PM to launch special digital exhibition marking 100 years of Champaran Satyagraha

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહાત્મા ગાંધીએ ચંપારણમાં કરેલ સત્યાગ્રહના પ્રથમ પ્રયોગના 100 વર્ષની ઉજવણી કરવા રાષ્ટ્રીય રાજધાનીમાં ‘સ્વચ્છાગ્રહ - બાપૂ કો કાર્યાંજલિ – એક અભિયાન, એક પ્રદર્શની’ પ્રદર્શનનું ઉદ્ગાટન કરશે. તેઓ આ પ્રસંગે ‘ઓનલાઇન ઇન્ટરેક્ટિવ ક્વિઝ’ પણ લોન્ચ કરશે, જેનું આયોજન નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે.

આ ઇવેન્ટ વિશે એક પછી એક ટ્વીટ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચંપારણ સત્યાગ્રહ ઐતિહાસિક જન આંદોલન હતો, જેની અભૂતપૂર્વ અસર થઈ હતી તથા તેમણે દેશવાસીઓને સ્વચ્છાગ્રહી બનવા અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આવતીકાલે હું અતિ વિશેષ કાર્યક્રમમાં સામેલ થઈશ - ‘સ્વચ્છાગ્રહ - બાપૂ કો કાર્યાંજલિ – એક અભિયાન, એક પ્રદર્શની.’, જે ઐતિહાસિક ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાશે.

આ પ્રદર્શનમાં ચંપારણ સત્યાગ્રહ સાથે સંબંધિત બાબતોનું પ્રદર્શન થશે અને તે સ્વચ્છાગ્રહ સાથે સત્યાગ્રહના મૂળભૂત સિદ્ધાંતોને જોડશે. આ પ્રદર્શન સ્વચ્છ ભારત તરફ જન આંદોલન ઊભું કરવા સ્વચ્છ ભારત અભિયાન દ્વારા આવરી લેવાયેલી બાબતોને પણ પ્રદર્શિત કરશે.

એક સદી અગાઉ ભારતીયો સત્યાગ્રહી બન્યા હતા અને સંસ્થાનવાદ સામે લડ્યા હતા. અત્યારે ચાલો આપણે સ્વચ્છાગ્રહી બનીએ અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરીએ. ચંપારણ સત્યાગ્રહ બાપૂના નેતૃત્વમાં થયેલું ઐતિહાસિક જન આંદોલન હતું. તેની અસર અભૂતપૂર્વ હતી.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Led by iPhones, ‘Made in India’ smartphone exports grow 28% y-o-y in CY25: Counterpoint

Media Coverage

Led by iPhones, ‘Made in India’ smartphone exports grow 28% y-o-y in CY25: Counterpoint
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 એપ્રિલ 2026
April 24, 2026

Made in India, Built for 2047: PM Modi’s Reforms Turning Rural Hope into National Strength