પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મે 1998માં પોખરણમાં ભારત દ્વારા કરવામાં આવેલા ઐતિહાસિક પરમાણુ પરીક્ષણોને યાદ કર્યા હતા અને તેને આપણા રાષ્ટ્રના સંકલ્પની એક નિર્ણાયક ક્ષણ ગણાવી હતી. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “11 મેના પરીક્ષણો પછી, આખા વિશ્વએ ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે સાબિત કરી દીધું કે કોઈ પણ શક્તિ ભારતને નમાવી શકતી નથી”.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત શ્લોક શેર કર્યો-
“एवं परस्परापेक्षा शक्तिशक्तिमतोः स्थिता ।
न शिवेन विना शक्तिर्न शक्त्या विना शिवः।।”
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
"1998માં આજના દિવસે ભારત દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોએ દુનિયાને બતાવ્યું કે આપણા રાષ્ટ્રનો સંકલ્પ કેટલો અડગ છે! 11 મેના પરીક્ષણો પછી, ભારત પર વૈશ્વિક દબાણનો સામનો કરવો પડ્યો, પરંતુ અમે દર્શાવ્યું કે કોઈ પણ શક્તિ ભારતને ઝુકાવી કરી શકતી નથી.
एवं परस्परापेक्षा शक्तिशक्तिमतोः स्थिता ।
न शिवेन विना शक्तिर्न शक्त्या विना शिवः।।”
1998 में इसी दिन भारत ने जो परमाणु परीक्षण किए थे, उनसे दुनिया को पता चला कि हमारे देश की इच्छाशक्ति कितनी अटल है! 11 मई के टेस्ट के बाद पूरी दुनिया का दबाव भारत पर था, लेकिन हमने दिखाया कि कोई भी ताकत भारत को झुका नहीं सकती।
— Narendra Modi (@narendramodi) May 13, 2026
एवं परस्परापेक्षा शक्तिशक्तिमतोः स्थिता ।
न शिवेन… pic.twitter.com/KjIxGMA0BS


