“ભારતની બાયો-ઇકોનોમી છેલ્લા 8 વર્ષમાં 8 ગણી વધી છે. આપણે $10 બિલિયનથી વધીને $80 બિલિયન થયા છીએ. બાયોટેકની ગ્લોબલ ઇકોસિસ્ટમમાં ટોપ-10 દેશોની લીગ સુધી પહોંચવાથી ભારત બહુ દૂર નથી”
"આપણે આપણા બાયોટેક સેક્ટર અને ભારતના બાયો પ્રોફેશનલ્સ માટે એ જ આદર અને પ્રતિષ્ઠા જોઈ રહ્યા છીએ જે રીતે આપણે છેલ્લા દાયકાઓમાં આપણા આઈટી પ્રોફેશનલ્સ માટે જોયા છે"
“સબકા સાથ-સબકા વિકાસનો મંત્ર ભારતના વિવિધ ક્ષેત્રો પર લાગુ પડે છે. હવે 'સમગ્ર સરકાર' અભિગમમાં તમામ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
“આજે લગભગ 60 વિવિધ ઉદ્યોગોમાં 70 હજાર સ્ટાર્ટ-અપ્સ નોંધાયેલા છે. 5 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ બાયોટેક સાથે સંકળાયેલા છે.
"ગત વર્ષમાં જ 1100 બાયોટેક સ્ટાર્ટઅપ્સ ઉભરી આવ્યા"
"સબકા પ્રયાસની ભાવના કેળવતા, સરકાર ઉદ્યોગના શ્રેષ્ઠ દિમાગને એકીકૃત પ્લેટફોર્મ પર લાવી રહી છે"
“બાયોટેક સેક્ટર સૌથી વધુ ડિમાન્ડ ડ્રિવન સેક્ટર્સમાંનું એક છે. ભારતમાં વર્ષોથી Ease of Living માટેની ઝુંબેશોએ બાયોટેક સેક્ટર માટે નવી શક્યતાઓ ખોલી છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અહીં પ્રગતિ મેદાન ખાતે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પો - 2022નું ઉદ્ઘાટન કર્યું. તેમણે બાયોટેક પ્રોડક્ટ્સ ઈ પોર્ટલ પણ લોન્ચ કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ડૉ. જિતેન્દ્ર સિંહ, બાયોટેક સેક્ટરના હિતધારક, નિષ્ણાતો, SMEs, રોકાણકારો હાજર હતા.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની બાયો-ઈકોનોમી છેલ્લા 8 વર્ષમાં 8 ગણી વધી છે. “આપણે $10 બિલિયનથી વધીને $80 બિલિયન થયા છીએ. ભારત બાયોટેકની વૈશ્વિક ઇકોસિસ્ટમમાં ટોપ-10 દેશોની લીગ સુધી પહોંચવાથી બહુ દૂર નથી”,એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ દેશમાં આ ક્ષેત્રના વિકાસમાં બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC)ના યોગદાનની પણ નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે જ્યારે દેશ અમૃતકાળ દરમિયાન નવા સંકલ્પો લઈ રહ્યો છે ત્યારે દેશના વિકાસમાં બાયોટેક ઉદ્યોગની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વૈશ્વિક મંચ પર ભારતીય પ્રોફેશનલ્સની વધતી જતી પ્રતિષ્ઠા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “વિશ્વમાં આપણા IT વ્યાવસાયિકોની કુશળતા અને નવીનતામાં વિશ્વાસ નવી ઊંચાઈએ છે. આ જ વિશ્વાસ અને પ્રતિષ્ઠા, આ દાયકામાં, આપણે ભારતના બાયોટેક સેક્ટર અને ભારતના બાયો પ્રોફેશનલ્સ માટે જોઈ રહ્યા છીએ.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બાયોટેકના ક્ષેત્રમાં ભારતને તકોની ભૂમિ તરીકે ગણવામાં આવે છે તેના પાંચ મોટા કારણો છે. પ્રથમ- વૈવિધ્યસભર વસતી અને વૈવિધ્યસભર આબોહવા વિસ્તારો, બીજું- ભારતનો પ્રતિભાશાળી માનવ મૂડી પૂલ, ત્રીજો- ભારતમાં વ્યવસાય કરવાની સરળતા માટે વધતા પ્રયાસો. ચોથું- ભારતમાં બાયો-પ્રોડક્ટ્સની માગ સતત વધી રહી છે અને પાંચમું- ભારતનું બાયોટેક સેક્ટર અને તેની સફળતાનો ટ્રેક રેકોર્ડ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે ભારતીય અર્થવ્યવસ્થાની ક્ષમતા અને શક્તિને સુધારવા માટે અથાક મહેનત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 'સમગ્ર સરકારી અભિગમ' પર ભાર છે. સબકા સાથ-સબકા વિકાસનો મંત્ર ભારતના વિવિધ ક્ષેત્રો પર પણ લાગુ પડે છે, એમ તેમણે જણાવ્યું હતું. આના પરિણામે દ્રશ્ય ઉલટાવી દેવામાં આવ્યું છે કે જ્યારે અમુક પસંદગીના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું અને અન્યને પોતાને બચાવવા માટે છોડી દેવામાં આવ્યા હતા. આજે તેમણે કહ્યું કે, દરેક ક્ષેત્ર દેશના વિકાસને વેગ આપી રહ્યું છે, તેથી જ દરેક ક્ષેત્રનો ‘સાથ’ અને દરેક ક્ષેત્રનો ‘વિકાસ’ એ સમયની જરૂરિયાત છે. વિચાર અને અભિગમમાં આ પરિવર્તન પરિણામ આપી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે તાજેતરના વર્ષોમાં ઘણી મોટી સંખ્યામાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવાના ઉદાહરણો આપ્યા.

બાયોટેક સેક્ટર માટે પણ, અભૂતપૂર્વ પગલાં લેવામાં આવી રહ્યા છે જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સ્પષ્ટપણે પ્રગટ થાય છે. “છેલ્લા 8 વર્ષોમાં, આપણા દેશમાં સ્ટાર્ટ-અપ્સની સંખ્યા કેટલાક 100થી વધીને 70 હજાર થઈ ગઈ છે. આ 70 હજાર સ્ટાર્ટ-અપ લગભગ 60 અલગ-અલગ ઉદ્યોગોમાં બનેલા છે. એમાં પણ 5 હજારથી વધુ સ્ટાર્ટઅપ બાયોટેક સાથે જોડાયેલા છે. બાયો ટેક્નોલોજી સેક્ટરમાં દર 14મો સ્ટાર્ટઅપ છે અને ગયા વર્ષે જ આવા 1100 થી વધુ બાયોટેક સ્ટાર્ટઅપ્સ ઉભરી આવ્યા છે”,એવી પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી. આ ક્ષેત્ર તરફ પ્રતિભાના સ્થાનાંતરણ વિશે વધુ વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બાયોટેક સેક્ટરમાં રોકાણકારોની સંખ્યામાં 9 ગણો વધારો થયો છે અને બાયોટેક ઇન્ક્યુબેટર્સ અને તેમના માટેના ભંડોળમાં 7 ગણો વધારો થયો છે. બાયોટેક ઇન્ક્યુબેટરની સંખ્યા 2014માં 6 હતી તે વધીને હવે 75 થઈ ગઈ છે. બાયોટેક પ્રોડક્ટ્સ આજે 10 પ્રોડક્ટ્સની સામે 700થી વધુ સુધી વધી ગઈ છે”, એવી તેમણે માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર-કેન્દ્રીત અભિગમને પાર કરવા માટે, સરકાર નવા સક્ષમ ઇન્ટરફેસ પ્રદાન કરવાની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરી રહી છે. BIRAC જેવા પ્લેટફોર્મને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે અને અન્ય ઘણા ક્ષેત્રો આ અભિગમ જોઈ રહ્યા છે. તેમણે સ્ટાર્ટ અપ માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયાનું ઉદાહરણ આપ્યું. સ્પેસ સેક્ટર માટે IN-સ્પેસ, ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ માટે iDEX, સેમી કંડક્ટર માટે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન, યુવાનોમાં નવીનતાઓને પ્રોત્સાહિત કરવા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન્સ અને બાયોટેક સ્ટાર્ટ-અપ એક્સ્પો, આ તમામ “સબકા પ્રયાસની ભાવના, સરકાર નવી સંસ્થાઓ દ્વારા ઉદ્યોગના શ્રેષ્ઠ દિમાગને એક મંચ પર એકસાથે લાવી રહી છે. આ દેશ માટે બીજો મોટો ફાયદો છે. દેશને સંશોધન અને એકેડેમીયાથી નવી સિદ્ધિઓ મળે છે, ઉદ્યોગ વાસ્તવિક વિશ્વ દૃષ્ટિકોણમાં મદદ કરે છે, અને સરકાર જરૂરી નીતિ વાતાવરણ અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે”,એવી પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે "બાયોટેક ક્ષેત્ર સૌથી વધુ માગ સંચાલિત ક્ષેત્રોમાંનું એક છે. ભારતમાં વર્ષોથી સરળ જીવન માટેના અભિયાનોએ બાયોટેક સેક્ટર માટે નવી શક્યતાઓ ખોલી છે. તેમણે ધ્યાન દોર્યું કે આરોગ્ય, કૃષિ, ઊર્જા, કુદરતી ખેતી, બાયો ફોર્ટિફાઇડ બિયારણો આ ક્ષેત્ર માટે નવા માર્ગોનું સર્જન કરી રહ્યા છે, એમ તેમણે તારણ કાઢ્યું હતું.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi Praises Farmers For Taking India's Rich Mango Heritage To Global Markets

Media Coverage

PM Modi Praises Farmers For Taking India's Rich Mango Heritage To Global Markets
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam highlighting the virtues of firm resolve, self-control, and wisdom
June 02, 2026

Prime Minister Shri Narendra Modi today shared a Sanskrit Subhashitam, observing that firm resolve and self-control are the powers that make even the most difficult paths easy. Shri Modi highlighted that today, our youth are continuously engaged in nation-building with this very resolve.

The Prime Minister posted on X:

"दृढ़ निश्चय और आत्म-संयम वह शक्ति है, जो कठिन से कठिन राह को भी आसान बना देती है। आज हमारे युवा साथी इसी संकल्प के साथ राष्ट्र निर्माण में निरंतर जुटे हुए हैं।

निश्चित्य यः प्रक्रमते
नान्तर्वसति कर्मणः।

अबन्ध्यकालो वश्यात्मा
स वै पण्डित उच्यते॥"

A person who begins a task after careful deliberation and with firm resolve, who never leaves it unfinished, who uses time wisely and who maintains complete control over their senses, such a person alone is truly wise.