The Yoga of Teaching

Published By : Admin | September 1, 2011 | 12:36 IST

૫ સપ્ટેમ્બરને ભારતમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.  ભારતનાં ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નનનાં જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવાની પરંપરા રહી છે. શિક્ષકદિનની ઉજવણી શિક્ષણજગત માટે આત્મમંથનનો અવસર બની રહે છે. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને આ કાંઈક નવું અને અનોખું કરવાનો અવસર છે.

વિદ્યાર્થીકાળમાં મને શિક્ષકદિનની ઉજવણીમાં ઘણો જ આનંદ આવતો. વિદ્યાર્થીઓને એક દિવસ માટે શિક્ષક બનવાની તક આપવામાં આવતી. શિક્ષકની ભુમિકા અદા કરવા માટે હું મારા મિત્રો સાથે અઠવાડિયાઓ સુધી પૂર્વતૈયારીઓ કરતો. અમે શિક્ષકનાં વ્યવહારનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતા. સ્વશિક્ષણનો અવસર આપનારા એ દિવસોને હું આજે પણ યાદ કરું છું. શિક્ષકના વ્યવહારનું નિરીક્ષણ કરવાને લીધે અમને અમારા જીવન ઘડતરની તાલીમ મળી.

મુખ્યમંત્રી બન્યા બાદ મને બે પ્રબળ ઈચ્છાઓ હતી. એક તો એ કે ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં હું મારા બાળપણનાં મિત્રોને મળી શક્યો નહોતો કે તેમની સાથે વાતચીત કરી શક્યો નહોતો. બાળપણનાં મિત્રોને મળ્યે ૩૫ વર્ષનો સમય વીતી ગયો હતો. ત્યારબાદ સગાવ્હાલાઓની મદદથી મેં મિત્રોની શોધ ચલાવી. ૨૫ જેટલા મિત્રોની યાદી તૈયાર થઈ. મેં તેમને ઘેર આમંત્રણ આપ્યું. તેમનો દેખાવ તો ઓળખાય નહિ એટલો બદલાઈ ચૂક્યો હતો. છતાંય એ મુલાકાત મારા માટે ઘણા આનંદની બની રહી. મારા વ્યક્તિગત જીવન માટે પણ એ મુલાકાત મદદરૂપ બની રહી. તેમની સાથેની વાતચીતો દરમ્યાન હું મુખ્યમંત્રી છું એ ખ્યાલ સાવ ઓગળી ગયો. આનંદની આ પળો સંસ્કારયજ્ઞ સમાન બની રહી. બાળપણમાં હતો એવો જ હું કાયમ માટે બની રહું તો કેવી મજા આવે એવો વિચાર મને થઈ આવ્યો. મુખ્યમંત્રીનું પદ મારા માથે સવાર ન થઈ જવું જોઈએ એ બાબત પણ હું શીખી શક્યો.

મુખ્યમંત્રી બન્યા બાદ મારી બીજી પ્રબળ ઈચ્છા હતી કે મારા દરેક શિક્ષકને ઘરે બોલાવું, તેમનાં પ્રત્યે આદરપ્રેમ જતાવું અને મારા જીવનઘડતરમાં તેમનાં પ્રદાન બદલ તેમનો ઋણસ્વીકાર કરું.

૧૭ નવેમ્બર ૨૦૦૫ નાં રોજ મને આ અવસર મળ્યો. મારા પુસ્તક ‘કેળવે તે કેળવણી’ નાં વિમોચન કાર્યક્રમ વખતે મેં મારા દરેક શિક્ષકોને આમંત્રણ આપ્યું. જાહેરમાં તેમનો ચરણસ્પર્શ કરીને આદર વ્યક્ત કર્યો. આ પળોએ મારું હૈયું આનંદથી ભરાઈ આવ્યું.

આ પ્રસંગે મારા ૯૦ વર્ષનાં એક શિક્ષક સહિત ૩૫ શિક્ષકોએ મને અંતરથી આશિષ આપ્યા. દરેક શિક્ષકે એક કે બીજી રીતે મારા જીવનનાં ઘડતરમાં ફાળો આપ્યો હતો. વિદ્યાર્થીકાળની મધુર યાદોને વાગોળવાનો આ પ્રસંગ બની રહ્યો.

 The release of the book “Kelave te Kelavani” on November 27, 2005

આ પુસ્તક ઈ-બુક સ્વરૂપે અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. નીચે આપેલી લિન્ક પરથી તમે આ પુસ્તક વાંચી શકશો.

The Yoga of Education (English), Kelave te Kelavani (Gujarati), Kelave te Kelavani (Tamil)

મને ખાત્રી છે કે ગુજરાતમાં શિક્ષણનાં ક્ષેત્રે કેવા પગલાં લેવાઈ રહ્યા છે તે જાણવું શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો તથા અન્ય સૌ કોઈને ગમશે. વિતેલાં એક દશક દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઘણી નવીન પહેલો કરવામાં આવી અને નવા સિમાચિન્હો સર કરવામાં આવ્યા.

તમામ બાળકો, ખાસ કરીને કન્યાઓ, શાળામાં પ્રવેશ લે એ બાબતને અમે સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું. રાજ્યનાં લોકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ પેદા કરવા રાજ્ય સરકાર દ્વારા જુન ૨૦૦૩-૦૪ થી પ્રત્યેક વર્ષે શાળાપ્રવેશોત્સ્વ અને કન્યા કેળવણી જેવા અભિયાનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળાપ્રવેશોત્સ્વ અભિયાનમાં સમગ્ર વહીવટીતંત્ર જોડાય છે અને રાજ્યનાં પ્રત્યેક તાલુકાની શાળાઓની મુલાકાત લે છે.

પ્રાથમિક શિક્ષણનો પ્રશ્ન શિક્ષણની ગુણવત્તા સાથે પણ સંકળાયેલો છે. શાળાની કામગીરીનું મુલ્યાંકન કરવા માટે અમે 'ગુણોત્સ્વ' કાર્યક્રમનું આયોજન કર્યું છે જે અંતર્ગત શાળાની કામગીરીનું મુલ્યાંકન કરીને તેને ગ્રેડ આપવામાં આવે છે. શાળાઓમાં આંતરમાળમાકિય સુવિધાઓમાં સુધાર આવે અને ઉત્તમ શિક્ષકો મળી રહે તે માટે અમે વિશેષ ધ્યાન રાખ્યું છે. પ્રાથમિક શિક્ષણ ઉપરાંત ગુજરાતે ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. અહીં બ્લોગમાં આ અંગેની વિસ્તૃત માહિતી આપવી તો શક્ય નથી પણ અહીં નીચે હું સરકારનાં વિવિધ પગલાઓ અને તેના પરિણામોની આછી ઝલક આપને આપી રહ્યો છું.

* ૨૦૦૧ માં સાક્ષરતા દર ૬૯.૧૪% હતો જે વધીને ૨૦૧૧માં ૭૯.૩૧% થયો, જે ૧૦.૧૭%નો વધારો સૂચવે છે.

* સ્ત્રીસાક્ષરતા દર જે ૨૦૦૧ માં ૫૭.૮૦% હતો તે આશરે ૧૩% ની વૃધ્ધિ સાથે ૨૦૧૧ માં ૭૦.૭૩% થયો.

ધોરણ ૧ થી ૫ માં સ્કુલ ડ્રોપઆઉટ દર વર્ષ ૨૦૦૦-૦૧ માં ૨૦.૯૩% હતો જે નોંધપાત્ર પ્રમાણમાં ઘટીને ૨૦૧૦માં ૨.૦૯% જેટલો થયો.

  • રાજ્યનાં તમામ વર્ગનાં લોકોને શિક્ષણ મળે તેવી નેમ સાથે પાછલા નવ વર્ષ દરમ્યાન ૧.૨ લાખ જેટલા શિક્ષકગણની ભરતી કરવામાં આવી અને આ અઠવાડિયે હજી બીજા ૧૩,૦૦૦ ની ભરતી કરવામાં આવશે. ધોરણ-૮ ને પ્રાથમિક શિક્ષણમાં સમાવ્યા બાદ ૧૦,૦૦૦ થી વધુ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી.
  • કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સ્વ જેવા કાર્યક્રમોનાં પરિણામસ્વરૂપ પ્રવેશપાત્ર ઉંમર ધરાવતા લગભગ તમામ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો.
  • ૬૪,૦૦૦ જેટલા નવા વર્ગખંડો અને ૪૩,૫૦૦ જેટલા વધારાનાં સ્વચ્છતા-સંકુલોનું નિર્માણ કરવામાં આવ્યું.
  • સ્ત્રીસાક્ષરતા દર અંગેનાં તમામ સૂચકોમાં આદિજાતિ વિસ્તારોમાં નોંધપાત્ર વિકાસ જોવા મળ્યો.
  • પ્રાથમિક દ્રષ્ટિએ એક એવું અનુમાન લગાવી શકાય કે ૨૦૦૧ બાદ જન્મેલા મોટાભાગનાં બાળકો શિક્ષિત છે.
  • વ્યાસાયિક ઈજનેરી કોર્સીસમાં આશરે ૬૫,૦૦૦ જેટલી બેઠકો વધારવામાં આવી.

ગુજરાતમાં યુનિવર્સિટીઓની સંખ્યા ૨૦૦૧ માં ૧૧ હતી જે વધીને ૨૦૧૧ માં ૩૯ થઈ, જેને પરિણામે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણને વેગ મળ્યો. 

  • તાજેતરનાં વર્ષોમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી, ચીલ્ડ્રન્સ યુનિવર્સિટી, ફોરન્સિક સાયન્સ યુનિવર્સિટી, નેશનલ લૉ યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન), પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી સહિતની વિશિષ્ટ યુનિવર્સિટીઓની રચના કરવામાં આવી.

 

વાંચકમિત્રો, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનાં આમંત્રણથી મને આપની નજીક આવવાનો અવસર મળ્યો. હું ટી.ઓ.આઈ. નો આભારી છું. અહીં આપણે અવારનવાર હલકી-ફુલકી વાતો કરીશું. આજે જ્યારે દેશ શિક્ષકદિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આવનારી પેઢી 'ટીચીંગ' ને બદલે 'લર્નીંગ' ની પ્રક્રિયા અપનાવે એની ખાસ જરૂર છે.

ડો. રાધાક્રિષ્નને શિક્ષકદિન અંગે આ પ્રકારે નોંધ કરેલી: Instead of celebrating my birthday separately it would be my proud privilege if SEPTEMBER 5 is celebrated as Techers' Day, honoring the efforts put by teachers across the country.

શિક્ષકદિનનાં અવસરે હું આપને ગણેશ ચતુર્થી, રમઝાન ઈદ અને પર્યુષણ પર્વની શુભેચ્છાઓ પાઠવું છું.

જૈન પરપંરામાં પર્યુષણ પર્વે 'મિચ્છામિ દુક્કડમ' કહેવાની પ્રથા છે. મિચ્છામિ દુક્કડમનો અર્થ છે કે 'મન,વચન અને કર્મથી જાણે કે અજાણે જો મેં આપનું દિલ દુભાવ્યું હોય કે ઠેસ પહોંચાડી હોય તો હું આપની ક્ષમા ચાહું છું'.

આપ સૌને મિચ્છામિ દુક્કડમ.

Friends I keep in touch with you through the internet ― Facebook, Twitter, Blog. You can also interact with me at: Interact

The Original Article at TIMES OF INDIA

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Rs 6,000 Crore Earned, 12.33 Crore Sq Ft Freed: Inside Government's Big Clean-Up

Media Coverage

Rs 6,000 Crore Earned, 12.33 Crore Sq Ft Freed: Inside Government's Big Clean-Up
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.