ક્રોએશિયા પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી આન્દ્રેજ પ્લેન્કોવિકના આમંત્રણ પર, ભારતીય પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 18 જૂન 2025નાં રોજ ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ બંને દેશો વચ્ચે ઉચ્ચ-સ્તરીય આદાન-પ્રદાનની વધતી ગતિને મજબૂત બનાવવા માટે ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની પ્રથમ મુલાકાત હતી.

પ્રધાનમંત્રી પ્લેન્કોવિક અને પ્રધાનમંત્રી મોદીએ દ્વિપક્ષીય સંબંધો, ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારી અને બહુપક્ષીય મંચ પર સહયોગને વધુ આગળ વધારવા પર વ્યાપક વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. બંને સંમત થયા કે ભારત અને ક્રોએશિયા લોકશાહી, કાયદાનું શાસન, બહુલતા અને સમાનતાના સહિયારા મૂલ્યોમાં મૂળ ધરાવતા ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોનો આનંદ માણે છે.

પ્રધાનમંત્રી મોદીની મુલાકાતે દ્વિપક્ષીય ભાગીદારીમાં એક નવી પ્રેરણા આપી છે, જે બંને અર્થતંત્રોની પૂરકતાઓને પ્રકાશિત કરે છે, ખાસ કરીને પ્રવાસન, વેપાર અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં. બંને પ્રધાનમંત્રીઓએ (i) કૃષિ સહયોગ પર સમજૂતી કરાર; (ii) વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહકાર કાર્યક્રમ; (iii) સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ (CEP); અને (iv) ઝાગ્રેબ યુનિવર્સિટીમાં હિન્દી ચેર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષરનું સ્વાગત કર્યું હતું.

બંને નેતાઓએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) પહેલ સહિત જોડાણ સુધારવાના મહત્વની નોંધ લીધી હતી. બંને દેશોની લાંબી દરિયાઈ પરંપરાઓને ધ્યાનમાં રાખીને તેઓ બંદરો અને શિપિંગ ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા હતા. બંને પક્ષો મધ્ય યુરોપના ભૂમધ્ય પ્રવેશદ્વાર તરીકે સેવા આપતા ક્રોએશિયાની સંભાવનાને વધુ શોધવા માટે સંમત થયા હતા.

આ સંદર્ભમાં, તેઓએ UNCLOSમાં પ્રતિબિંબિત સમુદ્રના આંતરરાષ્ટ્રીય કાયદા અને સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને નેવિગેશનની સ્વતંત્રતાના સિદ્ધાંતો માટે સંપૂર્ણ આદરની પણ પુષ્ટિ કરી, જેથી દરિયાઈ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતાનો લાભ મળે.

 

વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં, બંને પ્રધાનમંત્રીઓએ સંયુક્ત સંશોધન અને વિકાસ માટે બંને દેશોની વૈજ્ઞાનિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને જોડવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. બંને પક્ષોએ લાંબા ગાળાના સંશોધન સહયોગ માટે યુવા સંશોધકોના આદાનપ્રદાનને સરળ બનાવવા માટે પોતાની તૈયારી વ્યક્ત કરી અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા અને લાગુ ટેકનોલોજી વિકસાવવા માટે વૈજ્ઞાનિક સમુદાયમાં નેટવર્કિંગને પ્રોત્સાહન આપ્યું હતું.

બંને પ્રધાનમંત્રીઓએ સંરક્ષણ સહયોગ પર 2023નાં સમજૂતી કરાર પર હસ્તાક્ષરની નોંધ લીધી અને સંરક્ષણ સંબંધોને આગળ વધારવા સંમત થયા હતા. સહયોગ અને નિયમિત ક્રિયાપ્રતિક્રિયા દ્વારા રાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સહયોગ માટે તકો શોધવા પર વધુ ભાર મૂકવામાં આવશે.

ડિજિટલ ટેકનોલોજીને સહકાર માટે બીજા મુખ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવી છે. ક્રોએશિયન અને ભારતીય વૈજ્ઞાનિક ઇકોસિસ્ટમ હેલ્થકેર-ટેક, એગ્રી-ટેક, ક્લીન-ટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં કામ કરતા ઇન્ક્યુબેશન સેન્ટરો અને સ્ટાર્ટ-અપ્સ વચ્ચે વ્યૂહાત્મક સહયોગથી લાભ મેળવી શકે છે. બંને પ્રધાનમંત્રીઓએ સ્ટાર્ટ-અપ્સ વચ્ચે નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે ભારત-ક્રોએશિયા સ્ટાર્ટ-અપ બ્રિજને મજબૂત બનાવવાની જરૂરિયાત પર સંમતિ આપી હતી.

મજબૂત સાંસ્કૃતિક આદાનપ્રદાનને સ્વીકારતી વખતે, બંને પક્ષોએ 2026-2030નાં સમયગાળા દરમિયાન સાંસ્કૃતિક ક્ષેત્રમાં જોડાણને ગાઢ બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેઓએ સંસ્કૃતિને બંને દેશો વચ્ચેના લોકો-થી-લોકોના સંબંધોને મજબૂત બનાવવા માટે એક શક્તિશાળી સાધન તરીકે ઓળખી છે.

તેમણે દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તૃત જોડાણને ટેકો આપવા માટે કૌશલ્ય વિકાસ અને કર્મચારીઓની ગતિશીલતાના મહત્વને સ્વીકાર્યું, અને બંને દેશો વચ્ચે કાર્યબળ ગતિશીલતા પર સમજૂતી પત્રના ઝડપી નિષ્કર્ષ પર સંમત થયા હતા.

પ્રધાનમંત્રી મોદીએ 22 એપ્રિલ 2025નાં રોજ ભારતના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી આપવામાં આવેલા સમર્થન અને એકતા માટે પ્રધાનમંત્રી પ્લેન્કોવિક અને ક્રોએશિયાનો આભાર માન્યો હતો. બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય અને સરહદ પાર આતંકવાદ સહિત તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી હતી. તેમણે આતંકવાદ પ્રત્યે તેમના શૂન્ય-સહિષ્ણુતાના અભિગમને પુનરાવર્તિત કર્યો, કોઈપણ સંજોગોમાં આવા કૃત્યો માટે કોઈપણ વાજબીતાને નકારી કાઢ્યો છે. તેમણે ભાર મૂક્યો કે હુમલાઓ માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ અને આતંકવાદીઓને પ્રોક્સી તરીકે ઉપયોગ કરવાની નિંદા કરી હતી. તેમણે યુએન ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ સ્ટ્રેટેજી, આ ક્ષેત્રમાં મુખ્ય આંતરરાષ્ટ્રીય સંમેલનો અને પ્રોટોકોલ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવોના સંપૂર્ણ અમલીકરણને સમર્થન આપવાની તેમની સુસંગત સ્થિતિ વ્યક્ત કરી હતી. તેમણે યુએન, FATF અને પ્રાદેશિક પદ્ધતિઓ દ્વારા આતંકવાદ ભંડોળ નેટવર્કને વિક્ષેપિત કરવા, સલામત આશ્રયસ્થાનોને નાબૂદ કરવા, આતંકવાદી માળખાને તોડી પાડવા અને આતંકવાદના ગુનેગારોને ઝડપથી ન્યાયમાં લાવવા હાકલ કરી છે. તેમણે 1267 UNSC પ્રતિબંધ સમિતિ હેઠળ આતંકવાદીઓ સહિત તમામ UN- અને EU દ્વારા નિયુક્ત આતંકવાદીઓ અને આતંકવાદી સંસ્થાઓ, સંકળાયેલા પ્રોક્સી જૂથો, સુવિધા આપનારાઓ અને પ્રાયોજકો સામે નક્કર પગલાં લેવા પણ વિનંતી કરી હતી.

 

બંને પ્રધાનમંત્રીઓએ યુક્રેનમાં યુદ્ધ સહિત પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદા, યુએન ચાર્ટરના સિદ્ધાંતો અને પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વના આદર પર આધારિત યુક્રેનમાં ન્યાયી અને સ્થાયી શાંતિ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું  બંને નેતાઓએ મધ્ય પૂર્વમાં સુરક્ષા પરિસ્થિતિના બગાડ અંગે ચિંતા વ્યક્ત કરી અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવા હાકલ કરી. નેતાઓએ આંતરરાષ્ટ્રીય કાયદા અને સાર્વભૌમત્વ માટે પરસ્પર આદર અને અસરકારક પ્રાદેશિક સંસ્થાઓ દ્વારા આધારભૂત વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ પર આધારિત મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ હિંદ-પ્રશાંતને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.

બંને પક્ષોએ બહુપક્ષીયતા પ્રત્યેની તેમની મજબૂત પ્રતિબદ્ધતા અને નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને સમર્થન આપવાની તેમની મજબૂત પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી છે. તેમણે યુએન સિસ્ટમમાં સુધારાઓની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો, ખાસ કરીને યુએન સુરક્ષા પરિષદમાં કાયમી અને બિન-કાયમી બંને શ્રેણીઓમાં વિસ્તરણ સહિત, તેને વધુ સમાવિષ્ટ, પારદર્શક, અસરકારક, જવાબદાર, કાર્યક્ષમ અને સમકાલીન ભૂ-રાજકીય વાસ્તવિકતાઓ સાથે વધુ સારી રીતે સંરેખિત બનાવવા માટે.

 

બંને નેતાઓએ ભારત અને EU, બે સૌથી મોટા લોકશાહી, ખુલ્લા બજાર અર્થતંત્રો અને બહુલવાદી સમાજો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ગતિનું સ્વાગત કર્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2025 માં EU કોલેજ ઓફ કમિશનર્સની ભારતની ઐતિહાસિક મુલાકાત દરમિયાન સંમત થયા મુજબ, વર્ષ દરમિયાન પરસ્પર ફાયદાકારક ભારત-EU FTA પૂર્ણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ભારતીય પક્ષે ક્રોએશિયન પક્ષ દ્વારા તેમને આપવામાં આવેલા ઉષ્માભર્યા આતિથ્ય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ મુલાકાતના પરિણામો પર સંતોષ વ્યક્ત કર્યો, અને ભારત અને ક્રોએશિયા વચ્ચે ભાગીદારી વધારવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટ કરી હતી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Over 4.9L pledge organs; women take lead in Maha, Karnataka, Kerala & Telangana

Media Coverage

Over 4.9L pledge organs; women take lead in Maha, Karnataka, Kerala & Telangana
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM visits Somnath Temple, terms the 75th anniversary of its rebuilding a milestone in Bharat's civilisational journey
May 11, 2026

Prime Minister Shri Narendra Modi today visited the Somnath Temple and expressed feeling blessed on the occasion marking 75 years since the rebuilt temple opened its doors for devotees.

The Prime Minister noted his divine experience upon arriving at the holy shrine of Somnath on the 75th anniversary of the rebuilt temple's inauguration. Shri Modi highlighted that seeing the immense energy and enthusiasm of Lord Somnath's devotees along the temple path left him overwhelmed and emotional. He stated that he is reliving the very moment today that India's first President, Dr. Rajendra Prasad Ji, must have experienced during the inauguration of the rebuilt temple. He further added that the devotional atmosphere of the Somnath Amrut Mahotsav is infusing an amazing energy all around.

The Prime Minister also observed that one can experience Bhakti in every corner of Somnath. Acknowledging that countless people have come together to mark 75 years since the rebuilt temple opened its doors, Shri Modi emphasised that the historic day was indeed a milestone in the civilisational journey of Bharat.

In a series of posts on X, the Prime Minister wrote:

"Jai Somnath! Feeling blessed to be here, when we are marking 75 years since the rebuilt Temple opened its doors for devotees."

"पुनर्निर्मित सोमनाथ मंदिर के लोकार्पण की 75वीं वर्षगांठ पर पावनधाम सोमनाथ आकर दिव्य अनुभूति हुई है। इस अवसर पर मंदिर मार्ग पर भगवान सोमनाथ के भक्तों के जोश और प्रचंड उत्साह को देखकर मन अभिभूत और भावविभोर है! मैं आज यहां उस क्षण को जी रहा हूं, जिसका अनुभव भारत के प्रथम राष्ट्रपति डॉ. राजेंद्र प्रसाद जी ने पुनर्निर्मित मंदिर के लोकार्पण के अवसर पर किया होगा। सोमनाथ अमृत महोत्सव का भक्तिमय वातावरण हर तरफ अद्भुत ऊर्जा का संचार कर रहा है।" 

"At Somnath, one can experience Bhakti in every corner. Countless people have come together to mark 75 years since the rebuilt Temple opened its doors to devotees. That day was indeed a milestone in the civilisational journey of Bharat."