મોરેશિયસના રાષ્ટ્રપતિ,
મહામહિમ ધરમબીર ગોકુલ જી,
પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ જી,
મોરેશિયસના બહેનો અને ભાઈઓ

મોરેશિયસના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થવા બદલ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ ફક્ત મારું સન્માન નથી. તે 1.4 અબજ ભારતીયોનું સન્માન છે. તે ભારત અને મોરેશિયસ વચ્ચે સદીઓ જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સગપણના બંધનોનું સન્માન છે. તે પ્રાદેશિક શાંતિ, પ્રગતિ, સુરક્ષા અને ટકાઉ વિકાસ પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાની સ્વીકૃતિ છે અને, તે ગ્લોબલ સાઉથની સહિયારી આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતીક છે. હું આ એવોર્ડ સંપૂર્ણ નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. હું તેને તમારા પૂર્વજોને સમર્પિત કરું છું જેઓ સદીઓ પહેલા ભારતથી મોરેશિયસ આવ્યા હતા, અને તેમની બધી પેઢીઓને. પોતાની મહેનત દ્વારા, તેમણે મોરેશિયસના વિકાસમાં એક સુવર્ણ પ્રકરણ લખ્યું અને તેની જીવંત વિવિધતામાં યોગદાન આપ્યું. હું આ સન્માનને એક જવાબદારી તરીકે પણ સ્વીકારું છું. હું અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરું છું કે અમે ભારત-મોરેશિયસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંચાઈ સુધી વધારવા માટે તમામ પ્રયાસો ચાલુ રાખીશું.

Thank you very much.


