તેમની ઇઝરાયલની સત્તાવાર મુલાકાત પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ જેરૂસલેમમાં ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુ સાથે સત્તાવાર વાતચીત કરી હતી.

 

બંને પ્રધાનમંત્રીઓએ ભારત-ઇઝરાયલ ભાગીદારીના સમગ્ર ક્ષેત્રને આવરી લેતી વ્યાપક ચર્ચામાં ભાગ લીધો. બંને દેશો વચ્ચેના ઊંડા વિશ્વાસ અને મિત્રતાને પ્રતિબિંબિત કરતા, નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને "શાંતિ, નવીનતા અને સમૃદ્ધિ માટે ખાસ વ્યૂહાત્મક ભાગીદારી" સુધી વધારવાનો નિર્ણય કર્યો. આ ઉન્નતિ હિતોના વધતા સંકલન અને સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે બંને દેશોના સહિયારા દ્રષ્ટિકોણનું પ્રતીક છે.

બંને નેતાઓએ તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, અવકાશ, ઊર્જા, કટોકટીની ટેકનોલોજી, સાયબર સુરક્ષા, શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધન અને ઇનોવેશનના ક્ષેત્રોમાં સહયોગને વધુ વિસ્તૃત કરવા સંમતિ દર્શાવી હતી. તેઓએ કૃષિ, જળ વ્યવસ્થાપન, સ્ટાર્ટ-અપ્સ, ફિનટેક, ડિજિટલ હેલ્થકેર, બાયોટેકનોલોજી અને અદ્યતન ફાર્મામાં ભારત-ઇઝરાયલ ભાગીદારીની પરિવર્તનશીલ સંભવિતતા પર પણ ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ મોબિલિટી ભાગીદારીને વિસ્તારવાની નવી પહેલોને આવકારી હતી, જે લોકો વચ્ચેના સંબંધોને વધુ વેગ આપશે. સૂચિત મુક્ત વ્યાપાર કરારના વહેલા નિષ્કર્ષ માટે આહવાન કરતા, તેઓએ નોંધ્યું હતું કે દ્વિપક્ષીય રોકાણ સંધિ (Bilateral Investment Treaty), ભારત-ઇઝરાયલ ઇનોવેશન બ્રિજ, કૃષિ માટે ભારત-ઇઝરાયલ ઇનોવેશન સેન્ટર અને ભારત-ઇઝરાયલ ઇન્ડસ્ટ્રિયલ R&D અને ઇનોવેશન ફંડ બંને દેશો વચ્ચે આર્થિક, સાહસિક અને વૈજ્ઞાનિક સહયોગમાં નોંધપાત્ર વધારો કરશે. તેઓએ ભારતની પ્રતિભાશાળી કાર્યબળ અને ઇઝરાયલના ઇનોવેશનનો સમન્વય સાધીને AI, સેમિકન્ડક્ટર્સ, ક્વોન્ટમ અને અન્ય અત્યાધુનિક ટેકનોલોજીના ક્ષેત્રોમાં વધુ સહયોગ માટે પણ આહવાન કર્યું હતું.

 

બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ગાઝા શાંતિ યોજના (Gaza Peace Plan) માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે આ પહેલ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા લાવશે. બંને નેતાઓએ IMEC અને I2U2 પહેલ પર બંને દેશો વચ્ચે ગાઢ સહયોગ માટે પણ આહવાન કર્યું હતું. તેઓએ આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈને મજબૂત કરવાનો તેમનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. આતંકવાદ સામેની ભારતની લડાઈમાં ઇઝરાયલ દ્વારા આપવામાં આવેલા સમર્થન બદલ પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી નેતન્યાહુનો આભાર માન્યો હતો.

વાતચીત પછી, કેટલાક સમજૂતી કરારો (MoUs) ની આપ-લે કરવામાં આવી હતી [લિંક]. સત્તાવાર મુલાકાત પ્રસંગે દ્વિપક્ષીય ભાગીદારી માટે ભવિષ્યની કાર્ય યોજનાની રૂપરેખા આપતું સંયુક્ત નિવેદન અપનાવવામાં આવ્યું હતું [લિંક].

 

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી નેતન્યાહુનો તેમની ઉષ્મા અને આતિથ્ય સત્કાર બદલ આભાર માન્યો હતો.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Out-of-pocket expenditure on health shows declining trend, states latest National Health Accounts

Media Coverage

Out-of-pocket expenditure on health shows declining trend, states latest National Health Accounts
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to NTR Garu on his birth anniversary
May 28, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to NTR Garu on his birth anniversary.

The Prime Minister said that NTR Garu is fondly remembered for his commitment towards public welfare and governance which ensured dignity for the poor and marginalised.

The Prime Minister also noted that NTR Garu’s contributions to cinema continue to captivate generations and said that his life and ideals remain a source of immense inspiration.

The Prime Minister wrote on X;

“Tributes to the great NTR Garu on his birth anniversary. He is fondly remembered for his commitment towards public welfare and governance which ensured dignity for the poor and marginalised. His contributions to cinema continue to captivate generations. His life and ideals remain a source of immense inspiration. The NDA Government in Andhra Pradesh, under the leadership of my friend Chandrababu Naidu Garu, is committed to advancing the aspirations he cherished for the people.

@ncbn”