પ્રધાનમંત્રી પુડુચેરીમાં રૂપિયા 2,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્યાસ કરશે
પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય પુડુચેરીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી સેવાઓ, ઔદ્યોગિક વિકાસ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને ટકાઉ વિકાસને મજબૂત કરવાનો છે
પ્રધાનમંત્રી મદુરાઈમાં ₹4,400 કરોડથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી NH-332Aના મરક્કાનમ-પુડુચેરી સેક્શન અને NH-87 ના પરમકુડી-રામનાથપુરમ સેક્શનના ફોર-લેનિંગ માટે શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી તમિલનાડુમાં 8 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે અને ચેન્નાઈ બીચ-ચેન્નાઈ એગમોર 4થી લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે
પ્રધાનમંત્રી તિરુપરનકુંડ્રમ ખાતે અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 માર્ચ 2026ના રોજ તમિલનાડુ અને પુડુચેરીની મુલાકાત લેશે. રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત બાદ પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 9 વાગ્યે ચેન્નાઈ પહોંચશે.

1 માર્ચે, સવારે લગભગ 11:45 વાગ્યે, પ્રધાનમંત્રી પુડુચેરીમાં ₹2,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધિત પણ કરશે.

ત્યારબાદ, તેઓ મદુરાઈની મુસાફરી કરશે જ્યાં, બપોરે લગભગ 3 વાગ્યે, તેઓ ₹4,400 કરોડથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધિત પણ કરશે. બપોરે લગભગ 4 વાગ્યે, પ્રધાનમંત્રી મદુરાઈમાં તિરુપરનકુંડ્રમ ખાતે અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરશે.

પુડુચેરીમાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી પુડુચેરીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી સેવાઓ, ઔદ્યોગિક વિકાસ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને ટકાઉ વિકાસને મજબૂત કરવાના ઉદ્દેશ્યવાળા બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી પીએમ ઈ-બસ સેવા પહેલ હેઠળ ઈ-બસો લોન્ચ કરવા સહિત અનેક મહત્વની પહેલોનું ઉદ્ઘાટન કરશે, સ્માર્ટ સિટી મિશન હેઠળ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ, ઈન્ટીગ્રેટ એન્ડ સસ્ટેન (CITIIS) પહેલ હેઠળ આર્થિક રીતે નબળા વર્ગો માટે ટેનામેન્ટ્સ અને પુડુચેરી સરકારના મહત્વના ગટર અને પાણી પુરવઠા ક્ષેત્રના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કરાઈકલના કમ્પોઝિટ એન્જિનિયરિંગ બ્લોક- ડો. એપીજે અબ્દુલ કલામ બ્લોક અને ગંગા હોસ્ટેલ; જીપમેર (JIPMER) ખાતે રિજનલ કેન્સર સેન્ટરનું આધુનિકીકરણ; અને પોંડિચેરી યુનિવર્સિટીના નવા એનેક્સ બિલ્ડીંગો, લેક્ચર હોલ અને હોસ્ટેલનું પણ ઉદ્ઘાટન કરશે, જે આ પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય સંભાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે.

પ્રધાનમંત્રી 750-એકરનું કરસુર-સેદારાપેટ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં ફાર્મા પાર્ક, ટેક્સટાઇલ પાર્ક, આઇટી પાર્ક, આઇઆઇટી મદ્રાસનું અત્યાધુનિક સંશોધન અને વિકાસ કેન્દ્ર અને જીપમેરની અદ્યતન આરોગ્ય સંભાળ સુવિધાઓ હશે, જેનાથી પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ અને રોજગાર નિર્માણને મોટો વેગ મળશે.

પ્રધાનમંત્રી પીવાના પાણીની પ્રણાલીમાં સુધારો કરવા અને પુડુચેરી પ્રદેશના રહેવાસીઓ માટે સ્વચ્છ અને સુરક્ષિત પાણી સુનિશ્ચિત કરવા માટે પાણી પુરવઠા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તેઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) હેઠળ 41 ગ્રામીણ રસ્તાઓના નિર્માણ, પુડુચેરીમાં હેરિટેજ ટાઉનનો વિકાસ, મિસ્ટી (MISHTI) (મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇનકમ્સ) યોજના હેઠળ મેન્ગ્રોવ પુનઃસ્થાપના, પાણી પુરવઠા અને સ્વચ્છતા ક્ષેત્રના પ્રોજેક્ટ્સ અને રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ પાવર સેક્ટરના પ્રોજેક્ટ્સ સહિતના અન્ય કામોનો શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રી સ્પેશિયલ આસિસ્ટન્સ ટુ સ્ટેટ્સ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (SASCI) યોજના હેઠળ શહેરી રસ્તાઓ, ડ્રેનેજ નેટવર્ક, જાહેર ઇમારતો, વિદ્યાર્થીઓના હોસ્ટેલ અને રમતગમતની સુવિધાઓ જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લેતા વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. ભારત સરકારે પુડુચેરીનો SASCI યોજના હેઠળ સમાવેશ કરવાની મંજૂરી આપી છે જે મૂળભૂત રીતે માત્ર રાજ્યો પૂરતી મર્યાદિત હતી, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકોના ઉપયોગ માટેની સામાન્ય ઉપયોગિતાઓને સુધારવા માટે મૂડી સંપત્તિ નિર્માણના કાર્યો હાથ ધરવા માટે પરવાનગી આપે છે.

મદુરાઈમાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી મદુરાઈમાં ₹4,400 કરોડથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે, જેનો ઉદ્દેશ્ય કનેક્ટિવિટી વધારવા, ગતિશીલતામાં સુધારો કરવા અને પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપવાનો છે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધિત પણ કરશે.

પ્રધાનમંત્રી NH-332A ના મરક્કાનમ-પુડુચેરી સેક્શન અને NH-87 ના પરમકુડી-રામનાથપુરમ સેક્શનના ફોર-લેનિંગ માટે શિલાન્યાસ કરશે. મરક્કાનમ-પુડુચેરી સેક્શનના ફોર-લેનિંગથી પુડુચેરીના શહેરી વિસ્તારોમાં ટ્રાફિકની ગીચતા ઘટાડવામાં મદદ મળશે, મુસાફરીના સમયમાં લગભગ 50% નો ઘટાડો થશે, જે એક કલાકથી ઘટીને લગભગ 30 મિનિટ થશે. આ પ્રોજેક્ટ મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાજ્ય ધોરીમાર્ગો વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડશે, મામલ્લાપુરમ (મહાબલીપુરમ), કલ્પક્કમ એટોમિક પાવર સ્ટેશન અને ઓરોવિલે જેવા પ્રખ્યાત સ્થળો સુધી પહોંચવામાં સુધારો કરશે, દરિયાકાંઠાના ગામો અને વિલુપ્પુરમ જિલ્લા મથક વચ્ચે કનેક્ટિવિટી મજબૂત કરશે અને પ્રદેશમાં પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે.

NH-87 ના પરમકુડી-રામનાથપુરમ સેક્શનના ફોર-લેનિંગથી મદુરાઈ, રામેશ્વરમ અને ધનુષકોડી સહિતના મુખ્ય ધાર્મિક સ્થળો સુધી ઝડપી પહોંચ મળશે. આ પ્રોજેક્ટ મુસાફરીના સમયમાં લગભગ 40% નો ઘટાડો કરશે, જે એક કલાકથી ઘટીને આશરે 35 મિનિટ થશે. તે મદુરાઈ અને રામેશ્વરમમાં મુખ્ય રેલવે સ્ટેશનો, મદુરાઈ અને INS પરુન્દુ ખાતેના એરપોર્ટ અને પંબન અને રામેશ્વરમના નાના બંદરોને જોડીને મલ્ટી-મોડલ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે. પીએમ ગતિ શક્તિના સિદ્ધાંતો સાથે સંરેખિત આ કોરિડોર ફિશિંગ ક્લસ્ટર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, મેગા ફૂડ પાર્ક અને ટેક્સટાઇલ ક્લસ્ટર સહિતના મુખ્ય આર્થિક કેન્દ્રોને એકીકૃત કરશે, જેનાથી સમગ્ર ક્ષેત્રમાં વેપાર, ઉદ્યોગ અને સામાજિક-આર્થિક વિકાસને વેગ મળશે.

પ્રધાનમંત્રી મુસાફરોની સુવિધા વધારવા, કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરવા અને રાજ્યમાં રેલ-આધારિત કનેક્ટિવિટી મજબૂત કરવાના ઉદ્દેશ્યવાળા રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 8 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે. આ પુનઃવિકસિત રેલવે સ્ટેશનો તમિલનાડુમાં મોરપ્પુર, બોમ્મિડી, શ્રીવિલ્લીપુત્તુર, શોલાવંદન, મનપરાઈ, પોલ્લાચી જંક્શન, કરાઈકુડી જંક્શન, તિરુવારુર જંક્શન છે. આ સ્ટેશનોને આધુનિક પેસેન્જર-કેન્દ્રીત સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવ્યા છે જ્યારે સ્થાનિક સ્થાપત્ય તત્વો અને સાંસ્કૃતિક સૌંદર્યશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સુધારેલ સુલભતા, ઉન્નત સ્ટેશન ઇમારતો, આધુનિક વેઇટિંગ હોલ, લિફ્ટ અને એસ્કેલેટર, અપગ્રેડ કરેલા પ્લેટફોર્મ અને દિવ્યાંગજન-મૈત્રીપૂર્ણ સુવિધાઓનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી ચેન્નાઈ બીચ-ચેન્નાઈ એગમોર 4થી લાઇન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે, આ રેલ લાઇન વધારાની પેસેન્જર અને માલવાહક ટ્રેન સેવાઓની સુવિધા આપીને ચેન્નાઈ ઉપનગરીય રેલ નેટવર્કમાં કાર્યકારી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને ઓફિસ જનારાઓ, આઈટી વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ સહિત લાખો દૈનિક મુસાફરોને લાભ આપશે.

તમિલનાડુમાં બ્રોડકાસ્ટિંગ સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે, પ્રધાનમંત્રી કુંભકોણમ, યેરકાડ અને વેલોર ખાતે ત્રણ નવા આકાશવાણી FM રિલે ટ્રાન્સમીટરનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રાન્સમિટર્સ પ્રાદેશિક કવરેજને વિસ્તારશે, અવિરત FM બ્રોડકાસ્ટિંગ સુનિશ્ચિત કરશે અને રાજ્યના બહુવિધ જિલ્લાઓમાં જાહેર બ્રોડકાસ્ટિંગ સેવાઓ સુધી પહોંચ વધારશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Scan, withdraw, done: EPFO 3.0 plans instant PF access via ATMs and UPI

Media Coverage

Scan, withdraw, done: EPFO 3.0 plans instant PF access via ATMs and UPI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi meets representatives of Janjati Suraksha Manch
May 28, 2026

The Prime Minister, Shri Narendra Modi met representatives of Janjati Suraksha Manch in New Delhi today.

The Prime Minister appreciated their dedication towards the tribal society.

During the interaction, discussions were held on various issues related to the development and empowerment of tribal communities.

The Prime Minister wrote on X;

“नई दिल्ली में आज जनजाति सुरक्षा मंच के प्रतिनिधियों से मुलाकात का अवसर मिला। आदिवासी समाज के लिए इनका समर्पण भाव बहुत सराहनीय है। इस दौरान जनजातीय समुदायों के विकास और उनके सशक्तिकरण से जुड़े विभिन्न विषयों पर सार्थक चर्चा हुई।”