પ્રધાનમંત્રીએ મેંગલુરુમાં આશરે રૂ. 3800 કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા
“વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે, ‘મેક ઇન ઇન્ડિયા’ અને દેશના ઉત્પાદન ક્ષેત્રનું વિસ્તરણ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે”
“કર્ણાટક સમગ્ર દેશમાં સાગરમાલા યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ પૈકી એક છે”
“પ્રથમ વખત, કર્ણાટકના 30 લાખથી વધુ ગ્રામીણ પરિવારોમાં પાઇપથી પાણી પહોંચ્યું છે”
“કર્ણાટકના 30 લાખ કરતાં વધુ દર્દીઓને આયુષ્માન ભારતનો લાભ પણ મળ્યો છે”
“જ્યારે પર્યટનમાં વૃદ્ધિ થાય છે, ત્યારે તે આપણા કુટીર ઉદ્યોગો, આપણા કારીગરો, ગ્રામ્ય ઉદ્યોગો, શેરી પરના વિક્રેતાઓ, ઓટો-રિક્ષા ચાલકો, ટેક્સી ડ્રાઇવરોને લાભ આપે છે”
“આજે ડિજિટલ પેમેન્ટ્સનો આંકડો ઐતિહાસિક સ્તરે છે અને BHIM-UPI જેવા આપણા આવિષ્કારો તરફ દુનિયાનું ધ્યાન ખેંચાઇ રહ્યું છે”
“લગભગ 6 લાખ કિમી ઓપ્ટિકલ ફાઇબરનું નેટવર્ક પાથરીને ગ્રામ પંચાયતોને જોડવામાં આવી રહી છે”
“ભારતે $418 બિલિયન એટલે કે 31 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની વ્યાપારી નિકાસ કરવાનો નવો વિક્રમ બનાવ્યો છે”
“PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અંતર્ગત, રેલવે અને માર્ગોને લગતી અઢીસોથી વધુ પરિયોજનાઓને ઓળખી કાઢવામાં આવી છે જે અવિરત પોર્ટ કનેક્ટિવિટીમાં મદદરૂપ થશે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેંગલુરુ ખાતે આશરે રૂપિયા 3800 કરોડના યાંત્રિકીકરણ અને ઔદ્યોગિકીકરણને લગતી પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના ઇતિહાસમાં લાલ અક્ષરે અંકિત દિવસ છે. પ્રાદેશિક સુરક્ષાની વાત હોય કે પછી આર્થિક સુરક્ષાની વાત હોય, ભારત વિશાળ તકોનું સાક્ષી રહ્યું છે. આજના દિવસે જ INS વિક્રાંતની નિયુક્તિને યાદ કરતા, આજે દરેક ભારતીયને જે ગૌરવ અનુભવાઇ રહ્યું છે તે લાગણી પ્રધાનમંત્રીએ ગૌરવ વ્યક્ત કરી હતી.

આજના દિવસે જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અથવા જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તેનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પરિયોજનાઓ કર્ણાટકમાં ઇઝ ઓફ લિવિંગ અને રોજગારીની તકોમાં વધારો કરશે, જેમાં ખાસ કરીને ‘એક જિલ્લો અને એક ઉત્પાદન’ યોજના આ પ્રદેશના માછીમારો, કારીગરો અને ખેડૂતોના સ્થાનિક ઉત્પાદનો માટે બજારની ઉપલબ્ધતાને સરળ બનાવશે.

પાંચ પ્રતિજ્ઞાઓ (પંચપ્રણ) અંગે ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે લાલ કિલ્લા પરથી જે પાંચ પ્રતિજ્ઞાઓ વિશે વાત કરી હતી તેમાંથી પ્રથમ વિકસિત ભારતનું નિર્માણ કરવાની પ્રતિજ્ઞા છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે, દેશના ઉત્પાદન ક્ષેત્ર, ‘મેક ઇન ઇન્ડિયા’નું વિસ્તરણ કરવું ખૂબ જ જરૂરી છે.”

બંદરો આધારિત વિકાસ માટે દેશ જે પ્રકારે પ્રયાસો કરી રહ્યો છે તેના પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસ કરવા માટે તે એક ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર છે. આવા પ્રયાસોના પરિણામ સ્વરૂપે માત્ર 8 વર્ષમાં જ ભારતના બંદરોની ક્ષમતા લગભગ બમણી થઇ ગઇ છે.

છેલ્લાં 8 વર્ષોમાં માળખાગત વિકાસના કાર્યો પર પ્રાથમિકતાના આધારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે અંગે ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આનાથી કર્ણાટકને ઘણો લાભ પ્રાપ્ત થયો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “સાગરમાલા યોજનાના સૌથી મોટા લાભાર્થીઓમાંથી એક કર્ણાટક પણ છે.” તેમણે આગળ ઉમેર્યું હતું કે, છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં રૂપિયા 70 હજારના મૂલ્યની રાષ્ટ્રીય ધોરીમાર્ગોને લગતી પરિયોજનાઓ ઉમેરવામાં આવી છે અને એક લાખ કરોડ રૂપિયા કરતાં વધુની પરિયોજનાઓ હાલમાં પાઇપલાઇનમાં છે. છેલ્લા 8 વર્ષમાં કર્ણાટકમાં રેલવેલક્ષી વિવિધ પરિયોજનાઓના રેલવે બજેટમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે.

છેલ્લાં 8 વર્ષ દરમિયાન થયેલા વિકાસનું અવલોકન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં ગરીબો માટે 3 કરોડથી વધુ મકાનો બાંધવામાં આવ્યા છે અને કર્ણાટકમાં ગરીબો માટે 8 લાખ કરતાં વધારે પાકા મકાનોને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, “હજારો મધ્યમ-વર્ગીય પરિવારોને પણ તેમને પોતાનું ઘર બનાવવા માટે કરોડો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, જલજીવન મિશન અંતર્ગત માત્ર 3 વર્ષમાં જ દેશના 6 કરોડ કરતાં વધારે ઘરો સુધી પાઇપથી પાણીની સુવિધા પહોંચાડવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “પ્રથમ વખત, કર્ણાટકના 30 લાખ કરતાં વધુ ગ્રામીણ પરિવારો સુધી પાઇપથી પાણી પહોંચી ગયું છે.” પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના લગભગ 4 કરોડ ગરીબ લોકોએ હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન મફત સારવાર મેળવી છે. આના કારણે ગરીબોના ખિસ્સામાંથી ખર્ચ થનારા લગભગ 50 હજાર કરોડ રૂપિયા બચી ગયા છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “કર્ણાટકના 30 લાખથી વધુ દર્દીઓને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે.”

પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, જે લોકોને તેમની નબળી આર્થિક સ્થિતિના કારણે ભૂલી જવામાં આવ્યા હતા તેમની હવે ઉપેક્ષા ન થાય તે પણ સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે નાના ખેડૂતો, નાના વેપારીઓ, માછીમારો, શેરી પરના વિક્રેતાઓ અને આવા કરોડો લોકોને પ્રથમ વખત દેશના વિકાસનો લાભ મળવા લાગ્યો છે. તેમણે કહ્યું હતું કે, “તેઓ હવે ભારતના વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઇ રહ્યા છે.”

પ્રધાનમંત્રીએ ભારતની સાડા સાત હજાર કિલોમીટર લાંબા દરિયાકાંઠા તરફ સૌનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, આપણે દેશની આ ક્ષમતાનો પૂરેપૂરો લાભ ઉઠાવવો પડશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે પર્યટનમાં વૃદ્ધિ થાય છે, ત્યારે તે આપણા કુટીર ઉદ્યોગો, આપણા કારીગરો, ગ્રામ્ય ઉદ્યોગો, શેરી પરના વિક્રેતાઓ, ઓટો-રિક્ષા ચાલકો, ટેક્સી ડ્રાઇવરોને લાભ આપે છે. મને આનંદ છે કે ન્યુ મેંગલોર પોર્ટ ક્રુઝ દ્વારા પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સતત નવી સુવિધાઓનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે.”

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આજે ડિજિટલ પેમેન્ટ્સનો આંકડો ઐતિહાસિક સ્તર સુધી પહોંચી ગયો છે અને BHIM-UPI જેવા આપણા આવિષ્કારો આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યા છે.” તેમણે આગળ જણાવ્યું હતું કે આજે દેશના લોકો મજબૂત કનેક્ટિવિટીની મદદથી ઝડપી અને સસ્તું ઇન્ટરનેટ ઇચ્છે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે લગભગ 6 લાખ કિલોમીટર ઓપ્ટિકલ ફાઇબરનું નેટવર્ક પાથરીને દેશભરની ગ્રામ પંચાયતોને જોડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “5Gની સુવિધા આ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવવા જઇ રહી છે. મને આનંદ છે કે, કર્ણાટકની ડબલ-એન્જિનની સરકાર પણ લોકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓને ઝડપી ગતિએ પૂરી કરવા માટે કામ કરી રહી છે.”

થોડા દિવસો પહેલા બહાર આવેલા GDPના આંકડાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન ભારત દ્વારા ઘડવામાં આવેલી નીતિઓ અને સરકારે લીધેલા નિર્ણયોએ ભારતના વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “ગયા વર્ષે, ઘણા બધા વૈશ્વિક અવરોધો આવ્યા હોવા છતાં, ભારતની નિકાસ કુલ $670 બિલિયન એટલે કે 50 લાખ કરોડ રૂપિયાની હતી. ભારતે, દરેક પડકારને પાર કરીને, કુલ $418 બિલિયન એટલે કે 31 લાખ કરોડ રૂપિયાની વ્યાપારી નિકાસનો નવો રેકોર્ડ બનાવ્યો છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ એન્જિન સાથે સંકળાયેલું દરેક ક્ષેત્ર આજે સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધી રહ્યું છે. સેવા ક્ષેત્ર પણ ઝડપી ગતિએ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વિનિર્માણ ક્ષેત્રમાં હવે PLI યોજનાઓની અસર ખૂબ જ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. તેમણે કહ્યું હતું કે, “મોબાઇલ ફોન સહિત સમગ્ર ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદન ક્ષેત્રમાં અનેકગણો વિકાસ થયો છે.” પ્રધાનમંત્રીએ એ બાબતે પણ દરેક લોકોનું ધ્યાન દોર્યું હતું કે, ભારતમાં રમકડા ક્ષેત્ર અત્યારે ઉભરતું ક્ષેત્ર છે અને આ ક્ષેત્રમાં છેલ્લા 3 વર્ષમાં રમકડાંની આયાત ઘટી છે અને સામા પક્ષે લગભગ એટલા જ પ્રમાણમાં નિકાસ વધી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આ બધાને સીધો ફાયદો દેશના દરિયાકાંઠાના વિસ્તારો દ્વારા થઇ રહ્યો છે, જે ભારતીય માલની નિકાસ માટે તેમના સંસાધનો પૂરા પાડે છે, જેમાં મેંગલુરુ જેવા મોટા બંદરો છે.”

પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોના પરિણામે દેશમાં વર્ષોવર્ષ દરિયાકાંઠાના ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, “દેશના વિવિધ બંદરો પર સુવિધાઓ અને સંસાધનોમાં વધારો કરવામાં આવ્યો છે જેના કારણે, દરિયાકાંઠા પર સામનાની હેરફેર હવે સરળ બની ગઇ છે.” પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “પોર્ટ કનેક્ટિવિટી વધુ સારી હોવી જોઇએ, તેને ઝડપી બનાવવી જોઇએ તેવો હંમેશા સરકારનો પ્રયાસ રહ્યો છે. આથી જ, પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ, રેલવે અને રસ્તાઓ સંબંધિત 250 થી વધુ પરિયોજનાઓને ઓળખી કાઢવામાં આવી છે જે અવિરત પોર્ટ કનેક્ટિવિટીમાં મદદરૂપ થશે.”

પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પર ઉપસ્થિત લોકોનું ધ્યાન દોર્યું હતું અને ભારતની ધરતીને ગુલામીના શકંજામાંથી બહાર લાવવા માટે રાણી અબક્કા અને રાણી ચેન્નાભૈરા દેવીએ કરેલા સંઘર્ષને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આજે, આ બહાદુર મહિલાઓ નિકાસના ક્ષેત્રમાં આગળ વધવા માટે ભારત માટે એક મહાન પ્રેરણા સમાન છે.”

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપન વખતે કર્ણાટકના કારાવલી પ્રદેશનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “દેશભક્તિ, રાષ્ટ્રીય સંકલ્પની આ ઊર્જાથી હું હંમેશા પ્રેરિત હોઉં તેવો અનુભવ કરું છું. મેંગલુરુમાં જોવા મળેલી આ ઊર્જા આવા વિકાસના માર્ગને ઉજ્જવળ કરતી રહે, એવી જ ઇચ્છા સાથે, આ વિકાસ પરિયોજનાઓ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.”

આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇ, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશી, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી શ્રી બી.એસ. યેદિયુરપ્પા, કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ શ્રી શ્રીપદ યેસો નાયક, શ્રી શાંતનુ ઠાકુર અને સુશ્રી શોભા કરંડલાજે, સંસદ સભ્ય શ્રી નલિન કુમાર કાટીલ, રાજ્યના મંત્રીઓ શ્રી અંગારા એસ,. શ્રી સુનિલ કુમાર વી. અને શ્રી કોટા શ્રીનિવાસ પૂજારી ઉપસ્થિત રહ્યા હતા.

પરિયોજનાઓની વિગતો

પ્રધાનમંત્રીએ મેંગલુરુ ખાતે આશરે રૂ. 3800 કરોડના યાંત્રિકીકરણ અને ઔદ્યોગિકીકરણને લગતી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ ન્યૂ મેંગલોર પોર્ટ ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલા કન્ટેનર અને અન્ય કાર્ગો સંચાલન માટે બર્થ નંબર 14ના યાંત્રિકીકરણ માટે રૂપિયા 280 કરોડથી વધુની પરિયોજના ઉદ્ઘાટન કર્યું હતું. યાંત્રિકીકૃત ટર્મિનલ કાર્યક્ષમતામાં વધારો કરશે અને ટર્નઅરાઉન્ડ ટાઇમ, બર્થિંગ પહેલાંનો વિલંબ અને બંદરમાં રહેવાના સમયમાં લગભગ 35% જેટલો ઘટાડો કરશે, આમ તેના કારણે વ્યવસાયિક માહોલને પ્રોત્સાહન મળશે. આ પરિયોજનાનો પહેલો તબક્કો સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો છે, જેનાથી કાર્ગોના સંચાલનની ક્ષમતામાં 4.2 MTPAનો ઉમેરો થયો છે અને વર્ષ 2025 સુધીમાં 6 MTPAથી વધુનો ઉમેરો થશે.

પ્રધાનમંત્રીએ આ બંદર દ્વારા હાથ ધરવામાં આવનારી આશરે રૂ. 1000 કરોડની કિંમતની પાંચ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. અત્યાધુનિક ક્રાયોજેનિક LPG સ્ટોરેજ ટાંકી ટર્મિનલથી સજ્જ એકીકૃત LPG અને જથ્થાબંધ લિક્વિડ POL સુવિધા અત્યંત કાર્યક્ષમ રીતે 45,000 ટનના ફુલ લોડ VLGC (ખૂબ મોટા ગેસ કેરિયર્સ)ને અનલોડ કરવામાં સક્ષમ હશે. આ સુવિધા દેશના ટોચના LPG આયાત કરતા બંદરો પૈકી એક તરીકે આ બંદરની સ્થિતિને વધુ મજબૂત બનાવવાની સાથે સાથે આ પ્રદેશમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને પણ પ્રોત્સાહન આપશે. પ્રધાનમંત્રીએ સ્ટોરેજ ટાંકી અને ખાદ્ય તેલ રિફાઇનરીના બાંધકામ, બિટ્યુમેન સ્ટોરેજ અને સંલગ્ન સુવિધાઓના બાંધકામ અને બિટ્યુમેન તેમજ ખાદ્ય તેલના સંગ્રહ અને સંલગ્ન સુવિધાઓના નિર્માણ માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પરિયોજનાઓ બિટ્યુમેન અને ખાદ્ય તેલના જહાજોના ટર્નઅરાઉન્ડ સમયમાં સુધારો કરશે અને વેપાર માટે એકંદરે નૂર ખર્ચમાં ઘટાડો કરશે. પ્રધાનમંત્રીએ કુલાઇ ખાતે ફિશિંગ હાર્બરના વિકાસ માટે પણ શિલાન્યાસ કર્યો હતો, જે માછલી પકડવાની સલામત સંચાલનની સુવિધા પૂરી પાડશે અને વૈશ્વિક બજારમાં વધુ સારી કિંમતો મળી શકશે. આ કામગીરી સાગરમાલા કાર્યક્રમના નેજા હેઠળ હાથ ધરવામાં આવશે અને તેના પરિણામ સ્વરૂપે માછીમાર સમુદાયને નોંધપાત્ર રીતે સામાજિક અને આર્થિક લાભ થશે.

પ્રધાનમંત્રીએ મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલી બે પરિયોજનાઓ એટલે કે - BS VI અપગ્રેડેશન પરિયોજના અને સી વોટર ડિસેલિનેશન પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. રૂપિયા 1830 કરોડની અંદાજિત કિંમતની BS VI અપગ્રેડેશન પરિયોજના અતિ-શુદ્ધ પર્યાવરણ માટે અનુકૂળ BS-VI ગ્રેડ ઇંધણ (10 PPM કરતાં ઓછી સલ્ફર સામગ્રી સાથે)ના ઉત્પાદનની સુવિધા પૂરી પાડશે. આશરે રૂ. 680 કરોડના ખર્ચે સ્થાપવામાં આવેલો સી વોટર ડિસેલિનેશન પ્લાન્ટ, તાજા પાણી પરની નિર્ભરતા ઘટાડવામાં અને આખા વર્ષ દરમિયાન હાઇડ્રોકાર્બન અને પેટ્રોકેમિકલ્સનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. દૈનિક 30 મિલિયન લીટર (MLD)ની ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ સમુદ્રના પાણીને રિફાઇનરી પ્રક્રિયાઓ માટે જરૂરી પાણીમાં રૂપાંતરિત કરે છે.

 

 

 

 

 

 

 

 

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature

Media Coverage

IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of Prime Minister addresses the Indian Community in Paris
June 18, 2026

नमस्ते!

बों जू!

ऐसा लग रहा है, आप सब छुट्टी के मूड में हैं।

साथियों,

ये पेरिस शहर, Lights का शहर है, रंगों का शहर है, यहां Art है, Ideas हैं, और innovation की प्रेरणा भी है। इस शहर को भारत के अलग-अलग राज्यों से आए आप सभी लोग और भी खूबसूरत बना देते हैं। नए नए रंगों से भर देते हैं।

कोई तमिल है, कोई पंजाबी है, कोई गुजराती है, तो कोई मराठी है, और कोई बंगाली है। भारत के हर कोने का प्रतिनिधित्व यहां दिखाई देता है।

साथियों,

मैं जब 14 जून को नीस पहुंचा था तो सबसे पहले भारत इनोवेट्स कार्यक्रम में शामिल हुआ था। आज जब मैं फ्रांस से वापसी की तैयारी में हूं तो लग रहा है जैसे भारत कनेक्ट्स कार्यक्रम में आ गया हूं।

फ्रांस में रहने वाले आप लोगों ने 21वीं सदी के भारत-फ्रांस रिश्तों को जिस तरह कनेक्ट किया है, वो हमारी Strategic Partnership की बहुत बड़ी ताकत बन रही है। मैं आप सभी के लिए भारत से 140 करोड़ देशवासियों की शुभकामनाएं लेकर आया हूं। इस आत्मीय स्वागत के लिए, मैं आप सभी का हृदय से आभार व्यक्त करता हूं।

साथियों,

आज मैं ऐसे समय में फ्रांस आया हूं जब कुछ ही दिन पहले हमारी सरकार के 12 वर्ष पूरे हुए हैं। चुने हुए प्रधानमंत्री के रूप निरंतर 12 साल तक देश की सेवा करना मेरे जीवन का बहुत बड़ा सौभाग्य रहा है। यह भारत के लोकतंत्र की शक्ति है जिसने एक चायवाले को यहां तक पहुंचा दिया।

साथियों,

बीते 12 वर्ष, 140 करोड़ भारतीयों के अद्भुत सामर्थ्य के रहे हैं। 12 साल के इस कालखंड में भारत का GDP दोगुना हुआ है। Airports की संख्या दोगुनी हुई है। Universities की संख्या भी दोगुनी हो गई है। Highway Construction की स्पीड तीन गुना बढ़ गई। और Metro Network, चार गुणा बड़ा हो गया है।

मैं आपको कुछ और फैक्ट्स दूंगा, उससे आप अंदाजा लगा पाएंगे कि भारत किस स्पीड और कितने बड़े स्केल पर काम कर रहा है। पिछले 12 वर्षों में भारत का Defence Export 35 गुणा यानि Thirty Five Times बढ़ गया है।

औऱ एक फैक्ट सुनिए भारत में मोबाइल मैन्यूफैक्टरिंग यूनिट्स में, 100 गुणा की बढ़ोतरी हुई है। 100 times. भारत अब दुनिया का दूसरा सबसे बड़ा mobile phone manufacturer है। इसी गति, इसी प्रगति का नतीजा है कि आज भारत दुनिया की Fastest Growing Major Economy है।

साथियों,

आज भारत की कहानी सिर्फ Economic Progress की कहानी नहीं है। सिर्फ यहाँ अटक नहीं जाती है। ये Social Transformation की भी कहानी है।

पिछले 12 साल में देश में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। यानि एक ऐसी प्रगति जिसका लाभ समाज के अंतिम व्यक्ति तक पहुंच रहा है। फ्रांस में जितने घर हैं, उससे भी अधिक पक्के घर बीते 12 वर्ष में हमने जरूरतमंदों के लिए बनाए हैं।

अब हर परिवार के पास, गरीब से गरीब क्यों न हो, Bank Account है। Financial Inclusion एक सरकारी कार्यक्रम नहीं, बल्कि सामाजिक परिवर्तन का अभियान बना है।

साथियों,

इन 12 वर्षों की उपलब्धियों में, एक उपलब्धि ऐसी भी है जिसे किसी आंकड़े से, या अंकों से, नहीं मापा जा सकता। वह है 140 करोड़ भारतीयों का आत्मविश्वास।

आज का भारत और आज के भारत का युवा बहुत बड़े सपने देख रहा है। भारत का किसान नई संभावनाओं के साथ आगे बढ़ रहा है। भारत की महिलाएं नए नेतृत्व का परिचय दे रही हैं। इसलिए ये सिर्फ Achievements के 12 साल नहीं हैं, ये भारत की एस्पिरेशन्स को नई बुलंदी देने का कालखंड रहा है।

साथियों,

एक समय था जब दूर-दराज के गांवों तक आधुनिक सुविधाएं पहुंचाना वाकई बहुत मुश्किल भरा था। आज उन्हीं गांवों में बिजली भी है, इंटरनेट भी है, और डिजिटल सेवाओं की पूरी दुनिया भी है। आज एक क्लिक पर, कभी भी, कहीं भी बैंकिंग सेवाएं उपलब्ध हैं।

आज मोबाइल फोन, भारत के नागरिकों को अनेक सुविधाओं से कनेक्ट कर रहा है। हमारे किसान, हमारे मछुआरे, हमारे dairy farmers, हमारी महिलाएं, हमारे स्टूडेंट्स, सभी टेक्नोलॉजी के माध्यम से सशक्त हो रहे हैं, और अपने लिए नए अवसर बना रहे हैं।

साथियों,

आपने 125 करोड़ से अधिक Aadhaar IDs के बारे में सुना है। लेकिन आज भारत सिर्फ पहचान को डिजिटल नहीं बना रहा। आज करीब 90 करोड़ भारतीयों की Unique Digital Health IDs बनाई जा चुकी हैं। जिससे मेडिकल रिकॉर्ड सुरक्षित और accessible बन गए हैं। इससे हेल्थकेयर डिलीवरी और अधिक आसान और efficient हो रही है।

साथियों,

इन उपलब्धियों की सबसे बड़ी विशेषता यह है कि इनमें से अधिकांश चीजें कुछ वर्ष पहले तक कल्पना जैसी लगती थीं। कौन सोच सकता था कि गांव-गांव तक हाई-स्पीड इंटरनेट पहुंचेगा ? कौन सोच सकता था कि दूर-सुदूर के गांवों में भी QR code जीवन का हिस्सा बन जायेगा ? गांव में कोई बहन, ड्रोन से खेती करने में मदद करेगी, ये भी असंभव लगता था।

लेकिन आज यह सब, भारत के करोड़ों लोगों के जीवन का सामान्य हिस्सा बनता जा रहा है। और आपको गर्व होगा साथियों, यही नए भारत की पहचान है।

जो कभी सपना था, वह आज सच्चाई है। जो कभी नामुमकिन लगता था, वो आज मुमकिन हुआ है, औऱ ये करने के पीछे सबसे बड़ी ताकत क्या है? किसकी वजह से ये सब संभव हुआ है? यह मोदी के कारण नहीं, वो ताकत है- भारत का लोकतंत्र, भारत की डेमोक्रेसी। इस डेमोक्रेसी में सबका साथ है, सबका विकास है।

साथियों,

आज से 50 या 100 साल बाद जब भारत के इस कालखंड की समीक्षा होगी, तो ये बात उभरकर सामने आएगी कि इस कालखंड को भारत की Aspirations ने ड्राइव किया। यह भारत के एस्पिरेशन्स का नया युग है।

जहां बिजली पहुंची है, वहां लोग सिर्फ बिजली नहीं चाहते, वे Smart Living चाहते हैं। जहां ट्रेन पहुंची है, वहां लोग High-Speed Connectivity चाहते हैं। जहां हाईवे बने हैं, वहां लोग World-Class Expressways चाहते हैं। जहां इंटरनेट पहुंचा है, वहां लोग AI और Digital Innovation में नेतृत्व चाहते हैं।

यानि आज भारत के लोग अपने जीवन को भी Next Level पर ले जाना चाहते हैं, और भारत को भी Next Level पर ले जाना उनका मकसद है, उनका संकल्प है, उनके सपने है।

और साथियों,

यही Aspirations आज भारत की विकास यात्रा की सबसे बड़ी शक्ति हैं। मैं आपको भारत की Space Journey का उदाहरण दूंगा।

भारत ने चंद्रयान को चंद्रमा के South Pole पर उतारा। दुनिया ने इसे एक बहुत बड़ी उपलब्धि माना। लेकिन भारत इसे अपनी मंजिल मानकर रुका नहीं। आज देश गगनयान की तैयारी कर रहा है। भारत अंतरिक्ष में अपना Space Station बनाने की दिशा में आगे बढ़ रहा है।

हमारे Space Startups Global Space Economy में अपनी जगह बनाने के लिए पुरजोश काम कर रहे हैं, आगे बढ़ रहे हैं।

साथियों,

Green Energy के क्षेत्र में भी भारत की यही एस्पिरेशंस दिखाई देती है। Solar Power में भारत की उपलब्धियों की दुनिया भर में लगातार चर्चा हो रही हैं। लेकिन भारत अगली छलांग की तैयारी कर रहा है।

Green Hydrogen में बड़े निवेश हो रहे हैं। Advanced Nuclear Energy पर तेजी से काम हो रहा है। आपने भारत के Fast Breeder nuclear Reactor से जुड़ी प्रोग्रेस के बारे में भी सुना ज़रूर होगा। ये भारत के न्यूक्लियर एनर्जी लैंडस्केप में क्रांतिकारी परिवर्तन करने का बहुत बड़ा अचीवमेंट हमारे सीसेन्टिस्टों ने किया है।

साथियों,

आज का भारत भविष्य का पूरा Ecosystem बना रहा है। भारत एक साथ हर उस क्षेत्र में निवेश कर रहा है, जो आने वाले दशकों की दिशा तय करेगा।

अभी आपने कुछ दिन पहले ही देखा है नीस में भारत इनोवेट्स का एक आयोजन किया। ये इवेंट भारत के डीप टेक सामर्थ्य को दुनिया तक पहुंचाने का एक और माध्यम था। इसमें भारत के 120 Deep-Tech Startups उपस्थित थे। Bharat Innovates में करीब एक हजार चार सौ B2B Meetings हुईं है। कई Startups के लिए Investment Commitments आगे बढ़ीं, Commercial Orders के लिए रास्ते खुले। French और European Universities तथा Incubators के साथ Engagements बढ़ रही हैं।

Student Exchanges, Joint Research, और Innovation Support के नए रास्ते बने। इसलिए Bharat Innovates सिर्फ एक Summit नहीं रहा। यह Innovation Diplomacy का एक नया मॉडल बना है।

और आज ही पेरिस में VivaTech इवेंट के जरिए, इस यात्रा को हमने और आगे बढ़ाया। नीस में हमने Ideas को Capital से जोड़ा और पेरिस में Indian Innovation को Global Scale से जोड़ा। आज दुनिया देख रही है भारत केवल भविष्य के लिए तैयार नहीं हो रहा है। भारत भविष्य को आकार दे रहा है।

साथियों,

एक समय था, जब देशों के बीच रिश्ते केवल व्यापार से तय होते थे। आज व्यापार के साथ-साथ Trust यानि भरोसा भी उतना ही महत्वपूर्ण हो गया है।

हर देश Reliable Supply Chains चाहता है। हर देश Stable Partnerships चाहता है। हर देश ऐसे साथियों की तलाश में है, जिन पर लंबे समय तक भरोसा किया जा सके। और ऐसे समय में, भारत विश्व में एक Trusted Partner के रूप में उभर रहा है।

एवियां में G7 बैठक के दौरान मैंने trust based partnerships बनाने पर ज़ोर दिया। ग्लोबल साउथ के देशों के साथ equal पार्टनर्स के रूप में आगे बढ़ने का आह्वान किया। भारत का G7 समिट में संदेश था Global Governance तभी प्रभावी होगी जब वह Inclusive होगी। Global Growth तभी Sustainable होगी जब वह शेयर्ड होगी। और Global Technology तभी मानवता के लिए उपयोगी होगी जब वह Trusted होगी।

साथियों,

भारत और दुनिया के बीच व्यापारिक रिश्तों में नई ऊर्जा नज़र आ रही है। फ्रांस के साथ भारत का ट्रेड लगतार बढ़ रहा है। पिछले कुछ वर्षों में भारत ने दुनिया के अनेक देशों के साथ Free Trade Agreements किए हैं। यूरोपियन यूनियन हो, यूनाइटेड किंगडम हो दुनिया के हर देश, हर रीजन के साथ भारत समझौते कर रहा है।

अगले महीने से भारत और UK के बीच ट्रेड एग्रीमेंट भी लागू हो जाएगा। यह एग्रीमेंट भारत के farmers, workers और innovators को अनेक नए अवसर प्रदान करेगा।

साथियों,

आज दुनिया Uncertainty और Disruption के दौर से गुजर रही है। ऐसे समय में भारत और फ्रांस की साझेदारी विश्वास, स्थिरता और सहयोग का एक मजबूत स्तंभ बन रहा है।

इस वर्ष हमने भारत और फ्रांस के संबंधों को Special Global Strategic Partnership का दर्जा दिया था। नीस में मेरे मित्र President Macron और मैंने हमारे संबंधों को force for global good बनाने पर चर्चा की। Defence से लेकर space और नुक्लियर तक AI और क्रिटीकल मिनरल्स से लेकर high speed railway तक, हर क्षेत्र में हम मिलकर आगे बढ़ेंगे।

साथियों,

Solar energy हो, या AI के क्षेत्र में सहयोग हो, भारत और फ्रांस मिलकर ऐसे समाधान विकसित कर रहे हैं जो पूरी मानवता के हित में हैं। पिछले वर्ष पेरिस में और इस वर्ष दिल्ली में हमने AI Summit को Co-chair किया।

अब हम साथ मिलकर अगले वर्ष “तृष्णा” satellite को लॉन्च करने जा रहें हैं। यह “तृष्णा” satellite जो विश्व में फूड और वाटर सिक्युरिटी सुनिश्चित करने में योगदान देगा।

और साथियों,

यह सभी गवर्नमेंट टू गवर्नमेंट पहलो में आप सभी का योगदान बहुत महत्वपूर्ण है। ये आप हैं जो भारत और यूरोप के बीच सबसे मजबूत सेतु हैं। आप दोनों समाजों को समझते हैं। दोनों बाजारों को समझते हैं। आने वाले समय में Talent, Trade, Technology, Tourism और Investment के नए अवसरों को आगे बढ़ाने में आपकी भूमिका लगातार बढ़ने वाली हैं।

साथियों,

भारत और फ्रांस के रिश्तों को साझा इतिहास, साझा मूल्यों और साझा विश्वास ने आगे बढ़ाया है। विश्व युद्धों के दौरान फ्रांस की धरती पर बलिदान देने वाले भारतीय सैनिकों की स्मृतियां आज भी हमें जोड़ती हैं।

मुझे पहले नव शापेल में श्रद्धांजलि देने का अवसर मिला, पिछले वर्ष प्रेसिडेंट मैक्रों के साथ मार्सेय के वॉर मेमोरियल जाने का अवसर भी मिला। ये हमारी साझा विरासत है।

फ्रांस, भारतीयों के योगदान को संजोता भी है और सराहता भी है। भारतीय मूल की नूर इनायत खान हों, जिन्होंने फ्रांस की Resistance के लिए अपना जीवन बलिदान किया, या महाराजा रणजीत सिंह के साथ काम करने वाले जनरल जां फ्रांस्वा अलार हों ये सभी भारत और फ्रांस की साझा विरासत के प्रतीक हैं।

भारत के राज्य पुडुचेरी में भी फ्रेंच विरासत की झलक दिखाई देती है। वहां का Architecture, वहां की कला-संस्कृति और खान-पान सभी में हमारे संबंधों की महेक है।

साथियों,

इस समय फ्रांस समेत पूरी दुनिया में International Yoga Day की तैयारी भी चल रही है। इस अवसर पर मैं, फ्रांस में योग को आगे बढ़ाने वाले श्रीमान महेश घाट्राड्याल जी को भी आदरपूर्वक श्रद्धांजलि देता हूं। मैं पद्म पुरस्कार से सम्मानित, शार्लोत शोपां जी को भी प्रणाम करता हूं। जिन्होंने सौ वर्ष की आयु में भी, योग के माध्यम से फ़्रांस को भारत की विरासत से जोड़ा है। उनका जीवन यह सिद्ध करता है: Yoga does not add years to life, it adds life to years.

साथियों,

मैं फ्रेद नेग्री जी को भी आदरपूर्वक श्रद्धापूर्वक याद करता हूं। भारतीय विरासत को संरक्षित करने में उनका योगदान अतुल्य रहा है।

साथियों,

भारत और फ्रांस को कनेक्ट करने वाली एक और चीज है, और वो है फुटबॉल। इस वक्त यहां फुटबॉल फीवर पूरे जोर पर है। फ्रांस में इसकी दीवानगी, चप्पे-चप्पे पर दिखती है। लेकिन भारत में भी फुटबॉल का क्रेज़ सिर चढ़कर बोलता है।

खासतौर पर फ्रांस की टीम के फैन्स भारत में बहुत अधिक हैं। फ़्रांस ने इस वर्ल्ड कप की शुरुआत एक जोरदार जीत से शुरू की है। मैं फ्रांस की टीम को बहुत-बहुत शुभकामनाएं देता हूं।

साथियों,

जाने से पहले, आप सभी के लिए कुछ और अच्छी खबरें भी लेकर के आया हूँ। वो आपके लिए हैं। पिछले वर्ष, मार्सेय में कॉन्सुलेट खोला गया, इससे काफी अधिक सुविधा मिल रही है। कुछ हफ्ते पहले, Indian Nationals के लिए French Airports पर Visa-free Transit की व्यवस्था शुरू हो गई है।

Students और Professionals की Mobility बढ़ाना हो, या Educational Qualifications की Mutual Recognition की बात हो, या फिर French Universities के भारत में Campus खोलना हो, इन सभी पर हम मिलकर आगे बढ़ रहें हैं।

अब फ्रांस में UPI के उपयोग का दायरा भी और बढ़ने जा रहा है। यानि भारत-फ्रांस कनेक्ट भी Instant और आपसी Payment भी Instant!

साथियों,

इन सभी पहलों से, हम भारत और फ़्रांस को और करीब ला रहें हैं। और मैं फिर कहूंगा इस साझेदारी की नींव, इस रिश्ते की असली ताकत आप सभी हैं। आप सब मेरे देशवासी हैं।

आज जब भारत तेज़ी से विकसित भारत के लक्ष्य की ओर बढ़ रहा है, तो मैं आप सभी से भारत के साथ और गहराई से जुडने का आग्रह करूंगा। इससे भारत की विकास यात्रा को नई शक्ति मिलेगी, और आपको अपनी पुरखों की धरती की सेवा करने का अवसर भी मिलेगा।

इन्हीं शब्दों के साथ आप सभी के प्रेम आपके उत्साह और इस आत्मीय स्वागत के लिए मैं एक बार फिर आप सभी का आभार व्यक्त करता हूं।

भारत माता की जय!

बहुत बहुत धन्यवाद।