પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NSG સ્થાપના દિવસ નિમિત્તે NSG કર્મચારીઓની અદમ્ય હિંમત અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ કહ્યું, "NSG એ રાષ્ટ્રને આતંકવાદના ખતરાથી બચાવવા, આપણા નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં અને રાષ્ટ્રીય સંપત્તિઓનું રક્ષણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે."
X પર કરાયેલી એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ના સ્થાપના દિવસ નિમિત્તે, હું તમામ NSG કર્મચારીઓને મારી શુભેચ્છાઓ પાઠવું છું. NSG કર્મચારીઓએ તેમની અપ્રતિમ હિંમત અને સમર્પણથી પોતાની અલગ ઓળખ બનાવી છે. NSG એ રાષ્ટ્રને આતંકવાદના ખતરાથી બચાવવા, આપણા નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં અને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિઓનું રક્ષણ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે."
@nsgblackcats
On the occasion of National Security Guard's Raising Day, I extend my best wishes to all NSG personnel. This force has made a mark for its unmatched valour and dedication. NSG has played a vital role in safeguarding the nation from the menace of terrorism, ensuring the security… pic.twitter.com/vouIgNmd69
— Narendra Modi (@narendramodi) October 16, 2025


