શેરડીના ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ સુગર સીઝન 2026-27 (ઓક્ટોબર - સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને લાભદાયી ભાવ (FRP) ને 10.25% ના બેઝિક રિકવરી રેટ માટે ₹365/ક્વિન્ટલ નક્કી કરવાની મંજૂરી આપી છે. આ અંતર્ગત, 10.25% થી વધુ રિકવરીમાં પ્રત્યેક 0.1% ના વધારા માટે ₹3.56/ક્વિન્ટલનું પ્રીમિયમ આપવામાં આવશે અને રિકવરીમાં પ્રત્યેક 0.1% ના ઘટાડા માટે એફઆરપી (FRP) માં ₹3.56/ક્વિન્ટલનો ઘટાડો કરવામાં આવશે.
સરકારે શેરડીના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાના હેતુથી એવો પણ નિર્ણય લીધો છે કે જે સુગર મિલોમાં રિકવરી 9.5% થી ઓછી હોય ત્યાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં. આવા ખેડૂતોને આગામી સુગર સીઝન 2026-27 માં શેરડી માટે ₹338.3/ક્વિન્ટલ મળશે.
સુગર સીઝન 2026-27 માટે શેરડીનો ઉત્પાદન ખર્ચ (A2 + FL) ₹182/ક્વિન્ટલ છે. 10.25% ના રિકવરી રેટ પર ₹365/ક્વિન્ટલની આ એફઆરપી (FRP) ઉત્પાદન ખર્ચ કરતાં 100.5% વધુ છે. સુગર સીઝન 2026-27 માટેની આ એફઆરપી (FRP) વર્તમાન સુગર સીઝન 2025-26 કરતાં 2.81% વધુ છે.
મંજૂર કરાયેલી એફઆરપી (FRP) સુગર મિલો દ્વારા સુગર સીઝન 2026-27 (જે 1 ઓક્ટોબર, 2026 થી શરૂ થશે) માં ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી માટે લાગુ થશે. સુગર ક્ષેત્ર એ એક મહત્વપૂર્ણ કૃષિ-આધારિત ક્ષેત્ર છે જે આશરે 5 કરોડ શેરડીના ખેડૂતો અને તેમના આશ્રિતોની આજીવિકાને અસર કરે છે. આ ઉપરાંત, તે સુગર મિલોમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત આશરે 5 લાખ કામદારો તેમજ ખેત મજૂરી અને પરિવહન સહિતની વિવિધ આનુષંગિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોને પણ અસર કરે છે.

પૃષ્ઠભૂમિ:
કૃષિ ખર્ચ અને કિંમત પંચ (CACP) ની ભલામણોના આધારે અને રાજ્ય સરકારો તેમજ અન્ય હિતધારકો સાથેની પરામર્શ પછી એફઆરપી (FRP) નક્કી કરવામાં આવી છે.
અગાઉની સુગર સીઝન 2024-25 માં, ચૂકવવાપાત્ર ₹1,02,687 કરોડના શેરડીના લેણાંમાંથી આશરે ₹1,02,209 કરોડના લેણાં 20.04.2026 સુધીમાં ખેડૂતોને ચૂકવી દેવામાં આવ્યા છે; આમ, આશરે 99.5% શેરડીના લેણાં ચૂકવી દેવાયા છે. વર્તમાન સુગર સીઝન 2025-26માં, ચૂકવવાપાત્ર ₹1,12,740 કરોડના શેરડીના લેણાંમાંથી આશરે ₹99,961 કરોડના લેણાં 20.04.2026 સુધીમાં ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે; આમ, આશરે 88.6% શેરડીના લેણાં ચૂકવી દેવામાં આવ્યા છે.
देशभर के अपने अन्नदाता भाई-बहनों के कल्याण के लिए हम पूरी तरह से प्रतिबद्ध हैं। इसी कड़ी में आज 2026-27 के सीजन के लिए गन्ने का उचित एवं लाभकारी मूल्य 365 रुपये प्रति क्विंटल निर्धारित करने को मंजूरी दी गई है। इससे जहां करोड़ों गन्ना किसानों को लाभ होगा, वहीं चीनी मिलों और इस…
— Narendra Modi (@narendramodi) May 5, 2026


