થોડા દિવસ પહેલાં આપણે પ્રોફેસર એમ. એસ. સ્વામિનાથન ગુમાવ્યા અને રાષ્ટ્રએ એક સ્વપ્નદ્રષ્ટા ગુમાવ્યા, જેમણે કૃષિ વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી, એક એવા નિષ્ઠાવાન વ્યક્તિ, જેનું ભારત માટે યોગદાન હંમેશાં સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે. પ્રાધ્યાપક એમ. એસ. સ્વામિનાથન ભારતને ચાહતા હતા. તેઓ ઇચ્છતા હતા કે આપણો દેશ અને ખાસ કરીને આપણા ખેડૂતો પણ સમૃદ્ધિનું જીવન જીવે. શૈક્ષણિક દૃષ્ટિએ તેજસ્વી, તેઓ કોઈપણ કારકિર્દી પસંદ કરી શક્યા હોત, પરંતુ 1943ના બંગાળના દુષ્કાળથી તેઓ એટલા વ્યથિત થયા હતા કે તેઓ સ્પષ્ટ હતા કે જો તેઓ કોઈ કામ કરશે, તો તે કૃષિનો સંશોધન કરવાનું હશે.

પ્રમાણમાં નાની ઉંમરે તેઓ ડૉ. નોર્મન બોરલોગના સંપર્કમાં આવ્યા અને તેમના કાર્યને ખૂબ વિગતવાર અનુસર્યા. 1950ના દાયકામાં, તેમને યુ.એસ.માં ફેકલ્ટી પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેને નકારી કાઢી હતી કારણ કે તેઓ ભારતમાં અને ભારત માટે કામ કરવા માંગતા હતા.

હું ઇચ્છું છું કે તમે બધા એ પડકારજનક સંજોગો વિશે વિચારો જેમાં તેઓ એક અડગ મહાપુરુષ તરીકે ઊભા રહ્યા, અને આપણા રાષ્ટ્રને આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસના માર્ગ તરફ દોરી ગયા. આઝાદી પછીના પ્રથમ બે દાયકામાં આપણે પુષ્કળ પડકારોનો સામનો કરી રહ્યા હતા અને તેમાંનો એક હતો અનાજની તંગી. 1960ના દાયકાની શરૂઆતમાં ભારત દુષ્કાળના કમનસીબ પડકારો સામે ઝઝૂમી રહ્યું હતું અને ત્યારે જ પ્રોફેસર સ્વામિનાથનની અડગ પ્રતિબદ્ધતા અને દીર્ધદષ્ટિએ કૃષિ સમૃદ્ધિના એક નવા યુગની શરૂઆત કરી. કૃષિ અને ઘઉંના સંવર્ધન જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને કારણે ઘઉંના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. આમ ભારતને ખાદ્ય-અછતવાળા દેશમાંથી આત્મનિર્ભર રાષ્ટ્રમાં ફેરવી નાખ્યું. આ અસાધારણ સિદ્ધિએ તેમને "ભારતીય હરિત ક્રાંતિના પિતા" તરીકેનું બિરુદ અપાવ્યું.

આ હરિત ક્રાંતિએ ભારતની "આપણે કરી શકીએ”ની ભાવનાની ઝાંખી કરાવી હતી કે જો આપણી પાસે એક અબજ પડકારો હોય, તો આપણી પાસે તે પડકારોને પહોંચી વળવા માટે સંશોધનની જ્યોત ધરાવતાં એક અબજ દિમાગ પણ છે. હરિયાળી ક્રાંતિ શરૂ થયાના પાંચ દાયકા પછી, ભારતીય કૃષિ વધુ આધુનિક અને પ્રગતિશીલ બની છે. પરંતુ, પ્રોફેસર સ્વામિનાથને જે પાયો નાખ્યો છે તે પાયો કદી ભૂલી શકાય તેમ નથી.

વર્ષોથી, તેમણે બટાકાના પાકને અસર કરતા પરોપજીવીઓનો સામનો કરવા માટે પાયાનું સંશોધન હાથ ધર્યું હતું. તેમના સંશોધનથી બટાકાના પાકને ઠંડા હવામાનનો સામનો કરવામાં પણ સક્ષમ બનાવ્યું. આજે, વિશ્વ બરછટ અનાજ બાજરી અથવા શ્રી અન્નની સુપર ફૂડ તરીકે વાત કરે છે પરંતુ પ્રો. સ્વામીનાથને 1990 ના દાયકાથી જ તેના મહત્વને પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રોફેસર સ્વામિનાથન સાથે મારી અંગત વાતચીત વ્યાપક હતી. 2001માં મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યા પછી તેની શરૂઆત થઈ હતી. તે દિવસોમાં ગુજરાત તેની કૃષિ કુશળતા માટે જાણીતું નહોતું. ક્રમિક દુષ્કાળ અને સુપર ચક્રવાત અને ભૂકંપને કારણે રાજ્યના વિકાસના માર્ગ પર અસર થઈ હતી. અમે શરૂ કરેલી અનેક પહેલોમાં સોઇલ હેલ્થ કાર્ડ પણ સામેલ હતી, જેણે અમને જમીનને વધુ સારી રીતે સમજવા અને જો સમસ્યાઓ ઊભી થાય તો તેને દૂર કરવા સક્ષમ બનાવ્યાં હતાં. આ યોજનાના સંદર્ભમાં જ હું પ્રોફેસર સ્વામિનાથન ને મળ્યો. તેમણે આ યોજનાની પ્રશંસા કરી હતી અને આ માટે તેમના મૂલ્યવાન સૂચનો પણ કર્યા હતા. જેઓ આ યોજના વિશે સંશય ધરાવતા હતા તેમને સમજાવવા માટે પ્રોફેસર સ્વામિનાથન નું સમર્થન પૂરતું હતું, જેનાથી આખરે ગુજરાતની કૃષિવિષયક સફળતાનો તખ્તો તૈયાર કરવાનો હતો.

અમારી વાતચીત મારા મુખ્યમંત્રીપદના કાર્યકાળ દરમિયાન અને જ્યારે મેં પ્રધાનમંત્રી પદ સંભાળ્યું ત્યારે પણ ચાલુ રહી હતી. હું તેમને 2016માં ઈન્ટરનેશનલ એગ્રો-બાયોડાયવર્સિટી કોંગ્રેસમાં મળ્યો હતો અને ત્યાર પછીના વર્ષે 2017માં મેં તેમના દ્વારા લખાયેલી બે ભાગની પુસ્તકશ્રેણી શરૂ કરી હતી.

કુરાલ ખેડુતોને એક એવી કડી તરીકે વર્ણવે છે જે વિશ્વને એક સાથે રાખે છે કારણ કે તે ખેડુતો છે, જે દરેકને ટકાવી રાખે છે. પ્રોફેસર સ્વામિનાથન આ સિદ્ધાંતને સારી રીતે સમજતા હતા. ઘણા લોકો તેમને "કૃષિ વૈજ્ઞાનિક" કહે છે. પરંતુ, હું હંમેશાં માનતો આવ્યો છું કે તેઓ તેનાથી પણ વધુ હતા. તેઓ સાચા અર્થમાં "કિસાન વૈજ્ઞાનિક" – ખેડૂત વૈજ્ઞાનિક હતા. તેમના હૃદયમાં એક ખેડૂત હતો. તેમનાં કાર્યોની સફળતા તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પૂરતી મર્યાદિત નથી; તેમની સફળતા પ્રયોગશાળાઓની બહાર, ખેતરો અને ખેતરોમાં તેઓએ ઉભી કરેલી અસરમાં રહેલી છે. તેમના કાર્યથી વૈજ્ઞાનિક જ્ઞાન અને તેના વ્યવહારિક ઉપયોગ વચ્ચેનું અંતર ઓછું થયું. તેમણે સતત ટકાઉ કૃષિની હિમાયત કરી હતી, માનવ પ્રગતિ અને ઇકોલોજીકલ ટકાઉપણા વચ્ચેના નાજુક સંતુલન પર ભાર મૂક્યો હતો. અહીં, મારે પ્રોફેસર સ્વામિનાથન દ્વારા નાના ખેડૂતોના જીવનને સુધારવા અને તેઓ પણ નવીનતાના ફળનો આનંદ માણી શકે તે સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તેની પણ નોંધ લેવી જોઈએ. તેઓ ખાસ કરીને મહિલા ખેડૂતોના જીવનને સુધારવા માટે ઉત્સાહી હતા.

પ્રોફેસર એમ. એસ. સ્વામિનાથન વિશે એક બીજું પાસું પણ છે, જે નોંધપાત્ર છે. તેઓ નવીનતા અને માર્ગદર્શનના શ્રેષ્ઠ ઉદાહણરૂપ છે. 1987માં જ્યારે તેમણે આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કાર જીત્યો હતો, ત્યારે તેમણે ઇનામની રકમનો ઉપયોગ બિન-નફાકારક સંશોધન ફાઉન્ડેશનની સ્થાપના કરવા માટે કર્યો હતો. અત્યાર સુધી, તેમણે વિવિધ ક્ષેત્રોમાં વિસ્તૃત કામગીરી હાથ ધરી છે. તેમણે અસંખ્ય લોકોને જ્ઞાની બનાવ્યા છે, તેમનામાં શીખવા અને નવીનતા માટે જુસ્સો પેદા કર્યો છે. ઝડપથી બદલાતા વિશ્વમાં તેમનું જીવન આપણને જ્ઞાન, માર્ગદર્શન અને નવીનતાની ટકાઉ શક્તિની યાદ અપાવે છે. તેઓ એક સંસ્થાના ઘડવૈયા પણ હતા, તેમના નામના ઘણા કેન્દ્રોમાં વાઇબ્રન્ટ સંશોધન થયા હતા. તેમનો એક કાર્યકાળ મનિલાની ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તરીકેનો હતો. વારાણસીમાં વર્ષ 2018માં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું સાઉથ એશિયા રિજનલ સેન્ટર ખોલવામાં આવ્યું હતું.

હું ફરીથી કુરાલને ટાંકીને ડો.સ્વામીનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ. ત્યાં લખ્યું છે કે, "જો યોજના ઘડનારાઓમાં દ્રઢતા હોય, તો તેઓ જે રીતે ઇચ્છે છે તે મેળવશે." તેઓ એક એવા નિષ્ઠાવાન વ્યક્તિ હતા જેમણે તેમના જીવનની શરૂઆતમાં જ નક્કી કર્યું હતું કે તેઓ કૃષિને મજબૂત કરવા અને ખેડૂતોની સેવા કરવા માંગે છે. અને, તેમણે તે અસાધારણ રીતે નવીનતાથી અને જુસ્સાથી પૂર્ણ કર્યું. ડૉ. સ્વામિનાથનનું પ્રદાન કૃષિ નવીનતા અને ટકાઉપણાના માર્ગે આગળ વધી રહ્યું છે, ત્યારે આપણને પ્રેરણા અને માર્ગદર્શન આપતું રહ્યું છે. આપણે ખેડૂતોના ધ્યેયને ટેકો આપવો અને વૈજ્ઞાનિક નવીનીકરણના ફળ આપણા કૃષિ ક્ષેત્રના મૂળ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું પડશે. આવનારી પેઢીઓ માટે વૃદ્ધિ, ટકાઉપણું અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવું એ તેમના પ્રિય સિદ્ધાંતો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા બની રહેશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s PC exports double in a year, US among top buyers

Media Coverage

India’s PC exports double in a year, US among top buyers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Your Money, Your Right
December 10, 2025

During my speech at the Hindustan Times Leadership Summit a few days ago, I shared some startling facts:

Indian banks are holding Rs. 78,000 crore of unclaimed money belonging to our own citizens.

Insurance companies have nearly Rs. 14,000 crore lying unclaimed.

Mutual fund companies have around Rs. 3,000 crore and dividends worth Rs. 9,000 crore are also unclaimed.

These facts have startled a lot of people.

Afterall, these assets represent the hard-earned savings and investments of countless families.

In order to correct this, the आपकी पूंजी, आपका अधिकार - Your Money, Your Right initiative was launched in October 2025.

The aim is to ensure every citizen can reclaim what is rightfully his or hers.

To make the process of tracing and claiming funds simple and transparent, dedicated portals have also been created. They are:

• Reserve Bank of India (RBI) – UDGAM Portal for unclaimed bank deposits & balances: https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login

• Insurance Regulatory and Development Authority of India (IRDAI) – Bima Bharosa Portal for unclaimed insurance policy proceeds: https://bimabharosa.irdai.gov.in/Home/UnclaimedAmount

• Securities and Exchange Board of India (SEBI) – MITRA Portal for unclaimed amounts in mutual funds: https://app.mfcentral.com/links/inactive-folios

• Ministry of Corporate Affairs, IEPFA Portal for Unpaid dividends & unclaimed shares: https://www.iepf.gov.in/content/iepf/global/master/Home/Home.html

I am happy to share that as of December 2025, facilitation camps have been organised in 477 districts across rural and urban India. The emphasis has been to cover remote areas.

Through the coordinated efforts of all stakeholders notably the Government, regulatory bodies, banks and other financial institutions, nearly Rs. 2,000 crore has already been returned to the rightful owners.

But we want to scale up this movement in the coming days. And, for that to happen, I request you for assistance on the following:

Check whether you or your family have unclaimed deposits, insurance proceeds, dividends or investments.

Visit the portals I have mentioned above.

Make use of facilitation camps in your district.

Act now to claim what is yours and convert a forgotten financial asset into a new opportunity. Your money is yours. Let us make sure that it finds its way back to you.

Together, let us build a transparent, financially empowered and inclusive India!