સમિટની થીમ છે R.A.I.S.E - જવાબદાર, ઝડપી, નવીન, ટકાઉ અને સમાન વ્યવસાયો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટ, 2023ના રોજ બપોરે 12 વાગ્યે નવી દિલ્હીમાં B20 સમિટ ઈન્ડિયા 2023ને સંબોધન કરશે.

B20 સમિટ ઈન્ડિયા સમગ્ર વિશ્વમાંથી નીતિ નિર્માતાઓ, બિઝનેસ લીડર્સ અને નિષ્ણાતોને B20 ઈન્ડિયા કમ્યુનિક પર વિચાર-વિમર્શ અને ચર્ચા કરવા લાવે છે. B20 ઈન્ડિયા કમ્યુનિકમાં G20ને સબમિટ કરવા માટે 54 ભલામણો અને 172 નીતિ ક્રિયાઓનો સમાવેશ થાય છે.

ધ બિઝનેસ 20 (B20) એ વૈશ્વિક વેપાર સમુદાય સાથેનું અધિકૃત G20 સંવાદ મંચ છે. 2010માં સ્થપાયેલ, B20 એ G20માં સૌથી અગ્રણી જોડાણ જૂથોમાંનું એક છે, જેમાં કંપનીઓ અને વ્યવસાયિક સંસ્થાઓ સહભાગી છે. B20 આર્થિક વૃદ્ધિ અને વિકાસને વેગ આપવા માટે નક્કર કાર્યવાહી યોગ્ય નીતિ ભલામણો પહોંચાડવાનું કામ કરે છે.

25 થી 27 ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસીય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. તેની થીમ R.A.I.S.E - જવાબદાર, ઝડપી, નવીન, ટકાઉ અને સમાન વ્યવસાયો છે. તેમાં લગભગ 55 દેશોના 1,500 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India remains fastest-growing major economy, domestic investors power market resilience

Media Coverage

India remains fastest-growing major economy, domestic investors power market resilience
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 માર્ચ 2026
March 15, 2026

Empowering Bharat: From Loans to Global Leadership Under PM Modi