PM Modi lays foundation of the New Green Field International Airport & Electronic City in Goa
PM Modi appreciates the State of Goa, for its progress
PM lauds Manohar Parrikar for taking Goa to new heights of progress: PM
With the new airport the impetus to tourism will be immense: PM
A digitally trained, modern and youth driven Goa is being shaped today. This has the power to transform India: PM
We took a key step to help the honest citizen of India defeat the menace of black money: PM
I was not born to sit on a chair of high office. Whatever I had, my family, my home...I left it for the nation: PM
Yes I also feel the pain. These steps taken were not a display of arrogance. I have seen poverty & understand people's problems: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં મોપા એરપોર્ટના ભૂમિપૂજનની ઉજવણીની અને શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં એક સમારંભ દરમિયાન મોપા એરપોર્ટ પર તુઆમમાં ઇલેક્ટ્રોનિક સિટીના ભૂમિપૂજનની ઉજવણીની તકતીનું અનાવરણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ માઇન કાઉન્ટર મેઝર વેસલ્સના નિર્માણ માટે માળખાગત સુવિધાના ઉદ્ઘાટનની તકતીનું અનાવરણ અને પાંચ તટરક્ષ દળ ઓફશોર પેટ્રોલ વેસલ્સના નિર્માણની શરૂઆતનું ઉદ્ઘાટનની તકતીનું અનાવરણ પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગની શરૂઆત થોડા અઠવાડિયા અગાઉ બ્રિક સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ ભારતને સક્ષમ બનાવનારી ટીમને અભિનંદન આપવાની સાથે કરી હતી. પ્રધાનમંત્રીએ ગોવાની પ્રગતિ પર પ્રશંસા પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ એરપોર્ટ પ્રોજેક્ટ વિશે કહ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીએ આપેલા વચનને પૂર્ણ કરવાની તેમને ખુશી છે. તેમણે જણાવ્યું હતું કે, આ એરપોર્ટ પ્રોજેક્ટથી ગોવાને ફાયદો થશે અને રાજ્યમાં પ્રવાસનને વધુ વેગ મળશે.

તેમણે ઇલેક્ટ્રોનિક સિટી પ્રોજેક્ટના સંબંધમાં કહ્યું હતું કે, ડિજિટલ રીતે તાલીમબદ્ધ, આધુનિક અને યુવા પેઢી દ્વારા સંચાલિત ગોવા આજે પ્રગતિના માર્ગે અગ્રેસર છે, જે ભારતની કાયાપલટને સક્ષમ બનાવવા માટે પ્રદાન કરવા માટે સક્ષમ છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ આ નિર્ણય વિશે જણાવ્યું હતું કે, ભારતમાં આઠમી નવેમ્બરના રોજ ઘણા લોકો શાંતિથી ઊંઘ લઈ શક્યા હતા, જ્યારે કેટલાંકની ઊંઘ હજુ પણ હરામ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ભારતના પ્રામાણિક નાગરિકોને મદદ કરવા મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે, જેનો ઉદ્દેશ કાળા નાણાંના વિષચક્રમાંથી દેશને મુક્ત કરવાનો છે. પ્રધાનમંત્રીએ ચલણી નોટો પરત ખેંચવાના આ નિર્ણયના સફળતાપૂર્વક અમલને સુનિશ્ચિત કરવા બદલ તમામ નાગરિકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય લેતા મને પણ દુઃખ થયું છે અને આ પ્રકારનું પગલું અહંકારનું પ્રદર્શન નથી. તેમણે જણાવ્યું હતું કે, તેમણે ગરીબી જોઈ છે અને લોકોની સમસ્યાને સમજે છે.

તેમણે યાદ કરાવ્યું હતું કે, વર્ષ 2014માં લોકોએ દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટે મત આપ્યા હતા. તેમણે કેન્દ્ર સરકારે કાળું નાણું નિયંત્રણમાં લેવા માટે અત્યાર સુધી હાથ ધરેલા વિવિધ પગલાંનો ઉલ્લેખ પણ કર્યો હતો.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India among top nations on CEOs confidence on investment plans: PwC survey

Media Coverage

India among top nations on CEOs confidence on investment plans: PwC survey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 જાન્યુઆરી 2025
January 21, 2025

Appreciation for PM Modi’s Effort Celebrating Culture and Technology