સર એમ. એમ. વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
“ભારત 'સબકા પ્રયાસ' દ્વારા, એક વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે”
“કર્ણાટકમાં ગરીબોની સેવા કરતી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની ઘણી ભવ્ય પરંપરા રહી છે”
“અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે કામ કરે છે. તેણે કન્નડ સહિત તમામ ભારતીય ભાષાઓમાં તબીબી શિક્ષણનો વિકલ્પ આપ્યો છે”
“અમે ગરીબ અને મધ્યમ વર્ગના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે”
“અમે સ્વાસ્થ્ય સંબંધિત નીતિઓમાં મહિલાઓને સર્વોચ્ચ અગ્રતા આપી રહ્યા છીએ”

કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇજી, સદ્‌ગુરુ શ્રી મધુસુદન સાઈજી, મંચ પર ઉપસ્થિત મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

કર્નાટકા દા એલ્લા સહોદરા સહોદરિયારિગે નન્ના નમસ્કારાગલુ!

આપ સૌ આટલા ઉમંગ અને ઉત્સાહ સાથે, પોતાનાં સપના લઈને, નવા સંકલ્પો સાથે સેવાની આ મહાન પ્રવૃત્તિમાં સામેલ છો. આપના દર્શન કરવા એ પણ મારા માટે સૌભાગ્યની વાત છે. હું તમારો ખૂબ ખૂબ આભારી છું. ચિક્કાબલ્લાપુરા એ આધુનિક ભારતના આર્કિટેક્ટ્સમાંના એક સર એમ. વિશ્વેશ્વરાયનું જન્મસ્થળ છે. હમણાં જ મને સર વિશ્વેશ્વરાયની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો અને તેમનાં સંગ્રહાલયની મુલાકાત લેવાનો લહાવો મળ્યો. હું આ પવિત્ર ભૂમિને મસ્તક નમાવીને નમન કરું છું. આ પવિત્ર ભૂમિમાંથી પ્રેરણા લઈને જ, તેમણે ખેડૂતો અને સામાન્ય લોકો માટે નવાં સંશોધનો કર્યાં, ઉત્તમ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ બનાવ્યા.

સાથીઓ,

આ ભૂમિએ સત્ય સાઈ ગ્રામનાં રૂપમાં પણ દેશને સેવાનું એક અદ્‌ભૂત મૉડલ આપ્યું છે. શિક્ષણ અને આરોગ્ય દ્વારા અહીં જે રીતે માનવ સેવાનું મિશન ચાલી રહ્યું છે તે ખરેખર અદ્‌ભૂત છે. આજે જે આ મેડિકલ કૉલેજ શરૂ થઈ રહી છે, એનાથી આ મિશન વધુ સશક્ત બન્યું છે. શ્રી મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, દર વર્ષે ઘણા નવા પ્રતિભાશાળી ડૉક્ટરો દેશના કરોડો લોકોની સેવામાં રાષ્ટ્રને સમર્પિત કરશે. હું સંસ્થાને અને ચિક્કાબલ્લાપુરના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

ભાઇઓ અને બહેનો,

આઝાદીના અમૃત મહોત્સવમાં દેશે વિકસિત બનવાનો સંકલ્પ કર્યો છે. ઘણી વખત લોકો પૂછે છે કે ભારત આટલા ઓછા સમયમાં, કેમ કે મેં કહ્યું 2047 જ્યારે આઝાદીનાં 100 વર્ષ થશે, તો લોકો પૂછે છે કે આટલા ઓછા સમયમાં ભારત વિકસિત કેવી રીતે બનશે? આટલા પડકારો છે, આટલું કામ છે, તે આટલા ઓછા સમયમાં કેવી રીતે પૂર્ણ થશે? આ પ્રશ્નનો એક જ જવાબ છે, એક સશક્ત જવાબ છે, સંકલ્પથી ભરેલો જવાબ છે, સિદ્ધિઓ હાંસલ કરવાની તાકાત સાથેનો જવાબ છે અને તે જવાબ છે સબકા પ્રયાસ. દરેક દેશવાસીના સંયુક્ત પ્રયાસોથી આ શક્ય બનીને જ રહેશે. તેથી જ ભાજપ સરકાર સૌની ભાગીદારી પર સતત ભાર આપી રહી છે. વિકસિત ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવામાં આપણી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓની ભૂમિકા પણ મોટી છે. કર્ણાટકમાં તો સંતો, આશ્રમો અને મઠની મોટી પરંપરા રહી છે. આ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ આસ્થા અને આધ્યાત્મિકતા સાથે ગરીબો, દલિતો, પછાત, આદિવાસીઓને સશક્ત કરતી રહી છે. તમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલું સામાજિક કાર્ય પણ સબકા પ્રયાસની ભાવનાને સશક્ત બનાવે છે.

સાથીઓ,

હું જોઈ રહ્યો હતો કે, શ્રી સત્ય સાઈ યુનિવર્સિટીનું સૂત્ર છે- "યોગ: કર્મસુ કૌશલમ્‌". એટલે કે કર્મોમાં કુશળતા એ જ યોગ છે. છેલ્લાં 9 વર્ષમાં, ભારતમાં પણ, આરોગ્ય સેવાઓને લઈને ખૂબ જ નિષ્ઠાપૂર્વક, ખૂબ જ કુશળતાથી કામ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. દેશમાં તબીબી શિક્ષણને લગતા ઘણા સુધારા કરવામાં આવ્યા છે. તેનાથી સરકારની સાથે સાથે અન્ય જે સંગઠનો છે, એમના માટે પણ હૉસ્પિટલો અને મેડિકલ કૉલેજો ખોલવાનું હવે સરળ બની ગયું છે. પછી તે સરકાર હોય. , ખાનગી ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, દરેકના પ્રયત્નોનું પરિણામ આજે દેખાય રહ્યું છે. વર્ષ 2014માં, આપણા દેશમાં 380થી ઓછી મેડિકલ કૉલેજો હતી. આજે દેશમાં મેડિકલ કૉલેજોની સંખ્યા વધીને 650થી પણ વધુ થઈ ગઈ છે. આમાંથી 40 મેડિકલ કૉલેજો આકાંક્ષી જિલ્લાઓમાં સ્થાપવામાં આવી છે, જે જિલ્લાઓ વિકાસનાં દરેક પાસામાં પાછળ હતા, ત્યાં મેડિકલ કૉલેજો સ્થાપવામાં આવી છે.

સાથીઓ,

છેલ્લાં 9 વર્ષમાં દેશમાં મેડિકલ સીટોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. આઝાદીનાં 75 વર્ષમાં દેશમાં જેટલા ડૉક્ટરો બન્યા હતા તેટલા જ ડૉક્ટરો આગામી 10 વર્ષમાં બનવાના છે. દેશમાં આ જે કામ થઈ રહ્યું છે એનો લાભ કર્ણાટકને પણ મળી રહ્યો છે. આજે કર્ણાટકમાં લગભગ 70 મેડિકલ કૉલેજો છે. ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી ગત વર્ષોમાં જે મેડિકલ કૉલેજો બની છે તે પૈકીની એક અહીં ચિક્ક-બલ્લાપુરમાં પણ બની છે. આ વર્ષનાં કેન્દ્ર સરકારનાં બજેટમાં તો અમે 150 નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટ બનાવવાની પણ જાહેરાત કરી છે. જેનાં કારણે યુવાનો માટે નર્સિંગ ક્ષેત્રે પણ ઘણી તકો ઊભી થવા જઈ રહી છે.

સાથીઓ,

આજે, જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું, ત્યારે હું ભારતના તબીબી વ્યવસાય સામે રહેલા એક પડકારનો પણ ઉલ્લેખ ચોક્કસ કરવા માગું છું. આ પડકારને કારણે ગામના, ગરીબ, પછાત સમાજના યુવાનો માટે ડૉક્ટર બનવું ખૂબ જ મુશ્કેલ હતું. પોતાના રાજકીય સ્વાર્થ માટે, વોટ બૅન્ક માટે કેટલાક પક્ષોએ ભાષાની રમત રમી. પણ ખરેખર અર્થમાં ભાષાને મજબૂત કરવા જેટલું થવું જોઈતું હતું તે થયું નહીં. કન્નડ તો આટલી સમૃદ્ધ ભાષા છે, તે એક એવી ભાષા છે જે દેશનું ગૌરવ વધારે છે. અગાઉની સરકારોએ કન્નડમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી શિક્ષણ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધાં ન હતાં. આ રાજકીય પક્ષો ઇચ્છતા ન હતા કે ગામડાં, ગરીબ, દલિત અને પછાત પરિવારોનાં દીકરા-દીકરીઓ પણ ડૉક્ટર અને એન્જિનિયર બની શકે. ગરીબોનાં હિતમાં કામ કરતી અમારી સરકારે કન્નડ સહિત તમામ ભારતીય ભાષાઓમાં મેડિકલ અભ્યાસનો વિકલ્પ આપ્યો છે.

ભાઇઓ અને બહેનો,

દેશમાં લાંબા સમય સુધી આવી રાજનીતિ ચાલી છે, જ્યાં ગરીબોને માત્ર વોટબૅન્ક ગણવામાં આવ્યા. જ્યારે ભાજપ સરકારે ગરીબોની સેવા કરવી એ પોતાની સર્વોચ્ચ ફરજ માની છે. અમે ગરીબ અને મધ્યમ વર્ગનાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે. અમે દેશમાં સસ્તી દવાઓની દુકાનો, જન ઔષધિ કેન્દ્રો ખોલ્યાં છે. આજે, દેશભરમાં લગભગ 10,000 જન ઔષધિ કેન્દ્રો છે, જેમાંથી એક હજારથી વધુ આપણે ત્યાં કર્ણાટકમાં જ છે. આ કેન્દ્રોનાં કારણે કર્ણાટકના ગરીબોના હજારો કરોડ રૂપિયા દવાઓ પર ખર્ચ થવાથી બચી ગયા છે.

સાથીઓ,

હું તમને એ જૂના દિવસો યાદ કરવાનું પણ કહીશ જ્યારે ગરીબો સારવાર માટે હૉસ્પિટલમાં જવાની હિંમત કરી શકતા ન હતા. ભાજપ સરકારે ગરીબોની આ ચિંતા સમજી અને તેનું નિરાકરણ કર્યું. આજે આયુષ્માન ભારત યોજનાએ ગરીબ પરિવારો માટે સારી હૉસ્પિટલોના દરવાજા ખોલ્યા છે. ભાજપ સરકારે ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની ખાતરી આપી છે. કર્ણાટકમાં પણ લાખો લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે.

સાથીઓ,

અગાઉ હાર્ટ સર્જરી હોય, ઘૂંટણ બદલવા હોય, ડાયાલિસિસ હોય, આ બધું પણ ખૂબ ખર્ચાળ-મોંઘું રહેતું હતું. ગરીબોની સરકારે, ભાજપ સરકારે તેને પણ સસ્તું કરી દીધું છે. મફત ડાયાલિસિસની સુવિધાએ પણ ગરીબોના હજારો કરોડો રૂપિયા ખર્ચ થવાથી બચાવ્યા છે.

સાથીઓ,

અમે સ્વાસ્થ્ય સંબંધિત નીતિઓમાં માતાઓ અને બહેનોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. જ્યારે માતાનું સ્વાસ્થ્ય, માતાનું પોષણ સારું હોય છે ત્યારે આખી પેઢીનું સ્વાસ્થ્ય સુધરે છે. તેથી, તે શૌચાલય બનાવવાની યોજના હોય, મફત ગેસ કનેક્શન આપવાની યોજના હોય, દરેક ઘરમાં નળનું પાણી પૂરું પાડવાની યોજના હોય, મફત સેનેટરી પેડ્સ આપવાની યોજના હોય કે પછી પૌષ્ટિક ખોરાક માટે સીધા બૅન્કમાં પૈસા મોકલવાના હોય, આ બધું માતાઓ- બહેનોનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. ભાજપ સરકાર ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર અંગે પણ સતર્ક છે. હવે ગામડાઓમાં જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખોલવામાં આવી રહ્યાં છે, તેમાં આવા રોગોની તપાસ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હેતુ એ જ છે કે પ્રારંભિક તબક્કામાં જ બીમારીઓની ઓળખ થઈ શકે. આનાથી, અમે માતાઓ અને બહેનોનાં જીવન પરના મોટા સંકટને રોકવામાં સફળ થઈ રહ્યા છીએ. હું બોમ્મઇજી અને તેમની ટીમને અભિનંદન આપવા માગું છું કે કર્ણાટકમાં પણ 9,000થી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યાં છે. અમારી સરકાર દીકરીઓને એવું જીવન આપવામાં વ્યસ્ત છે, જેથી તેઓ પોતે પણ સ્વસ્થ રહે અને ભવિષ્યમાં તેમનાં બાળકો પણ સ્વસ્થ રહે.

ભાઇઓ અને બહેનો,

આજે હું વધુ એક કારણસર કર્ણાટક સરકારના વખાણ કરીશ. પાછલાં વર્ષોમાં, ભાજપ સરકારે ANM અને આશા બહેનોને વધુ સશક્ત કર્યાં છે. તેમને આધુનિક ટેક્નૉલોજી સાથેનાં ગેજેટ્સ આપવામાં આવ્યાં છે, તેમનું કામ સરળ બનાવવામાં આવ્યું છે. કર્ણાટકમાં આજે લગભગ 50,000 આશા અને ANM કાર્યકરો છે, લગભગ એક લાખ નોંધાયેલ નર્સો અને અન્ય આરોગ્ય કાર્યકરો છે. ડબલ એન્જિન સરકાર આ તમામ સાથીઓને શક્ય તમામ સુવિધાઓ આપી જીવન સરળ બનાવવા માટે પ્રયાસરત છે.

સાથીઓ,

આરોગ્યની સાથે સાથે ડબલ એન્જિન સરકાર માતાઓ, બહેનો અને દીકરીઓનાં આર્થિક સશક્તીકરણ પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. આ ભૂમિ તો મિલ્ક અને સિલ્ક- દૂધ અને રેશમની ભૂમિ છે. આ અમારી જ સરકાર છે જેણે પશુપાલકો માટે પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા સુનિશ્ચિત કરી છે. પશુઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે અમારી સરકારે માટે સૌથી મોટું મફત રસીકરણ અભિયાન પણ શરૂ કર્યું છે. આ અભિયાન પર 12 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ડબલ એન્જિન સરકારનો એ પણ પ્રયાસ છે કે ડેરી સહકારી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી વધુ વધે. ગામડાઓમાં મહિલાઓનાં જે સ્વ-સહાય જૂથો છે એમને પણ સશક્ત કરવામાં આવી રહ્યાં છે.

સાથીઓ,

જ્યારે દેશ સ્વસ્થ રહેશે, જ્યારે વિકાસ માટે સબકા પ્રયાસો થશે, ત્યારે આપણે વિકસિત ભારતનું લક્ષ્ય વધુ ઝડપથી પ્રાપ્ત કરી શકીશું. ફરી એકવાર, હું માનવ સેવાના આ મહાન પ્રયાસ માટે શ્રી મધુસૂદન સાઈ સંસ્થા સાથે સંકળાયેલા તમામ સાથીદારોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

ભગવાન સાઈ બાબા સાથે મારો ખૂબ જ ગાઢ સંબંધ રહ્યો અને અમારા શ્રીનિવાસજી સાથે પણ ઘણો સંબંધ રહ્યો જૂનો, આ સંબંધને લગભગ 40 વર્ષ થઈ ગયાં છે અને તેથી જ હું અહીં ન તો અતિથિ છું, ન તો હું મહેમાન છું, હું તો આપને ત્યાં જ આ ધરતીનું સંતાન છું. અને જ્યારે પણ હું તમારી વચ્ચે આવું છું ત્યારે સંબંધ તાજા થાય છે, જૂની યાદો તાજી થાય છે અને મને વધુ મજબૂત રીતે જોડવાનું મન થાય છે.

મને અહીં આમંત્રિત કરવા બદલ હું ફરીથી તમારો ખૂબ ખૂબ આભારી છું. ખૂબ ખૂબ આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit

Media Coverage

Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
India-New Zealand friendship has gained new momentum and a new direction: PM Modi during the Gala Lunch
July 11, 2026

Your Excellency, Prime Minister क्रिस्टोफर लक्सन,

दोनों देशों के delegates,

नमस्कार!

किया ओरा!

मेरे और मेरे delegation के ऊष्मा भरे स्वागत और आतिथ्य के लिए मैं मेरे मित्र प्रधानमंत्री लक्सन का हार्दिक आभार व्यक्त करता हूँ। उन्होंने स्वागत में इतनी गर्मजोशी दिखाई है, कि ऑकलैंड की सर्दी भी आज कुछ कम लग रही है। इस यात्रा के दौरान न्यूजीलैंड के लोगों से जो स्नेह और अपनापन मिला है, वह हमारे हृदय में हमेशा रहेगा।

पिछले वर्ष प्रधानमंत्री लक्सन की भारत यात्रा से हमारे संबंधों के हर क्षेत्र में नई ऊर्जा आई है। उनके नेतृत्व, स्पष्ट विजन, और मजबूत प्रतिबद्धता से, भारत और New Zealand की मित्रता को नयी गति और नयी दिशा मिली है। आज चालीस वर्षों के बाद भारतीय प्रधानमंत्री की यात्रा हो रही है। और मैं हमेशा कहता हूँ, कि बहुत सारे अच्छे काम है, जो मेरे पहले वाले लोग मेरे लिए छोड़ के गए हैं, जो मैं पूरा कर रहा हूँ। साथियों, यह हमारे संबंधों के एक नए अध्याय का शुभारंभ है।

Friends,

भारत और न्यूजीलैंड का लोकतान्त्रिक मूल्यों में दृढ़ विश्वास हमें मिलकर आगे बढ़ने के लिए natural comfort प्रदान करता है। पिछले कुछ वर्षों में हमने हमारे सबंधों को अभूतपूर्व गति प्रदान की है।

आज आज की बैठक में हमने हमारे सहयोग को नई गहराई और व्यापकता देने पर विस्तार से चर्चा की। हमने भारत-न्यूजीलैंड संबंधों को Strategic Partnership के स्तर पर ले जाने का ऐतिहासिक निर्णय लिया है। इसके अंतर्गत हम हर क्षेत्र में स्पष्ट लक्ष्यों और ठोस परिणामों के साथ आगे बढ़ेंगे।

इस वर्ष हमने रिकॉर्ड समय में Free Trade Agreement किया। इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे। हम trade के साथ साथ trust, technology और talent का blue print तैयार कर रहे हैं।

पिछले तीन वर्षों में हमारे व्यापार में 50 पर्सेन्ट से अधिक की बढ़ोतरी हुई है। हमें विश्वास है कि FTA अगले पाँच वर्षों में हमारे व्यापार को दोगुना करने का मजबूत आधार बनेगा।

न्यूजीलैंड द्वारा भारत में बीस बिलियन डॉलर के investment commitment का भी हम विशेष स्वागत करते हैं। यह न्यूज़ीलैंड की companies को भारत की growth story में long-term partner बनने का अवसर देगा।

Friends,

हमारी Strategic Partnership को सार्थक बनाने के लिए हम दोनों देशों की strengths को practical cooperation में बदल रहे हैं। Fin Tech के क्षेत्र में हम भारत के UPI और न्यूजीलैंड के payment systems को जोड़ने पर आगे बढ़ रहे हैं।

Agriculture, dairy और food processing में हमने सहयोग का एक मजबूत खाका बनाया है। इसका लाभ हमारे किसानों और पशु-पालकों को मिलेगा।

Traditional medicine में न्यूज़ीलैंड और भारत दोनों की समृद्ध और जीवंत परंपराएं हैं। आज हमने हमारे स्वास्थ्य सहयोग में traditional medicines की भूमिका बढ़ाने पर सहमति व्यक्त की।

रक्षा और सुरक्षा में हमारा बढ़ता सहयोग हमारे गहरे strategic trust का प्रतीक है। पिछले वर्ष किए गए Defence Cooperation Agreement से हमारे सहयोग का मजबूत ढांचा तैयार हुआ है। आज हमने इंडो-पैसिफिक में maritime cooperation के लिए एक फ्रैम्वर्क पर सहमति बनाई है। Bilateral naval exercises, Logistics support और hydrography में सहयोग से हमारा आपसी तालमेल बढ़ेगा।

Friends,

हमारे संबंधों की सबसे मजबूत ताकत हमारे people-to-people ties हैं। भारतीय समुदाय के लोगों ने अपने परिश्रम और talent से न्यूजीलैंड में विशेष स्थान बनाया है। उनकी देखरेख के लिए मैं प्रधानमंत्री लक्सन और न्यूजीलैंड सरकार और न्यूजीलैंड के लोगों का आभार व्यक्त करता हूँ।

आज हुआ Cultural Cooperation MOU दोनों देशों के art, culture, heritage तथा creative industries में exchanges को गति देगा। न्यूजीलैंड भारतीय students के लिए एक महत्वपूर्ण destination रहा है। हम न्यूजीलैंड की universities को भारत में campus खोलने के लिए आमंत्रित करते हैं।

इस वर्ष हम दोनों देशों के बीच खेल संबंधों की सौवीं वर्षगांठ मना रहे हैं। सौ साल पहले मेजर ध्यानचंद के नेतृत्व में हॉकी टीम ने यहाँ आकर जो इतिहास रचा था, वह हमारी खेल साझेदारी को आज भी प्रेरित कर रहा है। इस उपलक्ष्य पर हम दोनों देशों में कई स्पोर्ट्स इवेंट्स आयोजित कर रहे हैं। क्रिकेट के साथ-साथ अन्य खेलों में भी सहयोग बढ़ाने के लिए हम Sports Joint Action Plan बनाया है। हाल ही में भुवनेश्वर में न्यूजीलैंड रग्बी और रग्बी इंडिया के कोचिंग प्रोग्राम से अच्छी शुरुवात हुवी है।

Friends,

वैश्विक मंच पर भी भारत और न्यूज़ीलैंड भरोसेमंद साझेदार और करीबी मित्र हैं। हमारा मानना है कि वर्तमान समय की चुनौतियों का सामना करने के लिए UN सहित अन्य वैश्विक संस्थानों में reform आवश्यक है।

आतंकवाद के विषय पर कंधे से कंधा मिलाकर आगे बढ़ाने के लिए आज हमने Joint Working Group का गठन किया है। भारत और न्यूजीलैंड के बीच सहयोग इंडो-पेसिफिक में शांति, स्थिरता और सुरक्षा के लिए अत्यंत महत्वपूर्ण है।

Friends, मैं आप सभी को माओरी नव वर्ष “मातरिकी” की हार्दिक शुभकामनाएँ देता हूँ। जिस तारा-समूह को यहाँ “मातरिकी” नाम दिया गया है, जैसे आपने भी बताया, उसे भारत में प्राचीन काल से “कृत्तिका नक्षत्र” के रूप में जाना जाता है। मुझे विश्वास है कि “मातरिकी” का यह पर्व, हमारे संबंधों को इन्हीं सितारों की तरह जगमगाने की प्रेरणा देगा।

Prime Minister लक्सन,

आपकी मित्रता, आपकी प्रतिबद्धता और मेरी न्यूज़ीलैंड यात्रा को यादगार बनाने के लिए मैं आपका आभार व्यक्त करता हूँ। जैसे रग्बी में टीमवर्क और भरोसा ज़रूरी होता है, वैसे ही हम भी आपसी विश्वास के साथ आगे बढ़ेंगे। हम एक ही टीम में है, इसलिए टैकल केवल चुनौतियों को करेंगे।

बहुत-बहुत धन्यवाद।