ભારતમાં વ્યાવસાયિક શિક્ષણમાં પરિવર્તન લાવવાની દિશામાં એક મોટા પગલામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અપગ્રેડેશન અને કૌશલ્ય વિકાસ માટે પાંચ (5) રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપના માટેની રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે.

ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) અપગ્રેડેશન અને કૌશલ્ય વિકાસ માટે પાંચ (5) રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો (NCOE)ની સ્થાપના માટેની રાષ્ટ્રીય યોજના, બજેટ 2024-25 અને બજેટ 2025-26 હેઠળ જાહેર કરાયેલ કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે લાગુ કરવામાં આવશે. જેનો ખર્ચ રૂ. 60,000 કરોડ (કેન્દ્રીય હિસ્સો: રૂ. 30,000 કરોડ, રાજ્ય હિસ્સો: રૂ. 20,000 કરોડ અને ઉદ્યોગ હિસ્સો: રૂ. 10,000 કરોડ), એશિયન વિકાસ બેંક અને વિશ્વ બેંક દ્વારા સમાન રીતે કેન્દ્રીય હિસ્સાના 50% સુધી સહ-ધિરાણ કરાશે.

આ યોજનાનો ઉદ્દેશ્ય 1,000 સરકારી ITI ને નવા ઉદ્યોગ સંબંધિત ટ્રેડ્સ (અભ્યાસક્રમો) સાથે હબ અને સ્પોક વ્યવસ્થામાં અપગ્રેડ કરવાનો અને પાંચ (5) રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓ (NSTIs)ની ક્ષમતા વધારવાનો છે. જેમાં આ સંસ્થાઓમાં કૌશલ્ય માટે પાંચ રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપનાનો સમાવેશ થાય છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારો અને ઉદ્યોગોના સહયોગથી હાલના ITIને સરકારની માલિકીની, ઉદ્યોગ-સંચાલિત કૌશલ્ય સંસ્થાઓ તરીકે સ્થાપિત કરવાનો છે. પાંચ વર્ષના સમયગાળામાં, ઉદ્યોગોની માનવ મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરતા અભ્યાસક્રમો દ્વારા 20 લાખ યુવાનોને કુશળ બનાવવામાં આવશે. આ યોજના સ્થાનિક કાર્યબળ પુરવઠા અને ઉદ્યોગની માંગ વચ્ચે સંરેખણ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનાથી MSME સહિતના ઉદ્યોગોને રોજગાર માટે તૈયાર કામદારો સુધી પહોંચવામાં સુવિધા મળશે.

ભૂતકાળમાં વિવિધ યોજનાઓ હેઠળ પૂરી પાડવામાં આવતી નાણાકીય સહાય ITIની સંપૂર્ણ અપગ્રેડેશન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અપૂરતી હતી. ખાસ કરીને માળખાગત સુવિધાઓની જાળવણી, ક્ષમતા વિસ્તરણ અને મૂડી-સઘન, નવા યુગના વ્યવસાયોની રજૂઆત માટે વધતી જતી રોકાણ જરૂરિયાતોને સંબોધવામાં છે. આના ઉકેલ માટે, પ્રસ્તાવિત યોજના હેઠળ જરૂરિયાત-આધારિત રોકાણ જોગવાઈ મૂકવામાં આવી છે. જે દરેક સંસ્થાના ચોક્કસ માળખા, ક્ષમતા અને વ્યવસાયિક જરૂરિયાતોના આધારે ભંડોળ ફાળવણીમાં સુગમતા પૂરી પાડે છે. પ્રથમ વખત આ યોજનાનો ઉદ્દેશ્ય ITI અપગ્રેડેશનના આયોજન અને સંચાલનમાં સતત ધોરણે ઊંડા ઉદ્યોગ જોડાણો સ્થાપિત કરવાનો છે. આ યોજના પરિણામ-આધારિત અમલીકરણ વ્યૂહરચના માટે ઉદ્યોગ-આગેવાની હેઠળના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) મોડેલને અપનાવશે. જે તેને ITI ઇકોસિસ્ટમમાં સુધારાના અગાઉના પ્રયાસોથી અલગ બનાવશે.

આ યોજના હેઠળ પાંચ રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓ (NSTIs) એટલે કે ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ, કાનપુર અને લુધિયાણા ખાતે તાલીમ આપનારાઓની તાલીમ (ToT) સુવિધાઓને સુધારવા માટે માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવશે. વધુમાં 50,000 ટ્રેનર્સને સેવા પૂર્વે અને સેવા દરમિયાન તાલીમ આપવામાં આવશે.

 

માળખાગત સુવિધાઓ, અભ્યાસક્રમની સુસંગતતા, રોજગારક્ષમતા અને વ્યાવસાયિક તાલીમની ધારણામાં લાંબા સમયથી રહેલા પડકારોને સંબોધીને આ યોજનાનો ઉદ્દેશ્ય ITI ને વૈશ્વિક ઉત્પાદન અને નવીનતા શક્તિ બનવાની દેશની સફર સાથે જોડાયેલા કુશળ માનવશક્તિની જરૂરિયાતને પૂર્ણ કરવામાં મોખરે રાખવાનો છે. આનાથી ઉદ્યોગની માંગને અનુરૂપ કુશળ કામદારોની એક પાઇપલાઇન બનશે, જેનાથી ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોટિવ અને નવીનીકરણીય ઉર્જા જેવા ઉચ્ચ-વિકાસ ધરાવતા ક્ષેત્રોમાં કૌશલ્યની અછતને દૂર કરવામાં આવશે. ટૂંકમાં, પ્રસ્તાવિત યોજના પ્રધાનમંત્રીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ છે, જેમાં કૌશલ્ય વર્તમાન અને ભવિષ્યની ઉદ્યોગ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મુખ્ય સક્ષમકર્તા તરીકે કાર્ય કરશે.

પૃષ્ઠભૂમિ:

ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની તેની મહત્વાકાંક્ષી યાત્રા શરૂ કરી રહ્યું છે. ત્યારે વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ આર્થિક વિકાસ અને ઉત્પાદકતાનો મોટો ચાલક બની શકે છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) 1950ના દાયકાથી ભારતમાં વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમનો આધાર રહી છે, જે રાજ્ય સરકારો હેઠળ કાર્યરત છે. જ્યારે 2014થી ITI નેટવર્કમાં લગભગ 47%નો વધારો થયો છે, જે 14.40 લાખ નોંધણી સાથે 14,615 સુધી પહોંચ્યો છે, ITI દ્વારા વ્યાવસાયિક તાલીમ ઓછી મહત્વાકાંક્ષી રહે છે અને તેના માળખાગત સુવિધાઓ અને આકર્ષણને સુધારવા માટે પ્રણાલીગત હસ્તક્ષેપોનો અભાવ પણ અનુભવે છે.

ભૂતકાળમાં ITIsના અપગ્રેડેશનને ટેકો આપવા માટે યોજનાઓ બનાવવામાં આવી છે, પરંતુ કદાચ ITIsની  પુન:કલ્પના માટે રાષ્ટ્રીય સ્તરે સ્કેલેબલ પ્રોગ્રામ દ્વારા છેલ્લા દાયકાના વધતા પ્રયાસો પર નિર્માણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. જેમાં અભ્યાસક્રમની સામગ્રી અને ડિઝાઇન ઉદ્યોગની જરૂરિયાતો સાથે સુસંગત હોય.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation

Media Coverage

India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust: PM Modi at G7 Summit in Evian, France
June 16, 2026

राष्ट्रपति मैक्रों,
Your Excellencies,

नमस्कार!

G-7 समिट में हमारे गर्मजोशी भरे स्वागत के लिए मैं राष्ट्रपति मैक्रों का हार्दिक आभार व्यक्त करता हूँ।

Friends,

आज का विश्व पहले से कहीं अधिक inter-connected और inter-dependent है। किसी भी देश की ऊर्जा सुरक्षा, खाद्य सुरक्षा, स्वास्थ्य सुरक्षा, साइबर सुरक्षा और आर्थिक समृद्धि केवल उसकी सीमाओं के भीतर तय नहीं होती। Mobility, data, capital, technology, ये सभी हमें आपस में जोड़ते हैं।

ऐसे समय में Partnerships का महत्व स्वाभाविक रूप से बढ़ जाता है। लेकिन साझेदारियाँ तभी सफल होती हैं जब उनके केंद्र में विश्वास हो। आज सबसे महत्वपूर्ण Strategic Asset कोई mineral, technology या market नहीं, बल्कि आपसी विश्वास है।

विश्वास कि टेक्नॉलजी और supply chains को हथियार के रूप में नहीं, global good के लिए इस्तेमाल किया जाएगा। विश्वास कि विकास के अवसर कुछ देशों तक सीमित नहीं रहेंगे। विश्वास कि वैश्विक संस्थान सभी देशों की आकांक्षाओं को पूरा करने में सक्षम होंगे।

Friends,

पिछली सदी में मानवता को दो विश्व युद्धों से गुज़रना पड़ा। अनेक बलिदानों के बाद विश्व समुदाय ने शांति, स्थिरता और समृद्धि की ओर बढ़ने के लिए व्यवस्थाएं विकसित की। इन व्यवस्थाओं का आधार भी trust ही था।

किन्तु अनेक दशकों से, अनेक पीढ़ियों के योगदान से बनाए गए विश्वास को आज चोट पहुँच रही है। कोविड ने हमें आईना दिखाया कि trust और solidarity के दावे कितने खोखले थे।

Today the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust. And the future of our partnerships depends on building this trust.

अमेरिका के राष्ट्रपति रोनल्ड रेगन ने कहा था: Trust but Verify. यह आज के समय में भी प्रासंगिक है। भावी पीढ़ियों के प्रति हमारा दायित्व है कि हम नए युग के अनुरूप trusted rules based order का निर्माण करें।

Friends,

भारत ने सदैव विश्व को एक परिवार के रूप में देखा है। हमारे सभी प्रयास “सर्वजन हिताय, सर्वजन सुखाय” यानि, welfare and happiness for all के मूल सिद्धांत पर आधारित रहे हैं।

भारत का अनुभव दिखाता है कि विकास सबसे अधिक प्रभावी तब होता है जब वह लोगों की आकांक्षाओं से जुड़ा हो। यही सिद्धांत हमारी अंतरराष्ट्रीय साझेदारियों का भी आधार है। इसी सोच के साथ भारत ने International Solar Alliance, Coalition for Disaster Resilient Infrastructure, ग्लोबल बायोफ्यूल्स एलायंस, Mission LiFE, और “एक पेड़ माँ के नाम” जैसी वैश्विक पहलों को आगे बढ़ाया है।

संकट के समय भारत ने First Responder के रूप में सभी देशों की सहायता करना अपना दायित्व समझा है। कोविड महामारी के दौरान भारत ने डेढ़ सौ से अधिक देशों को दवाइयाँ और vaccines उपलब्ध कराईं।

श्रीलंका में cyclone हो, अफगानिस्तान में भूकंप हो, मोज़ाम्बिक में floods हों, या क्यूबा और जमैका में hurricane, भारत ने सदैव "Humanity First" के सिद्धांत पर कार्य किया है। हमारी विकास साझेदारियाँ भी इसी भावना को प्रतिबिंबित करती हैं। हमारे प्रयास पार्टनर देशों में capacity building और कौशल विकास पर केन्द्रित रहे हैं।

भारत का मानना है: The true test of partnership is not what we build for others, but what we enable others to build for themselves.

Friends,

आज ग्लोबल साउथ की विश्व समुदाय से बहुत उम्मीदें हैं। किन्तु उनकी अपेक्षा सहारे की नहीं, साथ की है। वे वैश्विक विकास के लाभार्थी नहीं, उसके भागीदार बनना चाहते हैं।

हमें donor–recipient की सोच से आगे बढ़कर, equal पार्टनर्स के रूप में काम करना होगा। उनके पास-पास नहीं, साथ-साथ चलना होगा। साझेदारी को dependency के बजाय, dignity से जोड़ना होगा। इन प्रयासों से हम भावी पीढ़ियों के सतत विकास की मजबूत नींव रख सकेंगे।

Friends,

अंतरराष्ट्रीय साझेदारियाँ और वैश्विक एकजुटता तभी सार्थक बन सकती हैं, जब हम साझा चुनौतियों का मिलकर समाधान करें। भारत का दृढ विश्वास है कि विश्व के विभिन्न हिस्सों में चल रहे तनावों और युद्धों का स्थायी समाधान dialogue, diplomacy और अंतरराष्ट्रीय सहयोग के मार्ग से ही संभव है।

हम west asia में शांति प्रयासों में हुई प्रगति का स्वागत करते हैं। इस संघर्ष से west asia में हमारे मित्र देशों को जान-माल का नुकसान झेलना पड़ा है। होर्मुज़ स्ट्रेट में maritime ट्रेड में आई बाधा के कारण पूरे विश्व की अर्थव्यवस्था को नुकसान पहुंचा। भारत के कई civilians को जान गंवानी पड़ी। Global maritime ट्रेड के माध्यम से सभी देशों को आपस में जोड़ने वाले नाविकों की सुरक्षा हमारा दायित्व है। हमें यह सुनिश्चित करना होगा कि समुद्री मार्ग सुरक्षित रहें, और Seafarers बिना भय के अपना कार्य कर सकें।

Friends,

भारत इन विषयों पर सभी पार्टनर्स के साथ मिलकर काम करने के लिए पूरी तरह से तैयार है।

बहुत-बहुत धन्यवाद।