NCC provides a platform to strengthen the spirit of discipline, determination and devotion towards the nation: PM Modi
India has decided that it will confront the challenges ahead and deal with them: PM Modi
A young India will play key role in fourth industrial revolution: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં આજે નેશનલ કેડેટ કોર્પ્સ રેલીમાં જોડાયા હતા.

રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું તથા અન્ય મૈત્રીપૂર્ણ અને પાડોશી દેશોના કેડેટ્સ સહિત એનસીસીની વિવિધ ટુકડીઓ દ્વારા કરેલી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે એનસીસી કેડેટ્સે પ્રધાનમંત્રી સમક્ષ સાહસપૂર્ણ રમતો, સંગીત અને કલાકૃતિ જેવા ક્ષેત્રોમાં તેમની ક્ષમતા પ્રદર્શિત કરી હતી. પ્રધાનમંત્રીએ પ્રશંસનીય એનસીસી કેડેટ્સને પુરસ્કારોનું વિતરણ કર્યું હતું.

આ સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશ પ્રત્યે યુવાનોને શિસ્ત, નિશ્ચય અને સમર્પણની ભાવનાને મજબૂત કરવા માટે એનસીસી એક સારું મંચ પૂરો પાડે છે. તેમણે કહ્યું કે આવા મૂલ્યો દેશના વિકાસમાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ ભારતને વિશ્વના એક યુવા દેશ તરીકે ગણાવ્યો હતો કારણ કે વસ્તીના 65 ટકા લોકો 35 વર્ષથી ઓછી વયની છે. તેમણે કહ્યું કે ”આપણને આ હકીકત પર ગર્વ છે, પરંતુ યુવાનની જેમ વિચારવાની જવાબદારી પણ આપણી હોવી જોઈએ.” પ્રધાનમંત્રીએ કહ્યું કે આનો અર્થ એ થશે કે ત્યાં એવી કોઇ સમસ્યા નહીં હોય અને દરેક સમસ્યાનો વાજબી ઉકેલ લાવી શકાશે. “આ એક યુવાન મનની ઇચ્છા છે અને આ જ એક યુવા ભારત છે”

તેમણે કહ્યું કે, “આપણે ભૂતકાળના પડકારોનો સામનો કરતા સમયે અને વર્તમાનની જરૂરીયાતોની કાળજી લેતી વખતે, આપણે આપણી ભવિષ્યની આકાંક્ષાઓ તરફ આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ભારત આજે યુવા ઉત્સાહ અને મનથી આગળ વધી રહ્યું છે. “આજે ભારત એક યુવા વિચારસરણી ધરાવે છે અને તેને જ કારણે આજે તે સર્જિકલ સ્ટ્રાઈક, હવાઈ હુમલા અને આતંકવાદીઓની શિબિરો પર સીધો હુમલો કરે છે”. તેમણે કહ્યું કે યુવા માનસ દરેકને સાથે રાખીને અને કોઈ પણ પાછળ ન રહી જાય તેવી રીતે પ્રગતિ કરવા માગે છે. “આ ભાવનાથી જ અમે બોડો કરાર પર હસ્તાક્ષર કર્યા, જ્યાં તમામ હિતધારકોની સલાહ લેવામાં આવી અને કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.”

પૂર્વોત્તરના વિકાસના પ્રયાસો અંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસની સાથે, બધા હિતધારકો સાથેની વાટાઘાટો ખૂબ ખુલ્લા મન અને ખુલ્લા હૃદયથી શરૂ કરવામાં આવી હતી. બોડો કરાર આજે તેનું પરિણામ છે. આ યુવા ભારતની વિચારધારા છે. આપણે બધાને સાથે લઈને, સૌનો વિકાસ કરી, સૌનો વિશ્વાસ મેળવીને દેશને આગળ લઈ જઈ રહ્યા છીએ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x

Media Coverage

India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રી 27મી ઓગસ્ટે ખેલો ઈન્ડિયા ડાયલોગમાં યુવાનોને સંબોધિત કરશે
August 26, 2026
ખેલો ઈન્ડિયા ડાયલોગ રમતગમત, યુવા નેતૃત્વ, નાગરિક જવાબદારી, સ્વયંસેવા, ફિટનેસ અને રાષ્ટ્ર નિર્માણને એક સામાન્ય મંચ પર લાવશે
ખેલો ઈન્ડિયા ડાયલોગ અંતર્ગત યુવા સંવાદ પાંચ મુખ્ય થીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે: રમતગમત, ઓલિમ્પિક આકાંક્ષાઓ, યુવા નેતૃત્વ, વિકસિત ભારત અને નશા મુક્ત યુવા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલો ઈન્ડિયા ડાયલોગને સંબોધિત કરશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય યુવાનોને ભારતની રમતગમતની યાત્રા સાથે જોડાવા, તેમની આકાંક્ષાઓ શેર કરવા અને મજબૂત યુવા સંચાલિત વિકસિત ભારત માટે વિચારોનું યોગદાન આપવામાં મદદ કરવાનો છે.

રાષ્ટ્રીય રમતગમત દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે મેરા યુવા ભારત (MY Bharat) દ્વારા આયોજિત આ કાર્યક્રમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરેક જિલ્લાની બે કોલેજોમાં યુવાનોની ભાગીદારી સાથે દેશભરમાં યોજાશે. રાષ્ટ્રીય વિકાસ એજન્ડાના કેન્દ્રમાં યુવાનોની આકાંક્ષાઓને રાખીને ફિટ, શિસ્તબદ્ધ અને રમતગમત ધરાવતા રાષ્ટ્રના નિર્માણના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

દેશવ્યાપી ખેલો ઈન્ડિયા ડાયલોગ રમતગમત, યુવા નેતૃત્વ, નાગરિક જવાબદારી, સ્વયંસેવા, ફિટનેસ અને રાષ્ટ્ર નિર્માણને એક સામાન્ય મંચ પર લાવશે. તે યુવાનોને દેશની રમતગમતની આકાંક્ષાઓ સાથે સીધા જોડાવા માટે એક માધ્યમ પૂરું પાડશે, જ્યારે તેમના વિચારો અને દ્રષ્ટિકોણ ભારતની યુવા અને રમતગમત ઈકોસિસ્ટમ પર સતત ચાલતી ચર્ચાનો ભાગ બને તે સુનિશ્ચિત કરશે.

રાષ્ટ્રીય કાર્યક્રમ બાદ યુવા પ્રતિભાગીઓ, માય ભારત સ્વયંસેવકો, સ્થાનિક ખેલાડીઓ અને જનપ્રતિનિધિઓને આવરી લેતી સ્થાનિક ક્રિયાપ્રતિક્રિયાઓ થશે. આ પહેલની એક મુખ્ય વિશેષતા રમતગમતમાં રસ ધરાવતા યુવાનો અને ભારતના અગ્રણી ખેલાડીઓ તથા મેડલ વિજેતાઓ વચ્ચે સીધો સંવાદ હશે. કાર્યક્રમની એક મધ્યસ્થ વિશેષતા યુવા સંવાદ હશે જ્યાં યુવા પ્રતિભાગીઓને તેમના પોતાના વિચારો, દ્રષ્ટિકોણ અને આકાંક્ષાઓ વ્યક્ત કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. આ સંવાદ પાંચ થીમની આસપાસ રચાયેલ હશે:

  • વધુ સારી સુવિધાઓ, કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ અને સમાવેશી ભાગીદારી દ્વારા ભારતની રમતગમત ઈકોસિસ્ટમમાં સુધારો કરવો;
  • વૈજ્ઞાનિક ક્ષમતા ઓળખ, પારદર્શક પસંદગી અને લાંબા ગાળાના એથલીટ વિકાસ દ્વારા 2036 ઓલિમ્પિક માટે પ્રતિભાને પોષવી;
  • ગવર્નન્સ પ્લેટફોર્મ્સ અને માય ભારતની આગેવાની હેઠળની સ્વયંસેવા દ્વારા યુવા નેતાઓ તૈયાર કરવા;
  • નાગરિક માનસિકતા, ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો અને સંરચિત સ્વયંસેવાના નિર્માણ દ્વારા વિકસિત ભારત માટે યુવાનોને સશક્ત બનાવવું;
  • નશા મુક્ત યુવા ચળવળને પ્રોત્સાહન આપવું જે નશાખોરી સામે લડવા માટે રમતગમત અને સમવયસ્ક નેટવર્કનો ઉપયોગ કરે છે, જેને 2 ઓગસ્ટ 2026ના રોજ શરૂ કરાયેલા પ્રધાનમંત્રીના 100-અઠવાડિયાના દેશવ્યાપી અભિયાન હેઠળ સાપ્તાહિક જન ભાગીદારી પ્રવૃત્તિઓ દ્વારા બળ મળે છે.