જ્યારે પણ હું મોરેશિયસ આવું છું, ત્યારે એવું લાગે છે કે હું મારાની વચ્ચે છું: પીએમ
મોરેશિયસની જનતા અને સરકારે મને તેમનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાનો નિર્ણય કર્યો છે અને હું નમ્રતાપૂર્વક આ નિર્ણયને ખૂબ જ આદર સાથે સ્વીકારું છું: પ્રધાનમંત્રી
આ મારા માટે માત્ર સન્માનની વાત નથી, તે ભારત અને મોરેશિયસ વચ્ચેના ઐતિહાસિક બંધન માટે સન્માનની વાત છે: પીએમ
મોરેશિયસ 'મિની ઇન્ડિયા' જેવું છે: પ્રધાનમંત્રી
અમારી સરકારે નાલંદા યુનિવર્સિટી અને તેની ભાવનાને પુનર્જીવિત કરી છે: પીએમ
બિહારનાં મખાના ટૂંક સમયમાં જ વિશ્વભરમાં નાસ્તાના મેનુનો ભાગ બનશે: પીએમ
મોરેશિયસમાં ભારતીય ડાયસ્પોરાની સાતમી પેઢી સુધી ઓસીઆઈ કાર્ડને વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે: પીએમ
મોરેશિયસ માત્ર એક ભાગીદાર દેશ નથી, અમારા માટે મોરેશિયસ પરિવાર છે: પ્રધાનમંત્રી
મોરેશિયસ ભારતના સાગર વિઝનના કેન્દ્રમાં છે: પ્રધાનમંત્રી
જ્યારે મોરેશિયસ સમૃદ્ધ થાય છે, ત્યારે ભારત સૌથી પહેલા ઉજવણી કરે છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ સાથે આજે મોરેશિયસમાં ટ્રાયનોન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારતના ભારતીય સમુદાય અને મિત્રોના એક મેળાવડાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને વ્યાવસાયિક અગ્રણીઓ સહિત ભારતીય સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં મોરેશિયસના કેટલાક મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરતા પ્રધાનમંત્રી રામગુલામે જાહેરાત કરી હતી કે, મોરેશિયસ રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન ભારતના પ્રધાનમંત્રીને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિન્દ મહાસાગર [જી.સી.એસ.કે.)' એનાયત કરશે. પ્રધાનમંત્રીએ આ અસાધારણ સન્માન માટે તેમનો આભાર માન્યો હતો.

 

પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ મોરેશિયસનાં પ્રધાનમંત્રીનો ઉષ્મા અને મૈત્રી માટે તથા બંને દેશો વચ્ચે વાઇબ્રન્ટ અને વિશેષ સંબંધોને મજબૂત કરવામાં તેમનાં યોગદાન બદલ આભાર માન્યો હતો. એક ખાસ અંદાજમાં તેમણે પીએમ રામગુલમ અને તેમની પત્ની શ્રીમતી વીણા રામગુલમને ઓસીઆઈ કાર્ડ સોંપ્યા હતા. મોરિશિયસના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસના અવસર પર શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ બંને દેશોની સહિયારી ઐતિહાસિક સફરને યાદ કરી હતી. તેમણે મોરેશિયસની સ્વતંત્રતા માટે લડનારા સર શિવસાગર રામગુલામ, સર અનિરુદ્ધ જગન્નાથ, મણિલાલ ડૉક્ટર અને અન્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને નોંધ્યું હતું કે, મુખ્ય અતિથિ તરીકે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવો તેમના માટે સન્માનની વાત છે. બંને દેશો વચ્ચે લોકો વચ્ચેનાં ગાઢ સંબંધોનો પાયો નંખાતાં સહિયારા વારસા અને પારિવારિક સંબંધો પર પ્રકાશ પાડતાં પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં ભારતીય મૂળના સમુદાયે કેવી રીતે તેમનાં સાંસ્કૃતિક મૂળિયાને જાળવી રાખ્યાં છે અને તેનું સંવર્ધન કર્યું છે તેની પ્રશંસા કરી હતી. આ જોડાણને વધારે મજબૂત કરવા માટે મોરેશિયસ માટે એક ખાસ યોજના બનાવવામાં આવી છે, જેનાં મારફતે મોરેશિયસમાં ભારતીય મૂળનાં લોકોની સાતમી પેઢીને ઓસીઆઇ કાર્ડ ઉપલબ્ધ કરાવી શકાશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ગિરમીટિયાનાં વારસાને પ્રોત્સાહન આપવા માટે કેટલીક પહેલોને ટેકો આપશે.

 

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતને મોરેશિયસનાં ગાઢ વિકાસલક્ષી ભાગીદાર બનવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને મોરેશિયસ વચ્ચે વિશેષ સંબંધોએ ભારતનાં સાગર વિઝન અને ગ્લોબલ સાઉથ સાથે તેનાં જોડાણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જળવાયુ પરિવર્તનના સહિયારા પડકારને પહોંચી વળવા વિશે બોલતાં તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને વૈશ્વિક જૈવઇંધણ ગઠબંધનની પહેલોમાં મોરેશિયસની ભાગીદારીની પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ એક પેડ મા કે નામ (પ્લાન્ટ4મધર) પહેલ વિશે પણ પ્રકાશ પાડ્યો હતો, જે અંતર્ગત તેમણે દિવસની શરૂઆતમાં ઐતિહાસિક સર શિવસાગર રામગુલામ બોટનિક ગાર્ડનમાં એક છોડનું વાવેતર કર્યું હતું. પ્રધાનમંત્રીનું સંપૂર્ણ સંબોધન અહીં જોવા મળી શકે છે.

 

આ કાર્યક્રમમાં ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર ઇન્ડિયન કલ્ચર (આઇજીસીઆઇસી), મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ (એમજીઆઇ) અને અન્ના મેડિકલ કોલેજના કલાકારો દ્વારા પર્ફોમન્સ આપવામાં આવ્યું હતું.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India among Asia's fastest-growing green economies with $110 billion revenue in 2025: LSEG

Media Coverage

India among Asia's fastest-growing green economies with $110 billion revenue in 2025: LSEG
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Abelardo de la Espriella on his victory in the Colombian presidential elections
June 26, 2026

Prime Minister Shri Narendra Modi congratulated Abelardo de la Espriella on his victory in the Colombian presidential elections.

The Prime Minister noted that India deeply values its close friendship with Colombia which continues to grow in all areas. “I convey my best wishes for a successful tenure and look forward to working together to further deepen our bilateral relations in the years ahead”, Shri Modi added.

Shri Modi posted on X;

Heartiest congratulations, Abelardo de la Espriella, on your victory in the Colombian presidential elections.

India values its close friendship with Colombia which continues to grow in all areas. I convey my best wishes for a successful tenure and look forward to working together to further deepen our bilateral relations in the years ahead.

@ABDELAESPRIELLA