പങ്കിടുക
 
Comments

નરેન્દ્રભાઇ મોદીની ઉત્તર ગુજરાતમાં વિઘુતવેગી ચૂંટણી ઝૂંબેશ

કોંગ્રેસની ખુરશી સાચવવા કારસા કેવા છે?

દિલ્હીની ગાદી ઉપર પંજો ચડી બેઠો ત્યારથી મોંધવારી સડસડાટ ઉપર ચડતી ગઇ...

દેશના અર્થતંત્રને બેહાલ કર્યું, યુવાનો બેકાર, ગરીબને ભૂખે માર્યા, કિસાન બે મોત મરે અને  નિર્દોષ જનની જિંદગી અસલામત

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તર ગુજરાતમાં ધોમધખતા તાપમાં પણ વિશાળ જનમેદનીની ચૂંટણીસભાઓમાં જણાવ્યું હતું કે ખૂરશી માટેની સત્તાભૂખને વરેલી કોંગ્રેસના પંજામાંથી મૂકત થવાનો અવસર આ ચૂંટણીએ પૂરો પાડયો છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ઇકબાલગઢ, સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને મહેસાણા બેઠકમાં ખેરાલુમાં આજે નરેન્દ્રભાઇ મોદીએ આક્રમક શૈલીમાં કોંગ્રેસે મતબેન્કના રાજકારણ ખેલવા ગરીબોના હિતના ભોગે અને સમાજમાં ભાગલા પાડીને ખુરશી સાચવવાના કરેલા કારસાનો પર્દાફાશ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે દિલ્હીની ગાદી ઉપર જ્યારથી પંજો ચડી બેઠો ત્યારથી મોંધવારી સડસડાટ ઉપર ચડતી ગઇ છે. ગરીબોના ધરનો ચૂલો સળગતો નથી અને બાળકો ભૂખ્યાં સૂવે છે. સામાન્ય માનવી જીંદગીની અસલામતીના ભયમાં જીવે છે અને ભ્રષ્ટાચારથી ખુરશી સાચવવા કોંગ્રેસ મતોનું રાજકારણ ખેલી રહી છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ દેશની સંપત્તિ ઉપર પહેલો અધિકાર મુસલમાનોનો છે એમ કહે છે, ભાજપા આ અધિકાર ગરીબોનો છે એમ માને છે. ગરીબોમાં બધી જ કોમના ગરીબો આવી જાય એમાં હિન્દુ-મુસલમાન શહેર-ગામડાં, યુવા, વૃદ્ધ મહિલા-કોઇ જ સામાજિક ભેદભાવ હોય જ નહીં પરંતુ કોંગ્રેસને તો આ સમાજમાં ભેદ પાડીને મતોનું રાજકારણ ખેલવું છે.

આમાંને આમાં, પાંચ વર્ષ વીતી ગયાં અને દેશનું મજબૂત અર્થતંત્ર બેહાલ થઇ ગયું, લાખો લાખો યુવાનોને બેકારી ભરખી ગઇ, કિસાનો દેવાના બોજમાં ડૂબી ગયા, નિર્દોષ નાગરિકની જિંદગી અસલામત બની ગઇ - શું આ દુર્દશા કરનારી કોંગ્રેસની શાન ઠેકાણે લાવવી જોઇએ કે નહીં-એવો પ્રશ્ન જનમેદની સમક્ષ કરતાં જનતાએ સમર્થનમાં હાથ ઊંચા કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં જ્યારથી ભાજપાની સરકાર આવી ત્યારથી છેલ્લા સાત વર્ષમાં વિકાસના રાજકારણનો માર્ગ લીધો છે અને કેટલી પ્રગતિ થઇ છે પાણી, વીજળી, રસ્તા શિક્ષણ-આરોગ્ય જેવી માળખાકીય પાયાની સેવા સુવિધાઓમાં ગુણાત્મક સુધારા જનતા જોઇ રહી છે. દિલ્હીમાં પણ ભાજપાની સરકાર અડવાણીજીના નેતૃત્વમાં આવશે તો કોંગ્રેસની જેમ ચાર પાયાની ખુરશી નહીં પણ ચાર પાયાની સુવિધા ગરીબોના ભલા માટે કરશે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રજા હવે સમજી ગઇ છે કે કોંગ્રેસના રાજમાં નાગરિક સલામત નથી અને દેશ સુરક્ષિત નથી- વિકાસની દિશા કોંગ્રેસે કયારનીય છોડી દીધી છે અને કોંગ્રેસ પ્રજાના અરમાનની પૂર્તિ કરી શકે તેવી આશા રાખવી પણ વ્યર્થ છે.

Explore More
77-ാം സ്വാതന്ത്ര്യദിനാഘോഷത്തിന്റെ ഭാഗമായി ചെങ്കോട്ടയിൽ നിന്നു പ്രധാനമന്ത്രി ശ്രീ നരേന്ദ്ര മോദി നടത്തിയ അഭിസംബോധനയുടെ പൂർണരൂപം

ജനപ്രിയ പ്രസംഗങ്ങൾ

77-ാം സ്വാതന്ത്ര്യദിനാഘോഷത്തിന്റെ ഭാഗമായി ചെങ്കോട്ടയിൽ നിന്നു പ്രധാനമന്ത്രി ശ്രീ നരേന്ദ്ര മോദി നടത്തിയ അഭിസംബോധനയുടെ പൂർണരൂപം
Purchase 'Made In India' Products, Go Local: PM Modi Urges During Mann Ki Baat

Media Coverage

Purchase 'Made In India' Products, Go Local: PM Modi Urges During Mann Ki Baat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Pandit Deendayal Upadhyay on his birth anniversary
September 25, 2023
പങ്കിടുക
 
Comments

The Prime Minister, Shri Narendra Modi paid tributes to Pandit Deendayal Upadhyay on his birth anniversary.

Shri Modi said that the personality and work of Pandit Deendayal Upadhyay, the founder of Antyodaya, who dedicated his entire life to the service of Mother India, will always remain a source of inspiration for the countrymen.

The Prime Minister also shared his thoughts on Pandit Deendayal Upadhyay.

In a X post, the Prime Minister said;

“मां भारती की सेवा में जीवनपर्यंत समर्पित रहे अंत्योदय के प्रणेता पंडित दीनदयाल उपाध्याय जी का व्यक्तित्व और कृतित्व देशवासियों के लिए हमेशा प्रेरणास्रोत बना रहेगा। उनकी जन्म-जयंती पर उन्हें मेरा सादर नमन।”