પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ઇમિગ્રેશન, વિઝા, ફોરેનર્સ રજીસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ (IVFRT) યોજનાને 31 માર્ચ, 2026 થી આગળ 01 એપ્રિલ, 2026 થી 31 માર્ચ, 2031 સુધીના પાંચ વર્ષના ગાળા માટે રૂ. 1800 કરોડના બજેટ ખર્ચ સાથે ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે.

IVFRT પ્લેટફોર્મ ભારતમાં ઇમિગ્રેશન, વિઝા જારી કરવા અને વિદેશીઓની નોંધણી સંબંધિત કાર્યોને એકબીજા સાથે જોડવા અને તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરે છે. IVFRT નો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષિત અને સંકલિત સેવા વિતરણ માળખામાં ઇમિગ્રેશન અને વિઝા સેવાઓને આધુનિક અને અપગ્રેડ કરવાનો છે. તેનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાની સાથે કાયદેસરના પ્રવાસીઓને સુવિધા આપવાનો છે. આ પ્રોજેક્ટ આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા 13.05.2010 ના રોજ રૂ. 1011 કરોડના બજેટ ખર્ચ અને સપ્ટેમ્બર, 2014 સુધીના પ્રોજેક્ટ સમયગાળા સાથે મંજૂર કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ માટેનો બજેટ ખર્ચ 2015માં સુધારીને રૂ. 638.90 કરોડ કરવામાં આવ્યો હતો, સાથે જ અમલીકરણની સમયમર્યાદા 31 માર્ચ, 2017 સુધી અને આગળ કોઈ વધારાની નાણાકીય અસરો વિના 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવી હતી. રૂ. 638.90 કરોડના કુલ સુધારેલા ખર્ચ સામે રૂ. 613.28 કરોડનો ખર્ચ થયો હતો. 01.04.2021 થી 31.03.2026 સુધીના પાંચ વર્ષના ગાળા માટે પ્રોજેક્ટને વધુ ચાલુ રાખવાની મંજૂરી કેબિનેટ દ્વારા 19.01.2022 ના રોજ રૂ. 1365 કરોડના બજેટ ખર્ચ સાથે આપવામાં આવી હતી.

આ યોજના હાલની IVFRT યોજનાના વ્યાપ અને ક્ષમતાને વિસ્તારવા અને મજબૂત કરવા માંગે છે, જે માત્ર હાલના માળખાની પુનઃકલ્પના અને સુધારણા દ્વારા જ નહીં, પરંતુ સુરક્ષા આર્કિટેક્ચર સાથે બાંધછોડ કર્યા વિના વપરાશકર્તાના અનુભવને વધારવા માટે અત્યાધુનિક તકનીકી ઉકેલો રજૂ કરીને પણ કરવામાં આવશે. વૈશ્વિક પ્રવાસની વિકસતી માંગને પહોંચી વળવા અને ઉભરતા રાષ્ટ્રીય સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે IVFRT પ્રોજેક્ટનું આધુનિકીકરણ આવશ્યક છે. ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 અને તેના અનુગામી નિયમો અને આદેશના તાજેતરના અમલીકરણ પછી, ગેરકાયદેસર સ્થળાંતર સહિત ઇમિગ્રેશન નિયંત્રણ અને વિદેશી સંચાલનના ક્ષેત્રમાં ઉભરતી જરૂરિયાતો અને ભાવિ પડકારોને અસરકારક રીતે પહોંચી વળવા માટે ઇમિગ્રેશન, વિઝા અને ફોરેનર્સ રજીસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ (IVFRT) સિસ્ટમને મજબૂત અને આધુનિક બનાવવી અનિવાર્ય બની ગઈ છે. પ્રોજેક્ટનું ચાલુ રહેવું એ માત્ર ટેકનિકલ અપગ્રેડ નથી, પરંતુ વિશ્વ-સ્તરીય ઇમિગ્રેશન અને વિઝા જારી કરવાની સિસ્ટમ દ્વારા આંતરરાષ્ટ્રીય ગતિશીલતાને પ્રોત્સાહન આપવાના ભારત સરકારના વિઝન સાથે સંરેખિત વ્યૂહાત્મક પરિવર્તન છે. આગામી તબક્કો ત્રણ વ્યાપક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે: (ક) ઉભરતી ટેકનોલોજી નવીનતાઓ, (ખ) મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પરિવર્તન, અને (ગ) ટેકનોલોજી અને સેવા ઓપ્ટિમાઈઝેશન.

આ યોજના ઉભરતી ટેકનોલોજી અપનાવીને ઇમિગ્રેશન અને વિઝા ઇકોસિસ્ટમને આધુનિક બનાવશે, જેમાં સીમલેસ અને સુરક્ષિત પેસેન્જર હિલચાલ માટે મોબાઇલ-આધારિત સેવાઓ અને સેલ્ફ-સર્વિસ કિઓસ્કનો સમાવેશ થાય છે. તે દેશભરમાં સ્થિતિસ્થાપક અને સ્કેલેબલ સિસ્ટમ બનાવવા માટે ઇમિગ્રેશન પોસ્ટ્સ, FRROs અને ડેટા સેન્ટર્સમાં મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ અને વિસ્તૃત કરશે. વધુમાં, તે યુનિફાઇડ ડિજિટલ પ્લેટફોર્મ્સ રજૂ કરીને, કોર એપ્લિકેશન આર્કિટેક્ચરને સુધારીને અને સુધારેલી કાર્યક્ષમતા અને વપરાશકર્તા અનુભવ માટે નેટવર્ક અને ડિપ્લોયમેન્ટ ફ્રેમવર્કને મજબૂત કરીને ટેકનોલોજી અને સેવા વિતરણને શ્રેષ્ઠ બનાવશે, જે રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાની સાથે કાયદેસરના પ્રવાસીઓને સુવિધા આપશે. તે સેવાની સાતત્ય જાળવવામાં મદદ કરશે અને ભવિષ્યમાં ભારતમાં વધુ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે નવીન તકનીકી ઉકેલો દાખલ કરશે. આનાથી પ્રવાસન, તબીબી અને વ્યવસાયિક ક્ષેત્રોને વેગ મળશે. IVFRT પાસે અપાર સકારાત્મક અસરો છે જે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક, વ્યવસાય, વાણિજ્ય અને પ્રવાસનને પ્રોત્સાહન આપશે. આ આર્થિક વૃદ્ધિનો માર્ગ મોકળો કરશે અને આમ રોજગારીની તકોમાં યોગદાન આપશે.

આ યોજનાએ દેશભરમાં 117 ઇમિગ્રેશન પોસ્ટ્સ (IPs), 15 ફોરેનર્સ રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસર્સ (FRROs) અને 854 ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફિસર્સ (FROs) / પોલીસ અધિક્ષકો (SPs) / ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCPs) ને આવરી લીધા છે.

IVFRT સિસ્ટમે ઇમિગ્રેશન અને વિઝા કાર્યોમાં સેવા વિતરણ અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. સિસ્ટમે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ શિડ્યુલિંગ અને પેમેન્ટ સુવિધાઓ સાથે 100% કોન્ટેક્ટલેસ અને ફેસલેસ વિઝા પ્રક્રિયાને સક્ષમ કરી છે, જેનાથી વિઝા પ્રોસેસિંગના સમયમાં ઝડપ આવી છે અને પાછલા પાંચ વર્ષ દરમિયાન 91.24% ઈ-વિઝા અરજીઓ 72 કલાકની અંદર મંજૂર કરવામાં આવી છે. ઇમિગ્રેશન પોસ્ટ્સ પર મુસાફરોનો સરેરાશ ક્લિયરન્સ સમય પણ પરંપરાગત 5-6 મિનિટથી ઘટીને બાયોમેટ્રિક્સ સહિત 2.5-3 મિનિટ થઈ ગયો છે.

13 મુખ્ય એરપોર્ટ પર અમલમાં મુકાયેલ ઓટોમેટેડ ઈ-ગેટ્સ દ્વારા ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન-ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ (FTI-TTP), ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે લાગતા સમયને 2.5-3 મિનિટથી ઘટાડીને 30 સેકન્ડ કરે છે. તેની નોંધણી નિઃશુલ્ક (gratis) ધોરણે છે જે હાલમાં ભારતીય નાગરિકો અને OCI કાર્ડધારકો માટે ઉપલબ્ધ છે.

વ્યાપાર કરવાની સરળતા, સગવડતા અને સુરક્ષા આશ્વાસનને કારણે વિશાળ આર્થિક લાભો IVFRT સિસ્ટમ દ્વારા શક્ય બન્યા છે. પ્રવાસન, વ્યવસાય, વ્યાપાર અને વાણિજ્ય, સેવા ઉદ્યોગ ખાસ કરીને ઉડ્ડયન અને હોસ્પિટાલિટી ઉદ્યોગને IVFRT સિસ્ટમ દ્વારા વ્યાપક લાભ થયો છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Won't Let India's Neo Middle Class Down': PM Modi On Completing 12 Years In Office

Media Coverage

'Won't Let India's Neo Middle Class Down': PM Modi On Completing 12 Years In Office
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi shares a Sanskrit Subhashitam highlighting agriculture and crops as the foundation of human life
June 11, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today highlighting that agriculture is not merely a means of livelihood, but the fundamental basis of the nourishment of society and the nation.

The Prime Minister posted on X:

"कृषि केवल जीविका का साधन नहीं, बल्कि समाज और राष्ट्र के पोषण का मूल आधार है। हमारे किसान भाई-बहनों का पसीना जब मिट्टी में मिलता है तो अन्न बनकर देशवासियों के जीवन को संबल देता है।

ते कृषिं च सस्यं च मनुष्या उप जीवन्ति।
कृष्टराधिरुपजीवनीयो भवति य एवं वेद॥

#12YearsOfKisanSamriddhi"

Agriculture and crops are the very foundation of human life. One who understands this truth carries out agricultural work properly and through it, society is sustained and nourished.