Government committed to ensuring a house to the homeless by 2022: PM Modi
Perpetrators of Pulwama attack will be made to pay heavy price: PM Modi
Projects launched in Yavatmal will help generate new jobs as well as empower the poor: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં યવતમાલની મુલાકાત લીધી હતી. તેમણે આજે રાજ્યમાં વિવિધ પરિયોજનાઓનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ, પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય)ના કેટલાક પસંદ કરાયેલા લાભાર્થીઓને ઘરની ચાવીઓ સુપરત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “પીએમએવાય હેઠળ યવતમાલમાં આશરે 14,500 નવા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે વર્ષ 2022 સુધીમાં સૌના માટે આવાસનું લક્ષ્ય સિદ્ધ કરીશું. આ મજબૂત આવાસો ત્યાં વસનારા લોકોના મજબૂત સપનાઓનો માર્ગ પ્રશસ્ત કરશે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “યવતમાલ ખાતે યોજાયેલો આ કાર્યક્રમ વિકાસની પંચધારામાં બાળકો માટે શિક્ષણ, યુવાનો માટે રોજગારી, વરિષ્ઠ નાગરિકો માટે દવાઓ, ખેડૂતો માટે સિંચાઈ અને જાહેર ફરિયાદોનું નિવારણ જેવી બાબતોનો સમાવેશ થાય છે.”

પ્રધાનમંત્રીએ રૂ. 500 કરોડની માર્ગ પરિયોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે હમસફર અજની(નાગપુર)- પૂણે ટ્રેનને વીડિયો લીંક મારફતે લીલી ઝંડી દર્શાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કનેક્ટિવિટી વિકાસની ચાવી છે અને માર્ગ તથા રેલવે પરિયોજના યવતમાલ અને આસપાસના વિસ્તારોના વિકાસમાં સહાયરૂપ બનશે.

જાહેરસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે પુલવામા હુમલા બાબતે ઊંડા દુઃખ અને રોષની લાગણી અનુભવીએ છીએ. મહારાષ્ટ્રના બે બહાદૂર દિકરાઓએ પણ રાષ્ટ્ર માટે પોતાની જીવનનું બલિદાન આપ્યું છે. આપણી સંવેદના દુઃખી પરિવારોની સાથે છે. તેમનું બલિદાન એળે જવાનું નથી. આપણે સુરક્ષાદળોને જવાબી કાર્યવાહી હાથધરવા માટે સમય, સ્થળ અને પદ્ધતિ નક્કી કરવા માટે છૂટો દોર આપી દીધો છે. આપણે આપણા આ બહાદૂર જવાનોના બલિદાનને કારણે વિકસીત રાષ્ટ્ર તરીકેના સપનાં સાકાર કરી શકીશું.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “સિકલસેલ રોગ અંગે સંશોધન હાથ ધરવા માટે ચંદ્રપુર ખાતે એક સંશોધન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.”

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સહસ્ત્રકુંડ એકલવ્ય આદર્શ નિવાસી શાળાનું ઉદઘાટન કર્યું હતું. આ શાળાનું સંકુલ 15 એકર વિસ્તારમાં પથરાયેલું છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે આ શાળા આદિવાસી બાળકોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે. આ શાળાનું આદિવાસી વિસ્તારોમાં 1000 એકલવ્ય આદર્શ નિવાસી શાળા સ્થાપવાના ભાગરૂપે નિર્માણ કરવામાં આવ્યું છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે જનધનથી વનધન સુધી આદિવાસીઓનો સંપૂર્ણ વિકાસ કરવા માટે વિશેષ કટિબદ્ધ છીએ. જનધન યોજનાએ ગરીબ લોકોને નાણાકીય સમાવેશીતામાં સહાય કરી છે, જ્યારે વનધન ગૌણ વન્ય પેદાશો મારફતે ગરીબ લોકોને વધારાની આવક મેળવવામાં સહાયરૂપ બની રહી છે. આપણે ગૌણ વન્ય પેદાશમાં મૂલ્યવૃદ્ધિ માટે વનધન કેન્દ્રો સ્થાપી રહ્યા છીએ, જેથી આદિવાસીઓને તેમની પેદાશોના વધુ સારી કિંમત મળી રહે. આપણે વાંસને વૃક્ષ તરીકે વિમૂક્ત કર્યા છે, જેથી આદિવાસીઓ વાંસ અને તેની પેદાશોમાંથી આવક મેળવી શકે.

 

આપણી આઝાદીની લડતમાં આદિવાસી નાયકોના બલિદાનને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે તેમની સ્મૃતિને દેશભરમાં સંગ્રહાલયો અને સ્મારકો મારફતે જાળવી રાખીશું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Big Relief For Flyers: Centre Mandates 60% Seats On Flights To Be Free Of Selection Fee

Media Coverage

Big Relief For Flyers: Centre Mandates 60% Seats On Flights To Be Free Of Selection Fee
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets everyone on occasion of Navratri
March 19, 2026
PM shares a Sanskrit Subhashitam and a Hymn on this occasion

Prime Minister Shri Narendra Modi has extended his warmest greetings to everyone on the auspicious occasion of Navratri, praying for prosperity, health, and the fulfillment of the resolve for a Viksit Bharat.

The Prime Minister shared a Sanskrit Subhashitam on this occasion, highlighting the divine and benevolent grace of Goddess Shailaputri as the holy festival of Navratri commences. PM Modi also shared a devotional hymn dedicated to the Goddess on this occasion, noting that through the boundless mercy of the Goddess, the welfare of all citizens would be ensured, providing a powerful impetus to the collective goal of a developed India.

In a series of posts, the Prime Minister wrote on X:

"देशभर के मेरे परिवारजनों को नवरात्रि की हार्दिक मंगलकामनाएं। शक्ति की आराधना का यह दिव्य अवसर आप सभी के लिए सुख, सौभाग्य, समृद्धि और उत्तम स्वास्थ्य लेकर आए। शक्तिस्वरूपा मां दुर्गा की असीम कृपा से सबका कल्याण हो, जिससे विकसित भारत के हमारे संकल्प को भी नई ऊर्जा मिले। जय अंबे जगदंबे मां!"

"नवरात्रि के पहले दिन मां दुर्गा के प्रथम स्वरूप देवी शैलपुत्री की पूजा का विधान है। उनके आशीर्वाद से हर किसी के जीवन में संयम, शांति और सकारात्मक ऊर्जा का संचार हो, यही कामना है।

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥"

I bow to Goddess Shailaputri, who fulfills all the wishes of her devotees, who is adorned with a crescent moon on her forehead, who rides a bull and who holds a trident in her hand. She is a glorious and revered goddess.

"जगतजननी मां दुर्गा के चरणों में कोटि-कोटि देशवासियों की ओर से मेरा नमन और वंदन! नवरात्रि के पावन पर्व पर देवी मां से विनती है कि वे हर किसी को अपने स्नेह और अनुकंपा का आशीर्वाद प्रदान करें। जय माता दी!"