પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેનેડાના કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન જર્મનીના ચાન્સેલર મહામહિમ શ્રી ફ્રેડરિક મેર્ઝ સાથે મુલાકાત કરી હતી. મે 2025માં ચાન્સેલર મેર્ઝે પદભાર સંભાળ્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ ચૂંટણીમાં જીત અને પદભાર સંભાળવા બદલ ચાન્સેલરને અભિનંદન આપ્યા હતા. તેમણે ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટના પર જર્મન સરકારે વ્યક્ત કરેલા શોક માટે ઊંડી લાગણી પણ વ્યક્ત કરી હતી.

નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં સતત ગતિ પર ખુશી વ્યક્ત કરી અને વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ગ્રીન અને કાયમી વિકાસ ભાગીદારી, ગ્રીન એનર્જી, ટેકનોલોજી, નવીનતા, શિક્ષણ અને ગતિશીલતા જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. બંને પક્ષો ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષના સીમાચિહ્નરૂપ નજીક આવતાં વધુ ગાઢ અને વૈવિધ્યસભર બનાવવા સંમત થયા હતા.
બંને નેતાઓ એ વાતે સંમત થયા કે આતંકવાદ વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે એક મોટો ખતરો છે. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ ચાન્સેલર મેર્ઝનો આતંકવાદ સામેની લડાઈમાં ભારતની કાર્યવાહી પ્રત્યે જર્મનીની એકતા અને સમર્થનની મજબૂત અભિવ્યક્તિ બદલ આભાર માન્યો હતો.
નેતાઓએ મહત્વપૂર્ણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પરસ્પર અનુકૂળ સમયે ચાન્સેલર મેર્ઝનું ભારતમાં સ્વાગત કરવા આતુર છે.
Delighted to hold talks with Chancellor Friedrich Merz on the sidelines of the G7 Summit in Canada. India and Germany are close friends, connected by shared values. This year we mark 25 years of our Strategic Partnership. We discussed how to work even more closely in areas like… pic.twitter.com/9vEiYCqyXW
— Narendra Modi (@narendramodi) June 17, 2025
Ich freue mich, am Rande des G7-Gipfels in Kanada Gespräche mit Bundeskanzler Friedrich Merz zu führen. Indien und Deutschland sind enge Freunde, die durch gemeinsame Werte verbunden sind. In diesem Jahr feiern wir das 25-jährige Bestehen unserer strategischen Partnerschaft. Wir… pic.twitter.com/yMlTCAKNob
— Narendra Modi (@narendramodi) June 17, 2025


