ભારતીય જનતા પાર્ટી એ ભારતનો સૌથી મોટો રાજકીય પક્ષ છે, અને તે સમગ્ર દેશમાં સક્રિય હાજરી ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે ખેડૂત, ગરીબ, હાંસિયામાં ધકેલાયેલા, યુવાનો, મહિલાઓ અને નવ-મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરતા સર્વસમાવેશક અને વિકાસલક્ષી શાસન યુગની શરૂઆત કરી હતી.

2024ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે ત્રીજી વખત રેકોર્ડ જનાદેશ મેળવ્યો હતો. શ્રી મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આર્થિક સુધારાઓ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્યાણ કાર્યક્રમો પર પક્ષનું ધ્યાન તેની સફળતામાં ફાળો આપે છે.

શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2024માં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા

આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ 2019 અને 2014માં પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર બહુમત મેળવનારી ત્રણ દશકામાં પહેલી પાર્ટી બની હતી. આ સિદ્ધિ મેળવનાર તે પહેલી બિનકોંગ્રેસી પાર્ટી પણ છે.

શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા

ભાજપનો ઇતિહાસ ઘણો જૂનો છે, 1980ના દાયકાનો છે, જ્યારે શ્રી અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષપદ હેઠળ પક્ષનો જન્મ થયો હતો. ભાજપનો પુરોગામી ભારતીય જનસંઘ 1950, 60 અને 70ના દાયકાઓ દરમિયાન ભારતીય રાજકારણમાં સક્રિય હતો અને તેના નેતા શ્રી શ્યામા પ્રસાદ મુખરજીએ સ્વતંત્ર ભારતની સૌપ્રથમ કેબિનેટમાં સેવા આપી હતી. 1977થી 1979 સુધી શ્રી મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળની જનતા પક્ષની સરકારનું અભિન્ન અંગ જનસંઘ હતું. ભારતના ઇતિહાસમાં આ પહેલી વખત બિનકોંગ્રેસી સરકાર હતી.

BJP: For a strong, stable, inclusive& prosperous India

શ્રી લાલકૃષ્ણ અડવાણી, શ્રી અટલ બિહારી વાજપેયી અને શ્રી મુરલી મનોહર જોશીએ નવી દિલ્હીમાં ભાજપની એક બેઠકમાં ભાગ લીધો

ભાજપ એક મજબૂત, આત્મનિર્ભર, સર્વસમાવેશક અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે, જે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને લોકાચારમાંથી પ્રેરણા લે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય દ્વારા રજૂ કરવામાં આવેલી 'અભિન્ન માનવતાવાદ'ની ફિલસૂફીથી પાર્ટી ખૂબ પ્રેરિત છે. ભાજપ ભારતીય સમાજના દરેક વર્ગ, ખાસ કરીને ભારતના યુવાનોનું સમર્થન મેળવી રહ્યું છે.

પ્રમાણમાં ટૂંકા ગાળામાં ભાજપ ભારતીય રાજકીય વ્યવસ્થામાં ગણનાપાત્ર પરિબળ બની ગયું. 1989માં (તેની સ્થાપનાના 9 વર્ષ બાદ) લોકસભામાં પાર્ટીની સંખ્યા 2 (1984માં)થી વધીને 86 બેઠકો પર પહોંચી ગઈ હતી, અને ભાજપ કોંગ્રેસ વિરોધી ચળવળના કેન્દ્રમાં હતું, જેના કારણે નેશનલ ફ્રન્ટની રચના થઈ હતી, જેણે 1989-1990 સુધી ભારત પર શાસન કર્યું હતું. 1990ના દાયકા સુધી આ વધારો ચાલુ રહ્યો કારણ કે 1990ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઘણા રાજ્યોમાં સરકાર બનાવી હતી. 1991માં, તે લોકસભામાં મુખ્ય વિરોધ પક્ષ બન્યો, જે એક યુવાન પક્ષ માટે એક નોંધપાત્ર સિદ્ધિ હતી.

bjp-namo-in3

નવી દિલ્હીમાં પાર્ટીની બેઠકમાં ભાજપના નેતાઓ

વર્ષ 1996ના ઉનાળામાં શ્રી અટલ બિહારી વાજપેયીએ દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ સંપૂર્ણપણે બિન-કોંગ્રેસી પૃષ્ઠભૂમિ ધરાવતાં સૌપ્રથમ પ્રધાનમંત્રી હતાં. ભાજપને 1998 અને 1999ની ચૂંટણીમાં જનતાનો જનાદેશ મળ્યો હતો, શ્રી વાજપેયીના નેતૃત્વ હેઠળ 1998-2004 સુધી છ વર્ષ સુધી દેશ પર શાસન કર્યું હતું. શ્રી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર આજે પણ તેની વિકાસલક્ષી પહેલો માટે યાદ કરવામાં આવે છે, જેણે ભારતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું હતું.

bjp-namo-in2

શ્રી અટલબિહારી વાજપેયી નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે

શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1987માં મુખ્યધારાની રાજનીતિમાં ઝંપલાવ્યું હતું અને એક વર્ષમાં ગુજરાત ભાજપનાં મહામંત્રી બન્યાં હતાં. તેમની સંગઠનાત્મક કુશળતા 1987ની ન્યાય યાત્રા અને 1989માં લોક શક્તિ યાત્રા પાછળ હતી. ગુજરાતમાં ભાજપને સત્તા પર આવવામાં આ પ્રયાસોએ આગળ પડતો ભાગ ભજવ્યો હતો, પહેલા 1990માં ટૂંકા ગાળા માટે અને પછી 1995થી આજ સુધી. શ્રી મોદી 1995માં ભાજપના રાષ્ટ્રીય સચિવ બન્યા અને 1998માં તેમને મહાસચિવ (સંગઠન)ની જવાબદારી સોંપવામાં આવી, જે પાર્ટી સંગઠનમાં એક મહત્વપૂર્ણ પદ હતું. ત્રણ વર્ષ બાદ 2001માં પાર્ટીએ તેમને ગુજરાતના સીએમ પદ સંભાળવાની જવાબદારી સોંપી હતી. તેઓ 2002, 2007 અને 2012માં ફરીથી સીએમ તરીકે ચૂંટાયા હતા.

ભાજપ વિશે વધુ જાણો, પાર્ટીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

ભારતીય જનતા પાર્ટીનું એક્સ એકાઉન્ટ

શ્રી લાલકૃષ્ણ અડવાણીજીની વેબસાઈટ

શ્રી રાજનાથ સિંહની વેબસાઇટ

રાજનાથ સિંહનું એક્સ એકાઉન્ટ

શ્રી નીતિન ગડકરીની વેબસાઈટ

નીતિન ગડકરીનું એક્સ એકાઉન્ટ

 

ભાજપના મુખ્યમંત્રીઓ

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુનું એક્સ એકાઉન્ટ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એક્સ એકાઉન્ટ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વેબસાઇટ

ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતનું એક્સ એકાઉન્ટ

આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાનું એક્સ એકાઉન્ટ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનું એક્સ એકાઉન્ટ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વેબસાઇટ

ભૂપેન્દ્ર પટેલનું એક્સ એકાઉન્ટ

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાનું એક્સ એકાઉન્ટ

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈનું એક્સ એકાઉન્ટ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવનું એક્સ એકાઉન્ટ

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનું એક્સ એકાઉન્ટ

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીની વેબસાઇટ

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીનું એક્સ એકાઉન્ટ

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીનું એક્સ એકાઉન્ટ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું એક્સ એકાઉન્ટ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાનું X એકાઉન્ટ

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Solar infra helps India meet record 256GW power demand

Media Coverage

Solar infra helps India meet record 256GW power demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of renowned photographer Shri Raghu Rai
April 26, 2026

The Prime Minister has expressed deep sorrow over the passing of eminent photographer Raghu Rai, describing him as a creative stalwart who immortalised India’s vibrancy through his lens. Shri Modi noted that Shri Raghu Rai’s work was marked by extraordinary sensitivity, depth and diversity, capturing the many facets of life across India and bringing them closer to people.The Prime Minister remarked that his contribution to the world of photography and culture is unparalleled, and his passing is an irreparable loss to the artistic community.

The Prime Minister posted on X;

“Shri Raghu Rai Ji will be remembered as a creative stalwart, who captured India’s vibrancy through his lens. His photography had extraordinary sensitivity, depth and diversity. It brought people closer to the different aspects of life in India. His passing is an irreparable loss to the world of photography and culture. My thoughts are with his family, admirers and the photography fraternity in this hour of grief. Om Shanti.”