Kolkata port represents industrial, spiritual and self-sufficiency aspirations of India: PM
I announce the renaming of the Kolkata Port Trust to Dr. Shyama Prasad Mukherjee Port: PM Modi
The country is greatly benefitting from inland waterways: PM Modi

નમસ્તે. આમાર પ્રિયો બંગ્લાર ભાઈ ઓ બોનેરા! ઈંગરેઝી નોબો બોરસેર હાર્દિક શુભોકામોના એબોન્ગ આસોનો મકર સંક્રાંતિ ઉપોલોક્ખે અપના દેર શુભેચ્છા !!

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, શ્રીમાન જગદીપ ધનખરજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી મનસુખ માંડવિયાજી, અહિયાં ઉપસ્થિત ભારત સરકારના અન્ય મંત્રીગણ, સાંસદગણ, અને મોટી સંખ્યામાં અહિયાં પધારેલા પશ્ચિમ બંગાળના મારા બહેનો અને ભાઈઓ.

માં ગંગાના સાનિધ્યમાં, ગંગાસાગરની નજીક, દેશની જળશક્તિના આ ઐતિહાસિક પ્રતિક પર, આ સમારોહનો ભાગ બનવું આપણા સૌની માટે એક અનન્ય સૌભાગ્યની વાત છે. આજનો આ દિવસ કોલકાતા પોર્ટ ટ્રસ્ટની માટે, તેની સાથે જોડાયેલ લોકો માટે, અહિયાં કામ કરી ચુકેલા સાથીઓ માટે તો ખૂબ જ મહત્વપૂર્ણ અવસર છે. ભારતમાં બંદરને લગતા વિકાસને નવી ઉર્જા આપવા માટે પણ હું સમજુ છું કે આનાથી મોટો અન્ય કોઈ અવસર હોઈ ના શકે. સ્થાપનાના 150માં વર્ષમાં પ્રવેશ કરવા માટે કોલકાતા પોર્ટ ટ્રસ્ટ સાથે જોડાયેલ આપ સૌ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અનેક અનેક શુભકામનાઓ આપું છું.

સાથીઓ, થોડા સમય પૂર્વ અહિયાં આજના આ ક્ષણની સાક્ષી પૂરનાર ટપાલ ટીકીટ જાહેર કરવામાં આવી. તેની સાથે જ આ ટ્રસ્ટના કર્મચારીઓ અને અહિયાં કામ કરી ચુકેલા હજારો પૂર્વ કર્મચારીઓના પેન્શન માટે 500 કરોડ રૂપિયાનો ચેક પણ સોંપવામાં આવ્યો. ખાસ કરીને 100 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ મહાનુભવોને સન્માનિત કરવાનું ગૌરવ મને મળ્યું. કોલકાતા પોર્ટ ટ્રસ્ટના માધ્યમથી રાષ્ટ્ર સેવા કરનારા આવા તમામ મહાનુભવોને અને તેમના પરિવારોને હું નમન કરું છું, તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.

સાથીઓ, આ પોર્ટના વિસ્તૃતિકરણ અને આધુનિકીકરણ માટે આજે સેંકડો કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આદિવાસી દીકરીઓના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે હોસ્ટેલ અને સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. વિકાસની આ તમામ સુવિધાઓ માટે પણ પશ્ચિમ બંગાળના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ, કોલકાતા પોર્ટ માત્ર જહાજોના આવવા જવાનું સ્થાન જ નથી, તેણે એક સંપૂર્ણ ઈતિહાસને પોતાની અંદર સમેટેલો છે. આ પોર્ટે ભારતને વિદેશી રાજમાંથી સ્વરાજ મેળવતા જોયું છે. સત્યાગ્રહથી લઈને સ્વચ્છાગ્રહ સુધી, આ પોર્ટે દેશને બદલતો નિહાળ્યો છે. આ પોર્ટ માત્ર માલવાહકોનું જ સ્થાન નથી રહ્યું, પરંતુ દેશ અને દુનિયા પર છાપ છોડનાર જ્ઞાનવાહકોના ચરણ પણ આ પોર્ટ ઉપર પડ્યા છે. અનેક મનીષીઓએ, અનેક અવસરો પર અહિયાથી વિશ્વની પોતાની યાત્રાની શરૂઆત કરી હતી.

એક રીતે કોલકાતાનું આ પોર્ટ ભારતની ઔદ્યોગિક, આધ્યાત્મિક અને આત્મનિર્ભરતાની આકાંક્ષાનું જીવતું-જાગતું પ્રતિક છે. એવા સમયે જ્યારે આ પોર્ટ 150માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે તેને ન્યુ ઇન્ડિયાના નિર્માણનું પણ એક ઉર્જાવાન પ્રતિક બનાવવું એ આપણા સૌની જવાબદારી છે.

પશ્ચિમ બંગાળની, દેશની આ જ ભાવનાને નમન કરતા હું કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામ, ભારતના ઔધ્યોગીકરણના પ્રણેતા, બંગાળના વિકાસનું સપનું લઈને જીવનારા અને એક દેશ, એક વિધાન માટે બલિદાન આપનારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના નામ પર કરવાની જાહેરાત કરું છું. હવેથી આ પોર્ટ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટના નામથી ઓળખાશે.

સાથીઓ, બંગાળના સપૂત, ડોક્ટર મુખર્જીએ દેશમાં ઔદ્યોગિકરણનો પાયો નાંખ્યો હતો. ચિત્તરંજન લોકોમોટીવ ફેક્ટરી, હિન્દુસ્તાન એરક્રાફ્ટ ફેક્ટરી, સિંદરી ફર્ટીલાઈઝર કારખાનું અને દામોદર વેલી કોર્પોરેશન; આવી અનેક મોટી પરિયોજનાઓના વિકાસમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. અને આજના આ અવસર પર, હું બાબાસાહેબ આંબેડકરને પણ યાદ કરું છું, તેમને નમન કરું છું. ડોક્ટર મુખર્જી અને બાબાસાહેબ આંબેડકર, બંનેએ સ્વતંત્રતા પછીના ભારત માટે નવી નવી નીતિઓ આપી હતી, નવું વિઝન આપ્યું હતું.

ડોક્ટર મુખર્જી દ્વારા બનાવવામાં આવેલ સૌપ્રથમ ઔદ્યોગિક નીતિમાં દેશના જળ સંસાધનોના યથોચિત ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો હતો તો બાબા સાહેબે દેશની સૌપ્રથમ જળ સંસાધન નીતિ અને શ્રમિકો સાથે જોડાયેલ કાયદાઓના નિર્માણને લઈને પોતાના અનુભવોનો ઉપયોગ કર્યો હતો. દેશમાં નદી ઘાટી પરિયોજનાઓનું, ડેમ્સનું, પોર્ટ્સનું નિર્માણ ઝડપથી થઇ શક્યું તો તેનો મોટો શ્રેય આ બંને મહાન સપૂતોને જાય છે. આ બંને વ્યક્તિત્વોએ દેશના સંસાધનોની શક્તિને સમજી હતી, તેને દેશની જરૂરિયાતો અનુસાર ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો હતો.

અહિયાં કોલકાતામાં જ 1944માં નવી જળ નીતિને લઈને થયેલી કોન્ફરન્સમાં બાબા સાહેબે કહ્યું હતું કે ભારતની જળ માર્ગ નીતિ વ્યાપક હોવી જોઈએ. તેમાં સિંચાઈ, વીજળી અને વાહનવ્યવહાર જેવા દરેક પાસાનો સમાવેશ થયેલો હોવો જોઈએ. પરંતુ એ દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને બાબા સાહેબના સરકારમાંથી દૂર થયા બાદ, તેમના સૂચનો પર તે રીતનો અમલ નથી કરવામાં આવ્યો, જેવો થવો જોઈતો હતો.

સાથીઓ, ભારતની વિશાળ સમુદ્ર સીમા લગભગ 75૦૦ કિલોમીટર લાંબી છે. દુનિયામાં સમુદ્ર તટ સાથે જોડાયેલા હોવું આજે પણ બહુ મોટી તાકાત માનવામાં આવે છે. લેન્ડ લોક્ડ દેશો પોતાની જાતને ક્યારેક ક્યારેક અસહાય અનુભવ કરે છે. પહેલાના સમયમાં ભારતની પણ એક બહુ મોટી શક્તિ હતી. ગુજરાતના લોથલ બંદરથી લઈને કોલકાતા પોર્ટ સુધી જોઈએ તો ભારતના લાંબા દરિયાકિનારા મારફતે દુનિયામાં વેપાર કારોબાર થતો હતો અને સભ્યતા, સંસ્કૃતિનો પ્રસાર પણ થતો હતો. વર્ષ 2014 પછી ભારતની આ શક્તિને ફરીથી મજબૂત કરવા માટે નવીન રીતે વિચારણા કરવામાં આવી, નવી ઉર્જા સાથે કામ શરુ કરવામાં આવ્યું.

સાથીઓ, અમારી સરકાર એવું માને છે કે ભારતના બંદરગાહ ભારતની સમૃદ્ધિના પ્રવેશદ્વાર છે. અને એટલા માટે સરકારે દરિયા કિનારા પર કનેક્ટિવિટી અને ત્યાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે સાગરમાળા કાર્યક્રમ શરુ કર્યો. સાગરમાળા પરિયોજના અંતર્ગત દેશમાં ઉપસ્થિત પોર્ટનું આધુનિકરણ અને એક નવા પોર્ટના વિકાસનું કામ સતત કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓ, રેલમાર્ગ, આંતરરાજ્ય જળમાર્ગ અને કોસ્ટલ વાહનવ્યવહારને સંકલિત કરવામાં આવી રહ્યા છે. આ પરિયોજનાઓ કોસ્ટલ વાહનવ્યવહારના માધ્યમથી માલ વહનને વધારવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી રહી છે.

આ યોજના અંતર્ગત લગભગ 6 લાખ કરોડ રૂપિયાથી વધુના પોણા છસો પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી ચુકી છે. તેમાંથી ૩ લાખ કરોડ રૂપિયાથી વધુના 2૦૦થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે અને લગભગ સવા સો પૂરા પણ થઇ ચુક્યા છે.

સાથીઓ, સરકારનો પ્રયાસ છે કે ટ્રાન્સપોર્ટેશનનું સમગ્ર માળખું આધુનિક અને સંકલિત હોય. આપણા દેશમાં ટ્રાન્સપોર્ટ નીતિઓમાં જે અસંતુલન હતું, તેને પણ દૂર કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ પૂર્વ ભારત અને ઉત્તર પૂર્વને આંતરિક જળમાર્ગ એટલે કે નદી જળમાર્ગ આધારિત યોજનાઓ વડે વિશેષ લાભ પહોંચી રહ્યો છે અને આવનારા સમયમાં જળ શક્તિના માધ્યમથી સંપૂર્ણ ઉત્તર પૂર્વને જોડવાનું નેટવર્ક ભારતના વિકાસમાં એક સ્વર્ણિમ પૃષ્ઠના રૂપમાં ઉપસીને આવવાનું છે.

બહેનો અને ભાઈઓ, કોલકાતા તો જળ સાથે જોડાયેલ વિકાસના મામલામાં વધારે ભાગ્યશાળી છે. કોલકાતા પોર્ટ દેશની સમુદ્રી સીમામાં પણ છે અને નદીના તટ પર પણ ઉપસ્થિત છે. આ રીતે તે દેશની અંદર અને દેશની બહારના જળમાર્ગોનું એક રીતે સંગમ સ્થાન છે.

આપ સૌ સારી રીતે જાણો છો કે હલ્દીયા અને બનારસની વચ્ચે ગંગાજીમાં જહાજોનું આવાગમન શરુ થઇ ચુક્યું છે. અને હું કાશીનો એમપી છું, એટલા માટે સ્વાભાવિકપણે તમારી સાથે સીધો જોડાઈ ચુક્યો છું. દેશના આ સર્વપ્રથમ આધુનિક આંતરિક જળમાર્ગને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે.

આ વર્ષે હલ્દીયામાં મલ્ટી મોડલ ટર્મિનલ અને ફરક્કામાં નેવિગેશનલ લોકને તૈયાર કરવાનો પ્રયાસ છે. વર્ષ 2021 સુધીમાં ગંગામાં મોટા જહાજો પણ ચાલી શકે, તેની માટે પણ જરૂરી ઊંડાઈ બનાવવાનું કામ પ્રગતિ પર છે. તેની સાથે સાથે ગંગાજીને આસામના પાંડુમાં બ્રહ્મપુત્રા સાથે જોડનારા આંતરિક જળમાર્ગ – 2 પર પણ કાર્ગો ટ્રાન્સપોર્ટેશન શરુ થઇ ચુક્યું છે. નદી જળમાર્ગની સુવિધાઓના બનવાથી કોલકાતા પોર્ટ પૂર્વી ભારતના ઔદ્યોગિક કેન્દ્રો સાથે તો જોડાયેલું છે જ, નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન અને મ્યાનમાર જેવા દેશોની માટે વેપાર વધુ સરળ બન્યો છે.

સાથીઓ, દેશના પોર્ટ્સમાં આધુનિક સુવિધાઓનું નિર્માણ, સંપર્કની વધુ સારી વ્યવસ્થા, મેનેજમેન્ટમાં સુધારો જેવા અનેક પગલાઓના કારણે કાર્ગોના કલીયરન્સ અને તેના ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલ સમયમાં ઘટાડો થયો છે.

ટર્નઅરાઉંડ ટાઈમ વીતેલા 5 વર્ષોમાં ઘટીને લગભગ અડધો થઇ ગયો છે. તે એક મોટું કારણ છે જેના પગલે ભારતની વેપાર કરવાની સરળતાની રેન્કિંગમાં 79 ક્રમનો સુધારો થયો છે.

સાથીઓ, આવનારા સમયમાં જળ સંપર્કના વિસ્તૃતિકરણનો ઘણો મોટો લાભ પશ્ચિમ બંગાળને થશે, કોલકાતાને થશે, અહિયાંના ખેડૂતો, ઉદ્યોગો અને શ્રમિકોને થશે, અહિયાંના મારા માછીમાર ભાઈઓ બહેનોને થશે.

આપણા માછીમાર ભાઈઓ જળ સંપદાનો પુરેપુરો ઉપયોગ કરી શકે, તેની માટે સરકાર ભૂરી ક્રાંતિ યોજના ચલાવી રહી છે. તે અંતર્ગત તેમને આ ક્ષેત્રમાં મુલ્ય ઉમેરણ કરવાની સાથે સાથે જ ટ્રોલર્સના આધુનિકરણમાં પણ મદદ કરવામાં આવી રહી છે. કિસાન ક્રેડીટ કાર્ડના માધ્યમથી માછીમારોને હવે બેંકોમાંથી સસ્તું અને સરળ ધિરાણ પણ ઉપલબ્ધ થઇ રહ્યું છે. એક બાજુ અમે જુદું જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે, તેને જ તાકાત આપનાર અને તેમાંથી જ વધુમાં વધુ ફાયદો લેનાર અલગ ફિશરીઝ મીનીસ્ટ્રી પણ બનાવવામાં આવી છે. એટલે કે વિકાસને અમે ક્યાં લઇ જવા માંગીએ છીએ, કઈ દિશામાં જવા માંગીએ છીએ, તેનો સંકેત આ રચનાઓમાં પણ સમાહિત છે.

સાથીઓ, પોર્ટ આધારિત વિકાસ એક વ્યાપક ઇકોસિસ્ટમનો વિકાસ કરે છે. આ જળ સંપત્તિનો ઉપયોગ પર્યટન માટે, સમુદ્રી પર્યટન, નદી જળ પર્યટનની માટે પણ કરવામાં આવી રહ્યો છે. આજકાલ લોકો ક્રુઝ માટે વિદેશોમાં જતા રહે છે. આ બધી જ વસ્તુઓ આપણે ત્યાં બહુ સરળતાથી વિકસિત કરી શકાય તેમ છે. તે સુખદ સંયોગ છે કે ગઈકાલે જ પશ્ચિમ બંગાળની કળા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ મોટા કેન્દ્રોના આધુનિકરણની શરૂઆત થઇ અને આજે અહિયાં જળ પ્રવાસન સાથે જોડાયેલ મોટી યોજનાનો પ્રારંભ થયો છે.

રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ યોજના વડે પશ્ચિમ બંગાળના પ્રવાસન ઉદ્યોગને નવો ચહેરો મળવાનો છે. અહિયાં 32 એકર જમીન પર જ્યારે ગંગાજીના દર્શન માટે આરામદાયક સુવિધાઓ તૈયાર થશે ત્યારે તેનાથી પ્રવાસીઓને પણ લાભ મળશે.

બહેનો અને ભાઈઓ, માત્ર કોલકાતામાં જ નહી, સરકાર દ્વારા સમગ્ર દેશમાં પોર્ટ્સ સાથે જોડાયેલ શહેરો અને ક્લસ્ટરમાં માછલીઘર, વોટર પાર્ક, દરિયાઈ મ્યુઝીયમ, ક્રુઝ અને વોટર સ્પોર્ટ્સની માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકાર ક્રુઝ આધારિત પ્રવાસનને પણ પ્રોત્સાહન આપી રહી છે. દેશમાં ક્રુઝ શીપની સંખ્યા જે અત્યારે દોઢસોથી લગભગ લગભગ 150ની આસપાસ છે, હવે તેને અમે 1 હજાર સુધી વધારવાનું લક્ષ્ય રાખીને કામ કરી રહ્યા છીએ. આ વિસ્તારનો લાભ પશ્ચિમ બંગાળને પણ જરૂરથી મળવાનો છે, બંગાળની ખાડીમાં સ્થિત દ્વીપોને પણ મળવાનો છે.

સાથીઓ, પશ્ચિમ બંગાળના વિકાસ માટે કેન્દ્ર સરકારની તરફથી દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગરીબો, દલિતો, વંચિતો, શોષિતો અને પછાતોના વિકાસ માટે સમર્પિત ભાવથી અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં લગભગ 90 લાખ ગરીબ બહેનોને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના જોડાણો મળ્યા છે. તેમાં પણ 35 લાખથી વધુ બહેનો દલિત અને આદિવાસી પરિવારમાંથી આવે છે.

જેવી રાજ્ય સરકાર આયુષ્માન ભારત યોજના, પીએમ કિસાન સમ્માન નિધિની માટે મંજૂરી આપી દેશે; મને નથી ખબર કે આપશે કે નહી આપે, પરંતુ જો આપી દેશે તો અહિયાંના લોકોને આ યોજનાઓનો પણ લાભ મળવા લાગશે.

અને આમ તો તમને જણાવી દઉં કે આયુષ્માન ભારત અંતર્ગત દેશના લગભગ લગભગ 75 લાખ ગરીબ દર્દીઓને ગંભીર બીમારીઓની સ્થિતિમાં મફત ઈલાજ મળી ચુક્યો છે. અને તમે કલ્પના કરી શકો છો જ્યારે ગરીબ બીમારી સામે ઝઝૂમે છે, ત્યારે જીવવાની આશા છોડી દે છે. અને જ્યારે ગરીબને બીમારીમાંથી બચવાનો સહારો મળી જાય છે તો તેના આશીર્વાદ અનમોલ હોય છે. આજે હું શાંતિથી ઊંઘી શકું છું કારણ કે આવા ગરીબ પરિવાર સતત આશીર્વાદ વરસાવતા રહે છે.

એ જ રીતે પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત દેશના 8 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં લગભગ 43 હજાર કરોડ રૂપિયા સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત તેમના ખાતામાં જમા થઇ ચુક્યા છે. કોઈ વચેટિયા નહી, કોઈ કપાત નહી, કોઈ સિન્ડીકેટ નહી; અને જ્યારે સીધો પહોંચે છે, કપાત મળતી નથી, સિન્ડીકેટનું ચાલતું નથી, આવી યોજના કોઈ શું કામ લાગુ કરશે?

દેશના 8 કરોડ ખેડૂતોને આટલી મોટી મદદ, પરંતુ મારા દિલમાં હંમેશા દર્દ રહેશે, હું હંમેશા ઈચ્છીશ, ઈશ્વરને પ્રાર્થના કરીશ કે નીતિ નિર્ધારકોને આ અંગે સદબુદ્ધિ આપે. અને ગરીબોને બીમારીમાં મદદ માટે આયુષ્માન ભારત યોજના અને ખેડૂતોની જિંદગીમાં સુખ અને શાંતિનો રસ્તો પાક્કો થાય તેની માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ મારા બંગાળના ગરીબોને મળે, મારા બંગાળના ખેડૂતોને મળે. આજે બંગાળની જનતાનો મિજાજ હું જાણું છું, ખૂબ સારી રીતે જાણું છું. બંગાળની જનતાની તાકાત છે કે હવે આ યોજનાઓથી લોકોને વંચિત કોઈ નહી રાખી શકે.

સાથીઓ, પશ્ચિમ બંગાળના અનેક વીર દીકરા-દીકરીઓએ જે ગામ અને ગરીબ માટે અવાજ ઉઠાવ્યો, તેમનો વિકાસ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. તે કોઈ એક વ્યક્તિની, કોઈ એક સરકારની જવાબદારી નથી, પરંતુ સંપૂર્ણ ભારતવર્ષનો સામૂહિક સંકલ્પ પણ છે. સામૂહિક જવાબદારી પણ છે અને સામૂહિક પુરુષાર્થ પણ છે. મને વિશ્વાસ છે કે 21મી સદીના નવા દશકમાં, જ્યારે દુનિયા એક વૈભવશાળી ભારતની રાહ જોઈ રહી છે, ત્યારે આપણા આ સામૂહિક પ્રયાસ દુનિયાને ક્યારેય નિરાશ નહી કરે, આપણા આ પ્રયાસો જરૂરથી રંગ લાવશે.

એ જ આત્મવિશ્વાસ સાથે 130 કરોડ દેશવાસીઓની સંકલ્પશક્તિ અને તેમના સામર્થ્ય પર અપ્રતિમ શ્રદ્ધા હોવાના કારણે હું ભારતના ઉજ્જવળ ભવિષ્યને મારી નજર સમક્ષ જોઈ રહ્યો છું.

અને આ જ વિશ્વાસની સાથે આવો આપણે કર્તવ્ય પથ પર ચાલીએ, આપણા કર્તવ્યોનું વહન કરવા માટે આગળ આવીએ. 130 કરોડ દેશવાસી જ્યારે પોતાના કર્તવ્યોનું પાલન કરે છે તો દેશ જોત જોતામાં જ નવી ઉંચાઈઓને પાર કરી લે છે.

એ જ વિશ્વાસની સાથે એક વાર ફરી કોલકાતા પોર્ટ ટ્રસ્ટના 150 વર્ષ માટે અને વિકાસ પરિયોજનાઓ માટે, આજના આ મહત્વપૂર્ણ અવસર પર હું આપ સૌને, સંપૂર્ણ પશ્ચિમ બંગાળને, અહિયાંની મહાન પરંપરાઓને નમન કરીને અનેક અનેક શુભકામનાઓ આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

મારી સાથે આ ધરતી, પ્રેરણાની ધરતી, દેશનું સામર્થ્ય જગાડનારી ધરતી છે. અહિયાંથી સંપૂર્ણ તાકાત વડે આપણા સપનાઓને સમેટતો નારો આપણે બોલીશું. બંને હાથ ઉપર કરીને, મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાત સાથે બોલીશું-

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ખૂબ ખૂબ આભાર!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature

Media Coverage

IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of Prime Minister addresses the Indian Community in Paris
June 18, 2026

नमस्ते!

बों जू!

ऐसा लग रहा है, आप सब छुट्टी के मूड में हैं।

साथियों,

ये पेरिस शहर, Lights का शहर है, रंगों का शहर है, यहां Art है, Ideas हैं, और innovation की प्रेरणा भी है। इस शहर को भारत के अलग-अलग राज्यों से आए आप सभी लोग और भी खूबसूरत बना देते हैं। नए नए रंगों से भर देते हैं।

कोई तमिल है, कोई पंजाबी है, कोई गुजराती है, तो कोई मराठी है, और कोई बंगाली है। भारत के हर कोने का प्रतिनिधित्व यहां दिखाई देता है।

साथियों,

मैं जब 14 जून को नीस पहुंचा था तो सबसे पहले भारत इनोवेट्स कार्यक्रम में शामिल हुआ था। आज जब मैं फ्रांस से वापसी की तैयारी में हूं तो लग रहा है जैसे भारत कनेक्ट्स कार्यक्रम में आ गया हूं।

फ्रांस में रहने वाले आप लोगों ने 21वीं सदी के भारत-फ्रांस रिश्तों को जिस तरह कनेक्ट किया है, वो हमारी Strategic Partnership की बहुत बड़ी ताकत बन रही है। मैं आप सभी के लिए भारत से 140 करोड़ देशवासियों की शुभकामनाएं लेकर आया हूं। इस आत्मीय स्वागत के लिए, मैं आप सभी का हृदय से आभार व्यक्त करता हूं।

साथियों,

आज मैं ऐसे समय में फ्रांस आया हूं जब कुछ ही दिन पहले हमारी सरकार के 12 वर्ष पूरे हुए हैं। चुने हुए प्रधानमंत्री के रूप निरंतर 12 साल तक देश की सेवा करना मेरे जीवन का बहुत बड़ा सौभाग्य रहा है। यह भारत के लोकतंत्र की शक्ति है जिसने एक चायवाले को यहां तक पहुंचा दिया।

साथियों,

बीते 12 वर्ष, 140 करोड़ भारतीयों के अद्भुत सामर्थ्य के रहे हैं। 12 साल के इस कालखंड में भारत का GDP दोगुना हुआ है। Airports की संख्या दोगुनी हुई है। Universities की संख्या भी दोगुनी हो गई है। Highway Construction की स्पीड तीन गुना बढ़ गई। और Metro Network, चार गुणा बड़ा हो गया है।

मैं आपको कुछ और फैक्ट्स दूंगा, उससे आप अंदाजा लगा पाएंगे कि भारत किस स्पीड और कितने बड़े स्केल पर काम कर रहा है। पिछले 12 वर्षों में भारत का Defence Export 35 गुणा यानि Thirty Five Times बढ़ गया है।

औऱ एक फैक्ट सुनिए भारत में मोबाइल मैन्यूफैक्टरिंग यूनिट्स में, 100 गुणा की बढ़ोतरी हुई है। 100 times. भारत अब दुनिया का दूसरा सबसे बड़ा mobile phone manufacturer है। इसी गति, इसी प्रगति का नतीजा है कि आज भारत दुनिया की Fastest Growing Major Economy है।

साथियों,

आज भारत की कहानी सिर्फ Economic Progress की कहानी नहीं है। सिर्फ यहाँ अटक नहीं जाती है। ये Social Transformation की भी कहानी है।

पिछले 12 साल में देश में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। यानि एक ऐसी प्रगति जिसका लाभ समाज के अंतिम व्यक्ति तक पहुंच रहा है। फ्रांस में जितने घर हैं, उससे भी अधिक पक्के घर बीते 12 वर्ष में हमने जरूरतमंदों के लिए बनाए हैं।

अब हर परिवार के पास, गरीब से गरीब क्यों न हो, Bank Account है। Financial Inclusion एक सरकारी कार्यक्रम नहीं, बल्कि सामाजिक परिवर्तन का अभियान बना है।

साथियों,

इन 12 वर्षों की उपलब्धियों में, एक उपलब्धि ऐसी भी है जिसे किसी आंकड़े से, या अंकों से, नहीं मापा जा सकता। वह है 140 करोड़ भारतीयों का आत्मविश्वास।

आज का भारत और आज के भारत का युवा बहुत बड़े सपने देख रहा है। भारत का किसान नई संभावनाओं के साथ आगे बढ़ रहा है। भारत की महिलाएं नए नेतृत्व का परिचय दे रही हैं। इसलिए ये सिर्फ Achievements के 12 साल नहीं हैं, ये भारत की एस्पिरेशन्स को नई बुलंदी देने का कालखंड रहा है।

साथियों,

एक समय था जब दूर-दराज के गांवों तक आधुनिक सुविधाएं पहुंचाना वाकई बहुत मुश्किल भरा था। आज उन्हीं गांवों में बिजली भी है, इंटरनेट भी है, और डिजिटल सेवाओं की पूरी दुनिया भी है। आज एक क्लिक पर, कभी भी, कहीं भी बैंकिंग सेवाएं उपलब्ध हैं।

आज मोबाइल फोन, भारत के नागरिकों को अनेक सुविधाओं से कनेक्ट कर रहा है। हमारे किसान, हमारे मछुआरे, हमारे dairy farmers, हमारी महिलाएं, हमारे स्टूडेंट्स, सभी टेक्नोलॉजी के माध्यम से सशक्त हो रहे हैं, और अपने लिए नए अवसर बना रहे हैं।

साथियों,

आपने 125 करोड़ से अधिक Aadhaar IDs के बारे में सुना है। लेकिन आज भारत सिर्फ पहचान को डिजिटल नहीं बना रहा। आज करीब 90 करोड़ भारतीयों की Unique Digital Health IDs बनाई जा चुकी हैं। जिससे मेडिकल रिकॉर्ड सुरक्षित और accessible बन गए हैं। इससे हेल्थकेयर डिलीवरी और अधिक आसान और efficient हो रही है।

साथियों,

इन उपलब्धियों की सबसे बड़ी विशेषता यह है कि इनमें से अधिकांश चीजें कुछ वर्ष पहले तक कल्पना जैसी लगती थीं। कौन सोच सकता था कि गांव-गांव तक हाई-स्पीड इंटरनेट पहुंचेगा ? कौन सोच सकता था कि दूर-सुदूर के गांवों में भी QR code जीवन का हिस्सा बन जायेगा ? गांव में कोई बहन, ड्रोन से खेती करने में मदद करेगी, ये भी असंभव लगता था।

लेकिन आज यह सब, भारत के करोड़ों लोगों के जीवन का सामान्य हिस्सा बनता जा रहा है। और आपको गर्व होगा साथियों, यही नए भारत की पहचान है।

जो कभी सपना था, वह आज सच्चाई है। जो कभी नामुमकिन लगता था, वो आज मुमकिन हुआ है, औऱ ये करने के पीछे सबसे बड़ी ताकत क्या है? किसकी वजह से ये सब संभव हुआ है? यह मोदी के कारण नहीं, वो ताकत है- भारत का लोकतंत्र, भारत की डेमोक्रेसी। इस डेमोक्रेसी में सबका साथ है, सबका विकास है।

साथियों,

आज से 50 या 100 साल बाद जब भारत के इस कालखंड की समीक्षा होगी, तो ये बात उभरकर सामने आएगी कि इस कालखंड को भारत की Aspirations ने ड्राइव किया। यह भारत के एस्पिरेशन्स का नया युग है।

जहां बिजली पहुंची है, वहां लोग सिर्फ बिजली नहीं चाहते, वे Smart Living चाहते हैं। जहां ट्रेन पहुंची है, वहां लोग High-Speed Connectivity चाहते हैं। जहां हाईवे बने हैं, वहां लोग World-Class Expressways चाहते हैं। जहां इंटरनेट पहुंचा है, वहां लोग AI और Digital Innovation में नेतृत्व चाहते हैं।

यानि आज भारत के लोग अपने जीवन को भी Next Level पर ले जाना चाहते हैं, और भारत को भी Next Level पर ले जाना उनका मकसद है, उनका संकल्प है, उनके सपने है।

और साथियों,

यही Aspirations आज भारत की विकास यात्रा की सबसे बड़ी शक्ति हैं। मैं आपको भारत की Space Journey का उदाहरण दूंगा।

भारत ने चंद्रयान को चंद्रमा के South Pole पर उतारा। दुनिया ने इसे एक बहुत बड़ी उपलब्धि माना। लेकिन भारत इसे अपनी मंजिल मानकर रुका नहीं। आज देश गगनयान की तैयारी कर रहा है। भारत अंतरिक्ष में अपना Space Station बनाने की दिशा में आगे बढ़ रहा है।

हमारे Space Startups Global Space Economy में अपनी जगह बनाने के लिए पुरजोश काम कर रहे हैं, आगे बढ़ रहे हैं।

साथियों,

Green Energy के क्षेत्र में भी भारत की यही एस्पिरेशंस दिखाई देती है। Solar Power में भारत की उपलब्धियों की दुनिया भर में लगातार चर्चा हो रही हैं। लेकिन भारत अगली छलांग की तैयारी कर रहा है।

Green Hydrogen में बड़े निवेश हो रहे हैं। Advanced Nuclear Energy पर तेजी से काम हो रहा है। आपने भारत के Fast Breeder nuclear Reactor से जुड़ी प्रोग्रेस के बारे में भी सुना ज़रूर होगा। ये भारत के न्यूक्लियर एनर्जी लैंडस्केप में क्रांतिकारी परिवर्तन करने का बहुत बड़ा अचीवमेंट हमारे सीसेन्टिस्टों ने किया है।

साथियों,

आज का भारत भविष्य का पूरा Ecosystem बना रहा है। भारत एक साथ हर उस क्षेत्र में निवेश कर रहा है, जो आने वाले दशकों की दिशा तय करेगा।

अभी आपने कुछ दिन पहले ही देखा है नीस में भारत इनोवेट्स का एक आयोजन किया। ये इवेंट भारत के डीप टेक सामर्थ्य को दुनिया तक पहुंचाने का एक और माध्यम था। इसमें भारत के 120 Deep-Tech Startups उपस्थित थे। Bharat Innovates में करीब एक हजार चार सौ B2B Meetings हुईं है। कई Startups के लिए Investment Commitments आगे बढ़ीं, Commercial Orders के लिए रास्ते खुले। French और European Universities तथा Incubators के साथ Engagements बढ़ रही हैं।

Student Exchanges, Joint Research, और Innovation Support के नए रास्ते बने। इसलिए Bharat Innovates सिर्फ एक Summit नहीं रहा। यह Innovation Diplomacy का एक नया मॉडल बना है।

और आज ही पेरिस में VivaTech इवेंट के जरिए, इस यात्रा को हमने और आगे बढ़ाया। नीस में हमने Ideas को Capital से जोड़ा और पेरिस में Indian Innovation को Global Scale से जोड़ा। आज दुनिया देख रही है भारत केवल भविष्य के लिए तैयार नहीं हो रहा है। भारत भविष्य को आकार दे रहा है।

साथियों,

एक समय था, जब देशों के बीच रिश्ते केवल व्यापार से तय होते थे। आज व्यापार के साथ-साथ Trust यानि भरोसा भी उतना ही महत्वपूर्ण हो गया है।

हर देश Reliable Supply Chains चाहता है। हर देश Stable Partnerships चाहता है। हर देश ऐसे साथियों की तलाश में है, जिन पर लंबे समय तक भरोसा किया जा सके। और ऐसे समय में, भारत विश्व में एक Trusted Partner के रूप में उभर रहा है।

एवियां में G7 बैठक के दौरान मैंने trust based partnerships बनाने पर ज़ोर दिया। ग्लोबल साउथ के देशों के साथ equal पार्टनर्स के रूप में आगे बढ़ने का आह्वान किया। भारत का G7 समिट में संदेश था Global Governance तभी प्रभावी होगी जब वह Inclusive होगी। Global Growth तभी Sustainable होगी जब वह शेयर्ड होगी। और Global Technology तभी मानवता के लिए उपयोगी होगी जब वह Trusted होगी।

साथियों,

भारत और दुनिया के बीच व्यापारिक रिश्तों में नई ऊर्जा नज़र आ रही है। फ्रांस के साथ भारत का ट्रेड लगतार बढ़ रहा है। पिछले कुछ वर्षों में भारत ने दुनिया के अनेक देशों के साथ Free Trade Agreements किए हैं। यूरोपियन यूनियन हो, यूनाइटेड किंगडम हो दुनिया के हर देश, हर रीजन के साथ भारत समझौते कर रहा है।

अगले महीने से भारत और UK के बीच ट्रेड एग्रीमेंट भी लागू हो जाएगा। यह एग्रीमेंट भारत के farmers, workers और innovators को अनेक नए अवसर प्रदान करेगा।

साथियों,

आज दुनिया Uncertainty और Disruption के दौर से गुजर रही है। ऐसे समय में भारत और फ्रांस की साझेदारी विश्वास, स्थिरता और सहयोग का एक मजबूत स्तंभ बन रहा है।

इस वर्ष हमने भारत और फ्रांस के संबंधों को Special Global Strategic Partnership का दर्जा दिया था। नीस में मेरे मित्र President Macron और मैंने हमारे संबंधों को force for global good बनाने पर चर्चा की। Defence से लेकर space और नुक्लियर तक AI और क्रिटीकल मिनरल्स से लेकर high speed railway तक, हर क्षेत्र में हम मिलकर आगे बढ़ेंगे।

साथियों,

Solar energy हो, या AI के क्षेत्र में सहयोग हो, भारत और फ्रांस मिलकर ऐसे समाधान विकसित कर रहे हैं जो पूरी मानवता के हित में हैं। पिछले वर्ष पेरिस में और इस वर्ष दिल्ली में हमने AI Summit को Co-chair किया।

अब हम साथ मिलकर अगले वर्ष “तृष्णा” satellite को लॉन्च करने जा रहें हैं। यह “तृष्णा” satellite जो विश्व में फूड और वाटर सिक्युरिटी सुनिश्चित करने में योगदान देगा।

और साथियों,

यह सभी गवर्नमेंट टू गवर्नमेंट पहलो में आप सभी का योगदान बहुत महत्वपूर्ण है। ये आप हैं जो भारत और यूरोप के बीच सबसे मजबूत सेतु हैं। आप दोनों समाजों को समझते हैं। दोनों बाजारों को समझते हैं। आने वाले समय में Talent, Trade, Technology, Tourism और Investment के नए अवसरों को आगे बढ़ाने में आपकी भूमिका लगातार बढ़ने वाली हैं।

साथियों,

भारत और फ्रांस के रिश्तों को साझा इतिहास, साझा मूल्यों और साझा विश्वास ने आगे बढ़ाया है। विश्व युद्धों के दौरान फ्रांस की धरती पर बलिदान देने वाले भारतीय सैनिकों की स्मृतियां आज भी हमें जोड़ती हैं।

मुझे पहले नव शापेल में श्रद्धांजलि देने का अवसर मिला, पिछले वर्ष प्रेसिडेंट मैक्रों के साथ मार्सेय के वॉर मेमोरियल जाने का अवसर भी मिला। ये हमारी साझा विरासत है।

फ्रांस, भारतीयों के योगदान को संजोता भी है और सराहता भी है। भारतीय मूल की नूर इनायत खान हों, जिन्होंने फ्रांस की Resistance के लिए अपना जीवन बलिदान किया, या महाराजा रणजीत सिंह के साथ काम करने वाले जनरल जां फ्रांस्वा अलार हों ये सभी भारत और फ्रांस की साझा विरासत के प्रतीक हैं।

भारत के राज्य पुडुचेरी में भी फ्रेंच विरासत की झलक दिखाई देती है। वहां का Architecture, वहां की कला-संस्कृति और खान-पान सभी में हमारे संबंधों की महेक है।

साथियों,

इस समय फ्रांस समेत पूरी दुनिया में International Yoga Day की तैयारी भी चल रही है। इस अवसर पर मैं, फ्रांस में योग को आगे बढ़ाने वाले श्रीमान महेश घाट्राड्याल जी को भी आदरपूर्वक श्रद्धांजलि देता हूं। मैं पद्म पुरस्कार से सम्मानित, शार्लोत शोपां जी को भी प्रणाम करता हूं। जिन्होंने सौ वर्ष की आयु में भी, योग के माध्यम से फ़्रांस को भारत की विरासत से जोड़ा है। उनका जीवन यह सिद्ध करता है: Yoga does not add years to life, it adds life to years.

साथियों,

मैं फ्रेद नेग्री जी को भी आदरपूर्वक श्रद्धापूर्वक याद करता हूं। भारतीय विरासत को संरक्षित करने में उनका योगदान अतुल्य रहा है।

साथियों,

भारत और फ्रांस को कनेक्ट करने वाली एक और चीज है, और वो है फुटबॉल। इस वक्त यहां फुटबॉल फीवर पूरे जोर पर है। फ्रांस में इसकी दीवानगी, चप्पे-चप्पे पर दिखती है। लेकिन भारत में भी फुटबॉल का क्रेज़ सिर चढ़कर बोलता है।

खासतौर पर फ्रांस की टीम के फैन्स भारत में बहुत अधिक हैं। फ़्रांस ने इस वर्ल्ड कप की शुरुआत एक जोरदार जीत से शुरू की है। मैं फ्रांस की टीम को बहुत-बहुत शुभकामनाएं देता हूं।

साथियों,

जाने से पहले, आप सभी के लिए कुछ और अच्छी खबरें भी लेकर के आया हूँ। वो आपके लिए हैं। पिछले वर्ष, मार्सेय में कॉन्सुलेट खोला गया, इससे काफी अधिक सुविधा मिल रही है। कुछ हफ्ते पहले, Indian Nationals के लिए French Airports पर Visa-free Transit की व्यवस्था शुरू हो गई है।

Students और Professionals की Mobility बढ़ाना हो, या Educational Qualifications की Mutual Recognition की बात हो, या फिर French Universities के भारत में Campus खोलना हो, इन सभी पर हम मिलकर आगे बढ़ रहें हैं।

अब फ्रांस में UPI के उपयोग का दायरा भी और बढ़ने जा रहा है। यानि भारत-फ्रांस कनेक्ट भी Instant और आपसी Payment भी Instant!

साथियों,

इन सभी पहलों से, हम भारत और फ़्रांस को और करीब ला रहें हैं। और मैं फिर कहूंगा इस साझेदारी की नींव, इस रिश्ते की असली ताकत आप सभी हैं। आप सब मेरे देशवासी हैं।

आज जब भारत तेज़ी से विकसित भारत के लक्ष्य की ओर बढ़ रहा है, तो मैं आप सभी से भारत के साथ और गहराई से जुडने का आग्रह करूंगा। इससे भारत की विकास यात्रा को नई शक्ति मिलेगी, और आपको अपनी पुरखों की धरती की सेवा करने का अवसर भी मिलेगा।

इन्हीं शब्दों के साथ आप सभी के प्रेम आपके उत्साह और इस आत्मीय स्वागत के लिए मैं एक बार फिर आप सभी का आभार व्यक्त करता हूं।

भारत माता की जय!

बहुत बहुत धन्यवाद।