પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. એ માટે 2021-22 થી 2025-2026 સુધી રૂ. 69,515.71 કરોડરૂપિયાનો કુલ ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે.  આ નિર્ણયથી 2025-26 સુધીમાં સમગ્ર દેશમાં ખેડૂતો માટે અનિવાર્ય કુદરતી આફતોમાંથી પાકના જોખમને આવરી લેવામાં મદદ મળશે.

આ ઉપરાંત, યોજનાના અમલીકરણમાં મોટા પાયે તકનિકીનાં ઉપયોગથી પારદર્શિતા અને દાવાની ગણતરી અને પતાવટમાં વધારો થશે. એ માટે કેન્દ્રીય મંત્રીમંડળે 824.77 કરોડ રૂપિયાનાં ભંડોળની સાથે ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી (FIAT) માટે ફંડની રચનાને પણ મંજૂરી આપી છે.

આ ભંડોળનો ઉપયોગ યોજના હેઠળની તકનીકી પહેલો, જેમ કે, YES-TECH, WINDS, વગેરે તેમજ સંશોધન અને વિકાસ અભ્યાસો માટે ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવશે.

ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉપજ અંદાજ પ્રણાલી(YES-TECH) તકનીકી આધારિત ઉપજના અંદાજ માટે લઘુત્તમ 30% મહત્વ આપતા ઉપજ અનુમાન માટે  રિમોટ સેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. હાલમાં 9 મુખ્ય રાજ્યો હાલમાં તેનો અમલ કરી રહ્યા છે (જેમાં આંધ્ર પ્રદેશ, આસામ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને કર્ણાટક). અન્ય રાજ્યોને પણ ઝડપથી આમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. YES-TECHના વ્યાપક અમલીકરણ સાથે પાક લણણીનાં પ્રયોગો અને સંબંધિત મુદ્દાઓ ધીમે ધીમે દૂર કરવામાં આવશે. YES-TECH હેઠળ 2023-24 માટે દાવાની ગણતરી અને પતાવટ કરવામાં આવી છે. મધ્યપ્રદેશે 100% ટેકનોલોજી આધારિત ઉપજ અંદાજ અપનાવ્યો છે.

હવામાન માહિતી અને નેટવર્ક ડેટા સિસ્ટમ્સ (WINDS) બ્લોક સ્તરે સ્વચાલિત હવામાન મથકો (AWS) અને પંચાયત સ્તરે સ્વચાલિત વરસાદ માપક (ARGs) સ્થાપવાની કલ્પના કરવામાં આવી છે. WINDS હેઠળ હાયપર લોકલ વેધર ડેટા વિકસાવવા માટે વર્તમાન નેટવર્કની ઘનતામાં 5 ગણી વૃદ્ધિની કલ્પના કરવામાં આવી છે. આ પહેલ હેઠળ, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા માત્ર ડેટા ભાડા ખર્ચ ચૂકવવાપાત્ર છે. 9 મુખ્ય રાજ્યો WINDS લાગુ કરવાની પ્રક્રિયામાં છે (કેરળ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ પુડુચેરી, આસામ, ઓડિશા, કર્ણાટક, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં કાર્ય પ્રગતિમાં છે), જ્યારે અન્ય રાજ્યોએ પણ અમલ કરવાની ઈચ્છા દર્શાવી છે.

ટેન્ડરિંગ પહેલાં જરૂરી વિવિધ પૂર્વભૂમિકા તૈયારી અને આયોજન કાર્યને કારણે 2023-24 (EFC મુજબ પ્રથમ વર્ષ) દરમિયાન રાજ્યો દ્વારા WINDS લાગુ કરી શકાયું નથી. તદનુસાર, કેન્દ્રીય કેબિનેટે 90:10 રેશિયોમાં ઉચ્ચ કેન્દ્રીય ભંડોળની વહેંચણી સાથે રાજ્ય સરકારોને લાભ આપવા માટે અગાઉ 2023-24ની સરખામણીમાં WINDSના અમલીકરણના પ્રથમ વર્ષ તરીકે 2024-25ને મંજૂરી આપી છે.

પૂર્વોત્તર રાજ્યોના તમામ ખેડૂતોને પ્રાથમિકતાના ધોરણે લાભ મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગળ પણ કરવામાં આવશે. આ સીમા સુધી, કેન્દ્ર પૂર્વોત્તર રાજ્યોની  સાથે પ્રીમિયમ સબસિડીના 90% શેર કરે છે. જો કે, આ યોજના સ્વૈચ્છિક હોવાથી અને પૂર્વોત્તર રાજ્યોમાં ઓછા કુલ પાક વિસ્તારને કારણે, ભંડોળની શરણાગતિ ટાળવા અને ભંડોળની જરૂર હોય તેવા અન્ય વિકાસ પ્રોજેક્ટો અને યોજનાઓને ફરીથી ફાળવવા માટે રાહત આપવામાં આવી છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
‘Modiji, Aap Ka Aura Hi Alag Hai’: Gen Z ‘Friends’ Click With PM At Vadodara Event

Media Coverage

‘Modiji, Aap Ka Aura Hi Alag Hai’: Gen Z ‘Friends’ Click With PM At Vadodara Event
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the value and transformative power of knowledge
September 09, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam highlighting that wisdom teaches the art of living in harmony with society. He said that knowledge imparts wisdom and prosperity, fills the heart with joy and enhances one’s dignity.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”

The Subhashitam conveys that wisdom teaches the art of living in harmony with society. It grants knowledge and prosperity, fills the heart with joy, and raises one's dignity. Thus, wisdom is as precious as service to righteous governance, beloved by the heart, and a force that uplifts life.

The Prime Minister wrote on X;

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”