આ નિર્ણયથી 5 કરોડ શેરડીના ખેડૂતો તેમજ સુગર મિલો અને સંબંધિત આનુષંગિક પ્રવૃત્તિઓમાં કાર્યરત 5 લાખ કામદારોને ફાયદો થશે

શેરડીના ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ સુગર સીઝન 2026-27 (ઓક્ટોબર - સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને લાભદાયી ભાવ (FRP) ને 10.25% ના બેઝિક રિકવરી રેટ માટે ₹365/ક્વિન્ટલ નક્કી કરવાની મંજૂરી આપી છે. આ અંતર્ગત, 10.25% થી વધુ રિકવરીમાં પ્રત્યેક 0.1% ના વધારા માટે ₹3.56/ક્વિન્ટલનું પ્રીમિયમ આપવામાં આવશે અને રિકવરીમાં પ્રત્યેક 0.1% ના ઘટાડા માટે એફઆરપી (FRP) માં ₹3.56/ક્વિન્ટલનો ઘટાડો કરવામાં આવશે.

સરકારે શેરડીના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાના હેતુથી એવો પણ નિર્ણય લીધો છે કે જે સુગર મિલોમાં રિકવરી 9.5% થી ઓછી હોય ત્યાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં. આવા ખેડૂતોને આગામી સુગર સીઝન 2026-27 માં શેરડી માટે ₹338.3/ક્વિન્ટલ મળશે.

સુગર સીઝન 2026-27 માટે શેરડીનો ઉત્પાદન ખર્ચ (A2 + FL) ₹182/ક્વિન્ટલ છે. 10.25% ના રિકવરી રેટ પર ₹365/ક્વિન્ટલની આ એફઆરપી (FRP) ઉત્પાદન ખર્ચ કરતાં 100.5% વધુ છે. સુગર સીઝન 2026-27 માટેની આ એફઆરપી (FRP) વર્તમાન સુગર સીઝન 2025-26 કરતાં 2.81% વધુ છે.

મંજૂર કરાયેલી એફઆરપી (FRP) સુગર મિલો દ્વારા સુગર સીઝન 2026-27 (જે 1 ઓક્ટોબર, 2026 થી શરૂ થશે) માં ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી માટે લાગુ થશે. સુગર ક્ષેત્ર એ એક મહત્વપૂર્ણ કૃષિ-આધારિત ક્ષેત્ર છે જે આશરે 5 કરોડ શેરડીના ખેડૂતો અને તેમના આશ્રિતોની આજીવિકાને અસર કરે છે. આ ઉપરાંત, તે સુગર મિલોમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત આશરે 5 લાખ કામદારો તેમજ ખેત મજૂરી અને પરિવહન સહિતની વિવિધ આનુષંગિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોને પણ અસર કરે છે.

પૃષ્ઠભૂમિ:

કૃષિ ખર્ચ અને કિંમત પંચ (CACP) ની ભલામણોના આધારે અને રાજ્ય સરકારો તેમજ અન્ય હિતધારકો સાથેની પરામર્શ પછી એફઆરપી (FRP) નક્કી કરવામાં આવી છે.

અગાઉની સુગર સીઝન 2024-25 માં, ચૂકવવાપાત્ર ₹1,02,687 કરોડના શેરડીના લેણાંમાંથી આશરે ₹1,02,209 કરોડના લેણાં 20.04.2026 સુધીમાં ખેડૂતોને ચૂકવી દેવામાં આવ્યા છે; આમ, આશરે 99.5% શેરડીના લેણાં ચૂકવી દેવાયા છે. વર્તમાન સુગર સીઝન 2025-26માં, ચૂકવવાપાત્ર ₹1,12,740 કરોડના શેરડીના લેણાંમાંથી આશરે ₹99,961 કરોડના લેણાં 20.04.2026 સુધીમાં ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે; આમ, આશરે 88.6% શેરડીના લેણાં ચૂકવી દેવામાં આવ્યા છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'There could be no Netflix globally without India': Ted Sarandos on growth, cricket and AI

Media Coverage

'There could be no Netflix globally without India': Ted Sarandos on growth, cricket and AI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi shares Sanskrit Subhashitam recognizing Earth as the nurturing mother of all life
August 06, 2026

The Prime Minister, Shri Narendra Modi today shared Sanskrit Subhashitam emphasising that humanity may live in harmony with the Earth, as earth is the nurturing mother of all life and the moral order that sustains her should be respected.

The Prime Minister shared a Sanskrit verse-

विश्वस्वं मातरमोषधीनां ध्रुवां भूमिं पृथिवीं धर्मणा धृताम्।

शिवां स्योनामनु चरेम विश्वहा॥

The Prime Minister posted on X:

विश्वस्वं मातरमोषधीनां ध्रुवां भूमिं पृथिवीं धर्मणा धृताम्।

शिवां स्योनामनु चरेम विश्वहा॥