પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેક્સાસનાં હ્યુસ્ટનમાં શીખ સમુદાયનાં સભ્યો સાથે વાતચીત કરી હતી. શીખ સમુદાયનાં સભ્યોએ પ્રધાનમંત્રીને ઉષ્માસભર આવકાર આપ્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેક્સાસનાં હ્યુસ્ટનમાં શીખ સમુદાયનાં સભ્યો સાથે વાતચીત કરી હતી. શીખ સમુદાયનાં સભ્યોએ પ્રધાનમંત્રીને ઉષ્માસભર આવકાર આપ્યો હતો.

આ વાતચીત દરમિયાન સમુદાયનાં સભ્યોએ પ્રધાનમંત્રીનો ભારત સરકારે દેશ અને શીખ સમુદાયનાં સંપૂર્ણ વિકાસ માટે લીધેલા પથપ્રદર્શકો નિર્ણયો લેવા બદલ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, “મને હ્યુસ્ટનમાં શીખ સમુદાય સાથે ઉત્કૃષ્ટ આદાનપ્રદાન કરવાની તક મળી હતી. મને ભારતનાં વિકાસ માટે તેમનો ઉત્સાહ જોઈને ખુશી થઈ!”

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ટેક્સાસનાં હ્યુસ્ટનમાં દાઉદી વોહરા સમુદાયનાં સભ્યોને મળ્યાં હતાં અને તેમની સાથે વાતચીત કરી હતી. 

આ સમુદાયનાં સભ્યોએ હ્યુસ્ટનમાં પ્રધાનમંત્રીનું સન્માન કર્યું હતું. વાતચીત દરમિયાન દાઉદી વોહરા સમુદાયનાં સભ્યોએ પ્રધાનમંત્રીનાં સૈયદના સાહિબ સાથે જોડાણ વિશે વાત કરી હતી. તેમણે ગયા વર્ષે તેમનાં સામુદાયિક કાર્યક્રમમાં ઇન્દોરમાં નરેન્દ્ર મોદીની મુલાકાતને પણ યાદ કરી હતી. 

આ વાતચીત પછી ટ્વીટ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દાઉદી વોહરા સમુદાય દુનિયાભરમાં વિશિષ્ટ છે. હ્યુસ્ટનમાં મને તેમની સાથે સમય પસાર કરવાની અને વિવિધ મુદ્દાઓ પર વાત કરવાની તક સાંપડી હતી.”

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ટેક્સાસનાં હ્યુસ્ટનમાં કાશ્મીરી પંડિતોનાં પ્રતિનિધિમંડળોને મળ્યાં હતાં.

આ વાતચીત દરમિયાન સમુદાયનાં સભ્યોએ ભારતની પ્રગતિ અને દરેક ભારતીયને સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રીએ લીધેલા પગલાંને સમર્થન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ વાતચીત પછી ટ્વીટ કર્યું હતું કે, “હ્યુસ્ટનમાં મેં કાશ્મીર પંડિતો સાથે વિશેષ ચર્ચા કરી હતી.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x

Media Coverage

India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રી 27મી ઓગસ્ટે ખેલો ઈન્ડિયા ડાયલોગમાં યુવાનોને સંબોધિત કરશે
August 26, 2026
ખેલો ઈન્ડિયા ડાયલોગ રમતગમત, યુવા નેતૃત્વ, નાગરિક જવાબદારી, સ્વયંસેવા, ફિટનેસ અને રાષ્ટ્ર નિર્માણને એક સામાન્ય મંચ પર લાવશે
ખેલો ઈન્ડિયા ડાયલોગ અંતર્ગત યુવા સંવાદ પાંચ મુખ્ય થીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે: રમતગમત, ઓલિમ્પિક આકાંક્ષાઓ, યુવા નેતૃત્વ, વિકસિત ભારત અને નશા મુક્ત યુવા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલો ઈન્ડિયા ડાયલોગને સંબોધિત કરશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય યુવાનોને ભારતની રમતગમતની યાત્રા સાથે જોડાવા, તેમની આકાંક્ષાઓ શેર કરવા અને મજબૂત યુવા સંચાલિત વિકસિત ભારત માટે વિચારોનું યોગદાન આપવામાં મદદ કરવાનો છે.

રાષ્ટ્રીય રમતગમત દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે મેરા યુવા ભારત (MY Bharat) દ્વારા આયોજિત આ કાર્યક્રમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરેક જિલ્લાની બે કોલેજોમાં યુવાનોની ભાગીદારી સાથે દેશભરમાં યોજાશે. રાષ્ટ્રીય વિકાસ એજન્ડાના કેન્દ્રમાં યુવાનોની આકાંક્ષાઓને રાખીને ફિટ, શિસ્તબદ્ધ અને રમતગમત ધરાવતા રાષ્ટ્રના નિર્માણના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

દેશવ્યાપી ખેલો ઈન્ડિયા ડાયલોગ રમતગમત, યુવા નેતૃત્વ, નાગરિક જવાબદારી, સ્વયંસેવા, ફિટનેસ અને રાષ્ટ્ર નિર્માણને એક સામાન્ય મંચ પર લાવશે. તે યુવાનોને દેશની રમતગમતની આકાંક્ષાઓ સાથે સીધા જોડાવા માટે એક માધ્યમ પૂરું પાડશે, જ્યારે તેમના વિચારો અને દ્રષ્ટિકોણ ભારતની યુવા અને રમતગમત ઈકોસિસ્ટમ પર સતત ચાલતી ચર્ચાનો ભાગ બને તે સુનિશ્ચિત કરશે.

રાષ્ટ્રીય કાર્યક્રમ બાદ યુવા પ્રતિભાગીઓ, માય ભારત સ્વયંસેવકો, સ્થાનિક ખેલાડીઓ અને જનપ્રતિનિધિઓને આવરી લેતી સ્થાનિક ક્રિયાપ્રતિક્રિયાઓ થશે. આ પહેલની એક મુખ્ય વિશેષતા રમતગમતમાં રસ ધરાવતા યુવાનો અને ભારતના અગ્રણી ખેલાડીઓ તથા મેડલ વિજેતાઓ વચ્ચે સીધો સંવાદ હશે. કાર્યક્રમની એક મધ્યસ્થ વિશેષતા યુવા સંવાદ હશે જ્યાં યુવા પ્રતિભાગીઓને તેમના પોતાના વિચારો, દ્રષ્ટિકોણ અને આકાંક્ષાઓ વ્યક્ત કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. આ સંવાદ પાંચ થીમની આસપાસ રચાયેલ હશે:

  • વધુ સારી સુવિધાઓ, કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ અને સમાવેશી ભાગીદારી દ્વારા ભારતની રમતગમત ઈકોસિસ્ટમમાં સુધારો કરવો;
  • વૈજ્ઞાનિક ક્ષમતા ઓળખ, પારદર્શક પસંદગી અને લાંબા ગાળાના એથલીટ વિકાસ દ્વારા 2036 ઓલિમ્પિક માટે પ્રતિભાને પોષવી;
  • ગવર્નન્સ પ્લેટફોર્મ્સ અને માય ભારતની આગેવાની હેઠળની સ્વયંસેવા દ્વારા યુવા નેતાઓ તૈયાર કરવા;
  • નાગરિક માનસિકતા, ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો અને સંરચિત સ્વયંસેવાના નિર્માણ દ્વારા વિકસિત ભારત માટે યુવાનોને સશક્ત બનાવવું;
  • નશા મુક્ત યુવા ચળવળને પ્રોત્સાહન આપવું જે નશાખોરી સામે લડવા માટે રમતગમત અને સમવયસ્ક નેટવર્કનો ઉપયોગ કરે છે, જેને 2 ઓગસ્ટ 2026ના રોજ શરૂ કરાયેલા પ્રધાનમંત્રીના 100-અઠવાડિયાના દેશવ્યાપી અભિયાન હેઠળ સાપ્તાહિક જન ભાગીદારી પ્રવૃત્તિઓ દ્વારા બળ મળે છે.