પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વાંગી વિકાસ તરફ કામ કરવાનું ચાલુ રાખવા અને દરેક ભારતીય માટે સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
તેઓ આજે નીતિ આયોગ દ્વારા બહુપરીમાણીય ગરીબી પર બહાર પાડવામાં આવેલ ચર્ચા પત્ર પર ટિપ્પણી કરી રહ્યા હતા. પેપર કહે છે કે, 2005-06થી, ભારતે #MPIમાં 2013-14માં 29.17%થી 2022-23માં 11.28%નો નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે જે 17.89%નો ઘટાડો છે. પરિણામે છેલ્લા 9 વર્ષમાં 24.82 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી બહાર આવ્યા.
પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું:
"ખૂબ જ પ્રોત્સાહક, સર્વસમાવેશક વૃદ્ધિને આગળ વધારવા અને અમારી અર્થવ્યવસ્થામાં પરિવર્તનકારી ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમે સર્વાંગી વિકાસ અને દરેક ભારતીય માટે સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું."
Very encouraging, reflecting our commitment towards furthering inclusive growth and focussing on transformative changes to our economy. We will continue to work towards all-round development and to ensure a prosperous future for every Indian. https://t.co/J20mVQbqSA
— Narendra Modi (@narendramodi) January 15, 2024


