પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડો સાથે આજે ટેલીફોન પર વાત કરી હતી.
ઇન્ડોનેશિયાનાં સુલાવેસી વિસ્તારમાં તાજેતરમાં આવેલા ધરતીકંપ અને સુનામીમાં સેંકડો નાગરિકોએ જીવ ગુમાવ્યાં છે, જેનાં પર પ્રધાનમંત્રીએ પોતાનાં અને ભારતનાં નાગરિકો તરફથી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ આ જીવલેણ કુદરતી આપત્તિને કારણે મોટાં પાયે સર્જાયેલી ખાનાખરાબીથી ઊભા થયેલા વિવિધ પડકારોનો સામનો કરવા ઇન્ડોનેશિયાનાં લોકોની હિમ્મત અને ધૈર્યની પ્રશંસા કરી હતી.
ઇન્ડોનેશિયાએ આંતરરાષ્ટ્રીય સહાય માટે અપીલ કરી છે, જેનાં પ્રતિસાદરૂપે ઇન્ડોનેશિયાનાં દરિયાઈ પડોશી દેશ અને મિત્ર રાષ્ટ્ર સ્વરૂપે ભારત શક્ય તમામ મદદ કરવા તૈયાર હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિ વિડોડોએ આશ્વાસન અને મદદ કરવાની તૈયારી બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
બંને નેતાઓ સંમત થયા હતાં કે, ભારતની રાહત સહાયની વિગતો પર રાજદ્વારી અને સત્તાવાર માધ્યમો મારફતે કામ કરવામાં આવશે.


