પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમનો પ્રારંભ કર્યો; મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમની જેમ તાલુકા સ્તરે તેને અનુસરવા માટે રાજ્યોને કહ્યું
વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે, દેશ માળખાકીય સુવિધાઓ, રોકાણ, આવિષ્કાર અને સમાવેશના ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે: પ્રધાનમંત્રી
વૈશ્વિક પુરવઠા શૃંખલામાં સ્થિરતા લાવવા માટે સમગ્ર વિશ્વ ભારત તરફ નજર કરી રહ્યું છે: પ્રધાનમંત્રી
MSME ને વૈશ્વિક ચેમ્પિયન બનાવવા અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાનો ભાગ બનાવવા માટે પગલાં લો: પ્રધાનમંત્રી
આપણે સ્વ-પ્રમાણીકરણ, ડીમ્ડ એપ્રૂવલ અને ફોર્મના માનકીકરણ તરફ આગળ વધવું જોઇએ: PM
પ્રધાનમંત્રીએ સાઇબર સુરક્ષા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે ભૌતિક અને સામાજિક, એમ બંને માળખાકીય સુવિધાનો વિકાસ કરવાની ચર્ચા કરી
પ્રધાનમંત્રીએ બાજરીનાં આંતરરાષ્ટ્રીય વર્ષનાં મહત્વ અને બાજરીનાં ઉત્પાદનોની લોકપ્રિયતા વધારવાનાં પગલાં વિશે ચર્ચા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિવસની શરૂઆતમાં દિલ્હીમાં યોજાયેલી મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદમાં સંબોધન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ જૂન 2022માં યોજાયેલી છેલ્લી પરિષદથી દેશ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા વિકાસના સીમાચિહ્નોને યાદ કર્યા હતા, જેમાં ભારતે G20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી, વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું, નવા સ્ટાર્ટઅપ્સની ઝડપી નોંધણી, અવકાશ ક્ષેત્રમાં ખાનગી ખેલાડીઓની પ્રવેશ, રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિનો પ્રારંભ, રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી વગેરેનો સમાવેશ થાય છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રએ સાથે મળીને કામ કરવું જોઇએ અને પ્રગતિની ગતિ વધારવી જોઇએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે, દેશ માળખાકીય સુવિધાઓ, રોકાણ, આવિષ્કાર અને સમાવેશના ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે આખી દુનિયા ભારતમાં વિશ્વાસ વ્યક્ત કરી રહી છે અને આપણને એવા દેશ તરીકે જોવામાં આવી રહ્યો છે જે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં સ્થિરતા લાવી શકે તેમ છે. તેમણે કહ્યું હતું કે, જો રાજ્યો નેતૃત્વ લેશે, ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ‘ભારત પ્રથમ’ના અભિગમ સાથે નિર્ણયો લેશે તો જ દેશ આનો સંપૂર્ણ લાભ મેળવી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યોએ વિકાસ તરફી શાસન, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઇઝ ઓફ લિવિંગ અને મજબૂત માળખાકીય સુવિધાઓની જોગવાઇ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમનો પ્રારંભ કરતા, પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ હેઠળ દેશના વિવિધ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં પ્રાપ્ત થયેલી સફળતા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, મહત્વાકાંક્ષી જિલ્લા મોડલને હવે મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમના રૂપમાં તાલુકા સ્તર સુધી લઇ જવું જોઇએ. તેમણે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને પોતપોતાના રાજ્યોમાં મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમનો અમલ કરવા માટે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ MSME વિશે ચર્ચા કરતી વખતે જણાવ્યું હતું કે, રાજ્યોએ અવશ્યપણે MSMEના ઔપચારિકકરણ માટે સક્રિયપણે કામ કરવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, આ MSMEને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે આપણે ફાઇનાન્સ, ટેક્નોલોજી, માર્કેટ અને કૌશલ્યની પહોંચ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. તેમણે GeM પોર્ટલ પર વધુ MSMEને લાવવાની પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણે MSMEને વૈશ્વિક ચેમ્પિયન અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાનો ભાગ બનાવવાની દિશામાં પગલાં લેવા જોઇએ. MSMEના વિકાસમાં ક્લસ્ટર અભિગમની સફળતા વિશે ચર્ચા કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, MSME ક્લસ્ટરો અને સ્વ-સહાય સમૂહોના જોડાણને અનન્ય સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને તેમના માટે GI ટેગની નોંધણી મેળવવા માટે એક્સપ્લોર શકાય છે, તેને 'વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ'ના પ્રયાસ સાથે સાંકળી શકાય છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, તેનાથી વોકલ ફોલ લોકલના આહ્વાન પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યોએ તેમના શ્રેષ્ઠ સ્થાનિક ઉત્પાદનોને ઓળખી કાઢવા જોઇએ અને તેમને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કદ પ્રાપ્ત કરવામાં મદદ કરવી જોઇએ. આ વાત કરતી વખતે તેમણે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ કરવામાં આવેલા એકતા મોલનું ઉદાહરણ પણ આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ એક સમયે દેશમાં લાગુ કરવામાં આવેલા અતિ-નિયમન અને નિયંત્રણોના બોજને યાદ કર્યો હતો અને કેન્દ્ર તેમજ રાજ્ય સ્તરે હજારો અનુપાલનને સમાપ્ત કરવા માટે કરવામાં આવેલા સુધારાઓને યાદ કર્યા હતા. તેમણે જૂના કાયદાઓને સમાપ્ત કરવાની જરૂરિયાત વિશે પણ વાત કરી હતી, જેમાંથી કેટલાક કાયદા તો આઝાદી મળી ત્યારથી ચાલ્યા આવે છે.

વિવિધ સરકારી વિભાગો એક જ દસ્તાવેજો કેવી રીતે માંગે છે તેના વિશે ચર્ચા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે સમયની માંગ છે કે, સ્વ-પ્રમાણીકરણ, ડીમ્ડ એપ્રૂવલ અને ફોર્મના માનકીકરણ તરફ આગળ આપણે આગળ વધવું જોઇએ. તેમણે કેવી રીતે દેશ ભૌતિક અને સામાજિક બંને માળખાકીય સુવિધાને વધુ સારી બનાવવા માટે કામ કરી રહ્યો છે તેના વિશે પણ વાત કરી હતી અને PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટરપ્લાન વિશે ચર્ચા કરી હતી. તેમણે ડેટા સુરક્ષા અને આવશ્યક સેવાઓની વિના અવરોધે ડિલિવરી પહોંચાડવા માટે સુરક્ષિત ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાના મહત્વ વિશે પણ વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યોએ મજબૂત સાઇબર સુરક્ષા વ્યૂહરચના અપનાવવાનો પ્રયાસ કરવો જોઇએ અને આગળ ઉમેર્યું હતું કે, આ રોકાણ ભવિષ્ય માટેના વીમા જેવું છે. સાઇબર સુરક્ષા ઓડિટ વ્યવસ્થાપન અને કટોકટી વ્યવસ્થાપન યોજનાઓના વિકાસ સંબંધિત પાસાઓની પણ તેમણે ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ દેશના દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશનો વિશાળ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન સંસાધનોથી સજ્જ છે અને દેશ માટે વિપુલ તકો પૂરી પાડે છે. વલયાકાર અર્થવ્યવસ્થા પ્રત્યે જાગૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ મિશન LiFE (પર્યાવરણની જીવનશૈલી) અને તેને આગળ વધારવામાં રાજ્યો દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

ભારતની પહેલ પર, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, એમ જણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બાજરી માત્ર સ્માર્ટ ફૂડ નથી પરંતુ પર્યાવરણને અનુકૂળ પણ છે અને ભવિષ્યમાં ટકાઉક્ષમ ખોરાક બની શકે છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યોએ બાજરીના ઉત્પાદનો સંબંધિત સંશોધન જેમ કે પ્રસંસ્કરણ, પેકેજિંગ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ વગેરે પર કામ કરવું જોઇએ અને બાજરીના ઉત્પાદનોના એકંદર મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવું જોઇએ. પ્રધાનમંત્રીએ દેશભરના અગ્રણી જાહેર સ્થળો અને રાજ્ય સરકારની કચેરીઓ પર 'બાજરી કાફે' સ્થાપિત કરવા અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યોમાં યોજાનારી G20 બેઠકોમાં બાજરીનું પ્રદર્શન કરવામાં આવી શકે છે.

રાજ્યોમાં યોજાનારી G-20ની બેઠકો સંબંધિત તૈયારીઓ માટે, પ્રધાનમંત્રીએ સામાન્ય નાગરિકોને સામેલ કરવાના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવા 'સિટીઝન કનેક્ટ' (જન જોડાણ) પ્રાપ્ત કરવા માટે સર્જનાત્મક ઉકેલોની કલ્પના કરવી જોઇએ. તેમણે G20 સંબંધિત તૈયારીઓ માટે સમર્પિત ટીમની સ્થાપના કરવાની પણ સલાહ આપી હતી. પ્રધાનમંત્રીએ રાજ્યોને ડ્રગ્સ, આંતરરાષ્ટ્રીય ગુનાઓ, આતંકવાદ અને વિદેશી ધરતી પર ઉદ્દભવતી ગેરસમજને કારણે ઊભા થતા પડકારો અંગે પણ ચેતવણી આપી હતી.

પ્રધાનમંત્રીએ બ્યૂરોક્રેસીની ક્ષમતામાં વધારો કરવાની જરૂરિયાત અને મિશન કર્મયોગી શરૂ કરવાની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તેમની તાલીમ સંબંધિત માળખાકીય સુવિધાઓની પણ સમીક્ષા કરવી જોઇએ અને ક્ષમતા નિર્માણના કાર્યક્રમો શરૂ કરવા જોઇએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્ય સચિવોની આ પરિષદનું આયોજન કરવા માટે વિવિધ સ્તરે લગભગ 4000 અધિકારીઓએ કામ કર્યું છે, જેના માટે 1 લાખ 15 હજારથી વધુ માનવ કલાકોનું રોકાણ કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રયાસો પાયાના સ્તરે પણ પ્રતિબિંબિત થવા જોઇએ અને પરિષદમાંથી મળતા સૂચનોના આધારે કાર્ય યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવા માટે રાજ્યોને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, નીતિ આયોગે આ સંદર્ભે રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા પણ તૈયાર કરવી જોઇએ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India Semiconductor Mission 2.0 to boost domestic chip manufacturing

Media Coverage

India Semiconductor Mission 2.0 to boost domestic chip manufacturing
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Seychelles is an integral part of India’s MAHASAGAR Vision: PM Modi at the India and Seychelles joint press meet
February 09, 2026

Your Excellency, डॉक्टर पैट्रिक अर्मिनी,
दोनों देशों के delegates,
मीडिया के साथियों,
नमस्कार,

राष्ट्रपति अर्मिनी और उनके delegation का भारत में स्वागत करते हुए मुझे अत्यंत प्रसन्नता हो रही है।

सेशेल्स के राष्ट्रपति के रूप में चुने जाने पर मैं उन्हें 140 करोड़ भारतवासियों की ओर से हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ।

राष्ट्रपति के रूप में यह उनकी पहली भारत यात्रा है। उनकी यह यात्रा ऐसे शुभ वर्ष में हो रही है जब सेशेल्स का पचासवां स्वतंत्रता दिवस और हमारे राजनयिक संबंधों की पचासवीं वर्षगांठ मनाई जा रही है। मुझे विश्वास है कि ये milestones हमें निरंतर नई ऊंचाइयों को छूने के लिए प्रेरित करते रहेंगे।

Friends,

भारत और सेशेल्स के संबंध केवल राजनयिक संपर्क तक सीमित नहीं है। हिंद महासागर की लहरें सदियों से हमारे लोगों को जोड़ती आई हैं। इसके तटों पर दोनों देशों के बीच व्यापार बढ़ा, संस्कृतियाँ मिलीं और विश्वास की परंपराएँ मजबूत होती गईं।

India and Seychelles are connected not just by geography, but by history, trust and a shared vision for the future.

हमारा नाता कल, आज, और आने वाले कल का है। एक maritime neighbour और विश्वसनीय साझेदार के रूप में सेशेल्स भारत के MAHASAGAR Vision का अभिन्न अंग है। हमारा सहयोग जल, थल और नभ को समाहित करता है।

आज की चर्चाओं में हमने इस साझेदारी को और अधिक सशक्त बनाने का मार्ग प्रशस्त किया। अपने आर्थिक सहयोग को और सुदृढ़ बनाने के लिए नए अवसरों की तलाश जारी रखने पर हम सहमत हैं।

Local Currencies में व्यापार बढ़ाने के साथ साथ हम FinTech और Digital Solutions में भी आगे बढ़ेंगे।

विकास साझेदारी भारत–सेशेल्स संबंधों की मजबूत नींव रही है। हमारे सभी प्रयास सेशेल्स की प्राथमिकताओं और आवश्यकताओं पर आधारित रहे हैं। इस दिशा में आगे बढ़ते हुए आज हम 175 मिलियन डॉलर के Special Economic Package की घोषणा करने जा रहे हैं। यह पैकेज social housing, e-mobility, vocational training, स्वास्थ्य, रक्षा, और maritime security जैसे क्षेत्रों में ठोस परियोजनाओं को सपोर्ट देगा। इन पहलों से सेशेल्स के लोगों, विशेषकर युवाओं, के लिए रोज़गार और कौशल के नए अवसर सृजित होंगे।

सेशेल्स की capacity building में भारत के ITEC प्रोग्राम की महत्वपूर्ण भूमिका रही है। मुझे खुशी है कि सेशेल्स के civil servants की भारत में ट्रेनिंग के लिए आज MOU किया जा रहा है।

टेक्नॉलजी के क्षेत्र में करीबी सहयोग से हम अपने सहयोग को एक futuristic दिशा दे रहे हैं। आज Digital Transformation पर MOU हो रहा है। इसके तहत हम भारत का सफल अनुभव सेशेल्स के साथ साझा करेंगे।

स्वास्थ्य क्षेत्र में सेशेल्स के लिए भारत एक स्थिर और भरोसेमंद साझेदार रहा है। किफायती और quality medicines की supply, मेडिकल टूरिज़्म, और health infrastructure के विकास में हम सेशेल्स के साथ मिलकर आगे बढ़ेंगे। ऊर्जा और जलवायु के क्षेत्र में हमारा सहयोग sustainable development की साझा प्रतिबद्धता से प्रेरित है। हम renewable energy, resilience और climate-adaptive solutions पर अपने सहयोग को और विस्तार देंगे।

Friends,

Maritime neighbours के रूप में Blue Economy हमारे लिए स्वाभाविक सहयोग का क्षेत्र है। हम, Marine Research, Capacity Building, Data Sharing जैसे क्षेत्रों में भारत की विशेषज्ञता सेशेल्स के साथ साझा करेंगे।

रक्षा सहयोग और maritime सुरक्षा हमारी साझेदारी के महत्वपूर्ण स्तंभ हैं। Colombo Security Conclave से full member के तौर पर हम सेशेल्स का स्वागत करते हैं। इससे हमारा आपसी समन्वय सुदृढ़ होगा, और हिन्द महासागर में शांति और स्थिरता सुनिश्चित करने के प्रयासों को बल मिलेगा।

Together, we will shape not just bilateral cooperation, but a shared future for the Indian Ocean.

Friends,

भारत–सेशेल्स संबंधों की सबसे बड़ी शक्ति हमारे people-to-people ties हैं। सेशेल्स में बसे भारतीय समुदाय ने सेशेल्स के सामाजिक और आर्थिक जीवन में उल्लेखनीय योगदान दिया है। साथ साथ उन्होंने हमारी मित्रता को पीढ़ी दर पीढ़ी मजबूत भी किया है।

आज हमने पर्यटन, शिक्षा, संस्कृति और खेल के माध्यम इन संबंधों को और सशक्त बनाने पर विचार विमर्श किया। हम दोनों देशों के युवाओं के बीच आदान प्रदान बढ़ाने पर विशेष बल देंगे।

Friends,

आज की बैठक से यह स्पष्ट है कि भारत और सेशेल्स की साझेदारी एक नए चरण में प्रवेश कर रही है। सभी क्षेत्रों में आगे बढ़ने के लिए आज हम India-Seychelles Joint Vision जारी करने जा रहे हैं। यह Vision आने वाले वर्षों में हमारे सहयोग का roadmap बनेगा।

Excellency,

मैं एक बार फिर आपकी भारत यात्रा और भारत के प्रति आपकी अटूट मित्रता और प्रतिबद्धता के लिए आपका हृदय से आभार व्यक्त करता हूँ।