પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જેરુસલેમમાં નેસેટના એક વિશેષ પૂર્ણ સત્રને સંબોધિત કર્યું હતું. તેઓ ઇઝરાયેલની સંસદને સંબોધનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે.

 

નેસેટ ખાતે તેમના આગમન પર, પ્રધાનમંત્રીનું નેસેટના સ્પીકર, મહામહિમ અમીર ઓહાના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના સંબોધન પહેલા ઇઝરાયેલના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુ; વિરોધ પક્ષના નેતા, મહામહિમ શ્રી યાયર લેપિડ; અને સ્પીકર ઓહાનાએ પૂર્ણ સત્રમાં વક્તવ્ય આપ્યું હતું, જેમાં ભારત-ઇઝરાયેલ સંબંધો માટે મજબૂત દ્વિપક્ષીય સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ સ્પીકરનો આ વિશેષ સન્માન બદલ આભાર માનીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે "સ્પીકર ઓફ ધ નેસેટ" મેડલ એનાયત કરવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, જે તેમણે બંને દેશોની અતૂટ મિત્રતા અને સહિયારી લોકશાહી પરંપરાઓને સમર્પિત કર્યો હતો. ભારત અને ઇઝરાયેલ વચ્ચેની મિત્રતાના મજબૂત સંબંધો પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે બંને દેશોના લોકો પ્રાચીન સભ્યતાના સંબંધો અને ટેકનોલોજી, ઇનોવેશન, સંરક્ષણ, સુરક્ષા અને વ્યૂહાત્મક સમાનતા પર આધારિત મજબૂત સમકાલીન ભાગીદારી ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે કૃષિ, ગ્રામીણ વિકાસ, જળ વ્યવસ્થાપન, ટકાઉપણું અને સાહસિકતામાં સહયોગ પર આધારિત જીવંત લોક-સંપર્ક સંબંધોએ આ સંબંધોને ગતિશીલ દ્રષ્ટિકોણ આપ્યો છે. બંને દેશો વચ્ચેના ઐતિહાસિક જોડાણો અને લોકોની દ્વિપક્ષીય અવરજવર પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલમાં ભારતીય સમુદાય અને ભારતમાં યહૂદી ડાયસ્પોરાએ બંને દેશોની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

 

આતંકવાદ પ્રત્યે બંને દેશોની ઝીરો ટોલરન્સની બાંધછોડ વિનાની નીતિને યાદ કરતા, પ્રધાનમંત્રીએ 7 ઓક્ટોબરના આતંકવાદી હુમલા માટે શોક વ્યક્ત કર્યો હતો અને નોંધ્યું હતું કે આવી બર્બરતા માટે કોઈ પણ વાજબીપણું હોઈ શકે નહીં. તેમણે પ્રદેશમાં સ્થાયી શાંતિ અને સ્થિરતામાં યોગદાન આપતા તમામ પ્રયાસોને ભારતના સમર્થનની ખાતરી આપી હતી. આ સંદર્ભમાં, તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા સમર્થિત ગાઝા શાંતિ પહેલ (Gaza Peace Initiative) માટે ભારતના મજબૂત સમર્થન પર ભાર મૂક્યો હતો. બહુપક્ષીય મંચો પર ભારત અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સહયોગની નોંધ લેતા, તેમણે ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર [IMEC] અને I2U2 માળખામાં બંને દેશો વચ્ચે વધુ ઊંડાણપૂર્વકની ક્રિયાપ્રતિક્રિયા માટે આહ્વાન કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ ભારતના વિકાસની ગાથા પર પ્રકાશ પાડ્યો હતો અને વેપાર, રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ગ્રીન ગ્રોથ, સ્ટાર્ટ-અપ્સ, ડિજિટલ સોલ્યુશન્સ અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં વધુ દ્વિપક્ષીય સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી, જે યુવાનોની નવીનતા અને સર્જનાત્મકતાના દ્વાર ખોલશે. દ્વિપક્ષીય રોકાણ સંધિ પૂર્ણ થવા પર સંતોષ વ્યક્ત કરતા, તેમણે વણખેડાયેલી વેપાર ક્ષમતાને સાકાર કરવા માટે મહત્વાકાંક્ષી મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement) ને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા આહ્વાન કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ ભારતમાં ઇઝરાયેલ માટે તાજેતરમાં રચાયેલા પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપનો લાભ લઈને આ બે જીવંત લોકશાહીઓ વચ્ચે વધુ સંસદીય સંપર્ક વધારવા માટે આહ્વાન કર્યું હતું. બંને સભ્યતાઓના સિદ્ધાંતો વચ્ચે સમાનતા દર્શાવતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારતનું 'વસુધૈવ કુટુંબકમ' [વિશ્વ એક પરિવાર છે] નું દર્શન અને ઇઝરાયેલનો 'ટીકુમ ઓલમ' [વિશ્વનું ભલું કરવું] નો સિદ્ધાંત સુમેળભર્યા સમાજ પ્રત્યેના સહિયારા અભિગમની વાત કરે છે. પ્રધાનમંત્રીએ ભારત-ઇઝરાયેલ સંબંધોમાં યોગદાન આપવા બદલ નેસેટના સભ્યોનો આભાર માન્યો હતો અને આગામી પુરિમ (Purim) તહેવાર માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીનું સંપૂર્ણ સંબોધન અહીં જોઈ શકાય છે [link].

 

 

 

 

 

 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
1 year of Operation Sindoor: 'Defining moment in India's strategic journey'

Media Coverage

1 year of Operation Sindoor: 'Defining moment in India's strategic journey'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the valour and duty of the Indian Armed Forces
May 08, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that the courage and valour of the Indian Armed Forces in protecting the honour and dignity of the nation make every citizen proud. He noted that their spirit of sacrificing everything for Mother India is a source of inspiration for all.

The Prime Minister shared a Sanskrit verse-

“स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि |
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ||”

The verse conveys that When one becomes aware of one’s duty, there should be no hesitation or fear of any kind in the mind, because the struggle undertaken to protect religion and honour on the altar of justice is the most excellent and most glorious path to self-welfare for a warrior.