આજે પ્રધાનમંત્રી સુરતમાં

Published By : Admin | January 30, 2019 | 13:30 IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સુરતની મુલાકાત લીધી હતી. તેમણે સુરત એરપોર્ટનાં ટર્મિનલ ભવનનાં વિસ્તરણનો શિલાન્યાસ કર્યો હતો, જે સુરત અને દક્ષિણ ગુજરાતમાં જોડાણ અને સમૃદ્ધિને વેગ આપશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વેપાર-વાણિજ્યને સરળ કરવા માટે આ દેશની માળખાગત સુવિધાને સુધારવી પડશે અને સુરત એરપોર્ટનું વિસ્તરણ આ દિશામાં એક પ્રયાસ છે.” સુરત એરપોર્ટ ટર્મિનલ ભવનનું વિસ્તરણ રૂ. 345 કરોડ રૂપિયાનાં નિર્માણ ખર્ચે થશે. આ નિર્માણ 25,500 ચોરસ મીટરમાં થશે. આ પર્યાવરણને અનુકૂળ ભવન હશે, જેમાં સૌર ઊર્જા અને એલઇડી લાઇટિંગનો ઉપયોગ થશે. જ્યારે નવા ટર્મિનલનું કામ પૂર્ણ થયું છે, ત્યારે આ ટર્મિનલ હાલનાં 4 લાખને બદલે 26 લાખ પેસેન્જરનું સંચાલન કરવા સક્ષમ હશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ ટૂંક સમયમાં સુરતથી શારજહાંને જોડશે. શરૂઆતમાં દર અઠવાડિયે બે ફ્લાઇટ હશે, જેને પાછળથી અઠવાડિયામાં ચાર કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉડાન યોજના અંતર્ગત એર કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા વધુને વધુ એરપોર્ટને ઉમેરવામાં આવી રહ્યાં છે અને હવે લોકો તેમનાં સંબંધિત સ્થળથી નજીકમાં આ સુવિધા મેળવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે દરેક માટે પ્રવાસને સરળ અને સુલભ બનાવવા ઇચ્છીએ છીએ. ઉડાને ભારતમાં એર કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવામાં ઘણી મદદ કરી છે. ઉડાને ભારતનાં એર મેપમાં 40 એરપોર્ટ ઉમેર્યા છે. સરકાર દેશભરમાં આ પ્રકારનાં વધુ એરપોર્ટ વિકસાવવાની યોજના ધરાવે છે.”

સરકારે હાથ ધરેલા વિકાસલક્ષી કાર્યો વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે, સંપૂર્ણ બહુમતી સાથે સરકાર સાહસિક નિર્ણયો લઈ શકે છે અને દેશનાં વિકાસ માટે સ્વતંત્રપણે કામ કરી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “તમે અમને બહુમતી આપી હોવાથી અમે આકરાં નિર્ણયો લઈ શક્યાં છીએ.” અને એનડીએ સરકાર અગાઉની સરકારોથી વિપરીત મધ્યમ વર્ગ માટે કામ કરી રહી છે.

યુપીએ સરકારની કામગીરીની સરખામણીમાં પોતાની સરકારની કામગીરી કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, “અમારાં શાસનનાં ચાર વર્ષમાં અમે 1.30 કરોડ ઘરનું નિર્માણ કર્યું છે, ત્યારે યુપીએ સરકારે 25 લાખ ઘર બનાવ્યાં હતાં.” તેમણે ઉમેર્યું હતું કે, “અત્યારે આપણે 400થી વધારે પાસપોર્ટ ઓફિસ ધરાવીએ છીએ, જે વર્ષ 2014માં ફક્ત 80 હતી.”

પ્રધાનમંત્રીએ સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં કેટલાક લાભાર્થીઓને મકાનોની ચાવી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દેશનાં ગરીબો અને મધ્યમ વર્ગનાં જીવનને સરળ બનાવવાનાં અભિગમને ધ્યાનમાં રાખીને યુદ્ધનાં ધોરણે કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, “સરકારે ચાર વર્ષમાં શહેરોમાં ગરીબો માટે 13 લાખથી વધારે મકાનોનું નિર્માણ કર્યું છે અને 37 લાખ મકાનોનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.”

સ્વતંત્રતા સંગ્રામમાં સુરતની ભૂમિકાને યાદ કરીને પ્રધાનમંત્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, શહેર એક દાયકામાં વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતાં શહેરોમાંનાં એક શહેર તરીકે બહાર આવશે અને શહેરમાં રોકાણમાં વધારો થશે.

દિવસનાં અંતે પ્રધાનમંત્રીએ સુરતમાં અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી રસીલાબેન સેવંતીલાલ શાહ વિનસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓની ચકાસણી કરી હતી. અહિં જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે આયુષ્માન ભારતે લોકોને વાજબી ખર્ચે આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે વધારે સંખ્યામાં જેનેરિક દવાઓ લોકો માટે ઉપલબ્ધ છે, જેનાથી આરોગ્યનો ખર્ચ ઘટાડશે અને અનેક લોકોનું કિંમતી જીવન બચશે.

દાંડીથી પરત ફર્યા પછી સાંજે સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી ન્યૂ ઇન્ડિયા યૂથ કૉન્ક્લેવને સંબોધિત કરશે, જ્યાં તેમણે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રાહ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. આ સ્મારકમાં મહાત્મા ગાંધી અને 80 સત્યાગ્રહીઓની પ્રતિમાઓ છે, જેમણે ઐતિહાસિક દાંડી કૂચ દરમિયાન કૂચ કરી હતી અને બ્રિટિશન શાસનનાં મીઠા પર કરવેરો લગાવવાનાં નિર્ણયનો વિરોધ કરીને દરિયામાંથી મીઠું ઉપાડીને સત્યાગ્રહ કર્યો હતો. અહીં વર્ષ 1930ની ઐતિહાસિક દાંડીકૂચ સાથે સંબંધિત વિવિધ પ્રસંગો અને વાતોને જણાવતાં 24 તૈલીચિત્રો છે. આ ભારતનાં સ્વંતત્રતા સંગ્રામનાં ઇતિહાસની એક સીમાચિહ્નરૂપ ઘટના છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi inaugurates Micron’s ₹22,516-crore ATMP facility in Gujarat; calls chips ‘Regulator of 21st century’

Media Coverage

PM Modi inaugurates Micron’s ₹22,516-crore ATMP facility in Gujarat; calls chips ‘Regulator of 21st century’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The Prime Minister speaks with the Prime Minister of Israel
March 02, 2026

Prime Minister Shri Narendra Modi held a telephone conversation with the Prime Minister of Israel, Benjamin Netanyahu, to discuss the current regional situation.

​During the call, the Prime Minister conveyed India's concerns regarding recent developments and emphasised the safety of civilians as a priority.

​The Prime Minister Modi further reiterated India's position on the need for an early cessation of hostilities.