકલ ચલાવીને પૂર્ણ કરશે. આ સમૂહમાં બાળકો પણ છે અને વૃદ્ધો પણ છે. આપણું પર્યાવરણ સ્વચ્છ રહે, આપણાં પહાડ-નદીઓ, સમુદ્ર સ્વચ્છ રહે તો સ્વાસ્થ્ય પણ એટલું જ સુંદર અને સ્વસ્થ રહે છે. તમે મને, આ પ્રકારનાં આપનાં પ્રયત્નો વિશે અચૂક લખતાં રહેજો.
મારાં પ્રિય દેશવાસિઓ, આપણાં દેશમાં મોનસૂનનો વ્યાપ વધી રહ્યો છે. અનેક રાજ્યોમાં વરસાદ વધી રહ્યો છે. આ સમય જલ અને જલ સંરક્ષણની દિશામાં વિશેષ પ્રયત્નો કરવાનો પણ છે. આપણાં દેશમાં તો વર્ષોથી આ જવાબદારી સમાજ નિભાવી રહ્યું છે. તમને યાદ હશે કે, મન કી બાતમાં આપણે એક વખત step wells એટલે કે કૂવાની વિરાસત વિશે ચર્ચા કરી હતી. સ્ટેપવેલ એ કૂવાઓને કહેવામાં આવે છે કે જેનાં સુધી પહોંચવા માટે નીચે ઉતરીને જવું પડે છે – સુલ્તાનનો કૂવો. તેને રાવ સુલ્તાન સિંહએ બનાવ્યો હતો, પરંતુ ઉપેક્ષાના કારણે ધીરે-ધીરે તે જગ્યા વેરાન થતી ગઇ અને કચરાંનો ખડકલામાં પરિવર્તીત થઇ ગઇ.
એક દિવસ કેટલાક યુવાન અમસ્તા જ ફરતાં ફરતાં કૂવા સુધી પહોંચ્યા અને તેની સ્થિતી જોઇને ખૂબ દુખી થયાં. આ યુવાનોએ તે જ સમયે સુલતાનનાં કૂવાની સ્થિતી અને નસીબ બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે પોતાનાં આ mission ને – સુલ્તાન સે સુરતાન – નામ આપ્યું. તમે વિચારતાં હશો કે આ સુર-તાન શું છે. જોકે, વાત એમ છે કે પોતાનાં પ્રયત્નોથી આ યુવાનોએ માત્ર કૂવાનો જ કાયાકલ્પ ન કર્યો, પરંતુ તેને સંગીતનાં સૂર અને તાન સાથે પણ જોડી દીધું.
સુલ્તાનનાં કૂવાની સફાઇ પછી તેની સજાવટ માટે ત્યાં સૂર અને સંગીતનો કાર્યક્રમ થાય છે. આ પરિવર્તનની એટલી બધી ચર્ચા છે કે, વિદેશથી પણ કેટલાય લોકો તેને જોવાં માટે આવી રહ્યાં છે. આ સફળ પ્રયત્નોની ખાસ વાત એ છે કે અભિયાન શરૂ કરનાર યુવાનો chartered accountants છે. સંયોગથી, હવે થોડાંક દિવસો પછી, 1 જુલાઇએ chartered accountants day છે.
હું, દેશનાં તમામ CAs ને શુભકામનાઓ પાઠવું છું. આપણે, આપણાં જળ-સ્ત્રોતોને, સંગીત અને અન્ય સામાજિક કાર્યક્રમો સાથે જોડીને તેનાં માટે આ પ્રકારનો જાગૃતિનો ભાવ પૈદા કરી શકીએ છીએ. જલ સુરક્ષા તો વાસ્તવમાં જીવન સુરક્ષા છે. તમે જોયું હશે કે, આજકાલ કેટલાય નદી મહોત્સવ થઇ રહ્યાં છે. તમારાં શહેરોમાં પણ આ પ્રકારનાં જે પણ જળસ્ત્રોત છે ત્યાં કંઇક ને કંઇક આયોજન અવશ્ય કરો.
મારાં પ્રિય દેશવાસીઓ, આપણાં ઉપનિષદોનો એક જીવનમંત્ર છે –चरैवेति-चरैवेति-चरैवेति– તમે પણ આ મંત્રને જરૂર સાંભળ્યો જ હશે. તેનો અર્થ છે – ચાલતાં રહો, ચાલતાં રહો. આ મંત્ર આપણાં દેશમાં એટલા માટે લોકપ્રિય છે કેમકે સતત ચાલતા રહેવું, ગતિશીલ બની રહેવું, આપણાં સ્વભાવનો ભાગ છે. એક રાષ્ટ્રનાં રૂપમાં, આપણે, હજારો વર્ષોની વિકાસયાત્રા કરીને અહીં સુધી પહોંચ્યાં છે. એક સમાજનાં રૂપમાં, આપણે હમેશા, નવાં વિચારો, નવા પરિવર્તનોનો સ્વીકાર કરીને આગળ વધતાં રહ્યાં છીએ. તેની પાછળ આપણી સાંસ્કૃતિક ગતિશીલતા અને યાત્રાઓનું ખૂબ મોટું યોગદાન છે.
એટલાં માટે, આપણાં ત્રુષિ મુનીઓએ તીર્થયાત્રા જેવી ધાર્મિક જવાબદારીઓ આપણને સોંપી હતી. અલગ-અલગ તીર્થ યાત્રાઓ પર આપણે સૌ જતાં જ હોઇએ છીએ. તમે જોયું હશે કે આ વખતે ચારધામ યાત્રામાં કેવી રીતે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થયા હતાં. આપણાં દેશમાં સમય-સમય પર અલગ-અલગ દેવ યાત્રાઓ પણ નિકળે છે. દેવ યાત્રા એટલે જેમાં માત્ર શ્રદ્ધાળુ જ નહીં પરંતુ આપણાં ભગવાન પણ યાત્રા પર નિકળે છે. હમણાં થોડાંક જ દિવસોમાં 1 જુલાઇથી ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ યાત્રા શરૂ થવા જઇ રહી છે.
ઓડિસામાં, પૂરીની યાત્રાથી તો દરેક દેશવાસી પરિચિત જ છે. લોકોનો પ્રયાસ હોય છે કે આ અવસર પર પુરી જવાનું સૌભાગ્ય મળે. બીજા રાજ્યોમાં પણ ખૂબ ધૂમધામથી જગન્નાથ યાત્રા કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથ યાત્રા અષાઢ મહીનાની બીજથી શરૂ થાય છે.
આપણાં ગ્રંથોમાં - આષાઢસ્ય દ્વિતીયદિવસે... રથયાત્રા – આ પ્રકારે સંસ્કૃત શ્વોલોકોમાં રચાયેલું વર્ણન જોઇ શકાય છે. ગુજરાતનાં અમદાવાદમાં પણ દર વર્ષે અષાઢની બીજથી રથયાત્રા શરૂ થાય છે. હું ગુજરાતમાં હતો, ત્યારે મને પણ દર વર્ષે આ યાત્રામાં સેવાનું સૌભાગ્ય મળતું હતું. અષાઢ બીજ, જેને અષાઢી બીજ પણ કહેવામાં આવે છે, આ દિવસથી જ કચ્છનાં નવાં વર્ષની પણ શરૂઆત થાય છે.
હું, મારા દરેક કચ્છી ભાઇઓ-બહેનોને નવાવર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. મારાં માટે આ દિવસ એટલાં માટે પણ ખાસ છે કેમકે મને યાદ છે, અષાઢ બીજનાં એક દિવસ પહેલાં એટલે કે અષાઢની પ્રથમ તિથીએ અમે ગુજરાતમાં એક સંસ્કૃત ઉત્સવની શરૂઆત કરી હતી, જેમાં સંસ્કૃત ભાષામાં ગીત-સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજાય છે. આ આયોજનનું નામ છે – આષાઢસ્ય પ્રથમ દિવસે. ઉત્સવને આ ખાસ નામ આપવાં પાછળનું કારણ એ છે કે સંસ્કૃતનાં મહાન કવિ કાલિદાસે અષાઢ મહિનાનાં વર્ષાનાં આગમન પરથી જ - મેઘદૂતમ્ - લખ્યું હતું. મેઘદૂતમમાં એક શ્લોક છે – આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમ્ આશ્લિષ્ટ સાનુમ્, એટલે કે અષાઢનાં પ્રથમ દિવસે પર્વત શીખરોથી ઘેરાયેલાં વાદળો, આ જ શ્લોક આ આયોજનોનો આધાર બન્યો.
સાથીઓ, અમદાવાદ હોય કે પૂરી, ભગવાન જગન્નાથ પોતાની યાત્રાનાં માધ્યમથી કેટલાંય ગહન માનવીય સંદેશ પણ આપે છે.
ભગવાન જગન્નાથ જગતનાં સ્વામી તો છે જ પરંતુ તેમની યાત્રામાં ગરીબો, વંચિતોની વિશેષ ભાગીદારી હોય છે. ભગવાન પણ સમાજનાં દરેક વર્ગ અને વ્યક્તિ સાથે ચાલે છે. આવી જ રીતે આપણાં દેશમાં જેટલી પણ યાત્રાઓ થાય છે, તે તમામમાં ગરીબ-અમીર, ઊંચ-નીચ આવાં કોઇ ભેદભાવ દેખાતા નથી.
તમામ ભેદભાવથી ઉપર ઉઠીને યાત્રા જ સર્વોપરી હોય છે. જેમ કે, મહારાષ્ટ્રમાં પંઢરપુરની યાત્રામાં કોઇ પણ ન તો મોટું હોય છે ન તો નાનું હોય છે. દરેક વારકરી હોય છે, ભગવાન વિઠ્ઠલનો સેવક હોય છે. હવે ચાર દિવસ પછી 30 જૂનથી અમરનાથ યાત્રા પણ શરૂ થવા જઇ રહી છે. સમગ્ર દેશમાં શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે જમ્મૂ-કાશ્મીર પહોંચે છે. જમ્મૂ-કાશ્મીરનાં સ્થાનિક લોકો એટલી જ શ્રદ્ધાથી આ યાત્રાની જવાબદારી ઉપાડે છે અને તીર્થયાત્રીઓને સહકાર આપે છે.
સાથીઓ, દક્ષિણમાં આવું જ મહત્વ સબરીમાલા યાત્રાનું પણ છે. સબરીમાલાનાં પહાડો પર ભગવાન અયપ્પાનાં દર્શન કરવાં માટે આ યાત્રા ત્યારથી ચાલી રહી છે જ્યારે ત્યાંના રસ્તાઓ સંપૂર્ણરીતે જંગલો વચ્ચે ઘેરાયેલાં હતાં. આજે પણ લોકો જ્યારે આ યાત્રાઓમાં જાય છે ત્યારે તેને ધાર્મિંક અનુષ્ઠાનોથી લઇને રહેવાની વ્યવસ્થા સુધી, ગરીબો માટે કેટલાંય નવાં અવસર ખુલે છે, એટલે કે, આ યાત્રાઓ પ્રત્યક્ષ રૂપે આપણને ગરીબોની સેવાનો અવસર આપે છે અને ગરીબો માટે એટલી જ હિતકારી હોય છે. એટલાં માટે જ, દેશ પણ હવે આધ્યાત્મિક યાત્રાઓમાં, શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ વધારવા માટે ઘણાં પ્રયત્નો કરી રહ્યો છે. તમે પણ આવી કોઇક યાત્રામાં જશો ત્યારે તમને આધ્યાત્મની સાથે-સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં પણ દર્શન થશે.
મારાં પ્રિય દેશવાસીઓ, હમેશાની જેમ આ વખતે પણ મન કી બાતનાં માધ્યમથી તમારાં સૌ સાથે જોડાવાનો આ અનુભવ ખૂબ સુખદ રહ્યો. આપણે દેશવાસીઓની સફળતા અને સિદ્ધીઓની ચર્ચા કરી. આ બધાંની વચ્ચે, આપણે કોરોના વિરુદ્ધ સાવધાનીનું પણ ધ્યાન રાખવાનું છે. જોકે, સંતોષની વાત એ છે કે આજે દેશ પાસે વેક્સીનનું વ્યાપક સુરક્ષા કવચ ઉપલબ્ધ છે.
આપણે 200 કરોડ વેક્સીનનાં ડોઝ સુધી પહોંચી ગયા છીએ. દેશમાં ખૂબ ઝડપથી precaution dose પણ લગાવવામાં આવી રહ્યો છે.
જો તમારા બીજો dose પછી precaution dose નો સમય થઇ ગયો હોય તો આપ, ત્રીજો dose જરૂરથી લેજો. તમારાં પરિવારનાં લોકોને, ખાસ કરીને વૃદ્ધોંને પણ precaution dose અપાવજો. આપણે હાથની સ્વસ્છતા અને માસ્ક જેવી જરૂરી સાવધાનીઓને પણ અનુસરવાનું છે.
આપણે વરસાદનાં વાતાવરણમાં આસ-પાસ ગંદકીથી થનાર બિમારીઓથી પણ સતર્ક રહેવાનું છે. તમે બધા સજાગ રહો, સ્વસ્છ રહો અને આવી જ ઊર્જાથી આગળ વધતાં રહો. હવે પછીનાં મહીને ફરી એક વખત મળીશું,
ત્યાં સુધી ખૂબ-ખૂબ ધન્યવાદ, નમસ્કાર.
મારાં પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ફરી એક વાર ‘મન કી બાત’ નાં માધ્યમ થી આપ સૌ મારાં કરોડો પરિવારજનોને મળવાનો અવસર મળ્યો છે.
‘મન કી બાત’ માં આપ સૌનું સ્વાગત છે. થોડાંક દિવસ પહેલાં દેશે એક એવી સિદ્ધી હાંસલ કરી છે, જે આપણને સૌને પ્રેરણા આપે છે. ભારતનાં સામર્થ્ય પ્રત્યે એક નવો વિશ્વાસ જગાડે છે. તમે લોકો ક્રિકેટનાં મેદાન પર ટીમ ઇન્ડિયાનાં કોઇ બેટ્સમેનની સેન્ચ્યુરી સાંભળીને ખુશ થતાં હશો, પરંતુ ભારતે એક અન્ય મેદાનમાં પણ સેન્ચ્યુરી લગાડી છે અને તે ખૂબ વિશેષ છે.
આ મહિનાની પાંચમી તારીખે દેશમાં યુનિકોર્નની સંખ્યા 100 નાં આંકડાં સુધી પહોંચી ગઈ છે, અને તમને તો ખબર જ છે કે, એક યુનિકોર્ન એટલે ઓછામાં ઓછા સાડા સાત હજાર કરોડ રૂપિયાનું સ્ટાર્ટ અપ. આ તમામ યુનિકોર્નનું કુલ વેલ્યુએશન 330 બિલીયન ડોલર, એટલે કે 25 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. નિશ્ચિત રૂપે આ દરેક ભારતીય માટે ગર્વ લેવા જેવી વાત છે.
તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે, આપણાં કુલ યુનિકોર્નમાંથી 44 - ફોર્ટીફોર યુનિકોર્ન તો ગયા વર્ષે જ સ્થપાયા હતાં. એટલું જ નહીં આ વર્ષનાં 3-4 મહિનામાં જ બીજાં નવાં 14 યુનિકોર્ન બની ગયા છે. આનો અર્થ એ થયો કે, ગ્લોબલ પેન્ડેમિકનાં આ સમયમાં પણ આપણાં સ્ટાર્ટ અપ્સ વેલ્થ અને વેલ્યૂ ક્રિએટ કરતા રહ્યા છે.
ઇન્ડિયન યુનિકોર્ન્સનો એવરેજ એન્યુઅલ ગ્રોથ રેટ યુએસએ, યુકે અને અન્ય કેટલાંય દેશો કરતા પણ વધુ છે. એનાલિસ્ટ્સનું તો એવું પણ કહેવું છે કે આવનારાં વર્ષોમાં આ સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળશે.
એક સારી વાત એ પણ છે કે, આપણાં યુનિકોર્ન્સ ડાઇવર્સીફાઇંગ છે. જે ઇ-કોમર્સ, ફિન-ટેક, એડ-ટેક, બાયો-ટેક જેવાં કેટલાંય ક્ષેત્રોમાં કામ કરી રહ્યાં છે. એક અન્ય વાત જેને હું વધુ મહત્વની માનું છું તે એ કે સ્ટાર્ટ-અપ્સની દુનિયા ન્યૂ ઇન્ડિયાનાં સ્પિરીટને રિફ્લેક્ટ કરી રહી છે.
આજે, ભારતનું સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માત્ર મોટાં શહેરો સુધી જ સીમિત નથી, નાનાં-નાનાં શહેરો અને કસ્બાઓમાંથી પણ ઉદ્યોગ સાહસિકો સામે આવી રહ્યાં છે. આનાંથી સમજી શકાય છે કે ભારતમાં જેની પાસે ઇનોવેટિવ આઇડિયા છે તે વેલ્થ ક્રિએટ કરી શકે છે.
મિત્રો, દેશની આ સફળતાની પાછળ દેશની યુવા શક્તિ, દેશનું ટેલેન્ટ અને સરકાર, બધાં મળીને પ્રયત્નો કરી રહ્યાં છે, દરેકનું યોગદાન છે, પરન્તુ આમાં અન્ય એક મહત્વપૂર્ણ બાબત પણ છે અને તે એ કે સ્ટાર્ટ-અપ વર્લ્ડમાં રાઇટ મોનિટરિંગ એટલે કે સાચું માર્ગદર્શન, એક સારો મેન્ટોર સ્ટાર્ટ-અપને નવીં ઊંચાઇઓ સુધી લઇ જઇ શકે છે. તે ફાઉન્ડર્સને રાઇટ ડિસિઝન માટે દરેક રીતે ગાઇડ કરી શકે છે. મને, એ વાતનો ગર્વ છે કે ભારતમાં આવાં ઘણાં મેન્ટોર છે જેમણે સ્ટાર્ટ-અપ ને આગળ વધારવાં માટે પોતાને સમર્પિત કરી દીધી છે.
શ્રીધર વેમ્બૂજીને તાજેતરમાં જ પદ્મ સમ્માન મળ્યું. તે સ્વયં સફળ ઉદ્યોગ સાહસિક છે, પરન્તુ હવે તેમણે બીજાં ઉદ્યોગ સાહસિકોને ગ્રૂમ કરવાનું બીડું ઝડપ્યું છે. શ્રીધરજી એ પોતાનું કામ ગ્રામીણ વિસ્તારમાંથી શરૂ કર્યું છે.
તેઓ ગ્રામીણ યુવાનો ને ગામમાં જ રહીને તે ક્ષેત્રમાં કંઇક નવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આપણાં ત્યાં મદન પડાકી જેવાં લોકો પણ છે જેમણે રુરલ એન્ટરપ્રિન્યોર્સને પ્રેરણા આપવા માટે 2014માં વન-બ્રિજ નામનું પ્લેટફોર્મ બનાવ્યું હતું. આજે, વન-બ્રિજ દક્ષિણ અને પૂર્વી-ભારતનાં 75થી પણ વધુ જિલ્લામાં કાર્યરત છે. તેનાથી જોડાયેલ 9000 થી પણ વધુ રુરલ એન્ટરપ્રિન્યોર્સ ગામડાંનાં ગ્રાહકોને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. મીરા શેનોયજી પણ એવી જ એક મિસાલ છે તેઓ રુરલ, ટ્રાયબલ અને ડિસેબલ્ડ યુથ માટે માર્કેટ લીંફૂડ સ્કિલ્સ ટ્રેઇનિંગનાં ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામ કરી રહ્યાં છે.
અહીંયા મેં તો થોડાંક જ નામનો ઉલ્લેખ કર્યો છે પરન્તુ આજે આપણી વચ્ચે મેન્ટોર્સ ની ઊણપ નથી. આપણાં માટે ખૂબ ખુશીની વાત છે કે સ્ટાર્ટ-અપ માટે આજે દેશમાં એક સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ તૈયાર થઇ રહી છે. મને વિશ્વાસ છે કે આવનારાં સમયમાં આપણને ભારતનાં સ્ટાર્ટ-અપ વર્લ્ડમાં પ્રગતિની નવી ઊડાન જોવાં મળશે.
સાથીઓ થોડાંક દિવસો પહેલાં મને એક એવી ઇન્ટરેસ્ટિંગ અને અટ્રેક્ટિવ વસ્તુ મળી, જેમાં દેશવાસીઓની ક્રિએટીવિટી અને તેમનાં આર્ટિસ્ટિક ટેલેન્ટનો રંગ ભરેલો છે. એક ભેટ છે, જે તમિલનાડુનાં થંજાવુરનાં એક સેલ્ફ હેલ્પ ગ્રૃપે મને મોકલી છે. આ ભેટમાં ભારતીયતાની સુગંધ છે અને માતૃ-શક્તિનાં આશિર્વાદ તેમજ મારાં પર તેમનાં સ્નેહની ઝાંખી પણ જોવાં મળે છે. આ એક સ્પેશિયલ થંજાવુર ડૉલ છે, જેને જીઆઇ ટેગ પણ મળેલ છે.
હું થંજાવુર સેલ્ફ-હેલ્પ ગ્રૃપ ને વિશેષ ધન્યવાદ પાઠવું છું, કે જેમણે મને સ્થાનિક સંસ્કૃતિમાં ઓતપ્રોથ આ ભેટ મોકલી છે. જોકે, સાથીઓ આ થંજાવુર ડૉલ જેટલી સુંદર હોય છે, એટલી જ સુંદરતાથી તે મહિલા સશક્તિકરણની નવી ગાથા પણ લખી રહી છે.
થંજાવુરમાં મહિલાઓનાં સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ નાં સ્ટોર્સ અને કિઓસ્ક પણ ખુલી રહ્યાં છે. જેનાં થકી કેટલાંય ગરીબ પરિવારોનું જીવન બદલાઇ ગયું છે. આવાં કિઓસ્ક અને સ્ટોર્સની મદદથી મહિલાઓ હવે પોતાનાં પ્રોડક્ટ સીધાં ગ્રાહકો વેચી શકે છે.
આ પહેલને ‘થારગઇગલ કઇવિનઈ પોરુત્તકલ વિરપ્પનઈ અંગાડી’ નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પહેલ સાથે 22 સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ જોડાયેલાં છે. તમને એ જાણીને પણ આનંદ થશે કે મહિલા સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ, મહિલા સ્વયં સહાયતા સમૂહનાં આ સ્ટોર થંજાવુરનાં અતિ પ્રાઇમ લોકેશનમાં ખુલ્યાં છે. તેની સંભાળની સંપૂર્ણ જવાબદારી પણ મહિલાઓ જ ઊપાડી રહી છે.
આ મહિલા સેલ્ફ હેલ્પ ગૃપ થંજાવુર ડૉલ અને બ્રોન્ઝ લેમ્પ જેવાં જીઆઇ પ્રોડક્ટ ઉપરાંત રમકડાં, મેટ અને આર્ટિફિશિયલ જ્વેલેરી પણ બનાવે છે. આવાં સ્ટોર્સનાં કારણે જીઆઇ પ્રોડક્ટની સાથે-સાથે હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ્સનાં વેચાણમાં ઘણી તેજી જોવાં મળી છે. આ ઝુંબેશને પરિણામે, ન માત્ર કારીગરોને પ્રોત્સાહન મળ્યું છે, બલ્કે મહિલાઓની આવક વધવાથી તેમનું સશક્તિકરણ પણ થઇ રહ્યું છે. મારો ‘મન કી બાત’ નાં શ્રોતા મિત્રોને પણ એક આગ્રહ છે તમે, પોતાના ક્ષેત્રમાં એ જાણકારી મેળવો કે ત્યાં કયા-કયા મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૃપ કામ કરી રહ્યાં છે.
તેમનાં પ્રોડક્ટ્સ વિશે પણ તમે જાણકારી ભેગી કરો અને તે વસ્તુઓને વધુમાં વધુ ઉપયોગમાં લાવો. આમ કરીને, તમે સેલ્ફ હેલ્પ ગ્રૃપની આવક વધારવામાં મદદ તો કરશો જ, ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ ને પણ વેગ આપશો.
સાથીઓ, આપણાં દેશમાં ઘણી બધી ભાષાઓ, લિપિઓ અને બોલિઓનો સમૃદ્ધ ખજાનો છે. અલગ-અલગ ક્ષેત્રોમાં અલગ-અલગ પહેરવેશ, ખાનપાન અને સંસ્કૃતિએ આપણી ઓળખ છે. આ ડાયવર્સિટી, આ વિવિધતા, એક રાષ્ટ્રનાં રૂપમાં, આપણને વધુ સશક્ત બનાવે છે અને એકજૂથ રાખે છે. અને લગતું જ એક ખૂબ જ પ્રેરક ઉદાહરણ – એક બેટી કલ્પનાનું છે, જેને હું આપ સૌ સાથે વહેંચવાં માગું છું. તેનું નામ કલ્પના છે પરન્તુ તેમનો પ્રયત્ન ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની સાચી ભાવનાથી ભરપૂર છે. તાજેતરમાં જ કલ્પનાએ કર્ણાટકમાં પોતાની 10 માં ધોરણની પરીક્ષા પાસ કરી છે, પરન્તુ તેની સફળતાની ખાસ વાત એ છે કે કલ્પનાને થોડાંક સમય પહેલાં સુધી કન્નડ ભાષા પણ આવડતી નહોતી.
તેમણે ત્રણ મહિનામાં માત્ર કન્નડ ભાષા જ ન શીખી, તેમાં 92 નંબર લાવીને પણ બતાવ્યાં. તમને એ જાણીને આશ્ચર્ય થતું હશે પણ આ સાચી વાત છે. તેના વિશેની બીજી કેટલીય વાતો એવી છે કે જે તમને આશ્ચર્યમાં પણ મૂકી દેશે અને પ્રેરણા પણ આપશે. કલ્પના, મૂળે ઉત્તરાખંડનાં જોશીમઠની રહેવાસી છે.
તે પહેલાં ટીબી થી પીડાઇ રહી હતી અને તે જ્યારે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની આંખોની રોશની પણ જતી રહી હતી.
પરન્તુ કહેવાય છે ને કે, જહાં ચાહ વહાં રાહ. ત્યાર બાદ કલ્પના મૈસુરૂમાં રહેતાં પ્રોફેસર તારામૂર્તિનાં સંપર્કમાં આવી, જેમણે કલ્પનાને ન માત્ર પ્રોત્સાહિત કરી પરન્તુ બધી રીતે તેની મદદ પણ કરી. આજે તે પોતાની મહેનતથી આપણાં બધાં માટે ઉદાહરણ બની ગઇ છે. હું, કલ્પનાને તેમનાં હિમ્મ્ત માટે ધન્યવાદ પાઠવું છું.
આવી જ રીતે, આપણાં દેશમાં એવાં કેટલાય લોકો છે જે દેશની ભાષાગત વિવિધતાને મજબૂત કરવાનું કામ કરી રહ્યાં છે. આવાં જ એક મિત્ર છે પશ્ચિમ બંગાળનાં પુરુલિયાનાં શ્રીપતિ ટૂડૂજી. ટૂડૂજી, પુરુલિયાનાં સિદ્ધો-કાનો-બિરસા યુનિવર્સિટીમાં સંથાલી ભાષાનાં પ્રોફેસર છે. તેમણે, સંથાલી સમાજ માટે તેમની પોતીકી ‘ઓલ ચિકી’ લિપિમાં, દેશનાં બંધારણની પ્રત તૈયાર કરી છે. શ્રીપતિ ટૂડૂજી કહે છે કે, આપણું બંધારણ આપણાં દેશમાં દરેક નાગરિકને તેના અધિકાર અને કર્તવ્યનો બોધ કરાવે છે. એટલાં માટે, દરેક નાગરિકે તેનાથી પરિચિત હોવું જરૂરી છે. એટલા માટે, તેમણે સંથાલી સમાજ માટે તેમની જ લિપિમાં બંધારણની કોપી તૈયાર કરીને ભેટ સ્વરૂપે આપી છે. હું, શ્રીપતિજીનાં આ વિચાર અને તેમનાં પ્રયત્નોને બિરદાવું છું. આ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાનું જીવંત ઉદાહરણ છે. આ ભાવનાને આગળ વધારનારાં આવાં ઘણાં બધાં પ્રયત્નોનાં વિષયમાં તમને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની વેબસાઇટ પર પણ જાણકારી મળશે. અંહી તમને ખાનપાન, કળા, સંસ્કૃતિ, પર્યટનની સાથે આવાં કેટલાંય વિષયોને લગતી પ્રવૃતિઓ વિશેની જાણકારી મળશે.
તમે, તે એક્ટિવિટીનો ભાગ પણ બની શકો છો, તેનાથી તમને, પોતાના દેશ વિશે જાણકારી પણ મળશે અને તમે દેશની વિવિધતાનો અનુભવ પણ કરી શકશો.
મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે આપણાં દેશમાં ઉત્તરાખંડમાં ‘ચાર-ધામ’ની પવિત્ર યાત્રા ચાલી રહી છે. ‘ચાર-ધામ’ અને ખાસ કરીને કેદારનાથમાં દરરોજ હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. લોકો પોતાની ચારધામ યાત્રાના સુખદ અનુભવો શેઅર કરી રહ્યા છે. પરન્તુ મેં એ પણ જોયું છે કે, શ્રદ્ધાળુઓ કેદારનાથમાં કેટલાક યાત્રીઓ દ્વારા ફેલાવાતી ગંદકીનાં કારણે ખૂબ દુખી પણ છે. કેટલાય લોકોએ આ વિશે સોશિયલ મિડિયા પર પણ લખ્યું છે. આપણે પવિત્ર યાત્રામાં જઇએ અને ત્યાં ગંદગીનો ખડકલો થાય એ યોગ્ય નથી. પરન્તુ સાથીઓ, આ ફરિયાદો વચ્ચે કેટલીય સુંદર તસ્વીરો પણ જોવાં મળી રહી છે. જ્યાં શ્રદ્ધા છે, ત્યાં સર્જન અને સકારાત્મકતા પણ છે. કેટલાય શ્રદ્ધાળું એવાં પણ છે કે જે બાબા કેદારનાં ધામમાં દર્શન-પૂજનની સાથોસાથ સ્વચ્છતાની સાધના પણ કરી રહ્યાં છે.
કોઈ પોતાનાં રોકાણની જગ્યાએ સાફસફાઇ કરી રહ્યાં છે તો કોઇ યાત્રા માર્ગ પરથી કચરો સાફ કરી રહ્યાં છે. સ્વચ્છ ભારત અભિયાન ટીમની સાથે મળીને કેટલીયે સંસ્થાઓ અને સ્વયંસેવી સંગઠનો પણ ત્યાં કામ કરી રહ્યાં છે. સાથીઓ, આપણે ત્યાં જેમ તીર્થયાત્રાનું મહત્વ છે તેમ તીર્થ સેવાનું પણ મહત્વ સૂચવવામાં આવ્યું છે, અને હું તો એમ પણ કહીશ કે, તીર્થ-સેવા વગર, તીર્થ-યાત્રા પણ અધૂરી છે. દેવભૂમિ ઉત્તરાખંડમાં કેટલાય લોકો છે જે સ્વચ્છતા અને સેવાની સાધનામાં જોડાયેલાં છે. રુદ્ર પ્રયાગમાં રહેતાં શ્રીમાન મનોજ બૈંજવાલજી પાસેથી પણ તમને ઘણી પ્રેરણા મળશે. મનોજજી એ પાછલાં પચ્ચીસ વર્ષોથી પર્યાવરણની જાણવણીનું બીડું લઈ રાખ્યું છે. તેઓ સ્વચ્છતા અભિયાન ચલાવવાની સાથે જ પવિત્ર સ્થાનોને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં પણ જોતરાયેલા રહે છે. વળી, ગુપ્તકાશીમાં રહેતાં સુરેન્દ્ર બગવાડીજી એ પણ સ્વચ્છતાને પોતાનો જીવનમંત્ર બનાવી લીધો છે. તેઓ ગુપ્તકાશીમાં નિયમિત રૂપથી સફાઈ કાર્યક્રમ ચલાવે છે અને મને જાણ થઇ છે કે, આ અભિયાનનું નામ પણ તેમણે ‘મન કી બાત’ રાખ્યું છે. આવી જ રીતે દેવર ગામનાં ચમ્પાદેવી ગયા ત્રણ વર્ષથી પોતાનાં ગાંમની મહિલાઓને કચરો વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ શીખવાડી રહ્યાં છે. ચંપાજીએ અસંખ્ય છોડ રોપ્યા છે અને તેમણે જાતમહેનતથી એક સુંદર હરિયાળું વન તૈયાર કરી દીધું છે.
સાથીઓ, આવાં જ લોકોનાં પ્રયત્નોથી દેવભૂમિ અને તીર્થોની તે દૈવીય અનુભૂતિ જળવાઇ રહી છે, જેનો અનુભવ કરવા માટે આપણે ત્યાં જઇએ છીએ, આ દેવત્વ અને આધ્યાત્મિકતાને જાળવી રાખવાની જવાબદારી આપણી પણ તો છે.
અત્યારે આપણાં દેશમાં ‘ચારધામ યાત્રા’ ની સાથે આગામી સમયમાં ‘અમરનાથ યાત્રા’, ‘પંઢરપુર યાત્રા’ અને ‘જગન્નાથ યાત્રા’ જેવી કેટલીએ યાત્રાઓ થશે. શ્રાવણ મહિનામાં તો કદાચ દરેક ગામમાં કોઇક ને કોઇક મેળો લાગતો હોય છે.
સાથીઓ, આપણે જ્યાં પણ જઇએ, આ તીર્થ ક્ષેત્રોની ગરિમા જળવાય, શુદ્ધતા, સાફ-સફાઇ, એક પવિત્ર વાતાવરણ સચવાય તે આપણે ક્યારેય ન ભૂલીએ. તેને હમેશા જાળવી રાખએ અને તેથી જરૂરી છે કે આપણે હમેશા સ્વચ્છતાનાં સંકલ્પને યાદ રાખીએ. થોડાંક જ દિવસો પછી, 5મી જૂનને સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસ’ નાં રૂપમાં ઊજવે છે. પર્યાવરણને કેન્દ્રમાં રાખીને આપણે આપણી આસ-પાસ સકારાત્મક અભિયાન ચલાવવાં જોઇએ અને આ નિરંતર કરવા જેવું કાર્ય છે. તમે, આ વખતે બધાંને સાથે લઇને સ્વચ્છતા અને વૃક્ષારોપણ માટે કોઇક પ્રયત્ન જરૂર કરો. તમે સ્વયં છોડ વાવો અને અન્યોને પણ પ્રેરિત કરો.
મારાં વહાલાં દેશવાસીઓ, આગામી મહીનાની 21 જૂને આપણે આઠમો ‘અંતર્રાષ્ટ્રીય યોગ દિવસ’ ઊજવવાનાં છીએ. આ વખતે યોગ દિવસની થીમ – યોગા ફોર હ્યુમેનીટી – છે. હું આપ સૌને ‘યોગ દિવસ’ ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવવાનો આગ્રહ કરીશ. હાં, કોરોનાને લગતી સાવચેતીઓનું પાલન પણ કરજો. આમ તો, હવે સમગ્ર દુનિયામાં કોરોનાને લઇને પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થઇ હોય તેવું લાગે છે. વધુને વધુ વેક્સિનેશન કવરેજનાં કારણે હવે લોકો પહેલાં કરતાં વધુ બહાર નિકળી રહ્યાં છે. અને તેથી સમગ્ર દુનિયામાં ‘યોગ દિવસ’ ને લઇને ઘણી તૈયારીઓ થઈ રહેલી જોવાં મળી રહી છે.
કોરોના મહામારીએ આપણને સૌને એ અનુભવ કરાવ્યો છે કે આપણાં જીવનમાં, સ્વાસ્થ્યનું કેટલું બધું મહત્વ છે અને યોગ તેમાં કેટલું મોટું માધ્યમ છે. લોકો અનુભવી રહ્યાં છે કે યોગથી ફિઝીકલ, સ્પીરિચ્યુઅલ અને ઇન્ટલેક્ચ્યુઅલ વેલ બિઇંગમાં પણ કેટલો વધારો થાય છે. વિશ્વનાં ટોપ બિઝનેસ પર્સન્સથી લઇને ફિલ્મ અને સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ સુધી, સ્ટુડન્ટ્સથી લઇને સામાન્ય માનવી સુધી, સહુ યોગને પોતાનાં જીવનનું અભિન્ન અંગ બનાવી રહ્યાં છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સમગ્ર દુનિયામાં યોગની વધતી લોકપ્રિયતાને જોઇને તમને બધાને ખૂબ સારું લાગતું હશે. સાથીઓ, આ વખતે દેશ-વિદેશમાં ‘યોગ દિવસ’ પર થનાર કેટલાક ખૂબ જ ઇનોવેટીવ ઉદાહરણો વિશે મને જાણકારી મળી છે. તેમાંનું જ એક છે – ગાર્ડિયન રિંગ – એક ખૂબ મોટો યુનિક પ્રોગ્રામ થવાનો છે. તેમાં મુવમેન્ટ ઓફ સનને સેલિબ્રેટ કરવામાં આવશે, એટલે કે, સૂરજ જેમ-જેમ યાત્રા કરશે, ધરતીનાં ભિન્ન-ભિન્ન સ્થળોએથી, આપણે યોગનાં માધ્યમથી તેનું સ્વાગત કરીશું. અલગ-અલગ દેશોમાંનાં ઇન્ડિયન મિશન્સ ત્યાંના લોકલ ટાઇમ પ્રમાણે સૂર્યોદયનાં સમયે યોગ કાર્યક્રમનું આયોજન કરશે. એક દેશ પછી બીજાં દેશમાં કાર્યક્રમ શરૂ થશે. પૂર્વથી પશ્ચિમ સુધી નિરંતર યાત્રા ચાલતી રહેશે, અને એવી જ રીતે, કાર્યક્રમ આગળ વધતો રહેશે. આ કાર્યક્રમોની સ્ટ્રિમીંગ પણ એવી જ રીતે એક પછી એક, જોડાતી જશે, એટલે કે, આ એક રીતે રીલે યોગા સ્ટ્રિમીંગ ઇવેન્ટ હશે. તમે પણ બધાં તેને જરૂર જોજો.
સાથીઓ, આપણાં દેશમાં આ વખતે ‘અમૃત મહોત્સવ’ ને ધ્યાનમાં રાખીને દેશનાં 75 પ્રમુખ સ્થળો પર પણ ‘અંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નું આયોજન થશે.
આ અવસર પર કેટલાય સંગઠનો અને દેશવાસીઓ પોતપોતાનાં સ્તર પર પોતપોતાનાં ક્ષેત્રોની ખાસ જગ્યાઓ પર કંઇક ને કંઇક ઇનોવેટીવ કરવાની તૈયારી કરી રહ્યાં છે. હું, તમને પણ આગ્રહ કરું છું કે આ વખતે યોગ દિવસ ઊજવવા માટે, તમે, તમારા શહેર, કસ્બા અથવા ગામમાં કોઇ એવી જગ્યા પસંદ કરો જે સૌથી વિશેષ હોય. આ જગ્યા કોઇ પ્રાચીન મંદિર કે પર્યટન કેન્દ્ર હોઇ શકે છે, અથવા તો કોઇ પ્રસિદ્ધ નદી, ઝરણું અથવા તળાવનો કિનારો પણ હોઇ શકે છે. તેનાથી યોગની સાથોસાથ તમારાં વિસ્તારની ઓળખ પણ વધશે અને પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. અત્યારે ‘યોગ દિવસ’ ને લઇને 100 દિવસનું કાઉન્ટડાઉન પણ ચાલી રહ્યું છે, અથવા એમ કહો કે ખાનગી અને સામાજિક પ્રયાસો મારફત યોજાનાર કાર્યક્રમે, ત્રણ મહિના પહેલાંથી જ શરૂ થઇ ચૂક્યા છે. જેમ કે દિલ્લીમાં 100માં દિવસના અને 75માં દિવસના કાઉન્ટડાઉન પ્રોગ્રામ્સ થયાં છે. એવી જ રીતે આસામનાં શિવસાગરમાં 50માં અને હૈદરાબાદમાં 25માં કાઉન્ટડાઉન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. હું ઇચ્છું છું કે તમે પણ અત્યારથી ‘યોગ દિવસ’ ની તૈયારિયો શરૂ કરી દો. વધુને વધુ લોકોને મળો, બધાને ‘યોગ દિવસ’નાં કાર્યક્રમ સાથે જોડાવા માટે આગ્રહ કરો, પ્રેરિત કરો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે બધા ‘યોગ દિવસ’ માં ઉત્સાહભેર જોડાશો, સાથે સાથે યોગને પોતાના રોજીંદા જીવનમાં પણ અપનાવશો.
સાથીઓ, થોડાં દિવસ પહેલાં હું જાપાન ગયો હતો. મારાં કેટલાંય કાર્યક્રમો વચ્ચે મને કેટલાંક શાનદાર લોકોને મળવાનો અવસર મળ્યો. હું ‘મન કી બાત’ માં તમારી સાથે તેમનાં વિશે વાત કરવા માગું છું. તે લોકો છે તો જાપાનનાં, પરન્તુ ભારત માટે તેમને ગજબની લાગણી અને પ્રેમ છે. તેમાંના એક છે હિરોશિ કોઇકેજી, જે એક પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર છે. તમને એ જાણીને ખુશી થશે કે તેમણે મહાભારત પ્રોજેક્ટને ડિરેક્ટ કર્યો છે. આ પ્રોજેક્ટની શરૂઆત કમ્બોડિયામાં થઇ હતી અને પાછલાં નવ વર્ષોથી તે નિરંતર ચાલે છે. હિરોશિ કોઇકેજી દરેક કાર્ય ખૂબ જ નોખી રીતે કરે છે. તેઓ દર વર્ષે એશિયાનાં કોઇ એક દેશની યાત્રા કરે છે અને ત્યાંનાં લોકલ આર્ટિસ્ટ અને મ્યુજિશીયનની સાથે મહાભારતનાં કેટલાંક અંશોને પ્રોડ્યુસ કરે છે. આ પ્રોજેક્ટનાં માધ્યમથી તેમણે ભારત, કમ્બોડિયા અને ઇન્ડોનેશિયાની સહિત નવ દેશોમાં પ્રોડક્શન કર્યા છે અને સ્ટેજ પ્રર્ફોર્મન્સ પણ આપ્યા છે. હિરોશિ કોઇકેજી એવાં કલાકારોને સાથે એકત્ર કરે છે જેમનું ક્લાસિકલ અને ટ્રેડિશનલ એશિયન પરફોર્મિગ આર્ટમાં ડાયવર્સ બેકગ્રાઉન્ડ રહેલું હોય. આના કારણે તેમનાં કામમાં વિવિધ રંગો જોવા મળે છે. ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા અને જાપાનનાં પર્ફોમર્સ જાવા નૃત્ય, બાલી નૃત્ય, થાઈ નૃત્યનાં માધ્યમથી તેને વધુ આકર્ષક બનાવે છે. ખાસ વાત એ છે કે, તેમાં પ્રત્યેક પરફોર્મર પોતાની જ માતૃભાષામાં બોલે છે અને કોરિયોગ્રાફી ખૂબ સુંદર રીતે આ વિવિધતાને પ્રદર્શિત કરે છે. અને મ્યુઝિકની ડાયવર્સિટી આ પ્રોડક્શનને વધુ જીવંત બનાવી દે છે. તેમનો હેતુ એ વાતને ઊજાગર કરવાનો છે કે આપણાં સમાજમાં ડાયવર્સિટી અને કો-એક્ઝિસ્ટન્સ નું શું મહત્વ છે અને શાંતિનું રૂપ વાસ્તવમાં કેવું હોવું જોઇએ.
આ સિવાય, હું જાપાનમાં અન્ય જે બે લોકોને મળ્યો તે છે – આત્સુશિ માત્સુઓજી અને કેન્જી યોશીજી. આ બંને ટેમ પ્રોડક્શન કંપની સાથે જોડાયેલા છે. આ કંપનીનો સંબંધ રામાયણની તે જાપાની એનિમેશન ફિલ્મ સાથે છે જે 1993 માં રિલીઝ થઇ હતી. આ પ્રોજેક્ટ જાપાનનાં ખૂબ પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર યુગો સાકોજી સાથે જોડાયેલો હતો. લગભગ 40 વર્ષ પહેલાં, 1983 માં, તેમને પહેલી વાર રામાયણ વિશે જાણવા મળ્યું હતું. ‘રામાયણ’ તેમનાં હ્રદયને સ્પર્શી ગયી, ત્યાર બાદ તેમણે તેનાં પર ઊંડાણપૂર્વક રિસર્ચ શરૂ કર્યું. આટલું જ નહીં પણ તેમણે જાપાની ભાષામાં રામાયણનાં 10 વર્ઝન વાંચી નાખ્યા. અને તેઓ અહીં જ ન અટક્યા તેઓ તેને એનિમેશનમાં પણ રૂપાંતરિક કરવા માંગતા હતા. આ માટે ઇન્ડિયન એનિમેટર્સે પણ તેમની ઘણી મદદ કરી, તેમને ફિલ્મમાં દેખાડવામાં આવેલ ભારતીય રીતી-રિવાજો અને પરંપરાઓ વિશે ગાઇડ કરવામાં આવ્યાં. તેમને જણાવવામાં આવ્યું કે ભારતમાં લોકો ધોતી કેવી રીતે પહેરે છે, સાડી કેવી રીતે પહેરે છે, વાળ કેવી રીતે ઓળે છે. બાળકો પરિવારમાં અંદરોઅંદર એકબીજાનું માન-સમ્માન કેવી રીતે કરે છે, આશીર્વાદની પરંપરા શું હોય છે. સવારે ઉઠીને પોતાના ઘરનાં જે વડીલો છે તેમને પ્રણામ કરવું, તેમનાં આશીર્વાદ લેવા – આ તમામ બાબતો 30 વર્ષો પછી હવે આ એનિમેશન ફિલ્મ ફરીથી 4k માં રી-માસ્ટર કરાઈ રહી છે. આ પ્રોજેક્ટ ખૂબ ઝડપથી પૂરો થવાની સંભાવના છે. આપણાથી હજારો કિલોમીટર દૂર જાપાનમાં રહેતા લોકો, જે ન તો આપણી ભાષા જાણે છે, ન તો આપણી પરમ્પરાઓ વિશે એટલું જાણે છે, તેમ છતાં તેમનું આપણી સંસ્કૃતિ માટેનું સમર્પણ, શ્રદ્ધા, આદર ખૂબ પ્રશંસનીય છે. – કયો હિન્દુસ્તાની આ વાત માટે ગર્વ નહીં કરે ?
મારા વહાલાં દેશવાસીઓ, સ્વ થી ઉપર ઊઠીને સમાજની સેવાનો મંત્ર, સેલ્ફ ફોર સોસાયટીનો મંત્ર, આપણાં સંસ્કારોનો ભાગ છે. આપણાં દેશમાં અગણિત લોકોએ આ મંત્રને પોતાના જીવનનો ધ્યેય બનાવેલ છે. મને આંધ્રપ્રદેશમાં, મર્કાપુરમમાં રહેતાં એક સાથી, રામ ભૂપાલ રેડ્ડીજી વિશે જાણકારી મળી. તમે જાણીને અચંબામાં મૂકાશો કે રામભૂપાલ રેડ્ડીજીએ રિટાયરમેન્ટ પછી મળેલી પોતાની સંપૂર્ણ કમાણીને દિકરીઓના અભ્યાસ માટે દાન કરી દીધી છે. તેમણે લગભગ 100 જેટલી દીકરીઓ માટે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ખાતા ખોલાવ્યા અને તેમાં પોતાનાં 25 લાખથી પણ વધુ રૂપિયા જમા કરાવી દીધા. આવી જ સેવાનું અન્ય એક ઉદાહરણ યૂ.પી. માં આગરાનાં કચૌરા ગામનું છે. ઘણાં વર્ષોથી આ ગામમાં મીઠા પાણીની તંગી હતી. આ દરમિયાન, ગામનાં એક ખેડૂત કુંવરસિંહ ને ગામથી 6-7 કિલોમીટર દૂર પોતાનાં ખેતરમાં મીઠું પાણી મળી ગયું. તે તેમનાં માટે ખૂબ આનંદનો અવસર હતો. તેમણે વિચાર્યું કે આ પાણીથી ગામના બાકીનાં તમામ લોકોની સેવા કરીએ તો કેવું સારું. પરન્તુ ખેતરથી ગામ સુધી પાણી લઇ જવા માટે 30-32 લાખ રૂપિયા જોઇતા હતા. થોડાંક સમય પછી કુંવર સિંહનાં નાનાં ભાઇ શ્યામ સિંહ સેનામાંથી નિવૃત થઇને ગામ આવ્યા. તેમને આ વાત જાણવા મળી. તેમણે નિવૃતિ સમયે મળેલ પોતાની સંપૂર્ણ ધનરાશિ આ કામ માટે આપી દીધી અને ખેતરથી ગામ સુધી પાઇપલાઇન પાથરીને ગામનાં લોકો સુધી મીઠું પાણી પહોંચાડ્યું. જો ઇચ્છાશક્તિ હોય, પોતાના કર્તવ્યો પ્રત્યે ગંભીરતા હોય, તો એક વ્યક્તિ પણ કેવી રીતે સમગ્ર સમાજનું ભવિષ્ય બદલી શકે છે, આ પ્રયત્ન તે વાતની સૌથી મોટી પ્રેરણા છે.
આપણે કર્તવ્ય પથ પર ચાલીને જ સમાજને સશક્ત કરી શકીએ છીએ, દેશને સશક્ત કરી શકીએ છીએ. આઝાદીનાં આ ‘અમૃત મહોત્સવ’ માં આ જ આપણો સંકલ્પ હોવો જોઇએ અને આ જ આપણી સાધના પણ હોવી જોઇએ અને જેનો એક જ માર્ગ છે – કર્તવ્ય, કર્તવ્ય અને કર્તવ્ય.
મારાં વહાલાં દેશવાસીઓ, આજે ‘મન કી બાત’ માં આપણે સમાજ સાથે જોડાયેલાં કેટલાંય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. તમે બધા, અલગ-અલગ વિષયો સાથે જોડાયેલાં મહત્વપૂર્ણ સૂચનો મને મોકલતાં રહો છો, અને તેનાં જ આધારે આપણી ચર્ચા આગળ વધે છે. ‘મન કી બાત’ નાં આગામી સંસ્કરણ માટે પણ આપના સૂચનો મોકલવાનું ભૂલતા નહીં. હાલમાં આઝાદીનાં અમૃત મહોત્સવ સાથે જોડાયેલ જે કાર્યક્રમ ચાલી રહ્યાં છે, જે આયોજનોમાં તમે ઉપસ્થિત રહો છો, તે વિષય સંદર્ભે પણ મને જરૂર જણાવજો. Namo app અને MyGov પર હું તમારા સૂચનોની રાહ જોઇશ. આવતી વખતે આપણે ફરી એકવાર મળીશું, ફરીથી દેશવાસીઓ સાથે જોડાયેલ આવાં જ વિષયો પર વાતો કરીશું. તમે, તમારું ધ્યાન રાખજો અને તમારી આસપાસના તમામ જીવજંતુઓનો પણ ખ્યાલ રાખજો. ઉનાળાની આ ઋતુમાં તમે પશુ-પક્ષીઓ માટે દાણાં-પાણી આપવાનું તમારું માનવીય દાયિત્વ પણ નિભાવતા રહો – તે જરૂર યાદ રાખજો, ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
નવા વિષયો સાથે, નવાં પ્રેરક ઉદાહરણો સાથે, નવા-નવા સંદેશાઓને સમેટીને એક વાર ફરી હું તમારી સાથે ‘મન કી બાત’ કરવા આવ્યો છું. શું તમને ખબર છે કે આ વખતે મને સૌથી વધુ પત્રો અને સંદેશ કયા વિષય પર મળ્યા છે? એ વિષય એવો છે જે ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય સાથે જોડાયેલો છે. હું વાત કરી રહ્યો છું દેશને મળેલા પ્રધાનમંત્રીસંગ્રહાલયની. આ ૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પર પ્રધાનમંત્રીસંગ્રહાલયનું લોકાર્પણ થયું છે. તેને દેશના નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એક શ્રોતા છે શ્રીમાન સાર્થકજી, તેઓ ગુરુગ્રામ રહે છે અને પહેલી તક મળતા જ તેઓ પ્રધાનમંત્રીસંગ્રહાલય જોવા આવ્યા છે. સાર્થકજીએ Namo App પર જે સંદેશ મને લખ્યો છે તે ખૂબ જ રસપ્રદ છે. તેમણે લખ્યું છે કે તેઓ વર્ષોથી સમાચાર ચેનલો જુએ છે, સમાચારપત્રો વાંચે છે, સૉશિયલ મિડિયા સાથે પણ જોડાયેલા છે, આથી તેમને લાગતું હતું કે તેમનું સામાન્ય જ્ઞાન સારું હશે, પરંતુ જ્યારે તેઓ પી. એમ. સંગ્રહાલય ગયા તો તેમને ખૂબ જ આશ્ચર્ય થયું, તેમને અનુભવાયું કે તેઓ પોતાના દેશ અને દેશનું નેતૃત્વ કરનારા લોકો વિશે ઘણું બધું જાણતા જ નથી. તેમણે પી. એમ. સંગ્રહાલયની કેટલીક એવી ચીજો વિશે લખ્યું છે જે તેમની જિજ્ઞાસાને વધારનારી હતી, જેમ કે તેમને લાલબહાદુર શાસ્ત્રીજીનો તે ચરખો જોઈને ઘણી ખુશી થઈ, જે તેમને સાસરિયા પક્ષ તરફથી ભેટ મળ્યો હતો. તેમણે શાસ્ત્રીજીની પાસબુક પણ જોઈ અને એ પણ જોયું કે તેમની પાસે કેટલી ઓછી બચત હતી. સાર્થકજીએ લખ્યું છે કે તેમને એ પણ નહોતી ખબર કે મોરારજીભાઈ દેસાઈ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાતા પહેલાં ગુજરાતમાં નાયબ કલેક્ટર હતા. પ્રશાસનિક સેવામાં તેમની એક લાંબી કારકિર્દી રહી છે. સાર્થકજી, ચૌધરી ચરણસિંહજી વિશે લખે છે કે તેમને ખબર જ નહોતી કે જમીનદારી ઉન્મૂલન ક્ષેત્રમાં ચૌધરી ચરણસિંહજીનું ખૂબ જ મોટું યોગદાન હતું. એટલું જ નહીં, તેઓ વધુમાં લખે છે કે જ્યારે જમીન સુધારાના વિષયમાં ત્યાં તેમણે જોયું કે
શ્રીમાન પી. વી. નરસિમ્હારાવજી જમીન સુધારાના કામમાં ખૂબ જ ગાઢ રૂચિ લેતા હતા.સાર્થકજીને પણ આ મ્યૂઝિયમમાં આવીને જ ખબર પડી કે ચંદ્રશેખરજીએ ૪ હજાર કિલોમીટરથી વધુ પગપાળા ચાલીને ઐતિહાસિક ભારત યાત્રા કરી હતી. તેમણે જ્યારે સંગ્રહાલયમાં એ ચીજોને જોઈ જે અટલજી ઉપયોગ કરતા હતા, તેમનાં ભાષણોને સાંભળ્યાં તો તેઓ ગર્વાન્વિત થઈ ગયા. સાર્થકજીએ એ પણ કહ્યું કે આ સંગ્રહાલયમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડૉ. આંબેડકર, જયપ્રકાશ નારાયણ અને આપણા પ્રધાનમંત્રીજવાહરલાલ નહેરુ વિશે પણ ઘણી રોચક જાણકારીઓ છે.
સાથીઓ, દેશના વડા પ્રધાનોના યોગદાનને યાદ કરવા માટે સ્વતંત્રતાના અમૃત મહોત્સવથી વધુ સારો સમય કયો હોઈ શકે? દેશ માટે ગૌરવની વાત છે કે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એક જન આંદોલનનું રૂપ લઈ રહ્યો છે. ઇતિહાસ વિશે લોકોનો રસ ઘણો વધી રહ્યો છે અને તેવામાં પી. એમ. મ્યૂઝિયમ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જે દેશના અણમોલ વારસા સાથે તેમને જોડી રહ્યું છે.
એમ તો, સાથીઓ, જ્યારે સંગ્રહાલય વિશે તમારી સાથે આટલી વાતો થઈ રહી છે તો મને મન થયું કે હું પણ તમને કેટલાક પ્રશ્નો કરું. જોઈએ કે તમારું સામાન્ય જ્ઞાન કેટલું છે? તમને કેટલી જાણકારી છે? મારા નવયુવાન સાથીઓ, તમે તૈયાર છો? કાગળ, કલમ હાથમાં લઈ લીધાં? હવે હું તમને જે પૂછવા જઈ રહ્યો છું તેનો ઉત્તર Namo App કે સૉશિયલ મિડિયા પર #museumquiz સાથે શૅર કરી શકો છો અને અવશ્ય કરો. મારો તમને અનુરોધ છે કે તમે આ બધા પ્રશ્નોના જવાબ જરૂર આપો. તેનાથી દેશભરના લોકોને સંગ્રહાલય વિશે રસ વધુ વધશે. શું તમે જાણો છો કે દેશના કયા શહેરમાં એક પ્રસિદ્ધ રેલવે સંગ્રહાલય છે, જ્યાં છેલ્લાં ૪૫ વર્ષથી લોકોને ભારતીય રેલવેના વારસાને જોવાની તક મળે છે? હું તમને એક સંકેત આપું છું. તમે અહીં Fairy Queen, Saloon Of Prince Of Walesથી લઈને Fireless Steam Locomotive પણ જોઈ શકો છો. શું તમે જાણો છો કે મુંબઈમાં એ કયું સંગ્રહાલય છે જ્યાં આપણને બહુ જ રોચક રીતે ચલણ (કરન્સી)નો વિકાસ (ઇવૉલ્યૂશન) જોવા મળે છે?
અહીં ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિના સિક્કા હાજર છે તો બીજી તરફ ઇ-મની પણ હાજર છે. ત્રીજો પ્રશ્ન. વિરાસત એ ખાલસા આ સંગ્રહાલય સાથે જોડાયેલી છે. શું તમે જાણો છો કે આ સંગ્રહાલય પંજાબના કયા શહેરમાં આવેલું છે? પતંગબાજીમાં તો તમને સહુને ખૂબ જ આનંદ આવતો હશે, આગલો પ્રશ્ન તેની સાથે જોડાયેલો છે. દેશનું એક માત્ર પતંગ સંગ્રહાલય ક્યાં છે? ચાલો, હું તમને એક સંકેત આપું છું. અહીં જે સૌથી મોટો પતંગ રાખ્યો છે તેનો આકાર ૨૨ x (ગુણ્યા/બાય)૧૬ ફૂટ છે. કંઈ ખબર પડી કે નહીં? નહીં? તો એક વધુ ચીજ કહું છું. તે જે શહેરમાં છે તેનો બાપુ સાથે વિશેષ સંબંધ રહ્યો છે. બાળપણમાં ટપાલ ટિકિટોના સંગ્રહનો શોખ કોને નથી હોતો. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં ટપાલ ટિકિટ સાથે જોડાયેલું નેશનલ મ્યૂઝિયમ ક્યાં છે? હું તમને એક વધુ પ્રશ્ન કરું છું. ગુલશન મહલ નામના ભવનમાં કયું મ્યૂઝિયમછે? તમારા માટે સંકેત એ છે કે આ સંગ્રહાલયમાં તમે ફિલ્મના નિર્દેશક પણ બની શકો છો, કેમેરા, એડિટિંગની ઝીણામાં ઝીણી બાબતોને પણ જોઈ શકો છો. અચ્છા, શું તમે એવા કોઈ સંગ્રહાલય વિશે જાણો છો જે ભારતના કાપડ સાથે જોડાયેલા વારસાની ઉજવણી કરે છે? આ સંગ્રહાલયમાં મિનિયેચર પેઇન્ટિંગ્સ, જૈન મેનૂસ્ક્રિપ્ટ્સ, સ્કલ્પ્ચર, ઘણું બધું છે. તે પોતાના અનોખા પ્રદર્શન માટે પણ જાણીતું છે.
સાથીઓ, ટૅક્નૉલૉજીના આ સમયમાં તમારા માટે જવાબ શોધવો ઘણો સરળ છે. આ પ્રશ્નો મેં એટલા માટે પૂછ્યા જેથી આપણી નવી પેઢીમાં જિજ્ઞાસા વધે, તેઓ તેના વિશે વધુ વાંચે, તેમને જોવા જાય. હવે તો સંગ્રહાલયના મહત્ત્વના કારણે અનેક લોકો, પોતે આગળ આવીને, મ્યૂઝિયમ માટે ઘણું દાન પણ કરી રહ્યા છે. ઘણા લોકો પોતાના જૂના કલેક્શનને, ઐતિહાસિક વસ્તુઓને પણ મ્યૂઝિયમને દાનમાં આપી રહ્યા છે. તમે જ્યારે આવું કરો છો તે એક રીતે તમે એક સાંસ્કૃતિક મૂડીને સમગ્ર સમાજ સાથે વહેંચો છો. ભારતમાં પણ લોકો હવે તેના માટે આગળ આવી રહ્યા છે. હું, આવા બધા ખાનગી પ્રયાસોની પણ પ્રશંસા કરું છું. આજે બદલાતા સમયમાં અને કૉવિડ પ્રૉટૉકૉલના કારણે મ્યૂઝિયમમાં નવી રીતભાત અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મ્યૂઝિયમમાં ડિજિટાઇઝેશન પર પણ ધ્યાન વધ્યું છે.
તમે બધા જાણો છો કે ૧૮ મેએ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવશે. તેને જોતાં, મારા યુવાન સાથીઓ માટે મારી પાસે એક આઇડિયા છે. આવનારા રજાના દિવસોમાં, તમે તમારી મિત્રોની મંડળી સાથે, કોઈ સ્થાનિક મ્યૂઝિયમ જોવા જાવ તો કેવું? તમે તમારો અનુભવ #MuseumMemories ની સાથે જરૂર શૅર કરો. તમે આવું કરશો તો બીજાના મનમાં પણ સંગ્રહાલય વિશે જિજ્ઞાસા વધશે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે તમારા જીવનમાં ઘણા સંકલ્પ લેતા હશો. તેમને પૂરા કરવા માટે પરિશ્રમ પણ કરતા હશો. સાથીઓ, પરંતુ તાજેતરમાં જ, મને એવા સંકલ્પ વિશે જાણવા મળ્યું, જે ખરેખર ઘણો અલગ હતો, ઘણો અનોખો હતો. આથી મેં વિચાર્યું કે ‘મન કી બાત’ના શ્રોતાઓને તે જરૂર જણાવું.
સાથીઓ, શું તમે વિચારી શકો છો કે કોઈ પોતાના ઘરેથી એવો સંકલ્પ લઈને નીકળે કે આજે દિવસભર તે આખું શહેર ફરશે અને એક પણ પૈસાની લેવડદેવડ રોકડમાં નહીં કરે? કેશમાં નહીં કરે? છે ને રસપ્રદ સંકલ્પ? દિલ્લીની બે દીકરીઓ સાગરિકા અને પ્રેક્ષાએ આવા જ કેશલેસ ડે આઉટનો એક્સ્પેરિમેન્ટ કર્યો. સાગરિકા અને પ્રેક્ષા દિલ્લીમાં જ્યાં પણ ગઈ, તેમને ડિજિટલ પેમેન્ટની સુવિધા મળી ગઈ. યુપીઆઈ ક્યૂઆર કૉડના કારણે તેમને રોકડા કાઢવાની જરૂર જ ન પડી. ત્યાં સુધી કે સ્ટ્રીટ ફૂડ અને લારી પર પણ મોટા ભાગની જગ્યાએ તેમને ઑનલાઇન લેવડદેવડની સુવિધા મળી.
સાથીઓ, કોઈ કહેશે કે આ તો દિલ્લી છે, મેટ્રૉ સિટી છે, ત્યાં તો આ બધું સરળ છે. પરંતુ એવું નથી કે યુપીઆઈનો આ પ્રસાર માત્ર દિલ્લી જેવાં મોટાં શહેરો પૂરતો જ સીમિત છે. એક સંદેશ મને ગાઝિયાબાદથી આનંદિતા ત્રિપાઠીનો પણ મળ્યો છે. આનંદિતા ગયા સપ્તાહે પોતાના પતિની સાથે નૉર્થ ઇસ્ટ ફરવા ગયાં હતાં. તેમણે આસામથી લઈને મેઘાલય અને અરુણાચલ પ્રદેશના તવાંગ સુધી પોતાની મુસાફરીનો અનુભવ મને જણાવ્યો. તમને એ જાણીને સુખદ આશ્ચર્ય થશે કે અનેક દિવસોની આ મુસાફરીમાં અંતરિયાળ વિસ્તારોમાં પણ તેમને રોકડા કાઢવાની જરૂરિયાત જ ન પડી. જે જગ્યાઓ પર કેટલાંક વર્ષો પહેલાં સુધી ઇન્ટરનેટની સુવિધા પણ નહોતી,
ત્યાં પણ હવે યુપીઆઈથી પેમેન્ટની સુવિધા હાજર છે. સાગરિકા, પ્રેક્ષા અને આનંદિતાના અનુભવોને જોઈને હું તમને પણ અનુરોધ કરીશ કે કેશલેસ ડે આઉટનો ઍક્સ્પેરિમેન્ટ કરી જુઓ, જરૂર કરો.
સાથીઓ, ગત કેટલાંક વર્ષોમાં ભીમ યુપીઆઈ ઝડપથી આપણા અર્થતંત્ર અને ટેવોનો ભાગ બની ગઈ છે. હવે તો નાનાં-નાનાં શહેરોમાં અને મોટા ભાગનાં ગામોમાં પણ લોકો યુપીઆઈથી જ લેવડદેવડ કરે છે. ડિજિટલ ઇકૉનૉમીથી દેશમાં એક સંસ્કૃતિ પણ જન્મી રહી છે. ગલી-વિસ્તારોની નાની-નાની દુકાનોમાં ડિજિટલ પેમેન્ટ હોવાના કારણે તેમને વધુમાં વધુ ગ્રાહકોને સર્વિસ દેવાનું સરળ થઈ ગયું છે. તેમને હવે છુટ્ટા પૈસાની પણ તકલીફ નથી થતી. તમે પણ યુપીઆઈની સુવિધા રોજિંદા જીવનમાં અનુભવતા હશો. ક્યાંય પણ જાવ, રોકડા લઈને જવાની, બૅંક જવાની, ઍટીએમ શોધવાની ઝંઝટ નથી રહી. મોબાઇલથી જ બધાં પેમેન્ટ થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા આ નાનાં-નાનાં ઑનલાઇન પેમેન્ટથી દેશમાં કેટલી મોટી ડિજિટલ ઇકૉનૉમી તૈયાર થઈ છે? આ સમયે આપણા દેશમાં લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાની લેવડદેવડ દરરોજ થઈ રહી છે. ગત માર્ચ મહિનામાં તો યુપીઆઈ લેવડદેવડ લગભગ ૧૦ લાખ કરોડ સુધી પહોંચી ગઈ. તેનાથી દેશમાં સુવિધા પણ વધી રહી છે અને પ્રમાણિકતાનું વાતાવરણ પણ બની રહ્યું છે. હવે તો દેશમાં Fin-Techસાથે જોડાયેલાં અનેક નવાં સ્ટાર્ટ-અપ પણ આગળ વધી રહ્યાં છે. હું ઈચ્છીશ કે જો તમારી પાસે પણ ડિજિટલ પેમેન્ટ અને સ્ટાર્ટ અપ ઇકૉ સિસ્ટમની આ શક્તિ સાથે જોડાયેલા કોઈ અનુભવ હોય તો તેમને જણાવો. તમારા અનુભવ બીજા અનેક દેશવાસીઓ માટે પ્રેરણા બની શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ટૅક્નૉલૉજીની આ શક્તિ સામાન્ય લોકોનું જીવન બદલી રહી છે, તે આપણને આપણી આસપાસ સતત દેખાઈ રહ્યું છે. ટૅક્નૉલૉજીએ એક બીજું મોટું કામ કર્યું છે. આ કામ છે દિવ્યાંગ સાથીઓની અસાધારણ ક્ષમતાનો લાભ, દેશ અને દુનિયાને અપાવવાનો. આપણાં દિવ્યાંગ ભાઈ-બહેન શું કરી શકે છે તે આપણે ટૉકિયો પેરાલિમ્પિક્સમાં જોયું છે. રમતની જેમ જ કળા, શિક્ષણ અને બીજાં અનેક ક્ષેત્રોમાં દિવ્યાંગ સાથીઓ કમાલ કરી રહ્યા છે. પરંતુ જ્યારે આ સાથીઓને ટૅક્નૉલૉજીની તાકાત મળી જાય છે,
તો તેઓ વધુમોટાં શિખર સર કરી શકે છે. આથી દેશ આજકાલ સતત સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દિવ્યાંગો માટે સુલભ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. દેશમાં એવાં અનેક સ્ટાર્ટ અપ્સ અને સંગઠન પણ છે જે આ દિશામાં પ્રેરણાદાયી કામ કરી રહ્યાં છે. આવી જ એક સંસ્થા છે- Voice Of Specially-abled people, આ સંસ્થા assistive technologyના ક્ષેત્રમાં નવા અવસરોને પ્રમૉટ કરે છે. જે દિવ્યાંગ કલાકાર છે તેમના કામને, દુનિયા સુધી પહોંચાડવા માટે એક નવીન શરૂઆત પણ કરવામાં આવી છે. Voice Of Specially-abledpeopleના આ કલાકારોનાં ચિત્રોની ડિજિટલ આર્ટ ગેલેરી તૈયાર કરી છે. દિવ્યાંગ સાથી કઈ રીતે અસાધારણ પ્રતિભા ધરાવતા હોય છે અને તેમની પાસે કેટલી અસાધારણ ક્ષમતા હોય છે- આ આર્ટ ગેલેરી તેનું ઉત્તમ ઉદાહરણ છે. દિવ્યાંગ સાથીઓના જીવનમાં કેવા-કેવા પડકારો હોય છે, તેમાંથી નીકળીને તેઓ ક્યાં સુધી પહોંચે છે! આવા અનેક વિષયોને આ ચિત્રોમાં તમે અનુભવી શકો છો. તમે પણ જો કોઈ દિવ્યાંગ સાથીને જાણતા હો, તેમની પ્રતિભાને જાણતા હો તો ડિજિટલ ટૅક્નૉલૉજીની મદદથી તેને દુનિયા સામે લાવી શકો છો. જે દિવ્યાંગ સાથી છે તે પણ આ પ્રકારના પ્રયાસો સાથે જરૂર જોડાય.
મારા પ્રિય દેશવાસીઓ, દેશના મોટા ભાગના હિસ્સામાં ગરમી ખૂબ ઝડપથી વધી રહી છે. વધી રહેલી ગરમી, પાણી બચાવવાની આપણી જવાબદારીને પણ એટલી જ વધારી દે છે. બની શકે કે તમે જ્યાં હો ત્યાં પર્યાપ્ત માત્રામાં પાણી ઉપલબ્ધ હોય. પરંતુ તમારે એ કરોડો લોકોને હંમેશાં યાદ રાખવાના છે જે જળ સંકટવાળાં ક્ષેત્રોમાં રહે છે, જેમના માટે પાણીનું એક-એક ટીપું અમૃત સમાન હોય છે.
સાથીઓ, આ સમયે સ્વતંત્રતાનાં ૭૫મા વર્ષમાં, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં, દેશ જે સંકલ્પો સાથે આગળ વધી રહ્યો છે, તેમાં એક જળ સંરક્ષણ પણ છે. અમૃત મહોત્સવ દરમિયાન દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવામાં આવશે.
તમે કલ્પના કરી શકો છો કે કેટલું મોટું અભિયાન છે? તે દિવસો દૂર નથી જ્યારે તમારાં પોતાનાં શહેરોમાં ૭૫ અમૃત સરોવર હશે. હું, તમને સહુને, અને ખાસ કરીને, યુવાનો પાસેથી ઈચ્છીશ કે તેઓ આ અભિયાન વિશે જાણે અને તેમની જવાબદારી પણ ઉઠાવે. જો તમારા ક્ષેત્રમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલો કોઈ ઇતિહાસ હોય, કોઈ સેનાનીની સ્મૃતિ હોય તો તેને પણ અમૃત સરોવર સાથે જોડી શકો છો. એમ તો, મને એ જાણીને સારું લાગ્યું કે અમૃત સરોવરનો સંકલ્પ લીધા પછી અનેક સ્થળો પર ઝડપથી કામ શરૂ થઈ ચૂક્યું છે. મને યુપીના રામપુરની ગ્રામ પંચાયત પટવાઈ વિશે જાણવા મળ્યું છે. ત્યાં ગ્રામ સભાની ભૂમિ પર એક તળાવ હતું, પરંતુ તે ગંદકી અને કચરાના ઢગલાથી ખદબદતું હતું. છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં, ઘણી મહેનત કરીને, સ્થાનિક લોકોની મદદથી, સ્થાનિક શાળાનાં બાળકોની મદદથી, તે ગંદા તળાવનો કાયાકલ્પ થઈ ગયો છે. હવે, તે સરોવરના કિનારે રિટેઇનિંગ વૉલ, ચાર દીવાલો, ફૂડ કૉર્ટ, ફૂવારા અને લાઇટિંગની પણ ન જાણે, કેટ-કેટલી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હું રામપુરની પટવાઈ ગ્રામ પંચાયતને, ગામના લોકોને, ત્યાંનાં બાળકોના આ પ્રયાસ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
સાથીઓ, પાણીની ઉપલબ્ધતા અને પાણીની તંગી, આ કોઈ પણ દેશની પ્રગતિ અને ગતિને નિર્ધારિત કરે છે. તમે પણ અવલોકન કર્યું હશે કે ‘મન કી બાત’માં, હું, સ્વચ્છતા જેવા વિષયો સાથે વારંવાર જળ સંરક્ષણની વાત જરૂર કરું છું. આપણા ગ્રંથમાં તો સ્પષ્ટ રૂપે કહેવાયું છે કે-
पानियम् परमम् लोके, जीवानाम् जीवनम् समृतम ।।
અર્થાત્, સંસારમાં, જળ જ, દરેક જીવના, જીવનનો આધાર છે અને જળ જ સૌથી મોટું સંસાધન પણ છે. આથી તો આપણા પૂર્વજોએ જળ સંરક્ષણ પર આટલું જોર આપ્યું. વેદોથી લઈને પુરાણો સુધી, દરેક જગ્યાએ પાણી બચાવવા માટે, તળાવ, સરોવર વગેરે બનાવવાને, મનુષ્યનું સામાજિક અને આધ્યાત્મિક કર્તવ્ય બતાવવામાં આવ્યું છે. વાલ્મીકિ રામાયણમાં જળ સ્ત્રોતોને જોડવા પર, જળ સંરક્ષણ પર, વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આ જ રીતે, ઇતિહાસના સ્ટુડન્ટ્સ જાણતા હશે કે સિન્ધુ સરસ્વતી અને હડપ્પા સભ્યતા દરમિયાન પણ ભારતમાં પાણી સંબંધે કેટલી વિકસિત એન્જિનિયરિંગ હતી. પ્રાચીન કાળમાં અનેક શહેરોમાં જળ સ્રોતોની પરસ્પર ઇન્ટર કનેક્ટેડ સિસ્ટમ રહેતી હતી, અને આ તે સમય હતો જ્યારે વસતિ એટલી બધી નહોતી. પ્રાકૃતિક સંસાધનોની પણ તંગી નહોતી. એક રીતે, વિપુલતા હતી, તેમ છતાં, જળ સંરક્ષણ વિશે, ત્યારે, જાગૃતિ સૌથી વધુ હતી. પરંતુ આજે સ્થિતિ તેનાથી વિપરીત છે. મારો તમને સહુને અનુરોધ છે, તમે તમારા વિસ્તારના આવાં જૂનાં તળાવો, કૂવા અને સરોવરો વિશે જાણો. અમૃત સરોવર અભિયાનના કારણે જળ સંરક્ષણની સાથોસાથ તમને વિસ્તારની ઓળખ પણ થશે. તેનાથી શહેરોમાં, વિસ્તારોમાં, સ્થાનિક પર્યટનનાં સ્થળ પણ વિકસિત થશે. લોકોને હરવા-ફરવાની પણ એક જગ્યા મળશે.
સાથીઓ, જળ સાથે જોડાયેલો દરેક પ્રયાસ આપણી કાલ સાથે જોડાયેલો છે. તેમાં સમગ્ર સમાજની જવાબદારી હોય છે. તેના માટે સદીઓથી અલગ-અલગ સમાજ, અલગ-અલગ પ્રયાસ સતત કરતા આવ્યા છે. જેમ કે ‘કચ્છના રણ’ની એક જનજાતિ ‘માલધારી’ જળ સંરક્ષણ માટે ‘વૃદાસ’ નામનો ઉપયોગ કરે છે. તેના હેઠળ નાના કૂવા બનાવવામાં આવે છે અને તેના બચાવ માટે આસપાસ ઝાડ લગાવવામાં આવે છે. આ જ રીતે મધ્ય પ્રદેશની ભીલ જનજાતિએ પોતાની એક ઐતિહાસિક પરંપરા ‘હલમા’ને જળ સંરક્ષણ માટે ઉપયોગ કરી છે. આ પરંપરા હેઠળ આ જનજાતિના લોકો પાણી સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉપાય શોધવા માટે એક જગ્યાએ એકત્રિત થાય છે. હલમા પરંપરાથી મળેલાં સૂચનોના કારણે આ ક્ષેત્રમાં પાણીનું સંકટ ઓછું થયું છે અને ભૂગર્ભ જળનું સ્તર પણ વધી રહ્યું છે.
સાથીઓ, આવા જ કર્તવ્યનો ભાવ જો બધાના મનમાં આવી જાય તો જળ સંકટ સાથે જોડાયેલા મોટામાં મોટા પડકારનો ઉકેલ આવી શકે છે. આવો, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં આપણે જળ સંરક્ષણ અને જીવન સંરક્ષણનો સંકલ્પ લઈએ.
આપણે ટીપું-ટીપું જળ બચાવીશું અને દરેક જીવન બચાવીશું.
મારા પ્રિય દેશવાસીઓ, તમે જોયું હશે કે કેટલાક દિવસો પહેલાં મેં મારા યુવાન મિત્રો સાથે, સ્ટુડન્ટ્સ સાથે ‘પરીક્ષા પર ચર્ચા’ કરી હતી. આ ચર્ચા દરમિયાન કેટલાક સ્ટુડન્ટ્સે કહ્યું કે તેમને એક્ઝામમાં ગણિતથી ડર લાગે છે. આ પ્રકારની વાત અનેક વિદ્યાર્થીઓએ મને પોતાના સંદેશમાં પણ મોકલી હતી. તે સમયે જ મેં એવું નક્કી કર્યું હતું કે ગણિત-મેથેમેટિક્સ પર હું આ વખતે ‘મન કી બાત’માં જરૂર ચર્ચા કરીશ.
સાથીઓ, ગણિત તો એવો વિષય છે જેના વિશે આપણે ભારતીયોએ સૌથી વધુ સહજ હોવું જોઈએ. છેવટે, ગણિત અંગે સમગ્ર દુનિયાને સૌથી વધુ શોધ અને યોગદાન ભારતના લોકોએ જ તો આપ્યું છે. શૂન્ય, અર્થાત્, ઝીરોની શોધ અને તેના મહત્ત્વ વિશે તમે ઘણું સાંભળ્યું પણ હશે. ઘણી વાર, તમે એમ પણ સાંભળતા હશો કે જો ઝીરોની શોધ ન થઈ હોત તો કદાચ આપણે, દુનિયાની આટલી વૈજ્ઞાનિક પ્રગતિ પણ ન જોઈ શક્યા હોત. કેલ્ક્યુલસથી લઈને કમ્પ્યૂટર્સ સુધી – આ બધી વૈજ્ઞાનિક શોધ ઝીરો પર જ તો આધારિત છે. ભારતના ગણિતજ્ઞો અને વિદ્વાનોએ ત્યાં સુધી લખ્યું છે કે
यत् किंचित वस्तु तत सर्व, गणितेन बिना नहि !
અર્થાત્, આ સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ પણ છે તે બધું જ ગણિત પર જ આધારિત છે. તમે વિજ્ઞાનનો અભ્યાસ યાદ કરો, તો તેનો અર્થ તમને સમજાઈ જશે. વિજ્ઞાનનો દરેક પ્રિન્સિપલ એક મેથેમેટિકલ ફૉર્મ્યુલામાં જ તો વ્યક્ત કરાય છે. ન્યૂટનના લૉઝ હોય, આઇનસ્ટાઇનનું ફેમસ ઇક્વેશન, બ્રહ્માંડ સાથે જોડાયેલું આખું વિજ્ઞાન એક ગણિત જ તો છે. હવે તો વૈજ્ઞાનિક પણ થિયરી ઑફ એવરીથિંગની પણ ચર્ચા કરે છે. અર્થાત્, એક એવી સિંગલ ફૉર્મ્યૂલા જેનાથી બ્રહ્માંડની દરેક ચીજને અભિવ્યક્ત કરી શકાય. ગણિતની મદદથી વૈજ્ઞાનિક સમજના આટલા વિસ્તારની કલ્પના આપણા ઋષિઓએ હંમેશાં કરી છે. આપણે જો શૂન્યનો આવિષ્કાર કર્યો તો સાથે જ અનંત, અર્થાત્ ઇન્ફાનાઇટને પણ ઍક્સ્પ્રેસ કર્યું છે. સામાન્ય બોલચાલમાં જ્યારે આપણે સંખ્યાઓ અને નંબર્સની વાત કરીએ છીએતો મિલિયન, બિલિયન અને ટ્રિલિયન સુધી બોલીએ અને વિચારીએ છીએ,
પરંતુ વેદોમાં અને ભારતીય ગણિતમાં આ ગણના ઘણે આગળ સુધી જાય છે. આપણે ત્યાં એક જૂનો શ્લોક પ્રચલિત છે-
एकं दशं शतं चैव, सहस्त्रम अयुतं तथा ।
लक्षं च नियुंत चैव, कोटि: अर्बुदम् एव च ।।
वृन्दं खर्वो निखर्व: च, शंख: पद्म: च सागर: ।
अन्त्यं मध्यं परार्ध: च, दश वृद्ध्या यथा क्रमम् ।।
આ શ્લોકમાં સંખ્યાનો ઑર્ડર જણાવવામાં આવ્યો છે. જેમ કે,
એક, દસ, સો, હજાર અને અયુત ।
લાખ, નિયુત, અને કોટિ એટલે કે કરોડ ।
આ પ્રકારે આ સંખ્યા જાય છે- શંખ, પદ્મ અને સાગર સુધી. એક સાગરનો અર્થ થાય છે ૧૦ની પાવર ૫૭. એટલું જ નહીં, તેનાથી આગળ પણ, ઓધ અને મહોધ જેવી સંખ્યાઓ હોય છે. એક મહોધ હોય છે- ૧૦ની પાવર ૬૨ જેટલું અર્થાત એકની આગળ ૬૨ શૂન્ય, સિક્સ્ટી ટુ ઝીરો. આપણે આટલી મોટી સંખ્યાની કલ્પના પણ મગજમાં કરીએ છીએ તો મુશ્કેલી થાય છે, પરંતુ ભારતીય ગણિતમાં તેનો પ્રયોગ હજારો વર્ષોથી થતો આવ્યો છે. હમણાં કેટલાક દિવસો પહેલાં જ મને ઇન્ટેલ કંપનીના સીઇઓ મળ્યા હતા. તેમણે મને એક પેઇન્ટિંગ આપ્યું હતું જેમાં પણ વામન અવતારના માધ્યમથી ગણના અથવા માપની આવી જ એક પદ્ધતિનું ભારતીય પદ્ધતિનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. ઇન્ટેલનું નામ આવ્યું તો કમ્પ્યૂટર તમારા મગજમાં આપોઆપ આવી ગયું હશે. કમ્પ્યૂટરની ભાષામાં તમે બાઇનરી સિસ્ટમ વિશે પણ સાંભળ્યું હશે, પરંતુ, શું તમને ખબર છે કે આપણા દેશમાં આચાર્ય પિંગળા જેવા ઋષિ થયા હતા, જેમણે બાઇનરીની કલ્પના કરી હતી. આ જ રીતે આર્યભટ્ટથી લઈને રામાનુજન જેવા ગણિતજ્ઞો સુધી ગણિતના અનેક સિદ્ધાંતો પર આપણે ત્યાં કામ થયું છે.
સાથીઓ, આપણે ભારતીયો માટે ગણિત ક્યારેય મુશ્કેલ વિષય નથી રહ્યો, તેનું એક મોટું કારણ આપણું વૈદિક ગણિત પણ છે.
આધુનિક કાળમાં વૈદિક ગણિતનો શ્રેય જાય છે- શ્રી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજને. તેમણે કેલ્ક્યુલેશનની પ્રાચીન રીતોને રિવાઇવ કરી અને તેને વૈદિક ગણિત નામ આપ્યું. વૈદિક ગણિતની સૌથી ખાસ વાત એ છે કે તેના દ્વારા તમે અઘરામાં અઘરી ગણતરીઓ આંખ પટપટાવતા સુધીમાં મનમાં જ કરી લો છો. આજ કાલ તો સૉશિયલ મિડિયા પર વૈદિક ગણિત શીખવા અને શીખવનારા આવા અનેક યુવાનોના વિડિયો પણ તમે જોયા હશે.
સાથીઓ, આજે ‘મન કી બાત’માં વૈદિક ગણિત શીખવનારા એક આવા જ સાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ સાથી છે કોલકાતાના ગૌરવ ટેકરીવાલજી. અને તેઓ છેલ્લા બે-અઢી દાયકાથી વૈદિક મેથેમેટિક્સ આ મૂવમેન્ટને ખૂબ જ સમર્પિત ભાવથી આગળ વધારી રહ્યા છે. આવો, તેમની સાથે કેટલીક વાતો કરીએ.
મોદીજી- ગૌરવજી, નમસ્તે.
ગૌરવ- નમસ્તે સર.
મોદીજી- મેં સાંભળ્યું છે કે તમે વૈદિક મેથ્સમાં ઘણી રૂચિ ધરાવો છો, ઘણું બધું કરો છો. તો પહેલા તો હું તમારા વિષયમાં કંઈક જાણવા ઈચ્છીશ અને પછી આ વિષયમાં તમારી રૂચિ કેમ છે, જરા બતાવો.
ગૌરવ- સર, જ્યારે હું વીસ વર્ષ પહેલાં, જ્યારે બિઝનેસ સ્કૂલ માટે એપ્લાય કરી રહ્યો હતો તો તેની કમ્પિટિટિવ ઍક્ઝામ આપવાની રહેતી જેનું નામ હતું કેટ. તેમાં ઘણા બધા ગણિતના પ્રશ્નો પૂછાતા. તેના જવાબ ઓછામાં ઓછા સમયમાં આપવા પડતા હતા. તો મારી માતાએ મને એક બુક લાવીને આપી જેનું નામ હતું વૈદિક ગણિત. સ્વામી શ્રી ભારતીકૃષ્ણ તીર્થજી મહારાજે તે બુક લખી હતી. અને તેમાં તેમણે ૧૬ સૂત્રો આપ્યાં હતાં. જેમાં ગણિત ખૂબ જ સરળ અને ખૂબ જ ઝડપી થઈ જતું હતું. જ્યારે મેં તે વાંચ્યું તો મને ખૂબ જ પ્રેરણા મળી અને પછી મારી રૂચિ જાગૃત થઈ મેથેમેટિક્સમાં. મને સમજાયું કે તે સબ્જેક્ટ જે ભારતની ભેટ છે, જે આપણો વારસો છે, તેને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડી શકાય છે.
ત્યારથી મેં તેને એક મિશન બનાવ્યું કે વૈદિક ગણિતને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવે. કારણકે ગણિતનો ભય દરેકને સતાવે છે. અને વૈદિક ગણિતથી સરળ બીજું શું હોઈ શકે?
મોદીજી- ગૌરવજી, કેટલાં વર્ષોથી તમે તેમાં કામ કરી રહ્યા છો?
ગૌરવ- મને આજે થઈ ગયા, લગભગ ૨૦ વર્ષ સર. હું તેમાં જ લાગેલો છું.
મોદીજી- અને અવેરનેસ માટે શું કરો છો, કયા-કયા પ્રયોગ કરો છો, કેવી રીતે જાવ છો લોકો પાસે?
ગૌરવ- અમે લોકો શાળામાં જઈએ છીએ, અમે લોકો ઑનલાઇન શિક્ષણ આપીએ છીએ. અમારી સંસ્થાનું નામ છે વેદિક મેથ્સ ફૉરમ ઇન્ડિયા. તે સંસ્થા હેઠળ અમે લોકો ઇન્ટરનેટના માધ્યમથી ૨૪ કલાક વેદિક મેથ્સ ભણાવીએ છીએ, સર.
મોદીજી- ગૌરવજી, તમે તો જાણતા હશો કે હું સતત બાળકો સાથે વાતચીત કરવાનું પસંદ કરું છું અને હું અવસર શોધતો રહું છું અને ઍક્ઝામ વૉરિયર સાથે તો હું બિલકુલ એક રીતે, મેં તેમને ઇન્સ્ટિટ્યૂશનલાઇઝ્ડ કરી દીધું છે અને મારો પણ અનુભવ છે કે મોટા ભાગે જ્યારે હું બાળકો સાથે વાત કરું છું તો ગણિતનું નામ સાંભળતા જ લોકો ભાગી જાય છે અને મારો તો એ પ્રયાસ રહ્યો છે કે વગર કારણે આ જે એક ભય ઊભો થયો છે તેને કાઢવામાં આવે, આ કાલ્પનિક ડર કાઢવામાં આવે અને નાની-નાની ટૅક્નિક, જે પરંપરાથી ચાલતી આવે છે, જે ભારત માટે, ગણિતનો વિષય કંઈ નવો નથી. કદાચ, દુનિયામાં પુરાતન પરંપરાઓમાં ભારત પાસે ગણિતની પરંપરા રહી છે, તો ઍક્ઝામ વૉરિયરમાંથી ડર કાઢવાનો છે, તો તમે શું કહેશો તેમને?
ગોરવ- સર, આ તો સૌથી વધુ ઉપયોગી છે બાળકો માટે, કારણકે ઍક્ઝામનો જે ડર હોય છે તે દરેક પરિવારમાં ઘર કરી ગયો છે. ઍક્ઝામ માટે બાળકો ટ્યૂશન લે છે, પેરન્ટ્સ હેરાન રહે છે. ટીચર પણ હેરાન રહે છે. તો વૈદિક ગણિતથી તે બધું છૂમંતર થઈ જાય છે. આ સાધારણ ગણિતની સરખામણીમાં વૈદિક ગણિત પંદરસો ટકા ઝડપી છે અને તેનાથી બાળકોમાં બહુ કૉન્ફિડન્સ આવે છે અને મગજ પણ ઝડપથી ચાલે છે.
દા. ત. અમે લોકોએ વૈદિક ગણિત સાથે યોગને પણ ઇન્ટ્રૉડ્યુસ કર્યો છે. જેથી બાળકો જો ઈચ્છે તો આંખો બંધ કરીને પણ કેલ્ક્યુલેશન કરી શકે છે, વૈદિક ગણિત પદ્ધતિ દ્વારા.
મોદીજી- આમ તો ધ્યાનની જે પરંપરા છે તેમાં, આ પ્રકારે ગણિત કરવું, તે પણ ધ્યાનનો એક પ્રાઇમરી કૉર્સ હોય છે.
ગૌરવ – રાઇટ, સર.
મોદીજી- ચાલો, ગૌરવજી, ઘણું સારું લાગ્યું મને, અને તમે મિશન મૉડમાં આ કામને ઉઠાવ્યું છે અને વિશેષ કરીને તમારાં માતા એક સારા ગુરુના રૂપમાં તમને આ રસ્તા પર લઈ આવ્યાં. મારી તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
ગૌરવ- આભાર સર. હું તમારો આભાર વ્યક્ત કરું છું, સર. કે વૈદિક ગણિતને તમે આટલું મહત્ત્વ આપ્યું અને મને પસંદ કર્યો, સર. તો we are very thankful.
મોદીજી- ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
ગૌરવ- નમસ્તે સર.
સાથીઓ, ગૌરવજીએ ખૂબ જ સારી રીતે જણાવ્યું કે વૈદિક ગણિત કેવી રીતે ગણિતને મુશ્કેલમાંથી મજેદાર બનાવી શકે છે. એટલું જ નહીં, વૈદિક ગણિતથી તમે મોટાં-મોટાં સાયન્ટિફિક પ્રૉબ્લેમ્સ પણ સૉલ્વ કરી શકો છો. હું ઈચ્છીશ કે, બધાં માતાપિતા પોતાનાં બાળકોને વૈદિક ગણિત જરૂર શીખવાડે. તેનાથી, તેમનો કૉન્ફિડન્સ તો વધશે જ, તેમના બ્રેઇનનો એનાલિટિકલ પાવર પણ વધશે અને હા, ગણિત વિશે કેટલાંક બાળકોમાં જે પણ થોડોઘણો ડર હોય છે તે ડર પણ પૂરી રીતે સમાપ્ત થઈ જશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આજે મ્યૂઝિયમથી લઈને મેથ સુધી અનેક જ્ઞાનવર્ધક વિષયો પર ચર્ચા થઈ. આ બધા વિષયો તમારા લોકોનાં સૂચનોથી જ ‘મન કી બાત’નો હિસ્સો બની જાય છે. મને તમે, આ રીતે, ભવિષ્યમાં પણ પોતાનાં સૂચનો Namo App અને MyGov દ્વારા મોકલતાં રહેજો. આવનારા દિવસાં દેશમાં ઈદનો તહેવાર પણ આવનાર છે.
ત્રણ મેએ અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામની જયંતી પણ ઉજવાશે. કેટલાક દિવસો પછી વૈશાખ બુદ્ધ પૂર્ણિમાનું પર્વ પણ આવશે. આ બધા તહેવાર સંયમ, પવિત્રતા, દાન અને સૌહાર્દના પર્વ છે. તમને બધાને આ પર્વની અગ્રીમ શુભકામનાઓ. આ પર્વને ખૂબ જ ઉલ્લાસ અને સૌહાર્દ સાથે મનાવો. આ બધા વચ્ચે તમારે કોરોનાથી પણ સતર્ક રહેવાનું છે. માસ્ક પહેરવું, નિયમિત અંતરાલ પર હાથ ધોતા રહેવું, બચાવ માટે જે પણ જરૂરી ઉપાય છે, તમે તેનું પાલન કરતા રહેજો. આવતી વખતે ‘મન કી બાત’માં આપણે ફરી મળીશું અને તમારા મોકલાયેલા કેટલાક બીજા નવા વિષયો પર ચર્ચા કરીશું, ત્યાં સુધી વિદાય લઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. વિતેલા સપ્તાહે આપણે એક એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી જેણે આપણને બધાંને ગર્વાન્વિત કર્યા. તમે સાંભળ્યું હશે કે ભારતે ગત સપ્તાહે ૪૦૦ અબજ ડૉલર, એટલે કે ૩૦ લાખ કરોડ રૂપિયાનું નિકાસ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પહેલી વાર સાંભળવામાં લાગે છે કે આ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી વાત છે, પરંતુ આ અર્થવ્યવસ્થાથી પણ વધુ, ભારતના સામર્થ્ય, ભારતની ક્ષમતા સાથે જોડાયેલી વાત છે. એક સમયે ભારતનો નિકાસનો આંકડો ક્યારેક ૧૦૦ અબજ, ક્યારેક દોઢસો અબજ, ક્યારેક ૨૦૦ અબજ સુધી રહેતો હતો. હવે આજે જ્યારે ભારત ૪૦૦ અબજ ડૉલર પર પહોંચી ગયું છે ત્યારે તેનો એક અર્થ એ છે કે દુનિયા ભરમાં ભારતમાં બનેલી ચીજોની માગ વધી રહી છે. બીજો અર્થ એ છે કે ભારતની સપ્લાય ચેઇન દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે અને તેનો એક બહુ મોટો સંદેશ પણ છે. દેશ વિરાટ ડગલું જ્યારે ભરે છે, જ્યારે સપનાંઓથી મોટા સંકલ્પ હોય છે, જ્યારે સંકલ્પ માટે દિવસ-રાત પ્રમાણિકતાથી પ્રયાસ થાય છે તો તે સંકલ્પ સિદ્ધ પણ થાય છે. અને તમે જુઓ, કોઈ વ્યક્તિના જીવનમાં પણ તો આવું જ થતું હોય છે. જ્યારે કોઈના સંકલ્પ, તેના પ્રયાસ, તેનાં સપનાંથી પણ મોટા થઈ જાય છે તો સફળતા તેની પાસે સામે ચાલીને આવે છે.
સાથીઓ, દેશના ખૂણે-ખૂણેથી નવાં-નવાં ઉત્પાદન જ્યારે વિદેશ જઈ રહ્યાં છે. આસામના હૈલાકાંડીના લેધર પ્રૉડક્ટ હોય કે પછી ઉસ્માનાબાદના હેન્ડલૂમ પ્રૉડક્ટ, બીજાપુરનાં ફળ-શાક હોય કે ચંદોલીના બ્લેક રાઇસ, બધાની નિકાસ વધી રહી છે. હવે તમને લદ્દાખની વિશ્વ પ્રસિદ્ધ એપ્રિકૉટ દુબઈમાં પણ મળશે અને સાઉદી અરબમાં તમિલનાડુથી મોકલાયેલાં કેળાં મળશે. હવે સૌથી મોટી વાત એ છે કે નવાં-નવાં ઉત્પાદનો નવા-નવા દેશોમાં મોકલાઈ રહ્યાં છે. જેમ કે હિમાચલ, ઉત્તરાખંડમાં ઉગેલી બાજરી- જાડા અનાજની પહેલી ખેપ ડેનમાર્કમાં નિકાસ કરવામાં આવી. આંધ્ર પ્રદેશના કૃષ્ણા અને ચિત્તૂર જિલ્લાના બંગનપલ્લી અને સુવર્ણરેખા કેરી, દક્ષિણ કોરિયામાં નિકાસ કરવામાં આવી હતી. ત્રિપુરાથી તાજાં ફણસ, હવાઈ માર્ગે, લંડન નિકાસ કરવામાં આવ્યાં અને પહેલી વાર નાગાલેન્ડના રાજા મરચાને લંડન મોકલવામાં આવ્યું. આ રીતે ભાલિયા ઘઉંની પહેલી ખેપ ગુજરાતથી કેન્યા અને શ્રીલંકા નિકાસ કરવામાં આવી. અર્થાત્, હવે તમે બીજા દેશોમાં જશો તો મેઇડ ઇન ઇન્ડિયા પ્રૉડક્ટ્સ પહેલાંની સરખામણીમાં ઘણી વધુ નજરે પડશે.
સાથીઓ, આ યાદી બહુ લાંબી છે અને જેટલી લાંબી આ યાદી છે, તેટલી જ મોટી મેઇક ઇન ઇન્ડિયાની તાકાત છે. તેટલું જ વિરાટ ભારતનું સામર્થ્ય છે. અને સામર્થ્યનો આધાર છે- આપણા ખેડૂતો. આપણા કારીગરો, આપણા વણકરો, આપણા એન્જિનિયરો, આપણા લઘુ ઉદ્યમી, આપણું MSME ક્ષેત્ર, અલગ-અલગ અનેક વ્યવસાયના લોકો, આ બધા તેની સાચી તાકાત છે. તેમની મહેનતથી જ ૪૦૦ અબજ ડૉલરના નિકાસનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શક્યું છે અને મને આનંદ છે કે ભારતના લોકોનું આ સામર્થ્ય હવે દુનિયાના ખૂણે-ખૂણે, નવાં બજારોમાં પહોંચી રહ્યું છે. જ્યારે એક-એક ભારતવાસી લૉકલ માટે વૉકલ થાય છે ત્યારે લૉકલને ગ્લૉબલ થવાં વાર લાગતી નથી. આવો, લૉકલને ગ્લૉબલ બનાવીએ અને આપણાં ઉત્પાદનોની પ્રતિષ્ઠા હજુ વધુ વધારીએ.
સાથીઓ, ‘મન કી બાત’ના શ્રોતાઓને એ જાણીને સારું લાગશે કે ઘરેલુ સ્તર પર પણ આપણા લઘુ ઉદ્યમીઓની સફળતા આપણને ગર્વ અપાવે તેવી છે. આજે આપણા લઘુ ઉદ્યમી સરકારી ખરીદીમાં ગર્વમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ અર્થાત્ GEMના માધ્યમથી મોટી ભાગીદારી નિભાવી રહ્યા છે. ટૅક્નૉલૉજીના માધ્યમથી ખૂબ જ પારદર્શી વ્યવસ્થા વિકસિત કરવામાં આવી છે. ગત એક વર્ષમાં GEM પૉર્ટલ મારફત, સરકારે એક લાખ કરોડ રૂપિયાથી વધુની ચીજો ખરીદી છે. દેશના ખૂણે-ખૂણેથી લગભગ સવા લાખ લઘુ ઉદ્યમીઓ, નાના દુકાનદારોએ પોતાનો સામાન સરકારને સીધો વેચ્યો છે. એક જમાનો હતો, જ્યારે મોટી કંપનીઓ જ સરકારને સામાન વેચતી હતી. પરંતુ હવે દેશ બદલાઈ રહ્યો છે, જૂની વ્યવસ્થાઓ પણ બદલાઈ રહી છે. હવે નાનામાં નાનો દુકાનદાર પણ GEM પૉર્ટલ પર સરકારે પોતાનો સામાન વેચી શકે છે- આ જ તો નવું ભારત છે. તે ન માત્ર મોટાં સપનાં જુએ છે, પરંતુ તેને લક્ષ્ય સુધી પહોંચાડવાનું સાહસ પણ દેખાડે છે. જ્યાં પહેલા કોઈ નથી પહોંચ્યું. આ જ સાહસની શક્તિ પર આપણે બધા ભારતીયો મળીને આત્મનિર્ભર ભારતનું સપનું પણ અવશ્ય પૂરું કરીશું.
મારા પ્રિય દેશવાસીઓ, તાજેતરમાં જ યોજાયેલા પદ્મ સમ્માન સમારોહમાં તમે બાબા શિવાનંદજીને જરૂર જોયા હશે. ૧૨૬ વર્ષના વૃદ્ધની સ્ફૂર્તિ જોઈને મારી જેમ બધા જ આશ્ચર્ય પામી ગયા અને મેં જોયું, આંખ પટપટાવી ત્યાં તો તેઓ નંદી મુદ્રામાં પ્રણામ કરવા લાગ્યા. મેં પણ બાબા શિવાનંદજીને ઝૂકીને વારંવાર પ્રણામ કર્યા. ૧૨૬ વર્ષની ઉંમર અને બાબા શિવાનંદની ફિટનેસ, બંને, આજે દેશમાં ચર્ચાનો વિષય છે. મેં સૉશિયલ મિડિયા પર અનેક લોકોની ટીપ્પણી જોઈ, કે બાબા શિવાનંદ, પોતાની ઉંમરથી ચાર ગણી ઓછી ઉંમરના લોકોથી પણ વધુ ફિટ છે. ખરેખર, બાબા શિવાનંદનું જીવન આપણને બધાને પ્રેરિત કરનારું છે. હું તેમના દીર્ઘ આયુની કામના કરું છું. તેમનામાં યોગ પ્રતિ એક પ્રેમ છે અને તેઓ ખૂબ જ આરોગ્યમય જીવનચર્યા જીવે છે.
जीवेम् शरद: शतम् ।
આપણી સંસ્કૃતિમાં બધાને સો વર્ષના સ્વસ્થ જીવનની શુભકામનાઓ આપવામાં આવે છે. આપણે સાત એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવીશું. આજે સમગ્ર વિશ્વમાં આરોગ્ય માટે ભારતીય ચિંતન, ચાહે તે પછી યોગ હોય કે આયુર્વેદ, તેના પ્રત્યે ઝુકાવ વધી રહ્યો છે. હમણાં જ તમે જોયું હશે કે ગત સપ્તાહે જ કતારમાં એક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૧૪ દેસોના નાગરિકોએ ભાગ લઈ એક નવો વિશ્વ વિક્રમ બનાવી દીધો. આ રીતે આયુષ ઉદ્યોગનું બજાર પણ સતત મોટું થઈ રહ્યું છે. છ વર્ષ પહેલાં આયુર્વેદ સાથે જોડાયેલી દવાઓનું બજાર ૨૨ હજાર કરોડ રૂપિયાની આસપાસ હતું. આજે આયુષ મેન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહી છે, અર્થાત્ આ ક્ષેત્રમાં સંભાવનાઓ સતત વધી રહી છે. સ્ટાર્ટ અપ વિશ્વમાં પણ આયુષ આકર્ષણનો વિષય બનતો જાય છે.
સાથીઓ, આરોગ્ય ક્ષેત્રના બીજાં સ્ટાર્ટ અપ પર તો હું પહેલાં અનેક વાર વાત કરી ચૂક્યો છું, પરંતુ આ વખતે આયૂષ સ્ટાર્ટ અપ પર તમારી સાથે વિશેષ રીતે વાત કરીશ. એક સ્ટાર્ટ અપ છે – Kapiva (કપિવા). તેના નામમાં જ તેનો અર્થ છુપાયેલો છે. તેમાં Kaનો અર્થ થાય છે કફ, Piનો અર્થ થાય છે પિત્ત અને Vaનો અર્થ થાય છે- વાત. આ સ્ટાર્ટ અપ આપણી પરંપરાઓ મુજબ આરોગ્યપ્રદ ખાવાની ટેવો પર આધારિત છે. એક બીજું સ્ટાર્ટ અપ નિરોગ સ્ટ્રીટ પણ છે. આયુર્વેદ આરોગ્ય આર્થિક પ્રણાલિમાં એક અનોખી પરિકલ્પના છે. તેનું ટૅક્નૉલૉજી ચાલિત પ્લેટફૉર્મ દુનિયાભરના આયુર્વેદિક ડૉક્ટરોને સીધા લોકો સાથે જોડે છે. ૫૦ હજારથી વધુ પ્રૅક્ટિશનર તેની સાથે જોડાયેલા છે. આ રીતે અત્રેય ઇન્નૉવેશન્સ એક આરોગ્ય કાળજી ટૅક્નૉલૉજી સ્ટાર્ટ અપ છે જે સમગ્ર સુખાકારીના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. ઇક્ઝૉરિયલે ન માત્ર અશ્વગંધાના ઉપયોગ માટે જાગૃતિ ફેલાવી છે, પરંતુ ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનની પ્રક્રિયામાં પણ મોટા પાયે રોકાણ કર્યું છે. ક્યૉરવેદ એ જડીબૂટિઓની આધુનિક શોધ અને પારંપરિક જ્ઞાનના સંગમથી સમગ્ર જીવન માટે આહારવિહાર પૂરક (ડાયેટ્રી સપ્લીમેન્ટ)નું નિર્માણ કર્યું છે.
સાથીઓ, હજુ તો મેં કેટલાંક જ નામ ગણાવ્યાં છે, આ યાદી તો ઘણી લાંબી છે. આ ભારતના યુવા ઉદ્યમીઓ અને ભારતમાં બની રહેલી નવી સંભાવનાઓનું પ્રતીક છે. મારો આરોગ્ય ક્ષેત્રના સ્ટાર્ટ અપ અને ખાસ કરીને આયુષ સ્ટાર્ટ અપને એક અનુરોધ પણ છે. તમે જે પણ ઑનલાઇન પૉર્ટલ બનાવો છો, જે પણ સામગ્રી સર્જો છો, તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત બધી ભાષાઓમાં પણ બનાવવાનો પ્રયાસ કરો. દુનિયામાં ઘણા બધા એવા દેશ છે જ્યાં અંગ્રેજી એટલી બોલાતી નથી અને ન તો સમજે છે. આવા દેશોને પણ ધ્યાનમાં રાખીને પોતાની જાણકારીનો પ્રચાર-પ્રસાર કરો. મને વિશ્વાસ છે, ભારતનાં આયુષ સ્ટાર્ટ અપ વધુ સારી ગુણવત્તાનાં ઉત્પાદનોની સાથે ટૂંક સમયમાં, દુનિયાભરમાં છવાઈ જશે.
સાથીઓ, સ્વાસ્થ્યનો સીધો સંબંધ સ્વચ્છતા સાથે પણ જોડાયેલો છે. ‘મન કી બાત’માં આપણે હંમેશાં સ્વચ્છતાના આગ્રહીઓના પ્રયાસોને જરૂર જણાવીએ છીએ. આવા જ સ્વચ્છાગ્રહી છે- ચંદ્રકિશોર પાટીલજી. તેઓ મહારાષ્ટ્રના નાસિકમાં રહે છે. ચંદ્રકિશોરજીનો સ્વચ્છતા અંગેનો સંકલ્પ બહુ પ્રબળ છે. તેઓ ગોદાવરી નદીની પાસે ઊભા રહે છે અને લોકોને સતત નદીમાં કચરો ન ફેંકવા માટે પ્રેરિત કરે છે. તેમને જો કોઈ આવું કરતો દેખાય તો તેને તરત ના પાડે છે. આ કામમાં ચંદ્રકિશોરજી પોતાનો ઘણો સમય આપે છે. સાંજ સુધી તેમની પાસે એવી ચીજોનો ઢગલો થઈ જાય છે, જે લોકો નદીમાં ફેંકવા માટે લાવેલા હોય છે. ચંદ્રકિશોરજીના આ પ્રયાસ, જાગૃતિને પણ વધારે છે અને પ્રેરણા પણ આપે છે. આ રીતે, એક બીજા સ્વચ્છાગ્રહી છે- ઉડીસામાં પુરીના રાહુલ મહારાણા. રાહુલ દર રવિવારે સવારે-સવારે પુરીમાં તીર્થસ્થળો પાસે આવે છે અને ત્યાં પ્લાસ્ટિકનો કચરો સાફ કરે છે. તેઓ અત્યાર સુધીમાં સેંકડો કિલો પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી સાફ કરી ચૂક્યા છે. પુરીના રાહુલ હોય કે નાસિકના ચંદ્રકિશોર, તેઓ આપણને બધાંને ઘણું બધું શીખવાડે છે. નાગરિક તરીકે, આપણે આપણાં કર્તવ્યોને નિભાવીએ, પછી તે સ્વચ્છતા હોય, પોષણ હોય, કે પછી રસીકરણ, આ બધા પ્રયાસોથી પણ સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આવો વાત કરીએ કેરળના મુપટ્ટમ શ્રી નારાયણનજીની. તેમણે એક પ્રૉજેક્ટની શરૂઆત કરી છે જેનું નામ છે Pots for water of life. તમે જ્યારે આ પ્રૉજક્ટ વિશે જાણશો તો વિચારશો કે કેવું કમાલનું કામ છે?
સાથીઓ, મુપટ્ટમ શ્રી નારાયણનજી, ઉનાળાની ગરમી દરમિયાન પશુ-પક્ષીઓને પાણીની તકલીફ ન પડે તે માટે માટીનાં વાસણો વહેંચવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ઉનાળામાં તેઓ પશુ-પક્ષીઓની આ તકલીફ જોઈને પોતે પણ તકલીફ પામતા હતા. પછી તેમણે વિચાર્યું કે તેઓ પોતે જ કેમ માટીનાં વાસણો વહેંચવાનું શરૂ કરે, જેથી બીજા પાસે તે વાસણોમાં માત્ર પાણી ભરવાનું કામ રહે. તમને આશ્ચર્ય થશે કે નારાયણનજી દ્વારા વહેંચવામાં આવેલાં વાસણોનો આંકડો એક લાખને પાર કરવા જઈ રહ્યો છે. તેમના અભિયાનમાં એક લાખમું વાસણ તેઓ ગાંધીજી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમને દાન કરશે. આજે જ્યારે ઉનાળાની ઋતુએ ટકોરા માર્યા છે તો નારાયણનજીનું આ કામ આપણને બધાને જરૂર પ્રેરિત કરશે અને આપણે પણ આ ઉનાળામાં આપણા પશુ-પક્ષી મિત્રો માટે પાણીની વ્યવસ્થા કરીશું.
સાથીઓ, હું ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ અનુરોધ કરીશ કે આપણે આપણા સંકલ્પોનો ફરી ઉચ્ચાર કરીએ. પાણીનું એક-એક ટીપું બચાવવા માટે આપણે જે પણ કંઈ કરી શકીએ તે આપણે જરૂર કરવું જોઈએ. તે ઉપરાંત પાણીના રિસાઇકલિંગ પર પણ આપણે એટલું જ જોર આપતા રહેવાનું છે. ઘરમાં વપરાયેલું પાણી કુંડામાં છોડને પાણી પાવા કામ આવી શકે છે. બગીચામાં કામ આવી શકે છે. તે જરૂર ફરી વપરાવું જોઈએ. થોડા પ્રયાસોથી તમે તમારા ઘરમાં આવી વ્યવસ્થાઓ બનાવી શકો છો. રહીમદાસજી, સદીઓ પહેલાં, કંઈક હેતુથી જ કહી ગયા હતા કે ‘રહિમન પાની રાખિએ, બિન પાની સબ સૂન’. અને પાણી બચાવવાના આ કામમાં મને બાળકો પાસે ઘણી આશા છે. સ્વચ્છતાને જે રીતે આપણાં બાળકોએ આંદોલન બનાવ્યું, તે જ રીતે ‘પાણી યૌદ્ધા’ બનાવીને, પાણી બનાવવામાં મદદ કરી શકે છે.
સાથીઓ, આપણા દેશમાં જળ સંરક્ષણ, જળ સ્રોતોની સુરક્ષા સદીઓથી સમાજના સ્વભાવનો હિસ્સો રહ્યો છે. મને આનંદ છે કે દેશમાં ઘણા લોકોએ પાણી જાળવવાને જ જીવનનું ધ્યેય બનાવી લીધું છે. જેમ કે ચેન્નાઈમાં એક સાથી છે અરુણ કૃષ્ણમૂર્તિજી. અરુણજી પોતાના વિસ્તારમાં તળાવોને સાફ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે ૧૫૦થી વધુ તળાવોની સફાઈની જવાબદારી ઉપાડી અને તેને સફળતા સાથે પૂરી કરી. આ જ રીતે, મહારાષ્ટ્રના એક સાથી રોહન કાળે છે. રોહન વ્યવસાયથી એક એચઆર વ્યાવસાયિક છે. તેઓ મહારાષ્ટ્રમાં અનેક વાવના સંરક્ષણની ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમાંથી અનેક વાવ તો સેંકડો વર્ષ જૂની છે અને આપણા વારસાનો હિસ્સો હોય છે. સિકંદરાબાદમાં બંસીલાલ- પેટ કૂવો પણ આવી જ એક વાવ છે. વર્ષોની ઉપેક્ષાના કારણે આ વાવ માટી અને કચરાથી પુરાઈ ગઈ હતી. પરંતુ હવે ત્યાં એક વાવને પુનર્જીવિત કરવાનું અભિયાન જનભાગીદારીથી શરૂ થયું છે.
સાથીઓ, હું જે રાજ્યમાંથી આવું છું ત્યાં પાણીની સદા બહુ જ કમી રહી છે. ગુજરાત જેવા રાજ્યમાં વાવની મોટી ભૂમિકા રહી છે. આ કૂવા અથવા વાવડીઓના સંરક્ષણ માટે ‘જળ મંદિર યોજના’એ બહુ મોટી ભૂમિકા ભજવી. સમગ્ર ગુજરાતમાં અનેક વાવડીઓને પુનર્જીવિત કરવામાં આવી. તેનાથી તે વિસ્તારોમાં પાણીનું સ્તર વધારવામાં પણ ઘણી મદદ મળી. આવું જ અભિયાન તમે સ્થાનિક સ્તર પર ચલાવી શકો છો. ચેક ડેમ બનાવવાના હોય કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો હોય, તેમાં વ્યક્તિગત પ્રયાસ પણ મહત્ત્વના છે અને સામૂહિક પ્રયાસો પણ જરૂરી છે. જેમ કે સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં આપણા દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછાં ૭૫ અમૃત સરોવર બનાવી શકાય છે. કેટલાંક જૂનાં સરોવરોને સુધારી શકાય છે, કેટલાંક નવાં સરોવર બનાવી શકાય છે. મને વિશ્વાસ છે કે તમે આ દિશામાં કંઈ ને કંઈ પ્રયાસ જરૂર કરશો.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ તેની એક સુંદરતા એ પણ છે કે મને તમારા સંદેશ અનેક ભાષાઓ, અનેક બોલીઓમાં મળે છે. અનેક લોકો MYGov પર ઑડિયો મેસેજ પણ મોકલે છે. ભારતની સંસ્કૃતિ, આપણી ભાષાઓ, આપણી બોલીઓ, આપણી રહેણીકરણી, ખાણીપીણીનો વિસ્તાર, આ બધી વિવિધતાઓ આપણી ઘણી મોટી શક્તિ છે. પૂર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, ભારતને આ વિવિધતાઓ એક કરીને રાખે છે. એક ભારત-શ્રેષ્ઠ ભારત બનાવે છે. તેમાં પણ આપણાં ઐતિહાસિક સ્થળો અને પૌરાણિક કથાઓ, બંનેનું ઘણું યોગદાન હોય છે. તમે વિચારી રહ્યા હશો કે આ વાત હું અત્યારે તમને કેમ કરી રહ્યો છું? તેનું કારણ છે માધવપુર મેળો. માધવપુર મેળો ક્યાં યોજાય છે, કેમ યોજાય છે, કેવી રીતે તે ભારતની વિવિધતા સાથે જોડાયેલો છે તે જાણવું મન કી બાતના શ્રોતાઓને બહુ જ રસપ્રદ લાગશે.
સાથીઓ, ‘માધવપુર મેળો’ ગુજરાતના પોરબંદરના સમુદ્ર પાસે માધવપુર ગામમાં લાગે છે. પરંતુ તેનો હિન્દુસ્તાનના પૂર્વીય છેડા સાથે પણ સંબંધ જોડાય છે. તમે વિચારતા હશો કે આવું કઈ રીતે સંભવ છે? તો તેનો પણ ઉત્તર એક પૌરાણિક કથામાં મળે છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ પૂર્વોત્તરનાં રાજકુમારી રુક્મિણી સાથે થયો હતો. આ વિવાહ પોરબંદરના માધવપુરમાં સંપન્ન થયો અને આ વિવાહના પ્રતીક રૂપે આજે પણ ત્યાં માધવપુર મેળો યોજાય છે. પૂર્વ અને પશ્ચિમનો આ ગાઢ સંબંધ, આપણો વારસો છે. સમયની સાથે હવે લોકોના પ્રયાસથી, માધવપુર મેળામાં નવી-નવી ચીજો જોડાઈ રહી છે. આપણે ત્યાં કન્યા પક્ષને ઘરાતી કહેવાય છે અને આ મેળામાં હવે ઈશાન ભારતથી ઘણા ઘરાતી પણ આવવા લાગ્યા છે. એક સપ્તાહ સુધી ચાલતા માધવપુર મેળામાં ઈશાન ભારતના બધાં રાજ્યોના કલાકારો પહોંચે છે, હસ્તકળા સાથે જોડાયેલા કલાકારો પહોંચે છે અને આ મેળાની રોનકને ચાર ચાંદ લગાવી દે છે. એક સપ્તાહ સુધી ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનો આ મેળ, આ માધવપુર મેળો, એક ભારત-શ્રેષ્ઠ ભારતનું બહુ સુંદર ઉદાહરણ બની રહ્યો છે. મારો તમને અનુરોધ છે કે તમે પણ આ મેળા વિશે વાંચો અને જાણો.
મારા પ્રિય દેશવાસીઓ, દેશમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ, હવે જનભાગીદારીનું નવું ઉદાહરણ બની રહ્યો છે. કેટલાક દિવસો પહેલાં ૨૩ માર્ચે શહીદ દિવસ પર દેશના અલગ-અલગ ખૂણામાં અનેક સમારોહ થયા. દેશે પોતાનાં સ્વતંત્રતાનાં નાયક-નાયિકાઓને યાદ કર્યાં, શ્રદ્ધાપૂર્વક યાદ કર્યાં. આ દિવસે જ મને કોલકાતાના વિક્ટૉરિયા મેમોરિયલમાં વિપ્લોબી ભારત ગેલેરીનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો. ભારતના વીર ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલી આપવા માટે તે પોતાની રીતે બહુ જ અનોખી ગેલેરી છે. જો અવસર મળે તો તમે તેને જોવા જરૂર જજો. સાથીઓ, એપ્રિલના મહિનામાં આપણે બે મહાન વિભૂતિઓની જયંતી પણ મનાવીશું. આ બંનેએ ભારતીય સમાજ પર પોતાનો ગાઢ પ્રભાવ ઊભો કર્યો છે. તેમનું નામ છે મહાત્મા ફૂલે અને બાબાસાહેબ આંબેડકર. મહાત્મા ફૂલેની જયંતી ૧૧ એપ્રિલે છે અને બાબાસાહેબની જયંતી આપણે ૧૪ એપ્રિલે ઉજવીશું. આ બંને મહાપુરુષોએ ભેદભાવ અને અસમાનતા વિરુદ્ધ મોટી લડાઈ લડી. મહાત્મા ફૂલેએ તે જમાનામાં દીકરીઓ માટે શાળાઓ ખોલી. કન્યા શિશુ હત્યા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમણે જળ સંકટથી મુક્તિ અપાવવા માટે પણ મોટાં અભિયાન ચલાવ્યાં.
સાથીઓ, મહાત્મા ફૂલેની આ ચર્ચામાં સાવિત્રીબાઈ ફૂલનો ઉલ્લેખ પણ જરૂરી છે. સાવિત્રીબાઈ ફૂલેએ અનેક સામાજિક સંસ્થાઓના નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવી. એક શિક્ષિકા અને એક સમાજ સુધારક તરીકે તેમણે સમાજને જાગૃત પણ કર્યો અને તેની હિંમત પણ વધારી. બંનેએ સાથે મળીને સત્યશોધક સમાજની સ્થાપના કરી. જન-જનના સશક્તિકરણના પ્રયાસ કર્યા. આપણે બાબાસાહેબ આંબેડકરનાં કાર્યોમાં પણ મહાત્મા ફૂલેનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તેઓ કહેતા હતા કે કોઈ પણ સમાજના વિકાસનું આકલન તે સમાજમાં મહિલાઓની સ્થિતિને જોઈને કરી શકાય છે. મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, બાબાસાહેબ આંબેડકરનાં જીવનમાંથી પ્રેરણા લઈને, હું બધાં માતાપિતા અને વાલીઓને અનુરોધ કરું છું કે તેઓ દીકરીઓને જરૂર ભણાવે. દીકરીઓનો શાળામાં પ્રવેશ વધારવા માટે કેટલાક દિવસો પહેલાં જ કન્યા શિક્ષણ પ્રવેશ ઉત્સવ પણ શરૂ કરાયો છે, જે દીકરીઓનું ભણતર કોઈ કારણથી છૂટી ગયું છે તેમને ફરી શાળા લઈ જવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સાથીઓ, આપણા બધાં માટે સૌભાગ્યની વાત છે કે આપણે બાબાસાહેબ સાથે જોડાયેલાં પંચ તીર્થો માટે કાર્ય કરવાનો પણ અવસર મળ્યો છે. તેમનું જન્મ સ્થાન મહુ હોય, મુંબઈમાં ચૈત્યભૂમિ હોય, લંડનનું તેમનું ઘર હોય, નાગપુરની દીક્ષા ભૂમિ હોય, કે પછી દિલ્લીમાં બાબાસાહેબનું મહાપરિનિર્વાણ સ્થળ, મને બધી જગ્યાઓ પર, બધાં તીર્થો પર જવાનું સૌભાગ્ય મળ્યું છે. હું ‘મન કી બાત’ના શ્રોતાઓને અનુરોધ કરીશ કે તેઓ મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલાં સ્થાનોનાં દર્શન કરવા અવશ્ય જાય. તમને ત્યાં ઘણું બધું શીખવા મળશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આ વખતે આપણે અનેક વિષયો પર વાત કરી. આગામી મહિને અનેક પર્વ-તહેવારો આવી રહ્યા છે. કેટલાક દિવસો પછી જ નવરાત્રિ છે. નવરાત્રિમાં આપણે વ્રત-ઉપવાસ, શક્તિની સાધના કરીએ છીએ. શક્તિની પૂજા કરીએ છીએ, એટલે કે આપણી પરંપરાઓ આપણને ઉલ્લાસ પણ શીખવે છે અને સંયમ પણ. સંયમ અને તપ પણ આપણા માટે પર્વ જ છે. આથી નવરાત્રિ હંમેશાંથી આપણા બધા માટે ખૂબ જ વિશેષ રહી છે. નવરાત્રિના પહેલા જ દિવસે ગુડી પડવાનું પર્વ પણ છે. એપ્રિલમાં જ ઇસ્ટર પણ આવે છે અને રમઝાનના પવિત્ર દિવસો પણ શરૂ થઈ રહ્યા છે. આપણે બધાંને સાથ લઈને પોતાના પર્વ મનાવીએ, ભારતની વિવિધતાને સશક્ત કરીએ, બધાને આ જ કામના છે. આ વખતે ‘મન કી બાત’માં આટલું જ. આગામી મહિને તમારી સાથે નવા વિષયો સાથે ફરી મુલાકાત થશે. ખૂબ-ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં ફરી એક વાર આપ સર્વેનું સ્વાગત છે. આજે મન કી બાતની શરૂઆત આપણે, ભારતની સફળતાના ઉલ્લેખ સાથે કરીશું. આ મહિનાની શરૂઆતમાં, ભારત ઇટાલીથી તેના મૂલ્યવાન વારસામાંથી એક પરત લાવવામાં સફળ રહ્યું છે. આ એક વારસો છે, અવલોકિતેશ્વર પદ્મપાણીની હજાર વર્ષથી વધુ જૂની પ્રતિમા. આ મૂર્તિ બિહારમાં ગયાજીના દેવી સ્થાન કુંડલપુર મંદિરમાંથી થોડા વર્ષો પહેલા ચોરાઈ ગઈ હતી. પરંતુ ઘણા પ્રયત્નો બાદ હવે ભારતને આ પ્રતિમા પરત મળી છે. એ જ રીતે, થોડા વર્ષો પહેલા તમિલનાડુના વેલ્લોરમાંથી ભગવાન આંજનેય્યર, હનુમાનજીની મૂર્તિ ચોરાઈ હતી. હનુમાનજીની આ મૂર્તિ પણ 600-700 વર્ષ જૂની હતી. આ મહિનાની શરૂઆતમાં, અમને ઓસ્ટ્રેલિયામાં આ મળી, અમારા હાઇકમિશનને તે મળી ચૂકી છે.
સાથીઓ, આપણા હજારો વર્ષના ઈતિહાસમાં દેશના ખૂણે ખૂણે એક પછી એક મૂર્તિઓ હંમેશા બનાવવામાં આવતી હતી, તેમાં શ્રધ્ધા પણ હતી, સામર્થ્ય પણ હતું, અને કૌશલ્ય પણ.. અને વિવિધતાથી ભરપૂર હતી અને આપણી દરેક મૂર્તિના તત્કાલીન સમયનો પ્રભાવ જોવા મળે છે. તેઓ ભારતીય શિલ્પકલાનું અનોખું ઉદાહરણ તો હતું જ અને તેમની સાથે આપણી શ્રદ્ધા પણ જોડાયેલી હતી. પરંતુ, ભૂતકાળમાં ઘણી મૂર્તિઓ ચોરાઈને ભારતની બહાર જતી રહી હતી. કયારેક આ દેશમાં તો કયારેક તે દેશમાં આ મૂર્તિઓ વેચાતી અને તેમના માટે તે માત્ર કલાકૃતિ હતી. ન તો તેઓને તેના ઈતિહાસ સાથે કોઈ લેવાદેવા હતી કે ન તેની શ્રદ્ધા સાથે લેવા દેવા હતા. આ મૂર્તિઓને પરત લાવવાની ભારત માતા પ્રત્યેની આપણી જવાબદારી છે. આ મૂર્તિઓમાં ભારતના આત્માનો, આસ્થાનો અંશ છે. તેમનું એક સાંસ્કૃતિક-ઐતિહાસિક મહત્વ પણ છે. આ જવાબદારીને સમજીને ભારતે તેના પ્રયાસો વધાર્યા. અને તેનું કારણ એ પણ હતું કે ચોરી કરવાની જે વૃત્તિ હતી તેમાં પણ ડર ઉત્પન્ન થયો. જે દેશોમાં આ મૂર્તિઓ ચોરી કરીને લઈ જવામાં આવી હતી, હવે તેઓને પણ એવું લાગવા માંડ્યું છે કે ભારત સાથેના સંબંધોમાં soft powerની જે diplomatic channel હોય છે તેમાં તેનું પણ પણ ઘણું મહત્વ હોઈ શકે છે. કારણ કે તેની સાથે ભારતની ભાવનાઓ જોડાયેલી છે, ભારતની શ્રદ્ધા જોડાયેલી છે, અને એક રીતે, તે people to people relation માં પણ તે ઘણી શક્તિ ઉત્પન્ન કરે છે. હમણાં થોડા દિવસો પહેલા જ તમે જોયું હશે કે કાશીમાંથી ચોરાયેલી માતા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ પણ પાછી લાવવામાં આવી હતી. તે ભારત પ્રત્યે બદલાતા વિશ્વ દૃષ્ટિકોણનું આ ઉદાહરણ છે. વર્ષ 2013 સુધી લગભગ 13 મૂર્તિઓ ભારતમાં આવી હતી. પરંતુ, છેલ્લા સાત વર્ષમાં, 200 થી પણ વધુ કિંમતી મૂર્તિઓને ભારત સફળતાપૂર્વક પરત લાવ્યું છે. અમેરિકા, બ્રિટન, હોલેન્ડ, ફ્રાન્સ, કેનેડા, જર્મની, સિંગાપોર જેવા અનેક દેશોએ ભારતની આ ભાવનાને સમજી છે અને મૂર્તિઓને પરત લાવવામાં આપણી મદદ કરી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે હું અમેરિકા ગયો હતો, ત્યારે મને ત્યાં ઘણી જૂની મૂર્તિઓ અને સાંસ્કૃતિક મહત્વની ઘણી વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી. જ્યારે દેશનો કોઈ પણ મૂલ્યવાન વારસો પરત મળે છે તો સ્વાભાવિક છે ઈતિહાસમાં શ્રદ્ધા ધરાવનારાઓ, પુરાતત્વમાં શ્રદ્ધા ધરાવનારાઓ, આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો અને એક ભારતીય તરીકે આપણને સૌને સંતોષ મળે તે સ્વાભાવિક છે.
સાથીઓ, ભારતીય સંસ્કૃતિ અને આપણા વારસાની વાત કરતા હું આજે આપને મન કી બાત માં બે લોકોને મળાવવા માગું છું. આ દિવસોમાં ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર તાન્ઝાનિયાના બે ભાઈ-બહેન કિલી પૉલ અને તેમની બહેન નીમા તે ઘણાં જ ચર્ચામાં છે, અને મને પાક્કો ભરોસો છે, તમે પણ તેમના વિશે ચોક્કસ સાંભળ્યું હશે. તેમની અંદર ભારતીય સંગીતને લઈને એક ઝનૂન છે, એક દિવાનગી છે અને તેને કારણે જ તેઓ ઘણાં જ લોકપ્રિય પણ છે. Lip Sync ની તેમની રીત થી ખબર પડે છે કે આને માટે તેઓ કેટલી વધારે મહેનત કરે છે. હાલ માં જ પ્રજાસત્તાક દિવસના અવસરે આપણું રાષ્ટ્રગીત જન, ગણ, મન ગાતો તેમનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. થોડા દિવસો પહેલાં તેમણે લતા દીદીનું એક ગીત ગાઈને તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પણ આપી હતી. હું આ અદ્ભુત Creativity માટે આ બંન્ને ભાઈ-બહેન કિલી અને નીમા, તેમની ખૂબ પ્રશંસા કરું છું. થોડા દિવસ પહેલા ટાંઝાનિયામાં ભારતીય દૂતાવાસમાં તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ભારતીય સંગીતનો જાદૂ કંઈક એવો છે, જે બધાને મોહિત કરી લે છે. મને યાદ છે, કેટલાક વર્ષો પહેલાં દુનિયાના દોઢસો થી વધુ દેશના ગાયકો-સંગીતકારોએ પોત-પોતાના દેશમાં, પોત-પોતાની વેશભૂષામાં પૂજ્ય બાપૂનું પ્રિય, મહાત્મા ગાંધીનું પ્રિય ભજન, વૈષ્ણવ જન ગાવાનો સફળ પ્રયોગ કર્યો હતો.
--
આજે જ્યારે ભારત પોતાની આઝાદીના 75મા વર્ષનું મહત્વપૂર્ણ પર્વ મનાવી રહ્યા છીએ, તો દેશભક્તિના ગીતોને લઈને પણ આવા પ્રયોગ કરી શકાય છે. કે જ્યાં વિદેશી નાગરિકોને, ત્યાંના પ્રસિદ્ધ ગાયકોને, ભારતીય દેશભક્તિના ગીત ગાવા માટે આમંત્રિત કરીએ. એટલું જ નહીં, જો ટાંઝાનિયામાં કિલિ અને નીમા ભારતના ગીતોને આ રીતે Lip Sync કરી શકે છે તો શું મારા દેશમાં, આપણા દેશની કેટલીયે ભાષાઓમાં, કેટલાય પ્રકારના ગીત છે, શું આપણે કોઈ ગુજરાતી બાળક તમિલ ગીત પર કરે, કોઈ કેરળના બાળકો આસામી ગીત પર કરે, કોઈ કન્નડ બાળકો જમ્મુ-કાશ્મીરના ગીતો પર કરે. એક એવો માહોલ બનાવી શકીએ છીએ આપણે, જેમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ આપણે અનુભવ કરી શકીએ. એટલું જ નહીં આપણે આઝાદીના અમૃત મહોત્સવને એક નવી રીતે ચોક્કસ મનાવી શકીએ છીએ. હું દેશના નવયુવાનોને આહ્વાન કરું છું, આવો, કે ભારતીય ભાષાઓનાં જે પોપ્યુલર ગીતો છે, તેને આપ આપની રીતે વીડિયો બનાવો, બહુ જ પોપ્યુલર થઈ જશો તમે. અને દેશની વિવિધતાઓનો નવી પેઢીને પરિચય થશે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં થોડા દિવસો પહેલાં જ આપણે માતૃભાષા દિવસ મનાવ્યો. જે વિદ્વાન લોકો છે, તેઓ માતૃભાષા શબ્દ ક્યાંથી આવ્યો, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેને લઈને ઘણાં academic input આપી શકે છે. હું તો માતૃભાષા માટે એ જ કહીશ કે જેમ આપણા જીવનને આપણી માં ઘડે છે, તેવી જ રીતે માતૃભાષા પણ આપણા જીવનને ઘડે છે. માં અને માતૃભાષા બંને મળીને જીવનના foundation ને મજબૂત બનાવે છે, ચિરંજીવ બનાવે છે. જેમ આપણે આપણી માં ને નથી છોડી શકતા, તેવી જ રીતે આપણી માતૃભાષાને પણ ન છોડી શકીએ. મને વર્ષો પહેલાંની એક વાત યાદ છે, જ્યારે મારે અમેરિકા જવાનું થયું, તો અલગ અલગ પરિવારોમાં જવાનો મોકો મળતો હતો, કે એક વખત મારે એક તેલૂગુ પરિવારમાં જવાનું થયું અને મને એક બહુ જ ખુશીનું દ્રશ્ય ત્યાં જોવા મળ્યું. તેમણે મને જણાવ્યું કે અમે લોકોએ પરિવારમાં નિયમ બનાવ્યો છે કે કેટલુંય કામ કેમ ન હોય, પરંતુ જો અમે શહેરની બહાર નથી તો પરિવારના બધા જ સભ્યો ડિનર, ટેબલ પર સાથે બેસીને લઈશું અને બીજું એ કે ડિનર ના ટેબલ પર compulsory બધા તેલૂગુ ભાષામાં જ બોલશે. જે બાળકો ત્યાં જન્મ્યા હતા, તેમના માટે પણ આ નિયમ હતો. પોતાની માતૃભાષા પ્રત્યે આ પ્રેમ જોઈને આ પરિવારથી હું ઘણો જ પ્રભાવિત થયો હતો.
સાથીઓ, આઝાદીના 75 વર્ષ પછી પણ કેટલાક લોકો એવા માનસિક દ્વંદ્વમાં જીવી રહ્યા છે જેને કારણે તેમને તેમની ભાષા, તેમનો પહેરવેશ, પોતાની ખાણી-પીણીને લઈને એક સંકોચ થાય છે, જ્યારે વિશ્વમાં ક્યાંય એવું નથી. આપણી માતૃભાષા છે, આપણે તેને ગર્વ સાથે બોલવી જોઈએ. અને આપણું ભારત તો ભાષાઓના મામલામાં એટલું સમૃદ્ધ છે કે તેની તુલના જ ન થઈ શકે. આપણી ભાષાઓની સૌથી મોટી સુંદરતા એ છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી, કચ્છથી કોહિમા સુધી સેંકડો ભાષાઓ, હજારો બોલી, એકબીજાથી અલગ પરંતુ એકબીજામાં રચાયેલી-ગૂંથાયેલી છે – ભાષા અનેક, ભાવ એક. સદીઓથી આપણી ભાષાઓ એકબીજા પાસેથી શીખીને પોતાને પરિષ્કૃત કરી રહી છે, એકબીજાનો વિકાસ કરી રહી છે. ભારતમાં વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ છે અને એ વાતનો દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ કે દુનિયાનો આટલો મોટો વારસો આપણી પાસે છે. તેવી જ રીતે જેટલા જૂના ધર્મશાસ્ત્ર છે, તેની અભિવ્યક્તિ પણ આપણી સંસ્કૃત ભાષામાં છે. ભારતના લોકો લગભગ 121 એટલે કે આપણને ગર્વ થશે, 121 પ્રકારની માતૃભાષાઓ સાથે જોડાયેલા છે અને તેમાંથી 14 ભાષાઓ તો એવી છએ જે એક કરોડથી પણ વધુ લોકો રોજિંદા જીવનમાં બોલે છે. એટલે જેટલી કોઈ યુરોપિયન દેશની કુલ જનસંખ્યા નથી, તેનાથી વધારે લોકો આપણે ત્યાં અલગ-અલગ 14 ભાષાઓ સાથે જોડાયેલા છે. વર્ષ 2019માં હિન્દી, દુનિયાની સૌથી વધારે બોલાતી ભાષાઓમાં ત્રીજા ક્રમાંક પર હતી. એ વાતનો પણ દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ. ભાષા માત્ર અભિવ્યક્તિનું જ માધ્યમ નથી, પરંતુ ભાષા સમાજની સંસ્કૃતિ અને વારસાને પણ સાચવવાનું કામ કરે છે. આપણી ભાષાના વારસાનો સાચવવાનું આવું જ કામ સૂરીનામમાં સુરજન પરોહી જી કરી રહ્યા છે. આ મહિનાની 2 તારીખે તેઓ 84 વર્ષના થયા. તેમના પૂર્વજ પણ વર્ષો પહેલાં, હજારો શ્રમિકો સાથે, રોજી-રોટી માટે સૂરીનામ ગયા હતા. સુરજન પરોહી જી હિન્દીમાં ઘણી જ સારી કવિતા લખે છે, ત્યાંના રાષ્ટ્રીય કવિઓમાં તેમનું નામ લેવામાં આવે છે. એટલે કે આજે પણ તેમના હ્રદયમાં હિન્દુસ્તાન ઘબકે છે, તેમના કાર્યોમાં હિન્દુસ્તાની માટીની સુગંધ છે. સૂરીનામના લોકોએ સુરજન પરોહી જીના નામ પર એક સંગ્રહાલય પણ બનાવ્યું છે. મારા માટે એ ઘણું જ સુખદ છે કે વર્ષ 2015માં મને તેમને સન્માનિત કરવાનો મોકો મળ્યો હતો.
સાથીઓ, આજના દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ પણ છે.
“સર્વ મરાઠી બંધુ ભગિનિના મરાઠી ભાષા દિનાચ્યા હાર્દિક શુભેચ્છા.”
આ દિવસ મરાઠી કવિરાજ વિષ્ણુ બામન શિરવાડકર જી, શ્રીમાન કુસુમાગ્રજ જીને સમર્પિત છે. આજે જ કુસુમાગ્રજ જીની જન્મ જયંતિ પણ છે. કુસુમાગ્રજ જીએ મરાઠીમાં કવિતાઓ લખી, અનેક નાટકો લખ્યા, મરાઠી સાહિત્યને નવી ઉંચાઈ આપી.
સાથીઓ, આપણે ત્યાં ભાષાની પોતાની ખૂબીઓ છે, માતૃભાષાનું પોતાનું વિજ્ઞાન છે. આ વિજ્ઞાનને સમજીને, રાષ્ટ્રિય શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષામાં ભણતર પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણા Professional courses પણ સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવે, તેના પ્રયત્નો થઈ રહ્યા છે. આઝાદીના અમૃતકાળમાં આ પ્રયત્નોને આપણે સહુએ મળીને ઘણી જ ઝડપ આપવી જોઈએ, તે સ્વાભિમાનનું કામ છે. હું ઈચ્છીશ, તમે જે પણ માતૃભાષા બોલો છો, તેની ખૂબીઓ વિશે અવશ્ય જાણો અને કંઈકને કંઈક લખો.
સાથીઓ, થોડા દિવસો પહેલાં મારી મુલાકાત, મારા મિત્ર અને કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી રાઈલા ઓડિંગા જી સાથે થઈ હતી. આ મુલાકાત રસપ્રદ તો હતી જ પરંતુ ઘણી ભાવુક હતી. અમે ઘણાં સારા મિત્રો રહ્યા તો ખૂલીને ઘણી વાતો પણ કરી લઈએ છીએ. જ્યારે અમે બંને વાત કરી રહ્યા હતા, તો ઓડિંગા જીએ તેમની દીકરી વિશે જણાવ્યું. તેમની દીકરી Rosemary ને Brain Tumour થઈ ગઈ હતી અને તેને કારણે તેમણે તેમની દીકરીની Surgery કરાવવી પડી હતી. પરંતુ તેનું દુષ્પરિણામ એ હતું કે Rosemaryની આંખનું તેજ લગભગ-લગભગ જતું રહ્યું, દેખાવાનું બંધ થઈ ગયું. હવે તમે કલ્પના કરી શકો છો કે તે દીકરીની શું સ્થિતી થઈ હશે અને એક પિતાની સ્થિતીનો પણ આપણે અંદાજ લગાવી શકીએ.
--
તેમની ભાવનાઓને સમજી શકીએ છીએ. તેમણે દુનિયાભરની હોસ્પિટલોમાં, દુનિયાનો કોઈપણ મોટો દેશ એવો નહીં હોય, કે જ્યાં તેમણે તેમની દીકરીની સારવાર માટે ભરપૂર કોશિષ ન કરી હોય. દુનિયાના મોટા-મોટા દેશો ખૂંદી વળ્યા, પરંતુ કોઈ સફળતા ન મળી અને એક પ્રકારે બધી આશાઓ છોડી દીધી, આખા ઘરમાં નિરાશાનું વાતાવરણ બની ગયું. તેવામાં કોઈએ તેમને, ભારતમાં આયુર્વેદની સારવાર માટે આવવા માટે સૂચન આપ્યું અને તેઓ ઘણું કરી ચૂક્યા હતા, થાકી પણ ગયા હતા, છતાં તેમને લાગ્યું કે ચલો ભાઈ, એકવખત ટ્રાય કરીએ શું થાય છે? તેઓ ભારત આવ્યા, કેરળની એક આયુર્વેદિક હોસ્પિટલમાં પોતાની દીકરીની સારવાર શરૂ કરાવી. ઘણો સમય દીકરી અહીંયા રહી. આયુર્વેદની આ સારવારની અસર એ થઈ કે Rosemaryની આંખોનું તેજ ઘણુંખરું પાછું આવી ગયું હતું. તમે કલ્પના કરી શકો છો, કે જેમ એક નવું જીવન મળી ગયું અને તેજ તો Rosemaryના જીવનમાં આવ્યું. પરંતુ આખા પરિવારમાં એક નવું તેજ, નવું જીવન આવ્યું અને ઓડિંગા જી એટલા ભાવુક થઈને આ વાત મને જણાવી રહ્યા હતા, કે તેમની ઈચ્છા છે કે ભારતના આયુર્વેદનું જ્ઞાન છે, વિજ્ઞાન છે, તે કેન્યામાં લઈ આવે. જે પ્રકારના Plants તેમાં કામ આવે છે તે Plantsની ખેતી કરશે અને તેનો લાભ વધુને વધુ લોકોને મળે તેને માટે તેઓ પૂર્ણ પ્રયત્ન કરશે.
મારા માટે એ ઘણી જ ખુશીની વાત છે કે આપણી ધરતી અને પરંપરાથી કોઈના જીવનમાંથી આટલું મોટું કષ્ટ દૂર થયું. આ સાંભળીને આપને પણ ખુશી થશે. કોણ ભારતવાસી હશે જેને ગર્વ ન હોય ? આપણે બધા જાણીએ છીએ કે ઓડિંગા જી જ નહીં, પરંતુ દુનિયાના લાખો લોકો આયુર્વેદથી આવી જ રીતે લાભ ઉઠાવી રહ્યા છે.
બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ આયુર્વેદના ઘણાં મોટા પ્રશંસકોમાંના એક છે. જ્યારે પણ મારી તેમની સાથે મુલાકાત થાય છે, તેઓ આયુર્વેદનો ઉલ્લેખ જરૂર કરે છે. તેમને ભારતની કેટલીયે આયુર્વેદિક સંસ્થાઓની જાણકારી પણ છે.
સાથીઓ, ગત સાત વર્ષોમાં દેશમાં આયુર્વેદના પ્રચાર-પ્રસાર પર બહુ ધ્યાન આપવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયના ગઠનથી ચિકિત્સા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આપણી પારંપરિક રીતને લોકપ્રિય બનાવવાના સંકલ્પને વધુ મજબૂતી મળી છે. મને એ વાતની ખુશી છે કે પાછલા થોડા સમયમાં આયુર્વેદના ક્ષેત્રમાં પણ કેટલાય નવા સ્ટાર્ટ-અપ સામે આવ્યા છે. આ જ મહિનાની શરૂઆતમાં આયુષ સ્ટાર્ટ-અપ ચેલેન્જ શરૂ થઈ હતી. આ ચેલેન્જનું લક્ષ્ય, આ ક્ષેત્રમાં કામ કરનારા સ્ટાર્ટ-અપને identify કરીને તેને સપોર્ટ કરવાનું છે. આ ક્ષેત્રમાં કામ કરી રહેલા યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ આ ચેલેન્જમાં ચોક્કસ ભાગ લે.
સાથીઓ, એક વખત જ્યારે લોકો મળીને કંઈક કરવાનું નક્કી કરી લે છે તો તેઓ અદ્ભુત ચીજો કરી જાય છે. સમાજમાં કેટલાય એવા બદલાવ થયા છે, જેમાં જન ભાગીદારી સામૂહિક પ્રયત્નો- તેની બહુ જ મોટી ભૂમિકા રહી છે. “મિશન જલ થલ” નામનું આવુંજ એક જન આંદોલન કાશ્મીરના શ્રીનગર માં ચાલી રહ્યું છે. આ શ્રીનગરના ઝરણાઓ અને તળાવોની સાફ-સફાઇ અને તેની જુની રોનક લાવવાનો એક પ્રયાસ છે. “મિશન જલ થલ”નું ફોકસ ‘કુશળ સાર’ અને ‘ગિલ સાર’ પર છે. જનભાગીદારીની સાથે-સાથે તેમાં ટેક્નોલોજીની પણ ઘણી મદદ લેવામાં આવી રહી છે. ક્યાં-ક્યાં અતિક્રમણ થયું છે, ક્યાં ગેરકાયદે નિર્માણ થયું છે, તેની જાણકારી મેળવવા માટે આ ક્ષેત્રનો કાયદેસરનો સર્વે કરાવવામાં આવ્યો. તેની સાથે જ પ્લાસ્ટિક વેસ્ટને હટાવવા અને કચરાની સફાઈનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું. મિશનના બીજા ચરણમાં જૂની વોટર ચેનલ્સ અને તળાવોને ભરનારા 19 ઝરણાને Restore કરવાનો પણ ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ Restoration Project ના મહત્વ વિશે વધારેમાં વધારે જાગૃતિ ફેલાય, તેને માટે સ્થાનિક લોકો અને યુવાનોને વોટર એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. હવે અહીંના સ્થાનિક લોકો ગિલ સાર લેક માં પ્રવાસી પક્ષીઓ અને માછલીઓની સંખ્યા વધતી રહે તેને માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે અને તેને જોઈને ખુશી પણ થાય છે. હું આવા શાનદાર પ્રયત્ન માટે શ્રીનગરના લોકોને ઘણી જ શુભેચ્છા પાઠવું છું.
સાથીઓ, આઠ વર્ષ પહેલા દેશે જે સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું, સમય સાથે તેનો વિસ્તાર પણ વધતો ગયો, નવા નવા ઈનોવેશન પણ જોડાતા ગયા. ભારતમાં તમે ક્યાંય પણ જશો તો જોશો કે દરેક જગ્યાએ સ્વચ્છતા માટે કોઈને કોઈ પ્રયત્ન જરૂર થઈ રહ્યા છે. આસામના કોકરાઝારમાં આવા જ એક પ્રયત્ન વિશે મને જાણવા મળ્યું. અહીં Morning Walkers ના એક સમૂહે ‘સ્વચ્છ અને હરિત કોકરાઝાર’ મિશન હેઠળ ઘણી જ પ્રશંસનીય પહેલ કરી છે. આ બધાએ નવા ફ્લાયઓવર ક્ષેત્રમાં ત્રણ કિલોમીટર લાંબા માર્ગની સફાઈ કરીને સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો. આવી જ રીતે વિશાખાપટ્ટનમમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પોલિથીનને બદલે કપડાંની થેલીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અહીંના લોકો પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે Single Use Plastic ઉત્પાદકોની સામે અભિયાન ચલાવી રહ્યા છે. તેની સાથે-સાથે આ લોકો ઘરે જ કચરાને અલગ કરવા માટે જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે. મુંબઈની સોમૈયા કોલેજના વિદ્યાર્થીએ સ્વચ્છતાના તેના અભિયાનમાં સુંદરતાને પણ સામેલ કરી લીધી છે. તેમણે કલ્યાણ રેલવે સ્ટેશનની દિવાલોને સુંદર પેઈન્ટિંગ્સથી સજાવી છે. રાજસ્થાનના સવાઈ માધોપુરનું પણ પ્રેરક ઉદાહરણ મારી જાણકારીમાં આવ્યું છે. અહીંના યુવાનોએ રણથંભોરમાં ‘Mission Beat Plastic’ નામનું અભિયાન ચલાવ્યું છે. જેમાં રણથંભોરના જંગલોમાંથી પ્લાસ્ટિક અને પોલિથીનને હટાવવામાં આવ્યા છે. સહુના પ્રયત્નની આ જ ભાવના, દેશમાં જનભાગીદારીને મજબૂત કરે છે અને જ્યારે જનભાગીદારી હોય તો સૌથી મોટા લક્ષ્ય ચોક્કસ પૂરા થાય છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજથી થોડા દિવસો પછી જ, 8 માર્ચે આખી દુનિયામાં ‘International Women’s Day’, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવશે. મહિલાઓના સાહસ, કૌશલ અને પ્રતિભાથી જોડાયેલા કેટલાય ઉદાહરણ આપણે મન કી બાતમાં સતત વહેંચતા રહ્યા છીએ. આજે પછી તે સ્કિલ ઈન્ડિયા હોય, સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય, કે નાના-મોટા ઉદ્યોગ હોય, મહિલાઓએ દરેક જગ્યાએ મોરચો સંભાળ્યો છે. તમે કોઈપણ ક્ષેત્રમાં જુઓ, મહિલાઓ જૂની માનસિકતાઓને તોડી રહી છે. આજે આપણા દેશમાં પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધી અલગ-અલગ કાર્યક્ષેત્રમાં મહિલાઓ નવી નવી ઉંચાઈ પ્રાપ્ત કરી રહી છે. સેનામાં પણ દીકરીઓ હવે નવી અને મોટી ભૂમિકાઓમાં જવાબદારી નિભાવી રહી છે અને દેશની રક્ષા કરી રહી છે. ગયા મહિને પ્રજાસત્તાક દિવસ પર આપણે જોયું કે આધુનિક ફાઈટર પ્લેનને પણ દીકરીઓ ઉડાવી રહી છે. દેશે સૈનિક સ્કૂલોમાં પણ દીકરીઓના એડમિશન પરથી પ્રતિબંધ હટાવ્યો અને આખા દેશમાં દીકરીઓ સૈનિક સ્કૂલમાં દાખલ થઈ રહી છે.
--
આવી જ રીતે આપણા સ્ટાર્ટ-અપ જગતને જોઈએ તો છેલ્લા વર્ષોમાં, દેશમાં હજારો નવા સ્ટાર્ટ-અપ શરૂ થયા. જેમાંથી લગભગ અડધા સ્ટાર્ટ-અપમાં મહિલાઓ નિર્દેશકની ભૂમિકામા છે. છેલ્લા કેટલાક સમયમાં મહિલાઓ માટે ‘માતૃત્વ અવકાશ’ વધારવા જેવા નિર્ણય લેવામાં આવ્યા છે. બાળક અને બાળકીઓને સમાન અધિકાર આપતા લગ્નની ઉંમર સમાન કરવા માટે દેશ પ્રયાસ કરી રહ્યો છે. તેનાથી દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. આપ દેશમાં વધુ એક બદલાવ થતો જોઈ રહ્યા હશો. આ બદલાવ છે – આપણા સામાજિક અભિયાનોની સફળતા. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ની સફળતા ને જ જુઓ, આજે દેશમાં લિંગ ગુણોત્તર સુધર્યો છે. સ્કૂલ જનારી દીકરીઓની સંખ્યામાં સુધારો થયો છે. આમાં આપણી પણ જવાબદારી છે કે આપણી દીકરીઓ વચ્ચેથી સ્કૂલ ન છોડી દે. તેવી જ રીતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશમાં મહિલાઓને ખૂલ્લામાં શૌચમાંથી મુક્તિ મળી છે. ટ્રિપલ તલાક જેવા સામાજિક અનિષ્ટનો અંત પણ થઈ રહ્યો છે. જ્યારથી ટ્રિપલ તલાકની સામે કાયદો આવ્યો છે, દેશમાં ત્રણ તલાકના મામલામાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે. આ આટલા બધા બદલાવ આટલા ઓછા સમયમાં કેવી રીતે થઈ રહ્યા છે ? આ પરિવર્તન એટલે આવી રહ્યા છે કારણ કે આપણા દેશમાં પરિવર્તન અને પ્રગતિશીલ પ્રયત્નોનું નેતૃત્વ હવે ખુદ મહિલાઓ કરી રહી છે.
મારા પ્રિય દેશવાસીઓ, કાલે 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે છે. આ દિવસ Raman Effectની શોધ માટે પણ ઓળખાય છે. હું સી.વી. રમન જીની સાથે એ બધા જ વૈજ્ઞાનિકોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું, જેમણે આપણી Scientific Journey ને સમૃદ્ધ બનાવવામા પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સાથીઓ, આપણા જીવનમાં સુગમતા અને સરળતામાં ટેક્નોલોજીએ ઘણી જગ્યા બનાવી લીધી છે. કઈ ટેક્નોલોજી સારી છે, કઈ ટેક્નોલોજીનો સારો ઉપયોગ કયો છે, આ બધા વિષયોથી આપણે સારી રીતે પરિચિત હોઈએ જ છીએ. પરંતુ એ પણ સાચું છે કે આપણા પરિવારના બાળકોને એ ટેક્નોલોજીનો આધાર શું છે, તેની પાછળનું સાયન્સ શું છે, એ તરફ આપણું ધ્યાન જાતું જ નથી. આ સાયન્સ ડે પર મારો બધા જ પરિવારોને આગ્રહ છે કે તેઓ પોતાના બાળકોમાં Scientific Temperament વિકસિત કરવા માટે ચોક્કસ નાના-નાનાં પ્રયત્નોથી શરૂ કરી શકે છે. હવે જેમ દેખાતું નથી, ચશ્મા લગાવ્યા પછી સાફ દેખાવા લાગે છે, તો બાળકોને આસાનીથી સમજાવી શકાય છે કે તેની પાછળનું વિજ્ઞાન શું છે. માત્ર ચશ્મા જોયાં, આનંદ કરીએ, એટલું જ નહીં. આરામથી તમે એક નાના કાગળ પર તેમને જણાવી શકો છો. હવે તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, કેલ્ક્યૂલેટર કેવી રીતે કામ કરે છે, રિમોટ કન્ટ્રોલ કેવી રીતે કામ કરે છે, સેન્સર શું હોય છે? આ Scientific વાતો તેની સાથે-સાથે ઘરમાં ચર્ચામાં હોય છે શું? હોઈ શકે છે, ઘણાં આરામથી- આપણે આ ચીજોનું, ઘરની રોજિંદી જિંદગીની પાછળ શું સાયન્સ છે- તે કઈ વાત છે -જે એ કરી રહી છે, તેને સમજાવી શકીએ છીએ. તેવી જ રીતે શું ક્યારેય આપણે બાળકોને સાથે રાખીને આકાશમાં એકસાથે જોયું છે શું? રાત્રે તારાઓ વિશે પણ જરૂર વાતો થઈ હોય. વિવિધ constellations જોવા મળે છે, તેના વિશે જણાવો. એવું કરીને આપ બાળકોમાં ફિઝીક્સ અને એસ્ટ્રોનોમી પ્રત્યે નવા વલણો ઉત્પન્ન કરી શકો છો. આજકાલ ઘણી જ સારી Apps પણ છે જેનાથી તમે તારાઓ અને ગ્રહોને locate કરી શકો છો, અથવા જે તારો આકાશમાં દેખાઈ રહ્યો છે તેને ઓળખી શકો છો, તેના વિશે પણ જાણી શકો છો. હું આપણા સ્ટાર્ટ-અપને પણ કહીશ કે આપ આપના કૌશલ્ય અને Scientific Character નો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલા કાર્યમાં પણ કરો. આ દેશ પ્રત્યે આપણી Collective Scientific Responsibility પણ છે. જેમ આજકાલ હું જોઈ રહ્યો છું કે આપણા સ્ટાર્ટ-અપ વર્ચ્યુઅલ રિઆલીટીની દુનિયામાં ઘણું જ સારું કામ કરી રહ્યા છે. Virtual Classesના આ યુગમાં બાળકોને ધ્યાનમાં રાખીને આવી જ એક વર્ચ્યુઅલ લેબ બનાવી શકાય છે. આપણે વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા બાળકોને chemistry ની લેબનો અનુભવ ઘરે બેઠા કરાવી શકીએ છીએ. આપણા શિક્ષકો અને વાલીઓને મારી વિનંતી છે કે આપ તમામ વિદ્યાર્થીઓ અને બાળકોને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરો અને તેમની સાથે મળીને પ્રશ્નોના સાચા જવાબો શોધો. આજે હું કોરોના સામેની લડાઈમાં ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાની પણ પ્રશંસા કરવા માંગુ છું. તેમની સખત મહેનતને કારણે Made In India વેક્સીનનું નિર્માણ શક્ય બની શક્યું, જેનાથી વિશ્વને ઘણી મદદ મળી છે. Science ની માનવતા માટે આ જ તો ભેટ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે પણ આપણે ઘણા વિષયો પર ચર્ચા કરી. આવનારા માર્ચ મહિનામાં, ઘણા તહેવારો આવી રહ્યા છે - શિવરાત્રી છે અને હવે થોડા દિવસો પછી તમે બધા હોળીની તૈયારીમાં લાગી જશો. હોળી આપણને એકસૂત્રમાં પરોવનારો તહેવાર છે. આમાં પારકા-પોતાના, દ્વેષ-વિદ્વેષ, નાના-મોટા, તમામ ભેદ ભૂંસાઈ જાય છે. તેથી જ કહેવાય છે કે હોળીનો રંગ કરતાં પણ વધારે ઘાટા રંગ પ્રેમ અને સંવાદિતાના હોય છે. હોળીમાં ગુજિયાની સાથે સાથે સંબંધોની પણ અનોખી મીઠાશ હોય છે. આપણે આ સંબંધોને વધુ મજબૂત બનાવવાના છે અને સંબંધ ફક્ત આપણા પરિવારના લોકો સાથે જ નથી પરંતુ તે લોકો સાથે પણ- જે મોટા પરિવારનો ભાગ છે. તેની સૌથી મહત્વપૂર્ણ રીત પણ આપે યાદ રાખવાની છે- આ રીત છે, 'વોકલ ફોર લોકલ' સાથે તહેવારની ઉજવણીની. તમે તહેવારો પર સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરો, જેનાથી આપની આસપાસ રહેનારા લોકોના જીવનમાં પણ રંગ ઉમેરાય, રંગ રહે, ઉમંગ રહે. આપણો દેશ જેટલી સફળતાથી કોરોનાની સામે લડાઈ લડી રહ્યો છે, અને આગળ વધી રહ્યો છે, તેનાથી તહેવારોમાં જોશ પણ અનેકગણો વધી ગયો છે. આ જ જોશની સાથે આપણે આપણા તહેવાર મનાવવાના છે, અને સાથે જ પોતાની સાવધાની પણ રાખવાની છે. હું આપ બધાને આવનારા તહેવારોની શુભેચ્છાઓ આપુ છું. મને હંમેશા આપની વાતોની, આપના પત્રોની, આપના સંદેશાઓની રાહ રહેશે. ખૂબ-ખૂબ શુભેચ્છા.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે મન કી બાતની એક વધુ કડી દ્વારા આપણે એક સાથે જોડાઇ રહ્યા છીએ. આ ૨૦૨૨ની પહેલી મન કી બાત છે. આજે આપણે ફરી એવી ચર્ચાઓને આગળ વધારીશું જે આપણા દેશ અને દેશવાસીઓની સકારાત્મક પ્રેરણાઓ અને સામૂહિક પ્રયત્નો સાથે જોડાયેલી હોય છે. આજે આપણા પૂજય બાપુ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે. ૩૦ જાન્યુઆરીનો આ દિવસ આપણને બાપુના ઉપદેશોની પણ યાદ અપાવે છે. હજી થોડા દિવસ પહેલાં જ આપણે ગણતંત્ર દિવસ પણ ઉજવ્યો. દિલ્હીમાં રાજપથ પર આપણે દેશના શૌર્ય અને સામર્થ્યની જે ઝલક જોઇ તેણે સૌને ગર્વ અને ઉત્સાહથી ભરી દીધા છે. આ વખતે તમે એક બદલાવ જોયો હશે. હવે પ્રજાસત્તાક દિવસ સમારંભ ૨૩ જાન્યુઆરી એટલે કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીથી શરૂ થશે અને ૩૦ જાન્યુઆરી સુધી એટલે કે, ગાંધીજીની પુણ્યતિથિ સુધી ચાલશે. ઇન્ડિયા ગેટ પર નેતાજીની ડીજીટલ પ્રતિમા પણ સ્થાપિત કરી દેવાઇ છે. આ બાબતનું જે રીતે દેશે સ્વાગત કર્યું, દેશના ખૂણેખૂણાથી આનંદનું જે મોજું ફરી વળ્યું, દરેક દેશવાસીએ જે પ્રકારની ભાવનાઓ પ્રગટ કરી તેને આપણે કયારેય ભૂલી નહીં શકીએ.
સાથીઓ, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયાસોના માધ્યમથી પોતાના રાષ્ટ્રીય પ્રતિકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યો છે. આપણે જોયું કે, ઇન્ડિયા ગેટને અડીને “અમર જવાન જયોતિ” છે અને નજીકમાં જ “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર પ્રજ્જવલિત જયોત છે તેને એક કરી દેવામાં આવી છે. આ ભાવુક અવસરે કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” માં આઝાદી પછી શહીદ થયેલા દેશના તમામ વીરોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સેનાના કેટલાક ભૂતપૂર્વ જવાનોએ મને પત્ર લખીને કહ્યું છે કે, “શહીદોની સ્મૃતિની સામે પ્રજ્જવલિત થઇ રહેલી અમર જવાન જયોતિ શહીદોના અમરત્વનું પ્રતિક છે.” ખરેખર “અમર જવાન જયોતિ”ની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમનું યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહીશ કે, જયારે પણ તક મળે “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર જરૂર જજો. પોતાના પરિવાર અને બાળકોને પણ ચોકક્સ લઇ જજો. ત્યાં તમને એક અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.
સાથીઓ, અમૃત મહોત્સવના આ આયોજનોની વચ્ચે દેશમાં કેટલાયે મહત્વના રાષ્ટ્રીય પુરસ્કારો પણ આપવામાં આવ્યા. તેમાંનો એક છે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. આ પુરસ્કાર એવા બાળકોને મળ્યા, જેમણે નાની ઉંમરમાં જ સાહસિક અને પ્રેરણાદાયક કામ કર્યું છે. આપણે બધાંએ પોતાના ઘરમાં આ બાળકો વિશે જરૂર જણાવવું જોઇએ. તેનાથી આપણાં બાળકોને પણ પ્રેરણા મળશે અને તેમનામાં દેશનું નામ રોશન કરવાનો ઉત્સાહ જાગશે. દેશમાં હમણાં જ પદ્મપુરસ્કારોની પણ જાહેરાત થઇ છે. પદ્મપુરસ્કાર મેળવનારામાં કેટલાય એવા નામ પણ છે જેમના વિશે બહુ ઓછા લોકો જામે છે. આ આપણા દેશના unsung heroes છે. જેમણે સાધારણ સંજોગોમાં પણ અસાધારણ કામ કર્યું છે. જેમ કે, ઉત્તરાખંડના બસંતી દેવીજીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બસંતી દેવીએ તેમનું પૂરૂં જીવન સંઘર્ષોની વચ્ચે વિતાવ્યું. નાની ઉંમરમાં જ તેમના પતિનું અવસાન થઇ ગયું હતું અને તેઓ એક આશ્રમમાં રહેવા લાગ્યાં. ત્યાં રહીને તેમણે નદીને બચાવવા માટે સંઘર્ષ કર્યો અને પર્યાવરણ માટે અસાધારણ યોગદાન આપ્યું. તેમણે મહિલાઓના સશક્તીકરણ માટે પણ ઘણું કામ કર્યું છે. આ રીતે જ મણિપુરના ૭૭ વર્ષના લૌરેમ્બમ બીનો દેવી દાયકાઓથી મણિપુરની લીબા વસ્ત્રકળાનું સંરક્ષણ કરી રહ્યા છે. તેમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના અર્જુનસિંહને બૈગા આદિવાસી નૃત્યની કળાને ઓળખ અપાવવા માટે પદ્મ સન્માન મળ્યું છે. પદ્મ સન્માન મેળવનારા વધુ એક મહાનુભાવ છે શ્રીમાન અમાઇ મહાલિંગા નાઇક. તેઓ એક ખેડૂત છે. અને કર્ણાટકના નિવાસી છે. તેમને કેટલાક લોકો ટનલ મેન પણ કહે છે. તેમણે ખેતીમાં એવા એવા નવીનીકરણ કર્યા છે, જેને જોઇને કોઇપણ દંગ રહી જાય. તેમના પ્રયાસોનો બહુ મોટો લાભ નાના ખેડૂતોને થઇ રહ્યો છે. આવા બીજા પણ કેટલાય unsung heroes(અસ્તુત્ય નાયકો) છે. દેશે તેમના યોગદાન માટે જેમને સન્માનિત કર્યા છે. આપ તેમના વિષે જાણવાની પણ ચોક્કસ કોશિશ કરજો. તેમનાથી આપણને જીવનમાં ઘણુંબધું શીખવા મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, અમૃત મહોત્સવ વિશે તમે બધા સાથીઓ મને ઢગલાબંધ પત્રો અને સંદેશા મોકલો છો, અનેક સૂચનો કરો છે. આ શ્રેણીમાં કંઇક એવું થયું છે, જે મારા માટે અવિસ્મરણીય છે. એક કરોડથી વધુ બાળકોએ મને પોતાની મન કી બાત પોસ્ટકાર્ડ દ્વારા લખી મોકલી છે. આ એક કરોડ પોસ્ટકાર્ડ દેશના, જુદાજુદા ભાગમાંથી આવ્યા છે, વિદેશથી પણ આવ્યા છે. તેમા