આ વર્ષનું કેન્દ્રીય બજેટ કૃષિ અને ગ્રામીણ પરિવર્તનને મજબૂત પ્રોત્સાહન આપે છે: પ્રધાનમંત્રી
સરકારે સતત કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવ્યું છે, મોટા પ્રયાસોએ ખેડૂતો માટે જોખમો ઘટાડ્યા છે અને તેમને મૂળભૂત આર્થિક સુરક્ષા પૂરી પાડી છે: પ્રધાનમંત્રી
જો આપણે સાથે મળીને ઉચ્ચ મૂલ્યની ખેતીને સ્કેલ કરીએ, તો તે કૃષિને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં પરિવર્તિત કરશે: પ્રધાનમંત્રી
જેમ જેમ નિકાસલક્ષી ઉત્પાદન વધશે, તેમ તેમ પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું સર્જન થશે: પ્રધાનમંત્રી
મત્સ્યપાલન નિકાસ વૃદ્ધિ માટેનું એક મુખ્ય પ્લેટફોર્મ બની શકે છે, જે ગ્રામીણ સમૃદ્ધિનું ઉચ્ચ મૂલ્ય, ઉચ્ચ પ્રભાવ ધરાવતું ક્ષેત્ર છે: પ્રધાનમંત્રી
સરકાર એગ્રીસ્ટેક (AgriStack) દ્વારા કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહી છે: પ્રધાનમંત્રી
જ્યારે સિસ્ટમો તેને અપનાવે, સંસ્થાઓ તેને સંકલિત કરે અને ઉદ્યોગસાહસિકો તેના પર નવીનતાઓ બનાવે ત્યારે ટેકનોલોજી પરિણામો આપે છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​"કૃષિ અને ગ્રામીણ પરિવર્તન" પર ધ્યાન કેન્દ્રિત કરીને ત્રીજા પોસ્ટ બજેટના વેબિનારને સંબોધિત કર્યું. ટેકનોલોજી અને આર્થિક વિકાસ અંગેના અગાઉના સત્રોનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે બજેટ રચના દરમિયાન હિસ્સેદારોએ મૂલ્યવાન સહયોગ આપ્યો હતો. "હવે, બજેટ પછી, દેશ તેની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે, અને આ દિશામાં તમારા સૂચનો અને આ વેબિનાર એટલા માટે મહત્વપૂર્ણ છે", શ્રી મોદીએ ભાર મૂક્યો.

પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો કે કૃષિ ભારતીય અર્થતંત્રનો મુખ્ય આધાર છે અને રાષ્ટ્રની લાંબા ગાળાની વિકાસ યાત્રા માટે એક વ્યૂહાત્મક આધારસ્તંભ છે. શ્રી મોદીએ ‘પીએમ કિસાન સન્માન નિધિ’, અને ‘ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)’ સુધારાઓ જેવા અનેક કાર્યક્રમો પર વાત કરી હતી જે ખેડૂતોને 1.5 ગણું વળતર આપે છે. "અમારી સરકારે સતત કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવ્યું છે", એમ શ્રી મોદીએ ટિપ્પણી કરી.

હાલની યોજનાઓની સફળતા પર ડેટા પૂરો પાડતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે 10 કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ તરીકે ₹4 લાખ કરોડથી વધુ મળ્યા છે, અને ‘પીએમ ફસલ બીમા યોજના’ હેઠળ લગભગ ₹2 લાખ કરોડના વીમા દાવાઓ પતાવવામાં આવ્યા છે. શ્રી મોદીએ એ પણ નોંધ્યું કે સંસ્થાકીય ક્રેડિટ કવરેજ 75% થી વધુ થઈ ગયું છે. "આવા અસંખ્ય પ્રયાસોએ ખેડૂતો માટે જોખમો ઘટાડ્યા છે અને તેમને મૂળભૂત આર્થિક સુરક્ષા પૂરી પાડી છે," એ વાતની શ્રી મોદીએ પુષ્ટિ કરી હતી.

અનાજ અને કઠોળના રેકોર્ડ ઉત્પાદન પર, પ્રધાનમંત્રીએ 21મી સદીના બીજા ક્વાર્ટરની શરૂઆત સાથે ક્ષેત્રમાં નવી ઉર્જાનો સંચાર કરવા હાકલ કરી હતી. આ વર્ષના કેન્દ્રીય બજેટમાં આ દિશામાં નવા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું પ્રકાશિત કરતા, શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વેબિનારની વિચારણાઓ બજેટ જોગવાઈઓના અમલીકરણને ઝડપી બનાવશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "મને ખાતરી છે કે આ વેબિનારમાં તમારી વચ્ચેની ચર્ચા અને તેનાથી મળતા સૂચનો બજેટ જોગવાઈઓને જમીન પર શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકવામાં મદદ કરશે".

પ્રધાનમંત્રીએ બદલાતી વૈશ્વિક માંગ અને ભારતીય કૃષિને નિકાસલક્ષી બનાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉત્પાદકતા અને નિકાસ શક્તિ વધારવા માટે ભારતના વિવિધ આબોહવાના સંપૂર્ણ ઉપયોગ માટે આગ્રહ કર્યો હતો. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, "આ વેબિનારમાં, આપણી ખેતીને નિકાસલક્ષી બનાવવા પર મહત્તમ ચર્ચા થવી જરૂરી છે."

ઉચ્ચ મૂલ્યની ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરતા, પ્રધાનમંત્રીએ કોકો, કાજુ અને ચંદન જેવા પાકોના પ્રદેશ-વિશિષ્ટ પ્રચાર માટેની બજેટ દરખાસ્તોની વિગત આપી હતી. શ્રી મોદીએ ઉત્તર પૂર્વમાં અગરવુડના પ્રચાર અને હિમાલયના રાજ્યોમાં ટેમ્પરેટ નટ પાકોના પ્રચારની બજેટ દરખાસ્ત પર પણ પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે નિકાસલક્ષી ઉત્પાદન પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન દ્વારા ગ્રામીણ રોજગારી તરફ દોરી જશે. તે ખાસ જણાવ્યું કે,  "જો આપણે સાથે મળીને ઉચ્ચ મૂલ્યની ખેતીને સ્કેલ કરીએ, તો તે કૃષિને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં પરિવર્તિત કરશે".

 

પ્રધાનમંત્રીએ વૈશ્વિક બ્રાન્ડિંગ અને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવા માટે નિષ્ણાતો, ઉદ્યોગ અને ખેડૂતોને સામેલ કરતા એકીકૃત અભિગમ માટે હાકલ કરી હતી. તેમણે સ્થાનિક ખેડૂતોને વૈશ્વિક બજારો સાથે જોડવા માટે સ્પષ્ટ લક્ષ્યાંકો નક્કી કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે, "આ તમામ વિષયો પરની ચર્ચાઓ આ વેબિનારના મહત્વને વધુ વધારશે.",

મત્સ્યપાલન ક્ષેત્ર તરફ વળતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે. શ્રી મોદીએ વધુમાં પ્રકાશ પાડ્યો કે જ્યારે આપણા વિવિધ જળાશયો અને તળાવોમાં હાલમાં આશરે 4.5 લાખ ટન માછલીનું ઉત્પાદન થાય છે, ત્યારે વધારાના 20 લાખ ટન ઉત્પાદનની ક્ષમતા અસ્તિત્વમાં છે અને જણાવ્યું કે, "મત્સ્યપાલન નિકાસ વૃદ્ધિ માટેનું એક મુખ્ય પ્લેટફોર્મ બની શકે છે."

પ્રધાનમંત્રીએ બ્લુ ઇકોનોમીની ક્ષમતાને સાકાર કરવા માટે હેશરીઝ, ફીડ અને લોજિસ્ટિક્સમાં નવા બિઝનેસ મોડલ્સની જરૂરિયાત પ્રત્યે ધ્યાન દોર્યું હતું. તેમણે મત્સ્યપાલન વિભાગ અને સ્થાનિક સમુદાયો વચ્ચે મજબૂત સંકલનને પ્રોત્સાહન આપ્યું હતું. "આ ગ્રામીણ સમૃદ્ધિ માટે ઉચ્ચ મૂલ્ય, ઉચ્ચ પ્રભાવ ધરાવતું ક્ષેત્ર બની શકે છે, અને તમારે આ અંગે સાથે મળીને વિચાર-વિમર્શ કરવો જોઈએ.", તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને ઈંડાના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. તેમણે પ્રકાશ પાડ્યો કે આને આગળ લઈ જવા માટે, ધ્યાન ગુણવત્તાના સંવર્ધન, રોગ નિવારણ અને વૈજ્ઞાનિક વ્યવસ્થાપન પર હોવું જોઈએ. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે પશુધનની આરોગ્ય એક નિર્ણાયક વિષય છે, તેમણે નોંધ્યું, "જ્યારે હું 'વન અર્થ, વન હેલ્થ' (એક પૃથ્વી, એક આરોગ્ય) ની વાત કરું છું, ત્યારે તેમાં પશુધનની આરોગ્ય પણ સામેલ છે."

 

રસી ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતા પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ નેશનલ ગોકુલ મિશન હેઠળ ટેકનોલોજીના વિસ્તરણ અને પશુપાલન ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડની ઉપલબ્ધતાની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પ્રાણીઓને ફૂટ એન્ડ માઉથ ડિસીઝથી બચાવવા માટે પહેલેથી જ 125 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, "ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવા માટે, એનિમલ હસબન્ડ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (પશુપાલન માળખાગત વિકાસ ભંડોળ) પણ શરૂ કરવામાં આવ્યું છે,"

જોખમોને ઘટાડવા માટે, પ્રધાનમંત્રીએ એક-પાક પર નિર્ભરતા કરતા પાક વિવિધતાની હિમાયત કરી હતી. તેમણે ક્ષેત્રની શક્તિને વધારવા માટે ખાદ્ય તેલ, કઠોળ અને પ્રાકૃતિક ખેતી માટેના મિશનને સાધનો તરીકે ટાંક્યા હતા. શ્રી મોદીએ ભાર મૂક્યો, "તેથી, અમે પાક વિવિધતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ."

પ્રધાનમંત્રીએ સહભાગીઓને યાદ અપાવ્યું કે કૃષિ એ રાજ્યનો વિષય હોવાથી, રાજ્યોને તેમની બજેટરી જવાબદારીઓ પૂરી કરવા માટે પ્રેરણા આપવી જોઈએ. તેમણે મહત્તમ અસર માટે જિલ્લા સ્તરે બજેટ જોગવાઈઓને મજબૂત કરવા હાકલ કરી હતી.

પ્રધાનમંત્રીએ e-NAM અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનો ઉલ્લેખ કરીને કૃષિમાં "ટેકનોલોજી કલ્ચર" (ટેકનોલોજી સંસ્કૃતિ) પર વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે કિસાન આઈડી અને ડિજિટલ જમીન સર્વેક્ષણના નિર્માણને પરિવર્તનકારી પગલાં તરીકે નોંધ્યું હતું. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું, "સરકાર કૃષિમાં 'ટેકનોલોજી કલ્ચર' લાવવા પર ખૂબ ભાર મૂકે છે."

AI-આધારિત પ્લેટફોર્મ અને ડિજિટલ સર્વેક્ષણોની ભૂમિકા પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ટેકનોલોજી ત્યારે જ પરિણામ આપે છે જ્યારે તે સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો દ્વારા સંકલિત કરવામાં આવે. તેમણે ટેકનોલોજીને પરંપરાગત સિસ્ટમો સાથે અસરકારક રીતે કેવી રીતે મર્જ કરવી તે અંગે સૂચનો માટે હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે, "આ વેબિનારમાંથી ઉભરતા સૂચનો આપણે ટેકનોલોજીને કેવી રીતે યોગ્ય રીતે સંકલિત કરીએ છીએ તેમાં મોટી ભૂમિકા ભજવશે."

 

પ્રધાનમંત્રીએ પીએમ આવાસ યોજના અને પીએમ ગ્રામ સડક યોજના જેવી યોજનાઓ દ્વારા ગ્રામીણ સમૃદ્ધિ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્ર પર સ્વ-સહાય જૂથોની અસરની નોંધ લીધી હતી. શ્રી મોદીએ પુષ્ટિ કરી કે, "અમારી સરકાર ગ્રામીણ સમૃદ્ધિ બનાવવા માટે પ્રતિબદ્ધ છે."

'લખપતિ દીદી' અભિયાનની ચર્ચા કરતા, પ્રધાનમંત્રીએ 2029 સુધીમાં આવી વધુ 3 કરોડ સફળ મહિલા ઉદ્યોગસાહસિકો બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. તેમણે આ લક્ષ્યને વધુ ગતિ સાથે કેવી રીતે પ્રાપ્ત કરવું તે અંગે સૂચનો માંગ્યા હતા. પ્રધાનમંત્રીએ ખાસ જણાવ્યું કે, "આ લક્ષ્યને વધુ ઝડપથી કેવી રીતે પ્રાપ્ત કરવું તે અંગેના તમારા સૂચનો નોંધપાત્ર રહેશે."

તેમના સંબોધનના અંતમાં, પ્રધાનમંત્રીએ વિશાળ સંગ્રહ અભિયાન અને એગ્રી-ફિનટેક તથા સપ્લાય ચેઈનમાં નવીનતાની જરૂરિયાત તરફ નિર્દેશ કર્યો હતો. તેમણે ઉદ્યોગસાહસિકોને ગ્રામીણ લેન્ડસ્કેપને ઉત્સાહિત કરવા માટે આ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રોકાણ વધારવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ એમ કહી સમાપન કર્યું કે, "મને ખાતરી છે કે આજે તમારી ચર્ચાઓમાંથી નીકળતું અમૃત ગ્રામીણ અર્થતંત્રને નવી ઉર્જા આપશે."

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Cabinet approves Rs 4,415 crore upgrade of 233 km NH-347B in Madhya Pradesh

Media Coverage

Cabinet approves Rs 4,415 crore upgrade of 233 km NH-347B in Madhya Pradesh
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
UK Foreign Secretary meets Prime Minister
June 04, 2026

UK Foreign Secretary Yvette Cooper today met Prime Minister Shri Narendra Modi.

The Prime Minister expressed his pleasure upon the meeting and appreciated the deepening of the India-UK partnership in recent times which has unlocked unprecedented growth opportunities for both countries.

The Prime Minister affirmed that the India-UK Vision 2035 will continue to guide the partnership and strengthen joint efforts for the global good.

The Prime Minister posted on X:

"Pleased to meet UK Foreign Secretary Yvette Cooper. Appreciated the deepening of the India-UK partnership in recent times that has unlocked unprecedented growth opportunities for both our countries.

India-UK Vision 2035 will continue to guide our partnership and strengthen our joint efforts for global good.@YvetteCooperMP"