પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનમાં અસાધારણ ભાગીદારી પર ખુશી વ્યક્ત કરી, નોંધ્યું કે તે ભારતના લોકોને એક કરતી દૃઢ દેશભક્તિની ભાવના અને ત્રિરંગા પ્રત્યેના તેમના અતૂટ ગૌરવને પ્રતિબિંબિત કરે છે. તેમણે નાગરિકોને harghartiranga.com પર તેમના ફોટા અને સેલ્ફી શેર કરવાનું ચાલુ રાખવા પણ વિનંતી કરી.
હર ઘર તિરંગા અભિયાનમાં અસાધારણ ભાગીદારી વિશે સંસ્કૃતિ મંત્રાલયની પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;
“#HarGharTiranga ને સમગ્ર ભારતમાં અસાધારણ ભાગીદારી મળી રહી છે તે જોઈને આનંદ થયો. આ આપણા લોકોને એક કરતી ગાઢ દેશભક્તિની ભાવના અને ત્રિરંગા પ્રત્યેના તેમના અતૂટ ગૌરવને દર્શાવે છે. harghartiranga.com પર ફોટા અને સેલ્ફી શેર કરતા રહો”
Glad to see #HarGharTiranga receiving phenomenal participation across India. This shows the deep patriotic spirit that unites our people and their unwavering pride in the Tricolour. Do keep sharing photos and selfies on https://t.co/uJuh3CXyQS https://t.co/Ua5fHfYFcU
— Narendra Modi (@narendramodi) August 9, 2025


