મા. મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે

૬૩મા વન મહોત્સવ તથા શ્રી ગોવિંદ ગુરુ સ્મૃતિ વનનો  લોકાર્પણ કાર્યક્રમ

માનગઢ હિલ, સંતરામપુર તાલુકા, પંચમહાલ

૩૦ જૂલાઈ, ૨૦૧૨

ગોવિંદ ગુરુની પ્રેરણાથી દેશની આઝાદીની લડત માટે જેમણે પોતાનું લોહી વહેવડાવ્યું છે એવી આ પવિત્ર ભૂમિ પર પધારેલ મધ્ય પ્રદેશના, રાજસ્થાનના અને ગુજરાતના સૌ મારા વહાલા આદિવાસી ભાઈઓ અને બહેનો...

હેલી વાર એવું બન્યું હશે કે વનમાં કોઈ સરકાર વન મહોત્સવ કરતી હોય..! ગુજરાત સરકારે એક વિશેષતા ઊભી કરી છે, અને વિશેષતા એ છે કે વન મહોત્સવ દ્વારા માત્ર પર્યાવરણ અને વૃક્ષોની વાત કરીને અટકવાને બદલે આ વન મહોત્સવને સાંસ્કૃતિક વિરાસત સાથે જોડવામાં આવે, સામાન્ય માનવીની શ્રદ્ધા સાથે જોડવામાં આવે અને એકવાર કોઈ બાબત શ્રદ્ધા સાથે જોડાઈ જાયને તો પછી એના માટે કોઈ અભિયાન નથી ચલાવવા પડતાં. ક્યાંય તમે જોયું છે કે ભાઈ તુલસીને નુકશાન ન કરતા એવું બોર્ડ મારવું પડે છે? ના, કારણ બધાના મનમાં ફીટ થઈ ગયું છે કે તુલસી અત્યંત પવિત્ર હોય, એ ભગવાનનું રૂપ હોય એટલે એને તો નુકશાન કરાય જ નહીં. આ બધાના મગજમાં ગોઠવાઈ ગયું છે. એકવાર કોઈપણ બાબતમાં શ્રદ્ધા પેદા થાય તો પછી સમાજ પોતે જ એનું સંરક્ષણ પણ કરે છે, સંવર્ધન પણ કરે છે. અને તેથી આ રાજ્ય સરકારે વન મહોત્સવની આખી કલ્પનાને બદલી નાખી છે. બીજી બાબત કે આ વન મહોત્સવ આટલા બધા વર્ષોથી ચાલે છે એ સમાજ માટે કાયમી ઉપયોગી ઘરેણું કેમ ન બને? માત્ર એક મેળાવડો કરીને પાંચ-પચાસ વૃક્ષો વાવીને જતા રહેવું કે એને એક યાદગાર સ્મૃતિરૂપે તૈયાર કરવું, રાજ્યની અસક્યામતમાં ઉમેરો કરવો, સમાજજીવનની આવશ્યકતામાં એક સગવડ ઊભી કરવી, આવા એક સુભગ હેતુથી, એક સુખદ હેતુથી આ સરકારે વન મહોત્સવના કાર્યક્રમોને પણ સમાજ માટે કાયમી વ્યવસ્થાઓ વિકસે એવું એક નવું રૂપ આપ્યું છે.

પ અંબાજી જાવ તો અંબાજીમાં ધર્મશાળા મળી જાય, અંબાજીમાં મંદિરનો આશરો મળી જાય પણ કુટુંબ સાથે કોઈ જગ્યાએ ખુલ્લામાં બેસવું હોય તો જગ્યા ન મળે. વન મહોત્સવ કરવાનો જ હતો તો આપણે નક્કી કર્યું વર્ષો પહેલાં કે અંબાજીનો એક ડુંગરો હશે બાજુમાં, જ્યાં કોઈ જોતું ય નથી કે જતું ય નથી, ત્યાં આપણે માંગલ્ય વન બનાવો. ધીરે ધીરે ધીરે માંગલ્ય વન એટલું મોટું થઈ ગયું છે કે ભાદરવાની પૂનમે લાખો લોકો જ્યારે મા અંબાજીના દર્શને જાય છે ત્યારે આ માંગલ્ય વન તેમના માટે મંગલકારી પુરવાર થઈ ગયું છે, આશીર્વાદરૂપ બની ગયું છે. જૈન સમાજના યાત્રીઓ, ખાસ કરીને દિગંબર સમાજ, તારંગાજીએ યાત્રા કરવા જતા હોય. તારંગા જઈને ડુંગરો તમે જુઓ, એકેય ઝાડ જોવા ન મળે અને એક પટ્ટો તો એવો છે કે જ્યાં ધૂળની ડમરીઓ જ ઊડતી હોય, વેરાન ભૂમિ, પથ્થરોના ઢગલા... એની વચ્ચે ખૂણે ખાંચરે પડેલા મંદિરો, એવી ભગ્નાવસ્થા..! તારંગાજી જેવું તીર્થક્ષેત્ર, ત્યાં આપણે નક્કી કર્યું કે તીર્થંકર વન બનાવીશું અને ચોવીસમા તીર્થંકર જેમને જે વૃક્ષની નીચે બોધ થયો હતો તે વૃક્ષને વાવીશું અને એ વૃક્ષને વાવીશું અને જે લોકો ભગવાન મહાવીરની ઉપાસના માટે તારંગાજી આવે એમને કહ્યું કે થોડું થોડું પાણી અહિંયાં પણ ચઢાવતા જાઓ, એ પણ એક પુણ્યનું કામ થશે અને આજે તીર્થંકર વન તૈયાર થઈ ગયું છે. ભાઈઓ-બહેનો, શ્રાવણ મહિનો ચાલે છે, ભોળાનાથને સૌ યાદ કરે. સોમનાથ તમે જાવ તો ખારીપટ હવા દરિયાની આવતી હોય, એમાં પણ લીલુંછમ કેમ ના હોય? સોમનાથના મંદિરે કોઈ આવે, દેશભરના લોકો આવતા હોય તો સોમનાથના મંદિરે આંખને ગમે એવું વાતાવરણ કેમ ન બનાવીએ? એક વન મહોત્સવ આપણે સોમનાથમાં કર્યો. હરિહર વન બનાવ્યું અને હરિહર વન બનાવ્યું એટલું જ નહીં, ભગવાન સોમનાથને, ભોળાનાથને જે વૃક્ષો પસંદ હોય એવા વૃક્ષોનું વાવેતર કર્યું, બીલીનાં વૃક્ષોનો ઘટાટોપ ઊભો કરી દીધો. શામળાજીમાં આપણો કાળિયો, તમારા આદિવાસી ભીલ સમાજનો કાળિયો, શામળાજીમાં બિરાજે. લોકો આવતાં-જતાં ઉદેપુર જતા હોય, શ્રીનાથજી જતા હોય અને સમય હોય તો શામળાજી ડોકિયું કરી આવે પણ રોકાય નહીં. આપણે શામળાજીમાં આ કાળિયાનું વન બનાવ્યું, શામળ વન બનાવ્યું અને એટલું જ નહીં, વિષ્ણુ ભગવાનને રોજ સવારમાં જે કમળનું પુષ્પ ચઢતું હોય છે એ તાજું પુષ્પ આ કાળિયાના વનમાં મળી રહે એના માટેની વ્યવસ્થા કરી. આજે કોઈપણ યાત્રી ત્યાં જાય અને હવે તો ત્યાં કેવો સુમેળ છે, ટેક્નોલૉજીનો ઉપયોગ કર્યો છે જેથી કરીને બૉટનીનો અભ્યાસ આ બાળકો ત્યાં જાય તો કરી શકે અને કિઓસ્કમાં એક્ઝામ આપી શકે અને જાતે જાતે માર્ક મળી શકે એવી વ્યવસ્થા કરી છે. બાળક શામળાજીના દર્શન પણ કરે છે, જોડે જોડે આ બૉટનિકલ ગાર્ડનનાં પણ દર્શન કરે છે. ભાઈઓ-બહેનો, પાલિતાણા. તીર્થક્ષેત્રની યાત્રા માટે લોકો આવે, પાલિતાણા ઉપર જાય, રસ્તાની અંદર એક સરસ મજાની જગ્યા જોઇએ, આપણે ત્યાં પાવક વન બનાવ્યું અને પાવક વનની વિશેષતા એવી કરી કે એમાં એક આખા શરીરની રચના કરી અને કયું ઔષધીય વૃક્ષ કયા પ્રકારના રોગ માટે કામમાં આવે... ઘૂંટણ હોય, શરીર બનાવ્યું હોય તો ઘૂંટણ પાસે વૃક્ષ વાવ્યું, હૃદયની બિમારીમાં કામમાં આવનારું વૃક્ષ હોય તો જ્યાં હૃદય હોય ત્યાં બનાવ્યું, આંખની બિમારી માટે કામ આવનારું વૃક્ષ હોય તો જ્યાં આંખ હતી ત્યાં બનાવ્યું..! ગરીબમાં ગરીબ, અભણમાં અભણ, સામાન્યમાં સામાન્ય માનવી આવે તો એને ખબર પડે કે શરીરને ઉપયોગી કયાં કયાં વૃક્ષો છે, ઔષધ તરીકે કેવા ઉપયોગો થાય છે અને આજે લોકો અભ્યાસ માટે ત્યાં આવે છે. કલાક-બે કલાક તે વનમાં ફરે અને એને ખબર પડે કે આ વૃક્ષનું શું મહત્વ છે..! ભાઈઓ-બહેનો, આવા તો અનેક નવતર પ્રયોગો કર્યા. ચોટીલા જાવ તો ભક્તિ વન જોવા મળે. પાવાગઢ આવો તમે, અહિંયાં પાવાગઢની અંદર વિરાસત વન બનાવ્યું છે. વર્લ્ડ હેરિટેજની જગ્યા હોય ચાંપાનેરની, આ બાજુ મા કાળી બિરાજમાન હોય અને બન્નેની સાક્ષીએ ઊભું હોય એવું આપણે વિરાસત વન બનાવ્યું.

 

ને આજે જ્યારે વન મહોત્સવની વાત આવી ત્યારે ગોવિંદ ગુરુ, ભાઈઓ આદિવાસીઓની છાતી ગજ ગજ ફૂલે એવું નામ, કોઈપણ ભારત ભક્તનું માથું ઊંચું થાય એવું નામ. પણ કમનસીબે એ નામને ઇતિહાસના ચોપડેથી ભૂંસી નાખવામાં આવ્યું. બહુ બહુ તો પાંચ-પચાસ કુટુંબો, કે બે-ચાર મહંતો જ એમને યાદ કરતા હોય એટલું સીમિત કરી દેવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકો કદાચ ભક્તિભાવથી પૂર્ણિમાએ મેળો થતો હોય અને આવતા હોય બાર મહિનામાં એકવાર એટલા પૂરતી એમની ગણના રહી. ભાઈઓ-બહેનો, આ ઐતિહાસિક ઘટના છે અને એને હવે શતાબ્દી થવા આવી છે ત્યારે ૧૯૧૩ માં આજથી નવાણું વર્ષ પહેલાં જેનું હવે શતાબ્દી વર્ષ શરૂ થયું છે, આ જ ભૂમિ પર ગોવિંદ ગુરુની પ્રેરણાથી નિ:શસ્ત્ર સમાજ સુધારક તરીકે કામ કરનારા ભગતોનો સમૂહ, સંત સભાના  લોકો, આ સંપ સભાના લોકો સમાજ સુધારવાનું કામ કરે, અંગ્રેજ સલ્તનત સામે પોતાનો અવાજ  ઉઠાવે અને ગોવિંદ ગુરુથી આ અંગ્રેજ સલ્તનત ફફડી ગઈ. પંચમહાલ જિલ્લાના સંતરામપુર-દાહોદના પટ્ટાની અંદર ભેખધારી એક સમાજ સુધારક એ હરતો જાય, ફરતો જાય, મળતો જાય, વાત કરતો જાય અને લોકોમાં એક નવી ચેતના જગાવતો જાય અને એનું પરિણામ શું આવ્યું? છેક લંડનમાં ખબર પડી કે આ એક એવો માણસ છે કે જેની પાછળ પાછળ આ આદિવાસી ભાઈઓ પોતાનું જીવન આપી દેવા માટે તૈયાર થયા છે, આદિવાસીઓ પોતાની જીંદગી આપી દેવા તૈયાર થયા છે અને આ જો આવડો મોટો તોપનો ગોળો જો અંગ્રેજો બાજુ ફર્યો તો એમની કત્લેઆમ થઈ જશે એવો ડર હતો. ગોવિંદ ગુરુને સીધા કરવાના ષડયંત્ર રચાયાં. સ્પેશ્યલ માણસો મૂકાયા, નક્કી કરવામાં આવ્યું કે આ ગોવિંદ ગુરુને પતાવી દો. પણ ગોવિંદ ગુરુના ભક્તો એવા હતા કે એ આદિવાસી ભાઈઓએ ભારતમાતાની આઝાદીને માટે અંગ્રેજો સામે ઝૂકવાનું પસંદ ન કર્યું, અંગ્રેજી ફોજ આવી તો ભાગવાનું પસંદ ન કર્યું, અંગ્રેજી ફોજ આવી તો ગોવિંદ ગુરુને એકલા મૂકીને દોડવાની કોશિશ ન કરી, અંગ્રેજોની સામે ગયા મારા વીર આદિવાસીઓ, અંગ્રેજોની સામે લડ્યા. એમના તોપના નાળચા હતાં ને બંદૂકના નાળચા હતાં, ગોળીબારની રમઝટ ચાલતી હતી અને એક પછી એક મારા આદિવાસી ભાઈઓ શહીદ થતા જતા હતા પણ ગોવિંદ ગુરુને ઊની આંચ ન આવે એના માટે પોતે બલિદાન દેતા હતા. લાશોના ઢગ ખડકાઈ ગયા. આપ વિચાર કરો, જલિયાંવાલા બાગ કરતાં ડબલ લોકો અહીંયાં શહીદ થયા છે. જલિયાંવાલા બાગનું નામ તો ઇતિહાસમાં પડ્યું છે, પરંતુ માનગઢનો કોઈ ઉલ્લેખ ન કરે એવી રીતે ઇતિહાસને ભુલાવી દેવામાં આવ્યો છે, મારા આદિવાસી ભાઈઓને ભુલાવી દેવામાં આવ્યા છે. દેશની આઝાદી માટે મરનાર બિરસા મુંડા હોય કે ગોવિંદ ગુરુની પ્રેરણાથી શહીદ થનાર પંદરસો કરતાં વધારે મારા ભીલ યુવકો હોય આ બધા લોકોએ આ ભારતમાતાને આઝાદ કરવા માટે જીવન આપ્યાં હતાં, બલિદાન આપ્યું હતું પણ ઇતિહાસમાં એને ભુલાવી દેવામાં આવ્યા. અને આજે એ વાતને મારી-ઠોકીને દુનિયા સામે મારે લઈ જવી છે. એની શતાબ્દી જ્યારે ઊજવીશ, આખું વર્ષ આદિવાસી સમાજના લોકો અહિં આવશે, યાત્રા નીકળ્યા કરશે, અવિરત યાત્રા ચાલ્યા કરશે અને ૨૦૧૩ માં જ્યારે શતાબ્દી વર્ષ પૂરું થતું હશે ત્યારે આપણને ગર્વ થશે કે મહાત્મા ગાંધીની શતાબ્દી સૌ કોઈ ઊજવે, પંડિત નહેરુની શતાબ્દી સૌ કોઈ ઊજવે, મહાપુરુષની શતાબ્દીઓ સૌ કોઈ ઊજવે પણ કોઈક તો જોઈએ જે ગોવિંદ ગુરુને, આ મહાન વિરાસતને, આ શહાદતને, જેનાં અજાણ નામ કોઈને ખબર નથી એવા પંદરસો કરતાં વધારે લોકો જો અહિં શહીદ થયા હોય તો એ શહાદતની શતાબ્દી પણ કોઈકે ઊજવવી જોઇએ. ગુજરાતમાં કોઈક તો છે કે જેની એને યાદ આવી છે અને એને ઊજવવી છે. કેટલાક લોકોને એમ લાગે છે કે આ બધું તો ચૂંટણી આવી એટલે થાય છે. હવે ભાઈ, આ શતાબ્દી કંઈ અમે નક્કી કરી હતી..? શતાબ્દી અને ચૂંટણી ભેગી થઈ જાય એ અમારો ગુનો..? એ ૧૯૧૨ માં બન્યું હતું ને આ ૨૦૧૨ માં આવી, એમાં અમારો કંઈ ગુનો છે, ભાઈ? અને આ બધી બાબતોને ચૂંટણી સાથે જોડીને, તેને રાજકારણ સાથે જોડીને આ બલિદાનોનું મહત્વ ઓછું આંકનારા લોકો આ શહીદોનું અપમાન કરે છે..!

ભાઈઓ-બહેનો, શ્યામજી કૃષ્ણ વર્મા, હિંદુસ્તાનની અંદર સશસ્ત્ર ક્રાંતિનું જેણે નેતૃત્વ કર્યું, વીર સાવરકર જેવા મહાપુરુષો જેણે આપ્યા, મદનલાલ ધીંગરા જેવા લોકોમાં વીરતા પ્રેરી, ભગતસિંહ-સુખદેવ-આઝાદ જેવા લોકો જેને પ્રેરણા માનતા હતા એ શ્યામજી કૃષ્ણ વર્મા, આપણા ગુજરાતના કચ્છના છોરુ, અંગ્રેજોની સામે લંડનમાં અંગ્રેજોના નાક નીચે આઝાદીની લડાઈ લડતા હતા, આ દેશના સશસ્ત્ર ક્રાંતિ કરનારા લોકોને શિષ્યવૃત્તિ આપીને તૈયાર કરતા હતા. એ શ્યામજી કૃષ્ણ વર્મા ૧૯૩૦ માં ગુજરી ગયા ત્યારે લખીને ગયા હતા કે મને તો જીવતે જીવ આઝાદી જોવા ન મળી, પણ મારાં અસ્થિ સાચવી રાખજો, મારાં હાડકાં સાચવી રાખજો, અને જ્યારે મારો દેશ આઝાદ થાય ત્યારે મારી અંતિમ ઇચ્છા છે કે મારા અસ્થિ મારા આઝાદ હિંદુસ્તાનની ધરતી પર લઈ જજો. જેથી કરી મને મોક્ષ મળે, મને શાંતિ મળે. આવું શ્યામજી કૃષ્ણ વર્મા લખીને ગયા હતા. ૧૯૩૦ માં એમનો સ્વર્ગવાસ થયો, ૧૯૪૭ માં દેશ આઝાદ થયો, પંદરમી ઓગસ્ટે તિરંગો ઝંડો ફરકાવ્યા પછી બીજા જ દિવસે દિલ્હી સરકારે માણસ મોકલીને આ અસ્થિ હિંદુસ્તાનમાં લાવવા જોઇતા હતા. પણ એમને શહીદોની પડી નહોતી, દેશને માટે જીવનારા, દેશને માટે મરનારાઓની પરવા નહોતી અને તેથી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ ત્યાં પડ્યા રહ્યાં. ભાઈઓ-બહેનો, એ સૌભાગ્ય મને મળ્યું, ભારતમાતાના એ સપૂતના અસ્થિ હું ખભા પર ઊંચકીને વિદેશની ધરતી પરથી ૨૦૦૩ માં અહિંયાં લઈ આવ્યો. અને આજે શ્યામજી કૃષ્ણ વર્માનું એક અત્યંત પ્રેરક સ્મારક કચ્છના માંડવી ઉપર ઊભું કર્યું છે. કોઈપણ ભારતમાતાને પ્રેમ કરનારો નાગરિક જાય એને જોતાંની સાથે લાગે કે આવા આવા આપણા વીરપુરુષો..! આજે વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની મુલાકાત લે છે, દેશ-દુનિયાના ટુરિસ્ટ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની મુલાકાત લે છે. એક દિવસ એવો આવશે કે ગોવિંદ ગુરુની સ્મૃતિમાં અહિંયાં જે સ્મારક બન્યું છે, શહાદતને યાદ કરી છે એવું આ શહીદવન સ્મૃતિવન બન્યું છે, એમાં પણ દેશ અને દુનિયાના લોકો આ પંદરસો કરતાં વધારે મારા શહીદ ભીલ કુમારોને હંમેશાં પુષ્પવર્ષા કરવા માટે આ ધરતી પર પધારશે એ વાતાવરણ બનાવવાનું મેં કામ કર્યું છે.

ભાઈઓ-બહેનો, આઝાદીના આટલાં વર્ષ થયાં, આટઆટલા સમાજ સુધારકો થયા. તમે જુઓ અમે ત્યાં એક નાનકડું પ્રદર્શન મૂક્યું છે. એ જમાનામાં ગોવિંદ ગુરુ કેવી પ્રેરણા આપતા હતા, કેવા વચનો કહેતા હતા..! એ વચનો આજે પણ કામમાં આવે એવા વચનો એ વખતે કહેતા હતા. એક એક વાત ઊતરે એટલા માટે ભગત પંથ ચલાવીને ભગતોને તૈયાર કરીને સમાજ સુધારણાનું કામ કરતા હતા. અને જીવનના કેટલા બધાં વર્ષો જેલમાં કાઢયાં, અમદાવાદની સાબરમતી જેલમાં પણ રહ્યા. અંગ્રેજ સરકારને ભય લાગ્યો તો છેક હૈદરાબાદની જેલમાં મોકલી આપ્યા, હૈદરાબાદની જેલમાં જીંદગી ગુજારવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. એ ગોવિંદ ગુરુ, એમને ભૂલવાડી દેવામાં આવ્યા છે. આદિવાસીઓના કલ્યાણને માટે જીવન ખપાવી દેનાર વ્યક્તિને આ દેશમાં ભૂલવા નહીં દેવામાં આવે. આવનારી પેઢીઓ યાદ રાખે એના માટેનો અમે સંકલ્પ કર્યો છે અને એ વાત અમે પહોંચાડવા માગીએ છીએ. શહાદત એળે ન જઈ શકે અને જ્યારે ભીલકુમારો જાણશે કે એમના પૂર્વજોએ આટલું મોટું બલિદાન આપ્યું હતું ત્યારે જેમ એકલવ્યમાંથી પ્રેરણા લે છે તેમ ગોવિંદ ગુરુમાંથી પણ પ્રેરણા મળશે એવો મને વિશ્વાસ છે.

ભાઈઓ-બહેનો, આઝાદીના આટલા બધાં વર્ષોમાં આદિવાસીઓના કલ્યાણને માટે આ બધી સરકારો નિષ્ફળ ગઈ. આદિવાસીઓના નામે ખોબલે ખોબલા વોટ લઈ ગયા, પણ આદિવાસીઓના જીવનમાં બદલાવ ન આવ્યો. આ સરકારે પ્રયત્ન આદર્યો કે આદિવાસીઓના ઘર સુધી પીવાનું પાણી કેમ પહોંચે, આદિવાસીઓના ખેતર સુધી સિંચાઈનું પાણી કેમ પહોંચે, આદિવાસીઓને રહેવા માટે ઘર કેમ મળે, ઝાડની નીચે જીંદગી ગુજારનાર આદિવાસી એને ઘર કેવી રીતે મળે એની ચિંતા આ સરકારે કરી છે. ભાઈઓ-બહેનો, ઝીરો થી સોળ સુધીના ગરીબીની રેખા નીચે જીવનારા બધા જ આદિવાસીઓને મકાન આપવાનું કામ પૂરું કરી દીધું. અને હવે ઉપાડવાનાં છીએ, સત્તરથી વીસ વચ્ચે આવનારા અને એના કારણે લગભગ બે લાખ કરતાં વધારે આદિવાસીઓને ઘર આપવાનું કામ અમે આગામી ડિસેમ્બર સુધીમાં પૂરું કરવાના છીએ. આપ વિચાર કરો, પચાસ વર્ષમાં આ કામ કોઈ નથી કરી શક્યું, એ કામ અમે કરવા માટેની મથામણ આદરી છે અને એ કામનો લાભ લોકોને મળે એના માટેનું કામ કર્યું છે. ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ, વનબંધુ કલ્યાણ યોજનામાં નક્કી કર્યા હતા ૧૫,૦૦૦ કરોડ અને પહોંચાડ્યા ૧૮,૦૦૦ કરોડ અને હવે તો મામલો પહોંચાડ્યો છે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા, ૪૦,૦૦૦ કરોડ રૂપિયા મારા આદિવાસી પ્રજાના. ભાઈઓ-બહેનો, સમાજોને લડાવવા માટે અનામતના નામે તોફાનો કરાવે, બધું કરે, બીજાને ઉશ્કેરવા માટેની વાતો કરે. પણ મારા અનામતની અંદરનો લાભ ક્યારે મળે, ભાઈઓ? મારા આદિવાસી દીકરાને ડૉક્ટર થવું હોય, મારા આદિવાસી દીકરાને એન્જિનિયર થવું હોય તો પહેલા બારમા ધોરણની નિશાળ તો જોઇએ કે નહીં વિજ્ઞાન પ્રવાહની..? તમને જાણીને દુ:ખ થશે ભાઈઓ-બહેનો, ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટામાં એકપણ બારમા ધોરણની વિજ્ઞાન પ્રવાહની નિશાળ નહોતી. હું ૨૦૦૧ માં આવ્યો ત્યારે આ રાજ્યમાં ૪૫ તાલુકા એવા હતા કે જેમાં બારમા ધોરણની વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. જો બારમા ધોરણની વિજ્ઞાન પ્રવાહની શાળા જ ન હોય તો એ ડૉક્ટર અને એન્જિનિયર ક્યાંથી થવાનો છે? અનામતનો લાભ ક્યાંથી લેવાનો છે? અને અનામતના નામે ઝગડા કરીને તમારું રાજકારણ ચલાવ્યા કરો છો પણ આદિવાસીઓનું ભલું ન કર્યું. ભાઈઓ-બહેનો, અમે એ પિસ્તાલીસે પિસ્તાલીસ આદિવાસી તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની બારમા ધોરણની શાળાઓ ચાલુ કરી દીધી અને એનું પરિણામ એ આવ્યું કે આજે મેડિકલની, એન્જિનિયરિંગની આદિવાસીઓની બધી જ સીટો ભરાવા માંડી. આદિવાસી છોકરો એન્જિનિયર બને, આદિવાસી છોકરો ડૉક્ટર બને એની દિશામાં અમે કામ કર્યું. નર્સિંગની કૉલેજો ચાલુ કરી, આદિવાસી વિસ્તારમાં આઈ.ટી.આઈ. ચાલુ કરી. આદિવાસીનો દીકરો આજે ભણતો થાય, આગળ વધે એની ચિંતા કરી.

ક જમાનો હતો મારા પંચમહાલ તાલુકાના આદિવાસીઓ ૪૪ ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે રોડનું કામ કરવા માટે, ડામરનું કામ કરવા માટે શહેરોની અંદર તપતા પડ્યા હોય, ધોમધખતા તાપ નીચે ડામરના રોડ બનાવવાનું કામ કરતા એવા દિવસો હતા. આજે મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ અને પંચમહાલ જિલ્લાનો કોઈ એવો તાલુકો નથી કે જ્યાં આગળ મારા આદિવાસીઓ આજે રોડના કૉન્ટ્રેક્ટર ન બન્યા હોય. જેસીબી લાવતા થઈ ગયા છે. હમણાં એક સદભાવના મિશનના કાર્યક્રમમાં મને મારા આ ગરીબ સમાજના લોકો મળવા આવ્યા, બક્ષીપંચના ગધેડા હાંકનારા લોકો અને ગધેડા પર માટી ઊંચકીને લઈ જનારા લોકો મને મળવા આવ્યા. અને મારે માટે એક રમકડું લઈ આવ્યા, સદભાવના મિશનમાં પ્લાસ્ટિકનું રમકડું મને ભેટ આપ્યું. હું હસી પડ્યો, મેં કહ્યું તમે મને આ પ્લાસ્ટિકનું જેસીબીનું રમકડું શું કામ આપ્યું? મારા પરિવારમાં તો રમે-રમાડે એવું કોઈ નથી, મને હસવું આવ્યું. તો મને કહે કે સાહેબ, અમે આ જેસીબીનું રમકડું એટલા માટે લાવ્યા છીએ કે ગઈકાલ સુધી અમે ગધેડા હાંકતા હતા, આ તમારી સરકારમાં પ્રગતિ થઈ, અમારા ઘરમાં જેસીબી આવ્યું છે તેનો નમૂનો તમને બતાવવા આવ્યા છીએ, એનો આભાર માનવા આવ્યા છીએ. આજે મારા પંચમહાલના, દાહોદના આદિવાસી અને બધા તાલુકામાં જો જો મિત્રો, આજે મારો આદિવાસી રોડનો કૉન્ટ્રેક્ટર બન્યો છે, ગઈકાલ સુધી મજૂરી કરતો હતો. મારો ડાંગ જિલ્લો, આદિવાસી ભાઈઓ, એમના કલ્યાણ માટેની કોઈ યોજનાઓ જ નહોતી. અમે ડાંગ જિલ્લામાં દૂધ ઉત્પાદનના કામો ઉપાડ્યાં, ગાયો-ભેંસો આપવાની દિશામાં વળી ગયા. આજે મારા ડાંગ જિલ્લાનો આદિવાસી પગભર થઈ ગયો. અમે દાહોદ જિલ્લામાં અભિયાન ઉપાડ્યું છે, દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા વધે, દુધાળાં પશુઓ મળી રહે એના માટેનું કામ ઉપાડ્યું છે. અમે એક બાજુ આદિવાસી ભાઈઓને ગાય-ભેંસ દૂધ ઉત્પાદન કરતા થાય એના માટે આપીએ છીએ, ત્યારે દિલ્હી સરકારે શું માંડ્યું છે ખબર છે? દિલ્હી સરકારે કતલખાનાંઓને સબસિડી આપવાનું કામ ચાલુ કર્યું છે. પચાસ કરોડ રૂપિયા કતલખાનાંઓને સબસિડી આપે અને ગાયનું માંસ વિદેશ મોકલો તો તમને સબસિડી આપે અને લાખો ટન ગાયનું માંસ વિદેશ મોકલવાનું કામ આ દિલ્હીની સરકાર કરે છે. આ દેશ એવો હતો કે ૧૮૫૭ ની ક્રાંતિ થઈ હતી, એ ગાયની ચરબી ઉપર ક્રાંતિ થઈ હતી, બુલેટ ઉપર ગાયની ચરબી છે એટલી વાત માત્રથી હિંદુસ્તાન જાગી ગયું હતું. એ હિંદુસ્તાનમાં આજે દિલ્હીની સરકાર ગાયનું માંસ વિદેશમાં મોકલવા માટે પ્રોત્સાહક ઇનામો આપે છે..! આ કમનસીબી વચ્ચે દેશ જીવી રહ્યો છે ત્યારે મારા ભાઈઓ-બહેનો, ગૌ માતાની રક્ષા માટે ગોવિંદ ગુરુએ જીંદગી આપી. ગામડે ગામડે ફરીને ગૌ પાલન માટેનું શિક્ષણ આપવાનું કામ ગોવિંદ ગુરુએ કર્યું હતું. એ ગોવિંદ ગુરુમાંથી પ્રેરણા લઈને આટઆટલા લોકો શહીદ થઈ ગયા અને અંગ્રેજ સરકારને નાકે દમ લાવી દીધો હતો એ માનગઢને ભૂલી ન શકાય. આ માનગઢે જ ગુજરાતનું માન વધાર્યું છે, આ ગુજરાતનો માન-મરતબો વધારવાનું કામ આ માનગઢના મારા શહીદોએ કર્યું છે. એ શહાદતને યાદ કરીને આ ‘શહીદ સ્મૃતિ વન’ એ આપણે આપ્યું.

ભાઈઓ-બહેનો, પર્યાવરણ સામે લડવું હશે તો વૃક્ષો બચાવવાં પડશે, વૃક્ષો વાવવાં પડશે. વરસાદ ખેંચાય તો કેવો જીવ તાળવે બેસી જાય છે..? સમાજનો કોઈ એવો વર્ગ નહીં હોય કે વરસાદ ખેંચાવાને કારણે દુ:ખી ન હોય. રાજા હોય કે રંક હોય, વરસાદ ખેંચાય તો સૌ કોઈ દુ:ખી હોય, હરએકના મનમાં પીડા હોય કે ભાઈ, વરસાદ આવે તો સારું. કેટલાક નકામા લોકો પણ છે, એ લોકો યજ્ઞો કરે છે, યજ્ઞ કરી ભગવાનને પ્રાર્થના કરશે કે વરસાદ ન આવે તો સારું, તો અમને ચૂંટણીમાં સહેલું પડે, બોલો આવી વાત..! અરે ભાઈ, ચૂંટણીઓ જીતવા માટે આ પ્રજાને દુ:ખમાં નાખવાની ન હોય, આ પ્રજાને પીડા થાય એવું કરવાનું ન હોય. અરે, ચૂંટણીઓ તો આવશે અને જશે, પરંતુ મારો આ સમાજ અજરામર છે. જો એને પાણી ઈશ્વરની કૃપાથી નહીં મળે તો કેટલી બધી વિપદાઓ આવશે. આપણે બધા પ્રાર્થના કરીએ, ગોવિંદ ગુરુના ધામમાં પ્રાર્થના કરીએ કે ઈશ્વર વરસાદનો પ્રસાદ આપે અને આપણું ગુજરાત લીલુંછમ બનવાની દિશામાં આગળ વધે, એનો અવસર આપણે લઈએ. વરસાદ એ તો ઈશ્વરે આપેલી મોટામાં મોટી કૃપા છે, એના વગર જીવન શક્ય ન બને. એ પાણી માટેની પૂજા એ સમાજ માટેના ભવિષ્યની ગેરંટી માટેનું એક સાધન છે. ભાઈઓ-બહેનો, વિકાસનો માર્ગ અમે લીધો છે, વિકાસના માર્ગ પ્રમાણે જવું છે, અમારા આદિવાસીઓની જીંદગી બદલવી છે..! હમણાં ભારત સરકારે એક આંકડો બહાર પાડ્યો. ભારત સરકારે કહ્યું કે આખા દેશમાં જે બેરોજગારી છે, એમાં ઓછામાં ઓછી બેરોજગારી ક્યાંય હોય તો એ રાજ્યનું નામ છે ગુજરાત. જો આપણે વિકાસ ન કર્યો હોત તો આ રાજ્યના નવજુવાનોને રોજગારી ન મળી હોત. અને જુવાનિયાઓને રોજગારી નહીં મળે તો એમના કુટુંબની સ્થિતિ નહીં બદલાય અને તેથી અમારી મથામણ છે કે જવાનિયાઓને રોજગારી મળે. વનબંધુ કલ્યાણ યોજના દ્વારા, સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ દ્વારા, કૌશલ્યવર્ધન કાર્યક્રમો દ્વારા પ્રત્યેક નવજુવાનને કામ શિખવાડવું છે જેથી કરીને પથ્થર પર પાટુ મારીને પણ પાણી કાઢી શકે એવી એનામાં તાકાત આવે. એ તાકાત ઊભી કરવાનું કામ ઉપાડ્યું છે.

ભાઈઓ-બહેનો, માનગઢ આવો વેરાન પ્રદેશ, અહીં પહોંચવું પણ કઠિન અને એક પર્વતની નાનકડી ટોચ પર જે રીતે મેં માનવ મહેરામણ જોયો, હેલિકૉપ્ટરથી હું જોતો હતો કેટલા બધા માણસો ઊભા હતા, અંદર તો કશું જ નથી. આટલો મોટો માનવ મહેરામણ, ગોવિંદ ગુરુની યાદ તાજી કરવામાં અમારું જે સપનું હતું એનું બીજ વવાઈ ગયું, દોસ્તો. હવે ગોવિંદ ગુરુને ગમે તેવા ખેરખાંઓ આવેને તો પણ ભૂલવાડી નહીં શકે. ઇતિહાસના પાને શહાદતની વાતોને ભૂંસવાની કોશિશ કરનારા લોકો હવે નિષ્ફળ જશે એવું આ દ્રશ્ય મને દેખાય છે. ઇતિહાસના પાના પરથી શહાદતને કોઈ ભૂંસી નહીં શકે, સશસ્ત્ર ક્રાંતિના વીરોને ભૂંસી ન શકે, ભારતના વીરત્વને ન ભૂલી શકે, આદિવાસીઓના બલિદાનને ન ભૂલી શકે, આદિવાસીઓની યશોગાથાને નહીં ભૂલી શકે, એ મોટું કામ આજે ગોવિંદ ગુરુની ધરતી પર અમે કર્યું છે. મારા આદિવાસી ભાઈઓ-બહેનો, આવો, માત્ર જંગલો બચાવીએ એટલું નહીં, વૃક્ષો પણ વધારીએ. અહિંયાં તમે જોયું હશે કે એક એક ગામને કોઇને પંદર લાખ, કોઈને વીસ લાખ રૂપિયા મળે છે. આ સરકારની યોજનાનો લાભ લો. એટલા બધાં વૃક્ષો વાવો, વૃક્ષો દીઠ રૂપિયા કમાઓ, આ સરકાર તમને પૈસા આપે છે, લાખો રૂપિયા આપે છે. એક એક ગામને પંદર-પંદર, વીસ-વીસ લાખ રૂપિયા મળતા હોય છે તમે જોયું મારી સામે. આટલા બધા રૂપિયાની વર્ષા થતી હોય તો વૃક્ષો ઉગાડવાની બાબતમાં આપણે પાછી પાની ન કરીએ. વન વિભાગના મિત્રોને પણ માનગઢ જેવી આ જગ્યા પર ગોવિંદ ગુરુની યાદમાં... અને આ નોકરીથી પણ ઉપરની ચીજ છે બધી. નોકરીમાં તો બધું ચાલ્યા કરે, પણ તમે આજે ઐતિહાસિક કામ કર્યું છે, આ નોકરી નથી કરી, દોસ્તો. અને ઐતિહાસિક કામના સાક્ષી બનીએને તો એ જીવનનો અનેરો આનંદ હોય છે. તમે પણ ભવિષ્યમાં તમારા સંતાનોને અહીં બતાવવા આવશો કે હું જ્યારે નોકરી કરતો હતોને ત્યારે અમે એક આ મહાન ઐતિહાસિક કામ કર્યું હતું, આવો ભાવ જાગવાનો છે. પેઢી દર પેઢી આ સંસ્કાર પહોંચવાના છે અને એ કામને આપણે જ્યારે અનુભવ્યું છે ત્યારે ફરી એકવાર મારી સાથે ‘ગોવિંદ ગુરુ અમર રહો’ નો જરા નારો બોલાવો, પછી હું કહીશ ‘શહીદો’ એટલે તમે ‘અમર રહો’ કહેજો...

 

ગોવિંદ ગુરુ, અમર રહો...  ગોવિંદ ગુરુ, અમર રહો...!

શહીદો, અમર રહો...  શહીદો, અમર રહો...  શહીદો, અમર રહો...!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
FPOs’ sales rise via commodity exchanges in FY26

Media Coverage

FPOs’ sales rise via commodity exchanges in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Somnath Amrut Mahotsav is a grand festival of inspiration for India for the next thousand years: PM Modi in Prabhas Patan, Gujarat
May 11, 2026
The Somnath Temple stands as a beacon of unwavering faith, divinity and a sacred symbol of India’s eternal soul: PM
The restoration of the Somnath Temple on this exact day 75 years ago was no ordinary occasion; If India attained independence in 1947, then the consecration of Somnath in 1951 proclaimed the independent spirit of India: PM
The Somnath Amrit Mahotsav will serve as India's guiding inspiration for the next thousand years: PM
Looters tried to destroy the magnificence of the Somnath temple;Thinking of Somnath as nothing but a physical edifice, they kept striking against it; The temple was broken repeatedly, yet it was rebuilt time and again, standing tall after every fall: PM
Not only was the Somnath temple reconstructed, but the country also washed away the blemish of centuries: PM
Somnath serves as a reminder that a nation can sustain its strength over time only if it remains connected to its roots: PM

जय सोमनाथ !

जय सोमनाथ !

हर-हर महादेव !

गुजरात के मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल, उपमुख्यमंत्री भाई हर्ष संघवी जी, गुजरात सरकार के मंत्रीगण, सांसद एवं विधायकगण, अन्य सभी महानुभाव, देवियों और सज्जनों।

आज प्रभास पाटन का पवित्र क्षेत्र एक अद्भुत प्रभा से भरा हुआ है। महादेव का ये साक्षात्कार, ये सौन्दर्य, धरती और आसमान से हुई पुष्पवर्षा, भगवा ध्वजों की ये आभा, कला, संगीत और नृत्य की अद्भुत प्रस्तुतियां, वेदमंत्रों का उच्चार, गर्भगृह में हो रहा शिव पंचाक्षरी का अखंड पाठ और इस सबके साथ-साथ सागर की लहरों का जयघोष, ऐसा लग रहा है, जैसे ये सृष्टि एक साथ बोल रही है- जय सोमनाथ ! जय-जय सोमनाथ !

साथियों,

समय खुद जिनकी इच्छा से प्रकट होता है, जो स्वयं कालातीत हैं, जो स्वयं कालस्वरूप हैं, आज उन देवाधिदेव महादेव की विग्रह प्रतिष्ठा के हम 75 वर्ष मना रहे हैं। ये सृष्टि जिनसे सृजित होती है, जिनमें लय हो जाती है, यतो जायते पाल्यते येन विश्वं, तमीशं भजे लीयते यत्र विश्वम् ! आज हम उनके धाम के पुनर्निर्माण का उत्सव मना रहे हैं। जो हलाहल को पीकर नीलकंठ हो गए, आज उन्हीं की शरण में यहां सोमनाथ अमृत महोत्सव हो रहा है। ये सब भगवान सदाशिव की ही लीला है।

साथियों,

दादा सोमनाथ के अनन्य भक्त के रूप में, मैं कितनी ही बार यहां आया हूं, कितनी ही बार उनके सामने नतमस्तक हुआ हूं। लेकिन, आज जब मैं यहां आ रहा था, तो समय की ये यात्रा एक सुखद अनुभूति दे रही थी। अभी कुछ ही महीने पहले मैं यहां आया था। तब हम सोमनाथ स्वाभिमान पर्व मना रहे थे। प्रथम विध्वंस के 1000 वर्ष बाद भी सोमनाथ के अविनाशी होने का गर्व और आज इस आधुनिक स्वरूप की प्राण प्रतिष्ठा के 75 वर्ष, हम केवल दो आयोजनों का हिस्सा भर नहीं, सिर्फ हिस्सा भर नहीं बने हैं, हमें हजार वर्षों की अमृत यात्रा को अनुभव करने का शिव जी ने मौका दिया है।

साथियों,

75 साल पहले, आज के ही दिन सोमनाथ मंदिर की पुनर्स्थापना, ये कोई साधारण अवसर नहीं था। अगर 1947 में भारत आजाद हुआ था, तो 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था। आज़ादी के समय, सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था। तो साथ ही, सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था, भारत केवल आज़ाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है।

साथियों,

इसलिए, आज इस अवसर पर, मैं केवल 75 वर्षों की झांकी नहीं देख रहा हूं। मैं यहां देख रहा हूं, विनाश में सृजन के संकल्प को, जिसे सोमनाथ ने चरितार्थ किया है। मैं यहां देख रहा हूं, असत्य पर सत्य की विजय को, जिसे प्रभास-पाटन ने बार-बार जिया है। मैं यहां देख रहा हूं, हजारों वर्षों की आध्यात्मिक चेतना को, जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है। मैं यहां देख रहा हूं, भारत के उस अविनाशी स्वरूप को, जिसे सदियों के कुत्सित प्रयास भी न मिटा सके, न हरा सके। और मैं यहां देख रहा हूं, सोमनाथ अमृत-महोत्सव, ये केवल अतीत का उत्सव नहीं है, ये अगले एक हजार वर्षों के लिए भारत की प्रेरणा का महोत्सव भी है। मैं सभी देशवासियों को, दादा सोमनाथ के कोटि-कोटि भक्तों को इस महोत्सव की बहुत-बहुत बधाई देता हूं।

साथियों,

आज का दिन एक और वजह से भी विशेष है। 11 मई 1998, 1998, यानि आज के ही दिन, देश ने पोखरण में परमाणु परीक्षण किया था। देश ने 11 मई को पहले तीन परमाणु परीक्षण किए। हमारे वैज्ञानिकों ने भारत के सामर्थ्य को, भारत की क्षमता को, वैज्ञानिकों ने दुनिया के सामने रखा, दुनिया में तूफान आ गया। भारत, उसकी ये हैसियत, कौन होता है भारत, जो परमाणु परीक्षण करें और दुनिया की आंखें लाल हो गई, दुनिया भर की शक्तियां भारत को दबोचने के लिए मैदान में उतरी। अनेक प्रकार के बंधन लग गए। आर्थिक संकट की संभावनाओं के रास्ते सारे के सारे बंद कर दिए गए। कोई भी हिल जाता। जब दुनिया भर की बड़ी-बड़ी शक्तियां इतना बड़ा आक्रमण कर दे, तो आगे के रास्ते दिखते नहीं है। लेकिन हम कोई और मिट्टी के बने हुए हैं। 11 मई के बाद दुनिया हम पर टूट पड़ी थी। 11 मई को वैज्ञानिकों ने अपना काम कर लिया था। लेकिन 13 मई को फिर दो और परमाणु परीक्षण हुए, उससे दुनिया को पता चला था कि भारत की राजनीतिक इच्छाशक्ति कितनी अटल है। उस समय पूरी दुनिया का दबाव भारत पर था, लेकिन अटल जी के नेतृत्व में बीजेपी सरकार ने ये दिखाया था कि हमारे लिए राष्ट्र प्रथम है। दुनिया की कोई ताकत भारत को झुका नहीं सकती, दबाव में नहीं ला सकती।

साथियों,

देश ने पोखरण परमाणु परीक्षण को ऑपरेशन शक्ति नाम दिया था। क्योंकि, शिव के साथ शक्ति की आराधना, ये हमारी परंपरा रही है। अर्धनारीश्वर शिव स्वयं भी शक्ति के साथ ही पूर्ण होते हैं। आपको याद होगा, जब देश का मिशन चंद्रयान सफल हुआ था, तब चंद्रमा पर जहां भारत का रोवर लैंड हुआ, उस जगह का नाम भी हमने ‘शिवशक्ति पॉइंट’ रखा है। क्योंकि, हमारी आस्था में चंद्रमा शिव से जुड़ा है और शिव शक्ति से जुड़े हैं। और ये कितना सुखद है कि चंद्रमा के नाम से ही इस ज्योतिर्लिंग को हम सोमनाथ कहते हैं।

साथियों,

शिव और शक्ति की हमारी आराधना का जो विचार है, वो देश की वैज्ञानिक प्रगति के लिए भी प्रेरणा बने, आज हम ये संकल्प साकार होते देख रहे हैं। मैं इस अवसर पर, भगवान सोमनाथ के चरणों से सभी देशवासियों को ऑपरेशन शक्ति की वर्षगांठ की भी बधाई देता हूं।

साथियों,

जब मैं पिछली बार यहाँ आया था, तब मैंने कहा था- जिसके नाम में ही सोम अर्थात्, अमृत जुड़ा हो, उसे नष्ट कौन कर सकता है? इतिहास के लंबे कालखंड में इस मंदिर ने कितने ही आक्रमण झेले। महमूद गजनवी, अलाउद्दीन खिलजी जैसे अनेक आक्रांता आए, लुटेरों ने सोमनाथ मंदिर का वैभव मिटाने का प्रयास किया। वो सोमनाथ को एक भौतिक ढांचा मानकर उससे टकराते रहे। बार-बार इस मंदिर को, इस ढांचे को तोड़ा गया। और ये बार-बार बनता रहा, हर बार उठ खड़ा होता रहा, क्योंकि तोड़ने वालों को मालूम नहीं था, हमारे राष्ट्र का वैचारिक सामर्थ्य क्या है। हम भौतिक शरीर को नश्वर मानने वाले लोग हैं। लेकिन, हम जानते हैं, उसके भीतर बैठी आत्मा अविनाशी है। और फिर तो, शिव तो सर्वात्मा हैं। इसलिए, अलग-अलग काल में, अलग-अलग जीवों की संकल्पशक्ति में शिव प्रकट होते रहे। राजा भोज, कभी राजा भीमदेव प्रथम, कभी राजा कुमारपाल, कभी राजा महीपाल प्रथम, तो कभी राव खंगार, ऐसे अनेक शिवभक्त समय-समय पर सोमनाथ मंदिर का पुनर्निर्माण करवाते रहे। लकुलीश और सोम शर्मा जैसे कितने मनीषी, उन्होंने प्रभास पाटन क्षेत्र की विरासत को संरक्षित किया, इसे शैव साधना और दर्शन का महान केंद्र बनाया। भाव बृहस्पति, पाशुपताचार्यों और अनेक विद्वानों ने इस तीर्थ की आध्यात्मिक परंपराओं को जीवित रखा। विशालदेव और त्रिपुरांतक जैसे व्यक्तित्वों ने यहां की बौद्धिक चेतना को सुरक्षित रखने का पुनीत कार्य किया।

साथियों,

वीर हमीरजी गोहिल, वीर वेगड़ाजी भील, पुण्यश्लोक अहिल्याबाई होल्कर जी, बड़ौदा के गायकवाड़, जाम साहब महाराजा दिग्विजय सिंह जी, ऐसी कितनी ही महान विभूतियाँ हैं, जो सोमनाथ की सेवा में अपना सर्वस्व अर्पित करती थीं। मैं आज इस अवसर पर सरदार वल्लभ भाई पटेल, डॉक्टर राजेंद्र प्रसाद, श्रीमान के. एम. मुंशी जी, ऐसी सभी ज्ञात-अज्ञात दिव्यात्माओं को भी श्रद्धा पूर्वक, आदर पूर्वक नमन करता हूँ। उनका स्मरण हमें ये प्रेरणा देता है कि हमें न केवल अपनी सांस्कृतिक विरासत को आगे बढ़ाना है, बल्कि इस ज़िम्मेदारी को आने वाली पीढ़ियों के हाथों में सौंपकर भी जाना है।

साथियों,

हमारे सांस्कृतिक स्थल हजारों वर्षों से भारत की पहचान रहे हैं। इतनी समृद्ध विरासत हमें मिली है। लेकिन, आप विडम्बना देखिए, हमने दशकों तक उसके महत्व को नहीं समझा। दुनिया में ऐसे कितने ही उदाहरण हैं, जहां विदेशी हमलावरों ने राष्ट्रीय पहचान से जुड़े स्थलों को नष्ट किया। लेकिन, जब उस देश के लोगों को मौका मिला, सबने साथ आकर, अपनी पहचान को फिर से सहेजा, फिर से संवारा, पुन: प्रतिष्ठा की। लेकिन, हमारे यहाँ राष्ट्रीय स्वाभिमान से जुड़े विषयों पर भी राजनीति होती रही। सोमनाथ खुद इसका सबसे बड़ा उदाहरण है। आज़ादी के बाद पहले दायित्वों में से एक था कि सोमनाथ मंदिर का पुनरुद्धार करते। इसलिए, सरदार वल्लभ भाई पटेल और डॉक्टर राजेन्द्र प्रसाद जी, उन्होंने इसके लिए इतने प्रयास किए। लेकिन, हम सब जानते हैं, उन्हें इसके लिए नेहरूजी द्वारा कितना विरोध झेलना पड़ा था। मैं आज इसके विस्तार में नहीं जाउंगा, लेकिन ये सरदार साहब की इच्छाशक्ति थी कि इतने विरोध के बावजूद सरदार साहब डिगे नहीं। सोमनाथ मंदिर का पुनर्निर्माण भी हुआ और देश ने सदियों के कलंक को भी धो दिया।

साथियों,

दुर्भाग्य से देश में ऐसी शक्तियां आज भी प्रभावी हैं, जिन्हें राष्ट्रीय स्वाभिमान से ज्यादा तुष्टिकरण जरूरी लगता है। राममंदिर निर्माण जैसे अवसरों पर भी हमने देखा है, किस तरह राम मंदिर निर्माण का भी विरोध किया गया। हमें ऐसी मानसिकता से सावधान रहना है। इस तरह की संकुचित राजनीति को हमें पीछे छोड़ना होगा। हमें विकास और विरासत को साथ लेकर के आगे बढ़ना होगा।

साथियों,

बीते वर्षों में मुझे सोमनाथ ट्रस्ट के अध्यक्ष के रूप में सोमनाथ दादा की सेवा का जो अवसर मिला, इस मंदिर और क्षेत्र के विकास के लिए जो ऐतिहासिक काम हुए, उस परिवर्तन को आज हम सब प्रत्यक्ष देख रहे हैं। लेकिन साथ ही, इस सेवा का मुझे व्यक्तिगत लाभ भी हुआ है। आज मुझे देश के सभी पवित्र तीर्थों के विकास का जो मौका मिल रहा है, ये भगवान सोमनाथ का ही कृपा प्रसाद है।

साथियों,

आज काशी में सदियों बाद बाबा विश्वनाथ धाम का इतना भव्य विस्तार हुआ है। आज उज्जैन में महाकाल, महालोक के विशाल दर्शन भी हमें हो रहे हैं। केदारनाथ धाम का पुनर्निर्माण भी हुआ है। जैसा मैंने पहले कहा, अयोध्या में 500 साल की प्रतीक्षा भी पूरी हुई है। आज वहाँ भव्य मंदिर में रामलला विराजमान हैं।

साथियों,

ऐसे कितने ही पवित्र तीर्थ, पवित्र मठ, मंदिर और क्षेत्र, उनकी जो महिमा हमने पुराणों में सुनी है, आज वहाँ हमें उस समृद्ध परंपरा के दर्शन होने लगे हैं। और, ये इतना कुछ 10-12 साल के भीतर-भीतर हुआ है।

साथियों,

हमारे सांस्कृतिक केन्द्रों की उपेक्षा देश के विकास में बड़ी बाधा रही है। क्योंकि, हमारे तीर्थ भारत की आध्यात्मिक-सामाजिक व्यवस्था के केंद्र तो हैं ही, वो देश की आर्थिक प्रगति के भी स्रोत रहे हैं। आज आप देखिए, चारधाम महामार्ग परियोजना, गोविंदघाट से हेमकुंड साहिब तक रोपवे परियोजना, करतारपुर कॉरिडोर, बौद्ध सर्किट का विकास, इनके जरिए देश में तीर्थ क्षेत्रों में आर्थिक गतिविधियां बढ़ी हैं। सोमनाथ परिसर भी इसका एक सशक्त उदाहरण है। आज सोमनाथ मंदिर ट्रस्ट से सैकड़ों परिवार जुड़े हैं। हजारों लोगों का जीवन इस क्षेत्र से जुड़ा हुआ है। देश-दुनिया के कोने-कोने से जो लोग यहाँ आते हैं, वो गुजरात के बाकी हिस्सों में भी जाते हैं। इससे प्रदेश और देश में प्रगति के नए द्वार खुलते हैं।

साथियों,

हमारी आस्था हमें जीवन जीने का तरीका भी सिखाती है। क्योंकि, हम मानते हैं- सर्वं खल्विदं ब्रह्म ! अर्थात्, सृष्टि का हर एक घटक, ये सम्पूर्ण प्रकृति भी ईश्वर का ही स्वरूप है। इसलिए, हमारी आस्था नदियों में भी है, वृक्षों में भी है। हम जंगलों को भी श्रद्धा की दृष्टि से देखते हैं। हम पर्वतों में भी पवित्रता का भाव रखते हैं। और, आज जब दुनिया प्राकृतिक जीवनशैली की ओर लौट रही है, हमें हमारी इस शक्ति को भी पहचानना होगा। हमें हमारे तीर्थों और मंदिरों के विकास के साथ-साथ उनकी गरिमा के लिए जागरूक होना होगा। हम ऐसा जीवन अपनाएं, जिससे प्रकृति और पर्यावरण की रक्षा हो। साथ ही, हम हमारे पुण्य स्थलों को पूरी दुनिया के लिए एक उदाहरण के रूप में विकसित करें। हमें इन संकल्पों को अपनी आस्था से जोड़कर जीना होगा।

साथियों,

जब नई पीढ़ियां अपने इतिहास, अपनी आस्था और अपने सांस्कृतिक मूल्यों से जुड़ती हैं, तब राष्ट्र का आत्मबल और मजबूत होता है। आज भारत जिस आत्मविश्वास के साथ आगे बढ़ रहा है, उसमें हमारी इस सांस्कृतिक निरंतरता की भी बहुत बड़ी भूमिका है। आधुनिक और विरासत, आधुनिकता हो या विरासत हो, भारत में इसे कोई अलग नहीं कर सकता, भारत में एक-दूसरे के विरोधी नहीं हैं, ये साथ-साथ आगे बढ़ने वाली शक्तियां हैं, एक दूसरे में प्राण पूरने वाली शक्तियां है। सोमनाथ हमें याद दिलाता है कि कोई भी राष्ट्र तभी लंबे समय तक मजबूत रह सकता है, जब वो अपनी जड़ों से जुड़ा रहे। जब हम अपनी विरासत को आने वाली पीढ़ियों तक उसी श्रद्धा और विश्वास के साथ उनके हाथों में सुपुर्द करें। 75 वर्ष पहले, जब ये पुनर्निर्मित सोमनाथ मंदिर में, 75 वर्ष पहले प्राण प्रतिष्ठा हुई थी, तब भारत ने एक नई चेतना यात्रा शुरू की थी। आज, 75 वर्ष बाद, वही यात्रा और अधिक व्यापक रूप में हमारे सामने है। हमें इसे नई ऊंचाई पर लेकर जाना है। हमारे संकल्पों को पूरा करने में दादा सोमनाथ का आशीर्वाद हमेशा हमारे साथ रहे, यही प्रार्थना है। एक बार फिर सभी देशवासियों को, विरासत में विश्वास करने वाले हर नागरिक को, आप सभी को इस अवसर की बहुत-बहुत बधाई देता हूं। मेरे साथ बोलिए-

जय सोमनाथ।

जय सोमनाथ।

हर-हर महादेव।