દિલ્હીમાં ઓડિશા પર્વમાં ભાગ લેવા માટે આનંદિત, રાજ્ય ભારતના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને દેશ તેમજ વિશ્વમાં પ્રશંસનીય સાંસ્કૃતિક વારસાથી આશીર્વાદિત છે: પીએમ
ઓડિશાની સંસ્કૃતિએ 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને ખૂબ જ મજબૂત કરી છે, જેમાં રાજ્યના પુત્ર-પુત્રીઓએ મોટું યોગદાન આપ્યું છે: પીએમ
આપણે ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં ઉડિયા સાહિત્યના યોગદાનના ઘણા ઉદાહરણો જોઈ શકીએ છીએ: પીએમ
ઓડિશાની સાંસ્કૃતિક સમૃદ્ધિ, આર્કિટેક્ચર અને વિજ્ઞાન હંમેશા વિશેષ રહ્યું છે, આપણે આ સ્થળની દરેક ઓળખને વિશ્વ સુધી પહોંચાડવા માટે સતત નવીન પગલાં લેવા પડશે: પીએમ
અમે ઓડિશાના વિકાસ માટે દરેક ક્ષેત્રમાં ઝડપથી કામ કરી રહ્યા છીએ, તેમાં બંદર આધારિત ઔદ્યોગિક વિકાસની અપાર સંભાવનાઓ છે: પીએમ
ઓડિશા એ ભારતનું ખાણકામ અને ધાતુનું પાવરહાઉસ છે જે સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઉર્જા ક્ષેત્રે તેની સ્થિતિ ખૂબ જ મજબૂત બનાવે છે: પીએમ
અમારી સરકાર ઓડિશામાં વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે: પીએમ
આજે ઓડિશાનું પોતાનું વિઝન અને રોડમેપ છે, હવે રોકાણને પ્રોત્સાહિત કરવામાં આવશે અને રોજગારીની નવી તકો ઉભી થશેઃ પીએમ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે 'ઓડિશા પર્વ 2024'ની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ઓડિશાનાં તમામ ભાઈઓ અને બહેનોને શુભેચ્છા પાઠવી હતી, જેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે નોંધ્યું હતું કે, આ વર્ષે સ્વભાવ કવિ ગંગાધર મેહરની પુણ્યતિથિની શતાબ્દી ઉજવવામાં આવી છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમણે આ પ્રસંગે ભક્તદાસીયા ભાઉરી, ભક્ત સાલાબેગા અને ઉડિયા ભાગવતના લેખક શ્રી જગન્નાથદાસને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "ઓડિશા હંમેશા સંતો અને વિદ્વાનોનું નિવાસસ્થાન રહ્યું છે." તેમણે નોંધ્યું હતું કે, સરલ મહાભારત, ઓડિયા ભગવત જેવા મહાન સાહિત્યને સામાન્ય લોકો સુધી તેમના ઘરઆંગણે પહોંચાડીને સંતો અને વિદ્વાનોએ સાંસ્કૃતિક સમૃદ્ધિને પોષવામાં મોટી ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું કે ઉડિયા ભાષામાં મહાપ્રભુ જગન્નાથને લગતું વિસ્તૃત સાહિત્ય છે. મહાપ્રભુ જગન્નાથની એક ગાથાને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભગવાન જગન્નાથે યુદ્ધનું નેતૃત્વ મોખરે રહીને કર્યું હતું અને ભગવાનની સાદગીની પ્રશંસા કરી હતી કે તેમણે યુદ્ધનાં મેદાનમાં પ્રવેશતી વખતે મનિકા ગૌદિની નામના ભક્તનાં હાથમાંથી દહીં છીનવી લીધું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ઉપરોક્ત ગાથામાંથી ઘણાં બોધપાઠ મળ્યાં છે, શ્રી મોદીએ કહ્યું હતું કે, એક મહત્ત્વપૂર્ણ બોધપાઠ એ છે કે, જો આપણે સારા ઇરાદા સાથે કામ કરીએ છીએ, તો ભગવાન પોતે જ તે કાર્યનું નેતૃત્વ કરે છે. એણે વધુમાં ઉમેર્યું હતું કે ઈશ્વર હંમેશાં આપણી સાથે જ હતો અને આપણે ક્યારેય એવું ન અનુભવવું જોઈએ કે આપણે કોઈ પણ ભયંકર પરિસ્થિતિમાં એકલા છીએ.

 

ઓડિશાના કવિ ભીમ ભોઈની એક પંક્તિનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વ્યક્તિએ ગમે તેટલું દુઃખ સહન કરવું પડે, પણ દુનિયાને બચાવવી જ પડશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ઓડિશાની સંસ્કૃતિ રહી છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, પુરી ધામે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને મજબૂત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશાના વીર સપૂતોએ પણ આઝાદીની લડતમાં ભાગ લઈને દેશને દિશા બતાવી હતી. તેમણે કહ્યું કે અમે પાઇકા ક્રાંતિના શહીદોનું ઋણ ક્યારેય ચૂકવી શકીએ નહીં. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સરકારનું એ સૌભાગ્ય છે કે તેને પાઇકા ક્રાંતિ પર સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડવાની તક મળી છે.

આ સમયે ઉત્કલ કેસરી હરે કૃષ્ણ મહેતાબજીના યોગદાનને સમગ્ર દેશ યાદ કરી રહ્યો છે એ વાતનો પુનરોચ્ચાર કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, સરકાર તેમની 125મી જન્મજયંતીની મોટા પાયે ઉજવણી કરી રહી છે. પ્રધાનમંત્રીએ ઓડિશાએ દેશને ભૂતકાળથી અત્યાર સુધી આપેલા સક્ષમ નેતૃત્વનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આદિવાસી સમુદાયમાંથી આવતા દ્રૌપદી મુર્મુજી ભારતનાં રાષ્ટ્રપતિ છે. અને તે આપણા બધા માટે ખૂબ જ ગર્વની વાત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમની પ્રેરણાથી જ આજે ભારતમાં આદિવાસી કલ્યાણ માટે હજારો કરોડ રૂપિયાની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાઓનો લાભ માત્ર ઓડિશાના જ નહીં પરંતુ સમગ્ર ભારતના આદિવાસી સમાજને મળી રહ્યો છે.

ઓડિશા મહિલા શક્તિની ભૂમિ છે અને માતા સુભદ્રા સ્વરૂપે તેની તાકાત છે એ વાતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઓડિશા ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે ઓડિશાની મહિલાઓ પ્રગતિ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, તેમને થોડાં દિવસો અગાઉ ઓડિશાની મારી માતાઓ અને બહેનો માટે સુભદ્રા યોજના શરૂ કરવાની મોટી તક મળી હતી, જેનો લાભ ઓડિશાની મહિલાઓને મળશે.

 

શ્રી મોદીએ ભારતની દરિયાઈ શક્તિને નવું પરિમાણ પ્રદાન કરવામાં ઓડિશાનાં પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ઓડિશામાં ગઈકાલે બાલી જાત્રાનું સમાપન થયું હતું, જેનું આયોજન કાર્તિક પૂર્ણિમાના દિવસે કટકમાં મહાનદીના કિનારે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. વધુમાં શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, બાલી જાત્રા ભારતની દરિયાઈ શક્તિનું પ્રતીક છે. ભૂતકાળના નાવિકોનાં સાહસની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજની જેમ આધુનિક ટેકનોલોજીનો અભાવ હોવા છતાં તેઓ દરિયાઈ સફર કરવા અને દરિયા પાર કરવા માટે પૂરતા બહાદુર હતા. તેમણે ઉમેર્યું હતું કે, વેપારીઓ ઇન્ડોનેશિયામાં બાલી, સુમાત્રા, જાવા જેવા સ્થળોએ જહાજો દ્વારા મુસાફરી કરતા હતા, જેનાથી વેપારને પ્રોત્સાહન મળ્યું હતું અને વિવિધ સ્થળોએ સંસ્કૃતિની પહોંચ વધારવામાં મદદ મળી હતી. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે ઓડિશાની દરિયાઈ શક્તિએ વિકસિત ભારતનાં સંકલ્પને હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે 10 વર્ષ સુધી સતત પ્રયાસો કર્યા પછી આજે ઓડિશા માટે નવા ભવિષ્યની આશા છે. ઓડિશાનાં લોકોનાં અભૂતપૂર્વ આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, એનાથી આ આશાને નવું સાહસ મળ્યું છે અને સરકારે મોટાં સ્વપ્નો જોયાં છે અને મોટાં લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે. ઓડિશા વર્ષ 2036માં રાજ્યનાં સ્થાપનાનાં શતાબ્દી વર્ષ ઉજવશે એ વાતનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, સરકાર ઓડિશાને દેશનાં મજબૂત, સમૃદ્ધ અને ઝડપથી વિકસતાં રાજ્યોમાંનું એક બનાવવાનો પ્રયાસરત છે.

એક સમય હતો જ્યારે ઓડિશા જેવા રાજ્યો સહિત ભારતના પૂર્વીય ભાગને પછાત ગણવામાં આવતો હતો તેની નોંધ લઈને શ્રી મોદીએ કહ્યું હતું કે, તેઓ ભારતના પૂર્વીય ભાગને દેશના વિકાસમાં વૃદ્ધિનું એન્જિન માને છે. આથી સરકારે પૂર્વ ભારતના વિકાસને પ્રાથમિકતા આપી છે અને આજે સમગ્ર પૂર્વ ભારતમાં કનેક્ટિવિટી, આરોગ્ય, શિક્ષણને લગતી તમામ કામગીરી ઝડપી બની હોવાનું તેમણે ઉમેર્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 10 વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર અગાઉ ઓડિશાને બજેટ આપતી હતી, તેના કરતાં અત્યારે ઓડિશાને ત્રણ ગણું વધારે બજેટ મળી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઓડિશાનાં વિકાસ માટે 30 ટકા વધારે બજેટ આપવામાં આવ્યું છે. તેમણે ખાતરી આપી હતી કે, સરકાર ઓડિશાનાં સંપૂર્ણ વિકાસ માટે દરેક ક્ષેત્રમાં ઝડપથી કામ કરી રહી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ઓડિશા બંદર-આધારિત ઔદ્યોગિક વિકાસ માટે પુષ્કળ સંભવિતતા ધરાવે છે." એટલે તેમણે ઉમેર્યું હતું કે, ધામરા, ગોપાલપુર, અસ્ટારંગા, પલુર અને સુવર્ણરેખામાં બંદરોનો વિકાસ કરીને વેપારને પ્રોત્સાહન આપવામાં આવશે. ઓડિશા એ ભારતનું ખાણકામ અને ધાતુનું પાવરહાઉસ છે એ વાતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, તેનાથી સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઊર્જાનાં ક્ષેત્રોમાં ઓડિશાની સ્થિતિ મજબૂત થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓડિશામાં સમૃદ્ધિના નવા માર્ગો ખોલી શકાય તેમ છે.

ઓડિશામાં કાજુ, શણ, કપાસ, હળદર અને તેલીબિયાંનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થઈ રહ્યું છે એ વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, સરકારનો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે, આ ઉત્પાદનો મોટાં બજારો સુધી પહોંચે અને એથી ખેડૂતોને લાભ થાય. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશાનાં સી-ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં વિસ્તરણ માટે પણ પુષ્કળ અવકાશ છે અને સરકારનો પ્રયાસ ઓડિશાને સી-ફૂડ એવી બ્રાન્ડ બનાવવાનો છે, જેની વૈશ્વિક બજારમાં માગ છે.

સરકારે ઓડિશાને રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બનાવવાનો પ્રયાસ કર્યો છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમની સરકાર ઓડિશામાં વેપાર-વાણિજ્ય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે અને ઉત્કર્ષ ઉત્કલ મારફતે રોકાણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ઓડિશામાં જેવી નવી સરકાર રચાઈ કે, પ્રથમ 100 દિવસની અંદર 45,000 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ઓડિશા પાસે તેનું પોતાનું વિઝન છે તેમજ રોડમેપ પણ છે, જે રોકાણને પ્રોત્સાહન આપશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે. તેમણે મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીજી અને તેમની ટીમને તેમનાં પ્રયાસો બદલ અભિનંદન આપ્યાં હતાં.

 

શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ઓડિશાની સંભવિતતાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરીને તેને વિકાસની નવી ઊંચાઈએ લઈ જઈ શકાય છે. ઓડિશાને તેના વ્યૂહાત્મક સ્થાનનો લાભ મળી શકે છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્યાંથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચ સરળ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "ઓડિશા પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા માટે વેપારનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે." શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં વૈશ્વિક વેલ્યુ ચેઇનમાં ઓડિશાનું મહત્ત્વ વધશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર રાજ્યમાંથી નિકાસ વધારવાના લક્ષ્ય પર પણ કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "ઓડિશામાં શહેરીકરણને પ્રોત્સાહન આપવાની પ્રચૂર સંભવિતતા છે." તેમણે ઉમેર્યું હતું કે, તેમની સરકાર આ દિશામાં નક્કર પગલાં લઈ રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર મોટી સંખ્યામાં ગતિશીલ અને સારી રીતે જોડાયેલા શહેરોનું નિર્માણ કરવા કટિબદ્ધ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર ઓડિશાનાં ટાયર-2 શહેરોમાં, ખાસ કરીને પશ્ચિમ ઓડિશાનાં જિલ્લાઓમાં, જ્યાં નવા માળખાગત વિકાસથી નવી તકોનું સર્જન થઈ શકે છે, ત્યાં નવી તકોનું સર્જન કરવા તરફ પણ સરકાર નવી શક્યતાઓ ઊભી કરી રહી છે.

ઉચ્ચ શિક્ષણનાં ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, ઓડિશા એ દેશભરનાં વિદ્યાર્થીઓ માટે એક નવી આશા છે તથા ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, જેણે રાજ્યને શિક્ષણ ક્ષેત્રમાં અગ્રેસર થવા માટે પ્રેરિત કર્યા છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રયત્નો રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપી રહ્યા છે.

ઓડિશા તેની સાંસ્કૃતિક સમૃદ્ધિને કારણે હંમેશા વિશેષ રહ્યું છે એ બાબતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, ઓડિશાનાં કલા સ્વરૂપો દરેકને આકર્ષે છે, પછી તે ઓડિસી નૃત્ય હોય કે ઓડિશાનાં ચિત્રો હોય કે પટ્ટાચિત્રોમાં જોવા મળતી જીવંતતા હોય કે પછી આદિવાસી કળાનું પ્રતીક સૌરા પેઇન્ટિંગ્સમાં જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશામાં સંબલપુરી, બોમકાઈ અને કોટપદ વણકરોની કારીગરી જોવા મળે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આપણે કળા અને કારીગરીનો જેટલો વધુ ફેલાવો અને જાળવણી કરીશું, તેટલો જ ઓડિયા લોકો માટે આદર વધશે.

 

ઓડિશાના સ્થાપત્ય અને વિજ્ઞાનના વિપુલ વારસાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, કોણાર્કનાં સૂર્ય મંદિર, લિંગરાજ અને મુક્તેશ્વર જેવા પ્રાચીન મંદિરોનાં વિજ્ઞાન, સ્થાપત્ય અને વિશાળતાએ તેમની ઉત્કૃષ્ટતા અને કારીગરીથી સૌને દંગ કરી દીધાં હતાં.

પ્રવાસનની દ્રષ્ટિએ ઓડિશા પુષ્કળ સંભાવનાઓની ભૂમિ છે એ વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ શક્યતાઓને જમીન પર લાવવા માટે વિવિધ પાસાંઓ પર કામ કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ઓડિશાની સાથે-સાથે દેશમાં એવી સરકાર પણ છે, જે ઓડિશાનાં વારસા અને તેની ઓળખનું સન્માન કરે છે. ગયા વર્ષે ઓડિશામાં જી-20નું એક સંમેલન યોજાયું હતું એ વાતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, સરકારે ઘણાં દેશોનાં વિવિધ દેશોનાં વડાઓ અને રાજદ્વારીઓ સામે સૂર્ય મંદિરનો ભવ્ય નજારો પ્રસ્તુત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ ખુશ છે કે મંદિરના રત્ન ભંડારની સાથે મહાપ્રભુ જગન્નાથ મંદિર સંકુલના ચારેય દરવાજા ખોલવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશાની દરેક ઓળખ વિશે દુનિયાને જણાવવા માટે વધારે નવીન પગલાં લેવાની જરૂર છે. તેમણે એક ઉદાહરણ ટાંક્યું હતું કે બાલી જાત્રા દિવસ જાહેર કરી શકાય છે અને બાલી જાત્રાને વધુ લોકપ્રિય બનાવવા અને આંતરરાષ્ટ્રીય મંચ પર તેને પ્રોત્સાહન આપવા માટે ઉજવણી કરી શકાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઓડિસી નૃત્ય જેવી કળાઓ માટે ઓડિસી ડેની ઉજવણી વિવિધ આદિવાસી વારસોની ઉજવણી માટે દિવસોની સાથે શોધી શકાય છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, શાળા અને કોલેજોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે, જે પ્રવાસન અને લઘુ ઉદ્યોગો સાથે સંબંધિત તકો વિશે લોકોમાં જાગૃતિ લાવશે. તેમણે ઉમેર્યું કે, આગામી દિવસોમાં ભુવનેશ્વરમાં પ્રવાસી ભારતીય સંમેલન પણ યોજાવા જઈ રહ્યું છે અને ઓડિશા માટે તે એક મોટી તક છે.

સમગ્ર વિશ્વમાં પોતાની માતૃભાષા અને સંસ્કૃતિને ભૂલી જવાના વધતા પ્રવાહની નોંધ લઈને શ્રી મોદીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી કે, ઉડિયા સમુદાય જ્યાં પણ રહે છે, ત્યાં પોતાની સંસ્કૃતિ, તેની ભાષા અને તહેવારો માટે હંમેશા ઉત્સાહી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે તેમની તાજેતરની ગુયાનાની મુલાકાતથી પુષ્ટિ મળી છે કે કેવી રીતે માતૃભાષા અને સંસ્કૃતિની શક્તિએ કોઈને તેમની માતૃભૂમિ સાથે જોડાયેલા રાખ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આશરે બસો વર્ષ અગાઉ સેંકડો મજૂરો ભારત છોડીને જતા રહ્યા હતા, પણ તેઓ રામચરિત માનસને પોતાની સાથે લઈ ગયા હતા અને આજે પણ તેઓ ભારતની ભૂમિ સાથે જોડાયેલા છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણા વારસાને જાળવવાથી જ્યારે વિકાસ અને પરિવર્તનો થાય છે, ત્યારે પણ તેનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ જ રીતે ઓડિશાને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકાય તેમ છે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં આપણાં મૂળિયાં મજબૂત કરવાની સાથે-સાથે આધુનિક ફેરફારોને આત્મસાત કરવા મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશા મહોત્સવ જેવા કાર્યક્રમો આ માટે માધ્યમ બની શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઓડિશા પર્વ જેવી ઘટનાઓને આગામી વર્ષોમાં વધુ વિસ્તૃત કરવી જોઈએ અને તે ફક્ત દિલ્હી સુધી મર્યાદિત ન હોવી જોઈએ. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વધુને વધુ લોકો તેમાં જોડાય અને શાળા-કોલેજોની ભાગીદારીમાં પણ વધારો થાય એ સુનિશ્ચિત કરવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. તેમણે દિલ્હીના અન્ય રાજ્યોના લોકોને આમાં ભાગ લેવા અને ઓડિશાને વધુ નજીકથી જાણવા વિનંતી કરી.

સંબોધનના સમાપનમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં આ ઉત્સવનો રંગ ઓડિશા તેમજ ભારતના ખૂણેખૂણા સુધી પહોંચશે અને જનભાગીદારી માટે એક અસરકારક મંચ બની જશે.

 

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ઓડિયા સમાજના પ્રમુખ શ્રી સિદ્ધાર્થ પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

ઓડિશા પર્વ એ નવી દિલ્હીના ટ્રસ્ટ ઓડિયા સમાજ દ્વારા આયોજિત એક મુખ્ય કાર્યક્રમ છે. તેના દ્વારા, તેઓ ઓડિયા વારસાની જાળવણી અને પ્રોત્સાહન માટે મૂલ્યવાન સહાય પૂરી પાડવામાં રોકાયેલા છે. પરંપરાને આગળ વધારતા આ વર્ષે ઓડિશા પર્વનું આયોજન 22થી 24 નવેમ્બર સુધી કરવામાં આવ્યું હતું. તેમાં રંગબેરંગી સાંસ્કૃતિક સ્વરૂપો પ્રદર્શિત કરતા ઓડિશાના સમૃદ્ધ વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તે રાજ્યની જીવંત સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય નૈતિકતાને પ્રદર્શિત કરશે. અગ્રણી નિષ્ણાતો અને વિવિધ ડોમેન્સના પ્રતિષ્ઠિત વ્યાવસાયિકોની આગેવાની હેઠળ રાષ્ટ્રીય સેમિનાર અથવા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties

Media Coverage

India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 જાન્યુઆરી 2026
January 14, 2026

Viksit Bharat Rising: Economic Boom, Tech Dominance, and Cultural Renaissance in 2025 Under the Leadership of PM Modi