પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવા સાયન્સ સેન્ટર અને પ્લેનેટોરિયમ દ્વારા એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમને પ્રોત્સાહન આપવાના પ્રયાસની પ્રશંસા કરી છે કારણ કે લોકો ટેલિસ્કોપ દ્વારા રાત્રિના આકાશનું અવલોકન કરવાનો અવિસ્મરણીય અનુભવ મેળવવા માટે મીરામાર બીચ પર ઉમટી પડે છે.
નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ દ્વારા કરાયેલી એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આવા પ્રયત્નોને ગતિ મળે તે જોઈને આનંદ થાય છે. મેં થોડા વર્ષો પહેલા મન કી બાત એપિસોડ દરમિયાન ખગોળશાસ્ત્રમાં ભારતના સમૃદ્ધ વારસા વિશે પણ વાત કરી હતી."
Happy to see such efforts pick pace. I had also spoken about India’s rich heritage in astronomy during a #MannKiBaat episode a few years ago. https://t.co/42WY352s3I https://t.co/we95PEEWz5
— Narendra Modi (@narendramodi) March 29, 2023


