પ્રધાનમંત્રી 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 35 PSA ઓક્સિજન પ્લાન્ટ્સને સમર્પિત કરશે
PSA ઓક્સિજન પ્લાન્ટ્સ હવે દેશના તમામ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 વાગ્યે AIIMS ઋષિકેશ, ઉત્તરાખંડમાં યોજાનારા કાર્યક્રમમાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં PM CARES હેઠળ સ્થાપિત 35 પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન (PSA) ઓક્સિજન પ્લાન્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે.  આ સાથે, દેશના તમામ જિલ્લાઓમાં હવે PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

અત્યાર સુધીમાં, સમગ્ર દેશમાં PM CARES હેઠળ કુલ 1224 PSA ઓક્સિજન પ્લાન્ટ્સને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, જેમાંથી 1100થી વધુ પ્લાન્ટ્સ કાર્યરત થયા છે, જે પ્રતિદિન 1750 MT ઓક્સિજનનું ઉત્પાદન પૂરું પાડે છે. કોવિડ -19 રોગચાળાના આગમનથી ભારતની મેડિકલ ઓક્સિજન પેદા કરવાની ક્ષમતા વધારવા માટે સરકાર દ્વારા લેવાયેલા સક્રિય પગલાંનું તે પ્રમાણ છે.

ડુંગરાળ વિસ્તારો, ટાપુઓ અને મુશ્કેલ ભૂપ્રદેશ ધરાવતા પ્રદેશોના જટિલ પડકારોનો સામનો કરતી વખતે દેશના દરેક જિલ્લામાં PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો.

7,000થી વધુ કર્મચારીઓને તાલીમ આપીને આ પ્લાન્ટ્સનું સંચાલન અને જાળવણી સુનિશ્ચિત કરવામાં આવી છે. તેઓ એકીકૃત વેબ પોર્ટલ દ્વારા તેમની કામગીરી અને પ્રદર્શનની વાસ્તવિક સમયની દેખરેખ માટે એમ્બેડેડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ઉપકરણ સાથે આવે છે.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s auto sales hit record high in Q1; PVs log 26% growth: SIAM

Media Coverage

India’s auto sales hit record high in Q1; PVs log 26% growth: SIAM
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam seeking blessings of Lord Jagannath
July 16, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam, seeking blessings of Lord Jagannath on the sacred occasion of Rath Yatra:

“देवदेव जगन्नाथ सुरासुरनमस्कृत।

पुण्यश्लोकाव्ययानन्त परमात्मन्नमोऽस्तु ते॥"

Shri Modi also expressed the hope that the divine grace of Lord Jagannath would infuse new energy into the lives of all countrymen.

The Prime Minister posted on X:

महाप्रभु जगन्नाथ की रथ यात्रा के पावन अवसर पर मेरी कामना है कि उनका आशीर्वाद हम सभी पर सदैव बना रहे। उनकी दिव्य कृपा से सभी देशवासियों के जीवन में नई ऊर्जा का संचार हो।

देवदेव जगन्नाथ सुरासुरनमस्कृत।

पुण्यश्लोकाव्ययानन्त परमात्मन्नमोऽस्तु ते॥