પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મોહમ્મદ અશરફ ગની સાથે આજે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ ફોન પર ઉષ્માસભર અને સૌહાર્દપૂર્ણ વાતચીત કરી હતી, જે બંને નેતાઓ અને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધનું પ્રતીક છે.

પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાનની રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રાથમિક સત્તાવાર પરિણામોની જાહેરાત પર રાષ્ટ્રપતિ ગનીને અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ ચૂંટણીઓ સફળતાપૂર્વક હાથ ધરવા બદલ તથા વિકટ પડકારો વચ્ચે આ સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવા માટે અફઘાનિસ્તાનની જનતાને પણ અભિનંદન આપ્યાં હતાં, જે અફઘાનિસ્તાનમાં લોકશાહીનાં મૂળિયા વધારે મજબૂત બનવાનું પ્રતીક છે.

ગાઢ મિત્ર દેશ અને પડોશી દેશ તરીકે ભારતની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીને એકીકૃત, સાર્વભૌમિક, લોકતાંત્રિક, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ અફઘાનિસ્તાનનું નિર્માણ કરવા પર પ્રધાનમંત્રીએ ભાર મૂકીને અફઘાનિસ્તાનમાં અફઘાન સંચાલિત, અફઘાનોના અને અફઘાન નિયંત્રિત સમાવેશક વિકાસ, શાંતિ અને સમૃદ્ધિને સમર્થન આપવાના ભારતના સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અફઘાનિસ્તાનનાં વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ભારત અફઘાનિસ્તાનનો સતત વિકાસ સુનિશ્ચિત કરવા, સુરક્ષા વધારવા અને આપણા રિજનમાં આતંકવાદ સામે લડવા માટે સાથસહકાર આપવાનું જાળવી રાખશે.

રાષ્ટ્રપતિ ગનીએ પ્રધાનમંત્રી, સરકાર અને ભારતની જનતાનો અફઘાનિસ્તાનમાં લોકશાહી અને વિકાસને સતત ટેકો આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે બંને દેશો વચ્ચે સાથસહકારનાં સંબંધોને ગાઢ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ આગામી નવા વર્ષ માટે એકબીજાને શુભેચ્છા પણ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ગનીને વહેલામાં વહેલી તકે પારસ્પરિક સુવિધાજનક સમયે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે આ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Strengthening India’s path to power leadership: How India is energising a new growth story - By Shri Manohar Lal, Union Minister of Power

Media Coverage

Strengthening India’s path to power leadership: How India is energising a new growth story - By Shri Manohar Lal, Union Minister of Power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Madhya Pradesh meets Prime Minister
March 18, 2026

Governor of Madhya Pradesh, Shri Mangubhai Patel met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The Prime Minister’s Office posted on X;

“Governor of Madhya Pradesh, Shri Mangubhai Patel met Prime Minister @narendramodi.

@GovernorMP”