ખેડૂતોને સમર્થ બનાવવા

Published By : Admin | September 26, 2016 | 16:50 IST

ખેડૂતોને સમર્થ બનાવવા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારે કૃષિક્ષેત્રના વિકાસ પર અત્યાર સુધી કોઈએ ન કર્યું હોય તેટલું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. છેલ્લા બે વર્ષના ગાળામાં જ કૃષિ ઉત્પાદકતા વધારવા, ખેડૂતોના હિતની રક્ષા કરવા અને તેમની આવકમાં વધારો કરવા તથા કૃષિ કલ્યાણના કાર્યો કરીને તેમની પરિસ્થિતિમાં સુધારો લાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ ખેડૂતોને બહુવિધ રીતે મદદરૂપ બની રહ્યા છે. સરકારે ખેડૂતોને આસાનીથી રાસાયણિક ખાતર મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. તેમ જ સિંચાઈ માટેની સુવિધામાં સુધારો કર્યો છે. તદુપરાંત પાક વીમાની યોજના તથા આસાનીથી ધિરાણ મેળવી શકે તેવી કામગીરી કરી છે. આ સાથે જ ખેડૂતોને તેમની ઉપજના વધુ સારા ભાવ મળે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી મદદ કરી છે. ખેડૂતોના હિતમાં જુદા જુદા પગલા લઈને 2022ની સાલ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાની હાકલ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ કરી છે.

છેલ્લા બે વર્ષથી એટલે કે 2014-15 અને 2015-16 ભારત સતત દુકાળનો સામનો કરતું આવ્યું છે. તેમ છતાંય ભારતીય ખેડૂતોએ તેમના મજબૂત મનોબળથી કામ કરીને કૃષિ ઉપજને જરાય ઘટવા દીધી નથી. કૃષિ ઉપજ સ્થિર રહી છે તે જ રીતે પુરવઠો અને ફુગાવો પણ સ્થિર જ રહ્યો છે. 2015-16ની સાલમાં અનાજનું ઉત્પાદન 252.02 લાખ મેટ્રિક ટન રહ્યું હતું. તેથી જ કૃષિ ખાતાનું નામ બદલીને કૃષિ અને ખેડૂત કલ્યાણ ખાતું કરી દેવામાં આવ્યું છે. તેને પરિણામે કૃષિ વિકાસ માટેના વિઝનમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે અને ખેડૂતને સૌથી વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કરવામાં આવતી ફાળવણીમાં અને કૃષિ કલ્યાણ માટે કરવામાં આવતી ફાળવણીમાં નોંધપાત્ર રીતે રૂા. 35984 કરોડનો વધારો કરી દેવામાં આવ્યો છે. 

 

સરકારને સમજાઈ ગયું છે કે કૃષિ ક્ષેત્રને વધુ ઉત્પાદનક્ષમ, નફાકારક અને પ્રિડિક્ટેબલ એટલે કે ચોક્કસ ઉત્પાદન તો થશે જ તે સ્થિતિમાં લાવી દેવું જરૂરી છે. આ માટે ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ લાવવા બહુવિધ અભિગમ સાથે યોજનાઓનો અમલ જરૂરી છે. પાક લેવાની સમગ્ર સાઈકલ દરમિયાન તેમને પડખે ઊભા રહેવાની જરૂર છે. તેથી જ ખેડૂતોએ જુદા જુદા જે પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે તેના ઉકેલ સરકારે લાવી આપ્યા છે. 

વાવણી પૂર્વે

  1. ખેડૂતોને આપવામાં આવતા સોઈલ હેલ્થ કાર્ડને પરિણામે તેઓ કયો પાક લેવો તે અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે.

    સરકારે 1.84 કરોડ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કર્યું છે. સરકારનો લક્ષ્ય તો તમામ 14 કરોડ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવાનું છે.

  1. રાસાયણિક ખાતર મેળવવા માટે ખેડૂતોએ લાંબી લાંબી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું તે બાબત હવે એક ઇતિહાસ બની ચૂકી છે. સરકારે ખેડૂતોને આસાનીથી રાસાયણિક ખાતર મળી રહે તેવી સુવિધા કરી આપી છે. તેની સાથે જ રાસાયણિક ખાતરના ભાવમાં પણ ખાસ્સો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આજે સો ટકા નિમ કોટેડ યુરિયા દેશમાં ઉપલબ્ધ છે. તેને પરિણામે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાની ક્ષમતામાં 10થી 15 ટકાનો વધારો થયો છે. રાસાયણિક ખાતર વધુ વપરાતા યુરિયા ફર્ટિલાઈઝરનો ઉપયોગ ઓછો કરવામાં આવશે.

 

  1. ફાઈનાન્સ- નાણાંકીય સુવિધા

 

ખેડૂતોને આપવામાં આવેલી લોનની રકમ પર ચૂકવવાના થતા વ્યાજમાં રાહત કરી આપવા માટે સરકારે રૂા. 18276 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે. નાણાંની આ ફાળવણીને કારણે જ ખેડૂતોને આપવામાં આવેલી પાક લોન પર તેમણે માત્ર 4 ટકા જ વ્યાજ ચૂકવવું પડે છે. લણણી કર્યા પછી તે રકમ પર માત્ર 7 ટકા વ્યાજ અને કુદરતી આફતના સમયમાં લોનની તે રકમ પર માત્ર 7 ટકા વ્યાજ ચૂકવવું પડે તેવી ગોઠવણ વર્તમાન સરકારે કરી છે. તેની સામે ખુલ્લા બજારમાં તેમને નવ ટકા વ્યાજે પૈસા મળી રહ્યા છે.

વાવણી સમયે

  1. સિંચાઈની સુવિધા

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો એક મિશન તરીકે અમલ કરવામાં આવી રહ્યો છે. એઆઈબીપી હેઠળ સિંચાઈના 89 પ્રોજેક્ટની મદદથી 28.5 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ લાંબા સમયથી ટલ્લે ચઢ્યા કરતા હતા. હવે તેના ઝડપી અમલનો આરંભ કરી દેવામાં આવ્યો છે. નાબાર્ડમાં લાંબા ગાળાની સિંચાઈની વ્યવસ્થા માટે અલગ ફંડ જ ઊભું કરવામાં આવી રહ્યું છે. આરંભમાં આ ફંડમાં રૂા. 20000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વરસાદી ખેતી પર નભતા વિસ્તારોમાં 5 લાખ ફાર્મ પોન્ડ અને ડગ વેલ ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે કુદરતી ખાતરનું ઉત્પાદન કરવા માટે દસ લાખ ખાડાઓ મનરેગા હેઠળ તૈયાર કરવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. આ ખાડાઓમાં કુદરતી ખાતર તૈયાર કરવાની કામગીરી કરવામાં આવશે.

  1. ટેકો અને માર્ગદર્શન

દેશના કરોડો ખેડૂતોને એસએમએસ કરીને વૈજ્ઞાનિક ઢબે સલાહ આપવામાં આવી રહી છે. 

વાવણી પછી

  1. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

 આજ સુધી ક્યારેય જોવા ન મળ્યા હોય તેટલા ઓછા વ્યાજ દરે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના-પીએમએફબીવાયનો લાભ ખેડૂતોને આપવાનો ચાલુ કરી દેવામાં આવ્યો છે. પીએમએફબીવાય હેઠળ ખરીફ પાક માટે પાક લોન લેનારા ખેડૂતોએ પાક વીમા માટે બે ટકા, રવી પાકમાં 1.5 ટકા અને બાગયતી પાકમાં 5 ટકાના દરે પ્રીમિયમ ચૂકવવું પડે છે. આ પ્રીમિયમ તેમની લોનની રકમમાંથી સીધું જ કાપી લેવાતું હોવાથી ખેડૂતે પોતે પૈસા ભરવા પડતા નથી.

ઈ-નામ (e-NAM)

  1. કૃષિ ઉપજના માર્કેટિંગનો વહીવટ રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ માટે દરેક રાજ્યમાં કૃષિ ઉપજના માર્કેટિંગને લગતા નિયંત્રણો તૈયાર જ છે. આ નિયંત્રણ હેઠળ રાજ્યના બજારો જુદા જુદા અનેક બજાર વિસ્તારોમાં વિભાજિત થયેલા છે. બજારને વિભાજિત કરી દેવાના આ પગલાને પરિણામે કોમોડિટીની મુક્તપણે હેરફેર થવામાં અવરોધ આવી રહ્યો છે. તેમાંય એક બજાર વિસ્તારમાંથી બીજા બજાર વિસ્તારમાં માલ જાય તો તેના ભાવમાં બિનજરૂરી રીતે વધારો થયા કરે છે. તેનાથી ગ્રાહકોને કૃષિ ઉપજો મોંઘી મળી રહી છે. ગ્રાહકો ઊંચી કિંમત ચૂકવે છે પરંતુ તેનો કોઈ જ ફાયદો ખેડૂતોને મળતો નથી. ઈ-નામના માધ્યમથી આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેની મદદથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના જુદા જુદા બજારોને એક જ બજારમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યા છે. ઇ-નામ એક ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. તેનો ઉપયોગ કરીને ખેડૂતો રાજ્યના અને રાષ્ટ્રના બજારમાં તેમની ઉપજનું વેચાણ કરી શકે છે. તેમાં દરેક જગ્યાએ એક ભાવ મળી શકે છે. તેમ જ બજારની ડિમાન્ડ અને ખેડૂતોના સપ્લાય પ્રમાણે કોમોડિટીના ભાવ નક્કી થાય છે. આમ વાસ્તવમાં ડિમાન્ડ સપ્લાયને આધારે કૃષિ ઉપજના ભાવ નક્કી થાય છે. ખેડૂતોના પાકની થતી હરાજીમાં તેનાથી પારદર્શકતા પણ જળવાય છે. ખેડૂતો તેમની ઉપજો દેશના કોઈપણ બજારમાં વેચી શકે છે. હા, તેમના પાકની ગુણવત્તા પ્રમાણે તેમને તેના ભાવ મળે છે. તેમને ઓનલાઈન જ પેમેન્ટ મળી જાય છે. આ આયોજનને પરિણામે બજારમાંથી માલ ખરીદનારાઓને વાસ્તવમાં યોગ્ય ક્વોલિટીનો માલ મળે છે અને ગ્રાહકોને પણ તે માલ વાજબી ભાવે મળે છે.

ઉપર દર્શાવેલા પગલા લેવા ઉપરાંત ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે બહુવિધ અભિગમને સરકારે અપનાવ્યો છે. મત્સ્યઉછેર, પશુપાલન અને ડેરી ઉત્પાદન જેવી પૂરક પ્રવૃત્તિને ટેકો આપીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચાર ડેરી પ્રોજેક્ટ માટે સરકારે રૂા. 850 કરોડની ફાળવણી કરી છે. તેમાં પશુદાણ સંજીવની, નકુલ સ્વાસ્થ્ય પત્ર, ઈ-પશુધન હાટ અને દેશી ઓલાદો વિકસાવવા માટેના નેશનલ જેનોમિક સેન્ટરની સ્થાપના કરવાના આયોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશી ગાયની ઓલાદોને સાચવી રાખવા અને વિકસાવવા માટે રાષ્ટ્રીય ગોકુલ મિશનની શરૂઆત કરવામાં આવી છે. માછલીઓનું ઉત્પાદન 2013-14ની સાલમાં 95.72 લાખ ટન હતું તે 2014-15માં વધીને 101.64 લાખ ટન થયું છે. 2015-16ની સાલમાં માછલીઓનું ઉત્પાદન 107.9 લાખ ટનનું થવાનો અંદાજ છે. માછીમારી કરવાની મનાઈ ફરમાવી હોય કે માછીમારી કરવા માટે અનુકૂળ સમય ન હોય તેવા ત્રણ મહિનાના સમયગાળામાં માછીમારોને બચત તથા રાહતની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ માટે બ્લૂ રેવોલ્યુશન સ્કીમ ચાલુ કરવામાં આવી છે. આ સ્કીમને કારણે માછીમારોની ત્રણ મહિનાના ગાળાની માસિક બચત વધીને રૂા. 1500 થઈ ગઈ છે. 

 

આમ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી રાહતમાં નોંધપાત્ર વધારો થયો છે. 2010-15ના ગાળામાં આ માટે સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાં રૂા. 33580.93 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. 2015-20ના ગાળામાં આ જોગવાઈ વધારીને રૂા. 61220 કરોડની કરી દેવામાં આવી છે. દુષ્કાળ અને કરાં પડવાને કારણે કઠણાઈનો સામનો કરનારા રાજ્યો માટે 2010-14ના સમયગાળામાં રૂા. 12516.20 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. એનડીએની સરકારે 2014-15ના વર્ષમાં જ દુષ્કાળ અને કરાંનો ભોગ બનેલા રાજ્યોને રાહત આપવા માટે રૂા. 9017.998 કરોડની ફાળવણી કરી હતી. 2015-16ની સાલમાં અત્યાર સુધી આ રાહત પેટે કરવો પડનારો ખર્ચ વધારીને રૂા.13496.57 કરોડ મંજૂર કરી દેવામાં આવ્યો છે. 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
World Exclusive | Almost like a miracle: Putin praises India's economic rise since independence

Media Coverage

World Exclusive | Almost like a miracle: Putin praises India's economic rise since independence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
6 Years of Jal Jeevan Mission: Transforming Lives, One Tap at a Time
August 14, 2025
Jal Jeevan Mission has become a major development parameter to provide water to every household.” - PM Narendra Modi

For generations, the sight of women carrying pots of water on their heads was an everyday scene in rural India. It was more than a chore, it was a necessity that was an integral part of their everyday life. The water was brought back, often just one or two pots which had to be stretched for drinking, cooking, cleaning, and washing. It was a routine that left little time for rest, education, or income-generating work, and the burden fell most heavily on women.

Before 2014 water scarcity, one of India’s most pressing problems, was met with little urgency or vision. Access to safe drinking water was fragmented, villages relied on distant sources, and nationwide household tap connections were seen as unrealistic.

This reality began to shift in 2019, when the Government of India launched the Jal Jeevan Mission (JJM). A centrally sponsored initiative which aims at providing a Functional Household Tap Connection (FHTC) to every rural household. At that time, only 3.2 crore rural households, a modest 16.7% of the total, had tap water. The rest still depended on community sources, often far from home.

As of July 2025, the progress under the Har Ghar Jal program has been exceptional, with 12.5 crore additional rural households connected, bringing the total to over 15.7 crore. The program has achieved 100% tap water coverage in 200 districts and over 2.6 lakh villages, with 8 states and 3 union territories now fully covered. For millions, this means not just access to water at home, but saved time, improved health, and restored dignity. Nearly 80% of tap water coverage has been achieved in 112 aspirational districts, a significant rise from less than 8%. Additionally, 59 lakh households in LWE districts have gained tap water connections, ensuring development reaches every corner. Acknowledging both the significant progress and the road ahead, the Union Budget 2025–26 announced the program’s extension until 2028 with an increased budget.

The Jal Jeevan Mission, launched nationally in 2019, traces its origins to Gujarat, where Narendra Modi, as Chief Minister, tackled water scarcity in the arid state through the Sujalam Sufalam initiative. This effort formed a blueprint for a mission that would one day aim to provide tap water to every rural household in India.

Though drinking water is a State subject, the Government of India has taken on the role of a committed partner, providing technical and financial support while empowering States to plan and implement local solutions. To keep the Mission on track, a strong monitoring system links Aadhaar for targeting, geo-tags assets, conducts third-party inspections, and uses IoT devices to track village water flow.

The Jal Jeevan Mission’s objectives are as much about people as they are about pipes. By prioritizing underserved and water-stressed areas, ensuring that schools, Anganwadi centres, and health facilities have running water, and encouraging local communities to take ownership through contributions or shramdaan, the Mission aims to make safe water everyone’s responsibility..

The impact reaches far beyond convenience. The World Health Organization estimates that achieving JJM’s targets could save over 5.5 crore hours each day, time that can now be spent on education, work, or family. 9 crore women no longer need to fetch water from outside. WHO also projects that safe water for all could prevent nearly 4 lakh deaths from diarrhoeal disease and save Rs. 8.2 lakh crores in health costs. Additionally, according to IIM Bangalore and the International Labour Organization, JJM has generated nearly 3 crore person-years of employment during its build-out, with nearly 25 lakh women are trained to use Field testing Kits.

From the quiet relief of a mother filling a glass of clean water in her kitchen, to the confidence of a school where children can drink without worry, the Jal Jeevan Mission is changing what it means to live in rural India.