મહામહિમ, રાષ્ટ્રપતિ હુર્રેલસુખ,

બંને દેશોના પ્રતિનિધિઓ,

મીડિયાના મિત્રો,

નમસ્કાર!

સાન-બાન-ઓ

મને રાષ્ટ્રપતિ હુરેલસુખ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતાં આનંદ થાય છે.

છ વર્ષ પછી મંગોલિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત ખૂબ જ ખાસ પ્રસંગ છે. અને આ મુલાકાત ભારત અને મંગોલિયા રાજદ્વારી સંબંધોના 70 વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીના 10 વર્ષની ઉજવણી કરે છે ત્યારે આવી રહી છે. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે, અમે એક સંયુક્ત પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યું છે, જે આપણા સહિયારા વારસા, વિવિધતા અને ઊંડી સભ્યતાગત સંબંધોનું પ્રતીક છે.

મિત્રો,

આજે આપણી મુલાકાતની શરુઆત ‘એક પેડ માં કે નામ’ આભિયાન હેઠળ વૃક્ષારોપણથી શરૂ થઈ. રાષ્ટ્રપતિ હુરેલસુખ દ્વારા તેમની સ્વર્ગસ્થ માતાના નામે વાવેલો વડનો છોડ આવનારી પેઢીઓ સુધી આપણી ગાઢ મિત્રતા અને પર્યાવરણ પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

મિત્રો,

દસ વર્ષ પહેલાં, મંગોલિયાની મારી મુલાકાત દરમિયાન, અમે અમારી ભાગીદારીને વ્યૂહાત્મક ભાગીદારીનું રુપ આપ્યું હતું. છેલ્લા દાયકામાં, આ ભાગીદારીના દરેક પાસાને નવી ઊંડાઈ અને વિશાળતા આપી છે.

આપણો સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પણ સતત મજબૂત થઈ રહ્યો છે. અમે તાલીમ કાર્યક્રમોથી લઈને દૂતાવાસમાં સંરક્ષણ એટેસૈની નિમણૂક સુધી અનેક નવી પહેલો શરૂ કરી છે. ભારત મંગોલિયાના સરહદ સુરક્ષા દળો માટે એક નવો ક્ષમતા નિર્માણ કાર્યક્રમ પણ શરૂ કરશે.

મિત્રો,

વૈશ્વિક મુદ્દાઓ પર અમારા દ્રષ્ટિકોણ અમારા સહિયારા મૂલ્યો પર આધારિત છે. અમે આંતરરાષ્ટ્રીય મંચો પર નજીકના ભાગીદાર છીએ. બંને દેશો મુક્ત, ખુલ્લા, સમાવિષ્ટ અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિકને સમર્થન આપે છે. અમે ગ્લોબલ સાઉથના અવાજોને સશક્ત બનાવવા માટે પણ સાથે મળીને કામ કરીએ છીએ.

મિત્રો,

ભારત અને મંગોલિયા વચ્ચેનો સંબંધ ફક્ત રાજદ્વારી નથી - તે એક વ્યક્તિગત અને આધ્યાત્મિક બંધન છે. અમારા સંબંધોની સાચી ઊંડાઈ અને વિશાળતા અમારા લોકો-થી-લોકોના સંબંધોમાં પ્રતિબિંબિત થાય છે.

સદીઓથી, અમારા બંને દેશો બૌદ્ધ ધર્મના દોરથી બંધાયેલા છે, જેના કારણે અમને આધ્યાત્મિક સહોદર પણ કહેવામાં આવે છે. આજે, અમે આ પરંપરાને વધુ મજબૂત બનાવવા અને આ ઐતિહાસિક સંબંધોને નવી શક્તિ આપવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે આવતા વર્ષે, ભગવાન બુદ્ધના બે મહાન શિષ્યો - સારીપુત્ર અને મૌદ્ગલ્યાયન - ના પવિત્ર અવશેષો ભારતથી મંગોલિયા મોકલવામાં આવશે.

અમે ગંડન મઠમાં એક સંસ્કૃત શિક્ષક પણ મોકલીશું જેથી ત્યાં બૌદ્ધ ગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય અને પ્રાચીન જ્ઞાન પરંપરાને આગળ ધપાવી શકાય. અમે ટૂંક સમયમાં 10 લાખ પ્રાચીન હસ્તપ્રતોને ડિજિટાઇઝ કરવાનો પ્રોજેક્ટ શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે. નાલંદા યુનિવર્સિટીએ મંગોલિયામાં બૌદ્ધ ધર્મના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અને આજે અમે નાલંદા અને ગંડન મઠને જોડીને આ ઐતિહાસિક સંબંધમાં નવી ઊર્જા લાવીશું.

અમારા સંબંધો ફક્ત કેન્દ્ર સરકારો સુધી મર્યાદિત નથી - લદ્દાખ સ્વાયત્ત હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને મંગોલિયાના અર-ખાંગે પ્રાંત વચ્ચે આજે હસ્તાક્ષર કરાયેલ એમઓયુ અમારા સાંસ્કૃતિક સંબંધોમાં નવી ઊર્જા દાખલ કરશે.

મિત્રો,

જોકે આપણી સરહદો વહેંચાયેલી નથી, ભારત હંમેશા મંગોલિયાને પાડોશી તરીકે જોતું આવ્યું છે. અને તેથી, અમે લોકો-થી-લોકોના સંબંધોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખીશું. અમે મોંગોલિયન નાગરિકોને મફત ઈ-વિઝા આપવાનું નક્કી કર્યું છે. ભારત દર વર્ષે મોંગોલિયાના યુવા સાંસ્કૃતિક રાજદૂતોની ભારત મુલાકાતને પણ પ્રાયોજિત કરશે.

મિત્રો,

ભારત મોંગોલિયાના વિકાસમાં એક અડગ અને વિશ્વસનીય ભાગીદાર રહ્યું છે.

ભારતની $1.7 બિલિયન લાઇન ઓફ ક્રેડિટ સાથે બનાવવામાં આવી રહેલો ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટ, મોંગોલિયાની ઊર્જા સુરક્ષાને એક નવું પ્રોત્સાહન આપશે. આ ભારતનો વિશ્વનો સૌથી મોટો વિકાસ ભાગીદારી પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટને વાસ્તવિકતા બનાવવા માટે 2,500થી વધુ ભારતીયો તેમના મોંગોલિયન સમકક્ષો સાથે કામ કરી રહ્યા છે.

અમે કૌશલ્ય વિકાસમાં પણ અમારા સહયોગનો વિસ્તાર કર્યો છે. અટલ બિહારી વાજપેયી સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર આઇટી અને ઇન્ડિયા-મંગોલિયા ફ્રેન્ડશીપ સ્કૂલ દ્વારા, મોંગોલિયન યુવાનોના સપના ઉડાન ભરી રહ્યા છે. આ બધા પ્રોજેક્ટ્સ અમારી ઊંડી મિત્રતાના ઉદાહરણો છે.

આજે, અમે ઘણા પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી રહ્યા છીએ જે સામાન્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. અમે મોંગોલિયન લોકોની જરૂરિયાતોને અનુરૂપ આ પ્રયાસ ચાલુ રાખીશું.

મને ખુશી છે કે આપણું ખાનગી ક્ષેત્ર પણ ઊર્જા, મહત્વપૂર્ણ ખનિજો, દુર્લભ પૃથ્વી, ડિજિટલ, ખાણકામ, કૃષિ, ડેરી અને સહકારી જેવા ક્ષેત્રોમાં સહયોગ માટે નવી શક્યતાઓ શોધી રહ્યું છે.

મહામહિમ,

આપણા સંબંધો બે પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચે વિશ્વાસ અને મિત્રતાના મજબૂત પાયા પર ટકેલા છે. તેઓ સહિયારા સાંસ્કૃતિક વારસા, લોકશાહી મૂલ્યો અને વિકાસ પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતા દ્વારા પોષાય છે. મને વિશ્વાસ છે કે સાથે મળીને આપણે આ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું.

ફરી એકવાર, હું આ ઐતિહાસિક મુલાકાત અને ભારત પ્રત્યેની તમારી અતૂટ પ્રતિબદ્ધતા અને મિત્રતા માટે આભાર માનું છું.

"બાયર-લા"

ખૂબ ખૂબ આભાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Tariff cut to open door wider for exports, lift rupee, fund inflows: Nirmala Sitharaman

Media Coverage

Tariff cut to open door wider for exports, lift rupee, fund inflows: Nirmala Sitharaman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Congratulates Newly Sworn-in Chief Minister and Ministers of Manipur
February 04, 2026

The Prime Minister, Shri Narendra Modi, today extended congratulations to Shri Yumnam Khemchand Singh Ji on taking oath as the Chief Minister of Manipur.

The Prime Minister also conveyed his best wishes to Smt. Nemcha Kipgen Ji and Shri Losii Dikho Ji on assuming office as the Deputy Chief Ministers of the state. He further congratulated Shri Konthoujam Govindas Singh Ji and Shri Khuraijam Loken Singh Ji on being sworn in as Ministers in the Manipur Government.

Expressing confidence in the new leadership, Shri Narendra Modi stated that they will work diligently towards furthering development and prosperity for the sisters and brothers of Manipur.

In a post on X, Shri Modi said:

“Congratulations to Shri Yumnam Khemchand Singh Ji on taking oath as the Chief Minister of Manipur.

I would like to congratulate Smt. Nemcha Kipgen Ji and Shri Losii Dikho Ji on taking oath as the Deputy Chief Ministers of the state and Shri Konthoujam Govindas Singh Ji as well as Shri Khuraijam Loken Singh Ji on being sworn in as Ministers in the Manipur Government.

I’m confident they will work diligently towards furthering development and prosperity for my sisters and brothers of Manipur.”