"ભગવાન બિરસા મુંડા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના માત્ર હીરો ન હતા પરંતુ આપણી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઊર્જાનાં વાહક હતા"
“ભારતે ભવ્ય આદિવાસી વારસામાંથી શીખીને તેના ભવિષ્યને આકાર આપવો પડશે. મને ખાતરી છે કે જનજાતિ ગૌરવ દિવસ આ માટે એક તક અને માધ્યમ બનશે”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્ર ભગવાન બિરસા મુંડા અને કરોડો જનજાતિ બહાદુરોના સપનાઓને સાકાર કરવા માટે ‘પંચ પ્રાણ’ની ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્ર ભગવાન બિરસા મુંડા અને કરોડો જનજાતિ બહાદુરોના સપનાઓને સાકાર કરવા માટે ‘પંચ પ્રાણ’ની ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. "જનજાતિ ગૌરવ દિવસ દ્વારા દેશના આદિવાસી વારસામાં ગર્વ વ્યક્ત કરવો અને આદિવાસી સમુદાયના વિકાસ માટેનો સંકલ્પ એ ઊર્જાનો એક ભાગ છે",એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રી આજે એક વીડિયો સંદેશ દ્વારા જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે 15 નવેમ્બર આદિવાસી પરંપરાની ઉજવણી કરવાનો દિવસ છે કારણ કે ભગવાન બિરસા મુંડા માત્ર આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના હીરો ન હતા પરંતુ આપણી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઊર્જાના વાહક હતા.

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી સમુદાયના યોગદાનને યાદ કર્યું અને મુખ્ય આદિવાસી ચળવળો અને સ્વતંત્રતા માટેના યુદ્ધોને યાદ કર્યા. તેમણે તિલક માંઝીની આગેવાની હેઠળના દમીન સંગ્રામ, બુધુ ભગતના નેતૃત્વમાં લરકા ચળવળ, સિદ્ધુ-કાન્હુ ક્રાંતિ, તાના ભગત ચળવળ, વેગડા ભીલ ચળવળ, નાયકડા ચળવળ, સંત જોરિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયક, લીમડી દાહોદ યુદ્ધ, માનગઢના ગોવિંદ ગુરુજી અને અલ્લુરી સીતારામ રાજુ હેઠળ રામપા ચળવળને યાદ કરી..

પ્રધાનમંત્રીએ આદિવાસીઓના યોગદાનને સ્વીકારવા અને તેની ઉજવણી કરવાના પગલાંની સૂચિબદ્ધ કરી. તેમણે દેશના વિવિધ ભાગોમાં આદિવાસી સંગ્રહાલયો અને જન ધન, ગોબરધન, વન ધન, સ્વ-સહાય જૂથો, સ્વચ્છ ભારત, પીએમ આવાસ યોજના, માતૃત્વ વંદના યોજના, ગ્રામીણ સડક યોજના, મોબાઇલ કનેક્ટિવિટી, એકલવ્ય શાળાઓ, MSP જેવી યોજનાઓ વિશે વાત કરી. 90 ટકા સુધીની વન પેદાશો માટે, સિકલ-સેલ એનિમિયા, આદિવાસી સંશોધન સંસ્થાઓ, મફત કોરોના રસી અને મિશન ઇન્દ્રધનુષથી આદિવાસી સમુદાયને ઘણો ફાયદો થયો છે.

પ્રધાનમંત્રીએ આદિવાસી સમાજના બહાદુરી, સામુદાયિક જીવન અને સમાવેશ પર પ્રકાશ પાડ્યો હતો. “ભારતે આ ભવ્ય વારસામાંથી શીખીને તેના ભવિષ્યને આકાર આપવો પડશે. મને ખાતરી છે કે જનજાતિ ગૌરવ દિવસ આ માટે એક તક અને માધ્યમ બનશે”, એમ કહી પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India Post posts Rs 15,296 crore revenue in FY26, up 16%: Scindia

Media Coverage

India Post posts Rs 15,296 crore revenue in FY26, up 16%: Scindia
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Adi Shankaracharya
April 21, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to one of India’s greatest spiritual luminaries, Adi Shankaracharya, on his Jayanti today. Shri Modi remarked that his profound teachings, thoughts and philosophy of Advaita Vedanta continue to guide innumerable people globally. And his efforts to revitalise spiritual thought and establish spiritual centres across the nation remain a lasting inspiration."May his wisdom continue to illuminate our path and strengthen our commitment to truth, compassion and collective well-being", Shri Modi added.

The Prime Minister posted on X:

"On the sacred occasion of Adi Shankaracharya Jayanti, paying homage to one of India’s greatest spiritual luminaries. His profound teachings, thoughts and philosophy of Advaita Vedanta continue to guide innumerable people globally. He emphasised harmony, discipline and the oneness of all existence. His efforts to revitalise spiritual thought and establish spiritual centres across the nation remain a lasting inspiration. May his wisdom continue to illuminate our path and strengthen our commitment to truth, compassion and collective well-being."