Government committed to ensuring a house to the homeless by 2022: PM Modi
Perpetrators of Pulwama attack will be made to pay heavy price: PM Modi
Projects launched in Yavatmal will help generate new jobs as well as empower the poor: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં યવતમાલની મુલાકાત લીધી હતી. તેમણે આજે રાજ્યમાં વિવિધ પરિયોજનાઓનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ, પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય)ના કેટલાક પસંદ કરાયેલા લાભાર્થીઓને ઘરની ચાવીઓ સુપરત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “પીએમએવાય હેઠળ યવતમાલમાં આશરે 14,500 નવા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે વર્ષ 2022 સુધીમાં સૌના માટે આવાસનું લક્ષ્ય સિદ્ધ કરીશું. આ મજબૂત આવાસો ત્યાં વસનારા લોકોના મજબૂત સપનાઓનો માર્ગ પ્રશસ્ત કરશે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “યવતમાલ ખાતે યોજાયેલો આ કાર્યક્રમ વિકાસની પંચધારામાં બાળકો માટે શિક્ષણ, યુવાનો માટે રોજગારી, વરિષ્ઠ નાગરિકો માટે દવાઓ, ખેડૂતો માટે સિંચાઈ અને જાહેર ફરિયાદોનું નિવારણ જેવી બાબતોનો સમાવેશ થાય છે.”

પ્રધાનમંત્રીએ રૂ. 500 કરોડની માર્ગ પરિયોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે હમસફર અજની(નાગપુર)- પૂણે ટ્રેનને વીડિયો લીંક મારફતે લીલી ઝંડી દર્શાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કનેક્ટિવિટી વિકાસની ચાવી છે અને માર્ગ તથા રેલવે પરિયોજના યવતમાલ અને આસપાસના વિસ્તારોના વિકાસમાં સહાયરૂપ બનશે.

જાહેરસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે પુલવામા હુમલા બાબતે ઊંડા દુઃખ અને રોષની લાગણી અનુભવીએ છીએ. મહારાષ્ટ્રના બે બહાદૂર દિકરાઓએ પણ રાષ્ટ્ર માટે પોતાની જીવનનું બલિદાન આપ્યું છે. આપણી સંવેદના દુઃખી પરિવારોની સાથે છે. તેમનું બલિદાન એળે જવાનું નથી. આપણે સુરક્ષાદળોને જવાબી કાર્યવાહી હાથધરવા માટે સમય, સ્થળ અને પદ્ધતિ નક્કી કરવા માટે છૂટો દોર આપી દીધો છે. આપણે આપણા આ બહાદૂર જવાનોના બલિદાનને કારણે વિકસીત રાષ્ટ્ર તરીકેના સપનાં સાકાર કરી શકીશું.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “સિકલસેલ રોગ અંગે સંશોધન હાથ ધરવા માટે ચંદ્રપુર ખાતે એક સંશોધન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.”

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સહસ્ત્રકુંડ એકલવ્ય આદર્શ નિવાસી શાળાનું ઉદઘાટન કર્યું હતું. આ શાળાનું સંકુલ 15 એકર વિસ્તારમાં પથરાયેલું છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે આ શાળા આદિવાસી બાળકોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે. આ શાળાનું આદિવાસી વિસ્તારોમાં 1000 એકલવ્ય આદર્શ નિવાસી શાળા સ્થાપવાના ભાગરૂપે નિર્માણ કરવામાં આવ્યું છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે જનધનથી વનધન સુધી આદિવાસીઓનો સંપૂર્ણ વિકાસ કરવા માટે વિશેષ કટિબદ્ધ છીએ. જનધન યોજનાએ ગરીબ લોકોને નાણાકીય સમાવેશીતામાં સહાય કરી છે, જ્યારે વનધન ગૌણ વન્ય પેદાશો મારફતે ગરીબ લોકોને વધારાની આવક મેળવવામાં સહાયરૂપ બની રહી છે. આપણે ગૌણ વન્ય પેદાશમાં મૂલ્યવૃદ્ધિ માટે વનધન કેન્દ્રો સ્થાપી રહ્યા છીએ, જેથી આદિવાસીઓને તેમની પેદાશોના વધુ સારી કિંમત મળી રહે. આપણે વાંસને વૃક્ષ તરીકે વિમૂક્ત કર્યા છે, જેથી આદિવાસીઓ વાંસ અને તેની પેદાશોમાંથી આવક મેળવી શકે.

 

આપણી આઝાદીની લડતમાં આદિવાસી નાયકોના બલિદાનને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે તેમની સ્મૃતિને દેશભરમાં સંગ્રહાલયો અને સ્મારકો મારફતે જાળવી રાખીશું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India

Media Coverage

'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Congratulates Indian Squash Team on World Cup Victory
December 15, 2025

Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Squash Team for creating history by winning their first‑ever World Cup title at the SDAT Squash World Cup 2025.

Shri Modi lauded the exceptional performance of Joshna Chinnappa, Abhay Singh, Velavan Senthil Kumar and Anahat Singh, noting that their dedication, discipline and determination have brought immense pride to the nation. He said that this landmark achievement reflects the growing strength of Indian sports on the global stage.

The Prime Minister added that this victory will inspire countless young athletes across the country and further boost the popularity of squash among India’s youth.

Shri Modi in a post on X said:

“Congratulations to the Indian Squash Team for creating history and winning their first-ever World Cup title at SDAT Squash World Cup 2025!

Joshna Chinnappa, Abhay Singh, Velavan Senthil Kumar and Anahat Singh have displayed tremendous dedication and determination. Their success has made the entire nation proud. This win will also boost the popularity of squash among our youth.

@joshnachinappa

@abhaysinghk98

@Anahat_Singh13”