ભારત 2035 સુધીમાં તેના GDPની ઉત્સર્જન તીવ્રતામાં 2005ના સ્તરથી 47 ટકાનો ઘટાડો કરવા માટે પ્રતિબદ્ધ
ભારત 2035 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા સંસાધનોમાંથી 60 ટકા સંચિત ઇલેક્ટ્રિક પાવર સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરશે
ભારત 2035 સુધીમાં જંગલ અને વૃક્ષોના આવરણ દ્વારા 2005ના સ્તરથી 3.5 થી 4.0 અબજ ટન CO₂ સમકક્ષ કાર્બન સિંક બનાવશે
ભારતની પ્રતિબદ્ધતાઓ 'વિકસિત ભારત @2047' અને 2070 સુધીમાં 'નેટ-ઝીરો' ના વિઝન સાથે સુસંગત છે

ભારતના પગલાંને મજબૂત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2031 થી 2035ના સમયગાળા માટે ભારતની નેશનલી ડિટર્માઈન્ડ કોન્ટ્રિબ્યુશન (NDC) ને મંજૂરી આપી છે, જે UNFCCC અને તેના પેરિસ કરાર હેઠળ દેશની મહત્વાકાંક્ષાને વધારે છે અને ટકાઉ વિકાસ અને આબોહવા ન્યાય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે.

ભારતનું 2031-35 માટેનું NDC વિકસિત ભારતના વિઝન દ્વારા માર્ગદર્શિત છે, જે માત્ર 2047 માટેનું લક્ષ્ય નથી, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે સમૃદ્ધ અને આબોહવા-સ્થિતિસ્થાપક ભારત બનાવવા માટે આજે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા છે. ભારતના ક્રમિક આબોહવા લક્ષ્યાંકો ભારતની અગાઉની પ્રતિબદ્ધતાઓ પર આધારિત છે, જેમાંથી ઘણી પહેલેથી જ સમયમર્યાદા કરતા વહેલી પ્રાપ્ત કરી લેવામાં આવી છે, જે આબોહવા પગલાં પર પરિણામ આપવાના દેશના સતત ટ્રેક રેકોર્ડને પ્રતિબિંબિત કરે છે. પાંચ ગુણાત્મક લક્ષ્યોનો ઉદ્દેશ્ય ટકાઉપણુંને રોજિંદા જીવન અને શાસન પ્રણાલીમાં સામેલ કરવાનો, આબોહવા-સ્થિતિસ્થાપક વિકાસ માર્ગોને પ્રોત્સાહન આપવાનો અને સમાજના તમામ વર્ગો માટે ન્યાયી અને સર્વસમાવેશક સંક્રમણને સક્ષમ કરવાનો છે.

વહેલી સિદ્ધિથી ઉચ્ચ મહત્વાકાંક્ષા સુધી:

સકારાત્મક આબોહવા પગલાં તરફની તેની પ્રતિબદ્ધતાઓ પર આગળ વધતા, ભારત સમયાંતરે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા માટે તેની મહત્વાકાંક્ષા વધારી રહ્યું છે અને 2022માં અપડેટ કર્યા પછી, હવે 2031-35 માટે તેના લક્ષ્યાંકો જાહેર કર્યા છે જે 2070 સુધીમાં નેટ-ઝીરો હાંસલ કરવાના લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતની મૂળ આબોહવા પ્રતિબદ્ધતાઓ એટલે કે 2015માં સબમિટ કરાયેલ NDCએ મજબૂત પાયો નાખ્યો હતો, જેમાં 2030 સુધીમાં જીડીપીની ઉત્સર્જન તીવ્રતામાં 33-35% ઘટાડો અને બિન-અશ્મિભૂત સ્ત્રોતો આધારિત ઇલેક્ટ્રિક પાવર સ્થાપિત ક્ષમતામાં 40% હિસ્સો રાખવાના લક્ષ્યાંકો હતા, જે બંને પ્રતિબદ્ધ સમયમર્યાદાના અનુક્રમે 11 વર્ષ અને 9 વર્ષ વહેલા પૂરા કરવામાં આવ્યા હતા, જે આબોહવા શાસન પ્રત્યે વિશ્વસનીય અને ક્રિયા-લક્ષી અભિગમ દર્શાવે છે.

2005 થી 2020 દરમિયાન આપણી ઉત્સર્જન તીવ્રતામાં 36% નો ઘટાડો થયો છે, અને હવે લક્ષ્યાંક વધારીને 2035 સુધીમાં 47% કરવામાં આવ્યો છે. સ્થાપિત ઇલેક્ટ્રિક પાવર ક્ષમતામાં બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા સંસાધનોનો હિસ્સો વધારવા અંગેના અપડેટેડ NDCના લક્ષ્ય તરફ, દેશે 52.57% બિન-અશ્મિભૂત ક્ષમતા (ફેબ્રુઆરી 2026) હાંસલ કરી છે, જે સમયમર્યાદાના પાંચ વર્ષ પહેલાં સફળતાપૂર્વક લક્ષ્ય પૂર્ણ કરે છે અને હવે સ્થાપિત ઇલેક્ટક્ટ્રિક પાવર ક્ષમતામાં બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા સંસાધનોના હિસ્સાની મહત્વાકાંક્ષા વધારીને 2035 સુધીમાં 60% કરવામાં આવી છે. વધુમાં, જંગલ અને વૃક્ષોના આવરણ દ્વારા વધારાના કાર્બન સિંક બનાવવાના NDC લક્ષ્ય પર, ભારતે 2021 સુધીમાં 2.29 અબજ ટન CO2 સમકક્ષ કાર્બન સિંક પહેલેથી જ બનાવી લીધું છે. વનીકરણ અને ઇકોસિસ્ટમ પુનઃસ્થાપનના પ્રયાસો ગ્રામીણ આજીવિકાને ટેકો આપવાની સાથે ભારતના કાર્બન સિંક લક્ષ્યોમાં યોગદાન આપવાનું ચાલુ રાખે છે. આપણા વનીકરણના પ્રયાસોને ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) જેવી સ્વતંત્ર એજન્સીઓ દ્વારા યોગ્ય રીતે સ્વીકારવામાં આવ્યા છે જેણે વન વિસ્તારમાં ચોખ્ખા વધારાની બાબતમાં ભારતને ત્રીજા ક્રમે અને જંગલ હેઠળના વિસ્તારની બાબતમાં નવમા ક્રમે રાખ્યું છે. આ પ્રગતિ એ હકીકતની સાક્ષી છે કે ભારતે ઉચ્ચ જીડીપી વૃદ્ધિ દર જાળવી રાખવા છતાં અર્થતંત્ર અને ઇકોલોજી વચ્ચે સંતુલન જાળવી રાખ્યું છે. હવે, અમે જંગલ અને વૃક્ષોના આવરણ દ્વારા કાર્બન સિંક બનાવવાની મહત્વાકાંક્ષાને વધારીને 2005 ના સ્તરથી 2035 સુધીમાં 3.5-4.0 અબજ ટન CO2 સમકક્ષ કરી છે.

ભારતની આબોહવા કાર્યવાહી સતત અને મહત્વાકાંક્ષી રહી છે, અને તેનો ટ્રેક રેકોર્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે આપણા લક્ષ્યો સમય પહેલા હાંસલ થયા છે, જે ભવિષ્યની પ્રતિબદ્ધતાઓ પૂરી કરવાની આપણી ક્ષમતામાં મજબૂત વિશ્વાસ પૂરો પાડે છે અને મહત્વાકાંક્ષી આબોહવા પગલાં પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સ્વચ્છ ઊર્જા અને હરિત વિકાસને વેગ આપવો

ભારતની આબોહવા વ્યૂહરચના મોટા પાયે રિન્યુએબલ ઊર્જા વિસ્તરણ, બેટરી સ્ટોરેજ સિસ્ટમ્સ અને ગ્રીન એનર્જી કોરિડોર, ક્લીનર મેન્યુફેક્ચરિંગ, દેશભરમાં વિશ્વસનીય અને ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા સહિતના શ્રેણીબદ્ધ પગલાં દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.

તે સંસ્થાકીય ક્ષમતા, નવીનતા ઇકોસિસ્ટમ્સ અને સ્થાનિક-સ્તરના અનુકૂલનનાં પગલાંને મજબૂત કરવા પર પણ ભાર મૂકે છે, જે સુનિશ્ચિત કરે છે કે ગ્રીન હાઇડ્રોજન મિશન, PM સૂર્ય ઘર: મફત બીજલી યોજના; પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ્સ, PM-KUSUM (પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન); કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ (CCUS) માટે પ્રોત્સાહન; અને પરમાણુ ઊર્જા સહિતની વિવિધ યોજનાઓ દ્વારા અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોમાં આબોહવા અંગેની બાબતોને સંકલિત કરવામાં આવે છે. વધુમાં ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA), ડિઝાસ્ટર રિઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન (CDRI), ગ્લોબલ બાયો-ફ્યુઅલ એલાયન્સ (GBA) અને લીડરશિપ ગ્રુપ ફોર ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન (Lead-IT) વગેરે જેવી પહેલો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગીદારી બનાવીને સકારાત્મક આબોહવા પગલાંના એજન્ડાને અનુસરી રહ્યું છે.

આબોહવા અનુકૂલન વધારવું

ભારતનો આબોહવા અભિગમ માત્ર શમન (mitigation) પગલાંથી આગળ વધે છે અને સ્વીકાર્ય પગલાંને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આબોહવા પરિવર્તનની અસરો પહેલેથી જ અનુભવાઈ રહી છે તે સ્વીકારીને, ભારતે તેના અર્થતંત્રના મુખ્ય ભાગોમાં અનુકૂલન અને આપત્તિ સામે ટકી શકવાની ક્ષમતા પર મજબૂત ભાર મૂક્યો છે. અનુકૂલનના લક્ષ્યોને હાંસલ કરવા માટેના કેટલાક મુખ્ય પગલાંઓમાં મેન્ગ્રોવ પુનઃસ્થાપન, દરિયાકાંઠાના નિયમન અને આબોહવા-સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નબળા દરિયાકાંઠાનું રક્ષણ; ચક્રવાત અને તોફાન માટે વહેલી ચેતવણી પ્રણાલી; ગ્લેશિયર મોનિટરિંગ, જૈવવિવિધતા સંરક્ષણ અને હિમાલયના રાજ્યોમાં ટકાઉ આજીવિકા માટે લક્ષિત કાર્યક્રમો; ભૂસ્ખલન અને ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ પૂરના જોખમોને સંબોધવા માટે આબોહવા-સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર; અને રાજ્યોમાં હીટ એક્શન પ્લાનનું અમલીકરણ; સમુદાય આધારિત આપત્તિ સજ્જતા અને સ્થિતિસ્થાપકતા કાર્યક્રમો વગેરે છે.

તેના ક્લાયમેટ એક્શન ફ્રેમવર્ક હેઠળ, ભારતની NDC ને નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ (NAPCC) અને તેના નવ રાષ્ટ્રીય મિશન તેમજ સ્ટેટ એક્શન પ્લાન્સ ઓન ક્લાયમેટ ચેન્જ (SAPCC) દ્વારા કાર્યરત કરવામાં આવે છે. આ ફ્રેમવર્ક કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો સાથે સંકલનમાં અમલમાં મૂકવામાં આવે છે જે આબોહવા-સ્થિતિસ્થાપક અને લો-કાર્બન વિકાસ માટે સંકલિત, સમગ્ર સરકારી અભિગમ સુનિશ્ચિત કરે છે.

ભારતની આબોહવા કાર્યવાહી સ્થાનિક સ્તરે જલ જીવન મિશન, નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, સસ્ટેનેબલ હેબિટેટ, MISHTI (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes), નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, સોઈલ હેલ્થ કાર્ડ અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY), વગેરે જેવી વિવિધ યોજનાઓ અને કાર્યક્રમ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે.

લોકો-કેન્દ્રિત અભિગમ

ભારતના આબોહવા પ્રયાસો “Lifestyle for Environment (LiFE)” ના સિદ્ધાંત પર કેન્દ્રિત છે, જે ટકાઉ જીવનને એક જન આંદોલનમાં પરિવર્તિત કરી રહ્યું છે અને વૃક્ષારોપણને લોકો દ્વારા સંચાલિત આબોહવા પગલાંમાં પરિવર્તિત કરવા માટે 'એક પેડ મા કે નામ' જેવી પહેલ છે.

NDC (2031-35) માટેનો અભિગમ

2031-2035 માટે ભારતની NDC ને આકાર આપવામાં, સરકારે પેરિસ કરારના ઉદ્દેશ્ય અને લાંબા ગાળાના લક્ષ્યોને અનુરૂપ રાષ્ટ્રીય વાસ્તવિકતાઓ, વિકાસલક્ષી પ્રાથમિકતાઓ, ઊર્જા સુરક્ષા અને આબોહવા કાર્યવાહીમાં વધુ મહત્વાકાંક્ષાની જરૂરિયાત સાથે સંવાદિતા સાધવાના હેતુથી પ્રથમ ગ્લોબલ સ્ટોકટેક (GST) ના પરિણામો, સમાન પરંતુ વિભિન્ન જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાઓ (CBDR-RC) ના સિદ્ધાંત અને સમાનતાને ધ્યાનમાં લીધી છે.

ભારતની ક્રમિક આબોહવા પ્રતિબદ્ધતાઓ એ નીતિ આયોગમાં દસ કાર્યકારી જૂથો દ્વારા વ્યાપક હિસ્સેદારોની પરામર્શ અને અભ્યાસોનું પરિણામ છે. આ દસ જૂથોમાં કેન્દ્રીય મંત્રાલયો, વિષય નિષ્ણાતો, ઉદ્યોગ સંસ્થાઓ અને નાગરિક સમાજ સંગઠનો વગેરેનો સમાવેશ થાય છે. ઊર્જા, ઉદ્યોગ, પરિવહન, કૃષિ, પાણી અને શહેરી વિકાસમાં ક્ષેત્ર-વિશિષ્ટ ઇનપુટ્સનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જે સુનિશ્ચિત કરે છે કે સુધારેલા લક્ષ્યો મહત્વાકાંક્ષી, પ્રાપ્ત કરી શકાય તેવા અને સ્થાનિક ક્ષમતાઓ પર આધારિત છે. આ પ્રક્રિયાએ સમગ્ર સરકાર અને સમગ્ર સમાજના અભિગમને સુનિશ્ચિત કર્યો, રાષ્ટ્રીય વિકાસ પ્રાથમિકતાઓને આબોહવા ઉદ્દેશ્યો સાથે સંરેખિત કરી છે.પરામર્શ અભિગમ વૃદ્ધિ, આજીવિકા અને ઊર્જા અને ખાદ્ય સુરક્ષાનું રક્ષણ કરતી વખતે સર્વસમાવેશક અને સહભાગી આબોહવા નીતિ ઘડતર માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ભારતની ક્રમિક આબોહવા પ્રતિબદ્ધતાઓ યુવાનો અને મહિલાઓ માટે નવી તકો પેદા કરે તેવી શક્યતા છે, જે તેમને ગ્રીન સંક્રમણમાં મુખ્ય ભાગીદાર બનાવશે.

મજબૂત નીતિ નિર્દેશન, તકનીકી નવીનતા અને લોકોની ભાગીદારી સાથે, ભારત એ દર્શાવવાનું ચાલુ રાખે છે કે આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણીય જવાબદારી સાથે-સાથે ચાલી શકે છે.

કેબિનેટ દ્વારા વર્ષ 2031 થી 2035ના સમયગાળા માટે ભારતની નેશનલી ડિટર્માઈન્ડ કોન્ટ્રિબ્યુશનને મંજૂરી એ ઓછી કાર્બનવાળા, આબોહવા-સ્થિતિસ્થાપક ભવિષ્ય તરફની ભારતની યાત્રામાં એક મોટું સીમાચિહ્નરૂપ છે, જે આબોહવા કાર્યવાહીમાં વૈશ્વિક નેતા તરીકે તેની ભૂમિકાને વધુ મજબૂત કરે છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt

Media Coverage

EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi receives a telephone call from the US Vice President
August 08, 2026
PM and Vice President Vance review progress in the India-U.S. Strategic Partnership.
PM and Vice President Vance exchange views on regional and global developments.
PM warmly congratulates Vice President Vance and Ms. Usha Vance on the birth of their son.

Prime Minister Shri Narendra Modi received a telephone call today from the Vice President of the United States, Mr. J.D. Vance.

Prime Minister and Vice President Vance reviewed progress in the India-U.S. Comprehensive Global Strategic Partnership. They noted the sustained momentum in the high-level engagements and reaffirmed their commitment to further strengthening cooperation in trade, defence, critical and emerging technologies, energy security and critical minerals.

They also exchanged views on regional and global developments of mutual interest.

Prime Minister warmly congratulated Vice President Vance and Ms. Usha Vance on the birth of their son and conveyed best wishes to the family.