વિકસિત દેશો ભારત સાથે ટ્રેડ ડીલ કરવા આતુર છે કારણ કે એક આત્મવિશ્વાસથી ભરેલું ભારત શંકા અને નિરાશાથી પર ઉભરી રહ્યું છે: પ્રધાનમંત્રી
છેલ્લા 11 વર્ષોમાં, રાષ્ટ્રના વિચારમાં નવી ઉર્જા આવી છે; ભારત તેની સાચી શક્તિ પાછી મેળવવા માટે કટિબદ્ધ છે: પ્રધાનમંત્રી
ભારતનું ડિજિટલ જાહેર માળખાગત સુવિધા વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે: પ્રધાનમંત્રી
આજે, ભારતની દરેક ગતિવિધિનું વિશ્વભરમાં નજીકથી નિરીક્ષણ અને વિશ્લેષણ કરવામાં આવે છે અને AI સમિટ તેનું સ્પષ્ટ ઉદાહરણ છે: પ્રધાનમંત્રી
રાષ્ટ્રનિર્માણ ક્યારેય ટૂંકા ગાળાના વિચારસરણી પર આધારિત નથી; તે લાંબા ગાળાના દ્રષ્ટિકોણ, ધીરજ અને સમયસર નિર્ણયો પર બનેલ છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાઇઝિંગ ઇન્ડિયા સમિટને સંબોધન કર્યું, જેમાં “Strength Within (આપણા સામર્થ્ય)” થીમ પર વાત કરી છે. છેલ્લા 11 વર્ષમાં ભારતની સફર પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ દેશની ક્ષમતા પાછી મેળવવા, આર્થિક આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને 2047 સુધીમાં વિકસિત ભારત માટેના રોડમેપ વિશે વિસ્તૃત વાત કરી.

 

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું, "આપણા શાસ્ત્રો કહે છે, ‘तत् त्वम् असि’ જેનો અર્થ છે કે આપણે જે દિવ્યતા શોધીએ છીએ તે આપણી અંદર છે. આપણે આપણી અંદર છુપાયેલી સંભાવનાને ઓળખવી જોઈએ. છેલ્લા 11 વર્ષોમાં ભારતે આ શક્તિને ઓળખી છે અને તેને મજબૂત કરવા માટે સતત પ્રયાસશીલ છે."

પ્રધાનમંત્રીએ કહ્યું કે કોઈ દેશમાં શક્તિ અચાનક ઉભી થતી નથી; તે પેઢીઓ દ્વારા બનાવવામાં આવે છે. શ્રી મોદીએ ભાર મૂક્યો કે છેલ્લા 11 વર્ષોમાં, દેશની વિચારસરણીમાં એક નવી ઉર્જા ઉભરી આવી છે કારણ કે ભારત તેની ખોવાયેલી ક્ષમતા પાછી મેળવી રહ્યું છે. દેશ મજબૂત પાયો બનાવવા માટે ઉત્પાદન, ઉત્પાદન ગુણવત્તા સુધારવા અને આર્થિક નીતિને મજબૂત બનાવવા પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. “બેંકિંગ સિસ્ટમને મજબૂત બનાવીને અને ડબલ ડિજિટ ઈન્ફ્લેશનને સફળતાપૂર્વક નિયંત્રિત કરીને, સરકારે ભારતને અસરકારક રીતે વિશ્વના વિકાસ એન્જિનમાં પરિવર્તિત કર્યું છે.

 

પ્રધાનમંત્રી મોદીએ ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓમાં ભારતના નેતૃત્વ વિશે વાત કરી, જન ધન, આધાર અને મોબાઇલના "ટ્રિનિટ્રિ"નો ઉલ્લેખ કર્યો, જેના વિશે સરકારના વડાઓ ઘણીવાર સાંભળવા આતુર હોય છે. તેમણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ની સફળતાનો ઉલ્લેખ કર્યો, જેના દ્વારા કોઈપણ લીકેજ વિના લાભાર્થીઓને ₹24 ટ્રિલિયન ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશ એક એવા સમયથી ટોચનો સૌર ઉર્જા દેશ બની ગયો છે જ્યારે 30 મિલિયન પરિવારો વીજળીથી વંચિત હતા અને વંદે ભારત અને નમો ભારતના યુગમાં, રેલવે સિસ્ટમ વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક બની ગયું છે.

કૃત્રિમ બુદ્ધિમત્તા અંગે પીએમએ કહ્યું, "અગાઉની ઔદ્યોગિક ક્રાંતિમાં, ભારત અને ગ્લોબલ સાઉથ ફક્ત અનુયાયી હતા. પરંતુ ઈન્ટેલિજન્ટ આર્ટિફિશયલના યુગમાં ભારત નિર્ણયોમાં ભાગીદાર છે અને તેને આકાર આપી રહ્યો છે. આજે આપણી પાસે આપણી પોતાની AI સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે અને AI ડેટા પ્રોસેસ કરવા માટે વીજળીની જરૂરિયાતો પર ઝડપથી કામ કરી રહ્યા છીએ. AI સમિટ, જેમાં 100 થી વધુ દેશોની ભાગીદારી જોવા મળી હતી, તે ગર્વની ક્ષણ હતી."

 

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આજે આત્મનિર્ભરતામાં રોકાણ કરવું ભવિષ્યની પેઢીઓ માટે જરૂરી છે. શ્રી મોદીએ કહ્યું, “આજે આપણે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ અને આવનારા દાયકાઓ સુધી આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગ્રીન હાઇડ્રોજન, સૌર ઉર્જા અને ઇથેનોલ મિશ્રણ, સંરક્ષણ ઉત્પાદન, મોબાઇલ ઉત્પાદન, ડ્રોન ટેકનોલોજી અને આવશ્યક ખનિજ માળખામાં રોકાણને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. રાષ્ટ્ર નિર્માણ ક્યારેય ઝડપી વિચારસરણી દ્વારા પ્રાપ્ત થતું નથી; તે મોટા વિઝન, ધીરજ અને સમયસર નિર્ણયો દ્વારા પ્રાપ્ત થાય છે.”

પ્રધાનમંત્રીએ માહિતી આપી કે કૃષિ લોનમાં ₹28 લાખ કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે, જે પહેલા કરતા ચાર ગણું વધારે છે. શ્રી મોદીએ એ પણ માહિતી આપી કે PM KISAN દ્વારા ₹4 લાખ કરોડ સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. શ્રી મોદીએ કહ્યું, “આ સુધારાઓને કારણે, આપણો દેશ સૌથી મોટા કૃષિ નિકાસકારોમાંનો એક બની રહ્યો છે.”

 

પોતાના સંબોધનના સમાપન કરતાં, પ્રધાનમંત્રીએ તમામ નાગરિકો અને સંસ્થાઓને પગલાં લેવા અપીલ કરી, "મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે - આ સમય છે, યોગ્ય સમય છે. ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો આ સમય છે. દરેક વ્યક્તિએ ઉત્તમ કાર્ય કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ... આપણે ફક્ત નિયમિત કાર્ય ન કરવું જોઈએ, આપણે વિશ્વસ્તરીય કાર્ય કરવું જોઈએ."

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Switch Mobility completes delivery of 100 electric buses to Mauritius in India’s largest e-bus export

Media Coverage

Switch Mobility completes delivery of 100 electric buses to Mauritius in India’s largest e-bus export
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings on Maha Bishuba Pana Sankranti
April 14, 2026

The Prime Minister, Narendra Modi has extended greetings on the occasion of Maha Bishuba Pana Sankranti.

In a post on X, he said,

“Happy Maha Bishuba Pana Sankranti!”