પ્રધાનમંત્રી “Sikkim@50: Where Progress meets purpose and nature nurtures growth” કાર્યક્રમમાં ભાગ લેશે
પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં અલીપુરદ્વાર અને કૂચ બિહાર જિલ્લામાં સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી બિહારના કરકટમાં રૂ. 48,520 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે
પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના કાનપુર નગર ખાતે લગભગ રૂ. 20,900 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 અને 30 મેના રોજ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે.

29 મેના રોજ, પ્રધાનમંત્રી સિક્કિમની મુલાકાત લેશે જ્યાં તેઓ સવારે 11 કલાકે “Sikkim@50: Where Progress meets purpose and nature nurtures growth” કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ સિક્કિમમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે અને આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.

ત્યારબાદ, પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે જ્યાં તેઓ બપોરે 2.15 વાગ્યે અલીપુરદુઆર અને કૂચબિહાર જિલ્લામાં સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

વધુમાં, પ્રધાનમંત્રી બિહારની મુલાકાત લેશે અને સાંજે 5.45 વાગ્યે પટના એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.

30 મેના રોજ, સવારે 11 કલાકે, તેઓ બિહારના કરકટમાં 48,520 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

ત્યારબાદ, પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે જ્યાં તેઓ બપોરે 2:45 વાગ્યે કાનપુર નગર ખાતે લગભગ 20,900 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી સિક્કિમમાં

રાજ્યના 50 ગૌરવશાળી વર્ષોની ઉજવણીમાં, પ્રધાનમંત્રી ‘સિક્કિમ@50: જ્યાં પ્રગતિ હેતુને પૂર્ણ કરે છે અને પ્રકૃતિ વિકાસને પોષણ આપે છે’ કાર્યક્રમમાં ભાગ લેશે. સિક્કિમ સરકારે "સુનૌલો, સમૃદ્ધ અને સમર્થ સિક્કિમ" થીમ હેઠળ એક વર્ષ લાંબી પ્રવૃત્તિઓની શ્રેણીનું આયોજન કર્યું છે, જે સિક્કિમની સાંસ્કૃતિક સમૃદ્ધિ, પરંપરા, કુદરતી વૈભવ અને તેના ઇતિહાસના સારને ઉજવે છે.

પ્રધાનમંત્રી સિક્કિમમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. પ્રોજેક્ટ્સમાં નામચી જિલ્લામાં 750 કરોડ રૂપિયાથી વધુની નવી 500 પથારીવાળી જિલ્લા હોસ્પિટલ, સાંગાચોલિંગ ખાતે પેસેન્જર રોપવે, ગ્યાલશિંગ જિલ્લામાં પેલિંગ, ગંગટોક જિલ્લાના સાંગખોલા ખાતે અટલ અમૃત ઉદ્યાનમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમા વગેરેનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી રાજ્યના 50 વર્ષ પૂર્ણ થવાના સ્મારક સિક્કો, સ્મૃતિચિહ્ન સિક્કો અને સ્ટેમ્પ પણ બહાર પાડશે.

પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં

ભારતમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્કના વિસ્તરણ તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને કૂચ બિહાર જિલ્લામાં CGD પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. રૂ. 1010 કરોડથી વધુના આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 2.5 લાખથી વધુ ઘરો, 100 થી વધુ વ્યાપારી સંસ્થાઓ અને ઉદ્યોગોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પૂરો પાડવાનો છે, ઉપરાંત સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ કાર્ય કાર્યક્રમ (MWP) લક્ષ્યોને અનુરૂપ લગભગ 19 CNG સ્ટેશનો સ્થાપિત કરીને વાહનોના ટ્રાફિકને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) પૂરો પાડવાનો છે. તે અનુકૂળ, વિશ્વસનીય, પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ-અસરકારક ઇંધણ પુરવઠો પૂરો પાડશે અને પ્રદેશમાં રોજગારીની તકોનું સર્જન કરશે.

બિહારમાં પ્રધાનમંત્રી

29 મેના રોજ, પ્રધાનમંત્રી પટના એરપોર્ટના નવનિર્મિત પેસેન્જર ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. 1200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ નવું ટર્મિનલ દર વર્ષે 1 કરોડ મુસાફરોને સેવા આપી શકે છે. તેઓ 1410 કરોડ રૂપિયાથી વધુના બિહતા એરપોર્ટના નવા સિવિલ એન્ક્લેવનો શિલાન્યાસ પણ કરશે. બિહતા એરપોર્ટ પટના નજીક ઝડપથી શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઉભરી રહેલા શહેરની સેવા કરશે, જેમાં IIT પટના અને પ્રસ્તાવિત NIT પટના કેમ્પસનો સમાવેશ થાય છે.

30 મેના રોજ, પ્રધાનમંત્રી કરકટમાં 48,520 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રદેશમાં વીજળીના માળખાને વેગ આપતા, પ્રધાનમંત્રી 29,930 કરોડ રૂપિયાથી વધુના ઔરંગાબાદ જિલ્લામાં નબીનગર સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ, સ્ટેજ-II (3 x 800 મેગાવોટ) માટે શિલાન્યાસ કરશે, જેનો ઉદ્દેશ્ય બિહાર અને પૂર્વ ભારત માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો રહેશે. તે ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, રોજગારીની તકો ઉભી કરશે અને પ્રદેશમાં સસ્તી વીજળી પૂરી પાડશે.

આ પ્રદેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રી વિવિધ રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. જેમાં NH-119Aના પટના-અરાહ-સાસારામ સેક્શનનો ફોર-લેનિંગ અને વારાણસી-રાંચી-કોલકાતા હાઇવે (NH-319B) અને રામનગર-કચ્છી દરગાહ સ્ટ્રેચ (NH-119D) નો સિક્સ-લેનિંગ, અને બક્સર અને ભરૌલી વચ્ચે નવા ગંગા પુલનું નિર્માણ સામેલ છે. આ પ્રોજેક્ટ્સ રાજ્યમાં સીમલેસ હાઇ-સ્પીડ કોરિડોર બનાવશે અને વેપાર અને પ્રાદેશિક કનેક્ટિવિટીને વેગ આપશે. તેઓ NH-22 ના પટના-ગયા-ડોભી સેક્શનના ફોર લેનિંગ, લગભગ રૂ. 5,520 કરોડના એલિવેટેડ હાઇવેના ફોર લેનિંગ અને NH-27 પર ગોપાલગંજ ટાઉન ખાતે ગ્રેડ સુધારણા, વગેરેનું ઉદ્ઘાટન પણ કરશે.

દેશભરમાં રેલ માળખાગત સુવિધામાં સુધારો કરવાની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રી સોન નગર - મોહમ્મદ ગંજ વચ્ચે રૂ. 1330 કરોડથી વધુની કિંમતની ત્રીજી રેલ લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશમાં

પ્રધાનમંત્રી પ્રદેશના માળખાગત સુવિધા અને જોડાણને વધારવાના હેતુથી અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ રૂ. 2,120 કરોડથી વધુના કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના ચુન્નીગંજ મેટ્રો સ્ટેશનથી કાનપુર સેન્ટ્રલ મેટ્રો સ્ટેશન સેક્શનનું ઉદ્ઘાટન કરશે. તેમાં પાંચ નવા ભૂગર્ભ સ્ટેશનો સાથે 14 આયોજિત સ્ટેશનોનો સમાવેશ થશે. જે શહેરના મુખ્ય સ્થળો અને વાણિજ્યિક કેન્દ્રોને મેટ્રો નેટવર્કમાં સાંકળશે. વધુમાં, તેઓ જી.ટી. રોડને  પહોળા કરવા અને મજબૂતીકરણના કાર્યનું પણ ઉદ્ઘાટન કરશે.

પ્રદેશમાં વીજ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે, અનેક પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. પ્રધાનમંત્રી પ્રદેશની વધતી જતી ઉર્જા માંગને પહોંચી વળવા માટે ગૌતમ બુદ્ધ નગરના યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (YEIDA) ખાતે સેક્ટર 28માં 220 kV સબસ્ટેશનનો શિલાન્યાસ કરશે. તેઓ ગ્રેટર નોઇડામાં ઇકોટેક-8 અને ઇકોટેક-10 ખાતે 320 કરોડ રૂપિયાથી વધુના 132 kV સબસ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે.

પ્રધાનમંત્રી કાનપુરમાં 8,300 કરોડ રૂપિયાથી વધુના 660 મેગાવોટના પંકી થર્મલ પાવર એક્સટેન્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જે ઉત્તર પ્રદેશની ઉર્જા ક્ષમતામાં વધારો કરશે. તેઓ 9,330 કરોડ રૂપિયાથી વધુના ઘાટમપુર થર્મલ પાવર પ્રોજેક્ટના ત્રણ 660 મેગાવોટ યુનિટનું ઉદ્ઘાટન પણ કરશે. જે વીજળી પુરવઠાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે.

પ્રધાનમંત્રી કાનપુરમાં કલ્યાણપુર પંકી મંદિર ખાતે પંકી પાવર હાઉસ રેલ્વે ક્રોસિંગ પર રેલ ઓવર બ્રિજ અને પંકી રોડ પર પંકી ધામ ક્રોસિંગનું ઉદ્ઘાટન પણ કરશે. તે કોલસા અને તેલ પરિવહનને સરળ બનાવીને પંકી થર્મલ પાવર એક્સટેન્શન પ્રોજેક્ટના લોજિસ્ટિક્સને ટેકો આપશે અને સ્થાનિક વસ્તી માટે ટ્રાફિક ભીડ પણ ઘટાડશે.

પ્રધાનમંત્રી કાનપુરમાં બિંગવાન ખાતે 290 કરોડ રૂપિયાથી વધુના 40 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ) તૃતીય શુદ્ધિકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. તે ટ્રીટેડ ગટરના પાણીનો ફરીથી ઉપયોગ કરી શકશે, પ્રદેશમાં પાણી સંરક્ષણ અને ટકાઉ સંસાધન વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપશે.

પ્રદેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રી કાનપુર નગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે ગૌરિયા પાલી માર્ગને પહોળો અને મજબૂત બનાવવાનો શિલાન્યાસ કરશે અને કાનપુર નગર જિલ્લામાં ડિફેન્સ કોરિડોર હેઠળ પ્રયાગરાજ હાઇવે પર નરવાલ મોડ (AH-1) ને કાનપુર ડિફેન્સ નોડ (4 લેન) સાથે જોડવા માટે રસ્તાને પહોળો અને મજબૂત બનાવવાનો શિલાન્યાસ કરશે, જે ડિફેન્સ કોરિડોર માટે કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે, લોજિસ્ટિક્સ અને સુલભતામાં વધારો કરશે.

પ્રધાનમંત્રી પીએમ આયુષ્માન વય વંદના યોજના, રાષ્ટ્રીય આજીવિકા મિશન અને પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને ચેકનું વિતરણ પણ કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Project Cheetah: How A Species Declared Extinct During Nehru Era Returned To India Under Modi Govt

Media Coverage

Project Cheetah: How A Species Declared Extinct During Nehru Era Returned To India Under Modi Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister inaugurates Namo Hospital at Daman
June 05, 2026

Prime Minister Shri Narendra Modi today inaugurated the Namo Hospital at Daman. He stated that this is in line with the ongoing efforts towards providing quality health treatment to the people, noting that the hospital features modern facilities and will go a long way in addressing the healthcare needs of the Union Territory and surrounding areas.

The Prime Minister posted on X:

"In line with our efforts towards providing quality health treatment to the people, the Namo Hospital at Daman was inaugurated. It has modern facilities and will go a long way in addressing the healthcare needs of the Union Territory and surrounding areas."