"આ ભારતની ક્ષણ છે"
"21મી સદીના આ દાયકામાં ભારત સમક્ષ જે સમયગાળો છે, તે અભૂતપૂર્વ છે"
"વર્ષ 2023ના પ્રથમ 75 દિવસની સફળતાઓ ઇન્ડિયા મૉમન્ટનું પ્રતિબિંબ છે"
"વિશ્વ ભારતીય સંસ્કૃતિ અને સૉફ્ટ પાવર માટે અભૂતપૂર્વ આકર્ષણ ધરાવે છે"
"જો દેશને આગળ વધવું હોય, તો તેનામાં હંમેશા ગતિશીલતા હોવી જોઈએ અને સાહસિક નિર્ણયો લેવાની શક્તિ હોવી જોઈએ"
"આજે દેશવાસીઓમાં એવો વિશ્વાસ જાગ્યો છે કે સરકાર તેમની કાળજી લે છે"
"અમે શાસનને માનવીય સ્પર્શ આપ્યો છે"
"ભારત આજે જે કંઈ પણ પ્રાપ્ત કરી રહ્યું છે, તે આપણી લોકશાહીની શક્તિ, આપણી સંસ્થાઓની શક્તિને કારણે છે"
"આપણે 'સબ કા પ્રયાસ'થી ભારતની પળને મજબૂત કરવી જોઈએ અને આઝાદી કા અમૃત મહોત્સવમાં વિકસિત ભારતની યાત્રાને સશક્ત બનાવવી જોઈએ”

ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ અને વિદેશમાંથી જે દર્શકો- વાચકો, ડિજિટલ માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, તે સૌને પણ મારા અભિનંદન. મને આ જોઇને ઘણો આનંદ થયો કે આ કોન્ક્લેવની થીમ - ધ ઇન્ડિયા મોમેન્ટ રાખવામાં આવી છે. આજે દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો, બધા જ એવું કહે છે કે ‘ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ’. પરંતુ જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપ આવો આશાવાદ બતાવે છે, ત્યારે તે કંઇક ખાસ બની જાય છે. આમ તો, મેં 20 મહિના પહેલાં જ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. પરંતુ અહીં સુધી પહોંચવામાં 20 મહિના નીકળી ગયા. ત્યારે પણ લાગણી તો એક જ હતી – આ ભારતની ક્ષણ છે.

મિત્રો,

કોઇપણ દેશની વિકાસયાત્રામાં અનેક ચડાવ-ઉતાર આવતા રહે છે, અનેક પડાવ આવતા હોય છે. આજે 21મી સદીના આ દાયકામાં ભારત સમક્ષ જે ‘ટાઇમ પીરિઅડ’ આવ્યો છે તે અભૂતપૂર્વ છે. આજથી થોડા દાયકાઓ પહેલાં જે દેશો આગળ વધ્યા, ઘણા દેશો આગળ વધ્યા, વિકસિત થયા, પરંતુ તેમની સમક્ષ જે સ્થિતિઓ હતી તે ઘણી અલગ હતી. એક રીતે જોઇએ તો, તેઓ પોતાની સામે જ સ્પર્ધા કરી રહ્યા હતા, તેમની સમક્ષ એટલી બધી હરીફાઇ નહોતી. પરંતુ આજે ભારત જે પરિસ્થિતિઓમાં આગળ વધી રહ્યું છે, તે પડકારો ખૂબ જ અલગ પ્રકારના છે, ખૂબ જ વ્યાપક છે, વિવિધતાઓથી ભરેલા છે. આજે ઘણા બધા વૈશ્વિક પડકારો ઉભા છે, હવે 100 વર્ષના સમયગાળામાં આવતી સૌથી મોટી મહામારીને જ જુઓ, સૌથી મોટી કટોકટી છે, બે દેશો વચ્ચે ઘણા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે, આખી દુનિયાની પુરવઠા શ્રૃંખલા અસ્તવ્યસ્ત થઇ ગઇ છે, આવી સ્થિતિમાં આ પૃષ્ઠભૂમિનો વિચાર કરી જુઓ કે, આ પરિસ્થિતિમાં ધ ઇન્ડિયા મોમેન્ટ વિશે વાત કરવી એ કોઇ સામાન્ય બાબત નથી.

આ એક નવો ઇતિહાસ રચાઇ રહ્યો છે જેના આપણે સૌ સાક્ષી છીએ. આજે આખું વિશ્વ ભારત વિશે વિશ્વાસથી ભરેલું છે. આજે ભારત, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે. આજે ભારત આખા વિશ્વમાં નંબર વન સ્માર્ટફોન ડેટા કન્ઝ્યુમર છે. આજે ભારત, વૈશ્વિક ફિનટેક અપનાવવાના દરમાં નંબર વન પર છે. આજે ભારત, સમગ્ર વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ છે. આજે ભારત, વિશ્વમાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ધરાવે છે.

આવી તો અનેક બાબતોની ચર્ચાઓ થતી રહે છે. પરંતુ ચાલો, જૂની વાતો કોઇને જરૂર પડશે તો, તેઓ તેને ખોદી કાઢશે. પરંતુ હું તો અત્યારની જ વાત કરવા માંગું છુ અને તે પણ 2023ની. 2023ના 75 દિવસ વીતી ગયા છે. આજે મારે માત્ર 75 દિવસની જ વાત કરવી છે. આ 75 દિવસમાં દેશનું ઐતિહાસિક ગ્રીન બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ 75 દિવસમાં કર્ણાટકના શિવમોગા ખાતે એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ 75 દિવસમાં જ મુંબઇમાં મેટ્રો રેલનો આગળનો તબક્કો શરૂ થઇ ગયો છે. આ 75 દિવસમાં વિશ્વનું સૌથી લાંબું રીવર ક્રૂઝ આપણા દેશમાં ચાલવા લાગ્યું છે. બેંગ્લોર મૈસુર એક્સપ્રેસ વે શરૂ થયો છે. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનો એક ભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મુંબઇથી, વિશાખાપટ્ટનમથી વંદે ભારત ટ્રેનો દોડવા લાગી છે. IIT ધારવાડના કાયમી સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતે આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 ટાપુઓનું નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી રાખ્યું છે.

મિત્રો,

આ 75 દિવસના સમયની અંદર, ભારતે પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ કરીને E20 ઇંધણ લોન્ચ કર્યું છે. આ 75 દિવસમાં જ તુમકુરુમાં એશિયાની સૌથી મોટી આધુનિક હેલિકોપ્ટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એર ઇન્ડિયાએ વિશ્વનો સૌથી મોટો ઉડ્ડયન ઓર્ડર આપ્યો છે. આ 75 દિવસમાં જ ભારતે ઇ-સંજીવનીના માધ્યમથી 10 કરોડ ટેલિ-કન્સલ્ટેશનની સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ 75 દિવસમાં જ ભારતે 8 કરોડ નવા પાણીના નળના જોડાણો આપવાની સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ 75 દિવસમાં જ ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડમાં રેલ્વે નેટવર્કના 100 ટકા વિદ્યુતીકરણનું કામ પૂરું કરવામાં આવ્યું છે.

મિત્રો,

આ 75 દિવસ દરમિયાન જ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 12 ચિત્તાઓની નવી બેચ લાવવામાં આવી છે. ભારતની મહિલા ટીમે અંડર-19 ક્રિકેટ T-20 વર્લ્ડ કપ જીતી લીધો છે. આ 75 દિવસના સમયમાં જ દેશને બે ઓસ્કાર જીતવાનો આનંદ પ્રાપ્ત થયો છે.

મિત્રો,

આ 75 દિવસમાં, હજારો વિદેશી રાજદ્વારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ G-20 બેઠકોમાં ભાગ લેવા માટે ભારતમાં આવ્યા છે. આ 75 દિવસમાં G-20ની 28 મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે દર ત્રીજા દિવસે એક બેઠક યોજવામાં આવી છે. આ સમય દરમિયાન જ, એનર્જી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, આજે જ ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આપણે જોયું કે બેંગલુરુમાં યોજવામાં આવેલા એરો-ઇન્ડિયામાં ભાગ લેવા માટે 100 કરતાં વધુ દેશો ભારત આવ્યા હતા. સિંગાપોર સાથે UPI લિંકેજનો પ્રારંભ પણ આ 75 દિવસમાં જ કરવામાં આવ્યો છે. આ 75 દિવસમાં ભારતે તુર્કીની મદદ માટે 'ઓપરેશન દોસ્ત' હાથ ધર્યું હતું. થોડા કલાકો પહેલાં જ ભારત-બાંગ્લાદેશ ગેસ પાઇપલાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ 75 દિવસની યાદી એટલી બધી લાંબી છે કે સમય ઓછો પડશે. અને હું 75 દિવસની કેટલીક વાતો એટલા માટે જણાવી રહ્યો છું, કારણ કે આ ઇન્ડિયાઝ મોમેન્ટનું પ્રતિબિંબ છે.

મિત્રો,

આજે એક તરફ દેશ રોડ-રેલ્વે, બંદર-હવાઇમથકો જેવી ભૌતિક માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી રહ્યો છે, તો બીજી તરફ વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને સોફ્ટ પાવર પ્રત્યે અભૂતપૂર્વ આકર્ષણ જોવા મળી રહ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં યોગને લોકપ્રિયતા મળી રહી છે. આજે આયુર્વેદ વિશે લોકોમાં ઉત્સાહ છે, ભારતના ખાણી-પીણી વિશે ઉત્સાહ છે. આજે ભારતીય ફિલ્મો, ભારતીય સંગીત, નવી ઉર્જા સાથે લોકોને તેમના દિવાના બનાવી રહ્યા છે. આપણા જાડા ધાન્ય-શ્રી અન્ન પણ આખી દુનિયામાં પહોંચી રહ્યા છે. ભલે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની વાત હોય કે પછી આપદા પ્રતિરોધરક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સંગઠનની વાત હોય, આજે દુનિયાને એ વાતનો અહેસાસ થઇ રહ્યો છે કે ભારતના વિચારો અને ભારતની ક્ષમતા વૈશ્વિક ભલાઇ માટે જ છે. તેથી જ આજે દુનિયા કહી રહી છે કે – ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ.

અને આપ સૌએ તાજેતરમાં વધુ એક વાતની નોંધ લીધી જ હશે. આ બધાની અસર અનેકગણી છે. હું તમારું ધ્યાન એક નાની વાત તરફ દોરવા માંગું છું. આજકાલ જ્યારે પણ મારે મોટા ભાગના દેશોને મળવાનું થાય છે અથવા તેમણે ભારત આવવાનું થાય છે અથવા ભારતમાંથી કોઇ ત્યાંની મુલાકાતે જાય છે, ત્યારે તમારા ધ્યાનમાં આવ્યું હશે કે દરેક દેશમાં સ્પર્ધા શરૂ થઇ ગઇ છે કે, ભારતમાંથી જે પ્રાચીન મૂર્તિઓ ચોરવામાં આવી હતી, તે મૂર્તિઓ હવે તેઓ આપોઆપ આપણને પાછી આપવા લાગ્યા છે, તેઓ પોતે જ આપણને કહે છે કે, આ લઇ જાઓ. કારણ કે હવે તેમને ખાતરી થઇ ગઇ છે કે તેનું સન્માન કરવું પણ હવે ત્યાં જ શક્ય છે. આ જ તો મોમેન્ટ (સમય) છે.

અને આ બધું આપોઆપ નથી થઇ જતું, મિત્રો. આજની ઇન્ડિયા મોમેન્ટની સૌથી વિશેષ વાત એ છે કે આપણે તેમાં  પ્રોમીસ (વચન)ની સાથે સાથે પરફોર્મન્સ (કામગીરી) પણ જોડાઇ ગયું છે. ઘણા વરિષ્ઠ લોકો અહીં બેઠા છે. તમે 2014 પહેલાંની હેડલાઇન્સ લખી, વાંચી અને રિપોર્ટ કરી છે. અને ત્યારે મારા જેવો કોઇ દુકાન ચલાવનારો નહોતો. પહેલાંના સમયમાં શું હેડલાઇન્સ બનતી હતી? આ ક્ષેત્રમાં આટલા લાખ કરોડનું કૌભાંડ થયું. ભ્રષ્ટાચાર સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આજે શું હેડલાઇન બની રહી છે? ભ્રષ્ટાચારના કેસોમાં કાર્યવાહીના કારણે ભયભીત થયેલા ભ્રષ્ટાચારીઓ એકજૂથ થઇ ગયા અને રસ્તા પર ઉતરી આવ્યા. તમે લોકોએ કૌભાંડોના સમાચાર બતાવીને કેટલી બધી TRP ભેગી કરી છે. હવે તમારી પાસે તક છે, ભ્રષ્ટાચારીઓ સામે થતી કાર્યવાહી બતાવીને TRP વધારો. કોઇના દબાણમાં ન આવશો, સંતુલન રાખવાના ચક્કરમાં આ તક ગુમાવશો નહીં.

મિત્રો,

અગાઉ શહેરોમાં બોમ્બ વિસ્ફોટોની હેડલાઇન્સ બનતી હતી, નક્સલવાદી ઘટનાઓની હેડલાઇન્સ બનતી હતી. આજે શાંતિ અને સમૃદ્ધિના સમાચાર વધુ હોય છે. પહેલાંના સમયમાં પર્યાવરણના નામે મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રોકી દેવાના સમાચાર આવતા હતા. આજે પર્યાવરણને લગતા સકારાત્મક સમાચારોની સાથે સાથે નવા ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વેના નિર્માણના સમાચાર પણ આવે છે. અગાઉના સમયમાં ટ્રેનોના અકસ્માતના દુઃખદ સમાચાર આવે તે સામાન્ય બાબત હતી. આજે આધુનિક ટ્રેનોની શરૂ કરવામાં આવે છે તે સમાચારની હેડલાઇન્સ બને છે. પહેલાંના સમયમાં એર ઇન્ડિયાના કૌભાંડો અને ગરીબીની ચર્ચા થતી હતી. આજે, વિશ્વની સૌથી મોટી એરક્રાફ્ટ ડીલના સમાચાર દુનિયાભરમાં હેડલાઇન્સ બને છે. પ્રોમીસ અને પરફોર્મન્સનું આ જ પરિવર્તન ઇન્ડિયા મોમેન્ટ લઇને આવી છે.

આમ તો મિત્રો, દેશ જ્યારે આત્મવિશ્વાસથી ભરેલો હોય, સંકલ્પથી ભરેલો હોય, ત્યારે વિદેશો પણ, દુનિયાના વિદ્વાનો પણ ભારત વિશે આશાવાદી હોય, આ બધાની વચ્ચે નિરાશાની વાતો, હતાશાની વાતો, ભારતને અપમાનિત કરવાની વાતો, ભારતનું મનોબળ તોડવાની વાતો પણ થતી રહે છે. આપણે બધા જાણીએ જ છીએ કે, જ્યારે પણ કોઇનું કંઇક શુભ થાય ત્યારે કાળું ટીલું કરવાની પરંપરા છે. તો આજે આટલું શુભ થઇ રહ્યું છે, એટલું શુભ થઇ રહ્યું છે કે કેટલાક લોકોએ કાળું ટીલું કરવાની જવાબદારી ઉપાડી લીધી છે અને આ એટલા માટે કરવામાં આવે છે કે જેથી તેને કોઇની નજર ન લાગી જાય.

મિત્રો,

ગુલામીનો કાળખંડ ઘણો લાંબા સમય સુધી ચાલ્યો હોવાથી આપણે ગરીબીનો ઘણો લાંબો સમય જોયો છે. આ સમયગાળો ગમે તેટલો લાંબો હોય, એક વસ્તુ હંમેશા શાશ્વત રહી છે. ભારતના ગરીબો વહેલામાં વહેલી તકે ગરીબીમાંથી બહાર આવવા માંગે છે. આજે પણ તેઓ આખો દિવસ તનતોડ મહેનત કરે છે. તેઓ ઇચ્છે છે કે તેમનું જીવન બદલાય, તેની ભાવિ પેઢીઓનું જીવન બદલાય. તેઓ માત્ર બે ટાણાંનું ખાવાનું મળે ત્યાં સુધી સીમિત રહેવા માંગતા નથી.

છેલ્લા દાયકાઓમાં જે પણ સરકારો રહી છે, તેમણે પણ પોતપોતાની ક્ષમતા અને સમજણ પ્રમાણે પ્રયાસો કર્યા જ છે. તેમણે કરેલા એ પ્રયાસો અનુસાર તે સરકારોને પરિણામ પણ મળ્યા છે. અમે નવા પરિણામો ઇચ્છતા હતા, તેથી અમે અમારી ઝડપ વધારી અને અમારી વ્યાપકતા વધારી. હવેની જેમ કે, અગાઉ પણ શૌચાલય બનાવવામાં આવતા હતા. પરંતુ અમે વિક્રમી ગતિએ 11 કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ કર્યું. દેશમાં પહેલાં પણ બેંકો તો હતી જ અને ગરીબોના નામે બેંકોનું રાષ્ટ્રીયકરણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ અમે.. અને હમણાં અરુણજી જે પ્રકારે વિગતવાર કહી રહ્યા હતા તેમ, અમે ઝડપથી 48 કરોડ લોકોને બેંકિંગ સિસ્ટમમાં જોડી દીધા. ગરીબો માટે ઘરની યોજનાઓ પહેલાના સમયમાં પણ જ હતી. તે યોજનાઓની સ્થિતિ શું હતી તે વિશે તમે લોકો સારી રીતે જાણો છો. અમારી સરકારે પણ તેમાં પણ સંપૂર્ણપણે પરિવર્તન લાવી દીધું. હવે ઘરના પૈસા સીધા તે ગરીબ લોકોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. હવે મકાનો બનાવવાની સમગ્ર પ્રક્રિયા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને અમે માલિક સંચાલિત યોજના અપનાવીને આગળ વધી રહ્યા છીએ. અને જ્યારે માલિક સંચાલિત કામગીરી કરવામાં આવે છે, ત્યારે તેમાં કોઇ કૌભાંડો નથી થતા, તેઓ એક સારું ઘર બનાવવા માંગે છે.

છેલ્લા 9 વર્ષમાં અમે 3 કરોડથી વધુ ઘરનું બાંધકામ કરવામાં આવ્યું છે અને ગરીબોને આપ્યા છે. એટલે કે દુનિયામાં ઘણા દેશો એવા છે કે, આપણે આખો દેશ જ નવો બનાવી રહ્યા હોઇએ એટલા ઘર બાંધ્યા છે. આપણે ત્યાં મોટાભાગે મહિલાઓના નામે મિલકત નથી હોતી. દુકાન ખરીદવામાં આવે, તો પુરુષના નામે. કાર ખરીદવામાં આવે, તો પુરુષના નામે. જમીન પણ પુરુષના નામે ખરીદવામાં આવે છે. પરંતુ અમારી સરકારે જે મકાનો બાંધીને આપ્યા છે અને ગરીબોને સોંપ્યા છે, તેમાંથી લગભગ 2.5 કરોડ મકાનો સંયુક્ત નામે છે, તેમાં મહિલાઓને પણ માલિકીનો અધિકાર છે. હવે તમે જ વિચારો, ગરીબ મહિલાઓને લાગશે કે તેઓ સશક્ત છે તો ઇન્ડિયા મોમેન્ટ આવશે કે નહીં?

દેશમાં એવા ઘણા પરિવર્તનો આવ્યા છે જે ઇન્ડિયા મોમેન્ટ લઇને આવ્યા છે. આમાંના કેટલાક પરિવર્તનોની ચર્ચા મીડિયા દ્વારા પણ કરવામાં આવતી નથી. શું તમે જાણો છો કે, આખી દુનિયાનો એક ખૂબ જ મોટો પડકાર – મિલકતના અધિકારનો પણ છે. વર્લ્ડ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વિશ્વની માત્ર 30 ટકા વસ્તી પાસે જ તેમની મિલકતની કાયદેસર રીતે નોંધણી કરાવેલી છે. એટલે કે, વિશ્વની 70 ટકા વસ્તી પાસે તેમની મિલકતના કાયદાકીય દસ્તાવેજ નથી.

મિલકતનો અધિકાર ન હોવો એ બાબતને, વૈશ્વિક વિકાસ સામે ખૂબ જ મોટો અવરોધ માનવામાં આવે છે. વિશ્વના ઘણા વિકસિત દેશો પણ આ પડકારનો સામનો કરી રહ્યા છે. પરંતુ આજનું ભારત આમાં પણ નેતૃત્વ લઇ રહ્યું છે. છેલ્લા અઢી વર્ષથી ભારતમાં પીએ-સ્વામિત્વ યોજના ચાલી રહી છે. તેમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતના ગામડાઓમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી લેન્ડ મેપિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતના બે લાખ ચોત્રીસ હજાર ગામડાઓમાં ડ્રોન દ્વારા સર્વે પૂરું કરવામાં આવ્યું છે. એક કરોડ બાવીસ લાખ પ્રોપર્ટી કાર્ડ પણ આપી દેવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાનો બીજો પણ એક ફાયદો છે. ગામના લોકોનો એ ડર પણ ઓછો થયો છે કે જો તેઓ ગામની બહાર જશે તો તેમના ઘર કે જમીન પર કોઇ બીજી વ્યક્તિ કબજો કરી જશે.

આવી અનેક મૌન ક્રાંતિ આજે ભારતમાં થઇ રહી છે અને આ જ ઇન્ડિયા મોમેન્ટનો આધાર બની રહી છે. બીજું એક ઉદાહરણ જોઇએ તો,  ખેડૂતોને આપવામાં આવતી મદદ પણ છે. પહેલાંના સમયમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડૂતોની લોન માફીની જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ કરોડો ખેડૂતો પાસે બેંક ખાતા જ નહોતા, તેઓ અન્ય સ્રોતોમાંથી લોન લેતા હતા. તેમને લોન માફીનો કોઇ લાભ મળતો જ નહોતો. અમે આ પરિસ્થિતિ પણ બદલી નાખી છે. પીએમ કિસાન સન્માન નિધિમાંથી અત્યાર સુધીમાં લગભગ અઢી લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે. તેનાથી દેશના તે 11 કરોડ નાના ખેડૂતોને ફાયદો થયો છે, જેમને પહેલા કોઇ પૂછતું પણ ન હતું.

મિત્રો,

કોઇપણ દેશની પ્રગતિમાં નીતિ-નિર્ણયોમાં સ્થગિતતા, યથાસ્થિતિને જાળવી રાખવી તે એક મોટો અવરોધ હોય છે. આપણા દેશમાં પણ જૂની વિચારસરણી અને અભિગમને કારણે, અમુક પરિવારોની મર્યાદાઓને કારણે લાંબા સમય સુધી સ્થગિતતા રહી હતી. જો દેશે આગળ વધવું હોય તો તેની પાસે હંમેશા ગતિશીલતા, સાહસિક નિર્ણય શક્તિ હોવી જોઇએ. દેશે જો આગળ વધવું હોય તો આવિષ્કારને સ્વીકારવાનું સામર્થ્ય હોવું જોઇએ, પ્રગતિશીલ માનસિકતા હોવી જોઇએ. જો દેશે આગળ વધવું હોય, તો તેણે પોતાના દેશવાસીઓના સામર્થ્ય અને પ્રતિભા પર ભરોસો રાખવો જોઇએ. અને આ બધાથી ઉપર, દેશના સંકલ્પો અને સપનાઓ પર દેશની જનતાના આશીર્વાદ હોવા જોઇએ, લક્ષ્યો પ્રાપ્ત કરવામાં લોકોની ભાગીદારી પણ હોવી જોઇએ.

માત્ર સરકાર અને સત્તા દ્વારા જ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો માર્ગ ખૂબ જ મર્યાદિત પરિણામો આપે છે. પરંતુ જ્યારે 130 કરોડ દેશવાસીઓનું સામર્થ્ય એકજૂથ થઇ જાય છે, જ્યારે સબકા પ્રયાસ કામે લાગે છે ત્યારે દેશની સામે કોઇ સમસ્યા ટકી શકતી નથી. આ માટે સરકાર પર દેશની જનતાનો વિશ્વાસ હોવો પણ એટલો જ જરૂરી છે. મને સંતોષ છે કે, આજે દેશવાસીઓમાં એવો વિશ્વાસ જાગ્યો છે કે સરકાર તેમની કાળજી લઇ રહી છે.

તેનું બીજી એક કારણ પણ હું તમને જણાવવા માંગુ છું. અને તે કારણ છે કે ગવર્નન્સમાં માનવીય સ્પર્શ છે, સુશાસનમાં સંવેદનશીલતા છે. અમે ગવર્નન્સને માનવીય સ્પર્શ આપ્યો છે, તેના કારણે જ આટલી મોટી અસર જોવા મળી છે. જેમ કે અત્યારે વાઇબ્રન્ટ વિલેજ યોજના જ જોઇ લો. દાયકાઓ સુધી આપણા સરહદી ગામડાઓને છેલ્લા ગામો માનવામાં આવતા હતા. અમે તેમને વિશ્વાસ અપાવ્યો કે તેઓ દેશના પ્રથમ ગામ છે, અમે ત્યાંના વિકાસને પ્રાથમિકતા આપી. આજે સરકારી અધિકારીઓ અને મંત્રીઓ આ ગામોની મુલાકાત લેવા જાય છે, ત્યાંના લોકોને મળે છે, ત્યાં લાંબો સમય વિતાવે છે.

પૂર્વોત્તરના લોકોને પણ પહેલાંના સમયમાં દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર ખૂબ જ મુશ્કેલ લાગતું હતું. અહીં પણ અમને ગવર્નન્સને માનવીય સ્પર્શ સાથે જોડી દીધું છે. હવે કેન્દ્ર સરકારના મંત્રીઓ.. જેમ કે અરુણજીએ ખૂબ જ વિગતવાર કહ્યું તે પ્રમાણે, નિયમિતપણે પૂર્વોત્તર પ્રદેશની મુલાકાત લઇ રહ્યા છે. અને એ પણ તેઓ રાજ્યના પાટનગરની મુલાકાતે નથી જતા પરંતુ છેક અંદરના ભાગોની મુલાકાત લેવા જાય છે. પૂર્વોત્તરની મુલાકાતની અડધી સદી મેં પણ મારી છે.

મિત્રો,

આ સંવેદનશીલતાના કારણે પૂર્વોત્તરનું અંતર તો ઘટ્યું જ છે, સાથે સાથે ત્યાં શાંતિ સ્થાપવામાં પણ ઘણી મદદ મળી શકી છે. તમારે યુક્રેનની કટોકટી દરમિયાન સરકારની કાર્ય સંસ્કૃતિ પણ યાદ રાખવી જોઇએ. દેશના હજારો પરિવારો ચિંતામાં ડૂબેલા હતા. અમે લગભગ 14 હજાર પરિવારો સાથે જોડાયા, દરેક ઘરમાં સરકારના એક પ્રતિનિધિને મોકલ્યા. એ પરિવારની અંદર, તેમની વચ્ચે જઇને બેઠા, સરકારની વ્યક્તિ તરીકે તેઓ ત્યાં જઇને બેઠા. અમે તેમને મુશ્કેલ સમયમાં વિશ્વાસ અપાવ્યો હતો કે સરકાર તેમની સાથે જ છે. તમે જાણતા જ હશો કે કેટલીકવાર આવી વસ્તુઓને એટલું મહત્વ આપવામાં આવે છે કે, જે કામ કરવામાં આવે છે તેમાં જ અવરોધો આવી જાય છે. અને તેથી અમે સૌથી પહેલાં એ કામ કર્યું કે, પ્રતિનિધિઓને કહ્યું કે જાઓ ભાઇ, તે પરિવારમાં બેસો. તેમની સાથે નિયમિત રીતે વાતચીત કરો. અને તેના કારણે દેશની તમામ જનતાને ખાતરી થઇ ગઇ કે ભાઇ આપણું સંતાન ત્યાં છે તે વાત ઠીક છે, હવે આ સ્થિતિમાં, કાલે આવશે, પરમ દિવસે આવી સ્થિતિનું નિર્માણ થયું છે.

માનવીય સંવેદનાઓથી છલકાતી આવી જ ગવર્નન્સથી ઇન્ડિયા મોમેન્ટને એકધારી ઉર્જા મળતી રહે છે. તમે કલ્પના કરી શકો છો. જો ગવર્નન્સમાં આવો માનવીય સ્પર્શ ન હોત તો આપણે કોરોના સામે આટલી મોટી લડાઇ પણ જીતી શક્યા ન હોત.

મિત્રો,

આજે ભારત જે કંઇ પણ પ્રાપ્ત કરી રહ્યું છે તેની પાછળ આપણી લોકશાહીની તાકાત છે, આપણી સંસ્થાઓની તાકાત છે. દુનિયા આજે જોઇ રહી છે કે ભારતમાં લોકશાહી ઢબે ચૂંટવામાં આવેલી સરકાર નિર્ણાયક નિર્ણયો લઇ રહી છે. અને ભારતે દુનિયાને બતાવી દીધું છે કે લોકશાહી પરિણામો આપી શકે છે. વિતેલા વર્ષોમાં ભારતે અનેક નવી સંસ્થાઓનું નિર્માણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની રચના ભારતના નેતૃત્વમાં કરવામાં આવી હતી. આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંગઠન CDRIની રચના પણ ભારતના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. આજે નીતિ આયોગ ભવિષ્યનો રોડમેપ નક્કી કરવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દેશમાં કોર્પોરેટ ગવર્નન્સને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. GST કાઉન્સિલના કારણે દેશમાં આધુનિક કર પ્રણાલી બની છે.

દુનિયા આજે જોઇ રહી છે કે, ભારતમાં કેવી રીતે વધુને વધુ લોકોની લોકશાહીમાં ભાગીદારી વધી રહી છે. દેશમાં કોરોના વચ્ચે પણ ઘણી ચૂંટણીઓ યોજવામાં આવી હતી, તેનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, આ આપણી સંસ્થાઓની તાકાત છે. વૈશ્વિક સંકટ વચ્ચે આજે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે, બેંકિંગ વ્યવસ્થા મજબૂત છે. આ આપણી સંસ્થાઓની તાકાત છે. અમે દૂર દૂર સુધીના વિસ્તારોમાં કોરોનાની રસી પહોંચાડી છે, 220 કરોડ કરતાં વધુ ડોઝ લગાવ્યા છે, આ આપણી સંસ્થાઓની તાકાત છે. મને લાગે છે કે આપણી લોકશાહી અને આપણી લોકતાંત્રિક સંસ્થાઓની સફળતા જ કેટલાક લોકોને ડંખે છે અને તેના કારણ જ તેના પર હુમલા પણ કરી રહ્યા છે. પરંતુ મને ખાતરી છે કે, આ હુમલાઓ વચ્ચે પણ, ભારત તેના લક્ષ્યો તરફ ઝડપથી આગળ વધશે, પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરશે.

મિત્રો,

ભારતની ભૂમિકા હવે વૈશ્વિક બની રહી છે, ત્યારે ભારતના મીડિયાએ પણ તેની ભૂમિકા વૈશ્વિક બનાવવાની છે. આપણે 'સબકા પ્રયાસ'થી ઇન્ડિયા મોમેન્ટને સશક્ત બનાવવાની છે. આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતની યાત્રાને સશક્ત બનાવવાની છે. હું ફરી એકવાર અરુણજીનો, ઇન્ડિયા ટુડે ગ્રૂપનો આભાર માનું છું કે મને અહીં આવવાની તક આપી, અહીં વાત કરવાની તક આપી, આથી હું તેમનો આભાર માનું છું અને 2024માં આમંત્રણ આપવાની જે હિંમત દાખવી તે બદલ, વિશેષ આભાર માનું છુ.

આપ સૌનો આભાર!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
New Smart Drug RK-251 Developed as Replacement for Chemotherapy

Media Coverage

New Smart Drug RK-251 Developed as Replacement for Chemotherapy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The world is seeing India as a bright spot of growth and hope: PM Modi at Economic Times World Leaders Forum 2026
August 21, 2026
The world sees India as a bright spot for growth and hope: PM
Today, India is implementing next-generation reforms at the policy level and undertaking reforms at governance level: PM
Increasing production was met with punishment earlier but today, our government is providing incentives for boosting production
India has political stability and continuity in its policies: PM
Earlier, the approach of regulations was, 'prohibited unless permitted’; We are changing this approach and taking it towards 'permitted unless prohibited’: PM
The relationship between the government and citizens should be based on trust, not suspicion: PM
Today, we are shaping policies that are pro-people, pro-growth and pro-development: PM

World Leaders Forum का ये प्रतिष्ठित मंच, Business और Industry की दुनिया के सभी जाने माने दिग्गज, पॉलिसी मेकर्स, अन्य महानुभाव, देवियों और सज्जनों।

आप सबके बीच आकर के खुश होना बहुत स्वाभाविक भी है। इस साल समिट का फोकस Shared Future पर है। पिछले कुछ वर्षों में दुनिया ने अनेक उतार-चढ़ाव देखे हैं। और इन अनुभवों ने एक बात बहुत स्पष्ट कर दी है, कोई चाहे या ना चाहे, हर देश का भविष्य, उसका फ्यूचर, एक-दूसरे से जुड़ा हुआ ही है, Isolation में कुछ संभव नहीं है। इसीलिए Shared Futures की ये theme, आज और भी अधिक प्रासंगिक हो गई है। और भारत तो हमेशा से इसी भावना को लेकर चला है। जी-20 की अध्यक्षता में इसलिए ही भारत का मंत्र रहा, One Earth, One Family, One Future. Shared Future की ये भावना और इसके साथ जुड़ा दायित्वबोध, 21वीं सदी के इस विश्व की अनेक समस्याओं का समाधान देता है।

साथियों,

आज दुनिया में growth को लेकर के कई तरह की चिंताएं हैं। दुनिया ने बड़ा भयंकर एक रूप देखा है इन दिनों। Resources का वेपनाइजेशन हो रहा है। अविश्वास का वातावरण विश्व के लिए अनेक नई चुनौतियां लेकर के आ रहा है। लेकिन ऐसे समय में भी, दुनिया भारत को growth और hope के bright spot के रूप में देख रही है। भारत ने पिछले 10-12 साल में अपनी 25 करोड़ आबादी को गरीबी से बाहर निकाला है। इतना ही नहीं, अगर आने वाले दिनों की चर्चा करें, तो IMF का forecast है कि भारत दुनिया की fastest growing major economy बना रहेगा। और भारत निरंतर वो कदम उठा रहा है, जो उसके विकास को गति दे रहे हैं।

Friends,

अभी पिछले हफ्ते ही, 15 अगस्त को मैंने लाल किले से सप्त-धारा की सप्त-शक्तियों की बात की है। मैन्यूफैक्चरिंग, टेक्नोलॉजी और इनोवेशन, फूड प्रोसेसिंग, ग्रीन और ब्लू इकोनॉमी समेत, मैंने ऐसे सात सेक्टर्स की बात की है, जिन पर भारत का आज बहुत ज्यादा फोकस है। और इसलिए भारत आज, Policy level पर, नेक्स्ट जनरेशन reforms कर रहा है, ताकि हमारा future सुरक्षित हो। Governance पर reforms कर रहा है, Ease of Living के लिए reforms कर रहा है। पिछली बार जब मैं इसी मंच के माध्यम से आपसे जुड़ा था, तब भी मैंने कहा था, ये Reforms हमारे लिए Compulsion नहीं है। ये हमारा commitment है, ये हमारा conviction है।

साथियों,

2014 में, जब हमारी सरकार बनी, तो उसके बाद से ही रिफॉर्म्स ने कैसे देश की दिशा और दशा बदली है, मैं इसका एक बहुत दिलचस्प उदाहरण आपको देना चाहता हूं। यहां मौजूद शायद ही किसी को PLP के बारे में पता होगा, कोई है, जिसको PLP के बारे में पता है? अपना हाथ उठाएं। यहां इतने मीडिया के दिग्गज बैठे हैं, PLP आपको पता है? और आप सुनकर के हैरान हो जाएंगे। PLP यानी प्रोडक्शन लिंक्ड पनिशमेंट, इसके बारे में किसी को पता नहीं है। और एक दूसरा टर्म आपने जरूर सुना है PLI, ये ज्यादातर लोगों को पता होगा। PLI- यानी प्रोडक्शन लिंक्ड इंसेंटिव।

साथियों,

ये दोनों टर्म, भारत के दो अलग-अलग Time Period को डिफाइन करते हैं। आजकल Explainer का जमाना है, तो मैं आपको Explain करता हूं।

साथियों,

आज की युवा पीढ़ी को ये सुनकर हैरानी होगी, कि हमारे देश में एक समय ऐसा भी था, कि अगर कोई कंपनी तय लिमिट से ज्यादा प्रॉडक्शन कर दे, तो उसे पनिशमेंट दिया जाता था। ये पहले की लाइसेंस राज वाली सरकारों का, PLP यानी प्रोडक्शन लिंक्ड पनिशमेंट मॉडल था। ऐसे भी उदाहरण रहे हैं कि अगर किसी फैक्ट्री ने ज्यादा डिमांड देखते हुए ज्यादा प्रॉडक्शन कर दिया, तो उसे नोटिस भेज दिया जाता था। मजबूरी में वो कंपनी अपना प्रॉडक्ट मार्केट में बेचने के बजाय, उसे खुद ही नष्ट कर देती थी।

साथियों,

आज जो लोग Make In India और आत्मनिर्भर भारत अभियान का मजाक उड़ाते हैं, उनके पुरखों की सोच यही थी, PLP यानी प्रोडक्शन लिंक्ड पनिशमेंट। ऐसा करने के पीछे एक विशेष तरह की विकृत मानसिकता काम करती थी। ऐसी मानसिकता वाले लोग हमेशा चाहते थे कि जरूरी चीजों की किल्लत बनी रहे। देश के नागरिकों को अभाव में रखना उनकी पॉलिसी थी। वो चाहते थे कि जनता उनके सामने हाथ जोड़े, हाथ फैलाए, आप समझ गए मैं किन लोगों की बात कर रहा हूं। लोगों से हाथ जुड़वाने के बाद उपकार करना, उन सरकारों का तरीका था, इसलिए वो प्रोडक्शन लिंक्ड पनिशमेंट मॉडल पर चलते थे। आप कल्पना कर सकते हैं, ऐसे करके उन लोगों ने Employment Generation के बेसिक principal का गला घोंट दिया था। और हैरानी ये, इन लोगों के दरबारियों ने again I repeat, इन लोगों के दरबारियों ने, कभी इसके खिलाफ कोई आवाज नहीं उठाई।

साथियों,

हर reform की शुरुआत सबसे पहले, आपके सोचने के तरीके, आपके मानसिक, किस रेंज में आप काम कर रहे हैं, इस सोच के reform से ही होती है। जहां पहले production बढ़ाने पर पनिशमेंट मिलता था, वहीं आज हमारी सरकार production बढ़ाने पर incentive दे रही है। और आज PLI स्कीम की सक्सेस दुनिया देख रही है। सिर्फ इस एक योजना की वजह से, मैं सारी योजनाओं की बात नहीं करता हूं, एक की बात करता हूं, करीब ढाई लाख करोड़ रुपए का actual investment हुआ है। 22 लाख करोड़ रुपए से ज्यादा का production और sales हुई है। 15 लाख करोड़ रुपए से ज्यादा का exports हुआ है, और 14 लाख से ज्यादा direct और indirect jobs बनी हैं। और मैं फिर याद दिलाउंगा, ये आंकड़े सिर्फ एक स्कीम के हैं। आप सोचिए, पहले का लाइसेंस राज वाली सरकार का पनिशमेंट मॉडल जहां बेरोजगारी बढ़ाता था, वहीं आज का हमारा incentive मॉडल लाखों नई जॉब्स क्रिएट कर रहा है।

साथियों,

आज भारत में ये तेज विकास, ये तेज रिफॉर्म इसलिए हो रहे हैं, क्योंकि भारत में और जिसका अभी सत्य ने उल्लेख किया, political stability है, हमारी policy में continuity है। पहले देश में रिफॉर्म्स की बात करने वाले घोषणा तो कर देते थे, बाद में भूल जाते थे। लेकिन हमने रिफॉर्म्स को लेकर एक क्लियर रोडमैप बनाया। इस रोडमैप की प्रमुख दिशा रही है- गवर्नेंस लेवेल के रिफॉर्म्स हों! इसके लिए, आज 21वीं सदी के भारत में, हम सिर्फ regulations नहीं बदल रहे हैं, हम regulation की पूरी philosophy बदल रहे हैं। पहले regulations की अप्रोच थी- “Prohibited unless permitted.” यानी जब तक सरकार इजाजत ना दे, तब तक आप वो काम नहीं कर सकते। हम इस approach को बदलकर, “Permitted unless prohibited” की तरफ ले जा रहे हैं। यानी, जो काम कानून ने स्पष्ट रूप से मना नहीं किया है, उसके लिए हर कदम पर permission की कोई जरूरत नहीं होनी चाहिए। और इसके पीछे सोच बहुत सीधी है, सरकार और नागरिक के रिश्ते का आधार, Suspicion नहीं, trust होना चाहिए।

साथियों,

यही सोच आपको Jan Vishwas बिल में भी दिखाई देती है। मैं मानता हूं, हर procedural गलती को criminal offence मान लेना ठीक नहीं है। इसीलिए अनेक offences को decriminalise किया गया है। कई मामलों में जेल की जगह केवल आर्थिक penalty का प्रावधान किया गया है। Government और enterprise के रिश्ते में, हम इसी reform mindset को आगे बढ़ा रहे हैं। बीते वर्षों में 40 हजार से ज्यादा compliances हटाए गए हैं, 40 thousand. डेढ़ हजार से ज्यादा, 15 hundred, डेढ़ हजार से ज्यादा, पुराने और बेकार हो चुके कानून हमने खत्म किए, और जब इन सारे reforms को एक साथ देखते हैं, तो अंदाजा होता है, हमारी industries और businesses के कंधों से कितना बड़ा बोझ कम हुआ है।

साथियों,

गवर्नेंस रिफॉर्म्स की इस प्रक्रिया, उस पर हम निरंतर काम कर रहे है। अभी संसद के मॉनसून सत्र में हमने ‘बैंकर्स बुक एविडेंस बिल’ पारित किया है। और वो भी तब जब विपक्ष ने संसद में लगातार गतिरोध बनाया हुआ था। हमने देश की सेवा करने का काम रूकने नहीं दिया। अब इस कानून ने 19वीं सदी के अंग्रेजी कानून को रिप्लेस किया है। अब बैंकों के डिजिटल रिकॉर्ड्स की स्वीकार्यता को कानूनी मान्यता दी गई है। इससे कानूनी उलझनें कम होंगी, सिस्टम में पारदर्शिता होगी, Ease of Doing Business बढ़ेगा।

साथियों,

गवर्नेंस में रिफॉर्म का एक मतलब ये भी है कि सिस्टम ऐसे बनें, जिसमें एक-एक मानव जीवन और उसके समय के प्रति संवेदनशीलता हो। मैं रेलवे का उदाहरण देता हूं। हमारी रेलवेज में भी इसी अप्रोच के साथ काम हुआ है। आज साढ़े 6 हजार से ज्यादा रेलवे स्टेशनों पर इलेक्ट्रॉनिक इंटरलॉकिंग की व्यवस्था है। 10 हजार से ज्यादा लेवल क्रॉसिंग गेट्स को भी इंटरलॉकिंग से जोड़ा जा चुका है। इससे ह्यूमन एरर से होने वाले हादसों की आशंका बहुत कम हुई है।

साथियों,

जब 2014 में हमारी सरकार आई, तो करीब 9 हजार फाटक ऐसे थे जो Un-Manned थे। इन्हें हटाना कोई रॉकेट साइंस नहीं था। Un-Manned क्रॉसिंग्स की वजह से हजारों लोगों को अपनी जान गंवानी पड़ी, लेकिन पहले की सरकारों को इससे बहुत फर्क नहीं पड़ता था। हमने मिशन मोड में, गत दस वर्ष में, इन Un-Manned क्रॉसिंग्स को समाप्त कर दिया। हमने रोड ओवर ब्रिज और रोड अंडर ब्रिज बनाने की गति भी कई गुना बढ़ा दी। और इसी का नतीजा है कि 2014 के पहले के मुकाबले ट्रेन दुर्घटनाओं की संख्या में Ninety Percent तक की कमी आई है, 90, Ninety Percent. 12 साल पहले जहां एक साल में करीब डेढ़ सौ रेल दुर्घटनाएं होती थीं, वहीं अब इनकी संख्या घटकर 15-20 रह गई है। और हम इसे और कम से कम करने का प्रयास लगातार कर रहे हैं।

साथियों,

Railways में स्वच्छता भी गवर्नेंस रिफॉर्म का एक बड़ा उदाहरण है। एक समय था, जब रेल पटरियों पर गंदगी और human waste एक बड़ी समस्या हुआ करती थी। आज स्थिति पूरी तरह बदल गई है। 2014 से पहले हमारी ट्रेनों में जहां लगभग 12 हजार बायो-टॉयलेट्स लगाए गए थे, वहीं 2014 के बाद ट्रेनों में 3 लाख 60 हजार से ज्यादा बायो-टॉयलेट्स लगाए गए हैं। यानी, 97 प्रतिशत से ज्यादा बायो-टॉयलेट्स पिछले 12 वर्षों में लगे हैं। ये बदलाव सिर्फ सफाई का नहीं, यात्रियों की गरिमा, स्वच्छता और आधुनिक भारत के निर्माण की दिशा में गवर्नेंस का एक नया मॉडल है। ये करोड़ों यात्रियों को बेहतर अनुभव देने का अभियान भी है।

साथियों,

गवर्नेंस की क्वालिटी का एक और पैमाना, और वो पैमाना है - समय। जो प्रोजेक्ट शुरू हो, वो समय पर पूरा हो। और जो सर्विस लोगों को मिले, वो भी समय की कसौटी पर खरी उतरे। दिल्ली-मेरठ नमो भारत रैपिड रेल सिस्टम इसका बहुत अच्छा उदाहरण है। इस कॉरिडोर पर 160 किलोमीटर प्रति घंटे की रफ्तार से ट्रेनें चल रही हैं। ये हमारे देश में पहले कभी सोचा नहीं जा सकता था। अब तक 4 करोड़ से ज्यादा यात्री इसमें ट्रैवल कर चुके हैं। और इसका एक और अहम फैक्टर है, जिसकी चर्चा नहीं होती है। दिल्ली मेरठ नमो भारत रैपिड रेल की पंक्चुअलिटी 99.9 परसेंट है। वरना हम तो हर चीज में कहते हैं, लेट हो तो कहते थे, ये तो इंडियन टाइम है। वक्त बदला है, ये मैं छोटी-छोटी चीजें इसलिए बताता हूं, कि हमें अंदाज आए कि कितने बड़े व्यापक स्तर पर काम हो रहा है। इसी तरह, Delhi Metro की पंक्चुअलिटी। Delhi Metro की पंक्चुअलिटी 99.9 परसेंट है। और ये punctuality, New York, Hong Kong और Paris जैसे शहरों की Metro से करीब-करीब बराबर हो चुकी है। ये सिर्फ समय पर चलती हुई Metro और नमो रेपिड रेल की कहानी नहीं है, ये समय के साथ बदलते हुए भारत की पहचान है। मैं जानता हूं कि अभी भी, और र्मैं कोई इतने से संतोष मानकर बैठने वाला व्यक्ति नहीं हूं, अभी भी इस दिशा में हमें बहुत कुछ करना है, बहुत कुछ बाकी है, लेकिन हम लगातार कर रहे हैं। लेकिन एक शुरूआत तो हुई है और ये शुरुआत सराहनीय है।

साथियों,

हमारे रिफॉर्म्स रोडमैप का एक और बड़ा आयाम है- पॉलिसी लेवल पर होने वाले रिफॉर्म्स! आज हम ऐसी policies बना रहे हैं, जो pro-people हों, Pro-growth हों, pro development हों! पॉलिसीज़ देश और देश के लोगों की जरूरत के हिसाब से होनी चाहिए न कि पॉलिसीज़ बनाकर देश को उनके हिसाब से चलने को मजबूर होना पड़े! मैं आपको एक और Interesting उदाहरण देना चाहता हूं। कुछ साल पहले तक हमारे यहाँ देश का नक्शा बनाना भी गैर-कानूनी था, मैप बनाए तो गैर कानूनी था, आप जेल चले जाएंगे। बिना परमिशन के आप देश में मैपिंग का काम भी नहीं कर सकते थे। आप सोचिए, विदेशी सैटेलाइट टेक्नोलॉजी के जरिए भारत के किसी भी कोने को मैप कर सकती थी, लेकिन भारत में भारतीयों पर भारत का मैप बनाने पर पाबंदी लगी हुई थी।

साथियों,

आज टेक्नोलॉजी के इस दौर में, इस एक पाबंदी से कितने स्टार्टअप्स की हत्या हो सकती थी! कितने ideas implement होने से वंचित रह सकते थे! हमने इस व्यवस्था को भी बदला। हमने Geospatial डेटा का Deregulation किया और आज Geospatial डेटा कितने ही स्टार्टअप्स का आधार बन रहा है।

साथियों,

आज आप लगातार ड्रोन्स की उपयोगिता बढ़ते हुए देख रहे हैं। एग्रीकल्चर में, डिफेंस में, डिलिवरी में, शूटिंग में, कंटेंट क्रिएशन में, ये सब संभव ही नहीं होता, अगर सरकार ने इससे जुड़े नियमों में Reform नहीं किए होते। पहले देश में ड्रोन फ्लाइंग पूरी तरह नियमों में, बंधनों में जकड़ी हुई थी। हमने उसे बंधनों से आजाद किया, और आज भारत की ड्रोन इंडस्ट्री, एक अभूतपूर्व उड़ान के साथ आगे बढ़ रही है।

साथियों,

पहले border areas को लेकर सरकारों की सोच थी कि बॉर्डर पर roads और infrastructure बढ़ेगा, तो उसका फायदा दुश्मन भी उठा सकता है। हमने इस सोच को बदला। हमने कहा, Border infrastructure कमजोरी नहीं, देश की ताकत है। और इसीलिए आज border areas में roads, bridges और tunnels का network तेजी से बढ़ रहा है। सिर्फ 2024 और 2025 में ही, BRO के 250 infrastructure projects देश को समर्पित किए गए हैं। सोच बदली, तो border infrastructure की तस्वीर भी बदल गई।

साथियों,

एक उदाहरण न्यूक्लियर रिफॉर्म्स का भी है। एक ऐसे समय में, जब विकास पूरी तरह से energy dependent है, बंदिशों और प्रतिबंधों के कारण, देश अपने न्यूक्लियर potential का इस्तेमाल नहीं कर पा रहा था। हमने शांति बिल के जरिए इसमें भी बड़ा रिफॉर्म किया है। आज भारत में न्यूक्लियर एनर्जी में प्राइवेट सेक्टर के लिए रास्ता खुल चुका है। इसी तरह, हमने एक बड़ा पॉलिसी रिफॉर्म डिफेंस सेक्टर में भी किया। 200 साल के पहले जो व्यवस्था चली आ रही थी, उसे बदलकर हमने 40 से ज्यादा ordnance फैक्ट्रीज़ को मर्ज करके 7 फैक्ट्रीज़ बना दी। और उसका परिणाम हमें देखने को मिल रहा है। आज भारत अपनी रक्षा जरूरतों के लिए भी आत्मनिर्भर बन रहा है, और 2014 की तुलना में, हमारा डिफेंस एक्सपोर्ट 55 गुना बढ़ा है। और इसलिए, कई बार रिफॉर्म्स हमारे जीवन में इस तरह घुल-मिल जाते हैं कि हमारा उनकी तरफ ध्यान ही नहीं जाता। आप सोचिए, आपका कोई सामान्य दिन आज कैसे बीतता है। आप सुबह उठते हैं, फोन पर घर का सामान ऑर्डर कर देते हैं, और जब तक ऑफिस के लिए रेडी होते हैं, वो सारा सामान आपके घर आकर के पहुंच जाता है। आपकी गली के स्ट्रीट वेंडर से लेकर, आपकी गाड़ी के शो रूम तक, आपकी सारी पेमेंट्स, सिर्फ एक क्यूआर कोड स्कैन करके हो जाती है। अगर आपकी बेटी, किसी दूसरे शहर में पढ़ती है, तो आप फोन से उसे पैसे भेज सकते हैं, और वो पैसा, कुछ सेकंड्स में उसके पास भी पहुंच जाता है। कई बार तो बिटिया क्यूआर ही शेयर कर देती है कि ‘पापा-मां मैंने ये ड्रेस ले ली है, इसकी पेमेंट कर दीजिए, और आप उसकी शॉपिंग अपने घर बैठे-बैठे करवा देते हैं। ये चीजें Remarkable हैं, लेकिन अब ये कोई भारत के लोगों को कम से कम हैरानी नहीं होती, बाहर के लोग आते हैं, उनको आश्चर्य होता है, अच्छा ऐसे होता है। भारत के लोगों का रूटीन हो गया है। ये भारत के सामान्य मानवी के जीवन का हिस्सा बन चुका है। आप सोचिए, 2014 से पहले ऐसी कितनी ही बातें क्या पॉसिबल थीं?

साथियों,

भारत ने बीते 10-12 सालों में Ease of Living से जुड़े जो रिफॉर्म्स किए हैं, उसकी वजह से लोगों का, खासतौर पर हमारे मिडिल क्लास का जो जीवन बदला है, वो दुनिया के कई विकसित देशों में आज भी एक सपना ही है।

साथियों,

आज दुनिया का सबसे सस्ता डेटा भारत में है, हम सस्ते और अच्छे स्मार्टफोन्स बना रहे हैं। अभी सत्या ने उसका वर्णन किया। भारत दुनिया के fastest 5G rollouts करने वाले देशों में से एक है। हमने आधार को बैंकिंग, मोबाइल कनेक्टिविटी और सर्विसेज से जोड़कर, ई-के.वाई.सी और Digital Authentication जैसी सर्विसेज को पॉसिबल किया है। आज आपको अगर बैंक अकाउंट खोलना है, तो उसके लिए बैंक जाने तक की जरूरत नहीं है। सरकार ने बैंक को ही, आपके पास पहुंचा दिया है। आज चाहे कोई बिल जमा करना हो, कोई टिकट करानी हो, किसी सरकारी दफ्तर में जाने की जरूरत नहीं पड़ती, ये सारा काम ऑनलाइन हो जाता है। इनकम टैक्स की फाइलिंग का काम आसान हुआ है। ऐसी व्यवस्था बनी है कि फॉर्म में मैक्सिमम जानकारियां पहले से भरी होती हैं। आप ये इन्फॉर्मेशन वेरिफाई करते हैं, कुछ जोड़ना है तो जोड़ देते हैं, और सबमिट करते हैं, आपका काम पूरा हो जाता है। पहले जो रिफंड आने में महीनों लगते थे, अब वो भी कुछ ही दिनों में आ जाता है।

साथियों,

आज ई-संजीवनी की मदद से, शायद इसकी चर्चा अभी बहुत कम होती है, ई-संजीवनी की मदद से, गांव के दूर दराज के लोग भी, कहीं से भी डॉक्टर्स के साथ सीधी अपनी चर्चा करके अपने उपचार का रास्ता लेते हैं। और इससे जिन लोगों को अस्पताल जाने के लिए कई किलोमीटर का सफर करना पड़ता था, आज डॉक्टर उनके घर पर, उनकी स्क्रीन पर उपलब्ध है। अब तक ये आंकड़ा भी आपको जरूर आश्चर्य करेगा। यानी भारत ने टेक्नोलॉजी को किस प्रकार से अडाप्ट किया है, सामान्य मानवीय के जीवन को कैसे सरल किया है। अब तक ईं-संजीवनी के तहत करीब-करीब 50 करोड़ टेली-कंसल्टेशंस हो चुकी हैं।

साथियों,

आज भारत में Travel Experience बदल रहा है, भारत के नागरिकों की यात्राएं पूरी तरह बदल गई हैं। यहां इस हॉल में ऐसा व्यक्ति खोजना मुश्किल होगा, जिसने एयरपोर्ट पर डिजी यात्रा का इस्तेमाल ना किया हो। ऐसे ही आजकल बहुत सारा काम Seamless तरीके से हो रहा है। हाइवे पर फास्ट टैग चल रहे हैं, ताकि आप बिना रुके टोल देकर आगे बढ़ सकें। Ease of Living का सही अर्थ यही है। समय की बचत हो रही है, जीवन आसान हो रहा है, और करोड़ों लोग अपनी प्रगति पर फोकस कर पा रहे हैं।

साथियों,

Politics में अक्सर वही फैसले headlines बनते हैं, जिनका असर आज दिखाई दे, यानी उसकी उमर 24 घंटे हो। पहले की सरकारों ने इलेक्शन सामने देख कर भी घोषणाएं करने का फॉर्मूला अपनाया। लेकिन ऐसी घोषणाओं से देश नहीं बदला। देश बदलने वाले फैसले वो होते हैं, जिनका प्रभाव जमीन पर दिखे, जो वर्तमान और भविष्य, दोनों को ध्यान में रखकर के लिए गए होने चाहिए।

साथियों,

पीएम कुसुम योजना और पीएम सूर्यघर मुफ्त बिजली योजना इसका बहुत बड़ा यूनीक Example है। कुसुम योजना से किसानों को बिजली की चिंता से मुक्ति मिली है। और सूर्यघर योजना से मिडिल क्लास को बहुत फायदा हुआ है।

साथियों,

मैं ये जानता हूं कि अगर मैंने ये अनाउंस कर दिया होता कि आज से लाखों-लाख परिवारों के लिए बिजली मुफ्त है, तो सारा मीडिया, सारी स्क्रीन्स, सारे न्यूजपेपर्स, बड़ी-बड़ी हेडलाइन बनाकर के खबर दे देते कि मोदी जी ने आज अनाउंस कर दिया है। लेकिन हमने कुछ दूसरे अप्रोच से काम शुरू किया। हमने हर घर की छत पर एक सूरज उगाने की ठान ली, और आज देश के 50 लाख से ज्यादा परिवार, पीएम सूर्यघर मुफ्त बिजली योजना से जुड़े हैं। सरकार ने 22 हजार करोड़ रुपए से ज्यादा इन परिवारों को दिए हैं, ये सोलर सिस्टम लगाने के लिए, ताकि उनकी छत पर सोलर प्लांट लगाकर सोलर पावर पैदा की जा सके। अब ये परिवार, एक्स्ट्रा बिजली को, बिजली ग्रिड में बेचकर, पैसे भी कमा रहे हैं। खुद का बिल तो जीरो हुआ, कमाई भी होने लगी। इस योजना से लोगों के सपनों को भी विस्तार मिल रहा है। बिजली बिल कम हुआ है, तो अब घर में फ्रिज, कूलर, वाशिंग मशीन, टीवी जैसी चीजें लोग खरीदकर रखने लगे हैं। अब ये डर नहीं होता कि बिजली कटौती की वजह से दूध फट जाएगा, अब चिंता नहीं रहती है। अब स्कूल जाने वाले बच्चे रातभर चैन से सो पाते हैं। मैं फिर कहता हूं- इलेक्शन हो या ना हो, लेकिन ये सूर्यघर और उसकी रोशनी बनी रहेगी, इस प्लांट का फायदा, सालों तक देश के परिवारों को होता रहेगा।

साथियों,

आने वाले समय में Ease of Living और Ease of Doing Business का और विस्तार होगा। देश के Youth के लिए, नारीशक्ति के लिए, Farmers के लिए, गरीब और Middle Class के लिए, हमारी सरकार लगातार काम करती रहेगी, हमारी Reform Express और अधिक गति से आगे बढ़ने वाली है। विकसित भारत का लक्ष्य पूरा करने के लिए, हम पूरी प्रतिबद्धता के साथ काम करते रहेंगे। और मैं, मेरे लिए भारत का future अगर सुनिश्चित हो गया ना, तो दुनिया के future में भी स्थिरता लाने का बहुत बड़ा काम इसी धरती से होने वाला है। इस आत्मविश्वास के साथ भारत जितना स्टेबल होगा, भारत का future जितना सुरक्षित होगा, विश्व को सुरक्षत्व का एहसास देने की ताकत यहीं से पैदा होने वाली है। इस सामर्थ्य के साथ, इसी संकल्प के साथ, मैं एक बार फिर, आज के इस कार्यक्रम में मुझे आमंत्रित करने के लिए, Economic Times की पूरी टीम का हृदय से बहुत-बहुत धन्यवाद करता हूं। वन्दे मातरम् !