Her address encapsulates the vision for an India where youth have the best opportunities to flourish: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદના બંને ગૃહોને માનનીય રાષ્ટ્રપતિના સંબોધનની પ્રશંસા કરી છે. તેને વિકસિત ભારત બનાવવા તરફની ભારતની સફર માટે એક વ્યાપક વિઝન ગણાવ્યું છે.

શ્રી મોદીએ કહ્યું કે માનનીય રાષ્ટ્રપતિએ ક્ષેત્રોમાં મુખ્ય પહેલો પર પ્રકાશ પાડ્યો છે અને સર્વાંગી તેમજ ભવિષ્યવાદી વિકાસના મહત્વ પર ભાર મૂક્યો છે.

શ્રી મોદીએ નોંધ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં એવા ભારત માટેના વિઝનનો સમાવેશ થાય છે જ્યાં યુવાનોને વિકાસ માટે શ્રેષ્ઠ તકો મળે છે.

માનનીય રાષ્ટ્રપતિના ભાષણમાં છેલ્લા દાયકામાં આપણા રાષ્ટ્રની સામૂહિક સિદ્ધિઓનો પણ સુંદર રીતે સારાંશ આપવામાં આવ્યો હતો અને આપણી ભવિષ્યની આકાંક્ષાઓને આવરી લેવામાં આવી હતી, શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"રાષ્ટ્રપતિજી દ્વારા સંસદના બંને ગૃહોને આપેલું આજનું સંબોધન આપણા રાષ્ટ્રના વિકાસ ભારત તરફના માર્ગની એક પડઘો પાડતી રૂપરેખા સમાન હતું. તેમણે વિવિધ ક્ષેત્રોમાં પહેલ પર પ્રકાશ પાડ્યો અને સર્વાંગી તેમજ ભવિષ્યવાદી વિકાસના મહત્વ પર ભાર મૂક્યો.

તેમના સંબોધનમાં એવા ભારત માટેના વિઝનને સમાવિષ્ટ કરવામાં આવ્યું. જ્યાં યુવાનોને ખીલવાની શ્રેષ્ઠ તકો મળે. આ સંબોધનમાં એકતા અને દૃઢ નિશ્ચયની ભાવના સાથે આપણે નક્કી કરેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રેરણાદાયી રોડમેપ પણ સામેલ હતા."

"માનનીય રાષ્ટ્રપતિના ભાષણમાં છેલ્લા દાયકામાં આપણા રાષ્ટ્રની સામૂહિક સિદ્ધિઓનો સુંદર રીતે સારાંશ આપવામાં આવ્યો હતો અને આપણી ભવિષ્યની આકાંક્ષાઓને આવરી લેવામાં આવી હતી. આ સંબોધનમાં આર્થિક સુધારાઓ, માળખાગત વિકાસ, આરોગ્યસંભાળ, શિક્ષણ, નવીનીકરણીય ઉર્જા, ગ્રામીણ વિકાસ, ઉદ્યોગસાહસિકતા, અવકાશ અને ઘણું બધું આવરી લેવામાં આવ્યું હતું."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
BrahMos and beyond: How UP is becoming India’s defence capital

Media Coverage

BrahMos and beyond: How UP is becoming India’s defence capital
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi shares Sanskrit Subhashitam emphasising the importance of Farmers
December 23, 2025

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam-

“सुवर्ण-रौप्य-माणिक्य-वसनैरपि पूरिताः।

तथापि प्रार्थयन्त्येव कृषकान् भक्ततृष्णया।।”

The Subhashitam conveys that even when possessing gold, silver, rubies, and fine clothes, people still have to depend on farmers for food.

The Prime Minister wrote on X;

“सुवर्ण-रौप्य-माणिक्य-वसनैरपि पूरिताः।

तथापि प्रार्थयन्त्येव कृषकान् भक्ततृष्णया।।"