મિત્રો,

વૈશ્વિક શાંતિ અને સુરક્ષા ફક્ત એક આદર્શ નથી, તે આપણા સામાન્ય હિતો અને ભવિષ્યનો પાયો છે. માનવતાનો વિકાસ ફક્ત શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં જ શક્ય છે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં BRICSની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. આપણે એક થવું પડશે અને આપણા સામાન્ય પડકારોનો સામનો કરવા માટે સામૂહિક પ્રયાસો કરવા પડશે. આપણે સાથે મળીને આગળ વધવું પડશે.

મિત્રો,

આજકાલ માનવતા માટે આતંકવાદ સૌથી ગંભીર પડકાર તરીકે ઉભરી આવ્યો છે. તાજેતરમાં ભારતે એક અમાનવીય અને કાયર આતંકવાદી હુમલાનો સામનો કર્યો. 22 એપ્રિલના રોજ, પહેલગામમાં આતંકવાદી હુમલો ભારતની આત્મા, ઓળખ અને ગૌરવ પર સીધો હુમલો હતો. આ હુમલો ફક્ત ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવતા માટે એક ફટકો હતો. આ દુઃખની ઘડીમાં હું તે મિત્ર દેશોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જેઓ અમારી સાથે ઉભા હતા. જેમણે સમર્થન અને સંવેદના વ્યક્ત કરી હતી.

આતંકવાદની નિંદા એ આપણો 'સિદ્ધાંત' હોવો જોઈએ, ફક્ત 'સુવિધા' નહીં. જો આપણે પહેલા જોઈએ કે હુમલો કયા દેશમાં, કોની સામે થયો છે તો તે માનવતા સામે વિશ્વાસઘાત હશે.

મિત્રો,

આતંકવાદીઓ સામે પ્રતિબંધો લાદવામાં કોઈ ખચકાટ ન હોવો જોઈએ. આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ માપદંડ પર તોલી શકાય નહીં. વ્યક્તિગત કે રાજકીય લાભ માટે, આતંકવાદને મૌન સંમતિ આપવી, આતંકવાદ કે આતંકવાદીઓને ટેકો આપવો તે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય ન હોવું જોઈએ. આતંકવાદ અંગે શબ્દો અને કાર્યોમાં કોઈ તફાવત ન હોવો જોઈએ. જો આપણે આ ન કરી શકીએ, તો સ્વાભાવિક રીતે જ પ્રશ્ન ઉભો થાય છે કે શું આપણે આતંકવાદ સામેની લડાઈ પ્રત્યે ગંભીર છીએ કે નહીં?

મિત્રો,

પશ્ચિમ એશિયાથી લઈને યુરોપ સુધી આજે દુનિયા વિવાદો અને તણાવોથી ઘેરાયેલી છે. ગાઝામાં જે માનવીય  પરિસ્થિતિ છે તે ખૂબ ચિંતાનો વિષય છે. ભારત દ્રઢપણે માને છે કે પરિસ્થિતિઓ ગમે તેટલી મુશ્કેલ હોય, શાંતિનો માર્ગ માનવતાના કલ્યાણ માટે એકમાત્ર વિકલ્પ છે.

ભારત ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે. આપણા માટે યુદ્ધ અને હિંસા માટે કોઈ સ્થાન નથી. ભારત એવા દરેક પ્રયાસને સમર્થન આપે છે જે વિશ્વને વિભાજન અને સંઘર્ષમાંથી બહાર કાઢે છે અને તેને સંવાદ, સહયોગ અને સંકલન તરફ દોરી જાય છે અને એકતા તેમજ વિશ્વાસ વધારે છે. આ દિશામાં અમે બધા મિત્ર દેશો સાથે સહયોગ અને ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. આભાર.

મિત્રો,

છેલ્લે હું તમને બધાને આવતા વર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાનાર બ્રિક્સ સમિટ માટે ભારત આવવા આમંત્રણ આપું છું.

ખૂબ ખૂબ આભાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
FTAs boost global demand for Indian talent, expand mobility options

Media Coverage

FTAs boost global demand for Indian talent, expand mobility options
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi performs Darshan and Pooja at Baba Vishwanath Temple; prays for the prosperity and good health of all countrymen
April 29, 2026

 

Prime Minister Shri Narendra Modi today performed darshan and pooja at the Baba Vishwanath Temple in Kashi, where he prayed for the happiness, prosperity, and healthy lives of the people of the nation.

"हर हर महादेव !

काशी में बाबा विश्वनाथ मंदिर में दर्शन और पूजन का सौभाग्य मिला। यहां भगवान भोलेनाथ से समस्त देशवासियों के लिए सुख-समृद्धि और आरोग्यपूर्ण जीवन की कामना की।

माँ अन्नपूर्णा एवं माँ गंगा के दर्शन से असीम शांति मिली। उनकी कृपा से हर किसी में सकारात्मक ऊर्जा का संचार हो !

काशी की जनता को पुनः नमन